જૂનાગઢ મૂક્તિ દિન:બહાઉદ્દીન મેદાનમાં આતશબાજી, ભાસ્કર આયોજીત સૂર સંધ્યામાં હજારો નાગરિકો જોડાયા
9 નવેમ્બરના રોજ જૂનાગઢ મુક્તિ દિવસ નિમિતે દિવ્ય ભાસ્કર અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંજે 8:30 કલાકે બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ પર આતશબાજી તેમજ શૌર્ય, સંસ્કૃતિ અને સાહસની થીમ પર સંગીત સંધ્યાનુ આયોજન કરાયુ હતુ. જેમાં એક જ સ્ટેજ પર 20 જેટલા નામાંકિત કલાકારોએ પોતાની શૈલીમાં લોકગીત, દેશ ભક્તિ ગીત, ગઝલો રજૂ કરી શહેરીજનો સંગીતના તાલે ઝૂમાડ્યા હતા. શહેરીજનો માટે ગાંઠીયા ઉત્સવનુ આયોજન કરાયુ હતુ જેમાં લોકોએ મનમુકીને ગાંઠીયાનો આનંદ પણ માણ્યો હતો. સંગીત સંધ્યામાં વિપુલ ત્રિવેદી, ધર્મેશ નાણાવટી, હેમલ નાણાવટી, શીતલ નાણાવટી, ખુશાલી બક્ષી, દર્પિત દવે, પાર્થ હિંડોચા, ધ્વનિત ત્રિવેદી, હર્ષ ઠાકર, નિષ્ઠા નરસાણા, લબ્ધી ભટ્ટ, મયુર પારેડી, નફીસ દરોગા, રાજુ રીધમ, ચિંતન બુચ, જપન બક્ષી, વિરલ મારૂ, આદિત્ય ત્રિવેદી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુ સોનપાલ અને નિશા નાણાવટીએ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતુ.
ભાસ્કર ઈન્સાઈડ:વ્યાજે પૈસા લઈને મજૂર-ખાતર વાળાને આપ્યા
ભરૂચ જિલ્લામાં માવઠાને 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. જેમાં ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું તે શિવાય કપાસ, તુવેર અને સોયાબીન ના પાકને નુકસાન પહોંચ્યું હતું. જેથી ખેડૂતોએ સહાય માટે ગુહાર લગાવી હતી જેથી સરકારે રૂપિયા 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયથી કેટલાક ખેડૂતો માં અસંતોષ તો કેટલાક ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં અંદાજે 1 લાખથી વધુ ખેડૂત ખાતેદાર ને નુકશાન થયાનું સામે આવ્યું છે. માવઠાને કારણે ડાંગર પાક મોટાભાગના ખેડૂતોનો નષ્ટ થઈ ગયો છે. હવે ખેડૂતોને માવઠાના કારણે પૈસા ખર્ચીને તૈયાર કરેલો પાક નષ્ટ થયા બાદ હવે તેને ખેતર માંથી બહાર કાઢવા, ખેતરને સાફ કરવા માટે પણ નવો ખ ર્ચ લાગશે તો ખેડૂત ફરી કેવી રીતે ઊભો થઈ શકે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે ભાસ્કરની ટીમે કેટલાક ખેડૂતો પાસે સહાય પૅકેજ ને લઈને સવાલ કરતાં કેટલાક ખેડૂતો ના ખુશ તો કેટલાકને સંતોષ થયો હોવાનું જાણવા મળ્યું હતું. નવેસરથી ખેતી કરવા માટે પૈસા નથી મારા 2 એકરમાં કપાસ અને તુવેરમાં નુકશાન થયું છે. હવે નવેસરથી ખેતી કરવા માટે પૈસા પણ નથી ત્યારે હવે ખેતી કેવીરીતે કરવી તે પણ સમજાતું નથી. સરકારે સહાય પેકેજ માં વધારો કરે તો તેના રકમથી ફરી ખેતી કરી શકશે પણ હાલ કરે જાહેરાતથી ખેડૂત પાછો ઊભો થઈ શકે તેમ નથી. વિનોદ વસાવા, ખેડૂત 10 હજાર કરોડની સહાયનું પેકેજ સારામાં સારુ છેચાલુ વર્ષે 6 મહિના સુધી ખૂબ વરસાદ પડ્યો છે.જેમાં ડાંગર, કપાસ અને મગફળી સહિતને ખૂબ નુકસાન થયું છે, તેની સામે સરકારે સહાય પેકેજ જાહેર કરીને બહુ સારું કર્યું છે. 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતો માટે સારામાં સારું છે. એ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું.- ગેમલસિંહ પટેલ, હાંસોટ વ્યાજે પૈસા લઈને ખાતર વાળા-મજૂરને પૈસા આપ્યામારે ડાંગર સહિત કપાસ મળી 10 એકર જેટલા વિસ્તારમાં ખેતી પાકમાં નુકશાન થયું છે. 26 હજાર એકરે અંદાજે ખર્ચ થાય છે ત્યારે સરકાર હેકટરે રૂપિયા 50 હજાર આપે તો ખેડૂત ઉભો થઈ શકે. વ્યાજે પૈસા લઈને મજૂર તેમજ ખાતર વાળા ને આપી દીધા હવે ઘર કેવી રીતે ચલાવવું સમજાતું નથી.- અજય પટેલ, ખેડૂત ડાંગર પાક તૈયાર કરવા અને ખેતર સાફ કરવા આટલો ખર્ચ થશેજિલ્લાના ખેડૂતોએ સરકારનું રાહત પેકેજ આવકાર્યું છે સરકાર અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી રાહત આપી છે. ગુજરાતમાં ખુબ સારો નિર્ણય લેવાયો છે. 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બે હેક્ટર જમીન દીઠ રૂ. 44 હજાર માટે સહાય આપવામાં આવશે જેને ભરૂચ જિલ્લાના દરેક ખેડૂત મિત્રોએ આવકાર્યું છે. જમયલ પટેલ, ખેડૂત જિલ્લાના ખેડૂતોએ સરકારનું રાહત પેકેજ સ્વીકાર્યું છેખેડૂતના જણાવ્યા મુજબ ડાંગરનો પાક તૈયાર કરવા રોપણી થી, ખાતર, દવા ને મજૂરી સહિતનો ખર્ચ અંદાજે એક વીંઘે 12 થી 15 હજાર થાય છે. જે માવઠાને કારણે ડાંગરના પાકને નુકસાન થતાં હવે ખેતરને સાફ કરવા માટે ખેડૂતોએ વધુ ખર્ચ કરવો પડશે જેમાં અંદાજ ડાંગર પાક ખેતર માંથી સાફ કરવા માટે વીંધે 2 હજાર રૂપિયા જેટલાનો વધુ ખર્ચ કરવો પડશે. જેથી આ માવઠાનો માર બાદ ખેડૂતોને પાછું ઊભું થવું મુશ્કેલ બનશે.
આયુર્વેદથી ચમત્કાર:વૃદ્ધને ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને સાઇટિકાની બીમારીમાં આયુર્વેદ સારવારથી મુક્તિ મળી
નગરમાં રહેતા વૃદ્ધને ઓસ્ટોઓ આર્થરાયટીસ અને સાઇટીકાની બિમારીથી પીડાતા હતા. આથી વૃદ્ધ ચાલી શકતા નહી હોવાથી પારાવાર હાલાકી વેઠી રહ્યા હતા. ત્યારે વૃદ્ધને બિમારીમાંથી મુક્ત થવા સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પંચકર્મ આયુર્વેદ નિદાન અને સારવાર કરવામાં આવતા વૃદ્ધ ચાલતા પોતાના ઘરે ગયા હતા. આયુર્વેદ સારવાર અને નિદાન આપણા વેદોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ બિમારીનો રામબાણ ઇલાજ આયુર્વેદ સારવાર અને નિદાન પદ્ધતિ હોવાનો ઉલ્લેખ આયુર્વેદશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે નગરના વૃદ્ધને ઓસ્ટીઓ આર્થરાયટીસ અને સાઇટીકાની બિમારીને આયુર્વેદ પદ્ધતિથી દુર કરવામાં આવી છે. આ અંગે નગરના સેક્ટર-22માં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટે જણાવ્યું છે કે નગરમાં રહેતા 73 વર્ષથી વડિલને છેલ્લા એકાદ વર્ષથી ઓસ્ટોઓ આર્થરાયટીસ (ઢીંચણનો ઘસારા)ની બિમારીના કારણે ચાલવામાં ઘણી જ તકલીફ થતી હતી. તેમાં વૃદ્ધને સાઇટીકાની બિમારી થતાં તેઓ લાકડી કે વ્યક્તિના ટેકા વિના ચાલી શકતા નથી. ત્યારે ઢીંચણના ઘસારા અને સાઇટીકાની બિમારીમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદ નિદાન સારવાર માટે સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જવાની સલાહ મળી હતી. આથી વૃદ્ધને સેક્ટર-22ની આયુર્વેદ હોસ્પિટલમાં આવતા તેઓનું નિદાન અને સારવાર કર્યા બાદ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા.
માવઠાની મોકાણ:જિલ્લાના 47000 ખેડૂતોના 28291 હેક્ટરના ખરીફ પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું
કમૌસમી વરસાદથી જિલ્લાના 28291 હેક્ટરમાં ખરીફ પાકને નુકશાન થયું હોવાથી 47000 ખેડુતો અસરગ્રસ્ત થયા હતા. ત્યારે રાજ્ય સરકારે પ્રતિ હેક્ટરે 22000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાંય પ્રતિ ખેડૂતે માત્ર બે હેક્ટર નુકસાનીનું વળતર આપવામાં આવશે. ત્યારે ખેડૂતોએ પાકમાં થયેલા નુકશાનના વળતર માટે અરજી કરવાની રહેશે. કે પછી સર્વે કરાયો તેના આધારે વળતર ચુકવાશે સહિતના પ્રશ્નો ખેડુતોના મનમાં ઉઠી રહ્યા છે. શિયાળાની શરૂઆત પહેલાં ખેતરમાં તૈયાર ખરીફ પાક મગફળી, ડાંગર, મગ, અડદ, કપાસ પાકની કાપણી કરીને સુકવણી માટે ખેતરમાં પથારા કરવામાં આવ્યા હતા. ત્યારે પડેલા કમૌસમી વરસાદથી ખેતરમાં સુકવણી માટે પથારા કરેલા મગફળી, ડાંગર, મગ, અડદ પાકના પલળી જવાથી તેમાં ફુગ અને અંકુરણ ફુટી જતા ખેડુતના હાથમાં આવેલો કોળિયો છિનવાઇ ગયો હતો. ત્યારે જિલ્લાના ગ્રામ સેવકોની કુલ-91 ટીમો બનાવીને જિલ્લાના 288 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેમાં કુલ-28291 હેક્ટરમાં મગફળી, ડાંગર, મગ, અડદ, તલ, કપાસ સહિતના પાકમાં નુકશાન થયું હતું. સરકાર દ્વારા કમૌસમી વરસાદથી ખરીફ પાકમાં થયેલા નુકશાનના વળતર પેટે પ્રતિ હેક્ટરે રૂપિયા 22000નો ખર્ચ આપવામાં આવશે. તેમાંય પ્રત્યેક ખેડુતને વધુમાં વધુ બે હેક્ટર નુકશાનનું જ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં 28291 હેક્ટરમાં થયેલા ખરીફ પાકને નુકશાનથી અસરગ્રસ્ત 47000 ખેડુતો થયા છે. જોકે ખરીફ પાકને થયેલા નુકશાનનું વળતર ખેડુતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવનાર છે. પરંતું તેના માટે સર્વે કરેલા તેના આધારે ખેડુતોને વળતર આપવામાં આવશે. કે પછી ખેડુતોએ ખરીફ પાકના નુકશાન માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીમાં કઇ કઇ બાબતો સામેલ કરવી જેમ કે સાત બારના ઉતારાની નકલ, પાણી પત્રક સહિતની મુંઝવણ ખેડુતોમાં સતાવી રહી છે. ખરીફ પાકના નુકશાનનું વળતર આપવાની જાહેરાત કર્યા બાદ વળતર કેવી રીતે ખેડુતને મળશે તે અંગે કોઇ જ નક્કર નિર્ણય લેવામાં નહી આવતા ખેડુતોની મુંઝવણ વધી જવા પામી છે. ખેડૂતોને વળતરની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરાશે : જિલ્લા ખેતી અધિકારીકમૌસમી વરસાદથી ખેડૂતોને તૈયાર ખરીફ પાક પલળી જવાથી નુકસાન થયું છે. જોકે રાજ્ય સરકારે નુકસાનના વળતરની જાહેરાત કરી છે. તો વળતર ખેડૂતોએ કેવી રીતે મેળવવાનું તે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પરાગ કેવડિયાને પુછતા જણાવ્યું છે કે જોકે ખરીફ પાકનું કેટલું વળતર ચુકવવું તેની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પરંતું વળતર ખેડૂતોને કેવી રીતે ચુકવવું તેની ગાઇડ લાઇન રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે.
વીજપોલ બન્યો અડચણરૂપ:સરગાસણના ફાયર સ્ટેશનમાં સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ વીજ પોલ
પાટનગરનો વિસ્તાર વધતા નવા 3 ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેમાં રાંધેજા, ભાટ અને સરગાસણનો સમાવેશ થાય છે. રાંધેજા અને ભાટમાં હાલમાં કામગીરી ચાલુ છે, જ્યારે સરગાસણનુ ફાયર સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગત 17 મેના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ મુલાકાત લઇ આવ્યા છે. જોકે, તેમના ધ્યાનમાં ફાયર સ્ટેશનના પ્રવેશદ્વાર ઉપર જ અડચણરૂપ થતો વીજ પોલ આવ્યો તે વાત અલગ છે. ફાયર સ્ટેશનની વચ્ચે જ વીજ પોલ આવ્યો હોવાના કારણે આગના બનાવમાં ઝડપભેર જતા વાહનને હળવેકથી લઇને નિકળવુ પડે છે, થોડા સમય પહેલા તો વીજ પોલનો વાયર વાહન સાથે ભરાઇ ગયો હતો, સદ નશીબેન કોઇ જાનહાનિ સામે આવી ન હતી, તેમાં ભગવાનનો પાળ માનવો જોઇએ. મહત્વની બાબત એ છેકે, ઓપનિંગ કરવામાં અધિરા બનતા નેતાઓ અને અધિકારીઓને જોઇને પણ ખ્યાલ આવ્યો નથી કે, આ વીજ પોલ કેટલો નુકશાનકારક બની શકે છે ? હાલ તો કરોડોના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન આગળનો વીજ પોલ સોનાની થાળીમા લોઢાની મેખ જેવો જોવા મળી રહ્યો છે. જોકે, તેને હટાવવો કે રહેવા દેવો જોઇએ, તે અધિકારી અને પદાધિકારીઓએ વિચારવુ રહ્યુ,
સાઇકલ યાત્રા:150 સાઇકલ સવારો દ્વારા 4480 કિમીની યાત્રા કરીને એકતાનો સંદેશો અપાશે
દેશની એકતા અને અખંડિડતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતીના અવસરે શ્રીનગરથી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 150 સાયકલ સવારો કુલ 4480 કિમીનું અંતર કાપશે. તેઓ ગોધરાથી 145 કિમીનું અંતર કાપીને કેવડિયા આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં 2019માં ફીટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય આશય દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. લોકોના સ્વાસ્થય અને દેશની એકતાના સમન્વય સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 150 સાયકલ સવારો ગોધરાથી 145 કિમીનું અંતર કાપીને કેવડિયા આવી પહોંચ્યાં હતાં. જયાં તેઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઇ અભિભૂત થયાં હતાં. તેઓ કુલ 4480 કીમીની સાયકલયાત્રા કરી શ્રીનગરથી કન્યાકુમારી પહોંચશે. તેમની યાત્રા દરમિયાન તેઓ લોકોમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ,એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે. નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલે તમામ સાયકલસવારોને આવકાર્યા હતાં.
હુમલો:રાંધેજામાં અંગત અદાવતમાં દંપતી પર 4 લોકોનો હુમલો
રાંધેજા ગામમાં રહેતા શ્રમજીવી દંપતી ઉપર ગામના જ 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તમે અમારી વાતો કેમ કરો છો ? કહીને દંપતી પાસે આવ્યા હતા અને બાદમાં તેમને માર મારવામાં આવ્યો હતો. જેથી દંપતીએ મારામારી કરનાર આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ રાંધેજા ગામમાં રહેતા આશરે 50 વર્ષિય આધેડ સુખાભાઇ મથુરભાઇ દંતાણી છુટક મજુરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી છેકે, ગત રોજ તેમની પત્ની સાથે સાંજના આશરે 5 કલાકે રાંધેજા ગામથી તેમના છાપરા તરફ ચાલતા જતા હતા. તે સમયે તળાવ પાસે આવતા ગામના જ મહેશ કલાભાઇ દંતાણી, મનોજ ગોકાભાઇ દંતાણી ઉભા હતા, જ્યારે દંપતી તેમના છાપરાએ પહોંચી ગયુ હતુ અને પતિ-પત્ની બંને બેઠા હતા, તે સમયે બંને જણા દંપતી પાસે જઇને કહેવા લાગ્યા હતા કે, તમે કેમ અમારી વાતો કરતા હતા ? જેથી દંપતીએ કહ્યુ હતુ કે, અમે કોઇ તમારી વાત કરી નથી. તેમ કહેતાની સાથે જ લોકો ઉશ્કેરાઇ ગયા હતા, ગાળાગાળી કરતા હતા, જેથી ગાળો બોલવાની ના પાડતા મારામારી કરવા લાગ્યા હતા. તે સમયે આરોપીઓના પક્ષમાં ગોકળ સેંધાભાઇ દંતાણી, શિલ્પા મનોજ દંતાણી દોડી આવ્યા હતા અને હાથમાં લોખંડનો સળિયો લઇને આવતા પગમાં મારી દીધો હતો. જેથી બુમરાણ મચાવતા લોકો દોડી આવતા આરોપીઓ ભાગી ગયા હતા. ધમકી આપતા ગયા હતા કે, આજે તો બચી ગયા છો, પરંતુ ફરીથી અમારુ નામ લીધુ છે તો જાનથી મારી નાખીશુ. જેથી પેથાપુર પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રાંધેજા ગામમાં રહેતા શ્રમજીવી દંપતી ઉપર ગામના જ 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તમે અમારી વાતો કેમ કરો છો ? કહીને દંપતી પાસે આવ્યા હતા.
હિટ એન્ડ રન:વાસણિયા મહાદેવ પાસે હિટ એન્ડ રનમાં આધેડનું મોત
ગાંધીનગરના વાસણિયા મહાદેવ ગામ પાસે બાલવા તરફથી આવી રહેલા એક પીકઅપ ડાલાના ચાલકે શ્રમજીવી આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે ટક્કર મારી ભાગી છુટ્યો હતો. જ્યારે આ અકસ્માતમાં આધેડનુ મોત થયુ હતુ. જેથી ડાલાના ચાલક સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ગાંધીનગરના વાસણિયા મહાદેવ પાસે એક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. બાલવા ગામની સીમમાં રહેતા મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉકરડી ગામના આધેડ પ્રકાશભાઇ નટ તેમના પત્ની સાથે છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા. જ્યારે બે દિવસ પહેલા તેમની પત્નીને કહીને રાતના સમયે બીડી-પેટી અને લાકડા લેવા ઘરેથી નિકળ્યા હતા. જ્યારે સામગ્રી લેવા જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે એક બાલવા તરફથી વાસણિયા મહાદેવ તરફ જતા પીકઅપ ડાલા નંબર 7425ના ચાલકે આધેડને ટક્કર મારી હતી અને બાદમાં તે ભાગી ગયો હતો. અકસ્માતથી આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સિવિલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ વતનમાં રહેતો પરિવાર દોડી આવ્યો હતો અને મૃતકના દીકરાએ ડાલાના ચાલક સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
હત્યારો પોલીસના સંકજામાં:કલોલમાં હત્યા કરી પેરોલ જમ્પ કરનાર હત્યારો આખરે ઝડપાયો
ગાંધીનગર પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટીને પરત નહીં ફરેલા હત્યાના ગુનાના કેદીને મુંબઈમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હત્યારો આરોપી પેરોલ જમ્પ કરી મુંબઇમાંંં છુપાયો હતો અને ત્યાં રિક્ષા ચલાવતો હતો. આખરે પોલીસે તેને ઝડપી લીધો હતો. ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કેદીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પગલે એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા ટીમોને તાકીદ કરવામાં આવી હતી અને આ ટીમોએ પેરોલ, ફર્લો, વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓની યાદી તૈયાર કરી હતી. સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ કેદીઓ અને આરોપીઓના આશ્રયસ્થાનો વિશે માહિતી એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, સાબરમતી જેલમાંથી કલોલ તાલુકામાં વર્ષ 2021માં નોંધાયેલા હત્યાના ગુનાનો કાચા કામના કેદી જય ઉર્ફે જેકી મનોજભાઈ ચૌહાણ (રહે, ઓડાના મકાન, દાસ્તાન સર્કલ, કઠવાડા) હાઇકોર્ટમાંથી પેરોલ રજા ઉપર છુટયો હતો અને પરત ફર્યો નથી. જે હાલ મુંબઈ ખાતે ડ્રાઇવિંગ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પી.એસ.આઇ કે.કે પાટડીયા અને તેમની ટીમ દ્વારા કેમ્પ કરીને આ કેદીને નયાગાવ વસઈ મુંબઈ ખાતેથી પકડી લેવાયો હતો અને અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
રેલીનું આયોજન:નવ જેટલી માગણીઓના ઉકેલ માટે આંગણવાડી કાર્યકરોની આજે રેલી
આંગણવાડી કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો કોર્ટના આદેશનું પાલન કરવાની સાથે સાથે કર્મચારીઓને કાયમી ઘણીને લઘુત્તમ વેતન મુજબ વેતન આપવામાં આવે તેવી માંગણી આંગણવાડી કર્મચારીઓમાં ઉઠી છે. વધુમાં આંગણવાડી કર્મચારીઓની મહેનતને પગલે આઇસીડીએસ યોજનાને 50 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આંગણવાડી કર્મચારીઓની વય નિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવામાં આવે તેવી માંગણી કરી છે. આંગણવાડી કર્મચારીઓ એક સમય બદલીની તક આપવા સહિતની માંગણીઓના ઉકેલ માટે આંગણવાડી કર્મચારીઓ સોમવારે અમદાવાદ ખાતે રેલી યોજાશે.
મહારેલીનું આયોજન:જૂની પેન્શન યોજના લાગુ કરવા કર્મીઓની આજે અમદાવાદમાં મહારેલી યોજાશે
છેલ્લા બે દાયકાથી વધારે સમયથી રાજ્યમાં ફિક્સ પગારે કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર બાદ પુરા પગારનો લાભ આપવામાં આવતા કારમી મોંઘવારીમાં કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામા આવી રહ્યું હોવાનો આક્ષેપ ફિક્સ પગારી કર્મચારીઓએ કર્યો છે. તેની સાથે સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ફિક્સ પગારી કર્મચારીઓ 10મી, સોમવારે અમદાવાદ ખાતે આક્રોશ રેલી કાઢશે. સમગ્ર દેશમાં મોડેલ રાજ્ય તરીકે ઓળખ ઉભી ગુજરાતની કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવી રહી છે. પાંચ વર્ષ સુધી કર્મચારીઓને ફિક્સ પગારમાં રાખ્યા બાદ પુરા પગારનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેની સામે વર્તમાન સમયમાં કારમી મોંઘવારીને જોતા ફિક્સ પગારી નોકરી કરવી કર્મચારીઓમાં એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. જેથી ફિક્સ પગારી નોકરી કર્મચારીઓનું આર્થિક શોષણ સમાન હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. જોકે ફિક્સ પગારમાં રાજ્ય સરકારે સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ફિક્સ પગારી પ્રથાને જ નાબુદ કરવામાં આવે તેવી આશા સાથે માંગણી ફિક્સ પગારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ કર્મચારીઓ 25થી 30 વર્ષ સુધી સરકારી કચેરીઓમાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા હોય છે. પરંતુ જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેઓને પેન્શન આપવા માટે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જોકે નવી પેન્શન યોજનાથી કર્મચારીઓને માસિક રૂપિયા 4થી 8 હજાર મળે છે. જે કર્મચારીઓને નિવૃત્તિના સમયે મજુરી કે અન્ય નોકરી કરવાની ફરજ પાડે છે. પુરતી આવક નહી મળવાથી નિવૃત્તિના સમયે કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન કરવા નોકરી કરવાની ફરજ પડતી હોય છે. ત્યારે કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ટીમ રીમુવ ફિક્સ પે દ્વારા અમદાવાદમાં આજે રેલી યોજવામાં આવશે. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી વધારે સમયથી ફિક્સ પગારી પ્રથાથી કર્મચારીઓનું આર્થિક શોષણનો આક્ષેપ કરાયો છે.
ધીમી કામગીરી:1 વર્ષ પછી ડેપોમાં કંટ્રોલ ઓફિસ બની પરતું ફર્નિચર ન બન્યું
ગત ડિસેમ્બર-2024માં રાજ્યના મુખ્યમંત્રીએ નગરના ડેપોની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમાં ડેપોના કંટ્રોલ કેબીનની હાલત જોઇને નવી બનાવવા સુચના આપી હતી. આ સુચનાનું દસ માસ પછી અમલવારી કરતા ડેપોમાં નવી કંટ્રોલ ઓફિસ બનાવવામાં આવી છે. પરંતું જરૂરી ફર્નિચરની સુવિધા કરવામાં નહી આવતા દફતરને ક્યાં મુકવું તેવા પ્રશ્નો કર્મચારીઓમાં ઉઠી રહ્યા છે. ગાંધીનગરના એસ ટી ડેપોને મોડેલ ડેપો બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતું તેની સામે મોડેલ જેવી કોઇ જ કામગીરી નિગમ દ્વારા કરવામાં આવતી નથી. નગરના ડેપોનો કંટ્રોલ ઓફિસની હાલત ખરાબ થઇ હોવા છતાં નવી બનાવવામાં આવ્યો નહી. તેમ છતાં કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેવી પરિસ્થિતિ વચ્ચે ગત ડિસેમ્બર-2024માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીસાંજના સુમારે આકસ્મિક નગરના ડેપોની મુલાકાત લીધી હતી. ડેપોમાં આવેલા મુખ્યમંત્રી સીધા કંટ્રોલ ઓફિસમાં પહોંચીને કર્મચારીઓની ખુરશી ઉપર બેસી ગયા હતા. મુખ્યમંત્રીએ ખુરશી અને ઓફિસની હાલત જોઇએ નવી બનાવવાનો આદેશ કર્યો હતો. જોકે મુખ્યમંત્રીના આદેશને દસ માસ પછી ડેપોને નવી કંટ્રોલ ઓફિસ બનાવવામાં આવી છે. પરંતું તે દરેક દિશાથી બંધ હોવાની સાથે સાથે માત્ર એક સિલિંગ ફેન મુકવામાં આવ્યો છે. આથી હવાઉજાસના અભાવને પગલે ઉનાળામાં હાલત કફોડી બની રહેવાની શક્યતા રહેલી છે.
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગોના ચાર રસ્તા પાસેના સર્કલે સીસી કેમેરાની સાથે સાથે પ્રદુર્શનની નોંધણી માટેનું ડેટા સેન્ટરના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. તેમાં સીસી કેમેરા પણ ફિટ કરીને નગરવાસીઓની સલામતી માટેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે. જોકે સીસી કેમેરામાં સમયાંતરે મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. ત્યારે નગરના ગ-3 સર્કલે મુકાયેલા પોલના કેમેરાને રિપેરીંગ કે બદલવાની કામગીરી કર્મચારીઓ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે ચાર રસ્તાથી પસાર થતાં વાહન ચાલકો સહિતની ઉપર બાજ નજર કેમેરાની રહેશે.
આગામી શૈક્ષણિક વર્ષ-2026-27ના પ્રારંભમાં પાઠ્ય પુસ્તકોની ઘટ કે મોડા આવવા જેવી સમસ્યાને દુર કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. તેમાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જિલ્લાઓમાંથી કેટલા પાઠ્ય પુસ્તકોની જરૂર પડશે તેની દરખાસ્ત મંગાવવામાં આવી છે. ત્યારે જિલ્લાના બાલવાટીકાથી ધોરણ-12ના અંદાજે કુલ-3.50 લાખ વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તક માટે 17મી, નવેમ્બર સુધીમાં દરખાસ્ત મોકલી દેવામાં આવશે. જોકે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. ત્યારે દર વર્ષે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં ઉનાળા વેકેશનમાં પાઠ્ય પુસ્તકો જે તે શાળામાં પહોંચતા કરવાનો નિયમ છે. મંડળ દ્વારા અત્યારથી જ પાઠ્ય પુસ્તકો છાપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે હાલમાં તમામ જિલ્લાઓમાંથી બાલવાટીકાથી ધોરણ-12 સુધીના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના કેટલા પાઠ્ય પુસ્તકોની ડિમાન્ડ રહેશે. તેની માહિતી મંગાવવામાં આવી રહી છે. પુસ્તકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને જિલ્લાઓએ દરખાસ્તને પોતાના યુડાયસ કોડ સાથે વેબસાઇટ ઉપર કરવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે.
