SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

માથા ફરેલા નાગા સાધુ શિવગીરીને હાઈકોર્ટથી રાહત નહીં:આજે શિવરાત્રિએ જૂનાગઢમાં નહીં જઈ શકે, 6 ગુના નોંધાતા 5 જિલ્લામાંથી તડીપાર કરાયો

શિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં 5 દિવસીય મેળાનું આયોજન થાય છે, જેમાં શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓને મૃગીકુંડમાં નાહવાનો મહિમા છે. પરંતુ સાધુઓમાં કેટલાક માથા ફરેલ અને વિચિત્ર હરકતો કરતા તેમનો ભોગ અન્ય સાધુઓ અને સામાન્ય પ્રજા બનતી હોય છે. તાજેતરમાં જ ગિરનારના મેળામાં એક નાગા સાધુએ ઉત્પાત મચાવતા પોતાના પાલતુ વાનર વડે શ્રદ્ધાળુઓને બચકા ભરાવ્યા હતા અને હેરાન કર્યા હતા. ગત જાન્યુઆરી મહિનાના અંતમાં નાગા સાધુ શિવગીરીએ જાહેરમાં તલવાર લહેરાવીને સામાન્ય નાગરિકોને ફટકાર્યા હતા. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં પ્રવેશ પર બંધીઆ સાધુ સામે 2018થી 2026 સુધીમાં ભવનાથ પોલીસ મથકે કુલ 6 ગુના નોંધાયેલા છે, તેનો વીડિયો સામે આવતા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તેનો ગેરકાયદેસર આશ્રમ તોડી પાડવામાં આવ્યો હતો. જેમાંથી 50 જેટલા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. ત્યારે ઓથોરિટીએ તેને જાન્યુઆરી મહિનાના અંતમાં જ ફક્ત જૂનાગઢ જિલ્લામાંથી જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલા રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી પણ તડીપાર કર્યો હતો. આ પણ વાંચો…જૂનાગઢના શિવગિરિએ સાધુવેશમાં મચાવેલા આતંકનો VIDEOશિવગીરીએ જૂનાગઢ જવા દેવા હાઈકોર્ટમાં અરજી કરી શિવરાત્રિના દિવસે તેને જૂનાગઢમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, વર્ષમાં ફક્ત એક વખત શિવરાત્રિમાં સાધુને ભવનાથમાં ઉપસ્થિત રહેવું જરૂરી છે. વર્ષમાં એક જ દિવસ તેના માટે મહત્વનો છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તેને આચરેલા કૃત્યો કરતા પહેલા પરિણામ વિશે તેને વિચારવું જોઈતું હતું. જો કે, તેના વકીલે જણાવ્યું હતું કે, તડીપારનો નિર્ણય યોગ્ય નથી. તેની સામે 2018થી 2026 દરમિયાન નોંધાયેલા 6 કેસમાંથી 3 કેસમાં તે નિર્દોષ છૂટ્યો છે. તડીપાર માટે તેને નોટિસ 28, જાન્યુઆરીએ આપીને 29, જાન્યુઆરીએ સુનાવણી કરી દેવાઈ હતી. તેની ઉપર બાકીના જે ત્રણ કેસ બચ્યા છે તે સામાન્ય ઇજા કરવાના છે. હાઇકોર્ટેનો શિવરાત્રિ પૂરતો પણ રાહત આપવાનો ઇનકારઅરજદાર નાગા સાધુ દર વર્ષે શિવરાત્રિના મેળામાં સવા લાખ રુદ્રાક્ષ ધારણ કરી જૂનાગઢમાં તપ કરે છે. કોર્ટ મેરીટ ઉપર તેઓને સાંભળે. તડીપારના હુકમ વિરુદ્ધ અપીલ કરાતા તેમને 17, ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, તંત્ર ઇછી રહ્યું છે કે અરજદાર નાગા સાધુ શિવગીરીના કૃત્યોને જોતા શિવરાત્રિના મેળામાં તે જૂનાગઢમાં હાજર રહે નહીં. આ નિર્ણય તેના વર્તન પરથી લેવામાં આવ્યો છે. તે જ્યાં હોય ત્યાં રહીને જ ભગવાનની ભક્તિ કરે, હાઇકોર્ટે તેને શિવરાત્રિ પૂરતો પણ રાહત આપવાનો ઇનકાર કરીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. ઉલ્લેખનીય છે કે નાગા સાધુ શિવગીરી ઉપર 28 જાન્યુઆરી, 2026ના રોજ ભવનાથ પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તેને લોખંડની તલવાર લઈને સુદર્શન તણાવ પાસે જાહેરમાં ઉત્પાત મચાવતા જાહેરનામાનો ભંગ કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેને ગુનાની કબુલાત કરતા તેને 500 રૂપિયાનો દંડ કરીને છોડી દેવામાં આવ્યો હતો. 2023માં સાધવીને પેટના ભાગે તલવાર મારી દીધી હતી2023માં ભવનાથ પોલીસ મથકે તેની ઉપર IPCની કલમ 307 મુજબ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. તેણે તે વર્ષે યોજાયેલા શિવરાત્રિના મેળામાં તલવાર લઈને અન્ય સાધુઓને હેરાન કરતો હતો. ત્યારે એક સાધવીએ તેને તેવું કરવાની ના પાડતા આ માથાભારે નાગા સાધુએ તેના પેટના ભાગે તલવાર મારી દીધી હતી. સાધ્વીને હોસ્પિટલમાં દાખલ કરતા, ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. એક મહંતના આશ્રમે જઈને વ્યક્તિને માર માર્યો હતો 2023માં ભવનાથ પોલીસ મથકે નોંધાયેલી અન્ય એક ફરિયાદ મુજબ શિવગીરી ઘોડા ઉપર સવાર થઈને એક મહંતના આશ્રમે જઈ ચડ્યો હતો અને મહંતને ગાળો આપીને, મહંત તથા અન્ય એક વ્યક્તિને માર માર્યો હતો. 2024માં રાજ્ય સરકારે તેને જામીન શરતોનો ભંગ કરવા બદલ તેની જામીન રદ કરવા માટે જૂનાગઢની કોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે તે અરજી નકારી નાખી હતી. મોબાઈલ વિશે પૂછતાં યુવકને ફટકાર્યો2021માં તેને એક સાધુને લાકડીથી માર માર્યો હતો. જો કે પુરાવાના અભાવે આ કેસમાં નિર્દોષ છૂટ્યો હતો. 2018માં એક ફરિયાદીએ ભવનાથ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. ત્યારે તેને તે અંગે આસપાસમાં શોધખોળ કરતા, ત્યાં નાગા સાધુ શિવગીરીને પૂછ્યું હતું જેથી શિવગીરીએ ઉશ્કેરાઈને તેના માથામાં પાઇપ મારી હતી અને કાચની તૂટેલી બોટલથી જમણા હાથમાં ઈજા કરી હતી. આ કેસમાં પણ તેને જામીન મળ્યા હતા. ત્યારબાદ તેને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવાયો હતો. આ પણ વાંચો.. ભવનાથના મેળામાં નાગા સાધુ બગડ્યા, તલવાર લઈ પાછળ દોડ્યા, સૂતેલા લોકોને ડરાવ્યા; પાલતુ વાનરથી હુમલો કરાવતા અનેકને બચકાં ભર્યાં

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 9:53 am

‘શિવજી કી સવારી’નો રથ મોડીરાતે ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યો:હર હર મહાદેવના નાદ, શંખનાદ સાથે મહિલાઓએ તલવારબાજી થકી પ્રસ્થાન કરાવ્યું

દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટેનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ. આ પર્વની ઉજવણી માટે વડોદરા શહેરના શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ શિવમંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વડોદરા ખાતે શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3.30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળશે. સાંજે 7.15 વાગે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સમક્ષ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. શિવજી કી સવારીનો રથ ગતરાતે જ ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઇ જવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભવ્ય તલવારબાજી થકી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હર હર મહાદેવના નાદ, શંખનાદ સાથે શિવ પરિવાર મુખ્ય માર્ગો ઉપરથી પ્રતાપનગર ખાતે પહોંચ્યો હતો. મહાશિવરાત્રિ પર્વને લઈને ચાલતી માન્યતાઓપૌરાણિક ગ્રંથો અનુસાર, મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયાં હતાં. આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. આ બાદ જાણવા મળ્યું હતું કે, જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવએ પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યાં હતાં. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. શહેરમાં ભવ્ય શિવજી કી સવારી નીકળશેવડોદરા ખાતે શિવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ એક સપ્તાહ પૂર્વેથી જ કરી દેવામાં આવી હતી. વિવિધ શિવાલયોમાં ચાર પ્રહાર પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ભવ્ય શિવજી કી સવારી નીકળશે, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. વડોદરા શહેર તેમજ આસપાસના 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ શિવજી કી સવારીમાં જોડાશે. શિવ પરિવારનો રથ મોડી રાતે ઋણમુક્તેશ્વર મંદિર ખાતે લઇ જવામાં આવ્યો હતો. શહેરના મુખ્યમાર્ગો ઉપર આ રથને જોવા માટે પણ શ્રદ્ધાળુઓમાં હોડ લાગી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 8:52 am

બીલીમોરા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીએ ભક્તો ઉમટ્યા:UKથી ખાસ શિવરાત્રી માટે આવ્યું દંપતી

બીલીમોરાના પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ ભક્તોમાં યુનાઇટેડ કિંગડમ (UK) થી ખાસ શિવરાત્રી માટે આવેલા એક NRI દંપતી પણ સામેલ હતું. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે શિવલિંગ પર ઘી કમળ અર્પણ કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દક્ષિણ ગુજરાતમાં આવેલા શિવાલયોમાં બીલીમોરાનું આ મીની સોમનાથ મહાદેવ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. ૧૦૮ ફૂટ ઊંચા શિખર અને અદ્ભુત કલાકારીગરીથી સુશોભિત આ મંદિર તેની ભવ્યતા માટે જાણીતું છે. મંદિર સંકુલમાં પ્રવેશવા માટે સોમનાથ રોડ પર એક ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર આવેલું છે. આ દ્વાર પાર કર્યા પછી વિશાળ ચોગાન અને ત્યારબાદ મંદિરનું મુખ્ય ઉત્તરદ્વાર આવે છે, જે ૨૦ ફૂટ ઊંચું અને આકર્ષક છે. ઉત્તર દ્વારની ઉત્તરે એક સુંદર બગીચો, ફુવારો અને બાળકો માટે ક્રીડાંગણ પણ છે. ઉત્તર દ્વાર જેવું જ એક દક્ષિણ દ્વાર પણ છે, જે મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરના ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ તેના મૂળ સ્થાને બિરાજમાન છે. શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપ જોવા મળે છે, જે ભવ્ય ઘુમટ નીચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર શુદ્ધ ચાંદીના કલાકારીયુક્ત પતરાથી મઢવામાં આવ્યા છે. બહારના બે સુંદર ગોખમાં ભગવાન ગણેશજી અને હનુમાનજીની પ્રતિમાઓ સ્થાપિત છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 8:14 am

જીવલેણ અકસ્માત:પુરપાટ ઝડપે દોડતી રિક્ષાએ સ્કૂટર ચાલક વૃદ્ધનો ભોગ લીધો

વડવાચોરા મેલડીમાના ખાચામાં રહેતા રાજુભાઈ હરિભાઈ દવે ના મોટાભાઈ કિશનભાઇ હરિભાઈ દવે (ઉં. વર્ષ 72) ગત તા. 12 ના પોતાની tvs સ્કૂટર લઈ બાહુબલી કોમ્પલેક્ષ થી તાલુકા પંચાયત પાસે થઈ સર્ટીહોસ્પિટલ તરફ જતા હતા તે દરમિયાન તાલુકા પંચાયતની પાછળ રોડ પર કાળાનાળા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ રીક્ષા નંબર gj 04 au 6436 ના ચાલકે કિશનભાઇ ને હડફેટમાં લઈ અકસ્માત સર્જી નીચે પછાડી દેતા તેને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:18 am

નાયબ CMના હસ્તે ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત કરાયુ:ભાવનગરમાં નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી જાહેર ટ્રસ્ટોની નોંધણી સુવ્યવસ્થિત બનશે

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. આ કચેરી ખાતે જોઇન્ટ ચેરિટી કમિશનરની કોર્ટ કચેરી તથા ચેમ્બર, બાર રૂમ, નાયબ ચેરિટી કમિશ્નર અધિકારીની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, કાયદા વિભાગના સચિવ યુ. એમ. ભટ્ટ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનના નિર્માણથી ટ્રસ્ટ સહિતના લોકોને સુવિધામાં ઘરઆંગણે જ વધારો થશે તેમજ અદ્યતન વ્યવસ્થાને કારણે તમામ કામગીરી સુવ્યવસ્થિત રહેશે જેનો લાભ તમામને મળશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:17 am

ભાવનગરનું નવું ટર્મિનલ બનશે ગેમચેન્જર:કન્ટેનર ટર્મિનલ માટે ટ્રાફિક, વ્યાપારિક શક્યતા માટે ચકાસણીની પ્રક્રિયા શરૂ

ભાવનગર શહેર નજીક આકાર લઈ રહેલા ભાવનગર નવા બંદર ખાતે બહુહેતુલક્ષી પોર્ટ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (કોન્કોર) દ્વારા કન્ટેનર ટર્મિનલના સંચાલન અને જાળવણી માટે કરાર થયા બાદ સંભવિત કાર્ગો ટ્રાફિક અને વ્યાપારિક શક્યતાઓ અંગે પ્રાથમિક ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પગલાને કારણે ભાવનગર બંદર આવનારા સમયમાં મધ્ય ગુજરાત માટે મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ હબ બની શકે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે. થોડા મહિના પહેલાં કોન્કોર અને ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થયા હતા. ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પહેલેથી જ સત્તાવાર કરાર કરવામાં આવ્યો છે. કરાર મુજબ, ભાવનગર પોર્ટ ઈન્ફ્રાને 30 વર્ષના લીઝ આધારે 235 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે, જ્યારે ભવિષ્યમાં વધુ 250 હેક્ટર વિસ્તાર વધારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટના વિકાસથી મધ્ય ગુજરાત તથા ઔદ્યોગિક રીતે ઝડપથી વિકસતા વિસ્તારોને સીધી દરિયાઈ સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, જે ભાવનગરથી આશરે 60 કિ.મી. દૂર વિકસિત થઈ રહ્યું છે, ત્યાં સ્થાપિત થનારા ઉદ્યોગોને આયાત-નિકાસ માટે સરળ માર્ગ મળશે. ઉદ્યોગકારો માટે કાચા માલની આયાત અને તૈયાર માલની નિકાસમાં દરિયાઈ પરિવહન સૌથી સસ્તું અને કાર્યક્ષમ માધ્યમ માનવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતો મુજબ, દેશમાંથી થતી કુલ નિકાસમાં આશરે 95 ટકા નિકાસ કન્ટેનર મારફતે થાય છે. આવા સમયમાં ભાવનગર બંદરના નોર્થ ક્વે ખાતે વિકસિત થનારા આધુનિક કન્ટેનર ટર્મિનલની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. નવી સુવિધાઓથી કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા વધશે, ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે અને વેપારીઓને સમયસર સેવા મળશે. ભાવનગર પોર્ટથી ધોલેરાને સડક માર્ગે જોડવા નવા રિંગ રોડથી સીધા કાળાતળાવ લિંક રોડ બની રહ્યો છે, તેનાથી શહેરના ટ્રાફિકને અડચણ પણ નડે નહીં અને માલ પરિવહનના ટ્રક સીધા પોર્ટ સુધી પહોંચી શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર આકાર લઇ રહ્યું છે. 95% નિકાસ કન્ટેનર મારફતે થતી હોવાનો અંદાજ, ભાવનગરનું નવું ટર્મિનલ બનશે ગેમચેન્જર સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટભાવનગર-ધોલેરાને રેલ લાઇનથી જોડવાની તત્પરતાધોલેરા સરના ઉદ્યોગોના તૈયાર માલની નિકાસ ભાવનગર બંદરે આકાર લઇ રહેલા કન્ટેનર ટર્મિનલથી થવાની શક્યતાના આધારે જ ભાવનગર-ધોલેરાને રેલ લાઇનથી જોડવા માટેની પણ પ્રક્રિયા શરૂ થઇ છે. કન્ટેનર કાર્ગો ટ્રેન સીધી નવા પોર્ટ કન્ટેનર ટર્મિનલ સુધી જશે અને બંદરેથી કન્ટેનર વડે તૈયાર માલની નિકાસ થશે. - નિરજભાઈ કેશવાણી, નિવૃત્ત અધિકારી, ઉદ્યોગ ભવન

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:16 am

181ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી:નિરાધાર પીડિતાનું માતા પિતા સાથે મિલન કરાવતી 181ની ટીમ

સિહોર તાલુકાના વિસ્તારમાં એક મહિલા હોસ્પિટલ સારવાર માટે જતા જાણવા મળ્યું હતુ કે પીડિત મહિલા પર તેમના પતિએ હાથ ઉપાડેલ છે અને ઘરેથી બહાર કાઢી મૂકેલ છે જેથી પીડિતા સારવાર માટે હોસ્પિટલ એકલા આવેલ હતા . પીડિતાના પ્રેમ લગ્ન હોવાથી તેમના માતા પિતા સાથે પણ કોઈ સંબંધ નથી . પીડિતા એકલા હોય અને તેમની પાછે કોઈ આશ્રય ન હોય જેથી સિહોર હોસ્પિટલ માંથી 181 નંબર પર કોલ કરીને પીડિતાની મદદ માટે 181 ટીમની હેલ્પ લીધી હતી. 181ની ટીમે મહિલાના માતા પિતાનો કોન્ટેક્ટ કરી પીડિતાના બનાવ વિશે જાણ કરી ને પીડિતાને ઘરે રાખવા સમજાવતા સુખદ અંત આવ્યો હતો. આ પ્રકરણમાં 181 ટીમ ઘટના સ્થળે પહોંચી ને પીડિત મહિલાની મુલાકાત લીધી હતી . પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યા મુજબ પીડિતા ના લગ્ન ને 1 વર્ષ થયું છે પીડિતા ના પ્રેમ લગ્ન છે જેથી મારા પિતા સાથે પણ કોઈ કોન્ટેક્ટ નથી પીડિતા ને તેમના પતિ એ નજીવી બાબત માંથી હાથ ઉપાડેલ અને ઘરેથી બહાર કાઢી મૂકેલ હતા. જેથી પીડિતા તેમની સારવાર માટે હોસ્પિટલમાં આવેલ હતા પીડિતા ને તેમના પિયરમાં જવું હોય પણ માતા પિતા રાખશે નહીં નો ડર હોવાથી 181 ટીમ ના કાઉન્સેલર દ્વારા મહિલાના માતા પિતાનો કોન્ટેક્ટ કરી પીડિતાના બનાવ વિશે જાણ કરી ને પીડિતાને ઘરે રાખવા સમજાવ્યા હતા . દીકરીની હાલત વિશે સાંભળીને માતા પિતાથી દીકરીનું દુઃખ જોવાયું નહીં ને દીકરી ને પોતાની પાછી બોલાવી લીધી હતી . પીડિતા ને તેમના પતિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં કરવી ને પીડિત મહિલાને તેમના માતા પિતાને સોંપવામાં આવેલ હતા .

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:14 am

ઉનાળાના આરંભના સંકેતો દેખાયા:મહાશિવરાત્રિ આવીને 20.3 ડિગ્રીએ ઠંડીનો ચમકારો ગાયબ

આવતી કાલ તા.15 ફેબ્રુઆરીને રવિવારે મહાશિવરાત્રિનું પર્વ છે. આપણે ત્યાં કહેવાય છે કે આ પર્વથી ઠંડી ઓછી થાય છે અને હોળીએ ઠંડી સાવ ગાયબ થાય છે. ત્યારે ભાવનગર શહેરમાં હવે બપોરના સમયે ઉનાળાના આરંભના સંકેત આપતી ગરમીનો આરંભ થઇ ગયો છે. આજે મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. બપોરના સમયે અને રાત્રે પણ હવે ઘરોમાં પંખા કે એસી શરુ થઇ ગયા છે. આજે શહેરમાં બપોરના સમયે સામાન્યથી 3 ડીગ્રી સેન્ટીગ્રેડ વધુ તાપમાન નોંધાયુ હતુ જ્યારે રાત્રે સામાન્ય હોવું જોઇએ તેનાથી 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાતા રાતના સમયે ઠંડીનો ચમકાર પણ હવે ધીમી ગતિએ ગાયબ થવા લાગ્યો છે. શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે નજીવું વધીને 32.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 19.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 29 ટકા થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે વધીને 10 કિલોમીટર નોંધાઇ હતી. આવતી કાલ તા.15મીથી ગરમીમાં વધારો થશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:12 am

PGVCLની વસૂલાત ઝૂંબેશ:વીજળીનું બિલ નહીં ભરનારા 1579 ગ્રાહકોના વીજળીના જોડાણ કપાયા

હિસાબી વર્ષના છેલ્લા ત્રિમાસિક સમયગાળા પહેલા PGVCL દ્વારા પરંપરાગત રીતે કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર PGVCL સર્કલમાં ચાલુ ફેબ્રુઆરી મહિનામાં વીજળીનું બિલ નહીં ભરનારા ગ્રાહકો પાસેથી બાકી રકમની ખાસ વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં PGVCLની 1લી ફેબ્રુઆરી-2026થી એક પખવાડિયામાં 4503 કર્મચારીઓને કામે લગાડી આદરેલી કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં વીજળીનું બિલ નહીં ભરનારા 1579 ગ્રાહકોના વીજ જોડાણ કાપી નખાયા છે. PGVCL ભાવનગર સર્કલ દ્વારા ફેબ્રુઆરી-2026 મહિનાથી ડિવિઝન કક્ષાની કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવના આયોજનમાં ગ્રાહકોની સંખ્યા સાથે બાકી લ્હેણી રકમની રોજીંદી માહિતી તૈયાર કરાઈ રહી છે. કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં ભાવનગર PGVCLના પાંચ ડિવિઝનમાં 4503 કર્મચારીઓની ટીમો સાથે વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક પખવાડિયામાં ભાવનગર જિલ્લામાં કુલ 50352 ગ્રાહકો પાસેની વીજ બિલની બાકી લ્હેણી રકમની વસુલાત કરવામાં આવી છે ત્યારે આગામી તા.31મી માર્ચ-2026 સુધીમાં સર્કલ ડ્રાઈવ સાથે PGVCL દ્વારા કલેક્શન અને ડિસકનેક્શનની કામગીરી તેજ બનાવવામાં આવશે. ભાવનગર PGVCL સર્કલમાં કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં ફેબ્રુઆરી-2026 મહિના પ્રથમ પખવાડિયામાં કુલ રૂ.16.45 કરોડની વસુલાતમાં સૌથી વધુ વસુલાત પાલિતાણા ડિવિઝનમાંથી 5.07 કરોડ, ભાવનગર સિટી-2 ડિવિઝનમાંથી 3.42 કરોડની અને મહુવા ડિવિઝનમાંથી 3.25 કરોડની થઇ છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:10 am

શહીદ વંદના:દેવગાણામાં શહીદ પરિવારને એક કરોડનો ચેક અર્પણ

નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન નકસલવાદીઓ સાથે થયેલ મુઠભેડમાં ગોળી વાગતા શહીદ થયેલ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાન તા. 22 મે, 2025ના રોજ બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન ફરજ દરમિયાન શહીદ થયા હતા. બીજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. તેઓ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણાના રહેવાસી હતા. શહીદ જવાનના માતા નાનુબેન નંદલાલભાઈ સોલંકીને શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે રૂ. 1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સી.આર.પી.એફ. ના જવાનો દ્વારા નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નકસલવાદીના હુમલામાં શહીદ થયેલા મેહુલભાઈના પરિવારને આજે ડેપ્યુટી મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને એક કરોડ રૂપિયાનો ચેક પણ અર્પણ કર્યો હતો. આ અવસરે ગામના અગ્રણીઓ તેમજ જિલ્લાના રાજકિય સહિતના આગેવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ મેહુલભાઈ સીઆરપીએફ બ્લેક કોબ્રામાં ફરજ બજાવતા હતાશહીદ થયેલા છતીસગઢ CRPF બ્લેક કોબ્રા બટાલીયનમાં ફરજ બજાવતા મેહુલભાઇ સોલંકી છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં ગત 22 મે, 2025ના રોજ શહીદ થઇ વિરગતિ પામ્યા હતા. સિહોર તાલુકાના દેવગાણા ગામના નંદલાલભાઈ સોલંકીના સૌથી મોટા પુત્ર મેહુલભાઇ (ઉ.વ.33) CRPF black cobra બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ચાર બહેનો અને બે ભાઇઓમાં સૌથી મોટા મેહુલભાઇ અપરિણિત હતા. તેમના પિતા નંદલાલભાઇ અગાઉ મૃત્યુ પામ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:09 am

પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો:ઘરેથી ભાગી પ્રેમીપંખીડાએ હાથ પર બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રોહન હાઉસ કીપીંગનું કામ કરે છે. કતારગામ રહેતી 16 વર્ષીય કિશોરી રોહનના ઘર નજીક રહેતી તેની બહેનપણીના ઘરે આવતી હતી. ત્યારે બન્નેની આંખ મળતા પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્લા દોઢ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો. વેલેન્ટાઈન ડેના બે દિવસ પહેલા તા.12મીએ બન્ને ઘરેથી ભાગી ગયા હતા. પ્રેમીપંખીડા ભાગી જતા સગીરાના પિતાએ કતારગામ પોલીસમાં પુત્રીના અપહરણની ફરીયાદ નોંધાવી હતી. 13મીએ બપોરે રોહન અને કિશોરી બોટનિકલ ગાર્ડનમાં ગયા હતા. જ્યાં રોહને ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કિશોરીએ ઝેર પીધું ન હતું. ત્યાર બાદ બન્ને ત્યાંથી ઘરે જવા નીકળ્યા હતા. જોકે કિશોરી ઘરે ગઈ ન હતી અને પરત રોહનના ઘર તરફ પહોંચી હતી અને રોહનને મળી હતી. જ્યાં રોહને પોતાના હાથના ભાગે બ્લેડ વડે ઈજા પહોંચાડતા કિશોરીએ પણ પોતાના હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ઘટના તરફક કોઈકનું ધ્યાન જતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેને સારવાર માટે દાખલ કરાયા છે. બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યોજહાંગીરપુરા વિસ્તારમાં રહેતો 18 વર્ષીય રોહન ઘરે પૈસા આપતો ન હોવાથી તે બાબતે પરિવારે ઠપકો આપતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. જ્યારે કિશોરીએ પરિવારની રોકટોકના કારણે પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:02 am

7 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે લાભ:વરાછા, લિંબાયત અને રાંદેરમાં પાંચ નવી સરકારી સ્કૂલોની ભેટ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શનિવારે શહેરના વિવિધ ઝોનમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગના સહયોગથી અંદાજે ₹27 કરોડના ખર્ચે એક સ્કૂલનું લોકાર્પણ અને 4 સ્કૂલના ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ નવી સુવિધાઓથી શહેરના 7 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીધો શૈક્ષણિક લાભ મળશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા અત્યાર સુધી મહાપાલિકાની શિક્ષણ સમિતિ માટે ₹250 કરોડથી વધુના ખર્ચે 60થી વધુ સ્કૂલ ભવનો મંજૂર કરવામાં આવ્યા છે, આ સુવિધાઓ હશે 3 ઝોનમાં 5 સ્કૂલો

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:01 am

નોકરી ન્યુઝ:HCLમાં ચાર્જમેન સહિતની 18 પોસ્ટ ભરાશે, પગાર 72 હજાર

હિન્દુસ્તાન કોપર લિમિટેડે (HCL) ચાર્જમેન, ઇલેક્ટ્રિશિયન અને WED ની 18 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. ITI, ડિપ્લોમા કે BA/B.Sc/B.Com સાથે અનુભવ ધરાવતા ઉમેદવાર 25 ફેબ્રુઆરી સુધી www.hindustancopper.com પર અરજી કરી શકશે. પસંદગી પામનારને 72,110 સુધીનો માસિક પગાર મળશે. પસંદગી લેખિત પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટના આધારે કરાશે. સામાન્ય વર્ગ માટે રૂ. 500 ફી નક્કી કરાઈ છે. www.hindustancopper.com પર જઈ Recruitment સેક્શનમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. શૈક્ષણિક વિગતો, અનુભવના પ્રમાણપત્રો અને ફોટો-સિગ્નેચર અપલોડ કરીને ફી ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સાચવી રાખવી. નિમ્ન પદો માટે જરૂરી લાયકાત અને અનુભવ

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 7:00 am

આશ્રમશાળાના 100 વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાત માટે પસંદગી પામ્યા

વિજ્ઞાન પ્રેરણા અભિયાન અંતર્ગત પસંદગી ગ્રામિણ વિદ્યાર્થીઓને મળશે અંતરિક્ષ સંશોધનનો પ્રત્યક્ષ અનુભવ મુંબઈ - રાજ્ય સરકારના વિજ્ઞાાન પ્રેરણા અભિયાન અંતર્ગત મહારાષ્ટ્રની વિવિધ આશ્રમશાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ની મુલાકાત માટે પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની પસંદગી શૈક્ષણિક ગુણવત્તા પરીક્ષાના ગુણના આધારે કરવામાં આવી છે. તેઓ ૧૫થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ઇસરોના વિવિધ વૈજ્ઞાાનિક કેન્દ્રોની મુલાકાત લેશે.

