SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

એક વર્ષમાં જ ગુજરાતનું દેવું 22 હજાર કરોડ વધ્યું:જાહેર દેવું 3.80 લાખ કરોડે પહોંચ્યું, મહેસૂલી પુરાંતમાં 43%નો ઘટાડો; CAG રિપોર્ટમાં ગુજરાતની આર્થિક સ્થિતિના ચોંકાવનારા આંકડા

ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ થયેલા CAG રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે મિશ્ર પરંતુ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. એક તરફ રાજ્યનું અર્થતંત્ર અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે, તો બીજી તરફ મહેસૂલી પુરાંતમાં મોટો ઘટાડો અને દેવામાં વધારો થયો છે. જે સરકાર માટે પડકારરૂપ બન્યો છે. મહેસૂલી પુરાંતમાં 43.41 ટકાનો ઘટાડોCAG રિપોર્ટ અનુસાર, રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.41 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2023-24માં રૂપિયા 33,477 કરોડ રહેલી પુરાંત 2024-25માં ઘટીને રૂપિયા 18,943 કરોડ થઈ ગઈ છે. મહેસૂલી ખર્ચમાં નોંધાયેલા વધારો અને આવકમાં ઘટાડો આ સ્થિતિ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. એક વર્ષમાં ગુજરાતનું દેવું 22 હજાર કરોડ વધ્યુંરાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂપિયા 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં એક વર્ષમાં આશરે 22 હજાર કરોડનો વધારો થયો છે. બજાર લોનનો આંકડો પણ રૂપિયા 3.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ સાથે સાથે રાજ્ય પોતાની આવકનો 12.82 ટકા હિસ્સો માત્ર દેવાના વ્યાજની ચૂકવણીમાં જ ખર્ચી રહ્યું છે, જે વિકાસ માટેના ખર્ચને અસર કરી શકે છે. માથાદીઠ આવક 3.66 લાખ સુધી પહોંચીઆર્થિક રીતે રાજ્ય મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતનો GSDP વધીને રૂપિયા 26.72 લાખ કરોડ થયો છે, જે દેશના કુલ GDPમાં લગભગ 8 ટકા હિસ્સો ધરાવે છે. માથાદીઠ આવક રૂપિયા 3.66 લાખ સુધી પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. સાક્ષરતા દર 84.6 ટકા અને ગરીબી દર 11.66 ટકા હોવો પણ સકારાત્મક પાસા દર્શાવે છે. 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણસામાજિક સૂચકાંકોમાં કેટલીક ચિંતાજનક બાબતો પણ સામે આવી છે. રાજ્યમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે અને હવે 50.29 ટકા વસ્તી શહેરોમાં વસે છે. આરોગ્ય ક્ષેત્રે સુધારો નોંધાયો હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં ગુજરાત પાછળ છે, જ્યાં 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ છે. વહીવટી સ્તરે પણ ખામીઓ સામે આવી છે. વર્ષો સુધી હજારો કરોડના વપરાશ પ્રમાણપત્રો બાકી છે અને વધારાની ચૂકવણીઓનું નિયમિતકરણ થયું નથી, જે નાણાકીય શિસ્ત અંગે પ્રશ્નો ઊભા કરે છે. મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધ્યુંCAGના આ અહેવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યની મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધી રહ્યું છે. આવનારા સમયમાં ખર્ચ પર નિયંત્રણ અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો નહીં કરવામાં આવે તો વિકાસલક્ષી યોજનાઓ પર અસર થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Mar 2026 12:05 am

જૂનાગઢનો ઝાંઝરડા રોડ બન્યો અયોધ્યા::ઝાંઝરડા રોડ પર રામ જન્મોત્સવ પૂર્વે ભવ્ય રોશની અને સાંસ્કૃતિક કાર્યક્રમો.ભોજલરામ ગ્રુપ અને સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા લાઈવ ઓરકેસ્ટ્રા

​ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં આગામી શ્રીરામ જન્મોત્સવને લઈને અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝાંઝરડા રોડ વિસ્તાર જાણે મિની અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેમ સમગ્ર માર્ગને ધજા-પતાકા, ભગવા રંગના આકર્ષક ગેઈટ અને ઝળહળતી લાઈટોથી શણગારવામાં આવ્યો છે. ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે લાઈવ ઓરકેસ્ટ્રા અને ભક્તિમય સુરાવલીએ લોકોને આધ્યાત્મિકતાના રસાસ્વાદમાં તરબોળ કરી દીધા હતા. સિધ્ધેશ્વર મંદિર પાસે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓના 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રામ નવમીની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર અને ભજનીક દિવ્યેશ જેઠવા તેમજ હરિઓમ પંચોલીના બેન્ડ દ્વારા શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે દિવ્યેશ જેઠવાએ જણાવ્યું હતું કે, ભારતની ધરતી અને ગરવા ગિરનારની ગોદમાં જ્યારે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે જૂનાગઢ પાછળ કેમ રહે? ઝાંઝરડા રોડ પર કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓ એ આપણા ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. 25 અને 26 માર્ચ એમ બે દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં નામી-અનામી કલાકારો દ્વારા લાઈવ પરફોર્મન્સ, સામાજિક કાર્યકરોનું સન્માન અને રામ ભક્તિના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ​સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે ઝાંઝરડા રોડ સ્થિત રામ મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને સિદ્ધનાથ મંદિરે તેની પૂર્ણાહુતિ થશે. આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક ફ્લોટ્સ અને રામસેના પાત્ર ગ્રુપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગોને જીવંત કરતા પાત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત મણિયારો રાસ અને સંતવાણીના કાર્યક્રમોએ પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. સમગ્ર ઝાંઝરડા રોડ પર મંડપ અને રોશનીનો એવો શણગાર કરાયો છે કે જે જોતા જ ભક્તોને અયોધ્યામાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ​ભોજલરામ ગ્રુપના અગ્રણી મહેન્દ્રભાઈ પરમાર અને સેવા સમર્પણ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામ જૂનાગઢવાસીઓને આ ભક્તિમય પર્વમાં સહભાગી થવા અને ભગવાન રામના સ્વાગતની તૈયારીઓમાં જોડાવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. મીડિયા કર્મીઓ દ્વારા થઈ રહેલા કવરેજને પણ કલાકારો અને આયોજકોએ બિરદાવ્યું હતું. અત્યારે આખું જૂનાગઢ જાણે પ્રભુ રામના આગમનની પ્રતિક્ષામાં ભક્તિના રંગે રંગાઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 11:12 pm

ડુમસ સી-ફેસ પર કચરો ફેંક્યો તો 100નો દંડ:રવિવારે જ 400 કિલો કચરો નીકળ્યો, ગંદકી પર અંકુશ લાવવા પાલિકા એક્શન મોડમાં

સુરતીઓ માટે 166 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવું નજરાણું ‘ડુમસ સી-ફેસ’ હવે ગંદકીનું કેન્દ્ર ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે કે સી-ફેસ પર કચરો ફેંકનાર પાસેથી સ્થળ પર જ લઘુત્તમ 100નો દંડ વસૂલવામાં આવશે. અગાઉ રિવરફ્રન્ટ અને ગોપીતળાવ જેવી મિલકતો ગંદકીને કારણે પોતાની સુંદરતા ગુમાવી ચૂકી છે, જેથી ડુમસ સી-ફેસની સ્થિતિ એવી ન થાય તે માટે તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે. સી-ફેસ ‘લિટર ફ્રી ઝોન’ જાહેરપાલિકાએ સમગ્ર પ્રોમેનાડ વિસ્તારને 'લિટર ફ્રી ઝોન' તરીકે ઓળખ આપવાનું નક્કી કર્યું છે. હાલમાં ત્યાં 50 હાઈ-ક્વોલિટી ડસ્ટબિન મુકવામાં આવ્યા છે પરંતુ, હવે તેમાં વધુ 25 'મૂવેબલ' ડસ્ટબિનનો ઉમેરો કરાશે. આ ડસ્ટબિનની ખાસિયત એ હશે કે લોકો જ્યારે સિટિંગ એરિયામાં બેઠા હશે અથવા સહેલગાહ કરતા હશે, ત્યારે ડસ્ટબિન તેમની આસપાસ ફરતી રહેશે જેથી કચરો નાખવા માટે દૂર સુધી જવું ન પડે અને સુંદરતા જળવાઈ રહે. CCTVથી વોચ અને 30 માર્શલ તૈનાતશનિ-રવિની રજાઓમાં અહીં 50 હજારથી વધુ સહેલાણીઓ ઉમટી પડે છે, જેના કારણે માત્ર બે દિવસમાં જ 700 કિલો જેટલો કચરો પેદા થાય છે. આ ગંદકી પર અંકુશ મેળવવા માટે હવે સફાઈ એજન્સીને CCTV કેમેરા ગોઠવવા આદેશ અપાયા છે. આ કેમેરાનું સીધું જોડાણ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) સાથે કરવામાં આવશે. જો કોઈ કચરો ફેંકતા ઝડપાશે, તો ફૂટેજના આધારે ત્યાં તૈનાત 30 માર્શલ્સને તુરંત જાણ કરી સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. એન્ટ્રી ફી વસૂલવાની તૈયારીડુમસ સી-ફેસમાં થતા ન્યુસન્સ અને ગંદકીને રોકવા માટે પાલિકા હવે પ્રવેશ ફી (Entry Fee) વસૂલવાની ગંભીર વિચારણા કરી રહી છે. આ માટે વિભાગ દ્વારા બાળકો, મહિલાઓ અને વડીલો માટે અલગ-અલગ કેટેગરી મુજબ ફીનું માળખું તૈયાર કરવાની દરખાસ્ત બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળતા જ અહીં પ્રવેશવા માટે સુરતીઓએ ખિસ્સા હળવા કરવા પડશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 10:19 pm

જામનગરમાં IG નિર્લિપ્ત રાયનું રાત્રિ પેટ્રોલિંગ:અસામાજિક તત્વોને પકડી કાયદાના પાઠ ભણાવ્યા, કરાવી સફાઈ

જામનગર પોલીસ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે પોતાની કડક કાર્યશૈલીથી ફરી એકવાર જામનગરમાં ખળભળાટ મચાવ્યો છે. પોતાની નિડર છબી માટે જાણીતા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે જ્યારે શહેરના સંવેદનશીલ અને ચર્ચિત વિસ્તારોમાં કાફલા સાથે રાત્રિ પેટ્રોલિંગ શરૂ કર્યું, ત્યારે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પેટ્રોલિંગ દરમિયાન, જે અસામાજિક તત્વો શહેરની શાંતિ ડહોળતા હતા, તેમને આઈજી નિર્લિપ્ત રાયે ઝડપી લીધા હતા. તેમણે આ શખ્સોને કાયદાનું ભાન કરાવતા જાતે જ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોની સાફ-સફાઈ કરાવી હતી. જે લોકો રોફ જમાવતા હતા, તેમને કાયદાના શાસન હેઠળ સાફ-સફાઈ કરતા જોઈ નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જામનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ ઉચ્ચ અધિકારી આટલી કડકાઈથી ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને અસામાજિક તત્વોને સીધા કરી રહ્યા હોય. સામાન્ય નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે સરાહના જોવા મળી રહી છે. આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જામનગરની શાંતિને કોઈ પણ સંજોગોમાં ડહોળવા દેવામાં આવશે નહીં. પોલીસ કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠક અને ત્યારબાદના પેટ્રોલિંગે ગુનેગારોના મનમાં કાયદાનો ભય પેદા કરી દીધો છે. તેમણે શહેરના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો સાથેની બેઠકમાં પણ સામાજિક એકતા અને શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. નિર્લિપ્ત રાયની આ મુલાકાત માત્ર એક પોલીસિંગ નથી, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે એક ચેતવણી છે. જામનગરની જનતા હવે એક સુરક્ષિત અને શાંત શહેરનો અનુભવ કરી રહી છે, અને આ કડક કાર્યવાહીથી જામનગર પોલીસની કામગીરીની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 10:09 pm

વલસાડની ભગોદ ગ્રામ પંચાયત સભ્યની ધરપકડ:બેંક લોન માટે પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા, રિમાન્ડ પર

વલસાડ તાલુકાની ભગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે બેંક લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે દીપેશ પટેલની ધરપકડ કરી છે અને તેમને ૨૭મી માર્ચ સુધીના રિમાન્ડ પર લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ભગોદ પંચાયતના સભ્ય દીપેશ પટેલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ તેઓ બેંકમાંથી લોન મેળવવા માટે કરવાના હતા. આ ગેરરીતિની જાણ ગામના સરપંચને થતા તેમણે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત ફરિયાદ કરી હતી. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી દીપેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે દીપેશ પટેલના ૨૭મી માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:57 pm

ગુજરાત વહીવટી તંત્રમાં ફેરફાર:જી. એચ. સોલંકી સુરેન્દ્રનગરના નવા કલેક્ટર બન્યા

ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નડિયાદ નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકી (IAS, SCS:GJ:2014)ની સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે, સુરેન્દ્રનગર કલેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળી રહેલા કે. એસ. યાજ્ઞિક (IAS)ને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. જી. એચ. સોલંકી 2014 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ અગાઉ નડિયાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયમી કલેક્ટરની નિમણૂક થવાથી વહીવટી કામગીરીમાં વધુ ગતિ આવશે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે અને નવનિયુક્ત કલેક્ટર ટૂંક સમયમાં પોતાનો પદભાર સંભાળશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:51 pm

મોરબી બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ:મહાનગરપાલિકા ચૂંટણીમાં પુરુષ આગેવાનોને ટિકિટ આપવા માંગણી

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબીમાં પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટો ફાળવવામાં આવે. બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકા મહિલા અનામત અને અન્ય અનામત બેઠકો હોય છે. જોકે, છેલ્લી પાલિકા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને અવગણીને માત્ર મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હતી. આ પુનરાવર્તન ન થાય તે માટે આ માંગણી કરવામાં આવી છે. મોરબી શહેરમાં અંદાજે 14 થી 15 હજાર જેટલું બ્રહ્મ સમાજનું મતદાન છે. નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે યોજાયેલી આ બેઠકમાં પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાની આગેવાની હેઠળ અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, અમુલભાઈ જોશી, નલિનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌનો એક જ સૂર હતો કે બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટો મળે. પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જે બ્રહ્મ સમાજના આગેવાનો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, તેઓએ ફોર્મ ભરીને પરશુરામ ધામ ખાતે જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આવેલા ફોર્મના આધારે રાજકીય પક્ષો સમક્ષ ટિકિટ માટે પૂરી તાકાત સાથે રજૂઆત કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટ મળે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:48 pm

ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં ઈણાજમાં રાત્રીસભા યોજાઈ:આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન, પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકાના ઈણાજ ગામે રાત્રીસભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને કચેરીઓ સુધી આવવું ન પડે અને તેમની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ મળે તે હતો. રાત્રીસભા દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી, પાકધિરાણ યોજના, મોડેલ શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ તથા અન્ય સહાયક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આ સાથે, આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય, કુપોષણ નિવારણ અને મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા અંગે પણ પૂછપરછ કરી હતી. “મારા કુટુંબની સુરક્ષા એ મારી જવાબદારી છે”ના સૂત્રને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીએ ગ્રામજનોને પીએમજેયાય કાર્ડ કઢાવવા અનુરોધ કર્યો હતો. સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. સભા દરમિયાન ગ્રામજનો દ્વારા પ્લોટ ફાળવણી, અનધિકૃત દબાણ અને ગામતળના પ્રશ્નો સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને આ રજૂઆતો પર નિયમ મુજબ કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રે, પીએમશ્રી મોડેલ શાળાના આચાર્ય દ્વારા નમો સરસ્વતી, નમો લક્ષ્મી, સરસ્વતી સાધના યોજના તેમજ કે.જી.બી.વી હોસ્ટેલ પ્રવેશ જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ તરફથી મેડિકલ ઓફિસર રાજદીપભાઈ મૂછારે ‘મમતા સેશન’ હેઠળ રસીકરણ, સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ, એચપીવી વેક્સિન અને પીએમજેયાય જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સરપંચ, એસ.એમ.સી. સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:44 pm

વાઘોડિયાની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી વિધાર્થીનો આપઘાત:આત્મહત્યાનું કારણ અકબંધ, 22 વર્ષીય યુવક સુરતથી વડોદરા ફિઝિયોથેરાપી કરવા આવ્યો'તો

વડોદરાની વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા 22 વર્ષીય વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતના બનાવ સંદર્ભે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના યુવકનો વડોદરામાં ગળે ફાંસો ખાઈ આપધાતપ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાર્થી સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં રહેતો અને હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતો અને વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઋત્વીજ વિઠ્ઠલભાઈ કલસરિયા (ઉંમર વર્ષ 22) ભાડે મકાન રાખીને તેના સહધ્યાય અન્ય બે મિત્રો સાથે રહેતો હતો. તે ગઈકાલે દિવસ દરમિયાન તેના સમયે કોલેજે ગયો હતો. તે બાદ સાંજે ઘરે આવ્યો હતો. રાત્રિના સમયે તેના સહધ્યાયી બે મિત્રો જમવા માટે પર ગયા હતા. તે દરમિયાન વિદ્યાર્થી ઋત્વિજ કલસરિયા એ રહસ્યમય સંજોગોમાં એકલતાનો લાભ ઉઠાવી રસોડામાં આવેલા પંખાના હુક સાથે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈને મિત્રો ચોકી ઉઠ્યા તેના મિત્રો બહારથી જમીને ઘરે આવ્યા બાદ ઋત્વિજને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોતા તેના રૂમ પાર્ટનર બે મિત્રો ચોકી ઉઠ્યા હતા અને બૂમો પાડી ઉઠ્યા હતા. બૂમોના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, આત્મહત્યાનું કારણ અકબંધઆ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસ તથા પરિવારજનો તથા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે આવી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલના તબક્કે વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:15 pm

રાજ્યમાં ત્રણ IAS અધિકારીઓની બદલી:જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને નવા કલેક્ટર મળ્યા, પી.આર. પટેલિયાની ફરી સચિવ તરીકે કરાર આધારે નિમણૂક

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ મહત્વના જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક સાથે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પી.બી. પંડ્યા બન્યા જામનગરના કલેક્ટરઅમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.બી. પંડ્યા (IAS)ને જામનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કે.બી. ઠાકર (IAS)ના નિવૃત્તિ પછી આ જવાબદારી સંભાળશે. ઠાકર 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થવાના છે. સુરેન્દ્રનગરમાં જી.એચ. સોલંકીની ટ્રાન્સફરનડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત જી.એચ. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં વધારાની જવાબદારી સંભાળતા કે.એસ. યાજ્ઞિક (IAS)ને રિલીવ કરશે. ગાંધીનગરમાં રવિન્દ્ર ખાતલે કલેક્ટરમહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપતા રવિન્દ્ર ધ્યાનેશ્વર ખાતલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જે.એન. વાગેલા (IAS)ની વધારાની જવાબદારીને બદલશે. રાજ્ય વહીવટમાં નવી ગતિઆ બદલી-નિયુક્તિઓથી રાજ્યના વહીવટમાં નવી દિશા અને ગતિ આવવાની અપેક્ષા છે. સરકારના આ નિર્ણયને પ્રભાવશાળી વહીવટી વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પી.આર. પટેલિયાની ફરી સચિવ તરીકે કરાર આધારે નિમણૂકગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 25 માર્ચ, 2026ના જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયા 31 માર્ચે નિવૃત્ત થવા છતાં તેમની સેવા ચાલુ રાખવામાં આવી છે. સરકાર દ્વારા તેમને 1 એપ્રિલ, 2026થી એક વર્ષ માટે કે આગળના આદેશ સુધી કરાર આધારે સચિવ તરીકે ફરી નિમણૂક આપવામાં આવી છે. સાતમા પગાર પંચ મુજબ “લાસ્ટ પે માઈનસ પેન્શન” ફોર્મ્યુલા આધારે તેમને વેતન ચૂકવાશે. તેમના કરારની અન્ય શરતો બાદમાં જાહેર કરવામાં આવશે, જે સરકારના નિર્ણયને લઈ પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. રાજ્યમાં 27 આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની બદલીગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરના આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની વ્યાપક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 27 અધિકારીઓની સ્વવિનંતીથી વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જેમાં સેવા સુદ્રઢ બનાવવા અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બદલાયેલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગરથી જારી કરાયેલા આ આદેશમાં વિવિધ તાલુકા અને જિલ્લાની હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આયુર્વેદિક સારવાર સુવિધાઓ વધુ મજબૂત બને. આરોગ્ય વિભાગના આ નિર્ણયને કારણે તંત્રમાં ચુસ્તતા વધશે અને દર્દીઓને વધુ સુવિધાજનક સારવાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:08 pm

કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં કંપની નિષ્ફળ:ખેડૂતનો વીમો ઉંમરના બહાને નકારતી કંપનીને કોર્ટે ફટકારી, વ્યાજ સાથે ક્લેઈમ ચૂકવવા આદેશ

સુરત જિલ્લાના કીમ ખાતે રહેતા અને સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જમનાદાસભાઈ ખેડૂત મંડળીના સભાસદ હતા. 20 માર્ચ, 2018ના રોજ તેઓ પોતાની બાઇક પર સવાર થઈ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર પશુઓ આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર વતી વીમાના રૂ. 2 લાખ માટે ક્લેઈમ કરવામાં આવ્યો હતોખેડૂત મંડળી દ્વારા પોતાના તમામ સભાસદો માટે ‘ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ’ લેવામાં આવ્યું હતું. જમનાદાસભાઈના અવસાન બાદ પરિવાર વતી વીમાના રૂ. 2 લાખ માટે ક્લેઈમ કરવામાં આવ્યો હતો. જોકે, વીમા કંપનીએ આ ક્લેઈમ ફગાવી દેતા દલીલ કરી હતી કે પોલિસીની શરતો મુજબ માત્ર 70 વર્ષની વય સુધીના વ્યક્તિને જ વળતર મળી શકે છે, જ્યારે મૃતક ખેડૂતની ઉંમર અકસ્માત સમયે 71 વર્ષ હતી. ખેડૂતની ઉંમર 71 વર્ષ હોવાનો કોઈ સત્તાવાર દસ્તાવેજી પુરાવો નથીવીમા કંપનીના આ અન્યાયી વલણ સામે ખેડૂત મંડળી દ્વારા ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. મંડળી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, કંપની પાસે ખેડૂતની ઉંમર 71 વર્ષ હોવાનો કોઈ સત્તાવાર દસ્તાવેજી પુરાવો નથી. કોર્ટે વારંવાર તક આપવા છતાં વીમા કંપની ખેડૂતની વય મર્યાદા ઓળંગાઈ ગઈ હોવાનું સાબિત કરી શકી ન હતી, જેના કારણે કંપનીનો પક્ષ નબળો પડ્યો હતો. ગ્રાહક કોર્ટનો ચુકાદોબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત ગ્રાહક કોર્ટે વીમા કંપનીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું કે માત્ર ટેકનિકલ કારણો કે પુરાવા વગરની ઉંમરની દલીલો આપીને કોઈનો હક્ક છીનવી શકાય નહીં. અંતે, કોર્ટે વીમા કંપનીને આદેશ આપ્યો કે મૃતક ખેડૂતના વારસદારોને વીમાની રકમ રૂ. 2 લાખ, અરજી કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી દેવી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 9:05 pm

વલસાડમાં રામ નવમી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ:રામ નવમીના શોભા યાત્રા રૂટ ઉપર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, 14 શોભાયાત્રા પર નજર

વલસાડમાં રામ નવમીની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. SP યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આવતીકાલે વલસાડ જિલ્લામાં કુલ 14 સ્થળોએ રામ નવમીની શોભાયાત્રાનું આયોજન છે. તેમાંથી 3 શોભાયાત્રા વલસાડ શહેર વિસ્તારમાં અને 4 જેટલી યાત્રા ગ્રામ્ય વિસ્તારોમાં નીકળશે. આ ઉપરાંત 27મી તારીખે પણ 3 સ્થળોએ શોભાયાત્રાનું આયોજન છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાઈટેક નજર રાખવામાં આવશે. યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી દેખરેખ રખાશે. CCTV કેમેરા અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો પર સ્પેશિયલ ટીમ દ્વારા વોચ રખાઈ રહી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં DySP એ.કે. વર્મા, સિટી PI ભાવિક જીતિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. SP યુવરાજસિંહ જાડેજાએ નગરજનોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહી, કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ રીતે રામ નવમીના તહેવારની ઉજવણી કરે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:58 pm

ભાવનગર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું:મનપાની ચૂંટણી માં શહેર ઉપપ્રમુખને ટિકિટ ન અપાતા 30 થી 40 કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચ્યો

ભાવનગર શહેર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જુદા જુદા વોર્ડમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખને ટિકિટ ન આપાતા તેને પોતાના કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આમ, આગામી સમયમાં રાજકીય પક્ષોમાં ઉલટ-ફેરફારો થશે. જેમાં શહેર ઉપપ્રમુખ ડી.એન. મારૂએ આજે પાર્ટીના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી પોતાની ટીમ સાથે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેમણે પાર્ટી પર ઉપેક્ષા અને જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે, આ સાથે 30 થી 40 આપના કાર્યકરોએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, ​રાજીનામા પાછળના આપના ડી.એન. મારૂએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી તેમણે રાત-દિવસ પાર્ટી માટે કામ કર્યું છે 2022ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં 'સ્ટાર પ્રચારક' તરીકે ઘરે-ઘરે જઈને પ્રચાર કરવા છતાં પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે, તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક નોંધ્યું છે કે, હું દલિત (અનુસૂચિત જાતિ) હોવાથી મારી કદર કરવામાં આવતી નથી. સતત કામ લેવા છતાં યોગ્ય માન-સન્માન ન મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું, ​વધુમાં તેમણે યાદ અપાવ્યું કે વિરોધ પ્રદર્શનો, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા કે પોલીસ અટકાયત સહન કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા છે જ્યારે વડાપ્રધાન કે ગૃહમંત્રીના આગમન સમયે પણ તેમણે જેલવાસ ભોગવ્યો છે, છતાં પાર્ટીએ તેની નોંધ લીધી નથી, બીજું હરિયાણા, વિસાવદર, રાજકોટ અને ચોટીલા જેવા વિસ્તારોમાં પ્રચાર માટે તેઓ પોતાના ખર્ચે જતા હોવા છતાં પક્ષમાં તેમની કોઈ ગણના થતી નહોતી, ​જ્યાં માન-સન્માન ન જળવાતું હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. તેથી હું અને મારી ટીમ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ, ​આ રાજીનામું ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ને સંબોધીને મોકલી આપવામાં આવ્યું છે, ​ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાવનગરમાં 'આપ'ના પાયાના કાર્યકર અને હોદ્દેદારનું આ રીતે રાજીનામું પડવું એ પાર્ટી માટે મોટો ફટકો પડશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:52 pm

બહેનની નજર સામે ભાઈને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયો:વાસણામાં ભાઈની હત્યા મૃતકે કરી હોવાની શંકા રાખી આરોપીએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી

શહેરના વાસણામાં મધરાતે બહેનની સામે ભાઇની ઘાતકી હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. દોઢ વર્ષ અગાઉ આરોપીના ભાઇની લાશ મળી હતી. જે હાલના મૃતકે કરી હોવાનું માનીને આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાઇના મોતની શંકાનો બદલો લેનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. બહેનની નજર સામે ભાઈને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યોવાસણા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં રહેતો 25 વર્ષીય હિતેશ મેઘવાલ 23 માર્ચની રાત્રે બે વાગ્યા આસપાસ ઘરની બહાર સૂતો હતો, ત્યારે હિતેશને અજાણ્યો વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર માર મારતો હોવાથી હિતેશની બહેન જ્યોતિ જાગી ગઇ હતી. જ્યોતિએ જાગીને જોયું તો પાતળા બાંધાનો લાંબો શખસ ટોપી પહેરીને આવ્યો હતો અને તે હિતેશને માર મારીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતો હતો. જ્યોતિએ પ્રતિકાર કરતા જ શખસ ત્યાંથી ભાગી ગયો હતો. વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઇને ક્રાઇમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકી રંગવાલની ધરપકડ કરીક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને 28 વર્ષીય વિનોદ ઉર્ફે વિકી રંગવાલની ધરપકડ કરી છે. આરોપીને વી.એસ. હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી ઝડપી લઇ પૂછપરછ કરતા અનેક માહિતી સામે આવી છે. જેમાં સામે આવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા આરોપી વિનોદના ભાઈ શ્રવણની ચંદ્રનગર બ્રિજ નીચેથી લાશ મળી હતી. જેથી વિનોદને શંકા હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશનો જ હાથ છે. આજ શંકા અને બદલાની આગમાં વિનોદે હિતેશને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું અને મોકો શોધીને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:47 pm

