માણસા શહેરમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની યાદગીરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ધારાસભ્ય જે.એસ. પટેલની આગેવાનીમાં માણસા APMCથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જવાબરૂપ ઓપરેશન સિંદૂરને બિરદાવવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા મસ્જિદ ચોક, શેઠનું બાવલું, જુના ટાવર અને મામલતદાર કચેરી થઈને નગરપાલિકા ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને બેનરો સાથે 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, શહેર-તાલુકા પ્રમુખ, મહામંત્રીઓ, સામાજિક અગ્રણીઓ, પોલીસ જવાનો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપી. યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને મૂડ ડિસઓર્ડરની બીમારી હોવાના કારણે પતિ સમાજમાં તેને ગાંડી સાબિત કરીને ઘરમાં કેદ રાખતો અને અવારનવાર થાઈલેન્ડ જઈને અય્યાશી કરતો હતો. જેથી, કંટાળીને પત્નીએ પતિ અને સસરા વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. 2022માં એપ મારફતે રાજીવના સંપર્કમાં આવી હતીનારણપુરા વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે)એ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ રાજીવ (નામ બદલ્યું છે) અને સસરા (બંને રહે. નડીયાદ) વિરૂદ્ધ ઘરેલુ હિંસા અને દહેજની ફરિયાદ કરી છે. નિશા છેલ્લા બે મહિનાથી તેની માતાના ઘરે રહે છે અને ઘરકામ કરે છે. વર્ષ 2022માં નિશાએ સમાજની વૈવાહિક એપ્લિકેશન મારફતે તે રાજીવના સંપર્કમાં આવી હતી. બંનેએ એકબીજાને પંસદ કરતા લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું અને નંબરની આપ-લે કરી હતી. લગ્નના એક મહિના બાદ હેરાન-પરેશાન કરવાનું શરુ કરી દીધુ વર્ષ 2022માં બંનેએ સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નિશા પતિ રાજીવ, સાસુ અને સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના એક મહિના સુધી નિશાને સારી રીતે રાખી અને બાદમાં તમામે હેરાન-પરેશાન કરવાનું શરુ કરી દીધુ હતું. નિશાને એટલી હદે હેરાન કરી કે, કોઇપણ ચીજવસ્તુ ખરીદવા માટે બહાર પણ નીકળવા દેતા નહી. તારી માતાએ દહેજમાં કઇ આપ્યુ નથીઘરમાં કેદ કરીને રાખતા નિશા માનસિક રીતે હેરાન-પરેશાન થઇ ગઇ હતી. ત્યારબાદ નિશાને જાણવા મળ્યું કે, રાજીવને બીજી યુવતીઓ સાથે સંબંધ છે. નિશાએ આ મામલે રાજીવને પુછ્યું તો તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેનો ફોન તોડીને લાફો મારી દીધો હતો. નિશા ચુપચાપ બધો ત્રાસ સહન કરતી હતી. રાજીવ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તે નિશા સાથે નશાની હાલતમાં આવીને ઝઘડો કરતો હતો. અવારનવાર નિશાને મેણા-ટોણા મારતો હતો કે, તારી માતાએ દહેજમાં કઇ આપ્યુ નથી, જેથી અમારી આબરુ ખરાબ થઇ ગઇ છે. બીમારીને લઇને વારંવાર અપમાનિત કરતો હતોલગ્ન બાદ નિશાને જાણવા મળ્યું હતું કે, રાજીવ પહેલા પણ લગ્ન કર્યા હતા. નિશાને મૂડ ડિસઓર્ડરની બીમારી હોવાથી તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારબાદ પતિ અને સસરા સમાજમાં વાતો કરતા હું ગાંડી છુ એવી વાતો ફેલાવતા હતા. બીમારીને લઇને નિશાને વારંવાર અપમાનિત કરતા હતા. પત્ની ગર્ભવતી હતી તો પિયર મોકલી દીધીવર્ષ 2023માં નિશા ગર્ભવતી હતી ત્યારે રાજીવ કોઇ સારસંભાળ લીધી નહી. નિશાએ પુત્રને જન્મ આપ્યો તો સાસરિયાઓએ તેને પિયરમાં મોકલી દીધી હતી. સાસરિયાઓથી ઉજાગરા નહી થતા તેને પિયરમાં 5 મહિના રહેવુ પડ્યુ હતું. 5 મહિના સુધી પિયરમાં રહ્યા બાદ સાસરીયાઓ તેને તેડવા માટે આવ્યા હતા. સાસરીયમાં ગયા બાદ પણ નિશાને હેરાનગતિ ચાલુ રહી હતી. પતિ ખોટુ બોલીને અવારનવાર થાઇલેન્ડ જતો રહેતો હતોરાજીવ કહ્યા વગર વિદેશ ફરવા જતો હતો અને નિશાને ઘરખર્ચના રૂપિયા પણ આપતો નહી. નિશા રૂપિયા માંગે તો રાજીવ તેની સાથે મારઝુડ કરતો હતો. વિદેશ જવા માટેના રૂપિયા ક્યાથી લાવો છો એવો પ્રશ્ન રાજીવને પૂછતા નિશાને માર માર્યો હતો. પતિ અવારનવાર ખોટુ બોલીને થાઇલેન્ડ જતો રહેતો હતો. પિયરમાંથી રુપિયા લાવવાનો ઈનકાર કરતાં ઘરેથી કાઢી મૂકીનિશાને રાજીવના ફોનમાંથી થાઇલેન્ડના ફોટોગ્રાફ્સ મળ્યા હતા. રાજીવ થાઇલેન્ડના મામલે નિશાને અસહ્ય માર મારતો હતો અને દીકરાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજીવે નિશાનો મોબાઇલ પણ લઇ લીધો હતો, જેથી તે પોલીસની મદદ પણ લઇ શકતી નહી. રાજીવ પિયરમાંથી રૂપિયા લાવવા માટે નિશાને દબાણ કરતો હતો. નિશાએ રૂપિયા લાવવાનો ઇન્કાર કરી દેતા તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે નિશાએ કંટાળીને પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સસરા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંહ તડવી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યો ડો. દર્શના દેશમુખ તથા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખોટા આવકના દાખલાના કૌભાંડની ધીમી તપાસ મુદ્દે સવાલો ઉઠ્યા. સાંસદ મનસુખ વસાવાએ તપાસ ઝડપી બનાવવા સૂચના આપી હતી. વધુમાં, દેડિયાપાડા-સાગબારા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા, ગાજરગોટા ગામની અધૂરી માધ્યમિક શાળા અને જૂનારાજ ગામના રસ્તાની કામગીરી જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વચ્છતા માટે અપાયેલા તકલાદી ટેમ્પીઓનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે, ગ્રામપંચાયતોને 3.50 લાખ રૂપિયા આપવામાં આવે તો તેઓ સારા વાહનો ખરીદી શકે. તેમણે જેમ પોર્ટલ પર થતા ભ્રષ્ટાચાર અંગે ચિંતા વ્યક્ત કરી. તેમના મતે, સરકારી અધિકારીઓ અને એજન્સીઓના મેળાપીપણાથી આ પોર્ટલ પર ગેરરીતિઓ થઈ શકે છે. કલેક્ટરે તકલાદી ટેમ્પીઓની ખરીદી અંગે તપાસના આદેશ આપ્યા છે. બેઠકમાં જિલ્લાના અધૂરા પેચવર્કને પૂર્ણ કરવા અને ચોમાસામાં પૂર નિયંત્રણની કામગીરી અંગે પણ ચર્ચા થઈ.
સુરત શહેરમાં માત્ર 24 કલાકની અંદર બે બાળકી, બે સગીરા અને યુવતી સાથે થયેલી છેડતી અને હેરાનગતિના ચાર અલગ-અલગ ગુના નોંધાયા છે. કેટલીક ઘટનાઓએ તો માનવતાની તમામ હદો ઓળંગી દીધી છે. હાલ પોલીસ બનાવોને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. કાપોદ્રામાં સગીરાને પ્રેમ માટે દબાણ કરી ચપ્પુ બતાવ્યુંકાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પોતાની નોકરી પૂરી કરી રિક્ષામાં ઘેર જઈ રહી હતી. તે સમયે દશરથનગર શેરી નં. 7માં રહેતા જયેશ દિલીપભાઈ પાટીલ નામના યુવકે તેનો પીછો કર્યો હતો. રિક્ષા વડવાળા સર્કલ પાસે આવી, ત્યારે તેણે રસ્તામાં રોકીને “તું મારી સાથે પ્રેમ શા માટે નથી કરતી?” એવું કહી ઝઘડો કર્યો હતો. બાદમાં જયેશે પોતાના કબજામાં રહેલું ચપ્પુ બહાર કાઢીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સગીરાને જાહેરમાં અપમાનિત પણ કરી હતી. સગીરાએ ઘરે જઈ ભયભિત અવસ્થામાં માતા-પિતાને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી સાથે પરિવારજનો કાપોદ્રા પોલીસ મથકે ગયા હતા અને ગુનો નોંધાવ્યો હતો. પોલીસે IPC 354, 506 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બેગમપુરામાં સગીરાને ‘મમ્મીનું પાર્સલ આવ્યું છે’ કહી ઘેર બોલાવી અશ્લીલ હરકતોમહીધરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષિય સગીરાને બેગમપુરા દુધાળા શેરીમાં રહેતા 70 વર્ષીય ગણેશકુમાર ઉર્ફે ગણેશદાદા નટવરલાલ ગિલીટવાલાએ ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, તારી મમ્મીનું પાર્સલ મારા ઘરે આવ્યું છે. વિશ્વાસમાં લઈ ઘરે બોલાવ્યા બાદ તે સગીરાને સીધા પોતાના બેડરૂમમાં લઈ ગયો અને બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ અશ્લીલ ફોટા બતાવ્યાં અને કિશોરીનો હાથ પકડી અશોભનીય વર્તન કર્યું હતુ. ઘટનાથી ભયભીત થયેલી સગીરા ઘેર પહોંચી હતી અને માતાને બધું કહ્યું હતું. બાદમાં માતાએ પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. મહીધરપુરા પોલીસે IPC કલમ 354 મુજબ ગુનો નોંધાયો છે. ઉત્રાણમાં યુવતીને લગ્ન માટે દબાણ કરી ફોટા વાઇરલ કરવાની ધમકીઉત્રાણ વિસ્તારમાં રહેતી યુવતી છેલ્લા કેટલાય મહિનાઓથી અમરોલી ખાતે મહાવીરધામ સોસાયટીમાં રહેતા નિકુંજ ઘનશ્યામ ઉનાગર દ્વારા હેરાન કરવામાં આવી રહી હતી. નિકુંજ યુવતી સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો અને હોટલમાં મળવા પણ બોલાવતો હતો. જ્યારે યુવતીએ અવગણના કરી ત્યારે તેણે ધમકી આપી કે, જો તું ના મળી તો તારા ફોટા વાઇરલ કરી દઈશ. નિકુંજ ફક્ત યુવતી નહીં, પણ તેની માતા અને સગા સંબંધીઓને વારંવાર ફોન અને મેસેજ કરીને પરેશાન કરતો હતો. આખરે યુવતીએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં જઈને તેની સામે છેડતી અને માનસિક હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPC કલમ 354(D), 506 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અડાજણમાં બે માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસઅડાજણમાં 40 વર્ષિય વિજય મગનભાઈ રાઠોડે બે માસૂમ બાળકી જેમની ઉંમર 5 વર્ષ અને 8 વર્ષ છે. બંનેને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘેર બોલાવી હતી. બપોરે 2 વાગ્યે બંને બાળકી ગલીએ રમી રહી હતી, ત્યારે વિજયે કહ્યુ કે, આવો તમારી મનપસંદ ચોકલેટ આપું. બાદમાં ઘરમાં લઈ જઈ દુષ્કર્મના પ્રયાસ સાથે બંનેને અશોભનીય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. પરંતુ 8 વર્ષની બાળકીની હિંમત જોઈને આખો સમાજ ચકિત થઈ ગયો. તેણે આરોપીને જોરદાર બચકું ભરીને પોતે અને તેની સાથેની બાળકીને મુક્ત કરી, ઘેર જઈ માતાને સમગ્ર વાત જણાવી હતી. બાદમાં માતા-પિતાએ તરત અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ટીમે તરત જ વિજય રાઠોડની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 19માં પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે. સ્વામિનારાયણ ચરિતમ સપ્તાહના ચોથા દિવસે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિન ઉજવાયો હતો. બાળકો અને યુવાનોએ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદઘોષ કર્યો હતો. બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનો મુખપાઠ સાથે યજ્ઞ કર્યો હતો. અક્ષરવાડીના વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પારાયણનું શ્રવણ કરાવી રહ્યા છે. 13થી 17 મે 2025 સુધી દરરોજ રાત્રે 8:30થી 11 વાગ્યા સુધી પારાયણ ચાલી રહ્યું છે. સોમપ્રકાશ સ્વામી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવન ચરિત્રનું રસપાન કરાવી રહ્યા છે. દરરોજ વિશિષ્ટ કાર્યક્રમોની વણઝાર યોજાઈ રહી છે. ભાવિક ભક્તો ભક્તિકથામાં લીન થઈ રહ્યા છે. મંદિરનો 19મો પાટોત્સવ 19 મે ના રોજ ઉજવવામાં આવશે. આયોજકોએ ભાવિકોને 17 મે સુધી ચાલનારા આ પારાયણનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.
ભરૂચ જિલ્લા પોલીસે ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોના વેરીફિકેશન અંગે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ દરમિયાન જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 221 લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર જાહેરનામા બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામા અનુસાર, મકાન કે દુકાન ભાડે આપનાર વ્યક્તિઓએ ભાડુઆતની વિગતો અને પરપ્રાંતીય મજૂરોનું વેરીફિકેશન નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત નોંધાવવાનું હોય છે. ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડાએ આ વિશેષ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમનો ઉદ્દેશ દેશવિરોધી, ત્રાસવાદી કે અસામાજિક તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો છે. જિલ્લાના તમામ પોલીસ મથકોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ વિશેષ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી. ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂરોનું વેરીફિકેશન કરાવ્યા વગર મકાન કે દુકાન આપનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગર ગ્રામ્યના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ રાણાએ ત્રણ શખ્સો સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા અને દિનેશભાઈ ચરણદાસ પરમારે 15 જાન્યુઆરી 2020થી આજ સુધીના સમયગાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી છે. તેમણે સર્વે નંબર 323 અને 326ની સરકારી ખરાબાની જમીન માટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આરોપીઓએ આ જમીન સરકારી હોવાની જાણ હોવા છતાં તેને પોતાની માલિકીની દર્શાવી પ્લોટિંગ કર્યું હતું. સરકારી તપાસ દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020ની કલમ 4(3), 5(ક) અને 5(ગ) હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને તેમના નામનું સ્ટેન્ડ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવવામાં આવ્યું છે. ત્યારે 'જડડુ' તરીકે જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટનાં નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેમના મોટા બહેન નયનાબા જાડેજા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. રાજકોટ કે અમદાવાદના સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવવાની માગ કરીમહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવા ખુદ તેમના બહેન દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને ફેસબુક પર એક પોસ્ટ મૂકી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માંગ કરી છે. ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનીના નામના સ્ટેન્ડ બનાવવા પણ માગ કરીરવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રથી આવેલા સૌથી મોટા ક્રિકેટરમાના એક અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાના એક રવિન્દ્ર માટે એક સ્ટેન્ડ તો હોવું જ જોઈએ. આ ઊપરાંત તેમણે જણાવ્યું હતું કે, ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાનીના નામે પણ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઇએ. ફેસબુક પોસ્ટ કરી નયનાબા જાડેજાએ માગ કરીનયનાબા જાડેજા ફેસબુક પર મુકેલી પોસ્ટમાં લખે છે કે, #cricket # legend# jaddu # saurashtra or# modi# stadium# રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર જે સતત 1,158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ ઝળકાવ્યું છે એવા est all rounder રવિન્દ્ર જાડેજાના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ હું માનું છું કે એમને સ્થાન આપવું જોઈએ.
વ્યારા (સુરત) ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સેપક ટકરાવની અંડર-14 બહેનોની કેટેગરીમાં ભાવનગરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિવાળીબેન પ્રાથમિક શાળા અને GSM સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓએ ફાઇનલમાં આણંદની ટીમને પરાજય આપ્યો હતો. ગોહિલ કાત્યાની રાકેશભાઈ અને ગોહિલ કૃપા રાકેશભાઈએ ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી. આ વિજયથી GSM સ્પોર્ટ્સ ક્લબ અને ભાવનગર જિલ્લાનું નામ રોશન થયું છે. સાથે જ રાજપૂત સમાજનું ગૌરવ પણ વધ્યું છે. ટીમના કોચ અને મેનેજરની માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ મેળવેલી આ સફળતા પ્રશંસનીય છે.
વડોદરા જિલ્લાના ડભોઇ-બોડેલી રોડ ઉપર આવેલા પણસોલી વસાહત પાસે આજે(17 મે) વહેલી સવારે કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં કારચાલકની બાજુમાં બેસેલા આજોડ ગામના કુંવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓ બોડેલી ખાતે મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને વડોદરા તરફ આવી રહ્યા હતા. આ ઘટના અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મિત્રના લગ્નમાં બોડેલી ગયા હતામળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલ શિવાય રેસીડેન્સીમાં રહેતા હિન્દુકુમાર હસમુખભાઈ નાયકા તથા તેમના બે મામાના દીકરા રાહુલભાઈ રાજુભાઈ નાયકા, દિલીપભાઈ રાજુભાઈ નાયકા તેમજ કરોળિયા ગામમાં રહેતો મિત્ર વિરેન્દ્ર અરવિંદ નાયકા તેમજ આજોડ ગામે રહેતા મિત્ર કુંવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલ રાહુલ નાયકાની કાર લઈને શુક્રવારે રાત્રે બોડેલી ખાતે રહેતા મિત્ર કલ્પેશ નાયકાના લગ્નમાં ગયા હતા. કારચાલકની બાજુમાં બેસેલા વ્યક્તિનું મોતશુક્રવારે રાત્રે મિત્રનો વરઘોડો પૂરો થયા બાદ પાંચ મિત્રો કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન ડભોઇ-બોડેલી રોડ ઉપર પણસોલી વસાહત પાસે કાર ચલાવી રહેલા રાહુલ નાયકાને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારચાલકની બાજુમાં બેસેલા આજોડ ગામના કુંવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડ્યા હતાવહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ડભોઇ પોલીસે હિન્દુકુમાર નાયકાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈથી અમદાવાદ જતી ગુજરાત મેલ એક્સપ્રેસમાં એક મહિલા મુસાફર સાથે ચોરીની ઘટના બની છે. આણંદ રેલ્વે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, મુંબઈના દાદર સ્ટેશનેથી નવીનભાઈ પરમાર અને તેમના પત્ની સ્વાતીબેન ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. રીઝર્વેશન કોચમાં મુસાફરી દરમિયાન સ્વાતીબેને તેમની પીઠુબેગ માથા નીચે મૂકીને આરામ કર્યો હતો. બેગમાં 38 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન, ચાર્જર અને અન્ય વસ્તુઓ મળી કુલ 40 હજારની મત્તા હતી. વહેલી સવારે લગભગ ચાર વાગ્યે ટ્રેન આણંદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર રોકાઈ. આ દરમિયાન કોઈ અજાણ્યા ગઠિયાએ સ્વાતીબેનની ઊંઘનો લાભ લઈને બેગની ચોરી કરી. ચોર ટ્રેનની નીચે ઉતરીને ફરાર થઈ ગયો. નવીનભાઈએ આણંદ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરના 50થી વધુ પરંપરાગત આગાહીકારોએ વર્ષ 2025 માટે સારા ચોમાસાની આગાહી કરી છે. આગાહીકારોએ પશુપંખીઓના વર્તન, આકાશીય પરિવર્તન, ભદલી વાક્ય અને ખગોળીય સંકેતોના આધારે અનુમાન કર્યું છે. મોટાભાગના આગાહીકારોના મતે વર્ષ 2025 'સોળઆની' અને પૂરતો વરસાદ આપનારું વર્ષ બનશે. ઓગસ્ટમાં થોડો ખેતરસ માટે દોરાવાળો સમય આવશે, પરંતુ સમગ્ર વર્ષે પાક માટે અનુકૂળ માહોલ રહેશે. ખગોળશાસ્ત્ર તથા ભદલી પદ્ધતિના આધાર પર આગાહીવંથલીના રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે, “હું વર્ષોથી ભદલી વાક્યો અને ખગોળશાસ્ત્રના આધારે વરસાદની આગાહી કરું છું. શરદપૂનમના દિવસે પવન અને ભેજના પ્રમાણ પરથી અંદાજ મૂકવામાં આવ્યો હતો કે વર્ષ 2025 સારું જશે. કારતકમાં હિમવર્ષા, મહા મહિનાના માવઠા અને હોળીના પવન તરફ દોરીને હું દર વર્ષે અનુમાન કરું છું. આ વર્ષે હોળીની ધજા જામનગર તરફ નમેલી હોવાથી ત્યાં અતિવૃષ્ટિની શક્યતા છે. વૈશાખ સુદ અખાત્રીજના દિવસે બપોરે 12 વાગ્યે લાકડીના માપદંડ પરથી અંદાજિત રીતે 40 થી 50 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની શરૂઆત ભીમ અગિયારસે (7 જૂન)થી થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે.” 'ચોમાસાની તોફાની સિસ્ટમ પર આધારિત વિશ્લેષણ'વડોદરાના ભીમાભાઈએ જણાવ્યું કે, “હું દર વર્ષે નૈઋત્ય ચોમાસાની ક્રિયાશીલતા પર નજર રાખું છું. આ વર્ષે ચોમાસું થોડું વેરવિખેર દેખાશે પરંતુ તોફાની સિસ્ટમ વધુ સક્રિય બનશે. 1 થી 5 જૂન દરમિયાન શરૂઆતી વરસાદ તેમજ 10 થી 15 દિવસ સુધી અસરકારક વરસાદની શક્યતા છે. જુલાઈના અંત સુધીમાં તોફાની સિસ્ટમ 12થી વધુ રાજ્યોમાં અસર કરશે. જોકે, ચોમાસાની ખેંચ રહે તેવી શક્યતા છે.” 'પ્રકૃતિ અને જીવજંતુના વર્તન પરથી અનુમાન'મેંદરડા તાલુકાના પી.જી. રાજાણીએ જણાવ્યું કે, “છેલ્લા 30 વર્ષથી હું પ્રકૃતિની અંદર થતા ફેરફાર, પશુ પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિના રૂપ અને જીવજંતુના વર્તન પરથી વાર્ષિક આગાહી કરું છું. આ વર્ષે આશરે 48 થી 52 ઇંચ વરસાદની શક્યતા છે. ઓગસ્ટમાં થોડો ખેતરસ માટે દોરાવાળો સમય આવશે પરંતુ સમગ્ર વર્ષે પાક માટે અનુકૂળ માહોલ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને વધુ વરસાદ પડવાની સંભાવના છે.” 'હવામાન વિભાગના આધુનિક ડેટાના આધાર પર સમીક્ષા'જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટિયાએ જણાવ્યું કે, “આગાહીકારોના પરંપરાગત મંતવ્યો અને હવામાન વિભાગના આધુનિક સેટેલાઈટ ડેટા મુજબ આ વર્ષે ચોમાસું ‘પ્લસ’ રહેશે. હવામાન વિભાગે 104 ટકા વરસાદની આગાહી કરી છે. કૃષિ યુનિવર્સિટીની અંદર થઈ રહેલી દિશાસૂચક ચર્ચાઓ પણ એ જ બતાવે છે કે વર્ષ 2025 ‘સોળ આની’ ચોમાસાનું સાબિત થશે.”
ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં બે ભાગમાં ચર્ચા થઈ. પ્રથમ ભાગમાં પદાધિકારીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. બીજા ભાગમાં પેન્શન કેસ, સ્વાગત કાર્યક્રમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા નિયમિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કલેક્ટરે ગામ મુલાકાત દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરી હતી. વિવિધ વિભાગોની કામગીરી જેવી કે કરુણા એમ્બ્યુલન્સ, રોડ સેફટી, ચાઈલ્ડ લેબર, ટેકાના ભાવે ખરીદી, આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમની તૈયારીઓની પણ ચર્ચા થઈ હતી. કલેક્ટર મેહુલ દવેએ વૃક્ષારોપણને વિશેષ મહત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભવિષ્ય સુધારવા માટે આજે વૃક્ષો વાવવા જરૂરી છે. તેમણે દરેક કર્મચારી-અધિકારીને વૃક્ષારોપણમાં સહભાગી થવા અને વૃક્ષોના સંપૂર્ણ ઉછેર માટે જવાબદારી લેવા જણાવ્યું હતું. સીએચસી-પીએચસી સેન્ટરોની બોર્ડર પર હરિયાળી દીવાલ અને ગૌચરમાં વૃક્ષારોપણનો વિચાર પણ રજૂ કર્યો હતો. કલેક્ટરે અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોના સમાધાન માટે જવાબદારીપૂર્વક કામ કરવા જણાવ્યું હતું. તેમણે કચેરીઓની આકસ્મિક મુલાકાતો લઈ નાગરિકોનો અભિપ્રાય મેળવવા અને સેવાઓમાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો.
વાવના અસારાવાસમાં બ્લડ ડોનેશન કેમ્પ:નિધિ બ્લડ બેંકના સહયોગથી 35 યુનિટ રક્તદાન એકત્ર કરાયું
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નિધિ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછા હિમોગ્લોબિન ધરાવતા દર્દીઓને મદદરૂપ થવાનો છે. આવા દર્દીઓને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે એકત્રિત કરેલું રક્ત તેમના સુધી પહોંચાડી તેમનું જીવન બચાવી શકાય છે. કાર્યક્રમમાં હેમંતભાઈ જોશી, દિનેશભાઈ આચાર્ય અને મહેશભાઈ સોલંકી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી વર્ષાઋતુ માટે વડોદરા જિલ્લામાં પૂર્વ તૈયારીના હેતુથી કલેકટર ડો.અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આપત્તિ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ચોમાસના પૂર્વાનુમાન અનુસાર આગામી તા.1 જૂનથી જિલ્લાના તમામ તાલુકા મથકોએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. આંકડાને આધારે જિલ્લા પ્રશાસન દ્વારા ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરાયોવડોદરા જિલ્લાની વિવિધ ભૌગોલિક અને ઔદ્યોગિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને ચોમાસાની શક્ય ગંભીર પરિસ્થિતિઓને જોતા પૂર્વ તૈયારીના પગલાં ગોઠવવામાં આવ્યા છે. જિલ્લા ક્ષેત્રફળ 7550 ચો. કિ.મી. અને ખેતીક્ષેત્ર 2.5 લાખ હેકટર કરતાં વધુ છે. અહીં વિશ્વામિત્રી, મહી, નર્મદા અને ઢાઢર જેવી નદીઓમાં આવતા પૂરથી જાનમાલને નુકસાન પહોંચે છે. વર્ષ 2024 દરમિયાન જિલ્લામા સરેરાશ 1180 મી.મી. વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 10 વર્ષના સરેરાશ કરતા 136.77 ટકા વધુ હતો. કેટલાક તાલુકાઓમાં તો 190 ટકા જેટલો વરસાદ નોંધાયો. આ આંકડાને આધારે જિલ્લા પ્રશાસન દ્વારા ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને દરેક તાલુકામાં લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી છે. આ અધિકારીઓ દ્વારા આપત્તિની પરિસ્થિતિમાં તાત્કાલિક સંકલનનું કાર્ય સંભાળવાનું રહેશે. તમામ તાલુકાઓમાં 1 જૂનથી રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલરૂમ શરૂ કરાશેઆ બેઠકમાં કલેક્ટર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ત્રણ માસનો અનાજ પુરવઠો આપવાનો, પૂલો ઉપર પાણીનું લેવલ દર્શાવતા બોર્ડ, ખુલ્લા ખાડાઓ બંધ કરવાનો, રેઇનગેજ મિટર મૂકવા, તળાવો અને નદીઓની સફાઈ, ગટર લાઇન અને ડ્રેનેજ વ્યવસ્થાની સમીક્ષા, અને અન્ય આવશ્યક સાધનો જેમ કે એમ્બ્યુલન્સ, ક્રેન, ડમ્પર વગેરેના વ્યવસ્થિત રેકોર્ડનો સમાવેશ થાય છે. આ જિલ્લાના તમામ તાલુકાઓમાં 1 જૂનથી રાઉન્ડ ધક્લોક કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે. જિલ્લા નાયબ વિકાસ અધિકારી તેમજ મામલતદારશ્રીઓ જવાબદારી સંભાળશે અને આ કંટ્રોલ રૂમ સતત વરસાદની માહિતી એકત્ર કરશે અને આપત્તિના સમયમાં સંકલન કરશે. જિલ્લાના દરેક સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છેNDRF, SDRF અને એરફોર્સની ટીમો સાથે ફાયર વિભાગની ટીમો પણ સક્રિય છે. તત્કાલ પ્રતિસાદ માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને ખુલ્લા બોરવેલ અને કૂવા સહિતના જોખમી સ્થળોએ તકેદારી રાખવા અને બાળકો માટે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના દરેક સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની રહેશે. વડોદરા જિલ્લા વહીવટ તંત્ર ચોમાસા દરમિયાન પૂર ટ્રાફિક અવરોધ જેવી પરિસ્થિતિઓને નિવારવા માટે તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદના સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર 22માં સરકાર દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 16થી 30 મે સુધી ચાલશે. કેમ્પમાં બોટાદ જિલ્લાના યોગ કોર્ડિનેટર નીપાબેન બગડીયા અને સમર કેમ્પના મુખ્ય આયોજક સોશિયલ કોર્ડિનેટર સાહિલભાઈ રાજપરા સહિત યોગ કોચ પ્રતિકભાઇ અને અન્ય યોગ ટ્રેનર્સ માર્ગદર્શન આપશે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે શાળાના આચાર્ય પરાગભાઈ ગોહિલ, પૂર્વ આચાર્ય કૃષ્ણકુમાર જોધાણી, શિક્ષણ સમિતિના સભ્ય દલસુખભાઈ અમદાવાદી અને બોટાદ શહેર ભાજપ મંત્રી નિરવભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના 33 જિલ્લા અને 8 મહાનગરોમાં કરવામાં આવ્યું છે. યોગથી બાળકોની એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. તે મોબાઈલ અને જંકફૂડથી દૂર રહેવામાં મદદરૂપ થાય છે. યોગ શરીર અને મનને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. કેમ્પમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને યોગ કેમ્પમાં જોડાવા અપીલ કરી છે.
સુરત શહેરના પુણા પાટીયાથી ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક વચ્ચે આવેલ અવધ ઋતુરાજ ટેક્સટાઈલ હબમાં લાગેલી ભીષણ આગમાં કુલ 10 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, આ ભીષણ આગને પગલે સ્લેબના પોપડા પડી ગયા હતા. જેના કારણે બિલ્ડીંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે પણ સવાલો ઉઠવા પામ્યા હતા. સતત બીજા દિવસે પણ ઋતુરાજ ટેક્સટાઇલ હબ માર્કેટ બંધ આજે લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા આ મામલે બિલ્ડીંગના મેનેજમેન્ટ વિભાગને નોટિસ ફટકારવામાં આવી છે અને બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યા બાદ બિલ્ડીંગનો વપરાશ કરવા માટે જણાવી દીધું છે. જેથી, આજે સતત બીજા દિવસે પણ ઋતુરાજ ટેક્સટાઇલ હબ માર્કેટ બંધ રહેવા પામી હતી. આગની ઘટના બાદ તંત્ર એલર્ટપુણા પાટીયાથી ગોડાદરા તરફ જતા રોડ પર આવેલ અવધ ઋતુરાજ ટેક્સટાઇલ હબમાં પાંચમા માળે દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં સાડી-ડ્રેસ મટીરીયલ્સ સહિત AC અને અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો પણ બળીને ખાક થઈ ગયા હતા. આ ભીષણ આગને કારણે તમામ દુકાનોમાં સ્લેબમાંથી પોપડા પડ્યા હતા. જેના કારણે બિલ્ડીંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે પણ સવાલો ઉઠવા પામ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે લિંબાયત ઝોનના અધિકારીઓએ ઘટના સ્થળે જઈ સમગ્ર મામલે તપાસ કરી હતી. જેમાં સ્લેબમાંથી પોપડા પડવાના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. સાતમા માળના ગેરકાયદે સ્ટ્રક્ચરને નોટિસ આપી દૂર કરાશે: વિપુલ ગણેશવાલાઆ મામલે લિંબાયત ઝોનના કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલાએ જણાવ્યું હતું કે, કુલ 10 દુકાન આગની ઝપેટમાં આવવાથી સ્લેબને નુકસાન થયું હોવાથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં કુલ ત્રણ બિલ્ડીગ છે. જેમાં વચ્ચેની બિલ્ડીંગમાં સાતમા માળે ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ સ્ટ્રક્ચર ઊભુ કરવા માટે પાલિકા પાસેથી કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી. જેથી તેમને પણ નોટિસ ફટકારવામાં આવશે અને આ ટેમ્પરરી સ્ટ્રક્ચર હટાવી લેવા માટે જણાવાશે પરંતુ, જો મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોઈ પગલાં નહીં લેવાય તો પાલિકા દ્વારા આ ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે. જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી માર્કેટનો ઉપયોગ કરી શકાશે નહીં. ઈલેક્ટ્રિક ઇન્સ્પેક્શન થયા બાદ જ વીજ સપ્લાય શરૂ થશેફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, દુકાનોમાં વીજ સંયોજનો પૂરતા મજબૂત અને સુરક્ષિત હોવા જોઈએ, જેથી આગ જેવી દુર્ઘટનાઓને ટાળી શકાય. આ સાથે જ માર્કેટ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે, તેઓ સંપૂર્ણ માર્કેટના વીજ પ્લાન અને સ્ટ્રક્ચરલ સુરક્ષા અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરે. આ ઘટનાને પગલે વેપારીઓમાં પણ દેહશત જોવા મળી રહી છે અને ઘણા વેપારીઓએ તાત્કાલિક ઇલેક્ટ્રિક ઈન્સ્પેક્શન શરૂ કરાવ્યું છે. સુરક્ષા અનિવાર્ય છે અને વેપારીઓ તેમજ તંત્ર બંનેએ હવે સાથે મળીને આવી ઘટનાઓ ફરીથી ન થાય તેને રોકવા માટે આ નિર્ણય લઇ રહ્યા છીએ.
ડાંગ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે આંબાપાડા પાસેનો ગીરાધોધ સક્રિય થયો છે. આ ધોધ ભેડાઘાટના ધુંઆધાર જેવો દેખાય છે. સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળતી અંબિકા નદી અરબ સાગરમાં સમાય છે. આંબાપાડાનો આ ધોધ સ્થાનિકો માટે ખાસ મહત્વ ધરાવે છે. અંબિકા નદી તોફાની કહેવાય છે. જોકે અહીં તે ત્રણસો ફૂટના વિશાળ પટમાં શાંતિથી વહે છે. કાળમીંઢ શિલાઓ પરથી સો ફૂટની ઊંચાઈએથી પડતો જળપ્રવાહ અદભુત દ્રશ્ય સર્જે છે. ચોમાસાની સિઝન દરમિયાન આ સ્થળ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ધોધની નજીક જતાં પવનની લહેરો સાથે પાણીની છાંટ પર્યટકોને ભીંજવી દે છે. ત્રણસો ફૂટના વિશાળ પટમાં વહેતી અંબિકા નદી અહીં ગીરાધોધનું રમણીય દ્રશ્ય સર્જે છે. પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આ સ્થળની મુલાકાત યાદગાર બની રહે છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટડીના ધારાસભ્ય પી.કે.પરમારે પીવાના પાણી, નર્મદા સિંચાઈ યોજના અને નહેરોના કામો અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગના અધિકારીઓને આ પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા સૂચના આપી હતી. સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. આમાં બાકી નિવૃત્તિ પેન્શન કેસ, ખાનગી અહેવાલો અને સરકારી લેણાની વસૂલાત સામેલ હતા. સાંસદ-ધારાસભ્યના પત્રોનો સમયસર નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, RTI જવાબો અને AG ઓડિટના બાકી પારા અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.જાલંધરા હાજર રહ્યા હતા. આ ઉપરાંત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગ શરૂ થયો છે. આ વર્ગમાં 266 શિક્ષાર્થીઓને 27 શિક્ષકો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. શિક્ષાર્થીઓને સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ માટે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. તેઓ સમયના અસરકારક ઉપયોગ અને સ્વદેશી જીવન પદ્ધતિનું પણ પ્રશિક્ષણ મેળવશે. વર્ગ દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક સુમંતજી અને સહપ્રચારક ચિંતનભાઈ માર્ગદર્શન આપશે. ઉદ્ઘાટન સત્રમાં સર્વાધિકારી મહેન્દ્રભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ ઇન્દ્રવદનભાઈ બારોટ અને ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અખંડધામના પીઠાધિશ્વર સ્વામી બ્રહ્માનંદસાગરજીએ શિક્ષાર્થીઓને વેદ-વેદાંત આધારિત માર્ગદર્શન આપ્યું હતું. વર્ગ દરમિયાન 35 પ્રબંધકો સ્વચ્છતા, નિવાસ અને ભોજનની વ્યવસ્થા સંભાળશે. માધુકરી વ્યવસ્થા હેઠળ પાટણ શહેર અને તાલુકાના ગામોમાંથી રોટલી, ભાખરી અને રોટલા એકત્ર કરવામાં આવશે. આ દ્વારા સામાજિક એકતા અને પરિવારભાવનું પ્રકટીકરણ કરવામાં આવશે.