ગુજરાત સમાચાર 15 Feb 2026 7:00 am

પાણી કાપ:સચિન અને કનકપુર સહિતના વિસ્તારોમાં 17મીએ પાણી કાપ

ઉધના-બી (કનકપુર) વિસ્તારના 2 લાખ લોકોએ આગામી 17મી એ મંગળવારના રોજ પાણી કાપ સહન કરવો પડશે. પાણી પુરુ પાડતાં ડિંડોલી જળ વિતરણ મથક હેઠળની લાઈન માંથી લીકેજ હોવાનું મળી આવતાં હાઇડ્રોલિક ખાતું દોડતું થઈ ગયું છે લીકેજ મળતાં હવે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનારી છે. હાઇડ્રોલિક ખાતાના જણાવ્યા મુજબ ડિંડોલી જળ વિતરણ મથક હેઠળ આવતી 600 મી.મી. વ્યાસની ડી.આઈ. લાઈન પર લીકેજ જોવા મળ્યું છે. આ લીકેજ સમારકામ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે, જેના કારણે 17મી મંગળવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:56 am

તુષાર ઘેલાણી આત્મહત્યા પ્રકરણ:તુષાર ઘેલાણીને બ્લેકમેઇલ કરવાના કેસમાં સીસીટીવીના આધારે તપાસ

તુષાર ઘેલાણી આત્મહત્યા પ્રકરણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ બાદ પોલીસે હવે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્યારે તેમના મોબાઇલ ડિટેઇલની પણ તપાસ શરૂ થશે. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ દિકરીના લગ્નના પાંચ દિવસ પહેલા જ 1લી ફેબ્રુઆરીએ લમણે ગોળી મારી દીધી હતી. પાંચ દિવસ સુધી સારવાર બાદ તેમનું મોત થયું હતું. આ બનાવ બાદ તેમની દિકરી તન્વીએ પોલીસમાં અરજી કરી હતી. જેમાં એક પરપ્રાંતિય મહિલા દ્વારા તુષાર ઘેલાણીને બ્લેકમેઇલ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આ મહિલા અને તેની બહેન તુષાર ઘેલાણી હોસ્પિટલમાં હતા ત્યારે પણ ત્યાં આવી હતી અને તન્વીને ધમકી આપી હતી. આ અરજીની તપાસ એસીપી ઝેડ. આર. દેસાઇ એ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારના સીસીટીવી ફુટેજ લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. અરજીના આક્ષેપોના તથ્યો તપાસવામાં આવી રહ્યા છે. જે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની તપાસ કરવામાં આવી છે. અન્ય આક્ષેપોના દસ્તાવેજો પણ તપાસવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલાએ પણ તુષાર ઘેલાણીના પરિવાર સામે આક્ષેપ કરતી અરજી કરી છે. જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:56 am

17 TP સ્કીમ વર્ષોથી ફાઇલોમાં ખાય છે ધૂળ:ડુંભાલ-પુણાની TP 26 વર્ષથી, નાના વરાછા અને વેસુ-ભીમરાડની 25 વર્ષથી, પુણા અને વરિયાવની TP 24 વર્ષથી ફાઇનલ થઈ નથી

26 વર્ષથી ટીપી સ્કીમો ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે અને સરકાર વિકાસના દાવા કરતી રહે છે. સુરત જેવા દેશના સૌથી ઝડપી વિકસતા શહેરમાં આ પરિસ્થિતિ માત્ર બેદરકારી નહીં, પરંતુ શહેરી આયોજનની નિષ્ફળતા દર્શાવે છે. એક તરફ સરકાર ‘પ્લાન્ડ ડેવલપમેન્ટ’ના ભાષણો આપે છે, તો બીજીતરફ ટાઉન પ્લાનિંગ સ્કીમો સમયસર ફાઈનલ ન થતાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટો અટવાઈ રહ્યા છે, રોકાણ અટકી રહ્યું છે. હવે ક્રેડાઈ (કોન્ફડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા) દ્વારા શહેર વિકાસ મંત્રી કનુ દેસાઈ સમક્ષ રજૂઆત કરી છે કે, 'સુરતની જે ટીપી સ્કીમો બાકી છે તેને વહેલી તકે અમલમાં મુકવામાં આવે.' સુરતમાં અમુક ટીપી સ્કિમ તો 26 વર્ષથી લટકેલી છે. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ક્રેડાઇએ રાજ્ય સરકાર સમક્ષ ટીપી સ્કીમો બાબતે ઘણી વખત રજૂઆતો કરી છે પરંતુ નિરાકરણ આવી શક્યું નથી. બમરોલી, મોટા વરાછા, કોસાડની 23 વર્ષથી અને આભવા-રાંદેરની 19 વર્ષથી TP ફાઇનલ થઈ નથી ટીપી વિલંબની સીધી અસર સરકાર ઝડપથી નિર્ણય લે તો રીયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રગતિ આવશેસુરત જેવા ઝડપી વિકાસ પામતા શહેરમાં ટીપી પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થવી એ માત્ર રિયલ એસ્ટેટનો મુદ્દો નથી પરંતુ સમગ્ર શહેરી વિકાસને અસર કરતો પ્રશ્ન છે. ટીપી સ્કીમ સમયસર જાહેર થાય તો ગોઠવણબદ્ધ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણમાં ગતિ આવે. સરકાર તરફથી ઝડપી નિર્ણય લેવાય તો રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી ગતિ આવી શકે છે. ટીપી સ્કીમો લાવવામાં ઈરાદો સારો પણ અમલીકરણ નિષ્ફળક્રેડાઈ સુરત પ્રમુખ ડો. જીજ્ઞેશ પટેલે કહ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાનો ઈરાદો સારો છે પરંતુ અમલીકરણ નિષ્ફળ રહ્યું છે. પેન્ડિંગ ટી.પી બાબતે સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા. પેન્ડિંગ ટી.પીને 90 દિવસમાં મંજૂર કરવામાં નહીં આવે તો આક્રમક પગલાં લેવાશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:55 am

સન્ડે ફોટો સ્ટોરી:મેટ્રોના ડ્રીમ સિટી ડેપોનું કામ અંતિમ તબક્કામાં, 15 મેટ્રો ટ્રેનો એકસાથે પાર્ક કરી શકાય છે

સુરત મેટ્રો લાઇન 1 હેઠળ ડ્રીમ સિટી ખજોદમાં બનાવવામાં આવી રહેલો મેટ્રો ડેપો હવે લગભગ તૈયાર છે. કુલ 210,000 ચોરસ મીટરમાં ફેલાયેલો આ અત્યાધુનિક ડેપો સુરત મેટ્રો ટ્રેનોના ધોવા, નિરીક્ષણ, સમારકામ અને પ્રોફાઇલિંગ માટે સુવિધા યુક્ત હશે. ડેપોમાં બધા સિવિલ કાર્યો પૂર્ણ થઈ ગયા છે અને પેઇન્ટિંગ અને સિસ્ટમ ઇન્સ્ટોલેશન જેવા કામ અંતિમ તબક્કા ચાલી રહ્યા છે. સિસ્ટમ ઇન્સ્ટોલેશન અંતિમ તબક્કામાંડેપોની વહીવટી ઇમારત હવે સંપૂર્ણપણે બની ગઈ છે. સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું કામ અંતિમ તબક્કામાં છે. એક આધુનિક ઓપરેશન કંટ્રોલ સેન્ટર (OCC) સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે સુરત મેટ્રો લાઇન 1 અને લાઇન 2 નું એક સાથે દેખરેખ રાખવાની મંજૂરી આપે છે. OCC માં બે મોટા મોનિટર સ્ક્રીન હશે, જે 12.4 મીટર લાંબી અને ૩ મીટર ઊંચી હશે, જે રીઅલ ટાઇમમાં બંને કોરિડોર પર સિગ્નલિંગ અને ટ્રેનની ગતિવિધિઓનું નિરીક્ષણ કરશે. 12 સ્ટેબલિંગ લાઇન પૂર્ણ કરાઈડેપો ખાતે કુલ 12 સ્ટેબલિંગ લાઇન બનાવવામાં આવી છે, જ્યાં સુરત મેટ્રો રેક પાર્ક કરવામાં આવશે. ડેપોની કુલ ટ્રેન પાર્કિંગ ક્ષમતા 15 ટ્રેનો હશે. શરૂઆતમાં, આ લાઇનો ત્રણ કોચવાળી મેટ્રો ટ્રેનોને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવશે. ₹346 કરોડના ખર્ચે ડેપો બનાવાયોઆ ડેપો આશરે કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ટીટાગઢ વેગન લિમિટેડને સુરત મેટ્રો માટે 24 ટ્રેન સેટ માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં દરેકમાં ત્રણ કોચ છે, જેની ડિલિવરી આ વર્ષના મધ્યમાં સુનિશ્ચિત થયેલી છે. બોર્ડરનું કામ અને માટી ભરવાનું કામ પૂર્ણ થયુંબાઉન્ડ્રી વોલ અને 98% માટી ભરવા સહિત તમામ પેટા બાંધકામ કાર્ય અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. વોશિંગ લાઇન, કંટ્રોલ ટાવર અને ડેપો સ્ટોર માટે સુપરસ્ટ્રક્ચરનું કામ પણ પૂર્ણ થવાના આરે છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:49 am

સિટી એન્કર:જાન્યુઆરીમાં સિલ્વર અને પ્લેટિનમની ડિમાન્ડ વધી, પ્લેઇન ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ 38% ઘટ્યું, લેબગ્રોનમાં સામાન્ય વધારો થયો

જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાન્યુઆરી-2026ના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આંકડાઓ મુજબ ઉદ્યોગમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં કેટલાક સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે તો કેટલાકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડાયમંડ સેગમેન્ટમાં જાન્યુઆરી-2026 દરમિયાન 8895 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ થયો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8768 કરોડ રૂપિયા હતો. એટલે કે 1.16 ટકા જેટલો સામાન્ય વધારો નોંધાયો છે. લેબગ્રોન ડાયમંડમાં પણ 2.31 ટકાની વૃદ્ધિ સાથે 757 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે. પ્લેઈન ગોલ્ડ જ્વેલરીમાં 38.74 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. સિલ્વર જ્વેલરીમાં 117%નો વધારો નોંધાયો ભાસ્કર એનાલિસીસ: બદલાતી માંગ અને ઉદ્યોગ પર અસર ભવિષ્યમાં અસર: જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી વધુ ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ મિક્સ તરફ આગળ વધશે. સ્ટડેડ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગમાં રોકાણ વધી શકે છે અને સિલ્વર-પ્લેટિનમમાં ડિઝાઇન ઇનોવેશન પર ભાર વધશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:ધો.10માં વિદ્યાર્થીઓએ જવાબ સાચો લખ્યો હશે પણ ખોટા સેક્શનમાં લખ્યો હશે તો પણ ઝીરો માર્ક મળશે

CBSE બોર્ડની વાર્ષિક પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 17 ફેબ્રુઆરી 2026થી રાજકોટ સહિત દેશના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના મેદાનમાં ઉતરશે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓ માટે માત્ર વાંચવું જ પૂરતું નથી, પરંતુ ઉત્તરવહીમાં જવાબ ક્યાં લખવો તે સમજવું પણ અનિવાર્ય બન્યું છે. બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલી નવી ‘ડિજિટલ તપાસ પ્રણાલી’ અને ‘સેક્શન રૂલ’ પરીક્ષાની પધ્ધતિ બદલી નાખશે. નવા સેક્શનરૂપ પ્રમાણે ધો.10માં વિદ્યાર્થીઓએ જવાબ સાચો લખ્યો હશે પણ ખોટા સેક્શનમાં લખ્યો હશે તો પણ ઝીરો માર્ક મળશે. ધોરણ-10માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં છાત્રોએ હવે ખાસ તકેદારી રાખવી પડશે. વિજ્ઞાનના પેપરમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ મુખ્ય ભાગો હોય છે. બોર્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીને પણ આ મુજબ વ્યવસ્થિત રીતે વિભાજિત કરવી પડશે. સંબંધિત વિષયના જવાબો તેના ચોક્કસ સેક્શનમાં જ હોવા જોઈએ. CBSE ની આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને નિષ્પક્ષ બનાવવાનો છે. બોર્ડ હવે ઓન-સ્ક્રિન માર્કિંગ સિસ્ટમ તરફ વળી રહ્યું છે. સોફ્ટવેર પ્રશ્નોને સેક્શન વાઈઝ ફિલ્ટર કરતું હોવાથી જો જવાબ આડોઅવળો લખાયો હોય તો મૂલ્યાંકનકાર માટે તેને શોધવો અથવા માર્કસ આપવા મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં, રી-ઇવેલ્યુએશન (પુનઃ તપાસ) વખતે પણ જો ભૂલ વિદ્યાર્થીની હશે (ખોટો સેક્શન લખ્યો હશે) તો બોર્ડ કોઈપણ પ્રકારની રાહત આપશે નહીં. કામની વાત : પરીક્ષામાં માર્ક ન કપાય તે માટે વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ધ્યાન રાખે બોર્ડે વિદ્યાર્થીઓ માટે સેમ્પલ પેપર પણ આપ્યા છે, શાળાઓમાં પણ આ જ સિસ્ટમથી પરીક્ષા લેવાશેCBSE બોર્ડમાં પહેલા એવું હતું કે, સાયન્સ કે સોશિયલ સાયન્સના પેપરમાં બધા સેક્શન એકસાથે જ પૂછાતા હતા. એટલે કે સેક્શન Aમાં કેમિસ્ટ્રી, બાયોલોજી કે ફિઝિક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. પરંતુ હવે ત્રણેય વિષય ડીવાઈડ કરી દીધા છે સેક્શન પ્રમાણે. ધારો કે સાયન્સનું પેપર હોય તો તેમાં ફિઝિક્સનું સેક્શન અલગ, કેમિસ્ટ્રીનું અને બાયોલોજીનું સેક્શન અલગ કર્યું છે. આનાથી એ પણ ખબર પડે કે પરીક્ષામાં ક્યાં વિષયનું કેટલી વેઈટેજ છે. વિષયવાઈઝ માર્કનું એનાલિસિસ થઇ શકે છે. કેન્દ્રીય બોર્ડે વિદ્યાર્થીઓને સમજવા માટે ઘણા સેમ્પલ પેપર પણ આપ્યા છે. શાળાઓને પણ ગાઈડલાઈન આપી છે કે શાળાકીય પરીક્ષાના પેપર પણ બોર્ડની આ નવી ગાઈડલાઈન પ્રમાણે જ સેટ કરવામાં આવે જેથી ફાઈનલ એક્ઝામમાં બાળકોને મુશ્કેલી ન પડે અને નવી સિસ્ટમથી તેઓ અનુકુળ થઇ જાય. - કાજલ શુક્લ, વાઈસ પ્રિન્સિપાલ, જીનિયસ સ્કૂલ શું છે નવો ‘સેક્શન રૂલ’આ વર્ષે ખાસ કરીને ધોરણ 10ના વિજ્ઞાન (Science) અને સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયોમાં નવો સેક્શન રૂલ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ, પ્રશ્નપત્રમાં જે વિભાગ (Section) માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેનો ઉત્તર તે જ વિભાગ હેઠળ લખવો ફરજિયાત છે. જો કોઈ વિદ્યાર્થી સેક્શન ‘A’ ના પ્રશ્નનો સાચો ઉત્તર સેક્શન ‘B’ માં લખી નાખશે તો તેને તે પ્રશ્નના ગુણ નહીં મળે. ડિજિટલ ચેકિંગ સિસ્ટમમાં પેપર સ્કેન થઈને સોફ્ટવેર દ્વારા ચેક થતા હોવાથી, સિસ્ટમ માત્ર તે વિભાગમાં નિર્ધારિત કરેલા જવાબોને જ ઓળખશે. ખોટા સ્થાને લખાયેલા જવાબો ડિજિટલ સ્કેનિંગ દરમિયાન નજરઅંદાજ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:33 am

NMMSનું પરિણામ:2.07 લાખમાંથી 20 વિદ્યાર્થીઓએ જ મેળવ્યા 90%થી વધુ માર્કસ!

રાજ્યના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી ‘નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ’ (NMMS) પરીક્ષાનું પરિણામ આજે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગત 3 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યભરમાં લેવામાં આવી હતી. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.sebexam.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. રાજ્યભરમાંથી નોંધાયેલા 2.07 લાખ વિદ્યાર્થીઓ વચ્ચેની આકરી સ્પર્ધામાં માત્ર 20 વિદ્યાર્થીઓ જ એવા છે જેઓએ 90% થી વધુ ગુણ મેળવ્યા છે. 3 જાન્યુઆરીના રોજ લેવાયેલી આ પરીક્ષામાં રાજ્યના ખૂણેખૂણેથી લાખો વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષામાં સમગ્ર રાજ્યના 2.07 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 14 હજાર કરતાં વધુ સ્કૂલના 78 હજાર જેટલા વિદ્યાર્થીઓ 40 ટકા કરતા વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા છે. જ્યારે માત્ર 20 વિદ્યાર્થીઓ જ 90 ટકા કરતા વધુ ગુણ લાવી શક્યા છે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી નિયત ક્વોટા અનુસાર 5097 વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. NMMS પરીક્ષાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. 2.07 લાખ વિદ્યાર્થીઓમાંથી મેરિટમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને જ આ વાર્ષિક શિષ્યવૃત્તિનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:31 am

ગૌસેવા:કિસાન ગૌશાળામાં ‘કાઉ હગ ડે’ની ઉજવણી, કામધેનુ યજ્ઞ, 2000થી વધુ ગૌવંશનું સામૂહિક પૂજન કરાયું, બહેનોએ ગાયોને ગોળ ખવડાવ્યો

શહેરના આજી ડેમ પાસે, રામવનની સામે આવેલી કિસાન ગૌશાળામાં ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી ગૌપૂજન કરવામાં આવ્યું. જેમાં બ્રહ્મમુહૂર્તમાં કામધેનુ યજ્ઞ કરવામાં આવયો હતો. ત્યારબાદ 2000થી વધુ ગૌવંશનું સામૂહિક પૂજન કરવામાં આવ્યું. આ તકે વિવિધ શાળાના બાળકોએ મુલાકાત લઇ ગૌવંશને વહાલ કરી પૂજન કર્યું હતું. ઠેર-ઠેરથી ધૂન ભજન મંડળીની બહેનો આવીને ગૌવંશને ગોળ ખવડાવ્યો. કામધેનું યજ્ઞમાં 30 લોકો બેઠા હતા. અહીં ગૌશાળામાં અંધ, અપંગ, બીમાર 2300 ગૌવંશને રાખવામાં આવી છે. ભારતીય પરંપરાના કરુણા અને સ્નેહભર મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે GCCI તથા ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:30 am

અકસ્માત સર્જાયો:બેકાબૂ થારે સ્કૂટરને ઉલાળ્યું, દંપતી સહિત ત્રણ ઘવાયા

શહેરના મવડી ચોકડી નજીક શનિવારે રાત્રિના પૂરપાટ ઝડપે ધસી આવેલી થારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલા ટ્રિપલસવારી સ્કૂટરને ઉલાળ્યું હતું. થારની ઠોકરથી દંપતી અને તેની સાથેની બાળકી સ્કૂટર પરથી ફંગોળાયા હતા. અકસ્માતમાં રસ્તા પર પટકાયેલા લોકોને ઊભા કરવાને બદલે થાર ચાલકે રિવર્સમાં પોતાનું વાહન લઇને ભાગ્યો હતો. અકસ્માત સર્જી નાસી રહેલા થાર ચાલકને અટકાવવાનો પ્રયાસ કરનાર કેટલાક લોકો પૈકી એક યુવકને પણ ચાલકે ઉલાળ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, પોલીસે તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:24 am

ખાર રાખીને કાર સળગાવી:બહેનને ભગાડી જનાર પ્રેમીના પિતાની કાર સળગાવી નાખી

શહેરના વિજય પ્લોટમાં રહેતા યુવકે નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટર્સમાં પાર્ક કરેલ તેની કારને એ વિસ્તારમાં રહેતા શખ્સે સળગાવી નાખી હતી. બહેનને પ્રેમી ભગાડી ગયો હોય તેનો ખાર રાખી પ્રેમીના પિતાની કારને સળગાવી દેવાઇ હતી. વિજય પ્લોટમાં રહેતા ચિરાગભાઇ બોદુભાઇ ઘોરી (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટર્સમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો સતિષ અગ્રાવતનું નામ આપ્યું હતું. ચિરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુું કે, નાણાવટી ચોક નજી રહેતો તેનો ભત્રીજો રાજ ચૌહાણ તેમની કાર પંદર દિવસ પહેલાં લઇ ગયો હતો અને કાર આવાસ ક્વાર્ટર્સના પાર્કિંગમાં પાર્ક કરી હતી. શનિવારે વહેલી સવારે પાંચેક વાગ્યે કારમાં આગ ભભૂકી હતી. ચિરાગભાઇએ ફરિયાદમાં એમપણ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર શાહિદ એક મહિના પહેલાં વિમલ સતિષ અગ્રાવતની બહેનને ભગાડી ગયો હતો. જે બાબતનો ખાર રાખી વિમલે ગત તા.9ના ફોન કરીને ચિરાગભાઇને ધમકી આપી હતી કે, જૂના કેસમાં સમાધાન કરી લે નહીં તો તને છરીના ઘોદા મારી દઇશ અને તારી કાર સળગાવી નાખીશ. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:24 am

36.1 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન:રાજકોટમાં ગરમીએ રેકોર્ડ બનાવી દીધો

ચાલુ વર્ષે શિયાળાની મોડી શરૂઆત બાદ વહેલી વિદાય શરૂ થઇ હોય તેમ છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે. શુક્રવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયા બાદ શનિવારે ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશાના પવન ફૂંકાતા હોવા છતાં ગરમીએ બાર વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને રાજકોટમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતું. સામાન્ય રીતે શરદપૂર્ણિમા બાદ ગુલાબી ઠંડી સાથે શિયાળાના પગરવ થતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે દિવાળી બાદ કમોસમી વરસાદ પડતા ઋતુચક્ર ખોરવાઈ ગયું હોય તેમ ઠંડીની મોડી શરુઆત થઇ હતી. જોકે શિયાળામાં પણ કડકડતી ઠંડીના ગણ્યા ગાઠ્યાં દિવસો જ રહ્યા હતા અને ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયા બાદ શિયાળાની વિદાયની થતી હોય ગરમીએ જોર પકડી લેતા મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીથી સતત ઉપર ચડી ગઈકાલે શુક્રવારે પારો 35.7 ડિગ્રી રહ્યો હતો. શનિવારે સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેર 36.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોના મતે 12 વર્ષ બાદ ફેબ્રુઆરીએ ગરમીનો રેકોર્ડ બનાવ્યો છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં સુરેન્દ્રનગરમાં 34.5, પોરબંદરમાં 34.3 અને ભાવનગરમાં 32.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:23 am

ચૂંટણી ટાણે જ રાજકોટ કલેક્ટર તંત્રમાં સ્ટાફની અછત:રાજકોટમાં ના.મામલતદારની 49, કારકુનની 110 અને રેવન્યુ તલાટીની 101 જગ્યા ખાલી

‘સર’ની કામગીરી પૂર્ણ થવાની સાથે જ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થયું છે તેવા સમયે જ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને જુદી-જુદી મામલતદાર કચેરીમાં સ્ટાફની અછતને કારણે અરજદારોની રૂટિન કામગીરીને માઠી અસર પહોંચી રહી હોવાનું સામે આવ્યું છે. અધિક નિવાસી કલેક્ટરની જગ્યા પણ ખાલી છે તેવામાં મહેસૂલ વિભાગે શુક્રવારે બઢતીનો ઘાણવો કાઢી રાજ્યના 37 મામલતદારની બદલી કરી 165 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપતા રાજકોટના બે મામલતદારની બદલી થઇ છે અને નવ નાયબ મામલતદાર બઢતી સાથે મામલતદાર બની જતા મામલતદાર અને નાયબ મામલતદારોની ઘટમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રમાં હાલમાં મામલતદારની છ જગ્યાઓ ખાલી છે જેમાં રાજકોટ પશ્ચિમ અને જસદણ મામલતદારની બદલી થઇ છે. સાથે જ નવ નાયબ મામલતદારને પ્રમોશન મળ્યા છે. જિલ્લામાં નાયબ મામલતદારની મંજૂર 240 જગ્યાઓ સામે 200 જગ્યા ભરેલી હતી જેમાં 9 નાયબ મામલતદારને પ્રમોશન મળતા હવે 49 જગ્યા ખાલી પડી છે. એ જ રીતે રેવન્યુ ક્લાર્કની 230 મંજૂર જગ્યા સામે 120 જગ્યા ભરેલી હોય હાલમાં 110 જગ્યા ખાલી છે. સાથે રેવન્યુ તલાટીની મંજૂર 175 જગ્યા સામે 74 જગ્યાઓ જ ભરેલી હોવાથી 101 જગ્યા ખાલી રહેતી હોય અરજદારોની રૂટિન કામગીરીને અસર પડી રહી છે. રેવન્યુ તલાટી અને નાયબ મામલતદારની જગ્યા ઇન્ચાર્જ હવાલે ચાલી રહી છે.મહત્ત્વનું છે કે, કલેક્ટર કચેરીમાં અધિક નિવાસી કલેક્ટરની જગ્યા પણ હાલમાં ચાર્જમાં ચાલી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ખાલી જગ્યાઓ ભરાઈ તેવા સંકેત મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:22 am

પાણી પુરવઠા વ્યવસ્થામાં સલામતી જાળવવા માટે પહેલ:ક્લોરિન લીકેજ થાય તો શું કરવું ?મનપાએ સ્ટાફને તાલીમ આપી

ભૂતકાળમાં રાજકોટ શહેરમાં ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન લીકેજની ઘટનાઓ બની હોય ફિલ્ટર પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશનમાં ક્લોરિન લીકેજ થાય તો શું કરવું તેની સમજ આપવા મનપાના ઈજનેર, કેમિસ્ટ અને ક્લોરિન એટેન્ડન્ટ દ્વારા શહેરના વેસ્ટ ઝોન હેઠળ આવતા પમ્પિંગ સ્ટાફ માટે મહત્ત્વની તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ કોર્પોરેશનના વોટર મેનેજમેન્ટ વિભાગે વેસ્ટ ઝોન હેઠળ આવતા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ, ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટ, 150 ફૂટ રીંગ રોડ પમ્પિંગ સ્ટેશન, સોજીત્રાનગર પમ્પિંગ સ્ટેશન, મવડી પમ્પિંગ સ્ટેશન તથા વાવડી પમ્પિંગ સ્ટેશન ખાતેના સ્ટાફ માટે ક્લોરિન લીકેજ અટકાવવા બાબતની વિશેષ ટ્રેનિંગ આપી આકસ્મિક પરિસ્થિતિમાં સુરક્ષિત રીતે કામગીરી કરી શકાય તે માટે SCBA એટલે કે ઓક્સિજન સેટ પહેરવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. સાથે જ ક્લોરિન લીકેજ નિયંત્રણ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બ્લાઈન્ડ ક્લેમ્પ લગાવવાની પ્રક્રિયા તેમજ ક્લોરિન સેફ્ટી કિટના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:22 am

સન્ડે ફોટો સ્ટોરી:અમને તો તમે વૃદ્ધાશ્રમ મૂકી ગયા, તમને તમારા સંતાનો ન મૂકી જાય એ જ શિવજીને પ્રાર્થના

શિવરાત્રિ એટલે સનાતન સંસ્કૃતિનો ખાસ તહેવાર. આ દિવસે યજ્ઞ અને પૂજાનું ખાસ મહાત્મય છે. આ દિવસે સાચા હૃદયે થયેલી પ્રાર્થના પૂરી થાય છે. આ ધાર્મિક તહેવારને સામાજિક ઉત્તરદાયિત્વમાં સમાવવા માટે ભાસ્કરે વિચાર આપ્યો હતો કે શહેરના વૃદ્ધાશ્રમોમાં યજ્ઞ કરાવવો જોઇએ. જે યજ્ઞમાં વૃદ્ધાશ્રમોમાં સંખ્યા ઘટે તેવી પ્રાર્થના થાય. આ વિચારને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલક અનુપમભાઈ દોશી અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયાએ વધાવી લીધો હતો અને શિવરાત્રિની પૂર્વસંધ્યાએ યજ્ઞ થયો હતો. આ યજ્ઞમાં વડીલોએ ફક્ત એક જ પ્રાર્થના કરી કે તેમને તેમના સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા, હવે એ સંતાનોને તેમના સંતાનો વૃદ્ધાશ્રમમાં મૂકવા ન આવે અને પરિવાર સાથે જ તેમનું જીવન પસાર થાય. માત્ર એટલું જ નહિ જે વડીલોને સંતાન નથી તેઓએ શિવજી પાસે માગ્યું કે હવે પછીની પેઢીને વૃદ્ધાશ્રમમાં આશરો ન લેવો પડે. બેસી શકતા ન હતા તેઓ પ્રાર્થના માટે 3 કલાક યજ્ઞમાં જોડાયાવૃદ્ધાશ્રમમાં એવા ઘણાં વડીલો છે કે જેઓ બેસી પણ શકતા નથી. આમ છતાં પોતાના સંતાનો માટે પ્રાર્થના કરવા માટે 3 કલાક સુધી યજ્ઞમાં જોડાયા હતા અને આહુતિ કરી હતી. સંચાલકોએ જણાવ્યું કે, આજની પેઢીએ પોતાના માતા-પિતાને સાચવવા માટે વચનબદ્ધ થવું જોઈએ. માતા-પિતાને સાચવવા તે વૈકલ્પિક બાબત નહિ પણ જવાબદારી છે, ફરજ છે અને ફરજિયાત પણ છે. ભાસ્કર વિચાર :શહેરના વૃદ્ધાશ્રમોમાં શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ થયો ખાસ યજ્ઞ, વડીલોએ કરી એક જ પ્રાર્થના હવે પછીની પેઢીઓની વૃદ્ધાશ્રમોમાં સંખ્યા ઘટે

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:19 am

હિલ્લોક હોટલનો કટ બંધ થતા ફોરવ્હીલ ચાલકોએ રોંગસાઈડ પકડી!:3 KMનો ફેરો ટાળવા ઝુંડાલ બ્રિજ નીચેથી જવાનું શરુ કર્યું, ટ્રાફિક્જામ અને અકસ્માતને ખુલ્લુ આમંત્રણ

