SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

સુરતમાં 'કન્યાદાન' સાથે અપાયું 'સ્વાસ્થ્યદાન':હાથમાં મહેંદી ને લગ્નની લાલચૂડીઓ સાથે પિતાવીહોણી 101 નવવધૂઓ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ, પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓએ સર્વાઈકલ રસી અપાઈ

સુરતમાં ગત 14 માર્ચના રોજ માનવતા અને જનજાગૃતિનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 101 પિતાવીહોણી દીકરીઓ લગ્નની વિધિઓના બે દિવસ બાદ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ સર્જાયું હતું. આ દીકરીઓએ હાથમાં મહેંદી અને લાલચૂડી સાથે સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન મુકાવી સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ માટે અનોખી ભેટ યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમૂહલગ્નમાં જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અથવા જેઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે, તેવી 101 દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવ્યા હતા. જોકે, માત્ર લગ્ન કરાવીને જવાબદારી પૂર્ણ કરવાને બદલે ફાઉન્ડેશને આ નવવધૂઓના ભાવિ સ્વાસ્થ્યની પણ ચિંતા કરી હતી. પીએમ મોદીના વિઝન અને સી.આર. પાટીલના જન્મદિનની અનોખી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી મુક્ત રાખવા માટે HPV વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. આ વિઝનને આગળ ધપાવતા અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે, યશવી ફાઉન્ડેશને તમામ 101 નવવધૂઓને આ મોંઘી રસી મફતમાં અપાવવાનો નિર્ણય કર્યો હતો. યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રીબેને જણાવ્યું હતું કે, લગ્ન એ નવા જીવનની શરૂઆત છે, અને અમે ઈચ્છીએ છીએ કે આ દીકરીઓ સ્વસ્થ જીવન જીવે. કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ એ જ સાચું કરિયાવર છે. મહિલા કર્મચારીઓએ પણ લીધી રસી માત્ર નવવધૂઓ જ નહીં, પણ આ સામાજિક કાર્યમાં જોડાયેલી ફાઉન્ડેશનની મહિલા કર્મચારીઓએ પણ HPV રસી મુકાવીને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લાયન્સ કેન્સર હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા આ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તબીબોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, જો દરેક સામાજિક સંસ્થાઓ આ રીતે આગળ આવે તો ભારતને સર્વાઈકલ કેન્સર મુક્ત બનાવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 7:25 pm

ડાંગમાં મજૂરીના હિસાબ બાબતે ચપ્પુથી હુમલો:ત્રણ આરોપી સુરતથી ઝડપાયા, આહવા પોલીસે કાર્યવાહી કરી

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરીના હિસાબ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ચપ્પુથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના ગુનામાં આહવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી મહેશ અશોકભાઈ પરમાર અને સાક્ષી શૈલેષ અશોકભાઈ પરમાર સહિત અન્ય લોકો સાથે ઇટના ભઠ્ઠા ઉપર મજૂરીના રૂપિયા અંગે હિસાબ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ શૈલેષના પેટના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે આહવા પોલીસ સ્ટેશન ખાતે તા. 10 માર્ચ 2026ના રોજ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના નેતૃત્વમાં ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે ખાસ કામગીરી શરૂ કરવામાં આવી. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુરત ખાતે હોવાનું જાણવા મળતાં પોલીસ ટીમે ત્યાં પહોંચી તેમને ઝડપી પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજુ વિનુ ચુડાસમા, અશ્વિન વિનુ ચુડાસમા અને રોશનીબેન રાજુ ચુડાસમાનો સમાવેશ થાય છે. આ તમામ હાલ મૂળચોંડ, તા. આહવા, જી. ડાંગના રહેવાસી છે અને મૂળ રૂપાવટી ગામ, તા. મહુવા, જી. ભાવનગરના વતની છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપુત, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ પાંડુભાઈ, પ્રકાશ કાશીરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીત ધનજીભાઈ, પ્રકાશ સાધુરામભાઈ અને અશોક મુકુંદભાઈએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 7:24 pm

માણસામાં ધોળા દિવસે ઘરના તાળાં તૂટ્યા:આનંદપુરામાં વૃદ્ધ ઘઉં કાઢવા ખેતરમાં ગયાને તસ્કરો ત્રાટક્યા, 36 લાખના દાગીના-રોકડ લઈ ફરાર

માણસા તાલુકાના આનંદપુરા (વેડા) ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ખેડૂતના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. 36 લાખથી વધુની કિંમતના સોનાચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત એ છે કે, આ ચોરી થયેલા મોટાભાગના દાગીના ફરિયાદીના સાળાએ સાચવવા માટે મૂક્યા હતા. હાલમાં તો માણસા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પત્નીને હવનમાં મુકી ખેતરે ગયાં હતાંમાણસા તાલુકાના આનંદપુરામાં રહેતા 63 વર્ષીય કનૈયાલાલ કુબેરભાઈ ચૌધર 2021માં આરોગ્ય વિભાગમાં એમ્બ્યુલન્સ વાન ચાલક તરીકે નિવૃત્ત થયા છે અને હાલ ખેતીકામ કરે છે. તેમણે માણસા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 15 માર્ચના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં કનૈયાલાલ ખેતરમાં ઘઉં કાઢવા માટે ગયા હતા. તે જ દિવસે તેમના મોટાભાઈ રમણભાઈના ઘરે માતાજીનો હવન હોવાથી તેઓ તેમની પત્ની રાજીબેનને ત્યાં મૂકીને ખેતરે ગયા હતા. ઘરે પરત ફરતા સામાન વેરવિખેર હતોત્યારે બપોરે આશરે પોણા એક વાગ્યાની આસપાસ જ્યારે રાજીબેન હવન પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે ઘરની લોખંડની જાળીના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. બાદમાં અંદર તપાસ કરતા તિજોરીઓના લોક ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરીની ચાવીઓ પણ સામે લટકતી હતીનવાઈની વાત છે કે, ઘરમાં લાખોની મત્તા પડી હોવા છતાં તિજોરીની ચાવીઓ બાજુમાં જ હૂક પર લટકતી હોવાથી તસ્કરોને ચોરી કરવામાં સરળતા રહી હતી. જે અંગે વધુ તપાસ કરતા પ્રથમ રૂમની તિજોરીમાંથી રૂ. 18,000ની રોકડ અને બીજા રૂમની તિજોરીમાંથી મોટા સોનાચાંદીના દાગીના ગાયબ હતા. તસ્કરોએ તમામ દાગીના પર હાથ સાફ કર્યોફરિયાદીમાં જણાવ્યા મુજબ, તેમના સાળા અમૃતભાઈ શીવાભાઈ ચૌધરી (રહે. આમજા)ના નવા મકાનનું બાંધકામ ચાલતું હોવાથી તેમણે સુરક્ષાના હેતુથી અંદાજે બે માસ પહેલા પોતાના કિંમતી ઘરેણાં કનૈયાલાલના ઘરે સાચવવા માટે મૂક્યા હતા. તસ્કરોએ આ તમામ દાગીના પર હાથ સાફ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીઆ અંગે ખેડૂતે 3 તોલાના સોનાના બાજુબંધ કિ.રૂ. 4.20 લાખ, સાડા પાંચ તોલાનું મંગળસૂત્ર કિં.રૂ. 7.70 લાખ, પોણા ત્રણ તોલાની સોનાની ચેન કિં.રૂ. 3.85 લાખ, સોનાનો સેટ, વીંટીઓ અને કાનની બુટ્ટીઓ મળી કુલ રૂ.35.88 લાખના દાગીના તથા રૂ. 18,000 રોકડ મળીને કુલ રૂ. 36.06 લાખની મતાની ચોરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 7:11 pm

એચ.એ.કોલેજમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ યોજાયો:પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને દેશભક્તિ માટે પ્રેર્યા

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે સરદાર પટેલની પ્રેરણા અને સેવા આજના યુવાનોને દેશભક્તિ તરફ દોરી જાય છે. તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને ભવ્ય વારસાને જાળવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. વકીલે દેશના વિકાસ માટે ભાઈચારાની ભાવના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની આપલે અને એકતા ઊભી કરવી જરૂરી હોવાનું જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેની સલામતી, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર હોય છે. દેશના લોકો એકબીજા સાથે જોડાય, તેમના વિચારોની આપલે કરે તથા તેમની ભાષા, બોલી અને જ્ઞાનનું આદાનપ્રદાન કરે તે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રિન્સિપાલ વકીલે કહ્યું કે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક આંદોલન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે વિશ્વ યુદ્ધના માહોલમાં જીવી રહ્યું છે, ત્યારે ભારતની અખંડિતતા, સંસ્કૃતિ, ભાઈચારો, એકતા અને બંધુત્વની ભાવના વિશ્વશાંતિની સ્થાપના કરી શકે છે. આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 7:06 pm

કુમકુમ મંદિરના સંતો કચ્છમાં, પાટોત્સવની ઉજવણી થશે:માધાપર મંદિરે 20 માર્ચે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક

અમદાવાદના કુમકુમ મણિનગર મંદિરના સંતો 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છમાં સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરશે. આ દરમિયાન 20 માર્ચે માધાપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમનો પાટોત્સવ ઉજવાશે. 18 માર્ચ, બુધવારના રોજ કુમકુમ મંદિરના સંતો માધાપર મંદિરે પધારશે. ત્યાંથી તેઓ ભાકાસર અને બળદીયા સહિતના ગામોમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે પધરામણી કરીને કથા-વાર્તાનો લાભ આપશે. 19 માર્ચ, ગુરુવારના રોજ ભૂજ અને દહીંસરા સહિતના ગામોમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સંતોની પધરામણી થશે. આ ઉપરાંત, માંડવી દરિયા કિનારે શ્રી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરીને સત્સંગ સભા યોજવામાં આવશે. 20 માર્ચ, શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – માધાપર ખાતે પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન અને અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. વિવિધ ગામોથી પધારેલા હરિભક્તો આરતી કરશે. આ પ્રસંગે કથામૃતનું પાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે. શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કચ્છની ભૂમિ પર શ્રી જીવનપ્રાણ બાપાશ્રી પ્રગટ થયા હતા. તેમના પ્રતાપે કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ વચનામૃત ઉપર શ્રી અબજી બાપાશ્રીએ કરેલી રહસ્યાર્થ પ્રદિપિકાટીકા આજે દરેક મંદિરો અને ઘરોઘરમાં વંચાય છે. આ ટીકાના કારણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને યથાર્થ રીતે ઓળખી શકાય છે. આ ગ્રંથ ભારતીય સંસ્કારોને ટકાવી રાખવામાં મદદરૂપ થયો છે, જેના પરિણામે યુવાનો પણ વ્યસનમુક્ત અને સદાચારયુક્ત જીવન જીવતા થયા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 7:04 pm

તાપીના સોનગઢના ગીધમાડી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ગરમાયો:મુખ્યમંત્રીના આદેશ છતાં દબાણ કેમ દૂર નથી થતું? કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ પૌરાણિક 'ગીધમાડી આયા ડુંગર' પર થયેલા અતિક્રમણનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. આ ડુંગર પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની માંગ સાથે આજે દેવ બિરસા સેના દ્વારા વ્યારા ખાતે ભવ્ય રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. શું છે સમગ્ર વિવાદ? બંધારપાડા ગામે આવેલ ગીધમાડી આયા ડુંગર આદિવાસી સમાજ માટે પેઢીઓથી અત્યંત આસ્થાનું કેન્દ્ર અને પૌરાણિક દેવસ્થાન છે. આદિવાસી સંગઠનોનો આક્ષેપ છે કે: 1.આ પવિત્ર ડુંગર પર ખ્રિસ્તી સમુદાય દ્વારા 'મરિયમ માતા'નું મંદિર બનાવી દબાણ કરવામાં આવ્યું છે. 2. આ મુદ્દે લાંબા સમયથી કાયદાકીય લડત ચાલી રહી છે. 3.વર્ષ 2023માં મુખ્યમંત્રી કચેરી દ્વારા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર મૌન સેવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચાલે છે, તો તાપીમાં કેમ નહીં?દેવ બિરસા સેનાના કિરણ ગામીતે જણાવ્યું કે, “ગુજરાતભરમાં બુલડોઝર ચાલે છે, તો તાપીમાં કેમ નહીં?” રેલી દરમિયાન દેવ બિરસા સેનાના આગેવાનોએ વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, સમગ્ર ગુજરાતમાં જ્યારે ગેરકાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફરી વળે છે, તો પછી તાપી જિલ્લામાં આ દબાણ દૂર કરવામાં તંત્ર કેમ પાછીપાની કરી રહ્યું છે? આ વિલંબ પાછળ કોઈ રાજકીય હસ્તક્ષેપ કે વહીવટી ઉદાસીનતા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકીદેવ બિરસા સેનાનાં અધ્યક્ષ અરવિંદ વસાવા એ જણાવ્યું કે, “જો મુખ્યમંત્રીના આદેશનું પાલન વહેલી તકે નહીં થાય અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહીં આવે, તો આવનાર દિવસોમાં દેવ બિરસા સેના ભગવાન બિરસા મુંડાના ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.” આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આસ્થાના કેન્દ્ર સમાન ડુંગરની પવિત્રતા જાળવી રાખવા માટે તાત્કાલિક ધોરણે દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરી દ્વારા આ દિશામાં શું પગલાં લેવામાં આવે છે કે પછી વિવાદ વધુ વકરશે. આ પણ વાંચો : હિન્દુ મંદિરને ખ્રિસ્તી મંદિર બનાવી દીધું!:સોનગઢના 'ગીધમાડી આયા મંદિર' પર ક્રોસ લગાવી મરિયમ માતા મંદિર બનાવી દેવાતાં સ્થાનિકોમાં આક્રોશ, પૂજા કરવા ગયેલા સંતોને ભગાડ્યા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગીધમાડી આયા ડુંગર મંદિર પર ક્રોસ લગાવી મરિયમ માતા મંદિર બનાવી દેવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન પૂજા કરવા ગયેલા સંતોને ખ્રિસ્તી યુવાનોએ ભગાડ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 7:04 pm

UGVCLના પૂર્વ આસિ.સેક્રેટરીને રિટાયરમેન્ટના 18 દિવસ પહેલાં નોટિસ:બે કર્મચારીઓને નિયમો તોડી પ્રમોશન અપાયાનો આક્ષેપ, પતિએ કલેક્ટરને પત્ર લખી તપાસની માગ કરી

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને અન્યાયી વલણ સામે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. UGVCLના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિ પૂનમચંદ વણકરે કલેક્ટરને પત્ર પાઠવીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. નિયમો નેવે મૂકી પ્રમોશન આપ્યાનો આક્ષેપરજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પરસ્પર મેળાપીપણું કરીને બે કર્મચારીઓને સરકારી મંજૂરી કે જરૂરી નિયમો વગર ખોટી રીતે ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન આપી દીધું છે. આ કર્મચારીઓને ઉંચા પગાર-ભથ્થાં આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે. પૂનમચંદ વણકરે માંગ કરી છે કે આ બંને કર્મચારીઓ પાસેથી વ્યાજ અને પેનલ્ટી સાથે તમામ રકમ વસૂલવામાં આવે. 2007ના એક જૂના કેસમાં નાણાં ભરવાની નોટિસ પધરાવી દઈને પજવણી કરવામાં આવીઆ સમગ્ર મામલે 'ઊલટા ચોર કોટવાલ કો દંડે' જેવો ઘાટ સર્જાયો હોવાનું ફરિયાદીનું કહેવું છે. આક્ષેપ મુજબ તેમની પત્ની પાસે આ કથિત કૌભાંડની વિગતો હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની પત્નીની નિવૃત્તિના માત્ર 18 દિવસ બાકી હતા ત્યારે જ સત્ય દબાવવાના આશયથી વર્ષ 2007ના એક જૂના કેસમાં નાણાં ભરવાની નોટિસ પધરાવી દઈને પજવણી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે પ્રામાણિક કર્મચારીને હેરાન કરવામાં આવતા હોવાનો ગંભીર ગણગણાટ શરૂ થયો છે. UGVCL ના એમ.ડી.નો બચાવબીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે UGVCL ના મેનેજિંગ ડિરેક્ટર નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ મામલે મૌન સેવ્યું હતું. તેમણે ટૂંકમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ અત્યારે કોર્ટના આધીન છે અને બંને પક્ષો વચ્ચેનો મામલો ન્યાયતંત્ર પાસે હોવાથી તેઓ આ વિષય પર કોઈ પણ ટિપ્પણી કરવા માંગતા નથી.હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરીમાં થયેલી આ રજૂઆત બાદ આ કથિત ભરતી અને પ્રમોશન કૌભાંડમાં કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:58 pm

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સાકાર થશે વિકસિત ભારત:ગણપત યુનિવર્સિટીની અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી સિરીઝમાં નિષ્ણાતો દ્વારા મહત્વનું માર્ગદર્શન

ગણપત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં “ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા: પાથવેઝ ટુ વિકસિત ભારત–2047” વિષય પર 11મી બાય-મન્થલી ‘અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને જીએસટી નેટવર્કના સ્થાપક સીઈઓ પ્રકાશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ ટેક્નોલોજી અને જાહેર નીતિનું મહત્વકાર્યક્રમની શરૂઆતમાં ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડીન ડૉ. કિરણ અમીને સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય વિકાસમાં ડિજિટલ ટેક્નોલોજી અને જાહેર નીતિની સભાનતાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. ડિજિટલ ગવર્નન્સના મજબૂત સ્તંભોમુખ્ય વક્તા પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે, આધાર, યુપીઆઈ (UPI) અને ડિજી-લોકર એ ભારતના ડિજિટલ ગવર્નન્સના મજબૂત સ્તંભો છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) દ્વારા શાસન વ્યવસ્થામાં પારદર્શિતા આવી છે અને કરોડો નાગરિકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચી રહી છે. આધુનિક ટેક્નોલોજીઓ ‘વિકસિત ભારત-2047’ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને માર્ગદર્શનઆ સત્રમાં મિકેનિકલ, મેકેટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા ડિજિટલ ગવર્નન્સ અને ફિનટેક ક્ષેત્રે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. ગણપતભાઈ પટેલ અને વહીવટી મંડળનો આભાર માનવામાં આવ્યો હતો. આ સત્ર થકી વિદ્યાર્થીઓને ડિજિટલ અર્થતંત્રમાં રહેલી ઉજ્જવળ તકો વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:56 pm

વેરાવળમાં તહેવારો પહેલા પોલીસ સજ્જ:શાંતિસમિતિની બેઠક અને શહેરમાં ફ્લેગમાર્ચ યોજી, અસામાજિક તત્વોને કડક સંદેશ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામનવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વિવિધ સમાજોના પ્રમુખો, આગેવાનો તેમજ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પી.આઈ. જે.એન. ગઢવીએ સમાજના આગેવાનોને અફવાઓ, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહી શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. પી.આઈ. ગઢવીએ જણાવ્યું હતું કે, વેરાવળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોઈપણ અસામાજિક તત્વો દ્વારા કાયદો ભંગ કરવાનો પ્રયાસ કરાશે તો કડક કાર્યવાહી કરાશે. શાંતિ સમિતિની બેઠક બાદ વેરાવળ સીટી પી.આઈ. જે.એન. ગઢવીની આગેવાનીમાં શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. ફ્લેગ માર્ચમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના PSI રાયજદા, PSI પ્રજાપતિ, મહિલા પોલીસ કર્મચારીઓ અને GRDના જવાનો જોડાયા હતા. પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. આનાથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસનો મોટો કાફલો મુખ્ય વિસ્તારોમાંથી પસાર થતાં નાગરિકોમાં વિશ્વાસ વધ્યો હતો. ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાનાર અથવા કાયદો વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ તંત્રએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. વેરાવળ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે દરેક નાગરિકનો સહકાર જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:48 pm

અમૂલ ડેરીએ ઓડ ખાતે નવી સેક્સડ સીમેન લેબ ખોલી:પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવા અમૂલ ગૌસોર્ટ, GE-NOVA લેબનું ઉદ્ઘાટન

આણંદ સ્થિત અમૂલ ડેરીએ ઓડ ખાતેના સિમેન સ્ટેશનમાં અમૂલ ગૌસોર્ટ અને અમૂલ GE-NOVA સેક્સડ સીમેન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દૂધાળા પશુઓની આનુવંશિક ક્ષમતા સુધારવાના મહત્વપૂર્ણ અભિયાનના ભાગરૂપે આ લેબ્સ શરૂ કરવામાં આવી છે. અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજય પટેલ,ABS-USAના ચીફ ઓપરેટિંગ ઓફિસર જીમ-લો, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અમિત વ્યાસ અને GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.જયેન મહેતા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અમિત વ્યાસે સંઘના નિયામક મંડળને અમૂલના 1952થી ચાલી આવતા સંવર્ધન ઇતિહાસ વિશે માહિતી આપી હતી. તેમણે પ્રવાહી સીમેનના ઉત્પાદનથી લઈને આધુનિક IVF લેબ સુધીની પ્રગતિની વિગતો રજૂ કરી હતી. ઉદ્ઘાટન કરાયેલી પ્રથમ લેબ 'અમૂલ ગૌસોર્ટ સેક્સડ સીમેન લેબ' છે, જે NDS-NDDBના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે NDDBના સિનિયર જનરલ મેનેજર ડૉ.નિલેશ નાઈ પણ હાજર રહ્યા હતા. બીજી લેબ 'અમૂલ જી-નોવા સેક્સડ સીમેન લેબ' એબીએસ જીનસ, યુએસએ સાથેની ભાગીદારીમાં બનાવવામાં આવી છે અને તે વાર્ષિક 0.7 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ નવી સુવિધા દર વર્ષે કુલ 1.4 મિલિયન સેક્સડ સીમેન ડોઝનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે. અમૂલ સીમેન સ્ટેશન સી.એમ.યુ. એ-ગ્રેડ અને આઈ.એસ.ઓ.9001:2015 પ્રમાણિત છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 મિલિયન પરંપરાગત ડોઝ અને 0.8 મિલિયન સેક્સડ સીમેન ડોઝ છે. હાલમાં, અમૂલ મિલ્ક શેડમાં પરંપરાગત અને સેક્સડ સીમેન બંનેના 1.5 મિલિયન ડોઝ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત, ભારતભરમાં વિવિધ સહકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓને 6.5 મિલિયનથી વધુ ડોઝનું વેચાણ થાય છે. નવા વિકસિત સેક્સડ સીમેન ફક્ત અમૂલના દૂધ ઉત્પાદકોની જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં વધતી જતી માંગને પણ પૂરી કરશે. વિશ્વસનીય બોવાઇન જિનેટિક ભાગીદાર બનવાની પ્રતિબદ્ધતા સાથે, અમૂલનો હેતુ ભારતને વૈશ્વિક ડેરી ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાપિત કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:46 pm

MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રિન્ટ એડ્સ વર્કશોપ યોજાયો:ગ્રાહક મનોવિજ્ઞાન દ્વારા જાહેરાતોને અસરકારક બનાવવાની તાલીમ અપાઈ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ફેકલ્ટી ઓફ કોમર્સ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા Print Ads That Persuade: A Hands-On Consumer Psychology Workshop નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ 16 માર્ચ ના રોજ ફેકલ્ટી ઓફ કોમર્સના મુખ્ય બિલ્ડિંગના કોમ્પ્યુટર લેબ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિઝનેસ કન્સલ્ટન્ટ અને ચકલી કન્સલ્ટિંગના સ્ટ્રેટેજિક એડવાઇઝર મૌલિક ચૌહાણ રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાહેરાતોમાં ગ્રાહક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. ચૌહાણે વિદ્યાર્થીઓને સર્જનાત્મક વિચારધારા, અસરકારક લખાણ (કોપી) અને આકર્ષક દ્રશ્યોનો ઉપયોગ કરીને પ્રિન્ટ જાહેરાતો કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ આ હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જૂથમાં પોતાની પ્રિન્ટ જાહેરાતો ડિઝાઇન કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. સંદીપકુમાર પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આયોજન સમિતિ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રજ્ઞેશ બી. શાહ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડ શ્યામલ પ્રધાનનો સહકાર અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને કારણે આ વર્કશોપ શૈક્ષણિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:39 pm

પાટણ યુસુફખાન હત્યા કેસ: 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ:નીલમ સિનેમા પાસે ફાયરિંગ કરનાર મુખ્ય શૂટર સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચે યુસુફખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પાટણ પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 12 માર્ચના રોજ પાટણ શહેરમાં જાહેર માર્ગ પર સ્વિફ્ટ કારમાં સવાર યુસુફખાન પઠાણ પર અંધાધૂંધ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસે આ કેસમાં ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા ચારેય આરોપીઓને પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા, હથિયારો અને અન્ય કાવતરાખોરો અંગેની વિગતો મેળવવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:38 pm

વડોદરામાં આબોહવા પરિવર્તન પર વિશેષ વ્યાખ્યાન:પદ્મશ્રી ડૉ. શૈલેષ નાયકે પર્યાવરણ સંતુલન માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો

લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા તેના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વ. લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષથી વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષનું વિશેષ વ્યાખ્યાન આજે ગદાપુરા સ્થિત લાયન્સ હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. આબોહવા પરિવર્તન: એક વૈશ્વિક પડકારઆ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેશના જાણીતા વૈજ્ઞાનિક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. શૈલેષ નાયક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આબોહવા પરિવર્તન અને સમાન ભવિષ્ય: એક પરિપ્રેક્ષ્ય (ભવિષ્ય પૃથ્વી) વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. ડૉ. શૈલેષ નાયકે જણાવ્યું હતું કે, જલવાયુ પરિવર્તન એ વર્તમાન સમયનો સૌથી મોટો વૈશ્વિક પડકાર છે. આવનારી પેઢી માટે પર્યાવરણનું સંતુલન જાળવી રાખવું હોય તો અત્યારથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સતત સંશોધન પ્રક્રિયા સાથે જોડાવું અનિવાર્ય છે. સમાજ જાગૃતિમાં લાયન્સ ક્લબનું યોગદાનકાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન CA દીપક સુરાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે લાયન્સ ક્લબ માત્ર સેવાકીય પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ પર્યાવરણ અને સામાજિક મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહી છે. લાયન્સ ક્લબ ઓફ બરોડાના પ્રમુખ લાયન ગૌરાંગ પંડયા અને સચિવ લાયન એડવોકેટ દેવેન્દ્ર પારેખે સ્વ. વિશ્વજીત મહેતાના સેવાકાર્યોને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનમાળા દ્વારા તેમનો જ્ઞાન અને જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને જ્ઞાનપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:34 pm

ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ:બહુચરાજીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના આપઘાત, નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી મંજૂર

મહેસાણા બહુચરાજી તાલુકાના રણેલા ગામના યુવાન સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટનામાં એક મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ નીચલી કોર્ટે અગાઉ ફગાવી દીધા હતા, પરંતુ મહેસાણા સેશન્સ કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજીઆ કેસની વિગત મુજબ રણેલા ગામના સંદીપ પટેલે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધાકધમકીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બહુચરાજી જે.એમ.એફ.સી. કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તે સમયે કોર્ટે આરોપીઓની રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટના આ નિર્ણય સામે સરકાર પક્ષ દ્વારા મહેસાણા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યામહેસાણા સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, આત્મહત્યા જેવી ગંભીર ઘટના પાછળના કારણો અને વ્યાજખોરીના નેટવર્કની ઊંડી તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત આવશ્યક છે. સરકારી વકીલની આ દલીલોને ધ્યાને રાખીને સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ રિવિઝન અરજી મંજૂર કરી હતી અને ત્રણેય આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપવા હુકમ કર્યો હતો. આ ચુકાદાને પગલે હવે પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી વ્યાજખોરીના આ પ્રકરણમાં વધુ વિગતો બહાર લાવશે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:29 pm