મંડે પોઝિટીવ:મેદસ્વિતાથી મુક્તિ માટે સૂર્યનમસ્કાર અસરકારક, 13.9 કેલરી બાળે છે
વર્તમાન લાઇફ સ્ટાઇલને પગલે મેદસ્વીતાનો ભોગ અબાલવૃદ્ધ સૌ કોઇ બની રહ્યા છે. ત્યારે મેદસ્વિતામાં રામબાણ ઇલાજ સૂર્યનમસ્કાર બની રહેશે. કેમ કે એક સૂર્યનમસ્કાર કરવાથી શરીરની 13.9 કેલરીને બાળી નાંખે છે. તેમાંય જો સ્પિડમાં અડધા કલાકમાં 12થી 24 રાઉન્ડ કરવામાં આવે તો 400 કેલરી બાળી નાંખે છે. જ્યારે સૂર્યનમસ્કાર કરવા માટે કોઇ જીમ કે ક્લાસમાં જવાની જરૂર રહેતી નથી. એક વખત સૂર્યનમસ્કાર શીખી લીધા પછી ઘરે શેતરંજી પાથરીને સૂર્યનમસ્કાર કરીને કેલરીને બાળીને મેદસ્વિતામાંથી છુટકારો મેળવી શકાય છે. આધુનિક લાઇફ સ્ટાઇલ અને વધતી જતી ભૌત્તિક સુવિધાની સાથે સાથે જંકફુડને પગલે હાલમાં અબાલવૃદ્ધ સૌ કોઇ મેદસ્વિતાનો ભોગ બન્યા છે. જોકે મેદસ્વિતાથી અનેક બિમારીઓ શરીરમાં આવતી હોય છે. ત્યારે મેદસ્વિતાને દુર કરીને બિમારીઓની થતી એન્ટ્રીને રોકવા માટે સૂર્યનમસ્કાર જ એક અસરકારક ઉપાય છે . જોકે નિયમિત યોગાસન કરવાથી મેદસ્વિતાને હરાવી શકાય છે. પરંતું જો યોગાસન કરવા હોય નહી અને મેદસ્વિતાને હરાવવી હોય તો નિયમિત સવારે ભૂખ્યા પેટે સૂર્યનમસ્કાર કરવામાં આવે તો મેદસ્વિતાથી છુટકારો ચોક્કસ મળે છે. કેમ કે સૂર્યનમસ્કારમાં અલગ અલગ 12 આસનો કરવામાં આવે ત્યારે એક સૂર્યનમસ્કાર થાય છે. આથી એક સૂર્યનમસ્કાર કરવાથી શરીરની 13.9 કેલરીને બાળી નાંખે છે. આથી જો નિયમિત 20 કે 30 સૂર્યનમસ્કાર કરવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની કેલરી બાળી નાંખવાથી મેદસ્વિતાનો શિકાર બની શકતા નથી. સૂર્યનમસ્કારમાં અલગ અલગ 12 આસનોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી તેનાથી સ્નાયુઓ ખેંચાણ અનુભવતા હોય છે. આથી સૂર્યનમસ્કારથી શરીરના હાથ, પગ, પીઠ, ખભા, પેટના કોર મસલ્સ સહિત મજબૂત બને છે. સૂર્યનમસ્કારથી થતાં ફાયદાસૂર્યનમસ્કારથી શારીરિક ગતિની સાથે શ્વાસનું સંકલન કરવામાં આવે છે. જેનાથી મન શાંત થવાથી તણાવમાં ઘટાડો થાય છે. ઓછા તણાવથી શરીરમાં ઉભા થતાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર નિયંત્રણમાં રહે છે. કોર્ટિસોલનું ઉંચા સ્તરથી પેટની આસપાસ ચરબી જમા કરવામાં જવાબદાર ગણાય છે. તણાવમુક્ત રહેવાથી ભાવનાત્મક રીતે ખાનપાનની આદત ઉપર કાબુ મેળવી શકાય છે. સૂર્યનમસ્કારથી પાચનતંત્ર સુધરતા તેમાંથી પોષક તત્વોનું શોષણ સારી રીતે થવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દુર થાય છે.
ક્રાંતિ લાવનારી નવીન સબસ્ટેશન ડિઝાઇનનો વિકાસ:પરેલમાં ભારતનું પ્રથમ ભૂગર્ભ સબમર્સિબલ સબ-સ્ટેશન શરૂ
મુંબઈના 8 લાખથી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો આપતી ટાટા પાવર કંપનીએ ઘનિષ્ઠ શહેરી વિસ્તારોમાં વીજ વિતરણ પદ્ધતિમાં ક્રાંતિ લાવનારી નવીન સબસ્ટેશન ડિઝાઇન વિકસાવી છે. આ પહેલ હેઠળ, ટાટા પાવરે મુંબઈના પરળમાં ભારતનું પહેલું ભૂગર્ભ સબમર્સિબલ સબસ્ટેશન વિકસાવી સફળતાપૂર્વક કાર્યરત કર્યું છે. 400 kVA ક્ષમતાવાળું આ સબસ્ટેશન છેલ્લા નવ મહિનાથી કાર્યરત છે અને આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ છતાં અવિરત વીજ પુરવઠો જાળવવામાં આવ્યો હતો. ટાટા પાવર દ્વારા આંતરિક રીતે વિકસાવવામાં આવેલું આ સબસ્ટેશન સંપૂર્ણ રીતે મેન્ટેનન્સ-ફ્રી, રિમોટ-કંટ્રોલ્ડ અને હવામાન-પ્રતિકારક છે. તેમાં સબમર્સિબલ ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર અને સ્વીચગિયર છે, તેમજ કંપનીના પેટન્ટવાળા વોટર-રેઝિસ્ટન્ટ કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂરેપૂરી રીતે પાણીમાં ડૂબી ગયા બાદ પણ આ સબસ્ટેશન કાર્યરત રહી શકે છે. ઉપરાંત, સબસ્ટેશનનો ઉપરનો ભાગ પાર્કિંગ અથવા જાહેર ઉપયોગ માટે ઉપયોગી થઈ શકે છે, જેના કારણે મહાનગરોમાં જગ્યાની બચત થાય છે અને તે વધુ સુરક્ષિત તથા ઉપયોગી બને છે. પરેલના આ મોડલને મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, ટાટા પાવરે આગામી ચાર વર્ષમાં મુંબઈમાં આવા 100થી વધુ ભૂગર્ભ સબસ્ટેશનો સ્થાપવાની યોજના બનાવી છે. આ સબસ્ટેશનો ઓછા ખર્ચે અને કાર્યક્ષમ રીતે વિકસાવવામાં આવશે અને ભારે વરસાદના સમયગાળામાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. ઉપરાંત, ભીડભરેલા રહેણાંક અને વેપારી વિસ્તારોમાં વોલ્ટેજ સ્થિરતામાં પણ નોંધપાત્ર સુધારો થશે.
મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે 11 નવેમ્બરના આરક્ષણની લોટરી કાઢવામાં આવશે. આરક્ષણ નિશ્ચિત કરવા લોટરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બાન્દરા પશ્ચિમ ખાતેના બાલગંધર્વ રંગમંદિરમાં આરક્ષણ લોટરી કાઢવામાં આવશે. નાગરિકો 14 થી 20 નવેમ્બર 2025 સુધી આરક્ષણ પર વાંધા અને સૂચના નોંધાવી શકશે. રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મહાપાલિકા ચૂંટણીની આરક્ષણ નિશ્ચિતી અને લોટરી કાર્યક્રમ બાબતે અધિસૂચના જારી કરી છે. રાજ્ય સરકારે આ પહેલાં 9 ઓક્ટોબરના મુંબઈ મહાપાલિકાના વોર્ડમાં અનામત સીટની વહેંચણી અને એની સીટ ચક્રાનુક્રમે ફેરવવાના હેતુથી આગામી ચૂંટણીને પ્રથમ ચૂંટણી તરીકે ગણવા બાબતે જોગવાઈ કરી છે. તેથી આ વખતે પહેલાંનું આરક્ષણ કોરાણે મૂકીને નવેસરથી આરક્ષણ કાઢવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે અનુસૂચિત જાતી (મહિલા), અનુસૂચિત જમાત (મહિલા), નાગરિકોનો પછાતવર્ગ પ્રવર્ગ, નાગરિકોનો પછાતવર્ગ પ્રવર્ગ (મહિલા) અને સામાન્ય મહિલાઓ માટે આરક્ષણ નિશ્ચિતી કરવા લોટરી કાઢવામાં આવશે. બાન્દરા પશ્ચિમ ખાતેના નેશનલ કોલેજ સામેના બાલગંધર્વ રંગમંદિરમાં મંગળવાર 11 નવેમ્બરના સવારના 11 વાગ્યે આ લોટરી આયોજિત કરવામાં આવી છે. એ પછી શુક્રવાર 14 નવેમ્બરના આરક્ષણની રૂપરેખા જાહેર કરવામાં આવશે. 14 થી 20 નવેમ્બરના બપોરે 3 વાગ્યા સુધી આરક્ષણ રૂપરેખા પર વાંધા અને સૂચના રજૂ કરી શકાશે. મળેલા વાંધા અને સૂચના પર વિચાર કરીને આરક્ષણની અંતિમ અધિસૂચના જાહેર કરવામાં આવશે.
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન હતું. તેમણે પૂછ્યું કે મોદી અને અમિત શાહ મારા હાઇડ્રોજન બોમ્બ પર કેમ ચૂપ છે. બીજા મોટા સમાચાર આકાશ ચૌધરીના રણજી ટ્રોફીમાં સતત આઠ છગ્ગા રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી રમખાણો કેસમાં ભાજપનેતા કપિલ મિશ્રાની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટ ચુકાદો આપશે. 2. સુપ્રીમ કોર્ટ દેશમાં ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ધરપકડની વધતી જતી ઘટનાઓ પર કેસની સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. 'મારા હાઇડ્રોજન બોમ્બ પર EC-મોદી કેમ ચૂપ':કિશનગંજમાં રાહુલ ગાંધીએ કહ્યું-અમે સાચા આરોપો લગાવ્યા, તેથી જ બોલતી બંધ છે; તેઓ ‘વોટ ચોર’ છે રાહુલ ગાંધીએ રવિવારે મહાગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં કિશનગંજમાં એક રેલી યોજી હતી. રેલી દરમિયાન તેમણે મોદી અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું, આ લોકોએ હરિયાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વોટ ચોરી કરીને સરકાર બનાવી છે. તેઓ બિહારમાં પણ આવું જ કરવાના છે. તેમણે પૂછ્યું, તમે હરિયાણાવાળો હાઇડ્રોજન બોમ્બ જોયો છે? મેં તેમની બોલતી બંધ કરી દીધી છે. મેં આરોપ લગાવ્યો કે મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર વોટ ચોરી કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. પાકિસ્તાને અસીમ મુનીર માટે પોતાના બંધારણમાં સુધારો કર્યો:ત્રણેય સશસ્ત્ર દળોના વડા બનશે, આ પદ પહેલીવાર બનાવવામાં આવ્યું; મે મહિનામાં ફિલ્ડ માર્શલ બન્યા હતા પાકિસ્તાની સંસદે બંધારણમાં સુધારો કરીને આર્મી ચીફ અસીમ મુનીરને ત્રણેય સશસ્ત્ર દળોના વડા બનાવ્યા છે. હવે તેમને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ (CDF) તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જેવું જ હશે. આ નવી પોસ્ટ એટલા માટે બનાવવામાં આવી છે કે આર્મી, નેવી અને એરફોર્સ સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકે અને ત્રણેયની કમાન્ડ એક જ જગ્યાએથી સંભાળી શકાય. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીઓની 'ઝેરીલી' માનસિકતા:એરંડાના બીજમાંથી સાઈનાઈડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ - ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકાર્યા, VIDEO:સુરતમાં યુવરાજ-શાસ્ત્રીનો રેકોર્ડ તોડ્યો, 9 મિનિટ ને 11 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી; આકાશે રણજીમાં ઇતિહાસ રચ્યો તમે કદાચ સતત છ છગ્ગાના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ પણ રણજી ટ્રોફીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે એક નવો રેકોર્ડ બન્યો છે. ફક્ત એક ઓવરમાં જ છ છગ્ગા નહોતા લાગ્યા. ઓવર સહિત આઠ બોલમાં સતત આઠ છગ્ગા ફટકારવામાં આવ્યા. રવિવારે સુરતમાં રણજી ટ્રોફી મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો આ મોટો રેકોર્ડ બન્યો. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ આ સિદ્ધિ મેળવી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. આતંકી અને સીરિયલ કિલરને જેલમાં ‘VIP’ ટ્રીટમેન્ટ:મોબાઈલ, ટીવી સાથે કેદીઓની મોજ; રેપિસ્ટ, ISIS એજન્ટ કેવી રીતે ભોગવી રહ્યા છે સજા; જુઓ બેંગલુરુ જેલનો Viral Video બેંગલુરુની પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે . વીડિયોમાં કુખ્યાત સીરીયલ રેપિસ્ટ અને કિલર ઉમેશ રેડ્ડી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે. બીજા એક વીડિયોમાં, રાણ્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસનો આરોપી તરુણ તેના બેરેકમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો અને રસોઈ બનાવતો જોવા મળે છે. તરુણ રાજુ જીનીવા ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાઈ ગયો હતો. આ વીડિયો સામે આવતાં જેલમાં VIP ટ્રીટમેન્ટ અંગે એક નવો વિવાદ ઊભો થયો છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ દિવ્ય ભાસ્કર કરતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ગુજરાતના બે યુવકોનો USના પોલિટિક્સમાં ડંકો:શિવરાજપુરના સેમ જોષી સતત બીજીવાર એડિસન સિટીના મેયર બન્યા, વડોદરાના બીરલ પટેલ મેયર ઈન કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા ગુજરાતના બે યુવકોએ USના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચમહાલના શિવરાજપુરના વતની સેમ જોષી (સમીપ જોષી) સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે, તો વડોદરાના બીરલ પટેલ મેયર કાઉન્સિલના સભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. માત્ર 35 વર્ષની ઉંમરે સેમ જોષીએ અમેરિકામાં ગુજરાતી મૂળના રાજકારણી તરીકે ઇતિહાસ રચ્યો છે, જ્યારે બીરલ પટેલે શિક્ષણ બોર્ડના પ્રમુખ તરીકેની સફળતા બાદ આ વિજય મેળવ્યો છે. બંનેએ ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સૌરાષ્ટ્રમાં બે ખેડૂતના આપઘાત:રાજકોટમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી; પુત્રએ કહ્યું, 'માવઠાથી પાક નિષ્ફળ જતા ચિંતામાં હતા', વિંછીયામાં પણ આપઘાત કમોસમી વરસાદ (માવઠા)ના કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજ્ય સરકારે 10 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આમ છતાં ખેડૂતોના માથે આર્થિક બોજ ઓછો થઈ રહ્યો નથી. ત્યારે પાક નુકસાન થવાથી આર્થિક નુકસાન અને તણાવના કારણે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. વિદેશઃ મમદાની પછી સૈકત ચક્રવર્તી સાંસદ બનવાની રેસમાં:પ્રોગ્રેસિવ લીડર્સ તરીકે ફેમસ; નેન્સી પેલોસીના નિવૃત્તિથી ભારતીય ડેમોક્રેટ્સ માટે માર્ગ મોકળો થયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. નેશનલઃ ભારતીય વાયુસેનાનો 93મો સ્થાપના દિવસ:બ્રહ્મપુત્ર નદી ઉપર લચિત ઘાટ પર 75 વિમાનોનું ફ્લાઈંગ ડિસ્પ્લે; રાફેલ, સુખોઈ, તેજસે બનાવ્યા 25 ફોર્મેશન (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. વિદેશઃ રશિયન Ka-226 હેલિકોપ્ટર ક્રેશ, 5નાં મોત:કંટ્રોલ ગુમાવી જમીન સાથે અથડાયું, પછી દરિયામાં ખાબક્યું, ફરી ઊડ્યું અને હવામાં ફંગોળાયું; અંતે બ્લાસ્ટ થયું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ ભાગવતે કહ્યું-ભારતમાં કોઈ બિન-હિન્દુ નથી:મુસ્લિમો-ખ્રિસ્તીઓના પૂર્વજો હિન્દુ હતા; તેઓ તેને ભૂલી ગયા અથવા ભૂલાવી દેવામાં આવ્યું; સંઘ સત્તા ઇચ્છતું નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ ઓક્ટોબરમાં ઘરેલુ વેજ થાળી 17% સસ્તી થઈ:બટાકા, ડુંગળી અને ટામેટાંના ભાવમાં ઘટાડાની અસર, નોન-વેજ થાળીના ભાવ પણ 12% ઘટ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. રાશિફળઃ આ સપ્તાહ કેવું રહેશે?:વૃષભ જાતકોને કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી રાહત મળશે; સિંહ જાતકો માટે સપ્તાહ સુખમય (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે અયોધ્યામાં કોઈપણ ભૂલ પર 51 હજાર વખત રામ-રામ લખવું પડશે અયોધ્યાની રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજમાં, હવે ભૂલો માટે સજા નહીં હોય; તેના બદલે, તેઓએ રામ-રામ લખવું પડશે. ભૂલની ગંભીરતાના આધારે, વિદ્યાર્થીઓ અથવા સ્ટાફે રામ નામ 11,000થી 51,000 વખત લખવું પડશે. આ નિયમ વર્ગમાં ગેરહાજરી, હાજરીની અનિયમિતતા અને શિસ્ત ભંગ પર લાગુ પડે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 'આ વખતે શિયાળામાં 30 દિવસ જ સારી ઠંડી પડશે':સ્કાયમેટના મહેશ પલાવતે કહ્યું, સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો બહુ નીચે નહીં જાય, અરબ સાગરમાં લો પ્રેશરનું પ્રમાણ વધ્યું 2. બેડરૂમમાંથી જીવડાં ખાતી સડેલી લાશ મળી:ડે. CMએ મુસ્લિમ બનીને લગ્ન કર્યાં ને 40 દિવસમાં ચાંદ-ફિઝાએ તલાક લીધા, ફિઝાના મોતનું ભેદી સિક્રેટ 3. 30% મુસ્લિમ મતદારો ધરાવતા જ્યુબિલી હિલ્સમાંથી AIMIM કેમ ગાયબ?:ઓવૈસી અને રેવંતે BSPને હરાવવા માટે હાથ મિલાવ્યો, ભાજપ કેમ નબળો પડી રહ્યો છે? 4. સંડે જઝબાત: દીકરીની ઑફિસનો વધેલો નાસ્તો ખાઈને દિવસો કાઢ્યા:'ગેંગ્સ ઑફ વાસેપુર'માં 'વુમનિયા' ગીતથી જાણીતી થઈ, પતિએ સંગીત શીખવ્યું; પણ સફળતા જોવા માટે એ હયાત નથી 5. 'ઓમર અબ્દુલ્લાને વોટ આપવો ભૂલ, પેટાચૂંટણીમાં એને સુધારીશું':બડગામમાં લોકો NCથી નારાજ પણ ઉમેદવાર મજબૂત; નાગરોટામાં ભાજપ આગળ 6. આજનું એક્સપ્લેનર:સૂર્યને મળીને પૃથ્વી તરફ વળ્યો રહસ્યમય 3I/ATLAS, સ્પીડ 68 કિમી પ્રતિ સેકન્ડ; શું ખરેખર આને બીજી દુનિયાના એલિયન્સે મોકલ્યો છે? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ રાશિના લોકોને શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે; મિથુન રાશિના જાતકોએ અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
ચોરી:મલાડમાં કર્નલના ઘરમાંથી શસ્ત્રો અને દાગીનાની ચોરી
ત્રણ ચોરટા મલાડમાં આર્મી સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપોમાં એક કર્નલના ફ્લેટનાં તાળાં તોડીને અંદર ઘૂસ્યા અને શસ્ત્રો તથા દાગીના ચોરીને ભાગી ગયા હતા. શસ્ત્રો ખાડી નજીક મૂકી દીધા, જ્યારે દાગીના વેચીને ગોવામાં પાર્ટી કરી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તેમાંથી બે જણને તેમના મલાડના ઘરેથી ઝડપી લીધી છે. ત્રીજો આરોપી સગીર હોવાથી તેને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો છે. આરોપીઓએ રિવોલ્વર, નવ ગોળી અને 480 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. 1 નવેમ્બરે તેઓ આર્મી ડેપોમાં ગયા હતા, જ્યાં નિવાસી ક્વાર્ટર્સ પણ છે. મુખ્ય પ્રવેશદ્વાર બંધ હતું, આથી મધરાત્રે 1 વાગ્યે તેઓ નાના ગેટ પર ચઢીને અંદર ઘૂસ્યા હતા.તેમને કર્નલનો ફ્લેટ ખાલી જણાતાં તેમાં ઘૂસીને ચોરી કરી હતી. કર્નલનો પરિવાર ઘરે પાછો આવ્યો ત્યારે ચોરી અંગે જાણ થતાં જ પોલીસને જાણ કરાઈ હતી. કર્નલ ઉત્તરમાં ફરજ બજાવે છે, જ્યારે તેની પત્ની અભિનેત્રી છે અને એક પુત્ર છે. દિંડોશી પોલીસે શરૂઆતમાં એફઆઈઆર દાખલ કરી, પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સમાંતર તપાસ કરીને સીસીટીવી કેમેરા અને મોબાઈલ નેટવર્કને આધારે આરોપીઓની શનિવારે ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં તેમણે કબૂલ કર્યું કે ચોરી પછી તેઓ મલાડ ખાડી પાસે ગયા જ્યાં શસ્ત્રો છુપાવી દીધા હતા. દાગીના વેચીને તેમાંથી આવેલાં નાણાંમાંથી ગોવામાં પાર્ટી કરી હતી. પોલીસે શસ્ત્રો હસ્તગત કર્યા છે. બે આરોપીને સ્થાનિક કોર્ટે રિમાંડ પર લેવાનો આદેશ આપ્યો છે, જ્યારે તેમનો ત્રીજો સાગરીત સગીર હોવાથી બાળ સુધારગૃહમાં મોકલી અપાયો છે. આરોપીમાં દીપક કૃષ્ણા ધનવે (21) અને વિનાયક ગોપીચંદ બાવિસ્કરનો સમાવેશ થાય છે.
નવેમ્બર સુધી લંબાયેલા વરસાદ બાદ આખરે વરસાદે વાપસી કરી દીધી છે, પરંતુ તેની સાથે ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ખાસ કરીને નવેમ્બરના આરંભમાં ઠંડી લાગવા માંડે છે, પરંતુ આ વખતે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કમોસમી વરસાદનું જોર રહ્યું હતું.મુંબઈમાં સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ બપોરના ભાગમાં ફરી ગરમાટો મહેસૂસ થાય છે. ફરી સાંજે વાતાવરણમાં ઠંડક આવે છે. જોકે તેની સાથે વાયુ પ્રદૂષણનું જોખમ પણ વધી રહ્યું છે. શહેરની હવાની ગુણવત્તા (એર ક્વોલિટી ઈન્ડેક્સ)માં પણ ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે સવારે મુંબઈના અનેક ભાગોમાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળની આંકડાવારી અનુસાર મુંબઈનો કુલ એર ક્વોલિટી ઈન્ડેક્સથી 106થી 160 દરમિયાન નોંધવામાં આવ્યો છે, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. શનિવારે એક્યુઆઈ 142 હતો, જેને કારણે મુંબઈ શહેર દુનિયામાં નવમું સૌથી વધુ પ્રદૂષિત શહેર નીવડ્યું છે.મહારાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય અને મરાઠવાડા અને વિદર્ભમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. પ્રાદેશિક હવામાન વિભાગના માહિતી અનુસાર છત્રપતિ સંભાજીનગરમાં 12.8 ડિગ્રી, જ્યારે બીડમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાનમાં ઘટાડો જલગામ જિલ્લામાં થયો હોઈ છેલ્લા 24 કલાકમાં તાપમાન પાંચ ડિગ્રી નીચે આવ્યું છે. રવિવારે સવારે જલગામનું લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયલ જેટલું હતું.હવામાન ખાતાના અંદાજ અનુસાર પર્વતીય પ્રદેશમાં થનારી બરફવૃષ્ટિને લીધે વાયવ્ય અને આસપાસના મધ્ય ભારત પર સૂકો અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી છથી સાત દિવસમાં વાયવ્ય અને આસપાસના મધ્ય ભારતમાં રાત્રે તાપમાન સામાન્ય તાપમાનની તુલનામાં 2થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની શક્યતા છે. રાજસ્થાન સહિત અમુક ભાગોમાં ઠંડી સારી એવી વધી છે.આથી વિપરીત દક્ષિણ બાજુ રાજ્યોમાં તામિલનાડુ અને કેરાલામાં હજુ વરસાદની શક્યતા છે. મધ્ય ભારત અને ઉત્તર બાજુ મેદાની ભાગને છોડતાં દેશના બાકીના ભાગોમાં આગામી અઠવાડિયામાં તાપમાન ઘટવાનાં ચિહનો છે.
સ્વાગત:અંબાજીથી પ્રારંભ થયેલી જનજાતીય ગૌરવ યાત્રાનું સંતરામપુરમાં સ્વાગત
ગુજરાતમાં મુખ્યમંત્રીના દિશાદર્શનમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાના અંબાજીથી પ્રારંભ કરાયો હતો. યાત્રા ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી, એમ બે સ્થળોએથી 7 થી 13 નવેમ્બર સુધી યોજાશે. આ રથ યાત્રા નુ પહેલા દિવસે અંબાજીથી પ્રસ્થાન કરાયું હતું. બીજા દિવસે રથયાત્રા સંતરામપુર પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરાયું હતું. સંતરામપુર આવી પહોંચેલ રથ યાત્રા દરમિયાન સાસંદ જશવંત ભાભોરે જણાવ્યું કે આદિજાતિ સમાજના ગૌરવની વાત માટે યાત્રા આપણા ઘરગણે આવી પહોંચી છે. ભગવાન બિરસા મુંડા એ આદિવાસી સમાજના લોકોમાં નાનપણથી જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે. સમાજના ઉત્થાન માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. સંતરામપુર આ યાત્રામાં ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોરે દ્રારા જણાવ્યું કે સરકાર દ્રારા છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહેવાની નેમ રાખી છે. આદિવાસીઓને રાષ્ટ્ર નિર્માણમાં જોડવામાં આ જનજાતીય ગૌરવ રથયાત્રા મહત્વની બનશે
પ્રદર્શન:13-15 નવેમ્બરે નેસ્કોમાં યુટેક ઈન્ડિયા પ્રદર્શનમાં લોકો આવશે
13-15 નવેમ્બરે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, નેસ્કોમાં યુટેક ઈન્ડિયા- સસ્ટેનેબલ પોલીયુરેથેન એન્ડ ફોમ (આઈએસપીયુએફ) એક્સપોની 2જી આવૃત્તિનું આયોજન કરાશે, જે પૂર્વે પ્રગતિશીલ સક્ષમ પોલીયુરેથેન, ફોમ અને ઈન્સ્યુલેશન સોલ્યુશન્સ પર વ્યૂહરચના ઘડી કાઢવા માટે મુખ્ય ઉદ્યોગના આગેવાનો એકત્ર આવ્યા હતા. તેમણે ભારતના પોલીયુરેથેન ક્ષેત્રને વૈશ્વિક બનાવવા માટે નીતિનો આધાર, મજબૂત બીઆઈએસ નિયમો માટે અનુરોધ કર્યો હતો. ક્રેન કમ્યુનિકેશન્સ અને મિડિયા ફ્યુઝન દ્વારા આયોજિત યુટેક ઈન્ડિયા એકસપો સાથે સ્લીપ એક્સપો ઈન્ડિયા પેવિલિયન પણ યોજાશે, જે આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો માટે ભારતનું એકમાત્ર સમર્પિત મંચ છે. આ પૂર્વે મુંબઈમાં લીડરશિપ ડાયલોગનું આયોજન કરાયું હતું, જેમાં પીડીકેઆસ્મ કન્સલ્ટિંગના એમડી આબાસાહેબ કાળે, રિયાલ્મ ઈન્ટરમિડિજિયેટ્સના એમડી હિતેશ પરમાર, પ્રશાંત દેશમુખ, રુચિર પાનવર, શૈલેષ પટવર્ધન, સુનિલ ડબ્રાલ, વિવેક સાવલાએ ભાગ લીધો હતો. દરિયાન મિડિયા ફ્યુઝનના એમડી તાહેર પતરાવાલાએ જણાવ્યું કે ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે આગળ વધી રહ્યો છે ત્યારે પોલીયુરેથેન ઈનોવેશન, કાર્યક્ષમતા અને સક્ષમતાના મુખ્ય એનેબ્લર તરીકે ઊભરી રહ્યું છે.