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી-ઝુંડાલ વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ થતાં ફોર-વ્હીલર ચાલકોએ ત્રણ કિલોમીટરનો લાંબો ફેરો ટાળવા ઝુંડાલ બ્રિજ નીચેના પાર્કિંગ કટમાંથી રોંગ સાઈડમાં અવરજવર શરૂ કરી દીધી છે, જેના કારણે બ્રિજ નીચે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે અને અકસ્માતનું જોખમ ખુલ્લું આમંત્રણ બની ગયું છે. ઔડા-મ્યુનિસિપલ કોર્પોરેશને નાના ગરનાળામાં માત્ર ટુ-વ્હીલર પસાર થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે અને થાંભલા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ ફોર-વ્હીલર ચાલકો માટે ઝુંડાલ સર્કલ સુધીનો ફરજિયાત ફેરો ટાળવા રોંગ સાઈડમાં પસાર થવાનું વલણ વધતાં પીક અવર્સમાં જામ અને અકસ્માતની શક્યતા વધી રહી છે, જેને લઈને સ્થાનિકો અહીં ટ્રાફિક પોલીસની સતત હાજરી રાખવાની માંગ કરી રહ્યા છે. ટ્રાફિકનું નિરાકરણ લાવવા ગરનાળામાંથી ટુ-વ્હીલર જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવીઅમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી-ઝુંડાલ વિસ્તારમાં હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ કરાયા બાદ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાએ નાના ગરનાળામાંથી માત્ર ટુ-વ્હીલર પસાર થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી દીધી છે. સ્થાનિકોની ઉગ્ર રજૂઆત અને સિગ્નેચર કેમ્પેઈન બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. નાના ગરનાળામાં ટુ-વ્હીલરની અવરજવર માટે થાંભલા મૂકાયાહાલ ઔડા-મ્યુનિસિપલ કોર્પોરેશને હોટલ હિલ્લોક પાસેના નાના ગરનાળાની વચ્ચે થાંભલા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ટુ-વ્હીલર ચાલકો આરામથી ગરનાળામાંથી પસાર થઈ શકે છે અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા નજીકની દુકાનોમાં જવા-આવવા માટે સુવિધા થઈ છે, પરંતુ ગરનાળાની સુરક્ષા અને મજબૂતી અંગે ઔડા દ્વારા કોઈ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. ગરનાળાની જર્જરિત હાલતથી તંત્ર અજાણ?હોટલ હિલ્લોક પાસેના નાના ગરનાળાની જર્જરિત હાલત અને આજુબાજુની દિવાલોમાં પડેલી તિરાડોને લઈને તંત્ર દ્વારા હજુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ગરનાળાને મજબૂત કરવા કે રિપેર કરવાની તાતી જરૂરિયાત છે, કારણ કે ચોમાસા દરમિયાન આ ગરનાળુ ધરાશાયી થવાની અથવા દુર્ઘટના થવાની ગંભીર શક્યતા છે. સર્કલથી ફરવું ન પડે એટલે ફોર વ્હીલરચાલકો કટમાંથી પસાર થાય છેબીજી તરફ ફોર-વ્હીલર ચાલકોને ન્યુ ત્રાગડ કે ચાંદખેડા તરફ જવા માટે ફરજિયાત ઝુંડાલ સર્કલ સુધી લાંબો ફેરો લેવો પડે છે. જોકે, ઝુંડાલ સર્કલથી ફરવું ન પડે તેના માટે ફોર વ્હીલર ચાલકો બ્રિજની નીચે એક કટ આવેલો છે ત્યાં નીચેથી પસાર થાય છે, જેના કારણે હવે બ્રિજની નીચે હવે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ફોર-વ્હીલર ચાલકો રોંગ સાઈડમાં આવતા હોવાથી અને બીજી તરફથી આવતા વાહનો સાથે ટકરાવની સ્થિતિ સર્જાતી હોવાથી જામની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની હાજરી નહિવત હોવાથી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. ટ્રાફિક પોલીસની હાજરી રાખવા સ્થાનિકોની માગસ્થાનિકોની માંગ છે કે, આ કટ પર ટ્રાફિક પોલીસની સતત હાજરી રાખવામાં આવે. જેથી રોંગ સાઈડમાં અવરજવર થતી અટકાવી શકાય અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય. ટુ-વ્હીલર ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ હોવા છતાં ફોર-વ્હીલર ચાલકોને ઝુંડાલ સર્કલ સુધીનો ફરજિયાત ફેરો અને બ્રિજ નીચેના કટમાંથી અવરજવરને કારણે હાલાકી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:05 am

સિટી એન્કર:નર્સને પ્રેમમાં ફસાવી તેનો સોનાનો ચેઇન લઇ ગીરવે મૂકી દીધો, છોડાવવા માટે વધારાના રૂ.53 હજાર લીધા, કંઇ પરત ન આપ્યું

શહેરમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને બજરંગવાડીના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રસંગમાં પહેરવાના બહાને યુવતીનો સોનાનો ચેઇન લઇ જઇ ગીરવે મૂકી દીધો હતો અને તે છોડાવવાના બહાને યુવતી પાસેથી વધારાના રૂ.53 હજાર પણ પડાવ્યા હતા. જોકે યુવતીને સોનાનો ચેઇન કે રોકડ કંઇ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી. કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બજરંગવાડીના રાહુલ બિજલ ધ્રાંગિયાનું નામ આપ્યું હતું. યુવતીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલનો પરિચય થયો હતો. ફોન પર વાતચીત અને મળવાનો દોર શરૂ થયો હતો. રાહુલે લગ્નની લાલચ આપી હતી અને તેના ઘરે પણ આ સંબંધની જાણ હતી. જુલાઇ 2025માં રાહુલે ફોન કરીને કહ્યું હતું કે, તેના ઘરે પ્રસંગ છે જેથી સોનાનો ચેઇન બે દિવસ માટે પહેરવા આપ, પ્રેમીની વાતમાં આવીને યુવતી બાલભવનના ગેટે ગઇ હતી અને ત્યાં રાહુલને 19.50 ગ્રામનો રૂ.1.58 લાખની કિંમતનો સોનાનો ચેઇન આપ્યો હતો. એક મહિનો વીતી જવા છતાં રાહુલે ચેઇન પરત નહીં આપતા યુવતી ફોન કરીને ઉઘરાણી કરતી ત્યારે અલગ અલગ બહાના આપતો હતો. ત્યારબાદ રાહુલે કહ્યું હતું કે, સોનાનો ચેઇન ફાઇનાન્સ પેઢીમાં ગીરવે મૂક્યો છે. યુવતીએ પેઢીમાંથી ચેઇન પરત અપાવવાનું કહ્યું, તો રાહુલ હાલમાં પૈસા નથી તેવા બહાના કાઢતો હતો અને ત્યારબાદ તેણે યુવતીને રૂ.53 હજાર છોડાવવાના થશે તેમ કહેતા યુવતીએ કટકે કટકે રૂ.53 હજાર ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ રાહુલે સોનાનો ચેઇન છોડાવ્યો નહોતો અને યુવતીના રૂ.53 હજાર પણ જમી ગયો હતો. અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે રાહુલ ધ્રાંગિયાની ધરપકડ કરી વિશેષ તપાસ શરૂ કરી હતી. પૂનમ, નેહલ, પૂજા સહિત અનેક યુવતીને જાળમાં ફસાવ્યાનો આક્ષેપરાહુલ ધ્રાંગિયા સામે ફરિયાદ કરનાર યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રાહુલે તેની સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. રાહુલને પોતાના ઉપરાંત પૂનમ, નેહલ અને પૂજા સહિત અનેક યુવતી સાથે સંબંધ છે. પોતાના વાકચાતુર્યથી યુવતીઓને ફસાવતો હતો અને સંબંધ કેળવ્યા બાદ યુવતીઓ પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ મેળવી પરત કરતો નહોતો, પોતાને પણ જાળમાં ફસાવ્યા બાદ પોતાના સંબંધ અંગે પિતાને કહી દેવાનું કહી બ્લેકમેઇલ કરતો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:02 am

ભવનાથમાં નાગા સાધુઓની સાધના, વિદેશીઓ પણ અભિભૂત:તૂર્કિયે અને ઈઝરાયલની સાધ્વીઓએ ધૂણી ધખાવી, ગિરનારી માતાજીએ કહ્યું- 'કિન્નરથી મોટું કોઈ સંન્યાસી નથી'

આજે મહાશિવરાત્રિ એટલે કે મેળાનો અંતિમ દિવસ. છેલ્લા પાંચ દિવસથી લાખો લોકોએ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો આનંદ લઈ રહ્યા છે. જેમાં વિદેશીઓ પણ બાકાત નથી રહ્યા. તુર્કિયે, ઈઝરાયલ, યુરોપ સહિતના દેશોમાંથી લોકો શિવરાત્રિના મેળાની મોજ માણવા જૂનાગઢ પહોંચ્યા છે. ત્યારે નેધરલેન્ડથી આવેલા એક કપલ સાથે ભાસ્કરે વાતચીત કરી મેળા વિશેના અનુભવ જાણ્યા હતા. નેધરલેન્ડની યુવતીએ જૂનાગઢને પોતાની પિતૃભૂમિ ગણાવી હતી અને કહ્યું હતું કે વી લવ ઈન્ડિયા. મહાશિવરાત્રિના મેળામાં દેશભરના કિન્નર અખાડાઓમાંથી 50થી વધુ કિન્નર પણ 'મિની કુંભ'માં હાજરી આપવા પહોંચ્યા છે. કિન્નર અખાડાના ગિરનારી માતાજીએ કહ્યું હતું કે, કિન્નરોથી મોટું કોઈ સંન્યાસી નથી. ભવનાથના મેળાનું વિદેશીઓને ઘેલું લાગ્યુંજૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. જેની મોજ માણવા વિદેશીઓ પણ પહોંચ્યા છે. યુરોપથી આવેલું કપલ અને ઈઝરાયલ-તૂર્કિયેથી આવેલી યુવતીઓ મહાશિવરાત્રિ મેળાના રંગે રંગાયેલા જોવા મળ્યા. યુરોપિયન કપલે કહ્યું- 'અહીં અમને ઘર જેવી અનુભૂતિ થાય છે'ભવનાથમાં મેળાની મોજ માણી રહેલા નેધરલેન્ડના કપલ સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. ફ્લોરેન્સ નામની યુવતીએ કહ્યું કે, નેધરલેન્ડ મારી માતૃભૂમિ છે અને આ(જૂનાગઢ) મારી પિતૃભૂમિ છે. અહીં આવીને અમને અમારા ઘર જેવી જ અનુભૂતિ થાય છે.અહીંના જ્યારે અમે ફોટો અમારા પરિવારજનોને મોકલ્યા તો આવતા વર્ષે તેઓએ પણ અહીં આવવાની ઈચ્છા વ્યકત કરી. જ્યારે પીટરે કહ્યું હતું કે, અમે યુરોપથી અહીં પ્રથમવાર આવ્યા છીએ. અહીં તમામ લોકો પાણી, ફ્રુટ અને ભોજનની ઓફર કરી રહ્યા છે. વી લવ ઈન્ડિયા. કિન્નરથી મોટો આ ધરતી પર સંન્યાસી કોઈ નથી- ગિરનારી માતાજીશ્રી પંચદશનામ જુના કિન્નર અખાડાના કિન્નર અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનારી માતાજીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે,કિન્નર અખાડાની સ્થાપના 2016માં થઈ. જેમાં જુના અખાડા સાથે કિન્નર અખાડાનું ગઠન કરવામાં આવ્યું અને બાદમાં મહાકુંભ હોય કે શિવરાત્રી હોય જ્યાં કિન્નર અખાડો આવે છે. જુનાગઢ ભવનાથ તળેટીમાં હાલ 60થી વધુ કિન્નરો આવ્યા છે.જેને ધુણા ધખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે. કિન્નરો અહીં અન્નક્ષેત્ર પણ ચલાવી રહ્યા છે અને ભાવિકોને ભોજન પ્રસાદી પીરસી રહ્યા છે. કિન્નર એ શિવ અને શક્તિનું રૂપ છે. કિન્નર નર પણ છે અને નારાયણી પણ છે. પુરાણોમાં પણ અમારો ઇતિહાસ છે અને ભગવાન શિવ વરદાન આપ્યું હતું કે,કિન્નરો જેને આશીર્વાદ આપશે તેનું જીવન સફળ થશે. હાલ અમારો કિન્નર સમાજ જ્યાં પણ જાય છે ત્યાં લોકોને આશીર્વાદ આપે છે. કિન્નરો ભિક્ષાવૃત્તિ પણ કરે છે અને કિન્નરો અન્નક્ષેત્રો પણ ચલાવે છે અને ભિક્ષાવૃત્તિ પણ કરીએ છીએ અમે ભિક્ષાવૃત્તિ કરી અને અહીં અન્ન ક્ષેત્રો ચલાવીએ છીએ. આજના સમયમાં કિન્નરો બધુ કરી શકે છે. સ્ત્રી સાધુ બની શકે છે જેમ પુરુષ સાધુ બની શકે છે. પરંતુ એક અવસ્થા અને ઉમર પછી સ્ત્રી પુરુષ સાધુ બની શકે છે. પરંતુ કિન્નર તો જન્મજાત જ કિન્નર રૂપે જ જનમ લે છે. કિન્નર જ્યારે જન્મ બાદ પોતાના માતા-પિતાનો ત્યાગ કરે છે ત્યારથી જ તે સન્યાસી બની જાય છે. કિન્નરથી મોટો આ ધરતી પર સન્યાસી કોઈ નથી. ભવનાથ મેળાના આ સમાચાર પણ વાંચોઃકોણીના ભાગેથી શ્વાસ ખેંચી ચિલમ સળગાવતા સાધુ ગિરનારની ગિરિ કંદરાઓમાં જ્યારે 'હર હર મહાદેવ'ના નાદ ગુંજે છે અને ભવનાથની તળેટીમાં ભભૂતિધારી સાધુઓ ઊતરે છે ત્યારે આખી અવધપુરી શિવમય બની જાય છે. આ વર્ષે સરકારે ભવનાથ શિવરાત્રિ મેળાને 'મિની કુંભ' જાહેર કર્યો છે, જેના કારણે આસ્થાનો મહેરામણ બમણા વેગે ઊમટ્યો છે. આ મેળાનું સૌથી મોટું આકર્ષણ અહીં આવતા નાગાસાધુઓ અને તેમની અકલ્પનીય તપસ્યા છે. ધૂણી ધખાવી, ચિલમના ધુમાડા સાથે શિવની આરાધના કરતા આ સાધુઓની દુનિયા જેટલી રહસ્યમય છે એટલી જ શ્રદ્ધાથી ભરેલી છે. આ ભીડ વચ્ચે દિવ્ય ભાસ્કરે ત્રણ એવા સાધુ સાથે મુલાકાત કરી હતી, જે આખા મેળામાં સૌથી યુનિક હોય. (સંપૂર્ણ સમાચાર વાંચો) કેવી હોય છે નાગાસાધુઓ અને અઘોરીઓની રહસ્યમયી દુનિયા? નાગાસાધુઓ અને અઘોરીઓની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવા માટે દિવ્ય ભાસ્કર મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યું હતું. જ્યાં પહોંચતાંની સાથે જ ધૂણી ધખાવી અલખની આરાધના કરતા નાગાસાધુઓને જોઈ લાગે કે આ અઘોરીઓ અને નાગાસાધુઓની એક અલગ દુનિયા છે. શરીરે ભસ્મ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, લાંબી જટા અને ચમકતી આંખોમાં જાણે કે શિવની ભક્તિ સમાયેલી હોય એવી અનુભૂતિ થાય છે. નાગાસાધુઓની વાત કરવામાં આવે તો તેઓ વાસ્તવમાં સનાતન ધર્મના રક્ષક અને શિસ્તબદ્ધ સૈનિકો માનવામાં આવે છે. તેમનું જીવન ગુરુની સેવા અને કઠિન સાધનાથી શરૂ થાય છે. નાગાસાધુ બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે સંસારનો મોહ ત્યાગી અખાડામાં જોડાય છે ત્યારે ગુરુ સૌપ્રથમ તેની કસોટી કરે છે. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય અને શિસ્તનું પાલન કર્યા બાદ જ તેને દીક્ષા આપવામાં આવે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:00 am

હવે હોટલમાં આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની માથાકૂટ ખતમ:ગુજરાતમાં શરૂ થશે ડિજિટલ ચેક ઇન, QR કોડ સ્કેન કરો અને ફેસ વેરિફાય થતાં જ રૂમ મળશે

ગુજરાતની હોટલમાં ચેક ઇન માટે હવેથી આધાર કાર્ડની કોપી નહીં આપવી પડે. અત્યાર સુધી એવું થતું હતું કે જ્યારે તમે કોઇ હોટલમાં રોકાવા જાઓ ત્યારે પુરાવા તરીકે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી પડતી હતી પણ હવે ડિજિટલ પેમેન્ટની જેમ જ ડિજિટલ ચેક ઇન થશે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે કેવી રીતે ડિજિટલ ચેક ઇન થશે? આ સિસ્ટમથી સરકારથી માંડીને સામાન્ય લોકોને શું અસર થશે? કેવા ફેરફાર થશે? દિવ્ય ભાસ્કરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ દિલીપ ઠાકોર પાસેથી તમામ માહિતી મેળવી હતી. આપણે કોઇપણ જગ્યાએ જઇએ અને ID આપવાનું આવે ત્યારે તરત જ આધાર કાર્ડ ધરી દેતાં હોઇએ છીએ. જેનો ક્યારેક દુરુપયોગ પણ થતો હોય છે. સરકાર ધીમે ધીમે આ વ્યવસ્થા બદલાય તે દિશામાં આગળ વધી રહી છે. આધાર કાર્ડ બનાવનાર અને તેનું કામ સંભાળનારી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ 28 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં નવી આધાર એપ લોન્ચ કરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આમંત્રણ આપ્યું હતું. આખા દેશમાં ફક્ત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મંજૂરીઆ ઇવેન્ટમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પથિક સોફ્ટવેર સાથે આધાર કનેક્ટ કરવાની મંજૂરી અપાઇ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આખા દેશમાં પહેલી એવી સરકારી સંસ્થા છે જેને આ મંજૂરી મળી હતી. હવે ડિજિટલ ચેક ઇનપથિક એપ્લિકેશન 2017થી કાર્યરત છે. હોટલમાં રોકાનારા કોઇપણ વ્યક્તિનો ડેટા 2017થી પથિક સોફટવેરમાં સ્કેન કરીને અપલોડ કરવામાં આવતો હતો. એ હવે ડિજિટલ થઇ જશે. જેમાં યુઝરની પ્રાઇવસી પણ જળવાશે. ગેસ્ટના IDનો ક્યાંય દુરૂપયોગ નહીં થાય. ઉદાહરણ તરીકે શોપ પર UPI માટે QR કોડ મૂક્યા હોય છે. યુઝર ખરીદી કરીને QR કોડ સ્કેન કરે છે અને રૂપિયા ચૂકવે છે. જેથી વેપારીને રૂપિયા મળી જાય છે અને ખરીદનારે બેન્ક ડિટેલ આપવાની રહેતી નથી. પથિકમાં એ જ રીતે થશે. ગેસ્ટ હોટલમાં જાય, હોટલ તેને રૂમ એલોટ કરશે એટલે તરત QR કોડ જનરેટ થશે. ગેસ્ટ પોતાના મોબાઇલમાં રહેલી એપ દ્વારા એ QR કોડ સ્કેન કરશે એટલે એપમાં ગેસ્ટનો ફેસ સ્કેન થશે. ગેસ્ટની માહિતી ડિજિટલી પથિકમાં જશે. જેથી હોટલને વેરિફાઇડ યુઝરની ડિટેલ શેર થશે. આવું થવાથી હોટલ સ્ટાફનું ટેન્શન જતું રહેશે કે જે ગેસ્ટ છે તે સાચો છે કે ખોટો છે? શું તે બોગસ ડોક્યુમેન્ટ લઇને તો નથી આવ્યો ને? બોગસ ડોક્યુમેન્ટથી રૂમ બૂક નહીં થઇ શકેપીએસઆઇ દિલીપ ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આધાર સાથે લિન્ક કરવાનો આઇડિયા UIDAIનો હતો. એમના તરફથી આ માટે અમને એપ્રોચ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે અમે આધારની એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ જેમાં કન્સર્ન બેઝ્ડ યુઝરનું વેરિફિકેશન થાય છે. તમારા પથિક સોફ્ટવેરમાં તેને એડ કરો તો હોટલમાં આવતા ગેસ્ટને ડિજિટલી વેરિફાય કરી શકાશે. આવું કરવાથી બોગસ ડોક્યુમેન્ટ આપીને રૂમ બૂક કરવા જેવી સમસ્યાઓ દૂર થઇ શકશે. હોટલને આના ઘણા ફાયદા મળશે. પહેલાં હોટલમાં ગેસ્ટના ડોક્યુમેન્ટસ લેવાતા હતા. જે સાચવવા પડતા, ક્યારેક મિસપ્લેસ થાય, તેનો દુરૂપયોગ પણ થાય, મ્યૂલ એકાઉન્ટ પણ બનતા. હવે એ પ્રકારના ગુના રોકાશે. આધારના છેલ્લા 4 આંકડા પણ નહીં દેખાય'હોટલને ગેસ્ટનું નામ, ફોટો, સરનામું દેખાશે પણ ગેસ્ટનો આધાર નંબર નહીં મળે. એ સિવાયની વધારાની કોઇ માહિતી પણ નહીં મળે. અત્યાર સુધી આધારના છેલ્લા ચાર આંકડા દેખાતા હતા પણ હવે આ સિસ્ટમમાં આધારનો એકપણ આંકડો નહીં દેખાય. ગેસ્ટ જે નામ અને સરનામું આપે તેને આધાર વેરિફાઇ કરી આપશે. પથિક તેનું માધ્યમ બનશે.' દેશમાં 2023માં પ્રાઇવસી લો આવી ગયો છે. જેમાં એવી જોગવાઇ છે કે કોઇનું ફિઝિકલ ડોક્યુમેન્ટ નહીં લઇ શકાય, યુઝરની પ્રાઇવસી મેન્ટેઇન કરવી પડશે. જો કે કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ લેતા હતા. જો કોઇ ડોક્યુમેન્ટસ ન લે તો બહારના ગુનેગાર આવી રોકાઇને ક્રાઇમ કરીને જતાં રહે તો તેને કેવી રીતે ઓળખવા, કેવી રીતે ટ્રેક કરવા કે કેવી રીતે પકડવા? તેવી સમસ્યાઓ હતી. ડિજિટલ વેરિફિકેશન યુઝરની મંજૂરીથી થશેદિલીપ ઠાકોરે જણાવ્યું કે, કાયદાની અમલવારી પણ કરવાની હતી. જેથી આ સમસ્યાનું નિવારણ લાવવા ડિજિટલ વેરિફિકેશન થાય જેમાં યુઝરને પોતાના ડોક્યુમેન્ટ શેર કરવાની જરૂર પડતી નથી. યુઝરનું ડિજિટલ વેરિફિકેશન તેની મંજૂરીથી થાય છે. આ વ્યવસ્થા આધારે તેની એપ પર આપી છે. અમે અમારા પ્લેટફોર્મ પર ઇન્ટિગ્રેટ કરીએ તો પ્રાઇવસી લો તમામ માપદંડોમાં પૂરા થાય તેમ છે. આ સિસ્ટમથી હોટલ ચેક ઇન ડિજિટલ, ઓછા સમયમાં અને ભૂલ વગર થશે. અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સ યોજાવાની છે. ક્રિકેટ મેચ રમાય છે ત્યારે શહેરમાં એક લાખ લોકો આવે છે અને અલગ અલગ જગ્યાએ રોકાય છે. જો તેમાં ક્રિમીનલ્સ આવતા હોય તો પણ હવે ખોટા IDથી રોકાઇ નહીં શકે. આધાર જ ગેસ્ટની ઓળખ કરીને આપશેદિલીપ ઠાકોરે ઉમેર્યું કે, માની લો કે અમદાવાદમાં 2 હજાર હોટલ, 3 હજાર પીજી ઉપરાંત કેટલાય હોમ સ્ટે રજિસ્ટર થયેલા છે. આવી સંખ્યાબંધ જગ્યાઓ છે જ્યાં બહારના વ્યક્તિ આવીને રોકાય છે. ગુનેગાર ખોટી ઓળખ આપી ક્રાઇમ કરીને નીકળી જાય છે. તેનો કોઇ ટ્રેક રેકોર્ડ રહેતો નથી. જેથી ટેકનોલોજીનો સહારો લેવો પડે છે. ટેકનોલોજીમાં પણ કેટલાક ગેપ છે. જેમ કે કોઇનો ફોટો એડિટ કરી નાખે છે. એ ચેક કરવાની કોઇ વ્યવસ્થા નથી. આ નવી વ્યવસ્થામાં વ્યક્તિની ઓળખ આધાર કરીને આપે છે. જેનાથી મેન પાવર વાપર્યા વગર ટેકનોલોજી દ્વારા ક્રાઇમ થયા વગર રોકી શકો છો. આધારે પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આપેલી આ સિસ્ટમનો દરેક જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. ક્રાઇમ બ્રાન્ચે પથિકમાં આ વ્યવસ્થા ઊભી કરી છે. હવે તેના અધિકારી નક્કી કરશે એ મુજબ દરેક જગ્યાએ આ સિસ્ટમ ઊભી થઇ શકે એમ છે. જેમકે પીજી, ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે, ધર્મશાળા જેવી ટેમ્પરરી સ્ટે માટેની કોઇપણ જગ્યાને આમાં આવરી લઇ શકાય તેમ છે. દિલીપ ઠાકોર જણાવે છે કે, ભવિષ્યમાં 'વાહન' સાથે ઇન્ટિગ્રેટ કરીને લાયસન્સ, આધારની જેમ ડીજી લોકરમાં API શેરિંગ થાય છે એ આપે તો એ રીતે પણ વેરિફાઇ થશે. આ શરૂઆત છે જેમ જેમ અમને API મળશે એમ ઇન્ટિગ્રેટ કરતાં જઇશું. મુખ્ય હેતુ એ છે કે ક્રિમિનલ કે અન્ય લોકો બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ ન કરે, આતંકીઓ ઉપયોગ ન કરે તે છે. ક્રાઇમ બ્રાન્ચ સરકારી એજન્સી છે. તેની સાથે ડિટેલ શેર કરવામાં કોઇ વાંધો ન હોય તો એ વેરિફિકેશન ડિજિટલ રીતે થશે. UIDAIને નવી લોન્ચ કરેલી આધાર એપ માટે યુઝડ કેસની શોધ હતી. જેને આધાર સાથે જોડીને પબ્લિકની પ્રાઇવસી ધ્યાને રાખીને વાપરી શકાય. એ માટે તેમણે પથિકની પસંદગી કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગૂગલ, સેમસંગ જેવી જાયન્ટ કંપનીઓને પાછળ છોડીપીએસઆઇ ઠાકોર કહે છે કે, 28 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં UIDAI ડે સેલિબ્રેશનનો પ્રોગ્રામ હતો. જેમાં તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બોલાવી હતી. કાર્યક્રમમાં આધાર એપ લોન્ચ કરાઇ હતી. ગુજરાતની હોટલમાં ગેસ્ટના રજિસ્ટ્રેશન માટે પથિક એપ્લિકેશન ચાલે છે. જેને આધાર એપ સાથે જોડવાનું કામ ક્રાઇમ બ્રાન્ચે કર્યું હતું. કાર્યક્રમમાં ક્રાઇમ બ્રાન્ચ સિવાય ગૂગલ, સેમસંગ, ડીજી લૉકર જેવી અલગ અલગ સર્વિસ આપતી 12 જેટલી ફર્મ હતી. વિદેશી નાગરિકોના કિસ્સામાં શું? તે અંગે તેમણે કહ્યું કે, વિદેશી નાગરિકોના પાસપોર્ટ અને વિઝા પોર્ટલ પર સ્કેન થાય છે. ભારત સરકારના પોર્ટલ પર C ફોર્મ પણ ભરાય છે. જેનું વેરિફિકેશન સેન્ટ્રલ ગવર્નમેન્ટ કરે છે. આપણી પાસે એનો ડેટા રહે છે કે વિદેશથી કઇ વ્યક્તિઓ આવી છે અને ક્યાં રોકાઇ છે. 2017માં પથિક સોફ્ટવેર અમદાવાદ પૂરતો ચાલુ કર્યો હતો. જે સફળ થતાં તત્કાલીન DGPએ 2019માં આખા ગુજરાતમાં આ વ્યવસ્થા લાગુ કરાવી હતી. ગુજરાતમાં દરરોજ 1.5 લાખ લોકો હોટલમાં ચેક ઇન કરે છેતેમણે કહ્યું, અત્યારે અમારા પ્લેટફોર્મ પર 9500 હોટલ ઓન બોર્ડ છે. લગભગ 1.5 લાખ લોકો રોજ હોટલમાં ચેક ઇન કરે છે. 2017માં પથિક આવ્યા બાદ પોલીસને તેના લાભ મળી રહ્યાં છે. હવે આધાર સાથે ઇન્ટિગેશન થશે. જેમાં કોઇની પ્રાઇવસીનું ઉલ્લંઘન નહીં થાય. નવી સિસ્ટમ થોડા સમયમાં શરૂ થઇ જશે. બધા જ પ્રાઇવસી કમ્પ્લાયન્સ પૂરા કર્યા પછી POC (પ્રૂફ ઓફ કોન્સેન્ટ) મળે છે. જેમાં યુઝરની પ્રાઇવસી કઇ રીતે મેન્ટેન કરાય છે વગેરે જેવા મુદ્દાઓ હોય છે. એ પછી જ આવી સર્વિસનો ઉપયોગ કરવા મળે છે. આ બધા કમ્પ્લાયન્સ ક્રાઇમ બ્રાન્ચે પૂરા કર્યા છે. કોઈ વ્યક્તિ સ્માર્ટ ફોન નથી વાપરતો તો તેના માટે શું? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ સિસ્ટમ ટેક્નોલોજી ડ્રીવન લોકો માટે જ છે. જે લોકો ટેક્નોલોજી વાપરતા જ નથી તો આપણે શું કરી શકીએ?

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 6:00 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:રાજકોટના બાલાશ્રમમાંથી યુવતીનો ખોટી રીતે કબજો મેળવી કોર્ટ હુકમ કરે તે પહેલાં સુરતના પોલીસ કમિશનર પાસે રજૂ કરી દેવાઈ!

