SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

દાહોદમાં ચક્કર આવતાં BLO ઢળી પડ્યા:હોસ્પિટલમાં સારવાર ચાલુ, પુત્રએ કહ્યું '4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી'

SRI કામગીરીના દબાણના કારણે રાજ્યમાં BLOના આત્મહત્યાથી માંડને તબિયત બગડવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે દાહોદમાં વધુ એક BLOની તબીયત લથડ્યાની ઘટના સામે આવી છે. બચુભાઈ ડામોર અચાનક ઢળી પડ્યાદાહોદ જિલ્લાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બચુભાઈ પાર્સિંગભાઈ ડામોર આજે ચાલુ ફરજ પર અચાનક ઢળી પડતાં 108 મારફતે તેમને તાત્કાલિક દાહોદની ખાનગી રિધમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમની સારવાર હાલ ચાલુ છે. 'અધિકારીઓના દબાણથી તબિયત બગડી'આ અંગે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, 4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી છે. બચુભાઈના પુત્ર જયદિપ ડામોરે જણાવ્યું છે કે, મારા પપ્પાને છેલ્લા 4–5 દિવસથી રાત્રે પણ અધિકારીઓ કચેરીમાં બોલવાતા હતા. જેથી તેમને સંતુલન ન રહેતા આજે મારા પપ્પા અચાનક બેહોશ થઇ ગયા હતા. 'દર્દીને ન્યુરોલોઝિકલી પ્રોબ્લેમ હોઇ શકે'આ અંગે ડોક્ટર અક્ષય પવારે જણાવ્યું હતું કે, દર્દીએ ચક્કર અને વોમિટિંગ થઇ હોવાનું જણાવ્યું હતું. દર્દી એક મિનિટ માટે બેહોશ થઇ ગયા હતા. એમનું ઇસીજી બરાબર છે. એમને પેરાલિસિસનો માયનર એટેક આવ્યો હોવાની તેમને શંકા હતી, જેથી તેમનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો, પરંતુ કાર્ડિયાક જેવું કંઇ નથી એમને ન્યુરોલોઝિકલી પ્રોબ્લેમ હોઇ શકે છે. હાલ તેમની તબિયત સારી છે અને તેઓ સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 4:25 pm

ચૂંટણીઓમાં ગરબડ કરવા SIR ની કામગીરી ઉતાવળે કરાવતું ભાજપ:રાજકોટમાં કોંગ્રેસ ફાઇનલ મતદાર યાદી ચકાસણી માટે ઘરે ઘરે જશે, કઈ ખોટું થશે તો કોર્ટમાં જશુ: રાજ્યગુરુ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણાની થઈ રહેલી કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કહેવું છે કે ભાજપ ગરબડ કરવા માટે જાણીતી છે ત્યારે SIR ની કામગીરી ઉતાવળે કરાવવામાં આવી રહી છે. આ માટે એક બુથ દીઠ બુથ લેવલ ઓફિસરને 3 માસનો સમય મળે તે જરૂરી હતુ. ચૂંટણી પંચ અને કલેક્ટર ભાજપનો હાથો ન બને. જો મતદાર યાદી સુધારણા કામગીરીમાં ખોટું થશે તો અમે કોર્ટમાં જતા પણ અચકાશુ નહીં. ગીર સોમનાથમાં BLO એવા શિક્ષકે આત્મહત્યા કરી લીધાની ઘટનાને દુઃખદ કઢાવી જણાવ્યું હતું કે વહીવટી તંત્ર કે ભાજપ કોઈપણ BLO પર પોતાનો દોષનો ટોપલો ન ઢોળે તેની ખાસ તકેદારી રાખે. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, હમણા જિલ્લા પંચાયતો અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીઓ આવે એટલે ભાજપ પોતાની ગરબડી કરવા માટે તૈયાર થઈ જાય છે અને એટલા માટે જ SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણાની કામગીરી ઉતાવળે કરી રહી છે. તેમણે કહ્યું કે, BLO એ આપઘાત કર્યો. સ્વાભાવિક છે કે તમારી રૂટિન કામગીરી હોય, વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય અને એ બધું મૂકીને આ કામગીરી કરવાની હોય અને એ પણ ખૂબ જ ઝડપથી કરવાની હોય ત્યારે ખૂબ જ પ્રેશર હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખરા અર્થમાં જો સાચી મતદારી હતી તૈયાર કરવી હોય તો એક બુથ દીઠ બુથ લેવલ ઓફિસરને બે થી ત્રણ મહિનાનો સમય મળે તે જરૂરી છે. કયો મતદાર કઈ જગ્યાએ છે, તે હાજર ન હોય તો તેને શોધી શકાય. આ ઉપરાંત તેના કાગળિયા તૈયાર કરી શકાય. અહીં તો નિયમ એવો બનાવવામાં આવ્યો છે કે ત્રણ વખત તેના ઘરે જવાનું અને ન હોય તો તેનું નામ મતદારયાદી માંથી કાઢી નાખવાનું. BLO ને એમ થાય કે આ બધા ને કાઢી ન શકાય અને તેનું પ્રેશર તેના ઉપર આવે તે સ્વાભાવિક છે. જેથી હું કલેકટર અને ચૂંટણી પંચને કહેવા માગું છું કે તમે ખૂબ જ ધ્યાન રાખજો. કોઈ મતદાર ન રહી જાય તેની તકેદારી રાખજો. આ તકેદારી ચૂંટણી પંચે રાખવાની હોય છે. તે વોટ ચોરી કરાવે છે ત્યારે આ લોકશાહી ઉપર ચૂંટણીપંચ ખુદ એક જોખમ બની ગયું છે. અંતમાં જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ફાઈનલ મતદાર યાદી તૈયાર થયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખરેખર જશે અને કોનું નામ રહી ગયું છે ? અને ક્યાં ખોટું થયું છે ? તેની ખાસ ચકાસણી કરશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 4:04 pm

બાઇક ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો:જુનાગઢમાં એક્ટિવા ચોરી કરનાર અને ખરીદનાર બંને આરોપી 'બી' ડિવિઝન પોલીસના સકંજામાં

જુનાગઢ શહેરમાં ચોરી અને ગુનાઓનો ભેદ ઉકેલવા જુનાગઢ પોલીસે સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધર્યું છે ત્યારે જુનાગઢ રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં જ પોલીસે એક બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખી, ચોરીમાં સંડોવાયેલા બંને આરોપીઓને ચોરાયેલા વાહન સાથે ઝડપી પાડ્યા છે.આ ગુનામાં, જુનાગઢ જલારામ સોસાયટીમાં રહેતા ફરિયાદીની હોન્ડા એક્ટિવા કિંમત રૂ. 15,000 કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.​ આ ગુન્હામાં સંડોવાયેલ ચોર અને મુદામાલને પકડવા ગુન્હા શોધક શાખાના પો. સ્ટાફની અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. પોલીસે જુનાગઢ નેત્રમ શાખાના સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ થી બાતમીના આધારે મજેવડી દરવાજા ખાતે ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ હોન્ડા એક્ટિવા સાથે એક આરોપી હાજર છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચોરીનો મુદામાલ રાખનાર આરોપી અસરફ અલ્લારખાભાઇ સેતાને ઝડપી પાડ્યો હતો.​ આરોપી અસરફની ઝીણવટભરી પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે આ ચોરીની બાઇક તેણે આરોપી દિપક સુંદરદાસ રામચંદાણી પાસેથી લીધેલ હતી.પોલીસે મૂળ બાઇક ચોરી કરનાર આરોપી દિપક સુંદરદાસ રામચંદાણીને પણ ગુનાના કામે અટક કરી લીધો હતો.પોલીસે ચોરી કરનાર અને ખરીદનાર બંને આરોપીઓને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.​ આ કામગીરીમાં જુનાગઢ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ પીઆઇ જે.જે. પટેલ,જુનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ. એચ.પી. મકવાણા, પોલીસ હેડ કોન્સ.પરેશભાઇ હુણ,કેશુભાઇ કરમટા, નરેશભાઇ શિંગરખીયા,મુકેશભાઇ મકવાણા,રઘુવીરભાઇ વાળા, મુળભાઇ વાંદા,મનીષભાઇ હુંબલ,રાજુભાઇ ગરચર તેમજ જુનાગઢ નેત્રમ શાખાના વિજયભાઇ છૈયા અને દક્ષાબેન પરમાર સહિતના સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 4:03 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામતને ચેલેન્જ:એડવોકેટ જનરલ રાજ્ય વતી દલીલો કરશે, અરજદારે કહ્યું- રાજ્યએ સ્વીકાર્યું કે ઝવેરી કમિશનના રીપોર્ટને અનુસર્યા નથી

ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાથી અરજદાર પથુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજદાર પોતે નિવૃત પ્રિન્સિપાલ છે અને OBC વર્ગમાંથી આવે છે. જેમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત અને લોકલ બોડીઝની અન્ય ચૂંટણીઓમાં OBC અનામત 10 ટકાથી વધારીને 27% કર્યું છે. ખરેખરમાં અધર બેકવર્ડ ક્લાસની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં અનામતની જેમ પોલિટિકલ રિપ્રેઝન્ટેશનમાં કરી શકાય નહીં. અરજદારના જણાવ્યા મુજબ આ અરજી સંદર્ભે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે એફિડેવિટ ફાઇલ કરી હતી. જે મુજબ તેઓ જસ્ટિસ ઝવેરી કમિશનના રીપોર્ટને અનુસર્યા નથી. જેથી આ અરજીને ગ્રાહ્ય રાખવામાં આવે. જો કે રાજ્ય વતી સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં સરકાર વતી એડવોકેટ જનરલ દલીલો કરશે. જેથી સમય આપવામાં આવે, આખરે કોર્ટે આ મુદ્દે વધુ સુનવણી 28 નવેમ્બરે રાખી છે. અરજદારના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે તે વિસ્તારમાં વસ્તીના આધારે OBC ને બેઠકો ફાળવવી જોઈએ. જો તે વિસ્તારમાં OBC ની સંખ્યા વધુ હોય તો 50 ટકાથી અનામત વધે નહીં તે રીતે પણ બેઠકો ફાળવી શકાય અને ઓછી સંખ્યા હોય તો ઓછી બેઠકો ફાળવવી જોઈએ. બેકવર્ડ ક્લાસમાં પોલિટિકલ રીપ્રેઝન્ટેશનમાં જાતિઓની ઓળખ અને સંખ્યા માટે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. જેને ડીસોલ્વ કરી નાખવામાં આવ્યું છે. અરજદારના જણાવ્યા મુજબ કેબિનેટની સબ કમિટીએ કમિશનના સૂચનોને અનુસર્યા વગર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસર્યા વગર યુનિફોર્મ રિઝર્વેશનનું સમર્થન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેઠકો ફાળવવામાં ફિક્સ અનામતથી સામાન્ય વર્ગ અને SC, ST અને OBC ને નુકશાન જઈ રહ્યું છે. આમ અરજદારે ગુજરાત લોકલ ઓથોરિટી લો અમેન્ટમેન્ટ એક્ટ 2023ને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો છે. આ સુધારાને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ભંગ ગણાવ્યો છે. ઝવેરી કમિશનના રિપોર્ટને આ સુધારો કરતા ધ્યાને લેવામાં આવેલ નથી, વળી કમિશનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં નથી તેમ જણાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું હતું કે કમિશનનો રિપોર્ટ માર્ગદર્શક હોઈ શકે, બંધનકર્તા નહીં. જો કે હાઇકોર્ટે આ મામલે રાજ્યના ચૂંટણી પંચ અને સરકારને નોટિસ આપી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:57 pm

ગોધરાની આગમાં આખો પરિવાર સ્વાહા, જ્વેલર્સ શોકાતૂર:60 વર્ષ જૂની દુકાને હવે તાળા કોણ ખોલશે!, સોના-ચાંદીના વેપારીઓએ પોતાની દુકાનો ના ખોલી, મોડી રાત સુધી પરિવાર જાગ્યો ને સવારે ન ઉઠ્યો

પંચમહાલના ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગરમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં શહેરના જાણીતા સોના-ચાંદીના વેપારી દેવલ દોશીનું પરિવાર સાથે મોત થયું. ગત રાત્રે તેમના નિવાસસ્થાને આગ લાગી હતી છે. ગોધરા શહેરના અદુમ્બર કૂવા પાસે દેવલ દોશી 60-70 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત સોના-ચાંદીની દુકાન ધરાવતા હતા. આ દુકાને ત્રણ તાળા લાગેલા છે, દુકાન ખોલનાર પરિવાર હંમેશ માટે દુનિયાને છોડી દીધી છે. ત્યારે આ દુકાન કોણ ખોલશે.. એ નગરમાં ચર્ચા છે. આગની દુર્ઘટનાની જાણ થતાં જ દિવ્યભાસ્કરની ટીમે તેમના વેપારી મિત્રો અને પડોશીઓની મુલાકાત લીધી હતી. અહીં સંપૂર્ણપણે વેપારીઓએ બંધ પાળ્યો હતો. જ્વેલર્સની દુકાને તાળાં લાગેલા હતા. જ્વેલર્સ આ ઘટનાને પગલે શોકમાં છે. દુકાને ચાર તાળા લાગેલા હતાંદિવ્યભાસ્કરની ટીમ અદુમ્બર કૂવા પાસે આવેલી સોના-ચાંદીની દુકાને પહોંચી હતી. અહીં એક નહીં પણ બે નકુચાવાળા અને બે સાદાં એમ ચાર તાળા લગાવેલા હતા. ઉપર અને નીચે એમ વચમાં બે નકુચાને મોટાં-મોટાં તાળા લગાવાયા હતા. જોકે,. આખો દોશી પરિવાર દીકરાના સગાઈના ગોળ-ધાંણા ખાય અને શુભ પ્રસંગમાં પહોંચે એ સવાર તે પરિવાર માટે ન પડી. અગમ્ય કારણોસર સોફામાં લાગેલી આગે આખા પરિવારને ગાઢ નિંદ્રામાં જ હંમેશને માટે ચીરનિંદ્રામાં પોઢાડી દીધો. જ્વેલર્સના પરિવારના મોતથી વેપારી આલમમાં શોકદેવલ દોશીના નિધનથી સમગ્ર વેપારી આલમમાં શોકની લાગણી ફેલાઈ છે. અદુમ્બર કૂવા વિસ્તારના વેપારી ચેતન શાહ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દુકાનની સામે કમલ શાહની દુકાન આવેલી છે, તેમનો સ્વભાવ ખૂબ જ મળતીયો અને સુંદર માણસ હતાં. તેમના છોકરાનો પ્રસંગ હોવાથી ખૂબ ઉત્સાહિત હતા. આજે ત્યાં તેમના દીકરાના સગાઈ પ્રસંગને હિસાબે ખૂબ જ તૈયારીમાં હતા. આજે સવારે શું દુઃખદ ઘટના બની એ કલ્પના બહારની વસ્તુ હતી. 60-70 વર્ષ જૂની તેમની પેઢી હતી. વેપારી આકાશ ગાંધીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, આજે તેમના દીકરાનું વિવાહ નક્કી કરવા જવાનું હતું. ગોળ-ધાણા માટે વાપી જવાનું હતું. અને અચાનક તેમના ઘરમાં આગ લાગી. કેવી રીતે આગ લાગી એ ખબર નથી પરંતુ, આગ લાગવાથી પરિવારના ચારે ચાર સભ્યોનું દુઃખદ અવસાન થયું છે. એમને ખૂબ ઉત્સાહ હતો કે મારા છોકરાનો વિવાહ છે. તો આવતીકાલે જઈશું તો અમારી જોડે હસીખુશીની વાતો કરી એમણે. આજે સવારે અમને સમાચાર મળ્યાં કે ઘરમાં આગ લાગવાથી પરિવારનું કોઈ સભ્ય રહ્યું નથી. બહુ દુઃખની વાત છે.ભગવાનને જે ગમ્યું એ સાચું છે. અમે વર્ષોથી એક ગલીમાં પરિવાર તરીકે રહીએ છીએ. વેપારી સૌરવ જોષીએ જણાવ્યું કે, કમલ દોશીના આકસ્મિક અવસાનના પગલે અમે અદુમ્બર કૂવા વિસ્તારના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખીને શોકની લાગણી પ્રગટ કરી છે. પડોશીઓ પણ સ્તબ્ધ, પરિવાર એક વાગ્યા સુધી જાગ્યો હતોમૃતક દેવલ દોશી (વૃંદાવન સોસાયટીમાં રહેતા)ના પડોશી સંજય દેસાઈએ માહિતી આપી હતી કે, મોટા દીકરાની સગાઈ હોવાથી વાપી જવાનું હતું. આ માટે પરિવારના સભ્યો, મિત્રો અને પડોશીઓ ગઈ કાલે રાત્રે તેમના ઘરે એકઠા થયા હતા. લગભગ એક વાગ્યાની આસપાસ બધા છૂટા પડ્યા હતા. સંજય નામના રહીશે જણાવ્યું કે, સવારે ગાડીના ડ્રાઈવર અને કઝીન તેમને લેવા આવ્યા અને બેલ માર્યો, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. શંકા જતાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી. આગળની વિગતો આપતા સોસાયટીના એક મહિલા પડોશીએ (ઓફ કેમેરા) જણાવ્યું કે, દેવલ દોશી અમારી સોસાયટીના હૃદયસમાન વ્યક્તિ હતા. દીકરાની સગાઈની તૈયારીમાં આખો પરિવાર વ્યસ્ત હતો. મોડી રાત સુધી બેઠા અને લગભગ એક વાગે અમે બધા છૂટા પડ્યા હતા. દેવ દોશીની સગાઈ હોવાથી તેઓ સવારે પાંચ વાગ્યે વાપી જવાના હતા. જોકે, સવારે તેઓ ન દેખાતા અને આજુબાજુના લોકોએ દરવાજો ખખડાવ્યો પણ ના ખુલ્યો. પથ્થર મારતા ઘરમાંથી ધુમાડો નીકળતો જણાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને દરવાજો તોડીને ઘરના ચાર સભ્યોને બહાર કાઢ્યા હતા અને તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવલ દોશી છેલ્લા 15થી 20 વર્ષથી આ સોસાયટીમાં રહેતા હતા. આખો બનાવ શું છે?ગોધરાના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર વિસ્તારમાં આજે (21 નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં 'શરણાઈ'ના સૂર રેલાય એ પહેલાં જ એક હસતા-ખેલતા પરિવારના ચાર સભ્યનાં કરુણ મોત નીપજ્યાં છે. આજે જ પુત્રની સગાઇ માટે પરિવાર વાપી જવાનો હતો. ત્યારે પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખી છે, જેમાં આગના કારણે ઘરમાં ઝેરી ધુમાડો ભરાઈ જતાં ગૂંગળામણથી પતિ, પત્ની અને બે દીકરાના મોત થયા છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:55 pm

આણંદની ડી.એન. હાઈસ્કૂલમાં ફાયર મોકડ્રિલ યોજાઈ:245 વિદ્યાર્થીઓ, 10 શિક્ષકોને પ્રાથમિક સુરક્ષા તાલીમ અપાઈ

આણંદની ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (ડી.એન. હાઈસ્કૂલ) ખાતે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર અવેરનેસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં 245 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકોને પ્રાથમિક ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આ મોકડ્રિલ યોજાઈ હતી. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ, સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, લીડિંગ ફાયરમેન ભાવેશભાઈ વરુ અને ફાયરમેન મુકેશ પરમાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન, આગ લાગવાની ઘટનામાં શું કરવું, પ્રાથમિક સેફ્ટી કાર્યવાહી કેવી રીતે કરવી અને કટોકટીની પરિસ્થિતિમાં રેસ્ક્યુ માટે ઉપયોગમાં લેવાતા સાધનોનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ સામેની તૈયારી અને બચાવ પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતગાર કરાયા હતા. યુવા પેઢીમાં ફાયર સેફ્ટી અંગે વધુ જાગૃતિ ફેલાવવાના હેતુસર, આણંદ ફાયરબ્રિગેડ દ્વારા શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં આવી ફાયર અવેરનેસ તાલીમ યોજવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:44 pm

સુરેન્દ્રનગરમાં 11 કિલોમીટરની સૌથી લાંબી પદયાત્રા:સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યાત્રા યોજાઇ, લાખણકા ગામે સ્વાગત કરાયું

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં 11 કિલોમીટરની સૌથી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કુંઢડા ગામથી લાખણકા ગામ સુધી યોજાઈ હતી. સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, પદયાત્રાના અધ્યક્ષ અને ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ લીલી ઝંડી આપી પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ 11 કિલોમીટરની લાંબી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રા લાખણકા ગામે પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાખણકા ગામે આયોજિત કાર્યક્રમમાં ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન ચરિત્ર અને તેમના વિચારો વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમણે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સંકલ્પ લેવડાવ્યો હતો કે, અમે સૌ અમારા બાળકને ભણાવીશું, કોઈપણ ભોગે, કોઈપણ પરિસ્થિતિમાં અમે અમારા બાળકને શિક્ષણ આપીશું.સરદાર પટેલના મુખ્ય વિચારોમાં બધાને સાથે રાખો, રાષ્ટ્રને સૌથી ઉપર રાખો અને એકતા, શાંતિ અને ન્યાય — આ ત્રણ વસ્તુઓ વિના દેશ મજબૂત બની શકે નહીં નો સમાવેશ થાય છે. તેમણે ખેડૂતો, ગરીબો અને પીડિતોની સાથે ઊભા રહેવા, કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા, તથા સૌથી મહત્વની વાત એકતા અને સામાજિક સૌહાર્દ જાળવવા પર ભાર મૂક્યો હતો. સરદાર પટેલે સર્વભારતીય સેવાઓ — IAS અને IPS —ની રચનાને મજબૂત બનાવી હતી. તેમણે અધિકારીઓને સંદેશ આપ્યો હતો કે, તમે દેશના રીડની હાડકી છો, તમે પક્ષપાત વગર, નિડર અને ઈમાનદાર રહીને સેવા આપો. તેમનો વિશ્વાસ હતો કે અધિકારીનું સૌથી મોટું શસ્ત્ર તેની ઈમાનદારી છે.તેમના અંગત જીવનમાં પણ રાષ્ટ્રહિત સર્વોપરી હતું. તેમની દીકરી મણીબેને પણ ઘણી વખત સલાહ આપી હતી કે, સાદગી, શિસ્ત અને સત્ય પર રહેજો, જીવનમાં જે પણ કાર્ય કરો, એ કાર્યમાં દેશનું હિત પ્રથમ રાખજો. પુત્ર ડાયાભાઈને તેમણે કહેલું કે, નામ કરતાં કામ મોટું છે, એટલે ઈમાનદારી સાથે કામ કરશો તો સમાજ તમને પોતે જ માન આપશે.આ સમગ્ર કાર્યક્રમમાં સરદાર પટેલના જીવન ચરિત્ર, તેમના વિચારોની સાથે સાથે શિક્ષણ ઉપર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો.આ પદયાત્રામાં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચોટીલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, અન્ય રેવન્યુ સ્ટાફ, પોલીસ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, શિક્ષક ગણ, NCC તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:39 pm

વૈશ્વી પટેલની ચેસમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી:પાટણની શ્રી સરસ્વતી શિશુમંદિરની વિદ્યાર્થીની ત્રિપુરામાં રમશે

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ – શ્રી સરસ્વતી શિશુમંદિર, પાટણની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈશ્વી કૃણાલભાઈ પટેલે U-17 બહેનોની ચેસ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મેળવી છે. SGFI અંતર્ગત રાજ્ય કક્ષાની ચેસ હરીફાઈ ગોધરા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં વૈશ્વી પટેલે શ્રેષ્ઠ રમત દર્શાવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સ્થાન મેળવ્યું. તેની આ સફળતા પાછળ સતત મહેનત, એકાગ્રતા તથા નિયમિત અભ્યાસનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. વૈશ્વીને તેના કોચ કરણભાઈ ત્રિવેદી અને માતા-પિતા તરફથી મળેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પ્રશંસનીય છે. શાળાના પ્રધાનાચાર્ય, દીદી-ગુરુજી તથા ટ્રસ્ટી મંડળે પણ વૈશ્વી પટેલને સતત પ્રેરણા આપી અને ચેસ રમત ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. રાષ્ટ્રીય સ્તરની ચેસ સ્પર્ધા આગામી તા. 27થી 30નવેમ્બર દરમિયાન ત્રિપુરા ખાતે યોજાનાર છે. શાળા પરિવાર વૈશ્વી પટેલને ઉષ્માભરી શુભકામનાઓ પાઠવે છે અને વિશ્વાસ વ્યક્ત કરે છે કે તે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્ય તથા વિદ્યાલયનું નામ રોશન કરશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:36 pm