મહિલાનું મોત:કેવડિયા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
ગોધરાના કેવડિયા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે આધેડ મહિલાનું મોત નિપજતા ગોધરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે. મળતી વિગતો મુજબ ગોધરા તાલુકાના વડેલાવ ગામે આવેલા પટેલ ફળિયામાં રહેતા ભારતસિંહ મગનસિંહ પટેલ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે 7 નવેમ્બરે રાત્રિના અરસામાં ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે રહેતા 38 વર્ષીય કૈલાશબેન રાજેશભાઈ બારીયાને ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસે આવેલા ફાટક નજીક ડીવાઈડર નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા કૈલાશબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો ચાલક પોતાના કબજાનું વાહન લઇને નાસી ગયો હતો. આ અંગે ગોધરા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ:ગોધરા શહેરમાં મકાન બનાવવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી
ગોધરાના કાલાભાઈ પેટ્રોલપંપ સામેની ઇકરામ કોઠીવાળી ગલીમાં સુમૈયા ઇન્દરજીએ મકાન બનાવવાની કામગીરી કરાવતા હતા. જે દરમ્યાન સુલેમાન ઈન્ડરજી, મુસ્તાક ઈન્દ્રજી, અહેમદુલા ઇન્દરજી અને ઇમરાન ઇન્દરજી આવી જણાવ્યું કે તમે વારેઘડીએ અહીંયા કેમ મકાન બનાવવાનું કામ કરવા આવો છો. તેમ કહી સુમૈયાની દીકરી હલીમાને ધક્કો મારી પાડી દીધી હતી, તેમજ અન્ય ત્રણે લાકડી લઈ આવી સુમૈયાના પતિને માર માર્યો હતો. તેમજ સુમૈયાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને જતા રહ્યા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જયારે સામે પક્ષે નોધાવેલ ફરીયાદ મુજબ સુલેમાન ઈન્દરજીના ઘરની પાછળ દરવાજાને અડી આવેલી જમીનમાં બિલાલ મામજી અને શોએબ ઇન્દરજી દિવાલ બનાવડાવતા હતા. જે સુલેમાન જણાવ્યું હતું કે તમારી માલિકીની જમીનમા દિવાલ બનાવો મારી માલિકીની જમીનમાં દિવાલ કેમ બનાવો છો, તેમ કહેતા બિલાલ અપશબ્દો બોલી પાવડો મારી દીધો હતો. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે બંને પક્ષે નોંધાવેલી ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા:થાણે દોસ્તી હાફ મેરેથોન 7મી ડિસેમ્બરે યોજાશે
બ્રેકિંગ બેરિયર્સ, બિલ્ડિંગ ચેમ્પિયન્સની પ્રેરણાદાયક થીમ હેઠળ થાણે દોસ્તી હાફ મેરેથોન સિઝન 4નું આયોજન રવિવાર, 7 ડિસેમ્બરે યોજાશે, એવી જાહેરાત થાણેના ટીપ ટોપ પ્લાઝા ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કરવામાં આવી. પ્લેફ્રી સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા આયોજિત આ મેરેથોન સ્પર્ધા એક બહુપ્રતિક્ષિત ફિટનેસ ઇવેન્ટ તરીકે ઓળખાય છે. આયોજકોએ જણાવ્યું કે આ મેરેથોનમાં 5 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ મેરેથોનમાં દોસ્તી રિયલ્ટી શીર્ષક પ્રાયોજક તરીકે જોડાઈ છે, જ્યારે ટીપ ટોપ પ્લાઝા અને બજાજ જનરલ ઇન્સ્યોરન્સ સહ-પ્રાયોજક છે. દોડવીરોની સલામતી અને કાળજી પર વિશેષ ભાર મૂકતાં, બજાજ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા દરેક નોંધાયેલા સહભાગીને 4 લાખ રૂપિયાની કિંમતની વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસીનું કવચ પ્રદાન કરવામાં આવશે, જે આ ઇવેન્ટને સુરક્ષિત મેરેથોન બનાવે છે.આ અંગે પ્લેફ્રી સ્પોર્ટ્સ ઇન્ડિયાના સીઇઓ, સિતાંશુ ઝાએ જણાવ્યું: “આ ફક્ત એક રેસ નથી, પરંતુ ફિટનેસ, લવચીકતા અને એકતાનો શહેરવ્યાપી ઉત્સવ છે. દર વર્ષે અમે લોકોને તેમની મર્યાદાઓ વટાવીને દોડની ભાવનાને જીવનશૈલી તરીકે અપનાવતા જોઈએ છીએ.”દોસ્તી રિયલ્ટીના ડિરેક્ટર અનુજ ગોરાડિયાએ ઉમેર્યું: આ મેરેથોન સમુદાયોને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવવાની અમારી માન્યતાને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે છે.”
મંડે પોઝિટીવ:ધારાવી ખાતે મીઠી નદી પરનો જૂનો પુલ તોડીને નવો પહોળો પુલ બનશે
મીઠી નદી પરનો જૂનો પુલ તોડીને નવેસરથી પુલ બાંધવામાં આવશે. ધારાવી ખાતે ડ્રાઈવ ઈન થિયેટર નજીક મીઠી નદી પરના પુલના કામ માટે મુંબઈ મહાપાલિકાએ કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરી છે. એના માટે 303 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પુલના લીધે ઘણો ફાયદો થશે. ચોમાસામાં મીઠી નદીનો પ્રવાસ સરળ રહેશે. તેમ જ આ પુલના લીધે ટ્રાફિકજામની સમસ્યા દૂર થશે એવો દાવો મહાપાલિકાએ કર્યો છે. મીઠી નદી પરના આ પુલની મુંબઈ મહાપાલિકાએ વિસ્તૃત રૂપરેખા તૈયાર કરી છે. જુલાઈ 2005માં થયેલી અતિવૃષ્ટિ પછી ડો. ચિતલેની અધ્યક્ષતા હેઠળ તથ્ય શોધન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિએ મીઠી નદીની પહોળાઈ 68 થી વધારીને 100 મીટર કરવાની ભલામણ કરી હતી. એ અનુસાર સાયન-ધારાવી અને પશ્ચિમ ઉપનગરોમાં બાન્દરાને જોડતા પુલને ફરીથી બાંધીને નદીની પહોળાઈ વધારવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. આ કામ બે તબક્કામાં કરવાનું નિયોજન છે. બાન્દરા પૂર્વ (એચ પૂર્વ વોર્ડ) ખાતેના ડ્રાઈવ ઈન થિયેટર નજીકથી મીઠી નદી વહે છે. આ મીઠી નદી પરથઈ જતા પુલ પર વાહનોની ગિરદી વધી રહી છે. સાયન, કુર્લા, ધારાવી, બીકેસી અને કલિના ખાતે જવા માટે ધારાવી ખાતેનો આ પુલ મહત્વનો ગણવામાં આવે છે. પુલની પહોળાઈ ઓછી હોવાથી અનેક વખત ઘણો ટ્રાફિકજામ થાય છે. ચોમાસામાં મીઠી નદી બે કાંઠે વહે ત્યારે પુલની પહોળાઈ અને લંબાઈ ઓછી હોવાથી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. અત્યારે ધારાવી ખાતેના જૂના પુલની પહોળાઈ 9.3 મીટર છે. એ હવે 48 મીટર સુધી વધારવામાં આવશે. પુલની લંબાઈ 108 મીટર હશે. એના લીધે બીકેસી, સાયન જેવા ઠેકાણે જતા વાહનોનો પ્રવાસ સરળ, સહેલો થશે. આ કામ માટે એક કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે. પુલને ફરીથી બાંધવા 303 કરોડ 95 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ પુલ બે વર્ષમાં ઊભો કરવાનું લક્ષ્ય છે. કંપની તરફથી ત્રણ વર્ષ સુધી પુલની દેખભાળ કરવામાં આવશે. પરિવહન પોલીસ સાથે સમન્વય સાધીને પુલનું કામ કરવાનું છે એવી શરત કોન્ટ્રેક્ટમાં મૂકવામાં આવી છે. વધુ એક પુલનું બાંધકામ : જૂનો પુલ તોડી પાડવામાં આવશે ત્યારે વાહનવ્યવહાર પર એની અસર થવાની શક્યતા છે. તેથી જૂના પુલની બાજુમાં જ દક્ષિણ દિશામાં વધુ એક પુલ બાંધવામાં આવી રહ્યો છે. આ નવો પુલ બંધાઈ જશે પછી જ જૂનો પુલ તોડીને એના ઠેકાણે નવો પુલ બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે.
દાહોદ શહેર નજીક ભીટોડી ગામમાં હિટ એન્ડ રનની એક ગમગીન ઘટના સામે આવી છે. જેમાં એક બાઇક અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવા જતાં તાલુકા પંચાયતના સભ્યનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દાહોદ નજીક કતવારા રોડ પર આવેલ ભીટોડી ગામે રાત્રિના સમયે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં તાલુકા પંચાયતના સભ્ય સંજય મેડાનું મોત થયું છે. મળતી માહિતી મુજબ ભીટોડી ગામ નજીક એક બાઇક અકસ્માત થયો હતો. જેમાં તાલુકા સભ્ય સંજય મેડા જ્યારે ઘાયલ લોકોને મદદ કરવા માટે ઊભા હતા. તે જ સમયે પાછળથી આવતા એક અજાણ્યા અને પૂરપાટ ઝડપે દોડતા વાહને તેમને અને ત્યાં હાજર અન્ય લોકોને ટક્કર મારી હતી. આ ટક્કરમાં સંજય મેડાને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનની શોધખોળ પોલીસે યુદ્ધના ધોરણે શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે વાહન અને તેના ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકા સભ્યના અવસાનથી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે
સિટી એન્કર:થાણેના આર્કિટેક્ટ દ્વારા મુંબઈ કોસ્ટલ ગાર્ડનની ડિઝાઈન રૂ. 1માં કરવાની ઓફર
ભારતીય લેન્ડસ્કેપ ડિઝાઈન પ્રતિભાની કદર કરવા અને તેમને સશક્ત બનાવવા માટે અનુરોધ કરતાં થાણે સ્થિત પ્રસિદ્ધ લેન્ડસ્કેપ આર્કિટેક્ટ આર્કિટેક્ટ અરુણકુમારે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની લેન્ડસ્કેપ ડિઝાઈન માટે ભારતીય લેન્ડસ્કેપ આર્કિટેક્ટર કંપનીઓને અગ્રતા આપવાની ખાતરી રાખવા માટે મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી અને મહાપાલિકા કમિશનરને અનુરોધ કર્યો છે. શહેર પ્રત્યે કટિબદ્ધતા પર ભાર આપતાં અરુણકુમાર ડિઝાઈનર્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ (એડીસીપીએલ)ના પ્રિન્સિપલ આર્કિટેક્ટ અરુણકુમારે ફક્ત રૂ. 1માં પ્રતિષ્ઠિત લેન્ડસ્કેપ ડિઝાઈન હાથમાં લીધી છે, જે મુંબઈના નવી સીમાચિહન અને રાષ્ટ્રીય ગૌરવશાળી પ્રોજેક્ટમાં યોગદાનમાં તેમની સમર્પિતતા અધોરેખિત કરે છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને વિધિસર સંદેશવ્યવહારમાં એડીસીપીએલે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતના પરિવર્તનકારી જાહેર પ્રોજેક્ટોએ ખાસ કરીને ભારતીય આર્કિટેક્ટો અને લેન્ડસ્કેપ ડિઝાઈનરોએ વૈશ્વિક ગુણવત્તા, ઉત્કૃષ્ટતા અને સુસંગતાના પ્રોજેક્ટો સતત પ્રદાન કરીને ક્રિયાત્મક અને ટેક્નિકલ શક્તિ પ્રદર્શિત કરવાનું આવશ્યક છે. 1987થી આ ક્ષેત્રમાં હોઈ અરુણકુમારે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2000 પ્રોજેક્ટોનો અમલ કર્યો છે. એડીસીપીએલ માસ્ટર પ્લાનિંગ, આર્કિટેક્ચર, લેન્ડસ્કેપ અને ઈન્ટીરિયર ડિઝાઈનમાં નિપુણતા ધરાવતી હોઈ ડિઝાઈન ફિલોસોફીમાં મૂળિયાં ધરાવે છે, જે સંસ્કૃતિ, પર્યાવરણ સાથે સુમેળ સાધે છે અને અર્થપૂર્ણ તથા ભવિષ્યલક્ષી જાહેર જગ્યાઓ નિર્માણ કરવા માટે ઘરેલુ છોડની જાતિઓ અને ટેકનોલોજી સમજે છે. એડીસીપીએલના ખ્યાતિપ્રાપ્ત પ્રોજેક્ટોમાં ભારત અને વિદેશમાં અક્ષરધામ મંદિરો, અંબરનાથમાં શ્રી અંબરેશ્વર શિવાલય, લડાખના થિકસેમાં ચંબા કેમ્પ, કલ્યાણમાં ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક, પુણેમાં લવાસા સિટી અને સહારા એમ્બી વેલી, અમદાવાદમાં સાયન્સ સિટી, જામનેરમાં સોનબર્ડી ટેકડી ઈકો પાર્ક, વારાસણીમાં સ્વારવેદ મહામંદિર વગેરેનો સમાવેશ થાય છે. કોસ્ટલ રોડ લેન્ડસ્કેપ ડિઝાઈનના ઘટક માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા છ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પસંદ કરાઈ છે એવા મિડિયાના અહેવાલોને પ્રતિસાદ આપતાં એડીસીપીએલે પ્રશાસનને ભારતીય ડિઝાઈનરો માટે પણ સમાન ભાગીદારીની ખાતરી રાખવા અનુરોધ કર્યો છે. સંવેદનશીલ- સાંસ્કૃતિક સુસંગત ડિઝાઈન: વૈશ્વિક સીમાચિહનો મૂલ્યવાન છે ત્યારે સતત વિશ્વ કક્ષાની, હવામાન સંવેદનશીલ અને સાંસ્કૃતિક સુસંગત ડિઝાઈનો પ્રદાન કરનારા ભારતીય આર્કિટેક્ટો અને લેન્ડસ્કેપ ડિઝાઈનરો પર પણ ભરોસો રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. વડા પ્રધાનના આત્મનિર્ભર ભારત ધ્યેય સાથે ભારતીય નિપુણતાને સશક્ત બનાવવા જોઈએ. ભારતની ક્રિયાત્મક અને ટેક્નિકલ ક્ષમતાની શક્તિ શહેરી લેન્ડસ્કેપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આકાર આપવામાં કેન્દ્રમાં રહેવી જોઈએ, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. સુંદર અને સક્ષમ કોલ્ટલ ગાર્ડનરાષ્ટ્રીય વૃદ્ધિ પ્રત્યે ડિઝાઈન ઉત્કૃષ્ટતા અને કટિબદ્ધતા પર ભાર આપતાં એડીસીપીએલે સુંદર અને સક્ષમ મુંબઈ કોસ્ટલ ગાર્ડનને આકાર આપવા મદદરૂપ થવા મહાપાલિકા સમક્ષ તેની ક્રિડેન્શિલ્સ પ્રસ્તુત કરવા અને વડા પ્રધન દ્વારા કરાયેલી વોકલ ફોર લોકલ હાકલમાં યોગદાન આપવા તક આપવાની વિનંતી કરી છે.
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે (એમએમઆરડીએ) પ્રસ્તાવિત એકાત્મિક ભૂ રસ્તા પ્રકલ્પ માટે (ઈન્ટીગ્રેટેડ અંડરગ્રાઉન્ડ રોડ નેટવર્ક) વિગતવાર પ્રકલ્પ અહેવાલ (ડીપીઆર) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વર્તમાન રોડ નેટવર્ક અને તેજ ગતિથી વિસ્તરતા મેટ્રો રેલવે નેટવર્ક સાથે મુંબઈ માટે આ ત્રીજું પ્રવાસનું માધ્યમ નીવડશે. આ દૂરદ્રષ્ટિપૂર્ણ ઉપક્રમ અંતર્ગત મુંબઈ કોસ્ટલ રોડ, બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે બુલેટ ટ્રેન સ્ટેશન અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ટી-2)ને જોડતો ભૂમિગત કોરિડોર ઊભો કરવાનો સંકલ્પ છે. આને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસ વી રોડ પર ટ્રાફિક ગીચતા મોટે પાયે ઓછી થશે. પ્રકલ્પ કાર્યાન્વિત થયા પછી ભૂમિગત માર્ગને લીધે ટ્રાફિક પરનું દબાણ ઓછું થશે. ભારે વાહનોની અવરજવર ભૂ રસ્તા પર વાળવામાં આવશે અને શહેરમાં ટ્રાફિક ગીચતા ઓછી થશે. આશરે 70 કિમી લાંબો આ પ્રકલ્પ ત્રણ તબક્કામાં અમલ કરાશે. તે થકી રસ્તા અને મેટ્રો માટે પૂરક એકત્રિત ટ્રાફિક નેટવર્ક ઊભું થશે, જેને કારણે પ્રવાસનો સમય ઓછો થશે, પ્રદૂષણ ઓછું થશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. મુંબઈમાં ઠેર ઠેર બાંધકામો, મર્યાદિત જગ્યા ધ્યાનમાં લેતાં ભૂમિગત માર્ગ ટ્રાફિકની ક્ષમતા વધારવા માટે સૌથી વધુ શાશ્વત અને વ્યવહારુ વિકલ્પ ઠરશે. પ્રકલ્પનો અમલ ટ્રાફિકની આવશ્યકતા અનુસાર અને ભવિષ્યની માગણી ધ્યાનમાં લઈને તબક્કાવાર કરાશે. પ્રથમ તબક્કોઃ વરલી સીલિંક- બીકેસી- એરપોર્ટ લૂપ (આશરે 16 કિમી)- મુંબઈ કોસ્ટલ રોડને બીકેસી અને એરપોર્ટ સાથે જોડતો માર્ગ અને મુંબઈ- અમદાવાદ બુલેટ કોરિડોર સાથે એકત્રિત થનારો ભાગ. આ તબક્કાથી વેસ્ટર્ન હાઈવે અને એસવી રોડ પર ટ્રાફિકજામ ઓછો થશે. બીજો તબક્કોઃ પૂર્વ- પશ્ચિમ લિંક (આશરે 10 કિમી)- ઈસ્ટર્ન હાઈવે અને વેસ્ટર્ન હાઈવેને જોડીને ક્રોસ- શહેર પ્રવાસનો સમય મોટે પાયે ઓછો કરવો.ત્રીજો તબક્કોઃ ઉત્તર- દક્ષિણ લિંક (આશરે 44 કિમી)- આખા મુંબઈમાં અખંડ ભૂમિગત માર્ગ તૈયાર કરીને પ્રવાસી અને માલ પરિવહન માટે નવી લિંક ઊભી કરવી. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે રસ્તા, મેટ્રો, કોસ્ટલ રોડ અને હવે ભૂમિગત રસ્તાઓના નેટવર્કના એકત્રીકરણને લીધે શહેરનો ટ્રાફિક વધુ સુલભ, સુરક્ષિત અને ગતિમાન બનશે. ઉપ મુખ્ય મંત્રી અને પ્રાધિકરણના અધ્યક્ષ એકનાથ શિંદેએ જણાવ્યું હતવું કે આ નેટવર્કને લીધે મુંબઈને ત્રીજી ટ્રાફિક વ્યવસ્થા- ભૂમિગત પ્રવાસનો નવો આયામ- પ્રાપ્ત થશે. આ શહેરના નિયોજનમાં ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે. કોસ્ટલ રોડ, મેટ્રો અને બુલેટ ટ્રેન સાથે એકત્રીકરણ મુંબઈ ઈન મિનિટ્સ દ્રષ્ટિકોણને સાકાર કરશે. સલાહકારની નિયુક્તિ અને આગળની કાર્યવાહીટેકનો- ઈકોનોમિક ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆર અત્યાધુનિક પદ્ધતિથી તૈયાર કરાશે. સલાહકાર ભૂગર્ભીય, પર્યાવરણીય અને સામાજિક ઘટકોનો અભ્યાસ કરીને માર્ગની રચના તૈયાર કરાશે અને એમએમઆરડીએને ટેન્ડર વ્યવસ્થાપન પ્રક્રિયામાં ટેક્નિકલ સહાય આપશે. પ્રકલ્પ પૂરો થયો પછી આ નેટવર્ક મુંબઈનો ભૂમિગત એક્સપ્રેસવે નીવડશે. પૃષ્ઠભાગમાં ટ્રાફિક ગીચતા ઓછી થશે, પ્રદૂષણ ઘટશે અને દક્ષિણ મુંબઈથી બીકેસી માર્ગે એરપોર્ટ સુધી પ્રવાસ વધુ ઝડપી બનશે. વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરાશેએમએમઆરડીએના મહાનગર કમિશનર ડો. સંજય મુખરજીએ જણાવ્યું હતું કે નેટવર્કને લીધે મુંબઈના ટ્રાફિકની શિકલ બદલાશે. હાલમાં વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરાશે, જેમાં ટેક્નિકલ વ્યવહારુતા, પર્યાવરણીય પરિણામ અને આર્થિક વ્યવહારુતાનો ઊંડાણથી અભ્યાસ કરાશે. ડીપીઆર અંતિમ થઈને મંજૂર થયા પછી પ્રકલ્પનો અમલ ટ્રાફિકની જરૂરત અનુસાર અને ભવિષ્યની વધતી માગણીને દ્રષ્ટિએ તબક્કાવાર કરાશે.
મેરેથોન યોજાઈ:ડોંબિવલીમાં મેરેથોનમાં 6500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો
ડોંબિવલીમાં રવિવારે આયોજિત મેરેથોનમાં વિવિધ ઓપન અને સ્પર્ધાત્મક જૂથમાં 6500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 21 કિમી હાફ મેરેથોનમાં રાજ તિવારી અને અમૃતા પટેલ પ્રથમ આવ્યાં હતાં, 10 કિમીમાં સૂરજ ઝોરે અને રિંકી સિંગે ઈનામ જીત્યું હતું, જ્યારે 5 કિમીમાં ઓંકાર કુંભાર અને પાયલ વિશ્વકર્માએ ટ્રોફી જીતી હતી. આ અવસરે ભાજપ પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણ, કલ્યાણ ડોંબિવલી મહાપાલિકાના કમિશનર અભિનવ ગોયલ, બોક્સર સાક્ષી, અભિનેતા ગશ્મીર મહાજની વગેરે હાજર હતા. 75 વર્ષના સિનિયર સિટીઝનથી સાત વર્શના બાળકો સુધીના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલ્યાણ ડોંબિવલી રનર્સ ગ્રુપ અને ડોંબિવલીકર સાંસ્કૃતિક પરિવાર વતી મેરેથોન અને ફ્રેન્ડશિપ રન 2025નું આ બીજું વર્ષ હતું. સ્પર્ધકો માટે ડ્રાય ફિટ બ્રીધેબલ ટી-શર્ટ, ફિનિશર મેડલ, એક્સપર્ટસ તરફથી ઝુંબા વોર્મ-અપ અને કૂલ ડાઉન એક્સરસાઈઝ, ઈ-સર્ટિફિકેટ, રેસ બિબ, હાઈડ્રેશન સપોર્ટ, બ્રેકફાસ્ટ, પોસ્ટ ઈવેન્ટ ફિઝિયો સપોર્ટની સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી હતી. રવીંદ્ર ચવ્હાણે જણાવ્યું કે વ્યસનથી દૂર રહીને આપણે શરીર અને તંદુરસ્તી માટે નિત્યનિયમથી કસરત કરવાની છે, કારણ કે દેશની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને 2047માં વિકસિત ભારતનો ધ્યેય રાખ્યો છે તે હાંસલ કરવાનો છે. આ સાથે ડોંબિવલીને સર્વ ક્ષેત્રમાં આગળ રાખવા તંદુરસ્ત શરીર મધાયમ છે. આથી જ તન અને મન ફિટ રાખવા માટે ડોંબિવલી મેરેથોન સ્પર્ધા યોજાઈ હતી.
ભવ્ય સ્વાગત:દાહોદમાં આજે 5 સ્થળે બિરસા મુંડાની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત
બિરસામુંડાની ગૌરવ યાત્રા દાહોદ શહેરમાં 10 નવેમ્બર, સોમવારના રોજ આગમન કરશે. આ અવસરને નિમિત્તે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ છવાયેલો છે. યાત્રાનું સ્વાગત શહેરના કુલ 5 સ્થળોએ કરાશે. જ્યાં શહેરના વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી ભગવાન બિરસામુંડાની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરશે. યાત્રાની શરૂઆત બપોરે 2 વાગ્યે રામા હોટલ પાસેથી થશે. પ્રથમ રામા હોટલ પાસે વોર્ડ નં. 1, 2 અને 3ના કાર્યકર્તાઓ તથા નગરની જનતા દ્વારા આયોજન કરાયું છે. ચાર થાંભલા ખાતે વોર્ડ નં. 3ના કાર્યકર્તાઓ તથા પુનમભાઈ નિનામાની ટીમ સ્વાગત કરશે. ભગવાન બિરસામુંડા સર્કલ ખાતે વોર્ડ નં. 5, 6 તથા પરેલ વિસ્તારના કાર્યકર્તાઓ, આમંત્રિત એનજીઓના હોદ્દેદારો તથા નગરવાસીઓ હાજર રહેશે. ઠક્કર બાપા ચોક ખાતે વોર્ડ નં. 4 અને 7ના કાર્યકર્તાઓ તથા આમંત્રિત સંસ્થાઓના સભ્યો ભવ્ય સ્વાગત કરશે. સરદાર ચોક, પડાવ ખાતે વોર્ડ નં. 8 અને 9ના કાર્યકર્તાઓ તથા જનતા દ્વારા ગૌરવ યાત્રાનું સ્વાગત-સન્માન કરવામાં આવશે.
મુંબઈ મહાપાલિકાનો નિર્ણય:ધારાવી રિડેવલપમેન્ટ માટે મહાપાલિકા મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીન આપશે
મુંબઈ મહાપાલિકા (બીએમસી)એ મુંબઈના મુલુન્ડ ડમ્પિંગ ગ્રાઉન્ડનો 15 એકર વિસ્તાર નવભારત મેગા ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (એનએમડીપીએલ)ને લીઝ પર આપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) અમલમાં મૂકવા માટે ખાસ તૈયાર કરાયેલા સંસ્થાન રૂપે કાર્યરત છે. આ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગયા વર્ષે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના 124 એકર વિસ્તારને ડીઆરપી માટે ગૃહ નિર્માણ માટે ફાળવ્યા બાદ લેવામાં આવ્યો છે. બીએમસીના અધિકારીએ જણાવ્યું કે એનએમડીપીએલ આ જમીનનો ઉપયોગ બાંધકામ માટે કાસ્ટિંગ યાર્ડ અને રેડી-મિક્સ કૉન્ક્રીટ (આરએમસી) પ્લાન્ટ સ્થાપવા માટે કરશે. સરકારી દસ્તાવેજો અનુસાર, અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (એપીપીએલ) પાસે એનએમડીપીએલમાં 80 ટકા હિસ્સો છે, જ્યારે બાકીના 20 ટકા રાજ્ય સરકારની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) પાસે છે. બીએમસીના દસ્તાવેજ મુજબ, આ 15 એકર જમીન પાંચ વર્ષ માટે રૂ. 18.35 કરોડના વાર્ષિક ભાડે આપવામાં આવી છે, જેના માધ્યમથી કુલ રૂ. 91.78 કરોડની આવક થશે. મુલુન્ડ ડમ્પિંગ ગ્રાઉન્ડ 1968થી કાર્યરત છે, અને કુલ 24 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. 2018માં અદાલતે તેને વૈજ્ઞાનિક રીતે બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ બીઅમેસીએ સાઇટ પરથી લગભગ 70 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અત્યાર સુધી આશરે 50 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો છે, જોકે નક્કી કરાયેલ સમયમર્યાદા પૂર્ણ થઈ શકી નથી.