રાજકોટમાં 13 વર્ષથી કાકા-કાકી પાસે રહેતી અને છેલ્લા ચાર મહિનાથી કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉચ્ચ શિક્ષણ માટે મૂકવામાં આવેલી અને ગત 16 જાન્યુઆરીએ પુખ્ત વયની થયેલી યુવતીને તેની જન્મ આપનાર માતા, સુરતના પાલ પોલીસ મથકના એક પોલીસમેન સહિતના કેટલાક વ્યક્તિઓ રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી ખોટી રીતે કબજો મેળવીને કોર્ટ હુકમ કરે તે પહેલાં સુરતના પોલીસ કમિશનર પાસે રજૂ કરી દેવાઈ હતી. આમ કોર્ટે કરેલા હુકમનો અનાદર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગેની દિવ્ય ભાસ્કરને માહિતી મળતા છેલ્લા 13 વર્ષથી ભત્રીજીનું પાલન પોષણ કરતા અશ્વિનભાઈ પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગત 26મી જાન્યુઆરીએ અમદાવાદના પાલ પોલીસ મથકના ફિરોઝબેન આરબ અને રાજકોટના થોરાળા પોલીસ મથકના કર્મચારીઓ મારા ઘરે આવ્યા હતા અને એક કોર્ટનો ઓર્ડર બતાવ્યો હતો. તેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, અશ્વિનભાઈ સાથે તેમની ભત્રીજી કે જે 16 જાન્યુઆરીના રોજ પુખ્ત વયની થઈ ગઈ છે તેને લઈને સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં તા. 27-01-2026ના રોજ 10:45 કલાકે હાજર રહેવું. સુરતની કોર્ટે અશ્વિનભાઈ ઉપરાંત તેમના પત્ની જીજ્ઞાશાબેન અને અશ્વિનભાઈના બહેન અલ્પાને પણ હાજર રહેવા હુકમ કર્યો હતો. આ ત્રણેય વ્યક્તિઓએ જ યુવતીને કોર્ટમાં હાજર રાખવા ફરમાન કર્યુ હતું. જોકે 26મી જાન્યુઆરીએ રજા હતી છતાં સુરતના પોલીસમેન ફિરોઝબેન ઉપરાંત યુવતીને જન્મ આપનાર માતા અને યુવતીના માતાએ જ્યાં બીજા લગ્ન કર્યા હતા તે તેમના પતિ પણ રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે હાજર હતા. કોર્ટનો ઓર્ડર બતાવતા બાલાશ્રમના સંચાલકોએ યુવતીનો કબજો તેની જન્મ આપનાર માતા અને સુરત પોલીસને સોંપી દીધો હતો. કાઠિયાવાડ બાલાશ્રમ અને સુરત પોલીસની કામગીરી અંગે શંકા વ્યક્ત કરતા અશ્વિનભાઈએ કહ્યું હતું કે, અમારે 27 જાન્યુઆરીએ મારી ભત્રીજીને કોર્ટમાં રજૂ કરવાની હતી, પરંતુ સુરતથી આવેલા પોલીસમેન અને કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોએ અમારી એક પણ વાત સાંભળી ન હતી અને 26મી જાન્યુઆરીએ જ યુવતીનો એટલે કે મારી ભત્રીજીનો કબજો સોંપી દીધો હતો. ત્યારબાદ અમને એક ફોટો મળ્યો હતો તેમાં યુવતી સુરતના પોલીસ કમિશનર, તેને જન્મ આપનાર તેની માતા(એટલે કે મારા ભાભી) અને ભત્રીજીના સાવકા પિતા હતા.આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, મારી ભત્રીજીને કોર્ટના બદલે સુરતના પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી દેવાઈ હતી. 27મી જાન્યુઆરીએ પોતે કોર્ટમાં હાજર રહ્યા હતા જોકે સુરતની તે કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાથી 21 ફેબ્રુઆરીની નવી તારીખ આપવામાં આવી હતી. અશ્વિનભાઈ અંતમાં કહ્યું હતું કે કોર્ટે મને મારી ભત્રીજીને સાથે રાખીને હાજર રહેવાનું કહ્યું હતું. હાલ મારી ભત્રીજી ક્યા છે તેની મને ખબર નથી અને કોર્ટમાં તેને રજૂ કરવાના બદલે પોલીસ કમિશનર પાસે રજૂ કરાઈ છે ત્યારે આ અંગે રાજકોટ અને સુરત પોલીસ યોગ્ય તપાસ કરી કાનૂની રાહે ન્યાય આપે. અને એમ પણ જણાવ્યું હતું કે, મારી ભત્રીજીને 27મી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રખાઇ હતી. પરંતુ કોઇપણ પ્રકારનો હુકમ કરાયો ન હતો કે મારી ભત્રીજીનો કબજો કોને સોંપવો આમ છતાં તેને સુરતના પોલીસ કમિશનર પાસે લઇ જવાઇ હતી અને ત્યાં તેમની સાથે ફોટો સેશન પણ કરાવાયું હતું. સુરતની કોર્ટમાં અશ્વિનભાઈ અરજી પણ કરશેઅશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, સુરતની કોર્ટમાં 21 ફેબ્રુઆરીની મુદત પડી છે ત્યારે ત્યાં એક અરજી કરવામાં આવશે આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તેના મોટાભાઈ મયૂર મનહરભાઈ પરમારના 13 ફેબ્રુઆરી 2005ના રોજ ભાવિશાબેન સાથે લગ્ન થયા હતા. તેમને ત્યાં બે દીકરીનો જન્મ થયો હતો. મયૂરભાઈનું 2013માં અવસાન થયા બાદ 27-06-2013ના રોજ ભાવિશાબેને ધર્મેશ પિત્રોડા સાથે બીજા લગ્ન કર્યા હતા. નાની પુત્રીને તેઓ સાથે લેતા ગયા હતા અને તે સમયે 13 વર્ષની મોટી પુત્રીને મૂકતા ગયા હતા. આજ દિન સુધીનું તેનું લાલન પાલન અને ભરણપોષણ પોતે કર્યું હતું. છેલ્લા ચાર મહિનાથી સરકારી યોજનાકીય સહાય માટે યુવતીને કાઠિયાવાડ બાલાશ્રમમાં મૂકી હતી. જોકે ત્યાંથી તેને ખોટી રીતે લઈ જવાઈ છે. ત્યારે હવે પછીની ફેબ્રુઆરી માસની જે તારીખ આપવામાં આવી છે ત્યારે ઉપરોક્ત બાબતે ન્યાય આપવા પણ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે. અમે યોગ્ય રીતે જ કબજો સોંપ્યો છેરાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલક સી.એચ. પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે યુવતીનો કબજો તેની જન્મ આપનાર માતાને સોંપ્યો છે અને અમે કોઇ ગેરકાનૂની પ્રવૃત્તિ કરી નથી. નિયમ મુજબ મેલ હોય કે ફીમેલ 18 વર્ષની ઉંમર થાય ત્યારબાદ સીડબ્લ્યુસીને જાણ કર્યા બાદ અમારે તેનો કબજો રાખી શકાતો નથી. આ કેસમાં સુરત પોલીસ પણ સાથે હતી અને તેમની પાસે કોર્ટનો ઓર્ડર પણ હતો. આથી અમે યુવતીનો કબજો કાનૂની રીતે જ સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:59 am

ચોરીનો મામલો આવ્યો સામે:2 લાખ રિક્ષાનું રજિસ્ટ્રેશન છતાં વૃદ્ધ દંપતીના 1.50 લાખની મતા ચોરાઈ

રિક્ષાચાલક અને સાગરિતો પેસેન્જરના સામાનમાંથી પૈસા - દાગીનાની ચોરી કરી લેતા હોવાની ઘટનાઓ વધી ગઈ હતી. જેથી શહેર પોલીસે પૈસા અને સમય બગાડીને 2 લાખ કરતાં પણ વધારે રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરાવીને સ્ટીકર લગાવ્યા હતા. તેમ છતાં મુુંબઈથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપતિના સામાનમાંથી રિક્ષાચાલક અને સાગરિતો રૂ.1.50 લાખના દાગીના ચોરી ગયા હતા. મુંબઈમાં રહેતા દિનેશભાઈ શાહ(68) અંધેરીમાં આવેલા ફાઈન જવેલરીમાં નોકરી કરે છે. દિનેશભાઈના સબંધીના ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ તા.4 ફેબ્રુઆરીએ પત્ની જ્યોત્નાબહેન સાથે મુંબઈથી ગુજરાતમેલ ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. બંને તા.5 ફેબ્રુઆરીએ સવારે 3.45 વાગ્યે મણિનગર રેલવે સ્ટેશન ઉતર્યા હતા. ત્યાંથી પાલડી જવા માટે તેઓ રિક્ષામાં બેઠા હતા. રિક્ષાચાલકે દિનેશભાઈને આગળ બેસવાનું કહીને બેગ પાછળ મુકાવી હતી. જ્યારે જ્યોત્સનાબહેનને પણ પાછળની સીટ ઉપર બેસાડયા હતા. જ્યારે થોડે દૂર બીજા 2 પેસેન્જર પાલડી જવા માટે રિક્ષામાં બેઠા હતા. રિક્ષા પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવતા ચાલકે દિનેશભાઈ અને જ્યોત્સનાબહેનને કહ્યું હતું કે આ બંને પેસેન્જરને બાજુની સોસાયટીમાં ઉતારીનેઆવું છું. તમે અહીં ઉભા રહો, હું પાછો આવીને તમને લઈ જવુ છું. તેવું કહીને તેમની બેગો પણ તેમને કાઢી આપી હતી. દિનેશભાઈ અને જ્યોત્સનાબહેને ઘણા સમય સુધી રાહ જોઈ પરંતુ રિક્ષાચાલક પાછો આવ્યો ન હતો. જેથી તેઓ બીજી રિક્ષામાં બેસીને પાલડી જૈન નગર સોસાયટી ખાતે સબંધીના ઘરે ગયા હતા. ત્યાં જઈને તેમને બેગ ખોલીને જોયું તો સામાન વેર વિખેર હતો. જ્યારે બેગમાંથી રોકડા રૂ.18 હજાર અને સોના - ચાંદીના દાગીના મળીને કુલ રૂ.1.50 લાખની ચોરી થઈ હતી. આ અંગે દિનેશભાઈએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 વર્ષમાં રિક્ષામાં મુસાફરો સાથે છેતરપિંડી, લૂંટની ઘટનાઓ વધી ગઈ હતી. આ મામલે પોલીસ તંત્રએ અમદાવાદ શહેરમાં ફરતી રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કર્યું હતું. બાદમાં શહેરમાં 2 લાખથી વધુ રિક્ષાઓનું રજિસ્ટ્રેશન થયું છે. ત્યારે શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષામાં બેસેલા મુંબઈના દંપતી સાથે લૂંટની ઘટના બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મણિનગર રેલવે સ્ટેશનથી પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં જ રિક્ષા ચાલકે સાગરિતો સાથે મળીને આયોજનબદ્ધ રીતે દંપતીના સામાનમાંથી દાગીના સહિતની મત્તા ચોરી હતી. મુંબઈનું દંપતી મણિનગરથી પાલડી સંબંધીને ત્યાં જવા રિક્ષામાં બેઠું હતું

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:52 am

હુમલો:શેલાથી મર્સિડીઝમાં બેસી નરોડા ઓફિસ જતા બિલ્ડર પર હુમલો

ઘરેથી મર્સિડીઝ લઈને નીકળેલા બિલ્ડરને રોકી કેટલાક લોકોએએ લોખંડની પાઈપ સહિતના હથિયારથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને આ લોકો ફરાર થઈ ગયા હતા. બિલ્ડરે જમીન, કોર્ટ કેસનું કામ ચાલતું હોવાથી તેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાની શંકાના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શેલાના નંદનબાગમાં રહેતા હેમાંગ ભટ્ટ જમીન દલાલી અને ગેલેક્ષી ગ્રૂપ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. તા.13મીએ સવારે મર્સિડીઝ કારમાં ડ્રાઇવર સાથે નરોડાની ઓફિસે જવા નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર સોસાયટીમાંથી બહાર કાઢી ત્યારે નંદનબાગ રોડ ચાર રસ્તા પાસે સ્વિફ્ટ ગાડીના ચાલકે ગાડી ભટકાવી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી ઉતરેલા બે શખ્સોએ લોખંડની પાઇપથી હેમાંગભાઇ પર હુમલો કર્યો હતો. દરમિયાનમાં અન્ય એક ગાડીમાં ચારેક શખ્સોએ લાકડી અને લોખંડની પાઇપથી હેમાંગભાઇને આડેધડ મારીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. કેટલાક શખ્સોએ ડ્રાઇવરને પકડી રાખ્યો હતો અને ડ્રાઇવર શેઠને બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી આ લોકો ભાગી ગયા હતા. હેમાંગભાઈને જમીન તથા કોર્ટમાં કેસોનું કામ ચાલતું હોવાની અદાવતમાં હુમલો કરાયો હોવાની શંકા જતા તેમણે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:51 am

ચેઇન સ્નેચર ઝડપાયો:માનસી સર્કલ પાસે દોરો તોડી ભાગવા જતાં 2 પૈકી 1 સ્નેચર પડી જતાં પકડાયો : બીજાને પોલીસે પકડ્યો

વસ્ત્રાપુરના પંચમ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ ગેહલોત અને પત્ની સરોજબહેન 13મીએ ચાલવા નીકળ્યા હતા. રાતે 9.30 વાગ્યે માનસી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પકવાન ચાર રસ્તા બાજુથી બાઈક પર 2 સ્નેચર આવ્યા હતા. સ્નેચરે સરોજબહેનનો દોરો તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે દોરો પકડી પડી ગયાં હતાં. સાથે સ્નેચર પણ પડી ગયો હતો. પડી ગયેલા સ્નેચરને દિનેશભાઈ તેમજ અન્યોએ પકડી લીધો હતો. જાણ કરાતાં આવેલી વસ્ત્રાપુર પોલીસે વિજય લુહારની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી ગયેલો હાર્દિક ચૌહાણ પણ પકડાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:48 am

વિલંબ બાદ સંગઠન માળખું જાહેર થયું:અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં 7 નગરસેવકો, ટિકિટ કપાઇ શકે છે

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે લાંબા વિલંબ બાદ પોતાનું સંગઠન માળખું જાહેર કર્યું છે. આ નવા સંગઠનમાં 7 વર્તમાન નગરસેવકોનો સમાવેશ કરાયો છે. આ કારણથી હવે આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ હોદ્દેદારોની ટિકિટ કપાઇ જશે તેવી આશંકા રહેલી છે. આ હોદ્દેદારોમાં મહામંત્રી તરીકે જશુ ઠાકોર, ઉપપ્રમુખ તરીકે ભાસ્કર ભટ્ટ, પ્રવીણ પટેલ, હીરાભાઇ પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પાલિકાના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે રમેશ રાણા તથા અનસૂયા પટેલને મંત્રી બનાવાયાં છે. આ નિમણૂકો થયાં બાદ ભાજપના ઘણાં બધાં સાઇડલાઇન કરાયેલા સિનિયર નેતાઓના વિસ્તારના લોકોને પ્રતિનિધિત્વ નહી મળ્યાનો અસંતોષ ફાટી નિકળ્યો છે, જ્યારે હાલ સંગઠનમાં સક્રીય નેતાઓના વિશ્વાસુ લોકોને સમાવી લેવાયા હોવાની વાત પણ નારાજગી ઊભી કરનારી સાબિત થાય તેમ છે. મહામંત્રી પદ પર ભાજપે બ્રાહ્મણ, લેઉવા પટેલ અને ઓબીસી સમાજનું સમીકરણ તૈયાર કર્યું છે. તે પૈકી દર્શક ઠાકરને અગાઉ સંગઠનમાં પદ હોવા છતાં તેમને માત્ર શહેર પ્રમુખ પ્રેરક શાહના હઠાગ્રહને કારણે મહામંત્રી બનાવી દેવાયા હોવાની વાતે ઘણાં લોકો નિરાશ છે. અમિત શાહ- ભૂપેન્દ્ર પટેલના વિસ્તારની બાદબાકીજાહેર કરાયેલા સંગઠનના આ નામોમાં વોર્ડ દીઠ સંતુલન જળવાયું હોવાનો દાવો કરાયો છે, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જ્યાંના મતદાર છે તે નારણપુરા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના થલતેજ વોર્ડના એકપણ ચહેરાને નવા સંગઠનમાં સમાવાયા નથી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની દૃષ્ટિએ જોઇએ તો પશ્ચિમ કરતાં પૂર્વ વિસ્તારના વોર્ડના હોદ્દેદારોને વધુ તક મળી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:47 am

વિરોધપક્ષના નેતાએ વ્યંગ કર્યો:મ્યુનિ.નું બજેટ 1.30 લાખ કરોડનું પણ ચોખ્ખું પાણી અપ્રાપ્ય: કોંગ્રેસ

અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનું ચાલુ વર્ષે સુધારા સાથે 18518 કરોડનું બજેટ મંજુરી માટે મુક્યુ છે, ત્યારે તેમાં 922 કરોડના સુધારા સુચવતા વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે વ્યંગ કર્યો હતો કે, છેલ્લા 20 ‌વર્ષમાં મ્યુનિ.એ પોતાના બજેટનું કદ વધારીને 1.30 લાખ કરોડ કર્યું છે, પરંતુ હજુ પણ નાગરિકો શુદ્ધ પાણી માટે પણ તરસે છે. 24 કલાક પાણી આપવાની જાહેરાત પછી પણ અનેક વિસ્તારોમાં 1 કલાક પણ પાણી આપી શકતા નથી. શહેરના પોશ વિસ્તારમાં પણ પાણી ભરાઇ રહે છે. ભાજપના રાજમાં છેલ્લા 5 વર્ષમાં ભરતી કૌંભાંડ, હાટકેશ્વર બ્રિજ કૌભાંડ, ખારીકટ કેનાલમાં કૌભાંડ, રસ્તાઓ તૂટી જવા, ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ સહિત અનેક ગેરરીતિઓ સામે આવી છે, ત્યારે આ અંદાજપત્રમાં તેમણે કેટલાંક પ્રજાલક્ષી કામગીરી કરવા માટે સુધારા રજુ કર્યા છે. તેમણે તમામ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની લાઇન, રિવરફ્રન્ટ પર હાઇટેક શાળા અને લાયબ્રેરી, ગીચ વિસ્તારમાંથી બીઆરટીએસના કોરીડોર દુર કરવા સહિતની માગ કરી છે. ભ્રષ્ટાચારની તપાસ માટે લોકપાલની નિમણૂક, સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો કડક અમલ અને વોટર પોલ્યુશન માટે અલગ બજેટ ફાળવણીની માગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:46 am

ભરતી:નૌસેનામાં 260 શોર્ટ સર્વિસ કમિશન ઑફિસરની ભરતી

નૌસેના જાન્યુઆરી 2027 (ST 27) કોર્સ માટે શોર્ટ સર્વિસ કમિશન (SSC) ઑફિસર ભરતી કરશે. 260 જગ્યા પર એક્ઝિક્યુટિવ, એજ્યુકેશન અને ટૅક્નિકલ શાખામાં નિયુક્તિ કરાશે. અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે આ મહત્ત્વની તક છે. 24મી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈ “Current Opportunities” વિભાગમાં SSC Officer Jan 2027 એન્ટ્રી પસંદ કરવી પડશે. નવા ઉમેદવારોએ પ્રથમ રજિસ્ટ્રેશન કરવું પડશે જ્યારે અગાઉથી નોંધાયેલા ઉમેદવારો સીધા લોગઇન કરીને પછીની પ્રક્રિયા કરી શકશે. ઉમેદવારોએ 10-12ની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. પેટર્ન મુજબ લેખિત પરીક્ષા લેવાતી નથીઉમેદવારોનું શૈક્ષણિક ગુણ આધારે શોર્ટલિસ્ટિંગ કરવામાં આવે છે. પસંદ થયેલા ઉમેદવારોને 5 દિવસીય SSB પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે, જેમાં સ્ક્રીનિંગ ટેસ્ટ, સાઇકોલોજિકલ ટેસ્ટ, GTO ટાસ્ક અને પર્સનલ ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. અંતિમ પસંદગી પહેલાં મેડિકલ પરીક્ષણ ફરજિયાત રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને Indian Naval Academy, એઝીમાલા ખાતે તાલીમ આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:45 am

શિવમંદિરમાં જામશે ભક્તોની ભીડ:મા પાર્વતીનું મામેરું, ચાર પ્રહરની પૂજા, ભસ્મ આરતી, બાબા મહાકાલને સહેરા શૃંગાર કરાશે

મહા શિવરાત્રી નિમિત્તે રવિવારે શહેરનાં 200થી 1000 વર્ષ જૂનાં ઐતિહાસિક મંદિરોથી માંડીને સુવર્ણજડિત આધુનિક ધામમાં રવિવારે ચાર પ્રહારની પૂજા, ભસ્મ આરતી, મહા રુદ્રાભિષેક, ભસ્મ યાત્રા અને લાખો બિલિપત્ર અર્પણ કરાશે. ચકુડિયા મહાદેવરખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે 12 વાગ્યા પછી સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવશે. સવા 2 લાખ બીલીપત્ર અર્પણ સાથે બરફના શિવલિંગ દર્શન યોજાશે. કામેશ્વર મહાદેવકામેશ્વર મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ સ્થાપનાની વિશેષતા સાથે સવારે 9 વાગ્યે 1.25 લાખ બિલિ અર્પણ થશે અને સાંજે ભસ્મ આરતી યોજાશે. કાશીવિશ્વનાથપેશ્વાઈ સમયથી ચાલતી પરંપરા મુજબ 25 બ્રાહ્મણ ચાર પ્રહારની પૂજા કરશે. સવારે 7 વાગ્યે ભસ્મ આરતી થશે. 7 શિવલિંગ ધરાવતું આ મંદિર 15 હજારથી વધુ ભક્તોને આકર્ષશે. કર્ણમુક્તેશ્વર મહાદેવકોટેશ્વર ખાતેના પ્રાચીન મંદિરમાં 500 વર્ષ જૂના ખાડાવાળા શિવલિંગ પર ચાર પ્રહાર પૂજા અને ચાર આરતી કરાશે. અહીં 25 હજારથી વધુ ભક્તોની હાજરી અપેક્ષિત છે. ચિન્મય મિશન, સેટેલાઇટસવારે 6.30થી 7.30 વાગ્યા સુધી મૃત્યુંજય હવન કરાશે. સવારે 8.30થી બપોરના 12 વાગ્યા સુધી લઘુરુદ્ર, સાંજે 6.30થી 8.30 વાગ્યા સુધી શિવસહસ્રનામ પૂજા, રાત્રે 9.30 વાગ્યાથી ભજન અને મધરાતે 12 વાગ્યે મહાઆરતી ઉતારાશે. અમરનાથ ધામ, રાયસણમંદિર ટ્રસ્ટ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે અને 13 શિવલિંગ પર રાત્રી દરમ્યાન ચાર પ્રહારની મહાપૂજાનું આયોજન વિશ્વ કલ્યાણ સંસ્થા તરફથી રાખવામાં આવ્યું છે. મહાકાલ મંદિર, સરદારનગરરાત્રે 10.30 વાગ્યાથી ચાર પ્રહરની પૂજા શરૂ થશે. અર્ધરાત્રિએ પૂજા બાદ ભારતવર્ષની સુખ-સમૃદ્ધિ માટે 121 કિલો સાત ધાન્ય અર્પણ કરાશે. અંતમાં સવા ક્વિન્ટલ ફૂલોનો મનોહર સેહરા શૃંગાર કરી મહાઆરતી કરવામાં આવશે. નીલકંઠ મહાદેવ, ઝુલાસણમંદિર ખાતે સવારે માતા પાર્વતીનું મામેરું અને સાંજે 4.30 વાગ્યે ભવ્ય ભસ્મ યાત્રા નીકળશે, જે સ્મશાન સુધી પહોંચી ભસ્મ વિધિ કરશે. અહીં 1008 આહુતિ યજ્ઞ અને 24 કલાક અખંડ ધૂણો મહોત્સવનું આકર્ષણ બનશે. સુરભી શક્તિપીઠ, ભાટદ્વાદશ મહા રુદ્રાભિષેક અને ગોનંદી પૂજન કરાશે. મહોત્સવમાં 3 હજારથી વધુ ભક્તો માટે ગૌશાળાના દૂધ-ઘીથી બનેલો ફરાળી પ્રસાદ આપવામાં આવશે. કામનાથ મહાદેવ, રાયપુરકામનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ જેવી રચનામાં વિશેષ ભોગ અને આરતી સાથે 15 હજાર ભક્તો દર્શન કરશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:43 am

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:સાબરમતીમાં ખનન કરવા ભૂમાફિયાએ નાળા ગોઠવી 600 મીટર લાંબા રસ્તા બનાવી દીધા!

અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ, ધોળકાના 10 ગામોમાંથી પસાર થતી સાબરમતી નદીનું વહેણ રોકી ખનન કરવા ભૂમાફિઓએ નદીમાં ગેરકાયદે નાળા બનાવી 600 મીટરના પાળા અને રસ્તા બનાવી દીધા છે. દિવ્યભાસ્કરના ઇન્વેસ્ટીંગેશનમાં દસ્ક્રોઇના નવાપુરા, મિરોલી અને ટીંબામાં નદીપટ્ટમાં આવા રસ્તા બનાવી ભૂમાફિયાઓ 5 વર્ષ 40 હેક્ટરમાંથી 29 હેક્ટરમાં માટી ચોરી ગયાનું સામે આવ્યું છે. રાજ્યમાં ખનીજ ચોરી પકડવામાં ટોપ-5માં આ વર્ષે અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આ વર્ષે 506 કેસ કરી, રૂ.10.16 કરોડની દંડ વસૂલાત પણ કરી છે. પરંતુ ભૂમાફિયાઓની આ નવી મોડસ ઓપરેન્ડી જોઇનેઅધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. કેમ કે, ખાણ ખનીજ વિભાગને લીઝધારકો પાસેથી વર્ષે રૂ.51.1 કરોડની આવક સામે ગેરકાયદે નદીમાં રસ્તા બનાવી થતું ગેરકાયદે ખનન અનેકગણું જણાઇ રહ્યું છે. તાજેતરમાં નવાપુરા, ટીંબામાં ગેરકાયદે 4થી વધુ નાળા બનાવી 600 મીટરના ગેરકાયદે બનાવેલા પાળા (રસ્તા) તોડી દીધા હતા. પરંતુ હજુ દસ્ક્રોઇ અને ધોળકાના સરોડા, મહીજડા, નવાપુરા, પાલડી કાંકજ, નવાપુરા, મીરોલી, ટીંબા સહિતના ગામોમાં સાબરમતીનું ખુલ્લેઆમ ચીરહરણ થઇ રહ્યું છે. આ વિસ્તારમાંથી નીકળતી સાદીમાટીનું બનાસકાંઠા અને પાટણની ગુણવત્તાયુક્ત માટી સાથે મિશ્રણ કરી બાંધકામમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના ભાવ પણ ઉંચા મળે છે. ખાણ ખનીજ વિભાગના સરકારી વાહનોની વોટ્સએપથી રેકી કરવામાં આવે છેઅમારી 5 સભ્યોની ટીમ ખાનગી કારમાં રેડ કરવા જાય છે. જેમાં 3 માઇન સુરપાઇઝર, 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર છીએ. સરકારી કાર ઓફિસેથી નીકળે ત્યાં જ ભૂમાફિયાઓના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફરતા થઇ જાય છે. પોલીસ, આરટીઓ તમામના આવા ગ્રૂપ ચાલે છે. > અભય વાઢેર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ આ વર્ષે સરકારી કામગીરી પર ત્રણ હુમલા, ખનીજ ચોરીના કેસ પણ વધ્યાઅમદાવાદ જિલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગત વર્ષની સાડા 9 કરોડની વસૂલાત સામે આ વર્ષે 506 કેસ કરી રૂ.10.16 કરોડની વસૂલાત કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ સમયે ભૂમાફિયાને ભાગવાનો સમય મળી જતો હોવાથી ટીમને હુમલાનો પણ ભોગ બનવું પડે છે. આ ગામોમાં નદીનું બેફામ ચીરહરણસરોડા, મહીજડા, નવાપુરા, પાલડી કાંકજ, નવાપુરા, મીરોલી, કુહા, દેવડી, સહીજ, કમોડ સર્કલ અને બાકરોલ સર્કલ નજીક ખેડૂતોએ બનાવેલા રસ્તા, નદીની અંદર જવા નાળા, માટીના પાળા બનાવી એક્સકેવેટર મશીનો દ્વારા ખોદકામ કરી રેતી સગેવગે કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:38 am

ભાસ્કર એક્સપોઝ:24 મીટર રોડ પરના જે પ્લોટમાં ઓડિટોરિયમ બનાવાનું હતું તે પૂર્વ ધારાસભ્યને આપી દીધો

ન્યૂ રાણીપમાં 24 મીટર રોડ પરના જે પ્લોટ પર લોકો માટે ઓડિટોરિયમ બનાવાનું આયોજન હતું તે પ્લોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ (દલાલ)ની કંપનીને ફાળવી દેવાયો છે. આ પ્લોટ પૂર્વ ધારાસભ્યની કંપનીને ફાળવી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને કારણે એક તરફ જમીનધારકને કરોડોનો ફાયદો થશે, બીજી તરફ ન્યૂ રાણીપ વિસ્તારને મળનારા ઓડિટોરિયમનું બાળ મરણ થઈ ગયું છે. સરવે એફપી 145ની મૂળ જગ્યા ઋતુ બંગલો નજીક રેલવે અંડરપાસ તરફ હતી. જ્યાં ઓડિટોરિયમ બનાવવાનું આયોજન શક્ય ન હતું. બાદમાં રાણીપ વોર્ડમાં આવેલા ફાઇનલ પ્લોટ નં. 309-1 અને 309-2ના પ્લોટને ઓડિટોરિયમ બનાવવા માટેફાળવાયો હતો. આ અંગેની વહીવટી મંજૂરી મળ્યા બાદ 2024-25માં તે જગ્યા ઓડિટોરિયમ માટે ફાળવવાનો નિર્ણય કરાયો હતો, જે માટે રૂ. 20 કરોડની ફાળવણી પણ કરાઈ હતી. બાદમાં ચેનપુર ગામની હદમાં આવેલા સરવે નં. 52ને નગર રચના અધિકારી દ્વારા એફપી 309-1ને ફાળવી દેવાનો નિર્ણય કરાયો હતો, જે જગ્યા યાશી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે 7-12માં બોલે છે ત્યારે આ જગ્યા ફાળવી દેવાતાં હવે ઓડિટોરિયમ બનવું મુશ્કેલ છે. ધારાસભ્યો, કોર્પોરેટરો ઓડિટોરિયમ માટે પૂછતા હતા, સંકલનમાં પણ પ્રશ્ન પુછાતોએક સમયે જ્યારે ધારાસભ્ય, કોર્પોરેટર પણ આ સ્થળે ઓડિટોરિયમ ક્યારે બનશે તેની સતત પૃચ્છા મ્યુનિ.ના અધિકારીઓને કરતા હતા. સંકલનમાં પણ ધારાસભ્ય આ બાબતે વારંવાર પૂછપરછ કરતા હતા. અંતે કમિશનરે સ્પષ્ટતા કરવી પડી હતીવારંવાર ધારાસભ્યો, કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવતાં અંતે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટતા કરી હતી કે, જીડીસીઆરના નિયમ પ્રમાણે 18 મીટર કે તેથી પહોળા રસ્તા પર જ ઓડિટોરિયમ બનાવી શકાય. જ્યારે હવે પ્લોટના ફેરફારને કારણે હવે આ પ્લોટ 12 મીટરના રસ્તા પર આવી જતાં ત્યાંથી ઓડિટોરિયમમાં પ્રવેશ શક્ય નથી, જેથી હવે આ સ્થિતિમાં ઓડિટોરિયમ શક્ય નથી. બિલ્ડરને કેવી રીતે ફાયદો? 24 મી.ના રોડ પર 25 માળની સ્કીમ બની શકે જંત્રી વધુ છતાં ફેરફાર: ચેનપુરની જમીનનો એફપી રાણીપ ગામના પ્લોટમાં આપી દેવાયો. ચેનપુરની જંત્રી ઓછી હોવાથી, રાણીપની જંત્રી વધુ હોવા છતાં આ ફેરફાર થયો. ફાળવણી નિયમ અનુસાર થઈ છેમારા સરવે નંબરમાં જ મને ફાઇનલ પ્લોટ આપ્યો છે. કોઈ ગામ ફેર કરવામાં આવ્યો નથી. આ ફાળવણી નિયમો અનુસાર થયેલી છે. — અરવિંદ પટેલ (દલાલ), પૂર્વ ધારાસભ્ય