કતલના ઇરાદે લઈ જવાઈ રહેલા પશુઓને બચાવ્યા:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર તરસાલી બ્રિજ પાસે ટ્રકમાંથી 16 પશુઓને રેસ્ક્યુ કરાયા, લોકોએ ટ્રક ચાલક અને ક્લીનરને પણ માર માર્યો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાં ખીચોખીચ ભરીને કતલના ઇરાદે લઇ જવાતા 16 પશુઓને જીવદયા સંસ્થાના કાર્યકરોએ બચાવી લીધા છે. કપુરાઇ પોલીસે પશુઓ અને ટ્રક મળીને 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે કતલખાને પશુઓને લઇ જતા ટ્રક ચાલક અને ક્લીનર ધરપકડ કરી છે. બીજી તરફ ટ્રક ચાલક અને ક્લીનરને માર મારતા અજાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી શ્રીરામનગર સોસાયટીમાં રહેતા સતિષભાઈ શનાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, છેલ્લા 8 વર્ષથી પ્રાણીન ફાઉન્ડેશનમાં જીવદયા કાર્યકર તરીકે સેવા આપુ છું. હું, અંકિતકુમાર જનકભાઈ, જીતુભાઈ પ્રકાશભાઈ ચૌધરી તથા રાજુભાઈ જેઠાભાઈ ભરવાડ સાથે કપુરાઈ ચોક્ડી ક્રિષ્ણા હોટલની બહાર રોડ તરફ ઉપર પશુઓની હેરાફેરી કરતા વાહનોની વોચમાં આવી ઉભા રહ્યાં હતા. આ દરમિયાન સાંજના 7.30 વાગ્યાના અરસામાં ડભોઈ તરફથી એક આઈસર ટ્રક આવ્યો હતો. જેમાં નેટ બાંધેલ હોવાથી તેમાં પશુઓ ભરેલા હોવાની શંકા ગઇ હતી. જેથી અમે આ ટ્રકને ઉભી રખાવવા માટે હાથ કર્યો હતો પરંતુ ચાલકે ઉભી નહી રાખી ટ્રક્ને નેશનલ હાઈવે પર કપુરાઈ બ્રીજ થઈ સુરત તરફ ઉપર દોડાવી હતી. જેથી અમે ટ્રક્નો પીછો કરીને જામ્બુવા રોડ પર રાત્રીના 8.15 વાગ્યે રોકી લીધો હતો અને આઈસર ટ્રકમાં ડ્રાઇવર અને ક્લીનર પાડ્યા હતા. ત્યારબાદ બંને શખ્સ શહજાદ શબાન શાહ (રહે. તાપી) અને એક સગીર (રહે, તાપી) ટ્રકમાં શું ભરેલ છે તેમ પુછતા તેઓએ પશુઓ ભરેલ છે તેમ જણાવતા નેટ હટાવી જોતા 16 પશુઓ ક્રૂરતાપુર્વક બાંધેલા હતા. આ પશુઓને બચાવીને વડોદરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેથી કપુરાઇ પોલીસે 16 પશુઓ અને ટ્રક મળીને 6.40 લાખનો મુદ્દામાલ કબજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પશુઓને ભરીને લઈને રહેલા ટ્રક ચાલક અને ક્લીનરને ત્યાં હાજર લોકોએ લાકડી અને ગડદાપાટુ માર માર્યો હતો, જેથી ટ્રક ચાલકે અજાણ્યા ચાર લોકો સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:36 pm

અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક:એક જ દિવસમાં 5થી વધુ લોકોને કરડ્યા, PGમાં રહેતા યુવક પર થયેલો હુમલો CCTVમાં કેદ

શહેરના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે (18 નવેમ્બર) એક જ શ્વાને હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આમાંથી એક ઘટના PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. PGમાં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યોહીરાબાગ ક્રોસિંગ પાસે તથા શારદા મંદિર રોડ પર એક જ આક્રમક શ્વાને પાંચથી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આમાં એક PGમાં રહેતા યુવક પર થયેલા હુમલાની CCTV ફૂટેજ પણ વાયરલ થઈ છે, જેમાં શ્વાન યુવકને એકલાને જોઈને ઝડપથી દોડીને કરડતો દેખાય છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં રોજબરોજ આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી નામ માત્રની છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે કોર્પોરેટર ​​​​​​​અને સ્થાનિકોએ મહાનગરપાલિકા પર બેદરકારીનો આક્ષેપ કર્યોસ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોને પકડવાની કાર્યવાહી ફક્ત કાગળ પર જ ચાલે છે. “અહીં દરરોજ લોકો કરડાય છે, પરંતુ મહાનગરપાલિકાની ટીમ ક્યારેય દેખાતી નથી,” એમ હીરાબાગના રહેવાસીએ જણાવ્યું. આ ઘટના બાદ વિસ્તારના કોર્પોરેટર તથા સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકા પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક શ્વાન પકડવાની કામગીરી હાથ ધરવા માંગ કરી છે. ગલ્લેથી ઉતરી દીકરીને બૂમ પાડતો ત્યારે કૂતરાએ મારી પર હુમલો કર્યો હતોપાલડીના સુખીપુરામાં પાનનો ગલ્લો ચલાવતા અમિત મકવાણાએ કૂતરાના આતંકનો ભોગ બન્યા છે. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, હું 18 નવેમ્બરે બપોરે ગલ્લેથી ઉતરી દીકરીને બૂમ પાડતો ત્યારે કૂતરાએ મારી પર હુમલો કર્યો હતો. મેં કૂતરાને ભગાડવાની કોશિશ કરી ત્યારે તેણે ફરીથી હુમલો કરતા મારી આંગળી કરડી ખાધી હતી. હું 108 બોલાવી વીએસ ગયો. જ્યાં ડોક્ટરોએ હાડકાનો ડોક્ટર ન હોવાનું જણાવી સારવાર કરવાની ના પાડી. જો આંગળી બરફમાં મૂકીને સમયસર આવી ગયા હોત તો કદાચ જોડાઈ ગઈ હોતઆ સમયે ત્યાં હાજર એક મહિલા ડોક્ટરે SVPમાં જવાની સલાહ આપી હતી. હું ત્યાં ગયો તો ડોક્ટરોએ પ્રાઈવેટ હોસ્પિટલ છે તેવું કહી સારવારની ના પાડી હતી. આ તમામ પ્રક્રિયામાં 3 કલાકનો સમય જતો રહ્યો. મેં ફરી 6.30 વાગ્યે 108 બોલાવી સિવિલ ગયો. આંગળીનો એક્સ-રે સહિત અન્ય તપાસ રાત્રે 10 વાગ્યે ઓપરેશન થયું. પણ ડોક્ટરોએ કહ્યું કે જો આંગળી બરફમાં મૂકીને સમયસર આવી ગયા હોત તો કદાચ આંગળી જોડાઈ ગઈ હોત. શહેરમાં દર 10 મિનિટે 1 વ્યક્તિને કૂતરું કરડે છેશહેરમાં પ્રતિ દિવસ કૂતરા કરડવાના 173 કેસ આવે છે. તેને ધ્યાને લેતા પ્રતિ 10 મિનિટે એક વ્યક્તિ કૂતરાના આતંકનો ભોગ બને છે. મ્યુનિ. હડકવા વિરોધી રસી આપે છે. છે. જેમાં રૂપિયા 220માં આવતા એક ઈન્જેક્શનમાંથી 5 વ્યક્તિને ડોઝ આપવામાં આવે છે. પાલડીમાં એક જ દિવસમાં 8 લોકોને કૂતરાએ બચકાં ભર્યાંપાલડી વિસ્તારમાં શારદા મંદિર રોડ પર સુખીપુરા વિસ્તારમાં રખડતાં કૂતરાનો આંતક હોવાથી લોકો ભયમાં છે. સ્થાનિક રહેવાસી મહેશ પરમારે જણાવ્યું કે, 18મીએ એક જ દિવસમાં આ કૂતરાએ લગભગ 8 જેટલા લોકોને બચકું ભર્યું છે. જેમાં એક વ્યક્તિની આંગળીમાં વધુ ઈજા થતાં કપાવવી પડે છે. મ્યુનિ. ટીમ પહોંચે તે પહેલા NGO કૂતરાને લઈ ગઈમ્યુનિ. સૂત્રોએ જણાવ્યું કે,સાંજે લગભગ 7.30 વાગે અમને જાણ થઈ હતી. જેથી ટીમ રાત્રે 9.30 વાગે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચી ગયા પછી ખબર પડી કે એક એનજીઓની ટીમ આવી હતી અને તેઓ કૂતરાને લઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:16 pm

બે બાઇક વચ્ચે અકસ્માત:ઘોઘા રોડ પર રોંગ સાઇડમાં આવેલા બાઇક ચાલકે યુવકનો ભોગ લીધો

શહેરના ઘોઘા રોડ પર આવેલી સી-ફૂડ હોટેલ નજીક ગત રાત્રે અકસ્માતમાં અકવાડા ગામના એક યુવકનું કરૂણ મોત નીપજયું હતું. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા અન્ય મોટરસાયકલ ચાલકે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અકવાડા ગામના રહેવાસી ભાવેશ દિપકભાઈ દિહોરા ઉ.વ. 26, જેઓ ખેતી અને છૂટક મજૂરી કરતા હતા, તેઓ ગુરુવાર રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ-04-EF-7349 લઈને નાથિયા તળાવ પાસે આવેલી પોતાની વાડીએ સૂવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ ઘોઘા રોડ પર સી-ફૂડ હોટેલ નજીક પહોંચ્યા, તે જ સમયે ઘોઘા તરફથી આવી રહેલા હીરો એક્સટ્રીમ મોટરસાયકલ GJ-04-CL-5441 ના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી રોંગ સાઇડમાં હંકારી ભાવેશના મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે, ભાવેશ રોડ પર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, તેમજ ડાબા કાનમાંથી લોહી નીકળતું હતું અને શરીર પર છોલાણ થયું હતું. આ ​બનાવની જાણ થતાં મૃતકના મોટાભાઈ અજય દિહોરા અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બેભાન હાલતમાં લોહીલુહાણ પડેલા ભાવેશને તાત્કાલિક ખાનગી વાહનમાં સર.ટી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ​મૃતકના મોટાભાઈ અજય દિપકભાઈ દિહોરાએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરિયાદ આધારે તાપસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 3:03 pm

AMCની સામાન્ય સભામાં આતંકી પાસેથી પકડાયેલા રાઇઝિનનો મુદ્દો ઉઠ્યો:વિપક્ષે કહ્યું-'વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના પાણીમાં કેમિકલ નાખ્યું હોત તો મોટી જાનહાનિ સર્જાત'

ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા આતંકીઓનો મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉઠ્યો હતો. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, આતંકીઓ પાસેથી રાઇઝિન કેમિકલ મળ્યું હતું જેને હવા તેમજ પાણીમાં ભેળવી શકાય છે. શહેરમાં જનતાને પાણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ કેમિકલ પાણીમાં ભેળવાય તો લોકો મૃત્યુ પામી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 238 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલા છે જ્યાંથી પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે. જ્યાં કોઈપણ પ્રકારની સિક્યુરિટી નથી. આ કેમિકલ જો કોઈ આતંકીઓ દ્વારા કોઈપણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં આવેલા પાણીમાં નાખી દેવામાં આવી હોત તો સવારે પાણી આવે તેને પીવાથી ખૂબ મોટી જાનહાનિ થઈ શકે છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સિક્યુરિટી રાખવી જરૂરી છે. 3000 જેટલા સિક્યુરિટી ગાર્ડ આપણે રાખીએ છીએ પરંતુ કયાય સિક્યુરિટી નથી. જેથી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવે છે કે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર સુરક્ષા રાખવામાં આવે જેથી આવી ઘટનાઓ બને નહી. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:54 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ: ગઢડાના માંડવા ગામે પદયાત્રા યોજાઈ:પૂર્વ શિક્ષણ મંત્રી, ધારાસભ્ય સહિત અધિકારીઓ જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામે 'યુનિટ માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તેમજ આગેવાનો અને વહીવટી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પદયાત્રા માંડવા ગામથી ઉમરડા ગામ સુધી યોજાઈ હતી, જે આશરે ૬ કિલોમીટરનું અંતર ધરાવતી હતી. દેશના મહાન સપૂત સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની એકતાની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. પદયાત્રા પૂર્વે માંડવા ગામની શાળા ખાતે એક સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં મહાનુભાવોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે કાર્યક્રમ અંગે માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત સૌ લોકોએ 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અંગેના શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા સહિતના અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સૌ સહભાગીઓએ પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. આ અંગેની માહિતી પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:49 pm

પાટણમાં 5 લાખ લીટરના નવા અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત:વોર્ડ 8, 9, 10ને પૂરતા પ્રેશરથી પાણી મળશે, પાણીની તંગીનો પ્રશ્ન મોટાભાગે હલ થઈ જશે

પાટણ શહેરના કાજીવાડા પમ્પિંગ સ્ટેશન ખાતે 5 લાખ લીટરના વધારાના અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા સંપના નિર્માણથી વોર્ડ નંબર 8, 9 અને 10ના રહીશોને પીવાના પાણીના ઓછા પ્રેશરની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડી શકાશે. અગાઉ, કાજીવાડા ઓવર હેડ ટાંકીમાંથી આ વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ પાંચ લાખ લીટરનું હાલનું અંડરગ્રાઉન્ડ સંપ નાનું પડતું હોવાથી પાણીનું દબાણ ઓછું રહેતું હતું. આ સમસ્યાને કારણે સ્થાનિક રહીશો અને વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો દ્વારા નવા સંપની માંગ કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખીને, પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચ વર્ષ 2022-23ની ગ્રાન્ટમાંથી કાજીવાડા પમ્પિંગ સ્ટેશન ખાતે વધુ એક 5 લાખ લીટરની ક્ષમતાવાળો અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ સંપનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલાબેન મોદી, વોર્ડ નંબર 8ના કોર્પોરેટરો, દીબાજ ગ્રુપના ચેરમેન અને સામાજિક કાર્યકર ઉંમરખાન રાઉમા, મોહમ્મદ હુસેન ફારૂકી, ધર્મેશ પ્રજાપતિ અને અલકાબેન મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આ નવા 5 લાખ લીટરના અંડરગ્રાઉન્ડ સંપના નિર્માણ બાદ કાજીવાડા ટાંકીમાંથી મોટા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી આપી શકાશે. તેમણે ઉમેર્યું કે આનાથી પાણીની તંગીનો પ્રશ્ન મોટાભાગે હલ થઈ શકશે. દીબાજ ગ્રુપના ચેરમેન ઉંમરખાન રાઉમાએ આ પ્રોજેક્ટને વોર્ડ નંબર 8, 9 અને 10ના શહેરીજનો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:47 pm

જામનગરના સૌથી લાંબા ફ્લાયઓવરનું નિરીક્ષણ:227 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું નિર્માણ કાર્ય સંપન્ન, CM ભૂપેન્દ્ર પટેલના લોકાર્પણ પૂર્વે તંત્રની પુરઝડપે તૈયારીઓ

જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી 24મીએ સોમવારે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, મનપા કમિશનર ડી.એન. મોદી અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધી નિર્મિત આ ફ્લાયઓવર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ છે. આશરે 227 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. તેનું લોકાર્પણ આગામી સોમવારે સવારે 10:00 કલાકે ધન્વંતરી ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાશે. ત્યારબાદ આ ફ્લાયઓવર જામનગરની જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. મુખ્યમંત્રીના આગમન પહેલાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને કાર્યક્રમની અન્ય તૈયારીઓને આખરી ઓપ આપવા માટે અધિકારીઓ દ્વારા નવનિર્મિત બ્રિજ અને ધન્વંતરી ઓડિટોરિયમનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફ્લાયઓવરનું લોકાર્પણ 20મી તારીખે થવાનું હતું, પરંતુ મુખ્યમંત્રી બિહારમાં એક શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત હોવાથી તે મોકૂફ રાખવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:26 pm

ઇન્વેસમેન્ટ ફ્રોડમાં ફસાયો યુવક:વડોદરાના ચાણોદમાં કર્મકાંડ કરતો યુવક ઇન્વેસમેન્ટ ફ્રોડમાં ફસાયો, ચાર ઘણો પ્રોફેટ બતાવી ઠગે 2 લાખથી વધુની રકમ પડાવી

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ ગામના યુવક મીત ભટ્ટના બેંક ખાતામાંથી ઓનલાઇન શેરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરી રૂપિયા 2.38 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. આ મામલે ચાણોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ચાણોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, મિત ભટ્ટ પોતે કર્મકાંડના વ્યવસાય સાથે એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓના મોબાઈલ પર ટેલીગ્રામ દ્વારા ટ્રેડ વિથ વિકાસ નામની એક લિંક આવી હતી. જેમાં રૂપિયા 10 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રૂપિયા 40 હજાર સુધીનો પ્રોફિટ થવાનું આકર્ષક ઓફર બતાવવામાં આવી હતી. લાલચમાં આવીને મીતભાઈએ લિંક પર ક્લિક કરતાં વૉટ્સએપ પર ચેટ શરૂ થઈ ગઈ હતી. આ દરમ્યાન ફરિયાદી પાસે ઠગબાજે રૂપિયા 10 હજાર ટ્રાન્સફર કરાવી રૂપિયા 57 હજારની પ્રોફેટ બતાવી લાલચ આપી યુવકને ફરસાવવાનું શરૂ કર્યું હતું. આ પછી GST ચાર્જ, વેરિફિકેશન ચાર્જ, બ્રોકરેજ ચાર્જ, મેનેજર ચાર્જ, વિથડ્રોઅલ ચાર્જ વગેરે વિવિધ બહાને સતત અલગ-અલગ UPI ID પર નાની-મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં ગભરાયેલા યુવકે પૈસા ખતમ થતા વધુ પૈસા માસીના દીકરા પાસે વાત કરી માંગતા તેને આ બાબતે તેની સાથે ફ્રોડ થયું હોવાનું જણાવતા જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ મામલે ચણોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:17 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ, નાનાપોંઢામાં યુનિટી માર્ચ યોજાઈ:લોકસભાના દંડક ધવલ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા, મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી

વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા વિસ્તારના નાનાપોંઢા ખાતે રાષ્ટ્રના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના યોગદાનને યાદ કરવા તેમજ યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવવાના હેતુથી યોજાઈ હતી. નાનાપોંઢાના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જાહેર સભા બાદ પદયાત્રાનો પ્રારંભ થયો હતો. લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પદયાત્રા દરમિયાન નાનાપોંઢાના માર્ગો ભારત માતા કી જય અને જય સરદારના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. સાંસદ ધવલ પટેલ અને અન્ય આગેવાનોએ સરદાર પટેલે દેશની એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સંવૈધાનિક માળખાના ઘડતરમાં આપેલા યોગદાન વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યુનિટી માર્ચમાં વલસાડ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આનાથી કાર્યક્રમને સફળતા મળી અને એકતા તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશ નાનાપોંઢામાં વ્યાપક રીતે ફેલાયો.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:11 pm

સુરત જિલ્લામાં SIRની 25% કામગીરી પૂર્ણ:સંકલન બેઠક મળી, BLOની હેરાનગતિ મુદ્દે MLAનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- રાષ્ટ્રની સમસ્યા ગણી આગળ વધો

સમગ્ર રાજ્યમાં બૂથ લેવલ ઓફિસર (BLO)ને કામગીરીના ભારણ, માનસિક તણાવ અને કાર્યસ્થળથી દૂર મોકલવા જેવી બાબતોને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરતના ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેમાં તેમણે BLOની સમસ્યાઓની ફરિયાદ વચ્ચે SIRથી રાષ્ટ્રની સમસ્યા દૂર થશે, જેથી રાષ્ટ્રની સમસ્યાને પોતાની સમસ્યા ગણીને આગળ વધવાની વાત કહી છે. સંકલન બેઠકમાં BLOની કામગીરી મુખ્ય મુદ્દોશુક્રવારે સુરત કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા. શહેરના અન્ય પ્રશ્નોની સાથે આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી અને તેમાં BLOની ભૂમિકા અંગેની રજૂઆતોનો રહ્યો હતો. તમામ ધારાસભ્યોએ તેમના મતવિસ્તારમાં SIRની કામગીરી ઝડપી બનાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, એક તરફ BLOની ધીમી કામગીરી અંગે ધારાસભ્યોની રજૂઆત હતી. તો બીજી તરફ BLO પોતે કામગીરીને લઈને થઈ રહેલા માનસિક ત્રાસ અને હેરાનગતિની ફરિયાદો કરી રહ્યા છે. ધારાસભ્ય મનુ પટેલનું નિવેદનજ્યારે ઉધનાના ધારાસભ્ય મનુ પટેલને BLOની સમસ્યાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમનો જવાબ આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ રાષ્ટ્રની સમસ્યા છે અને રાષ્ટ્રની સમસ્યાને આપણી સમસ્યા ગણીને આગળ વધવું જોઈએ. SIR એક મિશન છે અને તે સારી રીતે પૂરું થાય. BLOની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, તેમણે BLOને પડતી મુશ્કેલીઓ અંગે સીધો જવાબ આપવાને બદલે તેને રાષ્ટ્રીય કર્તવ્ય સાથે જોડી દીધું, જેને કારણે અનેક સવાલો ઊભા થયા છે. પૂર્ણેશ મોદીએ 'જન સંપર્ક અભિયાન' ગણાવ્યુંBLOની સમસ્યાઓ અને તાજેતરમાં કોડીનારના એક BLOના આપઘાતની ઘટના અંગે જ્યારે અન્ય ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આત્મહત્યાની ઘટના અંગે પોતાને જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે વિવિધ સમસ્યાઓ હોઈ શકે છે અને તેમાં ઊંડાણપૂર્વક ઉતરવાની જરૂર છે. તેમણે હાલમાં ચાલી રહેલી SIRની કામગીરીને જન સંપર્ક અભિયાન તરીકે લેવા પર ભાર મૂક્યો હતો અને કામગીરી ઝડપી કરવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. માત્ર 25% કામગીરી પૂર્ણ થયાનો સુરત કલેક્ટરનો ખુલાસો સંકલન બેઠકમાં BLOની સમસ્યાઓને લઈને ચર્ચા થઈ હતી અને કલેક્ટર સમક્ષ અનેક ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. આ અંગે ખુલાસો કરતાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, સુરતમાં અત્યાર સુધીમાં માત્ર 25 ટકા SIRની કામગીરી જ પૂર્ણ થઈ છે.તેમણે સ્વીકાર્યું કે BLOને પડતી સમસ્યાઓ અંગે રજૂઆતો મળી છે. જોકે, કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે BLO પાસે વધારે પડતું કામ કરાવવામાં આવતું નથી, તેમને માત્ર તેમના વિસ્તારમાં સોંપવામાં આવેલી કામગીરી જ કરાવવામાં આવે છે. હાલમાં 10 ટકા ફોર્મ રૂબરૂ મેળવવામાં આવ્યા છે.અન્ય એક મુદ્દા તરીકે, આ બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ રાશનની દુકાનો પર મળવાપાત્ર અનાજના બોર્ડ લગાવવા અંગે રજૂઆત કરી હતી. BLOની સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરીએક તરફ BLO માનસિક તણાવ અને કામગીરીના ભારણથી પીડાઈ રહ્યા છે અને બીજી તરફ તેમની કામગીરી ધીમી હોવાની ધારાસભ્યો દ્વારા ફરિયાદ થઈ રહી છે. આ બે વિરોધાભાસી પરિસ્થિતિ વચ્ચે ધારાસભ્ય મનુ પટેલનું 'રાષ્ટ્રની સમસ્યા' ગણીને આગળ વધવાનું નિવેદન BLOની વાસ્તવિક સમસ્યાઓ પર વિચારણા કરવાને બદલે તેને ટાળવાનો પ્રયાસ હોય તેમ લાગી રહ્યું છે. સરકારે તાત્કાલિક BLOની સમસ્યાઓમાં ઊંડાણપૂર્વક ઉતરીને યોગ્ય ઉકેલ લાવવો જરૂરી છે, જેથી SIRનું મિશન સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:08 pm

પાલનપુરમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પ:દિવ્યાંગો, વૃદ્ધો, વિચરતી વિમુક્ત જાતિને ફોર્મ ભરવા માર્ગદર્શન અપાયું

પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું. વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વડીલો, દિવ્યાંગો અને વિચરતી-વિમુક્ત જાતિના લોકોને મતદાર યાદી સુધારણા ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય SIR ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો હતો. બીએલઓ અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વિચરતી-વિમુક્ત જાતિ, અંધ, અશક્ત અને વૃદ્ધ લોકો માટે ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. ફોર્મ ક્યારે અને કોને જમા કરાવવું તેની પણ વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં સમાજ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તેમજ સેક્ટર અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, હાલ પાલનપુરના તમામ બૂથો પર મતદાર યાદી સુધારણા માટે મેગા કેમ્પનું પણ આયોજન ચાલી રહ્યું છે. આ મેગા કેમ્પ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સવારે 9:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ફોર્મ ભરીને બૂથ પર બીએલઓને જમા કરાવે, જેથી મતદાર યાદી સુધારણાની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે. આ અંગે BLO કનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, એસઆઈઆરની કામગીરી પાલનપુર ખાતે હાલ જે ચાલુ છે તે માટે વિચરતી વિમુક્તિ જાતિ અંધ અને અશક્ત તથા વૃદ્ધ લોકો માટે જે ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય છે તે અનુસંધાને વિશ્રાંતિ ગરઢાગરની અંદર આજે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું એનું સંપૂર્ણ માર્ગદર્શન એમને પૂરું પાડવામાં આવ્યું છે અને એ ફોર્મ ક્યારે અને કોની જોડે જમા કરાવવું એ તમામ વિગતો અહીંયા આપવામાં આવી છે. કનુભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, આ કેમ્પની અંદર સમાજ સુરક્ષા અધિકારી એમની ટીમ તથા અમારા સેક્ટર એ તમામ હાજર રહી અને આ કેમ્પ કરવામાં આવે છે. બીજુ કે હાલ પાલનપુરના તમામ બૂથો ઉપર મેગા કેમ્પનું પણ આયોજન ચાલુ છે. ત્રણ દિવસ એટલે કે શુક્ર, શનિ અને રવિવાર આ ત્રણ દિવસ સવારે 9:00 વાગ્યાથી લઈ સાંજે 4:00 વાગ્યા સુધી મેગા કેમ્પનું આયોજન ચાલુ છે. અમે અપીલ કરીએ છીએ કે તમામ મતદારો પોતે પોતાનું ફોર્મ લઈ બૂથ ઉપર જઈ સંપૂર્ણ ભરી અને બીએલઓ ને જમા કરાવે જેથી આ કામગીરી સમય મર્યાદાની અંદર એ પૂર્ણ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 2:04 pm

