SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

20મીએ મનપાનું જનરલ બોર્ડ:લાંબા સમય બાદ કોંગ્રેસનો પ્રથમ પ્રશ્ન: ફ્લાવર બેડ, રોડ-રસ્તાના કામો સહિતના મુદ્દે બોલશે તડાફડી

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.20મીએ સવારે 11 વાગ્યે દ્વિમાસિક સાધારણ સભા બોલાવવામાં આવી છે જેનો એજન્ડા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 12 દરખાસ્ત કરવામાં આવી છે. સાધારણ સભામાં પ્રશ્ન પૂછનાર સભ્યોના સવાલોનો ડ્રો કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષના 68 પૈકી કોઇપણ એક નગરસેવકના પ્રશ્નથી બોર્ડની શરૂઆત થાય છે અને તેની માહિતી આપવામાં સમય પૂરો થઇ જાય છે ત્યારે આ વખતે પ્રશ્નોના કરાયેલા ડ્રોમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના 3 પ્રશ્ન પ્રથમ ક્રમે આવી જતા બોર્ડમાં ફ્લાવર બેડ, રોડ-રસ્તાના કામો અને નવા વિસ્તારોમાં સાઇન બોર્ડ મુદ્દે તડાફડી બોલશે. લાંબા સમય બાદ શાસકના બદલે ચિઠ્ઠીમાં વિપક્ષના નેતાનું પ્રથમ પ્રશ્ન માટે નામ ખૂલતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને શાસક પક્ષ પણ સાધારણ સભામાં વિપક્ષને કેવી રીતે કાબૂમાં રાખવો તેની રણનીતિ ઘડવામાં લાગી ગયો છે. સાધારણ સભામાં શાસક અને વિપક્ષના કુલ 15 નગરસેવકે 25 પ્રશ્નો પૂછ્યા છે જેમાં ભાજપના 12 કોર્પોરેટરે 17 પ્રશ્ન અને કોંગ્રેસના 3 કોર્પોરેટરે 8 સવાલ ઉઠાવ્યા છે. જેની ચિઠ્ઠીમાં વોર્ડ નં.15ના કોર્પોરેટર વશરામ સાગઠિયાના 3 પ્રશ્ન આવ્યા છે. વિપક્ષ નેતા સાગઠિયાએ ઉઠાવેલા પ્રશ્નોમાં(1) રાજકોટમાં રાજકોટમાં આર્કિટેક્શન પ્રોજેક્ટ(ફ્લાવર બેડ)ને કારણે બીયુપી અટકાવ્યા હોય તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા કેટલી છે? જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ, વિસ્તાર વાઇઝ અને બિલ્ડિંગ પ્રોજેક્ટના નામ સાથે જણાવશો. ફ્લાવર બેડવાળા બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવા શહેરી વિકાસ ‌વિભાગે તા.18-10-2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કાર્યવાહી તા.11-11-2025 સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી આ કામગીરી ક્યારે શરૂ થશે અને તેના માટે ટાઉન પ્લાનિંગ વિભાગમાં શું વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે તેની વિગત જણાવશો.(2) રાજકોટ શહેરની હદમાં નવા ગામો ભળ્યા બાદ શહેરની હદ ક્યાં સુધી વિસ્તરી છે તેની સંપૂર્ણ વિગત માઇલ સ્ટોન સાથે આપશો. જ્યાં હદ પૂરી થાય છે ત્યાં હદ પૂરી થવાના સાઇન બોર્ડ શા માટે મૂકવામાં આવ્યા નથી? (3) છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના ક્યાં રસ્તા કઇ એજન્સી દ્વારા ક્યાં ક્યાં કારણોસર ખોદકામ કરવામાં આવ્યા, રસ્તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે, કેટલા ખોદકામ મંજૂરીથી તેમજ રસ્તા રિપેરિંગની ડિપોઝિટ લઇને કરવામાં આવ્યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવ્યા તે રસ્તાથી મહાનગરપાલિકાની તિજોરીને કેટલો ખર્ચ થયો જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ માગવામાં આવી છે. સંભવત: ચાલુ બોડીનું છેલ્લું બોર્ડ, સાંસદને વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતી સહિતની દરખાસ્તોસંભવત: ચાલુ બોડીનું આ છેલ્લું બોર્ડ બની રહે તેવી પૂરતી સંભાવના છે. આ સાધારણ સભામાં સાંસદ, કમલમ સહિતનાને જમીનનું વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતીને મંજૂરી, 1056 આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા, વિવિધ રમતગમતના મેદાનો અને સ્પોર્ટ્સ ફેસિલિટીના ભાડા રિવાઇઝ કરવા, શિવ ટાઉનશિપની દુકાનોનું હરાજીથી વેચાણ કરવા સહિતની 12 દરખાસ્તનો સમાવેશ થાય છે. નોન હેબિટેબલ સ્પેશ હોય તો 2 ફૂટનું પ્રોજેક્શન એલાઉ છે, પરંતુ સરકારે નોન હેબિટેબલને હેબિટેબલ સ્પેસ ગણી છેસરકારે ફ્લાવર બેડના ઇસ્યૂના નિરાકરણ માટે પરિપત્ર તો કરી દીધો છે, પરંતુ જંત્રીના 100 ટકા પેનલ્ટી વધુ પડતી હોય અને ફિઝિબલ તથા વાયેબલ ન હોવાથી બિલ્ડરો હજુ સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બી.યુ. પરવાનગી માટે અરજી કરતા અચકાય છે. જીડીસીઆરમાં નોન હેબિટેબલ સ્પેસ માટે 2 ફૂટ જગ્યાનું પ્રોજેક્શન આપેલું જ છે, પરંતુ મનપાએ નોન હેબિટેબલને હેબિટેબલ સ્પેસ ગણતા આ પરિપત્ર મુજબ હવે પેનલ્ટી ભરીને બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવવું પડે, પરંતુ પેનલ્ટીની રકમ વધુ પડતી હોવાથી રિસ્પોન્સ મળતો નથી. > સતિષ મહેતા, એક્સપર્ટ બાંધકામ રેગ્યુલરાઇઝ માટે 100થી ઓછી અરજી આવીરાજકોટ શહેરનો ફ્લાવર બેડનો પ્રશ્ન હલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર કરી દીધો છે, પરંતુ હજુસુધી બિલ્ડરો તેમાં રસ દાખવી રહ્યા નથી. મહાનગરપાલિકાના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યા અનુસાર હજુસુધી ફ્લાવર બેડના ઇસ્યૂ ધરાવતા 80થી 90 બાંધકામો માટે બી.યુ.પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની અરજીઓ આવી છે. જ્યારે રાજકોટ શહેરમાં 1400થી વધુ બાંધકામોના કમ્પ્લીશન અને બી.યુ.પરવાનગીનો પ્રશ્ન લટકેલો છે, પરંતુ રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ બિલ્ડરો હજુ સુધી મનપાના પગથિયાં ચડવા માટે તૈયાર ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ઇનસાઇડ સ્ટોરીભાજપ હલ્લો કરશે અને છેલ્લે કોંગ્રેસ પણ દેકારો કરી કલાક પૂરી કરશે​​​​​​​બોર્ડમાં પ્રથમ પ્રશ્ન વશરામ સાગઠિયાનો હોય ભાજપ સાધારણ સભા પર પોતાની પકડ જાળવી રાખવા સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે તેમાં બેમત નથી. આથી સાધારણ સભા શરૂ થતાં જ મ્યુનિસિપલ કમિશનર પ્રથમ પ્રશ્નનો જવાબ આપવા માટે પરિપત્ર અને જીડીસીઆર વાંચશે અને તે દરમિયાન ભાજપ પેટા પ્રશ્ન પૂછી અથવા અન્ય રીતે વળતો હલ્લો બોલાવશે અને ગાડી આડે પાટે ચડાવી દેશે અને શાસકોની નીતિથી ત્રસ્ત થઇને વિપક્ષ વળતો દેકારો બોલાવશે અને આ રીતે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો કોરાણે મૂકી ભાજપ-કોંગ્રેસ સામસામે દેકારા બોલાવી એક કલાક પૂરી કરી નાખશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:57 am

નીતિન પટેલે વરાળ કાઢી, 'મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાંખ્યો':બાજુમાં બેઠેલા નેતાને પણ ટોણો માર્યાની ચર્ચા; કોંગ્રેસે માળખું ફેરવવાની તૈયારી આદરી?, જાણો અંદરની વાત

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:55 am

સિટી એન્કર:નશામાં ધૂત પતિએ ક્રૂરતાની હદ વટાવી: પત્નીને બચકાંભરી, વાળ ખેંચતા કહ્યું, ‘તારા કરતાં તો આઇટમો સારી’

નશામાં ધૂત પતિએ ક્રૂર બની પત્નીને બચકાં ભરી, વાળ ખેંચી, “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી ફટકારી તરછોડી દેતાં રાજકોટ માવતરના ઘરે આવેલી પરિણીતાએ સુરત રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં માવતરે રહેતી હિરલબેન કુલદીપસિંહ વાળાએ સુરત રહેતા પતિ કુલદીપસિંહ, સાસુ પ્રેમીલાબેન, જેઠ રાજદીપસિંહ અને જેઠાણી આરતીબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2024માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ તેમના લગ્ન કુલદીપસિંહ સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ પતિ હું હમણાં આવું છું તેમ કહીને નીકળ્યા બાદ મોડેથી દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરના બધા લોકોને બેફામ ગાળો ભાંડીને બધો સામાન ઘા કરી આતંક મચાવ્યો હતો. હિરલબેન તેમના પતિ કુલદીપને રૂમમાં લઈ જતા તેણે પેન્ટમાં જ લેટ્રિન કરી લીધું હતું. બીજા દિવસે સાસુ પ્રેમીલાબેન હિરલને ધમકાવતા કહ્યું હતું કે, તું આ ઘરની વાત કોઈને કહીશ તો મારા જેવી ભૂંડી કોઈનહીં હોય. તેણીને વાતવાતમાં સાસુ, જેઠ અને જેઠાણી કરિયાવર બાબતે મેણાંટોણાં મારતા. પતિનું એક્સિડન્ટ થયું હોય જેથી હિરલબેન તેની સેવા ચાકરી કરતા ત્યારે પણ તેમના જેઠાણી કહેતા કે, તમારા પ્રેમલા-પ્રેમલીના ખેલ રૂમમાં જઈને કરો. દરમિયાન હિરલબેન પરીક્ષા દેવા રાજકોટ આવ્યા હોય અહીંથી સુરત જતા ત્રીજા દિવસે ફરી તેમનો પતિ કુલદીપ દારૂ પી આવેલો અને ઝઘડો કરી હિરલબેનને બચકાં ભરી વાળ ખેંચી “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. સાસરિયાંના અસહ્ય ત્રાસથી કંટાળીને હિરલબેને તેના પિતાને જાણ કરતાં તેઓએ રાજકોટ તેડી આવ્યા હતા. જે બાદ તેણી રાજકોટ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાંઓ સામે માનસિક દુઃખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:54 am

ભાસ્કર બ્રેકિંગ:એક રાજકીય પક્ષે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનું ખાતું ખોલાવી ડોનેશન ઉઘરાવી લીધું

ગુજરાત આવકવેરા તંત્ર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસો ધરાવતી ચાર રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ સહિત રાજ્યના અન્ય જિલ્લાના આયકર અધિકારીઓને પણ જોડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક રાજકીય પાર્ટીએ મહારાષ્ટ્રની અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનો ઉપયોગ કરી તેમના નામે ખાતું ખોલાવી ડોનેશન પણ ઉઘરાવી લીધાની ચોંકાવનારી હકીકત આવકવેરાની તપાસમાં બહાર આવી છે. ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવતી બોગસ રાજકીય પાર્ટીઓ કાળાં નાણાંને ધોળા કરી આપવાના કારોબારમાં સંડોવાયેલી હોય ખર્ચ બતાવવામાં પણ આંધળુકિયા કરતા આવકવેરાના રડારમાં વધુ ચાર બોગસ રાજકીય પાર્ટીઓ આવી ગઇ હતી અને તેના પગલે આવકવેરા ‌વિભાગે બુધવારે સવારે ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઇ ગજેરાના ઘર-ઓફિસ સહિતના સ્થળો પર દરોડા પાડ્યા હતાp આ ઓપરેશનમાં રાજકોટના 20 જેટલા અધિકારીઓ જોડાયા છે અને આયકરના અન્વેષણ વિભાગના જોઇન્ટ કમિશનર સહિતના અધિકારીઓને પણ સુપરવિઝનમાં રખાયા છે. વડોદરા, સુરતની ટીમ પણ સર્ચમાં જોડાઈ છે. રાજકોટમાં બે ડઝન લોકોએ બોગસ પાર્ટીઓને ફંડ આપ્યુંઅંબાવી કેશવભાઇ ચાવડા રૂ.4.50 લાખ, અરજણ રામદેવભાઇ કરંગિયા રૂ.1.50 લાખ, અર્જુન દોશી રૂ.2.50 લાખ, બેરા વિશાલકુમાર કાંતિલાલ રૂ.1.90 લાખ, દેવ્યાની સિદ્ધપરા રૂ.90 હજાર, દિનેશ મનુભાઇ ભાલિયા રૂ.6 લાખ, દુસારા કૃણાલ પરષોત્તમભાઇ રૂ.1,74,909, ગાંધી શ્રીપાલ અશ્વિન રૂ.10 લાખ, ગૌરેશ એસ.શાસ્ત્રી રૂ.3 લાખ, ગિરીશકુમાર અર્જુનભાઇ સોલંકી રૂ.3 લાખ, હેનિત જયેશ નથવાણી રૂ.1.50 લાખ, જય વિષ્ણુભાઇ દવે રૂ.1 લાખનું ડોનેશન આપ્યું હતું. નૈશવ રોહિત ધ્રુવ રૂ.2 લાખ, નરેન્દ્ર યુ.ચાવડા રૂ.2 લાખ, પરાગ ઘેટિયા રૂ.5 લાખ, પ્રકાશકુમાર ભાયાભાઇ વાળા રૂ.3 લાખ, પ્રેમલતા મીથલ ચાવડા રૂ.3 લાખ, રાહીલ ધર્મેશ ઘૂંટલા રૂ.2 લાખ, સોનૈયા ચિરાગકુમાર રૂ.3.10 લાખ, વિનય હસમુખભાઇ ભીંડે રૂ.70 હજાર, વિવેકકુમાર આર.વાળા રૂ.4.45 લાખ, યોગેશ વિનોદ વાળા રૂ.50 હજારનું ફંડ બોગસ રાજકીય પાર્ટીઓને આપ્યાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:52 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:એરપોર્ટમાં સામાન બે વાર ચેક થશે, રેલવેસ્ટેશનમાં ડોગ સ્કવોડ, બસપોર્ટ રેઢું પડ

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશના એરપોર્ટ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. રાજકોટમાં જ્યાં વધુ જનમેદની એકઠી થાય છે તેવા મુખ્ય પરિવહન કેન્દ્રો-આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને પગલે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એલર્ટના માહોલ વચ્ચે ‘દિવ્ય ભાસ્કરે’ આ ત્રણેય સ્થળ પર સુરક્ષાની વાસ્તવિકતા જાણી હતી. એરપોર્ટમાં એલર્ટને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે, યાત્રિકોનો સમાન બે વખત ચેક કરવામાં આવી રહ્યો છે. લોકોના વાહનની પણ તપાસ થઇ રહી છે. જ્યારે બીજી બાજુ રેલવે સ્ટેશનમાં RPF અને સ્થાનિક પોલીસ દ્વારા પણ ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર છે એવું રાજકોટનું બસપોર્ટ હાલ જાણે રેઢુપડ હોય તેવી સ્થિતિ જોવા મળી. કારણ કે, ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત ન હતો! દિલ્હી બ્લાસ્ટ બાદ રાજકોટ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પ્રશંસનીય કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ બસપોર્ટની બેદરકારી સુરક્ષા તંત્રની નબળી કડી સાબિત થઈ શકે છે. સૌથી વધુ સામાન્ય લોકો જ્યાં એકઠા થાય છે, તેવા બસપોર્ટ પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. એરપોર્ટ | વાહન-સામાનની સઘન તપાસઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં કડકાઈ જોવા મળી રહી છે. અહીં CISFના જવાનો સાથે ડોગ સ્ક્વોડને તૈનાત કરી દેવાઈ છે, જે સતત ચેકિંગ કરી રહી છે. દરેક યાત્રિકના સામાનને હવે ઓછામાં ઓછો બે વખત ઝીણવટભરી તપાસમાંથી પસાર થવું પડે છે. પ્રથમ એરપોર્ટના પ્રવેશદ્વાર પર અને ત્યારબાદ ચેક-ઇન કાઉન્ટર પર. યાત્રીઓને ફ્લાઇટના સમય કરતાં ઓછામાં ઓછા 2 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. રેલવે સ્ટેશન | સતત પેટ્રોલિંગ - સામાનનું ચેકિંગરેલવે સ્ટેશ હજારો મુસાફરોની અવરજવરનું કેન્દ્ર છે, ત્યાં પણ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર અને પાર્સલ ઓફિસ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાર્કિંગ એરિયામાં ઊભેલા વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ વિશે તુરંત RPF કે પોલીસને જાણ કરે. બસપોર્ટ | હજારો લોકોની અવરજવર, છતાં કોઈ ચેકિંગ કે સ્ક્રીનિંગ નથી!જ્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હાઇએલર્ટની અસર સ્પષ્ટ દેખાય છે, જ્યારે રાજકોટના મુખ્ય બસપોર્ટ પર સુરક્ષાની સ્થિતિ તદ્દન વિપરીત અને ચિંતાજનક છે. બસપોર્ટ પર પોલીસ કે સુરક્ષાકર્મીઓની તૈનાતી લગભગ નહીંવત છે. અસંખ્ય લોકોની અવરજવર હોવા છતાં, કોઈ ખાસ સઘન ચેકિંગ કે સ્ક્રીનિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. એસ.ટી.ના વાહનો અને મુસાફરો બેરોકટોક આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, આટલી ગંભીર ચેતવણી છતાં, બસપોર્ટ પર સુરક્ષાને લઈને તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ સ્થિતિ હજારો મુસાફરોની સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરી શકે છે. દિલ્હીની ઘટના બની એ દિવસે રાત્રે બસપોર્ટમાં ચેકિંગ કરાયું પછી કોઈ ચેકિંગ કે તપાસ કરાઈ નથી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:50 am

ભાસ્કર એક્સક્લુસિવ:21 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન શરૂ થશે, રાજકોટ સહિત રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો હોવાનું હવામાન વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તાજેતરમાં જ 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થઇ ગયો હતો. રાજકોટમાં બુધવારે પણ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી વધુ ઠંડી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન દરમિયાન અનુભવાશે. 21 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન શરૂ થશે. આ સમયગાળા દરમિયાન રાજકોટ સહિત રાજ્યમાં સૌથી વધુ ઠંડી અનુભવાશે. હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષનો શિયાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને લાંબો રહેવાની સંભાવના 70% થી વધુ છે. IMD અને અન્ય વૈજ્ઞાનિક એજન્સીઓના મતે, ‘લા નીના’ વાતાવરણીય પેટર્નને કારણે આ વર્ષે સમગ્ર ઉત્તર ભારતમાં, જેમાં જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે, સામાન્ય કરતાં વધુ ઠંડો શિયાળો અનુભવાશે. નિષ્ણાતો પણ જણાવે છે કે, આ વર્ષે ઠંડી લાંબો સમય સુધી રહેશે અને તીવ્ર પણ રહેશે. ચિલ્લાઈ કલન દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધેલી આવર્તન અને તીવ્રતાને કારણે, ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. IMDના અનુમાન મુજબ, ચિલ્લાઈ કલન દરમિયાન તાપમાન નીચું જ રહેશે અને કોલ્ડ વેવ (Cold Wave) ની સ્થિતિ પણ જોવા મળી શકે છે. રાજકોટ સહિત રાજ્યમાં પણ જમ્મુ-કાશ્મીરના ચિલ્લાઈ કલનની અસર જોવા મળતી હોય છે. આ સમય દરમિયાન રાજ્યના કેટલાક પ્રદેશમાં સૌથી નીચું તાપમાન અનુભવાય છે. સામાન્ય રીતે આ સમયગાળો ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી જાન્યુઆરી સુધીનો રહેતો હોય છે. આ વર્ષે પણ આ ચિલ્લાઈ કલનની અસરને પગલે 21 ડિસેમ્બર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચિલ્લાઈ કલનની અસરને લીધે ગુજરાતમાં ઠંડી વધવાનાં કારણો 1 ) ચિલ્લાઈ કલન દરમિયાન કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થાય છે. 2 ) હિમવર્ષાને કારણે ઉત્તર ભારતની જમીન અને સપાટીનું તાપમાન ખૂબ નીચું જાય છે. 3 ) જ્યારે આ હિમવર્ષાનો તબક્કો પૂરો થાય છે અને હવામાન ખુલ્લું થાય છે, ત્યારે ઠંડી અને સૂકી હવા ભારતના મેદાની પ્રદેશોમાંથી થઈને ઉત્તર-પૂર્વીય દિશામાંથી ગુજરાત તરફ ધસે છે. 4 ) જ્યારે આ ઉત્તરના ઠંડા પવનોનો પ્રવાહ મજબૂત બને છે, ત્યારે ગુજરાતમાં શીતલહેરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં (જેમ કે નલિયા, રાજકોટ અને અમદાવાદમાં). ભાસ્કર એક્સપ્લેનરશું છે ચિલ્લાઈ કલન? સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેવી રીતે અસર કરે છેચિલ્લાઈ કલન એ પર્શિયન શબ્દ છે જેનો અર્થ થાય છે ‘મોટી ઠંડી’. આ શબ્દ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની સૌથી તીવ્ર 40 દિવસની અવધી માટે વપરાય છે. આ સમયગાળો સામાન્ય રીતે 21મી ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31મી જાન્યુઆરી સુધી ચાલે છે. આ 40 દિવસ દરમિયાન કાશ્મીરમાં અતિશય ઠંડી પડે છે, લઘુતમ તાપમાન વારંવાર શૂન્ય ડિગ્રીથી નીચે (સબ-ઝીરો) જતું રહે છે. આ સમયગાળામાં સૌથી વધુ હિમવર્ષા થવાની શક્યતા રહે છે. જોકે ઉત્તર ભારતમાં થતી આ તીવ્ર ઠંડી અને બરફવર્ષાની અસર પરોક્ષ રીતે સમગ્ર ભારતના હવામાન પર પડે છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન તાપમાન સૌથી નીચું જાય છે અને કાતિલ ઠંડી અનુભવાય છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:46 am

મોબાઈલ FSLમાં મોકલાયા:જમ્મુ-કાશ્મીરના નાગરિકો મામલે તપાસ તેજ

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ભુજ એસઓજી દ્વારા વિવિધ હોટલમાં તપાસ કરાઈ હતી જેમાં હોટલ જનતાઘરમાં તપાસ કરતા જમ્મુ કાશ્મીરના 2 યુવકો, એક મહિલા સહીત ત્રણ બાળકો રોકાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે હોટેલના રજીસ્ટરમાં માત્ર એક જ યુવકની નોંધ હોવાથી પોલીસે હોટલના સંચાલક પિતા-પુત્ર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ હોટેલમાં રોકાયેલા જમ્મુ કાશ્મીરના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં તેઓ કાશ્મીરના કૂપવાડાથી ભુજમાં ચંદો માંગવા આવ્યા હોવાનું જણાવી રહ્યા છે.એસઓજીએ તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને એફએસએલમાં તપાસ માટે મોકલાવ્યા છે.કૂપવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.હાલ વિવિધ મુદાઓ પર તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:37 am

બનાવને પગલે અરેરાટી ફેલાઇ:ભુજના ન્યુ સ્ટેશન રોડ પર ચોથા માળેથી પટકાતા આધેડનું મોત

શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આવેલ પારસનાથ કોમ્પ્લેક્ષના ચોથા માળેથી છલાંગ મારતા આધેડનું મોત થયું હતું.આ બનાવને પગલે સ્થાનિકે અરેરાટી ફેલાઈ હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે મળતી વિગતો મુજબ, શહેરનો ન્યુ સ્ટેશન રોડ બુધવારે બપોરે 12 વાગ્યાના અરસામાં લોકોની અવરજવરથી ધમધમતો હતો એ દરમિયાન અચાનક ઇમારત પરથી એક વ્યક્તિ પટકાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઉપરથી પડકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે લોહી વહી નીકળ્યા હતા.સ્થાનીકો દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી અને તબીબે આવીને આધેડ મૃત પામ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ અને નગરપાલિકાની શબવાહીનીને જાણ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરી દેહને પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે તપાસ કરતા હતભાગી અંજારમાં રહેતા 45 વર્ષીય વિમલ વસંતરામ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ અંજારથી 9 તારીખે ગુમ થયા હતા જે બાબતે તેમના પરિવાર દ્વારા અંજાર પોલીસમાં ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પરિવારજનો ભુજ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા. હતભાગી માનસિક અસ્થિર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.ઇમારત પરથી ઝંપલાવીને આપઘાત કરી લેતા સ્થાનિક વેપારીઓ સહિત પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ હતી.હાલ એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:36 am

પાણી વિતરણની આવક:પાલિકાની ટેન્કર શાખાએ 7 મહિનામાં 10 હજાર ફેરાથી ‌~ 14.16 લાખ રળ્યા

ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર શાખાએ એપ્રિલથી અોકટોબર મહિના દરમિયાન 7083 ફેરાથી 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા હતા. જોકે, 3019 ફેરા દુષિત પાણીની ફરિયાદ, ધાર્મિક અને બિન સરકારી સંસ્થા વગેરે સ્થળે મફત પાણી વિતરણ કર્યા હતા. ભૂકંપ પછી શહેરનો વિસ્તાર 5 ચો.કિ.મી.માંથી સીધો 56 ચો.કિ.મી.માં થઈ ગયો છે, જેથી કેટલીક વસાહતોમાં હજુયે માત્ર નળ વાટે પાણી પહોંચાડી નથી શકાતું. અમુક વસાહતોમાં દૂષિત પાણી સમસ્યા છે જે હજુયે ઉકેલાઈ નથી, જેથી વોટર ટેન્કર શાખા દ્વારા ટેન્કર મારફતે મફત પાણી પહોંચતું કરાય છે. એ સિવાય ધાર્મિક અને બિનસરકારી સંસ્થાઅોને પણ નિ:શુલ્ક પાણી વિતરણ કરાય છે. એપ્રિલથી અોકટોબર સુધીના 7 મહિના દરમિયાન વોટર ટેન્કર શાખાએ 11 હજાર જેટલા ફેરા કર્યા હતા, જેમાં પ્રત્યેક ફેરાએ 200 રૂપિયા લેખે 7083 ફેરા દ્વારા 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા છે. જોકે, 3017 ફેરા નિ:શુલ્ક કરવા પડ્યા છે. વળી આખા શહેરમાં દૂર દૂર સુધી પાણી પહોંચાડવાનું હોવાથી નહીં નફો નહીં નુકશાનના ધોરણે વિતરણ કરવાથી એકંદરે ખોટ જ જતી હોય છે. માત્ર શહેરીજનોની સુવિધા જ જળવાય છે. 4 ટ્રેકટર, 1 ટેન્કર, 20 કર્મચારીઓવોટર ટેન્કર શાખાના વડા દક્ષેષ ભટ્ટે જણાવ્યું હતું કે, 5-5 હજાર લીટરની ક્ષમતાના ટેન્કર ટ્રેકટર મારફતે અને 10 હજાર લીટર ટેન્કર મારફતે પહોંચતું કરાય છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 365 દિવસ સેવા ઉપલબ્ધ છે. નળ વાટે વિતરણ થતા નર્મદાના નીર મળ્યા ન હોય ત્યારે 24 કલાક ફેરા ચાલુ રખાય છે. હાલ તારીખ 6થી 11 સુધી ફેરા વધી ગયા હતા. આમ, નર્મદાના નીર ન મળે ત્યારે વિશાળ અન્ડર ગ્રાઉન્ડ અને અોવર હેડ ટેન્કમાં સંગ્રહાયેલું શહેરીજનોને પહોંચાડી સુવિધા જાળવી લેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:35 am

15 ને નોટિસ ફટકારાઇ:ભુજમાં સરકારી જમીન પર દબાણ ખસેડવા તખ્તો તૈયાર

ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણ કોઈ શેહ શરમ રાખ્યા વગર દૂર કર્યા. નવ નિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આવતા વેંત કડક હાથે કાર્યવાહી કરી. તેવી ધાક બેસાડતી કાર્યવાહી ભુજમાં પણ થાય તેવી માગ ઉઠી છે. શહેર મામલતદાર દ્વારા 15 દબાણકર્તાઓને નોટિસ પાઠવાઇ છે. આ મુદત દરમિયાન સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો સરકારી રહે નિયમોને આધીન દૂર કરાશે તેવું શહેર મામલતદાર તેજસ પટેલે જણાવ્યું હતું. ભુજનો વિકાસ થયો તેમ તેમ અનધિકૃત બાંધકામો પણ વધી ગયા. એરપોર્ટ રીંગરોડ હોય કે ભીડ વિસ્તાર ચારે બાજુ સરકારી જમીન પર બિન્દાસ બાંધકામ કરાયા છે. વર્ષોથી આ ગેર પ્રવૃત્તિ પર રોક લગાવે તેવું મહેસુલ વિભાગ દ્વારા કામ કરાયું નથી. મળતી માહિતી મુજબ પાણીના વહેણને અવરોધ કરતા દબાણો, રિલોકેશન વસાહત, સોસાયટી વિસ્તાર કે સાર્વજનિક પ્લોટ સહિતના અનેક દબાણોને ભાડા તેમજ સીટી સર્વે દ્વારા અંકિત કરીને કામગીરી કરવામાં આવે. ટૂંક સમયમાં આ દબાણ પર બુલડોઝર ફરી વળશે ? તેવું મામલતદારને પૂછતા તેમણે જણાવ્યું કે 15 જેટલા અનધિકૃત બાંધકામોને નોટિસો આપી છે. કાયદા મુજબ તેમને રજૂઆત કરવા માટે સમય આપવો પડે. આ અવધિ બાદ પણ જો કાયદેસરતા સાબિત ન કરી શકે તો તેને દબાણ ગણીને તોડી પાડવામાં આવશે. કેટલાક સામાજિક તત્વોનો પણ સમાવેશ થયો છે તેવું જાણવા મળે છે. વાણિજ્ય સંકુલના મંજૂરીથી વધારે બાંધકામ પર કાર્યવાહી થશે ?ભુજનો વિકાસ થયો તેમ દરેક રાજ્ય ધોરીમાર્ગને અડીને વાણિજ્ય સંકુલો બન્યા. ભાડામાં લેવામાં આવતી મંજૂરી કરતા વધારે બાંધકામ પણ થયા છે. જે અધિકારીઓને જાણ હોવા છતાં પણ વધારાનું બાંધકામ તોડવાની કોઈ કાર્યવાહી થઈ નથી. આ અંગે વખતો વખત રજૂઆતો થઈ છે. પરંતુ ધાક બેસાડતી એક પણ કામગીરી ન થતાં અનેક સવાલ ઊભા થાય છે. સરકારી જમીન પર થતું પાકું બાંધકામ અનધિકૃત કહેવાય તો મંજૂરી બાદ પણ વધારાનું બાંધકામ નિયમની વિરુદ્ધ જ છે. તો તેની સામે પગલાં શા માટે નહીં ?

