SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ધ્રોળમાં વિદ્યાર્થીઓ માટે શનિના વલયોનું નિદર્શન:એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરે 10 ઇંચ ટેલિસ્કોપથી કાર્યક્રમ યોજ્યો

ધ્રોલના એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર અને જામનગરના ખગોળ મંડળ દ્વારા ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શનિ ગ્રહના વલયો અને તેના ચંદ્ર ટિટાનનું 10 ઇંચના ટેલિસ્કોપ દ્વારા અવલોકન કરાવવામાં આવ્યું હતું. શનિ ગ્રહ તેની કક્ષામાં નમતો રહીને સૂર્યની પ્રદક્ષિણા કરતો હોવાથી તેના વલયો હંમેશા એકસરખા દેખાતા નથી. ક્યારેક તે પાતળી રેખા સ્વરૂપે અને ક્યારેક વિસ્તૃત સપાટી સ્વરૂપે દેખાય છે. શનિના આ વલયોનું અવધિ ચક્ર 14.5 વર્ષનું હોય છે. એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરના ડો. સંજય પંડ્યાએ નવા 10 ઇંચના ટેલિસ્કોપ વિશે માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં સૂર્ય કલંકો અને દેવયાની તારાવિશ્વના અવલોકન અંગે પણ જાણકારી પૂરી પાડી હતી. જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને શનિના વલયો, ચંદ્ર ટિટાન, આકાશમાં દેખાતા તારાઓ અને નક્ષત્રો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ખગોળશાસ્ત્રને લગતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. હાલમાં શનિના વલયો અદ્રશ્ય થઈને માત્ર એક સરળ રેખા સ્વરૂપે જોવા મળે છે. આવા સ્વરૂપમાં તે હવે પછી 14.5 વર્ષો બાદ ફરીથી જોવા મળશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં એમ.પી. મહેતા સુધાબેન ખંઢેરીયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:28 am

પારડીની BN ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં 5.52 કરોડનું નુકસાન:મશીનરી, શેડ, કાચો અને તૈયાર માલ બળીને ખાખ થઇ ગયો, શનિવારે વહેલી સવારે લાગેલી આગ બપોર બાદ કાબૂમાં આવી હતી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીઝ યુનિટ–2માં શનિવારે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટનામાં કંપનીને આશરે 5.52 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના 6 ડિસેમ્બર, 2025ના રોજ સવારે લગભગ 6:50 વાગ્યે બની હતી. કંપનીના સુપરવાઈઝર અજય પટેલે મેનેજર શ્રીકાંત ફુલ્યાળકરને ફોન દ્વારા આગની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વાપી GIDC, વાપી ટાઉન, પારડી, અતુલ અને વલસાડ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. થોડી જ વારમાં પાંચથી વધુ ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગને કારણે કંપનીમાં રહેલી મશીનરી, શેડ, કાચો માલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો હતો. આ નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન 5 કરોડ 52 લાખ રૂપિયા જેટલું કરવામાં આવ્યું છે. પોલીસ, મામલતદાર કચેરી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:26 am

પાટણ-સિદ્ધપુર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત:ટર્બોએ ટક્કર મારતા બાઇક સવાર બે યુવકો ઘાયલ, સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા

પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે આજે સવારે ટર્બો વાહન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટર્બો વાહન રિવર્સ લઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતું બાઈક ટર્બોમાં ઘૂસી ગયું હતું. આ ટક્કરના કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. એક વ્યક્તિના હાથ અને પગ પર ટર્બોનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે અન્ય વ્યક્તિને પણ શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી સેવાને જાણ કરાતા, એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધારપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે સિદ્ધપુર ચાર રસ્તા પર થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે અકસ્માતની જાણ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:22 am

ભરૂચ રેલવે પોલીસે 8.59 લાખનો મુદ્દામાલ પરત કર્યો:‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ મુળ માલિકોને માલ-સામાન સોંપાયો

ભરૂચ રેલવે પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓમાં જપ્ત કરાયેલો રૂ. 8.59 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે. આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરત કરાયેલા મુદ્દામાલમાં ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ચોરાયેલા 17 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, જેની કિંમત આશરે રૂ. 3.90 લાખ છે. આ ઉપરાંત રૂ. 5.50 લાખના ઘરેણાં અને અન્ય સામાન પણ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ગુમ થયેલો મુદ્દામાલ નાગરિકોને સરળતાથી પરત મળે તે હેતુથી ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ સ્ટાફે સક્રિય કામગીરી કરી મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. આ કાર્યક્રમ પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ. ગોર અને પીએસઆઈ સુરેન્દ્ર રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. મુદ્દામાલ પરત મેળવનાર નાગરિકોએ પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:19 am

રાજકોટ અટલ સરોવરનાં ચકડોળમાં મોટી દુર્ઘટના ટળી:ચકડોળનાં ઓપરેટરની બેદરકારીથી પરિવાર 40 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ ફસાયો, ઓપરેટર સસ્પેન્ડ

રાજકોટના અટલ સરોવર ખાતે બનેલી એક ગંભીર ઘટનામાં, ચકડોળ (ફેરિસ વ્હીલ) ચલાવતા ઓપરેટરની ઘોર બેદરકારીને કારણે એક પરિવારનો જીવ જોખમમાં મુકાયો હતો. ગઈકાલે રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં ચકડોળમાં સવાર 4 લોકોનો એક પરિવાર 100 ફૂટની ઊંચાઈએ અધવચ્ચે અટકી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભોગ બનનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કરી વ્યથા વર્ણવી છે. જેને લઈને ઓપરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ચકડોળ ચાલુ કરીને ઓપરેટર ગાયબ! વીડિયોમાં ભોગ બનનાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પરિવાર જેમાં તેમની પત્ની, સાસુ અને એક નાનો બાળક સહિત કુલ 4 લોકો સાથે ચકડોળમાં સવાર થયા હતા. ચકડોળ તેમને લગભગ 100 ફૂટ જેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચાડ્યા બાદ ઓપરેટરે વીલ બંધ કરી દીધું હતું અને પોતે ત્યાંથી જતો રહ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિના કહેવા મુજબ, ઓપરેટરે બાદમાં સ્વીકાર્યું હતું કે તે તેમને ઉપર ચડાવ્યા પછી બંધ કરીને ભૂલી ગયો હતો. ચકડોળમાં સવાર પરિવારે શરૂઆતમાં 10 મિનિટ સુધી રાહ જોઈ કે નીચેથી કોઈક આવશે અથવા રાઈડ ફરી શરૂ થશે, પરંતુ અડધો કલાક વીતી ગયો અને 40 મિનિટ સુધી કોઈ હલચલ ન થતાં પરિવારે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. રાત્રિનો સમય અને ઊંચાઈને કારણે તેમની બૂમો નીચે ઉભેલા સિક્યુરિટી ગાર્ડ વોચમેનને સંભળાઈ નહોતી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ નીચે ઉભેલી અન્ય વ્યક્તિએ આ બૂમો સાંભળી હતી અને વોચમેનને ધ્યાન દોર્યું હતું. જોકે, વોચમેને એવો બેજવાબદાર જવાબ આપ્યો હતો કે ચકડોળમાં કોઈ ક્રૂ મેમ્બર મેન્ટેનન્સ કે સમારકામ કરી રહ્યો હશે. આ જવાબ સાંભળીને પરિવારની ચિંતા વધુ વધી હતી. ઓપરેટરની બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા જોતાં આખરે ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તુરંત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને આ ફસાયેલા 4 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. જોકે, આ દરમિયાન 40 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ લટકતા રહેવાથી પરિવારના સભ્યો, ખાસ કરીને નાનું બાળક, ખૂબ જ ડરી ગયા હતા. બેદરકારી બદલ તાત્કાલિક પગલાં આ સમગ્ર ઘટનામાં ઓપરેટરની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. ભોગ બનનાર પરિવારે જણાવ્યું કે તેમના કારણે ફાયર બ્રિગેડની સેવાઓનો દુરુપયોગ થયો, જે મેનેજમેન્ટની ગંભીર ભૂલ દર્શાવે છે. ઓપરેટરની આ લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર મામલે ઓપરેટરને તો તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. જોકે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવામાં આવે છે. તે આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 11:13 am

સિગારેટ ન આપતા યુવકની છરી મારી હત્યા:સરખેજમાં સાથળમાં છરી મારતા ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં મોત

અમદાવાદના સરખેજમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે(7 ડિસેમ્બર) રાત્રે જાવેદ નામનો યુવક એક હોટલ પાસે બેઠો હતો ત્યારે સાજીદ નામના યુવકે તેની પાસે સિગારેટ માંગી હતી. સિગારેટ આપવાની ના પાડતા સાજીદે સાથળના ભાગે છરી મારી દેતા જાવેદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિગારેટ ના આપતા છરી વડે હુમલોસરખેજમાં રહેતો જાવેદ મહીડા નામનો 32 વર્ષીય યુવક રિક્ષા ચલાવે છે. જાવેદ ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો. જાવેદ પાસે સાજીદ નામનો શખસ આવ્યો હતો જેને જાવેદ પાસે સિગારેટ માંગી હતી, પરંતુ જાવેદે આપી નહોતી. બાદમાં સાજીદે છરી બતાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી વધુ ઉગ્ર થતા સાજીદે છરી વડે જાવેદ પર હુમલો કરી દીધો હતો. જાવેદને તેની જ રિક્ષામાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયોસાજીદે જાવેદના સાથળના ભાગે છરી મારી દીધી હતી જેથી જાવેદે બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં ઉભેલા હનીફે બંનેને છોડાવ્યા હતા. જાવેદે તેના બનેવીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જાવેદના બનેવી સ્થળ પર પહોચતા જાવેદ લોહીલુહાણ હાલતમાં હતો. જાવેદને તેની જ રિક્ષામાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રસ્તામાં જાવેદ સાજીદના નામનું જ રટણ કરી રહ્યો હતો. જાવેદનું સારવાર દરમિયાન મોત થયું હતું. હત્યા બાદ સાજીદ ફરારબનાવની જાણ થતાં સરખેજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જાવેદના મોત મામલે સાજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. હત્યા બાદ સાજીદ ફરાર થઈ ગયો છે. સાજીદ વિરુદ્ધ અગાઉ મારામારી, હુમલો સહિતના કેટલાક ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ સાજીદની શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 10:34 am

પાંડેસરામાં લૂમ્સ કારીગરોનો વિરોધ:મજૂરીના ભાવવધારાની માગ સાથે કારખાનાઓમાં જઈને સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો, 50થી વધુ કારીગરો CCTVમાં કેદ

સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવવધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારીગરોએ પ્રતિ મીટરે 5થી 10 પૈસાનો વધારો કરવાની માગ સાથે 5થી 7 જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો. વિરોધમાં 50થી વધુ કારીગરો જોડાયામળતી માહિતી મુજબ, આ વિરોધમાં લગભગ 50થી વધુ કારીગરો જોડાયા હતા. કાપડના ભાવવધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધવાનું શરૂ કર્યુંબનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હવે CCTV ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વીવર્સ એસોસિયેશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસની તપાસ શરૂકારીગરો દ્વારા કરવામાં આવેલો આ તમામ હંગામો સંબંધિત કારખાનાઓમાં લાગેલા CCTV ફૂટેજમાં સંપૂર્ણપણે કેદ થવા પામ્યો છે. ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ, કારખાના માલિકો અને વીવર્સ એસોસિયેશન સાથે બેઠક યોજી હતી. પોલીસે હવે CCTV ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવા તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:58 am

ક્લોરિન ગેસ ભરેલી બોટલ લીકેજ:સોલા ભાગવત નજીક લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસની બોટલમાંથી લીકેજ થવાના કારણે આસપાસમાં ગેસ ફેલાઈ ગયો હતો. લોકોને શ્વાસ લેવામાં અને આંખ તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કુલ 6 જેટલા ફાયરકર્મીને અસર થઈ હતી. બે ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ક્લોરિન ગેસ લિકેજ 14 કલાકે બંધ થયો હતો અને લોકોને રાહત મળી હતી. ગેસ બોટલ લીકેજથી લોકોને આંખ-ગળામાં બળતરા થતી હતીફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ સાંજે 5:40 વાગ્યે ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક ખુલ્લા પ્લોટમાં એક ગેસના બોટલમાંથી લીકેજ થાય છે અને લોકોને આંખોમાં તેમજ ગળામાં બળતરા થઈ રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અલગ અલગ સાધનો સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી. ક્લોરિન ગેસની બોટલ ફેંકી હતી જેથી ગેસ લીકેજ થતો હતોમાધવ ઔડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં કોઈ અજાણી વ્યક્તિએ ક્લોરિન ગેસની બોટલ નાખી દીધી હતી જેમાંથી ગેસ સતત લીકેજ થઈ રહ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ આ ગેસના લીકેજને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બંધ થઈ શકે તેવી સ્થિતિ નહોતી. જેથી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. બે ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈક્લોરિન ગેસ સતત બહાર આવી હવામાં ફેલાઈ રહ્યો હતો જેથી ફાયરના જવાનો તેના પર પાણી છાંટી રહ્યા હતા. ત્યારે બે ફાયર જવાનોને ક્લોરિન ગેસની અસર થઈ હતી. જેથી તેઓને ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની બેથી વધુ ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી હતી. જોકે ક્લોરિન ગેસ એટલો વિશાળ માત્રામાં બહાર આવી રહ્યો હતો કે ફાયરના જવાનોને પણ તકલીફ પડી રહી હતી, છતાં પણ ફાયરના જવાનોએ કામગીરી ચાલુ રાખી હતી. હવામાં ગેસ ઓછો ફેલાય અને લોકોને ઓછી તકલીફ પડે તેના માટે આ કામગીરી કરાઈ હતી. બોટલ જ્યાં સુધી ખાલી ન થઈ ત્યાં સુધી સતત પાણીનો મારો ચલાવ્યોફાયર વિભાગની ટીમે વહેલી સવારે 7:40 વાગ્યા સુધી ક્લોરિન ગેસની બોટલ જ્યાં સુધી ખાલી ન થઈ ત્યાં સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીનો મારો ચલાવી ગેસને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ગેસ આજુબાજુમાં ફેલાઈ ગયો હતો જેના કારણે કેટલાક લોકોને પણ અસર થઈ હતી. આ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનમાં બીજા ચાર જેટલા ફાયર જવાનોને પણ ગેસની અસર થઈ હતી, જેમાં આંખોમાં અને ગળામાં બળતરા થઈ હતી જેથી તેમને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. 10 કલાકની ભારે જહેમત બાદ સંપૂર્ણપણે કાબુ આવી ગયો હતો. જોકે આ ક્લોરિન ગેસની ભરેલી બોટલ કોણ આ રીતે ફેંકી ગયું અને તેમાંથી કેવી રીતે ગેસ લીકેજ થયો તેને લઈને સોલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:28 am

ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 26 ફ્લાઈટ કેન્સલ:અમદાવાદથી 18, રાજકોટથી 4, સુરતથી 3 અને વડોદરાથી 1 ફ્લાઈટ ઉડાન નહિ ભરે; રેલવે દ્વારા મુસાફરો માટે વિશેષ ટ્રેન

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઈટ રદ થવાની માહિતી મળી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે, મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યુ છે. રાજકોટથી ઉડાન ભરતી આઠમાંથી ચાર ફ્લાઈટ રદરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોરની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો આજે 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થતા મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. સ્ટાફની અછતના કારણે ફ્લાઈટ કેન્સલઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવાની 12.05 વાગ્યાની અને બેંગ્લોરની 16.15 વાગ્યાની ફ્લાઈટ રદ જાહેર થઈ છે. જ્યારે રાજકોટથી હૈદરાબાદની 15.55 વાગ્યાની તો મુંબઈની 16.55ની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ઓપરેશનલ રિઝનના કારણે મુશ્કેલી ઉભી થઈ છે, જેમાં પાયલોટની સીક લિવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈન્ડિગોની અન્ય ચાર ફ્લાઈટ શરૂઆ સિવાય આજે 8 ડિસેમ્બરના ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની 9 વાગ્યાની, દિલ્હીની 17.55 વાગ્યાની અને મુંબઈની 19.55 વાગ્યાની ફ્લાઈટ ઉડાન ભરશે. એર ઇન્ડિયાની સવારની 8.35 વાગ્યાની મુંબઈ, 18.05 વાગ્યાની મુંબઈ અને 20.08 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. સુરતમાં 3 ફ્લાઈટ કેન્સલ, 5 દિવસ બાદ હૈદરાબાદ-દિલ્હીની ફ્લાઇટ લેન્ડિંગઆજની સુરતથી ઉપડતી કોલકાતાની, સુરતથી હૈદરાબાદ અને સુરતથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી ઇન્ડિગોની ફ્લાઈટ સુરત એરપોર્ટ ખાતે આવવાની શરૂ થઈ છે. પાંચ દિવસ બાદ સવારથી હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ થયું છે. વડોદરામાં મુંબઈની ફ્લાઈટ રદ વડોદરામાં ઇન્ડિગોની મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટો કેન્સલ થતાં મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ખાસ કામ અને પ્રસંગે જતાં લોકોને છેલ્લી ઘડીએ રઝળવાનો વારો આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:28 am

અમરેલીમાં રાજ્યમંત્રીએ વૃદ્ધ માટે કાફલો રોક્યો:કમીગઢના 80 વર્ષના હરજીબાપા સાથે મુલાકાત કરી

અમરેલી: રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ અમરેલી તાલુકાના કમીગઢ ગામમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત બાદ પરત ફરતી વખતે પોતાનો કાફલો રોક્યો હતો. તેમણે ગામના 80 વર્ષીય વૃદ્ધ હરજીબાપા ફીણવિયા સાથે મુલાકાત કરી હતી. મંત્રીનો કાફલો ગામના પાદરમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક મોટરસાઇકલ ચાલકે હાથ ઊંચો કર્યો હતો. આ જોઈને રાજ્યમંત્રીએ પોતાનો કાફલો થંભાવી દીધો હતો. આ સમયે, મંત્રીના પરિચિત અને ગામના વૃદ્ધ હરજીબાપા ત્યાં ઉપસ્થિત હતા. હરજીબાપા અને રાજ્યમંત્રી કૌશિક વેકરીયા એકબીજાને અગાઉથી ઓળખે છે. બંનેએ આત્મીયતાપૂર્વક વાતચીત કરી અને જૂની યાદો તાજી કરી હતી. વયોવૃદ્ધ હરજીબાપાએ રાજ્યમંત્રીને અમરેલીની જનસુખાકારી માટે સતત કાર્ય કરતા રહેવા બદલ અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 9:23 am

પાટણમાં ઠંડીની જમાવટ:લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું, એક સપ્તાહમાં ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડ્યો

પાટણમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડા પવનોના કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. એક સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરક્યો છે. ગત સોમવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી હતું, જે ઘટીને 14 ડિગ્રી પર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. શહેરી વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા માટે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. વધતી ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. વહેલી સવારે વોકિંગ માટે નીકળતા લોકો સ્વેટર, મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:58 am

સુરેન્દ્રનગરમાં ઇ-મેમો દંડ ન ભરનારાઓ માટે લોક અદાલત:13 ડિસેમ્બર 2025ના રોજ આયોજન કરાયું, 2552 નોટિસ ઇશ્યુ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-મેમોનો દંડ ન ભરનારા વાહનચાલકો માટે 13 ડિસેમ્બર 2025ના રોજ પ્રી-લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇસ્યુ કરાયેલા ઇ-ચલણનો દંડ ભરપાઈ ન કરનારા વાહનચાલકો વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નેત્રમ દ્વારા ઇસ્યુ કરાયેલા ઇ-મેમો પૈકી, જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભર્યો નથી, તેવા 2552 વાહનચાલકોને સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ વાહન માલિકના સરનામા પર અને SMS દ્વારા મોકલવામાં આવી છે. જે વાહનચાલકોના ઇ-મેમો દંડ ભરવાના બાકી છે, તેમને 13 ડિસેમ્બર 2025 સુધીમાં ઇ-ચલણનો બાકી દંડ ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમયસર દંડ ભરવાથી કોર્ટમાં કોઈ કેસ દાખલ થશે નહીં. ટ્રાફિક નિયમ ભંગ બદલ મળેલા ઇ-મેમોનો દંડ રોકડમાં (ઓફલાઇન) ભરવા માટે નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી, જવાહર ગ્રાઉન્ડ સામે, સુરેન્દ્રનગર અથવા જિલ્લાના કોઈપણ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. ઓનલાઇન દંડ ભરવા માટે https://echallan.parivahan.gov.in વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, Google Pay, PhonePe અને SBI YONO જેવી એપ્લિકેશન્સ દ્વારા પણ દંડ ભરપાઈ કરી શકાય છે. વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે ઉપર દર્શાવેલ લિંક સિવાય અન્ય કોઈ પણ માધ્યમ કે લિંક દ્વારા ઇ-મેમો ભરપાઈ ન કરે, અન્યથા તેઓ સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલી 2552 કોર્ટ નોટિસ નીચે જણાવેલ ટ્રાફિક ભંગના કેસો માટે છે: ચાલુ વાહનમાં મોબાઇલ ફોનનો ઉપયોગ: 759 કેસ, ઓવર સ્પીડથી વાહન ચલાવવું: 478 કેસ, કારમાં બ્લેક ફિલ્મ: 202 કેસ, હેલ્મેટ વગર વાહન ચલાવવું (ટુ વ્હીલર): 34 કેસ, સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ન કરવો (ટુ-થ્રી વ્હીલર સિવાય): 406 કેસ, ફેન્સી નંબર પ્લેટ રાખવી: 145 કેસ, ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેસાડવા: 57 કેસ, મો.સા પર ત્રણ સવારી: 439 કેસ, પાર્કિંગ નિયમ ભંગ: 7 કેસ, પી.યુ.સી., ડ્રા.લાયસન્સ, વીમા પોલીસી વગેરે ન હોવું: 16 કેસ, ફુટ બોર્ડ પર બેસી મુસાફરી કરવી: 9 કેસ. ઇ-ચલણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો ફોન નંબર 02752-283100 અથવા ઇ-મેઇલ ccc-srn@gujarat.gov.in પર સંપર્ક કરી શકાય છે. આ માહિતી પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર દ્વારા જારી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:57 am

ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ:મુળીના ભેટ ગામમાં ત્રીજા દિવસે 17 કૂવા પુરાયા, કામગીરી ચાલુ

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા મુળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કાર્ય ચાલી રહ્યું છે. આજે આ કામગીરીનો ત્રીજો દિવસ છે, જેમાં અત્યાર સુધીમાં 17 ગેરકાયદેસર કૂવાઓ પુરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી 3 ડિસેમ્બર, 2025ના રોજ શરૂ થઈ હતી. તે દિવસે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર દરોડો પાડી ગેરકાયદેસર કોલસાના કૂવાઓ (ખાડાઓ) જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા આ તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ 5 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું. બે લોડર મશીનની મદદથી આ કામગીરી ચાલી રહી છે. હજુ પણ બાકી રહેલા કૂવાઓનું બુરાણ કાર્ય ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:55 am

વાપીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:બાંસવાડા ગેંગનો આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો, 10 દુકાનોની ચોરીનો ભાંડો ફૂટ્યો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વાપીમાં પાંચ મહિના અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. રાજસ્થાનની બાંસવાડા ગેંગના એક આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ રોહિત દયાલાલ વસુનિયા (ઉં.વ. 20, રહે. ભવરકોટ, કુશલગઢ, બાંસવાડા) છે. તેને ચોરીના મુદ્દામાલ, એક મોબાઈલ ફોન સાથે રાજસ્થાનમાંથી પકડવામાં આવ્યો છે. આ ચોરી 02 જુલાઈ, 2025ની રાત્રે વાપી ચાર રસ્તા નજીક આવેલા સાંઈ કોમ્પ્લેક્સમાં થઈ હતી. અજાણ્યા ચોરોએ 10 દુકાનોના શટર તોડી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 19,000નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં IPC 2023 કલમ 305(સી), 331(4), 324(4) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) અને વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ, પો.ઈન્સ. ઉત્સવ બારોટના નિર્દેશ મુજબ LCB ટીમોએ CCTV ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે LCB વલસાડના સ્ટાફે આરોપી રોહિત વસુનિયાને રાજસ્થાનથી કાયદેસરની કાર્યવાહી સાથે કસ્ટડીમાં લીધો. પૂછપરછ દરમિયાન, આરોપીએ તેના સાગરીત મસુલ હરસિંગ વસુનિયા (રહે. ભવરકોટ, બાંસવાડા) સાથે મળીને પાંચ મહિના પહેલા દુકાનોના શટર તોડી ચોરી કર્યાની કબૂલાત કરી છે. મસુલ હરસિંગ વસુનિયા હાલ વોન્ટેડ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. વાપી ટાઉન પોલીસે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 8:54 am

ગામ ગામની વાત:અભલોડ ગામતળમાં પ્રગતિની ગતિ સાથે ગ્રંથાલયનું સ્વપ્ન‎

આજની તારીખે જ્યારે શહેરો પોતાની સુવિધાઓ માટે જાણીતા છે ત્યારે અભલોડ ગામતળ 4015ની વસ્તી સાથે પ્રગતિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કરે છે. 68%ના પ્રભાવશાળી સાક્ષરતા દર સાથે આ ગામ માત્ર વસવાટનું સ્થળ નથી પરંતુ વિકાસના માર્ગે અગ્રેસર એક જીવંત સમુદાય છે. ગામના મધ્યમાં સદીઓ જૂનું પુરાતન પ્રસિદ્ધ કાળનું મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ગામની પૌરાણિક ઓળખ અને ધરોહર છે, જે ગ્રામજનોને તેમની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. શિક્ષણ ક્ષેત્રે અભલોડ ગામતળ ઘણું સજ્જ છે. બાળકોના ભવિષ્યને ઘડવા માટે અહીં બે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આવેલી છે, જે તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે વિશાળ મેદાન પણ ધરાવે છે. આ શૈક્ષણિક માળખું ગામના ઉચ્ચ સાક્ષરતા દરનું મુખ્ય કારણ છે. સરકારી યોજનાઓ અને ગ્રામ પંચાયતના સક્રિય પ્રયાસોને કારણે અહીં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગ્રામજનોને નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે તે માટે બેંકની સુવિધા ઉપલબ્ધ છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્ય જાળવવા માટે સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા કાર્યરત છે. સલામતી અને સુગમતા માટે રાત્રી દરમિયાન આખું ગામ સ્ટ્રીટ લાઈટથી ઝગમગે છે. સૌથી મહત્ત્વપૂર્ણ, ભારત સરકારની મહત્ત્વકાંક્ષી નલ સે જલ યોજના અંતર્ગત અહીં પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. અભલોડ ગામતળ જ્યાં મહાદેવ મંદિર પરંપરાને જીવંત રાખે છે અને આધુનિક સુવિધાઓ પ્રગતિની ખાતરી આપે છે. તે હવે જ્ઞાનના ભંડાર એટલે કે લાઈબ્રેરીના સ્વપ્નને સાકાર કરવા તરફ નજર માંડી રહ્યું છે. ગ્રામજનોને આશા છે કે આ સ્વપ્ન ટૂંક સમયમાં પૂરું થશે અને ગામની વિકાસગાથામાં વધુ એક ગૌરવશાળી પ્રકરણ જોડાશે. છાત્રોને વાંચન માટે લાઇબ્રેરીની જરૂરિયાત ગામમાં ગ્રંથાલય (લાઈબ્રેરી)ની સુવિધાનો અભાવ. 68% સાક્ષરતા દર ધરાવતું ગામ, જ્યાં જ્ઞાનની તરસ છે.અહી વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અને નિયમિત વાંચન માટે એક જગ્યાની તાતી જરૂરિયાત છે. ગ્રંથાલયની સ્થાપના અભલોડ ગામતળને શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રે એક નવા શિખરે પહોંચાડશે. મેશાબેન કેહજી ભાભોર, સરપંચ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:22 am

મંડે પોઝિટીવ:અલ્હાદપુરામાં 25 એકરમાં દૈનિક 36,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરતો બરોડો ડેરીનો સોલાર પાર્ક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અલ્હાદપુરા ગામે બરોડા ડેરીનું શીત કેન્દ્ર આવેલું છે. અહીંયા આવેલા આ વિશાળ પ્લાન્ટ ઉપર વીજળી ખર્ચ ઘણું જ વધારે આવતું હતું. જેથી 40 કરોડના ખર્ચે સોલાર પાર્ક બનાવવામાં આવ્યો હતો. જેના પગલે આગામી 25 વર્ષ સુધીમાં 200થી 250 કરોડ રૂપિયા બચી શકશે. આ બચતથી ડેરીના પશુપાલકોને ફાયદો થવા સાથે આગામી વર્ષો સુધી વીજ બિલ નહિ ભરવું પડે. 25 એકરમાં 9 મેગાવોટનો સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે. એક મેગાવોટથી સરેરાશ 4000 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. અત્યારે દર મહિને 2 કરોડ રૂપિયા વીજળી પાછળનો ખર્ચ થાય છે. પણ સોલારને કારણે અંદાજે વર્ષે 10થી 11 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:19 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:ઉદાલમહુડાના જંગલમાં રાત્રે 3 બાઇક અને દારૂ મૂકી ભાગતો કિશોર ઝબ્બે, ત્રણ ફરાર

ઉદાલમહુડાના જંગલમાં રાત્રે ત્રણ બાઇકો ઉપર દારૂનો જથ્થો લઇને આવતાં પોલીસની વોચ જોઇ મુદ્દામાલ ફેંકી ભાગવા જતાં કિશોર ઝડપાઇ ગયો હતો. 2,63,760 રૂા.ની દારૂ બિયરની મળી કુલ 1056 નાની મોટી બોટલો, મોબાઇલ અને 3 મોટર સાયકલ મળી 2,78,760 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ધાનપુર પીઆઇ જીજે ગામીત તથા સ્ટાફ ગતરોજ કંજેટા વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ દારૂની વોચમાં હતા. તે દરમિયાન ઉદાલમહુડા જંગલના રસ્તેથી ત્રણ બાઇક ઉપર દારૂના લગડા બનાવી નીચે આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ઉદાલમહુડા ગામે તળાવની બાજુમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન જંગલમાંથી પગદંડી રસ્તા ઉપર 3 બાઇકો પર પાછળના ભાગે કાંઇક ભરી લઇને આવતાં જણાતા તેઓને બેટરીની લાઇટ મારી રોકવાનો સંકેત કરતાં પોલીસને આળખી જતાં ત્રણે બાઇક ના ચાલકો વાહનો મુકી જંગલમાં ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરતા અલીરાજપુરના ગોળા આંબાવાંટના કિશોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા ત્રણ ભાગી ગયા હતા. લગડામાં તપાસ કરતાં કુલ રૂા. 2,63,760ની દારૂ બિયરની મળી કુલ 1056 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા કિશોરને ભાગી જનાર વિશે પુછપરછ કરતાં તેઓના નામ જીતેન કનેશ, રાજુ કનેશ તથા કીલીયા કનેશ રહે. ગોળાઆંબાવાંટના જણાવ્યું હતું. જથ્થો, 5000 રૂા.નો મોબાઇલ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ જીજે-147-સીએચ-2237 તથા જીજે-34-કે-7211 અને એક નંબર વગરની મોટર સાયકલ મળી કુલ 2,78,760 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી 4 લોકો સામે ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:16 am

નવા બાયપાસની કામગીરી સત્વરે શરૂ કરવાની માગ‎:કાલોલના બોરૂ ટર્નિંગ પાસે ટેન્કર રોડ વચ્ચે ખોટકાતા જનરક્ષક વાન ટ્રાફિકમાં અટવાઈ

કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ વચ્ચે ખોટકાય જતા ટ્રાફિક જામ થયો. બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનોની કતારો લાગી હતી. જેમાં પોલીસની જનરક્ષક વાન ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. ત્યારે નવીન મંજુર થયેલ બાયપાસની કામગીરી શરૂ કરવામાં આવેની માંગ ઉઠી. કાલોલ બોરૂ ટર્નિંગ પાસે અવારનવાર ટ્રાફિક જામના કારણે રાહદારીઓ તેમજ પાવાગઢ દર્શન કરવા જતાં ભક્તોનો કિંમતી સમય વેડફાતો હતો. જેનું નિરાકરણ લાવવા માટે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને આવેદન આપી નવા કટની માંગણી કરવામાં આવતા સ્થળની મુલાકાત લઇ રોડ ઓથોરિટીના અધીકારીને ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા નવો કટ બનાવવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ નવો કટ મૂકી જાહેર માર્ગ ખુલ્લો મુક્યો હતો. જેના કારણે કેટલીક ટ્રાફિકની આંશીક સમસ્યાઓ દૂર થઈ હતી. ત્યારે રવિવારે ઇનોક્સ કંપની તરફ જતું એક મહાકાય ટેન્કર રોડની વચ્ચે ખોટકાતા બંને તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જે ટ્રાફિક જામમાં પોલીસની જનરક્ષક વાન પણ અટવાઈ ગઈ હતી. ત્યારે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડથી જતા જોવા મળ્યા હતા. જેના કારણે વધુ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી. કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ જવાના કારણે કાલોલ બોરૂ ટર્નિંગ પાસે ટ્રાફિક જામ થયો. કાલોલમાં વારંવાર સર્જાતી ટ્રાફીક જામની સમસ્યામાંથી લોકોને છુટકારો અપાવવા તંત્ર દ્વારા નવો બાયપાસ મંજુર કરવામાં આવ્યો છે. જેનું ખાતમુર્હુત પણ થઇ ગયુ છે. ત્યારે તેની કામગીરી તાત્કાલીક શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:14 am

26.52 લાખ વસ્તીનું કરાશે સ્ક્રીનિંગ‎:દાહોદ જિલ્લામાં 8 થી 27 ડિસે. સુધી રક્તપિત્ત શોધ ઝુંબેશ

દાહોદ જિલ્લામાં 8 ડિસેમ્બરે શરૂ થતી અને 27 ડિસેમ્બર સુધી ચાલનારી લેપ્રસી કેસ ડિટેક્શન ઝુંબેશ માટે આરોગ્ય વિભાગે મોટા પાયે તૈયારી પૂર્ણ કરી છે. જિલ્લાના કુલ 26.52 લાખની વસ્તીને આવરી લેવા માટે 2,272 ટીમો ઘરે-ઘરે જઈ રક્તપિત્ત (લેપ્રસી) અંગે સમજ આપશે અને તમામ લોકોનું સ્ક્રીનિંગ કરશે. ઝુંબેશ દરમિયાન દરેક ગામ અને વિસ્તારમાં માઇક દ્વારા પ્રચાર પણ કરવામાં આવશે જેથી લોકોમાં જાગરૂકતા વધે. આશાવર્કર અને હેલ્થવર્કરોની ટીમો ઘર મુલાકાત દરમિયાન રક્તપિત્તના લક્ષણો સમજી આવશે. ચામડી પર આછું ઝાંખું અથવા રતાશ પડતું ડાઘ, સંવેદના વિહોણી જગ્યા અથવા ચાઠું જેવા નિશાન દેખાય તો તે રક્તપિત્તના લક્ષણો હોઈ શકે છે. આવા શંકાસ્પદ દર્દીઓ મળી આવશે તો તેમને તાત્કાલિક તબીબી તપાસ માટે મોકલવામાં આવશે અને જરૂરી હોય તો એમડીટી સારવાર શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે, તમારા ઘરે આવતી આશાબહેન અને હેલ્થ વર્કરને સાચી માહિતી આપો, પરિવારના સ્વાસ્થ્ય માટે આગળ આવો અને રક્તપિત્તમુક્ત દાહોદ બનાવવા સહભાગી બનો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:13 am

સન્માન:ઉ. પ્ર. સ્ટેટ એવોર્ડથી કિન્નરી વિરલભાઈ દેસાઈ સન્માનિત

વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે અપંગતા ક્ષેત્રે ઉત્તમ સેવાઓ બદલ અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ મૂળ દાહોદ જિલ્લાના શ્રી દશાનીમા વણિક સમાજના જ્ઞાતિજન કિન્નરી વિરલભાઈ દેસાઈ (બેન્કર)ને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સ્ટેટ એવોર્ડથી નવાજ્યા હતા. આ એવોર્ડ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના હસ્તે અર્પણ કરાયો હતો. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર કિન્નરી દેસાઈ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી છે. કિન્નરી દેસાઈ લાંબા સમયથી વારાણસીમાં બ્લાઈન્ડ પીપલ્સ એસો. દ્વારા દ્રષ્ટિબંધ અને વંચિત વર્ગ માટે નોંધપાત્ર સેવાઓ આપે છે. તેમણે લગભગ 400 મહિલાને સિલાઈ કૌશલ્યની તાલીમ આપી છે. આ સાથે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ડિજિટલ લાઈબ્રેરીની સ્થાપના કરી છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડથી સન્માનિત કિન્નરી દેસાઈને ઉત્તર પ્રદેશના ઉત્તમ ગૌરવ પુરસ્કાર મેળવ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:12 am

વેધર રિપોર્ટ:પંચમહાલમાં તાપમાન 14 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો

પંચમહાલ જિલ્લામાં શિયાળાનો પ્રારંભ થયા બાદ લોકોને ઠંડીનો અહેસાસ થતો ન હતો. ત્યારે ડીસેમ્બરના પ્રારંભમાં ઉત્તર દિશાના ઠંડા પવનોને ફુકાવાને કારણે છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને વાતાવરણમાં શીતલહેર ફરી વળતા ઠંડીનો ચમકારો એકા એક વધી ગયો છે. જેથી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોવા છતાં, સૂકા અને ઠંડા પવનોને લીધે ગરમીનો અહેસાસ થતો નથી. જેના કારણે ગોધરા સહિત હાલોલ, કાલોલ, શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર અને મોડી સાંજે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાનગી હવામાન વિભાગની સાઇટ પર ગોધરાનું લઘુત્તમ તાપમાન 14 ડીગ્રીની આસપાસ નોંધાયું છે. તાપમાનમાં અચાનક થયેલા ઘટાડાથી જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. ઠંડીના આ ચમકારાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો, વૃદ્ધોને ઠંડીથી બચવા માટે વિશેષ કાળજી લેવાની અને ગરમ પ્રવાહીનું સેવન વધારવાની સલાહ આપી છે. વર્તમાન ઠંડીનો માહોલ આગામી દિવસોમાં પણ જળવાવાની શક્યતા ખાનગી હવામાનની સાઇટ પર જોવા મળેલ મુજબ ઉત્તર તરફથી ફૂંકાતા સૂકા અને ઠંડા પવનોથી લઘુત્તમ તાપમાન નીચું જળવાશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:11 am

તોડફોડ કરતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ‎:ગોધરામાં ઇમેજીંગના સંચાલકે રવિવારે સરકારી દીવાલ તોડી

ગોધરાના પોલીસ ચોકી નં 8 સામે આવેલ તત્ત્વમ્ ઈમેજીંગ સેન્ટરના સંચાલકે રવિવારની રજાના દિવસનો લાભ લઈ સરકારી કચેરીની દિવાલ તોડી નાંખી અને ત્યાં ઇમેજિંગ મશીન મુકવાની કામગીરી હાથ ધરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રો મુજબ, સંચાલકે કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વગર જ ગોધરા આર એન્ડ બી પંચાયત વિભાગની પેટા વિભાગની કચેરીની દિવાલ તોડીને જગ્યા બનાવી હતી. સરકારી કચેરીની અંદર આવી રીતે ઘુસણખોરી કરી દિવાલ તોડવાનું કામ થતા સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હોવા અંગે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ તથા સમાજ દ્વારા ઈમેજિંગ સેન્ટરના સંચાલકો પર મનમાની અને કાયદા ભંગના આક્ષેપો થયા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:10 am

હિંસક શ્વાનોને પકડવા તંત્રની ગંભીર બેદરકારી:ગોધરા તાલુકામાં એક દિવસમાં શ્વાનોનો 25 લોકો પર હુમલો

ગોધરા શહેર અને ગ્રામ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. એક જ દિવસમાં 25થી વધુ લોકોને કરડવાન કેસ નોંધાતા સ્થાનિકો માટે ભયનો માહોલ સર્જાયો છે. અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં એક જ દિવસમાં 25થી વધુ લોકોને રખડતા શ્વાને કરડવાના કેસ નોંધાયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યા હતા. ધામરોદ ગામે ચેતના માલીવાડ નામની નાની બાળકી પર રખડતા શ્વાને અચાનક ઝપાટો બોલાવતાં તેની ગળાની આસપાસ ગંભીર ઈજા પહોંચી હતી. બીજી એક ઘટનામાં 5 વર્ષના માસૂમ બાળક પર પણ રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જેમાં તેને પણ ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે. બંને બાળકોને તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડ્યા છે. શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યા બેફામ વધી રહી છે. શહેરીજનોમાં ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવા અને તેમની નસબંધી કરેની માંગ ઉઠી છે. તીવ્ર ભૂખ રખડતા કૂતરાને વધુ આક્રમક બનાવે છે રખડતા કૂતરા ચોક્કસ વિસ્તારને પોતાનો માને છે. જ્યારે કોઈ અજાણી વ્યક્તિ જેમા ખાસ કરીને બાળકો, નવા રાહદારીઓ કે વાહનચાલકો વિસ્તારમાં અચાનક આવે છે. ત્યારે કૂતરા આક્રમણ કે ધમકી માનીને હુમલો કરે છે. આ તેમનો વિસ્તાર બચાવવાનો સહજ સ્વભાવ છે. શહેરોમાં ખોરાકના સ્ત્રોત મર્યાદિત હોય છે. જેથી તીવ્ર ભૂખ રખડતા કૂતરાઓને વધુ ચીડિયા અને આક્રમક બનાવે છે. માદા કૂતરી તેના નવજાત ગલુડિયાઓ પ્રત્યે અત્યંત રક્ષણાત્મક હોય છે. જો કોઈ બાળક કે વ્યક્તિ અજાણતા ગલુડિયાઓની નજીક જાય તો તેને ખતરો માનીને તુરંત હુમલો કરે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:07 am

ગાંધીનગરના મહાત્મા મંદિર જેવું રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે:અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યાની ફાળવણી, સૌરાષ્ટ્ર-કચ્છના અઢી લાખ ઉદ્યોગકારોને લાભ મળશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ આ કન્વેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેકન્ડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ કન્વેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે જેથી સૌરાષ્ટ્રનો વિકાસ પણ સારી રીતે આગળ વધી શકશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને એક્ઝિબિશન માટે ઘરઆંગણે સુવિધા ઉભી થશેરાજકોટ શહેરએ ઓટોમોબાઈલ, એન્જીનીયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે આ બધા ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એક્ઝિબિશન માટે ગાંધીનગર મહાત્મા મંદિર, મુંબઈ કે દિલ્લી જેવા શહેરો તરફ ન જવું પડે તે માટે સૌરાષ્ટ્ર ભરના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા રાજકોટની અંદર ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ કન્વેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રથમ તબક્કામાં જગ્યાની ફાળવણી કરી દેવામાં આવ છે બાદમાં તબક્કાવાર એક બાદ એક એજન્સી નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આવતા ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર રાજકોટમાં બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ વર્ષમાં કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણ કરી દેવાશે- જયમીન ઠાકરરાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા દિવાળી પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કન્વેનશન સેન્ટરના કન્સલ્ટન્ટ નિમણુંક માટે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોની માંગણીને સ્વીકારી રાજ્ય સરકારની સૂચનાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે રાજકોટમાં કન્વેનશન સેન્ટર બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે મનપા દ્વારા અટલ સરોવર પાસ સ્માર્ટ સીટી વિસ્તારમાં 45000 વારથી વધુ જગ્યા ફાળવણી કરી દેવામાં આવી છે જ્યાં આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા નિર્ણય કરાયો છે. કન્સલ્ટન્ટની નિમણુંક કરી બાદમાં અલગ અલગ ડિઝાઇન મેળવી એક સારામા સારી ડિઝાઇન નક્કી કરી લગભગ ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પોતાના બિઝનેશના પ્રમોશન માટે ગાંધીનગર, દિલ્લી, મુંબઈ, તેમજ જાપાન, રશિયા અને ચીન સહિતના દેશોમાં જતા હતા જો કે હવે આ ઉદ્યોગકારોએ પોતાના બિઝનેસ પ્રમોશન માટે દૂર નહિ જવું પડે અને ઘર આંગણે રાજકોટમાં કન્વેનશન સેન્ટર ખાતે જ એક્ઝિબિશન યોજી શકશે અને દેશ વિદેશના અન્ય ઉદ્યોગકારો તેમાં ભાગ લઇ શકશે અને પોતાની વસ્તુઓનું વધુ સારી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશે. આનાથી માત્ર ઔદ્યોગિક જ નહિ પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ પણ બધું મજબૂત બનશે માટે ત્રણ વર્ષની અંદર કન્વેનશન સેન્ટર બનાવી દેવાનો અમારો લક્ષ્યાંક છે. 2022માં જ્યારે DPR બનાવાયો ત્યારે 538 કરોડના ખર્ચનો અંદાજ હતોરાજકોટ મનપા દ્વારા રૈયા સ્માર્ટ સિટી (અટલ સરોવર) વિસ્તરમાં 45000 વારથી વધુ જમીન ફાળવણી કરી કન્વેનશન સેન્ટર બનાવવા જાહેરાત કરી છે આ માટે વર્ષ 2022માં પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરાયો ત્યારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધાર કરવામાં આવ્યો હતો જે પૈકી મનપા દ્વારા જે 25% રકમ આ પ્રોજેક્ટ પાછળ આપવાની થાય છે તે જમીન આપવાના બદલામાં વાળી લેવામાં આવશે. સરકાર દ્વારા 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેના થકી પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ કમ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તેમજ પીએમસીની નિમણૂક કરવામાં આવશે. આ પછી કન્વેનશન સેન્ટરના બાંધકામ માટેનું ટેન્ડર તૈયાર કરી એજન્સી ફાઈનલ કરવામાં આવશે. 4 જાન્યુઆરી, 2025ના રોજ મુખ્યમંત્રીએ કન્વેન્શન સેન્ટર માટે જાહેરાત કરી હતીગત તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી રાજકોટને કન્વેનશન સેન્ટર ફાળવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે તેમને જણાવ્યું હતું કે કલેકટર, કમિશનર, ધારાસભ્યશ્રીઓ સહીત તમામ લોકો ઉપસ્થિત છે બધાની હાજરીમાં મંજૂરી આપી દઈએ છીએ અને હવે જેટલી ઝડપથી જગ્યા શોધી આપશો એટલી જલ્દી કન્વેનશન સેન્ટર બનાવવાની સરકારની તૈયારી છે. આ સાથે તેમને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના વખાણ કરતા કહ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ ફેસેલિટી સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લોકો તો પથ્થરને પણ પાટુ મારી પૈસા કમાવવાની તાકાત ધરાવે તેવા સાહસિક લોકો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય લેવલનું કન્વેન્શન સેન્ટર બનવાથી રાજકોટની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેની સાથેસાથે રોકાણકારોને આકર્ષિત પણ કરશે જેનાથકી રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવું ચોક્કસ કહી શકાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા રાજકોટની વૈશ્વિક સ્તરે ઓળખ વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે રાજકોટનું ઓટોમોબાઇલ હોય એન્જીનીયરીંગ ક્ષેત્ર હોય કે ઇમીટેશ માર્કેટ હોય તે દેશ વિદેશમાં જાણીતી છે જ પરંતુ આ સેન્ટર બનાવથી એક નવા સફળતાનાં શિખર સર થતા જોવા મળી શકશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:00 am

સાહેબ મિટિંગમાં છે:હર્ષ સંઘવીની વડગામની મુલાકાત બાદ હવે મેવાણી ગૃહમંત્રીને ઘેરવા મજૂરામાં સભા કરશે, નવા મંત્રી મંડળની સાથે મંત્રીઓના PA-PS પણ નવા!

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ACSના પ્રમોશન પહેલા જ બ્યુરોક્રેટ્સમાં ધરખમ ફેરફાર થશેએમ. કે. દાસ મુખ્ય સચિવ બન્યા છત્તા હજુ તેમની પાસે હોમ ડીપાર્ટમેન્ટનો વધારાનો ચાર્જ છે.ઉપરાંત તાજેતરમાં સુનયના તોમર પણ વયનિવૃત્ત થતા તેમના ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયા છે. સીએમઓમાં પણ એમ. કે. દાસની જગ્યા ખાલી છે. જ્યારે અન્ય કેટલાક અધિકારીઓ પાસે વધારાના ચાર્જ હોવાથી ઓવરબર્ડનની સ્થિતિ છે. જેથી હવે કેટલીક બદલીઓ કરવી પડે તેમ છે.સચિવાલયમાંથી જાણવા મળે છે કે, આગામી દિવસોમાં સરકાર કેટલાક સિનિયર અધિકારીઓની બદલીઓ કરી દેશે. આ બદલીઓ ખુબ જ ઈન્ટરેસ્ટીંગ રહેવાની છે. કેમ કે 1 જાન્યુઆરી 2026એ 1996 બેન્ચના પાંચ પ્રિન્સિપલ સેક્રેટીરીઓને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેનુ પ્રમોશન મળવાનુ છે. જેમાં મોના ખંધાર,ડો.ટી નટરાજન,રાજીવકુમાર ટોપનો,મમતા વર્મા અને મુકેશકુમારનો સમાવેશ થાય છે. આ પાંચ પૈકીના ત્રણ અધિકારીઓને ખુબ જ મોટી જવાબદારી સોંપાઈ શકે છે.જેમાં હોમનો ચાર્જ હાલમાં નાણાં ખાતામા ફરજ બજાવતા ડો.ટી નટરાજન અથવા તો રાજીવકુમાર ટોપનોને મળી શકે તેમ છે. જ્યારે સીએમઓમાં મુકેશકુમાર અથવા તો ટોપનોને મુકી શકાય તેમ છે.આ સિવાય પણ કેટલીક મહત્વની જગ્યા પર બદલીઓ કરી દેવાશે. મંત્રીઓ બાદ હવે પ્રભારી સેક્રેટરીઓને પણ તેમના વિસ્તારમાં નિયમિત હાજરી આપવા CMની સૂચનાથોડો સમય પહેલા મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સોમ અને મંગળવારે સચિવાલયના કાર્યાલયમાં હાજર રહેવાની તેમજ નાગરિકોને મળી તેમના પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવાની સૂચના આવી હતી. જો કે, આવી ટકોર બેથી ત્રણ વખત કરાઈ હતી આમછત્તા હજુ ઘણા મંત્રીઓ આ બે દિવસ દરમિયાન હાજર રહેતા નથી. આ સ્થિતિમાં કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ હવે પ્રભારી સચિવોને પોત પોતાના વિસ્તારોમા નિયમિત હાજર સૂચના મુખ્યમંત્રીએ આવી સૂચના આપી હતી.પ્રભારી સચિવોએ નાગરિકોની વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં લેવાની રહેશે. તેમજ સરકાર અને વિભાગો વચ્ચેનુ સંકલન સારુ કરવુ પડશે. પ્રભારી સચિવોએ તેમના વિસ્તારમાં કેવી કામગીરી કરવી તે અંગે મુખ્ય સચિવ પણ તેઓને માર્ગદર્શન આપશે. હાલમાં લગભગ 34 જેટલા આઈએએસ અધિકારીઓ પ્રભારી સચિવ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.સરકારની વિવિધ સ્કીમો,નીતિઓનો યોગ્ય અમલ કરાવવાનુ કામ પણ પ્રભારી સચિવોનુ છે. સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી લઈને તેમની પાસેથી કડક અમલવારી કરાવવાની જવાબદારી પણ તેમની જ છે. જો કે, આ પ્રભારી સચિવો મુખ્યમંત્રીની સૂચનાનુ પાલન કરે છે કે પછી મંત્રીઓની જેમ અવગણના કરે છે તે આવનારો સમય બતાવશે. હર્ષ સંઘવીએ વડગામની મુલાકાત લીધી હવે મેવાણી સુરતના મજૂરામાં સભા કરશેછેલ્લા કેટલાક દિવસોથી પટ્ટાકાંડ ચાલી રહ્યો છે. એટલે કે કોંગ્રેસના યુવાન ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે કે, ગુજરાતમાં ઠેરઠેર ચાલતા દારુ-જુગારના અડ્ડાઓને બંધ કરાવી દો તો હું ભાજપને સપોર્ટ કરીશે. ડ્રગની લત્તે લાગી રહેલી યુવા પેઢીની બચાવવાનુ કામ સરકારનુ છે. જે પોલીસ અધિકારીઓ દારુ જુગારના અડ્ડાઓને બંધ નહી કરાવે અને ડ્રગની કાળી કમાણીમાંથી હપ્તા લેતા હશે તેઓના પટ્ટા ઉતરાવી દઈશે. આવા નિવેદન બાદ રાજ્યભરમાં હોબાળા મચ્યો છે તેમજ વિવાદ વધુ વકરી રહ્યો છે. જીજ્ઞેશના આક્રમણ બાદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેદાનમાં આવ્યા છે. તેઓેએ જીજ્ઞેશના મત વિસ્તાર વડગામમા જઈને કટાક્ષો કરીને વળતા પ્રહારો કર્યા હતા. જેને પગલે જીજ્ઞેશે પણ હવે જવાબ આપવાનુ નક્કી કર્યુ છે. તેમજ ગૃહમંત્રીના વિસ્તારમાં એટલે કે સુરતના મજૂરામાં જઈને ફરીથી દારૂ-જુગારના સંદર્ભમાં ગૃહમંત્રીને ભીંસમાં લેશે. નવી કેબિનેટ, નવા ચહેરા… પરંતુ સૌથી મોટો ડ્રામા તો PA/PSની યાદીમાં!ગુજરાત સચિવાલયના કોરિડોરોમાં શુક્રવારની રાત્રે ફાઇલ કરતાં વધુ ઝડપે વાતો દોડતી થઈ. કારણ? નવા મંત્રીમંડળ પછી લાંબા સમયથી અટકેલી PA/PSની નિમણૂકની યાદી આખરે બહાર આવીઅને એ યાદીમાં છુપાયેલા સરપ્રાઈઝે ઘણા ઓફિસરોની રાતની ઊંઘ ઉડાવી દીધી! સૌએ ધાર્યું હતું કે જૂના મંત્રીઓના ફેવરિટ PA/PS તો યથાવત રહેશે જ પરંતુ યાદી ખૂલતાં જ આ ધારણા બરફની જેમ ઓગળી ગઈ. ચાર જુના મંત્રી—કનુ દેસાઈ, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ અને પુરુષોત્તમ સોલંકીના PA/PS પણ સંપૂર્ણ બદલાઈ ગયા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આખા સ્ટાફને બદલી નાખવાનું તો જાણે આ યાદીનું ‘ટ્વિસ્ટ ઓફ ધ ઈયર’ કહી શકાય. ચારેય નામ નવા, કોઈ જૂના ચહેરાને રિએન્ટ્રી નહીં! સચિવાલયના સૂત્રો તો મજાકમાં કહી રહ્યા છે કે, “આ વખતે ખરેખર નવું ગુજરાત, નવા મંત્રી, અને હવે તો નવા PA/PS, બધું જ રીબૂટ મોડ માં!” રાત્રે ઓર્ડર રિલીઝ થયા બાદ મંત્રીઓના બંગલાઓમાં અને સચિવાલયના અધિકારીઓમાં એક જ ચર્ચા જોવા મળી કયા મંત્રીને ત્યાં કયા PA/PS ને મુકવામાં આવ્યા છે અને કોને રિપીટ કરાયા છે. ખાસ તો બે મંત્રીઓના ત્યાં નિવૃત અધિકારીઓને કોન્ટ્રાક્ટ પર અલગથી ઓર્ડર કરતા પણ ચર્ચાએ જોર પકડ્યું છે, પ્રદ્યુમન વાજાના અધિક અંગત મદદનીશ તરીકે એ.પી. મકવાણા, નિવૃત નાયબ સચિવની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે જ્યારે પ્રફુલ પાનસેરીયાના અંગત સચિવ તરીકે વિપુલ મહેતા, નિવૃત અધિક કલેક્ટરની પણ કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે.મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયમાં મંજુર થયેલ જગ્યામાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ટાઉન પ્લાનર રાજન મોરબીયાની નિમણૂક કરવામાં આવી છે.હવે એક વાત તો સ્પષ્ટ છે કે, મંત્રીઓને આખરે તેમની ટીમ મળી ગઈ છે, ત્યારે સચિવાલયના વહીવટમાં પણ સ્પીડ વધશે! શ્રીમદ રાજચંદ્રના સાનિધ્યમાં ગુજરાત ટીમની ચિંતન શિબિર—રમત, સંગીત અને વિકાસનું અનોખું મિશ્રણવલસાડના ધરમપુરમાં યોજાયેલી ગુજરાત ટીમની ચિંતન શિબિરમાં આ વખતે થોડી આધ્યાત્મિક પણ જોવા મળી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના સાનિધ્યમાં ટીમે માત્ર વિકાસ પર ચિંતન કર્યું એટલું જ નહીં, પરંતુ રમતો, હેન્ડઝ-ઓન એક્ટિવિટી, ગીત–સંગીત અને કવિતાઓનો ભરપૂર આનંદ પણ લીધો. કહેવાય છે કે પોતાના એક ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર પર હજુ સુધી કોઈએ પીએચડી નથી કરી તો કરવી જોઈએ. સંશોધન ભલે કોઈ કરે કે નહીં, પરંતુ ગુજરાત ટીમે તો તેમના સ્થાને આવીને રિસર્ચ કરતાં પણ વધારે રસપ્રદ અનુભવો મેળવી લીધા—અને સાથે ગુજરાતના વિકાસનો રોડમૅપ પણ તૈયાર કર્યો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 7:00 am

રાજકીય માહોલ ગરમાયો:નર્મદા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અમિત વસાવા એ તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. છે. તે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના સિનિયર નેતાઓથી નારાજ હતાં. તેમની નારાજગીનો અંત નહિ આવતાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને આપના આગેવાનો કોંગ્રેસ વિરૂધ્ધ નિવેદનબાજી કરી રહયાં છે પણ કોંગ્રેસના સિનિયર આગેવાનો કોઇ જવાબ આપતાં નથી. માત્ર મૌન ધારણ કરી તમાશા જોયા કરે છે. જે મારી વિચારધારા ની વિરૂધ્ધ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:59 am

શિક્ષણ સ્તર ઊંચુ લાવવાના પ્રયાસ:ભરૂચમાં એસઓએસ અંતર્ગત 226માંથી 81 શાળાઓ તૈયાર

ભરૂચ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શાળાને સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો ઉદ્દેશ શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તમામ સુવિધા ઉપલબ્ધ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં 226 શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સ બનાવવામાં આવશે. જે શાળાની અંદર 667 ઓરડા નવા અને 1684 ઓરડાનું સમારકામ કરવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં 81 શાળામાં 254 નવા રોડા બનાવી દેવામાં આવ્યા છે અને 596 ઓરડાનું સમારકામ કરી આધુનિક બનાવી દેવામાં આવ્યા છે. આ શાળામાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ આગામી દિવસમાં સ્કુલ ઓફ એક્સિલન્સ તરીકે 226 શાળા બનાવી તૈયાર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:58 am

ખેડૂતોએ પ્રાપ્ત કરી ઉત્તમ આવક:37 બીઆરસી સંચાલક ખેડૂતોએ 46 લાખની આવક કરી‎

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે આત્મા પ્રોજેકટ સતત કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે જિલ્લામાં આજ દિન સુધી પ્રાકૃતિક ખેતી કરતા નવીન નોંધાયેલ ખેડૂતો મળીને કુલ 22420 ખેડૂતોએ કુલ 24309 એકર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતર વાળી ખેતી કરતા હોય છે. જેના માટે ખર્ચ પણ વધુ થતો હોય છે. તેમજ આધુનિક યુગમાં દેશી ગાય નિભાવ સારૂ ખેડૂતોમાં પ્રવર્તમાન નિરસતા એ પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવતી મુખ્ય અડચણ પૈકી એક છે. જેથી પર્યાવરણ જાળવણી પ્રેરિત દિન પ્રાકૃતિક ખેતી કરતા સારું બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર એટલે પ્રાકૃતિક ઇનપુટસ સંશાધન કેન્દ્રો જિલ્લામાં તૈયાર કરવાની કામગીરી સતત છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા છે. જેમાં હાલ 37 જેટલા બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર કાર્યરત છે અને 18 નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે. આમ અત્યાર સુધીમાં બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર સંચાલકને ઈન્પુટ નું નજીવા ભાવે વેચાણ કરીને રૂપિયા 46 લાખથી વધુની આવક પણ થઈ છે. બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર નો મુખ્ય ઉદ્દેશ દેશી ગાય ના ધરાવતા હોય તેવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ખેડૂતો જાતે પ્રાકૃતિક ખેતી કરવા જાતે અને અન્ય ખેડૂતોને બાયો ઈનપુટ વેચાણ કરીને પણ આવક મેળવી રહ્યા છે. એગ્રો સેન્ટરોને ત્યજી વાયો ઇન્પુટ તરફ વળવું જોઇએ‎કુદરતી ખેતીથી ખેતી ખર્ચ ઘટાડીને ખેડૂતોને આવક વધારવાની સાથે જમીને ફળદ્રુપતા સુધારીને સતત જાળવી રાખવાનો અને આવનારી પેઢીને માટે સ્વસ્થ પર્યાવરણ તૈયાર કરીને વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો છે. ખેડૂતોએ જમીન બચાવવી હશે, એગ્રો સેન્ટરોને ત્યજીને બીઆરસી યુનિટ તરફ વળવું જોઈએ. > અબ્દુલ્લા પઠાણ, આત્મા પ્રોજેક્ટ.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:57 am

મંડે પોઝિટીવ:ભરૂચમાં 26,346 ખેડૂતોને નુકસાની‎ પેટે 84.50 કરોડની સહાય ચૂકવાય‎

ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકશાન થતાં સરકાર તરફથી 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત માં વીસીઇ અને વીએલઇના માધ્યમથી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાં 5 ડિસેમ્બર સુધી સહાય માટે ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી. જેમાં દરમિયાન 92 હજાર જેટલા ખેડૂતોએ સહાય મેળવવા માટે ફોર્મ ભર્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 26346 ખેડૂતોને રાજ્ય તેમજ એસડીઆરએફમાંથી કુલ રૂપિયા 84.50 કરોડથી વધુની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. સહાય માટે 14 નવેમ્બર થી પાક સહાય માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થતાં કેટલાક ખેડૂતો સહાય માટે રહી નહીં જાય તે માટે અરજી કરવાની તારીખ લંબાવી 5 ડિસેમ્બર કરવામાં આવી હતી. 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો‎ભરૂચ જિલ્લામાં માવઠાને કારણે 654 ગામમાં અંદાજે 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. જેના માટે પ્રથમ દિવસે 106 ટિમ અને બીજા દિવસથી 355 ટિમ કામે લાગી ચાર દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આમ અંદાજે 1 લાખ જેટલા ખેડૂતોને નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં ડાંગર, કપાસ, તુવેર અને સોયાબીનના પાકમાં નુકશાન થયું હતું. કેટલીક ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટરનો અભાવરાજય સરકારે માવઠાથી થયેલા નુકસાનના વળતર માટે ખેડૂતો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. મોટાભાગની ગ્રામ પંચાયતોમાં કર્મચારીઓએ તેમના મોબાઇલના નેટથી ખેડૂતોને ફોર્મ ભરી આપ્યાં હતાં. 14મીએ પોર્ટલ ખુલતાની સાથે એક કલાક ચાલ્યા બાદ સર્વર ઠપ થઇ ગયું હતું. બીજી તરફ કેટલાક ગામમાં કોમ્પ્યુટર સહિતની સુવિધા નહીં હોવાના કારણે અન્ય ગ્રામ પંચાયત માં ફોર્મ ભરવા માટે કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. સર્વર સમસ્યા સર્જાતા એક ફોર્મ ભરતા 20 થી 30 મિનિટ જેટલો સમય લાગતો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:55 am

થાનમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ:લોકો ઘરેથી કપડાની થેલી લાવે તે અંગે વેપારીઓ ગ્રાહકને સમજાવે

આધુનીક જીવનમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને તેના કારણે ગૌવંશ તેમજ અન્ય પશુઓને થતી ગંભીર અસર થાય છે. થાનગઢ પાંજરાપોળના સંશોધન મુજબ, મોટાભાગના પશુઓ પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામે છે. જિલ્લામાં એક દિવસમાં 100 ગાય મરે છે એક ગાયના પેટમાંથી 40થી 50 કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક નીકળતું હોય છે. દિવ્ય ભાસ્કરના અહેવાલને ધ્યાનમાં રાખીને થાનમાં એક મહત્વપૂર્ણ જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. સીતારામ ગૌશાળા ખાતે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં અનેક સંસ્થાઓએ એકસાથે આવીને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે સંયુક્ત પ્રયાસો શરૂ કર્યા છે. આ અભિયાનનું મુખ્ય કેન્દ્રબિંદુ પ્લાસ્ટિકના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર થતી ભયાનક અસરો છે. આ અભિયાનમાં સીતારામ ગૌશાળા ટ્રસ્ટ, પાંજરાપોળ, અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નગરપાલિકા અને મામલતદાર ઓફિસ જેવા સરકારી એકમોને પણ સાંકળવાની યોજના બનાવી છે. વેપારીઓ કપડાની થેલી વાપરે અને ગ્રાહકો પાસેથી પૈસા લે. જો ગ્રાહક તે થેલી પરત કરે તો તેના પૈસા બાદ કરી દેવામાં આવે, જેથી થેલીનો પુનઃઉપયોગ થાય. લોકોને ઘરેથી જ થેલી લઈને વસ્તુઓ ખરીદવા જવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, જે ગાયને બચાવવાનું પુણ્યનું કામ ગણાશે. આ ઉપરાંત, પક્ષીઓને તળેલી વસ્તુઓ ભોજનમાં ન આપવા માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી છે. મનુષ્યને પોતાના ખોરાકની જેમ પશુ-પક્ષીઓને પણ તેમના જીવન માટે જરૂરી ખોરાક પૂરો પાડવા વિનંતી કરવામાં આવી છે. ગાયના પેટમાંથી 50 કિલો પ્લાસ્ટિક કાઢ્યું થાનગઢ પાંજરાપોળના સંશોધન મુજબ, પશુઓ પ્લાસ્ટિક ખાવાથી મૃત્યુ પામે છે. ડૉ. શંકરભાઈ સાબરીયા, ડૉ. રાજેશ માલકીયા અને સરકારી ડૉક્ટર ભાવસાર સહિતની ટીમે 3 ગાયોના ઓપરેશન કર્યા, જેમાંથી 1 ગાયના પેટમાંથી 45થી 50 કિલો પ્લાસ્ટિક કઢાયું હતું. જોકે, માત્ર 1 ગાયને બચાવી શકાય હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:47 am

ખાતમુહૂર્ત:ધ્રાંગધ્રામાં સિંદુર સર્કલ સહિત 11.93 કરોડના કામોનું ખાતમુહૂર્ત

ધ્રાંગધ્રા શહેરમાં બાયપાસ રોડ ઉપર દેશભક્તિની સાંજ સમાનું સિંદુર સર્કલ સહિત વિવિધ વિકાસના 11.93 કરોડના કામનો ખાતમુરત પૂર્વ મંત્રી, સાંસદની ઉપસ્થિતિમાં પાલિકા દ્વારા કરાયું હતું. ત્યારે શહેરને પાલિકા ચૂંટણી પહેલા અનેક વિકાસના કામોની ભેટ મળશે. ભગવતધામ ગુરુકુલના ગેઇટના બાયપાસ પાસે સિંદૂર સર્કલ’ વાળા બોક્સનું કામ સીસી રોડ ફુટપાથ સહિત વિવિધ વિકાસના કામોનું ખાત મુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, તેમજ સાસંદ ચંદુભાઈ શિહોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પાલિકા ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર, પાલિકા કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ તથા પાલિકા સસાકપક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ, સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, મહામંત્રીઓ સંજયભાઈ ગોવાણી, રાજદીપકસિંહ પરમાર, પ્રો.જીવણભાઈ ડાંગર સંગઠનના હોદેદારો, વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય, વિવિધ વોર્ડના સુધરાઈ સભ્યો, સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.કે. જાડેજાએ જણાવ્યુંં સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:46 am

ફરિયાદ નિવારણની બેઠકનું આયોજન:ઇ-ધરા કેન્દ્ર ખાતે દાખલ થતી હુકમી‎નોંધોનો 15 દિવસમાં નિકાલ કરવો‎

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને ચોટીલા, થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ–1ના એકથી નવ પત્રકોની તેમજ ભાગ–2માં અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મેવાસા (સુ), સુખસર, ઘારૈઇ ગામે એસટી બસ ચાલુ કરાવવા અંગેનો પ્રશ્ન, મકાન સહાય માટેના હપ્તા સમયસર મળે તે અંગેનો પ્રશ્ન, સ્મશાન, ગામતળ નીમ કરવા અંગેની દરખાસ્ત મોકલી આ૫વા અંગેનો પ્રશ્ન. વધુમાં આ બેઠકની સાથે સાથે ઇ-ઘરા અમલીકરણ તેમજ પુરવઠા સલાહકાર સમિતીની બેઠક યોજાઈ. જેમાં ઇ-ઘરા કેન્દ્ર ખાતે દાખલ થતી હુકમી નોંધોનો 15 દિવસમાં નિકાલ કરવો. ઇ-ઘરા કેન્દ્ર ખાતે દાખલ થતી વેચાણ, હયાતીમાં હક દાખલ, વારસાઇ, હક કમી વગેરે નોંઘો 55 દિવસ ઉ૫ર ન જાય તે અંગે તકેદારી રાખવી. રેકર્ડ વર્ગીકરણ સમયમર્યાદમાં પૂર્ણ કરવું. મામલતદારે સરકારની જોગવાઇઓ મુજબ ઇ-ઘરા કેન્દ્ર ખાતે દાખલ થયેલ નોંધોની ચકાસણી કરી રિવિઝન લેવા પાત્ર જણાય તો સત્વરે રિવિઝનમાં લેવા અંગેની દરખાસ્ત મોકલી આ૫વી. બિનજરૂરી નોંધો નામંજૂર ન થાય તે અંગે તકેદારી રાખવી. બેંક / મંડળી દ્વારા બોજા દાખલ અંગેની નોંધો દાખલ કરવામાં સર્વે નંબર ખોટા સિલેક્ટ કરાય છે જેના કારણે નોંધ નામંજૂર થાય છે. તેથી ભવિષ્યમાં આવું ન બનવા પામે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા. પુરવઠા શાખાનો જથ્થો નિયત સમય મર્યાદામાં વિતરણ કરવો. પુરવઠામાં ચાલતી e-kycની કામગીરી સત્વરે પૂર્ણ કરવી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:46 am

ખાડારાજ:દેવળિયા ભાથરીયા વચ્ચેના 2 કિમીના માર્ગ પર 50 જેટલા ખાડા

દેવળિયા- ભાથરીયા વચ્ચેના 2 કિમીના માર્ગ છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિમાં છે. આ રોડ પર અંદાજે 50 જેટલા ખાડા છે. ગ્રામ્ય વિસ્તારને સુરેન્દ્રનગર સાથે સીધો જોડતો આ મુખ્ય માર્ગ આજે ‘ખાડારાજ’ બની ગયો છે. લોકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર નાના–મોટા લગભગ પચાસેક ખાડાઓ હોવાથી ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારના આ રસ્તેથી રોજ પસાર થતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ, કામે જતા લોકો અને ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહનચાલકો આ રસ્તા પર અકસ્માતના ભય સાથે વાહનોને નુકસાન થવાના બનાવો વધ્યા હોવાની રાવ ઉઠી છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે ચોમાસા પછી પણ તંત્ર રસ્તાની મરામત કે દેખરેખમાં ગંભીરતા દાખવી રહ્યું નથી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:45 am

ગામ ગામની વાત:ખારી નદી કાંઠે વસેલું 200 વર્ષ પ્રાચીનજૂનું વઢવાણ તાલુકાનું ખારવા ગામ‎

વઢવાણ ખારી નદીના કિનારે વસેલા ખારવા ગામનો 200 વર્ષથી વધુ પ્રાચીન ઇતિહાસ છે. ધાર્મિક, શૈક્ષણીક રીતે અગ્રેસર વઢવાણ તાલુકાનું ગામ ખારવા વિકાસને વરેલું છે. ખારવા ગામ વાહન વ્યવહાર અને ઉચ્ચશિક્ષણની સુવિધાથી વંચિત છે. ખજુરીવાળી મેલડીમાં જેવા ધર્મ સ્થાનકો અને કૃષિક્રાંતી સર્જતા ખેડૂતો ગામની શાન છે. વઢવાણ રાજ્યના તાબામાં આવેલું 4000 જેટલી વસ્તી ધરાવે છે. આ ગામમાં લેઉઆ પટેલ, ભરવાડ, કોળી સમુહ ધરાવે છે. નેશનલ હાઇવે અને વઢવાણ તાલુકાથી આશરે 7થી 8 કિમીનું અંતર ધરાવે છે. ખારવા ગામનો ઇતિહાસ પ્રાચીન હોવાની સાક્ષી વઢવાણ નગરનો ખારવાની પોળનો દરવાજો આજે પણ અડીખમ છે. ખારવામાં વિશાળ તળાવ અને ઘરે ઘરે નળને લીધે પાણીની સમસ્યા મહદ અંશે ઓછી છે. જ્યારે ખારી નદીના કિનારે કૃષિક્રાંતિ સર્જી છે.ગામના પાદરે પાળીયા યુધ્ધ અને પરાક્રમોની સાક્ષી પૂરે છે. ખારવા ગામમાં 1877 બનેલી પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં 250થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ અંગે પેસેન્ટર શાળા ખારવાના આચાર્ય કિશોરભાઇ ચાવડાએ જણાવ્યું ખારવામાં શિક્ષણનું પ્રભુત્વ છે આથી દેશ વિદેશમાં ખારવાના ગ્રામજનો અમારું ગૌરવ છે. ગામમાં સિમેન્ટ કોંક્રીટના રસ્તા, પાણી, વીજળી, આરોગ્યકેન્દ્રની સુવિધા છે. રાજાશાહીથી લોકશાહીમાં ખારવા ગામમાં રેલવે અને બસની સુવિધા હતી. પરંતુ છેલ્લા 25 વર્ષથી એસટી બસના દર્શન દુર્લભ બન્યા હોવાનું ચિંતનભાઇ પટેલે જણાવ્યું હતું. ખારવા રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રહેતી નથી. વાહન વ્યવહારની સુવિધાના અભાવે મુશ્કેલી પડી રહી છે. ગામમાં સિંચાઇ માટે પાણી અને ઉચ્ચ શિક્ષણની લોક માંગ4000થી વધુ વસ્તી ધરાવતા ખારવા ગામનું અર્થ તંત્ર ખેતી પર નિર્ભર છે. પરંતુ નર્મદના નીર ખેતરો સુધી નહીં પહોંચતા ખેતીને અસર થઇ છે. આથી સિંચાઇનું પાણી મળે તો કૃષિક્રાંતિ કરવા ખેડૂતો મક્કમ છે. જ્યારે ખારવામાં હાઇસ્કૂલ કે ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા નથી. આથી ધો.9, 10 અને 12ની ગામમાં શિક્ષણની વ્યવસ્થાની માંગ ઉઠી છે. ખજુરીવાળા મેલડીમાંનો પ્રતાપ ખારવાના સીમાડે ખારવા ગામના સીમાડે બીરાજતા ખજુરીવાળા મેલડીમાંનો પ્રતાપ છે. રેલ્વે ફાટકથી 1 કિમી દૂર એક કરોડના ખર્ચે ભવ્ય ખજુરીવાળી મેલડી માતાજીનું મંદિર બનાવાયું છે. દર રવિવારે અને મંગળવારે અહીં ભક્તો ઉમટી પડે છે. જ્યારે ખારવા ગોમટા વચ્ચે પણ વિશાળ ખજુરીવાળા મેલડીમાંનુ બીજુ મંદિર પણ રમણીય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:45 am

ગોઝારો અકસ્માત સર્જાયો:સાયલાના હડાળા ગામના યુવાનના બાઇકનો સાથે કાર અકસ્માત થતાં મોત

સાયલા તાલુકાના હડાળા ગામે રહેતા 31 વર્ષના મહેશભાઇ ભીખાભાઇ સોંઢા તા. 5 ડિસેમ્બરના રોજ સાંજના 5 કલાકે આયા પાસેના પંપ ખાતે સફાઇ કામ કરીને ઘેર પરત આવી રહ્યો હતો. દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે ક્રોસ કરતો હતો. તે સમયે પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મહેશભાઇ રસ્તા વચ્ચે ફંગોળાઇ ગયા અને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહેશભાઇને ચોટીલા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ મહેશભાઇને હેમરેજ થતા વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું. આ બાબતે 5 દીકરીનો પરિણીત ભાઇ મહેશભાઇના મોતના સમાચારથી પરિવાર અને હડાળા ગામમાં અરેરાટી જોવા મળી હતી. પોલીસને જાણ થતા લાશને પીએમ માટે મોકલ્યો છે. પરિવારજનોએ અંતિમક્રિયા કરીને સાયલા પોલીસને ગુનો દાખલ કરવા માટે આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:43 am

હેલ્થ કેમ્પનું આયોજન:ખારાઘોડામાં સેતુ આરોગ્ય કેન્દ્ર હેલ્થ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ તબીબી તપાસ કરાવી

ખારાઘોડામાં સેતુ આરોગ્ય કેન્દ્ર હેલ્થ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ તબીબી તપાસ કરાવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારાઘોડા અને તાલુકા હેલ્થ વિભાગનો વિશેષ સહયોગ મળ્યો હતો. જેમાં અમદાવાદની નામાંકિત જી સીએસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. ખારાઘોડા સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ હેલ્થ કેમ્પ વિશેષ એટલા માટે રહ્યો કે તમામ દર્દીઓના બીપી અને શુગર તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારાઘોડા દ્વારા કરવામાં આવી હતી. અને જોખમી પ્રસુતિની શ્રેણીમાં આવતી ખારાઘોડાની સગર્ભા મહિલાઓની તબીબી તપાસ અને દવાઓ આપવામાં આવી હતી. સાથે કુપોષિત બાળકોને તપાસી અને દવા આપવામાં આવી હતી. આ હેલ્થ કેમ્પમાં વિશેષ સારવારની જરૂર જણાય તેવા બાળકોને સંદર્ભ કાર્ડ આપી અને વિશેષ સારવાર માટે રિફર કરવામાં આવશે. જેમાં વિશેષ તબીબી સારવારની જરૂરિયાત વાળા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થાઓ થશે. અને સરકારની આયુષ્યમાન યોજના હેઠળ લાભાર્થી દર્દીને સારવારના લાભ મળે તે માટે પૂરતા પ્રયાસો થશે. આ હેલ્થ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ આ કેમ્પમાં તબીબી તપાસ કરાવી દવા લીધી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિંગ, મેડિકલ ઓફિસર, પીએચસી ખારાઘોડા, હેલ્થ વર્કર સ્ટાફ, આશા બહેનો, સેતુ ટ્રસ્ટી રાજેન સંઘવી સહિત સેતુ ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:42 am

એકલ કલા પ્રદર્શન ‘ધ સ્પેસ વિધીન''નો પ્રારંભ‎:ત્રણ વર્ષોમાં તેમણે લગભગ 8000 ચિત્ર બનાવ્યા, જેમાંથી 65ને ઉદયપુરમાં પ્રદર્શિત કરવામાં આવ્યા

ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ગુજરાતના વરિષ્ઠ કલાકાર દેવજી શ્રીમાળીની એકલ કલા પ્રદર્શન ‘ધ સ્પેસ વિધીન'નો પ્રારંભ ઉદયપુરમાં થયો છે. આ પ્રદર્શનમાં સુરેન્દ્રનગર, કલાકાર દ્વારા તૈયાર કરાયેલા શ્વેત-સ્યાહ (સફેદ-કાળા) ડ્રોઇંગ્સ ને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ગુજરાતના વરિષ્ઠ કલાકાર દેવજીભાઇ શ્રીમાળીની એકલ કલા પ્રદર્શની ‘ધ સ્પેસ વિધીન' ગુરુવારના રોજ શહેરની બાગોરની હવેલીમાં પ્રારંભ થઈ. આ પ્રદર્શનમાં શ્વેત સ્યાહ ડ્રોઇંગ્સને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના કલાકાર અને ફેકલ્ટી ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ નિર્દેશક પ્રો. હેમંત દ્વિવેદીએ કર્યું. શ્વેત સ્યાહ રંગોમાં બનેલા ચિત્રોની આ પ્રદર્શનીની ખાસ વાત એ છે કે તેમાં પ્રયોગ કરવામાં આવેલી શાહી કલાકાર દ્વારા સ્વયં બનાવવામાં આવી છે. આ ચિત્રોમાં ક્યાંય પણ બ્રશનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત કપડાંના માધ્યમથી જ ડ્રોઇંગમાં સ્ટ્રોક આપવામાં આવ્યા છે. દેવજીભાઇએ પોતાના ચિત્રો વિશે જણાવ્યું કે કોરોના કાળ પછી તેમણે કોરોનાથી પ્રભાવિત મનોભાવોને પોતાના ડ્રોઇંગ્સમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષોમાં તેમણે લગભગ 8000 ડ્રોઇંગ્સ બનાવ્યા છે, જેમાંથી 65 ચિત્રોને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દેવજી ગુજરાત રાજ્યના પ્રતિષ્ઠિત કલાકાર છે. આ પ્રદર્શનના અવસર પર શહેરના હેમંત મહેતા, સુનીલ નિમાવત, ગૌરવ શર્મા, શાહિદ પરવેઝ, શર્મિલા રાઠૌર, ચિત્રસેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શની 11 ડિસેમ્બર સુધી સવારે 11થી 7 વાગ્યા સુધી કલાકાર અને કલા પ્રેમીઓના અવલોકન માટે નિઃશુલ્ક ખુલ્લી રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:40 am

મંડે પોઝિટીવ:સુરેન્દ્રનગરમાં ત્રિવેણી સંગમ, મનપા દ્વારા બે RRR સેન્ટરનો પ્રારંભ‎

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનના ઉદ્દેશ્ય સાથે શહેરના ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં બે અત્યાધુનિક RRR (Reduce-Reuse-Recycl e) સેન્ટરનો શનિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેન્ટરો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવા અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ તથા કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનના ઉદ્દેશ્ય સાથે ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં બે અત્યાધુનિક RRR (Reduce-Reuse-Recycl e) સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનનું RRR સેન્ટર વેપારી મંડળના દવાખાના પાસે જ્યારે દક્ષિણ ઝોનનું સેન્ટર ગંગાવાવ સામે આવેલું છે. આ સેન્ટરોનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક તથા અન્ય કચરાનો ઉપયોગ ઘટાડવો, વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે સાથે શહેરી સ્વચ્છતા જાળવવી તેમજ જરૂરિયાતમંદ નાગરિકોને મદદરૂપ થવું પણ આ યોજનાનો મહત્વનો ભાગ છે. આ સેન્ટરોમાં ઘરમાં વપરાશમાં ન આવતી વસ્તુઓ જેવી કે જૂના કપડાં, રમકડાં, પુસ્તકો, ઘરવખરીની વસ્તુઓ વગેરે જમા કરાવી શકાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ સેન્ટરની મુલાકાત લઈને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ મેળવી શકે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નાગરિકોને અપીલ કરે છે કે, ઘરમાં નકામી થઈ ગયેલી વસ્તુઓને કચરાપેટીમાં નાખવાને બદલે RRR સેન્ટરમાં જમા કરાવી પર્યાવરણ સંરક્ષણ તથા જરૂરિયાતમંદોની મદદમાં ભાગીદાર બને, સુરેન્દ્રનગરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સંવેદનશીલ શહેર બનાવવાની આ પહેલમાં સહભાગી બને. પહેલા દિવસે ખાસ કરીને મનપાના સ્ટાફે કપડા અને રમકડા જેવી વસ્તુઓ જમા કરાવી હતી. લોકોને જેમ જેમ ખબર પડતી જશે તેમ તેમ વધુ અને અલગ અલગ વસ્તુઓ આવશે તેવી આશા છે. એક નિરાધાર બાળક ને રમકડા અને કપડા મળતા ખુશીથી જુમી ઉઠ્યો આ યોજનાનું હૃદયસ્પર્શી ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું જ્યારે વોર્ડ નં. 4ના RRR સેન્ટરમાં એક નિરાધાર બાળકે મુલાકાત લીધી હતી. શહેરીજનો દ્વારા જમા કરાવાયેલા જૂના રમકડાંમાંથી તે બાળકને એક સુંદર રમકડું આપી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેને જરૂરી કપડાં પણ પૂરા પાડ્યા હતા. સેન્ટર ઉપર હાજર વસ્તુ હશે તે મળશેમનપા દ્વારા કરવામાં આવેલા નવા અને પ્રજાલક્ષી આયોજનમાં જે વ્યક્તિને વસ્તુની જરૂર હોય તે વ્યક્તિ મનપાના સેન્ટરની મુલાકાત લેવાની રહેશે. મનપા વ્યક્તિની વિગતો મેળવશે અને જે વસ્તુ હાજર હશે તે વસ્તુ બતાવશે. પછી વ્યક્તિને જરૂર હોય તે વસ્તુ આપવમાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:39 am

વેધર રિપોર્ટ:જિલ્લામાં 55 ટકા ભેજ સાથે 8 કિમીએ પવન ફૂંકાયો : શિયાળાની સાંજ ખીલી

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ફરી શિયાળાની ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં રવિવારે લઘુતમ 16 અને મહત્તમ 30.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આ દિવસે પવનની ગતિ 8 કિમી તેમજ ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું. બીજી તરફ શિયાળામાં કહેવાય છે કે સવાર અને સાંજની ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જિલ્લામાં કુદરતે આકાશમાં સામી સાંજે મીઠાં અને ગુલાબી રંગો છેડ્યા હોય તેવા દર્શન લોકોએ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:35 am

ગામ ગામની વાત:20 વર્ષ પહેલાં આ ગામના તળાવમાંથી મોરબીની તૃષા છીપાતી, આજે પણ અહીં પ્રાથમિક સુવિધાની કોઇ કમી નથી

મોરબીના પાનેલી ગામનો આશરે 140 વર્ષનો રોચક ઈતિહાસ છે. મોરબી તાલુકાના પાનેલી ગામ એટલે પચીસેક વર્ષ પહેલાંનુ મીની કાશ્મીર સ્વર્ગ કહેવાતું. ગામની આસપાસ લીલાછમ ખેતર, વાડીઓથી કુદરતી સૌંદર્ય અને વરસાદીના પાણીના સ્ત્રોત, કૂવા બોરના પાણી નાળીયેરના પાણી જેવા બળુકા હોવાના કારણે પાનેલીની ઓળખ હતી. આજથી 20 વર્ષ પહેલાં પાનેલી ગામના તળાવમાંથી મોરબીને પાણી આપવામાં આવતું અને વરસાદમાં આ તળાવ ભરાતું એટલે મોરબી પર જળસંકટ દૂર થયું એવું મનાતું. ઔદ્યોગિક એકમોથી આ કુદરતી સૌંદર્યથી ભરપૂર ગામ હવે ઝેરી પ્રદુષણયુક્ત બની ગયું છે. સરપંચ ગૌતમભાઈ હડિયલે જણાવ્યું હતું કે, મોરબીથી આશરે 14 કિમી દૂર આવેલું મુળ જુનું પાનેલી ગામ હાલમાં જ્યાં પાનેલી તળાવ આવેલું છે ત્યાં ગામ વસવાટ કરતું હતું, મોરબીના મહારાજા વાઘજી ઠાકોરના જે તે સમયના નિષ્ણાત રાજદરબારીઓએ મોરબીને પીવાનું પાણી મળી રહે તે માટે જગ્યાની શોધખોળ મોરબી આસપાસ કરતા હતા. એક રિપોર્ટ અનુસાર તળાવ બનાવવા માટે પાનેલી ગામના લોકોને અન્ય જગ્યાએ વસવાટ કરવા માટે જગ્યાની શોધખોળ શરૂ કરી. જુના પાનેલીથી અલગ લગધીરપુર ગામ બન્યું બીજુ કાલીકાનગર બન્યું. એ લોકોની ખેતીની જમીન એ બાજુ હોય એટલે ત્યાં વાઘજી ઠાકોરના રાજકુમાર નામ પરથી એ બંને ગામ બન્યા. બાકી રહેતા ગામજનોને જુના પાનેલી ગામથી બે કિલોમીટર દૂર હાલના પાનેલી ગામની સ્થાપના કરવામાં આવી હતી. જીઆઇડીસીથી પ્રદૂષણનો ખતરો વધ્યો‎લીલોતરીથી ભરપુર આ ગામમાં રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને પ્રાધાન્ય આપવા જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. પાનેલી ગામની આસપાસના ગામોની ખેતીની જમીનમાં એકમો સ્થાપતા પ્રદુષણનો ખતરો છે. એક સમયનું સ્વસ્થ ગામ આજે ઝેરી પ્રદુષણના કારણે અસ્વસ્થ ગામ જેવી હાલત થઇ ગઈ છે, પાનેલી ગામની જનસંખ્યા આઠ હજારથી વધુ હોય વિકસિત ગામનો દરજ્જો ધરાવે છે. પાનેલી ગામે કઈ કઈ સુવિધાઓ છે ?‎હાલમાં પાનેલી ગામે ઉપલબ્ધ સુવિધાઓ જોઈએ તો, ધોરણ એકથી ધોરણ દસ સુધીની પ્રાથમિક-માધ્યમિક શાળા, પ્રાથમિક સારવાર માટેનુ દવાખાનું, આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, પોસ્ટ ઓફિસ, બેંક, નર્મદા આધારિત મચ્છુ ડેમનું પીવા માટેનું પાણી કોમ્યુનિટી હોલ રેઈનબસેરા હોલ, જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:34 am

મંડે પોઝિટીવ:મોરબીના શિક્ષિકાનું જીવન સમર્પણ, નિવૃત્તિ પછી બાળકોને આપે વિદ્યાદાન‎

ચાણક્યનું પ્રસિદ્ધ વાક્ય છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ, આવી શિક્ષકની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાવાન ભાવનાને મોરબીના એક શિક્ષિકાએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. હાલ મોરબીમાં રહેતા અને મોરબીમાં 2001ના વિનાશક ભૂકંપ બાદ તાલુકાના અમરનગર ગામમાંથી અલગ બનેલા રોટરીનગર ગામની ધો.1થી 5 સુધીના પ્રાથમિક શાળાના શિક્ષિકા કંચનબેન બોડા 37 વર્ષના કાર્યકાળ દરમિયાન બાળકોને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવાના ભગીરથ પ્રયાસો કરીને બે વર્ષ પહેલાં નિવૃત થયા હતા. પણ તેમનો આત્મા શિક્ષણ સાથે જોડાયેલો છે. તેઓ મૂળ શિક્ષણનો જીવ હોવાથી શિક્ષણ આપવાથી દૂર રહી શક્યા નથી. નિવૃત થયાના બીજા દિવસે જ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું હતું. તેઓ દ્રઢપણે માને છે કે, વિદ્યાદાનથી શ્રેષ્ઠ દાન એકેય નથી.હવે ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમને કંટાળો આવતો નથી. 18માંથી બાળકોની સંખ્યા વધીને 80 થઈરોટરીનગરની શાળામાં અગાઉ ધો.1થી 7ના વર્ગ હતા. તો પણ ત્યારે 18 બાળકોની સંખ્યા હતી. પણ હવે ધો.5 સુધીની શાળા હોવા છતાં 18થી વધીને 80 જેટલા બાળકોની સંખ્યા થઈ છે.જો કે આ બાળકો આસપાસના મજૂર વર્ગના ગરીબ પરિવારોના છે. આ ગરીબ પરિવારોને તેમના દીકરા દીકરીને ભણવા મુકવા માટે તેમના સહિતના શિક્ષકોએ ભારે જાગૃતિ ચલાવી હતી. આ બાળકોને દાતાની મદદથી યુનિફોર્મ અને શિક્ષણ કીટ આપવાની વ્યવસ્થા કરાય છે. ભાસ્કર ઇનસાઇડપોતાના સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવી પગભર બનાવ્યા જે શિક્ષિકા ગરીબ બાળકોના ઘડતરની ચિંતા કરતા હોય તેઓ પોતાના સંતાનો માટે પણ કેટલું વિચારતા જ હોય. કંચનબેન બાળકોના શિક્ષણ પ્રત્યે જીવન સમર્પિત કરવાની સાથે પોતાના પરિવારની જવાબદારી ભૂલ્યા ન હતા. બાળકોને શિક્ષણ આપવાની સાથે પોતાના બે સંતાનો જેમાં એક પુત્ર અને પુત્રી છે તેમને કોમ્યુટર એન્જિનિયર સુધીનું શિક્ષણ અપાવી બન્નેને પરણાવી, સંસાર વસાવી દીધો છે અને તે જવાબદારી નીભાવી લીધા પછી હવે ગરીબ બાળકોની ખેવના કરે છે. જો કે તેમના પતિ મણીલાલ સરડવા પણ શિક્ષક છે. પણ શિક્ષિકા પત્નીએ લગ્ન પછી પોતાના નામ પાછળ પતિનું નામ અને અટકને બદલે પિતાનું નામ અને અટક રાખી હોવા છતાં પતિએ એમની લાગણીને માન સન્માન આપ્યું છે. કંચનબેન બોડાએ આજુબાજુની પાંચ શાળાના 300 જેટલા ગરીબ અને મજૂર વર્ગના બાળકોને પોતાના ખર્ચે સ્કૂલબેગની ભેટ આપી હતી. તેમજ આ પાંચેય શાળાઓના બાળકોને શૈક્ષણિક વસ્તુઓ મળી રહે તે માટે તેમણે શાળામાં ''રામહાટ'' ચાલુ કરાવી છે. આ રામહાટમાંથી બાળકો શિક્ષણને લગતી વસ્તુઓ મેળવી શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:31 am

પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા શાંતિ રથ:મોરબીમાં શાંતિનો સંદેશો લોકો સુધી પહોંચાડવા શાંતિ રથનું આગમન

પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આગામી 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ''બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપિલ'' પ્રોગ્રામનું અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રોગ્રામના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ એવા શુભ હેતુથી આખા ગુજરાતમાં એક શાંતિ રથ ગામો ગામ ફરી રહ્યો છે. લોકોને આ અશાંતિના વાતાવરણમાંથી બહાર નીકળી, શાંત ચિત બની, પોતાનું મન શાંત બને અને સમગ્ર વિશ્વમાં શાંતિનું દાન આપે એવા હેતુથી બે દિવસથી આ શાંતિ રથ મોરબીમાં ફરી રહ્યો છે, અને લોકોમાં વિશ્વ શાંતિ માટે જાગૃતિ ફેલાવી રહ્યો છે. જે રથનું આગમન થતાં તેનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:26 am

ગામના રસ્તાની હાલત સુધરશે‎:મોરબી મનપામાં સમાવિષ્ટ 9 ગામમાં 2.59 કરોડના ખર્ચે રોડની મરામત શરૂ

