SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

પાલિકા-પંચાયતના ચૂંટણી પ્રચાર તેજ બન્યો:માંડવિયા-રૂપાલા આજે સુરતમાં સભા ગજવશે, રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન

પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતમાં સભા ગજવશે. તો રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય આંદોલનની યાદો તાજી થવાની સંભાવના છે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં રહેતા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ બોટાદ અને ભાવનગરમાં પ્રચાર કરશેમુખ્યમંત્રી આજે બોટાદ અને ભાવનગર જિલ્લાના અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજમાં રોડ શો યોજશે. માંડવીયા અને રૂપાલા સુરતમાં સભા ગજવશેપાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પ્રચારની ધૂરા સંભાળશે. માંડવીયા મોટા વરાછાના શિવધારા ચોકમાં સભા સંબોધશે. જ્યારે રૂપાલા ધરમનગર રોડ સ્થિતિ જલક્રાંતિ મેદાનમાં બે અલગ અલગ સભા સંબોધશે. રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલનરાજકોટના વોર્ડ નંબર 10માં આજે સાંજે 6 વાગ્યે ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકા માં રહેલા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર. 10 ના કોંગ્રેસના ઉમેદવાર છે.. કોંગ્રેસના ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલને જીતાડવા માટે આવતીકાલે તૃપ્તિબા રાઓલ સહિતના ક્ષત્રિય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 7:00 am

પહેલગામ હુમલાનું એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં:પતિ અને જુવાનજોધ પુત્ર ગુમાવનાર કિરણબેને કહ્યું- 'સરકારે આર્થિક સહાય કરી, નાના દીકરાને નોકરી આપવાનું વચન અધૂરું'

પહેલગામ હુમલાની આતંકી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. દેશભરમાં હાહાકાર મચાવતીઆ આતંકી ઘટનામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં બે લોકો ભાવનગરના હતા. ભાવનગરથી પરિવાર સાથે ફરવા ગયેલા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતું. હુમલાની પ્રથમ વરસી આવતા જ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પરિવારના જખમો તાજા થયા છે.ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવારના સભ્યો માનસિક આઘાતમાંથી બહાર આવ્યા નથી. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને ગુમાવનાર કિરણબેનની તબિયત લથડતા સારવાર માટે ખસેડવા પડ્યા હતા. કિરણબેને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ સરકારે આર્થિક સહાય કરી છે. પરંતુ, પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે હજી અધૂરું છે. કિરણબેને વધુમાં જણાવ્યું કે,મારે એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળીને આભાર માનવો છે કે તેમણે મારા પરિવારના હત્યારાઓને સજા આપી'. 'સમય વીતી ગયો પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં'22 એપ્રિલ, 2025. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમાર પણ હતા. આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે ત્યારે એક વર્ષ પહેલાની ઘટનાને યાદ કરી પરિવારજનોની આંખો ભરાઈ આવે છે. પતિ અને પુત્રને ગુમાવનાર મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, સમય વીતી ગયો છે, પણ અમારી જિંદગીમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં. જૂની યાદો તાજી થતા કિરણબેનની તબિયત લથડી​આ અંગે દિવ્ય ભાસ્કર માતા કિરણબેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,પતિ અને પુત્રના મૃત્યુનો આઘાત તેમના મગજમાંથી જતો નથી. આ માનસિક તણાવને કારણે તેમને વારંવાર છાતીમાં દુખાવો અને બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે. તાજેતરમાં જ તેમને કાળિયાબીડ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ જેમ-જેમ આ ઘટનાનું વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ-તેમ જૂની યાદો તાજી થતા તેમની હાલત વધુ બગડી રહી છે.​ 'સરકારે આર્થિક સહાય કરી પણ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો અધૂરો'​​ઘટના સમયે અનેક મોટા નેતાઓ અને પદાધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી હતી, તે સમયે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, પરિવારને આર્થિક સહાય અને ઘરના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.કિરણબેને જણાવ્યું કે, ​સરકારે અમને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે, જે બદલ અમે આભારી છીએ.પરંતુ, તે સમયે મને અને મારા દીકરાને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મેં ઘણી દોડાદોડ કરી, પણ હજી સુધી નોકરી બાબતે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, મારો નાનો દીકરો અત્યારે લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરી રહ્યો છે, જો તેને નાની એવી નોકરી મળી જાય તો અમારું જીવન સુધરી જાય. મહિલાએ સરકારનો આભાર માનવા વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યકત કરી​ભીની આંખે માતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની એક ઈચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની છે તેઓ વડાપ્રધાનનો આભાર માનવા માંગે છે, કારણ કે આતંકી હુમલા બાદ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાબદાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી સરકારે ન્યાય અપાવ્યો હતો. કિરણબેને કહ્યું- 'સાંસદ હંમેશા ફોન કરી ખબરઅંતર પૂછતા રહે છે'​હાલમાં કિરણબેન અને તેમનો પુત્ર તેમના દિયર (પતિના નાના ભાઈ) સાથે રહી રહ્યા છે, પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને વૃદ્ધ સાસુ-સસરા પણ પુત્ર અને પૌત્રના નિધનથી ઊંડા આઘાતમાં છે. રાજકીય સહકાર અંગે વાત કરતા મહિલાએ જણાવ્યું કે, નીમુબેન બાંભણિયા અને ભાજપના અન્ય નેતાઓ ફોન દ્વારા સતત સંપર્કમાં રહે છે અને ખબર-અંતર પૂછે છે, જેનો અમને મોટો આધાર છે. પહેલગામ આતંકી હુમલામાં કૂલ ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા હતાએક વર્ષ પહેલા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કૂલ 26 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરના યતીશ પરમાર અને તેનો પુત્ર સ્મિત પરમાર ઉપરાંત મૂળ સુરતના શૈલેષ કળથિયાનું મોત નિપજ્યું હુતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 am

મંડપ ઉડ્યો, ફૂલ લબડી ગયા:સંઘવીની સ્પીચ પહેલા જ કાર્યકરો ધંધે લાગ્યા; કોંગ્રેસને ડખા ડૂબાડશે, મેવાણી પર માછલા ધોવાયા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 am

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી:રાહુલે પગ પકડી રાખ્યા, પાયલે મોં પર ઓશીકું દબાવી દીધું; આડા સંબંધમાં 3 બાળકો નિરાધાર થયા

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે સંજયની તેના જ ઘરમાંથી લાશ મળી હતી પણ શરીર પર ઇજાના કોઇ નિશાન નહોતા. એક તરફ તેની પત્ની નહોતી મળી રહી. બીજી તરફ બાળક પણ હાજર નહોતું. પહેલા તો અકસ્માતે મોત થયાનું લાગ્યું પણ FSL રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સંજયની પત્ની પાયલ અને તેના પ્રેમી રાહુલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બન્નેએ સ્વીકારી લીધું કે તેમણે જ સંજયની હત્યા કરી હતી પણ હત્યા પાછળનું કારણ હજુ સામે નહોતું આવ્યું. હવે આગળ વાંચો.... આશરે 10 વર્ષ પહેલાં સામાજિક રીતરિવાજ મુજબ સંજય અને પાયલના લગ્ન થયા ત્યારે બંનેના પરિવારોમાં ખુશીનો માહોલ હતો. બન્નેના લગ્નજીવનની શરૂઆત ઘણી સામાન્ય હતી. લગ્ન પછી સંજય પોતાની પત્ની પાયલ સાથે માતા-પિતાથી અલગ રહેવા ગયો હતો. જેથી તેઓ પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે. બન્ને મહેનતુ હતા. દરરોજ સવારે કામ પર નીકળી જતા અને મોડી સાંજે થાક્યાપાક્યા ઘરે પાછા ફરતા. સાથે મળીને રસોઇ બનાવવી, જમવું અને સૂઇ જવું. આ વર્ષોથી ચાલ્યું આવતું તેમનું રૂટિન હતું. બન્નેનું લગ્નજીવન સુખમય રીતે પસાર થઇ રહ્યું હતું પરંતુ કોઇને ખબર નહોતી કે ભવિષ્યમાં આ સુખી લગ્નજીવનમાં કલહ શરૂ થવાનો હતો. જેનું મૂળ એક યુવાન બનવાનો હતો. બન્ને જ્યાં રહેતા હતા ત્યાંથી થોડા ઘર છોડીને રાહુલ નામનો એક યુવાન રહેતો હતો. રાહુલ કુંવારો હતો અને રિક્ષા ચલાવતો હતો. પાડોશી હોવાના કારણે રાહુલ અને સંજય એકબીજાને ઓળખતા હતા અને ક્યારેક મળતા રહેતા હતા. સંજયની હત્યાના અંદાજે દોઢેક વર્ષ પહેલાં રાહુલ અને પાયલની આંખો મળી ગઇ હતી. બન્ને વચ્ચેના સંબંધો ધીરે ધીરે વધવા લાગ્યા હતા. સંજયની ગેરહાજરીમાં બન્ને ચોરીછૂપીથી મળતા. ઉર્દૂમાં કહેવત છે કે ઇશ્ક ઔર મુશ્ક છીપાયે નહીં છીપતે. જેનો અર્થ છે કે લાખ કોશિષ બાદ પણ પ્રેમ અને કસ્તૂરીની સુંગધ છૂપાવી નથી શકાતી. આ ઉર્દૂ કહેવત રાહુલ અને પાયલના કેસમાં પણ યથાર્થ સાબિત થઇ. બન્ને વચ્ચે પાંગરેલો પ્રેમ છૂપો ન રહ્યો. તે જ્યાં રહેતા હતા ત્યાં બધાને ખબર પડી ગઇ કે તેમની વચ્ચે અફેર ચાલી રહ્યું છે. જો કે એકમાત્ર સંજય જ એવો હતો જેને આ અંગે કોઇ ખબર નહોતી. એકાદ વર્ષ બાદ સંજયને પણ ખબર પડી ગઇ કે બન્ને વચ્ચે કંઇક ચાલે છે ત્યારથી તેમના ઘરમાં ઝઘડા ચાલુ થઇ ગયા હતા. સંજય જ્યારે જ્યારે પાયલ સાથે આ અંગે વાત કરતો ત્યારે બન્ને વચ્ચે બોલાચાલી થતી. જે ઘણીવાર મારઝૂડ સુધી પહોંચી જતી. હવે તો સંજય, પાયલ અને રાહુલ એમ ત્રણેયના પરિવારને પણ આની ગંધ આવી ગઇ હતી પણ કામમાં વ્યસ્તતાના કારણે તેમને સમજાવવાનો સમય નહોતો મળતો. પોલીસે કરેલી પૂછપરછમાં પાયલે એક પછી એક રહસ્યો ખોલવાના શરૂ કર્યા. તેણે કહ્યું સાહેબ, હું અને સંજય ઘરકામ કરીએ છીએ. જે રાતે સંજયની હત્યા કરી એ રાતે અમે શેલાથી કામ કરીને ઘરે પાછા આવ્યા હતા અને જમવા માટે ભજિયાં બનાવ્યા હતા. સંજય પોતાના પિતાને ત્યાં ભજિયાં આપવા ગયો હતો. ઘરે આવ્યા બાદ અમારા બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જેનું કારણ હતું રાહુલ અને મારા સંબંધો. બન્ને વચ્ચેનો ઝઘડો મોડી રાત સુધી ચાલ્યો. હવે આ ઝઘડામાં રાહુલની એન્ટ્રી થવાની હતી. આ ઝઘડો એટલો વધ્યો કે અવાજ બહાર સુધી જવા લાગ્યો. રાહુલ તેમના ઘર પાસેથી પસાર થયો. ઝઘડાનો અવાજ સાંભળીને તે ઘરે આવ્યો અને સંજયને કહ્યું કે તુ પાયલની સાથે કેમ ઝઘડે છે? તેને કેમ મારે છે? રાહુલની દરમિયાનગીરીથી સંજય અકળાઇ ગયો. તેને થયું કે આ તો પતિ-પત્ની વચ્ચેની વાત છે એમાં રાહુલ શા માટે વચ્ચે પડે છે? સંજયના હૈયાની વાત હોઠ પર આવી ગઇ. સંજયે રાહુલને કહી દીધું કે આ અમારા ઘરનો મામલો છે. તું તારું કામ કાર, વચ્ચે ન પડીશ. આના પછી રાહુલ ઘરે જતો રહ્યો હતો પણ અહીં સંજય અને પાયલ વચ્ચે ઝઘડો ચાલુ જ હતો. સંજયે પિત્તો ગુમાવ્યો અને પાયલને મારવા લાગ્યો. પાયલે થોડીવાર સુધી તો માર સહન કર્યો પણ છેવટે કંટાળીને રાહુલને ફોન કરી દીધો અને કહ્યું કે તુ મારા ઘરે આવી જા, સંજય હજુ મને મારે છે. આના પછી રાહુલ સંજયના ઘરે પહોંચ્યો હતો. પોતાની પ્રેમિકાને હેરાન થતી જોઇ આ વખતે રાહુલના ગુસ્સાનો પણ પાર નહોતો. તેણે સંજયને કહ્યું કે, તુ કેમ પાયલને મારે છે? આ તારૂં રોજનું થઇ ગયું છે. આજે તારું પૂરું જ કરી નાખું. આવું કહીને રાહુલે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો. જેના પછી બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઘર નાનું હતું. તેમાં બધી ઘરવખરી પડેલી હતી. રાહુલ અને સંજય વચ્ચે ઝઘડો ચાલતો હતો તે દરમિયાન પાયલ બાજુમાં જ ઊભી રહીને આ દ્રશ્ય જોઇ રહી હતી. પાયલના મનમાં પણ રોષ હતો. તેનું ધ્યાન બાજુમાં પડેલા ટુવાલ પર ગયું. તેણે તરત ટુવાલ ઉપાડ્યો અને સંજયના ગળામાં નાખી દીધો. અચાનક થયેલા આવા હુમલાથી સંજયને કંઇ ખબર પણ ન રહી કે એની સાથે હવે શું થવાનું હતું. સંજય કંઇ સમજે એ પહેલાં જ પાયલ અને રાહુલે તેને જમીન પર પછાડી દીધો. રાહુલે સંજયના પગ પકડી રાખ્યા અને પાયલે પછી તેના મોં પર ઓશીકું દબાવી દીધું. હવે સંજયનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. તેણે ઘણા હવાતિયાં માર્યા અને છૂટવાના પ્રયત્ન કર્યા પણ એ શરીરે સાવ સૂકલકડી હતો. પાયલ અને રાહુલની સામે એની તાકાત ઓછી પડી. થોડી જ વારમાં ગૂંગળામણને કારણે સંજયનું મોત નીપજ્યું હતું એટલે જ શરીર પર લોહીના કે ઇજાના કોઇ નિશાન નહોતા. રિમોટ એરિયામાં તેમનું ઘર હોવાથી પડોશીઓને પણ ખ્યાલ ન આવ્યો કે બાજુમાં આટલી મોટી ઘટના ઘટી ગઇ છે. આ તરફ પાયલ અને રાહુલને કંઇક ભાન આવ્યું. તેમને રિયલાઇઝ થયું કે આવેશમાં આવીને અમે આ શું કરી નાખ્યું? પણ હવે બન્ને કંઇ કરી શકે તેમ નહોતા. પાયલ પોતાના દીકરાને લઇને રાહુલની સાથે ઘરની બહાર આવી. દરવાજાને આંકડી મારીને રાહુલના ઘરે જતાં રહ્યાં. રાહુલના ઘરે થોડીવાર રોકાયા બાદ એ લોકો પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા. પીપણ ગામના પાટિયા પાસે જતાં રહ્યાં ત્યાંથી ડમ્પરમાં બેસીને ડોળિયા બાઉન્ડરી ગયા. ત્યાંથી બન્ને રાહુલના મામાના ઘરે પહોંચ્યા હતા. મામાના ઘરેથી રાહુલે પોતાના નાનાભાઇને ફોન કરીને કહ્યું કે આવી ઘટના ઘટી ગઇ છે, તમે ઘર છોડીને નીકળી જાઓ નહીંતર પોલીસ પકડી લેશે. રાહુલના ફોન બાદ તેનો ભાઇ માતા-પિતા અને દાદાને લઇને થાનગઢ પહોંચ્યો હતો. જ્યાંથી પોલીસે બધાને પકડી લીધા હતા. પાયલ અમદાવાદના બોપલ-શેલા જેવા હાઇફાઇ વિસ્તારોમાં કામ કરતી હતી એટલે તેને વોટ્સએપ કોલ કરતા આવડતો હતો. જેથી તે પોતાની માતા સાથે વોટ્સએપ કોલથી સંપર્કમાં હતી. તેણે માતાને બધી વાત કરી હતી કે અમે સંજયની હત્યા કરી નાખી છે. આજે સંજય આ દુનિયામાં નથી. પાયલ અને રાહુલ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયા છે. જ્યારે પાયલના 3 સંતાનોએ પિતાની છત્રછાયા તો ગુમાવી જ પણ સાથોસાથ માતાથી પણ અલગ થવાનો વારો આવ્યો છે. કાયદો તો કાયદાનું કામ કરશે અને ગુનેગારોને સજા પણ થશે પરંતુ આ કેસ સમાજને એક મેસેજ આપી જાય છે કે લગ્નેતર સંબંધોનું પરિણામ હંમેશા ભયાનક જ હોય છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 6:00 am

માંજલપુરના વોર્ડ 17માં 2 દિગ્ગજ બાખડ્યા:જૂના જોગીઓમાં ‘ઘમાસાણ’; યોગેશ પટેલે ખર્ચ મુદ્દે જીતુ સુખડિયાના પુત્રને આયાતી ગણાવ્યા!

માંજલપુર વિધાનસભાના વોર્ડ-17માં ટિકિટ વહેંચણી અને ચૂંટણી ખર્ચ મુદ્દે યોગેશ પટેલ અને જીતુ સુખડિયા બાખડ્યા છે. યોગેશ પટેલે વોર્ડ-17ને ‘શ્રાપિત’ ગણાવી કહ્યું કે, ‘અહીં હંમેશા બહારના ઉમેદવારો જ થોપાય છે. આયાતી ઉમેદવાર ચૂંટણી લડે તો કાર્યાલયનો ખર્ચ પોતે જ ઉપાડવો પડશે, બાકી કાર્યાલય બંધ કરી શે.♠’ જીતુ સુખડિયાએ કહ્યું કે, તેમનો પુત્ર હિરેન 35 વર્ષથી આ જ વોર્ડમાં રહે છે, કાર્યાલય પાર્ટી ચલાવે છે, યોગેશ કાકા નહીં. કોણ કેટલો ખર્ચ કરશે તે પણ પક્ષ નક્કી કરશે. યોગેશ પટેલ જેવા સિનિયર નેતા ફ્રસ્ટ્રેટ કેમ છે તે સમજાતું નથી. અનુભવે મિત્ર બદલાઈ ગયા છે, મિત્રતાની ખબર તો સમય આવે જ પડે છે.’ ધારાસભ્ય યોગેશ પટેલના આકરા પ્રહાર ખર્ચનો મુદ્દો: બહારથી ચૂંટણી લડવા આવતા આયાતી ઉમેદવારોએ કાર્યાલયનો ખર્ચ ઉપાડવો પડશે. અલ્ટિમેટમ: ખર્ચ નહીં ચૂકવાય તો વોર્ડ-17નું કાર્યાલય બંધ કરવા ચીમકી શ્રાપિત વોર્ડ: વોર્ડ-17 શ્રાપિત છે, કારણ કે અહીં દર વખતે પાર્ટી સ્થાનિકને બદલે બહારના ઉમેદવારો (આયાતી) જ મૂકે છે. ઉમેદવારોનું લિસ્ટ: કનુ ભરવાડ, અલ્પેશ લિમ્બાચિયા, શૈલેષ પાટીલ અને હવે હિરેન સુખડિયા બધા બહારના છે. ટિકિટ વહેંચણીમાં ગોલમાલ: ટિકિટ વહેંચણીમાં શું રમત થઈ છે તે હું બધું જ જાણું છું અને યોગ્ય સમયે તેનો ખુલાસો કરીશ. કાર્યકરોની નારાજગી: મારા વોર્ડના નિષ્ઠાવાન કાર્યકરો દુઃખી છે. 3 પ્રબળ દાવેદારો હતા પણ તેમને 60 વર્ષના નિયમમાં કાઢી મૂકાયા. બેઠકો પર દાવો: વિવાદ છતાં, મારા વિધાનસભા હેઠળની તમામ 12 બેઠકો ભાજપ જ જીતશે. પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાનો પલટવાર સ્થાનિક હોવાનો પુરાવો: મારો પુત્ર હિરેન 35 વર્ષથી વોર્ડ નં. 17માં જ રહે છે, તેને આયાતી કહેવો પાયાવિહોણું છે. પક્ષ સર્વોપરી: ચૂંટણી કાર્યાલય પાર્ટીના નામે ચાલે છે, યોગેશ પટેલની વ્યક્તિગત માલિકીનું નથી. ખર્ચ અંગે સ્પષ્ટતા: કોણ ખર્ચ આપશે તે સંગઠન, પાર્ટી નક્કી કરશે, યોગેશ પટેલનું મનસ્વીપણું નહીં ચાલે. ફ્રસ્ટ્રેશન પર સવાલ: યોગેશ પટેલ જેવા સિનિયર નેતા આટલા બધા ફ્રસ્ટ્રેટ કેમ થયા છે તે સમજાતું નથી. મિત્રતામાં તિરાડ: અનુભવે હવે મિત્રો બદલાઈ ગયા છે. મિત્રતાની સાચી ખબર મુશ્કેલ સમય આવે ત્યારે જ પડે છે. જવાબદારીની વાત: મારી અને શબ્દશરણ બ્રહ્મભટ્ટની જવાબદારી આખા વડોદરા શહેરની છે, જ્યારે યોગેશ કાકાની જવાબદારી માત્ર તેમના વિસ્તાર પૂરતી સીમિત છે. નિવેદન: તે (યોગેશ પટેલ) ગમે તે બોલે, હવે તેનાથી કોઈ ફરક પડવાનો નથી કે કશું વળવાનું નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:ભાજપની ફેરણીમાં SC મોરચાના પ્રમુખની પૂર્વ કાર્યકર સાથે મારામારી

