SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર, બેના મોત, 8 ઈજાગ્રસ્ત

USA Firing News : અમેરિકાના રોડ આઇલેન્ડ સ્થિત પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે. ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન કાળા કપડાં પહેરેલા એક અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોર હજી ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે. એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ફાયરિંગ

ગુજરાત સમાચાર 14 Dec 2025 8:29 am

દંપતીએ ફાઇનાન્સ કંપનીના સીલ તોડી પ્રવેશ કર્યો:7 લાખની લોન ન ભરતા મકાન ટાંચમાં લેવાયું હતું

સરસ્વતી તાલુકાના મોરપા ગામે ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરાયેલા મકાનમાં ગેરકાયદેસર રીતે સીલ તોડી પ્રવેશ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એસ.આર.જી. ફાઇનાન્સ કંપનીની પાલનપુર શાખાના ઓથોરાઇઝડ ઓફિસર સાગર પરમારે વાગડોદ પોલીસ મથકે મોરપાના પાંચાભાઈ અને મેનાબેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, પાંચાભાઈ અને મેનાબેને 16 ડિસેમ્બર, 2020ના રોજ ઉપરોક્ત મકાન પર રૂ. 7 લાખની લોન લીધી હતી. થોડા હપ્તા ભર્યા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. ફાઇનાન્સ કંપનીએ નોટિસ આપવા છતાં બાકી હપ્તા ભરવામાં આવ્યા ન હતા.આથી, ફાઇનાન્સ કંપનીએ પાટણ કોર્ટમાંથી મોર્ગેજ મિલકતનો કબજો મેળવવા માટે હુકમ મેળવ્યો હતો. કોર્ટના આદેશ બાદ, 20 ઓક્ટોબર, 2024ના રોજ કોર્ટ કમિશ્નરની હાજરીમાં કંપનીએ મકાનનો કાયદેસર કબજો મેળવી તેને સીલ કર્યું હતું. જોકે, 7 નવેમ્બર, 2024ના રોજ કંપનીએ મકાન તપાસતા તેના સીલ તૂટેલા જણાયા હતા અને દંપતી મકાનમાં રહેતું હતું. કંપનીએ તેમને પૂછતાં, દંપતીએ આ મકાન તેમનું હોવાનું અને ખાલી નહીં કરે તેમ જણાવ્યું હતું. આ ઘટના બાદ, ફાઇનાન્સ કંપનીએ દંપતી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સીલ તોડી મકાનમાં પ્રવેશ કરવા અને કંપનીને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:28 am

વલસાડમાં નેશનલ લોક અદાલત યોજાઈ:13,239 કેસોનો નિકાલ, રૂ.20.17 કરોડથી વધુનું સમાધાન

વલસાડ જિલ્લામાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં કુલ 13,239 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ₹20.17 કરોડથી વધુનું સમાધાન થયું હતું. વલસાડ જિલ્લા અદાલત અને તેની તાબા હેઠળની તમામ તાલુકા અદાલતોમાં આ લોક અદાલત યોજાઈ હતી. તેમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેવા કે ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, ચેક રિટર્ન (નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ) કેસો, લગ્ન વિષયક તકરાર, મોટર અકસ્માત વળતર, જમીન સંપાદન વળતર, અને દીવાની દાવા (ભાડા/ભાડુઆત, મનાઈ હુકમ, જાહેરાત, કરાર પાલન સંબંધિત) સહિત કુલ 785 કેસો મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્પેશિયલ સીટિંગ ઓફ મેજિસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરીને નિકાલ થઈ શકે તેવા 8,430 ફોજદારી કેસો પણ રજૂ કરાયા હતા. બેંક-ફાઇનાન્સ કંપનીના વસૂલાતના કેસો, વીજ બિલના વસૂલાતના કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓના બિલના વસૂલાતના કેસો, અને ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસૂલાતના કેસો સહિત કુલ 8,947 પ્રિ-લિટિગેશન કેસો પણ લોક અદાલતમાં મુકાયા હતા. લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો પૈકી 420 કેસોનો નિકાલ થયો. સ્પેશિયલ સીટિંગના 7,249 કેસો અને પ્રિ-લિટિગેશનના 5,570 કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો. આમ, કુલ 13,239 કેસોનો નિકાલ થયો અને કુલ ₹20.17 કરોડનું સમાધાન થયું. વલસાડ જિલ્લાના પક્ષકારો અને વકીલોએ આ લોક અદાલતમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેને સફળ બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:26 am

જામનગરમાં LCBએ મોટરસાઇકલ ચોરને ઝડપ્યો:ત્રણ ચોરાઉ મોટરસાઇકલ સાથે ₹75,000નો મુદ્દામાલ જપ્ત

જામનગર LCB પોલીસે મોટરસાઇકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹75,000ની કિંમતના ત્રણ ચોરાઉ મોટરસાઇકલ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી જામનગર શહેર વિસ્તારમાં અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાએ જિલ્લામાં દાખલ થયેલા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે LCB PIને સૂચના આપી હતી. જેના પગલે LCBના PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઈ બ્લોચને મળેલી ખાનગી હકીકતના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુલાબનગર, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ, શહીદી ચોક, જામનગરમાં રહેતા રેહાનભાઈ બોદુભાઈ કુરેશી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી ગુલાબનગર વાંઝાવાસમાં રહેતા અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઇલભાઈ સિપાઈના વંડામાંથી ચોરી કરીને મેળવેલા હીરો હોન્ડા અને હીરો કંપનીના કુલ ત્રણ મોટરસાઇકલ મળી આવ્યા હતા, જેની કિંમત ₹75,000 આંકવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે કેસ સિટી 'બી' પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઇલભાઈ સિપાઈ હજુ ફરાર છે. આ કાર્યવાહીથી જામનગર સિટી 'બી' પોલીસ સ્ટેશનના ત્રણ અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર કાર્યવાહી PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને LCB સ્ટાફના ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર વગેરે દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:24 am

મંત્રી મનીષા વકીલે સુરેન્દ્રનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી:બાળકો સાથે સંવાદ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણનું માર્ગદર્શન આપ્યું

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-1 અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.44ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બાળકો સાથે સંવાદ કરી તેમના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ આંગણવાડી સંચાલક બહેનને બાળકોના ભાષા વિકાસ, રમતગમત, શારીરિક આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. તેમણે બાળકોના વિકાસ માટે વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવાની સલાહ પણ આપી હતી. આ ઉપરાંત, તેમણે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હતું. ડૉ. મનીષા વકીલે આંગણવાડી કેન્દ્રની દૈનિક વ્યવસ્થાઓની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે કેન્દ્રની સ્વચ્છતા, બાળકોને આપવામાં આવતો પોષણયુક્ત આહાર, ભૌતિક સુવિધાઓ, રેકોર્ડ રખાવાની પદ્ધતિ, હાજરી રજીસ્ટર, આરોગ્ય રેકોર્ડ અને પોષણ વિતરણ જેવી બાબતોની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે શિક્ષણ માટે ઉપલબ્ધ સાધનસામગ્રી, રમકડાં અને અન્ય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે પણ સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, દેવાંગભાઈ રાવલ, હાર્દિકભાઈ ટમાલિયા, રાજભા ઝાલા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વઢવાણ ખાતે પદ્મશ્રી લવજીભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળની શ્રી આરાધ્યા ટાંગલિયા હાથવણાટ સહકારી મંડળી લી.ની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ પદ્મશ્રી લવજીભાઈ પરમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમણે લવજીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા લુપ્ત થઈ રહેલી ટાંગલિયા હાથવણાટની કલાને સાચવી રાખવા અને તેના સંવર્ધન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરી હતી. મંત્રીએ કારીગરો સાથે સંવાદ કરી ટાંગલિયા બનાવવાની પ્રક્રિયા, કિંમત અને વેચાણ સહિતની વિગતો મેળવી ઉત્પાદનોની ખરીદી પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:23 am

વિશેષ જાગૃતિ અભિયાનના શ્રીગણેશ:બોટાદ જિલ્લો બાળ વિવાહ મુક્ત કરવા 100‎દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન કાર્યરત‎

બાળ વિવાહ એક સામાજિક દૂષણ અને કુપ્રથા જેને સમૂળે નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં શરૂ થયેલાં “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન”ને બોટાદ જિલ્લામાં વિશેષ ગતિ આપવા માં આવી રહી છે. અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બર 25થી 8 માર્ચ 26 સુધી 100 દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં બોટાદ જિલ્લાનાં દરેક ગામ, શહેર, સંસ્થા અને સ્ટેક હોલ્ડર સુધી પહોંચવાનો જિલ્લા પ્રશાસનનો દૃઢ નિશ્ચય છે. જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ.કે. ભટ્ટની આગેવાનીમા બોટાદ જિલ્લામાં અભિયાનનો પ્રારંભિક તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. 4 ડીસેમ્બર 25 થી 31 ડીસેમ્બર 25 સુધીના પ્રથમ તબક્કામાં બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાની શાળા-કોલેજોમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને બાળ વિવાહના જોખમો, કાય દાકીય જોગવાઈઓ અને બાળના શિક્ષણ, આરોગ્ય તથા વ્યક્તિગત વિકાસ પર પડતા નકારાત્મક પ્રભાવ વિશે સમજ અપાઈ રહી છે. આગામી દિવસોમાં 1 જાન્યુઆરી 26 થી 31 જાન્યુઆરી 26 સુધીના બીજા તબક્કામાં બોટાદ જિલ્લાનાં મંદિરો, સમુદાય ભવનો, લગ્ન હોલ, મંડપ સેવા, બેન્ડ, ડીજે, કેટરર્સ, પ્રિન્ટિંગ પ્રેસ અને વિડિઓગ્રાફરો સાથે પણ જિલ્લા તંત્ર દ્વારા સીધો સંપર્ક સાધવામાં આવશે જેથી તેઓ કોઈ પણ બાળ વિવાહને પ્રોત્સા હન ન આપે અને કાયદાકીય માર્ગદર્શિકાનું પાલન કરે. ત્રીજા તબક્કામાં 1 ફેબ્રુઆરી 26 થી 8 માર્ચ 26 દરમિયાન બોટાદ, ઊગામેડી, , કુંડળ સહિતનાં ગામો તથા નગરપાલિકાનાં દરેક વોર્ડમાં રેલી, જાગૃતિ સભાઓ અને સંવાદ કાર્યક્રમો યોજીને ગ્રામ્ય સ્તરે જાગૃતિ પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અને નિયમ-2008 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવાં, કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદ કરવીએ કાયદા કીય ગુનો બને છે જેથી બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અન્વયે જાગૃત બનવા અને આપણા જિલ્લાને બાળ વિવાહ મુક્ત બનાવવા સહયોગ આપવા બોટાદ વહીવટ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:48 am

કરુણાંતિકા સર્જાઈ:ગારિયાધાર પાસે ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે મહિલાનું મોત

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં એક ગફલતભરી વાહનચાલનની ઘટના જીવલેણ સાબિત થઈ હતી. રહેવાસી મધુબેન પરમારનું ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરનગર ગામે રહેતા સુરેશભાઈ સંજયભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર સાથે તેમના માતા મધુબેન પરમારના મામાના પાણીઢોળ લૌકિક કાર્ય નિમિત્તે ગારીયાધાર આવ્યા હતા. લૌકિક કાર્ય પૂર્ણ થયા બાદ સુરેશભાઈના માતા–પિતા એક જ મોટરસાયકલ (નં. GJ-04-DL-6524) પર સવાર હતા અને તેઓ પોતે પરિવાર સાથે બીજી મોટરસાયકલ પર તેમના પાછળ જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના બીજા સંબંધીઓ અન્ય ફોરવ્હીલ મારફતે બપોરના અઢીથી પોણા ત્રણના ગાળામાં સૌ લોકો સાથે પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા ત્યારે જ અચાનકથી ટ્રેક્ટર ચાલકે પરવડી ગામ નજીકના ગેટ પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસે પહોંચતા એક સિલ્વર અને પીળા કલરની છત્રી ધરાવતું ટ્રેક્ટર લોખંડની ટ્રોલી સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. આ ટ્રેક્ટર ચાલક અજય આરશીભાઇ ભીલ બેફિકરાય અને ગફલતભરી રીતે મોટરસાયકલને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં ટ્રેક્ટરની પાછળ જોડાયેલી ટ્રોલીનો ટલ્લો લાગતાં સુરેશભાઈના માતા–પિતા મોટરસાયકલ સહિત રસ્તા પર જ પછડાટ ખાઈને પટકાયા હતા. અકસ્માતમાં મધુબેન પરમારને આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ સાથે ભારે લોહી વહી ગયું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમની હાલત બગડતાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. ટ્રેક્ટર ચાલક પરવડી ગામનો જ હોવાનું અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈ ગારીયાધાર પોલીસે ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:41 am

તંત્ર એકશનમાં:સિહોરમાં હાઇવે પર દબાણો હટાવવા તંત્રનું બુલડોઝર તૈયાર

શહેરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ હાઇ-વે 51 પસાર થાય છે. આ શહેરમાંથી રાજ્યના મોટા ભાગના નાના-મોટા શહેરો તરફ જતા-આવતા હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. સિહોર ટાણા ચોકડીથી દાદાની વાવ સુધીનો માર્ગ આમેય માત્ર કહેવા પૂરતો જ ફોર લાઇન માર્ગ છે. આથી આ માર્ગ પર લારી-ગલ્લા અને કેબિન હટાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. સિહોરમાં ભાવનગર–રાજકોટ રોડ પર અનેક જગ્યાએ દબાણરૂપ ચા અને પાન-માવાના ગલ્લાઓ, ફળવાળા, ગેરેજવાળાઓએ ગેરકાયદેસર દબાણ કરેલ છે. નેશનલ હાઇ-વે પર ગીચતા વધી રહી છે. અને દિવસે-દિવસે ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. ટ્રાફિક સમસ્યાને કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. આથી આ રોડને ખુલ્લો કરવો આવશ્યક છે. સિહોર પોલીસ અને નગરપાલિકાની આ સંયુક્ત જવાબદારી ગણાય. સિહોરમાં ગુંદાળા વિસ્તારથી શરૂ કરી છેક વળાવડ ફાટક સુધી રોડની બંને બાજુ દબાણ કરવામાં આવેલ છે. જેનાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરે છે. આખરે જનતાનો અવાજ તંત્રને સંભળાણોનગરજનોની પ્રબળ માંગ બાદ પ્રાંત અધિકારીએ નગરપાલિકા સામે લાલ આંખ કરી છે અને દબાણ હટાવવા અંગે કોઇ ઠોસ કદમ ઉઠાવવામાં આવે તેવો આદેશ કરતાં નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યુ છે. નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં જે-જે આસામીઓએ હાઇ-વે પર દબાણ કરેલ છે તેવા આસામીઓએ પોતાના દબાણો હટાવવા તાકીદ કરાઇ છે. જો આ બાબતે જે-તે દબાણકર્તા બેકાળજી દાખવશે તો તેના ખર્ચે અને જોખમે સિહોર મામલતદારની રાહબરી નીચે નગરપાલિકા દ્વારા હટાવાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:40 am

બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયકો માટે રાહતના સમાચાર:ફિક્સ પગારના અધ્યાપક સહાયકને પ્રમોશન માટેનો માર્ગ સરળ કરાયો

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા એક જાહેરનામા દ્વારા ફિક્સ પગારમાં કામ કરતા અધ્યાપક સહાયક કે જેઓ બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયક તરીકે કામ કરે છે તેમને માટે એક લાંબા ગાળે રાહતના સમાચાર આપ્યા છે. જેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ વધારાનો પગાર વધાર વધારો મળવાપાત્ર ન હોઈ, Ph.D. ની લાયકાત હેઠળ નિમણુક ધરાવનાર અધ્યાપક સહાયકને 5 વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવે ત્યારે લાયકાત ધરાવતા હોય તો CAS (એકેડેમિક લેવલ 10થી 11) નિયમ મુજબ ચાર વર્ષે મળવાપાત્ર થાય છે તેની જગ્યાએ ફિક્સ પગારની સેવા પૂર્ણ થતા તરત જ પાંચ વર્ષ બાદ મળવાપાત્ર લાભ મળશે. M.Phil. ની લાયકાત હેઠળ નિમણુક ધરાવતા અધ્યાપક સહાયકને 5 વર્ષ ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવે ત્યાર બાદ CAS (એકેડેમિક લેવલ 10થી 11) 5 વર્ષ બાદ મળવાપાત્ર થશે. જ્યારે Ph.D. કે M.Phil. ની લાયકાતના ધરાવતા અધ્યાપક સહાયકોને 5 વર્ષ ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવે ત્યારબાદ એક વર્ષની સેવા પૂર્ણ કર્યેથી એટલે કે 6 વર્ષ બાદ CAS (એકેડેમિક લેવલ 10થી 11) મળવાપાત્ર થશે, આમ પીએચડી કે એમફીલ ની પદવી ન ધરાવતા લોકોને 6 વર્ષે આ લાભ મળશે. આમ, એક આદેશ દ્વારા 11 અધ્યાપકોને CAS મળવાપાત્ર તારીખથી છઠ્ઠા પગારપંચ મુજબ પગાર ધોરણ 15,600થી 39,100 ગ્રેડ પે 7000 મંજૂર કરવામાં આવે છે. તથા બીજા 19 અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ એકેડેમિક લેવલ 11 પગાર ધોરણ 68,900થી 2,05,500 મંજૂર કરવામાં આવેલ છે. આ આદેશનો અમલ સેવાપોથીમાં થયેલી નોંધ અને અને ત્યારબાદની ચકાસણી બાદ અમલ કરવામાં આવશે. આમ ગુજરાત અધ્યાપક મંડળની લાંબી રજૂઆત બાદ ઘણા સમય પછી સરકાર દ્વારા કર્મચારીઓના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમય બાદ ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને પ્રમોશન માટેનો માર્ગ આ જાહેરનામાને કારણે મોકળો થયો છે અને આગામી દિવસોમાં અધ્યાપક સહાયકોને તેમની નોકરીમાં વધુ લાભ મળતા થઈ જશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:38 am

ભવ્ય ઉજવણી કરાઈ:નંદાલય હવેલીમાં ગુસાંઈજીના 511માં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર 13 ડિસેમ્બર શનિવારે શ્રીમદ પ્રભુચરણ ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય ગોસ્વામી 108 નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂજ્ય ગોસ્વામી 108 આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આયોજન અંતર્ગત શનિવારે સવારે 6.30 વાગે પૂજ્ય વલ્લભકુળ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન તથા કીર્તન મંડળી સાથે ગુસાંઈજી પ્રભુના સ્વરૂપને પધરાવી ભવ્ય પ્રભાતફેરી નીકળી હતી અને નંદાલય હવેલીની પ્રદક્ષિણા, ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્યોના સાનિધ્યમાં નામરત્નાખ્ય સ્તોત્રનું સમૂહ ગાન તથા મંગલા આરતી થશે. સવારે 11 વાગે છબીલાજી પ્રભુના તિલકના દર્શન કરવામાં આવ્યા હતા. સાંજે ગોસ્વામી 108 આનંદ બાવાના આશીર્વચન, પુષ્ટિ-કીડ્સ બાળપાઠશાળાના બાળકો દ્વારા - અનુગ્રહ: પુષ્ટિમાર્ગે નિયામક નાટિકા તથા રાસ, કીર્તન ક્લાસના વૈષ્ણવો દ્વારા ધોળપદ કિર્તન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દીક્ષાંત સમારોહ અંતર્ગત વર્ષ દરમિયાન પુષ્ટિ-કીડ્સ બાળ પાઠશાળાના બાળકો તેમજ કીર્તન ક્લાસમાં પાસ થનાર વૈષ્ણવોને પૂજ્ય મહારાજના હસ્તે સર્ટિફિકેટ તથા ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ નંદ મહોત્સવ તથા છબીલાજી પ્રભુના 'ચોપાટ' મનોરથના દર્શન કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:38 am

સાયબર ફ્રોડ કરનાર ઠગો ઝડપાયા:વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની સમન્વય પોર્ટલની ફરિયાદોથી શહેરમાંથી 2 જબ્બે

અલગ અલગ રાજ્યોમાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે શહેર પોલીસે કાર્યવાહી કરી હતી અને સાયબર ઠગાઈના નાણાંના વ્યવહાર સાથે સંકળાયેલા બે શખ્સોને ભાવનગર શહેર માંથી ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને શખ્સો સાયબર ગુનાહિત ગેંગ માટે મ્યુલ એકાઉન્ટ તરીકે કાર્ય કરતા હતા અને તેમના ખાતામાં જમા થયેલી રકમ બાદમાં ઉપાડી સગેવગે કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે સાયબર ફ્રોડથી મેળવાયેલા નાણાં આરટીજીએસ, આઈએમપીએસ તેમજ યુપીઆઈ મારફતે આ શખ્સોના મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રકમ ATM માંથી રોકડ રૂપે તેમજ બેંક ચેક મારફતે ઉપાડી લેવામાં આવી હતી અલગ અલગ રીતે સગેવગે કરાઈ હતી. સમન્વય પોર્ટલ પર દેશભરમાંથી મળેલી વિવિધ ફરિયાદોની ક્રોસ ચકાસણી દરમિયાન આ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ હાથ ધરી હતી, આ બનાવમાં આરોપી તરીકે અમિત પ્રકાશભાઈ ડોડીયા, રહે. બ્લોક નંબર 1609, બી-5, નવા બે માળિયા, શિવનગર પાછળ, ભાવનગરનું નામ બહાર આવ્યું હતું. તેના SBI બેન્ક પંચવટી ચોક, શિવાજી સર્કલ ખાતા નંબર 36075877091માં કુલ 6,40,000 રૂપિયાની રકમ જમા થઈ હોવાનું નોંધાયું હતું, જે રકમ તેણે એટીએમ તેમજ ચેક મારફતે બેંકમાંથી ઉપાડી સગેવગે કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ જ કેસમાં બીજો આરોપી નીરવ વિક્રમભાઈ પંડ્યા, રહે. પ્લોટ નંબર 92, સુવિધા ટાઉનશીપ, સુભાષનગર, ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું હતું. તેના SBI બેન્ક એરપોર્ટ રોડ, સુભાષનગર શાખાના ખાતા નંબર 30862622950માં કુલ 9,64,545 રૂપિયાની રકમ જમા થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેને તેણે પણ એટીએમ તથા ચેક મારફતે ઉપાડી સગેવગે કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે દેશભરમાં નોંધાયેલી સાયબર ફ્રોડની વિવિધ ફરિયાદોના આધારે આ બંને શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. વધુ તપાસ દરમિયાન આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામો બહાર આવવાની સંભાવના હોવાનું જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:37 am

યુવાને આપઘાત કર્યો:સિહોરમાં વ્યાજખોરના ત્રાસે યુવાને એસિડ પીધું

ભાવનગર જિલ્લાના વ્યાજખોરના ત્રાસથી એસિડ પી લેવાની વધુ એક ઘટના નોંધાઈ છે. આ ઘટના મુજબ સિહોર તાલુકામાં રહેતા રવિભાઈ કાળુભાઈ નૈયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ પહેલા તેમના ઘરમાં દવાખાના નો અચાનકથી ખર્ચ આવતા તેમની સાથે જ કડિયા કામ પર જતા જગદીશ જેન્તીભાઈ સોલંકી પાસેથી દોઢ લાખ રૂપિયા 10% ના વ્યાજે લીધા હતા. જેની નિયમિત ભરપાઈ રોકડ તથા ઓનલાઇન માધ્યમથી 70 હજાર ચૂકવી દીધેલા હતા જ્યારે હાલમાં પૂરતું કામ ન મળતા જગદીશ જેન્તીભાઈ સોલંકી એ રવિભાઈ અને તેમના બહેનને ફોન કરી હજી તમારે રૂપિયા 4.25 લાખ દેવાના નીકળે છે તેવી ઉઘરાણી કરી ધમકી આપતા રવિભાઈએ આ વ્યાજખોરની સતત ઉઘરાણીથી કંટાળીને પોતાના ઘરે બાથરૂમમાં પડેલી એસિડની બોટલમાંથી એસિડ પી જતા તબિયત બગડી હતી અને સાથે રાડું-દેકારા થતા તેમને ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં શિહોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:35 am

PGVCLની ભાવનગર સહિતની પાંચ સર્કલ કચેરીને આવરી લેવાશે:સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લામાં FRTની 126 ટીમો થશે કાર્યરત

વર્ષ-2004માં જી.ઈ.બી.ના પુનઃગઠનના બાદ જી.યુ.વી.એન.એલ. દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણની કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર સહિત 11 જિલ્લામાં ગુડગાંવ (હરિયાણા) અને દિલ્હીની ખાનગી એજન્સીની રૂ.272 કરોડના ત્રણ વર્ષના કરાર આધારિત નિમણુંક કરી છે. PGVCLના ખાનગી કંપની સાથેના કરારના મુજબ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં FRT (ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમ)ની 126 ટીમો કાર્યરત થશે. PGVCLમાં જી.પી.એસ.થી સજ્જ વ્હીકલ સાથેની ખાસ 256 FRTના જુલાઈ મહિનામાં ગઠન કરાયા બાદ ખાનગી એજન્સીના પગરણ સામે વિદ્યુત કંપનીના કર્મચારી સંઘોએ વિરોધ કરતા FRTનું કોકડું ગૂંચવાયું છે. સૌરાષ્ટ્ર પ્રાંતના 11 જિલ્લામાં આવેલ પી.જી.વી.સી.એલ.ના કાર્યક્ષેત્ર નીચેના કુલ 13 સર્કલ ઓફિસમાં સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર મેનેજમેન્ટ અને વ્હીકલ સાથેની FRT ટીમમાં કરાર મુજબ ખાનગી કંપની મારફતે બે ટેક્નિશિયન કર્મચારી, એક ડ્રાઈવર, ટેક્નિશિયન અને એક વ્હીકલની ફાળવણી થવાની છે. પી.જી.વી.સી.એલ.માં ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટમાં ટેક્નિકલ સેવાના ખાનગીકરણ સામે ઉભા થયેલા વિરોધથી અમલ ચાર મહિના સુધી અટકાવી દેવાયો હતો. તાજેતરમાં વિવાદ શાંત થયા બાદ પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને ડિસેમ્બર મહિનાથી લાગુ કરવા તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત પી.જી.વી.સી.એલ.ના 5 સર્કલમાં જી.પી.એસ.થી સજ્જ કુલ 126 FRT ટીમો 365 દિવસ અને 24x7 સેવારત બનશે. પ્રથમ તબક્કામાં ક્યા સર્કલમાં કેટલી FRT? સર્કલ ઓફિસ - FRT ટીમ જાન્યુઆરીથી ટીમો કાર્યરત થશેPGVCLમાં ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ કામગીરીના પ્રથમ તબક્કામાં ભાવનગર, રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં શરૂઆત થશે. PGVCL ભાવનગર સર્કલમાં હાલ FRT ટીમોનું સેટ-અપ ગોઠવાઈ રહ્યું છે.જિલ્લામાં જાન્યુ.થી ટીમો કાર્યરત થશે. > ચંદનસિંઘ, ડાયરેક્ટર, સંધા એન્ડ કંપની, ગુડગાંવ હરિયાણા

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:34 am

સાંસદ ખેલ મહોત્સવ:સાંસદ ખેલ મહોત્સવમાં 1.78 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ભાવનગર-બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત, સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષીને માહિતી આપતા જણાવ્યું હતુ કે તા. 16, 17 અને 18 ડિસેમ્બરના રોજ તાલુકા અને ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે, જેમાં ભાવનગર શહેરના-13 ઝોન, ભાવનગર ગ્રામ્યના-7 તાલુકા અને બોટાદ શહેરના-2 તાલુકા મળી કુલ 22 સ્થળો ઉપર તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જેમાં એથ્લેટિક્સ અને મનોરંજન સહિત 15 રમતો રમાનાર છે, એથ્લેટિક્સ કેટેગરીમાં 100 મીટર દોડની સાથે લાંબી કુદ જેવી વિવિધ પણ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 વર્ષથી નીચેના, 15થી 20 વર્ષ સુધીના, 21થી 35 વર્ષ સુધીના, 36થી 50 વર્ષ સુધીના તેમજ 51 વર્ષથી ઉપર વય જુથના ખેલાડી ભાઈઓ- બહેનો ભાગ લેશે. આમ‌, આ રમત પાંચ વય જૂથમાં યોજાશે. વિજેતા થયેલા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. 22 અને 23 ડિસેમ્બરે સ્પોર્ટસ કૉમ્પ્લેક્ષ સિદસર, ભાવનગર ખાતે યોજાશે. નિમુબેન બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવમાં ખેલાડીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સ્પર્ધા માટે 1,78, 440 જેટલાં ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભાવનગરમાં સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત દિવ્યાંગ ખેલાડીઓની રમત સાથે કરવામાં આવી હતી. 400 કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ગોળા ફેંક સહિતની રમતોમાં જોડાયા હતા. દરેક ખેલાડીને મેડલ, પ્રમાણપત્ર અને ટીશર્ટ કેપ મળશેસાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિની વાત કરતાં કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ તા.25 ડિસેમ્બરે થશે, ભાવનગરમાં આ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સિદસર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર દરેક ખેલાડીને મેડલ, વિજેતા પ્રમાણપત્ર અને ટીશર્ટ કેપ તેમજ દરેક ભાગ લેનાર ખેલાડીને પ્રમાણપત્ર અને ટીશર્ટ કેપ આપીને સન્માનિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:30 am

સન્ડે ફોટો સ્ટોરી:શહેરમાં શિયાળાની મધ્યે પાણીથી છલોછલ ત્રણેય તળાવોની પ્રથમ વખત ડ્રોન તસવીર

ભાવનગર સર્કલોનું તો શહેર છે જ પણ આજે આ ડ્રોન તસવીરમાં સૌ પ્રથમવાર ભાવનગરના ત્રણ તળાવ દ્રશ્યમાન થાય છે. જેમાં વિક્ટોરિયા પાર્કમાં આવેલું કૃષ્ણકુંજ તળાવ, યુનિ. કેમ્પસમાં આવેલું યુનિવર્સિટી તળાવ અને બોરતળાવ. આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ ચોમાસામાં વરસતા સફળ ચોમાસાને લીધે શિયાળાની મધ્યે પણ આ ત્રણેય તળાવ ભરાયેલા છે અને સાથે આજુબાજુની હરિયાળી પણ આંખને ઠંડક આપે છે. આ વર્ષે ભાવનગરને પાણી પુરૂ પાડતા ત્રણેય મુખ્ય તળાવ બોરતળાવ, રાજપરા ખોડિયાર તળાવ અને શેત્રુંજી ડેમ ત્રણેય ડેમ પણ છલાકાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:28 am