સુરેન્દ્રનગરના દીપેન દવેની બાર કાઉન્સિલ ચૂંટણીમાં હેટ્રિક જીત:ભવ્ય વિજય સરઘસ સાથે તેમનું બહુમાન કરાયું

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના દીપેન દવેએ ઐતિહાસિક હેટ્રિક જીત હાંસલ કરી છે. આ વિજય બાદ સુરેન્દ્રનગર શહેરમાં તેમનું ભવ્ય વિજય સરઘસ કાઢી સન્માન કરવામાં આવ્યું હતું.દીપેન દવેએ વકીલોના વિશ્વાસથી સતત ત્રીજી વખત આ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, તેમ છતાં તેમણે મજબૂત હરીફ સામે જીત હાંસલ કરી હતી.તેમની જીત પાછળ એડવોકેટ મિત્રોની દિવસ-રાતની મહેનત અને સહયોગ મુખ્ય કારણભૂત રહ્યા હતા. આ વિજય બદલ એડવોકેટ મિત્રો સહિત વેપારીઓ અને અગ્રણી આગેવાનો દ્વારા દીપેન દવેને ઠેર ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દીપેન દવેની આ હેટ્રિક જીતથી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ પ્રસંગે દિગ્વિજયસિંહ ઝાલા, વિકાસ અડાલજા, મૌલિક પાઠક, નરેન્દ્રસિંહ અને કિશોરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:20 pm

અલ્બેનિયાના ફેક વિઝા આપી 39 લાખની છેતરપિંડી:23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના નામે ઠગાઈ કરનાર 'રોકી' નોઈડાથી ઝડપાયો, વર્ચ્યુઅલ નંબર અને ફેક આઈડીથી જાળ બિછાવી

વિદેશ જવાના સપના જોતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના એક મુખ્ય સાગરીતને સુરતની પાલ પોલીસે નોઈડાથી દબોચી લીધો છે. આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ નામના 25 વર્ષીય યુવાને 23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના બહાને 39 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી આઈફોન સહિતના મોબાઈલ જપ્ત કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશના વિઝા અપાવવાનું કામ કરતો હોવાની લાલચ આપીઆ કેસની વિગત મુજબ ફરિયાદી અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ પોતે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. ગત વર્ષે આરોપી અંકિત પટેલે પોતાની ઓળખ 'રોકી પટેલ' તરીકે આપી વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને અલગ-અલગ ઈમેલ આઈડી દ્વારા અંકુરભાઈનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે વિદેશના વિઝા અપાવવાનું મોટું કામ કરતો હોવાની લાલચ આપી અંકુરભાઈને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ 23 ક્લાયન્ટ્સના અલ્બેનિયાના વિઝા કરાવવા માટે અલગ-અલગ સમયે દિલ્હી ખાતે આંગળિયા મારફતે કુલ 39 લાખ રૂપિયા મંગાવી લીધા હતા. એમ્બેસીના વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડોપૈસા પડાવ્યા બાદ આરોપીએ ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા પૂરા પાડ્યા હતા. જોકે, જ્યારે આ વિઝાનું વેરિફિકેશન એમ્બેસીમાં કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ વિઝા તદ્દન ફેક અને 'ફર્જી' હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ્યારે ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ વાપરેલા તમામ વર્ચ્યુઅલ નંબરો અને ઈમેલ આઈડી બંધ કરી દીધા હતા. આખરે આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ પાછળ પડ્યાનો ખ્યાલ પડતાં જ આરોપીએ લોકેશન બદલીપાલ પોલીસની ટીમે સાયબર ક્રાઈમની મદદ લઈ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટરમાં છુપાયો છે. પોલીસની ટીમ જ્યારે નોઈડા પહોંચી ત્યારે આરોપીને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ પાછળ પડી છે, જેથી તેણે તાત્કાલિક પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું. જોકે, પાલ પોલીસે હાર માન્યા વગર આસપાસના રિસોર્સીસ અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરી આરોપીના નવા સરનામાનો પત્તો લગાવ્યો હતો. કલોલનો વતની નોઈડામાં ફ્રોડ નેટવર્ક ચલાવતો હતોઝડપાયેલો આરોપી અંકિત ઉર્ફે અક્ષિત મૂળ ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામનો વતની છે. તે છેલ્લા કેટલાક સમયથી નોઈડાના શતાબ્દી વિહાર વિસ્તારમાં રહીને આ પ્રકારનું ફ્રોડ નેટવર્ક ચલાવતો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી એક સફેદ રંગનો iPhone 13 Pro અને અન્ય એક કી-પેડ મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસના મતે આરોપી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ રીતે લોકોને છેતરવાનું કામ કરી રહ્યો હતો. છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલનું બહાનું કાઢતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અત્યંત શાતિર રીતે કામ કરતો હતો. જ્યારે કોઈ ક્લાયન્ટના વિદેશ જવાની તારીખ નજીક આવે ત્યારે તે પકડાઈ જવાની બીકે નવા નાટકો કરતો હતો. તે ક્લાયન્ટને ફોન કરીને કહેતો કે તમારી ટિકિટ ટેક્નિકલ એરરને કારણે કેન્સલ થઈ ગઈ છે અથવા એમ્બેસીમાં કોઈ પ્રશ્ન ઉભો થયો છે. આવા બહાના કાઢી તે સમય પસાર કરતો અને અંતે સંપર્ક કાપી નાખતો હતો. પોલીસે આરોપીને બે દિવસના રિમાન્ડ પર લીધોપાલ પોલીસ દ્વારા હાલ આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે, અંકિત એકલો આ મોટું કૌભાંડ આચરી શકે નહીં. આ ફ્રોડમાં તેની સાથે દિલ્હી અને નોઈડાના અન્ય શખ્સો પણ સામેલ હોઈ શકે છે. તપાસ દરમિયાન એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે તેણે અત્યાર સુધીમાં ગુજરાતના અન્ય કેટલા યુવાનોને વિદેશ મોકલવાના બહાને લાખોનો ચૂનો લગાવ્યો છે. લોકોને પોલીસની અપીલએસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, વિઝા કે વર્ક પરમિટ માટે કોઈપણ અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા પર મળતી જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. વિઝાની પ્રક્રિયા હંમેશા અધિકૃત એજન્ટો અથવા એમ્બેસી દ્વારા જ કરવી અને નાણાકીય વ્યવહાર કરતા પહેલા ચોકસાઈ કરવી જરૂરી છે. હાલમાં પાલ પોલીસ સ્ટેશનમાં આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:13 pm

એટ્રોસિટી ફરિયાદ નિવારણમાં ગુજરાત દેશમાં મોખરે:વર્ષ 2025માં પીડિતોને 23.62 કરોડની સહાય અને 1.03 લાખ વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલનો લાભ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોના રક્ષણ તેમજ સામાજિક સમરસતાને વધુ સુદ્રઢ બનાવવા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જન પ્રતિનિધિઓ અને અધિકારીઓને સંવેદનાપૂર્ણ અભિગમ સાથે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફરિયાદોના નિકાલમાં ગુજરાતનો ડંકોબેઠકમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં માર્ચ-2022થી કાર્યરત 'નેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટી' (અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર) અત્યંત અસરકારક સાબિત થયું છે. આ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોના 100 ટકા નિકાલ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સિદ્ધિ રાજ્ય સરકારની ત્વરિત ન્યાય આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 23.62 કરોડ રૂપિયાની આર્થિક સહાયરાજ્યમાં અનુસૂચિત જાતિ-જનજાતિ પરના અત્યાચારના બનાવોમાં પીડિતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર તત્પર રહી છે. જાન્યુઆરી-2025થી ડિસેમ્બર-2025 દરમિયાન કુલ 23.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અને નાગરિક હક્ક રક્ષણ અધિનિયમ 1955 હેઠળ નોંધાયેલા કેસોની ઝીણવટભરી સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. શિક્ષણ અને સમરસ હોસ્ટેલની સુવિધાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ઓલ કાસ્ટ અન્ડર વન રૂફ'ના વિઝનને સાકાર કરવા 2016થી શરૂ થયેલી સમરસ હોસ્ટેલ યોજનાના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. હાલમાં 12 જિલ્લાઓમાં 23 સમરસ હોસ્ટેલ કાર્યરત છે, જેનો લાભ 1.03 લાખ વિદ્યાર્થીઓએ લીધો છે. આ ઉપરાંત, વધુ 11 બોયઝ અને 14 ગર્લ્સ સમરસ હોસ્ટેલને મંજૂરી આપવામાં આવી છે, જે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન અને નિવાસ પૂરો પાડશે. ન્યાયિક પ્રક્રિયામાં ઝડપએટ્રોસિટીના કેસોનું ઝડપી નિરાકરણ લાવવા માટે રાજ્યમાં 16 એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ કાર્યરત હોવાની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. વધુમાં, દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર ત્રણ મહિને તકેદારી સમિતિની બેઠકો નિયમિત રીતે યોજવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિત મંત્રીઓ મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, દર્શનાબેન વાઘેલા, જયરામભાઈ ગામીત અને પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી સ્તરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ અને અન્ય ઉચ્ચ સચિવોએ પણ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:12 pm

ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા સૂચના:ઇલેક્ટ્રિક બસો ચાર્જ કરવા પૂરતા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરો, ઘુમા-લાંભા સહિત 5 જગ્યાએ નવા CHC સેન્ટર ઉભા કરાશે

શહેરીજનોને આરોગ્યની સુવિધા વધુ સારી રીતે મળી રહે તેના માટે નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) બનાવવામાં આવી રહ્યાં છે. સૈજપુર બોઘા, લાંભા, મક્તમપુરા, રખિયાલ, ઘુમા અને માધુપુરામાં એમ વધુ પાંચ CHC તૈયાર કરવામાં આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનવાના કારણે પાંચ લાખથી વધુ લોકોને આરોગ્યની સુવિધાઓનો લાભ મળશે. વિરાટનગર CHCમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધામ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આરોગ્યની સેવાઓ જેમાં X-RAY, વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, ENT સર્જરી સહિત નાની મોટી સર્જરી કરવામાં આવે છે તથા મેટરનિટી, ગાઈનેક, નોર્મલ ડીલીવરી અને સિઝેરિયન પણ કરવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં CHCમાં આ પ્રકારની તબીબી સુવિધા આપવામાં આવતી હોવાને પરિણામે AMC સંચાલિત LG, શારદાબેન, SVP, સહિતની હોસ્પિટલો પરનું ભારણ ઘટી ગયું છે અને મ્યુનિ. હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો ઓછો જોવા મળે છે. વિરાટનગર CHC તૈયાર થઈ ગયું છે અને વિરાટનગર CHCમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા છે. શહેરમાં બે વોર્ડ દીઠ એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરAMC મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પોતાના જ વિસ્તારમાં અને ઘરની નજીક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં CHC બનાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ પાંચ CHC બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં બે વોર્ડ દીઠ એક CHC તૈયાર કરવામાં આવે તો શહેરીજનોને વધુ સારી રીતે તબીબી સારવાર મળી શકે છે. બોડકદેવમાં બે માળનું નવું CHC તૈયાર કરાશેસાબરમતી વોર્ડમાં રામનગરમાં આવેલા CHC નાનું હોવાથી સ્વિમિંગ પૂલની બાજુમાં નવું CHC બનાવવામાં આવશે. જ્યારે રખિયાલ ચાર રસ્તા પાસે આવેલ CHC જૂનું અને જર્જરિત બની ગયું હોવાથી તેને તોડીને તે જ સ્થળે નવું CHC બનાવવામાં આવશે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ત્રણથી ચાર ઓપરેશન થિયેટરની સુવિધા ઉભી કરાશે. બોડકદેવમાં આવેલા હયાત અર્બન હેલ્થ સેન્ટરને પણ નજીકમાં આવેલી AMCની વોર્ડ ઓફિસના સ્થળે ખસેડીને બે માળનું નવું CHC તૈયાર કરવામાં આવશે. કન્સ્ટ્રક્શન સાઈટો પર ધ્યાન આપવા કમિશનરની સૂચનાઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની રીવ્યુ બેઠકમાં શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને લઈને ચર્ચા થઈ હતી. એર ક્વોલિટી બાબતે કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર ધ્યાન આપવા માટે કમિશનરે સૂચના આપવી પડી હતી. 140 જેટલી કન્સ્ટ્રકશન સાઈટો છે, પરંતુ તેમાં એક પણ જગ્યાએ કોઈ સ્ટેટસ હતું નહીં માત્ર ચાર જેટલી સાઈટોના નેગેટિવ રિપોર્ટ આપવા તેના સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જેથી કમિશનરે કહ્યું હતું કે, માત્ર બે-ચાર સાઈટો પર કામ કરવાથી હવા પ્રદુષણ કંટ્રોલમાં નહીં આવે જેથી યોગ્ય રીતે કામ કરવા માટે જણાવ્યું હતું. હાઈરિસ્ક વિસ્તારની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યાપાણીજન્ય રોગચાળા મુદ્દે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને કહ્યું હતું કે દક્ષિણ ઝોન વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે. હાઈરિસ્ક વિસ્તારની કામગીરી માટે પણ ટેન્ડર બહાર પાડી દીધા છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત જે પ્રમાણે ઈસરો સાથે મળી અને હોટસ્પોટ એરીયા નક્કી કરવામાં આવે છે, ત્યારે આ બાબતે કમિશનરે તેમની કામગીરી યોગ્ય ન હોવાનું કહી અને તમે બરાબર રીતે જાણતા નથી અને કરી રહ્યા નથી તેમ કહી અને બધી વ્યવસ્થા અને કરો છો પરંતુ તેની પાછળ કામગીરી જે કરવાની હોય છે તે કરી રહ્યા નથી તેમ કહ્યું હતું. ઇલેક્ટ્રિક બસો ચાર્જ કરવા પૂરતા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરો1900 જેટલી ઈલેક્ટ્રીક બસો લાવવામાં આવશે એવી વાત કરવામાં આવી છે, પરંતુ બસોના ચાર્જિંગ સ્ટેશન બાબતે AMTS વિભાગના અધિકારીને તેઓએ પૂછ્યું હતું કે, શું આપણી પાસે આટલી બસોના ચાર્જિંગ સ્ટેશન પૂરતા પ્રમાણમાં છે કે નહીં. જેથી અધિકારીએ કહ્યું હતું કે, અત્યારે આપણી પાસે પૂરતી વ્યવસ્થા નથી પરંતુ આપણે તેના માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા સૂચનાકોટ વિસ્તારમાં ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા અને તેની આસપાસ બાઉન્ડ્રી લગાવવા માટે સૂચના આપી છે. મકાન ભયજનક હોવા અંગે લોકોને જાણ થાય તેના માટે મોટું બોર્ડ લગાવવું જોઈએ અને અન્ય ઝોનમાં પણ જનક મકાન હોય ત્યાં આ પ્રમાણેની કાર્યવાહી કરવા જણાવ્યું છે. કોટ વિસ્તારમાં જે મિલકતોમાં સળગી ઊઠે માલ સામાન રાખ્યો હોય મિલકતોનો સર્વે કરીને નોટિસ આપી છે અને ઝડપથી માલ ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:12 pm

વડોદરામાં આવતીકાલે 23 શોભાયાત્રાઓ નિકળશે:રામનવમી પર્વે શહેર પોલીસ એલર્ટ મોડમાં, ડ્રોન-સીસીટીવી, બોડી વોર્ન કેમેરાથી સજ્જ; ધાબા પોઇન્ટ પર ચેકિંગ વધુ કડક કરાશે

વડોદરા શહેરમાં આવતીકાલે રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને લઈને આજે વડોદરાના ભૂતડીઝાપા મેદાન ખાતે શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સઘન પેટ્રોલિંગવડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવતીકાલની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસને ડ્રોન, સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. ધાબા પોઇન્ટ તેમજ ડીપ ધાબા પોઇન્ટ પર ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે. શહેરમાં 23 સ્થળોએ શોભાયાત્રાઓ નીકશેપોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે રામનવમીના શહેરમાં કુલ 23 સ્થળોએ શોભાયાત્રાઓ નીકળવાની હોવાથી, ડીસીપી, એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાપ્રસાદ અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહેશે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:11 pm

કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી મહોત્સવ:26 માર્ચે સાધુ પ્રેમવત્સલદાસજીનો વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ

અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવ ૨૬ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે. આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરંપરાગત ભક્તિ-સત્સંગ સાથે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય છે. મહોત્સવના પ્રથમ દિવસે, ૨૬ માર્ચના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે એક વિશેષ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાશે. આ પોડકાસ્ટમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને જાણીતા પ્રવક્તા પ્રો. અશ્વિનભાઈ આણદાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનના આદર્શો, સામાજિક સુધારા અને વર્તમાન સમયમાં આધ્યાત્મિકતાની પ્રસ્તુતતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોને તેમની ભાષામાં ભગવાનનો શાંતિ, સદાચાર અને નીતિમય જીવનનો સંદેશ સમજાવવાનો છે. ડિજિટલ માધ્યમ દ્વારા ભગવાનના સંદેશને વ્યાપક ફલક ઉપર પહોંચાડવાનો આ એક નવતર પ્રયોગ છે. આ કાર્યક્રમના પ્રારંભે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવશે. ૨૭ માર્ચના રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી ધૂન, કીર્તન અને પારાયણ વાંચન કરવામાં આવશે. બપોરે ૨:૩૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને શ્રી હરિનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પારણિયામાં ઝુલાવવામાં આવશે અને સંતો-ભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવશે. ૨૮ માર્ચના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કુમકુમ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૩૪મો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ષોડશોપચારથી પૂજન, અર્ચન અને પુષ્પાભિષેક કરવામાં આવશે, ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન ઉપર મહિમાગાન કરશે. આ પ્રસંગે ગુજરાતભરના અને દેશ-વિદેશના ભક્તો દર્શન અને સત્સંગનો લાભ લેવા પધારશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:09 pm

મુખ્યમંત્રીનો ‘નાગરિક દેવો ભવઃ’ અભિગમ:રાજ્ય સ્વાગતમાં 3512 રજૂઆતોનો ત્વરિત ઉકેલ લાવી વહીવટી તંત્રને અપાયા કડક આદેશો

માર્ચ-2026ના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નાગરિક દેવો ભવઃ’નો ઉદારતમ અભિગમ અપનાવીને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે રાજ્યના વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 100થી વધુ નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું. વૃદ્ધ માતાની વહારે આવ્યા મુખ્યમંત્રીઆ કાર્યક્રમમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ માતાને તેમના જ પુત્ર અને પુત્રવધૂ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ બાબતે મુખ્યમંત્રીએ અત્યંત સંવેદના દર્શાવી હતી. તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ કરવા અને વૃદ્ધાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. 300 બાળકોના શિક્ષણ માટે મહત્વનો નિર્ણયશિક્ષણના હિતમાં મોટો નિર્ણય લેતા CM ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠાની સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળાના પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું. આ શાળામાં ભણતા 300 બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને, યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે શાળાના પાકા બાંધકામ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. ખેડૂતોના પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિવારણ ખેડૂતોની સમસ્યાઓ બાબતે પણ મુખ્યમંત્રીએ મક્કમતા દાખવી હતી. દહેગામની ખારી નદીમાં બાવળ અને ઝાડી-ઝાંખરાને કારણે પાણીનું વહન અવરોધાતું હતું, જેનાથી ખેડૂતોની જમીનનું ધોવાણ થતું હતું. આ મુદ્દે તેમણે ‘સુજલામ સુફલામ યોજના’ અંતર્ગત તાત્કાલિક અવરોધો દૂર કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ખેતરોમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજ, પાકનું નુકસાન અને ખેતરમાં જવાના રસ્તા પરના દબાણો હટાવવા જેવા પ્રશ્નો અંગે પણ સ્થાનિક તંત્રને તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સ્વાગત કાર્યક્રમની ફલશ્રુતિ અને આંકડાકીય વિગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના આ મજબૂત માધ્યમ દ્વારા રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે: રાજ્ય સ્વાગત: 100 થી વધુ રજૂઆતો. જિલ્લા સ્વાગત: 1218 રજૂઆતો. તાલુકા સ્વાગત: 2294 રજૂઆતો. કુલ 3512 જેટલી રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને નાગરિકોનો રાજ્ય સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, ઓએસડી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લાના કલેક્ટર, એસ.પી. તથા ડી.ડી.ઓ. ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સૂચના આપી હતી કે નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ લાવવું એ સરકારની પ્રાથમિકતા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:07 pm

ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર:રાજકોટ કોંગ્રેસે થાળી-વેલણ વગાડી PMનાં 'કોરોના કાળ'ના આહવાનની યાદ અપાવી અનોખો વિરોધ કર્યો

હાલમાં ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને વડાપ્રધાને સંસદમાં 'કોરોના જેવી મહામારી' સાથે સરખાવતા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા અનોખો અને આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી થાળી અને તાલી વગાડી સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો હતો. આજે અમે પેટ્રોલ-ડીઝલને 'બોલાવવા' માટે થાળી વગાડી રહ્યા છીએદીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોના કાળમાં વડાપ્રધાને થાળી, તાળી અને મંજીરા વગાડીને કોરોના ભગાડવાની અપીલ કરી હતી, તે જ રીતે આજે અમે પેટ્રોલ-ડીઝલને 'બોલાવવા' માટે થાળી વગાડી રહ્યા છીએ. ભાજપ સરકાર જ્યારથી આવી છે ત્યારથી લોકોને લાઈનમાં ઉભા રાખવા માટે જ જાણીતી બની છે; પહેલા નોટબંધી, પછી કોરોનામાં હોસ્પિટલની લાઈનો અને હવે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહી છે. સરકાર લોકોને 'આત્મનિર્ભર' રહેવાના નામે મૂર્ખ બનાવી રહી છેકોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સરકાર પોતાની જવાબદારીમાંથી ભાગી રહી છે અને લોકોને 'આત્મનિર્ભર' રહેવાના નામે મૂર્ખ બનાવી રહી છે. આ કાર્યક્રમ દ્વારા જનતાને જાગૃત કરવામાં આવી હતી કે આગામી સમયમાં લાઈનોમાં ઉભા રહેવાને બદલે મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી ન્યાય મેળવે. આ વિરોધ પ્રદર્શનમાં રણજીત મુંધવા, રહીમભાઈ સોરા, જયાબેન ટાક અને વિભૂતિ ત્રિવેદી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 'રામવન'માં આવતીકાલે રામનવમી નિમિતે મુલાકાતીઓને મળશે નિ:શુલ્ક પ્રવેશરાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ રામવન ખાતે આવતીકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. 15માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર સ્થિત આ અર્બન ફોરેસ્ટ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવે છે. ગાર્ડન ડાયરેક્ટરનાં જણાવ્યા મુજબ, આવતીકાલે રામનવમીના દિવસે રામવનની મુલાકાત લેતા તમામ વય જૂથના નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવશે નહીં. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ છે કે લોકો ભગવાન શ્રીરામના જીવનચરિત્રના વિવિધ પ્રસંગોથી પ્રેરણા મેળવે અને તેના પ્રત્યેના ભક્તિભાવથી અવગત થાય. રામવનમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહિતના અનેક આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાનાં આ નિર્ણયથી શહેર અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં 'રામવન'નાં કુદરતી અને આધ્યાત્મિક વાતાવરણનો લાભ ઉઠાવી શકશે. મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક-ગંદકી મામલે કાર્યવાહીરાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને ગંદકી ફેલાવતા તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–2021 અન્વયે તારીખ 23/03/2026 અને 24/03/2026ના રોજ શહેરના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ 2 દિવસની કામગીરી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 121 આસામીઓ સામે વહીવટી કાર્યવાહી કરીને રૂ. 33070નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુ. કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરોના સુપરવિઝનમાં કરવામાં આવી હતી. ઝુંબેશમાં આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરો જોડાયા હતા. શહેરને સ્વચ્છ રાખવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. બેડી ટીપી સ્કીમ, ગવરીદળ અને બેડીના 77 સર્વે નંબર સાથેની વિકાસ યોજના જાહેરરાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા બેડી વિસ્તારમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના (ટીપી) નં. 39/2 (બેડી) બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. 202.69.36 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતી આ યોજનામાં બેડી અને ગવરીદળના અંદાજે 77 જેટલા રેવન્યુ સર્વે નંબરોનો સમાવેશ થાય છે. આ સ્કીમ માટે ખાનગી એજન્સી પાસે માપણી કરાવ્યા બાદ ડી.આઈ.એલ.આર.ની કચેરી પાસેથી નીમતાણું મેળવી મુખ્ય નગર નિયોજકને પરામર્શ માટે મોકલવામાં આવ્યો છે. ટીપી સ્કીમની હદમાં ઉત્તરે ગવરીદળ અને મનહરપુર ગામના સર્વે નંબરો, દક્ષિણે સૂચિત ટીપી નં. 39/1, પૂર્વમાં બેડી ગામના અન્ય સર્વે નંબરો અને પશ્ચિમે આજી નદી આવેલી છે. સ્કીમમાં બેડીના સર્વે નંબર 148 થી 238 પૈકીના વિવિધ પ્લોટ્સ અને સરકારની માલિકીના સર્વે નંબર 261 પૈકીની ખરાબાની જમીનનો સમાવેશ કરાયો છે. રૂડા દ્વારા આ યોજનાનો નકશો કચેરી સમય દરમિયાન જાહેર જનતાના અવલોકન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી અસરગ્રસ્તો પોતાના વાંધા-સૂચનો રજૂ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:06 pm

27 માર્ચથી 8 એપ્રિલ આ રસ્તે ના નીકળતા, ધક્કો પડશે:બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના કારણે અકોટા બ્રિજ બંધ રહેશે. આગામી 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવોજિલ્લા વહીવટી તંત્ર અને હાઈસ્પીડ રેલ કોર્પોરેશને વાહનચાલકોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો. જેમાં અકોટા બ્રિજ બંધ રહેતા વાહનચાલકોને જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જમાવવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી દરમ્યાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા સોલર પેનલ અકોટા બ્રિજને ચાલુ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:02 pm

શેરબજારમાં રોકાણના બહાને ડિજિટલ લૂંટ:ગાંધીનગરના આધેડને તગડા નફાની લાલચ આપી માત્ર 17 દિવસમાં 1.68 કરોડનો ચૂનો લગાવ્યો, પત્નીએ ઠગાઈનો અહેસાસ કરાવ્યો

શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાની લાલચમાં ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા આધેડને સાયબર ગઠિયાઓએ 1 કરોડ 68 લાખ 40 હજારનો ચુનો લગાવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં એડ થયા બાદ શેરબજારમાં તગડો નફો થવાની લાલચ જાગી ગાંધીનગરના અદાણી શાંતિગ્રામમાં રહી પ્રાઇવેટ નોકરી કરતા રાજેશ સીરીગીરીશેઠ્ઠીની ફરિયાદ મુજબ ગત 28 જાન્યુઆરી, 2026ના રોજ તેમના મોબાઈલ નંબરને VIP5 STOCK SHARING GROUP નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં વિકાસ શર્મા નામના વ્યક્તિએ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના મેસેજ મોકલ્યા હતા. ત્યારબાદ તેમને Victory Vanguards2 નામના અન્ય એક ગ્રુપમાં પણ એડ કરાયા હતા. અન્ય સભ્યોને રોકાણ સામે મોટો નફો મળતો હોવાના મેસેજ જોઈ તેમને પણ શેરબજારમાં તગડો નફો થવાની લાલચ જાગી હતી. આ ઠગાઈમાં સંડોવાયેલા ઠગોએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિકાસ શર્મા અને બેંક એકાઉન્ટ મેનેજર માઈકલ કુલીન્સ તરીકેની ખોટી ઓળખ આપી હતી. IPO ખરીદવા માટે રૂ.1.48 કરોડની માંગણી કરી ત્યારે સાયબર ફ્રોડ બહાર આવ્યુંઆ ઉપરાંત તેમને પ્લે સ્ટોર પરથી Geosphere નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વધુ વિશ્વાસ જીતવા માટે મુંબઈ ખાતે ટ્રેનિંગમાં નામ નોંધવાની પણ લાલચ આપી ફંડ ઇન્વેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના પગલે 25 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2026 દરમિયાન ઠગ ટોળકીએ તેમની પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.1,68,40,000 અલગ અલગ બેંક ખાતામાં ભરાવડાવ્યા હતા. છેલ્લે જ્યારે ઠગોએ IPO ખરીદવા માટે વધુ રૂ.1.48 કરોડની માંગણી કરી ત્યારે રાજેશભાઈ પાસે નાણાં ન હોવાથી તેમણે પત્નીને વાત કરી હતી. જેના કારણે આ સમગ્ર સાયબર ફ્રોડ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઇ જે. કે. રાઠોડે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 8:02 pm

કતલખાના અને મટન માર્કેટબંધ રાખવા આદેશ:રામનવમી અને મહાવીર જયંતી નિમિત્તે કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા મનપાનો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારો રામનવમી અને મહાવીર જયંતી ને ધ્યાનમાં રાખીને શહેરના મટન માર્કેટ અને કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવનગર મહાનગરપાલિકા આગામી હિન્દૂ સમાજના ધાર્મિક તહેવારોને લઈ મટન માર્કેટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ તા.26/3/2026 (રામનવમી) તથા 31/3/2026 (મહાવીર જયંતી) બંને દિવસો દરમ્યાન બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વેપારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે આ દિવસો દરમિયાન માંસનો સંગ્રહ કે વેચાણ કરવું નહીં, જો કોઈ પણ વેપારી આ હુકમનો અનાદર કરતા ઝડપાશે, તો તેમની સામે ધારાધોરણ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ​આ આદેશ વેટરનરી ઓફિસર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:58 pm

Editor's View: મુનીર માથે મધ્યસ્થીનો મુગટ:અમેરિકાથી ઑર્ડર છૂટ્યો! યુદ્ધ રોકવા પાકિસ્તાનનો કૂદકો, શરતો પર ઈરાનનો લાલ લીટો; ભારતનું ટેન્શન વધશે?