શિક્ષકોને BLO સહાયક તરીકે જોડવાનો વિરોધ:વાંસદા શિક્ષક સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું, શૈક્ષણિક કાર્ય પર અસર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. શિક્ષકોને બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) સહાયક તરીકે જોડવાના નિર્ણય સામે વાંસદા શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે. સંઘનું કહેવું છે કે બી.એલ.ઓ.ની કામગીરીમાં સહાયક શિક્ષકોને જોડવાથી શાળામાં બાળકોના અભ્યાસ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. સહાયક શિક્ષકોની નિમણૂક શૈક્ષણિક કાર્ય માટે કરવામાં આવી છે, તેથી તેમને શાળામાં જ અભ્યાસ કરાવવા દેવા જોઈએ. વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રીએ આવેદનમાં જણાવ્યું છે કે હાલના હુકમ મુજબ દરેક શાળામાં ઓછામાં ઓછા બે બી.એલ.ઓ. છે જ, અને વધુ સહાયકોની નિમણૂક થતા શાળામાં મહેકમ મુજબ શિક્ષકોની સંખ્યા ઓછી પડે છે. આનાથી શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે ચાલી શકતું નથી. શિક્ષક સંઘે માંગ કરી છે કે બી.એલ.ઓ. સહાયક તરીકે શિક્ષક મિત્રોના થયેલા ઓર્ડર તાત્કાલિક રદ કરવામાં આવે. તેના બદલે અન્ય કેડરના કર્મચારીઓને બી.એલ.ઓ. સહાયક તરીકે ઓર્ડર આપવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો એક દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો બી.એલ.ઓ.ની કામગીરી કરતા શિક્ષકો દ્વારા કામગીરી બંધ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:48 pm

અમરેલીના ત્રણ મંદિરોમાં ચોરી, CCTV:લીલીયાના અંટાલેશ્વર મહાદેવ સહિત ત્રણ મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, 39,000થી વધુનો મુદ્દામાલ ચોરાયો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં તસ્કરોએ ત્રણ ધાર્મિક મંદિરોને નિશાન બનાવ્યા છે. અંટાલેશ્વર મહાદેવ મંદિર સહિતના સ્થળોએથી કુલ ₹39,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ લીલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિઠલભાઈ વિરજીભાઈ માંદલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અંટાળીયા ગામમાં આવેલા અંટાલેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહનું તાળું તોડી દાનપેટીમાંથી આશરે ₹5,000ની ચોરી થઈ હતી. પ્રેમસાહેબ આશ્રમ મંદિરની દાનપેટીમાંથી આશરે ₹2,000, ડોબરીયા પરિવારના ખોડિયાર માતાના મઢની દાનપેટીમાંથી આશરે ₹15,000 અને લાઠીયા પરિવારના ખોડિયાર માતાજીના મઢના કબાટમાંથી આશરે ₹15,500ની ચોરી થઈ હતી. આ ઉપરાંત, જાત્રુડા ગામ નજીક આવેલા દોમડીયા પરિવારના નાગબાઈ માતાના મંદિરમાંથી આશરે ₹1,500ની ચોરી થઈ હતી. આમ, અજાણ્યા ઈસમો દ્વારા કુલ ₹39,000ની ચોરી કરવામાં આવી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરો મોઢે રૂમાલ બાંધી મંદિરોમાં પ્રવેશતા અને દાનપેટીઓ તોડી રોકડ રકમ ચોરતા સ્પષ્ટ દેખાય છે. આ ફૂટેજના આધારે લીલીયા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની ટીમોએ તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:47 pm

આણંદ કૃષિ યુનિવર્સિટી કબડ્ડી, ખો-ખોમાં ચેમ્પિયન:જૂનાગઢ ખાતે આંતર કૃષિ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં જીત મેળવી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય આંતર કૃષિ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કબડ્ડી (ભાઈઓ) અને ખો-ખો (ભાઈઓ) સ્પર્ધામાં ચેમ્પિયનશિપ જીતી છે. આ ટુર્નામેન્ટ જૂનાગઢ ખાતે યોજાઈ હતી, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલ 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કુલપતિ ડૉ. કે.બી. કથીરીયા અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડૉ. ડી.એચ. પટેલે તમામ વિજેતાઓ અને સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં ડૉ. જીગર મીસ્ત્રી અને ડૉ. હિમાંશુ પટેલે ટીમ મેનેજર તરીકે ફરજ બજાવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:44 pm

સુરેન્દ્રનગરમાં પોસ્ટ મોન્સૂન બ્રિજ ઇન્સ્પેક્શન:તમામ તાલુકાઓના મેજર બ્રિજનો વિગતવાર સર્વે કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય દ્વારા ચોમાસા પછીના પુલ નિરીક્ષણ (પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શન)ની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા મુખ્ય પુલોનો વિગતવાર સર્વે કરવામાં આવ્યો હચો. પ્રાથમિક નિરીક્ષણ બાદ, આ કામગીરીની વિગતવાર ચકાસણી રાજકોટ માર્ગ અને મકાન વર્તુળ એક (રાજ્ય)ના અધિક્ષક ઇજનેર એન.કે. પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. તેમણે ફિલ્ડ સ્ટાફ સાથે રાખીને જાતે જ આ સર્વેમાં ભાગ લીધો હતો અને નાયબ કાર્યપાલક ઇજનેરો તથા સેક્શન ઓફિસરો દ્વારા કરવામાં આવેલી તમામ વિગતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન માર્ગ સલામતી (રોડ સેફટી) તથા રસ્તાઓ અને પુલોના તમામ મહત્વના માળખાકીય મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા. અધિક્ષક ઇજનેર એન.કે. પ્રજાપતિએ પુલોની જાળવણી અને સુરક્ષા સંબંધિત અનેક મહત્વના સૂચનો પણ ફિલ્ડ સ્ટાફને આપ્યા હતા. આ સર્વેક્ષણમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય તાલુકાઓ જેવા કે ચોટીલા, થાનગઢ, વઢવાણ, સાયલા, મૂળી, ધ્રાંગધ્રા અને પાટડીના વિવિધ પુલોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેના અંતે, ભવિષ્યમાં જાહેર સલામતી જાળવવા માટે લેવાના થતા સલામતીના પગલાંઓ અંગે તમામ ફિલ્ડ સ્ટાફને અધિક્ષક ઇજનેર તથા કાર્યપાલક ઇજનેર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. આ કામગીરી જિલ્લામાં માર્ગ પરિવહનની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિભાગની કટિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:41 pm

બોટાદ LCBએ મોબાઈલ ચોરને પકડ્યો:રૂરલ વિસ્તારમાંથી ચોરાયેલો ફોન જપ્ત, વધુ તપાસ શરૂ

બોટાદ LCB પોલીસે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪૧ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. આ ગુનો અનડિટેક હતો, જેને પોલીસે ડિટેક કર્યો છે. પોલીસે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કનકાપુરા ગામના રહેવાસી પ્રતાપસિંહ નાનસિંહ ચાવડાની ધરપકડ કરી છે. ચોરી કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. LCB PI એ. જી. સોલંકી અને તેમની ટીમે સઘન શોધખોળ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ આરોપીએ અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:40 pm

ભણતરની સાથે સ્વચ્છતા અને સ્વરોજગારના પાઠ:તાપીના ઇન્દુની એકલવ્ય સ્કૂલમાં આધુનિક સાયન્સ લેબનું લોકાર્પણ, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા જૈવિક ખાતરનું લોંચિગ

તાપી જિલ્લાના ઇન્દુ ગામ ખાતે આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ (EMRS)આજે શિક્ષણમાં નવીનતા, વિજ્ઞાનમાં પર્યાવરણ અને અભ્યાસમાં આત્મનિર્ભરતાના ત્રિવેણી સંગમનો સાક્ષી બની હતી. શુક્રવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓને આધુનિક અને પ્રયોગ આધારિત શિક્ષણ મળી રહે તે હેતુથી સુસજ્જ સાયન્સ લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), અને પ્રયોજના અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીન સાયન્સ લેબ આદિવાસી બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવામાં અને તેમના સર્વાંગી વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. સ્વચ્છતા અને સ્વરોજગારનો પાઠ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા જૈવિક ખાતર (કોમ્પોસ્ટ) ના પેકેજિંગનું લોકાર્પણ કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાના જૈવિક કચરાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને આ ખાતર તૈયાર કર્યું છે. અધિકારીઓ દ્વારા તેના પેકેજિંગનું અનાવરણ કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ માત્ર શૈક્ષણિક અભ્યાસ જ નહીં, પરંતુ બાળકોને જીવન જીવવાની કળા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વરોજગારની સંભાવનાઓ પણ સમજાવવાનો છે. આ પ્રયાસોથી બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધશે અને તેઓ કુદરત સાથે તાલમેલ સાધીને ભવિષ્યમાં આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત થશે. પ્રયોગ આધારિત શિક્ષણ પર ભારનવીન અને સુસજ્જ સાયન્સ લેબ બાળકોને પ્રયોગ આધારિત શિક્ષણ પૂરું પાડશે, જે વિજ્ઞાનના સિદ્ધાંતોને માત્ર પુસ્તકો પૂરતા સીમિત રાખવાને બદલે વ્યવહારિક રીતે સમજવામાં મદદ કરશે. અધિકારીઓએ વિદ્યાર્થીઓની આ પર્યાવરણ-લક્ષી પહેલની પ્રશંસા કરી હતી અને અન્ય શાળાઓને પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:38 pm

ગરબાડા હાઇવે પર રોંગ સાઇડે આવતી કારે બાઇકને ઉછાળ્યું, CCTV:બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત, પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ

દાહોદ-અલીરાજપુર નેશનલ હાઇવે પર ગરબાડા નજીક ગત રોજ થયેલા એક ગંભીર અકસ્માતનો CCTV વીડિયો સામે આવ્યો છે. આ અકસ્માતમાં રોંગ સાઇડથી પૂરપાટ ઝડપે આવેલી કારે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના ગરબાડા પેટ્રોલ પંપ નજીક બની હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર રોંગ સાઇડથી આવી રહી હતી અને તેણે સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક લગભગ ૫૦ મીટરથી વધુ દૂર સુધી ઘસડાઈ ગયું હતું. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે બાઇક પર પાછળ બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન રોક્યા વગર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગરબાડા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. આ ભયાનક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:38 pm

ભરૂચ જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો:આગામી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે રાજ્યમાં ઠંડીની શક્યતા યથાવત્ છે, જ્યારે આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ દિશાની પવનપ્રવૃત્તિ વધી હોવાના કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો નાનો વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાતો મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધી શકે છે અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ખેતી વિસ્તાર માટે હવામાન વિભાગે ચેતવણીરૂપ સલાહ આપી છે કે પવનની ગતિ વધી રહી હોય ત્યારે પાકમાં દવાઓનો છંટકાવ ન કરવામાં આવે. પવનની ગતિ ઓછી હોય ત્યારે જ દવાનો છંટકાવ કરવો તથા ખાતરનો યોગ્ય ઉપયોગ કરીને પાકની કાળજી રાખવી જરૂરી છે. ઠંડી વધતા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘર અને ઓફિસોમાં એસીનો ઉપયોગ ઘટ્યો છે અને પંખા ધીમા ઝડપે ચલાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભેજમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:34 pm

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની જાહેરાત:ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ ધપાવવા ગુજરાત સરકારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS)ને કેન્દ્રમાં રાખીને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન તેજ કર્યો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ગાંધીનગરની ધ લીલા હોટેલમાં યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આ દિશામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં મોટા પગલા ભરી રહ્યું છેઃ મોઢવાડિયામંત્રીએ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે વિશ્વ-કક્ષાની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઉભી કરી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં મોટા પગલા ભરી રહ્યું છે. આ કોન્ફરન્સમાં TATA Electronics, Kaynes, CG Semi, GnBS Korea, SyrmaSGS, Epitomem Unitio અને Mink9 જેવા 25થી વધુ અગ્રણીઓએ ભાગ લીધો હતો. ઉદ્યોગ નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની સીધી ચર્ચાએ નીતિને વાસ્તવિક ઉત્પાદનની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવા તેમજ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણને માર્ગદર્શન આપ્યું હતું. ‘ગુજરાતને ESDM ક્ષેત્રે મહત્ત્વના ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરશે’મંત્રી મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશનને સાકાર કરવા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સનું સ્વદેશીકરણ અત્યંત જરૂરી છે. પેસિવ કમ્પોનન્ટ્સ અને PCBથી લઈને અદ્યતન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુધીના અપસ્ટ્રીમ સેગમેન્ટમાં રોકાણ આકર્ષી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો ગુજરાતનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. આ પ્રયત્નો નવા રોકાણ, હજારો હાઈ-સ્કિલ નોકરીઓ અને ગુજરાતને ESDM ક્ષેત્રે મહત્ત્વના ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરશે. GSEMના મિશન ડાયરેક્ટરનું ‘એડવાન્ટેજ ગુજરાત’ પર પ્રેઝન્ટેશનસત્રની શરૂઆતમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM)ના મિશન ડાયરેક્ટર નેહા કુમારીએ ‘એડવાન્ટેજ ગુજરાત’ પર પ્રેઝન્ટેશન આપ્યું. જેમાં રાજ્યની ઇલેક્ટ્રોનિક્સ નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને કમ્પોનન્ટ ઉત્પાદકો માટેના વિશેષ પ્રોત્સાહનોની વિગત રજૂ કરવામાં આવી હતી. સચિવ પી. ભારતીના સંબોધનમાં ગુજરાતના ઔદ્યોગિક લક્ષ્યો માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણ રજૂ થયો. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM)GSEMએ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ઇકોસિસ્ટમ નિર્માણને પ્રોત્સાહન આપતું નોડલ એજન્સી છે, જે રાજ્યને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:26 pm

હિંમતનગરની AR કેપિટલ-કન્સલ્ટન્સીનું ઉઠમણું:BSFના પૂર્વ ક્રોકોડાઈલ કમાન્ડો સહિત અનેક રોકાણકારો પાસે પોન્જી સ્કીમમાં 80 લાખથી વધુનું રોકાણ કરાવી ઠગાઈ

હિંમતનગર ખાતે આવેલી AR કેપિટલ સર્વિસીસ અને AR કન્સલ્ટન્સી નામની કંપનીઓના ડાયરેક્ટર અને ભાગીદારો વિરુદ્ધ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. BSFના પૂર્વ ક્રોકોડાઈલ કમાન્ડો સહિત અનેક રોકાણકારો પાસે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી 80 લાખથી વધુની ઠગાઈ આચરી ડાયરેક્ટરોએ કંપની બંધ કરી દેતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. BSFના પૂર્વ કમાન્ડોને ઊંચા વ્યાજની લાલચ આપીબોર્ડર સિક્યુરિટી ફોર્સના પૂર્વ ક્રોકોડાયલ કમાન્ડો સંજયસિંહ કલાભાઈ રાવત પ્રથમ સ્કેવર, સહકારી જીન રોડ, હિંમતનગર ખાતે સ્નેપ ગાર્ડ સિક્યુરીટી સર્વિસ LLP એજન્સી ચલાવે છે. તેમની ઓફિસના ત્રીજા માળે AR કેપિટલ સર્વિસિસ તથા AR કન્સલટન્સી આવેલી હતી, જ્યાં ડાયરેક્ટર તરીકે અજયસિંહ રજુસિંહ મકવાણા તથા ભાગીદાર તરીકે તેના પિતા રજુસિંહ લાલસિંહ મકવાણા તેમજ વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા AR નામથી પોન્ઝી સ્કીમ ચલાવતા હતા. માર્ચ 2024માં સંજયસિંહને અજયસિંહ રજુસિંહ મકવાણાએ લોભામણી સ્કીમ અને ઊંચા વ્યાજની લાલચ આપી માસિક 1% લેખે કમિશન આપવાની વાત કરી હતી. રોકાણની સાથે ભેંટ સ્વરૂપે સિક્કા આપવાનું કહ્યુંઅજયસિંહ મકવાણાએ તેમને લાલચ આપી કે, કંપનીની સ્કીમમાં રોકાણ કરશે, તો કંપની માસિક 1%થી 1.5% જેટલું વ્યાજ-વળતર આપશે. ચેકથી રોકાણ કરવા પર દર મહિનાની 7મી તારીખ સુધીમાં વળતર મળશે. જ્યારે રોકડમાં રોકાણ કરવા પર દર મહિનાની 15મી તારીખ સુધીમાં ઓફિસથી રોકડ ચૂકવણું મળશે. ઉપરાંત રોકાણકારોને માસિક 1% કમિશન તેમજ પાકતી મુદતે રોકાણની સાથે ભેંટ સ્વરૂપે સિક્કા આપવાની લાલચ આપવામાં આવી હતી. પૈસા માગતા રૂપિયા પરત ન કરવાની ધમકી આપીઆથી સૌ પ્રથમ સંજયસિંહે ત્યારબાદ અન્ય રોકાણકારોએ જાન્યુઆરી-2054થી માર્ચ-2025 સુધીમાં જુદા-જુદા તબક્કે કુલ 80 લાખથી વધુનું અલગ-અલગ સ્કીમોમાં રોકાણ કર્યું હતું. શરૂઆતમાં કંપની દ્વારા રોકાણ મુજબ વ્યાજ/વળતર નિયમિત ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ ફેબ્રુઆરી, 2025થી બધા રોકાણકારોને વળતર મળવાનું બંધ થઈ ગયું હતું. જે અંગે મેવારામ ગુર્જરે કંપનીના ડાયરેક્ટર અજયસિંહ મકવાણાનો સંપર્ક કર્યો, ત્યારે તેણે કંપનીને હાલ નાણાકીય તંગી હોવાનું કહી મહિનામાં બધી રકમ ચૂકવી દેવાની ખાત્રી આપી હતી. જો,કે બાદમાં નાણાં પરત કરવાને બદલે આરોપીઓએ ધમકી આપી હતી કે, જો તમે અમારી કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશો તો અમે તમને એક પણ રૂપિયો પરત આપીશું નહીં. CID ક્રાઈમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી ત્યારબાદ ડાયરેક્ટર અજયસિંહ મકવાણા તેની ઓફિસ તેમજ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. મેવારામને પાછળથી જાણવા મળ્યું હતું કે, ડાયરેક્ટર અજયસિંહ મકવાણા, રજુલસિંહ મકવાણા અને રાજવીરસિંહ દિલીપસિંહ રાઠોડએ ભેરવી સિક્યુરિટીઝ અને ભેરવી એન્ટરપ્રાઇઝ નામની અન્ય પેઢીઓ દ્વારા પણ રોકાણકારોને આવી જ લોભામણી સ્કીમ આપીને છેતર્યા છે. આ અંગે ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:16 pm

સૂતારવાડા બજારમાં સુવિધાઓ સુધારવા વેપારીઓની માંગ:આમ આદમી પાર્ટીએ મનપા કમિશનરને આવેદન આપ્યું

સૂતારવાડા વિસ્તારના વેપારીઓએ આમ આદમી પાર્ટીના સમર્થન સાથે વહીવટદાર (કલેકટર) અને મહાનગરપાલિકા કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું છે. વેપારીઓએ તાત્કાલિક જાહેર સુવિધાઓ સુધારવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે આ વિસ્તાર લોકસુવિધા અને જન આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત જર્જરિત હાલતમાં છે અને જરૂરી સુવિધાઓનો અભાવ સતત મુશ્કેલી ઊભી કરે છે. વેપારીઓએ માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું કે સુતારવાડા વિસ્તારનો માર્ગ અત્યંત ખાડાવાળો છે. તાજેતરમાં પેચવર્ક થયું હોવા છતાં તેનું પરિણામ સંતોષકારક નથી. સતત વાહનવ્યવહારથી ધૂળનું પ્રમાણ વધી ગયું છે, જેનાથી ફેફસાં સંબંધિત બીમારીઓનો ભય ઊભો થયો છે. વેપારીઓએ તાત્કાલિક ધોરણે માર્ગને યોગ્ય રીતે સુધારવાની માંગ કરી છે. આ ઉપરાંત, વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે વેપારીઓને માલની અવરજવરમાં મુશ્કેલી પડે છે. અંધકારને કારણે ચોરી અને ઉંચડકા જેવા બનાવોનો ભય પણ વધ્યો છે. વેપારીઓએ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક શરૂ કરવા વિનંતી કરી છે. જાહેર શૌચાલયની સ્થિતિ પણ અત્યંત ખરાબ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. શૌચાલય જર્જરિત છે, તૂટી ગયેલું છે અને તેમાં પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. દુર્ગંધ અને ગંદકીના કારણે બજાર વિસ્તારમાં આવનારા લોકો અને આખો દિવસ હાજર રહેતા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જાહેર શૌચાલયને તાત્કાલિક સુધારી યોગ્ય સફાઈ અને પાણીની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. વેપારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ નિયમિતપણે કરવેરા ચૂકવે છે અને સ્થાનિક સુવિધાઓ મેળવવાનો તેમનો નાગરિક અધિકાર છે. તેથી, આવેદનને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે કમિશનર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે રોડના કામો બને એટલા જલ્દી શરૂ કરી દેવામાં આવશે અને ઘટતી સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરા પ્રયાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:07 pm

'મિલકત પચાવતી ગેંગ સાથે ચાંદખેડા પોલીસનું સેટિંગ છે':ભાડે આપેલી દુકાન હડપવા આરોપીઓએ પૈસા પડાવ્યા, ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતાં પોલીસ મળેલી હોવાનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં સિનિયર સિટીઝનની મિલકતો પચાવવાનું કામ કરનારી ઓર્ગેનાઈઝડ ગેંગ કામ કરી રહી છે અને તેમની મિલકત પચાવી પાડી હોવા અંગેની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ગેંગનું તેમની સાથે અંગત સેટિંગ છે જેથી તેમને છાવરવામાં આવી રહ્યા છે. વૃદ્ધની મિલકતનો ચારથી પાંચ શખસો દ્વારા કબ્જો મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેથી આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સગા ભાઈ-બહેન સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીને 11 મહિનાના ભાડા કરાર સાથે દુકાન ભાડે આપવામાં આવીશહેરના ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સુભાષનગરમાં રહેતા મહેન્દ્રસિંહ તલવાડીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મોટેરા ખાતે આશ્રમ ચોકડી નજીક નારાયણ સ્વામી એપાર્ટમેન્ટ એન્ડ શોપમાં તેમની દુકાન આવેલી છે. વર્ષ 2024માં નીલમ ધરમ શાહને 11 મહિનાને 29 દિવસના ભાડા કરાર સાથે માસિક 18,150ના ભાડા પર દુકાન ભાડે આપવામાં આવી હતી. નીલમ શાહ દ્વારા તેમને હેરાન કરવામાં આવ્યો હતો અને દર મહિને 50 દિવસ પછી જ ત્રણ-ચાર ધક્કા ખવડાવીને ભાડું આપવામાં આવતું હતું. આ બાબતે તેમને જાણ કરવામાં આવી હતી છતાં પણ તેઓ દ્વારા સુધારો ન આવતા તેમને નોટિસ મોકલાવવામાં આવી હતી. બે મહિનામાં ભાડા કરાર રદ કરવા માટે થઈને જાણ કરી હતી અને બાદમાં નીલમ પોતે દુકાન ખાલી કરી દેશે તેવું કહ્યું હતું. આરોપી નીલમને મળવા પહોંચ્યા તો તેના ત્રણ ભાઈઓ આવી ગયાએપ્રિલ 2025ના રોજ નીલમ દ્વારા તેમના વકીલ મારફતે મહેન્દ્ર સિંહને દુકાન નહીં ખાલી કરવાની નોટિસ મોકલી હતી જેથી તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. આ બાબતે ફોન કરીને નીલમને જાણ કરતા રૂબરૂ મળવાનું કહ્યું હતું. મહેન્દ્ર સિંહનો પુત્ર રાહુલ દુકાને ગયો હતો. જ્યાં નીલમના ભાઈ સંજય, ધનંજય અને મૃત્યુંજય ત્રણેય આવી ગયા હતા. રાહુલ અને તેના પિતાને સ્પષ્ટ કહ્યું હતું કે, અમે જમીન અને મિલકત પચાવી પાડવાનો જ ધંધો કરીએ છીએ અને જો મિલકત પરત જોઈતી હોય તો જગ્યા ખાલી કરવાના પાંચ લાખ રૂપિયા આપવા પડશે. કોર્ટમાં અને પોલીસમાં અમારું સારું સેટિંગ છે, તમારી જેમ બીજા સિનિયર સિટીઝન વાળી પણ જગ્યા પચાવી પાડેલી છે. જેની તેમને સીટી ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમની નોટિસ પણ બતાવી હતી જેથી પિતા-પુત્ર ખૂબ જ ગભરાઈ ગયા હતા. વૃદ્ધની દુકાનનું તાળું તોડી કેટલાક શખસો અંદર ઘૂસી ગયાપિતા-પુત્ર પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી પૈસા ઓછા કરવાનું કહ્યું હતું અને 3.50 લાખ રૂપિયા આપવાના નક્કી થયા હતા અને જે પૈસા સંજય ધનંજય અને મૃત્યુંજયને આપ્યા હતા. 3 મે 2025ના રોજ તેમની દુકાન ખાલી કરી કબજો આપવામાં આવશે તેમ કહેતા સવારે તેઓએ દુકાનનો કબજો મેળવી અને તાળા લગાવી દીધા હતા. આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સવારે 11:15 વાગ્યે જાણ પણ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઈ-મેલથી પણ જાણ કરી હતી. બપોરના સમયે મહેન્દ્ર સિંહને જાણ થઈ હતી કે તેમની દુકાન પર તાળા તોડીને કેટલાક લોકો ઘૂસી ગયા છે. જેથી પિતા-પુત્ર ત્યાં જતા નીલમ અને અજાણ્યા ઈસમો ત્યાં બેઠા હતા અને ધમકી આપી હતી કે, તમારી મિલકત ભૂલી જાઓ હવે પછી જો આ મિલકત પર આવશો તો તમારા પર ખોટા પોલીસ કેસ કરવામાં આવશે. જેથી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ સાંજે 4:50 વાગ્યે લેખિતમાં આ બાબતે ફરિયાદ કરી હતી છતાં પણ ચાંદખેડા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન્હોતી. 'આરોપીઓ ઓર્ગેનાઈઝ ગેંગ ચલાવે છે અને પોલીસમાં સેટિંગ છે'ફરિયાદી વૃદ્ધ મહેન્દ્ર સિંહે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ આરોપીઓ એક ઓર્ગેનાઈઝ ગેંગ ચલાવે છે અને આરોપીઓનું પોલીસમાં સેટિંગ છે. ચાંદખેડા પોલીસ કર્મચારીઓ સાથે અંગત સેટિંગ હોવાથી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આવા પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. આ તમામ ઘટનાને લઈને પુરાવાઓ સાથે વૃદ્ધ મહેન્દ્ર સિંહ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નીલમ, સંજય, ધનંજય, મૃત્યુંજય અને અજાણ્યા બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'કોર્ટમાં દાવો ચાલી રહ્યો હોવાથી કોઈ કાર્યવાહી કરી ન શકીએ'ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ એચ.એમ. આહીરે જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ તેમનો સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો હતો. જેથી પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરી ન શકે કોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છે તે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ પુરાવાઓ બાદ આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:04 pm

