રાજકોટ શહેરમાં વધુ એક યુવાનને પોલીસમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા પડાવવામાં આવ્યા અંગે ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના વિનાયકનગરમાં રહેતાં અને ધો.10 નાપાસ યુવાનને પોલીસમાં નોકરી અપાવવાનું કહીં રૂ.7.97 લાખની છેતરપીંડી આચરી હોવાની માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે જેમાં નાગેશ્વર સોસાયટીના મનહર પટેલે મારુ કામ CID કરતાંય ઊંચું છે અને મેં 10 એન્કાઉન્ટર કરેલ છે કહીં યુવાનને ફસાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ બનાવ અંગે દોશી હોસ્પિટલની સામે વિનાયકનગરમાં રહેતાં સાજીદભાઈ મંગાભાઈ પઠાણ (ઉ.વ.25)એ મનહર રવજી ત્રાડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરકારી નોકરીની ખુબ જ ઇચ્છા હતી ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સરકારી નોકરીની ખુબ જ ઇચ્છા હોવાથી તેને પિતા મારફત મીત્ર બાબુભાઈ લઢેરનો કોન્ટેક થયો હતો. તેને વાત કરી હતી કે, મારા એક મીત્ર છે જેઓ ઘણા છોકરાને સરકારી નોકરી અપાવી છે, હમણા ખાનગી રીતે ભરતી છે અને તારે આ સીટમા ભરતી થવુ હોય તો તારો કોન્ટેક કરાવી દઈશ જેથી મેં હા પાડતા 4 માર્ચ 2025ના મોરબી રોડ પર તેના ઘરે લઈ ગયા હતા. ત્યા એક મયુરભાઈ પટેલ નામની વ્યકિતનો કોન્ટેક કરાવ્યો હતો અને તેને એક આઇકાર્ડ બતાવ્યું જેમા ત્રણ સિંહના મોરા વાળુ કાર્ડ બતાવી અમને કહ્યું કે, હમણા પોલીસની ભરતી થવાની છે, તારી ઇચ્છા હોય તો હાલ તુ મને રૂ.60 હજાર આપ, હું તારી સીટ બુક કરાવી દઉં જેથી ત્રણ દિવસ બાદ મયુર પટેલ ઘરે આવતાં પરિવારની હાજરીમાં રૂ.60 હજાર આપ્યા હતાં. જેના ત્રણ દિવસ બાદ મયુર પટેલનો ફોન આવ્યો કે, ગાંધીનગર તારી નોકરીની સીટ પાકી કરવા વધુ રૂ.3 લાખ ભરવાના છે તું રુપીયા તૈયાર રાખજે. જૂનાગઢ ટ્રેનિંગમાં જવાનું છે કહી વસ્તુનું લિસ્ટ આપ્યુ હતું જેના બે દિવસ બાદ ઘરે આવી રૂ.3 લાખ લઇ ગયા હતા. જે બાદ મયુર પટેલનો ફોન આવ્યો કે, હથીયારધારી પોલીસમા નોકરી કરવી હોય તો રૂ.32700 ભરવા પડશે જેથી તેઓને તે દિવસે રુબર રોકડા આપ્યા હતા. જે બાદ તેને કહ્યું કે, રૂ.1,32,700 આપવાના હતાં તે ફક્ત રૂ.32700 આપ્યા છે જેથી તેને વધુ એક લાખ બાબુભાઈના ઘરે જઈ આપ્યા હતા. જેના થોડા દિવસ બાદ મયુર પટેલનો ફોન આવ્યો કે, બે દરબાર આ નોકરીમા વચ્ચે પડેલ છે અને કહે છે કે, અમને કઈક આપો નહીતર આ નોકરીમાં આડા પડીશું. જેથી આરોપીને દ્વારીકાધીશ હોટલ જામનગર રોડ પર એક લાખ તથા બીજા દોઢ લાખ શીતલ પાર્ક ખાતે અને અન્ય રૂ.50 હજાર આપ્યા હતાં. આ પછી પણ અવાર નવાર નોકરીની વાત કરતા તેને કહ્યું કે, તારે જુનાગઢ ટ્રેનીંગમાં જવાનુ છે, તુ આ લીસ્ટ મુજબની વસ્તુ લઇ લેજે કહી એક કાગળ આપ્યો હતો તેમા ટ્રેઇનિંગમાં લઇ જવાની વસ્તુની યાદી હતી અને તા.27.05.2025ના ટ્રેઇનિંગમાં જવાની વાત કરી હતી જો કે તારીખ જતી રહેતા ફોન કરી નોકરી બાબતે પુછતા તેઓએ વારંવાર ફોન નહી કરવા અને મળવા નહી આવવુ કહી ફકત વોટસઅપમા વાત કરવા કહ્યું હતું. 10 એકાઉન્ટર કરેલ હોવાનું કહીં ફસાવ્યો હતો નોકરી ન મળતા તપાસ કરતા આ મયુર પટેલનુ સાચુ નામ મનહર રવજી ત્રાડા હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થતા પોલીસમાં નોકરીના નામે રૂ.7.97 લાખ પડાવી છેતરપીંડી થયા અંગે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હાલ બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ યુવાનને પોતે વીબીએસ શાખામાં નોકરી કરતા હોવાનું અને તેની શાખા સીઆઇડી કરતાંય મોટી છે તેમજ પોતે 10 એકાઉન્ટર કરેલ હોવાનું કહીં ફસાવ્યો હતો.
છોટાઉદેપુર એલસીબી પોલીસે પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક સિમેન્ટ ટેન્કર ઝડપી પાડ્યું છે. આ ટેન્કરમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, દારૂનો આ મોટો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હતો. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે સિમેન્ટ ભરવાના ઔદ્યોગિક ટેન્કરનો ઉપયોગ કર્યો હતો અને દારૂને ટેન્કરની અંદરની ખાસ ગુપ્ત જગ્યામાં છુપાવ્યો હતો. આ ગુપ્ત ભંડારને બહાર કાઢવા માટે પોલીસે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આશરે અઢી બાય અઢી ફૂટ જેટલું કટિંગ કરીને દારૂની પેટીઓ બહાર કાઢવામાં આવી હતી. એક અંદાજ મુજબ, ટેન્કરમાંથી ૭૦૦ થી ૧૦૦૦ જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી છે, જેની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહી હાલ પાવીજેતપુર પોલીસ સ્ટેશન પાછળ ચાલુ છે, જ્યાં ટેન્કરને મૂકીને મુદ્દામાલ બહાર કાઢવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપીને પકડ્યો છે, જેની પૂછપરછ ચાલી રહી છે. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલશે તેવો અંદાજ છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે મહેસાણા જિલ્લાનો ફૂડ વિભાગ સક્રિય બન્યો છે. 'કિચન ક્લીન' ઝુંબેશ હેઠળ મહેસાણા, વડનગર સહિત અનેક સ્થળોએ ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.ફૂડ અધિકારી વી જે ચૌધરી ખુદ આ તપાસમાં જોડાયા છે. થોડા દિવસો અગાઉ હોટલો પર કરાયેલી તપાસમાં મોટી માત્રામાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજે ફૂડ વિભાગે પોતાનો સપાટો પાણીપુરીની લારીઓ પર બોલાવ્યો હતો. ફૂડ સેફટી વાન સાથે ફૂડ વિભાગની બે ટીમો દ્વારા બટાકા અને પાણીપુરીના પાણીની ગુણવત્તાની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, જ્યાં જ્યાં સડેલા બટાકા અને ખરાબ પાણી મળી આવ્યું, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લારીઓમાં હાઈજેનિક સ્થિતિ અને ફૂડ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગની આ સતત કાર્યવાહીના પગલે અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ પેઢીમાં તપાસ કરાઈ(1) વેલકમ પકોડી સેન્ટરમાંથી 3 કિલો બટાકાના મસાલાનો નાસ કરાયો(2) રાજા સિકોતર પાણીપુરીમાંથી 5 લીટર પાણી અને 2 કિલો બટાકાનો મસાલો નાસ કરાયો(3) પ્રિયા ભેળ પકોડી સેન્ટરમાંથી 1.5 કિલો બટાકાનો મસાલો અને 6 લીટર પાણીનો નાસ કરાયો(4) રિનકુ ભેળ પકોડી સેન્ટરમાંથી 2 કિલો બટાકાનો મસાલો નાસ કરાયો(5) રામજી પકોડી સેન્ટરમાંથી 2 કિલો બટાકાનો મસાલો નાસ કરાયો(6) કાજલ પકોડી સેન્ટરમાંથી 3 કિલો બટાકાનો મસાલો નાસ કરાયો(7) કુલદીપ ભેળ પકોડી સેન્ટરમાંથી 5 કિલો બટેકાનો નાસ(8) સંયમ ભેળ પકોડીમાંથી 5 કિલો બટાકાનો મસાલો અને 7 લીટર પાણીનો નાસ કરાયો કુલ આઠ પેઢીમાંથી 23.5 કિલો બટાકાનો મસાલો અને 11 લીટર પાણી અને 7 લીટર લાલ ચટણીનો નાસ કરવામાં આવ્યો છે.
પાટણ બસ સ્ટેન્ડ પર સાંજે દિયોદર જતી બસમાં ચડતી એક મહિલાના ગળામાંથી આશરે 2 તોલાનો સોનાનો દોરો તફડાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. ભીડનો લાભ લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ બનાવના પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. નવસારીના રહેવાસી રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ ખાતે સબંધીઓની ખબર પૂછીને તથા ધાર્મિક કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા. તેઓ સાંજે દિયોદર જવા માટે પાટણ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. રંજનબેન અમદાવાદ-દિયોદર બસમાં ચડવા જઈ રહ્યા હતા ત્યારે બસમાં ભારે ભીડ હતી. આ ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા ગઠિયાએ તેમના ગળામાં પહેરેલો આશરે 2 તોલા સોનાનો દોરો કાપી લીધો અને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 112 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેના આધારે સરસ્વતી તાલુકા અને પાટણ તાલુકાની પોલીસની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોની તપાસ હાથ ધરી હતી. સ્નેચિંગનો ભોગ બનેલા રંજનબેન ઠક્કરને ફરિયાદ નોંધાવવા માટે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં ટેકાના ભાવે ખરીદી માટે બેઠક:કલેક્ટર ભારદ્વાજે ગુજકોમાસોલ કેન્દ્રોની સમીક્ષા કરી
અમરેલી જિલ્લામાં કૃષિ જણસો અને મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમિટી (DLMC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠકમાં મુખ્ય ખરીદી એજન્સી ગુજકોમાસોલ દ્વારા કાર્યરત તમામ ખરીદી કેન્દ્રોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ કેન્દ્રો ખાતે યોગ્ય વ્યવસ્થા જાળવવા અને સરકારની માર્ગદર્શિકા મુજબ F.A.Q. (Fair Average Quality) ધોરણો પ્રમાણે ખરીદી થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે તમામ ખરીદકર્તા સંસ્થાઓને સૂચનાઓ અપાઈ હતી. ખરીદી કેન્દ્રો ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાલુકા વિજિલન્સ ટીમો સતત કાર્યરત રાખવામાં આવી છે. લાયઝન ઓફિસર દ્વારા સમગ્ર ખરીદ પ્રક્રિયાનું સમયાંતરે મોનીટરીંગ થઈ રહ્યું છે, જેના માટે કમિટી દ્વારા અલગથી આદેશો કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશ કાનાણી તેમજ ટેકાના ભાવની ખરીદી સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CBI કોર્ટ અમદાવાદે આજે બેંક ફ્રોડ કેસમાં ખાનગી સુરતની કંપની મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝિસ પ્રાઇવેટ લિમિટેડ અને 6 આરોપીઓ જેમાં કંપનીના ડિરેક્ટર સંજય પટેલ, સંગીતા પટેલ, સતીશ દાવરા, નાનુભાઈ મોરડિયા, સુરતના મેસર્સ શ્રી રામ વેવ ટેકના ડિરેક્ટર વિપુલ રામાનુજ તેમજ મિતુલ વઘાસીયાનો સમાવેશ થાય છે. આ તમામને કોર્ટે દોષિત ઠેરવી 3 વર્ષની સજા તથા વ્યક્તિ દીઠ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી ખાનગી કંપનીને પણ 25 હજાર રૂપિયાનો દંડ કરાયો છે. વર્ષ 2017માં ગુનો નોંધવામાં આવ્યો હતોCBI એ આ કેસ 1 એપ્રિલ 2017ના રોજ મેસર્સ જલ્પા એન્ટરપ્રાઈઝિસના સંજય પટેલ, સંગીતા પટેલ, સતીશ દાવરા, નાનુભાઈ પટેલ તથા બેંક ઓફ બરોડાના અજાણ્યા સરકારી કર્મચારીઓ સામે નોંધ્યો હતો. જેમની ઉપર આરોપ હતો કે, સંજય પટેલ અને સંગીતા પટેલે બેંક ઓફ બરોડાના સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ લોન અંતર્ગત ફેક્ટરીમાં 60 એર જેટ વીવિંગ મશીનો સ્થાપવા માટે 12.90 કરોડ રૂપિયાની ટર્મ લોન અને 2 કરોડ રૂપિયાની કેશ ક્રેડિટ સુવિધા મળી કુલ 14.90 કરોડ રૂપિયાની માંગ સાથે અરજી કરી હતી. લોન માટે પ્લાન્ટ,મશીનરી,સ્ટોક્સ, બુક ડેટ્સના હાયપોથેકેશન તથા ડિરેક્ટર્સ અને ગેરન્ટર્સની પર્સનલ ગેરંટી આપવામાં આવી હતી. ગેરકાયદે ફંડ ડાઈવવર્ટ કરી બેંકને રૂ. 8.48 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતુંતપાસમાં ખુલ્યું કે આરોપીઓએ પરસ્પર મળીને બેંક ઓફ બરોડા, સચિન બ્રાન્ચ, સુરત સાથે છેતરપિંડી કરી હતી. લોનનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે કર્યા વિનાની ગેરકાયદેસર ફંડ ડાયવર્ઝન કરીને બેંકને 8.48 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું અને પોતે ગેરકાયદેસર લાભ મેળવ્યો હતો. તપાસ પુરી થયા બાદ CBI એ 30 ડિસેમ્બર, 2017 ના રોજ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે ટ્રાયલ બાદ ઉપરોક્ત આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારેલી છે.
પોરબંદરના અર્બન હેલ્થ સેન્ટર, કડિયા પ્લોટ ખાતે શ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ કુપોષિત સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં શ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંસ્થાને કાયમી આર્થિક સહયોગ આપનાર નીતિન લાલચેતા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. શ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ 'માનવ સેવા એજ પ્રભુ સેવા'ના મંત્રને સાર્થક કરી રહ્યું છે.
ગીર સોમનાથમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહનચાલકોની સુરક્ષા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. આર.ટી.ઓ. ઓફિસર વાઘેલાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં થયેલા પ્રાણઘાતક અકસ્માતોની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે માર્ગ સલામતી સુધારવા માટે વિવિધ કચેરીઓ દ્વારા કરાયેલી કામગીરીની સંકલિત માહિતી પણ રજૂ કરી હતી. બેઠકમાં સૂત્રાપાડા તાલુકાના વિરોદર ગામે શક્તિ પેટ્રોલપંપ પાસે નેશનલ હાઈવે પર મીડીયન કટ મૂકવા, શાંતિપરાથી સોમનાથ સર્કલ સુધીના નેશનલ હાઈવે પર બંધ સ્ટ્રીટલાઈટો, ડારી ટોલ પ્લાઝા પાસે રોડ પર માટી અને કાટમાળના ઢગલા, તેમજ નમસ્તે સર્કલ પાસે નેશનલ હાઈવે પર લાગેલા અનધિકૃત બેનર્સ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દાઓ પર સ્થળ તપાસ અને અહેવાલ રજૂ કરવા પણ સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ખટાણા અને વી.આર. ખેંગાર, ચૌધરી, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ અને વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બહુચરાજીના આદિવાડા ગામના યુવાન રમેશ પટેલ (નામ બદલાવ્યું છે) સાથે છેતરપિંડી થઈ છે. પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ફરિયાદી રમેશ પટેલને અમદાવાદના 'જયમાડી મેરેજ બ્યુરો'માં નોકરી કરતી હોવાનું કહીને રશ્મિકા પંચાલે લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી અને ચાંદની રાઠોડ નામની યુવતી સાથે પરિચય કરાવ્યો હતો. અમદાવાદ ખાતે ચાંદની સાથે લગ્ન કરાવાયા હતાઅમદાવાદ ખાતે રમેશ અને ચાંદની રાઠોડના લગ્ન કરવામાં આવ્યા હતા, જે પેટે આરોપીઓએ રોકડા 5 લાખ લીધા હતા. લગ્ન સમયે અને ત્યારબાદ પણ ચાંદની રાઠોડ અને તેના મળતિયાઓએ સોનાના કિંમતી દાગીના પડાવી લીધા હતા, આમ કુલ મળીને 11 લાખનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. જ્યારે રમેશ પટેલે પોતાના રૂપિયા અને દાગીના પરત માગ્યા, ત્યારે આરોપીઓએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને આ ધમકીના ડરથી યુવાન પાસેથી વધુ 50 હજાર પડાવ્યા હતા. આ મામલે લૂંટેરી દુલ્હન ચાંદની રાઠોડ, તેની માતા સુશીલ રાઠોડ, રાજુ ઠક્કર અને લગ્ન કરાવી આપનાર રશ્મિકા પંચાલ સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રશ્મિકાએ યુવકની ચાંદની રાઠોડ સાથે મુલાકાત કરાવી હતીબેચરાજીના આદિવાડાં ગામમાં રહેતા 31 વર્ષીય રમેશ પટેલે બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે.દોઢ વર્ષ પહેલા તેમના ગામના એક વ્યકિત સાથે અમદાવાદ ખાતે આવેલા વસ્ત્રાલ રહેતી રશ્મિકા પંચાલને મળ્યા હતા જ્યાં રશ્મિકા એ તેઓને કહ્યું હતું કે હું જય માંડી મેરેજ બ્યુરોમાં નોકરી કરું છું.અમારી પાસે છોકરીઓ છે તમારા ગામમાં છોકરાઓ હોઈ તો કહો એવું કહેતા રમેશ સાથે આવેલા વ્યકિતેએ ફરિયાદીના પિતાને વાત કરતા ફરિયાદી યુવક,તેના પિતા અમદાવાદ ખાતે આવેલ સેલબી હોસ્પિટલ પાસે ગયેલા જ્યાં રશ્મિકા મળી હતી.ત્યારબાદ રશ્મિકા એ ચાંદની રાઠોડ અને રાજુભાઇ ઠક્કરની મુલાકાત કરાવી હતી. ચાંદનીની માતાએ લગ્ન માટે પાંચ લાખની માગણી કરી'તીફરિયાદી ને ચાંદની ગમતા તેઓ પોતાના પિતા સાથે નરોડા ખાતે તેના ઘરે ચા પાણી પીવા ગયા હતા જ્યાં જ્યાં ચાંદનીની માતા સુશિલા બેન ત્યાં ચાંદનીની માતાએ લગ્ન માટે પાંચ લાખ માગ્યા હતા.બીજા દિવસે ચાંદની પોતાની માતા અને રાજુ ઠક્કર સાથે યુવકના ઘરે આવી સબંધ પાકો કર્યો હતો.એ દરમિયાન ફરિયાદીના પિતાએ 50 હજાર રોકડા રાજુ ઠક્ક ને આપ્યા હતા.તેમજ ફરિયાદી વાતચીત કરી શકે એ માટે ચાંદનીને નવો ફોન પણ લઈ આપ્યો હતો.ત્યારબાદ ફરિયાદીએ 26 જૂન 2024ના રોજ રશ્મિકા ને 39 હજાર ગુગલ પે કર્યા હતા.ઠગ બાજોએ ચાંદનીના પિતાની તબિયત ખરાબ હોવાથી લગ્ન ઝડપી લેવા કહેતા લગ્નની તારીખ 12/08/24 આવી હતી. ફરિયાદી યુવક સાથે ગાળાગાળી કરી દુષ્ક્રમના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીઆમ અવારનવાર ઠગ બાજોએ ચણીયા ચોરી લેવા તેમજ અન્ય સામગ્રી લેવા અલગ અલગ સમય રૂપિયા પડાવ્યા હતા.ફરિયાદીને 12/8/24 ના રોજ કોર્ટ મારફતે લગ્ન કરાવવામાં આવ્યા હતા.લગ્ન બાદ ચાંદની અવારનવાર બહાના બતાવી પોતાની માતાના ઘરે ચાલી જતી હતી.ચાંદની ફરિયાદીને ઘરે ન આવતા તેઓએ રાજુ ઠક્કર ને ફોન કરતા રાજુ એ ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી.ત્યારબાદ ફરિયાદી અમદાવાદ ચાંદનીના ઘરે જતા છૂટાછેડા ની વાત કરતા ઠગ બાજોએ ગાળાગાળી કરી બળાત્કાર ના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા ફરિયાદી ઘરે આવી ગયા હતા.ત્યારબાદ ફરિયાદી ને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળતા તેઓએ બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઠગ બાજોએ ફરિયાદી પાસેથી કુલ 11 લાખની ઠગાઈ આચરી હતી હાલમાં ચાંદની રમેશભાઇ રાઠોડ,શુસિલા ઉર્ફ સવિતા રમેશભાઈ રાઠોડ,રાજુભાઇ ઠક્કર,રશ્મિકા બેન રમેશભાઈ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે
જિલ્લા સેવા સદન ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પ:કલેક્ટરે નામ નોંધાવી કર્મચારીઓને પ્રેરિત કર્યા
કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે સરકારી કર્મચારીઓ માટે ‘જી-કેટેગરી’ (ગવર્મેન્ટ કેટેગરી) આયુષ્માન કાર્ડ બનાવવા માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે કર્મચારીઓને પ્રેરિત કરવા માટે પોતે આ કાર્ડ માટે પોતાનું નામ નોંધાવ્યું હતું. કલેક્ટરે સરકારી કર્મચારીઓને આયોજિત કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તેમણે બાકી રહેલા કર્મચારીઓને પણ ઝડપથી આ કાર્ડ કઢાવી લેવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ગુજરાત કર્મચારી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની આરોગ્ય સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્ડ અંતર્ગત રૂ. ૫ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ ઉપલબ્ધ થશે. કેમ્પની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લાના છાપરી ખાતે શ્રીરામ પાર્ટી પ્લોટમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી દર્શના વાઘેલા, જિલ્લા તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધનથી થઈ હતી. વડાપ્રધાને તેમના સંબોધનમાં બિરસા મુંડાની વીરતા અને બલિદાનને યાદ કર્યા હતા. તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે સન્માનિત ખેલાડીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓર્ડર, પાકા મકાનોના ઓર્ડર, લાભાર્થીઓને આવાસોની ચાવીઓ અને કુંવરબાઈનું મામેરું યોજનાના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા આદિવાસી પરિવારોને સીધો લાભ મળ્યો છે અને સરકારના પ્રયત્નોથી આદિવાસી સમાજ વિકાસના પંથ પર આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમમાં દાહોદના DSP રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખો સહિત જિલ્લાના વિવિધ સંઘ-સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાબરકાંઠામાં 20 નવેમ્બરે યુનિટી માર્ચ યોજાશે:જિલ્લા કક્ષાની પદયાત્રામાં જોડાવા કલેક્ટરની અપીલ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 'એક ભારત આત્મનિર્ભર ભારત' અંતર્ગત યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં આ યુનિટી માર્ચ બે ભાગમાં યોજાશે: વિધાનસભા ક્ષેત્ર સ્તરે અને જિલ્લા સ્તરે. જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં 20 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. આ પદયાત્રા હિંમતનગરના સરદાર પટેલ સ્ટેચ્યુ ટાવર ચોકથી શરૂ થઈને સાબરડેરી ખાતે પૂર્ણ થશે. સાબરકાંઠા જિલ્લાના ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પણ યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. ઈડર ખાતે 17 નવેમ્બરે, ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં 18 નવેમ્બરે અને પ્રાંતિજ વિધાનસભા ક્ષેત્રમાં 19 નવેમ્બરના રોજ યુનિટી માર્ચ યોજાશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિના આ અવસર પર આયોજિત રાષ્ટ્રવ્યાપી જન અભિયાનમાં નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, માય ભારત વોલન્ટીયર્સ, સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, વાણિજ્યિક એકમો, ધાર્મિક સંસ્થાનો, સૈનિકો, રમતવીરો અને સામાજિક સંસ્થાઓ જોડાશે. આ રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં સ્વચ્છતા અભિયાન, સામાજિક કલ્યાણના કાર્યક્રમો, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત તેમજ 'એક પેડ મા કે નામ' અભિયાનનો સમાવેશ થાય છે. 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ સાબરકાંઠાની ચાર વિધાનસભા – હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા – માં વિધાનસભા દીઠ 562 વૃક્ષારોપણ કરીને સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવશે. પદયાત્રાના રૂટ પર પ્રત્યેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાશે. જિલ્લા કલેક્ટરે જિલ્લાની જનતાને આ કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી છે.