મોરબી વાંકાનેર હાઇવે પર મકનસર ગામ નજીક આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં રામદેવ ઢાબા પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂ. 60,000ની કિંમતનું ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 84,540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આરોપી કાનારામ બાબુલાલ ડારાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીએ આ ડ્રગ્સ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બિલાડા વિસ્તારના રમેશભાઈ બિશ્નોઈ પાસેથી મેળવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મોરબી તાલુકા પોલીસની ટીમના શક્તિસિંહ જાડેજા અને રમેશભાઈ મુંધવાને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે હવે ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાની આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
વલસાડ LCBની કાર્યવાહી:દમણથી સુરત જતી કારમાંથી 2.72 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો
વલસાડ જિલ્લા પોલીસે દમણથી સુરત તરફ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાની સૂચના મુજબ બૂટલેગિંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે બાતમીના આધારે ભિલાડ-સેલવાસ રોડ પર નરોલી પોલીસ ચેકપોસ્ટ નજીક કાર્યવાહી કરી હતી. લાલ રંગની હ્યુન્ડાઈ વેન્યુ કાર (નં. GJ-15-CK-0577)ને રોકીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 876 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂમાં વિસ્કી, બિયર અને વોડકાનો સમાવેશ થાય છે. દારૂની કિંમત રૂ. 2,72,936 છે. પોલીસે રૂ. 5 લાખની કાર અને રૂ. 5000નો મોબાઈલ મળી કુલ રૂ. 7,77,936નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મોટી દમણના રહેવાસી ગણપત ઉર્ફે ગણેશ પટલારા (40)ની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ ભિલાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસરની સૂચના મુજબ મકરપુરા એસ.ટી. ડેપો પાસે રસ્તામાં નડતરરૂપ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લારી-ગલ્લા ધારકોની નારાજગી વચ્ચે પાલિકા દ્વારા લારીઓ ઉઠાવી લઈ જપ્ત કરવામાં આવી હતી. સરકાર રોજગારી આપવાની જગ્યાએ છીનવી રહી છેઃ નિલેશ ભટ્ટલારીધારક નિલેશ ભટ્ટે જણાવ્યું હતું કે, અમોને કોઈપણ જાતની જાણ કર્યા વગર આજે અચાનક દબાણ શાખાની ટીમ આવી હતી અને અમારી લારી બાજુ પર મુકવાનું જણાવીને જપ્ત કરી લેવામાં આવી છે. અએ બે વર્ષ પહેલા અરજી પણ કરી હતી, પરંતુ તે વખતે યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. આજે એકાએક આવીને અમારી લારી જપ્ત કરી લેવામાં આવી છે અને અમને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર રોજગારી આપી શકતી નથી અને બીજી તરફ અમારી રોજગારી છીનવી રહી છે. અમે વહીવટી ચાર્જ ભરવા પણ તૈયાર છે, પરંતુ કયા સ્થળે વહીવટી ચાર્જ ભરવાનો હોય છે તે અંગેની કોઈપણ જાતની કોર્પોરેશન દ્વારા માહિતી આપવામાં આવતી નથી. એકાએક આવીને અમારી લારી ઉઠાવી લેવામાં આવે છે, જે યોગ્ય નથી. હંગામી દબાણો અંગે નોટિસ આપવાની રહેતી નથીઃ અધિકારીદબાણ ઇન્સ્પેક્ટર કમલેશભાઈએ જણાવ્યું હતું કે, હંગામી દબાણો અંગે નોટિસ આપવાની રહેતી નથી. આજે શહેરના વહીવટી વોર્ડ નંબર 19માં આવતા મકરપુરા એસટી ડેપો પાસેના રસ્તામાં નડતરરૂપ હંગામી ડબાણો દૂર કરવામાં આવ્યા હતા. 7થી 8 જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી છે અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવેલો છે. રોડ ઉપર અંદાજે 40 જેટલી લારીઓ છેઃ હસમુખ પરમારદબાણ શાખાના અન્ય કર્મચારી હસમુખ પરમારે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસરની સૂચનાથી આજે હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવી હતી. આ રોડ ઉપર અંદાજે 40 જેટલી લારીઓ છે, જે ટ્રાફિકને નડતરરૂપ હોવાથી દૂર કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી અને મિત્ર સાથે ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલમાં જમવા માટે ગયેલ મહિલા પાસેથી બાઈક પર આવેલા ત્રણ ગઠિયાઓ પૈકી એકે યુવતીના ખભા પર લટકાવેલ પર્સ ઝૂંટવી લીધા બાદ ત્રણેય બાઈક પર ભાગી ગયા હતા. આ સાથે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક મહિલા ચાલતી જતી હતી તે દરમિયાન મોબાઈલ ઝૂંટવી ગઠિયો ફરાર થયો હતો. ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવી પર્સ ઝૂંટવીને ફરારવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સેફર રેસીડેન્સીમાં રહેતા હિરલબેન રાકેશભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, હું મારા દીકરા બ્રિજ પટેલ તથા મારા મિત્ર નામે ભાવિકભાઈ મિસ્ત્રી સાથે ઘરેથી સાંજના આશરે નવેક વાગ્યાની આસપાસ મોટર સાઈકલ ઉપર બેસી ગોલ્ડન ચોકડી પાસે આવેલી સંગમ હોટલમા જમવા માટે આવ્યા હતા. જમીને પરત ગોલ્ડન ચોકડી તરફ આવતા હતા ત્યારે ક્રિષ્ના હોટલ પાસે રાત્રીના સમયે એક મોટર સાયકલ ઉપર ત્રણ અજાણ્યા શખસો અમારી મોટરસાયક્લ પાસે આવી મારા ખભા ઉપર લટકાવેલું પર્સ ઝુંટવી લઈ બાઇક ઉપર ભાગી ગયા હતા. જેથી, અમે તેનો ગોલ્ડન ચોક્ડીથી હરણી રોડ ગદા સર્કલ સુધી તેની પાછળ આવ્યા હતા પરંતુ, અજાણ્યા ત્રણેય શખસો પોતાની મોટર સાયકલ લઈને ભાગી ગયા હતા. આ મામલે હરણી પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 64 વર્ષીય મહિલાના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લૂંટારુ ફરારઆ સાથે અન્ય એક બનાવમાં શહેરના આજવા રોડ વિસ્તારમાં 64 વર્ષીય મહિલા મોબાઈલ ફોન ઝૂંટવી લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. આ મામલે તેઓએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આશાબેનના જણાવ્યા અનુસાર, તેઓ રાત્રે સોસાયટીની સહેલી નિરૂબેન પટેલ સાથે ચાલવા નીકળ્યાં હતાં. તેઓ મહાવીર હોલ ચાર રસ્તાથી નવજીવન તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અંબર કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યાં, ત્યારે એક ટુ-વ્હીલર પર ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા અને આશાબેનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ બંને ઘટનામાં પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી હાઈવે પર દરોડો:માટી ભરેલા ટ્રકમાંથી 112 બિયરના ટીન મળ્યા, રાજસ્થાની ડ્રાઈવર ઝડપાયો
મોરબી માળિયા હાઈવે પર એલસીબી પોલીસે માટી ભરેલા ટ્રકમાંથી બિયરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. મરક્યુ સિરામિક સામે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રાજસ્થાન નંબરના ટ્રક (RJ 21 GD 0930)ની તપાસ દરમિયાન માટીની આડમાં 112 બિયરના ટીન મળી આવ્યા છે. પોલીસે ₹12,992ની કિંમતનો બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે ₹30 લાખની કિંમતનો ટ્રક અને ₹5,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹30,17,992નો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રક ચાલક રાજેન્દ્ર કાનારામભાઈ બાંગડા (ઉ.વ. 36)ની ધરપકડ કરવામાં આવી છે. તે રાજસ્થાનના નાગોર જિલ્લાના મેડતા તાલુકાના બીટ્ટન ગામનો રહેવાસી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બિયરનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે માલ મંગાવનાર અને અન્ય આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં એલસીબીના ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા અને વિક્રમભાઈ રાઠોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું આજે બપોરે અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા આજે સાંજે 5 વાગ્યે વિસનગરના થલોટા રોડ પર આવેલ હરિદ્વાર સોસાયટીથી નીકળશે અને સિદ્ઘપુર ખાતે મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે. અંતિમયાત્રામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે 10 વર્ષ જૂના પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સલતાન ઉર્ફે સરતન ઉર્ફે સતીષ જંદુભાઇ રાઠવાને હાલોલની મઘાસર GIDC વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સપેક્ટર આર.એ. પટેલના નેતૃત્વમાં પો.સ.ઇ. ડી.જી. વહોનીયા અને તેમની ટીમે બાતમીના આધારે આ સફળતા મેળવી હતી. છોટાઉદેપુર જિલ્લાના કોલીયાથારના રહેવાસી આરોપી સામે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં 2015માં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 66(બી) અને 81 હેઠળ ગુનો નોંધાયેલો હતો. પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વેરાવળ શહેરમાં આવતીકાલે તા. 18 મે, 2025ના રોજ રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી ચોપાટી ફીડરનું સમારકામ હાથ ધરવાનું હોવાથી સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ સમય દરમિયાન સરકારી હોસ્પિટલ, મણીબેન કોટક સ્કૂલ વિસ્તાર, બીલખા હાઉસ અને શાંતિ ટાવર વિસ્તાર પ્રભાવિત થશે. આ ઉપરાંત કોર્ટ, મામલતદાર ઓફિસ, રાજેન્દ્ર ભુવન રોડ અને તોરણ બંગલો વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. સંસ્કૃત યુનિવર્સીટી, CBI ક્વાટર્સ, કોસ્ટ ગાર્ડ ઓફિસ અને પોર્ટ કોલોનીમાં પણ વીજ પુરવઠો ખોરવાશે. નગરપાલિકા વોટર વર્ક્સ, ફોરેસ્ટ ઓફિસ, ઘનશ્યામ પ્લોટ, SP બંગલો અને કલેકટર બંગલો વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. કોઈ ઇમરજન્સી સંજોગોમાં વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકાશે. વધુમાં, વીજ અકસ્માતથી બચવા માટે દરેક ઘરમાં યોગ્ય ક્ષમતાની ELCB લગાડવાની સલાહ આપવામાં આવી છે.
ઠગાઈ કરનાર દંપતિ સામે ફરિયાદ:મકરપુરા GIDCમાં આવેલી કંપની સાથે પૂર્વ કર્મચારી દ્વારા 33.42 લાખની ઠગાઈ
વડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી ભગવત લીલા વુડનક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં નોકરી કરતા પૂર્વ એકાઉન્ટન્ટ દ્વારા તેની પત્નીના નામે અન્ય કંપની ચાલુ કરી હતી. ત્યારબાદ કંપનીમાં લોકોને જાણ બાદ તેમની કંપનીમાંથી એકાઉન્ટન્ટે તેની પત્નીના નામે કરેલી કંપનીના ખાતામાં રૂપિયા 33.42 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. નવા એકાઉન્ટન્ટે કંપનીનું એકાઉન્ટ તપાસતા પૂર્વ કર્મચારીનો ભાંડો ફૂટ્યો હતો. જેથી કંપની સંચાલકે પૂર્વ કર્મચારી અને તેની ધર્મ પત્ની વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. આરોપીને કંપનીમાં અગાઉ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતોવડોદરા શહેરના ગઠાપુરા વિસ્તારમાં આવેલી પેરિસ નગર સોસાયટીમાં રહેતા યોગેશભાઈ ભગવતલાલ બનાતવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર છેલ્લા 10 વર્ષથી ભગવત લીલા વુડકાફટ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવું છું. વર્ષ 2019માં મારી કંપની માટે એકાઉન્ટન્ટની જરૂર હતી. ત્યારબાદ અમે અમારી કંપનીના એકાઉન્ટન્ટ તરીકે રીકીન સુરેશભાઈ ગાંધી (રહે. સર્જન સોસાયટી અટલાદરા સન ફાર્મા રીંગ રોડ વડોદરા)ને નોકરી પર રાખેલ હતા. તેઓને દર મહિને રૂપિયા 12 હજાર પગાર આપતા હતા. પોતાના નામની કંપની બનાવી 33.42 લાખ ટ્રાન્સફર કરી લીધાત્યારબાદ વર્ષ 2023ના જુલાઈ માસ આસપાસ રીકીન ગાંધીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા એકાઉન્ટન્ટ તરીકે અંકીતભાઈ દરજીને નોકરી ઉપર રાખ્યો હતો અને તેઓએ એકાઉન્ટના ચોપડા તપાસ કરતા જાણવા મળેલ કે, અમારી કંપનીમા અગાઉ એકાઉન્ટન્ટ તરીકે કરી કરતા કરતા રીકીન મુરેશભાઈ ગાંધીએ તેઓની પત્ની એકતા રીકીન ગાંધીના નામ પર અમારી જાણ બહાર ભગવતી વુડન પ્રોડકસ નામની કંપની ચાલુ કરી હતી અને અમારી કંપની ભગવતલીલા વુડક્રાફટ ઈન્ડસ્ટ્રીઝમાંથી ભગવતી વુડન પ્રોડક્સના બેંક એકાઉન્ટમાં વર્ષ 2021થી 2023 સુધીમાં 33.42 લાખ બારોબાર ટ્રાન્સફર કરી લઈ અમારી કંપની સાથે છેતરપીંડી કરી છે. આ મામલે અમે માંજલપુર પોલીસ મથકમાં કંપની સાથે ઠગાઈ બદલ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઠગાઈ કરનાર દંપતિ વિરુધ્ધ માંજલપુર પોલીસે ગુનો નોધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાધનપુર હાઈવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ નંબર પ્લેટ ધરાવતી એક કાર દારૂના નશામાં ધૂત ચાલક દ્વારા બ્રિજ સાથે અથડાવવામાં આવી હતી. આ ઘટના દરમિયાન કાર ચાલકે સામેથી આવતા એક બાઈક સવારને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, સદભાગ્યે બાઈક ચાલક બચી ગયો હતો. સ્થાનિક લોકોને કારની હરકતો શંકાસ્પદ લાગતા તેમણે કારનો પીછો કર્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. કાર તપાસ દરમિયાન તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. લોકોએ નશામાં ધૂત ડ્રાઈવરને પકડીને રાધનપુર પોલીસને સોંપી દીધો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અકસ્માત કરનાર યુવાનના પિતા મહેસાણા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કારમાં પોલીસ નંબર પ્લેટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ગોધરાના વેજલપુર વરઘોડામાં થયેલી મારામારી:પ્રેમલગ્નના કારણે પિતા-પુત્ર પર હુમલો, 6 લોકો સામે ફરિયાદ
વેજલપુર નજીક અડાદરા ગામમાં એક વરઘોડા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. જગદીશભાઈ બારિયાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 14 મે, 2025ના રોજ સુરજભાઈ મહેન્દ્રભાઈ જાદવના લગ્નનો વરઘોડો સાંજે 7 વાગ્યે નીકળ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે વરઘોડો બેંક ઓફ બરોડા પાસે પહોંચ્યો. આ સમયે નીલેશસિંહ જાદવે જગદીશભાઈને ગાળો આપી હુમલો કર્યો. તેમણે હાથમાં પહેરેલા કડાથી જગદીશભાઈના માથામાં ઈજા પહોંચાડી હતી. હાર્દિકસિંહ જાદવે લાકડી વડે જગદીશભાઈની પીઠ પર પ્રહાર કર્યો. જગદીશભાઈના પુત્ર જયદીપના પ્રેમલગ્નના કારણે વિપુલભાઈ પંચાલ, શીતલબેન પંચાલ અને હેરી પંચાલે પણ હુમલો કર્યો. તેઓએ જગદીશભાઈને મોઢા અને શરીર પર માર માર્યો. આ હુમલાથી જગદીશભાઈ બેભાન થઈ ગયા હતા. સંજયસિંહ જાદવે જગદીશભાઈને બચાવ્યા. આરોપીઓએ જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી. અર્પિતસિંહ અને સંજયસિંહ જાદવે જગદીશભાઈને ઘરે પહોંચાડ્યા. 108 એમ્બ્યુલન્સ દ્વારા જગદીશભાઈ અને તેમના પુત્ર ચિરાગને મલાવ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 15 મેના રોજ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, જગદીશભાઈએ તેમની પત્ની રંજનબેન, પુત્ર જયદીપ, પુત્રવધૂ એશા અને સંજયસિંહ સાથે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેર નજીક માણેજા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના સ્થળે પીલર ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન 25 ફૂટ ઉંડા ખાડામાં મહાકાય મગર ફસાઈ જતા મોડી રાત્રે રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ મગરને રેસ્ક્યુ કરવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. 25 ફૂટ ઉંડા કાદવથી ભરેલા ખાડામાં મગર ફસાયાની માહિતી મળીવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના હેમંત વઢવાણા અને તેમની ટીમને મળેલી માહિતી પ્રમાણે માણેજા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલતી કામગીરી સ્થળે પિલર બનાવવા માટે ઉભા કરવા માટે લોખંડની પ્લેટો ખાડામાં લગાવેલી હતી. આ પ્લેટો નીચે મગર હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા જ ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ કરવામાં આવતા મગર 25 ફૂટ ઉંડા કાદવથી ભરેલા ખાડામાં ફસાઈ ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. આ મગર અહીં ઘણા દિવસથી હોવા છતાં કોઇની નજરમાં આવ્યો ન હતો. ખાડામાં પાણી સુકાતા મગર હોવાનું જણાયું હતું. મગરનું સહીસલામત રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને સોંપાયોતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મગર 25 ફૂટ ઉંડા ખાડામાં હોવાથી ટીમના સભ્યોએ ખાડામાં ઉતરી ભારે જેહમત બાદ મગરને બહાર કાઢ્યો હતો. આ મગર મહાકાય હોવાથી સ્થળ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે રહેતી ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. મગરનું સહીસલામત રેસ્ક્યુ કર્યા બાદ પિંજરામાં પૂરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. 3 કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરાયો હતોઆ કામગરીમાં ભાવેશ બારીયા, સંદિપ ગુપ્તા અને સચિન દેસાઈ સહિતના સભ્યો દ્વારા 3 કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. 5 ફૂટ લાંબા મગર પકડાઇ જતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળે કામગીરી કરી રહેલા શ્રમજીવીઓ અને કર્મચારીઓએ રાહત અનુભવી હતી.
જામનગર મહાનગરપાલિકાએ આજે મોમાઈનગર વિસ્તારમાં શાળા નંબર 50 પાસે નદીના વહેણમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. આ વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓએ મહાનગરપાલિકાની જમીન પર છેલ્લા પાંચ વર્ષથી અતિક્રમણ કરી લગભગ 3,000 ફૂટ જગ્યામાં મકાનો બાંધી દીધા હતા. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ મુકેશ ગોસાઈ, હરેશ વાણીયા અને નીતિન મેહતાની આગેવાની હેઠળ 50 જેટલા સ્ટાફ સભ્યો સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સીટી બી ડિવિઝન અને ઉલિગનની પોલીસ ટુકડી, સબ ઈન્સ્પેક્ટર મોઢવાડીયા તેમજ મહિલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી માટે જેસીબી મશીન, વોકર મશીન, જનરેટર અને ટ્રેક્ટર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી નદીના વહેણમાં અવરોધરૂપ બનેલા દબાણો દૂર થતાં ચોમાસા દરમિયાન નદીના પાણીનો પ્રવાહ મુક્તપણે વહી શકશે. મહાનગરપાલિકાએ વીજ તંત્ર અને ગેસ કંપનીની ટીમોને પણ સાથે રાખીને આ કાર્યવાહી પૂર્ણ કરી છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે સિદ્ધપુરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાથી ઝાંપલી પોળ સુધી નીકળેલી આ યાત્રાને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ કર્યું હતું. કેબિનેટ મંત્રી રાજપૂતે જણાવ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કર્યો છે. તેમણે ઉમેર્યું કે, આ ઓપરેશનથી ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. દેશપ્રેમની ભાવના મજબૂત કરવાના હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર અને એપીએમસી ચેરમેન વિષ્ણુભાઇ પટેલ સહિત અનેક મહાનુભાવો જોડાયા. સંગઠનના પદાધિકારીઓ, વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ અને હોમગાર્ડ્સના જવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વ્યાપારીઓએ પણ યાત્રામાં ભાગ લીધો હતો.
રાજકોટમાં મોટી ઉંમરની મહિલાઓએ ગળામાં પહેરેલા ચેનની ચીલઝડપ કરતી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. LCB ઝોન 2 ની ટીમે કુખ્યાત સદ્દામ ઉર્ફે મછો સહીત 3 શખ્સોને ઝડપી પાડયા છે. જેમાં એક સગીર આરોપી છે. પોલીસે ઝડપેલા આરોપીઓએ શહેરમાં 4 જગ્યાએ ચીલઝડપની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે. જેમાં રીક્ષા ડ્રાઇવિંગ કરતા સદ્દામ વિરુદ્ધ અગાઉ દુષ્કર્મ સહિતના 3 ગુના નોંધાયેલા છે. હાલ તો પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે પરંતુ આરોપીઓએ જે સોનાના ચેનની ચીલ ઝડપ કરી તે ચેનને ઓગાળી ઢાળીયો બનાવ્યો હતો. જે કોની મદદથી બનાવ્યો અને આ ટોળકી સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે આ સાથે જ મોટી ઉંમરની મહિલાઓને અપીલ કરી છે કે તેઓ જો સોનાનો ચેન પહેરી ઘરની બહાર નીકળે તો સતર્ક રહે. ચીલઝડપ મામલે એક સગીર સહિત ચાર ઝડપાયારાજકોટ એસીપી રાધિકા ભારાઇએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના વિવિધ પોલીસ મથકોમાં સદામ ઉર્ફે મછો યાસીનભાઈ કુરેશી (ઉ.વ.26, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે, ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સૈફીપાર્ક પેટ્રોલપંપની સામે રાજકોટ), વિક્રમભાઇ લાલજીભાઇ માનસુરીયા (ઉ.વ.52 ધંધો મજુરીકામ રહે. પાંજરાપોળ શ્રીરાધેશ્યામ ડેરી ફાર્મ ડેરીની સામેની શેરી રાજકોટ) અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એમ 3 શખ્સોએ છેલ્લા અઢી મહિનામાં અલગ અલગ 4 જગ્યાએ ચીલઝડપ કરેલી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગત તારીખ 12 મે ના રોજ ચીલઝડપ ન બનાવ બન્યો હતો અને તેના ત્રણ દિવસ બાદ માલવિયાનગર પોલીસ મથકમાં ચીલઝડપની ઘટના બની હતી. જેથી અમારી એલસીબી ઝોન -2 ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન ઘણા બધા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા આ ઉપરાંત ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે સદામ અને વિક્રમને ઝડપી લેવામાં આવ્યા છે અને તે બંને અલગ અલગ ચાર ગુના કબૂલ કરેલા છે. જેમાં માલવિયા નગર પોલીસ મથકમાં ગત 15 મે ના ચીલઝડપનો બનાવ સામે આવ્યો હતો. આ ઊપરાંત ગાંધીગ્રામ, ભક્તિનગર અને કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં ચીલઝડપ કરેલી છે. સદામ સામે દુષ્કર્મ સહિતના ત્રણ ગુનાસદ્દામનો ગુનાહિત ઈતિહાસ તપાસવામાં આવતા તેના વિરુદ્ધ અગાઉ 3 ગુના નોંધાયેલા છે. આ ટોળકીએ છેલ્લા અઢી મહિનામાં 4 ચીલઝડપ કરેલી છે. તેમની પાસેથી ચારેય ચિલઝડપમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. કુલ રુ. 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલો છે. જેમાં બે સોનાના ચેન, સોનાની માળા, સોનાનો ઢાળીયો અને વાહન સામેલ છે. બંને શખ્સોએ સોનાના ચેનને ઓગાળી ઢાળીયો પોતાની પાસે જ રાખેલો હતો. જે કબ્જે કરવામાં આવ્યો છે અને કોની મદદ લેવામાં આવેલી છે તે અંગે તપાસ ચાલુ છે. ટોળકીની મોડસ ઓપરેન્ડીઆ ટોળકીની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે તેઓ મોટી ઉંમરના મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. મોટી ઉંમરની મહિલાઓ જતી હોય ત્યારે ત્યાંથી સદ્દામ બાઈક ચલાવી પસાર થાય છે અને તેની પાછળ બેઠેલો વિક્રમ સોનાના ચેન સહિતની ચીલઝડપ કરી ગણતરીની મિનિટોમાં નાસી છૂટે છે. સદામ રિક્ષાચાલક છે અને અન્ય મજૂરી કામ કરે છે. જેની વિરુદ્ધ અગાઉ 3 ગુના નોંધાયેલા છે. વર્ષ 2022 માં તેના વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત બીજો ગુનો ભયજનક હથિયાર સાથે ઝડપાયાનો છે તો ત્રીજો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલ છે.