પ્રામાણિક કારદાતાઓએ તિજોરી છલકાવી:રાજકોટ મનપાનાં વેરાવિભાગની આવક રૂ. 400 કરોડને પાર, રૂ. 10,000 સુધી વ્યાજમાફીની યોજના 31 માર્ચ સુધી ચાલુ, રજાના દિવસોમા પણ વેરો ભરી લાભ લઇ શકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નાં અંતિમ તબક્કામાં વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 4,38,442 જેટલા પ્રામાણિક કરદાતાઓએ પોતાના નૈતિક અને નાગરિક ધર્મને સમજીને કુલ રૂ. 400.89 કરોડનો મિલકત વેરો તથા પાણી વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી દીધી છે. હવે જ્યારે આ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના 15 દિવસો બાકી છે, ત્યારે બાકી રહેલા રૂ. 55 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 31 માર્ચ સુધી મિલકત અને પાણીવેરો મળીને રૂ. 10,000 સુધીની વ્યાજમાફી યોજના ચાલુ રાખવામાં આવી છે. તો નાગરિકોની સુવિધા માટે રજાના દિવસોમાં કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગતવર્ષની તુલનાએ 31,144 કારદાતા અને 10 કરોડની આવક વધી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા કરવામાં આવેલા સઘન આયોજન અને જનજાગૃતિના પ્રયાસોના પરિણામે આ વર્ષે કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25 ના સમાન ગાળા દરમિયાન 4,07,276 કરદાતાઓએ રૂ. 390.86 કરોડનો વેરો ભર્યો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે 31,166 વધુ નાગરિકોએ વેરો ભરીને પોતાની જાગૃતિનો પરિચય આપ્યો છે. આ વધારાના કારણે મહાનગરપાલિકાની આવકમાં રૂ. 10.03 કરોડનો સીધો વધારો નોંધાયો છે, જે શહેરના વિકાસ કામો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રૂ. 10,000 સુધી વ્યાજ માફી,નાગરિકો માટે સુવર્ણ તક મહાનગરપાલિકાએ કરદાતાઓ પરનો આર્થિક બોજ ઘટાડવા અને બાકી વેરો વસૂલવા માટે પ્રોત્સાહક વ્યાજ માફી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત મિલકત વેરામાં રૂ. 5,000 અને પાણી વેરામાં રૂ. 5,000 એમ મળીને કુલ રૂ. 10,000 સુધીની વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જે નાગરિકોનો લાંબા સમયથી વેરો બાકી છે, તેમના માટે દંડની રકમમાં રાહત મેળવીને દેવું ચૂકવવાની આ છેલ્લી અને શ્રેષ્ઠ તક છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ પહેલાં વેરો ભરીને આ આર્થિક લાભ મેળવી લેવો જોઈએ. રજાના દિવસોમાં પણ કચેરીઓ ધમધમશે મનપાએ માર્ચ એન્ડિંગના ધસારાને ધ્યાનમાં રાખીને અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્રએ કચેરીઓના સમયમાં ફેરફાર કર્યો છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ રજાના દિવસે સરળતાથી વેરો ભરી શકે તે માટે રવિવાર અને જાહેર રજાઓમાં પણ વેરા બારીઓ ખુલ્લી રાખવામાં આવશે. * 25 માર્ચ સુધીનું આયોજન: તમામ બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની રજાઓ સહિત તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરીઓ સવારે 9:30 થી સાંજે 5:00 કલાક સુધી કાર્યરત રહેશે. * 26 થી 31 માર્ચ સુધીનું આયોજન: નાણાકીય વર્ષના છેલ્લા અઠવાડિયામાં વધતા ધસારાને પહોંચી વળવા માટે સમય વધારીને સવારે 9:30 થી સાંજે 6:10 કલાક સુધીનો કરવામાં આવ્યો છે. આ દિવસોમાં પણ કોઈ રજા પાળવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે કુલ રૂ. 455 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હાલની સ્થિતિએ રૂ. 400.89 કરોડ એકત્ર થઈ ચૂક્યા છે અને બાકીના રૂ. 55 કરોડ મેળવવા માટે વસૂલાત શાખા, અસેસમેન્ટ સેલ અને રિકવરી સેલને સક્રિય કરવામાં આવ્યા છે. આ માટે બાકીદારોને નોટિસ આપવાની સાથે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ નાગરિકોને વેરો ભરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન વેરો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી નાગરિકો ઘરે બેઠા પણ કોઈપણ વિલંબ વગર પોતાનો વેરો ભરી શકે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:24 pm

બોડેલીના ગૈડીયા ગામે રેતી લીઝ પર જનતા રેડ:નિર્ધારિત હદ બહાર અને રાત્રે રેતી ખનન કરાતું હોવાના આક્ષેપ, ગ્રામજનોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામે ચાલતી રેતીની લીઝ પર ગ્રામજનોએ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ લીઝ સંચાલક પર નિર્ધારિત હદ બહાર અને રાત્રી દરમિયાન રેતી ખનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે, જ્યાં કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલે છે. ગૈડીયા ગામે લીઝ સંચાલક દ્વારા હદ બહાર અને કેટલીકવાર રાત્રી દરમિયાન પણ ગેરકાયદેસર ખનન કરાતું હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા હતા. આ આક્ષેપોને પગલે આજે સવારે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને નદીમાં ચાલતું રેતી ખનન તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. આ 'જનતા રેડ' દ્વારા ગ્રામજનોએ રેતી ખનન પ્રવૃત્તિઓ સામે પોતાની નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગામના યુવક અલ્પેશ રાઠવાએ જણાવ્યું હતું કે, લીઝ માફિયાઓનું જોર એટલું વધી ગયું છે કે તેઓ આડેધડ રેતી ખનન કરે છે. કાયદેસર લીઝ હોવા છતાં, મશીનોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે રેતી ભરવા માટે થાય છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવે ત્યારે મશીનો હટાવી લેવાય છે અને તેઓ ગયા પછી ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ થઈ જાય છે. તેમણે અધિકારીઓ દ્વારા ફોન ન ઉપાડવા અને કાર્યવાહી ન કરવા અંગે પણ ફરિયાદ કરી હતી. ગ્રામજનોએ 'જનતા રેડ' દરમિયાન ચાલુ હિટાચી મશીનોના વીડિયો પણ રેકોર્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું. ગૈડીયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી ચક્ષુલ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા રેતી ખનન બાબતે મૌખિક જાણ કરવામાં આવતા સરપંચ, તલાટી અને ગ્રામજનો દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ખનન અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, કલેક્ટર, મામલતદાર બોડેલી અને ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરને વોટ્સએપ, ટેલિફોન અને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને ઓરસંગ નદીમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:17 pm

છોટાઉદેપુર નગરપાલિકાનું 'અ' વર્ગમાં પ્રથમ બજેટ રજૂ:રૂ. 75 કરોડનું બજેટ, રૂ. 1 કરોડની પુરાંત સાથે મંજૂર

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 75 કરોડ રૂપિયાનું બજેટ 1 કરોડ રૂપિયાની પુરાંત સાથે મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરમાં વિકાસલક્ષી કાર્યોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં શહેરના માર્ગ-મકાન, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઇટ, ગટર વ્યવસ્થા અને નગર વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવી છે. 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદનું આ પ્રથમ બજેટ હોવાથી તેને નગરપાલિકા માટે ઐતિહાસિક અને વિકાસમુખી બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ બજેટને લઈને આશા જાગી છે કે છોટાઉદેપુર શહેરમાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:10 pm

પાટીલના જન્મદિવસે લોહી આપવા ગયો ને પોતે જ લોહીલુહાણ થયો:ભાજપ કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ; CP કચેરીએ મહિલાઓનો હોબાળો

સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 માર્ચને રવિવારે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહેલા આશિષસિંગ રાજપૂત નામના યુવકને 8થી 10 શખસે ઘેરીને હત્યા કરી નાખી હતી. આ હત્યામાં ભાજપના સક્રિય કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર અભિષેકનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ કાર્યક્રમમાં લોહી આપીને નીકળેલા યુવકનું રસ્તામાં લોહી રેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક આશિષસિંગ રાજપૂત તેના મિત્રો સાથે નીલગીરી વિસ્તારમાં રક્તદાન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ડિંડોલી તળાવ પાસે શ્રીકૃષ્ણ એસી મોલ નજીક જેવો તે પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો, કે તરત જ પાછળથી એક કાર અને 4-5 બાઈક પર આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા. જાહેરમાં જ આશિષ પર છરા અને કોયતાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક દૃશ્ય જોઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. ઉત્તરાયણના ઝઘડાની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલઆ હત્યાની પૃષ્ઠભૂમિ બે મહિના અગાઉ ઉત્તરાયણના દિવસે બંધાઈ હતી. ગોડાદરામાં આવેલી આશિષના ભાઈની હોટેલમાં પવનસિંગનો પુત્ર અભિષેક નશાની હાલતમાં ધમાલ કરતો હતો. ગ્રાહકોને તકલીફ પડતી હોવાથી આશિષે તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સામાન્ય વાતમાં પવનસિંગના પુત્ર અભિષેકે આશિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવતમાં પવનસિંગના પુત્રએ અગાઉ આશિષના ભાઈનું અપહરણ પણ કરાવ્યું હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. પવનસિંગના ડરથી યુવક UP ભાગી ગયો હતો, પરત આવતા જ શિકાર બન્યોમૃતક આશિષના પિતા રાઘવસિંહના જણાવ્યા અનુસાર, પવનસિંગ અને તેના સાથીઓ સતત ધમકીઓ આપતા હોવાથી આશિષ ડરનો માર્યો છેલ્લા બે મહિનાથી સુરત છોડીને ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો. તે હજુ ચાર-પાંચ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. રવિવારે સી. આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કેમ્પમાં તે ઉત્સાહભેર રક્તદાન કરવા ગયો હતો. હુમલાખોરો તેની પર વોચ રાખીને જ બેઠા હતા અને તક મળતા જ તેને મોતને ઘાટ ઉતારી દીધો. કોણ છે પવનસિંગ?આ હત્યામાં જેનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ઉછળ્યું છે તે પવનસિંગ ગોડાદરા વિસ્તારનો ભાજપનો સક્રિય કાર્યકર છે. પરિવારનો આક્ષેપ છે કે, તે ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતનો ખાસ માણસ છે અને તેમની જ ઓફિસમાં બેસે છે તથા કામકાજ સંભાળે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પવનસિંગ અગાઉ વોર્ડ નંબર 26નો પ્રમુખ પણ રહી ચૂક્યો છે. આ જ કારણસર ડિંડોલી પોલીસ પવનસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આનાકાની કરતી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓનો હોબાળોહત્યાની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માગ સાથે પહોંચ્યા હતા. પરિવારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, જ્યાં સુધી ભાજપના કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર અભિષેક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતક આશિષના અંતિમ સંસ્કાર કરશે નહીં. મહિલાઓએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, રાજકીય વગના કારણે આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. અભિષેકસિંગની નશાખોરી અને આતંકથી વિસ્તાર ત્રસ્તસ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પવનસિંગનો પુત્ર અભિષેક અવારનવાર નશાની હાલતમાં વિસ્તારમાં ધાકધમકી આપતો રહે છે. આશિષના મિત્રોએ જણાવ્યું કે, અભિષેક અવારનવાર હોટલમાં જઈને બિનજરૂરી માથાકૂટ કરતો હતો. ઉત્તરાયણના દિવસે જ્યારે આશિષે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પવનસિંગના પુત્રએ પોતાનું અહમ ઘવાયું હોવાનું માનીને આખા પરિવારને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને સતત ધાક-ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. આશિષના ભાઈ પર પણ થયો હતો હુમલોમાત્ર આશિષ જ નહીં, તેના ભાઈ અને મિત્ર ગોપાલ પર પણ અગાઉ હુમલા થઈ ચૂક્યા છે. અન્ય એક પીડિત યુવકની માતા ગુડ્ડીસિંહે રડતા-રડતા જણાવ્યું કે, મારા છોકરાને પણ પવનસિંગના પુત્રએ કિડનેપ કર્યો હતો અને ખૂબ માર માર્યો હતો. તેઓ વારંવાર ધમકી આપતા હતા કે જો પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખીશું. અમિત કોર્પોરેટરની ઓફિસમાં પવનસિંગ બેસે છે એટલે આ લોકો રાજકારણ રમી રહ્યા છે. લોહી આપવા ગયો અને પોતે જ લોહીલુહાણ થયોઆ કિસ્સો ખૂબ જ કરુણ છે કારણ કે આશિષ એક સામાજિક કાર્યમાં સહભાગી થવા ગયો હતો. રક્તદાન જેવા પવિત્ર કાર્યમાં જોડાઈને જ્યારે તે બહાર નીકળ્યો, ત્યારે તેની પાછળ મોત ભમતું હતું. હુમલાખોરોએ આશિષ પર એટલી ક્રૂરતાથી ઘા કર્યા હતા કે આસપાસના લોકો તેને બચાવવાની હિંમત પણ કરી શક્યા નહોતા. રસ્તા પર આશિષનું લોહી રેલાયું હતું, જે દ્રશ્યો જોઈને હોસ્પિટલે ઉમટેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પોલીસ કમિશનર કચેરીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં પવનસિંગ અને તેના પુત્રના ત્રાસથી અનેક લોકો પરેશાન હોવાનું હવે સપાટી પર આવી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચેલી મહિલાઓએ માંગ કરી છે કે પવનસિંગનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવું જોઈએ. જો પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે અને કોર્પોરેટરના માણસ હોવાને કારણે આરોપીઓને બચાવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળહાલમાં પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં અભિષેકસિંગ (પવનસિંગનો પુત્ર), પવનસિંગ, આકાશસિંગ, ગણેશ પાંડે અને સતિષ મરાઠીની ભૂમિકા સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હજુ સુધી મુખ્ય આરોપી પવનસિંગ અને તેનો પુત્ર પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય છત્રછાયાના કારણે ગુનેગારો બેફામ?પરિવારે જણાવ્યું છે કે, જો પવનસિંગ ખરેખર ભાજપના કોર્પોરેટર અમિત સિંગની ઓફિસમાં બેસતો હોય, તો શું તેની સામે કડક કાર્યવાહી થશે? સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અને તેમના સંતાનો જ્યારે પોતે જ કાયદો હાથમાં લે છે, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે. આશિષની હત્યાએ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલિયા નિશાન લગાવી દીધું છે. પરિવારે આક્રંદ સાથે કહ્યુ-અમારા ઘરે ચૂલો નથી સળગ્યોઆશિષના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે. નાની ઉંમરના બાળકો અને પરિવારની મહિલાઓ આઘાતમાં છે. આશિષની માતા અને અન્ય મહિલાઓએ જણાવ્યું કે, કાલથી અમારા ઘરે ચૂલો નથી સળગ્યો, બાળકોએ પાણી પણ નથી પીધું. જે યુવાન દીકરો રક્તદાન કરીને પુણ્ય કમાવવા ગયો હતો, તેનો મૃતદેહ જોઈને અમે કઈ રીતે જીવીશું? પવનસિંગના પુત્રએ અમારો આખો પરિવાર બરબાદ કરી દીધો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:06 pm

અશાંત ધારાના ઉલ્લંઘન સામે રહીશોનો રોષ:'યેનકેન પ્રકારે' મિલકતો પચાવી પાડવાના કાવતરાનો આક્ષેપ કરતા રહીશો

ભાવનગર શહેરના કાળાનાળા, તખ્તેશ્વર તથા ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા છળકપટથી મિલકતોના સોદા પાડવામાં આવતા હોવાની રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિત રક્ષા મંચ' દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ વધી છેશહેરના જુદા-જુદા વિસ્તારોના સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિત રક્ષા મંચ' દ્વારા આજરોજ મદદનીશ કલેકટર પ્રતિભા દહીયાને રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી, જેમાં ગીતા ચોક, કાળાનાળા, કાળુભા રોડ, રાધા મંદિર અને વાઘાવાડી રોડ જેવા વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સઓમાં કાર્ટન સ્ક્વેર, ટ્રેડ સેન્ટર, અંજનેય ફ્લેટ વગેરેમાં શંકાસ્પદ ગતિવિધિઓ વધી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જમીન માફિયાઓ અને કેટલાક બિલ્ડરો હિન્દુઓની મિલકતો સસ્તા ભાવે પડાવી લેવા માટે કાવતરા કરી રહ્યા છે. બીજા લોકોના નામે મિલકતો ખરીદી પાછળથી કબજો મેળવે છેઅશાંત ધારાના કાયદાથી બચવા માટે અન્ય વ્યક્તિઓના નામે મિલકતો ખરીદી પાછળથી કબજો મેળવવામાં આવે છે તેમજ રાધા મંદિર જેવા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોની આસપાસના વિસ્તારોમાં પણ માથાભારે તત્વો દ્વારા મકાનો જોવા આવવાનું અને દબાણ ઉભું કરવાનું શરૂ કરાયું છે, ત્યારે હાદાનગર અને ગીતાચોક જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોના જમેલા થતા હોવાથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સોસાયટીઓને અશાંત ધારા હેઠળ આવરી લેવા માગઆશ્ચર્યજનક રીતે આ સોદાઓમાં હિન્દુ સમાજના જ કેટલાક વ્યક્તિઓ વચેટિયા બનીને પોતાના જ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રહીશોએ માંગ કરી છે કે, હાદાનગર તેમજ સર્વોદય, સત્યનારાયણ અને સ્નેહમીલન જેવી સોસાયટીઓને સત્વરે અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:05 pm

પાલનપુરમાં પાલિકાની વેરા બાકીદારો સામે કાર્યવાહી:500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ, સીલ કરવાની ચેતવણી

પાલનપુર નગરપાલિકાએ ઘરવેરા અને વ્યવસાય વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચનાથી આશરે 500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાએ બાકી વેરો નિર્ધારિત સમયમર્યાદામાં ભરવા તાકીદ કરી છે. જો સમયસર વેરો જમા નહીં કરાય, તો સંબંધિત મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ વેરા વસૂલાત માટેની ઝુંબેશ વધુ સઘન બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 6:00 pm

નવસારીમાં 41 મિલકતો સીલ:અવધ રેસિડેન્સીમાં વેરા વસૂલાત, 4 દિવસમાં 65 લાખની રિકવરી

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. ઇટાળવા સ્થિત 'અવધ રેસિડેન્સી'માં 41 રહેણાક મિલકતોને સીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેરો નહીં ભરાય તો વીજળી અને પાણીના કનેક્શન કાપવા સુધીના પગલાં લેવામાં આવશે. મિલકતધારકોને અગાઉ અનેકવાર નોટિસ પાઠવી વેરો ભરવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં, લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકતધારકો સામે આજે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી 41 મિલકતોને પેપર નોટિસ સાથે સીલ કરવામાં આવી છે. પાલિકાની આક્રમક કામગીરીને પગલે અનેક મિલકત માલિકોએ સ્થળ પર જ બાકી વેરાની ચુકવણી કરવાની તૈયારી દર્શાવી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા 4 દિવસમાં તંત્રએ કુલ 65 લાખ રૂપિયાની રોકડ રિકવરી મેળવી છે. આ કામગીરીને પરિણામે નવસારી મહાનગરપાલિકાની કુલ વેરા રિકવરીનો આંકડો 79% સુધી પહોંચી ગયો છે. મહાનગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે સીલ કરાયેલી મિલકતોને 24 કલાકની અંતિમ તક આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો આગામી દિવસોમાં વીજળી કાપ, પાણી કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરાશે. વેરા વસૂલાતની કામગીરીમાં કોઈપણ પ્રકારની રાજકીય કે અન્ય ભલામણોને વશ થયા વગર કામગીરી ચાલુ રાખવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને સમયસર વેરો ભરીને શહેરના વિકાસકાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી છે. સીલિંગ જેવી કડક કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે મિલકતધારકોએ પાલિકાના વેરા વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:59 pm

પાટણ શિક્ષક મંડળીના 50 વર્ષ પૂર્ણ:સુવર્ણ મહોત્સવ ઉજવાયો; જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નો પર ચર્ચા

પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળી લિમિટેડના 50વર્ષ પૂર્ણ થતા પાટણના ખોડાભાહોલ ખાતે સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોનું સન્માન કરાયું હતું.રાજ્ય અને જિલ્લા શિક્ષક સંઘના અગ્રણીઓએ શિક્ષકોના પડતર પ્રશ્નો અને મંડળીની આર્થિક પ્રગતિ અંગે વિગતો રજૂ કરી હતી. પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શિક્ષક નાણાં ધીરનારી સહકારી મંડળીની સ્થાપના 24 ઓક્ટોબર 1974ના રોજ થઈ હતી. સંસ્થાએ સફળતાપૂર્વક 50 વર્ષ પૂર્ણ કરતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સન્માનથી કરવામાં આવી હતી. આ અવસરે મંડળીના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર ભૂતપૂર્વ પ્રમુખો,મંત્રીઓ અને કારોબારી સભ્યો સહિત વર્તમાન હોદ્દેદારોનું વિશેષ બહુમાન કરાયું હતું.સગોડિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીતરજૂ કર્યું હતું.જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલે મંડળીની પ્રગતિની વિગતો આપતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં માત્ર 5000ના ધિરાણથી કાર્યરત મંડળી આજે સભાસદોને 25લાખ સુધીનું ધિરાણ પૂરું પાડે છે. તેમણે 2005 સુધીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો હોવાનું જણાવી 2005 પછીના શિક્ષકો માટે પેન્શન, મેડિકલ સહાય અને પ્રસૂતિ રજા જેવા પડતર પ્રશ્નો અંગે રજૂઆતો ચાલુ હોવાનું ઉમેર્યું હતું. રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રીજૈમીનભાઈ પટેલે મંડળીના વહીવટની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ફિક્સ ડિપોઝિટ અને ધિરાણના વ્યાજ દર વચ્ચે માત્ર 0.50ટકાનો નજીવો તફાવત રાખીને પણ મંડળી સભાસદોને દર વર્ષે ભેટ આપે છે.ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલે પાટણ જિલ્લાની શિક્ષક મંડળીના વહીવટને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યો હતો. તેમણે 2005 સુધીના શિક્ષકોના સી.પી.એફ. ખાતાને જી.પી.એફ.માં ટ્રાન્સફર કરવાની કામગીરી સરકારમાં ગતિમાં હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ટેટ પરીક્ષા બાદ જ ઉચ્ચતર પગાર ધોરણ આપવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કાયદેસરની લડત શરૂ કરી હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા અને નિવૃત્ત શિક્ષકોના જીપીએફ ખાતા ઝડપથી ખોલવા અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. મંડળી દ્વારા હાલમાં સભાસદોને 8.75 ટકાના વ્યાજ દરે 25 લાખ સુધીની લોન, 5 લાખનો અકસ્માત વીમો, 2 લાખની મૃત્યુ સહાય અને સભાસદના અવસાન પર અન્ય સભ્યોના ફાળામાંથી આર્થિક મદદ જેવી સુવિધાઓ અપાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, રજીસ્ટ્રાર એસ. એન. ઝાલા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ બાબુભાઈ દેસાઈએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:58 pm

350 વિદ્યાર્થીઓએ શિક્ષિકાના વિરોધમાં રજા પાડી:વધુ બે વિદ્યાર્થીઓ પર સાથી વિદ્યાર્થીઓનો હુમલો, પતિએ મિત્રો પાસે પત્ની પર કરાવ્યું દુષ્કર્મ

PNG-LPG બંને હશે તો LPG સરેન્ડર કરવું પડશે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિને જોતા સરકારનો નિર્ણય.. જો પીએનજી કનેક્શન એટલે કે ગેસ લાઈન અને એલપીજી બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં એલપીજી સરેન્ડર કરાવવું પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેસની અછત-કારખાના બંધ થતા શ્રમિકોનું પલાયન મોરબીમાં સિરામીકના 250 કારખાના બંધ થતા પરપ્રાંતીય શ્રમિકો પરિવાર સાથે વતન જવા નીકળ્યા.. વાંકાનેર રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભીડ જોવા મળી. આ તરફ સુરતમાં પણ ગેસની અછતને કારણે શ્રમિકો તેમના વતન જવા રવાના થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર સગીરોએ ધો.10ના વિદ્યાર્થીને ચપ્પુ માર્યું સુરતના પાંડેસરામાં આર્મી ઈન્ટરનેશનલ સ્કૂલની બહાર ચાર સગીરોએ ધો.10માં ભણતા વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો. ફંક્શનમાં ડાન્સ સમયે પગ વાગવાની વાતમાં હુમલો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રાથમિક શાળામાં હોબાળો, શિક્ષિકાની બદલી ગીર સોમનાથના ઉનાની ખાપટ સ્કૂલમાં 390 વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો. સ્કૂલના શિક્ષિકાએ કરેલા દુર્વ્યવહાર અને વિદ્યાર્થિનીઓના ચરિત્ર પર કરેલા આક્ષેપોને પગલે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ વિરોધ કર્યો હતો.આખરે શિક્ષિકાની બદલી કરી દેવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝઘડો શાંત કરવા પહોંચેલી પોલીસ પર હુમલો વડોદરામાં પારિવારિક ઝઘડો થાળે પાડવા પહોંચેલી પોલીસ પર હુમલાની ઘટના બની. દંપતીએ મારામારી કરી પથ્થરના છૂટ્ટા બ્લોક ફેંક્યા..જેમાં એલઆરડી જવાન અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિઝનની પહેલી કેસર કેરીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પહેલી કેસર કેરીની આવક...આ વર્ષે કેરીની આવક 8 દિવસ વહેલી જોવા મળી.. પહેલા દિવસે 200 બોક્સની આવક થઈ. એક બોક્સનો ભાવ 5500 સુધી બોલાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાટકેશ્વર બ્રિજની મંથર ગતિની કામગીરીથી વિરોધ અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી ધીમી ગતિએ ચાલતા સ્થાનિક વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો.એટલું જ નહીં આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટેની ચીમકી પણ ઉચ્ચારી છે. છેલ્લા 6 મહિનાથી બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિએ મિત્રો પાસે કરાવ્યું પત્ની પર દુષ્કર્મ સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા સાથે પતિના મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું. આ કુકર્મમાં પતિ પણ સામેલ હતો. .દારુના નશામાં પતિએ જ પરિણીતાને તેના મિત્રોના હવાલે કરી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારીએ વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી લોકગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન પર યુ ટર્ન લીધો. કિંજલે પોતે વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી કે તે રાહ ભટકી ગઈ હતી, તે પોતાના પરિવાર સાથે જ રહેવા માગે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત કારચાલકે પાર્ક કારને ટક્કર મારી અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી. કારમાં બેઠેલા યુવકનો માંડ બચાવ થયો. કારના આગળના ભાગનો કુચ્ચો બોલાઈ ગયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:55 pm

'દેશમાં હાલની સ્થિતિ માત્ર માનવસર્જિત, ગેસની અછત નથી':પ્રહલાત મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું-માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કર્યું; શ્રમજીવીઓને તકલીફ પડે એટલે વતન યાદ આવે