ભાવનગર કલેકટર ઓફિસના આયોજન હોલ ખાતે આજરોજ જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. પેન્શન કેસો અને વસુલાતની સમીક્ષા કરીભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા- તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતાઆ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ કલેકટરની રૂબરૂ મુલાકાત દરમિયાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર કલેકટર ઓફિસના આયોજન હોલમાં યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક નીતીશ પાંડેય, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
દેવગઢ બારીયા નગરપાલિકામાં નવી સત્તાનો વિધિવત પ્રારંભ થયો છે. નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ ઉત્પત્તિ એકાદશીના શુભ દિવસે નગરપાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે વલ્લભાચાર્યજી પીઠ વ્રજધામ સંકુલના ગાદીપતિ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ ગ્રહણવિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે સંપન્ન થઈ હતી. વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય, પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદથી નીલ સોનીએ આ નવી જવાબદારી ગ્રહણ કરી. આનાથી કાર્યક્રમને ધાર્મિક અને પાવન વાતાવરણ મળ્યું. આ પ્રસંગે દેવગઢ બારીયા રાજવી પરિવારના રાજમાતા ઉર્વશીદેવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના કાઉન્સિલરો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરના શુભેચ્છકોએ હાજરી આપી નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીને અભિનંદન પાઠવ્યા હતા. નીલ સોનીએ વિધિવત ચાર્જ ગ્રહણ કરતા શહેરના વિકાસ માટે નવી દિશા મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નવા નેતૃત્વ હેઠળ શહેરના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા છે.
વિજયનગરના આંતરી ગામે LCB એ રેડ કરી:₹2.72 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એક આરોપી ફરાર
સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ વિજયનગર તાલુકાના આંતરી ગામે દરોડો પાડી રૂ. 2.72 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજસ્થાન-ગુજરાત સરહદ નજીક પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કરવામાં આવી હતી. LCB ટીમ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે, વિજયનગર તાલુકાના આંતરી ગામમાં રાહુલ મંજીભાઈ ભગોરાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જોકે, દરોડા સમયે રાહુલ ભગોરા હાજર મળ્યો ન હતો. પોલીસે રાહુલના ઘરની સામેની બાજુએથી વિદેશી દારૂની પેટીઓ શોધી કાઢી હતી. આ પેટીઓમાંથી કુલ 228 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,72,160 આંકવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો તપાસ અર્થે કબજે કર્યો છે. આ મામલે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આરોપી રાહુલ મંજીભાઈ ભગોરા (રહે. આંતરી, તા. વિજયનગર) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ રાહુલ ભગોરા ફરાર છે અને તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના મંગળા રોડ પર ગત 29 ઓક્ટોબરના રોજ થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે મૂર્ઘા ગેંગના વધુ એક સાગ્રીતની ધરપકડ કરી છે. રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા મૂર્ઘા ગેંગના સાગરીત આબીદ ગોધાવીયાની ધરપકડ કરી કેસમાં એક થાર ગાડી તેમજ ત્રણ ગેરકાયદે હથિયાર અને 18 કાર્ટીસ કબ્જે કરવામ આવ્યા છે. આબીદ હનીફભાઈ ગોધાવીયા જંગલેશ્વર વિસ્તારમાં જ છુપાયેલો હતો જે અંગે ચોક્કસ બાતમી મળતા શહેર ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ફાયરિંગ થયા બાદ પુરાવાનો નાશ કરવા એટલે કે ફૂટેલા કાર્ટીસ વીણવામાં આબીદની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધી બન્ને ગેંગના મળી 21 આરોપીઓની ધરપકડ કરી છે જયારે હજુ પણ મુખ્ય આરોપીઓ પૈકી એક સંજય ઉર્ફે સંજલો ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે અને આબીદે ફૂટેલા કાર્ટીસ વીણી ક્યાં નાખી દીધા હતા તે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. લારી ચાલક મહિલાનું રોકડ ભરેલું પર્સની ઝોંટ મારનાર ઝડપાયો રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે ચીલઝડપના ગુનામાં સંડોવાયેલ શુભમ ગૌસ્વામીને લોહાનગર BSNL ઓફિસની પાછળની શેરીમાંથી ઝડપી પાડ્યો છે. શુભમ હરેશગીરી ગૌસ્વામી (ઉ.વ.25)ની પૂછતાછ કરતા તેણે પાંચેક દિવસ પૂર્વે રાત્રીના સમયે દેના બેંક ચોક જુયુબેલી ચોક પાસેથી મહિલા પાસેથી રૂ.48 હજાર રોકડ સાથેના પર્સની ચીલઝડપ કરી હોવાની કબુલાત આપી હતી. આરોપી પાસેથી રૂ.48 હજાર રોકડ અને એકિટવા સહિત રૂ.1.28 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સામે અગાઉ રાજકોટના આજીડેમ, ગાંધીગ્રામ અને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને જાહેરનામા ભંગ સહિતના ચાર ગુના નોંધાઇ ચૂકયા હોવાનું સામે આવ્યું છે. સાડીનો છેડો વ્હીલમાં ફસાઈ જતા ઘવાયેલા વૃદ્ધાનું મોત લાભુબેન કાનાભાઈ જખાણીયા (ઉં.વ.65) આજે વહેલી સવારે 5 વાગ્યે પૌત્ર પ્રકાશના વાહનમાં બેસીને જતા હતા ત્યારે સેલસ હોસ્પિટલ પાસે પાછળના વ્હીલમાં સાડીનો છેડો આવી જતા બાઈક સ્લીપ થયું હતું અને વૃદ્ધાને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક લાભુબેન બીમારી સબબ હોસ્પિટલ દવા લેવા માટે જતા હતા દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત લાભુબેનને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી છે અને તેમના પતિ હયાત ન હોવાનું સામે આવ્યું છે. 68.32 લાખના દારૂ સાથે જામનગરના બે શખ્સો ઝડપાયા રાજકોટના કાલાવડ હાઇવે પર મેટોડા ગામની સીમમા આવેલ એક વાડીની ઓરડીમા મોટો દારૂનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેની પુછપરછ કરતા તેમના નામ હનિફ એલિયાસ જેડા (ઉ.વ.26) અને જાકીર કાસમ સંઘાર (ઉ.વ.26) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાડીની ઓરડીમાંથી 68,32 લાખની કિંમતની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 20,664 બોટલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી દારૂ, બાઈક સહિત 68.92 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પકડાયેલ બંને શખ્સો દારૂની રખેવાળી કરી અલગ અલગ બુટલેગરોને કટીંગ કરાવતાં હતાં. જ્યારે આ દારૂનો જથ્થો રાજકોટના જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલા નામના શખ્સે મંગાવ્યાની કબૂલાત આપતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ હનીફ સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને જાકીર સામે હત્યાનો પ્રયાસ, ચોરી સહિતના ગુના નોંધાયેલ છે. જ્યારે ફરાર જયપાલસિંહ વાઘેલા સામે પણ રાજકોટના પોલીસ મથકમાં ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. પડધરી ઓવર બ્રિજ પર બાઈક સ્લીપ થતા ખેતમજૂરનું મોત ઈજાગ્રસ્ત નાનકાભાઈ ગહવાન ભુરીયા (ઉ.વ.30)એ જણાવ્યું કે, હું પડધરી તાલુકાના ખજુરડી ગામે ગુલાબસિંહ જાડેજાની વાડીએ મારી પત્ની, બે દિકરા સાથે રહું છું. મારું મુળ વતન મધ્યપ્રદેશ છે. અહીં ગુલાબસિંહ જાડેજાની વાડીએ ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. ગત તા.7 નવેમ્બરના રોજ હું તથા મારા ફઈનો દિકરો મેરચંદ સનતીયા બાંભણીયા તેનું બાઈક લઈને રામપર ગામ ખાતે જમીન વાવવા રાખવાની હોય, ત્યાં જવા નીકળ્યા હતા ત્યારે બાઈક મેરચંદ ચલાવતો હતો અને હું પાછળ બેઠો હતો. રામપર ખાતે જમીન જોઈ પરત ખજુરડી ગામ આવતા હતા ત્યારે બપોરના 3.30 વાગ્યાની આસપાસ પડધરી બાયપાસ ભારત હોટલ પહેલા આવતા રેલવે ઓવર બ્રીજ પર પહોંચતા બાઈક પરથી મેરચંદે કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેમાં મને ઈજા થતા હું બેભાન થઈ ગયો હતો. મને ડાબા પડખાના ભાગે તથા શરીરે છોલ-છાલ જેવી ઇજાઓ થઇ છે. જયારે મારા ભાઈ મેરચંદને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક મેરચંદ પણ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. નાની ખજુરડી ગામે વાડીમાં ખેત મજૂરી કરતો હતો. 9 માસ પહેલા લગ્ન કરનાર એરપોર્ટના કર્મચારીએ આત્મહત્યા કરી પ્રિતેશ સુરેશભાઈ ભુવા (ઉં.વ.30) ગઈકાલે બપોરે પોતાના ઘરે હતો ત્યારે એસીડ પી ગયો હતો તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં તેની તબિયત વધુ બગડતી જણાતા પરિવારજનોએ તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યો હતો. જોકે સારવાર દરમિયાન આજે પ્રિતેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસને થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થેખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પ્રિતેશ બે ભાઈમાં મોટો હતો અને તેના નવ મહિના પહેલા લગ્ન થયા હતા હાલ તે પોતાના પત્ની અને પરિવાર સાથે રહેતો હતો. પ્રિતેશ નવા એરપોર્ટ હિરાસર ખાતે ઇલેક્ટ્રોનિક વિભાગમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતો હતો. તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ છે જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
વેરાવળમાં ગુજરાત બજાર સંઘની કારોબારી બેઠક:સહકારી ક્ષેત્રના પ્રશ્નો અને સુધારા પર મહત્વપૂર્ણ ચર્ચા
વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદની રાજ્યવ્યાપી કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રના પડતર પ્રશ્નો અને ભાવિ સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃદ્ધિ”ના મંત્ર અને કેન્દ્રમાં સહકાર મંત્રાલયની રચના બાદ દેશના સહકારી ક્ષેત્રમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે અનેક સશક્ત સુધારાઓનો માર્ગ મોકળો થતાં આ બેઠકને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું હતું. બેઠકમાં સંઘના ચેરમેન જીગ્નેશ પટેલ, વાઇસ ચેરમેન ચેતનસિંહ ચાવડા, સેક્રેટરી નરેન્દ્રસિંહ છછડીયા સહિત ઊંઝા, પાલનપુર, બોટાદ સહિતની વિવિધ APMCના ચેરમેનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ APMCના ચેરમેન પરેશ પરમાર, પૂર્વ ચેરમેન અને તાલાલાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર તથા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ માનસિંગ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યની 224 APMCના પડતર પ્રશ્નોને એકસ્વરે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવા સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આધુનિક બજાર સગવડતાઓ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને માર્કેટ સેશનમાં રજૂઆતો તથા કાર્યપ્રણાલીને વધુ શક્તિસભર બનાવવા વિવિધ સૂચનો રજૂ થયા હતા. નવી APMC માટે ત્રણ વર્ષ માટે ₹10 લાખની સહાય મંજૂરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે ₹10 હજાર કરોડના ઐતિહાસિક કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હોવા બદલ અભિનંદન પાઠવતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યની અનેક APMCની નબળી આર્થિક સ્થિતિ પર ગંભીર ચર્ચા થઈ હતી. સંસ્થાઓને સધ્ધર બનાવવા માટે રાજ્ય સરકારની સહાય મર્યાદા ₹5 કરોડથી વધારીને ₹10 થી ₹15 કરોડ કરવાની રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે બોલતા વાઇસ ચેરમેન ચેતનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “બજાર યાર્ડ, વેપારીઓ અને ખેડૂતો – આ ત્રણેયની સર્વાંગી પ્રગતિ માટે સંસ્થા કટિબદ્ધ છે. રાજ્ય અને કેન્દ્ર સમક્ષ મજબૂત સંવાદ દ્વારા સહકારી ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા સંઘ સંકલ્પબદ્ધ છે.” પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલી રાજ્યની 224 APMCના પદાધિકારીઓની આ વિશિષ્ટ બેઠકનું યજમાનપદ વેરાવળ APMC દ્વારા નિભાવવામાં આવ્યું હતું. પ્રમુખ પરેશ પરમારે યજમાનપદની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને સુચારું બનાવવામાં યોગદાન આપ્યું હતું. સંસ્થાના સેક્રેટરી કનકસિંહ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સુનિયોજિત વ્યવસ્થાને રાજ્યભરના અધિકારીઓએ ભરપૂર પ્રશંસા પાઠવી હતી. આયોજનકર્તાઓ પ્રત્યે સૌએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વેરાવળ APMCના ચેરમેન પરેશ પરમાર અને ગોવિંદ પરમારને સરદાર પટેલની પ્રતિમા તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુળીના લીંમલીમાં ગેરકાયદેસર ખનન પર દરોડા:3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત, 8 વાહનો ઝડપાયા
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે મુળી તાલુકાના લીંમલી ગામમાં સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર ખનન પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં ₹3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બે જેસીબી અને છ ડમ્પર સહિત કુલ આઠ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ વાહનોને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે, યુવરાજસિંહ પરમાર અને યોગી પરમાર દ્વારા આ સરકારી ગૌચરમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું. આ બંને ઈસમો સામે ગુજરાત મિનરલ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ નિવારણ નિયમો, 2017) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઈસમો છેવાડાનું ગામ હોવાથી અને અધિકારીઓ નહીં આવે તેવું માનીને દિવસ દરમિયાન મોટા પાયે માટી અને રેતીનું ગેરકાયદેસર ખનન કરતા હતા. વાહન ચાલકોના નિવેદનો લઈને વાહન માલિકો સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, ગૌચર જમીનમાં થયેલા મોટા પાયે ગેરકાયદેસર ખોદકામની માપણીની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરના અડાલજ-અંબાપુર રોડ પર માર્ગ અકસ્માતમાં CNG રિક્ષા લઇને જતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પૂરઝડપે અને ગફલતભરી કાર હંકારીને આવતા એક અજાણ્યા કારચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને પાછળથી ટક્કર મારીમૂળ ગરોડીયા ગામના અને હાલ અંબાપુર ગામે રહેતા બળદેવજી જયંતીજી ઠાકોર પોતાની સીએનજી રિક્ષા લઈને સવારે 6:30 વાગ્યાની આસપાસ અડાલજ ખાતે રહેતા એક બાળકને કુડાસણની એચીવર સ્કૂલ મૂકવા જવાના હતા. દરમિયાન અંબાપુરથી અડાલજ તરફ જતા રોડ પર ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં આવેલા આનંદ ગાર્ડન નર્સરી પાસે તેમની રિક્ષાને પાછળથી પૂરઝડપે આવતી એક ફોર-વ્હીલ કારે જોરદાર ટક્કર મારી હતી. રિક્ષા પલટી ખાઈ જતાં ચાલકને ગંભીર ઈજાઓ થઈઆ ટક્કર એટલી જોરદાર હતી કે બળદેવજીની રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને તેઓ રિક્ષા નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમને રિક્ષા નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં બળદેવજીને શરીરે ગંભીર ઇજાઓ, બંને પગે ફ્રેક્ચર તેમજ પેટના અને માથાના ભાગે આંતરિક ઇજાઓ થઈ હતી. બાદમાં ટોળામાંથી કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રિક્ષાચલાકનું મોત નીપજ્યું હતુંગંભીર રીતે ઘાયલ બળદેવજીએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પોતાના નાના ભાઈ મહેશજી જયંતીજી ઠાકોરને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, તેમણે અકસ્માત કરનાર ફોર-વ્હીલરનો ફોટો પોતાના મોબાઈલમાં પાડી લીધો છે. બાદમાં મહેશજી પોતાના મિત્ર સાથે સિવિલ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમના જીજાજી સંજયજી ઠાકોરનો ફોન આવ્યો હતો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે બળદેવજીને મરણ જાહેર કર્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતકનો મૃતદેહ પરિવારને સોંપ્યોત્યાર બાદ મહેશજી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતાના ભાઈનો ફોન તપાસતા તેમાં સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર GJ24X7095)નો ફોટો મળી આવ્યો હતો. પોલીસે બળદેવજીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર માટે લાશનો કબજો પરિવારને સોંપ્યો હતો. આ અંગે મહેશજી ઠાકોર ની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અને ઓવરલોડિંગની પ્રવૃત્તિઓ પર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે તા. 14 અને 15 નવેમ્બર દરમિયાન બે દિવસીય મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતગર્ત ભૂસ્તર તંત્રએ 4 કરોડના 11 ડમ્પર જપ્ત કરી રૂ.18.52 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. બે દિવસની મેગાડ્રાઈવ યોજી ખનીજ માફીયાઓ પર તવાઈ બોલાવાઈગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અને ઓવરલોડિંગની પ્રવૃત્તિઓ પર કલેક્ટર મેહુલ દવેએ કડક નિયંત્રણ લાદ્યું છે. જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બે દિવસીય મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું, આ ખાસ ડ્રાઇવમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની આગેવાની હેઠળની ટીમે કલોલ-ગાંધીનગર રોડ, વલાદ-લવારપુર રોડ, અને સેક્ટર-26, 27ના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 11 ડમ્પર વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેઓ સાદી રેતી અને માટી જેવા ખનીજોનું બિનઅધિકૃત વહન કરી રહ્યા હતા. આ ઝડપાયેલા 11 વાહનોમાંથી 7 ડમ્પર રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરી રહ્યા હતા, જ્યારે અન્ય 4 ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ ખનીજનું વહન કરી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. ચાર કરોડનો મુદ્દામાલ સીઝ કરી વાહનમાલિકો સામે કાર્યવાહીજેના પગલે ભૂસ્તર તંત્ર ધ્વારા ડમ્પરો સહિત 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આ વાહનોના માલિકો ધીરજભાઈ પટેલ, અલ્પેશભાઈ દેસાઈ, અંકિતભાઈ પટેલ, જીગ્નેશભાઈ, કરણભાઈ ઓડ, અરવિંદભાઈ વણઝારા, વિતેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, કેતનભાઈ વણઝારા અને રાજુભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદેસર ખનીજ વહન બદલ વાહન માલિકો પાસેથી કુલ 18.52 લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કલેક્ટરે જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓને કોઈ અવકાશ ન મળે તે માટે તમામ અધિકારીઓને કડક અમલવારી ચાલુ રાખવા આદેશ આપ્યો છે. જેથી ગેરકાયદેસર ખનનથી પર્યાવરણ અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવી શકાય. આ સમાચાર પણ વાંચોઃફોર્ચ્યુનર-ક્રેટામાં સવાર માફીયાઓએ મહિલા અધિકારી દેવયાનીબાને ઘેર્યા રાજ્યમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે ફરજ પર હાજર સરકારી મહિલા અધિકારીઓ પર હુમલો કરી તેમને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક ઘટના કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં બની છે. ગાંધીનગર-છત્રાલ હાઇવે પર ભૂસ્તર વિભાગના દેવયાનીબા જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર પકડ્યું. પરંતુ ખનન માફીયાઓ આ ડમ્પર છોડાવીને નાસી છૂટ્યા હતા. ત્યાર બાદ એક્શન-થ્રીલર ફિલ્મને પછાડે એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.(સંપૂર્ણ સમાચાર વાંચો)
ગોધરાના મહુલીયામાં યુવકે ગળેફાંસો ખાધો:પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી તપાસ શરૂ કરી
ગોધરા તાલુકાના મહુલીયા ગામે એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના મહુલીયા ગામના થાણા ફળિયામાં બની હતી, જ્યાં કિરીટ ખાંટ નામના યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ગોધરા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. કિરીટ ખાંટના આત્મહત્યાના કારણે તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગેનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.
પાટડી ખારાઘોડા કેનાલમાં રવિવાર સવાર સુધી પાણી મળશે:ખેડૂતોની રજૂઆત બાદ નર્મદા વિભાગે ખાતરી આપી
પાટડી તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી છોડવા અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે વિરમગામ સ્થિત નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ અધિકારીઓએ રવિવારે સવાર સુધીમાં પાટડી-ખારાઘોડા મેઈન કેનાલમાં પાણી પહોંચી જવાની ખાતરી આપી હતી. ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યો અને પાટડી તાલુકાના ખેડૂતોએ કેનાલના પાણીના પ્રશ્નો ઉપરાંત કેનાલની સફાઈ, આસપાસના બાવળો દૂર કરવા, પાણી ઝમવાની સમસ્યા અને કેનાલના સમારકામ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા બાદ નર્મદા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે સવાર સુધીમાં પાટડી-ખારાઘોડા મેઈન કેનાલમાં પાણી પહોંચી જશે. અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓએ તાત્કાલિક ગામોની મુલાકાત લઈ કેનાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની અને જરૂરી કામોની માહિતી મેળવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં વિક્રમભાઈ રબારી, પ્રશાંતભાઈ, પ્રવિણભાઈ વકીલ, પૂર્વ ટીડીઓ મનસુખભાઈ, સુભાષભાઈ, ભક્તિગીરી સહિત અનેક ખેડૂત ભાઈઓ જોડાયા હતા. અધિકારીઓએ કેનાલ સંબંધિત તમામ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવાના પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
પાટણ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ શાંત:ઉપપ્રમુખની ચેમ્બર પુનઃ શરૂ, મુલાકાતી ખંડ બંધ
પાટણ નગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલો આંતરિક વિવાદ આખરે શાંત થયો છે. ઉપપ્રમુખની ચેમ્બર ફરીથી શરૂ કરવામાં આવી છે, જ્યારે અગાઉ જનતા માટે બનાવાયેલો 'મુલાકાતી ખંડ' બંધ કરી દેવાયો છે. આ નિર્ણય 15 નવેમ્બર, 2025 ના રોજ લેવામાં આવ્યો હતો. અગાઉ, પાલિકા પ્રમુખ દ્વારા ઉપપ્રમુખની ઓફિસ છીનવી લેવામાં આવી હતી અને તેને પાટણની જનતા માટે મુલાકાતી ખંડમાં રૂપાંતરિત કરાઈ હતી. ચીફ ઓફિસરે લેખિત આદેશ દ્વારા ઉપપ્રમુખનો હોદ્દો સંવૈધાનિક ન હોવાનું જણાવી ચેમ્બર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ભાજપના શાસકો વચ્ચેના આ આંતરિક વિવાદને કારણે પાટણની જનતાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી અને રોડ-રસ્તાના કામો અટવાયા હતા. આ લડાઈ દરમિયાન ભાજપના એક જૂથે બીજા જૂથ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા. શનિવારે, કહેવાતા વિજય મુહૂર્ત 12:39 કલાકે, ભાજપના બંને જૂથના નેતાઓએ એકબીજાને મોં મીઠા કરાવી ચેમ્બર પુનઃ ચાલુ કરવાની ઉજવણી કરી હતી. અગાઉ ઉપપ્રમુખનો હોદ્દો અસંવૈધાનિક ગણાવાયો હતો, પરંતુ હવે અચાનક તેને સંવૈધાનિક ગણી ચેમ્બર ચાલુ કરાઈ છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, શાસકોએ ચેમ્બર ચાલુ કરવા માટે જે ઉત્સાહ દર્શાવ્યો, તેવો જ ઉત્સાહ પાટણની જનતાની સમસ્યાઓ જેવી કે ઉભરાતી ભૂગર્ભ ગટર, તૂટેલા રોડ, બંધ સ્ટ્રીટ લાઇટ અને પાણીના શુદ્ધ પુરવઠા માટે પણ દાખવવો જોઈએ. તેમણે જનતાના કામો પર ધ્યાન આપવાની માંગ કરી છે.