માર્ચ 2026ના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે અને એવામાં દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભી છે. પર્શિયન ગલ્ફમાં ઈરાન અને ઈઝરાયેલની મિસાઈલો આકાશ ચીરી રહી છે, હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા દુનિયાની તેલ નસ દબાઈ ગઈ છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે, વિશ્વની કિસ્મતની ચાવી એક એવા દેશના હાથમાં આવી છે જે પોતે આર્થિક દેવાળિયાપણાની કગારમાં છે… આ દેશ એટલે પાકિસ્તાન! પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ગેરંટર બનવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ માનાતા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની નજર નીચે ઈસ્લામાબાદ હવે વર્લ્ડ પોલિટિક્સના સૌથી ખતરનાક ખેલનું સેન્ટર બનવા જવાનું છે. આ ખાલી શાંતિની વાત નથી પણ તેલ-ગેસ-મોંઘવારી અને ભૂખમરાથી બચવાનો પાકિસ્તાનનો છેલ્લો પ્રયાસ છે. પાકિસ્તાનની મધ્યસ્થીથી થનાર આ સિક્રેટ મીટિંગ શું ઈતિહાસ બદલી દેશે? જો પાકિસ્તાન સફળ થાય તો કાશ્મીર વિવાદ વધુ વકરશે? આજે આપણે તેની વાત કરીએ. નમસ્કાર… સૌથી પહેલા તો આપણે સમજીએ કે પાકિસ્તાન પાસે આટલી મોટી જવાબદારી આવી તો આવી કઈ રીતે? તો વાત જાણે એમ છે કે ઈરાન દુનિયાનો સૌથી વધુ શિયા મુસ્લીમ પોપ્યુલેશનવાળો દેશ છે. તેના પછી સૌથી વધુ શિયા મુસલમાન કોઈ દેશમાં હોય તો તે છે પાકિસ્તાન. હાં... પાકિસ્તાન સુન્ની બહુમતિવાળો છે તે વાત અલગ છે. પણ અહીં જોવા જેવી વાત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સીધી રીતે વાતચીત નથી થતી. ઈરાનને પોતાના પાડોશી મુસ્લિમ દેશો પર જે મિસાઈલનો મારો ચલાવ્યો ત્યારથી તે દેશો પણ ઈરાન સામે મોઢું ફૂલાવીને બેઠા છે. તો હવે ઈસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન જ એવો દેશ બને જે ઈરાન અને અમેરિકા બંને સાથે મીડલમેન એટલે કે વચેટિયા તરીકે વાત કરી શકે. જો પાકિસ્તાન ઈસ્લામિક દેશ ન હોત તો તેની કોઈ હેસિયત નથી કે આટલા મોટા યુદ્ધમાં તે મધ્યસ્થી કરી શકે. પાકિસ્તાનને આટલી મોટી જવાબદારી કેમ? અગાઉ વાત કરી તેમ કતાર કે યુએઈ ઈરાનના એવા પાડોશીઓ અને ઈસ્લામિક ભાઈઓ છે જેમની પાસે અમેરિકન સૈન્ય મથકો છે. માટે જ તેને તબાહ કરવા માટે ઈરાને તેમના પર મિસાઈલ્સ છોડી હતી. પણ પાકિસ્તાનમાં અમેરિકાનું કોઈ સૈન્ય મથક નથી, માટે ઈરાને પાકિસ્તાન પર કોઈ મિસાઈલ નથી ચલાવી. પણ જો હોત તો ઈરાનની મિસાઈલ્સ પાકિસ્તાનના આકાશમાં પણ દેખાઈ હોત. આ સિવાય પાકિસ્તાન એકમાત્ર એવો ઈસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ તાકાત છે. માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ પાકિસ્તાનની વાત સાંભળે તેવું છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શલ મુનીર આ સિવાય એક ફેક્ટર એ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારો ઘરોબો છે. મુનીરને તો ટ્રમ્પે તેમના ફેવરિટ ફિલ્ડ માર્શલ પણ કહ્યા હતા. મુનીરની અમેરિકન ડિનર ડિપ્લોમસી પછી એવું કહેવાય રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન પર ઈરાન મામલે દાવ રમી શકે તેવો ઓપ્શન છે. હવે વાત કરીએ એ 15 મુદ્દાની જે અમેરિકાએ પાકિસ્તાનને વચ્ચે રાખીને ઈરાન સુધી પહોંચાડ્યા છે તેના વિશે. અમેરિકાએ ઈરાનને પ્રપોઝલ મોકલ્યો છે કે, ઈસ્લામાબાદની બેઠકમાં કોણ આવી શકે? જો ઈરાન આ બધી વાતો માની જાય તો પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પર વાતચીત થઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વાતચીતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ શામેલ થઈ શકે છે. ઈરાન તરફથી તેમના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે. પણ એવું કહેવાય છે કે આ 15 પોઈન્ટના પ્રસ્તાવમાં ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને પોતાનો પક્ષ પણ રાખ્યો છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્લમાઈલ બાઘેઈએ પ્રસ્તાવના અમુક ભાગોને નકારી કાઢ્યા છે. અમેરિકાના પ્રપોઝલ પર ઈરાને જવાબ આપ્યો છે કે, યુદ્ધ ભૂખમરો અને અંધકાર લાવ્યું હવે વાત કરીએ પાકિસ્તાનની કારણ કે તેના માટે આ મધ્યસ્થી જીવન-મરણનો પ્રશ્ન છે. સમજીએ કઈ રીતે, પહેલા તો પાકિસ્તાન અત્યારે મોટી તેલ-ગેસની એનર્જી ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ પાકિસ્તાન માટે ભૂખમરો અને અંધકાર લઈને આવ્યું છે. તેલ-ગેસના ભાવ વધતા પાકિસ્તાને પોતાની પાકિસ્તાન સુપર લીગમાં સરકારે સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવાને બદલે વોચ ફ્રોમ હોમની વાત રાખી છે. યુદ્ધના કારણે પાકિસ્તાન પરેશાનપાકિસ્તાને પોતાની જરૂરતનું 85-90 ટકા જેટલું તેલ અને ગેસ બીજા દેશો પાસેથી ખરીદે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી છે તેના કારણે પાકિસ્તાનની સપ્લાય ચેઈન ડખે ચઢી છે. પેટ્રોડ-ડીઝલના ભાવમાં સરેરાશ અંદાજે 200 ટકા જેટલો ભડકો થયો છે. જેના કારણે પાકિસ્તાન સરકારે શાળાઓ બંધ કરવી પડી છે અને કામકાજ માટે ફોર ડે વીક પ્લાન ઠોકી બેસાડ્યો છે. પાકિસ્તાન માટે ઈરાનની અસ્થિરતા એ બલૂચિસ્તાનમાં આતંકવાદ વધવાનું જોખમ છે. જો ઈરાન નબળું પડે, તો બલૂચ વિદ્રોહીઓ (BLA) વધુ સક્રિય થઈ શકે છે. આથી પાકિસ્તાન ઈચ્છે છે કે ઈરાનમાં શાસન સ્થિર રહે. આજની તારીખે સાઉદી અરેબિયામાં લાખો પાકિસ્તાનીઓ રહે છે અને કામ કરે છે. સાઉદીમાં અમેરિકાનું મિલેટરી બેઝ છે અને વિચારધારા અને યુદ્ધમાં સાઉદી અમેરિકા તરફ છે. પણ અહીં ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે જો સાઉદી અરેબિયા ઈરાનના કારણે પાકિસ્તાન પર કોઈ નિર્ણય લે તો ત્યાં કામ કરતા પાકિસ્તાનીઓને ઘરભેગા થવું પડે એવી પરિસ્થિતિ છે. પણ પાકિસ્તાને હોર્મુઝમાંથી પોતાના વેપારી જહાજો કાઢવા માટે ઓપરેશન મુહાભિજ ઉલ બહ્ર નામનું ઓપરેશન ચાલુ કર્યું છે જેથી તેની સપ્લાય ચેઈન ખોરવાય નહીં. ઈરાન સાઉદી પર હુમલો કરશે તો પાક.ના હાલ બેહાલ? ખાલી આટલું જ નહીં વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે SMDA નામની એક ડિલ પાર પાડી હતી. જેમાં એવી વાત છે કે પાકિસ્તાન પર હુમલો એટલે સાઉદી પર હુમલો અને સાઉદી પર હુમલો એટલે પાકિસ્તાન પર હુમલો ગણવામાં આવશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈરાન સાઉદી અરેબિયાની એનર્જી સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યું છે. જો સાઉદીમાં ઈરાન મોટો હુમલો કરી દે તો ન ચાહતા હોવા છતા પાકિસ્તાનને પોતાની ન્યુટ્ર્લ પોઝિશન પર ચોકડી મારીને સાઉદી સાથે ઈરાન સામે બાંયો ચઢાવવી પડશે. દેશમાં ઓહાપોહ છતાં પાક.ના ડીંગા? આવું પાકિસ્તાન હરગીઝ નથી ઈચ્છતું. કારણ કે પાકિસ્તાનને અત્યારે ઈરાન જેવા દેશ સાથે દુશ્મની પોસાય તેમ નથી. બીજું કે પાકિસ્તાની શિયા મુસલમાનો સરકાર સામે મોરચો માંડી શકે છે. પાકિસ્તાન એટલા માટે વચેટિયું બન્યું છે કારણ કે ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ એટલી હદે ન વકરે કે પાકિસ્તાનને સાઉદીનો સાથ આપીને ઈરાન સામે લડવું પડે. જ્યારે પાકિસ્તાન પોતે આર્થિક દેવાળિયા અને અફઘાન કે ભારત સરહદ પર તણાવમાં ફસાયું છે ત્યારે તેનું મધ્યસ્થી બનીને પશ્ચિમી દેશોને વ્હાલું થવું અતિ મહત્વનું અને મજબૂરી બની ગયું છે. જો આ થયું તો ભારતનું ટેન્શન વધી શકે જો પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મિડલમેન બનવામાં સક્સેસફૂલ જાય તો ભારત માટે ગ્લોબલ લેવલે ટેન્શન વધી શકે છે. કેન્દ્ર સરકારે પોતાની ઈમેજને વિશ્વગુરુ તરીકે પોર્ટ્રેઈટ કરી છે, પણ વિશ્વ ગુરુની ઈમેજ વચ્ચે કંગાળિયું પાકિસ્તાન બાજી મારી ગયું છે. ભારતની વિદેશનીતિ પાકિસ્તાનને ગ્લોબલ લેવલે એકલું પાડવાની રહી છે. પણ જો પાકિસ્તાન અમેરિકા અને ઈરાન જેવા દેશો સામે મધ્યસ્થી કરે તો ભારતની ફોરેન પોલિસી માટે આ મોટો લાલ લીટો બની શકે છે. જો પાકિસ્તાન ઈરાન સાથે સ્ટ્રોંગ રિલેશન બનાવી લે તો તે ભવિષ્યમાં ઈરાન સરકારને ભારત સામે ઉશ્કેરી શકે છે અને જો આવું થાય તો આપણા મિડલ ઈસ્ટ ઈન્ટ્રેસ્ટ પર મોટી નેગેટિવ અસર થઈ શકે તેમ છે. જો પાકિસ્તાન મિડલમેનની ભૂમિકામાં સફળ સાબિત થાય તો અમેરિકાનો પાકિસ્તાની પ્રેમ ફરી જાગી શકે છે અને અમેરિકા જેવી મહાશક્તિ પાકિસ્તાનને ફરી ફાઈનાન્શિયલ કે લશ્કરી સપોર્ટ આપવાનું પણ વિચારી શકે છે. ટ્રમ્પના ફેવરિટ ફિલ્ડ માર્શન મુનીરે ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ કરવાની વાત કરી હતી, આનાથી ટ્રમ્પને ખૂબ જ ગલગલિયાં થયા હતા. આ બધી વાતો આપણે ભૂલવી બિલકુલ ન જોઈએ. આટ આટલા ફાયદા સાથે એક મુદ્દો અહીં ચર્ચા કરવો બને જે છે કાશ્મીરનો મુદ્દો. આપણે જાણીએ છીએ કે આવું બધું પાકિસ્તાન મફતમાં નથી કરી રહ્યું. એક્સપર્ટ્સનું કહેવું છે કે પાકિસ્તાનને અમેરિકા પાસેથી કાશ્મીર મામલે છૂટછાટની પણ આશા અપેક્ષાઓ જાગી શકે છે. જો કે આપણે એટલે કે ભારતે કાશ્મીર મામલે ત્રીજા દેશની મધ્યસ્થીનો હંમેશા ઈનકાર કર્યો છે. કતાર અને ઓમાનની જગ્યાએ પાક.ને કેમ ચાન્સ? આ યુદ્ધમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હંમેશા કતાર અને ઓમાન મિડલમેન તરીકેની ભૂમિકામાં નજરે પડ્યા છે, પણ આ વખતે એવું નથી થયું. કારણ કે ઈરાને કતારના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ કર્યા છે, જેના કારણે કતાર અમેરિકાના પક્ષમાં આવી ગયું છે અને મધ્યસ્થ મટી ગયું છે. ઈરાને કતારમાં આવેલા અલ ઉદેદ એરબેઝ પર પણ હુમલો કર્યો હતો. એટલે પાકિસ્તાનની પરિસ્થિતિ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન જેવી સ્થિતિ છે. પાકિસ્તાન પાસે ઈરાન સાથે 900 કિલોમીટરની જમીની સરહદ છે અને ઈરાન ઈસ્લામિક ભાઈનો પણ સંબંધ છે. પાકિસ્તાને ઈરાન પર કોઈ સૈન્ય કાર્યવાહીમાં ભાગ નથી લીધો જે પાકિસ્તાનને ઓમાન કે કતાર કરતા વધુ ન્યુટ્રલ બનાવે છે. જો કે પાકિસ્તાન સિવાય આ યુદ્ધ પૂરું કરાવવા માટે તુર્કી અને ઈજિપ્ત પણ પ્રયાસો કરી રહ્યા છે, પણ પાકિસ્તાન પાસે જેવો ટ્રમ્પનો એક્સેસ છે તેવો તુર્કી કે ઈજિપ્તનો નથી. પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જશે તો? એકવાત આપણે અહીં ધ્યાને લેવી જોઈએ કે જો પાકિસ્તાન મધ્યસ્થીમાં સફળ જાય તો ભલે આપણને ડિપ્લોમેટિક નુકસાન થાય પણ એક રીતે પૂરી દુનિયા ઈચ્છે છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પૂરું થાય. આપણે પણ 80 ટકાથી વધુ તેલ-ગેસ હોર્મુઝ મારફતે મગાવીએ છીએ. જો યુદ્ધ લાંબુ ચાલે અને તેલ ગેસનો સપ્લાય રોકાય તો આપણે ત્યાં પણ મોંઘવારી આવતા વાર નહીં લાગે. નવી દિલ્લી અત્યારે વેઈટ એન્ડ વોચની સિચ્યુએશનમાં છે. પાકિસ્તાનની મધ્યસ્થી સફળ રહે તો નવી દિલ્લી ક્યારેય જાહેરમાં પાકિસ્તાનની વાહવાહી નહીં કરે પણ યુદ્ધ પૂરું થવાનો આકડકતો આર્થિક ફાયદો આપણને થશે તે નક્કી જ છે. મધ્યસ્થીની પળેપળની વિગત પર મુનીરની નજર એવી વાતો થઈ રહી છે કે બે દિવસ બાદ એટલે કે 27 માર્ચ 2026ના રોજ ઈસ્લામાબાદની સેરેના હોટલમાં મધ્યસ્થીની મીટિંગ થઈ શકે છે. આ હાઈપ્રોફાઈલ મીટિંગના કારણે પાકિસ્તાન સેનાએ આ વિસ્તારને રેડઝોન બનાવી દીધો છે. જો આ મીટિંગ થાય તો પાકિસ્તાન માત્ર યજમાન નહીં હોય પણ ટેબલ પર ગેરંટર તરીકે બેસશે. કારણ કે અગાઉ આપણે વાત કરી હતી કે અમેરિકાએ ઈરાનને ન્યૂક્લિયર શક્તિઓ ત્યાગ કરવા હાલક કરી છે પણ ઈરાનને બીક છે કે જો ઈઝરાયલ ફરી હુમલો કરે તો તકલીફ પડી શકે તેમ છે. સામેની બાજ પાકિસ્તાને કહ્યું છે કે ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો ન કરે અને હિઝબુલ્લાહ જેવા તેમના પ્રોક્સી ગ્રુપ્સ શાંત રહે તેના માટે ઈરાન પર ગ્રાઉન્ડ લેવલનું વેરિફિકેશન કરશે અને અમેરિકાને પળેપળની માહિતી આપશે. ઈરાન ન્યૂક્લિયર જીદ છોડે અને ઈઝરાયલ તેના પર ફરી હુમલો ન કરે તેની જ જવાબદારી માટે પાકિસ્તાન ગેરંટર બનવા જઈ રહ્યું છે. કહેવાય છે કે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ વાટાઘાટો પર સીધી નજર છે. ઈન્ટરનેશનલ મીડિયામાં એવી વાતો પણ ચાલી રહી છે કે ઈરાન રશિયા કે ચીનના તાબામાં ન આવે તેની જવાબદારી પણ પાકિસ્તાને લીધી છે. અમેરિકા સાથે વાત કરવા તૈયાર! પણ લોકો? પણ પાકિસ્તાન માટે આ મીટિંગ આસાન નહીં હોય, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાની નાગરિકોએ યુદ્ધ બાદ અમેરિકાનો વિરોધ કરવા કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા. આ મોતના કારણે જ લોકોમાં અમેરિકા વિરોધી લાગણી ચરમસીમા પર છે. આ સિવાય પાકિસ્તાની શિયા કોમ્યુનિટી પાકિસ્તાની સરકાર પર દબાણ લાવવાની ટ્રાય કરી રહ્યું છે કે પાકિસ્તાન ઈરાનનો પક્ષ છોડીને પૂરી રીતે અમેરિકાના ખોળામાં ન બેસી જાય. પણ પાકિસ્તાની લોકો માટે આ મીટિંગ થાય તેની સારી વાત એ છે જે તેલ અને ગેસના ભાવ આસમાને છે તે ફરી ધડામ થઈને નીચે આવી શકે તેમ છે. જો પાકિસ્તાન મીડલ મેનની ભૂમિકામાં સક્સેસફૂલ રહે તો ભવિષ્યમાં ઘણા ફેરફારો આપણને જોવા મળી શકે છે જેમ કે, પાકિસ્તાન આતંકવાદીમાંથી શાંતિદૂત? પાકિસ્તાન આ મધ્યસ્થી ખાલી શાંતિ માટે જ નથી કરતું પણ તેને પોતાની દાગથી અને લોહીથી ભરેલી છબી પણ સુધારવી છે. હમણા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલના એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર પર બોમ્બમારો કર્યો હતો, આ હુમલામાં અફઘાનિસ્તાનમાં 400 નિર્દોષોના મોત થતા દુનિયાએ પાકિસ્તાનને ભારે ફટકાર લગાવી હતી. જો મંત્રણા સફળ રહે તો જેમ ગંગામાં ડૂબકી લગાવ્યા પછી દાગ ધોવાય તેમ દુનિયા અમેરિકાએ 400 નિર્દોષોના જીવ લીધા તે પણ ભૂલી શકે તેમ છે. મધ્યસ્થીમાં ઈઝરાયલનું કેમ નામ નથી? હવે સૌથી ભયાનક વાત કરીએ. આપણે આટલી વાત કરી એમાં ઈઝરાયલનો કોઈ ઉલ્લેખ નથી. સવાલ થાય કેમ? તો વાત જાણે એમ છે કે પાકિસ્તાન સીધું ઈઝરાયલ સાથે વાત નથી કરતું તે અમેરિકા સાથે વાત કરે છે અને અમેરિકા ઈઝરાયલ સાથે. અમેરિકા ઈઝરાયલની વાત રાખશે અને પાકિસ્તાન ઈરાનની. પાકિસ્તાનની મીટિંગમાં પણ ઈઝરાયલી અધિકારીઓ હાજર નહીં હોય, એવી વાત છે કે ઈઝરાયલી સ્પાય એજન્સી મોસાદે પાકિસ્તાનની મધ્યસ્થી પર બાજ નજર છે. જો પાકિસ્તાન ઈરાનને ન્યુક્લિયર પ્રોગ્રામ અટકાવવા મનાવી લે, તો ઈઝરાયેલ તેને છૂપી રીતે આવકારશે. અને તેનાથી પણ ખતરનાક વાત એ છે કે પાકિસ્તાન ઈઝરાયલને એક દેશ નથી માનતું. અને છેલ્લે... આ પાકિસ્તાનની પહેલી મધ્યસ્થી નથી. 1971માં પાકિસ્તાને અમેરિકા અને ચીન વચ્ચે સિક્રેટ મિડલમેન તરીકે કામ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ યાહ્યા ખાને વચેટિયાની ભૂમિકા ભજવી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને ચીનના ઝાઉ એનલાઈ વચ્ચે સિક્રેટ મેસેજીસ શેર કર્યા હતા. આ મધ્યસ્થીનું નામ હતું ઓપરેશન માર્કો પોલો. જેમાં હેનરી કિસિંજરે ઈસ્લામાબાદથી PIAના વિમાનમાં છૂપી રીતે બેજિંગની મુસાફરી કરી હતી. આવું એટલે શક્ય બન્યું કારણ કે પાકિસ્તાનની ચીન અને અમેરિકા બંને સાથે દોસ્તી છે. જો કે આ મધ્યસ્થીના કારણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનની સાઈડ લીધી હતી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:55 pm

પ્રાંતિજના દલપુરમાં હેક્ઝોન ઇન્ટરકેમમાં મોકડ્રિલ:ગેસ ગળતર અને આગની ઘટનામાં તંત્રની સજ્જતા ચકાસાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ પાસે આવેલી હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત કે કટોકટીના સમયે વહીવટી તંત્ર અને કંપનીના સુરક્ષા એકમોની કાર્યક્ષમતા અને સજ્જતા ચકાસવાનો હતો. આ મોકડ્રિલમાં પ્લાન્ટમાં મિથિલિન ઓક્સાઈડ ગેસ ગળતર સાથે આગ લાગવાની કાલ્પનિક ઘટના ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કંપનીના ઇમરજન્સી એલાર્મ વાગી ઉઠ્યા હતા અને તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરો દ્વારા ગેસ ગળતર પર કાબૂ મેળવવા અને આગને બુઝાવવા માટે અદ્યતન સાધનોનો ઉપયોગ કરી સફળ કામગીરી કરવામાં આવી હતી. ડ્રિલ દરમિયાન કાલ્પનિક રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને કંપનીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મોકડ્રિલના અંતે કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટાડવા તેમજ સુરક્ષાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. નેશનલ હાઈવે પર કાટવાડ પાટિયા સામે આવેલા આ ઔદ્યોગિક એકમમાં યોજાયેલી ડ્રિલથી આસપાસના વિસ્તારમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. આ પ્રસંગે DISH ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના અધિકારી, હિંમતનગર અને પ્રાંતિજ મામલતદાર, જીપીસીબીના અધિકારી, 108 ઇમર્જન્સી સેવા ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, પોલીસ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:48 pm

રામનવમી પૂર્વે નવસારી-બીલીમોરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ, સુરક્ષા વ્યવસ્થા કડક

આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના નિર્દેશન હેઠળ, આજે નવસારી શહેર અને બીલીમોરામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP સંજય રાય અને ભગીરથસિંહ ગોહિલે આગેવાની લીધી હતી. નવસારી એ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓ પણ આમાં જોડાયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને, નવસારી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. આ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચમાં 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા. DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું છે. લોકોમાં સુરક્ષાની ભાવના જાગે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:45 pm

પાટણ પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ:સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી, અધિકારીઓ જોડાયા

પાટણ શહેરમાં ગુરુવારે નીકળનારી ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે તે હેતુથી પોલીસે વિશેષ આયોજન કર્યું છે. આજરોજ રામજી મંદિર ખાતેથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં ડીવાયએસપી કે.કે. પંડ્યા, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર અને એ-ડિવિઝન પીઆઈ કમલેશભાઈ ભોંય સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસ કાફલાએ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના માર્ગમાં આવતા નડતરરૂપ દબાણોને તાત્કાલિક અસરથી હટાવવા માટે સંબંધિત લોકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી રથયાત્રાના વહેણમાં કોઈ અવરોધ ન આવે. એકસાથે પોલીસ જવાનો અને વાહનોના કાફલાને માર્ગો પર ઉતરેલો જોઈ શહેરના નાગરિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો. પાટણ પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:44 pm

ભરૂચમાં રામનવમી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા પેટ્રોલિંગ કરાયું

ભરૂચ શહેરમાં રામનવમી પૂર્વે એ ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શહેરના ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ ફ્લેગ માર્ચ યોજાયો હતો, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા. ફ્લેગ માર્ચ એ ડિવિઝન વિસ્તારના સોનેરી મહેલથી શરૂ થઈ લલ્લુભાઈ ચકલા, હાજીખાના, ઊંડાઈ, ધોળીકુઈ માર્ગે કસક ગરનાળા સુધી પહોંચ્યો હતો. રામનવમીની શોભાયાત્રાના રૂટ પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ આર.એમ. વસાવા, સેકન્ડ પીઆઈ ડી.એ. ક્રિશ્ચિયન સહિત પીએસઆઈ અને પોલીસ કર્મીઓ સામેલ હતા. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ તંત્રના આ પ્રયાસોથી શહેરમાં રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:42 pm