રાજ્યમાં અનોખો પ્રયોગ:છાત્રોમાં મોબાઇલનું વળગણ દૂર કરશે પરમાર્થ ગણિત વર્તુળ

ઘણા દેશોમાં ટીનએજ વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે પ્રતિબંધના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિમાં એકાગ્રતા ખીલવી શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ અંગે બિલ પાસ કર્યું છે ત્યારે વિદ્યાર્થી સહિત નોકરિયાત તથા કુટુંબીજનો મોબાઇલની અસરમાંથી મુક્ત રહી શકતા નથી તેવા સંજોગોમાં ગણિતની પ્રવૃત્તિઓમાં રસ લેતા થાય અને ભવિષ્યમાં ગણિત ઉપર પ્રભુતા મેળવી શકે તે માટે ભાવનગરમાં પરમાર્થ ગણિત વર્તુળની શરૂઆત કરવામાં આવી છે. જે ભાઈ બહેનોને ગણિત પઝલ, ગણિત ગમ્મત, ગણિત મહાવરા કે ગણિત રમત જેવી પ્રવૃત્તિઓમાં રસ હોય તેઓ અઠવાડિયે બે કલાક પોતાનો સમય આપીને આવા વિદ્યાર્થીઓ તથા મોબાઇલની લત છોડવા માગતા હોય તેવી વ્યક્તિઓને અલગ વિસ્તારમાં ગણિત મંડળના માનદ ગણિત તજજ્ઞ બનીને પ્રવૃત્તિઓ કરાવી શકે છે. વિદ્યાર્થીઓમાં આ પ્રવૃત્તિથી એકાગ્રતા, ધીરજ, ચપળતા, બુદ્ધિ કૌશલ્ય તથા શિક્ષણ તરફ વધુ રૂચી જાગશે તેવું સંશોધન પણ થયેલ છે. જેઓ આ પ્રવૃત્તિઓ કરવા ઈચ્છતા હોય તેવા ભાઈ બહેનોએ મોબાઇલ નં. 9106773307 ઉપર પરમાર્થ ગણિત મંડળના નામે વોટસએપ કરવો. જેથી રસ ધરાવતા ભાઈ બહેનોને આવી પ્રવૃત્તિઓની વિશેષ તાલીમ આપીને ગણિત કોઓર્ડીનેટર બનાવી શકાય અને સમાજમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલ તરફની રુચિ ઘટાડી શકાય તથા ગણિત તજજ્ઞ તરીકે તમારી જાતને પણ વિકસાવી શકશો. ઘરની બાળ રમતો રમીને મોબાઇલની લત છોડાવી શકાયવિકાસ વર્તુળ દ્વારા મેગેઝિન સાથે બાળકોની એક રમત પણ બનાવવામાં આવી છે તો તે પણ લેવી અને તેવી બીજી અનેક રમતો બોર્ડ ગેમ ચેસ કેરમ વગેરે ધીરે ધીરે ઘરમાં વસાવીને બાળક સાથે રમવાની ટેવ પાડવી, સંતાન સાથે ગંજીફાને ઘણી સરસ રમતો પણ રમી શકાય. મા બાપ માટે : 3 થી 13ના બાળકોને રોજ એક વાર્તા પણ કહેવીભાવનગરમાં જિલ્લા પુસ્તકાલય, ગાંધી સ્મૃતિ તથા બાર્ટન લાઇબ્રેરીમાં બાળકને લઈને ત્યાં ખાતું ખોલાવવું,પુસ્તક લાવવા. અંગ્રેજીમાં મેજિક પોટ, ચિલ્ડ્રન્સ વર્લ્ડ, ગોકુલમ, વિઝડમ, ટીનેજર, ટીકલ તથા ગુજરાતીમાં ધીગા મસ્તી, બાલ સૃષ્ટિ, તથા શનિવારની છાપામાં આવતી બાળ પૂર્તિ તમારા સંતાન સાથે રહીને વંચાવવાની ટેવ પાડવી. 3 થી 13ના બાળકોને દરરોજ એક વાર્તા કહેવી. > બિપીનભાઇ શાહ, સ્થાપક, પરમાર્થ ગણિત વર્તુળ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:27 am

દાનમાં મળેલા સીંગ ખોળે કાળો કહેર વર્તાવ્યો:30 ગુણી મગફળીનો ખોળ ખાવાથી 24 કલાકમાં 85 ગૌવંશના ટપોટપ મોત, ઓઇલમિલનું નામ આપવાનો સંચાલકોનો ઇનકાર

કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે આવેલ રામગરબાપુ ગૌશાળામાં ગૌવંશને ખોરાકમાં ગુરુવારે મગફળીનો ખોળ અને લીલોચારો આપવામાં આવ્યા બાદ શુક્રવારે એક પછી એક 71 ગાયના મૃત્યુ બાદ શનિવારે પણ વધુ 14 ગૌવંશના ટપોટપ મૃત્યુ થતાં રાજ્યના પશુપાલન મંત્રી પણ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરથી ટીમો દોડાવી છે. જોકે એક સાથે 85 ગૌવંશના શંકાસ્પદ મૃત્યુ મામલે ગૌશાળા સંચાલકો ખોળ દાનમાં મળ્યો હોવાનું અને જે ઓઇલમિલમાંથી ખોળ આવ્યો હતો તે ઓઇલમિલનું નામ આપવા ઇનકાર કર્યો હતો. જોકે હાલમાં ગૌવંશના વિસેરા અને ખોળ, પાણી તેમજ ઘાસચારાના સેમ્પલ લઈ રાજકોટ એફએસએલ ઉપરાંત પુના અને એનડીડીબી આણંદ ખાતે મોકલી આપ્યા હોવાનું રાજકોટ જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું. કોટડાસાંગાણીથી 15 કિલોમીટર દૂર રામોદ પાસે આવેલ સાંઢવાયા ગામે રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા આવેલ છે જેમાં ગામ તેમજ આજુબાજુના વિસ્તારની નધણિયાતી 350 જેટલી ગાયનો નિભાવ થાય છે. ગામ સમસ્ત દ્વારા થતા આ સેવાકાર્યમાં પુણ્યતિથિ તેમજ સારા-માઠાં પ્રસંગોએ દાનમાં ખોળ તેમજ ઘાસચારો મળતો હોય આવા જ એક દાનમાં ગોંડલની ઓઇલમિલમાંથી મગફળીનો 30 કોથળા ખોળ મળ્યો હોય જે ગાયોને ખોરાકમાં આપવામાં આવતા 24 કલાકમાં જ ઝેરી અસર બાદ એક બાદ એક ગાયના મૃત્યુ થવા લાગ્યા હતા અને અંદાજે 36 કલાકના સમયગાળામાં 85 ગૌવંશના મૃત્યુ થયા હતા. ઘટના બાદ રાજકોટ પશુપાલન વિભાગની 16 ટીમ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજની તજજ્ઞ ટીમ દોડી આવી હતી અને ગૌવંશને બચાવવા પ્રયાસો શરૂ કર્યા છે. હજુ પણ 12 ગૌવંશની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ પણ સાંઢવાયા ગામે દોડી ગયા હતા. ગોંડલની એક ઓઇલમિલમાંથી મગફળીનો ખોળ આવ્યો હતો : ગૌશાળા સંચાલકસાંઢવાયા ગામે રામગરબાપુ ગૌશાળાનું સંચાલન કરતા પરેશભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે, ગૌશાળામાં નિરાધાર અને નધણિયાતા 350 ગૌવંશનો નિભાવ થાય છે, ગામના યુવાનો અને સેવાભાવી લોકો દ્વારા છેલ્લા 27 વર્ષથી ગૌશાળા ચલાવવામાં આવે છે જેમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો છે. જોકે એક સાથે 85 ગૌવંશ માટે મોતનું કારણ બનેલ મગફળીનો ખોળ કોને મોકલ્યો તે દાતાનું નામ આપવા ઇનકાર કરી ગોંડલથી ખોળ આવ્યો હોવાનું કહ્યું હતું, પરંતુ ખોળ કઈ ઓઇલમિલમાંથી આવ્યો તે ખબર ન હોવાનું અને દાતાના કહેવાથી ગામના યુવકો ગોંડલથી ખોળ લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે શેડમાં ખોળ અપાયો તે શેડમાં ગાયના મૃત્યુ થયાઘટના સ્થળે જઇ તપાસ કરનાર તબીબી સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચારમાંથી જે શેડમાં ખોળ અપાયો હતો ત્યાં જ ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે અન્ય શેડમાં પણ જ્યાં ફૂડ પોઈઝનિંગની અસર થઇ તે પ્રમાણેનો જ એક સરખો લીલોચારો અને પાણી આપવામાં આવ્યા હતા, પરંતુ અન્ય શેડમાં ગૌવંશમાં આવા કોઈ લક્ષણ જોવા ન મળતા ખોળથી જ ઝેરી અસર થઇ હોવાનું સ્પષ્ટ બન્યું છે. 31 વર્ષની કારકિર્દીમાં આટલી મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ નથી જોયા : પશુપાલન અધિકારીરાજકોટ જિલ્લા પશુપાલન અધિકારી ડો.શૈલેષ ગરાળાએ જણાવ્યું હતું કે, મેં મારી 31 વર્ષની કારકિર્દીમાં આટલા મોટા પ્રમાણમાં ફૂડ પોઈઝનિંગથી ગૌવંશના મૃત્યુ થયાનું જોયું નથી. સામાન્ય રીતે ચોમાસામાં રોગચાળાથી મોટા પ્રમાણમાં પશુ મૃત્યુના બનાવ બનતા હોય છે, પરંતુ સાંઢવાયા ગામે જે રીતે ગૌવંશના મૃત્યુ થયા છે તેવી ઘટના જોઈ નથી. હાલમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાતા 12 ગૌવંશને બચાવવા માટે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ, એન્ટિબાયોટિક, સલાઈન તેમજ ટોક્સિન એટલે કે, ઝેરની અસર ખાળવા સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:25 am

નશાની હાલતમાં તબીબ પકડાયા:ધન્વંતરિ હોસ્પિટલના બે ડોક્ટરને કારમાંથી ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં પોલીસે પકડ્યા

શહેરના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં બે યુવકને પોલીસે અટકાવી પૂછપરછ કરતા બંને યુવક ધન્વંતરિ હોસ્પિટલના તબીબ હોવાનું ખુલ્યું હતું. જેમાંથી કારમાં સાથે બેઠેલો એક યુવક રાજકોટના જાણીતા ડોક્ટર ભગવાનજીભાઈનો પુત્ર છે. પોલીસે ફરિયાદી બની બંને ડોક્ટર સામે ગુનો દાખલ કરી બંનેને પકડી લીધા હતા. આ બનાવમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં બે યુવક ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં હતા. જેની પોલીસે પૂછપરછ કરતા એક યુવકે તેનું નામ વિરુદ્ધ ચંદ્રકાંતભાઈ પટેલ(ઉં.વ.38, રહે. રેસકોર્સ રિંગ રોડ, પટેલ આઈસક્રીમ ની બાજુમાં, ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.702) જણાવ્યું હતું. આ ઉપરાંત તે ધન્વંતરિ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જેના વિરુદ્ધ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કારચાલકની બાજુની સીટ પર બેઠેલા નશામાં ધૂત યુવકની પૂછપરછ કરતાં તેણે થોથરાતી જીભે તેનું નામ લક્કીરાજભાઈ ભગવાનજીભાઈ અકવાલિયા(ઉં.વ.34, રહે. મવડી પ્લોટ મેઇન રોડ સ્વાશ્રય સોસાયટી શેરી નં.4) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પણ ધન્વંતરિ હોસ્પિટલમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. લક્કીરાજના પિતા ડૉ. ભગવાનજીભાઈ રાજકોટના જાણીતા તબીબ છે. લક્કીરાજ વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:22 am

પોલીસે વડોદરાની કંપનીને સાથે રાખી દરોડો પાડ્યો:ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરનાર સામે ગુનો

શહેરના વાવડીમાં વડોદરાની કંપનીના ભળતા નામે કેમિકલનું ઉત્પાદન કરી વેચાણ થતું હોવાની માહિતી આધારે કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડતા ભળતા નામ અને લોગોનો ઉપયોગ કરી વેચાણ થતું હોવાનું સામે આવતા કારખાનેદાર મહિલા સામે કોપીરાઈટનો ગુનો નોંધી રૂ.2.81 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ બનાવમાં અમદાવાદના મણિનગરમાં રહેતા અને વડોદરાની ગ્લોબલ કેમિકલ એન્ડ મિનરલ્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ તાલુકા પોલીસમાં અમીન માર્ગ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નં.6માં રહેતા અલ્પાબેન પ્રકાશભાઈ ચાંગેલા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાવડીમાં આવેલી તિરુપતિ બીલ્ડ કેમ નામના કારખાનામાં ગ્લોબલ કેમિકલ એન્ડ મિનરલ્સનો બિનઅધિકૃત રીતે નામ છાપેલા કલાકૃતિવાળા પ્લાસ્ટિકના બેગમાં ગ્લોબટેક્સ ટેક્ચર પેઈન્ટ્સ નામવાળા પ્લાસ્ટિકના રેપરમાં ફેક્ટરીમાં બનાવવામાં આવતા ટેક્સચર પાઉડરનું વેચાણ કરી ગ્લોબલ કેમિકલ એન્ડ મિનરલ્સ કંપનીના કોપીરાઈટ હક્કનો ભંગ કરતા હોવાની બાતમી આધારે તેમણે પોલીસને સાથે રાખી વાવડીના કારખાનામાં દરોડો પાડ્યો હતો. પ્લાસ્ટિકના બાચકા ઉપર જોતા તેમાં ગ્લોબલ ટેક્સટૂરી પેઈન્ટસ કંપનીના પેકિંગ બેગને મળતું હતું. જેથી કોપીરાઈટ રજિસ્ટ્રેશન અંગે પૂછતા હાલ નહીં હોવાનું જણાવેલ જેથી તેના માલિક અલ્પાબેન હોવાનું ખૂલતાં કારખાનામાં કલાકૃતિ જેવા પ્લાટિકના બેગ નંગ.139 મળી કુલ રૂ.2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:21 am

કરોડોનો ગાંજો જપ્ત કરાયો:રાજકોટ પાસે તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર કરાયું, 1.11 કરોડનો સૂકો-ભીનો ગાંજો જપ્ત

રાજકોટની ભાગોળે ત્રંબા પાસેના અણિયારા ગામની સીમમાં તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર થયેલું હોય જેની આજી ડેમ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા રૂ.1.11 કરોડનો સૂકો-ભીનો ગાંજો પોલીસે કબજે કર્યો છે. શનિવારની રાત્રે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ જાડેજા સહિતની ટીમે અંદાજિત 14 વીઘામાં વાવેલા ગાંજા સાથે ગાંજો વાવનાર ખેડૂતને પણ ઝડપી લીધો છે. આ બનાવમાં આજે ડેમ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે, ત્રંબા પાસેના અણિયારા ગામની સીમમાં તુવેર પાકના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય જે માહિતીના આધારે આજી ડેમ પોલીસ મથકના પી.આઈ. અશોકસિંહ જાડેજા સહિતની ટીમે ત્રંબા પાસેના અણિયારા ગામની સીમા દરોડો પાડતા હના ગાબુ નામના ખેત મજૂરે 14 વીઘા જમીનમાં તુવેરના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોય જેને પોલીસે જપ્ત કરતા આ ગાંજો કુલ રૂ.1.11 કરોડની અંદાજિત કિંમતનો ગણી શકાય. પોલીસે તપાસના અંતે જણાવ્યું હતું કે, વાડીના માલિક નાથા ભીમા સિંધવની જાણ બહાર ખેત મજૂરી કરતાં શખ્સે ગાંજાનું વાવેતર કરી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:20 am

યુવતીએ જીવાદોરી કાપી:યુવતીએ શ્વાન બાંધવાની સાંકળથી ગળાફાંસો ખાધો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા કૈલાસનગર-2માં રહેતી જીલબેન જયંતભાઇ રાજપરા(ઉ.વ.24) નામની યુવતીએ ઘરમાં કૂતરાં બાંધવાની સાંકળ બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારજનો પ્રસંગમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે દીકરીને લટકતી હાલતમાં જોઇ સ્તબ્ધ રહ્યા હતાં. આપઘાત કરનાર જીલબેનના પિતા સોનાના વેપારી છે. પરિવારજનોએ કહ્યું હતું કે, જીલબેન કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. શુક્રવારે પરિવારજનો પ્રસંગમાં ગયા હોઇ એકલી હતી ત્યારે શ્વાનને બાંધવા માટે વપરાતી સાંકળ બારીમાં બાંધી ફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:18 am

લોકઅદાલત:રાજકોટમાં લોકઅદાલતમાં 56 ટકા કેસનો સમાધાનથી નિકાલ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં શનિવારે મેગા લોકઅદાલતનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારના 30,924 પેન્ડિંગ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા અને તેમાંથી મોટર અકસ્માત વળતરના 373 કેસનો સમાધાન રાહે નિકાલ થયો હતો અને તેમાં અરજદારોને રૂ.29,41,42,511નું વળતર ચૂકવવામાં આવ્યું હતું. જ્યારે ચેક રિટર્નના 4504 કેસમાં સમાધાન થયું હતું. જેમાં રૂ.20,35,96,392.50ની રકમનું સમાધાન થયું હતું. જ્યારે લગ્ન વિષયક તકરારના 129 કેસમાં સમાધાન થયું હતું. જ્યારે સ્પેશિયલ સીટિંગમાં 5827 કેસ મળી કુલ 17338 પેન્ડિંગ કેસમાં સમાધાન થતા કુલ 56 ટકા કેસનો સમાધાનથી નિકાલ થયો હતો. જ્યારે પ્રિ-લિટિગેશનના 73,812 કેસનો નિકાલ થતા લોકઅદાલતમાં કુલ 91,150 કેસનો નિકાલ થયો હતો. પ્રિ-લિટિગેશનના કેસમાં ટ્રાફિક ચલણ અને ઇલેક્ટ્રિક બિલના કેસનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:18 am

ભાસ્કર એક્સક્લુસિવ:અયપ્પા મંદિરે વાર્ષિક મહોત્સવ - મંદિરની પ્રતિષ્ઠા કરનારા પંડિત કેરળથી આવશે, આજે ભગવાન હાથી પર નગરચર્યા કરશે

શહેરના જામનગર રોડ પર આવેલું શ્રી અયપ્પા મંદિરમાં વાર્ષિક મહોત્સવ – 2025ની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.13 ડિસેમ્બરથી ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો છે અને તા.19 ડિસેમ્બર સુધીના 7 દિવસ ઉજવાશે. આ સમગ્ર સાત દિવસ દરમિયાન વિવિધ વિશેષ પૂજાઓ, ભજન કાર્યક્રમો, કલાત્મક નૃત્ય પ્રસ્તુતિઓ, મોહિનીયટ્ટમ, ભરતનાટ્યમ, સેક્સોફોન વાદન, તેમજ અન્ય ભાવભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દરરોજ સવારે 6થી 10:30 દરમિયાન પૂજા, સાંજે 6થી 7:30 પૂજા અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમ યોજાશે. આ મંદિરની સ્થાપના વર્ષ 1984 કરાઇ હતી. તે પૂર્વે શહેરના પંચનાથમાં ભગવાનને બિરાજમાન કરી ભજન-કીર્તન, પૂજા કરાતી હતી. આ વાર્ષિક મહોત્સવનું આયોજન 24 વર્ષ પહેલાં અને ગયા વર્ષે થયું હતું, પરંતુ આ વખતે ઉત્સવને અતિ ભવ્ય રીતે મનાવવામાં આવશે. આ મંદિરમાં અયપ્પા ભગવાન, મહાશિવલિંગ, ગણપતિ મહારાજ, કાર્તિક સ્વામી, દુર્ગા માતા, વિષ્ણુ ભગવાન, નવગ્રહ, નાગદેવતા, નાગદેવી બિરાજમાન છે. આ મંદિરની એક વિશેષતા છે કે, મંદિરના ગર્ભગૃહમાં લાઇટ કરાતી નથી, પરંતુ દીવાથી જ રોશની કરવામાં આવે છે. ભજન, મોહિનીયટ્ટમ, ભરતનાટ્યમ, સેક્સોફોન વાદન, ત્રણ પ્રકારના વેશમાં તૈયમ (કંતારા સ્વરૂપ) રજૂ કરાશે14 ડિસેમ્બર : ભવ્ય અયપ્પા શોભાયાત્રા સાંજે 4:45 વાગ્યે પંચનાથ મંદિરથી પ્રારંભ થઇ જ્યુબિલી બાગ, સિવિલ હોસ્પિટલ ચોક, જામટાવર ચોક માર્ગે પસાર થઈ શ્રી અયપ્પા મંદિર ખાતે પહોંચશે. આ વર્ષે ભગવાન અયપ્પાની શોભાયાત્રા હાથી ઉપર વિહાર સાથે યોજાશે. જેમાં 150-150 મહિલાભક્તોની બે લાઇન હાથમાં થાલપોલી(દીવા) સાથે, 3 પ્રકારના વેશમાં તૈયમ (કાંતારા સ્વરૂપ), પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે નીકળશે. મંદિરમાં ધ્વજાનો સ્તંભ છે તેથી આ દિવસે ભગવાનને ધ્વજામાં બેસાડી, આવાહ્ન કર્યા બાદ ધ્વજા ચડાવાશે. આ સ્તંભ મંદિર કરતાં ઊંચો હોય છે તથા ધ્વજાનો આકાર ભગવાનના સ્વરૂપ જેવો હોય છે. 15 ડિસેમ્બર : રાજકોટ તથા જામનગરના મંદિરે ભક્તો દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાશે. 16 ડિસેમ્બર : 27 મહિલા, બાળ કલાકારો દ્વારા ભરતનાટ્યમ તથા ક્લાસિકલ ડાન્સ રજૂ કરાશે. 17 ડિસેમ્બર : મુંબઇથી બોલાવેલા 7 લોકો સેક્સોફોન(વાદ્યયંત્ર), તબલા, હાર્મોનિયમ સાથે ધાર્મિક ગીતો ગવાશે. 18 ડિસેમ્બર : કેરેલાથી આવેલા 45 કલાકાર પંચ વાદ્યમ(પાંચ પ્રકારના વાદ્યો) વગાડી રજૂ કરશે. આ વાદ્ય એકસાથે વગાડે તો 3 કલાકમાં પાંચમા સ્તર સુધી પહોંચે તેમ કહેવાય છે. તેમજ જંગલ બનાવી ભગવાને સુવરનું રૂપ લઇ જંગલવાસીઓ સાથે મળી મહર્ષિનો વધ કર્યો તેને રજૂ કરવામાં આવશે. 19 ડિસેમ્બર : યુદ્ધ કર્યા બાદ ભગવાન થાકી ગયા હોય તે ભાવથી શયનકક્ષમાં સુવડાવી આ દિવસે ન્યારીમાં સ્નાન કરાવી મંદિરમાં બિરાજમાન કરાશે અને ધ્વજા ઉતારી ઉત્સવની પૂર્ણાહુતિ કરાશે. મંદિરમાં જવા માટે 41 દિવસનું બ્રહ્મચર્ય વ્રતઅયપ્પા ભગવાનનું મુખ્ય મંદિર કેરેલાના સબરીમાલામાં છે. મંદિરમાં જવા માટે 41 દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેવું પડે છે અને ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશી શકાય છે. વ્રતમાં ચંપલ ન પહેરવા, વાળ અને નખ કાપી શકાય નહીં તેમજ મંદિરમાં કાળા રંગના કપડાં પહેરીને જઇ શકે છે. અહીં માત્ર પુરુષો, બાળકો, 10 વર્ષથી નાની પુત્રી, 55થી વધુ વર્ષની મહિલાઓ જ જઇ શકે છે. આ એક માત્ર એવું મંદિર છે કે ત્યાં પિતા તેની નાની પુત્રીને આંગળી પકડી એક વખત તો લઇ જવામાં આવે જ છે. મહાદેવ તથા વિષ્ણુજીના પુત્ર અયપ્પા ભગવાનઅયપ્પા ભગવાન મહાદેવ તથા વિષ્ણુ ભગવાનના પુત્ર છે. જેમાં મહર્ષિ નામની રાક્ષસણીએ વરદાન લીધું હતું કે, તેને મહાદેવ અને વિષ્ણુ ભગવાનના જ પુત્ર મારી શકશે. બન્ને દેવતા હોવાથી તેને પુત્ર જ ન જન્મે તેમ વિચારી આ વરદાન પ્રાપ્ત કર્યુ, પરંતુ સમુદ્ર મંથન વખતે વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું હતું અને મહાદેવ તથા મોહિનીના ધ્યાનમાંથી ઉત્પત્તિ થઇ અને તેમના જાંઘમાંથી અયપ્પા ભગવાનની ઉત્પત્તિ થઇ અને મહર્ષિ રાક્ષસણીનો વધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:16 am

મુસાફરોને રાહત:ઇન્ડિગોની મુંબઇની સાંજની ફલાઇટ આજથી ભરશે ઉડાન

ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે છેલ્લા 10 દિવસથી દેશભરમાં વિવિધ શહેરોમાં વિમાની સેવા ખોરંભાઇ હતી જે હવે ધીમે-ધીમે પૂર્વવત થઇ રહી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોના હજારો મુસાફરો ફ્લાઇટ અચાનક કેન્સલ થવાથી ભારે હાલાકી અનુભવી રહ્યા હતા ત્યારે હવે ઇન્ડિગોની ફ્લાઇટ રાબેતા મુજબ ઉડાન ભરવા લાગી છે અને શનિવારે દિલ્હી, પુના, ગોવા અને હૈદરાબાદની ફ્લાઇટે ઉડાન ભર્યા બાદ હવે રવિવારે સાંજથી મુંબઇની સાંજની ફ્લાઇટ પૂર્વવત થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટથી ઉડાન ભરતી દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને પુનાની ફ્લાઇટ રાબેતા મુજબ શનિવારથી ઉડાન ભરવા લાગી છે અને મુંબઇની ફ્લાઇટ હવે રવિવારથી રાબેતા મુજબ થશે. છેલ્લા 10 દિવસથી ઇન્ડિગોની વિવિધ ફ્લાઇટ્સ બંધ થતા રાજકોટમાં અંદાજે 15થી 18 હજાર મુસાફરો હેરાન-પરેશાન થયા છે. હજારો મુસાફરોએ અન્ય ફ્લાઇટની ટિકિટ લેવી પડતા ઉઘાડી લૂંટનો ભોગ બન્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:13 am

ભાસ્કર ઈનસાઈડ:ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડ પાડનાર આરોપી આખરે 18 વર્ષે સકંજામાં

ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડનો બનાવ બન્યો હતો. આ ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પાદરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડયો છે. આરોપી પાદરા નજીક આવેલાં ડભાસા ગામની સીમમાં પડાવ નાખીને રહેત હતો. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા લાંબા સમયથી ફરાર ગુનેગારો અને જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પીએસઆઇ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમને 2007માં ઉમલ્લામાં બંદૂકની અણીએ થયેલી ધાડના ગુનામાં ફરાર આરોપી વિશે માહિતી મળી હતી. 18 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો આરોપી પાદરા તાલુકાના ડભાસાની સીમમાં રહેતો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી. આરોપી ખુન્ના બિલવાલ પાદરા બસ સ્ટેન્ડ પાસે આવતાં તેને કોર્ડન કરીને ઝડપી લેવાયો હતો. આરોપી મધ્યપ્રદેશના ઝાંબુઆના ઘાટિયા તળાવ ગામનો રહેવાસી છે અને તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ નોંધાયેલાં છે. નવસારીમાં જવેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા સહિતના ગુના આરોપી ખુન્ના બિલવાલ આંતરરાજય ગેંગનો સાગરિત છે. તેણે નવસારીમાં જવેલર્સની દૂકાનમાં તથા દાહોદ નજીક અનસ રેલવે સ્ટેશન પાસે પણ લૂંટ ચલાવી હતી.વલસાડના પારડી, પંચમહાલના ગોધરા રેલવે પોલીસ, મહારાષ્ટ્રના પુણેના તલેગાંવ ડભાડે પો. સ્ટેશન સહિત મધ્યપ્રદેશના રતલામ અને મનાસા તેમજ નવસારી જિલ્લામાં લૂંટ અને ગંભીર હિંસક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:12 am

સન્ડે ફોટો સ્ટોરી:રાજકોટ પાસેના પાળ ગામનો ઠાકરદ્વારોમાં સોનાનું 51 તોલાનું સિંહાસન અને 18 કિલો ચાંદીથી મઢેલા દરવાજા

રાજકોટની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો)માં સંત આંબેવપીરધામનો તા.26 નવેમ્બરથી તા.5 ડિસેમ્બર સુધી ભવ્ય પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ 200 વર્ષ પૌરાણિક મંદિરની 1 કરોડના ખર્ચે પુન:પ્રાણપ્રતિષ્ઠા, 4 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું. જેમાં ઠાકોરજી 51 તોલા સોનું, 10 કિલો ચાંદીનું 80 લાખથી વધુના સિંહાસનમાં બિરાજમાન છે. ઉપરાંત મંદિરના બન્ને દરવાજા ચાંદીની ખીલીથી જ 18 કિલો ચાંદીથી 21 લાખથી વધુના ખર્ચે મઢેલા છે. મહોત્સવ દરમિયાન ભક્તોએ 1 કિલો સોનું, 1 કિલો ચાંદીનું દાન આપ્યું હતું. આ દરમિયાન બ્રાહ્મણે કહ્યું કે, યાદી માટે ભગવાન પાસે સોનું, ચાંદી મૂકતા હોય છે તેના અડધી જ કલાકમાં બહેનોએ પહેરેલા ઘરેણા અને પુરુષોએ ચાંદીના કડા દાનમાં આપી દીધા હતા. ગૌશાળા અને અન્નક્ષેત્ર આકાર લેશેઠાકરના સેવક નિલેશભાઇ ભગતે જણાવ્યું હતું કે, મહોત્સવ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે, ટૂંક સમયમાં 70 લાખથી વધુના ખર્ચે ગૌશાળા તથા અન્નક્ષેત્ર આકાર લેશે તે બાદ 11 લાખનો કાચો માલ પણ આવી ગયો હતો. આ ઉપરાંત મહેમાનોના ઉતારા અને તેની નીચેના ભાગમાં વિશાળ હોલ પણ બનાવવામાં આવશે. 7 ઘોડાના મુગટ પણ 25 તોલા સોનાથી મઢાયા છેમંદિરમાં કૃષ્ણ ભગવાનની પાછળ 7 ઘોડા પણ બિરાજમાન છે. આ સાતેય ઘોડાના મુગટ 25 તોલા સોનાના છે. આમાંથી એક અશ્વનું પૂછડું ખંડિત છે. ગળકોટડી ગામના જગુવાળા નામના કાઠી દરબારને ફાંસીનો હુકમ થયો ત્યારે તેમણે પાળના ઠાકરને મનોકામના કરી કે ફાંસીમાંથી છોડાવે. ત્યારે પાળના ઠાકરના ઘોડાએ 3 વાર ફાંસીના દોરડા તોડાવ્યા. ત્યાં દોરડા તોડ્યા અને અહીં લોહીના ફુવારા થયા તથા ઘોડાનું પૂછડું હજુ પણ ખંડિત છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:12 am

