સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ટિકિટ વાંચ્છુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે સૌથી વધુ ચર્ચા શૌચાલય હયાતીના પ્રમાણપત્રની થઈ રહી છે. રસપ્રદ બાબત એ છે કે, હજુ અનેક બેઠકો પર રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ નક્કી નથી કર્યા છતાં ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 120 બેઠકોની સામે અનેકગણા લોકોએ આ દસ્તાવેજ મેળવી લીધોછેલ્લામાત્ર ત્રણ જ દિવસમાં સુરત મનપા દ્વારા કુલ 686 દાવેદારોને શૌચાલય હયાતીના પ્રમાણપત્રો ઈશ્યુ કરવામાં આવ્યા છે. આ આંકડા જોઈને આશ્ચર્યચકિત કરનારા છે કારણ કે, કુલ 120 બેઠકોની સામે અનેકગણા લોકોએ આ દસ્તાવેજ મેળવી લીધો છે. પ્રમાણપત્રો મેળવવામાં વરાછા ઝોન-એ સૌથી મોખરે રહ્યો છે, જ્યાં સૌથી વધુ 143 દાવેદારોએ પ્રમાણપત્ર મેળવ્યા છે. આ સિવાય કતારગામ ઝોનમાં 134 અને લિંબાયત ઝોનમાં 122 ઉમેદવારોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. અપક્ષ ઉમેદવારો વધુ પડતા ઊતરે એવી સંભાવનાઅન્ય ઝોનની વાત કરીએ તો ઉધના ઝોન-એમાં 94, રાંદેર ઝોનમાં 71, વરાછા ઝોન-બીમાં 61 અને સેન્ટ્રલ ઝોનમાં 30 પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. જ્યારે ઉધના ઝોન-બીમાં 18 અને સૌથી ઓછા અઠવા ઝોનમાં માત્ર 13 પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ચૂંટણી લડવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને ત્યાંથી મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરે એવી શક્યતા જણાઈ રહી છે. ટિકિટ મામલે હજુ પણ રાજકીય પક્ષોમાં અસમંજસરાજકીય પક્ષોની તૈયારીઓ પર નજર કરીએ તો, આગામી 11મી એપ્રિલના રોજ નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ અલગ-અલગ વોર્ડ માટે 78 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ પૂર્વે 26 દાવેદારોની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોડી રાત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં તો સ્થિતિ એવી છે કે, રાજકીય પક્ષો કોને ટિકિટ આપશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ચૂંટણી લડવાના અભરખા રાખતા લોકોએ વહીવટી પ્રક્રિયામાં કોઈ કચાશ ન રહે તે માટે 'શૌચાલયના પ્રમાણપત્રો' મેળવવા દોડધામ મચાવી દીધી છે.
બોટાદ જૈન સમાજની ભાજપ પ્રમુખને રજૂઆત:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચર્ચા
બોટાદ સમસ્ત જૈન સમાજે નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રજૂઆત કરી હતી. આ અંગે 9 એપ્રિલ, 2026ના રોજ સવારે 11 વાગ્યે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની વાડી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર જૈન સમાજના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નગરપાલિકા ચૂંટણીમાં જૈન સમાજમાંથી ઉમેદવારી નોંધાવવા અને પક્ષ દ્વારા ટિકિટ ફાળવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જો જૈન સમાજના આગેવાનોને ટિકિટ નહીં મળે તો ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણીઓએ ગુરુવારે બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રૂબરૂ બોલાવી રજૂઆત કરી હતી. તેમણે ચૂંટણી લડવા તૈયાર જૈન સમાજના સભ્યોની વિગતો અને બાયોડેટા કિરીટભાઈને સુપરત કર્યા હતા. આ ઉપરાંત, જૈન જ્ઞાતિને કાયમ થતા અન્યાય અને અન્ય વિવિધ સમસ્યાઓ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. કિરીટભાઈ પાટીવાળાએ જૈન સમાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યું હતું કે તેઓ આ રજૂઆતોને ઉપરી સ્તરે પહોંચાડશે.
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં ડિસ્ચાર્જ અરજી પર 30 એપ્રિલે અંતિમ સુનાવણી થશે. કોર્ટે બચાવ પક્ષને વધુ રજૂઆત માટે સમય આપ્યો છે. વર્ષ 2022માં ખેરગામ પોલીસ સ્ટેશનમાં અનંત પટેલ અને કોંગ્રેસના હોદ્દેદાર ઝરણાબેન સહિતના અન્ય લોકો સામે ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓમાં દુકાનો સળગાવવી, તોફાનો કરવા, ફાયર બ્રિગેડની ગાડીમાં આગ લગાડવી અને પોલીસ ટીમ પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. આ પૈકી બે કેસની ઇન્સાફી કાર્યવાહી હાલ નવસારી કોર્ટમાં ચાલી રહી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓ તરફથી અગાઉ ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી હતી, જેની સુનાવણી પણ થઈ હતી. જોકે, આજે આરોપીના વકીલે વધુ રજૂઆત માટે સમય માંગતા સરકારે તેનો સખત વિરોધ કર્યો હતો. સરકારી વકીલે જણાવ્યું કે, તમામ દસ્તાવેજો વંચાઈ ગયા હોવા છતાં સમય માંગવો એ માત્ર સમય બગાડવાની રણનીતિ છે. સરકાર પક્ષે આજે ફરિયાદ, પંચનામું અને અન્ય દસ્તાવેજી પુરાવા લેખિતમાં રજૂ કર્યા હતા. આ પુરાવાઓમાં અનંત પટેલ સહિતના આરોપીઓની સીધી સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, આરોપીઓના વકીલ પરેશ વટવીચાએ જણાવ્યું હતું કે, કોર્ટે ન્યાયના વિશાળ હિતમાં રજૂઆત માટે વધુ એક મુદત આપી છે. ડૉ. નીરવ પટેલની સપ્લિમેન્ટરી ચાર્જશીટ ખેરગામ કોર્ટથી સેશન્સ કોર્ટમાં આવતા તેની પણ મુદત આજે હતી. આ કેસમાં આગામી મહત્ત્વની તારીખો નીચે મુજબ છે: 24 એપ્રિલ: સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ડિસ્ચાર્જ અરજી આપવા માટેની મુદત. 30 એપ્રિલ: બંને કેસની ડિસ્ચાર્જ અરજી પર આખરી સુનાવણી. આજની કાર્યવાહી દરમિયાન બે આરોપીઓ ગેરહાજર જણાતા સરકારી વકીલે તેમની વિરુદ્ધ વોરંટ કાઢવાની તૈયારી દર્શાવી હતી. જોકે, અંતિમ તબક્કે ગેરહાજર આરોપીઓ કોર્ટમાં હાજર થઈ જતાં વોરંટની સ્થિતિ ટળી હતી. હવે સમગ્ર મામલે 30 એપ્રિલે થનારી સુનાવણી પર સૌની નજર રહેશે.
ગુજરાતનું રાજકારણ વર્ષોથી શ્રદ્ધા અને આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની એક પણ યાદી હજુ સુધી જાહેર થઈ નથી. ત્યારે કેટલાક નેતાઓમાં મંદિર માર્ગે રાજકારણની કેડી કંડારવાની હોડ જામી છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા અને પોતાની દાવેદારી મજબૂત કરવા માટે નેતાઓએ હવે ભક્તિનો સહારો લીધો છે. જ્યારે જેના નામની જાહેરાત થઇ ગઈ છે તેઓ બાધા પુરી કરવામાં લાગી ગયા છે. ગ્રહોની શાંતિ માટે 24 કલાક જાપ શરુ કરાવ્યાજે નેતાઓ સામાન્ય દિવસોમાં ભાગ્યે જ મંદિરોમાં જોવા મળતા હતા, તેઓ હવે મોટા પાયે યજ્ઞ, હવન અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી રહ્યા છે. રાજકીય મંચ ઉપર પોતાનું સ્થાન સુરક્ષિત કરાવવા માટે નેતાઓએ જ્યોતિષીઓનો પણ સહારો લઈ લીધો છે. કેટલાક નેતાઓ જાણીતા જ્યોતિષીઓ અને પંડિતોના માર્ગદર્શન હેઠળ ગ્રહદશા સુધારવા માટે ગુપ્ત પૂજા-પાઠ પણ કરાવી રહ્યા છે. વડોદરાના એક જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, હાલમાં અનેક એવા નેતાઓ છે કે જેઓ પોતાના માટે કે પોતાના પરિવારજન માટે ગ્રહદશા સુધારવા માટે મંત્ર જાપ કરાવી રહયા છે. કેટલાકે તો 24 કલાક મંત્રજાપ શરુ કરાવ્યા છે. ટિકિટ મેળવવા નેતાઓ ભગવાનના શરણેધર્મગુરુઓનો સીધો સંપર્ક ઉચ્ચ કક્ષાએ કરીને ભલામણો કરતા હોય છે. વડોદરાથી કેટલાક ધર્મગુરુઓ અન્ય ક્ષેત્રની પણ ટિકિટ નક્કી કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણમાં હવે ધર્મગુરુઓ અને સંતોની ભૂમિકા પણ અત્યંત મહત્વની બની ગઈ છે. ટિકિટ મેળવવા માટે કેટલાક નેતાઓએ હવે સીધું લોબિંગ કરવાને બદલે ધર્મગુરુઓનો આશરો લીધો છે. વિવિધ સંપ્રદાયોના વડાઓ અને પ્રભાવશાળી સંતો મારફતે પક્ષના ટોચના નેતાઓ સુધી ભલામણો પહોંચાડવામાં આવી રહી છે. ધર્મગુરુઓ પાસે મોટો ભક્ત સમુદાય હોવાથી, રાજકીય પક્ષો પણ તેમના મંતવ્યોને અવગણી શકતા નથી. પરિણામે, ટિકિટ મેળવવા ઈચ્છુક નેતાઓ હવે મંદિરો અને આશ્રમોના પગથિયાં ઘસી રહ્યા છે. ધર્મગુરુઓનો પણ ક્વોટા હોય છે?સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, પ્રભારી સહિતના લોકો પોતપોતાનો પક્ષ મૂકી પોતાના માનીતા ઉમેદવારોના નામ મૂકે છે. પ્રદેશ મોવડી મંડળ પણ તેઓએ આપેલા નામો ઉપર વિશેષ ધ્યાન આપે છે અને તેમાં લોબિંગ ચલાવતા પણ હોય છે. જો કે વર્ષોથી રાજકારણ અને ધર્મગુરુઓ વચ્ચે સેતુનું કામ કરતા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે એમ કહ્યું કે, ધર્મગુરુઓનો પણ ક્વોટા હોય છે. ધર્મગુરુઓ પોતાના સંપ્રદાયના માનીતા રાજકારણીઓના નામની ભલામણ કરે છે અને તેમાંથી ટિકિટ આપવા માટે દબાણ પણ થતું હોય છે. મોવડી મંડળમાં બેઠેલા વ્યક્તિ જે સંપ્રદાયમાં માનતા હોય તેનું વધારે ચાલતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે વડોદરામાં કોણ કોને કેટલું ફાળે છે તે આવનારો સમય બતાવશે.
ગુજરાત પોલીસ દળના બાહોશ અધિકારી અને તાજેતરમાં જ IGP પદેથી રાજીનામું આપનાર મનોજ નિનામાએ આજે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં તેઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. બે દિવસ પહેલાં જ આપ્યું હતું રાજીનામું મનોજ નિનામા આગામી 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) સ્વીકારી લીધી હતી. રાજ્ય સરકારે તેમનું રાજીનામું મંજૂર કરતા જ તેઓ રાજકારણમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી, જેનો આજે અંત આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમનું ભાજપમાં જોડાવું આદિવાસી પટ્ટાના રાજકારણમાં મહત્વનું માનવામાં આવે છે. આસારામ કેસ અને હરણીકાંડમાં ભજવી છે મુખ્ય ભૂમિકા મનોજ નિનામાની છબી એક પ્રામાણિક અને મક્કમ અધિકારી તરીકેની રહી છે. સરકારને જ્યારે પણ જટિલ તપાસની જરૂર પડી, ત્યારે નિનામા પર ભરોસો મૂકવામાં આવ્યો છે. આશ્રમ શાળાથી IPS સુધીની સંઘર્ષમય સફર અરવલ્લીના અંતરિયાળ જાબ ચિતરિયા ગામના વતની મનોજ નિનામાએ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે. રાજકારણમાં કેમ જોડાયા? ભાજપમાં જોડાયા બાદ નિનામાએ જણાવ્યું હતું કે, હવે તેઓ સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવા માંગે છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માટે તેમને રાજકીય પ્લેટફોર્મની જરૂર જણાતા તેઓએ આ નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ભાજપ તેમને કઈ મહત્વની જવાબદારી સોંપે છે અથવા ચૂંટણીમાં ટિકિટ આપી મેદાનમાં ઉતારે છે. -- આ પણ વાંચો 'આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર જ હું' મનોજ નિનામા કોણ છે? તેમણે શું અભ્યાસ કર્યો? પરિવારમાં કોણ છે? પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન કયો કેસ યાદગાર રહ્યો? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ પોતાના વતનમાં હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
ટર્બો ટ્રક સાથે બાઈક અથડાતાં યુવકનું મોત:પાટણ-ડીસા હાઇવે પર અકસ્માત, ટ્રક ચાલક સામે ફરિયાદ
પાટણ-ડીસા હાઇવે પર પાટણ નજીક આવેલા જાળેશ્વર પાલડી પાસે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલકની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક સરસ્વતી તાલુકાના વામૈયા ગામનો આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ભમરસિંહ મોડી રાત્રે પોતાના ગામથી બાઇક લઈને પાટણ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જાળેશ્વર પાલડી પાસે આ ઘટના બની હતી. ટ્રકની અડફેટે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતક ભમરસિંહની આઠ મહિના પહેલા સગાઈ થઈ હતી અને આગામી સમયમાં તેના લગ્ન પણ થવાના હતા.
હિંમતનગર પોલીસે પ્રોહિબિશનના આરોપીને ઝડપ્યો:ડુંગરપુરના મોદર ગામમાંથી ફરાર આરોપી અશ્વિન ડામોરની ધરપકડ
હિંમતનગર બી ડીવીઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ચૌધરીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વોચ રાખી રહી હતી. તે દરમિયાન, બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અશ્વિન કાંતિલાલ ડામોર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બીંછીવાડા તાલુકાના મોદર ગામમાં તેના ઘરે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મોદર ગામમાં જઈને તપાસ કરતા અશ્વિન ડામોર મળી આવ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડી હિંમતનગર પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનંત અંબાણીએ દ્વારકામાં દ્વારકાધીશના ભક્તો માટે આધુનિક યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરી છે. આ ભવન ₹30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ જાહેરાત અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. રિલાયન્સ પરિવાર દ્વારા નિર્માણ પામનાર આ યાત્રિક ભવન તેમની ભક્તિ અને સેવાભાવનું પ્રતિક છે. દેવસ્થાન સમિતિના વહીવટીદાર હિમાંશુ ચૌહાણે અનંત અંબાણી અને રિલાયન્સ પરિવારના આ સેવાકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી આકરી આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ધીમે ધીમે ગરમી પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળશે. ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય હાલમાં રાજ્યમાં હવામાનને અસર કરતી ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે.
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર એસેસરીઝનો વેપાર કરતા અને વેપારીએ 8 એપ્રિલની રાત્રે દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં ગળેફાંસો ખાઈ વેપારીનો આપઘાતશહેરના હુજરત પાગા વિસ્તારમાં નીતિન શાહ કલકત્તા કાર એસેસરીઝ નામની દુકાન ચલાવતા હતા. જેમણે ગત રાત્રે પોતાની જ દુકાનમાં ગળેફાસો ખાઈ જીવંત ટૂંકાવ્યું હતું. આ બનાવને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો:મૃતકના ભાઈઆ બનાવ અંગે મૃતકના ભાઈ દીપેશ શાહે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મારા ભાઈએ આ પગલું ભર્યું છે. ખોટા હિસાબો માંગી કેટલાક લોકો વ્યાજ વસૂલવા માટે વારંવાર પરેશાન કરતા હતા. મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતાં હજુ વ્યાજ માંગે છે. કેટલાક વ્યક્તિઓએ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા તમામ વ્યક્તિઓના નામ પણ મે પોલીસને આપ્યા છે. પોલીસ કમિશનરને મારી વિનંતી છે કે આ વ્યાજખોર સામે કડક પગલા ભરવામાં આવે. આ મામલે કારેલીબાગ પોલીસ મથકના તપાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે.
રાજ્યની માથે મંડરાઈ રહેલી માવઠાની ઘાત હાલમાં ટળી છે. હવે રાજ્યમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.
આજે સમગ્ર વિશ્વમાં જૈન સમુદાય દ્વારા 'વર્લ્ડ નવકાર ડે' એટલે કે વિશ્વ નવકાર દિવસની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે જૂનાગઢ સહિત વિશ્વભરમાં વસતા લાખો જૈન ધર્મીઓ એકત્ર થઈને નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરી રહ્યા છે. જૈન ધર્મ એ વ્યક્તિ પૂજાને બદલે ગુણ પૂજામાં માનનારો ધર્મ છે, જેમાં આત્માના ઉચ્ચ ગુણોને વંદન કરવામાં આવે છે. વર્તમાનમાં જ્યારે વિશ્વ યુદ્ધ અને અશાંતિના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે મંત્ર શક્તિ દ્વારા પરમાણુઓમાં હકારાત્મકતા ફેલાવી માનવજાતના કલ્યાણ અને કાયમી શાંતિ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ આ પવિત્ર દિવસની મહત્તા સમજાવતા જણાવ્યું કે જૈન ધર્મ એ ગુણગ્રાહી ધર્મ છે. નવકાર મંત્રમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે ભગવાનની વાત નથી, પરંતુ એવા તમામ મહાપુરુષોને વંદન કરવામાં આવે છે જેમણે પોતાના આંતરિક શત્રુઓ—રાગ અને દ્વેષ—પર પૂર્ણ વિજય મેળવ્યો છે. મંત્રના પ્રથમ પદ 'નમો અરિહંતાણં' નો અર્થ છે કે જે આત્માઓએ આત્મવિજય મેળવ્યો છે તે તમામ આદરણીય છે, પછી તે શ્રી રામ, શ્રી કૃષ્ણ કે ભગવાન શિવ હોય. આ મંત્રની વ્યાપકતા જ તેની સૌથી મોટી શક્તિ છે, જે કોઈપણ ભેદભાવ વગર માત્ર સિદ્ધિ અને પવિત્રતાને નમસ્કાર કરે છે. નવકાર મંત્રના બીજા પદ 'નમો સિદ્ધાણં' વિશે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં માત્ર મહાવીર સ્વામી જ નહીં, પરંતુ અનંત આત્માઓ જેઓ સંસારના બંધનોમાંથી મુક્ત થઈ સિદ્ધ થયા છે, તે દરેકને નમસ્કાર કરવામાં આવ્યા છે. જૈન દર્શન મુજબ મંત્રના પાંચ પદો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થઈ ગયેલા તમામ ગુણવાન પુરુષોને વંદન કરવાનો એક પવિત્ર અવસર પૂરો પાડે છે. આ મંત્રના જાપથી માત્ર વ્યક્તિગત શાંતિ જ નહીં, પરંતુ વાતાવરણમાં શુદ્ધિનો સંચાર થાય છે, જે આજના અશાંત યુગમાં અત્યંત અનિવાર્ય છે. વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે મંગલ ભાવના આજના સમયમાં જ્યારે દુનિયા ભયાનક સંઘર્ષો અને યુદ્ધોની પીડા ભોગવી રહી છે, ત્યારે નવકાર મંત્રના જાપ એક આશાનું કિરણ બનીને ઉભર્યા છે. મંત્ર શક્તિના પ્રભાવ અને તેની સકારાત્મક ઉર્જાથી જ કદાચ વર્તમાન યુદ્ધોમાં આંશિક વિરામ આવ્યો હોય તેવી શ્રદ્ધા જૈન સમાજ ધરાવે છે. લાખો નિર્દોષ લોકોના જીવ બચે અને પેટ્રોલ-ડીઝલ જેવી પાયાની જરૂરિયાતોની અછતથી સર્જાતી મોંઘવારી તેમજ પીડા ઓછી થાય તે માટે આ જાપ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. 15 દિવસનો જે યુદ્ધ વિરામ થયો છે તે માત્ર હંગામી ન રહેતા કાયમી શાંતિમાં ફેરવાય તેવી ઉમદા ભાવના આ આયોજન પાછળ રહેલી છે. જૂનાગઢમાં પણ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા જલારામ સોસાયટી ઉપાશ્રય ખાતે સમૂહમાં નવકાર મહામંત્રના જાપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શુદ્ધ ભાવનાથી મંત્ર જાપ કર્યા હતા,આ આયોજનનો મુખ્ય હેતુ મંત્રના પવિત્ર પરમાણુઓ દ્વારા સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના ફેલાવવાનો છે.
ચોમાસાની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ જર્જરિત મકાનો અને મિલકતોના માલિકો માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં ભારે વરસાદ કે અન્ય કારણોસર આવી મિલકતો ધરાશાયી થવાથી જાન-માલનું નુકસાન ન થાય તે હેતુથી તંત્રએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, આ અંગે મનપાના એસ્ટેટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જે મિલકતો અત્યંત જર્જરિત હાલતમાં છે, તેના માલિકો કે ભોગવટો કરનારાઓએ તાત્કાલિક તે મિલકત ઉતારી લેવી, સુરક્ષિત કરવી અથવા જરૂરી મરામત કરાવી ભયમુક્ત કરવાની રહેશે, 15 વર્ષ કે તેથી વધુ જૂના ફ્લેટ અને કોમ્પ્લેક્સ પ્રકારની તમામ મિલકતોના માલિકોએ લાયસન્સ ધરાવતા સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક' કરાવીને તેનો રિપોર્ટ દિન-15 માં એસ્ટેટ વિભાગમાં રજૂ કરવાનો રહેશે, જો નિર્ધારિત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ આકસ્મિક ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે મિલકત માલિકની રહેશે, મહાનગરપાલિકાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સૂચનાનું પાલન ન કરનાર બિલ્ડિંગોના નળ (પાણી), ગટર અને વીજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે..