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:33 am

પાણીનું વિતરણ અટક્યું:11 દિવસ મરંમત પછી 12 દિવસે ફરી સાપેડા પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી

અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી ગઈ છે, જેથી 11 દિવસની મરંમતની કામગીરી બાદ 12માં દિવસે પણ નળ વાટે પાણી વિતરણ અટકી ગયું છે. લોકોના ઘરના ભૂગર્ભ ટાંકાઓમાં તળિયા દેખાવા લાગ્યા છે અને નળ વાટે પાણી વિતરણ થતું નથી, જેથી હજુ શિયાળો જામ્યો નથી અને ઉનાળાની અસર હજુ વર્તાય છે ત્યારે પાણીના અભાવે લોકોની મુસીબતમાં વધારો થયો છે. ઓકટોબરમાં દિપોત્સવી પર્વ સમયે જ જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની લાઈનનું મરંમત થવાનું હતું. પરંતુ, દિવાળીના તહેવારો સમયે નગરપાલિકાના અનુરોધના પગલે 5મી નવેમ્બરથી સટડાઉન કરાયું હતું. જે દરમિયાન માધાપર પાસે નગરપાલિકાની લાઈન પણ તૂટી ગઈ હતી, જેથી કુકમા સમ્પેથી ભુજીયા ટાંકે પાણી પહોંચતું ન હતું. જે લાઈનનું મરંમત 6ઠ્ઠી નવેમ્બરથી શરૂ થયું હતું. જે 11મી નવેમ્બર સુધી ચાલ્યું હતું. જે કામ પૂરું થયું ત્યાં 12મી નવેમ્બરે સાપેડા પાસે નર્મદાની લાઈનમાં પંચર પડ્યું છે, જેથી કુકમા સમ્પે પાણી પહોંચ્યા નથી અને ભુજીયા ટાંકો તળિયાઝાટક છે. ગામડાની સરહદોને અડીને વિકસેલી વસાહતોમાં આમેય સપ્તાહમાં માંડ એક બે દિવસ પાણી વિતરણ થાય છે, જેમાંય 11 દિવસથી પાણી પહોંચ્યું નથી અને 12માં દિવસે લોકોના ભગર્ભ ટાંકાના તળિયામાં ટીપુંએ પાણી નથી. મુન્દ્રા રિલોકેશન સાઈટના છેવાડે અને મીરજાપર ગામને અડીને વિકસેલી વસાહતોના લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. આશાપુરા નગરના ગૃહિણી રાજુલાબેન કારાણીએ જણાવ્યું હતું કે, બુધવારે હજુ તો ટીપું ટીપું પાણી આવે ત્યાં જ બંધ થઈ ગયું. છેલ્લા દસેક દિવસથી પાણી મળ્યું નથી અને હવે તો ટાંકા બિલકુલ ખાલી છે. ટેન્કર મારફતે પાણી પહોંચતું કરાયું નથી, જેથી તમામ કામ અટકી ગયા છે. હાલાકી વધી ગઈ છે. જો આવા સમયે નગરસેવકો સામેથી ઘરોઘર ટેન્કર મારફતે પાણી પહોંચતું કરવાની સેવા આપે તો લોકોને રાહત થાય. કર્મચારીઓએ પણ સર્વે કરીને પાણી પહોંચાડવાની તકેદારી રાખવી જોઈએ. બપોરથી લાઈન તૂટી છે આવતી કાલે સંધાઈ જશેનગરપાલિકાની પાણી વિતરણ સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, જી.ડબ્લ્યુ.આઈ.એલ. એ 5મી નવેમ્બરથી સટ ડાઉન કર્યું અને માધાપર પાસે નગરપાલિકાની લાઈન તૂટી ગઈ હતી એટલે 11 દિવસથી નળ વાટે વિતરણ થઈ નથી શક્યું. એ દરમિયાન કુકમાથી ભુજીયા સુધીની ત્રીજી લાઈન સક્રિય કરવાની તક જડતીને મુસીબતે અવસરમાં બદલી છે, જેથી ભવિષ્યમાં કુકમા સમ્પેથી વધુને વધુ પાણી ભુજીયા સમ્પે પહોંચતું કરીને વિતરણ વ્યવસ્થા સુધારી શકાશે. બાકી સાપેડા પાસે નર્મદાની લાઈનમાં પંચર થતા કુકમા સમ્પે બપોરે 3 વાગે પાણી આવતું બંધ થઈ ગયું છે. ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ કુકમા સમ્પે પાણી આવે એવી માહિતી છે. જે પછી ભુજવાસીઓને નળ વાટે પાણી પહોંચતું કરી શકાશે. બન્ની વિસ્તારને પણ પાણી નહીં મળેકુકમા સમ્પે 75-75 લાખના બે સમ્પ છે. એક સમ્પમાંથી ભુજને અને બીજા સમ્પમાંથી બન્ની વિસ્તારના ગામડાઓને પાણી પહોંચતું કરાય છે. પરંતુ, બંને સમ્પમાં પાણીનું ટીપુંયે નથી, જેથી ત્યાં પણ પાણીની કટોકટી સર્જાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:32 am

ભાસ્કર રિયાલિટી:જી.કે.માં રિપોર્ટનો વેપાર : રૂપિયા આપશો તો જ હાર્ડ કોપી મળે, નહીં તો માત્ર ઓનલાઇન જ જોઇ શકો

ભુજની જનરલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન, સરકારી કર્મચારીઓ તેમજ બીપીએલ કાર્ડ ધારકો માટે નિયમિત સ્વાસ્થ્ય સંબંધિત નોર્મલ બોડી ચેકઅપ માટેના તેમજ આ લોકોને કોઈ બીમારી દરમિયાન પણ કરવામાં આવતા જરૂરી પેથોલોજી રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે પણ રિપોર્ટ આવ્યા બાદ જે તે દર્દીના રિપોર્ટ જ તે દર્દીને આપવામાં આવતા નથી. માત્ર ડોક્ટર દ્વારા તે રિપોર્ટ જોઈ અને વધુમાં દર્દીને જોવા હોય તો ડોક્ટર દ્વારા તેને બતાવીને તેની કોપી માટે સાફ ના પાડી દેવામાં આવે છે અને આ જ રિપોર્ટના અંદાજે 1000થી 1200 રૂપિયા સામાન્ય દર્દી દ્વારા ભરવામાં આવે તો ત્વરિત રિપોર્ટ આપી દેવામાં આવે છે. સરકારી કચેરીઓ હોય કે હોસ્પિટલ, તંત્ર સંબંધિત મોટા ભાગની પ્રક્રિયાઓમાં સામાન્ય નાગરિકને ધક્કા ખાવા સિવાય કઈ હાથમાં આવતું નથી. ભટકવા છતાં જો અંતે કાર્ય થતું હોય તો ભાગદોડ લેખે લાગતી હોય પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પણ અંતે નિષ્ફળતાનો સ્વાદ જ ચાખવા મળતો હોય છે. આવા નિયમિત કડવા સ્વાદનો અનુભવ ભુજની જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને થાય છે. આ બાબતે જ્યારે ભાસ્કરે દર્દી સાથે રૂબરૂ થઈને તપાસ કરી. સૌપ્રથમમાં ગેટ પાસેના લેબ રિપોર્ટ વિતરણ કાઉન્ટર પર જે તે દર્દીના તૈયાર થઈ ગયેલા રિપોર્ટ માંગવામાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીએ ના પાડી કે ‘અમારી પાસે નથી’, તમે ડોક્ટરને મળી શકો છો. ત્યાંથી 7નંબરની ઓપીડીમાં ડોક્ટરને મળીને રિપોર્ટ માંગવામાં આવ્યા ત્યારે તેમણે પણ ના પાડી કે ‘રિપોર્ટ આપવામાં આવશે નહીં, જોવા હોય તો કોમ્પ્યુટરમાં બતાવી દઈશું’. તેઓને સોફ્ટ કોપી પણ મેઈલમાં, સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમ દ્વારા કે પેન ડ્રાઈવમાં પણ નાખી આપવાનું કહેવા છતાં પણ સદંતર ના પાડવામાં આવી અને આગળ પૂછવા માટે કહ્યું હતું. ત્યારે પ્રથમ માળ પર બિલિંગ કાઉન્ટર પર પૂછતાછ કરવામાં આવતા ફરીથી ના પાડવામાં આવી કે હાર્ડ કોપી કે સોફ્ટ કોપી આપવામાં આવશે નહીં અને ફરીથી ત્યાંથી એમ.ઓ.ડી. (મેનેજર ઓન ડ્યુટી)ને મળવા માટે કહેવામાં આવ્યું. અંતે એમ.ઓ.ડી.ની કેબિન શોધીને ત્યાં ગયા તો તેઓ હાજર ન હતા. થોડી વાર રાહ જોયા બાદ કેબિન બહારના એમના નંબર સંપર્ક ડાયલ કરવામાં આવતા તેઓને શરૂથી અંત સુધીની સમગ્ર વાત જણાવી પણ તેમણે સ્પષ્ટ ના પાડીને કહ્યું કે પ્રિન્ટ આપવાની પોલિસી બંધ કરી આપવામાં આવી છે. કોઈ દર્દીને પોતાની મેડિકલ હિસ્ટ્રી રાખવા માટે, અન્ય કોઈ જગ્યાએ કે સારવાર માટે જરૂરી એવા તેના જ રિપોર્ટ મેળવવા માટે ખૂબ માથાકૂટ કર્યા બાદ માત્ર નિરાશા હાથે લાગે છે અને રૂપિયા ભરી આપો તો તુરંત કામ કરી દેવામાં આવે છે. સેકન્ડ ઓપિનિયન તો તબીબી સેવામાં ખાસ લેવાય પણ અહીં રિપોર્ટ વગર કેમ લેવાય? સારવાર મળી પણ રિપોર્ટ ન મળ્યાભુજના નિવૃત સરકારી કર્મચારી અને સિનિયર સિટીઝન એવા 66 વર્ષીય દિનેશભાઈ મણિલાલ ઠક્કરે પોતાના કોલેસ્ટ્રોલ બાબતે અને અન્ય ચેકઅપ માટે જનરલ હોસ્પિટલ ગયા હતા ત્યારે તેઓના ટેસ્ટ બાદ ડોક્ટર દ્વારા સારવાર તો કરી આપવામાં આવી પણ રિપોર્ટ માટે સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. તેઓ બીજા દિવસે પણ તેમના દિકરા સાથે જઇને રિપોર્ટ મેળવવા બાબતે જરૂરી પુછતાછ કરી હતી. તેઓ પણ મોટી ઉંમરે આ સમગ્ર પ્રક્રિયાના બધા ધક્કા ખાધા બાદ પણ પોતાના જ રિપોર્ટ મેળવી શક્યા ન હતા. બે દિવસ દરમિયાન અન્ય દર્દીઓને પણ રૂબરૂ મળીને રિપોર્ટ માટે પૂછવામાં આવ્યું પરંતુ તમામે જણાવ્યું કે ‘અમારા પોતાના જ જરૂરી એવા રિપોર્ટ અમને જ આપવામાં આવતા નથી’. વિવિધ પ્રકારના બોડી ચેકઅપ ટેસ્ટના રિપોર્ટ અલગ અલગ સારવાર માટે જાળવી રાખવા જરૂરીભુજની જનરલ હોસ્પિટલમાં બ્લડ કાઉન્ટ, રેન્ડમ બ્લડ સુગર, લીવર ફંક્શન ટેસ્ટ, પોસ્ટપ્રાન્ડિયલ બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, રીનલ (કીડની) ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, હિમોગ્લોબિન, એચઆઈવી સહિતના વિવિધ બોડી ચેકઅપ માટેના ટેસ્ટ કરી આપવામાં આવે છે. જે વિવિધ સારવાર માટે ખૂબ અગત્યના હોય છે તેમજ તેના આધારે ભવિષ્યમાં દર્દી દ્વારા લેવામાં આવતી ટ્રીટમેન્ટ માટે પણ આવા રિપોર્ટની હિસ્ટ્રી જાળવી રાખવી જરૂરી હોય છે. રૂબરૂ આવીને મળી જાઓ : ચીફ મેડિકલ સુપ્રિડેન્ટેન્ડન્ટઆ સમગ્ર બાબતે જ્યારે ચીફ મેડિકલ સુપ્રિડેન્ટેન્ડન્ટ ડો. હિરાણીનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે એમણે સામાન્ય પ્રતિભાવ આપવા સાથે કોઈ પણ યોગ્ય સ્પષ્ટતા ના કરતા રૂબરૂ આવીને મળી જાઓનું રટણ કર્યું હતું. રિયાલિટી ચેક

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:27 am

BLO સાથે સંકલન માટે બૂથ લેવલ એજન્ટની નિમણૂક‎:મોરબીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય પક્ષોને આપવામાં આવી માહિતી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોને ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે સમજૂતી આપવા મીટીંગ કરવામાં આવી હતી. જેમાં બુથ લેવલ એજન્ટની નિમણૂક કરી BLO સાથે રહી મતદારોને સહકાર મળી રહે તે માટે ચર્ચા કરાઇ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. મોરબી જિલ્લા ભાજપના હસુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન મળ્યું હતું. જેમાં કાર્યક્રમ અંગેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મિટિંગમાં તમામ રાજકીય પક્ષોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી હતી. અમોને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વધુમાં વધુ ફોર્મ ભરાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની મિટિંગમાં BLO અને BLO-2 અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અમે રાજકીય પક્ષોના લોકો પણ તેઓને સાથ સહકાર આપીને કામગીરી કરીશું. બહુજન સમાજ પાર્ટીના મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ભાગ્યશ્રીબેન ચૌહાણએ પણ જણાવ્યું હતું કે, આજની આ મીટીંગમાં અમને SIR વિશે માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત અમે પણ લોકો વધુ ને વધુ જાગૃત બને તેવા પ્રયાસો કરીશું.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:23 am

પુલના સમારકામની માંગ‎:આટકોટ-ભાદર નદીના નવા પુલ પર ખાડાઓથી હાલત ખરાબ, ભારે મુશ્કેલી

રાજકોટ–ભાવનગર હાઈવે પર આવેલ આટકોટ ભાદર નદીનો નવો પુલ હવે જોખમી બની ગયો છે. પુલ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને નાગણી જેવી કળા સાથે વાહન હંકારવું પડે છે. પુલની ઇગંલો ખુલ્લી દેખાય છે, અને સરપાકારે વાહન ચલાવતાં અકસ્માતનો ભય સતત ત્રાટકે છે. વરસાદ ખતમ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ રીપેરીંગનું કામ હાથ ધરાયું નથી. નવા પુલની સાથે બાજુમાં આવેલ જુનો પુલ પણ ખરાબ હાલતમાં છે, જેમાં મોટા ખાડા પડ્યા છે અને ડામર ઉખડી ગયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ બંને પુલનું તાત્કાલિક સમારકામ તથા નવા પુલ પર નવો ડામર પાથરવાની માંગ ઉઠાવી છે. આટકોટ પોલીસ સ્ટેશન પાસેનો રોડ પણ ખરાબ હાલતમાં હોવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:21 am

સ્પષ્ટ ચેતવણી આપતા બોર્ડ્સ લગાવવા માંગ‎:મોરબી કમિ. સ્વપ્નિલ ખરેની વિકાસ કામોની સ્થળ મુલાકાત, ત્રુટિઓ સુધારવા સૂચના આપી

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત ૧૧ નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી, કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.અને કામગીરી દરમિયાન જોવા મળેલી ત્રુટીઓ બાબતે અધિકારીને સુધારો કરવા સૂચના આપી હતી. મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૧૫ કરોડના ખર્ચે નાની કેનાલ રોડ(આઇકોનિક રોડ), અંદાજીત રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે કેસર બાગ થી એલ.ઈ. કોલેજ સુધીનો રોડ, અંદાજીત રૂ. ૫૮ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ, અંદાજીત રૂ.૧.૨૭ કરોડના ખર્ચે અનુસુચીત વિસ્તારમાં શકત શનાળા ખાતે રોડ, અંદાજીત રૂ. ૪૨ લાખના ખર્ચે રાજ સાહેબ બેકરી વાળી શેરીમાં રોડ, અંદાજીત રૂ. ૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ પર રોડ રીસર્ફેસીંગનું કામ કામ સહિતના પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અંદાજીત રૂ.૧૪ લાખના ખર્ચે હરિપાર્કમાં રોડ, અંદાજીત રૂ. ૩૩ લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-૨માં રોડ, અંદાજીત રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે ગોપાલ સોસાયટી થી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ, અંદાજીત રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ, અંદાજીત રૂ.૩૦ લાખના ખર્ચે આસ્વાદ પાન-રામાપીર મંદિર-માધાપર ચોક-જડેશ્વર મંદિરથી ઇસ્ટ ઝોન ઓફીસ સુધી ડ્રેનેજ લાઈનના કામ સહિતના પ્રગતિ હેઠળ છે. આ વિકાસકામો મોરબીના વિકાસને વેગ આપી જન સુવિધા સાથે શહેરીજનોની સુખાકારી વધારવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:19 am

ચાર ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી‎:મોરબી જિલ્લામાં બે દિવસમાં 34 ખેડૂતની 788.200 ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી

માવઠાએ ખેડૂતો માટે દિવાળી પછી હૈયાહોળી સર્જી દીધી છે. કમોસમી વરસાદથી કપાસની સાથે મગફળીનો સોથ બોલી ગયો છે. આવા કપરા સંજોગોમાં ખેડૂતોને બેઠા કરવા માટે તેમની મગફળીને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર ખેડૂતોની વ્હારે આવીને ખેડૂતોને ટેકો આપવા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને સરદારે ખેડૂતોની મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મોરબી અને માળીયાના 3581 ખેડૂતો, વાંકાનેરમાં 1800 ખેડૂતો, હળવદમાં 9423 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ટંકારામાં બે, મોરબી અને હળવદમાં એક એક એમ જિલ્લામાં હાલ ચાર ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઈ રહી છે. છેલ્લા બે દિવસની મગફળીની ખરીદીના આંકડા જોઈએ તો પહેલા દિવસે 892 બોરીમાં 312.200 મેટ્રિક ટન, બીજા દિવસે 1360 બોરીમાં 476 મેટ્રિક ટન મળીને બે દિવસમાં કુલ 2252 બોરીમાં 788.200 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ બે દિવસમાં 150 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવ્યા હતા. તેમાંથી 34 ખેડૂતો જ મગફળી લઈને વેચવા આવ્યા હતા અને 116 જેટલા ખેડૂતો આવ્યા ન હતા. એના પરથી માલુમ પડે છે કે, ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓછો રસ છે. જો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કે મગફળીના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોમાં અંસતોષ તેમજ મગફળી કોઈ કારણોસર રિજેક્ટ થઈ હોય એવી હાલ તો ખેડૂતો પાસેથી કોઈ ફરિયાદ સામે આવી નથી. વાંકાનેરમાં કેન્દ્ર શરૂ ન થયું‎મોરબી જિલ્લામાં ચારેય તાલુકામાં ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્ર ચાલુ છે. જ્યારે ટંકારામાં ખેડૂતો વધુ હોવાથી ત્યાં બે ખરીદ કેન્દ્રો ચાલુ છે. પણ વાંકાનેરમાં એક પણ ટેકાના ભાવે મગફળીનું કેન્દ્ર શરૂ થયું નથી. એટલે વાંકાનેરના ખેડૂતોને બીજા કેન્દ્ર સુધી ધક્કા ખાવા પડે છે. જો કે વાંકાનેરમાં ખેડૂતોની સંખ્યા ઓછી હોવાથી કેન્દ્ર શરૂ ન કરાયું હોવાનું મનાય છે. પણ આ ચારેય તાલુકામાં મગફળીની ખરીદી સંપૂર્ણપણે પૂરી થાય એટલે વાંકાનેરમાં પણ કેન્દ્ર ચાલુ કરાઈ એવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:13 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મોરબીનો વાવડી રોડ ન તો રાજકોટના કાલાવડ જેવો બન્યો કે ન આઇકોનિક!

મોરબીનો વાવડી રોડ એક સમયે નગરપાલિકા સમયે શાસકો દ્વારા રાજકોટના કાલાવાડ જેવો રોડ બનાવવાના સપના દેખાડ્યા, રોડ નિર્માણમાં કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જોકે જે તે વખતના શાસક ન તો રોડ ગુણવત્તાયુક્ત બનાવી શક્યા કે ન સુવિધા વધારી શક્યા. નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા બાદ વિવિધ વિસ્તારોમાં રસ્તા અને શહેરના બ્યુટીફિકેશનના કામ શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે વાવડી રોડને આઇકોનિક રોડના પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો, વધારાના એક કરોડ રૂપિયા નાખ્યા જેમાં રોડના ડીવાઈડર રંગ રોગાન અને પોકેટ ગાર્ડન, બાંકડા મૂકવા સ્ટ્રીટ લાઈટ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ ખર્ચ ખરેખર ચોપડે જ થયો હોય તેમ હલકી ગુણવતાની ચીજવસ્તુઓ ઠોકી બેસાડી હોય તેવી સ્થિતિ બની છે. કારણ કે કરોડોના ખર્ચે બનાવેલા આ આઇકોનિક રોડના પોકેટ ગાર્ડનની હાલત ખસતા હાલ થઈ ગઈ છે. મોરબીનો ‘આઈ લવ મોરબી’ સેલ્ફી પોઇન્ટ પણ તૂટ્યો‎ મોરબીમાં તંત્રની નીતિના કારણે અગાઉ પણ સેલ્ફી પોઇન્ટ ગણતરીના દિવસમાં તહસ નહસ થઈ ગયો હતો, વાવડી રોડ પર લાગેલ આઈ લવ મોરબી વાળો સેલ્ફી પોઈન્ટ આવી હાલતમાં પહોંચી ગયો છે. પોકેટ ગાર્ડનમાં મૂકેલા હરણના સ્ટેચ્યુ તૂટી ગયા છે. લોકોની સુવિધા માટે મૂકેલી વસ્તુ અસમાજિક તત્વો ગણતરીના દિવસમાં તોડી મરોડી નાખતા હોય છે. તેમ છતાં આવા તત્વો ફરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં સુવિધા માટે કોઈ વસ્તુ મુકાય ત્યારે તેની સુરક્ષાની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. મોર ડિઝાઇનની નબળી‎ગુણવત્તાની 60 લાઇટ ધરબી દીધી‎મોરબીના વાવડી રોડ પર નવરાત્રી પર્વ દરમિયાન મનપા દ્વારા સ્ટ્રીટ લાઈટ પોલ વચ્ચે મોરબી શહેરની ઓળખ સમાન મોરની પ્રતિકૃતિ વાળી લાઇટ ફિટ કરાઇ હતી. જોકે આ વખતે પણ એજન્સી એ જાણે મનપાએ ચુનો લગાવ્યો હોય તેમ હલકી ગુણવતાની 60 લાઇટ ધાબડી દીધી હતી, આ લાઇટ ફિટ કર્યાના ગણતરીના દિવસમાં બંધ થઈ ગઈ હતી, બાદમાં પાલિકાની આંખ ઉઘડી હતી, એજન્સીને નોટિસ ફટકારી હતી. જોકે આ એજન્સીને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવાશે કે પછી ખરેખર સપ્લાયર એજન્સી સામે કડક એકશન લઈ નુકશાન એજન્સી પાસથી વસુલ કરશે તે પણ સવાલ છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:11 am

સાયબર ઠગોને ખાતાં ઉપલબ્ધ કરાવતો એક્સિસ બેન્કનો મેનેજર ઝડપાયો

સાયબર ક્રાઈમમાં પડાવાયેલાં પૈસા સગેવગે કરવામાં મદદ સીબીઆઈ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ મેળવાયાઃ સાયબર ગુનેગારોને ખાતાં મેળવી આપવાના બદલામાં મોટી રકમ મેળવતો હતો મુંબઇ : દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે ત્યારે સાયબર ગુનાઓમાંથી ચોરાયેલા નાણાં સગે-વગે કરવા બોગસ ખાતાઓ ઉપલબ્ધ કરી આપી ગુનેગારોને મદદરૂપ બનનાર મુંબઇની એક્સિસ બેંકના એક મેનેજરની સીબીઆઇએ ધરપકડ કરી હતી.આરોપી મેનેજર નિતેશ રાયે કથિત રીતે સાયબર ગુનેગારો સાથે મળીને ખાતા ખોલાવવાના ફોર્મ્સ પર પ્રોસેસ કરવા અને સાયબર ગુનાઓથી મળેલા પૈસાને સગે-વગે કરવા છૂપાવવા અને ચેનલ બનાવી આપવા મદદ કરી હતી. બદલામાં નિતેશ રાયને જંગી રકમ ચૂકવાઈ હોવાની શંકા છે.

ગુજરાત સમાચાર 13 Nov 2025 5:10 am

ખાસ ચોરી કરવા આસામથી મુંબઈ ફલાઈટમાં આવતો ચોર પકડાયો

સોનુ વેચી રોકડા લઈ ફરી ફલાઈટ પકડી લેતો હતો રાતે રેકી કરી સુરક્ષા વિનાના ગ્રાઉન્ડ પરના ફલેટ શોધી કાઢતો હતો અને રાતે નિશાન નનાવતો હતોઃ નવી મુંબઈ-થાણેમાં ૩૩ સ્થળે ચોરી મુંબઇ: આસામથી વિમાનમાં બેસી ફક્ત ચોરી અને ઘરફોડી માટે મુંબઇ આવતા એક રીઢા ચોરની નવી મુંબઇના નેરુળ પોલીસે મુંબઇના મસ્જિદ બંદરમાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોઇનુલ અબ્દુલ મલિક ઇસ્લામ (૩૩) તરીકે કરવામાં આવી છે. ઇસ્લામ પાસેથી પોલીસે ૧૨.૪૭ લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરી નવી મુંબઇમાં બનેલી પાંચ ચોરી-ઘરફોડીના કેસ ઉકેલી નાંખ્યા હતા.