ભાસ્કર એક્સપોઝ:CCDC-IQACમાંથી ડિરેક્ટર માટે પીએચ.ડી.ની લાયકાત જ ઉડાડી દીધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં છેલ્લા થોડા સમયથી દલા તરવાડીની વાડી જેવી સ્થિતિ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. દલા તરવાડીની વાડીની વાર્તાની જેમ સત્તાધીશો ખુદ જ પૂછે અને ખુદ જ જવાબ આપે છે કે, ‘રીંગણા લઉં બે-ચાર, લે ને દસ-બાર’ની જેમ પોતાના લાગતા-વળગતાને ગોઠ‌વી દેવા યુજીસીના નીતિનિયમો સાથે ગંભીર ચેડાં કરાઇ રહ્યાનું બહાર આવ્યું છે. હાલમાં સીસીડીસી અને આઇક્યુએસીમાં ડિરેક્ટરની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેમાં યુજીસીના નિયમ મુજબ ડિરેક્ટર એટલે કે પ્રોફેસર કક્ષાની ભરતીમાં ઉમેદવારે ઓછામાં ઓછા એક વિદ્યાર્થીને પીએચ.ડી. ગાઇડ તરીકે માર્ગદર્શન આપ્યું હોવું જોઇએનો નિયમ છે તેની રિક્રૂટમેન્ટ બોર્ડે સીધી બાદબાકી કરી નાખી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC (કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર) અને IQAC (ઇન્ટર્નલ ક્વોલિટી અસ્યોરન્સ સેલ) માટે ડિરેક્ટરની ભરતી પ્રક્રિયામાં વધુ એક કારીગરી બહાર આવી છે. આ ભરતી માટે રચાયેલા રિક્રૂટમેન્ટ બોર્ડે પ્રોફેસર લેવલના ડિરેક્ટર માટે UGC દ્વારા નક્કી કરાયેલ એક મહત્ત્વપૂર્ણ આવશ્યક લાયકાત ઉમેદવારે ઓછામાં ઓછા એક વિદ્યાર્થીને Ph.D. માર્ગદર્શન આપેલું હોવું ભરતીના નિયમોમાંથી જ કાઢી નાખતા અનેક સવાલો ઉઠ્યા છે. રાજ્ય સરકારે સીસીડીસી અને આઇક્યુએસી માટે લાખો રૂપિયાની પગાર ગ્રાન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવી છે ત્યારે સરકારની તિજોરીના નાણાં સીધા પોતાના લાગતા-વળગતાના ખિસ્સામાં જાય તે પ્રકારની ગોઠવણ યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ બન્ને ડિરેક્ટરની પોસ્ટ પર રિક્રૂટમેન્ટ બોર્ડના બે સભ્યે જ અરજી કરી છે, જેમાં નેનો સાયન્સ ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયસુખ મારકણા અને ઇલેક્ટ્રોનિક્સ ભવનના ડૉ. હરિ કૃષ્ણ પરીખનો સમાવેશ થાય છે. બંને ઉમેદવારો દ્વારા આજ સુધી એકપણ વિદ્યાર્થીને Ph.D. પૂર્ણ કરાવ્યું નથી. એટલું જ નહીં, ડૉ. હરિ કૃષ્ણ પરીખે પોતાનું Ph.D. પણ ચાર વર્ષ પહેલાં જ પૂર્ણ કર્યું હોવાની વિગતો સામે આવી છે. આ પરિસ્થિતિમાં UGCના માપદંડો અનુસાર તેઓ પ્રોફેસર લેવલના ડિરેક્ટર પદ માટે પાત્ર ગણાય કે કેમ, તે બાબતે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. UGCના અનેક નિયમોના સ્પષ્ટ ભંગ છતાં ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. વિવેચકો કહે છે કે, વાઇસ ચાન્સેલર ઉત્પલ જોશી ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધીને નિયમોના ભંગ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. નિયમોની અવગણના, લાયકાતોમાં મનસ્વી ફેરફાર અને પારદર્શિતાનો અભાવ, આ બધું યુનિવર્સિટીની શૈક્ષણિક વિશ્વસનીયતા માટે ઘાતક સાબિત થઈ શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકો માત્ર પરિક્ષા લેવામાં જ ગોટાળા કરે છે તેવું નથી. નીતિ વિષયક નિર્ણયોમાં પણ નીતિ-નિયમોનું પાલન કરતા નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગોટાળા કરનારાઓને તેમના ઉપરીઓ કંઇ કહેતા નથી અથવા તો છાવરી રહ્યા છે. તેના કારણે જ આ બધુ શક્ય બને છે. ત્યારે હવે શિક્ષણક્ષેત્રે પેસી ગયેલો સડો કોણ દુર કરશે તે પ્રશ્ન વિદ્યાર્થીના પરિવારજનોને સતાવી રહ્યો છે. અરજીઓની સ્ક્રૂટિની પણ થઇ ગઇ, રિપોર્ટ વીસી સુધી પહોંચી ગયોભીતરમાંથી જાણવા મળ્યા મુજબ સીસીડીસી અને આઇક્યુએસીની અરજીઓની સ્ક્રૂટિની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાનું અને તેનો રિપોર્ટ સીધો વાઇસ ચાન્સેલરના ટેબલ સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે, શું યુનિવર્સિટી UGCના નિયમોનું પાલન કરીને ભરતી પ્રક્રિયામાં સુધારો કરશે કે પછી વિવાદોની વચ્ચે જ નિર્ણય લેવાશે? શિક્ષણ જગત અને શૈક્ષણિક વર્તુળો આ નિર્ણય પર તાકીને બેઠાં છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:10 am

સિટી એન્કર:પોતાની પબ્લિસિટી કરવા માટે રાજકોટના ટ્રાફિક સર્કલ હવે મફત નહીં મળે, અપસેટ પ્રાઇઝ સાથે ટેન્ડર પ્રસિદ્ધ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન અંતર્ગત વિવિધ માર્ગો પર મુખ્ય ચોકમાં આવેલા ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ રાઇટ્સ જનભાગીદારીથી આપવામાં આવી રહ્યા છે. પ્રારંભિક તબક્કે વાર્ષિક પ્રીમિયમથી પાંચ વર્ષ માટે અપાતા ટ્રાફિક સર્કલ માટે હવે અપસેટ પ્રાઇઝની નવી પોલિસી મહાપાલિકાએ તૈયાર કરી છે. જેમાં આગામી દિવસોમાં ટ્રાફિક સર્કલ ટેન્ડરથી જ અપાશે અને તે માટે દરેક ટ્રાફિક સર્કલની અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હવેથી ડેવલપમેન્ટના નામે સર્કલ મફત નહીં મળે કે મફતના ભાવે પણ નહીં મળે. અત્યાર સુધી દર વર્ષે પ્રીમિયમ વસૂલાતું હતું જ્યારે હવેથી અપસેટ પ્રાઇઝ નક્કી કરાઇ છે. તદઉપરાંત પ્રીમિયમમાં પણ જે ભાવ ભર્યો હોય તેમાં પણ પ્રતિ વર્ષ ઉત્તરોત્તર 10 ટકા વધારો ચૂકવવાનો રહેશે. મહાપાલિકા દ્વારા 11 ટ્રાફિક સર્કલ અપસેટ પ્રાઇઝ સાથે પ્રીમિયમથી આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એવું હતું કે, કોઇ અપસેટ પ્રાઇઝ ન હતી. આથી કોઇ ટ્રાફિક સર્કલ માટે એકથી વધુ માગણીદાર ન હોય તો તેને પોતાની ઇચ્છાનુસાર ભાવથી ટ્રાફિક સર્કલ મળી જતું હતું. જે હવે આગામી દિવસોમાં શક્ય નહીં બને. બે ટ્રાફિક સર્કલમાં ફુવારા નાખવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ 11 ટ્રાફિક સર્કલ વાઇઝ નક્કી કરાયેલી અપસેટ પ્રાઇઝ સિટી એન્કર

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:09 am

ભાસ્કર ઈનસાઈડ:નર્મદામાં શરતોનો ભંગ કરનારા 13માંથી 4 સરકારી અધિકારીના પ્લોટ શ્રીસરકાર કરાશે

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં અને બજાવી ગયેલાં અધિકારીઓ આ વાતથી સારી રીતે વાકેફ હોવાથી તેમણે સરકારના નિયમોનો ફાયદો ઉઠાવી મોકાની જગ્યા પર રાહત દરથી સરકારી પ્લોટ લીધાં હતાં. સરકારે પણ ગરૂડેશ્વર નજીક સરકારી જમીનમાંથી પ્રતિ અધિકારીને 135 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી પણ કરી હતી. અધિકારીઓની માગણી મુજબ તેમને ગરૂડેશ્વર ગામની સર્વે નંબર –395ની જમીન નવી અને અવિભાજય અને વિક્રિયાદી નિયંત્રીત શરતે તેમજ અન્ય શરતોને આધિન ફાળવી આપવામાં આવી હતી. રહેણાંક મકાનો બનાવવા માટે પ્લોટની ફાળવણી માટે સરકારે પ્લોટની ફાળવણીના 6 મહિનાની સમયમર્યાદામાં બાંધકામ શરૂ કરાવી તેને બે વર્ષમાં પૂર્ણ કરી દેવાની શરત રાખવામાં આવી હતી. સરકારી જમીન પર 13 જેટલા અધિકારીઓને પ્રતિ અધિકારી દીઠ 135 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી હતી. પ્લોટની ફાળવણી બાદ તંત્રની તપાસમાં ચાર અધિકારીઓએ બાંધકામની શરતોનો ભંગ કર્યો હોવાથી ચાર પ્લોટ શ્રીસરકાર કરી દેવા માટે કલેકટર એસ.કે.મોદીએ આદેશ કરતાં સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા આ અધિકારીઓને પ્લોટ ફાળવાયા‎એચ.કે.વ્યાસ, આર.વી.બારીયા, કે.ડી.ભગત, ડી.એન.ચૌધરી, બી.એચ.ગામીત, આર.એમ.ચૌધરી, એસ.એન.સોની, આર.આર.ભાભોર, બી.ડી.બારીયા, વી.વી.મછાર, બી.બી.મોરિયા, એન.યુ.પઠાણ અને એલ.એમ. ડિંડોલ આ અધિકારીઓના પ્લોટ બાંધકામ થયું નથી‎અધિકારી હાલનું નોકરીનું સ્થળ‎કે.ડી.ભગત નિયામક, ડીઆરડીએ, છોટા ઉદેપુર‎ડી.એન.ચૌધરી હાલ મૃત્ય પણ તત્કાલીન એસડીએમ‎વી.વી.મછાર નિવૃત મામલતદાર, ગરૂડેશ્વર‎વી.એચ.ગામીત સિનિયર ટાઉનપ્લાનર, ગાંધીનગર‎ 3 અધિકારી જ્યારે એકની‎પત્નીએ ખુલાસા રજૂ કર્યા‎ કે.ડી. ભગત : એસઓયુ ઓથોરીટી‎તરફથી બાંધકામની પરવાનગી મળી‎નથી તેથી પ્લોટ પર બાંધકામ કરી‎આપવાની મુદ્દત લંબાવી આપવામાં આવે‎‎ડી.એન.ચૌધરીના પત્ની : તેમના પતિનું‎2022માં અવસાન થયું છે. આ જમીન‎બાબતે ખ્યાલ ન હતો, જેથી પ્લોટ‎ફાળવણી યથાવત રાખી બાંધકામની‎સમય મર્યાદા લંબાવી અપાઇ‎વી.વી.મછાર ઃ આર્થિક સંકડામણને કારણે‎બાંધકામ પૂર્ણ કરવા અસમર્થ અને‎બાંધકામની મુદત વધારી આપવામાં‎આવે જેથી કામ પૂર્ણ કરી શકાય.‎‎વી.એચ. ગામિત : સરકારે ફાળવેલા પ્લોટ‎પર લિન્ટન લેવલ સુધી કામ પૂર્ણ કરેલ‎છે.બાકીનું ટુંક સમયમાં પૂર્ણ કરી દેવામાં‎આવશે.‎ આધાર તથા પુરાવા રજૂ નહિ કરાતાં શરતભંગ થયો હોવાનું તારણ‎નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં સરકારી જમીન પર અધિકારીઓને ફાળવવામાં આવેલાં પ્લોટ પર શરતભંગ થયો હોવાની ફરિયાદ કલેકટર એસ.કે.મોદીને મળી હતી. તેમણે અધિકારીઓના ખુલાસાઓ સંદર્ભમાં નોંધ્યું હતું કે, રાજય સરકારના પંચાયતના સેવાના બદલીપાત્ર અધિકારી કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે વિના હરાજીએ રાહત દરે સરકારી જમીન ફાળવવા અંગેના સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગરના સંકલિત ઠરાવ થી થયેલ જોગવાઈ મુજબ કાબુ બહારના કારણોસર તેમ કરવાનું શક્ય ન હોય તો તે અંગેના આધાર પુરાવા સાથે વધુ મુદ્દત મેળવવા સરકારને અગાઉથી રજુઆત કરવાની રહેશે. અન્યથા પ્લોટ વિના વળતરે સરકાર હસ્તક પરત લેવામાં આવશે. તેમ જણાવેલ છે. જે અન્વયે આ કામના સામાવાળા ધ્વારા જમીન ફાળવણી અંગેના તા.2 ફેબ્રુઆરી 19 ના હુકમની શરત નં.2 મુજબ બાંધકામની મુદત પુર્ણ થયેલ હોવા છતાં વધુ મુદ્દત વધારવા માટે કોઈ પણ જાતની લેખિત પરવાનગી મેળવેલ હોય અન્યથા પરવાનગી મેળવવા માટે રજુઆત કરેલ હોય તે અંગેના કોઈ આધાર પુરાવા રજુ કરેલ નથી. જેથી જમીન ફાળવણી અંગેના હુકમની શરતોનો ભંગ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:08 am

સન્ડે બિગ સ્ટોરી:શાંતિ મલ્ટિપલ અને ગોકુલ લાઇફ કેર સહિત 10 ખાનગી હોસ્પિટલને રૂ.52.49 લાખની પેનલ્ટી

કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનોને મફતમાં સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)અમલમાં મૂકવામાં આવી છે ત્યારે થોડા સમય પહેલાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મોટા પાયે ગોલમાલ કરી કરોડો રૂપિયાની ગોબાચારી આચરવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા રાજ્ય સરકારે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરી જેલમાં ધકેલી દેવાયા બાદ ગુજરાતની અન્ય ખાનગી હોસ્પિટલ સામે કડક ‌વલણ અપનાવવામાં આવ્યું હતું અને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સમયાંતરે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાવવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ હોસ્પિટલ વિરુદ્ધ મળેલી ફરિયાદોના આધારે ચેકિંગ કરવામાં આવતા વર્ષ-2025માં કુલ દસ હોસ્પિટલ ગેરરીતિ આચરતા ઝપટે ચડી છે અને તેમને રૂ.52.49 લાખનો દંડ ફટકારાયો છે. જેમાં સૌથી વધુ દંડ શાંતિ મલ્ટિપલ હોસ્પિટલ અને ગોકુલ લાઇફ કેરને કરવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ગરીબ અને અભણ દર્દીઓને લાવીને એન્જિયોપ્લાસ્ટી સહિતની સારવાર કરી કેન્દ્ર સરકારની પીએમજેએવાય યોજના અંતર્ગત નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં 3 દર્દીનાં મોત નીપજ્યા બાદ સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. આ પ્રકરણમાં ખાનગી હોસ્પિટલ દ્વારા સરકાર સાથે મોટા પાયે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર કડક બની હતી અને રાજ્યમાં પીએમજેએ‌વાય અંતર્ગત સુવિધા આપતી ખાનગી હોસ્પિટલનું સમયાંતરે ચેકિંગ કરવા ગાઇડલાઇન તૈયાર કરી જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકાના આરોગ્ય વિભાગને આદેશ કર્યો હતો. આ આદેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અલગ-અલગ હોસ્પિટલની મળેલી ફરિયાદોના અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં શાંતિ મલ્ટિપલ હોસ્પિટલ અને ગોકુલ લાઇફ કેર હોસ્પિટલમાં ગેરરીતિ આચરવામાં આવ્યાનું ખૂલતા રૂ.52,49,135નો દંડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં 1-1, મે માસમાં 3, જૂન માસમાં 1 અને ઓક્ટોબર માસમાં 3 હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે.ગોકુલ હોસ્પિટલમાં સતત ગેરરીતિ, અગાઉ લાઇસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરાયું હતુંઆ અગાઉ ગોકુલ હોસ્પિટલનું લાઇસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરાયું હતું. ક્રાઇસ્ટ હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગ 6 માસ માટે અને યુનિકેર હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગ 1 માસ માટે સસ્પેન્ડ કરાયો હતો. રાજકોટની આ હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:05 am

માલધારીઓમાં રોષ:1500થી વધુ પશુ માટે 4 કિમીનો ફેરો, આપની આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-1 માં રહેતા માલધારી સમાજના પશુપાલકો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તેમના પશુઓને ચરાવવા જવાના મુખ્ય માર્ગને ધોળીધજા ડેમ પાસે મોટી જાળી અને તાળું મારીને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર-1માં વસવાટ કરતા માલધારી સમાજના 1500થી વધુ ગાય, ભેંસ અને બકરાંને ચરાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માર્ગ બંધ થતાં, પશુપાલકોને હવે 4 કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપીને પશુઓ ચરાવવા જવું પડે છે. આ બાબત પશુપાલન વ્યવસાય માટે આર્થિક અને શારીરિક રીતે અસહ્ય બની ગઈ છે. જેની મહોલ્લા સભામાં રજૂઆત મળતા આપ આગેવાન અમૃતભાઈ મકવાણા, કમલેશભાઈ કોટેચા, દિપકભાઈ ચિહલા, સતિષભાઈ ગમારા, કિસનભાઈ સોની, શૈલેષ ઉકળીયા અને મકાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે તેઓએ જણાવ્યું કે પશુપાલકોને સાથે રાખીને બંધ કરાયેલા માર્ગની સ્થળ મુલાકાત લીધી હતી અને સમસ્યાની ગંભીરતાને સમજી હતી. આથી સમસ્યાના ઉકેલ માટે આગેવાનોએ જવાબદાર તંત્રને રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે ગાયના નામે મતો લઈ સત્તા રુઢ થયેલી આ બહેરી મૂંગી સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:00 am

ચિંતા : ભારતમાં 71 ટકા લોકો પોષણયુક્ત આહાર લઈ શકતા નથી

- ભારતે હથિયારો ખરીદવાની નહીં પણ ખેતીને સમૃદ્ધ કરીને મજબૂત પેઢી અને સશક્ત સમાજ કરવાની વધારે જરૂર છે - વિશ્વના અંદાજે 300 કરોડથી વધારે લોકો પોષણયુક્ત ભોજન કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલાં આ આંકડો 282 કરોડની આસપાસ હતો. સહારા ક્ષેત્ર અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તો 80 ટકા વધારે લોકોને પૌષ્ટિક ભોજન નહીં મળતું હોવાના અહેવાલો છે : ભારતમાં ૫૬ ટકાથી ૭૧ ટકા લોકો પૌષ્ટિક અને સ્વસ્થ ભોજન પ્રાપ્ત કરી શકતા નથી. ગત વર્ષે આવેલો એક અહેવાલ જણાવતો હતો કે, ભારતના 6 થી 23 મહિના સુધીના 77 ટકાથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે : જાપાનમાં શોકુ ઈકુ નીતિ હેઠળ બાળકોનો ભોજનનું વિજ્ઞાાન સમજાવવામાં આવ્યું. એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું કે, ભોજન માત્ર ખાવાની વસ્તુ નહીં પણ સંસ્કૃતિ, સમજ, સમાજ અને સ્વાસ્થ્યનો આધાર બની રહે

ગુજરાત સમાચાર 14 Dec 2025 7:00 am

લોક અદાલત:જિલ્લા, તાલુકા મથકોએ વર્ષની છેલ્લી લોક અદાલતમાં 9557 કેસોનો નિકાલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવીની પ્રકારના કેસો, સમાધાન લાયક કેસો હાથ પર લઇ 9557નો નિકાલ કરાયો હતો. જિલ્લા તથા તાલુકા મથકે તા.13-12-25 રોજ રાષ્ટ્રીયલોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાય માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઇમ સેક્રેટરી આર.જી. મન્સુરી સહિત ટીમે પ્રયાસ હાથ ધર્યા હતા. આ અંગે આર.જી. મન્સુરી જણાવ્યું કે લોક અદાલતમાં કેસો મૂકવાથી બન્ને પક્ષની જીત થાય છે કોઇ એક પક્ષને હાર કે જીત થતી નથી. આથી પક્ષકારોમાં રાગદ્વેશની ભાવના ઉત્પન્ન નથી થતી. લોકઅદાલતના 5681 કેસ હાથ પર લઇ 5676નો નિકાલ કરી રૂ.3,47,10,946 રકમનું સેટલમેન્ટ કરાયું હતું. જ્યારે સ્પેશિયલ સિટીંગના 2829 કેસ હાથ ધરાતા 2724 નિકાલ કરાયો હતો. પેન્ડિંગ કેસો 1098 હાથ પર લઇ 1048નો નિકાલ કરી રૂ.19,15,78,093 રકમનું સેટલમેન્ટ કરાયું હતું. ફેમિલી કોર્ટના 160 કેસ હાથ પર લઇ 109નો નિકાલ કરાયો હતો. આમ કુલ 9768 કેસ હાથ પર લઇ 9557નો નિકાલ કરી કુલ 22,62,89,039ની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ બનાવવા જિલ્લાના વકીલો, કોર્ટ સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રયાસ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:58 am

વઢવાણ પંથકમાં ખેડૂતો ખાતર માટે ખફા:ઠંડીમાં વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 6 થેલી ખાતર મળે છે

વઢવાણ તાલુકામાં ખેડૂઓની મુશ્કેલીઓછી થતી નથી શિયાળામાં કડકડતી ઠડીમાં ખાતર માટે રઝળપાટ કરવાનો સમય ખેડૂતોને આવ્યો છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 6 થેલી ખાતર અપાતા ખેડૂતો ખફા થયા છે. ઝાલાવાડ પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં યુરીયા ખાતરની અછતને લઇને ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. શિયાળાની ઠડીમાં વહેલી સવારથી યુરીયા ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા છત‍ાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખાતરના ડેપો વહેલી સવારથી ખેડૂતો ખાતર મેળવવા લાઇનમાં ઉભા રહ્યાં હોવા છતા માત્ર 6 જ થેલી ખાતર આપવામાં આવે છે તેવી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગ મહેન્દ્રસિંહ સોલંકી, કોળી રવજીભાઈ દલવાડી રમેશભાઈ વિક્રમ સિંહ ડોડિયા વગેરેએ જણાવ્યું કે અમારે હાલ શિયાળુ વાવેતર કર્યું છે. જેમાં ઘઉં, જીરું, ચણા, વરિયાળી સહિતના પાકમાં ખાતર નાખવું પડે છે. આથી લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. હાલ ખેડૂતોને માત્ર 6 થેલી ખાતર મળે છે. આથી અમારી લાગણી અને માંગણી છે કે ખેડૂતોને સમયસર જરૂરીયાત મુજબ ખાતર મળે ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. ત્યારે જ ખાતર પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવતા શિયાળુ પાકમાં ઉત્પાદન ઘટાડો થવાની શક્યતા ઉભી થઈ છે. આથી સરકાર પુરતા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ છે. આ અંગે નાયબ ખેતી નિયામક શૈલેષભાઇ શિણોજીયાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝનમાં પાકોનું વાવેતર જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની સપ્લાય રોડ તેમજ રેક મારફત સતત ચાલુ છે. જિલ્લામાં હાલ રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો વિવિધ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. વર્તમાન સ્થિતિએ 3300 મેટ્રિક ટન (મે.ટન) યુરિયા, 1900 મે.ટન ડીએપી ખાતર, 3300 મે.ટન એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જિલ્લામાં 2400 મે.ટન યુરિયાનો જથ્થો સ્ટોરેજ રખાયો છે. વિવિધ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પણ જિલ્લામાં યુરિયા ખાતરની સપ્લાય સતત ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:57 am

કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રદ કર્યો:પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિર મુદ્દે મહારાષ્ટ્ર સરકારને કોર્ટનો આંચકો

ઔરંગાબાદ સ્થિત મુંબઈ હાઈ કોર્ટની બેન્ચે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રદ કર્યો છે. અહિલ્યાનગર પૂર્વે અહમદનગર ખાતે આવેલા પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના સંચાલન માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા પ્રશાસકની નિમણૂકને અદાલતે ગેરકાયદેસર ઠરાવીને રદ કરી છે. આ સાથે પ્રશાસક દ્વારા રચાયેલી તાત્કાલિક સમિતિને પણ રદ કરી, મંદિરનું સંચાલન ફરીથી પૂર્વે મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ચૂંટાયેલી મેનેજિંગ કમિટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ વિભા કંકણવાડી અને હિતેન વેનેગાવકરની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકારે શ્રી શનૈશ્વર દેવસ્થાન ટ્રસ્ટ (શિંગણાપુર) અધિનિયમ, 2018ના પ્રાવધાનોનું ઉલ્લંઘન કર્યું છે. આ અધિનિયમને રાજ્ય સરકારે 22 સપ્ટેમ્બર 2025ના સરકાર ઠરાવ (જીઆર) દ્વારા અમલમાં મૂક્યો હતો અને તરત જ અહિલ્યાનગરના કલેક્ટરને પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે અધિનિયમની કલમ 36 અનુસાર પ્રશાસકની નિમણૂક માત્ર ખાસ પરિસ્થિતિમાં જ થઈ શકે. અદાલતે નોંધ્યું કે, કલમ 36 મુજબ પ્રશાસક ત્યારે જ નિમાઈ શકે, જ્યારે કલમ 5 હેઠળ રચાયેલ મેનેજિંગ કમિટી ફરજો બજાવવામાં નિષ્ફળ જાય. હાલના કેસમાં કલમ 5 મુજબ નવી કમિટી રચાઈ જ નહોતી. તેથી, પ્રશાસકની નિમણૂક કાયદેસર નથી. બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે, રાજ્ય સરકારને આવી ઉતાવળ શા માટે હતી? અદાલતે વધુમાં કહ્યું કે, મંદિર ટ્રસ્ટની મિલકત, દાન અને નાણાં બંધારણના કલમ 300એ હેઠળ સુરક્ષિત છે, અને કાયદાની સત્તા વિના તેની કબજા બદલવી અસંવિધાનિક છે. તેથી, 22 સપ્ટેમ્બર 2025નો સરકાર ઠરાવ બંધારણીય રીતે અમાન્ય છે. આ 40 પાનાના ચુકાદા સાથે હાઈ કોર્ટે રાજ્ય સરકારનો આદેશ સંપૂર્ણ રીતે રદ કરી, શનિ શિંગણાપુર મંદિરનો સંચાલન ફરીથી પૂર્વ મેનેજિંગ કમિટીને સોંપવાનો આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:54 am

આ ગંભીર મામલે રાજ ઠાકરેનો CMને પત્ર:મહારાષ્ટ્રમાં 13 દિવસમાં 13 થી 25 વર્ષના 1,294 યુવક-યુવતીઓ ગુમ થયાની ફરિયાદ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો, યુવક અને યુવતીઓના અપહરણ તથા ગુમ થવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને કારણે રાજ્યભરમાં ગંભીર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અનેક કિસ્સાઓમાં ગુમ થયેલા બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી વધતી હોવા છતાં રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન તરફથી અસરકારક અને કડક પગલાં લેવાતા ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્ર પોલીસના સત્તાવાર એપ મુજબ 1 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2025 દરમિયાન માત્ર 13 દિવસમાં 13 થી 25 વર્ષ સુધીના યુવક-યુવતીઓ અંગે કુલ 1,294 મિસિંગ ફરિયાદ નોંધાઈ છે, એટલે કે, દરરોજ સરેરાશ 100 યુવક-યુવતીઓ ગુમ થાય છે. જ્યારે 90 વર્ષ સુધીની વયના નાગરિકોની કુલ 2,624 ફરિયાદો નોંધાઈ છે, એટલે કે દરરોજ આશરે 202 નાગરિકો ગુમ થાય છે. આ આંકડા રાજ્ય માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પોતાની તીવ્ર નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. બાળકોની સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ મુદ્દાને અવગણવામાં આવવું રાજ્ય માટે અત્યંત જોખમી છે. સરકાર અને લોકપ્રતિનિધિઓએ આવા ગંભીર વિષયને રાજકીય હિતથી ઉપર રાખીને ગંભીરતાથી જોવાની જરૂર છે એમ તેમણે પત્રમાં જણાવ્યું છે. રાજ ઠાકરેએ રાજ્યના શિયાળુ સત્રના કામકાજ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. વિધાનસભામાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવે ત્યારે ઘણી વખત સંબંધિત મંત્રીઓ હાજર ન હોવાને કારણે ગંભીર ચર્ચા શક્ય બનતી નથી, એવો આરોપ તેમણે કર્યો. ખાસ કરીને બાળ અપહરણ જેવા ગંભીર વિષય પર ગૃહમાં ચર્ચા ન થવી અત્યંત દુર્ભાગ્યજનક હોવાનું તેમણે જણાવ્યું. શું કહ્યું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે?બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, તેમણે રાજ ઠાકરેનો પત્ર હજી વાંચ્યો નથી, પરંતુ ગુમ થતા બાળકો અંગે અગાઉ પણ તેઓએ આંકડાઓ સાથે માહિતી આપી છે. ઘણી વખત ઘરેલુ ઝઘડા કે અન્ય કારણોસર બાળકો થોડા દિવસ માટે ઘર છોડીને જાય છે અને પાછા આવે છે, છતાં પણ તેમની મિસિંગ ફરિયાદ નોંધાવવામાં આવે છે, જેના કારણે આંકડા વધેલા દેખાય છે. વર્ષ દરમિયાનની ગણતરી કરીએ તો તે રીતે 90 ટકાથી વધુ બાળકો શોધી કાઢવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે પણ સરકારની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. બાળકો ગુમ થાય ત્યારે ખાસ તપાસ અભિયાન ચલાવવામાં આવે છે, અને 90 ટકાથી વધુ બાળકો ફરી મળી જાય છે. બાકી રહેલા બાળકોની શોધ માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:53 am

ભાસ્કર એનાલિસીસ:સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં ટોપ 8મા : લઘુત્તમ તાપમાન 14.0 અને મહત્તમ 31.1 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 13 ડિગ્રી સુધી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 13 ડિસેમ્બર છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડતા સૌથી ઠંડો 13 ડિસેમ્બર દિવસ બની જવા પામ્યો છે. ત્યારે હાલ ગરમ કપડાની માંગ 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ ઉત્તર પૂર્વમાં જમ્મુ કાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાને લઇ જતા શિયાળાની શીતલહેર વધતા થોડા દિવસોથી ફરી ઠંડક અહેસાસ થઇ રહ્યો છે. એક સપ્તાહની વાત કરીએ તો તાપમાન વધઘટ થઇ ગયું છે. જ્યારે 13 ડિસેમ્બરે છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા તાપમાનની સરખામણી કરાય તો વર્ષ 2025નો 13 ડિસેમ્બર સૌથી ઠંડો રહ્યો છે. સામાન્યત: આ દિવસોમાં જિલ્લાનું તાપમાન ઘટી જતું હોય છે. પરંતુ આ વર્ષ ડિસેમ્બર માસના બીજા વિકની શરૂઆતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જિલ્લામાં શનિવારે લુઘતમ તાપમાન 14.0 અને મહત્તમ 31.1 ડિગ્રી નોંધાયું હતું. લોક જિલ્લાવાસીઓએ આ દિવસે સવારથી રાત્રી સુધીમાં ડિગ્રી ફેરફાર અનુભવ્યો હતો. આ અંગે ભાવેશકુમાર, આશિષકુમાર, નિલેશભાઈ સહિતના વેપારીઓએ જણાવ્યું કે, ગત વર્ષે કરતા આ વર્ષે વુલનના ગરમ કપડા અને જેકેટના માંગ વધી તમામ આઇટમોમાં 10થી 15 ટકા માંગ વધારો થયો છે. ચાલુ વર્ષે પેરાશુટ જેકેટ, નાયલોન જેકેટની ખાસ ડિમાન્ડ છે. 13 ડિસેમ્બરનું 10 વર્ષનું એવરેજ તાપમાન{ 2015 : લઘુતમ 14.9, મહત્તમ 28.4 { 2016 : લઘુતમ 16.1, મહત્તમ 31.7 { 2017 : લઘુતમ 15.8, મહત્તમ 27.7 { 2018 : લઘુતમ14.5, મહત્તમ 27.3 { 2019 : લઘુતમ 14.5, મહત્તમ 27.4 { 2020 : લઘુતમ 14.8, મહત્તમ 27.1 { 2021 : લઘુતમ 14.5, મહત્તમ 28.3 { 2022 : લઘુતમ 20.0, મહત્તમ 30.8 { 2023 : 16.2, 30.8 { 2024 : 14.6, 28.5 { 2025 : લઘુત 14.0, મહત્તમ 31.1 ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધુઠંડી વધવાનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. આ સમયગાળામાં પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા થતી હોય છે. જેના પરિણામે ઠંડા પવનો દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવે છે અને ઠંડીમાં વધારો થાય છે. આ વર્ષ પાછોતરો વરસાદ વધુ સમય ચાલતા ઠંડી શરૂઆતમાં ઓછી રહી હતી. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની) અસર ન હોવાને કારણે કડકડતી ઠંડીનો દોર લંબાયો છે. હાલ વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાશે, પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધશે કારણ કે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. ડિસેમ્બરના અંતમાં ફરી ઠંડી જોર પકડશે.> રમેશભઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદર

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:52 am

હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:7 વર્ષની બાળાના નાગરિકત્વ હકનું રક્ષણ

મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા દ્વારા સાત વર્ષની બાળાના નાગરિકત્વના હકનું રક્ષણ કર્યું છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બાળા માટે ભારતીય પાસપોર્ટ જારી કરવાનો તથા તેને નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલ અને આશિષ ચવાણની ડિવિઝન બેન્ચ ગોવા બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદાર બાળા ઝામી ધા તિરાકિતા કાયેનો જન્મ 24 જાન્યુઆરી, 2018ના નવી દિલ્હીમાં થયો હતો. તેની માતા ભારતીય નાગરિક છે, જ્યારે પિતા બ્રિટિશ નાગરિક છે. બાળકીના પિતા 2006માં રોજગાર વિઝા પર ભારત આવ્યા હતા, જે 2009 સુધી સમયાંતરે વધારવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2009માં તેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં વિઝા વિના દેશમાં રહેવાના કારણે 2011માં તેમની ધરપકડ થઈ હતી અને વિદેશી અધિનિયમ, 1946 હેઠળ તેમને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. સેશન કોર્ટે સજા યથાવત રાખી અને તેમની દેશનિકાલની ભલામણ કરી હતી. આ આદેશને પડકારતાં પિતાએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સપ્ટેમ્બર 2017માં દિલ્હી હાઈ કોર્ટે પત્ની ગર્ભવતી હોવાના આધાર પર દેશનિકાલ પર રોક લગાવી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મામલો સહાનુભૂતિપૂર્વક વિચારવા જણાવ્યું. ત્યાર બાદ 3 નવેમ્બર, 2017થી 31 માર્ચ, 2018 સુધી પિતાને સ્ટે વિઝા આપવામાં આવ્યો હતો. મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા દ્વારા સાત વર્ષની બાળાના નાગરિકત્વના હકનું રક્ષણ કર્યું છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બાળા માટે ભારતીય પાસપોર્ટ જારી કરવાનો તથા તેને નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલ અને આશિષ ચવાણની ડિવિઝન બેન્ચ ગોવા બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદાર બાળા ઝામી ધા તિરાકિતા કાયેનો જન્મ 24 જાન્યુઆરી, 2018ના નવી દિલ્હીમાં થયો હતો. તેની માતા ભારતીય નાગરિક છે, જ્યારે પિતા બ્રિટિશ નાગરિક છે. બાળકીના પિતા 2006માં રોજગાર વિઝા પર ભારત આવ્યા હતા, જે 2009 સુધી સમયાંતરે વધારવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2009માં તેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં વિઝા વિના દેશમાં રહેવાના કારણે 2011માં તેમની ધરપકડ થઈ હતી અને વિદેશી અધિનિયમ, 1946 હેઠળ તેમને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. સેશન કોર્ટે સજા યથાવત રાખી અને તેમની દેશનિકાલની ભલામણ કરી હતી. આ આદેશને પડકારતાં પિતાએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સપ્ટેમ્બર 2017માં દિલ્હી હાઈ કોર્ટે પત્ની ગર્ભવતી હોવાના આધાર પર દેશનિકાલ પર રોક લગાવી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મામલો સહાનુભૂતિપૂર્વક વિચારવા જણાવ્યું. ત્યાર બાદ 3 નવેમ્બર, 2017થી 31 માર્ચ, 2018 સુધી પિતાને સ્ટે વિઝા આપવામાં આવ્યો હતો. પાસપોર્ટ સત્તાવાળાઓએ દલીલ કરી હતી કે, પિતા ગેરકાયદે પ્રવાસી હોવાથી બાળા ભારતીય નાગરિકત્વ માટે પાત્ર નથી. જોકે હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, બાળકીના જન્મના દિવસે પિતા માન્ય દસ્તાવેજના આધારે ભારતમાં રહી રહ્યા હતા, તેથી તેમને ગેરકાયદે પ્રવાસી ગણાવી શકાય નહીં. કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે બાળકી નાગરિકત્વ અધિનિયમની કલમ 3(1)(સી)(2)ની તમામ શરતો પૂર્ણ કરે છે, અને તેથી તેને ભારતીય નાગરિકત્વ તથા પાસપોર્ટ આપવો ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:52 am

સુપ્રીમ કોર્ટએ કડક વલણ અપનાવ્યું:હિટ એન્ડ રન કેસ જેવી ઘટનામાં માતા-પિતા પણ જવાબદાર

મુંબઈના વરલી વિસ્તારમાં ગયા વર્ષે થયેલા હિટ એન્ડ રન કેસને લઈને સુપ્રીમ કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. આ કેસમાં આરોપી મિહિર શાહ જેવા યુવકોને પાઠ ભણાવવો જ જોઈએ, એવી સ્પષ્ટ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટએ તેની જામીન અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ એ.જી. મસીહની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી. જુલાઈ 2024માં મિહિર શાહે નશાની હાલતમાં વરલી સી ફેસ માર્ગ પર પોતાની બીએમડબલ્યું કાર ખૂબ જ ઝડપી ગતિએ ચલાવી એક વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાવેરી નખવા નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ આરોપી કાર રોક્યા વિના ભાગી ગયો હતો. કાવેરી નખવા કારની નીચે ફસાઈને કેટલાક અંતર સુધી ઘસડાતી ગઈ હતી અને તેમનો મૃતદેહ અકસ્માત સ્થળથી લગભગ બે કિલોમીટર દૂર મળી આવ્યો હતો. આરોપી મિહિર શાહ એક શ્રીમંત પરિવારનો હોવાનું કોર્ટએ નોંધ્યું. તેના પિતા રાજેશ શાહ ઉદ્યોગપતિ છે, અને એકનાથ શિંદેની શિવસેનાના પૂર્વ પદાધિકારી રહ્યા છે. કોર્ટએ કડક શબ્દોમાં કહ્યું કે, આવી ઘટનાઓ માટે માતા-પિતા પણ જવાબદાર છે. ન્યાયમૂર્તિઓએ કહ્યું કે રાતે પાર્ટી કરીને, અલગ-અલગ મોંઘી કાર ચલાવીને બેદરકારી દાખવનાર વ્યક્તિ જેલમાં જ રહે તો સારું.નવેમ્બર 2025માં હાઈકોર્ટએ પણ મિહિર શાહને જામીન નકાર્યા હતા. ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. વરિષ્ઠ વકીલ રેબેકા જ્હોને આરોપીની તરફેણમાં દલીલો કરી અને હાઈકોર્ટે સાક્ષીઓની સાક્ષી બાદ ફરી અરજી કરવાની છૂટ આપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:50 am

રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા કરાઈ:રાજ્યની મહાપાલિકા ચૂંટણીમાં દિવ્યાંગ, વૃદ્ધોને ગૃહમતદાનની સુવિધા નહીં મળે

દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને આપવામાં આવતી ગૃહમતદાનની સુવિધા આગામી મહાપાલિકા ચૂંટણીઓમાં આપવામાં નહીં આવે એમ રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બહુસભ્યવાળા પ્રભાગ હોવાથી મતદાનની ટેકનિકલ અડચણ ધ્યાનમાં લેતા આમ કરવું શક્ય ન હોવાનું પંચે જણાવ્યું છે. પણ મુંબઈ મહાપાલિકા બાબતે આ વિષયનો નિર્ણય સ્વતંત્રપણે લેવામાં આવશે એમ પણ પંચ તરફથી અધોરેખિત કરવામાં આવ્યું છે. તેમ જ રાજકીય પક્ષોએ મોટી હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર ઊભા કરવાનો વિરોધ કર્યો હોવાથી આ બાબતે પણ ફક્ત મુંબઈ મહાપાલિકા માટે જુદો નિર્ણય લેવામાં આવશે એમ પંચે જણાવ્યું છે. ચૂંટણીની પૂર્વતૈયારી કરવા રાજકીય પક્ષોના પ્રતિનિધીઓની બેઠક રાજ્ય ચૂંટણી પંચના કાર્યાલયમાં બોલાવવામાં આવી હતી. એ સમયે આગામી મતદાન બાબતે મહત્વના નિર્ણય લેવામાં આવ્યાની માહિતી રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ આપી હતી. લોકસભા, વિધાનસભા ચૂંટણીમાં દિવ્યાંગો અને વૃદ્ધ મતદારો માટે ગૃહ મતદાનની સુવિધા આપવામાં આવી હતી. આગામી મહાપાલિકા ચૂંટણીમાં બહુસભ્યવાળા પ્રભાગ હોવાથી એ આપી શકાશે નહીં એમ પંચ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દરેક મતદાર માટે ઓછામાં ઓછા બેથી ત્રણ ઈવીએમ લઈ જવા અને મતદાન કરાવવું ટેકનિકલક દષ્ટિએ મુશ્કેલ બનશે એમ જણાવવામાં આવ્યું. મુંબઈ માટે જુદો વિચારદિવ્યાંગો, વૃદ્ધ મતદારો તેમ જ મોટી હાઉસિંગ સોસાયટી બાબતે મુંબઈની સ્થિતિ જુદી છે. આ બાબતે મુંબઈ મહાપાલિકા કમિશનર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે એમ રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ સ્પષ્ટ કર્યું હતું. એક સભ્ય પ્રભાગ, તેમ જ મતદાન કેન્દ્રની મર્યાદા 1000થી 1200 મતદારોની હોવાથી મુંબઈના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં કેન્દ્ર ઊભા કરવા સહેલુ છે. એના પર ચર્ચા ટૂંક સમયમાં થશે એમ તેમણે ઉમેર્યું હતું. વ્યવહાર હેઠળ 36.50 કરોડ ચૂકવાયાઆ સમગ્ર કેસને એક અલગ દિશા આપતી બાબત એ છે કે એવો આરોપ છે કે આ વ્યવહાર ફક્ત 500 રૂપિયાના નોટરી કરાર પર કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આટલી મોટી જમીન માટે કોઈ સત્તાવાર રજિસ્ટર્ડ ખરીદી અને વેચાણ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના એક સરળ નોટરી દસ્તાવેજના આધારે આ વ્યવહાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પુણે કૃષિ પેદાશો બજાર સમિતિએ આ વ્યવહાર હેઠળ યશવંત સહકારી ખાંડ ફેક્ટરીને 36 કરોડ 50 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:49 am

50,000 થી વધુ ચશ્માનું વિતરણ કરાયું:5.5 લાખથી વધુ બાળકોના આંખના સ્વાસ્થ્યમાં પરિવર્તન

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેના સિગ્નેચર સીએસઆર પ્રોગ્રામ, કેરિંગ હેન્ડ્સના 14 વર્ષ પૂર્ણ થવાની જાહેરાત કરી છે, જે વંચિત સમુદાયોમાં બાળકોના આંખના સ્વાસ્થ્યને સુધારવા માટેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. 2011 માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ પહેલ ભારતના સૌથી અર્થપૂર્ણ કર્મચારી-આગેવાની હેઠળના આરોગ્ય હસ્તક્ષેપોમાંની એક બની ગઈ છે, જે દેશભરના શાળાના બાળકોને મફત આંખની તપાસ અને સુધારાત્મક ચશ્મા પૂરા પાડે છે. વર્ષોથી, કેરિંગ હેન્ડ્સ એ 5.5 લાખથી વધુ બાળકોની તપાસ કરી છે અને 50,000 થી વધુ ચશ્માનું વિતરણ કર્યું છે, જે રીફ્રેક્ટિવ ભૂલોના પ્રારંભિક નિદાનમાં અને ટાળી શકાય તેવા દ્રષ્ટિ નબળાઈને રોકવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે. સીએસઆર હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે, કેરિંગ હેન્ડ્સ 14 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે અમને યાદ અપાવવામાં આવે છે કે આ પહેલ ફક્ત એક CSR કાર્યક્રમ કરતાં વધુ છે - તે અમારા કર્મચારીઓની કરુણા અને જુસ્સા પર બનેલ એક સહયોગી મિશન છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:47 am

શ્વાનનો આંતક:મુંબઈમાં 24 કલાકમાં 16 લોકોને શ્વાને બચકાં ભર્યા

મુંબઈ આમ તો દેશની આર્થિક રાજધાની છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રખડતા કૂતરાઓના વધતા આતંકને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. 24 કલાકમાં 16 જેટલા લોકો પર શ્વાને હુમલો કર્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ગોરેગાંવ વેસ્ટના આદર્શ વિદ્યાલય અને સિદ્ધાર્થ નગર વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 16 જેટલા લોકો પર રખડતા કૂતરાએ બચકાં ભર્યા છે. આ હુમલામાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. સ્થાનિકોની મુખ્ય માગણી છે કે નગરપાલિકા દ્વારા આ આક્રમક કૂતરાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:47 am

ભાસ્કર નોલેજ:ભારતીય યુનિ.બાસ્કેટબોલ ટીમે પ્રથમ વર્લ્ડ કપમાં કાંસ્ય પદક જીત્યો

રમતગમતમાં સમાનતા, એકતા અને સહકારને પ્રોત્સાહન આપતા ‘‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ યુનિફાઇડ બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2025''માં ભારતીય ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ અમેરિકાના પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે તેમના સમૂહમાં કાંસ્ય પદક જીતીને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટને વિશ્વની સૌથી મોટી અને સૌથી વૈવિધ્યસભર એકીકૃત રમતગમતની ઇવેન્ટ્સમાંની એક ગણવામાં આવે છે. જેમાં 30 દેશોની 20 પુરૂષ ટીમો અને 18 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર મળેલી આ સફળતામાં દાહોદનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાહોદ સ્થિત બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ માટે આ અપાર ગર્વની ક્ષણ છે કારણ કે સંસ્થાના અબ્બાસ જે. ખરોદાવાલાએ યુનિફાઇડ બાસ્કેટબોલ વર્લ્ડ કપ માટે સહાયક કોચ તરીકે સેવા આપી હતી. આ યુનિફાઇડ બાસ્કેટબોલ ટીમમાં સમગ્ર ભારતમાંથી 3 મંદબુદ્ધિ (સ્પેશિયલ) બાળકો અને 2 નોર્મલ બાળકોનો સમાવેશ કરાયો હતો. 5 બાળકોની આ ટીમ સાથે 4 કોચ પણ ગયા હતા. જેમાં દાહોદના અબ્બાસ ખરોદાવાલા પણ સહાયક કોચ તરીકે સામેલ હતા. આ યુનિફાઇડ ટીમે સમાનતા, ટીમવર્ક અને બૌદ્ધિક તેમજ વિકાસલક્ષી વિકલાંગતાવાળા વ્યક્તિઓના સશક્તિકરણના સ્પેશિયલ ઓલિમ્પિક્સના મૂળ મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું હતું. યુનિફાઇડ કેમ કહેવાય છેસ્પેશિયલ ઓલિમ્પિક્સ યુનિફાઇડ વર્લ્ડ કપ એ એક વૈશ્વિક રમતગમતની ઇવેન્ટ છે. જેનો ઉદ્દેશ સમાવેશ એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવાનો હોય છે. આ ટુર્નામેન્ટમાં સામાન્ય અને બૌદ્ધિક તેમજ વિકાસલક્ષી વિકલાંગતા (મંદબુદ્ધિ) ધરાવતા ખેલાડીઓ એકસાથે એક ટીમ તરીકે સ્પર્ધા કરે છે. તેને યુનિફાઇડ કહેવામાં આવે છે કારણ કે તે સ્પેશિયલ ઓલિમ્પિક્સના મૂળ મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:47 am

લાડકી બહેન યોજના:ઈ-કેવાયસી કરવામાં થયેલી ભૂલ સુધારવા 31 ડિસે.ની અંતિમ મુદત

મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાલવિકાસ વિભાગે મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓને પહોંચે એ માટે તમામ મહિલાઓ માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. હવે ઈ-કેવાયસીની અંતિમ મુદત 31 ડિસેમ્બર 2025 સુધી વધારવામાં આવી છે. ઈ-કેવાયસી કરતા થયેલી ભૂલો સુધારવાની એક તક પણ મહિલા અને બાલવિકાસ વિભાગે આપી છે. ખાસ કરીને પિતા કે પતિ હયાત ન હોય એવી એકલી રહેતી મહિલાઓએ ઈ-કેવાયસી પ્રક્રિયા કેવી રીતે પૂરી કરવી એ બાબતે વિગતવાર સૂચના આપવામાં આવી છે. મહિલા અને બાલવિકાસ મંત્રી અદિતી તટકરેએ આપેલી માહિતી અનુસાર અત્યાર સુધી 1 કરોડ 74 લાખ મહિલાઓએ આ યોજનાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂરી કરી છે. જે મહિલાઓ દ્વારા ઈ-કેવાયસી કરતા ભૂલ થઈ છે તેમને યોજનાના વેબ પોર્ટલ પર ભૂલ સુધારવાની અંતિમ તક મળી છે. તેથી જે મહિલાઓએ ઈ-કેવાયસી કરતા ભૂલો કરી છે તેમણે હવે ધ્યાનપૂર્વક માહિતી ભરીને ભૂલો સુધારી લેવી. પહેલાં ઈ-કેવાયસી પ્રક્રિયામાં પિતા અથવા પતિના આધાર નંબરનું ઓથેન્ટિફિકેશન કરવું જરૂરી હતું. એના લીધે જે મહિલાઓના પતિ કે પિતા હયાત નથી તેમની સમક્ષ ઈ-કેવાયસી કેવી રીતે કરવું એ પ્રશ્ન ઊભો થયો હતો. એના પર ઉકેલ કાઢતા મહિલા અને બાલવિકાસ વિભાગે હવે નવી સૂચના જારી કરી છે. જે મહિલાઓના પતિ કે પિતા હયાત નથી તેમણે તેમના ડેથ સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી આંગણવાડી સેવિકાને 31 ડિસેમ્બર પહેલાં આપવી. છૂટાછેડાનું પ્રમાણપત્રછૂટાછેડા લીધેલી મહિલાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર અથવા કોર્ટના આદેશની કોપી આંગણવાડી સેવિકાને રજૂ કરવી. આ પ્રક્રિયા ઓફ્ફલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. જો કે આ મહિલાઓએ પોતાનો આધાર નંબર પોર્ટલ પર નોંધીને પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી પડશે. આ નિર્ણયના લીધે અનેક એકલી મહિલાઓને યોજનાનો લાભ મળવાનો માર્ગ સહેલો થયો છે. મહિલા સક્ષમીકરણને ઉત્તેજનઆ યોજનાનો ઉદ્દેશ રાજ્યની જરૂરિયાતમંદ અને પાત્ર મહિલાઓને આર્થિક મદદ કરવાનો છે. ઈ-કેવાયસીની મુદત વધારવાથી અને ભૂલો સુધારવાની તક આપવાથી વધુ મહિલાઓને આ યોજનાનો ફાયદો થશે. આ યોજનાના માધ્યમથી મહિલા સક્ષમીકરણને ઉતેજન આપવાનો સરકારનો પ્રયત્ન છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:46 am

સરકારી સહાય નહીં, માત્ર સ્વબળ અને સાદગીનું પ્રતિક:દાહોદમાં એ/સી ભારત સરકાર કુટુંબ પરિવારની અનોખી ગાથા

આદિવાસી બહુલ દાહોદ જિલ્લો માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પણ અહીં વસતા કેટલાક પરિવારોના અસાધારણ જીવનધોરણ માટે પણ જાણીતો બની રહ્યો છે. અહીં ''એ/સી ભારત સરકાર કુટુંબ પરિવાર'' નામની એક વિશિષ્ટ વિચારધારાને વરેલા પરિવારો વસે છે. જેઓ આત્મનિર્ભરતાના સિદ્ધાંતને માત્ર અપનાવે જ છે પણ તેને જીવી જાણે છે. આ પરિવારોની મુખ્ય ઓળખ એ છે કે તેઓ સરકારી તંત્ર પર નિર્ભર રહેવામાં માનતા નથી. તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈપણ યોજનાકીય સહાય, સબસિડી, લોન કે અન્ય લાભો લેતા નથી. ''એ/સી ભારત સરકાર કુટુંબ પરિવારના સભ્યો પોતાની મહેનત અને બુદ્ધિના જોરે આગળ વધી રહ્યા છે. તેઓ જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા માટે સરકારી સહાયનો સહારો લેવાને બદલે સામુદાયિક સહયોગ અને વ્યક્તિગત પરિશ્રમ પર નિર્ભર રહે છે. એ/સી ભારત સરકાર કુટુંબ પરિવાર દેશ અને દેહીના કુદરતી રૂલિગમાં શાંતિમય જીવન જીવતા ભારત ઇન્ડિયા નોન જ્યુડિશ્યલ પરિવાર છે. એ/સી ભારત સરકાર કુટુંબ પરિવાર'' સાથે સંકળાયેલા આ પરિવારો દાહોદ જિલ્લામાં પ્રામાણિકતા, સ્વબળ અને સાદગીના પ્રતીક બનીને ઉભરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:46 am

જમીન સોદામાં મુખ્યમંત્રી દ્વારા હસ્તક્ષેપ:માત્ર 500ની નોટરી પર શુગર ફેક્ટરીનો 299 કરોડ રૂપિયાનો જમીન સોદો કરાયો

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આખરે હસ્તક્ષેપ કર્યો છે અને થેઉરમાં યશવંત સહકારી ખાંડ ફેક્ટરીના બહુચર્ચિત જમીન ખરીદી અને વેચાણ વ્યવહાર પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. રાજ્ય સરકારે અગાઉ પુણે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ફેક્ટરીની લગભગ 99 એકર 97 ચોરસ મીટર જમીન 299 કરોડ રૂપિયામાં ખરીદવાની મંજૂરી આપી હતી. જોકે, આ વ્યવહાર માટે જરૂરી પૂર્વ પરવાનગી મહેસૂલ વિભાગ પાસેથી લેવામાં આવી ન હોવાનું અને ફક્ત 500 રૂપિયાની નોટરી પર સોદો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યા પછી, મુખ્ય મંત્રીએ આ બાબતની ગંભીર નોંધ લીધી.નિયમોનું પાલન કર્યા વિના આટલો મોટો નાણાકીય વ્યવહાર થઈ રહ્યો હોવાની જાણ થતાં જ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક આ વ્યવહાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના નિર્દેશો મુજબ, યશવંત સહકારી ખાંડ ફેક્ટરીનો જમીન વ્યવહાર મહેસૂલ વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ અને વિગતવાર અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી સ્થગિત રહેશે. તેથી, આ વ્યવહાર સંબંધિત તમામ પ્રવૃત્તિઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે, અને આ સમગ્ર મામલો રાજ્યના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ જમીન વ્યવહારમાં મહેસૂલ વિભાગની પરવાનગી શા માટે જરૂરી છે તે અંગે ઘણા ગંભીર મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે પ્રશ્નમાં રહેલી જમીન ખરેખર યશવંત સહકારી ખાંડ ફેક્ટરીની માલિકીની નથી, પરંતુ તેનો કબજો અને માલિકી હકો મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક પાસે છે. વધુમાં, આ જમીન મૂળ ચિંચવડ દેવસ્થાનની છે અને શ્રેણી 3 માં આવે છે. તેથી, આ જમીનને શ્રેણી 1 માં રૂપાંતરિત કરવામાં આવી છે કે કેમ અને આ રૂપાંતર કાનૂની પ્રક્રિયા અનુસાર કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસવું જરૂરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકે આ જમીન વેચાણ માટે પરવાનગી આપી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. આ બધી બાબતો મહેસૂલ વિભાગના અધિકારક્ષેત્રમાં આવતી હોવાથી, તેમની લેખિત પરવાનગી અને અભિપ્રાય મેળવવો ફરજિયાત છે. જોકે, એવી શંકા છે કે પુણે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અને યશવંત સહકારી ખાંડ ફેક્ટરી વચ્ચે આ વ્યવહાર ચાલી રહ્યો હતો ત્યારે આ જરૂરી પરવાનગીઓને અવગણવામાં આવી હતી. આ જ કારણ છે કે મુખ્યમંત્રીએ સીધી હસ્તક્ષેપ કર્યો છે અને મહેસૂલ વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે. વ્યવહાર હેઠળ 36.50 કરોડ ચૂકવાયાઆ સમગ્ર કેસને એક અલગ દિશા આપતી બાબત એ છે કે એવો આરોપ છે કે આ વ્યવહાર ફક્ત 500 રૂપિયાના નોટરી કરાર પર કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે આટલી મોટી જમીન માટે કોઈ સત્તાવાર રજિસ્ટર્ડ ખરીદી અને વેચાણ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના એક સરળ નોટરી દસ્તાવેજના આધારે આ વ્યવહાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પુણે કૃષિ પેદાશો બજાર સમિતિએ આ વ્યવહાર હેઠળ યશવંત સહકારી ખાંડ ફેક્ટરીને 36 કરોડ 50 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. વેચાણ દસ્તાવેજ વિના નોટરી દસ્તાવેજકેટલાક ડિરેક્ટરોએ દાવો કર્યો છે કે આ રકમ ચૂકવતી વખતે રજિસ્ટર્ડ સમજૂતી પત્ર અથવા વેચાણ દસ્તાવેજ વિના ફક્ત નોટરી દસ્તાવેજ પર જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. અગાઉ, કેંજલે જમીન કેસમાં, નોટરીયલ કરાર પર સમાન વ્યવહારથી ગંભીર કાનૂની સમસ્યાઓ ઊભી થઈ હતી. તેથી, એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં આ કેસમાં કાનૂની ગૂંચવણો વધી શકે છે. આ પૃષ્ઠભૂમિ સામે, મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ સ્ટેને માત્ર વહીવટી જ નહીં પરંતુ સંભવિત નાણાકીય અને કાનૂની જોખમોને ટાળવા માટે લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:45 am

ભાસ્કર ઈનસાઈડ:બોગસ લગ્ન નોંધણી કૌભાંડ બાદ પંચમહાલના 29 તલાટીની બદલી

પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ બહાર આવતા જિલ્લા પંચાયત પ્રસાશન એક્સનમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પંચાયત તંત્રમાં વહીવટી ધરખમ ફેરફારો કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાના ભાગરૂપે એક જ ઝાટકે જિલ્લાના 29 તલાટી કમ મંત્રીઓની બદલીના આદેશો કરતા બેદરકારી દાખવતા તલાટીઓમાં ફફડાટ પેસી ગયો છે. જિલ્લાની ગ્રામ પંચાયતમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા તલાટીઓને તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. આ બદલીઓ પાછળનું મુખ્ય કારણ એક જ પંચાયતમાં લાંબા સમયથી ફરજ બજાવતા અને કથિત રીતે ''ઈજારાશાહી'' ભોગવતા તલાટીઓની બદલી કરી વહીવટમાં ગતિશીલતા લાવવાનું છે. તંત્ર દ્વારા ખાસ કરીને એવા તલાટીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેઓ 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી એક જ જગ્યાએ સ્થાયી હતા. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ ગોધરા, મોરવા હડફ, કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં ફરજ બજાવતા કર્મચારીઓને અસર થઈ છે. જેમાં સૌથી મોટી સંખ્યા ઘોઘંબા અને કાલોલ તાલુકાની છે. એક સાથે 29 તલાટીઓની બદલી થતાં જિલ્લાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અને આ નિર્ણયને પગલે જિલ્લાભરમાં અનેક તર્ક-વિતર્ક સર્જાવા પામ્યા છે. પંચ. જિલ્લાના 5 તલાટીઓને‎કારણદર્શક નોટિસ ફટકારી‎જાંબુઘોડાના કણજી પાણીમા બોગસ લગ્ન નોંધણી‎મામલો સામે આવ્યા બાદ જિલ્લાની અન્ય 5 ગ્રામ‎પંચાયતોના તલાટી કમ મંત્રીને કારણદર્શક નોટિસ‎પાઠવવામાં આવી છે. નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા,‎કણબીપાલ્લી, કાલંત્રા ગ્રામ પંચાયત તલાટીને નોટિસ‎પાઠવવામાં આવી છે. તપાસમાં 1043 લગ્નનોંધણી‎રેકર્ડમાં અધૂરા પુરાવા સહિત અનેક પ્રકારની ગંભીર‎ત્રુટિઓ જોવા મળી છે. 5 તલાટી કમ મંત્રીઓને લગ્ન‎નોંધણી રેકર્ડ સાથે જિલ્લા પંચાયત કચેરીએ જવાબ રજૂ‎કરવા માટે બોલાવાયા છે. સમગ્ર મામલાની તપાસ બાદ‎કસૂરવાર તલાટી સામે પંચાયત ધારા મુજબની કાર્યવાહી‎કરવામાં આવશે.‎

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:42 am

સિટી એન્કર:ધારાવીના યુવા મનને કમ્યુનિટી ચેસ ચેમ્પિયનશિપમાં પ્રેરણા આપતા પ્રજ્ઞાનંદ

ધારાવી સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં પ્રતિભા અને આકાંક્ષાનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો કારણ કે ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદે આખો દિવસ પાડોશના યુવા ચેસ ખેલાડીઓ સાથે વિતાવ્યો, તેમને હિંમતભેર સ્વપ્ન જોવા અને વ્યૂહાત્મક રીતે વિચારવા માટે પ્રેરિત કર્યા હતા. આ વર્ષની ટુર્નામેન્ટમાં 30થી વધુ શાળાઓના 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) અને અદાણી ગ્રુપ દ્વારા આયોજિત, આ ચેમ્પિયનશિપ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામનો મુખ્ય ભાગ છે, જે શિક્ષણ, રમતગમત અને સમૃદ્ધિ પ્રવૃત્તિઓને એકીકૃત કરે છે જેથી યુવા રહેવાસીઓમાં આત્મવિશ્વાસ અને કૌશલ્યનિર્માણ થાય. ધારાવી - એશિયાની સૌથી ગીચ વસ્તી ધરાવતી અનૌપચારિક વસાહતોમાંની એક અને અસાધારણ સ્થિતિસ્થાપકતા અને ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર - 2022માં અદાણી રિયલ્ટી દ્વારા મહારાષ્ટ્ર સરકારના રિડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી પરિવર્તનના એક નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો. આ ઇવેન્ટ ધારાવી સ્કૂલ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપના પ્રારંભિક સંસ્કરણને ચિહ્નિત કરે છે, જે હવેથી દર વર્ષે યોજાશે.પ્રજ્ઞાનંદે દીવો પ્રગટાવીને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાર બાદ ટૂંકી પ્રદર્શન મેચો યોજાઈ જે બાળકોને ખુશ કરે છે. તેમણે સહભાગીઓ સાથે વ્યાપક વાતચીત કરી, તેમને ઇમાનદારી સાથે ચેસ રમવા અને નિષ્ફળતાઓને પગથિયાં તરીકે ગણવા વિનંતી કરી. તેમની હાજરી એ દિવસને એક યાદગાર અને મહત્ત્વાકાંક્ષી પરિમાણ ઉમેર્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારો શિક્ષણ અને સ્વસ્થ સ્પર્ધાની ઉજવણી કરવા માટે ભેગા થયા હોવાથી જિલ્લા સ્પોર્ટ્સ ક્લબમાં જીવંત વાતાવરણ છવાઈ ગયું. પહેલી વાર ભાગ લેનારા ઘણા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને છોકરીઓની ટીમોએ ખાસ કરીને જોરદાર પ્રદર્શન કર્યું હતું, જે રમતની વધતી જતી પહોંચ પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરતા, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે કહ્યું, હું ઘણું બધું લઈને પાછો ફરી રહ્યો છું. ધારાવીના બાળકોની ઊર્જા, સ્થિતિસ્થાપકતા અને જિજ્ઞાસા અદ્ભુત છે. તેમને તેમની ક્ષમતામાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતા, તેમણે ઉમેર્યું, તમારી પૃષ્ઠભૂમિ તમારી વાર્તા છે, તમારી મર્યાદા નહીં.પ્રજ્ઞાનંદે બાદમાં જુનિયર અને સિનિયર કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા. આ પહેલ યુવા મનને આકાર આપવામાં બૌદ્ધિક રમતગમતના સ્થાયી મૂલ્ય પર પ્રકાશ પાડ્યો - વિશ્લેષણાત્મક વિચારસરણી, ધીરજ, સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા અને આત્મવિશ્વાસનું નિર્માણ. આવા પ્લેટફોર્મ દ્વારા, NMDPL અને અદાણી ગ્રુપ ધારાવીની આગામી પેઢી માટે ક્ષિતિજોને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે, જે વર્ગખંડની બહાર પણ વિસ્તરેલી શીખવાની તકોના દરવાજા ખોલે છે. અદાણી ગ્રુપની રિડેવલપમેન્ટ પહેલ માત્ર ધારાવીના ભૌતિક લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી રહી નથી પરંતુ એક મજબૂત, તક-આધારિત સમુદાય ઇકોસિસ્ટમને પણ પોષી રહી છે - જેનું ધારાવી સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ એક અર્થપૂર્ણ ઉદાહરણ છે. વિવિધ કેટેગરીમાં વિજેતાઓ જુનિયર કેટેગરીમાં ૧લું સ્થાન – કૈવાલ્ય પોલ- શાળા – ગુડ શેફર્ડ ઈંગ્લિશ સ્કૂલ, 2જું સ્થાન – યુનુસ યુસુફ ઇદ્રીસી- શાળા – ધારાવી કાલા કિલ્લા (મરાઠી), ઉંમર – ૧૨,3જું સ્થાન – ગુલામ અહમદ, શાળા – ધારાવી મ્યુનિસિપાલિટી (ઈંગ્લિશ), ઉંમર – ૧૦, સિનિયર કેટેગરીમાં ૧લું સ્થાન – શિવમ ચૌરસિયા- શાળા – ગુરુ નાનક નેશનલ હાઈસ્કૂલ, ઉંમર – ૧૫, 2જું સ્થાન – સુમિત સામંત, શાળા – ગુરુ નાનક નેશનલ હાઈસ્કૂલ, ઉંમર – ૧૫,3જું સ્થાન – નિતિન, શાળા – ગુરુ નાનક નેશનલ હાઈસ્કૂલ, ઉંમર – ૧૬.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:41 am

