SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ખુદ પોલીસ પરિવાર બન્યો 'ખોવાયેલી આશા'નો આધાર:ASIના પત્નીએ લાખોના દાગીના સાથેનું પર્સ મળ્યું; તુરંત મૂળ માલિકને ફોન કરી પરત કર્યું

પ્રમાણિકતાની વાત આવે ત્યારે પોલીસતંત્ર પર અનેક સવાલો ઉઠતા હોય છે, પરંતુ ગાંધીનગરના એક પોલીસ પરિવારે કિંમતી વસ્તુઓની લાલચને ત્યજીને ઈમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પોલીસ પરિવારે રસ્તા પરથી આઠેક લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાથી ભરેલું એક પર્સ મૂળ માલિકને પરત કરીને ખરા અર્થમાં પોલીસ પરિવારની છબી ઉજળી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંધારું થઈ જતાં પર્સ શોધવું મુશ્કેલ હતુંગાંધીનગરના સરગાસણ રહેતા નેહાબેન મોદી તાજેતરમાં ઓફિસથી પરત ઘરે જઈ રહ્યા હતા, એ વખતે આઠેક લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાથી ભરેલું તેમનું પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. ઘરે સુધી પહોંચ્યા પછી નેહાબેનને પર્સ ક્યાંક પડી ગયાનો ખ્યાલ આવ્યો હતો. શિયાળાની ઋતુમાં સાડા છ વાગ્યા સુધી અંધારું થઈ ગયું હોવાથી પર્સ શોધવું પણ મુશ્કેલ અને પડકારજનક બની ગયું હતું. તેમણે પર્સ શોધવા શહેરના રસ્તાઓ પર ફાંફા મારવાનું શરૂ કરી દીધું હતુ, પરંતુ દાગીના ભરેલું પર્સ ક્યાય મળી રહ્યુ ન હતું અને એટલાં તેમના મોબાઇલની રિંગ વાગે છે. ફોનમાં વાત કરતા મહિલાને શાંતિ મળીએક તરફ લાખોના દાગીના ભરેલું પર્સ મળતું ન્હોતું અને એમાંય અજાણ્યા નંબરથી કોલ આવતા નેહાબેને ફોન રિસિવ કર્યો હતો. સામે પોલીસ જેવી ભાષામાં પર્સ વિશે પૂછતાછ કરવામાં આવી રહી હતી. ધીમે-ધીમે વાતચીત દરમિયાન નેહાબેનની આંખો ચમક વધવાની સાથે અનેરી શાંતિ સલામતીનો અહેસાસ થવા માંડે છે. વાસ્તવમાં એ ફોન મેટ્રો જૂથ-એ કંપની, અમદાવાદમાં ફરજ બજાવતા અને સેકટર 4બી ખાતે રહેતા ASI પ્રેમજીભાઈ ડી. મકવાણાની પત્ની મીનાબેનનો હતો. ASI​નાં ​પત્ની મીનાબેનને પર્સ મળતાં તુરંત પતિને જાણ કરીપ્રેમજીભાઈના પત્ની મીનાબેન મકવાણા 4 સેકટરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ દરમ્યાન તેમને પર્સ મળી આવ્યું હતું. જે પર્સ ખોલતા જ મીનાબેનની આંખો પહોળી થઈ ગઈ હતી. કેમ કે, પર્સમાં સોના ચાંદીના દાગીના ભરેલા હતો. આ વાત તુરંત તેમણે તેમના પતિ ASI પ્રેમજીભાઈ ડી. મકવાણાને કરી હતી. બાદમાં મીનાબેને સમય બગાડ્યા વિના પર્સની અંદરથી નેહાબેનનો સંપર્ક નંબર શોધી કાઢ્યો. તેમણે તુરંત જ નેહાબેન મોદીનો સંપર્ક કર્યો અને તેમને પર્સ મળી ગયાની જાણ કરી હતી. આ કિંમતી દાગીનાની સોંપણીની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે મકવાણા પરિવારે સાવચેતી પણ દાખવી હતી. એટલે પર્સ પરત કરવા તેમણે પોતાના ઘરે જ નેહાબેનને બોલાવ્યા હતાં. આ પર્સની સોંપણી વેળાએ મકવાણા પરિવારના પાડોશી અને ડીજીપી ઓફિસમાં ફરજ બજાવતા પીઆઇ રાહુલભાઈ પટેલને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રેમજીભાઈએ પોતાના વિભાગના અધિકારી, મેટ્રો જૂથ-એ કંપનીના પીઆઇ બી.બી. શુક્લાને પણ ફોન પર વાતચીત કરીને સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા. ASI પરિવારની પ્રમાણિકતા બદલ તેમનો આભાર માન્યોઆ સઘન વેરિફિકેશન અને સાક્ષીઓની હાજરી બાદ મીનાબેન મકવાણાએ નેહાબેન મોદી અને તેમના પતિ નિશીત મોઢને તેમનું કિંમતી પર્સ સહી-સલામત પરત કર્યું હતું. દાગીના અને રોકડ સહિત તમામ વસ્તુઓ પાછી મળતા નેહાબેન મોદી અને તેમના પરિવારે રાહત અનુભવી અને ASI પરિવારની પ્રમાણિકતા બદલ તેમનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 10:53 am

રાજકોટમાં પતિનું પત્ની પર ફાયરિંગ:પતિએ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી, કાકી-ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ

રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે. કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પતિએ પોતાની પત્નીને ગોળી મારી ને પોતાના લમણે ગોળી ધરબીને આત્મહત્યા કરી રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા પતિએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ એક બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્નીને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી. કાકી-ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામપોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘર છોડી એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી પતિ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું. આમ છતાં પત્ની ઘરે પરત ન આવતી હતી આજે સવારે રોષે ભરાયેલ પતિએ પત્ની યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 10:33 am

તાલાલા પાસે નાળામાંથી યુવકની લાશ મળી:હાથમાં ધજા, મૃતક યુવાન જેતપુરનો હોવાની સંભાવના

તાલાલા શહેર નજીક ઉના તરફ જતા ગુંદરણ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના જોગીદળ નાળામાંથી આજે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. મૃતકના હાથમાં ધજા હતી અને તેની ઓળખ જેતપુરના યુવાન તરીકે થઈ છે. સ્થાનિકોએ પાણીમાં તરતી લાશ જોઈને તાલાલા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ તાલાલા પોલીસના જમાદાર યાશીનશા સહામદાર અને તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરવૈયાઓની મદદથી લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના હાથમાં ધજા જોવા મળી હતી અને તેની સાથે એક બેગ પણ હતી. બેગની તલાશી લેતા તેમાંથી પલળી ગયેલું રેશનકાર્ડ અને આધારકાર્ડની ઝેરોક્ષ કોપી મળી આવી હતી, જેમાં જેતપુરનું સરનામું નોંધાયેલું હતું. પોલીસે મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાથમાં ધજા હોવાથી યુવાન પદયાત્રાએ નીકળ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ તેમની સંપૂર્ણ ઓળખ મેળવી પરિવારનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી રહી છે. સંભવતઃ પદયાત્રી યુવાન પગપાળા ચાલીને જતો હતો અને રસ્તામાં વોકળાના પુલ પાસે આરામ કરવા રોકાયો હતો, ત્યારે અકસ્માતે વોકળામાં પડી ગયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 10:28 am

14 ડિગ્રી સાથે નલિયામાં ઠંડીનો ચમકારો:રાજકોટમાં 14.5 અને અમરેલી, વડોદરામાં 15.2 તાપમાન નોંધાયું, રાજ્યમાં બેવડી સીઝનનો અનુભવ થશે

હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ રાજકોટ જ્યાં ન્યૂનતમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શરૂઆતથી સૌથી ઠંડુ રહેતા અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ જ્યારે વડોદરામાં પણ 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 10:25 am

બોપલ પોલીસે બે સ્થળેથી દારૂ ઝડપ્યો:ઇકો ગાડી અને ભાડાની ઓરડીમાંથી બે આરોપી પકડાયા

બોપલ પોલીસે દારૂબંધીના ભંગ બદલ બે અલગ-અલગ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 2,95,565/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રથમ ઘટના ઘુમા ગામમાં સ્કાય ટેલ ફ્લેટ પાછળ બની હતી. પોલીસે એક સફેદ ઇકો ગાડી (રજી.નં. GJ-15-BE-4941) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 બોટલો શોધી કાઢી હતી. આ દારૂની કિંમત રૂ. 58,315/- હતી. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,000/- નો મોબાઈલ ફોન અને રૂ. 2,00,000/- ની ઇકો ગાડી સહિત કુલ રૂ. 2,63,315/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ચંદુ લાખો ધનજી ખોખરીયા (રહે. સારોલી ગામ, ગવાર ફળા, તા. મેરવાડા, જી. ઉદયપુર, રાજસ્થાન) નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. બીજી કાર્યવાહી ઘુમા ગામમાં પ્લેઝર ક્લબ પાસે આવેલ રોખાની ફાર્મની બાજુમાં એક ભાડાની ઓરડીમાં કરવામાં આવી હતી. ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 48 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 22,250/- હતી. દારૂ સાથે રૂ. 10,000/- ની કિંમતનો એપલ આઇફોન 11 મોડેલનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 32,250/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં શિવલાલ ઉર્ફે શીવો દિનેશભાઈ કલાસવા (હાલ રહે. ઘુમા ગામ, પ્લેઝર ક્લબ પાસે, લેખાની ફાર્મની બાજુમાં આવેલ ભાડાની ઓરડીમાં, તા. પાટલોડીયા, જી. અમદાવાદ; મૂળ રહે. પિપળાદા ગામ, દક્કિ ફળા, તા. જી. ડુંગરપુર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 10:09 am

જન્મ સમયે ડોક્ટરે ઈન્જેક્શન મારી શાંત કરવાનું કહ્યું તું:આંખ, નાક, હોઠ, તાળવુ વિના જન્મેલો ઉત્તમ મારું પ્રોફેસર બન્યો, 12 ઓપરેશન બાદ બોલતો થયો, આજે 4700 શ્લોક-સૂત્રો કંઠસ્થ

આજે એક એવા બાળકની વાત કરવી છે કે જે ખૂબ જ અદ્ભૂત અને અદ્વિતીય છે. આ બાળક એટલે રાજકોટનો ઉત્તમ મારું. જેનો જન્મ થયો ત્યારે તેને હોઠ, નાક, તાળવું અને આંખ ન હતુ, જેથી તબીબોએ આ બાળક પાછળ હેરાન થવાને બદલે ઇન્જેક્શન મારી શાંત કરી દેવાની સલાહ પરિવારને આપી હતી. પરંતુ ઉત્તમના દાદાએ કહ્યું કે, આ ભગવાનની પ્રસાદી છે, જેથી તેનો આપણે સૌએ મળીને ખૂબ જ સારી રીતે ઉછેર કરવો જોઈએ. જે બાદ દાદા કુંવરજીભાઈ ઉત્તમ સાથે તેનો પડછાયો બનીને રહેવા લાગ્યા. ઉત્તમ માત્ર 5 વર્ષની ઉંમરે ભાગવત ગીતા કંઠસ્થ કરી અને 700 શ્લોક કડકડાટ બોલવા લાગ્યો. જે બાદ યોગ સૂત્ર, નારદભક્તિ સૂત્ર, બ્રહ્મસૂત્ર અને પાણીનીના 4000 સૂત્રો કંઠસ્થ કરવાથી તે સંસ્કૃતમાં પ્રારંભ જ બની ગયો. જે પછી તો ઉત્તમે સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો. જેની સાથે-સાથે અધ્યાપક બનવા માટેની જીસેટ અને નેટની અઘરી પરીક્ષા પાસ કરી. જે બાદ સરકારી કોલેજમાં અધ્યાપક બનવા માટેની જીપીએસસી ક્લાસ- 2 માટેની તૈયારી શરૂ કરી અને તેમાં પ્રથમ પ્રયત્ને સફળતા પ્રાપ્ત કરી. હવે પ્રોફેસર ઉત્તમ મારું વિદ્યાર્થીઓને ભણાવશે. જન્મ સમયે જે બાળકના બચવાના કોઈ ચાન્સ ન હતા તે બાળકે એવી જિંદગી જીવી કે સમાજના તમામ લોકો તેમાંથી પ્રેરણા મેળવી શકે. આજના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પ્રેરણા સ્ત્રોતનું ખરેખર ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં શ્રીમદ્દ ભગવદગીતાના યોગદાન વિષય પર Ph.D કરી રહ્યો છુંઃ ઉત્તમદિવ્ય ભાસ્કરની સાથે વાતચીત કરતા ઉત્તમ મારુંએ જણાવ્યું કે, GPSC ક્લાસ-2માં સંસ્કૃતના પ્રોફેસર તરીકે મારું સિલેક્શન થયું છે. જનરલ નોલેજ, સંસ્કૃત અને બાદમાં ઓરલ પરીક્ષા હતી, જે સફળતાપૂર્વક પાસ કરેલી છે. સૌપ્રથમ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં સંસ્કૃત વિષય સાથે બેચલર ઓફ આર્ટસ કર્યું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવનમાં એમ. એ. કર્યું અને હાલ આજ ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. રાજા કાથડના માર્ગદર્શનમાં માનવીય સમસ્યાઑના નિર્મૂલનમાં શ્રીમદ્દ ભગવદગીતાનું યોગદાન વિષય પર Ph.D કરી રહ્યો છું. આ સાથે જ જીસેટ અને નેટની પરીક્ષા પાસ કરેલી છે. દિવ્ય ભાસ્કરે જ્યારે સવાલ કર્યો કે, તમે સંસ્કૃત ભવનનાં જ વિદ્યાર્થી હવે પ્રોફેસર બની ગયા છે, તો કેવું લાગી રહ્યું છે? ત્યારે ઉત્તમે જણાવ્યું કે, ખૂબ જ સારું અનુભવું છું. હવે અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાનું થશે, ત્યારે કોમ્પ્યુટરમાં પીપીટી તૈયાર કર્યા બાદ તેઓને ખૂબ જ સારી રીતે ભણાવીશ. ‘12 ઓપરેશન બાદ બોલતો થયો, કોમ્પ્યુટર ઉપર વાંચવા-લખવાનું શરૂ કર્યું’ઉત્તમ મારૂએ પોતાના જન્મ વિશે વાત કરતાં દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું કે, મારો જન્મ થયો ત્યારે હોઠ, તાળવું, નાક કે આંખ કશું હતું જ નહીં. 12 ઓપરેશન કરાવ્યા બાદ મેં બોલવાનું શરૂ કર્યું. જે પછી વાંચવા અને લખવાનું શરૂ કર્યું. બ્લાઇન્ડ લોકો વાંચી કે લખી ન શકે, પરંતુ મેં કોમ્પ્યુટર ઉપર વાંચવા અને લખવાનું શરૂ કર્યું. જીપીએસસી ક્લાસ-2માં પ્રોફેસર બન્યા બાદ તેઓ અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવે છે કે, વારંવાર કોઈ પણ વસ્તુને સાંભળવી જોઈએ. સાંભળવાથી માર્ગદર્શન મળે છે અને ફાયદો થાય છે. ઉત્તમ 5 વર્ષનો હતો, ત્યારે ગીતાના 700 શ્લોક કંઠસ્થ હતાઃ દાદાઉત્તમ સાથે 24 વર્ષથી પડછાયાની જેમ સાથે રહેતાં અને દરેક મુશ્કેલીમાં સાથ આપનારા તેના દાદા કુંવરજીભાઈએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ઉત્તમનો જ્યારે જન્મ થયો ત્યારે પરિવારજનોએ કહ્યું કે તેને હોઠ, તાળવું, નાક અને આંખ પણ નથી. તે સમયે મેં કહ્યું કે, આ ભગવાનની પ્રસાદી છે અને ભગવાને આપણી પાસે કંઈક સમજીને જ મોકલ્યું હશે, જેથી આપણે બધાએ સાથે મળીને આ બાળકનો ઉછેર કરવાનો છે. જેથી હું સંપૂર્ણપણે તેની સાથે રહેવા લાગ્યો. તે પાંચ વર્ષનો હતો, ત્યારે ભાગવત ગીતાના 700 શ્લોક કંઠસ્થ હતા. જે બાદ યોગ સૂત્ર, નારદભક્તિ સૂત્ર અને બ્રહ્મસૂત્ર કર્યું અને ત્યારબાદ પાણીનીના 4000 સૂત્રો કંઠસ્થ કર્યા જેનાથી તેની સંસ્કૃત ભાષા પરની પકડ વધુ મજબૂત બની. ઉત્તમનાં પિતાનું નામ જીતેન્દ્રભાઈ અને માતાનું નામ કુંદનબેન છે. ઉત્તમને આટલી મોટી સીધી મળ્યા બદલ તેઓ કહે છે કે, એક યુગ પૂરો થયો તેનો આનંદ થાય છે અને ઉત્તમ હવે પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવશે તેનાથી મને ખૂબ જ માનસિક શાંતિ થઈ છે. ઉત્તમે અહીં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ એક પછી એક સિદ્ધિ હાંસલ કરીઃ અધ્યાપક ઉત્તમનાં અધ્યાપક ડૉ. શારદા રાઠોડે જણાવ્યું હતું કે, ઉત્તમ મારુંની આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અનુસ્નાતક સંસ્કૃત ભવન ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. ઉત્તમે અહીં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ એક પછી એક સિધ્ધિ હાંસલ કરી છે. એમ.એ. ના બીજા વર્ષમાં જ તેને જીસેટની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ નેટની પરીક્ષા પાસ કરી અને હવે તે સરકારી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે જીપીએસસી ક્લાસ-2માં પ્રથમ પ્રયત્ને જ સિલેક્ટ થઈ ગયો છે. તેમની સાથે અન્ય દિવ્યાંગ મંજુલાબેન ગાગરિયા કે જેઓ જામનગરની ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપક તરીકે પસંદગી પામ્યા છે જે પણ આ ભવન માટે ગૌરવની વાત છે. ‘ભગવાને તેમને ભલે ખોટ આપેલી છે, પરંતુ આવડત ખૂબ જ અદભુત છે’આ ઉપરાંત ઉત્તમની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની શારદા પામકે જણાવ્યું હતું કે, ઉત્તમભાઈ મારા સિનિયર રહી ચૂક્યા છે. ભગવાને તેમને ભલે ખોટ આપેલી છે, પરંતુ તેમની પાસે જે આવડત છે તે ખૂબ જ અદભુત છે. તેમની જ્ઞાન શક્તિ અને સ્મરણ શક્તિ ખૂબ જ સારી છે. ઉત્તમભાઈને શ્રીમદ ભાગવત ગીતા, ઉપનિષદો ઉપરાંત અનેક સ્ત્રોતો કંઠસ્થ છે. તેઓ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. ઉત્તમના જન્મથી લઈને અત્યાર સુધીની જીવનગાથાઉત્તમનો જન્મ થયો ત્યારે બંને આંખો ન હતી, નાક ન હતું. હોઠ ન હતા, તાળવું ન હતું તેમજ બંને મગજ પણ ક્ષતિગ્રસ્ત હતા. જન્મ સમયે ઉત્તમની આવી સ્થિતિ જોઈને ડોકટરોએ મારૂ પરિવારને એવી સલાહ આપી હતી કે, આ બાળકનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેઓ પોતે પણ દુઃખી થશે અને પરિવારને પણ દુ:ખી કરશે, જેથી તેને ઇન્જેક્શન આપીને શાંત કરી દેવું જોઈએ. જોકે, ઉત્તમના દાદા કુંવરજીભાઈ મારૂએ ડોકટરોની આ સલાહ ન માની અને ઉત્તમને ભગવાનની ભેટ માનીને સ્વીકાર્યો. પરિવારે ઉત્તમની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુંપરિવારના તમામ સભ્યોને ભેગા કરીને સમજાવ્યું કે, આ બાળકને ભગવાને શું નથી આપ્યું એનો વિચાર કોઈ ન કરતા, પણ શું આપ્યું છે એ જ વિચારજો. આપણે સૌ સાથે મળીને ઉત્તમને સર્વોત્તમ બનાવીશું અને ભગવાન આપણને તેમાં મદદ કરશે. સમયાંતરે ઉત્તમ પર જુદા જુદા 12 મેજર ઓપરેશન કરવામાં આવ્યા. નાક, હોઠ અને તાળવું થોડા સરખા થયા, પરંતુ આંખોની રોશની પરત ન આવી. આમ છતાં પરિવારના સભ્યોએ ઉત્તમની ખામીઓને બદલે ખૂબીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેનાથી ઉત્તમ સામાન્યમાંથી અસામાન્ય બની ગયો. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કર્યોધો.10ની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ 80% માર્ક્સ લાવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તે રાજકોટની સિંહાર સ્કૂલમાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસીને જ અભ્યાસ કરતો હતો. ધો.12 વિનયન પ્રવાહમાં ડીસ્ટિંકશન સાથે ઉત્તમ કરણસિંહજી હાઈસ્કૂલમાં પ્રથમ આવ્યો હતો. ઉત્તમે સંસ્કૃત વિષય સાથે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કર્યુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંસ્કૃત ભવનમાંથી પ્રથમ વર્ગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. ઉત્તમે પ્રાધ્યાપક બનવા માટેની 'જીસેટ' અને NET પરીક્ષા પાસ કરી અને હવે તેને સરકારી કોલેજમાં પ્રોફેસર બનવા માટેની GPSCની ક્લાસ-2ની પરીક્ષા પાસ કરી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ઉત્તમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એમ ચાર ભાષામાં ટાઈપ કરી શકે છેઉત્તમ આંખોથી જોઈ શકતો નથી, આમ છતાં કમ્પ્યુટર પર પોતાની રીતે પુરી ચોકસાઈથી અને કોઈપણ જાતની ભૂલ વગર બધું કામ કરી શકે છે. ઉત્તમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એમ ચાર ભાષામાં ટાઈપ પણ કરી શકે છે. કામ કરવા માટે જે કોઈ સોફ્ટવેરની જરૂર પડે એ પોતાની રીતે જ નેટ પરથી શોધી લે છે. ઉત્તમ યોગા ક્લાસમાં પણ જાય છે અને રોજ સવારે નિયમિત રીતે યોગ તથા પ્રાણાયમ કરે છે. રોજના સૂર્ય નમસ્કારનાં 9 રાઉન્ડ કરે છે, એટલે કે 108 સૂર્યનમસ્કાર રોજ કરે છે. ઉત્તમે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી યોગમાં ડીપ્લોમાં પણ કર્યું છે. ઉત્તમ શાસ્ત્રીય સંગીતનો પણ ગાયક અને જાણકાર, 120થી વધારે શાસ્ત્રીય રાગની સમજતે તબલા, હાર્મોનિયમ અને ગાયનમાં વિશારદ છે. આ ઉપરાંત એ બંસરી, ડ્રમ, ગિટાર, એકોડિયન, માઉથઓર્ગન વગેરે પણ ખુબ સારી રીતે વગાડે છે, સાથે વાદન સંગીતના ક્લાસ પણ ચલાવે છે અને બીજાને શીખવે પણ છે. તે ખુબ સારો ગાયક છે. 25 વનમેન શો કર્યા છે, જેમાં ફિલ્મીગીતો, ભજનો, ગઝલો, ગરબાઓ, લોકગીતો વગેરે ગાય છે. તે સંગીત વિદ્યાલયના નામથી ગાયન ક્લાસ પણ ચલાવે છે. શાસ્ત્રીય સંગીતનો પણ ગાયક અને જાણકાર છે. એને 120થી વધારે શાસ્ત્રીય રાગની સમજ છે. ઉત્તમને અધ્યાયનો નંબર અને શ્લોક નંબર કહો તો તુરંત જ એ શ્લોક બોલેઉત્તમને શ્રીમદ્ ભગવદગીતાના તમામ 700 શ્લોક કંઠસ્થ છે અને કોઈપણ જાતની ભૂલ વગર શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે. તમે કોઈપણ અધ્યાયનો નંબર અને શ્લોક નંબર કહો તો તુરંત જ એ શ્લોક બોલે છે. ગીતાજીનો કોઈપણ શબ્દ કહો તો એ શબ્દ ક્યા ક્યા અધ્યાયના ક્યા ક્યા શ્લોકમાં છે અને શ્લોકના ક્યાં ચરણમાં ક્યાં ક્રમ પર આવે છે તે પણ કહી શકે છે. મુખ્ય 11 ઉપનિષદો પૈકી ઉત્તમે 10 ઉપનિષદો કંઠસ્થ કરી લીધા છે અને અત્યારે 11મા ઉપનિષદનો અભ્યાસ ચાલુ છે. ઉપનિષદના બધાં જ મંત્રો જે રીતે બોલાવા જોઈએ એ જ રીતે બોલે છે. તેને પાણીનીનાં અષ્ટાધ્યાયનાં 4000 સૂત્રો કંઠસ્થ છે. તેને નારદનું ભક્તિસૂત્ર, પતંજલિનું યોગસૂત્ર તથા બ્રહ્મસૂત્રના 550 સૂત્રો પણ કંઠસ્થ છે. આ ઉપરાંત જુદા-જુદા 60થી વધુ ઓત્ર પણ એને કંઠસ્થ છે. તેને 170થી વધુ ગીતો-ભજનો કંઠસ્થ છે. 25થી વધારે જુદા-જુદા ગરબાઓ પણ કંઠસ્થ છે. દેશનો સર્વોચ્ચ એવોર્ડ 'બાલશ્રી'થી પણ ઉત્તમ સન્માનિતઆ વિશિષ્ઠ બાળકને ઉત્તમને 117 શિલ્ડ, મેડલ અને પુરસ્કારો મળેલા છે. 2011માં ભારત સરકારે બાળકોને આપવામાં આવતા દેશના સર્વોચ્ચ એવોર્ડ 'બાલશ્રી'થી ઉત્તમને સન્માનિત કર્યો છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વગેરે જેવા અનેક મહાનુભાવોએ ઉત્તમને રૂબરૂ મળીને એની ઉપલબ્ધીઓને બિરદાવી છે તો મહંતસ્વામી મહારાજ અને રામદેવજી મહારાજ જેવા સંતોએ ઉત્તમની સિદ્ધિઓને આશીર્વાદ પણ આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 9:55 am

7 સ્ટેટ હાઈવેના વિસ્તૃતિકરણને સૈદ્ધાંતિક મંજૂરી:પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં રૂ. 858.39 કરોડનો ખર્ચ કરાશે

પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતા સાત સ્ટેટ હાઈવેના વિસ્તૃતિકરણ માટે રૂ. 858.39 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ '12 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' હેઠળ હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લામાં ત્રણ રોડનો સમાવેશ થાય છે. વિસલવાસણાથી પાટણ સ્ટેટ હાઈવે (ચેઈનેજ 38/00 થી 56/400) માટે રૂ. 65.40 કરોડ, પાટણ બાયપાસ કનેક્ટિંગ શિહોરી જંકશનથી ઊંઝા રોડ જંકશન (ચેઈનેજ 4.400 થી 10/250 કિ.મી.) માટે રૂ. 99.28 કરોડ, અને શિહોરી-પાટણ રોડ (ચેઈનેજ 9/460 થી 34/00, પાટણથી વાયડ તા. સરસ્વતી) માટે રૂ. 248.71 કરોડનો ખર્ચ થશે. આ રોડને નવેસરથી તૈયાર કરવા માટે સરકારે કેટલીક શરતોને આધીન મંજૂરી આપી છે. મહેસાણા જિલ્લામાં ઊંઝાથી પાટણ વરેચના ઊંઝાથી વિસલવાસણા વચ્ચેના સ્ટેટ હાઈવે માટે રૂ. 37 કરોડ મંજૂર થયા છે. બનાસકાંઠા જિલ્લામાં શિહોરી-પાટણ રોડના વાયડથી શિહોરી માટે રૂ. 80 કરોડ, શિહોરી-દિયોદર સ્ટેટ હાઈવે માટે રૂ. 153 કરોડ, અને દિયોદર-ભાભર સ્ટેટ હાઈવે માટે રૂ. 175 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, ફોરેસ્ટ ક્લિયરન્સ અને સર્વેની કામગીરી હાથ ધરાશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પણ તૈયાર કરવામાં આવશે. શિહોરી-પાટણ રોડ પર મેજર રિવરબ્રિજ, માઈનોર બ્રિજ, બોક્સ કલ્વર્ટ, સ્લેબ ડ્રેઈન અને પાઈપ કલ્વર્ટ સહિતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 9:39 am