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નો વાઇફાઇ - નો વોટર:કોંગ્રેસ નેતા વસાવડાનું ઉડ્ડયન મંત્રીને ટ્વીટ - રૂ.326 કરોડના ખર્ચે નિર્મિત હવાઈ ટર્મિનલમાં અસુવિધાઓ, AIIMS માં પૂર્ણકાલીન તબીબો નથી, સિવિલમાં કેથલેબ નથી

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં મોબાઈલ નેટવર્ક, ઇન્ટરનેટ અને વાઇફાઇની સુવિધા ન મળતા હવાઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયો હોવાનું ટ્વીટ કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડા દ્વારા દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડૂને કરવામાં આવી છે. આ સાથે જ રૂ.326 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા નવા ટર્મિનલમાં ટોયલેટમાં સતત પાણી આવતું નથી. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેથલેબ શરૂ થઈ નથી. આ ઉપરાંત ગુજરાતની એક માત્ર AIIMS માં 5 વર્ષ બાદ પણ પૂર્ણકાલીન તબીબો નથી. જેથી તાત્કાલિક ઘટતુ કરવામાં આવે તે જરૂરી છે. રાજકોટ કોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, કહેવાતા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રૂપિયા 326 કરોડના ખર્ચે નવું ટર્મિનલ નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી. આ ઉપરાંત ઇન્ટરનેટ કનેક્શન પણ આવતું નથી તો વાઇફાઇ રાખવામાં આવ્યું છે તે પણ યોગ્ય રીતે ચાલતું નથી. ટોયલેટમાં સતત પાણી મળતું નથી. જેને કારણે હવાઈ મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી મુસાફરોની આ સમસ્યા બાબતે દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડૂને ટ્વીટ કરવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટની વેબસાઈટ ઉપર જે નંબર લખવામાં આવેલા છે તેમાં ફોન કોઈ વખત અસ્તિત્વમાં આવતો નથી અથવા તો કોઈ પણ ઉપાડતું નથી. પ્રજાના સર્વન્ટ ગણાતા એરપોર્ટ ડાયરેક્ટરની કોઈપણ પ્રકારની માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નથી જેથી મુસાફરોએ ફરિયાદ કરવી હોય તો ક્યાં કરે તે સૌથી મોટો સવાલ છે. જેથી આ ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને, વેપારીઓ સહિતનાઓને એ અપેક્ષા હતી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે પરંતુ તે પણ શરૂ થઈ નથી. ડોમેસ્ટિક ફ્લાઈટ છે ચાલી રહી છે તે પણ ઘણી વખત સમય અનુસાર હોતી નથી અથવા તો મોડી આવે છે. જેથી ઘણી વખત કંટાળીને હવાઈ મુસાફરો રાજકોટ થી 180 કિલોમીટર દૂર અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરવાનું પસંદ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી નાખવામાં આવી અને AIIMS લાવવામાં આવી. પાંચ વર્ષ થયા બાદ પણ તમામ ફેકલ્ટીમાં પૂર્ણકાલીન તબીબો નથી. મશીનો ચાલતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરદીઓ માટે ખૂબ જ અગત્યની કેથલેબની સુવિધા હજુ સુધી શરૂ થઈ નથી. ભાજપ સરકાર લીંબડ જસ ખાટવા માટે અને પ્રોજેક્ટ વહેલાસર ખુલ્લા મૂકી દે છે સરકાર દ્વારા અને તેમાં સુવિધા ન હોવાથી મુસાફરો હેરાનગતિ ભોગવે છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 1:01 pm

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે માગશર મહિનાનો પ્રારંભ:માગશરી પૂનમ 4 ડિસેમ્બરે, મંગળા આરતી સવારે 6.30 કલાકે થશે, માઈભક્તો ઉમટી પડશે

સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબિકા માતાજીના મંદિરે માગશર સુદ-15 (પૂનમ) ગુરુવાર, 4 ડિસેમ્બર 2025ના રોજ છે. આ દિવસે સવારે 6.30 કલાકે મંગળા આરતી થશે. જિલ્લા અને રાજ્યભરમાંથી ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે. વર્ષ 2026માં પોષ સુદ-15 (પૂનમ) શનિવાર, 3 જાન્યુઆરી 2026ના રોજ આવશે. આ દિવસે પણ સવારે 6.30 કલાકે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, 21 નવેમ્બર 2025, શુક્રવારે માગશર સુદ એકમ છે. અન્ય મહત્વની તિથિઓમાં, 28 નવેમ્બર 2025, શુક્રવારે માગશર સુદ-11ના રોજ ગીતા જયંતી છે. 7 ડિસેમ્બર 2025, રવિવારે માગશર સુદ ત્રીજના રોજ સંકટ ચતુર્થી છે. 15 ડિસેમ્બર 2025, સોમવારે માગશર વદ અગિયારસના રોજ સફલા એકાદશી છે, અને 19 ડિસેમ્બર 2025, શુક્રવારે માગશર વદ 30ના રોજ દર્શ અમાવસ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 12:45 pm

યુવકે ઇનામની લાલચમાં 2 લાખ ગુમાવ્યા:દુબઈથી કોલ આવ્યો ને કહ્યું, ઇનામ લાગ્યું છે, પાર્સલ મુંબઈ એરપોર્ટ પહોંચ્યું, 20 હજાર જમા કરાવો

વડોદરા શહેર જિલ્લામાં ઠગાઇના કિસ્સાઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજના આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં લોકો કોઈને કોઈ કારણોસર ઠગાઇનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરાના વાઘોડિયાનો યુવાન ઇનામની લાલચમાં આવી રૂપિયા 2.75 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકે ઇનામની લાલચમાં પૈસા ગુમાવ્યા વાઘોડીયા તાલુકાના ફળિયુ ગામે રહેતા 32 વર્ષીય યુવાન વિનોદભાઈ બળવંતભાઈ પઢિયારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, અજાણ્યા સાયબર ઠગોએ દુબઈની ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ કંપનીના નામે ખોટું ઈનામ લાગ્યાનું લાલચ આપીને તેમની પાસેથી ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા 2.75 લાખથી વધુની રકમ પડાવી હતી. તેઓ કંપનીમાં નોકરી કરે છે અને ફેસબુકના ઉપયોગ સમયે એક ફોટા પર ક્લિક કરતાં જ તેઓને વોટ્સએપ પર કોલ આવ્યો હતો. ગીફ્ટ પાર્સલ મુંબઈ એરપોર્ટ પર આવી ગયું, 20 હજાર જમા કરાવોકૉલ કરનાર વ્યક્તિએ પોતાને દુબઈની ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ (ભડેભાઈ છોટેભાઈ)નો છોટેભાઈ ગણાવી હિન્દીમાં વાત કરી હતી અને જણાવ્યું હતું કે,તમને મોટું ઈનામ લાગ્યું છે, બે iPhone, સોનાની વીંટી, સોનાની કડાં, સોનાનું ડોકિયું અને રૂપિયા 5 લાખ રોકડા લાગ્યા છે. તમારું ગીફ્ટ પાર્સલ મુંબઈ એરપોર્ટ પર આવી ગયું છે, માત્ર રૂપિયા 20 હજાર જમા કરાવવાના રહેશે. આ લાલચમાં આવીને વિનોદભાઈએ ઠગોના કહેવા મુજબ વિવિધ ખાતાઓમાં કુલ રૂપિયા 2,75,000 જમા કરાવ્યા હતા. ફરિયાદ નોંધાઈફરિયાદીને પૈસા જમા કરાવ્યા છતાં કઈ ઇનામ ન મળતા શંકા ગઈ હતી અને બાદમાં તેઓએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી તાત્કાલિક આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાલમાં વાઘોડિયા પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 12:32 pm

દાગીના બનાવતા પિતા-પુત્રો દોઢ કરોડનું સોનું લઈ ફરાર:સુવર્ણ શિલ્પી જ્વેલર્સની ફેક્ટરીમાં કામ કરતા હતાં, સોનાના વજનમાં ઘટ કરતા ત્રણેય સામે ફરિયાદ

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સુવર્ણ શિલ્પી જ્વેલર્સ પ્રા.લી.ની ફેક્ટરીમાં કામ કરતા કારીગરોએ હાથ સાફ કર્યો છે. ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કારીગરો 1.45 કરોડ રૂપિયાનો 22 કેરેટ સોનુ લઈને ફરાર થઈ ગયા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ત્રણેય બાપ-દીકરાઓને દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનુ આપવામાં આવ્યું હતું. ત્રણેય બાપ-દીકરાઓએ સોનાના વજનમાં ઘટ કરી છેતરપિંડી આચરી છે. જેથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સુવર્ણ શિલ્પ જ્વેલર્સમાં આરોપીઓ કામ કરતા હતાંનવરંગપુરામાં સુવર્ણ શિલ્પ જ્વેલર્સ લી. કંપની ચલાવી સોનાના દાગીના બનાવી વેચવાનો ધંધો કરે છે, જેની સ્વસ્તિક ચાર રસ્તા પાસે સ્મૃતિ કુંજ ત્રણમાં દાગીના બનાવવાની ફેક્ટરી આવેલી છે. જ્યાં દાગીના બનાવવા માટે કારીગરો રાખવામાં આવ્યાં છે. દાગીના બનાવવા માટે 24 કેરેટ ફાઈન ગોલ્ડને 22 કેરેટના બનાવી તે કારીગરોને આપવામાં આવે છે. જે બાદ કારીગરો દ્વારા 22 કેરેટ ગોલ્ડમાંથી દાગીના બનાવી પરત આપવામાં આવે છે. દાગીના જે વજનના બને તે વજન પછી બાકી રહેતું ગોલ્ડ કારીગરો ફેક્ટરીમાં રાખતા હોય છે, જે ગોલ્ડનો હિસાબ પણ કરવામાં આવતો હોય છે. તેમજ કારીગરોને જ્યારે પણ દાગીના બનાવવા ગોલ્ડ આપવામાં આવે, ત્યારે તેની એન્ટ્રી લેઝરમાં કરવામાં આવતી હોય છે અને ગોલ્ડમાંથી દાગીના બનાવી પરત કરવામાં આવે તે પણ તેમાં દર્શાવી કારીગરોની રિસિવ વાઉચર પર સહી કરાવવામાં આવતી હોય છે. બાકીના દાગીના બીજા દિવસે આપવા કહ્યુંજેથી દાગીના બનાવવા માટે શાહનવાઝ મંડળ, મેહરાજ મંડળ અને સરફરાજ મંડળ નામના ત્રણેય બાપ-દીકરાઓને કામ માટે રાખવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં 537.780 ગ્રામ 22 કેરેટ ગોલ્ડ દાગીના બનાવવા માટે શાહ નવાજ મંડળને આપ્યું હતું. જેમાંથી તેને 423.020 ગ્રામ સોનાના દાગીના બનાવી પરત આપ્યું અને બાકી રહેલી ગોલ્ડ પછીથી બીજા દાગીના બનાવીને પરત કરવાનો હતો. જાણ કર્યા વગર કામ પર આવવાનું બંધ કરી દીધુત્યારબાદ શાહનવાઝ મંડળ અચાનક કોઈને જાણ કર્યા વગર કેટલાક દિવસથી કામ પર આવવાનું બંધ કરી દે છે. જે બાદ ફોન પણ ઉપાડવાનો બંધ કરી દે છે. જે બાદ તેના બે દીકરીએ પૂછતા માતાની તબિયત ખરાબ હોવાથી પશ્ચિમ બંગાળ ગયેલા હોવાનું જણાવ્યું હતું. જે બાદ પરત ન આવતા શંકાના આધારે ફેક્ટરીમાં તેમની ભેટી ચેક કરતા દાગીના બનાવવા માટે આપેલ 111.760 ગ્રામ સોનુ મળી આવતું નહોતું. પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરીજે બાદ શંકાના આધારે બંને પુત્રોને આપેલા દાગીનાની પણ ચકાસણી કરવામાં આવી હતી. મહેરાજ મંડળ નામના કારીગરે 765.790 ગ્રામ ગોલ્ડ પરત ના આપ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ સરફરાજ મંડળ નામના કારીગરે 748.570 ગ્રામ ગોલ્ડ અત્યાર સુધી પરત ના કર્યું હોવાનું ખુલ્યું હતું. ત્રણેય બાપ-દીકરાએ દાગીના બનાવવા આપેલા સોનાના વજનમાં 1626.120 ગ્રામ ગોલ્ડની ઘટ કરી 1.45 કરોડની છેતરપિંડી યાત્રી હોવાનું સામે આવ્યું હતું. જેથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય બાપ-દીકરાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 12:23 pm

144 દિવસ બાદ વિયર કમ કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો:તાપી નદીની સપાટી ભયજનક સ્તર નીચે પહોંચી, પાણીના વહેણને પગલે ડાઉન સ્ટ્રીમમાં ધોવાણ, સ્ટ્રેન્થનિંગ યોજના કાગળ પર

સુરતમાં કતારગામ અને રાંદેર ગામતળને જોડતા વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ હોય વાહનચાલકોની અવરજવર અસરગ્રસ્ત થઈ હતી. જેમાં હવે કોઝવેની સપાટી ભયજનક એટલે કે 6 મીટરથી નીચે ઉતરી 5.56 મીટરે પહોંચી હોય આજે કોઝવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે 31 કરોડના ખર્ચે બનેલા આ મહત્વપૂર્ણ કોઝવે પર ભૂતકાળમાં 14 કરોડનું સમારકામ કરવા છતાં, તેની માળખાકીય સ્થિતિ સતત કથળી રહી છે. કોઝવેના સ્ટ્રેન્થનિંગ (સશક્તિકરણ) માટેની મહત્વની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગત વર્ષે થયેલું નુકસાન આ વર્ષના ચોમાસામાં વધુ વકર્યું છે. છેલ્લા 144 દિવસથી બંધ કોઝવેને આજે ખુલ્લો મુકાયોચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 23 જૂનના રોજ જ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરને આંબી ગઈ હોય વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહનવ્યવહાર માટે શરૂ કરાયો હતો. જોકે, સાત જ દિવસમાં ફરીવાર 6 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા ફરી બંધ કરી દેવાયો હતો. છેલ્લા 144 દિવસથી બંધ કોઝવેને આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. કોઝવેની બન્ને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર અસરગ્રસ્તસિઝનમાં હમણાં સુધી જૂન માસમાં 8 દિવસ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 25 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, ઓક્ટોબરમાં 31 દિવસ અને હાલમાં નવેમ્બરમાં 20 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. જોકે, હવે કોઝવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી 5.56 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ચાલુ સિઝનમાં પાણીના વહેણને પગલે કોઝવેની બન્ને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર અસરગ્રસ્ત થયું છે. કોઝવે ખુલ્લો મુકાતા કતારગામ અને રાંદેરના હજારો લોકોને ફેરાવો લેવામાંથી રાહત મળશે. મોટા કોંક્રિટના ક્યુબ પણ બહાર નીકળી ગયાતાપી નદી પર વર્ષ 1995માં 31 કરોડના ખર્ચે આ વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો હતો. આ કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય છે. પાણીના અતિશય પ્રવાહને કારણે તેના ડાઉન સ્ટ્રીમ (નીચાણવાળા પ્રવાહ વિસ્તાર)માં ધોવાણ અને નુકસાન થવું સામાન્ય છે, પરંતુ ગત વર્ષે આ નુકસાન ખૂબ જ ગંભીર બન્યું હતું. ગત ચોમાસામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં આવેલું એપ્રેન (સંરક્ષણ માળખું) ધોવાઈ ગયું હતું. ડાઉન સ્ટ્રીમમાં જમીન બેસી જતાં પાલિકાએ સુરક્ષા માટે મૂકેલા મોટા કોંક્રિટના ક્યુબ પણ બહાર નીકળી ગયા હતા. સ્ટ્રેન્થનિંગ યોજના મનપાના કાગળ પરગત ચોમાસા બાદ કોઝવેમાં થયેલા ગંભીર નુકસાનને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા તેના સ્ટ્રેન્થનિંગની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત કોઝવેની ક્ષતિઓ અને આવશ્યક સમારકામ માટે રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ પાસે સર્વે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, વિવિધ એજન્સીઓ પાસે સર્વે કરાવીને અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એક વર્ષ જેટલો મોટો વિલંબ થયો છે. પાલિકાની ધીમી કાર્યવાહીના કારણે, આ વર્ષે ફરી ચોમાસું બેસી ગયું અને આ વિલંબને કારણે નુકસાનનો વ્યાપ વધ્યો છે અને કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં નવું ધોવાણ થયું છે, જેનાથી સ્થિતિ વધુ જોખમી બની છે. નાગરિકોની સુરક્ષા પર જોખમ!હાલના સમયમાં કોઝવેમાં પાણીની સપાટી ઘટી છે, જેના કારણે ડાઉન સ્ટ્રીમમાં પડેલું મોટું ભંગાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં, કોઝવેના નુકસાનને અટકાવવા કે તેના સ્ટ્રેન્થનિંગ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી શહેરના નાગરિકો અને માળખાકીય સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ કોઝવે સુરત શહેરની જળ વ્યવસ્થા અને પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો ચોમાસા પહેલા સ્ટ્રેન્થનિંગનું કામ શરૂ કરવામાં ન આવ્યું, તો આગામી સમયમાં ભારે પ્રવાહ કોઝવેના માળખાને વધુ નુકસાન પહોંચાડી શકે છે અને તેની ઉપયોગિતા પર ગંભીર અસર પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 12:12 pm

નલિયા 11.2 ડિગ્રી રાજ્યમાં સૌથી ઠંડું શહેર:24 કલાકમાં તાપમાન 2 ડિગ્રી વધતા ગરમી વધી, બેવડી ઋતુંનો અનુભવ; બે દિવસમાં 3 ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યમાં માંડ ઠંડીનો માહોલ જામ્યો હતો ત્યાં ફરી તાપમાનનો પારો ઊચકાતા ઠંડીનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. આગામી બે દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે (21 નવેમ્બર) સૌથી ઠંડા શહેર સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશેસમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડું ઓખા જ્યાં 22.6 અને દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 12:05 pm

બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ સ્ટીકર લગાવી ખાદ્યતેલના વેચાણનો પર્દાફાશ:મહાદેવ ઘી ભંડારમાં તિરુપતિ કપાસિયા તેલનું ડુપ્લિકેશન થતું હોવાનો ખુલાસો, પોલીસ રેડ કરી ફરિયાદ નોંધી

અમદાવાદ શહેરમાં એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ. કંપની(તિરુપતિ ઓઈલ)ના તેલનું હીરાભાઈ ટાવર પાસે મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાં ડુપ્લિકેશન થતું હોવાનું સામે આવ્યું છે. ઇસનપુર પોલીસને મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાં એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ.ના કપાસિયા તેલના ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ થતું હોવાની જાણકારી મળી હતી. જેને પગલે ઇસનપુર પોલીસે રેડ પાડી હતી. અસલ બ્રાન્ડ જેવા જ સ્ટિકર લગાવ્યા હતાતિરૂપતિ કંપનીના ઓરીજીનલ ડબ્બામાં લખેલા લખાણ મુજબના જ સ્ટીકર્સ ડુપ્લીકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસ કરતા ડબ્બાનું ઢાંકણું અને બુચ અલગ બનાવી ફીટ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લલિત દાદવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. માર્કેટિંગના લોકોએ કંપનીને જાણ કરતા કાર્યવાહીએન.કે. પ્રોટીન્સમાં નોકરી કરતા ભૂષણ દાદવાણીએ તિરુપતિ કપાસિયા તેલનું ડુપ્લિકેશન કે અન્ય રીતે આ બ્રાન્ડ સાથે ચેડાં અથવા કોપીરાઇટના હકોનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને લીગલ કાર્યવાહી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. થોડા સમય પહેલા ભૂષણ દાદવાણીને એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ.ના કપાસિયા તેલના ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ થતું હોવાની માર્કેટિંગના લોકોએ જાણ કરી હતી. જેથી ઇસનપુર પોલીસની મદદ લેવામાં આવી હતી. સીલને હાથથી ઘસતા કલર નીકળવા લાગ્યો ને ખેલ ખૂલ્યોત્યાર બાદ ઇસનપુર પોલીસને સાથે રાખી મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાંથી એક નંગ તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા મળી આવ્યા હતા. જેના પર તિરુપતિ કપાસિયા તેલના લેબલ લગાડેલા હોવાનું સામે આવ્યું હતું. ડબ્બાના સીલમાં લાલ રંગમાં અંગ્રેજીમાં એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ. તિરુપતિ કોટન સીડ ઓઇલ લખેલુ જોવા મળ્યું હતું. જેથી ડબ્બા પરના સીલને હાથથી ઘસતા કલર નીકળવા લાગ્યો હતો. તેમજ ડબ્બા ઉપર લગાડેલા સ્ટિકર તિરૂપતિ કંપનીના ઓરીજીનલ ડબ્બામાં લખેલા સ્ટીકર મુજબ જ જોવા મળ્યા હતા. જેથી કંપનીના જાણકાર માણસને સાથે રાખી વધુ તપાસ કરવામાં આવી હતી. આ મામલે એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ.ના લીગલ એડવાઈઝરે દુકાન પર હાજર વ્યક્તિ લલિત દાદવાણી સામે ડુપ્લીકેટ ડબ્બા બનાવી કંપનીનો આર્થિક નુકસાન કરાતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 12:00 pm

પાલડીમાં થારના ચાલકે અકસ્માત સર્જ્યો, ટોળાએ કારમાં તોડફોડ કરી:એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા મહિલાને ઈજા; મોડીરાત્રે તંગદિલીનો માહોલ સર્જાતા MLA-પોલીસ દોડી ગયાં

અમદાવાદના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે 20 નવેમ્બરની મોડીરાત્રે જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. કારચાલકે એક્ટિવા પર જતાં દંપતની ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન 7 ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બે થાર ગાડી લઈને ચિચિયારીઓ કરતુ ટોળું નીકળ્યું હતુઃ MLAએલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે રાત્રે 11:15 વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો હતો કે પાલડી વિશ્વ કુંજ ચાર રસ્તા પાસે કેટલાક લઘુમતી સમાજના યુવકો દ્વારા અકસ્માત કર્યો છે અને ટોળા ભેગા થયા છે. હું અને મારો પુત્ર ત્યાં પહોંચ્યા હતા, ત્યારે થાર ગાડી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, જેને લોકોએ પકડી રાખ્યો હતો. આ લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, 40થી 50 બાળકને બે થાર ગાડી લઈને ચિચિયારીઓ કરતુ ટોળું નીકળ્યું હતું. એક્ટિવા ઉપર જતા દંપતીને ટક્કર મારી હતી, જેમાં દક્ષાબેન શુક્લ નામના મહિલાને ઈજા થઈ હતી. અકસ્માત બાદલ રોકતા દાદાગીરી કર્યાનો આક્ષેપસ્થાનિક છોકરાઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા, જેથી તેમના ઉપર આ લોકો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. તેઓ સામસામે આવી ગયા હતા, જેથી તાત્કાલિક આ મામલે ડીસીપીને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત સર્જનાર યુવકોને પાલડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. હાલ પોલીસ દ્વારા બંનેને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. કારની ટક્કર વાગતા દંરતી નીચે પટકાયુંમળતી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે એક્ટિવા ઉપર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે બે થાર ગાડી અને ટુ-વ્હીલરો સાથે લઘુમતી સમાજના યુવકો મિરઝાપુરથી દાણીલીમડા જાન લઈને જઈ રહ્યા હતાં. તે દરમિયાનમાં એક થાર ગાડીની આગળના ભાગે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ગાડીની ટક્કર વાગી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાઈઆ અકસ્માતની ઘટના જોતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માત થવાના પગલે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતાં, જ્યારે અકસ્માત સર્જનાર યુવકને પકડી રાખવામાં આવ્યા હતા. આમ અમને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતાં. ઘટનાની જાણ ભાજપના ધારાસભ્ય અમિત શાહને કરવામાં આવતા તેઓ પુત્ર સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. થાર ચાલકે એક્ટિવા ચાલક અને ટોળા સામે ફરિયાદ નોંધાવીડીસીપીના જાણ કરવામાં આવતા ઝોન 7 ડીસીપી પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસ આવે તે પહેલા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા થાર ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે અકસ્માત સર્જનાર વિરુદ્ધ એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પાલડી પોલીસમાં થાર ગાડીના ચાલક દ્વારા એક્ટિવા ચાલક અને 10થી 15 લોકો વિરુદ્ધ માર મારવાની અને ગાડીમાં તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 11:17 am

મૂળ અફઘાનિસ્તાનના નાગરિકે ભારતીય પાસપોર્ટ મેળવવા નકલી દસ્તાવેજો બનાવ્યા:નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવાનો આરોપ, ગુનો નોંધાયો

સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે. આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી, તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અફઘાનિસ્તાનનો નાગરિક ભારતમાં કેવી રીતે રહેતો હતો?પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી મોહમદ આમીર જાવીદ ખાન (ઉ.વ. 42) મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે. હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલ્બાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે. આરોપી મોહમદ આમીર યુ.એન. રેફ્યુઝી એજન્સી ઇન્ડિયા (UNHCR) માંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો. પરંતુ, ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી. નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરુંમોહમદ આમીર જાવીદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન (વોન્ટેડ આરોપી) નામના ઈસમ સાથે મળીને એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે, તેણે એવું દર્શાવ્યું કે તેનો જન્મ 04/06/1983ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હતો. આ દર્શાવવા માટે, જાલના મહાનગર પાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું. આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે, આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો. એટલું જ નહીં, તેણે આ જ ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયોઆ ગુનો 19/12/2024 થી 18/02/2025 દરમિયાન ચોકબજાર હેરીટેજ ઓવરબ્રિજના નાકા પાસે જાહેર રોડ ઉપર બન્યો હોવાનું જણાવાયું છે. આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપી અગજાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના ભારતીય નાગરિકતા અને દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 11:16 am

ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ:રાજકોટના વૃદ્ધને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી 1.14 કરોડ પડાવ્યા'તા, જેતપુરના શખ્સે 10,000 કમિશનથી ખાતું ભાડે આપ્યું હતું

• ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, એમપી સહીત રાજ્યના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા • ગઠિયાઓએ વૃદ્ધને 20 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા'તા રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1.14 કરોડ પડાવી લેવાની ફરિયાદ નોંધાતાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ એરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં વધ એક ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી પ્રથમ જેતપુરના સુજલ વિઠ્ઠલભાઈ લાખાણી નામના યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી સુજલે સાયબર માફિયાઓને 10 હજાર રૂપિયા કમિશન મેળવી પોતાનું એકાઉન્ટ વાપરવા માટે ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડિજિટલ ફ્રોડની રકમના 1.14 કરોડ પૈકી 4.97 લાખ રૂપિયા સુજલના એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે તેને a રકમ જેતપુરના જ અન્ય એક શખ્સના ખાતામાં જમા કરાવી હતી જે હાલ નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સુજલ કોઈ કામધંધો કરતો ન હતો અને શોર્ટકર્ટથી વગર મહેનતથી રૂપિયા કમાવવાની લાલચમાં આવી જતા હવે જેલના સળિયા પાછળ ધકેલાવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં રહેતા લોકોએ પણ સાયબર માફિયાઓને મામૂલી કમિશનની લાલચમાં પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે જયારે ગુજરાત બહાર મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કુરબાનભાઈ વલીજી બદામી નામના વૃદ્ધને ડિઝિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી કટકે કટકે 1.14 કરોડ જેવી રકમ પડાવી લીધી હતી. આ પછી વધુ 10 લાખની માંગણી કરતા તેમની પાસે રૂપિયા ન હોવાથી કુરબાનભાઈએ તેમની વિદેશમાં રહેતી પુત્રી પાસે 10 લાખ રૂપિયાની રકમની માંગણી કરતા પુત્રીને પણ શંકા ગઈ હતી અને તેણે પિતાને આટલી રકમ શા માટે જોઈએ છે તેવું પૂછતાં જ વૃદ્ધે હકીકત જણાવી હતી જેના કારણે વૃદ્ધ સાથે ડિઝિટલ ફ્રોડ થયાનું જણાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો નથી પોલીસ દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ કાયદો નથી જો તમને પોલીસના નામથી કે પોલીસની વર્ધી પહેરેલી વ્યક્તિનો કોલ અથવા વિડીયો કોલ આવે તો ગભરાવવું નહિ અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો કારણ કે દેશમાં કોઈ જગ્યાએ ડિજિટલ એરેસ્ટ કાયદો છે જ નહિ આ સાયબર ગઠીયાઓની મોડેસ ઓપરેન્ડી છે. આ ઉપરાંત બને ત્યાં સુધી કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ, વિડીયો કોલ કે મેસેજીસના રીપ્લાય આપવાનું પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 11:15 am

પોરબંદરમાં ગેરકાયદેસર ખનન પર કાર્યવાહી, 38 મશીનરી જપ્ત:આશરે ₹1.70 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર લાઈમસ્ટોન ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ટીમે નાગકા અને બાવળવવા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી કુલ 38 મશીનરી જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં આશરે ₹1.70 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જુદા જુદા 15 લોકેશન્સ પરથી ગેરકાયદેસર બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનન અને વાહનવ્યવહારમાં ઉપયોગમાં લેવાતી મશીનરી જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી મશીનરીમાં 24 ચકેડી મશીન, 2 જનરેટર, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 જેસીબી અને 2 હિટાચી મશીનનો સમાવેશ થાય છે. આમ કુલ 38 મશીનરીઓ સીઝ કરવામાં આવી છે. તપાસ દરમિયાન, 3 ટ્રક અને 2 ટ્રેક્ટરના માલિકોએ સ્થળ પર જ દંડ ભરવા સંમતિ દર્શાવતા CGM Geo Mine App દ્વારા ઓનલાઈન દંડ વસૂલવામાં આવ્યો હતો. અન્ય તમામ મશીનરી સીઝ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન માટે જવાબદાર વ્યક્તિઓ અને મશીન માલિકો સામે નિયમ મુજબની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 11:10 am

જોટાણાના હરસુંડલ ગામના ગોગા મહારાજના મંદિરમાં ચોરી:તાળા તોડી તસ્કરો 1.59 લાખની મત્તા ચોરી ગયા,લાંઘણજ પોલીસે ફરિયાદ નોંધી

જોટાણા તાલુકાના હરસુંડલ ગામે આવેલ ગોગા મહારાજના મંદિરના દરવાજાનું તાળુ તોડીને અજાણ્યા શખસોએ અંદર પ્રવેશ કર્યો હતો. મંદિરમાંથી પંચ ધાતુના માતાજીના ફોટા, આભુષણો સહીત કુલ રૂપિયા 1.50 લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો નાસી છુટ્યા હતા. આ અંગે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે લાંઘણજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. જોટાણાના હરસુંડલ ગામના ગોગા મહારાજના મંદિરમાં ચોરીહરસુંડલ ગામમાં આવેલ ગોગા, મહારાજનું જુના મંદિરના સ્થાને પાંચેક વર્ષ અગાઉ નવું બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પુજારીએ નિત્યક્રમ અનુસાર બુધવારની રાત્રીએ મંદિરમાં પુજા આરતી કરીને દરવાજાને તાળુ મારી ઘરે ગયા હતા. તેઓ સવારે પુજા માટે મંદિરે જતાં દરવાજાનો નકુચો તુટેલ જણાયેલ. અંદર જોતા બધી વસ્તુઓ વેરણ છેરણ પડેલી અને માતાજીઓના પંચ ધાતુના ફોટા, હાર, 2 કિલો ચાંદીના નાનામોટા 20 છત્તર,400 ગ્રામ ચાંદીના 14 નંગ ગોગા મહારાજ સહીત કુલ રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું માલુમ પડ્યું હતું. ફરિયાદ નોંધાઈ​​​​​​​જેથી આ અંગે તેમણે સમાજના આગેવાનોને જાણ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ સોમાભાઈ જીવાભાઈ રબારીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 10:55 am

પેથાપુર-મહુડી રોડ પર વેપારીના ઘરમાંથી 6.40 લાખના દાગીનાની ચોરી:તસ્કરોએ બે કલાકના સમયગાળામાં તિજોરી તોડી, ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરના પેથાપુર-મહુડી રોડ પર આવેલ શ્રીપર્ણી પાર્લરની સામે ભંગારનો ધંધો કરતા વેપારીના ઘરમાંથી માત્ર બે કલાકના સમયગાળામાં તિજોરીમાંથી 6 લાખ 40 હજારની કિંમતના સોનાચાંદીના દાગીનાની ચોરી થવા મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેપારીના ઘરમાંથી 6.40 લાખના દાગીનાની ચોરીમૂળ રાજસ્થાનનો મેવારામ બાલુજી ગુર્જર પેથાપુર-મહુડી રોડ શ્રીપર્ણી પાર્લરની સામે છેલ્લા એકાદ મહીનાથી પતરાની ઓરડીમા પરીવાર સાથે રહી ભંગાર લે વેચનો ધંધો કરે છે. ગત તા.17 નવેમ્બરના રોજ મેવારામ સબંધીની સારવાર અર્થે અડાલજ જવાનું હતું. જ્યારે તેની પત્નીને પેથાપુર બજારમા ખરીદી કરવા જવાનું હતું. પત્નીએ ફોન કરીને ઘરમાં ચોરી થયાની જાણ કરીઆથી મેવારામ પત્ની અને બાળકોને બાઇક પર લઈને નીકળ્યો હતો. અને પત્ની અને બાળકોને પેથાપુર ચોકડી ઉતારી અડાલજ જવા નીકળી ગયો હતો. બાદમાં બપોરના સમયે તેની પત્નીએ ફોન કરીને ઘરમાં ચોરી થયાની જાણ કરતા મેવારામ તાબડતોડ પરત આવી ગયો હતો. 6 લાખ 40 હજારની મત્તા અજાણ્યો ઇસમ ચોરીને ભાગ્યોબાદમાં ઘરમા રાખેલ તિજોરીમા ચેક કરતાસોનાની નાકની નથ્થ ,સોનાનો બાજુબંધ, સોનાનો મોતીવાળો સેટ ચાંદીનો કંદોરો મળીને કુલ રૂ.6 લાખ 40 હજારની મત્તા અજાણ્યો ઇસમ ચોરીને નાસી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. આ ચોરી મામલે મેવારામને એવું લાગ્યું હતું કે, આ ચોરી કોઈ અંદરના માણસોએ કરી છે. જેથી તેણે પોતાની રીતે તપાસ કરી રાખી હતી. આખરે દાગીનાની કોઇ ભાળ નહીં મળતા મેવારામે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 10:42 am

મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજુર:પત્નીની ડિલિવરી હોવાથી આરોપીએ 15 દિવસના જામીન માગ્યા હતા, મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવ્યા

મહેસાણાના શોભાસણ બ્રિજ નજીકથી છ માસ અગાઉ પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીએ ટેમ્પરરી જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીના અંતે આરોપીની સંડોવણી જોતા ભાગી જાય તેવી શક્યતા નકારી શકાય નહીં સહીતની દલીલોના આધારે અદાલતે તેની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો હતો. મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજુર ગીંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફ 14 મેં 2025 ના રોજ મહેસાણા વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરીમાં હતા.તે દરમિયાન હકિકત મળેલી કે, કુરેશી જાવેદ અહમદખાન રહે, મહોબતફળી,મહેસાણાવાળા નામનો શખસ માદક પદાર્થનો શંકાસ્પદ જથ્થો લઈને હાલમાં શહેરના શોભાસણ બ્રિજ સામે આવેલ આશિષ પાન પાર્લરની સામે ઉભો છે અને અસ્લમ ઈસ્માઈલ સૈયદ રહે, ઈન્દીરાનગર, નંદાસણવાળાને આપવા માટે આવનાર છે. જેના આધારે એસએમસીની ટીમે આ જગ્યાએ પહોંચીને જાવેદ સહીત બીજા બે આરોપીઓને દબોચી લીધા હતા. જયારે તેમની પાસેથી 98.2 ગ્રામનો પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહીત કુલ રૂપિયા 10,49,880ની મત્તા કબજે કરી હતી. તેમજ આરોપીઓ સામે એનડીપીએસના કાયદા હેઠળ ગુનો દાખલ કરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જાવેદે 15 દિવસના ટેમ્પરરી જામીનની અરજી કરી હતીદરમિયાન જેલમાં બંધ આરોપી જાવેદે પોતાની પત્નીની ડિલીવરીમાં હાજર રહેવા માટે કોર્ટમાં 15 દિવસના ટેમ્પરરી જામીન મેળવવા અરજી કરી હતી. જેની સુનાવણી એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ એમ.એફ.ખત્રી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ પરેશકુમાર દવેએ આરોપી રંગેહાથે પકડાયો હોવાની તેમજ પત્નીની દેખરેખ માટે બીજા સબંધીઓ હોવા સહીતની કરેલી દલીલોના આધારે કોર્ટે જામીન અરજી ફગાવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 10:36 am

150 વાહનો સામે કેસ, 53 ડિટેન:ગેરકાયદેસર વાહનોમાં મુસાફરી કરવી સરકારના ટેક્સ અને નિગમને નુકસાન પહોંચાડતા વાહનો સામે RTO, એસટી વિભાગ અને જિલ્લા ટ્રાફિકની સંયુક્ત કામગીરી

વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ અધિકારી જે કે પટેલ અને એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર ડી.ગળચરની સૂચના મુજબ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતા અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ વડોદરા મળી સત્તત ત્રણ દિવસ ગેરકાયદેસર રીતે મુસાફરીની હેરાફેરી કરતા વાહનો સામે લાલ આંખ કરી છે. આ કાર્યવાહીમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવી કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા ત્રણ દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રાઇવેટ વાહનો દ્વારા ગેર કાયદેસર મુસાફરો હેરા ફેરી કરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી કુલ કેસ 150 કરવામાં આવ્યા છે. આ સાથે 53 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતાં. આ સાથે અન્ય વાહનો સામે કુલ રૂપિયા 1,87,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ અંગે મોટર વેહિકલ ઇન્સ્પેક્ટર એન બી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા આરટીઓ અને નિયામક વિભાગીય કચેરીના આદેશ અનુસાર પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્ય સરકારની ટેકાની આવક અને નિગમની આવકને નુકસાન પહોંચાડવામાં આવે છે. વધુમાં કહ્યું કે, હાલમાં અકસ્માતના બનાવો પણ સામે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે. આ અનુસંધાને હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં 40 જેટલા વાહનો સામે કેસ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પરમિટ ભંગ, રોડ સેફ્ટી અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 10:34 am

ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવાનો ઇરાદો:આતંકીના ઘરેથી ISISના ઝંડાઓ અને ડિજિટલ પુરાવાઓ મળ્યા, હરિદ્વારના મંદિરોમાં રેકી કરી હતી

ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. આતંકી સુહેલના ઘરે તપાસ દરમ્યાન ટીમને આઈએસઆઈએસનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યાં હતાં. આતંકી આઝાદની તપાસમાં ચોકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું. આ પાર્સલને લઈને એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા આતંકીઓ ભારતમાં અનેક મોટી ઘટનાઓને અંજામ આપવાના હતાં. તેના માટે અલગ અલગ શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આતંકી આઝાદે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો છે. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગતો હતો. આતંકી કટ્ટરવાદી હોવાની જાણ તેની પત્નીએ તેનો સાથ છોડ્યો હતો. તમામ બાબતો ઉપર ગુજરાત એટીએસની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. આતંકીઓ છેલ્લા કેટલા સમયથી ISIS સાથે સંકળાયેલા છે તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસની ટીમ દ્વારા આઝાદના ઘરે તપાસ કરવામાં આવી હતી, ત્યારે તેમને ડિજિટલ સ્વરૂપે અનેક પુરાવાઓ મળી આવ્યા છે. જે પુરાવાઓ એટીએસ ઓફિસ ખાતે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ શહેરોમાં અગાઉ રેકી કરી હોવાના પગલે તેમની પૂછપરછ કરતા આતંકી દ્વારા હરિદ્વારમાં અલગ-અલગ મંદિરોમાં ફરીને પણ કરી હતી. ભારતના ધાર્મિક સ્થાનોમાં હરિદ્વાર ખૂબ મોટું સ્થાન ધરાવે છે, તેથી આ મંદિરોમાં પણ રેકી કરવામાં આવી હતી. સમગ્ર બાબતે હાલ પૂછપરછ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 10:27 am

રાજ્યની હવા ઝેરી બની, પ્રદૂષણ વધવાથી AQI 200ને પાર:અમદાવાદમાં AQI 240 તો વડોદરામાં 220 નોંધાયું, બીમારીઓથી બચવા માસ્ક પહેરો, વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળો

રાજ્યમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર કરતાં હવા ઝેરી બની છે. જો ગુણવત્તાને 'ખરાબ' શ્રેણીમાં મૂકે છે. મુખ્ય શહેરોમાં, અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં AQI 220 નોંધાયો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. પ્રદૂષણના ઊંચા સ્તરને જોતાં, નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય તેવા સમયગાળા, જેમ કે વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ. પ્રદૂષણ સતત વધી રહ્યું છે, અમદાવાદમાં AQI 240 અમદાવાદ શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે પણ શહેરમાં વહેલી સવારે AQI 240 નોંધાયો હતો. જે સેવિયર કન્ડિશનમાં પહોંચી ગયો હતો. વેબસાઇટ મુજબ, નવેમ્બર મહિનામાં પણ પ્રદૂષણનો વધતો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200થી વધુ નોંધાતા શહેરની હવાના ગુણવત્તામાં ઘટતી જોવા મળી છે.જોકે, ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQIમાં તેજ વધારો જોવા મળ્યો હતો. વડોદરામાં અઠવાડિયાથી AQIનું લેવલ 170ને પારવદોડરા શહેરમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થઈ રહ્યો છે, જે હવામાં પ્રદૂષણના સ્તરનો વધારો દર્શાવે છે. 21 નવેમ્બરે સૌથી વધુ 220 AQI નોંધાયો હતો. અમદાવાદ -વડોદરાની સરખામણીએ સુરતમાં AQIનો સ્તર ઓછોસુરતમાં અમદાવાદ અને વડોદરાની સરખામણીએ AQIનો સ્તર ઓછો છે, જોકે 21 નવેમ્બરે સુરતમા સવારે AQI 206એ પહોંચ્યો હતો. રાજકોટમાં પણ પ્રદૂષણ વધ્યુંરાજકોટમાં પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન 150ને પાર AQI પહોંચ્યો છે. 21 નવેમ્બરે રાજકોટમાં સૌથી વધુ 204 AQI નોંધાયો હતો, જે છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ છે. અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યોનવેમ્બર 2025માં AQIની વાત કરીએ... તો અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતનાં મહાનગરોમાં નવેમ્બર મહિનામાં AQIમાં કેટલો વધારો થયો છે અને અનહેલ્થી સ્તરે પહોંચેલા આ સ્તરન કારણે દર્દીઓને અને સામાન્ય લોકોની હેલ્થને લઈ તબીબો શું કહી રહ્યા છે એ જાણીએ. 'શિયાળાની ઋતુમાં AQI માં ખૂબ વધારો'એમડી મેડિસિન ડોક્ટર સહલ શાહે જણાવ્યું હતું કે, પેલા ઘણા વર્ષોમાં AQI માં અમદાવાદ શહેરમાં ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યા છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં AQI માં ખૂબ વધારો જોવા મળતો હોય છે. આ AQI ઘણી વાર અનહેલથી અને સેવિયર કન્ડિશનમાં પહોંચી જતો હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. AQI વધવાને પાછળ વાહનોનો ધુમાડો કન્સ્ટ્રક્શન સાઇટ રોડ રસ્તાની ડસ્ટ અને બીજા એન્વાયરમેન્ટલ ફેક્ટર જવાબદાર હોય છે. 'AQI 150થી વધુ હોય તો ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ'વધુમાં તેઓએ આનાથી બચવા માટે પણ જણાવ્યું હતું કે, આપણે રેગ્યુલર AQIને ચેક કરતા રહેવું જોઈએ જો AQI 150થી વધુ હોય તો બને એટલું ઘરની બહાર જવું ટાળવું જોઈએ. વૃદ્ધ બાળકો અને પ્રેગનેટ મહિલાઓ અને ​​​શ્વાસના દર્દીઓને ઘરની બહાર જવું ટાળવું જોઈએ. જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય છે ત્યારે માસ્ક નો ઉપયોગ કરવો જોઈએ. વાતાવરણના પીએમ 2.5 ના કણો સિમ્પલ કપડાના માસ્કથી રોકી શકાતા નથી, જેથી n95 માસ્ક પહેરવું જોઈએ. શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 10:22 am

વેરાવળમાં રહેણાંક મકાનમાંથી નકલી ટાઈમર બોમ્બ મળ્યો:મકાન માલિકે યુટ્યુબ જોઈ બનાવ્યો, BDDS તપાસ બાદ રાહતનો શ્વાસ

વેરાવળના ભાલકા મંદિર પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ગત રાત્રી (21 નવેમ્બર)ના એક મકાનમાંથી ટાઈમર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતા જ પ્રભાસ પાટણ પોલીસ સહિત SOG, LCB, બોમ્બ ડિસપોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્કવોડ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. BDDS દ્વારા કરાયેલી વિગતવાર ચકાસણીમાં શંકાસ્પદ ટાઈમર બોમ્બ નકલી હોવાનું સામે આવતાં પોલીસ અને રહીશો બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મકાન માલિક પ્રકાશ ચુડાસમા, જે ફિશિંગ નેટ બનાવવાનું કામ કરે છે, તેણે ચારેક મહિના પહેલા યુટ્ચુબ પર વીડિયો જોઈ મસ્તીમાં નકલી ટાઈમર બોમ્બ તૈયાર કર્યો હતો. તેણે આ બોમ્બ મકાનના રૂમના બાથરૂમ ઉપરના મેળામાં એક થેલામાં રાખી દીધો હતો. પછી આ મકાન રાજેશભાઈ વાજાને ભાડે અપાયું હતું. મકાનમાં રહેતા ભાડૂત રાજેશભાઈની પત્ની ઘરમાં સફાઈ કરતી વખતે મેળામાં પડેલ થેલો ખોલતા ટાઈમર બોમ્બ નીકળ્યો હતો. જેથી તરત જ પોલીસને જાણ કરવામાં આવતાં સુરક્ષા એજન્સીઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ ગઈ હતી. ઘટના ની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ દ્વારા રાત્રીના નકલી બોમ્બ બનાવનાર પ્રકાશ ચુડાસમાના મૂળ મકાન માં પણ BDDS અને ડોગ સ્કોવોડ સહિત ની સુરક્ષા એજન્સીઓ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નહિ. હાલ પોલીસએ યોગેશ ચુડાસમાને પોલીસ સ્ટેશન લાવી તેની આકરી પૂછપરછ શરૂ કરી દીધી છે. ડીજીટલ વોચ, LED બલ્બ, બેટરી, વાયરિંગ સાથે નકલી બોમ્બ અસલી જેવો જ દેખાતો હોવાથી એક તબક્કે સુરક્ષા એજન્સીઓને ભારે એલર્ટ થવું પડ્યું હતું. પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 9:53 am

રાધનપુરમાં 181 ટીમે આમતેમ ભટકી રહેલી યુવતીને આશ્રયગૃહમાં મોકલી:યુપીમાં પિતાનો સંપર્ક કરતા કહ્યું કે, 'તેમની પુત્રી ઘરેથી ભાગી ગઈ હતી, તેથી તેની સાથે સંબંધો તોડી નાખ્યા છે'

પાટણની અભયમ હેલ્પલાઇન 181 ટીમે રાધનપુરના રસ્તા પર રખડતી એક અજાણી યુવતીને શોધી કાઢી હતી. યુવતીના પિતાએ ઉત્તર પ્રદેશથી તેની સાથે સંબંધ તોડી નાખ્યા હોવાનું જણાવતા, અભયમ ટીમે તેને સુરક્ષિત રીતે આશ્રયગૃહમાં મોકલી આપી હતી. અભયમ ટીમના કાઉન્સેલરને કોઈએ ફોન પર રાધનપુરના રસ્તા પર એક યુવતી આમતેમ ફરી રહી હોવાની જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે યુવતીની પૂછપરછ કરતાં તેણે રાધનપુર નજીકના કોઈ ગામમાં તેની સાસરી હોવાનું જણાવ્યું હતું. હિન્દી ભાષા બોલતી આ યુવતી રાધનપુર કે આસપાસના વિસ્તારની ન હોવાનું જણાયું હતું. તેની માનસિક સ્થિતિ નબળી હોવાથી તે પોતાનું રાજ્ય રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંને હોવાનું જણાવી રહી હતી. જાહેરમાં એકલી ફરતી હોવાથી તેની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી હતા. ટીમે યુવતીની વધુ પૂછપરછ કરી અને તેના જણાવ્યા મુજબ રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશમાં તેના પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આખરે, ઉત્તર પ્રદેશના મુસ્કટા શહેરમાં પોલીસ સ્ટેશન દ્વારા ઓનલાઈન નેટવર્કથી તેના પિતાનો સંપર્ક થયો હતો. યુવતીના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રી 16 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી, તેથી તેમણે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પુત્રી પણ તેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી અને તેનું માનસિક સંતુલન પણ ઠીક નથી. આ સંજોગોમાં, અભયમ ટીમે યુવતીને સુરક્ષિત રીતે આશ્રયગૃહમાં મોકલી આપી, જ્યાં તેની સંભાળ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 9:37 am

વાપીમાં ડોક્ટરના બંગલામાં લૂંટનો પ્રયાસ:પત્ની-સાસુ પર હુમલો કર્યો, ટેરેસ પર ચડી ભાગવા જતાં પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો, બંગલામાં કામ કરનાર પ્લમ્બર જ લૂંટારૂ નિકળ્યો

વલસાડ જિલ્લાના વાપી શહેરના ચલા વિસ્તાર સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં ગુરુવારે સાંજે આંખના ડોક્ટરના બંગલામાં લૂંટનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન ડોક્ટરની પત્ની અને તેમની સાસુ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પ્લમ્બર લાંબા સમયથી ડોક્ટરના બંગલામાં કામ કરતો હતો. પૈસાની લાલચમાં તેણે લૂંટનો ઈરાદો કર્યો હતો અને ગુરુવારે સાંજે ડોક્ટરના ઘરે પહોંચ્યો હતો. વિશ્વાસ રાખીને પરિવારે તેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. લૂંટમાં અડચણ ઊભી થતાં પ્લમ્બરે ડોક્ટરની પત્ની અને સાસુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલા બાદ આરોપી સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, બંને ઈજાગ્રસ્ત મહિલાઓએ હિંમત દાખવી બંગલા બહાર આવી બૂમાબૂમ કરી હતી અને સ્થાનિકોની મદદ માંગી હતી. ગભરાયેલો પ્લમ્બર બંગલાના ટેરેસ પર ચડી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફિલ્મી ઢબે આરોપીને ટેરેસ પરથી જ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીએ ઘરમાંથી દાગીના અને રોકડ હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 9:18 am

સૌરાષ્ટ્રમાંથી જૈનોના સ્થળાંતર મુદ્દે પદ્મશ્રી મથુર સવાણીનું નિવેદન:‘દીકરાના લગ્ન માટે નગરશેઠો શહેરમાં નાની નોકરી-દુકાન ચલાવે છે, 95% શેઠમાંથી નોર્મલ બની ગયાં’