મંડે પોઝિટીવ:દાહોદ- ઇન્દોર રેલવે લાઇન માટે ઝાબુઆના 6 ગામોમાં સંપાદિત જમીનનું વળતર અપાશે
વર્ષોથી રાહ જોવાઇ રહી છે તે દાહોદ-ઇન્દૌર રેલવે લાઇનમાં ગુજરાતના કતવારાથી મધ્યપ્રદેશના ઝાબુઆ સુધીની કામગીરી અંતિમ ચરણોમાં ચાલી રહી છે. 2026માં આ ભાગનું કામ પુરૂ કરીને કમીશંડ (ઉપયોગ માટે કાર્યરત) કરવાની રેલવે તૈયારી બતાવી રહ્યુ છે. હવે તેનાથી આગળ કામની તૈયારીઓ ઝડપી બનાવીને જમીન સંપાદનનું કામ કરાઇ રહ્યુ છે. પ્રારંભમાં ઝાબુઆ તાલુકામાં સંપાદનની કામગીરી પૂર્ણ કરીને હવે 2-3 દિવસમાં જ વળતર આપવાની તૈયારી છે. બીજા ચરણમાં રામા અને પેટલાવદ તાલુકાના ગામોમાં જમીન સંપાદન કરાશે. ઝાબુઆ સુધી કામ પરૂ કર્યા પહેલા રંગપુરાથી આગળ કામગીરી શરૂ કરવાનો રેલવેનો પ્રયાસ છે. પાડોશી ઝાબુઆ જિલ્લામાં રેલવે લાઇનનું એલાઇમેન્ટ બદલવા માટે કેટલાક વિસ્તારમાં નવો સર્વે પણ કરાયો છે. ખરમોર સંરક્ષિત વિસ્તાર અને ધાર જિલ્લામાં સ્ટેશન બદલવાને કારણે એલાઇમેન્ટ બદલાયુ છે. અત્યાર સુધી 32 કિમીનું કામ પૂર્ણ થયું યોજનાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી રેલવે મે 2025 સુધી 204.76 કિલોમીટર રેલવે લાઇનમાંથી 32.30 કિલોમીટરનું કામ પૂર્ણ કરી ચૂકી છે.આ લાઇન ઉપયોગ માટે તૈયાર છે. દાહોદથી કતવારા અને ઇન્દૌરથી ટીહી સુધીના ભાગમાં ટ્રેન દોડાવીને ટ્રાયલ પણ કરી દેવાયુ છે.આગામી એક વર્ષમાં કતવારથી ઝાબુઆ અને ટીહીથી ધાર વચ્ચે સંપૂર્ણ કામ પૂર્ણ થતાં ઉપયોગમાં લઇ શકાય તેટલી લાઇન બે ગણી એટલે કે 65 કિલોમીટર જેટલી થઇ જશે.
પડોશી વચ્ચે મારામારી:જૂની માથાકૂટના ખારમાં દંપતીએ પાડોશીના બહારગામ ગયા બાદ કેમેરામાં તોડફોડ કરી
શહેરના કાલાવડ રોડ આંબેડકરનગરમાં દંપતીએ એકબીજા સાથે બોલાચાલી કર્યા બાદ પાડોશી સાથે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. મહિલાએ પાડોશીઓને જાનથી મારી નાખવાની ધમકી દેતા પાડોશી પરિવાર ઘર મૂકી બીજે રહેવા ગયા હોઈ પાછળથી મહિલાએ ઘરના સીસીટીવી કેમેરા તોડી પાડ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં કાલાવડ રોડ જડ્ડુસ હોટેલ નજીક આંબેડકરનગર શેરી નં.5માં રહેતા શોભનાબેન શશીકાંતભાઈ રાઠોડ (ઉં.વ.47) દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી દિનેશ પ્રવીણભાઈ સોલંકી, તેની પત્ની કોમલબેન દિનેશભાઈ સોલંકી અને જગદીશ પ્રવીણભાઈ સોલંકીના નામ આપ્યા હતા. શોભનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.29/10/2025ના બપોરના આશરે બે વાગ્યા આસપાસ દિનેશ અને તેની પત્ની કોમલ બંને ઝઘડો કરતા હતા. દરમિયાન શોભનાબેન પોતાના ઘરે રસોડાની બારી બંધ કરવા જતા કોમલે ‘તું શું કામ મને જોઈને કેમ બારી પછાડે છે’ તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન કોમલ અને દિનેશ ગાળો ભાંડીને શોભાનાબેનના ઘરે દોડી આવ્યા હતા અને તેઓને ફડાકા ઝીંકી દીધા હતા. દંપતીએ ધમકી આપી કે તને ખોટા કેસમાં ફિટ કરવી દઈશું. તું ચાલીને મંદિરે જા ત્યારે ગાડી ચડાવીને જાનથી મારી નાખવી છે. બનાવ અંગે 112ને જાણ કરતાં પોલીસ બંને પક્ષોને લઈને પોલીસ મથકે પહોંચતા અહીં સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. જોકે ત્યારબાદ પણ આ ઝઘડો શરૂ રહ્યો હતો. શોભનાબેનના પરિવાર દ્વારા આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે સતત ધમકી મળતાં તેઓએ ઘરમાં સીસીટીવી ફૂટેજ પણ લગાવ્યા હતા. મહિલાના ત્રાસથી ડરી જઈને તેઓ બહારગામ જતા રહ્યા ત્યારે પાછળથી આરોપીઓએ મળીને કેમેરા તોડી નાખ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.બી.ભૂંડિયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગામ ગામની વાત:જામફળનું હબ અને સોલંકીયુગનો ઐતિહાસિક શક્તિકુંડ આખજ ગામની ઓળખ
જામફળના ઉત્પાદનના હબ તરીકે ઓળખાતા મહેસાણા તાલુકાના આખજ ગામમાં સરકારની ગ્રાન્ટમાંથી પંચાયત દ્વારા રોડ, લાઇટ, પાણી તેમજ CCTV કેમેરા સહિતની સુવિધા ગ્રામજનો માટે ઉપલબ્ધ બની છે. ગામના અનેક લોકો હાલ વિદેશમાં વસી રહ્યા છે, તેમના દ્વારા માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે, વતનના વિકાસ માટે કાયમ સહાયનો ધોધ વહેતો રહ્યો છે. NRI દાતાઓના સહયોગથી ગામને સુંદર ઉમાધામ સંકુલ, શારદાબા સાંસ્કૃતિક હોલ, શાળા, આરોગ્ય કેન્દ્ર, મંદિર સહિતની સુવિધા મળી છે. ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ પશુપાલન છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી સહિતની સવલતો છે. ગામમાં 12મી સદી પૂર્વેનો શક્તિકુંડ આવેલો છે, જે રાજ્ય સંરક્ષિત સ્મારક છે. ગામના વતની અને તાલુકા સદસ્ય દિનેશભાઈ સુથારે જણાવ્યું કે, દાતાઓના સહયોગથી રૂ.3 કરોડના ખર્ચે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાનું નવીનીકરણ, રૂ.1 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર સાથે અનેક લોક ભાગીદારીથી વિકાસ થયો છે. બીજી તરફ, સોલંકીયુગમાં નિર્માણ પામેલા શક્તિકુંડની અનેક લોકો મુલાકાતે આવે છે. ત્યારે બાજુમાં જ આવેલ તળાવનો સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે તો આ ગામ મહેસાણા જિલ્લામાં નવીન પર્યટન સ્થળ બની શકે તેમ છે. ગામના મહિલા સરપંચ વર્ષાબેન તેમજ ઉપસરપંચ જગદીશભાઈએ જણાવ્યું કે, ગામના વિકાસ માટે દાતાઓ છૂટાહાથે દાન આપે છે. પરંતુ જગ્યાના અભાવે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સોલર પ્લાન્ટ સહિતની સુવિધાઓ બની શકે તેમ નથી. નિરાધાર-વૃદ્ધો માટે રાહતદરે ભોજન વ્યવસ્થાઆખજ ગામના લોકોએ વડીલોને ભોજન માટે તકલીફ ન પડે માટે તેની વ્યવસ્થા પણ ઊભી કરી છે. ગામમાં આવેલ ઉમાધામ દ્વારા ગામમાં વસતા સિનિયર સિટીઝન તેમજ અનેક નિરાધાર લોકોને દાતાઓના સહયોગથી નજીવા દરે નિયમિત પણે ભોજન આપવામાં આવે છે તેમ ઉમાધામના મંત્રી ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:ટૂ વ્હિલરની નંબર પ્લેટના રૂ.750, કારના રૂપિયા 1500 સુધી વસૂલે છે એજન્ટ- ડીલરો
વાહન માલિકો માટે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત કર્યાનો ઉદ્દેશ સુરક્ષા વધારવાનો હતો, પરંતુ હવે એજ નિયમ ખાનગી ડીલરો માટે કમાણીનો ખુલ્લો ધંધો બની ગયો છે. સરકારે આ કામગીરી RTO કચેરીમાંથી હટાવી ખાનગી ડીલરોને સોંપતા સામાન્ય નાગરિકના ખિસ્સા પર લૂંટ મચી ગઈ છે. અગાઉ આરટીઓમાં ટૂ વ્હિલરની નંબર પ્લેટ ફક્ત રૂ.140માં અને ફોર વ્હિલરની રૂ.400માં લગાવાતી હતી, જ્યારે હવે એ જ કામગીરી માટે ડીલરો ટૂ વ્હિલર માટે રૂ.750 અને ફોર વ્હિલર માટે રૂ.1500 સુધી વસૂલ કરી રહ્યા છે! વાહનચાલકો કહે છે કે, જો સરકારના દર નક્કી છે, તો ડીલરોને કેટલી વધારાની વસૂલાત કરવાની છૂટ છે? અને જો નથી, તો આ લૂંટારું તત્ત્વો સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી? એક તરફ ટ્રાફિક નિયમોના પાલન માટે કડક દંડ વસૂલવામાં આવે છે, બીજી તરફ એ જ વિભાગના ઠરાવથી લોકોને શોષણનો સામનો કરવો પડે છે. જો સરકાર ખરેખર નાગરિકોના હિતમાં છે, તો તેને તાત્કાલિક ડીલરોના દર જાહેર કરવા જોઈએ, તપાસ શરૂ કરવી જોઈએ અને નક્કી કરેલા દરથી વધુ વસૂલનાર ડીલરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. રાજકોટ આરટીઓ કચેરીમાં પહેલાં નંબર પ્લેટ બદલવાની એજન્સી અને મશીન ઉપલબ્ધ હતું, જ્યાં કામ ઝડપથી અને નિયમિત દરે થતું હતું, પરંતુ હવે તે એજન્સી બંધ કરી ડીલરોને એકહથ્થું અધિકાર આપતા સત્તાવાર વ્યવસ્થાને ખાનગી લૂંટના ચંગુલમાં ધકેલાઈ દીધી છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટનો હેતુ વાહન ચોરી અટકાવવો, ફેક નંબર બંધ કરવો અને ટ્રાફિક સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં સુરક્ષા કરતા વધુ અસુરક્ષા અને અસંતોષ ફેલાયો છે. પ્લેટ તૂટે, ખવાય તો પોલીસ રિપોર્ટ ફરજિયાત કરાતા મુશ્કેલી વધીનવા વાહનો સિવાય, જૂના વાહનોની નંબર પ્લેટ તૂટી જાય કે ખોવાઈ જાય તો પણ હાલ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે. પહેલાં આરટીઓ કચેરીમાં જ આવી પ્લેટો તાત્કાલિક ઉપલબ્ધ થઈ જતી, પરંતુ હવે આરટીઓમાં આ કામગીરી બંધ થઈ ગઈ છે. પરિણામે લોકોને પહેલા પોલીસ રિપોર્ટ નોંધાવવો પડે છે, પછી ડીલર પાસેથી નવી પ્લેટ મેળવવી પડે છે તેના માટે પણ વાહનચાલકે વધારાનો ખર્ચ કરવો પડે છે.
ભાસ્કર એક્સક્લૂસિવ:મૃત્યુ પામેલા મતદારનો દાખલો માંગીએ તો નથી કે ખોવાઇ ગયોનું કહે છે
ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી ખાસ મતદાર યાદી સુધારણા કામગીરીમાં શાળાની ફરજ ઉપરાંત બીએલઓની કામગીરીને લઇ શિક્ષકો મૂંઝવણમાં મૂકાયા છે. ફોર્મની પ્રક્રિયામાં ઘણો સમય જાય છે. એક બીએલઓને જણાવ્યું કે, અભણ હોય તેમને ફોર્મ ભરી આપવા, ન સમજાય તેમને ફોર્મ ભરવામાં મદદરૂપ બનવું, 38 વર્ષ થયા છે તેવા મતદારોને વિગતોમાં ખબર ન પડે તો વર્ષ 2002ની યાદીમાં નામ સર્ચ કરી આપવું વગેરેમાં ઘણો સમય જાય છે. અન્ય એક બીએલઓએ કહ્યું કે, કોઇ મતદારનું મૃત્યુ થયું હોય તો પરિવાર પાસે મરણનો દાખલો માંગીએ તો નથી કે ખોવાઇ ગયોનો જવાબ મળે છે. બીજી તરફ, રોજેરોજ ચૂંટણી તંત્ર બીએલઓની ફરજમાં મૂકાયેલા શિક્ષકો પાસે કેટલા ઘરે ગતણરી ફોર્મ અપડેટ કર્યા અને ઝડપથી કરવા મેસેજ મોકલી રહ્યું છે. બીએલઓ શિક્ષકોને શાળા સમય પણ સાચવવાનો હોય છે. જેથી બીએલઓને સોંપાયેલી સરની કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હોઇ શાળા દરમિયાન કામગીરી કરવા મંજૂરી આપવી જોઇએ તેમ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખે જણાવ્યું હતું. બીએલઓને ફિલ્ડમાં પડતી મુશ્કેલીઓ : 10 ટકા શિક્ષકોનેવતનનો હુકમ હોઇ શાળાએ જાય કે બીએલઓનું કામ કરે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓનો પ્રારંભ:50 હજાર વિદ્યાર્થીઓની કાલથી પરીક્ષા, CCTVથી નજર રખાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળીની રજાઓ બાદ હવે ફરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ શરૂ થઇ છે. 11 નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતકના સેમેસ્ટર-3ની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કુલ 115 પરીક્ષા કેન્દ્ર પરથી 50,228 વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લેશે. પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત મોનિટરિંગ રાખશે, સાથે જ દરેક કેન્દ્ર પર CCTV કેમેરા દ્વારા લાઇવ દેખરેખ ગોઠવવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરીની શક્યતા ટાળી શકાય. પરીક્ષા વિભાગ મુજબ 11 નવેમ્બરથી શરૂ થતી આ પરીક્ષાઓ માટે કડક નિયમો અમલમાં રહેશે. વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા જોવામાં આવે તો, BA સેમેસ્ટર-5માં રેગ્યુલર 14,465 અને એક્સટર્નલ 2,160, બી.કોમ રેગ્યુલરમાં 11,980 અને એક્સટર્નલ 385, BCAમાં 6,110, BBAમાં 3,022 અને LLBમાં 2,290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અનુસ્નાતક સ્તરે M.Com સેમેસ્ટર-3માં રેગ્યુલર 1,675 અને એક્સટર્નલ 1,680 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. યુનિવર્સિટીએ કુલ 37 અલગ કોર્સના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આયોજન કર્યું છે. તમામ કેન્દ્રો પર સુપરવાઇઝર, CCTV મોનિટરિંગ અને સખત બંદોબસ્ત સાથે પારદર્શક પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી છે. યુનિવર્સિટી અધિકારીઓના જણાવ્યા મુજબ, પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોપિંગ સહન કરવામાં આવશે નહીં અને જો કોઈ વિદ્યાર્થી નિયમોનો ભંગ કરશે તો તેની સામે તાત્કાલિક પગલાં લેવાશે.
ભાસ્કર એનાલિસીસ:દિવાળીની 9 રજા છતાં ઓક્ટોબરમાં 4957 દસ્તાવેજ થયા
મહેસાણા જિલ્લામાં મિલકતના દસ્તાવેજ દર મહિને સરેરાશ પાંચ હજારની પાર થતા હોય છે. જેમાં ગત સપ્ટેમ્બર મહિનામાં 5927 દસ્તાવેજો નોંધાયા હતા, તેની સરખામણીએ દિવાળીના ઓક્ટોબર મહિનામાં નવ રજાઓ છતાં પાંચ હજારની નજીક 4957 દસ્તાવેજ થયા છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં 970 દસ્તાવેજ ઓછા નોંધાયા છે. જિલ્લામાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ત્રણ મહિનામાં કુલ 16,195 દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયા છે. જેમાં નોંધણી ફી પેટે રૂ. 1.08 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.84.04 કરોડ મળી કુલ રૂ.94.88 કરોડની આવક થઇ છે. જિલ્લાના દશ તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં મિલકત વેચાણ સહિતના દસ્તાવેજોમાં આખો દિવસ ધસારો જોવા મળતો હોય છે. મહેસાણા સબ રજીસ્ટ્રાર કચેરીએ તો દસ્તાવેજ કરવા આવતા મિલકતદારો માટે આગળ શેડ લંબાવી ટેબલ મૂકીને બેઠક વ્યવસ્થા વધારવી પડી છે. આ દરમિયાન, પાછલા ત્રણ મહિનામાં જિલ્લામાં થયેલા દસ્તાવેજ અને આવક પર નજર કરીએ તો, ઓગસ્ટમાં 5311 દસ્તાવેજ થયા છે અને તેમાં નોંધણી ફીની રૂ.1,58,87,930 તેમજ સ્ટેમ્પ ડ્યુટીની રૂ.28,64,67,327ની આ વક થઇ છે. સપ્ટેમ્બર મહિનામાં 5927 દસ્તાવેજમાં નોંધણી ફી રૂ.4,70,32,378 અને સ્ટેમ્પ ડ્યુટીમાં રૂ.28,59,67,532 આવક નોંધાઇ છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં દસ્તાવેજ ઓછા થતાં આવક પણ પ્રમાણમાં ઓછી થઇ છે. ઓક્ટોબરમાં 4957 દસ્તાવેજમાં નોધણી ફીમાં રૂ.4,55,02,220 અને સ્ટેમ્પ ડ્યુટીમાં રૂ.26,80,19,655 આવક નોધાઇ છે. રજાઓમાં દસ્તાવેજ નોંધણી બંધ હતી, હવે નવેમ્બરમાં દસ્તાવેજ વધશેસબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોએ કહ્યું કે, આમ તો દર મહિને સરેરાશ પાંચ હજાર કે વધુ દસ્તાવેજ નોંધાતાં હોય છે. પરંતુ, ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો હોઇ નવ દિવસ સતત રજા હતી. એટલે વર્કિગ દિવસ આ મહિનામાં ઓછા રહ્યા હોઇ સ્વાભાવિક રીતે દસ્તાવેજોનો ધસારો ઓક્ટોબરમાં ઓછો રહ્યો છે. બે રજાઓ સેટ કરી હતી, જે નવેમ્બરના બીજા શનિવારે કચેરી ચાલુ રહી હોઇ દસ્તાવેજ થયા છે એટલે નવેમ્બર મહિનામાં દસ્તાવેજનું પ્રમાણ પાછું વધશે.
ભાસ્કર શીખ:ગાડીને તાળું કર્યા વિના કપડાં લેવા ગયેલા વેપારીની ગાડીમાંથી 1.50 લાખની ચોરી
મહેસાણામાં ગાયત્રી મંદિર રોડ પર ધોબીને ત્યાં કપડાં લેવા ગયેલા વેપારીની કારમાં મૂકેલી રૂ. દોઢ લાખની રોકડ રકમ ભરેલી બેગ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. જે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સીસીટીવીઅને મોબાઇલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી છે. મહેસાણા હબ ટાઉન નજીક વિજયનગર સોસાયટીમાં રહેતા અને ઓટોમોબાઇલ સ્પેર પાર્ટસની દુકાન ધરાવતા વિમલભાઇ રસિકભાઇ શાહ શુક્રવારે સાંજે દુકાન વધાવીને તેમની ગાડી (જીજે 02 ઇએ 5544)માં વકરાના રૂ.1.50 લાખની રોકડ ભરેલી બેગ આગળની સીટ ઉપર મૂકી ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં રામદેવ નમકીન દુકાનની સામે બાજુએ ઉપકાર ક્લીનર્સમાંથી કપડાં લેવાના હોઇ તેઓ બાજુમાં ગાડી મૂકીને ત્યાં ગયા હતા. ગાડીનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હતો અને કપડાં લઇને 15 મિનિટ બાદ પરત આવતાં ગાડીની સીટ ઉપર બેગ ન હોઇ શોધખોળ કરી હતી. પરંતુ મળી નહીં આવતાં તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ નોંધાવી હતી. ઘર, ઓફિસ કે ગાડી છોડતાં પહેલાંલોક મારવાની કાળજી રાખોસામાન્ય રીતે હમણાં જ આવું છું, બાજુમાં જ જવું છે ને તેવું માનીને પણ કેટલાક ઘર, ઓફિસ કે ગાડીને લોક કર્યા વગર ખુલ્લી રાખતા હોય છે. પરંતુ આવી નાની બેકાળજીના લીધે કિમતી ચીજવસ્તુ ચોરી થઇ જતી હોય છે. કાળજી રાખવાથી આવી ઘટના ટાળી શકાય છે. એટલે ઘર, ઓફિસ કે ગાડીમાં કોઇ ન હોય તો કાચ બંધ કરી, દરવાજાને લોક મારવું હિતાવહ છે.
સાંસ્કૃતિક જવાબદારીના ભાગરૂપે INTACH રાજકોટ અને RMCએ SWARaH (સેક્રેડ વેસ્ટ અવેરનેસ, રિયૂઝ એન્ડ હેન્ડ ક્રાફ્ટિંગ)નો પ્રારંભ થયો. વારસો, હસ્તકલા અને જવાબદારીના સંમિશ્રણ રૂપે SWARaH એ મંદિરોમાંથી એકત્ર થતી પવિત્ર ફૂલની અર્પણોને પર્યાવરણના સંરક્ષણ અન્વયે હસ્તકલા ઉત્પાદનો - જેમ કે અગરબત્તી, કુદરતી રંગો અને ખાતરમાં રૂપાંતરિત કરવાની દિશામાં કાર્યરત છે, જે પર્યાવરણ જાગૃતિ સાથે સ્થાનિકોને રોજગારી માટેના અવસર પૂરા પાડશે. પંચનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત ‘પવિત્ર કચરાના પુનઃસર્જન વર્કશોપ’માં સ્વ-સહાય જૂથો અને સ્થાનિક સમુદાયના સભ્યોને હસ્તકલા નિર્માણની તાલીમ આપવામાં આવી હતી.
મંડે પોઝિટીવ:ફિટ ગુજરાત - મેદસ્વિતા ઘટાડવા રાજકોટના 5 સહિત એકસાથે 100 સ્થળોએ મેદસ્વિતા યોગ અભિયાન
‘મેદસ્વિતા મુક્ત ભારત’ના સંકલ્પને આગળ વધારતાં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નામે વિશાળ યોગ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવા અને વધતી મેદસ્વિતાને નિયંત્રણમાં રાખવા માટે 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી 30 દિવસીય ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા યોગ કેમ્પ’ યોજાશે. કેમ્પ યોજવાનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને યોગ, પ્રાણાયામ, આસનો અને જરૂરી પૌષ્ટિક આહારના માધ્યમથી મેદસ્વિતાને અસરકારક રીતે નિવારવા માટેની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાનો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે 100 સ્થળે દરરોજ 100 લોકો સાથે યોગ શિબિરો યોજાશે. સવારે 6.30થી 8.00 કલાક દરમિયાન યોજાતી આ શિબિરમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમનો હેતુ માત્ર ફિટનેસ જ નહીં, પરંતુ જીવનશૈલીમાં સ્થાયી પરિવર્તન લાવવાનો છે, જેથી મેદસ્વિતા જેવી સમસ્યાને કુદરતી રીતે હરાવી શકાય. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલએ જણાવ્યું કે, આ અભિયાન માત્ર શારીરિક આરોગ્ય માટે નહીં, પરંતુ માનસિક સંતુલન અને ઊર્જાવાન જીવન માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમણે વધુમાં વધુ નાગરિકોને આ યોગ શિબિરમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે ‘સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને મેદસ્વિતા મુક્ત ગુજરાત’. યોગ દ્વારા આરોગ્ય જાગૃતિનું બીજ રોપી ગુજરાતને ફિટ અને એનર્જેટિક બનાવવા માટે આ પહેલ એક મોટું પગલું સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં યોગ અભિયાન અંતર્ગત 5 સ્થળે યોગ શિબિર યોજાશે
ગામ ગામની વાત:રાબડાલમાં વિકાસ, પણ મુવાલીયા ચોકડીથી પોલીસ મથક સુધી અંધકાર!