વડોદરાના વોર્ડ નં. 5માં કિશનવાડીમાં ભાજપની ફેરણીમાં અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખે પૂર્વ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. પૂર્વ કાર્યકરની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ભરેલું ઉમેદવારી ફોર્મ રદ થવા અંગે રજૂઆત કરી હતી. દરમિયાન હોબાળા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વોર્ડ નં. 5માં કિશનવાડી પોલીસ ચોકી પાસે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને ચાર ઉમેદવારો ફેરણીમાં હતા. તે સમયે ભાજપના પૂર્વ કાર્યકર હિતેશ રાઠોડે ડો. હિતેન્દ્ર પટેલને રોક્યા હતા. હિતેશ રાઠોડે પોતાની પત્નીનું ફોર્મ રદ કરાવવા મુદ્દે ઉગ્ર રજૂઆત શરૂ કરી હતી. રજૂઆત દરમિયાન ત્યાં હાજર અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ યોગેન્દ્ર પરમારે હિતેશ રાઠોડને ધક્કો માર્યો હતો, જેના કારણે ઝપાઝપી થઈ હતી. જોકે, અન્ય ઉમેદવારોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર રસ્તા પર થયેલા આ હુમલા અને ધક્કામુક્કીના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વીડિયો વાઈરલ થયો છે, જેનાથી સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. એવું કેમ કહ્યું કે તારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું? તે પછી ઝપાઝપી થઇકિશનવાડીમાં ડો. હિતેન્દ્ર પટેલને મળીને હિતેશ રાઠોડે જણાવ્યું કે, ગમે ત્યાંથી ચૂંટણી લડીએ, અમે વર્ષો ભાજપમાં રહ્યા છીએ અને કાર્યકરો પરિવાર છે. છતાં તમે મને એવું કેમ પૂછ્યું કે તારી પત્નીએ ‘આપ’માંથી ફોર્મ કેમ ભર્યું? હું ક્યારેય અહીં પૈસા માટે આવ્યો નથી. હિતેશ રાઠોડ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે યોગેન્દ્ર પરમારે ‘કોઈ વાત નથી કરવી’ કહીને નેતાઓને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઝપાઝપી થઇ હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

લોકજાગૃતિ:કોર્પોરેશન વિસ્તારમાં વેસ્ટ કલેક્શનના વાહનોમાં ગીત વગાડીને મતદાન જાગૃતિની અનોખી પહેલ

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્ર દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતા વાહનોમાં મતદાન જાગૃતિનું ગીત વગાડીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત દરરોજ વિવિધ વિસ્તારોમાં ફરતી વેસ્ટ કલેક્શનની ગાડીઓમાં મતદાન જાગૃતિ ગીતો પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારીની ભાવના વિકસી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાર સુધી સરળ અને અસરકારક રીતે મતદાનનો સંદેશ પહોંચાડવાનો છે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સમાન્ય ચૂંટણીઓના તા.26-04-2026ના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ લોકો મત આપી લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપે. શહેરના તમામ વિસ્તારો તેમજ ગલીઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી કચરા ગાડીઓ કચરો લઈ લીધા બાદ પણ તે વિસ્તારમાં ઘડીક ઉભી રહે છે, જેથી લોકો ગીત સાંભળીને મતદાન કરવા માટેની વાત કરવામાં આવતી હોવાનું સમજી શકે. હાલ શહેરમાં ચાલતી કચરા ગાડીઓમાં સવારે અને સાંજે બે સમયે વિસ્તારોમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મોટી દુર્ઘટના ટળી:શહેરમાં ટ્રાન્સફોર્મરમાં આગથી દોડધામ, વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોમાં દેકારો બોલી ગયો‎

જામનગર શહેરમાં સજુબા ગર્લ્સ સ્કુલ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં મંગળવારે સવારે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. વીજ કર્મચારીઓેએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વીજ પુરવઠો બંધ કરાવીને કામગીરી હાથ ધરી હતી. મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી બાજુ વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. આગ ટ્રાન્સફોર્મર પડેલા સુકા પાંદડામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું વીજ અધિકારીઓએ જણાવ્યું હતું. શહેરના સતત ટ્રાફીકથી ધમધમતા વિસ્તાર રણજીત રોડ પર આવેલી સરકારી સજુબા સ્કુલની નજીકમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં સવારમાં આગ ભભુકી ઉઠી હતી. તે વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. આ અંગેની પીજીવીસીએલ તંત્રને જાણ કરવામાં આવતા ટીમ ત્યાં પહોંચી હતી. તે વીજ ટ્રાન્સફોર્મર પરથી પસાર થતો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. દરબારગઢ સબ ડિવિઝનના અધિકારીઓ સહિતની ટીમે રીપેરીંગ કામ હાથ ધર્યુ હતું. ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ આગ બુઝાવી દીધી હતી. જે બાદ સમારકામ કરીને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. તંત્રની સમય સુચકતાથી મોટી દુર્ઘટના અટકી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

રહીશોમાં રોષ:રજૂઆત કરીએ તો ભાજપ ઢોલ વગાડી અવાજ દબાવે છે

શહેરના વોર્ડ 7માં સમાવિષ્ટ કારેલીબાગના આનંદનગરમાં મત માગવા ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અંગે ઉમેદવારો પર સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને વારંવારની રજૂઆત છતાં વરસાદી ગટરનું કામ કરવામાં આવતું નથી. જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે નેતાઓ ઢોલ વગાડીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. ભાજપના ઉમેદવારો અને કાર્યકરો સોમવારે પ્રચાર માટે આનંદનગર પહોંચ્યા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, 10 વર્ષથી વરસાદી ગટર ન હોવાથી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. એક વૃદ્ધે રોષે ભરાઈને જણાવ્યું કે, “અગાઉ જયંતી રાવજીએ વરસાદી ગટર મંજૂર કરાવી હતી, ત્યારબાદ કોઈ કામગીરી થઈ નથી. દર વર્ષે નેતાઓ હાથ જોડીને મત માગવા આવે છે, અમે તેમને મત આપીએ પણ છીએ, છતાં અમારાં કામ થતાં નથી.” આ ઉપરાંત મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પાણી ભરાવાની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કે નેતાઓ ધ્યાન આપતા નથી. આજે અમે હકીકત જણાવવા ગયા ત્યારે કાર્યકરોએ ઢોલ વગાડીને અમારી વાત સાંભળવાને બદલે અવાજ દબાવવાની કોશિશ કરી હતી.” રાવપુરા કાપડી પોળ-કોયલી ફળિયામાં વિરોધ થયો હતોવોર્ડ 7ના પૂર્વ કાઉન્સિલર અને ઉમેદવાર સાથે નવા ચહેરાઓ કોયલી ફળિયામાં વોટ માગવા પહોંચ્યા હતા. જ્યાં નારાજ મહિલાઓએ તેમને ઘેર્યા હતા. ભારે વિરોધ વચ્ચે તમામ ઉમેદવારો અને કાર્યકરોએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. તે જ રીતે રાવપુરા કાપડી પોળમાં પણ ઊભરાતી ગટરથી પરેશાન મહિલાઓએ ઉમેદવારોને પકડી સવાલો પૂછતાં ઉમેદવારો ડઘાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પારો 40 ડિગ્રી; જૂનાગઢનો પ્રથમ જાહેર સ્વિમિંગ પુલ શરૂ : 6થી લઈ 70 વર્ષના તરવૈયાના ધૂબાકા

જૂનાગઢ કોર્પોરેશન સંચાલિત શહેરના એકમાત્ર સ્વિમિંગ પૂલને જનતા માટે ખુલ્લો મુકાતા જ200 પુરુષો, 40 મહિલાઓ અને 50 જેટલા બાળકો સભ્ય તરીકે નોંધાઇ ગયા છે. અહીંયાનવા પ્રવેશાર્થીઓએ કુલ 1400 ભરવાના રહે છે. જેમાં 100 ફોર્મ ફી, 100 આઈ કાર્ડ ફી અને 1200 ત્રણ મહિનાના કોચિંગની ફી નક્કી કરવામાં આવી છે. હાલમાં સ્વિમિંગ પૂલમાં ટ્રેનિંગ લઈ રહેલા સભ્યોમાં 6 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વડીલોનો સમાવેશ થાય છે. ખાસ કરીને દીકરીઓ માટે 10 વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કરોડો ખર્ચ્યા પણ લાઈફ ગાર્ડનો અભાવ પૂલમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો સ્નાન કરી રહ્યા છે, પરંતુ જો કોઈ ડૂબવાની ઘટના બને તો તેને બચાવવા માટે એક પણ લાઈફ ગાર્ડ તૈનાત નથી. માત્ર ટ્રેનરના ભરોસે જ આખું સંકુલ ચાલી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં પ્રાથમિક સારવાર માટે મેડિકલ કીટ છે પણ ઓક્સિજન સિલિન્ડર જેવા જીવનરક્ષક સાધનો નથી. તસવીર: મેહુલ ચોટલીયા

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જુડાની કચેરી પર જોખમ તોળાયું: ઈમારત ખાલી કરવા RBએ આખરી નોટિસ આપી

નવાબી કાળ અને અંગ્રેજોના શાસનકાળની સાક્ષી પૂરતો જુનાગઢનો ઐતિહાસિક પંકજ બંગલો જર્જરી થઈ ગયો છે. શહેરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઈમારતને અત્યંત ભયજનક જાહેર કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા જુનાગઢ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (જૂડા) ને બીજી નોટિસ ફટકારીને તાત્કાલિક અસરથી કચેરી ખાલી કરવા કડક આદેશ આપવામાં આવ્યો છે. વર્ષાઋતુ નજીક હોય, આ જૂનું માળખું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે, જેના કારણે જાનહાનીનો મોટો ભય સેવાઈ રહ્યો છે. આ જ બિલ્ડીંગમાં કાર્યરત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીએ અગાઉની સૂચનાને ધ્યાને રાખીને સમયસૂચકતા વાપરી જગ્યા ખાલી કરી દીધી છે. માર્ગ અને મકાન વિભાગના પત્ર મુજબ, પંકજ બંગલોનું સ્ટ્રક્ચર એટલું જર્જરિત થઈ ગયું છે કે તે હવે વપરાશ યોગ્ય રહ્યું નથી. આસપાસથી પસાર થતા રાહદારીઓ અને કચેરીના સ્ટાફ પર સતત મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. વારંવારની લેખિત જાણ કરવા છતાં 'જૂડા' તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી કે જગ્યા ખાલી કરવાની તસ્દી લેવાઈ નથી. આર એન્ડ બી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો સમય મર્યાદામાં કબજો સોંપવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના શિરે રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી જૂડાની કચેરી હજુ પણ આ જોખમી બિલ્ડીંગમાં જ ધમધમી રહી છે. તંત્ર દ્વારા અગાઉ 2023 માં પણ નોટિસ આપવામાં આવી હતી, છતાં પરિસ્થિતિ જસની તસ રહેતા હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2003 હેઠળ આ મામલે કડક કાર્યવાહીની તૈયારી બતાવવામાં આવી છે. કલેકટર, એસ. પી., કમિશનરને જાણ કરાઈઆ ગંભીર બાબતની જાણ જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને મ્યુનિસિપલ કમિશનરને પણ નકલ રવાના કરીને કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જુએ છે કે પછી સમય રહેતા આ ઐતિહાસિક બિલ્ડીંગને ખાલી કરાવી લોકોના જીવ બચાવે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:શેરબજારમાં રોકાણના નામે યુવક સાથે 43 લાખની છેતરપિંડી, ખોટા કેસની ધમકી

શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી શહેરના એક યુવક સાથે 43ની છેતરપિંડી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નાગર રોડ, હેઠાણ ફળિયામાં આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય ભાવિકભાઈ સુધીરભાઈ માંકડે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2022માં તેની મુલાકાત કાળવા ચોક ખાતેના ગેસ્ટ હાઉસમાં વડોદરા જિલ્લાના કરજણ ગામના જીતેશ પ્રવીણભાઈ પ્રજાપતિ સાથે થઈ હતી. જીતેશે પોતે સ્ટોક ટ્રેડિંગ કંપની ચલાવતો હોવાનું કહી ભાવિકભાઈને શેરબજારમાં રોકાણ કરી સારૂ વળતર મેળવવા લલચાવ્યા હતા. તેની વાતોમાં આવીને યુવકે જીતેશ, તેના પિતા પ્રવીણભાઈ અને માતા જયાબેન પ્રજાપતિના બેંક ખાતામાં અલગ-અલગ સમયે અંદાજે રૂપિયા 51 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ​લાંબો સમય વીતવા છતાં ન તો વળતર મળ્યું કે ન તો મુદ્દલ રકમ પરત મળી. વારંવારની ઉઘરાણી બાદ શક્સોએ માત્ર રૂપિયા 8 લાખ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 43 લાખ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હતા. ગત 9 માર્ચ, 2025ના રોજ જ્યારે ભાવિકે ફોન પર પોતાના નાણાંની માંગણી કરી, ત્યારે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની તેમજ સ્યુસાઈડ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ​આખરે ભાવિક માંકડે સોમવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે જીતેશ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ અને જયાબેન પ્રજાપતિ વિરુદ્ધ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ખાસ:6ઠ્ઠી પ્રસૂતિમાં ગર્ભાશય ફાટી જતા જીવ જોખમમાં મુકાયો, સિવિલમાં જટિલ ઓપરેશન કરી મહિલાને બચાવી લેવાઇ

શહેરની સિવિલ હોસ્પિટલમાં એક 34 વર્ષીય મહિલા, જેમને અગાઉ ચાર નોર્મલ અને એક સિઝેરિયન ડિલિવરી થયેલી હતી, તેઓ તેમની છઠ્ઠી પ્રસૂતિ દરમિયાન જટિલ પરિસ્થિતિમાં મુકાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુના ધબકારા બંધ થઈ જતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સોનોગ્રાફીમાં બાળક મૃત જણાયું હતું અને માતાનો જીવ પણ જોખમમાં હતો. તાત્કાલિક તપાસ કરતા માલૂમ પડ્યું કે મહિલાનું ગર્ભાશય ફાટી ગયું હતું (Uterine Rupture) અને પેટમાં લોહીના થર જામી ગયા હતા. ગાયનેક વિભાગના વડા ડો. પ્રિયંકા જોગિયાના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમે સમય સૂચકતા વાપરી તાત્કાલિક સિઝેરિયન ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન દર્દીને 4 બોટલ લોહી અને 8 બોટલ પ્લાઝ્મા (સફેદ લોહી) ચડાવવામાં આવ્યું હતું. તબીબોએ ભારે જહેમત બાદ ન માત્ર મહિલાનો જીવ બચાવ્યો, પરંતુ તેમનું ગર્ભાશય પણ સુરક્ષિત રાખ્યું હતું. ઓબ્સ્ટેટ્રિક્સ આઈ.સી.યુ.માં સઘન સારવાર બાદ 20 એપ્રિલના રોજ મહિલાને સાજા નરવા રજા આપવામાં આવી હતી. લોહીની 12 બોટલ ચડાવી જીવ બચાવ્યોગર્ભાશય ફાટી જવાથી દર્દીના પેટમાં અતિશય રક્તસ્ત્રાવ થયો હતો, જેના કારણે સ્થિતિ નાજુક બની હતી. ડોક્ટરોએ 4 બોટલ બ્લડ અને 8 બોટલ સફેદ લોહી ચડાવીને ઓપરેશન પાર પાડ્યું હતું. આઠ દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. > ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:લગ્નસરાની સિઝનમાં ગેસના બાટલાનું ગ્રહણ‎ફુલકા રોટી, પનીર સબ્જીના લાઇવ સ્ટોલ ગાયબ‎

યુદ્ધની અસર હજુ જૂનાગઢમાં જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન શરૂ થવા છતા ગેસની બોટલની અછતને કારણે મેનુમાં ફેરફાર થયો છે. જેમાં ફુલકા રોટી, ઢોસા, પંજાબી સબ્જી, સ્ટીમ ઢોકળા સહિતના લાઇવ સ્ટોલવાળી વાનગીનો ઘટાડો થયો છે. ગેસ એજન્સીમાંથી મળતી વિગત અનુસાર લગ્નની સિઝનમાં ગેસની બોટલી માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. પરંતુ યુદ્ધને કારણે નિયમમાં ફેરફાર અને અછતને કારણે લીમીટેડ માધ્યમાં જ ગેસની બોટલ મળી રહી છે. જેની અસર લગ્નસરાની સિઝનમાં પડી છે. હાલ બોટલ મળી જશે કે શું સહિતની ઇન્કવાયરીના ફોન પણ કેટરર્સ કે રસોયાના આવી રહ્યા છે. યુદ્ધની અસરને કારણે બાટલા વિતરણમાં નવા નિયમો આવ્યા છે. એટલે કે, પહેલા મહિનામાં બે વખત ધરેલુ ગેસ બુક થઇ શકતા હતા પરંતુ હવે બોટલ મળ્યાના 25 દિવસ પછી બીજો બુક થાય છે એટલે બે મહિનામાં બે જ બાટલા મળે છે. ઉપરાંત નાના-નાના રસોડામાં ઘરેલુ ગેસનો વપરાશ વધારે થતો હતો. દર વર્ષે લગ્નસરાની સિઝન શરૂ થાય ત્યારે 400 બાટલાની વધારે જરૂર રહે છે. હાલ તો રસોયા લોકો બોટલ ન મળવાથી ઓર્ડર પણ કેન્સલ કરી રહ્યા છે. ડિપોઝીટ એડવાન્સ દેવા પણ તૈયાર થયા છે. લગ્નસરાની સિઝન શરૂ થાય તેમાં દર વર્ષે ફુલ ઓર્ડર મળતા હોય છે અને લોકો વધુમાં વધુ વાનગીઓ રાખતા હોય છે. ખાસ કરીને લાઇવ હલવો, ફુલકા રોટી, પંજાબી જેવા લાઇવ સ્ટોલ રાખતા હોય છે પરંતુ ગેસના બાટલાની અછતથી આ સ્ટોલ દૂર કર્યા છે. ઉપરાંત દર વર્ષે જે 15થી વધુ ઓર્ડર હોય તે હાલ માત્ર 4 થી 5 થયા છે. - લાલાભાઇ કોટેચા, કેટરર્સ સંચાલક ક્વોટા સિસ્ટમથી મર્યાદા આવીસરકાર દ્વારા યુદ્ધને કારણે ક્વોટા સિસ્ટમથી બાટલાની ફાળવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેેને કારણે હાલ લગ્નની સિઝનમાં દર વર્ષની જેમ પુરતી બોટલનુ વિતરણ કરી શકાતુ નથી. ક્વોટા સિસ્ટમથી જ જેટલુ નક્કી થયુ છે તે મુજબ જ રસોયા કે કેટરર્સ ધારકને બોટલની ફાળવણી કરાઇ રહી છે. > ભાવિન કારીયા, ગેસ એજન્સી મેનેજર

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ચૂંટણીમાં મતદાન માટે મંત્ર:પહેલા મતદાન, પછી કામ પોરબંદર સ્વીપ ટીમનું જાગૃતિ અભિયાન તેજ બન્યું

આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે સ્વીપ ટીમ સક્રિય બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની આગેવાનીમાં કુતિયાણા તાલુકાની ખાનગી ડેરી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ડેરી કર્મચારીઓએ અવશ્ય મતદાન કરશું તેવા શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન ડેરીના ચેરમેન, ડિરેક્ટર, પ્લાન્ટ મેનેજર તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ ઉપસ્થિત તમામને આવનારી ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા જાગૃતિ કાર્યક્રમમાં મતદાનના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. “દરેક મત દેશના ભવિષ્યને આકાર આપે છે” એ સંદેશા સાથે નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમના દિવ્યેશ ચંદ્રવાડિયા અને ચિંતન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપ ટીમના તમામ સભ્યોએ સંકલિત પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન:પોલીસ અમારી માય બાપ છે, હવે ભૂલ નહીં થાય '