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ તથા સાસરીયાઓ દ્વારા વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જન્મતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. જો દીકરો નહીં જન્મે તો પતિ બીજા લગ્ન કરશે તેવી ધમકી પણ આપતા હતા. જેથી પરિણીતાએ પતિ તથા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી મહિલાએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના લગ્ન 24 જાન્યુઆરી 2022ના રોજ અંકલેશ્વરના યુવક સાથે ઈસ્લામિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના 4 મહિનામાં ઘરેલુ જીવન સામાન્ય રહ્યું હતું, પરંતુ ત્યારબાદ સાસુ, જેઠાણી અને નણંદ દ્વારા ઘરકામ બાબતે વારંવાર મેણાં ટોણાં મારવામાં આવતા અને અપમાન કરવામાં આવતું હતું. તેને ઘરકામમાં ખામીઓ કાઢીને અપમાનિત કરવામાં આવતી તેમજ પગ દબાવવા જેવી બાબતો માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત પતિ દ્વારા પણ પત્નીનો સાથ આપવાના બદલે સાસરીયાઓનો પક્ષ લેવાતો હતો અને વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જન્મતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. તા.9 જાન્યુઆરી 2023ના રોજ વડોદરાની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો હતો, છતાં સાસરીયાઓએ દીકરીને સ્વીકારવા બદલે યુવતીને અપમાનિત કરી હતી. જો દીકરો નહીં થાય તો પતિના બીજા લગ્ન કરવામાં આવશે ત્યારબાદ યુવતી પર વારંવાર દબાણ કરવામાં આવતું હતું. યુવતીએ વધુમાં જણાવ્યું છે કે સાસરીમાં રહેવા દરમિયાન તેના પર અનેક વખત શારીરિક હુમલા કરવામાં આવ્યા હતા. એક ઘટનામાં સાસુ, સસરા, પતિ અને સાસરીયાઓ મળીને યુવતીને માર માર્યો હતો તેમજ ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. પતિ દ્વારા જબરદસ્તી કોઈ દ્રવ્ય પીવડાવ્યાનો પણ આરોપ છે. આ બધાની વચ્ચે યુવતીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. હાલ યુવતી માતા-પિતાના ઘરે રહે છે અને તેની દીકરી સાસરીયાઓ પાસે છે. આ મામલે યુવતીએ અગાઉ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને કોર્ટ કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સમાધાન ન થતા હવે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. યુવતીએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ વિરુદ્ધ દહેજની માંગણી, શારીરિક તથા માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીના આરોપો લગાવીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા બેઠક વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. જે માટે 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ એડમિશન અપાવવા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જેથી ફોર્મ ભરતા સમયે વાલીઓને કોઈ હાલાકી ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. માર્ગદર્શન આપવા માટે DEO કચેરીની ટીમ અને શિક્ષકોને રાખવામાં આવ્યા છે. શહેરની 14,177 બેઠક પર RTE હેઠળ પ્રવેશ અપાશે અમદાવાદ શહેરની 1,343 સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14,177 બેઠક પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. જેથી મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 79279 12966 હેલ્પ લાઇન નંબરથી પણ માર્ગદર્શનવાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોવાથી ઘણી વખત તેમાં અનેક ખામીઓ રહી જતી હોય છે. જે હાલાકી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. RTE માટે ડોક્યુમેન્ટ કયાંથી મેળવવા ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સમસ્યાઓ વાલીઓને થતી હોય છે. જેથી તેમને પૂરતી માહિતી મળી રહે તે રીતે મદદ કરવામાં આવી રહી છે. જ્યાં રોજના 100 વાલીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સૌથી વધુ જાતિના દાખલા, આવક દાખલા અને ડોક્યુમેન્ટ માટેની માહિતી વાલીઓ મેળવી રહ્યા છે. તેમજ હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી વાલીઓ 79279 12966 હેલ્પ લાઇન નંબર પર ફોન કરી માર્ગદર્શન લઈ શકશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેયર ધર્મેશભાઈ પોસીયાના અધ્યક્ષસ્થાને આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો માટે લોકકલ્યાણકારી નિર્ણયોનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષો જૂની પડતર માંગણીઓ સંતોષાતા 43 સફાઈ કામદારોને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે, જેની સાથે જ વાલ્મિકી સમાજમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ઉપરાંત ટેકનોલોજી અને પ્રોત્સાહન ક્ષેત્રે પણ મહત્વના વિતરણો દ્વારા પાલિકાએ શ્રમજીવી વર્ગની સરાહનીય કામગીરીને બિરદાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારીમાં પાયાનું યોગદાન આપનારા સફાઈ મિત્રો અને આંગણવાડી કાર્યકરો માટે એક ઐતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, કમિશનર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. શહેરના પ્રથમ નાગરિક અને મેયર ધર્મેશભાઈ પોસીયાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓના હિતને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા 43 જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાના ઓર્ડર વિધિવત રીતે એનાયત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય માત્ર એક સરકારી પ્રક્રિયા નથી પરંતુ અનેક પરિવારોના જીવનમાં આર્થિક સ્થિરતા અને સામાજિક સુરક્ષા લાવનારું કદમ સાબિત થયું છે. સફાઈ કર્મચારી યુનિયનના અગ્રણીઓએ આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની લાંબા સમયની લડતનો સુખદ અંત આવ્યો છે. યુનિયન દ્વારા આઠથી દસ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી વહીવટી તંત્રએ સંવેદનશીલ અભિગમ દાખવીને મુખ્ય ચાર માંગણીઓનો તાત્કાલિક સ્વીકાર કર્યો છે. આ માંગણીઓમાં રોજમદારોને કાયમી કરવા ઉપરાંત, સખી મંડળની બહેનોને લેબર લો મુજબ વેતન આપવાની બાબત પણ સામેલ છે. વધુમાં, કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. હવેથી તમામ કર્મચારીઓને લેબર લોના ધારાધોરણ મુજબ પીએફ અને ઈએસઆઈના લાભો પણ મળતા થશે, જેનાથી કર્મચારીઓના ભવિષ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે દિવસ-રાત એક કરનારા કર્મચારીઓની કામગીરીની કદર રૂપે મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહક યોજનાઓનો પણ અમલ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1 થી 15 માં જે કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, તેવા દરેક વોર્ડના ત્રણ કર્મચારીઓ મળી કુલ 45 સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરેક કર્મચારીને 10,000 રૂપિયાના પ્રોત્સાહક ચેકનું વિતરણ કરીને તેમને વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરિત કરાયા હતા. આ ઉપરાંત, રસ્તા પર સફાઈ કામગીરી કરતા 34 જેટલા સફાઈ મિત્રોને આધુનિક 'વેસ્ટ પિકર કિટ' પૂરી પાડવામાં આવી છે. આ કિટના માધ્યમથી તેઓ સ્વાસ્થ્યપ્રદ અને વધુ સુવિધાજનક રીતે સફાઈ કાર્ય કરી શકશે, જે તેમના શારીરિક શ્રમમાં ઘટાડો કરશે. માત્ર સફાઈ ક્ષેત્રે જ નહીં, પરંતુ શિક્ષણ અને સ્વાસ્થ્યના પાયાના સ્તરે કાર્યરત આંગણવાડીની બહેનો માટે પણ આ કાર્યક્રમ મહત્વનો રહ્યો હતો. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાર્થક કરવાના ભાગરૂપે જૂનાગઢ શહેરની 179 જેટલી આંગણવાડી કાર્યકર બહેનોને અત્યાધુનિક સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોનની મદદથી આંગણવાડીની કામગીરી વધુ પારદર્શક, ઝડપી અને પેપરલેસ બનશે. ટેકનોલોજીના આ માધ્યમથી બહેનો બાળકોના પોષણ અને વિકાસ અંગેની માહિતીનો ડેટા ઓનલાઇન અપલોડ કરી શકશે, જે સરકારી યોજનાઓના સચોટ અમલીકરણમાં મદદરૂપ થશે. સ્માર્ટફોન મળતા આંગણવાડીની બહેનોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલ્મિકી સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. વર્ષોની પ્રતીક્ષા બાદ કાયમી નોકરી મળતા કામદારોએ આ ક્ષણને દિવાળીના તહેવાર જેવી ગણાવી હતી. આ ઐતિહાસિક નિર્ણયો બદલ યુનિયનના સભ્યો અને સફાઈ કર્મચારીઓએ રાજ્યના પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ જૂનાગઢના શ્રમિક વર્ગના સશક્તિકરણ માટે એક મહત્વનું માઈલસ્ટોન સાબિત થયો છે, જેમાં આર્થિક અને ટેકનિકલ એમ બંને પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આ માનવીય અભિગમથી શહેરના સેવકોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
પાલનપુર પાલિકા ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત:કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. પાલનપુર પાલિકાના વોર્ડ નંબર એકમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઝાલાએ પાલનપુર પ્રાંત કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. આમ આદમી પાર્ટી (AAP) તરફથી વોર્ડ નંબર ત્રણમાં દીપકકુમાર વૈષ્ણવે પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. જોકે આ અંગે રાજુભાઈ ઝાલા વોર્ડ નં 1 માં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી કહ્યું હતું કે 'પબ્લિકની જે માંગણી હતી, માણસોએ મને કીધું કે 'તમે રાજુભાઈ આ વખતે ફોર્મ ભરો, અમે તમને પૂરેપૂરી સહાયતા કરીશું અને તમે જીતીને આવો અને અમારું કામ કરો' એ માટે ફોર્મ ભરવા આવ્યું છું. જે વોર્ડ નંબર 1માં જે સમસ્યાઓ છે એનાથી લોકો ત્રાસી ગયેલા છે. આ છેલ્લા 20 વર્ષથી અમારા એરિયાની અંદર, 20 વર્ષથી આ તકલીફ છે. પાર્ટી જોડે મેન્ડેટની જાહેરાત કરશે પછી મેન્ડેટ આપશે. અત્યારે તો પાર્ટીએ કીધું એ અનુસાર અમે ફોર્મ ભરી દીધું છે.' આમ આદમી પાર્ટીને પાલિકા વોર્ડ ન 3 ઉમેદવારી કરનાર વૈષ્ણવ દીપકકુમાર પ્રવીણચંદ્ર એ જણાવ્યું હતું કે, ‘વોર્ડ નંબર 3 ની ઉભો રહ્યો છું, અને જે પણ કામ બાકી છે એ હું કરીશ.’
ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે. આ અંતર્ગત, ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ બે સેશનમાં યોજાયો હતો. જેમાં અંદાજે 600 જેટલા પોલિંગ સ્ટાફે ભાગ લીધો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રથમ સેશન સવારે 11થી 1 દરમિયાન યોજાયું હતું, જ્યારે બીજું સેશન બપોરે 3થી 5 દરમિયાન યોજાનાર છે. તાલીમ દરમિયાન, પોલિંગ ઓફિસરોને મતદાન મથક પર કરવાની વિવિધ કામગીરી અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. તેમને ઈવીએમ મશીનના યોગ્ય ઉપયોગ અને મતદાન પ્રક્રિયા દરમિયાન અનુસરવાની માર્ગદર્શિકાઓ વિશે પ્રાયોગિક માહિતી પણ અપાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા આવા તાલીમ કાર્યક્રમોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલવેએ તમામ મતદારોને 26 એપ્રિલે સવારે 7થી સાંજના 6 વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
બોટાદ ચૂંટણી પહેલા જૈન સમાજ એક્શન મોડમાં:નગરપાલિકા ચૂંટણીમાં વધુ ટિકિટની માંગ સાથે બેઠક યોજી
બોટાદ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ માહોલ વચ્ચે જૈન સમાજ સક્રિય બન્યો છે. બોટાદમાં સમસ્ત જૈન સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જૈન સમાજને વધુ ટિકિટો આપવાની માંગ કરવામાં આવી. આ બેઠકમાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર સંપ્રદાયના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા હતા. શહેરના છ મુખ્ય દેરાસરોના ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજે બોટાદ શહેરમાં તેમનો પ્રભાવશાળી મતદાન હિસ્સો હોવાથી વધુ પ્રતિનિધિત્વની માંગ કરી છે. બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પણ હાજર રહ્યા હતા, જેમની સમક્ષ જૈન સમાજ દ્વારા આ મુદ્દે સત્તાવાર રજૂઆત કરવામાં આવી. જૈન સમાજના આગેવાન રાજા કોઠારીએ જણાવ્યું કે જો તેમની માંગ પર યોગ્ય ધ્યાન નહીં અપાય, તો આવનારી ચૂંટણીમાં તેના પડઘા પડશે.
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી દ્વારા તા. 04-04-2026 ના રોજ તાલીમાર્થીઓ માટે મોક ઇન્ટરવ્યૂનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવાની તકો પૂરી પાડવાનો અને તેમને વ્યવહારિક ઇન્ટરવ્યૂનો અનુભવ કરાવવાનો હતો. આ પ્રસંગે વિવિધ પ્રતિષ્ઠિત શાળાઓમાંથી ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કોમર્સ જેવા વિષયોના અનુભવી નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ નિષ્ણાતોએ તાલીમાર્થીઓની ક્ષમતા, પ્રસ્તુતિ અને વિષયજ્ઞાનનું મૂલ્યાંકન કર્યું હતું. ઇન્ટરવ્યૂમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના આત્મવિશ્વાસ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. નિષ્ણાતોએ તેમને માર્ગદર્શન આપી ભવિષ્ય માટે ઉપયોગી સૂચનો પણ આપ્યા, જે તેમને કારકિર્દી નિર્માણમાં સહાયક સાબિત થશે. આ કાર્યક્રમથી તાલીમાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડો. સુરેખા બી. પટેલ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના ઓઢવ ખાતે આવેલી ધનલક્ષ્મી સોસાયટીના શ્રી 1008 શ્રી શાંતિનાથ દિગંબર જૈન તેરાપંથી મંદિરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય મુની 108 વર્ધમાન સાગરજી મહારાજના પરમ પ્રભાવક શિષ્ય મુની 108 અપૂર્વ સાગરજી, મુની 108 અર્પિત સાગરજી, મુની 108 વિર્વજીત સાગરજી તથા બાલબ્રહ્મચારી નમનજી ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ નવકાર દિવસની ઉજવણી સમગ્ર વિશ્વના 120 દેશોમાં થઈ રહી છે, જે અંતર્ગત અમદાવાદમાં પણ વિવિધ પંથના જૈન મંદિરોમાં આ દિવસ ઉજવાયો. આ મહાન દિવસે સવારે 8 વાગ્યે અને 1 મિનિટે સમગ્ર વિશ્વમાં નવકાર મહામંત્રના પાઠનો શુભારંભ કરવામાં આવ્યો. ધનલક્ષ્મી સોસાયટીના મંદિરમાં મુનિરાજના સાનિધ્યમાં બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત લગભગ 300 ભક્તોએ આ અખંડ પાઠમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુનિરાજે નવકાર મહામંત્રનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, નમોકાર મહામંત્ર 18234 પ્રકારે ગાઈ શકાય છે અને તે સમગ્ર વિશ્વમાં શાંતિ આપનારો મંત્ર છે. આ મહામંત્ર અનાદિ નિધન છે. તેમણે ઉમેર્યું કે, આ મંત્રમાં શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધાપૂર્વક તેનું ઉચ્ચારણ કરનાર તમામ જીવોના પાપોનો ક્ષય થાય છે.આ કાર્યક્રમનું આયોજન સમગ્ર વિશ્વમાં જીતો સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાન કાર્ય કરવા બદલ મુનિરાજ તરફથી જીતો સંસ્થાને ખૂબ ખૂબ આશીર્વાદ અને સમગ્ર સમાજ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા GPAT 2026 (ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ) રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાના પરિણામોમાં આત્મીય યુનિવર્સિટી, રાજકોટની સ્કૂલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે. આ પરીક્ષામાં ધ્રુવ સવજીયાણીએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈને રેકોર્ડબ્રેક સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિથી યુનિવર્સિટી અને રાજકોટનું ગૌરવ વધ્યું છે. આ ઉપરાંત, તિલકરામ ભરાડે સમગ્ર ભારતમાં 521મો ક્રમાંક અને નિસર્ગ વાળાએ 3629મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીઓએ પણ દેશભરમાંથી આવેલા હજારો પરીક્ષાર્થીઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં કુલ 53,617 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ સંસ્થાનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. આ પ્રસંગે યુનિવર્સિટીના પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સફળ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
જામનગર જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ નિલેશકુમાર સામતભાઈ આંબલિયાની ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણી ગત ૫ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. નિલેશકુમાર આંબલિયા હાલ જામનગર જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, આમરા (તા. જિ. જામનગર) ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની વરણી ગુજરાત રાજ્ય સરકારી શિક્ષણ સેવા વર્ગ-૩ (નોન-ક્લેરિકલ) સરકારી કર્મચારી મંડળના ગુજરાત રાજ્ય સંઘના મહામંત્રી પદે થઈ છે. આ નિમણૂકથી શિક્ષણ વિભાગના વિવિધ યુનિયનોમાં રાજ્ય કક્ષાના મુખ્ય હોદ્દેદારોની સંખ્યામાં વધારો થયો છે, જ્યાં અગાઉ ત્રણ મુખ્ય હોદ્દેદારો હતા. આ નિમણૂકને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગુભા જાડેજા, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરીયા, વર્ગ-૨ સંવર્ગના પ્રમુખ શ્રી એચ.આર. હાડિયા સહિત જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિવિધ યુનિયનના હોદ્દેદારોએ આવકારી છે.
જૂનાગઢ જિલ્લો જે સમગ્ર વિશ્વમાં પોતાની સ્વાદિષ્ટ કેસર કેરી માટે વિખ્યાત છે, ત્યાં અત્યારે કુદરતની વક્રદૃષ્ટિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પવનની તેજ ગતિને કારણે આંબા પરથી નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે સીઝનની શરૂઆતમાં કેરીનો મબલખ પાક જોઈને અનેક નાના વેપારીઓ અને ખેડૂતોએ ઉંચા વ્યાજે નાણાં લઈને લાખો રૂપિયાના ઇજારા રાખ્યા હતા. ગત વર્ષના વાવાઝોડાના નુકસાનની ભરપાઈ આ વર્ષે થશે તેવી આશા હતી, પરંતુ અત્યારે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે. વારંવાર બદલાતા તાપમાન અને માવઠાને લીધે પાક અડધો થઈ ગયો છે. પવનથી કેરી ખરવાની સાથે જે કેરી હાર્વેસ્ટિંગ માટે તૈયાર છે, તેના પર વરસાદી પાણી પડવાથી કાળા ડાઘ પડી રહ્યા છે. આ ડાઘા પાકતી વખતે આખી કેરીને બગાડી નાખે છે, પરિણામે બજારમાં જોઈએ તેવા ભાવ મળતા નથી. કૃષિ નિષ્ણાતોની મતે વર્તમાન સ્થિતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત નિષ્ણાત ડી.કે. વરુના જણાવ્યા અનુસાર, અત્યારે કેરીનો પાક અત્યંત સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આંબા પર અત્યારે સોપારી જેવડી નાની કેરીઓથી લઈને હાર્વેસ્ટિંગ માટે તૈયાર મોટી કેરીઓ એમ જુદા જુદા સ્ટેજ જોવા મળે છે. કેરીની પ્રકૃતિ મુજબ વાદળછાયું વાતાવરણ અને દિવસ-રાત્રિના તાપમાનનો મોટો તફાવત આ પાક માટે બિલકુલ અનુકૂળ નથી. ખાસ કરીને સાયક્લોન જેવી પવનની સ્થિતિ અને કરા સાથેનું માવઠું ફળની ગુણવત્તા અને ઉત્પાદન બંનેને માઠી અસર પહોંચાડે છે. ખેડૂતો માટે સાવચેતી અને ઉપાયો કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આ નુકસાન ઘટાડવા માટે તાકીદની સલાહ આપી છે. જો માવઠા બાદ કેરી પર કાળા ડાઘ દેખાય, તો તેને રોકવા માટે બાવિસ્ટિન અથવા સાફ પાવડર જેવા ફૂગનાશકનો છંટકાવ કરવો અનિવાર્ય છે. વાતાવરણમાં વધેલા ભેજને કારણે 'એન્થ્રેકનોઝ' અને 'સૂટી મોલ્ડ' જેવી ફૂગ લાગવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, મશરી અને ચુસિયા જીવાતથી પાકને બચાવવા માટે ઇમિડાક્લોપ્રિડ જેવી દવાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં નાની કેરીઓનું ખરણ (ડ્રોપિંગ) વધુ થતું હોય, ત્યાં તેને અટકાવવા માટે ખાસ મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. નિષ્ણાતોના મતે, 100 લીટર પાણીમાં 50 ml પ્લાનોફિક્સ દવા અને 2 કિલો યુરિયા ભેળવીને તેના એક કે બે છંટકાવ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ફળની પકડ મજબૂત બને છે અને કુદરતી રીતે પડતી કેરીનું પ્રમાણ ઘટાડી શકાય છે.હાલ તો જૂનાગઢના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે હવે વાતાવરણ સ્થિર થાય, નહીંતર કેસરના ગઢમાં આ વર્ષે મીઠાશ ઓછી અને આર્થિક કડવાશ વધુ જોવા મળે તેવી શક્યતા છે. ખેડૂતોની માગ છે કે સરકાર આ નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની દિશામાં વિચારે.
ગઢડામાં SBI બેંક (કૃષિ શાખા) ખાતે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો છે. આ મામલે કોંગ્રેસે બેંક સત્તાધીશોને રજૂઆત કરી છે અને તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. તેમને યોગ્ય સેવા મળતી નથી, જેના કારણે તેઓ પરેશાન છે. ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક SBI બેંક પહોંચ્યા હતા. ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા કનુભાઈ જેબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને અજયભાઈ ઝાલા સહિતના આગેવાનોએ બેંક ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત, ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે.
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ:એચ.એ.કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 8 એપ્રિલે ભારતના સાહિત્ય સમ્રાટ અને 'વંદે માતરમ્' ગીતના રચયિતા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી સેવામાં હોવા છતાં તેમણે ભારતની આઝાદી માટે સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમની જગવિખ્યાત નવલકથા 'આનંદમઠ'માં 'વંદે માતરમ્' ગીતનો ઉલ્લેખ નોંધપાત્ર છે. 'વંદે માતરમ્' ગીત ભારતમાતાની પ્રશંસા કરતું ભવ્ય વર્ણન રજૂ કરે છે અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. તેમના સાહિત્યમાં ભારતીય સંસ્કૃતિ, ભવ્ય વારસો, ઇતિહાસ અને દેશ પ્રત્યેનો ઊંડો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે. સાહિત્ય સમ્રાટ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના અંતે કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. મહેશ સોનારાએ કર્યું હતું.
SETJAનું 6ઠ્ઠું વાર્ષિક મહાસંમેલન સુરતમાં યોજાશે:સમગ્ર ગુજરાતના Embro અને Jari વેપારીઓ એક મંચ પર
સુરત: સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ સુરતના રામાયણ ફાર્મ ખાતે છઠ્ઠું વાર્ષિક મહાસંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો એમ્બ્રો અને જરી વેપારીઓ એક મંચ પર એકત્રિત થશે. કાર્યક્રમ બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે. SETJA એ સુરતના એમ્બ્રો થ્રેડ અને જરી ઉદ્યોગનું અગ્રણી સંગઠન છે. આ એસોસિએશનમાં થ્રેડ અને જરી ઉદ્યોગ સાથે સંબંધિત તમામ પ્રકારના રો મટિરિયલ સાથે જોડાયેલા વેપારીઓ અને સભ્યો જોડાયેલા છે, જે ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. આ મહાસંમેલન દરમિયાન એક ખાસ બિઝનેસ ગેટ-ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 35થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આનાથી વેપારીઓને નવા ઉત્પાદનો અને બજારના વલણો વિશે જાણવાની ઉત્તમ તક મળશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ઉદ્યોગમાં એકતા, વિકાસ અને સફળતાનું પ્રતિબિંબ બનશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીટવા જરી એન્ડ કોર્ડિંગ દોરી (ટાઈટલ સ્પોન્સર), AIM ફિલામેન્ટ્સ, શ્રદ્ધા થ્રેડ (પાવર્ડ બાય) અને ચામુંડા એન્જિનિયરિંગ, ડ્રોપિટ (કો-પાવર્ડ બાય) જેવા સ્પોન્સર્સનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. SETJA દ્વારા સમગ્ર ગુજરાતના એમ્બ્રો અને જરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને આ કાર્યક્રમમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસની આજે 9 એપ્રિલે અમદાવાદના જગન્નાથજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિવાર ભગવાન જગન્નાથજીના ચરણોમાં પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. એ સાથે જ મંદિર પરિસરમાં અનંત અંબાણીની રંગોળી પણ બનાવવામાં આવી હતી. ગજરાજની વિશેષ પૂજા કરવામાં આવીસવારે 10 વાગ્યાથી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં મંદિરમાં વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. અનંત અંબાણીના દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે ગજરાજનું વિશેષ પૂજન અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહાવતને જીવન જરૂરીયાતની વસ્તુઓ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાધુ-સંતો માટે પ્રસાદ અને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી સતત દેશ અને પરિવારનું ગૌરવ વધારતા રહે તેવી મનોકામના કરવામાં આવી હતી. વિશેષ પૂજા, અર્ચના અને ભંડારાનું આયોજનઆ અંગે દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં, એમની આ પવિત્ર ભૂમિમાં, આજે અનંતભાઈના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠાકોરજીને વિશિષ્ટ પૂજા, અર્ચના, ભોગ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અનંતભાઈને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડાઈને સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી મંગલકામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરુપે વિશેષ રંગોળી પણ બનાવવામાં આવી છે. અનેક કારીગરો દ્વારા આખી રાત આ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં અનંત અંબાણી પોતે ગજરાજ જોડે હોય તેવી રંગોળી બનાવવામાં આવી હતી. 'રંગોળી બનાવવામાં 12 કલાક લાગ્યા'રંગોળી બનાવનાર રાહુલ સ્વામીએ જણાવ્યું હતું કે, મે 12થી 13 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. મને મંદિરમાંથી ફોન આવ્યો કે એક ભવ્ય રંગોળી બનાવવાની છે. ત્યારબાદ હું અહીં આવીને ગઈકાલ રાત્રે 9 વાગ્યે રંગોળી બનાવવાની શરૂઆત કરી હતી અને સવારે 9:30 વાગ્યા આસપાસ રંગોળી બનાવી હતી. 10થી 12 કલાકમાં મે રંગોળી બનાવી. 60થી 70 કિલો મે આમાં કલર પૂર્યાં છે. આજે જગન્નાથજીના મંદિરમાં અનેક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. નજીકની શાળાના બાળકો પણ આજે ગજરાજના દર્શન કરવા પહોંચ્યા હતા. 12 ગજરાજને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.
હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા એક બાલમંદિરમાં આજે સવારે એક માનસિક અસ્વસ્થ યુવાન પોતાનું બાળક લેવા આવ્યો હોવાનું કહીને પ્રવેશ્યો હતો. બાલમંદિરના સાવચેત સ્ટાફે તેને ઓળખતા ન હોવાથી તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવાન અન્ય વાલીઓ સાથે બાલમંદિરમાં પ્રવેશ્યો હતો. સ્ટાફ દ્વારા પૂછપરછ કરાતા તે માનસિક રીતે અસ્વસ્થ જણાયો હતો. સ્ટાફે આ યુવાનને અગાઉ ક્યારેય જોયો ન હોવાથી શંકા ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનને પોતાની સાથે લઈ ગઈ હતી. યુવાને પૂછપરછ દરમિયાન પોતાને સિદ્ધપુરનો હોવાનું જણાવ્યું હતું, જે તેની અસ્વસ્થ માનસિક સ્થિતિનો સંકેત આપે છે. આ ઘટનાને પગલે બાલમંદિરમાં બાળકોને લેવા આવેલા અન્ય વાલીઓમાં પણ ચિંતા જોવા મળી હતી. વાલીઓએ પણ યુવાન અંગે પૂછપરછ કરી હતી. બાલમંદિરના મુખ્ય શિક્ષક પરેશાબેન સોનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્ટાફની સતર્કતાને કારણે અજાણ્યા વ્યક્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
દક્ષિણ ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 26 એપ્રિલે યોજાનારા મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 7 (વેડ-કતારગામ)માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. અહીં રાજકીય સ્પર્ધા એટલી હદે વધી ગઈ છે કે એક જ કોમ્પ્લેક્સમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો ખુલતા મતદારોમાં કુતૂહલ સર્જાયું છે. શિવાલિક રેસીડેન્સી બન્યું રાજકીય ગતિવિધિનું કેન્દ્રકતારગામ વિસ્તારમાં આવેલી શિવાલિક રેસીડેન્સી હાલમાં સ્થાનિક રાજકારણનો અખાડો બની ગઈ હોય તેમ લાગે છે. આ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં બંને મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટીઓએ પોતાના કાર્યાલયો શરૂ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના કાર્યાલયથી માત્ર 30 મીટરના અંતરે જ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ધમધમી રહ્યું છે. એક જ દિવાલ કે એક જ પેસેજમાં બંને પક્ષના કાર્યકરોની અવરજવરને કારણે અહીં રસાકસીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પાટીદારોના ગઢમાં 'વોટ બેંક' કબજે કરવાની હોડવેડ-કતારગામ વિસ્તાર પરંપરાગત રીતે પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. પાછલી ચૂંટણીઓના સમીકરણો જોતા આ વિસ્તાર જેની તરફ ઝુકે છે, તેનો રસ્તો મનપામાં સરળ બની જતો હોય છે. એક જ બિલ્ડિંગમાં બંને પક્ષોના મધ્યસ્થ કાર્યાલયો હોવા પાછળનું મુખ્ય કારણ પાટીદાર મતદારોને રીઝવવાની રણનીતિ માનવામાં આવે છે. બંને પક્ષો અહીં 'ડોર ટુ ડોર' પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી, જેના કારણે જંગ વધુ રોમાંચક બન્યો છે. દિગ્ગજ નેતાઓના પોસ્ટર વોરથી વાતાવરણ ગરમાયુંઆમ આદમી પાર્ટીના કાર્યાલય પર પ્રદેશ કક્ષાના મોટા ચહેરાઓ જેવા કે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની મોટી તસવીરો લગાવવામાં આવી છે. તેની સાથે જ સ્થાનિક નેતા ધર્મેશ ભંડેરી અને મનોજ સોરઠીયાના કટ-આઉટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૭ ના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો માહોલ જોવા મળી રહ્યો છે. સામસામે લાગેલા આ બેનરો અને પોસ્ટરો જાણે કે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે મૂક સંવાદ કરી રહ્યા હોય તેવું લાગે છે. એક જ કોમ્પ્લેક્સમાં બંને કાર્યાલયો હોવા છતાં અત્યાર સુધી કોઈ ઘર્ષણની ઘટના સામે આવી નથી, પરંતુ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને હરીફાઈ જોવા મળી રહી છે. ભાજપના કાર્યકરો પોતાની સત્તા ટકાવી રાખવા મક્કમ છે, જ્યારે આમ આદમી પાર્ટી પરિવર્તનના નામે ગઢ જીતવા મેદાને પડી છે. હવે જોવાનું એ રહેશે કે 26 એપ્રિલે કતારગામની જનતા શિવાલિક રેસીડેન્સીના કયા ખૂણે જઈને પોતાનો કિંમતી મત 'કમળ' કે 'ઝાડુ'ને આપે છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજસીટોકના ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી અસલમ ખીલજીએ આજે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જામનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે, જ્યાં કોઈ ઉમેદવારે પોલીસ જાપતા હેઠળ ફોર્મ ભર્યું હોય. અસલમ ખીલજી ગુજસીટોક હેઠળના કેસમાં આરોપી છે અને હાલ જેલમાં છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 12માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દ્રશ્ય જોઈને કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આમ આદમી પાર્ટી (AAP) એ વોર્ડ નંબર 12માંથી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અસલમ ખીલજી ઉપરાંત, એડવોકેટ જેનબબેન ખફી અને હાજી રિઝવાને પણ આજે વિધિવત રીતે ઉમેદવારી પત્રો ભર્યા હતા. વોર્ડ નંબર 12 હંમેશાથી જામનગરના રાજકારણનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ગુજસીટોકના આરોપીની એન્ટ્રી અને કાયદાકીય પ્રક્રિયા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાતા આ વોર્ડનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. હવે મતદારો કોના પર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ઉમેદવારોના ભાવિ નક્કી કરતા પહેલા તેમના પાછલા 5 વર્ષના લેખાજોખા સામે આવ્યા છે. પાલિકા દ્વારા લોકહિતના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટના વપરાશમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પાછળ રહી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ખાસ કરીને વિરોધ પક્ષના નેતા સહિતના દિગ્ગજોના ખાતામાં લાખોની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી છે. ગ્રાન્ટનું ગણિત, 19.37 કરોડમાંથી 44.22 લાખ પરત જશેસુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વોર્ડમાં પેવર બ્લોક, લાઈટ, ડ્રેનેજ કે અન્ય જનસુવિધાના કામો માટે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ આદમી પાર્ટીના 15 કોર્પોરેટરને પાંચ વર્ષ દરમિયાન કુલ 19.37 કરોડ ફાળવાયા હતા. જોકે, નવાઈની વાત એ છે કે આ કોર્પોરેટરો 44,22,965 લાખની ગ્રાન્ટ વાપરી જ શક્યા નથી. ચર્ચા છે કે શાસક પક્ષ સામે વિરોધ પ્રદર્શન કરવામાં વિકાસના કામો પર પૂરતું ધ્યાન આપી શકાયું નથી. મોનાલી હિરપરા 'ગ્રાન્ટ બચાવવામાં' પહેલા નંબરેવોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને વ્યવસાયે એડવોકેટ એવા મોનાલી હિરપરાના વિસ્તારમાં વિકાસની સૌથી વધુ જરૂરિયાત હોવા છતાં, તેઓની 17.86 લાખની ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહી છે. જે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ આંકડો છે. બીજી તરફ, વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા પણ પોતાની ગ્રાન્ટમાંથી 97 હજાર વાપરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપમાં ગયેલા 'આપ'ના પૂર્વ કોર્પોરેટરોનું પરફોર્મન્સ સુધર્યું!આ અહેવાલમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે જે કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા, તેઓએ ગ્રાન્ટ વાપરવામાં જબરી સ્ફૂર્તિ બતાવી છે. કેસરીયો ધારણ કરનારા તમામ પૂર્વ આપ કોર્પોરેટરોએ પોતાની ફાળવેલી ગ્રાન્ટનો 100% વપરાશ કરી નાખ્યો છે. આને લઈને હવે શહેરમાં ચર્ચા જાગી છે કે શું વહીવટી પ્રક્રિયામાં ભાજપે મદદ કરી કે પછી આપમાં રહેલા કોર્પોરેટરોની ઈચ્છાશક્તિનો અભાવ હતો? કોણ પાસ, કોણ નાપાસ?આપના 15માંથી માત્ર 4 કોર્પોરેટરોએ જ પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી છે. આપના 9 કોર્પોરેટરો એવા છે જેમના ખાતામાં હજુ પણ લાખો રૂપિયા વણવપરાયેલા છે. 44.22 લાખની ગ્રાન્ટનો ઉપયોગ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે 1.07 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવની ઘટના સામે આવી છે. યુવકે તેના પરિવારના નામે કંપની ઉભી કરી અને ત્યારબાદ બિઝનેસમેનને વિશ્વાસમાં લઈને 1.38 કરોડ રૂપિયા શેરબજારમાં રોકાણ કરાવ્યા હતા. રૂપિયા પરત નહીં આપતા બિઝનેસમેને તપાસ કરાવી તો યુવકે શેરબજારની કંપનીના તેમજ સ્ટોક લેઝરના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી આચરી હતી. ગઠિયાએ ચીટિંગમાં બિઝનેસમેનને 26.49 લાખ રૂપિયા પરત પણ આપી દીધા હતા. સેટેલાઈટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી 14 વર્ષથી મેનેજર તરીકે કામ કરે છેનારોલ વિસ્તારમાં આવેલા સંઘાણી પ્લેટિનયમમાં રહેતા નિતિન સિંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મિહિર પરીખ, ધારા પરીખ, ગીતા પરીખ (તમામ રહે, ઈન્સેપ્ટમ બિલ્ડિંગ, સેટેલાઈટ) અને હેમરાજસિંહ રાણા (રહે, ખોડીયારનગર) વિરૂદ્ધ એક કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ કરી છે. નિતિન સિંગ સંયુક્ત પરિવારમાં રહે છે અને છેલ્લા 14 વર્ષથી આર્કેડિયર ઈન્ટરનેશલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. આઠ વર્ષ પહેલાં ફરિયાદી સાથે ઓળખ થઈ હતીઆ કંપનીના માલિક વિવેક અગ્રવાલ અને તેની પત્નિ શ્રુતિ અગ્રવાલ છે. વિવેક અને શ્રીતિ સાથે યુવકે પત્ની, માતા અને પરિચિત સાથે મળીને ચીટિંગ આચર્યુ છે, જેના વતી નિતિન સિંગે ફરિયાદ કરી છે. આર્કેડિયર ઈન્ટરનેશનલ કંપનીના કર્મચારીઓના જુના વિમા ઉતારવા માટે અલગ-અલગ ફાયનાન્સિયલ કંપનીઓ સાથે કરાર કરતા હોય છે. જે અનુસંધાને એમ.પી.ગ્રુપ ઓફ કંપનીના ભાગીદાર મિહિર પરીખ સાથે 8 વર્ષ પહેલા નિતિનની ઓળખાણ થઈ હતી. મિહિર ઈન્સ્યોરન્સ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું કામ કરે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલન્સનો પણ વ્યવસાય કરે છે. વિવેક અગ્રવાલે તેમના પોતાના નામથી તેમજ પરિવારના સભ્યોના નામથી મિહિર પાસે અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાવ્યુ હતું. 1.35 કરોડની લોન મંજૂર કરાવીરોકાણ દરમિયાન મિહિરે વિવેકને જણાવ્યુ હતું કે, આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમને લોન પણ મળશે, તમારે જરૂરીયાત હોય ત્યારે આ લોન વાપરી શકો છો. વિવેક સહિતના લોકોએ મિહિરની વાત પર વિશ્વાસ રાખ્યો હતો. દરમિયાનમાં વિવેકે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની સામે લોન લેવાની તૈયારી દર્શાવી હતી અને મિહિરને કહ્યુ હતું. મિહિરે કંપનીના કર્મચારીઓને મોકલ્યા હતા અને વિવેકના મ્યુચ્યુઅલ ફંડની સામે 55,28,435ની લોન તેમજ શ્રૂતિના નામે 79,82,831ની લોન કરાવી હતી. બન્નેની થઈને કુલ 1,35,11,266 રૂપિયાની લોન મંજુર થઈ હતી. વર્ષમાં 15થી 20 ટકા વળતરની લાલચ આપી2025માં મિહિરે નિતિન સહિત વિવેકને જણાવ્યુ હતું કે, મારી એમ.પી.ફિનકોર્પ સર્વિસિસ નામની ભાગીદારી પેઢી છે, જે ગ્રાહકોના પૈસા શેર બજારમાં રોકાણ કરાવી સારૂ વળતર અપાવે છે. ગ્રાહકોના રૂપિયા મોતિલાલ ઓસ્વાલ નામની પ્રતિષ્ઠીત કંપની મારફતે શેરબજારમાં રોકાણ કરીશુ, જેથી તમારા ફંડમાં કોઈ ગેરરીતી નહીં થાય. આ રોકાણ સામે તમારે વાર્ષિક 15થી 20 ટકા જેટલુ રિટર્ન મળશે. વિવેક અગ્રવાલે રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતા મિહિરે તેમને જણાવ્યુ હતું કે, તમારા મ્યુચ્યુઅલ ફંડ સામે જે લોન મંજુર થઈ હતી, તે રૂપિયા મને આપો તો હું મોતીલાલ ઓસ્વાલ કંપની મારફતે શેર બજારમાં રોકાણ કરાવીને વર્ષના 15થી 20 ટકા વળતર આપીશ. વિવેકને વિશ્વાસમાં લેવા માટે મિહિરે કહ્યુ હતું કે, તમારે લોનમાં દસ ટકા વ્યાજની ચુકવણી કરવી પડે છે. જો તમે મને રૂપિયા આપશો તો પ્રોફિટમાં તમારુ વ્યાજ નીકળી જશે અને ઉપરાંત બીજા પાંચથી દસ ટકાનો પ્રોફિટ મળશે. પૈસા પરત ન આપતા ચાર સામે ફરિયાદડબલ વળતર મળશે તેવુ કહીને મિહિરે વિવેકનો વિશ્વાસ જીતી લીધો હતો. વિવેક મિહિર અને તેની ભાગીદારી પેઢીમાં 1.34 કરોડ રૂપિયા રોકાણ કર્યુ હતું. થોડા સમય બાદ વિવેક અગ્રવાલને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા તેણે મિહિર સાથે વાત કરી હતી. મિહિરે રૂપિયા નહીં આપીને વિવેક અગ્રવાલ કહ્યુ હતું કે, બે ત્રણ દિવસમાં શેરબજારમાંથી વિડ્રો કરીને તમારા ખાતામાં જમા કરાવી દઈશું. રૂપિયા નહીં આવતા વિવેક અગ્રવાલ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યુ હતું કે, મોતીલાલ ઓસ્વાલ કંપનીમાં મિહિરે કોઈ રૂપિયા શેરબજારમાં ઈન્વેસ્ટ કર્યા નથી. મિહિરે રૂપિયા પોતાના અંગત કામ માટે ઉપયોગ કરતા અંતે નિતિને વિવેક વતી સેટેલાઈટ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરી છે.
જુગારના રંગમાં ભંગ પડયો:કલોલના તેરસાપરાની સીમમાં તીનપત્તી રમતા પાંચ ઝડપાયા, 83 હજારની મત્તા જપ્ત
કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે તેરસાપરા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચને ઝડપ્યા હતા. 49 હજારથી વધુની રોકડ, ત્રણ મોબાઈલ, વાહન મળીને કુલ રૂ.84 હજાર 350નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, તેરસાપરાની સીમમાં ખોડિયાર માતાના મંદિર પાસે ખરાબામાં કેટલાક શખ્સો એકઠા થઈને હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. સીમમાં કોર્ડન કરીને પોલીસે દરોડા પાડ્યોઆ બાતમીના પગલે પોલીસે ખરાબાની જગ્યાને ચારે દિશાથી કોર્ડન કરીને દરોડો પાડતા જુગારીઓ પત્તા રમતા પકડાઈ ગયા હતા. જેમને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે પૂછતાછ કરતા તેમણે પોતાના નામ મગનજી ઠાકોર, મહેશજી ઠાકોર, ભરતજી ઉર્ફે ટીનો ઠાકોર, મેલાજી ઠાકોર અને પ્રવિણજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની ધરપકડ કરી કુલ 49,350 રોકડા , 15 હજારની કિંમતના ત્રણ મોબાઈલ તેમજ 20 હજારનું એક્ટિવા મળીને કુલ રૂ.84,350 નો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે કલોલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કળિયુગની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. જેમાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના? મોટાભેલા ગામે રહેતા 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને કોઈ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને એટલો હદે માઠો લાગી ગયો કે, તેણે માનવીય સંવેદનાઓ નેવે મૂકી પિતા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. લોહીલુહાણ પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે, પ્રવીણે ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી પિતા પર હુમલો કરી દીધો હતો. વૃદ્ધ પિતાના બંને પગના કાંડાના ભાગે કુહાડીના ઊંડા અને જીવલેણ ઘા મારી દેતાં જીવણભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ આ લોહિયાળ ખેલ બાદ મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણી (ઉં.વ. 28)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના જ સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ ઘટનાની જાણ થતા જ માળીયા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ભરતભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પિતાની હત્યા કરનાર આરોપી પુત્ર પ્રવીણ ઉર્ફે પવોની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મોટાભેલા ગામ સહિત સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પિતા-પુત્રના પવિત્ર સંબંધોને લાંછન લાગ્યું હોવાની ચર્ચાઓ જાગી છે. ---- આ પણ વાંચો પુત્રએ માતા સાથે મળીને સાવકા પિતા પર સિમેન્ટનો ચૂલો ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મુંજિયાસર ગામે બે મહિના પહેલાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી અને ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક પુત્રએ પોતાના સાવકા પિતાની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યાની આ ઘટનામાં પુત્રની માતાએ મદદગારી કરી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… ધ્રાંગધ્રાના જીવ ગામે યુવકે સગા મામાના દીકરાની હત્યા કરી ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ નજીક બનેલો એક વાહન અકસ્માત હત્યામાં પરિણમ્યો હતો. 15 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉં.વ. 29, રહે. જીવા)નું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે તપાસમાં આરોપી યુવકે પોતાના સગા મામાના દીકરાની હત્યા કરી હોવાનું હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… ધારીમાં પિતાએ પુત્રનું ગળું દબાવી હત્યા કરી, લાશને જમીનમાં દાટી ત્રણ મહિના પહેલાં અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
સુરેન્દ્રનગરમાં ધનવંતરી રથ દ્વારા સેવા:વિશ્વ આરોગ્ય દિવસે જાગૃતિ અને તબીબી સારવાર અપાઈ
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્ય જાગૃતિ, માર્ગદર્શન અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સેવા દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી લાભ મળ્યા હતા. 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવા ખાસ કરીને બાંધકામ શ્રમિકો માટે શરૂ કરવામાં આવી છે. આ રથ બાંધકામ સાઇટ્સ, શ્રમિક વસાહતો અને તેમના ઘરઆંગણે જ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ રથ દ્વારા શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને સાંધાના દુખાવા જેવી સામાન્ય બીમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. જરૂર પડ્યે તબીબી તપાસો કરીને તેના અહેવાલ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકોને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નિર્માણ કાર્ડ નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને છે.
વડોદરાના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા નજીક દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આજે 9 એપ્રિલે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ તો થઈ નથી પરંતુ દુકાનદારને મોટું નુકસાન થયું છે. આ આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિક દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દુકાનમાં આગ લાગ્યાનો માલિકને ફોન આવ્યોશહેરના સંગમ ચાર રસ્તા નજીક સ્વાદ કોટર્સમાં રહેતા અનિલ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાંપા નજીક છેલ્લા 20 વર્ષથી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. વિસ્તારમાં રહેતા એક યુવકે વહેલી સવારે આશરે ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં તેમને ટેલિફોનિક માહિતી આપી હતી કે, તેમની દુકાનમાં આગ લાગી છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ પહેલા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. MGVCLની ટીમે વીજ પુરવઠો બંધ કર્યો હતોઘટનાની જાણ થતા જે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ MGVCLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના લોકો પણ વહેલી સવારે આગ લાગતા દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 'બે વખત તાળા તૂટ્યા છે, આગ લગાવવામાં આવી'દુકાનના માલિક અનિલભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ આ દુકાનમાં બે વખત તાળા તૂટેલા છે અને ચોરી થઈ છે. આ આગ લાગી નથી લગાડવામાં આવી છે. અમને અહીંથી હટાવવાની વાત છે. મારા પ્રોવિઝન સ્ટોરમાં સામાન તેમજ કોર્પોરેશનમાં સફાઈ કામદારો જે ઝાડુનો ઉપયોગ કરે છે, તેનો પણ મોટી માત્રામાં જથ્થો મૂકી રાખેલો હતો. તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આશરે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
પાટણ જિલ્લાના પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમનાં પત્નીનાં નામો તેમની બદલીના એક વર્ષ પછી પણ જિલ્લાની મતદાર યાદીમાં નોંધાયેલાં જોવા મળ્યાં છે. આ બાબત એક રાજકીય અગ્રણીના ધ્યાને આવી હતી. 2026ની નગરપાલિકાની ચૂંટણી માટે જાહેર થયેલી મતદાર યાદીમાં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમનાં પત્નીના ફોટા સાથેના નામો હજુ પણ છે. તેમનાં નામ પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 4ની મતદાર યાદીના બુથ નં. 8/9 પર મતદાર ક્રમાંક 424 અને તેમનાં પત્નીનું નામ 425 પર અંકિત થયેલું છે. જાણકારી આપનાર રાજકીય મિત્રના જણાવ્યા અનુસાર, હાલમાં હાથ ધરાયેલી ખાસ મતદાર યાદી સુધારણા દરમિયાન તેઓનું નામ આ યાદીમાં ન હોવું જોઈએ. નિયમ મુજબ, સ્થળાંતર કરનાર વ્યક્તિના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાના હોય છે. નોંધનીય છે કે, અરવિંદ વિજયને એપ્રિલ 2023માં પાટણના કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો હતો અને એપ્રિલ 2025માં તેમની બદલી થઈ હતી. તેઓ 2014ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આ બાબતે પાટણ નગરપાલિકા અને પાટણની પ્રાંત કચેરીમાં ચૂંટણી શાખામાં તપાસ કરતાં અધિકારીઓ પણ આ નામો જોઈને આશ્ચર્યચકિત થયા હતા. જોકે, કયા કારણસર આ નામો યાદીમાંથી દૂર કરવાના બાકી રહ્યા છે, તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે દેશી દારૂનો મુદ્દો ઉછળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1માં ઋષિ વાટિકા સોસાયટીના રહેવાસીઓ દ્વારા દેશી દારૂની પોટલી આ તરફ મળે છે ના બેનર લગાવવામાં આવ્યા છે અને રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં પ્રવેશ ન કરવા વિનંતી સાથે ના બેનર લગાવવામાં આવ્યા છે કારણ કે ઋષિવાટિકા સોસાયટીથી આગળ રૈયા ધાર વિસ્તારમાં ઝુપડપટ્ટી અને ખુલ્લા પટ્ટમાં દેશી દારૂ વેચાતો હોવાથી વિસ્તારના લોકો ત્રસ્ત થઇ ગયા છે. વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 22 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ રાત્રીના 8 વાગ્યા પછી દેશી દારૂ પી અને દારૂડિયાઓ ત્રાસ ગુજરી રહ્યા છે બહેન દીકરીઓ અહિયાંથી નીકળી શકતા નથી અનેક વખત રજુઆત કરી આમ છતાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આ વખતે અમે નિર્ણય કર્યો છે કે અમારી સમસ્યા નિરાકરણ નહિ થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. રાજકોટ શહેરના ઋષિવાટિકા સોસાયટીમાં રહેતા નયનાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે અહીંયા 22 વર્ષથી રહીએ છીએ. આ વિસ્તારમાં ગંદકી સ્વચ્છતાનો પ્રશ્ન તો છે જ આ ઉપરાંત અમને નડતર રૂપ એક મોટો પ્રશ્ન છે દેશી દારૂના અડ્ડા અમારા ઘરની શેરીમાંથી બહાર નીકળી એટલા રાત્રીના 8 વાગ્યે દારૂડિયાઓ રસ્તા પર સુતા હોય છે ગાળો બોલતા હોય છે. આ વાતથી અમે થાકી ગયા છીએ અમે અનેક વખત રજૂઆતો કરી ચુક્યા છીએ પોલીસને પણ રજુઆત કરી છે અને નેતાઓને પણ રજુઆત કરી છે કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. અમે નક્કી કર્યું છે કે આ વખતે અમારી સમસ્યા હલ નહિ આવે તો આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. પુષ્પાબેન રાઠોડએ જણાવ્યું હતું કે, ઋષિવાટિકા સોસાયટીમાં અમે રહીએ છીએ અમારે અહીંયા દારૂડિયાનો ત્રાસ છે 22 વર્ષથી અમે આ વિસ્તારમાં રહીએ છીએ. અનેક વખત રજૂઆતો કરી ચુક્યા છીએ કોઈ સાંભળતું નથી. અમારા ઘરની બહેન દીકરીઓ દીકરા વહુ કોઈ નીકળી શકતા નથી. જયારે લાભુબેન ગોંડલીયા નામના વૃધ્ધાએ જણાવ્યું હતું કે, અમે 23 વર્ષથી અહીંયા રહીએ છીએ. રોડ રસ્તા સહીત તમામ પ્રશ્નો આ ને આજ છે કોઈ સમસ્યા હલ થઇ નથી. અમારા દીકરા દીકરીઓ મોટા થઇ ગયા છે અમારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અમારી અનેક વખતની રજૂઆતો છે અમને કોઈ સાંભળતું નથી માટે આમાં અમારે મત કેવી રીતે આપવો એ નથી સમજાતું હવે અમે મત નહિ આપીએ એવું બધા લોકોએ સાથે મળીને નક્કી કર્યું છે.