હિંમતનગરના ગામડીમાં ફૂલ જોગણી માતાજીનો પાટોત્સવ:નવ યજમાનોએ નવચંડી હવનનો લાભ લીધો, શોભાયાત્રા નીકળી
હિંમતનગર તાલુકાના ગામડી ગામે શ્રી ફૂલ જોગણી માતાજીનો 21મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે નવ યજમાનોએ નવચંડી હવનનો લાભ લીધો હતો. ગામડી ગામે આવેલા શ્રી ફૂલ જોગણી માતાજીના મંદિરે રવિવારે અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. મંદિર પાસેથી પસાર થતા વાહન ચાલકો પણ થોભીને માતાજીના દર્શન કરે છે. પાટોત્સવ દરમિયાન નવચંડી હવન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી પણ યોજવામાં આવી હતી. મંદિરેથી નીકળેલી શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને પુનઃ મંદિરે પરત ફરી હતી. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનોએ માતાજીના દર્શન કર્યા હતા. સાથે જ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાકલમ વસાહતમાં ગઈકાલે રાત્રે ગ્રામજનોએ વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. ગૌચર વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી વિદેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સાંજે લગભગ સાત વાગ્યે ત્રણ સ્કૂટર પર દારૂના કોથળા સાથે જતા બુટલેગરોને ગ્રામજનોએ રોકીને ઝડપી લીધા હતા. બોડેલી પોલીસને જાણ કરવા છતાં તેઓ બે કલાક સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બુટલેગરો પોલીસને નિયમિત હપ્તા આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઊંચાકલમ મધ્ય પ્રદેશની સરહદથી 70 કિલોમીટર દૂર છે. મધ્ય પ્રદેશથી ઊંચાકલમ સુધીના માર્ગમાં રંગપુર, છોટા ઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી પોલીસ સ્ટેશન આવેલા છે. આટલા પોલીસ મથકોની હદમાંથી વિદેશી દારૂ કેવી રીતે પસાર થાય છે તે અંગે જિલ્લા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.
ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને સપોર્ટ કરતા તુર્કી અને અઝરબૈજાનનો ભારતના એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા સ્પાઈસ ઈમ્પોર્ટ ફેડરેશને બોયકોટ કરતા પાકિસ્તાનના મિત્ર દેશોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન તુર્કી અને અઝરબૈજાન જવા માટે ટુરિસ્ટોમાં જે ધસારો જોવા મળે છે તેમાં આ વખતે બોયકોટના કારણે 60 ટકાનો ઘટાડો થયો છે અને બુકિંગ પણ મોટાપાયે રદ થયું છે. તો હવેથી ભારતથી તુર્કીમાં જતા મરચાં-મસાલા મોકલવાનું બંધ કરાયું છે તો તુર્કીથી ભારતમાં આવતા ડ્રાયફ્રુટ્સને હવે અમેરિકા કે અફઘાનિસ્તાનમાંથી ખરીદાશે. નવું બુકિંગ 60 ટકા ઘટી ગયુ છેરાજકોટ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પ્રમુખ ગોપાલ ઉનડકટે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, તુર્કી અને અઝરબૈજાન જવા માટેના બુકિંગ નહિવત થઈ ગયા છે અને કોઈપણ જાતનું બુકિંગ થતું નથી એવું કહીએ તો પણ ચાલે. કેન્સલેશન પણ ખૂબ જ આવે છે અને નવું બુકિંગ 60 ટકા ઘટી ગયુ છે. ટુરિસ્ટો સિંગાપોર, બાલી, મલેશિયા અને વિયેતનામ જવાનું પસંદ કરે છેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે તુર્કી અને અઝરબૈજાનના બદલે ટુરીસ્ટો સિંગાપોર, બાલી, મલેશિયા અને વિયેતનામ જવાનું પસંદ કરે છે. તુર્કી, અઝરબૈજાનનો બોયકોટ ચાલુઅગાઉ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ અઝરબૈજાન એટલે બાકુ અને તુર્કી એટલે ઈસ્તમબુલનો બોયકોટ કર્યો હતો. તેમણે નિર્ણય લીધો હતો કે અમે કોઈને ત્યાં ફરવા માટે મોકલીશું નહીં અને એક પણ મુસાફરને ત્યાં ફરવા જવા માટે પ્રોત્સાહન આપીશું નહીં. કારણ કે પાકિસ્તાન તરફથી આપણા ગુજરાત અને ભારતની વેસ્ટ અને નોર્થ બોર્ડર ઉપર જે એટેક કરવામાં આવેલા છે તે તુર્કી સપોર્ટેડ ડ્રોન છે. ભારતના લોકો ત્યાં ફરવા જાય છે અને તેના ઉપર જ આ બંને દેશોની ઇકોનોમી ચાલે છે અને આ બંને દેશો જ ભારત સામે પાકિસ્તાનને મદદ કરે છે. જે ભારતને અસર કરે છે અને તેથી આપણા જ પૈસાનો તેઓ મિસયુઝ કરે છે. તુર્કી-અઝરબૈજાન ફરવા જતા લોકોમાં ભારતીયો બીજા નંબરેનોંધનીય છે કે વર્ષ 2024માં ભારતમાંથી 2.75 લાખ ટુરિસ્ટો તુર્કી પહોંચ્યા હતા. તો વર્ષ 2024માં 2.5 લાખ ટુરિસ્ટો અઝરબૈજાન ફરવા ગયા હતા. અઝરબૈજાનનું ટ્રાવેલ 6થી 8 દિવસનું અને તુર્કીનું 9થી 10 દિવસનું હોય છે. સમગ્ર દુનિયાની વાત કરીએ તો તુર્કી અને અઝરબૈજાન ફરવા જતા લોકોમાં પ્રથમ નંબરે ચાઇના તો બીજા નંબરે ભારત આવે છે. એક પણ નવું બુકિંગ થતું નથીઅગાઉ તેમણે જણાવ્યું હતુ કે, રાજકોટથી 200થી 250 તો ગુજરાતથી 700થી વધુ લોકો આ બંને દેશોમાં ટ્રાવેલ કરતા હોય છે. જે લોકો ફ્લાઈટ કેન્સલ કરવા માંગતા હોય તેની ફ્લાઇટ અમે કેન્સલ કરી આપીએ છીએ પરંતુ હવે નવું બુકિંગ એક પણ કરવામાં નહીં આવે. તુર્કીની કંપની સેલેબીને દેશના 9 એરપોર્ટથી જાકારો સેલેબી કંપની તુર્કીથી ઓપરેટ થાય છે. જેમની પાસે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને અમદાવાદ સહિતના 9 એરપોર્ટનો ગ્રાઉન્ડ હેન્ડલિંગનો કોન્ટ્રાક્ટ છે. દિલ્હી એરપોર્ટનું 65 ટકા હેન્ડલિંગ સેલેબી પાસે છે. જેમાં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અને કાર્ગો સર્વિસ બંનેનું હેન્ડલિંગ સેલેબી પાસે છે. આ ઉપરાંત મુંબઈ એરપોર્ટનું 70% ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેલેબી કંપની કરે છે. દરમિયાન બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિક્યુરિટીનું ક્લિયરન્સ સેલેબી પાસે હતુ તે કેન્સલ કરવામા આવેલું છે. ભારત તુર્કીના સંબંધોમાં તણાવ, વેપાર પર અસર તો ઓલ ઇન્ડિયા સ્પાઈસ ઈમ્પોર્ટ ફેડરેશને ભારત અને તુર્કી વચ્ચેનો વેપાર બંધ કર્યો છે. એટલે કે, ભારતથી તુર્કીમાં જતો માલ બંધ કરવામાં આવ્યો છે અને તુર્કીથી ભારતમાં આવતા માલમાં ડ્રાયફ્રુટ્સનો સમાવેશ થતો હતો. જે હવે તેઓ અમેરિકા કે અફઘાનિસ્તાનથી ખરીદશે. ભારતની કંપનીઓનું તુર્કીમાં 100થી 125 મિલિયન ડોલરનું રોકાણઓલ ઇન્ડિયા સ્પાઈસ ઈમ્પોર્ટ ફેડરેશનના સેક્રેટરી અને ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સેક્રેટરી હિરેન ગાંધીના જણાવ્યા અનુસાર ભારત અને તુર્કી વચ્ચે 11 બિલિયનનો વેપાર છે. આપણે એટલે કે ભારત એક્સપોર્ટ વધારે કરે છે, અને ઈમ્પોર્ટ ઓછું કરે છે. ભારતની કંપનીએ તુર્કીમાં 100થી 125 મિલિયન ડોલરનું રોકાણ કરેલું છે. અને તુર્કીનું ઇન્ડિયાની કંપનીઓમાં લગભગ 300 મિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યારે હવે આ ફેડરેશને તુર્કી સાથેના વેપારને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તુર્કીને વધુ વસ્તુઓ વેચતું હતું અને ઓછી ખરીદતું હતુંવેપાર પર અસરની વાત કરવામાં આવે તો ભારત તુર્કીમાં મુખ્યત્વે મરચાં-મસાલા મોકલતું હતું. જ્યારે તુર્કી ભારતને ડ્રાયફ્રુટ્સ મોકલતું હતું. ભારત અને તુર્કી વચ્ચે કુલ 11 બિલિયન ડોલરનો વેપાર થતો હતો. ભારત તુર્કીને વધુ વસ્તુઓ વેચતું હતું અને ઓછી ખરીદતું હતું, એટલે કે ભારતને વેપારમાં ફાયદો થતો હતો. ભારત તુર્કીમાં 6.65 અબજ ડોલરનું એક્સપોર્ટ કરે છેભારત દ્વારા તુર્કીમાં એક્સપોર્ટ થતા 6.65 અબજ ડોલરના મુખ્ય નિકાસ કરાયેલ ઉત્પાદનોમાં ઇજનેરી માલ, પેટ્રોલિયમ, ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક માલ, કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, માનવસર્જિત યાર્ન અને કાપડ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ઓટોમોબાઇલ્સ અને વાહનના ભાગો, એલ્યુમિનિયમ, લોખંડ, સ્ટીલ, મશીનરી અને યાંત્રિક ઉપકરણો, ઓપ્ટિકલ અને તબીબી ઉપકરણો કપાસ, પ્લાસ્ટિક અને રબર અનાજ, તમાકુ અને મસાલાનો સમાવેશ થાય છે. તુર્કી ભારતમાં 3.78 અબજ ડોલરનું એક્સપોર્ટ કરે છેતુર્કીથી ભારતને એક્સપોર્ટ થતા 3.78 અબજ ડોલરના મુખ્ય ઉત્પાદનો જેમાં પેટ્રોલિયમ, મશીનરી અને યાંત્રિક ભાગો, સલ્ફર, સિમેન્ટ અને પ્લાસ્ટર સામગ્રી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરો, પ્રાણી અને વનસ્પતિ તેલ, લોખંડ અને સ્ટીલ, ફળો, શાકભાજી અને બદામ, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રિકલ મશીનરી, કોસ્મેટિક્સ અને ચામડાની ચીજવસ્તુઓ તુર્કી દ્વારા ભારતમાં મોકલવામાં આવતી હતી.
વડોદરા જિલ્લામાં 30 અનુસુચીત જાતી સહિત કુલ 90 પુરૂષને સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિ:શુલ્ક (ફ્રી) નિવાસી તાલીમ આપવામાં આવશે. જેની અરજીઓ ઓછી મળતા તારીખ લંબાવવામાં આવી છે. જે કોઈ રાજદારે અરજી કરવી હોય તે સમય મર્યાદામાં અરજી કરી શકે છે. ફ્રીમાં 30 દિવસની નિવાસી તાલીમનું આયોજન વડોદરા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેળની રોજગાર અને તાલીમ નિયામક ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા દર વર્ષે સંરક્ષણ ક્ષેત્રે એટલે આર્મી, નેવી, એરફોર્સ, અગ્નીવીર, પોલીસ, ફોરેસ્ટ અને અન્ય સિક્યુરિટીમાં કારકિર્દી બનાવવા માંગતા 90 ઉમેદવારો જેમાં 30 અનુસુચિત જાતીના ઉમેદવારોને ફ્રીમાં 240 કલાક (30 દિવસ)ની નિવાસી તાલીમ આપવામાં આવે છે. ઉમેદવારોને રહેવા-જમવા સહિતની સુવિધા અપાશેઆગામી અગ્નીવીર, આર્મી, એરફોર્સ, એસ. એસ. સી., જીડી તેમજ પોલીસ જેવી ભરતીમાં જવા માંગતા વડોદરાના ઉમેદવારો ફિઝિકલ અને લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરે તે માટે નિવૃત સૈનિક જવાન-એકસ સર્વિસમેન દ્વારા રનિંગ, લાંબો કુદકો, પુલઅપ્સ જેવી શારીરિક તાલીમ અને ગણીત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટરના તજજ્ઞ ફેકલ્ટી દ્વારા લેખિત-થીયરી વિષય પર 240 કલાક (30 દિવસ)ની રેસિડેન્સીયલ તાલીમ આપવામાં આવનાર છે. સંભવીત જૂનમાં શરૂ થનાર આ તાલીમમાં ધો. 10-12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ધરાવતા અને 17.5થી 24 વર્ષની ઉંમર ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોને ફ્રી રહેવાની, જમવાની, તથા સાહિત્ય સાથેની તાલીમ આપવામાં આવશે. 30 મે સુધી ઉમેદવાર અરજી કરી શકશેઆ સાથે 80 ટકા હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી મારફતે તેમના બેંક ખાતામા દૈનિક રૂ.100 લેખે વધુમાં વધુ રૂ.3000 સુધીનુ સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવશે. આ ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા અપરિણીત પુરુષ ઉમેદવારોને 30/05/2025 સુધિમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, પહેલો માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે નિયત નમુનામાં રૂબરૂ અરજી કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે.
રાજકોટનાં હૃદયસમાન ડો. યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકના નવા નાલાનું કામ યાજ્ઞિક રોડને ક્રોસ કરાવવા હાલ આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. હવે આ વર્ષે વહેલા ચોમાસાની આગાહી છે અને કામ ગોકળ ગતિએ ચાલે છે. જેને લઈને વેપારીઓને મોટી નુકસાન સહિતનો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. બીજી તરફ જાગનાથ વિસ્તારમાં ચારે તરફ ખોદકામ થતું હોય, રહેવાસીઓ પણ હેરાન છે. વેપારીઓને કનડતા આ પ્રશ્ન અંગે અગાઉ વિપક્ષે પણ રજુઆત કરી હતી. ચોમાસામાં જળબંબાકાર થવાની ભીતિશહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના મુખ્ય રસ્તાઓમાંનો એક ડો. યાજ્ઞિક રોડ પર હાલ સર્વેશ્વર ચોક પાસે નાલાનું કામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. કોર્પો. અને કોન્ટ્રાક્ટરની આંતરિક ખટપટ અને યોગ્ય સંકલનના અભાવે હાલ વેપારીઓનો ખો નીકળી રહ્યો છે. આ કામ 12 માસમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ હાલ આગામી 12 માસમાં કામ પૂર્ણ થાય તેમ જણાતું નથી. ચોમાસુ નજીક આવી જતા ભારે હાલાકી અને ચોમાસામા પાણીના જળ પ્રવાહમાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થવાની પુરી સંભાવના છે વેપારીઓને પણ મહાનગરપાલિકાની ઢીલી નીતિ ને કારણે ભોગવવાનો વારો આવ્યો છે અને કામ વિલંબ થતા ભારે આર્થિક નુકસાની વેઠવી પડે તેમ છે. કામમાં વિલંબ થતા વેપારીઓએ આર્થિક નુકસાની ભોગવવી પડશેસર્વેશ્વર ચોકના વોકળા પરના નાલાનું કામ રૂ. 4.50 કરોડ માં કોન્ટ્રાક્ટરને અપાયું હતું. ત્યારે આ કામ જૂન જુલાઈમાં પૂર્ણ ન થાય તો જળ હોનારતની ભીતિ ઉભી થશે. આ કામમાં વધારો થતાં મુદ્દત લંબાવવામાં આવી હતી અને વધારાનો ખર્ચ પણ મંજુર કરી યાજ્ઞિક રોડને બંધ કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષે ડો. યાજ્ઞિક રોડ પર નજીવા વરસાદે ગોઠણભેર પાણી ભરાય છે. ત્યારે હાલ ન્યુ જાગનાથ અને જાગનાથ સહિતના વિસ્તારોમાં DI પાઇપલાઇનનું કામ પણ ચાલુ હોય આડેધડ થતા ખોદકામના પગલે ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આ ખાડાઓમાં સિનિયર સીટીઝન અને આમ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ તંત્ર સામે લોકરોષ ભભૂક્યો છે અને માવઠાને પગલે શેરીઓમાં કાદવ કિચડનું સામ્રાજ્ય થયું છે ત્યારે જો બારે મેઘ ખાંગા થાય તો આ વિસ્તાર અને જાગનાથમાં વોકળાની આસપાસની ઇમારતોમાં, ફલેટમાં તેમજ યાજ્ઞિક રોડ પરના વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જવાનો ભય છે. અગાઉ કામ ઝડપથી કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પ્રત્યુતર મળેલ નથી. કોઈપણ કારણસર ટેન્ડરમાં રહેલ શરતો મુજબ કામ સમયસર પૂર્ણ ન થાય તો કામ કરનાર એજન્સી સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે કામમાં વિલંબ થવાથી વેપારીઓને આર્થિક નુકસાની સહન કરવી પડે છે. તમામ સગવડ હોવા છતા કામગીરી ધીમી થતી હોવાનો આક્ષેપસિટી પ્લાઝામાં ઓફીસ ધરાવતા નિશાંતભાઈ પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ચોમાસુ માથે છે છતાં કોઈપણ ગણતરી વિના એકાદ મહિના અગાઉ વોકળાનું કામ શરૂ કરવામાં આવ્યું અને તેના માટે યાજ્ઞિક રોડ બંધ કરવામાં આવ્યો છે. હાલ આ કામ માટે ખાડા કરાયેલા છે જેમાં વરસાદ તેમજ ગટરનું પાણી ભરાય છે. જેનો પણ નિકાલ થતો નથી. જેને લઈને ગોકળ ગાય કરતા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. માત્ર ત્રણ-ચાર લોકો કંઈક કામ કરતા જોવા મળે છે. જેસીબી મશીન અહીં પડ્યું છે. તમામ સગવડ હોવા છતાં કામ ઝડપથી થતું નથી. હાલ વરસાદ વહેલો આવતા પાણી ભરાયા છે. તેમજ લેવલિંગ થતું નથી. અને જો તે નહીં થાય તો કલવર્ટની કામગીરી ક્યારે પુરી થશે તે કહેવુ મુશ્કેલ છે. અને જો આમ જ ચાલ્યું તો રોડ ક્યારે ખુલશે ? વધુમાં તેમણે જણાવ્યું કે, પરિસ્થિતિ એવી થઈ છે કે, અહીં 200 કરતા વધુ વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. બધાના વેપાર 90% ઓછા થઈ ચુક્યા છે. વેરો આપવા ઉપરાંત અમે પ્રાઇમ લોકેશનમાં દુકાનો-ઓફિસો લીધી છે. છતાં હાલ માત્ર ખર્ચાઓ માથે ચડી રહ્યા છે. ત્યારે અમારો એવો શુ વાંક છે કે તંત્ર અમારી સામે જોતું નથી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં સરકાર અને મનપાને રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અમારી પરિસ્થિતિ શુ છે તે જોવા પણ કોઈ આવતું નથી. અધિકારીઓને કેમ ખ્યાલ ન આવ્યો કે વરસાદ આવે તો કેવી ખરાબ સ્થિતિ થાય તેમ છે. સર્વેશ્વર ચોક વિસ્તારમાં 200 વેપારીઓ પરેશાનસર્વેશ્વર ચોક એક સમયમાં ધમધમતો હતો. પરંતુ દોઢ વર્ષથી ત્યાં કામગીરી ચાલુ હોવાથી ત્યાનાં વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અને છેલ્લા દોઢ માસથી આ યાજ્ઞિક રોડ બંધ થતાં અનેક વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. કોઈએ અગાઉ કરેલા પાપ હાલ વેપારીઓને ભોગવવા પડી રહ્યા છે. અગાઉ કોઈએ દબાણ કર્યું કે નહીં કર્યું હોય તે ખબર નથી. પણ હાલ 200 કરતા વધુ વેપારીઓ સજા ભોગવી રહ્યા છે. અહીંના વેપારીઓએ શહેરના હૃદય ગણાતા યાજ્ઞિક રોડ પર દુકાનો લીધી છે. અને સમયસર વેરાઓ ભરે છે. છતાં હાલ વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. યાજ્ઞિક રોડના સર્વેશ્વર ચોકમાં 30 વર્ષથી વેપાર કરતા નવીનભાઈએ જણાવ્યુ કે, યાજ્ઞિક રોડનો સર્વેશ્વર ચોક એવો છે કે ત્યાં દુકાનો ધરાવતા હોવાનો અમને ગર્વ છે. છેલ્લા દોઢ વર્ષથી વોકળાની કામગીરી ચાલતી હોવાને કારણે અમે ભારે હાલાકી ભોગવી રહ્યા છીએ. તેમ પણ હવે યાજ્ઞિક રોડ બંધ થતાં વેપાર ધંધા અટકી પડ્યા છે. હાલ વારંવાર વરસાદ આવી રહ્યો છે. તેના કારણે પાણી ભરેલું રહેતા ખૂબ દુગંધ આવી રહી છે. જેના કારણે હવે ગ્રાહકોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ રોગચાળો ફેલાય તેવી દહેશત પણ ઉભી થઇ છે. ત્યારે તાત્કાલીક આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. કમોસમી વરસાદના કારણે કામગીરી અટકી- સ્ટે. કમિટી ચેરમેનરાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યુ હતું કે, ચોમાસુ વહેલું શરૂ થવાના કારણે યાજ્ઞિક રોડનાં સર્વેશ્વર ચોકમાં કામગીરી અટકી ગઈ છે. જે અંગે સિટી એન્જીનીયરને તેમજ એજન્સીને ઝડપી કામગીરી કરવા સૂચના આપી છે. વહેલામાં વહેલી તકે કામ પૂર્ણ કરીને વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલીઓ થાય તેવા પ્રયાસ તંત્ર કરી રહ્યું છે. વિકાસનાં કામો થતા હોય ત્યાં થોડી-ઘણી મુશ્કેલીઓ પ્રજાને તેમજ અમને પણ પડતી હોય છે. પરંતુ સર્વેશ્વર ચોકનાં વોકળા માટે કામ ઝડપથી પૂરું કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખોદાઈ ગયેલા ભાગમાં વરસાદી પાણી ભરાય છે તે રાત્રી દરમિયાન કાઢવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
દયાપરમાં દેશભક્તિનો માહોલ:ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલી યોજાઈ
લખપત તાલુકાના દયાપર ગામમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક સુધી પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા. રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ સરદાર, જસુભા જાડેજા અને અન્ય આગેવાનો જોડાયા. દયાપર પોલીસ મથકના પી.આઇ. ડી.બી. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. આઝાદ ચોક ખાતે યોજાયેલી સભામાં આગેવાનોએ ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દુશ્મન દેશની હરકતનો ભારતીય જવાનોએ મક્કમ જવાબ આપ્યો છે.