ગુજરાત સમાચાર 13 Nov 2025 5:05 am

અમરાવતીમાં ચાલુ લગ્ને સ્ટેજ પર જઇ વરરાજા પર છરાથી ઘાતક હુમલો

સમગ્ર ફિલ્મી ઘટના ડ્રોન કેમેરામાં શૂટ થઇ આરોપીઓ બાઇક પર બેસી ફરાર થઇ ગયા, નવવધુ સ્ટેજ પર જ બેહોશ થઇ ગઇ મુંબઇ: લગ્ન એટલે દરેક વ્યક્તિના જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ કહેવાય છે. જો કે અમરાવતીના બડનેરામાં બનેલી એક ઘટના નવદંપતિ સાથે જ લગ્ન સમારંભમાં જોડાયેલા તમામ લોકો માટે દુઃસ્વપ્ન સમાન બની ગઇ હતી કારણ કે ચાલુ લગ્ને બે અજાણ્યા યુવકો સ્ટેજ પર ધસી આવ્યા હતા અને વરરાજા પર છરાથી ઉપરા- છાપરી ઘા કર્યા હતા. આ હુમલામાં વરરાજા સુજલરામ સમુદ્રે ગંભીર ઇજા પામતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગુજરાત સમાચાર 13 Nov 2025 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હી બ્લાસ્ટ- સરકારે આતંકવાદી ઘટના માની; કંગના પર રાજદ્રોહનો કેસ ચાલશે, ભરૂચ પાસે ફેક્ટરીમાં બોઈલર ફાટતાં 3 મોત, 24 ઘાયલ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર દિલ્હી બોમ્બ વિસ્ફોટ હતા. સરકારે તેને આતંકવાદી ઘટના જાહેર કરી છે. બીજા મોટા સમાચાર અભિનેત્રી કંગના રનૌત વિશે હતા. તેમના પર રાજદ્રોહનો કેસ ચાલશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બુલડોઝર કાર્યવાહી અંગે દાખલ કરાયેલી નવી પીઆઈએલની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. કાલના મોટા સમાચારો 1. દિલ્હી બ્લાસ્ટને સરકારે આતંકવાદી ઘટના માની:આતંકી કનેક્શનમાં શંકાસ્પદ બીજી કાર ફરીદાબાદથી મળી; તપાસ માટે NSG ટીમ પહોંચી કેન્દ્ર સરકારે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી હુમલો માન્યો છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલા અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઠરાવ વાંચતા કહ્યું કે મંત્રીમંડળે આ આતંકવાદી ઘટનાને 'રાષ્ટ્રવિરોધી શક્તિઓ દ્વારા આચરવામાં આવેલ ઘૃણાસ્પદ કૃત્ય' ગણાવ્યું છે. તપાસ એજન્સીઓને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની નીતિ છે. દરમિયાન, પોલીસને શંકા છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં સામેલ આતંકવાદીઓ પાસે એક નહીં, પરંતુ બે કાર હતી. આ લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કારનો રજીસ્ટ્રેશન નંબર DL10-CK-0458 છે. બુધવારે, દિલ્હી પોલીસે દિલ્હી અને પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેની શોધખોળ માટે એલર્ટ જારી કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કંગના રનૌત વિરૂદ્ધ ચાલશે રાજદ્રોહનો કેસ!:એક્ટ્રેસે ખેડૂત આંદોલનમાં રેપ-મર્ડર થયા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું; આગ્રા કોર્ટે રિવિઝન અરજી મંજૂર કરી ભાજપ સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુશ્કેલીમાં વધારો થયો છે. કંગના વિરુદ્ધ ખેડૂતોનું અપમાન અને રાજદ્રોહનો કેસ ચાલશે. સ્પેશિયલ જજ MP-MLA લોકેશ કુમારની કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ. તેમાં કોર્ટે કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે, હવે આ કેસ એ જ નીચલી કોર્ટમાં ચાલશે, જેણે કંગનાનો કેસ ફગાવી દીધો હતો. અગાઉ, 10 નવેમ્બર (સોમવાર) ના રોજ, કોર્ટે કંગનાના વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કંગના સામેનો કેસ IPCની કલમ 356 અને 152 હેઠળ ચલાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. MPના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે:રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટ; દિલ્હીમાં AQI 425 પર પહોંચ્યો, બાંધકામ કાર્ય બંધ દેશભરમાં ઠંડીની અસર પહેલાથી જ અનુભવાઈ રહી છે. નવેમ્બર મહિનામાં મધ્યપ્રદેશ બર્ફીલા પવનોને કારણે ઠરી ગયું છે. મંગળવારે રાત્રે 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું. આગામી ચાર દિવસ માટે કોલ્ડવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં પણ ભારે ઠંડી પડી રહી છે. મંગળવારે રાત્રે ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું. હવામાન વિભાગે સીકરમાં ચાર દિવસની ઠંડી અને ટોંકમાં એક દિવસ કોલ્ડવેવનું નું યલો એલર્ટ જારી કર્યુ છે. દરમિયાન, મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું. સવારે 9 વાગ્યે રાજધાનીની સરેરાશ AQI 425 નોંધાઈ હતી, જેના કારણે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ દિલ્હી-એનસીઆરમાં GRAP-3 લાગુ કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી:ટિશ્યુ પેપર પર લખ્યું- BOMB ગુડ બાય; વારાણસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ મુંબઈથી વારાણસી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી હતી. વારાણસી એરપોર્ટ (લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નિરીક્ષણ દરમિયાન, ફ્લાઇટના ટોઇલેટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર બોમ્બ ગુડબાય લખ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આગ્રામાં હિન્દુ મહાસભાએ પાકિસ્તાનનું પુતળું સળગાવ્યું:દિલ્હી બ્લાસ્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ, ધરપકડ કરાયેલા આતંકીઓને ફાંસી આપવાની માંગ કરી દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં આતંકવાદી કનેક્શન હોવાનું સામે આવ્યા બાદ, આગ્રાના હિન્દુઓ રોષે ભરાયા છે. બુધવારે, અખિલ ભારત હિન્દુ મહાસભાએ આગ્રા કિલ્લાની સામે પાકિસ્તાની ધ્વજનું બેનર સળગાવીને વિરોધ કર્યો હતો. તેમણે ધરપકડ કરાયેલા આlતંકીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં 10થી વધુ લોકો માર્યા ગયા છે. આ ઘટનાની કડીઓ પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહી છે. હિન્દુઓએ આ ઘટનાનો વિરોધ કર્યો છે. તેઓ આગ્રા કિલ્લાની સામે ભેગા થયા હતા, પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે પાકિસ્તાની ધ્વજ પર જૂતા મારીને વિરોધ કર્યો હતો. પછી તેઓએ તેને સળગાવી દીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ખતરનાક ઈરાદા ધરાવતા આતંકીઓ ATSની પૂછપરછમાં રડી પડ્યા:ડો. અહેમદ સૈયદના હૈદરાબાદના ઘરેથી ઝેરી લીકવીડ મળી આવ્યું, પોલીસ પકડે તો પ્રતિકાર કરવા માટે હથિયાર રાખ્યું હતું ગુજરાત સહિત દેશમાં પોતાની આતંકી માનસિકતાથી અનેક લોકોને રડાવવાની તૈયારી કરનારા ત્રણેય આતંકીઓ હાલ ગુજરાત ATSના કબજામાં છે. જેઓ પૂછપરછ દરમિયાન રડી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસની એક ટીમે હૈદ્રાબાદમાં ડો. અહેમદ સૈયદના ઘરે તપાસ હાથ ધરતા 250 મિલિ ઝેરી લીકવીડ મળી આવ્યું છે. અહેમદ સૈયદ સિવાય અન્ય બે આતંકીઓના ઘરે પણ એટીએસની ટીમે તપાસ હાથ ધરી છે અને તેઓના પરિવારજનોની પૂછપરછ પણ કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ:મૃત્યુંઆંક વધવાની શક્યતા, મધરાતે બોઇલર બ્લાસ્ટ થતાં આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા GIDCમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત, 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : MPના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે:રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટ; દિલ્હીમાં AQI 425 પર પહોંચ્યો, બાંધકામ કાર્ય બંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : US અબજોપતિએ મમદાનીની જીત પર ચિંતા વ્યક્ત કરી:કહ્યું- ન્યૂયોર્ક મુંબઈ જેવું બની જશે; તેમના નિર્ણયથી શહેરની હાલત ખરાબ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પુત્રની ઓળખ ટેટૂથી થઈ, લખ્યું હતું- માય ડૈડ માય સ્ટ્રેંથ:કપડાં જોઈને કાકાએ કહ્યું-આ તો મારો મોહમ્મદ; દિલ્હી બ્લાસ્ટમાં મૃતદેહોની ઓળખ આ રીતે થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાન ફરી અફઘાનિસ્તાન પર હુમલો કરી શકે છે:ઇસ્લામાબાદ વિસ્ફોટ પછી રક્ષામંત્રી આસિફે કહ્યું- અમે કાર્યવાહી કરવા પર મજબૂર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રીટેલ મોંઘવારી 14-વર્ષમાં સૌથી ઓછી, ઓક્ટોબરમાં 0.25% રહી:ખાવા-પીવાનો સામાન સસ્તો થવાની અસર; સપ્ટેમ્બરમાં 1.44% હતી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કોલકાતા ટેસ્ટમાં રેડ્ડીનું સ્થાન ધ્રુવ જુરેલ લેશે:ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચે કહ્યું, તેનું રમવાનું નક્કી છે, 14 નવેમ્બરથી પહેલી ટેસ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહોનો રાજકુમાર બુધ થયો વક્રી!:3 રાશિઓને અચાનક ધન લાભના યોગ; વૃષભ, કર્ક, સિંહ, તુલા સહિત પાંચ રાશિના જાતકોને પડકારો વચ્ચે તક વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે રશિયામાં લોન્ચ થતાં જ રોબોડ પડી ગયો રશિયામાં દેશનો પહેલો AI હ્યુમનોઇડ રોબોટ એઆઈડોલ, એક લોન્ચ ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર પડી ગયો. મોસ્કોમાં એક ટેક શોમાં રોબોટે પ્રેક્ષકોને હાથ હલાવ્યો અને પછી ઊંધેપાટ પડી ગયો. આ વીડિયો વાયરલ થયો, લોકો મજાક કરી રહ્યા છે. કંપનીએ કહ્યું કે તે ભૂલ નહોતી, પરંતુ શીખવાનો અનુભવ હતો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. છૂટાછેડા-3 : 'પતિની સામે જ પત્ની અન્ય સાથે ફિઝિકલ રિલેશન માણે':'અમદાવાદ-વડોદરા-સુરતમાં ઓપન રિલેશન ટ્રેન્ડમાં', 'સેક્સ એજ્યુકેશનના અભાવને કારણે લગ્ન તૂટે છે' 2. ભાસ્કર એક્સક્લૂસિવ : લગ્ન બાદ છૂટાછેડા ને આતંકવાદી બની ગઈ ડૉ. શાહીન:ભણવામાં ટોપર રહી, પ્રયાગરાજમાં MBBS- MD કર્યુ 3. ત્રણ મિત્ર, એક પ્રેમિકા અને અફેરની આશંકામાં લોહીયાળ ષડયંત્ર:હોસ્પિટલમાંથી યુવતીને ભોળવી શહેર બહાર લઈ જઈ અભદ્ર માગણી કરી, મર્ડર બાદ સોનલને શોધવાનો ઢોંગ કર્યો 4. ભાસ્કર એક્સક્લૂસિવ : અમિત ખૂંટની આત્મહત્યાના આગલા દિવસે શું થયું હતું?:મોટા ભાઇ મનીષે પહેલીવાર કોઇ મીડિયા સાથે વાત કરી, અનિરુદ્ધસિંહ-જયરાજસિંહ વિશે પણ ખુલાસા કર્યા 5. 'કિલર કિસ'થી એક લાખ નવજાત શિશુએ જીવ ગુમાવ્યો:RSV ઇન્ફેક્શનનું જોખમ, માતા-પિતાએ 11 ભૂલોથી બચવું; જાણો વહાલ કરવાની સલામત રીતો 6. દિલ્હી બ્લાસ્ટ: ડોક્ટરોનું બ્રેઈનવોશ કરનાર મૌલવી ઈરફાન કોણ છે?:Pokમાં પ્લાનિંગ, કાશ્મીર સાથે કનેક્શન, મેડિકલ કોલેજ કેવી રીતે શકીલ-ઉમર માટે અડ્ડો બની 7. ભાસ્કર એક્સપ્લેનર : એક મહિનામાં 7 જગ્યાએથી આતંકી પકડાયા:એક પોસ્ટરથી થયો ડોક્ટરના આતંકી મોડ્યૂલનો ઘટસ્ફોટ; તો દિલ્હીમાં કેમ ચૂક થઈ 8. 1,400 હત્યાઓ, અપહરણ-ટોર્ચર, શેખ હસીનાને સજા-એ-મોત મળશે:વિદ્યાર્થી બોલ્યા- 'અમને ન્યાય જોઈએ, બદલો નહીં'; તખતાપલટ પછી ચુકાદાની રાહ જોઈ રહ્યું છે બાંગ્લાદેશ 9. આજનું એક્સપ્લેનર: બાંગ્લાદેશમાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે, પાકિસ્તાની યુદ્ધજહાજ પહોંચ્યું, તુર્કી-ચીની અધિકારીઓના આંટાફેરા; ભારતને ઘેરવાનું ષડયંત્ર? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિના લોકોને ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે; કન્યા જાતકોએ વિવાદિત મામલાઓથી દૂર રહેવું હિતાવહ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 5:00 am

રજૂઆત:અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખની આગેવાનીમાં માછીમારોના પ્રશ્નો અંગે રજૂઆત

અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખ કિશોરભાઈ કુહાડાની આગેવાની હેઠળ ગુજરાતનાં વિવિધ બંદરોના માછીમાર આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાધાણી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણનાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમભાઈ સોલંકીને ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી માચ્છીમારોનાં પ્રશ્નોની રજુઆત કરેલ હતી. ખેડૂતોની જેમ માછીમારોને પણ સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં વારંવાર આવતા વાવાઝોડા અને ભારે વરસાદ, ભારે પવન નાં કારણે મત્સ્યોદ્યોગ વિભાગ દ્રારા માછીમારી કરવા ગયેલ બોટોને બંદર ઉપર પરત બોલાવવા આદેશ અપાયો હતો. જેના પરિણામે માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. માછીમારોએ સરકાર પાસે માંગણી કરી કે જેમ ખેડૂતોને કુદરતી આફતોમાં થતા નુકસાન માટે વળતર આપવામાં આવે છે, તેમ માછીમારોને પણ આ નુકસાન માટે વળતર આપવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. આ તકે મંત્રીઓએ માછીમારોની માંગણીને સહાનુભૂતિપૂર્વક સાંભળી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ મુલાકતમાં કિશોરભાઈ કુહાડા, પૃથ્વીભાઈ ફોફંડી, મુકેશાભાઈ પાંજરી, રાજુભાઈ બાદરશાહી, અજયભાઈ લોઢારી, હર્ષભાઈ ગોહેલ, રમેશભાઈ ડાલકી, વાસુભાઈ ટંડેલ, કારોબારી મેમ્બર્સ, વલસાડનાં માછીમાર પ્રતિનિધિઓ, નવગામ સમસ્ત કોળી માછીમાર સમાજનાં પ્રમુખ તથા કારોબારી મેમ્બર્સ, છ ગામ સમસ્ત ખારવા સમાજનાં માછીમાર પ્રમુખો, ખંભાતથી માછી સમાજનાં સુનીલભાઈ માછી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:44 am

આત્મહત્યાનો પ્રયાસ:એસએસજીમાં પહેલા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર આર્મી જવાનનું મોત નિપજ્યું

ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા નિવૃત આર્મી જવાને શનિવારે સયાજી હોસ્પિટલના ન્યુ સર્જીકલ વોર્ડના પહેલા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ફરી સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યા તેઓનું બુધવારે મળસ્કે મોત થયું હતું. જેને પગલે રાવપુરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારની બાઈકનો કાર સાથે અકસ્માત થતાં સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર માટે હોસ્પિટલના ન્યુ સર્જીકલ બ્લોકના પહેલા માળે ખસેડવામાં આવ્યા હતા. પરિવારે તેમના માટે સ્પેશિયલ રૂમ લીધો હતો. ત્યારે શનિવારે 6 વાગે તેઓએ તેમની રૂમની બારીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બનતા આસપાસમાં હાજર દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ આવી પહોંચ્યા હતા અને તેઓને પરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સત્તાધીશોને આ વાતની જાણ થતાં તેઓ પણ વોર્ડમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન બુધવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં તેઓનું મોત થયું હતું. ઘટનાની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓને નશો કરવાની આદત વધી ગઈ હતી અને તેના પુત્રએ તે બંધ કરાવતા તેઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર મામલે રાવપુરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રૂમની બારીના સળિયા તૂટેલી હાલતમાં હતા, વૃદ્ધે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતોદયાનંદભાઈ ઓર્થો બી 1 યુનિટમાં સારવાર હેઠળ હતા. પરિવારે તેમના માટે સ્પેશિય રૂમ લીધો હતો. રૂમની બારીના સળિયા તૂટેલી હાલતમાં હતા. રૂમમાં એસી યુનિટ નાંખવા માટે બારીના સળિયા કઢાયા હતા. બાદ નવા સળિયા નખાયા ન હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:36 am

તપાસનો ધમધમાટ:ગુનો આચરી ફરાર આરોપીઓ પૈકી વધુ 6 ઝડપાયા, ટીમોએ 4 રાજ્યોમાંથી દબોચ્યા

શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જુદા જુદા ત્રણ રાજ્યોમાંથી વધુ 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જુદા જુદા પોલીસ મથકોમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ 10 વર્ષ કરતા પણ વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા.અને આવા 650 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી હતી. જેમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું. નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ટીમો બનાવી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ખાસ બેઠક કરી યોજના બનાવી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ તેમજ તમામ પોલીસ સ્ટેશનમાંથી યુંનીદા પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો બનાવી હતી. અને શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યના વધુ આરોપી હોવાનું બહાર આવ્યું હતું. આ ટીમોને નાસતા ફરતા આરોપીઓની શોધમાં આ ચારેય રાજ્યોમાં સરકારી વાહનો સાથે અલગ અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી હતી. કુલ 6 ટીમો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુ રાજ્યમાં તપાસ માટે પહોંચી ટીમોએ વોચ રાખી હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી હતી. અને 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓનાં નામ-સરનામાં અને ગુનાઓની વિગત

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:34 am

કેશોદમાં પોલીસનું સઘન ચેકીંગ:દિલ્હીમાં બોમ્બ ધડાકાના પગલે કેશોદ પોલીસ એલર્ટ,જાહેર સ્થળો પર તપાસ

દિલ્હીમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયાં છે. આ ઘટનાના પગલે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના આદેશના પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે. અને હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, ધાર્મિક સ્થળો જેવા જાહેર સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવા સંજોગો વચ્ચે જુનાગઢ જીલ્લામાં પોલીસે જાહેર સ્થળો પર તપાસ હાથ ધરી છે. એવી જ રીતે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એ. જાદવ સહિત પોલીસ સ્ટાફ ડ્યુટી પર ખડે પગે રહી ટ્રાફિકથી ધમધમતાં મુખ્ય રસ્તાઓના એન્દ્રી પોઈન્ટ અને જાહેર સ્થળો પર વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જયાં સુધી સ્થિરતાં ન આવે ત્યાં સુધી દેશના સમગ્ર રાજ્યમાં આવેલ જાહેર સ્થળો અને રસ્તાઓ પર વાહનો તપાસ ચાલું રહેશે. ત્યાં સુધી સુરક્ષા એજન્સીઓ નાગરીકને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:32 am

100 જેટલા સાક્ષીઓનાં નિવેદન ચાર્જશીટમાં રજૂ કરાયાં:ચકચારી ભાયલી ગેંગ રેપમાં વધુ 2 સાક્ષીની જુબાની લેવાઈ

ભાયલીનાં ચકચારી ગેંગ રેપ કેસમાં અદાલતમાં સુનાવણી યોજાઈ હતી અને વધુ બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આગામી સુનાવણી હવે 19મી તારીખે રાખવામાં આવી છે. ગત વર્ષે 4 ઓક્ટોબરે નવરાત્રી દરમિયાન ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં 5 આરોપીઓે ઝડપાયા હતા. મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ સુબેદાર બંજારા, શાહરૂખ કિસ્મતઅલી બંજારા, સૈફ મહંમદઅલી બંજારા, અજમલ સત્તારઅલી બંજારા આરોપી હતા. કડક સજા થાય એવા પુરાવા પણ એકત્ર કરાયા હતા. ફોરેન્સિક રિપોર્ટ, કોલ ડિટેઇલ જેવા મજબૂત પુરાવા, 100 જેટલા સાક્ષીઓનાં નિવેદન પણ ચાર્જશીટમાં રજૂ કરાયા હતા. 6 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવા ખાસ સરકારી વકીલ સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને વડોદરાનાં સિનિયર વકીલ શૈલેષ પટેલ અત્રેના મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની મદદ લીધી હતી. 12 નવેમ્બરે સુનાવણી થઈ હતી, જેમાં પીએસઆઇ, લેબના અધિકારી એવા બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:31 am

ફરિયાદ:બરાનપુરામાં ભીક્ષાવૃત્તિ બાબતે 4 કિન્નરનો રોશનીકુંવર ઉપર હુમલો

બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નરને રિક્ષામાં આવેલા અન્ય ચાર કિન્નરો એ ભિક્ષાવૃતિ બાબતે ઝઘડો કર્યાં બાદ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી. આ મામલે વાડી પોલીસે ફરિયાદ નોંધાઈ છે. અખાડામાં રહેતા રોશનીકુંવર માહીકુંવરએ ફરીયાદમાં લખયું કે હુ મારા ગુરૂ માહી કુંવર સાથે છેલ્લા બે વર્ષથી રહું છું, 11 નવેમ્બરે હું તથા મારા ગુરૂ માહી કંુવર સાથે સવારે ગોરવા વિસ્તારમાં જઈ ભીક્ષાવૃતી કરી બપોરે બરાનપુરામાં અખાડે આવી ગયા હતા. અખીલ ભારતીય કિન્નર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છ, જેમાં અમારા સમાજ બેસી નિયમો નક્કી કરવાનું કામ ચાલુ છે. આશરે પોણા એક વાગે હું જમવા માટે અમારા અખાડાની સામે અમારા મકાન ખાતે જતી હતી અને મારી પાછળથી એક રિક્ષા આવી હતી. જેમાં અર્ચના કુવંર રહે,કમલા નગર, આજવા રોડ, રેશ્મા કુવંર રહે. મહાનગર વુડાના મકાન, સોમ્યા કુવર રહે, પાણીગેટ તથા રોશની કુવંર બેઠા હતા. તેઓએ મારી આગળ રિક્ષા રાખી રેશ્મા કુવેર ઉતરી મને અપશબ્દો બોલી મારા વાળ પકડી લીધા અને તેમની સાથે આવેલા અર્ચના કુવર, સોમ્યા કુવંર તથા રોશની કુવંરે પણ ઝપાઝપી કરી. ચારેય જણાએ માર માર્યો હતો અને ધમકી કહ્યું કે જો હવે પછી ગોરવા તથા નીઝામપુરા વિસ્તારમાં જોવા મળશો તો તારા તથા ગુરુને જાનથી મારી નાંખીશ. ઝડપાઝપી દરમિયાન પહેરેલી સોનાની આશરે ત્રણ ગ્રામની ચેન પડી ગઈ. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:30 am

ગંભીર અકસ્માત:વરણામા-ધનિયાવી રોડ પર ભૂંડ આડું આવતાં મોપેડ સવાર બે શ્રમિકો પટકાયા, એકનું મોત

વરણામા-ધનિયાવી રોડ પર મોપેડની આગળ ભૂંડ આવી જતાં ચાલક અને તેમની પાછળ બેઠેલા આધેડ રોડ પર પટકાયા હતા. બંને ઈજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોપેડની પાછળ બેઠેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બંને વ્યક્તિ રંગ કામ કરીને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે મોપેડની આગળ ભૂંડ આવી જતાં અકસ્માત થયો હતો. વરણામા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. શહેરમાં 2 દિવસ અગાઉ જ મહેસાણા નગર સર્કલ નજીક ગાય આડી આવી જતાં બાઈક ચાલકનું સ્થળે મોત થયું હતું. દરમિયાન શહેર નજીક આવેલા વરણામા ગામમાં ભૂંડને કારણે આધેડે જીવ ગુમાવ્યો હતો. જાંબુવા ખાતે આવેલા વુડાના મકાનમાં રહેતા 60 વર્ષીય દાયજીભાઈ પરમાર સોમવારે દિનેશ માછી સાથે વરણામામાં રંગ કામ કરવા ગયા હતા. જ્યાંથી સાંજે 6 વાગ્યાના અરસામાં દિનેશભાઈ અને દાયજીભાઈ મોપેડ લઈ પરત આવતા હતા ત્યારે દિનેશભાઈ મોપેડ ચલાવી રહ્યા હતા. તે સમયે કાયાવરોહણથી ધનિયાવી તરફ આવતા હતા અને ત્યારે મોપેડની આગળ અચાનક ભૂંડ આવી ગયું હતું. જેને કારણે દિનેશભાઈએ મોપેડનું સંતુલન ગુમાવતાં બંને લોકો રોડ પર પટકાયા હતા. જેમાં બંનેને ઇજા પહોંચતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દિનેશભાઈને ટૂંકી સારવાર બાદ રજા અપાઈ હતી. જ્યારે દાયજીભાઈ માછીનું 60 વર્ષીય બુધવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના વિશે વરણામા પોલીસે દિનેશભાઈના નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. ભૂંડનો ભારે ત્રાસ છે, ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છેદિનેશભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણા દિવસોથી તે રોડ પરથી આવન-જાવન કરીએ છીએ. સોમવારે અમારો અકસ્માત થયો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હાલમાં વિસ્તારમાં ભૂંડનો ત્રાસ છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગત શનિવારે પણ એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:29 am

ભાસ્કર ઈનસાઈડ:200થી વધુ વિદ્યાર્થીનું વેઇટિંગ ધરાવતી કવિ દુલા કાગ શાળામાં નવી ઇમારત બનાવાશે

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિક કવિ દુલાકાગ પ્રાથમીક શાળામાં નવું બિલ્ડિંગ બનાવાશે. સરકારી શાળામાં સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળામાં 9 ઓરડા નવા બનાવાશે. અત્યારે સૌથી વધુ 1700 બાળકો અભ્યાસ કરે છે જયારે પ્રવેશ લેવા માટે 200થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટીંગ છે. નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિત હરણી વારસીયા રિંગ રોડ પર આવેલી કવિ દુલાકાગ પ્રાથમીક શાળામાં 13 નવેમ્બરના રોજ ગુરુવારના રોજે બે માળની બિલ્ડિંગનું ખાતમૂર્હત કરવામાં આવશે. જેમાં 9 વર્ગોની ઇમારત તૈયાર કરવામાં આવનાર છે. શાળા પાસે ત્રણ બિલ્ડીંગમાં 24 વર્ગો છે. શાળામાં એસી કોમ્પ્યુટર લેબ, એસી લાયબ્રેરી, અત્યાધુનિક સાયન્સ લેબ છે. સ્માર્ટ બાલવાડી, સ્માર્ટ ક્લાસ તેમજ ઈન્ટરેકટીવ પેનલથી સજ્જ વર્ગો છે. શાળામાં આવનારા સમયમાં સ્ટેમ લેબ પણ આવનાર છે. શાળા પાસે ત્રણ ગ્રીન બિલ્ડીંગ છે અને ચોથા બિલ્ડીંગનું ખાતમુહુર્ત થવા જઈ રહ્યું છે. રમત ગમતના મેદાનો અને બીજી બાજુ સુંદર મજાનો બગીચો. ઔષધીઓથી સમૃદ્ધ ઔષધબાગ અને કિચન ગાર્ડન પણ છે. શાળાના વર્ગો 1700 થી વધુ બાળકોથી ધમધમે છે. વર્ષ 2024માં 163 અને વર્ષ 2025માં 184 થી વધુ બાળકોનું વેઇટિંગ હતું. શાળાની સફર 400 બાળકોથી શરુ થઇ આજે 1760થી વધુ બાળકો શાળામાં શિક્ષણ લઇ રહ્યા છે. હવે શાળાને નવીન 9 વર્ગોની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી 2000 થી વધુ બાળકો શાળામાં અભ્યાસ કરી શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ શાળાને બિરદાવવામાં આવી છે. શાળાનું સંચાલન બાળ સાંસદો દ્વારા થાય છે. શાળાનું નેતૃત્વ કરનાર બાળક આવનાર સમયમાં વ્યવહાર જીવનમાં પણ નેતૃત્વ પૂરું પાડે, નેતૃત્વના ગુણ કેળવે અને લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરે છે. શાળામાં અભ્યાસ માટે એટલી ડીમાન્ડ છે કે, 40 વિદ્યાર્થીઓના કલાસમાં 50 થી 55 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. 24 કલાસરૂમ આવેલા છે અને બે પાળીમાં સ્કૂલ ચાલતી હોવા છતાં વિદ્યાર્થીઓનું વેઇટીંગ છે. ગુજરાતી માધ્યમમાં 1300 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી 460 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રવેશોત્સવમાં આવેલા સચfવે ગાંધીનગર ફોન કરી તાત્કાલિક બિલ્ડિંગના કામને મંજૂરી અપાવીશાળા પ્રવેશોત્સવમાં કવિ દુલાકાગમાં આવેલા સમગ્ર શિક્ષાના સચીવ શિલ્પા પટેલને શાળાના આચાર્ય દ્વારા નવા બિલ્ડિંગ માટે જે દરખાસ્ત કરી હતી તેની કામગીર હજુ શરૂ થઇ ના હોવાની રજૂઆત કરી હતી. જેના પગલે સચીવે ગાંધીનગર ફોન કરીને તાત્કાલીક માહિતી મેળવીને વહેલી તકે નવા બિલ્ડિંગની કામગીરી માટે સૂચના આપી હતી. ટેન્ડર પ્રક્રિયા વહેલી કરીને બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:22 am

મહિલાઓને 30% અનામત:વકીલ મંડળની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે

વડોદરા બાર એસોસિયેશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. જે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સુપ્રીમ કોર્ટની ગાઇડ-લાઇન પ્રમાણે મહિલાઓને 30 ટકા અનામત અપાશે, જે માટે 1 બેઠક વધારાઈ છે. જ્યારે ખજાનચીની પોસ્ટ મહિલા માટે અનામત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અલકા જાદવે જણાવ્યા પ્રમાણે મેમ્બરશિપ ફી ભરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર રહેશે અને 24 નવેમ્બરે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ફોર્મ ભરવાની તારીખ 1 થી 5 ડિસેમ્બર રહેશે, જેની ચકાસણી 8મીએ થશે. ફોર્મ પાછાં ખેંચવાની તારીખ 9 અને ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ 10મીએ બહાર પડાશે. જ્યારે 19મીએ ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણીમાં પ્રમુખની 1 પોસ્ટ, ઉપપ્રમુખની 1 પોસ્ટ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી મહિલા અનામત, લાઇબ્રેરી સેક્રેટરીના 1-1 પદ રહેશે. જ્યારે મેનેજિંગ કમિટી માટે 10 પોસ્ટ અને મહિલા વકીલ માટે મેનેજિંગ કમિટીમાં 3 પોસ્ટ રહેશે. આ ચૂંટણીમાં ઉમેદવારોને પોસ્ટર કે બેનર લગાવવા પર પ્રતિબંધ લગાવાયો છે. ઉમેદવારો રૂબરૂ, પત્ર કે એસએમએસથી કે સોશિયલ મીડિયા પર પ્રચાર કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:21 am

અકસ્માત:સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી દોડતી ગાય ન દેખાઈ, બાઇક અથડાતાં વિદ્યાર્થી ઘાયલ

શહેરમાં 13 દિવસમાં ગાયની અડફેટે આવતાં 4 વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 1 યુવકનું મહેસાણા નગર પાસે ગાય આડે આવી જતાં સ્થળ પર જ મોત થયું હતું. દરમિયાન મંગળવારે પ્રિયા ટોકીઝ પાસે વધુ એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. યુવક મિત્રના ઘરેથી વાંચીને પરત ફરી રહ્યો હતો ત્યારે પ્રિયા ટોકીઝ પાસે ગાય દોડતી આવતાં તે રોડ પર પટકાયો હતો. સદનસીબે તેને વધુ ઈજા ન પહોંચતાં ટૂંકી સારવાર બાદ રજા અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીને ગાય દેખાઈ નહોતી. ગોત્રી ખાતે પુષ્પમ એપાર્ટમેન્ટમાં રહેતો 19 વર્ષીય કાવ્ય મકવાણા ઈજનેરીનો અભ્યાસ કરે છે. પરીક્ષા હોવાથી તે ભાયલી વિસ્તારમાં તેના મિત્રના રૂમ પર વાંચવા માટે ગયો હતો. અભ્યાસ બાદ તે મોડી રાત્રે બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન પ્રિયા ટોકિઝ પાસે તેની બાઈકની આગળ ગાય દોડતી આવતાં તેનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. અકસ્માત થતાં તેને 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે તેને વધુ ઈજા ન પહોંચી ન હોવાથી રજા આપી દેવામાં આવી હતી. પાલિકા અને પોલીસ વચ્ચે ફરિયાદ મુદ્દે ચલકચલાણુંમહેસાણા નગર સર્કલ પાસે ગત રવિવારે ગાય આડી આવતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે ફરિયાદમાં ડિવાઈડર સાથે અથડાતાં યુવકનું મોત થયું છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હો. પાલિકા તરફથી હજુ સુધી ઢોર માલિકની સામે ફરિયાદ નોંધવવામાં આવી નથી. બીજી બાજુ પોલીસ પરિવારના નિવેદન અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:18 am

જાહેરનામું:જેતલપુર ઓવરબ્રિજ-અંડરપાસ 16 દિવસ પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ સુધી બંધ રહેશે

બુલેટ ટ્રેનની કામગીરીનો ધમધમાટ હવે વડોદરાના ટ્રાફિકને 1 વર્ષ સુધી વધુ અસર કરશે. બુધવારે જાહેર કરેલા પોલીસ કમિશનરના 2 જાહેરનામા મુજબ જેતલપુર ઓવરબ્રિજ અને અંડરપાસ 16 દિવસ સુધી બંધ રહેશે. જ્યારે પ્રિયલક્ષ્મી ગરનાળું 1 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનાં સૂત્રો મુજબ ગર્ડર ફિટ કરવાની અને અન્ય સંલગ્ન કામગીરી દિવસો સુધી ચાલવાની છે. પ્રિયલક્ષ્મી ગરનાળું 1 વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહી શકે છે. આ ગરનાળું 15 નવેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અથવા કામ પૂરું ન થાય ત્યાં સુધી બંધ રહેશે. આ જાહેરનામાને પગલે વાહન વ્યવહારમાં જે ફેરફારો થશે તેનાથી રોજના 40 હજારથી વધુ લોકોને અસર થશે. બીજી તરફ અટલ બ્રિજ, અલકાપુરી ગરનાળુ અને દાંડિયાબજાર-અકોટા બ્રિજ પર ભારણ વધશે. પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક રસ્તાપ્રતિબંધિત | સ્ટેશન-છાણી તરફથી આવતાં વાહન પ્રિયલક્ષ્મી ગરનાળાથી અટલ બ્રિજ નહીં જઇ શકેે.વૈકલ્પિક | છાણીનાં વાહનોએ ફતેગંજથી જમણે વળી અટલ બ્રિજ જવું પડશે 2. સ્ટેશન તરફનાં વાહને જેતલપુર ગરનાળાનો ઉપયોગ કરવો પડશેપ્રતિબંધિત | અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઇ પ્રિયલક્ષ્મી મિલ થઇ સ્ટેશન તરફ નહીં જઇ શકાયવૈકલ્પિક | અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઇ કે અટલ બ્રિજથી અલકાપુરી ગરનાળા થઇને જવું પડશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:16 am

ભાસ્કર ઈનસાઈડ:વુડાનાં 81 ગામના 33,190 મે.ટન કચરાનો નિકાલ બાકી, વધુ એક વર્ષની મુદત મગાઈ