સુરતમાં સીમાડા BRTS રોડ પર સેતુબંધ હાઈટ્સની સામેના રામ કાર મેળાની અંદર ચા-નાસ્તાની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કાર મેળાની 50થી વધુ કારને બચાવી લેવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. કાર વર્લ્ડ મેળામાં શોર્ટ સર્કિટથી આગફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ રામ કાર વર્લ્ડ મેળામાં શોર્ટ-સર્કિટથી આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નજીકમાં એકથી વધુ કાર મેળા હોવાથી મોટી દુર્ઘટનાની ભીતિ ઉભી થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારી વિનોદ રોજીવાડિયા સહિતનો ફાયર વિભાગના જવાનોનો કાફ્લો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. કેબિનમાં ગેસ સિલિન્ડર હોવાથી લોકો દૂર ભાગ્યાઆગમાં ચા-નાસ્તાની કેબિન અને ઓફિસમાં એસીને નુકસાન થયું હતું. સદનસીબે આગ આસપાસના કાર મેળાઓ સુધી ફેલાઈ નહીં અને ત્યાં રાખવામાં આવેલી કારો તેમજ ઓફિસ સુરક્ષિત રહી હતી. કાર મેળામાં રહેલી 50થી વધુ કારને બચાવી લેવામાં આવી હતી. કેબિનની અંદર ગેસ સિલિન્ડર હોવાની જાણ થતા આસપાસથી લોકો પણ દૂર ભાગી ગયા હતા. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
વ્યાજખોરનો આતંક:રૂ. 4 લાખની સામે 15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરે વેપારીને લાફા મારી મૂડી માગી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે. એક વેપારીએ વ્યાજખોર પાસેથી 4.10 લાખ રૂપિયા લીધા હતા, જેની સાથે સામે કુલ 13 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોર દ્વારા બીજા 4.10 લાખ રૂપિયાની માંગણી કરીને વેપારીને માર મારીને હેરાન કરવામાં આવતા હતા. વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ ટુકડે-ટુકડે 4.10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાનારણપુરામાં રહેતા જયેશભાઈ પટેલ સોલરનો ધંધો કરે છે. 2024ના વર્ષના ધંધો વિકસાવવા માટે જયેશભાઈએ બાબુભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો. બાબુભાઈ દેસાઈએ જયેશભાઈનો સંપર્ક ચેહર ભાઈ ઉર્ફે લાભુભાઈ રબારી સાથે કરાવ્યો હતો. લાભુભાઈએ શરૂઆતમાં જયેશભાઈને 30,000 રૂપિયા 10%ના વ્યાજે આપ્યા હતા. વધુ પૈસાની જરૂર પડતા જયેશભાઈએ 2.50 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયા લીધા હતા. જયેશભાઈએ કુલ 4.10 લાખ રૂપિયા ટુકડે ટુકડે વ્યાજે લીધા હતા, જેની સામે તેમણે કોરા ચેક પણ આપ્યા હતા. જયેશભાઈએ 4.10 લાખ રૂપિયાની સામે વ્યાજ સહિત કુલ 13,00,000ની રકમ ચૂકવી હતી. મારી નાખવાની ધમકી આપીલાભુભાઈ જયેશભાઈ પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા. લાભુભાઈએ જયેશભાઈને નવરંગપુરાના શ્રીજી પાન પાર્લર પાસે બોલાવીને લાફા માર્યા હતા અને બીજા 4.10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપે તો માર મારવાની પણ ધમકી આપી હતી, જેથી જયેશભાઈ કંટાળીને લાભુભાઈ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકા પર એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી માટે સજ્જ બની છે, જેમાં 13 વોર્ડની ૫૨ બેઠકો પૈકી હાલ 43 બેઠકો ભાજપ હસ્તક છે, ત્યારે આ વખતે સંગઠન નવા ચહેરાઓને તક આપશે કે જૂના જોગીઓ પર પસંદગી ઉતારશે તે ચર્ચાનો વિષય બન્યો છે, આજે સાંજ સુધીમાં નામોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જાણો દરેક વોર્ડનું સંભવિત ગણિત, વોર્ડ વાઈઝ રાજકીય સમીકરણો વોર્ડ નં.1 ચિત્રા-ફુલસર-નારી : પૂર્વ મેયર કિર્તીબેન દાણીધરીયાના સ્થાને પક્ષ નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે હિરાબેન કુકડીયા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તેમની કામગીરીના આધારે રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે, વોર્ડ નં.2 કુંભારવાડા : અહીં વર્ષાબેન ઉનાવા રિપીટ થઈ શકે છે, પરંતુ વિલાસબેન રાઠોડનું પત્તું કપાઈ શકે તેમ છે, અનામત બેઠકના કારણે નરેશભાઈ ચાવડા અને બાબુભાઈ મેરની ટિકિટ જોખમમાં હોવાનું જણાય છે, વોર્ડ નં.3 વડવા-બ: ઉષાબેન ગોહિલ અને લક્ષ્મણભાઈ રાઠોડને ફરી તક મળી શકે છે જોકે, સેજલબેન ગોહિલ અનામત અને વિવાદોમાં ઘેરાયેલા હોવાથી તથા અમરશીભાઈ ચુડાસમા ઉંમરના કારણે બાદબાકી પામી શકે છે, વોર્ડ નં.4 કરચલીયા પરા: નીતાબેન બારૈયા અને રતનબેન વેગડના સ્થાને નવા ચહેરા આવી શકે છે. ગોપાલભાઈ મકવાણા વિવાદમાં હોવાથી તેમનું સ્થાન જોખમમાં છે, જ્યારે ભરતભાઈ ચુડાસમા રિપીટ થઈ શકે છે, વોર્ડ નં.5 ઉત્તર કૃષ્ણ નગર - રૂવા : આ વોર્ડ હાલ કોંગ્રેસના કબજામાં હોવાથી ભાજપ અહીં આક્રમક રણનીતિ સાથે તદ્દન નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારી ગાબડું પાડવાની તૈયારીમાં છે પણ હજુ સુધી કોંગ્રેસમાં ગાબડું પાડી શકી નથી, અનેક ભાજપના દિગ્ગજો ત્યાંથી હારનો સામનો કરી ચુક્યા છે, કોંગ્રેસના ભરત બુધેલીયા સતત 7 વખતથી ત્યાં થી જીત હાંસલ કરી રહ્યા છે અને 8 વખત પણ દાવેદારી નોંધાવી છે, વોર્ડ નં.6 પીરછલ્લા : મનિષાબેન વાઘેલાની જગ્યાએ અનામતના કારણે નવો ચહેરો આવશે, શહેર પ્રમુખ હોવાથી કુણાલ કુમાર શાહ અને નિષ્ક્રિયતાના કારણે દિલીપભાઈ જોબનપુત્રાના સ્થાને નવા ઉમેદવારો આવી શકે છે યોગીતાબેન ત્રિવેદી રિપીટ થવા માટે રેસમાં છે, વોર્ડ નં. 7 તખ્તેશ્વર : પૂર્વ મેયર ભરતભાઈ બારડની ઉંમર જોતા પક્ષ નવો ચહેરો શોધી રહ્યો છે, ભાવેશભાઈ મોદી રિપીટ થઈ શકે છે, જ્યારે હીરાબેન વિંઝુડાની બેઠક પર અનામત સમીકરણો બદલાશે, વોર્ડ નં. 8 વડવા-અ : ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ ઉંમર ના કારણે નવો ચેહરો આવશે, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજેશભાઈ રાબડીયાનું સ્થાન લગભગ નિશ્ચિત મનાય છે, જોકે, બે ટર્મ પૂરી કરનાર ભારતીબેન બારૈયા અને રાજેશભાઈ પંડ્યાના સ્થાને નવા ચહેરા જોવા મળી શકે છે, વોર્ડ નં. 9 બોરતળાવ : અશોકભાઈ બારૈયાને રિપીટ કરવામાં આવી શકે છે, પરંતુ બાકીની ત્રણ બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ તોડવા ભાજપ નવા ચહેરા લાવશે. વોર્ડ નં.10 કાળીયાબીડ-સીદસર : વર્ષાબા પરમાર અને માંદગીના કારણે શારદાબેન મકવાણાના સ્થાને નવા ઉમેદવારો આવશે. ધીરુભાઈ ધામેલીયા રિપીટ થઈ શકે છે, પણ ત્રણ ટર્મ પૂરી કરનાર પરેશભાઈ પંડ્યાની બાદબાકી નિશ્ચિત મનાય છે, વોર્ડ નં.11 દક્ષિણ સરદારનગર : ભાવનાબેન ત્રિવેદીએ સામેથી ટિકિટ માંગી નથી, જ્યારે મીનાબેન મકવાણા નિષ્ક્રિય હોવાથી નવા ચહેરા આવશે. મહેશભાઈ વાજા ત્રણ ટર્મ ના કારણે કપાઈ શકે છે, કિશોરભાઈ ગુરુમુખાણી રિપીટ થવા માટે પ્રબળ દાવેદાર છે, વોર્ડ નં.12 ઉત્તર સરદાર નગર - તરસમીયા : ઉષાબેન બધેકા અને ભાવનાબેન સોનાણી રિપીટ થઈ શકે છે. જ્યારે બુધાભાઈ ગોહેલ અને યુવરાજસિંહ ગોહિલ વિવાદ અને ટર્મના કારણે કપાઈ શકે છે, વોર્ડ નં.13 ઘોઘા સર્કલ-અકવાડા : કુલદીપભાઈ પંડ્યા વિવાદ ના કારણે કપાઈ શકે છે, લીલાબેન ગોહેલ, મૃદુલાબેન પરમાર અને પંકજસિંહ ગોહિલના સ્થાને પક્ષ નવા ચહેરાઓને તક આપે તેવી શક્યતા છે.
અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે ગઈકાલે (8 એપ્રિલ) સાંજના સમયે એએમટીએસ બસે એક્ટિવા સવાર બે યુવતીની અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતી AMTS બસે જોઈને એક્ટિવા સવાર યુવતીની ચીસ નીકળી ગઈ હતી અને જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગે એક્ટિવા ફસાઈ જતાં બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. અવાજ સાંભણી લોકો દોડી આવ્યાંસીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, એક એક્ટિવા ઉપર બે યુવતી ચાર રસ્તા પરથી રોંગ સાઈડમાં જઈ રહી છે. આ દરમિયાન એએમટીએસ પૂર ઝડપે આવી રહી હતી અને બસની સ્પીડ પણ વધારે હોવાના કારણે યુવતીઓ બસના આગળના ભાગે ટકરાઈ હતી. એક્ટિવા પણ બસના આગળના ટાયર નીચે ફસાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભણીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. આ પણ વાંચો… બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV, રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી 7 દિવસ પહેલાં બળદગાડાને ઉડાવ્યું હતુંઆ ઘટનામાં સદનસીબે બન્ને યુવતીનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, અમદાવાદમાં AMTS બસના ચાલકો બેફામ બસ ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. સાત દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી હતી. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતાં.
નવસારીમાં બે અલગ-અલગ આત્મહત્યાના બનાવો:પતિ-પત્નીના ઝઘડા અને બીમારીથી કંટાળી બે લોકોએ જીવન ટૂંકાવ્યું
નવસારી જિલ્લામાં આત્મહત્યાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. કબીલપોર વિસ્તારમાં પત્ની સાથેના ઝઘડાથી કંટાળી એક 39 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે વિજલપોરમાં લાંબી બીમારી અને એકલવાયા જીવનથી ત્રસ્ત 51 વર્ષીય આધેડે પણ આપઘાત કર્યો હતો. કબીલપોર વિસ્તારમાં વંદના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પંકજ વિરેન્દ્ર ઓઝા નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની હતા અને છેલ્લા પાંચ મહિનાથી બેરોજગાર હતા. પત્ની સાથે થતા વારંવારના ઝઘડાથી કંટાળી આપઘાતપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંકજભાઈ કામ-ધંધો કરતા ન હોવાથી તેમની અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત 8 એપ્રિલના રોજ બપોરના 2થી 2:30 વાગ્યાના સુમારે માનસિક તણાવમાં આવી તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે તેમના ભાઈ સૌરભ ઓઝાએ નવસારી રૂરલ પોલીસને જાણ કરી હતી. રૂરલ પોલીસ સ્ટેશનના PSI એમ.એલ. સૈયદે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાથરૂમમાં પાઇપ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યાબીજી ઘટના વિજલપોરના આદર્શનગર, શિવાજી ચોક વિસ્તારમાં બની હતી. અહીં જીતેન્દ્રભાઈ કાશીનાથ ચૌધરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ મૂળ સુરતના પાંડેસરા વિસ્તારના વતની હતા. જીતેન્દ્રભાઈ લાંબા સમયથી સોરાયસીસની ગંભીર બીમારીથી પીડાતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લાંબી બીમારી અને એકલવાયા જીવનને કારણે તેઓ માનસિક રીતે હતાશ હતા. ગત 8 એપ્રિલના રોજ સવારના સમયે તેમણે ઘરના ઉપરના માળે દાદર પાસે આવેલા બાથરૂમમાં પાઇપ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈએ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી પોલીસે બંને બનાવોમાં અકસ્માત મોત (Accidental Death) હેઠળ ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરી છે.
જૂનાગઢ શહેરના GIDC-2 વિસ્તારમાં આજે વહેલી સવારે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇલ્યાઝભાઈના માલિકીના પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા એક મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 થી 15 ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અંદાજે 52,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. અત્યારે ફાયર ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાના સાક્ષી અને પાડોશી કારખાના 'ગુરુ ઓટો પ્રાઈવેટ લિમિટેડ' ના માલિક રહીમ બદરૂદ્દીનભાઈ બરડાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આગ એટલી ભયાનક હતી કે જો થોડું પણ મોડું થયું હોત તો આજુબાજુના અન્ય કારખાનાઓ પણ તેની લપેટમાં આવી ગયા હોત. એક ઉદ્યોગકાર વર્ષોની મહેનત અને બેંક લોન લઈને પોતાનું એકમ ઊભું કરે છે, પરંતુ આગ જેવી એક ઘટના તેને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કારખાનાઓમાં રાત્રિના સમયે શ્રમિકો સૂતા હોય છે, જો આગ વધુ પ્રસરે તો માલ-સામાનની સાથે નિર્દોષ લોકોના જીવ જવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ ઘટનાને પગલે GIDC ના ઉદ્યોગકારોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોની માગ છે કે GIDC વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અહીં સ્થાનિક સ્તરે જ એક ફાયર સ્ટેશન હોવું અત્યંત અનિવાર્ય છે. હાલમાં ફાયર બ્રિગેડને છેક ગિનાર દરવાજા પાસેથી ટ્રાફિક વચ્ચે આવવું પડે છે, જેમાં કિંમતી સમયનો વેડફાટ થાય છે. જો GIDC માં જ અલાયદું ફાયર સ્ટેશન હોય તો આગની ઘટનામાં ત્વરિત પ્રતિસાદ આપી મોટા નુકસાનને રોકી શકાય છે. ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાની આસપાસ કોલ મળતા જ ટીમ રવાના થઈ ગઈ હતી અને સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી છે. જોકે, ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ફાયર સેફ્ટીના સાધનો અને કાયમી ફાયર સ્ટેશનની માગ ફરી એકવાર પ્રબળ બની છે. ઉદ્યોગકારોએ સરકાર અને GIDC પ્રશાસનને વિનંતી કરી છે કે તેઓ પૂરેપૂરો ટેક્સ ભરે છે, ત્યારે તેમની અને શ્રમિકોની સુરક્ષા માટે આ સુવિધા વહેલી તકે પૂરી પાડવામાં આવે.
LCB પોલીસે 1.39 કરોડનો દારૂ ઝડપ્યો:જામનગર હાઈવે પર ટ્રકમાંથી 29,243 બોટલ જપ્ત
જામનગર LCB પોલીસે આંતરરાજ્ય દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસેથી પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને એક બંધ બોડીના ટ્રકમાંથી ₹1.39 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.59 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCBના PSI એમ.વી. ભાટીયા અને તેમના સ્ટાફના દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, યુવરાજસિંહ ઝાલા અને મયુરસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર 'ભારત બેન્ઝ' કંપનીના ટ્રકની તલાશી લેતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 29,243 બોટલો મળી આવી હતી. આ દારૂની બજાર કિંમત ₹1,39,78,800 આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ચાલક રાજુભાઈ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી (રબારી) (ઉંમર 30, રહે. આદિત્યાણા ગામ, પોરબંદર)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય સૂત્રધારો અને દારૂ ભરી આપનાર અજાણ્યો શખ્સ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આ રેઈડ દરમિયાન પોલીસે ₹1,39,78,800નો દારૂ, ₹20 લાખની કિંમતનો ટ્રક અને ₹5,000નો મોબાઈલ ફોન સહિત કુલ ₹1,59,84,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. એમ.એન. શેખને સોંપવામાં આવી છે. જામનગર LCBની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દારૂનો આટલો મોટો જથ્થો કયા પરપ્રાંત રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને જામનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. ફરાર આરોપીઓની ધરપકડ બાદ આ આંતરરાજ્ય નેટવર્કના વધુ ખુલાસા થવાની શક્યતા છે.
જાફરાબાદના માછીમારોએ સેટેલાઇટ ફોનની રેન્જ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. માછીમારોનો દાવો છે કે 'ઓપરેશન સિંદૂર' બાદ સેટેલાઇટ ફોનની રેન્જ ઘટાડી દેવામાં આવી છે, જેના કારણે તેઓ દરિયામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ગુજરાતના માછીમારોને બોટમાં લાયસન્સ અને BSNL સિમકાર્ડ સાથેના સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા હતા. આ ફોન દ્વારા માછીમારોને દરિયાઈ વાતાવરણની માહિતી મળતી હતી અને તેઓ સમયસર કિનારે પહોંચી શકતા હતા. હાલમાં, અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પરના 10 સેટેલાઇટ ફોન બંધ છે અને તેમની રેન્જ પણ ઘટાડી દેવાઈ છે. 'ઓપરેશન સિંદૂર' પછી અચાનક રેન્જ ઘટાડીને માત્ર 20 નોટિકલ માઈલ સુધી સીમિત કરી દેવામાં આવી છે. માછીમાર આગેવાનોના મતે, વાવાઝોડા કે ખરાબ વાતાવરણ સમયે આ સેટેલાઇટ ફોન અત્યંત મદદરૂપ થાય છે. તાઉતે વાવાઝોડા દરમિયાન, જ્યારે અન્ય કોઈ બોટ સાથે સંપર્ક થઈ શકતો ન હતો, ત્યારે આ 10 સેટેલાઇટ ફોન દ્વારા શિયાળબેટ અને અન્ય બંદરોના માછીમારોનો સંપર્ક કરીને તેમને સુરક્ષિત બચાવી શકાયા હતા. જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, ખરાબ વાતાવરણમાં માછીમારોનો સંપર્ક ન થતાં તેઓ મુશ્કેલીમાં મુકાય છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને સેટેલાઇટ ફોનની રેન્જ પૂર્વવત કરવા વિનંતી કરી છે, જેથી માછીમારોને મોટો ફાયદો થઈ શકે.
જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિ દ્વારા 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. JITO દ્વારા 9 એપ્રિલ, 2026ના રોજ વિશ્વભરમાં આ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ઓશવાળ સેન્ટર ખાતે હજારો જ્ઞાતિજનોએ સમૂહ નવકાર જાપ કરી વિશ્વ કલ્યાણની કામના કરી હતી. આ પ્રસંગે નિર્ધારિત ડ્રેસ કોડ મુજબ, પુરુષો સફેદ વસ્ત્રોમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીથી ઓશવાળ સેન્ટરનું પ્રાંગણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. એકસાથે ગુંજી ઉઠેલા નવકાર મહામંત્રના નાદથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના મુખ્ય સાત સંઘોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. તેમાં દિગ્વિજય પ્લોટ જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, કામદાર કોલોની જૈન સંઘ, મેહુલનગર જૈન સંઘ, ચંપા વિહાર જૈન સંઘ, સાધના કોલોની જૈન સંઘ અને મોહનનગર જૈન સંઘનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે જ્ઞાતિના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, નવકાર મંત્ર એ જૈન ધર્મનું હૃદય છે. જ્યારે હજારો આત્માઓ એકસાથે મળીને આ મહામંત્રનો જાપ કરે છે, ત્યારે તેની સકારાત્મક ઊર્જા વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવવા બદલ તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિની એકતા અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું હતું.
ભરૂચના બંબુસર ગામમાં વીજ કંપનીના દરોડા:વહેલી સવારે કાર્યવાહી, અનેક ઘરોમાં વીજ ચોરી ઝડપાઈ
ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી વીજ ચોરી અટકાવવા માટે હાથ ધરવામાં આવી હતી. વીજ કંપની દ્વારા ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતી વીજ ચોરીને અટકાવવા માટે સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે બંબુસર ગામમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, વીજ કંપનીની લગભગ 10 ગાડીઓનો કાફલો ગામમાં જોવા મળ્યો હતો. ટીમના કર્મચારીઓએ વીડિયોગ્રાફી સાથે ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન અનેક ઘરોમાં વીજ ગેરરીતિઓ અને ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા. આ જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર સ્થિત નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, શિવણ અને કમ્પ્યુટર તાલીમ કેન્દ્રોની ૧૩મી બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલાના પ્રમુખસ્થાને યોજાયો હતો, જેમાં મોહનભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કર્યું હતું. વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે કાર્યરત આ ટ્રસ્ટના કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે ડો. રૂદ્રસિંહ ઝાલા, ડો. મનોજ રાવલ, બદ્રી ભટ્ટ અને પ્રશાંતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સ્થાપક રાજેશ રાવલે કર્યું હતું, જ્યારે આનંદ રાવલ અને નિર્ધાર ટીમના બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. વેરાવળ નજીકના ડાભોર ગામે ગઈ રાત્રે બે જુથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. જૂના મનદુઃખ અને અણબનાવને કારણે શરૂઆતમાં થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હિંસક રૂપ ધારણ કરી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ડાભોર ગામમાં રહેતા બે જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો ફરી ભડક્યા હતા. ગઈ કાલે રાત્રે સામાન્ય બોલાચાલી દરમિયાન વાત એટલી વકરી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ. ઘટનામાં પથ્થરો અને છુટા હાથે મારામારી સર્જાઈ છે. આ અથડામણમાં મહિલા સહિત કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોમાં 52 વર્ષીય વાલીબેન વાજા, રવિ ભીમા વાજા, ભુપત ધાના ચારિયા, જગદીશ ડાયા ખુટડ અને ભરત ભાણા ચારિયાનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને પક્ષોના લોકોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભય અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. આ ઘટનાએ ફરી એકવાર ગામડાઓમાં નાના મનદુઃખ કેવી રીતે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવો સવાલ ઉભો કર્યો છે. પોલીસ હવે આ મામલે કડક પગલાં ભરે છે કે નહીં તે પર સૌની નજર ટકેલી છે.
9 એપ્રિલએ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરતમાંથી ભક્તિ અને આસ્થાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં રહેતા 64 વર્ષીય શોભાબેન શાહ લાંબા સમયથી જૈન ધર્મના આદિ મંત્ર એવા નવકાર મંત્રની સાધના કરી રહ્યા છે. શોભાબેને પોતાની ભક્તિને એક નવું જ સ્વરૂપ આપતા અત્યાર સુધીમાં 75,000થી વધુ વખત નવકાર મંત્ર લખવાની અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આટલી મોટી સંખ્યામાં મંત્ર લખવા પાછળ તેમનો ઉદ્દેશ્ય માત્ર ધર્મ જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને પોઝિટિવિટી મેળવવાનો રહ્યો છે. તેમણે માત્ર ગુજરાતી કે હિન્દી જ નહીં, પરંતુ વિશ્વની 90 જેટલી અલગ-અલગ ભાષાઓમાં આ મંત્ર લખીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. નવકાર મંત્રના પ્રભાવથી નકારાત્મકતા દૂર થઈશોભાબેન શાહ જણાવે છે કે, જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે નવકાર મંત્રનો સહારો લેવાથી મોટો ફાયદો થાય છે. 64 વર્ષની ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ કોઈ યુવાન જેવી જ છે. તેઓ માને છે કે આ મંત્ર લખવાના પ્રારંભ પછી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ તેઓ જે આર્ત્ય ધ્યાનમાં (દુઃખ અને ચિંતામાં) રહેતા હતા, ત્યાંથી હવે તેઓ ધર્મ ધ્યાન તરફ વળ્યા છે. શોભાબેનના જણાવ્યા મુજબ, નવકાર મંત્રના સતત લેખનથી તેમના મનમાંથી નેગેટિવિટી દૂર થઈ છે અને હવે તેમનું મન એકદમ શાંત રહે છે. ગુરુદેવ દ્વારા મળેલા પુસ્તકોએ તેમને આ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 4 કલાક લેખન કાર્યશોભાબેનની આ સિદ્ધિ પાછળ તેમનું કઠોર શિસ્ત જવાબદાર છે. તેઓ દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે 3:00થી 7:00 વાગ્યા સુધી એકાગ્રતા સાથે નવકાર મંત્ર લખવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 55 જેટલા પુસ્તકો આ મંત્રથી ભરી દીધા છે. શોભાબેન કહે છે કે, સવારનો સમય શાંત હોય છે અને તે સમયે કરેલી સાધના સીધી આત્માને સ્પર્શે છે. શરૂઆતમાં તેમણે એક પછી એક પુસ્તકો લખવાનું શરૂ કર્યું અને જેમ જેમ અનુભૂતિ સારી થતી ગઈ તેમ તેમ તેમણે મંત્ર લેખનની સંખ્યા અને રીત બદલવાનું નક્કી કર્યું. બ્રાહ્મી લિપિથી લઈને અરેબિક સુધી 90 ભાષામાં મંત્ર લેખન શોભાબેનની વિશેષતા એ છે કે, તેમણે નવકાર મંત્રને માત્ર પોતાની માતૃભાષામાં જ સીમિત રાખ્યો નથી. ભગવાન આદેશ્વરે જે બ્રાહ્મી લિપિ બતાવી હતી, તે લિપિ શીખવા માટે તેમણે મોબાઈલનો સહારો લીધો અને તેમાં પણ મંત્ર લખ્યા. આજે તેઓ ફ્રેન્ચ, ઉર્દુ, જર્મન, અરેબિક, થાઈ, તેલુગુ અને મૈથિલી જેવી કુલ 90 ભાષામાં નવકાર મંત્ર લખી શકે છે. આ સિવાય પ્રાકૃત અને દેવનાગરી લિપિમાં પણ તેમણે અનેક પુસ્તકો તૈયાર કર્યા છે. એક આખું પુસ્તક પૂર્ણ કરતા તેમને આશરે એક મહિના જેટલો સમય લાગે છે. કળા અને ભક્તિનો સંગમ: આકૃતિઓમાં નવકારશોભાબેને નવકાર મંત્રને માત્ર લાઈનોમાં નથી લખ્યા, પરંતુ તેને વિવિધ કલાત્મક આકૃતિઓમાં કંડાર્યા છે. તેમણે 550 વર્ષ જૂની હસ્તપ્રતોની પ્રતિકૃતિ, જૈન શાસન ધ્વજ, અષ્ટ મંગલ, કમળ, પતંગિયા અને હૃદય કમળ જેવી સુંદર આકૃતિઓની વચ્ચે અક્ષરો ગોઠવીને નવકાર મંત્ર લખ્યો છે. આ ઉપરાંત, જૈન ધર્મના 24 તીર્થંકરોના લાંછન અને 14 સ્વપ્નોમાં પણ તેમણે મંત્રને એવી રીતે ગોઠવ્યો છે કે તે એક કલાત્મક ચિત્ર જેવું દેખાય. આ ક્રિએટિવિટી પાછળ તેમનો ઉદ્દેશ્ય નવી પેઢીને ધર્મ તરફ આકર્ષવાનો પણ છે. ધાર્મિક કથાઓમાંથી મળી પ્રેરણાનવકાર મંત્રની શક્તિ વિશે વાત કરતા શોભાબેન કહે છે કે, ઈતિહાસમાં અનેક દાખલા છે જ્યાં નવકારના પ્રભાવથી ચમત્કારો થયા છે. જેમ કે સુદર્શન શેઠ માટે શૂળીનું સિંહાસન થઈ જવું, અમર કુમારની બળતી જ્વાળાઓ શાંત થવી કે શ્રીપાલ-મૈના સુંદરીને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થવી. આ બધી કથાઓએ તેમને પ્રેરણા આપી કે જો શ્રદ્ધાપૂર્વક મંત્ર લખવામાં આવે તો આજના સમયમાં પણ માનસિક શાંતિ જેવી સૌથી મોટી સંપત્તિ મેળવી શકાય છે. 64 વર્ષની વયે પણ તેમની આ આસ્થા અડગ છે. હવે ChatGPT દ્વારા નવી ભાષાઓ શીખશેશોભાબેન સમયની સાથે ચાલનારા સાધક છે. અત્યાર સુધી 75,000 નવકાર મંત્ર લખ્યા પછી હવે તેમનું લક્ષ્ય મોટું છે. તેઓ જણાવે છે કે હવે તેઓ ChatGPT અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી નવી ભાષાઓ શોધી રહ્યા છે. વિશ્વમાં અંદાજે 150 જેટલી મુખ્ય ભાષાઓ છે અને શોભાબેનની ઈચ્છા છે કે તેઓ બાકી રહેલી તમામ ભાષાઓમાં પણ નવકાર મંત્ર લખે. જેમ-જેમ નવી ભાષાઓ વિશે માહિતી મળશે તેમ તેમ તેઓ તેને શીખીને પોતાની લેખન સાધનામાં ઉમેરતા જશે. 75,000 મંત્રનો આંકડો કેવી રીતે પૂર્ણ થયો?શોભાબેને આપેલી વિગતો મુજબ, તેમણે પહેલા તબક્કામાં 50,000 નવકાર મંત્ર લખ્યા હતા. ત્યારબાદ બીજા તબક્કામાં તેમણે વધુ 25,000 મંત્ર પૂર્ણ કર્યા છે. આમ કુલ મળીને 75,000 વખત નવકાર મંત્ર લખીને તેમણે એક ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે. આ લેખન માટે તેઓ ખાસ પેન અને શાહીનો ઉપયોગ કરે છે, જેથી વર્ષો સુધી આ પુસ્તકો સચવાઈ રહે. આ પુસ્તકો માત્ર કાગળના થોથા નથી, પરંતુ શોભાબેનની વર્ષોની મહેનત અને ભક્તિનું પરિણામ છે. આવનારી પેઢી માટે સંદેશઆજના ભાગદોડ ભર્યા જીવનમાં જ્યારે લોકો માનસિક તણાવનો શિકાર બની રહ્યા છે, ત્યારે સુરતના આ 64 વર્ષીય શોભાબેન શાહ એક ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ કહે છે કે ધર્મ એ માત્ર મંદિરે જવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેને તમારા જીવનમાં અને તમારી ક્રિએટિવિટીમાં ઉતારવો જોઈએ. નવકાર મંત્રના અક્ષરે-અક્ષરમાં જે શક્તિ છે તે અનુભવવાની વસ્તુ છે. શોભાબેનની આ મંત્ર સાધના આજે સુરત જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ માટે ગૌરવનો વિષય બની છે.
ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો વધી રહ્યો છે પરંતુ શહેરના મોતીતળાવ અને કુંભારવાડા વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, વડવા-બ વોર્ડ 3 ના રહીશો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા આ વિસ્તારના લોકો હવે તંત્ર અને નેતાઓ સામે મેદાને પડ્યા છે, મત માટે નેતાઓ દોડી આવે છે, ચૂંટણી જાય પછી ગાયબ થઈ જાય છે. શહેરના મોતી તળાવ શેરી નંબર 1 અને આસપાસના વિસ્તારોમાં ગટરની સમસ્યા એટલી હદે વકરી છે કે સવારના સમયે રસ્તાઓ પર અડધો થી પોણો ફૂટ પાણી ભરાઈ જાય છે, સ્થાનિક રહીશ રજ્જાકભાઈ પઠાણ જણાવે છે કે, સવારે ઘરેથી બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે છે. ગલીઓમાં એટલું પાણી હોય છે કે ચાલી પણ શકાતું નથી. આવી જ વ્યથા ઠાલવતા યુસુફભાઈ ચૌહાણ કહે છે કે, નાના બાળકોને સ્કૂલે મોકલવામાં ભારે મુશ્કેલી પડે છે, કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ તો 8-8 દિવસ સુધી કોઈ આવતું નથી અને માત્ર 'વારા' મુજબ આવવાના બહાના બતાવવામાં આવે છે. સ્થાનિક યુવાન જાદવ ઈમ્તિયાઝ એ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર વખતે તમામ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પગે લાગવા આવે છે, બ્લોક નાખવાના અને સુવિધા આપવાના વાયદા કરે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું પણ નથી. આ વિસ્તારના લોકોમાં એ વાતનો પસ્તાવો છે કે શરતો મૂકવા છતાં નેતાઓ કામ પૂરું કરતા નથી. એક મહિલા રહીશે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પ્રસંગ હોવા છતાં ગટર સાફ કરવા કોઈ ન આવ્યું, મારા પતિને પેરાલિસિસ છે, ગંદકી અને ગારામાં તે ચાલી શકતા નથી અને પડી જાય છે અમે ગરીબ માણસો ક્યાં જઈએ? બીજી તરફ, જાયદાબેન સૈયદ નામના મહિલાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા ઘર તોડી નાખવામાં આવ્યા છે, અમે 4000 રૂપિયા ભાડું ભરીને રહીએ છીએ. ન લાઈટ છે ન મીટર. આવી સ્થિતિમાં અમે કોઈને મત આપવાના નથી.મુખ્ય સમસ્યાઓ જેનો ઉકેલ નથી આવ્યો જેવી કે, ગટર ઉભરાવી, પાણીની સુવિધા અનિયમિત,રસ્તાની હાલત બદતર, તેમજ વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા માત્ર કામચલાઉ ઉકેલ કરે છે,ભાવનગરના આ પછાત ગણાતા વિસ્તારોમાં હવે લોકોમાં 'નો વોટ' નો મિજાજ પણ જોવા મળી રહ્યો છે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ચૂંટણી સમયે નેતાઓ માટે પ્રચાર કરવો મુશ્કેલ બની શકે છે.
જામનગરના આંગણે બોલીવુડના માંધાતાઓની માયાનગરી જાણે સજીવન થઈ છે. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે એરપોર્ટ પર ઉતરેલા ગ્લેમર જગતના સિતારાઓનો કાફલો લક્ઝરી ગાડીઓના રસાલા સાથે વનતારાના સાનિધ્યમાં રવાના થયો હતો, જેનાથી આખું શહેર ઝાકઝમાળથી ભરાઈ ગયું છે. જામનગરના આકાશમાં ગ્લેમરની રોશનીફિલ્મી ફલક પર રાજ કરતા સિતારાઓના આગમનથી જામનગરના આકાશમાં ગ્લેમરની રોશની ફેલાઈ છે. ગત 07 એપ્રિલે વિશ્વવિખ્યાત સંગીત સમ્રાટ એ.આર. રહેમાને જામનગરની ધરા પર કદમ મૂક્યા હતા, જ્યારે 08 એપ્રિલની બપોરે બોની કપૂર, રણવીરસિંહ અને ઓરીના આગમનથી એરપોર્ટ પર ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. કિંગખાન ફેમિલીનું રાજવી અંદાજમાં આગમનત્યારબાદ, બોલીવુડના 'કિંગ ખાન' શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી અને પુત્ર અબ્રામ સાથે રાજવી અંદાજમાં જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીંથી આ સેલિબ્રિટી પરિવાર સીધો મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન અને કુદરતના ખોળે વસેલા વનતારાના મહેમાન બન્યા હતા. 10 એપ્રિલેઅનંત અંબાણીનો જન્મદિવસઆ દિગ્ગજોના આગમન પાછળનું નિમિત્ત રિલાયન્સ પરિવારના લાડકવાયા અનંત અંબાણીના આગામી જન્મદિવસની ભવ્ય ઉજવણી છે. આગામી ગુરુવાર, 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય, તેના ઉત્સાહપૂર્વકના આયોજન માટે તૈયારીઓ તેજ બની છે. લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરોઆ જશ્નના ભાગરૂપે 09 એપ્રિલના રોજ મોટી ખાવડી પાસે આવેલા જોગવડ ગામમાં લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંચ પરથી સાઈરામ દવે અને રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો લોકસાહિત્યની રમઝટ બોલાવશે, જેમાં અંબાણી પરિવારના સભ્યોની હાજરી આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે. જામનગર જાણે સેલિબ્રિટીઓનો મેળોઅનંત અંબાણીના જન્મોત્સવને વધાવવા જામનગર જાણે સેલિબ્રિટીઓના મેળામાં ફેરવાઈ ગયું છે. દેશના મનોરંજન અને સિનેમા જગતના સ્ટાર્સ આ વિશેષ પળના સાક્ષી બનવા માટે સતત જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલીવુડના ભાઈજાનનું સાથે આગમનજામનગર એરપોર્ટ પર 08 એપ્રિલના રોજ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સહિત અર્પિતા ખાન, આયુષ શર્મા, રિતેશ દેશમુખ અને જિનેલિયા ડીસોઝા જેવા સ્ટાર્સની એક ઝલક મેળવવા ચાહકોની મેદની ઉમટી પડી હતી. ચુસ્ત પોલીસ સુરક્ષા કવચએરપોર્ટ પર ઉતરાણ બાદ આ તમામ હસ્તીઓને ચુસ્ત પોલીસ સુરક્ષા કવચ હેઠળ લક્ઝરી કારના લાંબા કાફલા સાથે વનતારા તરફ રવાના કરવામાં આવ્યા હતા, જ્યાં આ ભવ્ય જન્મદિવસની ઉજવણીના રંગારંગ કાર્યક્રમો યોજાવાના છે. શહેરના માર્ગો પર ભારે ચહલપહલ અને ઉત્સાહસેલિબ્રિટીઓના આ સતત આગમનને પગલે એરપોર્ટથી લઈને શહેરના માર્ગો પર ભારે ચહલપહલ અને ઉત્સાહનો માહોલ છે. કાર્યક્રમની ગરિમા અને મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન અને ખાનગી સુરક્ષા એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
પાળીયાદ મહાજન પાંજરાપોળને બોટાદના શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ (ગાયત્રી નગર) તરફથી 500 મણ લીલી જુવારનું દાન મળ્યું છે. આ જુવાર બે ટ્રેક્ટર ભરીને અબોલ પશુઓના ભોજન માટે પાંજરાપોળને સુપરત કરવામાં આવી હતી. આ દાનનો મુખ્ય હેતુ પાંજરાપોળમાં આશ્રય પામેલા અબોલ પશુઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે. બોટાદ સ્થિત આ મંડળ દ્વારા પાળીયાદ પાંજરાપોળમાં નિયમિતપણે સહયોગ આપવામાં આવે છે. પાળીયાદ પાંજરાપોળ સંસ્થાએ શ્રી કષ્ટભંજન રામધૂન મંડળના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે 24 કલાકમાં જ નેતાજીનો ભ્રમ તૂટી ગયો છે અને કોંગ્રેસમાં આંટો મારીને પાછા ભાજપમાં આવી ગયા છે. કોંગ્રેસમાં જોડાતી વખતે કિરણસિંહએ કહ્યું હતું કે, મતદારો ભાજપથી ચેતજો. હિન્દુ-મુસ્લિમ કરીને લોકોને લડાવવાનું કામ કરે છે, પછી ભાજપમાં જોડાવાની જાહેરાત કરીને કહ્યું કે, ભાજપમાંથી રાજીનામું આપવું એ મારી મોટી ભૂલ હતી. ભાજપ હંમેશા 'વિકાસલક્ષી' રહ્યો છે. ‘કોંગ્રેસના વાયદાની વાતોમાં આવીને ઉતાવળે રાજીનામું આપ્યું’વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના સભ્ય કિરણસિંહ રાઠોડ ભાજપમાં પરત ફરતી વખતે જણાવ્યું છે કે, મેં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માંથી જે રાજીનામું આપ્યું હતું, તે મારી એક મોટી ભૂલ હતી. કોંગ્રેસે મને ઘણા વાયદાઓ કર્યા હતા, પરંતુ હવે મને સમજાયું છે કે કોંગ્રેસ માત્ર વાયદાઓ કરે છે, તેને ક્યારેય પૂર્ણ કરતી નથી. આ વાયદાઓની વાતોમાં આવીને મેં ઉતાવળે રાજીનામું આપ્યું હતું, જેનો મને હવે પસ્તાવો છે. ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે. ભાજપ હંમેશા 'વિકાસલક્ષી' રહ્યો છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે. ‘મને મારી ભૂલનો અહેસાસ થયો’તેઓએ કહ્યું કે, ભાજપ જે રીતે નાનામાં નાના કાર્યકર્તાની ચિંતા કરે છે, તે જોઈને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. હું છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છું. હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું અને રહીશ. હું ફરીથી પક્ષ પ્રત્યે મારી વફાદારી વ્યક્ત કરું છું અને ભાજપના વિકાસના મિશનમાં જોડાવા માંગુ છું. કોંગ્રેસમાં જોડાતી વખતે શું કહ્યું?જિલ્લા પંચાયતની સોખડા બેઠકના સભ્ય કિરણસિંહે કોંગ્રેસમાં જોડાતી વખતે જણાવ્યું હતું કે, ભાજપનું જે સૂત્ર હતું, ભરોસાની ભાજપ, એ હકીકતમાં ભરોસા જેવું કંઈ છે જ નહીં. મેં ભરોસો રાખીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો કે મારા સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થશે, પરંતુ વિકાસના નામે આ ભાજપ સાવ શૂન્ય છે. મેં અંદર જઈને સિસ્ટમ જોઈ, ત્યાં માત્ર 'શો-બાજી'જ ચાલે છે. હું અગાઉ 2008થી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. મેં હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અનેક આંદોલનો કર્યા હતા. ‘ભાજપને રામ-રામ કરી મારા ઘરે(કોંગ્રેસ) પાછો આવ્યો’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં સ્થિતિ એવી છે કે કોઈ સમસ્યા હોય તો નેતાઓ ગ્રાઉન્ડ પર આવવાને બદલે એસી કેબિનોમાં બેસી રહે છે. અમે સતત જી.ઈ.બી.ના અધિકારીઓને વિનંતી કરીને અમારા વિસ્તારના કામો કરાવ્યા છે. આ નિષ્ફળ ભાજપ સરકારથી કંટાળીને આજે હું 'રામ-રામ' કરી મારા ઘરે (કોંગ્રેસમાં) પાછો આવ્યો છું. કોંગ્રેસ જ મારું સાચું ઘર છે. ‘ભાજપના નેતા ચૂલા ચાલુ કરવાની સલાહ આપે છે’તેઓએ કહ્યું હતું કે, તમે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ. કોરોના જેવી મહામારીમાં જ્યારે ઓક્સિજનના બાટલા ખૂટી ગયા હતા, આજે સામાન્ય માણસ માટે રાંધણ ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે. લોકો મને ફોન કરીને કહે છે કે, કિરણભાઈ કંઈક કરો. ભાજપના નેતાઓ ઉલટાની સલાહ આપે છે કે ચૂલા પાછા ચાલુ કરી દો. કાલે જ તેમણે સ્થાપના દિવસની ઉજવણી કરી, પણ ખરેખર તો તેમણે લોકોને ગેસ સિલિન્ડર સસ્તા મળે તેવો કાર્યક્રમ કરવો જોઈતો હતો. ‘વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ કોંગ્રેસનું જ બનશે’તેઓએ કહ્યું હતું કે, મને પૂરી ખાતરી છે કે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ કોંગ્રેસનું જ બનશે. મારા સોખડા જિલ્લા પંચાયતના 35,000 મતદારોએ મને અગાઉ 3 હજાર મતોની લીડથી જીતાડ્યો હતો, મને વિશ્વાસ છે કે આ વખતે એ જીત 6 હજાર મતોની લીડમાં બદલાશે. અમે લોકોના કામો માટે લડીને પણ કામ કરાવીશું. ‘હું મારા સિનિયર આગેવાનો સાથે મળીને કોંગ્રેસનો ઝંડો લહેરાવીશ’તેઓએ કહ્યું કે, હું મતદારોને વિનંતી કરું છું કે આ ભાજપથી ચેતીને રહેજો. તેઓ માત્ર જ્ઞાતિ-જાતિ અને હિન્દુ-મુસ્લિમ કરીને લોકોને લડાવવાનું કામ કરે છે. ભાજપમાં બેઠેલા લોકો પણ અંદરખાને કંટાળી ગયા છે. મને પણ ઘણા લોકો કહેતા હતા કે તમે જ્યાં હતા ત્યાં જ બરાબર હતા, અને આજે મને સમજાયું છે કે એ લોકો સાચા હતા. હવે હું મારા સિનિયર આગેવાનો અને મિત્રો સાથે મળીને કોંગ્રેસનો ઝંડો લહેરાવીશ. ‘3 વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા’ઉલ્લેખનીય છે કે, સોખડા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને ભાજપમાં લઈ આવ્યા હતા. ત્યારે હવે જ્યારે પાછી ચૂંટણીઓ આવી છે ત્યારે તેઓએ વધુ એક વખત પક્ષ બદલવાનું મન બનાવી લીધું છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને 24 કલાકમાં જ તેઓ કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં આવી ગયા છે.
ભાવનગર શહેરમાં બેંક ખાતા ભાડે રાખી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન દ્વારા સાયબર ફ્રોડ આચરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે. સંગઠિત ગુનાખોરી આચરતી આ ગેંગના 9 સાગરીતોને પોલીસે રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરતા, અદાલતે વધુ 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘટનાની વિગતભાવનગરમાં દશરથ રામજીભાઈ ધાંધલ્યા નામના શખસે એક સંગઠિત ટોળકી રચી હતી. આ ગેંગે શહેરના જુદા-જુદા 134 વ્યક્તિના બેંક ખાતા ભાડેથી અથવા કમિશન આપીને મેળવ્યા હતા. આ ખાતાઓમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા અંદાજે ₹21,37,22,197 (21.37 કરોડ)થી વધુની રકમના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. આ નાણાં ચેક કે એટીએમ (ATM) મારફતે ઉપાડીને સગેવગે કરી નાખવામાં આવતા બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ગુજસીટોકનો ઉમેરો અને કાયદેસરની કાર્યવાહીતપાસ દરમિયાન આ એક સંગઠિત આર્થિક ગુનો હોવાનું બહાર આવતા, પોલીસે સામાન્ય ફરિયાદમાં 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ' (GCTOC)ની કલમોનો ઉમેરો કર્યો હતો. બોરતળાવ પોલીસ મથકના પીઆઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 317(2), 317(4), 61(2) અને GCTOC એક્ટ 2015ની કલમ 3(1), 3(2), 3(4), 3(5) મુજબ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા આરોપીઓના નામ કોર્ટ કાર્યવાહીપોલીસે અગાઉ મેળવેલા બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગતરોજ તમામ 9 આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વધુ તપાસ માટે 18 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 12 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સૂત્રધારની શોધખોળ કરવા તજવીજ હાથ ધરશે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નશાની હાલતમાં કાર હંકારીને એક મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી હતી અને કાર ઘરમાં ઘૂસી ગઈ હતી. ઘટનાને પગલે જે પી રોડ પોલીસ ઘટના દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝન વહેલી સવારે ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે. મળતી માહિતી મુજબ, જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન નાજાભાઈએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 112 જનરક્ષક ટીમમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા.આ દરમિયાન ઇવેન્ટ નંબર તેમની ટીમ અકોટા પ્રોડક્ટિવિટી રોડ સ્થિત અક્ષરધામ સોસાયટી ખાતે પહોંચી હતી. ત્યાં તપાસ કરતા મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર સોસાયટીના મકાન નં. A-11ની દીવાલ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. કારના સ્ટીયરિંગ પર બેઠેલા વ્યક્તિને નીચે ઉતારી પૂછપરછ કરતાં તેના મોઢામાંથી દારૂ જેવી વાસ આવતી હતી. સંદિગ્ધ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પંચોના હાજરમાં બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સચીન રાજેન્દ્રભાઈ કશ્યપ (ઉંમર 25, રહેવાસી વાસણા ભાયલી રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની કાર કબજે કરી છે અને પ્રોહિબિશનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, આ અક્ષરધામ સોસાયટી છે, જે અકોટા ગાર્ડન પાસે આવેલી છે. આજે સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કુદાવીને આ બાજુ આવી ગયો હતો. બધાનું કહેવું એવું છે કે તે પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું. પોલીસ તે એક શખ્સને પકડી ગઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘરની આખી દીવાલ તૂટી ગઈ છે. દીવાલ તો ફરી બની જશે, પણ કોઈ જાનહાનિ નથી થઈ તે મોટી વાત છે. સવારના સમયે આ રોડ પર ચાલવા નીકળતા લોકોની ભીડ બહુ હોય છે. ચાલનારા લોકોના જણાવ્યા મુજબ 5-6 જણા તો માંડ બચ્યા છે.
વાપી રેલવે સ્ટેશન પર RPFની કાર્યવાહી:'ઓપરેશન યાત્રી સુરક્ષા' હેઠળ બે મોબાઈલ ચોર પકડાયા
વાપી રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત વાપી રેલવે સ્ટેશન પરથી મોબાઈલ ચોરી કરતા બે શખ્સોને અલગ-અલગ ઘટનાઓમાં ઝડપી પાડવામાં આવ્યા છે. RPFની CPDS ટીમે ગુપ્ત દેખરેખ અને ત્વરિત કાર્યવાહી દ્વારા મુસાફરોના ચોરાયેલા મોબાઈલ પરત અપાવ્યા હતા. પ્રથમ ઘટના 5 એપ્રિલના રોજ વાપી સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બની હતી. CPDS સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એક શખ્સ ઊંઘી રહેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ભાગતો જોવા મળ્યો હતો. સતર્ક સ્ટાફે તેને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખ્સનું નામ અમિત કુશવાહ (રહે. દમણ) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી ₹8,000ની કિંમતનો POCO 5G મોબાઈલ મળી આવ્યો હતો. મુસાફર ધર્મેન્દ્ર થપાઈ (રહે. કચીગામ, દમણ) એ પોતાના ફોનની ઓળખ કરી હતી. આ મામલે GRP વાપીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી એક ઘટનામાં, 8 એપ્રિલના રોજ સ્ટેશનના પૂર્વ મુખ્ય દ્વાર પાસે ટિકિટ બુકિંગ ઓફિસ નજીકથી રાજેશ લોંડે (રહે. ગીતાનગર, વાપી) નામના શખ્સને રંગેહાથ પકડવામાં આવ્યો હતો. તે ઊંઘતા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી રહ્યો હતો. તેની પાસેથી ₹10,000ની કિંમતનો VIVO Y19S 5G ફોન રિકવર કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં RPF દ્વારા આરોપીઓ અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે GRP (રેલવે પોલીસ) વાપીને સોંપવામાં આવ્યા છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) મુજબ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ સંદીપ બાગુલ, કોન્સ્ટેબલ સંજુ રાજપૂત, નિશિગંધા, રાજેશ કુમાર, અનિત મીના અને ભગીરથ સહિતના જવાનો જોડાયા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે, જેમાં હોસ્પિટલ કેમ્પસમાં કચરો અને માલ-સામાનની હેરફેર માટેના વાહનોના ટેન્ડરિંગમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કચેરીના આદેશ અનુસાર, ગત 15 જાન્યુઆરી, 2025ના રોજ 'આશા ટ્રેડિંગ કંપની'નો જૂનો કરાર પૂરો કરી, 16 જાન્યુઆરી, 2025 થી 'રતન સેલ્સ' નામની એજન્સીને વાહનો પુરા પાડવાનો નવો ઓર્ડર આપવામાં આવ્યો છે. જોકે, આ નવા ઓર્ડર સામે ગંભીર સવાલો ઉભા થયા છે, કારણ કે આ એજન્સીને કોઈપણ જાહેર ખબર કે પેપરમાં એડવર્ટાઈઝ આપ્યા વગર સીધું જ કામ સોંપી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવા કરાર મુજબ, રતન સેલ્સને 12 કલાકની કામગીરી માટે માસિક રૂ. 75,000 + GST ચૂકવવાનું નક્કી થયું છે. જ્યારે જૂના ટેન્ડરમાં 24 કલાકની સેવા માટે માત્ર 11,000 રૂપિયા જેવો નજીવો ભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાહન સિવિલના જ કર્મીના નામે રજિસ્ટર્ડઆ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, રતન સેલ્સ નામની કંપની પાસે વાહન હાયરિંગ કે ટ્રાન્સપોર્ટ સર્વિસનો કોઈ અગાઉનો અનુભવ નથી. આ કંપની મૂળભૂત રીતે ટોયલેટ રોલ, નેપકીન અને હોઝિયરી જેવી વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલી છે. વધુમાં, એવો પણ આક્ષેપ છે કે જે વાહન (GJ 24 X 4969) ઉપયોગમાં લેવાય છે, તે સિવિલના જ વહીવટી વિભાગના એક કર્મચારીના ભાઈના નામે રજિસ્ટર્ડ છે. કંપનીના બિલમાં દર્શાવેલું અમદાવાદનું સરનામું પણ શંકા કરાવે તેવું છે, કારણ કે તેનું સત્તાવાર GST રજિસ્ટ્રેશન પુણે, મહારાષ્ટ્રનું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી સુધી ફરિયાદઆ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર હોવાની શક્યતા જણાતા હવે આ બાબતની લેખિત રજૂઆત આરોગ્ય મંત્રી સુધી પહોંચાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, આ અંગે દિવ્ય ભાસ્કરે હેડ ક્લાર્ક કીર્તિ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
આણંદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યાત્રાનું આયોજન:મહાઆરતી અને બ્રહ્મભોજન સાથે ઉજવાશે જન્મોત્સવ
ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આણંદમાં બ્રહ્મ શક્તિ સેના દ્વારા પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આગામી ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ યોજાશે. શહેરના તમામ સનાતની ભક્તોને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યાત્રાનું પ્રસ્થાન સાંજે ૦૪:૩૦ વાગ્યે બાજખેડાવાળાની વાડી ખાતેથી થશે. આ યાત્રા શહેરના નિર્ધારિત રૂટ પર ભક્તિમય માહોલમાં ફરીને વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર પાસે સંપન્ન થશે. યાત્રાના સમાપન સ્થળે પરશુરામ દાદાની મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક કાર્યક્રમ બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે સમૂહમાં બ્રહ્મભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રહ્મ શક્તિ સેના ગુજરાતના પ્રદેશ મહિલા મંત્રી દિક્ષિતાબેન દવેએ જણાવ્યું હતું કે, આ યાત્રા સમાજની એકતા અને ભક્તિનું પ્રતીક છે. તેમણે મહાઆરતી અને પ્રસાદનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં જનમેદનીને ઉમટી પડવા અનુરોધ કર્યો હતો.