વડોદરામાં 1.75 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયા:MGVCLનો 2026ના અંત સુધીમાં 8.20 લાખ વીજ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન અવારનવાર વિરોધ વચ્ચે પણ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ તેની કામગીરી ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં MGVCLએ શહેરમાં અંદાજે 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. શહેરમાં કુલ 8.20 લાખ વીજ ગ્રાહકો છે, જેમાંથી મોટા ભાગના ગ્રાહકોને સમજાવીને અને સમજૂતી આપીને જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. કંપનીનું આયોજન છે કે આ વર્ષના અંત સુધીમાં શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરી દેવામાં તેવું આયોજન છે. જો કે, આ કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં ગ્રાહકો તરફથી વિરોધ થઈ રહ્યો છે. વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશેશહેરમાં કેટલાક ગ્રાહકોને અચાનક ઊંચા બિલ આવવા અને અન્ય તકલીફોની ફરિયાદો સામે આવી છે. MGVCLના અધિકારીઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે અને તેનાથી વીજ વપરાશનું વધુ ચોક્કસ મોનિટરિંગ થશે. 2026ના અંત સુધીમાં તમામ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંકઆ અંગે સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર પી એન થાનાવાલાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 8.20 લાખ ગ્રાહકો છે. અને પોણા બે લાખ જેટલા ગ્રાહકોના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટર એડવાન્સ ટેકનોલોજી વાળા છે, જેમાં ડેટા યોગ્ય રીતે જોઈ શકાય છે. ઘણીવાર ગ્રાહકોને નવા સ્માર્ટ મીટરને લઈ અસંતોષ હોય છે, તેવા ગ્રાહકોને અમે બાજુમાં અન્ય ચેક મીટર લગાવતા હોઈએ છે. અમારો ટાર્ગેટ રહેશે કે વર્ષ 2026 ના અંત સુધીમાં બધાજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લાગી જાય. ગ્રાહકોને જાગૃતતા લાવીને લગાવીએ છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:34 pm

રામનવમી પર્વને લઈ મહીસાગર પોલીસ સતર્ક:જિલ્લા પોલીસ વડાએ આયોજક સમિતિઓ સાથે સમીક્ષા બેઠક યોજી

આગામી રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને જિલ્લા પોલીસ દ્વારા આયોજક સમિતિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામનવમીની ઉજવણી કરતા આયોજકોને માર્ગદર્શન અપાયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવાર દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરીને યોજવામાં આવે તેવું જણાવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પેટ્રોલિંગ, બંદોબસ્ત અને સઘન નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે. તહેવાર દરમિયાન લોકોમાં સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:29 pm

12 પાસ રાજસ્થાનનો રીઢો ગુનેગાર 7.50 લાખના MD-ડ્રગ્સ સાથે ઝડપાયો:રાજસ્થાની જેલમાંથી છૂટ્યાના 9મા દિવસે જ ફરી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો ને દબોચાયો

સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા આયુર્વેદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના એક રીઢા ડ્રગ્સ પેડલરને 250 ગ્રામથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનની જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ડ્રગ્સના રવાડે ચઢી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કુલ 7.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ડ્રગ્સ નેટવર્કને તોડવા તપાસ તેજ કરી છે. આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવીને ડ્રગ્સ સાથે દબોચ્યોસુરત ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાનના બાલોતરાનો વતની નરેન્દ્ર પ્રહલાદરામ ડારા મોટા પ્રમાણમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કોઈને ડિલિવરી આપવા આવવાનો છે. બાતમીની ગંભીરતાને જોતા પી.આઈ. અને તેમની ટીમે આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. જેવો શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાં દેખાયો, પોલીસે તેને ઘેરી લીધો હતો. તેની જડતી લેતા તેની પાસેથી લાખોની કિંમતનું ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રાજસ્થાનનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું પકડાયેલો આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના સાકરળાબેરા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તે આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના જ એક અજ્ઞાત ઇસમ પાસેથી લાવ્યો હતો. સુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાનમાં બેસીને આ ડ્રગ્સનું રેકેટ કોણ ચલાવી રહ્યું છે. સરહદી રાજ્ય હોવાથી રાજસ્થાનથી આવતા ડ્રગ્સના રૂટ પર હવે સુરત પોલીસની ખાસ નજર છે. જેલમાંથી છૂટ્યાના 9માં દિવસે જ ફરી ગુનાખોરીઆ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી નરેન્દ્ર રીઢો ગુનેગાર છે. ગત જુલાઈ 2024માં તે રાજસ્થાનના સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે પકડાયો હતો. આ ગુનામાં તે લાંબો સમય જેલમાં રહ્યો અને હજુ હમણાં જ એટલે કે 16 માર્ચ 2026ના રોજ જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવ્યાના ગણતરીના દિવસોમાં જ તેણે સુરતને ટાર્ગેટ બનાવી ફરીથી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હતી. ધો. 12 પાસ બેરોજગારનો કાળો કારોબારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 23 વર્ષીય આરોપી નરેન્દ્રએ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો છે. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે તે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં આવ્યો હતો. રાજસ્થાનના બિષ્નોઈ પંથક સાથે સંકળાયેલો આ યુવાન હવે ડ્રગ્સ સપ્લાય ચેઈનની મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે. પોલીસ તેના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે સુરતમાં તે કોને માલ આપવાનો હતો તેની વિગતો એકઠી કરી રહી છે. 7.72 લાખનો મુદ્દામાલ કબજે કરાયોક્રાઈમ બ્રાંચે આ ઓપરેશન દરમિયાન આરોપી પાસેથી જે ચીજવસ્તુઓ જપ્ત કરી છે. એમ.ડી. ડ્રગ્સ: 250.310 ગ્રામ (કિંમત 7,50,930/-), રોકડ રકમ: 1,535 જપ્ત કરાયો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:27 pm

સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડની લૂંટ:ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી, ભાજપ કાર્યકરની પત્ની પર ગંભીર આરોપ

અમદાવાદના દસક્રોઈ જિલ્લાના ધામતવાણ ગામના ભાજપના કાર્યકરના પત્ની એવા પૂર્વ મહિલા સરપંચ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સત્તાના પોતાના દુરુપયોગ બદલ રૂ.1.55 કરોડની ગેરરીતી મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:20 pm

'મે રાજીનામુ આપ્યું જ નથી, કદાચ એ વોટ્સએપ પર હતું':પત્રકાર પરિષદ યોજી વડોદરાના AAP પ્રમુખે ફેરવી તોળ્યું, કહ્યું- 'કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે'

આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઇ ગયા પછી વડોદરામાં ભડકો જોવા મળ્યો હતો. ખુદ શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું હોવાની વાતો સામે આવી હતી. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ કાર્યાલયની બહાર જ ખેસ લટકાવી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આજે અચાનક આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રગટ થયા હતા અને મેં કોઈ રાજીનામુ આપ્યું નથી, કદાચ વોટ્સએપ એ પર હતું ને આવી ગયું હશે એમ જણાવ્યું હતું. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની અંદરની વાત છેઆમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થયા બાદ રાજીનામુ ધરી દીધું હતું. જોકે, આ વાતનું ખંડન કરવા તેઓ આજે પ્રગટ થયા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈને ગળે ન ઉતરે એવી વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, મેં રાજીનામુ આપ્યું નથી. સંજોગોવસાત કદાચ વોટ્સએપ પર હતું અને ત્યાંથી આવી ગયું હશે અથવા તો લખાઈ ગયું હશે. મારા કાર્યકરોએ પણ રાજીનામુ આપ્યું નથી. ત્યારબાદ તરત જ તેઓએ કહ્યું કે, તેઓએ રાજીનામુ આપ્યું હશે તો તેઓની અંગત નારાજગી હશે પરંતુ, એમને અમે માનવી લીધા છે. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે. યાદી જાહેર થયા બાદ પ્રમુખ ગાયબ હતાયાદી જાહેર થયા બાદ પ્રમુખે રાજીનામુ આપ્યાની વાત સામે આવતા તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો જો કે તેઓએ ફોન ઊંચકવાની તસ્દી આપી ન હતી. તેઓના રાજીનામાની વાતનું સમર્થન ખુદ તેઓના જ પાર્ટીના અગ્રીમ હરોળના આગેવાનોએ આપ્યું હતું. ત્યારે કદાચ મોવડી મંડળ દ્વારા તેઓને માનવી લેવામાં આવ્યા હશે અને તેથી તેઓ આજે તમામ ઉમેદવારો સાથે મીડિયા સામે પ્રગટ થયા હતા. મહાનગરપાલિકામાં અમારા મેયર બનશેઆમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ દાવો કર્યો હતો કે, અમે આ વખતે મહાનગરપાલિકામાં 50થી 55 બેઠકો જંગી બહુમતીથી જીતીશું અને અમારા મેયર બનાવીશું. અમારા તમામ કાર્યકરો ઘણા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ આ વખતે પોતાના વિસ્તારમાં જંગી મતોથી જીતશે. હજુ બીજી યાદી જાહેર થશે તેમાં બાકીના કાર્યકરોનો સમાવેશ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:17 pm

ગોધરામાં સોનીવાડની દુકાનમાંથી 3 લાખના સોનાના દાગીનાની ચોરી:ગ્રાહક બની આવેલો શખ્સ દાગીના ચોરી ફરાર, CCTV સામે આવ્યાં

ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે ₹3 લાખના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના 23 માર્ચના રોજ સાંજના સમયે માં કૃપા જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી. અજાણ્યા શખ્સે દુકાનદાર હરીશ સોનીને સોનાની બુટ્ટીઓ બતાવવા કહ્યું હતું. દુકાનદાર બુટ્ટીઓ બતાવવામાં વ્યસ્ત હતા તે દરમિયાન, આ શખ્સે તકનો લાભ ઉઠાવીને આશરે 15 થી 20 ગ્રામ વજનની 5 થી 7 જેટલી સોનાની કડીઓ પોતાના ખિસ્સામાં સરકાવી લીધી હતી. ચોરી કર્યા બાદ તેણે પોતાની પત્નીને લઈને પાછા આવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયો હતો. થોડીવાર બાદ, દુકાનદાર હરીશ સોનીએ દાગીનાનો ડબ્બો તપાસતા સોનાની કડીઓ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તરત જ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ દાગીના ખિસ્સામાં નાખતો સ્પષ્ટ દેખાયો હતો. આ બનાવ અંગે દુકાનદાર હરીશ સોનીએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપવા પ્રયાસો શરૂ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:09 pm

પેટ્રોલપંપમાં બાઈક-ફોરવ્હીલ માટે અલગ લાઇન મુદ્દે વિવાદ:પેટ્રોલ પંપના કર્મચારીઓએ પેટ્રોલ પુરાવા ગયેલ આધેડને ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બાઈક અને ફોરવ્હીલ વાહનો માટે અલગ લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો, જેમાં બાઈકમાં પેટ્રોલ પૂરાવવા ગયેલા આધેડ પર પંપના કર્મચારીઓએ ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડીથી માર માર્યો હતો. આ ઘટનાના પગલે ભરતનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આધેડ બપોરના સમયે પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપે ગયા હતાઆ બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ કૌશલ્ય પાર્કના રહેવાસી પ્રવીણસિંહ દિલુભા જાડેજા ઉ.વ 59 એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ બપોરના સમયે પોતાની શાઇન બાઈક નં. GJ-04-FB-9379 માં પેટ્રોલ પૂરાવવા રીંગરોડ સ્થિત નાયરા પેટ્રોલ પંપે ગયા હતા, જ્યાં લાઇનમાં ઉભા રહેતા પંપ પર કામ કરતા અબ્બાસભાઈએ તેમને બીજી લાઇનમાં જવા કહ્યું હતું. મેનેજરને ફરિયાદ કરવા જતા ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતોઆ મુદ્દે થયેલી બોલાચાલી બાદ આધેડ પ્રવીણસિંહ મેનેજરને ફરિયાદ કરવા જતા અબ્બાસભાઈએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ કર્મચારીઓ પણ જોડાઈ તેમને માર માર્યો હતો. આ દરમિયાન એક શખ્સે હાથમાં કડું પહેરલ હતું તેને મોબાઇલ અને બાઈકની ચાવી છીનવી લીધી હતી, જે બાદમાં પરત અપાઈ હતી. આ બનાવ દરમિયાન આધેડ પ્રવીણસિંહે ભત્રીજાને બોલાવી 112 પર કોલ કરતા પોલીસ પહોંચી હતી અને તમામને ભરતનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જે ફરિયાદના અનુસંધાને ભરતનગર પોલીસે જયરાજ સુરેશભાઈ પરમાર, હાર્દિક ભીમભાઈ આલગોતર, જલદીપ પીયૂષભાઈ પરમાર, અબ્બાસ સામે BNS કલમ 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 7:03 pm

13.60 લાખની છેતરપિંડી કરનાર વલસાડનો ઠગ ઝડપાયો:કેશોદની ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને વલસાડના વેપારીએ સિંગદાણાના સોદામાં છેતરી, જૂનાગઢના દલાલ મારફતે ઓળખાણ કરી

​કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની સિવિલ કોર્ટ પાછળ ફાગરી રોડ પર આવેલી 'ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી ધરાવતા મનસુખભાઈ પરસોત્તમભાઈ ધોળુ સાથે રૂપિયા 13,60,485ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015થી સિંગદાણા અને મગફળીના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઈને વલસાડના એક કથિત મોટા વેપારીએ દલાલની ઓળખાણનો લાભ લઈ શીંગદાણાના સોદામાં લાખોનો આર્થિક ફટકો માર્યો છે. આ મામલે કેશોદ પોલીસે તપાસ તેજ કરી આરોપીને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લીધો છે. જૂનાગઢના બે દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતોઆરોપી કિશન મનોજભાઈ સવસાણી જે વલસાડમાં 'મધુસૂદન ટ્રેડિંગ' ના નામે પેઢી ચલાવતો હોવાનું જણાવી વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. જૂનાગઢના ભાનુ બ્રોકર અને રાકેશભાઈ કારિયા નામના દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતો. દલાલોએ ભરોસો આપ્યો હતો કે કિશન વલસાડનો મોટો કારખાનેદાર છે અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ જોખમ નથી. આ વિશ્વાસના આધારે મનસુખભાઈએ દૈનિક બજાર ભાવ મુજબ કુલ 13.60 લાખથી વધુની કિંમતના ખારી સિંગના દાણાનો માલ કિશનને મોકલી આપ્યો હતો. જોકે માલ મળ્યા બાદ આરોપીએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. કેશોદ સિવાય ગોંડલ-રાજકોટના વેપારીઓને પણ ચૂનો લગાડ્યો​માલની રકમ ચૂકવવા બાબતે જ્યારે મનસુખભાઈએ ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપી કિશન દ્વારા સતત વાયદાઓ કરવામાં આવતા હતા. 'આજે પેમેન્ટ થઈ જશે, કાલે ચોક્કસ મળી જશે' તેવા બહાના હેઠળ લાંબો સમય પસાર કર્યા બાદ આરોપીએ વેપારીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સમજાતા મનસુખભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીએ માત્ર કેશોદ જ નહીં પરંતુ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને જેતપુરના અન્ય અનેક વેપારીઓને પણ આ જ પધ્ધતિથી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી​આ ગંભીર છેતરપિંડી અંગે એસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગત 17 માર્ચ, 2024ના રોજ નોંધાયેલી આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી કિશન સવસાણી અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં પકડાયેલો હતો અને જેલમાં હતો. જેથી કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો જેલમાંથી કબજો મેળવી આ ગુનામાં તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આરોપીએ અન્ય કયા કયા વેપારીઓને નિશાન બનાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:56 pm

કોંગ્રેસી નેતા હિંમતસિંહ પટેલના દીકરાની દારૂ કેસમાં ધરપકડ:અગાઉ પોલીસે સમાધાન કરી છોડી મૂક્યો હતો, આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી

અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે 22 માર્ચની રાતે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં અને દારૂ સાથે ઝડપાયો હતો. જોકે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પરંતુ, કોલ કરનાર વ્યક્તિએ સમાધાન કરતા પોલીસે આરોપીને દારૂના કેસમાં છોડી દીધો હતો. વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીઆ ઘટનાનો બીજા દિવસે સવારે વીડિયો વાયરલ થયો હતો, જેમાં હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ અને તેનો મિત્ર શ્રીકાંત તોમર દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની ગાડીમાં દારૂની બોટલ હતો. વીડિયો વાયરલ થયા બાદ માધવપુરા પોલીસે આ અંગે બે અલગ-અલગ ગુના નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા નૈમેષ પાર્ક સોસાયટીમાં રહેતા 66 વર્ષીય અલકાબેન શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રજની પરડવા વિરૂદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. અલકાબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને આશ્રમ રોડ પર આવેલા પ્રીમિયમ હાઊસમાં સુપર લોજિસ્ટીક નામનથી શીપીગ કંપની ધરાવીને ધંધો કરે છે. અલકાબેનનું નવરંગપુરામાં આવેલા આરોન રેસીડેન્સીમાં બીજુ મકાન છે, જે વર્ષ 2013માં તેમના દીકરા વત્સલના નામે ખરીદ્યુ હતું. તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહીઆરોન રેસીડેન્સીના છ ફ્લેટમાં રજની પરડવા નામનો યુવક PG ચલાવી રહ્યો છે. બે દિવસ પહેલા મહિલા તેમની ઓફિસમાં હતી ત્યારે રજનીએ વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યુ હતું કે, તારા દીકરાને સમજાવી દે જે મારી કોઈ બાબતમાં પડે નહી, તારા દિકરાને મારી મારીને છોતરા કાઢી નાખીશ. ગઈકાલે અલકાબેનના ઘરની પાસે રજની આવ્યો હતો અને ધમકી આપી હતી કે મારે વત્સલ જોડે પાંચ લાખ રૂપિયા લેવાના છે જે મને નહી આપો ત્યા સુધી હું રોજ આવીશ. રજનીએ બે દિવસથી ધમાલ મચાવતા વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:49 pm

ભાભીને પિયર રિસામણેથી તેડવા જતા યુવાન પર હૂમલો:રાજકોટમાં મિત્રએ મિત્રને છરી મારી, 10% વ્યાજ ખંખેર્યા બાદ પણ યુવાનને વ્યાજખોરની ધાકધમકી

રાજકોટમાં રિસામણે ગયેલા ભાભીને તેડવાં ગયેલા યુવાન પર હૂમલો થયો હતો. થોરાળામાં રહેતો પ્રકાશ પરમાર ખીજડીયા ગામમાં રિસામણે ગયેલા ભાભીને તેડવા માટે ગયા હતા ત્યારે ભાઈના સસરા સહિતાનાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરીનો ઘા માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, પ્રકાશ ભલાભાઈ પરમાર (ઉં.વ. 22, રહે.થોરળા, રાજકોટ) 24 માર્ચના રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતે ખીજડીયા ગામમાં હેમંતભાઈ મોહનભાઈ રાઠોડના ઘરે હતો ત્યારે સામેવાળા હેમંતભાઈ, બળવંતભાઈ સહિતનાએ ઝઘડો કરી છરી વડે માર મારતા પીઠના ભાગે ઇજાઓ થઈ હતી. પ્રકાશે જણાવ્યું કે, તે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેના ભાઈ નીતિનભાઈના પત્ની જાનકીબેન રિસામણે તેના માવતર ખીજડીયા ગામે હતા. ગઇકાલે તેડી જવાનો ફોન આવતા નિતીનભાઈ ત્યાં ગયા હતાં. તેમના સાસુ-સસરા હાજર ન હોવાથી સાંજે આવવાનું કહ્યું હતુ. દરમિયાન પ્રકાશે પણ અગાઉ ખીજડીયા પ્રસંગ વખતે ગેસનો બાટલો આપ્યો હોય તે પરત લેવાનો હોય એટલે પ્રકાશ પણ ત્યાં પહોંચ્યો હતો. પ્રકાશ ત્યાં પહોંચ્યો પછી નીતિનભાઈ પણ આવ્યા. આ દરમ્યાન બોલાચાલી થઈ હતી અને હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ પ્રકાશનું નિવેદન લઈને કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અપશબ્દો બોલવા મામલે મિત્રે જ મિત્રને છરી મારી દીધી શહેરના ઓમનગર સર્કલ અને રાજદીપ સોસાયટીમાં મિત્રો વચ્ચે અગાઉ અપશબ્દ કહેવા બાબતે થયેલ બોલાચાલીમાં આનંદે દીક્ષિતને છરીના ઘા ઝીંક્યા હતા.મળતી માહિતી અનુસાર, દીક્ષિત જગદીશભાઈ ડીમલીયા (ઉં.વ.18, રહે. 40 ફૂટ રીંગ રોડ, ઓમનગર સર્કલ પાસે, રાજદીપ સોસાયટી) 24 માર્ચના રાત્રે 11 વાગ્યા આસપાસ પોતે ઘર પાસે હતો ત્યારે સામેવાળા આનંદે ઝઘડો કરીને છરી વડે માર મારતા ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પરિવારે જણાવ્યું કે, પિતા સેન્ટીંગ કામ કરે છે. આનંદ અને દીક્ષિત બંને મિત્રો હતા અગાઉ અપશબ્દો બોલવા અંગે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ પછી ગઈકાલે રાત્રે દીક્ષિત ઘર પાસે બેઠો હતો ત્યારે આનંદ આવ્યો હતો અને મને અગાઉ કેમ ગાળો આપતો હતો તેમ કહીને ઝઘડાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતાં આનંદે પોતાના પાસે રહેલી છરી કાઢીને દીક્ષિતને મારી દીધી હતી. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને થતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. માતાની કેન્સરની બીમારી માટે વ્યાજે લીધેલા નાણા ચૂકવ્યા બાદ પણ યુવાનને ધમકી રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ માટે જન સંપર્ક સભા કર્યા બાદ માત્ર એક વ્યાજખોર સામે ગૂનો નોંધાયો છે. માતાને કેન્સરની બીમારીના કારણે મજૂરી કામ કરતા પુત્રએ વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. તેના બદલામાં રૂ.2.40 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોર શબ્બીર મશીયા પરેશાન કરતો હોવાથી તેની સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગૂનો નોંધાયો છે. શહેરના બાબરીયા મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં દીપકભાઈ કાનજીભાઈ પેઢડીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શબ્બીર મશીયા નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર શેરી નં.09 મા આવેલ ઇશ્વર વોચ ગ્લાસ નામના કારખાનામા મજુરી કરે છે.તેમની માતાને કેન્સરની બીમારીની સારવાર ચાલુ હોય જેથી 3 વર્ષ પહેલા તે પટેલનગર શેરી નં. 2 માં એચ.કે. મેટલ્સમા કામ કરતો હતો ત્યારે ત્યા સાથે કામ કરતા શબ્બીર મશીયાને મમ્મીની સારવાર માટે પૈસાની જરૂરીયાત છે તેમ વાત કરતા મીત્ર વ્યાજનુ કરે છે. હુ તેની પાસેથી પૈસા લઈ આપુ તેમ વાત કરી હતી. જે બાદ બીજા દીવસે શબ્બીરે રૂ. 1 લાખ રોકડા આપી કહ્યુ હતુ કે, તેણે આ પૈસા તેના મિત્ર પાસેથી લીધા છે અને આ પૈસાનુ દર મહીનાનુ 10 ટકા વ્યાજ મને આપવું પડશે. જે બાદથી દર મહીને એક લાખનુ 10 હજાર વ્યાજ ચુકવતો હતો. પરીસ્થીતી ખરાબ હોવા છતા આ શબ્બીર અવાર નવાર પરાણે વ્યાજના પૈસા માંગતા અને તેને બે વર્ષ સુધી માસીક રૂ. 10 હજાર લેખે કુલ રૂ.2.40 લાખ રોકડ તેમજ ગુગલ પે દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ ખરાબ થઇ જતા વ્યાજ ચુકવી શકુ તેમ ન હોય જેથી વ્યાજ ચુકવવાનુ બંધ કરી દીધેલ હતુ. જેથી આરોપી અવાર નવાર વ્યાજ તથા મુડી મળી કુલ રૂ.3 લાખ ચુકવવા પડશે તેમ કહી ગાળો આપતો હતો. જે અંગે ગૂનો નોંધાતા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. ઘર કંકાશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, 2 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે ધરારનગરમાં રહેતા રાજેશભાઈ વાલજીભાઈ મકવાણા (ઉં.વ. 30)એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સહિતના એ તપાસ હાથ ધરી હતી.પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાજેશભાઈ પ્લમ્બિંગ કામ કરતા જતા. તેને સંતાનમાં બે દીકરી છે. ગઈકાલે તેઓએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટીએ સ્થળ ઉપર જ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવમાં કારણ જાણવા માટે પ્રયત્ન કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ઘર કંકાસ બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જે પછી રાજેશભાઈએ આ પગલું ભરી લીધું હતું. બે દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પૈસા ન આપતા યુવાનને ધોકા - પાઇપ માર્યા રામાપીર ચોકડી રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે રહેતો મુકેશ અંબાભાઈ જખાણીયા (ઉં.વ. 25) ઘર પાસે આવેલા શૌચાલયે ગયો હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ પૈસા માંગ્યા હતા. જે ન આપતાં ઝઘડો થયો હતો. બાદમાં ધોકા અને પાઇપ વડે માર મારતા માથે શરીરે ઈજા થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.બીજા બનાવમાં મોનુ મુસ્તાકભાઈ ખાન (ઉં.વ.25) રાત્રિના 1:00 વાગ્યાની આસપાસ ઉપરોક્ત સ્થળે સાઈબાબા સર્કલ પાસે હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ કોઈ કારણોસર ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. તેને સિવિલમાં દાખલ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:45 pm

હું ડિવોર્સી છું, મારો કોન્ટેક્ટ કરી દોઢ વર્ષ સંબંધ બાંધ્યા:મને વાઈફની જેમ ટ્રીટ કરતો, ત્રણ ટાઈમ ઘરે આવતો; થાઈલેન્ડ લઈ ગયો, શિક્ષિકાની પૂર્વ વિદ્યાર્થી સામે દુષ્કર્મની ફરિયાદ

રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકા વર્ષ 2012માં ધો.10ના જે વિદ્યાર્થીને ભણાવી રહી હતી, તે વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ તે જ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવક શિક્ષિકાને ચારધામ યાત્રા અને થાઈલેન્ડ પણ ફરવા લઈ ગયો હતો. આ ઉપરાંત યુવકે રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા શિક્ષિકા પાસેથી લીધા હતા. જોકે, બાદમાં યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાનો ભાંડો ફૂટતા શિક્ષિકાએ લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ યુવકે રૂપિયા પાછા આપવા અને લગ્નની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 64 (2)(M), 69, 316(2) સહિતની કલમ અંતર્ગત શિક્ષિકાના પૂર્વ પ્રેમી ધ્રુવલ દેસાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધ્રુવલે દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યોદુષ્કર્મ પીડિતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, હું જે સ્કૂલમાં ભણાવું છું તે જ સ્કૂલના પૂર્વ સિનિયર વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ ફેસબુક મારફતે મારી સાથે કોન્ટેક્ટ કર્યો હતો. લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો. જૂન 2024માં કોન્ટેક્ટ કરી ડિસેમ્બર 2025 સુધી દુષ્કર્મ ગુજાર્યુંહું જ્યારે વર્ષ 2012માં સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ત્યારે સિનિયર વિદ્યાર્થી તરીકે ધ્રુવલ ધો. 10માં અભ્યાસ કરતો હતો. જે બાદ ધ્રુવલને મારા સ્કૂલના સ્ટાફ તેમજ મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે, હું ડિવોર્સી છું અને એકલી રહું છું જેથી ધ્રુવલે જૂન 2024માં મારો કોન્ટેક્ટ કર્યો અને ડિસેમ્બર 2025 સુધી લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી મારી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ચારધામની યાત્રા અને થાઈલેન્ડ લઈ ગયો હતોજોકે, ધ્રુવલે માર્ચ 2025માં તેની મહિલા મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, તેની ખબર ધ્રુવલે મને પડવા દીધી નહોતી અને મને એમ કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવા માંગું છું. ધ્રુવલે દોઢ વર્ષમાં મને આખું ગુજરાત અને ચારધામની યાત્રા કરાવી હતી. મે મહિનામાં 10 દિવસ થાઈલેન્ડ લઈ ગયો હતો. દોઢ વર્ષમાં સાવર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઇમ મારા ઘરે આવતો હતો. મને વાઈફની જેમ જ ટ્રીટ કરતો હતો. 'હું ગોંડલની ગુંડી છું' કહીં યુવકની માતાની ધમકીધ્રુવલે મને કહ્યું હતું કે આપણે વિદેશમાં સ્થાયી થવું છે જેથી મારી નોકરી પણ મુકાવી દીધી હતી. આ દરમિયાન મેં તેને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખ રૂપિયા આપ્યા હતા. ધ્રુવલ દેસાઈને અમૂલ પાર્લરની શોપ છે. ધ્રુવલના માતા-પિતા મારા ઘરે આવ્યા હતા અને મને ધમકાવી હતી કે, મારા દીકરીને તે પૈસા લઈને ફસાવ્યો છે. તેની માતાએ મને કહ્યું હતું કે, તું મને ઓળખતી નથી, હું ગોંડલની ગુંડી છું. રયાણીની દીકરી છું. બાદમાં મને ખબર પડી કે ધુવલે સગાઈ કરી લીધી છે. 'હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો'ધ્રુવલની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી મારા ઘરે આવી હતી અને તે વખતે ધ્રુવલ મારા ઘરેથી પકડાયો હતો. ત્યાર બાદ મેં ધ્રુવલને ફોન કર્યા પરંતુ મને તેણે બ્લોક કરી દીધી હતી અને મારા મેસેજના પણ જવાબ આપતો નહોતો. જે બાદ હું તેની શોપ પર ગઈ ત્યારે તેણે મને કહ્યું કે, હું તમને ઓળખતો નથી તમે કોણ છો? અહીંથી નીકળો. તે વખતે જ મેં જે પૈસા આપ્યા હતા તે માંગતા તેણે પરત આપવાની પણ ના પાડી દીધી હતી. શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ25 જૂન 2024ના રોજ તેના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તે તેનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ત્યારબાદ ફોન નંબરની આપ લે થઈ હતી. વિદ્યાર્થી 12 વર્ષ નાનો હતો આમ છતાં તેને શિક્ષિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજકોટમાં સંસ્કાર સિટી બી વિંગ 404 મવડીમાં રહેતા ધ્રુવલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જુલાઈ 2024માં શિક્ષિકાને ફોન કરીને સીધો જ તેના ઘેર પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, ‘હું જ્યારે ધો.10માં ભણતો હતો ત્યારથી જ તમે મને ગમો છો, હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું.’ ત્યારબાદ ફરી એક વખત લગ્નનો પ્રસ્તાવ મૂકીને શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાન્યુઆરી 2025માં શિક્ષિકાના માતાને પણ મળીને ‘હું શિક્ષિકા સાથે લગ્ન કરવા માગું છું અને અમે લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ જશું’ તેવી વાત કરી હતી. ત્યારબાદ લગભગ દરરોજ રાત્રિના સમયે ધ્રુવલ શિક્ષિકાના ઘેર આવતો જતો હતો અને લગ્ન કરી જ લેવાના છે તેથી શિક્ષિકા પણ તેમની સાથે પત્નીની જેમ રહેતા હતા. 2025માં બંને થાઈલેન્ડ પણ ફરવા ગયા હતા અને ચાર જ્યોતિર્લિંગની યાત્રા પણ કરી હતી. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2025માં ધ્રુવલના માતાનો ફોન આવ્યો હતો કે, તે મારા છોકરાને ફસાવ્યો છે, જોકે આ સમયે ધ્રુવલ પોતાની પાસે જ હતો. ત્યારે ધ્રુવલે એમ કહ્યું હતું કે, તમારે માત્ર હાએ હા જ કરવાની છે. બાકી બધું હું ટેકલ કરી લઈશ. જોકે ધ્રુવલે માર્ચ 2025માં તેની સાથે જ ભણતી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની પોતાને જાણ થતાં તે શું કરવા માગે છે તેમ પૂછતા ધ્રુવલે સ્પષ્ટ કહ્યું હતું કે, પરિવારના દબાણથી આ સગાઈ કરી છે, પરંતુ હું લગ્ન તો તમારી સાથે જ કરવાનો છું અને છેક 23 ડિસેમ્બર 2025 સુધી મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ સમય દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધ્રુવલે જ્યારે સગાઈ કરી લીધી ત્યારબાદ ધ્રુવલના માતા અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી પણ પોતાને મળવા આવ્યા હતા અને ધ્રુવલની હવે સગાઈ થઈ ગઈ છે તેથી તેની સાથેનો સંબંધ પૂરો કરી નાખવા કહ્યું હતું. જોકે ધ્રુવલ સ્પષ્ટ રીતે કહેતો હતો કે, તેની સાથે જ લગ્ન કરશે અને આથી જ ધ્રુવલને ધંધામાં ખોટ જતા રોકડા 2 લાખ, 4 લાખ પીએફ જમા હતું તેમાંથી અઢી લાખ અને સોનાના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. ડિસેમ્બર 2025માં ધ્રુવલે લગ્ન કરવા માટે ના પાડી દેતા અને રૂપિયા પણ પરત દેવાની ના પાડી દેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર અરજી લઈ અઢી મહિને કાર્યવાહી કરી20 જાન્યુઆરી 2026ના રોજ પોતે પોલીસને અરજી કરી હતી. પોલીસે નિવેદન લેવા માટે બોલાવી પણ હતી. જોકે તે સમયે ગુનો નોંધ્યો ન હતો. પીએસઆઈ જોશીએ એમ કહ્યું હતું કે, અત્યારે અરજી લઈ છીએ. તમને વિચારવાનો સમય આપીએ છીએ. અમારે સામેવાળાને પણ સમય આપવો પડે. આથી તમે વિચારીને આવો પછી આગળની કાર્યવાહી કરીશું. આ સમય દરમિયાન ધ્રુવલના માતા-પિતા અને ધ્રુવલે જેની સાથે સગાઈ કરી લીધી હતી તે યુવતી ગાંધીગ્રામ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાને પણ ત્યાં બોલાવી હતી. આ સમયે ધ્રુવલના પિતાએ બે હાથ જોડીને માફી આપી દેવા વિનંતી કરી હતી. જોકે પોતે પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતી. આમ છતાં તપાસના નામે પોલીસે અઢી મહિના બાદ ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત નોંધનીય છે કે, રાજકોટ ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, જ્યારે દુષ્કર્મ જેવો ગંભીર ગુનો હોય ત્યારે તાકીદે ફરિયાદ નોંધી લેવી પરંતુ આ કેસમાં પણ અરજીના નામે પોલીસે દુષ્કર્મ પીડિતાને અઢી મહિના સુધી માત્ર ધક્કા ખવડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:43 pm

લીવઈન પાર્ટનરની હત્યા મામલે સુરજ ભુવાજીના જામીન રદ:યુવતીની હત્યા કરી પેટ્રોલ છાંટી લાશને સળગાવી નાખી'તી, હાઈકોર્ટે જામીન આપતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

વર્ષ 2023માં જૂનાગઢની યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખવાના કેસમાં સુરજ ભુવાજી સહિતના ચાર આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેની સામે ફરિયાદી અને સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા સુપ્રીમ કોર્ટે સુરજ ભુવાજી સહિત ચાર આરોપીઓના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા આદેશ કર્યો છે. સાથે લીવઈનમાં રહેતી યુવતીની સુરજ ભુવાજી સહિતના આરોપીઓએ મળી હત્યા કરી લાશને સળગાવી નાખી હતી. સમગ્ર કેસને અમદાવાદ પોલીસે ઉકેલ્યો હતો. લીવઈનમાં રહેતી યુવતીની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતીજુનાગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરજ ભુવાજીએ અમદાવાદની કોર્ટમાં ફરિયાદીની બહેનને લઈ જવાનું કહીને પોતાના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સહઆરોપી મિત શાહે તેનું ગળું દાબીને હત્યા કરી હતી. બાદમાં તેની બોડી ઉપર પેટ્રોલ છાંટીને તેની લાશ સળગાવી દીધી હતી. મૃતકના ભાઈ એવા ફરિયાદીને આરોપીએ જણાવ્યું હતું કે તેની બહેન અમદાવાદથી ક્યાંક જતી રહી છે. પહેલેથી જ પરિણીત સુરજ ભુવાજી ફરિયાદીની 22 વર્ષીય બહેન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ખટરાગ સર્જાતા ફરિયાદીની બહેને સુરજ ભુવાજી સામે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂરજ ભુવાજીએ ફરિયાદીની બહેનનો કાંટો કાઢી નાખવા માટે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું. જે મુજબ ફરિયાદીની બહેને કરેલા કેસ સંદર્ભે તેને અમદાવાદ જવાનું કહ્યું હતું. આરોપીઓ યુવતીને લઈને ગાડીમાં ગયા હતા. જ્યાં રસ્તામાં સુરજ ભુવાજીના ખેતરમાં ગાડીને ઉભી રાખી હતી. સીટની પાછળ બેસેલા મિત શાહે યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. તેનું મૃત્યુ નીપજતા તેને ખેતરમાં જ સળગાવી દેવામાં આવી હતી. તેના ભાઈને કહેવામાં આવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક ચાલી ગઈ છે. જ્યારે યુવતીની તો રસ્તા વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. તપાસ મુજબ પોલીસની પકડથી દૂર રહેવા સહ આરોપીને મૃતક યુવતીનો દુપટ્ટો ઓઢાડીને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વળી યુવતીને શોધવાનું નાટક અમદાવાદના રોડ ઉપરના CCTV કેમેરા સામે કરવામાં આવ્યું હતું. જ્યારે યુવતીના મોબાઈલથી સુરત ભુવાજીને વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવ્યા હતા, બાદમાં મોબાઈલનો નાશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો પોલીસને ગેરમાર્ગે દોરવા કરવામાં આવી હતી. સહઆરોપી પકડાતા પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતાસુરજ ભુવાજીએ યુવતીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે યુવતી અમદાવાદથી ક્યાંક જતી રહી છે. જે અંગે તેને ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જો કે મિત શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેને વટાણા વેરી દીધા હતા. યુવતીના ભાઈ એવા ફરિયાદીને તપાસ અધિકારીએ સઘળી હકીકત જણાવતા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન આપતા ફરિયાદી પક્ષ સુપ્રીમમાં ગયો હતોઉલ્લેખનીય છે કે આરોપીઓએ તપાસ એજન્સીને ખોટા નિવેદનો આપીને ચકરાવે ચઢાવી હતી. વળી યુવતીના કપડા, દુપટ્ટો અને પાકીટને અમદાવાદમાં બાળી નાખ્યા હતા. આ કેસમાં 70 જેટલા સાહેદો છે. ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને તપાસ પૂર્ણ થતા અને ચાર્જશીટ ફાઇલ થતાં ટ્રાયલમાં વિલંબ થવાના કારણોસર શરતી જામીન આપ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતાને જોતા તેમને જામીન આપી શકાય નહીં. જો ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલવામાં વધુ વિલંબ થાય તેઓ ન્યાયિક માર્ગ અપનાવી શકશે. ચારેય આરોપીઓએ 4 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશેફરિયાદીએ એડવોકેટ કુલદીપસિંહ જાડેજા દ્વારા અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુરજ ભુવાજીની સાથે સહઆરોપી મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મીત શાહના જામીન રદ કરવામાં આવ્યા છે. તેઓએ 4 અઠવાડિયાની અંદર ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે. યુવતી અને સુરજ ભુવાજી લીવઈનમાં રહેતા હતામૃતક યુવતી અને સૂરજ લીવઈનમાં રહેતા હતા. સૂરજ તેના પરિવારને મળવા જાય તે યુવતીને પસંદ ન હતું. જેને લઇને યુવતી અને સુરજ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.યુવતીએ સૂરજ સામે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે કોર્ટમાં પ્રોસેસમાં હતી. બીજી તરફ સૂરજ પણ યુવતીથી છુટકારો મેળવવા માગતો હતો.પરંતુ હવે કરવું શું તે તેને ખબર ન હતી. એટલે તેણે તેના અનુયાયીઓને પોતાની સાથે લીધા અને તેના કહ્યા પ્રમાણે તેઓ કરતા રહ્યા. જેમાં એક નિર્દોષ યુવતીને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા. જોકે, તે પહેલા જ ચોટીલા પાસે વટાવલ ગામની સીમામાં તેઓએ કાર ઉભી રાખી હતી. જ્યાં ભુવાએ કહ્યું કે, હું થોડીવારમાં આવું છું મારે પૈસાની જરૂર છે. જોકે, તે સમયે કારમાં યુવતી સાથે મીત હાજર હતો. સૂરજ ધારાનું ગળું દબાવી હત્યા કરીમીત મૂળ અમદાવાદનો છે. તે યુવતી સાથે કારમાં બેઠો હતો તે દરમિયાન સૂરજ ભુવા અને તેના ભાઇઓ ત્યાં આવે છે અને યુવતી સાથે ઝઘડો કરે છે. થોડીવારમાં ઝઘડો ખૂબ જ વધી જાય છે અને સૂરજ યુવતીનું ગળું દબાવી મારી નાખે છે. ત્યારે સૂરજ અને તેની સાથે અન્ય લોકો ભેગા મળીને યુવતીની લાશને પેટ્રોલ અને લાકડાથી સળગાવી નાખે છે. ત્યારબાદ તેઓમાંથી એક વ્યક્તિ મૃતકના કપડા પહેરી અમદાવાદ આવે છે. એટલે કોઇને અમ ના લાગે કે ભુવા જોડે યુવતી અમદાવાદ આવી ન હતી. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇ પહોંચીઅમદાવાદ આવ્યા બાદ ભુવાના મિત્ર મીતે તેની માતાને પણ પ્લાનમાં સામેલ કરી. મીતે ઘરે આવીને તેની માતાને કહે છે કે અમે યુવતીને મારી નાખી છે અને હવે તારે યુવતીના કપડા પહેરી અંહીયાથી બોમ્બે તરફ જવાનું છે એટલે મીત અને સૂરજ બંને તે રાત્રે હોટલમાં રોકાયા હતા. બીજી તરફ સવારે યુવતીના કપડા પહેરી મીતની માતા ઘરેથી નીકળે છે એટલે લોકોને એવું લાગે કે યુવતી સવાર સવારમાં સૂરજને છોડીને ક્યાંક જતી રહી છે. આ સમયે યુવતીનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે. મીતની માતા અન્ય લોકો સાથે મુંબઇના વસઇ પહોંચે છે. જ્યાં યુવતીનો મોબાઇલ સ્વિચ ઓન કરવામાં આવે છે. યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ ગુમ થયાની અરજી કરી હતીયુવતીની હત્યા નિપજાવ્યા બાદ સુરજ પ્લાન મુજબ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, યુવતી ક્યાંક જતી રહી છે. અમે તેને શોધી રહ્યા છીએ. અમારે આ સંદર્ભે અરજી આપવી છે. એટલામાં પ્લાન પ્રમાણે ભુવાના ફોનમાં એક મેસેજ આવે છે. જે યુવતીના ફોનમાંથી કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હોય છે કે, સૂરજ હવે તું મને શોધતો નહીં હું તારી જિંદગીમાંથી દૂર જઈ રહી છું અને આ મેસેજ ભુવા અને મીત પાલડી પોલીસ સ્ટેશનના પોલીસને બતાવે છે એટલે તે સમયે પોલીસે આ વાતને કદાચ માની લીધી હોય તેવું શક્ય છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં જે ચાલી રહ્યું હતું. તે પહેલા તો યુવતીની હત્યા થઇ ગઇ હતી અને તેની લાશનો નિકાલ પણ થઇ ગયો હતો. યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવાઇતો બીજી તરફ યુવતીના મોબાઇલ ફોન પર તેનો ભાઇ સતત ફોન કરતો હતો પણ યુવતીનો ફોન નોટ રીચેબલ આવતો હતો. એટલે સૂરજ ઉર્ફે ભુવાએ યુવતીના ભાઇને એક દિવસ ફોન કરીને કહ્યું હતું કે,તેની બહેન ગુમ થઇ ગઇ છે અને અમે તેની જાણ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. આ વાતની જાણ થતા યુવતીનો ભાઇ અમદાવાદ આવી પહોંચે છે અને ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશન પહોંચી બહેન વિશે પૂછપરછ કરે છે. પરંતુ કોઇ કડી કે કોઇ ક્લુ ના મળતા યુવતી ગાયબ છે તેમ જણાવી ફાઇલ બંધ કરી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:41 pm

અશાંતધારાની મંજૂરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત:લાંચ લેનારાનો વરઘોડો કાઢો, અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયો હોવાનો ગંભીર આક્ષેપ, અશાંત ધારાના વિવાદમાં હિન્દુ સંગઠનોની ઉગ્ર માંગ

એસ.પી.ની તપાસમાં જેનું પણ નામ ખુલશે તેના પર કાર્યવાહી થશે - કલેક્ટર ડો.મનીષ બંસલ 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા અને રામધૂનની ચેતવણી ​ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પરવાનગી આપવામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ​સંગઠન દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા મોટી રકમ લઈ અશાંતધારાની મંજૂરી અપાવી દેવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં વાયરલ થયો હતો, આ બાબતે સંગઠનના હોદ્દેદારોએ અગાઉ કલેક્ટરને મળીને તપાસની ખાતરી મેળવી હતી, પરંતુ 10 દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, આ ​સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે, ભ્રષ્ટાચારી તત્વોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ અને મામલતદારના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં જે પરવાનગીઓ આપી છે, તેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ S.I.T. દ્વારા તપાસ કરવામાં આવે, અશાંતધારાના કાયદાનો ચુસ્તપણે અમલ થાય અને જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરાય, આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પોલીસ અધિક્ષક ભાવનગર ઓને પણ રજુઆતની કોપી મોકલવામાં આવી છે, ​ભ્રષ્ટાચારીઓ દ્વારા કાયદા વિરુદ્ધ જઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જો તપાસમાં વિલંબ થશે તો કાયદાનું ગૌરવ જોખમાશે, ​આ રજૂઆત વખતે જિલ્લા અધ્યક્ષ ઉદયભાઈ દવે અને શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ગંભીર વીડિયો પુરાવા અને રજૂઆત પર શું પગલાં લેવામાં આવે છે, પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર હિન્દુ યુવા સંગઠન તેમજ વિવિધ સંગઠનો દ્વારા અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગરના કલેક્ટરને એક આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલો હતો, આવેદનનો મુખ્ય હેતુ હતો, જે 2023 ની અંદર અશાંત ધારો ભાવનગરની અંદર લાગ્યો હતો, ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઈલો જે બની છે, એ ફાઈલોની અંદર એનકેન પ્રકારે નાણાકીય વહીવટ કરીને, રાજકીય લાગવગ કરીને 1500 જેવી એવી ફાઈલો છે જે પૈસા આપી, વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે તેની પૂર્ણ ચકાસણી થાય, ​આજથી 8 દિવસ પહેલા એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી, કલેક્ટરએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી, તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે તેની ઉપર ગુનો દાખલ થાય, એમાં જે જે જોડાયેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો, લાંચ લેવાવાળા અને દેવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે, જો નહીં થાય, તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા પર બેસશે અને રામધૂનનો કાર્યક્રમ કરશે. આ અંગે ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, હિન્દૂ યુવા સંગઠન આવેદનપત્ર આપીને ગયા છે જેમાં વીડિયોની ઓડિયો વગેરે જે ડ્રાઇવરના વાયરલ થયા હતા, તો એના પ્રમાણે જે કન્સર્ન SDM હતા, જેમના ઉપર એલિગેશન એટલે જેમના નામે મીન્સ કે આ ચાલતું હતું, એ એસ.પી.ને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસ.પી.ને ત્યાં ચાલુ છે અને એમાં જે પણ નું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે, વેરિફિકેશન એટલે કે કરવી પડે છે ને? પછી આ તપાસ થશે અને જે ડ્રાઈવરનો વીડિયો છે, તો ડ્રાઈવર તો આઉટસોર્સિંગનો હતો એટલા માટે છૂટો કરી દીધો છે આ કોઈ પરમેનેન્ટ સરકારી કર્મચારી હતો નહીં અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને, જે લાંચ આપનારના જે વીડિયો છે એનો બયાન લઈને જેનું પણ કોઈ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી 100 ટકા થશે. વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યા છે, તો હું આ એટલે કે પર્સનલી એસ.પી. સાથે વાત નથી કરી કે ક્યાં સુધી પહોંચ્યા છે, પણ એની સાથે કંટીન્યુઅસ અમે લોકો ટચમાં છીએ. અને આ કહે છે કે ભાઈ 10-15 દિવસમાં તપાસ પૂરી કરીને અને જે પ્રમાણે એને એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવાનો થશે તો એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:39 pm

હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીની શોભાયાત્રા નીકળી:શહેરના વિવિધ માર્ગો પર ફરી, ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

હિંમતનગરના દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રીના સાતમા દિવસે માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પરત મંદિરે પહોંચી હતી. જૂની સિવિલ સર્કલ સામે આવેલા દેવીપૂજકનગરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. બુધવારે બપોર બાદ 64 જોગણી માતાજીના મંદિરેથી માતાજીની ફોટો પ્રતિમા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ડીજે સાથે નીકળેલી આ યાત્રા સિવિલ સર્કલ અને પાંચબત્તી થઈને ટાવર ચોકમાં પહોંચી હતી. ટાવર ચોકમાં ભક્તો માતાજીના ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ, શોભાયાત્રા નવા બજાર, ગાંધી રોડ અને પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થઈને જૂની સિવિલ સામે દેવીપૂજક નગરમાં આવેલા માતાજીના મંદિરે પરત ફરીને સંપન્ન થઈ હતી. શ્રી જગદંબા યુવક મંડળ દ્વારા આયોજિત ચૈત્ર નવરાત્રી મહોત્સવ અંતર્ગત આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં સ્થાનિકો, અગ્રણીઓ, યુવક-યુવતીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:38 pm

પાટીદાર યુવકની UPSC પ્રિલિમ્સના એક પ્રશ્રના 2.06 માર્ક માટે જંગ:હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબને ખોટો ગણાવ્યો, ફેલ ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં પાસ; ઈન્ટરવ્યુ આપી શકશે

ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી જયમીન પટેલે UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ 2024 ની પ્રાથમિક પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. UPSCએ વિકલ્પ-C સાચો ગણાવ્યો, અરજદારે વિકલ્પ B સાચો હોવાની રજૂઆત કરીવિવાદિત પ્રશ્ન નંબર 25માં કેન્દ્રીય બજેટ અંગેના વિધાનો હતા. UPSCએ વિકલ્પ 'C- બંને વિધાનો સાચાને', સાચો જવાબ ગણ્યો હતો, જ્યારે અરજદારના મતે વિકલ્પ 'B- માત્ર વિધાન 2 સાચું' હોવાને સાચો જવાબ હોવાની રજૂઆત કરી હતી. પ્રશ્ન બંધારણની કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ કરવામાં આવે છે, નહીં કે વડાપ્રધાન વતી તેવી અરજદારની રજૂઆત હતી. અરજદારને પ્રાથમિક પરીક્ષામાં 98.29 ગુણ મળ્યા હતા, જ્યારે કટ-ઓફ 100.35 ગુણનું હતું. જો આ એક પ્રશ્ન સાચો ગણાય, તો અરજદારને વધારાના 2.06 ગુણ મળે અને તે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે તેમ હતું. 'UPSCનો જવાબ ખોટો જણાય છે'કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્યું કે, UPSCનો જવાબ ખોટો જણાય છે, કારણ કે બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે UPSC ફાઈનલ રિઝલ્ટ પછી આન્સર-કી જાહેર કરે છે, જેના કારણે ઉમેદવાર પાસે કોઈ ઉપાય બાકી રહેતો નથી. 'UPSC અરજદારને IFSની મુખ્ય પરીક્ષામાં બેસવા દે'કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો કે, UPSC અરજદારને વર્ષ 2025ની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષામાં બેસવા દે. અરજદારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કોર્ટની પરવાનગી વગર ખોલવામાં આવશે નહીં. પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવાથી અરજદારનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં. SCએ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધીUPSCએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી હતી. મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયોહવે અરજદાર ઉમેદવારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જે પરિણામ મુજબ અરજદાર IFSની લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયો હતો. મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા મંજૂરીની મથામણઆથી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેને લેખિત પરીક્ષા પાસ કરી હોવાથી, અરજદારને 06 એપ્રિલ, 2026 થી શરૂ થતા મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવાની મંજૂરી આપવામા આવે. UPSCએ દલીલ કરી હતી કે, આ મંજૂરી કાયદેસર રીતે યોગ્ય નથી. કારણ કે અરજદાર 2024ની બેચ માટે હતો અને હવે તે 2025ની બેચના ઇન્ટરવ્યુમાં બેસશે, જેમાં તેની વયમર્યાદા વધી ગઈ હોઈ શકે છે. કોર્ટે મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા આદેશ કર્યોકોર્ટે નોંધ્યું કે જો અરજદારને ઇન્ટરવ્યુમાં બેસવા ન દેવામાં આવે તો અગાઉનો વચગાળાનો આદેશ નિરર્થક બની જશે. આથી કોર્ટે UPSCને આદેશ આપ્યો હતો કે અરજદારને 2025ની બેચ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવે અને તેના માટે જરૂરી તમામ ફોર્મ સ્વીકારવામાં આવે. ઇન્ટરવ્યુનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશેઅરજદારે એક અઠવાડિયામાં UPSCને લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે ઇન્ટરવ્યુમાં બેસવાથી તેનો નોકરી માટેનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં અને તે નિમણૂકનો દાવો કરી શકશે નહીં. તેના ઇન્ટરવ્યુનું પરિણામ ફરીથી સીલબંધ કવરમાં રાખવામાં આવશે અને જ્યારે અન્ય તમામ ઉમેદવારોના પરિણામ જાહેર થાય ત્યારે અરજદારનું પરિણામ કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે. UPSCનો વિવાદિત પ્રશ્ન...• કેન્દ્રીય બજેટના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો :1. કેન્દ્રીય નાણા મંત્રી વડાપ્રધાન વતી સંસદના બંને ગૃહો સમક્ષ 'વાર્ષિક નાણાકીય નિવેદન' રજૂ કરે છે. 2. કેન્દ્રીય સ્તરે, ભારત પર રાષ્ટ્રપતિની ભલામણ સિવાય અનુદાન (grant) માટેની કોઈ માંગ કરી શકાતી નથી. ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?(a) માત્ર 1(b) માત્ર 2(c) 1 અને 2 બંને(d) 1 અથવા 2 પૈકી એક પણ નહીં

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:36 pm

ભરૂચમાં પેન્શનર્સનો વિરોધ: નવા નિયમો સામે આવેદન:પોર્ટલ ખામીઓ અને સમાનતા મુદ્દે કલેક્ટરને રજૂઆત

રાજ્યમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને ઓનલાઈન પોર્ટલ વ્યવસ્થા સામે નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળે આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પેન્શનર્સ મંડળના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારની નવી પેન્શન પોર્ટલ વ્યવસ્થા સામે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલ પેન્શન પોર્ટલનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી વિપરીત છે. પેન્શનર્સના મતે, પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે રજિસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ અને માહિતી સુધારવા જેવી પ્રક્રિયાઓ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વયસ્ક નિવૃત્ત કર્મચારીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ જટિલ હોવાનું તેમણે જણાવ્યું. ઘણા પેન્શનર્સને સમયસર પેન્શન ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો પણ છે. આવેદનપત્રમાં 1 સપ્ટેમ્બર 2025 પહેલા અને બાદમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચુકવણીમાં તફાવત હોવાનો ખાસ ઉલ્લેખ કરાયો છે. આના કારણે સમાનતાનો મુદ્દો ઉભો થયો છે. પેન્શનર્સ મંડળે સરકાર સમક્ષ તમામ નિવૃત્ત કર્મચારીઓને સમાન ધોરણે પેન્શન ચૂકવવાની માંગ કરી છે. પેન્શનર્સે સરકારને પોર્ટલમાં રહેલી ખામીઓ તાત્કાલિક દૂર કરી પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ પેન્શન ચુકવણી વ્યવસ્થામાં પારદર્શિતા અને સમયબદ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:21 pm

અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટનો હુકમ:માણસાની 17 વર્ષીય પરણિત સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પ્રેમીને 10 વર્ષની સખત કેદ ફટકારી