દાહોદ તાલુકાના શહેર નજીકઆવેલું રાબડાલ ગામ આશરે9,000ની વસ્તી ધરાવે છે અને તેનોસાક્ષરતા દર 70 ટકા જેટલો છે. આગ્રામ પંચાયત ધાર્મિક દૃષ્ટિએ પણજાણીતી છે, જ્યાં ચામુંડા માતાનુંમંદિર અને ગાયત્રી મંદિર સહિતઅનેક દેવસ્થાનો આવેલાં છે.પરિણામે, દિવસભર ગામમાંદર્શનાર્થીઓની અવરજવર રહે છે,જે ગામની ધમધમતી ઓળખ છે.રાબડાલ ગામ વિકાસના પંથેઆગળ વધી રહ્યું છે પરંતુ તેના મુખ્યમાર્ગ તરીકે ઓળખાતો મુવાલીયાક્રોસીંગથી ઘાટાપીર સુધીનો હાઇવેરાત્રે અંધકારમાં ગરકાવ રહે છે.સ્ટ્રીટ લાઇટના અભાવને કારણેગામલોકો અને ખાસ કરીને રાત્રેઅવરજવર કરતા દર્શનાર્થીઓનેભારે મુશ્કેલીનો સામનો કરવો પડેછે. આ માર્ગની ગંભીરતા એટલામાટે વધુ છે કારણ કે આ જ રસ્તાપર તાલુકા પોલીસ મથક અનેકેન્દ્રીય વિદ્યાલય જેવી મહત્ત્વનીસંસ્થાઓ આવેલી છે. તેથી, રાત્રિનાસમયે પ્રકાશ વ્યવસ્થા માત્ર સુવિધામાટે નહીં, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએપણ અત્યંત જરૂરી બની ગઈ છે. એક તરફ, ગ્રામ પંચાયત દ્વારાઅનેક વિકાસાત્મક કામગીરી હાથધરવામાં આવી છે. ગામના કેટલાકવિસ્તારોમાં ગટર અને આરસીસીરોડનું કામ પૂર્ણ થયું છે અનેસરકારની મહત્ત્વકાંક્ષી “નલ સેજલ” યોજનાનું કામ પણ 90 ટકાપૂરું થઈ ગયું છે. જોકે, અંધકારનીસમસ્યાને હલ કરવા માટે ગ્રામપંચાયત દ્વારા નક્કર આયોજન હાથધરાયું છે. આવનારા સમયમાં અન્યવિસ્તારોમાં આરસીસી રોડ અનેસોલાર લાઇટની સ્થાપના કરવાનીયોજના છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છેકે, મુવાલીયા ક્રોસીંગથી હાઇવે સુધીસ્ટ્રીટ લાઇટ લગાવવા માટેનીરજૂઆત પણ કરવામાં આવી છે.ગામના લોકો હવે આશા રાખી રહ્યાછે કે આગામી સમયમાં આવિસ્તારમાં સોલાર લાઇટ અને સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા થવાથી માત્રસુરક્ષામાં જ નહીં પરંતુ ગામનાસર્વાંગી વિકાસમાં પણ એક નવીઉજાશ આવશે. ગામની વસ્તી : 9000 આક્ષરતા દર : 70 જિલ્લા મથકથીઅંતર : અડધો કિમી કનેક્ટિવિટિ - રોડ પ્રસિધ્ધ મંદિર – ચામુંડામાતાનું મંદિર અને ગાયત્રી મંદિર નલ સે જલનુંકામ 90% પૂર્ણઅનેક વિકાસાત્મક કામગીરીહાથ ધરવામાં આવ્યા છે.કેટલાક વિસ્તારોમાં ગટર અનેઆરસીસી રોડનું કામ પૂર્ણ થયુંછે.નલ સે જલ યોજનાનું કામ90 ટકા પૂરું થયું છે. આવનારાસમયમાં અન્ય વિસ્તારોમાંઆરસીસી રોડ અને સોલારલાઇટની સ્થાપના કરવાનીયોજના છે. તેમજ મુવાલીયાક્રોસીંગથી હાઇવે સુધી સ્ટ્રીટલાઇટ લગાવવાની રજૂઆત કરીછે. - ગંગાબેન મહેશભાઇનિનામા, સરપંચ, રાબડાલ
તાજેતરમાં ઈમિગ્રેશનની ટીમ એરપોર્ટ ખાતે સરવેની કામગીરી પૂર્ણ કરી ગઈ છે. રાજકોટ ચેમ્બરની રજૂઆત થકી ઈન્ડિગો એરલાઈન્સ રાજકોટ-દુબઈ માટેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા તૈયાર છે, પરંતુ કસ્ટમ ક્લિયરન્સનું સેટઅપ ન હોવાને કારણે આ ફ્લાઈટ ઓપરેટ થઈ શકે તેમ નથી. તેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કસ્ટમ ક્લિયરન્સ અને ઈમિગ્રેશન સેટઅપ નવેમ્બર 2025 સુધીમાં તાત્કાલિક શરૂ કરવા માટે કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી કિન્નજારપ્પુ રામમોહન નાયડુજી, ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. વધુમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે આગામી 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિઓનલ કોન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્ર’નું ભવ્ય આયોજન થવાનું છે. તેમજ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત આ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓ તથા ડેલિગેશનો ભાગ લેવાના હોવાથી રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એ૨૫ોર્ટ ખાતે તાત્કાલિકના ધોરણે ઈન્ટરનેશનલ ફ્લાઈટોની સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ કસ્ટમ ક્લિયરન્સ અને ઈમિગ્રેશન સેટઅપ શરૂ કરવું ખાસ જરૂરી છે. જેથી કરીને ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિઓનલ કોન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્ર’ સમિટને સફળતા આપી શકાય. એરપોર્ટ પર હજુ વાઈફાઈ નેટવર્ક, વેઈટિંગ લોન્જ, ડ્યૂટી ફી રિટેલ શોપ નથીએરપોર્ટ ખાતે પાયાગત સુવિધાઓ ન હોવાના કારણે મુસાફરોને ખૂબ જ અગવડતાઓ અને અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સારી ગુણવત્તાવાળું વાઈફાઈ નેટવર્ક, વેઈટિંગ લોન્જ, ડ્યૂટી ફી રિટેલ શોપ, જનરલ પબ્લિક માટે રેસ્ટરૂમ તેમજ ફૂડ અને બેવરીઝના આઉટલેટ વગેરે પૂરા પાડવા જરૂરી છે તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા જણાવાયું છે. ભાસ્કર ઇનસાઈડઆયાત-નિકાસ માટે અમદાવાદ જવું પડે છેરાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ આશરે 25 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તેમજ ઈન્ડસ્ટ્રિયલ હબ તરીકે પણ ગણવામાં આવે છે ત્યારે રાજકોટ તથા તેની આસપાસ આશરે બે લાખથી વધુ MSME એકમો આવેલા હોય આયાત-નિકાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યું હોવાથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે. ત્યારે રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નિયમોનુસાર જરૂરી સુવિધાઓ તથા ઈન્ફસ્ટ્રક્ચર ડેવલપ કરવા ખૂબ જરૂરી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટના ટર્મિનલની કામગીરી પૂર્ણ થવામાં છે, પરંતુ કસ્ટમ ક્લિયરન્સ અને ઈમિગ્રેશન સેટઅપના અભાવના કારણે એક પણ ઈન્ટરનેશનલ ફલાઈટ ઉડાન ભરી શકતી નથી. જેના કારણે મુસાફરોને વાયા અમદાવાદ આવવાનો સહારો લેવો પડે છે જે સમય તેમજ નાણાકીય નુકસાનકારક અને વિલંબિત સાબિત થઈ રહ્યું છે.
આરોપીઓ ઝડપાયા:એકના ડબલ કરી આપવાનું કહીરૂા.30 લાખ પડાવનાર 3 પકડાયા
બોડેલીના એક વેપારીએ શિનોર તાલુકામાં એકના ડબલ કરી આપતી ગેંગના વિશ્વાસે રૂપિયા 30 લાખ ગુમાવતાં શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણ આરોપી પકડાયા હતા જ્યારે એક ભાગી ગયેલ છે. આ કિસ્સામાં શિનોર પોલીસની શંકાસ્પદ કામગીરી બહાર આવી છે. બોડેલીમાં અનાજ કરિયાણાનો વેપાર કરતા નિલેશ ઓમ પ્રકાશ અગ્રવાલેલખાવેલ ફરિયાદ મુજબ તા.19ઓક્ટોબરથી તા.4 નવેમ્બર સુધીમાંએકના ડબલની લાલચમાં 4 વ્યક્તિઓએતેમની સાથે છેતરપિંડી કરતાં રૂા.30 લાખગુમાવ્યા હતા. આરોપીઓ ગોપીનાથબાબા ઉર્ફે ઐયુબ બેલીમ રહે.પાનસોરાતાલુકો ઉમરેઠ, તથા ઝાકીરભાઈ, દક્ષેશઠાકર અને ભૌમિત ઠાકર રહે.નાના કરાળાતમામે ભેગા મળીને ફરિયાદીને વિશ્વાસમાંલઇ ગોપીનાથ બાબા એકના ડબલ કરીઆપે છે, તેની વિધિ કરાવવા જણાવ્યું હતું.આથી લાલચમાં આવીને વેપારીએગોપીનાથ બાબાને તા.19 ઓક્ટોબરે ફોનકરેલ, જેમાં બાબાએ વિશ્વાસ આપેલ કેતારું કામ લાભ પાંચમ સુધીમાં થઈ જશે.ત્યાં સુધી આ વિધિ કરજે. ત્યારબાદ તા.3નવેમ્બરે બાબાએ ફોન કરીને રૂા.30લાખની વ્યવસ્થા કરી રાખવા જણાવેલ. તેવ્યવસ્થા થયાનું વેપારીએ જણાવેલ. બાદતા.4 નવેમ્બરે બપોરે 12 વાગે વેપારીગાડીમાં બાબાને વેગા ચોકડીથી બોડેલીપોતાના ઘરે લઇ ગયા હતા. ત્યાં બાબાએજણાવેલ કે મુંબઇથી સામાન મંગાવેલ છેઅને સાંજે 5 વાગે સેગવા ચોકડીથી પોઇચાઆપણે જઇ સામાનના પૈસા આપીસામાન લઇ લઇશું. વેપારી બોડેલીથી ગોપીનાથ બાબાનેબેસાડીને પોઇચા પુલે આવ્યા હતા. જ્યાંઆવેલા ઈસમને રૂા.30 લાખ આપ્યા અનેપરત આવતા પોઇચા પુલ પર નાળિયેરઅને ચુંદડી ચઢાવેલ. પોઇચાથી એક કિમીદૂર સેગવા તરફ આવતાં પોલીસે તેમનીગાડી રોકી અને ગોપીનાથનો સામાન ચેકકરતાં અંદર ગાંજો હોવાનું પોલીસેજણાવેલ. બાબાને ગાડીમાં બેસાડી પોલીસેવેપારીને લાકડી મારી તથા ગાળો આપી, તેસમયે દક્ષેશ નહીં હોવાથી એનો ભાઇભૌમિક ઠાકર આવ્યો હતો. તેણે પોલીસ જોડે કોઇ વાતચીત કરી,પોલીસે બાબાનું તથા વેપારીનું નામ લખીબાબાનો વીડિયો ઉતાર્યો. ભૌમિકે વેપારીનેકહ્યું તમને ગાંજાના કેસમાં ફસાવશે, છૂટવામાટે રૂપિયા એક લાખ આપી દો. ત્યારેવેપારી પાસે માત્ર 3000 રૂપિયા હતા તેઆપીને જતા રહેવાનું કહ્યું. ગોપીનાથબાબાએ પણ વેપારીને જતા રહેવાનું કહ્યું.આથી છેતરાયાનો અહેસાસ થતાંવેપારીએ તા.8મીએ સાંજે રૂપિયા 30 લાખલઈ ગયાની ફરિયાદ પત્ની સાથે શિનોરપોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ચાર આરોપી પૈકી 3 ગોપીનાથબાબા ઉર્ફે બેલીમ, ઝાકીર અને દક્ષેશઠાકરની ધરપકડ કરી હતી જ્યારે ભૌમિકઠાકર ફરાર છે. જેની તપાસ પોલીસ કરીરહી છે. બોડેલીના વેપારીને ઠગનાર ત્રણ ઝડપાયા.
2 તરુણો થયા ગુમ:માતાએ ઠપકો આપતા તરુણ વયના બે ભાઈ 3 દી’થી લાપતા: અપહરણનો ગુનો નોંધાયો
મહિકા ગામના પાટિયા નજીક આવેલી રાધિકા રેસિડેન્સી શેરી નં.2માં રહેતા ભાવનાબેન રાજેશભાઈ ડાંગર (ઉં.વ.33) દ્વારા આજી ડેમ પોલીસ મથકમાં તેના પુત્ર મીત(ઉં.વ.13) અને પુત્ર કેવલ(ઉં.વ.11)ના અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણીને પતિ સાથે મનમેળ ન થતાં પાંચ વર્ષથી અલગ રહે છે. અને બાળકો છેલ્લા 11 માસથી તેમની સાથે રહેવા આવ્યા હતા. દરમિયાન ગત તા.06/11ના રાત્રિના સાડા અગિયાર વાગ્યા આસપાસ કેવલ અને મીત રમવા માટે બહાર ગયા હતા. ભાવનાબેનને માથામાં દુખાવો થતો હોવાથી તે સૂઈ ગયા હતા. બીજા દિવસે ઘરમાં કે આજુબાજુમાં તપાસ કર્યા બાદ પણ મીત અને કેવલ ન મળી આવતા મહિલાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે. પતિ દારૂ પીતા હોવાથી મહિલા અલગ રહેતી’તીદિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન ભાવનાબેને જણાવ્યું હતું કે, પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી તેઓ પાંચ વર્ષથી અલગ રહે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. એક પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે અને બાકીના ચારેય પુત્ર-પુત્રી નણંદ પાસે રહેતા હતા. 11 માસ પહેલાં જ તેની પાસે રહેવા આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી બંને બાળકોની શોધખોળ કરી રહ્યા છે. તોફાન ન કરવાનું કહ્યું તું, માઠું લાગતાં બંને રિસાઈને ઘરેથી ભાગી નીકળ્યા’તાભાવનાબેને જણાવ્યું કે, તેણીએ બાળકોને તોફાન ન કરવા ઠપકો આપ્યો હતો. બાળકોએ ઘરેથી નીકળીને અમદાવાદમાં રહેતા મામા ધીરેન ચાવડાને ફોન કરી કહ્યું હતું કે, “મમ્મીએ અમને મારી ઘરમાંથી કાઢી મૂક્યા છે’. જોકે ભાવનાબેને કહ્યું કે, માત્ર તોફાન ન કરવા ઠપકો આપ્યો હતો.
સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ રાજકોટમાં રવિવારે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના છ ખેડૂત પાસેથી મગફળી ખરીદ કરવામાં આવી હતી. દરેક ખેડૂત પાસેથી મણના રૂપિયા 1452 લેખે 125 મણ મગફળી ખરીદી શુકન સાચવવામાં આવ્યું હતું. સોમવારે નિયમિત રીતે મગફળી ખરીદાશે.
મંડે પોઝિટીવ:મિશન વાંચન-લેખન - પ્રાથમિકના બાળકોનો પાયો મજબૂત બનાવવા 14 નવેમ્બર સુધી ખાસ અભિયાન
રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણના ગુણોત્તર સુધારવાના ઉદ્દેશ સાથે 14 નવેમ્બર સુધી ‘ખાસ વાંચન-લેખન અભિયાન’ હાથ ધર્યું છે. ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણનાની કુશળતા વિકસે અને દરેક બાળક આત્મવિશ્વાસપૂર્વક શીખી શકે તે માટે આ અભિયાનને મિશન મોડમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં રાજકોટ સહિત રાજ્યના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ અભિયાનનો ભાગ બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણના ગુણોત્તર સુધારવા અનેક નવી પહેલ થઈ છે, પરંતુ હજી પણ ઘણા બાળકોને વાંચન કે ગણનની મૂળભૂત સમજણમાં અડચણ પડે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતામાં સુધારો લાવવા આ ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા દરેક બાળક વાંચી, લખી અને ગણતરી કરી શકે તેવો આત્મવિશ્વાસ વિકસે એ મુખ્ય હેતુ છે. મળતી માહિતી મુજબ આ મિશન પછી સતત અનુસરણ કરીને વિદ્યાર્થીઓની પ્રગતિ માપવામાં આવશે અને જ્યાં જરૂર હોય ત્યાં વધારાની માર્ગદર્શનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરાશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મત મુજબ, આવી પહેલ શિક્ષણના પાયા મજબૂત બનાવે છે. બાળપણમાં વાંચન અને ગણનાની આદત જ ભવિષ્યના જ્ઞાનનું મૂળ છે. મોનિટરિંગ થશે | ઉચ્ચ અધિકારીઓ પણ શાળાની મુલાકાત લેશેઆ અભિયાનમાં માત્ર બાળકોને શીખવવું જ નહીં, પરંતુ શિક્ષણની સમગ્ર પ્રક્રિયાનું સઘન મોનિટરિંગ કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ રાજ્યના વિવિધ વિસ્તારોની શાળાઓની મુલાકાત લેશે, જેથી અભિયાનને વાસ્તવિક અસરકારકતા મળે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ગુણાત્મક સુધારાને પ્રોત્સાહન આપવા, શિક્ષકોને પણ નવી શિક્ષણ પદ્ધતિઓ અને નવીન શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવશે. વાંચન, લેખન અને ગણન માટે અલગ નોટબુક રાખવાની રહેશેઅભિયાન દરમિયાન દરેક વિદ્યાર્થી પાસે વાંચન, લેખન અને ગણન માટે અલગ નોટબુક રાખવાની ફરજિયાત રહેશે. તેમાં તેમની દૈનિક પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. તમામ સીઆરસી-બીઆરસી કો-ઓર્ડિનેટરો, બ્લોક રિસોર્સ પર્સન, કેળવણી નિરીક્ષકો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ ડાયેટ લેક્ચરર્સ શાળાઓમાં જઈને વર્ગખંડની વાસ્તવિક કામગીરીનું નિરીક્ષણ અને માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ગુણાત્મક સુધારાને પ્રોત્સાહન આપવા, શિક્ષકોને પણ નવી શિક્ષણ પદ્ધતિઓ અને નવીન શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવા પ્રેરણા આપવામાં આવશે. આ મિશન પછી સતત અનુસરણ કરીને વિદ્યાર્થીઓની પ્રગતિ માપવામાં આવશે અને જ્યાં જરૂર હોય ત્યાં વધારાની માર્ગદર્શનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
ભાસ્કર પોઝિટીવ:‘શબ્દ સ્પર્ધા’ એપ થકી ગુજરાતી ભાષાને સરળ બનાવી
માનવીના જીવનમાં શિક્ષકનું આગવુંસ્થાન હોય છે. પ્રગતિના પથ પર જ્યારેવિદ્યાર્થી હતાશ અને નિરાશ થાય છે ત્યારેશિક્ષક તેને આગળ વધવા પ્રેરણા અનેમાર્ગદર્શન આપે છે. વર્ષ 2022માં બોટાદજિલ્લામાંથી શિક્ષક ધર્મેન્દ્રભાઇ પટેલનીબદલી છોટાઉદેપુર તાલુકાના સરહદીવિસ્તારમાં આવેલ જડીયાણા ગામનીપ્રાથમિક શાળામાં થઇ હતી. રાઠ પ્રદેશમાંરાઠવી ભાષાનું બોલ-ચાલમાં ચલણહોવાથી બહારથી આવતા શિક્ષકો અનેસ્થાનિક બાળકોને કોમ્યુનિકેશન કરવામાંઘણી તરલીફ પડે છે. શિક્ષક ધર્મેન્દ્રભાઇસાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે,ખાસ અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ સ્થાનિક બોલી બોલતા હોવાથી તેમનેવાંચન અને લેખનમાં ઘણી તકલીફપડતી. આથી વિદ્યાર્થીઓ ગુજરાતીમાંશબ્દો સરળતાથી બોલી શકે તે માટે ગુજરાતી ભાષાની મૂળભૂત બાબતો શીખવવાની શ્રેષ્ઠ રીત બારાખડી મુજબ શબ્દો શોધવાની રમત વિકસાવી.શિક્ષક ધર્મેન્દ્રભાઇ કહે છે કે મેં આવાત મારા કમ્પ્યૂટર એન્જિનિયર દીકરાદેવ પટેલને કરી. તેણે મને મદદરૂપ થાયએવી https://word-compete tion.netlify.app/ શબ્દ સ્પર્ધા (word-competetion) નામનીએપ્લિકેશન બનાવી આપી. જેમાંવિદ્યાર્થીઓ શબ્દ બોલે અને સેવ કરેઆમ ખોટા શબ્દો અને બેવડાતા શબ્દોદૂર થવા લાગ્યા. આ રમત રમવાનીવિદ્યાર્થીઓને મજા પડવા લાગી. અભ્યાસમાં આવતા કેલેન્ડર એકમપર આધારિત કેલેન્ડર બનાવ્યુંવર્ષ 2024માં જિલ્લા કક્ષાએ ઇનોવેશન કાર્યક્રમઅંતર્ગત શિક્ષક ધર્મેન્દ્રભાઇએ ધોરણ 3 અને 4નાવિદ્યાર્થીઓના અભ્યાસમાં આવતા કેલેન્ડર એકમપર આધારિત કેલેન્ડર બનાવ્યું હતું. જેની વિશેષતાએ છે કે ધોરણ 1થી 8માં આવતા લેખકો-કવિઓના જન્મદિન અને મરણદિન, વિદ્યાર્થીઓનાજન્મદિન, શિક્ષકોના જન્મદિન, મહત્વનાદિવસોનો ઉલ્લેખ કરાયો છે. તે દિવસે શિક્ષકોવિદ્યાર્થીઓ માટે ભોજન ગિફટનું આયોજન કરે છે.જેથી વિદ્યાર્થીઓ દરરોજ આ કેલેન્ડર જુએ છે.આમ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેલેન્ડરબનાવતા અને જોતા શીખ્યા છે.
ગ્રાહક કમિશ્નરનો આદેશ:પાટણના વેપારીના વાહનનું નુકસાન વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ
પાટણના વ્યવસાય કારના ડમ્પરને અકસ્માતમાં થયેલ નુકસાનના વીમા વળતરનો કેસ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચાલી જતાં નુકસાનની રકમ વ્યાજ સાથે ભરપાઈ કરવા વીમા કંપનીને આદેશ કરાયો હતો. પાટણ ખાતે યશવિહાર બંગલોઝમાં રહેતા અને બનાસ સેન્ડ સપ્લાયર્સ ફર્મના માલિક ભાવેશભાઈ જયદેવભાઈ બારોટ એ તેમના ટાટા સિગ્ના ડમ્પર ટ્રિપર (ડીડી-02-જી-9224)ની તા.5 ઓક્ટોબર 2023થી 4 ઓક્ટોબર 2024 સુધીની કુલ રૂ. 60 લાખના રક્ષણની પોલીસી લોંમ્બાડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની લીધી હતી . આ પોલીસી ચાલુ હતી તે દરમિયાન ગત 9 જુલાઈ 2024ના રોજ ચાણસ્મા મોઢેરા વચ્ચે વહેલી સવારે સામેથી આવતા ટ્રેલરની લાઈટથી આંખો અંજાઈ જતાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રેલર સાથે ટકરાયું હતું. જેમાં ડ્રાઇવર અને ક્લીનરને ઈજાઓ થઈ હતી. આ વાહન મહેસાણામાં રિપેર કરાયું હતું જેમાં રૂ.11,60,624નો ખર્ચ થયો હતો જેના માટે વીમા કંપનીમાં બિલ સાથે ક્લેમ કરતાં વીમા કંપની દ્વારા ખોટી માહિતીનું બહાનું કાઢીને નામંજૂર કરાયો હતો જેને પગલે વકીલ દર્શકભાઈ ત્રિવેદી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કરાયો હતો જે ચાલી જતાં આ કેસમાં ઇજાઓને કોઈ વિગત ખોટી નથી અને કોઈ ફ્રોડ થયો નથી તેવી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને કમિશન દ્વારા નુકસાનની રકમ અરજી કર્યા તારીખથી 9 ટકાના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવા તેમજ ખર્ચ અને માનસિક ત્રાસનું વળતર અલગથી ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં કમિશનના સભ્ય વી.એમ.સ્વામી પણ જોડાયા હતા.
ભેસ્તાનમાં વર્ષ-2009માં બનેલાં ભીમ નગર આવાસ બિલ્ડિંગના વર્ષ-2016માં ફાળવાયેલા મકાનોમાં તબક્કાવાર બીજા જ વર્ષે તિરાડો પડતા વર્ષ-2019માં મિલકતને જર્જરિત જાહેર કરી સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ એજન્સીએ રિ-ડેવલપમેન્ટની તાકીદ કરી હતી, તેના 6 વર્ષે પણ મોતના મુખ સમાન 8 બિલ્ડિંગમાં 240 પરિવારો જીવનાં જોખમે વસવાટ કરવા મજબૂર બન્યાં છે. અવાર-નવાર સ્લેબના પોપડા પડી રહ્યા છે, ઊંઘમાં જ સ્લેબ નીચે દબાઈ જવાની ભીતિ વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં 240 શ્રમિક પરિવારો નોંધારા બન્યાં છે. મહામુલી મૂડી ખર્ચી માંડ મકાનના માલિક બનેલાં પરિવારોને હવે રોડ પર રહેવાની લાચારી વચ્ચે પાલિકાને 12 પ્રયત્ને રિ-ડેવલપમેન્ટ માટે ઇજારદાર ન મળતાં હોવાની નિષ્ફળતા પણ સપાટી ઉપર આવી છે. હોનારત માટે તંત્ર જવાબદાર રહેશે લોકો ઊંઘતા હોય ત્યારે પણ પોપડા પડ્યા છે છતાં ઝોન વૈકલ્પિક વ્યવસ્થા કરતું નથી.કોઇ ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. > આશા મંગાળે, ભીમ નગર ટેન્ડર પોલિસીની સરળ કરાશેભીમ નગરનાં પુન:વસન માટે 12 વખત ટેન્ડર ઑફર છતાં ઇજારદાર ન મળતાં હવે પૉલિસી વધુ સરળ બનાવાશે. અન્ય સ્થળે આવાસ ખાલી ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા અટકી છે. > રાજેશ ગાંજાવાલા, કાર્યપાલક ઇજનેર, પાલિક
અકસ્માત:રસ્તા પર આવેલી ગાય સાથે એક્ટિવા સાથે અથડાતાં 2 યુવાનો પટકાતાં ઈજા
પાટણ શહેરના મદારસા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે અંધારાના કારણે હાઇસ્કૂલની સામેના માર્ગ પર કાળી ગાય અચાનક રોડ પર ઉતરતાં એક્ટિવા ધડાકાભેર ગાય સાથે અથડાઈ બે યુવાનો રોડ પર પટકાતાં ઈજા પહોંચી હતી. જેમાં એક યુવાનનો જડબુ તૂટી જવાથી ચહેરો ચિરાઈ લોહીલુહાણ થઈ ગયો હતો. પાનપાર્લરનાં માલિક મોદીભાઈ સહિતના લોકોએ દોડી આવી તાત્કાલિક ખાનગી વાહનમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે બીજો યુવાન પાટણમાં સારવાર હેઠળ છે. સાવન સથવારાએ જણાવ્યું હતું કે હાઇસ્કૂલની બાજુનાં થાંભલાની સ્ટ્રીટલાઈટ લાંબા સમયથી બંધ છે, જેના કારણે આ વિસ્તાર રાત્રે ઘોર અંધારામાં ડૂબેલો રહે છે. સાથે જ રખડતા ઢોર અને શ્વાનોનાં ટોળાં પણ અહીં નિયમિત ફરતા હોય છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહ્યા છે. રહીશોએ વારંવાર પાલિકાને આ વિષયમાં જાણ કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી.અત્રે ઈજાગ્રસ્ત થયેલા બંને યુવાનો સરસ્વતી તાલુકાનાં ઓઢવા ગામનાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે ફરી એકવાર શહેરમાં સ્ટ્રીટલાઈટ વ્યવસ્થાની ખામી અને રખડતા ઢોરનાં પ્રશ્નો સામે નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે. રખડતા ઢોરના કારણે 11 લોકોના મોત જીવ ગુમાવ્યા
છેતરપિંડીનો મામલો આવ્યો સામે:1.14 કરોડના હીરા લીધા, ઉઘરાણી કરતાં પુત્રે આપઘાતની ધમકી આપી
વરાછાના શ્રી લીલા જેમ્સમાંથી ઉધારમાં રૂપિયા 1.14 કરોડના હીરા ઉધારમાં લઇને છેતરપિંડી કરનાર બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વરાછા વલ્ભનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ જાસોલીયા શ્રી લીલા જેમ્સના નામે હીરાની પેઢી ચલાવે છે. વર્ષ 2017માં તેમની ઓફિસે મહિધરપુરા લીંબુશેરી ખાતે ઓફિસ ધરાવતા પ્રદિપસિંહ રામધનીસિંગ તથા અનિલ ભાવસાર આવ્યા હતા. અને બંનેએ તેમની સાથે ધંધો કરશો તો બજારના ધારાધોરણ પ્રમાણે પેમન્ટ કરી આપવાની ખાત્રી આપી હતી. જેથી વિશ્વાસમાં આવી ગયેલા દિનેશભાઇએ તેમને તા.11-9-2020થી તા.15-9-2022 દરમિયાન રૂ.1,14,44,903ની કિંમતના હીરા ઉધારમાં આપ્યા હતા. નિયત સમયમાં પેમેન્ટ નહીં આવતા દિનેશભાઇએ ઉઘરાણી શરૂ કરતા પહેલા આ બંનેએ વાયદો કર્યા બાદ કોરોનાનું બહાનું કર્યું હતું. દરમિયાનમાં અનિલ ભાવસારનું અવસાન થયું હતું. જ્યારે પ્રદિપસિંગે પોતો ભાગીદારીમાં ધંધો કરતો હોવાનું બહાનું કાઢીને પૈસા આપ્યા ન હતા. જ્યારે અનિલ ભાવસારનો ધંધો સંભાળતા તેના દિકરા ધ્વનીલ પાસે પેમેન્ટની ઉઘરાણી કરતા તેણે પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.અને ઉઘરાણી કરી છે તો દવા પી જઇને મરી જવાની ધમકી આપી હતી.આખરે દિનેશભાઇએ વરાછા પોલીસમાં પ્રદિપસિંહ અને ધ્વનીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
ક્રિપ્ટોમાં રોકાણના નામે છેતરપિંડી:ક્રિપ્ટોમાં રોકાણના નામે 2 પિતરાઇ ભાઇઓ 44 લાખ ચાઉં કરી ગયા
ક્રિપ્ટોમાં ઉંચા નફાની લાલચ આપીને બે પિતરાઇ ભાઇઓએ હીરા દલાલ પાસેથી રૂ.44 લાખ પડાવી લઇ વિદેશ નાસી જઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ વરાછા પોલીસમાં નોંધાઇ છે. વરાછાના હીરાદલાલ બાલુભાઇ રાણાભાઇ શ્યોરા પુણાગામ અષ્ટવિનાયક રેસીડેન્સીમાં રહેતા દલપતભાઇ નકુમ સાથે 40 વર્ષથી ધંધો કરતા હતા. વર્ષ 2022માં દલપતભાઇએ કહ્યુ હતુંકે, તેને દિકરા ચેતન અને ભાણીયો મયુર શંભુભાઇ કાતરીયા ક્રિપ્ટો કરન્સીનું કામકરે છે તેમાં રોકાણ કરશો તો ઊંચો નફો થશે. જેથી બાલુભાઇએ તા.1-6-2022થી તા.27-2-2022 દરમિયાન વરાછા પેલેડિયમ મોલમાં આવેલી ચેતન અને મયુરની ઓફિસમાં જઇને રોકાણ માટે રૂ.44 લાખ આપ્યા હતા. 2023માં બાલુભાઇએ હિસાબ કરીને પરત માંગ્યા હતા. ત્યારે બંનેએ વિદેશમાં ધંધો કરવા જઇ રહ્યા હોવાનું કહીને સમય માંગ્યો હતો. વર્ષ 2024માં ફરી પૈસાની માંગણી કરતા તેણે વાયદો કરી દુબઇ ભાગી ગયા હતા.બાલુભાઇએ બંને સામે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રોમિસરી નોટ લખ્યા બાદ પૈસાનો ઇન્કારબાલુભાઇએ પૈસાની ઉઘરાણી કરતા ચેતનના કાકા છગનભાઇએ ત્રણ મહિનામાં પૈસા પરત અપાવવા માટેની પ્રોમિસરી નોટ લખી આપી હતી. જોકે, બાદમાં પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ કતારગામ ખાતે પોતાના નવા કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં AI આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે. સંસ્થા હવે કતારગામમાં નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ–બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે.કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આગામી સમયમાં હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. વિદ્યાર્થીને રિયલ ઈન્ડસ્ટ્રી જેવું વાતાવરણ મળશે5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે. સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ ISGJમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.