ભાસ્કર ઈનસાઈડ:નલ સે જલના કૌભાંડના વધુ એક કોન્ટ્રાક્ટરની હાલોલથી ધરપકડ

મહિસાગર જિલ્લાના નલ સે જલના કૌભાંડના વધુ એક કોન્ટ્રાક્ટર આરોપીની સીઆઇડી દ્વારા હાલોલથી ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી દ્વારા એક પછી એક કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવતા અન્ય કૌભાંડીઓમા નાસભાગ મચી છે. મહિસાગર જીલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત સરકારી તિજોરીને રૂા.123 કરોડનું નુકશાન પહોચાડી ચોંકાવનારું કૌભાડ રાજ્યભરમાં ચર્ચામાં છે. જિલ્લાના 620 ગામો પૈકી 467 ગામોમાં પાઇપ ખરીદીના ફોર્જ / ખોટા ઇન્વોઇસ ઉભા કરી, સમગ્ર કૌભાડ આચર્યું હતું. આ કિસ્સામાં વાસ્મો દ્વારા અત્યાર સુધી 12 કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમા સીઆઈડી દ્વારા શનિવારે વધુ એક કોન્ટ્રાકટર બાબુભાઈ ખેમાભાઇ પટેલની હાલોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. બાબુભાઈ દ્રારા રૂા.14.40 લાખનું કૌભાંડ આચરી હોવાની વિગતો જાણવા મળી છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને 16 જેટલા આરોપીઓની જામીન અરજીઓ ના મંજૂર થઈ ચૂકી છે. અદાલતના આ નિર્ણયથી અન્ય કૌભાંડીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. તો કેટલાક કૌભાંડીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. પુર્વ ભાજપ યુવા મોરચા પ્રમુખના જામીન ફગાવાયામહિસાગર જીલ્લામાં નલ સે જલ યોજના કૌભાંડમાં સામેલ તત્કાલીન ભાજપ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ આર્યા ઇન્ફસ્ટ્રક્ચરના નામથી એજન્સી ધરાવે છે. અને તેની સામે કૌભાંડમાં રૂા.8,81,79,673ની રિકવરી છે. સીઆઇડી દ્વારા ચિરાગની તા.18 ઓગષ્ટે ધરપકડ કરી બે દિવસના રીમાંડ મેળવ્યા હતાં. ત્યાર બાદ જેલમાં મોકલી આપ્યો હતો. પરંતુ ચિરાગ પટેલ દ્વારા કોલેજમાં પરીક્ષા આપવાના બહાને તેમજ બેંકમાં લોન લેવાના બહાને મળી કુલ ત્રણ વાર જામીન અરજી રજૂ કરી હતી. પરંતુ જિલ્લા અદાલતે જામીન અરજીઓ ફગાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:41 am

ઉમરાની ઘટના:પ્રેમિકા સાથે ભાઇએ જ બહેનના 26 લાખના દાગીના-સામાન ચોરી લીધા

ઘોડદોડ રોડની બિના શર્માએ ઉમરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પિતાએ વિલ કરીને ભાઇ અશોક શર્માને સચિનની ફેકટરી આપી હતી.જ્યારે ફ્લેટ તેમની માતા નામે છે. આ ફ્લેટ પચાવી પાડવા અશોકે તેની પ્રે્મિકા નિતુ વસાવાને લઇને 2023માં ફ્લેટમાં ઘુસી ગયો હતો. બાદમાં નિતુ અને તેનો જમાઇ મોહન પટેલ અવરજવર કરતા હતા. બાદમાં અશોક અને તેના સાથીઓએ બિનાને ફ્લેટમાંથી કાઢી મૂકી અને તેણીનો સોનાના ઘરેણાં સહિતનો 26.20 લાખનો સામાન ચોરી લીધો હતો. બિનાએ ઉમરા પોલીસમાં અશોક શર્મા( સિટીલાઇટ), નિતુન શંકરઇ વસાવા (સુલતાનાબાદ ડુમસ) અને મોહન પટેલ (રહે. સિટીલાઇટ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:34 am

બોગસ બિલિંગ કૌભાંડ:જામનગરના કન્સલ્ટન્ટની ધરપકડ, દરેક ઇનવોઈસ પર 0.20% કમિશન મળતું હતું

જામનગરની 10 પેઢીઓમાં બોગસ બિલિંગથી 30 કરોડથી વધુની આઇટીસી ઉસેટનારા આરોપી કન્સલ્ટન્ટ રોહિતકુમાર સંઘાણીની ડીજીજીઆઇએ ધરપકડ કરી આજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરવામાં આવ્યો હતો. તપાસમા સામે આવ્યુ હતુ કે સુરતની અનેક પેઢીઓએ પણ બોગસ બિલ લીધા હતા અને અગાઉ વરાછામાં જે આરોપીની ધરપકડ થઈ હતી તેના આધારે ડીજીજીઆઇ જામનગર સુધી પહોંચી હતી. આરોપીઓ દરેક ઇનવોઈઝ ઉપર 0 .20 ટકા લેખે કમિશન લેતા હતા અને કમાણીનું કુલ ટોટલ 52 લાખ જેટલુ થાય છે જે માત્ર બિલ બનાવવા પુરતુ છે. સુરતના છેડા કેવી રીતે જોડાયાકેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે જામનગરની કેટલીક પેઢીઓના શંકાના આધારે રિટર્ન ચેક કરાયા. જેમાં ઓલપાડની મે. મણીયાર, સચીન જીઆઇડીસીની મે. બાલાજી,મોટા વરાછાની વાઘેલા ઇન્ડ. આ પેઢીઓના તાર જામનગરની પેઢીઓમાં તપાસ કરાતા સમગ્ર કાંડ સામે આવ્યુ હતુ. બોગસ પેઢીના રિટર્ન આરોપી રોહિતકુમાર ફાઇલ કરતા હોવાની માહિતી સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી. જામનગરની જે પેઢીમાં દરોડા પાડવામા આવ્યા તેમાં મે.આર.ડી.એન્ટરપ્રાઇઝ,મે.કુળદેવી,કૃપા એન્ટરપ્રાઇઝ,આર.એમ.એન્ટરપ્રાઇઝ,મે.ખોડીયાર,રહેમત એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. જેમાં વિશાલ ગોંડલિયાની ધરપકડ કરાઈ હતી. એક્સપર્ટ5 વર્ષ સુધી સજાની જોગવાઈCGST અધિનિયમ 2017નીકલમ 132 (1) (બી) અને 132 (1) (સી)માં મુજબ અને કલમ 132 (1) (આઇ) હેઠળ 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ખોટી રીતે ITC મેળવવાના કેસોમાં સરકારી તિજોરીને નુકશાન થતુ હોય છે. > નિમેષ દલાલ, એડવોકેટ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:33 am

લોકો સાથે 68.20 લાખની છેતરપિંડી થઈ:બીજા દિવસે પણ સાયબર ફ્રોડની 31 ફરિયાદ નોંધાઈ

શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ રોકવા અને આરોપીને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત શનિવારે સાયબર ફ્રોડની વધુ 31 ફરિયાદો નોંધાઇ હતી. જેમાં રૂ.68.20 લાખની ઠગાઇની થઇ છે. શુક્રવારે 26 ફરિયાદ નોંધાયા બાદ શનિવારે વઘુ 31 જેટલી ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં એપીકે ફાઇલ, આરટીઓ ચલણની ફાઇલ, ભુલમાં પૈસા ટ્રાન્સફર થયાનો મેસેજ કરી પૈસા ટ્રાન્સફર કરાવી, વિઝા અપાવવાના બહાને,બેંક ખાતુ બંધ થવાના બહાને, ફોન હેક કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં સરથણા પોલીસ મથકમાં રૂ.1.21 લાખ, લસકાણા પોલીસમાં રૂ.25000, કપાદ્રા પોલીસમાં બે ફરિયાદમાં રૂ.80,400, વરાછા પોલીસમાં બે ફરિયાદમાં રૂ. 3.71 લાખ, પુણા પોલીસમાં બે ફરિયાદમાં રૂ. 1.32 લાખ, સલાબતપુરા પોલીસમાં રૂ.31,400, ઉધના પોલીસમાં રૂ.75,000, ગોડાદરા પોલીસમાં રૂ.78,000, સારોલી પોલીસમાં બે ફરિયાદમાં રૂ. 2.40 લાખ, મહિધરપુરા પોલીસમાં રૂ.4.95 લાખ, લાલગેટ પોલીસમાં રૂ.35,800 મળી અન્ય ફરિયાદો નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:31 am

વાઘના પગલાં દેખાયાં:છોટા ઉદેપુર વન વિભાગે વાઘની હાજરી નોંધાઈ હોવાની પુષ્ટિ કરી

છોટા ઉદેપુર જિલ્લાના વન વિસ્તારમાં વાઘ આવ્યો હોવાની પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને તેના પગલા પણ જોવામાં આવ્યા હોવાનું જિલ્લા વન અધિકારીએ જણાવ્યું છે. હાલમાં ગુજરાતમાં દાહોદ જિલ્લાના રતનમહાલ વિસ્તારમાં વાઘના વસવાટના વિડીઓ વન વિભાગે જાહેર કર્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ વાઘ દાહોદના રતનમહાલ વિસ્તારમાં જોવા ન મળતા છોટા ઉદેપુર તરફ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જેને લઇને છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા રતનમહાલને અડીને આવેલ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.ત્યારે રત્નમહાલમ વસવાટ કરતા વાઘની હાજરી છોટા ઉદેપુર વન વિસ્તારમાં પણ નોંધાઈ હોવાની પુષ્ટિ છોટા ઉદેપુરના ડીસીએફ દ્વારા કરવામાં આવી છે. છોટા ઉદેપુર ડિસીએફ રૂપક સોલંકીના જણાવ્યા મુજબ રતનમહાલમાં વાઘ વસવાટ કરે છે તે છોટા ઉદેપુરની પાસેનો વિસ્તાર છે. એટલે શક્યતા નકારી શકાય તેમ નથી. પરંતુ જંગલમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જ્યારની માહિતી મળી ત્યારથી ટીમો જંગલમાં ફરતી રહે છે. અને છોટા ઉદેપુર ડિવિઝનના બાઉન્ડ્રી વિસ્તારમાં પગલાં પણ જીવ મળ્યા છે. એટલે છોટા ઉદેપુર વિસ્તારમાં હાજરી હોવાનું કહી શકાય. પણ એ આજનું નહીં ઘણા સમયથી અહીંયા ફરતો હોય શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:31 am

સાયબર ફ્રોડનું ગઢ બન્યું સુરત:રાજ્યમાં સાયબર ફ્રોડ માટે વપરાયેલા સૌથી વધુ 4000 બેંક ખાતા સુરતના, 23 લોકો સામે 89 ફરિયાદમાં 36 કરોડની ઠગાઈ

પહેલી વખત ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ નામે સાયબર ફ્રોડ માટે ઉપયોગ થતા બેંક ખાતા શોધવાનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાતમાં 8000થી વધુ બેંક ખાતા ભાડે વેચાયા હોવાની વિગતો બહાર આવી છે. આ બેંક ખાતા વેચનાર વ્યકિતઓ જરૂરિયાત મુજબ કમિશન લે છે. જેમાં પ્રતિ ખાતા દીઠ 25થી 50 હજાર અથવા બેંક ખાતામાં જેટલા ટ્રાન્ઝેકશન થાય તેમાં પ્રતિ ટ્રાન્ઝેકશન 3 ટકા મુજબ કમિશન મેળવે છે. અમદાવાદમાં આવા ખાતાની સંખ્યા 2500 છે જયારે સુરતમાં આવા ખાતાની સંખ્યા 4000 છે. જેમાંથી સુરત પોલીસે અત્યારસુધી 68 બેંકોના ખાતા ભાડે આપનારા 23 સામે 89 પોલીસ ફરિયાદ નોંધી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે પકડેલા સાયબર ફ્રોડમાં સુરતમાં કેસ નોંધાઈ ચૂક્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોટીંગ પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદના ડેટાના આધારે આખુ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ફ્રોડના ભોગ બનનારે ફરિયાદમાં જે બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા તેની વિગતો અને ત્યાંથી કેટલા ખાતામાં નાણાં જમા થયા તેની વિગતોના આધારે બેંક ખાતા શોધવામાં આવી રહ્યા છે. ભાસ્કર ઇનસાઇટફ્રોડના રૂપિયા જે બેંકમાં જમા થાય તેની ટ્રેલ ટ્રેસ કરી ગુનો નોંધાય છેનેશનલ સાયબર ક્રાઈમ રિપોટીંગ પોર્ટલ પર રજીસ્ટર્ડ થયેલી ફરિયાદોના આધારે સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે ગુજરાતના જે બેંક ખાતાઓનો ઉપયોગ કરાયો છે તે ખાતાની વિગતો અને તેના એકનોલેજમેન્ટ નંબર સીઆઈડી ક્રાઈમને અપાયા છે. સીઆઈડી ક્રાઈમે તેનું પૃથ્થક્કરણ કરી જે તે શહેરના જે બેંક ખાતા હોય તે સ્થાનિક પોલીસને સોંપ્યા છે. જેમાં જે તે શહેરની પોલીસ તે બેંક ખાતાઓના સ્ટેટમેન્ટ, કેવાયસીની વિગતો બેંક પાસેથી મેળવે છે અને ખાતેદાર સુધી પહોંચે છે. ખાતેદારને રૂબરૂ બોલાવી તેની તપાસ કરવામાં આવે છે. આ તપાસની સામે તે ખાતાનો ઉપયોગ ફ્રોડના નાણાં જમા કરાવવા માટે કર્યા હોવાની જો ફરિયાદ સાયબર પોર્ટલ 1903 પર રજીસ્ટર્ડ થઈ હોય તો તે ભોગ બનનારને ફરિયાદી બનાવવામાં આવે છે અને જો ફરિયાદ ન થઈ હોય તો પોલીસ સરકાર તરફે ફરિયાદ દાખલ કરે છે. સુરતના બેંક ખાતાથી 36 કરોડ ઉપડી ગયાસુરતમાં 68 બેંકોમાં ખાતા ભાડે આપનારા 23 લોકો સામે 89 ફરિયાદો દાખલ કરાઈ. જેમાં 23 કરોડ ચેકથી અને 13 કરોડ એટીએમથી ઉપાડવામાં આવ્યા છે. આ બેંકોમાં 68 ખાતા ભાડે આપવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે જે લોકોએ બેંક ભાડે આપ્યા હતા તેમને કમિશન આપવામાં આવ્યું હતું. ઘણા કેસમાં એવી પણ મોડસ ઓપરેન્ડી બહાર આવી છે કે સૂત્રધારો ફોરેનમાં બેસીને એક કોર્પોરેટ કંપનીની જેમ ડિજિટલ એરેસ્ટ, ફેક એપ, ટાસ્ટ આપવા, શેરબજારમાં રોકાણ જેવા બહાના હેઠળ છેતરપિંડી કરતા આવ્યા છે. પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ શું છે?નેશનલ સાયબર ક્રાઈમ રિપોટીંગ પોર્ટલ પર ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો 1903 નંબર પર ડાયલ કરીને ફરિયાદ કરે છે. આમાં જે તપાસ કરવામાં આવે છે તેના આધારે ફ્રોડના નાણાં કયા બેંક ખાતામાં જમા થયા છે તેની ટ્રેલ ટ્રેસ કરવામાં આવે છે અને કેટલા ખાતામાં જમા થાય છે તેની પણ તપાસ કરવામાં આવે છે. નાણાં જ્યાં જમા થાય છે તે બેંક ખાતાઓને શોધવા તેને ઓપરેશનને મ્યુલ કહેવાયું છે. ATMના આધારે આરોપીને શોધાય છેસાયબર ફ્રોડના નાણાં જેના બેંક ખાતામાં જમા થયા હોય તેનું કમિશન પણ તે જ ખાતાઓમાં ચૂકવાય છે. જેથી તે નાણાં ઉપાડવા માટે જે તે આરોપી બેંક ખાતાધારક એટીએમમાં જાય છે અથવા તો ચેકથી ઉપાડે છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોટીંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદ બાદ કયા ખાતામાંથી વિડ્રોલ થયા તેની પણ તપાસ થાય છે. દરેક નાણાં ચેક અથવા એટીએમથી વિડ્રોલ થાય છે. જેમાં જે તે એટીએમમાંથી પૈસા ઉપાડયા હોય તો તેનું લોકેશન ટ્રેક કરવામાં આવે છે અને ચેકથી ઉપાડયા હોય તો બેંકની બ્રાન્ચનું નામ આપવામાં આવે છે. અહીંથી તે ખાતાધારકને ટ્રેસ કરી તેની બેંકની વિગતો મેળવી આરોપી સુધી પોલીસ પહોંચે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:30 am

મૂલ્યાંકનની ગુણવત્તા સુધારવા માટે CBSEની કવાયત:ઉત્તરવહી ચકાસણીના નિયમમાં ફેરફાર,ધોરણ 10માં A ‌વિભાગનો જવાબ Cમાં લખ્યો હશે તો માર્કસ નહીં મળશે

CBSEની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીના નિયમોમાં મોટો ફેરફાર કરાયો છે. બોર્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીએ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં દરેક પ્રશ્નનો જવાબ તેના નિર્ધારિત વિભાગમાં જ લખવો પડશે. CBSEની પરીક્ષા 17 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 દરમિયાન લેવાશે. બોર્ડે આ નિયમોનો અમલ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષાથી શરૂ કર્યો છે, જેનો હેતુ મૂલ્યાંકનની ગુણવત્તા સુધારવાનો છે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાનનું પેપર હવે જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના ત્રણ અલગ વિભાગોમાં વહેંચાયેલું હશે. જો કોઈ વિદ્યાર્થી જીવવિજ્ઞાનના પ્રશ્નનો જવાબ ભૂલથી રસાયણશાસ્ત્રના વિભાગમાં લખશે તો તે જવાબને તપાસવામાં આવશે નહીં. બોર્ડનો કડક નિયમ છે કે ખોટા વિભાગમાં લખેલો સાચો જવાબ પણ ‘Attempt Not Done ’ ગણાશે અને તેના માર્ક્સ આપવામાં આવશે નહીં. પુનઃમૂલ્યાંકન દ્વારા પણ તેમાં કોઈ સુધારો થશે નહીં. આ નિયમનો હેતુ ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ચોકસાઈ જાળવવાનો છે. આથી, ધોરણ 10ના વિદ્યાર્થી માટે હવે માત્ર વિષયનું જ્ઞાન જ નહીં, પરંતુ પરીક્ષા દરમિયાન ઉત્તરવહીનું વ્યવસ્થાપન પણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે. વિદ્યાર્થીઓએ આ ફેરફારથી પરિચિત થવા માટે નમૂનાના પેપરોનો સઘન અભ્યાસ કરવો જરૂરી છે. CBSE બોર્ડે તમામ સ્કૂલને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થી પરીક્ષામાં કોઈ ભૂલ ન કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. સ્કૂલ્સે આ નિયમોનું પાલન પ્રી-બોર્ડ પરીક્ષાઓમાં પણ કરવું પડશે. જેથી વિદ્યાર્થીએ નવા નિયમ અને વિભાગોના માળખા અનુસાર ઉત્તર લખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય. કામની વાતપરીક્ષામાં ભૂલ ટાળવા અને નવા ફોર્મેટમાં વિદ્યાર્થીઓના માર્ક્સ ન કપાય તે માટે ટિપ્સ યોજના બનાવો: પ્રશ્નપત્ર વાંચવાના 15 મિનિટના સમય દરમિયાન દરેક પ્રશ્ન કયા વિભાગનો છે તે નક્કી કરો અને મનમાં તેનો એક ક્રમ ગોઠવી લો. સ્પષ્ટતા જાળવો: ઉત્તરવહીના દરેક નવા વિભાગની શરૂઆતમાં મોટા અક્ષરોમાં વિભાગ – A (જીવવિજ્ઞાન) અથવા SECTION – A (HISTORY) લખો, જેથી મૂલ્યાંકન કરનારને સ્પષ્ટતા રહે. ક્રોસ-ચેક કરો: એક વિભાગના પ્રશ્નો પૂરા થયા પછી, ઝડપથી ક્રોસ-ચેક કરી લો કે તમે તે વિભાગના તમામ પ્રશ્નોના જવાબ લખ્યા છે કે નહીં. નિયમ પ્રમાણે પ્રેક્ટિસ: નમૂનાના પેપરો અને મોક ટેસ્ટની પ્રેક્ટિસ ફક્ત જવાબોની જ નહીં, પણ આ નવા વિભાગીય માળખાનું પાલન કરીને જ કરો. આનાથી પરીક્ષામાં આ ભૂલ થવાની શક્યતા ઘટી જશે. ભાસ્કર એક્સપર્ટજવાબ લખતી વખતે ચોકસાઇ જરૂરી બનશેગૌરાંગ પટેલ જણાવે છે, “CBSEનો આ નિર્ણય ઉત્તરવહીના મૂલ્યાંકનને વધુ વ્યવસ્થિત અને ભૂલમુક્ત બનાવશે. પરંતુ આ નિયમ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે માત્ર જ્ઞાન નહીં, પણ પ્રશ્નપત્રના જવાબ લખતી વખતેની તમામ પ્રકારની ચોકસાઈ અને વ્યવસ્થાપન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ આ નિયમને અવગણ્યા વિના, તેને પોતાની તૈયારીનો એક ભાગ બનાવવો પડશે, કારણ કે બેદરકારીને કારણે માર્ક્સ ગુમાવવાનો કોઈ અફસોસ હવે નહીં ચાલે.” > ગૌરાંગ પટેલ, પ્રિન્સિપાલ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:27 am

કમકમાટીભર્યો બનાવ:પિતા સાથે જમ્યા બાદ ઘરે જવા નીકળેલા બાઇક સવારને મોપેડે પાછળથી ટક્કર મારી,યુવકનું મોત

મોટા વરાછા ભવાની હાઈટ્સ ખાતે રહેતો 25 વર્ષીય સાગર મનસુખભાઈ સોનાણી પિતા અને ભાઈ સાથે સાડીમાં જોબવર્કનું કામ કરતો હતો. 6 ઓક્ટોબરે સાગર તેના પિતા અને ભાઈ સાથે બે બાઈક પર વાલક પાટીયા નજીક જમવા માટે ગયા હતા. જમ્યા બાદ સાગર એકલો ત્યાંથી બાઈક લઈ ઘરે જવા નીકળ્યો હતો. સાગર અબ્રામા તાપી બ્રિજથી પસાર થતો હતો. ત્યારે બેફામ આવેલા મોપેડ ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મોપેડ સવાર ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા સાગરને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. લાંબી સારવાર બાદ તેનું શુક્રવારે મોત થયું હતું. પોલીસે મોપેડ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાગરે હેલ્મેટ પહેર્યું ન હતુંબાઈક પર પસાર થતા સાગરને પાછળથી ટક્કર મારનાર અજાણ્યા મોપેડ ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. અકસ્માત બાદ તે પણ મોપેડ સાથે પટકાયો હતો. સાગરે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અકસમાત સર્જનાર મોપેડ ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને ગંભીર ઈજા થઈ ન હતી

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:24 am

10 ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા:ગિલોલથી કાચ તોડી કારમાંથી સોનાના દાગીના ચોરતી ત્રીચી ગેંગના 3 ઝડપાયા

શહેર અને જિલ્લામાં કારના કાચ તોડીને લેપટોપ અને કિંમતી સામાન ચોરતી ત્રિચી ગેંગના 3 સાગરીતોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. ફૂટેજનું એનાલિસીસ કરાતા ટોળકી ઝડપાયા હતા. એપ થકી ગુનાની જગ્યાની નજીકના ફૂટેજનું વર્ગીકરણ કરીને આઈસીજેએસમાં હિસ્ટ્રી સર્ચ કરાતા મુખ્ય સૂત્રધાર શિવા ટોટીનાયકર, પ્રતિભા સુબ્રમણ્યમ નાયડુ અને બાળ કિશોરને ઝડપી પાડયા છે. આ ત્રણે પાસેથી સોનાના દાગીના, ફોન, ટેબલેટ સહિત રૂપિયા 4.45 લાખનો મુદ્દલ માલ મળી આવ્યો હતો. આ સાથે જ સુરતમાં કારનો કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરવા ઉપરાંત બારડોલી, માંડવી અને કામરેજના 10 ગુનાઓ ઉકેલાયા હતા. આરોપીઓ કારના કાચ તોડવા ઉપરાંત મોટર બાઈક પણ ચોરી કરતા હતા. તેમની પાસેથી 3 મોપેડ મળી છે. આરોપીઓ રેકી કરીને ગીલોલ દ્વારા કારના કાચ તોડતા હતા અને ડોક્યુમેન્ટ ભરેલી બેગ ઉપાડી જતા હતા. ચોરીને અંજામ પણ ચોરી કરાયેલી મોપેડ ઉપર સવાર થઈને કરતા હતા. તપાસની ટીમમાં દિનેશ કાનજી તથા અક્ષય શંકરભાઈને ટીપ મળતા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થતાં તેને ઝડપી પાડયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:23 am

કરુણ બનાવ:બે વર્ષીય બાળકને કોબ્રાએ ડંખ માર્યો, સિવિલ લઇ જવાતા મોત

ભાટપોરમાં ઘર નજીક રમતા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું થયું હતું. હજીરાના ભાટપોર ખાતે રહેતા દિનેશ રાઠવા કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 2 વર્ષીય પુત્ર શુભદર્શન શુક્રવારે સાંજે ઘર નજીક અન્ય બાળકો સાથે રમતો હતો. દરમ્યાન ક્યાંકથી ત્યાં સાપ આવી ચડ્યો હતો અને ઘર નજીક રમી રહેલા શુભદર્શનને જમણા પગમાં ડંખ માર્યો હતો. શુભદર્શનને સાપે ડંખ માર્યો હોવાની જાણ થતા પિતા દિનેશભાઈ તેને તાત્કાલિક ભાટપોરના ક્લિનીકમાં લઈ ગયા હતા. જ્યાંથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શુભદર્શનને ઝેરી કોબ્રા સાપે ડંખ માર્યો હોવાનું તેના પિતા દિનેશભાઈએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:22 am

અમેરિકા અને યુરોપના બજારોમાં તૈયાર હીરાની માંગમાં ઘટાડો:મંદી વચ્ચે માર્કેટ સ્થિર રાખવા ડિબિયર્સ કંપનીએ ચાર દિવસીય હરાજીમાં રફના ભાવો સ્થિર રાખ્યા

વિશ્વની અગ્રણી રફ હીરા ટ્રેડિંગ કંપની ડિબિયર્સ (De Beers) દ્વારા 8 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન રફ હીરાની સાઈટ (હરાજી) યોજવામાં આવી હતી. આ ચાર દિવસીય સેલ દરમિયાન ડિબિયર્સે મોટા ભાગના રફ હીરાના ભાવોમાં કોઈ ખાસ ફેરફાર કર્યા વગર તેને સ્થિર રાખ્યા હતા. વૈશ્વિક હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો હોવાથી કંપનીએ ભાવોમાં વધારો કે ઘટાડો કરવાનું ટાળીને બજારને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું ઉદ્યોગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉદ્યોગના જાણકારો અનુસાર, અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં તૈયાર હીરાની માંગ હજુ પણ નબળી છે. સાથે સાથે ચીનમાં પણ ખરીદીમાં પૂરતો ઉછાળો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં જો રફ હીરાના ભાવમાં વધારો કરવામાં આવે તો ઉત્પાદકો અને ટ્રેડર્સ પર વધુ દબાણ આવે. બીજી તરફ ભાવમાં મોટો ઘટાડો કરવાથી બજારમાં નકારાત્મક સંદેશ જાય અને ભાવચક્ર બગડવાની શક્યતા રહે. આ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિબિયર્સે ભાવો સ્થિર રાખવાનો માર્ગ અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે, ‘રફના ભાવ સ્થિર રહેતાં કટિંગ-પોલિશિંગ યુનિટોને થોડી રાહત મળે છે. ખાસ કરીને સુરત સહિતના હીરા હબમાં કામગીરી કરતી કંપનીઓ માટે આ નિર્ણય સકારાત્મક ગણાય છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓર્ડરોમાં ઘટાડો, સ્ટોકમાં વધારો અને નફાકારકતા પર દબાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિબિયર્સના આ પગલાને બજારને સંભાળવાનો વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો આવનારા મહિનાઓમાં વૈશ્વિક માંગમાં સુધારો જોવા મળશે, તો કંપની ભાવ અંગે નવી નીતિ અપનાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:21 am

વેધર રિપોર્ટ:શિયાળામાં સૌથી ઠંડો દિવસ, એક ડિગ્રી તાપમાન 13.8 ડિગ્રી

શહેરમાં શનિવારે ઠંડીના જોરમાં એક ડિગ્રીનો વધારો થઈ ને ન્યુનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. ગત શુક્રવારે 14.8ડિગ્રી નોંધાયું હતું. એક ડિગ્રી તાપમાનમાં થયેલા ઘટાડાથી ફૂલગુલાબી ઠંડીનો શહેરીજનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તરના બર્ફિલા પવનની અસર છેલ્લા ત્રણ દિવસથી શરૂ થઈ ગઈ હોય ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. 2021ના ડિસેમ્બરમાં 5 વર્ષમાં સૌથી વધુ 12.2 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, શિયાળામાં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ એટલે કે 13.8 ડિગ્રી તાપમાન નોંધાવા સાથે રહ્યો હતો. તિબ્બેટ બજારમાં ગરમ કપડાની ખરીદી વધી છે. આગામી મહિને ઉત્તરાયણ આવી રહી હોવાનો અહેસાસ કરાવતા પવનનું જોર પણ હવે વધતો જણાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:19 am

માગ:GSTમાં ફેસલેસ એસેસ્મેન્ટ અમલી કરવા ચેમ્બરની માગ

જીએસટી હેઠળ ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપિલ મિકેનિઝમ અમલમાં મુકવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે, જીએસટીની વ્યવસ્થા પહેલેથી જ મોટા પ્રમાણમાં ડિજિટલ બની ચૂકી છે. રિટર્ન ફાઇલિંગ, ઇ-ઇન્વોઇસિંગ, ઇ-વે બિલ, રિફંડ ક્લેમ અને વિવિધ અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન થાય છે. આવી પરિસ્થિતિમાં GST હેઠળ પણ અસેસમેન્ટ, જ્યુરિડક્શન અને ઓડિટ પ્રક્રિયાઓને ફેસલેસ બનાવવી સમયની માંગ છે. હાલમાં ઇ-સ્કીમ અમલમાં છે, જેને ફેસલેસમાં ફેરવવામાં આવે. કારણ કે, ઇ-સ્કીમ અંતર્ગત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો ઓનલાઇન પ્રોસેસ કરે છે પણ તેમ છતાં તેઓને ડોકયુમેન્ટ સબમિટ કરવા માટે ફિઝીકલી ઓફિસે જવું પડે છે, આથી અમલમાં રહેલી ઇ- સ્કીમને ફેસલેસમાં ફેરવવા રજૂઆત કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:19 am

માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી:રાજ ટેક્ષટાઈલ માર્કેટ 1 માસ સુધી ફરી શરૂ થઈ શકશે નહીં

ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગ બાદ માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ માર્કેટ સદંતર બંધ કરી દેવાઈ છે. હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટરનો રીપોર્ટ અને ફાયર સેફ્ટી રી-ઈન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ માર્કેટ ફરી શરૂ થશે. આ તમામ કાર્યવાહી માટે ઓછામાં ઓછો એકથી દોઢ મહિનાનો સમય લાગે તેમ હોવાથી ત્યાં સુધી માર્કેટની દુકાનો બંધ જ રહેશે. ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં મંગળવારે લાગેલી આગ બાદ માર્કેટમાં ગેરકાયદે સ્ટ્રક્ચર તાણી દેવાયું હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી હોવાનું અને ફાયરના કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મુકાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:19 am

કથળેલી હાલત:તંત્રએ મૃતદેહને પણ ધક્કા ખવડાવ્યા !