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:32 am

SIRની કામગીરી:નામ કમી થવા છતાં કલેક્ટર સમક્ષ માત્ર સાતે જ અપીલ કરી

એસઆઇઆરની પ્રક્રિયામાં જે મતદારોના નામ સુનવણી બાદ પણ કમી કરી દેવાયા તેઓને નામ જોડાવવા માટે પ્રથમ અપીલ અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરવાનો એક મોકો મળે છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી માત્ર સાત મતદારોએ નામ જોડાવવા માટે અરજી કરી છે. મતદારોએ નામ જોડાવવા માટે અપીલમાં નથી જતા તેનું મુખ્ય કારણ છે કે લોકોમા પ્રથમ અપીલના અધિકારને લઇને જાગરૂકતા ન હોવાના કારણે તેનો ઉપયોગ કરતા નથી. જો તેઓ પ્રથમ અપીલ અધિકારીના સુનાવણી પછી પણ સંતુષ્ટ ન હોઇ શકે અને બીજી વખત અપીલ કરવી હોય તો રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પણ અરજી કરી શકે છે. 17 ફેબ્લુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. શહેરમાં નામ કમી કરવા 34 હજારથી વધુ અરજી આવીશહેરની તમામ વિધાનસભામાં નામ કમી કરવા માટે 34 હજારથી વધુ અરજી આવી હતી. સૌથી વધુ દાણીલીમડા અંગેની અરજી મણિનગર વિધાનસભામાં સૌથી વધુ 3100થી વધુ અરજી આવી હતી. 17 ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જાહેર કરાશે. ત્યારબાદ નામ જોડાવવા માટે અરજી કરી શકાશે. ફાઇનલ યાદી જાહેર થયા બાદ પણ લોકો પોતાનું નામ જોડાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરી શકશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:21 am

હાઉસ લિસ્ટિંગ શરૂ કરાશે:એપ્રિલથી ઘરની ગણતરી, મકાન પોતાનું કે ભાડે એવાં પ્રશ્ન પુછાશે

વસતી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 1 એપ્રિલથી મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ) શરૂ કરાશે. કલેક્ટર કચેરી દ્વારા આ પ્રક્રિયા માટે વહીવટી માળખું તૈયાર કરી દેવાયું છે, જેમાં બે નાયબ કલેક્ટર મોનિટરિંગ કરશે અને તેમના માર્ગદર્શન હેઠળ મામલતદાર તેમજ આસિસ્ટન્ટ ટીડીઓ કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ કામગીરી માટે વિવિધ ઝોન બનાવીને કર્મચારીઓને માસ્ટર ટ્રેનિંગ અપાશે. પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી માત્ર ઘરની ગણતરી કરાશે. આગામી વર્ષે ફેબ્રુઆરીથી બીજા તબક્કામાં વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 1 એપ્રિલથી અમદાવાદ સહિત રાજ્યમાં પ્રક્રિયા શરૂ થશે આ પ્રકારના પ્રશ્નો પુછાશે

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:20 am

સિટી એન્કર:35 વર્ષ સુધી ભરણપોષણ ન આપનાર પતિને પત્ની પથારીવશ હોવાની જાણ થતાં ઘરમાં ICU બનાવ્યું, 27 મહિને કોમામાંથી બહાર આવી

ગુજરાત હાઈકોર્ટમાં જૂના કેસના ઝડપી નિકાલ માટે શનિવારે રજાના દિવસે પણ ન્યાયમૂર્તિઓ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 18 વર્ષ જૂના એક પતિ-પત્નીના લગ્ન વિચ્છેદનો કેસ લગ્નનાં 35 વર્ષે સુખદ સમાધાન લઈને સામે આવ્યો છે. લગ્નનાં થોડાં વર્ષોમાં જ એકબીજાને છૂટાછેડા આપી દીધા બાદ પતિએ કોર્ટે નક્કી કર્યા મુજબ ભરણપોષણ આપવાનું બંધ કર્યું હતું. આથી પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 18 વર્ષ સુધી પત્નીનો કોઈ પત્તો મળ્યો નહોતો. છેવટે 85 વર્ષીય પતિએ તેમની પત્નીને શોધવા પ્રયત્ન કરતા તે મહુવામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની ભાળ મળી હતી. આથી પતિ તાત્કાલિક તેને ગાંધીનગરમાં પોતાના ઘરે લઇ આવ્યા હતા. ઘરે જ આઈસીયુ બનાવીને 24 કલાક માટે પત્નીની કાળજી રાખી શકે તેવી નર્સની વ્યવસ્થા કરી હતી. અંતે 27 મહિના સુધી કોમાની અવસ્થામાં રહ્યા બાદ અચાનક પત્ની ભાનમાં આવ્યાં હતાં. તેમની નજર સામે પતિને જોતા તે ચોધાર આસંુએ રડી પડ્યાં હતાં. છેવટે પત્ની સાજી થતાં તેમણે કોર્ટમાં સોગંદનામુ કરીને કેસ પાછો ખેંચવા દાદ માગી હતી. છેવટે હાઈકોર્ટે 18 વર્ષે લગ્ન વિચ્છેદના આ કેસનો નિકાલ કર્યો છે. પત્નીને ગાયે શીંગડું મારતા કોમામાં સરી પડી હતીગાંધીનગરમાં નિવૃત્ત સરકારી અધિકારીએ પત્ની સાથેના લગ્ન વિચ્છેદ બાદ કોર્ટના આદેશ મુજબ ભરણપોષણ આપવાનું પણ બંધ કરી દીધું હતું. તો બીજી તરફ પત્નીની આર્થિક સ્થિતિ બગડતા તેણે નોકરી કરવાનું શરૂ કર્યું હતું. પત્ની ગાંધીનગર છોડીને મહુવાના ગામમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. થોડાં વર્ષો પછી એક દિવસ પત્નીને ગાયે શિંગડું મારતા તેમને પેરાલિસીસ થયો હતો. શરૂઆતમાં પત્નીએ પતિ પાસેથી ભરણપોષણ બંધ થતા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ 18 વર્ષથી હાઇકોર્ટમાં પડતર હતો, પરંતુ પત્ની હાલ હાઈકોર્ટના જૂના કેસના ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસના સ્વરૂપે આ કેસ સુનાવણી પર આવ્યો ત્યારે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પતિ તરફે વકીલે કોર્ટને જાણ કરી હતી કે તેમની પત્ની ક્યાં રહે છે તે શોધતા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મળ્યાં નહોતાં. છેવટે પત્નીના ગામની કોઈ વ્યક્તિએ તેમની પત્ની જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની જાણ કરી હતી. આથી પતિ 85 વર્ષીય પત્નીને પોતાને ઘરે લઈ આવ્યા હતા અને ઘરમાં જ સારવારની વ્યવસ્થા ઊભી કરી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:19 am

રાજ્યમાં પહેલી વાર લોંગ ડિસ્ટન્સ રોબોટિક સર્જરી:દિલ્હીમાં બેઠેલા ડોક્ટરે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ મહિલાનું પિત્તાશય દૂર કર્યું

શહેરના એક ગેસ્ટ્રો સર્જને રાજ્યમાં પ્રથમવાર ટેલી-રોબોટિક સિસ્ટમ દ્વારા અમદાવાદથી 1 હજાર કિલોમીટર દૂર દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી મહિલા દર્દીના પિત્તાશય દૂર કરવાની સફળ સર્જરી કરી છે. સ્વદેશી કંપની એસએસઆઈ મંત્રા વિકસિત 3.0 દ્વારા તૈયાર કરાયેલા રોબોટ પ્લેટફોર્મની મદદથી કરાઈ છે. આ સર્જરી સુરક્ષિત અને હાઈ-સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ-ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરાઈ હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે. શહેરની કાઇઝેન હોસ્પિટલના ડિરેક્ટર અને ગેસ્ટ્રો સર્જન ડો. સંજીવ હરિભક્તિ જણાવે છે કે, અમે 20 મહિનામાં 250 રોબોટિક સર્જરી કરી છે, પરંતુ રાજ્યમાં પ્રથમવાર 11 ફેબ્રુઆરીએ દિલ્હીથી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીની લોન્ગ ડિસ્ટન્સ ટેલી-રોબોટિક સર્જરી કરાઈ છે. સર્જરીમાં ખાસ પ્રકારની તૈયાર કરાયેલી રોબોટિક ચેર અને કોન્સોલનો ઉપયોગ કરાયો હતો. જ્યારે અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઉપલબ્ધ રોબોટની મદદથી મહિલા દર્દીની 1 કલાકની સર્જરીમાં પિત્તાશય કઢાયું હતું. જોકે ટેલી-રોબોટિક સર્જરી પહેલાં 3 વાર ટ્રાયલમાં ઇન્ટરનેટ કંપની, હોસ્પિટલનો આઈટી સ્ટાફ, સર્જન-નર્સિંગ ટીમ હાજર રહ્યાં હતાં. ટેલી રોબોટિક સર્જરી કેવી રીતે થાય છે?ટેલી રોબોટિક સર્જરીમાં સર્જન દર્દી પાસે પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં રોબોટિક સિસ્ટમની મદદથી દૂરથી ઓપરેશન કરે છે. ઓપરેશન થિયેટરમાં રોબોટિક મશીન દર્દી પાસે રખાય છે. જ્યારે સર્જન હોસ્પિટલથી બીજા શહેરમાંથી ખાસ કન્સોલ પર બેસીને થ્રી ડી કેમેરાથી મળતી ખાસ પ્રકારના નેટવર્ક ટુ વે ઇન્ટરનેટ ફાઇબરની મદદથી તસવીરો, વીડિયો જોઈને સર્જન પોતાના હાથની હલનચલનથી રોબોટને કંટ્રોલ કરીને સર્જરી કરે છે. આ સર્જરીમાં 1 સેમીથી નાના ચારથી પાંચ કી-હોલ કરાતા હોવાથી ઓછી ચીરફાડ, ઓછો રક્તસ્રાવ, ઓછો દુખાવો, ઇન્ફેક્શનનો દર નહિવત્ હોય છે. ભાસ્કર નોલેજટેલી રોબોટિક પ્રકારની સર્જરીમાં સમયનું ગણિત એટલે લેટન્સીદિલ્હીમાં બેઠેલા ડોક્ટર કોન્સોલની મૂવમેન્ટ કરે તે મુજબ અમદાવાદમાં રોબોટ હલનચલન કરે છે. આ બંને વચ્ચેનો સમય એટલે લેટન્સી. માનવ મગજ અને હાથ વચ્ચેનો પ્રતિક્રિયા આપવાનો સમય સામાન્ય રીતે 150–200 મિલીસેકન્ડ હોય છે, પરંતુ આ સર્જરીમાં લેટન્સી 100 મિલી સેકન્ડથી ઓછી રખાઈ હતી. જો આ વિલંબ 300 મિલી સેકન્ડથી વધે તો ડોક્ટરને ગભરાટ કે ડિજિટલ મોશન સિકનેસ થઈ શકે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:16 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હાઈવે પર ઉતર્યું PM મોદીનું પ્લેન, PAK કેપ્ટને કહ્યું- મેચમાં જવાબ આપીશું; ઈરફાન પઠાણના વીડિયોથી ક્રિકેટ પોલિટિક્સમાં ગરમાવો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર PM મોદીના પ્લેનના હાઈવે પર લેન્ડિંગ સાથે જોડાયેલા રહ્યા. પીએમએ વાયુસેનાના પ્લેનમાં મુસાફરી કરી. બીજા સમાચાર પાકિસ્તાની કેપ્ટનના એ નિવેદનના છે જેમાં તેમણે કહ્યું કે ભારતને હાથ ન મિલાવવાનો જવાબ મેદાનમાં આપીશું.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. T20 વર્લ્ડ કપ 2026 માં પહેલીવાર ભારત-પાકિસ્તાન સામસામે આવશે. મેચ સાંજે 7 વાગ્યે શ્રીલંકામાં રમાશે. 2. વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધજહાજ મહોત્સવ (MILAN 2026) નું ઉદ્ઘાટન થશે. જે 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. 60થી વધુ દેશોના નૌકાદળો ભાગ લેશે. કાલના મોટા સમાચારો 1. મોદી વાયુસેનાના એરક્રાફ્ટથી આસામના હાઈવે પર ઊતર્યા:આવું કરનારા પ્રથમ PM, કહ્યું- કોંગ્રેસ તમારું ભલું કરી શકશે નહીં, દેશનું ખરાબ વિચારનારને કોંગ્રેસ ખભે બેસાડે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન તેમણે ગુવાહાટીમાં કહ્યું, કોંગ્રેસે દેશને જોખમમાં ધકેલી દીધો હતો. કોંગ્રેસે જ્યારે પણ સેના માટે હથિયારો ખરીદ્યાં એનો અર્થ હજારો કરોડનું કૌભાંડ હતું. તેમણે કહ્યું- આજની કોંગ્રેસ એવા લોકો અને વિચારોને સાથ આપી રહી છે જે દેશ વિરુદ્ધ વિચારે છે. જે લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે છે અથવા આવા નારા લગાવે છે તેઓ કોંગ્રેસ માટે સન્માનિત બની ગયા છે. પીએમ પહેલા ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટથી ડિબ્રુગઢ પહોંચ્યા. પ્લેને અહીં મોરાન બાયપાસ પર ઇમર્જન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર લેન્ડિંગ કર્યું. મોદી આવું કરનારા પ્રથમ વડાપ્રધાન બન્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પાક. કેપ્ટને અત્યારથી પોતાનું ટ્રમ્પ કાર્ડ ઉતાર્યું:સલમાન આગાએ અભિષેક શર્મા માટે દુઆ માગી, સૂર્યકુમારે જવાબ આપ્યો- અભિષેક રમશે જ; શ્રીલંકામાં હાઈવોલ્ટેજ ડ્રામા T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ફેબ્રુઆરી રવિવારે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે રમાશે. આ મહામુકાબલો શ્રીલંકાના કોલમ્બોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. પહેલાં કોલંબોમાં પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું હતું કે મેચ રમતગમતની ભાવનાથી રમવી જોઈએ. હેન્ડશેક વિવાદ પર તેણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો અને કહ્યું હતું કે એેનો જવાબ કાલે રવિવારે મળશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અભિષેક શર્મા આ મેચમાં રમશે. સૂર્યાએ કુલદીપ યાદવને રમવાનો પણ સંકેત આપ્યો હતો. હાથ મિલાવવા વિશે પૂછવામાં આવતા, સૂર્યાએ કહ્યું, તમારે તેના માટે 24 કલાક રાહ જોવી પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભારતીય નિખિલ ગુપ્તા 24 વર્ષ સુધી જેલવાસ:ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, નિખિલે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 29 મેના રોજ સજાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBIએ X પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાના ગુનાની કબૂલાતની જાણકારી આપી. FBIએ ટ્વીટ કર્યું કે, ન્યૂયોર્ક શહેરમાં અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય નાગરિકને દોષિત ઠેરવ્યો. આનો સીધી અર્થ એવો થાય કે FBIએ ખાલિસ્તાની આતંકવાદી ગુરવંત સિંહ પન્નુ અમેરિકન નાગરિક છે એવું સ્વીકારી લીધું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઇમામે કહ્યું- જ્યાં વંદે માતરમ્ ફરજિયાત, ત્યાંથી બાળકોને કાઢી નાખો:ઉજ્જૈનમાં કહ્યું- આ અમારી ધાર્મિક આઝાદી પર હુમલો છે; સરકાર નિર્ણય પાછો ખેંચે કેન્દ્ર સરકારે 28 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ, હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ કે અન્ય ઔપચારિક આયોજનોમાં ‘વંદે માતરમ્’ વગાડવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે. ઉજ્જૈનના ઇમામ મુફ્તી સૈય્યદ નાસિર અલી નદવીએ આ આદેશને ઇસ્લામ વિરોધી ગણાવ્યો છે. તેમણે કહ્યું- આ આદેશ અમારી ધાર્મિક આઝાદી પર હુમલો છે. ‘વંદે માતરમ્’માં કહેવામાં આવ્યું છે કે આપણે હિન્દુસ્તાનની ભૂમિની પૂજા કરીએ છીએ, પરંતુ મુસલમાન માટે એ બિલકુલ યોગ્ય નથી કે તે અલ્લાહ સાથે કોઈ બીજાને ભાગીદાર બનાવીને પોતાની પૂજામાં સામેલ કરે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. દાવો-અધિકારીઓ નિવૃત્તિ પછી 20 વર્ષ પુસ્તકો પ્રકાશિત નહીં કરાવી શકે:સરકાર આદેશ જાહેર કરી શકે છે; પૂર્વ આર્મી ચીફ નરવણેના અપ્રકાશિત પુસ્તક પર વિવાદ સરકાર નિવૃત્ત અધિકારીઓ માટે 20 વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડ પર વિચાર કરી રહી છે. આ નિર્ણય પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક પર થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર નિવૃત્તિ પછી પુસ્તકો લખતાં પહેલાં મિલિટરી અધિકારીઓ સહિત શક્તિશાળી પદો પર બેઠેલા અધિકારીઓ માટે 20 વર્ષનો કૂલિંગ-ઓફ પિરિયડ શરૂ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં નરવણેના પુસ્તક પર ચર્ચા થઈ. ઘણા મંત્રીઓનું માનવું હતું કે શક્તિશાળી પદો પરથી નિવૃત્ત થયેલા લોકો માટે એક કૂલિંગ-ઓફ પિરિયડ હોવો જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 6. જામતારા ગેંગ સાથે સંકળાયેલા 3 સુરતીઓ ઝડપાયા:227 ક્રેડિટ કાર્ડનો થપ્પો ને લાખોના ટ્રાન્ઝેક્શન, 10% કમિશને સિવિલ એન્જિનિયરનું કારસ્તાન; કાળું નાણું સફેદ કરવાનું કૌભાંડ આજના ડિજિટલ યુગમાં સાયબર અપરાધીઓ અવનવી રીતે લોકોને છેતરી રહ્યા છે. તાજેતરમાં સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવતા કુખ્યાત જામતારા ગેંગ સાથે સંકળાયેલા ગુજરાતના 3 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક સિવિલ એન્જિનિયર પણ શામેલ છે. આ ગેંગ વોટ્સએપ પર નકલી RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરી બેંક ખાતા સાફ કરી નાખતી હતી. સુરતમાં જામતારા ગેંગ સાથે સંડોવણી ધરાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીઓ પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ અને 92.53 લાખના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે. આ ટોળકી જામતારા ગેંગના કાળી કમાણીના નાણાંને 10% કમિશન લઈને સફેદ કરવાનું કૌભાંડ ચલાવતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કિરણ મોરે ગ્રુપ સામે ઈરફાન પઠાણનો યોર્કર:BCAના ચૂંટણીને લઈને ઘમસાણ, ફાસ્ટ બોલરે કહ્યું, વડોદરા ક્રિકેટમાં હામાં હા કહો તો જ જોબ મળે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA)ની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાવાનું છે. એ પહેલાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલઆઉન્ડર ઈરફાન પઠાણે ચૂંટણી મેદાનમાં યોર્કર ફેંકી જંગને રસપ્રદ બનાવી દીધો છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પૂર્વ વિકેટકીપર કિરણ મોરે અને દર્શન બેંકરના ગ્રુપ વચ્ચે ટક્કર થઈ રહી છે. ત્યારે ઈરફાન પઠાણે કિરણ મોરે અને તેના ગ્રુપ સામે સવાલો ઉઠાવ્યા હતા. બરોડા ક્રિકેટનો સ્તર નીચો જઈ રહ્યો હોવાની વાત કરી ઈરફાન પઠાણે કહ્યું કે બરોડા ક્રિકેટના કોચ અફઘાનિસ્તાન જઈ કોચિંગ કરી રહ્યા છે, પણ અહીં તેમને રિસ્પેક્ટ મળતી નથી. બરોડા ક્રિકેટમાં હામાં હા કરનારાઓને જ જોબ મળે છે. ઈરફાન પઠાણનો આ વીડિયો રોયલ સત્યમેવ જયતેના ગ્રુપમાં શેર કરાતાં ક્રિકેટ પોલિટિક્સમાં ગરમાવો આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વિશ્વના સૌથી મોટા AI સમિટમાંથી પાકિસ્તાનની બાદબાકી:ભારતે 100 દેશોને બોલાવ્યા પાડોશીને આમંત્રણ નહીં, 16 ફેબ્રુઆરીથી AIનો મહાકુંભ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : તારિક રહેમાને કહ્યું- ભારત સાથેના સંબંધોમાં બાંગ્લાદેશનું હિત જરૂરી:ચીન વિકાસમાં સહયોગી, શેખ હસીનાની વાપસી પર બોલ્યા- કાયદો પોતાનું કામ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બ્રહ્મપુત્રા નદી નીચે ટ્રેન-વાહનો એકસાથે ચાલશે:ભારતની પહેલી અનોખી અંડરવોટર ટનલ, 6 કલાકની મુસાફરી માત્ર 20 મિનિટમાં; ₹18,662 કરોડનો પ્રોજેક્ટ મંજૂર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલામાં સીક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો:રશિયા-ચીનની ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ; કહ્યું- એક દિવસ બધી જ ખબર પડી જશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું આ અઠવાડિયે ₹687 મોંઘું થયું, ₹1.52 લાખ થયું:ચાંદી ₹2,496 સસ્તી થઈ, ₹2.42 લાખ પ્રતિ કિલો પર આવી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IND vs PAK મેચમાં વરસાદ મજા બગાડી શકે:કોલંબોમાં 24 કલાકની આગાહી; જો મેચ રદ થાય તો ભારત અને પાકિસ્તાનનું શું સમીકરણ હશે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં 'ચતુર્ગ્રહી યોગ':શિવજી-શનિદેવ મેષ-વૃષભ સહિત 4 રાશિ પર વરસાવશે અપાર કૃપા, જાણો ચાર પ્રહરની પૂજાનાં મુહૂર્ત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ દુનિયાનું સૌથી મોટું કાપડનું રમકડું સ્કોટલેન્ડની 22 વર્ષીય વિદ્યાર્થિની એમિલિયા ઈવાન્સ-મંટને આશરે 200 ફૂટ કાપડમાંથી દુનિયાનું સૌથી મોટું કાપડનું રમકડું બનાવ્યું છે. જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. તેને ‘સોક-મંકી’ કહેવામાં આવી રહ્યો છે, તે 49 ફૂટ 6 ઈંચ લાંબો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: પાકિસ્તાની 'માયાજાળ', બોલ ફેંકતા પહેલા થંભી જાય ને પછી મચાવે છે તબાહી; ભારત કોયડો ઉકેલી શકશે?, ધોનીની ફિલ્મે બદલ્યું નસીબ 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : વંદે ભારત–તેજસ ટ્રેનોમાં ગંધાતું લંચ–ડિનર: ફરિયાદ કરવા પર મુસાફરો સાથે ગેરવર્તન; એડવાન્સ પેમેન્ટ પછી પણ કેમ મળે છે ખરાબ જમવાનું? પર્દાફાશ 3. ધોલેરાનું એરપોર્ટ બ્રિટનને ટક્કર મારશે: 4 કિમી લાંબો રનવે, એકસાથે 4 પ્લેન ટેકઓફ-લેન્ડિંગ કરી શકશે, જુઓ ગુજરાતના સૌથી મોટા ઈન્ટરનેશનલ એરપોર્ટનો ડ્રોન વીડિયો 4. અજાણી મૂકબધિર, પ્રેગ્નન્ટ યુવતીનું આધારકાર્ડ બનાવવા જતાં અસલ ઓળખ થઈ: વીડિયો કોલમાં માતાને જોઈ આંખો છલકાઇ, 3 મહિના પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનથી મળી હતી 5. બાંગ્લાદેશથી ભાસ્કર : જમાતના સપોર્ટર બોલ્યા- અમને જાણીજોઈને હરાવ્યા, રાત્રે રિઝલ્ટ બદલ્યું: અવામી લીગના વોટર BNPની જીતથી ખુશ, હિન્દુ બોલ્યા- તારિક રહેમાન અમારા પાલક 6. દાલમંડી પર બુલડોઝર, શું BJPના 50,000 વોટ ઘટશે: વારાણસીના લોકો બોલ્યા, રોડ માટે ઘર-દુકાન તોડી, ચૂંટણીમાં જવાબ આપીશું ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મિથુન અને કન્યા રાશિની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધન જાતકોએ ધંધામાં મોટો ફેરફાર કરવામાં ઉતાવળ ટાળવી વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 5:00 am

છેતરપિંડી આચરવામાં આવી:આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવક સાથે ₹7.47 લાખની ઠગાઈ, 5 વિરુદ્ધ ફરિયાદ

બોટાદ જિલ્લાના રંગપર ગામના એક યુવકને આરોગ્ય વિભાગમાં ડેટા ઓપરેટરની નોકરી અપાવવાના બહાને રૂ. 7.47 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રાહુલભાઈ સુરેશભાઈ ચાવડાએ માંગરોળ અને કેશોદના એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે 4 વર્ષ પહેલાં એક સામાજિક પ્રસંગમાં રાહુલભાઈની મુલાકાત આરોપી ડો. આશિષ દાનાભાઈ રાઠોડ સાથે થઈ હતી. આશિષે પોતે માંગરોળ અર્બન હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હોવાની ઓળખ આપી હતી. સમય જતાં આશિષ અને તેનો પરિવાર રાહુલભાઈના ઘરે અવરજવર કરી ગાઢ સંબંધો કેળવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગમાં મોટી ભરતી આવવાની છે તેમ કહી, રૂ. 7.50 લાખમાં નોકરી લગાડી દેવાની લાલચ આપી હતી. નોકરીના નામે લાખોની માંગણી આરોપી આશિષે રાહુલભાઈને જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં મોટી ભરતી આવવાની છે, મારી ઓળખાણ છે એટલે ₹7.50 લાખમાં નોકરી કરાવી દઈશ. ફરિયાદીની ઉંમર પૂરી થવા આવી હોવાથી તેમણે વિશ્વાસ રાખી હા પાડી હતી. કટકે-કટકે લાખો રૂપિયા પડાવ્યાનોકરી મેળવવાના આશયથી ફરિયાદીએ એપ્રિલ 2022માં આરોપીઓને રૂ. 1.50 લાખ રોકડા અને અસલ દસ્તાવેજો સોંપ્યા હતા. ત્યારબાદ, વિંછીયા CHC ખાતે જગ્યા ખાલી હોવાનું કહી વધુ 1 લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ મે-2022 થી જાન્યુઆરી-2023 દરમિયાન અલગ-અલગ બેંક ખાતા અને UPI મારફતે કુલ રૂ. 4.89 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી. નોકરી અપાવા બોગસ પ્રક્રિયા કરી વિશ્વાસઘાત કર્યોઆરોપીઓએ વિશ્વાસ જીતવા માટે વિંછીયા CHC ખાતે ફરિયાદીને બોગસ ઓર્ડર બતાવ્યો હતો અને ત્યાં રજિસ્ટરમાં સહી કરાવી ફિંગરપ્રિન્ટ પણ લીધા હતા. જોકે, લાંબો સમય વિતવા છતાં નોકરી ન મળતા અને નાણાં પરત માંગતા આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. અંતે, છેતરાયાનો અહેસાસ થતા રાહુલભાઈએ આશિષ રાઠોડ, કમલ રાઠોડ, લક્ષ્મીબેન, પ્રભાબેન અને રસીલાબેન વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:46 am

સગા ભત્રીજાએ કાકા પાસે માંગી ખંડણી:બોટાદમાં ભત્રીજાએ કાકાની ઘરે ધસી જઇ રિવોલ્વરની ધાકે 7 કરોડની ખંડણી માગી

બોટાદના નામચીન બિલ્ડર આરોપી દિલાવર હમીદે તેના સગા કાકાના ઘરે પીધેલી હાલતમાં રિવોલ્વર સાથે જઈ કાકાને ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. બોટાદમાં 402 યુવાન એપાર્ટમેન્ટ, કરીમનગર પાસે પાળીયાદ રોડ ખાતે રહેતા અને કન્ટ્રકશન અને રીયલ એસ્ટેટનો ધંધો કરતા ફરિયાદી મનસુરઅલી પ્યારઅલી હમીદ ( ઉ.વ.65) એ બોટાદના નામચીન બિલ્ડર તેના ભત્રીજા આરોપી દિલાવર મદદ અલી હમીદ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી દિલાવર મદદઅલી હમીદ ફરિયાદી મનસુરઅલી પ્યારઅલી હમીદનો સગો ભત્રીજો થાય છે. આરોપી ભત્રીજા દિલાવરે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રાખવા તથા અન્ય માલ સામાનની ચુકવણી કરવા ટુકડે ટુકડે રૂપીયા 4 કરોડ તેના કાકા મનસુરઅલી પાસેથી રોકડા લીધેલ હતા. જે રકમનો તેના કાકાને એલફેલ અને ઉડાઉ ખોટો હિસાબ આપેલ. ભત્રીજા દિલાવરની નીયત ખરાબ થતા તેના કાકા પાસે નાણાકીય તોડ કરવા સારૂ અવારનવાર મોટી રકમની માંગણી અને બાંધકામ શરૂ રાખવા ખંડણીની માંગણી કરેલ પરંતુ તેના કાકાએ તેને કોઈ રકમ આપેલ નહી તેથી આરોપી દિલાવર હમીર તેના ફરિયાદી કાકા તથા તેના પરીવારજનોને અવારનવાર ધાક ધમકી તથા બીભત્સ ગાળો આપતો હતો. ગત 13 ફેબ્રુઆરી 26ના રાત્રીના 3-00 વાગ્યે દિલાવર હમીદ કાકાના ઘરે રીવોલ્વર લઈને આવેલ અને ઘરના દરવાજાને લાત મારી બોલતો હતો કે ‘બહાર નીકળ, આજે તને પતાવી દેવો છે. આજે તારૂ પુરૂ કરી નાખવું છે’. આમ કહીને રૂપીયા 7 કરોડની ખંડણી માંગેલ અને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો દેવા લાગેલ. આ વખતે પાડોશી અકબરભાઈ તથા અન્ય પાડોશીઓ જાગી જતા આ દિલાવર એપાર્ટમેન્ટના પાર્કીંગમાં નીચે જતો રહેલ. અને 112 નંબર ઉપર ફોન કરતા પોલીસની વાન આવી જતા આરોપી દિલાવર નાસી ગયેલ. આમ આરોપી ભત્રીજા દિલાવર હમીદે ગત રાત્રીના 3-00 વાગ્યાના સુમારે ઘરે દારૂ પીધેલી હાલતમાં આવી તેની રિવોલ્વર કાઢી ફરિયાદી કાકા મનસુર અલીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 7 કરોડની ખંડણી માંગી ધમકી આપ્યાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પિતાના અવસાન બાદ 7 વર્ષનો હતો ત્યારથી કાકાએ ભત્રીજાનો ઉછેર કર્યો હતોપિતાનું સન-1988માં રાજકોટ મુકામે મર્ડર થયેલ ત્યારે આરોપી દિલાવર સાત વર્ષનો હતો ત્યારથી તે અને તેના બીજા ભાઈબહેનો ફરિયાદી મનસુર અલી સાથે રહેલા અને ઉછેર કરેલ છે. સને-2020 જાન્યુઆરી માસમાં મનસુર અલીને હાર્ટએટેક આવેલો અને બીમારીમાં સપડાઇ જતા તેઓએ એવું નક્કી કરેલ કે બોટાદમાં આવેલી તેઓની જમીનો તથા અન્ય મિલકતનો વહીવટ અને વેચાણ અને ડેવલપ કરી વેચાણે આપવા અને તેમાંથી જે નફો થાય તેના 20 % હિસ્સો આપવાનો પાવર ઓફ એટર્ની કરી બોટાદ, જસદણ તથા તાજપરની જે જમીનો હતી તે તેના હવાલે કરી આપેલ હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:43 am

મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થયા:કાર્યાલયનો લાંચિયો કારકુન ઝડપાતાં મંત્રી નોટ-રીચેબલ

રાજ્યના ખાદ્ય અને ઔષધ વહીવટ મંત્રી નરહરિ ઝિરવાળ નોટ- રીચેબલ થઈ ગયા છે. મંત્રાલયમાં લાંચ કેસ બાદ, વિપક્ષે ઝિરવાળના રાજીનામાની માગણી કરી છે. ઝિરવાળ નોટ-રીચેબલ બનતાં આ અંગે વિવિધ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી નરહરિ ઝિરવાળના કાર્યાલયમાં કારકુન રાજેન્દ્ર ધેરંગેની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના અધિકારીઓએ 50,000 રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે. મંત્રી ઝિરવાળ આ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રકરણમાં તેમનો કોઈ પણ રીતે સંબંધ બહાર આવે તો તાત્કાલિક રાજીનામું આપી દેશે. પરંતુ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસે નૈતિક ધોરણે તેમના તાત્કાલિક રાજીનામાની માગણી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ઝિરવાળનો ફોન લાગતો નથી. તેઓ આજે કોઈને મળ્યા નથી. તો તેઓ ક્યાં ગયા છે? અને શું કરી રહ્યા છે? તે સ્પષ્ટ નથી. ધરપકડ કરાયેલા કારકુને દાવો કર્યો છે કે તેણે મંત્રી ઝિરવાળના અંગત સહાયકના નિર્દેશ પર લાંચ લીધી હતી. તેથી, એવું માનવામાં આવી રહ્યું છે કે ઝિરવાળ એસીબીના રડાર પર આવી ગયા છે. કદાચ તેથી જ તેઓ નોન- રીચેબલ બની ગયા છે. એવો આરોપ છે કે કારકુન રાજેન્દ્રએ સસ્પેન્ડ કરાયેલું મેડિકલ લાઇસન્સ પુનઃસ્થાપિત કરવા માટે લાંચ માગી હતી. 35 હજાર રૂપિયાની લાંચ લેતી વખતે, એસીબીએ તેને પકડી લીધો. બીજી તરફ, ઝિરવાળ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો આ લાંચ કેસ સાથે કોઈ સંબંધ નથી. જો આ કેસ સાથે તેમનો કોઈ સંબંધ હોવાનું સાબિત થાય તો 100 ટકા રાજીનામું આપી દેશે. દરમિયાન ઝિરવાળની ઓફિસમાં કારકુનને લાંચ લેતાં પકડવો એ ભાજપનું રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. વિરોધીઓ અને સાથીઓને બદનામ કરવા માટે સરકારી યંત્રણાનો ઉપયોગ કરવો એ તેમનો જૂનો ધંધો છે. જે સરકાર પોતે 'ટકાવારી'ના કાદવમાં ડૂબેલી છે તેણે બીજા પર કાદવ ન ફેંકવો જોઈએ. આ ટકાવારીની સરકાર છે. હવે આ બાબતો મંત્રાલયમાં પણ શરૂ થઈ ગઈ છે. કોઈ પણ ઓફિસમાં જાઓ અને ટકાવારીની ગણતરી થાય છે. હવે તે જાહેર થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:23 am

હથિયાર મળી આવ્યું:સંભાજીનગરમાં વિધાનસભ્યના કાર્યાલયમાં બેગમાંથી પિસ્તોલ મળી

છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિસમાં છોડી ગઈ હતી. શરૂઆતમાં, ઓફિસના કર્મચારીઓએ બેગ ત્યાં જ છોડી દીધી હતી, એવું વિચારીને કે કોઈ બેગ ભૂલી ગયું છે. જોકે, સવાર સુધી કોઈએ બેગ માટે સંપર્ક કર્યો ન હતો. તેથી, શંકાને કારણે બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં પિસ્તોલ મળી આવી હતી. ઘટનાની માહિતી થતાં વિધાનસભ્ય સંજય કેનેકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક ઓફિસમાં દોડી જઈને બેગ અને અંદરની વસ્તુઓ જપ્ત કરી લીધી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પિસ્તોલ એર ગન છે. જોકે, પોલીસે સુરક્ષાની દ્રષ્ટિથી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એર ગન ઓફિસમાં કેવી રીતે અને ક્યારે લાવવામાં આવી, તે કોની છે અને તેનો હેતુ શું હોઈ શકે છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ક્રાંતિ ચોકની વચ્ચે આવેલા ભાજપના વિધાનસભ્ય સંજય કેનેકરના સંપર્ક કાર્યાલયમાં એક બેગમાંથી પિસ્તોલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ શુક્રવાર સાંજે કોઈ અજાણી વ્યક્તિ બેગ ઓફિસમાં છોડી ગઈ હતી. શરૂઆતમાં, ઓફિસના કર્મચારીઓએ બેગ ત્યાં જ છોડી દીધી હતી, એવું વિચારીને કે કોઈ બેગ ભૂલી ગયું છે. જોકે, સવાર સુધી કોઈએ બેગ માટે સંપર્ક કર્યો ન હતો. તેથી, શંકાને કારણે બેગ ખોલવામાં આવી ત્યારે તેમાં પિસ્તોલ મળી આવી હતી. ઘટનાની માહિતી થતાં વિધાનસભ્ય સંજય કેનેકરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. પોલીસે તાત્કાલિક ઓફિસમાં દોડી જઈને બેગ અને અંદરની વસ્તુઓ જપ્ત કરી લીધી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પિસ્તોલ એર ગન છે. જોકે, પોલીસે સુરક્ષાની દ્રષ્ટિથી આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એર ગન ઓફિસમાં કેવી રીતે અને ક્યારે લાવવામાં આવી, તે કોની છે અને તેનો હેતુ શું હોઈ શકે છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં, વરિષ્ઠ પોલીસ અધિકારી પંકજ અતુલકર ઘટનાસ્થળે પહોંચ્યા. કેનેકર સાથે સીધી ચર્ચા કરી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી. ઓફિસ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બેગ ઓફિસમાં ક્યારે રાખવામાં આવી હતી, તેને કોણ રાખ્યું હતું તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં આવતા-જતા લોકોના રેકોર્ડ અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને આગળની તપાસની દિશા નક્કી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:21 am

બાંગલાદેશીઓ ઝડપાયા:મલાડ, વર્સોવા, અંધેરીમાં 21 બાંગલાદેશીઓની ધરપકડ

ભારતમાં ગેરકાયદે રહેતા બાંગલાદેશી નાગરિકો વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. વર્સોવા પોલીસે અંધેરી પશ્ચિમમાં યારી રોડ અને માહિમ પરિસરમાં દરોડા પાડીને કુલ 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ બધા ગેરકાયદે ભારતમાં દાખલ થઈને કોલકાતાથી સીધા મુંબઈ શહેરમાં પહોંચ્યા હતા એવી માહિતી તપાસમાં જાહેર થઈ છે. દરમિયાન આ સંદર્ભમાં વર્સોવા પોલીસની એટીસી ટીમને બાંગલાદેશી નાગરિકો સંદર્ભે ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના પગલે વર્સોવા પોલીસની એટીસી ટીમે અંધેરી પશ્ચિમ યારી રોડ પરિસર અને માહિમ પરિસરમાં દરોડા પાડીને 21 બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. વર્સોવા પોલીસની આ કાર્યવાહીમાં 18 ટ્રાન્સજેંડર, એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ છે. આ આરોપીઓ પાસેથી બાંગલાદેશી નાગરિક હોવાના ઘણાં પુરાવા પોલીસે મેળવ્યા હતા. આ આરોપીઓ સાથે હજી કેટલા બાંગલાદેશી નાગરિકો મુંબઈમાં દાખલ થયા છે, તેમને કોણ મદદ કરતું હતું એ સંદર્ભે પણ વધુ તપાસ જારી છે. બીજી તરફ મલાડ પૂર્વમાં કુરાર પોલીસે પણ આવી જ કાર્યવાહી કરી હતી. એમાં મલાડ પઠાણવાડી પરિસરમાં ચાર બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી. આ ચારેય ભારતમાં ગેરકાયદે દાખલ થઈને મુંબઈના મલાડ પઠાણવાડી પરિસરમાં કામ શોધવા આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:20 am

અજિત પવાર વિમાન દુર્ઘટના:અજિત પવારના મૃત્યુ અંગે શંકાઃ ઉડ્ડયન મંત્રી, અમિત શાહને મેઇલ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવારના ધારાસભ્ય રોહિત પવારે અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુની નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. તેમણે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCA ને ઈમેલ મોકલ્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે અજિત પવારના મૃત્યુ અંગે મારા અને સમગ્ર મહારાષ્ટ્ર માટે ઊભા થયેલા અનેક પ્રશ્નોનો નિષ્પક્ષ રીતે ઉકેલ આવવો જોઈએ. ૨૮ જાન્યુઆરીના રોજ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ થયું હતું. રાજ્યના રાજકીય વર્તુળોમાં તેમના અકાળ મૃત્યુ અંગે અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, રોહિત પવારે મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અજિત પવારના મૃત્યુની સંપૂર્ણ તપાસની માગણી કરી છે. આ સંદર્ભમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના હતા, પરંતુ મુલાકાત થઈ શકી નહીં. તેથી, તેમણે આ સંબંધમાં અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી અને ડીજીસીએને ઇમેઇલ કરીને આ બાબતે ફોલોઅપની માગણી કરી છે. રોહિત પવારે આ બાબતે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના અંગે ઘણી શંકાઓ ઊભી થઈ છે અને આ શંકાઓ અને તથ્યો પત્રકાર પરિષદ દ્વારા જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અમે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને DGCAને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેઠક થઈ શકી નહીં. તેથી, અમે ગૃહમંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી અને DGCAને પ્રેઝેન્ટેશન સાથે અમારી બધી શંકાઓ સાથે એક ઈમેઈલ મોકલ્યો અને તેમને આ દુર્ઘટનાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવા અને તથ્યો જનતા સમક્ષ લાવવા વિનંતી કરી. મને વિશ્વાસ છે કે આ સંદર્ભમાં સકારાત્મક પ્રતિભાવ મળશે અને મારા સહિત સમગ્ર મહારાષ્ટ્ર સામેના ઘણા મુદ્દાઓનું નિષ્પક્ષ રીતે નિરાકરણ લાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:20 am

દુર્ઘટના સર્જાઈ:મુલુંડમાં નિમાર્ણાધીન મેટ્રો બ્રિજનો સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ

મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડ પર સ્થિત જોન્સન એન્ડ જોન્સન કંપની નજીક શનિવારે બપોરે 12.20 વાગ્યે મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો એક ભાગ તૂટી પડ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ (એમઅફબી) દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક જણનું મોત થયું હતું જ્યારે અન્ય 3 ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ એમએમઆરડીએ દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. 5 કરોડનો અને કન્સલ્ટન્ટને રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન મેયર રિતુ તાવડેએ પણ ઘટનાસ્થળની અને ઘાયલોની મુલાકાત લીધી હતી અને કઠોર કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મેટ્રો બ્રિજના પેરાપેટ વોલનો અંદાજે 6 ફૂટ બાય 4 ફૂટનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ભારે સિમેન્ટનો ભાગ નીચે પસાર થઈ રહેલી ઓટોરિક્ષ ા અને ખાનગી સ્કોડા કાર પર પડ્યો હતો, જેમાં બંને વાહનને ભાર નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં મૃત વ્યક્તિની ઓળખ રામધન યાદવ તરીકે કરાઈ છે, જ્યારે 45 વર્ષીય રાજકુમાર ઇન્દ્રજિત યાદવને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો અને તેની હાલત ગંભીર છે. અન્ય બે ઘાયલમાં મહેન્દ્ર પ્રતાપ યાદવ (52) અને દીપા રુહિયા (40)ની સ્થિતિ સ્થિર છે. એમએમઆરડીએએ જણાવ્યું હતું કે સ્લેબ તૂટી પડવાનું કારણ નક્કી કરવા અને બાંધકામ સલામતી પ્રોટોકોલ અને માળખાકીય સ્થિરતાનાં પગલાં તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રો ઓથોરિટી, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તે વિસ્તારમાં ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સમયે મેટ્રોનું બાંધકામ ચાલુ હતું ત્યારે પૂરતી સલામતી વ્યવસ્થા હતી કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. એમએમઆરડીએની કડક કાર્યવાહી: દરમિયાન મુલુંડ ફાયર સ્ટેશન નજીક મેટ્રો લાઇન-4 (વડાલા–કસારવડવલી)ના બાંધકામ હેઠળના પિયર પી196 પાસે 14 ફેબ્રુઆરીની આ દુર્ઘટના પછી મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જણાવ્યું છે કે ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ એમએમઆરડીએ દ્વારા ઉઠાવવામાં આવશે અને મૃતકના પરિવારને નિયમ મુજબ નાણાકીય સહાય પ્રાથમિકતાને આધારે આપવામાં આવશે. ઘટના બાદ તાત્કાલિક સ્થળને સીલ કરીને સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે, અને સંબંધિત વિસ્તારમાં બાંધકામ કામ તાત્કાલિક રોકી દેવામાં આવ્યું છે. ભવિષ્યમાં દુર્ઘટના ટાળવા પગલાં લેવાશેપ્રાથમિક જવાબદારીના આધારે એમએમઆરડીએએ કોન્ટ્રાક્ટર રાજવ મિલાન ઇન્ફ્રા પર રૂ.5 કરોડ અને જનરલ કન્સલ્ટન્ટ ડીબી એન્જિનિયરિંગ, હિલ ઇન્ટરનેશનલ અને લુઇસ બર્જર કન્સોર્શિયમ પર રૂ.1 કરોડનો દંડ ફટકાર્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ કડક કાર્યવાહી, જેમાં બ્લેકલિસ્ટિંગનો પણ સમાવેશ થઈ શકે છે. એમએમઆરડીએએ સ્પષ્ટ કર્યું છે કે, જાહેર સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જવાબદારી નક્કી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા જરૂરી પગલાં લેવામાં આવશે. ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચનાએમએમઆરડીએના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર અશ્વિન મુદગલ સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉપરાંત, ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ) બસવરાજ એમ. ભદ્રાગોંડની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:19 am

રેસ્ટોરન્ટ્સની મનમાની:બંધી છતાં રેસ્ટોરન્ટ દ્વારા 5 થી 10 ટકા સર્વિસ ચાર્જની વસૂલી ચાલું

કાયદાકીય બંધી હોવા છતાં મુંબઈની અનેક રેસ્ટોરન્ટમાં 5 થી 10 ટકા સર્વિસ ચાર્જ કરે છે. આ શુલ્ક અનેક વખત ધર્માદાય યોગદાન, કર્મચારી કલ્યાણ ભંડોળ અને કર્મચારી યોગદાન જેવા વિવિધ નામથી વસૂલ કરવામાં આવે છે. જો કે આ ગેરકાયદે છે અને એના પર તરત બંધી મૂકવી એવી માગણી મુંબઈ ગ્રાહક પંચાયતે કેન્દ્રિય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ સમક્ષ કરી છે.કર્મચારીઓની સેવા માટે સ્વેચ્છાએ આપવામાં આવે એ ટીપ છે. જો એ કાઢી નાખવી હોય તો કર્મચારીને એમ જણાવો, એમ સૂચિત કરવામાં આવે છે. જો કે આ સૂચના ઘણી ઝીણા શબ્દોમાં, સહેલાઈથી ન દેખાય, વાંચી ન શકાય એ પ્રમાણે છાપેલી હોવાથી ગ્રાહકોની નજરમાં આવતી નથી. કેટલીક રેસ્ટોરંટ્સ 5 થી 10 ટકા સર્વિસ ચાર્જ દેખાડે છે અને ગ્રાહકોને એના માટે વિકલ્પ આપવામાં આવતો નથી એમ ગ્રાહક પંચાયતે સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રિય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણે 4 જુલાઈ 2022ના જારી કરેલી માર્ગદર્શક સૂચના અનુસાર સર્વિસ ચાર્જ કોઈ પણ રીતે અથવા કોઈ પણ નામથી વસૂલ કરવી એ અનુચિત વેપારી પદ્ધતિ ઘોષિત કરીને એના પર સ્પષ્ટપણે બંધી મૂકી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:16 am

સિટી એન્કર:મિરા-ભાઈંદર ફ્લાયઓવર તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલશે

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે બાંધેલા મિરા-ભાઈંદર ખાતેના ડબલડેકર ફ્લાયઓવરની ત્રયસ્થ સંસ્થા પાસેથી રસ્તા સુરક્ષા તપાસ કરાવવામાં આવશે. એ પછી આ પુલ તબક્કાવાર વાનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. એ અનુસાર ગોલ્ડન નેસ્ટ સર્કલ આગળના ભાગની એક એક લેન વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. માર્ચના ત્રીજા અઠવાડિયામાં એક એક લેન શરૂ થાએવી શક્યતા છે.દહિસર-મિરા-ભાઈંદર મેટ્રો-9ના થાંભલાના કારણે મિરા-ભાઈંદર પરિસરમાં રસ્તા સાંકડા થયા છે અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે. તેથી ત્યાં ત્રણ ડબલડેકર ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ અનુસાર બે ડબલડેકર બાંધીને પૂરા કર્યા અને વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા. ત્રીજો પુલ બાંધીને તૈયાર છે. જૂના પેટ્રોલપંપથી ફાટક માર્ગ પરના આઝાદ મેદાન દરમિયાન 1800 મીટર લાંબો આ પુલ છે. આ પુલ શરૂઆતમાં ચાર લેનનો અને પછી બે લેનનો બાંધવામાં આવ્યો હતો. તેથી આ પુલની રચના પર ચારેકોરથી ટીકા થઈ હતી. જો કે હવે આ પુલ તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીકા થઈ છે છતાં પુલની રચના યોગ્ય છે. 2020-21માં પુલની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને એ અનુસાર જ કામ કરવામાં આવ્યાનું એમએમઆરડીએનું જણાવવું છે. પુલની આ રચના હંગામી છે અને મંજૂર રૂપરેખા અનુસાર આ પુલ પશ્ચિમ રેલવે માર્ગ ઓળંગીને આગળ ભાઈંદર પૂર્વ તરફ લઈ જવામાં આવશે.ભાઈંદર પૂર્વ-પશ્ચિમને જોડતો આ પુલ 970 મીટર લાંબો છે. આ પ્રકલ્પ માટે ભૂસંપાદનની જરૂર છે અને એ પછી આ પુલના કામની શરૂઆત થશે. પૂર્વ-પશ્ચિમ જોડાણ પૂરું થયા પછી છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ પરનો ટ્રાફિકાજામ ઓછો થવામાં મદદ થશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:15 am

1,627 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ:મુંબઈ પાલિકાની ચૂંટણીમાં 66 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કુલ 1700 ઉમેદવારોથી 1 હજાર 127 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. એટલે કે 66 ટકા ઉમેદવારોને એટલા ઓછા મત મળ્યા કે તેમની અનામત રકમ પણ જપ્ત થઈ ગઈ. ડિપોઝીટ જપ્ત થયેલા ઉમેદવારોમાં 546 અપક્ષ છે તો રાજકીય પક્ષમાં સૌથી વધુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. મુંબઈ મહાપાલિકાના 227 પ્રભાગ માટે તાજેતરમાં ચૂંટણી પાર પડી. એના પરિણામ પણ આવી ગયા. આ ચૂંટણીમાં કુલ 1700 ઉમેદવાર ઊભા હતા. એમાં 821 પુરુષ અને 879 મહિલાઓ હતી. ચૂંટણીમાં 29 વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એમાં મુખ્ય લડત ભાજપ-શિવસેના (શિંદે) મહાયુતિ વિરુદ્ધ શિવસેના (ઠાકરે)-મનસે યુતિ વચ્ચે થઈ હતી. તેથી આ ચાર પક્ષ છોડીને બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. 227 પ્રભાગ માટે 1700 ઉમેદવાર ઊભા હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:12 am

ડિફોલ્ટર્સને મોકલવામાં આવી નોટિસ:મહાપાલિકા પાસે ટોપ 20 ડિફોલ્ટરના 276 કરોડનાં લેણાં, માલમતા જપ્તિની નોટિસ

મહાપાલિકાને મિલકતવેરો નિર્ધારિત સમયમાં ભરવામાં ટાળમટોળ કરતા તેમ જ આર્થિક ક્ષમતા હોવા છતાં મિલકતવેરો નહીં ભરનારા મોટા ડિફોલ્ટરે કલમ 203 અન્વયે માલમતા જપ્તિની નોટિસ ફટકારવામાં આવી છે. જો નોટિસમાં આપેલા સમયગાળામાં લેણાં ચૂકતે નહીં કરાય તો કલમ 204, 205, 206 અન્વયે સૌપ્રથમ માલમતા ચીજવસ્તુ જપ્ત કરીને લિલામ કરાશે. જો તેમાંથી પણ પૈસા વસૂલ નહીં થાય તો કલમ 206 અન્વયે લિલાવ કરવામાં આવશે, એમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.માલમતા કર મહાપાલિકાની આવકનો મુખ્ય સ્રોત છે. આ વેરાનું બિલ અપાયા પછી 90 દિવસમાં તે ચૂકતે કરવાનું હોય છે. જો તેવું નહીં કરતાં તબક્કાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. કર નિર્ધારણ અને સંકલન વિભાગ દ્વારા પ્રત્યક્ષ સંપર્ક અને સંવાદ સાધીને માલમતા વેરો ભરવા માટે ફોલો-અપ કરાય છે. આમ છતાં વેરો નહીં ભરાય તો ડિમાંડ લેટર મોકલવામાં આવે છે. આ પછી માલમતા ધારકને 21 દિવસની અંતિમ નોટિસ અપાય છે, જે પછી માલતા જપ્તિ, લિલામ વગેરે કાર્યવાહી કરવામાં આવે છે. મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી, એડિશનલ કમિશનર ડો. અશ્વિની જોશી, જોઈન્ટ કમિશનર વિશ્વાસ શંકરવારના માર્ગદર્શનમાં વેરો વસૂલ કરવા વિવિધ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટોપ 20માં મ્હાડા, બિલ્ડરો પણ છેટોપ 20 ડિફોલ્ટરોમાં મ્હાડા પાસે સૌથી વધુ રૂ. 63.21 કરોડનાં લેણાં છે. મેસર્સ રાજહંસ એસોસિયેટ્સના રૂ. 46.05 લાખ, મેસર્સ વિમલ એસોસિયેટ્સના રૂ. 39.09 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 10.36 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 10.20 કરોડ, યશવંત એન જાધવ એસએસવી રિયાલ્ટર્સના રૂ. 9.94 કરોડ, અંબિકા સિલ્ક મિલના રૂ. 9.64 કરોડ, મહારાષ્ટ્ર શાસન ભોગવટાદાર સુશીલકુમાર સંભાજી શિંદે પ્રતિષ્ઠાન રૂ. 8.79 રકોડ, ધ વિકટોરિયા મિલ્સ લિ. પ્લાઝા પંચશીલ મિલના રૂ. 8.76 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 8.08 કરોડ, મહેમદ યુસુફ ખાનના રૂ. 7.64 કરોડ, એએચ વાડિયા ટ્રસ્ટ સ્કાયલિંક ડેવલપર્સના રૂ. 7.56 કરોડ, મેહરુનિસ્સા મહંમદ સહેબ ખતીબના રૂ. 7.33 કરોડ, ધ ન્યૂ સન મિલ કોમ લિ. શુભમ ફેબ્રિકના રૂ. 7.19 કરોડ, જય માતાદી કન્સ્ટ્રકશનના રૂ. 5.79 કરોડ, ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ફેઝ 2 પ્રા. લિ.ના રૂ. 5.78 કરોડ, ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ફેઝ 2 પ્રા. લિ.ના રૂ. 5.56 કરોડ, નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના રૂ. 5.35 કરોડ, એલ્કો આર્કેડ કોઓફ હાઉસિંગ સોસાયટી ડી વિંગના રૂ. 4.81 કરોડ, ગોલ્ડન રોયલ ટોકીઝના રૂ. 4.22 કરોડનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:11 am

સન્ડે ફોટો સ્ટોરી:આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ પર જાગૃતિ કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ નિમિત્તે નારાયણા હેલ્થ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, મુંબઈ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને વહેલું નિદાન, સમયસર ઉપચાર અને પરિપૂર્ણ સંભાળના મહત્ત્વ પર ભાર આપતાં કેન્સર સાથે સંઘર્ષ કરતા બાળકોના સાહસ અને કટિબદ્ધતાની ઉજવણી કરાઈ હતી. થીમ પાવર ચેમ્પ્સ- કેન્સરઃ ફ્રોમ ચેલેન્જ ટુ ચેન્જ રખાઈ હતી. એચઓડી ડો. પૂર્ણા કુરકુરેએ માર્ગદર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:10 am

સિંધુદુર્ગમાં મતગણતરીમાં વિસંગતતા જોવા મળી:નોંધાયેલા મતની સંખ્યા અને મશીન પરના મતની સંખ્યા વચ્ચે તફાવત હોવાનું જણાયું

સિંધુદુર્ગ જિલ્લાના માટાણે મતવિસ્તારના એક મતદાન મથક પર મતગણતરીમાં વિસંગતતા જોવા મળી છે. નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળતાં, રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકરે ગણતરીના દિવસે સંબંધિત પાંચ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ એક ગંભીર બાબત છે અને કાસેકરે તેમને તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે સમજાવવાનો આદેશ આપ્યો છે. રિટર્નિંગ ઓફિસર લક્ષ્મણ કાસેકર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ સામાન્ય ચૂંટણી 2026 નમૂના VM-3 (નોંધાયેલ મતોની ગણતરી)માં સચોટ એન્ટ્રીઓ કરવામાં આવી નથી. આ નોટિસ તમને જણાવે છે કે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ સામાન્ય ચૂંટણી 2026 (તાલુકો દોડામાર્ગ) માટે, મતદાન મથક પર કેન્દ્ર નં. 50/14 મતાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મતદાન પ્રક્રિયા 7 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. 9 ફેબ્રુઆરીના રોજ, મતગણતરી દરમિયાન, જ્યારે ટેબલ નં. 6 અને કેન્દ્ર નં. 50/14 મતાને બીજા રાઉન્ડ દરમિયાન ગણતરી માટે આવ્યા, ત્યારે નમૂના VM-3 (નોંધાયેલ મતોની ગણતરી) માં નોંધાયેલા મતોની સંખ્યા અને મતદાન મશીન પર પડેલા મતોની સંખ્યા વચ્ચે વિસંગતતા જોવા મળી. આ મામલો ખૂબ જ ગંભીર છે અને તમારા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૪ અને મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૩૪ હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? નોટિસ મળતાની સાથે જ આ અંગે લેખિત સમજૂતી મને સુપરત કરવી જોઈએ; અન્યથા, એ નોંધવું જોઈએ કે આગળની કાર્યવાહી એવી રીતે કરવામાં આવશે કે જાણે આ બાબતમાં તમારો કોઈ હાથ ન હોય, અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે. પાંચ કર્મચારીઓ લેખિત મંતવ્યો રજૂ કર્યાકાર્યવાહી અંગે વરિષ્ઠ અધિકારીઓ નિર્ણય લેશે અને ચૂંટણી કાર્યમાં બેદરકારી બદલ કાર્યવાહીનો સામનો કરી રહેલા પાંચ કર્મચારીઓએ લેખિતમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. અમે તેમના મંતવ્યો જિલ્લા સ્તરે મોકલી દીધા છે. તેથી, આગળની કાર્યવાહીનો નિર્ણય વરિષ્ઠો દ્વારા લેવામાં આવશે, એમ સહાયક ચૂંટણી નિર્ણય અધિકારી પ્રજ્ઞા રાજમાને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:09 am

થાણે કોસ્ટલ રોડનું કામ બન્યું ઝડપીઃ:થાણે કોસ્ટલ રોડનું આઠ મહિનામાં 50 ટકા પાયાનું કામ પૂર્ણ

થાણે કોસ્ટલ રોડનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. બાંધકામની શરૂઆત થઈને ફક્ત આઠ મહિનામાં જ થાણે કોસ્ટલ રોડ-1 મહત્ત્વનો તબક્કો પાર પાડ્યો છે. આ પ્રકલ્પના એલીવેટેડ માર્ગની પાયાભરણીના કામમાંથી 50 ટકાથી વધુ પૂર્ણ થયું હોઈ પિયર કેપ અને આય- ગર્ડર ઊભું કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 13.45 કિમી લાંબો, છ લેન, પ્રવેશ નિયંત્રિત ગ્રીનફિલ્ડ માર્ગ અત્યાધુનિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઊભો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પહેલી જ વાર ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટમાં જમીન પર મોનોપાઈલ ફાઉન્ડેશન સાથે સિંગલ- પાઈલ, સિંગલ- પિયર પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ડેડિકેટેડ માલપરિવહન કોરિડોર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો હોઈ ઘોડબંદર રોડ પર ટ્રાફિકની ગીચતા ઓછી કરવામાં અને થાણે ખાડી કિનારા પાસે એનએચ- 160 (મુંબઈ- નાશિક હાઈવે) અને ગાયમુખ વચ્ચે અખંડ રસ્તા જોડાણ ઉપલબ્ધ કરી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પર્યાવરણની દ્રષ્ટિથી સંવેદનશીલ મેન્ગ્રોવ્સનું સંરક્ષણ કરવા માટે પ્રકલ્પનો મોટો ભાગ ફ્લાયઓવર પર અને પુલ દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. ગાયમુખ ખાતે આ માર્ગ પ્રસ્તાવિત ગાયમુખ- ફાઉન્ટન હોટેલ બોગદા સાથે સીધો જોડવામાં આવશે. આ પ્રકલ્પને લીધે ઘોડબંદર રોડ પર ટ્રાફિક મોટે પાયે ઓછો થઈને થાણેની શહેરી ગતિશીલતામાં આમૂલ પરિવર્તન આવશે. આ જ રીતે વાઢવણ બંદર, જેએનપીટી, દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટક પાસ જતું માલ પરિવહન વધુ સક્ષમ બનશે. કોરિડોર થાણે રિંગ મેટ્રો, થાણે કોસ્ટલ રોડ-2, સાકેત- આમણે એલિવેટેડ કોરિડોર અને કાસારવડવલી- ખારબાવ માર્ગ એમ મહત્ત્વના પાયાભૂત પ્રકલ્પો સાથે સીધો જોડવામાં આવી રહ્યો છે, જેને લીધે મુંબઈ મહાનગર પ્રદેશની આગામી પેઢીન સુલભ પરિવહન કનેક્ટિવિટીનો આધાર વધુ મજબૂત બનશે, એમ એમએમઆરડીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:07 am