પોરબંદરના આશાપુરા ચોકડી પાસે યુવાનોને ધાક ધમકી આપી બબાલ કરનાર આરોપીઓને એલસીબીએ ઝડપી પાડી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓએ હાથ જોડી માફી માંગી હતી. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતો પ્રતાપ રાજશી મોઢવાડીયા નામના યુવાનને તેના મિત્ર ભરતભાઈ મૈયારીયા સાથે સારા સબંધ હોય તે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકીડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા, કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધલ ઓડેદરાએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે યુવાન પાસે જઈને પોતાની દુકાને ન આવવા કહેલ અને આરોપીઓએ યુવાનને બેફામ ભુંડી ગાળો કાઢી, પાંચેય આરોપીઓએ સાથે મળીને યુવાનને લાફાલુફી કરીને શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા પહોંચાડી હતી, આ દરમ્યાન નયન કેશવાલા ફરિયાદી વચ્ચે પડતાં પાંચેય આરોપીઓએ નયન કેશવાલાને ધક્કા મારીને દુર કરી નાખી પાંચેય આરોપીઓએ યુવાન તથા નયનને બેફામ ભુંડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા એલસીબીએ આરોપીઓને ઝડપી લીધા હતા અને ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમ્યાન આરોપીઓએ જાહેરમાં માફી માંગી હતી અને પોલીસ અમારી માય બાપ છે હવે ભૂલ નહીં થાય તેવું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી મયુર હરદાસ ઓડેદરા સામે કુલ 15 ગુન્હા નોંધાયેલ છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ફરિયાદ:રાણા બોરડી ગામે ચૂંટણીની આચાર- સંહિતા ભંગ અંગેની ફરિયાદ નોંધાઈ

પોરબંદરના રાણાબોરડી ગામે ચૂંટણીની આચારસહિતા ભંગની ફરિયાદ થઈ છે.આ ગામમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ તલાટીમંત્રી કોઈપણ પ્રકારના સરકારી ઓર્ડર વગર ગ્રામપંચાયત પ્રવેશ કરતા સ્થાનિક યુવાને લેખિત ફરિયાદ કરી છે. પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદારી કેસ દાખલ કરીને સસ્પેન્ડ કરવા સહિત, ચૂંટણી આચારસંહિતા દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના ફરજ વિસ્તાર છોડી દેવા અને શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસ કરવા ચૂંટણીપંચ ગાંધીનગર તેમજ ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતા (MCC) અને સરકારી કર્મચારી આચાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. સંબંધિત તલાટી-કમ-મંત્રી તેમના ફરજ વિસ્તાર (ગ્રામ પંચાયત/તાલુકા) છોડીને લેખિત સત્તાવાર પરવાનગી લીધા વિના બીજા સ્થાને ગયા હતા.જેથી તેમની સામે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરાઈ હતી. ઓડિયોકલીપ પણ વાઇરલ થઈ રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામે કોઈપણ લેખિત ઓર્ડર વગર ભૂતપૂર્વ તલાટીમંત્રી ગ્રામ પંચાયત પ્રવેશ કરવા બાબતે સ્થાનિક આગેવાન અને તલાટીમંત્રીના વાતચીત અંગેનો ઓડિયોકલીપ પણ વાઇરલ થઈ છે.જેમાં તલાટીમંત્રી દસ્તાવેલ શોધ માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

પિંક સેલિબ્રેશન:દેશના 85 પક્ષી પ્રેમીઓએ પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી કરી

પોરબંદરમાં ફ્લેમિંગોના પ્રણય નૃત્યની ઉજવણી માટે પોરબંદરમાં 2 દિવસીય પિંક સેલિબ્રેશન યોજાયું હતું.જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના 85 જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. મોકર સાગર વેટલેન્ડ કંઝરવેશન કમિટી દ્વારા પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન તા 18 એપ્રિલ અને 19 એપ્રિલે કરવામાં આવ્યું હતું. પિંક સેલિબ્રેશન વર્ષ 2015 થી પોરબંદરમાં યોજાય છે. પિંક સેલિબ્રેશન ખાસ ફ્લેમિંગો ના પ્રણય નૃત્ય ની ઉજવણી છે જે પોરબંદર માં જોવા મળે છે. તા 18 ના રોજ તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. ડોક્ટર અર્પિત દેવમુરારી દ્વારા પક્ષીઓ પક્ષી દર્શન અને પક્ષી પ્રેમીઓ ઉપર તેનો ઇતિહાસ વર્તમાન અને ભવિષ્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગુજરાતના શિકારી પક્ષીઓ ખાસ કરીને ફાલ્કન પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું તેમણે કચ્છના નાના રણમાં નાના હંજના માળાઓ વિશે પણ પોતાના અનુભવ જતા આવ્યા હતા. ગુજરાતના ફ્લેમિંગો તેની સંખ્યા માળાઓ અને વન વિભાગના પ્રયત્નો વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડોક્ટર ધવલ વારગીયા પ્રમુખ મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા પોરબંદરના ફ્લેમિંગો તથા તેના પ્રણય નૃત્ય વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન ની સાથે સાથે દૂરબીન રાખવા માટે તમામને એક ઇકો ફ્રેન્ડલી બાયનોક્યુલર બેગ પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

રેતી શિલ્પ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો સંદેશ:5 કલાકની જહેમત બાદ હું અવશ્ય મતદાન કરીશ'નું રેતીશિલ્પ તૈયાર કરાયું

પોરબંદરના દરિયાકિનારે રેતશિલ્પ દ્વારા 5 કલાકની જહેમત બાદ મતદાન જાગૃતિ માટે હું આવશ્યક મતદાન કરીશની થીમ પર રેતશિલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું.આ રેતીશિલ્પને શહેરીજનો અને વિદ્યાર્થીઓ દ્વારા નિહાળ્યું હતું. લોકશાહીના મહાપર્વને ઉજાગર કરવા માટે પોરબંદરના દરિયાકિનારે કરવામાં આવેલ રેતી શિલ્પ દ્વારા ‘મતદાર જાગૃતિ’નો અનોખો અને પ્રભાવશાળી સંદેશ આપવામાં આવ્યો છે. પોરબંદરની ચોપાટી ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન SVAP અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સેન્ડ આર્ટિસ્ટ નથુભાઈ ગલચરે રેતીમાં અદ્ભુત શિલ્પ કંડારીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ શિલ્પ દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે ભાવભીની અપીલ કરવામાં આવી હતી, જે દરેક માટે પ્રેરણાદાયક બની છે. પોરબંદરની વસનજી ખેરાજ પ્રાથમિક શાળાના બાળકો, આચાર્ય, શિક્ષકોએ પોરબંદરના દરિયા કિનારે બનેલા રેત શિલ્પને નિહાળેલ અને મતદાર જાગૃતિ સંદેશો પાઠવેલ હતો.ભાજપના પ્રદેશ પ્રમુખે કીર્તિમંદિરની મુલાકાત લીધી. ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કિર્તિ મંદિર, પોરબંદરની મૂલાકાત લીધી હતી તેમની સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ પણ મૂલાકાત લઈને પૂજ્ય બાપૂને વંદન કર્યા હતા. મતદાન માત્ર અધિકાર નથી પરંતુ તે દેશ પ્રત્યેની ફરજ પણ છે. પોરબંદરવાસીઓને આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીમાં પરિવાર સાથે જોડાઈ ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં મતદાન કરવુ જોઈએ. > વિનોદ પરમાર,SVAP નોડલ ઓફિસર

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

કાર્યવાહી:પાણી પૂરવઠા વિભાગને 7 દિવસમાં બાટલા રિફિલીંગ કરવા ફાયરની નોટિસ

જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર કચેરી પોરબંદર ખાતે આવેલ છે. આ કચેરીમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે.ઉપરાંત કચેરીના ઉપરના માળે વાસ્મો વિભાગ તેમજ મેકેનિકલ સબ ડિવિઝન અને નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ તેમજ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ કચેરી કાર્યરત છે, જ્યાં દરરોજ અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે. આવા સંજોગોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર સેફ્ટીના 4 બાટલા તેમજ ઉપરના માળે પણ ફાયર સેફ્ટીના 4 બાટલા મૂકવામાં આવ્યા છે..મહત્વની વાત એ છે કે, આ તમામ ફાયર સેફ્ટીના બાટલા તા. 31/5/2025 થી એક્સપાયરી થયા છે. 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયા હોવા છતાં અધિકારીઓએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ હજુ સુધી બાટલાઓ રિફિલિંગ કરાવ્યા નથી. તે અંગેનો દિવ્યભાસ્કર પોરબંદરમાં પ્રસિધ્ધ થતા જ ફાયર બ્રિગેડ વિભાગ સફાળુ પાણી પૂરવઠા કચેરી ખાતે દોડી ગયું હતું અને ફાયર સેફ્ટીના બાટલાઓ ચેક કર્યા હતા. 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયેલા હતા જેથી દિવસ 7માં રિફિલિંગ કરવામાં આવે અને ત્યાં સુધી અન્ય બાટલાની વ્યવસ્થા કરવામાં આવે તેવી નોટીશ ફટકારી છે. પાણી પૂરવઠા બોર્ડની અધિકારી અને કર્મીઓની નજરમાં ન આવ્યું ? ઉલ્લેખનીય છેકે, સરકાર ફાયર સેફટીને લઈને એલર્ટ બની છે અને દરેક વિભાગમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતતા દાખવવામાં આવે છે, ત્યારે પાણી પૂરવઠા વિભાગની કચેરી ખાતે 11 માસથી ફાયર સેફ્ટીના બાટલાઓ એક્સપાયરી થયેલ હોવા છતાં અહીં કામ કરતા અધિકારીઓ અને કર્મીઓના ધ્યાને આ બાબત આવી ન હતી, જે તેઓની બેદરકારી સૂચવે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

BCA ચૂંટણી:ઉમેદવારોની અપીલ સંદર્ભે આજે હાઈકોર્ટમાં ડબલ જજની બેંચ સમક્ષ સુનાવણી

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં કાનૂની જંગ ચાલી રહી છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવી દીધા હતા. ઉમેદવારોની અપીલ પર ડબલ જજની બેંચ સમક્ષ બુધવારે સુનાવણી થનાર છે. 15 એપ્રીલે સુનાવણી થયા બાદ કોર્ટે વધુ સુનાવણી 22 એપ્રિલ પર મુલતવી રાખી હતી. વડોદરાના અરજદારો પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિની રજૂઆતો બાદ અગાઉ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 2022ના નિર્દેશો મુજબ 9 વર્ષની મર્યાદા અને કુલિંગ પિરિયડના નિયમોનું પાલન ન થયું હોવાનું નોંધી હાઈકોર્ટે રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સુનાવણી સુધી બીસીએની વર્તમાન કમિટી માત્ર કાર્યકારી બોડી તરીકે જ કાર્યરત રહેશે અને તેઓ કોઈ પણ નીતિગત કે મહત્વના નિર્ણયો લઈ શકશે નહીં. તેમજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવા પર પણ હાલ રોક લગાવવામાં આવી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ બીસીએની ચૂંટણીમાં મોટો વળાંક આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

સિટી એન્કર:એક જ સર્જરીમાં લિવર-કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરી દર્દીને નવજીવન

શહેરની એક ખાનગી હોસ્પિટલમાં કેડેવેરિક (મૃતદાતા) ડોનરથી પ્રાપ્ત લિવર અને કિડનીનું એક દર્દીમાં એક જ સર્જરીમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ ટ્રાન્સપ્લાન્ટથી 10 વર્ષથી ક્રોનિક લિવર ડિસીસ અને 3 વર્ષથી કિડની ફેલ્યોરથી પીડાતા નવસારીના 50 વર્ષીય દર્દીને નવજીવન મળ્યું છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલના લિવર અને એચબીબી સર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડો. ગૌરવ પટેલે કહ્યું કે, લિવર અને કિડની ફેલ્યોરથી પીડાતા દર્દીને 29 માર્ચે દાખલ કરાયો હતો. આવા કેસોમાં સામાન્ય રીતે એક-એક અંગ અલગ સમયગાળામાં ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. પરંતુ, દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે એક જ ઓપરેશનમાં બંને અંગ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી દર્દીને નવી જિંદગી આપી છે. ટ્રાન્સપ્લાન્ટની સફળતાના બે મુખ્ય આધાર કોલ્ડ ઈસ્કેમિયા ટાઈમ : અંગની જાળવણીનો સમયજ્યારે કોઈ અંગ દાતાના શરીરમાંથી બહાર કાઢવામાં આવે અને તેને દર્દીના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવે, તે વચ્ચેના સમયને ‘કોલ્ડ ઇસ્કેમિયા’ કહે છે. અંગ શરીરની બહાર જેટલો વધુ સમય રહે, તેટલું તેનું કાર્ય નબળું પડવાનું જોખમ વધે છે. તેથી આ સમય ઘટાડવો ખૂબ જરૂરી છે. કિડની પોર્ટ પંપ : અંગને જીવંત રાખતું મશીનઆ એક આધુનિક મશીન છે. લિવર ટ્રાન્સપ્લાન્ટની લાંબી પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે કિડનીને આ મશીન સાથે જોડી દેવાય છે. આ મશીન કિડનીમાં લોહીનો પ્રવાહ, ઓક્સિજન અને પોષક તત્વો સતત જાળવી રાખે છે, જેથી અંગને નુકસાન થતું નથી અને ટ્રાન્સપ્લાન્ટની સફળતા વધી જાય છે. ડાયાલિસીસની પીડામાંથી મુક્ત થતા રજા અપાઈ : સર્જરી બાદ દર્દીને ખાસ ટ્રાન્સપ્લાન્ટ ICUમાં રખાયા હતા. ઇન્ફેક્શન અને ક્રિએટિનાઇન લેવલમાં વધ-ઘટ જેવા શરૂઆતી પડકારો છતાં ડોક્ટરોની દેખરેખમાં દર્દી સ્વસ્થ થતાં 14 એપ્રિલે રજા અપાઈ હતી. લિવરની બીમારી અને ડાયાલિસિસની પીડામાંથી મુક્ત થઈને હવે દર્દી સામાન્ય જીવન જીવી શકશે. 16 કલાક સુધી સર્જરી ચાલી - એક જ બ્રેનડેડ દાતાના શરીરમાંથી લિવર અને કિડની મેળવીને તેને એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી. - આ ઓપરેશન સફળ બનાવવા ટ્રાન્સપ્લાન્ટ સર્જન, કિડની નિષ્ણાત ક્રિટિકલ કેરના 15 નિષ્ણાત ડોક્ટરોની ટીમે સતત 16 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં જહેમત ઉઠાવી હતી. - રાજ્યમાં પહેલીવાર ‘કિડની પોર્ટ પંપ’નો ઉપયોગ કરી લિવરના ઓપરેશન ચાલતું હોય ત્યારે જ કિડનીને સતત કાર્યરત રાખી તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

હજુ જમી સંપાદિતનો વિવાદ:કેનાલનો 300 મીટરનો ભાગ બાકી, 200 ખેડૂતને સીધી અસર

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખારવા રોડ પર આવેલી કેનાલનું કામ છેલ્લા 14 વર્ષથી અધૂરું રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માત્ર 300 મીટરનો ભાગ બાકી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં અંદાજે 5000 વીઘા જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી છે. હજુ જમીન સંપાદિત કરવાનો વિવાદ ચાલુ છે. આ પરિસ્થિતિને કારણે લગભગ 200 જેટલા ખેડૂતોને સીધી અસર પહોંચી છે. પાણીના અભાવે ખેડૂતોને પાક ઉગાડવામાં ભારે તકલીફ પડી રહી છે, જેના કારણે ખેતી ખર્ચ વધ્યો છે અને આવકમાં ઘટાડો થયો છે. આ અંગે ખેડૂત આગેવાન વિક્રમસિંહ મહેન્દ્રસિંહ વગેરેએ જણાવ્યું કે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. જો આ કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે તેમ છે. ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે અને જલ્દી ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. વિવાદિત જમીનના નાણા મૂળ માલિકને ચૂકવાશેઆ 300 મીટરનો ભાગ બાકી છે. જેમાં જમીન સંપાદિત કરવામાં વિવાદ છે. આ વિવાદિત જમીનના નાણાં મૂળ માલિકને ચૂકવી કેનાલની ની કામગીરી ઝડપી ચાલુ કરી દેવામાં આવશે. - સી.બી. પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર, નર્મદા વિભાગ

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:જિલ્લામાં 8 વર્ષમાં 619 લોકોને ઝામરની અસર, 20એ દૃષ્ટિ ગુમાવી‎

પ્રવિણ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને દ્રષ્ટિહિન કરતો છૂપો ચોર એવા ઝામર રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 8 વર્ષમાં નવા નોંધાયેલા 777 લોકો ભોગ બન્યા હતા. અને જેમાં 20 લોકોએ તો દ્રષ્ટિ પણ ગુમાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ત્યારે આ રોગ સામે લોકો સજાગ બની સમયાંતરે આંખોની ચકાસણી કરાવે તે હાલના સમયે જરૂરી બન્યું છે. 8 વર્ષ પહેલા જાગૃતિનો અભાવ, મોડો નિદાન, વારસાગત કારણો, અને લોકોમાં સાયલન્ટ કિલર તરીકે જાણીતા આ રોગને કારણે અંધાપાનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. હોસ્પિટલમાં ઝામરના 2024-25માં 73 નોંધાયા હતા. જેની સામે 2025-26માં ગાંધી હોસ્પિટલ, લીંબડી, સીએચસી ચુડા,ચોટીલા એનજીઓ સાયલા તેમજ જિલ્લાની બિનસરકારી સરકારી હોસ્પિટલો સહિતમાં અંદાજે 193 લોકો ઝામર રોગના શિકાર થયા છે. ઝાલાવાડમાં આ રોગ ધીમે-ધીમે ચિંતાજનક રીતે માથું ઉંચકી રહ્યો છે. જેના કારણે 2018થી અત્યાર સુધી એટલે કે છેલ્લા 8 વર્ષમાં નવા નોંધાયેલા 777 લોકો ભોગ બન્યા હતા. પરિણામે આ સમયગાળા દરમિયાન અંદાજે 20 લોકોએ દૃષ્ટિ ગુમાવી હોવાનું બહાર આવ્યુ છે. જિલ્લામાં રહેતા અગરિયાઓ, પઢાર સહિત મજૂરીનું કામ કરતા લોકોમાં આંખની ખામી સર્જાતી વધુ જોવા મળે છે. આમ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર સહિતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દૃષ્ટિ ઝાંખપના અનેક કેસો જોવા મળી રહ્યા છે. નોંધાયેલા દર્દીઓમાંથી લોકોના લેશર ઓપરેશનો કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે મોકલાયા હતા. નિયમિત ટીપાં નાંખવાથી ઝામર કાબૂમાં રહેઝામરના બે પ્રકાર હોય છે. એક ઠંડો ઝામર અને બીજો કાળો ઝામર. કાળા ઝામરના પણ બે પ્રકાર છે. આ ઝામર રોગની છેલ્લી ઘડી સુધી જાણ થતી નથી. મોટાભાગના દર્દીઓને ઝામર રોગ ક્યારે આવે તેની ખબર પડતી નથી. ઘણુ કરીને ખાસ ટીપા નાંખવાથી ઝામર કાબુમાં રહે છે. અનિવાર્ય સંજોગોમાં જ ઓપરેશન કરવુ પડે છે. પ્રકાશની આસપાસ રંગીન કુંડાળા કે ખાડા દેખાવા, આંખો અને માથામાં દુઃખાવો, આજુબાજુની નજર કમજોર થવી અને દ્રષ્ટિ ઘટવી,ચુશ્માના નંબરમાં વારંવાર ફેરફાર થવો તે ઝામરના લક્ષણો છે. { ડો. કેતન કે લીંબાચીયા, ગાંધી હોસ્પિટલ,નેત્રસર્જન આંખો લાલ થવી, ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી સહિતના લક્ષણો40 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિન. દુ:ખાવો થાય ન પણ થાય.પેરીફેરલ દ્રષ્ટિમાં ઘટાડો થાય અને જાણે પાઇપમાંથી જોતા હોય તેવુ લાગે તો ઝામર(ગ્લુકોમા) હોઇ શકે. એક કે બંને આંખોમાં નજીક અથવા દૂરની વસ્તુ ઝાંખી દેખાવી. આંખો લાલ થવી. ધૂંધળુ દેખાવુ, સતત માથા કે આંખનો દુ:ખાવો, દુ:ખાવા દરમિયાન ઉલટી થવી.વારંવાર ચશ્માનો નંબર બદલાવો. ડાયાબિટિસ, બ્લેડ પ્રેશરના દર્દીમાં આ રોગનું જોખમ, સતત સ્ક્રીનના ઉપયોગથી આંખ પર દબાણ વધે છેબદલાતી જીવનશૈલીને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું પ્રમાણ વધ્યું છે. આ બંને બીમારીઓ ઝામર થવા માટેના મુખ્ય જોખમી પરિબળો છે. સતત સ્ક્રીન (મોબાઈલ/લેપટોપ)ના ઉપયોગથી આંખ પર દબાણ વધે છે, જે ઝામરના લક્ષણોને વહેલા ઉત્તેજિત કરી શકે છે. કોઈપણ નાની તકલીફમાં આંખના ટીપાં ડોક્ટરની સલાહ વગર નાખવાની આદતને કારણે પણ ઝામર થવાનું જોખમ વધ્યું છે. આધુનિક મશીનો પેરીમેટ્રી ઉપલબ્ધ છે, જેનાથી ઝામરની શરૂઆત હોય ત્યારે જ ખબર પડી જાય છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