પદ્મશ્રી અને જાણીતા ઉદ્યોગપતિ મથુર સવાણીનું એક નિવેદન હાલમાં સૌરાષ્ટ્રના જૈન વાણિયા સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આપેલા નિવેદનમાં જૈન સમાજના મોટા પાયે થયેલા સ્થળાંતર અને તેના પરિણામો પર પ્રકાશ પાડ્યો હતો. ગામડાંના નગરશેઠોનું શહેર તરફ સ્થળાંતરમથુર સવાણીએ જણાવ્યું હતું કે, આશરે 100 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના દરેક ગામમાં 5-10 જૈન પરિવારોના ઘર હતા, જેઓ ગામમાં 'નગરશેઠો' તરીકે ઓળખાતા હતા. આ નગરશેઠોનો સમાજમાં ખૂબ આદર હતો. તેઓ ગામડામાં વેપાર કરતા અને લોકો સાથે ગાઢ સંબંધો રાખતા હતા. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ગામના લોકો તેમના ઘરે દૂધ લેવા આવતા તો તેઓ આદરપૂર્વક દૂધ આપવા જતાં હતા, તેમજ તાવ આવે તો તેઓ વૈદ્ય તરીકે મદદ માટે પણ જતા હતા. દીકરીઓના સંબંધના કારણે મૂળ સ્થાન છોડ્યુંસવાણીના જણાવ્યા મુજબ, ગામડાંમાંથી મોટા પાયે સ્થળાંતર થવા પાછળ એક મુખ્ય સામાજિક કારણ જવાબદાર હતું, દીકરીના લગ્ન માટે યોગ્ય સંબંધો. ધીરે ધીરે એક એવું વાતાવરણ બન્યું કે દીકરીઓ ગામડાંમાં નહીં મળે, પરંતુ શહેરોમાં હોય તો જ મળે. છોકરાઓને પરણાવવાની ચિંતાને કારણે બધા જ જૈન લોકોએ પોતાનું મૂળ સ્થાન છોડવાનું શરૂ કર્યું. શહેરમાં જઈને 'શેઠ'માંથી 'નોર્મલ' બન્યાઆ સ્થળાંતરને લીધે જૈન પરિવારો ધીમે ધીમે સૌરાષ્ટ્રના ગામડાં ખાલી કરીને મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ઇન્દોર જેવા મોટા શહેરોમાં વસી ગયા. મથુર સવાણીએ આ સ્થળાંતરના પરિણામ પર ગંભીર નિવેદન આપતા કહ્યું કે, આ નગરશેઠો શહેરમાં જઈ અને આજ નાની એવી કોક દુકાન, કોક નોકરી, ભંગાર, નાના મકાનમાં 95% બિચારા શેઠમાંથી નોર્મલ બની ગયા. આ નિવેદન દ્વારા મથુર સવાણીએ એ વાત તરફ ધ્યાન દોર્યું છે કે, ગામડાંમાં જે પરિવારો આર્થિક અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત નગરશેઠ હતા, તેમાંથી મોટા ભાગના પરિવારોએ શહેરમાં જઈને પોતાની મૂળ સામાજિક અને આર્થિક પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે અને હવે તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેઓએ આખરે કહ્યું શું?મથુર સવાણી આડે વહી જાય મૂળા ને શાક ને શાકભાજી ને તેલ ને આ નો આવ્યું. ઈ વાતમાં દમ છે. પણ એક ગંભીર વાત કરું કે, આજથી 100 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક એક ગામમાં પાંચ 10-5-10 જૈન લોકોના ઘર હતા. ઈ વખતે ધીરે-ધીરે એક વાતાવરણ બન્યું કે દીકરી ગામડામાં નઈ મળે દીકરી શહેરમાં હોય તો મળે. એટલે ધીરે-ધીરે છોકરાને વરાવવા હાટું થઈ અને બધા જ જૈન લોકો કોઈ બોમ્બેમાં, કોઈ અમદાવાદમાં, કોઈ બેંગલોરમાં, કોઈ ઇન્દોરમાં એટલે ધીરે ધીરે આખું સૌરાષ્ટ્ર વાણીયાનું ખાલી થઈને શહેરમાં ગયું. ગામડામાં કોણ હતા ઈ? નગરશેઠો હતા બહેનો બરોબર સમજી લેજો. આપણા ઘરે દૂધ લેતા હોય તો આપણે એને ઘરે દેવા જાતા એટલો આદર હતો. પુશવા ઠેકાણા હતું રોજ દાળ-ભાજી ખાતા તા. તાવ આવે તો આપણે ત્યાંથી લેવા જાતા હતા. એટલે આ નગરશેઠો શહેરમાં જઈ અને આજ નાની એવી કોક દુકાન, કોક નોકરી, ભંગાર, નાના મકાનમાં 95% બિચારા શેઠમાંથી નોર્મલ બની ગયા.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 8:45 am

ગોધરાના એક મકાનમાં આગ, એક જ પરિવારના 4નાં મોત:ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ ભભૂકી; ગૂંગળામણથી મોત થયાનું પ્રાથમિક અનુમાન

ગોધરાના વૃંદાવન નગર 2 વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યના મોત થયા છે. સેતુ ક્લબ સામે બનેલી આ ઘટનાથી પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે (21 નવેમબર) સવારે સાત વાગ્યાની આસપાસ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી હતી. આગનો ધુમાડો ઝડપથી સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. મકાનની ચારેય તરફ કાચ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો. ધુમાડાના ગૂંગળામણથી ઘરમાં હાજર ચારેય વ્યક્તિના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોગ બનનાર તમામ ચારેય વ્યક્તિને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુકેશ આહીર ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આજે સવારે અમને કોલ મળ્યો કે વૃંદાવન બેમાં એક મકાનમાંથી ધૂમાડા નીકળે છે. અમે દરવાજો તોડીને અંદર જઇને જોયું તો નીચે સોફામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેના કારણે ઘરમાં ધૂમાડો બહું હતું. જેના કારણે ચાર લોકોના ગૂંગળામણથી મોત થયા છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ....

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 8:32 am

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજની મુલાકાતે:બીએસએફના 61માં હિરક જયંતિ વર્ષની ઉજવણી, ગૌરવશાળી શક્તિ પ્રદર્શન સાથે વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના 61મા સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિનનો હિરક જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજનબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડકડતી ઠંડી હોય કે આગ ઝરતી ગરમી આવી દરેક વિકટ સંજોગોમાં પણ દેશની સુરક્ષા માટે દિવસ રાત સતત ખડેપગે રહેતા સીમા સુરક્ષા દળની સ્થાપનાના 61મા વર્ષની ઉજવણી ભુજમાં ભવ્ય રીતે થઈ રહી છે. આ ઉજવણીમાં એક હજારથી વધુ જવાનોની પરેડ સાથે ગૌરવશાળી વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભારતની સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ઉપલબ્ધિઓને સાક્ષાત કરતું શક્તિ પ્રદર્શન કરાશે. આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહેશે. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરી, ગુજરાત ફ્રન્ટીયરના વડા અભિષક પાઠક ઉપરાંત વિવિધ ફ્રન્ટીયરના વડાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન રાષ્ટ્રીય એક્તાને પ્રેરિત કરવાના તેમજ યુવાઓમાં ફેલાતી નશાની બદીને નાબૂદ કરવા સાથે રાષ્ટ્રની સીમા સુરક્ષામાં બીએસએફના યોગદાનને ઉજાગર કરવાના કાર્યક્રમો યોજાશે. શૌર્ય, શક્તિ અને સાહસ ધરાવતા સીમા સુરક્ષા બળના વીર જવાનો દ્વારા શિસ્તબંધ રીતે અને ચુસ્તપણે પરેડનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જાજરમાન પરેડ બાદ દુશ્મન દેશ પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં સહભાગી થનાર તોપખાના અને હથિયારોની ઝાંખી પણ રજૂ કરાશે. બળના 7 જવાનોએ 6 હજાર ફૂટની ઊંચાઈએથી પેરા ગ્લાઈડિંગ કરી કાર્યક્રમ સ્થળે સફળ ઉતરાણ કરશે. ત્યારબાદ દેશ સ્લામતીમાં મહત્વની કહી શકાય એવી ડ્રોન ટેકનોલોજીની વિવિધ ઉપલબ્ધિઓને પ્રસ્તુત કરાશે. તેમાં દુશ્મન દેશના ડ્રોનને ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા નિષ્ક્રિય કરવાના કાર્યને વાસ્તવિક રૂપે ત્રાદસ કરાશે. દેશના સશક્ત ડ્રોન વડે છુપાયેલા દુશ્મનોને શોધી કેવી રીતે બૉમ્બમારાથી ખાત્મો કરાય તેની પણ ઝલક બતાવવામાં આવશે. આ દ્રષ્યો નિહાળી ઉપસ્થિત હજારો દેશના નાગરિકોની છાતી ગજગજ ફૂલી ઉઠશે. દેશના ગૃહમંત્રી સન્મુખ બળની સ્ત્રી શક્તિના ઉદાહરણ પુરી પાડતી મહિલા બાઇક વિંગ દ્વારા બુલેટ ઉપર સાહસી કરતબો રજૂ કરાશે. એક જ બાઇકમાં બેથી વધુ મહિલા બાઈકરો પોતાના કરતબ વડે જનસમુહના દિલ જીતી લેશે. દેશ સ્લામતીમાં યોગદાન આપતા તાલીમબંધ શ્વાનના કાર્ય ક્ષમતા દર્શવવામાં આવશે. જવાનોના સહકાર વડે દેશી શ્વાન દ્વારા આચર્યજનક સાહસી કરતબો રજૂ કરાશે. આખરમાં ભુજની વિવિધ સ્કૂલ કોલેજના 160 છાત્ર-છાત્રાઓએ ગુજરાતી ગરબાના તાલે રાસ રજૂ કરશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 8:31 am

કેબિનેટ મંત્રીનું કરાયું અભિવાદન:કેબિનેટ મંત્રી વાઘાણીનો અભિવાદન સમારોહ..

ગુજરાત સરકારમાં કેબિનેટ કૃષિ મંત્રી તરીકેની જવાબદારી ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને મળતા શહેર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન, સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા અને વિવિધ જ્ઞાતિ સંગઠનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નિમુબેન બાંભણીયા સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 7:00 am

કરોડો મેટ્રિક ટન ઈ-વેસ્ટ પૃથ્વી માટે સંકટ બની રહ્યો છે

- મોટા દેશો અને મલ્ટીનેશનલ કંપનીઓ નાના દેશોમાં લાખો મેટ્રિક ટન કચરો ઠાલવી રહ્યા છે અને લોકોને તેના જોખમો વિશે ખબર જ નથી - દર મહિને લગભગ બે હજાર કન્ટેનરોમાં ઉપયોગમાં લેવાઈ ગયેલો ઈ-વેસ્ટ નીકળે છે. જાણકારોના મતે દર મહિને 32 હજાર મેટ્રિક ટન ઈ-વેસ્ટ અમેરિકાની કંપનીઓ તેમના પોર્ટ ઉપરથી જાહાજોમાં કન્ટેનરો દ્વારા ગરીબ દેશોમાં મોકલાવી રહી છે: સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન યુનિયન દ્વારા તથા આઈટી શાખા દ્વારા એક અહેવાલ રજૂ કરાયો હતો જે ખરેખર ભયાવહ છે. તેમાં જણાવાયું હતું કે, 2022માં દુનિયાભરમાં 6.2 કરોડ મેટ્રિક ટન ઈ-વેસ્ટ જનરેટ કરવામાં આવ્યો છે. તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

ગુજરાત સમાચાર 21 Nov 2025 7:00 am

શેત્રુંજય પર્વત ઉપર સિંહોની અવરજવર:પાલિતાણાના શેત્રુંજય પર્વત પર પુન: સિંહે દેખા દેતા યાત્રા 1 કલાક રોકાઇ

ભાવનગર જિલ્લાના જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણા શેત્રુંજી પર્વત પર છેલ્લા થોડા સમયથી સિંહોની અવરજવર જોવા મળી રહે છે ત્યારે તા.20 નવેમ્બર ગુરૂવારે આજે પણ વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ સિંહ જોવા મળેલ હતા આથી સવારના યાત્રા 1 કલાક સુધી રોકી દેવામાં આવેલ હતી. આજે સવારના ચાર વાગે ઈચ્છાકુંડ પાસે વિસાનોની જગ્યા પર સિંહ આવી ચડેલ હતો. આથી 1 કલાક સુધી યાત્રા રોકાવેલ હતી અને યાત્રિકોને આગળ વધતા અટકાવી દેવામાં આવેલ હતા શેઠ આ. ક. પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ મનીષભાઈ કનાડીયા એ જણાવેલ કે આજે પહેલી સવારમાં શેત્રુંજી પર્વત ઉપર સિંહ આવી ગયેલ આથી 1 કલાક સુધી યાત્રા રોકાવી દેવામાં આવેલ હતી. આજે સિંહ આવી જતા ફોરેસ્ટ વાળાએ આવીને તેઓને દૂર કર્યા હતા. ડુંગર પર સીસી ટીવી હોય તેમા આજે સિંહ દેખાતા યાત્રા અકટાવી દેવામાં આવી હતી. જો કે વન્ય વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે તેમજ શેઠ આ.ક. પેઢી દ્વારા પણ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જૈન તીર્થધામ પાલિતાણામાં હાલમાં 99 યાત્રા શરૂ છે જેમા 3800થી 4000 લોકો જોડાયા છે. આ ઉપરાંત ઉપધાન તપની માળનો પ્રસંગ હોય મોટી સંખ્યામાં યાત્રિકો પાલીતાણા આવેલ છે. એવા સમયે સાવજે દેખા દેતા યાત્રાળુંઓમાં ચિંતા અને ભય ફેલાયો છે. યાત્રા માટે તળેટીએથી સવારે 5.30 કલાકે પ્રવેશ અપાશેપાલિતાણા ખાતે હાલમાં 99 યાત્રા શરૂ થઇ હોય અને થોડા સમયથી સિંહો આવી જતા યાત્રિકોની સુરક્ષા માટે તળેટીમાં સવારે 5.30 કલાકે જ પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષા માટે લેવાયો છે. સાંજે યાત્રિકો સાથે બે સિકયુરીટી, ગનમેન મુકાયાપાલિતાણા ડુંગર પર રોજ આદિનાથ ભગવાનને આંગી કરવામાં આવે છે. જે લોકોએ આમા લાભ લીધો હોય અને ડુંગર ઉતરવામાં છેલ્લે જે યાત્રિકો હોય તેઓની સાથે રામપોળથી બે સીકયુરીટી અને 1 ગેનમેન હીંગળાજના હડા સુધી સાથે આવે છે. અને ત્યાથી સીકયુરીટી બદલાય જાય છે. અને યાત્રિકોની સાથે તળેટી સુધી સુરક્ષા માટે આવે છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:59 am

ગર્વની વાત:યુનિ.ના 4 ખેલાડીઓ નેશનલ જુડોમાં રમશે

ભોપાલ ખાતે રમાઇ રહેલી ઇન્ટર યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશિપમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની જુડો ટીમે ઝળહળતો દેખાવ કર્યો છે અને ભાઇઓ-બહેનોમાંથી 4 ખેલાડીઓ ઓલ ઇન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે. ભાવનગરના રેણુકા ડોડીયાની 52 કિલો વજન જુથમાં, 78 કિલો વજન જુથમાં અંજલી આલની, 81 કિલોમાં માનવ ગોહેલની, 100થી વધુ કિલોમાં દિવ્યરાજ ગોહિલની નેશનલ કક્ષાએ પસંદગી થઇ છે. ખેલાડીઓને કોચિંગ બ્રિજેન્દુ મહેતા આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:58 am

સફળતાની કહાણી:ગામડાના સામાન્ય પરિવારની દીકરી પહોંચી મીની રણજી ટ્રોફીમાં

ટાચીની સવલતો સાથે પણ જો આકરી મહેનત કરવામાં આવે તો પ્રારબ્ધ પણ સફળતા સુધી પહોંચવામાં અટકાવી શક્તુ નથી. આવી જ વાત છે ઘોઘા તાલુકાના રામપર ગામના ખેત મજૂર પરિવારની દીકરીની, જેઓએ ક્રિકેટમાં ટોચ સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે શરૂ કરેલી કપરી મહેનત તેઓને સૌરાષ્ટ્રની ટીમ સુધી લઇ આવી છે. મીની રણજી ટ્રોફી સમાન અંડર-23 સૌરાષ્ટ્ર વિમેન્સ ટીમની ઘોષણા કરવામાં આવી છે જેમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટમાંથી માત્ર એક જ ખેલાડીને તક આપવામાં આવી છે. નયના સરવૈયા છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી ઘડવાના મનસુબા સાથે નિયમીત રીતે ભાવનગર ક્રિકેટ એકેડેમીની જુદી જુદી શાખાઓમાં નિષ્ણાંત કોચ તળે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડાબેરી બેટધર અને જમણેરી મધ્યમ તેઝ ગતિના ગોલંદાજ નયના સરવૈયાએ રામપર ગામથી ભાવનગર પ્રેક્ટિસ માટે આવવામાં ત્રણ પરિવહન સાધનો બદલાવવા પડે છે, અને વહેલી સવારે 5 કલાકે તેણીના પિતા સ્કૂટર પર રામપરથી ભુંભલી મુકી જાય છે, અને ત્યાંથી બસમાં ભાવનગર અને ત્યાંથી સાથી મહિલા ક્રિકેટરોના સ્કૂટર પર એકેડેમી સુધી તેઓ તાલીમ માટે પહોંચે છે. નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરી રહેલા નયના સરવૈયા ભાવનગર યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમના સુકાની પણ છે, નયનાએ સૌરાષ્ટ્ર સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ક્રિકેટમાં કાંઇક કરવું છે તેવી મહેચ્છા સાથે રમતમાં ઝંપલાવ્યુ હતુ, એક-એક ડગલું આગળ વધતા વધતા સૌરાષ્ટ્રની ટીમ સુધી હું પહોંચી શકી છું. ગત વર્ષે પણ હું સૌરાષ્ટ્રની અંડર-23 મહિલા ટીમમાં પસંદગી પામી હતી પરંતુ અંતિમ તબક્કામાં ઇજા થવાથી મેચો રમી શકી ન હતી. ટાચી આવક છતા પરિવારનો સંપૂર્ણ સહયોગ​​​​​​​નયના સરવૈયાનો પરિવાર ગામડાનો સામાન્ય આર્થિક સવલતો વાળો છે, ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા માતા-પિતાએ હંમેશા દીકરીને ક્રિકેટમાં તેના સ્વપ્ન સાકાર કરવા માટે ખૂબ જ ટેકો આપ્યો છે. પિતા દરરોજ દીકરીને રામપરથી ભુંભલી સુધી વહેલી સવારે મુકવા માટે જાય છે, પરિવારના સપોર્ટ વિના કોઇપણ ખેલાડી લાંબુ રમી શક્તા નથી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:58 am

વીજકાપ:સિહોરના નેસડા પંથકના ગ્રામિણ અને ઔદ્યોગિક વિસ્તારમાં આજે વીજકાપ

વરતેજ જેટકો એસેટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સિહોર તાલુકા નેસડા 66 કે.વી. સબ સ્ટેશનમાં આવતીકાલે તા.21મી નવેમ્બર-2025ને શુક્રવારે મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર છે. નેસડા 66 કે.વી. સબ સ્ટેશનની મરામતની કામગીરી અંતર્ગત સિહોર રૂરલ પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચેના 11 કે.વી.ના વીજળીના 8 ફિડરોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મરામત કામગીરી કામગીરી દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. વરતેજ જેટકોની મરામતની કામગીરી અંતર્ગત નેસડા 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી.ના 1 જ્યોતિગ્રામ ફિડર અને 7 ઇન્ડસ્ટ્રીયલ ફિડર મળી કુલ 8 ફીડરમાં વીજકાપ લદાયો છે. નેસડા 66 કે.વી. સબ સ્ટેશનમાં મરામત કામગીરીથી ખાખરીયા જ્યોતિગ્રામ નીચેના ખાખરીયા, નેસડા અને ભોળાદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ લદાયો છે. તેમજ નેસડા 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોને વીજળી પુરી પાડતા સિદ્ધિવિનાયક, પ્રમુખરાજ, પ્રયાગ, સ્ટાર, આકાશ, સાલાસર અને અર્શ ફિડરમાં પણ મરામત કામગીરીના સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:57 am

શાકમાર્કેટ અનેક સમસ્યાઓથી ઘેરાઈ:સિહોરમાં નવી શાકમાર્કેટ બનાવવાની યોજના અધ્ધરતાલ

સિહોરમાં શાકમાર્કેટ બનાવવાની યોજના લાંબા સમયથી અધ્ધરતાલ છે અને આ બાબતે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બીજી તરફ સિહોરમાં છેલ્લાં વર્ષોથી મોટા ચોકમાં શાકમાર્કેટ કાર્યરત છે. એક રીતે તો આ શાકમાર્કેટ ન કહેવાય પણ અત્યારે તો શાકભાજીવાળા પાથરણા પાથરીને શાકભાજી વેચતા હોય છે. આ શાકમાર્કેટને જૂની માર્કેટ કહેવાય છે અને તે બપોર સુધી જ કાર્યરત હોય છે. આ માર્કેટમાં સિહોર ઉપરાંત આજુબાજુના સાગવાડી, સર, ધ્રુપકા, ખાંભા, ભડલી સહિતના ખેડૂતો શાકભાજી વેચવા આવે છે. બપોર સુધીમાં શાકમાર્કેટ પૂરી થઇ જતી હોય છે પરંતુ આ શાકમાર્કેટનો ઉપરનો વિસ્તાર ઢોળાવવાળો હોય ત્યાંની શેરીઓમાંથી આવતું પાણી અને ઊભરાતી ગટરને કારણે અહીં શાકભાજી ખરીદવા આવતા ગ્રાહકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. દુષિત પાણી શાકભાજી ખરીદવા આવેલ કોઇ બહેન કે અન્ય ગ્રાહક પર ઊડે છે. શાકભાજી પર ઊડે છે. જેથી ગ્રાહકના કપડાં ગંદા થાય છે. ક્યારેક કોઇ ગ્રાહક અને વાહનચાલક વચ્ચે માથાકૂટ થાય છે. આ બાબત ગંભીર ગણાય. લોકો પોતાને મન ફાવે તેમ રોડ પર પાણી વેડફે તે બાબતે તંત્રએ કડપ દાખવવો જ જોઇએ. સિહોરનું તંત્ર આ બાબતે સતર્કતા દાખવી, ઊભરાતી ગટર અને વહેતું પાણી બંધ કરાવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. શાકમાર્કેટમાં ત્રિવિધ સમસ્યાઓ પરેશાનીસિહોરના મોટા ચોક પાસે આવેલ શાકમાર્કેટમાં તાજુ શાકભાજી મળતું હોવાથી, નગરજનો ત્યાંથી શાકભાજી ખરીદવાનો વિશેષ આગ્રહ રાખતાં હોય છે આથી આ માર્કેટમાં ભીડ પણ રહેતી હોય છે. એક તો આ માર્કેટ રસ્તા પર છે. એમાં રખડતા ઢોરનો ત્રાસ અને એમાંય આટલું અધૂરું હોય તેમ ઉપરના ઢાળમાંથી આવતું ગંદુ પાણી એમાં વળી પાછા વાહનોની અવરજવર

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:56 am

તસ્કરી:બેલામાં મકાનમાં ઘરેણાંની તસ્કરી

તળાજા તાલુકાના બેલા ગામે રહેતા રાજુભાઇ રમણીકભાઇ બારૈયા તેમના પરિવારના સભ્યો સાથે ગામમાં તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં ઘરેથી જમવા નિકળ્યા હતા અને સવારે બે જ કલાકના ગાળામાં ઘરે પરત ફરતા મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. જે દરમિયાન મકાનમાં તપાસ કરતા, સોના ચાંદીના ઘરેણાં સહિતની રૂા. 1,78,397ની માલમત્તા ચોરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ જતાં રાજુભાઇ બારૈયાએ અલંગ પોલીસ મથકમાં તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:56 am

લોખંડના બે હેવી લંગરોની જાળવણીમાં તંત્રની ઉદાસીનતા:એક સમયે ધીકતા વલભીપુર બંદરની ઓળખ સમાન લંગરોની અવદશા

વલભીપુર એક સમયે ધીગતુ બંદર હતુ અને આ વાતની ગવાહી સમાન આ બે લોખંડના હેવી લંગરો પુરે છે. આ લંગરો રાજાશાહી સમયે એક લંગર જકાતનાકા પાસે અને બીજુ પ્લોટ દેરાસર નજીક લંગારવામાં આવ્યા હતા. ત્યારબાદ 2008-09 ની સાલમાં શહેરમાંથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઇવેને ફોર લેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આ બન્ને લંગરોને ઘેલો નદીના પુલ નજીક રંગરોગાન કરીને પુન: ફીટ કરવામાં આવ્યા હતાં. હાલ ઘેલો નદી પરનો પુલ નવો બનાવામાં આવી રહ્યો છે ત્યારે નગરપાલીકા દ્વારા અગાઉથી આ લંગરોને નુકશાન ઓછુ થાય તે રીતે ખસેડીને સલામત સ્થળ મુકવાની જરૂર હતી. પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે પુલની કામગીરી કરતી એજન્સીએ ઉખાડીને સાઇડમાં મુકી દીધા અને થોડા દિવસો બાદ પાલીકાએ વોટર વર્કસવાળી જગ્યામાં જેમ તેમ નધણીયાત હાલતમાં મુકી દીધા છે. ભલે વર્તમાન સમયમાં આ લંગરો કદાચ ભંગાર લાગતા હશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:55 am

આપઘાતનો પ્રયાસ:મહુવામાં એકજ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પીધી