માણસા તાલુકામાં આશરે દસ વર્ષ પૂર્વે બનેલી પરણિત સગીરાના અપહરણ અને દુષ્કર્મની ચકચારી ઘટનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સાસરીમાં ગયેલી 17 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર માણસાના રાકેશ બાબુભાઈ ચૌધરીને કોર્ટે ગુનેગાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાસુ સાથે માણસા ખરીદી કરવા ગઈને યુવતી ગુમઆ કેસની વિગત મુજબ, ફરિયાદી ખેડૂતની 17 વર્ષીય દીકરીના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીત-રિવાજ મુજબ કલોલ ખાતે થયા હતા. લગ્ન બાદ દીકરી સાસરીમાં પ્રસંગોપાત અવરજવર કરતી હતી. 30 ઓગસ્ટ, 2016ના રોજ દીકરી તેની સાસુ સાથે માણસા મુકામે ખરીદી કરવા ગઈ હતી. જ્યાંથી તે અચાનક ગુમ થઈ હતી. પરિવારજનોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમના જ ગામનો રાકેશ બાબુભાઈ ચૌધરી સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. સગીરા ઘરમાંથી 3 લાખ રોકડ અને સોનાના દાગીના પણ લઈ ગઈ હતીઆ ગુનામાં અન્ય કેટલાક શખ્સોએ મદદગારી કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.શરૂઆતમાં દીકરીના પિતાએ જ્યારે આરોપીના પિતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બે દિવસમાં દીકરી શોધી આપવાની ખાતરી આપી હતી. પરિણામે સમાજમાં આબરૂ જવાની બીકે અને લોકલાજે પિતાએ તુરંત પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે નિર્ધારિત સમય વીતવા છતાં દીકરી પરત ન આવતા અને આરોપીના પરિવારે ધમકીઓ આપવાનું શરૂ કરતા આખરે કાયદાનો આશરો લેવામાં આવ્યો હતો. આ દરમિયાન સાસરી પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સગીરા ઘરમાંથી 3 લાખ રોકડ અને અંદાજે 100 ગ્રામ સોનાના બિસ્કિટ સહિતના દાગીના પણ સાથે લઈ ગઈ હતી. કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 30 હજારનો દંડ ફટકાર્યો હતોમાણસા પોલીસે આ મામલે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રાકેશ ચૌધરીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્મા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય કોર્ટે આરોપી રાકેશ ચૌધરીને 10 વર્ષની સખત કેદની સજા અને 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:10 pm

સોમનાથ કનકાઈ મંદિરે ચૈત્ર આઠમે ભક્તિમય માહોલ:850 વર્ષ પ્રાચીન ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને સંતવાણી યોજાઈ

સોમનાથ નજીક આવેલા 850 વર્ષ પ્રાચીન કનકાઈ માતાજી મંદિરે ચૈત્ર માસની આઠમ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ. સોમનાથથી આશરે બે કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા આ ધામે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો અને ધાર્મિક વિધિઓ કરી હતી. દિવસ દરમિયાન યોજાયેલા મહાપ્રસાદમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કનકાઈ માતાજીને વિવિધ જ્ઞાતિના લોકો કુળદેવી તરીકે પૂજે છે. આથી સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર પાસેના ઐતિહાસિક કુંડ વિશે એવી લોકવાયકા છે કે માતાજી તેમાંથી પ્રગટ થયા હતા, જે આ સ્થળની ધાર્મિક મહત્તામાં વધારો કરે છે. ચૈત્ર આઠમના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. પ્રભાસપાટણ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાંજે યોજાયેલા ભક્તિમય લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કનકાઈ માતાજી મિત્ર મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી મહેશગીરી શંભુગીરી ગૌસ્વામી સેવા આપી રહ્યા છે. કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા, તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ બામણીયા, દેવાભાઈ સહિત અનેક આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 6:00 pm

રીક્ષાની સીટ નીચે સંતાડ્યું ગૌમાંસ:સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર, મધ્યાહ્ન ભોજનના મેનુમાં કરાયો બદલાવ

ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરી.. જેમાં 19 સભ્યોનો સમાવેશ કરાયો છે.. આમાં મુખ્યમંત્રી, 2 આમંત્રિત અને 4 વિશેષ આમંત્રિત સભ્યનો સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં મામલો ગરમાયો ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે પ્રશ્નકાળ ગરમાયો. મંત્રીઓના અધૂરા જવાબ પર અધ્યક્ષ શંકર ચૌધરી બગડ્યા. તેમણે મંત્રીઓને પ્રશ્ન સમજી યોગ્ય જવાબ આપવાની ટકોર કરી.. એટલું જ નહીં અધિકારીઓને પણ મૂક પ્રેક્ષક બની ન બેસવા ટપાર્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મધ્યાહ્ન ભોજનના નાસ્તાના મેનુમાં બદલાવ કરાયો ગુજરાતમાં મધ્યાહ્ન ભોજનના નાસ્તાના મેનુમાં બદલાવ કરાયો. પરંપરાગત સુખડીની જગ્યાએ હવે મિલેટ સુખડી આપવામાં આવશે.આ સિવાય પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહારનો સમાવેશ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રાઈવરની સીટ નીચેથી મળ્યું પશુ માંસ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી રિક્ષામાંથી પશુ માંસ ઝડપાયું છે. રિક્ષાચાલક પાસેથી ખંજર પણ મળી આવ્યું. ગૌરક્ષકોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો.પશુ માંસને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યુ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ સામે વ્યાજખોરીની ફરિયાદ સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ઋષિન રાયકા સામે 1.95 કરોડની વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ. પક્ષના જ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી કે 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણી કરવામાં આવી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ મહિના સુધી સાવકા પિતાનું દુષ્કર્મ સુરતના કતારગામમાં સાવકા પિતાએ 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યું. સતત પાંચ મહિના સુધી જાનથી મારી નાખવાની ધમકી આપી પિતા હવસ સંતોષતો રહ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીના આડાસંબંધોથી ત્રાસી પતિએ આત્મહત્યા કરી અમદાવાદમાં પત્નીના આડાસંબંધોથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લીધી.મૃતકે પત્નીને સુધરી જવા સમજાવી હતી પણ પત્નીએ પતિ પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી.. મૃતકે બાળકોની માફી માગી, પત્નીને સજા અપાવવાની વાત સ્યુસાઈડ નોટમાં કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકે પણ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ બેકાબૂ સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ 24 કલાકે પણ બેકાબૂ. 1 કિમી કચરાના પહાડમાં લાગેલી આગે ભયંકર સ્વરુપ ધારણ કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પર ચાલકે રાહદારીને અડફેટમાં લેતા મોત અમદાવાદના વાડજમાં વહેલી સવારે ડમ્પર રાહદારીને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા. લોકોએ ડમ્પર ચાલકનો પીછો કર્યો પણ તે ફરાર થઈ ગયો. પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજકેટની પરીક્ષા માટે ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન 29 માર્ચે યોજાનારી ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન... પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણુક કરાશે, તો સીસીટીવીથી ચાંપતી નજર પણ રખાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:58 pm

રાજ્ય ચૂંટણી પંચની તૈયારી પર પ્રશ્નચિહ્ન!:વેબસાઈટ પર જૂનો ડેટા, તાલુકા-નગરપાલિકાની મુદ્દત અંગે સ્પષ્ટતા જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ માહિતી વ્યવસ્થામાં ખામી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજ્ય ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ રાજ્યમાં 15 મહાનગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારી ચાલી રહી છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પંચ પાસે જ તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઈ છે તેની સંપૂર્ણ અને અપડેટ માહિતી ઉપલબ્ધ નથી તે ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય નિષ્પક્ષ અને સમયસર ચૂંટણી યોજવાનું હોય છે, પરંતુ ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં આધારભૂત માહિતીનો જ અભાવ હોવો તંત્રની કાર્યક્ષમતા પર સીધો સવાલ ઉભો કરે છે. ખાસ કરીને કઈ સંસ્થાઓમાં ચૂંટણી બાકી છે અને ક્યાં સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે તેની સ્પષ્ટ માહિતી ન હોવી આયોજનમાં ગંભીર ખામી દર્શાવે છે. ઓક્ટોબર 2025માં રોટેશન જાહેર થયા બાદ પણ સાઈટ પર જૂનો ડેટાઆગામી સમયમાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર 2025માં જ 27 ટકા ઓબીસી અનામતની અમલવારી સાથે નવા રોટેશન જાહેર કરી ચૂકી છે. પરંતુ, સ્ટેટ ઈનલેકશન કમિશનની સાઈટ પર હજી પણ વોર્ડ વાઈઝ બેઠકની જૂની જ માહિતી દર્શાવવામાં આવી રહી છે. વેબસાઈટ પર પણ ગોટાળો: જૂનો ડેટા, નવો અપડેટ ડેટા નથીસ્થિતિ એટલી ચિંતાજનક છે કે રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર પણ અપડેટેડ માહિતી ઉપલબ્ધ નથી. હાલ વેબસાઈટ પર જૂનો ડેટા જ જોવા મળે છે, જ્યારે નવી માહિતી અપલોડ કરવામાં આવી નથી. આ કારણે સામાન્ય નાગરિકો તેમજ રાજકીય પક્ષોને ચોક્કસ માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેની સામે, કેન્દ્રીય સ્તરે Election Commission of India દ્વારા દરેક માહિતી સમયસર અને પારદર્શક રીતે વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે, જેની તુલનામાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નબળી જણાઈ રહી છે. તંત્ર હજુ ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્તસૂત્રો મુજબ, હાલ પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી તારીખો જાહેર થવાના આરે છે છતાં તંત્ર હજુ સુધી ડેટા એકત્રિત કરવામાં જ વ્યસ્ત છે. આ પરિસ્થિતિ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ સર્જી શકે છે તેવી શક્યતા પણ નકારી શકાય તેવી નથી. વિશ્લેષકોના મતે આયોજન વધુ મુશ્કેલ બનશેવિશ્લેષકો માને છે કે જો ચૂંટણી પંચ પાસે જ તાલુકા અને નગરપાલિકાની સમયમર્યાદાની ચોક્કસ માહિતી ન હોય, તો સમગ્ર રાજ્યમાં એકસાથે ચૂંટણી આયોજન કરવું વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક માહિતી વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે. રાજકીય વર્તુળોમાં ગરમાવોઆ મુદ્દે રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ માહિતી જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. આ પરિસ્થિતિએ હવે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે — શું રાજ્ય ચૂંટણી પંચ ખરેખર ચૂંટણી માટે તૈયાર છે કે પછી ફરી એકવાર ગડબડ અને વિલંબનો સામનો કરવો પડશે?

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:46 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બેફામ ડમ્પરે રાહદારીનો જીવ લીધો, BEEKEY BEKARSની નાનખટાઈ ખાધીને ઉલટીઓ થઈ

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:45 pm

મિત્રનો બર્થ-ડે ઉજવવા ગયેલા સગીરને બુટલેગરે ધોકાવ્યો:તું દારૂની કેમ બાતમી આપે છે? કહીને , પિતા ફરિયાદ કરવા ગયા તો પોલીસકર્મીએ કહ્યું- 'પીઆઇ સાહેબને મળી લેજો'

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. બુટલેગરે 16 વર્ષીય સગીર અને યુવકને તું દારૂની કેમ બાતમી આપે છે એમ કહીને લાકડીઓ અને છરી વડે માર્યો હતો. આ મામલે સગીરના પિતા દ્વારા નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં રાતે ફરિયાદ કરવા ગયા હતા. જોકે, પોલીસે ફરિયાદ લેવાની જગ્યાએ પીઆઇ સાહેબને મળી લેજો કહ્યું હતું. પીઆઇને મળીને ફરિયાદ લેવા જાણ કરી હતી. જોકે, આ મામલે હજી સુધી નિકોલ પોલીસે ફરિયાદ નોંધી નથી. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, 16 વર્ષીય સગીરને માર માર્યો હોવાનું મારા ધ્યાન પર આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતોમળતી માહિતી મુજબ 16 વર્ષીય સગીર ઓઢવ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. સગીર અગાઉ નિકોલ વિસ્તારમાં પારંતી ઔડા આવાસ યોજનાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો. હાલમાં તેનું મકાન ભાડે આપેલું છે. 16 વર્ષીય સગીર વર્ષો સુધી નિકોલ ખાતે જુના મકાનોમાં રહેલો હતો જેથી તેના મિત્રો ત્યાં હતા. ગઈકાલે 24 માર્ચના રોજ સગીરના મિત્રનો જન્મદિવસ હોવાથી સગીર ત્યાં ગયો હતો. સગીર તેના મિત્રો સાથે ત્યાં હાજર હતો. પોલીસકર્મીએ ફરિયાદ માટે પીઆઈ સાહેબને મળવા માટે કહ્યુંઆ દરમિયાન મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને સગીરને તું દારૂની બાતમી કેમ આપે છે એમ કહીને માર માર્યો હતો. તેની સાથે એક મિત્ર પણ વચ્ચે પડ્યો હતો જે મિત્રને પણ છરી અને ડંડા વડે માર માર્યો હતો, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ મોન્ટુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સગીરના પિતાને પણ કરવામાં આવી હતી, જેથી તેઓ પણ ત્યાં આવ્યા હતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે સગીરના પિતા ગયા હતા પરંતુ, હાજર પોલીસકર્મીએ તેમને પીઆઇ સાહેબને ફરિયાદ માટે મળી લેજો એવું કહ્યું હતું જે બાદ આજે સવારથી ફરિયાદ નોંધાવા માટે તેઓ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થઈ છેસગીરના પિતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર તેના મિત્રનો જન્મદિવસ હોવાથી નિકોલ ખાતે મારા જુના મકાને ગયો હતો ત્યાં મોન્ટુ નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને દારૂની બાતમી કેમ આપે છે એમ કહી અને માર માર્યો હતો. માર મારનાર બુટલેગર છે અને અગાઉ પણ તેની સામે ગુનામાં પાસા થયેલા છે. પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પરંતુ પીઆઇ સાહેબને મળીને ફરિયાદ આપવા પોલીસ કર્મી એ કહ્યું હતું જેના કારણે થઈને હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:40 pm

ધ્રાંગધ્રામાં રામનવમી પૂર્વે સર્વ સમાજની બેઠક યોજાઈ:PIની અધ્યક્ષતામાં શોભાયાત્રાના આયોજન અંગે માર્ગદર્શન અપાયું

ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે રામનવમીના આગામી તહેવાર નિમિત્તે સર્વ સમાજની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક પીઆઈ એમ.યુ. મશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રામનવમીની શોભાયાત્રાના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. શોભાયાત્રાના આયોજકોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રામ બોલ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે બે શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રાઓના સંચાલકોને સુરક્ષા અને વ્યવસ્થા સંબંધિત જરૂરી નિર્દેશો અપાયા હતા. બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો, શોભાયાત્રાના સંચાલકો અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહયોગની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:36 pm

સુરતના ‘ટોપ-16’નો ઇનામી 26 વર્ષે ઝડપાયો:સાંગલીના જંગલોમાં વેશપલ્ટો કરી પોલીસે દબોચ્યો, લૂંટ વખતે ખેડૂતની દીકરી પર દુષ્કર્મ આચરી મહારાષ્ટ્ર ભાગી ગયો, ત્યાં પણ એક મર્ડર કર્યું

વર્ષ 2000થી પોલીસને હાથતાળી આપી રહેલો અને સુરતના ટોપ-16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ સુનિલ ઝુંબર કાળે આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. લિંબાયત પોલીસે ફિલ્મી ઢબે મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પર આવેલા સાંગલીના ગાઢ જંગલોમાં વેશ પલટો કરીને આ રીઢા ગુનેગારને દબોચી લીધો છે. આરોપી પર સુરત પોલીસ કમિશનરે 40,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી નહોતી. તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર (કલમ 302) કર્યું હતું. દુષ્કર્મ અને લૂંટનો આરોપી છેલ્લા 26 વર્ષથી ફરાર હતોવર્ષ 2000 અને 2003માં સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓએ શહેરને હચમચાવી દીધું હતું. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સુનિલ કાળે છેલ્લા 26 વર્ષથી ફરાર હતો. પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર હતો, કારણ કે આટલા લાંબા સમયમાં આરોપીનો ચહેરો અને રહેઠાણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. જોકે, લિંબાયત પોલીસે હાર માન્યા વગર આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચાલુ રાખી હતી. ખેડૂતના ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવીઘટનાની વિગત મુજબ, 6 ઓગસ્ટ 2003ની મધરાતે આરોપી સુનિલ અને તેના સાથીદારોએ પરવતગામની સીમમાં આવેલા ધનશ્યામભાઈ ભાદાણીના ખેતરમાં ત્રાટક્યા હતા. ત્યાં રહેતા ઓધડભાઈ પટેલના પરિવારને મોતની ધમકી આપી, ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ પરિવારની દીકરી પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું અને પત્ની સાથે અડપલાં કર્યા હતા. ઘરની મહિલાઓને એક રૂમમાં પૂરી તાળું મારી દીધુંલૂંટ અને દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી હતી. તેમણે ફરિયાદી અને ઘરની મહિલાઓને એક રૂમમાં પૂરી દીધા હતા અને બહારથી તાળું મારી દીધું હતું જેથી કોઈ મદદ માટે બહાર ન નીકળી શકે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં બે આરોપીઓ તે સમયે પકડાયા હતા, પરંતુ સુનિલ કાળે પોલીસને થાપ આપી મહારાષ્ટ્ર નાસી ગયો હતો. સાંગલીના જંગલોમાં પોલીસે લોકલ વેશપલટો કરી આરોપીને દબોચ્યોઆરોપી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પાચવા મૈલ વિસ્તારના જંગલોમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા લિંબાયત પી.આઈ. સુમિતાની આગેવાનીમાં એક ટીમ રવાના કરવામાં આવી હતી. જંગલ વિસ્તાર હોવાથી અને આરોપી રીઢો હોવાથી પોલીસે ત્યાંના સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કર્યો હતો. સતત પાંચ દિવસ સુધી ટીમે જંગલમાં વોચ ગોઠવી હતી જેથી આરોપીને જરા પણ શંકા ન જાય. મહારાષ્ટ્રમાં મર્ડર કરી 10 વર્ષની સજા કાપી બહાર આવ્યો હતોતપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, સુરતથી ભાગ્યા પછી પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી નહોતી. તેણે મહારાષ્ટ્રના સાંગલીમાં પણ એક મર્ડર (કલમ 302) કર્યું હતું. આ મર્ડર કેસમાં તે 10 વર્ષની જેલની સજા કાપીને માત્ર 6 મહિના પહેલા જ બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીથી છૂટક મજૂરીના બહાને પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. 2000 કલાકની મહેનતે આરોપીનું લોકેશન ટ્રેસ થયુંઆ ઓપરેશન અંગે માહિતી આપતા ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું કે, 26 વર્ષ જૂના આરોપીને પકડવો એ સૌથી મોટો પડકાર હતો. આશરે 20 પોલીસ જવાનોની ટીમ છેલ્લા દોઢ મહિનાથી દિવસ-રાત આ કેસ પર કામ કરી રહી હતી. અંદાજે 2,000 કલાકની મહેનત, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક બાદ આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી. ઓળખ બદલાવી નાખી છતાં પોલીસથી ન બચી શક્યોસમયની સાથે આરોપીની ઉંમર હવે 60 વર્ષની આસપાસ થઈ ગઈ છે. 26 વર્ષમાં તેના શારીરિક દેખાવમાં મોટો બદલાવ આવ્યો હતો. ફેસ રેકગ્નિશન કરવું મુશ્કેલ હતું, પરંતુ પોલીસે તેની જૂની કડીઓ જોડીને અને તેના વતનમાં થતી હિલચાલ પર નજર રાખીને તેને ઓળખી કાઢ્યો હતો. આરોપી સુરત પોલીસના 'ટોપ-20' વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુરત પોલીસ કમિશનરે 40,000નું ઈનામ જાહેર કર્યું હતુંઆરોપી સુનિલ કાળે એટલો ખતરનાક હતો કે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તેના પર 40,000 રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસની આ સફળતાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કે ગમે તેટલા વર્ષો વીતી જાય, કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ક્યારેય બચી શકતો નથી. લિંબાયત પોલીસ મથકે નોંધાયેલા 3 ગંભીર ગુના પીડિત પરિવારને 26 વર્ષે ન્યાય મળ્યોઆ ધરપકડથી એ પીડિત પરિવારને આશ્વાસન મળ્યું છે જેમણે 26 વર્ષ પહેલા પોતાની દીકરી પર થયેલા અત્યાચારનું દુઃખ સહન કર્યું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની અન્ય ગુનાહિત કુંડળી પણ ખોલી શકાય.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:33 pm

મિડલ ઈસ્ટ મુદ્દે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક શરૂ, વિદેશ નીતિ મુદ્દે કોંગ્રેસ આક્રમક, TMCએ કર્યો બહિષ્કાર

File Pic | Image Source: IANS All-Party Meeting: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી. કેન્દ્ર સરકાર તરફથી બેઠક બોલાવવાના નિર્ણયને લઈને કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા 'મોડા લેવાયેલો નિર્ણય' ગણાવ્યો.

ગુજરાત સમાચાર 25 Mar 2026 5:29 pm

મધ્ય ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત:કેટરિંગ એસોસિએશને પુરવઠા અધિકારીને રજૂઆત કરી

મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ સમસ્યાને પગલે, સ્થાનિક કેટરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેસ પુરવઠો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે. કેટરિંગ એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળવાને કારણે કેટરિંગનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થવાની આરે છે. હાલમાં લગ્નગાળો અને અન્ય શુભ પ્રસંગોની સીઝન ચાલી રહી હોવાથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળેલા છે. જોકે, ગેસના અભાવે આ ઓર્ડર પૂરા કરવા અશક્ય બન્યા છે. આ અછતની સીધી અસર માત્ર વ્યવસાયના માલિકો પર જ નહીં, પરંતુ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકોની રોજગારી પર પણ પડી છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સ્થાનિક પ્રસંગોના ઓર્ડર રદ થવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટરિંગ એસોસિએશને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:25 pm

જામનગરમાં 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ:મિલકતની તબદીલી માટે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત

જામનગર શહેરમાં 29 જેટલા વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો 22 માર્ચ, 2031 સુધી અમલમાં રહેશે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક યાદીમાં જણાવ્યું હતું. અશાંતધારાના અમલને કારણે આ નિયત કરાયેલા વિસ્તારોમાં મિલકતની તબદીલી (વેચાણ, ભાડું વગેરે) માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જામનગર શહેરના પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આ જોગવાઈ ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેના અધિનિયમ, 1991ની કલમ-4, 5 અને 5-(એ) હેઠળ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં સીટી સર્વે-1માં રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સીટી સર્વે-2માં સમાવિષ્ટ પંચવટી વિસ્તાર પણ આ કાયદા હેઠળ આવશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:24 pm

વડસ્મામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:મહેસાણા સેશન્સ કોર્ટનો ચુકાદો, પારિવારિક ઝઘડામાં દાતરડા અને ધોકા મારીને પતાવી દીધી'તી

મહેસાણા જિલ્લાના વડસ્મા ગામે થોડા સમય પૂર્વે બનેલી હૃદયદ્રાવક હત્યાની ઘટનામાં મહેસાણા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પારિવારિક ઝઘડામાં પોતાની જ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ પતિ રમેશભાઈને કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે. દાતરડા અને ધોકા મારીને પત્નીને પતાવી દીધી'તીવડસ્મા ગામે આરોપી રમેશભાઈએ સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પત્ની મીનાબેન પર દાતરડા અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે મીનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ બાદ કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. 35 દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાક્ષીઓની તપાસ સુનાવણી દરમિયાન મહેસાણા સેશન્સ કોર્ટના જજ એ.એલ. વ્યાસ સમક્ષ સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રબળ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે સરકારી વકીલે આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. સમગ્ર ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ 35 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 14 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આજીવન કેદની સજા ને દંડ ફટકાર્યોકોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું હતું કે પત્નીની હત્યાનો ગુનો અત્યંત ગંભીર છે. પરિણામે આરોપી પતિ રમેશભાઈને આજીવન કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી સમાજમાં દાખલો બેસે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તેવો મહત્વનો નિર્ણય ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:24 pm

IG નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા:SP કચેરીએ ગુનાઓની સમીક્ષા, શાંતિ સમિતિને કડક સૂચના

રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી ગુનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. એસ.પી. રવિ મોહન સૈની, એ.એસ.પી. પ્રતિભા અને ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આઈ.જી. નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ, તેમણે વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ભાઈચારો જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સ્થાન ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. આઈ.જી. નિર્લિપ્ત રાયના આગમનથી શહેરના અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા શહેરના અનેક શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વોને એસ.પી. કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:21 pm

દ્વારકામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા DySPની અપીલ

તાજેતરમાં વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઇંધણ અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. આના પગલે દ્વારકા જિલ્લામાં નાગરિકો ગભરાટમાં આવી બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ પરિસ્થિતિને જોતા નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસતાએ જનતાને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક માનસતાએ સ્પષ્ટતા કરી છે કે દ્વારકા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઇંધણ પુરવઠાની વ્યવસ્થા નિયમિત રીતે ચાલી રહી છે અને હાલ કોઈ પ્રકારની અછત કે પુરવઠામાં ખલેલ નથી. તેમણે નાગરિકોને ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અને દૈનિક ઉપયોગ મુજબ જ ઇંધણ ભરાવવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી કે અફવાઓ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનતામાં ગેરસમજ ફેલાઈ શકે છે. આવા સંદેશાઓને તપાસ્યા વગર આગળ મોકલવા કે તેના પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા તેમણે અનુરોધ કર્યો છે. નાયબ પોલીસ અધિક્ષકે નાગરિકોને ખાતરી આપી છે કે પ્રશાસન અને સંબંધિત વિભાગો દ્વારા ઇંધણ પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક છે. અંતે, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસતાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર શાંતિ જાળવે, અનાવશ્યક ભીડ ન કરે અને જવાબદાર નાગરિક તરીકે સહકાર આપે, જેથી દ્વારકા જિલ્લામાં વ્યવસ્થા અને સુચારુ પુરવઠો યથાવત્ રહી શકે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:19 pm

કપરાડામાં ટ્રક સળગાવવાનું નાટક ખુલ્લું પડ્યું:પ્લાસ્ટિકના દાણા વેચી પુરાવા નાશ કરવા આગ ચાંપી, બેની ધરપકડ

વલસાડ જિલ્લાના કપરાડામાં થોડા દિવસ અગાઉ ટ્રક સળગવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દઈ પુરાવા નાશ કરવા માટે ટ્રકને જાણી જોઈને આગ ચાંપવામાં આવી હતી. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની વાતોમાં શંકા જણાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું હતું. કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી ટ્રકમાંથી આરોપીઓએ 900 જેટલી બેગ રસ્તામાં જ બારોબાર વેચી મારી હતી. બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈ સળગાવી દેવામાં આવી હતી. આરોપીઓનો ઇરાદો કંપની અને પોલીસને એવું દર્શાવવાનો હતો કે તમામ માલ આગમાં નાશ પામ્યો છે, જેથી તેમના કૌભાંડનો પર્દાફાશ ન થાય. કપરાડા પોલીસે આ મામલે સઘન તપાસ કરી મનીષ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી કમલેશ સરસિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:17 pm

ચીખલીના મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડ્યા:અડધા કલાક સુધી ટ્રાફિક જામ, સ્થાનિકોએ પાણી છાંટી છૂટા પાડ્યા

નવસારી જિલ્લાના ચીખલીમાં મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે હિંસક લડાઈ થઈ હતી. જૂની ટેલિફોન એક્સચેન્જ પાસે અડધા કલાક સુધી ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામ થયો હતો અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં તેમની વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું હતું. લડાઈ એટલી ઉગ્ર હતી કે માર્ગ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. બંને આખલાઓના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. જાહેર માર્ગ પર આખલાઓ બાખડતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આસપાસના દુકાનદારો અને રાહદારીઓ પણ પોતાની સુરક્ષા માટે સલામત સ્થળે ખસી ગયા હતા. સ્થાનિક લોકોએ હિંમત દાખવી આખલાઓ પર પાણીનો મારો ચલાવી તેમને છૂટા પાડ્યા હતા. આખલાઓ દૂર થતા જ અટવાયેલો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:14 pm

હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:12 અરજદારોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા; માર્ગદર્શન પૂરું પડાયું

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કુલ 12 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ લોકો માટે એક આધારસ્તંભ બની ગયો છે. રજૂ કરાયેલા પ્રશ્નોમાં મુખ્યત્વે જમીનમાં દબાણ, ગામતળમાં પ્લોટની ફાળવણી, જમીનના 7/12 ઉતારામાં નામ સુધારા, જમીન માપણી, જમીન સર્વે નંબરમાં સુધારા, ગામમાં ગંદકી અને વીજ કનેક્શન સંબંધિત બાબતોનો સમાવેશ થતો હતો. કલેક્ટરે અરજદારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, તાલુકા વિકાસ અધિકારીઓ, અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:09 pm