3 વૃક્ષમિત્રનો શ્રમયજ્ઞ:રોજ 3 કલાકના પરિશ્રમથી 200થી વધુ‎વૃક્ષો ઉછેરી બનાવ્યો ઓક્સિજન પાર્ક‎

મન હોય તો માળવે જવાય આ કહેવતને ધ્રાંગધ્રાના 3 સિનિયર સિટીઝનોએ અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. શહેરના તળાવની પાળ પર જ્યાં કચરાના ઢગલા અને ઉકરડા હતા, ત્યાં આજે પક્ષીઓનો કલરવ અને હરિયાળી જોવા મળે છે. 3 વર્ષના સતત શ્રમ અને મક્કમ નિર્ધારથી આ વડીલોએ વેરાન જગ્યાને લોકો માટે હરવા-ફરવા લાયક સુંદર વન બનાવી દીધું છે. ધ્રાંગધ્રા તળાવની પાળ પરથી રોજ સવારે વોકિંગ માટે પસાર થતા 3 મિત્ર - અજીતસિંહ ઝાલા, નટુભાઈ દલવાડી અને ડુંગરભાઈના મનમાં અહીં ફેલાયેલી ગંદકી જોઈને દુઃખ થતું હતું. તેમણે આ જગ્યાનો કાયાકલ્પ કરવાનું મન બનાવ્યું અને પોતાના ખર્ચે કોદાળી, પાવડા અને ડોલ જેવા સાધનો વસાવ્યા. કોઈપણ સરકારી મદદ વગર, તેમણે રોજ સવારે 3 કલાક સખત પરિશ્રમ કરી કચરાના ઢગલા દૂર કર્યા અને સાફ-સફાઈ હાથ ધરી. છેલ્લા 3 વર્ષના અવિરત શ્રમ બાદ આજે આ જગ્યા પર 200થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જે જગ્યા પર કોઈ જવાનું પસંદ નહોતું કરતું, તે આજે ધ્રાંગધ્રા માટે એક ઓક્સિજન પાર્ક અને પિકનિક પોઈન્ટ બની ગઈ છે. ધ્રાંગધ્રાના આ ત્રણ રત્નોએ સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક આંકડો છે, જો સંકલ્પ શક્તિ મજબૂત હોય તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. આ વન માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પરંતુ સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. આવનાર સમયમાં પર્યાવરણ ગંભીર સમસ્યા બનશે, દરેકે વૃક્ષારોપણ કરવું જોઈએઆ અંગે અજીતસિંહ ઝાલા અને સાથીદારોએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં પર્યાવરણ એક ગંભીર સમસ્યા બનવાની છે, ત્યારે દરેક નાગરિકે વૃક્ષારોપણ કરવું જોઈએ. અમે લોકોની સુખાકારી અને છાંયો મળે તે હેતુથી આ કામગીરી કરી છે અને આગળ પણ આ શ્રમયજ્ઞ ચાલુ રાખીશું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

પાલનપુર નગરપાલિકા ચૂંટણી 2026:મતદાન મથક પર કેટલા વોટ આપવાના છે તે અંગે નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. EVM મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોના ચિન્હો લગાવવાની કામગીરી સોમવારે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોની હાજરીમાં પૂર્ણ કરી હતી. શહેરના કુલ 11 વોર્ડમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે. કેટલાક વોર્ડમાં બેઠકો બિનહરીફ જાહેર થતાં મતદાન પ્રક્રિયામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભાસ્કર દ્વારા ખાસ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. એક્સપર્ટની મદદથી તૈયાર કરાયેલી આ સરળ પ્રશ્નોત્તરી મતદારોને મતદાન પ્રક્રિયા સમજવામાં સહાયરૂપ બનશે. મતદાન મથક પર કેટલા વોટ આપવાના છે તે અંગે નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે પ્રશ્ન: મારા વોર્ડમાં 4માંથી 3 સભ્યો બિનહરીફ થયા છે, તો શું મતદાન કરવું ? જવાબ: હા. જો એકપણ બેઠક પર ચૂંટણી હોય તો મતદાન કરવું જોઈએ. પ્રશ્ન: EVM પર બિનહરીફ ઉમેદવારોના નામ દેખાશે ? જવાબ: ના. બિનહરીફ ઉમેદવારોના નામ કે નિશાન મશીનમાં નહીં હોય. પ્રશ્ન: કેટલા વોટ આપવાના તે કેવી રીતે ખબર પડે ? જવાબ: મતદાન મથક પર નોટિસ બોર્ડ અને અધિકારીઓ જણાવી દેશે કે કેટલા વોટ આપવાના છે. પ્રશ્ન: ભૂલથી વધુ ઉમેદવારોને વોટ આપવાનો પ્રયાસ કરું તો ? જવાબ: મશીન વધારે વોટ લેતું જ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન: એક જ ઉમેદવારને બે વાર વોટ આપી શકું ? જવાબ: ના. એક ઉમેદવારને માત્ર એક જ વાર વોટ આપી શકાય. પ્રશ્ન: વોટ આપ્યા પછી શું કરવું ? જવાબ: પસંદના ઉમેદવારનું બટન દબાવી પછી ‘Register’ બટન દબાવવું જરૂરી છે. પ્રશ્ન: ‘બીપ’ અવાજ ક્યારે આવશે ? જવાબ: ‘Register’ બટન દબાવ્યા પછી લાંબો બીપ આવે છે, એ જ વોટની ખાતરી છે. પ્રશ્ન: ‘Register’ દબાવ્યા વગર બહાર નીકળી જાઉં તો ? જવાબ: તમારો વોટ ગણાશે નહીં. અધિકારી તમને ફરીથી પ્રક્રિયા પૂર્ણ કરાવશે. પ્રશ્ન: બિનહરીફ સભ્યોના વોટ ગણાશે? જવાબ: ના. તેઓ પહેલાથી જ વિજેતા જાહેર થઈ ગયા છે. પ્રશ્ન: કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો શું કરવું ? જવાબ: તમે NOTA બટન દબાવી શકો છો. પ્રશ્ન: લાલ લાઈટ ક્યારે થાય છે ? જવાબ: જ્યારે તમે કોઈ ઉમેદવારનું બટન દબાવો ત્યારે તેની સામે લાલ લાઈટ થાય છે. પ્રશ્ન: શાહી લગાવવી ફરજિયાત છે ? જવાબ: હા. એક જ વોટ આપો તો પણ આંગળી પર શાહી લગાવવામાં આવશે. પ્રશ્ન: બધા 4 સભ્યો બિનહરીફ હોય તો શું ? જવાબ: તો તમારા વોર્ડમાં મતદાન નહીં થાય, જવાની જરૂર નથી. પ્રશ્ન: મતદાન માટે કયા દસ્તાવેજ જોઈએ ? જવાબ: વોટર આઈડી અથવા [આધાર કાર્ડ રેડાક્ટેડ], પાન કાર્ડ જેવા માન્ય પુરાવા. પ્રશ્ન: મશીન બગડે તો મારો વોટ રદ થશે ? જવાબ: ના. ડેટા સુરક્ષિત રહે છે અને નવું મશીન મૂકીને ફરી મતદાન કરાવાશે. નોંધ: આ સામાન્ય માર્ગદર્શન છે. અંતિમ નિયમો માટે રાજ્ય ચૂંટણી પંચ, સ્થાનિક અધિકારીની સૂચનાઓ જ માન્ય રહેશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

તપાસ:હૈદરાબાદમાં જે નવજાત બાળકી રૂપિયા 1.80 લાખમાં વેચાઈ તે હજુ પોલીસને મળી જ નહીં

સમગ્ર જિલ્લામાં હાહાકાર સર્જનાર નવજાત બાળકીને વેચવાના મામલામાં પોલીસ હજુ સુધી બાળકીને પરત મેળવી શકી નથી અને જેને હૈદરાબાદમાં સોંપી હતી તે દંપતી પણ હજી સુધી પોલીસના હાથ લાગ્યું નથી. પોલીસ ટીમો હાલમાં તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા દરેક લિંક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત કેટલાક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, છતાં બાળકી અને અંતિમ ખરીદદારો સુધી પહોંચવું સૌથી મોટો પડકાર બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં અનેક રાજ્યો વચ્ચે સંકલન સાથે તપાસ ચાલી રહી છે અને વધુ મહત્વપૂર્ણ વિગતો આગામી દિવસોમાં જાહેર કરાશે. બીજી તરફ આ કેસમાં ખુલાસો થયો છે કે બાળકીનો જન્મ થયા બાદ તરત જ સોદો ગોઠવ્યો હતો અને એજ દિવસે તેને લઈ જવાઈ હતી. એટલે કે દીકરી નવજાત જન્મના થોડા જ દિવસની અંદાજે 1થી 2 દિવસની હતી. શૈલેષ ગમાર અને પાબુ ભગોરાની ધરપકડ બાદ પૂછપરછમાં કિશોરનું નામ સામે આવ્યું હતું. તપાસ દરમિયાન પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. દાંતા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કિશોર નવજાત બાળકીના સોદામાં મહત્વનો કડી હતો, જે હૈદરાબાદમાં વેચાણ બાદ મળેલી રકમમાંથી બાકી રહેલા પૈસા શૈલેષને અને પાબુ મારફતે બાળકીના પિતા સુધી પહોંચાડવાનો હતો. પોલીસે શૈલેષ અને પાબુના મોબાઇલમાંથી મળેલા ફોટા, વોટ્સએપ ચેટ અને ટેકનિકલ પુરાવાના આધારે તેની સંડોવણી સુધી પહોંચી શકી, જેનાથી સમગ્ર નેટવર્કનો ખુલાસો થયો હતો. બાળકના પિતાને લલચાવી સોદો કરાયો શૈલેષે દાંતાના કાસા ગામના આદિવાસી યુવકને તેની પત્ની ડિલિવરી પછી બાળક વેચવા માટે સમજાવ્યો હતો. બાળકીના જન્મ બાદ પિતાએ આર્થિક લાલચમાં આવી નવજાતને વેચાણ માટે તૈયાર થઈ ગયો હતો. નવજાત બાળકીના ફોટા વ્હોટ્સએપથી મોકલ્યા શૈલેષે નવજાત બાળકીના ફોટા વોટ્સએપથી હૈદરાબાદના મુરગન અને શિવારાનીને મોકલાયા હતા. ત્યારબાદ રૂ.1.80 લાખમાં સોદો નક્કી થયો. આ સોદામાં અનેક એજન્ટો વચ્ચે કમિશન વહેંચાયું હતું.સોદાની રકમમાંથી દીકરીના પિતાને રૂ.70,000 આપ્યા. શૈલેષે રૂ.20,000 કમિશન રાખ્યુ અને પાબુએ પણ પોતાનો ભાગ લીધો. બાકી રકમ અલગ તબક્કામાં ચૂકવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ચકચાર:98 વર્ષના સંતને લઈ જતી કારને વાડામાં લઈ જઈ 2 કલાક ગોંધી રાખી લૂંટ ચલાવી

પાલનપુરમાં હનુમાન ટેકરી નજીક 98 વર્ષના બીમાર સંતને અમદાવાદ સારવાર માટે લઈ જતી કારને એક્ટિવા સવાર બે શખ્સોએ રોકી હતી. ગાડીના હપ્તાના નામે ડ્રાઈવર, સેવક અને સંતને વાડામાં લઈ જઈ બે કલાક સુધી ગોંધી રાખ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.32 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવી હતી. રાજસ્થાનના સિરોહીના જ્યોતિષાચાર્ય અંકિત રાવલ તેમના ગુરુજી સંત ભગવાનગીરી મહારાજને કારમાં અમદાવાદ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેમને છેલ્લા 5 વર્ષથી અસ્થમાની બીમારી હતી.ત્યારે મંગળવાર સવારે 11 વાગ્યાના સુમારે પાલનપુર હનુમાન ટેકરી નજીક એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારને ઊભી રખાવી હતી. આરોપીઓએ ગાડીના હપ્તા બાકી હોવાનું કહી ડ્રાઈવર જીતેન્દ્રકુમારને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ કારને બળજબરીપૂર્વક રિદ્ધિ સિદ્ધિ પાર્ટી પ્લોટ પાછળ આવેલા વાડામાં લઈ જઈ ફરિયાદી, ડ્રાઈવર અને સાક્ષીઓને બે કલાક સુધી ગોંધી રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના મોબાઈલમાંથી ગુગલ પે મારફતે રૂ.32,120 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. દરમિયાન અંકિતભાઈએ તેના સગાને ફોન કર્યો હતો. સગાએ પોલીસને જાણ કરી પોલીસે લાઈવ લોકેશન માગતા અંકિતભાઈએ લોકેશન મોકલ્યું હતું. ત્યારબાદ 10થી 15 મિનિટમાં પોલીસ પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઓળખ કરી લીધી છે-PI પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, કંપનીના માણસોએ હપ્તાના પૈસા સ્થળ પર જ લઈ લેવા જોઈએ, પરંતુ તેમને ગાડી અન્ય જગ્યાએ લઈ જઈને હપ્તા વસુલી કરી છે. જેથી બે લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમને પકડવા માટે બે ટીમો બનાવી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. બંને આરોપીઓને ઝડપી લેવાશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

આચાર સંહિતાનો ભંગ:બસપોર્ટની ટીવી સ્ક્રીન પર સરકારી જાહેરાતો

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે, જેમાં સરકારી મિલકતો અને જાહેર સ્થળો પર રાજકીય નેતાઓના ફોટા કે પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરવા મનાઈ હોય છે. છતાં પાલનપુરના નવા અદ્યતન બસપોર્ટમાં હજુ પણ 3 ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા સાથેની જાહેરાતો યથાવત જોવા મળી રહી છે. એસ.ટી. બસપોર્ટ જાહેર પરિવહન સેવા હોવાથી અહીં આવી વિડીઓ ક્લિપ્સ ચલાવવી સીધો આચાર સંહિતાનો ભંગ ગણાય છે. નિયમ મુજબ આચાર સંહિતા લાગુ થતા જ આવી સામગ્રી દૂર કરવાની જવાબદારી તંત્ર અને સંબંધિત વિભાગની હોય છે, પરંતુ અહીં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવાઈ રહી છે.પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટીવીમાં આવતી જાહેરાત બાબતે ભાસ્કરે ધ્યાન દોરતા અમે તાત્કાલિક ધોરણે સ્ક્રીન બંધ કરાવી દીધા છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ જ ટીવી ચાલુ કરાશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

22 બેઠકો પર ત્રિપાંખિયો જંગ:બ.કાં. જિ.પં.ની 48 બેઠકોમાં 16માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકો માટે કુલ 132 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અપક્ષ ઉમેદવારોએ અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.આ વખતે 16 બેઠકો એવી છે જ્યાં માત્ર બે જ મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે અન્ય બેઠકો પર અપક્ષ અને આપ ના ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાશે. જેમાં અંબાજી, દાંતા, કાલેડા અને ખડોલ જેવી મહત્વની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉતારીને જંગને રસાકસીભર્યો બનાવ્યો છે. 16 બેઠકો પર ભાજપ- કોંગ્રેસ વચ્ચે જંગ અમીરગઢ, આસેડા, ભાખર મોટી, ચડોતર, ચંડીસર, છાપી, દલપુરા, દાંતીવાડા, ગઢ, જડિયા, ઝેરડા, કપાસીયા, ખંઢોર ઉમરી, મલાણા, માલગઢ, અને વરણ. 22 બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ અંબાજી, ભાભર, દાંતા, ધાણા, ઈકબાલગઢ, જગાણા, જલોત્રા, જુનાડીસા, કાલેડા, કાણોદર, ખીમત, મડાણા ગઢ, મુડેઠા, નવાવાસ, નેસડા, પાંથાવાડા, રંગપુર, સમોમોટા, શિહોરી, તાણા, તેરવાડા અને વિરમપુર. 10 બેઠકો પર 4થી વધુ ઉમેદવારો 4 ઉમેદવાર: બસુ, કુચાવાડા, માલણ, થાવર, વડા અને વાલેર. 5 ઉમેદવાર: મેમદપુર અને વડગામ. 6 ઉમેદવાર: ખીમત

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મતદારોનું સમીકરણ:ગામ વિસ્તારો ભળતાં મનપાના વોર્ડ 8-11માં જ્ઞાતિ અને સીમાંકનથી બદલાયું ચૂંટણી ગણિત

મહેસાણા નગરપાલિકા સમયના જૂના વોર્ડોમાં ફેરફાર કરીને બનાવાયેલા મહાનગરપાલિકાના નવા વોર્ડ નં. 8, 9, 10 અને 11માં કેટલાક ગામ વિસ્તારો ભળ્યા છે. પરંતુ, મોટાભાગનો વિસ્તાર પાલિકા સમયનો જ છે. મનપાના કુલ 13 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી ઓછા 9898 મતદારો છે. જ્યારે વોર્ડ નં. 9માં જૂના વોર્ડ નં.9ની સરખામણીએ 3466 મતદારોનો વધારો નોંધાયો છે. તેથી ઉમેદવારોએ બદલાયેલા સીમાંકનવાળા વોર્ડોમાં મતો મેળવવા વધુ મહેનત કરવી પડશે. વોર્ડ નં.8 : નગરપાલિકાની ગત ટર્મમાં પ્રમુખ અને ઉપપ્રમુખ આ વિસ્તારના હતામનપાના નવા વોર્ડ નં.8માં 5679 પુરુષ અને 5344 સ્ત્રી મળી કુલ 11,023 મતદારો છે. જ્યારે જૂના વોર્ડ નં.8માં 14,857 મતદારો હતા. એટલે નવા વોર્ડમાં 3834 મતદારોનો ઘટાડો થયો છે. નવા વોર્ડ નં.8માં જૂના વોર્ડ નં.8નો કોઇ વિસ્તાર આવતો નથી. તેમાં જૂના વોર્ડ નં.6નો લગભગ 95% વિસ્તાર (માલ ગોડાઉન, એસટી વર્કશોપ રોડ, લકી પાર્ક, આંબાવાડી વગેરે) અને જૂના વોર્ડ નં.7નો આશરે 5% વિસ્તાર સમાવાયો છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, વોર્ડમાં પટેલ 4500, પ્રજાપતિ 1100, ઠાકોર 600, પંચાલ 250, મોદી 200 મુખ્ય મતદારો છે. વોર્ડ નં.9 : દેદિયાસણના સમાવેશથી વોર્ડમાં 3466 મતદારોનો વધારો થયો મનપાના વોર્ડ નં.9માં 8676 પુરુષ અને 7907 સ્ત્રી મળી કુલ 16,583 મતદારો છે. જૂના વોર્ડ નં.9માં 13,117 મતદારો હતા. નવા વોર્ડમાં જૂના વોર્ડ નં. 9નો કોઇ વિસ્તાર નથી. તેમાં જૂના વોર્ડ નં.7નો મોટો વિસ્તાર (મોહનનગર, વીઆઇપી નગર, સરદારધામ જીઆઇડીસી વગેરે) અને દેદિયાસણ ગામનો સમાવેશ થાય છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, પટેલ 5000, પ્રજાપતિ 500, ઠાકોર 600, મુસ્લિમ 1300 મુખ્ય મતદારો છે. વોર્ડ નં.10 : મનપામાં મતદારોની‎દૃષ્ટિએ આ સૌથી નાનો વોર્ડ છે‎મનપાના વોર્ડ નં.10માં 5142 પુરુષ અને 4756 સ્ત્રી મળી કુલ 9,898‎મતદારો છે. જૂના વોર્ડ નં.10માં 12,947 મતદારો હતા. એટલે 3049‎મતદારોનો ઘટાડો થયો છે. નવા વોર્ડમાં જૂના વોર્ડ નં.10નો કોઇ‎વિસ્તાર નથી. તેમાં જૂના વોર્ડ નં.8નો વિસ્તાર (વાઇડ એન્ગલ રોડ,‎વર્ધમાનનગર, ગીતાંજલી વગેરે) તેમજ હેડુવા રાજગર ગામનો‎સમાવેશ થાય છે.‎ જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, પટેલ 1700, પ્રજાપતિ 1500,‎ઠાકોર 600, રબારી 370, રાવળ 250 મુખ્ય મતદારો છે.‎ વોર્ડ નં.11 : પ્રજાપતિ અને બ્રાહ્મણ બહુમતીથી મુકાબલો રસપ્રદ બનશે વોર્ડ નં.11માં 6163 પુરુષ અને 5701 સ્ત્રી મળી કુલ 11,864 મતદારો છે. જૂના વોર્ડ નં.11માં 12,916 મતદારો હતા. એટલે કે, 1052 મતદારોનો ઘટાડો થયો છે. નવા વોર્ડમાં જૂના વોર્ડ નં.11નો કોઇ વિસ્તાર નથી. તેમાં જૂના વોર્ડ નં.9નો આશરે 90% વિસ્તાર (સુખેશ્વર, ચકેશ્વરી ફ્લેટ, વિરમગામ રેલ લાઇન, ટીબી હોસ્પિટલ રોડ વગેરે) અને જૂના વોર્ડ નં.8નો આશરે 10% વિસ્તાર (સરદાર પાર્ક, પશાભાઈ પેટ્રોલ પંપ વિસ્તાર) સામેલ છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, પ્રજાપતિ 2200, જૈન 1000, બ્રાહ્મણ 1500, બારોટ 700, પટેલ 600, ઠાકોર 500, મોદી 500 મુખ્ય મતદારો છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