લેન્ડ ગ્રેબિંગ:વર્ષો જૂના પાવર ઑફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની જમીન હડપવાનો આરોપ

ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામમાં ખેડૂતો દ્વારા વર્ષો પહેલા આપવામાં આવેલા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી કરોડોની કિંમતની જમીન હડપવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદેસર રીતે ખરીદાયેલી જમીન પર ખોટું બાનાખત બનાવી અને પછી બીજો દસ્તાવેજ કરી વિવાદ ઉભો કરવાનો આરોપ બે શખ્સો પર લાગ્યો છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. અડાલજ વિસ્તારમાં આવેલા દંતાલી ગામમાં જમીન મામલે કૌભાંડ બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ જીગરકુમાર રામભાઈ પટેલે વર્ષ 2019 માં સર્વે નંબર 231 (જૂનો 465) વાળી 8600 ચોરસ મીટર જમીન ખરીદવા ખેડૂતો સાથે વાતચીત શરૂ કરી હતી. આ જમીન સરકારી નિયમોમાં ફસાયેલી હોવાથી તેમણે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જમીન ખેતીલાયક કરાવી હતી. ખેડૂતોએ આ જમીન જીગરકુમાર અને તેમના ભાગીદારોને રૂપિયા 1 કરોડ 55 લાખમાં વેચવાનો નિર્ણય કર્યો હતો. જીગરકુમારે નક્કી મુજબની રકમ ચેક દ્વારા ચૂકવી જાન્યુઆરી 2022 માં દસ્તાવેજ નોંધાવ્યો હતો. આ દરમિયાન વર્ષ 2016માં જમીનનું કામ સંભાળતા જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ પાસે ખેડૂતોના જૂના નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની હતા. બંનેએ તેનો ઉપયોગ કરી સપ્ટેમ્બર 2020માં 88.15 લાખનું બાનાખત બનાવ્યુ હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:03 am

યુવાનનું રેસક્યૂ કરાયું:ભાટના યુવકે નદીમાં ઝંપલાવ્યા બાદ પોતે જ પોલીસને ફોન કરી મદદ માગી

અમદાવાદમાં વહેલી સવારે એક યુવાને ઇન્દિરા બ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યુ હતુ, અને પછી તેણે જાતે જ ઇમરજન્સી નંબર પર ફોન કરીને જાણ કરી હતી,રાત્રે 3:35 વાગ્યે આ યુવકે પોતે જ 112 ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યું હતું કે તેણે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે અને તેને બહાર કાઢવામાં આવે. 112 કંટ્રોલ રૂમ દ્વારા ગાંધીનગર ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી કે ઇન્દિરા બ્રિજ નીચે એક વ્યક્તિ નદીમાં પડ્યો છે, જેથી તાત્કાલિક ફાયર ટીમ મોકલવામાં આવે. ભાટ ફાયર સ્ટેશનથી ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર ટીમે સમયસર પહોંચી કામગીરી હાથ ધરી અને યુવકને સાબરમતી નદીમાંથી હેમ-ખેમ રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સને વધુ સારવાર માટે સોંપવામાં આવ્યો. યુવકનું નામ કિશનભાઈ અરવિંદભાઈ ગુપ્તા (ઉંમર 24 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. તે ભાટ વિસ્તારનો રહેવાસી છે, ટીમની કામગીરીને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:02 am

તંત્રની બેદરકારી ઉઘાડી પડી:સિવિલમાં ઇમરજન્સી એક્ઝિટ પાસે જ ભંગારનો ઢગલો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટોર રૂમમાં જગ્યા ન રહેતા તૂટી ગયેલા બેડ, ખુરશીઓ અને અન્ય જુનો સામાન બેઝમેન્ટમાં રાખવામાં આવ્યો છે. આ વિસ્તાર પાર્કિંગમાંથી નવા ઓપીડી સુધી જવાનો મુખ્ય માર્ગ હોવાથી દર્દીઓ, સગાસંબંધીઓ અને સ્ટાફને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ઇલેક્ટ્રિક પેનલની નજીક કાર્ડબોર્ડ અને લોખંડનો સામાન હોવાથી આગ કે ઇમરજન્સી સમયે જોખમ ઊભું થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્ટોર રૂમમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે હોસ્પિટલનો જુનો અને બિનઉપયોગી સામાન બેઝમેન્ટ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. તેમાં તૂટી ગયેલા બેડ, ખુરશીઓ, લોખંડના કબાટ, સ્ટીલના ડબ્બા અને કાર્ડબોર્ડના બોક્સનો સમાવેશ થાય છે. આ બધો જ ભંગાર બેઝમેન્ટ પાર્કિંગમાંથી નવા ઓપીડીના ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવાનો માર્ગ છે ત્યા રાખવામાં આવ્યો છે, જ્યાં રોજ દર્દીઓ અને તેમના સગાસંબંધીઓની અવરજવર રહે છે. વ્હીલચેર અથવા સ્ટ્રેચર લઈ જતી વખતે સ્ટાફને વધુ સાવચેતી રાખવી પડે છે. કેટલાક લોકો કહે છે કે હોસ્પિટલમાં આવતી વખતે દર્દી પહેલેથી જ તકલીફમાં હોય છે, ત્યારે આવી સ્થિતિ દર્દિ માટે વધુ અસુવિધા ઉભી કરે છે. ચિંતા વધારતી બાબત એ છે કે આ સામાન ખુલ્લી ઇલેક્ટ્રિક પેનલની નજીક રાખવામાં આવ્યો છે. કાર્ડબોર્ડના બોક્સ અને લોખંડનો સામાન હોવાથી જો શોર્ટ સર્કિટ કે આગ જેવી ઘટના બને તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, વૃદ્ધો અને બાળકો માટે આવી સ્થિતિ જોખમરૂપ માનવામાં આવે છે. આ વિસ્તાર ઇમરજન્સી સમયે બહાર નિકળવાનો માર્ગ પણ ગણાય છે. કોઈ બનાવ બને તો લોકોને ઝડપથી બહાર કાઢવાની જરૂર પડે છે, પરંતુ સામાન હોવાથી કામગીરી ધીમી પડી શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:01 am

મીના બજારનું કરાશે કાયાપલટ:મીનાબજારને માણેક ચોકની પેટર્ન પર ડેવલપ કરાશે

છેલ્લા 45 વર્ષથી ગાંધીનગરમા જૂના સચિવાલય પાછળ ચાલતા મીના બજારની કાયાપલટ માટે મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યારસુધી મીનાબજાર ઓફિસ ટાઇમ પ્રમાણે સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી જ ધમધમતું રહે છે. શનિ- રવિ અને રજાના દિવસોમાં સુમસામ રહે છે ત્યારે માત્ર કર્મચારીઓ નહીં સમગ્ર શહેરીજનોને સુવિધા મળે અને મોડી રાત સુધી ધમધમતું રહે તે માટે તેને અમદાવાદના માણેકચોકની પેટર્ન પર વિકસાવવાનું આયોજન થઇ રહ્યું છે. દિવસ દરમિયાન ખરીદી અને મોડી રાત સુધી ખાણીપીણીની સુવિધા ઉપલબ્ધ થાય અને વેપારીઓના ધંધા- રોજગાર વધે તે હેતુથી મીનાબજારના રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર થઇ રહ્યો છે. પાટનગર હોવાથી અહીં સરકારી કર્મચારીઓની સંખ્યા વધારે છે. નવા- જૂના સચિવાલય અને આસપાસની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચા- નાસ્તાની સુવિધા ઉપરાંત તેઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ઓફિસ સમય દરમિયાન અથવા તો છૂટીને કરી શકે તે હેતુથી વર્ષ 1982માં મીના બજારની સ્થાપના કરવામાં આવી હતી. અહીં 300 જેટલી માઇક્રો શોપીંગની દુકાનો છે. એ ઉપરાંત સ્ટોલ ટાઇપ મંડપો અને લારી- ગલ્લા પણ આવેલા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા અધિકૃત દુકાનો ફાળવાઇ હોય તેનો સરવે કરીને મહાનગરપાલિકા દ્વારા રીડેવલપમેન્ટનો પ્લાન તૈયાર કરાશે. આ બજાર માત્ર કચેરીના સમય પ્રમાણે ચાલે તેના બદલે રાત્રે મોડે સુધી ધમધમે તેમજ ખાણીપીણીની સુવિધા ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, કપડાં, પુસ્તકો સહિતની વસ્તુઓનું રજાઓના દિવસોમાં પણ વેચાણ ચાલું રહે તેવી વ્યસ્થા કરવામાં આવશે. મીના બજારમાં હાલ દુકાનો યોગ્ય રીતે નથી, પાર્કિંગની યોગ્ય સુવિધા નથી, સ્ટોલ પણ અવ્યવસ્થિત છે. ઘણી જગ્યા બિનઉપયોગી છે. જેથી તેને સુઆયોજિત બનાવાશે. અહીં પાર્કિંગ, બ્લોક, ફાઇન્ટેન સાથેનું ગાર્ડન, બેઠક વ્યસ્થા, ટોઇલેટ બ્લોક, ખાણીપીણીની દુકાનો માટે ટેબલ ખુરશી રહી શકે તેવી વ્યવસ્થા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ગાંધીનગરની ઓળખ બને તે પ્રકારે વિકસાવાશેસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે જેમ માણેક ચોક અમદાવાદની ઓળખ છે અને તેની અનોખી રોનક છે તેમ મીના બજાર પણ ગાંધીનગરની ઓળખ બને અને કર્મચારીઓ પુરતું સિમિત રહેવાને બદલે તમામ દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો ખરીદી અને ખાણીપીણી માટે અહીં આવે તે પ્રકારે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

અકસ્માત સર્જાયો:ફીજી છાત્રાલય સામે સર્કલ પર કાર ચઢી જતા અકસ્માત સર્જાયો

પોરબંદરના સરકારી હોસ્પિટલ રોડ પર આવેલ ફીજી છાત્રાલય સામે સર્કલ પર ગઈકાલે શુક્રવારે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. GJ 01 HW 9443 નંબરની કારના ચાલકે કોઈપણ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર સર્કલ સાથે ટકરાઈ હતી અને કાર સર્કલ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પર પોલીસ આવી હતી અને ટોળાને વિખેર્યું હતું. નાની ક્રેન વડે સર્કલ પરથી કારણે દૂર ખસેડવામાં આવી હતી. સદનશીબે જાનહાનિ ટળી હતી. અકસ્માતના કારણ અંગે વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

આરોપીને જેલ હવાલે કરાયો:મેમણવાડામાં બહેન દીકરીઓની છેડતી કરનાર આરોપી પાસાના પાંજરે પુરાયો

પોરબંદરમાં સગીરા અને યુવતીઓની છેડતી કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, આરોપીની પાસા હેઠળ અટકાયત કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી જાતિય સતામણીના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ મથકે નોંધાયેલ પોકસો સહિતના જાતીય ગુન્હાનો આરોપી હીતેશ નાથાલાલ કોટીયા મેમણવાડામાં રાત્રીના સમયે સ્કૂટર પર આટાફેરા કરી સગીરવયની બહેન-દિકરીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરી, તેમના શરીરે ટપલીઓ મારી ભાગી જઇ છેડતી કરતો હતો. આ શખ્સ સામે 4 ગુન્હા નોંધાયા હતા. આ શખ્સ વિરૂધ્ધમાં કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈ જે.જે.ચૌધરીએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાએ આરોપીની વોરંટની બજવણી કરી અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી દીધો છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી આયોજન પર ટ્રેનિંગ સેશન યોજાયું:ટ્રેનિંગ સુધી વિકાસ સીમિત, પોરબંદર શહેરમાં વાસ્તવિક કામગીરી ક્યારે દેખાશે?

મનપા દ્વારા માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી આયોજન પર ટ્રેનિંગ સેશન કરવામાં આવ્યું છે, પરંતુ તૂટેલા રસ્તા, ફૂટપાથ અને પાર્કિંગની સમસ્યા યથાવત છે ત્યારે જૂની સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેરના વિકાસ માટે મનપા દ્વારા વારંવાર ટ્રેનિંગ અને બેઠકો યોજાઈ રહી હોવા છતાં ગ્રાઉન્ડ પર તો સમસ્યા યથાવત રહી છે. પોરબંદર મનપા દ્વારા તાજેતરમાં ઇજનેરો માટે ટ્રેનિંગ સેશન યોજાયું હતું. ભારતીય રાષ્ટ્રીય વારસા અને સાંસ્કૃતિક ધરોહર સંરક્ષણ ટ્રસ્ટ દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમમાં માર્ગ-ઇન્ફ્રાસ્ટ્રક્ ચર, પાર્કિંગ, ફૂટપાથ અને બસ સ્ટેશન, જાહેર સુવિધાઓના આધુનિક આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભવિષ્યના વિકાસ કાર્યો વધુ ગુણવતાપૂર્ણ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી પરંતુ માત્ર પ્રેઝન્ટેશન અને માર્ગદર્શનથી વિકાસ શક્ય નથી, જમીન સ્તરેથી કામગીરી જરૂરી છે. શહેરમાં બસ સ્ટોપ, પાર્કિંગ ઝોન, બિસ્માર રસ્તા, અપૂરતી ફૂટપાથ સહિત ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દાઓ લાંબા સમયથી બાકી છે. વારંવાર યોજાતી બેઠક અને ટ્રેનિંગ છતાં અમલમાં વિલંબ થતો હોવાના કારણે શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. વિકાસના મુદ્દે તાલીમ અને ચર્ચાના દાવાને બદલે વર્ષો જૂની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

શિવસેના માલધારી સેલની ઉગ્ર રજૂઆત:શહેરમાં રઝળતા પશુને ઘાસચારા માટે સત્તાવાર પોઈન્ટ નક્કી કરો

પોરબંદર શહેરમાં પશુઓ માટેના ઘાસચારા વેચાણ પર પ્રતિબંધ બાદ મુદ્દો ગરમાયો છે. શિવસેનાના માલધારી સેલ દ્વારા પોરબંદર મનપાને આવેદન પાઠવી ઘાસચારા માટે સત્તાવાર વેચાણ પોઈન્ટ નક્કી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. પોરબંદર શિવસેના માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડીયાતર સહિત આગેવાનોએ જણાવ્યું હતુ કે, જાહેરમાં ઘાસચારો ન નાખવા લોકોના હિત માટે પ્રતિબંધ યોગ્ય છે, પરંતુ શહેરમાં મોટી સંખ્યામાં રહેલા રખડતા પશુઓનો નિભાવ અત્યાર સુધી લોકો દ્વારા નખાતા ઘાસચારા પર જ થતો હતો, એકધારા પ્રતિબંધથી હજારો પશુઓ ભૂખ્યા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. મનપા પાસે રખડતા પશુઓ માટે પૂરતી વ્યવસ્થા નથી, ઘાસચારા વેચાણ પર સીધો પ્રતિબંધ આવતા રઝળતા પશુઓને પૂરતો ઘાસચારો મળતો નથી, શહેરમાં અનેક એવા સ્થળો છે જ્યાં ઘાસચારો વેચાય તો કોઈને અડચણરૂપ બનતું નથી, તેથી શહેરમાં આવા સ્થળોનો સર્વે કરી પશુઓને ઘાસચારો આપવા માટે સત્તાવાર પોઈન્ટ નક્કી કરી પાણી સહિતની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતુ કે, આ મુદ્દો માત્ર પશુઓના આહારનો જ નહીં પરંતુ હિંદુ આસ્થા સાથે જોડાયેલો છે, સાથે જ ઘાસચારો વેચતા અનેક પરિવારોની આજીવિકાનો પણ પ્રશ્ન હોવાનું જણાવાયું હતું. શિવસેના માલધારી સેલે ચેતવણી આપી છે કે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, તેમજ જીવદયા પ્રેમી નાગરિકોને પણ આ મુદ્દે સાથ આવવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

દારૂનું દૂષણ વધ્યું:જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 7 કેસ નોંધાયા હતા, જેમાં 3 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 1 કેસમાં પોલીસે 2 લિટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂ.400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

શહેરના સર્વાંગી વિકાસ તરફ પ્રયાણ કરાયું:પોરબંદરના છાંયા વિસ્તારમાં ડેમેજ માર્ગોને ડામરથી મઢવાનું કામ શરૂ

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત અને સુવ્યવસ્થિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી હાલ પ્રગતિ પથ પર છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર શહેરની શહેરી સડકોની સ્થિતિ વધુ સુદૃઢ અને સુવિધાજનક બનાવવા માટે માર્ગ સુધારણા તથા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ ડેમેજ થયા છે ત્યાં તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરી સ્થળોએ રોડ રસ્તાઓને ડામરથી મઢવાની કામગીરી પણ ચાલી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા છાંયા વિસ્તારમાં પણ આ સમગ્ર કામગીરી પૂરજોશમાં અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે, રસ્તાઓની હાલની સ્થિતિ સુધરવાથી વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેમજ શહેરીજનોને રોજિંદા અવરજવર માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે સાથે શહેરના માર્ગોના સૌંદર્ય અને ગુણવત્તામાં પણ વધારો થશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં પણ શહેરને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા માટે આવી વિકાસાત્મક કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ભાસ્કર ખાસ‎:ત્રિશુલ, તલવાર, ગદા, ભાલા, રોકેટ લોન્ચર પ્રકારની પિચકારીએ ‎આકર્ષણ જમાવ્યું, ઓર્ગેનિક કલર, સ્પ્રે, સિલિન્ડર કલરનો ક્રેઝ‎

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, પોરબંદરમાં લોકો હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવે છે અને હોળી પર્વ દરમ્યાન રંગોત્સવની ઉજવણી કરી આનંદ માણે છે ત્યારે પિચકારી અને કલરની હોલસેલ બજારમાં પણ તેજી વ્યાપી છે. લારી ધારકો, સ્ટોલ અને દુકાન ધારકો પિચકારી અને કલરનો સ્ટોક કરી રહ્યા છે ત્યારે આ વખતે પોરબંદરની બજારમાં ધર્મ આધારિત પિચકારી આવી છે. પિચકારીમાં પંપ પિચકારી જેમાં ગદા, ભાલા,તલવાર, ત્રિશુલ, ઉપરાંત રોકેટ લોન્ચર, છત્રી, કુહાડી, હથોડી આકારની પંપ પિચકારી આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પિચકારીઓ રૂ.120 થી 300ના ભાવે મળશે જ્યારે ગન પિચકારીમાં ગન, માછલી, બાઇક, કાર, એલિફન્ટ જેવા શેપની પિચકારી જેમાં રૂ.20 થી લઈને રૂ. 700 સુધીની પિચકારી બજારમાં ઉપલબ્ધ થઈ છે, જ્યારે ટેન્ક પિચકારીમાં સ્કૂલના બેગની જેમ પહેરી શકાય તેવી વિવિધ કાર્ટૂન કેરેક્ટર વાડી પિચકારી જે રૂ. 150 થી રૂ. 600 સુધીની મળશે. કલરની વાત કરીએ તો સૂકા અને ભીના કલર બજારમાં આવે છે જેમાં માટી તેમજ તપપકીરના લોટ માંથી બનાવેલ સ્વદેશી કલર જે વિવિધ સુગંધમાં મળે છે. ઓર્ગેનિક કલરનો ક્રેઝ છે અંદાજે 14 જાતના કલર આવે છે જે રૂ. 10 થી લઈને રૂ. 100 સુધીના પેકેટમાં મળે છે. કાચા કલરમાં પણ ઓર્ગેનિક કલરનો ચલણ છે, ગુલાલ ઉડાડવા માટેના પંપ અને ગેસના સિલિન્ડર પ્રકારનું ચલણ વધ્યું છે, કલર પંપ રૂ.200 થી લઈને 1200 સુધીના ભાવે મળશે. બજારમાં ઇલેક્ટ્રિક પિચકારી આવી હોળીના તહેવાર દરમ્યાન લોકો અવનવી પિચકારીની ખરીદી કરતા હોય છે ત્યારે આ વખતે બજારમાં બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક પિચકારી આવી છે જેમાં ચાર્જિંગ પણ થાય છે. ચાપ દબાવવાથી પાણી ઉડે છે. આ પિચકારી બજારમાં રૂ.600 થી રૂ.700ના ભાવે મળે છે. ભગવાન માટે પિચકારી અને કલરનો ક્રેઝ‎હોળીના તહેવાર દરમ્યાન લોકો મિત્ર સર્કલ અને સ્નેહીજનો સાથે‎કલર ઉડાવી તેહવારનો આનંદ માણે છે ત્યારે ભગવાનને પણ કલર‎અને પિચકારી ધરવામાં આવે છે. બાલકૃષ્ણ ભગવાન માટે નાની‎બાલદી અને નાની પિચકારી ખરીદવાનો ક્રેઝ છે ત્યારે આ પિચકારી રૂ.‎20 થી 150 સુધીની બજારમાં મળે છે.‎

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

પરીક્ષા ખાસ:ધો-10 વિજ્ઞાનનું પેપર પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે, તેની પર છાત્રો ધ્યાન આપે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા દિવસે વિદ્યાર્થીને અઘરા લાગતા વિષય ફિઝિક્સ( ભૌતિક વિજ્ઞાન)નું પેપર છે. વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં સારા માર્ક્સ લાવી શકે તે માટે કેટલીક જરૂરી ટિપ્સ અત્રે પ્રસ્તુત છે. -વિભાગ A માં 50 પ્રશ્નો M.C.Q. પ્રકારના હોય છે તેના માટે 1 કલાકનો સમય હોય છે.જેમાં 10 થી 15 પ્રશ્નો ટ્વિસ્ટ કરેલ હોઈ શકે જ્યારે બાકીના પ્રશ્નો પાઠ્યપુસ્તકના આધારે હોય છે. પાઠ્યપુસ્તકમાં દરેક ચેપ્ટરમાં આવતા એકમ તથા પારિમાણિક સૂત્રો, આલેખ, ટૂંકી ગણતરીવાળા ઉદાહરણ તથા સ્વાધ્યાયના પ્રશ્નો છેલ્લા સમયમાં વાંચી લેવા જોઈએ. -M.C.Q. સોલ્વ કરતી વખતે 1 કલાકના સમયને ધ્યાનમાં રાખી શાંત ચિત્તે બિનજરૂરી ઉતાવળ કર્યા સિવાય પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. ટૂંકી ગણતરી અને સહેલા હોય તેવા પ્રશ્નો શરૂઆતમાં જ ટીક કરી દેવા જોઈએ જેથી બાકીનો સમય અન્ય પ્રશ્નોને આપી શકાય. {એમ.જે.ડાભી. ફિઝિક્સ ટીચર, માય ઓન હાઈસ્કૂલ, હિંમતનગર.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય:19 ફેબ્રુ.થી અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીને લઇ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રેન નં. 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી મંગળવાર અને બુધવાર સિવાય અસારવાથી દરરોજ 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 7:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નં. 01919 આગ્રા કૅન્ટ– અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધી સોમવાર અને મંગળવાર સિવાય આગ્રા કૅન્ટથી દરરોજ 18:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11:10 વાગ્યે અસારવા એ જ રીતે પહોંચશે. આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નં. 01920ની બુકિંગ 14 ફેબ્રુઆરીથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

મહાશિવરાત્રી:શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠશે‎

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દિવસે જિલ્લાભરના શિવમંદિરોમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સતવારા સમાજ દ્વારા શોભાયાત્રા, મંદિરોમાં 4 પ્રહર પૂજન, ધોળીધજા ડેમે શિવરાત્રીનો મેળો યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંખ્યામાં શિવમંદિરો આવેલા છે. ધોળેશ્વર મહાદેવ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર આવેલુ પૌરાણીક ધોળેશ્વર મહાદેવનું મંદિર અંદાજે 70 વર્ષ પુરાણુ છે. અહીં શિવરાત્રીના દિવસે દર્શનનું મહત્વ વધુ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ અહીં શિવરાત્રીનો ભવ્ય મેળો યોજાશે. જ્યારે મંદિરે ભવ્યરોશની શણગાર કરી મહાદેવનું રાત્રીના 4 પહરનું વિશેષ પૂજન જેમાં અભિષેક, રૂદ્રીપાઠ, બિલિપત્રથી પૂજન કરવામાં આવશે તથા બ્રહ્મ કુમારીઝ-વઢવાણ 80 ફૂટ રોડ બ્રહ્મ કુમારીઝ સર્કલ પાસે બ્રહ્મકુમારી સેન્ટર ખાતે સુરેન્દ્રનગર બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર દ્વારા 90માં શિવ જયંતિ મહોત્સવ ઉજવણી કરાશે. જેમાં લોકો વ્યસનમુક્તિ તથા શિવ શંકરની ચૈતન્યઝાંખી આધ્યાત્મિક પ્રદર્શન, રામેશ્વર મહાદેવ દર્શન, રામ રાજ્ય દર્શન તથા વિશાળ મહિલા સંમેલન યોજાશે. વઢવાણ ક્ષેકશંકર મહાદેવ ભોગાવા કાંઠે આવેલું પ્રાચીન અને ઐતિસિક સ્વયંભુ ક્ષેમશંકર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે. જેમાં નંદી પર સવાર મહાદેવનું મહારૂદ્ર યજ્ઞ અને અભિક્ષેક મહાપૂજનનું આયોજન કરાયું છે. સિધ્ધનાથ મહાદેવ-વઢવાણના સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન સતવારા સમાજ દ્વારા કરાયું છે. અણઘટનાથ મહાદેવ મંદિર-સુરેન્દ્રનગરના સૌથી પુરાણા માંના એક અને એક માત્ર પશ્ચિમ મુખી મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાશે. જેમાં મહાદેવના સવારે વિશેષ શણગાર, રાત્રી દરમિયાન 4 પ્રહરની વિશેષ આરતી પૂજન મહારૂદ્રી સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે. રાશિ મુજબ શિવ નામના આ જાપ કર મેષ : ઓમ લોકપાલાય નમઃ { વૃષભ : ઓમ વરદાય નમઃ { મિથુન : ઓમ કામાય નમઃ { કર્ક : ઓમ હરાય નમઃ { સિંહ : ઓમ મહાત્મને નમઃ { કન્યા : ઓમ પ્રભવે નમઃ { તુલા : ઓમ તરંગવિદે નમઃ { વૃશ્ચિક : ઓમ નિયમાય નમઃ { ધન : ઓમ ભવાયનમઃ { મકર : ઓમ ખચરાય નમઃ { કુંભ : કુંભ સ્થિરાય નમઃ { મીન : ઓમ દર્શનાય નમઃ મહાશિવરાત્રી અને વ્યતિપાતયોગ દિવસ અને મહાશુભયોગ 15 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યોતિષશાસ્ત્ર મુજબ ઉત્તમ દિવસ અને મહાશુભયોગ કારણ કે મહાશિવરાત્રી અને વ્યતિપાતયોગ આજ દિવસે છે. ધર્મ શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ત્રણ રાત્રિનું અતિ મહત્વ દર્શાવેલ છે. મહાશિવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી. મહાશિવરાત્રીના દિવસે સવારમાં સૂર્યોદય સમયે અથવા નિશિથ કાળનો સમય 24:57થી 25:11 સુધી રુદ્રાભિષેક મહાપૂજા કરવી. પ્રથમ પ્રહર પૂજા 18:45થી, દ્વીતિય પ્રહર 21:50થી, તૃતીય પ્રહર 24 : 57થી, ચતુર્થ પ્રહર 28:08થી રુદ્રાભિષેક અને મહાપૂજા કરવી. બની શકે તો રુદ્રાભિષેક સવારમાં સૂર્યોદય સમયે અથવા સૂર્યાસ્ત પછી પ્રહર કાળમાં અથવા નિશિથ કાળમાં કરવો અતિ લાભદાયક રહેશે. { બંસલકુમાર જાની, જ્યોતિષ

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

મોડો શરૂ થયેલો શિયાળો વહેલો પૂરો થયો:10 વર્ષમાં 14મી ફેબ્રુઆરી સૌથી વધુ ગરમ‎

જિલ્લામાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 4 ડિગ્રી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 14 ફેબ્રુઆરી છેલ્લાં 10 વર્ષનો સૌથી ગરમ દિવસ બની જવા પામ્યો છે. આમ મોડે શરૂ થયેલો શિયાળા વહેલો પુરો થવા સાથે ગરમીની અસર વર્તાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ શિયાળની શરૂઆત ધીમી ઠંડીની શરૂ આત થઇ હતી. જેમાં શરૂઆતમાં ઠંડી ઓછી પડ્યા બાદ કમોસમી માવઠાથી થોડો સમય ઠંડી રહ્યા બાદ ડિસેમ્બરના શરૂઆતના દિવસો પછી ફરી ઠંડી ઘટી હતી. આમ આ વર્ષ શિયાળાની શરૂઆત મોડી થઇ હતી. ત્યારે ઉત્તર પૂર્વમાં જમ્મુ કાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાને લઇ જતા ડિસેમ્બરના અંતિમ 4-5 દિવસ અને જાન્યુઆરીના પહેલા 10 દિવસ એમ 15 શિયાળાની શીતલહેર વધતા થોડા દિવસોથી ફરી ઠંડક અહેસાસ થયો હતો. અલનીનોની અસર પવનોની દિશા દક્ષિણ - પશ્ચિમ થતાં પારો વધ્યો આ વર્ષ પેસિફિક મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન વધવાની ઘટના (અલ-નીનો) હવામાન પર અસર કરે છે. અલ-નીનોના વર્ષમાં શિયાળો ટૂંકો રહે છે અને ઉનાળાની શરૂઆત વહેલી તેમજ વધુ ગરમી સાથે થાય છે. શિયાળામાં ઉત્તર ભારતમાંથી આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડા પવનો ફૂંકાય છે, જે તાપમાનને નીચું રાખે છે. આ વર્ષે આવા પવનોની ગેરહાજરી અથવા તેની દિશામાં ફેરફાર થવાથી ગરમ પવનોનું જોર વધ્યું છે. પવનોની દિશા ઉત્તર-પૂર્વને બદલે પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના રણ તરફથી થાય છે, ત્યારે તે પોતાની સાથે ગરમ હવા લાવે છે. આથી ફેબ્રુઆરીમાં જ તાપમાન 34 ડિગ્રીને પાર તયું છે.{ રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરેન્દ્રનગર શહેરમાં 3 વર્ષમાં 85 હજાર વાહન વધ્યા સામે‎રસ્તા પહોળા થવાને બદલે સાંકડા થતા ઠેર ઠેર ટ્રાફિક જામ