સોશિયલ મીડિયામાં રોલા પાડવા ભારે પડ્યા:પારડીના રાબડી ગામમાં તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે બે યુવકોને ઝડપી તલવાર જપ્ત કરી

પારડી તાલુકાના રાબડી ગામમાં તલવાર વડે કેક કાપવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે યુવકોને ઝડપી પાડ્યા છે અને તલવાર જપ્ત કરી છે. આ ઘટના જન્મદિનની ઉજવણી દરમિયાન બની હતી. પારડી PI જી.આર. ગઢવીના નેતૃત્વ હેઠળ પારડી પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ASI ચંદુભાઈ સુરપાલભાઈને માહિતી મળી હતી કે વાયરલ વીડિયોમાં દેખાતા યુવકો રાબડી ગામના દેસાઈ ફળિયાના છે. પોલીસે સ્થળ પર તપાસ કરતા ભાવેશ ચંપકભાઈ નાયકા પટેલ (ઉં.વ. 23) મળી આવ્યા હતા. પૂછપરછમાં ભાવેશે 12 માર્ચ, 2025ના રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રોડ પર તલવાર વડે કેક કાપ્યાની કબૂલાત કરી હતી. ભાવેશે તલવાર તેના મિત્ર પ્રેમ ધર્મેશભાઈ ધો. પટેલ (ઉં.વ. 19) પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્રેમકુમારની શોધખોળ કરી તેને પણ ઝડપી પાડ્યો હતો. તેના ઘરમાંથી તલવાર મળી આવી હતી. પંચોની હાજરીમાં તલવારનું પંચનામું કરવામાં આવ્યું હતું. તલવાર લોખંડની, એક ધારવાળી હતી અને તેના પર સિહોરી કી તલવાર ગેરંટી 30 વર્ષ લખેલું હતું. જાહેરમાં તલવાર ફરકાવીને કેક કાપવાથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવાથી, બંને યુવકો વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 9:37 am

કચ્છમાં 2.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો:ભચાઉ-રાપર વચ્ચે કણખોઈ નજીક કેન્દ્રબિંદુ, લોકોમાં ભયનો માહોલ

કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ અને રાપર વચ્ચે આવેલા કણખોઈ ગામ નજીક 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સદનસીબે, આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ ખાસ અસર વર્તાઈ નથી અને કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ભૂકંપનો આંચકો વાગડ ફોલ્ટલાઈન પર આવ્યો હતો. 2.7ની તીવ્રતાનો આંચકો સામાન્ય શ્રેણીમાં ગણાય છે, જેના કારણે સામાન્ય રીતે મોટી નુકસાન થતું નથી. જોકે, ધરા ધ્રુજવાની વાતથી લોકોમાં ચિંતાનો માહોલ જરૂર છવાઈ જતો હોય છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા, ગત 11મી તારીખે રાપરના બેલા નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકો જમીનથી માત્ર 7 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર તેની નોંધ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 9:06 am

અમરેલીમાં ટ્રેનની ટક્કરથી સિંહબાળ ઘાયલ:વેરાવળ-બાંદ્રા પેસેન્જર ટ્રેનની અડફેટે એક સિંહબાળ આવી ગયું, સિંહણ અને અન્ય ચાર સિંહબાળનો બચાવ

અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા. ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું, જ્યારે સિંહણ અને અન્ય સિંહબાળનો બચાવ થયો હતો. વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલ સિંહબાળને રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યું છે. વનવિભાગે ટ્રેક ક્લિયર કરાવ્યોઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. શેત્રુંજી ડિવિઝનના આરએફઓ ભરતભાઈ ગાલાણી સહિત કુંકાવાવ ટીમ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આખો રેલવે ટ્રેક સ્કેન કરીને અન્ય સિંહોને કોઈ ઈજા થઈ છે કે કેમ તેની તપાસ કરી હતી અને ટ્રેક ક્લિયર કરાવ્યો હતો. ટ્રેનને એક કલાકથી વધુ સમય રોકી રખાઇજૂનાગઢના સીએફ રામ રતન નાલાએ ઘટનાની ગંભીરતા સમજીને સિંહબાળને બચાવવા માટે તાત્કાલિક જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે સારવારની વ્યવસ્થા કરી હતી. ઝૂના ડાયરેક્ટર સહિતની ટીમને તૈનાત કરવામાં આવી હતી અને પશુચિકિત્સકોને ઇમરજન્સી સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી. સિંહબાળના અકસ્માતને કારણે પેસેન્જર ટ્રેનને એક કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી. વનવિભાગ દ્વારા સિંહબાળનું રેસ્ક્યુ કર્યા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. કુંકાવાવ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી આ પ્રથમ ઘટનાજૂનાગઢના સીએફ રામ રતન નાલાએ જણાવ્યું કે, તેઓ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. કુંકાવાવ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી આ પ્રથમ ઘટના છે. ઘાયલ સિંહબાળને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે અને સક્કરબાગ ઝૂ ખાતે ઇમરજન્સી સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ પીપાવાથી લીલીયા સુધી વધુ અકસ્માત થયારેલવે ટ્રેક ઉપર સિંહણ સિંહબાળ સિંહો ટ્રેન અડફેટે આવી જવાની ઘટના પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક અને રાજુલા-સાવરકુંડલા અને લીલીયા સુધી ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની ચુકી છે. વડીયા વાવડી રેલવે ટ્રેક ઉપર પ્રથમ વખત સિંહબાળ ટ્રેન અકસ્માતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 8:56 am

પશ્ચિમ વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના ટેરેસ પર આગ લગતા અફરાતફરી:સિદ્ધાર્થ એક્સલેન્સમાં ફર્નિચર સ્ક્રેપમાં આગ, ફાયરે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત રાત્રે કોમર્શિયલ ઇમારત સિદ્ધાર્થ એક્સલેન્સના ટેરેસ પર આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સિદ્ધાર્થ એક્સલેન્સ નામની ઇમારતમાં આગ લગતા અફરાતફરીવડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ એક્સલેન્સ નામની ઇમારતમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને વીજ કર્મીની મદદથી આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતોઆ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, સિદ્ધાર્થ એક્સલેન્સ નામનું કોમર્શિયલ કૉમ્પ્લેક્સ હતું. જેના ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક પહોંચી બિલ્ડિંગમાં ઇવિકવેશન શરૂ કર્યું હતું અને એક ટીમ આગ કંટ્રોલ કરવા લાગી હતી. જેથી કોઈ ઇન્જરી કે કોઈ અન્ય ઘટના બની નથી. ‘આગ ક્યાં કારણથી લાગે તે અંગે તપાસ થશે’વધુમાં કહ્યું કે, લોકોનું કહેવું છે કે ટેરેસ પર કોઈ ફટાકડા ફોડતું હતું, અને ત્યાં એક એસીનું આઉટડોર પણ સળગ્યું છે એટલે તપાસ બાદ ખ્યાલ આવશે કે શોર્ટસર્કિટ છે કે અન્ય કોઈ કારણ છે. આ ઘટનામાં સ્ક્રેપનો સામાન બળીને ખાખ થયો છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 8:50 am

‘પાદરામાં રહેતા રોહિંગ્યાને શોધી-શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે’:કોંગ્રેસના કારણે આપણને પાણી નહોતું મળતું, જુઠ્ઠું અને જોરથી બોલે છે: ચૈતન્યસિંહ ઝાલા

વડોદરા જિલ્લાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મોભા સ્નેહમિલન કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી થયો છે. તેઓએ કહ્યું કે પાદરામાં રહેતા રોહિંગ્યાને શોધી-શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે. કોંગ્રેસના કારણે આપણને પાણી નહોતું મળતું, કોંગ્રેસ જુઠ્ઠું અને જોરથી બોલે છે. કોંગ્રેસ જુઠ્ઠું બોલે છે અને જોરથી બોલે છે: ચૈતન્યસિંહ ઝાલાપાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બિહારમાં ચૂંટણી જીત્યા છીએ અને ત્યાં મહાગઠબંધન છે અને અહીંયા પણ છે. કોંગ્રેસ જુઠ્ઠું બોલે છે અને જોરથી બોલે છે. કોંગ્રેસ આરોપ કરે છે કે EVMમાં ગરબડી છે અને હવે વોટ ચોરી નવું લાવ્યા છે. કોંગ્રેસ જનતા સમક્ષ પહોંચી નથી માત્ર વિરોધ કરવા આગળ આવે છે તેનું આ પરિણામ છે. આજે તાલુકો, જિલ્લા પંચાયત અને ધારાસભ્ય, સાંસદ અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ‘જુઠ્ઠું-જોરથી બોલનારા પોતાના નામે જશ લેવા નીકળી પડે છે’પાદરામાં પણ ભાજપની સરકારના કારણે કામ થઈ રહ્યા છે, પરંતુ જુઠ્ઠું અને જોરથી બોલનારા પોતાના નામે જશ લેવા નીકળી પડે છે. પાદરા જંબુસર હાઇવે અત્યાર સુધી બન્યો ન હતો, કેમ કે તે લોકો જુઠ્ઠા છે, જીતીને આવ્યા ત્યારે તે રોડ કેમ ન બન્યો, કોંગ્રેસથી તે રોડ કેમ ન બન્યો, જ્યાં જશ લેવા નીકળે છે ત્યાં કહે છે આ રોડ કોંગ્રેસે બનાવ્યો, ત્યારે મારો આ જુઠ્ઠા લોકોને સવાલ છે? ‘કોંગ્રેસના કારણે આપણને પાણી નહોતું મળતું’વધુમાં કહ્યું કે, આજે આ રોડ બનીને તૈયાર છે ત્યારે આ જુઠ્ઠાઓ કેમ દેખાતા નથી. તેમણે કહેવા માંગુ છું કે આ જુઠ્ઠા લોકોના કારણે રોડ અટક્યો હતો. આ રોડ ફોર લેન બનાવવા માટે અટક્યો હોઈ તો કોંગ્રેસ નામના રોડાના કારણે અટક્યો અને તે રોડું તમે હટાવ્યું એટલે બનીને તૈયાર થયો છે. કોંગ્રેસના કારણે આપણને પાણી નહોતું મળતું આજે પીવાના પાણીની સમસ્યાને દૂર કરી છે. ‘બાંગ્લાદેશના રોહિંગ્યા મુસલમાનોને રક્ષણ આપતી કોંગ્રેસ છે’આ કોંગ્રેસ જુઠ્ઠું અને જોરથી બોલનારા છે અને તે બાંગ્લાદેશના રોહિંગ્યા મુસલમાનોને રક્ષણ આપતી કોંગ્રેસ છે. આપણે થાય કે તેઓ ક્યાં નડવા આવે છે, ત્યારે કહી દઉં કે કોંગ્રેસના કારણે તેઓ અહીંયા વસવાટ કરતા થઈ ગયા છે. અને આ કોંગ્રેસના કારણે આપણા દેશના નાગરિક થઈ ગયા છે, તેઓ આપણો હક છે તે પચાઈ પાડે છે. સરકારની યોજનાઓ પર માત્ર ભારતીયોનો અધિકાર છે. પરંતુ આ કોંગ્રેસના કારણે આજે બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાનો અને પાકિસ્તાનના લોકોને હક આપવામાં આવે છે. ‘રોહિંગ્યા પાદરામાં વસવાટ કરતા હોય તો તેઓને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે’હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં પણ બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન નાગરિકો મળી આવ્યા હતા. જે તમારો અને મારો અધિકાર છીનવતા હતા. તે લોકોને આપણે પાદરામાંથી કાઢી બાંગ્લાદેશ મોકલ્યા છે. આ કામ ભાજપની સરકારે કર્યું છે અને તેનુ પરિણામ આજે બિહારમાં દેખાયું છે. જો બાંગ્લાદેશના રોહિંગ્યા મુસલમાન પાદરામાં વસવાટ કરતા હોય તો તેઓને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે, આ ભારત દેશ છે આ ભારતીયોનો દેશ છે આમાં બીજા કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાનનો પંજો પડવા દેવાનો નથી. સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે તેમ પાદરામાંથી પણ સફાયો કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 8:39 am

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 7ના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Srinagar Blast News : દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં સાત લોકોના મોતના અહેવાલ છે.

ગુજરાત સમાચાર 15 Nov 2025 7:39 am

મોરબી એ- ડિવિઝન પોલીસ દ્વારા તપાસ:નવલખી ફાટક પાસેથી મળેલી લાશ ખેતમજૂરની હોવાનું બહાર આવ્યું

ૉમોરબી શહેરમાં નવલખી રોડ પર રેલવે ફાટક પાસે પાણીમાં ખાડામાંથી સવારના સમયે મળી આવેલો મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ખેત મજૂરી કરતા યુવકનો હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી તેના મૃત્યુનું કારણ અકબંધ છે. પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે. મોરબી શહેરના નવલખી ફાટક નજીક પાણીના ખાડામાંથી અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસ તપાસમાં મૃતક મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની હોવાનું અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ભગુભાઇની વાડીએ કામ કરતો રવીન્દ્રભાઈ ચુનિયાભાઈ ભુરિયા ઉ.33 હોવાનું ખુલ્યું હતું. હાલ તો પોલીસે મૃતક અહીં કેવી રીતે આવ્યો અને મૃત્યુ કઇ રીતે નીપજ્યું તે દિશામાં તપાસ કરી રહી છે અને હાલ તો બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ ચાલુ રાખી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:29 am

તસ્કરોનો તરખાટ:પોલીસની ઠંડી ઉડાડવા તસ્કરો મેદાનમાં, મંદિર બાદ દુકાનમાં હાથફેરો‎

મોરબીમાં ઠંડીની મૌસમ શરૂ થતાં જ તસ્કરો મેદાને આવ્યા છે. જેમાં પોલીસ નિષ્ક્રિય અને તસ્કરો વધુ સક્રિય હોવાની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો અગાઉ તસ્કરોએ મોરબીના એક મંદિરમાં હાથ ફેરો કર્યા બાદ હવે હિંમત વધી જતાં જનરલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. શહેરના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ જનરલ સ્ટોરમાં આજે વહેલી સવારે તસ્કરોએ તાળા તોડી દુકાનની અંદર હાથફેરો કરી દુકાનના માલ સામાનની સાથે સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલ પાસે જનરલ સ્ટોર ધરાવતા મનોજભાઈ લાલજીભાઈ ઓગણજાના જણાવ્યા અનુસાર તેમની દુકાનમાં અગાઉ તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ દુકાનના તાળા તોડી રૂ.35 હજારની વસ્તુ ચોરી કર્યા બાદ ફરી આજે વહેલી સવારે આ દુકાનમાં તાળા તોડી અંદર પ્રવેશી જનરલ સ્ટોરની ઘણી વસ્તુઓ તેમજ 2 કેમેરા અને ડીવીઆરની ચોરી કરી ગયા હતા. આ બાબતે તેઓએ પોલીસને જાણ કરી છે. તેથી પોલીસની તપાસ બાદ જ ચોરીનો સાચો આંક જાણવા મળશે. નોંધનીય છે કે, હજુ શિયાળામાં આ માત્ર બોણી સમાન જ ઘટના છે. હજુ શિયાળો તો આખો બાકી જ છે. એટલે આબરૂ બચાવવી હોય તો પોલીસને આળસની સાથે ટાઢ પણ ઉડાડવી પડશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:25 am

181ની ટીમની સુંદર કામગીરી:મોરબીમાં પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી ભાગી, માત્ર કંપનીનું નામ યાદ રહ્યું અને પરિવાર પરત મળ્યો

મોરબીમાં બે દિવસ પહેલાં એક પરપ્રાંતિય મહિલા એકલી અટૂલી અને ડરેલી, સહેમી રસ્તા પર રડતા રડતા જતી હતી અને કોઇ સેવાભાવીનું ધ્યાન જતાં અભયમને જાણ કરી ટીમને બોલાવી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરાતાં તેને પતિ સાથે વાંધો પડ્યો હોવાનું અને કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા પછી રસ્તો ભૂલાઇ ગયો અને ગુજરાતી સરખું આવડતું ન હોવાથી કોઇને કશું સમજાવી શકતા ન હતા, જો કે ટીમના કાઉન્સેલિંગ પછી મહિલા માત્ર પતિની કંપનીનું નામ જણાવી શકી અને તેના પરથી પરિવાર સાથે મેળાપ થઇ શક્યો હતો. મોરબીમાં એક મહિલા એકલી ફરતી હોવાનો કોલ 181ની ટીમને મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન, પાયલોટ મહેશભાઈ પહોંચ્યા ત્યારે કોલ કરનારા વ્યક્તિએ મહિલા ઘણા સમયથી એકલા ઉભા હોવાનું જણાવ્યું હતું. આથી ટીમે તેની પૂછપરછ શરૂ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ યુપીના છે અને અહીં પતિ સાથે કામ કરવા આવ્યા છે, પરંતુ પતિ સાથે ઝઘડો થતાં કોઇને કશી જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયા હતા અને પછી રસ્તો ભૂલાઇ ગયો હતો. આથી ઘરે કેમ પાછા જવું અને ક્યાં જવું એ વીટંબણા હતી. તેઓ જ્યાં રહેતા હતા એ જગ્યાએ થોડા સમયથી જ રહેવા આવ્યા હોઇ, ઘરનું સરનામું પણ જાણમાં ન હતું. તેમના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે કંપનીનું નામ તેમને યાદ હોવાથી આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરતા મહિલાના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે મળી આવ્યા મહિલાના શ્વાસ હેઠાં બેઠાં હતા. બીજી તરફ પતિને પણ સમજાવટ કરાઇ હતી કે હળી મળીને રહે, પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ન નીકળે તેમજ મહિલાએ પણ જણાવ્યું હતું કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં. નોંધનીય છે કે 181 ટીમ આવા બનાવો અને ઘરેલું હિંસાની ઘટનાઓમાં સમજાવટથી ઉકેલની લાવવાની બાબતમાં સફળ નીવડી રહી છે અને અનેક કિસ્સામાં સમાધાન કરાવીને ગૃહસ્થી ભાંગતા પણ અટકાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:24 am

પ્રજાની સહનશક્તિ ખૂટી પડી‎:મોરબીના ઘૂટુંના લોકોનો રસ્તા, પાણી, સફાઇ સહિતની સમસ્યા મુદ્દે ચક્કાજામ

મોરબીના ઘુટુંની રામકો વિલેજ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા માટે રીતસર તડપતા હોવા છતાં માત્ર લોલીપોપ જ મળતા અંતે સહનશક્તિનો અંત આવી ગયો હતો. રોષે ભરાયેલા રહીશો રોડ ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને ગ્રામ પંચાયતના પાપે 16 વર્ષથી પાણી, લાઈટ, સફાઈ, ગટર જેવી મૂળભૂત જરૂરિયાત ન મળતા ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સોસાયટીના રહીશોએ આ રીતે સતત બે કલાક સુધી ખાંડા ખખડાવતા તંત્ર ઘૂંટણિયે પડ્યું હતું. રામકો વિલેજ સોસાયટીના રહીશોએ આજે મોરબી- હળવદ હાઇવે ચક્કાજામ કરીને રોષભેર જણાવ્યું હતું કે ઘુંટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ 2009થી બન્યા બાદ આજદિન સુધી રોડ, પાણી, લાઈટ, ગટર સહિતની પ્રાથમિક સુવિધા મળી જ નથી. ગટર ન હોવાથી પાણીને ભરાતા સોસાયટીમાં સ્કૂલ રીક્ષા કે એમ્બ્યુલન્સ આવતી નથી. પાણી આવતું ન હોય મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પોસાય તેમ ન હોવાથી રોજેરોજ પાણી માટે રામાયણ થાય છે. ગામમાં બધે સ્ટ્રીટ લાઈટ છે. પણ તેમની સોસાયટીમાં એકપણ સ્ટ્રીટ લાઈટ નથી. ખાતરી અપાતા ચક્કાજામ હટ્યો ચક્કાજામને 2 કલાક જેટલો સમય થતા રોડની બન્ને બાજુ વાહનોની કતારો લાગી હતી. તાલુકા પીઆઇ ચરેલ, મામલતદાર ત્રાંબડીયા અને ટીડીઓ વણપરીયાએ સ્થાનિકોને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ સ્થાનિકો પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા. અંતે ગ્રાન્ટ ફાળવી વહેલાસર કામો શરૂ કરાવવાની અધિકારીઓ તરફથી ખાતરી આપવામાં આવતા સ્થાનિકોએ આ ચક્કાજામ હટાવી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:23 am

ખાતમુહૂર્તનું આયોજન:મોરબીમાં રૂ. 59.77 કરોડના ખર્ચે 4 રોડના કામ હાથ ધરાશે

મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત તથા રાજ્ય) વિભાગ હસ્તકના 59.77 કરોડના વિવિધ રસ્તાઓના કામનું ખાતમુહૂર્તનું આયોજન કરાયું છે. જેમાં આજે સાંજે 4:30 કલાકે, પટેલ સમાજ વાડી, બેલા (રં), યોજાશે. જ્યાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. બેલા-ભરતનગર રોડ માટે રૂ. 2842.50 લાખ, પીપળીયા- મહેન્દ્રનગર- સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ માટે રૂ. 789.98 લાખ, જીકીયારી ખાતે મેજર બ્રિજ માટે 751.53 લાખ અને અણીયારી વેજલપર ઘાંટીલા રોડ માટે 1593.40 લાખના કામોનો સમાવેશ થાય છે. આ મળી કુલ રૂ. 5977.41 લાખના (59.77) કામોનું ખાતમુહૂર્ત કરાશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:22 am

ખેતીની આડમાં ગાંજાની ખેતી કરતા હતાં‎:બોરીયામાં ગાંજાના 64 કિલોના‎82 છોડ સાથે શખ્સ ઝડપાયો‎

શહેરા તાલુકાના બોરીયા ગામે‎ ડોડીયાર ફળીયામાં રહેતા ‎શંકરભાઇ નારૂભાઇ ડોડીયાર ‎પોતાના રહેણાંક મકાનની ‎પાસે આવેલી તેમની જમીનમાં ‎ખેતીની આડમાં ગાંજાની ખેતી ‎કરી રહ્યા હોવાની બાતમી ‎પંચમહાલ જિલ્લા એસઓજીના ‎પીઆઇને મળી હતી.‎મળેલી પાકી બાતમીના ‎આધારે પીઆઇ આરએ પટેલે‎ પોસઈ બીકે ગોહિલ તેમજ‎ અન્ય સ્ટાફના માણસોને સાથે‎ રાખી સ્થળ પર તપાસ હાથ ‎ધરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં આવતાં ખેતીની‎ આડમાં લીલા ગાંજાના 82 નંગ ‎છોડ મળી આવ્યા હતા. ત્યાર‎બાદ એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી‎ આવેલ લીલા ગાંજાના છોડનુ ‎પરીક્ષણ કરાવવામાં આવતાં ‎તેનુ વજન કરાવતા 64.650‎ કીલોગ્રામ થયેલ હતુ. જેની ‎કિ.રૂા.32,32,500 ગણી મળી‎આવેલ તમામ ગાંજાના છોડને‎વધુ તપાસ અર્થે તથા‎રૂા.1500નો એક મોબાઇલ‎કબ્જે લીધો હતો. ‎શંકરભાઈ ડોડીયારના‎વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન‎ખાતે એનડીપીએસ એકટ‎મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ‎દ્વારા હાલમાં આ‎ ગાંજાના‎વેચાણ અને વાવેતરમાં અન્ય‎કોઈ‎ વ્યક્તિઓ સંડોવાયેલા છે‎કે કેમ તે સહિતના મુદ્દાઓ પર‎ઊંડાણપૂર્વક તપાસ શરૂ‎કરવામાં આવી છે. ઉલ્લેખનિય‎છે કે છેલ્લા ઘણા સમયથી‎ગાંજાના છોડનું વાવેતર‎જિલ્લામાં વધી રહ્યુ છે.‎

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:22 am

ભાસ્કર રિયાલિટી ચેક:મોરબી પંથકમાં સહાય માટે પહેલાં દિવસે ખેડૂતો ઓછા ઉમટ્યા, મોટાભાગના કેન્દ્રમાં બપોર બાદ કામગીરી થઇ

દિવાળી પછી માવઠાંને કારણે કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થતા ખેડૂતો મોટા આર્થિક સંકટમાં મુકાઈને દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિ સામે આવી છે. આખા ગુજરાતમાં 16500 ગામોમાં ખેડૂત સહાયના વીસીઇ એટલે ગ્રામ પંચાયતમાં રહેલા કોમ્યુટર ઓપરેટર દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે સવારે ખેડૂતોની સંખ્યા થઇ જ ન હોવાનું અને બપોર બાદ જ આ કામગીરી અમુક કેન્દ્રો પર થઇ હોવાનું સામે આવ્યું હતું. જો કે મોરબી અને માળીયાના એકાદ જ ગામમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામા નેટ ઇસ્યુ થયાનું સામે આવ્યું હતું.જે તરત જ ઉકેલી લેવામાં આવ્યો હતો. બીજી તરફ ગોંડલ, જસદણ પંથકમાં પણ ફોર્મ ભરવામાં કોઇને કશી તકલીફ પડી ન હોવાનું સામે આવ્યું હતું. મોરબીના ગોર ખીજડિયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ જણાવ્યું હતું કે, આજ સવારથી ખેડૂત સહાય ફોર્મ ભરવાનું ચાલુ છે. અત્યાર સુધી તો આ કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. જ્યારે વીસીઇ એટલે કોમ્યુટર ઓપરેટર આશિક સુમરાએ કહ્યું હતું કે, ફોર્મ ભરવામાં જરાય નેટ ઇસ્યુ નડ્યો નથી. એટલે એકદમ બરાબર રીતે ફોર્મ ભરાય છે. ખેડૂત મનસુખભાઈ રામજીભાઈ ગોરીયાએ જણાવ્યું હતું કે, ફોર્મ ભરવામાં કોઈ વાંધો કે મુશ્કેલી નડી નથી.ચાંચાપર ગામના સરપંચ સગીતાબેન ભીમાણીએ જણાવ્યું હતું કે, યોગ્ય રીતે ખેડૂત સહાયના ફોર્મ ભરાય છે. ઈન્ટરનેટનો કોઈ પ્રોબ્લેમ નડ્યો નથી. કેરાળા ગામના સરપંચ પંકજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હાલ કોઈ સમસ્યા નથી.અમરનગર ગામના સરપંચએ જણાવ્યું હતું કે, ત્રણ ચાર ગામ વચ્ચેના એક વીસીઇ છે તેમની ઘરે આજે પ્રસંગ હોય આવ્યા નથી. એથી કાલે ખબર પડે કે સમસ્યા છે કે નહીં ? ઘાટીલા, ભાવપરમાં કાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે‎ માળીયાના ઘાટીલાના સરપંચ હેતલબેન ઉમેશભાઈએ જણાવ્યું હતું કે, આજે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૂ કરીશું ત્યારે જ સમસ્યાની ખબર પડશે.આવી જ રીતે માળીયાના ભાવપરના સરપંચ મનહરભાઈ ગામી એ જણાવ્યું હતું કે, અમારે પણ કાલથી ફોર્મ ભરવાનું ચાલુ કરાશે. માળીયાના સરવડના સરપંચ નવનીતભાઈના જણાવ્યા મુજબ આજે નેટ ખૂબ ધીમું ચાલે છે. માળીયાના નાના દહીંસરાના પ્રવીણભાઈ ભટાસણાએ જણાવ્યું હતું કે, વીસીઇ કાલે આવવાના હોય કાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે. કુંતાસી ગામના સરપંચ ઉર્મિલાબેન રમેશભાઈએ પણ કાલથી કામ શરૂ થશે તેમ ઉમેર્યું હતું. કૃષ્ણનગરમાં સર્વર ડાઉન, નાની બરારમાં ડોક્યુમેન્ટ ન નીકળ્યા‎કૃષ્ણનગર ગામના સરપંચ રાજેશભાઈ સોનારાએ જણાવ્યું હતું કે, ખેડૂત સહાય ફોર્મ ભરવામાં નેટ ઇસ્યુ થયો હતો. વારંવાર સર્વર ડાઉન થઈ જતું હોવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અવરોધ થયો હતો. જ્યારે માળીયા મી.ના નાની બરાર ગ્રામ પંચાયતના વીસીઇ અનિલ શેરસિયાએ જણાવ્યું હતું કે, આજે 7 12, 8 અ જેવા અગત્યના ડોક્યુમેન્ટ નીકળ્યા જ નથી. તેથી ભારે મુશ્કેલી પડી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:21 am