જામનગરમાં ગોવાળ મસ્જિદ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રીક્ષા ચાલક મહમ્મદભાઈ અબ્દુલભાઈ કુરેશી પર જીવલેણ હુમલો થયો છે. હુમલાખોર સલીમ યુનુસભાઈ કુરેશી જોડિયાથી હેલ્મેટ પહેરીને સ્કૂટર પર આવ્યો હતો. તેણે મહમ્મદભાઈ પર છરી વડે હુમલો કર્યો. છાતી, ગળા, હાથ, ગરદન અને માથા પર કુલ પાંચ ઘા કર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે પીડિતને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલાનું કારણ પ્રેમ પ્રકરણ છે. સલીમની પત્ની અને મહમ્મદભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને મોબાઈલ પર વાતચીત કરતા હતા. આ વાતની જાણ થતાં સલીમે હુમલો કર્યો હતો. સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડાની ટીમે તપાસ હાથ ધરી છે. પીડિતના નિવેદન પરથી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. સૌ પ્રથમ પોતે હેલ્મેટ પહેરેલો હતો, અને તેની ઓળખ થઈ ન હતી, પરંતુ ઝપાઝપી દરમિયાન હેલ્મેટ નીકળી જતાં સલીમ કુરેસી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેની સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત હુમલાખોર આરોપી હાલ ભાગી ચૂક્યો છે, જે મામલે પોલીસે બી.એન.એસ. કલમ 109 (1), 115 (2), 117(1), 352, 351 (3), તેમજ જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે. 40 વર્ષના યુવાને 5 અને 8 વર્ષની બે માસૂમ દીકરીને સોકલેટ આપવાની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો. અહીં બાળકીઓ સાથે શારિરીક અડપલા શરૂ કર્યા હતા. જોકે, 8 વર્ષની દીકરીએ શૌર્ય દર્શાવી આરોપી સામે હિંમતભેર આગળ આવી અને હાથમાં બચકું ભરી બચાવ કર્યો હતો. ત્યારબાદ બન્ને દીકરીઓ ત્યાંથી ભાગી છૂટી હતી. ઘટના અંગે દીકરીના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને સંતાનમાં એક દીકરી અને એક દીકરો આ અંગેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના શુક્રવારે (16 મે) બપોરે અંદાજે બે વાગે ઘટી હતી. આરોપી વિજય રાઠોડ પોતે છૂટક મજૂરી કરે છે અને તેની પત્ની, દીકરા અને દીકરી સાથે રહે છે. આરોપીની શેરીમાં રહેતા પરિવારને એક 5 વર્ષની દીકરી છે અને 8 વર્ષની એક બાળકી અમદાવાદથી વેકેશનમાં મામાના ઘરે આવી હતી. આરોપીએ આ બંન્ને દીકરીને ચોકલેટ આપવાના લાલચ આપી હતી અને પોતા રૂમમાં બોલાવી હતી. છેડછાડ શરૂ કરતા જ 8 વર્ષની બાળકીનો પ્રતિસાદઅહીં આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે 8 વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકું મારી દીધું હતં. આ અચાનક હુમલાથી આરોપી છંકી ઉઠ્યો અને તેણે બાળકીને છોડી દીધી હતી, જેના ફાયદા ઉઠાવી બંને દીકરી ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટી હતી. રડતાં અવાજે વાત સાંભણી માતા-પિતા ચોંકી ઉઠ્યાબાળિકાઓ રડતી-રડતી પોતાના માતા-પિતાને મળવા દોડી ગઈ હતી. બાળકીના મુખેથી સમગ્ર હકીકત સાંભળતા માતા-પિતા દંગ રહી ગયા હતાં. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અડાજણ પોલીસ સ્ટેશન પહોંચીને વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસ ત્વરિત હરકતમાં આવી અને આરોપી વિજયને તેના ઘરની આસપાસથી જ ઝડપી લીધો હતો. આરોપી સામે પોક્સો-છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલઆ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, અડાજણ પોલીસ મથકમાં પોક્સો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બે નાની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
મહેસાણાના તાવડીયા ગામમાં રેલના છાપરા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. રાત્રે અગિયાર વાગ્યાના સુમારે નૈનેશ રામજીભાઈ પરમારના ઘરના દરવાજા પાસે ચાર શખસો લઘુશંકા કરી રહ્યા હતા. નૈનેશે તેમને બાજુમાં ખુલ્લી જગ્યામાં જવાનું કહેતા મુકેશ પશાભાઈ દેવીપૂજક, લાલા પશાભાઈ, વિપુલ ભીખાભાઈ અને રાહુલ સુરેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જાતિ વિષયક અપમાનજનક શબ્દો અને ગાળો બોલી હતી. આરોપીઓએ જતી વખતે નૈનેશને જાનથી મારી નાખવાની અને તેનું ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. થોડા સમય બાદ ચારેય શખસો પરત ફર્યા અને પાઈપ વડે નૈનેશ પર હુમલો કર્યો હતો. હુમલામાં નૈનેશના કાન પર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પીડિતની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ક્રાઇમ અપડેટ:બગવદરમાં બાઇક ચોરી, આદિત્યાણામાં યુવક પર હુમલો, કુતિયાણામાં મોબાઇલ ચોર ઝડપાયો
પોરબંદર જિલ્લામાં વિવિધ ગુનાહિત ઘટનાઓ સામે આવી છે. બગવદર ગામમાં લખમનભાઈ કેશવાલાનું હોન્ડા સાઈન મોટરસાઇકલ (GJ-25-AD-6027) તેમના ઘરની ડેલીમાંથી રાત્રે ચોરાઈ ગયું. તેમણે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આદિત્યાણા ગામના મેઇન બજારમાં મહમદભાઈ અબુભાઈ શેઠ પર લગ્નના વિડિયો શૂટિંગના મનદુઃખમાં હુમલો થયો. ઇસમાલ આમદભાઈ મુંદ્રા, યુનુસ ઇબ્રાહિમ મુંદ્રા અને ગુલામ હુસેન મુંદ્રાએ ધારીયા અને લોખંડના પાઇપથી માથામાં મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુતિયાણા શહેરના કસ્ટમ ચોક સ્થિત ક્રિષ્ના મોબાઈલ દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલો ઓપો મોબાઈલ ચોરાયો હતો. દુકાન માલિક જશારામ સૈનીની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ખાગેશ્રી ટીબીનેશથી રમેરા જોધાભાઇ કોડીયારને ઝડપી લીધો છે. સીમર ગામે પાણીના ટાંકા પાસે વિમલેશ પરમાર અને તેમની માતા લાખીબેન પર જૂના મનદુઃખમાં હુમલો થયો. સુરેશ ચના પરમાર, સાગર ચના પરમાર અને ચના માલદે પરમારે તલવાર, કુહાડી અને લાકડીથી હુમલો કરી બંનેને ઈજા પહોંચાડી. બોખીરા નજીક, કુછડી ગામના સંજય ઓડેદરાએ નીરવ મોતીવસર પાસેથી 20,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી. ચેક આપ્યા છતાં આજ સુધી રકમ પરત કરી નથી.
અમરેલી શહેરમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, ધારી ધારાસભ્ય જે.વી. કાકડિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય જનક તળાવિયા અને સાંસદ ભરત સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, દેશભક્તો અને રાષ્ટ્રપ્રેમીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં યોજાઈ રહી છે. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે. તેમણે સૈનિકોના સન્માન માટે યોજાયેલી તિરંગા યાત્રામાં સાધુ-સંતો, મહંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિની સરાહના કરી. યાત્રા દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી ધમાસાણ બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે લીધેલા પગલાંની સફળતાને બિરદાવવામાં આવી. આ યાત્રા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં શરૂ થઈ હતી.
અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી
Cyclone to form in Arabian Sea: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે, જેને લઇને આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચારે તરફ આગળ વધી રહ્યો છે. જેને કારણે લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતા પ્રાથમિક સુવિધાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે નવા નવા વિસ્તારો સુરત શહેરમાં ભળી રહ્યા છે. ત્યારે લોકોના આવાગમન માટે સુવિધા ઉભી કરવી ખૂબ જ જરૂરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા માસ ટ્રાન્સપોર્ટેશનને હજુ વધારે તેનો વ્યાપ વધારવામાં સફળતા મળી રહે છે. રૂટ નંબર 207 માટે નવી સીટી બસસુરત શહેરમાં ચોકથી જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર.30 વૈષ્ણોદેવી હાઈટ સુધી રૂટ શરૂ કરવામાં આવ્યો છે. આ રૂટ શરૂ કરવાને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી વાહનોમાં ચૂકવવાના થતા ભાડામાં રાહત મળશે. નોકરી ધંધા માટે શહેરના અન્ય વિસ્તારમાં જતા લોકો માટે તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે શહેરના અન્ય વિસ્તારમાં જવાનું ગરીબ અને મધ્યમ વર્ગને પોસાતુ નથી ઘણી વખત તો નોકરીનું સ્થાન દૂર હોવાને કારણે ઘણા ખરા રૂપિયા ભાડા પેટે જતા રહે છે. આજે સુરત મહાનગરપાલિકા પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી અને સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સીટી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે લાભ થશેધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, દેશના મહાનગરોમાં બીઆરટીએસ અને સીટી બસની સેવા શરૂ કરવામાં આવી ત્યારબાદ સુરત શહેર સૌથી મોટું નેટવર્ક ગોઠવવામાં સફળ રહ્યું છે. સુરત શહેરની વસ્તીના પ્રમાણમાં સીટી બસના અલગ અલગ ઋતુઓ પર ખૂબ મોટી સંખ્યામાં સીટી બસ દોડાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આની સંખ્યા પણ વધારવામાં આવશે. આજે વણકલા સુડા સંસ્કૃતિ આવાસ સુધી સીટી બસનો રૂટ વધારવામાં આવ્યો છે. અહીં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તા દરે પોતાની મુસાફરી કરી શકે પોતાના નોકરી ધંધાના અને કામકાજના સ્થળ ઉપર સરળતાથી જઈ શકે તેના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે શહેર ના તમામ નવા વિસ્તારો સાથે સીટી બસ રૂટને જોડી દેવામાં આવી રહ્યો છે જેથી કરીને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ લોકો સસ્તા દરે ઉપયોગ કરે.
દાણીલીમડામાં ટાંકી સાફ કરવા દરમિયાન મૃત્યુ પામેલા ત્રણ શ્રમિકોના પ્રકરણમાં આજે પોલીસે ફેક્ટરીના માલિક અને ટાંકી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ લેનારની ધરપકડ કરી છે. શુક્રવારે ટાંકી સાફ કરતી સમયે યુવકોને ગેસ ગળતરના કારણે અસર થઈ હતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સંદર્ભમાં પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં ટાંકીમાં સોલીડ વેસ્ટ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. આગામી તપાસમાં એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે હાલ બે આરોપીની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં જીન્સનું કાપડ ધોવાનું કામ થતું હતું. ત્યાં કંપનીના માલિક નવસાદ શેખ દ્વારા ટાંકી સાફ કરવા માટે જીગ્નેશ પુરબીયાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો આ દરમિયાન શુક્રવારે સવારે ટાંકી સાફ કરી રહેલા ત્રણ યુવકોને ગેસની અસર થતા તેઓના મૃત્યુ થયા હતા આ બાબતે દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને પુરતા સાધનો વગર કામગીરી કરવાના પ્રકરણમાં અને બેકાળજીસંદર્ભે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આજે દાણીલીમડા પોલીસે આ પ્રકરણમાં કંપનીના માલિક નવસાદ શેખ અને જીગ્નેશ પુરબીયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સોલિડ વેસ્ટ ટાંકીમાં હોવાનું સામે આવ્યું છે અને કોઈપણ સુરક્ષાના સાધનો વગર કામ થતાં ત્રણ નિર્દોષના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હજી આ પ્રકરણમાં એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વિગતો પોલીસ પાસેથી જાણવા મળી રહી છે.
ઉમરગામ GIDCમાં કચરામાં આગચંપી:CCTVમાં કેદ થયો આગ લગાડતો શખ્સ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલી ડોમ્સ કંપની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પડેલા વેસ્ટ મટીરિયલના ઢગલામાં અજાણ્યા ઇસમે આગ લગાવી હોવાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે. આગ લાગી તે ઘટનાની નજીકના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે એક અજાણ્યો શખ્સ ખૂણામાં પડેલા સ્ક્રેપમાં આગ લગાવે છે. આગના કારણે કચરો અને સ્ક્રેપનો સામાન સળગવા લાગ્યો અને થોડા જ સમયે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સમયસર કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ લાગવાનું સાચું કારણ હજી અકબંધ છે. પોલીસે મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવા પ્રયાસ કરી રહી છે.
ટંકારાના ડેમી-2 ડેમમાંથી પાણી છોડાયું:37 MCFT પાણી છોડવાનું આયોજન, 6 ગામને એલર્ટ કરાયા
ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમમાંથી આજે સવારે સાડા આઠ વાગ્યાથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલ્યો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ, ડેમી નદીમાં બનાવવામાં આવેલા ચેકડેમો ભરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવાનું આયોજન છે. નદીમાં 3517 ક્યુસેક પાણી છોડવામાં આવશે. સલામતીના ભાગરૂપે, પાણી છોડતા પહેલા આસપાસના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તેમજ મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામનો સમાવેશ થાય છે.
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ
Seven Party Delegation : સરહદ પાર આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા માટે હવે દેશની રાજકીય પાર્ટીઓ એકસાથે ઊભી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે એક મોટું વ્યૂહનૈતિક પગલું ભરતા સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિનિધિમંડળનો હેતુ સ્પષ્ટ છે કે, આતંકવાદને લઈને ભારતની ‘ઝીરો ટૉલરન્સ’ નીતિનો સામાન્ય સંદેશ દુનિયા સુધી પહોંડવો. ખાસ વાત એ છે કે, આ અભિયાનમાં તમામ પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ છે, જેનાથી એ સ્પષ્ટ સંકેત જાય છે કે, આતંકવાદ મુદ્દે ભારત એકજૂટ છે.
ગુણવત્તા યાત્રા છોટા ઉદેપુર પહોંચી:55 દિવસ સુધી 11 જિલ્લાઓમાં ફરશે, MSMEને ISO-ZED સર્ટિફિકેશન મળશે
છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાતની MSME ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ગુણવત્તા યાત્રાનું આગમન થયું છે. આ યાત્રા દરમિયાન વિશેષ વર્કશોપ અને ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉદ્યોગના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોએ ભાગ લીધો. ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત ટેકનિકલ સેશનમાં વિવિધ ક્ષેત્રો માટે ગુણવત્તા વ્યવસ્થાઓની જાણકારી આપવામાં આવી. તેમાં NABL એક્રેડિટેશન, ZED અને લીન સર્ટિફિકેશન જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી. FSSAI અધિકારીઓએ નિયમનકારી અનુપાલન અને શ્રમ સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. ગુજરાત સરકારની MSME માટેની યોજનાઓ અને લાભો વિશે પણ માહિતી આપવામાં આવી. ગુણવત્તા યાત્રા આગામી 55 દિવસ સુધી રાજ્યના 11 જિલ્લાઓમાં ફરશે. સુરત, વડોદરા, વિદ્યાનગર અને ગાંધીનગર જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને આવરી લેશે. આ યાત્રાથી રાજ્યના MSMEને ZED, ISO, લીન સર્ટિફિકેશન અને NABL એક્રેડિટેશન મેળવવામાં મદદ મળશે. આ પહેલ વિકસિત ગુજરાત-વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.
પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભાડાના મકાનમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવકે બ્રેકઅપથી હતાશ થઇ કેનાલમાં કૂદી મોતને વહાલું કર્યું હતું. આપઘાત કરતાં પહેલાં યુવકે વીડિયો બનાવ્યો હતો. જેમાં તો રડતાં રડતાં કહી રહ્યો છે કે, હું ક્યાંયનો ના રહ્યો, આ પ્રિતીએ મારી જીંદગી બગાડી. પ્રિતી માટે મેં બધું કર્યું, એના એક કોલ પર હું હાજર થઇ જતો. પણ, એણે, એના પિતાએ અને એક ભાજપ નેતાએ મને ખોટી રીતે જેલભેગો કર્યો. કાલોલ તાલુકાના અડાદરાનો 24 વર્ષીય યુવક ધ્રુમલ પરમારે હાલોલ સાવલી રોડ પર આવેલી નર્મદા નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. જીએફએલમાં નોકરી કરતા ધ્રુમલનો હાલોલના ભીમનાથ મંદિર વિસ્તારની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવાના હતા, પરંતુ યુવતીએ થોડાં સમય પહેલાં બ્રેકઅપ કરી લીધું હતું. જેને લઇ યુવક નાસીપાસ થઇ ગયો હતો. બે દિવસ પહેલાં યુવતીને મનાવવા ગયેલા ધ્રુમલને યુવતીના પરિવારજનોએ સ્થાનિક ભાજપના પૂર્વ સભ્ય બંસી ભરવાડની મદદથી જેલભેગો કરી દીધો હતો. જો કે આ બાબતે પીઆઇ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે, છોકરીની અરજીને લઇ યુવકને કલમ 151 હેઠળ અટકાયતમાં લીધો હતો. યુવકને આખી રાત જેલમાં રહેવાનું થતાં તે ખૂબ ભાંગી ગયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ધ્રુમલ મામાના ઘરે ગયો હતો. જે બાદ નોકરી જવાનું જણાવી તે ખાખરીઆ કેનાલ પહોંચ્યો હતો. તેણે આપઘાત કરતાં પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે યુવતી અને તેના પરિવાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યા બાદ તેણે નહેરમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. સાવલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસે વીડિયોને આધારે આત્મહત્યા માટે પ્રેરિત કરનારા લોકો અને પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં આગળની તપાસ ચાલુ છે.