મોરબી મહાપાલિકામાં ભળેલ રવાપર, મહેન્દ્રનગર, લીલાપર, ભડીયાદ, ત્રાજપર, માધાપર ઓજી, ઇન્દિરાનગર, જવાહરનગર, શકત શનાળા મળી ૯ ગ્રામ પંચાયત વિસ્તારોમાં રૂ.૨.૫૯ કરોડના વિવિધ રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા ૯ ગ્રામ પંચાયતોમાં રહેલા સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અન્વયે કામોની તાંત્રિક તથા વહીવટી મંજુરી આપી ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી રૂ.૧૦.૧૬ લાખના ખર્ચે નાની વાવડી ખાતે સાંતી નગર સોસાયટીમાં પેવર બ્લોકનું કામ. રૂ.૧૯ લાખના ખર્ચે કરવામાં આવશે. મહેન્દ્રનગર ખાતે સાગર ડેરીથી શંકરભાઈના ડીપો સુધી પેવર બ્લોકનું કામ. રૂ.૧૩.૮૬ લાખના ખર્ચે ઇન્દીરાનગર ખાતે પાણીના સંપથી દરબારની દુકાન સુધી પેવર બ્લોકનું કામ. રૂ.૪૬.૮૧ લાખના ખર્ચે રવાપર વિસ્તારમાં રામેશ્વર એપા.થી તપસ્યા એપા. સુધી સી.સી.રોડ, રૂ.૨૪.૩૫ લાખના ખર્ચે લીલાપર વિસ્તારમાં ગુરુદેવ સોસાયટી પાસે સી.સી.રોડનું કામ. રૂ.૧૫.૨૪ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં હનુમાનજી મંદિર થી ઘુંઢ રોડ સુધી પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. રૂ.૧૫.૦૧ લાખના ખર્ચે ત્રાજપર વિસ્તારમાં મેલડીમાના મંદિરથી ઘુંટુ રોડ સુધી પેવર બ્લોકનું કામ, રૂ.૮.૮૯ લાખના ખર્ચે ભડિયાદ વિસ્તારમાં રાજુભાઈ મોહનભાઈ વ્યાસના ઘરથી પંચવટી સુધી પેવર બ્લોકનું કામ. રૂ.૩.૯૧ લાખના ખર્ચે શનાળા વિસ્તારમાં કૃષ્ણ ચોક અને જુદી જુદી શેરી માં પેવર બ્લોકનું કામ, રૂ.૯.૨૩ લાખના ખર્ચે શનાળા વિસ્તારમાં સીન્ડી વાસ અને જુદી જુદી શેરી માં પેવર બ્લોક નું કામ અને રૂ.૯૨.૬૨ લાખના ખર્ચે અમરેલીથી બાયપાસ સુધી ડામર રોડનું કામ આમ કુલ ૧૧ કામોની અંદાજીત રકમ રૂ.૨૫૯.૦૦ લાખના થાય છે. આ તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:24 am

પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સ્થળો સામે મનપાની લાલ આંખ:મોરબીમાં ચાલતી બાંધકામ સાઇટનું સરપ્રાઇઝ ચેકિંગ, નિયમભંગ બદલ 15,800નો દંડ કરાયો

મોરબી ઔદ્યોગિક રીતે સમૃદ્ધ થવાની સાથે પાછલા દરવાજેથી પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન પ્રવેશી ગયો છે. ત્યારે શહેરમાં બાંધકામની આડમાં પ્રદૂષણ ફેલાવતા બાંધકામના સ્થળો સામે લાલ આંખ કરી છે. જન આરોગ્ય સાથે ચેડાં કરીને પ્રદૂષણ ફેલાવતા બાંધકામ સાઇટના જવાબદારો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ રાજ્ય સરકારના નિર્દેશો હેઠળ શહેરમાં ચાલતી બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રદૂષણ નિયંત્રણને લઈને વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં નોંધાયેલી કુલ 133 બાંધકામ સાઈટમાંથી 55 સાઈટમાં ચેકિંગ કર્યું હતું. આ ચકાસણી દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારી સાઈટ પાસેથી મોરબી મહાનગરપાલિકાએ કુલ રૂ.18,800 જેટલી રકમનો દંડ ફટકાર્યો હતો. મનપાએ તમામ બાંધકામ માલિકો અને કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું સખત પાલન કરવાની તાકીદ કરી છે. આ નિયમોમાં મુખ્યત્વે બાંધકામ સ્થળે ગ્રીન નેટ-કવર લગાવવું, સિમેન્ટ-રેતી જેવી સામગ્રીને ઢાંકી રાખવી, સાઈટમાંથી નીકળતા વાહનો માટે વ્હીલ વોશિંગની વ્યવસ્થા કરવી, ટ્રકમાં માલને કવર કરીને હેરાફેરી કરવી, નિયમિત પાણીનો છંટકાવ કરવો વગેરે સુચનાનું પાલન કરવા સૂચના આપી છે. કામદારો માટે સેફ્ટી સાધનો માસ્ક, ગોગલ્સ, હેલ્મેટ ઉપલબ્ધ કરાવવા, ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:23 am

મંડે પોઝિટીવ:મોરબીમાં વણકર સમાજ દીકરા દીકરીનું વેવિશાળ અડધી ચામાં જ આટોપી લે અને એ ખર્ચ પણ સહિયારો જ ભોગવે છે

દરેક વ્યક્તિને લગ્ન કે સગાઈ જેવો પ્રસંગ જીવનભર યાદગાર સંભારણું બની જાય તેવી મહેચ્છા હોય છે. પરિણામે હવે લગ્નો તો ઠીક સગપણમાં પણ લખલૂંટ ખર્ચા થાય છે, દેખાદેખીમાં સામાન્ય, મધ્યમવર્ગ ગજા બહારના ખર્ચા કરી નાખે છે. ત્યારે આવા બધા લોકોને બોધપાઠ અને પ્રેરણા મળે તેવી બેમિસાલ સામાજિક પરંપરા મોરબીમાં સામે આવી છે. જેમાં વણકર સમાજ પોતાના દીકરા કે દીકરીનું સગપણ માત્ર અડધી ચા માં જ સંપન્ન કરે છે. જો કે આજના હાઈટેક અને મોંઘવારીના જમાનામાં આ વાત કોઈને કદાચ ગળે ન ઉતરે અને કલ્પનાશીલ લાગે.પણ આ બાબત દિવાસ્વપ્ન કે કલ્પના નહિ હકીકત છે. ચા નો ખર્ચ પણ બન્ને પક્ષ ભોગવે‎અમારા સમાજ દ્વારા આજે પણ એકદમ સદાયથી સગાઈ વિધિ કરવામાં આવે છે. સગાઈમાં જેવો પરિવાર એ પ્રમાણે લોકો આવે છે. સરેરાશ જોઈએ તો વધીને આશરે બન્ને પક્ષના 300 લોકો ભેગા થાય છે. જો કે આ માત્ર અડધી ચા જ પીવડાવવાની હોય વધુ લોકો ભેગા થાય તો પણ ચિંતા જેવું રહેતું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે સગાઈમાં જેટલા લોકો આવ્યા હોય એ તમામને ચા પીવડાવવામાં આવે છે એ કોઈ એક પક્ષ એટલે કન્યા કે વર પક્ષ તરફથી ચા નો ખર્ચ ભોગવવાનો નથી હોતો. પણ ચા નો જેટલો ખર્ચ થયો હોય એનો બન્ને પક્ષ બરાબર રીતે અડધા ભાગે ભોગવે છે. જો કે અમુક પૈસે ટકે સુખી પરિવારો સમાજની વાડીમાં સગાઈ કરે છે. પણ એમાં માત્ર ચા પાણી અને નાસ્તો જ હોય છે. ગોપાલભાઇ સોલંકી, સામાજિક અગ્રણી મોટાભાગે કન્યા કે સ્ત્રીઓ હાજર ન રહે‎સમાજની વર્ષોથી ચાલી આવતી સગાઈ જેવી સામાજિક પરંપરામાં જમાના પ્રમાણે થોડું પરિવર્તન આવ્યું છે. વધુને વધુ યુવાનો સુશિક્ષિત બની રહ્યા હોય તેમને સગાઈ ભલે સાદાયથી થાય એની સામે કોઈ વાંધો નથી હોતો. પણ પોતાની સગાઈમાં પોતે હાજર રહીને આ અવસર માણી શકે તેવું યુવાનોનું શમણું હોય છે. આથી તેમની આ લાગણીને સમાજે પણ માન આપીને આશરે બે દાયકાથી કેસરબાગમાં સગાઈમાં ભાવિ વરરાજાને હાજર રખાય છે. પરંતુ હજુ કન્યા કે સ્ત્રીઓ હાજર રહેતી નથી. સુરેશભાઇ ચાવડા, જાગૃત આગેવાન એકબીજાના ઘરે નહીં, સમૂહમાં બેસી સગપણ જાહેર કરે‎મોરબીના વણકર સમાજ સંતાનોની સગાઈ ઘરે નહિ પણ બહાર જાહેરમાં એટલે કેસરબાગમાં જ કરે છે. પહેલાં બન્ને પક્ષ દીકરા, દીકરી તેમજ, ઘર, પરિવારના સંસ્કારો, સામાજિક ઢાંચો જોઈ કેસરબાગમાં સગાઇ કરવાનું નક્કી કરે છે. એમાં આમંત્રણ પત્રિકા નહિ પણ અગાઉ રૂબરૂ પણ હવે ફોનથી સગા સંબંધીઓ હાજર રહેવાનું કહી દેવાય છે. પછી સગાઈની નક્કી કરેલી તારીખે બન્ને પક્ષના લોકો કેસરબાગમાં એકઠા થાય છે અને સમૂહમાં બેસી ગોર મહારાજ નાળિયેર અને રૂપિયો ઝલાવી બધા વચ્ચે ઉભા થઈ મોટેથી નામ ઠામ બોલીને જે તે પરિવારના દીકરા દીકરી આજથી સગાઈના પવિત્ર બંધને બંધાયા એવું જાહેર કરે છે. બાદમાં બન્ને પક્ષના સગા સ્નેહીઓ વારંફરતી એકબીજાનું મીઠાઈ નહિ પણ માત્ર નાની સાકરની કણીથી મોઢું મીઠું કરાવે છે. તેમજ બધા લોકો અડધી ચા પીને છુટા પડે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:21 am

ટાસ્ક ફોર્સનો સપાટો:10 દિવસમાં 15 કાર્યવાહી

કચ્છના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ ધરબાયેલું છે. પણ જેટલું ખનીજ કાયદેસર નીકળે છે, તેના ત્રણ ગણા ખનીજની ગેરકાયદેસર રીતે ચોરી થાય છે. છેલ્લા દોઢ દાયકામાં કચ્છમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિ બેધડક ધમધમી રહી છે. ત્યારે હવે તેને અંકુશમાં લેવા માટે કચ્છ કલેકટર આનંદ પટેલે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ, ફલાઈગ સ્કવોર્ડ, સર્વેયર અને રેવન્યુ તંત્રના અધિકારીઓને સમાવાયા છે. આ ટાસ્ક ફોર્સની રચના પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છ દેશનો સૌથી વિશાળ જિલ્લો છે, જયારે કોઈ જગ્યાએ ખનીજ ચોરીના ઈનપુટ ખાણ-ખનીજ વિભાગને મળે અને ટીમ ભુજ અને અંજારથી કોઈ તાલુકામાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે પહોંચે તે પહેલા જ ઘટના સ્થળ પરથી તમામ વાહનો રફુચક્કર થઇ જતા હતા. એટલે હવે આ ટાસ્ક ફોર્સમાં દરેક તાલુકા લેવલના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચીને કાર્યવાહી કરી શકશે. સાથે જ ખનીજ ચોરીના સ્થળ પર જ માપણી કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરીને 20 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વાહનો સામે દંડની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં મોટા ભાગે રોયલ્ટી વિના જ ખનીજ પરિવહનની પ્રવૃત્તિ વધી રહી છે. તેને રોકવા માટે કચ્છનું વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. અગાઉ ખાણ-ખનીજ વિભાગ કાર્યવાહી કરતું હતું, બાદમાં ફલાઈગ સ્કવોર્ડ દ્વારા પણ સપાટો બોલાવાયો છતાં ખનીજ ચોરી યથાવત રહી, ત્યારે હવે કલેકટરે તમામ વિભાગના કર્મચારીઓને સાથે રાખીને ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ બાબતે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં બિન અધિકૃત રીતે થતી ખનીજ ચોરીને અટકવવા માટેનો આ પ્રયાસ છે, જેમાં તમામ વિભાગના અધિકારીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દસ દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરવામાં આવી છે. અને તંત્રનો પ્રયાસ છે કે કચ્છમાં ખનીજ ચોરીના દુષણને નાબુદ કરવા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખનીજ માફિયા અધિકારીઓના ઘરે કરી રહ્યા છે રેકીખનીજ ચોરી સાથે સંકળાયેલા ખનીજ માફિયાનું નેટવર્ક ખુબ જ મજબુત હોય છે, અને તે અધિકારીઓની રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા અમુક દિવસોથી ખનીજ માફિયા મારા ઘરની અને મારી રેકી કરતા હોવાનું જણાઈ આવ્યું છે. આ બાબતે કલેકટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરતા લોકો રેકી કરાવતા હોય છે પણ અમારી પ્રાથમિકતા ખનીજ ચોરીને રોકવાની છે. ખનીજ ચોરી થતી હોય તો આ નંબર પર સંપર્ક કરોખનીજ ચોરી અંગે નાગરિકો માહિતી આપી શકે તે માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મો.8758979966 અને 7016315455 આ નંબર પણ નાગરિકો માહિતી આપી શકે છે. કલેક્ટરે જણાવ્યું છે કે, નાગરિકો મુક્તપણે ખનીજ ચોરીની માહિતી આપી શકે છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:15 am

નાસિક નજીક અકસ્માત:દર્શને જઈ રહેલા 6 કચ્છી પાટીદારના કરૂણ મોત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે સાંજે વાણી ગામ નજીક સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં 6 કચ્છી પાટીદાર વ્યક્તિઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. માતાજીના દર્શને જઈ રહેલી કાર 1200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર છ વ્યક્તિઓ મૂળ કચ્છના રહેવાસી હતા, જે હાલ નાસિક, ગાંધીધામ અને પૂણેમાં રહેતા હતા. મૃતકોમાં કીર્તિભાઈ સાંખલા (ઉં.વ. 55) અને તેમના પત્ની રસીલાબેન (ઉં.વ. 55) – મૂળ નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના, હાલ પિપળગાંવ, નાસિક, વિઠ્ઠલભાઈ લીંબાણી (ઉં.વ. 60) અને તેમના પત્ની લતાબેન (ઉં.વ. 60) – મૂળ રસલિયા ગામના, હાલ ગાંધીધામ રહેતા વેવાઈ.પચાણભાઈ પટેલ (ઉં.વ. 65) અને સાસુ મણીબેન પટેલ (ઉં.વ. 65) – મૂળ મથલ ગામના, હાલ પૂણે રહેતા કીર્તિભાઈના સાસુ-સસરાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, કીર્તિભાઈ સાંખલા તેમની ઈનોવા ગાડી લઈને સાસુ-સસરા અને ગાંધીધામવાળા વેવાઈ સાથે સહ્યાદ્રી પર્વતમાળાની ટોચ પર સ્થિત સપ્તશ્રૃંગી માતા મંદિરના દર્શને જઈ રહ્યા હતા. આ ખતરનાક ઘાટ પર ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર 1200 ફૂટ નીચે ખાઈમાં પલટી ખાઇ ગઇ હતી. કોઈ મદદ મળી શકે તે પહેલાં જ ગાડીમાં સવાર તમામ છ વ્યક્તિઓનું સ્થળ પર જ મોત થયું હતું. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ખબર ફેલાતાં જ સમગ્ર ભારતભરમાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:14 am

ક્રેડિટ સ્કોર કરો તો CIBIL ઘટી જાય?:લોન અને CIBILની 6 મોટી ગેરસમજણ, લોન 'સેટલ' કરવી ફાયદાકારક છે? 3 ચીજથી સ્કોર સુધરશે!

શું તમને બીક લાગે છે કે મોબાઈલમાં વારંવાર CIBIL સ્કોર ચેક કરશો તો તમારો સ્કોર ઘટી જશે? શું તમે માનો છો કે પગાર વધશે એટલે ક્રેડિટ સ્કોર આપોઆપ વધી જશે? જો તમારો જવાબ 'હા' છે, તો તમે એક મોટી ગેરસમજણનો શિકાર છો... ભારતમાં 45% થી વધુ લોકો ક્રેડિટ સ્કોરની પૂરતી સમજ નથી ધરાવતા. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે લોન અને ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી આવી જ ગેરમાન્યતાઓ અને તેના સત્ય વિશે વાત કરીશું. શું જાતે સ્કોર ચેક કરવાથી સ્કોર ઘટે? આ સૌથી મોટી અફવા છે. સત્ય એ છે કે તમે જ્યારે જાતે CIBIL સ્કોર ચેક કરો છો, તેને 'સોફ્ટ ઈન્ક્વાયરી' (Soft Inquiry) કહેવાય છે. જેમ અરીસામાં સેલ્ફી લેવાથી ચહેરા પર ડાઘ નથી પડતા, એવી જ રીતે જાતે સ્કોર જોવાથી તેને કોઈ નુકસાન થતું નથી. પરંતુ હા, જો તમે ટૂંકા સમયમાં 4-5 અલગ-અલગ બેંકોમાં લોન માટે અરજી કરો છો, તો બેંક જે તપાસ કરે છે તેને 'હાર્ડ ઈન્ક્વાયરી' (Hard Inquiry) કહેવાય છે. તેનાથી તમારો સ્કોર ચોક્કસ ડાઉન થઈ શકે છે. લાખોની કમાણી તો સ્કોર સારો? ઘણા લોકો એવું માને છે કે હું લાખો કમાઉં છું અને રોજ ડેબિટ કાર્ડ વાપરું છું, એટલે મારો સ્કોર તો સારો જ હશે. જવાબ છે- ના. ક્રેડિટ બ્યૂરોને તમારી આવક કે ડેબિટ કાર્ડના વપરાશ સાથે કોઈ લેવાદેવા નથી. ડેબિટ કાર્ડ એટલે તમારા જ જમા પૈસા વાપરવા, જેમાં કોઈ 'ઉધાર' નથી. ક્રેડિટ સ્કોર વધારવા કે બનાવવા માટે તમારી પાસે લોન કે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ હિસ્ટ્રી) હોવી જરૂરી છે. આવક તમારી 'ક્ષમતા' બતાવે છે, જ્યારે ક્રેડિટ સ્કોર તમારી 'દાનત' બતાવે છે. લોનમાં 'ગેરન્ટર' બનતા પહેલા સો વાર વિચારજો શું તમે તમારા મિત્ર કે સગાની લોનમાં જામીન એટલે કે ગેરન્ટર બનો છો? યાદ રાખજો, ગેરન્ટર થવું એટલે લોન તમારા નામે જ લેવી. કાયદાકીય રીતે તમે તેટલા જ જવાબદાર છો. જો તમારો મિત્ર હપતો નહીં ભરે, તો ડિફોલ્ટ તમારા રિપોર્ટમાં પણ બોલશે અને ભવિષ્યમાં તમને કોઈ લોન નહીં આપે. 'સેટલમેન્ટ' એટલે સ્માર્ટનેસ કે નાદારી? જો તમે લોન ભરી શકતા નથી અને બેંક કહે કે થોડા પૈસા ભરીને લોન 'સેટલ' કરી દો, તો ક્યારેય હા ન પાડતા. બેંકની ભાષામાં 'સેટલમેન્ટ' એટલે નાદારી. જો તમારા રિપોર્ટમાં એકવાર 'Settled' લખાઈ ગયું, તો આવનારા 7 વર્ષ સુધી બીજી કોઈ બેંક તમને લોન કે ક્રેડિટ કાર્ડ નહીં આપે. હંમેશા લોન પૂરી ભરીને 'ક્લોઝ' (Close) કરવાનો આગ્રહ રાખો, 'સેટલ' નહીં. સ્કોર સુધારવા માટેની 3 સ્માર્ટ ટિપ્સ જો તમારો સ્કોર ઓછો છે, તો આટલું ધ્યાન રાખો: આટલું ખાસ યાદ રાખો જો તમને લાગે કે તમારા CIBIL રિપોર્ટમાં કોઈ ભૂલ છે, તો ગભરાવાની જરૂર નથી. તમે CIBIL ની વેબસાઈટ પર જઈને ફ્રીમાં ફરિયાદ (Dispute) નોંધાવી શકો છો. નાણાકીય શિસ્ત જ તમારો સાચો ક્રેડિટ સ્કોર છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે વીડિયો જુઓ

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:05 am

મંડે પોઝિટીવ:જાવાવાંઢ પ્રાથમિક શાળાની વેસ્ટમાંથી બેસ્ટની આવકારદાયક પહેલ

રાપર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત જાવાવાંઢ પ્રાથમિક શાળાએ વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન અંતર્ગત સર્જનાત્મકતા, નવીનતા અને પર્યાવરણપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપયોગ પછી બાકી રહેલા L.E.D.ના ખોખાના પફને ફરી ઉપયોગમાં લઈને તૈયાર કરાયેલા આકર્ષક સેલ્ફી ઝોનને હાલ સમગ્ર તાલુકામાં પ્રશંસા મળી રહી છે. આ પહેલમાં શાળાના આચાર્ય વસીમભાઈ મન્સૂરીનું માર્ગદર્શન, દૃષ્ટિકોણ રહ્યો હતો. શાળાનું સમગ્ર શિક્ષકમંડળ સહયોગી ભાવથી કાર્ય કરીને શૈક્ષણિક અને મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓને અનુરૂપ દિશામાં આગળ ધપાવી રહ્યું છે. તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા અને તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ ભરતસિંહ પરમારે આચાર્ય અને સમગ્ર શિક્ષકમંડળ શબાનાબાનુ મન્સુરી, પંકજકુમાર ચૌહાણ, હર્ષદકુમાર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. પલાસવા સરપંચ કિશનસિંહ ખોડએ શાળાને જરૂરી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી. શાળાની આ વર્ષની શૈક્ષણિક સિદ્ધિઓમાં ચિત્ર પરીક્ષામાં તમામ છાત્રો પાસ, CETમાં નોંધપાત્ર ઉમેદવારી અને સફળતા, જ્ઞાનસાધના પરીક્ષામાં એક વિદ્યાર્થી જિલ્લા મેરિટમાં સ્થાન પામ્યો, શાળામાં બાળકો ડ્રોપ આઉટ રેસીયો શૂન્ય પર લાવી સો ટકા નામાકન, પર્યાવરણ પ્રત્યેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા બદલ શાળાને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત. પક્ષીભવન, કિચન ગાર્ડન અને સ્વચ્છ પરિસર. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધા, સમગ્ર શાળા CCTV સાથે સુરક્ષિત, કન્યાઓ માટે અલગ ટોયલેટ બ્લોક, આચાર્ય વસીમભાઈ મન્સૂરીને પર્યાવરણ સંરક્ષક તરીકે રાજ્યસ્તરીય એવોર્ડ જેવી સિદ્ધિઓ શાળાએ મેળવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:01 am

300 બોટ કિનારે લાગી, પ્રવાસીઓના મોઢા વીલા, નળસરોવર સુમસાન:સરકારની SOP અને બોટ સંચાલકોની ખેંચતાણમાં વિદેશી પક્ષીઓને નિહાળવાની મજા બગડી, આ વખતની સિઝન પણ ફેલ

બોટમાં બેસીને વિદેશી મહેમાન એટલે કે રંગબેરંગી વિવિધ પક્ષીઓનો કલવર સાંભળવો અને નજીકથી નિહારવા એ છે નળસરોવરની ઓળખ. આ વખતે ડિસેમ્બર મહિનાની ફૂલ ગુલાબી ઠંડી જામી ગઈ છે. પણ અમદાવાદથી માંડ 60 કિલોમીટર દૂર આવેલા આ કુદરતી પર્યટન સ્થળે સ્થિતિ જરા અલગ છે. કિનારેથી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની જ પક્ષીદર્શન શક્ય, કારણ કે નળસરોવરમાં પ્રવાસીઓને લઈને બોટ ચલાવવા પર પ્રતિબંધ છે. એટલે જ વિદેશી પક્ષીઓને નજીકથી નિહારવાના ઉમળકા સાથે પરિવાર સાથે આવતા લોકો નિરાશ થઈને વિલા મોઢે પાછા ફરી રહ્યા છે. કાયદા અને નિયમોની આંટીઘૂંટીમાં નળસરોવરની મોજ કેમ ઝાંખી પડી છે? સરકાર, બોટ સંચાલકોના મનમાં પ્રશ્નો શું છે અને અહીં પહોંચતા પ્રવાસીઓ કેવી અપેક્ષા રાખી રહ્યા છે? એ સમજવા માટે દિવ્ય ભાસ્કરે ગાંધીનગરમાં વનવિભાગની ઓફિસથી લઈને નળસરોવર ખાતે જઈ ગ્રાઉન્ડ રિયાલિટી જાણી. વાત જોડાયેલી છે વડોદરાની ઘટના સાથે. જાન્યુઆરી 18, 2024ના રોજ વડોદરાના હરણીમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી હતી. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં બોટિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો સાથે નવી SOP જાહેર કરી છે. આ SOPનું ચુસ્ત પાલન થાય તો જ બોટિંગ શરૂ કરી શકાય તેમ જાહેર કરાયું છે. એમાં જ નળસરોવરમાં પેચ ફસાયો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, નળ સરોવરમાં પણ નવા નિયમો, જેમાં લાઇફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત છે. મદદનીશ વન સંરક્ષક નરેશભાઈ પટેલે જણાવ્યું કે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી SOP ઘડવામાં આવી છે. જેમાં બોટની કેરિંગ કેપેસિટીનું પાલન, સેફટી જેકેટ, બોટમેન પાસે ફિટનેસ સર્ટિફિકેટનો ઉલ્લેખ છે. નળ સરોવરમાં બોટમેન પાસેથી રજિસ્ટ્રેશન પણ અમલીકરણ કરાવવામાં આવશે. હરણી દુર્ઘટના બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો તો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના હસ્તક્ષેપથી સરકારે બોટિંગ માટે નવી મંજૂરી આપી હતી. તંત્ર દ્વારા બોટ માટે SOP ઘડી કાઢવામાં આવી છે અને અરજી કર્યા બાદ બોટમાલિકોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને લીધે નળ સરોવર પાસેના લગભગ 15 ગામના 300થી વધુ બોટમેન અને ત્યાંના નાના વ્યવસાયો પર ગંભીર અસર પડી છે. લાંબા સમય સુધી બોટિંગ બંધ રહેવાને કારણે આશરે 1500 લોકોની રોજીરોટી બંધ છે. કારણ કે નિયમો બનાવ્યા પછી મુશ્કેલી એ ઉભી થઈ કે સરકારના નીતિ-નિયમ વાળી નવી બોટની કિંમત અંદાજે 80,000થી 90,000 રૂપિયા છે. સરકાર દ્વારા નાવિક માલિકોને આ નવી બોટ ખરીદવા માટે લોન સહાયની ખાતરી આપવામાં આવી છે, આમ છતાં, સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને તેઓ પોતાની જૂની બોટો મારફતે જ નૌકા વિહાર ચાલુ રાખવા માગ કરી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગ સુરક્ષાના કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા તૈયાર નથી. અમે નળસરોવર બોટ એસોસિએશનના પ્રમુખ હાજીભાઇ ઉસ્માનભાઈ સમાને મળ્યા. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે બોટ સંચાલકો શા માટે સરકારના નિયમો મુજબ સરકારી સહાય મેળવીને નવી બોટ ખરીદવા માટે તૈયાર નથી? હાજીભાઈ સમાએ જણાવ્યું, 300 બોટમાંથી આશરે 200 બોટને રૂ. 15,000 જેવો ખર્ચ કરીને ફાઇબર અને રંગરોગાન સાથે નવી બોટ જેવી બનાવી છે અને તેનું રજિસ્ટ્રેશન થઈ શકે તેમ છે. અમે કલેક્ટર કચેરી, IRS અને GMDમાં રજૂઆત કરી છે. તેમને સરકારની ગાઇડલાઇન મુજબ તમામ ડોક્યુમેન્ટ જેવા કે IRS સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, સેફ્ટી જેકેટ અને ટૂરિસ્ટ બેસાડવાની ક્ષમતાના દસ્તાવેજો એકઠા કરી કલેક્ટર કચેરીમાં રજૂ કરી લાયસન્સ મેળવવાની સૂચના મળી છે. નળ સરોવરની આસપાસના વેકરીયા, મેની, ધરજી, રાણાગઢ સહિતના 14 જેટલા ગામોના 500થી વધુ પરિવારોનું નળસરોવરના પ્રવાસી દ્વારા ગુજરાન ચાલે છે. આ ગામના લોકો નાવ ચલાવીને, નાસ્તાના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી થકી કમાણી કરે છે. બોટિંગ અને ઘોડેસવારી પણ બંધ થવાથી પ્રવાસીઓ ઘટ્યા છે અને આ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેમની આવકનો મુખ્ય આધાર શિયાળાની 3-4 મહિનાની પ્રવાસન સીઝન પર રહેલો છે. બોટિંગ બંધ થવાથી પર્યટકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વન વિભાગ અને રાજ્ય સરકારને પ્રવેશ ફી અને બોટિંગ ફી દ્વારા થતી આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રવાસીઓ, પક્ષી નિરીક્ષકો અને વન્યજીવ ફોટોગ્રાફરો દૂર-દૂરથી આવે છે, પરંતુ બોટિંગ વિના તેઓ યાયાવર પક્ષીઓને નજીકથી જોઈ શકતા નથી. પ્રવાસીઓની માગ છે કે સરકાર સુરક્ષાના પગલાં સાથે જલદીમાં જલદી બોટિંગ સેવાઓ ફરી શરૂ કરે. કારણ કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં હજુ વધુ વિદેશી પક્ષીઓનું આગમન થશે, જેને જોવા માટે નૌકા વિહાર જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:00 am

દુબઈ અને મુંબઈને આંટી જશે અમદાવાદ, ગુજરાતનું બુર્જ ખલીફા બનશે:સ્કાય સિટી બની વિશ્વમાં ડંકો વગાડશે, 100 મીટરથી ઉંચી 31 બિલ્ડિંગનું કામ ટોપ ગિયરમાં