ગોધરાના કાંકણપુર ખાતે જન જાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, કાંકણપુર કોલેજ અને ટ્રાઇબલ રેસીડેન્સીયલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં, કાંકણપુર બી.એડ. કોલેજના મલ્ટી પર્પજ હોલ ખાતે આ ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના ટ્રાયબલ ચેર, કાંકણપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલેન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. હરિ કાતરીયાએ જણાવ્યું કે, આદિવાસી જનજાતિઓએ આઝાદીના સમયમાં જંગલોમાં રહીને દેશનું રક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બિરસા મુંડા, ગોવિંદ ગુરુ, તાત્યા ટોપે જેવા અનેક જનજાતિ નાયકોના આદર્શો, પરિશ્રમ, ઈમાનદારી, સમૂહ ભાવના અને વ્યસન મુક્તિ જેવા મૂલ્યો જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પલ્લવ દેસાઈએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવન અને તેમના સમાજલક્ષી કાર્યો પર વ્યાખ્યાન આપ્યું હતું. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના સી.ઈ.ઓ. તપન પટેલે વિદ્યાર્થીઓને મોબાઈલ અને વ્યસનથી દૂર રહી કારકિર્દી ઘડવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાયબલ ચેરના કોર્ડીનેટર ડો. મહેશ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેશ રાઠવાએ કર્યું હતું અને આભારવિધિ દૃષ્ટિબેન ગઢવીએ કરી હતી. અંતમાં, કુલપતિએ એમ.જી. હાઇસ્કુલ ખાતે યોજાયેલ ભગવાન બિરસા મુંડા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
બનાસકાંઠા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની સમીક્ષા કરાઈ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોના જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ રજૂઆતોનો સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લીધો હતો અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમણે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. કલેક્ટર મિહિર પટેલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામો સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા અને વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને આજે આણંદની મુલાકાત લીધી હતી. તેમણે કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આણંદ સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરી, કમિશનર મિલિંદ બાપના અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અગ્ર સચિવએ મનપાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક બાદ, અગ્ર સચિવ થેન્નારસને કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા રોડ રીસરફેસિંગના કામો અને અન્ય વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કરમસદ ખાતેના અખંડ ભારત ઉદ્યાનની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ, સીટી ઇજનેર જીગર પટેલ, મનપાના આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર વિભાકર રાવ, એસ્ટેટ ઇન્સ્પેક્ટર પરેશ મિસ્ત્રી, ટાઉન પ્લાનર અર્પણ શાહ, ફાયર ઓફિસર ધર્મેન્દ્ર ગોર સહિત મનપાના વિવિધ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. શહેરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં કાપડની થેલીનું વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા નાગરિકો માત્ર ₹10માં ઉચ્ચ ગુણવત્તાવાળી કાપડની થેલી મેળવી શકશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં એક વખત વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાનો અને કાપડના થેલાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સૂચનાથી શરૂ કરાયેલ આ પ્રયોગ પર્યાવરણ સંરક્ષણ માટે ક્રાંતિકારી પગલું ગણાઈ રહ્યું છે. દરરોજ હજારો લોકોની અવરજવર ધરાવતા શાકભાજી માર્કેટમાં આ મશીનથી વેપારીઓ અને ખરીદદારો બંનેને પ્લાસ્ટિકના થેલાની જગ્યાએ કાપડના થેલા અપનાવવાની પ્રેરણા મળશે. મશીનના ઇન્સ્ટોલેશન સમયે નાયબ કમિશનર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને નાગરિકોને તેનો સતત ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યું કે આ તો માત્ર શરૂઆત છે. આગામી સમયમાં નવસારીના વિવિધ મુખ્ય સ્થળોએ આવા વધુ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવાની યોજના છે. આ પહેલ દ્વારા પર્યાવરણને બચાવીએ, પ્લાસ્ટિકને દૂર કરીએ અને નવસારીને ગ્રીન મોડેલ સિટી બનાવીએ તેવો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. આ અભિયાનથી નવસારી માત્ર સ્વચ્છતા અભિયાનમાં આગળ નથી વધી રહ્યું, પરંતુ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણમૈત્રી દ્રષ્ટિનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. નાગરિકો તરફથી પણ આ સરળ, સસ્તું અને પર્યાવરણ માટે જવાબદાર વિકલ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે નવસારીને ભવિષ્યમાં પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવામાં મદદરૂપ થશે.
આજે 15 નવેમ્બરના રોજ આદિવાસી સમાજના મસીહા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી શામળાજી તાલુકાના ખેરંચા ખાતે રાજ્ય સરકારના આદિવાસી વિભાગ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ખેરંચા સ્થિત સૂર્યા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 25 હજારથી વધુ આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પી.સી. બરંડાનું આદિવાસી નૃત્ય સાથે ખભે બેસાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે આદિવાસી લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું હતું અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત જનમેદનીએ વરચ્યુઅલી ઉપસ્થિત રહેલા પ્રધાનમંત્રીનું ઉદ્બોધન પણ સાંભળ્યું હતું. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજની વસ્તી વિશેષ પ્રમાણમાં છે, જેમાં અરવલ્લીના મેઘરજ અને ભિલોડા તાલુકાનો સમાવેશ થાય છે. આદિવાસી સમાજના શહીદ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 'ગૌરવ દિવસ' તરીકે ઉજવીને તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા પંચાયત પ્રમુખ, મોડાસાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે વીજળી, રોડ-રસ્તા, રિસરફેસિંગ, પીવાના પાણીની સુવિધા, ખાણ-ખનીજ સંબંધિત કામો અને આરોગ્ય વિભાગના યોજનાકીય લાભો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે પોસ્ટ માસ્ટર સમીરકુમારે પોસ્ટ ઓફિસની બુક નાઉ પે લેટર યોજના વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી અને સરકારી કચેરીઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતા લાછુંને મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા તકેદારી સમિતિ, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકો પણ યોજાઈ હતી.આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી અને નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડગામ તાલુકાના છાપી ખાતે આવેલી વસંત ફેબ્રિકેટ્સ ઇન્ડસ્ટ્રીમાં એક યુવકનું ટેન્કર બ્લાસ્ટ થતા મોત નીપજ્યું છે. આ ઘટના ઇન્ડસ્ટ્રીના ટેસ્ટિંગ એરિયામાં બની હતી, જ્યાં હવાના પ્રેશરને કારણે ટેન્કનું ઢાંકણું ઉછળીને યુવકને વાગતા તે ફંગોળાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, વીર ઇન્ટરનેશનલ ટેક્સ એન્ડ કન્ટેનર્સ પ્રા. લિ.ના એરિયામાં ISO ટેન્કર પર એક યુવક બોલ્ટ ફીટ કરી રહ્યો હતો. તે સમયે ટેન્કરની અંદરના હવાના પ્રચંડ દબાણને કારણે તેનું વચ્ચેનું ઢાંકણું અચાનક નીકળી ગયું હતું. યુવકનું ઘટનાસ્થળે જ મોતઢાંકણું સીધું યુવકને વાગ્યું હતું અને હવાના પ્રેશરથી તે ઊંચે ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા છાપી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્રણ દિવસ પહેલાં, ભરૂચની GIDCમાં વિસ્ફોટ બાદ આગની ઘટનામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો... ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત, 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.. આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતોબ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા, આસપાસની 4થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે. જુઓ, સાયખા GIDCમાં વિસ્ફોટના CCTV; મધરાતે ધડાકો થયો ને આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો
જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠક કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત અમલીકરણ અધિકારીઓને પ્રજાલક્ષી પ્રશ્નોનું સત્વરે અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં નાગરિક સેવાઓના કાર્યો અને લોક સેવાઓના પ્રશ્નોનું ઝડપી અને નિયમ અનુસાર નિવારણ લાવવાનો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા. આ જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને નાગરિક સેવાઓ અને લોક સેવાઓના કાર્યો સરકારની જોગવાઈઓ નિયમો પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને અરવિંદ લાડાણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં પાયાની સુવિધાઓ, જાહેર સેવાઓના અમલીકરણમાં થતો વિલંબ અને વહીવટી કાર્યક્ષમતા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થતો હતો. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ દરેક પ્રશ્નની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગના વડાઓને તાત્કાલિક અસરથી તેના નિરાકરણ માટે આદેશ આપ્યો હતો. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે સરકારી જોગવાઈઓ અને નિયમો અનુસાર તમામ કાર્યો ગુણવત્તા સાથે અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રજાના પ્રશ્નો અને ફરિયાદોને ગંભીરતાથી લઈને તંત્રએ સંવેદનશીલતાથી કામ કરવું જરૂરી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે અધિકારીઓનું સન્માન સંકલન બેઠકમાં વહીવટી કામગીરીની સમીક્ષાની સાથે તાજેતરમાં યોજાયેલા બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી અને જૂનાગઢ મુક્તિ દિન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યુનિટી માર્ચનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના જે અધિકારીઓએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી, તેવા અધિકારીઓને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા જિલ્લા વહીવટી તંત્રમાં ઉત્સાહ અને પ્રેરણાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અધિકારીઓએ કરેલા ઉત્કૃષ્ટ યોગદાનની નોંધ લેવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની આ બેઠક જિલ્લાના વહીવટી તંત્રને લોકપ્રશ્નોના નિરાકરણ માટે વધુ સક્રિય અને જવાબદેહ બનવા માટેની દિશા આપે છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠક જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચેના સંકલનને મજબૂત કરે છે અને જાહેર સેવાઓના અમલીકરણમાં સમયબદ્ધતા સુનિશ્ચિત કરે છે.
જામનગર SP ડો. રવિ મોહન સૈનીનું ઇન્સ્પેક્શન:DYSP શહેર અને ગ્રામ્ય કચેરીમાં રેકોર્ડ તપાસી સૂચના આપી
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ શહેર અને ગ્રામ્ય DYSP કચેરીઓની મુલાકાત લીધી હતી. તેમણે કચેરીના તમામ રેકોર્ડ્સ તપાસ્યા અને સમગ્ર કચેરીનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન, ડો. સૈનીએ પોલીસ કાર્યવાહીમાં કોઈ ક્ષતિ ન રહી જાય અને પોલીસ કર્મચારીઓ પ્રજા સાથે યોગ્ય વર્તન કરે છે કે કેમ તેની ખાતરી કરી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ નિરીક્ષણ સમયે શહેર DYSP જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય DYSP આર. બી. દેવધા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં વિદેશ લઈ જઈ સાયબર ફ્રોડ કરાવતાપોલીસ મુજબ, ગેંગની રીતસરની મોડસ ઓપરેન્ડી હતી. તેઓ યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રી અથવા આસાન ઓનલાઈન કામ આપવાની લાલચ આપી વિદેશ મોકલતા. પાકિસ્તાની સહયોગીઓ ભારતીય નાગરિકોને બોર્ડર પાર કરાવીને દુબઈના રૂટથી થાઈલેન્ડ અને પછી મ્યાનમાર મોકલતાં. ત્યાં પહોંચ્યા બાદ યુવકોને AI એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ઑનલાઇન ટ્રેડિંગ અને રોકાણના નામે છેતરપિંડી કરાવવાની ફરજ પાડવામાં આવતી હતી. એજન્ટો પ્રતિ વ્યક્તિ 2,000 ડોલરનું કમિશન લેતાંઆ રેકેટ મારફતે અત્યાર સુધી 41 ભારતીય નાગરિકોને વિદેશ મોકલવામાં આવ્યા હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે. ધરપકડ કરાયેલા એજન્ટો નોકરી માટે વિદેશ જવાની ઇચ્છા ધરાવતા લોકો પાસેથી વ્યક્તિ દીઠ 80,000 રૂપિયા વસૂલતા હતાં. બદલામાં તેમને પ્રતિ વ્યક્તિ 2,000 ડોલરનું કમિશન મળતું હતું. લાંબા સમયથી ચાલતા આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનું ગુજરાતમાં મજબૂત ઘૂંસપેઠ હોય તેવી સંભાવના સામે આવી રહી છે. સાયબર સેલ દ્વારા ફેલાયેલા આ નેટવર્કની લિંક ટ્રેસગાંધીનગર સાયબર સેલ હવે પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં ફેલાયેલા આ ગેરકાયદેસર નેટવર્કની લિંક ટ્રેસ કરી રહ્યું છે. વધુ લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે પીડિત ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સાવચેતી
એસોસિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઝ દ્વારા ભોપાલમાં સાઉથ વેસ્ટ ઝોન જુડો ટૂર્નામેન્ટ - 2025 યોજાઈ હતી. જેમાં 100 થી વધુ યુનિવર્સિટીઓના 2,000 થી વધુ ખેલાડીઓ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડી જયદીપસિંહ ઠાકુરે ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિધ્ધિ અપાવી. જ્યારે તેમના જ સગા ભાઈ યોગેન્દ્ર ઠાકોરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા બંને ભાઈઓનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીઝમાં રમવા માટે સિલેક્શન થયું છે. જેમના પિતા ખાણીપીણીની લારી ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. નબળી આર્થિક પરિસ્થિતીમાં પણ બંને સંતાનોએ અથાગ મહેનત કરી સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ સિધ્ધિ હાંસલ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક રાબાએ જણાવ્યું હતું કે, જુડો ભાઈઓની સાઉથ વેસ્ટ ઝોનની ઝોનલ સ્પર્ધા ભોપાલની શેગ યુનિવર્સિટી ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. જેમાં ભારતની 100 થી વધુ યુનિવર્સિટીઓના 2,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમની સાથે સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની એલ. ડી. ધાનાણી કોલેજના ટીવાયબીએના વિદ્યાર્થી જયદીપસિંહ ઠાકુરે અન્ડર 73 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી યુનિવર્સિટીની અદ્વિતીય સિદ્ધિ અપાવી હતી. જ્યારે તેમના સગા ભાઈ અને અમરેલીની કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજના એસવાય બીસીએના વિદ્યાર્થી યોગેન્દ્ર ઠાકોરે પણ જુડોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતુ. બંને ભાઈઓની કાબીલેદાદ મહેનત રંગ લાવી અને તેમનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં રમવા માટે સિલેક્શન થઈ ચૂક્યું છે. તેમના પિતા ભરતસિંહ વતનમાં ખાણીપીણીની લારી ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જે સ્પર્ધાના પરફોર્મન્સના આધારે તેમના માટે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં રમવા માટેના દરવાજા પણ ખૂલી જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ત્યાં રમવા માટે અસાદુલ્લાહશાહ કાદરી, રોનક ચૌહાણ, વિવેકકુમાર અને ચંદ્રભૂષણ છુંછિયા પણ હતા. જુડો ભાઈઓની ટીમ સાથે કોચ અને મેનેજર ક્રિષ્ના જોશીએ ખેલાડીઓને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના પછી પ્રથમ વખત જુડો ભાઈઓમાં ગોલ્ડ મેડલ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થતા યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટ્રાર મનીષ ધામેચા તેમજ શારીરિક શિક્ષણના અધ્યાપકો સહિતનાએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે જિલ્લા કક્ષાનો 'જનજાતિય ગૌરવ વર્ષ' કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમ સાંસદ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. આ પ્રસંગે અંદાજિત રૂ. 9.93 કરોડના 8 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કામોમાં આંગણવાડી બાંધકામ, ગેડી-પરનાળા મેજર બ્રિજ, ગ્રામ પંચાયત ઘર અને સુવિધાપથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહાનુભાવોના હસ્તે આદિજાતિના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા યુવાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા. સાંસદ ચંદુભાઈ શિહોરાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, બિરસા મુંડાજીના કાર્યો અને આપણા પૂર્વજોના બલિદાનોને ક્યારેય ભૂલવા ન જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશને વિશ્વના નકશા પર નંબર વન બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શિહોરાએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ લીધો છે, જેને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આવશ્યક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વદેશી અપનાવવાથી 2047 સુધીમાં ભારતને નંબર વન બનતા કોઈ રોકી શકશે નહીં. તેમણે વૈશ્વિક મંદીના સમયમાં પણ મોદી સરકારના સુશાસનને કારણે ભારત પર તેની અસર ન થવા દીધી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ આદિવાસી ભાઈઓના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકાર આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, વીજળી અને આવાસ યોજના સહિતના અનેક વિકાસ કાર્યો માટે કટિબદ્ધ છે. તેમણે 150મી બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આ વિસ્તારના આદિવાસી ભાઈઓ માટે રૂ. 17 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. ધારાસભ્ય પી. કે. પરમારે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાને વંદન કર્યા, જેમણે જળ, જંગલ, જમીન અને જનજાતિની સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
ગાંધીનગર જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સુવિધાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને નવેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર સમક્ષ કલોલ અને માણસાના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના ગેરકાયદેસર દબાણો સહિતની સમસ્યાઓની વ્યથા ઠાલવી હતી. જેનો તાત્કાલિક નિકાલ લાવવા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. વરસાદી પાણી ભરાવા અને ગેરકાયદેસર દબાણ જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતગાંધીનગર જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સુવિધાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને નવેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિકાસ કાર્યો અને વહીવટી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ધારાસભ્યોએ તેમના મતવિસ્તારના મુખ્ય પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા કલોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા અને ગેરકાયદેસર દબાણ જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા સહકારી મંડળીઓ અને ખેડૂતોને લગતી મહત્વપૂર્ણ કામગીરીને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા માણસાના વિકાસ માટે વિવિધ સરકારી ગ્રાન્ટોની ફાળવણી અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંકલન બેઠકમાં વીજળી, રોડ-રસ્તાની ગુણવત્તા, બસ સ્ટેન્ડની સુવિધાઓ અને નેશનલ હાઇવે ઓથોરિટી સંબંધિત વિકાસ કામોના પ્રશ્નોની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીઓ હાજર હતાવહીવટી અને ફરિયાદના મુદ્દાઓ અંગે કલેક્ટર મેહુલ દવેએ તમામ વિભાગોના અધિકારીઓને કડક તાકીદ કરી હતી. તેમણે ખાસ કરીને નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા અન્ય લાભો, અને લોક અરજીઓના ઝડપી નિકાલ પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, તે વહીવટી કામગીરીને માત્ર ફરજ નહીં, પરંતુ જનસેવાનું માધ્યમ બનાવીને લોક પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, નિવાસી અધિક કલેક્ટર નિશા શર્મા, અધિક કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી એ.ડી. વણઝારા સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા 'આપકી પુંજી આપકા અધિકાર' કાર્યક્રમ અંતર્ગત આણંદમાં 29 ખાતાધારકોને ₹1.16 કરોડ પરત કરવામાં આવ્યા છે. આ રકમ વિવિધ બેંકોમાં 10 વર્ષથી વધુ સમયથી બિનદાવેદાર પડી હતી. આણંદના ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બેંક અધિકારીઓના હસ્તે આ રકમ પરત અપાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ગુજરાતના રિજિયોનલ ડાયરેક્ટર અમરેશ રંજને જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા 10 વર્ષથી વધુ સમયથી RBIમાં જમા થયેલી રકમ થાપણદારો અથવા તેમના વારસદારોને પરત સોંપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી તમામ થાપણદારોને તેમના પૈસા પરત નહીં મળે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. એસએલબીસી ગુજરાતના જનરલ મેનેજર અશ્વિની કુમારે બેંક ખાતું ખોલાવતી વખતે સંયુક્ત ખાતું ખોલાવવા અને નોમિનેશન ફરજિયાત કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ₹3000 કરોડથી વધુની રકમ 10 વર્ષ કરતાં વધુ સમયથી બિનદાવેદાર પડી છે, જે RBIમાં જમા થઈ છે. આ અભિયાન દ્વારા ગ્રાહકો તેમની ભૂલી ગયેલી રકમ પરત મેળવી શકશે. એસએલબીસીના ડીજીએમ વીણા શાહે માહિતી આપી હતી કે, આણંદ જિલ્લાની 24 જેટલી વિવિધ બેંકોમાં ₹129 કરોડથી વધુની રકમ બિનદાવેદાર પડી છે. તેમણે થાપણદારોને તેમની રકમ પાછી મેળવવા માટે સંબંધિત બેંકના અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના જનરલ મેનેજર અતુલ રાઠીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં SBIની 42 શાખાઓ આવેલી છે. હાલમાં, 310 જેટલા ખાતાધારકોને તેમના પૈસા પરત આપવા માટે ટ્રેક કરવામાં આવ્યા છે અને બેંક દ્વારા આ ઝુંબેશ ચાલુ રહેશે.