સામાન્ય રીતે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ જેવા નાના કર્મચારીઓની છે. જેઓ નિવૃત થાય ત્યારે તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી વિદાય અપાતી હોય છે. સુરત પોલીસમાં સ્પેશીયલ ઓપરેશન ગૃપ (SOG)માં પીઆઈની ગાડીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ASI ગણપતભાઈ પટેલ નિવૃત થતા તેમના વિદાય સમારોહનું આયોજન ફિલ્ડ કચેરીમાં કરાયું હતું. જેમાં પીસીબી પીઆઈ સુવેરા અને એસઓજી પીઆઈ ચૌધરી સહિતના સ્ટાફે ગણપતભાઇને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. કેક કટીંગ અને નાચ-ગાન બાદ જે ગાડીમાં નિવૃત કર્મી પીઆઈને લેવા-મુકવા જતા હતા. તેજ ગાડીમાં તેમને પાછળ બેસાડી એસઓજીના પીઆઈ એ.પી.ચૌધરી તે ગાડી પોતે ચલાવી તેમને ઘર સુધી મુકવા ગયા હતા. પીઆઈની ગાડી સાથે 15 ગાડીઓનો કાફલો પણ તેમના ઘર સુધી ગયો હતો. રૂપિયા 1751ના પગારમાં 1993માં નોકરીની શરૂઆત કરીમૂળ ભરૂચના હાસોટના વતની અને સુરતમાં જહાંગીરાબાદ દાંડી રોડ પર રહેતા ગણપતભાઈ પટેલ 1993માં પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. તે વખતે 1751 રૂપિયાનો માસિક પગાર હતો. શરૂઆતમાં સચીન પોલીસમાં ફરજ બજાવતા હતા. એમટી સેક્શનમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી તેમને આસિટન્ટ સબ ઈન્સ્પેક્ટર(ASI) તરીકે પ્રમોશન મળ્યું હતું. છેલ્લા 8 વર્ષથી તેઓ SOGમાં ફરજ બજાવતા હતા.
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલ ‘હિરાબાનો ખમકાર’ અભિયાન હેઠળ ઉદ્યોગપતિ પિયુષભાઈ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વિધાર્થીનીઓને શિક્ષણ સહાય અર્પણ કરાયા બાદ રવિવારે વધુ 551 દીકરીને સહાય અર્પણ કરતાં લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી છે. પ્રથમ તબક્કામાં ધનતેરસના દિવસે દરેક દીકરીને રૂપિયા 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં 41,32,500ની સહાય વિતરણ કરાઈ છે. પિયુષભાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ અભિયાન દ્વારા 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલ ‘હિરાબાનો ખમકાર’ અભિયાન ઉદ્યોગપતિ પિયુષભાઇની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે. ચેક વિતરણ સમારોહ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી, પૂર્વ કેન્દ્ર મંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય કુમાર કાનાણી, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, દિનેશ નાવડીયા વગેરે હાજર રહ્યા હતા. વિદ્યાર્થિનીઓની સાથે ખેડૂતોને સહાય કરાશેખેડૂતોના પાક તૈયાર થઈ ગયા પછી પડેલા માવઠાંના કારણે ખેડૂતોને ખુબ જ મોટા પાયે નુકસાન થયું હોવાથી 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત દીઠ રૂપિયા 7500ની આર્થિક સહાય કરી ખેડૂતોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા માટે આર્થિક સહાય કરવા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ નિર્ણય લીધો છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સરકારી સહાયથી શિયાળુ પાક માટે બિયારણ કે ખાતર લાવવું પણ મુશ્કેલ
કમોસમી માવઠાના પગલે ખેડૂતોને સરેરાશ 50 હજારથી વધુ નુકશાન થયું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એક ખેડૂતને હેકટરે રૂ 22 હજારની સહાય જાહેર કરી છે. એક હેકટર જમીન ધરાવનાર ખેડૂતોને ડાંગર કે અન્ય પાક ધોવાઇ જાય સરેરાશ લાખ રૂપિયાનું નુકશાન થાય છે. તેની સામે માત્ર 22 હજારની સહાય જાહેર કરી તે પુરતી નથી તેવો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. ખેડૂતોને ડાંગરનો પાક શરૂઆતમાં ભારે વરસાદ પડતાં ધોવાય જતાં બીજી વખત રોપવાનો વારો આવ્યો હોવાથી ડબલ ખર્ચ થયો હતો. તે વખતની સહાય પણ મળી નથી. ત્યારે સરકારે આ વખતે વધુ સહાય આપવી જોઈએ. વહેલી રાહત મળે તો નુકસાનીનું ભારણ ઘટે માવઠા પગલે ખેડૂતોની ચોમાસુ સિઝનની કોઇ આવક થઇ નથી. જેથી હાલમાં ખાતર, બિયારણ ,ખેડામણ વગેરેના પૈસા કંઇથી લાવવા તે પ્રશ્ન થઇ ગયો છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સહાય ચુકવવામાં આવે તો ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરી શકે તેમ છે. > સવજીભાઇ ભરવાડ, ખેડૂત પાંદડ માવઠાનો માર સહન કરવો મુશ્કેલસરકારે ખાતર સહિત વસ્તુ રાહત આપવી જોઇએ માવઠા પગલે ખેડૂતોને 50 હજારથી દોઢ લાખનું નુકશાન થયું છે. જેથી હાલમાં લોન ભરી શકે તેમ નથી. હાલ જાહેર કરેલી સહાય થી ખેડૂતોને કોઇ ફાયદો થાય તેમ નથી. > અલ્પેશ પરમાર, ખેડૂત ,રાસ ખેડૂતોએ લીધેલ ધીરાણ માફ કરવા જોઇએત્રણેક વર્ષથી માવઠાના પગલે ખેડૂતોની આવક વધી નથી. મોટાભાગના ખેડૂતોદર વર્ષે લોન લઇને ખેતી કરે છે. તેથી તેમનું દેવું વધી રહ્યું છે.જેના કારણે ખેડૂતોઆત્મહત્યા કરવાનો વખત આવે છે. પ્રસંગો ઠીક પણ ઘર ચલાવવું મુશ્કેલ બનીગયું છે. ત્યારે સરકારે ખેડૂતોએ લીધેલી તમામ લોન માફ કરવી જોઇએ, તેમજ નવુંધિરાણ વ્યાજ વગર આપવું જોઇએ. > ભલાભાઇ મકવાણા, ખેડૂત, મિતલી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઇએઆણંદ જિલ્લાના મોટાભાગના તાલુકામાં ભારે વરસાદમાં સીમ વિસ્તારમાંપાણી ભરાઇ જાય છે.જેથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. માવઠા પણવરસાદી પાણીનો નિકાલ ઝડપથી ન થતાં ડાંગરનો ઉભો પાક નષ્ટ થયો છે.ત્યારે સરકારે દરેક ગામમાં વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા કરે તો 50 ટકાબાગ બચી જાય તેમ છે. > શિવાભાઇ પટેલ, આંકલાવ હેકટરની રમત છોડીને વીઘે સહાય આપોકુદરતી આફતમાં દર વખતે સરકાર દ્વારા હેકટર દીઠ સહાય જાહેર કરીનેરમત રમવામાં આવે છે. હાલમાં એક હેકટર ધરાવતા ખેડૂતો જિલ્લામાંઘઆ ઓછા છેે.ત્યારે સરકારે હેકટર નહીં પણ 1 વીઘે સહાય જાહેર કરવીજોઇએ,તે પણ ખર્ચ જેટલી સહાય તો આપવી જોઇએ તેમજ ખેડૂતોના દેવામાફ કરવા જોઇએ. > ચિમનભાઈ પટેલ, ખેડૂત, કિંખલોડ એક હેકટરમાં ઘઉં કરવા 45 હજારનો ખર્ચ થાય કમોસમી વરસાદને કારણે ડાંગર સહિત અન્ય પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે હેકટરે 22 હજારની સહાય જાહેર કરી છે. ત્યારે ઘંઉની વાવણી 1 હેકટરમાં કરવી હોય તો બિયારણ અને ખાતર સહિત અન્ય ખર્ચ ગણી તો 45 હજારની ઉપર થાય છે. ત્યારે સરકારે ખેડૂતો શિયાળુ પાકની વાવણી કરી શકે તે માટે 100 ટકા સહાય ચુકવવી જોઇએ,> નિલેશ પટેલ ,ખેડૂત, પીપળાવ વાવણી માટે બિયારણ-ખાતર ભાવ ઘટાડવા જરૂરી હાલમાં માવઠા પગલે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. જેના કારણે હાલમાં ખેડૂતો મોંઘા બિયારણ કે ખાતર ખરીદી શકે તેમ નથી.ત્યારે ખેડૂતોને રાહત દરે બિયારમ પુરૂ પાડવામાં આવે તો નાના ખેડૂતો કોઇ જોડે હાથ લાંબોના કરવો પડે તેમજ સહાય પણ વહેલી ચુકવવામાં આવે તો થોડી રાહત થાય તેમ છે. > કિશનભાઇ ભરવાડ, ખેડૂત, તારાપુર સરકારે વીમા પોલીસીનું આયોજન કરવું જોઇએ રાજ્ય સરકારે દરેક સિઝનમાં વીમા પોલીસી પુરૂ પાડવાનું આયોજન કરવું જોઇએ .કુદરતી આફતમાં પાકને નુકશાન થાય તો તેઓને તત્કાલિક વીમાની રકમ મળે તો તે નવી ખેતી કરી શકે, સાથે સાથે હાલમાં સરકારે રાહત દરે બિયારણ અને ખાતરની વ્યવસ્થા કરવી જોઇએ. > વિઠ્ઠલભાઇ પરમાર, ખેડૂત, ઉમરેઠ
યુવક સાથે છેતરપિંડી:ખોડિયારનગરના યુવક સાથે લગ્ન કર્યા બાદ પારડીની યુવતી દાગીના-મોબાઈલ લઈ ફરાર
ખોડિયાર નગર ખાતે રહેતા યુવકનું વલસાડ પારડી ખાતે રહેતી યુવતી સાથે લગ્ન થયા બાદ 2 લાખ ઉપરાંતની મતા ઉઠાવી ભાગી ગઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકીનો ભોગ બન્યો હોવાની અરજી યુવકે બાપોદ પોલીસ મથકે આપી છે. નિઝામપુરામાં દુકાન ધરાવતા અને ખોડિયાર નગર પાસે રહેતા સત્યનારાયણ દરજી નામનો યુવક લગ્ન કરવા માટે યુવતીની તલાશમાં હતો. મૂળ રાજસ્થાનના ઉદેપુરના યુવકનો સંપર્ક એના સમાજના મુકેશ દહિયા નામના યુવક સાથે થયો હતો. જેને હિંમતનગર રહેતા અશ્વિનભાઇ મેરેજ બ્યુરો ચલાવે છે. એ લગ્ન કરાવી આપશે એમ કહ્યું હતું.જેના આધારે અશ્વિનભાઈએ વલસાડ પારડીની એક ગરીબ અને મા-બાપ વગરની યુવતી લગ્ન કરશે પરંતુ એના માટે 50 હજાર પહેલા આપવા પડશે એમ જણાવ્યું હતું.જેના આધારે મુકેશને 50 હજાર આપ્યા હતા. ગત 17 એપ્રિલે પારડી ખાતે અશ્વિનભાઇ, મુકેશભાઈ ગયા હતા. જ્યાં ખર્ચ પેટે રાજુભાઈ પરમાર નામના ઈસમે 10 હજાર લીધા હતા.અને યુવતી પૂનમ શૈલેષભાઈ રાઠોડ સાથે મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. જેમાં યુવતીના કાકા, કાકી સહિત અન્ય નજીકના સગા હાજર રહ્યા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ નવ પરણિત દંપતી અત્રે પરત આવ્યું હતું. યુવકને શંકા જતા ઘરમાં તપાસ કરતા સોનાની ચેન,બુટ્ટી અને ચાંદીનું મંગળ સૂત્ર તેમજ રોકકળ રકમ અને યુવકનો મોબાઇલ ફોન ગુમ હતો.આ અંગે લગ્ન માટે વચ્ચે રહી રૂપિયા લેનાર ને કહેતા ઉડાઉ જવાબ આપ્યા હતા.પરિણામે યુવકે બાપોદ પોલીસ મથકે લગ્ન બાદ યુવતી બે લાખ ઉપરાંતની મત્તા લઈ ફરાર થઈ હોવાની અને લગ્ન માટે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી કરવા અરજી આપી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન નોંધણી થાય એ પહેલાં રફુચક્કર થઈપારડી ખાતે લગ્ન થયા બાદ યુવતીનું વર્તન શંકાસ્પદ લાગતા યુવકે લગ્નની કચેરીમાં નોંધણીની તૈયારી શરૂ કરી હતી.તે માટે બંનેએ આધાર કાર્ડ સબમિટ કરી સંયુક્ત સોગંદનામું કર્યું હતું.જેમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સાદાઈથી લગ્ન કર્યા હોવાનું જાહેર કર્યું હતું. પરિણામે લગ્નની કંકોત્રી છપાવી નહીં હોવાનું જણાવ્યું હતું. પરંતુ લગ્નની નોંધણી થાય એ પહેલાંજ યુવતી ઘર છોડી ભાગી ગઈ હતી.
કાર્યવાહી:હાલોલ હાઇવે પરથી એર બબલના રોલમાં છુપાવેલો 58 લાખનો વિદેશી દારૂ પકડાયો
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા હાલોલ વડોદરા હાઈવે પરથી રૂા.57.99 લાખની કિંમતનો દારૂ ભરેલો કન્ટેનર ટ્રકને ઝડપીને ડ્રાઈવરની ધરપકડ કરી છે. દારૂના સપ્લાયરે દારૂનો જથ્થો એરબબલ ધરાવતા પ્લાસ્ટીકમાં વિટાળીને આપ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી સપ્લાયર અને દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીના પીઆઈ કે.આર.સિસોદીયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમ જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાસીંગનું એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. અને આ કન્ટેનર આસોજ ગામ પસાર કરીને જરોદ થઈ વડોદરા તરફ જઈ રહ્યું છે. પોલીસે હાલોલ થી વડોદરા તરફના ટ્રેક ઉપર લીલોરા ગામના કટ સામે વોચ ગોઠવીને કન્ટેનર કોર્ડન કરીને ઉભુ રખાવ્યું હતું. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર નંદરામ નાનકીયા ભુરીયા (રહે-ભીચોલી મર્દાના, દેવાસ રોડ, ઈન્દોર) ની ધરપકડ કરીને કન્ટેનરમાં તપાસ કરતા પ્લાસ્ટીકના એરબબલ શીટના રોલમાંથી રૂા.57.99 લાખની વિદેશી દારૂની 502 નંગ પેટી તેમજ 14,976 નંગ બીયરના ટીન કબજે કર્યાં હતાં. આ સાથે પોલીસે કુલ 68.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ભરેલા પ્લાસ્ટિકનું બિલ સુરતનું હતુંઆરોપી ડ્રાઈવર નંદરામે પોલીસને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરેલું ટ્રક અને કન્ટેનર એક વ્યક્તિએ પીથમપુર ખાતે આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાસેથી આપ્યું હતું. જ્યારે દારૂનો જથ્થો ભરેલા પ્લાસ્ટીકનું બીલ સુરતનું આપ્યું હતું.આ વ્યક્તિ રસ્તામાં કોલ કરતો રહેતો હતો અને સુરત તરફ આગળ ચાલતા રહેવાની માહિતી આપી હતી.
ગુનો નોંધાયો:હોટલમાં USની યુવતી સાથે આવેલા યુવાને રિસેપ્શનિસ્ટને લાફો ફટકાર્યો
અકોટા ધ ફર્ન હોટલમાં અમેરિકાની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રે ચેક ઈન કર્યું હતું. જોકે મેનેજરે યુવક પાસે ફોન નંબર માગતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલી રિસેપ્શનિસ્ટને લાફો મારી દીધો હતો. અકોટા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ નર્મદા અને અટલાદરા માધવપાર્કમાં રહેતો ભવ્ય પટેલ અકોટા ધ ફર્ન હોટલમાં રિસેપ્શનિસ્ટ છે. તે હોટલમાં ગેસ્ટનું ચેક ઈન તથા ચેક આઉટ સહિત કેશિયરનું કામ કરતો હતો. શુક્રવારે રિસેપ્શન પર કૃષાંગ પટેલ હતો તે વખતે હસીત ત્રિવેદી, મીરાજ હસીત ત્રિવેદી (ચાંદખેડા, અમદાવાદ) અને લોરા હેરિશન (ન્યૂયોર્ક, યુએસએ) હોટલમાં આવ્યાં હતાં. તેઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું અને બે દિવસ માટે ચેક ઇન કર્યું હતું. બીજા દિવસે મીરાજ રિસેપ્શન પર ગયો હતો અને કહ્યું કે, અમે બહાર જઈએ છીએ, રૂમમાં કોઈએ જવું નહીં. જેથી મેનેજર વિનયભાઈએ મીરાજે આપેલા નંબર પર ફોન કર્યો હતો. જોકે તે કોઈ બીજી વ્યક્તિએ ઉપાડ્યો હતો અને કહ્યું કે, હોટલ ચેક ઇનનો મેસેજ આવ્યો છે, પરંતુ હું તેવી કોઈ વ્યક્તિને ઓળખતો નથી. જેથી મેનેજરે કહ્યું કે, તમારો પોતાનો ફોન નંબર આપો. જથી મીરાજે ઉશ્કેરાઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન મીરાજે ભવ્યને લાફો મારી દીધો હતો.
કામગીરી અટકી:ગોરવા સહિત અનેક વિસ્તારમાં પાઈપની અછતથી ગેસ જોડાણની કામગીરી અટકી
છેલ્લા 1 વર્ષથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં ગેસ વિભાગ દ્વારા ગેસ લાઈનનું જોડાણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગોરવા સહિતના અનેક વિસ્તારોમાં એક તકલીફ ઊભી થઈ છે. વિસ્તારના લોકોએ પોતાનું નવું ગેસ જોડાણ નોંધાવી દીધું છે, જોકે ગેસ વિભાગ દ્વારા પાઈપની કમી હોવાને કારણે લોકોને ગેસ જોડાણ આપવામાં આવી રહ્યા નથી. જેના કારણે લોકોને ગેસ લાઈન મેળવવામાં વિંલબ થઈ રહ્યો છે. ત્યારે ગેસ લાઈન માટે અનેક જગ્યાએ ખાડા પણ ખોદી દેવામાં આવ્યા હતા અને યોગ્ય કાર્પેટીંગ કરવામાં આવ્યું નહોતું. જેના કારણે પણ લોકોને તકલીફ પડી રહી હતી. ત્યારે આ બીજી સમસ્યા ઊભી થઈ છે. લોકોને ગેસ મળી રહે અને વધુ સારી ગુણવત્તા સાથે મળી રહે તે માટે આખા શહેરમાં ગેસ લાઈનનું નવું નેટવર્ક નાખવામાં આવી રહ્યું છે. જોકે કેટલાક વિસ્તારમાં આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, કારણ કે ગેસ વિભાગ પાસે કામગીરી માટે પાઈપોની અછત છે. 6 માસથી કામગીરી અટકી, અનેકવાર રજૂઆત છતાં કોઈ જવાબ નહિગોરવાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 મહિનાથી કામગીરી અટકી ગઈ છે. પાલિકામાં આ બાબતે રજૂઆત કરવા ગયા તો અમને એવા જવાબ મળે છે કે, પાઈપો નથી. પાલિકાએ આ બાબતે તાત્કાલિક કામ કરીને લોકોને ગેસ જોડાણ આપવો જોઈએ.
મંડે ફોટો સ્ટોરી:પ્રતાપનગર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ, ઇટાલિયન શૈલીનું પ્રવેશદ્વાર બનાવાયું
પ્રતાપનગર રેલવે સ્ટેશનનું 43 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે. સ્ટેશનનું બીજું બિલ્ડિંગ અને તેના ભવ્ય પ્રવેશનું પણ નિર્માણ કરાયું છે. હવે યાત્રીઓ ડભોઇ રોડથી પણ સ્ટેશનમાં એન્ટ્રી લઈ શકશે. આ માટે બે માળનું અત્યાધુનિક ડિઝાઇન ધરાવતું બિલ્ડિંગ બનાવાયું છે. પ્રતાપનગરથી વધુ ટ્રેનો સંચાલિત કરી મુખ્ય સ્ટેશનનું ભારણ ઘટાડવાની દિશામાં આ કવાયત કરાઈ રહી છે. હાલ અહીંથી કેવડિયા અને છોટાઉદેપુર સહિતની દિવસ મુજબ 8થી 12 ટ્રેનોના ડિપાર્ચર છે અને રોજ 1500 મુસાફરોની અવરજવર છે. ભવ્ય પ્રવેશદ્વારઇટાલિયન શૈલીની ડિઝાઇનનું પ્રવેશદ્વાર તૈયાર કરાયું છે. જેમાં 6 વિશાળ કોલમ અને પોર્ચ એન્ટ્રીને મોર્ડન લુક આપે છે. અહીં નજીક 300થી વધુ દ્વિચક્રી વાહનો અને ફોર વ્હીલર્સ આવે તેવું વિશાળ પાર્કિંગ પણ તૈયાર કરાયું છે. યાત્રીઓ માટે સુવિધા : ટિકિટ બુકિંગ વિન્ડો, પ્લેટફોર્મ ટિકિટ વિન્ડો, જનરલ-એસી વેઇટિંગરૂમ, કૂલર નવા રેમ્પ, લિફ્ટ અને ફૂટ ઓવર બ્રિજ સ્ટેશન પર નવા 2 રેમ્પ, 2 લિફ્ટ, ફૂટઓવર બ્રિજ બની રહ્યા છે. ટ્રેનોના ટ્રાફિક માટે વ્યવસ્થા: પ્લેટફોર્મની સંખ્યા 4 કરાઇ છે. એન્જિનની સાઇડ બદલવામાં 45 મિનિટ બચશે.
લિંક પર ક્લિક કરશો તો ખાતુ ખાલી:હવે માર્કેટમાં નવું સાયબર ફ્રોડ મિશો લિંક ફ્રોડ
દિવાળીના સમય દરમિયાન લોકો નવા કપડા અને અન્ય ઘર વપરાશની સસ્તા ભાવે ખરીદી કરવા માટે મિશો એપ્લિકેશનનો મોટા ભાગે મહિલાઓ ઉપયોગ કરી રહી છે પણ હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા તમારા મોબાઈલ ઉપર મિશોની લિંક આવી હોય તેના ઉપર ક્લિક ન કરો તમારા ખાતામાંથી નાણાં ઉપડી શકે તેમ જણાવી જાગૃત રહેવા સાયબર ક્રાઇમ બ્રાન્ચે અપીલ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે મિશો (Meesho) જેવી એપ્લિકેશનોના નામે આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવા માટે અપીલ કરી છે. આ લિંક્સ ફિશિંગ અથવા અન્ય ઓનલાઈન છેતરપિંડીનો ભાગ હોઈ શકે છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત સાયબર ગુનેગારો લોભામણી ઓફરો, ઇનામ, કે પાર્સલ ડિલિવરીના બહાને નકલી લિંક્સ મોકલીને નાણાકીય માહિતી ચોરી શકે છે. આ લિંક્સ તમારી બેંક વિગતો, OTP કે પાસવર્ડનો પ્રયાસ હોય શકે. ફરિયાદ 24 કલાકમાં કરવીજો તમે છેતરપિંડીનો ભોગ બન્યા હો, તો તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો. સમયસર કોલ કરવાથી પૈસા પાછા મળવાની સંભાવના વધી જાય છે. સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવવી. જો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય, પ્રથમ 24 કલાક ખૂબ જ મહત્ત્વના હોય છે. આ સમયગાળામાં બેંક અને સાયબર સેલ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરી શકે છે. પુરાવા તરીકે : મેસેજ, કોલ લોગ, ટ્રાન્ઝેક્શન વિગતોના સ્ક્રીનશોટ લેવા જોઈએ. > ઉમંગ એલ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ નવસારી.
ભાસ્કર એક્સક્લુસિવ:મોઢેરામાં 1200 પશુ માટે ત્રીજું સંકુલ બનશે નવકાર મંત્ર સાંભળવા માટે સિસ્ટમ મુકાશે
મોઢેરા જીવદયા પાંજરાપોળ સંસ્થાનું સમસ્ત મહાજન અને દાતાઓના સહયોગથી નવીન અત્યાધુનિક અને સુવિધાયુક્ત પશુ આવાસ વિભાગ સંકુલ-3નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ સંકુલમાં 1200થી વધુ પશુને આરામદાયક અને સ્વચ્છ આવાસની વ્યવસ્થા મળશે. 6 વીઘા જમીન પર ₹12 કરોડના ખર્ચે ડિસેમ્બર, 2026માં બનીને તૈયાર થઈ જશે. તેમાં રઝળતાં, બીમાર, અપંગ અને ઈજાગ્રસ્ત પશુઓને આશ્રય અપાશે, તેમની સારવાર કરાશે અને સંભાળ રાખી શકાય તેવી સર્વ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. અહીં પશુઓ માટે નવકાર મંત્ર અને ધાર્મિક સ્તવન સાંભળવા માટે સાઉન્ડ સિસ્ટમ પણ સ્થાપિત કરાશે. નવા પશુ આવાસ સંકુલમાં આટલી સુવિધા હશે સમસ્ત મહાજન તરફથી રાજ્યની પાંજરાપોળોને રૂ.99 લાખની સહાય અપાઈસમસ્ત મહાજનના મૅનેજિંગ ટ્રસ્ટી ગિરીશ શાહે જણાવ્યું કે બોટાદ મહાજન પાંજરાપોળને 3452 પશુધન માટે રૂ.27 લાખ, રાણપુર પાંજરાપોળને 1456 પશુધન માટે રૂ.15 લાખ, ખંભાત પાંજપોળને 315 પશુધન માટે રૂ.27 લાખ સહિત કુલ 11 પાંજરાપોળ અને પશુ ચિકિત્સાલયને સહાય અપાઈ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમલમાં આવ્યા બાદ ઇતિહાસમાં પહેલી વાર એક સાથે 1160 વકીલને એક સાથે નોટરીની ઉપાધી અપાશે. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યાના 8086 વકિલોને નોટરીની ઉપાધિ આપી છે, જેથી આ વખતે એક સાથે રાજ્યમાં 9500 જેટલા વકીલ નોટરી કરી શકશે. જેનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારના લોકોને થશે. સાથે જ નોટરીમાં સ્પર્ધા વધતાં હવે કામગીરીની કિંમતો પર પણ અસર થશે. સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણૂક પામેલા વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ 12મીએ નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કાયદામંત્રી કૌશિક વેકરીયા પ્રમાણપત્ર આપશે. હાલમાં ગ્રામીણ વિસ્તારના લોકોએ નોટરી કરાવવા માટે તાલુકા અથવા જિલ્લા મથકે આવવું પડે છે. જેના કારણે તેમનો આખો દિવસ અને રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ હવે એક સાથે 9500 નોટરી કામગીરી ચાલુ કરશે તો ગામડાઓમાં પણ નોટરીની સુવિધા રહેશે. સાથે જે લોકોને તાલુકા કે જિલ્લા મથકે જવું પડતું હતું. તેના સ્થાને પોતાની આસપાસના વિસ્તારમાં જ તેઓને નોટરીની સુવિધા મળશે. ભાસ્કર નોલેજનોટરીને ઈ-સ્ટેમ્પિંગની સુવિધાની માગબાર ઍસોસિયેશનની સ્થાપના પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં સર્ટિફિકેટ અપાશે. હવે ગ્રામવિસ્તારમાં પણ લોકોને સરળતાથી નોટરીની સુવિધા મળશે. અમે માંગ કરી છે કે નોટરીને ઇ-સ્પેમ્પિંગની પણ સુવિધા અપાય. જેથી નોંધણી માટેની દરેક સુવિધા પોતાના વિસ્તારમાં જ મળી રહેશે. > જે જે પટેલ, ચેરમેન- બાર કાઉન્સિલ ઓફ ગુજરાત LLB કરેલા ઉમેદવારો અરજી ન કરી શકેજે વકીલ હાલમાં પ્રેક્ટિસ કરી રહ્યા હોય, સાથે જ જે વકીલ પાસે 7 વર્ષનો અનુભવ હોય તેઓ નોટરી માટે અરજી કરી શકે છે. માત્ર એલએલબી કરેલા ઉમેદવારો અનુભવ વગર નોટરી માટે અરજી કરી શકતા નથી.