શાંઘાઈ, દુબઈ અને મુંબઈ. આ ત્રણેય શહેરની જો કોઈ કોમન ઓળખ આપવી હોય તો એ કે હાઇરાઇઝ બિલ્ડિંગ. જેમ જેમ દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ગગનચુંબી ઇમારતો વધી રહી છે. હવે આ ટ્રેન્ડ ગુજરાતમાં પણ શરૂ થયો છે. આ પ્રકારની બિલ્ડિંગ્સનું એક અલગ જ આકર્ષણ હોય છે. જ્યારે તેની પાસેથી નીકળીએ અને એક નજર કરો તો પણ મોહીત થયા વિના રહેવાશે નહીં. દિવ્ય ભાસ્કર સ્કાય સિટી બનવા જઈ રહેલા અમદાવાદની 31 હાઇરાઇઝ અને તેમાંની સૌથી ઉંચી 10 બિલ્ડિંગ અંગે જણાવી રહ્યું છે. જેમાં હાઇટથી લઈ લોકેશન સુધીની વિગતો આવરી લેવામાં આવી છે. અમદાવાદમાં બની રહ્યું છે રાજ્યનું બુર્જ ખલીફા ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં રાજ્યનું બુર્જ ખલીફા એટલે કે સૌથી ઊંચું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. નવરત્ન ગુલમહોર પાર્ક પ્રોજેક્ટ દ્વારા લગભગ 162 મીટરની ઉંચાઈ અને 38 ફ્લોરની સૌથી ઊંચું બિલ્ડિંગ સેટેલાઇટ પોલીસ સ્ટેશન સામે બનવાની છે. આ અત્યાર સુધીનો પહેલો મિક્સ યુઝ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ છે. કારણ કે આ સૌથી ઊંચી બિલ્ડિંગમાં રિટેલ, કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ત્રણેય ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. દુનિયાના વિવિધ દેશમાં જે પ્રમાણેની બિલ્ડિંગ જોવા મળી રહી છે. તે પ્રકારની જ બિલ્ડિંગ હવે અમદાવાદમાં પણ જોવા મળશે. નવરત્ન ગ્રુપ દ્વારા દુનિયાને પણ ટક્કર મારે તેવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જમીનના ભાવની સાથે ઊંચી બિલ્ડીંગ પણ વધી રહી છે: નવરત્ન ગ્રુપઆ અંગે નવરત્ન ગ્રુપના એમડી પ્રણવ શાહે જણાવ્યું હતું કે, જમીનના ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે ઊંચી બિલ્ડીંગ પણ વધી રહી છે. જમીન કેટલા ફૂટના રોડ પર આવેલી છે તેના પરથી કોઈપણ બિલ્ડીંગની હાઈટ નક્કી થઈ રહી છે. જેથી હાઈ રાઈઝ અને એમાં પણ આઇકોનિક બિલ્ડિંગ બનાવવા માટે લોકો આકર્ષાઈ રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગ અને આઇકોનિક બિલ્ડીંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે.અમે અમારો મોલ તોડીને અમદાવાદને સારું બિલ્ડીંગ આપવા માટે જઈ રહ્યા છીએ. 'હવા ઉજાસ સારા રહેતા હોવાથી લોકો ઉંચે રહેવાનું વધુ પસંદ કરે છે'પ્રણવ શાહે વધુમાં જણાવ્યું હતું કે, નવું કંઈક મળે તો લોકોને તે ગમતું હોય છે. યુવાનો દેશ અને દુનિયામાં ફરતા હોય છે. દુનિયાની ઊંચી બિલ્ડીંગોનો અનુભવ તે લોકો લઈ ચૂક્યા હોય છે. જેથી ઘર આંગણે જ દેશ અને દુનિયા જેવી બિલ્ડિંગ મળે તેવી લોકોની અપેક્ષા હોય છે, તેને મેચ કરવા પ્રયાસ કરીએ છીએ. ઊંચાઈ પર ચોખ્ખી હવા મળતી હોય છે, તેમજ હવા ઉજાસ પણ સારા રહેતા હોવાથી લોકો ઊંચાઈ પર રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તો ઘણા લોકો ઊંચાઈથી ડરતા પણ હોય છે. પરંતુ ઊંચી બિલ્ડીંગ બનાવતા સમયે તમામ બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવામાં આવતું હોય છે. નવા બિલ્ડિંગ કઈ રીતે બની શકે છે તે પણ લોકોને બતાવીશું. હાઈ રાઈઝ બિલ્ડિંગ બનાવવા માટે સ્ટ્રક્ચરલ કમિટીની એપ્રૂવલ ખૂબ જરૂરી હોય છે. આખા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર મંજૂર કરાવવું જરૂરી છે. જે બાદ AMC અથવા AUDAમાંથી બિલ્ડિંગ પ્લાન એપ્રૂવલ લેવાનું હોય છે. જે બાદ રેરાની મંજૂરી લઈ વેચાણ શરૂ કરી શકાય છે. આ વિસ્તારોમાં ઉંચી બિલ્ડિંગના પ્રોજેક્ટ આવી રહ્યા છેCREDAI અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 150 મીટર હાઇટથી વધુની બિલ્ડીંગ બની રહી છે. સિંધુભવન, આંબલી, બોપલ, થલતેજ અને શીલજ વિસ્તારમાં આવા ઉંચી બિલ્ડીંગના બનવાના પ્રોજેક્ટ આવવાના છે. કોમર્શિયલ અને રેસીડન્ટ બંને પ્રકારના પ્રોજેક્ટ બનશે. જે રીતે રિયલ એસ્ટેટમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના પ્રોજેક્ટ મોટા શહેરોમાં આવવા જરૂરી છે. SG હાઇવે પર સૌથી વધુ ફ્લોરનું ટાઇટેનિયમ વર્લ્ડ સેન્ટર અમદાવાદના એસજી હાઇવે ઉપર ટાઇટેનિયમ વર્લ્ડ સેન્ટર નામની 145 મીટરની સૌથી વધુ 41 માળની બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એસજી હાઇવે પર રાજપથ રંગોલી ક્લબ રોડ પર નિરમા કોર્પોરેટ હાઉસ 145.7 મીટરની ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી કુલ 31 જેટલી બિલ્ડીંગો બની રહી છે. હજી પણ રાજ્ય સરકારમાં 100 મીટરથી ઊંચાઈની બિલ્ડીંગો બનાવવા માટે 10 જેટલી અરજીઓ સ્ક્રુટીનીગમાં હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષમાં 31 હાઇરાઇઝ બિલ્ડિંગને મંજૂરી આપી: ટાઉન પ્લાનિંગ ઓફિસરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રમેશ દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગોને મંજૂરી આપવામાં આવી રહી છે. વર્ષ 2021થી 2025 સુધીમાં 31 જેટલી બિલ્ડિંગો 100થી વધુ મીટરની ઊંચાઈ હોય તેને મંજૂરી આપવામાં આવી છે અને અત્યારે હાલમાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેની અરજીઓ આવે છે અને રાજ્ય સરકારમાં સ્ક્રૂટીની માટે મોકલી આપવામાં આવે છે. જે બાદ મંજૂરી આપવામાં આવે છે. 'સુરત-રાજકોટ જેવા શહેરોમાં પણ ઊંચી ઇમારતો બનવા જઈ રહી છે'શહેરમાં હવે દિન પ્રતિદિન ઉંચી ઇમારતો બની રહી છે. જેમાં હવે 150 મીટરથી પણ વધુ ઉંચી બિલ્ડીંગો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેને ટેકનિકલ સમિતિ દ્વારા મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, સિંધુભવન રોડ, સાયન્સ સીટી, થલતેજ, બોપલ, શીલજ અને ગોતા સહિતના વિસ્તારોમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવનારી બિલ્ડીંગો બની રહી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ ખૂબ ઊંચી ઇમારતો બનવા જઈ રહી છે. નવરાત્રિમાં જ 2600થી વધુ મકાન વેચાયાCREDAI અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગત નવરાત્રિમાં 2600થી વધુ મકાન વેચાયા છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી માંથી સરકારને 54.18 કરોડનો વધારો થયો છે. ગત વર્ષે તહેવારોમાં 60218 મિલકતની નોંધણી થઈ હતી. ચાલુ વર્ષે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધીમાં 62,821 મિલકતના દસ્તાવેજ થયા છે. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે 2603 વધુ મિલકતની નોંધણી થઈ છે. મુંબઈને ટક્કર આપવા માટે અમદાવાદ તૈયાર રિયલ એસ્ટેટ રોકેટ ગતિએ એક નવી જ ઊંચાઈ સિદ્ધ કરી રહ્યું છે. મુંબઈની સરખામણી કરવા માટે અમદાવાદ તૈયાર થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે મુંબઈ ઊંચી બનાવવાનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળતો હોય છે. હવે અમદાવાદમાં ધીમે ધીમે એ ટ્રેન્ડ વધી રહ્યો છે. અમદાવાદ દેશભરમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તૈયાર રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદમાં પણ ઊંચી બિલ્ડિંગ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 45 માળ સુધીના બિલ્ડીંગ બની રહી છે: ક્રેડાઈગુજરાત ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું કે, કોવિડ આવ્યા બાદ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે અને જમીનના ભાવ પણ વધી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી ઊંચી બિલ્ડીંગ પણ બની રહી છે. અમદાવાદમાં પ્રદૂષણ જેવી બાબતો ધ્યાનમાં રાખીને 45 માળ સુધીના બિલ્ડીંગ પણ બની રહ્યા છે. 14 માળથી 45 માળ સુધીના બિલ્ડીંગ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યા છે. 'કોમનવેલ્થ અને ઓલિમ્પિકના કારણે વર્ટિકલ ગ્રોથ'વધુમાં તેજસ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદના બે ત્રણ ડેવલોપર ઊંચી બિલ્ડીંગ બનાવવા માટેની તૈયારી કરી રહ્યા છે, કારણ કે મોટા બિલ્ડીંગની એપ્રૂવલ પ્રક્રિયા અર્બન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિકના કારણે વર્ટિકલ ગ્રોથ થઈ રહ્યો છે. જેથી આવનાર દિવસમાં 45થી 60 માળ સુધીના ઘણા બિલ્ડીંગો જોવા મળશે. અત્યારે ઊંચી બિલ્ડીંગ સાયન્સ સિટી રોડ, બોપલ આંબલી રોડ એટલે કે પશ્ચિમ વિસ્તારમાં વધુ જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં જ વર્ટિકલ બિલ્ડીંગ સૌથી વધુ જોવા મળશે. કર્ણાવતી ક્લબથી લઈને સોલા ભાગવત સુધી ઊંચી બિલ્ડીંગ જોવા મળી શકે છે. 'ઊંચી ઈમારતોનો બાંધકામનો ખર્ચ 15 માળની ઈમારતો કરતાં વધે છે'જ્યારે નેહા કન્સલ્ટન્ટના માલિક નીતેશ શાહ જણાવે છે કે પશ્ચિમ વિસ્તારમાં, ખાસ કરીને એસજી હાઇવે અને રીંગરોડ વચ્ચેનો પટો હાલમાં સૌથી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગ ડેવલપમેન્ટનો સાક્ષી બની રહ્યો છે. ઊંચી ઈમારતોમાં બાંધકામનો ખર્ચ રૂટીન 15 માળની ઈમારતો કરતાં વધે છે, મેઇન્ટેનન્સ પણ વધારે પડે છે, પરંતુ FSIના ફાયદા અને લાંબા ગાળે મળતા લાભોને કારણે બિલ્ડરો હાઇરાઇઝ તરફ વળી રહ્યાં છે. 'સૌથી વધુ FSI મળવાથી બિલ્ડર્સ હાઇરાઇઝ તરફ આકર્ષાયા'નવી ટોલ બિલ્ડિંગ પોલિસી મુજબ 70 મીટરથી ઉપરની ઈમારતોને 5.4 FSI આપવામાં આવે છે. સામાન્ય રીતે BRTS અને મેટ્રો કોરિડોરમાં 4 FSI મળે છે. સૌથી વધુ FSI મળવાને કારણે બિલ્ડરો ટોલ બિલ્ડિંગ તરફ વધારે આકર્ષાઈ રહ્યાં છે. ભૂકંપ પ્રોન ઝોનમાં હોવાને કારણે આવી ઈમારતો માટે ખાસ સેફ્ટી નોર્મ્સ બનાવવામાં આવ્યા છે. વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત છે, જેથી સ્ટ્રક્ચર અને ફસાર્ડ ડિઝાઇન વધુ સુરક્ષિત રીતે કરી શકાય. હાઇરાઇઝ બિલ્ડિંગ માટે શું શું જરૂરી? FSIની બાબતમાં મિનિમમ 1.2 FSI ધરાવતા વિસ્તાર-AUDA, GUDA, VUDA, SUDA અને RUDAમાં જ હાઈરાઈઝ ઈમારતો ઊભી થઈ શકે છે. એટ્રીયમ પાર્કિંગ, STP, સીડી, રેફ્યુજી એરિયા અને સ્કીપ ફ્લોરને FSIમાંથી બાદ ગણી લેવાય છે. પાર્કિંગ ક્યાંય પણ બનાવો, બેઝમેન્ટ, પોડિયમ કે ઉપર તે સંપૂર્ણપણે બાદ ગણાય છે. 'પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા 6 થી 8 મહિના સુધી ચાલે છે'ટોલ બિલ્ડિંગનું બાંધકામ રૂટીન બિલ્ડિંગ કરતાં લગભગ 30% વધારે ખર્ચાળ બને છે. આવા પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા 6 થી 8 મહિના સુધી ચાલે છે. પ્રક્રિયા મુજબ પ્રથમ ડિઝાઇન અને પ્લાન ઓથોરિટી પાસે સબમિટ થાય, સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ્સની સ્ક્રુટિની થાય, ફાઇલ થર્ડ-પાર્ટી સ્ટ્રક્ચરલ વેરિફિકેશન માટે મોકલાય, ત્યારબાદ STC (સ્પેશિયલ ટેકનિકલ કમિટી)માં ફાઇલ જતી રહે છે. STCમાં UDD સેક્રેટરી ચેરમેન છે, સાથે બે સ્ટ્રક્ચરલ એન્જિનિયર, જિયોલોજિસ્ટ, એક AUDA/કોર્પોરેશન ઓફિસર અને ડિઝાઇન એક્સપર્ટ સામેલ હોય છે. ફાયર વિભાગ પણ દરેક ડિઝાઇનની વિગતવાર સ્ક્રુટિની કરે છે. 70 મીટર ઉપરની ઈમારતમાં ફાયર માટે સ્કીપ ફ્લોર ફરજિયાત રાખવો પડે છે. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં એરપોર્ટ NOC ફરજિયાત ચેક કરવાની રહે છે. 'અત્યાર સુધી 45–46 ટોલ બિલ્ડિંગો મંજૂર' નીતેશ શાહ જણાવે છે કે અન્ય રાજ્યોમાં હાઇરાઇઝ મંજૂરીમાં વર્ષથી વધુ સમય લાગી જાય છે, જ્યારે ગુજરાતમાં આ સમયગાળો 6–8 મહિના જેટલો છે. અત્યાર સુધી 45–46 ટોલ બિલ્ડિંગો મંજૂર થઈ ચૂક્યા છે અને અનેક નવા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. 'કોમનવેલ્થ-ઓલિમ્પિકથી હાઇરાઇઝ બિલ્ડિંગની માંગ વધશે' ઓલિમ્પિક અને કોમનવેલ્થ પર પણ તેની અસર જોવા મળશે. આ પોલિસીને કારણે શહેરોમાં ઓછી જમીનમાં વધારે ડેન્સિટી આવરી શકાય તેમ બન્યું છે. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક ઇવેન્ટ્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં હાઇરાઇઝ બિલ્ડિંગોની માંગ વધુ વધશે અને તેનો ગુજરાતને મોટો ફાયદો મળશે. અમદાવાદ હેરિટેજ સિટીથી સ્કાય સિટી બનવા આગળ વધી રહ્યું છે: સ્ટે.કમિટીના ચેરમેનઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર હેરિટેજ સિટીથી હવે સ્કાય સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ શહેરનો સતત વિકાસ વધી રહ્યો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 480 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 30 માળ કરતાં વધુ ઊંચાઈની રહેણાંક અને કોમર્શિયલ પ્રકારની બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં 30 માળથી વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડીંગો તૈયાર થઈ જતા અમદાવાદ સ્કાય સીટી તરફ આગળ વધશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 6:00 am

કિંજલ દવેના સગપણથી કોણ દુખી?:ઈન્સ્ટા સ્ટેટસમાં દર્દ છલકાયું, લોકોએ સાંત્વના આપી; સુરત પાલિકાના 'ભટ્ટ સાહેબ' સામે લોકોમાં ભારે રોષ!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:55 am

ગીતાજયંતી મહોત્સવની પૂર્ણાહૂતિ:‘ધ્યાન મનની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે’

રવિવારે અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ દ્વારા આયોજિત ગીતાજયંતી મહોત્સવ-2025ની રંગેચંગે પૂર્ણાહૂતિ થઇ હતી. અંતિમ દિવસે કાર્યક્રમની શરૂઆતમાં સ્વામી સુબોધમુનિજીએ સુંદર ભજન ગાઈને સૌને ધર્મવિભોર કરી દીધા હતા. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, લાઈફ મેનેજમેન્ટ સેમિનાર શ્રેણીમાં ‘પ્રેક્ટિકલ ધ્યાન અને તેના રહસ્યો’ પર રવિવારે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ માર્ગદર્શન આપતા કહ્યું કે,ધ્યાન વિના અધ્યાત્મ અધૂરું છે. આધ્યાત્મ યાત્રામાં મન મુખ્ય છે, બુદ્ધિ સૂક્ષ્મ છે. કારણ કે, સમજવા માટે મનને વિવિધ સ્ટેજમાંથી પસાર થવું પડે છે. જાગૃત મન સાથે વ્યવહાર સરળ છે, પરંતુ અર્ધજાગૃત મનને કોઈપણ વસ્તુ સ્વીકૃત કરવા એક જ વાતનું પુનરાવર્તન ખૂબ જરૂરી છે, ધ્યાન અર્ધજાગૃત મનની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે. ધ્યાનમાં સીધેસીધી છલાંગ ન મરાય, તેના માટે વિવિધ તબક્કાઓ જરૂરી છે. ધ્યાન કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે, 10-15 મિનિટમાં થાય તે સૌથી ખોટો સિદ્ધાંત છે, તેના માટે કર્મયોગી બનવું પડે તો વર્તન અને વ્યવહારમાં પ્રતિબિંબ જરૂરી છે. સ્વામીજીએ લાઇફસ્ટાઇલ પર માર્ગદર્શન આપતા કહ્યું કે, સાંજનું ભોજન ૬.૩૦ સુધીમાં કરી લેવામાં આવે તો જીવનમાં જેટલા પણ રોગો છે, તેના સામે આપણે પણ પ્રતિકાર કરી શકીએ છીએ. સવારે કે દિવસે ઊંઘ ત્યારે જ આવે જો રાત્રીના એના સમયે ઊંઘ કરવામાં ન આવી હોય, અથવા તમોગુણ હોય તો આવે ! સવારે બપોરે અથવા રાત્રે ધ્યાન કરી શકાય, પણ મન ફ્રેશ હોવું જોઈએ તે પહેલી શરત છે. દૈનિક કાર્યક્રમના અંતે ગીતાજીની આરતી અને રાષ્ટ્રગાનનું પઠન કરાયું હતું. સમગ્ર મહોત્સવના ભોજન મહાપ્રસાદના દાતા વીણાબેન નવીનભાઈ આઇયા (મોટી વિરાણી - હાલે ભુજ), ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા અને ગુલાબભાઇ ગજ્જર સાથે આર્ષ અધ્યયન કેન્દ્રના સાધકો, વિવિધ સમિતિઓ અને સ્વયંસેવકો એ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:46 am

જીવલેણ હુમલો:ગણેશનગર નજીક યુવક પર છરી વડે હુમલો કરી માર મરાયો

શહેરમાં આવેલ બાપા સીતારામ મઢુલી પાસે ગણેશનગર નજીક યુવકને છોકરીઓ સામે કેમ જુવે છે તેવું કહી આરોપીએ છરીથી હુમલો કરી ઈજાઓ પહોચાડી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી મયુરસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 6 ડીસેમ્બરના બપોરે એક વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદીને કહેલ કે તમે રસ્તે જતી છોકરીઓ સામે કેમ જુવો છો.જે બાદ આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને પોતાની પાસે રહેલ છરીથી હુમલો કરી ફરિયાદીને ઈજાઓ પહોચાડી તેમજ ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:45 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોતના (કૂવા) બોર : 2019માં આ મુદ્દે નગરપાલિકા અને કલેક્ટરને સંબોધી પત્ર લખી આ સમસ્યા મુદ્દે ધ્યાન દોરાયું હતું

કુકમા નજીક ખુલ્લા બોર અને અપમૃત્યુના બનાવ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે આજથી છ વર્ષ પહેલા કુકમા ગ્રામ પંચાયતે આ મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું પણ કાર્યવાહી ન થતા આ સિલસિલો યથાવત રહ્યો છે. કુકમા નજીક આશાપુરા ટેકરી નજીક બોરમાં ઝારખંડના યુવાનનો જીવનદીપ બુઝાયો છે. કુકમા ગ્રામપંચાયત દ્વારા 2019માં આ મુદ્દે નગરપાલિકા અને કલેક્ટરને સંબોધી પત્ર લખી આ સમસ્યા મુદ્દે ધ્યાન દોરાયું હતું અને કશું પણ અઘટિત બને તો જવાબદારી પણ ઠેરવાઈ હતી. આ પત્રમાં તત્કાલીન મહિલા સરપંચ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, કુકમા જુથ ગ્રામ પચાયતની હદમાં ભુજ નગરપાલિકા દ્વારા જે બોર બનાવવામાં આવે છે. જેની જાણ કુકમા જૂથ ગ્રામ પંચાયતને કરવામાં આવેલ નથી તેમજ જે બોર બનાવવા માટેની મંજુરી આપેલ છે, જેની નકલ કુકમા જુથ ગ્રામ પંચાયતને આપવા જણાવાયું હતું, જેથી સ્થાનિકે થતા પ્રશ્નો નિવારી શકાય. આ પત્રમાં બોરની ફરતે ફેન્સીંગ કરવા અને બીજા વ્યક્તિઓ દ્વારા દબાણ પણ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે લેર સહિતના વિસ્તારોમાં ખુલ્લા બોર તાત્કાલીક ઢાંકવામાં રજૂઆત કરાઈ હતી, જેથી પશુધનને તેમજ આવતા જતા રાહદારીઓને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. કોઈપણ ખુલ્લા બોરમાં ભવિષ્યમાં કોઇ પણ જાતની જાનહાની તેમજ ગંભીર અકસ્માત થશે તેની સંપુર્ણ જવાબદારી પણ તંત્રની હોવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો આવ્યો હતો. જો કે 11 મહિના પહેલા કંઢેરાઇ અને હવે આશાપુરા ટેકરી પાસે આ બનાવ બનતા મુદ્દો ફરી સપાટીએ આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:42 am

8 ડિસેમ્બર વિશેષ:‘અમને મરવાનો ડર નહોતો, બસ દેશને જીતાડવો હતો’

ભારતીય ઈતિહાસમાં 8મી ડિસેમ્બરના દિવસનું વિશેષ મહત્વ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ જ સમયગાળો હતો જ્યારે કચ્છના માધાપર ગામની 300 જેટલી બહાદુર મહિલાઓએ જીવના જોખમે જે કરી બતાવ્યું હતું, તેની નોંધ આજે પણ સુવર્ણ અક્ષરે લેવામાં આવે છે. યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભુજ એરબેઝને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાની સેબર જેટ્સ દ્વારા 14 જેટલા નેપામ બોમ્બ ઝીંકીને ભુજ એરપોર્ટના રનવેને તહસ-નહસ કરી નાખવામાં આવ્યો હતો. રનવે તૂટી જવાને કારણે ભારતીય વાયુસેનાના વિમાનો ન તો ટેક-ઓફ કરી શકતા હતા કે ન તો લેન્ડ. સ્થિતિ નાજુક હતી અને રનવેનું સમારકામ તાત્કાલિક કરવું જરૂરી હતું. ત્યારે માધાપર ગામની ૩૦૦ જેટલી મહિલાઓ દેશસેવા માટે આગળ આવી. 8 ડિસેમ્બરની આસપાસના એ કટોકટીભર્યા દિવસોમાં, આ બહેનોએ રનવે રિપેરીંગનું કામ હાથમાં લીધું.”અમને મરવાનો ડર નહોતો, બસ દેશને જીતાડવો હતો.” - આ જ જુસ્સા સાથે ગ્રામીણ મહિલાઓએ પાવડા અને તગારા લઈને કામ શરૂ કર્યું. સતત બોમ્બમારાના ભય વચ્ચે પણ આ વિરાંગનાઓએ રાત-દિવસ એક કરીને માત્ર ૭૨ કલાકમાં રનવે ફરીથી તૈયાર કરી દીધો. તેમના આ અદમ્ય સાહસને કારણે ભારતીય વાયુસેના ફરીથી એક્શનમાં આવી શકી અને સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિક તેમની ટીમ સાથે વિમાન ઉડાવી શક્યા, જેના પરિણામે ભારતે યુદ્ધમાં નિર્ણાયક જીત મેળવી. પાકિસ્તાન કચ્છને અલગ કરવા માંગતુ હતુંએ વખતે ભુજ એરફોર્સ સ્ટેશનના બેઝ કમાન્ડર વિજય કર્ણિકે અગાઉ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને કચ્છને અલગ પાડવા અને કબજે કરવા માટે ભુજ એરફિલ્ડને નષ્ટ કરવાની યોજના બનાવી હતી. “ભુજ સેક્ટરમાંથી, અમે કરાચી પર હુમલા કરી રહ્યા હતા. યુદ્ધ તેની ચરમસીમાએ હતું. સિંધ પ્રાંતનો અડધો ભાગ કબજે કર્યા પછી, 10 પેરા બ્રિગેડ (ખાસ દળો) નું નેતૃત્વ કરી રહેલા જયપુરના મહારાજા સવાઈ ભવાની સિંહ પણ ભુજ આવ્યા હતા.પાકિસ્તાને શરૂઆતથી જ એટલે કે 3 ડિસેમ્બરથી બોમ્બમારો શરૂ કરી દીધો હતો. 6 ડિસેમ્બરે, અમે ભુજ ઉપર તેમનું વિમાન તોડી પાડ્યું, જેનાથી તેઓ વધુ ગભરાયા. 8 ડિસેમ્બરની રાત્રે, તેમણે સંકલિત હુમલાની યોજના બનાવી. PAFના B57 વિમાનોએ 64 બોમ્બ ફેંક્યા. દરેક વિમાનમાં આઠ 1,૦૦૦ પાઉન્ડના બોમ્બ હતા.” ઓપરેશન દરમિયાન રખાયેલી સાવચેતી અને રણનીતિદુશ્મન દેશના વિમાનોની નજરે ન ચડી જાય તે માટે આ મહિલાઓને સૂચના આપવામાં આવી હતી.કામ કરતી વખતે જ્યારે પણ હવાઈ હુમલાનું સાયરન વાગતું, ત્યારે બધી મહિલાઓ તાત્કાલિક નજીકના બાવળની ઝાડીઓમાં કે ખાડાઓમાં છુપાઈ જતા હતા. આમ જીવના જોખમે રન વે રિપેર કરવાની કામગીરી માધાપરની વિરાંગનાઓ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:41 am

જર્જરિત સ્કૂલને ‘નવજીવન’:89 વર્ષીય ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્કૂલના પુનઃનિર્માણ માટે 1 કરોડનું દાન

હેતલ શાહ સમય બદલાઈ જાય છે, સંજોગો બદલાઈ જાય છે, પરંતુ પોતાના બાળપણના શિક્ષણ ધામનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. સ્કૂલના જ ભૂતપૂર્વ 89 વર્ષના વિદ્યાર્થી વસંતભાઈ ઉત્તમભાઈ પટેલે જીવન ભારતી કિશોર ભવનને નવજીવન આપ્યું છે. તેમણે જર્જરિત સ્કૂલને નવેસરથી બનાવવા માટે રૂ. 1 કરોડથી વધુનું દાન આપીને પોતાનું ઋણ ચૂકવ્યું છે. આચાર્ય ચંદ્રવદન ચુનીલાલ શાહ દ્વારા વર્ષ-1946માં એટલે ભારત આઝાદ થયાના એક વર્ષ પહેલા જ શહેરના નાનપુરા ટીમલીયાવાડમાં એક નાનકડી ઓરડીથી જીવન ભારતી સ્કૂલની સફર શરૂ થઈ હતી. જેણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, દેશભરને મહાન વ્યક્તિઓ અર્પિત કર્યા છે. દરમિયાન, આ સ્કૂલના એક ભૂતપૂર્વ 89 વર્ષીય વિદ્યાર્થી વસંતભાઈની અમેરિકા ખાતે હોટેલના માલિક છે. તેમણે વર્ષ-1946માં એટલે સ્કૂલ શરૂ થતાંની સાથે જ ધો. 4માં પ્રવેશ લઈ વર્ષ-1954 સુધી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સ્કૂલ છોડ્યાને આજે 71 વર્ષ બાદ કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે પોતાની સ્કૂલનું નામ સાંભળ્યું હતું. આ સાંભળીને તેમને તેમના સ્કૂલના દિવસો યાદ આવી ગયા અને લાગણીના તરંગે તેમને ફરી સ્કૂલ સુધી દોરી ગયા હતા.ત્યાં પહોંચી તેમણે કેસરબેન પૂનમચંદ્ર ગાંધી એટલે કિશોર ભવનની બિલ્ડિંગની હાલત જર્જરિત જોતાં જ તેમનું મન દ્રવી ઉઠ્યું હતું. તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના જ કહ્યું કે, “હું આ ભવનને સુધારી આપીશ.” અમેરિકાની હોટેલથી મળેલી સફળતાના કારણે તેમણે રૂ. 1 કરોડના ખર્ચે કિશોર ભવનની બે માળની બિલ્ડિંગ બનાવી તેની કાયાપલટ જ કરી નાખી હતી. આજે અહીં આધુનિક કોમ્પ્યુટર રૂમ, સાયન્સ લેબ અને સંમેલન ખંડ તૈયાર છે.વસંતભાઈએ ભૌતિક સંપત્તિને જ્ઞાનના રોકાણમાં પરિવર્તિત કરીને ખરા અર્થમાં ‘વિદ્યાનું ઋણ’ અદા કર્યું છે. તેમનું આ કાર્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:આરટીઓ કચેરીમાં વાહનોનું ફિટનેશ સંપૂર્ણપણે બંધ, વાહનમાલિકોને ખાનગી સેન્ટરમાં જવું પડશે

જેમ સ્વાસ્થ્ય માટે બોડી ચેકઅપ કરાવીએ તેમ વાહનોમાં પણ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે અગાઉ આરટીઓ કચેરીમાં જ વાહનોના ફિટનેસ થતા હતા જોકે આ સેવાનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા ઓટોમેટિક વાહન ટેસ્ટિંગ સ્ટેશનને મંજુરી આપવામાં આવી જેથી છેલ્લા 1 વર્ષથી ત્યાં વાહનોનું ફિટનેસ કરવામાં આવે છે હવે 1 ડિસેમ્બરથી તેમાં પણ બદલાવ આવ્યો અને હવે સંપૂર્ણપણે કામગીરી ખાનગી સેન્ટરમાં થશે તેવું જણાવાયું છે. અગાઉ જ્યાં ખાનગી સેન્ટર હતા તે જિલ્લામાં સેન્ટરમાં અને જ્યાં સુવિધા નથી ત્યાં આરટીઓ કચેરી ખાતે વાહન ફિટનેસની કામગીરી થતી હતી જોકે, ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના તમામ આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે વાહનોના ફિટનેસ ટેસ્ટની કામગીરી 1 ડિસેમ્બરથી બંધ કરવા સૂચના અપાઈ છે. જેથી આરટીઓ કચેરી ખાતે વાહનોના ફિટનેસની કામગીરી સંપૂર્ણ બંધ થઈ છે. આ બાબતે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીના અધિકારીને પત્ર લખી જાણ પણ કરવામાં આવી છે. કચ્છની વાત કરીએ તો પશ્ચિમ કચ્છ ભુજ વિસ્તારમાં મુન્દ્રા ખાતે વાહન ફિટનેસ સેન્ટર આવેલુ છે જ્યારે ભુજમાં અન્ય એક મંજૂરીના તબક્કે છે.જ્યારે પૂર્વ કચ્છ અંજાર જિલ્લામાં અંજારમાં 1 અને ગાંધીધામમાં 3 મળી કુલ 4 ઓટોમેટીક ટેસ્ટિંગ સ્ટેશન આવેલા છે. જિલ્લામાં 1 લાખથી વધારે કોમર્શિયલ વાહનો નોંધાયેલાં છે. અગાઉ લોકો ભુજ આવતા અને આરટીઓ કચેરી દ્વારા દયાપર, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, ભચાઉ,રાપર સહિતના સ્થળોએ કેમ્પ કરવામાં આવતા જેથી ઘર આંગણે સુવિધા મળી રહેતી હતી પણ હવે ફરજીયાતપણે ખાનગી સેન્ટરમાં જ વાહનોને ફિટનેસ માટે લઈ જવા પડશે. ખાનગી ફિટનેસ સેન્ટરમાં નિયંત્રણ માટે સ્થાનિકે સત્તા નહીંકચ્છ સહિત ગુજરાતમાં જ્યાં ઓટોમેટીક વાહન ટેસ્ટિંગ સ્ટેશન આવેલા છે ત્યાં વાહનોનું ફિટનેસ યોગ્ય રીતે થાય છે કે કેમ ? તેમજ ભૂતકાળમાં અમુક સ્થળોએ વાહનોની ફિટનેસમાં બેદરકારી હોવા બાબતે આક્ષેપો ઉઠી ચૂક્યા છે.જોકે સ્થાનિકે આરટીઓ કચેરીને તપાસ માટે કોઈ સત્તા આપવામાં આવી નથી.વડી કચેરી દ્વારા જ ફરિયાદના આધારે ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવે છે. હવે જ્યારે સંપુર્ણ કામગીરી ATSમાં થાય છે ત્યારે ફિટનેસ યોગ્ય રીતે થાય છે કે કેમ તેની તપાસ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.અલબત્ત માર્ગો પર દોડતા વાહનોમાં ફિટનેસ હોય તો આરટીઓ દંડ ફટકારી કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. દર બે વર્ષે વાહનોનું ફિટનેસ કરાવવું ફરજીયાતઆરટીઓના નિયમ પ્રમાણે ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોમાં 8 વર્ષ સુધી દર બે વર્ષે અને આઠ વર્ષ પછી દર વર્ષે ફિટનેસ કરાવવું ફરજિયાત છે. જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં 15 વર્ષે રી-રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.હાલમાં આરટીઓ કચેરી દ્વારા દર મહિને વિવિધ તાલુકાઓમાં રી-રજીસ્ટ્રેશન એટલે કે સીપીઆઈના કેમ્પ કરવામાં આવે છે. આ બાબતોની થાય છે ચકાસણીકોમર્શીયલ વાહનોનું ફિટનેસ કરતી વખતે વાહનની ટેક્નિકલ અને સેફ્ટી ચેક કરવામાં આવે છે.જેમાં બ્રેક સિસ્ટમ, લાઈટ્સ અને ઈન્ડિકેટર, ટાયર, સેફટીગ્રીલ, એન્જિન, સ્ટીયરિંગ અને સસ્પેન્શનર,ચેસિસ અને બોડી કન્ડિશન,પીયુસી, મિરર અને સેફ્ટી એક્સેસરીઝ સહિતની બાબતો ચેક કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:40 am

ભાસ્કર વિશેષ:ઉ. ગુજરાતમાં પ્રથમ વખત 42 લેઉવા પાટીદારના 70 યુગલના રાત્રિ સમૂહ લગ્ન, પ્રિ-વેડિંગ પર પ્રતિબંધ અને લગ્ન આયોજન માટે 21 કરોડનો વીમો

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત 42 લેઉવા પાટીદાર સમાજ નાં દીકરા દીકરીઓનાં રાત્રી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહલગ્ન જાજરમાન થાય માટે આયોજક સમિતિ દ્વારા દીકરીનો માંડવો થીમ પર એક વર્ષ અગાઉ થી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટણનાં સંડેર ખાતે ખોડલધામ સંકુલની 90 વીઘા જમીનમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમાજના દીકરા દીકરીઓ નાં સમૂહ લગ્ન નું 22 નવેમ્બર 2026ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન ની ખાસ વિશેષતા એ છે કે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત રાત્રી સમૂહ લગ્ન થવા જઇ રહ્યા છે. એટલે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી વિશેષતા એ છે કે બિન જરૂરી ખર્ચાળ પ્રથા બંધ કરવાના આશયથી સમૂહ લગ્ન માં ભાગ લેનાર યુગલ ને પ્રીવેડિંગ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે યુગલો પ્રી વેડિંગ કરાવશે તેમને સમૂહ લગ્નનો લાભ મળશે નહીં. સાથે દરેક નવયુગલને ભારતીય પોસ્ટ નાં રૂ30 લાખનાં વીમા કવચથી સુરક્ષિત કરાશે. એટલે કે 70 યુગલો સમૂહ લગ્નમાં જોડાશે તો રૂ 21 કરોડનો વીમો લેવાશે. એટલું જ નહીં સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દરેક દીકરીને કન્યાદાનરૂપી અંદાજે પાંચ લાખ સુધીની ભેટ સોગાદો આપવાનું પણ આયોજન છે. 3500થી વધુ સમાજ બંધુઓ એક માંડવે ભોજન લેશે અને સમગ્ર ગુજરાતનાં લેઉવા પાટીદાર આગેવાનો એક મંચ પર આવશે‌. સુરક્ષાના ભાગરૂપે પાંચ કરોડનો વીમો લેવા માટેનું આયોજન છે. 9થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ વેક્સિન અપાશે સમાજ ની દીકરીઓને ગર્ભાશયનાં કેન્સરથી સુરક્ષિત રાખવા માટે 9 થી 14 વર્ષની દીકરીઓ માટે સમૂહ લગ્નમાં જ દ્વિતીય ચરણમાં મેગા સર્વાઇકલ વેક્સિન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે અન્ય સામાજિક મુદ્દાઓ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. 70 દીકરીઓના સમૂહ લગ્નનો અંદાજએક દીકરીના લગ્ન પાછળ અંદાજે 5 લાખ પ્રમાણે ખર્ચ ગણીએ તો સમાજની 70 દીકરી આ સમૂહ લગ્નમાં જોડાશે તો રૂ 3.75 કરોડની બચત થશે સાથે માનવ કલાકો પણ બચશે. આ સમૂહ લગ્ન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આશીર્વાદરૂપ બનશે. તેમજ સમાજના ખોટા રિવાજોને કારણે નાના માણસોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:37 am

નશેડી કાર ચાલકે સર્જ્યો અકસ્માત:પીધેલા કાર ચાલકની 2 વાહનને અડફેટે લઈને લવારી,પોલીસે જ દારૂ આપ્યો છે!