રાજ્ય સરકારની સૂચના બાદ વુડા અને જિલ્લાનાં 81 ગામોમાંથી નીકળતા કચરાનું પ્રોસેસિંગ કરાયું હતું. બે વર્ષમાં 68,589 મેટ્રિક ટન કચરા પૈકીના 33,190 મેટ્રિક ટન કચરાનો નિકાલ બાકી છે. જેનું પ્રોસેસિંગ કરવા સોલિડ વેસ્ટ વિભાગે એક વર્ષનું એક્સટેન્શન માગ્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ 2023માં પાલિકાના હદની 5 કિમીની ત્રિજ્યામાં આવતાં 81 ગામોના કચરાનો નિકાલ કરવા કહેવાયું છે. જેથી ડિસેમ્બર-2025 સુધી વુડા-જિલ્લાનાં ગામોમાંથી 68,579 મે.ટન કચરો પાલિકાની જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર ઠલવાયો હતો. જે પૈકી 35,284 ઘન કચરાનો નિકાલ કરાયો છે. હવે બાકીના 33,190 મે. ટન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ વિભાગે 2026 સુધી 1 વર્ષ એક્સટેન્શન માગ્યું છે. આ કામ માટે હાલ પ્રોસેસિંગનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર જિગ્મા એન્વાયરો પાસેથી મેટ્રિક ટીન દીઠ ₹851 પ્રમાણે પ્રોસેસ કરાવાશે. 1 વર્ષમાં શહેરમાંથી નીકળતા કચરાના પ્રોસેસિંગ સાથે વુડાનાં ગામોમાંથી આવતા કચરાનું પણ પ્રોસેસિંગ કરશે. પાલિકાના માથા પર વધારાનું રૂા.80 કરોડનું ભારણ આવ્યુંકોરોના પહેલાંથી શહેરમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જાંબુઆ લેન્ડફીલ સાઈટ પર કચરાનો ડુંગર બન્યો હતો. 5 વર્ષ સુધી એકત્ર થયેલા કચરાનું પ્રોસેસિંગ શરૂ કરાતાં અઢી વર્ષમાં 10 લાખ મેટ્રિક ટનથી વધુના કચરાનું પ્રોસેસિંગ કરાયું છે અને ડુંગર દૂર કરાયો છે. બીજી તરફ શહેરમાંથી નીકળતા કચરાનું પ્રોસેસિંગ કરી વીજળી બનાવવાનો પ્રોજેક્ટ નખાયો હતો. જાંબુઆ લેન્ડફીલ સાઈટની બાજુની જગ્યામાં 6 વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ માટે જગ્યા અપાઈ હતી. જોકે આજ દિન સુધી આ પ્રોજેક્ટ કાર્યરત કરાયો નથી. જેના કારણે પાલિકાએ કચરાનું પ્રોસેસિંગ કરાવવા બીજી એજન્સીને ₹80 કરોડનું ચુકવણું કરવું પડ્યું છે, જેને કારણે પાલિકાના માથે વધારાનું ભારણ આવ્યું હતું. ₹35 હજાર મેટ્રિક ટન કચરાના પ્રોસેસ પાછળ 3 કરોડનો ખર્ચ થયોવુડા અને જિલ્લાનાં 81 ગામોમાંથી 68 હજાર મે. ટન પૈકી પાલિકાએ 35,284 મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો છે, જેનો રૂા.3 કરોડનો ખર્ચ થયો છે. વુડા દ્વારા અત્યાર સુધી 1.94 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે, બાકી રહેલા અંદાજિત 1.05 કરોડનું ચુકવણું વુડા સરકાર તરફથી આવતી ગ્રાન્ટ મળ્યા બાદ કરશે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:14 am

ભાસ્કર એક્સક્લૂસિવ:પ્રદૂષણ ઘટાડવા 4 વર્ષમાં 129 કરોડ ખર્ચ્યા છતાં છાણી-કલાલીનો AQI 300ને પાર,શ્વાસની બીમારી 20% વધી

પાલિકાના અધિકારીઓ અને નેતાઓ કેટલાક સમયથી કચરાના વ્યવસ્થાપન, રસ્તા અને બ્રિજની કામગીરી માટેના બણગાં ફૂકે છે. જોકે વાસ્તવિકતા એ છે કે, રોજ સાંજે છાણી અને કલાલી જેવા વિસ્તારોમાં એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) જોખમી (હેઝાર્ડસ)ના લેવલ 300ને પાર પહોંચે છે. જ્યાં 1 લાખ જેટલા લોકો આ ઝેરીલી-જોખમી હવા શ્વાસમાં લઇ રહ્યા છે. દિલ્હીમાં મહત્તમ એક્યુઆઇ 700 છે, જ્યારે વડોદરામાં 350ની નજીક પહોંચ્યો છે, જેથી સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારના હવા પ્રદૂષણને ઓછું કરવાના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત ફાળવેલી રકમમાંથી 129 કરોડ ખર્ચવા છતાં આ હાલત છે. પાલિકાના મશીનોના ડેટા મુજબ બુધવારે રાત્રે સૌથી મોટા પ્રદૂષકો પૈકીના એક પીએમ-10 કણોનું આદર્શ માપ 60 માઇક્રોન પ્રતિ ઘનમીટરે હોવું જોઇએ, તેને બદલે સુભાનપુરામાં 156, જાંબુઆમાં 145, મંગળબજારમાં 387 અને બાપોદમાં 216 હતું. પાલિકાએ 2014માં માપેલા પ્રદૂષણની સરખામણીએ 2025માં શહેરનું પ્રદૂષણ વધ્યું છે. આ માટેનું મુખ્ય કારણ બાંધકામ પ્રવૃત્તિઓ અને વાહનોની વધતી સંખ્યા છે. બુધવારે રાત્રે 8 વાગે મંગળબજારમાં સૌથી વધુ 387 PM-10 કણ નોંધાયા વિસ્તાર AQI PM-10 જાંબુઆ 313 145 છાણી 342 223.52 ટ્રાન્સપેક 328 342 મકરપુરા 302 108 મંગળબજાર 176 387 સુભાનપુરા 178 156.11 બાપોદ 126 216.62 અટલાદરા 145 261.63 છેલ્લાં 11 વર્ષ દરમિયાન શહેરમાં PM-10ના પ્રદૂષણમાં વધારો મશીન મૂકાયાનું સ્થળ 2014 2025 ગાયત્રી વિદ્યાલય, ગોત્રી 85 88 દાંડિયા બજાર 90 93 જીપીસીબી ગેરી 78 84 બાપોદ 82 83 છાણી 92 85 શહેરમાં વર્ષ 2021થી પ્રદૂષણ નાબૂદીની NCAPની ફાળવણી 2021 ~51 કરોડ 2022 ~25 કરોડ 2023 ~20 કરોડ 2024 ~32 કરોડ 2025 ~25 કરોડ ( 2014ના ડેટા પાલિકાએ તૈયાર કરેલા એર પોલ્યૂશન એક્શન પ્લાનના છે, 2025ના ડેટા જીપીસીબીના છે ) પ્રદૂષણના રિપોર્ટ માટે 80 લાખ ખર્ચ્યા,હજુ જાહેર કરાયો નથીવડોદરાની હવાની ગુણવત્તા માપવા કયા કયા પ્રકારના બળતણનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે, વિસ્તાર મુજબ વાહનોની સંખ્યા સહિતના ડેટાના સંકલન માટે એપોર્શનમેન્ટ સ્ટડી માટે 80 લાખ ખર્ચી એક એજન્સીને કામ આપ્યું છે. જોકે 5 વર્ષે પણ રિપોર્ટ તૈયાર થયો નથી કે પછી સરકાર જાહેર કરતાં અચકાય છે. PM-10 કણ ફેફસાના ઉપરના ભાગે જમા થાય છે, નાના કણ વધુ નુકસાનકારકપલ્મોનોલોજિસ્ટ ડો. તેજસ કક્કડ કહે છે કે, જેટલા કણોનું કદ મોટું એટલા તે ફેફસાંના ઉપરના ભાગે જમા થાય, કારણ કે ત્યાં નલિકાઓ પહોળી હોય છે. જોકે નાના કણો વધુ નુકસાન પહોંચાડે છે. હાલમાં પ્રદૂષણની સાથે એલર્જી તત્ત્વો અને મેટાનિમો, એસ્પીએરન્ટ જેવા વાઇરસે પણ માથું ઊંચક્યું છે, તેથી શ્વાસના રોગો વધુ વકરે છે. જ્યારે અન્ય પલ્મોનોલોજિસ્ટ અર્પણ શાહના મતે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધતાં પ્રદૂષણ કરતા કણો વધ્યા છે, જેને લીધે પણ 10 વર્ષમાં શ્વસન તંત્ર સંબંધિત કેસો 20 ટકા વધ્યા છે. જોકે એક કારણ તેમાં વહેલા નિદાનનું પણ છે. આ ડેટા સાચા, બાંધકામ પ્રવૃત્તિઓને લીધે પ્રદૂષણ વધેસેન્સર બેઝ સ્ટેશનો પર નોંધાયેલા ડેટા સાચા છે. આટલું પોલ્યુશન હોઇ શકે. પણ તેનાં કારણો એ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી (બાંધકામ પ્રવૃત્તિઓ) વધુ હોવાથી આ પ્રદૂષણ વધુ બતાવે છે. આ પ્રદૂષણ કેટલાક સમય માટેનું છે, તે જાણવા એક્યુરેટ ડેટા જીપીસીબીના સ્ટેશનના મળી શકશે. > મનીષ ભટ્ટ , ડાયરેક્ટર, આઇટી વિભાગ

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:11 am

ફરિયાદ:ઉનાવાના બે અને મહેસાણાના એક ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો

ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર ઉનાવાના બે અને મહેસાણાના એક મળી કુલ 3 ગેસ્ટ હાઉસના સંચાલકો સામે મહેસાણા એસઓજીએ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે એસઓજીની ટીમે શહેર સહિત જિલ્લામાં આવેલી હોટલો અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે મંગળવારે મહેસાણાના પીલાજીગંજ વિસ્તારમાં આવેલા નટરાજ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરતાં કેટલાક મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ન હોવાની ખબર પડતાં પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક વિષ્ણુભા છગુજી (રહે.રૂપપુરા, તા.બહુચરાજી) સામે તેમજ બુધવારે ઉનાવા ખાતે ચેકિંગ હાથ ધરતાં ન્યુ આલ્ફા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ તેમજ મીરા પેલેસ ગેસ્ટ હાઉસમાં પણ કેટલાક મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરેલી ન હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:04 am

ટ્રાફિકજામ:ગોપીનાળામાં આઇસર ખોટકાતાં પોણો કલાક જામ, એમ્બ્યુલન્સને રોંગ સાઇડથી પસાર કરાવી

શહેરમાંથી બુધવાર સવારે 11 કલાકે રાધનપુર સર્કલ તરફથી આવી રહેલું આઇસર ગોપીનાળામાંથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે જ ખોટકાયું હતું. જેને લઇ શહેરમાંથી હાઇવે તરફ જતાં સેંકડો વાહનો થંભી ગયા હતા. પોણો કલાક સુધી અહીં ટ્રાફિકજામની સ્થિતિ બની હતી. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી નીકળેલી એમ્બ્યુલન્સને હાજર પોલીસે રસ્તો કરાવી આપી રોંગ સાઇડ જવા કહ્યું હતું. જેને લઇ એમ્બ્યુલન્સ સમયસર ગોપી નાળામાંથી પસાર થઇ શકી હતી. બાદમાં ટોઇંગ કરી આઇસરને લઇ જવાયું હતું. ગત 27 ઓગસ્ટના રોજ પણ ગોપીનાળાથી બહાર નીકળતાં એસટી બસ ખોટકાઇ હતી. જેને લઇ એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

બે ગાર્ડ મૂકાયા:મોઢેરા રોડ વરસાદી લાઇનના કામમાં લોકો ચાર દિવસ હેરાન થયા પછી બે ગાર્ડ મૂકાયા

મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદી પાણી નિકાલની લાઇન નાખવા માટે માર્ગ અને મકાન વિભાગની એજન્સીએ કામગીરી શરૂ કરી છે. જેમાં કાવેરી સ્કૂલથી અવસર પાર્ટી પ્લોટ સુધી એક સાઇડનો રસ્તો કામગીરીને લઇ બંધ હોઈ વાહન ચાલકો માટે બીજી સાઈડ વન વે રહેતાં ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે. લોકો ચાર દિવસ સુધી હેરાન થયા બાદ બુધવારે પોલીસે બે ગાર્ડ મૂક્યા હતા. મોઢેરા અને બહુચરાજી જવાનો આ મુખ્ય માર્ગ હોઇ ભારે વાહનો સહિતનો ધસારો રહે છે. આ દરમિયાન, રોડ અને પાઇપ લાઇનની કામગીરીને લઇ છેલ્લા ચાર પાંચ દિવસથી લોકો હેરાન થતાં હતા. એમાંય મંગળવારે સાંજે આ રોડ પર ભયાનક ટ્રાફિકજામ થયો હતો. જેને કારણે વાહનચાલકો તોબાહ પોકારી ગયા હતા. ચાર દિવસ લોકો હેરાન થયા બાદ બુધવારે ધારાસભ્ય મુકેશ પટેલે સ્થળ પર પહોંચ્યા હતા. લોકોને ચાર દિવસથી હેરાનગતિ બાદ ધારાસભ્યો પહોંચ્યા સોસાયટીમાં પાણી ન ભરાય તે માટે સ્લોપ આપવા સૂચવ્યું ધારાસભ્યએ મોઢેરા રોડ પર વરસાદી પાણી નિકાલની લાઇન અને ત્યાર પછી રોડ નવિનીકરણની કામગીરી અંગે ઇજનેરો સાથે પરામર્શ કર્યો હતો. જેમાં વરસાદી પાણી ભરાવાના સ્પોટ નીચા હોઇ ત્યાં નવો રોડ કરતાં લેવલ ઊંચું લેવું, જેથી વરસાદી પાણીનો નિકાલ સરળ બને. આ રોડને સ્પર્શતી સોસાયટીઓના લેવલ નીચા ન રહી જાય તે પણ જોવું જરૂરી છે એટલે જરૂર જણાય ત્યાં સ્લોપ આપવા સુચવાયું હતું, જેથી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

રીસરફેસિંગ કામગીરી:પાટણમાં પદ્મનાભ ચોકડીથી યશ રેસીડેન્સી સુધી બિસમાર રોડનું રીસરફેસિંગ કામ શરૂ

પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડીથી યશ રેસીડેન્સી સુધીનો લાંબા સમયથી બિસમાર બનેલો રોડ આખરે પાલિકા દ્વારા બુધવારથી ડામરથી રીસરફેસિંગ કામગીરી શરૂ કરાવામાં આવી હતી. છેલ્લા છ મહિનાથી પદ્મનાભ ચોકડીથી યશ ઓમ કોમ્પ્લેક્ષ, શિવ બંગલોઝ અને યશ હોમ કોમ્પ્લેક્ષ થઈ શ્રી રેસીડેન્સી સુધીના રોડ પર મોટા ખાડા પડતાં સ્થાનિકો અનેકવાર પાલિકામાં રજૂઆત કરી હતી. હવે કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ હાલ તબક્કાવાર રીતે માત્ર યશ રેસીડેન્સી સુધી જ ડામર રોડ બનાવવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિક ચેતનભાઈ પ્રજાપતીએ જણાવ્યું કે દિવાળી પછી આખો રોડ પૂરો બનશે તેવું પાલિકાએ આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલ ફક્ત અડધો ભાગ જ સુધારાયો છે. જેથી યશ હોમ કોમ્પ્લેક્ષથી સોમનાથ ડુપ્લેક્સ થઈ શ્રી રેસીડેન્સી સુધીનો આર.સી.સી. રોડ તૂટીને ખાડાખુંબ બની ગયો છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

ભૂમાફિયાઓ બેફામ:માતરના બરોડાની વાત્રક નદીમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનન

માતર તાલુકાના બરોડા ગામે વાત્રક નદીમાં છેલ્લા બે વર્ષથી મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ભૂમાફિયાઓ સામે કરવામાં આવતી નથી. ચોમાસુ વિદાય લેતા જ ફરી એકવાર નદીમાં જેસીબી ઉતારીને રેતી ખનન ચાલુ કરવામાં આવ્યું છે. ભૂમાફિયાઓ રેતીના ભારે ડમ્પરો ગામ વચ્ચેથી લઈ જતા ભૂમાફિયાઓ અને ગ્રામજનો વચ્ચે સોમવારે મોડી રાત્રે બોલાચાલી થઈ હતી. ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે રેતી ભરેલા ભારે ડમ્પરો જાહેર રોડ ઉપરથી કાઢવામાં આવતા રોડને નુકસાન પહોંચે છે અને રેતી ઉડી રહી છે. નદીમાંથી ભારે ડમ્પર કાઢવામાં આવતા વેરાઈ માતાજીના મંદિર થી નદી સુધી બનાવવામાં આવેલ આર .સી .સી. રોડ તુટી જવાની સંભાવના છે. જેથી ગ્રામજનોએ માટીના ડમ્પરો જાહેર રોડ ઉપરથી નહિ લઈ જવાનું કહેતા ભૂમાફિયાઓ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ હતી. ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે ચોમાસુ પૂરું થતાં બે દિવસથી નદીમાં રેતી ખનન ફરી શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં નદીમાં મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા માતર મામલતદાર પણ સ્થળ ઉપર આવ્યા હતા અને પંચકયાસ કર્યો હતો. પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાનગી કંપનીમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે નદીમાં બે દિવસથી નદીમાં રેતી ખનન શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે ગ્રામમાં નવી પંચાયત બનાવવાની છે એટલે થોડી રેતી પંચાયતના પુરાણમાં નાખે છે. બીજી રેતી ગામની બાર ખાનગી કંપનીઓમાં નાખવામાં આવી રહી છે. સોમવારે મોડી રાત્રે જાહેર રોડ ઉપરથી માટીના ડમ્પરો બંધ કરવા માટે ગ્રામજનોએ ડમ્પર ચાલકોને રોકતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને કીધું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ પણ માટીના ડમ્પરતો ચાલુ રહેશે. પ્રવિણભાઇ મકવાણા સ્થાનિક નાગરિક, બરોડા રેતી કાઢી ગ્રામ પંચાયતમાં નાખવામાં આવી છેનદીમાંથી જે રેતી કાઢવામાં આવી રહી છે. તે ગામમાં નવી ગ્રામ પંચાયત બનાવવાની હોવાથી તેમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે. કોઈ ખાનગી કંપનીમાં પુરાણ થતું નથી.> અજીતભાઈ ચૌહાણ, ડે.સરપંચના પતિ

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

કમિશનરે પુલનું નિરીક્ષણ કરી સૂચન કર્યા:ફ્લાય ઓવરબ્રિજ ગમે તે ઘડીએ ખૂલ્લો મુકાશે

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફલાય ઓવરબ્રિજ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હવે નજીકના દિવસોમાં ગમે ત્યારે ખૂલો મુકાય તેમ છે. ત્યારે કમિશનર સહિતના મહાપાલિકાના અધિકારીઓએ પુલનું આખરી નિરીક્ષણ કરીને નાની મોટી સૂચનાઓ આપી હતી. જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવવામાં આવેલા વીકટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો સવા બે કિલોમીટરનો ઓવરબ્રિજ બનીને લગભગ તૈયાર થઈ ગયો છે. તેનું ટેસ્ટીંગ પણ થઈ ચૂક્યું છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર સાથે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સીટી એન્જિનિયર ભાવેશ જાણી, પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજેન્દ્ર જાની તથા એસ્ટેટ વિભાગની ટીમ જોડાઈ હતી. અધિકારીઓએ પુલના અંતિમ છોડાના ભાગે ચાલી રહેલા કામની સમીક્ષા કરી અને તકનિકી મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કમિશનરે કામની ગુણવત્તા જાળવવા અને સમયસર પૂર્ણ કરવા ખાસ સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 4:00 am

આતંકીના ઘરેથી મળેલું 6 લીટર કેમિકલ રાઇઝીન હોવાની શક્યતા:સાઇનાઇડ કરતાં પણ ઘાતકી ઝેર બનાવવામાં કેમિકલ એક્સપર્ટની મદદ લીધી, ISKPના અગ્રણીના આદેશથી મોટો નરસંહાર કરવાના હતા

ગુજરાત ATSએ હૈદરાબાદના ડોક્ટર સહિત ત્રણ આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી લીધા હતા. જે બાદ ગુજરાત ATSની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી સૈયદ અહેમદના ઘરે સર્ચ કર્યું હતું. જ્યાંથી છ લીટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું, જેની FSL તપાસ કરી રહી છે. હવે સાઇનાઇડ કરતાં પણ ઘાતકી ઝેર રાઇઝીન બનાવવામાં ડો.સૈયદ સાથે કેમિકલના અક્સપર્ટની ટીમ પણ કાર્યરત હોવાની વિગતો સામે આવતાં હવે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ISKPના અગ્રણી એવા અફઘાનિસ્તાનના અબુ ખાદેજાના આદેશને પગલે ઝેરી કેમિકલ તૈયાર કરી રહ્યા હતા. રાઇઝીન નામનું કેમિકલ તૈયાર કરવાની પ્રક્રિયા આદરી હતીગુજરાત ATSની ટીમે ટોલનાકા પાસેથી હૈદરાબાદના ડો.સૈયદ અહમદને 3 ઇમ્પોર્ટેડ ગન અને 27 કારતુસ સાથે ઝડપી લીધો હતો. જ્યારે તેને રાજસ્થાનથી હથિયાર લઇને આપવા આવેલા ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન અને સુહેલ સલીમને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ATSના અધિકારીઓને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, અહેમદ સૈયદે સાયનાઇડ કરતાં પણ અત્યંત ઝેરી રાઇઝીન નામનું કેમિકલ તૈયાર કરવાની પ્રક્રિયા આદરી છે. જેનાથી તેઓ મોટો નરસંહાર કરવાના હતા. ડો. મોહુયુદ્દીનને કેમિકલ એક્સપર્ટસની ટીમે મદદ કરી હતીગુજરાત ATSની ટીમે ત્રણે આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ છ ટીમો તેમના ઘરે અને તેઓ જ્યાં ફર્યા હતા તે જગ્યાએ તપાસ કરવા પહોંચી છે. હૈદરાબાદના રાજેન્દ્ર નગર ખાતેના અહેમદના ઘરે સર્ચ કરતાં પોલીસને 6 લીટર સંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું. હવે આ કેમિકલ જ ઝેરી રાઇઝીન છે કે કેમ તેના માટે FSLની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત તપાસ કરી રહેલા અધિકારીઓને એવી પણ વિગતો મળી છે કે રાઇઝીન બનાવવા માટે ડો. મોહુયુદ્દીનને કેમિકલ એક્સપર્ટસની ટીમે પણ મદદ કરી હતી. જેને પગલે હવે આ ટીમની તલાશ શરૂ કરવામાં આવી છે. રાઇઝીન બનાવવાની પ્રક્રિયા માત્ર હૈદરાબાદમાં જ ચાલી રહી હતી કે અન્ય કોઇ જાણકારો આ કેમિકલ બનાવી રહ્યા હતા. તેની પણ તપાસ ચાલી રહી છે. ATSની ટીમે હૈદરાબાદ-ઉત્તરપ્રદેશમાં લોકોના નિવેદન લીધા હતાATSએ પકડેલા આતંકીઓનું વીડિયોગ્રાફી સાથે પંચનામું કર્યું છે. કલોલ, અડાલજ, લાલદરવાજા હોટલ અને પાલનપુરમાં પંચનામુ કર્યું હતું. ATSની ટીમે હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશમાં લોકોના નિવેદન લીધા હતા. આતંકવાદીઓના પરિવાર, મિત્રો અને પડોશીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ તપાસ દિલ્હીના બ્લાસ્ટ બાદ દેશભરની પોલીસ અને જુદી જુદી એજન્સીઓ આતંકી મામલે તપાસ કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ પણ આ અંગે કામે લાગ્યું છે. કોઈપણ અફવા કે લાગણી જેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થાય નહીં તેની ખાસ તકેદારી રાખી રહી છે. આ ઉપરાંત ઝડપાયેલા ત્રણેય આતંકીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવામાં આવી રહ્યા છે. તેઓ કોને ફોલો કરતા હતા અને તેમને કોણ ફોલો કરતું હતું, તેઓ કોના કોના સંપર્કમાં હતા તે તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ડો. અહેમદ સૈયદના ઘરે તપાસ હાથ ધરતા 250 મિલિ ઝેરી લીકવીડ મળ્યુંગુજરાત સહિત દેશમાં પોતાની આતંકી માનસિકતાથી અનેક લોકોને રડાવવાની તૈયારી કરનારા ત્રણેય આતંકીઓ હાલ ગુજરાત ATSના કબજામાં છે. જેઓ પૂછપરછ દરમિયાન રડી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસની એક ટીમે હૈદ્રાબાદમાં ડો. અહેમદ સૈયદના ઘરે તપાસ હાથ ધરતા 250 મિલિ ઝેરી લીકવીડ મળી આવ્યું છે. અહેમદ સૈયદ સિવાય અન્ય બે આતંકીઓના ઘરે પણ એટીએસની ટીમે તપાસ હાથ ધરી છે અને તેઓના પરિવારજનોની પૂછપરછ પણ કરાશે. આતંકીઓએ 4 નવેમ્બરે જ ઝેરી લીકવીડ બનાવ્યુંATSની પૂછપરછમાં આતંકીઓ રડી પડ્યા હતા.આતંકીઓની તપાસમાં સામે આવ્યું કે, 4 નવેમ્બરે જ ઝેરી લીકવીડ બનાવ્યું હતું.અહેમદ સૈયદના હૈદરાબાદ ખાતેના ઘરેથી પણ 250 મિલિથી વધુ લીકવીડ મળી આવ્યું છે.અહેમદ સૈયદના હૈદરાબાદના અને અન્ય બે આરોપીના ઘરે યુપીમાં સર્ચ ચાલુ છે. સર્ચ બાદ આરોપી પરિવારના નિવેદન લેવામાં આવશે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. હોટલમાંથી લેપટોપ પણ મળી આવ્યુંપકડાયેલા ત્રણે આતંકીઓ કયા રોકવાના હતા અને કોને મળવાના હતા તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.અહેમદ સૈયદના પાસેથી જે હથિયાર મળી આવ્યું હતું તે પોલીસ આવે તો પ્રતિકાર માટે રાખ્યું હતું.સૈયદ અહેમદને ટોલનાકા પાસે પકડ્યો ત્યારે પોલીસની સામાન્ય ચેકીંગ લાગ્યુબેટલે ફાયરિંગ ન કર્યું.સૈયદ અહેમદ હૈદરાબાદથી બાય રોડ આવ્યો હતો.જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાંથી લેપટોપ પણ મળી આવ્યું છે.આરોપીની તપાસ માટે અલગ અલગ એજન્સીઓ પણ અમદાવાદ આવી રહી છે. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશેATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને વધુ તપાસ કરશેATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે. હૈદરાબાદથી આવેલા આતંકવાદીની ગાડીમાંથી ગન-કારતૂસ મળી હતીATSના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ: 9નાં મોત આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતોઆતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં. આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરતા હતાડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે. એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે. અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા. 7મી તારીખે બાતમી મળી હતી7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પણ વાંચો: એરંડાના બીજમાંથી સાયનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતાગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકવાદી અંગે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકીને તેમના આકા આગળ શું કરવાનું છે એની માહિતી એકસાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે એવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી. આ પણ વાંચો: આતંકવાદીને પકડવા PIએ ટોલ ગેટ બંધ કરી ટ્રાફિકજામ કરાવ્યો, ATSએ 2 દિવસમાં પાર પાડ્યું ઓપરેશન થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર-પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી ગુજરાત ATSએ ચાર મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલ-કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 13 Nov 2025 12:05 am

ગુજરાતમાં 247 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલે પાટણથી બે આરોપીને દબોચ્યા, ભારતભરમાં 542 સાયબર ફ્રોડની ફરિયાદ

રાજ્યમાં વધતી સાયબર છેતરપિંડીની ઘટનાઓ સામે ગાંધીનગર CID ક્રાઇમ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા બે આરોપીઓને મોબાઈલ ફોન નંગ 3 તેમજ રૂપિયા 5 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. જ્યારે દુબઇમાં રહેતા મુખ્ય આરોપીને પણ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ટેલિગ્રામના ગ્રુપનો ઉપયોગ કરતાસાયબર સેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બંને આરોપીઓ દ્વારા 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ પોતાના તથા અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલી અથવા ખોલાવડાવી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ આરોપીઓ ટેલિગ્રામના ગ્રુપનો ઉપયોગ કરતા હતા. મારિયો પે અને સૂપર પે નામના ગ્રુપનો ઉપયોગ કરતો હતો. જેમાં તેઓએ 25 જેટલા બેંક એકાઉન્ટ વેચ્યા હતા. જેમાં સાયબર ક્રાઈમની મોડ્સ ઓપરેન્ડી જેવી કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તથા ટેલિગ્રામ ટાસ્ક બેઝ ફ્રોડ તથા જોબ ફ્રોડ છે. થર્ડ પાર્ટી OTP ફોર્ડવડ એપ્લિકેશનનો ઉપોયગ કરતાઆરોપીઓ ફિઝિકલ સિમકાર્ડ આપવાની જગ્યાએ સિમકાર્ડની ડિટેલ આપતા હતા. આ ઉપરાંત સિમકાર્ડમાં આવતા OTPને મેળવવા માટે થર્ડ પાર્ટી OTP ફોર્ડવડ એપ્લિકેશનનો ઉપોયગ કરતા હતા. જેથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થાય તો OTP આ લોકોને સીધો મળી જતો હતો. ભારતભરમાંથી 542 સાયબર ફ્રોડની અરજીઓ મળીટેકનિકલ એનાલિસીસ કરી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ પર ચેક કરતા આ બેંક એકાઉન્ટો વિરૂદ્ધ અલગ-અલગ રાજ્યની 542 સાયબર ફ્રોડની અરજીઓ મળી હતી. ગુજરાતમાં પણ કુલ સાયબર ફ્રોડની 70 અરજીઓ મળી આવી છે. આરોપીઓ દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તેને સગેવગે કરવામાં આવતા હતા. સાયબર ક્રાઈમના જમા થયેલા રૂપિયાના બદલામાં મોટા પાયે કમિશન મેળવતા હતા. આ આરોપીઓ દુબઇમાં રહેતા સાયબર ફ્રોડના મુખ્ય આરોપી સાગર નામના વ્યક્તિ સાથે સીધા કનેક્ટેડ હતા. મુખ્ય આરોપી સાગરને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના નામ પોલીસે જણાવ્યા મુજબ આ બંને આરોપીઓએ ખોટા બેંક એકાઉન્ટ બનાવી અન્ય લોકો પાસેથી સાયબર ફ્રોડ દ્વારા પૈસા મેળવી પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. સાયબર ક્રાઇમ સેલના એસપી ડો. રાજદીપસિંહ ઝાલા, એસપી સંજય કેશવાલા અને એસપી વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પીઆઇ બી.એમ. ચૌધરી, પીઆઇ કે.કે. મોદી તથા પીઆઇ એ.એચ. સલીયા દ્વારા ટીમ બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ એનાલિસીસની મદદથી પાટણથી 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમથી બચવા શું સાવચેતી રાખવી

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:50 pm

મનપા દ્વારા 25 યુનિયનોને એકસાથે નોટિસ:કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેના ઓવારાનું નવીનીકરણ થશે, પાસોદરામાં 6 કરોડના ખર્ચે તૈયાર થશે અદ્યતન વાંચનાલય