ગ્રામજનોમાં રોષ:મોરબીના રાજપરમાં પાણીની પાઇપ લાઈનમાંથી મૃત માછલાં નીકળી પડ્યા
મોરબી નજીક આવેલા રાજપર ગામે પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી અચાનક મૃત હાલતમાં માછલાઓ નીકળતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. જો કે આ ગામમાં ચાર દિવસથી પીવાના પાણીની લાઈનમાંથી દુર્ગંધ યુક્ત પાણી આવતું હોય અને આવા સંજોગોમાં આજે અચાનક જ પાણીની પાઇપલાઇનમાંથી મૃત હાલતમાં માછલાં ટપોટપ બહાર નીકળતા ગ્રામજનો ચોંકી ગયા હતા.આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ સરપંચ સહિતની ટીમે ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે હાલ તુરંત પગલાં લઈ તાત્કાલીક અસરથી પાણીની પાઇપલાઇન બંધ કરી દીધી હતી. લાઈન બંધ કરી દીધી રાજપર ગામના સરપંચ ભરતભાઈ મારવણીયાએ જણાવ્યું હતું કે, ગામમાં હીરાપર પાણીની લાઇનમાંથી શનાળા વિરપર કનેક્ટ થઈને નર્મદાનું પાણી અપાય છે. જો કે ક્યારેક ડહોળું પાણી સિવાય કોઈ ગંભીર સમસ્યા સામે આવી ન હતી, છેલ્લા ચાર દિવસથી પાણીમાં ગંધ આવતી હતી, આજે તો હદ થઇ ગઇ, લાઇનમાંથી મૃત માછલાં બહાર આવતાં લાઇન બંધ કરી દીધી હતી. પાણીના ટાંકાની સાફસફાઈ કરી દેવાઈ સરપંચે જણાવ્યું હતું કે, રાજપર ગામમાં નર્મદાની પાઇપ લાઇનમાંથી પાણી આવે તેનો ટાંકો ભરીને વિતરણ કરવામાં આવે છે. ગ્રામજનોના પીવાના પાણી માટે આ ટાંકામાં પાણીનો સંગ્રહ કરાઈ છે. પણ માથું ફાટી જાય તે હદે દુર્ગધયુક્ત પાણી ચાર દિવસથી આવતું હોય ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ વિશાળ પાણીનો ટાંકો સાફ કરાવ્યો છે. ત્યારે આજે પાઇપલાઇન વાટે મૃત માછલાં નીકળતા જ હોય બંધ ન થતા પાઇપલાઇન જ બંધ કરી દીધી હતી. જવાબદારો સામે કડક કાર્યવાહી જરુરી ગામના નાગરિક હેરશભાઈ રંગપરિયાએ જણાવ્યું હતું કે આ મૃત માછલાં નીકળવાની ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ. અને તપાસમાં જે કંઈ ખુલે અને જે જવાબદાર હોય એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગામના બીજા નાગરિક મનોજભાઈ અંધારાએ જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાંથી મરેલા માછલાંઓ નીકળી જ કેમ શકે? અનિલભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, આવું ગંદકી યુક્ત દુર્ગધવાળું પાણી આપવામાં આવે છે.જે પીવામાં ઉપયોગમાં લેવાય તો ભયંકર રોગચાળો ફાટી નીકળે એમ છે. આથી આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ.
આહવાન:મજદૂર સંઘનું આજે જન આક્રોશ રેલીમાં જોડાવાનું આહવાન કરાયું
ભારતીય મજદૂર સંઘે વિવિધ પ્રશ્ને સરકાર સામે લડત ચલાવવાનું એલાન કર્યું છે. જેમાં આગામી 10 નવેમ્બરે અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં એક લાખ લોકો ઉમટી પડશે તેવો દાવો કરાયો છે. તેથી મજદૂરોના પ્રશ્નોને લઈને આ રેલીમાં મોરબી જિલ્લાના શ્રમિકોને પણ જોડાવવાનું આહવાન કરાયું છે. મોરબી જિલ્લા ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવભાઈ નલિનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, આગામી તા.10 નવેમ્બરના રોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવશે. ભારતીય મજદૂર સંઘ 70 વર્ષથી શ્રમિકોના હક્કો માટે લડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જુદાજુદા વિભાગના શ્રમિકોને સ્પર્શતા પ્રશ્નો અને તેમના હક્કોને લઈને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક.લાખ લોકો સાથે જન આક્રોશ રેલી કાઢવામાં આવશે. તેમની સાથે જોડાયેલા અલગ અલગ યુનિયનો મુખ્ય પ્રશ્નો જેવા કે, પીએમ પોષણ યોજનામાં ખાનગીકરણ રોકવા, શ્રમ અને રોજગાર વિભાગના અસગાંઠિત નોંધાયેલા સંચાલક, મદદનીશ અને રસોયાને શ્રમિક કાયદાના લાભ આપવામાં આવે, આશાવર્કર બહેનોને 20 દિવસ વિઝીટના હોય એના બદલે 30 દિવસનું કામ કરાવી શોષણ કરાતું હોય તો તેમને હક્ક મુજબ 30 દિવસના પગારની ચુકવણી કરવા, જીએમડીસીના કર્મચારી પ્રેક્ટિકલી હક્ક હિસ્સા આપવામાં આવે, સાતમા પગારપંચની અમલવારી બાદ ડ્રાઇવર અને કંડકટર તેમજ અન્ય કર્મચારીઓને પગારમાં થયેલી વિસંગતતા દૂર કરવી આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી, બોર્ડ-નિગમના કર્મચારીઓને 25 લાખની ગેચ્યુટી આપવામાં આવે, ગુજરાત મેરી ટાઈમ બોર્ડના કર્મચારીઓને મેડિકલ ફેસિલિટી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે સહિતની અનેકવિધ માંગણી સાથે જન આક્રોશ રેલીનું આયોજન કરાયું હોય પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે શ્રમિકોને આ રેલીમાં ઉમટી પડવાની હાકલ કરી છે.
CBI તપાસમાં ઘટસ્ફોટ:ગેરરીતિઓ છતાં કલોલ કૉલેજ અંગે સરકાર મૌન
બિલકુલ નવા કેમ્પસ, નવી હૉસ્પિટલ અને નવી યુનિવર્સિટીની સુવિધાઓ ઊભી કરવા ગુજરાત સરકારે વર્ષ 2016માં ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ પોલિસી અમલમાં મૂકી હતી. ગ્રીન ફિલ્ડ અંતર્ગત રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી 6 મેડિકલ કૉલેજ પૈકી વિસનગર સ્થિત નૂતન મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ સેન્ટર તથા કલોલ સ્થિત સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઇન્સ એન્ડ રિસર્ચને ખૂબ રાહત દરે જમીનો અપાઈ હતી. ઉપરાંત, કોલેજ દીઠ પાંચ વર્ષ સુધી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પહેલી વાર એવું બન્યું છે કે વિસનગર મેડિકલ કૉલેજની છેલ્લાં 2 વર્ષની ગ્રાન્ટ અટકાવાઈ હતી. બીજી તરફ કલોલ મેડિકલ કૉલેજ સામે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક ગેરરીતિઓ બહાર આવ્યા છતાં રાજ્ય સરકારે આ સંસ્થાની ગ્રાન્ટ અંગે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી, જેને લઈને વિવાદ ઊભો થયો છે. કલોલ મેડિકલ કૉલેજની સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું હતું કે સંસ્થાએ અનુકૂળ ઇન્સ્પેક્શન રિપોર્ટ મેળવવા માટે એસેસરોને લાંચ આપી હતી. ઉપરાંત, અસ્તિત્વમાં ન હોય તેવી નકલી ફેકલ્ટી દર્શાવી હતી અને ઇન્સ્પેક્શન દરમિયાન ખોટા દર્દીઓ દાખલ કરીને છેતરપિંડી કરી હતી. બાયોમેટ્રિક હાજરી સિસ્ટમમાં પણ ચેડાં કરાયા હતા. આ કારણથી નેશનલ મેડિકલ કાઉન્સિલે એમબીબીઆસની સીટો “ઝીરો” કરી દીધી હતી, પરંતુ બે વર્ષ સુધી ગ્રીન ફિલ્ડ પોલિસીનો ખોટો લાભ ઉઠાવનાર કલોલની સંસ્થાને વર્ષે 22.5 કરોડ ગ્રાન્ટ આપવાનું ચાલુ રાખ્યું છે તેમની જૂની રિકવરી પણ કરાઈ નથી કે, મફતમાં આપેલી જમીન યથાવત્ત રાખવામાં આવી હતી. વિસનગર મેડિકલ કૉલેજમાં ગેરરીતિને કારણે 44 કરોડ ગ્રાન્ટ અટકાવાઈ હતીનૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગરમાં પણ ગંભીર ગેરરીતિઓ બહાર આવતા તે સમયે આરોગ્ય કમિશનર શામિના હુસેનને મેડિકલ કોલેજની 44 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અટકાવવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં નિવૃત થયેલા એક અધિકારીએ કોલેજના ઇન્સ્પેક્શનમાં ખામીઓ છુપાવતો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. વાત બહાર આવતા આ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એક નિવૃત આઇએએસ અધિકારી આ કેસની તપાસ કરી રહ્યાં છે. ઇન્સ્પેક્શનમાં ગોટાળા કરનાર આ નિવૃત અધિકારી હાલ અમદાવાદની એક કોર્પોરેટ હોસ્પિટલમાં જોડાયા છે.
હાઈકોર્ટે આપ્યો ચુકાદો:પેટ્રોલ-કેરોસીન છાંટી યુવકની હત્યા કરવાના કેસમાં એકને છોડી મુકાયો
ઇસનપુરમાં બાઇકમાંથી પેટ્રોલ ચોરીના મુદ્દે થયેલા ઝઘડામાં બે ભાઈએ યુવક પર પેટ્રોલ-કેરોસીન છાંટી હત્યા કરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે કરેલી ફાંસીની સજામાં હાઈકોર્ટે એક આરોપીને છોડી મૂકવાનો અને બીજાને આજીવન કેદની સજાનો આદેશ કર્યો છે. ઇસનપુરની ઉજાલા સોસાયટીમાં રહેતા પંકજ પાડુરંગે 24 ઑગસ્ટ, 2019એ કિરાણાની દુકાને બાઇક પાર્ક કર્યું હતું ત્યારે પ્રદીપ કોરી અને નરેશ કોરીએ બાઇકમાંથી પેટ્રોલની ચોરી કરતા પંકજભાઈએ પ્રદીપને લાફો મારતા ઝઘડો થયો હતો. પ્રદીપ પંકજભાઈ પર પેટ્રોલ-કેરોસીન છાંટી આગ ચાંપી બંને ભાગી ગયા હતા. 92 ટકા દાઝેલા પ્રદીપનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટે બંને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આ ચુકાદાને વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર. એમ. પરમારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ચોરી કરનાર કોઈ દિવસ ચોરીની જગાએ હાજર ન રહે. આરોપી ઘટનાસ્થળે હાજર જ હતા. પોસ્ટમોર્ટમ કરનાર તબીબે કહ્યું કે 92 ટકા દાઝી ગયેલી વ્યક્તિ બોલી શકે નહી. તબીબી રિપોર્ટમાં મૃતક 92 ટકા દાઝી ગયો હોઇ, હલનચલન ન કરી શકે. મૃતકની સારવાર દાઝ્યાની થઇ છે. એને વાગ્યાના કોઇ નિશાન નથી. ફરિયાદમાં ડાઇંગ ડેકલેરેશનમાં મૃતકે સહીઓ કરી હોવાની વાત ઉપજાવેલી છે. આથી આરોપીઓને છોડી મુકવા જોઇએ. હાઈકોર્ટના મતે આ જવલ્લે જ બનતો કેસ નથીઆ કિસ્સામાં હાઇકોર્ટે ફાંસીની સજા ગ્રાહ્ય રાખી નથી. એની પાછળનું કારણ એ છે કે આ કેસ જવલ્લે જ બનતો હોય હોવાનું હાઇકોર્ટે માન્યું નથી. ઉપરાંત કેટલાક મુદ્દે આરોપી નરેશ કીરીએ મરનારને જીવતો સળગાવ્યો હોવાનું હાઇકોર્ટે માન્યું નથી. આરોપીએ ગુનાહિત બળ વાપર્યું હોવા બાબતે કે જેમાં તેણે માર માર્યો હતો તે માનીને તેણે જેટલી સજા જેલમાં કાપી એને પર્યાપ્ત માની છે. આરોપી પ્રદિપ બાબતે મરનારે આપેલ ડાઇંગ ડેકલેરેશનને વિશ્વાસપાત્ર, સત્યતાસભર, કોઇએ શિખવાડેલ ન હોવાનું અને મૃતક સ્વસ્થ હતા. અને વ્યક્ત કરી શકે તેમ હતા ત્યારે કહેલું હોવાનું હાઇકોર્ટે માન્યું છે. > પૂર્વ સેશન્સ જજ ડૉ. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક નીચલી કોર્ટે સજાના હુકમમાં કારણ દર્શાવ્યાં નથી : HCહાઇકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું કે, આ કૃત્ય પૂર્વયોજિત નહોતું. આરોપીનું કૃત્ય માત્ર ઝનૂની અને ઘાતકી હોવાથી ફાંસીની સજા માટે સંતોષપૂર્વકનું કારણ નથી. નીચલી કોર્ટે ફાંસીની સજા કરતા હુકમમાં કારણ દર્શાવ્યાં નથી. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 354(3) પ્રમાણે ફાંસીની સજા માટે ખાસ કારણ બતાવવા નીચલી કોર્ટ બંધાયેલી છે. સજા કરતાં પહેલાં આરોપીને સાંભળવો જોઈએ. આરોપી પ્રદીપે કેરોસીન છાંટી આગ લગાડી હતી, એનો મારી નાખવાનો ઇરાદો બતાવે છે. એટલે તેને આજીવન કેદ કરાઇ છે. નરેશને નિર્દોષ છોડવામાં આવે છે. નરેશનો કેસ ચાલવા દરમિયાન જેટલા દિવસ જેલમાં હતો, તેને સજામાં ગણ્યા બાદનો હુકમ કર્યો હતો.
અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ માથાનો દુ:ખાવો બની રહી છે. આ સમસ્યાથી રાહત અપાવવા માટે મ્યુનિ.એ 2025-26ના બજેટમાં શહેરના 100 ટ્રાફિક જંક્શન રિડેવલપ કરવાનો વાયદો કર્યો હતો. નાણાકીય વર્ષના 7 મહિના વિત્યા પછી પણ ફક્ત 15 જંક્શન રિડેવલપ કરાયા છે. જ્યારે 7 જગ્યાએ કામ ચાલુ છે. ઔડા, મ્યુનિ., રાજ્ય સરકારનો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ, પોલીસ જેવી વિવિધ એજન્સીઓએ સાથે કામ કરવાનું હોવાથી કામમાં વિલંબ થાય છે. આ ઉપરાંત સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને રાજકીય નેતાઓના હસ્તક્ષેપના કારણે પણ કામમાં વિલંબ થાય છે અથવા તો અટકી જાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, વાહનોની સંખ્યા વધતા સૌથી વ્યવસ્ત 100 જંક્શનોને રિડેવલપ કરવાનું કામ હાથ ધરાયું હતું. શહેરમાં હાલમાં સૌથી મોટી સમસ્યા લેફ્ટ ટર્નની છે. જેના માટે સૌથી વધુ ધ્યાનમાં આપવામાં આવી રહ્યું છે. કોઈપણ જંક્શનને રિડેવલપ કરાય છે ત્યાં લાંબો લેફ્ટ ટર્ન બનાવવામાં આવે છે. જેથી જંક્શનો પર ટ્રાફિકજામ ના થાય. જોકે, કેટલાક લોકો લેફ્ટ ટર્ન પણ બ્લોક કરી દે છે. રિડેવલપ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. બીજા તબક્કામાં 71 જંક્શન રિડેવલપ કરાશે :પ્રથમ ફેઝમાં લેવામાં આવેલા 29 જંક્શનોમાંથી ધરણીધર, કચ્છીભવન, જજીસ બંગલો સહિતના 15 જંક્શનોના રિડેવલપમેન્ટનું કામ પૂરું થઈ ગયું છે. જ્યારે નેહરુનગર, પકવાન, ઇસ્કોન સહિતના 7 જંક્શનોના ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. હવે બીજા ફેઝમાં ભૂયંગદેવ, એનએફડી જંક્શન, થલતેજ, ગુરુદ્વારા, કારગીલ પેટ્રોલ પંપ, ગોતા સહિતના 71 જંક્શનોને રિડેવલપ કરાશે. ટ્રાફિક જંક્શન નજીક રિક્ષા માટે પાર્કિંગ, દબાણો દૂર કરવા, નાના-નાના આઈલેન્ડ બનાવવા,નો ટ્રાફિક સ્ટોપ ઝોન માટે પીળા પટ્ટા બનાવવા, ઝિબ્રા ક્રોસિંગ, કેટ આઈ સહિતની કામગીરી કરવામાં આવે છે. આ કારણોસર કામમાં વિલંબ થાય છે ભાસ્કર નોલેજ વિશ્વમાં 43મું ખરાબ શહેર, વર્ષે 73 કલાક ટ્રાફિકમાં વેડફાય છે વર્ક ઓર્ડર મોડેથી અપાતા કામમાં વિલંબ2025-26ના બજેટમાં સૌથી વ્યસ્ત 100 જંક્શનો રિડેવલપ કરવાનું કામ લેવાયું હતું. આ જંક્શનોને 3 વર્ષમાં તબક્કાવાર રિડેવલપ કરાશે. જંક્શનોના સરવે માટે મોડેથી વર્ક ઓર્ડર અપાયો હતો જેથી વિલંબ થઈ રહ્યો છે. > દેવાંગ દાણી, સ્ટેન્ડિંગ ચેરમેન આ જંક્શનોનું કામ પૂરું થયું : પલક (રાણીપ), ધરણીધર કચ્છીભવન (જલારામ), કેશવબાગ, જજીસ બંગ્લો , પ્રહદનગર ચાર રસ્તા , સ્ટારબક્સ, ડફનાળા, ખોડિયારનગર ચાર રસ્તા , અનુપમ, ગોવિંદવાડી, સીટીએમનો સમાવેશ થાય છે.
શહેરમાં શ્રી હેમ-લલિત જૈન ફાઉન્ડેશન અને શ્રી હેમ-લલિત ભાથાં દ્વારા વયોવૃદ્ધ, નિર્બળ અને એકલવાયાં વૃદ્ધજનોને દરરોજ સન્માનપૂર્વક ગરમ ભોજન પહોંચાડવાની સેવા છેલ્લાં બે વર્ષથી ચાલુ છે. ગચ્છાધિપતિ લલિતપ્રભસૂરીશ્વરજી મસાના શિષ્ય મુનિરાજ યશપ્રભવિજયજી મસા અને કલ્યાણમંદિર વિજયજી મસાને પુસ્તક વાંચન દરમિયાન આવેલા વિચારે યુવાનોને પ્રેરણા આપી, જે આજે સાર્થક બની વૃદ્ધજનોના જીવનમાં સહારો બની રહી છે. ફાઉન્ડેશનના પીયૂષ ઝાલમોરાએ જણાવ્યું કે, 2 વર્ષ પહેલાં માત્ર 3 યુવાન અને 5 ટિફિનથી આરંભાયેલી આ સેવા આજે કૃષ્ણનગર, બાપુનગર, ઠક્કરનગર, સાબરમતી, ચાંદખેડા, શાહપુર, ખાનપુર, વાસણા અને પાલડી સુધી વિસ્તરી છે. હાલમાં 25-30 યુવાનો વૃદ્ધોને નિયમિત ગરમ ભોજન સાથે માનવંતું સન્માન આપે છે. ઘણાં લોકો પાસે પૈસા છે, પણ સંભાળનારું કોઈ નથી. કેટલાંકને સંભાળનાર છે, તો આર્થિક સગવડ નથી. કેટલાંક સંતાનથી વિસરાયેલાં છે, એવા વૃદ્ધજનો સુધી ‘ખોરાક સાથે સંબંધ’ આપવાનો પ્રયાસ છે. આ સેવા હવે સુરત-નવસારીમાં પણ શરૂ થઈ છે. હાલ 300 ટિફિન પહોંચાડાય છે. નવાં 100 લોકોની યાદી તૈયાર છે, જેમને સેવા અપાશે. ટિફિનની સાથે મેડિકલ ચેકઅપ-દવા પણ આપે છેરાજ કુરિયાએ જણાવ્યું કે અનેક વૃદ્ધોની તબિયત નાજુક હોવાનું જણાતા તેમની સારવાર માટે એમડી ડોક્ટરો દ્વારા નિયમિત ચેકઅપ કરાય છે. રિપોર્ટની જરૂર પડે તો રિપોર્ટ અને મહિનાભરની દવા પૂરી પડાય છે. ઘણાં વૃદ્ધ ડાયાબિટીસ જેવી બીમારીમાં વર્ષો સુધી ચકાસણી વિના જીવતાં હતાં. હવે રિપોર્ટ, દવા અને માર્ગદર્શન પણ આપે છે.
ભાસ્કર એક્સક્લુસિવ:બીએલઓની ધીમી કામગીરી પર નજર રાખવા સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ બનાવાઈ
સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની કામગીરી દરમિયાન બુથ લેવલ ઓફિસર (બીએલઓ) સુધી ફોર્મ પહોંચ્યા છે કે નહીં અને ફોર્મ પહોંચ્યા હોય તો તેઓ ફોર્મની વહેંચણી કરી રહ્યા છે કે નહીં. તે જાણવા માટે કલેક્ટર કચેરી ખાતે સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ બનાવાઈ છે. આ સિસ્ટમમાંથી જાણી શકાશે કે કઈ વિધાનસભાના બીએલઓએ કેટલા ફોર્મની વહેંચણી કરી છે. કેટલા બીએલઓ મેપિંગની કામગીરી પૂર્ણ કરી લોકો સુધી પહોંચ્યા છે કે નહીં તે તેનો રિપોર્ટ કલેક્ટર કચેરી ખાતેથી જોઈ શકાય છે. જે વિધાનસભાના બૂથમાં કામગીરી ધીમી ગતિએ ચાલતી હોય ત્યાંનાં ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ઈઆરઓ)ને તરત જાણ કરાય છે. ઈઆરઓ દ્વારા એઈઆરઓ (આસિસ્ટન્ટ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર) સાથે બેઠક કરી ઝડપી કામગીરી કરવા સૂચના આપે છે. અમુક વિધાનસભામાંથી ફરિયાદ આવતી હતી કે બીએલઓ દ્વારા કામગીરી શરૂ કરાઈ નથી જેને ધ્યાનમાં રાખીને સિસ્ટમ બનાવાઈ છે. BLO એક મતદારના ઘરે ત્રણ વખત જશેઅમદાવાદ જિલ્લામા કુલ 62.59 લાખ મતદારો નોંધાયા છે અને તમામ લોકો સાથે બીએલઓ ત્રણ વખત મુલાકાત કરશે. ત્રણેય વખત મુલાકાત કરતી વખતે મતદારોના જે પણ પ્રશ્નો હોય તેનો બીએલઓ ઉકેલ લાવશે. કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગના અધિકારીએ જણાવ્યું કે દરેક બીએલઓને નિયત સમયમાં કામગીરી પૂરી કરવા સૂચના અપાઈ છે.
સિવિલ હોસ્પિટલમાં આંતરડાના કેન્સરના દર્દીને સિવિલ હોસ્પિટલના સ્ટોમા ક્લિનિકમાં નિશુલ્ક અપાતી સ્ટોમા કિટનો જથ્થો બે મહિનાથી ન હોવાથી રૂ.600થી 800 ખર્ચીને બજારમાંથી ખરીદવી પડતી હોવાની દર્દીની ફરિયાદ છે. કોલોન કેન્સરથી પીડાતા હિતેશ શેઠ નામના દર્દીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, સિવિલમાં કોલોન કેન્સર (મોટા આંતરડા)નું કેન્સરના દર્દી માટે દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારે સ્ટોમા ક્લિનિકમાં દર અઠવાડિયે એક સ્ટોમા કિટ નિશુલ્ક અપાય છે. છેલ્લા બે મહિનાથી દર્દીઓને અપાતી કિટનો પુરવઠો ન હોવાથી દર્દીને ધક્કા ખાવા પડે છે. કોલોન કેન્સરના દર્દી માટે સ્ટોમા કિટ રોજિંદા જીવન માટે અત્યંત આવશ્યક છે, પણ હોસ્પિટલમાં વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. સ્ટોમા ક્લિનિકનો સ્ટાફ આગળથી જથ્થો આવતો ન હોવાનું કહે છે. આ કારણે સ્ટોમા કિટની જરૂર પડે છેસ્ટોમા કિટમાં એક સ્ટોમા બેગ, ટ્યુબ, ટેપ વગેરે મળી રૂ.600થી 700નો ખર્ચ થાય છે. સ્ટોમા બેગ કોલન કેન્સરનાં દર્દીઓની સર્જરી પછી તેમને શરીરની બહાર પેટની ચામડી ઉપર સ્ટૂલ (મળ) એકત્ર કરવા વાપરવી પડે છે. હાલમાં સ્ટોમા કિટનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છેઅત્યારે હાલમાં સ્ટોમા કીટનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે, દર્દીને જરૂર હોય તો સ્ટોમા ક્લિનીકમાંથી મેળવી શકે છે. > ડો. રાકેશ જોશી, સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ
વૃક્ષોનું કરાશે નિકંદન:ચીમનભાઈ પટેલ અને પરિમલ બ્રિજ માટે 50 વર્ષ જૂનાં 94 વૃક્ષ કાપી નખાશે
ચીમનભાઈ બ્રિજની પેરેલ એક નવી પાંખ બનાવવામાં આવશે. જેનો છેડો સુભાષબ્રિજ તરફ ઉતારવામાં આવનાર છે. જેથી આ રોડ પર આવેલા 50 વર્ષ જૂના 73 અને પંચવટી સર્કલથી સીએન સ્કૂલ પાસે બ્રિજની કામગીરીને 21 વૃક્ષો કપાશે. વૃક્ષોને રિપ્લાન્ટ કરવા માટે મ્યુનિ. પાસે જે મશીન છે તેની ક્ષમતા 3 ફૂટથી ઓછી પહોળાઈ ધરાવતા વૃક્ષોના થડને જ રિપ્લાન્ટ કરી શકાશે. જો કે 94 વૃક્ષોના થડની પહોળાઈ 3 ફૂટથી વધુ હોવાથી તેને રિપ્લાન્ટ કરી શકાશે નહીં. જેથી આ વૃક્ષો કાપી નખાશે. બ્રિજ નિર્માણની કામગીરી માટે વૃક્ષો કાપવું જરૂરી છેવિકાસના કાર્યો કરવા માટે થોડા ઘણા વૃક્ષો કાપવા સિવાય છૂટકો જ નથી. મ્યુનિ. જેટલા વૃક્ષો કાપે છે તેનાથી પાંચ ગણા વધુ વૃક્ષો મિશન મિલિયન ટ્રી હેઠળ વાવે છે. હાલમાં જે વૃક્ષો કપાવાના છે તેમાં લીમડો, પીપળો, કણજી અને આસોપાલવ સહિતના વૃક્ષો કે જેમની ઉમર 50 વર્ષથી વધુ છે. તેવા નડતરરૂપ વૃક્ષોને કાપવામાં આવશે. > એ.સી. પટેલ, પ્રિન્સિપલ ડાયરેક્ટર, મ્યુનિ. ગાર્ડન વિભાગ ભાસ્કર નોલેજકોલકાતા બાદ અમદાવાદનું ફોરેસ્ટ કવર સૌથી ઓછુંઇન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ, દેશના 7 મેગાસિટીમાં અમદાવાદનું ફોરેસ્ટ કવર કલકત્તા બાદ સૌથી ઓછું 14.89 ચો.કિમી છે. કલકત્તાનું ફોરેસ્ટ કવર2 ચો.કિમી છે. શહેરનું ફોરેસ્ટ કવર કુલ વિસ્તાર 455 ચો.કિમીના માત્ર 3.27% છે. ચેન્નઇનું ફોરેસ્ટ કવર 20 ચો.કિમી અને બેંગ્લુરુ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇનુ ફોરેસ્ટ કવર 80 ચોરસ કિમીથી વધુ છે.