પંચમહાલ SOGએ વોન્ટેડ આરોપીને ઝડપ્યો:ઉદયપુર ઘરફોડ ચોરી કેસનો 4 વર્ષથી ફરાર આરોપી
પંચમહાલ-ગોધરા SOG પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં ચાર વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ગોધરાના અછાલા ગામમાંથી કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપીનું નામ દલપત ઉર્ફે દલ્લાભાઈ માનસિંગ નાયક છે, જે ગોધરા તાલુકાના અછાલા ગામ, બોરવણી ફળિયાનો રહેવાસી છે. તે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 196/2021, IPC કલમ 380 અને 114 હેઠળ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. આ કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ નિર્દેશોના આધારે, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે તેમની ટીમને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. SOG સ્ટાફના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહ અને આ.પો.કોન્સ. હિતેશકુમાર આરતસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે, પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને SOG સ્ટાફે સફળતાપૂર્વક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
PM મોદીએ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં બંધાઈ રહેલા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા. રોડ શો પછી, વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ₹9,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ઉલ્લેખનિય છે કે, દિલ્હી જવા રવાના થતા પહેલાં તેઓ સુરત એરપોર્ટ પર બિહારી સમુદાય સંબોધવા સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર ગમછો લહેરાવી PMનું સ્વાગત ડેડિયાપાડાથી દિલ્હી જવા રવાના થતા પહેલાં PM મોદી સુરત એરપોર્ટ પર બિહારી સમુદાય સંબોધવા સુરત એરપોર્ટ પર પહોંચ્યા. સુરત એરપોર્ટ પર ગમછો લહેરાવી PMનું સ્વાગત કરાયું. તેમજ PMને આવકારવા હજારો લોકો સુરત એરપોર્ટ પરપહોંચ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સહાય પેકેજ મુદ્દે હર્ષ સંઘવીની અધિકારીઓને ચેતવણી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લસકાણા ખાતે આયોજિત 'પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ'માંથી રાજ્યના અધિકારીઓને આકરો સંદેશ આપ્યો. તેમણે તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપાયેલા સહાય પેકેજની વાત કરતાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો એક પણ ખેડૂતની વળતર બાબતે ફરિયાદ આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ રાજ્યભારના શિક્ષકોને SIR (special intensive revision) એટલે કે, ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (15 નવેમ્બર) રાજકોટ અને અમદાવાદમાં શિક્ષકો અને શૈક્ષિણીક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO (બુથ લેવલ ઓફિસર)ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માગ છે. સાથે જ બીમાર હોય કે દૂર રહેતા હોય તેમાં શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ નીંદનીય છે, જેથી શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રસ્તાના કામની ગુણવત્તા પર કમિશનરની થર્મોમીટર ટેસ્ટ સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વીડિયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી. આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઊતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેણે રસ્તાના રિકાર્પેટિંગ માટે આવેલું મટિરિયલ પૂરતું ગરમ છે કે કેમ, તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નિરમા યુનિવર્સિટીના કર્મીની 5 કરોડની ઉચાપત અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા મના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી છે. જે વિધાર્થીઓના બુક રિફંડના નાણાં પેટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતાં. આરોપીએ પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટૂકડે ટૂકડે બે વર્ષમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. નિરમા યુનિવર્સિટીએ સોલા પોલીસ સ્ટેશનમાં કર્મચારી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો લગ્નના દિવસે જ વરરાજાએ દુલ્હનની હત્યા કરી ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા થઈ છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આજે(15 નવેમ્બર) સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે. સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી સાજન બારૈયા નાસી છૂટ્યો હતો.આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે જ તેની હત્યા થઈ ગઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પત્નીને ગોળી મારી, પતિએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના પટાંગણમાં પતિએ પત્નીને ગોળી માર્યા બાદ પોતે પણ લમણે ગોળી માર્યાની કરુણ ઘટના સામે આવી છે. પત્નીના ભત્રીજા સાથેના પ્રેમ સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચે દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો. આજે (15 નવેમ્બર) સવારે પત્નીના પ્રેમ સબંધથી કંટાળેલા પતિએ યોગામાંથી પરત આવતાની સાથે બિલ્ડિંગના પટાંગણમાં જ પત્નીને ગોળી ધરબી દીધી હતી, જે બાદમાં પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. હાલ પત્નીની હાલત ગંભીર છે, તેને પહેલાં સિવિલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. FSLની ટીમ દ્વારા રિવોલ્વર કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SG હાઈ-વે પર હિટ એન્ડ રન અમદાવાદના SG હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપથ રંગોલી રોડ પાસે 14 નવેમ્બરની મોડીરાતે બાઇક પર જઈ રહેલા બે હોમ ગાર્ડ જવાનને પૂર ઝડપે આવતા કારચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતથી બન્ને હોમગાર્ડ બાઇક સાથે રોડ પર પટકાતા એકને ગંભીર ઈજા પહોંચી છે. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ કારના ચાલકે આગળ પણ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. હાલમાં સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી નશાની હાલતમાં હતો કે કેમ? સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો હવે રાજ્યમાં બેવડી સીઝનનો અનુભવ થશે હવામાન વિભાગ ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ રાજકોટ જ્યાં ન્યૂનતમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શરૂઆતથી સૌથી ઠંડુ રહેતા અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ જ્યારે વડોદરામાં પણ 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, હવે રાજ્યમાં બેવડી સીઝનનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને 'ધરપકડ વોરંટ' જેવી દમનકારી પ્રથા સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM), ગુજરાત રાજ્યે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીઓ અને મુખ્ય ચૂંટણી અધિકારીને સામૂહિક ભાવનગર કલેક્ટર ડો.મનીષ બંસલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ અંગે મહાસંઘે આ 'ધરપકડ વોરંટ'ની પ્રથાને 'દુઃખદ, અપમાનજનક અને ગુલામશાહી સમાન' ગણાવીને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી છે. સંગઠને જણાવ્યું છે કે, શિક્ષકો રાષ્ટ્રીય ફરજોમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થાય છે, તેમ છતાં આવી કાર્યવાહી તેમના સન્માનને ઠેસ પહોંચાડે છે. મુખ્ય માંગણીઓ અને મુશ્કેલીઓનું નિરાકરણABRSMએ રજૂઆત કરી છે કે, BLOની કામગીરી શિક્ષકો માટે અત્યંત કઠિન અને માનસિક તાણ ઊભું કરનારી છે, કારણ કે તેમને શાળાકીય ફરજ બાદ આ કામગીરી કરવી પડે છે. મહાસંઘે તાત્કાલિક વિચારણા માટે 8 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે ધરપકડ વોરંટ પ્રથા રદ કરવી : BLO શિક્ષકો સામે વોરંટ જેવી કાર્યવાહી સદંતર બંધ કરવામાં આવે. BLO ફરજની સમાન વહેંચણી : કેન્દ્રીય ચૂંટણી આયોગના આદેશ મુજબ અન્ય 12 કેડરના કર્મચારીઓમાં BLO ફરજની સમાન ફાળવણી તાત્કાલિક અમલમાં લાવવી. હાલમાં 90 ટકા થી વધુ BLO શિક્ષકો છે. અલગ BLO કેડર રચના : શિક્ષણ કર્મચારીઓને બદલે આગામી સમયમાં BLO કામગીરી માટે અલગ કેડરની રચના કરવી. અપમાનજનક વર્તનથી મુક્તિ : અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કે ધમકાવણીના બનાવો ન બને તે માટે માર્ગદર્શિકા જાહેર કરવી. માનવતાપૂર્વકની પ્રક્રિયા : સામાજિક કારણસર ગેરહાજર રહેનાર શિક્ષકને સ્પષ્ટતા માટે તક આપવામાં આવે, શિસ્ત ભંગની નોટિસ આપવી અન્યાયકારી છે. ઓનલાઈન કામગીરીનો વિરોધ : ડેટા એન્ટ્રી માટે સંસાધનોની સ્પષ્ટતા ન હોવાથી ઓનલાઈન એન્ટ્રીના ઓર્ડર ન કરવા. માતૃશક્તિને રાહત : BLO કામગીરી કરતી મહિલા શિક્ષકોના મોબાઈલ નંબર ફરજિયાતને બદલે મરજિયાત રાખવા, જેથી તેમને રાત-દિવસ આવતા ફોનથી મુશ્કેલીઓ ન પડે. મહાસંઘે રાજ્ય સરકારને શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં રોકવાને બદલે શિક્ષણની ગુણવત્તા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું છે આ આવેદનપત્ર વેળાએ ભાવનગર જિલ્લાના બીએલઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારામાં લોખંડનો દરવાજો લાગતા બાળકનું મોત:લજાઈ નજીક કારખાનામાં રમતા પાંચ વર્ષના બાળકને ગંભીર ઈજા
ટંકારાના લજાઈ નજીક એક કારખાનામાં રમતા પાંચ વર્ષના બાળકનું લોખંડનો દરવાજો માથામાં વાગવાથી મોત થયું છે. આ ઘટના નસીતપર રોડ પર આવેલા મારુતિ પ્લાસ્ટિક કારખાનામાં બની હતી, જ્યાં બાળકને ગંભીર ઈજા થઈ હતી. મૃતક બાળકનું નામ સંદીપ ડાવર (ઉંમર ૫ વર્ષ) છે. તે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં કારખાનાની લેબર કોલોનીમાં મજૂરી કરતા રગનભાઈ સમરીયાભાઈ ડાવર (ઉંમર ૩૫ વર્ષ) નો દીકરો હતો. સંદીપ કારખાનામાં રમી રહ્યો હતો ત્યારે અચાનક લોખંડના દરવાજા સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, રાજકોટમાં સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતક બાળકના પિતા રગનભાઈ ડાવરે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવની નોંધ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ રેલવેના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં બે મહત્વપૂર્ણ નવી રેલ લાઇન —દેશલપર–હાજીપીર–લૂણા (82 કિમી) અને વાયોર–લખપત (63 કિમી) બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટોને કેન્દ્રીય મંત્રિમંડળે મંજૂરી આપી છે. સાથે જ ભુજ–નલિયા રેલ લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા–જખાઉ પોર્ટ નવી રેલ લાઇન સહિત કુલ લગભગ 194 કિમી રેલ લાઇનો રૂ. 3375 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. સરહદી અને તટીય વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટી મજબૂત કરવાની, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા તથા રણનીતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ અવસાનાઓને શક્તિશાળી બનાવવા આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રોજેક્ટથી માત્ર મીઠું, સિમેન્ટ, કોલસો અને બેન્ટોનાઈટ જેવી ચીજવસ્તુઓના પરિવહનની સાથે પ્રવાસનને પણ મોટો ફાયદો થશે. આ રેલ લાઇન હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસી સ્થળોને જોડશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો ઉમેરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત સમયગાળો 3 વર્ષનો છે અને તેનાથી 16 લાખ વસ્તીને સીધો લાભ થશે. દેશલપર–હાજીપીર–લૂણા સુધી નવી બ્રોડગેજ રેલ લાઇન દેશલપર–હાજીપીર–લૂણા (82 કિમી) અને વાયોર–લખપત (63 કિમી) મળીને કુલ 145 કિમીની નવી રેલ લાઇન પ્રોજેક્ટ છે. રેલવે બોર્ડે આ પ્રોજેક્ટને 3 સપ્ટેમ્બર 2025ના રોજ મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટને ₹2526.47 કરોડની કિંમતથી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 15 સ્ટેશનો, 91 રોડ અંડરબ્રિજ, 39 મોટા પુલ, 74 નાના પુલ અને 690 હેક્ટર જમીન અધિગ્રહિત કરવામાં આવશે. આમાં 2x25 kV AC વિદ્યુત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. દેશલપર–હાજીપીર–લૂણા (82 કિમી) સ્ટેશનો વાયોર–લખપત (63 કિમી) સ્ટેશનો મીઠા-સિમેન્ટ સહિતના ઉદ્યોગોમાં વધારો થશેહાલમાં આ વિસ્તારમાં રેલ જોડાણ નથી અને નજીકનું રેલ સ્ટેશન ભુજ 75 કિમી દૂર છે. નવી રેલ લાઇન બનવાથી લોકો માટે પરિવહન વધુ સુરક્ષિત, સસ્તુ અને સુવિધાજનક બનશે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે, લૂણા વિસ્તાર દેશના મુખ્ય મીઠા ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે. અહીં દર વર્ષે આશરે 10 મિલિયન ટન મીઠું ઉત્પાદન થાય છે, જે હાલમાં રોડ માર્ગે પરિવહન થાય છે. નવી રેલ લાઇનથી આ વિશાળ જથ્થો સરળતાથી રેલ માર્ગે મોકલી શકાશે. આ ઉપરાંત વિસ્તારમાં બોક્સાઇટ, લિગ્નાઇટ અને ફ્લોરાઇટ જેવા ખનિજના ભંડાર છે, જેમાંથી ખનન અને પરિવહન દ્વારા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ વધશે. વાયોર અને લખપત વિસ્તારોમાં સિમેન્ટ અને માઇનિંગ ઉદ્યોગો પહેલેથી જ સ્થિત છે, જેના કારણે માલ પરિવહનમાં વધારો થશે. ભુજ–નલિયા રેલ લાઇનનું વાયોર સુધી વિસ્તરણભુજ–નલિયા રેલ લાઇન (100 કિમી)નું મીટર ગેજથી બ્રોડ ગેજમાં રૂપાંતરણ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે નલિયા થી વાયોર (25 કિમી) સુધી રેલ લાઇનનું રૂ. 437.18 કરોડના અનુમાનિત ખર્ચે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક અને રણનીતિક બંને દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં મુખ્ય ઉદ્યોગ જેવી કે સાંઘી સિમેન્ટ (સાંઘીપુરમ) —પ્રસ્તાવિત વાયોર સ્ટેશન નજીક સ્થિત છે. હાલમાં આ ઉદ્યોગનું ઉત્પાદન ટ્રક દ્વારા ભુજ પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી રેલ માર્ગે મોકલવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી રેલ સુવિધા ઉપલબ્ધ નથી। આ પ્રોજેક્ટથી ઉદ્યોગોને સીધી રેલ કનેક્ટિવિટી મળશેઆ ઉપરાંત, જેપી સિમેન્ટ પણ વાયોર સ્ટેશન નજીક વિશાળ સિમેન્ટ ઉત્પાદન એકમ બનાવી રહ્યું છે, જેનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. રેલ લાઇનના આ વિસ્તરણથી તમામ ઉદ્યોગોને સીધી રેલ કનેક્ટિવિટી મળશે, જેના કારણે કાચા માલ અને તૈયાર ઉત્પાદનોનું પરિવહન વધુ સરળ, ઝડપી અને કિફાયતી બનશે. રસ્તા પરનું ટ્રાફિક ઓછું થશે, લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને સમગ્ર વિસ્તારનો આર્થિક વિકાસ થશે। રૂ.410.46 કરોડના ખર્ચે 25 કિમીની નવી બ્રોડગેજ રેલ લાઇનનલિયા–જખાઉ પોર્ટ નવી બ્રોડગેજ રેલ લાઇન નલિયા સ્ટેશનથી શરૂ થઈ જખાઉ બંદર સુધી જશે. આ પ્રોજેક્ટનો હેતુ જખાઉ બંદરને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડવાનો છે જેથી તેની માલ ઢોળવાની ક્ષમતા વધે અને મુદ્રા તથા કંડલા બંદરો ઉપરનો વધતો ભાર ઘટે. જખાઉ બંદર અભડસા તાલુકામાં સ્થિત છે અને 2001માં ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા તેનો નવનીકરણ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આ બંદર મુખ્ય આયાત–નિકાસ કેન્દ્ર તરીકે વિકસશે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹410.46 કરોડ છે. આ વિસ્તારમાં વિશાળ જમીન ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગો, ગોડાઉન, સર્વિસ પ્રોસેસિંગ અને પેકેજિંગ સેન્ટર સ્થાપવાની સંભાવનાઓ વધશે. હાલમાં અહીંથી કોલસા, મીઠું, ક્લિંકર અને સિમેન્ટનું પરિવહન રોડ માર્ગથી થાય છે, જે હવે રેલ માર્ગથી શક્ય થશે. જખાઉ બંદરનું સ્થાન રણનીતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે કારણ કે, આ બંદર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સીમાથી માત્ર 67 કિમી દૂર છે. નલિયા ભારતીય વાયુસેનાનો મહત્વપૂર્ણ એરબેઝ છે. રેલ લાઇનથી રક્ષણક્ષમતા પણ વધશે. આ કંડલા અને મુદ્રા બંદરો પરની ભીડ પણ ઘટાડશે. કચ્છ માટે આ પ્રોજેક્ટ કેમ મહત્વનો?ગુજરાતનો કચ્છ વિસ્તાર પ્રાકૃતિક સંસાધનો અને ઔદ્યોગિક ક્ષમતા બાબતે દેશમાં સૌથી સમૃદ્ધ વિસ્તારોમાં ગણાય છે. ભારતના કુલ લાઇમ સ્ટોન ઉત્પાદનનું લગભગ 70 ટકા ઉત્પાદન કચ્છમાં થાય છે, જેના કારણે આ વિસ્તાર દેશની સૌથી મોટી લાઇમ સ્ટોન બેલ્ટ તરીકે ઓળખાય છે. અહીંથી મળતો લાઇમ સ્ટોન ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. તેનો મુખ્યત્વે હાઇ-ગ્રેડ પ્રકાર હોય છે, જેમાં ની માત્રા 48–50% અને SiO₂ની માત્રા 4–6% વચ્ચે હોય છે, જે ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને દર્શાવે છે। કચ્છમાં 209 બેંટોનાઇટ ખાણો સક્રિયકચ્છમાં ઉપલબ્ધ બેંટોનાઇટ માટી પણ વિશ્વભરમાં પોતાની ઉત્તમ ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે. આની ખનન મુખ્યત્વે અભડસા, માંડવી અને લખપત તાલુકામાં થાય છે. અહીંની બેંટોનાઇટ તેની ઉચ્ચ શુદ્ધતા, સારું સ્વેલિંગ ક્ષમતા અને ઓછી ક્ષાર માત્રા માટે જાણીતી છે. આ ગુણધર્મો કારણે તેનો ઉપયોગ ડ્રિલિંગ ફ્લુઇડ, કોસ્મેટિક્સ, કૃષિ, વોટરપ્રૂફિંગ સહિત અનેક ઉદ્યોગોમાં થાય છે. હાલમાં કચ્છ જિલ્લામાં 209 બેંટોનાઇટ ખાણો સક્રિય છે, જેમાંથી દર વર્ષે આશરે 60 મિલિયન ટન ઉત્પાદન મળે છે, જે તેની ઔદ્યોગિક મહત્તાને સ્પષ્ટ કરે છે. ઔદ્યોગિક ઉત્પાદન સાથે કચ્છ વિસ્તાર રેલવેની દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પશ્ચિમ રેલવે હેઠળ આ વિસ્તાર સૌથી વધુ માલ લાદણ આપતો વિસ્તાર છે. એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન અહીંથી ઔદ્યોગિક મીઠાનું 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠું 1.119 મિલિયન મેટ્રિક ટન અને કન્ટેનર 10.586 મિલિયન મેટ્રિક ટન લાદવામાં આવ્યું, જે કચ્છની ઔદ્યોગિક ક્ષમતા અને લોજિસ્ટિક્સ મહત્તાને દર્શાવે છે। બોર્ડર વિસ્તાર માટે પણ મહત્વનો પ્રોજેક્ટઆ ઉપરાંત, કચ્છનું ભૂગોળીય મહત્વ પણ અત્યંત મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય તટીય સીમા નજીક સ્થિત હોવાથી આ વિસ્તાર રણનીતિક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. અહીં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહન તંત્રનું વિકાસ થવું રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. નવી રેલ લાઇનોના નિર્માણથી રક્ષણ દળોની તહેનાતી, સૈન્ય સામગ્રીના પરિવહન તથા આપત્તિની સ્થિતિમાં ઝડપી પ્રતિભાવ ક્ષમતા વધશે. આ દેશની રણનીતિક શક્તિ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં પૈસાની ઉઘરાણી કરતા સ્પા વર્કર યુવતીને બે મહિલા અને એક પુરૂષ દ્વારા અપહરણ કર્યા બાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત શરીરે ગરમ ચપ્પુના ડામ આપ્યા બાદ સોના-ચાંદીના દાગીના લૂંટી અને નિર્વસ્ત્ર કરી નાચવા મજબૂર કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે યુવતીની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફોન કરી પૈસા પરત માગતા આરોપીઓએ યુવતીને મળવા બોલાવીફરિયાદી યુવતીએ અગાઉ સ્પામાં કામ કરતી શિવાની મોરે નામની યુવતીને એડવાન્સ તરીકે રૂપિયા 6 હજાર આપ્યા હતા. જે પરત મેળવવાના હોવાથી છેલ્લા 10-12 દિવસથી યુવતી તેને ફોન કરી પૈસા માગતી હતી, ત્યારે 13 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યે શિવાનીએ ફોન કરી યુવતીને એસ-9 સ્ક્વેર કોમ્પ્લેક્સ પાસે પતંજલિ સ્ટોરની બાજુમાં બોલાવી હતી. ત્યાં સફેદ કલરની કાર આવી અને તેમાંથી શિવાની મોરે, તેનો પતિ વક્કાસ ઉર્ફે વકાર ફરીદભાઈ મલેક અને મુંબઇની ફજરીન આશિફ સલીમ શેખ બહાર નીકળ્યા હતા. સફેદ કલરની કારમાં અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયાત્રણેય આરોપીઓએ ભેગા મળીને યુવતીના વાળ અને હાથ પકડીને બળજબરીથી ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધી હતી. આરોપીઓએ યુવતીના ત્રણ ફોન કબજે કરી ચહેરા પર મુક્કા મારી અને ચપ્પુ બતાવી ચૂપ કરાવી દીધી હતી. ત્યાર બાદ અવાવરૂ જગ્યાએ એક મકાનમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. વક્કાસે આરોપ લગાવ્યો હતો કે, 'તું મારી પત્ની પાસે ખરાબ ધંધો કરાવે છે, તેની ઇજ્જત ખરાબ કરે છે અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપે છે.' જોકે, યુવતીએ આરોપ નકાર્યો અને સ્પાના સીસીટીવી તપાસવા કહ્યું હતું. પરંતુ ત્રણેય આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો તેમજ ચપ્પુના હાથાથી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. યુવતીને ગરમ ચપ્પુથી ડામ આપ્યા, નિર્વસ્ત્ર કરી નાચવા મજબૂર કરીઆ પછી તેને તાંદલજા ખાતે આવેલા શિવાની-વક્કાસના ઘરે લઈ ગયા હતા. ત્યાં વધુ માર માર્યા બાદ ગેસ પર ચપ્પુ ગરમ કરી વારાફરતી બંને પગ, નાકની જમણી બાજુ, જમણા હાથના પંજા અને જમણા કાન પાસે ડામ આપ્યા હતા. યુવતીના ગળામાં પહેરેલી સોનાની ચેન-પેન્ડલ, બંને હાથમાં ત્રણ સોનાની તથા ચાર ચાંદીની વિંટીઓ અને સોનાની કાનની બુટ્ટી બળજબરીથી કાઢી લીધી હતી. વક્કાસે ચપ્પુથી કપડાં ફાડીને ઉતારી નાખ્યા, પગની જાંઘ-ગોઠણ તથા ડાબા હાથના પંજા પર ઈજા કરી નિર્વસ્ત્ર કરી નાચવા મજબૂર કરી હતી. તેને ગરેકાયદેસર ગોંધી રાખીને ધમકી આપી હતી કે, 'પૈસા ભૂલી જા, અહીંથી નીકળવું હોય તો વધુ પૈસા આપ.' પોલીસે બે યુવતી સહિત ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધાસવારે યુવતીએ સ્પા માલિકને ફોન કરી પોલીસ બોલાવી હતી. જેપી રોડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતી તથા ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. બનાવ સમા-સાવલી રોડથી શરૂ થયો હોવાથી સમા પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો. યુવતીની પ્રાથમિક સારવાર બાદ ફરિયાદ નોંધી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યોસમા પાર્ટ-એ ગુ.ર.નં. 11196013250261/2025 હેઠળ ભા.દ.વિ. કલમ 115(2), 117(1), 118(1), 127(2), 137(2), 140(2), 308(5), 351(3), 76, 61(2), 54 તથા જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો. આરોપીઓના નામ
વડાપ્રધાન મોદી અવારનવાર પોતાના કાર્યક્રમમાં પોતાના પ્રસંશકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો સ્વીકારતા જોવા મળ્યા છે.આજે ડેડિયાપાડાના કાર્યક્રમમાં પણ આવી એક ઘટના બની હતી. વડાપ્રધાન મોદી પોતાના આદિવાસીઓની કલા વિશે વાત કરી રહ્યા હતા ત્યારે સભામાં એક યુવતીએ પોતે બનાવેલું વારલી પેઈન્ટીંગ ઊંચું કરતા વડાપ્રધાનમાં ધ્યાનમાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ વારલી પેઈન્ટીંગ સ્વીકાર્યું અને ત્યારબાદ આદિવાસીઓની કલાની વાત કરતા આદિવાસી કલાકાર પદ્મશ્રી પરેશભાઈ રાઠવાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાસ્કરે સભાસ્થળે આ બંને લોકો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ ભાષણ રોકીને ડેડિયાપાડાની યુવતીનું વારલી પેઈન્ટીંગ સ્વીકાર્યુંવડાપ્રધાન મોદીના સંબોધન તેઓ ગુજરાતના આદિવાસીઓની કલા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે ગુજરાતના આદિવાસીઓ પાસે અદભુત કલા છે. તેમણે બનાવેલા પેઈન્ટીંગ અને ચિત્રો ખાસ છે. આ સમયે જ સભામાં એક યુવતીએ હાથમાં વારલી પેઈન્ટીંગ ઉંચુ કરીને દર્શાવ્યું હતું. પોતાનું સંબોધન રોકીને વડાપ્રધાન મોદીએ ડેડિયાપાડાની સ્નેહા વસાવા યુવતીનું વારલી પેઈન્ટીંગ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ આ યુવતીને પત્ર લખશે. છાણ, ગુંદર અને ચોખાના લોટના મિશ્રણથી બનાવેલુ આ વારલી પેઈન્ટીંગ ખાસ છે : સ્નેહા વસાવાઆ યુવતી સ્નેહા વસાવાએ ભાસ્કર સાથેની વાતચીત કરી હતી. ડેડિયાપાડાના રાંભવા ગામની સ્નેહાએ કહ્યું કે તે વારલી પેઈન્ટીંગ ડેડિયાપાડાની કોલેજમાં જ સીખી હતી. પીએમ મોદીને ભેટમાં આપેલા આ ચિત્રની વિશેષતા દર્શાવતા સ્નેહાએ કહ્યું કે વારલી પેઈન્ટીંગમાં ઘેરૈયો કલર અને સફેદ કલરનો ઉપયોગ થાય છે, પણ વડાપ્રધાનને આપેલું આ વારલી પેઈન્ટીંગમાં તેણે કલરનો નહીં પણ છાણ, ગુંદર અને ચોખાના લોટના મિશ્રણથી બનાવ્યું છે. સ્નેહા વસાવાએ કહ્યું કે આ વારલી પેઈન્ટીંગ તેણે માત્ર 5 દિવસમાં જ બનાવ્યું હતું. વડાપ્રધાને પદ્મશ્રી પરેશભાઈ રાઠવાનો ઉલ્લેખ કર્યોસ્નેહા વસાવાનું વારલી પેઈન્ટીંગ સ્વીકારીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે કલા અને ચિત્રો આ આદિવાસી વિસ્તારમાં સહજ છે. ત્યારબાદ વડાપ્રધાને સભામાં હાજર પદ્મશ્રી પરેશભાઈ રાઠવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ ચિત્રકલાને આગળ ધપાવી રહ્યા છે અને મને સંતોષ છે કે અમારી સરકારે તેમને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કર્યા છે. વડાપ્રધાને મારું નામ લીધું તે બદલ ગર્વ અનુભવું છું : પદ્મશ્રી પરેશભાઈ રાઠવાભાસ્કર સાથેની વાતચીતમાં પદ્મશ્રી પરેશભાઈ રાઠવાએ કહ્યું કે વડાપ્રધાને બધાની વચ્ચે મારું નામ લઈને મને જે સન્માન આપ્યું તેનાથી હું ગર્વ અનુભવું છું. અમારી રાઠવા સમાજની કલા અને સંસ્કૃતિ માટે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે તેના માટે પણ મને ગર્વ છે. અને આજે વડાપ્રધાને મારો ઉલ્લેખ કર્યો તેનાથી હું ધન્યતા અનુભવું છું.આ પણ વાંચો : ભાવનગરમાં પીએમ મોદીએ ચાલું સંબોધનમાં ચિત્ર સ્વીકાર્યું, બાળક ધ્રુસકે ધ્રુસકે રડ્યું આ પણ વાંચો : સુરતમાં દિવ્યાંગ ચિત્રકારને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો:પગની મદદથી બનાવેલા રામમંદિરના પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક મહિલાએ પોતાના 9 વર્ષના બાળકને મેળવવા હેબિયસ કૉર્પસ અરજી કરી હતી. જે બાળક મહારાષ્ટ્રના સાંગલીમાં પોતાના નાના-નાની સાથે રહી રહ્યું હતું. આથી હાઇકોર્ટે પક્ષકારોને પોલીસ દ્વારા નોટિસની બજવણી કરી હતી. હાઇકોર્ટમાં સાંગલીથી PSI હાજર રહ્યા હતા. કોર્ટના આદેશથી બાળકને રજૂ કરાયુંPSIને કોર્ટે કોર્પસ એટલે કે, બાળકને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવા હુકમ કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ પોલીસે બાળકને કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. બાળક સાથે મહારાષ્ટ્રથી તેની દાદી પણ આવ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, અરજદાર મહિલાના બીજા લગ્ન અમદાવાદ ખાતે થયા હતા. બીજા લગ્નથી બાળક થવામાં મુશ્કેલીઓ સર્જાતા બાળક ત્રણ વર્ષનું હતું, ત્યારે તેની માતા મહારાષ્ટ્રમાં તેની નાનીને ત્યાં મૂકી આવી હતી. હવે બાળક સાંગલીમાં ભણી રહ્યું છે. કોર્ટે માતા-દીકરીને સમાધાન કરવા જણાવ્યું કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર દીકરી અને તેની માતા વચ્ચે સારા સંબંધો છે. બંને એક બીજાના ઘરે આવ-જા કરે છે, જેથી કોર્ટે બંનેને સાથે બેસીને સમાધાનકારી વલણ અપનાવવા જણાવ્યું હતું. માતા દીકરી વચ્ચે સમાધાન થતાં નક્કી થયું હતું કે, અત્યારે દીકરો ધોરણ 4માં અભ્યાસ કરે છે, જેનું એકેડેમિક વર્ષ 30 એપ્રિલ, 2026ના રોજ પૂર્ણ થાય છે. ત્યારે દીકરાની કસ્ટડી નાની તેની માતાને આપશે અને ઉનાળુ, દિવાળી અને ક્રિસમસ વેકેશનમાં માતા દીકરાને નાનીને ત્યાં મહારાષ્ટ્રમાં લઈ જશે, જ્યાં નાની સાથે પૌત્ર સમય ગાળશે.