દેશમાં ગેસ પુરવઠાની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને સરકારી અનાજ-કેરોસીન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સુરત કલેક્ટર સાથે મુલાકાત કરી કેરોસીન વિતરણ વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન તેમણે ગેસની તંગીને નકારી કાઢીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગેસની અછત એ 'માનવસર્જિત' આફત: પ્રહલાદ મોદીસુરત કલેક્ટર કચેરી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પ્રહલાદ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'દેશમાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે તે માત્ર માનવસર્જિત છે. ગેસની કોઈ જ અછત નથી.' તેમણે દાવો કર્યો હતો કે ગેસ બુકિંગના આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. તેમના મતે, લોકોના મનમાંથી જ્યારે તંગીનો ડર નીકળી જશે, ત્યારે આ સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે. વિપક્ષનું 'અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર'પ્રહલાદ મોદીએ ગેસ અને અનાજની અછત મુદ્દે હોબાળો મચાવતા વિપક્ષી દળોને આડે હાથ લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિરોધ પક્ષે દેશની અંદર અરાજકતા ફેલાવવા માટે આ કૃત્રિમ હોબાળો ઊભો કર્યો છે. વાસ્તવમાં જનતાને કોઈ તકલીફ છે જ નહીં. તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે, જ્યારે સરકાર પાસે તમામ પ્રકારના પુરવઠાનું પર્યાપ્ત આયોજન છે. ત્રણ વર્ષ બાદ કેરોસીન વિતરણની હિલચાલરાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી કેરોસીન વિતરણ વ્યવસ્થા ફરી શરૂ થાય તેવા સંકેતો પ્રહલાદ મોદીએ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી રહી છે, જેમાં ત્રણ વર્ષ બાદ ફરીથી કેરોસીન વિતરણમાં મુકાશે. આ માટે તેઓ વડોદરા અને સુરતમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે લોકો ગેસની ચિંતા છોડે, આ (ગેસ) નથી તો આ (કેરોસીન) છે, તેવા અભિગમ સાથે જનતાને ભૂખ્યા ન રાખવાની ખાતરી આપવામાં આવી રહી છે. શ્રમજીવીઓના પલાયન પર સૂચક નિવેદનસુરતમાંથી શ્રમજીવીઓ વતન તરફ જઈ રહ્યા છે તેવા પ્રશ્ન પર પ્રહલાદ મોદીએ તેને માનવ સ્વભાવ ગણાવ્યો હતો. તેમણે કોરોનાકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોરોના વખતે પણ આપણે અહીં જ રહ્યા હતા, કોઈ ભૂખ્યું મર્યું નથી. પરંતુ શ્રમજીવી વર્ગની માનસિકતા હોય છે કે સહેજ પણ તકલીફ દેખાય એટલે તેમને વતન યાદ આવી જાય છે. તેમણે કામદારોના પલાયનને ગંભીર સમસ્યા માનવાને બદલે એક સામાન્ય પ્રતિક્રિયા ગણાવી હતી. કેરોસીન સપ્લાયની ગેરંટી માટે સરકાર સામે શરતએસોસિએશનના પ્રમુખ તરીકે પ્રહલાદ મોદીએ વેપારીઓના હિતની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર અમને લાંબા ગાળા માટે કેરોસીન સપ્લાયની ગેરંટી આપે, તો જ અમે નવા બેરલ અને સાધન-સામગ્રીની ખરીદીની તૈયારી કરી શકીએ. જો સરકાર ગેરંટી ન આપે, તો સ્ટોરેજની વ્યવસ્થા સરકારે કરી આપવી જોઈએ. આ અંગે તેઓ ટૂંક સમયમાં સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો પણ કરવાના છે. કલેક્ટર સાથેની મુલાકાત અને ભવિષ્યનું આયોજનપ્રહલાદ મોદીએ સુરત કલેક્ટર સાથેની બેઠકમાં કેરોસીન ક્યારે અને કેવી રીતે મળશે તે અંગેની વિગતવાર રજૂઆત કરી હતી. હાલમાં જે જથ્થો ફાળવવામાં આવ્યો છે તેને તેમણે પર્યાપ્ત ગણાવ્યો છે. આગામી દિવસોમાં વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે તેઓ સતત સરકારી તંત્રના સંપર્કમાં છે. જોકે, તેમના ગેસની અછત ન હોવાના નિવેદને સુરતના સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોમાં ચર્ચા જગાવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:54 pm

નવસારીમાં રાંધણ ગેસની અછતની વાતો અફવા:પુરવઠા વિભાગે એજન્સીવાર આંકડા જાહેર કર્યા, ગૃહિણીઓને રાહત

નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની અછત અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસની કોઈ તંગી નથી. પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ભ્રામક વાતોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ડો. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કાર્યરત તમામ ગેસ એજન્સીઓ પાસે બુકિંગની સામે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી અછતની વાતો પાયાવિહોણી છે. વહીવટી તંત્ર દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પુરવઠા વિભાગ દ્વારા નવસારી જિલ્લાની વિવિધ એજન્સીઓમાં પ્રતિદિન ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રાહકો માટે પૂરતા સિલિન્ડર ઉપલબ્ધ છે. ઇન્ડિયન ગેસ એજન્સીઓ દ્વારા પ્રતિદિન ઉપલબ્ધ રાંધણગેસ સિલિન્ડરની સંખ્યા નીચે મુજબ છે: અષ્ટગામ ઇન્ડિયન ગેસ એજન્સી: 24, ફડવેલ ઇન્ડિયન ગેસ એજન્સી: 25, કેવલવ્યા ગેસ એજન્સી: 69, ખેરગામ ઇન્ડિયન ગેસ એજન્સી: 5, મહુવર ઇન્ડિયન ગેસ એજન્સી: 25, રામદૂત ઇન્ડિયન ગ્રામીણ વિતરક: 99, ટાંકલ ગેસ એજન્સી: 6. અન્ય એજન્સીઓ જેવી કે જુમર ગેસ સર્વિસ પાસે 306, ભારત ગેસ એજન્સી પાસે 220, ક્રિષ્ના ગેસ પોઇન્ટ પાસે 331, પાડી વાલા ગેસ સર્વિસ પાસે 77, આર એન દેસાઈ પાસે 921, આર એન દેસાઈ નવસારી પાસે 388 અને ત્રિદેવ ગેસ એજન્સી પાસે 358 સિલિન્ડર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ફાલ્કન ગેસ એજન્સી પાસે 268, ગુંજન ગેસ એજન્સી પાસે 801, પ્રેમાભાઈ દુર્લભભાઈ મિસ્ત્રી પાસે 492, અંબે ગેસ એજન્સી પાસે 132, શ્રીનાથ ગેસ એજન્સી પાસે 73, મેહુલ ગેસ એજન્સી પાસે 736 અને નવસારી ગેસ એજન્સી પાસે 380 સિલિન્ડર પ્રતિદિન વિતરણ માટે ઉપલબ્ધ રહે છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે જિલ્લામાં ગેસની સપ્લાય ચેઈન મજબૂત છે. ગ્રાહકોએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:49 pm

ગોધરા પાલિકા પ્રમુખે વિદાય પહેલા ભુરાવાવના રસ્તાઓને આપી મંજૂરી:કરોડોના ખર્ચે નવા રસ્તા બનશે, કાલથી ટેન્ડર પ્રક્રિયા શરૂ

ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણે પોતાની અઢી વર્ષની ટર્મના અંતિમ દિવસે શહેરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ભુરાવાવ વિસ્તારના વર્ષોથી પડતર મુખ્ય રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવતા કરોડોના ખર્ચે નવા રસ્તા બનાવવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, ગણેશનગરથી નાલંદા સ્કૂલ અને મહાદેવ રોડ સુધીના લાંબા રસ્તા માટે કુલ 1 કરોડ 61 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી ત્રણ અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, તત્વ નમકીનથી આયુષી જનરલ સ્ટોર સુધીનો બિસ્માર રસ્તો પણ 18 લાખ રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવશે. આ બંને રસ્તાઓ માટેની ટેન્ડર પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. ટેન્ડર આવતીકાલે પ્રસિદ્ધ થશે અને આગામી 21 દિવસની પ્રક્રિયા બાદ યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે. પ્રમુખે નગરજનો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખે જણાવ્યું હતું કે, અમે નગરજનોને ખાતરી આપી હતી કે અમારા શાસન દરમિયાન આ રસ્તાઓનું કામ પૂર્ણ કરીશું. આજે તેની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને અમે અમારું વચન નિભાવ્યું છે. આગામી ચૂંટણી પહેલા આ બંને રસ્તાઓ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ વિકાસકાર્યોની જાહેરાતથી ભુરાવાવ વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જાહેરાત નગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને સ્ટાફની હાજરીમાં કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:48 pm

ઉકાઈ મત્સ્યોદ્યોગ કચેરીમાં ACBનો સપાટો:સબસીડીના બદલામાં લાંચ લેતા અધિકારી રંગેહાથ ઝડપાયો

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹6,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ અધિકારી કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' હેઠળ માછીમારોને મળતી સબસીડીના બદલામાં લાંચ લેતો હતો. ACBને ગુપ્ત માહિતી મળી હતી કે ઉકાઈ સ્થિત મત્સ્યોદ્યોગ કચેરીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત લાભાર્થીઓને બાઈક તથા ઇન્સ્યુલેટેડ બોક્સ ખરીદવા માટે મળતી સબસીડીના અવેજમાં અધિકારીઓ દ્વારા રૂ.5,000 થી રૂ.8000 સુધીની લાંચ ઉઘરાવવામાં આવે છે. આ માહિતીની ખરાઈ કરવા માટે ACBએ એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી છટકું ગોઠવ્યું હતું. આરોપી તેજસ ચૌધરીએ યોજના હેઠળ પસંદગી પામેલા લાભાર્થી પાસેથી ખરીદેલ સાધનોની સબસીડી મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયાના બદલામાં રૂ.6,000ની માંગણી કરી હતી. આજે ઉકાઈ ખાતેની કચેરીમાં જ જ્યારે આરોપીએ આ રકમ સ્વીકારી, ત્યારે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ACBના PI કે.જે. ધડુક અને તેમની ટીમે દરોડો પાડી આરોપીને લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો. ACB એ સ્થળ પરથી લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને ACB વડોદરાના નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS) ના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:47 pm

LPGથી PNG કન્વર્ઝન માટે SMC, NHAI અને RB વિભાગ:યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ કનેક્શન મુદ્દે કલેક્ટર એક્શનમાં, 200 પેન્ડિંગ PNG અરજીઓ 7 દિવસમાં ઉકેલવા આદેશ

યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને સંભવિત ગેસ અછતની સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, શહેરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના જેટલા પણ કનેક્શન વહીવટી મંજૂરીના કારણે અટવાયેલા છે, તેને આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવે. ખાસ કરીને 200 જેટલી અરજીઓ જે લાંબા સમયથી પેન્ડિંગ છે તેને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે. 7 દિવસમાં 200 કનેક્શનને મંજૂરીકલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, અમારી પાસે હાલમાં અંદાજે 200 જેટલી અરજીઓ પાઈપલાઈન ગેસ માટે પેન્ડિંગ છે. આ અરજીઓમાં મોટાભાગે ઔદ્યોગિક એકમો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ એવા એકમો છે જ્યાં ગેસની જરૂરિયાત અનિવાર્ય છે. અમે આ તમામ પેન્ડિંગ એપ્લિકેશન્સનો નિકાલ માત્ર એક અઠવાડિયામાં (7 દિવસમાં) કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ નિર્ણયથી શહેરના વેપાર-ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત મળશે. મંજૂરીના અવરોધો દૂર કરવા સંકલન બેઠકઘણી વખત નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અથવા માર્ગ અને મકાન વિભાગ (RB) ની પરમિશનના કારણે ગેસ લાઇન નાખવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે બેઠકમાં ગુજરાત ગેસ કંપની, SMC અને અન્ય અમલીકરણ એજન્સીઓના અધિકારીઓને હાજર રખાયા હતા. કલેક્ટરે આદેશ આપ્યો છે કે આંતર-વિભાગીય સંકલન સાધીને કોઈ પણ પ્રકારના NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ના કારણે કામ અટકવું જોઈએ નહીં. ગેસના કાળાબજાર સામે પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસએલપીજી (LPG) સિલિન્ડરના બ્લેક માર્કેટિંગ સામે પણ તંત્ર કડક બન્યું છે. કલેક્ટરે જણાવ્યું કે, બ્લેક માર્કેટિંગ અટકાવવા માટે અમે ખાસ ટીમો બનાવી છે. પોલીસ અને પુરવઠા વિભાગ સંયુક્ત રીતે આકસ્મિક તપાસ કરી રહ્યા છે. જો કોઈ ગેસ એજન્સી કે ડિલર ગેરરીતિ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રનો હેતુ સામાન્ય નાગરિકોને છેવાડા સુધી ગેસનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ગ્રાહકો સીધી ફરિયાદ કરી શકશેનાગરિકોની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહકને ગેસ વિતરણમાં સમસ્યા હોય, કનેક્શન મેળવવામાં મુશ્કેલી પડતી હોય અથવા કાળાબજારની કોઈ માહિતી હોય, તો તેઓ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકશે. કલેક્ટરે ખાતરી આપી છે કે આ હેલ્પલાઇન પર આવતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ટીમોને સજ્જ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્રની સૂચનાઓનું પાલનવૈશ્વિક યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ સુરતમાં 'ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ'ની રચના કરવામાં આવી છે. આ ફોર્સ આવશ્યક સેવાઓના રેશનાલાઈઝેશન (વ્યાજબી વહેંચણી) માટે કામ કરશે. કલેક્ટરે ઉમેર્યું કે, અમારો મુખ્ય હેતુ એલપીજી સિલિન્ડર પરનું ભારણ ઘટાડવાનો છે. જેટલા વધુ કનેક્શન PNGમાં કન્વર્ટ થશે એટલી જ ગેસની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. નાગરિકોને પેનિક ન થવા અપીલઅંતમાં કલેક્ટરે ગ્રાહકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઘરગથ્થુ એલપીજી વપરાશકર્તાઓ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પુરવઠામાં કોઈ સમસ્યા નથી. તેમણે નાગરિકોને વિનંતી કરી કે જરૂરિયાત કરતા વધારે ગેસ સંગ્રહ કરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે પેનિકના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાવાની શક્યતા રહે છે. LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222, રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:38 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાંડેસરામાં ચાર સગીરોએ વિદ્યાર્થીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા, મ્યૂનિ.કોર્પો.નો કપૂર ગોટી ખરીદીમાં ખાયકીનો ખેલ

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:35 pm

પોલીસે 80 હજાર રોકડ અને કાર જપ્ત કરી:વડોદરામાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બહાર યુવકની થેલીમાંથી 2 લાખ ચોરીને ફરાર સુરતના બે આરોપીઓની ધરપકડ

વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બહાર યુવકની થેલીમાંથી બે લાખ ચોરી કરીને ભાગી છૂટેલા 2 રીઢા આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બેંકમાંથી બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યામાંજલપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માંજલપુરના શિવનગર રઝા મસ્જિદ પાસે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ (ઉ.વ. 30) તા. 13 માર્ચના રોજ બપોરે અંદાજે 12 થી 12:30 વાગ્યા દરમિયાન મકરપુરા GIDC વિસ્તારમાં ભુમિ બેકરી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે બેંકમાંથી બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યા હતા. ફરિયાદીની નજર ચૂકવી તેની થેલીમાંથી રોકડ કાઢી લઈ ફરારબંને શખસોએ ફરિયાદીને નોટો બદલી આપવાની અને નાસ્તો કરાવવાની વાત કરી તેમને વાતોમાં ફસાવી બેંકની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ એક શખસે ફરિયાદીની પૈસા ભરેલી થેલીમાં રૂમાલમાં બાંધેલું બંડલ મૂકી દીધું અને ફરિયાદીની નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા બે લાખની રકમ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા. પછી ફરિયાદી ઘરે પહોંચ્યા બાદ બંડલ તપાસતા પહેલી અને છેલ્લી નોટ સાચી નીકળી હતી. જ્યારે વચ્ચેની બધી નોટોની જગ્યાએ કાગળ મૂકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે ગઠિયાઓએ ચતુરાઈપૂર્વક રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન પાસિંગની મારુતિ બલેનો કાર શંકાસ્પદ જણાતાં પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યુંઆ ઘટનાની જાણ થતાં જ વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર. જી. જાડેજા અને પી.આઈ. એચ. ડી. તુવરની દોરવણી હેઠળ પી.એસ.આઈ. કે. ડી. રાઠોડની ટીમે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી. આ તપાસ દરમિયાન આરોપીઓએ વાપરેલી રાજસ્થાન પાસિંગની મારુતિ બલેનો કાર શંકાસ્પદ જણાતાં શહેરમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દંતેશ્વર તળાવ સામેના રોડ પર શંકાસ્પદ કારમાં બે વ્યક્તિઓને જોઈ ટીમે કારને રોકી તપાસ કરી હતી. કારના ચાલક સાજીદખાન ઉર્ફે બાબુ સલીમખાન પઠાણ (ઉં. 34 વર્ષ, રહે. કડોદરા, ભરવાડ ચાલ, તા. પલસાણા, જિ. સુરત, મૂળ ગુશીયારી ગામ, તા. હમીરપુર, જિ. બાંદા, ઉત્તરપ્રદેશ) અને તેની સાથેના આયુષ દેવીપ્રસાદ મિશ્રા (ઉં. 27, રહે. શીરડીધામ સોસાયટી, ગંગાધરા, પલસાણા, જિ. સુરત, મૂળ નવબસ્તા ગામ, તા. રાણીગંજ, જિ. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ને પકડી પાડ્યા હતા. 500 રૂપિયાની અસલ નોટ બાંધીને નજર ચૂકવી બે લાખ રૂપિયા ચોરી કર્યાસઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલ કર્યું હતું કે, તેઓ સહિત કુલ 4 જણાની ગેંગ સુરતથી મારુતિ બલેનો કાર લઈ વડોદરા આવી હતી. બેંકમાં ફરિયાદીને વાતોમાં પરોવીને રૂમાલમાં બાંધેલ કાગળના બંડલ પર 500 રૂપિયાની અસલ નોટ બાંધીને નજર ચૂકવી બે લાખ રૂપિયા ચોરી કર્યા હતા. આરોપીઓની ઝડતીમાં રોકડા 80 હજાર રૂપિયા, એક મોબાઈલ ફોન અને મારુતિ બલેનો કાર મળી આવ્યા છે. આરોપીઓએ છેલ્લા કેટલાક મહિનામાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સમાન રીતે રૂમાલમાં બાંધેલ કાગળના બંડલની યુક્તિથી અનેક વ્યક્તિઓને છેતરીને રૂપિયા 17,000, 24,500, 21,000 અને 12,000 જેવી રકમો ચોરી કરી હતી તેમજ આયુષ મિશ્રાએ અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ આવા ગુનાઓ આચર્યા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:31 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બાપુનગરમાં ધો.11ના વિદ્યાર્થીએ બીજા સ્ટુડન્ટને છરી મારી, નશામાં ધૂત કારચાલકની બાઇક-કારને ટક્કર

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:21 pm

કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ભરૂચની નારાયણ અરીના સોસાયટીમાં નાગરિકોને માહિતી અપાઈ

ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરીના સોસાયટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'કંચન' પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, નાગરિકોને ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્ટ) બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રસોડામાંથી નીકળતા ભીના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને ગુણવત્તાસભર ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાયું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે, જો દરેક નાગરિક પોતાના ઘરના સ્તરે જ કચરાનું વિભાજન અને યોગ્ય સંચાલન શરૂ કરે, તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. તેમણે ઉમેર્યું કે 'કંચન' પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. કાર્યક્રમના અંતે, નાગરિકોને 'કંચન' પ્રોજેક્ટમાં જોડાઈ ઘરેલુ કચરાનું સંચાલન કરવા અને સ્વચ્છતા તથા પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:11 pm

સુરતની અનિશાએ નેશનલ લેવલે જીત્યું બ્રોન્ઝ:માત્ર 1 વર્ષની તાલીમમાં અકસ્માતના આઘાતને હરાવી હૈદરાબાદમાં મેળવી ઐતિહાસિક સફળતા

સુરતની 22 વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદ ખાતે 6 થી 10 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 7મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2026માં કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) મેળવીને સુરત અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર 4 વર્ષની ઉંમરે એક અકસ્માતમાં જમણો પગ ગુમાવનાર અનિશાએ પોતાની શારીરિક મર્યાદાને ક્યારેય આડે આવવા દીધી નથી. એક વર્ષનો સંઘર્ષ અને મોટી સિદ્ધિઅનિશાએ બેડમિન્ટનની વ્યવસ્થિત તાલીમ વર્ષ 2025માં જ શરૂ કરી હતી. ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય સ્તરે પદક જીતવો એ તેની સખત મહેનત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. તે હાલ કોચ રાહુલ મહેતા અને મનન પટેલના માર્ગદર્શન હેઠળ દરરોજ 2 કલાક સઘન પ્રેક્ટિસ કરે છે. રમતમાં આટલી ઊંચાઈ હાંસલ કરવા છતાં તે શિક્ષણને પણ એટલું જ મહત્વ આપે છે અને અભ્યાસ તેમજ રમત વચ્ચે સચોટ સંતુલન જાળવી રહી છે. ડાયેટ અને ફિઝિકલ ટ્રેનિંગ પર ભારમેદાન પર પ્રભુત્વ મેળવવા માટે અનિશા માત્ર રેકેટ પકડવા પૂરતી સીમિત નથી. તે દોડ જેવી ફિઝિકલ ટ્રેનિંગ અને પ્રોપર ડાયેટ પ્લાન પર પણ ખાસ ધ્યાન આપે છે. તેની આ સફળતા બદલ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના મેનેજર ગૌરવ પરીખ અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન-સુરતના મેનેજર આનંદ શાહે તેને અભિનંદન પાઠવ્યા હતા. લક્ષ્ય હવે ઓલિમ્પિક ગોલ્ડઅનિશાનું હવે પછીનું લક્ષ્ય ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ જીતવાનું છે. તેની આ સફર અનેક યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. તે માને છે કે જો સંકલ્પ મજબૂત હોય તો કોઈપણ પડકારને તકમાં ફેરવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:10 pm

બાયોલોજીના પેપર સાથે ધો.12 સાયન્સ બોર્ડની પરીક્ષા પૂર્ણ:શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂરી થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો, હવે વિદ્યાર્થીઓ NEETની તૈયારીમાં લાગશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના છેલ્લા પેપરની પરીક્ષા યોજાઈ હતી. બાયોલોજીના પેપર સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી પરીક્ષાના અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પરીક્ષામાં તમામ પેપર સરળ પૂછાયા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, વેકેશનના બદલે વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાની તૈયારીઓમાં લાગી જવાના છે. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ સહિતની પરીક્ષાઓની તૈયારીઓ પણ વિદ્યાર્થીઓ શરૂ કરી દીધી છે. અંતિમ પેપરના દિવસે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના અંતિમ પેપરના દિવસે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરના પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાના અંતિમ દિવસે બાયોલોજીનું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો બહાર પર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા મહત્વના વિષયોના પેપર સરળ પૂછાયા હતા. જેના કારણે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પેપર સોલ્વ કરવું સરળ બન્યું હતું. બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પણ મોટાભાગના કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NEET મહત્વપૂર્ણ ગણાયલાંબા સમયથી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેલા વિદ્યાર્થીઓ માટે હવે થોડી માનસિક રાહત મળી છે. જોકે, ઘણા વિદ્યાર્થીઓ માટે વેકેશન જેવી સ્થિતિ નથી. ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ હવે આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જવાના છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે NEET મહત્વપૂર્ણ ગણાય છે. જેથી બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં જ અનેક વિદ્યાર્થીઓ NEETની તૈયારી શરૂ કરી દેવાના છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. એક-બે દિવસનો બ્રેક લઈને ફરીથી તૈયારીઓ શરૂ કરી દઈશુંવિદ્યાર્થી આદિત્ય શાહે જણાવ્યું હતું કે, પરીક્ષા પૂર્ણ થતા ઘણું બધું ટેન્શન દૂર થશે પરંતુ, નીટની પરીક્ષાઓ માટેની પણ શરૂ કરી દીધી છે. એક-બે દિવસનો બ્રેક લઈને ફરીથી તૈયારીઓ શરૂ કરી દઈશું. છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે હવે મોક ટેસ્ટ ના આધારે જેમાં ભૂલ થઈ રહી છે તે સુધારવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થીની હેલી શાહે જણાવ્યું હતું કે, આ વખતે ફિઝિક્સનું પેપર થોડું સરળ હતું, કેમેસ્ટ્રીના MCQ થોડા અઘરા પૂછાયા હતા. છેલ્લી પરીક્ષા હોવાથી તેનું એક્સાઈટમેન્ટ વધારે છે. પરંતુ હવે આગામી પરીક્ષાઓની તૈયારીઓ પણ શરૂ કરી દઈશું. MCQની તૈયારીઓ સાથે-સાથે પણ કરી છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા અડધું ટેન્શન દૂર થયું છે પરંતુ, કોલેજમાં એડમિશન મેળવવા માટે આગામી પરીક્ષાઓ પણ મહત્વની રહેવાની છે. મેડિકલ અથવા પેરા મેડિકલ ફિલ્ડમાં જવાનો વિચાર છે જેથી તે પ્રમાણેની તૈયારીઓ પણ કરી છે. આગામી પરીક્ષાઓની તૈયારીને લઈને પણ થોડું ટેન્શન રહેવાનું છેવિદ્યાર્થીની પ્રાપ્તિ મોદીએ જણાવ્યું હતું, તમામ પેપર સરળ પૂછાતા પરીક્ષા સારી ગઈ છે તેમજ ગુજકેટની પરીક્ષા માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. થોડું ટેન્શન દૂર થશે પરંતુ આગામી પરીક્ષાઓની તૈયારીને લઈને પણ થોડું ટેન્શન રહેવાનું છે. નીટમાં જો સારા માર્ક આવી જાય તો મેડિકલ ફિલ્ડમાં જવા નહીં ઈચ્છા છે. નહિતર પછી ફાર્મસી કરવાનો વિચાર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 5:05 pm

દક્ષિણ ગુજરાતની સિવિલમાં અભિનવ સેવાયજ્ઞ:હવે પોસ્ટમોર્ટમ રૂમ પર કફન, પ્લાસ્ટિક અને સ્પેશિયલ કોફિન બોક્સ મળશે મફત

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનો છે. નિઃશુલ્ક કફન અને કોફિન બોક્સની સુવિધાનવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સ્વ. મંજુલાબેન રમેશચંદ્ર પટેલના સ્મરણાર્થે આ પ્રવૃત્તિ વેગવંતી બની છે. શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ તથા પૂર્વ નગરસેવક દિનેશ રાજપુરોહિતના વિશેષ સહયોગથી હવે મૃતદેહ માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, જો કોઈ મૃતદેહને વિમાન કે ટ્રેન મારફતે વતન લઈ જવાનો હોય, તો તેના માટે જરૂરી મોંઘા 'સ્પેશિયલ કોફિન બોક્સ' પણ હવેથી મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, જે પરિવારો અંગદાનનો ઉમદા નિર્ણય લે છે, તેમના સ્વજનના દેહને પણ સન્માનજનક વિદાય આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારજનો માટે ચા-પાણી અને કર્મચારીઓનું સન્માનમાત્ર અંતિમ વિધિની સામગ્રી જ નહીં, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા પરિવારજનોની સુવિધા માટે નિઃશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના સફાઈકર્મીઓના સમર્પણને બિરદાવવા માટે તેઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. ધારિત્રી પરમાર, ટી.બી. વિભાગના વડા ડો. પારૂલ વડગામા સહિત ઈકબાલ કડીવાલા, ડો. કેતન નાયક અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:59 pm

265 કરોડના ખર્ચે વસાવેલા સ્વીપર મશીનો શોભાના ગાંઠિયા સમાન?:સુરત મહાનગરપાલિકાનું સ્વીપર મશીન સફાઈ કરતુ'તું પણ પાછળ કચરો હવામાં ઉડતો હોવાનો વીડિયો વાયરલ

સ્માર્ટ સિટી સુરતમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સુરત મહાનગરપાલિકાની મિકેનિકલ સ્વીપિંગ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 15 માર્ચ, 2026ની રાત્રે મોટા વરાછા વિસ્તારમાં સફાઈ કરી રહેલા સ્વીપર મશીનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મશીન સફાઈ કરવાને બદલે રોડ પર ગંદકી ફેલાવતું જોઈ શકાય છે. મશીન રોડ પરનો કચરો ઉપાડવાને બદલે તેને હવામાં ઉડાડી રહ્યું છેવીડિયોમાં જોવા મળે છે કે, રાત્રિના અંદાજે 11:26 વાગ્યે મોટા વરાછામાં SMCનું સ્વીપર મશીન નંબર GJ 05 GV 2796 કામ કરી રહ્યું હતું. જોકે, આ મશીન રોડ પરનો કચરો ઉપાડવાને બદલે તેને હવામાં ઉડાડી રહ્યું છે અને રોડની સાઈડમાં કચરાનો ઢગલો કરી રહ્યું છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે સુરતીઓના ટેક્સના 265 કરોડ રૂપિયા આ 16 મશીનો પાછળ ખર્ચવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો ખરેખર સફાઈ કરે છે કે પછી માત્ર ગંદકી કરી રહ્યું છે. સુરતીઓના પરસેવાની કમાણીનો ધુમાડોવીડિયો ઉતારનાર વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 21 કરોડના એક એવા 16 મશીનો પાછળ કુલ 265 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સુરતીઓના પરસેવાની કમાણી છે. સફાઈના નામે આ મશીનો માત્ર રોડ પર ગંદકી કરી રહ્યા છે. જે કચરો મશીને અંદર ખેંચવો જોઈએ, તે રોડની સાઈડમાં એમ જ પડ્યો છે. સુરત શહેર સફાઈમાં પ્રથમ ક્રમે આવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવી બેદરકારી તંત્રની પોલ ખોલે છે. જો મિકેનિકલ સ્વીપર મશીનો આ રીતે જ કામ કરશે, તો શહેરના રસ્તાઓ ક્યારેય સ્વચ્છ થઈ શકશે નહીં. શું આ મશીનોના મેન્ટેનન્સમાં ખામી છે? કે પછી ઓપરેટરો દ્વારા જાણીજોઈને આવી બેદરકારી દાખવવામાં આવે છે?