સુરતના પાંડેસરાના શિવમનગરમાં રહેતાં 55 વર્ષના સુનિતાદેવી બ્રિજનંદન ટાંટીને પેરાલિસિસ થયું હતું અને લાંબી બિમારી બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનો તબીબી સર્ટિફિકેટ વિના જ અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાનભૂમિમાં ગયા હતા. જ્યાં નિયમ મુજબ મૃતકની 60 વર્ષથી ઓછી ઉંમર હોવાથી અગ્નિદાહ આપવા ઇન્કાર કરી પોલીસને જાણ કરાઈ હતી. પરિવારજનો નનામી સાથે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ટ્રોમા સેન્ટરમાં નનામી સ્ટ્રેચર પર મૂકી લઈ જવાઈ હતી અને અન્ય દર્દીઓની વચ્ચે લાશ મૂકવામાં આવી હતી. તબીબોએ લાશને ચકાસી અને મૃત છે કે કેમ? તે જાણી ડેથ ડિક્લેર કરાયું હતું. તંત્રએ મૃતદેહને પણ ધક્કા ખવડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:16 am

સન્ડે ફોટો સ્ટોરી:તાપી નદી પર મેટ્રો બ્રિજ તૈયાર, 8 સ્પાનનું લોન્ચિંગ પૂર્ણ, નદીથી ઉંચાઈ 30 ફૂટ

મેટ્રો રેલ પ્રોજેક્ટની લાઇન-2 પર તાપી નદી પર બની રહેલા મેટ્રો ટ્રેન પુલનું મુખ્ય નિર્માણ હવે પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની કડી ગણાતા નદી પરના આ બ્રિજ પર મૂકવાના 8 સ્પાનનું લોન્ચિંગ એન્જિનિયરિંગ ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધું છે. દરેક સ્પાન 50 મીટર લાંબો છે અને તેને નદીના જળસ્તરથી આશરે 30 મીટરની ઊંચાઈ પર ગોઠવવામાં આવ્યો છે. જટિલ ટેકનિકલ પડકારો હોવા છતાં, આ ઝડપી કામગીરીને કારણે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવાની આશા વધી છે. પુલનું માળખું સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતાં હવે મેટ્રોની સવારી માટે નદી પાર કરવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. આગામી તબક્કામાં ટ્રેક પાથરવાનું કામ કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:15 am

સિટી એન્કર:લોક અદાલતમાં ખુશી છવાઈ, દુ:ખ ભૂલાયુ: 22 વર્ષથી જુદા રહેતા પતિ-પત્ની એક થયા, પિતાએ 3 પુત્રો સામેનો કેસ પરત ખેંચી લીધો

લોક અદાલતમાં પારિવારિક અને અકસ્તમાત વળતર ધારા સહિતના અનેક કેસોમાં સુખદ અંત આવ્યો હતો. કેટલાક કેસમાં માતા-પિતાએ સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાથે રહેવાનું ઉચિત માન્યું હતું. એક દંપતી તો છેક 22 વર્ષ બાદ સાથે રહેવા રાજી થયું હતું. દંપતી અલયદા રહેતા હોય અને પત્ની સાથે રહેતી દીકરી લગ્નલાયક થઈ ગઈ હતી અને આખરે પિતાએ તેના લગ્નનો તમામ ખર્ચો ઉઠાવવાની જવાબદારી લીધી હતી. અકસ્માતના કેસમાં પાલિકાના પટાવાળાના પરિવારને રૂપિયા 41 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો. વરાછાના અક્સમાતમાં રૂપિયા 66 લાખનું વળતરવરાછામાં બે વર્ષ અગાઉ બાઇક ચાલકે રાહદારીને ટકકર મારતા તેમનું મોત થયું હતું. અકસ્માતમાં વળતર ધારા હેઠળ કેસ થતા વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહ હાજર રહ્યા હતા. આજે લોક અદાલતમાં આ કેસનું સમાધાન થતા પરિવારને 66 લાખનો ચેક અપાયો હતો. અન્ય કેસમાં ભાઠા ગામમાં જાન્યુઆરી-2025માં નિલેશભાઇને અક્સમાત નડતા તેમને પગના ભાગે ઇજા થઈ હતી અને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતા આ કેસમાં 50 લાખનું વળતર અપાયું હતું. ભાસ્કર એક્સપર્ટઘણીવાર માત્ર કાઉન્સિલિંગની જ જરૂરઘણીવાર દંપતીના કેસમાં મોટા ઇશ્યુ હોતા નથી. માત્ર નાની-નાની વાતોના ઝઘડા વધીને વાત ઘર છોડવા સુધીની આવી જાય છે. આવા કેસોમાં કાઉન્સિલિંગ અગત્યનું પાસુ છે અનેક દંપતી તો વાતચીતના માધ્યમથી જ મનદુખ ભૂલી જાય છે. > પ્રિતિ જોષી, એડવોકેટ પત્ની ઘરની જવાબદારી ઉઠાવવા રાજી થઈ વર્ષ 1999માં લગ્ન થયા બાદ દંપતીને બે બાળકો અવતર્યા હતા. 23 વર્ષ સાથે રહ્યા બાદ બંને વચ્ચે વિખવાદ થતા તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી જુદા રહેતા હતા. લોક અદાલતમાં દંપતી બંને કિશોર અવસ્થાના પુત્રો માટે સાથે રહેવા રાજી થયા હતા. દીકરાઓના ભવિષ્ય માટે દંપતીએ ઝઘડાનો અંત આણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:13 am

પત્રકારો સામે માનહાનિનો દાવો:મયૂર જાની, હિમાંશુ ભાયાણી સહિત 5 પત્રકાર સામે 100 કરોડનો બદનક્ષીનો દાવો

સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ જાણીતી વ્યક્તિ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી અથવા તો તેને આડકતરી રીતે બદનામ કરીને TRP મેળવવાની હોડમાં થતી પાયાવિહોણી સ્ટોરીઓની વધુ એક ઘટના હવે કોર્ટમાં પહોંચી છે. રિલાયન્સ સાથે સંકળાયેલા અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગુજરાતના પાંચ પત્રકારો વિરુદ્ધ 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરાયો છે. કોર્ટે તેમના દાવાને સ્વીકારીને પત્રકારો વિરુદ્ધ નોટિસ કાઢી નથવાણીને બદનામ કરતું કન્ટેન્ટ 48 કલાકમાં હટાવી દેવાનો આદેશ કર્યો છે. આ બાબતને લઈને પરિમલ નથવાણીએ વિવીધ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે “મારા દ્વારા 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરાયો છે, માનનીય કોર્ટે આ મુદ્દે તાત્કાલિક આદેશ કર્યો છે કે મારી બદનામી કરતું કન્ટેન્ટ 48 કલાકમાં હટાવી લેવું.” પરિમલ નથવાણીએ લખ્યું છે કે, મેં, સનાતન સત્ય સમાચારના સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટના મયૂર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન ઉર્ફ બન્ની ગજેરા વિરુદ્ધ મારી બદનામી કરતી વિગતો ફેલાવવા બદલ માનહાનિનો દાવો કર્યો છે. શુક્રવારે જ માનનીય ન્યાયાલયે આ પત્રકારો વિરુદ્ધ નોટિસ અને સમન્સ કાઢી તેમના દ્વારા મારી બદનામી કરતું સાહિત્ય 48 કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવા આદેશ કર્યો છે. તેમણે પોસ્ટમાં ઉમેર્યું હતું કે, હું મારી ઈમાનદારીને લઈને પ્રતિબદ્ધ છું અને સમાજમાં મારી જે ઓળખ છે તેને ખરડાવા નહીં દઉં, છતાં કોઈ આવું કરશે તો સાંખી પણ નહીં લઉં. સત્ય માટે મારી સાથે ઊભેલા તમામ લોકોનો આભાર માનું છું”. પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવેલી પોસ્ટને લઈને તેમની ટીમ સાથે વાત કરાઇ ત્યારે તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં પણ માનહાનિનો કેસ અને ક્રિમિનલ કેસ નોંધવા માટેની કાર્યવાહી કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:02 am

ગાંજો પ્રતિબંધિત તો પીવા માટે 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણ કેમ?:શેરીએ શેરીએ પાનના ગલ્લે મળતા પેપર હવે ઓનલાઈન વેચાવા લાગ્યા, પ્રતિબંધ મૂકવા પોલીસના પ્રયાસો શરૂ

સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય. કોઈક જ પાનની દુકાન એવી હશે કે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા અને 'ગોગો પેપર'ના નામે ઓળકાતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય. હાઈબ્રીડ ગાંજો સહિતના ડ્રગ્સ પ્રતિબંધિત છે પરંતુ, લેવા માટેના 'ગોગો પેપર' બેરોકટોક વેચાઈ રહ્યા છે. તપાસ કરતા બહાર આવ્યું છે કે, 'ગોગો પેપર'ના વેચાણ પર કોઈ કાયદાકીય પ્રતિબંધ ન હોય તેની સામે સીધી કાર્યવાહી કરવામાં પોલીસના હાથ પણ બંધાયેલા છે. સુરત પોલીસે હાલ શહેરમાં પાન પાર્લર પર થતા 'ગોગો પેપર'નું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી છે. વેપારીઓને આ પેપરનું વેચાણ ન કરવા સમજાવી રહ્યા છે. આ પેપરના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ આવે તે માટે પણ સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરત સહિતના શહેરોમાં પાનના ગલ્લા પર 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણડ્રગ્સ લેવા માટે વપરાતા 'ગોગો પેપર'નું સુરત સહિતના શહેરોમાં મોટાભાગના પાનના ગલ્લાઓ પર વેચાણ થઈ રહ્યું છે. આ પેપરનો ઉપયોગ પાનના ગલ્લાવાળાઓ સારી રીતે જાણતા હોય જાહેરમાં રાખતા નથી. ગ્રાહક માગે ત્યારે જ કાઢીને આપતા હોય છે. ડ્રગ્સ લેવા માટેની આ પ્રકારની વ્યવસ્થાના કારણે યુવાધન સહેલાઈથી નશાની જાળમાં ફસાઈ રહ્યા છે. પાનના ગલ્લા બાદ હવે ઓનલાઈન ડિલિવરી એપ્સ પર પણ વેચાણ'ગોગો પેપર' અત્યાર સુધી પાનના ગલ્લા પર તો મળતા જ હતા. પરંતુ, હાલ તેના પર કાયદાકીય પ્રતિબંધ ન હોય ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સહેલાઈથી વેચાવા લાગ્યા છે. જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાના બદલે ઓનલાઈન પણ ખરીદતા થયા હોવાનું સામે આવ્યું છે. સુરત એસઓજીની ટીમે શહેરી વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર તપાસ કરી હતી અને આ પ્રકારની વસ્તુઓનું જે હેતુ માટે વેચાણ થાય છે તેને ધ્યાનમાં રાખી અટકાવવા કડક સૂચના આપી હતી. ડીસીપીએ કહ્યું- સુરતમાં 'ગોગો પેપર'નું વેચાણ થવા દેવાશે નહીંડીસીપી રાજદીપસિંહ નકુમે ગોડાઉન પરની તપાસ બાદ જણાવ્યું હતું કે,અમે ઇન્સ્ટા માર્ટના સંચાલકોને તાકીદ કરી છે કે શહેરના યુવાધનને બરબાદ કરે તેવું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આ ગોડાઉન કે એપ્સ પરથી આવા પેપરનું વેચાણ થશે, તો સંચાલકો સામે ગુનો દાખલ કરતા પણ પોલીસ અચકાશે નહીં. માત્ર ઓનલાઇન જ નહીં, પરંતુ સુરત શહેરના તમામ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો અને ગલ્લાઓ પર પણ પોલીસે દરોડા પાડ્યા છે. ગલ્લાઓ પર સહેલાઈથી લટકાવેલા 'ગોગો પેપર'ના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસનો હેતુ એ છે કે નશો કરવા માટેની સામગ્રી જ જો બજારમાંથી ગાયબ કરી દેવામાં આવે, તો યુવાનોને નશાથી દૂર રાખી શકાય. 'ગોગો પેપર'પર કાયમી પ્રતિબંધ માટે સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરીમાત્ર દરોડા પાડવા પૂરતું જ નહીં, પરંતુ ગોગો પેપર પર કાયમી પ્રતિબંધ કઈ રીતે લાવી શકાય તે માટે પણ SOG એ કવાયત શરૂ કરી છે. રાજદીપસિંહ નકુમે ખાતરી આપી છે કે, આ સાધનોના વેચાણ પર સદંતર પ્રતિબંધ મૂકવા માટે જે પણ કાયદેસરની પ્રક્રિયા કરવી પડશે, તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે ગૃહ વિભાગને પણ રિપોર્ટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. નશાના મૂળને કાપવાની વ્યુહરચનાપોલીસનું માનવું છે કે જ્યારે મુખ્ય નશીલો પદાર્થ (ગાંજો) ગેરકાયદેસર હોય, ત્યારે તેને પીવા માટે ઉપયોગમાં લેવાતા માધ્યમો પણ ગેરકાયદેસર જ હોવા જોઈએ. જો રોલિંગ પેપર સરળતાથી મળી રહે, તો યુવાનોમાં 'હાઇબ્રિડ ગાંજો' અને અન્ય કેમિકલ યુક્ત ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધે છે. તેથી જ આ મૂળને કાપવું અનિવાર્ય બન્યું છે. સુરત પોલીસે આ અભિયાનમાં જનતાનો સહયોગ માગ્યોઅંતમાં, આ લડાઈમાં જનતાનો સહયોગ અનિવાર્ય છે. સુરત SOG એ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના સંતાનોની ગતિવિધિઓ પર નજર રાખે. જો કોઈ દુકાનદાર કે ઓનલાઇન પ્લેટફોર્મ આ પ્રકારના પ્રતિબંધિત પેપરનું વેચાણ કરતું જોવા મળે, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. સુરત પોલીસની આ મુહીમ ત્યારે જ સફળ થશે જ્યારે આખો સમાજ સાથે મળીને નશાનો બહિષ્કાર કરશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

મ્યુલ એકાઉન્ટ કૌભાંડ:મ્યુલ ખાતાની તપાસમાં 3 દિવસમાં 35થી વધુ ફરિયાદ, 15ની ધરપકડ

સાઈબર ફ્રોડના કરોડો રૂપિયા જે એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય છે, તેવા મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો સામે સમગ્ર ગુજરાતમાં ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેના ભાગ રુપે અમદાવાદ પોલીસે છેલ્લા 3 દિવસમાં આવા 35 મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો સામે ગુના નોંધ્યા છે. જેમાં અત્યારસુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે મ્યુલ બેંક એકાઉન્ટોમાં સાઈબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેવા હજારો બેંક એકાઉન્ટની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસે તે બેંક એકાઉન્ટમાં થયેલા પૈસાના ટ્રાન્જેકશનની માહિતી બેંકો પાસેથી મેળવવાનું શરુ કર્યુ છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, સાઈબર ક્રાઈમ તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનોને જે બેંક એકાઉન્ટની માહિતી આપવામાં આવી હતી. તેમાંથી પોલીસને 35 બેંક એકાઉન્ટ એવા મળ્યા હતા કે તે ફસ્ટ લેયરના એકાઉન્ટ હતા. જેમાં સાઈબર ફ્રોડના પૈસા સીધા જ ટ્રાન્સફર થયા હતા. આ માહિતીના આધારે પોલીસે તે એકાઉન્ટ ધારકો સામે 35 ગુના નોંધીને 15 આરોપીની ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

'LRDની પરીક્ષામાં દોડના માર્ક રાખો, ગામડાના યુવાનોને અન્યાય થાય છે':વધુ પડતા રિઝનિંગના કારણે આર્ટસ-કોમર્સવાળાઓને તકલીફ, પૂર્વ ધારાસભ્યએ ફેરબદલની માગ કરી

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD અને PSIની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં દોડની પ્રેકટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત પરંતુ મેરિટમાં માર્કની ગણતરી કરાતી ન હોવાથી બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને આ બાબતે ફેરવિચારણાની માગ કરી છે. ભરતજી ઠાકોર દ્વારા દોડના માર્કની ગણતરી કરવા ઉપરાંત રિઝનિંગનું વેઈટેજ ઘટાડવા સહિતના 7 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે. દોડના માર્ક કાઢી નાખવામાં આવ્યા હોવાથી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પોલીસ ભરતીમાં પહેલા પ્રેકટિકલની પરીક્ષાનું માળખું શું હતું અને હવે શું છે? આ બાબતે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. દોડના ગુણ કાઢી નાખવાથી ગામડાના, SC-ST અને OBC ઉમેદવારોને અન્યાયભરતજી ઠાકોરે રજૂઆત કરી છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ભરતીમાંથી દોડના ગુણ કાઢી નાખવાની જોગવાઈ ગામડાના વિદ્યાર્થીઓ, SC-ST અને OBC સમાજના ઉમેદવારો માટે અન્યાયકારી છે. આ વર્ગના ઉમેદવારો દોડમાં 1થી 15 જેટલા ગુણ મેળવતા હતા અને પોલીસની નોકરીમાં શારીરિક કૌશલ્ય મહત્વનું હોવાથી દોડના ગુણ રાખવાથી દળમાં વધુ સશક્ત ઉમેદવારો આવી શકે છે. PSIની ભરતીમાં નિયમો દૂર કરવા લેખિત રજૂઆત કરી: ભરતજી ઠાકોરઆ બાબતે બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોલીસ ભરતી અને PSIની ભરતીમાં જે નિયમો છે એ નિયમો દૂર કરવા માટે લેખિત રજૂઆત કરી છે. ગામડાના ખડતલ યુવાનો મહેનત કરી સવારે વહેલા ઉઠી દોડતા અને કસરત કરતા હતા. આ યુવાનો ભરતીમાં જાય તો દોડના એટલે કે પ્રેક્ટિકલ માર્ક્સ મળતા હતા તે માર્ક્સ રદ કરવામાં આવ્યા છે. રીઝનીંગ અને મેથ્સનું વેઈટેજ ઘટાડવામાં આવેઆ બાબતે પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરતા કહ્યું છે કે, પોલીસની ભરતીમાં મેથ્સ-રીઝનીંગનું અતિશય વેઈટેઝ અન્યાયકારી છે. જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ 15%, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% હોય છે. પરંતું પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ 75% અને પીએસઆઈની પરીક્ષામાં 100% મેથ્સ રીઝનિંગ દાખલ કરવામાં આવ્યુ છે. આના લીધે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ જે આર્ટસ-કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેને અન્યાયકારી છે. મેથ્સ રીઝનિંગ પોલીસ માટે અનિવાર્ય નથી.પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ 15% કરવામાં આવે. લઘુતમ લાયકીની 40 ટકાની જોગવાઈ દૂર કરવાની માગભરતજીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, આખરી પરિણામ નકકી કરતી વખતે જીપીએસસી, નાયબ મામલતદાર, પી.આઈ. કે યુપીએસસીની કોઈ પરીક્ષામાં 40%ની જોગવાઈ નથી.માઈનસ પદ્ધતિમાં જો પેપર અતિશય અઘરૂ કાઢવામાં આવે તો કટઓફ 40% થી નીચે જઈ શકે દા.ત. 2023માં તલાટીની પરીક્ષામાં જનરલ ભાઈઓ સિવાય તમામનું કટઓફ 40%થી નીચે ગયુ હતુ. જીપીએસસીએ 31/03/2018ના પરિપત્રથી લઘુતમ લાયકી ધોરણની જોગવાઈઓ રદ કરી છે. સ્ટાફ સિલેકશન કમિશનની ભરતીમાં લઘુતમ લાયકી ધોરણ જનરલ માટે 30%, EWS અને ઓબીસી માટે 25% અને એસસી એસટી અને દિવ્યાંગ માટે 20% છે. ગુજરાતમાં તમામ વર્ગ માટે 40% છે જે અનામત વર્ગના ઉમેદવારોને અન્યાયકારી છે. આર્ટસ-કોમર્સના વિદ્યાર્થીઓ માટે મેથ્સ-રિઝનિંગનું વેઇટેઝ ઘટાડવું જોઈએમેથ્સ-રિઝનિંગમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આર્ટ્સ-કોમર્સમાંથી આવતા હોય છે અને મેથ્સ-રિઝનિંગમાં આ યુવાનો રહી જાય છે. એટલે ખાસ કરીને તમામ આર્ટ્સ અને કોમર્સના યુવાનોનો ભરતીમાં સમાવેશ થાય તે માટે મેથ્સ-રિઝનિંગનું વેઇટેઝ ઘટાડવું જોઈએ. પ્રેક્ટિકલના માર્કસ નીકળી જતાં ગામડાના યુવાનોને અન્યાયગામડાના યુવાનો પોતાની કારકિર્દી માટે સવારે પાંચ વાગ્યે ઉઠીને દોડતા હોય છે અને ઘણીબધી પ્રેક્ટિસ કર્યા પછી મેદાન પાસ કરવા ભરતીમાં જાય છે, પરંતુ દોડના અને પ્રેક્ટિકલના માર્ક્સ નીકળી જતા હવે તેમણે અન્યાય થઈ રહ્યો છે. પ્રેક્ટિકલમાં સક્ષમ યુવાનોને નોકરી મળવી જોઈએCCTV કેમેરા, દુરબીનથી લઈ તમામ ટેકનોલોજી આવી છે એટલે ચપળ સાથે નિપૂણ અને ખડતલ પોલીસકર્મી હોવા જોઈએ. એટલા માટે મેં ખાસ રજૂઆત કરી છે કે દોડ અને પ્રેક્ટિકલમાં સક્ષમ યુવાનોને નોકરી મળવી જોઈએ. દોડના માર્ક્સ અગાઉની પોલીસ ભરતીમાં પણ નહોતા ગણવામાં આવ્યા. તેમાં મોટા અધિકારી બેસતા હોઈ ખરેખર એમને આ અન્યાન ન કરવો જોઈએ. ‘ભરતીમાં બેસતા મોટા અધિકારીઓ દ્વારા અન્યાય’OBC, SC-STના યુવાનો જે ગામડામાંથી આવે છે એમને દોડમાં ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. જે મોટા અધિકારી ભરતીમાં બેસતા હોઈ છે, તે અધિકારીઓ દ્વારા ખાસ કરીને OBCના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. ‘યુવાનોના ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડશે તો ઉતરીશું’મારી આગળની રાજનીતિ એ જ રહેશે કે આ યુવાનોને ન્યાય મળે. ગામડાના યુવાનો OBC, SC-ST તમામ પોતાની પ્રેક્ટિસ કરી મહેનત કરી ગુજરાત પોલીસમાં સેવા આપવા માગે છે. એવા યુવાનોના ન્યાય માટે આવનારા દિવસોમાં અમે પણ રસ્તા પર ઉતરવાનું થશે તો ઉતરીશું. મારી વાતમાં MLA અનંત પટેલ સહિત અનેક ધારાસભ્યોનું સમર્થનમુખ્યમંત્રીને રજૂઆત કર્યાના બે દિવસ થયા છે ત્યાથી કોઈ વળતો જવાબ આવ્યો નથી પરંતુ મારી વાતમાં MLA અનંત પટેલ સહિત અનેક ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે અને ઘણા બધા ધારાસભ્યએ આ બાબતે રજૂઆત પણ કરી છે. જેથી આનું કઈ નિરાકરણ આવશે એવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

30થી 50 રૂપિયાના એક ગ્લાસ ગિરનારી કાવાએ પ્રવાસીઓને ઘેલા કર્યા:જૂનાગઢના યુવકનો રજવાડી ઠાઠ અને રાજસ્થાની ગાડામાં વેચાણ, રંગબેરંગી સાફામાં સેલ્ફી લેવા લોકોની પડાપડી

જૂનાગઢ શહેર અને ગિરનારની ગોદમાં આવેલું ભવનાથ ક્ષેત્ર હાલ શિયાળાની ઋતુમાં એક અનોખા 'કાવા બજાર'માં ફેરવાઈ ગયું છે. રાજ્યમાં બરાબર જામી ગયેલી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ચા-કોફીની જગ્યાએ ગરમાગરમ આયુર્વેદિક ગિરનારી કાવાની ચુસ્કી લેવાનો લાહવો લઈ રહ્યા છે. આ કાવા પ્રેમીઓ માટે માત્ર પીણું જ નહીં પણ એક આયુર્વેદિક ઉપચાર પણ બની ગયો છે. ભવનાથમાં વર્ષોથી વેચાતો આ કાવો હવે માત્ર જૂનાગઢ કે ગુજરાત પૂરતો જ નહીં પરંતુ દેશભરમાં પ્રચલિત બન્યો છે. આ કાવા બજારમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પ્રકાશ કટારિયા બન્યા છે, જેઓ 1999થી ચાલી આવતી પારંપરિક પ્રથાને જીવંત રાખીને રજવાડી ઠાઠમાં શણગારેલા ગાડા પર આ ઔષધીય પીણું વેચી રહ્યા છે. તેમની અનોખી શૈલી અને સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ પ્રવાસીઓમાં ભારે ઉત્સુક્તા જગાવે છે. કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવતો ગિરનારી કાવોશિયાળા અને ચોમાસાની ઋતુમાં વિશેષ પીવાતા આ ગિરનારી કાવાને અમૃતપીણું ગણવામાં આવે છે. કાવો બનાવવામાં એક દેશી ઔષધીય સામગ્રીનો ઉપયોગ થાય છે. જે કડકડતી ઠંડીમાં પણ શરીરમાં ગરમીનો અહેસાસ કરાવે છે અને ગરમાવો જાળવી રાખે છે. તાંબાના વાસણમાં તૈયાર કરાય છે કાવોઆ આયુર્વેદિક કાવો તાંબાના વાસણમાં તૈયાર કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે, જૂના જમાનામાં તાંબા-પિત્તળના વાસણોમાં રસોઈ બનાવવાથી લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહેતું. તાંબાના વાસણમાં કાવો તૈયાર કરવાથી ઔષધીય ગુણો જળવાઈ રહે છે અને રોગ થવાની સંભાવના ઘટી જાય છે. ગરમાગરમ કાવાને અંતે લીંબુ, ખમણેલું આદુ અને મરી-મસાલા સાથે કાચની પ્યાલીમાં સર્વ કરવામાં આવે છે. ઔષધીય કાવો ગુંદદાણામાંથી બનાવાય છે: પ્રકાશ કટારિયાવર્ષ 1999થી આ ધંધા સાથે જોડાયેલા અને હાલ રજવાડી ઠાઠ કાવા માટે જાણીતા પ્રકાશ કટારિયાએ જણાવ્યું હતું કે, કાવામાં વપરાતી તમામ ઔષધીય વસ્તુઓ શરદી, ઉધરસ, કફ અને શ્વાસ જેવી બીમારીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થયા છે. વળી તે પાચન શક્તિમાં પણ ઉપયોગી છે. કોરોના કાળ દરમિયાન પણ જૂનાગઢમાં અનેક જગ્યાએ આ કાવાનું વિતરણ થયું હતું. જેનાથી ઘણા લોકોને રાહત મળી હતી. સાંસ્કૃતિક વારસો જાળવવા રજવાડી પહેરવેશમાં કાવાનું વેચાણપ્રકાશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના કાવાના વેચાણ માટે રાજસ્થાનથી સીસમનું ગાડું લાવ્યા છે અને રજવાડી પહેરવેશમાં કાવો વેચે છે. આ પાછળનો હેતું સમજાવતા તેમણે કહ્યું હતું કે, હાલની યુવા પેઢી સંસ્કૃતિ અને વારસો ભૂલી રહી છે. મેં વિચાર્યું કે એક એવો કોન્સેપ્ટ લાવો જેનાતી લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય અને સાંસ્કૃતિક વારસાની જાળવણી પણ થાય. તેઓ લોકોને શુદ્ધ અને ઔષધીય કાવો પીવડાવા માગે છે. જેમાં કોઈપણ પ્રકારના રંગ રસાયણોનો ઉપયોગ થતો નથી. તેઓ આદુને પણ મશીનમાં નહીં પણ ખાંડણીમાં ખાંડીને આપે છે. જેથી આદુમાં રહેલા પોષક તત્વો નાશ ન પામે. તેઓ માટીની સુંગધ સાથે કાવાની અસલ મજા મળી રહે તે માટે ગ્રાહકોને કુલડમાં કાવો પીરસે છે. રજવાડી સાફા સાથે ગ્રાહકોના ફોટોશૂટપ્રકાશભાઈએ ગ્રાહકોના આકર્ષણ માટે 50થી વધુ રજવાડી સાફા (પાઘડી) રાખ્યા છે. કાવો પીવા આવતા પ્રવાસીઓ આ રજવાડી સાફાઓ પહેરીને ફોટોશૂટ પણ કરાવે છે. જે તેમની અનોખી અદાને વધુ લોકપ્રિય બનાવે છે. કાવો શરદી, ઉધરસ અને કફમાં ખૂબ રાહત આપે છે: ભાવેશભાઈજૂનાગઢના સ્થાનિક ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે કાવો પીવા આવ્યો છું. આ કાવામાં તજ લવિંગ, મરી, આદુ, ફુદીનો અને લીંબુ જેવી ગરમ ઔષધિઓનું મિશ્રણ હોય છે. અમે દર શનિ-રવિ અહીં પરિવાર સાથે કાવાની મોજ માણવા આવીએ છીએ. કાવો પીધાની સાથે જ ઠંડી પણ ગાયબ થઈ ગઈ: દિનેશ વડુકરમુંબઇથી ફરવા આવેલા દિનેશ વડુકરે જણાવ્યું હતું કે, ભારતભરમાં પ્રવાસીઓ માટે જૂનાગઢ પહેલી પસંદ બન્યું છે. અહીં ઠંડીનું પ્રમાણ ખૂબ જ હોય છે, ત્યારે આદુ, ફુદીનો, મરી અને ગરમ મસાલાના મિશ્રણવાળો આ કાવો પીધાની સાથે જ ઠંડી પણ ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થાય છે. આવો કાવો અમે ક્યારેય પીધો નથી. કાવો પીવાની ખૂબ મજા આવી: આનંદકુમારઉત્તર પ્રદેશથી મિત્રો સાથે ભવનાથ ફરવા આવેલા આનંદ કુમારે જણાવ્યું હતું કે, હું મારા મિત્રો સાથે હું ફરવા આવ્યો છું. ગિરનાર પર્વતની નજીક હોવાથી ભવનાથ ક્ષેત્રમાં ઠંડીનું પ્રમાણ વધારે છે. કાવો પીવાની ખૂબ મજા આવી અને શરીરમાં એક નવી ઊર્જાનો અનુભવ થયો. આદુ, લીંબુ અને મરીની સાથે ગરમ મસાલાનું મિશ્રણ ગજબનો ગરમાવો આપે છે. કાવો ન પીતા ગ્રાહકો માટે થાબડી, અંજીર અને ખજૂર દૂધનું પણ વેચાણજે ગ્રાહકો કાવો પીવાનું પસંદ ન કરે તેમના માટે પ્રકાશ કટારિયા કઢેલું દૂધ પણ વેચે છે. જેમાં થાબડી દૂધ, અંજીર દૂધ અને ખજૂર દૂધ જેવા વિવિધ પ્રકારના ગરમાગરમ પીણાનો પણ સમાવેશ થાય છે. પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, શિયાળાની સિઝનને કારણે હાલ ધંધો ઘણો સારો ચાલી રહ્યો છે અને ભવનાથની 50થી વધુ કાવાની લારીઓ પર ભારે ભીડ જામતી હોવાથી સારી કમાણી થાય છે. રજવાડી કાવો પીવા માટે સ્થાનિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ બંને મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