મોરબીના સનાળા ગામ પાસે નવનિર્મિત કમલમ કાર્યાલય આગામી ૨૧મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકાશે. આ ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ શનિવારે કાર્યાલયની મુલાકાત લીધી હતી. મંત્રી કાંતિ અમૃતિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના દરેક જિલ્લામાં આધુનિક સુવિધાઓથી સજ્જ કમલમ કાર્યાલયો બનાવવામાં આવી રહ્યા છે. મોરબીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. શનિવારે મંત્રી કાંતિ અમૃતિયા સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમના સુચારુ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટમાં પ્રજાના પ્રશ્નોને લઈને જન પ્રતિનિધિઓની કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય અને સાંસદોએ રાજકોટથી જેતપુર હાઇવે અને અમદાવાદ હાઈવે પરના રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા તો ભાવનગર હાઇવે પરના રસ્તાનો સમારકામ કરાવવા માટે માંગ ઉઠાવી હતી. જ્યારે માધાપર રોડ સર્વિસ રોડ તેમજ નવી RTO કચેરી 2 વર્ષથી તૈયાર છે પરંતુ અગાઉ ફર્નિચર કામ અને હવે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ નંખાવવાના બાકી હોવાના નામે ભારે વિલંબ થઈ રહ્યો છે, ત્યારે નવીનકોર કચેરી જર્જરિત બનવા જઈ રહી છે ત્યારે તેનું તાત્કાલિક ધોરણે લોકાર્પણ કરવા જણાવવામાં આવ્યુ હતું તો આફ્રિકા જવા માંગતા વેપારીઓ અને ઉદ્યોગકારોને અઠવાડિયામાં એક વખત જ અપાતી યેલો ફીવર વેક્સિન અઠવાડિયામાં બે દિવસ આપવાની રજૂઆતને સફળતા મળી હતી. ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીમાં યોજાઈરાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવા,શહેરમાં અશાંતધારાની મુદત વધારવા, લોકમેળાનું નવું સ્થાન નક્કી કરવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતોનો સર્વે કરવા, નવી આર.ટી.ઓ. કચેરીના બાંધકામની સ્થિતિ , માધાપર રોડ ઉપર સર્વિસ રોડની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યાઆ ઉપરાંત રાજકોટ-ભાવનગર રોડના સમારકામની સ્થિતિ, પરશુરામ મંદિર પાસે વન કવચ બનાવવા, રાજકોટ-જેતપુર હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ઝડપી બનાવવા, મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) વગેરે અંગે પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જે અંગે ઝડપી કાર્યવાહી નિયત સમયમાં કરવા કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. યેલો ફીવર વેક્સિન દર બુધવારે અને ગુરુવારે અપાશેઆફ્રિકાના દેશોમાં જત ઉદ્યોગકારો અને વેપારીઓને યેલો ફીવર વેક્સિન લેવી ફરજિયાત હોય છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ રસી અઠવાડિયામાં એક જ વખત માત્ર બુધવારે આપવામાં આવતી હતી. જોકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની રજૂઆતના પગલે આ વેક્સિન સિવિલ હોસ્પિટલમાં હવે દર બુધવારે અને ગુરુવારે આપવાનું શરૂ કરી દેવાયું છે. અંગેની માહિતી પણ આજની સંકલનની બેઠકમાં મેળવવામાં આવી હતી.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના ઠરાવ મુજબ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ અને ધારાસભ્યોની ગ્રાન્ટ તેમજ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજનામાં હાથ ધરાતાં વિકાસ કાર્યોને વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને વિભાગોને માર્ગદર્શિકા મોકલાઈ
પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ મતદારયાદી સુધારણાના ખાસ સઘન કાર્યક્રમ (SIR) ની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસરો (ERO's) અને આસિસ્ટન્ટ ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસરો (AERO's) ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરે વિધાનસભા બેઠકવાર થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે મતદારયાદી સુધારણાની પ્રક્રિયા સમયસર અને ભૂલરહિત પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન, કલેકટરે અધિકારીઓને મતદારયાદીમાં નવા નામો ઉમેરવા, સુધારા કરવા અને ડુપ્લિકેશન દૂર કરવા જેવી તમામ પડતર અરજીઓ અને બાકી કામગીરીને સત્વરે અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ SIR કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના તમામ લાયક નાગરિકોના નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થાય અને યાદી સંપૂર્ણપણે શુદ્ધ તથા અદ્યતન બને તે સુનિશ્ચિત કરવાનો છે. કલેકટરે ERO's અને AERO'sને તેમના કાર્યક્ષેત્રમાં વ્યક્તિગત ધ્યાન આપીને અરજીઓનો ઝડપથી નિકાલ કરવા અને ફિલ્ડ કામગીરીનું નિયમિત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રોબેશનર આઇએએસ કુ. અંજલી ઠાકુર, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ઈ. સુસ્મિતા, નાયબ ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી નિરિલ મોદી, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના તમામ ERO અને AERO હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવા માટે જિલ્લા કલેકટર અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટરે કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવા, પાકની વિવિધતા (Crop Diversification) અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ (Sustainable Agriculture Practices) અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે પંચાયત અને બ્લોક સ્તરે પાક સંગ્રહ (Crop Storage) સુવિધાઓમાં વૃદ્ધિ કરવા અને સિંચાઈની સુવિધાઓને વધુ સુધારવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, જરૂરી સૂચનો અને ઇનપુટ્સ મેળવ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ PMDDKY યોજનાના લક્ષ્યોને અસરકારક રીતે હાંસલ કરવા માટે સમયબદ્ધ અને નક્કર વ્યૂહરચના ઘડવાનો હતો. બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામક, નાયબ પશુપાલન નિયામક સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાલબજારના વાલ્મીકીવાસ અને પખાલીવાડમાં ગંભીર ગંદકી અને અપૂરતી સુવિધાઓને કારણે 250થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. અહીંના રહેવાસીઓ ગટરના પાણી અને કચરાના ઢગલાં વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. વોર્ડ નંબર-10ના આ વિસ્તારોમાં લાંબા સમયથી સફાઈ ન થવાને કારણે કચરાના ત્રણ માળ જેટલા ઊંચા ઢગલાં જમા થયા છે. મુખ્ય માર્ગથી માત્ર 100 મીટર દૂર હોવા છતાં, અહીં ગટર વ્યવસ્થાનો અભાવ છે અને નગરપાલિકા દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. સ્થાનિક રહેવાસીઓએ સાંસદ, ધારાસભ્ય અને પાલિકા સત્તાધીશોને અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમના વોર્ડ માટે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તેનો લાભ તેમને મળતો નથી. ઘરોની નજીકથી પસાર થતી મળમૂત્રની પાઈપો ખુલ્લી હોવાથી ગંદકી સીધી વાલ્મીકીવાસમાં વહી આવે છે. એક જ દાદર પરથી પસાર થવાનો રસ્તો પણ પાણીથી ભરેલો રહે છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો માટે અવરજવર જોખમી બની છે. આ વિસ્તારના રહેવાસી રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના ટેકરામાં ચોમાસામાં પાણી ભરાઈ જવાથી મકાનો બેસી જવાનો ભય છે. અન્ય વિસ્તારોના મળમૂત્રની પાઈપો અહીં છોડવામાં આવતા ગંદકી ઘરો સુધી પહોંચે છે. ટેકરો ધસી પડે તો ઘરો દટાઈ જવાની સ્થિતિ છે, છતાં કોઈ જોવા આવ્યું નથી. અન્ય સ્થાનિક રહીશ અશોકભાઈએ જણાવ્યું કે, ખાડી વિસ્તારમાં કામ અધૂરું છે અને રેલિંગ વગરના પગથિયાંથી લોકો લપસી પડે છે. અધૂરા કામ માટે ગ્રાન્ટ ખર્ચાઈ ગઈ હોવા છતાં પરિસ્થિતિ સુધરી નથી. લોકો 15-20 હજાર સુધીનો સારવાર ખર્ચ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક ગટર સફાઈ, કચરાના ઢગલાં દૂર કરી નિયમિત સફાઈ, ટેકરાનું સમારકામ, સુરક્ષિત રેલિંગ, મળમૂત્રની પાઈપોના ખોટા જોડાણો દૂર કરવા અને વોર્ડ માટે ફાળવેલી ગ્રાન્ટનો પારદર્શક ઉપયોગ કરવામાં આવે. નગરપાલિકા દ્વારા સમસ્યાનો નિકાલ નહીં આવે તો સ્ત્રીમંડળ દ્વારા ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી ખાતે રાજ્યકક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદા ખાતેના ગાંધી મેદાનમાં નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ છે. તેમણે ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખ જાળવી રાખવા માટે અવિરત પ્રયત્નો કર્યા હતા. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, બિરસા મુંડાએ અંગ્રેજ સરકારની દમન નીતિઓ સામે લડત આપી હતી અને સમાજને એક કરવાનું કામ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, દેશની સ્વતંત્રતા માટે આદિવાસી બાંધવોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા, જે તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના વીર નાયકોના સ્વાતંત્ર્ય ઇતિહાસને દુનિયા સમક્ષ મૂકવાનું કામ કર્યું છે. મંત્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે બિરસા મુંડાની 'દેશ પ્રથમ'ની ભાવના સાથે સૌને નિષ્ઠાપૂર્વક કામ કરવા અને એકતા દર્શાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ તથા લોકસભાના દંડક ધવલ પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫મી નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આઝાદી પછી આટલા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ આદિવાસી યુવાનોની સંઘર્ષ ગાથાને ઇતિહાસના પાનાઓ પરથી દુનિયા સમક્ષ મૂકી છે. કાર્યક્રમની ઝલક ચીખલી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણીનવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. મંત્રી કનુભાઈ દેસાઈનું પ્રવચન* નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી કાળથી જ આદિજાતિ વિસ્તારોના પ્રશ્નોથી વાકેફ છે, જેના કારણે આદિવાસીઓનું હિત વડાપ્રધાનના હૈયે વસ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને પદભાર સંભાળ્યા બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ ઘડી છે. મંત્રીએ વર્તમાન સરકાર દ્વારા આદિજાતિ સમુદાય માટે રજૂ કરાયેલ બજેટ, બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સીટી, વનબંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, પીએમ-જનમન આવાસ, અને ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન સહિતની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે નવસારી જિલ્લાના આદિવાસી ભાઈ-બહેનો વિકાસની અગ્ર હરોળમાં રહે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે, આદિવાસી સમાજ જેને ભગવાન માને છે તેવા બિરસા મુંડાના જીવન સંઘર્ષ ઉપરથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ. આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે લાભો અને સન્માન પત્રો વિતરણ કરાયા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાથી રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિ સૌએ નિહાળ્યું હતું. તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નૃત્ય મંડળીઓ દ્વારા સાંસ્કૃતિક વંદના, તૂર નૃત્ય, આદિજાતીય પરંપરાગત નૃત્યો અને બિરસા મુંડાના જીવન સંઘર્ષ પર આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાન અંતર્ગત આજ શનિવારે બૂથ લેવલ ઓફિસરો તેમના મતદાન મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોને ગણતરી ફોર્મ ભરવા સંદર્ભે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. BLOને રજાના દિવસોમાં મતદાન મથકો ઉપર હાજર રહેવા જણાવાયુંકલેક્ટર ડો.અનિલ ધામેલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સુહાની કેલૈયા, પ્રાંત અધિકારી સાંબડ સહિતના અધિકારીઓને શહેરના કેટલાક મતદાન મથકોની મુલાકાત લઇ ત્યાં BLOની કામગીરી નિહાળી હતી. આ અધિકારીઓએ મતદારો સાથે સંવાદ સાધી તેમને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માટે સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત મતદારોને માર્ગદર્શન આપવા માટે BLOને રજાના દિવસોમાં મતદાન મથકો ઉપર હાજર રહેવા જણાવાયું હતું. જે અંતર્ગત તા. 16ને રવિવારના રોજ પણ આ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં સ્થળાંતરિત મતદારો માટે પણ ખાસ કેમ્પ યોજાયા હતા. જેમાં વિવિધ કારણોથી આખી સોસાયટી ખાલી થઇ હોય અને તેના રહીશો અન્ય સ્થળે રહેતા હોય એવા મતદારો માટે તેમના મતદાન મથકો ખાતે આ કેમ્પ યોજાયા હતા.
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને જુનાગઢ જિલ્લાના સાંસદ, તમામ ધારાસભ્યો સાથે મનસુખ માંડવીયાએ એક બેઠક યોજી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી 'દિશા' ની બેઠક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી અને સાંસદે સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં અમલીકૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિકાસલક્ષી કામોની વિગતવાર ચર્ચાબેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાઓના અમલ પર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી ફાળવેલા લક્ષ્યાંક, ભૌતિક સિદ્ધિઓ, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો અને પૂર્ણ ન થયેલા કામો અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી.ખાસ કરીને નેશનલ હાઈ-વે ઓથોરિટી હેઠળના માર્ગોની મરામત, સોઈલ હેલ્થ કાર્ડ, મનરેગાના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), સ્વામિત્વ યોજના સહિતની મુખ્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક કામ સમય મર્યાદામાં અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ થવા જરૂરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓને સખ્ત તાકીદ કરતાં જણાવ્યું હતું કે, દરેક કામ સમય મર્યાદામાં અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ થવા જરૂરી છે. તેમણે અધિકારીઓને વિવેકાધીન અધિકારનો ઉપયોગ કરીને વિવેકપૂર્ણ નિર્ણય લેવા અંગે પણ ભાર મૂક્યો હતો, જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ શકે. નાગરિકોની સમસ્યાઓ અંગે તુરંત કામ કરવા સૂચન અપાયુંસાંસદ રાજેશ ચુડાસમાએ પણ અધિકારીઓને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની વિવિધ સમસ્યાઓ અંગે જનપ્રતિનિધિઓ દ્વારા જે રજૂઆતો કરવામાં આવે છે, તેનું સત્વરે અને હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં કામ કરવું. બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર હતાઆ મહત્વપૂર્ણ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જૂનાગઢ પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં આગામી શ્રીમદ્ ભાગવદ્ ગૌ કથાના આમંત્રણ અર્થે વિશાળ બાઈક રેલી અને ગૌમાતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીને પાટણની એમ. એન. હાઈસ્કૂલ ખાતેથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ પોતાના એક્ટિવા અને બાઈક પર સવાર થઈને ભાગ લીધો હતો. રેલી પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોને ગૌ કથા માટે આમંત્રણ પાઠવવાનો હતો. રેલી દરમિયાન સમગ્ર પાટણ શહેરમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
ઓખામાં યુવાને પેટ્રોલ છાંટી પત્નીને બાથ ભીડી:બચાવવા જતા સાસુ પણ દાઝ્યા, પોલીસ તપાસ શરૂ
ઓખામાં કોર્ટ મેરેજ કરનાર એક યુવાન અને યુવતી વચ્ચે સંબંધોમાં તણાવ આવી ગયો હતો. રિસાઈને પત્નીના માતાના ઘરે રહેતી હતી. જેથી યુવક ત્યાં આવીને પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી લેતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાને બાદમાં પોતાની પત્નીને પણ બાથમાં લેતા દંપતી ગંભીર રીતે દાઝી ગયું હતું, જ્યારે તેમને બચાવવા ગયેલા યુવાનના સાસુ પણ દાઝી જતાં ત્રણેયને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. કોર્ટ મેરેજના ત્રણ મહિનામાં જ પત્ની સાથે યુવકના આત્મઘાતી પગલાથી ચકચાર મચી ગઈ છે. આખો બનાવ શું છે?પોલીસ દફતરે જાહેર થયેલી વિગતો મુજબ, ઓખામાં મારુતિ નગર પાછળના રામદેવપીરના મંદિર પાસે રહેતા મીનાબેન ચૌહાણ (ઉં.વ. 45)ની પુત્રી ઉર્મિલાબેન (ઉં.વ. 23)એ આશરે ત્રણ માસ પૂર્વે ઓખા, કાર્બન સોસાયટી ખાતે રહેતા જય સુરેશ બારીયા નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. થોડા દિવસો સાથે રહ્યા બાદ ઉર્મિલાબેન અને જયને લગ્નજીવન ચલાવવું ન હોવાથી ઉર્મિલાબેન છેલ્લા દસેક દિવસથી પોતાના માતા મીનાબેનના ઘરે પરત રહેવા આવી ગયા હતા. પેટ્રોલ છાંટી પત્નીને બાથ ભીડી લીધીઆ દરમિયાન, મંગળવાર, તા. 11ના રોજ ઉર્મિલાબેનના પતિ જય એકાએક પેટ્રોલના કેન સાથે તેમના સાસુ મીનાબેનના ઘરે આવ્યો હતો. જયએ સૌ પ્રથમ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી. આગ લાગ્યા બાદ તેણે પોતાના પત્ની ઉર્મિલાબેનને પણ બાથમાં લઈ લીધી હતી, જેના કારણે બંને ભડભડ સળગવા લાગ્યાં હતાં. માતા દીકરીને બચાવવા દોડી ગઈપતિએ પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી લીધી હતી બાદમાં પત્નીને તેણે બાથમાં ભીડી હતી. આ કરૂણ દ્રશ્ય જોઈને ઉર્મિલાબેનના માતા મીનાબેને તેમને છોડાવવાનો પ્રયત્ન કરતા તેઓ પણ દાઝી ગયા હતા. આ બનાવમાં ઘરમાં રહેલો કેટલોક સામાન પણ બળીને ખાક થતાં નુકસાની થવા પામી હતી. સારવાર માટે જામનગર ખસેડાયા આ ગંભીર આગજનીના બનાવમાં દંપતી (જય અને ઉર્મિલા) તેમજ ઉર્મિલાના માતા મીનાબેન દાઝી ગયાં હતાં. ત્રણેયને દાઝેલી હાલતમાં તાત્કાલિક વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, ઉર્મિલાબેનએ અગાઉ અન્ય એક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને તેમને તે લગ્નજીવન થકી એક બાળક પણ છે. યુવકની સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવીઆ સમગ્ર બનાવ અંગે મીનાબેન ચૌહાણની ફરિયાદના આધારે ઓખા મરીન પોલીસે પતિ જય બારીયા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ દ્વારા આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી પ્રકરણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી યાર્ડ નંબર 2માં આવેલ બેરેક નંબર-4ના શૌચાલયમાં કોઈ કેદી પ્લાસ્ટિકમાં લપેટીને સંતાડી રાખેલા મોબાઇલને ઝડતી સ્કવોર્ડની ટીમે શોધી કાઢ્યો હતો. જેથી, આ મોબાઈલનો કોણ ઉપયોગ કરતુ હતું તેની તપાસ શરૂ કરાઈ છે. આ મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા મધ્યસ્થ જેલમાં ચકાસણી શરૂ કરાઇઅમદાવાદના પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડતી સ્કવોર્ડના જેલર દેવસભાઈ રમણભાઇ કરંગીયા 14 નવેમ્બરના રોજ તેમની સાથેના રેડ કરનાર અરજણસિહ ઉદેસિંહ રાઠોડ, સુબેદાર વિક્રમસિંહ રમણજી ઠાકોર, હવાલાર દર્શનભાઈ લક્ષ્મણભાઈ જોગરાણા, હવાલદાર મહેશભાઈ છબીલભાઈ જાંબુકિયા, હવાલદાર મલેશભાઈ લખમણભાઈ ગરૈયા, હવાલદાર મુકેશભાઈ ભાનાભાઈ ચૌધરી તથા સિપાઈ અતુલભાઇ ગુણવંતભાઈ ભેડા વડોદરા મધ્યસ્થ જેલમાં સ્થાનિક ઝડતી સ્કવોર્ડ સહિતના સ્ટાફને સાથે રાખ્યાં હતા અને ત્યારબાદ વડોદરા મધ્યસ્થ જેલમાં ચકાસણી શરૂ કરાઇ હતી. પ્લાસ્ટિકમાં વિટાળી છુપાવી રાખેલો એક મોબાઈલ મળ્યોતે દરમિયાન સર્કલ વિભાગ યાર્ડ નં-2ની બેરેક નં-4ની પાછળ આવેલા જનરલ ટોયલેટના ઉભા પોખરામાં પ્લાસ્ટિકમાં વિટાળી છુપાવી રાખેલો એક મોબાઈલ મુકેશભાઈ ભાનાભાઈ ચૌધરીએ બિનવારસી પડેલો શોધી કાઢ્યો હતો. જેથી આ મોબાઇલ કોણ અહીંયા લાવી સંતાડ્યો હતો અને કોના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરાઇ છે.
ભાટસણ શાળામાં કલા ઉત્સવનું આયોજન:વિકસિત ગુજરાત 2047 થીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં 'વિકસિત ગુજરાત 2047' થીમ અંતર્ગત કલા ઉત્સવનું આયોજન કરાયું હતું. આચાર્ય શૈલેષભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અઘાર પરા શાળાના શિક્ષક અને ગઝલકાર કલ્પેશભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો. વાગડોદ કુમાર શાળાના સંગીત વિશારદ સુરેશભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુના શાળાના દિલીપજી ઠાકોર (ATD) અને સ્થાનિક ગાયક કલાકાર અર્જુનજી ઠાકોર અતિથિ વિશેષ તરીકે હાજર રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંગીત વાદન, સંગીત ગાયન, બાળ કવિ અને ચિત્ર જેવી વિવિધ સ્પર્ધાઓમાં આશરે ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ કલા ઉત્સવમાં નિષ્ણાતોની ઉપસ્થિતિથી બાળકોને સીધું માર્ગદર્શન મળ્યું હતું. શાળાના શિક્ષકો ધનેશભાઈ પરમાર અને ઉષાબેન પટેલે ગીત રજૂ કર્યું હતું. ભાષા શિક્ષકો પ્રીતિબેન પટેલ અને હિનાબેન પટેલ સહિત ધોરણ ૧ થી ૮ના તમામ સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. સી.આર.સી. કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ક્રમાંક વિજેતાઓમાં ગીત સ્પર્ધામાં કશિશ નાયક, વાદન સ્પર્ધામાં અનિતા ઠાકોર, બાળ કવિ સ્પર્ધામાં આર્મી દેસાઈ અને ચિત્ર સ્પર્ધામાં હિતાક્ષી પ્રજાપતિ તથા સેજલ રાવળનો સમાવેશ થાય છે. શાળા પરિવાર અને નિર્ણાયકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં સાબરમતી નદી કિનારાના ગામોમાં જંગલી પ્રાણીઓ દેખાવાનો સિલસિલો વધતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. ચારેક દિવસ અગાઉ લેકાવાડા ગામમાં દીપડો દેખાયાની વાત અફવા સાબિત થઈ હતી, પરંતુ ગઈકાલે સવારે નદી કિનારાના પાલજ ગામના એક ફાર્મ હાઉસના તબેલામાં કોઈ જંગલી જાનવરે ખેતરમાં બાંધેલી ભેંસની બે પાડીઓને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતાં વનવિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગઈકાલથી જ વન વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી પાંજરા મૂકીને બે પાડીનો શિકાર કરનાર દીપડો નહીં પણ 'શ્વાનકુળ'ના પ્રાણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જંગલી જનાવરના હુમલા બાદ વન વિભાગના ઘટનાસ્થળે ધામાગાંધીનગરના પાલજ ગામના ફાર્મ હાઉસના તબેલામાં કોઈ જંગલી જાનવરે ખેતરમાં બાંધેલી ભેંસની બે પાડીઓને ફાડી ખાધી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં વન વિભાગ હરકતમાં આવી ગયું છે. ગઈકાલથી જ ગાંધીનગરની ઉર્જા રેન્જના અધિકારીઓ અને વનકર્મીઓ ઘટનાસ્થળે ધામા નાખ્યા હતા. તેમણે ખેતર અને આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના પગમાર્ક શોધી કાઢ્યા હતા. જેની ચોક્કસાઈ માટે વનવિભાગે વાઇલ્ડલાઇફ એક્સપર્ટને તપાસ માટે બોલાવ્યા હતા. એક્સપર્ટના મતે દીપડો નહીં પણ શ્વાનકુળના પ્રાણી હોવાની આશંકાએક્સપર્ટ દ્વારા પગમાર્ક અને શિકાર કરાયેલી પાડીઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દીપડાની શંકા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ એક્સપર્ટે મત વ્યક્ત કર્યો છે કે આ પગમાર્ક દીપડા કે અન્ય બિલાડીકુળના પ્રાણીના નથી. કેમ કે, પગમાર્કમાં નખ સ્પષ્ટ દેખાય છે. જે શ્વાનકુળના પ્રાણીમાં હોય છે. ઉપરાંત પાડીઓના ગળાના ભાગે છેક લીવર અને હાડકાં સુધી દાંત ઘૂસાડવામાં આવ્યા છે. એક્સપર્ટના મતે દીપડો સામાન્ય રીતે આગળના ગળાના ભાગે શિકાર કરે છે, જ્યારે શ્વાનકુળના પ્રાણીઓ (જેમ કે વરુ, શિયાળ, ઝરખ) પાછળના પગના ભાગે શિકાર કરે છે. ઝરખ, શિયાળ, વણિયાર સહિતના પ્રાણીઓનો વસવાટઆ શિકાર શિયાળ, ઝરખ, વરુ, વણિયાર, લોંકડી સહિતના શ્વાનકુળના જંગલી પ્રાણી દ્વારા કરાયો હોવાની સંભાવના છે. સાબરમતી નદીની કોતરો અને આસપાસના ગાઢ જંગલોમાં ઝરખ, શિયાળ, વણિયાર, અને જંગલી કૂતરા સહિતના પ્રાણીઓનો કાયમી વસવાટ છે. છેલ્લા એક અઠવાડિયાથી જંગલી પ્રાણીઓ માનવ વસાહત અને ખેતર વિસ્તારોમાં આવી ગયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વન વિભાગનું પાલગ ગામના વિસ્તારમાં રાત્રિ સર્ચ ઑપરેશનએક વખત શિકાર કર્યા બાદ જંગલી પ્રાણીઓ તે જ સ્થળે ફરી આવતા હોય છે, તેથી વનવિભાગે પાલજના ખેતરો અને જંગલ વિસ્તારમાં કયું પ્રાણી શિકાર કરી ગયું છે તે શોધવા માટે વિસ્તારમાં રાત્રિ સર્ચ ઑપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું છે. તેમજ શિકારી પ્રાણીને પકડવા માટે ખેતરો તથા જંગલ વિસ્તારમાં પાંજરા અને ઝાળી મૂકવામાં આવ્યા છે. મૃત પશુઓનું વેટરનરી ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયુંબીજી તરફ મૃત પાડીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પશુપાલન વિભાગના વેટરનરી ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાં ઘા ઊંડે સુધી હોવાથી મોત થયાનું સ્પષ્ટ થયું છે. જંગલી પ્રાણીના હુમલાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે વનવિભાગ જલ્દીથી જાનવરને પકડી પાડવા માટે મથામણ કરી રહ્યું છે. વન વિભાગ દ્વારા નદી વિસ્તારના સાતથી આઠ ખેતરોમાં તપાસ કરવામાં આવી છે. જ્યારે પિંજરાનું લોકેશન પર અલગ અલગ જગ્યાએ ફેરવતા રાખવાનું આયોજન કરાયું છે. મારણ થયેલા વિસ્તારની આસપાસમાં કુતરાના પગ માર્ક જોવા મળ્યાઆ અંગે નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ વી. રાઠોડે કહ્યું કે, પશુઓનું મારણ થતાં વન વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરતા કોઈ પણ એવા નિશાન મળી આવ્યા નથી. મારણ થયેલા આસપાસના વિસ્તારોમાં કુતરાના પગ માર્ક જોવા મળ્યા છે. એટલે કોઈ બિગ કેટ કે દીપડાની લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે.