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:58 pm

નકલી પોલીસ બની ₹8 લાખનો તોડ:હિંમતનગરમાં એ ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ, તપાસ ચાલુ

હિંમતનગરમાં નકલી પોલીસ બનીને આઠ લાખ રૂપિયાનો તોડ કરનાર બે આરોપીઓની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના એક મહિના પહેલા બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગત 10 ફેબ્રુઆરીના રોજ, આરોપીઓએ હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પડીકી મંગાવી હતી. પડીકી આપનાર વ્યક્તિને બાદમાં નકલી પોલીસે ધમકાવીને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ આખરે આઠ લાખ રૂપિયા આપીને મામલો પતાવવામાં આવ્યો હતો. આઠ લાખ રૂપિયા આપ્યા પછી, જ્યારે ફરિયાદીને આ લોકો નકલી પોલીસ હોવાની જાણ થઈ, ત્યારે અફીણની પડીકી આપનાર વ્યક્તિના સાળા સુરેન્દ્ર સત્યનારાયણ સુથાર દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં હિંમતનગરના કાંકરોલ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા વીરેન્દ્રકુમાર રોશનલાલ ખટીક અને પ્રાંતિજના સોનાસણના રહેવાસી વિપુલકુમાર રેવાભાઈ વણકરનો સમાવેશ થાય છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અફીણની પડીકી આપનાર વ્યક્તિની પણ અગાઉ NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:55 pm

BJP પૂર્વ યુવા ઉપપ્રમુખનો 'એક વ્યક્તિ અને બે હોદ્દા'નો ઘટસ્ફોટ:જૂનાગઢમાં મહિલા કાર્યકરને શહેર-જિલ્લા બંને સંગઠનમાં સ્થાન મળતા વિવાદ, સો.મીડિયામાં ગણતરીની મિનિટોમાં જ રાજીનામુ વાયરલ

​જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ 'એક વ્યક્તિ અને બે હોદ્દા'નો વિષય ભારે ચર્ચામાં આવ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ માળખામાં સામાન્ય રીતે એક વ્યક્તિને એક જ જવાબદારી સોંપવાનો નિયમ હોય છે પરંતુ, રવિનાબેન મેઘનાથી નામના કાર્યકરને શહેર અને જિલ્લા એમ બંને સંગઠનમાં સ્થાન મળતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે ભાજપના જ પૂર્વ યુવા ઉપપ્રમુખ તેજસ જોશી ઉર્ફે પપ્પુએ ગંભીર આક્ષેપો કરીને સંગઠનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આ વિવાદ માત્ર હોદ્દા પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ, શહેર અને જિલ્લા પ્રમુખના નિવેદનોમાં જોવા મળેલી વિરોધાભાસી વાતોએ પક્ષની આંતરિક શિસ્ત પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. સંગઠનનો નિયમ છે કે એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએભાજપના પૂર્વ યુવા ઉપપ્રમુખ તેજસ જોશી ઉર્ફે પપ્પુએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા પોતાને સંગઠનથી પણ ઉપર સમજી રહ્યા હોય એવું લાગે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સંગઠનનો નિયમ છે કે એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએ પરંતુ, અહીં તો એક જ વ્યક્તિને બે-બે અલગ અલગ સંગઠનમાં હોદ્દા આપીને ગંભીર ભૂલ કરવામાં આવી છે. તેજસ જોશીએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, શું જૂનાગઢ શહેરમાં ભાજપ પાસે એવા કોઈ સક્ષમ કાર્યકર્તાઓ નથી કે, પ્રમુખે જિલ્લાના કાર્યકર્તાઓને શહેરની ટીમમાં સામેલ કરવા પડે છે? તેમણે રવિનાબેન મેઘનાથીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમને જૂનાગઢ શહેર યુવા મોરચામાં મંત્રી બનાવવામાં આવ્યા છે અને સાથે જ જિલ્લાની ટીમમાં વંથલી તાલુકાના કારોબારી સભ્ય તરીકે પણ જવાબદારી સોંપાઈ છે. મુદ્દો જાહેર થયો ત્યારે ગણતરીની મિનિટોમાં જ રવિનાબેનનું રાજીનામું વાયરલ​આ વિવાદમાં સૌથી વધુ શંકાસ્પદ બાબત રવિનાબેન મેઘનાથીના રાજીનામાના પત્રની છે. તેજસ જોશીએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે આ મુદ્દો જાહેર થયો ત્યારે ગણતરીની મિનિટોમાં જ રવિનાબેનનું રાજીનામું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. આ પત્રમાં ન તો કોઈ તારીખનો ઉલ્લેખ છે, ન તો પક્ષનું નામ કે લેટરપેડ છે. આથી એવું જણાઈ રહ્યું છે કે, આ રાજીનામું માત્ર વિવાદને દબાવવા માટે ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું હોય. તેજસ જોશીએ પ્રદેશ નેતાગીરીને પણ વિનંતી કરી છે કે, વારંવાર નાની ભૂલો કરતા સ્થાનિક નેતાઓને સમજાવવામાં આવે કારણ કે કાર્યકર્તાઓ હવે આ બધું જોઈ રહ્યા છે. પ્રમુખના મતે આમાં કોઈ મોટો વિવાદ નથી​જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આ સમગ્ર વિવાદને નકારતા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે શહેરની યુવા ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે રવિનાબેન અપારનાથીનું નામ વિચારવામાં આવ્યું હતું. પરંતુ જેવો ખ્યાલ આવ્યો કે તેમને જિલ્લા સંગઠનમાં પણ હોદ્દો મળેલો છે ત્યારે તેમણે નૈતિકતાના ધોરણે સામેથી રાજીનામું આપી દીધું હતું. પ્રમુખના મતે આમાં કોઈ મોટો વિવાદ નથી અને પ્રક્રિયા મુજબ જ બધું થયું છે. જોકે, તેમના સોશિયલ મીડિયા પેજ પર રવિનાબેનને હોદ્દો આપ્યાની પોસ્ટ હજુ પણ ચર્ચાનો વિષય બની છે. આ બહેન પહેલા વંથલી રહેતા હતા અને હવે શહેરમાં રહે છે એટલે તે શહેરની ટીમમાં​બીજી તરફ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાના નિવેદનમાં ભારે અસ્પષ્ટતા જોવા મળી હતી. શરૂઆતમાં તેમણે એવો બચાવ કર્યો હતો કે, રવિનાબેન અગાઉ કિરીટભાઈ પટેલની ટીમમાં હતા અને હાલ તેમની ટીમમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. તેમણે એવું પણ કહ્યું કે, આ બહેન પહેલા વંથલી રહેતા હતા અને હવે શહેરમાં રહે છે એટલે તે શહેરની ટીમમાં છે પરંતુ, જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે ગત 2 માર્ચે તેમણે પોતે જ પોતાના સોશિયલ મીડિયા પર મુકેલી જિલ્લા કારોબારીની યાદીમાં રવિનાબેનનું નામ છે ત્યારે તેઓ અચાનક ચોંકી ગયા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે, કદાચ તેમનું નામ તેમાં હશે અને આ મામલે હવે તેઓ તપાસ કરીને કંઈક પગલાં લેશે. ​આમ, એક હોદ્દા માટે મહેનત કરતા અનેક પાયાના કાર્યકર્તાઓ જ્યારે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે ત્યારે એક જ વ્યક્તિને બે સ્તરે મહત્વ મળતા જૂનાગઢ ભાજપમાં અસંતોષની લાગણી જન્મી છે. પ્રમુખોની અજાણતા અને ઉતાવળે અપાયેલા રાજીનામાએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ મામલે જૂનાગઢના સ્થાનિક નેતૃત્વ સામે કેવા પગલાં ભરે છે અથવા આ વિવાદને આંતરિક રીતે શાંત કરી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:53 pm

રાયગઢમાં સામાજિક વર્તણૂંક પરિવર્તન સંચાર કાર્યક્રમ:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આરોગ્ય જાગૃતિ પર ભાર

સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોમાં સકારાત્મક વર્તણૂક પરિવર્તન લાવવા માટે સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી આરોગ્ય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે કિશોરીઓમાં HPV રસીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં આરોગ્યલક્ષી જાગૃતિ વધારવા માટે સૌને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે લોકોમાં વૈજ્ઞાનિક સમજણ વિકસે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. પીઅર એજ્યુકેટરોએ રોલ પ્લે, પ્રદર્શન અને સંવાદાત્મક રજૂઆત દ્વારા ગ્રામજનોને સરળ અને અસરકારક રીતે આરોગ્ય સંદેશાઓ પહોંચાડ્યા હતા. આ કાર્યક્રમમાં ક્ષયરોગ (TB) નિવારણ અને સમયસર સારવાર, વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત પોષણ અને માતા-બાળ આરોગ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. અતિ જોખમી સગર્ભા માતાઓની સમયસર ઓળખ અને સંભાળ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ જેસીંગભાઈ પટેલ, અદાપુરના મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગની ટીમ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:37 pm

એસ.એસ.જી.ના તબીબોએ નવજાતને આપ્યું નવજીવન:ગોધરાના શિશુની અન્નનળી-શ્વાસનળી અલગ કરવાની અત્યંત જટિલ સર્જરી વડોદરામાં સફળતાપૂર્વક સંપન્ન

વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વધુ એક વખત પોતાની કાર્યદક્ષતા સાબિત કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી કલ્પનાબેનના 2.600 કિલો વજન ધરાવતા નવજાત શિશુને જન્મજાત ગંભીર ખામી હોવા છતાં જટિલ સર્જરી દ્વારા નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે. શું હતી બાળકની ગંભીર બીમારી?બાળકના જન્મ બાદ તુરંત જ માલૂમ પડ્યું હતું કે તે 'ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા' નામની ગંભીર બીમારીથી પીડાય છે. આ સ્થિતિમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોય છે. આ ખામીને કારણે બાળક જે દૂધ પીએ તે સીધું ફેફસામાં જવાની દહેશત રહે છે, જે નવજાત માટે જીવલેણ બની શકે છે. બાળકની નાજુક સ્થિતિ જોઈ તેને જન્મના માત્ર 11 કલાકમાં જ ગોધરાથી વડોદરા રિફર કરાયું હતું. પડકારજનક સર્જરી અને સઘન સારવારહોસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે નિષ્ણાત સર્જરી ટીમ દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવાયો હતો. ઓછું વજન અને ઇન્ફેક્શનના જોખમ વચ્ચે આ પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 10 દિવસ સુધી બાળકને મિકેનિકલ વેન્ટિલેટર પર રાખી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. 'ડાઈ સ્ટડી' દ્વારા ખાતરી કર્યા બાદ જ બાળકને રજા આપવામાં આવી હતી. સરકારી સુવિધા બની આશીર્વાદરૂપખાનગી હોસ્પિટલમાં આ સારવારનો દૈનિક ખર્ચ 20 થી 25 હજાર રૂપિયા ઉપરાંત સર્જરીનો લાખોનો ખર્ચ થતો હોય છે. જોકે, એસ.એસ.જી. હોસ્પિટલમાં 24 દિવસની સઘન સારવાર અને ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. બાળરોગ વિભાગના વડા ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ રિંકી શાહ, વૈશાલી ચનપુરા, કશ્યપ પંડ્યા સહિતની ટીમે આ સફળતા હાંસલ કરી છે. પિતા કલ્પેશભાઈએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:31 pm

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:ટોયલેટ-ઓડિટોરિયમ પાસેથી દારૂની 15 ખાલી બોટલો મળી, સિક્યુરિટીના મસમોટા ખર્ચ છતાં નશાખોરીની પ્રવૃત્તિથી શિક્ષણ જગત લજવાયું, કુલપતિએ આપ્યા તપાસના આદેશ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જે એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અવ્વલ ગણાતી હતી, તે નશાકીય પ્રવૃત્તિઓને કારણે બદનામ થઈ રહી છે. યુનિવર્સિટીના જેન્ટ્સ ટોયલેટમાંથી 9 અને ઓડિટોરિયમ પાસે 6 મળી કુલ 15 દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર જાગી છે. આ ઘટનાએ યુનિવર્સિટીના વહીવટી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચિંતાજનક બાબત એ છે કે જ્યાંથી આ બોટલો મળી આવી છે તે સ્થળ મુખ્ય બિલ્ડિંગથી માત્ર 100 મીટર અને ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે. પોલીસની આટલી નજીક હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલો જામતી હોવાની આશંકા સેવાઈ રહી છે. શું રાત્રિના સમયે અધ્યાપકો કે વિદ્યાર્થીઓ દ્વારા અહીં પાર્ટીઓ કરવામાં આવે છે? તે તપાસનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર મહિને સિક્યુરિટી પાછળ રૂ. લાખોનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળતા મળી રહી હોય તેવું જણાય છે. નોંધનીય છે કે સાંજે 5 વાગ્યા પછી રાહદારીઓ માટે કેમ્પસમાં પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં દારૂની બોટલોનો આ જથ્થો અંદર કેવી રીતે પહોંચ્યો તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં આ મુદ્દે યુનિવર્સિટીનાં કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે, અને જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી પણ આપી છે. ત્યારે આગામી સમયમાં ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. મ્યુ. કમિશ્નરે સફાઈ કામદારો માટે બનતા આધુનિક કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના સફાઈ કામદારોના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે વોર્ડ નં.03માં જામનગર રોડ પર આધુનિક સુવિધાઓ ધરાવતા કોમ્યુનિટી હોલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંદાજીત રૂ.8.69 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ G+2 બિલ્ડીંગની કામગીરીની સમીક્ષા કરવા માટે આજે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા માટે એજન્સી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રોજેક્ટ અંદાજીત 3458.94 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ પાર્કિંગ, ઓફિસ રૂમ, લિફ્ટ અને ટોઇલેટ બ્લોક જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. બિલ્ડીંગના પ્રથમ અને બીજા માળ પર મેરેજ ફંક્શન હોલ, ડાઇનીંગ હોલ, વર-વધુ માટે સ્પેશિયલ રૂમ અને આધુનિક કિચનની વ્યવસ્થા કરવામાં આવશે. સફાઈ કામદારો અને તેમના પરિવારજનો સન્માનજનક રીતે લગ્ન પ્રસંગો કે ધાર્મિક કાર્યક્રમો યોજી શકે તે હેતુથી આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થતા તંત્ર દોડતું થયું રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં રોગચાળાના આંકડા સામે આવ્યા છે. ગત સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જેનાથી વર્ષ 2026 ના કુલ કેસની સંખ્યા 9 થઈ છે. મેલેરિયાના આ વર્ષના કુલ 2 કેસ નોંધાયા છે, જ્યારે ચિકુનગુનિયાનો હજુ સુધી કોઈ કેસ સામે આવ્યો નથી. અન્ય રોગોમાં શરદી-ઉધરસના 488, સામાન્ય તાવના 446, ઝાડા-ઉલ્ટીના 156 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડ અને કમળાનો 1-1 કેસ નોંધાયો છે. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધીમાં શરદી-ઉધરસના કુલ 9,836 અને સામાન્ય તાવના 7,662 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળો અટકાવવા સઘન પગલાં લેવામાં આવ્યા છે. મચ્છરના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા માટે 13664 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 1421 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન મચ્છરના પોરા મળતા રહેણાંક વિસ્તારમાં 121 અને કોર્મશીયલ એકમોમાં 32 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. પાણીજન્ય રોગોના અટકાયતી પગલાં રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1011 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી દ્વારા લોકોને સાફ-સફાઈ રાખવા અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં દબાણ હટાવ ઝુંબેશ, 47 રેકડીઓ અને 3406 બોર્ડ જપ્ત કરી રૂ. 8,95,165 નો દંડ વસૂલાયો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 01-03-2026 થી 15-03-2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક કામગીરી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જાહેર માર્ગો પર નડતરરૂપ 47 રેકડી-કેબીન અને 3406 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, વિવિધ સ્થળોએથી 458 પરચુરણ ચીજવસ્તુઓ અને 3259 કિલોગ્રામ શાકભાજી તથા ફળોનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ સમયગાળા દરમિયાન મંડપ કમાન છાજલી ભાડા પેટે રૂ. 2,78,550 અને વહીવટી ચાર્જ પેટે રૂ. 6,16,615 મળી કુલ રૂ. 8,95,165 ની માતબર રકમ વસૂલ કરવામાં આવી છે. શહેરના ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કાલાવડ રોડ, 150 રિંગ રોડ અને રેસકોર્ષ સહિતના મુખ્ય વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રાફિકની સમસ્યા નિવારવા અને માર્ગો ખુલ્લા કરવા માટે એન્ક્રોચમેન્ટ ઓફિસરની સૂચના મુજબ ટીમોએ સઘન ચેકિંગ કર્યું હતું. નાગરિકોને અવરજવરમાં સુવિધા રહે અને શહેરની સુંદરતા જળવાય તે માટે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. રાજકોટમાં મોઢવણિક મહાજન દ્વારા શ્રીનાથજીની ઝાંખી અને જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન રાજકોટમાં મોઢવણિક મહાજન દ્વારા યુવીએમસી પાર્ટી લોન્સના તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રવિવારે એક અલૌકિક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીનાથજીની ઝાંખી અને વિરાટ જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં ખ્યાતનામ ગાયક આસીફ જેરિયા અને તેમની ટીમના 46 કલાકારોએ શ્રીજીના અષ્ટસમા - મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયનના દર્શન સુમધુર સંગીત સાથે કરાવ્યા હતા. આ પ્રસંગે મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેન છાપિયા અને અન્ય ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે 1872 માં સ્થાપિત આ સંસ્થાએ 125 વર્ષ જૂની હાથી ખાના સ્થિત વાડીનું 31 માર્ચ 2023નાં આધુનિક લોકેશન પર સ્થળાંતર કર્યું હતું. એકાદશીના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મોત્સવમાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ હર્ષદભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાગ્યેશભાઈ વોરા, સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા અને અન્ય ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:31 pm

સુરત બીટકોઈન કેસમાં તત્કાલિન SP જગદીશ પટેલને હાઇકોર્ટમાંથી જામીન:બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણીનો ગુનો નોંધાય'તો

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુન્હામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે ગત વર્ષે આજીવન કેદની સજા ફટકારી હતી. જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી હતી. જે પૈકી ગુજરાત હાઇકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતાં. બાદમાં પૂર્વ MLA નલિન કોટડિયાને અને હવે પૂર્વ IPS જગદીશ પટેલને પણ જામીન આપ્યા છે. તત્કાલિન SP અને PI, કોન્સ્ટેબલો સહિત 14ને આજીવન કેદની સજા ફટકારી હતીઆ મામલે ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ ACB કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને PI અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ બની હતી. ACBની કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો. બિલ્ડરનું અપહરણ, 176 બિટકોઇન ટ્રાન્સફરઆ કેસની વિગતો જોતા વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણીના મામલે કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં શૈલેષ ભટ્ટે બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, જેના રૂપિયા ડૂબી ગયા હતાં. તેથી તેણે કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માગ્યા હતાં. શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂપિયા પડાવી લીધા હતાં. 34 બિટકોઈન વેચીને રૂ.2.35 કરોડ રોકડ ટ્રાન્સફર કર્યા'તાત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI અનંત પટેલની ટીમે સરકારી વાહનમાં શૈલેષ ભટ્ટનું 11મી ફેબ્રુઆરી, 2018માં અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. અપહરણ કરનારાઓએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરીને 34 બિટકોઈન વેચાણ કરીને રૂ.2.35 કરોડ રોકડમાં આંગડિયામાં ટ્રાન્સફર કર્યા હતાં. કોર્ટમાં તબક્કાવાર કુલ 6 ચાર્જશીટ દાખલ કરી હતીઆ મામલે શૈલેષ ભટ્ટે ગાંધીનગરમાં ફરિયાદ કરતા CID ક્રાઈમને તપાસ સોંપાઇ હતી. CID ક્રાઈમે તપાસ કરીને અમરેલીના પૂર્વ LCBના PI અનંત પટેલ, SP જગદીશ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 15 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તબક્કાવાર કુલ 6 ચાર્જશીટ દાખલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:19 pm

મિત્રતા અને સાહિત્યનો અનોખો સંગમ:રાજકોટની રાષ્ટ્રીય શાળામાં 2 વર્ષની બાળકીના હસ્તે પુસ્તકાલયનું ઉદઘાટન, લેખક મિત્રને જન્મદિને લાયબ્રેરીની અનોખી ભેટ

રાજકોટની ઐતિહાસિક અને ગાંધીજીના સંસ્કારોથી સિંચાયેલી રાષ્ટ્રીય શાળાની ભૂમિ પર રવિવારની સાંજ એક સુવર્ણ ઇતિહાસની સાક્ષી બની. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ પોતાના મિત્ર અને લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાના 50મા જન્મદિન નિમિત્તે આપેલું વચન પૂર્ણ કર્યું છે. કોઈ એક સર્જક બીજા સર્જકને જન્મદિનની ભેટ તરીકે આખું પુસ્તકાલય તૈયાર કરી આપે તેવો આ વિશ્વનો પ્રથમ અને બેજોડ કિસ્સો છે. આ પ્રસંગે માત્ર 2 વર્ષની બાળકી પ્રથાના હસ્તે ઉદઘાટન કરાવીને જગદીશ ત્રિવેદીએ સાહિત્ય જગતમાં એક નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. 21 કરોડનું દાન કરનાર કલાકારની ઉમદા પહેલપોતાની 50 વર્ષની ઉંમર બાદ કાર્યક્રમોની તમામ આવક સમાજસેવામાં વાપરવાનો સંકલ્પ કરનાર જગદીશ ત્રિવેદી અત્યાર સુધીમાં 21 કરોડનું દાન કરી ચૂક્યા છે. 3 વખત PhD થયેલા આ વિદ્વાન કલાકારે અઢી વર્ષ પહેલા પૂજ્ય મોરારિબાપુની ઉપસ્થિતિમાં જય વસાવડાના નામનું પુસ્તકાલય બનાવવાની જાહેરાત કરી હતી. જય વસાવડાના માતા-પિતા પ્રત્યેના આદર અને જયના વાચન પ્રેમથી પ્રભાવિત થઈને આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. આર્કિટેકટ પ્રતીક દઢાણિયાએ જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ આ આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કર્યું છે. ગાંધીજીના નિવાસસ્થાન પાસે સાહિત્યનું નવું સરનામુંરાષ્ટ્રીય શાળામાં જે ઓરડામાં મહાત્મા ગાંધી પોતે રોકાતા હતા, તેની બરાબર બાજુનો રૂમ આ પુસ્તકાલય માટે ફાળવવામાં આવ્યો છે. ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રીય શાળાના સંચાલક જીતુભાઈ ભટ્ટે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફાળવેલી 2.5 કરોડની ગ્રાન્ટ બાદ સંસ્થામાં ઘણું નવું કામ થયું છે, જેમાં આ લાયબ્રેરી એક નવું ઘરેણું બની રહેશે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને રાજવી માંધાતાસિંહજીએ પણ આ કાર્યને રાજકોટનું ગૌરવ ગણાવ્યું હતું. ભાવુક ક્ષણો અને ગુરુવંદનાપોતાના સંબોધનમાં જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે જય વસાવડા કોઈ વિદ્યાલયનું નહીં પણ પુસ્તકાલયનું સંતાન છે. તેમણે આ મૌલિક વિચાર પાછળ પોતાના પુત્ર મૌલિકનો પણ ફાળો હોવાનું સ્વીકાર્યું હતું. સામે પક્ષે જય વસાવડાએ ભાવવિભોર થઈને જણાવ્યું કે તેમના ઘડતરમાં ગોંડલ અને રાજકોટની કોલેજ લાયબ્રેરીઓનો મોટો ફાળો રહ્યો છે. તેમણે પોતાના સ્વર્ગસ્થ ગુરુજનો ડૉ. જે. એમ. મહેતા અને ડૉ. રમેશભાઈ ફુલેત્રાને યાદ કરીને આ લાયબ્રેરીને 'અસ્તિત્વના આશીર્વાદ' ગણાવ્યા હતા. જનમેદની અને મહેમાનોની ઉપસ્થિતિમાત્ર 24 કલાકના સોશિયલ મીડિયા આમંત્રણ પર 650થી વધુ પુસ્તકપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, મિલન ત્રિવેદી, અવની વ્યાસ, રશ્મિ ભાલોડિયા, મિતુલ ધોળકિયા, હિરેન કોટક, સંજુ વાળા અને બળવંત જાની જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ (બોલબાલા ટ્રસ્ટ) એ કર્યું હતું અને આભારવિધિ ઉદ્યોગપતિ ઈલેશભાઈ ખખ્ખરે કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:12 pm