સુરત મહાનગરપાલિકા તાજેતરમાં કેટલાક મહત્ત્વના વહીવટી અને વિકાસલક્ષી નિર્ણયોના કારણે ચર્ચામાં છે. એક તરફ જ્યાં કોર્પોરેશને કર્મચારી યુનિયનોની માન્યતા અને ગેરકાયદેસર ઓફિસના ઉપયોગ પર સખત કાર્યવાહી શરૂ કરી છે, ત્યાં બીજી તરફ શહેરના માળખાકીય વિકાસના ભાગરૂપે મોટાવરાછામાં મહાદેવ ઓવારાનું નવીનીકરણ અને પાસોદરામાં અદ્યતન વાંચનાલયના નિર્માણની યોજના પણ જાહેર કરવામાં આવી છે. SMC દ્વારા 25 યુનિયનોને એકસાથે નોટિસસુરત મહાનગરપાલિકાના મહેકમ વિભાગ અને કર્મચારી યુનિયનો વચ્ચેની તંગદિલી હવે ખુલ્લી પડી છે. તાજેતરમાં જ પ્રાઇમરી હેલ્થ વર્કરના પ્રમોશન રદ્દ કરવાના કોર્ટના આદેશ બાદ યુનિયન દ્વારા કરાયેલી ઉજવણીના ગણતરીના કલાકોમાં જ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે SMCના 25 જેટલા કર્મચારી યુનિયનોને તેમની માન્યતાના પુરાવા રજૂ કરવા માટે એકસાથે નોટિસ ફટકારી છે. આ નોટિસ દ્વારા યુનિયનોને સ્પષ્ટપણે જણાવાયું છે કે, તેઓ 10 દિવસની અંદર તેમની કાયદેસરની માન્યતાના દસ્તાવેજો રજૂ કરે. પહેલીવાર મહેકમ વિભાગ દ્વારા એકસાથે આટલી મોટી સંખ્યામાં યુનિયનોને નોટિસ અપાઈઆ ઉપરાંત, જે યુનિયનો પાલિકાની કચેરીમાં ગેરકાયદેસર રીતે ઓફિસનો ઉપયોગ કરી રહ્યા છે અને પાલિકાના સરનામાનો ઉપયોગ લેટર પેડ પર કરી રહ્યા છે, તેમને ઓફિસ ફાળવણીના પુરાવા રજૂ કરવા અથવા 7 દિવસમાં ઓફિસનો કબજો પરત સોંપવા માટે સૂચના આપવામાં આવી છે. જો આ પુરાવા સમયસર રજૂ નહીં થાય, તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. SMCના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે મહેકમ વિભાગ દ્વારા એકસાથે આટલી મોટી સંખ્યામાં યુનિયનોને નોટિસ આપવામાં આવી હોય, જેનાથી કર્મચારી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પગલું કર્મચારી નેતાઓ પર લગામ કસવા અને પાલિકાની મિલકતનો દુરુપયોગ અટકાવવાના વહીવટી હેતુ તરફ ઈશારો કરે છે.મોટાવરાછામાં તાપી કિનારે મહાદેવ ધાર્મિક પ્રવૃત્તિઓને મળશે વેગસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ધાર્મિક અને માળખાગત વિકાસની દિશામાં વધુ એક પગલું લેવામાં આવ્યું છે. મોટાવરાછામાં તાપી નદીના કિનારે આવેલા અતિપ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેના ઓવારાને વિકસાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. હાલમાં, આ જગ્યાએ ઓવારો ન હોવાથી શ્રદ્ધાળુઓએ ધાર્મિક ક્રિયાકાંડ અને વિધિઓ માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે, અને ઓવારા સુધીના રોડની હાલત પણ ખરાબ છે. આ સમસ્યાને દૂર કરવા માટે SMCએ આ જગ્યાનું સર્વેક્ષણ કરાવ્યું છે અને અંદાજે 1.35 કરોડના ખર્ચે આ ઓવારાને ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. આ યોજનામાં 70 મીટર લાંબો અને 6 મીટર પહોળો ઓવારો બનાવવામાં આવશે, જેમાં બંને તરફ રીટેઇનિંગ વોલ હશે અને નદી કિનારા સુધી સ્ટેપ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ માટે સિટિંગ એરિયા અને ફ્લાવર બેડ સાથે બ્યુટીફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે, જેથી આ સ્થળ ધાર્મિક વિધિઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષક બની શકે. પાસોદરામાં 6 કરોડના ખર્ચે તૈયાર થશે અદ્યતન વાંચનાલયશહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસ પર ભાર મૂકતા, SMCએ પાસોદરા ગામ ખાતે એક મોટું અને આધુનિક વાંચનાલય બનાવવાની યોજના પણ જાહેર કરી છે. પાસોદરા ગામના બ્લોક નંબર 174, રેવન્યુ સર્વે નંબર 002ની જમીનનો કબજો કોર્પોરેશનને મળી ગયો છે, જ્યાં 1861 ચોરસ મીટરના વિસ્તારમાં આ વાંચનાલયનું નિર્માણ કરવામાં આવશે.આ વાંચનાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ હશે અને તે લગભગ 6 કરોડના ખર્ચે તૈયાર થશે. અહીં સિનિયર સિટીઝન રીડિંગ હોલ, સ્ટોર હોલ, તેમજ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ રીડિંગ હોલની સુવિધા હશે. દરેક માળ પર ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ જેવી તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાસોદરા વિસ્તારના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ નવું વાંચનાલય જ્ઞાનપ્રાપ્તિ અને અભ્યાસ માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:33 pm

ગોત્રી વિસ્તારમાં ઘરમાં ભીષણ આગ:આગમાં બોટલ ફાટે તે પહેલા ફાયરના જવાનોએ હિંમત બતાવી બહાર ખેંચી લાવ્યા, મોટી જાનહાનિ ટળી

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં આવેલ એક જૂના મકાનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં અફરા તફરી સર્જાઈ હતી. આ આગ અંગેનો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોત્રી ગામમાં આવેલ બારોટ ફળિયામાં એક જૂના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા સાથે જ વડોદરા વાસણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયોવધુમાં કહ્યું કે, આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘરમાં ત્રણથી ચાર ગેસની બોટલ નીકળી છે અને લીકેજ હતા જે ફાટવાની શક્યતાઓ હતી અને ઘણું જોખમી હતું. હજુ સુધી આગનું ચોક્કસ કારણ મળવા નથી મળ્યું પરંતુ, રો-હાઉસ જેવું મકાન હતું જેથી કિચન અને ડ્રોઈંગ રૂમ સાથે હતું એટલે કિચનમાંથી આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. અંદર એક ગેસની બોટલ લીકેજ હતીવધુમાં કહ્યું કે, આગ એટલી વિકરાળ હતી કે હિંમત કરી અમે પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘરનો પ્રથમ અને બીજો માળ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે. અમારા માટે સૌથી ચેલેન્જિંગ બાબત હતી કે, અંદર એક ગેસની બોટલ લીકેજ હતી અને આસપાસ પડેલ અન્ય બોટલ તીવ્ર આગમાં હતી. જેથી બાજુમાં રહેલી એક બોટલ આખી ફૂલીગઈ હતી અને તે ફાટવાની તૈયારી હતી. અમે હિંમત કરી સત્તત પાણીનો મારો ચલાવી બહાર ખેંચી લાવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:24 pm

જમીન કૌભાંડમાં રૂ. 1.81 કરોડની છેતરપિંડી:સસ્તું સોનું ખરીદવાની લાલચમાં રિક્ષાચાલકે ગુમાવ્યા રૂ. 10 લાખ, અંધેરી બળાત્કારના આરોપીને અડાજણ પોલીસે ઝડપ્યો

વિશ્વાસના ભંગ અને સસ્તામાં માલ મેળવવાની લાલચના કારણે સામાન્ય નાગરિકો કઈ રીતે મોટી છેતરપિંડીનો ભોગ બની શકે છે, તેના બે ગંભીર કિસ્સાઓ સુરતમાં સામે આવ્યા છે. એક કિસ્સામાં બાળપણના મિત્રએ જમીન આપવાના બહાને લેન્ડ ડેવલોપર સાથે રૂ. 1.81 કરોડની ઠગાઈ આચરી, જ્યારે બીજા કિસ્સામાં મેટ્રોના ખોદકામમાંથી સોનું મળ્યાની ખોટી વાર્તા કહીને રિક્ષાચાલક પાસેથી રૂ. 10 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સાથે મુંબઈના બળાત્કારના આરોપીને સુરતની અડાજણ પોલીસે ઝડપી પાડ્યો હોવાની ઘટના પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતા દર્શાવે છે. સુરત નજીક પલસાણા વિસ્તારમાં જમીન આપવાના નામે થયેલી છેતરપિંડીએ વેપારી આલમમાં ચકચાર જગાવી છે. ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા અને વેસુ વીઆઇપી રોડ પર 'આસ્થા કેપીટીલ કોર્પોરેશન' નામે લેન્ડ ડેવલોપમેન્ટનો ધંધો કરતા પ્રમોદ રાધેશ્યામ જાંગીડ સાથે તેમના જ ભૂતપૂર્વ મિત્ર અને ભાગીદાર મનીષ હીરાભાઇ પટેલે પરિવારના સભ્યો સાથે મળીને આ વિશ્વાસઘાત આચર્યો છે. પલસાણામાં આવેલી પોતાની જમીન વેચવાની વાત કરી હતીપ્રાપ્ત માહિતી અનુસાર મનીષ પટેલ, તેના પિતા હરિભાઇ પટેલ અને ભાભી ફેની જયેશ પટેલ જૂન 2021માં પ્રમોદ જાંગીડની ઓફિસે આવ્યા હતા. તેમણે પલસાણામાં આવેલી પોતાની જમીન વેચવાની વાત કરી હતી. આ જમીનનો સોદો રૂ. 2 કરોડમાં નક્કી થયો હતો, જેમાં રૂ. 1.81 કરોડ રોકડા આપવા અને બાકીની રકમ પેટે ફેની પટેલના નામે એક દુકાનનો દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું. પ્રમોદ જાંગીડે સોદા મુજબ રૂ. 1.81 કરોડની રકમ આપી દીધી હતી, પરંતુ જ્યારે તેમણે દુકાન અને પલસાણાની જમીનનો દસ્તાવેજ કરાવવા મનીષને બોલાવ્યો ત્યારે તે આવ્યો ન હતો. બાદમાં પ્રમોદભાઈને જાણવા મળ્યું કે મનીષ પટેલ તે જ જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે આ અંગે મનીષને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને દસ્તાવેજો પણ કરી આપ્યા નહોતા. આખરે પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં પ્રમોદ જાંગીડે અલથાણ પોલીસ સ્ટેશનમાં મનીષ પટેલ, હરિભાઇ પટેલ અને ફેની જયેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સસ્તું સોનું ખરીદવાની લાલચમાં રિક્ષાચાલકે ગુમાવ્યા રૂ. 10 લાખનવસારી બજાર વિસ્તારના એક રિક્ષાચાલકને મેટ્રો પ્રોજેક્ટના ખોદકામમાંથી મળેલા કથિત સોના-ચાંદીના સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપીને પાંચ ગઠિયાઓએ રૂ. 10.05 લાખની મોટી ઠગાઈ કરી છે.નવસારી બજારમાં રહેતા હિતેશભાઇ નવનીતભાઇ પ્રજાપતિ (ઉ.વ. 59) તા. 12-10-2025ના રોજ અઠવાગેટ પર હતા, ત્યારે ત્રણ પુરુષ અને એક મહિલા તેમની રિક્ષામાં બેઠા હતા. મુસાફરના રૂપમાં આવેલા એક શખ્સે જણાવ્યું કે તે મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરી કરે છે અને મુગલીસરામાં ખોદકામ દરમિયાન તેને સોના-ચાંદીના સિક્કા અને માળા ભરેલું માટલું મળ્યું છે. આ વસ્તુઓ વતન લઈ જવી મુશ્કેલ હોવાથી તે સસ્તામાં વેચવા માંગે છે.લાલચમાં આવીને હિતેશભાઈ આ ગઠિયાઓને પોતાના દીકરા મયુરની દુકાને લઈ ગયા હતા. જ્યાં ગઠિયાઓએ મોહનભાઇ બાબુભાઇ ડામોર (બાંસવાડા, રાજસ્થાન)ના નામે બનાવટી આધારકાર્ડ બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. થોડા દિવસ બાદ આ શખ્સોએ હિતેશભાઈ અને મયુરને આશરે એક કિલો સોનાની માળા અને ચાંદીના સિક્કા બતાવ્યા. વિશ્વાસ અપાવવા માટે, તેમણે માળામાંથી એક મણકો તોડીને આપ્યો, જેની સોની પાસે ચકાસણી કરાવતા તે 21 કેરેટનું સોનું નીકળ્યું. આનાથી સંપૂર્ણ વિશ્વાસ બેસી જતાં, રૂ. 25 લાખ માંગ્યા બાદ આખરે રૂ. 10,05,000માં સોદો નક્કી થયો. તા. 17-10-2025ના રોજ ગઠિયાઓ પૈસા લઈને 1 કિલો 382 ગ્રામની માળા અને ચાર ચાંદીના સિક્કા આપીને ચાલ્યા ગયા. જોકે, જ્યારે હિતેશભાઈએ આ માળાની ફરી ચકાસણી કરાવી તો તે પીતળ જેવી સામાન્ય ધાતુની હોવાનું બહાર આવ્યું. આ રીતે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ. હિતેશભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, જેના પછી મોહન ડામોર, નાથુ લાલા વાઘેલા, પ્રેમીલા અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અંધેરી બળાત્કારના આરોપીને અડાજણ પોલીસે ઝડપ્યોસુરતના નાગરિકોની સુરક્ષા માટે પોલીસની સતર્કતા પણ એક કિસ્સામાં જોવા મળી છે. મુંબઈ શહેરના અંધેરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનાનો આરોપી કશ્યપ પિનાકીન પટેલ (ઉ.વ. 21) અડાજણ વિસ્તારમાં તેના સંબંધીના ઘરે છુપાયેલો હતો.ગુપ્ત માહિતીના આધારે અડાજણ પોલીસે આરોપી કશ્યપ પટેલને પકડી પાડ્યો હતો. પુછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ભોગ બનનાર યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ લગ્ન કરવાની ખોટી લાલચ આપીને તેને મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:12 pm

મહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષના 3 સામે ફરિયાદ નોંધાવી:મહિલા પર બળજબરીપૂર્વક તાંત્રિકવિધિ કરાવી, માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ

અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. લગ્નતા થોડા સમય બાદ ફરિયાદી મહિલાનું હિપ્નોટિઝમ કરવામાં આવ્યું છે. તેમજ ફરિયાદી મહિલા પર સાસરીયા પક્ષના લોકોએ બળજબરીપૂર્વક તાંત્રિક વિધિ કરાવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તદુપરાંત પતિ સહિત સાસરીયા પક્ષના લોકો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. જેથી મહિલાએ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી પતિ સહિત સાસરીયા પક્ષના ત્રણ લોકો સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ રસોઈ ન આવડતી હોવાનું કહી મેણા ટોણા માર્યાફરિયાદી મહિલાના 2024માં લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન સાસરીયા પક્ષના કહેવા મુજબ મહિલાએ 20થી 25 તોલા સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા આપ્યા હતા. લગ્નના થોડા સમય બાદ મહિલા પતિ સાથે રાજસ્થાન રહેવા માટે જતી રહી હતી પરંતુ, ત્યારબાદ કામ માટે રાજસ્થાનથી અમદાવાદ આવતી હતી. લગ્નના એક મહિના બાદ સાસરીયા પક્ષના લોકો મહિલા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગ્યા હતા. સાસરીયા પક્ષના લોકો મહિલાને રસોઈ બનાવતા આવડતું ના હોવાનું કહી મેણા ટોણા મારતા હતા. જેથી મહિલાએ પતિને જાણ કરી હતી પરંતુ પતિએ મહિલા પર જ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહિલાને બાવળા લઈ જઈ તાંત્રિક વિધિ કરાવ્યાનો આક્ષેપ લગાવ્યોલગ્નના ત્રણ મહિના બાદ મહિલા પતિ સહિત સાસરીયા પક્ષના લોકો સાથે અમદાવાદ આવી ત્યારે તેની સાસુએ પોતાના ભાઈ સાથે મળીને હિપ્નોટિઝમ કરાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જો મહિલા કોઈ ફરિયાદ પતિને કરતી હતી તો છૂટાછેડા આપવાની પણ ધમકી આપવામાં આવતી હતી. જેથી, મહિલા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી પરંતુ, બે દિવસ બાદ સાસરીયા પક્ષના બે લોકોએ આવીને મહિલાને બાવળા લઈ ગયા હતા. બાવળા પાસે બળજબરીપૂર્વક તાંત્રિક વિધિ કરાવી હોવાનો પણ મહિલાએ આક્ષેપ લગાવ્યો છે. મહિલાએ પતિ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીજે બાદ સાસરીયા પક્ષમાં રોકાવાનું કહેતા મહિલાને માર મારી ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. જોકે, તે બાદ મહિલાએ સમાધાન કરવા માટે પતિનો પણ અનેક વખત સંપર્ક કર્યો હતો. તેમજ સમાજની મીટીંગ કરીને પણ સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સમાધાન કરવાના બદલે સાસરીયા પક્ષના લોકો માનસિક અને શારીરિક ત્રાસ આપતા ફરિયાદીએ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા પક્ષના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 10:02 pm

વૈજનાથ મહાદેવને કાલ ભૈરવ જયંતીએ વિશેષ શણગાર:કલરથી ભૈરવદાદાની પ્રતિકૃતિ બનાવી અર્પણ કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા વૈજનાથ દાદાના મંદિરે કાલ ભૈરવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલરનો ઉપયોગ કરીને ભૈરવદાદાની પ્રતિકૃતિનો શણગાર અર્પણ કરાયો હતો. મંદિરમાં શ્રાવણ માસ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ તહેવારોએ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. 12 નવેમ્બર, 2025ના રોજ કારતક વદ આઠમ, બુધવારે કાલ ભૈરવ જયંતી નિમિત્તે આ ખાસ શણગાર કરાયો હતો. ત્રણ યુવકોએ બે કલાકની મહેનત બાદ પાંચ કિલો વિવિધ કલરનો ઉપયોગ કરીને ભૈરવ દાદાની આકર્ષક પ્રતિકૃતિ બનાવી હતી. આ પ્રતિકૃતિને ગુલાબ અને ગલગોટાની પાંદડીઓ વડે સજાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:59 pm

બોલુન્દ્રામાં કાલભૈરવ જયંતી::યાગ અને 301 વાનગીઓનો અન્નકૂટ અર્પણ, રાત્રે જીગ્નેશ કવિરાજ સહિત કલાકારોનો ડાયરો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બોલુન્દ્રા ગામે આવેલા ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિરે બુધવારે કાલભૈરવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલભૈરવ યાગ, 301 વાનગીઓનો અન્નકૂટ અર્પણ અને રાત્રે ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું હતું. જયંતીની ઉજવણી નિમિત્તે સવારે 11 કલાકે મંદિરને ફૂલો અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. કાલભૈરવ હવનનો યજમાનના હસ્તે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે પ્રારંભ થયો હતો. સાંજે શ્રીફળ હોમ સાથે આ હવન પૂર્ણ થયો હતો. આ ઉપરાંત, ભૈરવદાદાને 301 વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રાત્રે મંદિર પરિસરના મેદાનમાં ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કલાકાર અને ગાયક જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ (ભુવાજી), લોકગાયિકા તેજલ ઠાકોર, મંચ સંચાલન હાસ્ય કલાકાર સુખદેવ ગઢવી અને કાર્યક્રમનું સંકલન ભીખુદાન ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:57 pm

બોટાદમાં મતદારોને મદદ કરવા 'બોટ્રોન' રોબોટ કાર્યરત:SIR-2026 મતદારયાદી સુધારણા કાર્યક્રમની સરળ માહિતી આપશે

બોટાદ જિલ્લામાં મતદારોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતગાર કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોય દ્વારા 'બોટ્રોન' નામનો રોબોટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ રોબોટ ગુજરાત રાજ્યમાં જાહેર કરાયેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR-2026 અંતર્ગત મતદારોને માહિતી પૂરી પાડશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ચૂંટણીલક્ષી તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. ચૂંટણી કાર્યક્રમ દરમિયાન, આ સફેદ રંગનો રોબોટ બોટાદ જિલ્લાના વિવિધ જાહેર સ્થળોએ મૂકવામાં આવશે. જાહેર જનતા 'બોટ્રોન'ની મદદથી કાર્યક્રમની સંપૂર્ણ માહિતી સહેલાઇથી મેળવી શકશે. કલેક્ટર ડો. જીન્સી રોયની આ નવતર પહેલનો હેતુ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને ચૂંટણી કાર્યક્રમની સમજ આપવાનો છે. તેમણે તમામ મતદારોને આ કાર્યક્રમમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:53 pm

ખેડબ્રહ્મામાં બિરસા મુંડા જયંતિ ઉજવણીની સમીક્ષા બેઠક:ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે ચર્ચા

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી ૧૫ નવેમ્બરે ખેડબ્રહ્માના નવી મેત્રાલમાં આવેલી આર્ડેકતા કોલેજ ખાતે થવાની છે. આ ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યકક્ષાની ઉજવણી પણ આગામી 15 નવેમ્બરે થનાર છે. આ અંતર્ગત, સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી નવી મેત્રાલ ખાતે મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. તેના આયોજન અને અમલીકરણ માટે પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બુધવારે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતની બાબતો અંગે મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ મંત્રીએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ બેઠકમાં ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર વિશાલ સકસેના, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષ પટેલ સહિત વિસ્તારના આગેવાનો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:51 pm

બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે:1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, 10 ડિસેમ્બરે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે

બરોડા બાર અસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં ઉમેદવારોએ 1થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ફરી દેવાના રહેશે જ્યારે 9 ડિસમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન યોજાશે. ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ઠરાવ મુજબ અને બરોડા બાર એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મળેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના 2025ના રોજ યોજાવાની છે, ત્યારે ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે, જેની મતદાર યાદી 24 નવેમ્બરના પ્રકાશિત કરવા સાથે જો કોઈ વાંધો હોય તો, ચૂંટણી પહેલા રજૂ કરવાનો રહેશે. અંતિમ મતદાર યાદી 29 નવેમ્બરના રોજ જાહેર કરાશે. 1થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવાર માટે નામાંકન ફોર્મ ભરવાનું રહેશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. નોમિનેશન ફોર્મ પરત પાછા ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર રાખવામાં આવી છે. જ્યારે 10 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. જ્યારે 19 ડિસેમ્બર 2025ના રોજ 10થી 5 વાગ્યા સુધીમા મતદાન યોજાશે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય સચિવ, ખજાનચી (મહિલા વકીલો માટે અનામત)ના 1 પદ, જ્યારે મેનેજિંગ કમિટીના સભ્યોની દસ પોસ્ટ, મેનેજિંગ કમિટીના સભ્યો (મહિલા વકીલો માટે અનામત) 3 પોસ્ટ માટે ચુંટણી યોજાવાની છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વન બાર વન વોટ યોજના હેઠળ મતદાર યાદી અંતિમ ગણવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:51 pm

જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ:શાદી.કોમ દ્વારા પરિચયમાં આવેલી પરપ્રાંતિય યુવતીને જામનગર બોલાવી, યુવકે દુષ્કર્મ આચરી, રૂ. 1 લાખ પડાવ્યાં

જામનગરમાં શાદી.કોમ વેબસાઈટ દ્વારા પરિચયમાં આવેલી એક પરપ્રાંતિય યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવા અને રૂપિયા એક લાખની છેતરપિંડી કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીને ભાડાના મકાનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ધંધાના બહાને પૈસા પડાવી લેવાયા હતા. આરોપીએ લગ્ન કરવાનો અને પૈસા પરત કરવાનો ઇનકાર કરતા યુવતીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની અને હાલ જામનગરમાં ભાડાના મકાનમાં રહેતી 35 વર્ષીય યુવતીનો પરિચય શાદી.કોમ વેબસાઈટ મારફતે જામનગરના સરલાબેન આવાસમાં રહેતા ફિરોજ અહેમદભાઈ મેડા નામના શખ્સ સાથે થયો હતો. ફિરોજે યુવતીને લગ્ન કરવાનું પ્રલોભન આપી જામનગર બોલાવી હતી. ફિરોજે યુવતીને એક ભાડાના મકાનમાં રાખી હતી. તે ત્યાં અવારનવાર મળવા જતો હતો અને પોતે પરણીત હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. તેણે ટૂંક સમયમાં યુવતી સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી હતી અને આ પ્રલોભન હેઠળ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ફિરોજે યુવતી પાસેથી ધંધાના કામ અર્થે રૂપિયા એક લાખ લીધા હતા, જે તેણે પરત કર્યા ન હતા. યુવતીને ફિરોજ પરણીત હોવાનું જાણ થતાં તેણે આ અંગે વાત કરી હતી. ત્યારે ફિરોજે પત્ની સાથે અણબનાવ ચાલતો હોવાનું અને છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરી લેવાનું કહી ફરીથી દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. અંતે, ફિરોજે યુવતી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને લીધેલા રૂપિયા એક લાખ પણ પરત આપવાની ના પાડી. આથી, યુવતીએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફિરોજ અહેમદભાઈ મેડા વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:46 pm

પંચમહાલ-ગોધરામાં LCBની કાર્યવાહી, જુગાર-દારૂ-ગૌવંશ ગુનામાં ધરપકડ:5 કેસમાં ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બળાત્કારના આરોપીના જામીન નામંજૂર

પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ગોધરા અને સ્થાનિક પોલીસે જિલ્લામાં ગુનાખોરી સામે સઘન કાર્યવાહી કરી છે. જુગાર, દારૂ, ગૌવંશ સંબંધિત ગુનાઓ અને બળાત્કારના કેસોમાં પોલીસે પાંચ અગત્યના બનાવોમાં કાર્યવાહી કરી કુલ ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈના આદેશથી મળેલી બાતમીના આધારે, ગોધરા શહેરના લીમડી ફળિયામાં જુગાર રમતા સાત ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.17,980 અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.28,980નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક મોટી કાર્યવાહીમાં, LCB સ્ટાફે ગોધરા તાલુકાના પોપટપુરા ગામમાં એક અવાવરુ ઓરડીમાં દરોડો પાડીને રૂ.4,56,048/- ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થામાં માઉન્ટસ બિયરના 624 ટીન અને રોયલ સિલેક્ટ વ્હિસ્કીના 1056 ક્વાર્ટરિયાનો સમાવેશ થતો હતો. પોલીસે ઇલ્યાસ અબ્દુલસત્તાર કાલુ અને મનુભાઈ વજેસિંહ રાઠવા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ગોધરા શહેરમાં ગૌવંશ સંરક્ષણને લગતા બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. છબલપુર બ્રિજ પાસેથી ગૌરક્ષકોની મદદથી પોલીસે કતલના ઇરાદે ગેરકાયદેસર રીતે ગાયની હેરાફેરી કરી રહેલા બે આરોપીઓ, મહેન્દ્રભાઈ વણઝારા અને જગુભાઈ ભરવાડને ઝડપી પાડ્યા હતા.જ્યારે હમીરપુર રોડ પર નદી કિનારેથી દરોડો પાડીને 93 કિલો ગૌમાંસનો જથ્થો (કિંમત રૂ.18,600) અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. 38,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં આરોપી સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. છેલ્લા બનાવમાં, પંચમહાલ જિલ્લાની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં આરોપી લક્ષ્મણભાઈ નાનાભાઈ વણકરની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે ફરિયાદની ગંભીરતા અને જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:45 pm

રાજકોટમાં મનપાની આંખ આડે કાન:પ્રહલાદ પ્લોટમાં મંજૂરી વગર ત્રણ માળનું મકાન ખડકાતા નાગરિકોની રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકાની મિલકતોમાં દબાણો દૂર કરવામાં તંત્રની ઉણપ વચ્ચે હવે રહેણાંક વિસ્તારોમાં પણ પરવાનગી વગરના બાંધકામોની ફરિયાદો ઊઠી છે.પ્રહલાદ પ્લોટ, શેરી નં. 9માં આવેલા 'મધુર' મકાનના ખરીદાર ધર્મેશભાઈ બખાઇ દ્વારા મનપાની પરવાનગી વગર જ બે માળની જગ્યાએ બીમ-કોલમ પર ત્રણ માળનું રહેણાંક મકાન બનાવી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ બાંધકામ રહેણાંકને બદલે કોમર્શિયલ હોય તેવું જણાતા, વિસ્તારના નાગરિકોએ કમિશનર અને મેયરને લેખિત રજૂઆત કરી છે. અરજદારોએ જણાવ્યું છે કે, બાંધકામમાં રેસિડેન્સિયલ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું છે અને તેમાં લિફ્ટ કાયદાકીય જોગવાઈઓ મુજબ નાખવામાં આવી નથી. તેમણે અધિકારીઓની સાંઠગાંઠની શંકા પણ વ્યક્ત કરી છે તેમજ કોઈ જાનહાનિ થાય તે પહેલાં આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો નાગરિકોએ કોર્ટના શરણે જવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત વોર્ડ નં. 7 અને વોર્ડ નં. 14 માં પણ આવા અનધિકૃત બાંધકામો ચાલી રહ્યા હોવાના આક્ષેપો અરજદારોએ કર્યા છે. રાજકોટની સિવિલે પથારીવશ યુવાનને ચાલતો કર્યોરાજકોટના મોરબી રોડ જકાતનાકા નજીક રહેતા જયેશભાઈ ચંદુભાઈ કેરાડિયા છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચી ગુજરાન ચલાવતા જયેશભાઈની નસ ખેંચાઈ ગઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખ રૂ.ના ખર્ચે ગોળો બદલવો અનિવાર્ય હતો. આર્થિક મુશ્કેલીની આ ઘડીમાં તેમના મિત્રએ સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજાને માહિતી આપી હતી. ફરજની સાથે માનવતા દાખવી જાડેજાએ તરત જ જયેશભાઈને મદદ કરી હતી. તેઓ જયેશભાઇને ડોક્ટર પાસે લઈ ગયા હતા, લોહીની વ્યવસ્થા કરી આપી હતી અને તમામ જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા હતા. ત્યારબાદ ઓર્થોપેડિક વિભાગના વડા ડો. પારસ મોટવાણીએ તપાસ કરીને જણાવ્યું હતું કે આ ઓપરેશન સરકારની યોજના અંતર્ગત નિઃશુલ્ક થઈ જશે. જરૂરી સાધનો મંગાવીને આશરે 15 દિવસ બાદ સફળ સર્જરી કરવામાં આવી હતી. સિક્યુરીટી ઇન્ચાર્જ જાડેજા દર્દીની તપાસથી લઈને ઓપરેશનની મંજૂરી સુધીની તમામ પ્રક્રિયામાં સાથે રહ્યા હતા. જે જયેશભાઈ એક વર્ષ પહેલા ચાલી શકતા ન હતા, તે આજે સ્વસ્થ રીતે પોતાના પગે ચાલી રહ્યા છે. જયેશભાઈએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, માનવતા આજે પણ જીવંત છે અને સિવિલ હોસ્પિટલમાં મને નવી જિંદગી મળી છે. VVP કોલેજના પ્રાધ્યાપકની નેશનલ પેરા સ્વીમીંગ સ્પર્ધામાં પસંદગીવી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઈ.સી. એન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપક ડો. સ્નેહાબેન પંડયાએ જવલંત સિદ્ધિ મેળવી છે. તા.15 થી 18 નવેમ્બરના રોજ હૈદરાબાદ ખાતે યોજાનાર નેશનલ પેરા સ્વીમીંગમાં તેઓ ભાગ લેવા ગુજરાતના પ્રતિનિધિરૂપે સામેલ થવાના છે.આ વિશે વધુ વાતચીત કરતા સંસ્થાના પ્રિન્સિપાલ ડો.પિયુષભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં રાજય કક્ષાાએ યોજાયેલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં પેરા સ્વીમીંગમાં 50 મીટર ફ્રી સ્ટાઈલમાં પગમાં ખામી ધરાવતા ડો. સ્નેહાબેન પંડયાએ સિલ્વર મેડલ અને 190 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને તેથી તેમની પસંદગી નેશનલ ગેમ્સ માટે થયેલ છે. તા.15થી 18 દરમિયાન હેદરાબાદ ખાતે પેરા નેશનલ સ્વીમીંગની સ્પર્ધા યોજાવાની છે. ગુજરાતના 8 મહિલા સ્પર્ધકોમાંથી એક અમારા ડો. સ્નેહાબેન પંડયા છે કે જેઓ ઈ.સી. એન્જીનીયરીંગ વિભાગના સંનિષ્ઠ કર્મચારી તરીકે તેઓ છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત રમત-ગમતમાં પણ આવી ઝળહળતી સફળતા તેમણે મેળવી છે તે અમારા સૌ માટે ગૌરવની વાત છે.ડો. સ્નેહાબેનની આ ઝળહળતી સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવિનભાઈ શેઠ, ઈ.સી. વિભાગના વડા ડો. પરેશભાઈ ધોળકીયા તેમજ તમામ કર્મચારીગણે શુભેચ્છાઓ પાઠવી છે. 16 નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદટેકનિકલ કારણોસર, 16 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો 14થી 20 નવેમ્બર નેશનલ લાયબ્રેરી વીકની ઉજવણી કરાશેરાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી વિભાગ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે તા. 14 શુક્રવારથી તા. 20 દરમિયાન બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, પેરેડાઇઝ હોલની સામે, રૈયા રોડમાં નેશનલ લાઇબ્રેરી વીકની ઉજવણી કરવામાં આવનાર છે. જેનો શુભારંભ તા. 14ના સવારે 10:30 કલાકે ધારાસભ્ય ડો. દર્શિતા શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવી, જ્ઞાન પ્રત્યેની રુચિ વધારવી અને લાઈબ્રેરીના મહત્વને વધુ પ્રગટ કરવાનો છે. લાઈબ્રેરી માત્ર પુસ્તકોનો ભંડાર નથી, પરંતુ વિચારશક્તિ, સર્જનાત્મકતા અને જ્ઞાનનો ખજાનો છે. શહેરના નાગરિકોમાં વાંચનની આદત વિકસે અને નવી પેઢી જ્ઞાનમય બને તે માટે આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પેરેડાઇઝ હોલ સામેની આ વિશાળ લાઈબ્રેરી ખાતે તા. 14થી 20 વચ્ચે મુવી ટોક, બુક ટોક, બાળ રમતો, પત્રલેખન સ્પર્ધા, બેબી ડે આઉટ, અને મુવી શો સહિતના જ્ઞાનવર્ધક, સર્જનાત્મક અને રસપ્રદ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો બાદ ઇનામ વિતરણ પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, વાચકો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:40 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન:મહાનગરપાલિકાની ટીમે રૂટનું નિરીક્ષણ કર્યું, માઇક્રો પ્લાનિંગ શરૂ