વલ્લભ વિદ્યાનગરમાં ફાઇન આર્ટ્સ કોલેજોનો વાર્ષિક દિવસ:સી.વી.એમ. અને ઇપ્કોવાલા સંતરામ કોલેજે સંયુક્ત ઉજવણી કરી

વલ્લભ વિદ્યાનગર ખાતે સી.વી.એમ. કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ અને ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ દ્વારા સંયુક્ત વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.વી.એમ. કોલેજનો 14મો અને ઇપ્કોવાલા સંતરામ કોલેજનો 62મો વાર્ષિક દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે થયો હતો. ભીખુભાઈ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કલાકાર અને ડિઝાઇનર કુમાર ચૌહાણ અને વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. એસ. જી. પટેલ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કલા માત્ર અભ્યાસનો વિષય નથી, પરંતુ તે જીવનમાં સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કલા ક્ષેત્રમાં નવીનતા અને ઉત્તમતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો અને ડિઝાઇન પ્રોજેક્ટ્સનું કલા પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ ખૂબ સરાહના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના નિયામક કનુ પટેલ, આચાર્ય કિશોર નખરડીવાળા, કાર્યક્રમના સંયોજકો નિતેશ પટેલ, ડો. દીપક ભટ્ટ, રંજન ભોઈ, કાર્યક્રમ સંચાલિકા શાલિની સિંહ, પ્રદર્શન સંયોજિકા રિયલ કનેરિયા અને ઇતિ મહેતાએ આયોજનમાં યોગદાન આપ્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકારો મણિલાલ એચ. પટેલ, અશોકપુરી ગોસ્વામી અને પરેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના શિક્ષક મંડળ અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું. મોટી સંખ્યામાં મહેમાનો, વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણી દ્વારા સંસ્થાએ કલા ક્ષેત્રમાં પોતાની ઓળખ અને સર્જનાત્મક પરંપરાને ફરી એકવાર પ્રદર્શિત કરી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:08 pm

GJPIASR માં મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહ યોજાયો:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને CVM યુનિવર્સિટી દ્વારા દ્વિ-દિવસીય આયોજન

ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત જી. જે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ (GJPIASR) નાં સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત વિભાગ દ્વારા 20-21 માર્ચ, 2026 ના રોજ દ્વિ-દિવસીય અખિલ ભારતીય મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને CVM યુનિવર્સિટી, વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સમારોહમાં આયુષ મંત્રાલયનાં NCISM ના અધ્યક્ષ ડૉ. મનીષાબેન, MARBISM બોર્ડનાં પ્રમુખ ડૉ. મુકુલ પટેલ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનાં અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અને CVM યુનિવર્સિટીના પ્રમુખ એન્જિનિયર ભીખુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. દ્વિ-દિવસીય કાર્યક્રમમાં મહર્ષિ ચરક નિર્મિત ચરક સંહિતા પર પ્રો.ડૉ. એસ.કે.ખાંડેલ, પ્રો.ડૉ. શ્રીવત્સ, પ્રો.ડૉ. મહેશ વ્યાસ, પ્રો.ડૉ. એસ.એન.ગુપ્તા, પ્રો. વૈદ્ય તપનકુમાર, પ્રો.ડૉ. હિતેશ વ્યાસ અને પ્રો.ડૉ. અભિજીત સરાફ સહિતના પ્રસિદ્ધ વૈદ્યો દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં 250 જેટલા લોકોએ પેપર, પોસ્ટર અને શોર્ટ-ફિલ્મમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આયુર્વેદનાં સારભૂત અને નિત્ય જીવનલક્ષી બાબતો રજૂ કરતી 'સ્વાસ્થ્યમંજરી' નામની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુર્વેદના વિભિન્ન વિભાગો દ્વારા પ્રદર્શની અને મફત નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં સમાપન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. નિરંજન પટેલ અને CVM યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. ઇન્દ્રજીત પટેલના વરદહસ્તે વિજેતા પ્રતિભાગીઓને સર્ટિફિકેટ, સ્મૃતિચિહ્ન તેમજ રોકડ ઇનામ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ CVM યુનિવર્સિટીના મેડિકલ આયુષ ડાયરેક્ટર પ્રો.ડૉ. આર.ડી.પટેલ, એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંચાલક કીર્તિબેન પટેલ અને જી.જે.પી.આઈ.એ.એસ.આર.ના આચાર્ય પ્રો.ડૉ. સરિતા ભુતડાના માર્ગદર્શન હેઠળ, તેમજ સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષ પ્રો.ડૉ. રિતેશ ગુજરાથી દ્વારા સુચારુરૂપે સંચાલિત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:07 pm

બોટાદમાં AAP એ સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારો જાહેર કર્યા:ઉમેદવારોએ દેવદર્શન કરી કાર્યકરો સાથે સંવાદ કર્યો

બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. AAP દ્વારા બોટાદ જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ભીમદાડ બેઠક પર પરસોતમભાઈ રાઠોડ, કાનીયાડ બેઠક પર મંજુબેન ભુપતભાઈ જમોડ, નિગાળા બેઠક પર મમતાબેન બાવળીયા અને વાવડી બેઠક પર પૂરણબેન ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ, AAP ના જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટીયા અને ભુપતભાઈ ડાભી સહિતના ઉમેદવારોએ હડદડ ગામે કુલદેવી ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પછી, તરઘરા ગામે સિકોતર ધામ ખાતે સિકોતર માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાનીયાડ ખાતે ઝાંપડાદાદાના દર્શન કરવામાં આવ્યા હતા. અહીં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકતા અને જીતના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:06 pm

બોટાદનું કૃષ્ણસાગર તળાવ ₹10 કરોડના ખર્ચે વિકસાવાશે:ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ બજેટમાં જોગવાઈ

બોટાદના કૃષ્ણસાગર તળાવને ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના બજેટમાં ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિધાનસભામાં રજૂઆત બાદ નાણા મંત્રીએ આ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટથી બોટાદની જનતાને આધુનિક સુવિધાઓ સાથેનું મનોરંજન સ્થળ મળશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં વિનિયોગ વિધાયક નિયમ 238 અન્વયે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બોટાદ શહેરની મધ્યમાં આવેલું કૃષ્ણસાગર તળાવ મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. બોટાદની અંદાજે 4 થી 5 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને આ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અમદાવાદના કાંકરિયા તળાવ અને અન્ય મહાનગરોના તળાવોની જેમ કૃષ્ણસાગર તળાવને વિકસાવવાનું સૂચન કર્યું હતું. તેમણે ફૂડ ઝોન, ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સ્પોર્ટ્સ સુવિધાઓ, વોક વે અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ ઉમેરવાની ભલામણ કરી હતી, જેથી બોટાદના લોકોને આધુનિક મનોરંજનનો લાભ મળી શકે. આ રજૂઆત બાદ નાણા મંત્રીએ વિધાનસભા ગૃહમાં 2026ના બજેટમાં બોટાદના કૃષ્ણસાગર તળાવને ₹10 કરોડના ખર્ચે વિકસાવવાની જોગવાઈની જાહેરાત કરી હતી. હાલ આ કામગીરી ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) સ્તરે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ બોટાદનું કૃષ્ણસાગર તળાવ ફૂડ ઝોન, ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સ્પોર્ટ્સ સુવિધાઓ, વોક વે અને ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ સાથે લોકો માટે ફરવાલાયક સ્થળ બની રહેશે. આ સમગ્ર માહિતી ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:03 pm

વડોદરાને સ્વચ્છ,સુંદર અને ટ્રાફિકમુક્ત કરવા 'વન ડે વન રોડ' અભિયાન:મ્યુ. કોર્પોરેશનનો કાફલો ગંદકીના ઢગને દૂર કરવા રસ્તે ઊતર્યો, કચરાના ઢગલાઓ જોઈને કમિશનર થયા હતા નારાજ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ બનાવવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . શહેરીજનોમાં પણ સ્વચ્છતા આદત બની જાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાએ વન ડે વન રોડ અભિયાન શરુ કર્યું છે. અભિયાન અંતર્ગત ઉમા ચાર રસ્તાથી પાણીગેટનો મુખ્ય માર્ગ લેવાયોવડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિકમુક્ત બનાવવાના હેતુ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કવાયતના ભાગરૂપે, મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ પૂર્વ ઝોનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડ નંબર-15માં સમાવિષ્ટ ઉમા ચાર રસ્તાથી પાણીગેટ સુધીના મુખ્ય માર્ગ પર ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત વ્યાપક કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ પર થતા ગેરકાયદેસર દબાણોને દૂર કરી વાહનવ્યવહારને અડચણ ઉભી ન થાય તેમજ શહેરની આંતરિક સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત થાય તે ઉદ્દેશ્યથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમિશનર અરુણ મહેશ બાબુએ પોતે સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પૂરજોશમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવીઆ ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફ-સફાઈ, રોડ ડિવાઈડરો પર જામેલી ધૂળ અને કચરાનો નિકાલ તેમજ ફૂટપાથ પરના નડતરરૂપ દબાણોને JCB મશીનોની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો કાફલો હાજર રહ્યો હતો. માર્ગ પર ઉગી નીકળેલા બિનજરૂરી ઘાસ અને કચરાના ઢગલાઓ જોઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને સત્વરે સફાઈ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ડિવાઈડરની સફાઈમાં જોવા મળેલી બેદરકારી અંગે પણ કમિશનરે કડક નોંધ લીધી હતી અને જવાબદારોને તાકીદ કરી હતી. નાગરિકોને સારી સુવિધા મળે તે પાલિકા માટે પ્રાથમિકતામ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવી એ પાલિકાની પ્રાથમિકતા છે. તેઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવશે. જો એકવાર દબાણ હટાવ્યા બાદ ફરીથી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે, તો પાલિકા તંત્ર ફરીથી ત્રાટકશે અને કડક દંડનીય કાર્યવાહી કરશે. કમિશનરે નાગરિકોને પણ અપીલ કરી હતી કે તેઓ શહેરની સ્વચ્છતામાં સહભાગી બને અને જાહેર માર્ગો પર દબાણ ન કરે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 5:02 pm

ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર:ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 29મીએ ગુજકેટની પરીક્ષા, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાશે. આગામી 29 તારીખે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-2026 લેવામાં આવશે. જે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વિશ્વાસપૂર્વક અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા વર્ગ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી, આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી 29 તારીખે ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ગુજકેટ-2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી છે. જે માટે 668 પરીક્ષા સ્થળો પર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા માટે CCTVની ચાંપતી નજર રહેશેજેથી, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવેલો છે. પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા CCTV કેમેરા હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને આરોગ્ય ટીમ પણ તમામ પરીક્ષા કેન્દ્ર પર રાખવાની અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. ઝોનલ કચેરીઓ પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશેપરીક્ષાસ્થળો પર સતત સીધી દેખરેખ રાખવા માટે ઝોન કચેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝોનની કચેરીએથી OMR/ પ્રશ્નપત્રો પરીક્ષાસ્થળ સુધી પહોંચાડવા માટે બોર્ડ દ્વારા વાહનની પૂરતી વ્યવસ્થા પણ કરાઈ છે. પ્રશ્નપત્રો તેમજ OMR ઉત્તરપત્રિકા ખાનગી રેકોર્ડ ગણાશે. ઝોનલ કચેરીઓ જિલ્લાના અને રાજ્યના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. ઝોનલ કચેરીએથી પરીક્ષાને લગતું ખાનગી સાહિત્ય દરેક પરીક્ષાસ્થળ પર સરકારી પ્રતિનિધિ મારફતે મોકલવામાં આવશે અને બોર્ડની સૂચના મુજબ પરત મેળવશે. ઝોનલ કચેરી પરીક્ષાસ્થળોથી મધ્યમાં રાખવાની રહેશે. પરીક્ષા કામગીરીના જાણકાર હોય એવા ક્લાસ-2ના અધિકારીની ઝોનલ અધિકારી તરીકે નિમણૂક કરવાની પણ સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે. આગામી 28 તારીખથી રાજ્યકક્ષાનો સ્ટેટ કંટ્રોલરૂમ કાર્યરત થશે. તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ સીધો સંપર્ક કરી અને સંકલન કરી શકશે તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પણ જિલ્લા કંટ્રોલરૂમ 27 તારીખથી શરૂ થશે. 27થી 29 તારીખ સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. કંટ્રોલરૂમ સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જ્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓને અને શાળાઓને માર્ગદર્શન આપવામાં આવશે. જે માટે ઝોનના ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનો ડર દૂર કરવા માટે કાઉન્સિલિંગ કેન્દ્ર પણ ચાલુ રહેશે. અમદાવાદ શહેરના 59 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને પેરામેડિકલના પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક્શન પ્લાનના આધારે જિલ્લા સ્તરે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અમદાવાદ શહેરના 59 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. જે માટે કેન્દ્ર સંચાલકોની મીટીંગ યોજીને તેમણે તાલીમ પણ આપવામાં આવી છે. ગરમી હોવાથી તમામ પરીક્ષા કેન્દ્ર પર પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને આરોગ્ય ટીમ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:57 pm

GATE 2026માં પારૂલ યુનિવર્સિટીનો દબદબો, 69 સફળ:વડોદરાના 9 તેજસ્વી સિતારાઓએ ઓલ ઈન્ડિયા ટોપ 1000 રેન્કમાં મેળવ્યું સ્થાન

વડોદરાની ખ્યાતનામ પારૂલ યુનિવર્સિટીએ GATE 2026ની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં યુનિવર્સિટીના કુલ 69 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે, જે સંસ્થાના ક્વોલિટી એજ્યુકેશન અને સચોટ માર્ગદર્શનની સાક્ષી પૂરે છે. ટોપ 1000માં 9 વિદ્યાર્થીઓનો સમાવેશઆ વર્ષે ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 1000માં સ્થાન મેળવીને 9 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં આદિત્ય પુમ્ભાડિયા (AIR 224), ધ્રુવ વ્રજલાલ અંબાલિયા (AIR 279), જય પંચાલ (AIR 715), દિશા કાર્વા (AIR 715), જય ઠાકર (AIR 745), નકુલ બિયાની (AIR 785) અને વૈભવ વસાણી (AIR 949) એ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં આદર્શ મિશ્રાએ AIR 383 અને કમ્પ્યુટર સાયન્સમાં જય લક્કડે AIR 861 રેન્ક હાંસલ કર્યો છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલનું યોગદાનવિદ્યાર્થીઓની આ સફળતા પાછળ યુનિવર્સિટીના સ્પેશિયલ 'કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલ'નો મોટો ફાળો રહ્યો છે. અહીં વિદ્યાર્થીઓને 1 અને 2 વર્ષના સ્પેશિયલ કોચિંગ પ્રોગ્રામ્સ તેમજ નિયમિત કરિયર કાઉન્સિલિંગ આપવામાં આવે છે. ખાસ કરીને GATE 2026 માટે આયોજિત વિનામૂલ્યે ક્રેશ કોર્સે અંતિમ સમયની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ કરી હતી. પ્રેસિડેન્ટનો સંદેશઆ સફળતા બદલ ખુશી વ્યક્ત કરતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ પરિણામ વિદ્યાર્થીઓના સમર્પણ અને સુઆયોજિત મહેનતનું ફળ છે. અમારું લક્ષ્ય હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંસાધનો અને માર્ગદર્શન પૂરું પાડી તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવાનું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:50 pm

વેજલપુર ઝાયડસ સ્કૂલમાં 'ZyShow'ની ધૂમ:માટીકામથી લઈ રોબોટિક્સ સુધીની સર્જનાત્મક કૃતિઓએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદના વેજલપુર સ્થિત ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ ખાતે તાજેતરમાં 24 અને 25 માર્ચના રોજ વાર્ષિક પ્રદર્શન 'ZyShow'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે કેળવેલા વિવિધ જીવન કૌશલ્યો અને તેમની આંતરિક સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. શાળાના આ પ્રદર્શને સાબિત કરી દીધું કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકાસ એ આજના સમયની માંગ છે. હસ્તકલા અને આંતરિક સુશોભનમાં વિદ્યાર્થીઓની નિપુણતાપ્રદર્શનમાં મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ નીડલવર્ક અને ક્રોશેટ-મેક્રેમ ક્લબની કૃતિઓ રહી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથે બનાવેલા મોજાં, ભરતકામ કરેલા ઓશીકા, ગાદીના કવર, અને પેચવર્ક વોલ હેંગિંગ્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, ક્રોશેટ વર્ક દ્વારા તૈયાર કરાયેલી કાનની બુટ્ટીઓ, હેર ક્લિપ્સ અને ટેબલ મેટ્સ જોઈને મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આંતરિક સુશોભન વિભાગમાં પોટ આર્ટ અને થ્રેડવર્ક દ્વારા વિદ્યાર્થીઓએ તેમની કલાત્મક દ્રષ્ટિનો પરિચય આપ્યો હતો. લાકડાની બનાવટો અને માટીકામનું અદભૂત પ્રદર્શનશાળાના વિદ્યાર્થીઓએ કાર્પેન્ટ્રી કૌશલ્યનો ઉપયોગ કરીને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ચીજવસ્તુઓ જેવી કે શૂ-રેક, રાઈટિંગ ટેબલ, ફ્રૂટ બાસ્કેટ અને પક્ષીઓ માટેના સુંદર ઘર તૈયાર કર્યા હતા. માટીકામ વિભાગમાં સિરામિક ગ્લેઝિંગ અને માટીના પરંપરાગત વાસણોએ જૂની કળાને જીવંત કરી હતી. આ પ્રદર્શનો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ શ્રમનું મૂલ્ય અને રચનાત્મકતા બંને શીખી રહ્યા છે. પર્યાવરણ જાળવણી અને વિજ્ઞાન પ્રત્યે અભિગમબાગકામ વિભાગમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઔષધીય છોડ અને મોસમી ફૂલોનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને, શાળાના ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અને ખાતરના ખાડા વિશેની માહિતીએ પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. સાયન્સ ક્લબમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ અને નોન-વર્કિંગ મોડેલ્સ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનો પરચો આપ્યો હતો. મનોરંજન અને સ્વાદનો સંગમકાર્યક્રમમાં માત્ર પ્રદર્શનો જ નહીં, પરંતુ જીવંત રજૂઆતો પણ કરવામાં આવી હતી. વક્તૃત્વ, નૃત્ય, નાટક અને સંગીત ક્લબના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પોતાની પ્રતિભા દર્શાવી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. બીજી તરફ, 'નોન-ફાયર કુકિંગ' ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત આઈટી, ક્વિઝ અને લીડરશીપ ક્લબ દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજનમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આ નવતર પ્રયોગની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:40 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IT-ITeS યોજનાઓ પર માર્ગદર્શન:વિદ્યાર્થીઓ અને સ્ટાફને સરકારી સહાયની માહિતી અપાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ગુજરાત સરકારની IT (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) અને ITeS (IT ઇનેબલ્ડ સર્વિસીસ) ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર પ્રાર્થનાથી થઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરીયા, IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્મા અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને નોડલ ઓફિસર કનકબાલા જાનીએ ગુજરાત સરકારની IT નીતિ અને તેના અંતર્ગત મળતી વિવિધ સહાયો અને યોજનાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની તકો અને સરકારી પ્રોત્સાહન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. IQAC ડાયરેક્ટર ડો. સંગીતાબેન શર્માએ શિક્ષણ અને ગુણવત્તાના વિકાસમાં ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. કે. સી. પોરીયાએ પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે નવી ટેકનોલોજી અપનાવવી અનિવાર્ય છે અને વિદ્યાર્થીઓએ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જયેશકુમાર મોદી દ્વારા વીડિયો પ્રસારણના માધ્યમથી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી કનકબાલા જાની દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:38 pm

સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને 5 મહિના સુધી પીંખી:સગીરાની એકલતાનો લાભ લઈ બળજબરી દુષ્કર્મ ગુજારતો, આપવીતી જાણી માતાના પગ નીચેથી જમીન સરકી; આરોપીની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક સાવકા પિતાએ પોતાની જ 13 વર્ષની સગીર દીકરી પર પાંચ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ ગંભીર મામલે કતારગામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ મહિના સગીર દીકરીને હવસનો શિકાર બનાવીસુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે સંબંધોને કલંકિત કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના કતારગામ વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે. આશ્રય આપનાર પિતા જ જ્યારે ભક્ષક બને ત્યારે સમાજ માટે તે ચિંતાનો વિષય બની જાય છે. કતારગામમાં એક સાવકા પિતાએ છેલ્લા પાંચ મહિનાથી પોતાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવી હતી. લગ્નની લાલચ આપી મહિલાને દીકરી સાથે અપનાવીમળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી એક મહિલાના 2010માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2012માં રેલવે સ્ટેશન પર સફાઈ કામ કરતી વખતે આ મહિલાનો સંપર્ક લારી ચલાવતા એક યુવક સાથે થયો હતો. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને યુવકે લગ્નની લાલચ આપી મહિલાને તેની દીકરી સાથે અપનાવી હતી. ત્યારથી તેઓ પરિવાર તરીકે સાથે રહેતા હતા. સગીર દીકરી પર પાંચ મહિના સુધી આચર્યું દુષ્કર્મછેલ્લા પાંચ મહિના દરમિયાન, જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે આરોપી સાવકા પિતાએ 13 વર્ષની સગીરાની એકલતાનો લાભ લીધો હતો. તેણે સગીરા પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ આરોપીએ માસૂમ દીકરીને ધમકી આપી હતી કે જો તે આ વાતની જાણ કોઈને કરશે, તો તેને જાનથી મારી નાખવામાં આવશે. અંતે કંટાળી સગીરાએ માતાને હકીકત જણાવીપિતાની ધમકીથી ફફડી ગયેલી સગીરા શરૂઆતમાં કંઈ બોલી શકી ન હતી, પરંતુ સતત થતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે તેણે હિંમત ભેગી કરી ગતરોજ પોતાની માતાને આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા તુરંત જ દીકરીને લઈને કતારગામ પોલીસ મથકે પહોંચી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યોકતારગામ પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તુરંત જ ગુનો દાખલ કર્યો હતો. સાવકા પિતા સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સગીરાઓની સુરક્ષા માટે પરિવારે પણ જાગૃત રહેવું કેટલું અનિવાર્ય છે. આ સમાચાર પણ વાંચો નવસારીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવીનવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે. પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડોઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે સગીરાને પાંચ માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:37 pm

તુરખેડામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત:જાહેરાત છતાં રસ્તા ન બનતા ગ્રામજનોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં પાકા રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. અગાઉ રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તંત્ર દ્વારા ગામમાં રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે અને રસ્તા બન્યા નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા નદી કિનારે આવેલું તુરખેડા ગામ 2000થી વધુ વસ્તી ધરાવે છે. ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યાં મોટા પથ્થરો હોવાથી વાહનોના ટાયર ફાટી જવાનો ભય રહે છે. ગામમાં પહોંચ્યા પછી પણ આંતરિક રસ્તાઓના અભાવે વાહનોને ગામની બહાર પાર્ક કરીને પગપાળા જવું પડે છે. રસ્તાઓના અભાવને કારણે આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ગામ સુધી પહોંચી શકી નથી. ગ્રામજનોના મતે, તંત્રના બે વિભાગના સંકલનના અભાવે ગામ રસ્તાથી વંચિત રહ્યું છે. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનો રસ્તા માટે લડી લેવાના મૂડમાં છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:34 pm

MGVCL એ 24,280 ગ્રાહકો પાસેથી 3.51 કરોડ વસૂલ્યા:બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડ્રાઈવ યોજાઈ

મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત કુલ 24,280 ગ્રાહકો પાસેથી રૂ. 3 કરોડ 51 લાખ 33 હજારની રકમ વસૂલવામાં આવી છે. ગોધરા વર્તુળ કચેરી હેઠળ MGVCL દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ 1008 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેમણે વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ પર વસૂલાત કરી હતી. આ ઝુંબેશ માત્ર ગોધરા પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારો જેવા કે ગોધરા, હાલોલ, લુણાવાડા અને દાહોદમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવી હતી. આ ચાર મુખ્ય કેન્દ્રોમાં કુલ 44,614 ગ્રાહકો પાસેથી રૂ. 5 કરોડ 99 લાખ 88 હજારની બાકી રકમ વસૂલવાનું આયોજન કરાયું હતું. વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. MGVCL એ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરી દેવા માટે અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:32 pm

સરકાર હજ યાત્રીઓને સુરક્ષા માટે સ્માર્ટ વોચ આપશે:પાટણમાં 300થી વધુ યાત્રીઓનો તાલીમ કેમ્પ, એપ્રિલના અંતમાં મક્કા રવાના

પાટણ જિલ્લાના 300થી વધુ હજયાત્રીઓ માટે મદરેસા કંઝે મરગુબ ખાતે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર વર્ષ 2026ની હજ યાત્રા માટે હતી. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે સરકાર દ્વારા હજયાત્રીઓને સ્માર્ટ વોચ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં યાત્રીઓને હજ દરમિયાન રાખવાની તકેદારી અને લોજિસ્ટિક્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હનીફ પટેલ અને આરિફ સાહેબ દ્વારા યાત્રીઓને પ્રવાસના વ્યવસ્થાપન અને પવિત્ર યાત્રાની વિધિઓ અંગે વિસ્તૃત તાલીમ અપાઈ હતી. આ સ્માર્ટ વોચ યાત્રા દરમિયાન ભીડમાં કોઈ યાત્રી ગુમ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવશે. ટેકનોલોજીની મદદથી હજયાત્રીઓના લોકેશન અને સુરક્ષા પર દેખરેખ રાખી શકાશે. હજયાત્રીઓ એપ્રિલ મહિનાના અંતમાં મક્કાની યાત્રાએ રવાના થશે. હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત હજયાત્રીઓની સેવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:27 pm

પાટણ-સિદ્ધપુરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન:બાહુબલી હનુમાનજી, અયોધ્યા રામલલ્લાની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર

પાટણ અને સિદ્ધપુર શહેરમાં આવતીકાલે રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત 39મી શોભાયાત્રા બપોરે 3 વાગ્યે છીંડિયા રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. આ યાત્રામાં અનેક આકર્ષણો જોવા મળશે. આ વર્ષે પાટણની શોભાયાત્રામાં કેટલાક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. શોભાયાત્રાનો પ્રારંભ ભગવાન રામની મહાઆરતીથી થશે. પાટણમાં પ્રથમવાર શ્રદ્ધાળુઓ બાહુબલી હનુમાનજીના દર્શન કરી શકશે. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ અને ચાંદીની બનેલી રામલલ્લાની ચરણપાદુકા પણ નગરભ્રમણમાં સામેલ કરાશે. આ ઉપરાંત, અયોધ્યામાં ભગવાન રામે ધારણ કરેલા વસ્ત્રો પણ ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે.સાંસ્કૃતિક અને મનોરંજનના ભાગરૂપે, શોભાયાત્રામાં રાજ કમલ બેન્ડ દ્વારા રામભજનોની પ્રસ્તુતિ કરાશે, જ્યારે પંજાબથી ખાસ પંજાબી બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યું છે. શક્તિ પ્રદર્શન માટે દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના દાવપેચ બતાવશે અને બજરંગદળના યુવકો વિવિધ સાહસિક કરતબો રજૂ કરશે. આ યાત્રામાં કુલ 15 જેટલી વિવિધ ઝાંખીઓ સામેલ થશે.શોભાયાત્રાના માર્ગમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસરમાં પૂર્ણ થશે. સમરસતાના ભાવથી તમામ રામભક્તો માટે રાત્રે 9 વાગ્યે રામજી મંદિર પરિસર ખાતે રામખીચડીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:23 pm

પેટ્રોલની અછતની અફવા 'ઈ-ક્રાંતિ' લાવી:સુરતમાં 5 દિવસમાં 343 ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં, શોરૂમ્સ પર ઇન્કવાયરી બમણી