એલસીબીની કાર્યવાહી:જિલ્લામાં 37 કેબલ ચોરીઓને અંજામ આપનાર ડફેર ગેંગના બે શખ્સો ઝબ્બે

મહેસાણા જિલ્લામાં બોરના કેબલની ચોરી કરનાર ગેંગનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ચોરી કરેલા કેબલના ગુંચળા વેચવા જઈ રહેલા બે શખ્સોને પકડી, જિલ્લાના 8 પોલીસ મથકોમાં નોંધાયેલા 37 જેટલા કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. બંને શખ્સો પાસેથી રૂ.5.73 લાખના કેબલ કબજે કરાયા છે. ગામડાઓમાં પાણીના બોરના કેબલ કાપીને હાહાકાર મચાવનાર ગેંગને ઝડપી પાડવા એલસીબી પીઆઈ સુરેશભાઈ ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી હતી. જે પૈકી એક ટીમે જલાલ સેયાભાઈ સિંધી (હાલ રહે. ડફેર દંગા, મહેસાણા, મૂળ અમરાપુર પાર્ટી, તા.સમી) અને વિજય જયંતીભાઈ દેવીપુજક (રહે.રાધનપુર ચોકડી, મહેસાણા)ને કેબલના ગુંચળા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તાજન ઉર્ફે બુઢીયો રમજાન સિંધી, થારુ કાળાભાઈ સિંધી, કાળુ કાળાભાઈ સિંધી અને સાવન ડેરાભાઈ સિંધી (રહે. રાધનપુર ચોકડી ડફેર દંગા, મહેસાણા) સાથે મળીને અલગ અલગ ગામોમાં કેબલની ચોરી કરતા હોવાની અને ચોરેલા કેબલ દેવીપુજક વિજય જયંતીભાઈને વેચતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂ.5.73 લાખના કેબલ કબજે કરી સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. કેબલચોર ટોળકી રિક્ષા અને ઇકો ગાડી લઈને રાત્રે અલગ અલગ ગામોમાં જઇ રોડની નજીક ઊભી રાખી, બોરની ઓરડીના તાળાં તોડીને કે બહાર દેખાતા કેબલ કાપીને ચોરી જતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. 20 થી વધુ મોઢેરા પંથકમાં કેબલચોરી કરી છે ઝડપાયેલ કેબલચોર ટોળકીએ મોઢેરા, ઉનાવા, ઊંઝા, સાંથલ, મહેસાણા તાલુકા, વિસનગર તાલુકા, બહુચરાજી અને ચાણસ્મા સહિતના પોલીસ મથકોના વિસ્તારોમાં 37 જેટલા કેબલ ચોરીના ગુનાઓ અંજામ આપ્યો છે. જે પૈકી 20થી વધુ ગુના માત્ર મોઢેરા પોલીસ સ્ટેશનની હદમાં આચર્યા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાજપનો કોપી-પેસ્ટ સંકલ્પ:મનપા બજેટ બન્યું ભાજપનો ઢંઢેરો : બજેટના 32 પૈકી 25 કામો હાલ ચાલુ, રિવરફ્રન્ટનું 15 વર્ષથી ઠેકાણું નથી

ભાજપ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં દર્શાવાયેલા મોટાભાગના વિકાસ કામો પહેલેથી જ ચાલુ છે, જ્યારે બાકીના કામો ટૂંક સમયમાં શરૂ થવાના છે. ભાજપનું આ સંકલ્પ પત્ર મનપાના બજેટમાં સમાવાયેલ મહત્વના કામોને જ ઉઠાવીને તૈયાર કરવામાં આવ્યું છે. નવા પ્રોજેક્ટ તરીકે કોઈ કામ સંકલ્પ પત્રમાં નજરે પડતું નથી. ઢંઢેરામાં એક કામ આધુનિક મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ નવું દેખાય છે. જોકે, ઇન્ટરપ્રિટેશનની સાથે લેવાયું છે, આ ઇન્ટરપ્રિટેશન મનપાના બજેટમાં છે. મનપાએ જે કામો માટે બજેટ ફાળવ્યું છે, તેમાંથી મોટા ભાગના કામોને ભાજપે પોતાના ઘોષણાપત્રમાં સમાવેશ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ શાસિત નગરપાલિકા સમયથી દર વર્ષે બજેટમાં સામેલ થાય છે. આ વર્ષે પણ મનપાના બજેટમાં તેની જોગવાઈ છે અને હવે તે ભાજપના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ સામેલ છે. સંકલ્પપત્રમાં નવા કામો પણ છે : પ્રમુખ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્રમાં રજૂ કરાયેલા તમામ કામો પૈકી મનપાએ મોટાભાગના વિકાસના કામો શરૂ કરી દીધા છે અને કેટલાક કામોનો નવા તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં પહેલાથી જ સમાવેશ કરાયો છે તો નવી બોડી આવીને શું કરશે? પ્રશ્નના જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે નવા કામો પણ એમાં છે તેમ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મુસાફરોને મુશ્કેલી:સ્પાઈસ જેટની 3 ફ્લાઈટ ગ્રાઉન્ડ કરાઈ, અટવાયેલા 500 પેસેન્જરનો હોબાળો

સ્પાઈસ જેટની 3 ફ્લાઈટમાં મંગળવારે ટેક્નિકલ ખામી સર્જાતા ગ્રાઉન્ડ કરવી પડી હતી. જેને કારણે આ ફ્લાઈટો અમદાવાદ આવી ન હતી. જેને કારણે અમદાવાદથી ચેન્નઈ અને હૈદરાબાદ જતી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે એરપોર્ટ પર પહોંચી ગયેલા 500થી પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. પેસેન્જર અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ આમને સામને આવી જતાં સીઆઈએસએફે મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદથી ચેન્નઈની સવારે 6 વાગ્યા, હૈદરાબાદની 7 વાગ્યા અને દિલ્હીની સવારે 8 કલાકે રવાના થનારી 3 ફ્લાઈટને ઉડાન ન ભરતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. કલાકો સુધી ચાલેલી માથાકૂટ બાદ બંને ફ્લાઈટ રદ થતાં પેસેન્જરોને ધક્કો પડ્યો હતો. દિલ્હી ફ્લાઈટ સાંજે 5 વાગ્યે રવાના થઈ હતી. જ્યારે મુંબઈની સવારે 8.30ની ફ્લાઈટ રાત્રે 9 વાગ્યે ટેકઓફ થઈ હતી. ઘણા પેસેન્જરોએ ટિકિટ રદ કરાવી બીજી ફ્લાઈટમાં ગયા હતા. વિલંબનું કારણ: સ્પેર પાર્ટ્સ માટે વિદેશ પર નિર્ભરતાસ્પાઇસ જેટે યુરોપિયન દેશની ‘સ્માર્ટ વિંગ્સ’ કંપની પાસેથી વિમાનો લીઝ પર લીધેલા છે. નિયમ મુજબ, જો આ વિમાનોમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો તેના સ્પેર પાર્ટ્સ વિદેશથી જ મંગાવવા પડે છે. જેને કારણે શિડ્યુલ પર અસર પડે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ઓનલાઇન માઇક્રો ક્રાઉડફંડિગ:પ્રચાર માટે પ્રજાના પૈસાનો સહારો; પક્ષ તરફથી ફંડ ન મળતાં ચાંદખેડા, મકતમપુરા, સરસપુર-રખિયાલના ઉમેદવારોએ QR મૂક્યા

મ્યુનિ.ની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પણ ચાંદખેડા, મકતમપુરા, સરસપુર, ગોમતીપુરના ઉમેદવારો પાસે પ્રચાર માટે પૂરતું ભંડોળ ન હોવાથી તેમણે ઓનલાઇન માઇક્રો ક્રાઉડફંડિગનો સહારો લીધો છે. એટલે કે તેમને કોઈ પણ સમર્થક નાનીથી માંડી મોટી રકમ સુધી મદદ કરી શકે છે. ગોમતીપુરના અપક્ષ ઉમેદવાર આમીર પઠાણના પ્રચાર માટે મિત્રો આગળ આવ્યા છે. કોઈ મિત્ર મંડપ, કાર્યાલય તો કોઈ નાસ્તાનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. ગત ચૂંટણીમાં 10 ટકા ઉમેદવારે જ ખર્ચ બતાવ્યો2021ની ચૂંટણીમાં જીતેલા 192 ઉમેદવારમાંથી 10 ટકા ઉમેદવારે જ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જ્યારે 50થી વધુ ડમી ઉમેદવારોએ હિસાબ રજૂ કર્યો નથી. નિયમ મુજબ ખર્ચ રજૂ ન કરનારા ઉમેદવારને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવાય છે. મિત્રોની પણ મદદ કોઈ કાર્યાલયનો તો કોઈ નાસ્તાનો ખર્ચ ઉઠાવે છે આવકનો સ્ત્રોત નથી, એટલે ક્રાઉડફંડિંગ કર્યુંસરસપુર-રખિયાલ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કટારિયાને ડેકોરેશનનો વ્યવસાય છે. તેમણે જણાવ્યું કે, એક્ટિવિસ્ટ તરીકે 10 વર્ષથી કામ કરું છું. આવકનો સ્ત્રોત મર્યાદિત હોવાથી ચૂંટણીમાં પ્રચાર કરવામાં તકલીફ પડે છે. આટલી મોટી પાર્ટી સામે લડવા પ્રચાર કરવા ફંડ જરૂરી હોવાથી ક્રાઉડફંડિંગ કર્યું માતાપિતાના પેન્શનથી ઘરનું ગુજરાન ચાલે છેમકતમપુરાના કોંગ્રેસના ઉમેદવાર હિતેન્દ્ર પીઠડિયા હાલ સોશિયલ મેનેજમેન્ટમાં પીએચડી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 2014થી નોકરી છોડીને સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું. જેના લીધે માતાપિતાનાં પેન્શનમાંથી ઘરનું ગુજરાન ચાલે છે. ચૂંટણી લડવા ફંડની જરૂર હોવાથી લોકોની મદદ લીધી. પ્રચાર માટે ફંડ ન મળતાં લોકો પાસેથી ઉઘરાવે છેચાંદખેડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુબોધ કુમુદ પ્રજા પાસેથી ક્રાઉડફંડિંગ મેળવી ચૂ્ંટણી લડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વકીલાતના વ્યવસાયમાંથી આવું છું અને સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. જેમાં લોકોને વિનામૂલ્યે કાનૂની સલાહ આપું છું. પ્રચાર માટે ફંડ મળ્યું ન હોવાથી લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની જરૂર પડી છે. 3 દિવસમાં 15 હજારથી વધુનું ભંડોળ એકત્રિતમકતમપુરા વોર્ડમાં AIMIMના ઉમેદવાર રાકેશ મહેરિયા ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ભાડે રહે છે. હાલની આવકથી માંડ ઘર ચાલે છે. તેમણે પ્રચાર કરવા માટે બે લાખ જેટલું ક્રાઉડફંડિંગ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લોકોએ તેમને રૂ.15 હજાર ફંડ આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:મેડિકલ શિક્ષણ માટે સિંધુ ભવનના બિલ્ડર પિતાનું દેહદાન કરીને પરિવારે તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી

સિંધુ ભવન રોડ ઉપર આવેલા સહજાનંદ પેલેસ બંગલોઝમાં રહેતા બિલ્ડર કિશોરચંદ્ર નાગજીભાઈ પટેલ (કાનાણી) નું 79 વર્ષે અવસાન થયું હતું. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમનું શરીર મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરે. આ માટે તેમણે દોઢ વર્ષ પહેલાં ફોર્મ ભરી દીધું હતું. જોકે તેમના અવસાન બાદ પરિવારના સભ્યોએ પણ તેમની અંતિમ ઇચ્છા માન્ય રાખીને દેહદાન કર્યું હતું. કિશોરચંદ્ર કાનાણીના પુત્ર નિકેતન પટેલે કહ્યું હતું કે પિતા લાંબા સમયથી બીમાર રહેતા હતા. આથી તેમણે 3-4 વર્ષ પેહલાં વાતવાતમાં ‘મારા અવસાન પછી મારું શરીર હું મેડિકલના વિદ્યાર્થીઓ માટે દાન કરવા માંગુ છું’ તેમ કહ્યું હતું. છેલ્લાં એકાદ વર્ષથી તો કિશોરચંદ્રની તબિયત થોડી વધારે જ લથડવા લાગી હતી. જેના કારણે તેમને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે હવે ગમે ત્યારે ધામમાં જવાનો વારો આવી જશે. આથી તેમણે એક વર્ષ પહેલાં જ પોતાના શરીરનું દાન કરવાનું ફોર્મ ભરી દીધું હતું અને પરિવારના સભ્યોને પણ કહી દીધું હતું કે આ જ મારી અંતિમ ઇચ્છા છે. આથી મારું શરીર મેડિકલના વિદ્યાર્થીઓને દાન કરજો. આથી મંગળવારે તેમનું અવસાન થતાં તેમના દેહનું જીસીએસ હૉસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. પરિવાર વાંધો ન ઉઠાવે એટલે ફોર્મ ભરાવાય છેજે પણ વ્યકિત અવસાન પછી અંગદાન કરવા માગતી હોય તે હૉસ્પિટલમાંથી ફોર્મ લઈ ભરીને આપી શકે છે. તેમાં જે-તે વ્યક્તિની વિગતો સાથે એક વારસ અને એક સાક્ષીની સહી લેવાય છે. આમ કરવા પાછળનું એક માત્ર કારણ એ છે કે પરિવારના સભ્યના અવસાન બાદ કોઈ વાંધો ન ઉઠાવે. અંગદાન માટે જાગૃતિ વધી, દેહદાન માટેે નહીં એલજીને 1 વર્ષમાં 12 દેહદાન જ્યારે એનએચએલ મેડિકલ કૉલેજને વર્ષે 15 દેહદાન મળ્યાં હતાં. અંગદાન માટે જાગૃતિ વધી હોવાથી અમદાવાદની સરકારી હોસ્પિટલોને વર્ષે સરેરાશ 175થી 200 જેટલા અંગદાન મળી રહ્યાં છે પરંતુ દેહદાન માટે હજી સુધી જાગૃતિનો અભાવ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાટણ શહેરમાં મત માગવા જતા નવા‎ચહેરાઓને મતદારોએ સમસ્યાથી ઘેર્યા‎

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે 114 ઉમેદવારો હાલ મેદાનમાં છે,ત્યારે અનેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંનેના નવા ચહેરાઓ સામે વર્ષોથી પડતર પડેલા જુના પ્રશ્નો અંગે જનતાનો આક્રોશ ઠલવાઈ રહ્યો છે.ઉમેદવારો પાસે હાલમાં જુના લોકોના ના કરેલા વર્ષોથી પડતર ગટર અને વરસાદી પાણીની સમસ્યાઓ હવે હલ કરવા માટેની હૈયા ધારણા આપવા સિવાય કોઈ જવાબો ના હોય પ્રજાના આક્રોશ વચ્ચે હૈયા ધારણા આપી હસતા ચહેરા ત્યાંથી પ્રચાર કરતા કરતા નીકળવું પડી રહ્યું છે.હવે ચૂંટણી બાદ જે ઉમેદવારો જીતશે તેવો આ વચનો પાળશે છે કે કેમ તે જોવું રહ્યું. ધાંધલની શેરીમાં ગટરના પાણી મકાનના પાયામાં ભરાતાં ઉભરો ઠાલવ્યો,ઉમેદવારે ખાતરી આપીધાંધલની શેરીમાં પ્રચાર માટે ગયેલા પૂર્વ કોર્પોરેટ અને હાલના ઉમેદવારો સમક્ષ ચંપાબેન ભીલે ઉગ્ર રજૂઆત કરી હતી. ગટરના ગંદા પાણી મકાનના પાયામાં ઘૂસતા હોવાથી મકાનો નબળા પડી રહ્યા છે અને દુર્ગંધથી જીવવું દુષ્કર બન્યું છે. ઉમેદવારે તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. હર્ષનગરમાં એ કહ્યું વર્ષોથી પાણી ભરાય છે ઉમેદવારે કહ્યું પાલિકા નહી કરે તો સ્વખર્ચે કામ કરાવીશ શહેરના હર્ષનગર વિસ્તારમાં વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રહીશોએ ઉમેદવારને ઘેર્યા હતા. આ મામલે ઉમેદવારે જીત્યા બાદ પાલિકા દ્વારા આ સમસ્યાનું હલ કરવામાં આવશે.જરૂર પડે તો પોતાના ખર્ચે પણ કામ કરવાની હૈયાધારણા આપી મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

તપાસ:યુવકને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને માસ્ટરમાઈન્ડની શોધખોળ તેજ

ચાણસ્મા નજીક હનીટ્રેપથી અપહરણના કેસમાં પોલીસે ઝડપી પાડેલા બે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.કેસમાં સંડોવાયેલી યુવતી અને ફરાર મુખ્ય સૂત્રધાર ભરત રબારીની શોધખોળ તેજ કરવામાં આવી છે,જ્યારે ગેંગે આ જ રીતથી અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાની આશંકા છે. અમદાવાદના યુવકના અપહરણ અને ખંડણી કેસમાં તપાસ આગળ વધતા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે ઝડપેલા દિનેશ હીરાભાઈ રબારી અને કરણજી કનુજી ઠાકોરને કોર્ટ દ્વારા 24 એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલાતા, પૂછપરછમાં ગેંગની કાર્યપદ્ધતિ અંગે મહત્વની વિગતો મળી રહી છે.પ્રાથમિક પૂછપરછ મુજબ, ગેંગ સોશિયલ મીડિયા પર યુવકોને ફસાવતી હતી. બાદમાં એકાંત સ્થળે બોલાવી અપહરણ કરી ખંડણી વસૂલવાની રણનીતિ અપનાવવામાં આવતી હતી. બીજી તરફ, સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો ભરત હીરાભાઈ રબારી હાલ પોલીસ પકડથી દૂર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ, આ ગેંગે અગાઉ પણ આવી જ રીતથી અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાની શકયતા છે. તેથી રિમાન્ડ દરમિયાન મળતી માહિતીના આધારે અન્ય પીડિતો સામે આવી શકે છે. પોલીસ આ કેસને માત્ર એક ઘટના તરીકે નહીં પરંતુ ગેંગના સંગઠિત ગુનાખોરીના એંગલથી તપાસી રહી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

કોંગ્રેસનાં મહિલા નેતા રજની પાટીલના આક્ષેપ:મહિલા અનામત મુદ્દે ભાજપને હવે કોંગ્રેસ ઘેરવાનું શરૂ કરી દીધું

મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સીડબલ્યુસી સભ્ય રજની પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર વિપક્ષ મહિલા અનામત માટે તૈયાર છે, ત્યારે સરકારે સીમાંકન કે વસ્તી ગણતરીની રાહ જોયા વગર 2023માં પસાર થયેલા બિલનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. કોંગ્રેસના મહિલા નેતા રજની પાટીલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર સીમાંકન પ્રક્રિયા દ્વારા સત્તાનું એકીકરણ કરી રાજકીય લાભ ખાટવા માંગે છે. વિપક્ષી એકતાએ સરકારના આ કાવતરાને નિષ્ફળ બનાવી લોકશાહી અને બંધારણનો વિજય કરાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભાજપની દાનત સાફ હોય તો 2029 સુધી રાહ જોવાની જરૂર નથી. મહિલા અનામતમાં OBC અનામત આપો : કોંગ્રેસકોગ્રેસના નેતા રજની પાટીલે મહિલા અનામતમાં OBC મહિલાઓ માટે પણ વસ્તીના આધારે જોગવાઈ હોવી જોઈએ તેવી માગ કરી હતી. તેમણે લોકસભાની 543 બેઠકોમાંથી 33% બેઠકો ફાળવવા વિપક્ષ તૈયાર હોવાની ખાતરી આપી હતી. ઉપરાંત એનસીઆરબીના ડેટાનો ઉલ્લેખ કરીને તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરૂધ્ધના ગુના ચિંતાજનકરીતે વધ્યા હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