ભાસ્કર નોલેજ‎:ગોધરા સિવિલ પાસે મેસરી નદી કાંઠેથી‎પાલિકા દ્વારા કચરાનો નિકાલ શરૂ‎

ગોધરાની મેસરી નદીના કાંઠે,‎સિવિલના પ્રવેશદ્વારની પાછળના‎ભાગમાં છેલ્લા ઘણા સમયથી‎એકઠી થયેલી ગંદકીની‎ભરમારની પાલિકા દ્વારા આખરે‎સફાઈ શરૂ કરી છે. આ કચરામાં‎ચાલુ વર્ષે અનેક વાર નાના મોટા‎આગ લાગવાના બનાવો બનતા‎ફાયર બ્રિગેડની મદદ લેવાની‎જરૂરિયાત ઉભી થવા પામેલ હતી.‎ ગોધરા સિવિલના પાછળના‎ભાગે કચરાના ઢગલાની સફાઈ‎નહિ થતા ગંદકીના ભરમાર વચ્ચે‎કચરામાં વારંવાર આગ‎લાગવાના બનાવો બનતા હતા.‎જેથી ગોધરા પાલિકા તંત્ર દ્વારા ‎‎સિવિલ હોસ્પિટલના પાછળના ‎‎પ્રવેશદ્વાર પાસે જ ગંદકીના‎ખડકલા હટાવવાની પાલિકા‎દ્વારા કામગીરીનો પ્રારંભ‎કરવામાં આવેલ છે. પાલિકા‎સફાઈ ટીમ દ્વારા જેસીબી દ્વારા‎આજે સવારથી કચરાના ઢગલા ‎‎હટાવવાની કામગીરી કરવામાં ‎‎આવી હતી. કામગીરી દરમ્યાન ‎‎સ્થળ પર રહેલા ખાનગી‎કંપનીના વાયરો વિઘ્નરૂપ બન્યા ‎‎હતા. જેના કારણે સફાઈ કાર્યમાં ‎‎મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ ‎‎સફાઈ અભિયાનથી માત્ર ‎‎હોસ્પિટલની આસપાસનો‎વિસ્તાર સ્વચ્છ બનશે.‎ કચરામાં આગ અને‎હોસ્પિટલ પર જોખમ‎ ગોધરા સિવિલના પાછળના પ્રવેશ‎દ્વાર પાસે એકઠા થતા કચરામાં‎વારંવાર આગ લાગવાના બનાવો‎બને છે, જે હોસ્પિટલમાં દાખલ‎દર્દીઓ માટે જોખમ ઊભું કરી શકે‎છે. કચરામાં આગ લાગવાને લઈને‎અનેકવાર ફાયર બ્રિગેડની મદદ‎લેવાઇ છે. આ સ્થળ પર અવાર‎નવાર અજાણ્યા ઈસમો દ્વારા આગ‎લગાડવામાં આવે છે.જે સિવિલ માટે‎મોટું જોખમ સાબિત થઈ શકે છે.‎

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:19 am

પંજાબમાં દહેશત ફેલાવાના હોવાની કબૂલાત:પંજાબમાં હથિયાર-ગ્રેનેડની હેરાફેરીનો વોન્ટેડ હાલોલથી ઝડપાયો

પંજાબના ગુરદાસપુર જીલ્લામાં બાટલા શહેરમાંથી જીવતા ગ્રેનેડથી દહેશત ફેલાવાનો પંજાબ પોલીસે પર્દાફાશ કરીને ગુનો નોંધ્યો હતો.આ ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાતમાં હોવાની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને માહિતી આપતા ગુજરાત એટીએસે હાલોલ ખાતે એક કંપનીમાં કામ કરતાં વોન્ટેડ આરોપીને પકડીને પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબના ગુરદાસપુર જીલ્લાના સીટી બટાલા પો.સ્ટે. ખાતે 9/11/2025ના રોજ ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટ કરવાની સાથે સીમાપર પાકિસ્તાની આતંકવાદી નેટવર્કની મદદ કરવાનો ગુનો નોંધવામાં આવેલ હતો. જેનો મુખ્ય આરોપીઓ મનુ અગવાન અને મનિન્દર બિલા તેઓ હાલ મલેશિયા સ્થિત છે. તેઓ આઈ.એસ.આઈ.ના હેન્ડલરો સાથે મળી ભારતનાં પંજાબમાં ઓપરેટિવ્સ તૈયાર કરી, ગ્રેનેડ અને પિસ્ટલ મેળવી પંજાબ તથા અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું ઘડેલ હોવાનું જાણવા મળેલ છે. જે માટે આરોપીઓ દ્વારા બે ગ્રેનેડ અને બે પિસ્ટલની પિકઅપ અને ડિલિવરી માહિતીની આપ-લે પણ થયેલ હોવાનું જણાયેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પંથબિરસિંઘ અને જસકિરતસિંઘની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમને ગુનામાં સામેલ અન્ય આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા રહે. બટાલાનું નામ આપ્યું હતું. ગ્રેનેડના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાની માહિતી પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી. જે બાતમીને નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયે તપાસ કરતા બાતમી મળી કે, ધોળકાની પ્રકાશ ટ્રાન્સપોર્ટ કંપનીના કામ અર્થે ગુરપ્રિતસિંઘ હાલોલ બસ સ્ટેન્ડ સામેની હોટલ રોકાયો છે. તેવી બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. એન. આર. બ્રહ્મભટ્ટ, પો.ઇન્સ. વાય.જી. ગુર્જર, પો.સ.ઈ. એમ.એન. પટેલ તથા એ.ટી.એસ.ના સ્ટાફની ટીમ હાલોલ પહોંચી હતી. હાલોલમાં એક હોટલમાં શંકાસ્પદ વ્યક્તિને તપાસી નામ પુછતા તેણે પોતાનું નામ ગુરપ્રિતસિંઘ હોવાનું જણાવતા તેની અટકાયત કરીને વધુ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. એટીએસની પૂછપરછમાં ગુરપ્રિતસિંઘ પ્રાથમીક પૂછપરછમાં તેણે મનુ અગવાન અને મનિન્દર બિલા સાથે મળી પંજાબમાં દહેશત ફેલાવવા ગ્રેનેડ હુમલા કરવાના કાવતરાંમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી હતી. જેથી પકડાયેલ આરોપી ગુરપ્રિતસિંઘને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે પંજાબમાં દહેશત ફેલાવનાર આરોપી હાલોલ ખાતે એક કંપનીમાં મજદૂર તરીકે કામ કરતા ગુજરાત એટીએસે પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:16 am

ખંડણીખોરો જેલના હવાલે:ભાજપની મહિલા અને ચેનલના પત્રકાર સહિત 3 શખ્સોએ 11 લાખની ખંડણી માંગતા ધરપકડ

ભાવનગર જિલ્લાની એક ઇલેક્ટ્રીક ચેનલના પત્રકાર સહિત ત્રણ શખ્સો સામે 11 લાખની ખંડણી માંગવાની ફરિયાદ દાઠા પોલીસમાં નોંધાઈ છે. દાઠા ગામે સોના ચાંદીના ઘરેણાંના વેપારી અને દુકાન ધરાવતા મેહુલભાઇ ચીમનભાઇ સાગરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોબાઇલમાં સવારના સુમારે ભાજપ કાર્યકર કોમલબેન ત્રિવેદી નામે મહિલાએ ફોન કરીને કહેલ કે, ચાંદીનું છત્તર જોવે છે કાઢી આપો, તે બાદ કોમલબેન ત્રિવેદી, કહેવાતા પત્રકાર હિરેન ચૌહાણ અને નિલેશ ત્રણેય અર્ટિકા કારમાં તેમની દુકાને આવી, ચાંદીના છત્તરની ખરીદી કરી હતી અને રૂા. 1450 ઓનલાઇન રૂપિયા મેહુલભાઇના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. જે બાદ મહિલાએ જી.એસ.ટી. નંબર વાળું બીલ માંગ્યું હતું. જેને લઇને વેપારીએ કહેલ કે હજુ મેં દુકાન ખોલી જ છે, તમે ઉભા રહો હું તમને બીલ બનાવી આપું તેમ કહેતા, મહિલાએ કહેલ કે, મારે ઉતાવળ છે. અમે જી.એસ.ટી. અધિકારી છીએ અને તમારી દુકાન સીલ કરવાની છે. અને બાદમાં દુકાન સીલ ન કરવી હોય તો એકાવન લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી અને બાદમાં અગિયાર લાખ રૂપિયા નક્કી કરી, ભગુડાના પાટિયા પાસે આપી જવાનું કહી હિરેન ચૌહાણ, કોમલ ત્રિવેદી અને ડ્રાઇવર નિલેશ જતા રહ્યા હતા. જે બાદ મેહુલભાઇએ દાઠા પોલીસનો સંપર્ક કરી, પોલીસને સાથે રાખીને રૂપિયા આપવાના બહારને ભગુડાના પાટિયા પાસે ગયા હતા જ્યાં પોલીસ અધિકારીએ જી.એસ.ટી. અધિકારીની ખોટી ઓળખ આપનાર ત્રણેયની ધરપકડ કરી હતી. હિરેન ચૌહાણ ભાવનગર જિલ્લાની એક ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે. વેપારીના ત્રણ સભ્યોની તબિયત લથડીવેપારી મેહુલભાઇએ જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સોએ દુકાનમાં રાડારાડી કરતા મારા પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા અને એકાવન લાખની માંગણી કરતા મારા માતા, ભાભી અને ભાઇની તબિયત નાજુક થઇ જવા પામી હતી. જેમાં મારા ભાઇ બેભાન થઇ જતાં તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:13 am

જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન:કાલે સરદાર જયંતિ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રા યોજાશે. જેમાં તા.17 નવેમ્બરે ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં જિલ્લાકક્ષાની પદયાત્રાની શરૂઆત સવારે 8.30 વાગ્યે જશોનાથ સર્કલ (સરદાર બાગ)થી થવાની છે. આ યાત્રાના પ્રારંભે પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી ઉપસ્થિત રહેશે. આ પદયાત્રામાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના પોત પોતાના મતવિસ્તારમાં ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પદયાત્રાના રુટમાં પાનવાડી ચોક, માધવ રત્ન, વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ, નીલમબાગ સર્કલ, મીણબત્તી ચોક, વિજયરાજ નગર સર્કલ, વિશ્વકર્મા સર્કલ, ઘંટી વાળો ખાંચો, જવાહર ફાટક, કુંભારવાડા સર્કલ, બાથાભાઈનો ચોક, શીતળા માતા મંદિર ચોક, અમર સોસાયટી, જવાહર ફાટક, સરિતા સોસાયટી, બોર તળાવ નાકુ, પ્રમુખ દર્શન કોમ્પ્લેક્સ – હાદાનગર, રામજી મંદિર – હાદાનગર, ગુરુનગર સોસાયટી, TVS શૉ રૂમ, મિલેટરી સોસાયટી નાકું, માસ્તરામબાપા મંદિર તેમ આશરે 10 કિ.મી. વિસ્તાર આવરી લેશે. આ પદયાત્રાના રુટ પર 1 થી 1.5 કિ.મી.ના અંતરે સાંસ્કૃતિ કાર્યક્રમ તથા રિફ્રેશમેન્ટની વ્યવસ્થા રાખવામા આવેલ છે. તેમજ વિવિધ સ્થળોએ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જિલ્લાકક્ષાની પદયાત્રામાં 5000 પદયાત્રીઓ જોડનાર છે. કઇ વિધાનસભામાં ક્યારે પદયાત્રા યોજાશે ?ભાવનગર ગ્રામ્ય વિધાનસભા તા.15 નવેમ્બર, સવારના 9 કલાકે પદયાત્રા રુટ વાળુકડથી થોરડી, મહુવા વિધાનસભા મતવિસ્તારમાં તા.15 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. પદયાત્રા રુટ : ઓથા થી કળસાર (ઓથા, બોડા, માળવાવ, કલસાર), પાલિતાણા વિધાનસભા તા.17 નવેમ્બરે સવારે 8 કલાકે પદયાત્રા રુટ :- ઠાડચ થી નાની રાજસ્થળી (9.8 કિ.મી) ખાતે પદયાત્રા યોજાશે. ગારિયાધાર વિધાનસભા તા.18 નવેમ્બરે સવારે 9 કલાકે પદયાત્રા રુટ :- વેળાવદર થી રતનવાવ (15 કિ.મી), તળાજા વિધાનસભા તા.19 નવેમ્બરે સવારના 8 કલાકે પદયાત્રા રુટ : રોયલથી દેવળીયા ધાર પાસે (11.1 કિ.મી), ભાવનગર પૂર્વ વિધાનસભા તા.19 નવેમ્બરે સાંજના 4 કલાકે પદયાત્રા રુટ:- સરદાર સ્મૃતિ, ક્રેસન્ટ સર્કલ થી ઘોઘા સર્કલ (અખાડો) ખાતે સમાપન થશે. જ્યારે આ પદયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:12 am

ભાસ્કર એક્સક્લૂસિવ:હીરો બનવા નીકળેલા યુવાનને સફળતા ન મળતાં મજૂરી કરવા મજબૂર

યુનુસ દ્યંત્યા ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળની પાછળ છુપાયેલી કડવી વાસ્તવિકતાનો એક કિસ્સો ગોધરાના કેશવ રાજપૂત ઉર્ફે મુન્ના ભાઈના જીવનમાં સામે આવ્યો છે. અભિનેતા બનવાના સપનાને કારણે જેમણે પોતાનો અભ્યાસ અધૂરો છોડ્યો અને 20 વર્ષ સુધી ફિલ્મોમાં સંઘર્ષ કર્યો. તે આજે સફળતા ન મળતાં પેઇન્ટિંગનું કામ, કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. ગોધરા ભુરાવવા ખાતે રહેતા 58 વર્ષીય કેશવ રાજપૂત (મુન્ના ભાઈ) બાળપણથી જ બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાથી ખૂબ પ્રેરિત હતા. તેમણે ''કાકા'' જેવો અભિનેતા બનવાનું સપનું જોયું હતું. ધોરણ-12ના અભ્યાસ બાદ તેમણે પોતાનું આ સપનું સાકાર કરવા માટે શિક્ષણ અધૂરું છોડી દીધું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાવાનો નિર્ણય કર્યો. અને મુંબઈ અમદાવાદ સુધી ફિલ્મો માં અભિનય કરવા માટે ઘણા ધક્કા ખાધા હતાં. ત્યાર બાદ નાના મોટા રોલ મળ્યા હતા. તેમણે 30થી વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓમાં કામ કર્યું હોવા છતાં, તેમને ધાર્યું પરિણામ મળ્યુ ન હતું. સફળતા ન મળતાં અને હીરો બનવાના સપના તૂટતાં, મુન્ના ભાઈનું જીવન અંધકારમય બની ગયું. અધૂરો અભ્યાસ મોટો અવરોધ બનતા તેમને અન્ય કોઈ ક્ષેત્રમાં નોકરી પણ મળી શકી નહીં. આખરે મુન્ના ભાઈ હવે પરિવાર નું ગુજરાન ચલાવવા માટે પેઇન્ટિંગ કરીને પોતાનું જીવન ગુજારવા મજબૂર બન્યા છે. સફળતા ન મળતાં જીવન અંધકારમય બની ગયું ગોધરાના કેશવ રાજપૂતે અભિનયમાં સફળ થવા માટે પોતાના જીવનના અમૂલ્ય 20 વર્ષ ખર્ચી નાખ્યા. અનેક સંઘર્ષ બાદ પણ હીરો બનવાના સપના તૂટતાં, આજે તેઓ પરિવારના ગુજરાન માટે કાળી મજૂરી કરવા મજબૂર બન્યા છે.​મુન્ના ભાઈએ જણાવ્યું કે, અધૂરા અભ્યાસને કારણે તેમને અન્ય કોઈ ક્ષેત્રમાં નોકરી મળી શકી નહીં. જોકે, આજે પણ તેઓ ફિલ્મોમાં નાના-મોટા રોલ કરે છે, પરંતુ મુખ્ય સફળતા ન મળતાં જીવન અંધકારમય બની ગયું છે. મુન્ના ભાઈના જીવનનો‎આ કિસ્સો યુવાનો માટે‎બોધપાઠ સમાન છે‎ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું નસીબ‎અજમાવવા ઇચ્છતા યુવાનો માટે‎એક મોટો બોધપાઠ છે. માત્ર સપના‎અને ગ્લેમરના આધારે શિક્ષણ‎છોડીને આ ક્ષેત્રમાં આવવું કેટલું‎જોખમી સાબિત થઈ શકે છે. શોખ‎પુર્ણ કરવા માટે પ્રયાસ કરવો જોઇએ.‎પણ તેની સાથે શિક્ષણ મેળવવુ પણ‎એટલુ જ અનિવાર્ય છે.‎

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:10 am

હવે લોકોને સારા રસ્તાની સુવિધાઓ મળશે:ભાવનગર જિલ્લામાં રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ

તાજેતરમાં ભાવનગર જિલ્લામાં રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યુ છે. પાલિતાણા તાલુકાના પાલિતાણા-જેસર રોડ પર રીસર્ફેસિંગ કામ પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. જયારે વલ્લભીપુરના દરેડ મેલાણા રોડ-રસ્તાના રીસર્ફેસિંગની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.નાગરિકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ મળશે ઉપરાંત વાહન વ્યવહાર સુગમ બનશે. જયારે આ કામગીરી અંતર્ગત ભાવનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત કોઝવેની મરામત કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત કોઝવેની મરામત કરીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેથી વિરપુર, મઢડા, ખારી, કનડ સહિતના ગામોને લાભ મળશે અને વાહનવ્યવહાર સુગમ બનશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:10 am

માવઠાનો માર:માવઠાએ ખેડૂતના હાથમાં કાંઇ આવવા ન દીધુ, કપાસ કરસાંઠી બની ગયો

ખેડૂતની આખા વરસની આવકનો આધાર કપાસ જેવા મુખ્ય પાક પર હોય છે પરંતુ કમોસમી વરસાદે એવી પથ્થડ મારી છે કે જગતનો તાત લાચાર બની ગયો છે જે કપાસ સામાન્ય રીતે નવરાત્રિથી શરૂ કરી ઉત્તરાયણ કે હોળી-ધૂળેટી સુધી ખેડૂતને આવક આપતો હોય છે એ કપાસ કારતક માસના ઉત્તરાર્ધના દિવસોમાં કરસાંઠી બની ગયો આ આર્થિક માર અત્યારે તો ધરતીપુત્રને રડાવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:10 am

કરુણાંતિકા સર્જાઈ:તળાજા શહેરમાં હિરાના મેનેજરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, પરિવારમાં કલ્પાંત

તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ એક હિરાના કારખાનામાં મેનેજર તરકે નોકરી કરતા યુવકે માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ઘરેથી રોજના સમય કરતા અડધી કલાક ઘરેથી વહેલા નિકળી, કારખાનું ખોલી, ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.જે બાદ અન્ય રત્નકલાકારો કારખાને પહોંચતા યુવક મૃત હાલતે ગળફાંસો ખાધેલી હાલતે મળી આવતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. તળાજાના કરીમાબાદ સોસાયટીમાં રહેતા બરકતભાઇ કાસમભાઇ પીરાણી (ઉ.વ.42) તેમના ઘરેથી સવારના સાતેક વાગ્યાના સુમારે ઘરેથી હિરાના કારખાને જવા માટે નિકળ્યા હતા. જે બાદ કારખાનામાંથી એકાએક બરકતભાઇ ગળાફાંસો ખાધેલી મૃત હાલતે મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. કારખાનાના અન્ય રત્નકલાકારોએ કારખાના માલિક નરેશભાઇને જાણ કરાઇ હતી અને જે બાદ તળાજા પોલીસને જાણ કરતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, મૃતક બરકતભાઇની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ ઘટના મામલે બરકભાઇના ભાઇ મુરાદભાઇએ જણાવ્યું હતું કે, બરકતભાઇ છેલ્લા પાંચેક વર્ષથી માનિસક બિમારી ધરાવતા હતા અને જેમની ભાવનગર ખાતે મગજના ડોક્ટર પાસે દવા શરૂ હતી.જેથી બિમારીથી કંટાળી ગયા હોવાનું અવાર નવાર પરિવારજનોને જણાવતા હતા. જેથી ગળાફાંસો ખાધો હતો. જોડીદાર મિત્ર આવે એ અગાઉ મોતને ભેટ્યાબરકતભાઇના ભાઇ મુરાદભાઇએ જણાવ્યું હતું કે, બરકતભાઇ કારખાને જવા માટે રોજ ઘરેથી સાડા સાતેક વાગ્યે નિકળે છે અને કારખાને પહોંચ્યા બાદ તેમનો જોડીદાર મિત્ર પણ એ જ સમયે આવી જાય છે. પરંતુ આજે બરકતભાઇ ઘરેથી સાત વાગ્યે નિકળ્યા હતા જ્યારે તેમનો જોડીદાર મિત્ર કારખાને હજુ પહોંચ્યો ન હતો એ અગાઉ જ મોતને ભેટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:09 am

સરકાર હરકતમાં:બિરસા મુંડા જન્મજયંતી દેશ માટે ઉત્સવ : હર્ષ સંઘવી

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીનો ઉત્સવ આદિવાસી સમાજની સાથે દેશના સમગ્ર નાગરિકોનો છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના ઇન્દ્રવર્ણા ગામે જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ ગરૂડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે ખાટલા પરિષદ યોજી ગ્રામજનોને દેડિયાપાડા ખાતે આયોજિત ભગવાન બિરસામુંડાની 150 મી જન્મ જયંતિની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશ અને આદિવાસી સમાજના ઉન્નતિ માટે પોતાના જીવનનું અવિસ્મરણીય યોગદાન આપનાર ભગવાન બિરસા મુંડા કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, આ ઉત્સવ માત્ર આદિવાસી સમાજનો નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોનો ઉત્સવ છે. નર્મદા જિલ્લાની આજ ધરતી પરથી વડાપ્રધાને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.અને હવે ફરીથી આ પવિત્ર ધરતી પરથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસારિત થવાનો છે. ભગવાન બિરસા મુંડાની ઉજવણી ઐતિહાસિક છે. બેઠકના અંતે તેમણે ગ્રામજનોને દેડિયાપાડા ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ આપવા માટે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:08 am

રોગચાળાની ભીતિ સેવાઈ:દિહોરમાં ધૂળ, રજકણની ડમરીથી દુકાનદારો ,ગ્રામજનોને હેરાનગતિ

તળાજા તાલુકાના દિહોર ગામે છેલ્લા ઘણા સમયથી રસ્તાનું કામ નબળું હોવાને કારણે તદ્દન તૂટી ગયા છે જેથી નાના-મોટા વાહનો ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે. દિહોરમાં મુખ્ય કહેવાય એવા તમામ રસ્તાઓ ઉપરના ડામર અને આરસીસી તદ્દન તૂટી ગયા છે આથી દરેક રસ્તા ઉપર ધૂળ અને ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ રસ્તા ઉપર વાહનો નીકળે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે. દિહોર ગામમાં લગભગ 1500 થી 2000 લોકો મજૂરી કામ ઉપર નભે છે. આ મજૂરો આજુબાજુના ગામોમાં ટેમ્પામાં મજૂરી કામ માટે જાય છે. આથી દિહોર ગામમાં સવારે અને સાંજે લગભગ 40 થી 50 જેટલા ટેમ્પા આવજા કરે છે. એન્જિનમાંથી નીકળતા ધુમાડાનો ધક્કો સીધો નીચે ધૂળ માટીને લાગે છે. એમાં પણ ઘણા ટેમ્પા ચાલક પોતાના વાહનને ફૂલ સ્પીડમાં ચલાવે છે જેથી ધૂળની ડમરી વધારે ચડે છે. જો કે અન્ય વાહનોની અવરજવરથી પણ ખૂબ જ ધૂળ ઊડે છે.આથી દિહોરના ગ્રામજનો, રોડ ઉપરના દુકાનદારો અને વેપારીઓ તમામ ત્રાસી ગયા છે. દિહોર ઉપરાંત આજુબાજુના સમઢિયાળા બેલા, ચુડી, ભદ્રાવળ, વરલ વગેરે જેવા મોટાભાગના ગામોમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:08 am

આપના નેતાઓને સાંસદે આડેહાથ લીધાં‎:મોદી જ્યારે દેડિયાપાડા આવ્યાં હતાં ત્યારે તમારી પાર્ટી ન હતી

મોદી જયારે દેડિયાપાડા આવ્યાં હતાં ત્યારે તમારી પાર્ટી પણ ન હતી તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. આજે શનિવારના રોજ વડાપ્રધાનની હાજરીમાં દેડિયાપાડા ખાતે વિશાળ જનસભા યોજાશે. વડાપ્રધાનની જાહેરસભાની સામે વિપક્ષે નેત્રંગમાં મોટી સભા કરવાની જાહેરાત કરતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમ ની સામે પોતાનો કાર્યકમ જાહેર કરી આમ આદમી પાર્ટી સસ્તી પ્રસિદ્ધિ કરવા મથે છે. કેમકે ક્યાં વડાપ્રધાન અને આજકાલના આ આમ આદમી પાર્ટી વાળા..આતો કહા રાજા ભોજ અને કહા ગંગુ તૈલી જેવી કહેવત છે.બાકી તેઓ વારંવાર દેડીયાપાડા કેવડીયા આવતા રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યાં છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:08 am