માનવતાની સાચી ઇબાદત:રમજાન માસમાં જૂનાગઢના પરિવારે 3 લોકોને નવજીવન આપી ખિદમત-એ-ખલ્કનું ઉદાહરણ પૂરું પાડ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 માર્ચના રોજ માનવતા અને કોમી એકતાનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. રમજાનના પવિત્ર માસમાં જૂનાગઢના ચાવડા પરિવારે તેમના સ્વજન જેબુનબેનના અંગોનું દાન કરી સમાજને નવી દિશા ચીંધી છે. શ્રદ્ધા અને સેવાનો સંગમજૂનાગઢના કેશોદ પાસે અકસ્માતનો ભોગ બનેલા 51 વર્ષીય જેબુનબેનને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવાર શોકમાં હતો. આ સમયે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના આગેવાન યાસ્મીનબેન વોરા અને સ્થાનિક મોલાનાએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે ધાર્મિક રૂઢિચુસ્તતા છોડી 'ખિદમત-એ-ખલ્ક'ને પ્રાધાન્ય આપ્યું. જ્યારે જેબુનબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા, ત્યારે હોસ્પિટલ સ્ટાફની પ્રાર્થના અને સ્વજનોના 'કલમા'ના ગુંજારવે ભાવુક વાતાવરણ સર્જ્યું હતું. તેમના દ્વારા 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું છે. 14 કલાકમાં 6 જિંદગીઓ બચીઆ જ દિવસે સિવિલમાં અન્ય એક 25 વર્ષીય યુવતીના પરિવારે પણ અંગદાનનો ઉમદા નિર્ણય લીધો હતો. ડૉ. મોહિત ચંપાવતની સમજાવટથી આ પરિવારે અંગોનું ગુપ્તદાન કર્યું, જેનાથી વધુ 2 કિડની અને 1 લીવર પ્રાપ્ત થયા. આમ, માત્ર 14 કલાકમાં 2 અંગદાન દ્વારા 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. સામાજિક ક્રાંતિ તરફ પ્રયાણસિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ આ ઘટનાને 'સામાજિક ક્રાંતિ' ગણાવી છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 231 દાતાઓ દ્વારા કુલ 995 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે, જેનાથી 742 લોકોના જીવનમાં ખુશીઓ પાછી આવી છે. મુસ્લિમ સમાજ તરફથી મળેલું આ 9મું અંગદાન બદલાતા સમાજની સાક્ષી પૂરે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:06 pm

અધ્યક્ષે ઈટાલિયાને ઠપકો આપ્યો:ગૃહમાં ના ચર્ચાયેલા મુદ્દા બહાર ચર્ચવા યોગ્ય નથી; ગૃહ વિભાગના પ્રશ્નનો જવાબ વન વિભાગના મંત્રીએ આપતા કોંગ્રેસનો હોબાળો

વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન ગૃહ વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા ગરમાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન પૂછતા પહેલા કહ્યું કે તેમને આશા છે કે સાચો જવાબ મળશે. આ નિવેદન પર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટોકી કહ્યું કે આ પ્રકારના આક્ષેપ યોગ્ય નથી અને આવા શબ્દોને રેકોર્ડ પરથી દૂર કરવાની સૂચના આપી. મારી પર હુમલો થયો છતાં ફરિયાદ નોંધાઈ નથી: કાંતિ ખરાડીકાંતિ ખરાડીએ ગૃહમાં જણાવ્યું કે તેમના પર હુમલો થયો હોવા છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી. તેમણે આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે થયેલા ઘર્ષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે જો આદિવાસીઓ સામે ફરિયાદ થઈ હોય તો તેમની તરફથી ક્રોસ ફરિયાદ કેમ લેવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે પોતાના ઉપર હુમલા અંગે FIR નોંધાઈ નથી તો સામાન્ય લોકોની ફરિયાદોનું શું થાય? પોલીસ નિયમ મુજબ FIR નોંધે છે અને મેરિટના આધારે કાર્યવાહી કરે છે: મંત્રીઆ પ્રશ્નના જવાબમાં રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે પોલીસ નિયમ મુજબ FIR નોંધે છે અને મેરિટના આધારે કાર્યવાહી કરે છે. તેમણે માહિતી આપી કે ગીર સોમનાથ જિલ્લામાં 308 અને જૂનાગઢ જિલ્લામાં 251 FIR નોંધાઈ છે. કેટલાક કેસોમાં અરજદાર પોલીસ સ્ટેશનમાં નહીં, પરંતુ સીધા કોર્ટમાં જાય છે અને કોર્ટના આદેશ બાદ FIR નોંધાય છે. કાયદા મુજબ FIR લેવાની જોગવાઈ, તો આ કેસમાં ક્રોસ ફરિયાદ કેમ નોંધાઈ નથી: અમિત ચાવડાચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો કે કાયદા મુજબ કોઈપણ વ્યક્તિની FIR લેવાની જોગવાઈ છે તો આ કેસમાં ક્રોસ ફરિયાદ કેમ નોંધાઈ નથી. બીજી તરફ વન વિભાગના મંત્રી પ્રવીણ માળીએ સ્પષ્ટતા કરી કે આ કિસ્સામાં વન વિભાગ જાતે ફરિયાદી બન્યું છે. ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યોગૃહમાં ચાલેલી દલીલો વચ્ચે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા અને હોબાળો કર્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્યું કે પૂરક પ્રશ્ન જે વિભાગના હોય તે જ મંત્રી જવાબ આપે, અન્ય મંત્રી જવાબ આપી શકતા નથી. ગૃહ વિભાગના પ્રશ્નનો જવાબ વન વિભાગના મંત્રી દ્વારા આપવામાં આવ્યો હોવાથી તેમણે વાંધો નોંધાવ્યો. ગૃહ વિભાગે આપેલા જવાબમાં વન વિભાગનો ઉલ્લેખ નહોતો: અમિત ચાવડાકોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્યું કે કેબિનેટ મંત્રી ગેરહાજર હોય ત્યારે અન્ય મંત્રી જવાબ આપી શકે છે, પરંતુ તેમને પૂરતી માહિતી હોવી જરૂરી છે. બીજી તરફ અમિત ચાવડાએ રજૂઆત કરી કે ગૃહ વિભાગ દ્વારા આપેલા જવાબમાં ક્યાંય વન વિભાગનો ઉલ્લેખ નહોતો. ‘અધ્યક્ષે ઈટાલિયાને ઠપકો આપ્યો’આ સમગ્ર વિવાદ બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહમાં સ્પષ્ટતા કરી કે સામાન્ય રીતે જે તે વિભાગના મંત્રીએ જ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. અનિવાર્ય સંજોગોમાં જ અન્ય મંત્રી જવાબ આપી શકે, પરંતુ એક મંત્રીના બદલે બીજા મંત્રી દ્વારા જવાબ આપવો યોગ્ય નથી. તેમણે ગોપાલ ઇટાલિયાને ઠપકો આપતાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા ન થયેલા મુદ્દાઓ બહાર ચર્ચવા યોગ્ય નથી અને ભવિષ્યમાં આવું ન કરવા તાકીદ કરી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:06 pm

LM કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચે અન્વેષણ 2026 યોજાશે:500થી વધુ વિદ્યાર્થી, 25 સ્ટાર્ટઅપ અને 41 પેન્ટન્ટ રજૂ કરશે, ઉદ્યોગપતિઓ સાથે સંવાદ યોજાશે

એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ફાર્મા અન્વેષણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સહયોગથી રાજ્ય સ્તરનો ફાર્મા અન્વેષણ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાના સંશોધન અને ઔદ્યોગિક ઉપયોગીતા વચ્ચેના અંતરને દૂર કરવા માટે ફાર્મા અન્વેષણ કામ કરશે. 500 કરતા વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ, પેટન્ટ અને ફાર્માસ્યુટિકલ થીમ્સ એક્સપર્ટ સામે રજૂ કરવાના છે. જે બાદ દવા ઉદ્યોગના નિયામક અને દવા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ વચ્ચે સંવાદ યોજશે. સ્ક્વેર ફાર્મા ઇકોસિસ્ટમ, અકેડેમિયા, ઉદ્યોગ, સંશોધનએલ.એમ. કોલેજ ઓફ ફાર્મસી દેશની પ્રથમ ફાર્મસી કોલેજોમાંની એક છે. જેથી આ વખતે રાજ્ય સ્તરનો ફાર્મા અન્વેષણ 2026નો કાર્યક્રમ એલ.એમ. કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવશે. જેથી ફાર્મા અન્વેષણ 2026માં રાજ્યભરના અનેક ફાર્મસી કોલેજોના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમની થીમ સ્ક્વેર ફાર્મા ઇકોસિસ્ટમ, અકેડેમિયા, ઉદ્યોગ, સંશોધન, નિયામક અને દર્દીઓ વચ્ચે સમન્વય રાખવામાં આવી છે. ફાર્મા અન્વેષણ 2026માં વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમના નવા વિચારો રજૂ કરવાની તક મળશે. 145 સંશોધન પ્રોજેક્ટ, 63 AI આધારિત વીડિયો આ કાર્યક્રમમાં 400થી વધુ ડેલિગેટ્સ ભાગ લેવાના છે. તેમાં ઉદ્યોગ સાથે જોડાયેલા સંશોધન દર્શાવતા 145 સંશોધન પ્રોજેક્ટ પણ રજૂ કરશે. તેમજ 63 સ્ટાર્ટઅપ ઇનોવેશન મોડલ, 63 AI આધારિત વિડિઓ અને ટૂંકી ફિલ્મો તથા 41 પેટન્ટ સંબંધિત રજૂઆતો પણ કાર્યક્રમમાં રજૂ કરશે. કાર્યક્રમ દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નિયમનકારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે વિશેષ સંવાદ સત્ર પણ યોજાશે. આ સત્રમાં દવા ઉદ્યોગના નિયમો, સંશોધન અને નવીન ટેકનોલોજી અંગે ચર્ચા કરવામાં આવશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રો. અનિલ કુમાર ગુપ્તાની હાજરીઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને હીના બી ટેકટાઇલ્સના સ્થાપક પ્રો. અનિલ કુમાર ગુપ્તા હાજર રહેશે. તેમજ સંયુક્ત કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગુજરાત એ. એલ. રાવલ, CDSCOના ડિરેક્ટર ડૉ. શ્રીરામ વેંકટર અને સહિતના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેવાના છે. વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશેકાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે. જેમાં પેટન્ટ પિચિંગ, ઇનોવેશન મોડલ પ્રેઝન્ટેશન, સ્ટાર્ટઅપ ઇનોવેશન પિચિંગ, ઉદ્યોગ સાથે સંકળાયેલ સંશોધન પ્રેઝન્ટેશન અને AI આધારિત વિડિયો સ્પર્ધા સહિત કુલ 6 શ્રેણીમાં સ્પર્ધાઓ યોજાશે. જેમાં કુલ 312 જેટલી એન્ટ્રીઓ નોંધાઈ છે. નવીન વિચારો રજૂ કરવા માટે ઉત્તમ મંચ આ કાર્યક્રમ યુવા ફાર્મસી વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમની નવીન વિચારો રજૂ કરવા માટે ઉત્તમ મંચ પૂરો પાડશે. સાથે જ ઉદ્યોગપતિઓ અને નિયામક તંત્રના નિષ્ણાતો દ્વારા મળતું માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં નવી તકો સર્જવામાં મદદરૂપ બનશે. ફાર્મસી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યા છે તે લોકો સુધી પહોંચાડાશેએલ.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મહેશ છબરીયાએ જણાવ્યું હતું કે, 17 માર્ચના રોજ ફાર્મા અન્વેષણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મા અન્વેષણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો કાર્યક્રમ છે. વિદ્યાર્થીઓ કે અન્ય લોકો દ્વારા ફાર્મસી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યા છે તે લોકો સુધી પહોંચાડવા માટે મંચ પુરું પાડવામાં આવશે. જેની પેટન્ટ પ્રકાશિત થઈ છે, જેને સ્ટાર્ટઅપ પ્રકાશિત કરાવ્યું છે તેવા લોકો ફાર્મા ઉદ્યોગપતિઓને એક મંચ પર લાવવામાં આવશે. લોકો સુધી કઈ રીતે પહોંચાડવો તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. '41 અરજી આવી હતી જેમાંથી હવે 17 મંજૂર કરી'વધુમાં એલ.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મહેશ છબરીયાએ જમાવ્યું હતું કે, ગુજરાતની બીજી અનેક યુનિવર્સિટીઓના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવશે. દરેક રાજ્યમાં અને ઝોનમાં પણ આ કાર્યક્રમ મોટાપાયે થશે. જેથી ગુજરાત ઝોનમાં જવાબદારી અમારી કોલેજને આપવામાં આવી છે. 8 જેટલી પેટન્ટ ગ્રાન્ટેડ છે, પબ્લીશ થઈ હોય તેવી 41 અરજી આવી હતી જેમાંથી હવે 17 મંજૂર કરી છે. '48 વીડિયોનું પ્રેઝન્ટેશન કરાવીશું'તેને વધુમાં કહ્યું કે, કારણ કે એક જ દિવસનો કાર્યક્રમ હોવાથી આટલી અરજી જ મંજૂર કરવામાં આવી છે. જે લોકો માટે ઉપયોગી થઈ શકે તેવી જ અરજીઓ મંજૂર કરવામાં આવે છે. તેમજ સ્ટાર્ટઅપની 63 અરજી આવી છે જેમાંથી 25 સ્ટાર્ટઅપને પ્રેઝન્ટેશન કરાવીશું. તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વીડિયો બનાવી જેની 68 અરજી આવી છે, જેમાંથી 48 વીડિયોનું પ્રેઝન્ટેશન કરાવીશું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:03 pm

આડા સંબંધની શંકાએ યુવકને માર માર્યો:દાત્રાણા રોડ પર ચાર શખ્સોએ લાકડી-પાઈપથી હુમલો કર્યો, ફરિયાદ નોંધાઈ

સાંતલપુરના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને લાકડી અને લોખંડની પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો, અને સાંતલપુર પોલીસ મથકે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સાંતલપુર પોલીસ મથકે નારણ માદેવભાઈ બોરીચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતરાઈ ભાઈ વેલાભાઇ સાથે મોટર સાઇકલ પર સાંતલપુરથી વૌવા ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન, દાત્રાણાથી વૌવા જવાના રોડ પર ભોજાસરી તલાવડી પાસે આવેલા નાગલ માતાજીના મંદિર નજીક બમ્પ આવતા નારણે મોટર સાઇકલ ધીમી પાડી હતી. આ તકે, ત્યાં અગાઉથી હથિયારો સાથે ઉભેલા વૌવા ગામના રસિક રવાભાઈ ધયડા, મેદા જીતાભાઇ ધયડા, કાંતી રવાભાઇ ધયડા અને બાબુ રવાભાઈ ધયડાએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો પૈકી મેદાભાઇએ લાકડી વડે હુમલો કરતા નારણ મોટર સાઇકલ પરથી નીચે પડી ગયા હતા. આરોપીઓએ નારણ પર બાબુની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ, ચારેય શખ્સોએ એકસંપ થઈ લાકડી અને લોખંડની પાઇપો વડે નારણને શરીરના ભાગે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં નારણને બંને પગે ઢીંચણ નીચે, પીઠના ભાગે અને જમણા હાથના કાંડા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન નારણના પિતરાઈ ભાઈએ વચ્ચે પડી તેમને વધુ માર ખવડાવતા બચાવ્યા હતા. જતા-જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને રાહદારીઓની મદદથી સાંતલપુર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને બંને પગે ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે સાંતલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ 118(1), 115(2), 296(b), 351(3), 54 અને જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ દિલીપસંગ લાભુજી જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:02 pm

સાબરકાંઠાના બે ખેલાડીઓએ 3 ગોલ્ડ મેડલ જીત્યા:નેશનલ પેરા એથ્લેટિક્સમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી

બિહારના પટના ખાતે 13થી 15 માર્ચ, 2026 દરમિયાન આયોજિત 21મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ પાલ્સી (CP) માં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના બે સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ કુલ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં દેશના 19 રાજ્યોમાંથી 300 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતમાંથી 40 ખેલાડીઓનું પ્રતિનિધિત્વ હતું. સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલી ગામના ધર્મ જીગરભાઈ સગરે 12 થી 15 વર્ષની વય મર્યાદાની સબ-જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. ધર્મ સગરે ગોળા ફેંક અને ભાલા ફેંક એમ બંને સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને બેવડી સફળતા હાંસલ કરી હતી. આ ઉપરાંત, વિજયનગર તાલુકાના ખેલાડી અજય મોડીયાએ પણ પોતાની પ્રતિભા સાબિત કરી. અજય મોડીયાએ F-35 કેટેગરીમાં ગોળા ફેંકની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, સાબરકાંઠાના આ બંને ખેલાડીઓએ મળીને કુલ ત્રણ સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. સેરેબ્રલ પાલ્સી જેવી શારીરિક સ્થિતિ હોવા છતાં, આ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિ અન્ય દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે પ્રેરણાદાયક બની છે. જિલ્લા વહીવટી તંત્ર અને યુવા વિકલાંગ સંગઠન મંડળ, સાબરકાંઠા દ્વારા આ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રદર્શન દર્શાવે છે કે યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો દિવ્યાંગ ખેલાડીઓ પણ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:01 pm

રોલા પંચાયત વિવાદ, સરપંચ સાથે 400 ગ્રામજનો મેદાનમાં:ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ તાલુકાના રોલા ગામમાં પંચાયત વિવાદે નવો વળાંક લીધો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સરપંચ, ડેપ્યુટી સરપંચ અને 400 જેટલા ગ્રામજનોએ આજે કલેક્ટર કચેરી પહોંચી પંચાયતના સમર્થનમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. થોડા દિવસો પહેલા કેટલાક તત્વો દ્વારા જિલ્લા કલેક્ટરને રોલા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે ગંભીર આક્ષેપો કરાયા હતા, જેના કારણે ગામમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ આક્ષેપોના જવાબમાં પંચાયતની ટીમ અને મોટી સંખ્યામાં ગ્રામજનો મેદાનમાં આવ્યા હતા. સરપંચ પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે, પંચાયતની કામગીરી સંપૂર્ણપણે પારદર્શક છે અને તમામ વિકાસ કાર્યો ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને તમામ ટેકનીકલ પુરાવાઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. ડેપ્યુટી સરપંચ ચિંતન પટેલે ઉમેર્યું હતું કે, વિરોધ કરનારા તત્વો પાસે કોઈ સાબિતી નથી, જ્યારે તેમની પાસે ઓનલાઇન ટેન્ડરિંગના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેમણે આ પ્રયાસને ગામના વિકાસને અટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ગામની છબી ખરાબ કરવાના પ્રયાસથી રોષે ભરાયેલા આશરે 400 જેટલા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ઉમટી પડીને પંચાયતના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ રાજકીય અદાવત કે અન્ય કારણોસર પંચાયતને બદનામ કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે જિલ્લા કલેક્ટર દ્વારા બંને પક્ષોની રજૂઆત અને પુરાવાઓની ચકાસણી બાદ આ મામલે કેવા પ્રકારની તપાસના આદેશ આપવામાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 4:00 pm

GTUમાં આરોગ્ય ક્ષેત્રે AI અને ટેકનોલોજીનો સંગમ:મેડિકલ સેક્ટરમાં મહિલા નેતૃત્વ અને આધુનિક સંચાલન પદ્ધતિઓ પર નિષ્ણાતોનું પ્રેરક માર્ગદર્શન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ની સ્કુલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા તાજેતરમાં આરોગ્ય પ્રબંધમ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સતત 4થા વર્ષે યોજાયેલા આ કોન્કલેવનો મુખ્ય વિષય આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને તકનીકના ઉપયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રનું સંચાલન રાખવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોનું માર્ગદર્શન અને ટેકનોલોજીકલ ક્રાંતિયુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર દ્વારા ભારતની આંતરવિદ્યાશાખાઓમાં AI દ્વારા આવેલી તકનીકી ક્રાંતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે આરોગ્ય ક્ષેત્રમાં નવીન સંશોધનો અને નેતૃત્વના વિકાસની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતભરના 150 જેટલા તબીબી નિષ્ણાતો, હોસ્પિટલ સંચાલકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં મહિલાઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. AI: નિષ્ણાતોનું સહાયક, વિકલ્પ નહીંમુખ્ય અતિથિ ડૉ. એ.એમ. કાદરી (આરોગ્ય અને જનકલ્યાણ વિભાગ) એ સંચાલન પદ્ધતિઓ દ્વારા કાર્યક્ષમતા વધારી સામાન્ય જનતાને મળતા લાભો વિશે ચર્ચા કરી હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વર્ષ દરમિયાન થયેલા પરીક્ષણો અને શસ્ત્રક્રિયાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, AI એ નિષ્ણાતોનું સહાયક બની શકે છે, પરંતુ તેમનો વિકલ્પ ક્યારેય બની શકતું નથી. ગાહના ઉપાધ્યક્ષ ડૉ. વિરેન શાહ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી. પરંપરાગત વિરુદ્ધ આધુનિક પદ્ધતિઓકોન્કલેવના બીજા સત્રમાં પરંપરાગત અને આધુનિક આરોગ્ય સંચાલન પદ્ધતિઓ વચ્ચેના તફાવત અને મેડિકલ ક્ષેત્રે AI ના ઉપયોગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અંતે, માનવ બુદ્ધિ અને કુત્રિમ બુદ્ધિમત્તા (AI) ના સમન્વયને હિતાવહ ગણાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:58 pm

વડોદરા ગ્રામ્યના 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો નાશ:ભાદરવા, સાવલી, ડેસર અને મંજુસરમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલ્ડોઝર ફર્યું

વડોદરા ગ્રામ્યમાં લાગતા ચાર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લાના ભાદરવા, સાવલી, ડેસર અને મંજુસર પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયમાં ઝડપાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ઓપરેશન પરાક્રમ હેઠળ મુદામાલ ઝડપાયો હતોપોલીસ મહાનિરિક્ષક સંદિપસિંહ દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દારૂ-જુગારની તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખસો ઉપર વોચ રાખવા તેમજ પ્રોહીબિશનને લગતી પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા વધુને વધુ કેસો કરવા તેમજ કબ્જે કરેલ મુદ્દામાલનો નાશ કરવા જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને સુચના આપી હતી. જેના આધારે ઓપરેશન પરાક્રમ હેઠળ મોટાપાયે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 4 પોલીસ મથકના 42 ગુનાનો મુદ્દામાલ નાશ કરાયોસાવલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના કુલ 20 ગુનાના, ભાદરવા પોલીસ સ્ટેશનના કુલ-6 ગુનાના, ડેસર પોલીસ સ્ટેશનના કુલ-6 ગુનાના તેમજ મંજુસર પોલીસ સ્ટેશનના કુલ 10 ગુનાઓનો પ્રોહી મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ચાર પોલીસ મથકના કુલ 42 ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશએડી.સીવીલ જજ સાવલી કોર્ટ,સાવલી કોર્ટમાંથી દારૂ નાશ અંગેનો હુકમ મેળવી મંજુસર જીઆઇડીસીમાં આવેલી બાયોટેક કંપનીના ખુલ્લા મેદાનમા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, નાયબ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નશાબંધી અને આબકારી અધિકારી, પોલીસ ઇન્સપેક્ટર સાવલી, પોલીસ ઇન્સપેક્ટર ભાદરવા, પોલીસ ઇન્સપેક્ટર ડેસર, પોલીસ ઇન્સપેક્ટર મંજુસરની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. 1,76,83,128ના મુદ્દામાલ ઉપર બુલડોઝરસાવલી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલી ગુનાની કુલ બોટલ નંગ-8562 જેની કિ. રૂ.22,20,392 ની કિંમતના વિદેશી દારૂનો તેમજ ભાદરવા પોલીસ સ્ટેશનના ગુનાની કુલ બોટલ નંગ- 23481 જેની કિ.રૂ. 48,11,189 ની કિંમતના વિદેશી દારૂ, ડેસર પોલીસ સ્ટેશનની બોટલ નંગ-7616 જેની કિ.રૂ. 12,04,914 ની કિંમતના વિદેશી દારૂનો તેમજ મંજુસર પોલીસ સ્ટેશનની કુલ બોટલ નંગ-22967 જેની કિ.રૂ.94,46,633ની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરવામા આવી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:58 pm

મોરબીમાં 250 સિરામિક કારખાના બંધ થતાં હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી:પરપ્રાંતિય શ્રમિકો પરિવાર સાથે વતન જવા રવાના, વાંકાનેર રેલવે સ્ટેશન પર ભીડ

મોરબીમાં સિરામિક કારખાનાઓમાં ગેસની અછતને કારણે કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. આના પરિણામે હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી છે અને તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યોમાં જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, જ્યાં ટિકિટ મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. મોરબીના સિરામિક કારખાનાઓમાં ઉત્પાદન માટે પ્રોપેન અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. આના કારણે શરૂઆતમાં 200 કારખાના બંધ થયા હતા અને છેલ્લા બે-ત્રણ દિવસમાં વધુ 50 કારખાના બંધ થતા કુલ 250 સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે. આ માહિતી મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આપી હતી. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા પેપરમિલ ઉદ્યોગને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આયાતી વેસ્ટ પેપરની અછત અને કોલસાના ભાવમાં વધારાને કારણે કેટલીક પેપર મિલો બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત, પોલીપેક કારખાનાઓમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પણ મોટો વધારો થયો છે, જેના કારણે કેટલાક પોલીપેક કારખાનાઓ પણ બંધ પડ્યા છે. આ પરિસ્થિતિએ શ્રમિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, અને તેઓ પરિવાર સાથે મોરબી છોડીને વતન પરત ફરી રહ્યા છે. બિહારના વતની અને મોરબીના સિરામિક કારખાનામાં લાઇનમેન તરીકે કામ કરતા મનીષ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તેઓ આઠ વર્ષથી મોરબીમાં રોજગારી મેળવતા હતા, પરંતુ ગેસ પુરવઠો બંધ થતાં તેમનો રોજગાર છીનવાઈ ગયો છે, જેથી તેઓ પરિવાર સાથે વતન જઈ રહ્યા છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રાજુભાઈ નામના શ્રમિકે જણાવ્યું કે, તેમના 15 લોકોના જૂથને સિરામિક કારખાનું અચાનક બંધ થતાં બેરોજગાર બનવું પડ્યું છે. આર્થિક મુશ્કેલીઓ ટાળવા તેઓ પણ પોતાના પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:56 pm

પૂર્વ કોર્પોરેટરોને શહેર સંગઠનમાં સ્થાન:AMCના પૂર્વ હોદ્દેદારો- સંગઠનના નેતાઓને શહેર કારોબારીમાં સ્થાન મળતા ટિકિટ મળવાની શક્યતા ઓછી

રાજ્યમાં આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે ચૂંટણીઓના પડઘમ વચ્ચે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા 70 સભ્યોની કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. કારોબારી સભ્યોની સાથે વિશેષ આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ દ્વારા કારોબારી સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં જ ટર્મ પૂરી થઈ હોય એવા કોર્પોરેટરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલશહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી કારોબારી સભ્યોની જાહેર કરવામાં આવેલી યાદીમાં વર્ષ 2021થી 2026 સુધીની તાજેતરમાં જ પૂર્ણ થયેલી ટર્મમાં કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર જતીન પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, પૂર્વ દંડક શીતલ ડાગા, પૂર્વ કોર્પોરેટર મીનાક્ષીબેન નાયક સહિતના કોર્પોરેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આગામી ચૂંટણીમાં ટિકિટ મળવી મુશ્કેલ લાગી રહ્યું છે. મોટા નેતાઓને કારોબારીમાં સ્થાન મળતા ચૂંટણી લડવાના સપના પર પાણી ફરી શકેમ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોદ્દેદાર તરીકે રહી ચૂકેલા હોદ્દેદારો તેમજ અગાઉ પણ કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા એવા મોટા નેતાઓને કારોબારીમાં સ્થાન મળતા ચૂંટણી લડવાના સપના પર પાણી ફરી શકે છે. ભાજપની યાદીમાં અનેક એવા લોકોના નામ જોવા મળ્યા છે જેના નામ અગાઉથી જ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચર્ચા રહ્યા હતા. શહેર ભાજપમાં વિશેષ આમંત્રિત સભ્યો તરીકે અમદાવાદ શહેરના મોટાભાગના ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ, ભૂષણ ભટ્ટ, અરવિંદ પટેલ સુરેશભાઈ પટેલ, જગદીશ પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર, ડો . નિર્મલાબેન વાધવાણી, ડો. માયાબેન કોડનાની, પૂર્વ મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટને સ્થાન આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:54 pm