એરપોર્ટ સર્કલે શનિવારે રાત્રે નશેડી કાર ચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. જોકે રાહદારીઓએ કાર ચાલકને પકડી પાડ્યો હતો. સ્થળ પર ટોળા એકત્ર થઈ ગયા હતા. હરણી પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. હરણી પોલીસને શનિવારે રાત્રે પોણા અગિયાર વાગે વર્ધી મળી હતી કે, પીધેલી હાલાતમાં કારને વાંકી-ચુંકી ચલાવી અકસ્માત કર્યો છે. હરણી પોલીસ પહોંચી હતી અને સ્થળ પરથી વિકાસ ભીકંદરાવ જાદવ(રહે, સોનવાટિકા સો.આજવા રોડ)ને દારૂ પીધેલી હાલાતમાં પકડી પાડ્યો હતો. હરણી પોલીસે વિકાસની રૂ.2.50 લાખની કાર કબ્જે કરી હતી. દારૂ પીને પકડાયેલા વિકાસ જાદવ લવારી કરવા લાગ્યો હતો. તેને મીડિયાને જણાવ્યું હતું કે, અહીં દારૂબંધી છે, તો દારૂ કેમ વેચાય છે. પોલીસ સ્ટેશનના વહિવટ આ ચલાવે છે. પોલીસના નેજા હેઠળ ધંધો ચાલે છે. મને પોલીસે જ દારૂ આપ્યો છે, શહેરમાં દારૂ વેચાય છે કે કેમ તેનો પોલીસ કમિશનરે જવાબ આપવો જોઈએ. વિકાસની કારમાંથી બે ખાલી દારૂના ક્વાર્ટર પણ મળી આવ્યા હતા. રાજસ્થાન ફરવા ગયો, ત્યાંથી દારૂ લઈ આવ્યો હતોવિકાસ જાદવ થોડા સમય પહેલાં રાજસ્થાન તરફ ફરવા ગયો હતો. ત્યાંથી દારૂ લઈને આવ્યો હતો. તે ઘરેથી સમા-હરણી લીંક રોડ તરફ કારમાં ગેસ ભરાવવા જતો હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. રેડ સિગ્નલે ઊભેલા મોપેડ ચાલકને પાછળથી અડફેટે લીધોવિકાસે એરપોર્ટ સર્કલે બે વાહનને અડફેટે લીધા હતા. એક મોપેડ ચાલકે મીડિયાને કહ્યું હતું કે, હું મોપેડ લઈને નાઇટમાં નોકરી જતો હતો. પાછળથી કાર ચાલકે ટક્કર મારી છે. તે ભાગવા જતો હતો. જોકે અમે પકડી પાડ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:34 am

ભાસ્કર એક્સક્લુસિવ:છાયાપુરી રેલવે સ્ટેશન પર 6 વર્ષથી સીસીટીવી નહીં અનેક ગુના બન્યા, માર્ચ સુધીમાં 22 કેમેરા લગાવાશે

વડોદરાના પહેલાં સેટેલાઇટ છાયાપુરી રેલવે સ્ટેશન બન્યાના 6 વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયો છતાં ત્યાં મુસાફરોની સુવિધા તથા સુરક્ષા માટે સીસીટીવી લગાવાયા નહોતા. પોલીસને લાંબા સમયથી કોઈ ગુનાની ભાળ મેળવવા ખૂબ તકલીફ પડતી હોવાના કિસ્સા બન્યા હતા. જોકે રેલવે તંત્ર જાગ્યું હતું અને સીસીટીવી લગાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મંજૂરી મળ્યા બાદ હવે માર્ચ-2026 સુધી સીસીટીવીનું કામ પૂર્ણ થઈ રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા 22 સીસીટીવી લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન તથા મુસાફરોનો લોડ ઘટાડવા વર્ષ 2019માં છાયાપુરી રેલવે સ્ટેશન બનાવાયું હતું. અહીંથી શહેરની કેટલીક ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. ત્યારે તે હવે શહેરનું મહત્ત્વનું રેલવે સ્ટેશન બની ગયું છે. જોકે તપાસ કરતા સ્ટેશન પર ટિકિટ વિન્ડો પર પણ સીસીટીવી જોવા મળ્યો નહોતા. પોલીસ સુત્રો મુજબ, અહીં ચોરી, પિક પોકેટિંગ, તથા અન્ય ગુનાના આરોપીઓ રેલવે સ્ટેશન પર ઉતરે છે. ત્યારે તેમને પકડી પાડવા અથવા ગુના અટકાવવાને લઈ પોલીસને મુશ્કેલી પડે છે. જોકે આ સમગ્ર મામલે અનેકવાર આ સ્થળે ગુનાહિત પ્રવૃતિઓ થઈ ચુકી છે. ત્યારે પોલીસને લાંબા સમયથી કોઈ ગુનાની ભાળ મેળવવા ખૂબ તકલીફ પડતી હોવાના કિસ્સા બન્યા હતા. જોકે રજુઆતો અને તપાસબાદ રેલવે દ્વારા 22 સીસીટીવી લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી ગુનાહિત પ્રવૃતિઓને રોકી શકાશે. જ્યાં સીસીટીવી નથી તે જગ્યા જાણી રિપોર્ટ કરાશેપશ્ચિમ રેલવે વડોદરા પોલીસ દ્વારા તાજેતરમાં તેમના યુનિટ હેઠળ આવતા રેલવે સ્ટેશન પર સરવે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ક્યાં સીસીટીવી લગાવવા જોઈએ તેને લઈ સરવે કરાઈ રહ્યો છે. આ રિપોર્ટ સીઆઈડી ક્રાઈમમાં અપાશે. ત્યારબાદ વધુ સીસીટીવી લગાવાશે. તેમ જાણવા મળ્યું હતું. જોકે આ કામગીરી બાદ રેલવે સ્ટેશન પર નઝર રાખી શકાશે. સુરક્ષાને ધ્યાને રાખી માર્ચ-2026 સુધી સીસીટીવી લગાવી દેવાશેમુસાફરોની સુરક્ષા તથા સુવિધા માટે 22 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગઈ છે. માર્ચ-2026 સુધી કામ પૂર્ણ કરી દેવાશે. > અનુભવ સક્સેના, પીઆરઓ, વેસ્ટર્ન રેલવે. કિસ્સો -1રેલવે સ્ટેશન પર લૂંટ થઈ, સીસીટીવી ન હોવાથી આરોપી પકડવામાં મુશ્કેલી પડીબે મહિના પહેલાં છાયાપુરી રેલવે સ્ટેશન પર જ દોઢ લાખની મત્તાની લૂંટ થઈ હતી. આ મામલે વડોદરા રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. સ્ટેશન પર સીસીટીવી ન હોવાથી આરોપીની ભાળ મળી નહોતી. સાથે જ વધુ માહિતી મેળવવામાં પણ તકલીફ પડી હતી. જોકે પોલીસે સ્ટેશન બહારના સીસીટીવીની મદદ લઈને બે આરોપીને પકડ્યા હતા. કિસ્સો -2તાજેતરમાં કિશોર ઘર છોડીને ટ્રેનમાં બેસી દ્વારકા જતો રહ્યો, પોલીસને મુશ્કેલી પડી હતીતાજેતરમાં જ ઓક્ટોબર મહિનામાં ફતેગંજમાં રહેતો 14 વર્ષના કિશોરને બહેને ફોનનો વધુ ઉપયોગ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જોકે તે વાતે માઠુ લાગી આવતા કિશોર ઘર છોડીને છાયાપુરી રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો અને ટ્રેનમાં બેસીને દ્વારકા જતો હતો. ફતેગંજ પોલીસ રેલવે સ્ટેશન પહોંચી હતી. જોકે ત્યાં સીસીટીવી ન હોવાથી કિશોર કઈ ટ્રેનમાં ગયો હશે તેની કોઈ માહિતી મળી નહોતી. સાથે કોઈ અન્ય પૂરાવા પણ મળ્યા નહોતા. જોકે પોલીસે તપાસ કરીને આખરે કિશોરને શોધી કાઢ્યો હતો. મેટલ ડિટેક્ટર પણ લગાવવાનું પણ આયોજન, ટૂંક સમયમાં કામ પૂર્ણ થશેછાયાપુરી રેલવે સ્ટેશન તપાસ કરતા ત્યાં મેટલ ડિટેક્ટ સહિતની સુવિધા પણ જોવા મળી નહોતી. ત્યારે આ મામલે રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેનું કામ પણ ટૂંક સમયમાં કરાશે. ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગયા બાદ આગામી સમયમાં મેટલ ડિટેક્ટર પણ લગાવાશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:33 am

સિદ્ધિ:નેશનલ કરાટે સ્પર્ધામાં સિટીના ચાર ફાઇટર્સે 4 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ચોથી ઓલ ઈન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપનું કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નોર્થ–ઇસ્ટ ઝોનની સ્પર્ધામાંથી ગોલ્ડ તથા સિલ્વર મેડલિસ્ટ પ્રાપ્ત કરેલા બેસ્ટ ફાઈટર્સ વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ યોજાઈ હતી.વેસ્ટ ઝોનના સાત રાજ્યોમાંથી ક્વોલિફાઇડ ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ ફાઈટર્સે ભાગ લીધો હતો. સિટીના પાર્થરાજસિંહ જાડેજા, અદ્વિકા ચંદ્રા, યસ્વી પટેલ, કાર્તિક થયાલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. આ ચારેય ફાઈટર્સે પોતાની ઉત્તમ ટેકનિક, શિસ્ત અને ફાઇટિંગ સ્પિરિટ દ્વારા મેડલ મેળવ્યા છે. તેમ કોચ શિહાન જેસલ પટેલ, સેન્સેઇ રવિ પાટીલ તથા સેન્સેઇ મહેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:29 am

મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:મહિલા પોલીસ ટીમ 50 રનથી જીતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીતીને દેશની તમામ દિકરીઓના રોલ મોડેલ બન્યા છે. જેહવે છોકરીઓ ક્રિકેટમાં વધુને વધુ રસ લેતી જોવા મળી રહી છે. ત્યારે મહિલાઓને ક્રિકેટ ક્ષેત્રે વધારે પ્રોત્સાહિત કરવા તેમજ એક મનોરંજનના હેતુથી વડોદરા ખાતે વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ એક દિવસની મેચમાં નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ આવી પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ એક ટેનિસ બોલથી ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં કુલ 6 ટીમમાં હાઉસ વાઈફ, સ્ટુડન્ટ્સ, વર્કીંગ વુમન, પોલીસ સહિતના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં વડોદરા પોલીસ ટીમ અને ટ્રાન્સપેક ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. શરૂઆતમાં ટ્રાન્સપેક ટાઇટન્સની ટીમ ટોસ જીતી ગઇ હતી. જોકે જેમ જેમ મેચ આગળ વધી તેમ તેમ રસાકસીની મેચ થવા લાગી હતી. આગળ જતા ધીરે ધીરે બાજી વડોદરા પોલીસની ટીમના હાથમાં આવતી જોવા મળી હતી. વડોદરા પોલીસ ટીમે 8 ઓવરમાં 87 રન બનાવ્યા જ્યારે ટ્રાન્સપેક ટાઇટન્સ 8 ઓવરમાં 30 રન બનાવી શક્યા હતા. જેથી વડોદરા પોલીસ ટીમે ટીસીએલ ચેમ્પિયન્સ લીગ સીઝન 2માં 50 રનથી જીત મેળવી હતી. ટુર્નામેન્ટમાં સૌથી વધુ 66 રન વડોદરા પોલીસ ટીમના હિરલબા મોરીએ બનાવ્યા અને સૌથી વધુ 5 વિકેટ વડોદરા પોલીસ ટીમના આરતી સમયા દ્વારા લેવામાં આવી હતી. આમ 6 ટીમો વચ્ચે ટુર્નામેન્ટમાં કુલ સાત મેચ રમવામાં આવી હતી. મહિલાઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે રસ જગાડવા વર્ષ 2011થી ટુર્નામેન્ટ યોજાઇ છેઅતિથિ વિશેષ તરીકે વડોદરા પોલીસ વિભાગના પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડા, ટુર્નામેન્ટના ચીફ ગેસ્ટ તરીકે બરોડા મેનેજમેન્ટ એસોસિયેશનની વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.મંગલા ચૌહાણ હાજરી આપી હતી. આ ઉપરાંત આ ટુર્નામેન્ટના ઓર્ગેનાઈઝર સ્પ્રિન્ટએરાના ફાઉન્ડર નિમીષા શાહ અને કો-ફાઉન્ડર અનંગ મિસ્ત્રી વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ 2011થી કરતા આવ્યા છે, જેનો મુખ્ય હેતુ સ્પોર્ટસ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાનું છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:26 am

ફન ફેરનું આયોજન:ફન ફેરમાં વિદ્યાર્થીઓએ પોટરી મેકિંગ શીખ્યા

ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે શાળાના 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગની ઉજવણી માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ ઉજવણીના ભાગ રૂપે સ્કૂલના ગ્રાઉન્ડમાં ‘ફન ફેર’નું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વદેશ એક ઉડાન આત્મનિર્ભરતા કી ઔર’ થીમ સાથે, આ ફન મેળામાં “વોકલ ફોર લોકલ’ની ઉજવણી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ફન ફેરમાં સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ, ગેમ સ્ટોલ, ક્રિએટિવિટી ઝોન, પપેટ શો, મેજિક શો, સેલ્ફી પોઇન્ટ, લાઇવ ડીજે-કારાઓકે, પ્લેસ્ટેશન ગેમિંગ, શોપિંગ સ્ટોલ અને ઘણા બધા આકર્ષણોનો સમાવેશ થતો હતો. આ સાથે બેસ્ટ સ્ટોલ ડેકોરેળશન, મોસ્ટ યુનિક સ્ટોલ આઇડ્યા સહિતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ફન ફેર ફક્ત મનોરંજન માટે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટીમવર્ક અને સામાજિક જોડાણ વધારવાનો એક અદ્ભુત પ્રયાસ હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:25 am

શિક્ષકોની સમસ્યા:શિક્ષકો ન ભણાવી શક્યા, ન મતદારોના દસ્તાવેજ મેળવાયા,2002ની યાદીનું મેપિંગ ન થતાં હાલાકી

મતદાર યાદી માટે ચાલી રહેલી સરની કામગીરી લંબાવામાં આવી છે. જોકે તેમ છતાં શિક્ષકોની પરેશાની ઓછી થઇ નથી. 2002ની મતદાર યાદીનું મેપીંગ થતું ના હોવાથી પુરાવા માંગવા જતા શિક્ષકોને ડોકયુમેન્ટ આપવામાં લોકો અનાકાની કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. સંખ્યાબંધ લોકો ફોર્મ જ પરત આપી રહ્યા નથી જેના કારણે શિક્ષકોને ધક્કા વધી ગયા છે. બીએલઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જે મતદારોના 2002ના નામ મળી રહ્યા નથી તેવા મતદારોનું મેપીંગ કરવામાં આવી રહ્યું છે. બીએલઓ દ્વારા જયારે મેપીંગ વગરના ફોર્મ માટે ડોકયુમેન્ટ માંગવા માટે જાય છે ત્યારે મોટાભાગના લોકો તેમને કોઇ પણ પૂરાવા આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. બીએલઓને કડવો અનુભવ થઇ રહ્યા છે. સંખ્યાબંધ જગ્યાએથી તો હતુ ફોર્મ પણ મળી રહ્ના ના હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું. મેપીંગ થયું ના હોય અને પુરાવા પણ આપ્યા ના હોય તેવા કિસ્સામાં પણ હવે બીએલઓ દ્વારા ફોર્મ અપલોડ કરાઇ રહયા છે. જેમાં કોઇ પણ પુરાવા મળ્યા ના હોવાના ઓપ્શન સાથે ફોર્મ ભરાઇ રહ્યા છે. જેના પગલે જયારે કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ થશે તે સમયે જેમણે પૂરાવા આપ્યા નહિ હોય તે તમામે પૂરાવા રજૂ કરવા પડે તેવી સ્થીતી ઉભી થઇ છે. બીએલઓને 2002ની યાદીમાં જેમના નામ નથી તેમના આધાર પૂરાવા એકત્રીત કરવા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કિસ્સો-1 કેટલીવાર આવો છો, તેમ કહીને મતદારો દ્વારા શિક્ષકોને જાકારો અપાય છેશિક્ષકે નામ નહિ આપવાની શરતે કહ્યું હતું કે ઘણી જગ્યાએ કડવો અનુભવ થઇ રહ્યો છે અને 2002ની યાદીમાં નામ ના હોય તેવા કિસ્સામાં કોઇ પણ ડોકયુમેન્ટ માંગીએ છે તે વખતે ચોખ્ખા શબ્દમાં ના પાડી દઇને કેટલી વાર આવો છો તેમ કહીને જકારો આપી દેવામાં આવે છે. કિસ્સો-2 તમારે યાદીમાં નામ રાખવું હોય તો રાખો, નહિ તો અમને કોઇ જરૂર નથીઅન્ય એક શિક્ષકે જણાવ્યું હતું કે ફોર્મની સાથે ડોકયુમેન્ટ માંગવામાં આવે છે ત્યારે ઘણાં લોકો કહે છે કે તમારે મતદાર યાદીમાં નામ રાખવું હોય તો રાખો નહિ તો અમને કોઇ જરૂર નથી. તેવું કહીને ડોકયુમેન્ટ આપવામાં આપતા નથી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:19 am

પ્રજાજન પરેશાન:અકોટા-મુજમહુડાના ફૂટપાથને ખાણી-પીણીની લારીઓનો ભરડો, ભૂવા-ખાડા સાથે ટ્રાફિકની પળોજણની જુગલબંદી

અકોટા અને મુજમહુડા વિસ્તાર રસ્તા પર પડતા કુદરતી ભૂવાઓ માટે વર્ષોથી ચર્ચામાં છે.પણ છેલ્લા વર્ષોથી આ બંને વિસ્તારના રહીશો સાથે જાણે રસ્તે નીકળતાં પારાવાર સમસ્યાઓ પણ ચાલવા માંડે છે. રસ્તા પર આડેધડ દોડતાં વાહનો, કચરાના ઢગલા અને સાથે ભૂવા-ખાડાઓ સાથે ટ્રાફિકની પળોજણની જુગલબંદી. અકોટા-મુજમહુડાના ફૂટપાથોને ખાણી-પીણીની લારીઓનો અજગરી ભરડો લઇ લીધો છે. પાલિકા અને પોલીસ તંત્રના હપતાખાઉ અધિકારીઓ અને કોર્પોરેટરોની સીધી મિલીભગત આ હાલત માટે જવાબદાર છે. શબ્દોને સહેજ પણ ચોર્યા વિના બુલંદ અવાજે આ જ વિસ્તારના જાગૃત નાગરિકોએ દિવ્ય ભાસ્કરના ફોકસ ગ્રૂપ ડિસ્કશનમાં કરી હતી. આ ઉપરાંત તેમણે રાત્રે અસામાજિક તત્વોનો અંડિગો અને ત્યાં પોલીસની ગેરહાજરી તથા તેના લીધે બનતા છેડતીના બનાવો તથા પૂરઝડપે જતાં વાહનોની હકીકત પણ ઉઘાડી પાડી હતી. પોલીસ સાથે સંકલન કરીને નડતરરૂપ દબાણો હટાવાશેટ્રાફિકને નડતરરૂપ દબાણો ધ્યાનમાં છે. આ દબાણો ટૂંક સમયમાં જ પાલિકા હટાવશે. તાજ હોટેલ સામેના ભાગમાં અગાઉ પણ દબાણો હટાવ્યાં હતા. જોકે પોલીસ સાથે સંકલન કરવામાં આવશે. > ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી. ફૂટપાથ ખુલ્લા કરો, ચેતન સોસાયટી બહારથી કચરા પેટી હટાવાતાં નવો સ્પોટ બન્યો સ્થાનિક નાગરિકોની આ હાલાકી ક્યારે દૂર કરાશે? 1. અકોટા-દાંડિયાબજાર સિગ્નલ પર દાંડિયા બજાર બ્રિજથી ઉતરતાં 6 મહિનાથી ડ્રેનેજલાઇનનું કામ ચાલે છે. 2. અકોટા ચાર રસ્તાથી ગરનાળા તરફ જતાં લિકેજની સમસ્યાથી ભૂવા પડ્યા છે અને વારંવાર અકસ્માત થાય છે. 3. ગાયસર્કલથી અકોટા બ્રિજ જવાના રસ્તે પાર્કિંગ ન મળતાં ટ્રાફિક જામ થાય છે. 4. કસમયે સ્લમ કવાટર્સમાંથી વાગતા માઇક્રોફોનને લીધે અન્ય સોસાયટીના રહીશોને તકલીફ સહન કરવી પડે છે. સમસ્યા અને સમાધાનસમસ્યા : અકોટાના વિસ્તારમાં પાર્કિંગની માથાના દુઃખાવા જેવી સમસ્યા છેસમાધાન: આ માટે હોસ્પિટલો પાસે પાર્કિંગ તેમની હોસ્પિટલમાં જ કરાવવા પડે છે સમસ્યા : પોલીસ કર્મી ન હોવાથી ફૂટપાથ પર દબાણો થતાં રસ્તા સાંકડા થયા છેસમાધાન: પાલિકા-પોલીસ વિભાગ સંકલન કરી કામ કરે તો સમસ્યાનો ઉકેલ શક્ય છે સમસ્યા : આ લારીઓને હટાવવા પાલિકા-પોલીસ તંત્રે કડક કાર્યવાહી કરવી પડેસમાધાન: ચિનારવુડ સોસાયટીથી મુજમહુડા જવાના રસ્તે લારીઓના દબાણો સમસ્યા : આ ડિવાઇડર પરના નકામા કટને તુરંત જ બંધ કરવાની જરૂર છે.સમાધાન: તાજ હોટેલની સામે ડિવાઇડર પર બિનજરૂરી કટ છે

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:18 am

સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડમાં શ્રીમદ્ ભાગવત કથા‌નો પ્રારંભ:શ્રીમદ્ ભાગવત ગોવર્ધનનું વાંગ્મય સ્વરૂપ: નયન શાસ્ત્રી

શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત કથા‌ મનોરથી ભગવતીબેન પુરોહિતના સૌજન્યથી પ્રારંભ થયો હતો. શ્રીમદ્ ભાગવતની પોથીયાત્રા શોભાયાત્રામાં મહિલાઓ શિર ઉપર કળશ ધારણ કરીને વાઘોડિયા રોડના રાજમાર્ગો પર નીકળી હતી. પોથીયાત્રા વૃંદાવન ધામમાં પહોંચતા પરમહીદ આધ્યાત્મિક સંકુલ ચાણોદવાળા નયન શાસ્ત્રીજી, સ્થાયી સમિતિના માજી ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ, મનોરથી પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કથાનો શુભારંભ કરાવ્યો હતો. વ્યાસપીઠ પરથી નયન શાસ્ત્રીએ જણાવ્યું કે, સત, ચિત, આનંદ એ સચ્ચિદાનંદ રૂપ કહેવાય છે. શ્રીમદ્ ભાગવત એ માનવીને જીવતા અને મરતા પણ શીખવાડે છે. વિષાદમાંથી મોક્ષ તરફ લઈ જાય તે શ્રીમદ્ ભાગવત. અંધકારમાંથી દિવ્યતા તરફ લઈ જાય તે ભગવદ ગીતા. જેના ઘરમાં શ્રીમદ્ ભાગવત બિરાજે છે. તેના સધળા પાપો દૂર થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:12 am

ષષ્ઠી પૂર્તિ મહોત્સવ યોજાશે:સુખધામ હવેલી ખાતે ડો.વાગીશકુમારજીની ષષ્ઠી પૂર્તિ ઊજવાશે

વૈષ્ણવાચાર્ય ડો. વાગીશકુમારજી મહારાજની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે દ્વિદિવસીય કાર્યક્રમ યોજાશે. સુખધામ હવેલીમાં શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય તૃતીયપીઠ કાંકરોલી, ડિવાઇન ઇન્ટરફેઇથ વૈષ્ણવ યુથ ફાઉન્ડેશનના ઉપલક્ષમાં કાંકરોલી યુવરાજો વેદાંત કુમારજી મહોદય, સિદ્ધાંત કુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ કાંકરોલી નરેશ ડો.વાગીશકુમારજીનો ષષ્ઠીપૂર્તિ મહોત્સવ યોજાશે. 13 ડિસેમ્બરે વલ્લભનંદન ગુંસાઈજીપ્રભુના 511માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સુખધામ હવેલીમાં શૃંગારમાં નંદ મહોત્સવ, શોભાયાત્રા બપોરે 4 કલાકે 31, વસુંધરા સોસાયટીથી નીકળી સુખધામ મંદિર પહોંચશે. 14 ડિસેમ્બરે બપોરે 4 કલાકે કેવડાબાગ બેઠક મંદિર, ગોવર્ધનનાથજી હવેલીના ઠાકોરજી પધારીને સુખધામ હવેલીમાં બિરાજમાન પ્રભુના સ્વરૂપો સાથે 56 ભોગનો બડો મનોરથ સુખધામ મંદિરે યોજાશે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:11 am

દિવ્ય અખંડ જ્યોત નગરયાત્રાનું આયોજન:માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં 8 વર્ષથી પ્રજ્વલિત અખંડ જ્યોતની નગરયાત્રાનો શુભારંભ

માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં 8 વર્ષથી અખંડ પ્રજવલીત જ્યોતનો રવિવારે નગરયાત્રા પ્રારંભ થયો હતો. ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણા તથા આશીર્વાદથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત નગરયાત્રાનું વડોદરામાં આયોજન કરાયું છે. ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયની મંગલ પ્રેરણા તથા આશીર્વાદથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના પ્રારંભ સ્વરૂપે, ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે એકતા અને ભક્તિનો સંદેશ લઈને વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત, વડોદરાની નગર યાત્રામાં પધરાવવામાં આવી હતી. ગોસ્વામી વ્રજરાજકુમારજી દ્વારા સુખપાલમાં આ જ્યોતને વ્રજધામ મંદિર પરિસરમાં પધરાવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની સાથે શેહરના રાજકીય તેમજ સામાજિક આગેવાનો,વીવાયઓ વડોદરાના પદાધિકારીઓ તેમજ સભ્યો તથા અનેક વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધાનસભાના દંડક બાલુ શુક્લા , ધારાસભ્ય યોગેશ પટેલ,ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચેતન દેસાઈ તેમજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, તેમજ વડોદરા શહેરના વિવિધ વોર્ડના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. પૂજન બાદ જ્યોતને બસમાં પધરાવવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય તથા મહાનુભાવોની ઉપસ્થિતમાં અખંડ જ્યોતને નગરયાત્રા માટે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાંથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવાયું હતું. જ્યોત ક્યારે-ક્યાં જશે? ગિરિરાજની તળેટીમાં થયેલા યજ્ઞની જ્યોત લવાઈ હતીગોસ્વામી વ્રજરાજ કુમારજી દ્વારા 2017માં અક્ષય નોમના દિવસે ગિરિરાજજીની તળેટીમાં, પ્રથમ મિલનના સ્થળેથી પુરુષોત્તમ સહસ્ત્ર યજ્ઞમાંથી પ્રગટ કરવામાં આવી અને આ જ્યોતને 2018માં મહા વદ- 4ના વ્રજધામ મંદિર ખાતે અખંડ જ્યોત સ્વરૂપે સ્થાપિત કરવામાં આવીહતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:10 am