અરજદારો થયા પરેશાન:વલભીપુર તાલુકામાં પાક સહાય માટે પોર્ટલ ધીમુ ચાલતા અફરા તફરી

વલભીપુર તાલુકાના ખેડુતોને પાક સહાય આપવા માટેની અરજી કરવા માટે આજથી ઓન લાઈન પોર્ટલ ખુલ્લું મુકાયું છે અને પ્રથમ દિવસે જ પોર્ટલ ધીમું ચાલતુ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. રાજ્ય સરકારે હેક્ટરે રૂપિયા 22હજાર અને મહત્તમ 2 હેકટરની મર્યાદામાં રાહત આપી છે અને આ રાહત મેળવવા માટે સરકારના ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની છે પરંતુ પ્રથમ દિવસે જ પોર્ટલ ધીમુ થવાથી અરજી કરી શક્યા નથી સાથે ઓનલાઇન અરજી માં દરેક અરજીમાંથી અલગ આઈ.ડી. બનાવવાની પ્રક્રિયા કરવી પડતી હોય અરજી કરવામાં ખાસ્સી મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી દુર કરવા માટે રાજયના મોટા ભાગના ખેડૂતો સહકારી મંડળીના સભાસદ છે. દરેક મંડળી પાસે સભાસદ ખેડૂતોની જમીનની અને બેન્ક ખાતાની વિગત છે. આથી આ કૃષિ રાહત મેળવવા ખેડૂતોને કોઈ ઓફિસ ના ધકકા દોડાદોડી કે મુશ્કેલી ન રહે તે માટે દરેક મંડળી પાસેથી ખેડૂતોની જમીનની અને ખાતાની વિગત મેળવી ખાતામા કૃષિ રાહત આપવી જોઈએ. કૃષિ ધિરાણની વ્યાજ રાહતની ચુકવણી થતી હોય ધિરાણ લેતા તમામ ખેડૂતોની માહિતી કૃષિ ખાતા પાસે પણ હશે જ. જે ખેડૂતો સહકારી મંડળીના સભાસદ ન હોય તે ખેડૂતોને તેમના તલાટી કે ગ્રામ સેવક પાસે જમીનના 8અ અને બેન્ક ખાતાની ઝેરોક્ષ સમય મર્યાદામા આપવાની જાહેરાત કરી વિગતો મેળવવી જોઈએ આમ કરવાથી રાહત મેળવવામા ખેડૂતોને કોઈ મુશ્કેલી રહેશે નહી. આ બાબતે વલભીપુરના સહકારી આગેવાનો રશ્મીન વિનુભાઈ વઘાસીયા અને નરશીભાઈ એન.ગાબાણીએ કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને રજુઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:07 am

પ્રજાજન પરેશાન:પાલિતાણામાં પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેતા ધંધા અને રોજગારને અસર

પીજીવીસીએલના નિંભર તંત્રએ પાલિતાણાની જનતાને બાનમાં લીધી હોય તેમ મન ફાવે ત્યારે વીજ પુરવઠો બંધ થઈ જાય છે. શુક્રવારે સતત પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેતા ધંધા રોજગારને અસર થવા પામી હતી. આજે સવારના 8 થી બપોરના 1 સુધી વીજ પુરવઠો બંધ રહેલ એટલે કે પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેલ હતો. જ્યારે વૃંદાવન ફીડરમાં આવતા પોપડા વિસ્તાર, વૃંદાવન સોસાયટી વિસ્તાર, ડાયમંડ નગર સહિતના વિસ્તારોમાં સાંજના 6 વાગ્યા સુધી પણ વીજ પુરવઠો શરૂ થયેલ નથી. વૃંદાવન ફીડરમાં સળંગ 10 કલાકનો વીજકાપ હતો. આ અંગે પીજીવીસીએલના સૂત્રોએ જણાવેલ કે જેટકોમાંથી મેન્ટેનન્સના કારણોસર પાલિતાણા 66 કેવી એસએસ માંથી નીકળતા તમામ 11 કેવીના નવ ફીડરોમાં વીજ પુરવઠો આજે બંધ રહ્યો હતો. આજે સળંગ વીજ પુરવઠો બંધ રહેતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વીજ પુરવઠો બંધ રહેતા દવાખાનાઓમાં ઓપરેશનો બંધ રહ્યા હતા, રોજગારી ક્ષેત્રે આવનજાવન કરતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા, શહેરના તમામ વિસ્તારોમાં સળંગ પાંચ કલાક વીજ પુરવઠો બંધ રહેલો હતો જયારે વૃંદાવન ફીડરના વિસ્તારોમાં 10 કલાક સુધી સળંગ વીજ પુરવઠો બંધ રહેલ હતો. આ પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સ મૂક પ્રેક્ષકની જેમ જોયા કરે છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:04 am

દારૂનો મોટો જથ્થો પકડાયો:બે દિવસથી વોચમાં રહેલી પોલીસે નવાગામ ઢાળ પાસેથી રૂ.10.46 લાખનો દારૂ ઝડપી લીધો

ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. GJ 06 XX 5326 લઇ વિદેશી દારૂ લેવા ગયા હોય અને જ્યાંથી દારૂના એક ઠેકામાંથી મસમોટો વિદેશી દારૂ ટ્રકમાં ભરી સિહોરના નસેડા ખાતે આવવાના હોવાની ભાવનગર એલ.સી.બી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમી બાદ પોલીસે તાત્કાલિક વલભીપુરમાંથી પસાર થતા હાઇવે ઉપર વોચ ગોઠવી હતી અને આ બાતમીવાળો ટ્રક ન મળી આવતા પોલીસ મુંઝાઇ હતી. પરંતુ પોલીસે ધિરજ રાખી છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં બુટલેગરો ઉપર વોચ રાખવામાં આવતા અંતે આ બાતમીવાળો ટ્રક વલભીપુરના નવાગામના ઢાળ પાસેથી પસાર થતાં પોલીસે ટ્રકનો પીછો કરી, ડ્રાઇવર ભગીરથસિંહ ગજુભા ગોહિલ (રહે. વલભીપુર હરીઓમ સ્કુલની બાજુમાં, વલભીપુર), ક્લીનર વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ (રહે. સાદાણી પાટીપરા વિસ્તાર, પચ્છેગામ)ને ટ્રકમાંથી ઉતારી, પૂછપરછ હાથ ધરતા, ટ્રકમાં એક ચોરખાનું હોવાનું પોલીસને જણાવતા પોલીસે ચોરખાનું ખોલતા જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલો નંગ 2320, કિ.રૂા. 10,46,320નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂના મુદ્દામાલ સાથે ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિહોરના નેસડા ગામે રહેતો બુટલેગર જીતુ ઢીલાને આપવા જવાનો હોય તેમજ આ દારૂ સેલવાસ ખાતે ઠેકો ધરાવતા અનિલનું નામ આપતા બંન્ને શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ધરપકડ કરાયેલ ડ્રાઇવર, ક્લીનરને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. પોલીસને ચકમો આપવા દારૂની હેરફેરનું નવું કારસ્તાનભાવનગર એલ.સી.બી.ના પી.એસ.આઇ. પી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, બુટલેગરો પોલીસને ચકમો આપવા નવા નવા કિમીયા અજમાવતા થયા છે. પહેલા કોઇ સામાનની આડમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો પરંતુ દારૂ પકડાઇ જવાથી બુટલેગરો દ્વારા હવે ખાલી ટ્રકોમાં દારૂની હેરફેર કરવા લાગ્યા છે. ખાલી ટ્રક રોડ ઉપરથી પસાર થાય તો કોઇ આવા ટ્રકને ઉભો ન રાખે તેથી ટ્રકોમાં ચોરખાના બનાવાઇ રહ્યા છે. પરંતુ અમે બુટલેગરોની ખેપને નિષ્ફળ બનાવવામાં સફળ થયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:02 am

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે:સુરતમાં બુલેટ ટ્રેનના અંત્રોલી સ્ટેશનની મુલાકાત, ડેડિયાપાડામાં ₹9,700 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજરોજ પીએમ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે. હાલ બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. ₹9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસપ્રધાનમંત્રી સવારે 10 વાગ્યે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે. ગુજરાતના 14 આદિવાસી જિલ્લા માટે 250 બસને લીલી ઝંડીપ્રધાનમંત્રી આશરે ₹1,900 કરોડના ખર્ચે આદિવાસી વિદ્યાર્થીઓને સમર્પિત 42 એકલવ્ય મોડલ રહેણાક શાળાઓ (EMRS), સમુદાય-આધારિત પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર તરીકે સેવા આપતાં 228 બહુહેતુક કેન્દ્રો, દિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ ખાતે સ્પર્ધાત્મકતા કેન્દ્ર અને આદિવાસી સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ માટે મણિપુરના ઇમ્ફાલમાં આદિવાસી સંશોધન સંસ્થા (TRI) ભવનનું ઉદ્ઘાટન કરશે. વધુમાં, પ્રધાનમંત્રી આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા માટે ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોને લીલી ઝંડી આપશે. 50 નવી એકલવ્ય મોડલ રહેણાક શાળાઓનો શિલાન્યાસપ્રધાનમંત્રી આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે 748 કિલોમીટરના નવા રસ્તાઓ અને DA-JAGUA હેઠળ સમુદાય કેન્દ્રો તરીકે સેવા આપવા માટે 14 આદિવાસી મલ્ટી-માર્કેટિંગ સેન્ટર્સ (TMMC)નો શિલાન્યાસ કરશે. તેઓ ₹2,320 કરોડથી વધુના ખર્ચે 50 નવી એકલવ્ય મોડલ રહેણાક શાળાઓનો શિલાન્યાસ પણ કરશે, જે આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. ડ્રીમ પ્રોજેક્ટના કાર્યની સમીક્ષા માટે મહત્વનો તબક્કોવડાપ્રધાનનો આ પ્રવાસ માત્ર એક વિઝિટ નથી, પરંતુ રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ‘ડ્રીમ પ્રોજેક્ટ' મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ના કાર્યની સમીક્ષા માટેનો મહત્વનો તબક્કો છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન અંત્રોલી ખાતેનું નિરીક્ષણ ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યું છે. તેમને સ્ટેશન અને ટ્રેકના કામની પ્રગતિનું નિરીક્ષણ કરાવવા માટે એક ખાસ ટ્રેક મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીન દેખાવમાં બુલેટ ટ્રેન જેવું જ હોય છે અને તેમાં આરામદાયક બેઠકોની વ્યવસ્થા હોય છે, જે વડા પ્રધાનને ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અનુભવ કરાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેક મશીનમાં બેસીને ટ્રેક અને સ્ટેશનના બાંધકામની વિગતવાર માહિતી મેળવશે. આ મશીનની સવારી દ્વારા તેમને બુલેટ ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરવાનો અવસર મળશે. તંત્રની તૈયારીઓ સુગમ બનાવવા માટે અધિક નિવાસી કલેકટર વિજય રબારીએ વિવિધ ઉપસમિતિઓનું ગઠન કર્યું હતું. દરેક સમિતિને સંબંધિત ક્ષેત્ર સુરક્ષા, વાહનવ્યવસ્થા, આવાગમન, મીડિયા મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, તેમજ સ્થળ વ્યવસ્થાપન વગેરે માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. અંત્રોલીમાં 'નો ફ્લાય ઝોન' જાહેરવડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે વિશેષ આદેશો જારી કરવામાં આવ્યા છે. સુરતના રેસિડેન્ટ કલેક્ટર વિજય રબારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, 15 નવેમ્બરના રોજ અંત્રોલી ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશન અને કોન્વોય રૂટ વિસ્તારને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ પોલીસ વિભાગના ડ્રોન સિવાય અન્ય કોઈ પણ પ્રકારના ડ્રોન કે અનમેન્ડ એરિયલ વ્હીકલ ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન ચકાસણી અને સર્વેલન્સ શરૂ કરી દીધું છે, જેથી વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારનું સુરક્ષા વિઘ્ન ન ઊભું થાય. સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર છે. બેવડા હવામાનના કારણે બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યોનરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતરશે, જ્યારે અંત્રોલીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન એરપોર્ટથી 24 કિ.મી. દૂર છે. એરપોર્ટથી અંત્રોલી સુધીના અંતરને જોતાં તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી માટે સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અંત્રોલી પાસે હેલિપેડ બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે. જોકે, સાથે-સાથે જો હવામાન બગડે તો વડાપ્રધાન મોદીને બાયરોડ પણ સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી લઈ જવાના આયોજનો કરવામાં આવી રહી છે. બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો હવામાન ખરાબ હશે તો વડાપ્રધાન મોદી અંત્રોલીથી ડેડિયાપાડા પણ બાયરોડ જઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 7:00 am

જાનહાનિ અટકી:અંકલેશ્વરમાં ટેન્કર પલટતાં કેમિકલ રોડ પર ઢોળાતાં લોકોના જીવ અદ્ધર

અંકલેશ્વર જીઆઇડીસી ની ડેક્કન ફાઈન કેમિકલ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર નું રસાયણ રોડ પર ફેલાઈ જતા ડીપીએમસી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ડેક્કન ફાઈન કેમિકલ્સ કંપની બહાર કેમિકલ ભરેલું ટેન્કર ગત રોજ લપસી જતા અચાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. ટેન્કરમાં રહેલ કેમિકલ પણ રોડ પર ફેલાઈ ગયું હતું. જેને લઇ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતાં. કંપનીએ સમયસર ડીપીએમસી અને જીપીસીબીને જાણ કરી ન હતી. આખરે એક જાગૃત નાગરિકે જાણ કરતાં બપોરે 2 વાગ્યે ટીમ સ્થળ પર પહોંચી હતી. ક્રેઇનની મદદથી કેમિકલ ભરેલું ટેન્કર હટાવવામાં આવ્યું હતું. ટેન્કર પલ્ટી મારેલ હોવાથી ચોકડી પરના રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. કેમિકલ લઇ આવેલ ટેન્કર ચાલાક નો બચાવ થયો હોવાનું સામે આવી રહ્યું છે. તો ઘટના માં સબંધિત કંપનીની લાપરવાહી સામે આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:57 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમ ચેમ્પિયન

તાજેતરમાં બી.એમ.કોમર્સ હાઇસ્કુલના ગ્રાઉન્ડ, ભાવનગર ખાતે યોજાયેલ આ કબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. આ સ્પર્ધામાં કુ. બોલીયા વિલાસ, કુ. ગોહિલ ભાગ્યશ્રીબા, કુ. ગોહિલ નેન્સી, કુ. રાઠોડ ખુશી, કુ. ડાભી અસ્મિતા, કુ. ગોહિલ ઝરણાબા, કુ. મકવાણા અંજલીબેન, કુ. કંટારીયા ટીનાબેન, કુ. કંટારીયા કિરણબેન, કુ. દેસાઈ જીજ્ઞાબેન, કુ. ડાભી નિધિ અને ભટ્ટ ખુશી એ ભાગ લીધો હતો. નંદકુંવરબા મહિલા કોલેજની કબડ્ડી ની ટીમે ગુજરાત સરકાર ના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ખેલ-મહાકુંભ ની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બનનાર ટીમને કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર ડૉ. રવિન્દ્રસિંહ સરવૈયાએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:56 am

ભરતી મામલે અગત્યના નિર્ણય કરાયા:પરીક્ષા નિયામક અને પ્રિન્સિપાલની જગ્યા ભરવા ત્રણ EC સભ્યોની અસંમતિ સાથે ઠરાવ બહાલ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભરતી સેલ દ્વારા સંસ્થા સંચાલિત કોલેજોના પ્રિન્સિપાલ તેમજ પરીક્ષા નિયામક, મુખ્ય હિસાબી અધિકારી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી સંદર્ભે લાયકાતના ધોરણો અને સૂચનાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની સૂચના અનુસાર પરીક્ષા નિયામકની જગ્યામાં જરૂરી સૂચના ઉમેરીને આજે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભામાં રજૂ ભરાતા કુલપતિ દ્વારા રજૂ કરવામાં આવેલી કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. જોકે આ ઠરાવમાં ઇસીના સભ્ય નરેન્દ્ર સિંહ જાડેજા મૌલિકભાઈ પાઠક અને નિયતિબેન પંડ્યા દ્વારા સરકાર દ્વારા યોજીસીના સ્ટેચ્યુટ અને એક્ટરના ધારા ધોરણ મુજબ સમયની મર્યાદા કાયમી કે પાંચ વર્ષ માટે જગ્યા મંજૂર થાય છે કેમ એ સરકાર દ્વારા નક્કી કરાયું નથી આથી આ વિગતો સાથે આ ત્રણ સભ્યોની સંમતિ ન હતી. આજે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ની બેઠકમાં ખાસ કિસ્સામાં દિવ્યાંગજનોની શૈક્ષણિક જગ્યા માટે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ મુજબ તેમજ બિન શૈક્ષણિક જગ્યા માટે કુલપતિ દ્વારા બહારની અપેક્ષાએ સ્ક્રુટિની કમિટીની નિમણૂક કરવાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી તેમજ બિન શૈક્ષણિક જગ્યાઓની ભરતી સંદર્ભે લેવાનારી પરીક્ષાનો અભ્યાસક્રમ મંજૂર કરવામાં આવ્યો હતો જ્યારે પરીક્ષાની તારીખો નક્કી કરવા માટે કુલપતિને અધિકૃત કરવામાં આવ્યા હતા. આઠ બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવામાં આવશેબિન શૈક્ષણિક જગ્યાઓ પૈકી જે જગ્યાઓ એકાકી સંવર્ગની છે જેના રોસ્ટરની આવશ્યકતા હોતી નથી આવી જગ્યાઓને ભરતી પ્રક્રિયા કરવા અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે જેમાં સિસ્ટમ એનાલિસ્ટ, મદદનીશ ગ્રંથપાલ, કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, હરબેરીયમ કીપર, ક્યુરેટર સ્ટોરકમ લેબોરેટરી આસિસ્ટન્ટ (શામળદાસ આર્ટસ કોલેજ હોમ સાયન્સ) અને ડ્રાઇવર આ આઠ એકાકી જગ્યાઓના લાયકાતના ધોરણો તેમજ પરીક્ષાનો માળખું ઓરડીનેન્સ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને મંજૂરી આપવામાં આવી હતી. વલભીપુર કોલેજને ગિજુભાઇ બધેકા નામકરણવલભીપુર ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજનું નામાભિધાન શિક્ષણ વિભાગ તરફથી આવેલા પત્ર અનુસાર કેળવણીકાર મૂછાળી મા ગિજુભાઈ બધેકા સરકારી વિનિયન કોલેજ, વલભીપુર કરવાનું નક્કી કરાયું હતું. ઉચ્ચ પોસ્ટમાં ભરતીમાં નવા નિયમ શું છે ?સરકારના યુનિ.માં નવા નિયમ અમલી થયા બાદ નવા નિયમ એમ કહે છે કે કુલપતિ, કુલસચિવ, પરીક્ષા નિયામક સહીતના ઉચ્ચ પોસ્ટ પર નિયુક્તી કાયમી નીહં પણ નવા નિયમ મુજબ પાંચ વર્ષ માટે કરવાની રહેશે અને જો કામગીરીનું વિષ્લેષણ થાય અને સારૂ લાગે તો સત્તા મંડળ તેને બીજી વખત પાંચ વર્ષ માટે નિયુક્તિ આપી શકશે પણ 10 વર્ષ બાદ આ પોસ્ટ પર ફરીથી નિયુક્તિ આપી શકાશે નહી. આ નિયમ છે. એટલે કે અમેરિકન પ્રેસિડેન્ટના કાર્યકાળની જેમ યુનિ.માં આ મહત્વના કાર્યકાળ 10 વર્ષ, બે વખત પુરતા મર્યાદિત રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:56 am

ગ્રાન્ટને અપાઈ મંજૂરી:એમ.કે.બી. યુનિ. માટે કે.સી.જી. દ્વારા 32 લાખના પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સંશોધન અને એકેડેમિક ગતિવિધિઓને ગતિ મળી છે અને કે.સી.જી. દ્વારા 32 લાખ રૂપિયાના પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા છે. યુનિ.ના વિવિધ વિભાગો અને કોલેજો દ્વારા પ્રસ્તાવિત 12 સેમિનાર અને વર્કશોપ માટે રૂ.30,42,000ની રકમ મંજૂર થઈ છે. આથી યુનિવર્સિટીમાં આગામી સમયમાં એકેડેમિક ચર્ચાઓ, જ્ઞાનના આદાન-પ્રદાન અને કૌશલ્ય વિકાસની ગતિવિધિઓ દેખાશે. ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ (KCG) દ્વારા યુનિવર્સિટીના બે અધ્યાપકોના સંશોધન પ્રોજેક્ટ્સ અને 12 સેમિનાર/વર્કશોપ માટે કુલ 32.29 લાખ રૂપિયાની ભારે ભરપૂર ફંડિંગ મંજૂર થયાની જાહેરાત કરવામાં આવી છે યુનિ.ના બે પ્રતિષ્ઠિત અધ્યાપકોના સંશોધન પ્રોજેક્ટ્સને KCG દ્વારા મંજૂરી મળી છે. પ્રોફેસર I. R. ગઢવી અને પ્રોફેસર J. R. સોનવણેના સંશોધન પ્રોજેક્ટ્સ માટે કુલ 1,87,000 રૂપિયાની ફાળવણી થઈ છે. આ પ્રોજેક્ટ્સ યુનિવર્સિટીની સંશોધન ક્ષમતાની ઓળખાણ આપે છે. આ પ્રથમ તબક્કામાં જ મળેલી આ મોટી સફળતા પાછળ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ભરતભાઈ રામાનુજે અધ્યાપકોને આ પ્રોપોઝલ બનાવવા માટે અંગત રસ લઈને પ્રોત્સાહિત કર્યા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. ઇન્સ્ટિટ્યુશનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC)ના ડિરેક્ટર ડો. દિલીપ બારડનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો. બે પ્રોફેસરોને સંશોધન પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ. 1,87,000ની ફાળવણી થઈ 12 સેમિનાર અને વર્કશોપ માટે રૂ.30,42,000ની રકમ મંજૂર થઈ ગ્રાન્ટ મંજૂર થયા બાદ હવે શું થઇ શકે ? (1) આ સંશોધન અને સેમિનાર ગતિવિધિઓથી યુનિવર્સિટીની NAAC માન્યતા માટેની પ્રક્રિયા વેગ પકડશે અને ઉચ્ચ ગ્રેડ મેળવવામાં નિર્ણાયક સાબિત થશે.(2) વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બંનેને અત્યાધુનિક સંશોધન અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો સાથે સંવાદની તકો મળશે, જેના લીધે શૈક્ષણિક વાતાવરણ વધુ સમૃદ્ધ અને ગતિશીલ બનશે.(3) વિદ્યાર્થીઓને સંશોધન પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા, નવા જ્ઞાન સિવાય પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની તક મળશે, જે ભવિષ્યના કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.(4) રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ફંડિંગ મળવાથી યુનિવર્સિટીની સંશોધન ક્ષમતા અને શૈક્ષણિક ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત થાય છે, જેનાથી દેશભરમાં તેની પ્રતિષ્ઠા વધશે.(5) આ પગલું યુનિવર્સિટીને માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં, પરંતુ એક સક્રિય સંશોધન કેન્દ્ર તરીકે વિકસિત કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:55 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:વેદ વઘાસીયા, રોહન મકવાણાનું રન રમખાણ, એકેડેમીનો વિજય

સર ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા આયોજીત સ્વ.એન.સી.ગોહિલ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર નોકઆઉટ તબક્કાની મેચમાં બોટાદ ડિસ્ટ્રીક્ટની ટીમ સામે ભાવનગર ક્રિકેટ એકેડેમીની ટીમનો 178 રને વિજય થયો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ વેદ વઘાસીયાને અપાયો હતો. ભરૂચા કલબના મેદાન ખાતે શુક્રવારે બોટાદના સુકાનીએ ટોસ જીત્યા બાદ ભાવનગર ક્રિકેટ એકેડેમીને પ્રથમ દાવ લેવાનું આમંત્રણ આપ્યુ હતુ. આ ટીમે નિર્ધારીત 40 ઓવર્સમાં 6 વિકેટે 344 રનનો વિશાળ જુમલો ખડકી દીધો હતો, જો કે જે 3 વિકેટો ગુમાવી હતી તે પૈકી 3 ખેલાડીઓ રન-આઉટ થયા હતા. એકેડેમી વતી વેદ વઘાસીયાએ 86 દડામાં 22 ચોક્કા, 2 છગ્ગાની મદદથી 148 રન, રોહન મકવાણાએ 87 દડામાં 16 ચોક્કા, 3 છગ્ગાની મદદથી 113 રન, સાર્થક અધ્વર્યુએ અણનમ 25 રનનું યોગદાન આપ્યુ હતુ.બોટાદ ડિસ્ટ્રીક્ટની ટીમ પુરી 40 ઓવર્સ રમવામાં સફળ રહી હતી અને ઓલઆઉટ થઇ ન હતી. બોટાદે 40 ઓવર્સમાં 6 વિકેટે 166 રન નોંધાવ્યા હતા. જેમાં સ્મીતના 43, હેતના 21, હિરેન વાઘના 27 રન મુખ્ય હતા. આરાધ્ય જાની, વિહાન પડધરીયાએ 2-2 વિકેટો ચટકાવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:54 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બપોરે 12 વાગ્યે પોર્ટલ ખુલ્યું, એક કલાક પછી સર્વર‎ડાઉન, એક ખેડૂતનું ફોર્મ ભરતાં 15 મિનિટનો સમય‎

જીજ્ઞેશ વસાવા, અતુલ પટેલ રાજયમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલાં નુકસાન માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાહત પેકેજનો લાભ મેળવવા માટે 14મી તારીખથી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યે પોર્ટલ શરૂ થતાંની સાથે એક જ કલાકમાં સર્વર ડાઉન થઇ ગયું હતું. સર્વર ડાઉન હોવાથી વીસીઇ તથા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અમુક ગ્રામપંચાયતો બંધ હોવાથી વીસીઇને ખેડૂતોએ ફોન કરવા પડયાં હતાં. અમુક ગ્રામ પંચાયતમાં કોમ્પયુટર અને ઇન્ટરનેટની સુવિધા નહિ હોવાથી અન્ય ગામ સુધી ધકકો ખાવો પડયો હતો. ગ્રામ પંચાયતમાં કોમ્પયુટરમાં વિન્ડોઝની 10 ઓપરેટીંગ સીસ્ટમ અને 500 એમબીની રેમ તથા 100 જીબીથી વધારેની હાર્ડડિસ્ક જોવા મળી હતી.પ્રથમ દિવસે ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતોની ઓછી ભીડ જોવા મળી હતી.ભરૂચ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર કપાસ અને તુવેરના પાકને સૌથી વધારે નુકશાન થયું છે. અરજી કરવા માટે 15 દિવસનો સમય રહેશે‎રાહત પેકેજ હેઠળ સહાય માટેનું પોર્ટલ 29 નવેમ્બર સુધી ખુલ્લુ રહેશે. અરજી કરવા માટેagri.gujarat.gov .in અથવા https://ikhedut.guja rat.gov.in પર વિઝિટ કરો.કૃષિ રાહત પેકેજ 2025 અથવા Crop Loss Relief વાળી લિંક પર ક્લિક કરો. તમારો મોબાઇલ નંબર અને ઓટીપીથી લોગઇન કરો અને જો તમારૂ એકાઉન્ટ ન હોય તો નવું એકાઉન્ટ બનાવો. ખેડૂૂત તરીકેનું તમારૂ આઇકાર્ડ અથવા આધારકાર્ડની માહિતી ઉમેરો. ત્યારબાદ નુકશાનીની વિગતો ભરવાની રહેશે. જમીનનો વિસ્તાર ( હેકટરમાં), પાકનો પ્રકાર, નુકસાનીના ફોટા અને જિલ્લા તથાગામની માહિતી આપવી. જમીનના 7/12 રેકોર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ વિગતો અને પાકના નુકસાનીના પુરાવા રજૂ કરવાના રહેશે. બે ફોર્મ ભર્યા બાદ સર્વર ડાઉન થતાં‎ઓનલાઇન કામગીરી અટકી ગઇ‎આજે ફોર્મ ભરવાની શરૂઆત કરાઇ છે. સવારે પોર્ટલ પર બે ફોર્મ ભર્યા પછી સર્વર ડાઉન થઇ ગયું હતું. અમારી પાસેએસરનું કોમ્પ્યુટર છે જેમાં વિન્ડોઝ 10 સિસ્ટમ છે.જીઓ ફાઈબરની 30 એમબીપીએસ સ્પીડ છે.રેમ 4 જીબી અને હાર્ડડિસ્ક 400 જીબી છે.સિસ્ટમ ફૂલ સ્પીડથી ચાલે છે. > શૈલેષ વસાવા , વીસીઇ કોંઢ ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓનલાઇન કામગીરી કરાઈ રહી છે

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:53 am

ભાવનગર ઝોનલ કચેરીના 52 ફિડરોનો પ્રથમ ચરણનો સર્વે:રૂ.303 કરોડના MVCC કેબલ પ્રોજેક્ટના સર્વેનો થયેલો પ્રારંભ

ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અંતર્ગત પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો થઇ રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ.ના રૂ.303 કરોડના ખર્ચે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં પ્રોજેક્ટનું ગત સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે MVCC કેબલ પ્રોજેક્ટના પ્રથમ ચરણમાં પી.જી.વી.સી.એલ. ભાવનગર ઝોનલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં 11 કે.વી.ના 52 ફિડરોનો સર્વે શરૂ કરાયો છે. કેબલ નાખવામાં પ્રોજેક્ટમાં પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ નીચેના કાર્યક્ષેત્રમાં 11 કે.વી.ના 214 ફિડરોનો સમાવેશ કરાયો છે. વીજળીની લાઈનોમાં મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ નાખવાથી વીજળીના ફીડરોમાં ખોટકા સર્જાવાની શક્યતા ઘણી નહિવત રહેવાની સાથે પી.જી.વી.સી.એલ.ના 3.80 લાખ જેટલા ગ્રાહકોને ફાયદારૂપ બનશે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ નીચેના કાર્યક્ષેત્રમાં હાલ પ્રથમ ચરણમાં 11 કે.વી.ના 52 ફિડરની કામગીરી બાદ બીજા ચરણમાં 11 કે.વી.ના 79 ફિડરનો સર્વે કરાશે. ડિવિઝન પ્રમાણે કેટલા ફિડરમાં કેબલ નખાશે ?