મહુવા લુહાર સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી, ઘરેણાં, રોકડ સહિતની ચોરી મામલે થવા પામી હતી. જે મામલે ચાર લોકો પર ચોરીનો આરોપ નાખતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહુવાના લુહાર સોસાયટીમાં રહેતા વિનુભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.50), વિલાસબેન કમલેશભાઇ પરમાર (ઉ.વ.45), સન્ની મુળજીભાઇ પરમાર, કમલેશ મુળજીભાઇ પરમારના બાજુના મકાનમાં રહેતા કાળુભાઇના ઘરે ગત તા. 27-10-2025ના રોજ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘરેણાં, રોકડ સહિતની ચોરી થવા પામી હતી. જેનો આરોપ આ ચારેય લોકો ઉપર નાંખવામાં આવ્યો હતો અને મહુવા ટાઉન પોલીસ મથકમાં પણ ચારેય લોકોના નામ આપવામાં આવ્યા હતા. જેને લઇને મહુવા પોલીસ અથવા એલ.સી.બી. પોલીસે ચારેય લોકોની પુછપરછ માટે બોલાવ્યા હતા અને વિનુભાઇ અને વિલાસબેનને મહુવા પોલીસ મથકના બીજા માળે લઇ જઇ ગંભીર મારમારી, બળજબરીથી ગુનો કબુલવાની ફરજ પાડતાં ચારેય લોકોએ આજે સવારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ભાવનગર પોલીસ ઉપર આક્ષેપોના છાંટા ઉડ્યા હતા. જે મામલે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.સન્ની પરમાર દસેક વર્ષ અગાઉ બાઇક ચોરીમાં સપડાયેલો છે. જુનાગઢ પોલીસે શંકા રાખી બેગની તપાસ કરેલી હતીદવા ગટગટાવી લેનાર સન્ની પરમારે જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે જૂનાગઢ લીલી પરિક્રમા કરવા ગયા હતા. જ્યાં પણ જૂનાગઢ પોલીસે અમારા ઉપર ચોરીની શંકા રાખી અમારા તમામ લોકોના બેગ ચેક કર્યા હતા અને તે વેળાએ પણ અમારી બેગમાંથી કશું મળી આવ્યું ન હતું. અમે આજદિન સુધી ચારેય લોકોને બોલાવ્યા નથીમહુવા પોલીસ ટાઉનના કોઇ અધિકારી કે કર્મચારી દ્વારા ચારેય પૈકી કોઇ પણ સભ્યને અમારા દ્વારા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા નથી. અમને ખબર પણ નથી કે કઇ પોલીસે બોલાવ્યા. જો કે, એક શખ્સ અગાઉ મોટર સાયકલના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યું છે.> કે.એસ. પટેલ , PI મહુવા ટાઉન પોલીસ મથક

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:54 am

ભાસ્કર એક્સક્લૂસિવ:કચ્છના 28,946 આર્થિક સદ્ધર લોકોના રાશન કાર્ડ તંત્ર દ્વારા રદ્દ કરાયા

કચ્છમાં શંકાસ્પદ રેશન કાર્ડની ચકાસણીની કેન્દ્ર સરકારની ડેડલાઇન 30 સપ્ટેમબરના રોજ પૂર્ણ થઇ ગયા બાદ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. કચ્છમાં 1,28,371 શંકાસ્પદ કાર્ડની ચકાસણી તાલુકા લેવલે થઇ રહી છે હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમ્યાન તંત્ર દ્વારા 1.28 લાખ શંકાસ્પદ રેશન કાર્ડમાંથી 1.૦8 લાખ કાર્ડ વેરીફાઈ થતા 84 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. જેમાંથી 28,946 રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. કચ્છ સહીત દેશમાં સદ્ધર લોકો પણ ગરીબોનું અનાજ મેળવી રહ્યા હોવાની વાત કેન્દ્ર સરકારને ધ્યાને આવતા જિલ્લા પ્રમાણે શંકાસ્પદ રાશન કાર્ડની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લામાં 1.28 લાખ શંકાસ્પદ રાશન કાર્ડની યાદી કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લા પુરવઠા વિભાગને સોંપવામાં આવી હતી. અને તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ શંકાસ્પદ રાશન કાર્ડ ધારકોને નોટીસ આપીને આધાર પુરાવા રજુ કરવા જણાવાયું છે. એનએફએસએ હેઠળ માપદંડમાં જે લોકોનો સમાવેશ નથી થતો તેવા રાશન કાર્ડ ધારકોના કાર્ડને એનએફએસએમાંથી નોન-એનએફએસએ કરવામાં આવ્યા છે. આ શંકાસ્પદ રાશન કાર્ડ ધારકોમાં જેમની પાસે ફોર વ્હીલર કાર, કંપનીમાં ડિરેક્ટરશિપ, આવકવેરા ભરતા ટેક્સપેયર્સ, અથવા પીએમ કિસાન યોજનાનો લાભ લેતા લોકો છે

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:54 am

માર માર્યો:ફૂલના કુંડા તોડવાની ના પાડતા માર માર્યો

સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાએ ફ્લેટની બહાર રાખેલ ફૂલ છોડના કુંડાઓ ને તે ફ્લેટમાં જ રહેતા બે શખ્સો તોડી નાખતા હોય તે અંગે તેને ઠપકો આપતા તમામ શખ્સોએ એક સંપ કરી મહિલાના પરિવારને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 28 ગોકુલધામ સોસાયટી વીંગ સી ઘર નંબર 303 માં રહેતા ઉર્મિલાબેન જીગ્નેશભાઈ રાઠોડ ના ફ્લેટમાં જ રહેતા રવિભાઈ અને આકાશભાઈ બંને ઉર્મિલાબેન ના ઘરની બહાર રાખેલ ફૂલ છોડના કુંડા તોડી નાખતા હોય જે બાબતે તેને ઠપકો આપતા ઉર્મિલાબેન, તેના બા ભાવનાબેન તેમજ તેના ભાઈ રોહિત ને રવિભાઈ અને આકાશભાઈ ઉપરાંત રોહનભાઈ રાજુભાઈ પરમાર, રોહિત રાજુભાઈ પરમાર અને રોનક રાજુભાઈ પરમાર એ એક સંપ કરી તેઓને મુંઢ માર મારતા તેઓ સારવાર માટે ગયા હતા. બાદ ત્યાંથી પરત આવતા ભગવાનેશ્વર મંદિર સુભાષ નગર પહોંચતા આ તમામ વ્યક્તિઓએ ફરી પાછા લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે તેમજ છરી થી હુમલો કરી માર મારી તેઓને ગાળો આપી ઝપાઝપી કરી હતી તે દરમિયાન ઉર્મિલાબેનના ભાઈનો સોનાનો ચેન પણ પડી ગયો હતો. તેમજ આ તમામ આરોપીઓએ તેમને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:53 am

વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન:સ્વામિ.શાળા નિર્ભય સોસાયટીમાં SVS કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન

ભાવનગર | જી.સી.ઈ.આર.ટી. તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટીના યજમાન પદે S.V.S.–2 “ધ્યાન” કક્ષાનું ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું હતું. આ પ્રદર્શનમાં કુલ 15 શાળાની 48 કૃતિઓ મુખ્ય પાંચ વિભાગ મુજબ રજૂ કરવામાં આવી હતી. દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી, જે હવે જિલ્લામાં યોજાયેલ S.V.S.–2 સ્તરે પ્રતિનિધિત્વ કરશે. શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી માટે નિર્ણાયક તરીકે મનીષભાઈ, સંજયભાઈ, વિપુલેશભાઈ, પંકજભાઈ, વિવેકભાઈ, ધ્રુવભાઈ, ડૉ. પરિતાબેન, ચંદ્રિકાબેન, અંજલિબેન, ભદ્રેશભાઈએ ફરજ બજાવી હતી.વિજેતા વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય લાલજીભાઈ સી. કોરડિયાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન શિક્ષકો મહેન્દ્રભાઈ પટેલ અને શ્રીકાંતભાઈ દેવમુરારિ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પનાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ સક્રિય સહયોગ આપ્યો હતો.કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:53 am

ABVP એ આપ્યું આવેદન:યુનિવર્સિટીની પરીક્ષામાં છેલ્લી 10 મિનિટે પ્રશ્નમાં સુધારો કરતા ABVP નું આવેદન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીમાં પરીક્ષામાં થતા એક પછી એક વિવાદો થોભવાનું નામ નથી લેતા ત્યારે પરીક્ષાના ફરી એક વખત યુનિવર્સિટી તંત્રની ભૂલોના લીધે વિદ્યાર્થીઓને હાડમારી ભોગવવી પડી છે, પરીક્ષા પૂરું થવાના સમયે સુધારા કરાવતા હોવાથી ઘણા વિદ્યાર્થીઓ પેપર જમા કરાવી નીકળી ગયા હતા. યુનિવર્સીટીમાં ગયા દિવસોમાં લેવાયેલી પરીક્ષામાં બી.એસ.સીના સેમ:3 ઇંગ્લિશ અને બી.કોમના સેમ: 3 એકાઉન્ટ અને ઇંગ્લિશ પેપરમાં પ્રશ્નપત્ર આપવામાં આવ્યો હતો. જેમાં બે પ્રશ્નો સમાન હોવાથી એક પ્રશ્ન પરીક્ષાની શરૂઆતમાં જ સુધારવામાં આવ્યો હતો. જ્યારે પરીક્ષા પૂરી થવાને દસ મિનિટની વાર હતી તેવા સમયે ફરી વખત પ્રશ્ન સુધારવામાં આવ્યો તેના લીધે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળ્યો નથી અથવા તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્તરવહી જમા કરાવીને નીકળી ગયા હતા, અત્યારે દસ મિનિટનો સમય અલગથી આપવામાં આવ્યો હતો તેમાં પણ વિવિધ કોલેજોમાં ભેદભાવ જોવા મળ્યો હતો. કોઈક કોલેજ એ દસ મિનિટ વધારે આપી હતી અને કોઈ કોલેજે દસ મિનિટ આપ્યા વગર ઉત્તરવહી જમા લઈ લીધી હતી, આવા યુનિવર્સિટીના બેદરકારી ભર્યા પગલાના લીધે ભાવનગર યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ હાડ મારી ભોગવી રહ્યા છે આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બનેલી છે જે ભૂલોમાંથી યુનિવર્સિટી તંત્ર કોઈ શીખ મેળવ્યા વગર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે તેવા આક્ષેપો ભાનવગરની ABVP શાખાના હોદ્દેદારોએ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:52 am

NSS દ્વારા કાર્યક્રમ:યુનિવર્સિટીમાં NSS દ્વારા “વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામ” યોજાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના NSS એકમ દ્વારા કુલપતિ ડૉ. ભરત રામાનુજની અધ્યક્ષતા, એનએસએસ ડાયરેક્ટર પ્રો. ડૉ. ભારતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, નવી દિલ્હીના રાષ્ટ્રવ્યાપી ઉપક્રમે “વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામ (VBYCP)” અંતર્ગત વિશેષ પ્રેરણાત્મક કાર્યક્રમનું ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં વિકસિત ભારત 2047ના વિઝન અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ દેશને વધારે પ્રગતિશીલ, આત્મનિર્ભર અને આગેકૂચ મેળવા માટેની જવાબદારીનો સંદેશ પહોંચાડવાનો હતો. સાથો સાથ દેશનું યુવા ધન ક્યાં પ્રકારે પોતાનો વિકાસ તેમજ દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવી શકે તે રહેલ.કાર્યક્રમમાં NSS ના વિવિધ પ્રોગ્રામ ઓફિસર્સ, NSS વોલન્ટિયર્સ, સ્ટાફ સભ્યો તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમમાં આમંત્રિત યુથ આઇકોન ધ્વનિ રાજ્યગુરુએ યુવાનોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. ધ્વનિ રાજ્યગુરુ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગમાં 30 લાખ યુવાઓમાંથી પસંદગી પામી પ્રધાનમંત્રી મોદીજી સામે ભારત મંડપમ ખાતે એમ્પાવરિંગ વૂમન એન્ડ ઇમ્પ્રૂવિંગ સોશિયલ ઇન્ડિકેટરવિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતુ. તેમણે સંબોધનમાં ભારતે હાંસલ કરેલા ઉત્કૃષ્ટ વિકાસ આધારિત કામો, યુવાનોની ભૂમિકા, સરકારની વિવિધ યોજનાઓ તથા 2047 સુધી ભારતને વિશ્વમંચ પર આગેવાન બનાવવા માટે યુવાનો શું યોગદાન આપી શકે તે અંગે ઊંડાણપૂર્વક સમજ આપી. કાર્યક્રમમાં નવી દિલ્હીની યુવા મંત્રાલયના પ્રતિનિધિ યાદમ મેડમે વિશેષ ઉપસ્થિતિ આપી અને યુવા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકાને વિશદ રીતે રજૂ કરી. યુનિ.ના કુલસચિવ ડૉ. ભાવેશ જાની દ્વારા પ્રાસંગિક ઉદ્ભોદન કરાયું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંકલન યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવનના ફેકલ્ટી ડૉ. નિરાલી મેહતા દ્વારા કરાયું હતુ.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:52 am

પત્રકારો માટે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન:પત્રકારો માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અન્વયે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો

'ફીટ ઈન્ડિયા'ની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પ્રહરી એવા પત્રકારોની નિઃશૂલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ રાજ્ય રેડક્રોસ ના સહકાર થી રેડક્રોસ ભાવનગર અને ભાવનગર જિલ્લા માહિતી કચેરી ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પમાં ભાવનગર જિલ્લાના ૯૦ થી વધુ પત્રકારશ્રીઓએ નિઃશૂલ્ક આરોગ્ય તપાસ કરાવી પોતાનું સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. પ્રજાનો અવાજ બનતા પત્રકારશ્રીઓના આરોગ્ય માટે રેડક્રોસ સોસાયટી અને રાજ્ય સરકાર ના ઉપક્રમે આ આયોજન કરવા માં આવેલ હતું જેમાં રેડક્રોસ સોસાયટી ભાવનગર અને રેડક્રોસ શાખા ની ટિમ દ્વારા સેવાઓ આપવા માં આવી હતી. ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા' અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ માટેના આ અભિયાનમાં પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરતાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોએ આરોગ્ય તપાસ કરાવી હતી. પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઈ.સી.જી, એક્સ રે, બોડી પ્રોફાઈલ સહિત પ્રિલિમનરી ટેસ્ટ, લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ, થાઈરોઈડ સ્ક્રીનિંગ, ડાયાબિટીસ માર્કર , આંખો ની તપાસ અને ચશ્મા વિતરણ, ઓડિયોમેટ્રી ટેસ્ટ, સ્પાયરોમેટ્રી ટેસ્ટ સહિતના જરૂરી પરીક્ષણોને આવરી લેવામાં આવ્યા હતાં. આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને પત્રકારોની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગરના ચેરમેન ડો મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર અને ટીમ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:51 am

મ્યુ.સ્ટાફને માર્ગદર્શન:મ્યુ.સ્ટાફને ડિજિટલ ખરીદી અંગે માર્ગદર્શન

પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન અને મહાનગરપાલિકા ભાવનગરના અધિકારી/કર્મચારીઓ તથા ભાવનગર ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ડે. એકાઉન્ટન્ટ અને મેનેજર (સોલીડ વેસ્ટ) માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. “ એમ્પાવરિંગ મ્યુનિસિપલ સ્ટાફ, સ્ટ્રેન્થનીંગ અર્બન ફ્યુચર”, “ટ્રેઇનીંગ ટૂડે ફોર સ્માટર સિટીસ ટુમોરો” ટેગ લાઈન હેઠળ ઝવેરચંદ મેઘાણી મિની ઓડીટોરીયમ હોલ ખાતે, સરદારનગર, ભાવનગર ખાતે ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 232 અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. એન. કે. મીણા, ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, ઝોનના અધિક કલેક્ટર ડી. એન. સતાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જય રાવલની હાજરીમાં યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:49 am

વેધર રિપોર્ટ:એકજ તાપમાને પારો થીજ્યો સતત ચોથા દિવસે 15 ડિગ્રી

ભાવનગર શહેરમાં આજે સતત ચોથા દિવસે લઘુત્તમ ઉષ્ણતામાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ આપસાસ નોંધાયું છે. આ ચારેય દિવસ દરમિયાન શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 15.6 ડિગ્રીથી 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ દરમિયાન નોંધાતા રાતે જાણે શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી 16 ડિગ્રી વચ્ચે થીજી ગયો હોય તેવું છે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. વહેલી સવારે ઉત્તર પૂર્વના બફર વર્ષાની અસરના પવનની ઝડપ ઘટીને 4 કિલોમીટર થઇ જતા સવારે ઠંડીની તીવ્રતા ઘટી હતી પણ મોડી સાંજે શહેરમાં પવનની ઝડપ પુન: વધીને 12 કિલોમીટર થઇ જતા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગઇ કાલે મહત્તમ તાપમાન 29.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે નજીવુ વધીને 29.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 15.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 86 ટકા હતુ તે સાંજે ઘટીને 45 ટકા નોંધાયું હતુ. વહેલી સવારે શહેરમાં ધુમ્મસ છવાયેલું હોય વાહનચાલકોને ડ્રાઇવિંગમાં તકલીફ ભોગવવી પડી હતી. જો કે હવે રાજ્યમાં હવે પૂર્વના ફૂંકાવાનું શરૂ થતાં તાપમાનમાં નજીવો વધારો થયો હતો. આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો વધારો થશે જેથી ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શહેરમાં રાતનું તાપમાન

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:49 am

યુવકની હત્યા કરનાર શખ્સ વિરૂદ્ધ રાવ:શહેરના વડવાનેરા ચોકમાં પથ્થરમારો કરી યુવકની હત્યા કરનાર શખ્સ વિરૂદ્ધ રાવ, મનુષ્ય વધની કલમ લગાવાઈ

શહેરના વડવા નેરા નાથાવાળી શેરીમાં રહેતા ફેઝલભાઇ રઝાકભાઇ ઝાકાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભાઇ વસીમભાઇ ઝાકા બાવાગોર ચોકથી વડવા નેરા વચાળે ચાલીને જતાં હતા જે દરમિયાન અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઇ મકવા અને અલબક્ષ ઉર્ફે અબો બંન્ને જાહેર રોડ ઉપર માથાકૂટ કરતા હતા. જે દરમિયાન અદનાન ઉર્ફે બાદશાહે પથ્થરો ફેંકતા તે પથ્થર ચાલીને જતાં વસીમભાઇને માથાના ભાગે ઇજા થતાં, ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ચાર દિવસ બાદ સારવારમાં વસીમભાઇનું મોત થતાં નિલમબાગ પોલીસમાં આરોપી અદનાન ઉર્ફે બાદશાહ અસ્લમભાઇ ઝાકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ મનુષ્યવધની કલમનો ઉમેરો કરી, ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકની હત્યા કરનાર શખ્સ ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી દીશામાં આરોપીની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:48 am

SIR:શનિ, રવિવારે BLO મતદાન મથક પર હાજર રહેશે

આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે. જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી મેપિંગ કે લિન્કિંગ કરાવી શકશે. જો મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ 2002ની મતદાર યાદીમાં શોધવા BLO માર્ગદર્શન આપશે. હવે તા. 22 અને 23 નવેમ્બર, શનિવાર ેઅન રવિવારે BLO ને પોતાના મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે. વધુ માહિતી માટે BLO નો ફોનથી સંપર્ક કરવા માટે મતદાર voters.eci.gov.in પરથી Book a Call with BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. જિલ્લાના તમામ BLO તથા મતદાન મથકની યાદી https://collectorbhavnagar.gujarat.gov.in/ પર જોઇ શકાશે. જે મતદારોનું નામ અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ 2002ની મતદારયાદીમાં mapping / linking થઇ ગયેલ હોય તેવા કિસ્સામાં મતદારે કોઇ પુરાવા રજુ કરવાના રહેશે નહી. 2002ની મતદારયાદીમાં કોઇપણ મતદાર પોતાનું નામ https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB લિંકથી સર્ચ કરી શકશે. આ ઉપરાંત 2002ની મતદાર યાદી https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/voterlist2002.aspx લિંકથી ડાઉનલોડ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:47 am

ફરાર આરોપી પકડાયો:પાલિતાણા રૂરલ - સુરત પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપ્યો

સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં એક યુવતીએ પાલિતાણાના નાનીમાળ ગામે રહેતા શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પાલિતાણા રૂરલ પોલીસ અને સુરત પોલીસે નાનીમાળ ગામે ખેતમજુરનો વેશ પલટો ધારણ કરી આરોપીને ઝડપી લીધો હતો. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્કર્મના એક ગંભીર ગુનાના વોન્ટેડ આરોપી નિતિન શામજીભાઈ ધામેલિયાને સુરત અને પાલીતાણા રૂરલ પોલીસના સંયુક્ત અને વ્યૂહાત્મક ઓપરેશનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ નિતિન ધામેલિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અને આ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનો તથા તેના અંગત ફોટા પાડી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદ નોંધાતાં જ આરોપી ધરપકડ ટાળવા છેલ્લા બે મહિનાથી ફરાર હતો. . સુરત પોલીસને ચોક્કસ બાતમી મળી કે નિતિન ધામેલિયા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના તેના વતન નાનીમાળ નજીક વાડી વિસ્તારમાં ખેત મજૂરો વચ્ચે છુપાઈને રહે છે. આ આધારે સુરત પોલીસની ટીમ તાત્કાલિક પાલીતાણા પહોંચી અને પાલીતાણા રૂરલ પોલીસની સાથે સંયુક્ત ઓપરેશન ગોઠવ્યું. કોઈને શંકા ન જાય તે માટે પોલીસ જવાનોએ ખેત મજૂરનો વેશ ધારણ કરી કપાસ નીકળતા મજૂરોની વચ્ચે રહીને વાડી વિસ્તારમાં પ્રવેશ કર્યો અને તક મળતા જ નાનીમાળની વાડીમાંથી નિતિન ધામેલિયાની ધરપકડ કરી હતી. વેશ પલટી ને ગોઠવાયેલા આ સંયુક્ત ઓપરેશનથી સુરત–પાલીતાણા રૂરલ પોલીસે ફરાર વોન્ટેડ આરોપીને ઝડપવામાં મોટી સફળતા મેળવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:47 am

નિયમ 10-એ તળે કરાયો આદેશ:બેંક વિગતો અપડેટ નહીં કરાય તો કરદાતાનો GST નંબર સસ્પેન્ડ થશે

જીએસટી પોર્ટલ પર નોંધાયેલા કરદાતાએ તેઓના બેંક ખાતાની વિગતો જો અપડેટ કરી નહીં હોય તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કરદાતા નિશ્ચિત સમય મર્યાદામાં બેંક ખાતાની માહિતી અપલોડ નહીં કરે તો તેઓના જીએસટી રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ નેટવર્ક (GSTN) એ એક નવી એડવાઇઝરી જારી કરી છે, જેમાં નોંધાયેલા કરદાતાઓને GST પોર્ટલ પર તેમના બેંક ખાતાની વિગતો તાત્કાલિક અપડેટ કરવા વિનંતી કરવામાં આવી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (CGST) નિયમોના નિયમ 10A ની આવશ્યકતાઓને લાગુ કરતી નવી સિસ્ટમ ફેરફારો લાવવાની તૈયારીઓ વચ્ચે આ રીમાઇન્ડર આવ્યું છે. દરેક કરદાતા - ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS), ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) હેઠળ નોંધાયેલા લોકો સિવાય, અથવા જેમને સ્વતઃ નોંધણી આપવામાં આવી છે - તેમણે કડક સમયમર્યાદામાં તેમના બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. નિયમ 10A આદેશ આપે છે કે કરદાતાઓએ તેમના GST નોંધણી પ્રમાણપત્ર પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર અથવા તેમનું પ્રથમ GSTR-1 અથવા ઇન્વોઇસ ફર્નિશિંગ ફેસિલિટી (IFF) રિટર્ન ફાઇલ કરતા પહેલા, જે પણ વહેલું થાય તે પહેલાં, તેમની બેંક ખાતાની માહિતી અપલોડ કરવી જરૂરી છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજકરદાતા સમયમર્યાદા ચૂકી જાય તો શું થશે ?નિયમ 10A નું પાલન કરવામાં નિષ્ફળતા GST નોંધણી સસ્પેન્ડ કરી શકે છે, જે દરમિયાન કરદાતાને કરપાત્ર પુરવઠો કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. જો પાલન ન થાય તો સસ્પેન્શન પછીથી રદ થઈ શકે છે. સસ્પેન્ડેડ GST નંબરને ફરીથી સક્રિય કરવા માટે સુધારાત્મક ફાઇલિંગ અને વધારાની ચકાસણીની જરૂર પડે છે, જેમાં સમય લાગી શકે છે અને વ્યવસાયિક કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટબેંક વિગતો શા માટે મહત્વપૂર્ણ છે?વિશ્વસનીય અને છેતરપિંડી-પ્રતિરોધક કર ઇકોસિસ્ટમ બનાવવા માટે ચકાસાયેલ બેંક ખાતાની માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આ વિગતો અધિકારીઓને ખાતરી કરવામાં મદદ કરે છે કે GST નોંધણી હેઠળ કાર્યરત વ્યવસાયો વાસ્તવિક અને શોધી શકાય તેવા છે. તે ઝડપી રિફંડ, સુધારેલ સંદેશાવ્યવહાર અને સરળ ઓડિટ અને ચકાસણી પ્રક્રિયાઓને પણ સક્ષમ બનાવે છે. > ભરતભાઇ શેઠ, વરિષ્ઠ ટેક્સ કન્સલટન્ટ