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'એકતા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જામનગર શહેરના 78 અને 79 વિધાનસભા વિસ્તારોમાં યોજાશે. યાત્રાના માઇક્રો પ્લાનિંગ માટે મહાનગરપાલિકાની ટીમે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું છે. 79 વિધાનસભા વિસ્તારની એકતા યાત્રાનો પ્રારંભ 14મી તારીખે સાંજે 4 વાગ્યે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થશે. આ યાત્રા વિવિધ સ્થળોએથી પસાર થઈને લગભગ 9 કિલોમીટરનું અંતર કાપીને સમાપ્ત થશે. યાત્રા દરમિયાન નાગરિકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં મેડિકલ કેન્દ્રો, સ્વદેશી મેળાનું આયોજન, સ્વદેશી થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, પીવાના પાણીની વ્યવસ્થા અને અંતિમ સ્થળે નાસ્તાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જ્યારે 78 વિધાનસભા વિસ્તારની એકતા યાત્રાનો પ્રારંભ 16મી તારીખે સવારે 8:30 કલાકે નવા કોર્ટ બિલ્ડિંગ સામેના મેદાનથી થશે. આ યાત્રાના આયોજન સંદર્ભે શહેરના નાગરિકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, આર્મી, નેવી, પોલીસ, વેપારીઓ અને વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ડી.એન. મોદીએ શહેરના તમામ લોકોને આ બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને ભારતની આઝાદી અને એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનને યાદ કરવા તથા ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સાથે મળીને પ્રયાસ કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:37 pm

શુકલતીર્થમાં વીજ કરંટથી મહિલાનું મોત:ખેતરમાં તાર પર વીજ કરંટ ફીટ કરનાર ખેતર માલિક સામે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના વેરવા વગામા વિસ્તારમાં એક મહિલાને ઝટકા મશીનથી કરંટ લાગ્યો હોવાનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. જોકે, મહિલાને તાર પર લગાવેલા વીજ કરંટ લાગ્યાથી મોત થયું હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે ખેતર માલિક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ફરીયાદી જયેશ દલસુખભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી રાજીવકુમાર રામપ્રતાપ મોર્ય, જે શુકલતીર્થ વેરવા વગામા રહે છે, તેમણે પોતાના કબ્જાના ખેતરમાં શેરડી તથા શાકભાજીનું વાવેતર કરેલું છે અને ખેતરમાં આવેલા મકાનમાં જ વસવાટ કરે છે. આરોપી દરરોજ સાંજે ખેતરના શેઢા પર લોખંડનો તાર બાંધી તેમાં ઝટકા મશીન દ્વારા વીજ પ્રવાહ આપતો હતો, જેથી ખેતરને વન્ય પ્રાણીઓથી બચાવી શકાય. પરંતુ આવા વીજ પ્રવાહથી માણસ કે પ્રાણીનું મોત થવાની શક્યતા હોવા છતાં આરોપીએ જોખમી રીતે વીજ કરંટ ગોઠવ્યો હતો. પરિણામે, ગઈ તા. 02/11/2025 ના રોજ સવારે આશરે 8.30 વાગ્યે ફરીયાદીની માતા મધુબેન દલસુખભાઈ પટેલ ખેતરમાં શાકભાજી લેવા ગયા હતા, ત્યારે શેઢા પર લગાવેલા વાયરને અડતાં જ તેમને કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. જેથી આ ઘટનાને પગલે નબીપુર પોલીસે ખેડૂત સામે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:34 pm

દમણથી સુરત લઈ જવાતો દારૂ ઝડપાયો:કાર સાથે દારૂની 1182 બોટલ જપ્ત, એક મહિલાની ધરપકડ

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ દારૂની હેરાફેરી અટકાવવા માટે મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (સુરત વિભાગ) અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચનાના આધારે, LCB સ્ટાફે કુલ રૂ. 19,70,518/- નો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂ. 4,45,518/- ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હીસ્કી, વોડકા, રમની બોટલો તથા ટીન બિયરનો સમાવેશ થાય છે. કુલ 1182 નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી MG હેક્ટર કાર જેની કિંમત રૂ. 15,00,000/- છે, અને એક iPhone જેની કિંમત રૂ. 25,000/- છે, તે પણ જપ્ત કરાયા છે. નવસારી LCB સ્ટાફને બાતમી મળી હતી કે, દમણથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી એક MG હેક્ટર કાર કોસ્ટલ હાઇવે માર્ગે થઈને સુરત-કામરેજ તરફ જવાની છે. આ બાતમીના આધારે છાપરા ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. પોલીસે નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી કારમાંથી નૈનિષા ઉર્ફે નેનસી વનેશભાઈ ચંદુભાઈ પટેલ (ઉં.વ. 22, રહે. કોચરવા, વાપી, જિ. વલસાડ) ની ધરપકડ કરી છે. તે કારમાં ક્લીનર તરીકે હતી. જોકે, કારનો ચાલક જીગ્નેશ ઉર્ફે જીગલો પટેલ પોલીસને જોઈ ખેતરોમાં નાસી છૂટ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં પકડાયેલ આરોપી નૈનિષા ઉર્ફે નેનસી પટેલ ઉપરાંત, પાંચ અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કારનો ચાલક જીગ્નેશ ઉર્ફે જીગલો પટેલ, આરોપીઓનો સંપર્ક કરાવનાર ભૂમિ પટેલ, દારૂનો જથ્થો ભરાવનાર શ્રીકાંત પટેલ અને ગીલીયો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરત-કામરેજનો એક અજાણ્યો ઇસમનો સમાવેશ થાય છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ વિજલપોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ LCB નવસારી દ્વારા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:29 pm

ભુજમાં બિલ્ડીંગ પરથી યુવકે છલાંગ લગાવી:અંજારના 45 વર્ષીય યુવકનું મોત,એક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો

ભુજના સ્ટેશન રોડ પર આવેલી પારસનાથ બિલ્ડીંગ પરથી આજે બપોરે એક યુવકે છલાંગ લગાવી હતી. આ ઘટનામાં અંજારના 45 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અપમૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ વિમલ વસંતરામ પડ્યા (ઉંમર 45, રહે. અંજાર) છે. તે એક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો, જે અંગે પરિવારજનોએ પોલીસમાં ગુમનોંધ પણ નોંધાવી હતી. આજે બપોરે આશરે 12.30 વાગ્યાના સુમારે વિમલ પડ્યાએ ઇમારતના ચોથા માળ પરની અગાસી પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:21 pm

NIAની ટીમની ઉમરગામમાં કાર્યવાહી:અલકાયદા ઈન્ડિયા ફંડિંગ કેસ સંદર્ભે ગાંધીવાડી વિસ્તારમાં એક મકાનમાં તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના ઉમરગામમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ગુજરાત ટીમે મંગળવારે કાર્યવાહી કરી હતી. વર્ષ 2023ના અલકાયદા ઇન્ડિયા ફંડિંગ કેસ સંદર્ભે ગાંધીવાડી વિસ્તારમાં એક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ તપાસ દરમિયાન ટીમે સંભવિત પુરાવા તરીકે કેટલાક ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી, જ્યારે ગુજરાત ATSએ અલકાયદા ઇન્ડિયા માટે ફંડિંગ અને નેટવર્ક વિસ્તરણનું કામ કરતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી. આ તપાસ માત્ર વલસાડ પૂરતી મર્યાદિત નથી. NIAની ટીમોએ દેશભરના અન્ય 10 રાજ્યોમાં પણ સમાન પ્રકારના દરોડા પાડ્યા હતા. ઉમરગામમાં થયેલી કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં પણ ચકચાર મચી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:16 pm

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે રૂ.25 હજાર કરોડના 'એક્સપોર્ટ પ્રમોશન મિશન'ને આપી મંજૂરી

Cabinet : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે (12 નવેમ્બર) કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં દિલ્હી બ્લાસ્ટના પીડિતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારે વિશ્વમાં ભારતને વેગવંતુ બનાવવા અને દેશની અર્થવ્યવસ્થા અંગે અનેક મોટા નિર્ણય કર્યા છે. નિકાસ પ્રોત્સાહન મિશન માટે રૂ.25,060 કરોડ રૂપિયા મંજૂર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) બેઠકની વિગતો આપતા કહ્યું કે, કેબિનેટની બેઠકમાં ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ માટે 25,060 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત સમાચાર 12 Nov 2025 9:10 pm

વલસાડમાં પનીર ભુરજીમાંથી જીવાત નીકળી:ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરતાં રસોડામાં સ્વચ્છતા સહિત અનેક ખામીઓ જોવા મળી, હોટલ બે દિવસ માટે સીલ

વલસાડની ફલાહ હોટલમાં પનીર ભુરજીમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. શહેરના ગુંદલાવ ચોકડી પાસે આવેલી આ હોટલમાં બુધવારે ઓવડા ગામના પટેલ મોહિત ખંડુભાઈ પોતાના પાંચ મિત્રો સાથે જમવા આવ્યા હતા. તેમણે પનીર ભુરજી, પનીર ટીકા, દાલ ફ્રાઈ-રાઈસનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે પનીર ભુરજીમાંથી જીવાત નીકળતા મોહિત પટેલ અને તેમના મિત્રોએ હોટલના મેનેજર અને સંચાલકને ફરિયાદ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા તેમણે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી ભાવિકાબેન ચૌધરી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન હોટલના રસોડામાં અપૂરતી સ્વચ્છતા અને અન્ય અનેક ખામીઓ જોવા મળી હતી. હોટલ સંચાલક પાસે જરૂરી કાનૂની દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફલાહ હોટલને તાત્કાલિક 2 દિવસ માટે સીલ કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ હોટલ સંચાલકોને રસોડામાં સ્વચ્છતા જાળવવા, ખોરાકની ગુણવત્તા ચકાસ્યા બાદ જ પીરસવા અને તમામ નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. આ ઘટનાને કારણે સ્થાનિક ગ્રાહકોમાં ખોરાકની ગુણવત્તા અંગે ચિંતા પ્રવર્તી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અન્ય હોટલો અને રેસ્ટોરાંઓને પણ નિયમોનું પાલન ન કરવા બદલ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:10 pm

ગેંગવોરમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસ:રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 13 દિવસ બાદ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ઘો સહીત 3ની ધરપકડ કરી, અત્યારસુધી કુલ 20 આરોપીઓ ઝડપાયા

• સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર સપ્લાય કરનારની ધરપકડ રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મુર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ સમીર ઉર્ફે મુર્ઘા સહીત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર ઋતુરાજ જાડેજાની ધરપકડ કરી તેની પાસેથી વધુ એક ગેરકાયદે હથિયાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલ ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મૂર્ઘા ગેંગના 7 અને પેંડા ગેંગના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કેસમાં કુલ 20 આરોપીની ધરપકડ કરાઈ રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિત પાસે ફાયરિંગની ઘટના બની હતી જેમાં આજે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપ સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા જેમને પકડવા માટે પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી હતી જેમાં પેંડા ગેંગના 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મૂર્ઘા ગેંગના 7 આરોપી મળી કુલ 20 આરોપીઓની ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 13 દિવસ બાદ મુખ્ય આરોપી ઝડપાયો તેમને વધુમાં જણાવ્યું હતું કે, સમીર ઉર્ફે મુર્ઘો તેના સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટિમો દ્વારા રાજસ્થાન, યુપી, અને એમપી સહીત અલગ અલગ જગ્યાએ દરોડા પાડી શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગઈકાલે રાત્રે આરોપીઓ રાજકોટ તરફ આવતા હોવાની બાતમીમ આધારે રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીક આરોપી મળી આવતા સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કર્યાથી આજ દિવસ સુધી એટલે કે 13 દિવસ દરમિયાન આરોપીઓ કઈ કઈ જગ્યાએ રોકાયા હતા અને તેમને કોણે આસરો આપ્યો હતો સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ બનાવ સમયે સ્થળ પર હાજર હતો અને ગુનામાં તેની મદદગારી પણ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં 5 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ગેરકાયદે હથિયાર સાથે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઋતુરાજસિંહ જાડેજા માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તરામાં અશોક ગાર્ડન પાસે ગેરકાયદે હથિયાર સાથે ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, જીવતા 3 કાર્ટીસ, અને એક આઈફોન મળી કુલ 45,300નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આઓરપીની પુછપરછ કરતા પેંડા ગેંગના સાગરીત ભયલુ ગઢવીને હથિયાર સપ્લાય કરનાર સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલાને હથિયાર પોતે સપ્લાય કર્યું હોવાની કબૂલાત આપતા ફાયરિંગ કેસમાં પણ અલગથી તેની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા અંધાધૂંધ ફાયરિંગની ઘટના બાદ છેલ્લા 15 દિવસમાં 5 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. બન્ને ગેંગ વચ્ચે 10 મહિનાથી ચાલી રહી છે ગેંગવોર મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર હુમલો કર્યો હતો જે હુમલામાં સોહેલને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મૂર્ઘા ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું અને આ પછી પરેશ ઉર્ફે પરિયો ગઢવી દ્વારા 15 ઓગસ્ટના રોજ શાહનાવઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આમ છેલ્લા 10 મહિનાથી બંને ગેન વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટના બનવા પામી છે જેથી પોલીસ દ્વારા પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂર્ઘા ગેંગ સામે પણ થઇ શકે છે ગુજસીટોક દાખલ ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ઘો ઉર્ફે ટકો અગાઉ રાજકોટ શહેર પોલીસમાં અલગ 12 જેટલા ગુનામાં ઝડપાઇ ચુક્યો છે જયારે શાહનવાજ ઉર્ફે નવાજ વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેરમાં બે તથા આરોપી સોહીલ ઉર્ફે ભાણો વિરુદ્ધ અલગ-અલગ પાંચ જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે આવતા દિવસોમાં મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 9:09 pm

આણંદમાં 16.82 લાખથી વધુ મતદાર ફોર્મનું વિતરણ પૂર્ણ:આંકલાવ તાલુકામાં 100% કામગીરી, BLO દ્વારા ઘરે ઘરે જઈ વિતરણ

આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, અત્યાર સુધીમાં 16.82 લાખથી વધુ મતદારોને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ 92.85% કામગીરી દર્શાવે છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે. આણંદ જિલ્લામાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર (BLOs) દ્વારા ડોર-ટુ-ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આંકલાવ તાલુકાના 224 BLOs દ્વારા કુલ 2,31,013 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે 100 ટકા પૂર્ણ થયું છે. BLOs દ્વારા નાગરિકોને એન્યુમરેશન ફોર્મની સમજણ આપવાની સાથે તેનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના 7 વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણની ટકાવારી નીચે મુજબ છે: ખંભાત 99.94%, બોરસદ 94.34%, આંકલાવ 100%, ઉમરેઠ 98.46%, આણંદ 70.62%, પેટલાદ 97.28% અને સોજીત્રા 97.03%. આણંદ જિલ્લાની તમામ 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 18,12,327 પૈકી 16,82,809 મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:52 pm

હોમ ક્લિનીંગના નામે ચોરી કરનાર સફાઈકર્મીઓ ઝડપાયા:લાખોના દાગીના ચોરી ઘરમાંથી બહાર ગયા, શંકા ન જાય તેના માટે ઘરે પરત આવતા ઝડપી પાડ્યા

શહેરના થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી ખાનગી કંપનીના ત્રણ સફાઇ કર્મીઓએ ઘરની સફાઇ દરમિયાન હાથ સાફ કરીને ચોરીને કરી હતી. બપોરે જમીને આવીએ તેમ કહીને ત્રણેય લોકો બહાર ગયા બાદમાં શંકા ન જાય તે માટે બે આરોપીઓ ઘરે પરત આવી ગયા હતા. જેને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી લોકેશને સગપણ માટે યુવતી જોવા જવાનું હોવાથી તે ચોરીનો મુદ્દામાલ લઇને બહાર જતો રહ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. વૃદ્ધ દંપતીએ કબાટ ખુલ્લો દેખાતા પોલીસને જાણ કરીમળતી માહિતી મુજબ વડોદરામાં રહેતા જયાબેન પટેલનું થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં મકાન આવેલુ છે. જયાબેને મકાનની સફાઈ કરવા જી. જે. હોમ ક્લીનીંગ નામની કંપનીમાં જાણ કરી હતી. જેમાંથી ત્રણ યુવકો આવ્યા હતા. ઘરની સફાઈ કરીને બપોરે જમીને આવીએ છીએ તેમ કહીને નીકળી ગયા હતા. બાદમાં જયાબેન અને તેમના પતિ ભરતભાઈ ઘરનું કામ કેવું કર્યુ છે તે જોવા માટે બીજા રૂમમાં ગયા હતા. ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સોના ચાંદીના સહિત કુલ રૂ. 4 લાખની મતા ચોરી થઇ હતી. જયાબેને વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને આવ્યા ને ઝડપાયાઆ દરમિયાનમાં બે આરોપીઓ પરત આવતા તેમને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના લોકેશ કિર, સુનિલ કિર, અર્જુન કિરને ઝડપી પાડી રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં સામે આવ્યુ કે ત્રણેય આરોપીઓએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. ચોરી કરીને પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને બે આરોપીઓ પાછા આવી ગયા હતા. બંને આરોપીઓની પોલીસ શોધખોળ કરતી હતી અને રાહ જોઇને બેઠી હતી ત્યારે પરત આવતા જ બંનેને ઝડપી લીધા હતા.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:49 pm

16 વર્ષીય સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદ:સગીરાને ફોસલાવી, અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગંભીર કેસમાં ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. ધરમપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.એ. મિર્ઝાએ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદ ઉપરાંત રૂપિયા 10,000નો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આરોપી સામે BNSની કલમ 376(2)(એન) તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો સાબિત થયો હતો. DGP અનિલ ત્રિપાઠીની મજબૂત દલીલો બાદ કોર્ટે આ સજા સંભળાવી હતી. કેસની વિગતો અનુસાર, 15મી જૂન 2024ના રોજ આરોપી ફિરોઝ તુંબડાએ 16 વર્ષની સગીરાને બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી હતી. તેણે સગીરાને ફોસલાવી, અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં આરોપી નંબર 2 ઉત્તમ ભવાનભાઈ ભોયાએ ફિરોઝને મદદ કરી હતી, પરંતુ કોર્ટે તેને શંકાનો લાભ આપી મુક્ત કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટે પીડિત કિશોરીને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. નામદાર કોર્ટે નોંધ લીધી કે, આરોપી ફિરોઝ તુંબડા સામેનો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન તે જેલમાંથી ફરાર થયો હતો. કોર્ટે આ ઘટનાને ગુનાની ગંભીરતા વધારનારું પરિબળ ગણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:48 pm

અબજીબાપાની 180મી જન્મજયંતીની લંડનમાં ઉજવણી:500થી વધુ ભક્તોએ એકઠા થઇ બાપાને યાદ કર્યા, આરતી બાદ સાથે મળી પ્રસાદ લીધો

કેટલાક લોકો અબજીબાપાને સંત કહે છે, કેટલાક તેમને ઇશ્વરના દૂત કે તત્વજ્ઞાની તરીકે ઓળખે છે પરંતુ કચ્છથી દૂર વસતા હજારો કચ્છી લોકો માટે અબજીબાપા એ માત્ર સંત નહીં પણ સ્વયં ભગવાન સમાન છે. તેમની શિક્ષાઓ, કરુણા અને આદ્યાત્મિક માર્ગદર્શન આજે પણ પેઢી દર પેઢી માટે પ્રેરણારૂપ છે. વિશેષ કરીને તેમના માટે જેમણે વિદેશમાં જઇ વસવાટ શરૂ કર્યો અને જીવનની નવી દિશા પામી. 500થી વધુ ભક્તોએ અબજીબાપાને યાદ કર્યાલંડનના ક્વીન્સ પાર્ક હાઇસ્કૂલના સ્પોર્ટસ હોલમાં અબજીબાપાની 180મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઇ. આ પવિત્ર પ્રસંગે 500થી વધુ ભક્તોએ હાજરી આપી અને ભક્તિભાવપૂર્વક અબજીબાપાને યાદ કર્યા હતા. સમારંભ સ્થળને સુંદર રીતે શણગારાયો હતો અને તેમાં ભક્તિભાવપૂર્વક અબજીબાપાની મૂર્તિની સ્થાપના કરાઇ હતી. આરતી અને ભજનથી આખો હોલ ગૂંજી ઉઠ્યો હતો. ભક્તોએ ભાવપૂર્વક આરતી ઉતારી અને અબજીબાપાની મહિમા ગાઇ હતી. ભક્તોએ અબજીબાપા સાથે જોડાયેલા અનુભવો કહ્યાસમારંભ દરમિયાન ભક્તોએ અબજીબાપા સાથે જોડાયેલા પોતાના અનુભવો કહ્યા હતા. ખાસ કરીને એક વાત સૌ કોઈએ યાદ કરી કે કેવી રીતે અબજીબાપાએ તેમના દાદા-દાદીને વિદેશ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલું પગથિયું હતું જેનાથી તેઓ પૂર્વ આફ્રિકા અને ત્યાંથી યુકે સુધીની યાત્રા કરી શક્યા અને આજે સફળ જીવન જીવી રહ્યાં છે. વિશિષ્ટ મહેમાનો હાજર રહ્યાંસમારંભમાં કેટલાક વિશિષ્ટ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને ફૂલોની હાર પહેરાવીને અને હાર્દિક સ્વાગત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તોને પ્રેમપૂર્વક તૈયાર કરેલું ભોજન પ્રસાદરૂપે પીરસવામાં આવ્યું હતું. જેમ જેમ ભક્તો સમારંભમાંથી વિદાય લઇ રહ્યા હતા તેમ તેમ તેમના હૃદય ભક્તિથી ભરાઇ ગયા હતા. એક વાત સ્પષ્ટ હતી કે અબજીબાપાની હાજરી આજે પણ જીવંત છે અને પ્રેમ, જ્ઞાન તેમજ દિવ્ય કૃપાથી તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપે છે. લંડનથી દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:41 pm

ડાયમંડ સિટીમાં GST કૌભાંડનો પર્દાફાશ:ભંગારના ધંધાના નામે 125 કરોડનું ટ્રાન્ઝેકશન, DGGIએ આલિશાન ફ્લેટમાંથી શેખ યુસુફને ઝડપ્યો; 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ

આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેકશન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ચૂનો લગાવનારા મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામાં આવી છે. ગોરાટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતા આ આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ દ્વારા 19 કરોડની ITCનો દાવોDGGIને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુર (રહે. બી-402, એક્સલુઝિવ, ગોરાટ રોડ) અગાઉ તુરાવા મહોલ્લામાં ભંગારનો નાનો ધંધો કરતો હતો. જોકે, ટૂંકા સમયમાં જ તેણે 'મોટા ખેલ' પાડવાની શરૂઆત કરી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ સૌપ્રથમ એમ.એસ. સ્ક્રેપના નામે પેઢી ખોલી અને ત્યારબાદ ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ ધંધો શરૂ કર્યો હતો. આ પેઢીઓનો ઉપયોગ માલની વાસ્તવિક હેરફેર વિના માત્ર બોગસ બિલિંગ કરવા માટે થતો હતો. આ બનાવટી બિલિંગના આધારે આરોપીએ સરકાર પાસેથી કુલ 19 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને તેને ગેરકાયદેસર રીતે ઉસેટી લીધી હતી. તેના બેંક ખાતાઓ અને પેઢીના ચોપડામાં કુલ 125 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેકશન જોવા મળ્યું છે. આ બોગસ વ્યવહારો દ્વારા આરોપીએ કરોડો રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી DGGIનેમળી હતી, જેના આધારે તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી. કૌભાંડના પૈસા જમીન-મકાનમાં રોકાયા?આ સમગ્ર મામલાનું સૌથી મોટું અને ચોંકાવનારું પાસું આરોપીઓની વૈભવી જીવનશૈલી અને ગોરાટ રોડ પરની મોંઘી મિલકતો સાથે જોડાયેલું છે. DGGI દ્વારા GST કૌભાંડની તપાસ હાથ ધરાઈ છે, પરંતુ આ કૌભાંડીઓએ જે ગેરકાયદેસર નાણાં મેળવ્યા છે, તે ક્યાં રોક્યા છે તે બાબતે આવકવેરા વિભાગ દ્વારા તપાસ થવી અત્યંત જરૂરી છે. વિભાગને અગાઉથી જ ઇનપુટ મળ્યા છે કે, ITC ઉસેટીને કૌભાંડીઓએ જે કરોડો રૂપિયાની કમાણી કરી છે, તે મોટાભાગે જમીન અને મકાનની ખરીદીમાં રોકવામાં આવી છે. ગોરાટ રોડ વિસ્તાર, જ્યાં પકડાયેલ આરોપી શેખ યુસુફ કરોડોના ફ્લેટમાં રહે છે, તે વિસ્તાર બોગસ બિલિંગના કૌભાંડીઓનું હબ બની ગયો હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર ગોરાટ રોડ પર જ આવા બોગસ બિલિંગ કરનારા કૌભાંડીઓના 100થી વધુ ફ્લેટ્સ મળી શકે તેમ છે. આ વિસ્તારમાં હાલમાં એક-એક ફ્લેટની કિંમત 2 કરોડથી ₹2.5 કરોડની આસપાસ છે. આ આંકડા સ્પષ્ટ સૂચવે છે કે, કરચોરીના નાણાંનો મોટા પાયે બિનહિસાબી મિલકતોમાં રોકાણ થયું છે. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીDGGIની ટીમે આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. વિભાગે આર્થિક ગુનાની ગંભીરતા અને વધુ તપાસની જરૂરિયાત રજૂ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.આ ધરપકડ બાદ આવકવેરા વિભાગ પણ સક્રીય થઈને આ તમામ કૌભાંડીઓની મિલકતોની તપાસ કરીને બિનહિસાબી સંપત્તિઓ જપ્ત કરે તે માટે કવાયત હાથ ધરે તેવી શક્યતા છે, જેથી કરચોરીના નાણાં પર આધારિત સમાંતર અર્થતંત્રને મોટો ફટકો પડી શકે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:37 pm

વધતી ટ્રાફિકને લઈ પાલિકાનો નિર્ણય:જો તમે વાહન આડેધડ પાર્ક કર્યું તો તમારું વાહન પાલિકા ટોઈંગ કરી દંડ વસૂલશે, ઝોન દીઠ બે ટોઈંગ વાહનો ખરીદાશે

વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા વડોદરા મહાનગરપાલિકા દ્રારા જુદા-જુદા સ્થળે પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલમાં શહેરમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કુલ 3 સ્થળે, એસ.ટી.બસ સ્ટેશન પાસે, રેલ્વે સ્ટેશન પાસે, તેમજ અન્ય કેટલાંક સ્થળોએ ખાનગી પે-એન્ડ પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વડોદરા શહેરમાં દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાહકો તેમજ મુલાકાતીઓ માટે ફરજીયાત પાર્કિંગની જગ્યા હોય છે. તેમ છતાં શહેરમાં વધતાં જતાં વાહનોની સંખ્યાને ધ્યાનમાં લેતાં દિવસે અને દિવસે પાર્કિંગની સમસ્યા વધતી જાય છે. વારંવાર ટ્રાફિક જામ થવાના બનાવ બનતા નાગરિકોના સમય અને ફ્યુઅલનો બગાડ થાય છે. શહેરમાં નાગરિકોને પાર્કિંગની પુરતી સુવિધાઓ મળી રહે તે માટે મંગળ બજાર પાસે, (બે સ્થળો) તેમજ ખંડેરાવ માર્કેટ પાસે પાલિકા દ્રારા સંચાલિત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા સાવલી રોડ પર, ગુરુદ્વારા પાસે તરસાલી, છાણી ફ્લાયઓવર બ્રીજ નીચે, લેહરીપુરા રોડ ૫૨, ગોલ્ડન ચોકડી પાસે, દુમાડ ચોકડી પાસે, ફતેહગંજ બ્રીજ નીચે, નટુભાઈ સર્કલ પાસે હરીનગર, વડી વાડી પાણીની ટાંકી પાસે, મુજમ્મીલ પાસે તાંદલજા, સમા તળાવ પાસે, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે સમા, હરણી લેક ઝોન પાસે હાલોલ રોડ, અમિતનગર બ્રીજ નીચે, અટલ બ્રીજ નીચે વી.એમ.સી સંચાલિત પે એન્ડ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા વાર્ષિક ઈજારાઓ આપવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આ ઉપરાંત દરેક વિસ્તારમાં પાર્કિંગ સુવિધાઓ મળી ૨હે તે માટે વધુ 100 જેટલા પ્લોટ/જગ્યાઓ નક્કી ક૨વાની કામગીરી હાથ ધરેલ છે. ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ જુના ચાર દરવાજા (સીટી વિસ્તાર)માં મલ્ટી સ્ટોરી પાર્કિંગની સુવિધાઓ તબક્કાવાર ઉભી કરવાનું આયોજન છે. દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં નિર્ધારીત કરેલ પાર્કિંગની જગ્યામાં ગ્રાહકો/મુલાકાતીઓએ વાહનો પાર્ક ક૨વાના ૨હેશે. વાહન માલિકો દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરી પાર્કિંગની જગ્યામાં દબાણ હોવાનું માલુમ પડશે તેવા સંજોગોમાં પાલિકા દ્રારા કડક કાર્યવાહી ક૨વામાં આવશે. તેમજ દબાણો પણ દૂર કરવામા આવશે. શહે૨માં પાર્કિગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા બાદ નાગરિકોએ પાર્કિગની જગ્યામાં વાહનો પાર્ક ક૨વાના રહેશે. આગામી સમયમાં દરેક ઝોન દિઠ બે લેખે કુલ 08 ટોઇંગ વ્હિકલ ખરીદવાનું આયોજન છે. સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ટ્રાફિકને નડત૨રૂપ વાહનો પાર્ક થશે તો તે વાહનો પાલિકા દ્વારા ટોઇંગ કરીને જમા લેવામાં આવશે. અને તે માટે નક્કી કરેલ દ૨ મુજબ દંડ વસુલ ક૨વામાં આવશે. આમ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહે૨માં પૂરતા પ્રમાણમાં નાગરિકોને પાર્કિગની સુવિધાઓ ઉપલબ્ધ ક૨વવા કટીબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:35 pm