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:51 am

ગરીબોને ઘર બનાવવા મળશે 4 લાખની સહાય:ગરીબોને ઘર બનાવવા આર્થિક સહાય માટે 157 અરજીઓ પૈકી 40નો ડીપીઆર મંજૂર

આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે સરકાર દ્વારા પોતાના માલિકીની જમીન પર પાકુ મકાન બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન ઘટક હેઠળ ચાર લાખ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાંથી 157 અરજદારોએ ફોર્મ ભર્યા છે અને 40 નો તો ડીપીઆર પણ મંજૂર થઈ ગયો છે. ભાવનગર શહેરમાં પોતાના માલિકીની જમીન પર પાકુ મકાન બાંધવા માગતા હોય અને આર્થિક રીતે જરૂરિયાતમંદ હોય કે જેમની કૌટુંબિક વાર્ષિક આવક ત્રણ લાખ સુધી હોય તે તમામને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ખાસ કરીને લાભાર્થી પોતાની માલિકીની જમીન પર અથવા જર્જરીત મકાન ઉતારી નવુ પાકુ મકાન બાંધવા માગતા હોય તેમને પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. મકાનના કારપેટ વિસ્તાર 30 થી 45 ચોરસ મીટર વચ્ચેનું હોવું ફરજિયાત છે અને મકાનમાં ઓછામાં ઓછા બે રૂમ રસોડું શૌચાલય અને બાથરૂમ પણ ફરજિયાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના વેબ પોર્ટલના માધ્યમ છે તેમાં આપેલી લીંક પર ફોર્મ ભરી શકાય છે. અને યોજના સંદર્ભિત માહિતી માટે કોર્પોરેશનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની કચેરી પર પણ સંપર્ક થઈ શકે છે. પીએમ આવાસ યોજના 2.0 અંતર્ગત આવેલા 157 ફોર્મ પૈકી 40 નો ડીપીઆર મંજુર થયો અને અન્યના ફોર્મની ચકાસણી પણ શરૂ છે. આવાસ યોજના 1.0 અંતર્ગત ભાવનગર શહેરમાંથી 500 લાભાર્થીઓને લાભાર્થી દીઠ 3.50 લાખની સબસીડીની સહાય મળી હતી. જ્યારે યોજના 2.0 માં ચાર લાખની સહાય મળવાપાત્ર છે. પ્લીન્થ લેવલથી સો ટકા બાંધકામ પૂર્ણ થયા સુધીના ચાર તબક્કામાં કેન્દ્ર અને રાજ્યની સહાય તબક્કાવાર મળે છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:49 am

ટ્રોમા સેન્ટરમાં અનેક વ્હીલચેર અને સ્ટ્રેચર ખખડધજ બન્યા:ભાવનગર સર ટી. હોસ્પિટલના ઉપયોગી સંસાધનો જ માંદા !

ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી સર.ટી. હોસ્પિટલમાં મળતી વિવિધ પ્રકારની તબીબી સારવાર આમજનતા માટે આશીર્વાદ રૂપ બની રહી છે. સર ટી. હોસ્પિટલમાં રોજીંદા જિલ્લાના ત્રણ હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સર્જરી, મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગની સારવાર આપતા ટ્રોમા સેન્ટરમાં ખખડધજ બનેલા વ્હીલચેર અને સ્ટ્રેચર જેવા ઉપયોગી સંસાધનો જ માંદગીના બીછાને હોવાથી સારવાર્થે આવતા દર્દીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અકસ્માતના અને તત્કાલ સારવારના કિસ્સામાં દર્દીઓને લાવવામાં આવે છે. ત્યારે હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર સહિતના અનેક વિભાગોમાં વ્હીલચેર અને સ્ટ્રેચર ખખડધજ હાલતમાં હોવાથી દર્દીને લાવવા સમયે નેવાના પાણી મોભે ચડાવવા જેવી સ્થિતિ સર્જાણી છે. ટ્રોમા સેન્ટરમાં જરૂરી ઉપયોગી સંસાધનો ખખડધજ બનવાની સાથે દર્દીઓને લાવવા અને મુકવામાં કામમાં ઉપયોગમાં લેવાતા સર્વન્ટ (કામદાર) પણ આગળીના વેઢે ગણી શકાય તેટલી મર્યાદિત સંખ્યામાં હોવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવા વ્હીલચેર અને સ્ટ્રેચર ટૂંક સમયમાં ફાળવણી કરાશેસર ટી. હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચર બાબતે મળેલી ફરિયાદને આધારે નવા 100થી વધુ વ્હીલચેર અને સ્ટ્રેચર મંગાવવામાં આવ્યા છે. જે આવી ગયા બાદ નવા વ્હીલચેર અને સ્ટ્રેચર ટૂંક સમયમાં ફાળવણી કરાશે. > ડૉ. અશોક વાળા, ઇન્ચાર્જ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ ભાવનગર

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:48 am

ડાયવર્ઝન:દેડિયાપાડામાં પીએમની સભાને લઇને ભારે વાહનો માટે ડાયવર્ઝન

મલ્ટી એક્ષેલ લોડેડ વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી કોમર્શિયલ વાહનો તથા હેવી કોમર્શિયલ વાહનોનો રૂટ ડાયવર્ટ કર્યો છે. જાહેરનામા મુજબ, સાગબારાથી આવતા મલ્ટી એક્ષેલ લોડેડ વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડવાહનો તથા હેવી કોમર્શિયલ વાહનો માચ ચોકડીથી ચીકદા, રેલ્વા, ઉમરપાડા, કેવડી, નેત્રંગથી રાજપીપળાતરફ જશે. રાજપીપલા તરફથી આવતા મલ્ટી એક્ષેલ લોડેડ વાહનો, ઔદ્યોગિક કક્ષાના હેવી લોડેડ વાહનોતથા હેવી કોમર્શિયલ વાહનો મોવી, નેત્રંગ, ફુલવાડી, કેવડી, ઉમરપાડા, રેલ્વા, ચીકદા થઈ માચ ચોકડી તરફ જશે. તા. 15 નવેમ્બર, 2025 સુધી અમલીકૃત આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:48 am

રેલ્વે દ્વારા અન્યાય:ભાવનગરને 22 વર્ષથી બ્રોડગેજ, સુવિધામાં રેલવેની સૂગ

વર્ષ 2003માં ભાવનગરને બ્રોડગેજની સવલત મળી હતી અને ત્યારે આશા જન્મી હતી કે, હવે ભાવનગરને દેશના મહત્વના શહેરોની કનેક્ટિવીટી મળી જશે, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સવલતો હજુ સુધી મળી શકી છે. ભાવનગર-મુંબઇ વચ્ચે વ્યાવસાયિક વ્યવહારો ઉપરાંત બહોળા પ્રમાણમાં જૈન સમુદાયના યાત્રિકો દૈનિક ધોરણે પાલિતાણા માટે મુસાફરી કરે છે. ભાવનગર-મુંબઇ વચ્ચે (બાંદ્રા એક્સપ્રેસ) એક માત્ર દૈનિક ટ્રેન છે, જે કાયમ હાઉસફુલના પાટીયા જુલાવતી હોય છે. રેલવે તંત્રને પણ ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેનથી જબ્બર આર્થિક ફાયદો મળી રહ્યો છે. પરંતુ હજુ સુધી બીજી ટ્રેન ફાળવવાની દરકાર લેવામાં આવી રહી નથી. 24 કલાકમાં ભાવનગર-મુંબઇની માત્ર એક જ ટ્રેન ઉપલબ્ધ છે. પાલિતાણા-બાંદ્રા ટ્રેન સાપ્તાહિક ધોરણે સંચાલિત કરવામાં આવે છે, આ ટ્રેનમાં જૈન યાત્રિકોને સુગમતા રહે છે અને મુંબઇથી સીધા પાલિતાણા જઇ-આવી શકાય છે. આ ટ્રેન પણ કાયમી ધોરણે ફુલ હોય છે છતા સાપ્તાહિકમાંથી દૈનિકમાં તબદીલ કરવામાં આવી રહી નથી. જો આ ટ્રેનને દૈનિકમાં ફેરવવામાં આવે તો ભાવનગર-બાંદ્રા ટ્રેનનું ભારણ પણ ઘટી શકે તેમ છે. ઉપરાંત ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેનમાં પાલિતાણાના જૈન યાત્રિકોને સોનગઢ રેલવે સ્ટેશન પર ઉતરી અને ત્યાંથી સડકમાર્ગે પાલિતાણા જવું-આવવું પડે છે, અને ખાનગી વાહન ચાલકોની મનમાનીનો પણ ભોગ બનવું પડે છે. જો પાલિતાણા-બાંદ્રા ટ્રેનને દૈનિક કરવામાં આવે તો યાત્રિકો મુંબઇથી સીધા પાલિતાણા જઇ-આવી શકે તેમ છે. સુરત અને ભાવનગર સામાજીક, વ્યાવસાયિક રીતે જોડાયેલા છે. ભાવનગર જીલ્લાના હજારો વતનીઓ વ્યવસાયાર્થે સુરતમાં સેટ થયેલા છે ભાવનગર અને સુરત વચ્ચે દૈનિક ધોરણે 200 જેટલી ખાનગી લકઝરી બસો-વાહનો ચાલે છે, છતાં ભાવનગર-સુરત દૈનિક ટ્રેન ફાળવવામાં 22 વર્ષથી સ્પષ્ટ અન્યાય કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવે, બોર્ડમાં દરખાસ્ત મોકલેલી છેભાવનગર-સુરત સહિતની ટ્રેનો માટે પશ્ચિમ રેલવે, બોર્ડમાં દરખાસ્ત મોકલેલી છે. સુરત ખાતે પ્લેટફોર્મની અનુકુળતા મળ્યા બાદ હકારાત્મક નિર્ણય ભાવનગરની તરફેણમાં આવી શકે છે. અન્ય લાંબા અંતરની ટ્રેનો માટે દરખાસ્ત છે અતુલકુમાર ત્રિપાઠી, ડીસીએમ, ભાવનગર રેલવે ડિવિઝન ભાવનગર ટર્મિનસ પર રીફ્રેશમેન્ટ સ્ટોલ જ નથીભાવનગર રેલવે સ્ટેશનેથી જવા-આવવા માટેના મુસાફરો દૈનિક ધોરણે મોટી સંખ્યામાં હોય છે છતા ટર્મિનસ ખાતે એક પણ રીફ્રેશમેન્ટ સ્ટોલની વ્યવસ્થા નથી. પરિણામે પાણીની બોટલ, ચા-નાસ્તા ટ્રેનમાં લઇ જવા માટે યાત્રિકોએ પ્લેટફોર્મથી બહારની બાજુએ આવેલી દુકાનો-લારીએ જવું પડે છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:47 am

ફાઇ.કર્મીનું મોત:સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક ઝાડ સાથે અથડાતાં ફાઇ.કર્મીનું મોત

ગોવિંદગુરૂ લીમડી તાલુકાના રૂપાખેડા ગામનો અને દાહોદમાં માસ ફાઇનાન્સમાં નોકરી કરતો સુનિલ મુકેશભાઇ ડામોર તેની જીજે-20- બીએલ-2572 નંબરની મોટર સાયકલ લઇને ગામડાઓમાં ગાડીઓના હપ્તાની ઉઘરાણી કરવા માટે નિકળ્યો હતો. ત્યારે રાતના 9 વાગ્યાના અરસામા મોટર સાયકલ લઇને કદવાલ ગામે મોટા ફળિયામાં રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટર સાયકલ ગાંડા બાવળના ઝાડ સાથે અથડાઇ અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને મોઢા ઉપર અને માતામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સુનિલનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટના સ્થળેથી સુનિલના મોબાઇલથી કોઇ વ્યક્તિએ તેના ઘરે અકસ્માતની જાણ કરતાં પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સંદર્ભે મૃતકના પિતા મુકેશભાઇ તેરસીંગભાઇ ડામોરે લીમડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતક સામે ફેટલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:44 am

મોત:પંચેલામાં ઘનશ્યામ હોટલ પર ટ્રાવેલ્સમાંથી ઉતરતી વખતે પગ લપસતાં આધેડનું મોત

બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ તાલુકાના માંડલી ગામના 53 વર્ષીય લવાભાઇ કાળુભાઇ ડામોર સહિત તેમના ગામના અન્ય લોકો ગતરોજ AR-06- B-6949 નંબરની ટ્રાવેલ્સમાં સુરત ખાતે મજુરી કામ અર્થે જતા હતા. તે દરમિયાન રસ્તામાં પીપપોલ નજીક પંચેલા ગામે આવેલ જુની ઘનશ્યામ હોટલ ઉપર ટ્રાવેલ્સ ઉભી રહેતાં લવાભાઇ ટ્રાવેલ્સમાંથી નીચે ઉતરતાં હતા. તે દરમિયાન પગથીયા ઉપરથી પગ લપસી પડતાં નીચે આરસીસી ઉપર પટકાયા હતા. જેમાં જેમને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી. તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ તેમનું ટુંકી સારવારમાં મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના કુટુંબી ભત્રીજા મોહને પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતે મોતની બીજી ઘટનામાં ગરબાડાના ભાભોર ફળિયામાં રહેતા 63 વર્ષીય વૃધ્ધ રામસીંગભા રતનસિંગ ભાભોર એક મહિના અગાઉ રાત્રે સાડા 10 વાગ્યાના અરસામાં પગથીયા પર ઉતરવા જતાં પડી જતાં માથામાં દુખાવો થતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા. ત્યાથી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા રીફર કરતાં ત્યાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં બે દિવસ બાદ તેમનું મોત નિપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:42 am

કાર્યવાહી:ચારી ગામે 4 બાઇક ઉપર દારૂ લઇને‎આવતા પાનમના 4 ખેપિયા ઝડપાયા‎

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ચારી ગામેથી 4 બાઇક ઉપર દારૂનો જથ્થો લઇને આવતાં પાનમ ગામના 4ને પોલીસે ઝડપી પાડ્યા હતા. 4,25,200 રૂા.ની કુલ 2160 બોટલ અને બાઇક મળી 5,45,200 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસે કાર્યવાહી કરી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથક સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલીંગ તેમજ દારૂની વોચમાં હતા. તે દરમિયાન ધાનપુર ગામ તરફથી કંજેટા ગામ તરફ જતાં હતા. ત્યારે ચારી ગામે કંજેટા ગામ તરફથી 4 બાઇક ચાલકો તેમની ગાડી ઉપર કંતાનના થેલાનુ લગડુ બનાવી કઇક ભરી લઇને શંકાસ્પદ હાલતમાં આવતા તેમને ઉભી રાખવાનો સંકેત કરતાં ચારેય બાઇક ચાલકો પોલીસને જોઇ પરત વળાવી ભાગવા જતાં ચારે ચાલકોને પકડી પાડ્યા હતા. એક પછી એક કંતાનના થેલાના લગડાની તપાસ કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પુછપરછમાં તેઓને પોતાનું નામ સિન્ટાસ વેસતા રાવત, શંકર સબુર રાવત, ઇશ્વર સોમીયા રાવત તથા મુકેશ દલસિંગ બીલવાલ ચારે રહે. ધાનપુરના પાનમ ગામના જણાવ્યું હતું. ચારે બાઇક પરથી ઇંગ્લિશ દારૂ તથા બીયરની મળી કુલ 2160 બોટલ જેની કિંમત 4,45,200 રૂપિયાની મળી આવી હતી. જથ્થો તથા 1,00,000 રૂા.ની ચાર બાઇક મળી કુલ 5,45,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસે ચારે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:41 am

આખરે મોકડ્રિલની જાણ થતાં હાશકારો:ગોધરાની કુશા કેમિકલ્સના રિએક્ટરમાં વિસ્ફોટ થતાં અફરાતફરી‎

ગોધરા તાલુકામાં આવેલ કુશા કેમિકલ્સ કંપનીમાં ઇથેનોલ ઓક્સાઈડની સ્ટોરેજ ટેન્કમાંથી કેમિકલ રિએક્ટરમાં ટ્રાન્સફર કરતા સમયે રિએક્ટરમાં વિસ્ફોટ થવાની ઘટના બની હતી. વિસ્ફોટ થતા આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ કંપનીની ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની તથા ઘાયલ થયેલા કર્મચારીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરાઇ હતી. ઘટનાની જાણ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે કરાતા બચાવ ટુકડીઓને ઘટનાસ્થળ પર મોકલાઇ હતી. જેમા ગોધરા ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાઇ હતી. 108 ઇમરજન્સી સેવા દ્વારા ઘાયલ થયેલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટના અંગે NDRFને જાણ થતા તેઓની કેમિકલની સ્પેશિયલ ટીમ ઘટનાસ્થળે આવી હતી. શોધ -બચાવની કામગીરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ ગોધરા પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, એનડીઆરએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, ગોધરા મામલતદાર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, GSDMA, નાયબ નિયામક DISH, GPCBના અધિકારી, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, EMRI ગ્રીન હેલ્થ 108 સર્વિસની અધિકારીઓ, કુશા કેમિકલના અધિકારીગણ તથા અન્ય તમામ MAH કંપનીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાજર અધિકારીઓ દ્વારા કંપનીમાં કોઇ વિસ્ફોટ થયો ન હતો. પરંતુ કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજવામાં આવી હોવાનું જણાવાતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો. પ્રાંત અધિકારી દ્વારા મોકડ્રિલ પૂર્ણ જાહેર થયા બાદ નિરીક્ષકો દ્વારા ખામીઓ/ત્રુટિઓની ચર્ચા કરી હતી. અને જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:40 am

દેહ વ્યાપારનો ભાંડો ફૂટ્યો:વેરાવળ શહેરમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો'તો

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો છે. વેરાવળ–સોમનાથ બાયપાસ પર ભાડાના બિલ્ડિંગમાં કાર્યરત ધ હેવન ફેમિલી સ્પા પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ બાતમીના આધારે બુધવારે છાપો મારી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મળતી વિગતો મુજબ SOGને વિશ્વાસુ સૂત્રો મારફતે માહિતી મળી હતી કે બાયપાસ વિસ્તારના આ સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. બાતમીની ચકાસણી માટે ટીમે ડમી ગ્રાહક મોકલતા સ્પાના અંદર માનવ વણજ સાથે સંકળાયેલી પ્રવૃતિઓની પુષ્ટિ થતાં જ ઓપરેશન શરૂ કર્યું હતું. દરોડા દરમિયાન બે પરપ્રાંતીય યુવતીઓ મળી આવી હતી, જેમને પ્રતિબંધિત દબાણ હેઠળ અહીં લાવવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ તેમને સલામત કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી માટે મહિલા સહાય કેન્દ્રને સોંપવાની પ્રક્રિયામાં છે.સ્પા સંચાલક મુખ્તાર નૂર સુમરા ઘટનાના સમયે સ્થળ પરથી ગાયબ હતો. તેની વિરુદ્ધ માનવ વણજ, દેહવ્યાપાર અને મહિલાઓનો શોષણ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ સ્થાનિક પોલીસ સ્ટેશને શરૂ કરી છે. દરોડા દરમિયાન સ્પામાંથી રૂ. 4,000ની રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને બે કન્ડોમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલે છે તેવી ફરિયાદો છેલ્લા કેટલાક દિવસથી મળતી હતી, ત્યારબાદ આ ઓપરેશનને ગોપનીય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકરણને લઈને SOG તેમજ સ્થાનિક પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:39 am

યુવતીએ જીવન ટૂંકાવ્યું:યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

અકાળા ગીર ગામની એક યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. આ અંગેની મળતી વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના અકાળા ગીર ગામે રહેતી 21 વર્ષીય સંધ્યાબેન લાખાભાઈ એરંડા નામની યુવતીએ બુધવારે રાત્રે પોતાના ઘરે ચુંદડી વડે લટકીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસે દોડી જઈને યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી મૃતકના ભાઈ દીપુભાઈનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી. સંધ્યાબેનના અંતિમ પગલાં પાછળનું કારણ બહાર નહીં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:38 am

જન્મ જયંતિ વિશેષ:શહીદ બિરસા મુંડાને ભારતરત્નથી સન્માનિત કરવા બુલંદ માગ‎

મહાન ક્રાંતિકારી શહીદ બિરસા‎મુંડાની જન્મ જયંતી 15 નવેમ્બર‎1980માં જે તે વખતના બિહારના‎રાંચી ખાતે ઉજવવામાં આવી‎હતી, ત્યાર પછી દર વર્ષે ક્રાંતિસૂર્ય‎બિરસા મુંડા જન્મ જયંતીની‎ઉજવણી કરાઇ રહી છે.‎યુવાનોમાં બિરસા મુંડાના‎ક્રાંતિકારી વિચારો ધીરે ધીરે‎સ્થાન લઈ રહ્યા છે. તેમજ‎સામાજિક જાગૃતિ અને‎સામાજિક ચેતનાના કારણે‎કેટલાક વર્ષોથી ગામ તાલુકે‎જિલ્લે અને હાલ તો રાજ્ય‎કક્ષાના તથા દેડિયાપાડા ખાતે‎વડાપ્રધાન નરેન્દ્ર મોદીની‎ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ‎મહાન ક્રાંતિસૂર્ય બિરસા મુંડાની‎જન્મ જયંતી ઉજવણી કરાઇ રહી‎છે. નાના નાના ગામો ટાઉનમાં‎બિરસા મુંડા જન્મ જયંતી‎સપ્તાહની પણ ઉજવણી કરાઇ‎રહી છે જે એક સામાજિક જાગૃતિ‎અને સામાજિક ચેતનાનું‎પરિણામ કહી શકાય. શહીદ‎બિરસા મુંડા ભારતીય સ્વાતંત્ર‎સેનાની અને મહાન ક્રાંતિકારી‎હતા. તેમનો જન્મ 15 નવેમ્બર‎1875ના રોજ ઝારખંડ રાજ્યમાં ‎‎આવેલા રાંચી શહેર નજીક ખૂંટી ‎‎જિલ્લાના ઉલીહાતૂ ગામમાં‎સુગના મૂંડા અને કરમી હાતૂને‎ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં ‎‎પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી‎તેઓ ચાઇબાસા ઇંગ્લિશ મિડલ ‎‎સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. ‎‎એમનું મન હંમેશાં પોતાના‎સમાજની બ્રિટિશ શાસકો અને ‎‎શાહુકારો દ્વારા કરવામાં આવેલી‎‌સમાજની ખરાબ દશા માટે‎વિચારતું રહેતું હતું. એમણે મુંડા‎લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે‎માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું હતું.‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎1894માં નિષ્ફળ ચોમાસાના‎કારણે છોટાનાગપુરમાં ભયંકર‎દુકાળ અને રોગચાળો ફેલાયો‎હતો. બિરસાએ મન લગાવી‎પોતાના સમાજના લોકોની સેવા‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎કરી હતી. હાલ આદિવાસી‎આગેવાનોની પ્રબળ માંગ ઉઠી‎છે કે શહીદ બિરસા મુંડાને‎ભારત રત્નથી સન્માનિત‎કરવામાં આવે.‎ સાચા અર્થમાં શહીદ બિરસા મુંડાનું બિરુદ આપો‎માત્ર 25 વર્ષની ઉંમરે પોતાની જિંદગી ન્યોચ્છાવર કરનાર મહાન‎ક્રાંતિકારી યોદ્ધાને બ્રિટિશરો દ્વારા સ્થાપિત ભારતીય અદાલતમાં એક‎આરોપી તરીકે ચીતરવામાં આવ્યા છે. આ રેકોર્ડમાં સુધારો કરીને સરકાર‎દ્વારા શહીદ બિરસા મુંડાજીને ભારતીય સ્વાતંત્ર સેનાની (ઇન્ડિયન ફ્રીડમ‎ફાઇટર) અને સાચા અર્થમાં શહીદ બિરસા મુંડાનું બિરૂદ આપવામાં આવે‎અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવી આદિવાસી સમાજની‎માંગ છે. > વાલસિંગભાઇ રાઠવા, આગેવાન આદિવાસી સમાજ, છોટાઉદેપુર‎

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:38 am

ગંભીર અકસ્માત સર્જાયો:બામણાસામાં બાઈક સ્લીપ થતા હેન્ડલ વૃધ્ધના આંતરડામાં ઘૂસી ગયું

બાઈક સ્લીપ થતા હેન્ડલ બામણાસાના વૃધ્ધના આંતરડામાં ઘૂસી જતા ગંભીર ઈજા થવાથી જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અકસ્માતજની મળતી વિગતો અનુસાર કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામના સીમ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પરબતભાઈ ગીગાભાઈ કરંગીયા ગઈ તારીખ 8 ઓક્ટોમ્બરના રોજ બપોરના તેના દીકરા જયેશની પાછળ જીજે 11 સીએમ 6311 નંબરના બાઈક પર બેસીને બામણાસા ગામમાંથી પોતાની વાડીએ જતા હતા. ક્યારેક ખેતરમાં પહોંચતા ખેતરના શેઢા પાસે વરસાદી પાણી ભરાયેલ હોય તેથી દીકરા જયેશે બાઈક ચલાવતા બાઈક પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક સ્લીપ થતા પિતા, પુત્ર પડી ગયા હતા. જેથી પરબતભાઈને જમણી બાજુના આંતરડામાં બાઈકનું હેન્ડલ ઘૂસી જતા ગંભીર ઇજા થવાથી પ્રથમ કેશોદ ખાતેની અને બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે નિદાન કરતા આંતરડામાં પંચર થયું હોવાનું જણાયું હતું. ઘટના અંગે પરબત ાઈની ફરિયાદના આધારે પોલીસે તેના પુત્ર જયેશ વિરુદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:37 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ખેડૂતોને તો લાઈનમાં જ ઉભું રહેવું પડશે,VCE ને હવે SIRની કામગીરી કરવાનો પણ હુકમ કરી દેવાયો