શહેરમાં પહેલીવાર એનિમલ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટમાં મીટ, ચિકન અને ફિશ માર્કેટમાંથી રોજ ઉત્પન્ન થતો કચરો હવે પર્યાવરણને પ્રદૂષિત કર્યા વગર વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરાશે. આ નોન વેજિટેરિયન વેસ્ટમાંથી પાલતુ કૂતરાં અને બિલાડીઓ માટે બિસ્કિટ સહિતનો ખોરાક બનાવાશે. આ પ્રકારનો પ્લાન્ટ દેશમાં પહેલો હોવાનો મ્યુનિ.નો દાવો છે. આ પ્લાન્ટમાંથી બનનારી વસ્તુ માર્કેટમાં ઉપલબ્ધ વસ્તુ કરતાં ઓછા ભાવે મળશે. 7 ઝોનના 48 વોર્ડમાંથી રોજે રોજ ઘન કચરાનું સંગ્રહ અને પ્રક્રિયા થાય છે. પરંતુ ચિકન, મીટ અને માછલીના માર્કેટમાંથી નીકળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ ન થવાથી દુર્ગંધ અને ગંદકીનું પ્રમાણ વધી રહ્યું હતું. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ પ્લાન્ટ સ્થાપ્યો છે. તેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આ પ્રકારનો એનિમલ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સમગ્ર ભારતમાં પ્રથમ છે. અમદાવાદે હંમેશા સ્વચ્છતા અને નવીનતામાં આગવી ઓળખ બનાવી છે.
મંડે પોઝિટીવ:પગથિયાં, સાપસિડી જેવી વિસરાઈ ગયેલી રમતો માટે બગીચો બનાવાયો
દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સાઉથ બોપલમાં મ્યુનિ.એ પીપીપી ધોરણે 11,600 ચોરસ મીટરના વિસ્તારમાં ગાર્ડન બનાવ્યો છે. જેમાં લોન, વોકિંગ ટ્રેક, રમત-ગમતની અલગથી જગ્યા રાખવામાં આવી છે. આ ગાર્ડનની વિશેષતા તેનો લેઆઉટ છે. જે પ્રકૃતિથી પ્રેરિત અને નદીના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. ગાર્ડનનું નિર્માણ 4.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. 13 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ઓપન જિમ અહીં કસરત માટે ઓપન જિમ અને બાળકો માટે રમતના સાધનો અને બેસવાની વ્યવસ્થા છે. કમ્પ્યૂટર-મોબાઈલના કારણે જૂની રમતો વિસરાઈ ગઈ છે. બાળકો જૂની રમતો રમતે તે માટે અલગથી સેક્શન બનાવાયું છે. પગથિયાં, સાપ-સીડી, ઊઠક-બેઠકની ડિઝાઈન બનાવાઈ છે. ગુફાનું સ્ટ્રક્ચર બાળકો માટે શારીરિક શ્રમ થાય તેના માટે નાની ગુફા અને ડુંગર જેવું સ્ટ્રક્ચર બનાવાયું છે
સિદ્ધિ:સિવિલ સુપરિન્ટેન્ડેન્ટને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો
ઇન્ડિયન ઍસોસિએશન ઓફ પિડિયાટ્રિક સર્જન્સની જગન્નાથપુરીમાં યોજાયેલી 60મી ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોષીને ક્લિનિકલ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો છે. 2 દાયકાથી ડૉ. જોશીએ પિડિયાટ્રિક સર્જરી વિભાગને મુત્રાશય એક્સસ્ટ્રોફી અને એડવાન્સ્ડ પિડિયાટ્રિક યુરોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કર્યું છે. 17 આંતરરાષ્ટ્રીય વર્કશોપ દ્વારા 300થી વધુ જટિલ એક્સસ્ટ્રોફી-એપિસ્પાડિયા કેસોની સર્જરી અને સારવાર કરી છે.
નિર્ણય નગરની નેસ્ટ પબ્લિક સ્કૂલ અને વાડજમાં આવેલી ડીપી હાઈસ્કૂલમાં ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ), અમદાવાદ બ્રાન્ચના સહયોગથી શહેરનું સૌ પ્રથમ એકાઉન્ટિંગ મ્યુઝિયમ નિર્માણ કરાયું છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ અને ફાઈનાન્સ ક્ષેત્ર સાથે તમામ પ્રકારની બાબતોનું માર્ગદર્શન મળી રહે તે માટે આ મ્યુઝિયમ તૈયાર કરાયં છે. સીએ ઈન્સ્ટિટ્યુયટ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન નીરવ અગ્રવાલે જણાવ્યું કે , આ પહેલ વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ- ફાઈનાન્સની વિવિધ પદ્ધતિઓ, ઇતિહાસ અને વિકાસની જાણકારી આપશે.’ શહેરમાં 1 હજાર, રાજ્યમાંથી 25 હજાર સીએ દર વર્ષે બને છેદર વર્ષે શહેરમાંથી 1000, દેશમાંથી 25 હજાર સીએ બહાર પડે છે. હાલમાં શહેરમાં 14 હજાર અને દેશમાં 4.25 લાખ સીએ પ્રાઈવેટ નોકરી કરે છે. આવનારા સમયમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર બનશે. કોઈપણ વિદ્યાર્થી-વાલી નિ:શુલ્ક લાભ લઈ શકશેસ્કૂલમાં એકાઉન્ટીગ કેરીયર પ્રોગ્રામ ચાલે છે, એકાઉન્ટીંગની કારકિર્દીનું ઘડતર થાય તે માહિતી સાથે એકાઉન્ટીંગ મ્યુઝિયમ બનાવવું જોઈએ ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયું છે. જેનો નિ:શુલ્ક લાભ વિદ્યાર્થીઓ વાલીઓ લઈ શકે. > ચિરાગ શાહ, ડીપી કેમ્પસ સ્કૂલ એકાઉન્ટ સંબંધિત ઐતિહાસિક દસ્તાવેજો મળશે
ટેટ-1ની પરીક્ષા:ટેટમાં પીટીસી, બી.એડના છેલ્લાં વર્ષના વિદ્યાર્થી અરજી કરી શકશે
ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની નિમણૂક માટે ટેટ-1 (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ)માં પીટીસીના છેલ્લાં વર્ષમાં એટલે કે (ડિપ્લોમા એલીમેન્ટરી એજ્યુ, બેચલર ઓફ એલીમેન્ટરી એજ્યુ)માં ભણતા વિદ્યાર્થીઓને અરજી કરવાની મંજૂરી અપાઈ છે. આ ટેસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર હતી, જેને લંબાવીને 18 નવેમ્બર કરાઇ છે. જ્યારે 20 નવેમ્બર સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બરે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં પરીક્ષા થશે. 150 માર્ક્સની ઓફલાઈન પરીક્ષામાં મનોવિજ્ઞાન, એજ્યુકેશન સિસ્ટમ, ભાષા, ગણિત, પર્યાવરણના વિષયોને આવરી લેવાશે.ઉલ્લેખનીય છે કે ટેટ-1 માટે રાજ્ય પરીક્ષા બોર્ડના નોટિફિકેશનના બાદ પીટીસીના છેલ્લાં વર્ષમાં ભણતાં ઉમેદવારોનો સમાવેશ કરવા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હતી. પરીક્ષાનું પરિણામ 15 જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશેપરીક્ષા સાથે સંકળાયેલા સૂત્રોના અનુસાર ટેટ-1ની પરીક્ષાનું પરિણામ 15 જાન્યુઆરી સુધીમાં જાહેર કરાવાની શક્યતા. પરીક્ષા પરિણામ સમયસર જાહેર કરવા વ્યવસ્થા ગોઠવાઈ. અરજી પ્રક્રિયા પીટીસીના છેલ્લાં વર્ષમાં 5300 વિદ્યાર્થી છેરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ-1 માટે 8 નવેમ્બર સુધીમાં 4700 ફોર્મ ભરાઈને આવ્યાં છે. જ્યારે પીટીસી ફાઈનલ યરના વિદ્યાર્થીઓની ટેટ-1 પરીક્ષા માટે સમાવેશ કરાતા આશરે પીટીસી ફાઈનલના આશરે તાલીમાર્થી 5300 વિદ્યાર્થીઓ અરજી માટે પાત્ર બન્યા છે. જે પૈકી 3000થી વધુ ઉમેદવાર અરજી કરે તેવી શક્યતા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2024-25 શૈક્ષણિક સત્ર માટે તમામ સંલગ્ન શાળાઓ માટે એકેડેમિક પરફોર્મન્સ રીપોર્ટ કાર્ડ જાહેર કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બોર્ડ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પ્રથમ પહેલ છે, જેનો હેતું શાળાઓમાં ડેટા-આધારિત સ્વ-મૂલ્યાંકન અને પુરાવા - આધારિત શૈક્ષણિક આયોજનને પ્રોત્સાહન આપવાનો છે. આ રિપોર્ટ કાર્ડ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓમાં શાળાના પ્રદર્શનનું વિગતવાર વિશ્લેષણ કરાશે. દરેક શાળાના શૈક્ષણિક પરિણામોની તુલના રાજ્ય સ્તર અને સીબીએસઈ બોર્ડ સાથે કરવામાં આવે છે. આ અહેવાલ શાળાઓને વિષયવાર પ્રદર્શન સ્થિતિ, તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના પરિણામો વચ્ચેના વલણો પ્રદાન કરે છે. આ શાળાઓને લિંગ સમાનતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ કરશે. આ રીપોર્ટ માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં પરંતુ શાળા સ્તરે રમતગમત અને અન્ય સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અને પ્રદર્શનને પણ આવરી લે છે. તે ક્લસ્ટર અને ઝોન સ્તરે સિદ્ધિઓની તુલના પણ કરે છે. એ સીબીએસઈએ શાળાઓને સલાહ આપી છે કે તેઓ તેમના રિપોર્ટ કાર્ડનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરે, મુખ્ય ફોકસ ક્ષેત્રો ઓળખે અને તારણોને તેમની વાર્ષિક શૈક્ષણિક યોજનાઓમાં સમાવિષ્ટ કરે.
અમદાવાદને ‘સ્વચ્છતામાં નંબર વન શહેર’નો ખિતાબ મળ્યો છે પરંતુ શહેરના મુખ્ય ગણાતા ગીતા મંદિર અને નહેરુનગર એસ.ટી. બસ સ્ટેન્ડની વાસ્તવિકતાએ આ દાવો ખોટો પુરવાર કર્યો છે. શહેરમાંથી રોજ લાખો રૂપિયાની આવક કરનારા જીએસઆરટીસીનાં આ 2 મુખ્ય સ્ટેન્ડ પર રોજ આશરે 2,800 બસો અને 30 હજારથી વધુ મુસાફરોની અવરજવર થાય છે છતાં પણ અહીંની સ્વચ્છતા માટેની વ્યવસ્થા શરમજનક છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ફક્ત 8 ટોઇલેટ છે. ટોઇલેટની બહાર 1 રૂપિયા વસૂલવાનું બોર્ડ લગાવાયું છે પણ 10 રૂપિયા વસૂલ કરાય છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરો પાસેથી વોલ્વો વેઇટિંગ રૂમ માટે પ્રતિ વ્યક્તિ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે પરંતુ અંદર પ્રવેશ કર્યા પછી ત્યાં ગંદકી, દુર્ગંધ અને સફાઈનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. સામાન્ય મુસાફરો માટેના વેઇટિંગ રૂમમાં તો સ્થિતિ તેનાથી પણ વધારે ખરાબ છે. વારંવાર ફરિયાદો છતાં વિભાગ આંખ આડા કાન કરે છે. મુસાફરો કહે છે કે તંત્ર દ્વારા ચાર્જ તો વસૂલ કરવામાં આવે છે પણ સુવિધાનો ખૂબ જ અભાવ છે. નહેરુનગર બસ સ્ટેન્ડ પર ફક્ત એક જ ટોઇલેટ છે. આ ઉપરાંત મ્યુનિ.એ મુકેલા ગ્રીન ટોયલેટ પણ ખરાબ હાલતમાં છે. દુર્ગંધ અને ગંદકીના કારણે મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડે છે. સફાઈ કામગીરી એજન્સીની, ફરિયાદ બાદ કાર્યવાહી કરાય છેGSRTCના અધિકારીએ જણાવ્યું કે, ગીતા મંદિર એસટી સ્ટેન્ડ હબ ટાઉનને પીપીપી મોડલ પર અપાયું છે. સફાઈની કામગીરી તેને જ કરવાની આવે છે. તેની કામગીરી પર અમે ધ્યાન આપીએ છીએ. લોકોને જાણ થાય તેના માટે ટોયલેટની બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. વધારે રૂપિયા લેવાતા હોય તો કાર્યવાહી પણ કરીએ છીએ. મહત્ત્વના મુદ્દા
અધિકારીઓના આંકડામાં તફાવત જોવા મળ્યો:બજેટની અધૂરી વિગતથી મ્યુનિ. કમિશનર ગુસ્સે થયા
શનિવારે રિવરફ્રન્ટ હાઉસમાં મ્યુનિ.નું આગામી વર્ષ માટેનું બજેટ તૈયાર કરવા અધિકારીઓની બેઠક મળી હતી, તેમાં મોટા ભાગના અધિકારીઓ ખોટી તેમજ અપૂરતી વિગતો લઈને પ્રેઝન્ટેશન કરવા પહોંચતાં મ્યુનિ. કમિશનર ગુસ્સે થયા હતા અને અધિકારીઓને બે દિવસ બાદ સાચી અને સચોટ વિગતો સાથે ફરી પ્રેઝન્ટેશન કરવા કડક સૂચનાઓ આપી હતી. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનું આ પ્રથમ બજેટ છે. ચૂંટણી આચારસંહિતા લાગુ નહીં થાય તો ફેબ્રૂઆરી-માર્ચ સુધીમાં ફાઇનલ બજેટ રજૂ થશે. ફાયનાન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને અગત્યના, અર્જન્ટ અને નાગરિકલક્ષી કામોની કેટેગરી મુજબ બજેટ તૈયાર કરવાની સમજ આપવી પડી હતી. સુરત મહાનગર પાલિકા કમિશનર તરીકે અનુભવ ધરાવતા બંછાનિધિ પાની ખૂબ શાર્પ છે. તેમને સમજણ નહીં પડે એવા ટાર્ગેટ સાથે આવેલા અધિકારીઓનો તેમણે બજેટ રિવ્યૂ મીટિંગમાં ક્લાસ લઈ લીધો હતો. ઝોનના એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ વિભાગ વચ્ચે કોઈ સંકલન જોવા મળ્યું નહોતું. બંનેના આંકડાંઓમાં ભારે તફાવત જોવા મળ્યા હતો. અધિકારીઓની લાપરવાહીથી કમિશનર ભારે નારાજ થયા હતા. આર્જવ શાહ, જયેશ ઉપાધ્યાય, મીરાંત પરીખ રડારમાંઆર્જવ શાહ, જયેશ ઉપાધ્યાય અને મીરાંત પરીખનાં પ્રેઝન્ટેશન જોઈ કમિશનર વિશેષ ગુસ્સે થયા હતા. અધૂરી અને ખોટી માહિતી સાથે આવેલા આ અધિકારીઓ ગયા વર્ષના ખર્ચને પણ યોગ્ય રીતે જસ્ટિફાય કરી શક્યા નહોતા. આખો દિવસ ચાલેલી આ મીટિંગના અંતે ફાયનાન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને તો એટલોય ખ્યાલ નહોતો કે હજી કેટલા પ્રેઝન્ટેશ બાકી છે. તે અંગે પણ તેમને ટકોર કરવામાં આવી હતી. એપ્રિલથી અમલ થવાનો હતો, નવેમ્બર સુધી પ્રગતિ નથીશહેરના અગત્યના અને નાગરિકલક્ષી કામો જેવા કે રોડ, ગટર, પાણી, લાઈટ, બગીચા વગેરે માટે બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં આ કામોના ટેન્ડર પણ અધિકારીઓ તૈયાર કરી શક્યા નહોતા. આ કામો એપ્રિલથી શરૂ થવાના હતા, પરંતુ નવેમ્બર સુધી તેમાં કોઈ પ્રગતિ થઈ નહોતી. કમિશનરે ટકોર કરી હતી કે, હોદ્દો મળે એટલે ડે. મ્યુનિ. કમિશનર નથી બની જતા, જવાબદાર બનવું પડે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કિરણ હોસ્પિ.માં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતામળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હોટલના રૂમ નંબર આઠમાં ડોક્ટરે રાત્રિ રોકાણ કર્યુંગત 7 નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા. જ્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કરાવ્યો હતો. હોટલના રૂમ નંબર આઠમાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે 8 નવેમ્બરના રોજ ચેક આઉટનો સમય થઈ ગયો હોવા છતાં પણ ડોક્ટર ભાવેશ દ્વારા ચેક આઉટ કરવામાં આવ્યું નહોતું. સ્ટાફે દરવાજો ખખડાવતા રૂમનો દરવાજો ન ખોલ્યોડોક્ટર ભાવેશે ચેક આઉટ ન કરતાં હોટલના સ્ટાફ દ્વારા રૂમમાં કોલ કરીને અંગે તપાસ કરવામાં આવી હતી. જોકે, કોલનો પણ કોઈ જવાબ આપવામાં ન આવતા રૂમ પર જઈને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો પણ ન ખોલતા શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરી હતી. જેથી ગોડાદરા પોલીસ હોટલ ખાતે દોડી ગઈ હતી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હોટલનો દરવાજો ખોલતા ડોક્ટરનો મૃતદેહ મળ્યોપોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સાથે જ ઇન્જેક્શન અને એક દવાની બોટલ પણ મળી આવી હતી. જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડોક્ટરે ડાબા હાથ પર ઇન્જેન્કશન મારી આપઘાત કર્યોફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર ભાવેશ દ્વારા એનેસ્થેશિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવ્યો હતો. પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આપઘાત કર્યો હતો. આ ઉપરાંત પોલીસને તબીબે મરતા પહેલાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખેલા મળ્યાસુસાઈડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. એક ડાયરીના ત્રણ-ચાર પેજમાં અલગ અલગ શબ્દો લખ્યા છે. એક પેજમાં પત્નીનું નામ ધારા લખ્યું હતું. બીજા પેજમાં માત્ર ન્યાય લખ્યું હતું. તો અન્ય એક પેજમાં બાળકનું ચિત્ર બનાવીને બાજુમાં ધારા લખ્યું છે. જેથી આ તબીબે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે. આપઘાતના બનાવ અંગે ગોડાદરા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
મોરબી તાલુકા પોલીસે ગુંગણ ગામની સીમમાં આવેલી વીડીમાંથી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મેલડી માતાજીના મંદિર પાસે દેરાળા જવાના રસ્તા પર બાવળની કાંટમાં આવેલા વોંકળામાંથી 312 બોટલ વિદેશી દારૂ અને 120 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 3.49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તાલુકા પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતી મુજબ, ગુંગણ ગામની સીમમાં વીડીમાં મેલડી માતાજીના મંદિર નજીક દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં આવેલા વોંકળામાં અરમાનભાઈ ઇકબાલભાઈ જુણેજા નામનો શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો હતો અને ખાખી કલરના પુઠ્ઠાના બોક્સની હેરાફેરી કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી અરમાનભાઈ ઇકબાલભાઈ જુણેજા (રહે. ઉમા ટાઉનશીપની સામે, વેજીટેબલ રોડ, મફતીયાપરા, મોરબી) સ્થળ પર હાજર મળ્યો ન હતો. મોરબી તાલુકા પોલીસે તેની સામે નામજોગ ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં શુક્રવારે બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું હતું. ઉંચી માંડલ નજીક કારની હડફેટે બાઈક સવાર યુવાનનું મોત થયું હતું, જ્યારે બેલા ગામ પાસે એક કારખાનામાં રહેતી સગર્ભા મહિલાનું અચાનક આંચકી આવતા નિધન થયું હતું. પ્રથમ બનાવમાં, મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી જયેશભાઈ મનસુખભાઈ ઝાલોડીયા (ઉં.વ. 37) પોતાના બાઈક (GJ 36 AH 7030) પર ઉંચી માંડલ પાસે આવેલી બાપા સીતારામ હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક કાર (GJ 3 HA 3244) ના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જયેશભાઈને માથામાં અને શરીર પર ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો. મૃતક યુવાનના ભાઈ મેહુલભાઈ મનસુખભાઈ ઝાલોડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં, મોરબી નજીકના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર પાસે આવેલી એસ્ટીકા સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં રહેતા પૂજાબેન ગાલુભાઈ ગાગરાય (ઉં.વ. 22) નામની સગર્ભા પરિણીતાને શુક્રવારે સાંજે અચાનક આંચકી ઉપડી હતી. પૂજાબેનને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મૃત્યુ થયું હતું. મૃતક પૂજાબેનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેઓ સગર્ભા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ:પ્રથમ દિવસે પાંચમાંથી એક ખેડૂત મગફળી લઈને પહોંચ્યા
સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લામાં પણ ખરીદી શરૂ કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે મોડાસાના નવા માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્ર ખાતે પણ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. સાબરડેરીના ડિરેક્ટર શામળ પટેલ, હિંમતનગરથી આવેલા અધિકારી પ્રકાશ પટેલ અને કેન્દ્રના ઇન્ચાર્જ ભાનું પટેલની હાજરીમાં આ ખરીદીનો શુભારંભ કરાયો. મોડાસા કેન્દ્રમાં પ્રથમ દિવસે કુલ પાંચ ખેડૂતોને મેસેજ કરાયા હતા, જેમાંથી એક ખેડૂત મગફળી લઈને આવ્યા હતા. અધિકારીઓ દ્વારા કંકુ તિલક કરીને વિધિપૂર્વક ખરીદ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૧૨ લાખ બારદાન તૈયાર રખાયા છે. ખરીદી પ્રક્રિયામાં બાયોમેટ્રિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે અને તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોના આધાર લિંકવાળા ખાતામાં સાત દિવસમાં પૈસા મળી જાય તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
વડોદરાના નવલખી મેદાનમાં યુવક અને મહિલા મિત્ર પાસે જઇને પોલીસકર્મીએ ફરજ પર ન હોવા છતાં દાદાગીરી કરી હતી અને યુવકને માર મારીને એક્ટિવા પણ સળગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કરમીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આજે વડોદરા પોલીસ સ્ટેશનમાં આવી છે અને નવલખી ગ્રાઉન્ડમાં 10પી જેટલા પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચેકીંગ યાદ રહ્યું છે. એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ એ જણાવ્યું હતું કે, હાલમાં નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઝોન-2, મંજીતા વણજારા અને એમની ટીમ સાથે, 100થી વધુ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ અને ડી-સ્ટાફના કર્મચારીઓ, સર્વેલન્સના અધિકારી, કર્મચારીઓ સાથે અવાવરું જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને અહીં કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય, એને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એલર્ટ છે અને એ બાબતે હાલમાં ચેકિંગ થઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને અંધારાવાળી વિસ્તારોમાં ટોર્ચ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે-સાથે વ્હીકલ ચેકીંગ હાથ ધર્યું છે અને બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે. જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થવાની શક્યતને ધ્યાનમાં રાખીને પણ આ ચેકિંગ થઈ રહ્યું છે. બે પીધેલા બાઇક ઉપર ડ્રાઇવ કરતા મળી આવ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુઢેલા પાસે આવેલા એક ગામના 22 વર્ષીય યુવક નવાપુરા વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. નોકરી પર અવર જવર કરવા માટે ટ્રાવેલ્સ સંચાલક દ્વારા તેને બાઇક આપી છે. આ દરમિયાન 6 નવેમ્બરના રોજ યુવકે નોકરી પર છુટ્યા બાદ રાત્રીના પોણા 9 વાગ્યાના અરસામાં તેની મહિલા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેસીને વાતો કરી રહ્યો હતો. આ દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિલેશ વનરાજ બારૈયા તેના બે ભાણિયા ભૌતિક ભીલ તથા ચતુર બારૈયા સાથે યુવક અને યુવતી પાસે ધસી ગયા હતા. ત્યારબાદ પોલીસવાળાએ યુવક પાસે ગાડીના લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટસની માગણી કરી હતી. પરંતુ યુવકની પોતાના ગાડી ન હોય તેની પાસે કોઇ કાગળીયા ન હતા. જેથી પોલીસ કર્મચારી નિલેશ બારૈયા તેના બે ભાણિયાને મોકલી યુવક અને યુવતીને સમાધાન કરાવવાનું કહીને કૃત્રિમ તળાવ પાસે લઇ ગયો હતો, ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી ગભરાઇ બંને સોલર પેનલ પાસે ભાગી આવ્યા હતા, ત્યારે યુવતી ત્યાં ભાગી છુટી હતી. પરંતુ પોલીસવાળા નિલેશ બારૈયાએ તેના બે ભાણિયાને ફોન કરીને યુવક ભાગી ગયો છે, તેને પરત લઇને આવો, તેમ કહ્યું હતું. જેથી ભૌતિક અને ચુતર બારૈયા યુવકને સોલાર પેનલ પાસેથી લઇને કૃત્રિમ તળાવ પાસે ઝાડીઓમાં લઇ જઇને ડંડા વડે ત્રણ જણાએ તેને ઢોર માર માર્યો હતો. ગમે તેમ કરીને યુવક તેમના ચુંગાલમાંથી છુટીને ભાગી ગયો હતો. પોલીસ કર્મચારી અને તેના બે ભાણિયા રોષ ભરાયા અને તેની એકટીવાને આગ ચંપી કરી સળગાવી રૂ.20 હજારનું નુકસાન કર્યુ હતું.. જેથી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજભાઈ બારૈયા, ભૌતિક ભીલ તથા ચતુર બારૈયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગીર સોમનાથ સાયબર પોલીસે સાયબર ફ્રોડ દ્વારા એકત્ર કરાયેલી આશરે પોણા બે કરોડ રૂપિયાની રકમ વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પાંચ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાયબર પોલીસના પીઆઈ એસ.વી. રાજપૂતે આપેલી માહિતી મુજબ, તાલાલાના ઘુસિયા ગામના નકુલભાઈએ સુત્રાપાડા રહેતા તેમના મિત્ર નકુલબકાનાભાઈ રામને લોન લેવા માટે મદદ કરવા પોતાનું SBI બેંક ખાતું, ચેકબુક, ATM કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનું સિમ કાર્ડ આપ્યું હતું. થોડા દિવસો પછી, નકુલભાઈને તેમના બેંક ખાતામાં મોટી રકમની લેવડદેવડ અંગે બેંક તરફથી ઈમેલ મળ્યા. શંકા જતાં તેમણે જિલ્લા સાયબર પોલીસમાં અરજી કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે નકુલભાઈના ખાતામાં એક જ દિવસમાં આશરે ₹1.71 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે જાણીને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ખાતાધારક નકુલભાઈ અને તેમના મિત્ર નકુલબકાનાભાઈની પૂછપરછ કરતાં જૂનાગઢના ઉત્સવ ભરત સાગઠિયાનું નામ સામે આવ્યું, જે લોન અપાવવાના બહાને બેંક ખાતાની તમામ વિગતો લઈ ગયો હતો. ઉત્સવની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણે વસીમ ઉમર શેખ (સાવરકુંડલા), હિતેશ કિશોર કીડિયા (બાબરા), આયુષ ભરત ડેર (લાઠી) અને ભટ્ટી મુબિન જીભાઈ (સાવરકુંડલા) સાથે મળીને આ કૌભાંડ આચર્યાનું કબૂલ્યું. આ પાંચેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે બેંક પાસેથી આ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવામાં આવી તેની વિગતો માંગી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ કરોડોની રકમ સાયબર ક્રાઈમ દ્વારા એકત્ર કરાઈ હતી અને અનેક ખાતાઓ મારફત વિદેશ મોકલવામાં આવી રહી હતી. આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
ગોધરામાં 4 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો:માથામાં ગંભીર ઇજા, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગોધરા શહેરમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ યથાવત છે. તાજેતરમાં, ચાર વર્ષના એક બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ડોક્ટરના મુવાડા બળીયા દેવ મંદિર નજીક બની હતી. ચાર વર્ષનો કાર્તિક રાજેશ પરમાર તેની માતા સાથે તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં કાર્તિકના માથાના ભાગે ઊંડા બચકા ભરવામાં આવ્યા હતા, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ છે. હાલ બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

24 C