શૈક્ષણિક વર્ષ 2025માં અત્યાર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના 48 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થઈ ગયું છે. કેમ્પસમાં સૌથી વધારે પ્લેસમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાંથી થયું હતું. જેના વિદ્યાર્થીઓને 6 લાખનું સરેરાશ વાર્ષિક પેકેજ પ્રાપ્ત થયું હતું અને વાર્ષિક 9 લાખની સર્વોચ્ચ ઑફર મળી છે. આ સીઝનમાં પ્લેસમેન્ટ માટે સ્વર્ણિમ યુનિવર્સિટીની મુલાકાત લેનારા મુખ્ય રીક્રૂટરોમાં હિટાચી, ટીસીએસ, ભારતી એરટેલ, કોડિટાસ, સેઇન્ટ-ગોબેન કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, એનટીટી ડેટા, હેક્ઝાકૉડર ટેકનોલોજિસ, ઇન્ટેલિપાટ અને ડેલટેક્સનો સમાવેશ થાય છે. કૉર્પોરેટ પ્લેસમેન્ટ ઉપરાંત, સ્વર્ણિમે તેના વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગસાહસિકતા કેળવવાની સક્ષમ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું પણ ચાલું રાખ્યું છે. આ વર્ષે અંતિમ વર્ષના ચાર વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટેના ઇન્ટરવ્યૂમાં આવવાને બદલે તેમના પોતાના સ્ટાર્ટઅપ લૉન્ચ કરવાનું પસંદ કર્યું છે, આ ઉદ્યમો આ મુજબ છે, વેટકૉલ (વેસ્ટ મેનેજમેન્ટ), અશ્વિનિયા (એગ્રીટૅક મારફતે કેસરની ખેતી) અને પ્યુરિબેગ્સ (ક્લીન-ટૅક વૉટર પ્યુરિફિકેશન). આ ઉદ્યમો સસ્ટેનેબિલિટી, કૃષિ અને જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રોની પ્રમુખ સમસ્યાઓને ઉકેલી રહ્યાં છે. હજુ સુધી આમાંથી કોઈએ પણ એક્સટર્નલ વેન્ચર કેપિટલ લીધું નથી. વર્તમાન શૈક્ષણિક સાઇકલમાં 32 સ્ટાર્ટઅપ્સ ઉમેરાયાકેમ્પસમાં લગભગ 78 જેટલા સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ થઈ શક્યાં છે. તેમાંથી 32 સ્ટાર્ટઅપ્સ તો વર્તમાન શૈક્ષણિક સાઇકલમાં જ ઉમેરાયા છે. અહીં સ્ટાર્ટઅપ્સને સંપૂર્ણ સપોર્ટ મળે છે, જેમાં ઉદ્યોગજગતના અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન મેળવવાથી માંડીને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મેળવવામાં સહાય મેળવવી, માર્કેટનું ઍક્સેસ અને નેટવર્કિંગની તકો વગેરેનો સમાવેશ થાય છે. માર્ગદર્શન આપનારા નોંધપાત્ર પાર્ટનરોમાં ઇસરો, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, એફઆઇસીસીઆઈ એફએલઓ અને ફાઉન્ડેશન ઑફ આંત્રપ્રેન્યોર્સનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને તેમના ઉદ્યમોને લૉન્ચ કરવા અને વિસ્તારવા માટે મજબૂત પાયો તૈયાર કરી આપે છે. પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપ્સ બન્ને સફળતાની સમાંતર સિદ્ધિઃ ડૉ. રાગિન શાહસ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. રાગિન શાહએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ ખાતે અમે પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપ્સને એકબીજા પ્રતિસ્પર્ધી પરિણામો તરીકે નથી જોતાં, તે તો સફળતાની સમાંતર સિદ્ધિ છે. અમારા વિદ્યાર્થીઓ ટોચની કંપનીઓમાં જોડાતા હોય કે તેમનું પોતાનું ઉદ્યમ ઊભું કરતાં હોય, અમારી ભૂમિકા તેઓ જે પણ માર્ગ પસંદ કરે તેમાં તેમને યોગ્ય માનસિકતા અને કૌશલ્યો પૂરાં પાડવાનો છે. અમારી ફિલસૂફી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રાના પ્રારંભિક તબક્કાથી જ ઉદ્યોગસાહસિક વિચારસરણીથી અને નવીનીકરણની તકોથી પરિચિત કરાવવાની છે. સાર્થક સહયોગો સાધીને અને ઉદ્યોગોની સાથે જોડાણ કરીને અમે તેમને વર્ગખંડમાંથી જ વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ કરવામાં મદદરૂપ થઇએ છીએ.
સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન અભિયાન અંતર્ગત ચિત્રોડા અને આંતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગે 310 કેમ્પનું લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઈડરના ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હિંમતનગર રેડક્રોસ સોસાયટી અને ગ્રામજનોના સહયોગથી 11 યુનિટ રક્તદાન એકત્ર થયું. આ રક્ત સગર્ભા માતાઓ, સિકલસેલ, થેલેસેમિયા અને કેન્સર ધરાવતા બાળકો માટે ઉપયોગમાં લેવાશે. વિજયનગરના આંતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં CDHO ડૉ. રાજ સુતરીયા અને THO ડૉ. પ્રવીણ અસારીની હાજરીમાં 32 યુનિટ રક્તદાન એકત્ર થયું. ઈડરની ત્રિમૂર્તિ વોલન્ટરી બ્લડ સેન્ટરે સહયોગ આપ્યો હતો. આદિવાસી વિસ્તારમાં સ્ટાફે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી. જિલ્લામાં કુલ 10 કેમ્પમાં 210 યુનિટ રક્તદાન એકત્ર થયું છે. આગામી સમયમાં સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી વધુ કેમ્પનું આયોજન કરાશે. રક્તદાન કરવા ઇચ્છતા લોકો કેમ્પ સ્થળે અથવા જિલ્લાની બ્લડ બેંકમાં રક્તદાન કરી શકે છે. હિંમતનગરના અદાપુર PHCમાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગપ્પી માછલી, મચ્છર નિયંત્રણ અને મચ્છરદાનીના ઉપયોગ અંગે નિદર્શન યોજાયું. સગર્ભા અને ધાત્રી માતાઓને મચ્છરદાનીના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
થાનગઢ પોલીસ સ્ટેશનની ચકાસણી:નાયબ કલેકટરે રજિસ્ટર્સ, મુદ્દામાલ અને લોકઅપની તપાસણી કરી
ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ થાનગઢ પોલીસ સ્ટેશનની આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. તેમણે સૌ પ્રથમ ફરજ પરના કર્મચારીઓની હાજરીની ખાતરી કરી હતી. નાયબ કલેકટરે પોલીસ સ્ટેશનમાં નિભાવવામાં આવતા વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી હતી. આ રજિસ્ટરોમાં મુદામાલ, અકસ્માત કેસો, હથિયાર પરવાના, હિસ્ટ્રી, SAR, ખાટીયાત, હિસાબી, FIR, સ્ટેશન ડાયરી અને કોર્ટ સમરી રજિસ્ટરનો સમાવેશ થાય છે. તેમણે પ્રકરણ 9 મુજબના સુલેહ શાંતિ અને સારા વર્તન અંગેના અટકાયતી પગલાંની પણ સમીક્ષા કરી હતી. તપાસણી દરમિયાન મુદ્દામાલ રજિસ્ટરમાં નોંધાયેલા હથિયારો, જનરલ મુદ્દામાલ અને વાહનોની રેન્ડમ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, રેકોર્ડ રૂમ, સીસીટીવી કેમેરા અને લોકઅપની પણ તપાસણી કરવામાં આવી હતી. વધુમાં, નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગુના નિવારણ અને તપાસની કામગીરીનું મૂલ્યાંકન કરતા જાણવા મળ્યું કે 90 દિવસથી વધુ સમયથી એક પણ તપાસ (ચાર્જશીટ) પેન્ડિંગ નથી.
શ્રી મહાવીર સ્વામી જન્મ જયંતી નિમિત્તે પાટણમાં 'એક શામ વીર કે નામ' શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી યોજાયો. કાર્યક્રમ શુક્રવારે સાંજે 8 વાગ્યે શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ વકીલ સાહેબના એ.સી. હોલમાં યોજાયો. સિદ્ધરાજ કો.ઓ. સહકારી બેંક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વર્સટાઈલ સિંગર પ્રદીપ સી. નાયક (પ્રિત), કમલેશ સ્વામી, સાગર રાજપૂત, આશના પાલકર અને મીના રાવલ જેવા કલાકારોએ ભક્તિગીતો રજૂ કર્યા. આસુતોષ પાઠકે ઉદ્ઘોષક તરીકે સેવા આપી અને વિષ્ણુ પ્રજાપતિના વાદ્યવૃંદ ગ્રુપે સંગીત પૂરું પાડ્યું. શ્રી વરદાયિની મ્યુઝીક એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપ સી. નાયકના આયોજનને પાટણની સંગીત પ્રેમી જનતાએ વધાવી લીધું. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન અને જૈન સ્તવનોનો આનંદ માણ્યો.
થાનગઢમાં ગેરકાયદે ખનન ઝડપાયું:કુવામાંથી 11 મજૂરોને બચાવાયા, 8 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પકડાઈ છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. રઘા જીવણભાઈ કોળી પટેલની માલિકીની જમીન સર્વે નંબર 132માં તપાસ દરમિયાન ત્રણ કુવા મળી આવ્યા હતા. એક કુવામાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન થતું હતું. અધિકારીઓને જોઈને ખનન કરનારા નાસી છૂટ્યા હતા. કુવામાંથી 11 મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ મજૂરોમાં થાનગઢ, મુળી તાલુકા અને મધ્યપ્રદેશના રાજગઢ તેમજ છોટાઉદેપુરના લુણીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. સ્થળ પરથી એક ચરખી, ત્રણ બકેટ, એક કમ્પ્રેસર અને 15 ટન કાર્બોસેલ મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદે ખનનનો કોન્ટ્રાક્ટ ખાખરાથળીના અનુબેન મનસુખભાઈ કોળી પટેલનો હતો. જમીન માલિક રઘાભાઈ કોળી પટેલ વિરુદ્ધ ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જમીન સરકાર હસ્તક કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
પાટડી ખાતે ભારતીય જનતા પાર્ટી દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત સામાજિક સમરસતા એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ત્રણ રોમાંચક મેચ રમાઈ. જિલ્લા ભરમાંથી કુલ 64 ટીમોએ ભાગ લીધેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 20 તારીખે રમાશે. પ્રથમ મેચમાં મિશ્વા ઇલેવને આરપી ઇલેવન સામે 5 વિકેટે વિજય મેળવ્યો. આરપી ઇલેવને 10 ઓવરમાં 8 વિકેટે 96 રન બનાવ્યા. મિશ્વા ઇલેવને 8.1 ઓવરમાં 5 વિકેટે 97 રન બનાવી મેચ જીતી લીધી. મોહસીન સૈયદે 3 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો. બીજી મેચમાં આરડી ઇલેવને વંદેમાતરમ ઇલેવન સામે 37 રનથી વિજય મેળવ્યો. આરડી ઇલેવને 10 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા. વંદેમાતરમ ઇલેવન 10 ઓવરમાં 5 વિકેટે 122 રન જ બનાવી શક્યું. પરાગ રાઠોડે 17 બોલમાં 5 ચોક્કા અને 5 છગ્ગા સાથે 52 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યા હતા. ત્રીજી મેચમાં લીંબડ ઇલેવને આદરીયાણા ઇલેવન સામે 25 રનથી વિજય મેળવ્યો. લીંબડ ઇલેવને 10 ઓવરમાં 5 વિકેટે 132 રન બનાવ્યા. આદરીયાણા ઇલેવન 10 ઓવરમાં 7 વિકેટે 107 રન જ બનાવી શક્યું. રાકેશે 30 બોલમાં 5 ચોક્કા અને 5 છગ્ગા સાથે 61 રન બનાવી મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ ત્રણેય વિજેતા ટીમો હવે ક્વાર્ટર ફાઇનલમાં રમશે.
મહેસાણા મહાનગરપાલિકાના બગીચાઓમાં લાઈટ બિલ કૌભાંડના પુરાવા કોંગ્રેસ નેતા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. પાલિકાએ શહેરના વિવિધ બગીચાઓની નિભાવણી માટે અલગ-અલગ એજન્સીઓ સાથે કરાર કર્યા હતા. શહેરના બિલાડી બાગ અને અરવિંદ બાગ સહિત 8થી વધુ બગીચાઓની જવાબદારી એક્સપર્ટ મેનેજમેન્ટ સર્વિસ, ઓમ સાઈરામ એન્ટરપ્રાઇઝ અને ક્રિષ્ના ડેવલોપર્સને સોંપવામાં આવી હતી. કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બગીચાના લાઈટ બિલની જવાબદારી એજન્સીઓની રહેશે. કોંગ્રેસ નેતા કમલેશ સુતરિયાના આક્ષેપ મુજબ, કરારની જોગવાઈ છતાં તમામ બગીચાઓના લાઈટ બિલ પાલિકા દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે. વધુમાં, પાલિકાએ એજન્સીઓ માટે અલગ વીજ મીટર પણ સ્થાપિત કર્યા નથી. બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે કોંગ્રેસ નેતાના આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. આ મામલે વધુ તપાસની માંગ ઉઠી છે.
વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં 13 વર્ષની સગીરા સાથે છેડતીનો કેસ સામે આવ્યો છે. નવરાત્રી દરમિયાન અશોક બિશ્નોઇ નામના યુવકે સગીરાને એકાંતમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા. આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાએ થોડા સમય બાદ તેની માતાને આ ઘટના વિશે જાણ કરી હતી. સમાજમાં બદનામીના ડરથી બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ હવે 7 મહિના બાદ પીડિત પરિવારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અશોક બિશ્નોઇની ધરપકડ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ હાલ કેસની વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ બાળ સુરક્ષાના મુદ્દે સમાજમાં ચિંતા ઉભી કરી છે.
સુરત શહેરમાં કરોડોની કિંમતની જમીનને લઇને થયેલા ચર્ચિત સાયલન્ટ ઝોન જમીનકૌભાંડ કેસમાં CID ક્રાઇમ બ્રાંચે મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. આ ગુનામાં નાસતોફરતો સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની આખરે મહારાષ્ટ્રના પુણે શહેરથી ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસાઓની શક્યતા CID અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયાં હતાંઆ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરાયાં હતાં. જમીન નીતિ મુજબ જ્યાં કોઈપણ પ્રકારનો વિકાસ શક્ય નહોતો એવા સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું. સમગ્ર કૌભાંડમાં અનંત પટેલની મહત્ત્વની ભૂમિકાઆ સમગ્ર કૌભાંડમાં અનંત પટેલનું નામ ખૂબ જ અગત્યનું છે. તેમણે તેમના અધિકારીઓના પદનો દુરુપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં સહાય કરવાનું તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. પોલીસ ફરિયાદ અને તપાસની પ્રક્રિયાજમીનકૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝિશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મળ્યા બાદ સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. CID ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી અનંત પટેલને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે. આ પણ વાંચો: 2500 કરોડનું ડુમસ જમીનકૌભાંડ, પાર્ટનરશિપ ડીડમાં ખુલાસો: સમૃદ્ધિ કોર્પો.માં બિલ્ડરો નરેશ શાહ 40% ને મનહર કાકડિયા 20%ના ભાગીદાર; પરિવારની પૂછપરછ, સરકારી કર્મચારીઓ પર શંકા
રાજકોટ મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારીના કારણે શહેરની સ્વચ્છતા વ્યવસ્થાની કથળેલી હાલત ફરી એકવાર સામે આવી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં વીતરાગ સોસાયટીમાં વસવાટ કરતા જૈન મહાસતીજી કિરણબાઈ માતાજીને વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને કચરાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે મહાસતીજીને સ્વચ્છતા માટે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ માત્ર સ્થાનિક રહીશોમાં જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં તંત્રની નિષ્ક્રિયતા સામે તીવ્ર રોષ જન્માવ્યો છે. જોકે તેમના ઉપવાસ અંગે જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા દોડી ગયા હતા. અને તાત્કાલિક સફાઈ કરાવી મહાસતીજીને પારણા કરાવ્યા હતા. અને અધિકારીઓ નિષ્ક્રિય હોવાનો આરોપ લગાવ્યો હતો. ગંદકીના કારણે મહાસતીજી અને અન્ય રહીશોનું સ્વાસ્થ્ય જોખમાયું હતુંપ્રાપ્ત વિગત મુજબ મહાસતીજી કિરણબાઈ માતાજી છેલ્લા ઘણા સમયથી વીતરાગ સોસાયટીમાં રહીને પોતાની આધ્યાત્મિક સાધના કરી રહ્યા છે. જો કે, તેમના આસપાસના વિસ્તારમાં ફેલાયેલી ગંદકીએ તેમના શાંતિપૂર્ણ જીવનમાં ખલેલ પહોંચાડી હતી. સોસાયટીમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીના કારણે મચ્છરો અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો હતો, જેના કારણે મહાસતીજી અને અન્ય રહીશોનું સ્વાસ્થ્ય જોખમાયું હતું. ખાસ કરીને અરિહંત એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી ગટર ઘણા સમયથી ઉભરાતી હતી અને તેનું ગંદુ પાણી આસપાસના વિસ્તારમાં ફેલાતું રહેતું હતું. દુઃખની વાત એ છે કે મહાસતીજીના આરાધના ભવનના દરવાજા પાસે જ આ ગટરનું ઢાંકણું આવેલું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી. મહાસતીજીએ મનપા તંત્રને વારંવાર જાણ કરી હતી બાદમાં ઉપવાસ પર ઉતર્યા હતાઆ ગંભીર સમસ્યા અંગે મહાસતીજીએ મનપા તંત્રને વારંવાર જાણ કરી હતી. અને બાદમાં તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા. સ્થાનિક કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયાએ જણાવ્યું હતું કે મહાસતીજી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા તે પહેલાં પણ ચાર વખત ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ સક્રિયતા દાખવવામાં આવી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે જે તે વિભાગના અધિકારી રજા પર હોવાના કારણે ઓનલાઈન ફરિયાદો પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. અધિકારીઓની આ બેદરકારીએ પરિસ્થિતિને વધુ વણસાવી દીધી અને આખરે મહાસતીજીને ઉપવાસનું કઠોર પગલું ભરવાની ફરજ પડી હતી. મહાસતીજીના ઉપવાસના કારણે તંત્ર હરકતમાં આવ્યુંમહાસતીજી કિરણબાઈ માતાજીના ઉપવાસ પર ઉતરવાની જાણ થતાં જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક ધોરણે રાજકોટ શહેરના સ્થાનિક કોર્પોરેટર વીતરાગ સોસાયટીએ દોડી આવ્યા હતા. તેમણે મહાસતીજી સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી અને તાત્કાલિક ધોરણે સફાઈ કરાવવાની ખાતરી આપી હતી. મહાસતીજીના ઉપવાસના કારણે તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગટરની સફાઈ કરવામાં આવી અને આસપાસના વિસ્તારમાંથી કચરો દૂર કરવામાં આવ્યો હતો. જીતુભાઈ કાટોડિયાએ કહ્યું કે અધિકારીઓની બેદરકારીના કારણે જ આ સમસ્યા સર્જાઈઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓની બેદરકારીના કારણે જ આ સમસ્યા સર્જાઈ હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો અધિકારીઓ પોતાની કાર્યશૈલી નહીં સુધારે તો તેમને કામ લેતા પણ આવડે છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક પ્રતિનિધિઓ પણ તંત્રની નિષ્ક્રિયતાથી કેટલા નારાજ છે.આ સમગ્ર ઘટના રાજકોટ મહાનગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ શહેરના એક શાંત અને ધાર્મિક વિસ્તારમાં આવી ગંદકી જોવા મળે તે ખરેખર દુઃખદ છે. ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થઉલ્લેખનીય છે કે, ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા હોવા છતાં જો લોકોની સમસ્યાઓનું નિરાકરણ ન આવે તો આવી વ્યવસ્થાનો કોઈ અર્થ રહેતો નથી. અધિકારીની ગેરહાજરીના કારણે જો સામાન્ય નાગરિકો અને ધાર્મિક વ્યક્તિઓને હાલાકી ભોગવવી પડે તો તે વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. આ ઘટનાએ મનપા તંત્રનાં અન્ય વિસ્તારોની સ્વચ્છતા વ્યવસ્થાની પણ પોલ ખોલી નાખી છે. શહેરમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં નિયમિત સફાઈ થતી નથી અને કચરાના ઢગલા જોવા મળે છે. ગટરની સમસ્યા પણ અનેક વિસ્તારોમાં સામાન્ય બની ગઈ છે, જેના કારણે લોકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે. મહાનગરપાલિકાએ આ ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર શહેરની સ્વચ્છતા વ્યવસ્થાનું પુનરાવલોકન કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે સુધારા કરવા જોઈએ.
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તોની દુકાનો અને ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આદિવાસી વિરોધી હોવાનો આરોપ મૂક્યો છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે, કેવડિયામાં નાની દુકાનો દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવ્યું છે. તેમણે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો કે, ગરીબો પર કાર્યવાહી કરનાર સરકાર, મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના મંત્રી બચુ ખાબડ અને તેમના પુત્ર સામે કેમ પગલાં નથી લેતી. ચૈતર વસાવાએ યાદ અપાવ્યું કે, આ એ જ આદિવાસીઓ છે જેમણે નર્મદા પરિયોજના માટે પોતાની જમીનો ગુમાવી છે. વડાપ્રધાને સ્ટેચ્યૂના લોકાર્પણ વખતે સ્થાનિકોને રોજગારીનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નેશનલ હાઈવે, રેલવે, લિગ્નાઈટ પ્રોજેક્ટ, JETCO, GIDC જેવા અનેક પ્રોજેક્ટ્સ માટે આદિવાસીઓની જમીનો લેવાઈ છે. ધારાસભ્યે ચેતવણી આપી કે, સરકારની આદિવાસી વિરોધી નીતિઓ સામે સડકથી સદન સુધી લડત આપવામાં આવશે. તેમણે કાનૂની લડત લડવાની પણ તૈયારી બતાવી છે. વસાવાએ જણાવ્યું કે, આદિવાસીઓના ભોગે થતા વિકાસ અને તેમની સંસ્કૃતિના વિનાશને સહન કરવામાં નહીં આવે.
અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે (15 મે, 2025) રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા અને 20 જેટલા કારખાના બનાવવામાં આવ્યા હતાં, તે તોડી પાડવામાં આવ્યા છે. 350થી વધુ પોલીસકર્મીઓના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2008માં અહીં જ ડિમોલિશન કરાયું હતું, જે બાદ ફરી દબાણો થઈ ગયા હતાં. રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલા વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત બાંધકામ કરીને નમાજ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદેસર હોવાથી સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ જોવા ટોળે વળ્યા હતા. 1960માં મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદેસર શેડ ઊભા કર્યા હતા. આગાઉ 2008માં આ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદેસર કારખાના અને દુકાન ઊભી કરી દેવાઈ હતી, જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા તે તોડી પાડવામાં આવી છે. જે પ્રમાણે ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામ કરેલા મકાનોમાં વીજ કનેક્શન હતુ, તેજ પ્રમાણે રખિયાલમાં પણ ગેરકાયદેસર ઊભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઉભા કરેલા ગેરકાયદેસર બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યું, તેને લઈને સવાલ ઊભા થયા છે. આ મામલે એસીપી આર. ડી ઓઝાએ જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી ચાલુ છે. આ હાઉસિંગ બોર્ડની જગ્યા છે. હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. એસીપી, પીઆઇ, પીએસઆઈ સહિત 385 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં છે.
ભરૂચ પોલીસની ત્વરિત કામગીરી:ઘરેથી નીકળી ગયેલા સગીર બાળકને નવસારીથી શોધી કાઢી માતા-પિતાને સોંપ્યો
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર બાળક પોતાના માતા-પિતાને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું હતું. પોલીસ ઇન્સ્પેકટર એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ તરત જ શોધખોળ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસે સગીર બાળકના મિત્રો પાસેથી માહિતી મેળવી. તેમાં જાણવા મળ્યું કે તારીખ 13/05/2025ના રોજ બાળક અને તેના મિત્રો વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બાળકની શોધખોળ આગળ વધારી. ચોક્કસ માહિતીના આધારે બાળકનું સ્થાન નવસારી ખાતે હોવાનું જાણવા મળ્યું. પોલીસે બાળકના પિતાની મદદથી તેને નવસારીથી ભરૂચ લાવવામાં સફળતા મેળવી. અંતે યોગ્ય કાઉન્સેલિંગ બાદ સગીર બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
રાજ્યમાં માવઠાની અસર ઓછી થતા હવે ફરી ગરમીની અસર દેખાવા લાગી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી નજીક નોંધાઈ રહ્યું છે. જો કે, મેં મહિનો હોવાના કારણએ હજી પણ મોટાભાગના શહેરોમાં સરેરાશ કરતા ઓછું જ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાને બે થી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે. 17 તારીખ સુધી રાજ્યમાં છુટાછવાયા સ્થળે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે 18 જિલ્લાામં છુટાછવાયા સ્થળે વરસાદની આગાહીઆજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળો પર વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદંડ મહિસાગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે ગરમી પણ અનુભવાશેરાજ્યમાં આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં 40 ડિગ્રી આસપાસ ગરમી નોંધાય તેવી શક્યતા છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી 14 મેએ વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન
તાજેતરમાં થયેલ પહેલગામ આતંકી હુમલા અને ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પરિસ્થિતિ બાદ રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરમાનું બહાર પાડ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વડોદરા શહેરમાં 17 મે સુધી નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ રીમોટ સંચાલિત ડ્રોન, UAV, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પિંગ જેવા તમામ પ્રકારના હવાઈ ઉપકરણોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના ગૃહ વિભાગના 07/01/1989ના જાહેરનામા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અને ડ્રોન રૂલ્સ, 2021ની સેક્શન-24 હેઠળ લેવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે વડોદરા શહેરના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે. પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રિમોટ સેન્સિંગ, ખાણકામ, કાયદો-વ્યવસ્થા, આંતરિક સુરક્ષા અને સંરક્ષણ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
હિંમતનગર રેલવે સ્ટેશન પર તિરંગાની રોશની:જવાનોના સન્માનમાં આવતીકાલે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના રેલવે સ્ટેશનના નવા બિલ્ડિંગને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં જવાનોના સન્માનમાં આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓની જાતિ પૂછીને 26 લોકોની હત્યા કરી હતી. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતીય જવાનોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પાકિસ્તાન તરફથી થયેલા હુમલાઓનો ભારતીય જવાનોએ મજબૂત જવાબ આપ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે સીઝફાયર થયું હતું. ઓપરેશન સિંદૂરને લઈને સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હિંમતનગરમાં 16 મે શુક્રવારે સાંજે 4:30 કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતેથી તિરંગા યાત્રા નીકળશે. આ યાત્રામાં જોડાવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.
ભાવનગરમાં જાહેર જગ્યા પર જુગાર:પ્રભુદાસ તળાવ પાસે 9 શખ્સો રૂ.1.05 લાખની રોકડ સાથે ઝડપાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દરોડો પાડીને જુગાર રમતા 9 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે સંઘર્ષિયા હનુમાન મંદિરની પાછળ જાહેર જગ્યામાં ગંજીપત્તા સાથે જુગાર રમતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સતીષ મકવાણા (31), જનક ગોહેલ (25), કાસમ શેખ (52), જાહિદ સીદાતર (35), હરેશ મકવાણા (29), અશ્વિન મકવાણા (36), ચિરાગ મજેઠીયા (24), કાના વાઘેલા (28) અને અતુલ પરમાર (42)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાંથી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.1,05,400 અને ગંજીપત્તાના પાના કબજે કર્યા છે. આ મામલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં રોજગાર ભરતી મેળો:17 મે એ સેક્ટર 15માં યોજાશે, 18-35 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે
ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 17 મે, 2025ના રોજ સવારે 10 કલાકે રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સેક્ટર 15માં આવેલ આઈ.ટી.આઈ. હોસ્પિટલ બિલ્ડીંગ, નોડલ આઈ.ટી.આઈ., LDRP કોલેજ કેમ્પસની બાજુમાં યોજાશે. ભરતીમેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે. 18થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. લાયકાતમાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ અને કોઈપણ સ્નાતક કક્ષાના ઉત્તીર્ણ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઇચ્છુક ઉમેદવારોએ www.anubandham.gujarat.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ભરતીમેળાનો અનુબંધમ જોબફેર આઈ.ડી. JF328918244 છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. માત્ર ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો જ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. રોજગાર કચેરીમાં નવી નોંધણી કરાવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો, LC, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
નર્મદા કચ્છ શાખા નહેરમાં આગામી 16 મે શુક્રવારથી પાણી છોડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની જાહેરાત અગાઉથી કરી હતી. નર્મદા વિભાગના અધિકારી એન.વી. કોટવાલે આ સમયપત્રકની પુષ્ટિ કરી છે. છેલ્લા 45 દિવસથી સફાઈ અને મરામતના કામ માટે નહેર બંધ હતી. આ કારણે રાધનપુર, સાંતલપુર અને કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકોને પીવાના પાણી માટે ભટકવું પડતું હતું. નહેરમાં પાણી છૂટતા સરહદી વિસ્તારના રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો મળશે. ખેડૂતોને પણ કપાસ સહિતના પાકોનું સમયસર વાવેતર કરવાની તક મળશે. આ નિર્ણયથી વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો અંત આવશે. ખેડૂતો મે માસમાં જ કપાસ સહિતના પાકોનું વાવેતર કરી શકશે. આમ, પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને મોટી રાહત મળશે.
ગાંધીનગરમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. આજે સવારે શહેરનું તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. બપોર સુધીમાં તે 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. ગઈકાલે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 68 ટકા અને સાંજે 49 ટકા રહ્યું હતું. આજે ભેજનું પ્રમાણ 53-66 ટકા રહેવાની આગાહી છે. ગત સપ્તાહે વરસાદી માહોલ દરમિયાન તાપમાન 33 ડિગ્રીથી નીચે આવ્યું હતું. પરંતુ હવે ફરી ગરમીએ માઝા મૂકી છે. ઉચ્ચ તાપમાન અને ભેજના કારણે નગરજનો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળે છે. વડીલો, બાળકો અને બહાર કામ કરતા લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તબીબોએ બપોરે બહાર નીકળવાનું ટાળવા અને વધુ પાણી પીવાની સલાહ આપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરી છે. નગરજનોએ આકરી ગરમી અને ઉકળાટનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાપમાનનો પારો 1.7 ડિગ્રી વધીને 37.4 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. આજે સવારથી જ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન 37થી 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બપોરના સમયે ચામડી દઝાડે તેવી ગરમી અનુભવાઈ રહી છે. 20 કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે. રાત્રે પણ ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આજે ભેજનું પ્રમાણ 74 ટકા અને પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિકલાક રહી છે. છેલ્લા પાંચ દિવસનો તાપમાન રેકોર્ડ જોઈએ તો, 10 મેના રોજ 33.7 ડિગ્રી, 11 મેના રોજ 35 ડિગ્રી, 12 મેના રોજ 35.2 ડિગ્રી, 13 મેના રોજ 35.7 ડિગ્રી અને 14 મેના રોજ 37.4 ડિગ્રી નોંધાયું છે. લૂથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વારંવાર પાણી પીવું જરૂરી છે. લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ORS પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
પાટણ પ્રાંત અધિકારીએ આગામી ચોમાસાની તૈયારીઓ અંતર્ગત પ્રિમોન્સુન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજી હતી. તેમણે તમામ વિભાગોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. પૂરવઠા વિભાગને સરકારી અનાજના ગોડાઉનોમાં વરસાદી પાણીથી અનાજને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. તમામ કચેરીઓને ટેલિફોન અને વાહનો કાર્યરત રાખવા સૂચના અપાઈ હતી. અધિકારીઓએ તેમના મોબાઈલ ફોન ચાલુ રાખવા અને વોટ્સએપ મેસેજનો તાત્કાલિક જવાબ આપવાનો રહેશે. મામલતદાર કચેરી, નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીને બચાવ સાધનોની યાદી તૈયાર કરવા જણાવાયું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ હિટાચી, JCB, ડમ્પર અને ટ્રેક્ટર માલિકોની સંપર્ક માહિતી એકત્રિત કરવાની સૂચના અપાઈ છે. પોલીસ વિભાગને હોમગાર્ડ અને બચાવ ટીમો તૈયાર રાખવા, GRD તરવૈયાઓની યાદી બનાવવા કહેવાયું છે. પાણી પુરવઠા વિભાગને પાઈપલાઈનનું રિપેરિંગ કરવા અને કટોકટી સમયે પાણી પુરવઠો નિયમિત જાળવવા સૂચના અપાઈ છે. વન વિભાગને કુદરતી આપત્તિ દરમિયાન પડી ગયેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ વિભાગોએ તેમની પાસેના બચાવ સાધનોની વિગતો સત્વરે મોકલવાની રહેશે.
કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં આજથી પાણી વહેતું થયું છે. છેલ્લા દોઢ મહિનાથી રિપેરિંગ માટે બંધ રહેલી કેનાલનું કામ પૂર્ણ થયું છે. બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કેનાલનું રિપેરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત મુજબ, સલીમગઢથી સવારના 10-11 વાગ્યે નર્મદાનાં નીર વહેતાં થયાં છે. કેનાલમાં પાણી છોડાયા બાદ ત્રણ-ચાર દિવસમાં પાણી પહોંચશે અને એક સપ્તાહમાં સંપૂર્ણ પ્રવાહ શરૂ થશે. રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા માત્ર નર્મદા કેનાલ પર આધારિત છે. મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર રવાજી જાડેજા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેની સૂઝબૂઝથી આ વખતે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની નથી. હાલમાં રાપર શહેરમાં દર બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણી અને ખેડૂતો માટે આવશ્યક નર્મદાનાં નીર કેનાલમાં વહેતાં થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ માહિતી નર્મદા નિગમના નિવૃત્ત કર્મચારી છગનભાઈ પરાવડાએ આપી હતી.
અમદાવાદના બોડકદેવ વિસ્તારના વિઝા એજન્ટે ચાર પરિવારો સાથે મોટી છેતરપિંડી આચરી છે. આરોપી જૈમિન શાહ, તેમની પત્ની અનુજાબેન અને ભાગીદાર શીખા ગોસ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. સરસ્વતિ તાલુકાના સરિયદ ગામના અરવિંદભાઈ પ્રજાપતિએ પાટણની એલસીબી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ સરિયદના જીગર અને જાનકીબેન પાસેથી 37 લાખ, વિપુલભાઈ અને દર્શનાબેન પાસેથી 37 લાખ, સચિનભાઈ જોશી પાસેથી 7 લાખ તથા પાટણ તાલુકાના રણુંજ ગામના રજનીકાંત નાઈ પાસેથી 23 લાખ રૂપિયા પડાવ્યા છે. આરોપીઓએ લંડનના વર્ક પરમિટ અને વિઝા અપાવવાના નામે કુલ 1.04 કરોડ રૂપિયા લીધા હતા. પૈસા લીધા બાદ તેમણે કોઈનું કામ કર્યું નથી. ફરિયાદીએ પૈસા પરત માંગતા આરોપીઓએ આપેલા તમામ ચેક રિટર્ન થયા હતા. ફરિયાદી અરવિંદભાઈએ પોલીસને કંપનીની પહોંચ અને બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સુપ્રત કર્યા છે. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાપી નગરપાલિકાએ ચોમાસા પહેલાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને નિવારવા માટે વ્યાપક પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી છે. શહેરના 248 સ્થળોએ વરસાદી પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાએ શહેરને ત્રણ ઝોનમાં વિભાજિત કર્યું છે - ઇસ્ટ, વેસ્ટ અને રૂરલ ઝોન. રૂરલ ઝોનમાં નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 11 ગામોનો સમાવેશ થાય છે. દરેક ઝોનમાં 10 દિવસ સુધી કામગીરી ચાલશે. પ્રથમ તબક્કામાં કુદરતી નાળાઓ, વરસાદી પાણીની નિકાલ લાઇન અને ડ્રેનેજની સફાઈ કરવામાં આવી રહી છે. બીજા તબક્કામાં બાંધકામ વિસ્તારોમાંથી કાટમાળ દૂર કરવા અને નિકાલ વ્યવસ્થાની મરામત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે નગરપાલિકા 50 લાખથી 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. દરેક ટ્રેક્ટર પર 6 શ્રમિકોની ટીમ કામગીરી કરી રહી છે. મનપાના ડે. કમિશનર અશ્વિન પાઠક આ કામગીરીનું વિશેષ મોનિટરિંગ કરી રહ્યા છે. વાપી મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, કમિશનર અને કલેક્ટર કચેરીના અધિકારીઓ રોજેરોજ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ વ્યવસ્થિત આયોજનથી શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે. ચાલુ વર્ષે વાપીના રહીશો અને વાહન ચાલકોને ચોમાસા દરમ્યાન પડતી હાલાકી નિવારવા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. બંને રેલવે અંડર પાસમાં વરસાદી પાણી નિકાલ માટે મોટર મુકવામાં આવશે. જેને લઈને વરસાદી પાણી બહાર કાઢવામાં સૌથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.
દમણમાં ગટરનું ઢાંકણ તૂટ્યું:2 મહિનાની ગર્ભવતી મહિલા ગટરમાં પડી, હોસ્પિટલમાં સારવાર ચાલુ
સંઘ પ્રદેશ દમણમાં મંગળવારે સાંજે એક દુર્ઘટના સામે આવી છે. અંબિકા સુપર માર્કેટ સામે ફૂટપાથ પરનું ગટરનું ઢાંકણ તૂટી જતાં 24 વર્ષીય ગર્ભવતી મહિલા તેમાં પડી ગઈ હતી. કડૈયા વિસ્તારમાં રહેતી પૂજા વિનોદ મલિક નામની મહિલા વાપીથી સોનોગ્રાફી કરાવીને પરત ફરી રહી હતી. સાંજે પાંચ વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. મહિલાના પગમાં ઈજા થતાં તેને તાત્કાલિક મોટી દમણ સીએચસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મૂળ બિહારની વતની પૂજા બે મહિનાની ગર્ભવતી છે. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી તેને હોસ્પિટલમાં પહોંચાડી હતી. એક્સ-રેમાં હળવી ઈજા જણાઈ છે. જો કે, ગર્ભાવસ્થાને ધ્યાનમાં રાખીને તેની સારવાર ચાલુ રાખવામાં આવી છે.આ પહેલા પણ દુણેઠા માર્ગ પર આવી ઘટના બની ચૂકી છે. વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ જિલ્લા પ્રશાસન પાસે તમામ ગટરના ઢાંકણોની તપાસ અને મરામતની માંગ કરી છે.
અમરેલી સાંસદની અનોખી પહેલ:તાલુકા મથકે જઈને પ્રજાના પ્રશ્નો સાંભળશે, સાવરકુંડલાથી લોકસંવાદની શરૂઆત
અમરેલી લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ ભરત સુતરીયાએ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે અનોખી પહેલ કરી છે. તેઓ લોકસભા ક્ષેત્રના દરેક તાલુકા મથક પર જઈને નાગરિકો સાથે સીધો સંવાદ કરશે. સાવરકુંડલા શહેરના અટલધારા કાર્યાલયથી આ લોકસંવાદની શરૂઆત થઈ. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. લોકોએ નેશનલ હાઇવે, રેલવે, શહેરી રસ્તાઓ, ગ્રામ્ય વિસ્તારના પશુ દવાખાના અને ગુજરાત હાઉસિંગ બોર્ડના દસ્તાવેજો જેવા પ્રશ્નો રજૂ કર્યા. કેટલાક પ્રશ્નોનો સ્થળ પર જ ટેલિફોનિક સૂચનાઓ દ્વારા નિકાલ કરવામાં આવ્યો. સાંસદ સુતરીયા રાજુલા-જાફરાબાદ, મહુવા, ધારી-બગસરા, લાઠી-બાબરા અને અમરેલી-કુંકાવાવ વિધાનસભા વિસ્તારના તાલુકા મથકોની મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે લોકોને સાંસદ સુધી આવવું પડે તેના બદલે તેઓ લોકો સુધી પહોંચવાનું પસંદ કરે છે. સાવરકુંડલામાં રજૂ થયેલા રેલવે, નેશનલ હાઇવે અને જમીન સંપાદનના વળતર સહિતના પ્રશ્નોનો બે દિવસમાં નિકાલ લાવવાની સાંસદે ખાતરી આપી છે. તેમણે તમામ વિસ્તારોમાંથી આવનારા પ્રશ્નોના નિરાકરણની પણ બાંહેધરી આપી છે.
અમદાવાદમાં 2 દિવસમાં નાના-મોટા અકસ્માતની સાથે હિટ એન્ડ રનના બે બનાવ સામે આવ્યાં હતા, ત્યારે ગતરાત્રિના વધુ એક બનાવ સામે આવ્યો છે. એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દરમિયાન બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું, આ સમયે પૂરપાર આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘૂસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે એસ.જી. 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, 10 મહિના પહેલા આજ બ્રિજ પર હિટ એન્ડ રનમાં બે લોકોના મોત થયાં હતાં. કારચાલક યુવકને ટક્કર મારી ફરારવેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક થલતેજ અંડર બ્રિજથી પેલેડિયમ મોલની બાજુમાં આવેલા બ્રિજ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સિડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત કર્યા બાદ અજાણ્યો કારચાલક નાસી ગયો હતો. રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાર અને એક્ટિવાચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલઅકસ્માતનો બનાવ બન્યો તે જોવા બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતા મંથન પટેલ નામનો 21 વર્ષનો યુવક પૂર ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, જેથી અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજા થઈ છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, 20 જુલાઈ, 2023ના રોજ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભેલા 9 લોકોને જેગુઆર કારથી તથ્ય પેટેલે કચડી નાખ્યાં હતાં. એસ. જી. હાઈવે પર અવારનવાર બનતા અકસ્માતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. એસ. જી. હાઈવે પર અકસ્માત સ્પોટ બનેલી જગ્યા પર જ સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળે છે. 13 જુલાઈ, 2024ની રાતે અમદાવાદના એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો અન્ય 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલમાં દાખલ કરાયા હતા. મૃતક ઘરે ‘હું બહાર જમવા જાઉં છું, આવતા મોડું થશે’ કહીને મિત્રો સાથે જમવા માટે નીકળ્યો હતો, પરંતુ પરિવારને સવારે તેના મોતના સમાચાર મળ્યા હતા. (વિગતવાર અહેવાલ વાંચવા ક્લિક કરો)
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશને વિવિધ ગુનામાં જપ્ત કરેલી વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 5000 બોટલનો રોલર ફેરવીને નાશ કર્યો છે. આ દારૂની કિંમત આશરે 12.30 લાખ રૂપિયા થવા જાય છે. નાશ કરવાની કાર્યવાહી દરમિયાન બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, ડીવાયએસપી મહર્ષિ રાવલ, બોટાદના મામલતદાર, પાળીયાદના પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓની હાજરીમાં આ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.