જાહેર રોડ પર ગંદકી કરતી કચરો ફેંકતી દુકાનો સીલ:કોમનવેલ્થ ગેમ્સ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા કન્સલટન્ટ નીમવામાં ન આવતા કમિશનર અધિકારીઓથી નારાજ

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ જાહેર રોડ ઉપર હજી પણ કેટલાક લોકો દ્વારા કચરો ફેંકીને ગંદકી કરવામાં આવે છે. જેથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાણીપ, નવા વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરવા બદલ 11 દુકાનોને સીલ મારી દેવામાં આવી છે. 219 જેટલી દુકાનોમાં ચેકિંગ કરીને 142 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈજનેર વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરીઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોમનવેલ્થની ગેમ્સને લઈને શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા બાબતે સૂચના આપી હોવા છતાં પણ ત્રણ મહિના બાદ કોઈ કામગીરી ન કરવામાં આવતા ઈજનેર વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. શહેરમાં રોડ રસ્તા પણ ઝડપથી રીપેરીંગ કરવા માટેની સૂચના અધિકારીઓને આપી હતી. કમિશનરની સૂચના છતાં આયોજનમાં વિલંબમ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓની લેવાયેલી બેઠકમાં અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે વિવિધ પ્રકારની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોગા સેન્ટર, સ્વીમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાયબ્રેરી, સહિત આઈકોનિક પ્લેસ બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ હેતુસર કન્સલ્ટન્ટ નીમવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં ત્રણ મહિના થવા છતાં કોઈ કામગીરી નહીં કરતા ઇજનેર વિભાગના અધિકારીઓએ કન્સલ્ટન્ટ નહીં નીમાવા મામલે કમિશનરે ઈજનેર વિભાગની કામગીરી મામલે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ/કર્મચારીઓને SIR કાર્યક્રમ માટે નિયમિત ફરજમાંથી છૂટછાટભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદીને લઈને ફોટોવાળી મતદારયાદીનો S.I.R. (ખાસ સઘન સુધારણા કાર્યક્રમ) 27 ઓક્ટોબરથી જાહેર કરવામાં આવ્યો હોવાને પગલે મતદારયાદીને લગતી S.I.R. માટે ફરજ બજાવતા AMCના અધિકારીઓ/કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે સમય ફાળવી શકે અને રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ ઊભો ન થાય તે હેતુસર તેમને નિયમિત ફરજમાંથી છૂટછાટ આપવામાં આવી છે. તેમજ કચેરીના સમય દરમિયાન સ્વતંત્રતા અને સહયોગ મળી રહે તથા તેમને મદદરૂપ થવા ઉપલબ્ધ તમા સંસાધનો પૂરા પાડવાના રહેશે. AMC કમિશનર બંછાનિધિ પાનીએ તમામ વિભાગોમાં BLO સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ તથા તેમની હાજરીની માહિતી અધિકારી કે કર્મચારી રાખતા હોય તેમને નોંધ લેવાની સૂચના આપી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:35 pm

બે નાના સંતાનોએ માતા ગુમાવી:ગાંધીનગરના ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન નજીક બાઈકની ટક્કરે પાણીપુરીના ધંધાર્થીની પત્નીનું કરુણ મોત

ગાંધીનગરના ધોળાકુવા ગામ નજીક ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ-વ્હીલર બાઈકની ટક્કરથી એક યુવાન પરિણીતાનું ગંભીર ઈજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે દાંતની દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં બે નાના સંતાનોએ માતા ગુમાવી દીધી છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર વર્ષની દીકરી અને દોઢ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવીગાંધીનગરના ધોળાકુવા ગામ પાસે રહેતા અને પાણીપુરીનો છૂટક વેપાર કરી ગુજરાન ચલાવતો રાહુલ રામકિશોર સાવાર મૂળ ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લા નો વતની છે. જે અહીં તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી(ઉં.26) અને 4 વર્ષની દીકરી રાશિ અને દોઢ વર્ષના દીકરા પ્રિન્સ સાથે રહે છે. દાંતની સારવાર માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયોગઈકાલે બપોરના રાહુલ તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી સાથે ઘરેથી દાંતની દવા લેવા માટે નીકળ્યો હતો. અને બંને ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન નજીક શાહપુર બ્રિજના ઉતરતા છેડે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે શાહપુર બ્રિજ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા GJ-18-FH-4752 નંબરના ટુ-વ્હીલર બાઈકના ચાલકે શિવાનીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે શિવાનીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે બેભાન થઈ ગઈ હતી. જેને તાત્કાલિક એક પ્રાઇવેટ વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે શિવાની ઉર્ફે સંધ્યાદેવીને મૃત જાહેર કરી હતી. પાણીપુરીનો ધંધો કરીને ગુજરાન ચલાવતા રાહુલ માટે આ ઘટના આઘાતજનક છે. આ અકસ્માતે માત્ર એક પત્ની જ નહીં પરંતુ બે માસૂમ બાળકોની માતાનું છીનવી લીધી છે. અને એક પળમાં જ પરિવારનું સુખ છીનવાઈ ગયું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:23 pm

ભારત-આફ્રિકાના પ્લેયરોએ સતત બીજા દિવસે નેટ પ્રેક્ટિસ કરી:રાજકોટમાં આવતીકાલે ભારત A-દક્ષિણ આફ્રિકા A ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ, ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક

ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઇ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમે બપોરે 1થી 4 વાગ્યા સુધી અને ભારતની ટીમે સાંજના 5થી 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી હતી. આવતીકાલે બપોરના 1.30 વાગ્યે મેચ શરૂ થનાર છે અને આ મેચ નિહાળવા આવતા ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બન્ને ટીમના તમામ ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે 10 દિવસ સુધી રોકાણ કરવાના છે. ત્રણેય મેચમાં ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્કઆજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ તેમજ નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. હવે આવતીકાલે 13 નવેમ્બરના રોજ પ્રથમ વન ડે મેચ યોજાનાર છે અને આ પછી બીજી મેચ 16 તેમજ ત્રીજી મેચ 19 નવેમ્બરના રોજ યોજાનાર છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ત્રણેય મેચમાં ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો. ઈન્ડિયા-A ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટ કીપર), આયુષ બાદોણી, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કિષ્ના, ખલીલ અહેમદ, સાઉથ આફ્રિકા-A ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના મફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:16 pm

આખજ ગામથી ચાર વાછરડા ચોરી જવાનો મામલો:કસાઈઓએ કડી પાસે પશુઓની હત્યા કરી અમદાવાદ માંસ વેચી માર્યું, 2 આરોપી ઝડપાયા

થોડા દિવસ અગાઉ લાઘણજ પોલીસ મથકની હદમાં આવતા આખજ ગામથી સ્વીફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા તસ્કરોએ ચાર પશુઓની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા જે ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા અને લાઘણજ પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પશુ ચોરી કરનાર ટોળકીમાના બે આરોપીને ઝડપી ઘટના સ્થળે લાવી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આ તસ્કરોએ ચાર વાછરડાને મોત ના ઘાટ ઉતારી તેનું માંસ પણ વેચી માર્યું હોવાનું સામે આવ્યું છે. આખજ ગામેથી ચાર વાછરડાની ચોરી કરી હતીથોડા દિવસ અગાઉ લાઘણજ પંથકમાં પશુ ચોરીની ઘટનાઓ બનતા તસ્કરોએ પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો.આ તસ્કરોએ આખજ ગામથી ચાર વાછરડા ભરી ચોરી કરી ભાગી ગયા હતા જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા હેબુઆ ગામ પાસેના રસ્તા પરથી એક GJ18TF4898 ની સ્વીફ્ટ ગાડીમાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી લીધા હતા. અમદાવાદ અને ધંધુકાના બે શખસોને ઝડપી પાડ્યાપોલીસે મૂળ નંદાસણના અને હાલ અમદાવાદ રહેતા સૈયદ અબ્દુલહમીદ અને ધંધુકાના ઘાચી અનસ ઉસ્માનને ઝડપી લીધા હતા.ગાડીમાં તપાસ કરતા પોલીસને 3 છરી થતા 1 છરો અને 2 મસકલો મળી આવી હતી.સમગ્ર ઘટનામાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે..અમદાવાદના જુહાપુરામાં રહેતા વારસી નદીમ મુસ્તાક ભાઈને ગૌમાંસ લેવાનું હોવાથી તેઓ 27 ઓક્ટોબ ના રોજ સ્વીફ્ટ ગાડીમાં સૈયદ અબ્દુલ હમીદ,મલેક ફેઝાન,ઘાચી અનશ ઉસ્માન,સૈયદ હિદાયતુલલા ભેગા મળી ગૌમાંસ લેવાનું હોવાથી ગાડીમાં બેસી આંબલીયાસણ થઈ આખજ ગામે આવ્યા હતા. જ્યાં આખજ ગામથી ગાયોના વાડાં માંથી ચાર વાછરડા ચોરી કરી ગાડીમાં ભરી લઈ ગયા હતા.ત્યારબાદ ત્યારબાદ નંદાસણ માથાસુર રોડ પર આવેલા ખરાબામાં ચાર વાછરડા કટીંગ કરી ગૌમાંસ ગાડીમાં મૂકી એજ દિવસે સવારે 6 વાગે અમદાવાદ ના વારસી નદીમ મુસ્તાક ભાઈ ને માસ વેચી માર્યું હતું.સમગ્ર કેસમાં પોલીસે હાલમાં બે આરોપીને ઝડપી તેઓનું રી કન્સ્ટ્રક્શન કરી વધુ ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:14 pm

ત્રિકોણીય શ્રેણીમાં પસંદગી:બરોડાના આશુતોષ મહિડા ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે બરોડાના આશાસ્પદ મીડિયમ-ફાસ્ટ બોલર આશુતોષ મહિડા ઈડીએફસી ફર્સ્ટ બેંક અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા છે. આ શ્રેણી 17થી 30 નવેમ્બર 2025 દરમિયાન બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગ્લુરુ ખાતે યોજાશે. ત્રિકોણીય શ્રેણીમાં ભારત અંડર-19 એ, ભારત અંડર-19 બી અને અફઘાનિસ્તાન અંડર-19 ટીમો વચ્ચે અનેક મેચો રમાશે, જેની ફાઇનલ 30 નવેમ્બર 2025ના રોજ ફાઈનલ રમશે. આશુતોષે 2024-25 કૂચ બિહાર ટ્રોફીમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે 5 મેચમાં 16 વિકેટ ઝડપીને 23.91ની શાનદાર એવરેજ અને 3.02ની ઈકોનોમી રેટ સાથે બોલ પર ઉત્તમ નિયંત્રણ અને શિસ્ત દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:09 pm

સુત્રાપાડામાં સરકારી અનાજ ભરેલી બે રીક્ષા ઝડપાઈ:પુરવઠા વિભાગે ₹1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુરવઠા વિભાગે સરકારી અનાજના ગેરવેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. કોડીનાર રોડ પર લોઢવા ગામ નજીક 66 કે.વી. સબ સ્ટેશન પાસેથી પસાર થતી બે શંકાસ્પદ છકડો રીક્ષા ઝડપી પાડવામાં આવી હતી. પુરવઠા વિભાગને સરકારી અનાજના ગેરવેચાણ થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. ઝડપાયેલી રીક્ષા નંબર GJ 11 X 4669 ના ડ્રાઇવર બચુશા અબાશા ફકીર અને રીક્ષા નંબર GJ 4W 0049 ના ડ્રાઇવર હશનશા અબાસા રફાઈ ફકીર, બંને સિંગસર ગામના રહેવાસી છે. તેમની પાસેથી રીક્ષામાં ભરેલા ઘઉં, ચોખા અને બાજરીના જથ્થા અંગે કોઈ બિલ કે પુરાવા મળી આવ્યા ન હતા. આથી, બંને રીક્ષા અને અનાજનો જથ્થો મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, બંને રીક્ષામાંથી અનાજનો જથ્થો જપ્ત કરીને ગોરખમઢી ખાતેના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો હતો. ચાલકોની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ લાટી, કદવાર અને વેરાવળ તાલુકાના વિવિધ ગામોમાંથી NFSA કાર્ડધારકો પાસેથી સરકારી અનાજ ખરીદીને અન્ય સ્થળે વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા. પુરવઠા વિભાગે કુલ ₹1,69,625/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુત્રાપાડા તાલુકામાં લાંબા સમયથી અનાજ માફિયાઓ દ્વારા સરકારી અનાજના ગેરવેચાણનો ધંધો ધમધમી રહ્યો હોવાની ચર્ચાઓ હતી. પુરવઠા વિભાગની આ તાજેતરની કાર્યવાહીથી અનાજ માફિયા વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોએ પુરવઠા વિભાગની આ કાર્યવાહીને આવકારી છે અને તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:06 pm

અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ પર ટિપ્પણીનો મામલો:વેરાવળમાં સિંધી સમાજમાં રોષ, પ્રાંત અધિકારી મારફતે પ્રધાનમંત્રીને આવેદન આપ્યું

છત્તીસગઢના જેસીપી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સિંધી સમુદાય અંગે કરાયેલી અયોગ્ય ટિપ્પણી સામે દેશભરમાં સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં વેરાવળ–પાટણ સમસ્ત સિંધી સમાજે પ્રાંત અધિકારી કચેરીએ ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરી હતી. સિંધી સમાજે પ્રાંત અધિકારી મારફતે છત્તીસગઢના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનમાં અમિત બઘેલ સામે તાત્કાલિક કડક પગલાં લેવા અને તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. વેરાવળ પ્રાંત અધિકારી કચેરી પર આયોજિત ધરણા દરમિયાન “ન્યાય આપો, ન્યાય આપો”, “સિંધી સમાજને માન આપો” અને “અમિત બઘેલ સામે કાર્યવાહી કરો” જેવા સૂત્રોચ્ચારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સમસ્ત સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિંધી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અંગે અપમાનજનક ભાષા કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ન્યાય માટે રાષ્ટ્રીય સ્તરે લડત ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 8:04 pm

Editor's View: દિલ્હી બ્લાસ્ટનું ખતરનાક સત્ય:ઈશરત જહાંથી ડૉ. શાહીન સુધી, પાકિસ્તાન-તૂર્કી સુધી કનેક્શન, ટેરરની મહિલા વિંગની ઇનસાઇડ સ્ટોરી

2004માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને તેમને મારવા માટે મુંબ્રાથી જાવેદ શેખ, અમજદ અને જીશાન જૌહર નામના ત્રણ આતંકીઓ અમદાવાદ આવ્યા હતા. આ ત્રણ આતંકીની સાથે ઈશરત જહાં નામની 19 વર્ષની યુવતી પણ હતી. આ ચારેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. ગુજરાતની ગુપ્તચર એજન્સીઓને આની માહિતી મળી ને 15 જૂન, 2004ના દિવસે કોતરપુર વોટરવર્ક્સ પાસે ઈશરત જહાં અને તેના ત્રણ સાથીઓનાં એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યા. આજથી 20 વર્ષ પહેલાં લશ્કર-એ-તૈયબામાં મહિલા આતંકીનું મોડ્યુલ સામે આવ્યું હતું. હવે જ્યારે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની તપાસ થઈ તો તેમાં પણ ડોક્ટર શાહીન નામની મહિલા આતંકી પકડાઈ. આનાથી એ સાબિત થઈ ગયું કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો મહિલા આતંકીઓ તૈયાર કરી રહ્યા છે. નમસ્કાર, દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં નવું જ ડોક્ટરોનું ટેરર મોડ્યુલ સામે આવ્યું. તેની સાથે ચોંકાવનારા ખુલાસા એ થયા કે જે ડોક્ટર આતંકીઓની પૂછપરછ થઈ રહી છે તે બંને તુર્કી જઈ આવ્યા હતા. દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં તુર્કી કનેક્શન પણ બહાર આવ્યું છે. બધાને યાદ હશે, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ભારતમાં જે ડ્રોન્સ મોકલ્યા હતા તે મોટાભાગના ડ્રોન તુર્કીના હતા. જૈશની મહિલા વિંગ એક્ટિવ થઈ ગઈથોડા દિવસો પહેલાં ગુપ્તચર એજન્સીઓને એવા ઈન્ટેલ મળ્યા હતા કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે માત્ર 15 દિવસોમાં 1500 જેટલી મહિલા આતંકવાદીઓની ભરતી કરી લીધી છે અને ટ્રેનિંગ, વેપન્સ માટે ફંડ પણ ભેગું કરી લીધું છે. આત્મઘાતી હુમલો કરનારી આ મહિલા આતંકવાદીઓના ગ્રુપનું નામ છે જમાત-ઉલ-મોમીનાત. હિન્દીમાં એનો અર્થ થાય- ઈમાનદાર મહિલાઓનું સંગઠન. આ સંગઠનની ચીફ આતંકવાદી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર છે. મસૂદ અઝહરની બે બહેન છે સાદિયા અઝહર અને સમેરા. આ બંને બહેનો મહિલા આતંકવાદીઓને રોજ 40 મિનિટની ટ્રેનિંગ આપશે. આ ઓનલાઈન કોર્સ હશે, જેમાં જેહાદી બનવા મહિલાઓનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે. આ જ મહિલા આતંકી મોડ્યુલનો ભાગ હતી ફરીદાબાદથી પકડાયેલી ડો. શાહીન. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલી ડો. શાહીને પોલીસ પાસે વટાણા વેરી દીધા કે આખા ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો અને બે વર્ષથી તે પોતે વિસ્ફોટકો ભેગા કરતી હતી. મહિલા આતંકાવાદીઓનું ગ્રુપ 'જમાત-ઉલ-મોમીનાત' 150 રૂપિયાની ફીમાં રોજ 40 મિનિટ ટ્રેનિંગ જૈશ-એ-મોહમ્મદે મહિલાઓ માટેના ઓનલાઈન કોર્સનું નામ તુફ્ત અલ મુમીનાત રાખ્યું છે. ISIS અને બોકો હરામની જેમ આતંકીઓની નવી વિંગ બની રહી છે. 8 નવેમ્બરથી ઓનલાઈન લેક્ચર લેવાશે. આ પાંચમી બેચ હશે, જેમાં આતંકીઓની પત્નીઓ, ગરીબ મહિલાઓની ભરતી થઈ રહી છે. આ મહિલાઓ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી જેવા વિસ્તારોના મદરેસાઓમાં ભણે છે અને તેમને ટ્રેનિંગ આપવાની જવાબદારી મસૂદ અઝહરની બે બહેનોને આપવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ હવે પાકિસ્તાનના મદરેસાઓમાં આતંકની ટ્રેનિંગ આપે છે. યુવાનોની ત્યાં જ ભરતી કરે છે. એનું કારણ એ છે કે પાકિસ્તાન દુનિયાને કહી શકે કે આ કોઈ આતંકી ટ્રેનિંગ નથી, પણ દીની તાલીમ એટલે કે ધાર્મિક અભ્યાસ કરવા માટે લોકો આવે છે. બે વર્ષ પહેલાં સુરતથી સુમેરા મલેક ઝડપાઈ હતી જૂન, 2023માં ગુજરાત ATSએ સુરતથી સુમેરા મલેક નામની મહિલાને ઝડપી પાડી હતી, તેના તાર પણ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. સુમેરાના પિતા હનીફ મલેક મૂળ ભરૂચના હાંસોટના વતની અને સુરતમાં પોસ્ટ ઓફિસમાં ઓફિસર તરીકે નોકરી કરતા હતા.સુમેરાએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. સોશિયલ મીડિયા થકી સુમેરા તામિલનાડુના એક યુવકના પ્રેમમાં પડી હતી. યુવક સાથે સુમેરાબાનુએ ભાગીને 6 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તે વખતે તેના પિતાએ પોલીસની મદદ લઈ ભાળ મેળવવા પ્રયાસ કર્યો છતાં મળી નહોતી. સુમેરાબાનુ 2023માં બે સંતાન સાથે પિતાના ઘરે સુરતમાં આવીને રહેવા લાગી હતી. સુરત આવ્યાના દોઢેક મહિના બાદ ગુજરાત ATSએ તેની ધરપકડ કરી હતી. સુમેરાબાનુની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલાના પ્લાનિંગમાં હતી. આ માટે તેણે તૈયારીઓ પણ કરી દીધી હતી. સુમેરાનો કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટમાં આવતી-જતી હતી. આ માટે ઉપરથી આદેશની રાહ જોતી હતી, પણ અંજામ આપતાં પહેલાં જ તે ઝડપાઈ ગઈ હતી.સુમેરાની સાથે સાથે ગુજરાત ATSએ અન્ય ત્રણ યુવકની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શાલ, મોહમ્મદ હાજીમ શાહ તરીકે થઈ હતી. ત્રણેય આતંકી જમ્મુ-કાશ્મીરમાં રહેતા હતા. 3 મહિના પહેલાં બેંગ્લોરની મહિલા આતંકીએ ગુજરાતમાં નેટવર્ક સેટ કર્યું હતું 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. જેમાં મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી), મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ), સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા) અને ⁠ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)નો સમાવેશ થાય છે. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી ​​બેંગલુરુની શમા પરવીનની ATSએ ધરપકડ કરી હતી. અત્યારે શમા પરવીન ગુજરાતની જેલમાં છે. તે ગુજરાતમાં આતંકી નેટવર્ક સેટ કરી રહી હતી. બેંગ્લોરની માસ્ટરમાઇન્ડ સમા પરવીન અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં શમા પરવીન હતી. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા ચાર આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા 12 આતંકીઓમાંથી 6 ડોક્ટર દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં દેશના અલગ અલગ ભાગોમાંથી 12 આતંકીઓને પકડી લેવાયા છે. તેમાંથી 6 તો ડોક્ટર છે. આ આતંકીઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે મહિલા આતંકી ડો. શાહીન સઈદે. 45 વર્ષની શાહીન મૂળ યુપીના લખનૌના લાલબાગની રહેવાસી છે. MBBS, MDની ડિગ્રી લઈને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ડોક્ટર હતી. તે ડોક્ટર મુઝમ્મિલની ખાસ નિકટ છે અને પોતાની કારમાં AK-47 રાઈફલ રાખવાનો તેમના પર આરોપ છે. 4 ઓક્ટોબરે એક નિકાહમાં બધા આતંકી ભેગા થયા ને મોડ્યુલ એક્ટિવ થયું આતંકી ડો. આદિલના સહારનપુરમાં ડો. રુકૈયા સાથે નિકાહ હતા. તે દિવસે નિકાહમાં કેટલાક ખાસ મહેમાનો પણ સામેલ હતા, જેમની ઓળખ એજન્સીઓ દ્વારા નક્કી કરવામાં આવી રહી છે.આ નિકાહમાં જ તમામ ડોક્ટર આતંકી ભેગા થયા હોવાનું માનવામાં આવે છે અને ત્યાં જ મોડ્યુલ એક્ટિવ કરવાનું નક્કી થયું હતું. નિકાહના બીજા દિવસે જ આ મોડ્યુલ કાર્યરત થયું. તેનું મિશન સૈનિકોને ધમકી આપતા પોસ્ટરો લગાવવાનું, હથિયારોની સપ્લાય અને ફંડની વ્યવસ્થા કરવાનું હતું. ડો. આદિલ લોજિસ્ટિક્સ અને ફાયનાન્શિયલ ચેનલ સંભાળતો હતો. મોડ્યુલની મહત્વની કડી હતી, ડો. શાહીન સઈદ ડો. શાહીન સઈદ આ નેટવર્કની સૌથી મહત્વની મેમ્બર છે. તે જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર સાથે સીધી સંપર્કમાં હતી અને મહિલા આતંકવાદી વીંગ જમાત-ઉલ-મોમિનાત સાથે સંકળાયેલી હતી. આ વીંગ સાદિયા અઝહરે તેના પતિ યુસુફ અહેમદના મૃત્યુ પછી બનાવી હતી. યુસુફ અઝહરનું મોત ઓપરેશન સિંદૂરમાં થયું હતું. ડો. શાહીનને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને શ્રીનગર લઈ જવામાં આવી હતી. શાહીને અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી MBBS પૂરું કર્યું હતું અને સાત વર્ષ સુધી કાનપુર મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. 2021માં ડો. શાહીને નોકરી છોડી દીધી અને ગાયબ થઈ ગઈ. તે ડો. મુઝમ્મિલના સંપર્કમાં આવી અને એક પાકિસ્તાની હેન્ડલરના આદેશથી મહિલાઓને કટ્ટરપંથી બનાવવાનું શરૂ કર્યું. હવે યુપી ATSએ તેના ભાઈ ડો. પરવેઝની લખનૌથી ધરપકડ કરી છે. ડો. પરવેઝ ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. તેણે પણ આ ષડયંત્રમાં તેની બહેન ડો. શાહીનનો સાથ આપ્યો હતો. છૂટાછેડા લીધા બાદ આતંકવાદી બની ગઈ શાહીન શાહીનના લગ્ન મહારાષ્ટ્રના આંખના નિષ્ણાત ડો. ઝફર હયાત સાથે થયા હતા. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 2015માં તેના છૂટાછેડા થયા. તે પછી શાહીનના જીવનમાં એક નવો વળાંક આવ્યો. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન તે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ડોક્ટર મુઝમ્મિલ શકીલને મળી. અહીંથી તેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેણે મેડિકલ ફિલ્ડ છોડી દીધું અને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં આવી ગઈ. મુઝમ્મિલે જ શાહીનને અલ ફલાહ યુનિવર્સિટીમાં એન્ટ્રી અપાવી હતી, જ્યાં તેણે મેડિકલ ફેકલ્ટીના મેમ્બર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તે જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત ઉલ મોમિનાતના સંપર્કમાં આવી. ડો. શાહીન સોશિયલ મીડિયા ચેનલો મારફત સરહદ પારના આતંકવાદીઓ સાથે સંપર્કમાં રહેતી હતી, જેમનું કામ ભારતમાં જૈશ-એ-મોહમ્મદની ભરતીને વધારવાનું હતું. ડો. શાહીનની કારમાંથી એક AK-47, એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા દિલ્હીમાં બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદમાંથી જમ્મુ અને કાશ્મીર પોલીસે ડો. શાહીનની ધરપકડ કરી. પોલીસે તેની કારમાંથી AK-47, એક પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા હતા. તેની ઓળખ અગાઉ ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ શકીલની ગર્લફ્રેન્ડ તરીકે થઈ હતી. એ પછી 11 નવેમ્બરે ATS અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ લખનૌના લાલબાગ ખંડેરી બજારમાં ડો. શાહીન સઈદના ઘરે પહોંચી હતી. અહીં તેના પિતા સઈદ અંસારી મળ્યા હતા. ટીમે આખા ઘરની તપાસ કરી અને પાડોશીઓની પણ પૂછપરછ કરી. એ પછી પોલીસે શાહીનના ભાઈ ડો. પરવેઝ અંસારીના ઘરમાં ત્રણ કલાક સુધી સર્ચ કર્યુ હતું. ઘરે તાળું મારેલું હતું. ટીમ તાળું તોડીને ઘરમાં ઘુસી હતી. પોલીસે પરવેઝના ઘરેથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ, વિદેશી સીમકાર્ડ, એક કાર અને એક બાઇક જપ્ત કરી છે. ડો. પરવેઝ લખનઉની ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તેણે એક અઠવાડિયા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. સહારનપુરના દેહરાદૂન ચોકમાં તેનું ક્લિનિક પણ હતું. બે મિત્રો પહેલા ડોક્ટર બન્યા, પછી આતંકવાદી કાશ્મીરના પુલવામા જિલ્લાના કોઇલ ગામના બે યુવાનો ડો. મુઝમ્મિલ અને ડો. મોહમ્મદ ઉમર નબી સાથે અભ્યાસ કરતા અને સાથે જ ડોક્ટર બન્યા. એ પછી જૈશના સંપર્કમાં આવ્યા ને બ્રેનવોશ થતાં આતંકવાદનો માર્ગ અપનાવ્યો. આ બંને મિત્રોના ઘરો માત્ર 800 મીટરના અંતરે છે. અત્યારે મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી છે અને ઉમર નબી વિસ્ફોટમાં માર્યો ગયો છે. દિલ્હી બ્લાસ્ટમાં તુર્કી કનેક્શન? દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓ તુર્કી કનેક્શન પર તપાસ કરી રહી છે. કારણ કે કારમાં બેસીને બ્લાસ્ટ કરનાર ડો. મોહમ્મદ ઉમર નબી અને ડો. મુઝમ્મિલના પાસપોર્ટ પરથી ખબર પડી છે કે બને એક ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલા હતા અને તુર્કી પણ જઈ આવ્યા હતા. આ બંને એક ટેલિગ્રામ સાથે જોડાયા હતા ને તરત જ તુર્કી માટે રવાના થયા હતા. તપાસ એજન્સીઓને શંકા છે કે તુર્કીમાં જૈશના આકાઓને પનાહ મળી હોઈ શકે અને આ બંને ત્યાં તેમને મળવા ગયા હોઈ શકે. તુર્કીથી પાછા ફર્યા બાદ બંને ડોક્ટર આતંકીઓએ દેશના અલગ અલગ ભાગોમાં નેટવર્ક એક્ટિવ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જૈશના હેન્ડલરે નિર્દેશ આપ્યો હતો કે દેશભરમાં મોડ્યુલના સદસ્યો ફેલાઈ જાય અને કોઈ એક જગ્યાએ ફોકસ નહિ રાખવાનું. આ આદેશ પછી ડોક્ટર આતંકીઓએ ફરીદાબદ અને સહારનપુર જેવા સ્થળોની પસંદગી કરી. તુર્કી હંમેશાં પાકિસ્તાનનું મિત્ર રહ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે પણ તેમણે પાકિસ્તાનનો પક્ષ લીધો હતો અને પાકિસ્તાનને ડ્રોન પૂરા પાડ્યા હતા. જે રીતે પાકિસ્તાન ભારતનું દુશ્મન છે તે રીતે તુર્કી પણ ઈસ્લામિક દેશ છે અને તે પણ ભારતનો દુશ્મન દેશ છે. છેલ્લે,દિલ્હી બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. જે રીતે પકડાયેલા આતંકીઓ કબૂલાત કરી રહ્યા છે તે જોતાં આ ભારતને હચમચાવી નાખવાનું પાકિસ્તાન અને તેના આતંકી સંગઠનોનું કાવતરું હતું તે નક્કી થઈ ગયું છે. ભૂતાનથી પાછા ફરેલા નરેન્દ્ર મોદી હાઈલેવલ મિટિંગ કરવાના છે. બની શકે કે આ મિટિંગમાં ઓપરેશન સિંદૂર પાર્ટ-2ની રૂપરેખા ઘડાઈ જાય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:55 pm

બ્લોકના કારણે ટ્રેનો રદ રહશે:પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરીંગ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વિશ્વામિત્રી ડભોઈ સેક્શનમાં આવેલ પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામ માટે એન્જિનિયરીંગ બ્લૉક લેવામાં આવશે, આ બ્લૉકના કારણે 14 નવેમ્બર 2025ના રોજ કેટલીક ટ્રેનો રદ રહેશે. રદ ટ્રેનો આંશિક રૂપે રદ રેલવે યાત્રીઓને જણાવવાનું કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:50 pm

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://chunavsetu-search.gujarat.gov.in/ લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશેઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4થી ડિસેમ્બર સુધીના તબક્કામાં બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. SIRની આ કામગીરીમાં નાગરિકો પણ ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આ વેબસાઇટના માધ્યમથી મતદારોની કામગીરી વધુ સરળ બની રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:50 pm