મનપા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણી OBC અનામત આપવામાં ગૂંચવણ:સરકારે ઉત્તરપ્રદેશ જેવી ફોર્મ્યુલા અપનાવતા HCમાં અરજી; અનેક વોર્ડમાં આડેધડ સીટો રિઝર્વ કરી દીધી હોવાનો

ગુજરાતમાં ટૂંક સમયમાં જ 15 મહાનગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ટૂંકમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની સેમિફાઇનલ જ ગણી લો. કારણ કે લગભગ પોણા ભાગનું ગુજરાત મતદાન કરશે. પરંતુ આ ચૂંટણી પહેલાં જ એક મોટી કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે, જેના કારણે કદાચ એવું પણ બને કે ચૂંટણી રોકી દેવી પડે. મુદ્દો છે OBC અનામતનો. માત્ર ગુજરાત જ નહીં આખા ભારતમાં OBC આધારીત રાજકારણના કારણે ઘણા નવા સમીકરણ ઉભા થયેલા છે. થોડા સમય પહેલાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝવેરી કમિશનની ભલામણના આધારે 27 ટકા OBC અનામત લાગુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. એટલે કે કોઈ શહેર કે જિલ્લામાં કયા વોર્ડમાં કઈ બેઠક OBC વર્ગ માટે અનામત રહેશે અને કઈ બેઠક સામાન્ય કે અન્ય વર્ગને મળશે એ નક્કી કરી લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી કેટલાક શહેરના ઘણા વોર્ડના રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે. વર્ષોથી પોતાના વોર્ડ તેમજ પંચાયતથી માંડીને પાલિકા સુધી વર્ચસ્વ રાખનારા નેતાઓના OBC અનામતના નવા રોસ્ટરના કારણે પત્તા કપાઈ શકે છે. તો ઘણા નવા લોકોને પણ તક મળશે. આ માટે રાજકીય પક્ષો પણ રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. પરંતુ આ નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટના એક સિમાચિન્હરૂપ ચુકાદાની અવગણના કરાઈ હોવાનો દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેથી આખા ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવી શકે છે. અગાઉ ઉત્તરપ્રદેશનો આવો જ એક વિવાદ પહેલાં અલ્હાબાદ હાઇકોર્ટમાં અને ત્યાર બાદ આ જ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. એટલે ગુજરાતના રાજકારણની કાયમી સૂરત બદલી નાખનારા આ નિર્ણયમાં ખરેખર કયા મુદ્દે વિવાદ છે? સરકાર સામે સવાલો કેમ ઉઠી રહ્યા છે? અને મહાનગરપાલિકાથી માંડીને નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તેની શું અસર થશે? એ સમજવા માટે અમે અરજદાર દિનેશ બાંભણિયા અને તેમના વકીલ સાથે વાતચીત કરી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ઝવેરી કમિશન રિપોર્ટને આધાર તો બનાવ્યો પણ આ રિપોર્ટ હજુ સુધી સાર્વજનિક કરવામાં નથી આવ્યો. એટલે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. આવું જ ત્રણેક વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશમાં થયું હતું અને કોર્ટના આદેશ બાદ ચૂંટણી રોકી દેવી પડી હતી. ઉત્તરપ્રદેશ સરકારના અગાઉના વલણની જેમ જ ગુજરાત સરકારે પણ ઝવેરી કમિશનના રિપોર્ટને જાહેર કર્યો નથી. એટલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. અરજદાર તરફથી આ કેસ લડી રહેલા વકીલ વિશાલ દવેએ ઉત્તરપ્રદેશના કિસ્સાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ઉત્તરપ્રદેશમાં સરકારે કમિશનનો રિપોર્ટ જાહેર ન કરતા અલ્હાબાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી રિપોર્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી અનામત યોગ્ય રીતે લાગુ થઈ છે કે નહીં તે જાણી શકાશે નહીં. આના કારણે ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટે પણ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ જ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. આ મુદ્દે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકારે 2022માં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઝવેરી કમિશનની નિમણૂક કરી હતી. રાજ્ય સરકારે આ કમિશનના રિપોર્ટના આધારે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવે, તેના પર વાંધા સૂચનો મંગાવવામાં આવે અથવા તેને વિધાનસભાના ફ્લોર પર ચર્ચા માટે રજૂ કરવામાં આવે. દિનેશ બાંભણિયાએ કહ્યું, સરકારે ઝવેરી કમિશનની ભલામણને આધારે 27 ટકા અનામત લાગુ કરી છે. તેના આધારે થોડા સમય પહેલાં જ પંચાયતની ચૂંટણી થઈ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની અન્ય ચૂંટણી પણ થશે. પરંતુ અમારું માનવું છે કે આમાં સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર થયો છે. આ અંગે અમે કોર્ટમાં પિટિશન કરી છે. અમારી માગણી છે કે ઝવેરી કમિશનના રિપોર્ટને જાહેર કરવામાં આવે. તેના આધારેસ્પષ્ટતા થઈ શકે. બાંભણિયાના મતે સુપ્રીમ કોર્ટે રોસ્ટર ક્રમાંક લાગુ ન કરવા અને PESA એક્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં અનામત લાગુ ન કરવા માટે કહ્યું છે. તેમ છતાં ત્યાં પણ 10 ટકા OBC અનામત લાગુ કરવામાં આવી છે. આ રીતે રેન્ડમલી અનામત લાગુ કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું, સુપ્રીમ કોર્ટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અલગ અલગ આંકડાઓ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે જે ગામમાં OBC વસતિ વધારે હોય, ત્યાં OBC રિઝર્વેશનની સીટ સુરક્ષિત કરવી. તેમાં ફેરબદલ કરવાની નથી, એટલે કે એક વખત સામાન્ય સીટ હોય તો બીજી વખત રિઝર્વ હોય એ પદ્ધતિ યોગ્ય નથી. વકીલ વિશાલ દવેએ જણાવ્યું, સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કમિશને ‘ટ્રિપલ ટેસ્ટ’ના આધારે રિપોર્ટ તૈયાર કરવાનો છે અને તેની ભલામણને આધારે સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત લાગુ કરવાની છે. વિશાલ દવેએ કહ્યું, મારા અરજદારે RTI દ્વારા પણ ઝવેરી કમીશનનો રિપોર્ટ માગ્યો હતો. પરંતુ તેમને માહિતી ન મળી. સરકારે જે રીતે અનામત આપી છે એ જોતા લાગે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર થયો છે. વિશાલ દવેએ જણાવ્યું, સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો એ છે કે કઈ જ્ઞાતિ રાજકીય રીતે નબળી છે તે જાણવા માટે સરવે જરૂરી છે. પરંતુ અમારી માહિતી મુજબ સરવે થયો જ નથી. જ્યાં સુધી રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થયું છે કે નહીં તે કહી શકાય નહીં. એકવાર રિપોર્ટ જાહેર થાય, પછી તેના અંગેના વાંધા રજૂ કરી શકાય છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ એક તાલુકાના 100 ગામો છે અને ત્યાં 27 ટકા OBC અનામત લાગુ કરવાની છે, તો OBCની બહુમતી વસતિ ધરાવતા ગામોમાં જ આ અનામત લાગુ થવી જોઈએ. જો આ ગામોની સંખ્યા 27ને બદલે 20 હોય તો બાકીના 80 ગામોમાંથી માત્ર 7 ગામો જ પસંદ કરવાના હોય છે. પરંતુ અત્યારે રોસ્ટર ક્રમાંક મુજબ કોઈપણ ગામમાં આ લાગુ કરી દેવાયું છે, જે ભૂલભરેલું છે. વર્તમાન અમલવારીમાં જ્યાં OBCની વસતિ ઓછી છે ત્યાં અનામત છે. જ્યારે જ્યાં વસતિ વધારે છે તે સીટ સામાન્ય રાખવામાં આવી છે. જેના કારણે દરેક વર્ગને નુકસાન થઈ રહ્યું છે. દિનેશ બાંભણિયાના જણાવ્યા પ્રમાણે તેમનો વાંધો 27 અનામત સામે નથી, પરંતુ તેને લાગુ કરવાની પદ્ધતિ સામે છે. સુપ્રીમ કોર્ટે આ કેવી રીતે કરવાનું છે તે ઝીણવટપૂર્વક સમજાવ્યું છે, પરંતુ આખી પ્રક્રિયા જાણે ઓફિસમાં બેસીને નક્કી કરી દેવાઈ હોય તેવું લાગે છે. ગ્રામ્ય સ્તરે કોઈ સરવે કરવામાં આવ્યો નથી અને સમર્પિત આયોગે ગામમાં જઈને સરવે કર્યો હોય તેવું લાગતું નથી. આ પ્રકારના અમલથી દરેક જ્ઞાતિ અને વર્ગને નુકસાન થાય છે અને આગામી સમયમાં વર્ગ વિગ્રહ થઈ શકે છે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી. અમે આગળ પૂછ્યું કે તમે સ્થાનિક ચૂંટણીમાં 10% EWS રિઝર્વેશન મળે તેની માંગ પણ કરી રહ્યા છો. પરંતુ તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત કરો છો તેમાં ક્યાંય EWSનો ઉલ્લેખ નથી. આ મુદ્દે બાંભણિયાએ સ્પષ્ટતા કરી કે જે ચુકાદાની પિટિશનનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે તે 2010માં દાખલ કરવામાં આવી હતી, જ્યારે EWS અસ્તિત્વમાં નહોતું. પરંતુ જજમેન્ટમાં તમામ પછાત જ્ઞાતિઓને અનામત આપવાની વાત છે. 2019માં EWS અનામત આવ્યું, ત્યાં સુધીમાં કેસની સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને ચુકાદો આવી ગયો હતો. દિનેશ બાંભણિયાએ ભૂતકાળનો એક દાખલો યાદ કરતા કહ્યું, જ્યારે 1978માં બક્ષી પંચની રચના થઈ અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અસ્તિત્વમાં આવી ત્યારે બક્ષી પંચની 10 ટકા અનામત લાગુ કરવામાં આવી હતી. તે જ રીતે EWSને પણ અનામત આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે દરેક પછાત વર્ગના આંકડા આપવાનું કહ્યું હતું પરંતુ ઝવેરી કમિશનમાં તેનો સમાવેશ કેમ ન થયો, તેની પણ તેમણે રજૂઆત કરી છે, જે રાજ્ય સરકારે ધ્યાને લીધી નથી. ગુજરાતમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે. જો ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ચૂંટણી આવે તો કદાચ જૂની મતદાર યાદી પ્રમાણે જ મતદાન થઈ શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશની માફક ગુજરાતના ઝવેરી પંચનો મામલો કાયદાકીય પ્રક્રિયામાં અટવાય છે તો સંભાવના છે કે ચૂંટણી કેટલાક સમય માટે રોકવી પડે અને જો એવું થાય તો શક્યતા એવી પણ છે કે SIR પછી નવી મતદાર યાદીના આધારે જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન થાય.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:00 am

(ગોટ)ટૂરના 3જા તબક્કા માટે મુંબઈ આગમન

લિયોનેલ મેસ્સીનું આજે જીઓએટી પ્રવાસ કાર્યક્રમમાં પેડલ મેચ, પ્રદર્શની રમત અને ચેરિટી માટે ફેશન શોનો સમાવેશ મુંબઈ - કોલકાતામાં અસ્તવ્યસ્ત શરૃઆત પછી ઈન્ટરનેશનલ ફુટબોલ પ્લેયર લિયોનેલ મેસ્સી રવિવારે તેમના જીઓએટી (ગોટ) ટૂરના ત્રીજા તબક્કા માટે મુંબઈ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રવાસ કાર્યક્રમમાં પેડલ મેચ, પ્રદર્શની રમત અને ચેરિટી માટે ફેશન શોનો સમાવેશ થાય છે. મેસ્સી મુંબઈ પ્રવાસ યોજના મુજબ રવિવારે સવારે સીધા હૈદરાબાદથી આગમન થશે.

ગુજરાત સમાચાર 14 Dec 2025 6:00 am

રાષ્ટ્રીય ઘર ઘર સંપર્ક અભિયાન:સંઘના 2.50 લાખ સ્વયંસેવક 23 દિવસમાં 90 લાખ ઘરનો સંપર્ક કરશે, 5 લાખ પુસ્તિકા છપાવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દ્વારા 13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી, 2026 સુધી ‘ઘર ઘર સંપર્ક અભિયાન’ યોજાશે. 13મીથી ગુજરાતમાં આરંભ થયો છે જ્યારે 14મીથી સૌરાષ્ટ્રમાં કરાશે. તેમાં 90 લાખ ઘરનો સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાત પ્રાંતમાં 1.90 લાખ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં 60 હજાર મળી કુલ 2.50 લાખ સ્વયંસેવક ગામો, નગરો અને શહેરોમાં ઘરેઘરે પહોંચીને સંઘનાં કાર્યો, વિચાર અને સમાજ આહ્વાનની માહિતી આપશે. અભિયાન થકી સમાજ સાથે સંવાદ, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાશે. આ માટે 90 લાખ પત્રિકા છપાવી છે. સાથે જ સંઘ વિશે જાણવાની ઇચ્છા ધરાવતાં માટે રૂ.10માં નાની માહિતી પુસ્તિકા પણ મળશે. ગુજરાતના સહ પ્રાંતપ્રચારક કૃણાલ રૂપપારાએ અંબાજી મંદિરમાં દર્શન કરીઅભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત પ્રાંતમાં 4000થી વધુ બેઠક કરાઈગુજરાત પ્રાંતના પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલે કહ્યું કે અભિયાન માટે મંડળ, ગ્રામીણ નગર અને મહાનગર, એમ 3 ભાગ પાડ્યા છે. 8થી 10 ગામનું એક એવાં 1660 મંડળ બનાવ્યાં છે. નાનાં શહેરોને આવરી લેતાં 739 ગ્રામીણ નગર અને મહાનગરોને આવરી લેતા 1375 જૂથ બનાવ્યાં છે. એ માટે 4000 જેટલી બેઠકો કરી હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત કાર્યવાહ મહેશ ઓઝાએ કહ્યું હતું કે કચ્છ-સૌરાષ્ટ્રમાં રવિવારથી અભિયાનનો આરંભ કરાવાશે અને આ માટે 40 લાખ પત્રિકા પ્રસિદ્ધ કરાવી છે. ઘેરઘેર ‘પંચ પરિવર્તન’નો પ્રચાર કરાશેઆ અભિયાન માટે સંઘે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વ આધારિત જીવન અને નાગરિક કર્તવ્ય બોધ, એમ પાંચ મુખ્ય મુદ્દાને ‘પંચ પરિવર્તન’ નામ આપ્યું છે. સ્વયંસેવકો ઘેરઘેર પહોંચીને, પરિવારો સાથે બેસીને આ પાંચ મુદ્દા વિશે વાત કરશે. અભિયાન પછી શું? •અભિયાન પૂર્ણ થયા પછી કેટલાં ગામોનાં કેટલાં ઘરનો સંપર્ક થયો, તેની યાદી બનાવાશે. • ‘પંચ પરિવર્તન’માંથી એક કે એકથી વધુમાં રુચિ ધરાવતા લોકોને સંઘપ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કરાશે. • સંઘમાં જોડાવાની રુચિ ધરાવતા લોકો માટે સંઘ પરિચય વર્ગ શરૂ કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:58 am

પ્રી-બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન:બાૅર્ડની જેમ જ પ્રી-બોર્ડમાં પણ હોલ ટિકિટ અપાશે, પેપર સ્ટાઈલ પણ એવી જ રખાશે

શહેર ડીઈઓ કચેરી દ્વારા ધો-10ની ગુજરાત શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમાંથી મુક્ત રહે, આત્મ વિશ્વાસથી પરીક્ષા આપી શકે અને બોર્ડની પરીક્ષા આપવા માટેનો પૂર્વ મહાવરો મળી રહે તે હેતુસર પ્રી-બોર્ડ પરીક્ષાનુ 16મીથી 24મી જાન્યુઆરી દરમ્યાન આયોજન કરાયું છે. જેમાં કુલ 551 સ્કૂલોના 47,815 વિદ્યાર્થીઓ પ્રી-બોર્ડ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટ, પ્રશ્ન પેપર, ઉતરવહી પણ આપવામાં આવશે. શિક્ષણ બોર્ડની પેપર સ્ટાઈલ મુજબ જ પરીક્ષા લેવાશે ભાસ્કર એક્સપર્ટબાળકોમાં માનસિક ભય દૂર, વાલીની માનસિકતા સકારાત્મક બને છેડીઈઓ દ્વારા પ્રી-બોર્ડનું આયોજન કરવામાં આવે છે. મારા મત પ્રમાણે આ પ્રકારની પ્રિ-બોર્ડ એક્ઝામ લેવામાં આવવાથી બાળકોનો માનસિક ભય દૂર થાય છે. પરિણામોની ગુણવત્તામાં પણ વધારો થઈ શકે છે.’ - ડો કિરીટ જોષી, શિક્ષણશાસ્ત્રી આ પરીક્ષાની પહેલથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શક્યાં છેધો-10 વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયુ જેમાં સ્કૂલો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. વિદ્યાર્થીઓ પણ ભયમુક્ત બનીને પરીક્ષા આપે છે. આ પહેલને રાજકોટ, સુરત સહિતની રાજયની વિવિધ ડીઈઓ કચેરી અમલ કરે છે.’ - રોહિત ચૌધરી, શહેર ડીઈઓ, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 26281 વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમના

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:56 am

નોકરી ન્યૂઝ:નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમમાં 320 એપ્રેન્ટિસની ભરતી જાહેર

નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમાં 2026-27 બેચ માટે કુલ 320 જગ્યા માટે એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો 2 જાન્યુઆરી, 2026 સુધી અરજી કરી શકે છે. ભરતી સંબંધિત માહિતી સતાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પરથી મેળવી શકાશે. એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ એસએસસી કે ધોરણ 12માં 50 ટકા માકર્સ મેળવેલા હોવા જોઈએ, જ્યારે આઈટીઆઈ થયેલા ઉમેદવારોએ ઓછામાં ઓછા 65 ટકા માકર્સ મેળવેલા હોવા જરૂરી છે. એપ્રેન્ટિસ ટ્રેડ અને તેની ખાલી રહેલી જગ્યાઓ ટ્રેડ નામ - ખાલી જગ્યા

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:53 am

સિટી એન્કર:11 વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલતો હતો, પુત્રીએ બંને સાથે રહેવા જિદ કરી, અંતે લોક અદાલતમાં માતાપિતાએ ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો

રાજ્યભરમાં શનિવારે વર્ષની ચોથી અને અંતિમ લોક અદાલત યોજાઈ હતી, જેમાં 6.26 લાખ પ્રી લિટિગેશનના કેસ હતા. કુલ 11.27 લાખ કેસનો નિકાલ કરાયો હતો. માત્ર અમદાવાદમાં જ 1.94 લાખ પ્રી લિટિગેશન કેસ, 1.37 લાખ પેન્ડિંગ જ્યારે 3.32 લાખ કેસનો નિકાલ કરાયો હતો. લોક અદાલત થકી અનેક બાબતોમાં સુખદ સમાધાનના કિસ્સા પણ સામે આવ્યા હતા. આણંદમાં પતિ-પત્ની 11 વર્ષ સુધી અલગ રહ્યા બાદ તેઓ સાથે રહેવા માન્યા હતાં. લગ્નજીવન દરમિયાન વર્ષ 2014માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનવાના શરૂ થયા હતા. તેમને એક બાળકી પણ છે. મનમેળ ન રહેતા બંનેએ છૂટા પડવાનું નક્કી કરી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જોકે કેસની તારીખ દરમિયાન પુત્રી પણ આવતી હતી, જેથી કાઉન્સેલિંગમાં પુત્રીએ માતાપિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા કોર્ટે પણ દંપતીને સાથે રહેવા સમજાવ્યાં હતાં. અંતે શનિવારે યોજાયેલી લોક અદાલતમાં બંને માની ગયાં હતાં અને 11 વર્ષના અંતે પુત્રીની ઈચ્છા પૂરી કરી હતી અને સાથે રહેવાનું નક્કી કરી મંદિરે દર્શન કરવા ગયાં હતાં. પતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં પત્નીને 84 લાખનું વળતરમહિને 50 હજારની આવક ધરાવતા 34 વર્ષીય કશ્યપ પાઠક નોકરીના સ્થળેથી પુણેથી નાસિક ખાતે એક ખાનગી બસમાં ગયા હતા. બસ પલટી જતા કશ્યપનું મૃત્યુ થયું હતું. અચાનકથી પરિવાર પર તૂટી પડેલા આભના કારણે તેઓના જીવનમાં ખૂબ મોટો આઘાત લાગ્યો હતો, પરંતુ કશ્યપની પત્નીએ હિંમત કરી એક કરોડના વળતર માટેની અરજી કરી હતી. એક વર્ષથી વળતર માટેનું નિરાકરણ આવી રહ્યું ન હતું. લોક અદાલતમાં આ બાબતે બંને પક્ષે કાઉન્સેલિંગ કરીને પત્નીને 84 લાખ 51 હજાર અપાવાયા હતા. ચેક રિટર્ન કેસોમાં કોર્ટે રૂ. 17 કરોડ અપાવ્યારમેશ બારડ અને કનુ ભાટિયા વચ્ચે 17 કરોડ ઉપરાંતની નાણાંની લેવડદેવડ થઈ હતી, પરતું પરત ન આપતા આખરે મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટે કુલ 13 કેસમાં 17.82 કરોડની રકમ સાથે કેસોનો નિકાલ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:51 am

કોંગ્રેસનો આક્ષેપ:ભાજપના નેતા કંપનીની વકીલાત કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કચ્છ જિલ્લામાં છેલ્લા 110 દિવસથી ખેડૂતો વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં બળજબરીપૂર્વક નાખવામાં આવતી લાઈનોના વ્યાજબી વળતર માટે આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર ખેડૂતોને બદલે કંપનીઓની તરફદારી કરતી હોવાનો આક્રોશ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું કે પોલીસ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરી ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારાઈ રહ્યો છે અને બહેન-દીકરીઓનું અપમાન થઈ રહ્યું છે જ્યારે સ્થાનિક ભાજપના નેતાઓ ખેડૂતો ખોટા હોવાનું કહી કંપનીઓની વકીલાત કરી રહ્યા છે, જે દર્શાવે છે કે સરકારનો મુખ્ય ઉદ્દેશ કંપનીઓને મફતમાં કામ કરાવી આપવાનો અને વળતર મળતિયાઓ દ્વારા લઈ જવાય તેવી માનસિકતા છે. હુંબલે વધુમાં આક્રોશપૂર્વક જણાવ્યું કે ખેડૂતોના ધીરજનો અંત આવતા તેઓ નેશનલ હાઇવે પર આંદોલન માટે ઉતરી આવ્યા હતા, અને જો સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ જંત્રી અને બજાર ભાવને ધ્યાનમાં રાખી વહેલી તકે યોગ્ય વળતર નહીં ચૂકવે તો આ આંદોલન સમગ્ર કચ્છ જિલ્લામાં દાવાનળની જેમ ફાટી નીકળશે, વાંઢીયાના ખેડૂતો દ્નાવારા કરાયેલ ચક્કાજામ બાદ કંપની દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું છે પણ કિસાનોને પુરતી વળતર મળવી જોઈએ. આ આંદોલન મુદ્દે મૌન ધારણ કરનારા કચ્છના સાંસદ અને ધારાસભ્યો માત્ર ઉદ્ઘાટનો અને તાયફાઓ માટે જ સમય ફાળવે છે તેવા આક્ષેપો વી.કે. હુંબલે કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:50 am

ભાસ્કર એક્સક્લુસિવ:ખેતરોમાં ઉભા કરાતા ખાનગી કંપનીના વીજપોલ માટે કાયમી નિયમો બનાવવા ગાંધીનગરમાં મંથન

ખાવડાથી હળવદ સુધીની 765 કેવી વીજ લાઈન માટે છેલ્લા 110 દિવસથી ચાલતા આંદોલનને હાલ અલ્પવિરામ લાગ્યો છે, શુક્રવારે વોંધ પાસે સામખિયાળી હાઈવે પર કિસાનોએ કરેલા ચક્કાજામ બાદ ખેડૂતોના ખેતરોમાં અદાણી કંપની દ્વારા ઉભા કરાઈ રહેલા વીજપોલના કામ બંધ કરવાનો અને કંપનીને પોલીસ પ્રોટેક્શન ન આપવાનો નિર્ણય કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે. કિસાન સંઘના પ્રતિનિધિઓ અને કલેકટર વચ્ચે યોજાયેલી બેઠકમાં જ્યાં સુધી વળતર મુદે કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સીધી કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહી આવે તેવો નિર્ણય લેવાતા ખેડૂતોની અડધી માંગ સંતોષાઈ છે. જયારે હજુ પણ વળતરનો મુદો ઉકેલાયો નથી. જો કે કિસાન સંઘે સ્પસ્ટ જણાવ્યું છે કે કિસાન આંદોલન પૂરું નથી થયું અમારી લડત ચાલુ રહેશે. બાબતે લડત સમિતિના કન્વીનર શિવજીભાઇ બરડિયાએ જણાવ્યું છે કે અમારું આંદોલન માત્ર અસરગ્રસ્ત 82 ખેડૂતો માટે નથી. અમારું આંદોલન કચ્છના દરેક ખેડૂત માટે છે જેના ખેતરમાંથી ખાનગી કંપની દ્વારા વીજપોલ ઉભા કરાઈ રહ્યા છે. તેમને પુરતું વળતર મળવું જોઈએ. એકને ગોળ અને બીજાને ખોળની નીતિ કચ્છમાં ચલાવી લેવાશે નહી. અમે આગામી 20 ડીસેમ્બરના રોજ ખેતરોમાંથી નીકળતા ખાનગી કંપનીના વીજપોલ માટે કાયમી ધોરણે સરકાર દ્વારા નિયમો બનાવીને પરિપત્ર જાહેર કરવામાં આવે તે માટે અસરગ્રસ્ત જિલ્લાના કિસાન સંઘના આગેવાનો સાથે ગાંધીનગરમાં મીટીંગ રાખવામાં આવી છે. નવસારી અને રાજસ્થાનના કેસનો અભ્યાસ કરીને તેનો રીપોર્ટ સરકારને સોપવામાં આવશે. ખાવડાથી હળવદ વચ્ચે ઉભા કરાશે 3500 વીજપોલખાવડા રિન્યુઅલ એનર્જી પાર્કથી હળવદ સુધી અદાણી એનર્જી સોલ્યુશન્સ કંપની દ્વારા ટ્રાન્સમિશન કોરિડોર બનાવામાં આવી રહ્યો છે. જેથી વિવિધ ગામો કંપની દ્વારા 3500 જેટલા વીજપોલ ઉભા કરાઈ રહ્યા હોવાનું કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું. જેમાં અનેક ખેડૂતોને પુરતું વળતર મળ્યું નથી. અને ભુજ અને ભચાઉના 82 ખેડૂતો એવા છે જેમને એક પણ રૂપિયો વળતર પેટે હજુ મળ્યું નથી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:49 am

ભાસ્કર અગ્રેસર:વૈષ્ણોદેવીથી ઊજાલા સુધીનો સર્વિસ રોડ આઈકોનિકની સાથે ડસ્ટ ફ્રી બનાવાશે

ઇસ્કોનથી પકવાન સુધીના સર્વિસ રોડ પર મ્યુનિ.આઇકોનિક રોડ બનાવી રહી છે. મોકાથી પકવાન સુધીનો રોડ તૈયાર થઇ ગયો છે. જ્યારે બંને તરફનો સર્વિસ રોડ જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. આખા એસજી હાઈવેને ગાંધીનગર સુધી આઈકોનિક રોડ સાથે ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી હાથ ધરી ધરાઈ છે. આ રોડ પર સુશોભન માટે વિવિધ સ્કલ્પચર મૂકાશે. રોડ બનાવવા પાછળ 12 કરોડથી વધારેનો ખર્ચ થવાની શક્યતા છે. પ્રથમ ફેઝમાં ઈસ્કોનથી પકવાન અને એ પછી વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સુધીના સર્વિસ રોડને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવાશે. આ રોડ પર ગણેશજીનું સ્કલ્પચર મુકવામાં આવશેઆ આઈકોન રોડ પર સ્કલ્પચરમાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવશે. 750 મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે. આ રોડ પર બે સ્થળે ફુવારા મુકાશે. હાલમાં રોડની પહોળાઈ 8 મીટર છે. સર્વિસ રોડ પર વોક-વે પણ તૈયાર કરાયો છે. પ્લાન્ટેશનની સાથે ફૂલછોડ લગાવાયા છે. બફર ઝોનમાં બેસવા માટે ગજેબો સથા સીટિંગ એરિયા પણ છે. થીમ આધારિત લેન્ડસ્કેપ સ્ટ્રીટ પોલ લગાવાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:49 am

સન્ડે બિગ સ્ટોરી:26 વિસ્તાર પાણીજન્ય રોગોના હોટ સ્પોટ, તમામ પૂર્વના, 73 હજાર પરિવારો પર ખાસ નજર રખાશે

મ્યુનિ.એ પાંચ મહિનાના રોગચાળાના આંકડાનું વિશ્લેષણ કરી 26 વિસ્તારને હાઈ રિસ્ક તરીકે ચિહ્નિત કર્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં કોલેરા, ટાઈફોઈડ, ડાયેરિયા જેવા પાણીજન્ય રોગોની સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. CCRMSમાં મળેલી ફરિયાદો, રોગચાળાના આંકડા અને સ્થળ-સરવેના આધારે આ વિસ્તારોનું મૂલ્યાંકન કરાયું હતું. વોટરબોર્ન પેથોજેન્સને વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોવાથી કોટ વિસ્તાર અને પૂર્વના કેટલાક વિસ્તારો રોગચાળાના હોટસ્પોટ બન્યા હતા. બીજી તરફ મ્યુનિ.એ પાંચ મહિનામાં રોગચાળાના કેસોમાં 70 ટકા સુધી ઘટાડો લાવવામાં સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. હાઈ રિસ્ક વિસ્તારોમાં વસતા આશરે 3.5 લાખ લોકો પર મ્યુનિ. ખાસ નજર રાખશે. આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં દરરોજ સવારે પાણી પુરવઠા વખતે સેમ્પલ ચેકિંગ, ક્લોરીન ટેસ્ટિંગ, ગાર્બેજ ક્લિનિંગ અને સ્વચ્છતા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. પાણીની તૂટેલી લાઇનો, ખુલ્લી ગટરો, કેમિકલયુક્ત પાણી જવાબદાર આ વિસ્તારોમાં પાણીજન્ય રોગ કેમ વધુ • જૂની અથવા લીકેજવાળી પાણીની લાઈનો • ગટરનું પાણી પીવાના પાણીમાં ભળવું • નીચાણ, વરસાદી પાણીથી ભરાતા વિસ્તારો • ઝૂંપડપટ્ટી, ગીચ વસાહતો, ખુલ્લી નાળીઓ • ઔદ્યોગિક કેમિકલ વેસ્ટનું પીવાનાં પાણીની મુખ્ય કે સબ-લાઈનમાં ભળવું. રોગચાળા નિયંત્રણ માટે બે પ્લાન મ્યુનિ.એ રોગચાળા નિયંત્રણ માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સોલ્યુશન પ્લાન તૈયાર કર્યો છે. - ટૂંકા ગાળાનાં પગલાં તરીકે ડ્રેનેજ ડીસિલ્ટિંગ, પાણીની લાઈનનું લીકેજ રિપેરિંગ અને ગેરકાયદે કનેક્શન કાપવાની કાર્યવાહી શરરૂ કરાઈ. - લાંબા ગાળાના ઉકેલ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી ડ્રેનેજ રિપ્લેસમેન્ટ અને પાણીની મુખ્ય લાઇનનાં પુનઃનિર્માણ અંગે વિગતવાર ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. પકોડીની લારીઓ પર ગંદું પાણી વપરાતું હોવાથી 26 હજાર ક્લોરીન ટેબ્લેટ અપાઈમ્યુનિ.ને ધ્યાને આવ્યું છે કે કેટલીક પાણીપુરીની લારીઓ પર અશુદ્ધ પાણી વપરાતું હોવાથી રોગચાળાની ફરિયાદો વધી છે. અઠવાડિયાથી સાતેય ઝોનમાં પાણીપુરીની લારીઓ પર 26 હજાર, કિરાણા સ્ટોર, પાર્લરમાં 18 હજાર ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:48 am