બોટાદની અવની ચાવડા BCCI કેમ્પ માટે પસંદ:અંડર-19 NCA કેમ્પમાં ભાગ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર
બોટાદની અવની સુરેશભાઈ ચાવડાની BCCI દ્વારા આયોજિત અંડર-19 NCA કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. તે બોટાદ જિલ્લામાંથી આ કેમ્પ માટે પસંદ થનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. અવની ચાવડાની પસંદગી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-19 ઇન્ડિયા મહિલા ક્રિકેટ NCA કેમ્પમાં ભાગ લેવા માટે કરવામાં આવી છે. તે બોટાદની સમરસ એકેડેમી ખાતે કોચ કિરણ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે અને શ્રી મન મંદિર સ્કૂલ, બોટાદમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. માત્ર 16 વર્ષની નાની વયે, અવની ચાવડાએ અગાઉ SGFI ગુજરાત મહિલા U-17 ટીમ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની U-15, U-17, U-19, U-23 અને સીનિયર ક્રિકેટ ટીમોમાં પણ સ્થાન મેળવ્યું છે. અવની ચાવડા આગામી 27 એપ્રિલના રોજ બેંગલોરમાં યોજાનાર કેમ્પમાં જોડાશે. ત્યાં તેને ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ કોચિંગ આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ તેના પરિવાર અને બોટાદ જિલ્લામાં ખુશીનો માહોલ છે.
બોટાદમાં જૈન સમાજની બેઠક યોજાઈ:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી પર ચર્ચા
બોટાદમાં સમસ્ત જૈન સંઘના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક 8 એપ્રિલ, 2026ના રોજ બુધવારે દિગંબર સ્વાધ્યાય મંદિર ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી સંદર્ભે બોલાવવામાં આવી હતી. બેઠકમાં જૈન સમાજના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને, આગામી ચૂંટણીમાં કયા ઉમેદવારોએ દાવેદારી નોંધાવવી અને રાજકીય પક્ષો દ્વારા કોને ટિકિટ ફાળવવામાં આવશે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. જૈન સમાજના અગ્રણીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આગામી સમયમાં જૈન સમાજના આગેવાનોને ટિકિટ ફાળવવામાં નહીં આવે, તો નગરપાલિકાની ચૂંટણીમાં 'નવાજૂની' થવાની શક્યતાઓ છે. આ અંગે સમાજમાં ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં મોબાઈલ વેપારીઓ માટે રજિસ્ટર ફરજિયાત:ચોરીના મોબાઈલ અને ગુના રોકવા જાહેરનામું
સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા હેઠળ, જિલ્લાના તમામ નવા-જૂના મોબાઈલ ફોન વેચનારા, રિપેર કરનારા અને સોફ્ટવેરનું કામ કરતા વેપારીઓ માટે રજિસ્ટર નિભાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલું ગુનાઓમાં વપરાતા મોબાઈલ ફોન અને ચોરીના બનાવોમાં ગુનેગારો સુધી ઝડપથી પહોંચવામાં પોલીસને મદદ કરશે. સામાન્ય રીતે, ગુનાઓમાં વપરાયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોનના IMEI નંબર ટ્રેક કરીને પોલીસ તપાસ કરે છે. જોકે, ઘણીવાર અજાણ્યા વ્યક્તિઓ ઓળખ આપ્યા વગર રસ્તા પરના ફેરિયાઓ કે દુકાનદારોને મોબાઈલ વેચી દેતા હોય છે, જેના કારણે મૂળ ગુનેગાર સુધી પહોંચવામાં પોલીસને મુશ્કેલી પડે છે. આ સમસ્યાને નિવારવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, વેપારીઓએ મોબાઈલ ફોન વેચનાર, ખરીદનાર કે રિપેર કરાવવા આવનાર ગ્રાહકનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોનનો મોડેલ નંબર અને IMEI નંબર જેવી તમામ વિગતો રજિસ્ટરમાં નોંધવી પડશે. આ ઉપરાંત, ગ્રાહક પાસેથી ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે અન્ય માન્ય ઓળખ પુરાવાની નકલ મેળવી તેની અલગ ફાઈલ બનાવવી પડશે અને ગ્રાહકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ લેવાનો રહેશે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વેપારી કે વ્યક્તિ આ આદેશોનું ઉલ્લંઘન કરશે અથવા તેમાં મદદગારી કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ અને શિક્ષા કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીનો જંગ 26 એપ્રિલે ખેલાવાનો છે, ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 3ની સ્થિતિ 'દીવા તળે અંધારું' જેવી જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. છીંડીયા દરવાજાથી લઈને પારેવા સર્કલ સુધીની ગંદકી અને સુરક્ષાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જન્માવ્યો છે. મુખ્ય સમસ્યાઓ: જેણે લોકોની ઊંઘ હરામ કરી વોર્ડ નંબર 3ના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો ધરખમ અભાવ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા કરાયેલા નિરીક્ષણમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે: ચૂંટણીનું ગણિત અને જનતાનો મિજાજ વોર્ડ નંબર 3માં કુલ 8,218 મતદાર (4,224 પુરુષ અને 3,994 મહિલા) છે. આ વિસ્તારમાં મોદી, પટેલ, બ્રાહ્મણ, પ્રજાપતિ, દેસાઈ અને અનુસૂચિત જાતિના મતદારોનું પ્રભુત્વ છે. નેતાઓને સીધી ચેતવણી આપતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ગંદકી અને રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા કોઈ આવતું નથી, તો હવે નેતાઓને પણ અમારા વિસ્તારમાં પગ મૂકવા દઈશું નહીં. એક તરફ ભાજપમાંથી આ વોર્ડ માટે 20 જેટલા દાવેદારો ટિકિટની લાઈનમાં છે, તો બીજી તરફ જનતા પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહી છે. ગત ટર્મમાં ભાજપના ચારેય ઉમેદવાર (રમીલાબેન ભીલ, છાયાબેન રાવલ, હરેશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂત) વિજેતા બન્યા હતા, પરંતુ આ વખતે એન્ટી-ઇન્કમ્બન્સીનો મોટો ખતરો દેખાઈ રહ્યો છે. પારેવા સર્કલ પાસે ભરાતા ચોમાસાના પાણી, ખાલકશા પીર પાસેની લીકેજ પાઈપલાઈન અને રખડતા પશુઓના ત્રાસથી કંટાળેલી જનતા આ વખતે 'કામ નહીં તો મત નહીં'ના મૂડમાં છે. 26 એપ્રિલે થનારું મતદાન નક્કી કરશે કે, સત્તાધારી પક્ષ આ રોષને શાંત કરી શકશે કે જનતા પરિવર્તનનો માર્ગ પસંદ કરશે. ---- આ પણા વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્ પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજિત ભવ્ય શિવકથામાં પરમ પૂજ્ય લંકેશબાપુના હસ્તે વિશ્વના સૌથી મોટા ગૌ ગોબર પેઈન્ટીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અદ્દભુત અને અકલ્પનીય પેઈન્ટીંગ નિહાળી લંકેશબાપુ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમના મુખેથી 'વાહ... અદ્દભુત' શબ્દો સરી પડ્યા હતા. આ ગૌ ગોબર પેઈન્ટીંગ 7 ફૂટ લાંબુ અને 4 ફૂટ પહોળું છે. એક કલાકારે સતત 140 કલાકની મહેનત કરીને આ અદ્દભુત કલાકૃતિનું સર્જન કર્યું છે. આ પેઈન્ટીંગમાં શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈને દેહત્યાગ સુધીની લીલાઓને રંગ અને પીંછી વડે કંડારવામાં આવી છે. પેઈન્ટીંગમાં શ્રી કૃષ્ણ, ગોપીઓ, ગોવર્ધન પર્વત, નાગ દમન અને મહાભારતના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, તેમાં શ્રી કૃષ્ણના ૧૦૮ દિવ્ય મંત્રો પણ લખેલા છે. આ અદ્દભુત પેઈન્ટીંગ નિહાળી હજારો શિવભક્તો પ્રભાવિત થયા હતા અને કલાકારને ધન્યવાદ આપ્યા હતા. ગૌ ગોબરનું પેઈન્ટીંગ સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે અને વાયરલ, વાયરસ તથા સૂક્ષ્મ જીવાણુઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેવું માનવામાં આવે છે. મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજિત આ શિવકથા સાંભળવા હજારો શિવભક્તો ઉત્સાહભેર પધારે છે. શ્રદ્ધાળુઓએ આસ્થા અને શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા હતા. દરરોજ રાત્રે દિવ્ય અને અલૌકિક ભૌતિક પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. શિવકથામાં મોટી દિવ્ય આરતી ઉતારવી એ જીવનનું કાયમી સંભારણું બની રહી છે. કથાનું શ્રવણ કરવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પરિવારજનો, પૂર્વ આઈપીએસ જે.કે. ભટ્ટ અને ગુજરાત રાજ્ય મહિલા બાળ સંરક્ષણના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું લંકેશબાપુના હસ્તે સન્માન કરાયું હતું. પૂજ્ય લંકેશબાપુ દ્વારા સિદ્ધ કરાયેલો ભૌતિક પ્રસાદ, કર્ણપ્રિય સંગીત, સ્વચ્છતા અને વ્યવસ્થા લોકપ્રિય બની રહ્યા છે. દાનેશ્વરી દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહી રહ્યો છે. હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા, પ્રસાદ, ભૌતિક પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કથાના અંતિમ દિવસે વિશાળ અને સિદ્ધ કરાયેલા શિવલિંગ પર 251 શ્રદ્ધાળુઓ દ્વારા દ્રવ્ય અભિષેક કરવામાં આવશે.
રિવરફ્રન્ટ ગાય સર્કલે મારૂતિ કારમાં આગ:સદનસીબે કોઈ જાનહાનિ નહીં, કારને મોટું નુકસાન
સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ગાય સર્કલ નજીક એક મારૂતિ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આગ લાગવાની ઘટનાને પગલે વાહનચાલકો અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક એકઠા થઈ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા તેમજ શહેર વિસ્તારમાં ચાલતા વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ બનાવ પણ તે શ્રેણીનો એક ભાગ છે. આગના કારણે મારૂતિ કારને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
મોરબીમાં વીજધાંધિયાથી રહીશો લાલઘૂમ: બિલમાં 50 ટકા વળતર આપો તો અંધારપટ સહન કરીએ'
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોઓરડી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે રોજેરોજ સર્જાતી વીજ સમસ્યાએ રહીશોની ધીરજ ખૂટવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આખેઆખો દિવસ વીજળી ગુલ રહેતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ ઉચ્ચ વીજ અધિકારી ડે. એન્જિનિયર અંબાણીને ફોન કરીને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો તંત્ર વીજળીના બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપતું હોય તો અમે આ અંધારપટ મુંગા મોઢે સહન કરી લઈએ. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, અન્ય વિસ્તારોની જેમ જ અમે પૂરેપૂરું બિલ ભરીએ છીએ તો અમારે જ કેમ વારંવાર વીજ કટોકટીનો સામનો કરવો પડે છે? ભડિયાદ ફીડરમાં વારંવાર થતા ભડાકા અને ફોલ્ટને કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓની હાલત કફોડી બની હતી. સ્ટાફ પેટ્રોલિંગમાં હોવાના અધિકારીના દાવા છતાં કલાકો બાદ લાઈટ આવી બપોરના ત્રણ વાગ્યાથી લાઈટ ગુલ હોવા અંગે અધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્ટાફ લાઈન પર છે અને પેટ્રોલીંગ કરી પાવર ચાલુ કરાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, અધિકારીના આ જવાબના કલાકો બાદ માંડ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો હતો. વીજ ફોલ્ટ સેન્ટરના ઊઠા ભણાવવાથી લોકો પરેશાનસ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વીજળી ગુલ થયા બાદ જ્યારે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરવામાં આવે ત્યારે માણસો લાઈન પર છે, હમણાં પાવર આવી જશે તેવા વાયદા કરીને રીતસરના ઉઠા ભણાવવામાં આવે છે. બે દિવસ પહેલા ભડિયાદ ફીડરમાં ફોલ્ટ સર્જાયા બાદ આખો દિવસ વીજળી રજા પર ઉતરી ગઈ હતી. રહીશોએ અધિકારીને ફરિયાદ કરી હતી કે અન્ય વિસ્તારોમાં વીજળી ચાલુ હોય છે ત્યારે માત્ર અમારા વિસ્તારમાં જ આવી ભેદભાવભરી નીતિ કેમ રાખવામાં આવે છે. PGVCLના અધિકારીના ઉદાસીન વલણ સામે પણ ઉઠ્યા સવાલજ્યારે જાગૃત નાગરિકોએ પાવર જલ્દી ચાલુ કરવા રજૂઆત કરી ત્યારે અધિકારી માત્ર વારંવાર સરનામું પૂછીને જાણી જોઈને વિલંબ કરતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. સોઓરડી તેમજ સબ જેલ રોડ પર આવેલા વણકર વાસમાં પણ લાંબા સમય સુધી લાઈટ ન આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીજીવીસીએલની આ ઢીલી નીતિને કારણે ઉનાળાની સિઝનમાં લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે.
મોરબીમાં ચેક રિટર્ન કેસ:વેપારીને એક વર્ષની કેદ અને રૂ. 18.88 લાખનો દંડ
મોરબીમાં ચાઈના ક્લેના વેપારમાં આપેલા ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. વેપારી પેઢીના સંચાલકને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા અને ચેકની મૂળ રકમથી બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, મોરબીમાં પાટીદાર ટ્રેડિંગ નામની પેઢી ચલાવતા મનીષભાઈ સવજીભાઈ પૈજા પાસેથી 'કેસરી મેનેજમેન્ટ'ના પ્રોપરાઇટર જયદીપ કે. ગોસ્વામીએ રૂ. 9,44,138ની કિંમતનો ચાઈના ક્લે ખરીદ્યો હતો. આ રકમની ચુકવણી માટે આરોપી દ્વારા અલગ-અલગ તારીખના કુલ નવ ચેક આપવામાં આવ્યા હતા. જે ફરિયાદીએ પોતાની ICICI બેંકના ખાતામાં જમા કરાવતા, આરોપીના ખાતામાં પૂરતું ફંડ ન હોવાના કારણે તમામ ચેક પરત ફર્યા હતા. ચેક પરત થયા બાદ પણ નાણાંની ચુકવણી ન થતા, મનીષભાઈએ એડવોકેટ નિકુંજભાઈ કોટક મારફતે મોરબી કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી પ્રશાંત પી. શાહની કોર્ટમાં ચાલી હતી. એડવોકેટ નિકુંજ કોટકની ધારદાર દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે જયદીપ કે. ગોસ્વામીને કસૂરવાર ઠેરવ્યા હતા. અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને વળતર પેટે ચેકની મૂળ રકમથી બમણી એટલે કે રૂ. 18,88,276 ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ચેકની રકમ પર તારીખ 21-08-2016 થી 9 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેણે વધુ 90 દિવસની કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ નિકુંજ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા અને કિશોરભાઈ સુરેલા રોકાયા હતા.
બેવડી ઋતુનો માર:મોરબીમાં સિઝનલ ફ્લૂ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો
માર્ચ મહિનાથી શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવે જન આરોગ્ય પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આફત બાદ પારો ઊંચકાતા સર્જાયેલી બેવડી ઋતુએ સ્વાસ્થ્યને બાનમાં લીધું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સીઝનલ ફ્લૂ, શરદી અને વાયરલ કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. માર્ચ અને એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીના આંકડા જોઈએ તો, સીઝનલ ફ્લૂ (ARI) ના કુલ 1021 કેસ નોંધાયા છે. જેમાં માર્ચમાં 884 અને એપ્રિલના માત્ર સાત દિવસમાં 137 કેસનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે શરદી-ઉધરસના કુલ 765 કેસ અને ઝાડા-ઉલટીના કુલ 676 કેસ સામે આવ્યા છે. કમોસમી વરસાદને કારણે હવામાં વધેલો ભેજ અને ત્યારબાદની આકરી ગરમી વાયરસના ફેલાવા માટે અનુકૂળ સાબિત થઈ છે. મચ્છરનો ઉપદ્રવ વધ્યો, છતાં ચોપડે મેલેરિયા નિલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ હોવા છતાં આરોગ્ય તંત્રના સત્તાવાર ચોપડે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી, જે આંકડાઓ સામે શંકા ઉપજાવી રહ્યા છે. ડેન્ગ્યુનો પણ સમગ્ર સીઝનમાં માત્ર 1 કેસ નોંધાયો છે. જોકે, મચ્છરજન્ય બીમારીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં સરકારી ચોપડે આંકડો શૂન્ય રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ સ્થિતિને નિયંત્રિત કરવા પાલિકા દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
ઢોર પકડવાનું અભિયાન હાથ ધરાયું:દાળમીલ રોડ, જોરાવરનગર, 80 ફૂટ રોડ ઉપરથી 30 રખડતા ઢોર પક્ડયા
સુરેન્દ્રનગરમાં રખડતા પશુનો ખુબ મોટો ત્રાસ છે. તેમાં પણ આખલાઓ જ્યારે સામસામે આવી જાય છે ત્યારે અનેક લોકોના જીવનું જોખમ થઇ જાય છે. તેના માટે મનપાએ શહેરમાં ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત 30 પશુને પકડીને કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે પશુને રાખવામાં આવ્યા હતા. રખડતા પશુને પકડવા માટે અલગ જ ટીમની વ્યવસ્થા કરી છે. આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 2258 પશુને પકડવામાં આવ્યા હતા. જે પૈકી 737 પશુને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે હાલના સમયે 604 પશુનો મનપા નિભાવ કરી રહ્યું છે. કારણ કે પાંજરાપોળમાં પણ પશુની સંખ્યા વધી જવાને કારણે હવે પાંજરાપોળ પશુ સ્વીકારવાની ના પાડી રહી છે. આવા સમયે જે વિસ્તારના લોકોની ફરિયાદ આવે છે તે વિસ્તારમાંથી મનપા પશુ પકડવાની કાર્યવાહી કરી રહ્યું છે. મંગળવારના દિવસે મનપાની ટીમ દ્વારા શહેરના દાળમીલ રોડ, જોરાવરનગર અને 80 ફૂટના રોડ ઉપરથી 30થી વધુ પશુને પકડવામાં આવ્યા હતા. પશુની ફરિયાદમાં ઘટાડો પણ કૂતરાની ફરિયાદ વધી ગઇ સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ છે. દરરોજ 5થી 7 ફરિયાદ પશુની આવતી હતી જેમાં ઘટાડો થયો છે. પરંતુ બીજી બાજુ રખડતા કૂતરાની ફરિયાદો વધી ગઇ છે. આના માટે મનપાએ અમદાવાદની એજન્સીને સર્વે કરવાની કામગીરી સોંપી છે. સર્વે બાદ કૂતરાને રસી અને ખસીકરણ કરવામાં આવશે.
માવઠા સહિત ઋતુની અસર:ઝાલાવડમાં 2025ના માર્ચમાં ઝાડા ઉલટીના 343, 2026ના માર્ચમાં 583 કેસ
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ -2025માં 1,20,524 ઓપીડી સામે માર્ચ-26માં 1,17,162 ઓપીડી નોંધાઇ હતી. આ સમયગાળા દરમિયાન ઝાડા ઉલટીના 343ની સામે 583, ટાઇફોડના 2 સામે 12, શરદી ઉધરસના 573ની સામે 737 કેસ નોંધાયા હતા. જ્યારે મેલેરીયાના 1 પોઝિટિવ સાથે 3ની સામે 3 સાદા કેસ જોવા મળ્યા હતા. માર્ચ-25માં 36570ની સામે માર્ચ-26માં 37684 લોહીના નમૂના લેવાયા હતા. માર્ચ-25માં ડેન્ગ્યુ માટે 31 લોકોના લોહીના નમૂનામાંથી 2 પોઝિટિવ અને માર્ચ 26માં 20 નમૂનામાંથી 0 કેસ નોંધાયો હતો. ચિકનગુનીયામાં 9 લોહીના નમૂનામાંથી 1 અને માર્ચ-26માં 13 લોહીના નમૂનામાંથી 0 કેસ ધ્યાને આવ્યો હતો. 2025ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ સહિત કુલ ત્રણ મહિનામાં ઓપીડી 3,47,206ની સામે 2026ના ત્રણ માસમાં 3,37,805 રહી હતી. ડેન્ગ્યુમાં 97 લોહીના નમૂનામાંથી 5 પોઝિટિવની સામે 20 નમૂનામાંથી 0 કેસ, ચિકનગુનિયામાં 28ની સામે 2 તેમજ 25માંથી 1 કેસ પોઝિટીવ કેસ આવ્યો હતો. આમ જિલ્લામાં બદલાતી માવઠા સહિત ઋતુની અસર જોવા મળી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગ અટકાયતી માટે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલની સૂચનાથી જિલ્લા મેલેરીયા અધિકારી ડો. જયેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કક્ષાએથી ધારાબેન મોદી, અરવિંદભાઈ માલવણીયા, મનોજસિંહ પરમાર સહિત ટીમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળાને લીધે થાન શહેરી વિસ્તારમાં ટાઇફોડના 10 કેસજિલ્લામાં માર્ચ મહિનામાં કુલ 12 ટાઇફોડના કેસ નોંધાયા હતા. જેમાં થાન શહેરી વિસ્તારોમાં જ આ સમયગાળા દરમિયાન પાણી લીકેજના કારણે 10 કેસ જોવા મળ્યા હતા. પાણીજન્ય રોગચાળાના લઇને થાન શહેરી વિસ્તારને આઉટ બ્રેક જાહેર કરાયો હતો.
વાહનચાલકોને હાલાકી:શહેરમાં SBI બહાર ગ્રાહકો માટે પાર્કિંગ નથી, બહાર મૂકેલા વાહનોને પોલીસ દંડે છે
સુરેન્દ્રનગર શહેરના આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સામે આવેલી ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. આ ચોકડીના કોર્નર પર જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આવેલી હોવાથી અહીં ગ્રાહકોની ભારે અવરજવર રહે છે, પરંતુ પાર્કિંગના અભાવે વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની આર્ટસ કોલેજ ચોકડી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં રોજના મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે. બેંક પાસે પૂરતી પાર્કિંગ જગ્યા ન હોવાથી ગ્રાહકો વાહનો રોડની આજુબાજુ જ પાર્ક કરે છે. જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. રોડ પર આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા અહીં દંડની કાર્યવાહી કરાય છે. ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારવામાં આવે છે. આમ વાહન પાર્કિંગના અભાવે ગ્રાહકોને ભોગ બનવું પડે છે. બેંકના પાર્કિંગ આગળ આડસો મૂકેલી બેંક આગળ પાર્કિંગની સુવિધા છે. પરંતુ આ વ્યવસ્થા જાણે બેંકના કર્મચારીઓ કે અન્ય લોકો માટે હોય તેમ પાર્કિંગ આગળ જ આડસો મૂકી દેવામાં આવતી હોવાની પણ લોકોમાં રાવ ઉઠી છે. જેના કારણે ગ્રાહકો પોતાના વાહનો આ પાર્કિંગ સ્થળે પણ લઇ શકતા નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. જેને કારણે ખાસ કરીને પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. શાંતિપૂર્વક ચૂંટણી યોજાય તે માટે શહેરમાં પેટ્રોલિંગ સહિતના કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એસઓજી ટીમ દ્વારા શહેરમાં આવેલી 10થી વધુ હોટલોમાં ચેકિંગ કર્યું હતું. માલિકોને ખાસ સૂચના આપી હતી કે કોઇ પણ સગીરને તેના માતા પિતાની પરવાનગી વગર રૂમ ભાડે ન આપવી. ચૂંટણી સમયે ભાંગફોડીયા તત્વો હોટલનો સહારો લઇને કયારેક ગુનાઓ આચરતા હોય છે. આ ઉપરાંત કેટલાક હોટલના માલિકો રજિસ્ટરમાં રૂમ રાખનારની એન્ટ્રી પણ નથી કરતા હોતા. આવી બાબતી ગંભીરતાને ધ્યાને લઇને એસઓજીની ટીમ દ્વારા શહેરમાં આવેલી 10થી વધુ હોટલોમાં રોકાયેલા લોકો કોણ છે, તેમના નામની એન્ટ્રી છે કે નહીં આ ઉપરાંત હોટલમાં કોઇ સગીર વ્યકિતને કામે રાખવામાં નથી આવ્યો ને તેની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે હોટલમાં સીસીટીવી ચાલુ હાલતમાં છે કે નહીં તેની પણ જાણકારી મેળવી હતી. 1 મહિનાના સીસીટીવી ફૂટેજ ફરજિયાત સ્ટોર રાખવા તાકીદ કરવામાં આવી હતી.