અમરાઇવાડી પોલીસમાં 3 સામે ફરિયાદ:હથિયાર સાથે ઘરમાં ઘૂસી યુવકને મારવાની ધમકી
અમરાઈવાડીમાં રહેતા એક યુવકને તેના ત્રણ મિત્રોએ ઘરે આવીને ઘાતક હથિયાર બતાવીને તું કેમ પોલીસને અમે દારૂ વેચીએ છીએ તેની બાતમી આપી માલ પકડાવે છે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરાઈવાડીમાં રહેતા વિજયભાઈ પપ્પુભાઈ વણઝારા (ઉ.27) બુધવારે રાતના જમી પરવારી સૂતા હતા. ત્યારે રાતના સાડા બાર વાગે તેમના ઘરનો દરવાજો કોઈ ખખડાવતું હોઈ તેમના પિતાએ દરવાજો ખોલ્યો હતો. આ સમયે વિજયભાઈના મિત્ર અનિલ ઉર્ફે છોટા કચોરી રામજીવન ખટીક, રાહુલ ઉર્ફે શિવવંશી અને ભૂરો હાથમાં તલવાર અને ચાકુ સાથે ઊભા હતા. આ ત્રણે ધક્કા મારીને ઘરમાં ઘૂસી ગયા હતા અને વિજયભાઈને કહ્યું હતું કે તું કેમ પોલીસને અમે દારૂ વેચીએ છીએ તેની બાતમી આપી માલ પકડાવે છે. ત્યારબાદ ગાળાગાળી કરતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા ત્રણે હથિયારો લઈને બહાર નીકળી ગયા હતા.જતી વખતે તેમણે ધમકી આપી હતી કે હવે પછી અમારી બાતમી આપી તો તને જાનથી મારી નાખીશુ. આ અંગે વિજયભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણે સામે ફરિયાદ નોંધાવી છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અતંર્ગત શહેરમાં જાહેર રોડ પર ગંદકી, વરસાદી પાણી ભરાવા, રોડ પર ઢોર રખડવા, ભૂવા અને ટ્રાફિકના નિયમોના ભંગ સહિતની 43 જેટલી ફરિયાદો નોંધવા હવે મ્યુનિ દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. જેમાં એઆઈ સિસ્ટમથી સજ્જ ડેશકેમ 250 AMTS બસ પર લગાવા માટેનું આયોજન કરાયું છે. જેના થકી શહેરની વિવિધ સમસ્યાઓ બારોબાર મ્યુનિ.ની ઓનલાઈન ફરિયાદમાં નોંધાશે. જ્યારે ટ્રાફિકના નિયમોના ભંગની ફરિયાદો બદલ પોલીસના ઈ-ચલણમાં ફરિયાદો નોંધાશે. એટલે એક જ કેમેરાથી એઆઈ ટેકનોલોજી પોલીસ અને કોર્પોરેશનની ફરિયાદોને અલગ અલગ કરીને નોંધશે. જો કે 6 મહિનાથી પોલીસની 25 પીસીઆર વાનમાં પાયલટ પ્રોજેક્ટ અંર્તગત લગાવેલા એઆઈ ડેશકેમનો સારો પ્રતિસાદ મળતાં મ્યુનિ.એ બસમાં ડેશકેમ લગાવાનો નિર્ણય લીધો છે. આ અંગે મ્યુનિ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે કે, હાલમાં 250 એએમટીએસ બસોમાં આ ડેશકેમ લગાવવાનો નિર્ણય લીધો છે. જો ટેન્ડર સહિત મંજૂરીની તમામ પ્રક્રિયાઓ જો યોગ્ય રીતે થઈ તો આગામી અઢી મહિનામાં બસોમાં ડેશકેમ લાગી જશે. જેમાં એઆઈ ટેકનોલોજી મ્યુનિ.ની ફરિયાદોને તારવીને સીધી મ્યુનિ.ની સીસીઆરએસ સિસ્ટમમાં ઓનલાઈન સમસ્યા મોકલી દેશે. જ્યાં આ સમસ્યા ઉકેલાશે નહીં ત્યાં સુધી તેને બંધ કરાશે નહીં.જો કે રોંગ સાઈડ વાહન હંકારવા, હેલમેટ વિના વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા લોકોની ફરિયાદો પણ પોલીસના ઈ-ચલણ વિભાગમાં ટ્રાન્સફર થશે. મ્યુનિ.ના 1000 વાહનોમાં ડેશકેમ લગાવાશે મ્યુનિ દ્વારા પ્રથમ ફેઝમાં 250 એએમટીએસ બસોમાં ડેશકેમ લગાવાશે. તેમાં સફળતા મળ્યા બાદ અન્ય 3 ફેઝમાં વધુ એએમટીએસ બસ સહિત મ્યુનિના જુદા જુદા વાહનોમાં કુલ 750 ડેશકેમ લગાવાશે. એટલે કુલ 1000 બસોમાં ડેશકેમ લગાવવાનું આયોજન મ્યુનિ.એ કર્યું છે. ડેશકેમમાં આટલી બાબતોની ફરિયાદો નોંધાશે ગેરકાયદે સ્ટોલ, તુટેલા સ્પીડ બ્રેકર, રોડ સરફેડ ડેમેજ, બિસમાર રોડ, દબાણો, ઈલેક્ટ્રીક વાયરોની સમસ્યા, રસ્તાના ઝાંખા નિશાન, ડેમેજ બસ શેલ્ટર, તુટેલી સ્ટ્રીટ લાઈટ, આગ, રોડ પર સુતા નાગરિકો, ગંદા અને ડેમેજ સ્ટેચ્યુ, પાર્કિંગ નિયમોનો ભંગ, ગેરકાયદે બિલબોર્ડ, ખુલ્લા મેનહોલ સહિતની 43 ફરિયાદો નોધાશે.
સાવજોની વસતી ગણતરીમાં ભાસ્કરની ટીમ જોડાઇ:માવઠાંથી મચ્છરો થતાં સિંહ બહાર નીકળ્યા, ફૂટમાર્ક સ્પષ્ટ
જયરામ મહેતા ‘પહેલા તબક્કામાં તા. 10ના બપોરે 2 વાગ્યાથી સિંહના લોકેશન ટ્રેસ કરવાનું કામ શરૂ થયું અને બે જ કલાકમાં વરસાદ તૂટી પડતા કામ મુશ્કેલ બન્યું હતું. વરસાદ રોકાવાની રાહ જોતા એક આડશમાં ઉભા રહ્યા ત્યાં ટ્રેકરનો ફોન આવ્યો કે, કાળા ગડબા પર લોકેશન મળ્યું છે એટલે વરસાદ રોકાવાની રાહ જોયા વિના પલળતા પલળતા કાળા ગડબા પહોંચ્યા ત્યારે રાત્રિના 8:00 થઈ ગયા હતા. બાજુના જ કાર્યક્ષેત્રના અન્ય ગણતરીકાર પણ ત્યાં પહોંચી ગયા હતા, હકીકતમાં એ એમનો જ રેવન્યુ વિસ્તાર હતો અને અમે પણ એમની સાથે થઈ ગયા હતા. અહીંયા નર ‘સિંહ’ રસ્તા પર બેઠો હતો, જેની આંખ પર વાગ્યા હોવાનું નિશાન હતું અને આના પર વિશ્વાસ ન કરાય એમ એક ટ્રેકરે પોતાના અનુભવના આધારે કહ્યું હતું. આરએફઓને જાણ કરી દેવામાં આવી અને તેઓ અહીં આવવા નીકળી ગયા હતા.રાતનું અંધારું, ધીમો વરસાદ અને ખડકાળ તથા ગારો-કીચડ થઈ ગયેલા રસ્તા ઉપર ઉભા રહ્યા, લગભગ અડધા કલાક પછી આ સિંહ પશ્ચિમ તરફની દિવાલ કૂદીને નીકળી ગયો હતો.રાત્રિના 12:30 સુધી અંધારામાં ભટક્યા, સિંહ ના મળ્યો પણ તેના ફૂટમાર્ક મળ્યા અને એ ધાર પર ગયો હોવાનું ચિન્હો પરથી સ્પષ્ટ થતું હતું.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. જે બાદ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉદ્ભવી હતી. જોકે, 10 મે, 2025 શનિવારે સાંજે 5 વાગ્યે યુદ્ઘવિરામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પહેલગામ આતંકી હુમલા અને ભારત પાક વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ હાલ ઉનાળાના વેકેશનનો સમય છે ત્યારે સુરતના પ્રવાસીઓ હવે સૌથી વધુ કયા પસંદગીના સ્થળો પસંદ કરી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના જેબી ટુરના સંચાલક સતિષ વઘાસિયાએ જણાવ્યું હતું કે, યુદ્ધ જેવી સ્થિતિમાં સરકાર દ્વારા એવી કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી કે ટુર ઓપરેટ નહીં કરવાના કે પ્રવાસો કેન્સલ કરવાના કે ચાલુ રાખવાના. એરપોર્ટ અંગે જે સૂચનો આવતા હતા તે અંગે અને ડાઇવર્ટ કરતા હતા. જ્યારે પણ અમારા કસ્ટમરની સાવચેતીની વાત આવે છે ત્યારે ચોક્કસ ટ્રસ્ટેબલ વ્યક્તિઓ હોય છે તેમને રાખવામાં આવતા હોય છે. જેથી કોઇ અણબનાવ કે ઘટના બની હોય ત્યારે પ્રવાસી હોય છે તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. વધુમાં તેમણે અમરનાથ યાત્રા અંગે જણાવ્યું હતું કે, હાલ તો અમરનાથ યાત્રા સ્થગિત છે કે ચાલુ છે તે પ્રકારની કોઈ ગાઈડલાઈન આવી નથી. જોકે, જે નોર્મલ પ્રોસિઝર છે તે ચાલી રહી છે. આ ઉપરાંત ચારધામ યાત્રાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ચારધામ યાત્રા હાલ ચાલી રહી છે અને લોકો જઈ રહ્યા છે. ચારધામ યાત્રા એકદમ સારી રીતે ચાલી રહી છે. યુદ્ધ વિરામ બાદ લોકો ક્યાં જવાનું વધારે પસંદ કરે છે તે અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને લોકો હાલ અધર સ્ટેટમાં ફરવા જવાનું ટાળી રહ્યા છે. લોકોમાં હાલ ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં શું થઈ શકે તેનાથી અજાણ હતા. જેથી નજીકમાં આવેલા રિસોર્ટ અને રાજ્યની અંદર જ ફરવાના સ્થળે લોકો જવા ઇચ્છી રહ્યા છે. નવા ડેસ્ટિનેશનની ઇન્કવાયરી અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ કોઈપણ પ્રકારની ઇન્કવાયરી આવી રહી નથી. એકદમ ઝીરો થઈ ગઈ છે. જોકે, સરકાર દ્વારા સારી એડવાઇઝરી આપવામાં આવશે તો લોકોના મનમાં ઉત્સુકતા જાગશે અને ફરી ઇન્કવાયરીનો દોર ચાલુ થશે.
દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. લ્યો બોલો... એક PI પોતે જ સર્વેસર્વા હોય એમ DCPને ગાંઠતા નથીઅમદાવાદના એક પીઆઇ ડીસીપીને પણ ગાંઠતા નથી. જોકે, આ વાત તો ડીસીપીએ પણ કબુલી છે. પીઆઇ સામાન્ય લોકોને તો ગણતા જ નથી સાથે ઉચ્ચ અધિકારીઓને પણ ગણતા નથી. પીઆઇ પોતાને જ ઉચ્ચ અધિકારી સમજીને લોકોને જવાબ તે રીતે આપે છે. થોડા સમય અગાઉ એક રાજકીય આગેવાનની ધરપકડ મામલે વિવાદમાં આવ્યા હતા. પીઆઇ લોકોના ફોન ઉપાડવાનું ટાળે છે. ઉચ્ચ અધિકારી પણ કોઈ સૂચના આપે તો પોતાના મન મરજી મુજબ જવાબ આપે છે. અમદાવાદના PIને બદલી કરી આખું ગામ ફેરવ્યું ને પછી જ્યાં હતા ત્યાં જ મુકી દીધાઅમદાવાદમાં એક પીઆઇની થોડા સમય અગાઉ વિવાદના કારણે અને ઉચ્ચ અધિકારીની ફરિયાદ થઈ હોવાથી બદલી કરવામાં આવી હતી. જોકે, આ પીઆઇને ફેરવીને થોડા સમયમાં જ તેમની જે જગ્યાએથી બદલી કરવામાં આવી હતી તે જગ્યાએ પરત મુકવામાં આવ્યા છે. જોકે, પીઆઇએ તેમના ACPના નજીકના હોવાની પણ ચર્ચા છે. પીઆઇ તેમની કમાણીમાંથી ACPને સારો એવા ભાગ આપતા હોવાથી તેમની ફરીથી તેમની અગાઉની જગ્યાએ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી છે. શિફ્ટ પુરી થયા બાદ ફરિયાદ ન નોંધવાની આડોડાઈ પોલીસકર્મીઓને ભારે પડીઅમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ ફરિયાદીની વાત જ સાંભળતા ન હતા. પોતાની શિફ્ટ પુી થઈ ગઈ છે એમ કહીને ફરિયાદીને કાઢી મુકતા હતા. પરંતુ આ વખથે ફરિયાદી પણ હોશિયાર નીકળ્યો અને તેણે સમગ્ર વાત ડીસીપીને કહી દીધી. પછી શું ડીસીપીએ જાતે પોલીસ સ્ટેશન જઈને ખરાઈ કરી તો આ બધુ સાંચુ નીકળ્યું અને આખરે ડીસીપીએ જવાબદાર તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ શહેરમાં આ રીતે ડીસીપી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે આગામી સમયમાં અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સામે ડીસીપી જાતે જઈને સરપ્રાઇઝ વિઝિટ કરે તો નવાઈ નહીં અને આખી વાત હાલ અમદાવાદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. પશ્ચિમના એક પોલીસ કર્મચારીને પૂર્વના પોલીસ સ્ટેશનમાં વધુ રસ છેઅમદાવાદના એક એવા પોલીસ સ્ટેશનમાં જેના કારણે અમદાવાદ શહેર પોલીસની આંખને ડાઘ લાગ્યો હતો ત્યાં એક પોલીસ કર્મચારી રોજ આવે છે. આ પોલીસ કર્મચારી આમ તો શહેરના પોશ વિસ્તારમાં નોકરી કરે છે પણ તેનું મન ત્યાં લાગતું નથી. પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રોજ પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેના ફરજના પોલીસ સ્ટેશન કરતા પૂર્વના પોલીસ સ્ટેશન પર સૌથી વધારે નજર રાખે છે. સતત આ પોલીસ કરમચારી આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોય છે. જે હાલ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને વિસ્તારના પોલીસ કર્મચારીઓની નજરે ચડ્યા છે. કારણ કે, આ વિસ્તારમાં તે ભલે નોકરી કરતો નથી પણ મોટાભાગે બધી વ્યવસ્થા તેના હાથમાં જ છે અને આ પોલીસ સ્ટેશનનો વિસ્તાર પણ એટલો વિવાદિત રહ્યો છે કે અહીંયાના ગુનેગારો પોલીસ સાથેના વિવાદમાં સતત રહ્યા કરે છે. પશ્ચિમના પોલીસ સ્ટેશનનું મોડલ હવે લોકોની નજરે ચડેલા પોલીસ સ્ટેશનમાં અપનાવાયુંઅમદાવાદ શહેરમાં એક પોલીસ કર્મચારી કાયમ પશ્ચિમ વિસ્તારમાં પોતાનો કારોબાર ચલાવતા હતા. તાજેતરમાં તેમને એક પૂર્વના મોટા પોલીસ સ્ટેશનની જવાબદારી વ્યવસ્થા માટે મળી છે, પરંતુ પશ્ચિમની સ્ટાઈલ તેમને જરા પણ છોડી નથી અને આખી વ્યવસ્થા તેમણે પશ્ચિમના મોડલ પર પૂર્વમાં શરૂ કરી છે. હાલ અમદાવાદ શહેરના બીજા જાદુગર પણ આ નવા મોડલને જોઈને ચર્ચા કરી રહ્યા છે કે ગમે ત્યારે આ વ્યવસ્થા મોટી તકલીફ ઊભી કરશે અને જેના કારણે આગામી સમયમાં કોઈ બૂમ પડે તો નવાઈ નહીં તેવી પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ પોલીસ સ્ટેશનનો વિસ્તાર સતત સંવેદનશીલ રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, આગામી 4 દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. જગન્નાથ રથાયાત્રાની મૂર્તિ 32 વર્ષે બદલાઈ ભાવનગરની જગન્નાથ રથાયાત્રાની મૂર્તિ 32 વર્ષે બદલાઈ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ આ નવી મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરવા માટે 3 દિવસનો ખાસ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધો.12માં તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા અમદાવાદની દીકરી CBSEમાં દેશમાં પ્રથમ ક્રમે આવી છે. ઈશાની દેબનાથે ટ્યુશન વિના ધોરણ 12માં તમામ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હેવમોરના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી! અમદાવાદના મણિનગરમાં હેવમોરના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી. જે અંગેની ફરિયાદ મળતા AMC ફૂડ વિભાગ દ્વારા હેવમોરને 50 હજારનો દંડ ફટકારી મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરને સીલ કરી દેવાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટ, વડોદરા-સુરત એકસાથે દેશભક્તિના રંગે રંગાયું 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ખુશીમાં રાજકોટ, વડોદરા અને સુરતમાં એકસાથે તિરંગા યાત્રા યોજાઈ. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો. સુસાઈડ નોટના આધારે 10 ટકા વ્યાજ વસૂલતા ભાજપ ઉપપ્રમુખ સહિત 8 સામે ફરિયાદ નોંધી પોલીસે 2ની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાજપ મંત્રીના નિવેદન બાદ યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના ભાજપમંત્રી વિજય શાહે કરેલા વાંધાજનક નિવેદનને લઈને વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો. કાર્યકરોએ 'વિજય શાહ મુર્દાબાદ'ના સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર પગમાં કચડી ફાડ્યા અને વિજય શાહને ફાંસી આપવાની માંગ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
છેતરપિંડી:બે મિત્રો પાસેથી શેરબજારમાં નફાના નામે લલચાવી 7.11 લાખ રૂપિયા ખંખેરી લેવાયા
આમ તો ઓનલાઇન નાણાકીય વ્યવહારો શરૂ થયા ત્યારથી જ ઓનલાઇન છેતરપિંડીના બનાવો વ્યાપક બન્યા છે. તેની વચ્ચે હાલના સમયમાં ટેકનોલોજીના માસ્ટર ચીટરો લોકોને શેર બજારમાંથી ટુંકાગાળામાં વધુ નફો કમાવવાની લાલચનો લાભ આ ઓનલાઇન ચીટરો લઇ રહ્યા છે. તેની વચ્ચે અંજારની ભક્તીનગર સોસાયટીમાં રહેતા ખાનગી નોકરીયાતને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો અપાવવાની લાલચ આપી વોટ્સએપ ગૃપમાં જોઇન કર્યા પછી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી રુ.7.11 લાખ ખંખેરી લઇ છેતરપિ઼ડી આચરાઇ હોવાની ઘટનામાં ભોગ બનનારે બે સામે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે. અંજારની ભક્તિનગર સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા હીરેન ભુપતભાઇ હડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત માર્ચ મહિનામાં ફેસબુક જોઇ રહ્યો હતો ત્યારે તેમાં આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ની પોસ્ટ આવી જેમાં ઓનલાઇન બલ્ક અને બ્લોક ટ્રેડીંગ બજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાનું લખાયેલું હતું. આ પોસ્ટ પર ક્લીક કરતાં જ તેઓ વોટ્સએપ ગૃપમાં જોઇન થઇ ગયા હતા. પહેલાં આ ગૃપના પ્રીયા શર્મા નામની મહિલાએ તેમને નિયમો સમજાવ્યા હતા. ત્યારબાદ શેર બજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી એપ્લીકેશનમાં રોકાણ કરાવી અલગ અલગ બેંક ખાતામાંથી આસ્ક ઇન્વેસ્ટમેન્ટ એપના આસિસ્ટન્ટ પ્રીયા શર્મા અને આ એપના હેડ ભરત શાહ નામના વ્યક્તીએ તેમના ખાતામાંથી રૂ.4,85,000 અને તેમના મિત્ર વિજયભાઇ ગોવિંદભાઇ વાળાના ખાતમાંથી રૂ.2,26,000 મળી કુલ રુ.7,11,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ વિશ્વાસઘાત કર્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. શેર બજારમાં કમાણીની લાલચ : એક સાથે બે નોંધાયેલી ઘટનાઓમાં મોડસ ઓપરેન્ડી એક જગાંધીધામના સાયબર ક્રાઈમ પોલીસ મથકે સંદીપ સંજયકુમાર મુખરજીએ સિટાડેલ એપમાં ઈન્વેસ્ટ કરાવનાર રાશી ગુપ્તા, શ્યામ રંજન અને મિની નાયર સામે આઈટી એક્ટની કલમો તળે ફરિયાદ નોંધાવી 39.90 લાખની છેતરપિંડી ચિટરોએ આચરી હોવાની ફરીયાદ અને હવે અંજારના બે મીત્રો પાસેથી પણ શેરબજારમાં નફો કમાવી દેવાની લાલચ આપી 7.11 લાખ ખંખેરાયા હોવાની ફરિયાદ એમ એક સાથે બે ફરીયાદો સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ છે.