લાંભાના અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડનો વિવાદાસ્પદ વીડિયો વાઇરલ:ભરવાડે કહ્યું’તું, ગઈ વખતે તમારા ત્યાં પૈસા આપ્યા તોપણ 17 મત મળ્યા: લોકોએ કહ્યું, પાછા લઈ જાવ

લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડનો કમોડ ગામમાં સ્થાનિકો સાથેનો વીડિયો વાઇરલ થતાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વીડિયોમાં કાળુ ભરવાડ મતદારોને કહેતાં સાંભળાય છે કે ગત ચૂંટણી વખતે સમાજ માટે મઢ બનાવવા પૈસા આપ્યા છતાં અહીંથી તેમને માત્ર 17 મત મળ્યા હતા. આ નિવેદન બાદ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કાળુ ભરવાડ ગત ચૂંટણીમાં એસસી સમાજના વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે સમાજનાં વાસણો અને મઢ માટે રૂપિયા આપ્યા હતા, છતાં મત મળ્યા નહોતા. આ વાતથી નારાજ થયેલા સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા અને “તમે પૈસા પાછા લઈ જાવ” કહી વિરોધ કર્યો હતો. લોકોએ એવો આક્ષેપ પણ કર્યો કે કાળુ ભરવાડે જાતિ આધારિત ટિપ્પણી કરી હતી. વીડિયોમાં કાળુ ભરવાડ કહે છે કે “મને 17 મત મળ્યા હતા, લિસ્ટ બોલે છે. હું કોઈ જબરજસ્તી કરવા આવ્યો નથી, તમને ગમે તેને મત આપજો.” બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે પૈસા માતાના નામે આપવામાં આવ્યા હતા અને જરૂર હોય તો પાછા આપવા તૈયાર છીએ. ચૂંટણીમાં અમને ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા છેઆ બાબતે કાળુ ભરવાડે જણાવ્યું હતું કે અમે કોઈને પ્રલોભન આપ્યું નથી, અમને ચૂંટણીમાં ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા છે. આ અંગે મેં મામલતદારને પત્ર પાઠવ્યો છે. ચૂંટણી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ મેં માગણી કરી છે. > કાળુ ભરવાડ, અપક્ષ ઉમેદવાર, લાંભા મતદારોને નાણાકીય પ્રલોભન આપવું તે ગુનો છેરીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 123 (1) હેઠળ કોઇપણ ઉમેદવાર દ્વારા મતદારોને આર્થિક લાલચ આપવામાં આવે તો તે ગુનો બને છે. જેમાં ઉમેદવારી પણ રદ થઇ શકે છે. > શૈલેષ રાઠોડ, એડવોકેટ ઇન્ડિયા કોલોનીમાં ભાજપના ઉમેદવારનો ઘેરાવશહેરના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારોને તેમજ કાર્યકરો સાથે સ્થાનિક રહીશોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્થાનિક નાગરીકોએ ગટર અને રસ્તાઓ મામલે ઉગ્ર રજૂઆતો કરતાં કાર્યકરોને ત્યાંથી નિકળી જવું પડ્યું હતું. જોકે નાગરીકોને સમજાવતા જ કાર્યકરોને નાકે દમ આવી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ધરપકડ:રૂ.1,825 કરોડના GST રિફંડ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કપિલ ચુગ અંતે ઝડપાયો

જીએસટીમાં સૌથી મોટા ગણાતા રૂ.1,825 કરોડના રિફંડ કૌભાંડના લાંબા સમયથી ફરાર માસ્ટર માઇન્ડ કપિલ ચુગને 19મીએ દુબઈથી પરત ફરતાં IGI દિલ્હી ઍરપોર્ટ પરથી DGGI અમદાવાદ ઝોનલ યુનિટે ઝડપી લીધો હતો. યુનિટે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કપિલ ચુગ અને તેમના સાથી વિપિન શર્માએ મળીને બોગસ કંપનીઓ ઊભી કરી કૌભાંડ આચર્યું હતું. તપાસમાં આરોપીઓએ જરૂરિયાતમંદ લોકો પાસેથી કેવાયસી દસ્તાવેજો વડે ડમી કંપનીઓ ઊભી કરી હતી. જેમાં કોઈ વાસ્તવિક વ્યવસાયિક પ્રવૃત્તિ નહોતી. આ કંપનીઓ મારફતે નકલી ઇન્વોઇસ બનાવી ITC જનરેટ કરવામાં આવતી હતી. આ ITCને અનેક સ્તરોમાં ફેરવીને લેયર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાતી હતી. અંતે આ ITCને નિકાસકાર કંપનીઓમાં મોકલી ઝીરો-રેટેડ સપ્લાયના નામે રિફંડ મેળવવામાં આવતું હતું. કૌભાંડમાં ખાસ કરીને તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું હતું? ઇનપુટ ટેક્સ ક્રેડિટની માયાજાળ | વેપારી માલ ખરીદે ત્યારે ચૂકવેલા ટેક્સની તેને ક્રેડિટ મળે છે. આ કૌભાંડમાં કાગળ પર મોંઘી તમાકુની ખરીદી બતાવીને કરોડોની ‘ફેક ITC’ જમા કરવામાં આવી હતી. ખરેખર કોઈ માલની ખરીદી થઈ જ ન હતી. કાસેઝનો રોલ | કંડલા સેઝ જેવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી થતી નિકાસ પર સરકાર ટેક્સ લેતી નથી. આરોપીઓ કંડલા સેઝમાંથી હલકો માલ ઊંચી કિંમતે નિકાસ બતાવીને, પેલી જમા થયેલી નકલી ‘ફેક ITC’ ના નાણાં રિફંડ તરીકે પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. રાઉન્ડ ટ્રિપિંગ | બેન્ક ખાતાંઓમાં મોટા વ્યવહારો દેખાતા હતા, પરંતુ વાસ્તવમાં ફંડ એક જ ગ્રુપની કંપનીઓમાં ફરતું રહેતું હતું અથવા તરત જ રોકડમાં ઉપાડી લેવાતું હતું. ખોટા ઈ-વે બિલ જનરેટ કરવા માટે એક જ વાહન નંબરનો વારંવાર ઉપયોગ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

સાબરકાંઠા ચૂંટણી:48ને પાસા અને 82ને તડીપાર કરવા દરખાસ્ત તૈયાર

​સાબરકાંઠા જિલ્લામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે ત્યારે એસ.પી. દ્વારા નિર્ભય વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે 48ને પાસા અને 82ને તડીપારની દરખાસ્ત તૈયાર કરવા સહિત ચૂંટણીની પૂર્ણ સુરક્ષા નિશ્ચિત કરવાની જવાબદારી 3120 જેટલા સુરક્ષા કર્મીઓને સોંપી છે અને શાંતિપૂર્ણ મતદાન માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ​સાબરકાંઠા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે ચૂંટણી સુરક્ષા આયોજન અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે જિલ્લાની અંદર કુલ 980 પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ત્રણ અલગ-અલગ નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એનો જે સ્કેલ જે છે, જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન કહેવાય છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. ​જરૂરી પોલીસ ફોર્સ પણ મેળવી લેવાઇ છે. આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ્સ, તે ઉપરાંત એક કંપની અને બે સેક્શન SRP તથા 1800 જેટલા હોમગાર્ડ-GRD દ્વારા બંદોબસ્ત સ્કેલ મુજબ રખાશે. ​ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ (ક્વીક રિએક્શન ટીમો) બનાવવામાં આવી છે. 5 સુપરવાઇઝરી ઓફિસર, જેમાં એક SP રેન્કના અને 4 DYSP રેન્કના ઓફિસર્સ દ્વારા આખે-આખા બંદોબસ્તનું સુપરવિઝન કરાશે. ​અત્યાર સુધીમાં સાબરકાંઠા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી અંદર 11,000 થી વધારે અટકાયતી પગલાં લેવાયા છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

​ચૂંટણીના ડેટાનું વિશ્લેષણ:ગત ચૂંટણીમાં હિંમતનગર પાલિકામાં 53.95 ટકા, જિ.પં.માં 71.01 ટકા મતદાન થયું હતું

સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારે મતદાન નોંધાયું હતું. કુલ 9,12,903 મતદારો પૈકી 6,48,228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં 71.01 ટકા મતદાન થયું હતું. જ્યારે હિંમતનગર નગરપાલિકામાં કુલ 62513 મતદારો પૈકી 33725 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં સરેરાંશ 53 ટકા મતદાન નોંધાયું હતું. ​ચૂંટણીના ડેટાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે પુરુષ મતદારોમાં મતદાનનું પ્રમાણ વધુ રહ્યું છે. કુલ 4,69,961 પુરુષ મતદારો હતા, જેમાંથી 3,45,627 73.54 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તેની સામે 4,42,942 સ્ત્રી મતદારોમાંથી 3,02,601 મહિલાઓએ મતદાન મથક સુધી પહોંચી 68.31 ટકા મતદાન કર્યું હતું. ટકાવારીની દ્રષ્ટિએ મહિલાઓનું મતદાન પુરુષો કરતાં થોડું ઓછું રહ્યું હતું. હિંમતનગર પાલિકામાં 9 વોર્ડ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 62,513 મતદારો પૈકી 18,412 પુરુષ મતદાર અને 15313 સ્ત્રી મતદારોએ કુલ 53.95 ટકા મતદાન કર્યું હતું જેમાં પુરુષ મતદારોનું સરેરાશ 58 ટકા અને સ્ત્રી મતદારોનું સરેરાશ 49.68 ટકા મતદાન નોંધાયું હતું. ખેડવા અને દોલતાબાદમાં મહત્તમ મતદાન ​જિલ્લા પંચાયતની 36 બેઠક માટે થયેલા મતદાનમાં ભારે અસમાનતા જોવા મળી હતી. સૌથી વધુ મતદાન ખેડવા વોર્ડમાં 81.79 ટકા અને દોલતાબાદ વોર્ડમાં 80.37 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બીજી તરફ સવગઢ 59.56 ટકા અને ગોરલ જેવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી 60 ટકાની નીચે રહેતા ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ખેડૂતો ચિંતિત:મોરખલા પાસે નહેરના કિનારા બાજુનું આરસીસી લેયર તૂટતાં માટીનું ધોવાણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામ નજીક મુખ્ય નહેરમાં નર્મદા ખાતેથી સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચે તે અર્થે કાયમ માટે બંને કાંઠે પાણીનો ભરાવો રહેતો હોય છે. બોડેલી મુખ્ય નહેરમાં સતત પાણીના વહેણને લઇ મોરખલા પાસે કેનાલમાં મસ મોટું ભંગાણ થાય તે સ્થિતિમાં નિર્માણ થયું છે. આ મુખ્ય નહેરના કિનારા બાજુ પરનું આરસીસી લેયર અનેક જગ્યાએ તૂટી ગયું છે. જેના કારણે માટીનું ધોવાણ થઇ રહ્યું છે અને ગાબડાં પડતાં દેખાઇ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આ જગ્યાએ સમારકામ કરાયું હતું. પરંતુ તકલાદી કામને કારણે ફરીથી સ્ટ્રક્ચર તૂટી જવાની સંભાવના હોવાથી સ્થાનિક ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. થોડા સમય અગાઉ જ નહેર રિપેર કરવામાં આવી છતાં ફરી એકવાર જર્જરિત હાલતમાં મૂકાતાં સ્થાનિક લોકો ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. નર્મદા મુખ્ય કેનાલ અબજો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે અને અનેક ગામોને સિંચાઇ માટે પાણી પહોંચાડે છે. તેમ છતાં આવી બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે કેનાલના અસ્તિત્વ પર જ જોખમ ઊભું થતું હોવાથી લોકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લઇ મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

યાત્રાધામ:શારદાપીઠમાં આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું વૈદિક મંત્રોચ્ચાર પૂજન, જગતમંદિરે ધ્વજારોહણ

દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ શારદાપીઠ શંકરાચાર્ય મઠ ખાતે સનાતન ધર્મના પ્રણેતા અને અદ્વૈત વેદાંતના મહાન પ્રચારક આદ્ય શંકરાચાર્યજી ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે સવારે 10:00 વાગ્યે શરૂ થયેલી આઉજવણી માં ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શારદાપીઠ ખાતે આદ્ય શંકરાચાર્યજીની પાદુકાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક પૂજન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારકાધીશ મંદિરના શિખર પર ધ્વજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પૂજારી પરિવાર દ્વારા શાસ્ત્રીય વિધિઓ અનુસાર ધ્વજાજી નું પૂજન કરવામાં આવ્યું અને ગાજતા-વાજતા ભજન-કીર્તન વચ્ચે ધ્વજાજીને મંદિરની પ્રદક્ષિણ કરાવી શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ આશ્રમોના સંતો, મહંતો, બ્રહ્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર, ભજન અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તોને અનોખી શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવતું હતું.પ઼્સંગ દરમિયાન બ્રહ્મચારી નારાયણ નંદજીએ આદ્ય શંકરાચાર્યજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેમની શિક્ષાઓ આજે માનવજીવન માટે માર્ગદર્શક છે. તેમણે ભક્તોને સંદેશ આપ્યો કે આધ્યાત્મિક મૂલ્યો અપનાવી જીવનને શુદ્ધ, સદાચારી અને કર્તવ્યનિષ્ઠ બનાવવું જોઈએ. આ આયોજન દ્વારા સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પાવન અવસર પર ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રિત આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:ચૂંટણીમાં યુવાનોની રુચિ વધી: મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 74 ઉમેદવારમાંથી 9ની ઉંમર 30થી ઓછી

મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક આવી રહી છે અને મતદાનને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે પક્ષોએ યુવા પેઢીને વધુ મહત્વ આપ્યું છે. યુવા મતદારો પણ હવે ચૂંટણી જંગમાં યુવાનો જ આવે તેવું ઇચ્છતા હોય છે અને આવા ઉમેદવારોને જ મત આપવા તરફ આકર્ષાય છે ત્યારે એ જાણવું રસપ્રદ થઇ પડશે કે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 74 ઉમેદવારે ફોર્મ ભર્યા છે જેમાં 9ની ઉંમર 30 વર્ષથી ઓછી છે. આ વર્ષે 20થી 40 વર્ષ વયના 74માંથી 29 ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. બીજી તરફ ચૂંટણી તંત્ર પણ ઈવીએમના ડિસ્પેચ અને તેને લગતી અન્ય તૈયારીમાં વ્યસ્ત થઇ ગયું છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી પ્રકિયા યોજાઈ રહી છે ત્યારે તેમના પસંદગીના ઉમેદવારોને મત આપવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી શકે છે. યુવા મતદારો ને આકર્ષવા રાજકીય પક્ષ દ્વારા પણ યુવા ઉમેદવારોને તક આપવાનો પ્રયાસ કર્યો છે. ઉંમર મુજબ જોઈએ તો 20 થી 30 વયના 9 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 31 થી 40ના 20 ઉમેદવાર, 41 થી 50 સુધીના 22 ઉમેદવાર, 51 થી 60 વયના 19 ઉમેદવાર, 61 થી 70 વયના 71થી વધુ અને 72થી વધુ વયના 1 ઉમેદવાર મેદાનમાં છે. સૌથી નાની વયના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર આરતીબેન હરેશભાઈ ગમાર 21 વર્ષના છે જેઓ જિલ્લા પંચાયતની ઘૂટું બેઠક પરથી મેદાનમાં છે. તેમના અભ્યાસ વિશે જોઈએ તો પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે . જયારે સૌથી વધુ વયના ઉમેદવાર ખાખરેચી બેઠકના સિંધાભાઈ નાનાજીભાઈ ઉપસરિયા છે જેમની ઉમર 72 વર્ષની છે. સિંધાભાઈ ઉપસરીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેનો અભ્યાસ ધોરણ 2 સુધીનો છે. જિલ્લા પંચાયતમાં સૌથી વધુ ઉમેદવાર 41 થી 50 વયની વચ્ચેના છે, જેની સંખ્યા 22 જેટલી છે. શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવામાં તમામ મુખ્ય પક્ષ હજુ પણ થાપ ખાઈ રહ્યા છે. મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો માંથી 6 ઉમેદવાર નિરક્ષર છે તો સૌથી વધુ 26 ઉમેદવાર એવા છે જેણે ધોરણ 1 થી 7 સુધીનો જ અભ્યાસ કર્યો છે. 16 ઉમેદવાર એવા છે, જે માત્ર એસ એસ સી સુધી ભણેલા છે. ઉચ્ચતર માધમિક સુધી અભ્યાસ કરનાર ઉમેદવારની સંખ્યા માત્ર 12 છે. કોલેજના પગથિયા ચઢી સ્નાતક થયેલા ઉમેદવારની કુલ સંખ્યા માત્ર 4 છે તો 7 ઉમેદવાર એવાં છે જે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે, જેમાંથી બેએ એમએસસી કેમેસ્ટ્રી કર્યું છે. એક ઉમેદવાર એમ કોમ ,એક ઉમેદવારે એમ એ સુધીનો અભ્યાસ કર્યો છે. બે ઉમેદવાર એડવોકેટ અને એક ડોક્ટર દ્વારા પણ ઉમેદવારી કરવામાં આવી છે. 2 ઉમેદવાર દ્વારા તો તેમના શિક્ષણ અંગેની કોઈ વિગત જ જાહેર કરી નથી.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

અરવલ્લી SOGનો સપાટો:માલપુરના ઉભરાણમાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈ 2.50 લાખના કડલા પડાવનાર 2 ઠગ ઝડપાયા

માલપુરના ઉભરાણમાં ત્રણ ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલા પડાવી લીધા હતા. આ આઘાત સહન ન થતાં વૃદ્ધાએ પોતાના ઘરે જઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. અતિ ચકચારીભરી આ ઘટનામાં અરવલ્લી SOGએ બાતમી આધારે મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી બે રીઢા ઠગ આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 1 કિલો ચાંદી, એક્ટિવા મળી 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં એક આરોપી હજુ ફરાર હોઇ તેને પકડવાનો બાકી છે. SOG પીઆઈ પી.બી. ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. મોડાસા સર્વોદયનગર ડુંગર તરફથી એક્ટિવા નંબર GJ-31-AB-5480 પર આવી રહેલા બે શખ્સો દેવાભાઈ ઉર્ફે ભાટીયા સલાટ અને દિલીપભાઈ સલાટને અટકાવી તેમની ઝડતી લેતાં તેમની પાસેથી 2.50 લાખની કિંમતના 1 કિલો ચાંદીના કડલા મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે તેમના અન્ય એક મિત્ર અર્જુન ઉર્ફે અજય રાઠોડ સાથે મળીને ઉભરાણ ગામની વૃદ્ધાને ઠગીને આ કડલા પડાવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઉંમરલાયક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ દાગીના પડાવી લેવાની છે. પોલીસે કુલ 3 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પકડાયેલા બે આરોપીઓ‎ 1. દેવાભાઇ ઉર્ફે ભાટીયા ધીરાભાઇ સલાટ ,2. દિલીપભાઇ મોહનભાઇ સલાટ બંને રહે.સર્વોદય નગર ડુંગરી, મોડાસા ફરાર આરોપી 1. અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ (સલાટ) હાલ. રહે. સર્વોદય નગર ડુંગરી, મોડાસા, મૂળ રહે. અમદાવાદ કુબેરનગર

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસીસ:વ્યારામાં ‘ચૂંટણી જંગ’, કોઈ કરોડોનો‎આસામી તો કોઈ પાસે સોનાના નામે 0‎