ગુજરાત-રાજસ્થાનથી લઈ જઈ મ્યાનમારમાં ગોંધી રાખવાનો કેસ:CBIએ બે એજન્ટની ધરપકડ કરી, વિદેશમાં નોકરીની લાલચ આપી સાયબર ફ્રોડ કરાવતા

CBI(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ એક મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટમાં બે મુખ્ય એજન્ટોની ધરપકડ કરી છે. આ કેસમાં માનવ તસ્કરી કરી મ્યાનમારમાં ગોંધી રાખવા જેવા ગંભીર ગુનાઓ સામેલ છે, જેની સજા આજીવન કેદ સુધીની છે. આ ગુના બદલ આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. રાજસ્થાન-ગુજરાતના લોકોને ગોંધી રાખ્યા હતાતાજેતરમાં ભારત સરકારે જ સાયબર સ્લેવરી પીડિતોને આ ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પૂછપરછ દરમિયાન CBIને અનેક એજન્ટ્સની કડી મળી હતી. જેમાંથી ઝડપાયેલા બે એજન્ટે રાજસ્થાન અને ગુજરાતના લોકોને ગોંધી રાખ્યા હતા. આ બન્ને રાજ્યના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. ડિજિટલ અરેસ્ટ સહિતના ગુનાઓ કરાવતાઆ તપાસમાં સામે આવ્યું કે, મ્યાનમારથી મોટા પ્રમાણમાં ભલા ભોળા માણસોને વિદેશમાં ઉંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી ફસાવવામાં આવતા હતા. ઇન્ડિયા બહાર લઈ ગયા બાદ તેમને થાઈલેન્ડ થઈને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા. જ્યાં તેમને ગોંધી રાખીને મોટા પાયે સાયબર ફ્રોડ કરાવતા હતા. જેમાં ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ તથા હનીટ્રેપ જેવા ફ્રોડનો સમાવેશ થાય છે. માનવ તસ્કરીને અંજામ આપ્યા બાદ તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવતી અને ધમકીઓ આપીને સાયબર ક્રાઇમ કરવા માટે મજબૂર કરતા હતા. જેને સાયબર સ્લેવ તરીકે ઓળખવામાં આવે છે. CBIએ કહ્યું કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઝ સાથે સંકલન સાધીને તેઓ સાયબર સ્લેવરી અને અને માનવ તસ્કરીના ઉભરી રહેલા નવા જોખમ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. CBIએ તમામ નાગરિકોને વિદેશમાં નોકરીની સોશિયલ મીડિયા પર આવતી જાહેરખબરો કે એજન્ટ્સ દ્વારા કરાતી ઓફર્સ સામે સાવધાની રાખે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:38 pm

બોટાદના સાળંગપુરમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું:હોદ્દેદારો, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત, સ્વદેશી અપનાવવા અપીલ કરાઈ

બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે ખાંભડા જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રનું ભાજપ સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપની સૂચના અને બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવાના કાર્યક્રમ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઇન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય ગણપતભાઈ કણઝરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, મહામંત્રી જામસંગભાઈ પરમાર, બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રી જયંતિભાઈ તલસાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સ્નેહબંધ મજબૂત કરવા, સંગઠનની ઘનિષ્ઠતા વધારવા અને આગામી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના નેતાઓએ કાર્યકરોને એકતા, સમર્પણ અને જનસેવાના ધોરણે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:36 pm

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 'આર્મ્સ એટેક':આતંકવાદી બસ લઈ નાકાબંધી તોડી ડિપાર્ચર ગેટ સુધી પહોંચી ગયો, સુરક્ષા એજન્સીઓએ ઝડપી મોકડ્રિલ જાહેર કરી

દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે 'આર્મ્સ એટેક' થયો હતો. ખાનગી બસમાં એક આતંકવાદી એરપોર્ટના ડિપાર્ચર ગેટ સુધી પહોંચી ગયો હતો. જેથી તેની રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા જવાનો ત્યાં પહોંચી જાય છે અને આતંકીને ઝડપી હૂમલો નાકામ બનાવે છે. જોકે બાદમાં આ મોકડ્રિલ હોવાનું જાહેર થતા એરપોર્ટ પરના તમામ મુસાફરો અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. CISFની મોકડ્રીલ જાહેર કરવામાં આવીરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજે આર્મ્સ એટેક થયો હતો. જેમા આજે (12 નવેમ્બર) ના બપોરે 2.40 વાગ્યે એક ખાનગી બસ ટર્મિનલ એરિયામાં ધસી આવે છે અને ડિપાર્ચર ગેટથી અંદર જવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે પહેલા જ રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો આ બસને અટકાવી દે છે. જે બાદ ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ કરવામાં આવે છે અને તે દરમિયાન તે બસમાં એક આતંકવાદી મળી આવે છે. જેથી આ આતંકવાદીને ઝડપી પાડવામાં આવે છે. જોકે બાદમાં આ CISF ની મોકડ્રિલ હોવાનું જાહેર થયુ હતુ. બપોરે 3.15 એ મોકડ્રિલ પૂર્ણ થયાનું જાહેર થયુ હતુ. હીરાસર એરપોર્ટ પર આજે બપોરે અચાનક એક ખાનગી બસ નાકાબંધી તોડી ડિપાર્ચર ગેટ સુધી પહોંચી જાય છે જેને લીધે હવાઈ મુસાફરોમાં હડકંપ મચી જાય છે. જેથી સુરક્ષા ટીમો એલર્ટ થઈ જાય છે અને રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવે છે. ત્યાં સુધીમાં CISF ના જવાનોએ આ બસને રોકીને કોર્ડન કરી દેવામાં આવે છે. જે બાદ સુરક્ષા એજન્સીના તમામ જવાનો અને ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. જે દરમિયાન બસમાંથી આતંકવાદી મળી આવે છે જેને પકડી પાડવામાં આવે છે. જોકે દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખી આ મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌ રાહતનો શ્વાસ લે છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:35 pm

LCBએ સપાટો બોલાવ્યો:કડીના કલ્યાણપુરા ગામે આવેલા રામદેવ ઓઇલ મીલમાંથી વિદેશી દારૂનું કટીંગ ઝડપાયું,13584 દારૂની બોટલ ઝડપાઈ

મહેસાણા LCB સ્ટાફના માણસોએ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મીલમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન LCB સ્ટાફના માણસો અને બાવલુ પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રેડ કરી હતી. આ રેડ દરમિયાન મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જ્યારે રાજસ્થાનથી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. LCBએ રેડમાં 13,000થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખસોની ધરપકડ કરી હતી. LCB સ્ટાફના માણસોએ રામદેવ ઓઇલ મીલમાં રેડ કરી હતીમહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સૂચનાથી LCBના પી આઇ એન.આર વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચતા LCBના રાજેન્દ્રસિંહ અને અક્ષય સિંહને માહિતી મળી હતી કે, કડી તાલુકાના કલ્યાણપુરા ગામની સીમમાં આવેલ રામદેવ ઓઇલ મીલમાં કડી તાલુકાના વિડજ ગામનો પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ વાઘેલા કે જેઓ રાજસ્થાનથી ટ્રક નંબર RJ 36 GA 9314માં વિદેશી દારૂ ભરી મંગાવેલો છે અને તેનું કટીંગ ચાલી રહ્યું છે. બે પિકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી અન્ય સ્થળ ઉપર લઈ જવાની પેરવી કરી રહ્યો છે. આ હકીકત મળતાની સાથે જ અલગ-અલગ ટીમ બનાવી LCB સ્ટાફના માણસોએ રામદેવ ઓઇલ મીલમાં રેડ કરી હતી. કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મિલમાં LCB સ્ટાફના પીએસઆઇ એસ. આર ચૌધરી સહિત સ્ટાફના માણસોએ રેડ કરી હતી. આ રેડ દરમિયાન બે પિકઅપ ડાલા અને ટ્રકમાંથી અલગ-અલગ વિદેશી દારૂની નાના-મોટી 13,584 કિંમત રૂપિયા 44,19,216 સહિત કુલ રૂપિયા 68,08,116નો મુદ્દામાલ કબજે કરી મનોહરસિંહ મિશ્રુસિંહ રાવત રહે પબુસર તા. રાયપુર રાજસ્થાન (દારૂ ભરી આવનાર) અમન રાજા કુશવાહા રહે હાલ કલ્યાણપુરા મૂળ રહે મધ્યપ્રદેશ, લલ્લુ રાજા કુશવાહ હાલ રહે કલ્યાણપુરા મૂળ મધ્યપ્રદેશ, મોહિત જયેન્દ્ર શ્રીરામ યાદવ હાલ કલ્યાણપુરા મૂળ ઉત્તર પ્રદેશ, વાઘેલા પ્રતાપસિંહ વિક્રમસિંહ રહે વિડજ કડી, વાઘેલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ રહે વિડજ કડીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલનાર મદનસિંહ ડુંગરસિંહ ચૌહાણ રહે ભીમગઢ પાલી, ગોપાલસિંહ ડુંગરસિંહ ચૌહાણ રહે, ભીમગઢ પાલી, કૈલાશ જગદીશ રહે ભીમગઢ પાલી પોલીસ દ્વારા ફરાર બતાવવામાં આવેલા હતા. જ્યારે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:30 pm

'નલ સે જલ' યોજનામાં કરોડોના કૌભાંડનો આક્ષેપ:કોંગ્રેસ કહ્યું- ભાજપના રાજમાં સફેદ પાણીનો કાળો કારોબાર થયો, દેખરેખ માટે રચાયેલી સમિતિનો રિપોર્ટ જાહેર કરો

ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના સ્કેમની સાથે ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર થતા હોવાના દાવા સાથે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સુજલામ સુફલામ યોજનાના નામે માટી બારોબાર સગેવગે થતી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. સમિતિએ તત્કાલ રિપોર્ટ જાહેર કરવો જોઈએ- કોંગ્રેસગુજરાતમાં 203 જળાશયો છે અને 4,30,680 ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને એક લાખથી વધુ તળાવો છે. તેમાંથી માત્ર 13,000 જ ઊંડાં કરવા માટે અભિયાન ચલાવાયું. જો એ બરાબર ચાલ્યું હોય તો પણ તે 10 ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતું ના ગણી શકાય તેવું કોંગ્રેસે કહ્યું છે. જળ અભિયાન પર દેખરેખ રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ રચવાની હતી. જો સમિતિ હોય અને દેખરેખ રાખતી હોય તો તેને માટી વેચાઈ તેની પર શી દેખરેખ રાખી? તેવો કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે. સરકારે સમિતિનો અહેવાલ તત્કાલ જાહેર કરવો જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે. સુજલામ સુફલામ યોજનાના નામે કરોડો રૂપિયા સગેવગે થયાનો આક્ષેપગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. સરકારની દરેક સ્કીમ કરોડો રૂપિયાનું કેમ બની ગઈ છે. 20 વર્ષથી ગુજરાતમાં ભુગર્ભ જળ માટેની નીતિ હજુ સરકાર બનાવી નથી. કેન્દ્રમાં ગ્રામ પ્રોજેક્ટ મોકલવામાં આવ્યો પરંતુ ગુજરાતમાં ગ્રામ પોલિસી પર 20 વર્ષથી કામ થયું જ નથી. જેના કારણે અનેક વિસ્તારમાં ભૂગર્ભ જળની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સુજલામ સુફલામના નામે તળાવ ઊંડા કરવાની મોટી મોટી વાતો કરવામાં આવી, પરંતુ કરોડો રૂપિયાની માટી બારોબાર સગેવગે થઈ ગઈ. માત્ર દાહોદના એક ગામમાં 345 કરોડ રૂપિયાનું કૌભાડ માત્ર મારી ચોરીનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાની માટી જો સગેવગે થતી હોય તો સરકાર કેમ આ મુદ્દે મૌન છે ? વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યાં નળ છે ત્યાં જળ નથી અને જ્યાં નળ ની વાત છે ત્યાં પાઇપલાઇન જેવા કનેક્શન જ નથી. તેમાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ ભાજપે પોતાના મળતીયાને આપીને કૌભાંડ કર્યા છે, જેની તપાસ ચાલી રહી છે. એક તરફ જળ વ્યવસ્થાપનની વાતો થાય ત્યાં બીજી તરફ સફેદ પાણીનો કાળો કારોબાર ભાજપના મળતીયાઓ મોટાપાયે કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારમાં કરોડો લિટર પાણી બારોબાર સગેવગે થઈ રહ્યું છે. જેથી માંગ કરીએ છીએ કે માટી ચોરીના કૌભાંડની તપાસ થાય અને સફેદ પાણીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેની પણ તપાસ થવી જોઈએ. જેથી દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળે અને ખેડૂતોને તેમના હક્કનું પાણી મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:29 pm

પોરબંદરમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી:રાતડીમાંથી 35 મશીનરી સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોરબંદર જિલ્લાના રાતડી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1 કરોડની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ખનન અને વહનમાં વપરાતી 35 જેટલી મશીનરીનો સમાવેશ થાય છે. કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા મોજે રાતડી, તા. પોરબંદર ખાતે વહેલી સવારે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ ગેરકાયદેસર બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનન અને તેના વહન પર કેન્દ્રિત હતી. તપાસ દરમિયાન જુદા જુદા લોકેશન્સ પરથી કુલ 18 ચકરડી મશીન, 1 જનરેટર મશીન, 5 ડમ્પર, 10 ટ્રેક્ટર અને 1 લોડર સહિત કુલ 35 મશીનરી જપ્ત કરવામાં આવી હતી. CGM Geo Mine એપ દ્વારા ત્રણ ટ્રક માલિકો પાસેથી સ્થળ પર જ ઓનલાઇન દંડકીય રકમ વસૂલવામાં આવી હતી. જ્યારે બાકીની જપ્ત કરાયેલી મશીનરીને સીલ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન કરનાર જવાબદાર ઇસમો અને મશીન માલિકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ખનન પર અંકુશ લગાવવાના હેતુથી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:27 pm

CM ભૂપેન્દ્ર પટેલે 1500થી વધુ વકીલોને નોટરી તરીકે પ્રમાણપત્ર આપ્યા:નોટરી પોર્ટલનું લોન્ચિંગ, કાયદાકીય વ્યવસ્થામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ પગલું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા વિશાળ કાર્યક્રમમાં રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા 1500થી વધુ એડવોકેટઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ “નોટરી પોર્ટલ”નું પણ લોન્ચિંગ કર્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા હાજર રહ્યા હતા. “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકારમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન” મંત્ર સાકાર થઈ રહ્યો છે. કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવા નોટરીની ભૂમિકા અત્યંત મહત્વની છે. નોટરી પોર્ટલ એ જ દિશામાં આગળ વધતું એક મહત્વપૂર્ણ કદમતેમણે કહ્યું કે, વડાપ્રધાને દરેક સરકારી સેવા અને સુવિધાને ડિજિટલ માધ્યમથી સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે “મેકસિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્નમેન્ટ”નો મંત્ર આપ્યો છે. આજનો નોટરી પોર્ટલ એ જ દિશામાં આગળ વધતું એક મહત્વપૂર્ણ કદમ છે. સમય અને શક્તિની બચત સાથે કાર્યક્ષમતા વધશેઆ પોર્ટલ દ્વારા નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થશે. અરજદારોને દસ્તાવેજો અપલોડ કરવાથી લઈને અરજીની સ્થિતિ જાણવા સુધીની પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી શક્ય બનશે, જેના પરિણામે સમય અને શક્તિની બચત સાથે કાર્યક્ષમતા વધશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, તબક્કાવાર ડિજિટલાઈઝેશનથી કાગળનો વપરાશ ઘટશે અને પેપરલેસ ગવર્નન્સને વેગ મળશે. પહેલીવાર 1500થી વધુ વકીલોને નોટરી તરીકે નિમણૂક અપાઈનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 1500થી વધુ વકીલોને નોટરી તરીકે નિમણૂક અપાઈ છે. રાજ્યમાં હાલ 2,900 નોટરી જગ્યાઓ હતી, જે વધારીને 6,000 સુધી કરવામાં આવી છે. આથી મોટી સંખ્યામાં વકીલોને તક મળશે અને સામાન્ય નાગરિકોને કાયદાકીય સેવા વધુ સરળતાથી મળી રહેશે. તેમણે જણાવ્યું કે, નોટરી પોર્ટલથી નાગરિકોને ઝડપી સેવા અને પારદર્શિતા મળશે. વકીલોને ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ મજબૂત કરવાની સાથે સમાજના હિતમાં કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. નોટરી એ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ સ્થાપિત કરવાનો આધારસ્તંભ છેકાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું કે, નોટરી એ કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ સ્થાપિત કરવાનો આધારસ્તંભ છે. નોટરી દ્વારા પ્રમાણિત દસ્તાવેજોને કાનૂની માન્યતા મળવાથી છેતરપિંડીની શક્યતાઓમાં ઘટાડો થાય છે અને લોકો માટે ઈઝ ઓફ ડુઈંગ લાઈફ સુલભ બને છે. બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું કે, 2010માં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત બાર કાઉન્સિલને સહાય આપીને ઈ-લાઈબ્રેરી જેવી સુવિધા શરૂ કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર તરફથી બાર કાઉન્સિલને 28 કરોડથી વધુની સહાય મળી છે. વડાપ્રધાનના ડિજિટલ ભારત સ્વપ્નને સાકાર કરતું વધુ એક કદમહાલ સુધીમાં ગુજરાતમાં 9,500 જેટલા વકીલો નોટરી તરીકે કાર્યરત થયા છે, જેના કારણે ગામડે પણ નોટરી સેવા સરળતાથી ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે મુખ્ય સચિવ મનોજ દાસ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નીતિન મલિક તેમજ મોટી સંખ્યામાં વકીલો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં પ્રથમવાર 1500થી વધુ એડવોકેટને નોટરી તરીકે પ્રમાણપત્ર, નોટરી પોર્ટલથી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન, સમય અને શક્તિની બચત, ​​​​​​​ડિજિટલાઇઝેશનથી પેપરલેસ ગવર્નન્સને વેગ, ​​​​​​​નોટરી જગ્યાઓ 2,900થી વધારી 6,000. વડાપ્રધાનના ડિજિટલ ભારત સ્વપ્નને સાકાર કરતું વધુ એક કદમ.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:21 pm

ઓખા સુદર્શન સેતુ પર છરી સાથે રીલ બનાવનાર પકડાયો:પોલીસે કાર્યવાહી કરી, કોર્ટે રોકડ દંડ ફટકાર્યો; માફીનો વીડિયો પણ વાયરલ

ઓખા મંડળના સુદર્શન સેતુ પર ખુલ્લી છરી સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં કોર્ટે આરોપીને રોકડ દંડ ફટકાર્યો છે, અને તેનો માફી માંગતો વીડિયો પણ વાયરલ થયો છે. આશરે બે મહિના પહેલા એક યુવકે ઓખાના સુપ્રસિદ્ધ સુદર્શન સેતુ પર જાહેરમાં ખુલ્લી છરી સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને તેણે સોશિયલ મીડિયા પર રીલ તરીકે વાયરલ કર્યો હતો, જે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ રીલ સોશિયલ મીડિયા મારફતે પોલીસના ધ્યાને આવતા ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસના અંતે, અરજણજી ભીખાજી ઠાકોર (રહે. દેથળી, તા. વાવ) નામના શખ્સે આ વીડિયો બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અરજણજી ઠાકોર છેલ્લા બે મહિનાથી ફરાર હતો. પોલીસે તેને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આજે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા, અદાલતે તેને રોકડ દંડની સજા ફટકારી હતી. આ ગુના બદલ આરોપીનો માફી માંગતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:14 pm

પોલીસ પ્રજાનો મિત્ર:માતા-પિતા વિહોણી દીકરીને હકનું ધન અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું,SP સુબોધ ઓડેદરા અને PI વત્સલ સાવજે દીકરીને ₹ 1 લાખ પરત અપાવી માતાની નિશાની છોડાવી

જૂનાગઢમાં 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્રને સાર્થક કરતો એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા વિહોણી એક દીકરી સાથે થયેલી છેતરપિંડીના કિસ્સામાં, જૂનાગઢના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને સી-ડિવિઝન પીઆઇ વત્સલ સાવજે ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહી કરીને દીકરીને માત્ર ન્યાય જ નહીં, પણ તેના હકના ₹1 લાખ પણ પરત અપાવ્યા છે, જેના કારણે તે પોતાની માતાની અંતિમ નિશાની સમાન મંગળસૂત્ર બેન્કમાંથી છોડાવી શકી છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી આશિષ વાળાએ પણ આ સમગ્ર મામલામાં સંવેદનશીલતા દાખવી હતી.​ માતાની અંતિમ નિશાની બચાવવા દીકરીનો સંઘર્ષ​ જૂનાગઢની મધુરમ સોસાયટીમાં રહેતી ભાવિકા જોશી અને તેનો નાનો ભાઈ માતા-પિતાના અવસાન બાદ એકલા પડી ગયા હતા. ભાવિકાના માતાએ 2016માં અવસાન સમયે પોતાની મરણમૂડી, એક નાનું સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી, ભાવિકાને સંભાળવા આપી હતી, જે તેને પોતાના લગ્નમાં પહેરવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી.​ 2022માં પિતાને બ્લડ કેન્સર થતાં, તેમની સારવાર માટે ભાવિકાએ આ મંગળસૂત્ર બેંકમાં મૂકીને ₹1 લાખની ગોલ્ડ લોન લીધી હતી. પિતાની વધુ સારવાર માટે, વિસાવદર તાલુકામાં આવેલી પિતાના નામે 4 વીઘા જમીન જૂનાગઢના બે જમીન દલાલોને માત્ર ₹4 લાખમાં વેચી દીધી હતી. દલાલોએ ₹3 લાખ આપી દીધા હતા, પરંતુ બાકીના ₹1 લાખ જમીનની એન્ટ્રી પડ્યા પછી આપવાનું વચન આપ્યું હતું. પિતાના અવસાન બાદ, ભાવિકા અમૂલ ડેરી ફાર્મમાં નોકરી કરીને ભાઈનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ તેને માતાની અંતિમ નિશાની સમાન મંગળસૂત્ર બેંકમાંથી છોડાવવાની તાતી જરૂરિયાત હતી.​ દલાલોએ રૂપિયા આપવાની જગ્યાએ ગાળો દીધી​ બેંકમાં વ્યાજ સહિત ₹1.30 લાખ ભરવાના થતા હોવાથી, ભાવિકાએ જમીન દલાલો પાસે તેમના બાકી રહેલા ₹1 લાખની માંગણી કરી. પરંતુ દલાલોએ રૂપિયા આપવાને બદલે તેને ગાળો દીધી હતી. નિરાધાર બનેલી ભાવિકાએ અનેક આગેવાનો, બ્રહ્મ અગ્રણીઓ અને પોલીસ તંત્ર પાસે ન્યાય માટે આજીજી કરી, પણ ક્યાંય પરિણામ ન મળ્યું.​બ્રહ્મ અગ્રણી જયેશ દવે દ્વારા ફાળો કરીને રકમ આપવાની ઓફરને પણ ભાવિકાએ નકારી દીધી હતી, કારણ કે તેને દાન નહીં, પરંતુ પોતાના હકનું જ ધન પરત મળે તેવો આગ્રહ રાખ્યો હતો.​ SP અને PI ની સંવેદનશીલતાથી ત્વરિત ન્યાય​ આખરે આ કિસ્સો જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો. બીજા જ દિવસે જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ સામેથી ભાવિકાને બોલાવીને તેમની આપવીતી સંપૂર્ણપણે સાંભળી. એસપીએ તુરંત જ સી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજને બનાવ અંગે વાકેફ કર્યા.​ પીઆઇ વત્સલ સાવજે અરજી મળતાં જ તુરંત બંને જમીન દલાલોને પોલીસ સ્ટેશન બોલાવી લીધા અને કડક ભાષામાં દબાણ કર્યું. પોલીસની કડક પૂછપરછ અને દબાણ સામે બંને શખ્સોએ ભૂલ સ્વીકારી લીધી. પીઆઇની હાજરીમાં જ બંને શખ્સોએ ભાવિકાને તેમના લેણા ₹1 લાખ તાત્કાલિક પરત આપી દીધા.​એસપી ઓડેદરા અને પીઆઇ સાવજ પોતે પણ દીકરીના સંઘર્ષની વાત સાંભળીને ભાવુક થઈ ગયા હતા અને તેની સરાહના કરી હતી. પીઆઇ સાવજે તો દીકરીને આર્થિક યોગદાન આપવાની તૈયારી પણ બતાવી હતી. મુખ્યમંત્રીના OSD આશિષ વાળા અને જૂનાગઢના એસપી ઓડેદરા તથા પીઆઇ સાવજે સરકારી અધિકારીની કઠોર નહીં, પણ સંવેદનશીલ અને માનવતાવાદી છબી રજૂ કરીને એક નિરાધાર દીકરીને માત્ર તેનો હક જ નહીં, પણ એક પરિવારની હૂંફ આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.​

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 7:14 pm

સુરતમાંથી 'મની મ્યુલ' ઝડપાયો:અમદાવાદના સિનિયર સિટીઝન સાથે 1.84 કરોડની ઠગાઈ કરી, ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચ આપી નાણાં પડાવ્યા હતા

અમદાવાદના એક સિનિયર સિટીઝને પોતાની મહેનતની કમાણીના આશરે પોણા બે કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ગુનાના તાર સુરત સુધી લંબાતા, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની બાતમીના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક મહત્ત્વના આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો છે. સિનિયર સિટીઝનને બિઝનેસના નામે ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી, આરોપી ગેંગમાં મની મ્યુલ હતો તેના બેંક એકાઉન્ટનો ઓડિશા અને ડાંગમાં પણ ગુનાહિત ઇતિહાસ છે. ક્રિપ્ટોકરન્સી USDTમાં રોકાણ કરવા જણાવ્યુંઆ કેસની વિગતો મુજબ, ગુનેગારોએ એક સિનિયર સિટીઝનને ટાર્ગેટ કર્યા હતા. આરોપીઓએ એક આકર્ષક વેબસાઇટ બનાવી હતી, જેના પર 'મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ' નામની એક સ્કીમ ચાલતી હતી. ઠગબાજોએ ભોગ બનનારને આધુનિક જમાના સાથે તાલ મિલાવી, ક્રિપ્ટોકરન્સી USDTમાં રોકાણ કરવા જણાવ્યું. ભોગ બનનારને ખાતરી આપવામાં આવી હતી કે, આ બિઝનેસ મોડેલમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જબરદસ્ત નફો મળશે. આ લાલચમાં આવીને સિનિયર સિટીઝને રોકાણ કરવાનું શરૂ કર્યું. નાણા પરત આપવાના સમયે આરોપીએ હાથ ઉંચા કરી લીધાશરૂઆતમા થોડો નફો બતાવી, આરોપીઓએ ભોગ બનનારનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ વધુ નફા માટે વધુ રોકાણની માંગણી કરી. આ નાણાં કોઈ એક ખાતામાં નહીં, પરંતુ અલગ અલગ ઘણા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ પ્રકારે, ટુકડે ટુકડે કરીને, સિનિયર સિટીઝન પાસેથી કુલ 1,84,67,620 પડાવી લેવામાં આવ્યા. જ્યારે ભોગ બનનારને પોતાના નાણાં પરત માંગવાનો કે નફો લેવાનો સમય આવ્યો, ત્યારે આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા અને વેબસાઇટ પણ બંધ થઈ ગઈ. આખરે, છેતરાયાનો અહેસાસ થતાં તેમણે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલો આરોપી 'મની મ્યુલ' તરીકે કામ કરતો હતોઅમદાવાદ સાયબર ક્રાઇમ આ કેસમાં નાણાંના ટ્રાન્ઝેક્શન ટ્રેલ પર કામ કરી રહી હતી. તપાસમાં ખુલ્યું કે, ફ્રોડના નાણાં જે અનેક ખાતાઓમાં ગયા હતા તેમાંથી એક ખાતું સુરત શહેરનું હતું. આ માહિતી સુરત સાયબર ક્રાઇમ સેલને આપવામાં આવી હતી. સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બેંક ખાતાધારકને શોધી કાઢ્યો. આરોપી હુસેન મેમણ ઈકબાલ મેમણ ( રહેવાસી: ઘર નં. 502, હાજી પ્લાઝા, ભાગા તળાવ, સુરત શહેર) આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નથી, પરંતુ તે 'મની મ્યુલ' તરીકે કામ કરતો હતો. 'મની મ્યુલ' એવા લોકો હોય છે જે થોડા કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ ગુનાહિત નાણાંની હેરાફેરી માટે કરવા દે છે. પોલીસને ગેર માર્ગે દોરવા લેયરિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરતાપોલીસ તપાસ મુજબ, હુસેનના કોટક બેંકના ખાતામાં ફ્રોડની રકમમાંથી 1,14,251 જમા થયા હતા. આ રકમ મળતા જ હુસેને તેમાંથી 30,000 એ.ટી.એમ. દ્વારા રોકડા ઉપાડી લીધા હતા. બાકીની રકમ તેણે તરત જ અન્ય લોકોના ખાતામાં યુ.પી.આઇ.દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી અને ત્યારબાદ તે લોકો પાસેથી પણ રોકડ રકમ મેળવી લીધી હતી. આ પ્રક્રિયાને લેયરિંગ કહેવાય છે, જેનો ઉપયોગ પોલીસને ગેરમાર્ગે દોરવા અને પૈસાના મુખ્ય સ્ત્રોતને છુપાવવા માટે થાય છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસસુરત સાયબર સેલે જ્યારે હુસેન મેમણના કોટક બેંક ખાતાની વિગતો NCCRP પર ચકાસી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. આ બેંક ખાતા વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાયેલી છે. આહવા પોલીસ સ્ટેશન ખાતે આ ખાતા સંબંધિત ફરિયાદ નોંધાયેલી છે. સાથે ગુજરાત બહાર, ઓરિસ્સાના પુરી ખાતે પણ આ જ બેંક એકાઉન્ટ દ્વારા થયેલ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે 25 વર્ષીય 'બેકાર' હુસેન મેમણ લાંબા સમયથી સાયબર ઠગોની આંતરરાજ્ય ગેંગ માટે 'મની મ્યુલ' તરીકે કામ કરી રહ્યો હતો. હાલ, સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી હુસેન મેમણની અટકાયત કરી છે અને તેને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ પોલીસ હવે તેની પૂછપરછ કરીને આ પોણા બે કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને આ ગેંગના અન્ય સાગરિતો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:59 pm

સિદ્ધપુરમાં 27મું વિજ્ઞાન પ્રદર્શન:બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

સિદ્ધપુર તાલુકાના બીલીયા સ્થિત પ્રકાશ વિદ્યાલય ખાતે એસ.વી.એસ. કક્ષાનું 27મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા કચેરીના મદદનીશ કેળવણી નિરીક્ષક કનુભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. બીલીયા કેળવણી મંડળના હોદ્દેદારો અને પ્રકાશ વિદ્યાલય, બીલીયાના આચાર્ય સુરેશભાઈ સુંઢિયાએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કર્યું હતું. એસ.વી.એસ. કન્વીનર અને એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુરના આચાર્ય મુકેશભાઈ ચૌધરીએ એસ.વી.એસ. વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એસ.વી.એસ.ની તમામ શાળાના આચાર્યો, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ્સને રસપૂર્વક નિહાળી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ ઉપરાંત, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખનું પ્રકાશ વિદ્યાલય પરિવાર વતી શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:54 pm

મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:કાકોશી પોલીસે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો એક ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે કરવામાં આવી હતી. સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ, કાકોશી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ પી.વી. ચૌધરી અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો. કાકોશી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11217014250447, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ નોંધાયેલા ગુનામાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 12 Nov 2025 6:51 pm