ઘોઘંબામાં બાઇક અકસ્માત: 19 વર્ષીય યુવાનનું મોત:ખરોડ પાસે બે બાઇક અથડાતા મોલ ગામનો યુવાન અકસ્માતનો ભોગ બન્યો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોલ ગામના 19 વર્ષીય યુવાન વિનોદ દીપાભાઈ રાઠવાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોઘંબા તાલુકાના મોલ ગામના વતની વિનોદ દીપાભાઈ રાઠવા (ઉં.વ. 19) પોતાની બાઈક લઈને ખરોડ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા. રાજગઢ રોડ પર સામેથી આવતી અન્ય એક મોટરસાયકલ સાથે તેમની બાઈક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિનોદ બાઈક પરથી ફંગોળાઈ ગયો હતો. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ વિનોદનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મોલ ગામ અને રાઠવા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે ઘોઘંબા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:51 pm

સુરત મહાનગરપાલિકામાં સુગંધિત કૌભાંડ:ડ્રેનેજ કામદારો માટેની કપૂરની ગોટીની ખરીદીમાં કરોડોનું આંધણ, બજારમાં 1500ના ભાવે મળતી 3500થી વધુના ભાવે ખરીદી

સુરત મહાનગરપાલિકા અવારનવાર પોતાના સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં રહે છે પરંતુ, આ વખતે પાલિકાના ડ્રેનેજ વિભાગમાં કપૂરની ગોટીની ખરીદીને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડ્રેનેજ લાઈનની સફાઈ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય માટે કપૂર ગોટી ખરીદીમાં પારદર્શિતાના ધજાગરા ઉડ્યા છે. જે કપૂર બજારમાં 1200થી 1500 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે, તેને પાલિકા દ્વારા 3500થી વધુના ભાવે ખરીદવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવતા વહીવટી તંત્ર અને શાસક પક્ષ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકાના નવે-નવ ઝોન પોતાની રીતે અલગ-અલગ ભાવે ખરીદી કરતાસુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર અને ડ્રેનેજ લાઈનોની સફાઈ દરમિયાન સફાઈ કામદારોને ગૂંગળામણ ન થાય અને ઝેરી ગેસની અસરમાંથી બચી શકાય તે માટે કપૂરની ગોટી આપવામાં આવે છે. નિયમ મુજબ ડ્રેનેજમાં ઉતરતા દરેક કામદારને 5 ગ્રામની કપૂરની ગોટી આપવી ફરજિયાત છે. અત્યાર સુધી પાલિકાના નવે-નવ ઝોન પોતાની રીતે અલગ-અલગ ભાવે આ ખરીદી કરતા હતા. તાજેતરમાં મળેલી ડ્રેનેજ સમિતિની બેઠકમાં સમગ્ર શહેર માટે કપૂરની ખરીદીને સેન્ટ્રલાઈઝ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, આ સેન્ટ્રલાઈઝેશનના નામે જે ગ્રોસ અંદાજ મંજૂર કરવામાં આવ્યો તે માર્કેટના વાસ્તવિક ભાવ જાણ્યા વગર જ જૂના ભ્રષ્ટ ભાવોના આધારે તૈયાર કરી દેવામાં આવ્યો છે. 1.76 કરોડની કપૂરની ગોટી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધીપાલિકાની ડ્રેનેજ સમિતિએ છેલ્લી ઘડીએ મળેલી મિટિંગમાં કુલ નવ ઝોન માટે 1.76 કરોડના ખર્ચે કપૂરની ગોટી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. લિંબાયત ઝોન દ્વારા માર્ચ મહિનામાં જ 500 કિલો કપૂરની ગોટી 3,530 પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી હતી. પ્રતિ કિલોએ અંદાજે 2000થી વધુનો સીધો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છેબજારભાવ અને પાલિકાના ભાવની સરખામણી જોઈએ તો બજારમાં પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ 1200થી 1500 પ્રતિ કિલો જાણવા મળી રહ્યો છે જ્યારે પાલિકાનો ખરીદ ભાવ 3450થી 3530 પ્રતિ કિલો છે એટલે પ્રતિ કિલોએ અંદાજે 2000થી વધુનો સીધો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જો પાલિકા આ જથ્થો જથ્થાબંધ ભાવે ખરીદે, તો આ કિંમત હજુ પણ નીચી જઈ શકે તેમ છે. તેમ છતાં, જનતાના પરસેવાના પૈસા ટેન્ડર પ્રક્રિયામાં માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે વેડફાઈ રહ્યા હોય તેમ જણાય છે. દિવ્ય ભાસ્કરે ઓનલાઈન કપૂર ગોટીના ભાવ જોતા ધ્યાને આવ્યું છે કે, સૌથી વધુ લોકોમાં જાણીતી એવી ભીમસેન કપૂરનો ભાવ પ્રતિ કિલો 1597 છે, જ્યારે ભીમસેન રોઝ કપૂર ટેબ્લેટના કિલોના ભાવ 1536 જોવા મળે છે. સાથે મંગલમ્ કપૂર ગોટીનો 500 ગ્રામનો ભાવ 713 રુપિયા જોવા મળ્યો છે અને પ્રોકાર્ટ પ્યોર નેચરલ કપૂર ગોટીનો પ્રતિ કિલોનો ભાવ 2206 રુપિયા જોવા મળ્યો છે. 73-ડી હેઠળ ભીનું સંકેલવાની પદ્ધતિઅત્યાર સુધી પાલિકાના વિવિધ ઝોનમાં અધિકારીઓ દ્વારા કપૂરની ખરીદી માટે ટેન્ડર બહાર પાડવાને બદલે કલમ 73-ડી હેઠળ કામો કરાવી તેના બિલો પાસ કરાવી દેવામાં આવતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાખો રૂપિયાના બિલો આ રીતે ટુકડે-ટુકડે મંજૂર કરાવીને કૌભાંડને છુપાવવાનો પ્રયાસ થતો હતો. અલગ-અલગ ઝોનમાં ભાવમાં પણ મોટી અસમાનતા જોવા મળી હતી, જે સાબિત કરે છે કે ખરીદીમાં કોઈ ચોક્કસ માપદંડ જળવાયા નથી. શાસકોની ભૂમિકા સામે સવાલોડ્રેનેજ કમિટીના ચેરમેનને આ વિસંગતતા ધ્યાન પર આવી હતી. તેમણે તમામ ઝોનની અલગ ખરીદી બંધ કરાવી સેન્ટ્રલાઈઝેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, વિપક્ષ અને જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે, જ્યારે ભાવમાં ત્રણ ગણો તફાવત હોવાનું સામે આવ્યું, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવાના આદેશ આપવાને બદલે શાસકોએ માત્ર મૌખિક ખુલાસા માગીને સંતોષ માની લીધો છે. ટર્મ પૂરી થાય તે પહેલા ઉતાવળે મળેલી મીટીંગોમાં આવા કરોડોના અંદાજો મંજૂર કરવા પાછળનો આશય શંકાના દાયરામાં છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:44 pm

મહેસાણા દૂધસાગર ડેરીમાં ગેસ કાપ છતાં દૂધ પાવડરનું ઉત્પાદન યથાવત:વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પ્લાન્ટ કાર્યરત, ડેરીમાં દૈનિક 26 લાખ લીટર દૂધની આવક

મહેસાણાની દૂધસાગર ડેરીમાં ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા કાપ મૂકવામાં આવતા દૂધ પાવડરના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાને કારણે હાલ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રવીણકુમાર ભાંભીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ડેરીને હાલ બે કંપનીઓ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે. જેમાં 'ગેલ' દ્વારા મળતો પુરવઠો નિયમિત છે, પરંતુ સાબરમતી ગેસ દ્વારા અગાઉ મળતા દૈનિક 40,000 SCM ગેસના બદલે હવે માત્ર 26,000 SCM ગેસ વાપરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ડેરીમાં દૈનિક અંદાજે 26 લાખ લીટર દૂધની આવકગેસ પુરવઠામાં થયેલા આ ઘટાડાને પહોંચી વળવા માટે ડેરી પ્રશાસને સ્ટીમ પ્રોડક્શન માટે ફર્નેસ ઓઈલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. હાલમાં ડેરીમાં દૈનિક અંદાજે 26 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે. જેના આધારે પાવડર પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ દૂધની આવક મુજબ રોજનો પોણા બસોથી બસો ટન પાવડરનું ઉત્પાદન થઈ રહ્યું છે અને દૂધનું પાવડરમાં સંપૂર્ણ કન્વર્ઝન કરવામાં આવી રહ્યું છે. દૂધની આવકમાં સ્વાભાવિક ઘટાડો થશેગેસ કંપનીઓએ કુલ જરૂરિયાતના 60% પુરવઠો આપવાની ખાતરી આપી હોવાથી ઉત્પાદન પર મોટી અસર નહીં પડે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુમાં આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થતી હોવાથી દૂધની આવકમાં સ્વાભાવિક ઘટાડો થશે. જેના કારણે ઉપલબ્ધ સંસાધનોથી દૂધનું હેન્ડલિંગ સરળતાથી થઈ શકશે. 'દૂધ લેવાની પ્રક્રિયામાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં'ડેરી તંત્રએ પશુપાલકોને આશ્વાસન આપ્યું છે કે તેમની પાસેથી રાબેતા મુજબ જ દૂધ સ્વીકારવામાં આવશે અને ગેસ કાપને કારણે દૂધ લેવાની પ્રક્રિયામાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. જો આગામી સમયમાં ઇંધણ કે ગેસની અછત વધુ ઘેરી બનશે તો જ પ્લાન્ટ બાબતે પુનઃ વિચારણા કરવાની ફરજ પડી શકે છે. પરંતુ હાલ પૂરતી સ્થિતિ નિયંત્રણમાં છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:43 pm

લ્યો બોલો... બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું છતાં રૂ. 500નો ઈ-મેમો:CCTVમાં હેલ્મેટ પહેરલો બાઈકચાલક દેખાયો છતાં મેમો આપ્યો, ટ્રાફિક પોલીસે ભૂલ સ્વીકારી મેમો માફ કર્યો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ભૂલના કારણે એક બાઈકચાલકને ખોટો ઈ-મેમો આવ્યો છે. બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં હેલ્મેટ ન પહેરવાનો ફોટો સાથેનો મેમો આપવામાં આવ્યો છે. આ અંગે બાઇકચાલકે રજૂઆત કરતા ટ્રાફિક પોલીસે ભૂલ સ્વીકારી મેમો માફ કર્યો છે. જોકે અગાઉ પણ આ પ્રકારનો છબરડો થયો હતો. બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં 500 રૂપિયાનો ઇ-મેમોશહેરના બાપુનગર ટ્રાફિક જંક્શન પરથી એક બાઈકચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઈ-મેમો આપવામાં આવ્યો હતો. હકીકતમાં બાઇકચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં 500 રૂપિયાનો મેમો આવતા બાઇકચાલક મુઝવણમાં મુકાયો હતો. બાઇકચાલક દ્વારા આ અંગે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ટેકનિકલ ભૂલના કારણે ખોટો મેમો આપ્યો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેર્યાંનો ઇ-મેમો આપ્યો હતોટ્રાફિક પોલીસ દ્વારા બાઇકચાલકનો ખોટો આપેલો મેમો માફ કરવામાં આવ્યો છે. અગાઉ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેર્યાંનો ઇ-મેમો આપ્યો હતો જેને લઈને ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી હતી, ત્યારે ફરી એકવાર ખોટી ઈ-મેમો આપતા વિવાદ થયો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:39 pm

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ:મેડિકલ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે તા. 14 માર્ચે Indian Red Cross Societyના સહયોગથી કોલી સમાજ વાડી, કરચલિયા પારા ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પનો સમય સવારના 9:00 થી બપોરે 1:30 સુધી રાખવામાં આવ્યો હતો.આ કેમ્પનો હેતુ લોકોને મૂળભૂત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કેમ્પમાં કુલ 223 દર્દીઓએ લાભ લીધો. કેમ્પ દરમિયાન લોકોની આંખોની તપાસ (Eye Check-up) કરવામાં આવી. જેમને નજર માટે ચશ્માની જરૂર હતી તેમને મફત ચશ્મા આપવામાં આવ્યા. સાથે સાથે મોતિયાબિંદ (Cataract) માટે પણ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 12 લોકોને મોતિયાબિંદના ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા અને તેમની આગળની તપાસ તથા મફત ઓપરેશન માટે તારીખ આપવામાં આવી છે.આ ઉપરાંત કેમ્પમાં 162 લોકોનું હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું. જેમનું હિમોગ્લોબિન ઓછું હતું તેમને આરોગ્ય સુધારવા માટે 3 મહિનાની આયર્ન ટેબ્લેટ્સ આપવામાં આવી.આ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોને જરૂરી આરોગ્ય માર્ગદર્શન તથા સારવાર મળી. આવા સેવા કાર્યો દ્વારા રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ સમાજની સેવા માટે સતત પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:39 pm

અમરેલીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની મુદ્દત લંબાવાઈ:રવિ સીઝન 2026-27 માટે ખેડૂતો હવે 27 માર્ચ સુધી વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે

કેન્દ્ર સરકારે રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત અમરેલી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે સીધી ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કર્યો છે. ખેડૂતો હવે 27 માર્ચ, 2026 સુધીમાં વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,585 જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. ઘઉંના વેચાણ માટે નોંધણી કરાવવા ઇચ્છુક ખેડૂતોએ 27 માર્ચ, 2026 સુધીમાં વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી પ્રક્રિયા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પૂર્ણ કરવી પડશે. નોંધણી સમયે ખેડૂતોએ આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12 અને 8-અ, જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ) જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવનાર ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા ખરીદીની તારીખ અને સમય વિશે જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ આધારકાર્ડ સાથે રાખવું પડશે અને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. વધુ માર્ગદર્શન માટે પુરવઠા વિભાગે હેલ્પલાઈન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:36 pm

ઉમા કોલેજની 89 વિદ્યાર્થિનીઓએ વિધાનસભાની મુલાકાત લીધી:રાજ્યની લોકશાહી વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ સમજી

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજની 89 વિદ્યાર્થીનીઓ અને પાંચ અધ્યાપકોએ ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત 16 માર્ચના રોજ પ્રિન્સીપાલ ડૉ. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને રાજ્યની લોકશાહી વ્યવસ્થા અને વિધાનસભાની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ માહિતી પૂરી પાડવાનો હતો. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીનીઓને વિધાનસભાના ઇતિહાસ, તેની રચના, કાર્યપદ્ધતિ, વિવિધ વિભાગો અને બેઠક વ્યવસ્થા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ શૈક્ષણિક કાર્યક્રમનું સંકલન કોલેજના હિન્દી, સંસ્કૃત અને ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપકો પ્રા. બાબુભાઈ ચૌધરી, ડૉ. જે. વી. પટેલ, ડૉ. કિરણ દવે, ડૉ. જ્યોતિ પંચાલ અને ડૉ. શ્રુતિ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ આ મુલાકાતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:31 pm

PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે:દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી, ગુજરાતમાં ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે. હાલની આ પરિસ્થિતિને લઈ રાજ્ય સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે LPGના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. LPGનો પુરવઠો સામાન્ય કરતાં લગભગ 20 ટકા વધાર્યોસરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રાજ્યમાં LPGનો પુરવઠો સામાન્ય કરતાં લગભગ 20 ટકા વધુ કરવામાં આવ્યો છે. જોકે PNG નેટવર્ક ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં 70 ટકા મર્યાદામાં LPG કનેક્શન આપવા નિર્ણય લેવાયો છે. ઉપરાંત એક વર્ષથી સતત ભોજન સેવા આપતી ધાર્મિક સંસ્થાઓને 10 ટકા મર્યાદામાં કોમર્શિયલ LPG કનેક્શન આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. બુધવાર સુધી LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશેમોના ખંધારે જણાવ્યું હતું કે, અત્યારે LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જેમની પાસે PNG અને LPG એમ બંને કનેક્શન છે, તેમણે બુધવાર સુધી LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. રાજ્યમાં ગેસ વિતરણ વ્યવસ્થા પારદર્શક રહે તે માટે દરેક ગેસ એજન્સી પર મહેસૂલ વિભાગના અધિકારી અને પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. શહેરોમાં LPG ડિલિવરી વાનને દિવસ દરમિયાન પણ પ્રવેશ આપવા સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણીરાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. મોના ખંધારના જણાવ્યા અનાસાર, “LPG ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.” આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ અનુસાર LPGની ફાળવણીરાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરાં/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં 10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે. LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂંકરાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. છેલ્લા 12 દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા 17 કિસ્સાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:29 pm

ગાંધીનગરમાં મહિલાઓ માટે 18 માર્ચે રોજગાર ભરતીમેળો:જિલ્લા રોજગાર અને મહિલા બાળ કચેરીનું સંયુક્ત આયોજન

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો 18 માર્ચ, 2026ના રોજ સવારે 11:00 કલાકે કલોલની પ્રભાતગિરિ હરિગિરિ ગોસ્વામી (પી.એચ.જી.) મ્યુ. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. આ ભરતીમેળામાં 18 થી 35 વર્ષની વયજૂથની શારીરિક સશક્ત મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10થી ઓછો અભ્યાસ, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ) અને કોઈપણ સ્નાતક કક્ષામાં ઉત્તીર્ણ થયેલી મહિલાઓનો સમાવેશ થાય છે. ઈચ્છુક મહિલા ઉમેદવારો અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબફેર આઈ.ડી JF959783137 છે. ઉમેદવારોએ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં ફક્ત ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ મહિલા ઉમેદવારો જ ભાગ લઈ શકશે. જેમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના બંને પ્રકારના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ માહિતી જિલ્લા રોજગાર અધિકારી દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:26 pm

મહાવીર જન્મ કલ્યાણક પર PM મોદી ગાંધીનગર આવી શકે:31 માર્ચે જૈન મ્યુઝિમયનું લોકાર્પણ, જૈનાચાર્ય પદ્મ સાગર સુરિશ્વર મહરાજના જીવનપ્રસંગોને રજૂ કરશે

ગાંધીનગરમાં મહાવીર જન્મ કલ્યાણકના પવિત્ર પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર 31 માર્ચે તેઓ ગાંધીનગર આવી જૈન સમાજ માટે તૈયાર કરાયેલા વિશિષ્ટ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમમાં જૈન આચાર્ય પદ્મસાગર સુરિશ્વર મહારાજના જીવનપ્રસંગો અને આધ્યાત્મિક યાત્રાનો વિશાળ સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહમ્યુઝિયમમાં પદ્મ સાગર સુરિશ્વર મહારાજના પદવિહારના અનુભવોને આધારે વિવિધ દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમણે જીવન દરમિયાન લગભગ 2.5 લાખ કિલોમીટરનો પદવિહાર કર્યો હતો, જે જૈન પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં મહારાજના હસ્તપ્રત ગ્રંથો, વિગ્નપ્તિ પત્રો, પ્રતિમાઓ, બ્રાસ કલા, તેમજ ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહ રાખવામાં આવ્યો છે. તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખીઆ પ્રદર્શન દ્વારા જૈન ધર્મની પરંપરા, તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાતને પગલે ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો મુલાકાત નિશ્ચિત થશે તો મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ કાર્યક્રમ જૈન સમાજ માટે વિશેષ મહત્વનો બનશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:23 pm

સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશીપમાં 3 મકાનોમાં ચોરી:B ડીવીઝન પોલીસ મથકે ₹4.84 લાખની મત્તાની ફરિયાદ નોંધાઈ

વઢવાણના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ-1માં એકસાથે ત્રણ મકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરો કુલ ₹4,84,600ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ વઢવાણ તાલુકાના વાડલા ગામના ભરતભાઈ કરશનભાઈ પરમાર (ઉં.વ. 29) તેમના પરિવાર સાથે ઉમિયા ટાઉનશીપ-1માં રહે છે. 18 દિવસ પહેલા તેમના પત્નીને પ્રસુતિ થતા અને પુત્રનો જન્મ થતા, સુરેન્દ્રનગરમાં દેખરેખ રાખનાર કોઈ ન હોવાથી તેઓ પરિવાર સાથે વતન વાડલા ગયા હતા. ભરતભાઈ દરરોજ કન્સ્ટ્રક્શનના કામ માટે સુરેન્દ્રનગર આવતા હતા. નીત્યક્રમ મુજબ તેઓ વાડલા ગયા હતા ત્યારે તેમના પડોશીએ ફોન કરીને જાણ કરી કે તેમના ઘરના દરવાજા ખુલ્લા છે. આથી ભરતભાઈ તાત્કાલિક ઉમિયા ટાઉનશીપ પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં તિજોરી તેમજ પેટી પલંગ ખુલ્લા હતા, સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. તસ્કરો ભરતભાઈના ઘરમાંથી રોકડા ₹2.10 લાખ, ₹1.83 લાખના સોનાના દાગીના અને ₹26,600ના ચાંદીના આભૂષણો મળી કુલ ₹4,19,600ની મત્તા ચોરી કરી ગયા હતા. આ જ સમયે તેમની સોસાયટીમાં રહેતા વાલજીભાઈના રહેણાંક મકાનમાંથી ₹40,000નું બાઈક અને શિલ્પાબેનના ઘરેથી રોકડા ₹25,000ની ચોરી થયાની પણ જાણ થઈ હતી. આમ, કુલ ₹4,84,600ની મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ભરતભાઈ પરમારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ બી ડિવિઝન પીઆઈ એમ.એચ. પઠાણ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:19 pm

વરાછામાં ‘ડિઝાઇન યોર ડેસ્ટિની’ સેમિનારનું આયોજન:વરાછામાં ડો. મોહિત ગુપ્તાએ મેડિટેશન અને દ્રઢ મનોબળ દ્વારા જીવન પરિવર્તનનો માર્ગ ચીંધ્યો

બ્રહ્માકુમારી સંસ્થાની વરાછા રોડ શાખા દ્વારા ઉગમ નગર ખાતે ‘ડિઝાઇન યોર ડેસ્ટિની’ વિષય પર એક ભવ્ય સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત 3 મિનિટની પ્રભુસ્તુતિ અને ઓમ ધ્વનિના પવિત્ર નાદ સાથે કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિભેટ, પવિત્ર પુસ્તકો અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંકલ્પ શક્તિ અને મેડિટેશનનું મહત્વમુખ્ય વક્તા તરીકે દિલ્હીની શ્રીપંત મેડિકલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને આંતરરાષ્ટ્રીય TEDx સ્પીકર ડો. મોહિત ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વસ્તરે 18 ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર મેડલ મેળવનાર ડો. ગુપ્તાએ જણાવ્યું કે, જીવનની તમામ સિદ્ધિઓનો આધાર ‘સંકલ્પ શક્તિ’ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મેડિટેશન દ્વારા વિચારોની ગુણવત્તા સુધારી શકાય છે અને પ્રબળ ઈચ્છાશક્તિ દ્વારા કોઈપણ સંઘર્ષનું સમાધાન શક્ય છે. આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા અનુરોધવરાછા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે સાત્વિકતા અને સાદગી જ સાચી આધ્યાત્મિકતા છે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડો. મોહિત ગુપ્તા, બ્ર. કુ. તૃપ્તિબેન, ડિસ્ટ્રિક્ટ જજ મિખીયા, એડવોકેટ કિશોરભાઈ, જી.વી. એક્સપોર્ટના માલિક વિઠ્ઠલભાઈ અને પૂર્વ મેયર અસ્મીતાબેન શિરોયા જેવા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અંતમાં તમામ ભાવિકોએ બ્રહ્માભોજનનો પ્રસાદ લીધો હતો અને બી.કે. કૃપાલીબેને આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:12 pm

સ્વર્ણિમ સંકુલ 1ની બહાર અરજદારનો આત્મહત્યાનો પ્રયાસ:ગાંધીનગર સચિવાલયમાં અરજદારે ગળામાં બ્લેડ મારી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારે મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ હતી. મકસુદ ગુલઝાર (ઉંમર 40), જે અમદાવાદના વટવા વિસ્તારનો રહેવાસી છે, તેણે અચાનક ગળામાં બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બનતા જ સચિવાલયમાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રજૂઆત કરવા આવેલા શખ્સે ગળે બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યોમળતી માહિતી મુજબ, મકસુદ ગુલઝાર કોઈ કામ અંગે રજૂઆત કરવા સચિવાલયમાં આવ્યા હતા. આ દરમિયાન અચાનક તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી ગળામાં ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી સચિવાલયમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ ખસેડાયોતત્કાળ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ અરજદારે આકસ્મિક પગલું કેમ ભર્યું તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અરજદાર માનસિક અસ્વસ્થ હોવાની માહિતીઆ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, અરજદારને તેના જ સમાજના વ્યક્તિ સાથે અંદરોઅંદર ઝગડો ચાલતો હોવાનું બહાર આવ્યું છે. જેની રજૂઆત માટે તે આવ્યો હતો. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવે છે. જેની હાલત સ્થિર છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:05 pm

નવસારી SPએ પત્ની સાથે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું:મમતા મંદિર શાળાના 450 બાળકો માટે સ્નેહભોજનનું આયોજન

નવસારી જિલ્લા પોલીસ પરિવારે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક પ્રશંસનીય પહેલ કરી છે. એરુ ચાર રસ્તા પાસે આવેલી મમતા મંદિર મૂકબધિર શાળાના આશરે 450 દિવ્યાંગ બાળકો માટે વિશેષ સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ અને તેમના ધર્મપત્ની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું. SP દંપતીની આ પહેલે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં DYSP સંજય રાય, એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો અને અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેમના પરિવાર સાથે જોડાયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સમાજનો અભિન્ન અંગ છે અને તેમને આ વાતનો અહેસાસ કરાવવો એ આપણી નૈતિક ફરજ છે. ઉલ્લેખનીય છે કે, નવસારી પોલીસ પરિવાર દ્વારા અગાઉ પણ આ બાળકોની ખુશીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના પર્વે જિલ્લા ટ્રાફિક ભવનની કચેરી ખાતે બાળકોને પતંગ ચગાવડાવીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દરેક તહેવાર અને પ્રસંગે આ બાળકો સાથે આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓ કરીને તેમને સતત સહયોગ અને વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:04 pm