ઉનાળું વાવેતર:30 દિવસમાં ઉનાળુ વાવેતરમાં 30560 હેક્ટરમાં વધારો થયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ કમોસમી વરસાદના કારણે અને પછી શિયાળુ વાવેતર મોડુ થતા ખેડૂતોએ આ વર્ષમાં માર્ચ માસના મધ્ય સુધીમાં 8008 હેક્ટરમાં વાવેતર કર્યું હતું. ત્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં 38568 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ 30 દિવસમાં 30560 હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે. તલ, શાકભાજી, બાજરી, મગ, મગફળી ગમગુવાર સહિતના પાકમાં વાવેતર વધ્યું છે. પરંપરા ગતથી હટકે ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે. જિલ્લામાં દર વર્ષે ઉનાળુ પાકમાં એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં એવરેજ 33820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાં જિલ્લામાં ચોમાસામાં પાછોતરો કમોસમી વરસાદ થતા અને ખેડૂતોએ પાક નુકશાની વળતર માટે બગડેલો પાક રખવો પડતા શિયાળુ વાવેતર મોડુ થયું હતું. જે ઉનાળુ સિઝન શરૂ થવા સુધી ખેતરમાં પાક રહેતા આ વર્ષે ઉનાળુ પાકની વાવેતરની ધીમી શરૂઆત થઇ હતી. જિલ્લામાં એવરેજ 27710 હેક્ટરમાં વાવેતર ઉનાળુ માર્ચના મધ્યે થઇ જતું હોય છે. આ વર્ષ માર્ચ માસ અડધો વિત્યો પણ વાવતેર 8008 હેક્ટરમાં જ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં તો ગત વર્ષ માર્ચના મધ્યે 10093 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ માર્ચ મધ્ય સુધીમાં 2085 હેક્ટરમાં ઓછુ વાવેતર થયું હતું. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સંભવિત વરસાદને ધ્યાને રાખીને ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું છે. કમોસમી વરસાદ થાય તો પિયત ન આપવુંઉનાળુ પાકનું વાવેતર વધવાનું કારણ નર્મદાનું પાણી મળતા અને યાંત્રીક ખેતી વધી એક પાક નિકળતા તરત બીજો પાક લેવાની ખેડૂત ખેતી કરે છે. ઉનાળુ પાકમાં રોગચાળો ન થવાથી ઉત્પાદન સારું મળે તે મુખ્ય કારણ હોય શિયાળુ ચોમાસુ પાક કરતા વધુ ઉત્પાદન મળે છે. આથી વધારે વાવેતર થયું છે. હાલ વાતાવરણમાં પલટો થયો હતો પરંતુ તેનાથી નુકસાન થાય તેમ નથી. પાકમાં નિયમિત પિયત આપતા રહેવું જોઇએ.- જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી
નવા ટર્મિનલનું કામ પુરજોશમાં:મુન્દ્રા એરપોર્ટથી ચાલુ માસના અંત સુધીમાં વિમાની સેવાનો થશે પ્રારંભ
મુન્દ્રા ખાતે આવેલું પ્રાઈવેટ એરપોર્ટ હવે જાહેર જનતા માટે ખુલ્લું મુકવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ચાલુ માસના અંત સુધીમાં અહીંથી નિયમિત ફ્લાઈટ્સ શરૂ કરવાનું આયોજન કરાયું છે. હાલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે નવા ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રોજની ચાર ફ્લાઈટ્સની અવરજવરને પહોંચી વળવા માટે પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા તપાસ માટેની સિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટાર એર દ્વારા મુન્દ્રાથી મુંબઈ, સુરત, દિલ્હી અને ગોવા એમ ચાર અલગ-અલગ રૂટ પર 78 સીટરના વિમાનો ઉડાડવામાં આવશે. આ સેવાઓ માટેનું અંદાજિત ભાડું 5 હજારની આસપાસ રહેવાની સંભાવના છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરક્ષા સહિતની તમામ ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરાયું છે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓને સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે. સ્ટાર એર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 25 એપ્રિલથી સેવાનો આરંભ થશે, જેમાં મુંબઇથી 12:45 કલાકે ફ્લાઇટ ઉડાન ભરી 14:15 કલાકે મુન્દ્રા અને મુન્દ્રાથી 14:45 કલાકે ઉડાન ભરી 16:15 કલાકે મુંબઇ પહોંચાડશે. સોમ, મંગળ, બુધ, ગુરૂ અને શનિવારે સેવાનો લાભ મળશે, જ્યારે મુન્દ્રાથી હિડન (દિલ્હી)ની ફ્લાઇટ બપોરે 13:45ના ઉપડી 15:45ના પહોંચાડશે, જ્યારે રીટર્નમાં 16:15ના ઉપડી 18:15ના મુન્દ્રા પહોંચાડશે, જેનો લાભ મંગળ અને બુધવારે મળશે, જ્યારે ગુરૂવારે મુન્દ્રાથી 10:45થી 12:45 અને હિડનથી 13:15થી 15:15નો મુસાફરી સમય રાખવામાં આવ્યો છે. જ્યારે સુરતથી બપોરે 3:15 કલાકે ઉપડી 4:35ના મુન્દ્રા પહોંચશે. આ ફ્લાઇટ સોમ, મંગળ, બુધ, શુક્ર અને રવિના ઉપડશે.
રક્તદાન શિબિરમાં 213 યુનિટ એકત્ર થયું:આપણું રક્ત અજાણ્યાને જીવન આપે એ શ્રેષ્ઠ દાન
ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકો અને નીરવ માણેક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છઠ્ઠા રક્તદાન શિબિરમાં 213 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. દીપ પ્રાગટ્યમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ મહાજન પ્રમુખ મુકેશભાઈ ચંદે, વાગડ રઘુવંશી પરિવાર પ્રમુખ રમેશભાઈ મજેઠીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંઘચાલક હિંમતસિંહ વસણ, વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, શંકરભાઈ માણેક, યુવક મંડળ પ્રમુખ ભાવેશભાઈ ઉદેચા જોડાયા હતા. સંતો અને મહેમાનોનું સ્વાગત વાગડ રઘુવંશી પરિવારના હિતેશ મજેઠીયા, નીતિન ભીંડે, ધીરજલાલ રતાણી, રતિલાલ રૈયા, નરેન મીરાણી, સાવન પુજારા, કેતન પુજારા વગેરેએ કર્યું હતું. બીએપીએસ ભુજ મંદિરના પરમચૈતન્ય સ્વામીએ આશિર્વચન આપ્યા હતા. પ્રમુખ મુકેશ ચંદેએ કહ્યું કે આપણું રક્ત કોને જીવનદાન આપશે તે ખ્યાલ આવતો નથી એટલે એ શ્રેષ્ઠ ગુપ્ત દાન છે. હિંમતસિંહ વસણે પંચ પરિવર્તનના પાંચ બિંદુ પૈકીના સ્વબોધનું મહત્વ સમજાવ્યું હતું. અખિલ કચ્છ લોહાણા મહાજન પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ચંદે, મહામંત્રી દિનેશભાઈ રાજદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્રમુખ રાજેશભાઈ પલણ વગેરેએ રક્તદાતા અને આયોજકોને બિરદાવ્યા હતા. અગાઉ પણ તમામ રક્તદાન શિબિરોમાં 200થી વધુ યુનિટનું એકત્રીકરણ થયું છે. જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કના દર્શન રાવલ અને જીવન જ્યોત બ્લડ બેંકના રમણીક પટેલના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે સેવા આપી હતી. કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શિશુવાટીકા અને એન્કરવાલા વિદ્યાધામના આચાર્યોએ શાળાના પ્રધાન આચાર્ય વર્ષાબેન ઠક્કરના માર્ગદર્શનમાં રજિસ્ટ્રેશનમાં સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટના જયસુખ માણેક, વાગડ રઘુવંશી પરિવાર, વાગડ રઘુવંશી યુવક મંડળ અને મહિલા મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. દરેક સમાજના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આભારવિધિ હાર્દિક ઠક્કર અને સંચાલન હિતેશ ઠક્કરે કર્યું હતું.
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 498 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાની પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્તરે કુલ 1186 જેટલા ફોર્મનો ઉપાડ થયો છે. જ્યારે બુધવારે 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવીને પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. આપ અને અપક્ષ ઉમેદવારોએ મેદાનમાં ઉતરી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, જ્યારે મુખ્ય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે. આજે બંને પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 10 અને 11 એપ્રિલના રોજ આ ઉમેદવારો પક્ષના મેન્ડેટ સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગાંધીધામ મહાનગરપાલિકાની 52 બેઠક માટે 302 ઉમેદવરોએ ફોર્મ ઉપાડ્યા છે, જયારે કચ્છની 5 નગરપાલિકાઓની 172 બેઠકો માટે 574, કચ્છ જિલ્લા પંચાયતની 38 સીટ માટે 127 અને કચ્છની 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 455 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ 500થી વધુ ફોર્મ ઉપાડ્યા છે. જયારે અન્ય ફોર્મ અન્ય પાર્ટીઓ થતા અપક્ષના ઉમેદવારોએ લીધા હોવાનું સામે આવ્યું છે. કચ્છ જિલ્લામાં ચુંટણીનો જંગ હવે જામ્યો મનપા અને જિલ્લા-તાલુકાની 448 બેઠક માટે જંગ
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી છે. જેને લઈને આજથી ઉમેદવારી પત્રનું વિતરણ પણ શરૂ કરાયું છે. જુદી જુદી પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 5 રાણીપના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 'પાંચ ફૂટ પાણી ભરાઈ જાય છે, 108 પણ અંદર આવી શકતી નથી'સ્થાનિક મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા રહીએ છીએ. 30 વર્ષથી આનો આ જ વિકાસ દેખાય છે. કોઈ આમાં ફરક નથી આવતો. શું એવું કારણ છે કે અહીંયા કોઈ પણ વિકાસ નથી થતો?. અહીંયા ચાર ફૂટ, પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. જ્યારે ચોમાસું આવે ત્યારે 108 પણ અહીંયા આવી શકતી નથી. વારંવાર કોર્પોરેશનને અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ ધ્યાન પણ નથી દેતા. શું કારણ છે? અમને કોઈ માહિતી મળતી નથી અને આની આ જ પરિસ્થિતિ છે. આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું રણ. આ ક્યો વિસ્તાર છે? કાંઈ આઈડિયા જ આવતો નથી. વરસાદી પાણી ભરાય છે અને ગટર ઉભરાવાની સમસ્યારાણીપમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની નંદાનગર સોસાયટીના સ્થાનિકો હેમાભાઈએ જણાવ્યું હતું કે, અહીં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. અહીં પાકા રસ્તા નથી અને ગટર ઉભરાવાની પણ સમસ્યા છે. વર્ષ દરમિયાન કોર્પોરેટરો તેઓને મળતા નથી. ચૂંટણી સમય નેતાઓ આવે છે. આ અમદાવાદનું કોઈ ગામ છે કે કચ્છનું ગામ છે તે ખબર પડતી નથી. પાણી, ગટર અને રોડની સમસ્યાથી અહીં સત્તા પરિવર્તન થવું જોઈએ. 'અમારે જાતે ત્રિકમથી તોડીને પાણીનો નિકાલ કરવો પડે છે'સ્થાનિક રામજીભાઈએ કહ્યું કે, હું નંદાનગરમાં રહું છું. અહીંયા આગળ ઘણા સમયથી રોડ, પાણી, લાઈટની ઘણી પ્રકારની સમસ્યાઓ છે પણ કોઈ ધ્યાન દેતા નથી. કોઈ આવીને અમને એમ નથી કહેતું કે તમારે શું હાલ છે ને કેવી પોઝિશન છે, એ પણ અમને કોઈ પૂછવા આવતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે એક-બે નેતાઓ આવે ને કહે છે વારંવાર કે અમે કરી આપીશું, કરી આપીશું પણ હજુ આજ સુધી કામકાજ કરતા નથી. રાણીપ વોર્ડમાં પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષકોંગ્રેસના સ્થાનિક નેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાણીપના આઈ.ટી.આઈ પાસે આવેલી ફૂટપાથ નવી જ બનાવવામાં આવી હતી. તેને ટોરેન્ટ પાવર એ ખોદકામ કરીને તોડી નાખી હતી. એક જ મહિનામાં ડામરનો નવો રોડ બનાવીને તેને તોડીને RCCનો રોડ બનાવવામાં આવ્યો હતો. રાણીપ વોર્ડમાં પાણી ભરાવવાની અને ગટરની સમસ્યાઓ છે. અહીંના બકરા મંડી વિસ્તારમાં ખુલ્લામાં પસાર થતા ગટરના પાણીથી ગરીબ લોકો નર્કાગાર સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. 'આ વોર્ડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે'તેને વધુમાં કહ્યું કે, એક જ વ્યક્તિને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અણગઢ આયોજન અને ભ્રષ્ટાચાર ઉપરોક્ત વાતો પરથી જણાવી આવે છે. RTI દ્વારા આગામી સમયમાં ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે. આ વોર્ડમાં ટ્રાફિકની પણ સમસ્યા છે. 'ગટર લાઇન નથી, પાણી આવતું નથી'સ્થાનિક કમુબેને જણાવ્યું હતું કે, અહીં કોઈ કોર્પોરેટર ક્યારેય મુલાકાત લેવા આવતા નથી, અને અમે એ પણ નથી જાણતા કે કોર્પોરેટર કોણ છે. ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જવાથી નાના બાળકો પડી જાય છે અને ગટરો ઉભરાવવાની સમસ્યા પણ છે. હવે વિસ્તારની સ્થિતિ સુધારવા માટે પરિવર્તન આવવું ખૂબ જ જરૂરી છે. 'મકાન તોડ્યા તેમને નવા મકાન આપવામાં આવ્યા નથી'કોંગ્રેસના રાણીપ વોર્ડના મહામંત્રી ભરત શાહે જણાવ્યું હતું કે, એક કામ કર્યા પછી તેને તોડીને ફરીથી બીજું કામ કરવામાં આવે છે. આમ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. શહેરમાં કોમનવેલ્થનું આયોજન કરવા લોકોના મકાન તોડ્યા છે તેમને નવા મકાન આપવામાં આવ્યા નથી. 'પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ત્રણ નવી પાણીની ટાંકી બનાવાઈ'ગત ચૂંટણીમાં ચૂંટાયેલા દશરથ પટેલે જણાવ્યું હતું કે, ચંદ્રભાગા વહેણના ગંદા પાણીના માર્ગ ઉપર ડક કેનાલ બનાવવાનો 200 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં રાણીપ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ત્રણ નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. રાણીપ વોર્ડમાં નિર્ધારિત RCC રોડ પૈકી 98 ટકા કામ પૂર્ણ થયું છે. વોર્ડમાં જીનેશિયમ, લાઇબ્રેરીની વ્યવસ્થાઓ છે. 'કેટલાક કાર્યો પાઇપ લાઇનમાં છે'દશરથ પટેલે કહ્યું કે, કોમ્યુનિટી હોલ બનાવવાનું કાર્ય ચાલુ છે. અહીં ત્રણ તળાવોને રીતે કરાશે અને એક નવું તળાવ બનાવવામાં આવશે. બલોલ નગર ચાર રસ્તાથી પ્રમુખ નગર સુધી વ્હાઇટ ટેપિંગ રોડ બનાવવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ રાણીપમાં આકાર લેવાનું છે. 840 કરોડના વિકાસ કાર્યોમાંથી કેટલાક કાર્યો થયા છે અને કેટલાક પાઇપ લાઇનમાં છે.
ભુજ સિવિલ કોર્ટનો ધાક બેસાડતો ચૂકાદો:વીજ અકસ્માતમાં ઘાયલ કામદારને 28.92 લાખ ચૂકવવા આદેશ
પીજીવીસીએલના ઠેકેદાર પાસે કામ કરતા કામદારને અકસ્માતે ઇજા પહોંચતાં ભુજની સિવિલ કોર્ટ દ્વારા ભુજ PGVCL , તેના જુનિયર ઈજનેર તથા કોન્ટ્રાકટરની બેદરકારી ઠરાવી અકસ્માતનો ભોગ બનેલા કામદારને 28.92 લાખનું વળતર ચૂકવવાનો ધાક બેસાડતો ચૂકાદો આપ્યો હતો. આ કેસ મુજબ રેહાના રાજેન્દ્રસિંહ ગોરધનજી સોઢા ઈલેકટ્રીક હેલ્પર તરીકે વીજ કચેરીના કોન્ટ્રાકટર ખેતશી રવજી ચાવડા પાસે નોકરી કરતા હતા. તા. 1/8/17ના પીજીવીસીએલ કચેરી ભુજના જુનિયર ઈજનેર અજય શાંતિલાલ જેઠવાએ કોન્ટ્રાક્ટરને ટ્રાન્સફોર્મર બદલવા કામ સોંપ્યું હતું. આથી રાજેન્દ્રસિંહ મજુરો સાથે ગયા હતા. કોન્ટ્રાકટરે જુનિયર ઈજનેરની સુચનાથી લાઈન બંધ હોવાનું જણાવી તેમને થાંભલા પર ચડાવ્યા હતા જે દરમિયાન તેમને જમણા હાથમાં વીજ કરંટ લાગતાં નીચે પડી ગયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર કરાવતા ડોક્ટરો દ્વારા કમર સુધીનો ભાગ ખોટો થઈ ગયો હોવાથી હલન ચલન કરી શકશે નહી તેમ જણાવાયું હતું. કચેરી અને તેના જુનિયર ઈજનેર તથા કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે અકસ્માત થયેલો હોઈ ઇજાગ્રસ્ત કામદાર દ્વારા સિનિયર સિવિલ જજ ભુજ સમક્ષ નુકસાની વળતર દાવો દાખલ કરાયો હતો. અદાલતે કામદારને 28,92,800 રૂપિયા દાવાની તારીખથી 7 ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો હતો. રકમ 60 દિવસમાં કોર્ટમાં જમા કરાવાનો ચુકાદો આપ્યો હતો. વાદી વતી તેમના એડવોકેટ અવનીશ જે. ઠકકર તથા સલીમ એસ.ચાકી હાજર રહ્યા હતા.
મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો:કચ્છભરના જર્જરિત રસ્તા સુધારવા નોન પ્લાનિંગ રોડ માટે 141 કરોડ મંજૂર કરાયા
કચ્છ જિલ્લામાં માર્ગ વિકાસને લઈને રાજ્ય સરકાર અને માર્ગ-મકાન વિભાગ તેમજ પંચાયત તંત્ર દ્વારા દર વર્ષે અંદાજે ₹1000 કરોડથી વધુના નવા માર્ગો અને સુધારણા કામો હાથ ધરવામાં આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલના ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી તેનાથી એક કલાક પહેલા જ રાજ્ય સરકારે એક સાથે 66 નોન-પ્લાનિંગ રસ્તાઓના કામોને મંજૂરી આપી છે. આ કામો માટે કુલ ₹141.73 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થશે તે નિશ્ચિત હતું, ત્યારે સરકારે પંચાયત વિભાગને આદર્શ આચાર સંહિતા લાગુ પડે તેનાથી એક કલાક પહેલાં જ આ કામોને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરિણામે આચારસંહિતા લાગુ થવા પહેલાં જ તમામ કામોને મંજૂરી અને જોબ નંબર ફાળવી દેવાતા આ કામગીરી પર કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યો દ્વારા લાંબા સમયથી આ રસ્તાઓ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા અને મેટલ રોડને પાકા કરવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યાં અગાઉ માત્ર મેટલ કામ થયું હતું ત્યાં હવે ડામર રોડ બનાવવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી વધુ સરળ બની શકે. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ટોપીવાલા એ જણાવ્યું હતું કે તમામ કામોને પૂર્વનિયોજિત પ્રક્રિયા મુજબ મંજૂરી આપવામાં આવી છે, તેથી આચારસંહિતા લાગુ પડતી નથી. તેમણે ઉમેર્યું કે વિકાસના આ કામોનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારોના લોકોને મળશે. તાલુકાવાર જોવામાં આવે તો ભુજ તાલુકામાં સૌથી વધુ 19 કામોનો સમાવેશ થાય છે. જ્યારે માંડવીમાં 3, મુન્દ્રામાં 2, ગાંધીધામમાં 7, રાપરમાં 5, અંજારમાં 12, ભચાઉમાં 1, લખપતમાં 8, નખત્રાણામાં 3 અને અબડાસામાં 6 કામો ફાળવવામાં આવ્યા છે. એકસાથે પંચાયતના 66 રોડ સુધારવા માટે જોબ નંબર ફાળવાયા
પાલીના સાંસદની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય:ભુજ-દિલ્હી વાયા પાલી-મારવાડ ટ્રેનને રેલ મંત્રીની લીલીઝંડી
કચ્છથી દેશની રાજધાની દિલ્હી તરફ જતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ભુજથી દિલ્હી વાયા પાલી-મારવાડને જોડતી નવી ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાનના પાલી લોકસભા વિસ્તારના સાંસદ પી.પી. ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે રેલવે મંત્રાલય દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ક્યારથી શરૂ થશે તે બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી હાલમાં માત્ર મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન સમયમાં ભુજથી દિલ્હીને જોડતી બે ટ્રેનો ભુજ-બરેલી અને દિલ્હી સરાઈરોહિલ્લા ટ્રેન કાર્યરત છે, પરંતુ કચ્છમાં વધતા જતા ઉદ્યોગો અને મોટી સંખ્યામાં તૈનાત સૈન્યના જવાનોને કારણે ઉત્તર ભારત તરફ જવા ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળતી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રેન દરરોજ દોડશે અને તેમાં 22 થી 24 કોચની સુવિધા હશે.ભુજથી સવારે 11.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.45 કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી પરત બપોરે 3.30 કલાકે રવાના થઈ બીજા દિવસે સાંજે 4.45 કલાકે ભુજ પરત ફરશે. આ ટ્રેન અંદાજે 1238 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસ દરમિયાન ગાંધીધામ, ભીલડી, જોધપુર, પાલી-મારવાડ, અજમેર અને જયપુર જેવા મહત્વના શહેરોને પણ આ ટ્રેન સેવાનો લાભ મળશે.
શહેરના સરપટ ગેટ બહાર નાગનાથ મંદિર પાસે બુધવારે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય આધેડનું કરૂણ મોત નીપજ્યું છે. રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સાયકલ સવારને ટક્કર મારતા આ બનાવ બન્યો હતો. બી ડીવીઝન પોલીસ સૂત્રો અને હોસ્પિટલ ચોકીમાંથી મળતી માહિતી મુજબ, સુરલભીટ રોડ પર આવેલી મેમણ કોલોનીમાં રહેતા અબ્દુલરઉફ અબ્દુલકાદર મેમણ (ઉં.વ. 45) બુધવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં પોતાની સાયકલ લઈને રાજગોર સમાજવાડી નાગનાથ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોંગ સાઈડ આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ 12 FD 8724એ તેમને અડફેટે લીધા હતા. ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, મૃતક એક કુરિયર કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
RTO એક્શન મોડમાં:RTO દ્વારા વર્ષમાં 26,441 ચલણમાં 16.53 કરોડનો દંડ ફટકારાયો, 4.58 કરોડની વસૂલાત
રોડ પર વાહન ચલાવતી વખતે વિવિધ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડે છે. ટ્રાફીક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા આરટીઓ કચેરીમાં ચલણ ભરપાઇ કરવા માટે મેમો આપવામાં આવે છે. આ સિવાય આરટીઓ દ્વારા રોડ પર ચેકીંગ દરમ્યાન ડિવાઇસ મારફતે ઓનલાઇન ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાણાંકીય વર્ષ દરમ્યાન 16.53 કરોડના દંડના 26,441 ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, કચેરી દ્વારા અત્યાર સુધી કુલ 16.53 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી અંદાજે 4.58 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં સફળતા મળી છે. આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે મેન્યુઅલ પદ્ધતિથી આપેલા ચલણમાં વસૂલાતનો દર ઘણો ઊંચો છે. કુલ 5,534 ચલણમાંથી 5,496 ચલણનો નિકાલ કરાયો છે. જેમાં 2.56 કરોડના કુલ દંડ સામે 2.54 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ છે. જ્યારે ડિજિટલ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં હજુ મોટી રકમ બાકી છે. કુલ 20,885 ચલણમાંથી માત્ર 3,516નો નિકાલ થયો છે, જેના કારણે 11.89 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ હજુ વસૂલવાની બાકી છે. આરટીઓ કચેરીના આંકડા દર્શાવે છે કે હજુ પણ 17,426 જેટલા ચલણ પેન્ડિંગ છે. ખાસ કરીને ડિવાઇસ દ્વારા જનરેટ થયેલા ચલણો ભરવામાં વાહન ચાલકો ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેવું જણાય છે. આગામી સમયમાં બાકી દંડની રકમ વસૂલવા માટે આરટીઓ તંત્ર દ્વારા વધુ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. વાહન ચાલકોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના પેન્ડિંગ ચલણની તપાસ કરી વહેલી તકે દંડ ભરી દે, જેથી કાયદાકીય ગૂંચવણોથી બચી શકાય.