વાઘોડિયા રોડના કુબેર સિટી ફ્લેટનો બનાવ:લિફ્ટમાં ફસાયેલા ત્રણને કાઢવા લાશ્કરો જાળી કાપતા હતા,રહીશે સ્વિચ દબાવી ખોલી નાખી

વાઘોડિયા-ડભોઇ રોડ પર ગત મોડી રાત્રે 3 યુવકો લિફ્ટ બંધ થતાં ફસાયા હતા. આ યુવકોએ ફાયરબ્રિગેડને ફોન કર્યા બાદ ટીમ આવી હતી. આખરે સ્થાનિક રહીશની મદદથી 15 મિનિટમાં તેમનો છૂટકારો થયો હતો. વાઘોડિયા-ડભોઇ રોડ પર કુબેર સિટીના સાતમા માળેથી 3 લોકો રાતે 12-15 વાગ્યે નીચે ઊતરતા હતા ત્યારે લિફ્ટ બંધ થઇ ગઇ હતી. તેમણે 15 મિનિટના પ્રયાસો બાદ પાણીગેટ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. જેથી ટીમ પહોંચી હતી. જોકે લિફ્ટની જાળી ન ખૂલતાં લાશ્કરોએ જાળી કાપવાનું નક્કી કરી ગ્રાઇન્ડર ચાલુ કરવાની તૈયારી કરી હતી. દરમિયાન યુવકો પૈકીના ધર્મિને સાતમા માળના લિફ્ટની સામેના ફ્લેટમાં રહેતા પાડોશી પાસે મદદ માગવાનું ફાયરબ્રિગેડને સૂચન કર્યું હતું. જેથી રહીશને ઉઠાડતાં તેમણે લિફ્ટના ઉપરના ભાગે સ્વિચ દબાવતાં 5 સેકન્ડમાં જાળી ખૂલી ગઇ હતી અને યુવકોનો 40 મિનિટ બાદ છુટકારો થયો હતો. ફસાયેલા યુવકે કહ્યું કે, લિફ્ટમાં લખેલા નંબરો પૈકી માત્ર ફાયરબ્રિગેડનો નંબર ચાલુ હતો. જ્યારે લિફ્ટમાં સાઇરનનો અવાજ પણ ખૂબ જ નાનો છે. ભાસ્કર એક્સપર્ટલિફ્ટમાં ઉપરના ભાગે એક સ્વિચ હોય છે, જે દબાવતાં જ લિફ્ટની જાળી ખૂલી શકે છેઆ લિફટને જાળી હોવાથી અને જૂની હોવાથી જાળીની ઉપરના ભાગે એક સ્વિચ જેવી ચાવી હોય છે. આ સ્વિચ દબાવવાથી જાળી ખૂલી જાય છે. આ જૂની હોવાથી ફાયરબ્રિગેડના સ્ટાફને કદાચ ધ્યાને નહીં હોય. > દક્ષેશ દવે, એડવાઇઝરી બોર્ડ ચેરમેન, વેલ્કા

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:09 am

વેધર રિપોર્ટ:લઘુતમ પારો ઘટીને 13.4 ડિગ્રી નોંધાયો,ઠંડીનો ચમકારો યથાવત્

શહેરમાં સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો યથાવત્ હતો. રવિવારે ડિસેમ્બર પ્રથમ સપ્તાહમાં સૌથી નીચું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. જેથી શનિવારની રાતે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. શનિવારની સરખામણીમાં રવિવારે લઘુતમ પારો 0.6 ડિગ્રીનો ઘટાડો થયો હતો. શહેરમાં રવિવારે લઘુતમ તાપમાનનો પારો ઘટીને 13.4 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી રહેતાં દિવસ હૂંફાળો રહ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 76 ટકા અને સાંજે 37 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1014.4 મિલિબાર્સ નોંધાયું હતું. પવનની ગતિ ઉત્તર પૂર્વ દિશામાંથી 6 કિમીની ઝડપે નોંધાઇ હતી. ભાસ્કર એક્સપર્ટ15મી બાદ ઠંડીનો પારો 11 ડિગ્રી પહોંચે તેવી શક્યતામધ્યપ્રદેશમાં અત્યારે કોલ્ડવેવ ચાલતી હોવાથી તેની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે, જે હજુ એક દિવસ જોવા મળશે. ત્યારબાદ ફરી લઘુતમ પારો 13 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાશે. હજુ ઉત્તરના પહાડી વિસ્તારોમાં સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું નથી, જે 15 તારીખ પછી આવશે. ત્યારબાદ ઠંડીનો ચમકારો વધી જશે. લઘુતમ તાપમાન 11 થી 12 ડિગ્રી સુધી પણ પહોંચશે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:08 am

પાણીનો વેડફાટ:મકરપુરામાં પાણીની લાઇનમાં ભંગાણ 2 દિવસમાં લાખો લિટર પાણી વેડફાયું

શહેરના મકરપુરા રોડ પર જીજી માતા મંદિર નજીક શનિવારે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. 15 વર્ષ જૂની પાણીની લાઈનમાં પડેલા ભંગાર નજીક સવારે ટ્રકનું ટાયર ખૂંપી જતાં લોકોમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ 2 દિવસથી લાઇનમાં ભંગાણને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મકરપુરા રોડ પર આવેલા જીજી માતા મંદિર નજીક શનિવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઈનમાં પડેલા ભંગાણ નજીક આવેલી વરસાદી ગટરમાં પાણી વહી જતાં સ્થાનિક લોકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ પાણીની લાઇનમાં પડેલા ભંગાણ નજીક જ સવારે રેતી ભરેલી ટ્રકનું ટાયર ખૂંપી જતાં તેને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બે દિવસથી લાઇનમાં પડેલા ભંગાણમાંથી લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પાલિકા ક્યારે લાઈનનું સમારકામ કરશે તેવી ફરિયાદો ઊઠી હતી. ભાસ્કર ઇનસાઇડલાઈન પાસે વીજ કેબલ જતો હોવાથી શટડાઉન લેવાશેપાલિકાનાં આધારભૂત સૂત્રો મુજબ જીજી માતા મંદિર નજીક 15 વર્ષ જૂની લાઈનમાં ભંગાણ સર્જાયું છે, જેનું સમારકામ સોમવારે કરાશે. કારણ કે પાણીની તૂટેલી લાઈન નજીક વીજ કંપનીનો કેબલ જઈ રહ્યો છે. જેથી વીજ કંપનીના કર્મીઓની મદદ લેવી પડશે. સોમવારે સવારના ઝોનમાં શટડાઉન લઈ કામગીરી કરાશે. જોકે લોકોને પાણી નહીં મળવાની પરેશાની નહીં થાય તેવો દાવો કરાયો છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:07 am

મુસાફરોનેે આવ્યો નિરાશ થવાનો વારો:ઇન્ડિગોની મુંબઇ-બેંગ્લોરની 6 ફ્લાઇટ રદ, 1 હજાર ટિકિટ કેન્સલ,ટ્રેનમાં પણ બુકિંગ ન મળ્યું

ઇન્ડિગો એર લાઇન્સની કટોકટીથી વડોદરા એરપોર્ટ પર મુંબઇ અને બેંગ્લોરની 6 ફ્લાઇટ કેન્સલ થઇ હતી. જેથી મુસાફરોને નિરાશ થવાનો વારો આવ્યો હતો. મુંબઇ-વડોદરા-મુંબઇ અને બેંગ્લોર-વડોદરા-બેંગ્લોર તથા સાંજની મુંબઇ-વડોદરા-મુંબઇ ફ્લાઇટ રદ થઇ હતી. જેથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડી હતી. બીજી તરફ એર લાઇન્સ સેવા ગમે ત્યારે શરૂ થઇ શકે તેવી શક્યતાથી લોકોએ ટિકિટ બુક કરાવી હતી, પછી નિરાશ થવાનો વારો આવ્યો હોવાનું ટ્રાવેલ એજન્ટ્સે જણાવ્યું હતું. બીજી તરફ એર ઇન્ડિયાએ સોમવાર માટે દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઇટ મૂકવાની જાહેરાત કરી છે. જે દિલ્હીથી બપોરે 2.30 વાગ્યે આવશે અને 3.10 કલાકે પરત જશે. વડોદરાના ટ્રાવેલ એજન્ટ્સના જણાવ્યા મુજબ ફ્લાઇટ રદ થતાં લોકો ટ્રેનથી મુંબઇ-દિલ્હી જવાનું પસંદ કરે છે, પણ બુકિંગ મળતું નથી. નોંધનીય છે કે, કેપ આવ્યા પહેલાં વડોદરા-મુંબઇનું ભાડું 90 હજારે પહોંચ્યું હતું.બીજી તરફ કેપ આવ્યા બાદ મુંબઇ અને દિલ્હીનું ભાડું મહત્તમ 12 હજારે પહોંચ્યું છે. ઇન્ડિગોએ રિફંડની જાહેરાત કરી, પણ આપ્યું નથીઇન્ડિગો કટોકટીથી શુક્રવાર સુધીમાં મુંબઇનું 40 હજાર સુધીનું ભાડું મુસાફરોએ ચૂકવ્યું છે. મુસાફરોને રિફંડ ચૂકવાશે તેવી જાહેરાત ઇન્ડિગોએ કરી છે, પણ હજી સુધી ચૂકવાયું નથી. વડોદરાથી મુંબઇ જતાં 5 સિનિયર સિટિઝનો શુક્રવારે અટવાઇ ગયા હતા. > રિપલ શાહ, ટ્રાવેલ એજન્ટ ભાસ્કર નોલેજઇન્ડિગોની કટોકટી બાદ 6 દિવસમાં 20 હજાર મુસાફર ઘટ્યા, એરપોર્ટે આંકડાઓ જાહેર કરવાના બંધ કર્યાવડોદરા એરપોર્ટના સત્તાધિશો દ્વારા સોશિયલ મીડિયા પર કેટલા મુસાફરો એરપોર્ટ પર આવ્યા તેનો ડેટા જાહેર કરવાનું શરૂ કર્યું હતું. ઇન્ડિગોની કટોકટી બાદ વડોદરાથી દિલ્હી, મુંબઇ જ નહીં બેંગ્લોરની ફ્લાઇટ રદ થતાં 6 દિવસમાં 20 હજાર યાત્રી ઘટ્યા છે. બીજી તરફ એરપોર્ટે સોશિયલ મીડિયામાં આંકડા જાહેર કરવાનું બંધ કર્યું છે. છેલ્લે 26 નવેમ્બરના ડેટા મુજબ ઇન્ડિગોમાં 3926 મુસાફરોએ સફર કરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:06 am

મંડે પોઝિટીવ:વૃદ્ધત્વમાં સહારો ઝંખ્યો નહીં, સહારો બન્યાઃ એસબીઆઇમાંથી નિવૃત્ત 30 વૃદ્ધોએ 30 વર્ષમાં આદિવાસી શાળાઓમાં સવા કરોડની સહાય કરી

‘નિવૃત્તિનો અર્થ વિરામ નથી, સેવાનો નવો પ્રારંભ છે’ આ સૂત્રને અનુસરી 30 વર્ષથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસોસિયેશન-વડોદરાના 30 સભ્યો છોટાઉદેપુર, કવાંટ, રાજપીપળા અને અન્ય આદિવાસી વિસ્તારોમાં સ્કૂલોમાં પાણી, લાઈટ, પંખા, વ્હાઈટ બોર્ડ, અભ્યાસનાં સાધનોની સુવિધા કરી છે. સાથે તિલકવાડા પાસે ભેખડિયા આશ્રમ શાળામાં સોલર પેનલ લગાવી હતી. અત્યાર સુધી એસોસિયેશને સવા કરોડનો જન સહકાર મેળવી સેવા કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસો.ના વડોદરાના સુધીર જાનીએ કહ્યું કે, 30 વર્ષ પહેલાં છોટાઉદેપુર એસબીઆઈના બ્રાંચ મેનેજર વી.ડી. દેસાઈએ જોયું કે, છોટાઉદેપુર વિસ્તારની સ્કૂલોમાં સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓ આવતા નથી. જેથી તેમણે સ્કૂલના કમ્પાઉન્ડમાં હિંચકા, લપસણી, સી-સો જેવી રમતનાં સાધન મૂકાવ્યાં હતાં. જે પછી વિદ્યાર્થીઓ રમવા સ્કૂલમાં આવતા થયા સાથે અભ્યાસ કરવા લાગ્યાં હતાં. તેમણે શરૂ કરેલા આ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસોસિયેશનના સભ્યો જોડાયા, જેમાં કોઈનો જન્મદિવસ હોય કે પછી માતા-પિતાની તિથિ હોય ત્યારે રૂપિયા ભેગા કરી સામાજિક કાર્યો કરાય છે. હાલમાં વૃદ્ધોને ધાબળા અપાયા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસોસિયેશન-વડોદરા યુનિટે સહયોગી બનીને 14 વનવાસી ગામોમાં વિદ્યાર્થીઓ માટે કુલ 1428 ગરમ ધાબળા આપ્યા હતા. માતા-પિતાની તિથિએ આશ્રમ શાળામાં લાડુ અપાય છેસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસોસિયેશનના વડોદરા યુનિટ દ્વારા સભ્યોમાંથી કોઈના માતા-પિતાની તિથિ હોય તો બ્રાહ્મણોને જમાડવા કરતાં તિલકવાડા પાસે આવેલા ભેખડિયા આશ્રમ શાળા ખાતે આદિવાસી બાળકોને લાડુનું જમણ જમાડવામાં આવતું હોય છે. જેથી બાળકો પણ આશ્રમ શાળામાં અભ્યાસ માટે આવતા હોય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:03 am

મંડે મેગા સ્ટોરી:વિશ્વામિત્રીમાં 13 સ્થળે 4.40 કરોડ કિલો કાટમાળનું અનુમાન, વધુ 3 સ્થળે તપાસ

વિશ્વામિત્રી પ્રોજેક્ટ બાદ હવે નદીના પૂર્વ વિસ્તારમાં ઠલવાયેલા કાટમાળને હટાવવા હ્યૂમન રાઈટ કમિટીએ કરેલા સૂચન પર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીના પૂર્વ વિસ્તારમાં 3 જગ્યાઓ પૈકી અકોટા સ્મશાન પાછળ પાલિકાએ જેસીબી મશીન ઉતારીને કાટમાળ શોધવાની કામગીરી શરૂ કરી છે. કાટમાળ કેટલા ઊંડે ખૂંપી ગયો છે તે શોધ્યા બાદ તેને કાઢવાની શરૂઆત કરવામાં આવશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીને પહોળી અને ઊંડી કર્યા બાદ તેના ફ્લડ પ્લેન મેપમાં એટલે કે નદીના પૂર્વ વિસ્તારમાં ઠાલવવામાં આવેલા કાટમાળને હટાવવા માટે હ્યૂમન રાઇટ કમિશનને ગઠિત કરેલી કમિટીએ સૂચન કર્યું હતું. હ્યૂમન રાઈટ કમિશને અગાઉ 12 સ્થળો પર કાટમાળ નખાયો હોવાનું સૂચન કર્યું હતું. તાજેતરમાં મળેલી બેઠકમાં ભીમનાથ બ્રિજ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ, સમા ભરવાડ વાસ પાછળ અને અકોટા સ્મશાન પાછળ લખાયેલા કાટમાળને હટાવવા કહ્યું હતું. જેને પગલે હવે પાલિકાએ કમિટીએ સૂચવેલાં સ્થળોએ કાટમાળ છે કે કેમ અને કેટલી ઊંડાઈ અને પહોળાઈમાં વિસ્તરેલો છે તેની શોધખોળ શરૂ કરી છે. શહેરના અકોટા સ્મશાન પાછળ જેસીબી અને હિટાચી મશીન ઉતારી ખોદકામ શરૂ કરાયું છે. કામગીરી દરમિયાન કાટમાળ મળ્યા બાદ તેને કાઢવાની પ્રક્રિયા શરૂ કરાશે તેવી જાણકારી મળી છે. વિશ્વામિત્રીમાં આ સ્થળો પર કાટમાળ મળ્યો હતો 1. સમા નવીનગરી ભરવાડ વાસ 2. મંગળ પાંડે બ્રિજ 3. રાત્રી બજાર, કારેલીબાગ 4. નરહરિ બ્રિજ નજીક 5. વુડા ઓફિસ નજીક 6. કાલાઘોડા બ્રિજ-યવતેશ્વર ઘાટ વચ્ચે 7. ભીમનાથ બ્રિજ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ 8. અકોટા-દાંડિયા બજાર બ્રિજ પાસે 9. અકોટા સ્મશાન અને રેલવે બ્રિજ વચ્ચે 10. મુજમહુડા બ્રિજ 11. વડસર બ્રિજ 12. અટલાદરા એસટીપી પાસે 13. અટલાદરા-માંજલપુર બ્રિજ પાસે અગાઉ અકોટા સ્મશાન પાછળ, વડસરમાંથી 5454 મેટ્રિક ટન કાટમાળ હટાવાયો હતોનેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચુકાદામાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા સાથે તેમાં ઠલવાયેલા કાટમાળને હટાવવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જેને પગલે 2023ના ઓક્ટોબરમાં પાલિકાએ વિશ્વામિત્રી નદીમાં બંને કિનારે 20 સ્થળોએ ખોદકામ કરી કાટમાળની ચકાસણી કરી હતી. જેમાં તે સ્થળોએ વિપુલ માત્રામાં કાટમાળ ઠલવાયેલો મળી આવ્યો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી તે સ્થળ પર તપાસ કરતા અંદાજિત 44,400 મેટ્રિક ટન કાટમાળ મળ્યો હતો, જેને કાઢવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં અકોટા સ્મશાન પાછળથી અને વડસર લેન્ડફિલ સાઈડની સામેથી 5454 મેટ્રિક ટન કાટમાળ હટાવી તેને અટલાદરા સી એન્ડ ડી વેસ્ટ યુનિટ પર નખાયો હતો. હ્યૂમન રાઈટ કમિટી દ્વારા નદીના પટમાં 3 સ્થળ પરથી કાટમાળ કેવી રીતે કાઢશો તેવો પ્રશ્ન કર્યો હતોતાજેતરમાં પાલિકામાં હ્યૂમન રાઇટ કમિટીએ બેઠકમાં અકોટા સ્મશાન પાછળ, સમા ભરવાડ વાસ પાછળ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ નખાયેલો કાટમાળ કેવી રીતે હટાવશો તેવી ટકોર કરી હતી. કમિટીએ 2002, 2005 અને 2007ના સેટેલાઈટ તસવીરોને આધારે પટમાં થયેલા બદલાવ જોઈ, કાટમાળ ક્યાં ઠલવાયો છે તે જાણી શકાશે તેવી સલાહ પણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:02 am

મન્ડે ફોટો સ્ટોરી:વડોદરાની પોતિકી બેંકનું ‘બરોડા ભવન’ ગ્રીન બિલ્ડિંગ જાહેર, હવાનું શુદ્ધિકરણ,પાણીનો બચાવ,કચરાના નિયમનમાં અવ્વલ

શહેરમાં અનેક સ્થળે પર્યાવરણ માટે ઘણાં કામો કરાઈ રહ્યાં છે. જેમાં ઘણી બિલ્ડિંગોને ગ્રીન બિલ્ડિંગ તરીકેની માન્યતા અપાઈ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી અને શહેરને વિશ્વ ફલક પર સ્થાન અપાવનાર બીઓબીના અલકાપુરી સ્થિત ‘બરોડા ભવન’ બિલ્ડિંગને પર્યાવરણ ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ સુવિધાથી ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અપાયું છે. બેંક ઓફ બરોડાના બરોડા ભવનને ગ્રીન બિલ્ડિંગ બનાવવા કામ કરતા એન.કે.ઓઝાએ કહ્યું કે, આ પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં બેંકે ઊર્જા બચત, પાણી સંચાલન, કચરો નિયંત્રણ અને સ્થિર માળખાકીય સુધારા જેવા પર્યાવરણ સંબંધિત મહત્ત્વનાં પગલાં લીધાં છે. આ ગ્રીન સર્ટિફિકેટ બેંક દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા પર્યાવરણીય પ્રયત્નોનું માન્ય દૃષ્ટાંત છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન માટે લેવાયેલાં પગલાં

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઇન્ડિગોએ ₹610 કરોડ રિફંડ આપ્યા; પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી, સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવનાર રંગેહાથ ઝડપાયા

નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર ઈન્ડિગો સંબંધિત હતા. એરલાઈને અત્યાર સુધીમાં મુસાફરોને ₹610 કરોડ પરત કર્યા છે. બીજા મોટા સમાચાર ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી મળેલી ધમકી રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. સ્મૃતિ-પલાશના લગ્ન તૂટ્યા: મંધાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરીને કન્ફર્મ કર્યું, કહ્યું- હવે આગળ વધવાનો સમય છે ઈન્ડિયન વુમન્ટ ક્રિકેટર અને ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુછાલના લગ્ન રદ થઈ ગયા છે. બંનેના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા. હલ્દીથી લઈને સંગીતના કાર્યક્રમો થઈ ચૂક્યા હતા. જાનની તૈયારીઓ ચાલી રહી હતી. એવામાં સ્મૃતિ મંધાનાના પિતાને હાર્ટ અટેક આવ્યા પછી લગ્ન મુલતવી કરી દેવામાં આવ્યા હતા. લગ્ન ટળ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાવા લાગી. દાવો કરવામાં આવ્યો કે પલાશ મુછાલે સ્મૃતિ સાથે ધોખો આપ્યો અને તેનું નામ વેડિંગ કોરિયોગ્રાફર સાથે જોડવામાં આવ્યું. આ દરમિયાન, સ્મૃતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્ન સાથે જોડાયેલી તમામ તસવીરો હટાવી દીધી હતી. ત્યારે આજે મંધાનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરીને જાહેર કર્યું કે લગ્ન કેન્સલ કર્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી:ફિનાલેમાં સલમાન સાથે બિગ બોસમાં સ્ટેજ શેર ન કરવાની ચેતવણી આપી ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ચેતવણી આપી છે કે જો સલમાન ખાન સાથે બિગ બોસનું મંચ શેર કર્યું તો આગળ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં કરી શકો. પવન સિંહના જણાવ્યા અનુસાર, શનિવારે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. કોલ રિસીવ કર્યો તો કોલ કરનાર વ્યક્તિએ કહ્યું- અમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય બોલી રહ્યા છીએ. આ પછી કહ્યું- તમારે સલમાન ખાન સાથે મંચ શેર કરવાનું નથી. આ સાથે મોટી રકમની પણ માગણી કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. 'રાઝ' ફેમ ગુજરાતી ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ:₹30 કરોડના છેતરપિંડી કેસમાં સાળીના ઘરેથી દબોચ્યો, મુંબઈ-રાજસ્થાન પોલીસે સાથે મળી કાર્યવાહી કરી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની મુંબઈના યારી રોડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ડિરેક્ટરને તેની સાળીના ઘરેથી ધરપકડ કરી છે. હવે રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે. સાત દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડો. અજય મુરડિયા પાસેથી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ઇન્ડિગો એરલાઇને અત્યાર સુધીમાં ₹610 કરોડ રિફંડ કર્યા:દેશભરમાં 3 હજાર યાત્રીઓનો સામાન પણ પાછો આપ્યો; છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ કેન્સલ ઇન્ડિગોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતા ઓપરેશન સંકટના કારણે રવિવાર સાંજ સુધીમાં એરલાઇને યાત્રીઓને ₹610 કરોડનું રિફંડ પ્રોસેસ કર્યું છે. આ સાથે જ કંપનીએ દેશભરમાં 3 હજારથી વધુ યાત્રીઓનો સામાન પણ પાછો આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રવિવાર સાંજે તેની જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું કે રિફંડ અથવા રી-બુકિંગ પર કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં. યાત્રીઓની મદદ માટે સ્પેશિયલ સપોર્ટ સેલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઇન્ડિગોના ફ્લાઇટ ઓપરેશનમાં પણ તેજી આવી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફુલ કેપેસિટી સાથે ઉડાન ભરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. બેલી ડાન્સર ડાન્સ કરતી હતી ને આગ લાગી:ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25નાં મોત, LIVE VIDEO પણ સામે આવ્યો ગોવાના અરપોરા વિસ્તારમાં સ્થિત નાઇટ ક્લબ ‘Birch By Romeo Lane’માં શનિવારે રાત્રે આગ લાગવાથી 25 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ડાન્સ ફ્લોર પરથી શરૂ થઈ હતી. બેલી ડાન્સર ડાન્સ કરતી હતી ને અચાનક આગ લાગી ગઈ. મૃતકોમાં 4 પ્રવાસીઓ અને 14 સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકોની ઓળખ હજુ થઈ શકી નથી. ગોવા પોલીસે ક્લબના મેનેજરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ક્લબમાં લગભગ 12 વાગ્યે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. તે એટલો જોરદાર હતો કે થોડી જ મિનિટોમાં આગ આખા ક્લબમાં ફેલાઈ ગઈ. ફાયર બ્રિગેડે લાંબા પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 6. મિત્રતા, શરીર સંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલ અને ખંડણીનો ખેલ:સુરતના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલ 20 લાખની ખંડણી લેતા રંગેહાથ ઝડપાયા સુરતના એક બિલ્ડર સાથે યુવતીનો મિત્રતા, શરીરસંબંધ, સ્પાય વીડિયો, બ્લેકમેઈલીંગ અને ખંડણીનો ખેલ ખુલ્લો પડ્યો છે. બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 50 લાખની ખંડણી માગવાનો મામલો સામે આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે ટ્રેપ ગોઠવી બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલી હેતલ નામની યુવતી અને અભિષેક શેઠીયા નામના વકીલને રંગેહાથ ઝડપી પાડ્યા છે. વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને અલગ અલગ હોટલમાં જતા રહેતા હતા અને શરીર સંબંધ બાંધતા હતા. બિલ્ડરની જાણ બહાર જ અંગતપળોના વીડિયો બનાવી યુવતીએ મોટી રકમ પડાવવાનો ખેલ રચ્યો હતો પરંતુ, સુરત ક્રાઈમ બ્રાંચે તેનો ખેલ ઉંધો પાડી નાખ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 9 ભણેલો ખતરનાક ખેલાડી, ફેક PhonePeથી ટ્રાન્જેક્શન કરતો, LIVE ડેમો:ATMમાં લોકો પાસેથી કેશ લઈ ઓનલાઈન ટ્રાન્સફરનો ફેક મેસેજ બતાવતો, ખબર પડે ત્યાં તો છૂમંતર થઈ જતો તમે કોઈ ATMમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં આગળ કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે, હું તમને ઓનલાઈન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં તો ભોળવાતા નહીં, નઈ તો તમે પણ નકલી ટ્રાન્જેક્શન સ્કેમનો ભોગ બની જશો. ​આવો જ એક કિસ્સો જૂનાગઢ સી-ડિવિઝન પોલીસના ધ્યાને આવ્યો હતો. તેમણે એક રીઢા આરોપીને પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે. આ ઠગ 'બંટી બબલી' ફિલ્મ જેવી સ્ટાઈલ અપનાવીને ખોટી PhonePe જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય લોકો પાસેથી રોકડ રકમ મેળવતો અને ફેક મેસેજ બતાવીને છેતરપિંડી આચરતો હતો. પોલીસે કઈ રીતે છેતરપિંડી આચરતો તેનો લાઈવ ડેમો પણ આરોપી પાસે કરાવ્યો હતો. આરોપીએ સુરત, અમદાવાદ સહિત 4 શહેરોમાં 12 ગુનાની કબૂલાત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. શિયાળોઃ MPમાં કોલ્ડવેવ, 24 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે:રાજસ્થાનમાં ઠંડીથી રાહતની શક્યતા; બદ્રીનાથ-કેદારનાથમાં હિમવર્ષાનું એલર્ટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ રશિયાએ યુક્રેન પર 700 હવાઈ હુમલા કર્યા:ભુલથી પોતાના જ શહેર પર 1000 કિલોગ્રામનો બોમ્બ ઝીંક્યો; યુદ્ધ અટકાવવા માટે US-યુક્રેન વાટાઘાટો નિષ્ફળ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલઃ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ બનાવવાની જાહેરાત:તહરીક મુસ્લિમ શબનમના પ્રમુખે કહ્યું- બાબરના નામથી પરેશાન ન થવું જોઈએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ રશિયાને 'ખતરો' નહીં કહે અમેરિકા:નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીમાં ફેરફાર; ટ્રમ્પ બોલ્યા- યુરોપનું અસ્તિત્વ લુપ્ત થવાની આરે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ટેક્નોલોજીઃ માત્ર બ્રાન્ડ કે જાહેરાત જોઈને ફોન ખરીદશો તો પસ્તાશો!:નવો ફોન ખરીદતા પહેલા જાણો પ્રોસેસર, રેમ સહિતના 9 ફિચર્સની સાચી પરિભાષા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ટેક્સઃ આ 4 કામ ડિસેમ્બરમાં ચોક્કસથી પૂરા કરો:31 ડિસેમ્બર સુધીમાં પાનને આધાર સાથે લિંક કરો, એડવાન્સ ટેક્સ ભરવાની પણ છેલ્લી તક (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ કોહલીએ પરિવાર સાથે સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા:ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ સાથે હતો; આ જ વર્ષે અયોધ્યા-વૃંદાવન પણ ગયો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે મહારાષ્ટ્રમાં મળી આવી વિશ્વની સૌથી નાની ભેંસ મહારાષ્ટ્રમાં વિશ્વની સૌથી નાની ભેંસ મળી આવી છે, જેનું નામ રાધા છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ ભેંસ ફક્ત 2 ફૂટ 8 ઇંચ ઉંચી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભારતીય સિપાહીનું માથું કાપીને મુશર્રફને આપ્યું:માતાને 3 ગોળીઓ મારી, પછી ગળું કાપ્યું; ધુરંધર ફિલ્મના પાત્રોની અસલી કહાની 2. ''8 પેસેન્જરને લઈને ઈન્ડિગોની ફ્લાઈટ ઊપડી ગઈ'':પેસેન્જરે ભાસ્કરને વીડિયો આપ્યો; વાંચો, અમદાવાદ એરપોર્ટ પર રાત્રે અટવાયેલા પેસેન્જરોની વેદના 3. ગોવાના 'બર્નિંગ ક્લબ'માં મોતનું તાંડવ:ન બારી હતી, ન દરવાજો; બળવા કરતાં દમ ઘૂંટાવાથી વધુ મોત; આવામાં ફસાઈ જાવ તો શું કરવું? 4. જીવલેણ એક્સિડન્ટ ઘટાડવા એક્શન પ્લાન:કેન્દ્રના આદેશ બાદ ગુજરાતમાં 4E મોડલ અમલમાં આવશે, અકસ્માત સ્થળે પહોંચી સૌથી પહેલા શું કરવું? તેની અપાશે ટ્રેનિંગ 5. તૂટેલી ખોપરી, શરીરે બચકાં, ચહેરે ડામઃ બેબી ફલકને કોણે મારી?:2 લાખમાં માતાને વેશ્યાવૃત્તિમાં વેચી મારી, બેબી ફલકની ટ્રેજેડી પર નેટફ્લિક્સ સિરીઝ આવી 6. ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે પડી ભાંગી, ક્રાઇસિસની ઇનસાઇડ સ્ટોરી:પાઇલટ્સ રજા પર, ફ્લાઇટ્સ રદ ન કરી, DGCA કેટલું જવાબદાર છે? 7. આજનું એક્સપ્લેનર:પુતિનના પ્રવાસમાં ડિફેન્સ ડીલ કેમ ન થઈ? S-500 અને Su-57 પર ક્યાં અટકી વાત? શું ભારત અમેરિકન હથિયારો ખરીદશે?8. સન્ડે જઝબાત: સગાની લાશ લાવ્યો હતો, મારા ગાલ અડવા લાગ્યો:દુનિયાની તીરછી નજરો, ગંદી વાતો સહન કરી, પણ આ કામ છોડ્યું નહી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવાર રાશિફળ: કર્ક જાતકોને બપોર પછી અણધારી લાભદાયક સ્થિતિઓ બની રહી છે; તુલા જાતકોને ખર્ચા પર નિયંત્રણ રાખવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 5:00 am