ગુજરાત વિદ્યાપીઠની 18મી ગ્રામજીવન યાત્રા:કમાલપુર-ફીંચોડમાં સ્વદેશી-સ્વાવલંબન કાર્યક્રમ યોજાયો
મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા છ દિવસીય સ્વાવલંબન ગ્રામજીવન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા “સ્મરણ સ્નાતક, સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી”ના ત્રિવિધ ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. તેના ભાગરૂપે, ઈડર તાલુકાના કમાલપુર અને ફીંચોડ ગામની માધ્યમિક શાળા ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે યોજાતી ગ્રામજીવન પદયાત્રાની 18મી આવૃત્તિ હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ સ્વદેશી અને સ્વાવલંબન દ્વારા સર્વાંગી ગ્રામીણ વિકાસ સાધવાનો છે. ગુજરાત વિદ્યાપીઠના કમ્પ્યુટર વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને ડીન-ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ડૉ. અજય પરીખે કાર્યક્રમમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડતમાં સ્વદેશી અને સ્વાવલંબનને રાષ્ટ્રની આત્મા ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપોષક વ્યવસાય અને ગ્રામ ઉદ્યોગ થકી ભારતને વિકસિત દેશ તરીકે આગળ લઈ જવામાં આ યાત્રા એક મહત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા અંતર્ગત સાબરકાંઠામાં ગુજરાત વિદ્યાપીઠના 47 વિદ્યાર્થીઓ અને 7 સેવકોની કુલ 14 ટુકડીઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ટુકડીઓએ સ્મરણ સ્નાતક, સન્માન સરદાર અને સંકલ્પ સ્વદેશી દ્વારા સ્વાવલંબન અને આત્મનિર્ભરતા અંગે લોકોને માહિતગાર કર્યા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રનો પરિવાર ટ્રેનમાં મુસાફરી કરીને વડોદરા ખાતે રહેતા પોતાના પુત્રને મળવા માટે આવ્યાં હતા. બાદમાં ઘરે આવી બેગમા તપાસ કરતા સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ.1.45 લાખની મતા ચોરી થઇ ગઇ હોવાનુ માલુમ પડ્યુ હતું. જેથી તેઓ બેગ તપાસ કરતા કટ થયેલ નજરે પડી હતી. જેથી ટ્રેનમાં ચડતી વેળા કે પછી ટ્રેનમાં મહિલા ઉંધી ગઇ ત્યારે ઉંઘનો લાભ લઇને તસ્કરોએ મતાની ચોરી કરી લીધી હતી. જેથી મહિલાએ ચોરીની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ટ્રેનના મહિલા મુસાફરને ઘરે બેગ ચેક કરતા ચોરી થયાનું જણાયું મૂળ મહારાષ્ટ્રના પલગાવના અને હાલમાં છાણી જકાતનાકા પાસે વેદા-2માં રહેતા ચંન્દ્રકલાબેન અશોકકુમાર ભાર્ગવે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મારો પુત્ર વિશાલ ઓએનજીસી પેટ્રો એડીશન લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે. તેને મળવા મારા પતિ તથા પરિવારના અન્ય સભ્યો સાથે ગત 5 નવેમ્બરના રોજ વર્ધા જંક્શનથી ભગત કી કોઠી એક્સ. ટ્રેનમાં બેસી વડોદરા સુધીની મુસાફરી કરી આવતા હતા. સીટ નીચે સામાન ભરેલા બેગ રાખ્યાંતે દરમ્યાન મારી તથા મારા પતિની સીટ નીચે સામાન ભરેલા બેગ રાખ્યાં હતા. અંકોલા રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ હુ ઉંધી ગઇ હતી અને ત્યારબાદ વડોદરા રેલ્વે સ્ટેશન આવતા સુધી હું ઉઘમાંથી જાગી હતી અને રાત્રીના ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.6 ઉપર આવી ઉભી રહેતા તમામ સામાન ટ્રેનમાંથી નીચે ઉતાર્યો હતો અને બાદમાં મારા પુત્રના ઘરે ગયા હતા. 1.45 લાખની માલમતાની ચોરીબીજા દિવસે મારી બેગ ખોલતા તેમાં રાખેલુ સોનાનુ મંગળસુત્ર, બે સોનાના કંચન, ત્રણ સોનાની અંગુઠી તથા રોકડા રૂપિયા 8 હજાર ચોરી થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મારા અનુમાન મુજબ ટ્રેનમાં મુસાફરી કરતા દરમ્યાન અથવા સ્ટેશનથી ઘરે જતી વખતે કોઈ ઈસમ મારી ઉંઘની તકનો અથવા તો નજર ચુક્વી સોનાના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ.1.45 લાખની માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જેથી રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે તસ્કરનું પગેર મેળવવા તજવીજ હાથ ધરી છે.
મહેસાણાની નર્મદા વિભાગ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન છોડતા હોવાના કારણે બહુચરાજી અને જોટાણા તાલુકાનો પાક બગડી રહ્યો છે એવો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકારે દિવાળી બાદ તમામ નર્મદા કેનાલમાં પાણી છોડવાના મૌખિક આદેશ કર્યા છે પરંતુ, નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે બહુચરાજી અને જોટાણા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માયનોર અને સબ માયનોર કેનાલમાં હજુ પાણી છોડવામાં નથી આવ્યું એવો ખેડૂતોનો આરોપ છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. નર્મદા વિભાગે પાણી તો નથી છોડ્યું પરંતુ, કેનાલોની સફાઈ પણ નથી કરી એવું ખેડૂત કહે છે. ખેડૂતોને પાણી ન મળતા મુશ્કેલીઓ સર્જાઈનર્મદાની કેનાલોમાં પાણી ના છોડાતા ખેડૂતોની સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ચણા, રાયડો, એરંડા, કપાસ, તુવેર સહિત વિવિધ પાકને પાણીના મળતા આ પાક સુકાઈ રહ્યા છે એવું ખેડૂતોનુ કહેવું છે. ફીચડી ગામના હરિભાઈએ 4 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે પરંતુ, સિંચાઈ માટે પાણી ન મળતા તેમનો પાક બગડી રહ્યો છે એવું તેમનું કહેવું છે . સરકારના આદેશ બાદ પણ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોટાણા તાલુકા તેમજ બહુચરાજીના શંખલપૂર, ફીચડી, કાલરી, સાપાવાળા, વેણપુરા સહિતના ગામોના ખેડૂતો પરેશાન છે. જોકે, આ મુદ્દે બહુચરાજીના નર્મદા વિભાગના અધિકારીને પૂછતા બે-ચાર દિવસમાં કેનાલમાં પાણી છોડવાનું ટેલિફોનિક કહી રહ્યા છે. એક માસ થી રાહ જોઈએ પાણી આવતું નથીફિચડી ગામના ખેડૂત હીરા ભાઈ એ કહ્યું હાલ નર્મદા કેનાલમાં પાણી નથી આવતું. કલાક આવે ત્યારબાદ બંધ થઈ જાય છે.પાણી ન મળવાને કારણે એરંડા,ઘઉં,કપાસ,ચણા સુકાવા લાગ્યા છે.પાણી હોઈ તો બધું અમે પકવી શકીએ.એક માસ થી રાહ જોઈએ પાણી આવતું નથી. ખેડૂત દશરથ ભાઈ એ જણાવ્યું કે કેનાલમાં પાણી ન આવતા અમારો પાક શુકાય છે.પાણી છોડો એવી અમારી વિનંતી છે.પાણી ન આવવા ને કારણે પાસ સુકાય છે.
ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશન દ્વારા આજે મૂળ ગુજરાતના અને ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં એલિવેટ થયેલા જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલીનો સન્માન સમારોહ હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જજ એન.વી. અંજારિયા 2011 થી હાઇકોર્ટમાં કાર્યરત રહ્યા હતાજજ એન.વી.અંજારિયા 21 નવેમ્બર, 2011 થી ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ બન્યા હતા. આમ તેમની પાસે 12 વર્ષથી વધુ સમય હાઇકોર્ટના જજ તરીકેનો અનુભવ છે. તેઓ સિવિલ, કંપની, લેબર અને બંધારણીય કેસોના નિષ્ણાંત છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ જજની સિનિયોરીટી અને મેરીટસના આધારે તેમની ભલામણ કરવામાં આવી હતી. તેઓએ હાજર વકીલોને કહ્યું હતું કે, હવે કોર્ટ રૂમ હ્યુમર ગાયબ થયું છે. વળી જજીસ બોલતા ના હોય તેવું સોશિયલ મીડિયામાં ચાલે છે. આઇડીઓલોજીનો આગ્રહ રાખતા નહીં પણ પ્રેફરન્સ આપજો, રાષ્ટ્રીયતાને આઇઆડીઓલોજી બનાવજો. 'જીવનમાં સફળ થવા મહેનત અને નસીબ બંને જરૂરી'ઉલ્લેખનિય છે કે, સુપ્રીમના જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલી, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અમદાવાદની એલ.એ.શાહ કોલેજમાં ભણેલા છે. સુપ્રીમના જજ વિપુલ પંચોલીને ગુજરાત હાઈકોર્ટથી પટના હાઇકોર્ટ ટ્રાન્સફર કરાયા હતા. બાદમાં તેઓ ત્યાં ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમના પિતા એલ.એ.શાહ લો કોલેજમાં પ્રિન્સિપાલ હતા. તેઓ પોતે સાયન્સના વિધાર્થી રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને હાઇકોર્ટમાં તેઓ વકીલ તરીકે ફરતા, તેમને કહ્યું હતું કે જીવનમાં સફળ થવા મહેનત અને નસીબ બંને જરૂરી છે.
સાબરકાંઠામાં BLO મતદારયાદી સુધારણા માટે બૂથ પર:મતદારોને ફોર્મ ભરવામાં અને માહિતી મેળવવામાં મદદ કરશે
સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે અને આવતીકાલે મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLOs) મતદારોને મદદ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોના મતાધિકારને મજબૂત બનાવવાનો છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલનારા આ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ, BLOs શનિવાર અને રવિવારે મતદાન મથકો પર હાજર રહેશે. આજે 15 નવેમ્બર (શનિવાર) અને આવતીકાલે 16 નવેમ્બર (રવિવાર) ઉપરાંત, 22 નવેમ્બર (શનિવાર) અને 23 નવેમ્બર (રવિવાર) ના રોજ પણ BLOs સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, પ્રાંતિજ, ઇડર અને ખેડબ્રહ્મા એમ ચાર વિધાનસભા બેઠકોના કુલ 1282 મતદાન મથકો પર BLOs હાજર રહેશે. સ્થાનિક નાગરિકો પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે. BLOs મતદારોને ઇન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવામાં, વર્ષ 2002ની મતદારયાદીમાં નામ શોધવામાં અને જરૂરી પુરાવા રજૂ કરવા અંગે માર્ગદર્શન આપશે. મતદારો BLOની મદદથી મેપિંગ/લિંકિંગ પણ કરાવી શકશે. મતદારોએ પોતાનું ઇન્યુમરેશન ફોર્મ ભરી, સહી કરીને BLO ને જમા કરાવવાનું રહેશે. ફોર્મ સાથે પોતાનો અદ્યતન ફોટો પણ રજૂ કરવો ફરજિયાત છે. મતદારો BLOનો ફોન દ્વારા સંપર્ક કરવા માટે voters.eci.gov.in પરથી Book a Call with BLO વિકલ્પનો ઉપયોગ કરી શકશે.
મોરબીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લાને ₹14.47 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી હતી, અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસેના સત્સંગ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે ₹3.97 કરોડના 27 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, ₹10.49 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, મોરબી જિલ્લાના આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા સહિતના અગ્રણીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. જયંતીભાઈ ભાડેશિયા, મહેશભાઈ બોપલિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા પ્રાસંગિક પ્રવચનો અપાયા હતા. વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના સમાજ માટેના યોગદાન અને ક્રાંતિકારી જીવનને યાદ કરીને યુવા પેઢીને તેમનામાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. મોરબી શહેર તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં વસતા અને કાર્યરત આદિવાસી/આદિજાતિ સમુદાયના મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરીમાં વધુ પડતા શિક્ષકોને જોડવામાં આવતા આજે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મતદાર યાદી સુધારણાની આ કામગીરી વિદ્યાર્થીઓના ભણતરના ભોગે શિક્ષકોને સોંપવાને બદલે BLO ની અલગ કેડર ઉભી કરવામાં આવે તેવી માગણી કરી હતી તો સાથે જ બીમાર હોય કે દૂર રહેતા હોય તેમાં શિક્ષકો હાજર થવામાં મોડું કરે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે ખૂબ જ નીંદનીય છે જેથી શિક્ષકોને BLO ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગ કરી હતી. રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી વધુ પડતા શિક્ષકોને સોંપવામાં આવે છે. શિક્ષણનું મુખ્ય કામ સાઈડમાં રાખીને દર વર્ષે ચૂંટણીની કામગીરી કરાવવામાં આવે છે ત્યારે આ વખતે SIR એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં પણ શિક્ષકોને જોડવામાં આવ્યા છે. જેમાં બીએલઓ તેમજ સહાયક બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવી છે. જેને લીધે શાળા કક્ષાએ શિક્ષણ સદંતર થતું નથી અને બાળકોના શિક્ષણને ખૂબ જ અસર થાય છે. જેથી અમારી ચુંટણી પંચને રાષ્ટ્રહિતમાં એક વિનંતી છે કે દર વર્ષે જો આ કામગીરી થતી હોય તો BLO ની અલગથી કેડર નીમવામાં આવે અને આ કામગીરી તેઓની પાસે લેવામાં આવે. અગાઉ જ્યારે બીએલઓની કામગીરી શરૂ થઈ ત્યારે વર્ષમાં માત્ર 8 થી 10 રવિવાર જ કામગીરી રહેતી હતી. આ કામગીરી ઓનલાઈન કરી ચૂંટણી અધિકારી, મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા તમામ કામગીરી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી. વર્તમાન સમયે મતદાર ગણતરી યાદીના ફોર્મનું વિતરણ, કલેક્શન અને ફોર્મ ભરવાની તમામ જવાબદારી શિક્ષકો ઉપર નાખી દેવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા સુધી બહેનો કામ કરે છે. જેને લીધે શાળાઓ, શિક્ષકોને તેમના પરિવારજનોને તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી આ કામગીરી માત્ર શિક્ષકો ઉપર જ નાખી દેવાને બદલે બુથ લેવલ ઓફિસરની અલગ કેડર ઊભી કરવામાં આવે તે જરૂરી છે. શિક્ષકો કોઈ વખત બીમાર હોય કે અન્ય કોઈ કારણ હોય તો તેઓ પર દબાણ કરવામાં આવે છે. દિવાળી વેકેશનમાં જે શિક્ષકો પોતાના વતનમાં ગયા હતા તેઓને તાત્કાલિક હાજર થવા માટેની સૂચના આપવામાં આવી. 200 થી 300 કિલોમીટર દૂર રહેલા શિક્ષકોને આવતા સમય લાગે. જે શિક્ષકોને હાજર થવામાં મોડું થયું તેઓને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા તે ખૂબ જ નિંદનીય બાબત છે. તેથી અમારે કહેવાનું કે કલેક્ટર, મામલતદાર અને પ્રાંત અધિકારી એક સમયે પોતે વિદ્યાર્થીઓ હતા અને તેમના પણ શિક્ષકો હતા જો શિક્ષકો સામે આ પ્રકારના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સામે તેઓનું શું મહત્વ રહે તે સમજી શકાય તેવી બાબત છે.
પાલનપુર ખાતે સોલગામ લેઉવા પાટીદાર વિદ્યા સંકુલના પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 80 શાળાઓની 80 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. NCERT, દિલ્હી દ્વારા 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત' થીમ અંતર્ગત આ પ્રદર્શન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે. પ્રદર્શનમાં રજૂ કરાયેલી કૃતિઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી હતી. શાળા અને મંડળ દ્વારા વિદ્યાર્થીઓ વધુમાં વધુ કૃતિઓ નિહાળી શકે તે માટે સુંદર આયોજન કરાયું હતું. દરેક કૃતિ માટે અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જ્યાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શકો મુલાકાતીઓને કૃતિના કોન્સેપ્ટ વિશે સમજૂતી આપી રહ્યા હતા. આ પ્રદર્શનમાં સ્વસ્તિક શાળાના વિદ્યાર્થી દ્વારા પાલનપુરની મુખ્ય સમસ્યા, એરોમા સર્કલના ટ્રાફિક નિવારણ પર એક વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ મોડેલ દ્વારા ટ્રાફિકની સમસ્યાને સરળતાથી કેવી રીતે હલ કરી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું. આ કૃતિએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વર્કિંગ મોડેલમાં એરોમા સર્કલ પર ટ્રાફિક ઘટાડવા માટે અમદાવાદથી આબુ રોડ સુધી એક સળંગ રોડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પાલનપુરથી અમદાવાદ જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે પાલનપુરથી ડીસા જવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ સૂચવાયો હતો. તેવી જ રીતે, પાલનપુરથી આબુ રોડ જવા માટે આ બ્રિજની નીચેથી રસ્તો દર્શાવવામાં આવ્યો હતો. આ મોડેલ આબુ રોડથી પાલનપુર આવવા માટે સર્વિસ રોડ, અને આબુ રોડથી અમદાવાદ જવા માટે સળંગ હાઈવેનો ઉપયોગ દર્શાવે છે. આબુ રોડથી ડીસા જવા માટે ઓવરબ્રિજનો ઉપયોગ સૂચવાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એરોમા સર્કલ પર થતા અકસ્માતોને અટકાવવાનો છે. આ મોડેલમાં કોઈ સિગ્નલ લાઈટ કે યુ-ટર્ન આપવામાં આવ્યા નથી. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં લગભગ 15-20 દિવસનો સમય લાગ્યો હતો. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આજે સોલગામ લેઉવા પાટીદાર વિદ્યા સંકુલના પ્રાંગણમાં આર્યભટ્ટ એસવીએસનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આમાં આ એસવીએસમાં કુલ 80 શાળાઓની 80 કૃતિઓ રજૂ થઈ છે અને કુલ પાંચ વિભાગોમાં દરેક સ્કૂલ પોતાની કૃતિ લઈને આવેલી છે. શાળા અને મંડળ દ્વારા આ કૃતિઓ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોઈ શકે એના માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, દરેક કૃતિ વાઇઝ સ્ટોલ બનાવવામાં આવેલા છે અને જે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શકો આવ્યા છે એ આવનારને એ કૃતિ કયા કોન્સેપ્ટ ઉપર બનાવી છે એ પોતે એની રજૂઆત કરીને બતાવે છે. આમ તો સમગ્ર ભારત દેશની અંદર એનસીઇઆરટી (NCERT) દિલ્હી દ્વારા અત્યારે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અંતર્ગત આ થીમ ઉપર આખું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલ તરીકે હું આજે અહીંયા ઉપસ્થિત રહ્યો છું અને મેં મારી નજરે આખું પ્રદર્શન નિહાળ્યું છે. અને એ માટે કરીને આ જે શાળા સંકુલ છે એમના પ્રમુખ શ્રી છે આર. એમ. પટેલ સાહેબ, એમની જહેમત, એમની ટીમ જે શૈક્ષણિક ટીમ છે એમણે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થી શાહ મોહમ્મદે જણાવ્યું હતું કે, સ્વસ્તિક સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ભણીએ છીએ. ઍરોમા સર્કલમાં સૌથી મોટી પ્રોબ્લેમ ટ્રાફિકનો છે તો એને સોલ્વ કરતો અમારું વર્કિંગ મોડેલ છે. જેમાં અમે અમદાવાદથી આબુ રોડ સુધી એક સળંગ રોડ રાખ્યો છે. અને કોઈને પણ પાલનપુરથી અમદાવાદ જવા માટે આ સર્વિસ રોડ નો યુઝ કરી શકે છે. અને પાલનપુરથી ડીસા જવા માટે આ ઓવરબ્રિજ નો યુઝ કરીને ડીસા જઈ શકે છે. એવી જ રીતે પાલનપુરથી આબુ રોડ જવા માટે આ ઓવરબ્રિજ નો યુઝ કરીને આવી રીતે આ બ્રિજની નીચેથી જઈ શકે છે. શાહ મોહમ્મદે જણાવ્યું હતું કે, આવી જ રીતે વાત કરીએ આબુ રોડની, તો આબુ રોડથી પાલનપુર આવવા માટે સર્વિસ રોડનો યુઝ કરી શકે છે. અને આબુ રોડથી અમદાવાદ જવા માટે સળંગ હાઈવે આવેલો છે. અને આબુ રોડથી ડીસા જવા માટે આ ઓવરબ્રિજ નો યુઝ કરીને આવી રીતે અહીંથી જઈ શકે છે. એવી જ રીતે ડીસા માટે અને અમદાવાદ માટે સેમ છે. અમે ઘણા બધા મિત્રો અમારા ઍરોમા સર્કલના એક્સિડેન્ટમાં ગુમાવ્યા છે, અને તેને સોલ્વ કરતો અમારો આ વર્કિંગ મોડેલ છે, જેમાં સિગ્નલ લાઈટ નહીં અને કોઈપણ જગ્યાએ યુ-ટર્ન નહીં આપવામાં આવ્યો. પ્રોજેક્ટ પૂરો કરવા માટે લગભગ અમને 15-20 દિવસ લાગ્યા હતા.
અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓ આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ જણાવ્યું કે, શૈક્ષણિક કાર્ય પુરૂં કર્યા બાદ પણ તેમને વધારાની ચૂંટણી સંબંધિત ફરજો સોંપવામાં આવી રહી છે, જેના કારણે ભારે કામનો બોજ ઊભો થયો છે. વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની શિક્ષકોને ધમકીઃ અક્ષિતા જાની પ્રાંત મહિલા મંત્રી અક્ષિતા જાનીએ જણાવ્યું કે, જો સોંપાયેલ કામગીરી સમયસર પૂર્ણ ન થાય, તો વોરંટ કાઢી ધરપકડ જેવી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક શિક્ષકોએ નોકરી પરથી દૂર કરવાની ચેતવણી મળતી હોવાનો આક્ષેપ પણ કર્યો. શિક્ષકોએ માગ કરી કે, BLOની ફરજો માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપવામાં આ,વે જેથી શિક્ષકો પરનો વધારાનો ભાર ઘટે. હાલ એક BLOને સરેરાશ 1400 જેટલા મતદારોની વિગતો એકત્ર કરવાની અને ત્યારબાદ તેની ઑનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી પણ હોય છે, જે અત્યંત સમયખાઉ બની શિક્ષણ વ્યવસ્થાને અસર કરે છે. વ્યક્તિગત ફોન નંબરની જગ્યાએ કોમન હેલ્પલાઈન નંબર આપોઃ હિરલ જાનીઅન્ય શિક્ષિકા હિરલ જાનીએ જણાવ્યું કે, BLO તરીકે ફરજ દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર થઈ જતા હોય છે, જેના કારણે અરસમયે ફોન આવવા ઉપરાંત, ઘણા લોકો વ્યક્તિગત માહિતી પણ પૂછતા હોય છે. ઘણી વખત તો રાતના 11 વાગ્યા સુધી ફોન આવતા હોવાનું તેમણે કહ્યું. હિરલ જાનીએ માંગણી કરી કે, BLO માટે વ્યક્તિગત નંબરની જગ્યાએ કોમન હેલ્પલાઇન નંબર આપવામાં આવે, જેથી શિક્ષકોની ગોપનીયતા જળવાઈ રહે અને જરૂરી માહિતી મેળવવામાં સરળતા રહે. શિક્ષકોએ રજૂઆત કરી કે તેમની પરનો કામનો બોજ ઘટાડવા માટે પગલાં લેવામાં આવે.
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે જનજાતિ ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી વાઘાણીએ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી હુમલા પાછળ સંડોવાયેલા તમામ ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ નહીં રાખે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે દિલ્હી ખાતે કારમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદા મુજબ સખત પગલાં લેવાશે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ અને વિમલ ચુડાસમા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરે વિભાગોને પરસ્પર સંકલન જાળવીને કાર્ય કરવા અને નાગરિકલક્ષી કાર્યોમાં વિલંબ ન થાય તે માટે ખાસ સૂચના આપી હતી. તેમણે જનહિતલક્ષી ફરિયાદોને સત્વરે ધ્યાનમાં લઈ તેનો ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો, તાલુકા સ્તરે પ્રાકૃતિક કૃષિ વેચાણ વ્યવસ્થા માટે જગ્યા ફાળવવા બાબત, અને સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કલેક્ટરે સંલગ્ન વિભાગોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ નાગરિકલક્ષી અરજીઓના નિકાલ, મંત્રીના પ્રવાસ માટે લાયઝન અધિકારીઓની નિમણૂક, સ્વાગત પોર્ટલ પરની અરજીઓનો નિકાલ અને જનપ્રતિનિધિઓના પત્રો વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત માર્ગ અને મકાન, સિંચાઈ, શિક્ષણ, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, જેટકો જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રામાં જામનગર 79 દક્ષિણ વિધાનસભા અને ભાજપ પરિવારના મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો પ્રારંભ શહેરના રણજીત નગર વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ખાતેથી થયો હતો. પ્રારંભ પહેલા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા દિગ્વિજય પોલીસ ચોકી, પવનચક્કી, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક અને દરબારગઢ શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રાનું સમાપન પંચેશ્વર ટાવર ખાતે થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી પણ જોડાયા હતા. તેમણે દેશની એકતામાં સરદાર સાહેબના સર્વોચ્ચ યોગદાનને બિરદાવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને મેયર વિનોદભાઈ ખીમસુરીયા સહિત ભાજપ પરિવારના અનેક અગ્રણીઓ પણ આ યુનિટી માર્ચમાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ઈજાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચના બાદ કરવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપવામાં આવી હતી. LCB ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાથમાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો જોરાવરનગર પોલીસ સ્ટેશનના ગંભીર ઈજાના ગુનાના આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન, સ્ટાફના પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા અને પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકિયાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ઉપરોક્ત મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હાલ રાજસ્થાનના જોધપુર ખાતે છુપાયેલા છે. આ બાતમીના આધારે, LCB ટીમ જોધપુર પહોંચી હતી અને ગુનામાં સંડોવાયેલા અનિલભાઈ વિરમભાઈ પરમાર અને રાહુલ ઉર્ફે જયપાલ ભરતભાઈ વિરમગામીયાને ઝડપી પાડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી બાદ તેમને આગળની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ આ ગુનો જોરાવરનગર પો.સ્ટે. ગુ.ર.નં. 11211025250701/2025, બી.એન.એસ. કલમ 115(2), 118(1), 117(2), 54 તથા જી.પી.એ. 135 મુજબ નોંધાયેલ છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. અજયસિંહ ઝાલા, પો.કોન્સ. અશ્વિનભાઈ માથુકિયા, પો.કોન્સ. મહેન્દ્રભાઈ દાદરેસા, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી માંડવી શહેર વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં હરી હરજી ગઢવી (ઉંમર 42, રહે. મૂળ કોટાયા, તા. માંડવી, હાલ ધવલનગર-2, માંડવી) અને ગોવિંદ વાલા ગઢવી (ઉંમર 25, રહે. ઉનડોઠ, તા. માંડવી) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ, LCB ટીમના એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈએ ગુપ્ત માહિતીના આધારે આ આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ગુના અંગેની જાણકારી આપી અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારત દેશમાં અંગ્રેજ સલ્તનત સામે જનજાતિ સમુદાયના મસીહા બનીને ઉભરેલા ભગવાન બિરસા મુંડા વર્ષ 1875 થી 1900 એમ 25 વર્ષના ટૂંકા પરંતુ જ સંઘર્ષમય જીવન જીવ્યા અને તેનાથી જનજાતિ સમુદાયને ઉજ્જવળ બનાવ્યુ ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને અનુલક્ષીને દેશમાં 1 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજે રાજકોટના હેમુ ગઢવી હોલમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં જરૂરિયાતમંદ દીકરીઓને ભગવા રંગની સાયકલ શિષ્યવૃતિ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સાથે જ ડી. એચ. કોલેજના પટાંગણમાં આરોગ્ય અને સેવા સેતુ કેમ્પ યોજાયો હતો. જેમાં એક જ જગ્યાએથી લોકો હેલ્થ ચેકઅપ અને સારવાર ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લઈ શક્યા હતા. 2024-25નું વર્ષની જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવણીજિલ્લા પંચાયતના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2024 - 25 ને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. બ્રિટિશ સલ્તનત અને જમીનદારો સામે બંડ પોકારનાર આદિવાસીઓના રક્ષક ભગવાન બિરસાએ આદિવાસી સમાજ માટે જંગ છેડી હતી. નવી પેઢી તેમનું યોગદાન સમજે તે જરૂરી છે. આ તકે સંજીવ ઓઝાએ કહ્યું હતું કે, ધોરણ - 4 માં ભણતા બિરસાએ શાળામાં સ્વધર્મ, સ્વરાજ અને સનાતન સંસ્કૃતિ વિશે વાત કરી હતી. જળ, જમીન અને જંગલના માણસ ભગવાન બિરસાના જીવનમાંથી પ્રેરણા લઈએ. રૂ. 9.71 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ15મી નવેમ્બરના રાજકોટ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને શહેરના હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા 9.71 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આદિવાસી સમૂહો દ્વારા તેમની પારંપરિક વેશભૂષામાં નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતા હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમમા બિરસા મુંડાના જીવન સંઘર્ષનું ફિલ્મ નિદર્શન, આદિજાતિ સમાજના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શાળા - કોલેજમાં યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન દીકરીઓને ભગવા રંગની સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. રાજકોટ જિલ્લાના 9.71 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં થયું હતું તો સાથે જ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પટાંગણમાં સેવા સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારના લોકો તેમજ જે લોકો આ કાર્યક્રમમાં આવ્યા હતા તેઓએ મેડિકલ ચેકઅપ ઉપરાંત આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા, રાશન કાર્ડ, સમાજ સુરક્ષા અને બેંકને લગતી સેવાઓનો લાભ લીધો હતો. જેમાં રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી તથા ઉપલેટામાં વસતા વિવિધ આદિવાસી સમૂહો આ કાર્યક્રમમાં તેમની પારંપરિક વેશભૂષામાં ધારણ કરીને પહોંચ્યા હતા. આ ઉજવણી અંતર્ગત શહેરની સ્કૂલ, કોલેજોમાં ભગવાન બિરસા મુંડાના જીવન-કવન અંગે વકતૃત્વ તથા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.
ગાંધીનગરની કુડાસણના ઊગતી હાઇટ્સ કોમ્પલેક્ષ સ્થિત ઉમિયા ઓવરસિસ વિઝા કન્સલ્ટન્સીના એજન્ટો દ્વારા કેનેડાના પર્મેનન્ટ રેસિડેન્સી વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એજન્ટોએ બેન્ક બેલેન્સ બતાવી 41 લાખના ચેક બાઉન્સ કરાવી માણસાના ખેડૂત અને તેમના પરિચિત સાથે છેતરપિંડી આચરવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. કેનેડાના વિઝા અપાવવા માટે 41 લાખની છેતરપિંડી આ મામલે માણસા તાલુકાના બાપુપુરા ગામના ખેડૂત ભરતભાઈ રમણભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2020માં તેમના પુત્ર અપૂર્વ અને પુત્રવધૂ ફેનીલને કેનેડાના વિઝા અપાવવા માટે તેમણે મિત્ર ભાવેશભાઈ પટેલ મારફતે કુડાસણ સ્થિત ઉમિયા ઓવરસીસના સંચાલકો અંકિત શૈલેષભાઈ પટેલ અને વિશાલ મહેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. પરમેન્ટ વિઝા અપાવવા 1 કરોડની ફી નક્કી કરી'તીજેમણે વિઝા 18 મહિનામાં અપાવવાની ખાતરી આપી કુલ 1 કરોડ ફી નક્કી કરી હતી. જે પેટે ભરતભાઈએ શરૂઆતમાં 25 લાખ ટોકન પેટે ચૂકવ્યા હતા. સમય વીત્યા બાદ વિઝાની પ્રક્રિયામાં વિલંબ થતાં માર્ચ 2023માં આરોપી અંકિત પટેલે વિઝા નિયમો મુજબ તેમના પુત્રના બેંક એકાઉન્ટમાં રૂ .41,39,920 નું બેલેન્સ બતાવવાની જરૂરિયાત જણાવી હતી. આ બેલેન્સ તે પોતે જ જમા કરાવશે કહી તેના બદલામાં ભરતભાઈ પાસેથી કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા. બે એજન્ટે ખેડૂત પરિવારને ફસાવ્યોબાદમાં ટાઇગર ઓવરસીસના ખાતામાંથી રૂ.41,39,920 ભરતભાઈના પુત્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જોકે આ પૈસા ટ્રાન્સફર થયાના થોડા દિવસો બાદ અંકિત પટેલે વિશ્વાસમાં લઈ આ રકમ અન્ય બે એજન્ટ મહેશકુમાર પટેલ અને ઉમંગ પટેલના એકાઉન્ટમાં પરત જમા કરાવી દીધી હતી. અને ભરત ભાઈનો પુત્ર અપૂર્વ અને પુત્રવધૂ ફેનીલ 4 માર્ચ 2024ના રોજ કેનેડા પહોંચી ગયા બાદ 6 માર્ચ 2024ના રોજ અંકિત પટેલના પિતા શૈલેષભાઈ કે. પટેલ, ઉમંગ પટેલ અને મહેશભાઈ પટેલે માણસાની એક આંગડિયા પેઢીમાંથી બાકીના 75 લાખ પણ લઈ હિસાબ પૂરો કર્યો હતો. નોટિસ મળી ને ચેક બાઉન્સ થયોજોકે, આ સમયે ભરતભાઈએ આપેલા કોરા ચેક પરત માંગતા આરોપીઓએ હાલમાં ફરિયાદો થયેલી છે તેમ કહી ચેક પરત આપ્યા નહોતા. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 20 એપ્રિલ 2024 ના રોજ ભરતભાઈના પુત્રને ટાઇગર ઓવરસીસ અને એજ્યુકેશન કન્સલ્ટના આકાશ જયંતિભાઈ પટેલ તરફથી નોટિસ મળી. જેમાં ઉલ્લેખ હતો કે ઉમિયા ઓવરસીસના કહેવાથી તેમના એકાઉન્ટમાં નાખેલા રૂ .41,39,920 ના બદલામાં અપાયેલો ચેક બાઉન્સ થયો છે. બાદમાં આજ મોડસ ઓપરેન્ડીથી ઋત્વીક રમેશભાઈ પટેલ સાથે પણ ઠગાઈ થયાનું ભરતભાઈ જાણવા મળ્યું હતું. કાવતરું રચી બેલેન્સ બતાવવાના નામે કોરા ચેક પડાવ્યા'તાઆમ આરોપીઓ અંકિત પટેલ, વિશાલ પટેલ, શૈલેષભાઈ પટેલ, ઉમંગ પટેલ, મહેશભાઈ પટેલ (તમામ રહે. લવારપુર) અને આકાશ જયંતિભાઈ પટેલ (ટાઇગર ઓવરસીસ) એ સંયુક્ત રીતે કાવતરું રચી બેલેન્સ બતાવવાના નામે કોરા ચેક પડાવી, પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી, અને સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવીને છેતરપિંડી આચરતા ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ઉમિયા ઓવરસીસના સંચાલકો પર અગાઉ પણ ગુનો નોંધાયો છેઉલ્લેખનીય છે કે ,ઉમિયા ઓવરસીસના સંચાલકો અંકિત પટેલ, તેના મિત્ર વિશાલ પટેલ અને અન્ય આરોપીઓ પર અગાઉ પણ ગુના નોંધાયેલા છે. જેમાં ડભોડાના ખેડૂત જીગ્નેશ પટેલ સહિત ઓછામાં ઓછા 23 વ્યક્તિઓને યુએસ અને કેનેડિયન વિઝા અપાવવાના બહાને 7.75 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાની FIR ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. કેનેડા PR વિઝા માટે 25 લાખ લીધા હતા આ કેસમાં પણ મુખ્ય આરોપીઓમાં અંકિત પટેલ, તેની પત્ની અનેરી પટેલ, વિશાલ પટેલ અને તેના પિતા શૈલેષ પટેલ સામેલ છે. જીગ્નેશ પટેલે એકલાએ કેનેડા વર્ક પરમિટ વિઝા માટે 65 લાખ ગુમાવ્યા એજ રીતે કલોલના મુકેશ અમૃતલાલ પટેલે પણ ઉમિયા ઓવરસીસના સંચાલકો વિશાલ પટેલ અને અંકિત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ તેમની પુત્રીના કેનેડા PR વિઝા માટે 25 લાખ લીધા હતા અને CELPIP (કેનેડિયન ઈંગ્લિશ લેગ્વેજ પ્રોફીસીએન્સી ઈન્ડેક્ષ પ્રોગ્રામ) પરીક્ષા પાસ કર્યાની ખોટી PDF ફાઇલ મોકલી હતી, પરંતુ વિઝા અપાવ્યા નહોતા. પત્ની અનેરી અને વિશાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતોએજ રીતે ચિલોડાના એક શિક્ષક પરેશભાઈ ભગુભાઈ પટેલ પાસેથી પણ તેમના પુત્ર અને પુત્રવધૂના કેનેડા વિઝાના બહાને 40 લાખની છેતરપિંડી કરવા બદલ અંકિત પટેલ, તેની પત્ની અનેરી અને વિશાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે અંકિત પટેલની ધરપકડ કરી હતી, જ્યારે વિશાલ પટેલ અમેરિકા ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ભૂતકાળમાં CID ક્રાઇમે વિઝા કન્સલ્ટન્સીઓમાં દરોડા પાડ્યા હતા, જેમાં કુડાસણ સ્થિત ઉમિયા ઓવરસીસના વિશાલ પટેલ સામે ખોટા દસ્તાવેજો બનાવવાનો અને પાસપોર્ટ તેમજ અન્ય અસલ દસ્તાવેજો ચોરી કરવાનો ગુનો પણ નોંધાયો હતો. વિઝા અપાવવાના બહાને મોટી રકમો પડાવતાંઆ ફરિયાદો પરથી સ્પષ્ટ થાય છે કે ઉમિયા ઓવરસીસના સંચાલકો અંકિત શૈલેષભાઈ પટેલ, વિશાલ મહેશભાઈ પટેલ અને શૈલેષભાઈ કે. પટેલ એક પદ્ધતિસરનું કૌભાંડ ચલાવી રહ્યા હતા, જેમાં વિઝા અપાવવાના બહાને મોટી રકમો પડાવી લેવામાં આવતી હતી અને દસ્તાવેજોની ગેરરીતિ કરવામાં આવતી હતી.
પાટણ પાલિકાના ઉપપ્રમુખને ઓફિસ પરત મળી:ચીફ ઓફિસરના આદેશ બાદ કોર્પોરેટરોની એકતાથી વિવાદનો અંત આવ્યો
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હીનાબેન શાહને તેમની ઓફિસ પરત મળી છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વહીવટી હુકમ દ્વારા તેમની ઓફિસને મુલાકાતી કક્ષમાં ફેરવી દીધી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. નગરપાલિકાના કોર્પોરેટરોની એકતા અને ભાજપના નેતૃત્વના પ્રયાસો બાદ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ, ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ઉપપ્રમુખ હીનાબેન શાહની ઓફિસને મુલાકાતી કક્ષમાં રૂપાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. આ વહીવટી હુકમને કારણે પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી હતી. આ વિવાદનો અંત લાવવા માટે પાલિકાના કોર્પોરેટરોએ એકતા દર્શાવી હતી. ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વના પ્રયાસોને પગલે પાલિકા તંત્રને પોતાનો વહીવટી હુકમ પાછો ખેંચવાની ફરજ પડી હતી. પરિણામે, મુલાકાતી કક્ષનું બોર્ડ હટાવીને પુનઃ હીનાબેન શાહના નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આજરોજ, ઉપપ્રમુખ હીનાબેન શાહને તેમની ઓફિસ પુનઃ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સિનિયર કોર્પોરેટરો મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, નરેશભાઈ દવે, બીપીન પરમાર, બાંધકામ ચેરમેન મહેશભાઈ પટેલ, પાલિકાના દંડક મનોજભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેટરોએ આ પ્રસંગની ઉજવણી કરી હતી. હીનાબેન શાહે ઉપપ્રમુખની ઓફિસનો પુનઃ ચાર્જ લેતા તેમના સાથી કોર્પોરેટરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હીનાબેન શાહે જણાવ્યું હતું કે તેમને ઓફિસ પુનઃ પ્રાપ્ત થવી તે નારી શક્તિ, સંગઠન, એકતા અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરોની જીત છે. સિનિયર કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સત્તાની રૂએ ખોટો હુકમ કરીને ઓફિસ છીનવી લીધી હતી, જે આજે ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વના કારણે પરત આપવાની ફરજ પડી છે. તેમણે પાલિકાના સભ્યોની લાગણીને ન્યાય મળ્યો હોવાનું જણાવી આગામી સમયમાં પાટણના વિકાસના કામોમાં તમામ સભ્યો ખભે ખભો મિલાવીને કામ કરવાની ખાતરી આપી હતી. આ અંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખના મૌખિક હુકમથી ઉપપ્રમુખની ઓફિસ પુનઃ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, ઉજવણી બાદ કોર્પોરેટરો દ્વારા આતશબાજીથી થયેલો કચરો જાતે જ સાફ કરવામાં આવ્યો હતો.
હિંમતનગરમાં ઓડ સમાજની મારામારી, કારના કાચ તૂટ્યા:સાટા પદ્ધતિના લગ્ન મુદ્દે વિવાદ, વીડિયો વાઇરલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડતસીયા રોડ પર શનિવારે બપોરના સમયે ઓડ સમાજના બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. સામાજિક પ્રશ્ને થયેલી આ મારામારીમાં એક યુવતીને ઈજા થઈ હતી અને એક અલ્ટો કારના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલા આકાશવાણી કેન્દ્ર સામે આ ઘટના બની હતી. જીવાપુર ગામના ઓડ પરિવાર અને હિંમતનગરના ઓડ પરિવાર વચ્ચે સાટા પદ્ધતિએ કરેલા લગ્ન બાબતે વિવાદ થયો હતો. જીવાપુરાના ઓડ સમાજના લોકો ચાર વાહનો લઈને આવ્યા હતા અને લાકડીઓ વડે મારામારી કરી હતી. મારામારીમાં એક યુવતીને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા 112 જનરક્ષક અને 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડેપટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડીંગમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાંના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. 21 નવેમ્બર સુધીમાં શાળાને ખુલાસો કરવા જણાવાયુંટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સંસ્થાને ભાડાપટ્ટે આપવામાં આવેલી છે. જેના માટે કરવામાં આવેલા કરારોનો ભંગ થયો હોવા અંગે લઈને કમિટીમાં અવારનવાર વિગતો માંગવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. આજે મળેલી કમિટીમાં ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા સેવન્થ ડે સ્કૂલ મામલે કાર્યવાહી અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ભાડાપટ્ટે આપેલી જમીનના કરારનો ભંગ થયો હોવા અંગે નોટિસ આપવામાં આવી છે. 21 નવેમ્બરના રોજ સ્કૂલના સત્તાધીશોને જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે. જે સંસ્થા સાથે ભાડાપટ્ટાનો કરાર કરાયો તેના બદલે અન્ય સંસ્થા શિક્ષણ આપતી હોવાનું ખૂલ્યુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2001માં ખોખરા વિસ્તારમાં શૈક્ષણિક હેતુ માટે 99 વર્ષના ભાડાપટ્ટે ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને 10465 ચો.મી. જમીન ફાળવવામાં આવેલી હતી. જેના ઉપર શૈક્ષણિક હેતુ માટે બિલ્ડીંગ બાંધવામાં આવેલી હતી. જોકે જે સંસ્થા સાથે ભાડા પટ્ટાનો કરાર કરવામાં આવ્યો તેના કરતાં અન્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે કોલેજ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ભાજપના સત્તાધીશો દ્વારા એસ્ટેટ વિભાગ પાસે તમામ માહિતી માંગવામાં આવી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા શો- કોઝ નોટીસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો જો કે તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. એસ્ટેટ વિભાગે તપાસ કરતા શાળાનો ભાંડો ફૂટ્યોભાજપના સત્તાધીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી કે ભાડા પટ્ટાના કરારનો ભંગ થઈ રહ્યો છે છતાં પણ તેમના દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે સેવન્થ ડે સ્કૂલમાં પ્રાયમરી, સેકન્ડરી.હાયર સેકન્ડરી તથા કોલેજના શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં પ્રાયમરી શિક્ષણ મહારાષ્ટ્રના પુણે ખાતે નોંધાયેલી એશ્લોક એજ્યુકેશન સોસાયટી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જ્યારે સેકન્ડરી/ હાયર સેકન્ડરી શિક્ષણ - ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુસન્સ દ્વારા આપવામાં આવે છે. કોલેજનું શિક્ષણ - સેવન્થ ડે એડવન્ટીસ્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તેમજ સેવન્થ ડે એડવન્ટીસ્ટ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝ - કોલેજ શિક્ષણ ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટીસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુસન્સ દ્વારા આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવી હતી પરંતુ અન્ય સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. સેવનથ ડે સ્કૂલના વર્ષ 2022ના ઓડિટ રિપોર્ટમાં પણ બિલ્ડીંગ માટે 1.59 લાખ રૂપિયા ભાડું આપવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેથી ઈન્ડીયા ફાયનાન્શીયલ એસોસીએશન ઓફ સેવેન્થ ડે એડવેન્ટીસ્ટને ભાડું ચૂકવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સેવનથ ડે સ્કૂલમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેના માટે પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી ત્યારબાદ ઇમ્પેક્ટ ફીમાં મંજૂર કરાવવામાં આવ્યું છે. જેના કારણે આ થતા તેમને નોટિસ પાઠવીને ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. જો 21 નવેમ્બરના રોજ સેવન્થ ડે સ્કૂલના સત્તાધિશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સમક્ષ જો કોઈ જવાબ રજૂ કરવામાં નહીં આવે અને આ શરતોના ભંગ બદલ જવાબ આપવા માંગતા નથી તેમ સમજીને શરત ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડા પટ્ટા નો કરાર રદ કરવામાં આવશે.