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. પેટ્રોલ પંપો પર લાગતી વાહનોની લાંબી કતારો અને ઇંધણની અનિશ્ચિતતાથી કંટાળેલા સુરતીઓએ હવે કાયમી વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને મળ્યો છે. અછતની આશંકા વચ્ચે લોકો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, જેને કારણે શહેરના ઓટોમોબાઈલ માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. 5 દિવસમાં 343 વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણઆંકડાકીય માહિતી મુજબ, સુરતમાં છેલ્લા માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 343 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. શોરૂમ સંચાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20થી 25 ગ્રાહકો પૂછપરછ માટે આવતા હતા, જે આંકડો છેલ્લા એક સપ્તાહમાં વધીને 45થી 50 સુધી પહોંચી ગયો છે. આમ, ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટેની ઇન્કવાયરીમાં સીધો 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્શિયલ સેક્ટરમાં લો-સ્પીડ વાહનોનો દબદબોબજારના ટ્રેન્ડ મુજબ, કુલ વેચાણ અને ઇન્કવાયરીમાં 80 ટકા હિસ્સો 'લો-સ્પીડ' વાહનોનો છે. ખાસ કરીને નાના વેપારીઓ, ડિલિવરી બોયઝ અને સ્થાનિક ફેરીયાઓ દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે આ વાહનોની માગ વધુ કરવામાં આવી રહી છે. હાઈ-સ્પીડ વાહનોની સરખામણીએ લો-સ્પીડ વાહનો સસ્તા હોવા ઉપરાંત તેમાં આરટીઓ રજિસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી, જે વ્યવસાયિક ઉપયોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વધતું આકર્ષણબીજી તરફ, શૈક્ષણિક ક્ષેત્રે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા જ વાલીઓ પોતાના સંતાનોને ભેટ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર અપાવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓમાં લો-સ્પીડ બાઇકની ડિમાન્ડમાં મોટો વધારો જોવા મળ્યો છે. પરીક્ષાના ટેન્શન બાદ હવે વેકેશન અને આગામી કોલેજ કાળ માટે સુરક્ષિત અને કરકસરભર્યા વાહન તરીકે EV પહેલી પસંદ બની રહ્યા છે. ખિસ્સાને પરવડે તેવું અને પર્યાવરણને અનુકૂળપેટ્રોલના સતત વધતા ભાવ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 15થી 20 પૈસા જેટલો આવે છે. સુરતમાં ચાર્જિંગ સ્ટેશનોની વધતી સુવિધા અને ઇકો-ફ્રેન્ડલી અભિગમને કારણે લોકો હવે માનસિક રીતે પેટ્રોલ એન્જિન છોડીને બેટરી સંચાલિત વાહનો અપનાવવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં આ ડિમાન્ડ હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઈન્કવાયરી ડબલ થઈ ગઈપ્રશાંતભાઈ રાઠોડ (ઓનર શ્રી જલારામ ઇલેક્ટ્રિક ) એ જણાવ્યું હતું કે, અત્યારે જે તાજેતરની પરિસ્થિતિ ઉદભવી છે, જે ઇઝરાયેલ-ઈરાનનું યુદ્ધ છે, એના લીધે એવું છે કે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં થોડું મોડું થાય છે. એના લીધે પેટ્રોલ પંપ પર જે અફવાઓને કારણે લાઈનો લાગી રહી છે, તેના લીધે અમારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ફીલ્ડમાં ઈન્કવાયરીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. સ્ટુડન્ટ સબસિડીન કારણે પણ ડિમાન્ડમાં વધારોકસ્ટમર પણ અત્યારે (ઇલેક્ટ્રિક વ્હીકલ) લેવા માટે વધારે ઈચ્છુક છે. તદુપરાંત, અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ધો-10-12ની પરીક્ષાઓ હમણાં જ પૂર્ણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000ની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. જેના કારણે માગમાં ખૂબ જ ખાસો વધારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:21 pm

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ:40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચી, 30 મિનિટમાં હિંમતનગર પરત ફર્યો

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકોનો સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક લોકો 40 મિનિટમાં ખેડબ્રહ્મા પહોંચ્યો હતો અને પરત હિંમતનગર 30 મિનિટમાં આવ્યો હતો. આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ દ્વારા કરવામાં આવશે. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની આ ગેજ પરિવર્તન રેલવે લાઇન પર ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા મેમુ ટ્રેન સેવા શરૂ કરવાની પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે. વડાપ્રધાન 31 માર્ચે વાવથી રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ કરવાના છે. બુધવારે સવારે અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો 12.40 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ, અમદાવાદ રેલવેના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO) પ્રદીપ ગુપ્તા અને CPM એસ.આર. પ્રસાદ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇલેક્ટ્રિક લોકો ખેડબ્રહ્મા જવા રવાના થયો હતો. હિંમતનગર રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગ્યે સ્પીડ ટ્રાયલ શરૂ થયો હતો. ઇલેક્ટ્રિક લોકો 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર કાપીને 1.40 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચ્યો હતો. ત્યાં 20 મિનિટના રોકાણ બાદ, બપોરે 2 વાગ્યે ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પરત પ્રયાણ કર્યું હતું. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમીનું અંતર 30 મિનિટમાં કાપીને, ઇલેક્ટ્રિક લોકો બપોરે 2.30 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશને પરત ફર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:12 pm

'વધારે બોલશો તો આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ':કેનેડાના PRની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપીને આણંદની યુવતી સાથે છેતરપિંડી, ગઠિયાએ ટુકડે-ટુકડે 40.85 લાખ પડાવ્યા

આણંદમાં રહેતી યુવતીએ પરિવાર કેનેડાના PR વિઝા માટે વિઝા કન્સલ્ટીમાં ટુકડે-ટુકડે 40.85 લાખ રૂપિયા આપ્યા હતા.યુવતીને PR વિઝાની જગ્યાએ વર્ક પરમિટ વિઝા આપવામાં આવ્યા હતા. યુવતી પાસેથી પૈસા લઈને ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી દેવાની ધમકી આપી હતી જે અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સો.મીડિયા મારફતે PR વિઝા માટે કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતોઆણંદમાં રહેતી નેહા સિંધી નામની 36 વર્ષની યુવતીએ પતિ અને દીકરાના કેનેડા PR વિઝા માટે પરિમલ ગાર્ડન પાસે આવેલી વિઝા એક્સેપ્ટ નામની કન્સલ્ટન્સીના માલિક કવિશ કપૂરનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો હતો. જે બાદ નેહા અમદાવાદ ખાતે મળવા પણ આવી હતી.કેનેડા PR વિઝા માટે 6થી 8 મહિનાનો સમય અને 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવી વાતચીત થઈ હતી. કવિશે નેહા પાસેથી શરૂઆતમાં 4. 50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરોજે બાદ અલગ-અલગ પ્રોસેસના ખર્ચ પેટે લાખો રૂપિયા પડાવ્યા હતા. નેહાએ બેંક અને આંગડિયા મારફતે કુલ 40.85 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.પૈસા જમવા કરાવ્યા તે બાદ નેહાને ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપ્યા હતા. જેથી, નેહાએ કવિશ કપૂરને કહ્યું કે, આપણે PR માટે વાત થઈ હતી ત્યારે કવિશ કપૂરે કહ્યું કે PRની પ્રોસેસ આવી જ હોય છે, ચિંતા ન કરો. વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશનેહાએ લાંબા સમય સુધી રાહ જોઈ પરંતુ કવિશે PRવિઝા અપાવ્યા નહોતા.જ્યારે નેહાએ પૈસા પરત માંગ્યા ત્યારે કવિશે કહ્યું કે વધારે બોલશો તો તમારા પુરા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઈલ બરબાદ કરી નાખીશ.લાખો રૂપિયા લઈને પીઆર વિઝાની જગ્યાએ વર્ક વિઝા આપતા નેહાએ કવિશ કપૂર સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:08 pm

વડોદરામાં પોલીસ અધિકારીઓનું આશ્રમમાં સન્માન:ચેટીચંદ પર્વે શાંતિ જાળવવા બદલ વારસિયામાં ધર્મગુરુ મુકેશ સાઈના હસ્તે બહુમાન કરાયું

વડોદરાની સંસ્કારી નગરીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદના તહેવારની અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ આશ્રમ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રના અભૂતપૂર્વ સહયોગને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓનું સાલ ઓઢાડી સન્માનચેટીચંદના મેળા, મહાભંડારા અને ભવ્ય શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક તેમજ સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખડેપગે રહ્યો હતો. આ સેવા બદલ ધર્મગુરુ મુકેશ સાઈના માર્ગદર્શન હેઠળ DCP ઝોન-4 એન્ડ્રુ મેકવાન, PI વાય.જી. મકવાણા અને PI ટી.એ. દેસાઈનું આશ્રમ પરિવાર દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં ઉજવણી સંપન્નઆ પ્રસંગે આશ્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ જોવા મળી હતી. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પોલીસ અધિકારીઓએ પણ આ સન્માન સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, પોલીસના સક્રિય સહકારને કારણે જ હજારોની મેદની હોવા છતાં સમગ્ર મહોત્સવ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 4:06 pm

ખજોદ ડમ્પિંગ સાઈટઃ 24 કલાક બાદ પણ આગ બેકાબૂ:1 કિમીના કચરાનાં પહાડમાં લાગેલી આગે દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું, સુરત ફાયર વિભાગનાં પ્રયાસો હજી સુધી નિરર્થક

સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલ ડમ્પિંગ સાઈટમાં ગતરોજ લાગેલી આગ પર કાબૂ મેળવવાનાં ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલ બપોરથી આજે સુધી ફાયર વિભાગનાં જવાનોનાં ભારે પ્રયાસો વચ્ચે હજી પણ આગની જવાળાઓ અને ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. સફાઈ કૌભાંડનાં પાપે જવાબદારોને છાવરવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ ફાયર વિભાગ માટે પણ આ વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે લોઢાનાં ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સેંકડો લિટર પાણીનો છંટકાવ કરવા છતાં ડમ્પીંગ સાઈટમાં જાણે દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમ આગ પર કાબુ મેળવવામાં હજી સુધી ફાયર વિભાગને ધરાર નિષ્ફળતા સાંપડી રહી છે. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ ખજોદ ડમ્પીંગ સાઈટ પરથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ખેતરોમાં કચરાનો નાશ કરવાનાં પ્રકરણને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કચરા કૌભાંડના કારણે સુરત મહાનગર પાલિકાની આબરૂનું પણ ધોવાણ થયું હતું અને જે તે સમયે ઈજારદાર સીડી ટ્રાન્સપોર્ટ કંપની વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી રૂપે બદલી પણ કરવામાં આવી હતી. જ કે, આ સમગ્ર પ્રકરણમાં તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી અને હજી સુધી તપાસ સમિતિની ગોકળગાય તપાસ વચ્ચે માત્ર 52 દિવસમાં જ ડમ્પીંગ સાઈટમાં વધુ એક વખત આગ ફાટી નીકળતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા ખાસ કરીને ડમ્પીંગ સાઈટ પર મોટા પ્રમાણમાં એકઠાં થયેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે છાશવારે આગ લગાડવામાં આવી રહી હોવાનાં આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે. ગઈકાલે બપોરનાં સુમારે ડમ્પીંગ સાઈટ પર એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા રીતસરનાં હવાતિયાં મારવામાં આવ્યા હતા. દુર -દુર સુધી આગનાં ગોટેગોટા દેખાતાં શહેરીજનોમાં પણ એક તબક્કે ગભરાટની લાગણી જોવા મળી હતી. જોકે, આખો દિવસ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો બાદ રાત્રે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલબત્ત, વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકેલી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગનાં હરસંભવ પ્રયાસો વામણાં પુરવાર થઈ રહ્યા છે અને હજી પણ ડમ્પીંગ સાઈટ પરથી વિકરાળ આગનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 52 દિવસમાં જ બીજીવાર આગની ઘટનાએ આક્ષેપોનો દૌર શરુ કર્યોબે મહિના પહેલાં ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઈટ પરથી સાયન્ટીફિક રીતે કચરાનો નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટર સીડી ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા તાલુકાનાં કાંકરિયા ગામે અંદાજે 5 હજાર મેટ્રિક ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તત્કાલીન કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા જવાબદાર એજન્સી વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે-સાથે અધિકારીઓનાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા પણ આ ઘટનામાં પાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકોની ભુંડી ભૂમિકા હોવાનાં આક્ષેપો વચ્ચે તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી. જો કે, બે મહિના બાદ પણ મંથરગતિએ ચાલી રહેલી તપાસને પગલે હવે જવાબદારોને બચાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ ઉઠવા પામી છે. માત્ર 52 દિવસમાં જ ખજોદ ડમ્પીંગ સાઈટ ખાતે બીજી વખત ભીષણ આગની ઘટનાને પગલે વધુ એક વખત આક્ષેપોનો દૌર શરૂ થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:57 pm

સીજી રોડ પરની બેકરીની નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈ:BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી, ગાંધીનગરના યુવકની ફૂડ વિભાગમાં ફરિયાદ

શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યાગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા નવરંગપુરા વિસ્તારમાં આવેલા સીજી રોડ પરની BEEKEY BEKARS નામની બેકરીમાંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટ ખરીદ્યા હતા. તમામ ચીજ વસ્તુઓ ઘરે લાવ્યા બાદ તેમાં નાનખટાઈ છૂટક હતી, જેને પેકિંગ કરી બેકરી તરફથી આપવામાં આવી હતી. પેકેટ ખોલતા જ નાનખટાઈમાં જીવાત નીકળીજ્યારે ઘરે લાવી અમે પેકેટ ખોલીને જોયું ત્યારે નાનખટાઈમાં જીવાત નીકળી હતી. કેટલીક જીવિત અને કેટલીક મૃત હાલતમાં જીવાતો નીકળી હતી. જેથી તેનો ફોટો અને વીડિયો લીધો હતો. ખરીદવામાં આવેલી ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળી હતી, જેને પગલે પગલે બીજા દિવસે તેને ફેંકી દીધી હતી. મિત્રએ નાનખટાઈ ખાતા જ ઉલટીઓ થઈવધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાનખટાઈમાંથી જીવાત નીકળી હતી. જે તેમની નાની દીકરીએ જોઈ હતી અને થોડી ખાઈ પણ લીધી હતી. જ્યારે તેમના મિત્રએ પણ આજ નાનખટાઈ ખરીદી હતી. તે ત્રણ નાનખટાઈ ખાઈ ગયો હતો. જેના કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે તેમણે તમામ નાનખટાઈ ફેંકી દીધી હતી. અમે ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની હેલ્પલાઈનમાં જે ઇમેલ આઇડી આવેલું છે તેમાં ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:54 pm

રિક્ષા પાર્કિંગ મામલે હુમલો કરનાર યુવકની ધરપકડ:અમરાઈવાડીમાં ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો હતો, મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી

અમરાઈવાડી વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે એક યુવક સાથે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો તો જે મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. અમરાઈવાડીમાં લુખ્ખા તત્વોએ બેફામ બની અને મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે સ્પષ્ટતા કરી અને રિક્ષા પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો અને અગાઉ પણ આ જ રીતે બનાવ બન્યો હતો. સમગ્ર મારામારીના CCTV અને વીડિયો વાયરલ થયા બાદ ગુનો નોંધી કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. મારામારીનો વીડિયો સો.મીડિયામાં પણ વાયરલ થયો હતોમળતી માહિતી મુજબ અમરાઈવાડી નીતિ નગર પાસે મંઝિલ ચાલીમાં યુવક પર તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સોનવીર બગેલ નામના યુવક પર હુમલો કરાયો હતો સોનવીર રિક્ષામાં બેઠો હતો ત્યારે આશિષ અને તેના અન્ય બે મિત્રોએ લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. સોનવીરને ગંભીક ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. મારામારીના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરીઅમરાઈવાડી પોલીસ સ્ટેશનના પી આઇ આર બી ચાવડાએ જણાવ્યું હતું કે, યુવક પર હુમલો કરવાનો જે વીડિયો વાયરલ થયો હતો. તેમાં સોનવીર નામના વ્યક્તિ પર આશિષ અને તેના બે મિત્રો દ્વારા હુમલો કરાયો હતો. રિક્ષા પાર્કિંગ કરવા બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ આ જ બાબતે બોલાચાલી થઈ હતી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:41 pm

નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ:32,000 મેટ્રિક ટન સ્ટીલના ઉપયોગથી બ્રિજનું નિર્માણ, દિલ્હી-મુંબઈ વચ્ચે 10-12 કલાકનો મુસાફરી સમય ઘટશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નર્મદા નદી પર બનેલો 2.22 કિલોમીટર લાંબો 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' બ્રિજ કાર્યરત થઈ ગયો છે. આ બ્રિજ શરૂ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના મુસાફરી સમયમાં આશરે 10 થી 12 કલાકનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અંગે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ બ્રિજ ભારતનો પ્રથમ 8-લેન 'એક્સ્ટ્રાડોઝ્ડ' રિવર બ્રિજ છે, જે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-મનુબર સેક્શનમાં આવેલો છે. આધુનિક ઇજનેરી કૌશલ્ય અને અદ્યતન ટેક્નોલોજીથી નિર્મિત આ બ્રિજ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નર્મદા નદીના જળપ્રવાહ અને દરિયાઈ ભરતી-ઓટ જેવા પડકારો વચ્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સિસ્મિક ઝોનમાં આવતો હોવા છતાં, ઇજનેરોએ 60 મીટરથી વધુ ઊંડા પાઈલ ફાઉન્ડેશન દ્વારા મજબૂત માળખું ઊભું કર્યું છે. નિર્માણ દરમિયાન બે વખત આવેલા પૂરથી કામચલાઉ માળખાને નુકસાન પહોંચ્યું હોવા છતાં, કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં આશરે 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે વિશ્વપ્રસિદ્ધ 'બ્રુકલિન બ્રિજ' કરતાં અંદાજે 2.5 ગણો વધુ છે. પાયલોન અને પાઈલ્સની ઊંચાઈ આશરે 29 માળની ઇમારત જેટલી છે. જર્મનીથી 700 મેટ્રિક ટનના વિશેષ 'સ્ટે કેબલ્સ' મંગાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 200 કરોડ રૂપિયાની આધુનિક મશીનરી તથા 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાથ ક્રેન્સની મદદથી 1,238 પ્રીકાસ્ટ સેગમેન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિષ્ણાતોના મત અનુસાર, આ બ્રિજ આધુનિક ભારતની ઇજનેરી ક્ષમતા અને સંકલ્પશક્તિનું પ્રતિબિંબ છે. આ બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. દિલ્હી, વડોદરા, સુરત અને મુંબઈ વચ્ચે માલસામાનની ઝડપી હેરફેર થવાથી સમગ્ર કોરિડોરમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ થશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:40 pm

હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા:જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર કાર્યવાહી, બ્લોક લગાવાશે

હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગે જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે આ કાર્યવાહી દરમિયાન 27થી વધુ પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ રોડ પર ઓટલા અને પગથિયાં જેવા 70થી વધુ પાકા દબાણો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા રોડની બંને તરફના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્ણિમાથી જે.પી. મોલ રોડ પર બંને તરફના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દબાણો દૂર થયા બાદ આ વિસ્તારમાં બ્લોક લગાવવાની કામગીરી પણ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:39 pm

સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ 1.95 કરોડની વ્યાજખોરીની ફરિયાદ:સાથી કાર્યકરને જ પાયમાલ કર્યાનો આક્ષેપ, 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણી

સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર અને હાલના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ કોંગ્રેસના જ કાર્યકર્તા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં 1.95 કરોડની વ્યાજખોરી અને બળજબરીપૂર્વક મિલકત લખાવી લેવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. શેરબજારના વેપારી દીપ નાયકે નોંધાવેલી આ ફરિયાદમાં આરોપ છે કે, રાયકાએ લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરી વેપારીને પાયમાલ કરી દીધો છે. ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યુંફરિયાદી દીપ સુરેશભાઈ નાયક પોતે પણ 2023માં સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આરોપી ઋષિન રાયકા પણ શહેર ઉપપ્રમુખ હતા. બંને વચ્ચેના પક્ષીય અને મિત્રતાના સંબંધોનો લાભ ઉઠાવી, જ્યારે વેપારી આર્થિક સંકડામણમાં હતા, ત્યારે ઋષિન રાયકાએ મદદ કરવાને બદલે ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું શરૂ કર્યું હતું. આ મામલો હવે પોલીસ ચોપડે ચઢતા કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો છે. 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણીફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન વેપારીને જમીન પરના રિઝર્વેશનના કારણે નાણાંની જરૂર પડી હતી. ઋષિન રાયકાએ લાયસન્સ વગર ટુકડે-ટુકડે કુલ 1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) 6%ના માસિક વ્યાજે આપ્યા હતા. વેપારીએ આજદિન સુધી વ્યાજ અને મૂડી પેટે કુલ 1,27,00,000 ચૂકવી દીધા હોવા છતાં, રાયકા હજુ પણ 1,95,63,000 બાકી હોવાનું જણાવી ધાક-ધમકી આપી રહ્યા છે. મનપાની ચૂંટણી પહેલા જ રાયકા પરિવારની મુશ્કેલી વધીસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જ આ ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઋષિન રાયકા અગાઉ મનપાની ચૂંટણી લડી ચૂક્યા છે અને રાયકા પરિવાર સુરત કોંગ્રેસમાં મોટું કદ ધરાવે છે. ચૂંટણી ટાણે જ વ્યાજખોરીના ગંભીર આક્ષેપોને કારણે વિરોધ પક્ષોને પણ બેઠું ભાથું મળી ગયું છે, જેની અસર આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રચાર પર પડી શકે છે. જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખની છેતરપિંડીનો આક્ષેપફરિયાદી દીપ નાયકની ડિંડોલી-કરાડવા ખાતેની જમીન સરકારી રિઝર્વેશનમાં હતી. આરોપીએ એવી ઓળખાણ આપી હતી કે તેની સરકારી ખાતામાં ખૂબ જ સારી પહોંચ છે અને તે રિઝર્વેશન દૂર કરાવી દેશે. આ કામ માટે રાયકાએ વેપારી પાસેથી 40 લાખ પડાવી લીધા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે, રિઝર્વેશન તો સરકારી નિયમ મુજબ (GR) હટ્યું હતું, પરંતુ રાયકાએ પોતાની વગ બતાવી ખોટી રીતે આ રકમ પચાવી પાડી હોવાનો FIRમાં ઉલ્લેખ છે. કોરા ચેક મેળવી કોર્ટ કેસોની ધમકી આપી હોવાનો ઘટસ્ફોટનાણાં ધીરતી વખતે સિક્યોરિટીના નામે ઋષિન રાયકાએ દીપ નાયક પાસેથી 6 કોરા ચેક અને તેમની પત્ની તૃપ્તિબેનના નામે 1 કોરો ચેક મેળવી લીધો હતો. આ ચેકોમાં મનઘડત રકમો ભરીને રાયકાએ ચેક રિટર્ન કરાવ્યા હોવાનો આક્ષેપ છે. પત્નીના ચેક પર 15 લાખ અને વેપારીના ચેકો પર 1.80 કરોડની રકમ ભરીને નામદાર કોર્ટમાં કેસો દાખલ કરી માનસિક અને આર્થિક દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બજાર કિંમત કરતા સસ્તામાં ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસફરિયાદમાં એવો પણ ચોંકાવનારો આક્ષેપ છે કે, જાન્યુઆરી-2023માં ઋષિન રાયકાએ દબાણ કરીને સુંદરમ એપાર્ટમેન્ટમાં આવેલા એક ફ્લેટની કબજા રસીદ માત્ર 8 લાખમાં લખાવી લીધી હતી. આ મિલકતની સરકારી જંત્રી મુજબની કિંમત 35 લાખ અને બજાર કિંમત 90 લાખથી પણ વધુ છે. વેપારીને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક આ સોદો કરાવી લેવાયો હોવાનું બહાર આવ્યું છે. વ્યાજખોરીના વિષચક્રમાં વેપારીનો પરિવાર હોમાયોફરિયાદી દીપ નાયક છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. તેમની પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે અને વૃદ્ધ માતા તેમજ 12 વર્ષની પુત્રીના ભરણપોષણની જવાબદારી તેમની પર છે. એક સમયે ગેસ એજન્સી અને ટ્રાન્સપોર્ટનો મોટો ધંધો ધરાવતો પરિવાર ઋષિન રાયકાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હોવાની વ્યથા ફરિયાદમાં ઠાલવવામાં આવી છે. પોલીસ સ્ટેશનોમાં ખોટી અરજીઓ કરી હેરાનગતિનો આક્ષેપઆરોપી ઋષિન રાયકા પોતે રાજકીય વગ ધરાવતા હોવાથી, તેમણે વેપારીને વ્યાજના નાણાં વસૂલવા માટે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરીને હેરાન કર્યા હોવાનો પણ દાવો કરાયો છે. વેપારીને ખોટા કેસોમાં ફસાવી દેવાની અને જેલ ભેગા કરવાની ધમકીઓ આપી સતત ટોર્ચર કરવામાં આવતા હોવાથી અંતે તેમણે ઉમરા પોલીસના શરણે જવાનું નક્કી કર્યું હતું. ઉમરા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યોવેપારીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ઋષિન બાબુભાઈ રાયકા વિરુદ્ધ ગુજરાત નાણાંની ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ (સેક્શન 33) અને બળજબરીપૂર્વક નાણાં કઢાવવા જેવી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને રાયકાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:39 pm

રાજકોટમાં રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષનું આગમન:રામનવમીએ નવનિર્મિત સેવક ભવનનું ઉદ્ઘાટન અને વિવેક હૉલમાં ભક્તોને પાઠવશે પાવન આશીર્વચન

રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે આગામી દિવસો ભક્તિ અને આધ્યાત્મિકતાના પર્વ સમાન બની રહેશે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈને આશ્રમ પરિવાર અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વામીજીનું આગમન અને કાર્યક્રમની રૂપરેખાસ્વામી સુહિતાનંદજી મહારાજ ગુરુવાર, તા. 26 માર્ચના રોજ રાજકોટના આંગણે પધારશે. તેમના રોકાણ દરમિયાન વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજશ્રીના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. રામનવમીના પવિત્ર દિવસે ‘સેવક ભવન’નું લોકાર્પણતા. 27 માર્ચના રોજ જ્યારે સમગ્ર દેશ રામનવમીની ઉજવણી કરતો હશે, ત્યારે રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગ્યે પૂજ્ય સ્વામીજીના હસ્તે આશ્રમ પરિસરમાં જ નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ભવન આશ્રમના કર્મચારીઓના નિવાસ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે મહારાજશ્રીની હાજરીમાં લોકાર્પિત થશે. આશીર્વચન અને વિદાયતા. 28 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે આશ્રમના ‘વિવેક હૉલ’માં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ ઉપસ્થિત જનમેદનીને પોતાના પાવન આશીર્વચન અને માર્ગદર્શન પાઠવશે. આશ્રમ પરિવાર દ્વારા શહેરની જનતાને આ સભાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ અપાયું છે. પોતાની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરી મહારાજ રવિવાર, તા. 29 માર્ચના રોજ સવારે રાજકોટથી પ્રસ્થાન કરશે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:36 pm

NDPSના આરોપીને 3 વર્ષની કેદ:બાપુનગરમાં આરોપી પાસેથી 96 હજારનું MD ડ્રગ્સ મળ્યું

અમદાવાદના DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી 22 વર્ષે આરોપી મોહમ્મદ આઝમ સામે NDPS એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીને 3 વર્ષની કેદ કરી છે. MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતીકેસને વિગતે જોતા આરોપી મોહમ્મદ આઝમ બાપુનગરમાં અજિતમીલ પાસે લાઈટના થાંભલા નીચે ઉભો રહીને MD ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાતમી સ્થળે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખનો દંડ કર્યોઆરોપીની તપાસ કરતા તેને ખિસ્સામાંથી એક પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં 9.69 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજારકિંમત 96 હજાર રૂપિયા જેટલી થતી હતી. આરોપીને વિશેષ NDPS કોર્ટના જજ વી.બી.રાજપૂતે 3 વર્ષની કેદ ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:28 pm

ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના:મુખ્યમંત્રી સહિત 13 સભ્યો, 2 આમંત્રિત અને 4 વિશેષ આમંત્રિત સભ્યનો સમાવેશ

ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કૂલ 19 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેઓના નામ નીચે મુજબ છે.

દિવ્ય ભાસ્કર 25 Mar 2026 3:26 pm