વેરાવળ મુસ્લિમ સમાજ ત્રણ મોટા પ્રોજેક્ટ હાથ ધરશે:આરોગ્ય, શિક્ષણ, આવાસ માટે હોસ્પિટલ, સંકુલ, 250 મકાન બનશે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજે સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજના આગેવાનોની બેઠકમાં આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ત્રણ મોટા પ્રોજેક્ટ હાથ ધરવાનો સંકલ્પ કરાયો છે. આ પ્રોજેક્ટ્સમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, નર્સરીથી કોલેજ સુધીનું આધુનિક શિક્ષણ સંકુલ અને ગરીબ પરિવારો માટે 250 મકાન બનાવવાનો સમાવેશ થાય છે. સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું હતું કે વેરાવળમાં 50 હજારથી વધુ મુસ્લિમ વસ્તી હોવા છતાં, સમુદાય માટે કોઈ સુવિધાસભર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી. આના કારણે સામાન્ય અને ગરીબ પરિવારોને સારવાર માટે મોટા શહેરોમાં જવું પડે છે અને ભારે ખર્ચ ભોગવવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. આ આયોજન મુજબ, સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ સ્વ. હાજી ફારૂકભાઈ મોલાનાના વિશાળ મકાનમાં ટૂંક સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરાશે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવવાનો નહીં, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત દરે સારવાર પૂરી પાડવાનો રહેશે. હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિક નિષ્ણાત, એમ.ડી. મેડિસિન, એમ.એસ. સર્જન અને ઓર્થોપેડિક સર્જન જેવા વિવિધ વિશેષતા ધરાવતા ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ કરાશે. શિક્ષણ ક્ષેત્રે પણ સમાજે દુરંદેશી આયોજન કર્યું છે. સમાજ દ્વારા સાડા પાંચ હજાર ગજથી વધુ વિસ્તારની જમીન મેળવી લેવામાં આવી છે, જ્યાં નર્સરીથી લઈને કોલેજ સુધીનું આધુનિક શિક્ષણ સંકુલ ઉભું કરવામાં આવશે. આ સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને તેઓ સમય સાથે કદમ મિલાવી શકે તે છે. આ ઉપરાંત, ખારાકુવા અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા ગરીબ પરિવારોને પોતાના ઘરનું સપનું સાકાર થાય તે માટે અલગ અલગ વિસ્તારમાં આશરે 250 મકાનો બનાવવાનો સંકલ્પ પણ કરાયો છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, રમઝાન ઈદ બાદ આ ત્રણેય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 3:00 pm

દીકરીઓના શિક્ષણ માટે સેવાનો મહાકુંભ યોજાયો:સુરતમાં 5100 કન્યાઓને આર્થિક સહાય અને સવા લાખ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના 72મા જન્મદિવસની સુરતમાં ખૂબ જ પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે શહેરના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 'હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન' દ્વારા એક ભવ્ય સમાજસેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણને પ્રાધાન્ય આપતા 5100 દીકરીઓને પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અભ્યાસમાં મદદરૂપ થવાના આશય સાથે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિઆ સેવાકીય અવસરે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણ ઘોઘારી અને કુમાર કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિતના અનેક આગેવાનો અને અંદાજે 15,000 જેટલા લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 3.5 કરોડ રૂપિયાની સહાયનો લક્ષ્યાંકફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે, દીકરીઓના શિક્ષણના સ્તરને ઊંચું લાવવા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દશેરાના પવિત્ર દિવસે માત્ર 251 દીકરીઓથી શરૂ થયેલી આ સફર આજે 5100 દીકરીઓ સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં તબક્કાવાર રીતે કુલ 4800 કન્યાઓને મદદ પહોંચાડવામાં આવી છે, જે અંતર્ગત અંદાજે 3.5 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. 72 સ્થળોએ જળ સંચયનો સંકલ્પસી.આર. પાટીલના 72મા જન્મવર્ષને યાદગાર બનાવવા માટે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પર્યાવરણના જતન માટે પણ પગલાં લેવાયા હતા. મંત્રીના માર્ગદર્શન હેઠળ શહેરના 72 અલગ-અલગ સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગ (જળ સંચય)ના કાર્યક્રમો હાથ ધરીને પાણી બચાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:58 pm

અમરેલી પોલીસે અપહરણના ગુનાના આરોપીને પકડ્યો:દોઢ વર્ષથી નાસતા ફરતા રૂ. 10,000ના ઇનામી આરોપીની રાજકોટમાંથી ધરપકડ

અમરેલી પોલીસે અપહરણના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રૂ. 10,000ના ઇનામી આરોપીની રાજકોટમાંથી ધરપકડ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા લોકો અને ફરાર આરોપીઓને પકડવા ચલાવવામાં આવેલી ઝુંબેશ હેઠળ આ સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના સીધા સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી ગામમાંથી આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2), 87 તેમજ પોક્સો એક્ટ કલમ 18 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અજય ઉર્ફે વિજ્યો રામસિંહભાઈ નીનામા છે, જે ધાર જિલ્લાના આબંલીપુરાનો રહેવાસી છે. પોલીસને તેની કોઈ કડી ન મળતા રૂ. 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા, એએસઆઈ જી.બી. લાપા, પોલીસ કર્મચારી ઉદયભાઈ મેણીયા, દેવાયતભાઈ ભેડા, અક્ષયરાજસિંહ ગોહિલ, વુમન કોન્સ્ટેબલ નિજલબેન મેતલિયા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ ભરતભાઈ પરમાર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. જિલ્લા પોલીસ વડાએ આ કામગીરીને બિરદાવી પોલીસ ટીમની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:55 pm

મેઉ પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓએ આનંદમેળો યોજ્યો:વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કનો વિકાસ થયો

મેઉ પગાર કેન્દ્ર શાળામાં શનિવારે, 14 માર્ચ 2026 ના રોજ, વિદ્યાર્થીઓમાં વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના કેળવવાના હેતુથી 'આનંદમેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં નાના બાળકોથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આનંદમેળાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 40 જેટલા ફૂડ સ્ટોલ હતા. વર્ગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ, બાળકોએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. સ્ટોલ પર પાણીપુરી, દાબેલી, સેવ ખમણી, સમોસા, વડાપાઉં જેવા ચટાકેદાર નાસ્તા ઉપલબ્ધ હતા. આ ઉપરાંત, લસ્સી, બદામ શેક, લીંબુ શરબત, ઓરેન્જ જ્યૂસ અને છાશ જેવા તાજગીસભર પીણાં પણ પીરસવામાં આવ્યા હતા. લાઈવ ઢોકળા અને બટાકા પૌવા જેવી ગરમાગરમ વાનગીઓ પણ હતી. આ તમામ વાનગીઓ વ્યાજબી ભાવે વેચવામાં આવી હતી. ખાણી-પીણી ઉપરાંત, મેળામાં મનોરંજનની પણ વ્યવસ્થા હતી. શિક્ષક શૈલેષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 ના નાના બાળકો દ્વારા રખાયેલી '1 કા 5' રમત મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિક્ષક બિપીનભાઈ નાયી દ્વારા સમગ્ર કાર્યક્રમની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. શાળાના આશરે 500 વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ મેળામાં હાજરી આપી હતી. શાળાના આચાર્ય સુનીલભાઈ પટેલે સફળ આયોજન બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને SMC સભ્યો તથા વાલીઓનો આભાર માન્યો હતો. સુદ્રઢ આયોજન અને સહકારને કારણે આ આનંદમેળો અર્થપૂર્ણ અને આનંદદાયક રહ્યો. આવા કાર્યક્રમોથી બાળકોમાં ગણિત, વ્યવહારુ જ્ઞાન અને સામાજિકતાના ગુણોનો વિકાસ થાય છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:53 pm

કરમસદ-આણંદ મનપાનું 1115.06 કરોડનું બજેટ રજૂ:2026-27 માટે 42.95 કરોડની પુરાંત સાથે વિકાસલક્ષી જોગવાઈઓ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ. 1115.06 કરોડનું બજેટ મનપા કમિશનર મિલિંદ બાપના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રૂ. 42.95 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જે ગત વર્ષના બજેટ કરતાં 5.66 ટકા વધુ છે. બજેટમાં કુલ રૂ. 901.21 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વિકાસને પ્રાથમિકતા આપતા, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે રૂ. 175.34 કરોડની જોગવાઈ કરાઈ છે. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ. 549.67 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત ચિખોદરા ચોકડીથી વલાસણ સુધીના માર્ગને ગ્રીન રિંગ રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના 100 ફૂટ અને 80 ફૂટના મુખ્ય માર્ગોને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવવાની યોજના પણ રજૂ કરાઈ છે. સામાજિક સુવિધાઓને પણ બજેટમાં પ્રાધાન્ય અપાયું છે. દિવ્યાંગજનો માટે સુગમ્ય ઉદ્યાન વિકસાવવાની યોજના છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને ગુજરાત ગૌરવ પાર્ક તરીકે એક આઇકોનિક થીમ પાર્કનું નિર્માણ પણ કરાશે. શહેરમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે બે નવા ઓપન જિમ બનાવવામાં આવશે. સામરખા ચોકડી પાસે નવીન ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન પણ બજેટમાં સામેલ છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ છે. આણંદના અટલ ચોક અને APC સર્કલ પર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. ગીતા સર્કલથી યોગી સર્કલ મોગરી સુધી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાની પણ યોજના છે. ખેલકૂદના વિકાસ માટે શહેરમાં નવા ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અને આવા અનેક વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મહાનગરના સર્વાંગી વિકાસ માટે કામગીરી થઈ રહી છે. તેમણે મનપા કમિશનર મિલિંદ બાપનાને અભિનંદન પાઠવ્યા હતા. આ બજેટ રજૂઆત દરમિયાન મનપાના ડેપ્યુટી કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:52 pm

હવે લોકોના ‘અગ્નિસંસ્કાર’ પણ મોંઘા, રૂ.1100 ચૂકવવા પડશે:સુરતમાં રામનાથ ઘેલા સહિતના સ્મશાનોને મફતમાં મળતો ગેસ પૂરવઠો બંધ; રોજના 20થી 25 અગ્નિદાહ

યુદ્ધની પરિસ્થિતિ, આર્થિક મંદી તેમજ મોંઘવારીના જમાનામાં હવે સામાન્ય માણસ માટે ‘અંતિમ સંસ્કાર’ પણ મોંઘા બન્યા છે. સુરતના તાપી કિનારે આવેલા સુપ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ સહિત શહેરના અન્ય સ્મશાનોમાં અત્યાર સુધી ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે ગેસ પુરવઠો મફત મળતો હતો. જોકે, ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સ્મશાન ટ્રસ્ટોએ ગેસના વપરાશ પેટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયને કારણે એક બોડી પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો આર્થિક ભાર વધવાની ભીતિ સેવાઈ રહી છે. વર્ષોથી ચાલતી ફ્રી ગેસ સેવાનો અંતછેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાનગૃહોમાં ગુજરાત ગેસ દ્વારા 'સેતુ' (SETU) સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન ટ્રસ્ટો પર આર્થિક બોજો પડતો ન હતો અને ડાઘુઓને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર પૂરેપૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. રામનાથ ઘેલા સ્મશાનના મેનેજર જયેશ ઉમરીકરની રજૂઆતઆ મામલે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ટ્રસ્ટના મેનેજર જયેશ ઉમરીકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમને વિનિમય મૂલ્યે ગેસ પુરવઠો ફ્રીમાં મળતો હતો, જેના કારણે સ્મશાનનું સંચાલન સરળ રહેતું હતું. હવે કંપનીનો પરિપત્ર આવ્યો છે કે, આ વર્ષથી ગેસનો ચાર્જ વસૂલવામાં આવશે. હાલમાં જે ડાઘુઓ આવે છે તેઓ સ્લિપ લખાવે છે, પરંતુ ભવિષ્યમાં આ વધારાના ખર્ચની વસૂલાત કેવી રીતે કરવી તે અંગે ટ્રસ્ટ મંડળ વિચારણા કરશે. એક મૃતદેહ પાછળ 1100નો સીધો ખર્ચમેનેજર જયેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યારે એક મૃતદેહના અંતિમ સંસ્કાર ગેસ ભઠ્ઠીમાં કરવામાં આવે ત્યારે અંદાજે 1100 રૂપિયાનો ગેસ વપરાય છે. જો ગેસ કંપની મફત પુરવઠો બંધ કરે, તો આ 1100 રૂપિયાનો ખર્ચ કોણ ભોગવશે? તે એક મોટો પ્રશ્ન છે. જો ટ્રસ્ટ આ ખર્ચ ઉઠાવે તો ટ્રસ્ટ પર આર્થિક સંકટ આવી શકે છે અને જો લોકો પાસેથી વસૂલવામાં આવે તો સામાન્ય જનતા પર બોજો વધશે. દૈનિક 20થી 25 મૃતદેહના અંતિમ સંસ્કારરામનાથ ઘેલા સ્મશાનમાં દરરોજ સરેરાશ 20થી 25 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. આ પૈકી 75 ટકા લોકો હજુ પણ પરંપરાગત રીતે લાકડામાં અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કરે છે, જ્યારે 25 ટકા લોકો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરે છે. જો ગેસ મોંઘો થશે, તો ગેસ ભઠ્ઠીનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જે પર્યાવરણની દૃષ્ટિએ પણ નુકસાનકારક સાબિત થશે. સરકારી પરિપત્ર અને 'સેતુ' સંસ્થાનો નવો નિયમગેસ કંપની અને 'સેતુ' સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે અત્યાર સુધી 100 ટકા સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, સ્મશાન ટ્રસ્ટોએ ધીમે ધીમે આ ખર્ચ પોતાની રીતે ઉઠાવવો પડશે. આગામી વર્ષોમાં આ સહાયમાં ઉત્તરોત્તર ઘટાડો કરીને અંતે 100 ટકા પેઇડ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. ટ્રસ્ટ મંડળની આગામી મિટિંગ પર સૌની નજરજયેશ ઉમરીકરે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે ગેસ ચાર્જ વસૂલવાનો પરિપત્ર તો આવી ગયો છે, પરંતુ અમારા ટ્રસ્ટ મંડળે હજુ સુધી આ અંગે કોઈ આખરી નિર્ણય લીધો નથી. આગામી સમયમાં ટ્રસ્ટ મંડળની મહત્વની મિટિંગ યોજાશે, જેમાં ગેસના બિલની ચુકવણી અને ડાઘુઓ પાસેથી લેવામાં આવતા ચાર્જ અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવશે. પ્રદૂષણ મુક્ત અંતિમ સંસ્કારના અભિયાનને ફટકોસરકાર દ્વારા હંમેશા એવો આગ્રહ રાખવામાં આવે છે કે લોકો લાકડાના બદલે ગેસ કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ ઓછું ફેલાય. પરંતુ જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે અને મફત મળતી સુવિધા છીનવાઈ જશે, તો લોકો ફરીથી લાકડા તરફ વળશે. આ નિર્ણય પ્રદૂષણ મુક્ત સુરતના અભિયાન માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધીસુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સ્મશાનની સેવાઓ અત્યાર સુધી આશીર્વાદરૂપ રહી છે. ખાસ કરીને રામનાથ ઘેલા જેવા વિશ્વાસપાત્ર સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં આવે છે. હવે જો અંતિમ સંસ્કાર માટે પણ 1100 રૂપિયા કે તેથી વધુનો ચાર્જ ચૂકવવો પડશે, તો ગરીબ પરિવારો માટે આ એક વધારાનો આર્થિક ફટકો ગણાશે. સ્મશાન સંચાલકોમાં રોષ અને રજૂઆતની તૈયારીમાત્ર રામનાથ ઘેલા જ નહીં, પણ સુરતના અન્ય સ્મશાન ટ્રસ્ટોમાં પણ આ પરિપત્રને લઈને ચિંતા જોવા મળી રહી છે. સંચાલકોનું કહેવું છે કે સ્મશાન એ કોઈ નફાકારક સંસ્થા નથી પણ સેવાકીય પ્રવૃત્તિ છે. ગેસ કંપનીએ પોતાની CSR પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ જેથી સામાન્ય જનતાને હાલાકી ન પડે. આગામી સમયમાં આ મુદ્દે કલેક્ટર કે સરકારમાં રજૂઆત થઈ શકે છે. અંતિમ નિર્ણય સુધી હાલની સ્થિતિ યથાવત્જ્યાં સુધી ટ્રસ્ટ મંડળની મિટિંગ ન થાય ત્યાં સુધી રામનાથ ઘેલા સ્મશાનમાં હાલની પદ્ધતિ મુજબ જ કામગીરી ચાલશે. ડાઘુઓએ અત્યારે માત્ર જરૂરી સ્લિપ અને નોંધણીની પ્રક્રિયા કરવાની રહેશે. જોકે, મેનેજમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી સમયમાં જે પણ ફેરફાર થશે તેની જાણકારી ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:52 pm

બયતુલ માલ ટ્રસ્ટે રમઝાનમાં રોકડ સહાય આપી:200 જરૂરિયાતમંદો અને વિધવાઓને ₹3 લાખથી વધુનું વિતરણ કરાયું

બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામ દ્વારા 15 માર્ચના રોજ સંજીવની હોસ્પિટલ ખાતે રમઝાન નિમિત્તે જરૂરિયાતમંદો અને વિધવાઓને રોકડ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 200 લાભાર્થીઓને ₹3 લાખથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રકમ સંસ્થા દ્વારા નિભાવવામાં આવતા ઝકાત ફંડમાંથી વિતરિત કરવામાં આવી હતી. બયતુલ માલ ટ્રસ્ટ 2009થી રમઝાન માસ નિમિત્તે સતત આ કાર્ય કરી રહ્યું છે.લાભાર્થીઓની યાદી કાર્ડ સ્વરૂપે રાખવામાં આવે છે અને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. આ ફંડમાં ચોક્કસ દાતાઓ દ્વારા નિયમિતપણે દાન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા હોસ્પિટલમાં ઓપીડી પણ ચલાવવામાં આવે છે, તેમજ રાહત દરે મેડિકલ સ્ટોરમાંથી દવાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામના પ્રમુખ ઇમતીયાઝુદ્દીન સૈયદ, સેક્રેટરી બરાન ઇકબાલ હુસૈન, ખજાનચી વોરા મોહમ્મદ ઇરફાન, ટ્રસ્ટીઓ ખોખર મુસ્તાકભાઈ, મોદન અલી મોહમ્મદ, તાઈ ઝુબેર અને તેમની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી. અશફાક સબાસરા અને અન્ય યુવાનોએ પણ કાર્યક્રમ દરમિયાન સારો સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:51 pm

VNSGU અંગ્રેજી વિભાગે કેરળમાં શૈક્ષણિક પ્રવાસ યોજ્યો:વિદ્યાર્થીઓએ કોચી-મુઝિરિસ બિનાલે અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના અંગ્રેજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે 21 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં કુલ 59 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપકશ્રીઓ જોડાયા હતા. પ્રવાસના ભાગરૂપે વિદ્યાર્થીઓએ કેરળ રાજ્યના કોચી શહેરની મુલાકાત લીધી હતી. કોચીમાં વિદ્યાર્થીઓએ કોચી-મુઝિરિસ બિનાલે (KMB) ના છઠ્ઠા સત્રની મુલાકાત લીધી. For the Time Being શીર્ષક હેઠળનો આ આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ 12 ડિસેમ્બર 2025 થી 31 માર્ચ 2026 સુધી ચાલી રહ્યો છે. આ કલા મહોત્સવનું સંચાલન નિખિલ ચોપરા અને HH આર્ટ સ્પેસિસ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં કુલ 29 જેટલા વિવિધ સ્થળોએ પ્રદર્શન યોજાયું છે, જેમાં 25 કરતાં વધુ દેશોના 66થી વધુ કલાકારો અને કલાત્મક જૂથોએ ભાગ લીધો છે. એસ્પિનવોલ હાઉસ અને પેપર હાઉસ જેવા મહત્વપૂર્ણ સ્થળોનો પણ આમાં સમાવેશ થાય છે. આ પ્રદર્શન ફોર્ટ કોચી, મટ્ટાનચેરી, વિલિંગડન આઇલેન્ડ અને એર્નાકુલમ સહિત 29 સ્થળોએ ફેલાયેલું છે, જેમાં એસ્પિનવોલ હાઉસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. વિદ્યાર્થીઓએ ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા રજૂ કરાયેલા ફિલ્મ, ઇન્સ્ટોલેશન, પેઇન્ટિંગ, શિલ્પ, ન્યૂ મીડિયા અને પરફોર્મન્સ આર્ટ જેવા વિવિધ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોના કલાપ્રદર્શનોનો અનુભવ કર્યો. કોચી-મુઝિરિસ બિનાલે દ્વારા કોચી શહેરના આધુનિક વારસા અને તેના પ્રાચીન બંદર મુઝિરિસ શહેરની સાંસ્કૃતિક પરંપરાને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોચીની મુલાકાત ઉપરાંત, વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વર્કલા અને તિરુવનંતપુરમ શહેરોની પણ મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓને જ્યુ (યહૂદી) ટાઉન અને ત્યાં આવેલા સિનેગોગનો અભ્યાસ કરવાની તક મળી. ઉપરાંત, ભારતમાં જેસ્યુઇટ પાદરીઓના આગમન બાદ બનેલા પ્રથમ કેથલિક ચર્ચ, સાન્ટા ક્રુઝ કેથેડ્રલ બેસિલિકાની ભવ્યતા નિહાળવાનો પણ અવસર મળ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તિરુવનંતપુરમમાં આવેલા દેશના મુખ્ય ધનાઢ્ય મંદિરોમાં સ્થાન ધરાવતા પદ્મનાભસ્વામી મંદિરે દર્શનનો લાભ લીધો. આ ઉપરાંત, શંખુમુઘમ અને વર્કલા જેવા સુંદર દરિયાકિનારાઓની પણ મુલાકાત લીધી. આ સંપૂર્ણ પ્રવાસ માટે વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ રેલમાર્ગનો ઉપયોગ કર્યો. આ પ્રવાસીય અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને કેરળની વિવિધતા તેમજ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને નજીકથી જાણવાનો લ્હાવો મળ્યો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:49 pm

સુરતની ગુલાબદાસ બ્રોકર શાળામાં માતાઓ માટે સેમિનાર:'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર મનોચિકિત્સક બીના ગજ્જરએ માર્ગદર્શન આપ્યું

સુરતની ગુલાબદાસ બ્રોકર પ્રાથમિક શાળા ક્રમાંક 90 માં માતાઓ માટે 'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જાણીતા મનોચિકિત્સક બીનાબેન ગજ્જર દ્વારા માતાઓને બાળ ઉછેર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારમાં શાળાના બાળકોની માતાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિશ્વાસ ફાઉન્ડેશનના સામાજિક કાર્યકર વિભાબેન કટારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. બીના ગજ્જરે માતાઓને બાળ ઉછેરમાં આવતી સમસ્યાઓ જેવી કે માતાના માનસિક સ્વાસ્થ્યની બાળક પર થતી અસરો, મોબાઈલ એડિક્શન અને બાળકનું જીદ્દીપણું જેવા વિષયો પર વિસ્તૃત અને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:48 pm

વીજચોરી ઝડપવા PGVCL-પોલીસનું મેગા ઓપરેશન:લીંબડી-સાયલાના ગામોમાં સરપંચ સહિતના કેટલાક ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ અને પોલીસે ગેરકાયદેસર વીજ કનેક્શનો શોધવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પીજીવીસીએલની 460 ટીમો અને 400થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ સર્ચ ઓપરેશન લીંબડીના ચોરણીયા સબ-સ્ટેશન વિસ્તારના ગામો તેમજ સાયલા તાલુકાના નોલી અને લાખણકા ગામમાં ચલાવવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ હતા. કાર્યવાહી દરમિયાન બુટલેગરો અને અસામાજિક તત્વોના ઘરોમાંથી મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. ખાસ કરીને, લાખણકા ગામમાં સરપંચ સહિતના કેટલાક લોકોના ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શનો મળી આવ્યા હતા. પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ ગેરકાયદેસર વીજ કનેક્શનો ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી, હીટર અને એસી સહિતનો મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:46 pm

સુરતમાં ફ્રી હેલ્થ ચેકઅપ, રક્તદાન શિબિર યોજાઈ:શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળે કેમ્પનું આયોજન કર્યું

શ્રી સુરતી કંસારા શુભેચ્છક મંડળ દ્વારા સુરતમાં ફ્રી હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 15 માર્ચના રોજ રવિવારે મહિધરપુરા જદાખાડી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજી મંદિરના પહેલા માળે યોજાઈ હતી. આ કેમ્પમાં સમાજના સભ્યોએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો. તેમણે બ્લડ સેમ્પલ આપ્યા હતા અને ફ્રી હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું. નાનાથી મોટા વડીલો સહિત અનેક લોકોએ રક્તદાન કરીને જરૂરિયાતમંદોને મદદ કરી હતી. ફ્રી હેલ્થ ચેકઅપ અંતર્ગત આંખ, દાંત, ડાયાબિટીસ અને ફિઝિયો ચેકઅપ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ માટે વિવિધ ક્ષેત્રના ડોકટરોની એક ટીમ હાજર રહી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:46 pm

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સેક્ટર-10ના તોલમાપ વિભાગને ધમકીભર્યો ઈમેલ મળ્યો, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન

ગાંધીનગરમાં આવેલું અને મહત્વની સરકારી કચેરીઓ ધરાવતું કર્મયોગી ભવન આજે બોમ્બની ધમકીને પગલે હચમચી ગયું હતું. સેક્ટર-10 સ્થિત આ ભવનના બ્લોક નંબર 2માં કાર્યરત તોલ-માપ વિભાગની કચેરીને એક અનામી ઈમેલ દ્વારા બિલ્ડિંગ ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. તોલ-માપ વિભાગના ઈમેલ આઈડી પર બોમ્બ થ્રેટ મેઈલમળતી માહિતી મુજબ, આજે સવારે તોલ-માપ વિભાગના સત્તાવાર ઈમેલ આઈડી પર એક સંદેશો મળ્યો હતો, જેમાં વિસ્ફોટ કરવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ બ્લોક અને કચેરીઓમાંથી કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસઆ ધમકી ભર્યા ઇમેઇલની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે શંકાસ્પદ વસ્તુઓની તપાસ માટે ડોગ સ્ક્વોડ મદદ લેવાઈ છે. બીજી તરફ ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરાયા છે. અગાઉ પણ પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓને બોમ્બ થ્રેટનોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પાટનગર સહિત ગુજરાતની મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાનું ષડયંત્ર વધી રહ્યું હોય તેમ જણાય છે. અગાઉ પણ રાજ્યની વિવિધ પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ કચેરીઓ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને આ પ્રકારે ફેક ઈમેલ દ્વારા ધમકાવવામાં આવી હતી. આ કોઈ ગંભીર કાવતરું છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:43 pm

GMC ભાવનગર દ્વારા તબીબો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ:બર્નઆઉટ ઘટાડી માનસિક સુખાકારી વધારવાનો હેતુ