રાજ્યમાં ભારે માવઠા બાદ પાકને વ્યાપક નુકસાન થયું હતું અને ખેડૂતોને આર્થિક ફટકો પડયો હતો અને રજૂઆતો બાદ સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેમની ઓનલાઈન નોંધણી પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ શરૂઆતમાં જ સર્વર ઠપ્પ થઈ ગયું હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.આ કામગીરી જે તે ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ મારફત થઈ રહી છે. પણ તાજેતરમાં જ SIR એટલે કે મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમા બી.એલ.ઓ સાથે કામગીરીમાં જોડાવા વી.સી.ઈને હુકમો કરવામાં આવ્યા છે જે પણ કોઈ વળતર વિના જ ત્યારે સવાલ એ પણ થાય કે આ બંને કામગીરી એકી સાથે શક્ય નથી કારણ કે મુશ્કેલીતો ખેડૂતોને જ પડવાની છે. આ ઉપરાંત પ્રથમ દિવસે જ્યારે અરજી પ્રકિયા શરૂ થઈ ત્યારે જ સર્વર ડાઉન ચાલતું હતું અને ખેડૂતોના ખેતરના નંબર દાખલ કર્યા હોવા છતાં નામ ડિસ્પ્લે પર જોવા મળતું ન હતું.વધુમાં મળતી વિગત જોઈએ તો જિલ્લામાં આજ સ્થિતિ જોવા મળી હોય માત્ર એક થી પાંચ ટકા જ કામગીરી થઈ હોઇ શકે છે. 7,8,2 ની નકલો પણ ન નીકળી‎આ અરજી કરવા માટે 7,8,12 ની નકલ પાણીપત્રક પણ જરૂરી હોય છે જેથી ખેડૂતો આ નકલો કઢાવવા માટે જે તે ગ્રામ પંચાયત પર પહોંચ્યા હતા પરંતુ સર્વર ડાઉન થઈ જતા આ કામગીરી પણ અટકી પડી હતી. વીસીઇને અરજી દીઢ 8 રૂપિયા વળતર‎આ કામગીરી જે તે પંચાયતમાં વી.સી.ઇ ને સોંપવામાં આવી છે અને એક અરજી કરશે તેમાં 8 રૂપિયા સુધીનું વળતર મળી શકે છે જેમાં પણ થોડો વધારો કરવાની માંગણી ઉઠી રહી છે. તલાટી ચાર્જમાં સહી-‎સિક્કા ન થઈ શક્યા‎અમુક ગામોમાં તલાટી ચાર્જમાં હોય પ્રથમ દિવસે ગ્રામ પંચાયતે જોવા મળ્યાં ન હતા જેથી ખેડૂતોના કાગળમાં સહી-સિક્કા થઈ શક્યા ન હતા અહીં કાયમી તલાટીની નિમણુંક કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યાં છે. નોંધણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:30 am

મહારાષ્ટ્રમાં શિયાળાની શરુઆતમાં જ ઠંડીનો સપાટોઃ 7 શહેરોમાં કોલ્ડવેવની ચેતવણી

નાસિક , ધુળે, જાલના સહિતના શહેરોમાં ચેતવણી 14 સ્થળે ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન ઃ જેઉરમાં પારો નવ ડિગ્રીએઃ નાગરિકો માટે ગાઈડલાઈન જારી મુંબઇ - મહારાષ્ટ્રમાં હજી શિયાળાના આગમનના દિવસો શરૃ થયા છે. હજી નવેમ્બરના શરૃઆતના દિવસો હોવા છતાં મહારાષ્ટ્રના મોટાભાગમાં કડકડતી ઠંડી શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગે આવતા ચાર દિવસ(૧૫થી ૧૮, ઓક્ટોબર) દરમિયાન મહારાષ્ટ્રનાં સાત સ્થળોએ કોલ્ડ વેવ(ઠંડીનું મોજું) નો ચેતવણી સૂચક વરતારો આપ્યો છે.

ગુજરાત સમાચાર 15 Nov 2025 6:30 am

કમિશનર દ્વારા માર્ગનું નિરીક્ષણ:આંબાવાડીથી શાકમાર્કેટ સુધીના રસ્તાનું કમિશનરે નિરીક્ષણ કર્યુ

જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ નવા રસ્તાની કામગીરી શરૂ છે. અગાઉ ઘણીવાર રસ્તા નબળા બન્યા હોય કે કોઇપણ કારણોસર ભ્રષ્ટ્રાચાર થયો હોવાની કમિશનરને અનેક રજૂઆત મળતા હવે નવા રસ્તાનુ જાત નિરીક્ષણ કર્યુ હતુ. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા સીસીરોડની કામગીરી ચાલી રહી છે. અગાઉ ઘણા રસ્તાની કામગીરી પૂર્ણ પણ થઇ છે. પરંતુ થોડા સમયમાં જ ક્યાં રસ્તાઓમાં સિમેન્ટ નિકળી ગઇ હોય તો ક્યાંક કાંકરીઓ દેખાવા લાગી હોય સહિતની ફરિયાદ મળતી હતી. કોન્ટ્રાકટરોની નબળી કામગીરીથી લોકોના પૈસાનુ પાણી અને હેરાનગતિ થતી હતી. જેને કારણે હવે કમિશનર તેજસ પરમારે જાતે નવા રોડની કામગીરી ચકાસવાનુ શરૂ કર્યુ છે. જે અંતર્ગત જોષીપરા વિસ્તારમાં આબાંવાડી વિસ્તારથી શાકમાર્કેટ સુધીના રોડની કામગીરીનુ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને સુચનો આપ્યા હતા. ઉલેખનીય બાબત એ છે કે, મુખ્યમંત્રી દ્વારા હવેથી દરેક કમિશનરને નવા બનતા રોડની કામગીરીનુ નિરીક્ષણ કરી રિપોર્ટ મોકલવાનો આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:27 am

ટેમ્પો દટાઈ ગયો:મહેસાણા મોઢેરા ચોકડી પાસે ટ્રક અથડાતાં ઘટાદાર લીમડાનું ઝાડ તૂટતાં ટેમ્પો દટાયો

મહેસાણાની મોઢેરા ચોકડી નજીક સોમેશ્વર મોલ પાસે ઘટાદાર લીમડાનું વૃક્ષ ટ્રક અથડાતાં થડમાંથી તૂટીને પડતાં નીચે પાર્ક ટેમ્પો દટાઈ ગયો હતો. જ્યારે બાજુમાં ખાટલો ઢાળીને આરામ કરતાં શ્રમિકને હાથ અને પગના ભાગે ઇજા થઇ હતી. લોકોએ દોડી આવી શ્રમિકને બહાર કાઢ્યો હતો. સોમેશ્વર મોલ પાસેથી મેઇન રોડ તરફ જતી ટ્રક (એચઆર 55 એએ 2734) શુક્રવારે બપોરે 3.30 વાગે રોડ સાઇડ લીમડાના વૃક્ષને અથડાતાં તે તૂટીને સાઇડમાં પાર્ક ટેમ્પો (છોટાહાથી) ઉપર પડ્યું. કેટલોક ભાગ બાજુમાં ખાટલામાં સૂતેલા રાજુભાઇ પટ્ટણી ઉપર પડતાં તેને ઇજા થઇ હતી. વીજપોલ પણ નમી ગયો હતો. શ્રમિકે બૂમાબૂમ કરતાં લોકોએ દોડી આવી બહાર કાઢ્યો હતો. વોર્ડ ઇન્સપેક્ટરે જાણ કરતાં પહોંચેલી ફાયર ટીમે રસ્તામાં પડેલ વૃક્ષ કટિંગ કરીને હટાવ્યું હતું. ટેમ્પો માલિક દિલીપભાઇએ કહ્યું કે, વૃક્ષ પડતાં ટેમ્પોને નુકસાન થયું છે. શાકભાજીનું કામ પતાવીને ખાટલામાં આરામ કરતો,ત્યાં ઝાડ ઉપર આવી પડ્યું બટાટા, ડુંગળી અને શાકભાજી વહનનું કામ કરી બપોરે અહીં વૃક્ષ નીચે ખુલ્લામાં ખાટલો ઢાળી આરામ કરતો હતો અને ત્યાં પાછળથી ટ્રકની ટક્કર વાગી અને ખબર પડે તે પહેલાં વૃક્ષનો કેટલોક ભાગ ખાટલા ઉપર આવી પડ્યો. બૂમો પાડતાં બધા આવીને મને બહાર કાઢ્યો. હાથમાં છોલાયું છે અને પગના ભાગે ઇજા થઇ છે.: >રાજુભાઇ પટ્ટણી

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:27 am

ગોઝારો અકસ્માત સર્જાયો:ઓવરટેક કરતા ત્રિપલ સવારી બાઈકની રિક્ષા સાથે ટક્કર, શ્રમિક યુવકનું મૃત્યુ

બાંટવા પાસે ઓવરટેક કરતા ત્રિપલ સવારી બાઈકની રિક્ષા સાથે ટક્કર થતા શ્રમિક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું અને 2 યુવાનને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના સેલટી ગામના હાલ કુતિયાણા તાલુકાના જુણેજ ગાંડાભાઇ વિરમભાઇ મોઢાની વાડીએ મજૂરી કામ કરતા લવભાઈ તુલસીરામ ભીલાવ, નરેનભાઈ શકારમ, અજય રવિભાઈ ગુરુવારે સવારે બાઈક લઈને માણાવદર તાલુકાના બાંટવા ખરીદી માટે જતા હતા. ત્યારે નરેનભાઈ શકારમ બાઈક હંકારતો હતો. તે વખતે તેણે બાંટવા ભડુલા રોડ પર બાઇક ઓવરટેક કરતા સામેથી આવી રહેલી છકડો રિક્ષા સાથે બાઈકનો અક્સ્માત થયો હતો. જેના કારણે ત્રણેયને ઇજા થતા માણાવદર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લવભાઈ તુલસીરામનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નરેનભાઈ તથા અજયભાઈને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અક્સ્માત અંગે મૃતક યુવકના પત્ની પિન્ટીબેનની ફરિયાદ લઈ બાંટવા પોલીસે બાઈક ચાલક નરેન શકારમ સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:26 am

કેબલ ચોરી કરનાર પકડાયા:મેંદરડા, કેશોદ, વંથલીની સીમમાં કેબલ ચોરનાર જૂનાગઢ શહેરની ગેંગ પકડાઈ

મેંદરડા, કેશોદ, વંથલીની સીમમાંથી ખેડૂતોના ખેતર, વાડીમાંથી કેબલ ચોરનાર 2 સગીર સહિત 6 શખ્સની જૂનાગઢની ગેંગને મેંદરડા પોલીસે ઝડપી લઇ રૂપિયા 1. 67 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. મેંદરડાના દાત્રાણાની સીમમાં ખેડૂત ભરતભાઈ રામજીભાઈ વઘાસિયાના ખેતરમાં પ્રવેશી વાડીના મકાનનું તાળું તોડી રૂપિયા 1. 76 લાખના કેબલ વાયરની તથા દાત્રાણા ગામના અન્ય 10 ખેડૂતોનો રૂપિયા 1,07,960નો કેબલ તેમજ આલીધ્રા ગામના 5 ખેડૂતોના રૂપિયા 50,000ની કિંમતના કેબલ વાયરની ખુલ્લા ખેતરમાંથી તસ્કરો ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદ લઈ આરોપીઓની શોધખોળ માટે એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારના માર્ગદર્શનમાં મેંદરડાના પીઆઈ પી. સી. સરવૈયાએ ટીમો બનાવી ટેકનિકલ, હ્યુમન સોર્સ, કોમ્યુનિટી પોલીસીંગ તથા લોકોના સહકારથી 2 સગીરને રાઉન્ડઅપ કરવાની સાથે જૂનાગઢમાં લાલ ઢોરી પાસે રહેતો 22 વર્ષીય અરવિંદ ઉર્ફે રુદ્રા ભરત રાઠોડ, 23 વર્ષીય રાકેશ રાજુ સોલંકી, જૂનાગઢના રામદેવપરાનો 25 વર્ષીય સાજીદ ઉર્ફે લીંબુડો ઈકબાલ શેખ અને પાદરીયા ગામનો 19 પિયુષ ભાવેશ સોલંકીની અટક કરી હતી. ગેંગ પાસેથી રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ જૂનાગઢ જિલ્લાના અન્ય સાત ગામમાં કેબલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પીઆઈ સરવૈયાએ શુક્રવારે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે 2 સગીરને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલી આપવા હુકમ કરી 4 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જંગલમાંથી ગેંગ લીડરને દબોચ્યોમેંદરડા પંથકમાં ખેડૂતોના કેબલ ચોરનાર શખ્સને પકડવા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રથમ સાજીદ ઉર્ફે લીંબુડો શેખને પકડી લઈ બાદમાં 2 સગીરને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હતા. ગેંગ લીડર અરવિંદ ઉર્ફે રુદ્રા ભરત રાઠોડ માલણકા પાસેના જંગલમાં હોવાની બાતમી મળતા પીઆઈ બી. સી. સરવૈયાની ટીમે ગામ લોકોની સાથે સવારે 8 વાગ્યાથી અરવિંદને પકડવા જંગલમાં ઘેરાવ કર્યો હતો. પોલીસ અને ગ્રામજનોએ ઝાડી ઝાંખરામાં પણ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સાંજ થઈ જતા આરોપી અરવિંદને સિંહનો ડર લાગતા જંગલમાંથી માલણકાના રોડ પર આવતા જ તેને પોલીસે ઝડપી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:26 am

ભાસ્કર ઈનસાઈડ:આવક કરતાં વધુ મિલકત મામલે માર્ગ-મકાનના ના.કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ સામે ગુનો

અંદાજે 1 લાખ રૂપિયાના પગારની આવક સામે 16% વધારે મિલકત ભેગી કરનાર મહેસાણા માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર ડી.આર. પટેલ સામે અપ્રમાણસર મિલકત વસાવ્યાનો ગુનો શુક્રવારે મહેસાણા એસીબી પોલીસ મથકે નોંધાયો હતો. પોણા ત્રણ વર્ષના લાંબા ગાળાની તપાસ બાદ એસીબી પીઆઇએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ અંતર્ગત આ ફરિયાદ નોંધાવી હતી. . હાલ મહેસાણા માર્ગ અને મકાન વિભાગમાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર રતિલાલ પટેલ (ડી.આર. પટેલ) દ્વારા અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેની મહેસાણા એસીબીને તેમના જ વિભાગના કર્મચારી કે અધિકારી દ્વારા અરજી કરાઈ હતી. જેને પગલે એસીબી પીઆઇ સુખદેવસિંહ ચાવડાએ તપાસ હાથ ધરી 1 જાન્યુઆરી 2013થી 31 ડિસેમ્બર 2022ના 9 વર્ષના સમયગાળામાં પોતાની સરકારી ફરજ દરમિયાન પગારની આવક સામે કરેલા ખર્ચની વિગતો મગાવીને, સતત પોણા ત્રણ વર્ષ સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં ડી.આર. પટેલે ગેરકાયદે રીતો અપનાવીને પોતાની આવક કરતાં 16% વધારે કુલ રૂ.37.05 લાખની મિલકતો પોતાના અને આશ્રિતોના નામે વસાવી હોવાનું બહાર આવતાં 13 નવેમ્બરના રોજ પીઆઈએ એસીબી પોલીસ મથકે ડી.આર. પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 13 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જિલ્લાના હજુ 5 સરકારી કર્મચારી કે અધિકારી સામે ACB તપાસ ચાલુ છેએસીબીના સૂત્રો મુજબ, મહેસાણા જિલ્લાના અલગ અલગ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા 5 જેટલા સરકારી અધિકારી અને કર્મચારી સામે મહેસાણા એસીબીને અપ્રમાણસર મિલકતની અરજી મળી હોવાથી તેમની સામે તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં તેમની સામે પણ એસીબીમાં ગુના દાખલ થશે. કોઇ લાંચ માગે તો એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકે છે. તેમના વિભાગમાંથી જ અરજી થઇ હતી‎મહેસાણા એસીબીને ડી.આર. પટેલ સામે અપ્રમાણસર મિલકતની‎વિભાગમાંથી જ અરજી મળી હતી. જે આ ધારે પીઆઇ‎એસ.ડી.ચાવડાએ નાયબ કાર્યપાલક ઇજનેરની આવક અને જાવક‎એટલે ખર્ચનો હિસાબ માગ્યો હતો. જેમાં તેમણે દર્શાવેલી આવકની‎સામે સૌપ્રથમ તેમના એલઆઈસીના પ્રીમિયમ, ખરીદેલી ગાડી, બેન્ક‎સ્ટેટમેન્ટ તેમજ તેમના કે પરિવારજનોને નામે ખરીદવામાં આવેલી‎જમીન, મકાન કે પ્લોટના ઓનલાઈન દસ્તાવેજોને આધારે તેમણે‎કરેલા ખર્ચની ઓનલાઈન વિગતો મેળવી હતી. સાથે બાળકોને‎ભણાવવા માટે ચૂકવેલી ફી, ટ્યુશન ફી, બાળકોના લગ્ન માટે વૈભવી‎ખર્ચ કર્યો હોય તો તેના ખર્ચની પણ તપાસ કરવામાં આવે છે અને‎આવકની સામે જો તેમણે વધારે પ્રમાણમાં ખર્ચ કર્યો હોય અને‎મિલકતો ભેગી કરી હોય તો ફરિયાદ દાખલ કરવામાં આવે છે.‎ સજાની જોગવાઈ | નાયબ કાર્યપાલક ઇજનેર સામે દાખલ થયેલો ગુનો સાબિત થાય તો 2 વર્ષથી લઇને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:25 am

યુવકને માર્યો માર:ગાળો દેવાની ના પાડતા યુવકને શખ્સે ઢીકાપાટુનો માર માર્યો

માણાવદરમાં ગાળો દેવાની ના પાડતા યુવકને શખ્સે ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદરમાં મીતડી રોડ પર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ગગજીભાઈ નંદાણીયા ગુરુવારે રાત્રે મીતડી રોડ પર આવેલ અમીધારા પાનની દુકાને બેઠા હતા. ત્યારે અક્ષય પાર્કમાં રહેતો મનીષ નારણભાઈ મરંઠ નામના શખ્સે આવી યુવાન કંઈ બોલે તે પહેલાં ગાળો આપવા લાગ્યો હતો. જેથી ગાળો દેવાની ના પાડતા શખ્સે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી મયુરભાઈને નીચે પછાડી દીધા હતા બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. યુવકને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:24 am

હુમલો:જમીનના રસ્તાના મુદે ભાભી પર દિયરનો ખપારીથી હુમલો

માળીયાહાટીના તાલુકાના ધ્રાબાવડ ગામે રહેતા 62 કાળાભાઈ અરજણભાઈ વાળા અને તેના ભાઈ દિલીપની જમીન બાજુ બાજુમાં આવેલ હોય રસ્તા મુજબ અવારનવાર ઝઘડો થતો હતો. ગુરુવારે કાળાભાઈ ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન ઘરેથી બૂમાબૂમ થતા વૃદ્ધ ખેતરેથી ઘરે જઈને જોતા તેના પત્ની કાંતાબેન લોહીલુહાણ હાલતમાં જોવામાં આવ્યા હતા અને ત્યાં હાજર નાનો દીકરો અજીતને પણ હાથમાં ઇજા થઈ હતી. કાંતાબેન ઢાળિયામાં કામ કરતા હતા. ત્યારે દિલીપે ઘરે આવી ખપારી વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી દીકરા અજીતને પણ માર માર્યો હોવાનું કાંતાબેને જણાવતા તેને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વૃધ્ધે તેના નાના ભાઈ દિલીપ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:23 am

અકસ્માતને નોતરું:અમરેલી લાઠી હાઈવે પરના ટોડા નજીક પુલમાં રેલીગના અભાવે મોટા અકસ્માતની આશંકા

અમરેલીથી લાઠી હાઈવે પર આવેલ ટોડા નજીક વાહનોની અવરજવર વાળા આ રોડ પર રેલીગ ન હોવાથી મોટા અકસ્માતની શકયતા જોવા મળ છે. કારણ કે હર ચોમાસામાં જરખડી નદીમાં પાણી આવવાથી પાણી રોડ સમથળ થઈ જતા હોય છે. ત્યારે વાહનોને રેલીગ ન હોવાથી મોટા અકસ્માત શક્યતા રહે છે. આ રોડ પરથી સતત રાજકીય આગેવાનો, સરકારી અઘીકારીઓની સતત અવરજવર રહે છે. પણ શું તેમને ઘ્યાને નહી આવતુ હોય ?. સાંસદ ભરતભાઈ સુતરીયાનુ ગામ જરખીયા જે નજીક આવેલુ છે. તેઓ સતત આ રોડ પરથી અવરજવર કરતા હોય છે ત્યારે શુ તેના ઘ્યાન મા પણ નહી આવતુ હોય ? અહીં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાની બંને તરફ રેલીંગ બનાવવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:22 am

સમાચારથી શીખ:પતિ-પત્ની પુત્રોને મળવા વલસાડ ગયા ને ઘરમાંથી રૂ.6.50 લાખના દાગીના ચોરાયા

મહેસાણાની ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા માતા-પિતા ઘર બંધ કરીને વલસાડ રહેતા દીકરાઓને મળવા જતાં ત્રાટકેલા તસ્કરો બંધ ઘરના દરવાજાનું તાળુ તોડી રૂ.6.50 લાખના સોનાના દાગીના ચોરી ગયા હતા. શહેરમાં પસાભાઇ પેટ્રોલ પંપની બાજુમાં ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા રમણભાઈ રતિલાલ દેવીપુજકના ત્રણેય દીકરા વલસાડ હોવાથી 9મી નવેમ્બરે સાંજે પત્ની સાથે તેમને મળવા ઘરે તાળું મારીને વલસાડ ગયા હતા. તેઓ ત્રણ દિવસ પુત્રોને ત્યાં રોકાયા હતા. 12 નવેમ્બરના રોજ બપોરે પરત ફરતાં તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જઈને તપાસ કરતાં બેડરૂમમાં તિજોરી અને કબાટ તૂટેલું હતું અને સામાન વેરવિખેર હતો. તિજોરીના લોકરમાં મુકેલ રૂ.6.50 લાખના સોનાની 3 ચેન, હાથે પહેરવાનું કડુ અને બુટ્ટી સહિતના દાગીના ચોરાયા હોવાની ખબર પડી હતી. તેમણે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવીની મદદથી શોધખોળ હાથ ધરી છે. બંધ મકાનમાં ક્યારેય દાગીના કે કિંમતી સામાન રાખવો નહીંજ્યારે પણ સમગ્ર પરિવાર સાથે મકાન બંધ કરીને અન્ય જગ્યાએ જવાનું થાય ત્યારે ઘરમાં સોના-ચાંદીના દાગીના, રોકડ કે કોઈપણ કિંમતી ચીજવસ્તુ રાખવી નહીં. આ સામાન પોતાના પરિચિત સગાસંબંધીને ઘરે મૂકવા આપવી અથવા બેંકના લોકરમાં જઈને મૂકી દેવી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:22 am

સાવરકુંડલાના શખ્સને એસઓજીએ દબોચ્યો‎:માલણકાના યુવકને પિસ્ટલ વેચનાર કાળવા ચોકમાંથી પકડાયો

માલણકાના શખ્સને પિસ્ટલ વેચનાર યુવકને એસઓજીએ જૂનાગઢના કાળવા ચોકમાંથી પકડી લઈ પૂછપરછ હાથ ધરી હતી. મેંદરડા તાલુકાના માલણકા ગામના 35 વર્ષીય શિવરાજ રાવતભાઇ કરપડા નામના શખ્સની પોલીસે પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે પકડ્યો હતો. શખ્સ પાસેથી રૂપિયા 20,000ની પિસ્ટલ કબજે લઈ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને શખ્સને હથિયાર વેચનાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે જેસર રોડ પર સાઈબાબાના મંદિરની પાસેની ગીતાંજલી સોસાયટીમાં રહેતા કપિલ વજુભાઈ દવેની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન નાસતો ફરતો કપિલ દવે જૂનાગઢમાં કાળવા ચોક ખાતે ઉભો હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઇ આર. કે. પરમારની ટીમે 28 વર્ષીય કપિલને પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:22 am

બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ‎:શહેરમાં જન જાતીય ગૌરવ દિવસ ઉજવણી, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન કરાયું

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષની જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. હરેશ ઠુંમરે આદિવાસી સમાજનું યોગદાન બિરદાવી, આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અને ‘વોકલ ફોર લોકલ'ને અપનાવવાનું આહવાન કર્યું હતું. આ તકે ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 15મી નવેમ્બરને ‘જન જાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. તેમણે ભગવાન બિરસા મુંડાના સંઘર્ષમય જીવનની વાત કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરો, શ્રેષ્ઠ કર્મચારીઓ અને સરકારી યોજનાના લાભાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મેયર, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:20 am

150 બાળ વૈજ્ઞાનિકો જોડાયા:તાલુકા કક્ષાએ વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજાયું

જૂનાગઢ ખડીયા મુકામે જીસીઈઆરટી પ્રેરિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. બાળકોમાં સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય તે હેતુથી ખડીયા કન્યા પે સેન્ટર શાળા આયોજિત આ કાર્યક્રમમાં જુનાગઢ શહેર અને ગ્રામ્યના 150 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો, જેમાં 75 માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા. બાળકોએ સોલાર રેલ્વે સ્ટેશન, AI ટેકનોલોજી, ગ્રીન ઉર્જા, સરળ ખેતી, અને પ્લાસ્ટિકનો રિયુઝ જેવા વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી. 14 નવેમ્બર બાળ દિનના રોજ આ બાળ વૈજ્ઞાનિકોએ આ દિવસને સાર્થક કર્યો હતો. નિર્ણાયકોએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વૈજ્ઞાનિકોને જિલ્લા કક્ષાના પ્રતિનિધિત્વ માટે પસંદ કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:20 am

ગર્વની વાત:દેશભરના 70 હજારથી વધુ અરજદારોમાંથી 8000 કિ.મી.ની યાત્રા માટે પસંદગી કરાઈ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બોસન ગામના વતની ધવલ જીવાભાઈ સોલંકીને જાગૃતિ યાત્રા – 2025’ માટે રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરાઈ છે. ખેડૂત પરિવારમાંથી આવતા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાંથી વનસ્પતી શાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર ધવલની પસંદગી તેમની નેતૃત્વ ક્ષમતા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે. દેશભરના 70,889 અરજદારોમાંથી માત્ર 525 યુવાનોમાં તેમનો સમાવેશ થયો છે. આ 8000 કિ.મી.ની રાષ્ટ્રીય ટ્રેન યાત્રા 7 થી 22 નવેમ્બર દરમિયાન યોજાઈ રહી છે. મુંબઈથી શરૂ કરાયેલ આ યાત્રામાં ધવલ સોલંકી ઈશરો અને નેવલ ડોકયાર્ડ જેવા વિશિષ્ટ સ્થળોની મુલાકાત લેશે અને દેશના વિકાસ માટે નવી દિશામાં વિચારશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:19 am