ચેતવણી:13 વર્ષ બાદ કથ્રોલ હિલ ફોલ્ટલાઈનમાં જીયાપર નજીક 3.9 ની તીવ્રતાનો ભૂકંપ

કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ધોળાવીરા, ખાવડા અને ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના હળવા કંપનો નોંધાતા રહે છે. જોકે લાંબા સમય બાદ નખત્રાણા તાલુકામાં ભૂકંપનો અનુભવ થતા લોકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો. 13 વર્ષ બાદ નખત્રાણા તાલુકાના જીયાપર નજીક કેટરોલ હિલ ફોલ્ટ લાઈનમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. બપોરે 2:45 કલાકે ગઢશીશાથી અંદાજે 13 કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં આવેલા જીયાપર વિસ્તારમાં ભૂકંપના કંપન નોંધાતા આસપાસના વિસ્તારોમાં રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલને કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 19 કિલોમીટર નીચે હતી જે સૂચવે છે કે તે કુદરતી ભૂસ્તરીય પ્રક્રિયાનો ભાગ છે. કચ્છના નાગરિકોને ભૂકંપની દૃષ્ટિએ હંમેશા સાવચેત રહેવાની જરૂર છે. ટ્રાઇ-જંક્શન પર ભૂકંપ આવે એ ભૂસ્તરીય સક્રિયતા છેકચ્છમાં 10થી વધુ સક્રિય ફોલ્ટ લાઈનો છે, જેના કારણે કચ્છ ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. તાજેતરના અર્થક્વેક ઝોનિંગમાં કચ્છને ઝોન-6માં મૂકવામાં આવ્યું છે. જીયાપર પર નોંધાયેલ ભૂકંપ કેટરોલ હિલ ફોલ્ટની પશ્ચિમી કિનારી પર આવેલા એક ટ્રાઇ-જંક્શન પર આવ્યો હતો. આ એવો વિસ્તાર છે જ્યાં કેટરોલ હિલ ફોલ્ટ વિગોડી ફોલ્ટ જે ઉત્તર તરફ જાય છે અને નાયરા નદી ફોલ્ટ દક્ષિણ તરફ જાય છે. આ ત્રણેય ફોલ્ટ લાઈનો મળે છે. આ ટ્રાઇ-જંક્શન પર ભૂકંપ આવવો એ ભૂસ્તરીય સક્રિયતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:45 am

168માંથી 24 ફ્લાઈટ બંધ કરી દેવાતાં અસર:ઈન્ડિગોની રોજ 30થી 40 ટકા ફ્લાઇટ ખાલી, 4300 સીટ ઘટી

ઈન્ડિગોની રોજ અવરજવર કરતી 168 ફ્લાઇટોમાંથી હવે 144 કરી દેવાઇ છે એટલે કે ડિપાર્ચર-એરાઇવલ મળી કુલ 24 ફ્લાઇટ બંધ કરી દેવાતા સીધી 4300 સીટ ઘટી છે. આ પરિસ્થિતિને જોતા ઇન્ડિગોની ફ્લાઇટો 30થી 40% ઘટી છે. આમ કોર્પોરેટ્સ ફ્રિકવન્ટ ફ્લાયર્સ તો ઊંચા ભાડા ચૂકવી બીજી એરલાઇનમાં જવાનું પસંદ કરી રહ્યા છે. એર ઇન્ડિયા, અકાસા, સ્પાઇસ જેટ, સ્ટાર એરની વિવિધ રૂટ પર ઓપરેટ થતી ફ્લાઇટો 80થી 90 ટકા ફુલ જઈ રહી છે. ઈન્ડિગોની 7થી 10 હજાર સીટ ખાલી જઈ રહી છેઅમદાવાદથી ઇન્ડિગોની કુલ 144 પૈકી 120 રૂટ પર એરબસ A 320/321 (180 સીટ) અને 24 જેટલા રૂટ પર ATR (72 સીટર ) વિમાન ઓપરેટ કરે છે, જેમાં પ્રતિદિન 26 હજારમાંથી 14થી 17 હજાર સીટો બુક થાય છે. આમ 7થી 10 હજાર વચ્ચે સીટો ખાલી જઈ રહી છે. એરલાઇન સંખ્યા કુલ સીટો કેટલી ભરેલી ખાલી જેટ એરવેઝ-ગો ફર્સ્ટ વખતે 40 ટકા ભાડું વધ્યું હતુંપહેલા જેટ એરવેઝ ગ્રાઉન્ડ થઈ તો ઘણા રૂટ્સ પર ભાડું 30થી 40 ટકા સુધી વધી ગયુ હતું. ગો ફર્સ્ટ બંધ થયા બાદ પણ વ્યસ્ત રૂટ્સ પર 40 ટકા વધારો થયો હતો. જો કે આ વખતે ખાસ બાબત એ છે કે, ફક્ત 10 ટકા રૂટ્સ ઓછા થઇ રહ્યા છે. સરકારનું પણ કડક વલણ છે તો પીકઅવર્સમાં પણ ફ્લાઇટોનું ભાડું વધીને 8થી 10 ટકા આસપાસ જોવા મળી રહ્યું છે. સરકારનો પ્લાન છે કે ઇન્ડિગોના કટ કરેલા 10 ટકા સ્લોટ બીજી એરલાઇનને આપવામાં આવે. એનો મતલબ એ થાય છે કે ઇન્ડિગોની રોજ 24 ફ્લાઇટ બંધ થતા તે સ્લોટ એરઇન્ડિયા, અકાસા, સ્પાઇસજેટ, સ્ટારએરને મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:44 am

ભાસ્કર એક્સક્લુસિવ:SIR: શહેરનાં 5 મોટા વિસ્તારમાંથી 29027 ફોર્મ હજુય જમા થયાં નથી

શહેરમાં 29,027 એન્યુમરેશન ફોર્મ ભરીને હજુ સુધી જમા કરાયાં નથી. સૌથી વધુ ફોર્મ એલિસબ્રિજ, નારણપુરા, વેજલપુર, ઘાટલોડિયા વિધાનસભા નાગરિકોના છે. જે ફોર્મ ભરીને જમા થયા નથી તેમાં ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર કરનારા લોકોની ઓળખ કરાઈ છે. 29496 ફોર્મ બીએલઓ દ્વારા વેરિફાય કરાયાં નથી. વેરિફાય કર્યા વગરનાં સૌથી વધુ ફોર્મ 4292 ઘાટલોડિયા, 7618 ફોર્મ દસ્ક્રોઈ, 3291 ફોર્મ સાણંદ અને 1779 ફોર્મ વટવાના છે. જો કોઈ મતદાર ઘરે ન મળ્યો હોય તો તેઓના એન્યુમરેશન ફોર્મ ત્રણ દિવસ સુધી બીએલઓ પાસે હોય છે. ત્યાર બાદ આ તમામ ફોર્મ બીએલઓએ કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવાના હોય છે. ગેરહાજર, મૃતક કે કાયમી સ્થળાંતર હોય તેવા કુલ 13.69 લાખ ફોર્મ છે, જેને ધ્યાનમાં રાખી બીએલઓ દ્વારા ફરીથી પૂછપરછ કરાઈ હતી. જોકે મોટા ભાગનાં લોકો તે પછી પણ પોતાનાં ફોર્મ જમા કરાવવા આવ્યાં ન હતાં, જેથી હવે બીએલઓ દ્વારા આ પ્રકારનાં તમામના ફોર્મને જમા ન કરાવ્યાં હોય તે કેટેગરીમાં નખાયાં છે. ક્યાંથી કેટલાં ફોર્મ બાકી? વિધાનસભા - બાકી ફોર્મ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:42 am

ખનિજ ચોરોમાં ફફડાટ:ખનિજચોરી પકડવા ગયેલી ટાસ્ક ફોર્સની રેકી થતી હોવાનું સામે આવતાં કારચાલક સામે પગલાં

કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીને ડામવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા રચવામાં આવેલી જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ જયારે કોઈ કાર્યવાહી માટે પહોચે ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા ટાસ્ક ફોર્સ ટીમની સતત રેકી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. શુક્રવારે ટાસ્ક ફોર્સે ધાણેટી આસપાસના વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. મમુઆરા ગામ તરફ જવાના રસ્તેથી વગર રોયલ્ટીએ ચાયના ક્લેનું ગેરકાયદેસર વહન કરી રહેલા બે ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ટ્રક નં. GJ 12 CT 8425 જેના ડ્રાઈવર સમીર જામ, અને માલિક હરી ભગુ ઢીલા હોવાનું સામે આવ્યું હતું.જયારે ટ્રક નં. GJ 12 CT 4888 ડ્રાઈવર નીરૂભાઈ બારચટ તેમજ માલિક સંજયભાઈ જાટીયાની તપાસ કરતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હતી. ટાસ્ક ફોર્સની ટીમે કુલ ૫૦ મે.ટન ચાયના ક્લેનો જથ્થો અને ટ્રકો સહિત અંદાજિત ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો છે. આ મુદ્દામાલ પધ્ધર પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી કરવામાં આવતી હતી, ખનીજ માફિયાઓ દ્વારા ટાસ્ક ફોર્સની ટીમની રેકી કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે. એક બ્લેક કલરની સેલ્ટોસ કાર નં. GJ 39 CC 6164 જે ગાડી માલિક નિરાલી વાસણ છાંગાના નામે નોંધાયેલી છે. તે કારના કોઈ અજાણ્યો ડ્રાઇવર ટાસ્ક ફોર્સ ટીમની રેકી કરી રહ્યો હતો અને જોખમી રીતે કાર ચલાવીને નાસી ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને આર.ટી.ઓ. દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર વખતે ખનીજ માફિયાઓ દ્વારા અલગ-અલગ વાહનોથી ટીમની રેકી કરાતી હોઇ આ વખતે આરટીઓને સાથે રાખી તપાસ કરી વાહન રોકવાનો પ્રયત્ન કરતાં ચાલક ભાગી ગયો હતો. આરટીઓ દ્વારા મોટર વ્હીકલની અલગ-અલગ 6 જેટલી કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરાતાં ખનિજ ચોરો અને રેકી કરનારા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા ટાસ્ક ફોર્સે સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આ બાબતે રેકી કરતાં ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલેખનીય છે કે 8 ડીસેમ્બરના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે ટાસ્ક ફોર્સની ટીમની રેકી થઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:41 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:આયુષ્માન યોજનામાં ન બેડ, ન ICU, ન ડોક્ટર, ન સર્જરી;રોકડ આપો તો બેડ, ડોક્ટર, ICU, ડાયાલિસિસ બધું મળશે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) દેશની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે, જેમાં દરેક ગરીબને નિઃશુલ્ક સારવાર આપવાનું વચન આપવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતમાં આ જ યોજના હવે કાગળો સુધી જ સીમિત રહેતી હોય તેવું લાગી રહ્યું છે. ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે કે રાજ્યની અનેક જાણીતી, મલ્ટિ-સ્પેશિયલિટી અને કોર્પોરેટ હોસ્પિટલોએ આયુષ્માન યોજના હેઠળ આવતા દર્દીઓ માટે ICU, વેન્ટિલેટર, હૃદય સર્જરી, ન્યુરો અને ટ્રોમા જેવી ખર્ચાળ સારવાર તો સંપૂર્ણપણે બંધ કરી દીધી છે અથવા જાણીજોઈને મર્યાદિત કરી દીધી છે. પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલોના પોર્ટલ પર સેવાઓ ઉપલબ્ધ બતાવવામાં આવે છે, પરંતુ જ્યારે દર્દી આયુષ્માન કાર્ડ લઈને હોસ્પિટલ પહોંચે છે ત્યારે ક્યાંક બેડ ફુલ આયુષ્માન યોજનાહોવાનું બહાનું આપવામાં આવે છે, તો ક્યાંક દર્દીઓને સીધા સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. અનેક જગ્યાએ સારવાર શરૂ કરતા પહેલાં કન્સલ્ટિંગ ફી, ડિપોઝિટ અને બહારથી દવા તથા તપાસ ખરીદવાની શરતો મુકવામાં આવે છે.એટલે કે, જેના હાથમાં આયુષ્માન કાર્ડ છે, તે દર્દીને સૌપ્રથમ ઇનકારનો સામનો કરવો પડે છે, જ્યારે રોકડ ચૂકવણી કરનારા દર્દીઓ માટે બેડ અને ડોક્ટરો તરત ઉપલબ્ધ થઈ જાય છે. મા કાર્ડમાંથી આયુષ્માન કાર્ડ કન્વર્ટ જ ન થયું, 3.50 લાખ દેવું કરીને સારવાર કરાવીમારા પિતા લાલાભાઇને હોઠ પાસે ટ્યૂમર હતી. અમારી પાસે મા-કાર્ડ હતું. આઝાદ મેદાન સ્થિત અર્બન સેન્ટરથી આયુષ્યમાન કાર્ડ કઢાવવા કહ્યા બાદ 26 સપ્ટેમ્બર,2025થી અર્બન સેન્ટર અને સરકારી કચેરીઓમાં 15 દિવસ ધક્કા ખાધા, કાર્ડ ન નીકળ્યું. છેવટે ખાનગી હોસ્પિટલમાં 3.50 લાખના ખર્ચે સારવાર કરાવી. > રવિ માળી, શિયાબાગ, વડોદરા ખેલ: સામાન્ય કેસમાં યોજના ચાલુ બતાવો, મોંઘા કેસમાં બંધ બતાવોદર્દીની જરુરીયાત હોસ્પિટલના બહાના બહાનાનું કારણ તંત્ર પર સામે સવાલો દર્દીઓ પાસે વિકલ્પ અમદાવાદ : કોઈએ કહ્યું, શરદી-ખાંસીમાં ચાલશે, તો જનરલ સારવારમાં ચાલશે વડોદરા : કોઈએ કહ્યું, ડોક્ટર નક્કી કરશે, કન્સલ્ટિંગના પૈસા માગ્યા હોસ્પિટલની સેવા ન મળે તો હેલ્પ લાઇન પર કોલ કરો હોસ્પિટલ PMJAYમાં એમ-પેનલ હોય તેમણે ફરજિયાત સેવા આપવી જોઈએ. સેવા ન મળે તો હેલ્પલાઇન પર ફોન કરવો. અમે વિગત મેળવી નિર્ણય લઇશું. -ઋષિકેશ પટેલ, તત્કાલીન આરોગ્ય મંત્રી, ગુજરાત સરકાર

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:40 am

લોક અદાલત:કચ્છની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ, 9974 કેસનો નિકાલ

કચ્છની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 4034 પ્રી-લીટીગેશન કેસો, સમાધાન લાયક 1351 કેસો અને સ્પેશીયલ મેજીસ્ટ્રીયલ સીટીંગમાં 4589 કેસો એમ કુલ 9974 કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને 47.71 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ મહિડા દિલીપ પી.ની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમીલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતા પૂર્વક યોજવામાં આવી હતી. લોક અદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશ દ્વારા લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. લોક અદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને જજ બી. એમ. પ્રજાપતિએ ન્યાયાલયના કર્મચારીઓ, તમામ સ્ટેક હોલ્ડર્સ તથા વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:40 am

ભાસ્કર ઈનસાઈડ:મિત્રતા અને સબંધના નાતે ઠગાઈના 54.78 લાખ ખાતામાં નખાવી વિશ્વાસઘાત

સાયબર ફ્રોડના રૂપિયા સરળતાથી લેવડ દેવળ થઇ શકે તે માટે કમીશન પર બેંક ખાતા ભાડે લીધા હોવાની ફરિયાદ બાદ હવે આ મામલે વધુ 7 ફરિયાદ નોધાઇ છે.જેમાં ભુજ શહેરમાં રહેતા અલગ અલગ સાત લોકોએ મિત્રતા,સબંધ અને કમીશનની લાલચે પોતાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા 54.78 લાખ મેળવી આરોપીઓને પરત આપ્યા હતા. સાયબર ક્રાઈમની ફરિયાદને આધારે બેંક ખાતા ફ્રીઝ થતા વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવ્યું હતું. સાયબર માફિયાઓ દ્વારા લોકોને ઓનલાઈન ઠગાઈનો શિકાર બનાવવામાં આવે છે જે બાદ ઠગાઈના રૂપિયા મેળવવા અન્ય લોકોના બેંક ખાતાનું ઉપયોગ કરી લેવડ દેવળ થતી હોવાનું સામે આવ્યા બાદ સમન્વય પોર્ટલને આધારે મ્યુલ બેંક ખાતા પર કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ અલગ અલગ સાત ફરિયાદ નોધાઇ છે.જેમાં સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર અશોકભાઈ પ્રજાપતિએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ભુજના આરોપી મોહમ્મદ સાહીદ સલીમ જુણેજા અને મોહમ્મદ મણીયાર સામે ગુનો નોધાવ્યો છે. આરોપી મોહમ્મદ જુણેજાએ પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડના રૂપિયા મેળવવા માટે સહ આરોપીના કહ્યાથી ઉપયોગ કર્યો હતો અને બેંક ખાતામાં રૂપિયા 7.49 લાખ મેળવી ચેક મારફતે ઉપાડી લઇ કમીશન પેટે રૂપિયા મેળવ્યા હતા.જયારે હાઉસિંગ બોર્ડમાં રહેતા નેહાબેન નરોત્તમભાઈ ઠક્કરે બી ડીવીઝનમાં આરોપી ઓમ મનીષ પટેલ સામે ગુનો નોધાવ્યો છે.આરોપી ફરિયાદીના પતિનો મિત્ર હોવાના નાતે પોતાના બહારથી રૂપિયા આવવાના હોવાનું કહી ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા 9.94 લાખ નંખાવી ઉપાડી લીધા હતા.જે બાદ ખાતુ ફ્રીઝ થતા વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવ્યું હતું. આવી જ રીતે કોડકી રોડ પર રહેતા ફરિયાદી મલકીતસિંગ હરભજનસિંગ શીખે પોતાના મિત્ર શુભમ જાટના કહેવાથી બેંક ખાતાની વિગત આપી હતી જેમાં આરોપીએ ઠગાઈના રૂપિયા 15.59 લાખ નંખાવી મેળવી લીધા હતા.મદીના નગરમાં રહેતા ઈમ્તિયાઝ અહેમદ આદમ રાયમાને તેના આરોપી મિત્ર મોહમ્મદ મણીયારે પોતાની પાસે ચેકબુક ન હોવાનું કહી રૂપિયા ઉપાડવા ફરિયાદીના બેંક ખાતાની વિગત મેળવી રૂપિયા 2.50 લાખ ઉપાડી વિશ્વાસઘાત કર્યો હતો.બીજી તરફ ભુજના ફરિયાદી કરણ લલિતભાઈ રાઠોડે એ ડીવીઝન પોલીસ મથકે આરોપી કમલેશ ઉદયસિંહ ડાભી અને ઓમ પટેલ સામે ગુનો નોધાવ્યો છે. આરોપીઓએ ખોટી હકીકત જણાવી ફરિયાદીના બેંક ખાતાનો ઉપયોગ કરી ઠગાઈના રૂપિયા 4.98 લાખ મેળવી વિશ્વાસઘાત કર્યો હતો.જયારે ફરિયાદી સૈયદ નાઝીર આરબને આરોપી મિત્ર મોહમદ મણીયારે ક્રેડીટ કાર્ડના બીલ ભરવાનું કહી બેંક ખાતામાં ઠગાઈના રૂપિયા 9.28 લાખ નંખાવી મેળવી લીધા હતા.પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે મહત્ત્વનું છે કે, હાલમાં વિવિધ રીતે ઓનલાઇન ઠગાઇ કરવામાં આવતી હોય છે અને ઓનલાઇન ઠગાઇના નાણાની હેરફેર માટે મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ થાય છે. જિલ્લામાં આવા ખાતાધારકો સામે સાયબર સેલ અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધર્મના ભાઈએ બહેન સાથે વિશ્વાસઘાત કર્યોજુની રાવલવાડીના ફરિયાદી રવિનાબેન કિશોરભાઈ રાઠોડને સત્યમ સોસાયટીમાં રહેતા તેના ધર્મના ભાઈ ધનંજય શૈલેષ ચૌહાણે બહારથી રૂપિયા આવવાનું કહી ફરિયાદીના ખાતામાં જમા કરાવવા કહ્યું હતું.વિશ્વાસમાં આવેલા ફરિયાદીએ પોતાના બેંક ખાતાનો ચેક આપી દેતા આરોપીએ ઠગાઈના રૂપિયા 5 લાખ ખાતામાં નંખાવી 4.72 લાખ ઉપાડી 28 હજાર ફરિયાદી પાસેથી ગુગલ પે મારફતે મેળવી લીધા હતા. 5 હજારનું કહી 4.98 લાખ નાખ્યાવિશ્વાસ કેળવવા સાયબર ક્રાઈમમાં નિવેદન સાયબર ફ્રોડના રૂપિયા બેંક ખાતામાં જમા થવા મામલે કરણ રાઠોડે આરોપી કમલેશ ડાભી અને ઓમ પટેલ સામે ગુનો નોધાવ્યો છે.આરોપીએ ક્રેડીટ કાર્ડ માટે 5 હજાર ફરિયાદીના ખાતામાં નાખવાનું કહી સાયબર ફ્રોડના રૂપિયા 4.98 લાખ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.જે બાદ ફરિયાદીને બોલાવી ઉપાડી લીધા હતા.પરંતુ ફરિયાદીએ જયારે ઓનલાઈન લાઈટ બીલ ભરવાનો પ્રયાસ કરતા પોતાના ખાતામાં માઈનસ 4.98 લાખ બોલતા હતા અને તપાસ કરતા ખાતો ફ્રીઝ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે ફરિયાદીને શંકા જતા આરોપી ઓમ પટેલ તેનો વિશ્વાસ કેળવવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ કચેરીએ નિવેદન લખાવવા માટે પણ લઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:38 am

કામગીરી:રસ્તા પહોળા કરવા માર્કિંગ પૂર્ણ, હવે દબાણ તોડાશે

ભુજના બધા જ રીંગરોડનું એક પછી એક નવીનીકરણ થશે. જેમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા વાહનોની મહત્તમ અવરજવર રહે છે તે પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના માર્ગ મકાન વિભાગ તેમજ વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે. ભાડાના વહીવટી અધિકારી અનિલ જાદવએ જણાવ્યું કે જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં નડતા બાંધકામનું માર્કિંગ પૂર્ણ થયું છે. આવતા અઠવાડિયે તોડી પાડવામાં આવશે. જોકે જરૂરત નહીં હોય ત્યાં કારણ વગર હેરાન પણ નહીં કરવામાં આવે. નાગોર રેલવે ઓવરબ્રીજ જ્યાં સમાપ્ત થાય છે તે ખાવડા ચાર રસ્તાથી માર્ગ વિસ્તૃતિકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તે વિસ્તારમાં કોઈ દબાણ ન હોવાથી સરકારી જમીન જ ત્રણ મીટર બંને બાજુ ખોદાણ કરી કામ કરવામાં આવશે. માત્ર વીજ પોલ ખસેડવાના થાય છે. પરંતુ ખારી નદી ચાર રસ્તા થી લઈને પ્રિન્સ રેસીડેન્સી સુધી માર્ગની બંને બાજુ સડકને અડીને કમ્પાઉન્ડ કે ફેન્સીંગ સરકારી જમીન પર બાંધકામ થઈ ગયા છે તેને તોડી પાડવામાં આવશે. ભુજમાં પાર્કિંગ, ટ્રાફિક અને બ્યુટીફિકેશન વિષયો પર ગત મંગળવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી વિભાગોની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને રસ્તાનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે ત્યારે તેમાં નડતરરૂપ બાંધકામ તોડવા માટે સખત આદેશ અપાયા છે. ભુજના અન્ય રિંગરોડ કે જે શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે ત્યાં જોકે કોઈને જરૂરિયાત સિવાય હેરાન કરવામાં નહીં આવે. ફૂટપાથ ઉપરના દબાણ દૂર થઈ શકે તેવું તંત્રના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. અત્રે મહત્ત્વનું છે કે, ભુજ શહેરમાં દબાણની સમસ્યા ઘણી પેચીદી છે. આંતરિક વિસ્તારોથી માંડી મુખ્ય રસ્તાઓ પર દબાણ છે. શહેરના વિકાસ માટે દબાણ ભારે અવરોધરૂપ સાબિત થતા હોય છે. કાર્યવાહી થવાની જ છે, તો કોઈની પણ શેહશરમ વગર કરાયઆગામી દિવસોમાં તંત્રએ અનધિકૃત બાંધકામો તોડવાનું આયોજન કર્યું છે ત્યારે દબાણને કારણે અન્ય નિર્દોષ લોકોને ભોગવવું પડ્યું છે તેઓ કહે છે કે કોઈની શેહશરમ રાખ્યા વગર તંત્ર કામગીરી કરે તો જ પરિણામ મળશે. અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ માત્ર રસ્તાની કામગીરીમાં જ નહીં પરંતુ પાર્કિંગ પ્લોટ, બ્યુટીફિકેશન અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો પણ દૂર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:36 am

માસ્તરોની અછત:કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં 1500 શિક્ષકોની ઘટ યથાવત રહેશે

કચ્છમાં નિમણૂક ત્યાં જ નિવૃતિની શરતે ખાસ ભરતી કરાઈ હતી. પરંતુ, પૂરતા શિક્ષકો મળ્યા નથી અને જે શાળામાં 50 ટકા મહેકમ જળવાતું એ શાળામાંથી જિલ્લાફેર બદલીવાળા છૂટા કરી દેવાયા છે. એટલે ધોરણ 1થી 5માં 1500 શિક્ષકોની ઘટ યથાવત રહેશે. જેના ઉકેલ રૂપે કચ્છમાં કાયમ માટે નિમણૂક ત્યાં જ નિવૃતિની શરતે ભરતી જરૂરી છે. એ માટે સ્થાનિક બેરોજગાર યુવકોને લાયકાતના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે એ જરૂરી છે. કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લાફેર બદલીવાળા શિક્ષકોના પલાયનને કારણે કાયમી ઘટની ચિંતાજનક સ્થિતિનો ઉકેલ લાવવા નિમણૂક ત્યાં નિવૃતિની શરતે ભરતી શરૂ કરી હતી. ધોરણ 1થી 5 માટે 1600 અને ધોરણ 6થી 8 માટે 2500ની ઘટ અંદાજીને કુલ 4100 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ધોરણ 1થી 5માં 1012 શિક્ષકો મળ્યા અને ધોરણ 6થી 8માં 1563 શિક્ષકો મળ્યા. જોકે, ધોરણ 1થી 5માં હજુ 30થી 40 શિક્ષકો હાજર નથી થયા અને ધોરણ 6થી 8માં 494ને ઓર્ડર આપવાના હજુ બાકી છે. જિલ્લાફેર બદલીવાળા છૂટા થયા બાદ ધોરણ 6થી 8માં પૂરતા શિક્ષકો મ ળી ગયા છે. પરંતુ, ધોરણ 1થી 5માં સ્થિતિ ફરી 1500ની ઘટ જેવી જ થઈ ગઈ છે. એની પાછળ મુખ્ય કારણ ધોરણ 1થી 5 માટે જરૂરી ટેટ-1ની પરીક્ષા પાસની લાયકાત છે. રાજ્ય સરકારે 2023 પહેલાની ટેટ-1ની પરીક્ષાના પરિણામ મુદ્દત પછીના ઠરાવ્યા છે અને એ પછી લેવાયેલી પરીક્ષામાં 3 ટકાથી વધુ પરિણામ આવ્યું નથી, જેથી ટેટ-1 લાયકાતવાળા શિક્ષકો મળ્યા નથી. લોક પ્રતિનિધિઓ નિયમો હળવા કરાવેકચ્છમાં એક તો હજુ નિમણૂક ત્યાં નિવૃતિની પધ્ધતિ એક દોઢ લાયકા સુધી ચાલુ રાખવાની જરૂર છે. એ ઉપરાંત સ્થાનિક ઉમેદવારોને નિયમોમાં છૂટછાપ આપવાની જરૂર છે. એ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ સહિતના લોક પ્રતિનિધિઓ ભરતીની સમગ્ર પ્રક્રિયા સમજીને નિયમો હળવા કરાવે એની આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:35 am

ભાસ્કર ઈનસાઈડ:માતા કેળા લેવા ગઇ,પુત્રી ઇન્ટરલોક બગડતા પૂરાઇ,દોઢ કલાકે બચાવાઇ

પોતાની 4 વર્ષની પુત્રી માટે કેળા લેવા ફ્લેટમાં તેને એકલી મૂકી માતા ગઇ અને પરત ફરી તો પુત્રી ઇન્ટરલોકને લીધે બેડરૂમમાં પૂરાઇ ગઇ હતી. શરૂઆતમાં લોકોએ પ્રયાસો કરવા છતાં લોક ન ખુલતા ફાયરબ્રિગેડને બોલાવીને તેને લોક તોડીને બચાવી હતી. માંજલપુર તુલસીધામથી જીઆઇડીસી રોડ પર મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ સામે બરોડા હાઇટ્સ એલઆઇજી સ્કીમના 12મા માળે પરિવાર રહે છે. સાંજે પુત્રી માટે માતા કેળા લેવા ગઇ હતી. જતા બાળકીને બેડરૂમમાં રાખી હતી. જ્યારે આગળનો દરવાજો બંધ કરીને નીકળી હતી. જ્યારે પરત આવી ત્યારે બાળકીથી ઇન્ટરલોક ખુલ્યું નહીં. તેથી બાળકીએ રડવાનું શરૂ કર્યું હતું. જોકે પછી ફ્લેટના રહીશોએ તાળુ ખોલવાની પ્રયાસો કર્યા હતા. એકાદ કલાક બાદ ફાયરબ્રિગેડને ફોન કરતાં ટીમે આવીને લોક તોડીને બાળકીને રૂમમાંથી કાઢી હતી. બાળકીની માતાએ કહ્યું કે, હવે આ પ્રકારનું લોક નહીં રાખીએ. LIGમાં કાર પાર્કિંગને લીધે ફાયરબ્રિગેડ અટવાઇ, વીજળી જતાં જવાનોનું 12 માળ સુધી ચઢીને રેસ્ક્યુઆ કામગીરી માટે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી તો એલઆઇજી ફ્લેટમાં સંખ્યાબંધ ફોર વ્હીલર્સ આડેધડ પાર્ક થયેલી હતી. જેના પગલે ફાયરબ્રિગેડના વાહનને કેમ્પસમાં પ્રવેશવામાં ભારે મુશ્કેલી અનુભવી હતી. જ્યારે તેઓ લિફ્ટ પાસે પહોચ્યાં ત્યારે જ વીજળી ડૂલ થતાં 12 પગથિયા કર્મચારીઓને ચઢીને જવું પડ્યું હતું. જોકે તાળુ ખુલતા અને બાળકી નીકળતા જ વીજપુરવઠો પરત આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 5:32 am