વ્યારા નગર પાલિકાની આ ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિમાં આસમાન-જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ધનવાન વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર તેજસભાઇ ચંપકભાઈ પંચાલ છે. તેમની પાસે 30 તોલા સોનું લાખની રોકડ, ₹1 કરોડની થાપણો અને અંદાજે ₹51.76 લાખની અન્ય મિલ્કતો છે. આર્થિક પ્રભાવ | ભાજપના સધ્ધર ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વધુ ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ચૂંટણીમાં દબદબો બનાવી શકે છે.શૈક્ષણિક અસર | શિક્ષિત ઉમેદવારો (LLB, BE) ની હાજરીથી પાલિકાના વહીવટી પ્રશ્નો અને કાયદાકીય સમજમાં મતદારોનો વિશ્વાસ વધી શકે છે.સ્થાનિક જોડાણ | સોનું કે મિલ્કત વગરના સામાન્ય ઉમેદવારો ‘સામાન્ય માણસ’ હોવાનું કાર્ડ રમીને ગરીબ અને મધ્યમ વર્ગના મતો મેળવી શકે છે. વ્યારા નગરપાલિકામાં આ વખતે સંપત્તિ અને શિક્ષણના સમીકરણો મૂરતિયાઓના ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ખડગેએ મોદીને આતંકવાદી કહી દીધા, પછી ફરી ગયા; ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી, ગુજરાત ATSએ બે આતંકી ઝડપ્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદનના રહ્યા. તેમણે પીએમને આતંકવાદી કહ્યા. બીજા સમાચાર મધ્ય પ્રદેશમાં પ્રથમ વખત રાત્રે લૂના એલર્ટના છે. અમે તમને એ પણ જણાવીશું કે ટ્રમ્પે ઈરાનને નવી શું ધમકી આપી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ ખુલશે. CM પુષ્કર સિંહ ધામી પણ હાજર રહેશે. 2. IPLમાં લખનઉ અને રાજસ્થાન વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી લખનઉમાં મેચ રમાશે. કાલના મોટા સમાચારો 1. મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને આતંકવાદી કહ્યા:પછી બોલ્યા- મેં આવું નથી કહ્યું, મારો મતલબ હતો કે મોદી લોકો અને પક્ષોને ડરાવે-ધમકાવે છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ચેન્નઈમાં કહ્યું- આ AIADMKના લોકો, જેઓ પોતે અન્નાદુરાઈની તસવીર લગાવે છે, તેઓ મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તે (મોદી) એક આતંકવાદી છે. જોકે બાદમાં ખડગેએ કહ્યું- PM મોદી લોકો અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ છે કે મોદી હંમેશા ધમકી આપે છે. તેમણે કહ્યું- ED, I-T અને CBI જેવી સંસ્થાઓ તેમના હાથમાં છે. તેઓ સીમાંકન પણ પોતાના હાથમાં લેવા માંગે છે. એટલે હું કહી રહ્યો હતો કે મોદી લોકો અને વિપક્ષી દળોને આતંકિત કરી રહ્યા છે. ન કે મોદી આતંકવાદી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો 44.4C:MP સહિત 8 રાજ્યોમાં રાત્રે પણ લૂ અનુભવાશે; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44C નો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6 થી 11 વાગ્યા સુધી અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી:જલ્દી મોટી ડીલ થઈ શકે છે, જો ન થાય તો અમે હુમલા માટે તૈયાર; ટ્રમ્પની ચોખવટ- સીઝફાયર નહીં લંબાવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનમાં શાસન બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે જોકે તેમણે અગાઉ આ વાત કહી નહોતી, પરંતુ હવે શાસન બદલાઈ ગયું છે. CNBC ન્યૂઝ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હાલની પરિસ્થિતિઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં એક મોટો સોદો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે કરાર પર પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દરમિયાન, અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો માટે ઈરાની પ્રતિનિધિમંડળના પાકિસ્તાન આગમન અંગે સસ્પેન્સ છે. ઈરાની મીડિયા અનુસાર, મુખ્ય વાટાઘાટ કરનાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ, વિદેશ પ્રધાન અરાઘચી અને તેમના નાયબ હાલમાં દેશમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે પૂછ્યું-મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે:સબરીમાલાના વકીલે કહ્યું- ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે, તેથી પૂજાની પ્રથા પણ તેવી જ છે સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી અને ધાર્મિક ભેદભાવ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. કોર્ટે પૂછ્યું, ‘મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે હોઈ શકે?’ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, 'શું બંધારણ તે ભક્તની મદદ માટે આગળ નહીં આવે, જેને ફક્ત તેના વંશ અને જન્મના કારણે દેવતાને સ્પર્શ કરવાથી રોકવામાં આવે છે?' આ બાબતે સબરીમાલાના વકીલ એડવોકેટ વી. ગિરીએ કહ્યું કે કોઈપણ મંદિરમાં થતા રીતિ-રિવાજો તે ધર્મનો અભિન્ન અંગ હોય છે. પૂજા દેવતાની લાક્ષણિકતાઓની વિરુદ્ધ ન હોઈ શકે. ભગવાન અયપ્પા ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ છે, તેથી ત્યાંની પરંપરાઓ તે મુજબ નક્કી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. IPL પછી તરત જ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે:ગિલ-બુમરાહને આરામ મળી શકે છે, ટેસ્ટમાં નવા ખેલાડીઓને તક મળી શકે છે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. 31 મેના રોજ IPL 2026ની ફાઇનલ છે અને ભારતીય ટીમનું આંતરરાષ્ટ્રીય કેલેન્ડર વ્યસ્ત છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે કેટલાક ખેલાડીઓને આરામ મળી શકે છે. જ્યારે, હર્ષ દુબે, આકિબ નબી અને દેવદત્ત પડિકલને તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ બોલિંગમાં સુધારો કર્યો છે, જેના કારણે તેના નામની ચર્ચા છે. પસંદગી સમિતિ ઉતાવળ કરવાને બદલે મેડિકલ ટીમની સલાહ પર નિર્ણય લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા', બે આતંકી ઝડપાયા:બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી, ગુજરાત ATSનું સિદ્ધપુર-મુંબઈમાં ઓપરેશન ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા. આરોપી આંતકવાદીઓ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી આવી છે. જેમાં આરોપીએ લખ્યું છે કે, ખૂલ્લેઆમ કાફિરો કો મારેંગે, ફીર શરિયત હોગા. આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતમાં ભાજપના સિનીયર નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા:'ભાજપ ગો બેક'ના નારા લાગ્યા, ગોરાટ હનુમાન મંદિર બચાવવા અને અશાંતધારા મુદ્દે વિરોધ ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે કહ્યું હતું કે, ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પહેલગામ હુમલાની પ્રથમ વરસી આજે, બૈસરન હજી પણ બંધ:સેનાએ કહ્યું- ભારત કંઈ ભૂલ્યું નથી; જે હદો ઓળંગશે તેને જડબાતોડ જવાબ મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : UN રાજદૂત બોલ્યા-ભારતે ઇઝરાયલની મદદ કરીને કાયદો તોડ્યો:હથિયારો મોકલવા નિયમોની વિરુદ્ધ, તેનાથી વૈશ્વિક વ્યવસ્થા નબળી પડી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાગવત બોલ્યા-વિજ્ઞાન અને ધર્મ બંનેથી શાંતિ મળી નહીં:રાજાથી વિજ્ઞાન સુધીના બધા મોડેલ નિષ્ફળ; દુનિયા હવે ભારતના જ્ઞાનથી આશા રાખી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ગુરુદ્વારામાં બે જૂથો વચ્ચે અથડામણ, 11 ઘાયલ, મીટિંગમાં બોલાચાલી બાદ મારામારી; કિરપાણથી હુમલો, ફાયરિંગ અને આંખમાં સ્પ્રે માર્યો હોવાનો પણ દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ટિમ કૂક પછી જ્હોન ટર્નસ સંભાળશે એપલની કમાન:15 વર્ષ પછી કંપનીના CEO બદલાઈ રહ્યા છે; કૂક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા: હાર્દિકે ચાલુ મેચમાં તિલકને તતડાવ્યો, સદી પછી કીસ આપી:કોણે ગિલની દાઢીની મજાક ઉડાવી?; સિનસપાટામાં વિંટી ખોવાઈ, ધંધે લાગ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુ-ચંદ્રની કૃપાથી સર્જાયો 'ગજકેસરી રાજયોગ':મિથુન-સિંહ સહિત પાંચ રાશિના જાતકોનો સુખનો સૂરજ ઊગશે, ચારેબાજુથી ધનલાભની શકયતા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ જાન લઈને DM ઓફિસ પહોંચ્યા વરરાજા ઉત્તર પ્રદેશના બાંદામાં લગ્ન પહેલા વીજળી ગુલ થઈ ગઈ હતી. આનાથી ગુસ્સે ભરાયેલા વરરાજા કુલદીપ કુમાર લગ્નની જાન જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં વિરોધ કરવા માટે લઈ ગયા હતા. વરરાજાનો દાવો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તેનું વીજળીનું બિલ બમણું થઈ ગયું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: યુદ્ધ માટે કતલની રાત:ઇસ્લામાબાદ મંત્રણા પર હજુ સસ્પેન્સ, ટ્રમ્પની ધમકીઓ અને અલ્ટિમેટમનો ઉલાળિયો, ત્રણ સવાલોએ દુનિયાને ઘુમરે ચડાવી 2. ભાસ્કર સિરીઝ: ‘આસારામના દીકરાએ વર્ષો સુધી મારી સાથે દુષ્કર્મ કર્યે રાખ્યું હતું’: FIR થતાં જ નારાયણ સાંઈ ભાગી ગયો, ₹5 લાખનું ઇનામ રખાયું 3. આજનું એક્સપ્લેનર:ચૂંટણી પછી કેટલા મોંઘા થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ; ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનથી અમેરિકા સુધી 44% કિંમતો વધી, ભારતે ભાવ કેવી રીતે રોક્યા? 4. ભાસ્કર એક્સક્લૂસિવ: 'FBI મારી પાછળ 12 વર્ષથી પડી છે':USમાં $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીઃ 'અમરેલીના ફાર્મમાં રેડ પાડી, ગુજરાતી હોવાથી હેરાન કરાયો 5. તમિલનાડુમાં BJPનું ખાતું ખોલવું મુશ્કેલ:120-140 સીટો સાથે સ્ટાલીનની વાપસીના અણસાર, થલાપતિ વિજયને 5થી 15 સીટ 6. હમ લોગ : જન્મ સમયે બાળકોને, મૃત્યુ પછી મૃતદેહને પાય છે શરાબ:કોયા લોકોમાં સગી ફઈની દીકરી સાથે લગ્ન; નિયમ તોડ્યો તો જીવતે-જી પિંડદાન 7. ભાસ્કર એક્સપ્લેનર પંખા આગ ઓકે છે, રાત્રે પણ કેમ રાહત નહીં:ભારતની ગરમ રાત્રીઓ કેવી રીતે બની રહી છે 'સાઇલન્ટ કિલર'; તેનાથી કેવી રીતે બચવું? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મકર રાશિ પર ભાગ્યની કૃપા રહેશે; કન્યા અને કુંભ જાતકોના ઘરે માંગલિક પ્રસંગોના યોગ વાંચો સંપૂર્ણ સમાચાર…

દિવ્ય ભાસ્કર 22 Apr 2026 5:00 am

ધારાસભ્ય કિરીટ પટેલના ભાજપ પર પ્રહાર:ભાજપ હિન્દુ-મુસ્લિમ કરે છે અને ભાજપના નેતાઓ મુસ્લિમ ડોક્ટરો સાથે ભાગીદારી કરીને દર મહિને 2 લાખ રૂપિયા કમાય છે

પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે કરડીયા વીર ચોક ખાતે યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર હિન્દુ-મુસ્લિમના નામે લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપના નેતાઓ પોતે વ્યવસાયિક હિતો માટે મુસ્લિમ ભાગીદારો સાથે કામ કરતા હોવાનો દાવો કર્યો હતો. આ સભા પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારો મહેન્દ્રભાઈ પટેલ, ભૂમિકાબેન પ્રતીકભાઈ પટેલ, રામાજી શામતાજી ઠાકોર અને વર્ષાબેન ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 3માં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના પ્રચારનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ એવી અફવાઓ ફેલાવે છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પાણી બંધ થઈ જશે અથવા રસ્તા સાફ નહીં થાય. ધારાસભ્યએ 2015 થી 2020 સુધીના કોંગ્રેસના શાસનનો ઉલ્લેખ કરીને પૂછ્યું હતું કે તે સમયે શું પાણીની સુવિધા બંધ થઈ ગઈ હતી? તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ પ્રજાને હિન્દુ-મુસ્લિમના નામે લડાવે છે, પરંતુ પોતાના આર્થિક લાભ માટે મેડિકલ જેવા વ્યવસાયોમાં મુસ્લિમ ડોક્ટરો સાથે ભાગીદારી કરીને દર મહિને 2 લાખ રૂપિયા જેવી રકમ કમાય છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે પાટણનો લેઉવા પાટીદાર સમાજ અને વોર્ડ નંબર 1ના રહીશો જાગૃત છે અને તેઓ આવી વાતોથી ગુમરાહ થશે નહીં. તેમણે ભાજપના નેતાઓને નૈતિકતાના આધારે આવી બેધારી નીતિ બંધ કરવા પડકાર ફેંક્યો હતો. મોંઘવારીના મુદ્દે બોલતા તેમણે કહ્યું કે રાજસ્થાનમાં 500 રૂપિયામાં ગેસનો બાટલો મળે છે, જ્યારે અહીં ગૃહિણીઓએ મોંઘા ભાવના બાટલા ખરીદવા પડે છે. તેમણે વોર્ડ નંબર 1ની પ્રજાને તમામ હકીકતોથી વાકેફ હોવાનું જણાવી કોંગ્રેસની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને મહિલાઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:23 pm

સાંસદ પૂનમબેન માડમના કોંગ્રેસ પર પ્રહારો:મહિલા આરક્ષણ બિલમાં વિપક્ષનો નકારાત્મક અભિગમ દેશની 70 કરોડ મહિલાઓ માટે અન્યાય સમાન

જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા આરક્ષણ બિલ) મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષોની સંકુચિત અને નકારાત્મક માનસિકતાને કારણે જ આ મહત્વપૂર્ણ બિલ દાયકાઓ સુધી અટકેલું રહ્યું, જેણે દેશના સર્વાંગી વિકાસમાં અવરોધ ઊભો કર્યો છે. વિપક્ષોની ઈચ્છાશક્તિના અભાવે મહિલાઓ અન્યાયનો ભોગ બનીસાંસદ પૂનમબેન માડમે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ એ માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે અનિવાર્ય શરત છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દાયકાઓ સુધી સત્તામાં રહ્યા હોવા છતાં, ઈચ્છાશક્તિના અભાવે આ બિલને લટકાવી રાખ્યું. વિરોધ પક્ષોના આ વલણને કારણે દેશની અડધી વસ્તી એટલે કે 70 કરોડથી વધુ મહિલાઓના વિકાસમાં રુકાવટ આવી છે. જો આ બિલ સમયસર પસાર થયું હોત, તો આજે સંસદ અને વિધાનસભામાં માતાઓ-બહેનોની ભાગીદારી અનેકગણી વધારે હોત. 2029ના અમલીકરણ માટે અત્યારથી જ તૈયારીઓ જરૂરી પૂનમબેન માડમે બિલના અમલીકરણ અંગે વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જો વર્ષ 2029 સુધીમાં 33% મહિલા અનામતને જમીની સ્તરે સાકાર કરવી હોય, તો અત્યારથી જ તેની વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે. અમલીકરણના મુખ્ય પાસાઓતેમણે કહ્યું કે 2011ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરીને મહિલાઓને તેમનો હક આપવાનો આ યોગ્ય સમય છે. આ પ્રક્રિયાથી દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટશે નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષો માટે બેઠકોના વિકલ્પો વધશે. નવા સેન્સસની રાહ જોવાને બદલે અત્યારથી જ પ્રક્રિયા શરૂ કરવી એ સરકારની મક્કમતા દર્શાવે છે. આ બિલ સમગ્ર રાષ્ટ્રની મહિલાઓ માટે છેસાંસદે ઉમેર્યું કે લોકસભામાં વિપક્ષ દ્વારા જે શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ખૂબ જ તાર્કિક અને મજબૂતીથી જવાબ આપ્યો છે. આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પણ સમગ્ર રાષ્ટ્રની મહિલાઓ માટે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 11:09 pm

પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત:સુરતથી 600 ગ્રામ ગાંજો લાવી રાજકોટમાં છૂટક વેચાણ કરતો રિક્ષાચાલક ઝડપાયો

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ક્રાઈમ અને અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે રૈયા રોડ પર ફોર્ચ્યુનર કારની અડફેટે એક વિકલાંગ આધેડનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત, આપઘાત અને દાઝી જવાની અન્ય ઘટનાઓએ પણ ચકચાર જગાવી છે. પોપટપરા પાસે 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયોપ્રદ્યુમનનગર પોલીસ ટીમે બાતમીના આધારે પોપટપરા સ્મશાન સામેથી બળદેવ ઉર્ફે બળીયો રાજેશ ફતેપરા (ઉ.વ. 35) નામના રિક્ષાચાલકની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 600 ગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન કબજે કર્યો છે. આરોપી આ જથ્થો સુરત રેલવે સ્ટેશન પાસેથી લાવી અહીં છૂટકમાં વેચવાનો હતો. પોલીસે સુરતના સપ્લાયરની શોધખોળ શરૂ કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. રૈયા રોડ પર હિટ-એન્ડ-રનમાં વિકલાંગ આધેડનું મોતરૈયા રોડ તુલસી સુપર માર્કેટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. 3 વર્ષ પહેલા એક અકસ્માતમાં પગ ગુમાવનાર ભગાભાઈ વરજાંગભાઇ પરમાર (ઉ.વ. 55) રોડ પર બેસીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ફોર્ચ્યુનર કાર (GJ-03-MR-4582) ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યુનિવર્સિટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કોઠારીયા વિસ્તારમાં પરિણીતાનો આપઘાતશિલ્પાબેન સુભાષભાઈ મકવાણા (ઉ.વ. 47) એ રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ગઈકાલે સાંજે 'ન્હાવા જાઉં છું' તેમ કહી ઘરમાં ગયેલા શિલ્પાબેને દવા પી લીધી હતી. હોસ્પિટલમાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. મૃતકને એક પુત્ર અને પુત્રી છે, જેમના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. આજીડેમ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. રસોઈ દરમિયાન બે લોકો દાઝ્યારાજકોટમાં રસોઈ બનાવતી વખતે બે અલગ-અલગ બનાવમાં બે લોકો દાઝી ગયા હતા. સંત કબીર રોડ પર રહેતા ભરતભાઈ પાટડીયા (ઉ.વ. 62) અથાણાંનું તેલ ગરમ કરતી વખતે તપેલું ઉભરાતા ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે ચંદ્રેશ નગરના ગીતાબેન પીઠડીયા (ઉ.વ. 48) દિવાનપરા વિસ્તારમાં રસોઈ બનાવવા ગયા હતા, જ્યાં અચાનક કુકર ફાટતા તેઓ ચહેરા અને શરીરના ભાગે દાઝી ગયા હતા. બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:44 pm

પાટીદારોને રિઝવવા CM અને કેન્દ્રીય મંત્રીની જોડી મેદાનમાં:સુરતમાં 22 અને 23 એપ્રિલે CM ભૂપેન્દ્ર પટેલની મેગા બાઈક રેલી, માંડવીયા અને રૂપાલા જંગી સભાઓ સંબોધશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપે પોતાના સૌથી મજબૂત ગણાતા પાટીદાર વિસ્તારોમાં પકડ જાળવી રાખવા પૂરી તાકાત લગાવી દીધી છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તથા પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભાઓ દ્વારા ભાજપ શક્તિપ્રદર્શન કરશે. કેન્દ્રીય નેતૃત્વનું મેદાનમાં આગમનતા. 22 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીઓની જોડી પાટીદાર બહુલ વિસ્તારોમાં સભાઓ ગજવશે. મનસુખ માંડવીયા રાત્રે 9 કલાકે મોટા વરાછાના શિવધારા ચોક ખાતે જંગી સભાને સંબોધશે. પુરુષોત્તમ રૂપાલા કતારગામ દરવાજા અને અશ્વિનીકુમારના ધરમ નગર રોડ પર સભાઓ દ્વારા 'ટ્રિપલ એન્જિન' સરકારના વિકાસના કાર્યો રજૂ કરશે. 23 એપ્રિલ મુખ્યમંત્રીની મેગા બાઈક રેલીગુરુવારે સાંજે 5 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરાછા વિસ્તારમાં જનતાની વચ્ચે સીધો સંવાદ કરવા મેગા બાઈક રેલીમાં જોડાશે. આ રેલી સીમાડા નાકાથી શરૂ થઈ નાના વરાછા, કલા કુંજ મંદિર, BAPS મંદિર, પીપી માણીયા હોસ્પિટલ અને કાપોદ્રા થઈ હીરાબાગ સર્કલ પર પૂર્ણ થશે. આ ભવ્ય રેલી દ્વારા ભાજપ વરાછાના હૃદય સમાન વિસ્તારોમાં યુવા મતદારોને આકર્ષવા અને સંગઠનની શક્તિ બતાવવા માંગે છે. વિકાસ અને 'ટ્રિપલ એન્જિન'નો એજન્ડાભાજપના પ્રચારમાં સુરત ડાયમંડ બુર્સ, મેટ્રો રેલ અને તાપી રિવરફ્રન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને સ્થાનિક નેતાઓના માઈક્રો પ્લાનિંગ હેઠળ દરેક વોર્ડમાં પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:28 pm