GMC ભાવનગર દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો માટે 'ગ્રેટીટ્યુડ જર્નલ' લોન્ચ કરવામાં આવી છે. આ પહેલ મેડિકલ તાલીમ દરમિયાન જોવા મળતા માનસિક તણાવ અને કામના ભારણને ઘટાડવા તેમજ આરોગ્ય કર્મચારીઓની માનસિક સુખાકારીને પ્રાધાન્ય આપવા માટે શરૂ કરાઈ છે. ભારતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ એક ગંભીર પડકાર છે. સંશોધનો દર્શાવે છે કે આશરે 45% થી 56% જેટલા પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ નોંધપાત્ર માનસિક થાક (બર્નઆઉટ) અને ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. લાંબા કામના કલાકો, રાત્રિની ફરજો અને પૂરતી ઊંઘનો અભાવ આ માનસિક તણાવના મુખ્ય કારણો છે. GMC ભાવનગરની આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' મનોવૈજ્ઞાનિક માળખા પર આધારિત છે. વૈજ્ઞાનિક પુરાવા મુજબ, દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે. આનાથી મૂડ સુધરે છે, તણાવ ઘટે છે અને તબીબોની માનસિક સ્થિતિસ્થાપકતા (Resilience) વધે છે. આ જર્નલ રેસિડેન્ટ ડોકટરોના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખીને 'માઈક્રો-રિટ્યુઅલ્સ' તરીકે તૈયાર કરવામાં આવી છે. તેમાં દિવસની શરૂઆતમાં કોઈ સાથીદાર અથવા સાધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, તેમજ દિવસની ક્લિનિકલ પડકારો વચ્ચે બનેલી ત્રણ હકારાત્મક બાબતોની નોંધ લેવાનો સમાવેશ થાય છે. દર્દીઓ સાથેની સારી વાતચીત અને સાથી તબીબોના સહકારને ઓળખવા માટેના વિશેષ વિભાગો પણ તેમાં છે. આ પ્રસંગે સંસ્થાના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, મેડિકલ શિક્ષણ પડકારજનક છે અને અમારા વિદ્યાર્થીઓ અમારી તાકાત છે. આ જર્નલ દ્વારા અમે તેઓને ક્લિનિકલ તણાવ સામે લડવા માટે એક સબળ સાધન પૂરું પાડવા માંગીએ છીએ. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને મનોચિકિત્સા નિષ્ણાત ડો. અશોક વાલાએ ઉમેર્યું હતું કે તબીબોનું સારું માનસિક સ્વાસ્થ્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' હાલમાં ૨૦૨૦ બેચના ઇન્ટર્ન ડોકટરો અને તમામ રેસિડેન્ટ્સને વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:43 pm

બોટાદ LCBએ ₹12.63 લાખનો બીયર જથ્થો જપ્ત:પાળીયાદ વિસ્તારમાંથી ઝડપાયો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

બોટાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે અલગ-અલગ દરોડા પાડી કુલ ₹12.63 લાખનો ભારતીય બનાવટનો વિદેશી બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ, જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા માટે LCBની ટીમો દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાના સુપરવિઝન હેઠળ, PSI એસ.બી. સોલંકી અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે મોટા છૈડા ગામની સીમમાં ભાદર નદી પાસે પડતર જગ્યામાંથી કાર્યવાહી કરાઈ હતી. અહીં રજીસ્ટ્રેશન વગરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ અને થંડર બોલ્ટ પ્રીમિયમ બીયરનો કુલ ₹8,46,560નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં, PSI એચ.એ. વસાવા અને તેમની ટીમે મોટા પાળીયાદ ગામની સીમમાં સુરેન્દ્રનગરના જૂના માર્ગે આવેલી ગેસ એજન્સી પાસેની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન મળી કુલ ₹4,17,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં ઉદયભાઈ ભાંભળા, ગૌતમભાઈ ખાચર અને ગોવિંદભાઈ ખટાણા સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બોટાદ LCB દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ આ બીયર જથ્થાની જપ્તી અંગે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:37 pm

6 કરોડની લોન કરાવા વેપારી ગયાને 76.89 લાખ ગુમાવ્યા:ઠગ પરિવારે લોન પ્રોસેસના નામે રૂપિયા એડવાન્સ લઈ શાહીબાગના શખ્સ સાથે છેતરપિંડી કરી

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે નથી મરતા તે કહેવત શાહીબાગમાં રહેતા એક વેપારી ઉપર સાચી સાબીત થઈ રહી છે. વેપારીએ 6 કરોડ રૂપિયાની લોન કરાવવા માટે 76.89 લાખ રૂપિયા ઠગ પરિવારને આપી દીધા હોવાનું સામે આવ્યુ છે. પિતા, પુત્ર અને પરિણીતાએ મળીને લોન કરાવી આપીને કમીશન હડપ કરવાનું કામ શરુ કર્યુ હતું. આ અંગે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કૃતેશ શાહ, તેના પિતા ભરત શાહ અને પત્નિ મૃગંધા શાહ વિરૂદ્ધ 76.98 લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ કરી છે. શાહીબાગમાં રહેતા દિનેશ સોની સંયુક્ત પરિવારમાં રહે છે અને શિવમ એન્ટરપ્રાઈઝ નામથી ફર્મ ધરાવીને એન્જીનીયરીંગ વર્કશોપની મશીનરીનો વેપાર કરે છે. વર્ષ 2025માં દિનેશ સોનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકજ પરિવારના ત્રણ સભ્યો વિરૂદ્ધ છેતરપિંડીની અરજી કરી હતી. જેમાં પોલીસે ગઈકાલે ગુનો નોધ્યો છે. ઠગ પરિવારે દસ ટકા કમિશને લોન કરાવી આપવાની વાત કરીમળતી વિગત અનુસાર, એપ્રિલ મહિનામાં ધંધાના વિકાસ માટે રૂપિયાની જરૂર હોવાથી તેમણે તેના મિત્રવર્તુળમાં વાત કરી હતી. દરમિયાન દિનેશ સોનીને અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મિત્રએ લોન કરી આપવા માટે એક સંપર્ક આપ્યો હતો. વસંત મોદીએ દિનેશ સોનીને કહ્યુ હતું કે, કૃતેશ શાહ એક કંપની ધરાવે છે અને ધંધાદારી લોકોને ધંધા માટે લોન કરાવી આપે છે અને તેના બદલામાં લોન થાય તેના દસ ટકા કમિશન લે છે. દિનેશ સોનીએ કમિશન આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા અને વસંત મોદીને તેમની ઓફિસે લઈ જવાનું કહ્યું હતું. વસંત અને દિનેશ ડ્રાઈવ-ઈન રોડ ખાતે આવેલા ગાલા એમ્પાયરમાં કૃતેશને મળવા માટે ગયા હતા જ્યા તેની પત્નિ મૃગંદા પણ હાજર હતી. દિનેશે ધંધાની વાત કરતા કૃતેશ શાહે લોન કરાવી આપવાની બાંહેધરી લીધી હતી. પહેલાં કમિશનના અંદાજે 9 લાખથી વધુ પડાવ્યા4 એપ્રિલ 2025માં કૃતેશ અને તેના પિતા ભરત શાહે દિનેશ સોનીને જણાવ્યુ હતું કે, મે તમારી લોનની પ્રોસેસ ચાલુ કરી દીધી છે તો મને અત્યારે મારા કમિશનના 7 લાખ રૂપિયા આપો. કૃતેશ પર વિશ્વાસ કરીને દિનેશે સોનીએ સાત લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. આ બાદ બે વખત કૃતેશે 45 હજાર રૂપિયા અને એક વખત 1.80 લાખ રૂપિયા લોન પાસ કરાવવાના લીધા હતાં. તમારી લોન ટુંક સમયમાં પાસ થઈને આવી જશે તેમ કહીને કૃતેશે રૂપિયા ખંખેરી લીધા હતાં. 'જેટલા રૂપિયા આપ્યા છે તે મને પાછા આપી દો'દિનેશને શંકા જતા તેમણે કૃતેશને કહ્યું હતું કે, જો મારી લોન થાય તેમ ના હોય તો મે અત્યાર સુધી જેટલા રૂપિયા આપ્યા છે તે મને પાછા આપી દો. દિનેશની વાત પર કૃતેશે તેમને જવાબ આપ્યો છે કે, તમારી લોનની રકમ વધારે છે એટલે તે પાસ થવામાં સમય લાગે, વિશ્વાસ રાખો હું તમારી લોન કરાવી આપું છું. બાદમાં કૃતેશે દિનેશના મોબાઈલના વોટ્સએપમાં એક પીડીએફ ફાઈલ મોકલી હતી. ફક્ત પીડીએફ મોકલી, 15.30 લાખ મોકલ્યાં નહીપીડીએફ ફાઈલમાં કૃતેશે 15.30 લાખ રૂપિયા પરત કર્યા હોવાની વિગત હતી. દિનેશ સોનીએ કૃતેશ પર વિશ્વાસ કરીને થોડી રાહ જોઈ હતી. દરમિયાનમાં દિનેશે તેમના બેંકમાં જઈને તપાસ કરી તો કૃતેશે કોઈ 15.30 લાખ રૂપિયા મોકલ્યા હતાં નહી. જેથી દિનેશે કૃતેશને ફોન કરીને કહ્યું હતું કે, મારા ખાતામાં એક પણ રૂપિયા આવ્યો નથી. કૃતેશે ફરીથી દિનેશને સમાજવ્યુ હતું કે, મોટી રકમ હોય તો ઘણી વાત ટ્રાન્સફર થવામાં વાર લાગે તેમ છે. દિનેસે કૃતેશને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધોત્યારબાદ કૃતેશે દિનેશને જણાવ્યું કે, મારે 7.28 લાખ રૂપિયા રોકડા જોઈશે. આ રૂપિયા બેંકના કર્મચારીને લોન કરાવવા માટેનો વહીવટ આપવો પડશે. દિનેસે કૃતેશને રૂપિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કૃતેશે તેની કંપનીનો સહીવાળો ચેક દિનેશને આપ્યો હતો અને કહ્યું હતું કે, જો તમારા ખાતામાં પૈસા ના આવે તો આ ચેક તમે ભરી દેજો. કૃતેશની વાત પર દિનેશે વિશ્વાસ કરી લીધો હતો અને બાદમાં તેને રૂપિયા આપી દેવાની હા પાડી દીધી હતી. 'મારા ખાતામાં કમિશનના 31.32 લાખ અને 30 લાખ ટ્રાન્સફર કરો'દિનેશે 7.28 લાખ રૂપિયા કૃતેશને રોકડા આપ્યા હતા. થોડા સમય બાદ કૃતેશે દિનેશ સોનીને જણાવ્યુ કે, બેંકની પ્રોસેસ ફીમાં પૈસા ભરવા પડશે અને બેંકની પ્રોસેસના 99 સ્ટેપ પુરા થઈ ગયા છે ખાલી એક સ્ટેપ બાકી છે. તો તમે એક કામ કરો મારા ખાતામાં કમિશનના 31.32 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો તો હું તમારા ખાતામાં 6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દઉ છું. કૃતેશ પર વિશ્વાસ કરીને દિનેશે તમામ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. અલગ અલગ રીતે 76.98 લાખ પડાવ્યારૂપિયા આપી દીધા બાદ પણ દિનેશ સોનીના ખાતામાં લોનના 6 કરોડ અને પહેલા આપેલા 15.30 લાખ રૂપિયા રૂપિયા નહી આવતા તેમણે કૃતેશને ફોન કર્યો હતો. કૃતેશે લોન આવી જશે તેવી બાહેધરી આપીને દિનેશ સોનીને ગોળગોળ ફેરવતા હતાં. દિનેશ સોની 6 કરોડ રૂપિયાની લોન કરાવવા માટે કૃતેશને અલગ અલગ રીતે 76.98 લાખ રૂપિયા આપ્યા હતાં. કૃતેશ ચેક પણ આપ્યો હતો જે બાઉન્સ ગયો હતો. દિનેશ સાથે વિશ્વાસઘાત થતા અંતે તેમણે કૃતેશ તેની પત્નિ અને પિતા વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:37 pm

વેરાવળ–પાટણ નગરપાલિકામાં વહીવટદાર શાસન અમલી:પ્રાંત અધિકારી વિનોદ જોશીએ સંભાળ્યો ચાર્જ; પ્રાથમિક સુવિધાઓ સુધારવા અધિકારીઓને તાકીદ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે વહીવટદાર શાસન અમલમાં મૂક્યું છે. આ અંતર્ગત વેરાવળના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી વિનોદ જોશીને નગરપાલિકાના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આજે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના વહીવટદાર તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરપાલિકાની વિવિધ શાખાઓના મુખ્ય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શહેરના વિકાસ અને નાગરિકોને સુવિધાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. વહીવટદાર જોશીએ અધિકારીઓને શહેરમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી પુરવઠા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે ઝડપી તથા અસરકારક કામગીરી કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો સંકલનથી કાર્ય કરે અને પ્રજાભિમુખ અભિગમ અપનાવે. તેમણે શહેરના વિકાસ માટે સમયસર કામગીરી, જવાબદારીપૂર્ણ વલણ અને પારદર્શક વહીવટ પર ભાર મૂક્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલી સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપીને તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે પણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે, વહીવટદાર વિનોદ જોશીએ વેરાવળ-પાટણના નાગરિકોને પણ સુશાસનના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરના વિકાસલક્ષી નિર્ણયોમાં નાગરિકોનો સહકાર અને સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ છે. વહીવટદાર શાસનની શરૂઆત સાથે નગરપાલિકામાં કામગીરી વધુ ગતિશીલ બને અને શહેરના વિકાસને નવી દિશા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:30 pm

અમદાવાદમાં GUJPEDICRITICON 2.0 કોન્ફરન્સ:250થી વધુ બાળરોગ નિષ્ણાતો હાજર રહ્યા, 34 રિસર્ચ પેપર્સ રજૂ થયા

અમદાવાદ ખાતે તા. 14 અને 15 માર્ચ, 2026 દરમિયાન ગુજરાત પીડિયાટ્રિક ક્રિટિકલ કેર ચેપ્ટર, એઓપી ગુજરાત , એઓપી અમદાવાદ તથા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના સહયોગથી ગંભીર રીતે બીમાર બાળકોની સારવાર વિષયક બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ “GUJPEDICRITICON 2.0” યોજાઈ હતી. આ અંગે ડૉ. જીતેશ રાવલ, ડૉ. અમિત ચિતલીયા, ડૉ. વૈભવ પટેલ, ડૉ. જય શાહ, ડૉ. સ્નેહલ પટેલ, ડૉ. ખંજન શાહ (અમદાવાદ), ડૉ. હિરેન પટેલ (ડીસા), ડૉ. કૃણાલ શાહ (વાપી), ડૉ. કૃતિકા ટંડન (કરમસદ), ડૉ. હિમાંશુ તડવી અને ડૉ. પ્રતીક શાહ (સુરત) એ માહિતી આપી હતી. તા. 15 માર્ચે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે યોજાયેલી મુખ્ય કોન્ફરન્સમાં આશરે 250 જેટલા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોએ ભાગ લીધો, જેમાં 34 રિસર્ચ પેપર્સ રજૂ થયા. કોન્ફરન્સમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાંથી ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સના પ્રથમ દિવસે, તા. 14 માર્ચના રોજ શહેરની ત્રણ મુખ્ય હોસ્પિટલોમાં ગંભીર બાળકોની સારવાર અંગેના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અપોલો હોસ્પિટલ ખાતે બાળકોને લાઈફ-સેવિંગ વેન્ટિલેટર થેરાપી દ્વારા ફેફસાંના જટિલ રોગોની સારવાર અંગે ડોક્ટરો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો. જ્યારે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ગંભીર રોગોની સારવાર માટે જરૂરી પ્રોસીજર્સની તાલીમ અર્થે અત્યાધુનિક સિમ્યુલેશન આધારિત ટ્રેનિંગ યોજાઈ હતી. આ કક્ષાની ટ્રેનિંગ ગુજરાતમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 16 મોર્ડન સિમ્યુલેશન સ્ટેશન્સ અને ECMO ટ્રેનિંગની મદદથી રિયલ દર્દીમાં થતી ઈમરજન્સી સારવાર માટે ડોક્ટરોની સ્કીલ અપગ્રેડેશન અને ઈમરજન્સી રિસ્પોન્સ ઇમ્પ્રૂવમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેડી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ માટે વિશેષ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન થયું હતું.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:29 pm

પાટણના અઘાર ગામે કુંવારિકા માતાજીની રથયાત્રા નીકળી:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ પરંપરાગત લોકમેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે પ્રચંડ ભીડ જોવા મળી હતી. સોમવારથી શરૂ થયેલો આ બે દિવસીય મેળો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડીને કુંવારિકા માતાજીની રથયાત્રા વાજતે ગાજતે શરૂ કરવામાં આવી હતી. મંદિરમાં આરતી ઉતાર્યા બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રાચીન મંદિરથી નીકળેલી આ રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ-ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરીને માતાજીનું સ્વાગત કર્યું હતું. ગામમાં ફરીને રથયાત્રા તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. અહીં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને શનિવારે માતાજીનું પુન: નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓ, વિવિધ માનતાઓ પૂરી કરવા માટે દર્શને આવી હતી. પુત્ર જન્મની બાધા પૂરી કરવા માટે કેટલીક મહિલાઓ ગામના ગોદરેથી પોતાના બે હાથ રૂમાલથી બાંધી, તેમાં શ્રીફળ મૂકીને મંદિરે પહોંચી હતી. ત્યાં માતાજીને શીશ નમાવી શ્રીફળ વધેરીને શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી. કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને પણ માતાજીના દર્શને આવી હતી. આ લોકમેળામાં બાળકો માટે અવનવી ચગડોળ, ચકરડી અને રાઈડ્સ ગોઠવવામાં આવી હતી, જેનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પણ ધમધમ્યા હતા અને મોતના કૂવા આસપાસ સ્ટંટ નિહાળવા શોખીનોની ભીડ જામી હતી. દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:25 pm

સુરતમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા સાથે ક્રૂરતા:રત્નકલાકાર પતિ જ બન્યો હૈવાન, ઘરમાં દારૂની મહેફિલ જમાવી પત્નીને માર માર્યો, 3 મિત્રો સાથે મળી પત્ની પર ગુજાર્યો ગેંગરેપ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને જ હૈવાન મિત્રોના હવાલે કરી દીધી હતી. પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમલગ્નનું લોહીલુહાણ સત્ય ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે અમરેલીના બગસરાના વતની એવા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને કાપોદ્રાની લક્ષ્મણ નગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો. જોકે, તેની સાથે કામ કરતા તેના ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા અને ત્યાં જ રોકાતા હતા. મે 2025ની એ કાળી રાતની આપવીતી પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મે 2025માં એક રાત્રે તેના પતિએ ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ સાથે મળી ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી. નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા હતા. પતિની હાજરીમાં જ તેના ત્રણેય મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો. આ કૃત્ય બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, જો કોઈને મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે. મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કરતો આ ભયાનક ઘટના બાદ પણ પરિણીતા સમાજના ડરે મૂંગા મોઢે અત્યાચાર સહન કરતી રહી. પરંતુ પતિની હેવાનીયત અહીં જ ન અટકી. તે અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને હિંમત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. અલગ-અલગ ટીમો બનાવી ત્રણ આરોપીની ધરપકડ કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પતિ અસહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. મહિલા સુરક્ષા પ્રાથમિકતા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:25 pm

અમદાવાદમાં ઇનવિન્સિબલ એનજીઓનો ભવ્ય કાર્યક્રમ:નશામુક્તિ માટે 1400 કિમીની સાયકલ યાત્રા કરનાર યુવા શક્તિનું ટાગોર હોલમાં સન્માન

અમદાવાદના ટાગોર હોલ ખાતે તાજેતરમાં ઇનવિન્સિબલ એનજીઓ દ્વારા 'વોલેન્ટિયર્સ એવોર્ડ સમારોહ'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 600 થી વધુ વોલેન્ટિયર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કર્નલ પી. પી. વ્યાસ, સામાજિક કાર્યકર મિત્તલ પટેલ અને યુથ આઇકન શ્વેતા પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યુવાઓને રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક જવાબદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા. નેતૃત્વ અને સાહસિક અભિયાનોભારતની સૌથી મોટી ટ્રેકિંગ સંસ્થા તરીકે જાણીતી ઇનવિન્સિબલ એનજીઓ પ્રકૃતિ સંરક્ષણ, હેરિટેજ જાળવણી અને કોમ્યુનિટી ડેવલપમેન્ટના ક્ષેત્રે કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં લીડરશિપ ડેવલપમેન્ટ અને સેવા ભાવના જગાડવાનો છે. આ એવોર્ડ સમારોહમાં વોલેન્ટિયર્સના અતુલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. નશામુક્તિ અને પર્વતારોહણના વિક્રમોસમારોહમાં ખાસ કરીને 'No Drugs Campaign' હેઠળ 1400 કિલોમીટરની સાયકલ યાત્રા કરનારા અને 16,000 ફૂટથી વધુ ઊંચાઈના પર્વત શિખરો સર કરનારા વોલેન્ટિયર્સને સન્માનિત કરાયા હતા. આ યુવાઓએ નશામુક્ત સમાજનો સંદેશ ફેલાવીને સાહસ અને ટીમવર્કનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમ યુવા ઊર્જા અને સકારાત્મક પરિવર્તનનો મહોત્સવ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:25 pm

અમદાવાદમાં ઉત્તર ભારતીય બ્રહ્મસમાજનું સ્નેહમિલન:નવેમ્બરમાં જગન્નાથ મંદિરે સમૂહ કન્યા વિવાહ અને UCC લાગુ કરવાની ઉગ્ર માંગ

અમદાવાદના નિકોલ સ્થિત વીર શહીદ મંગલ પાંડે ઓડિટોરિયમ ખાતે ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા ‘હોલી સ્નેહમિલન’ સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2006માં માત્ર 50 સભ્યોથી શરૂ થયેલું આ સંગઠન આજે 20 વર્ષ પૂર્ણ કરી 2200થી વધુ પરિવારો અને 10,000 સદસ્યોનું વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ પ્રસંગે હજારોની મેદની વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી. પ્રતિભા સન્માન અને સામાજિક ઉદ્દેશ્યકાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ભગવાન પરશુરામની પ્રતિમા અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ ‘બ્રહ્મ ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સંસ્થાના અધ્યક્ષ ઉદ્ધવ પાંડેએ જણાવ્યું કે, આવા આયોજનોનો મુખ્ય હેતુ પરસ્પર મેળાપ વધારવા સાથે શિક્ષણ, ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને દીકરીઓના અભ્યાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. દહેજ મુક્તિ માટે સમૂહ લગ્નનું આયોજનસમાજ દ્વારા આગામી 21 નવેમ્બરે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે સમૂહ કન્યા વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દહેજ પ્રથાને નાબૂદ કરવાનો છે. આ ઉપરાંત, સંગઠન દ્વારા સમયાંતરે મેડિકલ કેમ્પ, ચોપડા વિતરણ અને સમૂહ યજ્ઞોપવીત જેવા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. UCCની માંગ અને આરક્ષણ પર આકરા પ્રહારકાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ પાંડેએ નીતિવિષયક મુદ્દે પણ મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આરક્ષણનો લાભ માત્ર આર્થિક રીતે નબળા તમામ ગરીબોને મળવો જોઈએ. તેમણે સામાજિક ભાગલા પાડતા કાયદાઓનો વિરોધ નોંધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:20 pm

દારૂના નશામાં પૂરઝડપે આવીને બાઈક-પાર્ક કારને ટક્કર મારી, CCTV:કારમાં રહેલા એક વ્યકિતનો માંડ જીવ બચ્યો, રબારી કોલોની ચાર રસ્તા પાસે અકસ્માત

અમદાવાદ શહેરના રબારી કોલોની ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કાર ચાલક પાર્ક કરીને ફોનમાં વાત કરી રહ્યો હતો.ત્યારે સામેથી પૂર ઝડપે દારૂના નશામાં એક કાર ચાલક પૂરઝડપે કાર લઈને આવી રહ્યો હતો. પૂરઝડપે આવી રહેલી કારે પહેલાં બાઈકને અને ત્યારબાદ પાર્ક કરેલી કારને સામેથી ટક્કર મારી હતી. જેના કારણે કારચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર અગાઉ પણ એક અકસ્માત કરીને આવ્યો હતો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલક દીપક બધેલની અટકાયત કરી છે. દારૂના નશામાં કારચાલકે બે વાહનોને ટક્કરી મારીમળતી વિગત અનુસાર, અમરાઈવાડીમાં રહેતા નીરજ દેવાચાર્ય પીજી હોસ્ટેલમાં રહે છે અને કઠવાડા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. નીરજને કંપની તરફથી એક ફોરવ્હિલર કાર આપવામાં આવી છે. 15 માર્ચના રોજ નીરજ રબારી કોલોની ચાર રસ્તા પાસે મેટ્રો બ્રિજની નીચે કાર પાર્ક કરી ફોન પર વાતચીત કરી રહ્યો હતો. પાર્ક કરેલી કારમાં બેસેલા વ્યકિતનો માંડ જીવ બચ્યોઆ દરમિયાન સામેથી રોંગ સાઈડમાં પૂર ઝડપે એક કાર આવી રહી હતી, જેમાં પહેલા બાઈકને ટક્કર મારી હતી, ત્યારબાદ નશામા ધૂત કારચાલકે નીરજની કારને બોનેટના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે નીરજને ઈજા પહોંચતી હતી અને નીરજની કારને ભારે નુકસાન પણ થયું હતું. અકસ્માત બાદ કાર ચલાવનાર દીપક બધેલની ડ્રાઇવર સીટ બાજુમાં બેઠેલો વ્યક્તિ નીચે ઉતારીને કાર લઈને નાસી ગયો હતો. અકસ્માત કરનારની અટકાયતબનાવની જાણ થતા પોલીસ પર સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર દીપકની અટકાયત કરી હતી. જ્યારે નીરજને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઇક ચાલક રસ્તાની બાજુમાં ઘૂસી ગયોપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કાર ચાલકે નશાની હાલતમાં રબારી કોલોની તરફ પૂરઝડપે એક બાઈક ચાલકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે બાઇક ચાલક રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. જેના કારણે કાર અને બાઇકને નુકસાન થયું હતું તથા બાઇક ચાલકને પણ ઇજાઓ થઈ હતી. કાર ચાલકે બે અકસ્માત કર્યા હતા. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:19 pm

જન્મદિવસની અનોખી ઉજવણી:મંત્રી કુંવરજી બાવળીયાએ કડિયા નાકા પર શ્રમિકો સાથે સંવાદ કર્યો , 121 નવા કેન્દ્રો અને સ્વાસ્થ્ય તપાસની ભેટ

ગુજરાતના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના 71 મા જન્મદિવસની ઉજવણી એક સંવેદનશીલ અને પ્રેરણાદાયક રીતે કરી હતી. ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત કડિયા નાકા પાસે આવેલા 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' કેન્દ્રની મુલાકાત લઈ મંત્રીએ શ્રમિકોને પોતાના હાથે ગરમા ગરમ ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રમિક પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક આહારની સુવિધાબાંધકામ ક્ષેત્રે દિવસ-રાત પરસેવો પાડતા શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારને માત્ર 5 રૂપિયાના રાહત દરે સાદું, સાત્વિક અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્રો પર માત્ર ભોજન જ નહીં, પરંતુ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી શ્રમિકોના સ્વાસ્થ્યની પણ પૂરતી જાળવણી થઈ શકે. યોજનાનો વ્યાપ: 300 નવા કેન્દ્રોનું આયોજનરાજ્યમાં આ યોજનાની સફળતાને જોતા તેનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં 293 જેટલા સેન્ટરો કાર્યરત છે. મંત્રીએ આગામી આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નવા 121 કેન્દ્રો શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, ચાલુ વર્ષના બજેટમાં વધુ 300 નવા કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી છેવાડાના શ્રમિક સુધી આ પાયાની સુવિધા પહોંચાડી શકાય. આરોગ્ય અને વિશેષ સંભાળ પર ભારમુલાકાત દરમિયાન મંત્રીએ સેન્ટર પર ઉપલબ્ધ તબીબી સેવાઓની સમીક્ષા કરી હતી. ખાસ કરીને બાંધકામ સાઇટ પર રહેતા પરિવારો માટે હવામાન આધારિત વિશેષ તકેદારી રાખવા અને જરૂરી સારવાર પૂરી પાડવા વિભાગને સૂચનાઓ આપી છે. મંત્રીની આ પ્રેરક ઉપસ્થિતિ અને આત્મીયતા જોઈને ગાંધીનગરના ઘ-2 કડિયાનાકા ખાતે શ્રમિકોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 16 Mar 2026 2:18 pm