રસ્તાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે વર્ષ 2025-26 દરમિયાન વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. પોલીસે કાર્યવાહી કરીને કુલ 24,488 કેસ નોંધાયા હતા અને કુલ રૂ. 71,35,500નો દંડ ફટકારાયો હતો. પોલીસ દ્વારા મુખ્યત્વે હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવી, મોબાઇલ ફોનનો ઉપયોગ, બ્લેક ફિલ્મ, રોંગ સાઇડમાં વાહન હંકાવવું તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ હતી. નંબર પ્લેટ વગરના અથવા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે 464 કેસ નોંધાયા હતા, જ્યારે 1,416 વાહનો ડિટેઇન કરાયા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 285 હેઠળ અનુક્રમે 119 અને 152 કેસ નોંધાયા હતા. નશામાં વાહન હંકાવવાના 74 કેસ નોંધાયા હતા. ઉપરાંત, LED લાઇટ રેટ્રોફિટ કરાયેલા વાહનચાલકો વિરુદ્ધ 1,533 એનસી કેસ નોંધાયા હતા. બેફામ દોળતી લક્ઝરીઓ અને ઓવરલોડ વાહનો ફરે છે તેના પર પણ કેસ નોંધી દંડ ફટકારવાની જરૂર છે. કયા કયા નિયમ બદલ કરાયેલ કેસ વર્ષભર જનજાગૃતિ માટે 62 કાર્યક્રમો યોજાયામાર્ગ સલામતી અને ટ્રાફિક શિસ્ત અંગે જનજાગૃતિ લાવવા વિભાગ દ્વારા વર્ષભરમાં કુલ 62 ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો તથા વિવિધ સંસ્થાઓમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને નિયમોનું પાલન, હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ અને વાહન વ્યવહાર પ્રત્યેની જવાબદારી અંગે સમજ અપાઈ હતી. વન નેશન વન ચલણના કુલ 3,149 કેસોવન નેશન વન ચલણ જેમાં ટ્રાફિક નિયમોના ભંગ માટે એકસરખી અને ડિજિટલ દંડ પ્રણાલી છે. જેમાં કોઈ પણ વાહનચાલક નિયમનો ભંગ કરે તો તેની સામે ઈ- ચલણ મારફતે કેસ નોંધાય છે અને ડિજિટલ સિસ્ટમમાં અપલોડ થાય છે તેવા 3,149 કેસ નોંધાયા છે.
ભાસ્કર એનાલિસિસ:10માં વોર્ડમાં 4146 નામ કમી થયા, કોંગ્રેસના વોર્ડ 1-2માં સ્થિતિ સામાન્ય
SIRની કામગીરીની વ્યાપક અસર હવે ભુજ શહેરમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં મતદારયાદી શુદ્ધિકરણ દરમિયાન કચ્છ જિલ્લામાં અંદાજે એકાદ લાખ જેટલા નામો કમી થયા છે, જેની સીધી અસર ભુજ નગરપાલિકાના 11 વોર્ડ પર પણ પડી છે. વર્ષ 2021 ની ચૂંટણી વખતે ભુજ નગરપાલિકામાં કુલ 1,30,099 મતદારો નોંધાયેલા હતા, જે 2026 માં ઘટીને 1,24,606 થઈ જતાં કુલ 5,493 મતદારોનો જંગી ઘટાડો નોંધાયો છે. વોર્ડવાર આંકડાકીય વિશ્લેષણ કરીએ તો, વોર્ડ નંબર 1 માં 169 અને વોર્ડ નંબર 3 માં 110 મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ 4 માં 3,860, વોર્ડ 5 માં 974, વોર્ડ 6 માં 1,545, વોર્ડ 8 માં 3,397, વોર્ડ 9 માં 364, વોર્ડ 10 માં સૌથી વધુ 4,146 અને વોર્ડ 11 માં 780 મતદારોની ઘટ નોંધાઈ છે. આ ઘટાડાની સામે વોર્ડ નંબર 2 માં 740 અને વોર્ડ નંબર 7 માં 1,398 મતદારોનો વધારો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ શાસિત વોર્ડ નંબર 1 અને 2 માં કોઈ મોટો ખાસ ફેરફાર થયો નથી. કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં SIR ની સમગ્ર કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે આંકડાકીય દૃષ્ટિએ કોંગ્રેસના ગઢ ગણાતા ભુજ પાલિકાના વોર્ડ 1 માં માત્ર 169 ની ઘટ છે અને વોર્ડ 2 માં તો ઉલટાનો 740 મતદારોનો વધારો નોંધાયો છે. વર્ષ 2021-2026ના વોર્ડ પ્રમાણે મતદાર
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3:20 કરોડથી વધુના કામો થયા, પણ સફાઇમાં અસંતોષ
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વિકાસકાર્યો અને સ્થાનિક સમસ્યાઓ બંને નજરે ચડે છે. અંદાજે 25,000 જેટલી વસ્તી અને 12,000થી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં રામનગરી, જીઆઇડીસી વિસ્તાર, હંગામી આવાસ, ભૂતેશ્વર, મહેંદી કોલોની, હિના પાર્ક (ભાગ-2 અને 3), હિન્દુસ્તાન સોસાયટી, અનીશ પાર્ક, મેમણ કોલોની અને શિવરા મંડપ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મોટાભાગે લઘુપતિ અને દલિત વર્ગના લોકો વસવાટ કરે છે. સ્થાનિક રહેવાસીઓમાં કેટલાક મુદ્દાઓને લઈને અસંતોષ પણ જોવા મળે છે. ખાસ કરીને ગટર અને ડ્રેનેજ વ્યવસ્થામાં હજુ સુધારા કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય નગરસેવકો ચૂંટાયા હતા. પૂર્વ નગરસેવક કાસમ કુંભાર અને કિરણ ગોરીના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વોર્ડમાં અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યો હાથ ધરાયા છે. ખાસ કરીને અંજલિ નગર, રોયલ સિટી, ભક્તિનગર, ચાકી વાળી, બાપા દયાળુ નગર અને સંજય નગરી વિસ્તારોમાં આશરે 8 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત વિવિધ વિસ્તારોમાં સીસી રોડના કામો પણ કરવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. જાહેર ચોકોમાં ઇન્ટરલોક બ્લોક બેસાડવા માટે 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ધારાસભ્ય કેશુભાઈની સહાયથી નગરપાલિકાએ 1.80 કરોડ રૂપિયાનું યોગદાન આપી 20 લાખ લિટર ક્ષમતાવાળો અંડરગ્રાઉન્ડ ટાંકો અને 10 લાખ લિટર ક્ષમતાવાળો ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવ્યા છે. સાથે સાથે 4 એમએલડી ક્ષમતાવાળો ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપિત કરાયો છે, જેનાથી વોર્ડ નંબર 2 અને 3ના મળીને આશરે 45,000 લોકોને પાણી વિતરણમાં રાહત મળી છે. સમગ્ર શહેરની ગટર સમસ્યાનો નિકાલ આ વોર્ડમાં છેભુજના સીમતળ અને ગામતળની દરેક ગટર લાઇનનું અંતિમ એકઠા થવાનું સ્થળ વોર્ડ નં.3માં ભીડનાકાની બહાર તેમજ એરપોર્ટ રોડ પર છે. ધરતીકંપ બાદ નાખવામાં આવેલા પાઇપનો વ્યાસ વધારવામાં આવે અને આયોજન સાથે સમગ્ર ભુજની ગટર લાઇન જોડવામાં આવે તો કાયમી સમસ્યા હલ થાય. સ્થાનિકોનું કહેવું છે કે જો આ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત થાય તો સમગ્ર શહેરની ગટર સમસ્યાનો નિકાલ શક્ય બની શકે. સાથે સાથે સફાઈ બાબતે પણ નગરપાલિકાની કામગીરી સંતોષજનક નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈનો અભાવ હોવાને કારણે રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રીતે વિકાસકાર્યો અને બાકી રહેલી સમસ્યાઓ વચ્ચે વોર્ડ નંબર 3માં આ વખતે મતદારો શું નિર્ણય લે છે તે જોવાનું છે. વિસ્તાર : રામનગરી, ભૂતેશ્વર, જીઆઇડીસી હંગામી આવાસ, લખુરાઈ, મહેંદી કોલોની, હિના પાર્ક–2 અને 3, હિન્દુસ્તાન સોસાયટી, મેમણ કોલોની, શિવરા મંડપ, અલ મહેંદી કોલોની, અનિશ પાર્ક, દાદુપીર રોડની બીજી તરફ મતદારોની સંખ્યાપુરુષ - 6244 સ્ત્રી - 6017 કુલ - 12,261
અમેરિકન ડ્રીમ: અતિથિ તુમ કબ જાઓગે?:સરળ પ્રક્રિયા, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો
થોડા સમય પહેલાં ક્યાંક વાંચેલું કોટેશન કે મંતવ્ય યાદ આવે છે. જેમાં એક અમેરિકન પિતા એના બાળકને કહે છે સન, વર્ક હાર્ડ ઓર ચીની એન્ડ ઇન્ડિયન વિલ ટેક યોર જોબ્સ! આ વાક્ય કયા સંદર્ભમાં, કયા સંજોગોમાં, કહેવાયું એ વિશે કોઇ માહિતી નથી પણ છતાં અત્યારે આ વાક્ય કે મંતવ્ય અમેરિકા અને અમુક પશ્ચિમી દેશોમાં એશિયન ખાસ કરીને ભારતીય એચ-1 વિઝા અને સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકો માટે સાચું પડી રહ્યું હોય એમ લાગે છે. એ ત્યાં સુધી કે પ્રેસિડેન્ટ ટ્રમ્પને જીતાડવા માટે નોકરી સંબંધિત સ્થળાંતર, ઇમિગ્રેશન એક ખૂબ અગત્યનો મુદ્દો હતો. વિશાળ કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં આવ્યાકોમ્પ્યુટર અને ઇન્ટરનેટની શોધ પછી દરેક ક્ષેત્રે એક નવી કારકિર્દી ઊભી થઇ છે કારણ કે હોસ્પિટલ, સ્ટોર્સ, શાળાઓ, રેલવે, દરેકે દરેક નાના ધંધા કે વ્યક્તિગત રીતે બધું કોમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયું. અને ખાસ કરીને અમેરિકાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા કેલિફોર્નિયામાં સન માઇક્રો સિસ્ટમ, યાહૂ, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ અને પછીના વર્ષોમાં ગૂગલ, મેટા, એપ્પલ જેવી ફેંગ કંપની તરીકે ઓળખાતા વિશાળકાય કોર્પોરેટ અને બીજા કેટલાક નાના મોટા સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં આવ્યા. અને એની વિસ્તારવાની ઝડપ એટલી બધી હતી કે એની સામે અમેરિકામાં વસતિના પ્રમાણમાં નિપુણ ટેક્નિકલ હતા નહીં. એટલે એ માંગને અને કામને પહોંચી વળવા એચ-1 બી વિઝા, ટીસીએસ, વિપ્રો, કોગ્નિઝન્ટ, એક્ષેન્સ્યોર અને એચસીએલ જેવી કન્સલ્ટિંગ કંપનીઝની મદદ લેવી પડે એવું થયું. અમેરિકા એટલે વસાહતીઓનો દેશઆમ તો 1960ના દશકથી અમેરિકા દુનિયાભરના લોકોને અહીં ભણવા આવવા માટે અને કાળાંતરે વસવા માટે આકર્ષતું રહ્યું છે અને જોવા જઇએ તો અમેરિકા વસાહતીઓનો દેશ છે અને હતો. અમેરિકાને અમેરિકા, સુપર પાવર બનાવવામાં, એને વિકસિત કરવામાં, એક ડ્રીમ દેશ બનાવવામાં, આ બધા નિપુણ વસાહતીઓનો મોટો હાથ છે. માટે જ એ વખતથી દુનિયાભરના પ્રતિભાશાળી લોકોને આકર્ષવા ખાસ કરીને ટેકનિકલ, મેડિકલ ક્ષેત્રની અછતને પહોંચી વળવા અલગ અલગ વિઝાની કેટેગરી, વિદ્યાર્થી વિઝા સિવાય ઊભી કરવામાં આવી. જેમ કે બિઝનેસ વિઝા, અત્યંત નિપુણ અને આગવી પ્રતિભા ધરાવતા લોકો માટે હાઇલી સ્કિલ્ડ વર્કર વિઝા, ઊભા કરવામાં આવ્યા. કારણ એક જ કે આ બધા દુનિયાભરના અત્યંત પ્રતિભાશાળી લોકો અહીં આવે, ભણે, સંશાધનોનો ઉપયોગ કરે અને અમેરિકાને શ્રેષ્ઠ ટેકનોલોજી, મેડિકલ સંશોધનો, બાયોટેક્નોલોજી, સિવિલ એન્જિનિયરિંગ ઉપરાંત બીજા અગણિત ક્ષેત્રે યોગદાન આપીને શ્રેષ્ઠ દેશ બનાવે. તકની શોધમાં ધાડા ઉતરી આવ્યાઅને એવું થયું પણ ખરું. ભારત જેવા દેશોમાંથી ખાસ કરીને આઇઆઇટી, આઇઆઇએમ, ઇસરો જેવી સંસ્થાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો અમેરિકાના સંશાધનો, વળતર, તકથી આકર્ષાઇને અમેરિકા ભણી વળ્યા. આ ઉપરાંત એશિયામાંથી ચીન, સિંગાપોર, તાઇવાન જેવા દેશો તો ખરા જ પણ બીજા વિશ્વયુદ્ધ પછી રોજી રોટી અને તકની શોધમાં આખાને આખા ધાડા અમેરિકા આવી પહોંચ્યા. એ બધાએ સખત મહેનત કરીને આજનું અમેરિકા, સુપર પાવર અમેરિકા, તકોનો દેશ અમેરિકા, શ્રેષ્ઠ મેડિકલ, રસ્તા, ચોખ્ખાઇ, સગવડોનો દેશ બનાવ્યો. અને એની સામે અમેરિકાએ એમને સંશાધનો, સગવડો, તક અને આકર્ષક વળતર આપીને એમની પ્રતિભાને એક ઓળખાણ આપી. પ્રતિભાશાળી અને મહેનતુ લોકો માટે સોનેરી તકઅને પછી સોફ્ટવેર, આઇટી, સેમિ કન્ડક્ટર, બાયોટેક્નોલોજી વગેરે ક્ષેત્ર વિકસિત થતાં સુધીમાં તો અમેરિકા પ્રતિભાશાળી, મહેનતુ લોકો માટે સોનેરી તકો અને શ્રેષ્ઠ જીવન, સગવડોના દેશ તરીકે નામના મેળવી ચૂક્યું હતું માટે હવે ફક્ત પ્રતિભાશાળી, ખાસ ક્ષેત્રમાં નિષ્ણાત લોકો જ નહીં પણ દરેક સુખી અને પૈસા કમાવવાની મહેચ્છા રાખનાર વ્યક્તિ કે કુટુંબ માટે પણ અમેરિકન ડ્રીમ એક સપનું, અમુક કેસમાં ઝનૂન બની ચૂક્યું હતું, છે. કેપિટલિસ્ટ દેશ તરીકે ઓળખાતા અંકલ સેમ અમેરિકા પણ આ દરેકના સપનાને હકીકતમાં બદલી શકાય એ માટે એ લોકો આવીને આ દેશમાં કામ કરીને એને સુપર પાવર બની રહેવા માટે કામ કરે, મહેનત કરે અને બદલામાં શ્રેષ્ઠ વ્યક્તિગત, કૌટુંબિક અને વ્યવસાયિક જિંદગી બનાવવા અને માણવા માટે તક અને વળતર પૂરા પાડતું રહ્યું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ રાતોરાત પ્રથમ પસંદગી બની ગયોએચ વન બી, એલ વન બી, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને બિઝનેસ વિઝા જેવાનો ઉપયોગ માટે જ ભારત અને ચીન જેવા એશિયાઇ દેશો સૌથી વધારે કરે છે. અને 2000 ની સાલમાં વાય ટુ કે જેવી ઘટના પછી ભારત જેવા દેશોમાંથી ધાડા ના ધાડા કોમ્યુટર એન્જિનિયર અમેરિકા આવી પહોંચ્યા. રાતો રાત મેડિકલ છોડીને યુનિવર્સિટીઓમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગીનો અભ્યાસક્રમ બની ગયો. આવી જ હાલત પાડોશી દેશ ચીન, રશિયા વગેરેની પણ થઇ. એવું કહેવાય છે કે એ વખતે ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગ્લોર જેવા આઇટી હબ ગણાતા શહેરોની અમેરિકન એમ્બેસીના કોન્સ્યૂલેટ ઓફિસર્સ આ ક્ષેત્રના નિષ્ણાતોની અરજીને જોયા વગર, ઊંચું જોઇને સામે કોણ ઊભું છે એ નોટિસ કર્યા વગર પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી દેતા. 25 વર્ષ પહેલાં આવેલા અબજોપતિ થઇ ગયાઅને 25 વર્ષ પહેલાં આવેલા આ બધા નિષ્ણાતો અત્યારે આ તક અને એની કદર કરી જાણનાર દેશ નામે અમેરિકામાં આવીને કરોડપતિ નહીં પણ નોકરી પછી પોતાની કંપની શરૂ કરીને અબજોપતિ થઇ ગયા. હોટમેલના સાબિર ભાટિયા, ગૂગલના સુંદર પીચાઇ, માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા જેવાની કહાની સાંભળીને અને સફળતા જોઇને આજે પણ ભણવા, નોકરી કરવા અને વસવા માટે અમેરિકા શ્રેષ્ઠ દેશ ગણાય છે. તેનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં દરેકે દરેક પ્રક્રિયા જેમ કે સ્ટુડન્ટ વિઝામાંથી નોકરી માટે એચ 1 બી વિઝા અને પછી ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા મેળવવી એકંદરે સહેલી હતી, છે. ઉપરાંત અમેરિકા જ ફક્ત વિશ્વનો એક એવો શ્રેષ્ઠ જીવનની અને તકોની ખાતરી આપતો દેશ છે જ્યાં કાયદેસર તો ઠીક ગેરકાયદેસર વસાહતીઓના જે બાળકો આ ભૂમિ પર જન્મે તે આપોઆપ અમેરિકન નાગરિક બની જાય એવી સગવડ મળે છે! સરળ પ્રક્રિયાઓનો ગેરફાયદો ઉઠાવ્યોપણ અમેરિકાની આ સરળ પ્રક્રિયાઓ, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લાભ વસતિ વધારાને કારણે આવતી સ્પર્ધામાં હાથ પગ મારીને, બુદ્ધિ સાચી ખોટી જગ્યાએ વાપરીને રસ્તો કરી જાણનાર ચાઇનીઝ, રશિયન અને દુઃખ સાથે ખાસ કરીને ભારતીય મૂળના લોકોએ ખૂબ ઉઠાવ્યો અને એ વ્યવસ્થાઓનું શોષણ કર્યું. એચ વન બી જેવા વિઝા જે પ્રતિભાશાળી નિષ્ણાતો જે અમેરિકામાં ઉપલબ્ધ નહોતા એવા લોકો માટે બનાવેલા, એની કાયદાકીય પ્રક્રિયામાં રહેલા છીંડા શોધીને આર્ટસ, કોમર્સ કે એપટેક જેવી સંસ્થાઓમાંથી કમ્પ્યુટરનો કોર્સ કરેલા લોકોને આ દેશમાં લાવવા માટે કરીને અત્યારે ઘણી જગ્યાએ અળખામણા બન્યા છે. એના કારણોમાં ઘણા બધા મૂળ વસાહતીઓ એવા અમેરિકન લોકો સિવાય 500 વર્ષ પહેલાં આવેલા વસાહતીઓ જે આટલી બધી પેઢીથી અમેરિકાના નાગરિક છે. જેની અહીં 3-4 પેઢી વસી રહી છે એવા ભારતીય અને બીજા મૂળના લોકોને એવું લાગે છે અને ઘણી રીતે હકીકત પણ છે કે આ સામાન્ય આવડતવાળા સામાન્ય કામ માટે આવીને અમારી નોકરી છીનવી રહ્યાં છે. વસાહતીઓ સામે અણગમો વધી રહ્યો છેઆ ઉપરાંત જે તે દેશના કાયદા પ્રમાણે રહેવાની ઉદાસીનતા, અમેરિકા જેવા દરેક વાતમાં ઉદાર નીતિ ધરાવતા દેશની એ નીતિનો લાભ લઇને પોતાના રીત રિવાજને જક્કી રહીને વળગી રહેવું, ગંદકી કરવી, કાયદાઓનો, મળતી સગવડોનો ગેરલાભ ઉઠાવવો વગેરે કારણે પણ ફક્ત ભારતીય નહીં આવા દરેક દેશના એવા વસાહતીઓ માટે અણગમો, રોષ વધી રહ્યો છે એ હકીકત છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે મીઠાં ઝાડના મૂળિયાં ના કપાય ! આ કહેવત ને અને એમાં રહેલા ભાવાર્થને જો આ અમેરિકન ડ્રીમ ધરાવતા લોકો ગંભીર રીતે નહીં લે તો ફક્ત વ્યવસાયિક અને શ્રેષ્ટ સગવડો જ નહીં પણ ખરી રીતે સ્વતંત્રતા, મુક્તિનો અહેસાસ કરાવતા અને પોતાના નાગરિકની જીંદગી, મહત્તા સમજતા અને એની જાળવણી કરતા આ એક અતિ સુંદર દેશ માટે કાયમ માટે દરવાજા બંધ નહીં થાય તો પણ અળખામણા બનીને જીવવાની તૈયારી રાખવી પડશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપની પાર્લામેન્ટરી ન મળી, આજે બેઠક બાદ રાત્રે નામ જાહેર થવાની વકી
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે 76 બેઠકો પર 1434 દાવદારોની સ્ક્રુટીની પ્રકિયા હાથ ધરાશે. જેમાં બુધવારે સાંજે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હવે ગુરુવારે સવારે મળશે તેવું જાહેર કરાયું છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મોડી રાતે ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપના પ્રદેશ નિરીક્ષકોની ટીમે ગત 1 એપ્રિલે સેન્સ પ્રક્રિયા યોજી હતી. જેમાં 19 વોર્ડની 76 બેઠકો પર 1434 દાવેદારોએ ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નિરીક્ષકોની ટીમે બાયોડેટા સાથેની યાદી પ્રદેશ સ્તરે સોંપી હતી. વડોદરામાં સંકલનની બેઠક યોજવાની જગ્યાએ મંગળવારે સાંજે વડોદરા સંગઠનની ટીમ અને ધારાસભ્યોને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. જ્યાં રાત્રે 3 વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં વોર્ડ દીઠ પેનલ નક્કી કરાઇ હતી. ગાંધીનગરમાં બુધવારે સવારથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અલગ અલગ જિલ્લા અને શહેરોની દાવેદારોની યાદી પર ચર્ચા કરાઈ હતી. વડોદરા શહેરના સંગઠન અને ધારાસભ્યોને સાંજે બેઠક યોજાશે તેવી જાણકારી અપાઈ હતી. જોકે સાંજે પ્રદેશથી ગુરુવારે સવારે 9.30 આગે ગાંધીનગર હાજર રહેવા સૂચના અપાઈ હતી. બોર્ડની બેઠકમાં બપોર સુધી ચર્ચા થશે અને ત્યારબાદ મોડી રાત સુધી ઉમેદવારોના નામોની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ભાજપ તબક્કાબાર બેઠકો જાહેર કરે તેવી પણ શક્યતાઓ છે. નિયમો તોડી પૂર્વ કાઉન્સિલરોના પરિવારજનોને ટિકિટ અપાય તેવી પણ શક્યતા ઉજાગર થઇપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રદેશ મોવડી તરફથી જાહેર કરાયેલા નિયમો મુજબ ઉમેદવારોની યાદીમાં 60 પ્લસની વયમર્યાદા, ત્રણ ટર્મ અને પરિવાર વાદને જાકારો આપવામાં આવશે તેવી સ્પષ્ટ વાત કહેવાય છે. પરંતુ જાણવા મળ્યું છે કે સંકલનની બેઠકમાં ચર્ચાએ નામ પૈકી 8થી 10 નામો એવા મુકાયા છે કે જેમાં પૂર્વ કાઉન્સિલરોના પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધુ અથવા નજીકના સંબંધી હોય. હવે આ નામોને મંજૂરી અપાશે કે કેમ તે યાદી આવ્યા પછી બહાર આવશે. 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્રો ભરવા દોડધામ થઇ શકેભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવારે પૂર્ણ થશે અને ત્યારબાદ મોડી રાત્રે નામોની એક યાદી જાહેર થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ વિવાદ ન થાય તેવી બેઠકો પર નામોની પહેલી યાદી જાહેર કરાઈ છે. ગુરુવારે બાકીની બેઠકો જાહેર કરે તેવી શક્યતાઓ છે. જો બંને પક્ષો ગુરુવારે યાદી જાહેર કરશે તો આગામી 10 અને 11 તારીખે ફોર્મ ભરવા ઉમેદવારોની લાઈનો લાગશે.
વધતા કોંક્રીટના જંગલ વચ્ચે શહેરોમાં કુદરતી હરિયાળી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. લોકો હવે કુદરતની નજીક રહેવા ગામડાઓ તરફ વળતા જોવા મળે છે, પરંતુ દરેકને એ શક્ય નથી બનતું. આવી સ્થિતિમાં, કેટલાક લોકો પોતાના ઘરને જ હરિયાળું બનાવીને કુદરતનો અનુભવ માણી રહ્યા છે. આ નવી પ્રવૃત્તિ શહેરના વ્યસ્ત જીવનમાં પણ કુદરત સાથે જોડાવાનો વિકલ્પ બની રહી છે. વડોદરાની પૂર્વ શિક્ષિકા અલ્પા શાહે પોતાના ઘરને 300થી વધુ વિવિધ પ્રકારના છોડથી સજાવ્યું છે. આ વિશે તેઓએ કહ્યું કે, ઘરમાં 300થી વધુ છોડ છે, જેમાં સ્નેક પ્લાન્ટની અનેક જાતિઓ સામેલ છે. મારી પાસે શાકભાજી, ઔષધીય અને ડિઝાઇનર છોડ સહિત અનેક પ્રકારના છોડ છે. જે બાથરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી જે મારા ઘરના દરેક ખૂણાને સજાવે છે. હું મારા રસોડામાં પાલક, મેથી જેવા શાકભાજી પણ ઉગાડું છું. તૂટેલા ચાના કપ, વપરાઈ ગયેલી પાણી અને દૂધની બોટલ જેવી બિનઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરીને હું તેને પ્લાન્ટર બનાવી તેમાં છોડ ઉગાડું છું, જેથી કચરાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય.

29 C