સેતુગીરી ગોસ્વામીસુરેન્દ્રનગર ટ્રાફિકના ભરડામાં ફસાયું હોય તેમ છેલ્લા 3 વર્ષમાં 85 હજાર વાહનો વધતા રસ્તાઓ સાંકડા પડે છે. ઝાલવાડનું હૃદય ગણાતું સુરેન્દ્રનગર શહેર હવે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હાંફી રહ્યું છે. ખાસ કરીને વર્ષ 2025માં 35 હજાર નવા વાહનો રસ્તા પર ઉતરતા ટ્રાફિકે માઝા મૂકી છે. 2020 બાદ 9000 નવી કાર અને 65000 થી વધુ બાઈક વધતા શહેરના મુખ્ય માર્ગો હવે વાહનોના ભારણ સામે નાના પડી રહ્યા છે, જેના કારણે ટાકી ચોક, જવાહર ચોક, દુધરેજ રોડ, વઢવાણ, રતનપર, ટાવર રોડ સહિત અનેક રસ્તાઓ પર નાગરિકો ટ્રાફિક જામમાં ફસાય છે. ધ્રાંગધ્રા, લીંબડી, સાયલા અને ચોટીલામાં કોમર્શિયલ વાહનો વધ્યા વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં સૌથી વધુ ટુ-વ્હીલર અને લક્ઝરી કારની નોંધણી થાય છે. જ્યારે ધ્રાંગધ્રા અને લીંબડી હાઈવે નજીકના વિસ્તારો હોવાથી અહીં કોમર્શિયલ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા નોંધપાત્રપણે વધી છે. ચોટીલા, સાયલા અને મૂળીમાં ટ્રેક્ટર અને ખેતીવાડીના સાધનોની નોંધણી વધુ થઈ હતી છેલ્લા 5 વર્ષમા નવા નોંધાયેલા વાહનો ની સંખ્યા વર્ષ. વાહનની સંખ્યા 2021 22,500 થી વધુ2022 28,000 થી વધુ 2023 26,500 થી વધુ 2024 29,000 થી વધુ 2025 30,500 થી વધુ સુરેન્દ્રનગર માં કયા પ્રકારના કેટલા ટકા વાહનો રસ્તા ઉપર ટુ-વ્હીલર 75% થી 80 ફોર-વ્હીલર 8% થી 10% ટ્રેક્ટર/ટ્રેલર 7% થી 8% ટ્રક/ટેમ્પો 3% થી 4% રીક્ષા/બસ/વગેરે 1% થી 2% કોરોના બાદ કારની સંખ્યામાં અચાનક વધારોકોરોના પહેલા એટલે કે વર્ષ 2020 પહેલા ઝાલાવાડમાં દર વર્ષે સરેરાશ 3000 થી 4000 નવી કારો નોંધાતી હતી.પરંતું 2021 પછી જિલ્લામાં કારની સંખ્યામાં અચાનકથી બમણો વધારો થઈને લગભગ 9000 નવી કાર રસ્તા પર આવી હતી જેને ટ્રાફિકજામનું મુખ્ય કારણ ગણી શકાય દબાણો દૂર થાય તો ટ્રાફિકજામ માંથી આંશિક રાહતસંખ્યાશહેરમાં જવાહર રોડ, ટાકી ચોક, બહુચર ચાર રસ્તા, દુધરેજ રોડ, રતનપર અને વઢવાણ સહિત ઘણા મુખ્ય રસ્તાઓ પર મનપા દ્વારા દૂર કરાયેલા દબાણો લારી અને ગલ્લા ફરીથી રસ્તાની બંને બાજુ ગોઠવાઈ જવાથી રસ્તા વધુ સાંકડા બન્યા છે. આ દબાણો દૂર થાય તો ટ્રાફિકજામ માંથી આંશિક રાહત મળી શકે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ખેતીવાડીમાં હવે AI:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરશે પાક સર્વેનું વેરિફિકેશન કરાશે

કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને મળતી સહાય વધુ સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ડિજિટલ ક્રોપ સર્વેની વિગતોને ક્રોસ-વેરિફાઈ કરવા માટે હવે ખેડૂતોનો ટેકનોલોજીના માધ્યમથી સીધો સંપર્ક કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેડૂતોને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશ્યથી અમલી બનાવવામાં આવેલી ડિજિટલ ક્રોપ સર્વેની કાર્યપ્રણાલીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે હવે AI BOT આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી તેમના ખેતર અને વાવેતર કરેલા પાક સંબંધિત માહિતીની પુષ્ટિ કરવામાં આવશે. ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને જ્યારે પણ તેમને આવા કોલ કે મેસેજ મળે, ત્યારે તેઓ પોતાના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપી વેરિફિકેશનની કામગીરીમાં સહયોગ આપવા જણાવ્યું છે. આ એક સંપૂર્ણ સરકારી અને સુરક્ષિત ડિજિટલ પહેલ હોવાથી, ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અફવાઓ અથવા ગેરમાર્ગે દોરનારી વાતોથી દૂર રહેવું. ખેતી સંબંધિત ડેટાને ડિજિટલ અને સચોટ બનાવવાથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ, પાક વીમો અને અન્ય લાભો સીધા અને ઝડપથી મળી શકશે. ડેટા વેરિફિકેશનની નવી પદ્ધતિ ખેડૂતોને આવશે ફોન અને વોટ્સએપ વર્તમાન રવિ ઋતુમાં સર્વેયરોએ ખેતરોની મુલાકાત લઈ જીઓ-ટેગ લોકેશન સાથેના ફોટા દ્વારા જે ડેટા મોબાઈલ એપમાં રેકોર્ડ કર્યો છે. તેનું હવે AI BOT દ્વારા ક્રોસ-ચેકિંગ કરાશે. આ પ્રક્રિયાથી ક્ષતિઓ દૂર કરી શકાશે. ખેડૂતો સાથે સીધો સંવાદ : જે ખેડૂતોનો ડિજિટલ સર્વે થઈ ચૂક્યો છે, તેમને સંપર્ક કરવામાં આવશે : ઓટોમેટેડ વોઈસ કોલ : ખેડૂતને ફોન આવશે. જેમાં પાકની વિગતોની પુષ્ટિ માંગવામાં આવશે. વોટ્સએપ દ્વારા પણ પાક અને ખેતર સંબંધિત માહિતીની ખાતરી કરાશે. પાક વીમાના ક્લેમ પાસ થવામાં વિલંબ નહીં થાય. સરકારી સહાય સાત બારના ઉતારે પાકની સાચી નોંધણીથી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે.પારદર્શિતા વચેટિયાઓ કે ક્ષતિગ્રસ્ત ડેટાને કારણે થતો અન્યાય અટકશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

આરોપીને દસાડા પોલીસને સોંપ્યો 1.75 લાખની મત્તા જપ્ત‎:ચાણસ્મા પોલીસે પકડેલી ગરાસિયા ગેંગે મહેસાણા મંદિરની ચોરી કબૂલી

મંદિરોને નિશાન બનાવી રહેલી આંતરરાજ્ય ગરાસિયા ગેંગનાં રાજસ્થાનના સાગરીતને ચાણસ્મા પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો સાથે ઝડપી પાડતાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા જૈન મંદિરની લૂંટનો ભેદ ઉકેલાયો છે, સાથે જ સમી શંખેશ્વર અને મહેસાણામાં થયેલી મંદિર ચોરીની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. જેમાં આ ગેંગના બીજા પાંચ શખ્શોની સંડોવણી ખુલી છે. ચાણસ્મા પોલીસની ટીમ પીઆઈ આર.એચ.સોલંકીના માર્ગદર્શન નીચે પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી કે એક સફેદ કલરની ક્રેટા ગાડી (RJ-17-CA-8659 )માં પરપ્રાંતીય શખ્સો ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે તે બાતમી આધારે પોલીસે RJ-17-CA-8659 નંબરની સફેદ ક્રેટા કારની વોચ રાખી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારના ચાલક રૂપારામ હરારામ ગરાસિયા (રહે. કુરન, તા.બાલી, જી.પાલી, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ગતિવિધિ શંકાસ્પદ જણાતા પોલીસે પૂછપરછ કરતા તેણે પોતાની સાથેના સાગરીતો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિસ્તારના જૈન મંદિરમાં લૂંટ અને તાજેતરમાં જ 13 દિવસ અગાઉ શંખેશ્વર હાઇવે પર મંદિરમાં તેમજ સમી હાઈવે નજીક મંદિરમાં તેમજ મહેસાણામાં રીંગ રોડ નજીક આવેલાં મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત કરતાં લૂંટ અને ચોરીના ગુનાઓનો ભેદ ખુલ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

પશુ પ્રદર્શનમાં કોટડાનો ‘સમ્રાટ’ પાડો છવાયો:જસરાના અશ્વમેળામાં અશ્વ ભારતરાજ 2‎દાંતની કેટેગરીમાં પ્રથમ નંબરે આવ્યો‎

વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમા 15મો અશ્વમેળો ચાલી રહ્યો છે. મેળામાં દેશભરના અશ્વપ્રેમીઓ 500થી વધુ ઉચ્ચ નસ્લના અશ્વોને લઈને પહોંચ્યા હતા. મેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું. 4 જિલ્લાની પોલીસના અશ્વોએ પણ ટેન્ટ પેગિંગ અને જમ્પિંગ જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. અશ્વમેળાની સાથે યોજાયેલા પશુ પ્રદર્શનમાં કોટડાનો ‘સમ્રાટ’ પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગોલુ-2 બુલના સીમનથી તૈયાર થયેલા આ પાડા માટે ગયા વર્ષે પંજાબના એક વેપારીએ 1.11 કરોડની ઓફર આપી હતી, પરંતુ પશુપાલકે સ્થાનિક ઓલાદ સુધારવાના હેતુથી તેને વેચવાનો ઇન્કાર કર્યો હતો. આ પાડાની માતા દૈનિક 30 લિટરથી વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાના અશ્વ ‘ભારતરાજ’એ 2 દાંતની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી જીતની હેટ્રિક નોંધાવી છે. સૂર્યવંશ કુળના 66 ઇંચ ઊંચાઈ ધરાવતા આ અશ્વે અગાઉ ઇન્દોર અને મોગાના નેશનલ શોમાં પણ તેણે વિજય મેળવ્યો હતો. જસરાના અશ્વમેળામાં અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ફોટો સ્ટોરી:રાજસ્થાનમાં ગુજરાત બોર્ડર પરના મંડારમાં પહાડ પર 84 ફૂટ ઊંચા સ્વયંભૂ શિવલિંગની પૂજા થાય છે

રાજસ્થાનના શિરોહી જિલ્લાનાં મંડાર કસ્બામાં ચારેબાજુ હરિયાળીથી આચ્છાદિત પહાડી પર સ્થિત લીલાધરી મહાદેવ મંદિર દેશભરના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળેનાથના દર્શન કરવા આવે છે. પહાડીની ચોટી પર સ્થિત 84 ફૂટ ઊંચા સ્વયંભૂ શિવલિંગની પૂજા-અર્ચના કરી, મનોઇચ્છા પૂર્ણ થવા પર નાળિયેર ચઢાવવામાં આવે છે. મંદિરના ઉપરના ભાગમાં સ્થાપિત 84 ફૂટ ઊંચા શિવલિંગની ઊંચાઈ વધુ હોવાથી અત્યાર સુધી માત્ર બે જ વાર સંપૂર્ણ અભિષેક થઈ શક્યો છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભક્તો શિવલિંગના તળિયે જ પૂજા કરે છે. માન્યતા છે કે શિવલિંગ સહિત પહાડીને ભગવાન વિષ્ણુએ ગ્વાલા સ્વરૂપે આવી પોતાના હાથે સ્થાપિત કરી હતી. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ મળતો હોવાથી આખી પહાડી પવિત્ર માનવામાં આવે છે. પહાડી પર અનેક પ્રાકૃતિક ગુફાઓ આવેલ છે, મંદિરના પાછળના ભાગમાં આવેલી ગુફામાં લોકો દર્શન માટે આવે છે, પૂજારી છગન મહારાજ દ્વારા નિયમિત પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી બાદ ફાગણ સુદ ગ્યારસ, એટલે કે આમલકી ગ્યારસે લિલાધારી મહાદેવનો મેળો ભરાય છે,> શબ્બીર ભાટી મંડાર

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

પીકઅપ પોઇન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા થશે:પાલનપુરના માર્ગો પર આજથી સીટી બસ દોડશે‎

પાલનપુરમાં ફરી એક વાર સિટી બસ સેવાનો મહાશિવરાત્રીથી આરંભ થવા જઈ રહ્યો છે.વર્ષો બાદ ફરી શરૂ થતી આ સેવા પ્રથમ તબક્કામાં 4થી6 બસો સાથે શરૂ થશે અને તબક્કાવાર કુલ 9 બસો 6 રૂટ પર દોડશે. નગરપાલિકા દ્વારા મહેસાણાની એજન્સીને ટેન્ડર ફાળવાયા બાદ આ વ્યવસ્થા અમલમાં આવી રહી છે. મિનિમમ ભાડું 2 કિલોમીટર સુધી 5 રૂપિયા નક્કી કરાયું છે. બસો સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી દોડશે. દરેક બસમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી હોવાથી મુસાફરો લાઈવ લોકેશન જાણી શકશે. ગુરુ નાનક ચોક ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બસ કયા સ્થળે ઉભી રહેશે તેની તપાસ કરી સત્તાવાર પિકઅપ પોઈન્ટ કરાશે. તેમજ સ્ટોપ નિશ્ચિત કરી ત્યાં સ્ટેન્ડ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. હોસ્પિટલ, કોલેજ, રેલ્વે સ્ટેશન અને હાઈવે વિસ્તારોને જોડતા રૂટ તૈયાર કરાયા છે, જેથી શહેર તથા 7 કિલોમીટર ત્રિજ્યાના ગ્રામ્ય વિસ્તારોને લાભ મળશે.મુસાફરો 100 રૂપિયા આપી એટીએમ જેવું કાર્ડ ખરીદી શકશે. ઓછામાં ઓછા 100 રૂપિયાનું રિચાર્જ ફરજિયાત રહેશે. પાસ દ્વારા મુસાફરીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ફેમિલી પાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જોકે આ સેવા શરૂ થતાં તંત્ર પર દર મહિને અંદાજે 35થી40 લાખ રૂપિયાનું આર્થિક ભારણ વધશે તેવી પણ ચર્ચા એ પણ વેગ પકડ્યું છે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ભારતીબેન અંબાલાલ રંગવાની એ જણાવ્યું કે પાલનપુર શહેરના જુના આરટીઓ સર્કલ પરથી મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો મહાશિવરાત્રીના રોજ મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

તંત્રને રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં, ગ્રામજનોમાં રોષ‎:ઝેરડા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાની આશંકાએ મકાન માલિકે ઘર ખાલી કર્યું

ડીસા તાલુકાના ઝેરડા ગામમાં છેલ્લા સાત વર્ષથી ઉભેલી પાણીની ટાંકી હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. ટાંકીની દીવાલોમાં મોટા ભંગાણ દેખાઈ રહ્યા છે અને લોખંડની સરિયા બહાર નીકળી આવતાં ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ છે. ટાંકીની બાજુમાં જ મુખ્ય માર્ગ પસાર થતો હોવાથી વાહનચાલકો અને ગામલોકો માટે ગંભીર જોખમ સર્જાયું છે. ટાંકી નજીક રહેતા કાળુભાઈ સુથારે સંભવિત દુર્ઘટનાના ડરે પોતાનું મકાન ખાલી કરી પરિવાર સાથે ખેતરમાં રહેવા જવાનું પસંદ કર્યું છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ નવી ટાંકીમાંથી અલગ કનેક્શન આપી પાણી પુરવઠો શરૂ કર્યા બાદ જર્જરિત ટાંકી તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં ગ્રામજનો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

માંગણી:ગેરકાયદે લાઇટ સામે પાલનપુર શહેર વિકાસ સમિતિ દ્વારા કાર્યવાહીની માંગ

પાલનપુરમાં કેટલાક વાહનોમાં લગાવવામાં આવતી અતિ તેજસ્વી સફેદ હાઈ-ઇન્ટેન્સિટી એલઇડી હેડલાઈટ,એચઆઇડી અને આફ્ટરમાર્કેટ એલઇડી કન્વર્ઝનને કારણે માર્ગ અકસ્માતોનું જોખમ વધતું હોવાની ફરિયાદ ઉઠી છે.આ મામલે પાલનપુર વિકાસ સમિતિ તથા યુવા જાગૃતિ અભિયાન દ્વારા વાહનવ્યવહાર વિભાગ અને આરટીઓ કચેરીને લેખિત રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે આવા અતિ તેજ પ્રકાશવાળા લાઇટ્સ સામે આવતા વાહનચાલકોની આંખોમાં ચમક પેદા કરે છે,જેના કારણે દ્રષ્ટિ પ્રભાવિત થાય છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે.રજૂઆત કર્તાઓએ જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટની કલમ 1988 ની કલમ 52 મુજબ આ ગેરકાયદેસર છે. તેમજ કલમ 177, 184 અને 198A હેઠળ જોખમી ડ્રાઇવિંગ અને હાઈ બીમના દુરુપયોગ સામે દંડની જોગવાઈ છે.તે ઉપરાંત સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989 જેવા ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ લાઈટિંગ સ્ટાન્ડર્ડ અને કલર મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ 2025માં લ્યુમિનન્સ અને બીમ એંગલ અંગે કડક માર્ગદર્શિકા આપવામાં આવી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.માંગ કરવામાં આવી છે કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ યોજી LED અને HID લાઈટ્સ દૂર કરાવવા, હાઈ બીમના અતિરેક ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા તથા જનજાગૃતિ અભિયાન ચલાવવા તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. સાથે સાથે મોડિફાઇડ સાયલેન્સર અને પ્રેશર હોર્ન જેવા નિયમવિરુદ્ધ સાધનો સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

બનાસકાંઠાના ના. મામલતદાર ઊંઝા મામલતદાર નિમાયા:જિલ્લામાં 14 નાયબ મામલતદારોની મામલતદારના પ્રમોશન સાથે બદલી

મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં 37 મામલતદારોની બદલી અને 165 નાયબ મામલતદારોને મામલતદારનું પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતાં એક પણ મામલતદારની બદલી થઇ નથી, પરંતુ 14 નાયબ મામલતદારોની પ્રમોશન આપી બદલી કરાઇ છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં દિપક ગઢવીને પ્રમોશન આપી ઊંઝા મામલતદારની ફરજ સોંપાઇ છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

રાહદારીઓને ટક્કર મારી રોંગ સાઈડમાં કારને અથડાઇ:લાડોલ રોડ પર રિક્ષાચાલકે બે રાહદારીને ટક્કર મારતાં ઇજા

વિજાપુરના ખરોડ- લાડોલ રોડ પર લોડીંગ રિક્ષાના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી અને રોંગ સાઈડ જઈને કારને અથડાવી આગળના ભાગે નુકસાન પહોંચાડ્યું હતું. કારચાલકની ફરિયાદ આધારે લાડોલ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો હતો. વિજાપુર તાલુકાના ખરોડ ગામના અશોકભાઈ ડાહ્યાભાઈ પટેલ ગુરુવારે સાંજે પત્ની સાથે કાર લઈ ખરોડથી લાડોલ તરફ જતા હતા. તે સમયે લાડોલ રોડ પર રોલિંગ મિલ આગળ લોડીંગ રિક્ષા (જીજે 02 વાયવાય 6034)ના ચાલકે ચાલતા જઈ રહેલા બે રાહદારીઓને ટક્કર મારી રોંગ સાઈડ આવી, તેમની ગાડીને આગળના ભાગે ટકરાવી હતી. તેમણે નીચે ઉતરીને જોતાં બે રાહદારીઓને ઇજા થઇ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી બંને રાહદારીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અશોકભાઈની કારને આગળના ભાગે ટકરાવીને નુકસાન કરી રિક્ષા મૂકીને ચાલક ભાગી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

બ.કાં.માં સૌથી વધુ 1.79 લાખ હેક્ટર:ઉ.ગુ.ની સવા 4 લાખ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ

ઉત્તર ગુજરાતની 4,28,164 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1,79,092 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. એટલે કે, કુલ વાવેતર પૈકી 42 ટકા વાવેતર બનાસકાંઠા થશે. જ્યારે વાવ-થરાદ જિલ્લાની 1,28,664 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે, જે કુલ વાવેતરનો 30 ટકા હિસ્સો છે. આ ઉપરાંત, મહેસાણામાં 44977 હેક્ટર, સાબરકાંઠામાં 30662 હેક્ટર અને અરવલ્લીમાં 17278 હેક્ટરમાં વાવેતર થઇ શકે છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના 53 તાલુકામાં સૌથી વધુ 60 હજાર હેક્ટર વાવેતર ડીસા તાલુકામાં થવાનો અંદાજ છે. જ્યારે સૌથી ઓછું 295 હેક્ટર વાવેતર શંખેશ્વરમાં થઇ શકે છે. બોક્સ : ઉનાળામાં કુલ વાવેતર વિસ્તાર પૈકી માત્ર 20 ટકા જમીનમાં જ વાવેતર થાય છે ઉત્તર ગુજરાતમાં 21.96 લાખ હેક્ટર જમીન એવી છે કે જેમાં વાવેતર કરી શકાય છે. જે પૈકી 4.28 લાખ હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાનો અંદાજ છે. સવાલ: ઉનાળામાં કયા પ્રકારની જમીન કેવી રીતે ખેડવી જોઇએ. તેમજ જમીનને તપાવવાથી શું ફાયદા થઇ શકે છે ? આ વિષય પર ભાસ્કર એક્સપર્ટ સવાલ : કયા પ્રકારની જમીનને કેવી રીતે ખેડવી જોઈએ? જવાબ : કાળી અને મધ્યમ જમીનને એમ.બી. પ્લાઉથી 1 થી 1.5 ફૂટ ઊંડી ખેડ કરવી. રેતીલી જમીનમાં ડિસ્ક પ્લાઉથી 0.75 થી 1 ફૂટ સુધી ખેડ કરવી. જમીનમાં કઠોર પડ હોય તો સબ-સોઈલરથી 1.5 થી 2 ફૂટ ઊંડી ખેડ કરવી. સવાલ : ઉનાળામાં જમીન ખેડીને તપાવવી કેમ જરૂરી છે? જવાબ : ઉનાળાની ગરમીથી જમીનમાં રહેલા જીવાતોના ઇંડા, લાર્વા અને પ્યુપા નષ્ટ થાય છે, જેના કારણે તેમનું જીવનચક્ર અટકે છે. જમીનજન્ય રોગો અને ફૂગનો ઉપદ્રવ ઘટે છે. સપાટી પરના નીંદણના બીજ નીચે દબાઈ જતા આગામી સીઝનમાં નિંદામણ ઓછું થાય છે. ડૉ.રાજદીપસિંહ જાડેજા (સહ સંશોધક-KVK,ભચાઉ)

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

રાજસ્થાનથી આવતાં હાઇવે પર ટ્રકમાંથી ચોરી થયાની સ્ટોરી ઊભી કરી:3 લાખ હડપ કરવા ટ્રકચાલકે જ ચોરી થયાનું તરકટ રચ્યાનું ખૂલ્યું

મહેસાણા હાઇવે પર ઊભેલી ટ્રકમાંથી રૂ.3 લાખ રોકડની ચોરી મામલે ખુદ ડ્રાઇવરે જ ચોરીનું તરકટ રચ્યું હોવાનું પોલીસે પૂછપરછ દરમિયાન પકડી પાડ્યું હતું અને ચોરીની ફરિયાદ દાખલ થયા પહેલાં જ તેનો ભેદ ઉકેલાઈ ગયો હતો. અમદાવાદથી પ્લાસ્ટિકની ખુરશીઓની રાજસ્થાન ડિલિવરી આપી તેના રોકડા રૂપિયા લઈને અમદાવાદ જતો હતો ત્યારે શેઠના કહેવાથી મહેસાણા હાઇવે પર વાઈડ એંગલ નજીક રાત્રે ટ્રક ઉભી રાખીને સૂઈ ગયા બાદ ટ્રકના દરવાજાના લોક તોડી ચોરો પર્સમાં મુકેલ રૂ.3 લાખ રોકડા ચોરી હોવાની ફરિયાદ સાથે રાજસ્થાનનો ટ્રક ડ્રાઇવર શુક્રવારે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ડી સ્ટાફને તેની વર્તણૂક ઉપર શંકા જતાં ખુરશીની રાજસ્થાનના વેપારીને ડિલિવરી આપ્યા પછી મળેલી રોકડ રકમથી લઇને મહેસાણા તને કોને રોકાવાનું કહ્યું ત્યાં સુધીની પૂછપરછ કરી હતી. ત્રણ-ચાર કલાકની ઉલટ તપાસ અને તેના ફોનની ડિટેઇલની તપાસમાં ચોરી થઈ હોવાનું જણાતું ન હતું. આથી પોલીસે તેના શેઠનો સંપર્ક કરતાં તેમણે ટ્રકનું લોક પહેલેથી જ તૂટેલું હોવાનું જણાવતાં પોલીસની શંકા પ્રબળ બની હતી. દરમિયાન, પોલીસ મથકે દોડી આવેલા શેઠ અને પોલીસ બંનેની તપાસમાં ડ્રાઇવરે જ રાજસ્થાનમાં ત્રણ લાખ તેના મિત્રને આપી દઈ ચોરીનું તરકટ રચ્યું હોવાનું કબૂલ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

ભાસ્કર સવાલ:કેનેડામાં રહેતા મોરબીના વતની પરિવારે પુત્રની લાલચમાં પરિણીતાનો બે વાર ગર્ભપાત કરાવ્યો

મોરબીના વતની અને કેનેડામાં કાયમી રહેઠાણ ધરાવતા હર્ષદ મનજીભાઈ કડીવાર સામે તેમના પત્નીએ પુત્રેષણામાં બે વાર ગર્ભપાત કરાવી દીધાનો અને અમાનુષી સિતમ ગુજાર્યાની મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઉમેર્યું હતું કે તેમને એક દીકરી તો છે પરંતુ દીકરાની લાલચે વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ તેમજ રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોવાનું અને ગર્ભમાં દીકરી હોવાની જાણ થતાં ગર્ભપાત કરાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો. 2025માં આઈવીએફ માટે બે વખત થાઈલેન્ડ લઈ ગયા હતા. હોસ્પિટલ સામે તંત્ર શું એક્શન લેશે તે સવાલ? મોરબીમાં આરોગ્ય વિભાગના પીસી એન્ડ પીએનડીટીની દર ત્રણ મહિને બેઠક મળતી હોય છે, તંત્ર આ બેઠક દરેક વખતે બંધ બારણે યોજી લેતું હોય છે, ત્યારે આ વિભાગે મેટરનિટી હોમમાં કે રેડિયોલોજીસ્ટને ત્યાં તપાસ કરી હતી કે કેમ? તપાસમાં શું સામે આવ્યું? તે અંગેની કોઈ માહિતી જાહેર કરવામાં આવતી નથી ત્યારે હવે તંત્ર ક્યા પગલાં લે છે તે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 4:00 am

માતાજીને 7 વાર પગે લાગી દાનપેટીની ચોરી કરી, CCTV:ડીંડોલી વિસ્તારના મંદિરમાં તસ્કર ત્રાટક્યો, ચોરી પહેલા માતાજીને પગે લાગી કાન પકડ્યા

સુરત શહેરમાં ગુનાખોરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી ચોરીની એક તાજેતરની ઘટનાએ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. અહીં એક મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સે જે રીતે 'ભક્તિ' પ્રદર્શન કર્યું, તે જોઈને શ્રદ્ધાળુઓ અને પોલીસ બંને ચોંકી ગયા છે. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ડીંડોલી વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરીસીસીટીવી ફૂટેજ મુજબ, 11 ફેબ્રુઆરી ના રોજ સાંજે એક અજાણ્યો શખ્સ ડીંડોલી વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ તે કોઈ રીઢા ગુનેગારની જેમ નહીં, પરંતુ એક સાચા ભક્તની જેમ વર્તે છે. તે સૌથી પહેલા માતાજીની મૂર્તિ સમક્ષ નતમસ્તક થાય છે અને પગે લાગે છે. આટલેથી ન અટકતા, તે પોતાના કાન પકડીને જાણે કોઈ મોટી ભૂલ કરી રહ્યો હોય તેમ માતાજી પાસે માફી માંગતો પણ નજરે પડે છે. ત્યારબાદ આ ચોર માતાજીની મૂર્તિની બીજી બાજુ જાય છે. ત્યાં પણ તે ફરી એકવાર હાથ જોડીને પ્રાર્થના કરતો દેખાય છે. જોકે, આ પ્રાર્થના શ્રદ્ધાની નહીં પણ ડરની હોય તેવું જણાય છે, કારણ કે તે સતત આજુબાજુ નજર દોડાવતો રહે છે કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને! મનમાં પાપ અને મોઢા પર પસ્તાવો હોય તેવા હાવભાવ સાથે તે થોડીવાર ત્યાં ઉભો રહે છે અને આખરે પોતાના અસલી ઈરાદા પર ઉતરી આવે છે. આસપાસ કોઈ ન દેખાતા દાનપેટીની ઉઠાંતરી કરીથોડી સેકન્ડોના આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, જ્યારે તેને ખાતરી થાય છે કે આસપાસ કોઈ નથી, ત્યારે તે તુરંત જ માતાજીની પ્રતિમા પાસે રાખવામાં આવેલી ભારેખમ દાનપેટીને ઉચકે છે. જે હાથ થોડી વાર પહેલા પ્રાર્થનામાં જોડાયેલા હતા, તે જ હાથે દાનપેટી ઉઠાવી તે ગણતરીની સેકન્ડોમાં મંદિરની બહાર ફરાર થઈ જાય છે. ચોરી કરતા પહેલા ત્રણ વાર હાથ જોડવા અને કાન પકડવાની તેની આ પદ્ધતિએ લોકોમાં કુતૂહલ જગાડ્યું છે. સમગ્ર મામલે મંદિર સંચાલક દ્વારા ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફૂટેજમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાથી પોલીસને આશા છે કે તે ટૂંક સમયમાં ઝડપાઈ જશે. જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે ભલે ચોરે માતાજીની માફી માંગી હોય, પણ કાયદાના શિકંજામાંથી બચવું તેના માટે હવે અઘરું છે.

દિવ્ય ભાસ્કર 15 Feb 2026 12:05 am