એલસીબીએ 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો‎:ભિલોડાના મૂળીયાટીંબા નજીકથી 44હજારના દારૂ સાથે શખ્સ ઝબ્બે

ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના મૂળિયા ટીંબાની સીમમાંથી પસાર થઈ રહેલી ગાડીમાંથી એલસીબીએ 44600ના દારૂ જપ્ત કરી ઈડર પાસેના ગામના ચાલકની અટકાયત કરી હતી. અરવલ્લી એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલાની આગેવાનીમાં એલસીબી ટીમ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન જેશીંગપુરથી મૂળીયા ટીંબા ગામ તરફ રોડ ઉપર જતાં સ્ટાફને ખાનગી માહિતી મળી હતી કે ગાડીનં.GJ.09.BH.5449 નો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી ભિલોડાના મૂળીયાટીંબા ગામ તરફ આવનાર હોવાની માહિતીના આધારે એલસીબીએ વોચ ગોઠવીને ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. એલસીબીએ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બિયરના નંગ 79 મળ્યા હતા. પોલીસે રૂ.44,600નો વિદેશી દારૂનો જથ્થો અને ગાડી સહિત કુલ રૂ.1,45,600 નો મુદ્દામાલ કબજે લઈને ગાડી ચાલક નરેશભાઈ અમરતભાઈ ડામોર રહે.પાંચગામડા તા.ઇડર સામે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:40 am

દારૂ ઝડપાયો:અરવલ્લી એલસીબીએ ગડાદરમાંથી 2.50 લાખનો દારૂનો જથ્થો પકડ્યો

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગડાદરની સીમમાંથી અરવલ્લી એલસીબીએ બાતમી આધારે ગાડીમાંથી 2.50 લાખનો દારૂ ઝડપ્યો હતો. જોકે પોલીસે ગાડી રોકવાની કોશિશ કરતાં ગાડી ચાલક અને અન્ય શખ્સ ભાગી ગયા હતા. પોલીસે ગાડી અને દારૂ સહિત કુલ 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના શામળાજી હિંમતનગર હાઇવે પરની હોટલ પાસ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શામળાજી તરફથી આવતી ગાડી નં. જીજે વન આર સી 92 44 નો ચાલક તથા અન્ય એક વ્યક્તિ દારૂનો જથ્થો ભરી હિંમતનગર તરફ જવાની બાતમીના આધારે પોલીસે કારને રોકવાની કોશિશ કરતાં બુટલેગરે કારને ભગાડી ગડાદરથી જીવણપુર સિંગલ રોડ પર સાઈડમાં ઉતારી ચાલક તથા અન્ય વ્યક્તિ ભાગી છૂટ્યા હતા. કારમાંથી બિયરના 25 નંગ દારૂના 936 નંગ કિં. 2.50 લાખ તથા 4 લાખની કાર જપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:39 am

ઘરફોડ ચોરીનો બનાવ:પ્રાંતિજ શહેરના વ્હોરવાડમાં બંધ મકાનમાંથી 8.40 લાખની તસ્કરી

પ્રાંતિજ શહેરના વ્હોરવાડમાં બંધ મકાનમાંથી ચોરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂ. 8.40 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઇ જતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઇ શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વ્હોરવાડમાં આવેલ નફીસાબાનું અબ્દુલ રજાક પાનવાલા બહાર હતા. તે દરમ્યાન મકાનમાં તા.4.10.25ના રોજ બંધ મકાનમાં પ્રથમ માળે ઘરમાં ઘૂસી ચોરોએ સોના ચાંદીના દાગીના અંદાજે રૂ.7.70 લાખ, રોકડ 70હજાર મળી કુલ રૂ.8.40 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં વ્હોરવાડમાં રહેતા નફીસાબાનું અબ્દુલ રજાક પાનવાલાએ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:38 am

પોલીસ દ્વારા દરોડો:મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાનો 60 લિટર વોશ જપ્ત, 5ની અટક

મોડાસા શહેર ટાઉન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વોદય ડુંગરી વિસ્તારમાં પોલીસે ઓચિંતી તપાસ ધરી આ વિસ્તારમાં પ્રોહિબિશન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ 14 જેટલા આરોપીઓ સામે ગુના નોંધાયા હતા અને પાંચ આરોપીઓની અટકાયત કરાઇ હતી. ટાઉન પોલીસ દ્વારા બિયરના ટીન અને દેશી દારૂ બનાવવાનો વોશ સહિતનો મુદ્દામાલ કર્યો હતો. મોડાસા શહેરી વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર શખ્સો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને મોડાસા વિભાગના ડીવાયએસપી આરડી ડાભીએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.બી.વાળાની આગેવાની હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફની અલગ-અલગ ત્રણ ટીમ બનાવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વોદયનગર ડુંગરી ખાતે સરપ્રાઇઝ કોમ્બિંગની અચાનક કામગીરી હાથ ધરાતાં પોલીસનો કાફલો જોઈ દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદે ધંધો કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ટાઉન પોલીસે શહેરના સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં પ્રોહિબિશનની કરેલી રેડ દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 14 આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા 14 કેસ દાખલ કર્યા હતા. પોલીસને રેડ દરમિયાન સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાંથી બિયરના ટીન નંગ ત્રણ અને દેશી દારૂ બનાવવાનો વોશ 60 લિટર મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:37 am

શ્રમિક મહિલાને મારમાર્યો‎:ગાળો બોલવાની ના પાડતાં મહિલાને હાથમાં દાતરડું માર્યું

વિજાપુરના ખરોડ ગામના એક ખતેર અડધા ભાગે વાવવા રાખેલ હોઇ કપિલાબેન ઠાકોર તેમના પતિ, દીકરી અને ગામની એક મહિલા સાથે સવારે 10 વાગ્યાના અરસામાં રૂ. વેણતા હતા. આ દરમિયાન ગામમાંથી હર્શિતભાઇ પટેલ આવીને ગાળો બોલવા લાગતા તેમને કહેલ કે તમારી મજૂરીના પૈસા ન આપવા હોય તો કંઇ નહી પણ ગાળો બોલશો નહીં. જેથી ઉશ્કેરાઇને હર્ષિતભાઇએ દાતરડું મારતાં કપિલાબેનને અંગુઠામાં ઇજા થઇ. મહિલાના પતિ અને દીકરી આવી જતા તેમની સાથે પર મારામારી કરી હતી. મહિલાની દીકરી જાનકી વચ્ચે પડતા હથેડીમાં દાતરડુ વાગ્યુ હતું. હોબાળો થતા લોકો આવી ગયા હતા. બાદમાં બાઇક પર માતા અને દીકરીને ખરોડ સરકારી દવાખાને લઇ જઇને સારવાર કરાવી હતી. આ અંગે ખરોડના કપિલાબેન બાબુજી ઠાકોર એ લાડોલ પોલીસ સ્ટેશનમાં હર્શિતભાઇ અશ્વીનભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:36 am

ગુજરાત- રાજસ્થાનના 500 ગામોને સાંકળતાં હાઇવેનું લોકાર્પણ‎:​માવસરી-બખાસર 150 કિમીનો રસ્તો 32 કિમીનો‎ થયો, 2.30 કલાકનો રસ્તો 20 મિનિટમાં કપાશે‎

ચાર દાયકા પછી રાજસ્થાનના ‎બાડમેર જિલ્લાનું સરહદી ગામ‎બખાસર હવે ગુજરાત સાથે સીધું‎જોડાઈ ગયું છે.​૧૯૭૧ના યુદ્ધ‎દરમિયાન, બખાસરથી કચ્છના‎પૂરના મેદાનો થઈને ગુજરાત‎જવાનો સીધો માર્ગ હતો, જે સમય‎જતાં લુણી નદીના પ્રવાહ અને‎કચ્છના રણના પૂરના પાણીને‎કારણે ધોવાઈ ગયો હતો. આ‎પ્રદેશના લોકોની લાંબા સમયથી‎ચાલી આવતી માંગણી હવે પૂર્ણ‎થઈ છે.​ચાર વર્ષ પહેલાં સંરક્ષણ‎મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલો,‎બખાસરથી માવસરી સુધીનો‎૩૨.૪૯ કિલોમીટરનો બે-લેન‎હાઇવે આખરે પૂર્ણ થઈ ગયો છે.‎ અંદાજે ₹૩૨૫ કરોડ ના ખર્ચે‎બનેલા આ મહત્ત્વપૂર્ણ માર્ગનું‎ઉદ્ઘાટન રવિવારે કેન્દ્રીય‎રક્ષામંત્રી રાજનાથ સિંહની‎વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા મંત્રી‎સ્વરૂપજી ઠાકોર અને રાજસ્થાનના‎ચૌહટાનના વિધાયક આદૂરામ‎મેઘવાલની હાજરીમાં લોકાર્પણ‎કરાયું હતું.​માવસરી-બખાસર 150‎કિમીનો રસ્તો ૩૨ કિમીનો થયો,‎20 મિનિટમાં કપાશે.‎ બાખાસર-માવસરી માર્ગ શરૂ‎થતાં વિસ્તારમાં આવાગમન સરળ‎બનશે. આ મેગા હાઇવે બનવાથી‎રાજસ્થાનના 50 થી વધુ ગામોને‎ફાયદો થશે. અગાઉ તેમને‎ગુજરાતમાં પ્રવેશવા માટે 200‎કિલોમીટરનું અંતર કાપવું પડતું‎હતું, જે હવે માત્ર 32 કિલોમીટર‎થઈ જશે. આ માર્ગથી ગ્રામ્ય‎વિકાસને નવી દિશા મળશે. લાંબા‎સમયથી સ્થાનિક લોકો દ્વારા આ‎માર્ગની માંગ કરવામાં આવી રહી‎હતી જે આજે પૂર્ણ થઈ છે આ‎ઉપરાંત, કચ્છ જિલ્લાના લોકોને‎હવે રાજસ્થાન જવામાં વધુ‎સરળતા રહેશે. સરહદી માવસરી‎ગામ રાજસ્થાન માટે ગેટ વે ઓફ‎ગુજરાત બની જશે. મંત્રી સ્વરૂપજી‎ઠાકોરે પોતાના સંબોધનમાં‎સરકારના વિકાસલક્ષી કાર્યોની‎ચર્ચા કરી તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય‎વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી‎અને શિક્ષણ જેવી મૂળભૂત‎સુવિધાઓ માટે સરકાર સતત‎પ્રતિબદ્ધ છે. આ માર્ગ વિસ્તારના‎આર્થિક વિકાસમાં મહત્વની‎ભૂમિકા ભજવશે. આ વિકાસકાર્ય‎બદલ સ્થાનિક લોકોએ સરકાર‎અને જનપ્રતિનિધિઓ પ્રત્યે‎આભાર વ્યક્ત કર્યો હતો. આ‎પ્રસંગે વાવ ભારતીય જનતા‎પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ,‎વિસ્તારના ભાજપના આગેવાનો,‎કાર્યકરો તેમજ માવસરી ગામના‎ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત‎રહ્યા હતા.‎ ભાસ્કર નોલેજ500 ગામો સીધા જોડાશે‎બાખાસર-મવાસરી માર્ગ‎બારમેર-જાલોર જિલ્લાના કેટલાક‎ભાગો પસાર થતાં માવસરી સુધી‎જાય છે.બાડમેરના ચૌહટન, સેડવા,‎બિઝરાડ, ધનાઉ પંચાયત સમિતિ‎વિસ્તારમાં લગભગ 150 ગ્રામ‎પંચાયતના 300થી વધુ ગામ છે, જેને‎હાલમાં ગુજરાત જવા માટે‎ધોરીમન્ના, ગાંધવના રસ્તે જવું પડે‎છે. જેનું અંતર લગભગ 150 કિમી‎છે. જોકે, બાખાસર-મવાસરી હાઈવે‎બનતા માત્ર 33 કિમી. થઈ ગયું છે.‎આથી સફર 20 મિનિટમાં પૂરી થશે.‎ચૌહટણના 300 અને ગુજરાતના‎200 ગામો સીધા જોડાશે.‎ 1971ના યુદ્ધ પહેલાં જુનો માર્ગ બનાવાયો હતો‎બાખાસર-માવસરી સુધી 32 કિલોમીટરનો માર્ગ 1971ના ભારત-પાક યુદ્ધ‎પહેલાં બનાવાયો હતો. ત્યારબાદ ઘણા વર્ષો સુધી બંને રાજ્યો વચ્ચે‎આવાગમણ ચાલુ રહ્યુ હતુ. પરંતુ ખારા પાણીના રણ વિસ્તારમાં પાણીમાં‎ડૂબવાથી માર્ગ તૂટી ગયો હતો. વર્ષ 1990 પછી માર્ગ બંધ થઇ ગયો હતો.‎મોટાભાગનો માર્ગ પાણીમાં વહી ગયો હતો. માત્ર પાણી નિકાશ માટેના‎પુલ જ બચ્યા હતા. બાકીની સડકનું નામો નિશાન રહ્યુ ન હતુ. જ્યાં હવે‎નવો હાઇવે બનાવવામાં આવ્યો છે.‎

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:34 am

મોહનપુરમાં સત્સંગ મેળાવડો:જન્મ મરણના ફેરા ટાળવા સત્સંગ છે: પૂ. રામજી બાપા

ભિલોડાના મોહનપુરમાં રવિવારે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી)નો સત્સંગ મેળાવડો યોજાયો હતો. જેમાં પૂજ્ય રામજી બાપાએ સત્સંગ એટલે ભવસાગર તરવાનો માર્ગ હોવાનું જણાવ્યું હતું. મેળાવડામાં અન્ય સંતોએ પણ ઉપસ્થિત રહી પધારેલ મુમુક્ષુઓને આત્માના કલ્યાણ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેસીંગબાપાના બોધ વચનોનું અમૃતપાન કરાવ્યું હતું. પરમ પૂજ્ય શ્રી રામજીબાપાએ દિવ્ય વાણી રેલાવતા જણાવ્યું કે સત્સંગ એટલે ભવ સાગર તરવાનો માર્ગ. ..શરીર એ તો લાકડાની ભારીઓ છે. ..અડીએ તો અભડાવાય એવું છે. શરીરના ભાવે જીવ અનંત કાળથી રખળ્યો છે. માયાના લોભે કરી કર્મ કરે છે ને કર્મ ભોગવવા માટે એકલાએ જવું પડે છે. કોઈ સાથે નહીં આવે ને ચોરાશીના ચક્કરમાં ભટકે છે. ભક્તિ કરવી હોય તો શરીરના ભાવ પાછળ પાડી દેવા પડે ને આત્માને આગળ રાખી વ્યવહાર કરવો પડે તો ભક્તિ થાય શરીર એતો લાકડાની ભરીઓ છે. સત્સંગમાં આવીને જો જીવ માયા સંસારના લોચા અને હલાડા કુટે તો કર્મ બાંધે. સત્સંગમાં બેઠા પછી બાજુમાં કોણ બેઠું છે, એ પણ ભૂલી જવાય તો સત્સંગમાં આવેલું સાર્થક થાય. બધામાં જે બેઠો છે એ તો અજર અમર પરમાત્મા તત્વ છે. જેનાથી બધું સંચાલન થાય છે. આપણે તો આત્માઓ છીએ, પરમાત્માના છીએ, આપણું સાચું ઘર તો પરમાત્મા છે. આ સંસારમાં આપણે બે દિવસ મેમાન આવ્યા છીએ. સમતા ભાવે વ્યવહાર પતાવી હાચા ઘેર જવાનું છે. આ સત્સંગ એ ભવ સાગર તરવા માટે છે ,બીજા કોઈ કામ માટે નથી. મનુષ્ય અવતાર મળ્યો અને જો ભવચક્ર નો એક્કે આંટો ઓછો ના થાય તો સત્સંગ ને મેળાવડા ક્યાં કર્યા? એ વિચાર કરવા જેવો છે. સત્સંગ માં ગયા પછી કેટલી સ્થિરતા આવી, શાંતિ આવી, રાગ - કશાયથી મૂકાયો કે કેમ? એ આગળ ના સત્પુરુષો ના બોધ વચાન નો આશરો લઈ તપાસી જોવુ. વાતો કરવી એ સત્સંગ નથી વાતો સાથે વર્તન હોય તો તે બધાને અસર કરે. બાકી તો બધું વાચા જ્ઞાન. એથી કલ્યાણ ના થાય. ખરી ભક્તિ તો દુઃખ માંજ થાય મીરાબાઈ,શબરી બાઈ, નરસિંહ મહેતાને, પાંડવોને જે દુઃખ પડ્યું છે એવું દુઃખ તો આપણને પડ્યું જ નથી. એ બધા એ દુઃખ માગ્યું છે કેમ કે એમને ખબર છે દુઃખ પાછળ સુખ છે. આ દેશ અવર કંટો નથી કોઈને માલુમ, નથી સમજ્યા ત્યાં લગી દુઃખ જનમ જન્મ - મરણ ટાળવા માટે આ સત્સંગ છે. અસંખ્ય માં - બાપ કર્યા છે એ દુઃખ ટાળવા માટે સત્સંગ છે બીજા કોઈ માટે નથી. સત સાધન સમજવા માટેનો આ મંડપ છે. સત સાધન એટલે આત્મા. આપણે બધા આત્માઓ છીએ. પરમાત્માના લોક માંથી આવ્યા છીએ. જેમાંથી છૂટા પડ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:30 am

રેલીનું આયોજન:હોમગાર્ડના 78મા સ્થાપના દિવસ નિમિત્તે રેલી નીકળી

હિંમતનગરમાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિતે જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રેલી હોમવાર્ડ કચેરીથી શરૂ કરી જૂની સિવિલ સર્કલ, નગરપાલિકા સદન, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ થઇને સબજેલ ખાતે સમાપ્ત થઇ હતી. રેલીમાં પાણી બચાવો, વ્યસન મુકત, સ્વચ્છતા રાખો, હોમાગાર્ડ સેવા સુરક્ષા શક્તિ જેવા પ્લેકાર્ડ અને બેનરો સાથે યોજાઇ હતી. હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ દ્વારા સિવિલ સર્કલે આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ રેલીમાં હોમગાર્ડ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ 17 હોમગાર્ડ યુનિટ કાર્યરત છે. જેમાં 17 માનદ અધિકારીઓ, 1238 હોમગાર્ડ જવાનો છે.જેમાં 115 મહિલાઓ અને 1123 પુરુષોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:29 am

દાવતે ઇસ્લામી ઈન્ડિયા દ્વારા ઈજતેમાનું આયોજન:લગ્ન પ્રસંગોમાં થતાં ખોટા ખર્ચ, દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવા આહવાન

હિંમતનગર આરટીઓ બાયપાસ પર MHK માર્ટની પાછળ પરબડા વિસ્તારમાં દાવતે ઇસ્લામી– ઈન્ડિયા દ્વારા બે દિવસીય ધાર્મિક ઈજતેમાનું આયોજન કરાયું હતું. ઈજતેમાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ, સંસ્કારોનું સિંચન અને સમાજમાંથી વધતી બુરાઈઓનો અંત લાવવાનો હતો. કાર્યક્રમ શનિવાર સવારે 10 વાગે પ્રારંભ થયો હતો. રવિવારે મગરીબ બાદ ખાસ દુઆ સાથે સમાપન પામ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. દાવતે ઇસ્લામીના ઉલ્માઓ અને વઝીરો દ્વારા જુદા જુદા વિષયો ઉપર અસરકારક પ્રવચનો અપાયા હતા. પ્રવચનો દરમ્યાન ખાસ ભાર મૂકાયો કે લગ્ન પ્રસંગોમાં થતો ખોટો ખર્ચ, દહેજ પ્રથા, દેખાવ અને ખોટી રીત-રિવાજો પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને સામાજિક તથા ધાર્મિક મૂલ્યોને અનુસરી સરળતાથી અને સુન્નત પ્રમાણે લગ્ન કરવાના છે. તેમજ વ્યસન મુક્તિ, નૈતિક મૂલ્યો અને સદાચાર અપનાવવાની અગત્યતા અંગે લોકોમાં જાગૃતિ લવાઇ હતી. ઈજતેમાના અંતિમ દિવસે મગરીબની નમાજ બાદ ખાસ દુઆ માંગવામાં આવી હતી. જેમાં હજારો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સમાજની ભલાઈ, ભાઈચારુ, શાંતિ અને ઈમાનદારીથી જીવન જીવવાની દુઆ માંગી હતી.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:29 am

સિટી સ્પોર્ટ્સ:મોડાસામાં દિવ્યાંગ ખેલ મહાકુંભમાં 189 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મોડાસામાં રાષ્ટ્રીય અંધજન મંડળ શાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોડાસામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ રમત-ગમતનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા અને અરવલ્લી સંયુક્ત ઉપક્રમે 189 જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જેમાં સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ અને અલ્પદ્રષ્ટિ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ આ સ્પેશિયલ મહા કુંભમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજન મંડળ સાબરકાંઠા અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ખેલાડીઓની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો અને તેમના આત્મવિશ્વાસનો વધારો કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોડાસા કોલેજના પ્રમુખ મહેન્દ્ર શાહ જીવદયાપ્રેમી દિલીપ જોશી રાષ્ટ્રીય અંધજન મંડળના પૂર્વે પંડ્યા અને સંદીપ પટેલ તેમજ સમગ્ર શિક્ષાના અમિતભાઈ કવિ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમના સહયોગીઓ તરીકે સ્પેશિયલ એજ્યુકેટર તમામ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:28 am

ખેડૂતોને હેરાનગતિ:માલપુરના ખલીકપુર પાસે જમણા કાંઠાની નહેરનું લીક થતું પાણી ખેતરમાં ઘૂસી જતાં પાકોને નુકસાન

મોડાસા-અણિયોર ઉભરાણ રોડ ઉપર આવેલા ખલીકપુર પાસેથી પસાર થતી વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાંથી પાણી લીકેજ થતું હોવાથી ખેડૂતોના શિયાળુ પાકોમાં સતત નહેરનું પાણી ભરાઈ રહેતા ખેડૂતોના પાકોમાં નુકસાન થઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે. સિંચાઈ વિભાગ દ્વારા માલપુરના ખલીકપુર પાસેથી પસાર થઈ રહેલી જમણા કાંઠાની નહેર માંથી લીકેજ થઈ રહેલું પાણી પાકોને નુકસાન પહોંચાડતું હોવાનું અને વેડફાઈ રહ્યું હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક લીકેજ થતું પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે. ખલીકપુરની સીમમાંથી પસાર થતી વાત્રક જળાશયની જમણા કાંઠાની નહેરમાં છેલ્લા કેટલાય સમયથી પાણી લીકેજ થઈ રહ્યું હોવાની ખેડૂતોની બૂમ ઉઠી છે. આ વિસ્તારમાં માત્ર એક જળાશયના પાણીથી ખેડૂતોએ 300 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકોની વાવણી કરી છે. ખલીકપુરમાં ખોડવાળી પલડી તરીકે ઓળખાતા વિસ્તારમાંથી પસાર થતી જમણા કાંઠાની નહેરનું પાણી ભરવાડ જશુભાઈ કાંતિભાઈના ખેતરમાં વારંવાર ભરાઈ જતાં શિયાળુ પાકમાં નુકસાની પહોંચી રહી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. બીજી બાજુ જમણા કાંઠાની નહેરમાંથી નકામું વહી જતું પાણી બંધ કરવામાં આવે તે માટે અગાઉ પણ સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરી હોવાનું ખલીકપુરના ખેડૂતે જણાવ્યું હતું. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે શિયાળુ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં પાણી છોડાતાં મોટી માત્રામાં જળાશયના પાણીથી ઘઉં અને મકાઈ જેવા પાકોની વાવણી કરી છે. પરંતુ નહેરમાંથી થતું લીકેજ પાણી ખેડૂતોના ખેતરમાં સતત ભરાઈ રહેવાના કારણે તેમના વાવણી કરેલ પાકો માં નુકસાની પહોંચી રહી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે ખલીકપુર વિસ્તારમાં નહેરમાંથી લીકેજ થતું પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:27 am

23 તલાટીઓને નોટિસ પાઠવવામાં આવી:મોડાસા તાલુકામાં 40 ટકાથી ઓછી વસૂલાત કરતાં 23 તલાટીઓને નોટિસ

મોડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 40% થી ઓછી વસૂલાત કરતાં 23 તલાટીઓને નોટિસ ફટકારતાં હડકંપ મચી ગયો છે. જ્યારે મોડાસાની નવા વડવાસા ગ્રામ પંચાયતે 75.83 ટકા વેરા વસૂલાત કરી પ્રથમ નંબર હાંસલ કર્યો છે. મોડાસા તાલુકામાં 63 પંચાયતો આવેલી છે. જેમાં પાંચ પંચાયતોએ 50% ઉપરાંત વસૂલાત કરી લીધી છે. મોડાસા તાલુકાની નવા વડવાસા પંચાયત દ્વારા 75.83 ટકા વસૂલાત કરી અવલ નંબર ઉપર રહી છે સબલપુર પંચાયતે માત્ર 8.37 ટકા જ વસૂલાત કરતાં અનેક વિકાસ કાર્યો ઉપર તલવાર લટકી જશે. 63 પંચાયતોનું માંગણું 4,88,68,580 છે ત્યારે વસૂલાત તાલુકામાં 2,20,25,716 રકમ આવી છે. તાલુકાની કુલ 45.07 ટકા વસૂલાત પંચાયતોમાં થઈ હતી. મોડાસા TDO અંજલી ચૌધરી પાસેથી મળેલ વિગતો મુજબ 63 પંચાયતોમાં 40% થી ઓછી વસૂલાત કરતાં 23 તલાટીઓને વસૂલાતને લઈને નોટિસ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:24 am

રાજપૂત અને સગર સમાજ વચ્ચેનો જૂનો વિવાદ આવ્યો સપાટી પર:વડાલીમાં દોઢ વર્ષ જૂના પ્રેમલગ્ન મુદ્દે જૂથ અથડામણ,ગાડીઓમાં તોડફોડ

પ્રેમ લગ્નના એક દોઢ વર્ષ જૂના‎બનાવને લઈને વડાલીમાં રાજપૂત‎અને સગર સમાજ વચ્ચે છેલ્લા બે ‎દિવસથી તંગદિલીભર્યો માહોલ‎સર્જાયો છે. શનિવાર અને‎રવિવારના રોજ બે જૂથો‎સામ-સામે આવી જતાં પથ્થરમારો‎અને ગાડીઓમાં તોડફોડ કરતાં‎પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું‎ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે‎ પોલીસે 6 ટિયર ગેસના‎ શેલ‎છોડવાની ફરજ પડી હતી. આ ‎ઘટના બાદ સગર સમાજે વડાલી‎પોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધ‎ફરિયાદ નોંધાવી હતી.‎ શનિવારે વડાલીના‎સગરવાસમાં હિરાભાઈ એક‎પ્રસંગમાં હાજર હતા. ત્યારે તેમને‎શંકરભાઈ કડિયાએ ફોન કરીને‎જાણ કરી હતી કે તેમના ઘર પાસે‎રાજપૂત સમાજના લોકો ઝઘડો‎કરી રહ્યા છે. ઘરે પહોંચતા‎હિરાભાઈએ જોયું કે તેમના ઘર‎સામે રોડ પર બાજુના દરબાર‎ફળિયાના 11 લોકો હાજર હતા.‎જેમાં મંગલસિંહ રામસિંહ રાઠોડ‎અને પાર્થરાજસિંહ સજ્જનસિંહ‎રાઠોડના હાથમાં લાકડીઓ હતી. આ ટોળાએ હિરાભાઈને ગાળો ‎‎ભાંડીને જણાવ્યું હતું કે,તમારા ‎‎દીકરા અજયે અમારી દીકરી ‎‎ચાંદનીબાને એક વર્ષ પહેલાં લઈ ‎‎ગયેલ અને સમાધાન બાદ પરત ‎‎અમને પરત સોંપેલ. જોકે, એક ‎‎અઠવાડિયા પહેલાં ચાંદનીએ ‎‎અમારી સાથે ન રહેવાનું‎જણાવતાં તેને પોલીસ મારફતે ‎‎નારીગૃહ મોકલી અપાઈ છે. તેથી‎તમે ચાંદનીને નારીગૃહ ‎‎હિંમતનગરથી લઈ આવીને‎અમને સોંપી દો.‎ હિરાભાઈએ આ મામલે‎પોતાને કોઈ સંબંધ ન હોવાનું અને ‎‎દીકરી તેમને જાતે લઈ આવવા ‎‎જણાવતાં ટોળું ઉશ્કેરાઈ ગયું હતું.‎ઘર સામે પડેલા ઈંટોના‎ઢગલામાંથી ઈંટો લઈ છૂટી ફેંકીને‎ઘરની બારીના કાચ, દરવાજો અને‎સીસીટીવી કેમેરા તોડી નાખ્યા‎હતા.‎ વધુ તોફાનની આશંકાએ‎હિરાભાઈએ પોતાના દીકરા‎રમેશભાઈને ફોન કરીને 112‎નંબર પર પોલીસને બોલાવવા‎જણાવ્યું હતું. હુમલાખોરોએ‎હિરાભાઇને આજે તમને જીવતા‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎છોડીએ છીએ, પરંતુ જો અમારી‎દીકરી ચાંદનીને પરત લાવીને‎સોંપશો નહીં, તો તમામને જાનથી‎મારી નાખીશુ તેવી ધમકી આપીને‎ત્યાંથી જતા રહ્યા હતા.‎ ઘટનાની જાણ થતાં જ 112‎વાન અને પોલીસ સ્ટાફના‎માણસો તાત્કાલિક ઘટનાસ્થળે‎આવી પહોંચ્યા હતા. પોલીસે‎પરિસ્થિતિ પર કાબૂ મેળવી જરૂરી‎પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.‎ શનિવાર: રાજપૂત સમાજ દ્વારા સગર સમાજના વિસ્તારમાં હુમલો‎દોઢ વર્ષ પૂર્વે રાજપૂત સમાજની યુવતી અને સગર સમાજના યુવકે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે બંને‎સમાજે હસ્તક્ષેપ કરીને યુવતીને તેના પિતાના ઘરે મોકલી આપી હતી. જોકે, એક અઠવાડિયા પહેલા આ‎યુવતીએ પિતાના ઘરે રહેવાનો ઇનકાર કરતાં તેને પોલીસ મારફતે હિંમતનગરના નારી ગૃહમાં મોકલી‎અપાઇ હતી. ​આ મામલાને લઈને શનિવારના રોજ રાજપૂત સમાજના લોકોએ સગર સમાજના વિસ્તારમાં‎પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં સગર સમાજના મકાનોના બારીના કાચ, સીસીટીવી કેમેરા‎સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું.‎ રવિવાર: મામલો વધુ બિચક્યો, ટિયર ગેસના 6 શેલ છોડવા પડ્યા‎રવિવારના રોજ સગર સમાજના લોકો સામાજિક કામકાજ‎માટે એકઠા થયા હતા. આ દરમિયાન વડાલી નગરપાલિકા‎પાસે રાજપૂત સમાજના એક વ્યક્તિની બાઇક સગર‎સમાજના એક યુવકની બાઈક સાથે અડકતાં બોલાચાલી‎થઈ હતી. આ સામાન્ય બોલાચાલીને પગલે મામલો‎ગરમાયો હતો.​બોલાચાલીના પગલે સગર સમાજના‎લોકોનું ટોળું રાજપૂત સમાજના વિસ્તારમાં પહોંચી ગયું હતું‎અને ધમાલ મચાવી હતી. સામ-સામે થયેલા પથ્થરમારામાં‎મકાનોના કાચ અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.‎ હાલ પરિસ્થિતિ કાબૂમાં: એસપી‎એસપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે‎વડાલીમાં રાજપૂત સમાજ અને સગર સમાજ‎વચ્ચે ઘર્ષણનો બનાવ બનવા પામ્યો હતો.‎જેમાં પ્રેમલગ્ન આ જૂની સમસ્યા દોઢે વર્ષ‎ચાલી આવતી હતી. હાલ બંને પક્ષ તરફથી‎મધ્યસ્થી થઇ છે અને બંને પક્ષના‎આગેવાનોએ તેમના સમાજના યુવાનોને‎સમજ અપાઇ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.‎

દિવ્ય ભાસ્કર 8 Dec 2025 4:22 am