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:46 am

વહીવટી તંત્ર સક્રિય:ભુજમાં મુખ્યમંત્રી 500 કરોડના વિકાસકામોનું રવિવારે ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.23/11ના કચ્છ આવી રહ્યા છે ત્યારે તંત્રની સાથે જિલ્લા ભાજપ પણ તેમને આવકારવા આતુર છે. ભુજ ખાતે આવતા મુખ્યમંત્રીના હસ્તે રિંગ રોડ, મુન્દ્રા રોડ રિસરફેસીંગ સહિત અંદાજિત 500 કરોડના કામોના ખાતમુહૂર્ત કરાશે. મુખ્યમંત્રીને આવકારવા તંત્ર દ્વારા તૈયારી કરાઈ રહી છે ત્યારે કચ્છ ભાજપ દ્વારા પણ મુખ્યમંત્રીને આવકારવા ભાજપ કાર્યાલયે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી વધુમાં લોકો આ કાર્યક્રમ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા આયોજન કરાયું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને આવકારવા માટે તમામ તૈયારીઓ સારી રીતે થાય અને ક્યાય કચાસ ના રહે તે જોવા જણાવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી અને મુખ્યમંત્રીએ હંમેશા કચ્છ માટે ખુલ્લા હાથે ગ્રાન્ટો ફાળવી છે ત્યારે ભુજના રિંગ રોડો માટે મોટી રકમ ફાળવવા બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરવા જણાવ્યું હતું. સાથે અપેક્ષિત સૌને પોતાની જવાબદારી સમજી કાર્યક્રમને સફળ બનાવવા માટે કામેં લાગી જવા ખાસ સૂચના આપી હતી. આયોજન બેઠકમાં જિ.પં.ના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, જિલ્લા સંગઠનના ડો. મુકેશ ચંદે, જયંત માધાપરીયા, શીતલ શાહ, વાલજી ટાપરીયા, પ્રફુલસિંહ જાડેજા વિજુબેન રબારી, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી, શહેર પ્રમુખ મિત ઠક્કર, વિવિધ મોરચાના તાપસ શાહ,અશોક હાથી, પરસોતમ પટેલ, આમદ જત,માવજી ગુંસાઈ, મંડળના હોદેદારો, જિ.પં.ના સભ્યો, નગરસેવકો, મહિલા મોરચા સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય અને આભાર વિધિ રાહુલ ગોરે કરી હોવાનું કચ્છ ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:34 am

વિકૃત રોગથી પીડિત દર્દીનો લાલબત્તી સમાન કિસ્સો:વિકૃત આનંદની લતથી 80 વર્ષના વૃદ્ધ હોસ્પિટલના બિછાને પહોંચ્યા

ભાવનગર સર ટી. હોસ્પિટલમાં કાર્યરત સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે પેટમાં અસહ્ય દુ:ખાવાની ફરિયાદ સાથે 80 વર્ષના વયોવૃદ્ધ દર્દીને લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય લાગતા કેસમાં પેટના એક્સ-રે રિપોર્ટમાં પ્લાસ્ટિકની બોટલ જોતા તબીબોની આશ્ચર્ય સાથે આંખો ફાટીને પહોળી થઇ ગઈ હતી. તબીબી ક્ષેત્રે પોલિએમ્બોલોકોઇલેમેનિયા જેવા વિકૃત રોગથી પીડિત દર્દી વિકૃત આનંદની લતે હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતા. વિકૃત રોગથી પીડિત વૃદ્ધ દર્દીએ આનંદની પરાકાષ્ઠા પામવા 8.5 ઈંચની સાઈઝની તેલની પ્લાસ્ટિકની બોટલ ગુંદા માર્ગે નાખી હતી. જોકે ગુંદા માર્ગેથી પ્લાસ્ટિકની બોટલ પેટમાં ચાલી જતા વૃદ્ધને પેટમાં અસહ્ય દુ:ખાવા સાથે બુધવારે રાત્રે 3 વાગ્યાના અરસામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇમરજન્સી વિભાગમાં યુનિટ હેડ ડો.ફિરદોશ દેખૈયાની દેખરેખ નીચે આસિસ્ટન્ટ પ્રોફેસર સર્જરી ડો.સ્મિત મહેતા અને બે જુનિયર તબીબોએ જટિલ કહી શકાય તેવા બે કલાકના સફળ ઓપરેશન સાથે પેટમાંથી પ્લાસ્ટિકની બોટલ બહાર કાઢી હતી. સારવારમાં મોડું થયું હોત તો જીવનું જોખમ હતુંપેટમાંથી પ્લાસ્ટિકની બોટલ સાથે સર્જિકલ વૉર્ડમાં લવાયેલ દર્દીની સારવારમાં સહેજ મોડું થયું હોત તો જીવનું જોખમ હતું. પ્લાસ્ટિકની બોટલને કારણે આંતરડામાં ભારે નુકસાન થયું હતું. હાલ સફળ ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ સામાન્ય છે. > ડો.સ્મિત મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર, સર્જરી વિભાગ, સર ટી. હોસ્પિટલ ભાવનગર પોલિએમ્બોલોકોઇલેમેનિયા બીમારી શું છે ?તબીબી ક્ષેત્રે રેર કહી શકાય તેવા પોલિએમ્બોલોકોઇલેમેનિયા એક વિકૃત રોગ છે. આ એક પ્રકારનો માનસિક વિકાર જ છે. જેમાં વિકૃત રોગથી પીડિત વ્યક્તિ શરીરના છિદ્રોમાં, જેમ કે મો, મૂત્ર માર્ગે , ગુંદા માર્ગે અથવા યોનિમાં અલગ અલગ વસ્તુઓના આદત પૂર્વક દાખલ કરતા હોય છે. અનેક સેકસ્યુલ પર્વઝન માનું એક છે. જેમાં આવા લોકો જાતીય સંતોષ અને ક્યારેક સ્વ-નુકસાન માટે આવી પ્રવૃત્તિ કરતા હોય છે. આવા વિકૃત રોગથી પીડિત દર્દીના પરિવારે દર્દીની મનોચિકિત્સક પાસે યોગ્ય સારવાર કરવી ખુબ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:33 am

પોલીસની મેગા ડ્રાઇવ:3 દાયકાના 700 આરોપીઓનું ડોઝિયર તૈયાર

ગુજરાત પોલીસવડાએ 30 વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની સંપૂર્ણ વિગતો(ડોઝીયર) બાબતે મેગા ડ્રાઇવ રાખી છે. જેમાં સુરત પોલીસે આંતકવાદી પ્રવૃતિ સહિતના 700 ગુનેગારોનો ડોઝીયર તૈયાર કર્યું છે. બાકીઓનું આવતીકાલે તૈયાર કરાશે એવુ પોલીસે જણાવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે ડોઝીયરમાં 30 વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીનો ફોટો, શરીર પર ચિન્હ સહિતની વિગતો લેવાની રહેશે. ભૂતકાળમાં સીમીના 11 કાર્યકરો પકડાયા હતા. પાછળથી સીમીના કાર્યકરો અને સ્લીપર સેલના અમુક ગુનેગારો બોમ્બ પ્લાન્ટ અને બોમ્બ બલાસ્ટમાં સામેલ હતા.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:25 am

કાર્યવાહી:પ્રાગપરના દારૂના ગુનામાં રાજસ્થાનના આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવાયો

પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી રાજસ્થાનના જેસલમેરના પોખરણ તાલુકાના નયા સનાવાડા ગામના 32 વર્ષીય આઈદાનસિંહ ગોવર્ધન સિંહ રાઠોડને ઝડપી લેવાયો હતો. આરોપી હાલ અબડાસાના ખાનાય ગામમાં રહે છે. પાલારા જેલમાંથી છૂટવાનો હોવાની હકીકત આધારે ઝડપી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:25 am

વારી ગ્રુપ પર ત્રીજા દિવસે તપાસ જારી:બિલ્ડર રાજુ શાહને ત્યાંથી ITએ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા

વારી ગ્રુપ પર મુંબઇ ITના દરોડા ત્રીજા દિવસે જારી રહ્યા હતા. બિલ્ડર રાજેન્દ્ર ઉર્ફે રાજુ શાહને ત્યાં જમીનોના ડોક્યુમેન્ટની ખણખોદ કરવામા આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે અને વારી ગ્રુપ સાથે જે વ્યવહાર થયા છે તેની વિગતો પણ અધિકારીઓએ મેળવી છે. બ્રોકર શર્માને ત્યાં તપાસ પૂર્ણ, લગ્નમાં જવા દેવાયાબ્રોકર દીપક શર્માને ત્યાં મોડી સાંજે સર્ચ ઓપરેશન પૂર્ણ થયાનું જાહેર કરાયું હતું. અને પરિવારમાં દીકરાના લગ્ન હોય તેઓ 8 વાગ્યે રાજસ્થાન જવા રવાના થયા હતા. ગતરોજ વિનંતી કરવા છતાં અધિકારીઓએ તેમને જવા દીધા ન હતા

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:25 am

આગ લાગી:વેલંજામાં ભંગાર અને ફરસાણની દુકાનમાં આગ લાગતા સામાન ખાખ

ઉમરા વેલંજા રોડ રંગોલી ચોકડી પાસે પતરાના શેડમાં બનાવેલી 4 દુકાનોમાં ગુરૂવારે આગ લાગી હતી. ભંગારની બે દુકાનોમાં લાગેલી આગની લપેટમાં નજીકની દુકાનો પણ આવી ગઈ હતી. એક કલાકની જહેમત બાદ ફાયર દ્વારા આગ પણ કાબૂ મેળવાયો હતો.આગમાં સામાન ખાખ થઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:23 am

કચ્છની 587 શાળાઓનું વિભાજન:258 પૂર્વ કચ્છમાં અને 329 પશ્ચિમ જિલ્લામાં રહેશે

કચ્છમાં એક જ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હતી. પરંતુ, હવે પૂર્વ કચ્છની અંજારમાં અને પશ્ચિમ કચ્છની ભુજમાં એમ બે કચેરીઓ થઈ ગઈ છે, જેથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 17મી નવેમ્બરથી શાળાઓ અને મહેકમનું પણ વિભાજન કરી નાખ્યું છે, જેમાં જિલ્લાની 587 શાળાઓમાંથી પૂર્વ કચ્છની 258 અને પશ્ચિમ કચ્છની 329 શાળાઓ બતાવાઈ છે. એવી જ રીતે ભુજ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના 37ના મંજૂર મહેકમમાંથી અંજારને 17 અને ભુજને 20નો સ્ટાફ ફાળવાયો છે. એવું પશ્ચિમ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. હાલની સ્થિતિએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વર્ગ-1ની મંજૂર જગ્યા 1 અને તે ભરાયેલી છે. જે યથાવત રહેશે. જ્યારે અંજારમાં વર્ગ-1ની જગ્યા ખાલી રહેશે. શિક્ષણ નિરીક્ષક વર્ગ-2નું મંજૂર મહેકમ 4 છે. ભરાયેલી એકેય નથી. ચારેચાર ખાલી છે. અંજારમાં 2 અને ભુજમાં 2 રહેશે. હિસાબી અધિકારી વર્ગ-2ની મંજૂર જગ્યા 1 છે. ભરાયેલી 1 છે. અંજારમાં ખાલી રહેશે. ભુજમાં યથાવત રહેશે. કનિયાન અધિક્ષક વર્ગ-2ની મંજૂર મહેકમ જગ્યા 1 છે. જે ભરાઈ નથી. અંજારમાં 1 રહેશે. ભુજમાં ખાલી રહેશે. મદદનીશ શિક્ષણ નિરીક્ષક વર્ગ-3ની મંજૂર જગ્યા 8 છે. ભરાયેલી જગ્યા 6 છે અને ખાલી જગ્યા 2 છે. અંજારમાં 3 રહેશે. ભુજમાં 5 રહેશે. મુખ્ય કારકૂન વર્ગ-3ની મંજૂર જગ્યા 1 છે. જે ભરાયેલી છે. જે અંજારમાં રહેશે. ભુજમાં ખાલી રહેશે. શ્રેયાન કારકૂન વર્ગ-3 મંજૂર મહેકમ 10 છે. ભરાયેલી 5 છે અને ખાલી 5 છે. બંને કચેરીને 5-5 ફાળવી દેવાયા છે. જુનિયર કારકૂન વર્ગ-3ની મંજૂર મહેકમ 6 છે. ભરાયેલી 2 છે. ખાલી 4 છે. બંને કચેરીને સરખેભાગે 3-3 વહેંચી દેવાઈ છે. પટ્ટાવાળા વર્ગ-4 મંજૂર મહેકમ 5 છે. ભરાયેલી પાંચેપાંચ છે. અંજારને 2 અને ભુજને 3 ફાળવી દેવાશે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:22 am

કરુણ બનાવ:અચાનક બેભાન થતા ઘાંચી શેરી ફાયરના ડ્રાઇવરનું મોત

પાલિકાના ફાયર બ્રિગેડના ડ્રાઈવરનું ફાયર સ્ટેશનમાં જ અચાનક બેભાન થયા બાદ મોત થયું હતું. હાર્ટએટેકના કારણે મોત થયાની શક્યતા વ્યકત કરાઇ છે. ગણદેવી રહેતા 48 વર્ષીય શૈલેષ મગનભાઈ પટેલ સુરત ફાયર બ્રિગેડમાં ડ્રાઈવર હતા. બુધવારે તેઓ ગણદેવીથી ટ્રેન મારફતે નોકરી પર આવ્યા હતા. બપોરે 2 વાગ્યે તેમની શીફટ શરૂ થતી હતી. તેઓ વહેલા આવ્યા હોવાથી ફાયર સ્ટેશનમાં આરામ કરતા હતા. દરમ્યાન અચાનક છાતીમાં દુ:ખાવા બાદ બેભાન થઈ જતા તેમના સાથી કર્મચારી કમલેશભાઈ તેમને તાત્કાલિક મસ્કતી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. હાર્ટએટેકના કારણે તેમનું મોત થયાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમજ તેમને મેડીકલ હિસ્ટ્રી પણ હતી.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:22 am

કરુણ બનાવ:સચિન જીઆઇડીસીમાં બટન દબાવી લિફ્ટને જોવા ગયેલા યુવકનું માથું ફસાઈ જતાં મોત

સચિન જીઆઈડીસીની એક કંપનીમાં ગુડ્સ લિફ્ટમાં માથુ ફસાઇ જતા પાંડેસરાના ટેમ્પો ડ્રાઈવર યુવાનનું મોત નીપજ્યું હતું. લીફ્ટનું બટન દબાવ્યા બાદ લિફ્ટ નીચે આવવામાં મોડુ થતા ડ્રાઈવરે માથુ લિફ્ટના ભાગમાં અંદર નાંખી ઉપર જોતો હતો ત્યારે અચાનક લિફ્ટ નીચે આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. પાંડેસરા હરીઓમ નગર ખાતે રહેતા 37 વર્ષીય રાજુ સરીચંદ જાદવ મહારાષ્ટ્રના જલગાવના વતની હતા. તેઓ ટેમ્પો ડ્રાઈવર તરીકે નોકરી કરી બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બુધવારે રાત્રે તેઓ સચિન જીઆઈડીસી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં શ્રી રાધે ક્રિએશન નામની કંપનીમાં પહેલા માળે કાપડ લેવા માટે ગયા હતા. ઓફિસની સામે પેસેજમાં ગુડ્સ લિફ્ટનું બટન દબાવ્યું હતું પરંતુ લિફ્ટને નીચે આવવામાં થોડો સમય લાગતા તેઓ માથુ લિફટના અંદરના ભાગમાં નાંખી ઉપર જોતા હતા. દરમ્યાન લિફટ નીચે આવી જતા તેમનું માથુ લિફ્ટમાં આવી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા રાજુ જાદવને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:21 am

નખત્રાણામાં ડીએમએફની ગ્રાન્ટ કેટલાક ગામો માટે જ ફાળવાઈ:નખત્રાણામાં ડીએમએફની ગ્રાન્ટ કેટલાક ગામો માટે જ ફાળવાઈ

કચ્છ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ નખત્રાણા તાલુકાના 27 ગામોને ફાળવાયેલી ગ્રાન્ટને લઈને સરપંચ સંગઠને ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા કલેકટરને કરાયેલી વિગતવાર રજૂઆતમાં સંગઠનના ઉપપ્રમુખ નરોત્તમ ખેતાભાઈ આહિરે જણાવ્યું કે હાલની ગ્રાન્ટ ફાળવણીમાં અંગત સ્વાર્થ, પક્ષપાત અને ગેરવહીવટી વર્તનની સ્પષ્ટ છાપ દેખાઈ રહી છે. મંગવાણા ગામને સર્વાધિક 112 લાખ, કોટડા જડોદરને 52 લાખ, મથલને 33 લાખ, ખાભલાને 18 લાખ, અને જીયાપરને 17 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે. જ્યારે બીજી તરફ અકાદાના, નાના નખત્રાણા, વમરા પધ્ધર અને નાની ભુજાય જેવા ગામોને એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી. સંગઠનનું કહેવું છે કે DMF ગ્રાન્ટ ગામોના ખાણકામથી અસરગ્રસ્ત વિસ્તાર, વિકાસની પ્રાથમિક જરૂરિયાત, અને નિયમિત માપદંડોના આધારે ફાળવવામાં આવવી જોઈએ. સરપંચ સંગઠને માંગ કરી છે કે ગ્રાન્ટ ફાળવણીની તાત્કાલિક પુનઃ સમીક્ષા કરવામાં આવે અને તમામ ગામોને સમાનતા તથા ન્યાયપૂર્ણ માપદંડો મુજબ ગ્રાન્ટ અપાય. સાથે જ ચીમકી આપી છે કે જો ફાળવણીને વહીવટી મંજુરી મળે તો સંગઠન આ મુદ્દે કાનૂની લડત લડવા મજબૂર થશે. આ સમગ્ર બાબતે ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાએ જણાવ્યું હતું કે સાંસદ અને ધારાસભ્ય દ્વારા જે પ્રપોઝલ વિભાગને મળે છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવતીહોય છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:21 am

SSI બઢતીમાં અધિકારીએ 1.60 કરોડ લીધાનો યુનિયનનો આક્ષેપ:તાળા તોડીને ઓફિસનો કબજો લેવાયો, મધરાતે યુનિયન પોલીસ સ્ટેશન પહોંચ્યું

મુગલીસરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરીમાં 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા 11 યુનિયનની ઓફિસો ખાલી કરાવતા મધરાતે સાડા ત્રણ વાગી ગયા હતા. બે યુનિયને સ્વૈચ્છિક ઓફિસ ખાલી કરી હતી. જ્યારે બાકીની 9 ઓફિસના તાળા તોડીને અંદરથી ટેલિફોન, કબાટ સહિતનો સામાન કાઢી ઓફિસનો કબજો લેવાયો હતો. બીજી તરફ યુનિયને આક્ષેપ કર્યો છે કે, તાળા તોડીને સામાન બહાર કઢાયો છે. રોકડ રકમ , જરૂરી સામાનની ચોરી થઇ છે. લાલગેટ પોલીસમાં અરજી આપી છે. એટલું જ નહીં તેમણે રાતોરાત યુનિયનની ઓફિસો ખાલી કરાવવાનો આદેશ કરનાર અધિકારી સામે ગંભીર આરોપ કરાયા છે. તેમણે કહ્યું કે, અધિકારીએ સેનેટરી સબ ઇન્સપેકટરની બઢતી માટે 2-2 લાખ લેખે 80 લોકો પાસે 1.60 કરોડ રૂપિયા લીધા છે. યુનિયનના હોદ્દેદારોએ બુધવારે મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચી અરજી પણ કરી હતી. બુધવારે મોડી રાત્રે મનપા તંત્ર પોલીસ અને સિક્યુરિટી દળ સાથે યુનિયન ઓફિસોની સામે પહોંચ્યું અને તાળાં તોડી અંદર પ્રવેશ કરીને તમામ કબ્જામાં રહેલી જગ્યા ખાલી કરાવી દીધી હતી. જેને પગલે યુનિયનના નેતાઓ મનપા કચેરી બહાર દોડી ગયા હતા. પરંતુ એકેયને અંદર જવા દીધા ન હતા. પાલિકા કચેરી બહાર કોર્ડન કરી દેવાયું હતું. ઓફિસો ખાલી કરાવ્યા બાદ વિવિધ વિભાગોને ઓફિસ ફાળવી દેવાઇયુનિયનોની ઓફિસો ખાલી કરાતા જ ગણતરીના કલાકોમાં જ વિવિધ વિભાગોને ઓફિસો ફાળવાઈ હતી. પ્રોફેશનલ ટેક્ષ સેન્ટ્રલ ઝોન, ગુમાસ્તાધારા વિભાગ, રોડ ડેવલપમેન્ટ વિભાગ, વીજીલન્સ વિભાગ,મહેકમ વિભાગ, આકારણી અને વસુલાત વિભાગ (સેન્ટ્રલ સેલ), ચીફ સિક્યુરિટી ઓફિસર , જ્યારે T.D.O.ને પણ એક રૂમ ફાળવાયો છે. યુનિયને કહ્યું ઓફિસ બંધ કરાવી તેમનો અવાજ દબાવી શકશે નહિં​​​​​​​યુનિયનોએ આક્ષેપ કર્યો હતો કે સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં અધિકારી દ્વારા પ્રતિ ઉમેદવાર 2 લાખ લેવાયા હતા અને આ માહિતી તેમના સુધી સૂત્રોથી મળી હતી. કોર્ટ દ્વારા ભરતી રદ થતાં 1.60 કરોડના ગેરવહીવટનો મામલો ખુલતા યુનિયનોને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. ઓફિસમાંથી રોકડ અને લેપટોપ ગાયબ છે. સુરત સુધરાઈ કામદાર યુનિયનના હોદ્દેદારે આક્ષેપ કર્યા હતા કે, ઓફિસ ખાલી કરાવવામાં અધિકારીઓનો ઇગો છે. ઓફિસો બંધ કરાવી શકાય, પરંતુ યુનિયનોનો અવાજ દબાવી શકાશે નહીં.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:20 am

છેતરપિંડીનો મામલો:બોગસ સાટાખતથી હરિનંદન સ્વામી-ટોળકીએ વૃદ્ધની કરોડોની જમીન પચાવી પાડી, 2 ઝડપાયા

અબ્રામાની જમીનનો વિવાદ પતાવી આપવાના બહાને સ્વામી હરિનંદન સહિત 4 જણાએ વૃદ્ધની 33 કરોડની જમીનના 1.21 કરોડ ચૂકવ્યાનો બોગસ સાટાખત બનાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ ઉત્રાણ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે બેની ધરપકડ કરી છે. કતારગામના 83 વર્ષીય વૃદ્ધ મહેશચંદ્ર ઇશ્વરલાલ દેસાઇની કરોડોની જમીન અબ્રામા ગામ અને મોટા વરાછામાં છે. અબ્રામાની તેમની જમીનના દિપક મકવાણા અને રોનક ચોટલીયાએ ટોળકી સાથે મળીને બોગસ ડોક્યુમેન્ટસ ઉભા કર્યા હતા. જ્યારે આ જમીનનો દસ્તાવેજ કરનાર મહેન્દ્ર ચૌહાણ સાથે પણ આ માથાભારેએ મારામારી કરી હતી. આ જોઇને ગભરાઇ ગયેલા મહેશચંદ્રએ પોલીસ ફરિયાદ કરી ન હતી. વર્ષ 2023માં વિજય દરબાર અને સ્વામી હરિનંદ ઉર્ફે હરિપ્રસાદ આવી મહેશચંદ્રને અબ્રામાની જમીનનો વિવાદ પતાવી આપવાનું કહ્યું હતું. જેથી તેમણે કામ સોંપ્યું હતું. બાદમાં રોનક ચોટલીયા, લાલજી વધાસીયા, વિજય દરબાર અને સ્વામી હરિનંદને અબ્રામાની જમીન માટે એફિડેવીટ કરવાના બહાને મહેશચંદ્ર પાસે સ્ટેમ્પ પેપર પર સહી કરાવી મોટા વરાછાની 33 કરોડની જમીનના બોગસ સાટાખત બનાવ્યા હતા. વાઉચર બનાવીને તેમને રૂ.1.21 કરોડ જમીન પેટે ચૂકવ્યાનું બતાવ્યું હતું. મહેશચંદ્રે ફરિયાદ નોંધાવતા ઉત્રાણ પોલીસે રોનક પ્રાગજી ચોટલીયા, લાલજી મધુ વઘાસીયા, વિજ્ય દરબાર અને સ્વામી હરિનંદન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઇકો સેલે બાતમીના આધારે રોનક અને વિજયને તેના ઘરેથી ઝડપી પાડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:19 am

કરુણ બનાવ:પાંડેસરામાં ટેરેસ પરથી પટકાતા બાળકનું મોત

પાંડેસરા વડોદ ગામ ગણેશ નગર ખાતે રહેતા રામા પાસવાન ડાઈંગ મિલમાં નોકરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 4 વર્ષીય પુત્ર છોટુ બુધવારે સાંજે ત્રીજા માળની અગાસી પર એકલો રમવા માટે ગયો હતો. દરમિયાન રમતા રમતા અગાસી પરથી નીચે પટકાતાં ગંભીર ઈજા થતાં છોટુને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:18 am

કરોડોની જગ્યા પર કબજો કરનાર 8 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો:અઠવામાં ઉતારી પડાયેલી ઇમારતની જગ્યા પર પતરાના રૂમ બનાવી કબજો કરી લેવાયો

કડોદરાની ગાર્ડન મિલના માલિક સુરેશભાઇ શાહે અઠવાલાઇન્સ પાસે બનાવેલું ધવલગીરી એપાર્ટમેન્ટ અને સર્વન્ટ ક્વાટર્સ જર્જરિત થઇ જતા વર્ષ 2016માં એપાર્ટમેન્ટ અને સર્વન્ટ ક્વાટર્સ ઉતારી પાડી જમીન ખુલ્લી કરાઇ હતી. જેની કિંમત હાલ રૂ.5.58 કરોડ છે. સર્વન્ટ ક્વાટર્સવાળી જગ્યામાં મુન્ના પરમાર, પત્ની ગંગા, દિકરી પુનમ, નજીમા શેખ, શરીફા શેખ, ફરીદા શેખ, ચાંદની શેખ, અને જાવેદ શેખે પતરાના રૂમો બનાવી રહેવા લાગ્યા હતા. જમીનનો વહીવટ કરતા સંજય શાહે નોટિસ આપવા છતાં રૂમો ખાલી ન કરાતા કલેકટરમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરી હતી. કલેકટરના આદેશ પર ઉમરા પોલીસે 8 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ અરજી કરી શકાયરહેવા માટે આપેલી જમીન કે મિલકત પર ગેરકાયદે કબજો કરાયો હોય અને મિલકત ખાલી ન કરતા હોય તો માલિક કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અરજી કરી શકે છે.સુનાવણી બાદ યોગ્ય જણાતા કલેકટર લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા પોલીસને આદેશ કરે છે.

દિવ્ય ભાસ્કર 21 Nov 2025 6:17 am