મુળીના ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં નદી કિનારેથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દરોડા પાડી રૂ. 1,48,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 300 લિટર દેશી દારૂ અને 3500 લિટર આથો મળી આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ભવાનીગઢ ગામની સીમમાં મફાભાઈની વાડી પાસે ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 300 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 60,000), 3500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત રૂ. 87,500) અને પાંચ પતરાના બેરલ (કિંમત રૂ. 1,000) સહિત કુલ રૂ. 1,48,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં નવલભાઈ રણછોડભાઈ દેકાવડીયા (રહે. ભવાનીગઢ, તા. મુળી) નામના આરોપીને પકડવાનો બાકી છે. પોલીસે આરોપી વિરુદ્ધ મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. મુન્નાભાઈ રાઠોડ, પો.હેડ કોન્સ. દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કૃણાલસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઈ સભાડ, પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા અને ડ્રા.એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના સ્ટાફ જોડાયો હતો.
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SIRની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથકો ખાતે 15, 16 અને 22, 23 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર સુધીમાં BLO ઘરે–ઘરે જઈને મતદારોને યુનિક ફોર્મ આપશેત્યારે આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં BLO પોતાની કામગીરી કરવા પહોંચ્યા હતા. ત્યારે SIRની પ્રક્રિયા અંગે જિલ્લા કલેકટર સુજિત કુમારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બર સુધીમાં કુલ 5524 જેટલા BLO ઘર–ઘર જઈને મતદારોને યુનિક ફોર્મ આપશે. દરેક ફોર્મમાં મતદારોની પ્રાથમિક માહિતી પહેલેથી જ લખેલી હશે, જ્યારે બાકી વિગતો મતદારોને જાતે જ પૂરી પાડવાની રહેશે. 2002ની મતદાર યાદી સર્ચ કરવાનું સરળ બને તે માટે નવી પ્રક્રિયાઆ પ્રક્રિયામાં મતદારોને કોઈપણ પ્રકારના પુરાવાની જરૂર નહીં પડે. BLO ને સંબંધીત કામગીરી માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવી છે અને જરૂરી હોય તો મતદારો ફોર્મ નંબર 6, 7 અને 8 પણ મેળવી શકશે. 2002ની મતદાર યાદી સર્ચ કરવાનું સરળ બને તે માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં માત્ર ત્રણ શબ્દો દાખલ કરતાં જ માહિતી મળી શકશે. જોકે, BLOને 2002ની સંપૂર્ણ યાદી આપવામાં નહીં આવે, પરંતુ તેમના વિસ્તારમાંની યાદી જ આપવામાં આવી છે. 2002ની યાદીમાં નામ હશે તો પ્રાથમિક રીતે તે યથાવત્ રહેશે, પરંતુ બાદમાં તેવા લોકો પાસેથી સત્તાવાર ફોર્મ માંગવામાં આવશે. મતદાર યાદીમાં નામ યથાવત્ રાખવા માટે ફોર્મ ભરવું ફરજિયાતમતદાર યાદીમાં નામ યથાવત્ રાખવા માટે ફોર્મ ભરવું ફરજિયાત ગણવામાં આવ્યું છે. જો કોઈ મતદાર ફોર્મ સબમિટ નહીં કરે તો બાદમાં નિયમ મુજબના 12 પુરાવામાંથી કોઈપણ પુરાવો આપવો ફરજિયાત બની જશે. 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થશેઆ સમગ્ર અભિયાન 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 4 થી 9 ડિસેમ્બર દરમિયાન ડ્રાફ્ટ રોલની પ્રક્રિયા હાથ ધરાશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી વિવિધ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલશે, જ્યારે 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી નોટિસનો તબક્કો રહેશે. અંતે 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૃતક વ્યક્તિઓના નામ મોટી સંખ્યામાં દૂર થશે અને મતદાર યાદી વધુ વ્યવસ્થિત બનેલી જોવા મળશે.
અમદાવાદના બોડકદેવમાં રહેતા વેપારી અને તેમના પિતા પાસેથી પૂર્વ કર્મચારીએ નવો ધંધો શરૂ કરવા અને રોકાણ કરી નફો આપવા લાખો રૂપિયા લીધા હતા. જેમાંથી કેટલીક રકમ પરત આપી હતી, પરંતુ 60 લાખ પરત આપ્યા નહોતા. પૂર્વ કર્મચારીએ 10 મહિના સુધી પૈસા પરત ન આપતા વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશન પૂર્વ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોડકદેવમાં રહેતા પ્રતીક શાહ કેમિકલનો ધંધો કરે છે. અગાઉ તેમના ભાઈ અને પિતા પણ કેમિકલનો ધંધો કરતા હતા. વર્ષ 2023માં પ્રતિકભાઇના પિતા બિપીનચંદ્રનું અવસાન થયું હતું. પ્રતીકભાઇની કંપનીમાં વર્ષ 1990 થી 2020 સુધી મનીષ મહેતા નોકરી કરતો હતો. 2022માં મનીષે પોતાનો ધંધો શરૂ કરવા અને ધંધામાં રોકાણ કરી નફો આપવા માટે પ્રતિકભાઇના પિતાને જણાવ્યું હતું. શરૂઆતમાં 19 લાખ આપ્યા હતા. જે બાદ 1.03 કરોડ અને 11 લાખ આપ્યા હતા. મનીષે આ પૈસાથી કેમિકલનો ધંધો પણ શરૂ કર્યો હતો. મનીષે ટુકડે ટુકડે પૈસા પરત આપ્યા હતા. બિપીનભાઈનું અવસાન થયું ત્યારે 48 લાખ લેવાના બાકી હતી. જોકે મનીષે 48 લાખ બાબતે સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરી આપ્યું હતું. મનીષ પર વિશ્વાસ કરીને પ્રતિકભાઇએ 12 લાખ આપ્યા હતા. કુલ 60 લાખ મનીષ પાસેથી લેવાના હતા, પરંતુ મનીષ માત્ર વાયદાઓ જ કરતો હતો. મનીષે લાંબા સમય સુધી પૈસા ન આપતા પ્રતિકભાઈએ મનીષ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આ નિર્ણયથી આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. જામનગરના બેડેશ્વરમાં જનક ઓઇલ મિલ એન્ડ એક્સપોર્ટ ચલાવતા વિશાલ મોદી સામે એક મહિલાએ બળાત્કાર અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી વિશાલ મોદી ધરપકડથી બચવા માટે જામનગર છોડીને નાસી છૂટ્યો હતો. છેલ્લા 15 દિવસથી ફરાર રહેલા આરોપીએ ધરપકડ ટાળવા માટે જામનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીનો ભોગ બનનાર મહિલાએ તેમના એડવોકેટ દિનેશભાઈ વિરાણી મારફતે કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો. વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર ગુનો છે અને તેની પાસેથી ભોગ બનનારના વીડિયો, ફોટા વગેરે કબજે કરવાના બાકી છે. ઉપરાંત, પોલીસ કસ્ટડી દરમિયાન દુષ્કર્મનું સ્થળ શોધવાનું પણ બાકી છે. એડવોકેટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા. તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટે ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ નિર્ણયથી પોલીસ માટે આરોપીની ધરપકડ કરવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.
અમરેલી તાલુકાના વડેરા ગામમાં મોડી રાત્રે એક વન્યપ્રાણીએ પશુપાલકના વાડામાં હુમલો કરતાં 10 ઘેટાંના મોત થયા છે. જેના કારણે માલધારી પરિવારને આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ભાવેશભાઈ ભરવાડના વાડામાં વન્યપ્રાણી વાડામાં ઘૂસ્યું હતું. હુમલા દરમિયાન બે ઘેટાંનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઘેટાં ભય અને ગભરાટને કારણે જીવ ગુમાવી બેઠા હતા. 10 જેટલા ઘેટાંના મોત થયાપશુપાલક ભાવેશભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર, રાત્રે 10 વાગ્યે વન્યપ્રાણીઓ આવ્યું હતું. જેણે બચ્ચા અને મોટા ઘેટાંને મારી નાખ્યા. અંદાજે 10 જેટલા ઘેટાંના મોત થયા છે. જેનાથી અમને આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે. વનવિભાગ સહાય આપી મદદ કરે તેવી અમારી અપેક્ષા છે. વનવિભાગને દીપડો હોવાની આશંકાઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વનવિભાગને દીપડો હોવાની આશંકા છે અને તેના સગડના આધારે લોકેશન મેળવવા માટે કાર્યવાહી ચાલી રહી છે. અમરેલી જિલ્લાના રેવન્યુ અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો અને દીપડા દ્વારા પશુઓના મારણની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.
દાહોદ જિલ્લામાં નિવૃત આંગણવાડી કાર્યકરો અને તેડાગરના બાકી ગ્રેજ્યુઇટી ચુકવણાં ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ બે દિવસીય ઝુંબેશ 18 અને 19 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ ઝુંબેશ અંતર્ગત મંગળવાર અને બુધવારે સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી ગ્રેજ્યુઇટી ચુકવણાં સંબંધિત અરજીઓ સ્વીકારવામાં આવશે. આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આ ચુકવણાં ઝડપી બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે તમામ નિવૃત આંગણવાડી કાર્યકરો અને તેડાગરને વિનંતી કરી છે કે જેમના ગ્રેજ્યુઇટીના ચુકવણાં બાકી હોય, તેઓએ જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત દિવસે કેમ્પમાં ફરજિયાત હાજર રહેવું. અરજીઓ કરતી વખતે નિમણૂક હુકમ અથવા તાલીમનું પ્રમાણપત્ર, નિવૃત્તિ હુકમ, છેલ્લા પગારની વિગત અથવા બેંક પાસબુક સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ તેમજ પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટા લાવવાના રહેશે. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ વર્ષોથી બાકી રહેલા ગ્રેજ્યુઇટી ચુકવણાંને સરળ અને ઝડપી રીતે પૂર્ણ કરવાનો છે. આનાથી તમામ પાત્ર નિવૃત કર્મચારીઓને સમયસર લાભ મળી રહેશે.
પ્રોહીબિશનનો વોન્ટેડ આરોપી દાદરા નગર હવેલીથી ઝડપાયો:નવસારી LCBએ ગુનામાં ફરાર જયદેવ કડુને પકડી પાડ્યો
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પ્રોહીબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી જયદેવ લક્ષીભાઇ જાનુભાઇ કડુને દાદરા નગર હવેલીમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.જાડેજાની સૂચના હેઠળ કરવામાં આવી હતી. LCB સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ અંતર્ગત, 15 નવેમ્બરના રોજ અ.હે.કો. નયનકુમાર હનુભા અને અ.હે.કો. દિગ્વિજયસિંહ રવજીભાઇને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ જયદેવ કડુ કલા માનીપાડા, ખેરડી, દાદરા નગર હવેલી, સેલવાસા ખાતેના તેના રહેણાક મકાને હાજર હતો. આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી જયદેવ કડુનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેની સામે ધરમપુર, નબીપુર અને વરણામા પોલીસ સ્ટેશનોમાં વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે 14 નવેમ્બરની રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચાલકે પૂરપાટ ઝડપે બાઈક હંકારી રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તા પર બાઈક ઘસડાતા તણખા પણ ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાઈકની ટક્કરે રોડ ક્રોસ કરતા UPના યુવકનું મોતશહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં કામ કરતો બિપિન ગૌતમ (ઉ.વ. 28) તુલસીધામ ચાર રસ્તાથી કબીર કોમ્પ્લેક્સ તરફ જતો રોડ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે તેને ટક્કર મારી હતી. જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચતા બિપિનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. જોકે, અકસ્માત કરનાર યુવકને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો બીજી તરફ યુવકને ટક્કર મારનાર બાઈકચાલકના સંબંધીઓ મોડી રાત્રે રેસ્ટોરન્ટ આગળથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. અકસ્માત કરનાર યુવક કોણ છે અને ક્યાં સારવાર લઈ રહ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 'ઇજાગ્રસ્ત હોવા છતાં વાતચીત કરતો હતો': મુકેશભાઈ માખીજાનીઆ ઘટના અંગે દુકાનના માલિક મુકેશભાઈ માખીજાનીએ જણાવ્યું હતું કે, હું પંજાબી ઝાયકા નામની રેસ્ટોરન્ટ ચલાવવું છું અને આ જે બનાવ બન્યો છે તે મારો કારીગર હતો. એ રસ્તો ક્રોસ કરીને એના સંબંધીઓને લેવા જતો હતો અને અકસ્માતના લીધે તેનું મોત થયું છે. ઇજાગ્રસ્ત હોવા છતાં વાતચીત કરતો હતો અને દવાખાને લાવ્યા ત્યાં ટ્રીટમેન્ટ થાય એ પહેલાં મોત થયું છે. પીએમ કર્યા બાદ જે છોકરાએ અકસ્માત કર્યો તેના ઉપર કાર્યવાહી થાય અને મૃતકને ન્યાય મળે તેવી માગ છે. 'નાના બાળકો અને પત્ની છે સંભાળ કોણ રાખશે?': શિવમ ગૌતમઆ અંગે મૃતકના મિત્ર શિવમ ગૌતમે જણાવ્યું હતું કે, અમે લોકો ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છીએ અને વડોદરામાં આવીને કામ કરીએ છીએ. મૃતક છોકરાનું નામ બિપિનકુમાર છે. તે મારો મિત્ર છે. 14 નવેમ્બરની રાત્રે 10 વાગ્યાની આસપાસ તેને અહીં એક બાઈકે ટક્કર મારી હતી. બાઈકચાલકે અકસ્માત કર્યાના થોડા સમય પછી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને ત્યાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ હજુ સુધી પહોંચી નથી. આ ઘટનામાં બેદરકારી બાઈકચાલકની છે કે તે આટલી ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. 'અમને ન્યાય જોઇએ છે, તેના ઘરમાં કોઈ કમાનાર નથી'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે CCTVમાં જોશો તો બાઈક પણ સ્પીડમાં દેખાતી નથી. અમે બાઈક ચલાવીએ છીએ પણ આપણે એ જોવું જોઇએ કે કોણ આવે છે.. કોણ જાય છે. તેણે જોરદાર ટક્કર મારી છે છતાં હજુ સુધી પોલીસે કાર્યવાહી કરી નથી. અમે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ કાનપુર લઈ જઈશું. પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી. આજે 12 વાગ્યા છે, બીજો દિવસ છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેના પરિવાર માટે કંઈક મળવું જોઇએ. તેના ઘરમાં કોઈ કમાનાર નથી. તેનો 25થી 30 હજાર પગાર હતો. 'યુવકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે': એલ.ડી. ગમારા આ અકસ્માત અંગે માંજલપુર પોલીસ સ્ટેશનના PI એલ.ડી. ગમારાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગે અમે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે તે અંગે કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં યુવકનું પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. અકસ્માત સર્જનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠા સંકલન સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્યએ ખેડૂતોના નુકસાન સહિતના પ્રશ્નો રજૂ કર્યા
હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ બેઠકમાં જનસામાન્યને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેના વળતર અંગે ચર્ચા કરી. આ ઉપરાંત, ધારાસભ્યએ નેશનલ હાઈવે અને સર્વિસ રોડ, નગરપાલિકા વિસ્તારમાં રોડ રિસરફેસિંગ, ગટરલાઈન, સ્વચ્છતા, ઓવરબ્રિજ, રેલવે બ્રિજ અને અંડરગ્રાઉન્ડ વીજ લાઈનની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેડી ટિંબા માધ્યમિક શાળાની જમીન અને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાની કામગીરીનો મુદ્દો પણ રજૂ કરાયો હતો. પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ આપ્યા હતા. સંકલન બેઠકના ભાગ-૨ માં આગામી સમયમાં યોજાનાર યુનિટી માર્ચની ઉજવણી અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ ડાયાબિટીસ દિવસ પર ગઈકાલે(14 નવેમ્બરે) અમદાવાદમાં થયેલા આરોગ્ય સ્ક્રીનિંગ અભિયાનના આંકડાઓએ જાહેર આરોગ્ય ક્ષેત્રે ગંભીર ચિંતા જગાવી છે. બિનચેપી રોગો (Non-Communicable Diseases - NCDs) ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો આંકડો ખૂબ જ વધારે જોવા મળ્યો છે. અમદાવાદમાં કુલ 103 જગ્યાઓ પર સૌ પ્રથમ વાર એટલું મોટું આયોજન કરીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એ સિવાય અનેક એસોસિએશન દ્વારા ફ્રી સુગર અને બીપી ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર 3 લોકોમાંથી 1 ડાયાબિટીસથી પીડિતઆ સ્ક્રીનિંગમાં અમદાવાદના કુલ 2221 દર્દીઓએ આ સ્ક્રીનીંગનો લાભ લીધો હતો. જેમાંથી 644 લોકોને બ્લડ સુગર વધેલું મળ્યું. આ કુલ સ્ક્રીન થયેલા લોકોમાં લગભગ 29% જેટલું પ્રમાણ છે. ચિંતાજનક વાત એ છે કે, આ આંકડો દર્શાવે છે કે દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિનું શુગર લેવલ વધેલું હતું. નિષ્ણાતોના મતે, આ પરિણામો ધરાવતા લોકોએ નિયમિત ડાયાબિટીસ ચેકઅપ કરાવવું જોઈએ. હાઇપરટેન્શન ભલે સાઇલેન્ટ હોય, પરંતુ તે ખૂબ જોખમીબ્લડ પ્રેશરની વાત કરીએ તો, કુલ 2221 લોકોમાંથી 772 લોકોમાં બ્લડ પ્રેશર વધેલું નોંધાયું છે. આ લગભગ 35% જેટલું મોટું પ્રમાણ છે. એટલે કે, દર ત્રણમાંથી એક કરતાં વધુ વ્યક્તિ હાઇપરટેન્શન સાથે જીવી રહી છે. હાઇપરટેન્શન એ હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની રોગ માટેનું એક મોટું જોખમી પરિબળ છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે હાઇપરટેન્શન ભલે સાઇલેન્ટ હોય, પરંતુ તે ખૂબ જોખમી છે. NCD બીમારીઓ અંગે માસ સ્ક્રીનિંગઆ અભિયાન દ્વારા અમદાવાદમાં વધતી NCD બીમારીઓ અંગે માસ સ્ક્રીનિંગનું મહત્વ જાણી શકાયું. ઘણા લોકોનું નિદાન કદાચ આ અભિયાન દરમિયાન પ્રથમવાર થયું હોઈ શકે છે. નિયમિત શુગર અને BP ચેકઅપ હવે જરૂરી છે. આહાર અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો, બગીચાઓ, ક્લિનિક અને AMC સેન્ટરો પર પ્રાથમિક સ્તરે સ્ક્રીનિંગ વધુ મજબૂત બનાવવું જોઈએ. આ શરૂઆતના સંકેતો દ્વારા હૃદયરોગ, સ્ટ્રોક, કિડની ફેલ્યર અને દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર સમસ્યાઓને અટકાવી શકાય તેમ છે.
ગોધરા જિલ્લા પંચાયત ભવનમાં એક કર્મચારી લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના બની હતી. આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ઠાકોર જશવંતસિંહ બળવંતસિંહ બે કલાક સુધી લિફ્ટમાં ફસાયા હતા, જેમને ગોધરા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઠાકોર જશવંતસિંહ બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. અચાનક લિફ્ટની સ્વીચ બંધ થઈ જતાં તેઓ અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટમાં ફસાયા બાદ જશવંતસિંહે તાત્કાલિક પોતાના અધિકારીઓને જાણ કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તરત જ ગોધરા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ ગોધરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લિફ્ટનો દરવાજો ખોલીને ઠાકોર જશવંતસિંહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાને કારણે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી, પરંતુ કર્મચારીના સુરક્ષિત બહાર આવતા સૌએ રાહત અનુભવી હતી.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ નડતરરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરીવડ્યું હતું. અહીંયા આવેલા કાચા પાકા અને નડતરરૂપ 35 જેટલા યુનિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતો ટીપી 55એ 24 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે. ક્યારેક સરકારી મિલકતો અને રોડની જગ્યાએ પર અનેક દબાણો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન પાર્કિંગ અને અન્ય સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફના માર્ગને પોલીસની હાજરીમાં ખુલ્લો કર્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા મધુનગર ચાર રાતથી કેનાલ તરફ જતો ટીપી 55-એ માંથી 24 મીટર રોડ લાઈન પસાર થાય છે, પરંતુ આ વિસ્તારમાં અનેક કાચા પાકા અને પતરાવાળા મકાનો ગેરકાયદે બની ગયા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે બાંધકામો દૂર કરવા દબાણ શાખાને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજે આ અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે બનેલા 35 જેટલા કાચા પાકા અને પતરાવાળા મકાનો ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વીજ નિગમનો સ્ટાફ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ઉપસ્થિતિમાં હટાવવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા શરૂ કરાઈ હતી. આ કાર્યવાહીમાં બુલડોઝર અને ડોઝરનો ઉપયોગ દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. પરંતુ પોલીસ કાફલાએ લોકોને આ કાર્યવાહી સ્થળેથી દૂર ખસેડ્યા હતા. આ સ્થળે કોઈ આકસ્મિક કે અઘટિત ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ જોવા મળી હતી. સાથે વીજ કંપનીના સ્ટાફ દ્વારા તમામ કાચા પાકા અને છાપરાવાળા ગેરકાયદે મકાનોના યેનકેન મેળવાયેલા વીજ કનેક્શન દબાણ શાખાની કાર્યવાહી અગાઉ જ કાપી નાખવામાં આવ્યા હતા.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા મના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી છે. જે વિધાર્થીઓના બુક રિફંડના નાણાં પેટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતાં. આરોપીએ પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટૂકડે ટૂકડે બે વર્ષમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. નિરમા યુનિવર્સિટીએ સોલા પોલીસ સ્ટેશનમાં કર્મચારી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. કર્મચારીએ ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાનિરમા યુનિવર્સિટીના વિધાર્થીઓએ બુક્સ માટે એડવાસ રૂપિયા આપ્યા હતા, જે અભ્યાસના અંતે પરત આપવાના હતાં. નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ પોતાના મિત્રો અને સબંધીઓને વિધાર્થીઓ તરીકે બતાવી તેમના ખાતામાં ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. આ અંગે યુનિવર્સિટીને જાણ થતા કર્મચારી વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી દ્વારા પ્રકાશ ઠાકોરની નિમણૂકને કરોડો ખંખેર્યાગોતામાં રહેતા નિકુંજ પટેલ નિરમા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.નિરમા યુનિવર્સિટીમાં વિવિધ એક્ટિવિટી ચાલી રહી છે.આ એક્ટિવિટી અનુસંધાને મેનેજમેન્ટ અને કોમર્સના એજ્યુકેશનના કોર્સના બુક્સ માટે એડવાન્સ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક લેવાના હોય છે. પૈસા માટે યુનિવર્સિટી દ્વારા ત્રણ અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે. પૈસા રિફંડ ચૂકવવા માટે પણ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કમિટીના સભ્યો પૈકી બે સભ્યોની સહીથી ખાતામાંથી રૂપિયાની ચુકવણી થાય છે. આ ખાતાનું મેનેજમેન્ટ કરવા માટે યુનિવર્સિટી દ્વારા પ્રકાશ ઠાકોર નામના નિમણૂક કરવામાં આવી હતી. સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા10 સપ્ટેમ્બરના રોજ વાર્ષિક ઓડિટ કરાવવાનું હતું ત્યારે પ્રકાશ ઠાકોરને હાજર રહેવા જણાવ્યું હતું, પરંતુ તે ઓડિટર પાસે જતો નહોતો અને હાજર પણ રહેતો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તેણે સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા છે. રૂપિયા મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યાજેથી યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. યુનિવર્સિટીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રકાશ ઠાકોરે તેના મિત્રો અને ઓળખીતા નિકેતન, હર્ષિલ લહેરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા અને રોહિત ઠાકોરના એકાઉન્ટમાં યુનિવર્સિટીના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ નવા એકાઉન્ટ લાવીને કમિશન આપવાનું કહ્યુંઆ ઉપરાંત તેણે તમામ વ્યક્તિઓને પણ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટ આપવાનું કહીને તેમને કમિશન આપવાનું જણાવ્યું હતું. જેથી અન્ય ખાતા પણ આવતા પ્રકાશ ઠાકોરે તેના મિત્રો પરિચિત અને સંબંધીઓના ખાતામાં બે વર્ષમાં 5 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. યુનિવર્સિટીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીનિરમા યુનિવર્સિટીમાં તેના મિત્રો, પરિચિત અને સંબંધોના ખાતા વિદ્યાર્થીઓના ખાતા તરીકે બતાવીને રિફંડના નાણાં પરત આપવાનું જણાવી કમિટીના સભ્યોની સહી પણ મેળવી લીધી હતી.આમ બે વર્ષમાં ટુકડે ટુકડે 5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે પ્રકાશ ઠાકોર અને તેના અન્ય છ સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

29 C