તાપમાન:મહેસાણામાં ઠંડી પરત ફરી, 4 દિવસ બાદ પારો પુન: 16 ડિગ્રીથી નીચે

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 5 કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાના નીચા સ્તરના ઠંડા પવન ફૂંકાયા હતા. જેને લઇ રાત્રીના તાપમાન પોણા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેને લઇ 4 દિવસ બાદ તાપમાન 16 ડિગ્રીથી નીચે આવ્યું હતું. ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 15.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. 16 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે સવારના સમયે ધ્રુજાવતી છોડાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બીજી બાજુ, આંશિક વધારા સાથે દિવસનું તાપમાન 32.5 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું. પરંતુ ઠંડા પવનના કારણે તાપમાન વધવા છતાં ગરમીનું જોર ઓછું રહ્યું હતું. જોકે, સૂર્યાસ્ત બાદ વાતાવરણ ફરી ઠંડુગાર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે પણ ઠંડીનું જોર યથાવત રહી શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:19 am

દિકરીઓ ‎પાસે સ્કૂલ સમય બાદ શ્રમદાન કરાયું:આદર્શ નિવાસી કન્યા શાળાની દીકરીઓ પાસે ઘાસ સાફ કરાવ્યું

જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલ આદર્શ નિવાસી અ. જા. કન્યા શાળાની દિકરીઓ પાસે સ્કૂલ સમય બાદ ઘાસ સાફ કરાવવામાં આવ્યુ છે. આ બાબતે પૂછતા વોર્ડનએ કહ્યુ કે, દિકરીઓ પાસે શ્રમદાન કરાવ્યુ છે. શહેરના બિલખા રોડ પર આદર્શ નિવાસી અ.જા. કન્યા શાળા આવેલી છે. જ્યાં દિકરીઓ માટે શાળા અને હોસ્ટેલ બંને છે. જેમાં કુલ 133 દિકરીઓ અભ્યાસ કરી રહી છે. પરંતુ અહીં અભ્યાસની સાથે દિકરીઓ પાસે સફાઇ પણ કરાવવામાં આવી રહી છે. આ બાબતે આચાર્ય જે.કે. ભારાઇને પૂછતા કહ્યુ કે, શાળા સમય દરમિયાન મે કોઇ જ સફાઇ દિકરીઓ પાસે કરાવી નથી વોર્ડનબેનને પૂછી લો. વોર્ડન વનિતાબેન જોગલને પુછતા જણાવ્યુ કે, મંત્રીજી આવવા હોવાથી એકબાજુ ઘાસ સાફ થયુ ન હતુ જેને કારણે દિકરીઓની સહમતીથી શ્રમદાન કરી સફાઇ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:14 am

ભાસ્કર યુટિલિટી:ધોરણ 10, સ્નાતકની કરેલા છાત્રો માટે રોજગારીની તક

જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10, સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારોની રોજગારી મળી રહે તે માટે તારીખ 15 નવેમ્બરના રોજ સવારે 10:30 કલાકે રોજગાર કચેરી ખાતે ભરતીમેળાનુ આયોજન કરાયુ છે. જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ સહિતની કંપનીમાં ફાઇનાન્સીયલ કન્સલ્ટન્ટ, સેલ્સ મેનેજર અને પાર્ટનરની ખાલી જગ્યાઓ માટે ધોરણ એસ.એસ.સી થી સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું તારીખ 15 નવેમ્બરના જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે સવારે 10:30 વાગ્યે આયોજન કરાયુ છે. ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળામાં ઉપસ્થિત થવાનુ રહેશે એમ જણાવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:13 am

PSIની રજૂઆત બાદ કાર્યવાહી:મનપાના મુખ્ય ઇજનેર ચાવડાને Dyspનુ તેડુ, વારંવાર વાયર તોડવાનુ બંધ કરો

જૂનાગઢ મહાનગરપાલિકાના ઇજનેરો દ્વારા છેલ્લા બે વર્ષથી શહેરભરમાં ખોદકામ થઇ રહ્યુ છે. જેને કારણે શહેરીજનો ત્રસ્ત થઇ ગયા છે. એવુ નથી કે, શહેરીજનો ત્રસ્ત થયા હોય પણ મનપાના ઇજનેરોની કામગીરીથી પોલીસ વિભાગ પણ કંટાળી ગયુ છે. શહેર આખામાં નેત્રમ શાખા દ્વારા કેમેરા લગાડવામાં આવ્યા છે. આ કેમેરા થકી ઘણાબધા ગુનાઓ બનતા અટક્યા છે અને બનેલા ગુનાઓમાં આરોપી શોધવામાં સફળતા મળી છે. આ કેમેરાના વાયરો અંડરગ્રાઉન્ડ છે. મનપા દ્વારા ખોદકામની કાર્યવાહી થતી હોય ત્યારે નેત્રમના વાયરો પણ તોડી પાડવામાં આવે છે. આ બાબતે નેત્રમના પીએસઆઇએ મનપામાં રજૂઆત કરી હતી કે, જ્યારે પણ શહેરમાં ખોદકામ કરવામાં આવે ત્યારે નેત્રમના વાયરોનુ ધ્યાન રાખવામાં આવે. વારંવાર રજૂઆતો છતા મનપાના ઇજનેરો ગાંઠતા ન હતા અંતે આ અંગે ડિવાયએસપીને ધ્યાન દોરવામાં આવતા તેમણે તાબડતોડ મનપાના મુખ્ય ઇજનેર અલ્પેશ ચાવડાને બોલાવીને જવાબ માંગ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં ધ્યાન રાખવા સમજાવ્યુ હતુ. 2 મહિનામાં એક-બે વાર ઘટના બને છેમનપા દ્વારા કામગીરી દરમિયાન નેત્રમશાખાના વાયરો તૂટી જવાની બે મહિનામાં એક-બે વાર ઘટના બને છે. બાદમાં તેની પાસે જ રીપેરીંગની કામગીરી કરાવવામાં આવે છે. નેત્રમના વાયરો અંડરગ્રાઉન્ડ હોવાથી આ ઘટના બને છે તેનાથી કેમેરા ઘણા દિવસો બંધ રહે છે. > પ્રતિક મશરૂ, પીએસઆઇ નેત્રમશાખા

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:13 am

વાગડોદ પોલીસે આરોપીને ઝડપી પાડી:સરસ્વતીની 14 વર્ષીય સગીરા પર ગામના શખ્સે દુષ્કર્મ આચર્યું

સરસ્વતી પંથકમાં એક ગામની 14 વર્ષની સગીરાને તેના જ ગામના 23 વર્ષીય પરણીત યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ આધારે વાગડોદ પોલીસે શખ્સની ઝડપી પાડ્યો હતો. સરસ્વતી પંથકના એક ગામની 14 વર્ષ ની સગીરાને તેમજ ગામનો પરિણીત ઠાકોર શૈલેષજી કુંભાજી જી એ મંગળવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં તેના ગામ થી 20 કિલોમીટર દૂર ઓઢવા ગામમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારે આ સમગ્ર હકીકતની પરિવારના સભ્યોને જાણ કરી હતી આ અંગે ભોગ બનનાર ના પિતા એ વાગડોદ પોલીસ મથકે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી ઇન્ચાર્જ પીઆઈ પી. એમ બોડાણાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર નો મેડિકલ ચેકઅપ કરી નિવેદન લઈ આરોપીને ઝડપી પાડી તેનું મેડિકલ ચેકઅપ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:12 am

હોસ્પિટલના 522 કર્મીનું બ્લડ સુગર ચેક કરાયું:સિવિલમાં વર્ગ 1 થી 4ના તમામ કર્મીનુ બ્લડ સુગર ચેક કરાયું

સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનની ગાઇડલાઇન્સ અનુસાર ડાયાબિટીસ એન્ડ ધી વર્ક પ્લેસ થીમ અન્વયે સિવિલ હોસ્પિટલના વર્ગ એક થી ચારના મળી કુલ 522 જેટલા સ્ટાફનું બ્લડ સુગર ચેક કરવામાં આવેલ હતું. હોસ્પિટલ ખાતે આવનાર દર્દી તથા તેમના સ્વજનોમાં ડાયાબિટીસ અંગે જાગૃતતા લાવવા અંગેનો વિડીયો પ્રોજેક્ટર પર દેખાડવામાં આવ્યો હતો તેમજ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી એમ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:12 am

ડોર ટુ ડોર સર્વેક્ષણ:શાળા છોડનારા બાળકોને શોધીને પુનઃ પ્રવેશ માટે સર્વે શરૂ, 23મી સુધી ચાલશે

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 6 થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં શાળા કક્ષાએથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે 23 નવેમ્બર સુધી ચાલશે. આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, 6થી 18 વર્ષની વયના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને ફરી શાળાની મુખ્ય ધારા સાથે જોડવામાં આવે તે છે. આ સર્વેમાં કોઇ કારણોસર શાળામાંથી છૂટી ગયા છે અથવા ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેને પુનઃ નામાંકન કરાવવું અને તેમને શૈક્ષણિક રીતે પુનર્વસિત કરાવવાનું કાર્ય છે. શિક્ષણાધિકારી લત્તાબેને જણાવ્યુ કે, જો કોઈ શાળા બહારનું બાળક જોવા મળે તો તેની જાણ નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે કરવી જોઈએ જેથી તેનું નામ નોંધાઈ શકે અને તેને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:11 am

ભાસ્કર ખાસ:શ્વાન કરડતાં હોસ્પિ.માં ચારેય ડોઝ લેનાર આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીને ભાડા પેટે રૂ.300 સહાય મળે છે

આયુષ્યમાન કાર્ડ ઉપર ઓપરેશન સહિતની સારવાર નિ:શુલ્ક થાય છે પરંતુ શ્વાન કરડતાં દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ અવરજવર માટેના ભાડા પેટે પણ ₹રૂ.300 સહાય મળે છે. પરંતુ આ અંગે લોકોમાં જાગૃતતા ના હોય છેલ્લા બે વર્ષમાં 10,000 લોકોને શ્વાન કરડતાં સિવિલમાં સારવાર લીધી છે પરંતુ તે પૈકી માત્ર 750 દર્દીઓ જ આ 300 રૂપિયા ભાડાની સહાયનો લાભ લીધો છે. પાટણમાં વર્ષ શ્વાન કરડવાના કેસો વધ્યા છે.ત્યારે શ્વાન કરડે ત્યારે આપવામાં આવતા ઇન્જેક્શનનો ડોઝ પૂરો કરનાર દર્દી જેઓ આયુષ્યમાન કાર્ડ ધરાવતા હોય તેમને ચારેય ડોઝ પુરા કર્યા હોય તો ભાડા પેટે 300 રૂપિયા ચુકવવામાં આવે છે.માત્ર સિવિલ હોસ્પિટલમાં જ વર્ષ 2025માં 4979 લોકોને શ્વાન કરડ્યાના કેસ પાટણ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. જે પૈકી 361 આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓ 1,08,300 લોકોને ભાડા પેટે ચુકવવામાં આવ્યા છે.વર્ષ 2024માં 5480 દર્દીઓને શ્વાન કરડ્યા હતા. જેમાંથી માત્ર 389 દર્દીઓને તમામ ડોઝ પુરા કર્યા હતા.અને તેમને ભાડા પેટે 1,16700 રુપિયા ચુકવવામાં આવ્યા હતા. આમ પાટણ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસોમાં હજુ લોકોમાં જાગૃતિનો અભાવ હોય બે વર્ષમાં કુલ 10,459 દર્દીઓ માંથી માત્ર 750 દર્દીઓએ આ ભાડાની સહાય લીધી છે. ચારેય ડોઝ લીધા બાદ ક્લેમ કરતાં સહાય મળે છે પાટણ સિવિલ હોસ્પિટલના આયુષ્યમાન કાર્ડના ઓપરેટરે જણાવ્યું હતું કે ઇમરજન્સી વોર્ડમાં શ્વાન કરડવાનો કેસ નોંધાયા બાદ દર્દી ચારેય ડોઝ પૂરો કરે ત્યારે આ ક્લેમ કરવામાં આવે છે.આ ભાડાની સહાય માટે દર્દીએ આયુષ્યમાન કાર્ડ, કેસ તેમજ શ્વાન જે જગ્યાએ કરડ્યો હોય તેનો ફોટો અને ઇન્જેક્શન આપતો ફોટો સબમિટ કરવાનો હોય છે.ત્યારબાદ એક મહિનાની અંદર જ આ સહાય દર્દીના ખાતામાં જમા થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:11 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જવાહર રોડ અને કાળવા ચોક‎ના‎રસ્તાઓ ખખડધજ, સ્થાનિકો પરેશાન‎

શહેરના વોર્ડ 9 માં જવાહર રોડથી સેજની ટાંકી સુધીના રસ્તાઓની અત્યંત બિસમાર હાલતને કારણે સ્થાનીકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કળવા ચોકથી જવાહર રોડ અને ગિરનાર દરવાજા સુધીના માર્ગો છેલ્લા ત્રણ વર્ષથી ગટર, પાણી અને ગેસની લાઇન નાખવાના બહાને બન્યા નથી. આ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર સહિત અનેક પૌરાણિક ધર્મસ્થળો આવેલા હોવાથી બહારના પ્રવાસીઓની અવરજવર રહે છે, છતાં તંત્ર ધ્યાન આપી રહ્યું નથી. અહીં બહાર ગામથી આવતા યાત્રાળુઓ પણ ભવનાથ તીર્થ છેત્ર જવા માટે આજ રસ્તાનો ઉપીયોગ કરતા હોય ત્યારે યાત્રાળુઓ જૂનાગઢની કેવી છબી લઈને જશે તે પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠ્યો છે સ્થાનીકો મહાનગરપાલિકાને નિયમિત વેરો ચૂકવે છે, તેમ છતાં સુવિધાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખરાબ રસ્તાઓને લીધે વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે અને અકસ્માતનો ભય રહે છે. ધૂળિયા માર્ગોને કારણે દર્દીઓમાં ફેફસાના રોગો પણ વધી રહ્યા છે, અને રહેવાસીઓને શરીરના કાયમી દુખાવા થવાની ફરિયાદો છે. મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં, 3 વર્ષથી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયમી આરોગ્યની સમસ્યાઓખરાબ રસ્તાઓ અને ધૂળને કારણે અકસ્માતનો ડર, શરીરમાં કાયમી દુખાવા અને દર્દીઓમાં ફેફસાના રોગોમાં વધારો થયો છે. > ડો. એન. એમ. ટીલવાણી રસ્તાને કારણે પ્રવાસીઓને મુશ્કેલી જવાહર રોડ પર પૌરાણિક મંદિરો આવેલા હોવા છતાં કળવા ચોકથી ગિરનાર દરવાજા સુધીના રસ્તાઓની હાલત ખરાબ છે, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનીકો બંનેને હાલાકી ભોગવવી પડે છે. > જાનકીબેન ભટ્ટ, સ્થાનિક તંત્રની નિષ્ક્રિય કામગીરી મહાનગરપાલિકામાં વેરો ભરવા છતાં તેમજ અનેકવાર રજૂઆત કરવા છતાં, ગટર/પાણી/ગેસ લાઇનના બહાને 3 વર્ષથી રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી, જેનાથી તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. > કિશોરસિંહ ચૌહાણ, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:09 am

રિંગ રોડ તૈયાર કરવાનું આયોજન:શહેરને ફરતે રૂ.1800 કરોડના ખર્ચે 37.20 કિમીનો રિંગ રોડ અઢી વર્ષમાં તૈયાર કરાશે

પાટણ શહેરમાં ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા વધી હોય શહેરને ફરતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરેલ રિંગ રોડ પ્રોજેક્ટની દરખાસ્તને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.જેથી હવે શહેરની ફરતે 37.20 કિમીનો રિંગ રોડ અંદાજિત રૂ.1800 કરોડના ખર્ચે અઢી વર્ષમાં ચાર ફેઝમાં તૈયાર કરવાની માર્ગ અને મકાન વિભાગે આયોજન શરૂ કર્યું છે. શહેરમાંથી ચાણસ્મા–પાટણ, શિહોરી–પાટણ, ઊંઝા–પાટણ, સિદ્ધપુર–પાટણ, ડીસા–પાટણ રાજ્ય માર્ગો ઉપરાંત રાધનપુર–દુનાવાડા–પાટ ણ–મહેસાણા નેશનલ હાઈવે નં. 68 પસાર થાય છે. જેના કારણે ભારે વાહનો, રેતી ભરેલી ટ્રકો અને બાહ્ય ટ્રાફિક શહેરની અંદર જ પ્રવેશે છે. બનાસ નદીની ઉચ્ચ ગુણવત્તાવાળી રેતી ગુજરાત તથા બહારના રાજ્યોમાં પરિવહન થવાથી વાહનોની આવનજાવન વધુ વધી છે. રોજના હજારો વાહનો શહેરમાંથી પસાર થતા હોય ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેને લઇ ભવિષ્યને ધ્યાનમાં લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરની ફરતે રીંગરોડની દરખાસ્ત કરી હતી જે હવે મંજૂર થતા અઢી વર્ષમાં બનીને તૈયાર થશે જેને લઇ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મહંદ અંશે હલ થશે. તેમજ વાહન વ્યવહાર પણ સરળ બનશે. એક્સપર્ટ | રિંગ રોડથી શહેરને આ ફાયદા થશે- શહેરની બહાર રિંગ રોડ વિકસાવવામાં આવતા ટ્રાફિકને શહેરમાં પ્રવેશ ન કરવો પડે તેનાથી અનેક પ્રકારના લાભો થશે. વિભાગના અંદાજે ફેઝ–1 અને ફેઝ–2 પૂર્ણ થતા દર વર્ષે રૂ. 127.67 કરોડની ઈંધણ બચત થશે. સાથે જ દરરોજ 57,451 માનવ કલાક બચશે. ફેઝ–3 અને ફેઝ–4 બાદ વધારાના રૂ. 61.47 કરોડની ઈંધણ બચત તથા 26,235 માનવ કલાકની બચત થશે. રિંગ રોડ કાર્યરત થવાથી બાહ્ય અને ભારે વાહનોને સીધો વિકલ્પ મળશે તથા શહેરની અંદર ટ્રાફિક પ્રમાણમાં ઘટશે. પાટણના વેપાર, શિક્ષણ, ઈન્ડસ્ટ્રી, હોસ્પિટલ તથા હેરિટેજ સ્થળો સુધી પહોંચવા સમય અને ઈંધણ બંને બચશે. કામ શરૂ થાય માટે સરકાર 4.6 કરોડ ફાળવશે પાટણ બાયપાસ રસ્તાઓ માટે સરકાર દ્વારા અંદાજિત રકમ 4.16 કરોડ કન્સલ્ટન્ટસી સર્વિસીસ ફોર ડીપીઆર પ્રીપેરેશનને જમીન સંપાદન, ફોરેસ્ટ અને યુટીલીટી શીફ્ટીંગ કામો માટે ફાળવણી કરવા માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે જે ટૂંક સમયમાં ફાળવણી પણ થશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:08 am

અકસ્માત:બાલીસણામાં ઇકોચાલકે 4 મહિલાને અડફેટે લેતા એકનું મોત, 3ને ઇજા

પાટણ બાલીસણા ગામની અંદર રસ્તા ઉપર પસાર થઈ રહેલ ચાર રાહદારી મહિલાઓને પસાર થઈ રહેલા ઇકો ચાલકે ધડાકા ભેર ટક્કર મારતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.તેમજ ત્રણને ગંભીર ઈજાઓ તથા સારવાર અર્થે ખસેડાઇ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઇકો ચાલકની શોધ કોણે કરી હતી. પાટણના બાલીસણાના રહેવાસી લક્ષ્મીબેન ઠાકોર સહિત કૌટુંબિક સભ્ય ઈજુબેન નવાજી ઠાકોર અને રેવાબેન જુહાજી ઠાકોર અને સવિતાબેન ગાંડાજી ઠાકોર કામ અર્થેથી પરત ઘરે ફરી રહ્યા હતા. દરમિયાન ગામમાં મહાકાળી માતાજીના મંદિર નજીક ઈકો ગાડી લઈને આવી રહેલ ચાલક કાળજી ઠાકોર પૂર સ્પીડે ગાડી ચલાવી રહ્યો હોય સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ચારે મહિલાઓને અડફેટે લઈ ટક્કર મારતા પટકાઈ હતી. લક્ષ્મીબેનને માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણે ઇજા ગસ્ત મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાના પગલે મૃતક લક્ષ્મીબેનના પરિવાર દ્વારા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવતા બાલીસણા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:06 am

ગ્રાઉન્ડ રિપોર્ટ:સર્વરના ધાંધિયાને લઈ પાટણમાં મોડી રાત સુધી પાક સહાય ફોર્મ ભરાય છે, 4 દિવસમાં 20 ટકા કામગીરી

પાટણ જિલ્લામાં સમી, શંખેશ્વર અને રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાઓમાં 80,000 ખેડૂતો અને અંદાજે 300 કરોડથી વધુ સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વીસીઈ મારફતે પંચાયતમાં શરૂ થઈ છે. શુક્રવારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિઓ દરેક તાલુકાના ત્રણ ચાર ચારેય તાલુકામાં તપાસ કરતા આંતરિયા ગામડાઓમાં ઇન્ટરનેટની 100 MBPSની સ્પીડની જરૂરિયાત સામે 60 MBPSથી વધારે ના આવતા પોર્ટલમાં વિગતો સબમિટ કરવા દરમ્યાન લોડિંગ ના પ્રશ્ન સાથે સર્વરમાં સતત ડાઉન રહેતા ફોર્મ ભરાઈ રહ્યા નથી. સાથે દિવસમાં 2થી 3 વાર સર્વરમાં મેન્ટેનન્સ માટે 15 મિનિટ બંધ કર્યું હોવાના અવરોધ આવી પોર્ટલ જ બંધ થઈ રહ્યું હતું. સર્વર ચાલે તો પણ 10 મિનિટ જેટલો સમય એક ફોર્મ ભરવામાં લાગી રહ્યો હતો.જેથી ખેડૂતોને લાંબો સમય બેસવું ના પડે માટે હાલમાં દરેક વીસીઈ ખેડૂતોના ડોક્યુમેન્ટ લઈ પાછળથી ફોર્મ ભરવાના પ્રયાસ કરી રહ્યા છે. દિવસે આવેલા ડોક્યુમેન્ટના ફોર્મ ભરાય માટે રાત્રે ઘરે જઈને લેપટોપ ઉપર કે પંચાયતમાં બેસીને મોડી રાત સુધી કામ કરી રહ્યા છે.છતાં દિવસના 30 ફોર્મ ભરાઈ રહ્યા છે.જો આ સ્પીડથી અને આ સમસ્યા વચ્ચે ફોર્મ ભરાશે તો 15 દિવસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે નહીં અને અનેક ખેડૂતો ફોર્મ ભરવાથી વંચિત રહેશે.તેવુ હાલમાં વીસીઈઓ અનુમાન વ્યક્ત કર્યું હતું. શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર ગામોમાં પ્રતિનિધિઓની તપાસ દરમ્યાન ફોર્મ ભરાયા અંગે ખેડૂતોમાં તપાસ કરતા મોટાભાગના ખેડૂતોના ડોક્યુમેન્ટ આપે 24 કલાક જેટલા સમય થયો છે પરંતુ તેમના ફોર્મ હજુ ભરાયા નથી. ખેડૂતોએ જણાવ્યું હતું કે વીસીઈને ડોક્યુમેન્ટ આપ્યા છે. એમને કહ્યું કે જેવું ફોર્મ ભરાઈ જશે એટલે તમને સહી કરાવવા બોલાવીશ. હવે ક્યારે ફોર્મ ભરાશે એ જ ચિંતા છે. સરકારે સર્વર યોગ્ય રીતે ચાલે અને ઝડપથી ખેડૂતોના યોગ્ય રીતે ફોર્મ ભરાય અને સહાય મળે માટે કંઈક આયોજન કરવું જોઈએ. રાત્રે 11 વાગ્યા સુધી ફોર્મ ભરી રહ્યો છું : વીસીઇ‎શંખેશ્વરના રતનપુરાના વીસીઇ ભરવાડ રમેશભાઈ જણાવ્યું કે‎તારીખ 11થી ફોર્મ ભરવાનું ચાલુ કર્યું છે. તારીખ 12 અને 13 બન્ને‎દિવસથી સર્વર ડાઉન રહેતું હોવાથી 7/12 અને 8અ ઉતારા માટે‎ખેડૂતોને તકલીફ સામનો કરવો પડે છે. સાથે પોર્ટલમાં સતત સર્વર‎ડાઉન રહેવાને કારણે ઝડપથી ફોર્મ ભરાઈ રહ્યા ના હોય ખેડૂત ધક્કા‎ના ખાય કે બેસી ના રહેવું પડે માટે ડોક્યુમેન્ટ લઈ ફોર્મ ભરવાનો‎પ્રયાસ કરે રાખીએ છીએ. દિવસે ફોર્મના ભરાતા રાત્રે 11 વાગ્યા સુધી‎કામ કરી રહ્યો છું.‎ ચાર દિવસમાં 15,000થી વધુ ફોર્મ ભરાયા‎ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણના 4 તાલુકાઓમાં 11 નવેમ્બરથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થવાં પામી છે. ચાર દિવસમાં અંદાજે 15, 400 ફોર્મ ભરાયા છે. સરેરાશ 80,000 જેટલા ખેડૂતો હોય ચાર દિવસમાં 20 ટકા જેટલા ફોર્મ ભરાયા છે. ગેરહાજરીમાં ફોર્મ ભરાતાં વિગતો ચકાસણી કરીને જ ખેડૂતોએ સહી કરવી જોઈએખેતીવાડી વિભાગના પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતોની ગેરહાજરીમાં હાલમાં મોટા ભાગના વીસી ડોક્યુમેન્ટ આધારિત ફોર્મ ભરી રહ્યા છે. ચકાસણી પણ તેમને જ કરવાની છે. માત્ર ખેડૂતો સહી કરી રહ્યા છે. હવે આ ફોર્મમાં વિગતોમાં કે એકાઉન્ટમાં કોઈ ભૂલ આવે તો ખેડૂતો સહાયથી વંચિત રહી શકે છે. જેથી ખેડૂતોએ ફોર્મની અરજીમાં સહી કરતા પૂર્વે તમામ વિગતો ચેક કરી લેવી જોઈએ નહીં તો તેમનું ફોર્મ રદ થઈ શકે છે અને સહાયથી વંચિત પણ રહી શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:05 am

રજૂઆત:બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત, મહિલા BLOને હુકમ ન કરવામાં આવે

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે BLOની ફરજોને લઈને વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે માત્ર પ્રાથમિક શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય કેડરના કર્મચારીઓને પણ ફરજો સોંપવામાં આવે. મહિલા BLO પર વધતો બોજ હળવો કરવા માટે તેમને હુકમ ન કરવા અને ઓનલાઈન કામગીરી માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જ્યારે શિક્ષકોને BLO ફરજ માટે શાળામાંથી ઓન ડ્યુટી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના BLOના પ્રશ્નોને લઈને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે દ્વારા બુધવારે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા BLOને હુકમ ન કરવાની સ્પષ્ટ માંગણી કરી હતી. સાથે જ સત્વરે સહાયકની નિમણૂંક કરીને BLO સહાયકની સંયુક્ત બેઠક લઈ જવાબદારીઓ સ્પષ્ટ કરવાની જરૂરિયાત કરી હતી. ફોર્મ પરત આપવાની જવાબદારી મતદારની રહેવી જોઈએ અને BLOને વધારાનો બોજ ન નાખવો જોઈએ. શિક્ષકોને BLO ફરજો માટે શાળામાંથી On Duty આપવામાં આવે અને માત્ર પ્રાથમિક શિક્ષકોને જ ટાર્ગેટ ન કરતાં, ચૂંટણી અધિકારીની સૂચના મુજબ અન્ય કેડરના કર્મચારીઓના હુકમ પણ કરવામાં આવે. સાથે જ BLO પર દબાણ કરવામાં ન આવે, તે ચલાવી લેવાશે નહીં એવી ચેતવણી પણ સંઘે આપી હતી. ઓનલાઈન કામગીરી માટે અલગ વ્યવસ્થા, બૂથ ઊભા કરવાની પણ માગણી કરવામાં આવશે. બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, ઘરે હાજર ન મળતા મતદારો બાબતે વહીવટી તંત્ર સ્પેશિયલ મદદ કરે. વધુમાં BLOની બેઠક સાંજે ન રાખવી અને ફોર્મ ઓનલાઈન કરવાનું દબાણ ન કરવું તેવા મુદ્દાઓ પર ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:02 am

યુવકે જીવાદોરી કાપી:પત્ની રિસામણે જતા યુવકને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

ખાંભાના મોટા સમઢીયાળામાં પત્નિ રીસામણે જતા 25 વર્ષિય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું. યુવાનને મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરતા અરેરાટી વ્યાપી હતી. બનાવની મળતી માહિતી મુજબ, મુળ મોટા સમઢીયાળા અને હાલ નાનીધારીમાં રહેતા સાદુર્ળભાઈ ભીખાભાઈ ચારોલીયાએ પોલીસને જણાવ્યું હતું કે તેના નાના ભાઈ હમીરભાઈ ભીખાભાઈ ચારોલીયા (ઉ.વ.25)ની પત્નિ છેલ્લા આઠેક મહિનાથી રીસામણે હતી. જેના કારણે તેને મનોમન લાગી આવતા 12 નવેમ્બરના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે હમીરભાઈ ચારોલીયાએ ઘરે જ ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન હમીરભાઈ ચારોલીયાનું મોત થયું હતું. આ અંગે ખાંભા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:02 am

ડોક્ટરોની અછત દૂર થશે:રાજુલા ખાતે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની જગ્યા ભરવામાં આવશે

રાજુલામાં જનરલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક પ્રાંત અધિકારી મેહુલ બરાસરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા વિવિધ આરોગ્ય લક્ષી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા જનરલ હોસ્પિટલ અંગે રજૂઆત કરી હતી. અહીં મેડિકલ ઓફિસર વધારવામાં આવે, નવી એમ્બ્યુલન્સ ફાળવણી કરવા, ડીલેવરી સમયે મહિલાઓ સાથે આવતા પુરૂષોને બેસવા માટેની વ્યવસ્થા કરવા સહિતના પ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મીટીંગમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારને લગતી વિવિધ આરોગ્ય લક્ષી સુવિધાઓ માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં રાજુલા જનરલ હોસ્પિટલના આરએમઓ શક્તિ ખુમાણ, હરેશભાઈ જેઠવા, રસિકભાઈ પારેખ, બકુલભાઈ વોરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:01 am

રોજની 20,000થી વધુ બોરીની આવક:પાલનપુર યાર્ડમાં 5 દિવસમાં 1.18 લાખ મગફળીની બોરીની આવક સામે તાલુકા સંઘમાં ટેકાના ભાવે ફ્કત 3555 જ બોરી

પાલનપુર માર્કેટયાર્ડમાં છેલ્લા પાંચ દિવસમાં 1.18 લાખ મગફળીની બોરીઓ માર્કેટમાં ઉતરી છે, એટલે કે રોજ સરેરાશ 20,000થી વધુ બોરીઓની આવક થઈ રહી છે.જ્યારે તાલુકા સંઘ માં ટેકાના ભાવે ફ્કત 3555 બોરીની આવક નોંધાઈ હતી.હાલ ખેડૂતોને માર્કેટમાં રૂ.1300 થી રૂ.1400 પ્રતિ 20 કિલોના ભાવ મળી રહ્યા છે. અને વેપારીઓ દ્વારા તુરંત રોકડ પેમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડ માં વધુ માલ વેચી રહ્યાં છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં આ વર્ષે મગફળીના પાકની આવક છેલ્લા પાંચ દિવસમાં 1.18 લાખ બોરી મગફળી ઉતરી છે, એટલે કે રોજ સરેરાશ 20,000થી વધુ બોરીઓની આવક થઈ રહી છે. આટલી મોટી આવકથી યાર્ડમાં વહેલી સવારે જ ખેડૂતોની લાઈનો લાગી જતી જોવા મળી રહી છે. બીજી તરફ તાલુકા સંઘમાં ટેકાના ભાવે માત્ર 3555 બોરીની જ આવક નોંધાઈ છે, જે માર્કેટયાર્ડની સરખામણીએ ખૂબ ઓછી ગણાય છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, બજારમાં ભાવ અને પેમેન્ટની સુવિધા સારી હોવાથી તેઓ ટેકાના ભાવ હેઠળ માલ નાખવાને બદલે ખુલ્લા બજારમાં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હાલ માર્કેટમાં મગફળીને રૂ.1300 થી રૂ.1400 પ્રતિ 20 કિલોના ભાવ મળી રહ્યા છે. આ ભાવ ટેકાના ભાવની સરખામણીમાં કઈ મોટો ફરક પડતો નથી.જેથી ખેડૂતો માલ માર્કેટમાં વેચી રહ્યાં છે. અને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા તુરંત રોકડ પેમેન્ટ પણ કરવામાં આવી રહી છે. ખેડૂતો કહે છે કે રોકડ ચુકવણી, વજન પ્રક્રિયા અને ઝડપી ખરીદીના કારણે માર્કેટયાર્ડમાં જ વેચાણ કરવું વધુ ફાયદાકારક બની રહ્યું છે. મગફળીની છેલ્લા પાંચ દિવસની આવક માર્કેટયાર્ડમાં સોમવારે 24,224 બોરી મગફળીની આવક નોંધાઈ હતી. જ્યારે મંગળવાર 26,000, બુધવારે 24,966, ગુરુવાર 20,716 અને શુક્રવાર 22,742 મગફળીની બોરીઓની આવક નોંધાઈ હતી. છેલ્લા પાંચ દિવસમાં પાલનપુર માર્કેટયાર્ડમાં 1,18,648 બોરી મગફળીની આવક થઈ હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:01 am

સ્મશાન ગૃહનું કરાશે સમારકામ:કુંડલામાં બંને સ્મશાન ગૃહની દયનિય હાલત બનતા તેનું રિનોવેશન કરાશે

સાવરકુંડલા શહેરમાં આવેલા સાવર વિભાગ અને કુંડલા વિભાગના બંને સ્મશાન ગૃહની પરિસ્થિતિ ખરાબ હાલતમાં હોવાથી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારીથી તેમનું રીનોવેશન કરવા આગળ આવી છે. છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટેની સગડી તૂટેલી છે. સ્મશાન ગૃહે આવતાં તમામ લોકો માટે પોતાના સ્વજનોને અગ્નિદાહ આપ્યા બાદ યોગ્ય રીતે અગ્નિસંસ્કાર ન થતાં હોય લોકોમાં પણ ભારે કચવાટ જોવા મળે છે. આ સ્થિતિનું સંજ્ઞાન લઈને સાવરકુંડલા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા વિરદદાદા જસરાજ સેના ટ્રસ્ટે સ્માશાન ગૃહનું રીનોવેશન કરવાનો નિર્ણય કર્યો છે. સંસ્થાના પ્રમુખ હિતેશ સરૈયા દ્વારા લોકોના સહકારથી આ બંને સ્મશાનનું રીનોવેશન કરવા માટે આગળ આવી કાર્ય ચાલુ કરશે. સેવાકીય સંસ્થા વીરદાદા જસરાજ સેના દ્વારા સાવરકુંડલાના શહેરીજનો પાસે બંને સ્મશાનમાં યોગ્ય સુવિધાઓ ઉભી કરવા સહયોગ માટે અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:01 am

ક્રાઇમ ન્યૂઝ:લાઠીના કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી છેડતી

લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્ચે કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી અને બાઈક આડુ નાખી છરી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે લાઠી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાતા ચકચાર મચી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, લાઠી પોલીસ મથકમાં 27 વર્ષિય મહિલા પોસ્ટ કર્મચારીએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઢસા તેના ઘરેથી ચાવંડ ગામે સબ પોસ્ટ ઓફિસે જતા હતા. તે દરમિયાન જાનબાઈની દેરડી ગામે પહોંચતા અજાણ્યા શખ્સે તેનું બાઈક લઈ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ ચાવંડ પોસ્ટ ઓફિસે આવતા આ શખ્સે એક દુકાન પર ચા પીધી હતી અને બાદમાં મહિલા પોસ્ટ કર્મચારી કામ પૂર્ણ કરી ફરી નાના-રાજકોટ તરફ જઈ રહ્યા હતા. જે બાદ આ અજાણ્યા શખ્સે ફરી તેનો પીછો કરી કરકોલીયા નજીક પહોંચતા મહિલા પોસ્ટ કર્મચારીના આડે બાઈક નાખી રોકાવ્યા હતા. આ શખ્સે મહિલા પોસ્ટ કર્મચારીની છેડતી કરી હતી. તે દરમિયાન મહિલા પોસ્ટ કર્મચારીએ પ્રતિકાર કરી ત્યાથી નિકળી ગયા હતા. સમગ્ર ઘટના અંગે લાઠી પોલીસ મથકમાં ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ એમ.બી.સિંધવ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:00 am

બનાસકાંઠામાં શિક્ષણ વ્યવસ્થાને વેગ:1045 જ્ઞાન સહાયકો, 258 કાયમી શિક્ષકોની નિમણૂંક

બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મોટા પાયે ભરતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1થી 8 સુધી તમામ વર્ગ શિક્ષકોની નિમણૂંક આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ધોરણ 1થી 5 માટે 1045 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે, જેનાથી નાના વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણમાં ગુણવત્તા વધશે. તે ઉપરાંત, ધોરણ 6 થી 8 માટે ભાષા અને સામાજિક વિજ્ઞાનના 258 કાયમી શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે. શિક્ષકોની આ ભરતી પૂર્ણ થતાં જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં સ્ટાફની કમી દૂર થશે. ટૂંક સમયમાં ધોરણ 6 થી 8 માટે ગણિત અને વિજ્ઞાનના લગભગ 100 કાયમી શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:00 am

મહિલા કોન્સ્ટેબલ નયનાની હરકતથી પોલીસની 'નજર નીચી’:ઘરમાં વોન્ટેડ આરોપીને આશરો આપતાં ખાખીની શાખ પર ડાઘ, દારૂ પણ ઝડપાયો; ભાવનગરમાં 2 મહિલા કર્મી સહિત 3ની ધરપકડ

કહેવાય છે કે ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર હોય, પરંતુ તે ક્યારેય પોલીસની નજરથી બચી શકતો નથી. પણ જો તે ગુનેગારને પોલીસ જ બચાવતી હોય તો? શું આ વાંચીને તમને ક્યાંક એવું તો નથી લાગતું ને કે લખવામાં કોઈ ભૂલ થઈ છે. તો તમને જણાવી દઇએ કે આ કોઈ લખવામાં ભૂલ નથી થઈ, પરંતુ ભાવનગરમાં ખાખીને ડાઘ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે અમે તેના વિશે તમને જણાવી રહ્યા છીએ. વાત જાણે એમ છે કે એટ્રોસીટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા કે જેણે શોધવા ભાવગનર પોલીસે આખું ગામ ફેંદી નાખ્યું તે વોન્ટેડ આરોપીને ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ(હવે સસ્પેન્ડેડ) નયના નાનજીભાઈ બારૈયાએ જ ઘરમાં આશરો આપ્યો હતો. આ વાત આટલેથી નથી અટકતી જ્યારે બાતમી મળતા SC-ST સેલ મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે પહોંચે છે ત્યારે ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ, ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા પણ મળે છે. સાથે જ ઘરમાં સર્ચ દરમિયાન એક રૂમમાંથી અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની પણ મળી આવતા પોલીસે 2 મહિલા પોલીસ કર્મી અને વોન્ટેડ આરોપીને ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે મહિલા કોન્સ્ટેબલ નયનાની હરકતથી પોલીસની ‘નજર નીચી’ થઈ ગઈ છે. અને પોતાના ઘરમાં જ વોન્ટેડ આરોપીને આશરો આપતા ખાખીની શાખ પર ડાઘ લાગ્યો છે. મહિલા કોન્સ્ટેબલે આરોપીને ઘરમાં આશરો આપ્યાની બાતમી મળી હતીઘટના અંગે વિગતે વાત કરીએ તો તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં પીપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંધલ્યા વિરુદ્ધ એટ્રોસીટી અંગે ફરિયાદ દાખલ થઈ હતી. આ ગુનો નોંધાયા બાદ આરોપી વોન્ટેડ હોય આરોપીને ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાછળ આવેલા રોયલ પાર્ક પ્લોટ નંબર.18માં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નયના નાનજીભાઈ બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની બાતમી SC-ST સેલની ટીમને મળી હતી. નયનાની મીઠી નજર નીચે આરોપી બિન્દાસ્ત ઘરમાં રહેતો હતોહાઇફાઇ લાઇફ સ્ટાઇલ, મોંઘી ગાડી, ફેશનેબલ કપડાં અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની શોખીન મહિલા કોન્સ્ટેબલ નયનાની ‘મીઠી નજર’ નીચે આરોપી બિન્દાસ્ત તેના ઘરમાં રહેતો હતો. SC-ST સેલ-પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે નયનાના ઘરે રેડ કરીજે પોલીસનું નામ સાંભળી આરોપી ફફડવો જોઇએ તે પોલીસે જ આરોપીને પોલીસથી બચાવવા માટે પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા અને મહિલા કોન્સ્ટેબલને ભરોસો હતો કે ખાખી ક્યારેય ખાખી પર શંકા નહીં કરે. પણ મહિલા કોન્સ્ટેબલ અહીં જ છેતરાઈ ગઈ. બાતમી મળતા જ SC-ST સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મહિલા પોલીસ કર્મીના ઘરે સંયુક્ત રેડ કરી. નયનાના ઘરમાંથી વોન્ટેડ આરોપી-દારૂ ઝડપાયોરોયલ પાર્કમાં રહેતી મહિલા કોન્સ્ટેબલના ઘરે જ્યારે રેડ પડી ત્યારે ભાગેડું આરોપી પાર્થ દિનેશ ધાંધલીયા (ઉ.વ.26) હાજર મળી આવ્યો હતો. વળી કહેવાતી દારૂબંધી વચ્ચે મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરમાંથી દારૂની બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળ્યા હતા. પોલીસે ઘરમાં સર્ચ કરતા મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા (ઉ.વ.34) તથા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની (ઉં.વ.29) રહે. વિદ્યાનગર નવી પોલીસ લાઈન પણ ઘરમાં હાજર મળી આવી હતી. ત્રણેય આરોપીની ધરપકડSC-ST સેલની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે. શું કહી રહી છે પોલીસ?આ અંગે DYSP રીમા ઝાલાએ જણાવ્યું હતું કે,13 સપ્ટેમ્બરના રોજ મારામારી તેમજ એટ્રોસીટી કલમ અંતર્ગત આરોપી અનિલ રણછોડભાઈ બારૈયા, મુકેશ રણછોડભાઈ બારૈયા તથા બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત તમામ આરોપીઓ ફરાર થઈ જતા આરોપીની શોધખોળ કરવા વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી, આરોપીઓ ન મળતા તેઓ વિરુદ્ધ વોરન્ટ મેળવ્યો હતો. કોન્સ્ટેબલના ઘરે આરોપી હોવાની બાતમી હતીઆ તમામ કાર્યવાહી બાદ 12 નવેમ્બર, 2025એ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ તમામ આરોપીઓના સગા થાય છે. તેમના ઘરે આરોપીઓ હોવાની શંકા હોય SC-ST સેલની બે ટીમો તથા પેરોલ ફર્લો દ્વારા ઘરની ઝડતી કરવામાં આવી અને તે દરમિયાન પાર્થ દિનેશભાઈ ધાંધલ્યા ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવ્યા હતા. ત્રણેય પર પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલમહિલા કોન્સ્ટેબલે આરોપીને આશરો આપતા BNSની કલમ અંતર્ગત રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘરની ઝડતી દરમિયાન દારૂની બોટલ મળી હતી. સમગ્ર બનાવ બાદ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આરોપી પાર્થ ત્રણેય પર પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ ક્યા ગુનો કર્યો હતો?ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથકમાં ચાર શખસો વિરૂદ્ધ લાખણકા (ડેમ) ગામે રહેતા એક વૃદ્ધાએ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચારેય આરોપીઓ છેલ્લા બે માસથી ફરાર થઈ ગયા હતા. જે મામલે SC-ST સેલના પોલીસ અધિકારીએ કોર્ટમાંથી વોરંટ મેળવ્યું હતું. વરતેજ પોલીસ મથકમાં 4 શખસો વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ હતીદેવગણા ગામે રહેતા બારૈયા ભાઈઓ અનિલ રણછોડભાઇ બારૈયા, મુકેશ રણછોડભાઇ બારૈયા તેમજ તેમના બે ભાણેજ વિરૂદ્ધ લાખણકા (ડેમ) ગામના ઉપ સરપંચ દાનજીભાઇ કાળુભાઇ અને તેમના પુત્રને માર મારી, જ્ઞાતીથી હડધુત કરી, ગંભીર માર મારવાના કેસમાં ઉપસરપંચ દાનજીભાઇએ ચારેય શખસો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં એટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધાવી હતી. (સસ્પેન્ડેડે પોલીસ કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાના તમામ વીડિયો ફોટો સૌજન્ય:સોશિયલ મીડિયા)

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:00 am

ગાંધીનગર પોલીસનો ડોગ ભસ્યો ને અનિલને પરસેવો છૂટ્યો:હત્યા કરી 35 કલાક બાળકીની લાશને સંતાડી, દુર્ગંધ આવતા કલ્પેશના ફળિયામાં ફેંકી ફસાવવાનો ખેલ કર્યો; આ રીતે દબોચાયો

ગાંધીનગર પોલીસનો ડોગ ભસ્યો ને અનિલને પરસેવો છૂટ્યો હતો.આરોપીએ હત્યા કરીને 35 કલાક બાળકીની લાશને સંતાડી હતી, દુર્ગંધ આવતા કલ્પેશના ફળિયામાં મૃતદેહને ફેંકી ફસાવવાનો ખેલ કર્યો હતો. ગાંધીનગરના રાયપુર ગામમાં રામદેવપીર ફળિયુ સ્લમ વસાહતમાંથી ગુમ થયેલી બાળકીની નિર્મમ હત્યા પ્રકરણમાં ડભોડા પોલીસે અનિલની સત્તાવાર રીતે અટકાયત કરી લીધી હતી. પોલીસ તપાસમાં આ હત્યા મૃતકના પિતા સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી હોવાનું આરોપીએ ખુલાસો કર્યો હતો. 'બાળકીની હત્યા કર્યા પછી 35 કલાક સુધી લાશને ઘરમાં સંતાડી'આ અંગે ડભોડા પીઆઇ જી. કે . ભરવાડે જણાવ્યું કે, દિકરી ગત તા.12મી નવેમ્બરના સવારના આશરે દશેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ બાળકીની હત્યા અનિલે કરી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. 30 વર્ષિય અનિલે બાળકીની હત્યા કર્યા પછી અંદાજિત 35 કલાક સુધી લાશને ઘરમાં સંતાડી રાખી હતી. જેના ઘરમાં અઢળક વેસ્ટ કપડાં સહિતનો પરચુરણ સર સામાન પડ્યો હોવાથી આરોપીએ બાળકીની લાશનો કોથળો અલગ અલગ ખૂણામાં સંતાડી રાખતો હતો. પરંતુ ઘરમાં દુર્ગંધ આવવા લાગતા તેણે લાશનો નિકાલ કરવાની મથામણ કરી હતી. તેને માત્ર 30 મિનિટના ગાળામાં બાળકીની હત્યા કરી હત્યારો બધાને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આરોપી ને બાળકીના પિતા વચ્ચે તકરાર ચાલતી'તીઅનિલ અને બાળકીના પિતાને છેલ્લા ઘણા સમયથી નાની મોટી તકરારો ચાલતી હતી. જ્યારે પિતાના પાછળની ઓરડીમાં રહેતા શખ્સને પણ બાળકીના પિતા સાથે તકરાર ચાલતી હતી. આ તરફ પોતાની સાથે બાળકીના પિતા ઝઘડો કરતા હોવાની અદાવત રાખી અનિલે તેને સબક શીખવાડવા બાળકીની હત્યા કરી છે. અનિલે બાળકીને મોઢું દબાવીને દોરી વડે ગળે ટૂંપો આપી દીધોગત તારીખ 12મી નવેમ્બરના રોજ બાળકીના પિતા અને તેની પત્ની કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે બાળકી ઘરે એકલી જ હતી. આ તરફ આરોપી અનિલની પત્ની તેના પુત્રને સ્કૂલે મૂકવા ગઈ હતી. આ તકનો લાભ લઈને આરોપી અનિલે બાળકીને પોતાના ઘરે બોલાવી હતી. જેવી બાળકી ઓરડીમાં પ્રવેશી કે અનિલે તેનું મોઢું દબાવીને દોરી વડે ગળે ટૂંપો આપી દીધો હતો. બાદમાં તેણે બાળકીની લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધી હતી. આ પણ વાંચો:ગાંધીનગરમાંથી 9 વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી લાશને ઘરના કબાટની પાછળ પીપળા નજીક મૂકીપોતે ભંગાર અને જુના કપડાનો ધંધો કરતો હોવાથી ઘરમાં બધો સામાન પડી રહ્યો હતો. જેની આડમાં અનિલે કોથળો સંતાડી દીધો હતો. આરોપી અનિલે બાળકીની લાશને ઘરના કબાટની પાછળ રાખેલા પીપળા નજીક મૂકી દીધી હતી. એક જૂની છત્રીની આડસ રાખી હતી. ઘરમાં મોટી માત્રામાં કપડાનો વેસ્ટ પડ્યો હોવાથી શરૂઆતમાં તેની પત્નીને પતિના આ કૃત્યની શંકા પણ ગઈ ન હતી. પત્નીને ખબર પડતાં પતિને બચાવવા ચુપકીદી સાદી લીધીબાદમાં બાળકીના પિતાએ પોતાની દીકરીને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા હતાં. જેથી આરોપી અનિલ પણ બાળકીને શોધવા માટે જોડે જોડે ફરવા લાગ્યો હતો. અને લાશનો નિકાલ કરવા માટેના પેતરા ધડી રહ્યો હતો. પરંતુ પોલીસ અને આજુબાજુના લોકોની સતત હાજરીના કારણે આરોપી અનિલને મોકો મળ્યો ન હતો. આ દરમિયાન તેની પત્નીને પણ આની ખબર પડી ગઈ હતી. પરંતુ પતિને બચાવવા માટે તેણે પણ ચુપકીદી સાદી લીધી હતી. આરોપી અનિલે બાળકીને શોધવાના નાટક કર્યાબાદમાં 12 નવેમ્બરની મધરાતે એટલે કે ચારેક વાગે અનિલ બાળકીની લાશનો નિકાલ કરવા ઉઠ્યો પણ હતો પરંતુ પોલીસની હાજરીના કારણે તેને મોકો મળ્યો ન હતો. 13મી નવેમ્બરના આખો દરમિયાન પણ આરોપી અનિલ પોલીસ અને બાળકીના પિતા સહિતના પરિવારજનો સાથે બાળકીને શોધવાના નાટક કરી રહ્યો હતો. બાળકીની લાશનો કોથળો કલ્પેશના ફળિયામાં નાખ્યોઆ દરમિયાન અનિલ વસાહતીઓને કલ્પેશ ઠાકોર વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને શંકાઓ પેદાઓ કરી રહ્યો હતો. બાદમાં અંધારું થતાં મોકો મળતા જ આરોપી અનિલે બાળકીની લાશ સાથેનો કોથળો કલ્પેશ ઠાકોરના ફળિયામાં નાખી દીધો હતો. જોકે કલ્પેશ ઠાકોરના ઘરે કુતરો બાંધેલો હોવાથી તે અચાનક સતત ભસવા લાગ્યો હતો. ગાંધીનગર પોલીસનો ડોગ ભસ્યો ને ભાંડો ફૂટ્યોઆ દરમિયાન અનિલ બાળકીના પિતા પાસે પહોંચી ગયો હતો અને કૂતરો ભસી રહ્યો હોવાનું જણાવી કલ્પેશ ઠાકોરના ઘરે લઈ ગયો હતો. બાદમાં બધાએ તપાસ કરતા બાળકીની લાશ કોથળામાંથી મળી આવી હતી. આ જોઈને અનિલે બધાને ઉશ્કેરયા હતા. અને બાળકીના પિતા તેમજ કલ્પેશ વચ્ચે અગાઉના ઝઘડાની દુશ્મનાવટ હોવાથી કલ્પેશ જ હત્યા કરી હોવાનો માહોલ ઊભો કર્યો હતો. જેના પગલે સ્થાનિકોને પણ કલ્પેશ ઠાકોરે હત્યા કરી હોવાનું લાગી રહ્યું હતું. બીજી તરફ કલ્પેશ ઠાકોરને ફસાવીને અનિલે પોતે બચી ગયો હોવાનું માની લીધું હતું. પોલીસનો ડોગ સીધો જ અનિલના ઘરમાં જ ઘૂસ્યોજોકે પોલીસનો ધમધમાટ શરૂ થતા અને ડોગ સ્ક્વોર્ડની ટીમ પણ આવી પહોંચતા આરોપી અનિલના મોતિયા મરી ગયા હતા. કેમકે પોલીસનો ડોગ સીધો જ અનિલના ઘરમાં જ ઘૂસ્યો હતો. એ વખતે પણ અનિલ પોલીસને કહી રહ્યો હતો કે , જેણે હત્યા કરી છે એના ઘરે જઈને તપાસ કરો મારા ઘરે શું કામ કુતરા લઈને આવ્યા છો. બાળકીના પિતાને સબક શીખવવા હત્યા કરી હોવાનો ખુલાસોજોકે પોલીસે અનિલને ઉઠાવી લઈ કડકાઈથી પૂછતા જ કરતા તેણે ઉપરોક્ત સમગ્ર હકીકતની કબુલાત કરી લીધી છે. જેના પગલે આ હત્યાને અંજામ અગાઉના ઝઘડાની અદાવતમાં કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યા બાળકીના પિતાને સબક શીખવાડવા માટે કરવામાં આવી છે. વધુમાં પીઆઇ ભરવાડે જણાવ્યું કે, આજે સમગ્ર ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરવામાં પણ આવશે. હત્યાનું ડિટેકશન આ ટીમ દ્વારા થયુંઆ સમગ્ર હત્યાનું ડિટેકશન ગાંધીનગર એસપી રવિ તેજા વાસણ શેટ્ટી તેમજ દહેગામ એએસપી આયુષ જૈનના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં હતું. ઘટનાની ગંભીરતા જાણીને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દિવાનસિંહ વાળા અને એચ. પી. પરમાર પણ પોતાની ટીમ સાથે એક્ટિવ થયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Nov 2025 6:00 am