17 વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:ભાવનગર એલસીબીએ ઉત્તર પ્રદેશના બલિયામાંથી બંને આરોપીને દબોંચ્યા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મહત્વની કાર્યવાહીમાં વર્ષ 2009થી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી દબોચી લીધા છે. વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાયેલા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ગુનામાં આ બંને શખ્સો છેલ્લા 17 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યાવલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસના આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા. ભાવનગર એલ.સી.બી.ને આ આરોપીઓ ઉત્તર પ્રદેશમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એક વિશેષ ટીમ યુપીના બલિયા જિલ્લામાં મોકલવામાં આવી હતી. પોલીસે બલિયા જિલ્લામાં ગુપ્ત રીતે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. સતત નજર રાખ્યા બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. બંને આરોપીને વલ્લભીપુર પોલીસને સોંપવામાં આવ્યાપોલીસે બ્રિજેશકુમાર શ્રીલાલ ઉર્ફે લલીતભાઈ યાદવ (50 વર્ષ) (રહે. રામપુર, ઉદયભાન, માધવપુર, જિ. બલિયા) અને પરશુરામ સરલા પ્રસાદ ઉર્ફે અટલ પ્રસાદ ગડ (56 વર્ષ) (રહે. વરવેરા, હાલ પરિખરા, પોસ્ટ તીખામપુર, જિ. બલિયા)ની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી, ભાવનગર એલસીબી દ્વારા તેમને વધુ તપાસ અર્થે વલ્લભીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:19 pm

લેન્સકાર્ટના નિયમનકારી પરિપત્રનો વિવાદ:મોરબીમાં લેન્સકાર્ટ સામે વિહિપ-બજરંગ દળે વિરોધ કર્યો

મોરબીના રવાપર રોડ પર આવેલા લેન્સકાર્ટના શોરૂમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લેન્સકાર્ટના માલિક દ્વારા જારી કરાયેલા કથિત હિન્દુ વિરોધી પરિપત્રના વિરોધમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિરોધ લેન્સકાર્ટના માલિક પીયૂષ બંસલ દ્વારા જારી કરાયેલા કંપનીના નિયમનકારી પરિપત્રને કારણે થયો છે. આ પરિપત્રમાં હિન્દુ કર્મચારીઓને શોરૂમ પર તિલક ન કરવા, શિખા ન રાખવા, હાથમાં કલાવા ન બાંધવા અને મહિલાઓને બિંદી ન લગાવવા સૂચના આપવામાં આવી છે. જોકે, મુસ્લિમ કર્મચારીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી છે. આ કથિત હિન્દુ વિરોધી માનસિકતાના વિરોધમાં, VHP અને બજરંગ દળના આગેવાનોએ શોરૂમ પર હાજર હિન્દુ કર્મચારીઓને તિલક કરીને લેન્સકાર્ટનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં VHP અને બજરંગ દળના આગેવાનો હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે ભારતનો હિન્દુ સમાજ આવા નિર્ણયોને કોઈપણ ભોગે સહન કરશે નહીં. કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશભરના લોકોને લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી ન કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 9:02 pm

'સરકાર સામે લડવા 'ચોખ્ખા' કે 'લુખ્ખા' હોવું જરૂરી':પાટણ ધારાસભ્ય વિવાદાસ્પદ નિવેદન, કિરીટ પટેલે કહ્યું- 'સરકાર પાસે કામ કઢાવવા બે ગુણ હોવા અનિવાર્ય'

પાટણ જિલ્લા પંચાયતની બાલીસણા બેઠક અને પાંચ તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોના પ્રચાર માટે બાલીસણા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ જાહેર સભામાં સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં ધારાસભ્ય કિરીટ પટેલે રાજકીય લડત અંગે સંબોધન કરતા જણાવ્યું કે, જો કોઈએ સરકાર સામે મજબૂતાઈથી લડવું હોય અથવા સરકાર પાસેથી કામ કઢાવવું હોય તો તેની પાસે બે ગુણ હોવા અનિવાર્ય છે, જેમાં વ્યક્તિએ કાં તો સાવ 'ચોખ્ખા' હોવું જોઈએ અથવા તો સાવ 'લુખ્ખા' હોવું જોઈએ. તેમણે પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે વ્યક્તિ પાસે ગુમાવવા માટે કંઈ નથી, તેને પોલીસ કે ઇન્કમ ટેક્સ જેવી સંસ્થાઓનો કોઈ ભય રહેતો નથી અને તે નીડરતાથી લડી શકે છે. બીજી તરફ, જે વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી કે જે કોઈ વિવાદમાં ફસાયેલ નથી, તે જ મજબૂતાઈથી સરકાર સામે અવાજ ઉઠાવી શકે છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, વર્તમાન સમયમાં સરકાર સામે અવાજ ઉઠાવનારાઓની હાલત શું થાય છે તે જગજાહેર છે. પાંચ તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોના પ્રચાર માટે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્યના આ નિવેદને રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ બાદ ચૂંટણીલક્ષી માહોલ વધુ ગરમાયો છે. આ કાર્યાલય પાટણ જિલ્લા પંચાયતની બાલીસણા બેઠકના ઉમેદવાર ભરત રેવા પટેલ અને બાલીસણા-1, બાલીસણા-2, ડેર-1, ડેર-2, તથા આંબલીયાસણ તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારો મનીષકુમાર મોહનલાલ પટેલ, પ્રેમીલાબેન અમૃત પટેલ, સંગીતાબેન રણજીતજી ઠાકોર, લાલ જીવણ દેસાઈ, અને પાયલબેન બેચરજી ઠાકોરના સમર્થનમાં ખોલવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરીટ પટેલે તમામ ઉમેદવારોને વિજયી બનાવવા આહવાન કર્યું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 8:46 pm

સુરતમાં પાટિલના ગઢમાં AAPનો રોડ શો:રાષ્ટ્રીય નેતા સંજય સિંહે કહ્યું-ભાજપનું મનપાઓમાં 200 કરોડનું ફંડિગ કૌભાંડ; આખી રાષ્ટ્રીય પાર્ટી પર માત્ર 1 કરોડનો હવાલાનો આરોપ?: ગોપાલ

સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાટિલના ગઢ ગણાતા લિંબાયત વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય નેતા સંજય સિંહ, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. રેલીમાં જનમેદની જોઈને આપના નેતાઓએ સુરતમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાઓમાં 200 કરોડનું ફંડિગ કૌભાંડ: સંજય સિંહચૂંટણી પ્રચાર માટે ખાસ સુરત આવેલા આપના રાષ્ટ્રીય નેતા સંજય સિંહે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નગર નિગમોના વિકાસ માટે હજારો કરોડનું બજેટ આવે છે, પરંતુ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓના કોન્ટ્રાક્ટરો પાસેથી ભાજપે 200 કરોડનું દાન ઉઘરાવ્યું છે. આ ભ્રષ્ટાચારને અમે જનતા સામે ખુલ્લો પાડી રહ્યા છીએ. સુરતના સાથીઓ મજબૂતીથી લડી રહ્યા છે અને અહીં ચોક્કસપણે ઝાડુ ચાલશે. ચૂંટણી આવે એટલે ભાજપ જૂઠા કેસની ફેક્ટરી ખોલે છેઆપ પર લાગેલા આરોપો અંગે વળતો પ્રહાર કરતા સંજય સિંહે ઉમેર્યું કે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભાજપ આવા હથકંડા અપનાવે છે. પાયાવિહોણા અને જૂઠા કેસો બનાવીને અમારા નેતાઓને બદનામ કરવામાં ભાજપની 'એક્સપર્ટાઇઝ' છે. કેજરીવાલજીથી લઈને નાના કાર્યકર સુધી સૌને ફસાવવાનો પ્રયાસ થયો છે, પણ જનતા હવે બધું સમજે છે. પાટીલ અને હર્ષ સંઘવી જે રીતે સતત AAPનું નામ લઈ રહ્યા છે, તે સાબિત કરે છે કે તેઓ અમારાથી ડરી રહ્યા છે. ભાજપના લંગરિયાઓ વર્ષે 5 કરોડ ખાઈ જાય છે: ગોપાલ ઇટાલિયાઆપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે, ભાજપવાળાઓને શરમ આવવી જોઈએ. તેમના વોર્ડ લેવલના લંગરિયાઓ અને પ્રમુખો સુરત-અમદાવાદમાં વર્ષે 5-5 કરોડની કટકી કરી નાખે છે અને આખી રાષ્ટ્રીય આમ આદમી પાર્ટી પર માત્ર 1 કરોડનો હવાલાનો આરોપ લગાવો છો? આરોપ લગાવો તો કંઈક વ્યાજબી તો લગાવો! તેમણે કટાક્ષ કર્યો કે આ બધી તપાસ મતદાનની સાંજ સુધી જ ચાલશે, જેવું મતદાન પૂરું થશે તેવી તપાસ પણ બંધ થઈ જશે. ધંધુકા હત્યાકાંડ અને કાયદો-વ્યવસ્થા પર સવાલરાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા ઇટાલિયાએ કહ્યું કે, તપાસ કરવી હોય તો ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની હત્યા થઈ ત્યાં કરો. રાજ્યમાં ગુંડાઓ કંટ્રોલ થતા નથી, ડ્રગ્સ બેફામ વેચાય છે અને લુખ્ખા તત્વો ખુલ્લેઆમ ફરે છે. આ બધું રોકવાને બદલે સરકાર માત્ર આમ આદમી પાર્ટી પાછળ પડી છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે ગુંડા અને પોલીસના જોરે ચૂંટણી લડતી ભાજપને આ વખતે 'ઝાડુ' દબાવીને પાઠ ભણાવવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 8:38 pm

26 એપ્રિલે ચૂંટણી: હિટવેવની આગાહી, તંત્ર 'એક્શન મોડ'માં:DHO એ મતદારોને લૂ થી બચવા ખાસ અપીલ કરી

આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. કાળઝાળ ગરમી અને હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (DHO) એ મતદારોને લૂ થી બચવા અને સુરક્ષિત મતદાન કરવા ખાસ અપીલ કરી છે. DHO દ્વારા જણાવાયું છે કે, દરેક મતદાન મથક પર આરોગ્ય કર્મચારીઓ તૈનાત રહેશે. તેમની પાસે ORS, પ્રાથમિક સારવારની દવાઓ અને અન્ય જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ હશે. જો કોઈ મતદાર કે ફરજ પરના કર્મચારીને ગરમીના કારણે અસ્વસ્થતા અનુભવાય, તો તેઓ તાત્કાલિક મેડિકલ ટીમનો સંપર્ક કરી શકશે. DHO એ ખાસ કરીને વડીલો અને સિનિયર સિટીઝન્સને વહેલી સવારે, જ્યારે તાપમાન ઓછું હોય, ત્યારે જ મતદાન કરી લેવા અનુરોધ કર્યો છે. બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવા અને સતત પાણી પીતા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. સરકારની સૂચના મુજબ, જિલ્લાની તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC), સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો (SDH) અને સિવિલ હોસ્પિટલ ખાતે હિટવેવના દર્દીઓ માટે સ્પેશિયલ બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે. ગરમી સંબંધિત કોઈપણ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. હિટવેવથી બચવા માટે સવારના ઠંડા પહોરમાં મતદાન કરવું, પાણીની બોટલ સાથે રાખવી અને સતત પ્રવાહી લેતા રહેવું હિતાવહ છે. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા, માથા પર ટોપી કે રૂમાલ રાખવો જોઈએ. ચક્કર આવવા, વધુ પડતો પરસેવો થવો કે નબળાઈ લાગે તો તુરંત છાંયડે બેસી જવું અને તબીબી મદદ લેવી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 8:24 pm

સુરતમાં ભાજપના સિનીયર નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા:'ભાજપ ગો બેક'ના નારા લાગ્યા, ગોરાટમાં હનુમાન મંદિરને લઈ ચાલી રહેલો વિવાદ વકર્યો

અડાજણના અશાંતધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 11 માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને જોતા જ સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગોરાટ હનુમાન મંદિરને બચાવવા માટે લડત આપી રહેલા રહીશો અને રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે સંગ્રામ છેડાયો હતો, જેમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને મારામારીના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપના નેતાઓને ભગાડ્યા હતા. ભાજપના નેતાઓએ સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યોઅડાજણના ગોરાટ હનુમાન મંદિર ચોક પર આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. એક તરફ હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય જંગ જામ્યો હતો. પ્રચાર માટે આવેલા ભાજપના નેતાઓને જોતા જ સ્થાનિકોએ ‘ગો બેક’ ના નારા લગાવી વિસ્તાર છોડવા મજબૂર કર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે, બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપના નેતાઓએ મારામારી કર્યાનો સ્થાનિકોનો આક્ષેપઅશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાઓનું કહેવું છે કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને માર માર્યો, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં ભાજપ સામે સ્ત્રી શક્તિનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 'જયશ્રી રામ' વિરુ્દધ 'ગો બેક'નારાથી અડાલજ ગુંજ્યુંપ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય નેતાઓએ જ્યારે ‘જય શ્રી રામ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું, ત્યારે સ્થાનિકો વધુ ઉશ્કેરાયા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે, જ્યારે મંદિર જોખમમાં છે ત્યારે તમે ક્યાં હતા? લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એક બાજુ ભક્તિના નારા અને બીજી બાજુ જનતાનો વિરોધ, આ બંને વચ્ચે સ્થિતિ વણસી હતી. અશાંતધારા અને વિધર્મીઓને બિલ્ડિંગ ફાળવણીનો મુખ્ય વિવાદગોરાટ વિસ્તારમાં વિવાદનું મુખ્ય કારણ અશાંતધારા હેઠળ બનતી નવી બિલ્ડિંગો છે. સ્થાનિકોનો આરોપ છે કે, આ વિસ્તારમાં વિધર્મીઓને ફ્લેટ વેચવામાં આવી રહ્યા છે, જેની દીવાલ વર્ષો જૂના હનુમાન મંદિરને અડેલી છે. આ બાંધકામ અટકાવવા માટે જનતા છેલ્લા પાંચ વર્ષથી લડી રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગણગણાટ છે. ભાજપના ઉમેદવારે કહ્યું- 'અમારા પર હુમલો કરવામાં આવ્યો'બબાલ વધતા જ રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોનો રોષ શાંત પડ્યો ન હતો. બીજી બાજુ, ઉમેદવાર હર્ષ મહેતાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને અમે પણ ઈજાગ્રસ્ત થયા છીએ. ભક્તિના નામે વોટ માગવા આવતા નેતાઓ સામે અમારો આક્રોશ- જમીના પટેલગોરાટ હનુમાન મંદિર પાસે જ્યારે ભાજપના નેતાઓ પગે લાગવા પહોંચ્યા ત્યારે જમીના પટેલે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તેમને મંદિરમાં પગે લાગવા દીધા, પણ જ્યારે તેઓ અમારી સોસાયટીમાં પ્રચાર માટે ઘૂસવા લાગ્યા ત્યારે અમે તેમને અટકાવ્યા હતા. ભક્તિના નામે વોટ માંગવા આવતા નેતાઓ સામે અમારો આક્રોશ વર્ષો જૂનો છે.જેમીનાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ મહિલાઓ પર હુમલો કર્યો હતો. ધક્કામુક્કી દરમિયાન કેટલીક બહેનોને નખ મારવામાં આવ્યા હતા અને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓએ ભાજપના નેતાઓને કહ્યું કે, જે લોકો વટથી રામના નારા લગાવે છે, શું તેમનામાં વિધર્મીઓ દ્વારા નિર્મિત બિલ્ડિંગ સામે હનુમાન મંદિર બચાવવાની હિંમત છે? જેમીના પટેલે પડકાર ફેંક્યો હતો કે જો તમે સાચા ભક્ત હોવ તો વિધર્મીઓના બિલ્ડિંગમાં આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો, માત્ર વોટ માટે નાટક ન કરો. સ્થાનિક યુવતી આયુષી પટેલે આક્ષેપ કર્યો કે, તમે મંદિરને નીલામ કર્યું છે, તો પછી કયા હકથી અહીં આવો છો? તેણે વધુમાં ઉમેર્યું કે ભાજપના નેતાઓ અહીં પ્રચાર કરવા નહીં પણ માફિયાની જેમ ગુંડાગર્દી કરવા આવ્યા છે. યુવતીઓએ પોતાની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો ઉમેદવારો જ મહિલાઓ પર હાથ ઉપાડતા હોય તો અમે સેફ કઈ રીતે? સ્થાનિકોએ પૂર્ણેશ મોદી, હેમાલી બોઘાવાલા, વૈશાલી શાહ અને ખાસ કરીને હર્ષ મહેતાના નામ લઈને વિરોધ કર્યો હતો. આયુષી પટેલે જણાવ્યું કે હર્ષ મહેતાએ 'અમે ગાર્ડન ગ્રુપના છીએ, ગમે ત્યાં રાજ કરીશું' તેવી ધમકીઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 8:04 pm

દમણ-સેલવાસ સાયલી વચ્ચે નવી GSRTC બસ સેવા શરૂ:અસ્પી દમણિયાએ ST બસની પૂજા કરી લીલી ઝંડી બતાવી સેવાનો શુભારંભ કરાવ્યો

દમણથી સેલવાસ સાયલી વચ્ચે નવી GSRTC બસ સેવાનો 21 એપ્રિલ, 2026 ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર અસ્પી ઇ. દમણિયાના હસ્તે નાની દમણ બસ સ્ટેન્ડથી વાયા ભિલાડ આ નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી શરૂ કરવામાં આવી હતી. આ સેવા દમણ અને સેલવાસ વચ્ચે દૈનિક મુસાફરી કરતા લોકો, ખાસ કરીને નમો કોલેજના વિદ્યાર્થીઓ અને નમો હોસ્પિટલના દર્દીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. અગાઉ આ રૂટ પર માત્ર 20-25 મુસાફરોની ક્ષમતાવાળી નાની એસી બસ ઉપલબ્ધ હતી, જે વધતી મુસાફરોની સંખ્યા માટે અપૂરતી હતી. શૈક્ષણિક અને પ્રવાસન હબ તરીકે ઝડપથી વિકસી રહેલા દમણની જરૂરિયાતને પહોંચી વળવા માટે હવે 45 મુસાફરોની ક્ષમતાવાળી આ નવી બસ સેવા શરૂ કરાઈ છે. આ બસ દમણને ગુજરાત અને ભારતના અન્ય ભાગો સાથે પણ જોડવામાં મદદરૂપ થશે. કાઉન્સિલર અસ્પી દમણિયાએ પરંપરાગત પૂજા-અર્ચના કરીને અને બસને લીલી ઝંડી બતાવીને આ સેવાનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકોમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ નવી બસ દમણથી દરરોજ સવારે 6:40 અને 8:10 વાગ્યે ઉપડશે. જ્યારે સેલવાસ સાયલીથી પરત ફરવા માટે બપોરે 1:10, તેમજ 2:20 અને સાંજે 6:00 વાગ્યે બસ ઉપલબ્ધ રહેશે. આ બહેતર કનેક્ટિવિટીથી મુસાફરીનો સમય અને મુશ્કેલી ઘટશે. આનાથી લોકોની શૈક્ષણિક, તબીબી અને આર્થિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસીઓને મોટો લાભ મળશે. કાઉન્સિલરે લોકોની જરૂરિયાત સમજીને આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ GSRTC નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આવી પહેલ દમણના વિકાસમાં અને રહેવાસીઓના જીવનધોરણને સુધારવામાં મોટો ફાળો આપે છે. દમણની જનતાએ પણ પરિવહન સુવિધાને બહેતર બનાવવાના આ પ્રયાસોને ઉમળકાભેર આવકાર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:58 pm

ઉમરેઠ પેટાચૂંટણી માટે પ્રચાર શાંત:ચૂંટણી પંચ આચારસંહિતાના કડક અમલ માટે સક્રિય

આણંદ, ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, હવે ઉમેદવારો કે રાજકીય પક્ષો જાહેર સભા, રેલી કે લાઉડસ્પીકર દ્વારા પ્રચાર કરી શકશે નહીં. પ્રચારની સમયસીમા પૂર્ણ થતાં જ ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે સમગ્ર મતવિસ્તારમાંથી રાજકીય પક્ષોના બોર્ડ, હોર્ડિંગ્સ અને બેનરો યુદ્ધના ધોરણે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચની ટીમોએ જાહેર સ્થળો પરથી તમામ પ્રચાર સામગ્રી હટાવી દીધી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. હવે માત્ર ડોર-ટુ-ડોર પ્રચારને જ મંજૂરી આપવામાં આવશે. તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:56 pm

Editor's View: JD વેન્સ હિરો, ટ્રમ્પને ઠેંગો?:ઈરાને USની 5 ડેડલાઈન ઠેકાડી, ડોનાલ્ડે યુદ્ધને પણ વેપાર બનાવ્યું? કોણ કરી સટ્ટાથી બેફામ કમાણી?

સવાર પડે અને ટ્રમ્પ કોથળામાંથી બિલાડું કાઢે. ક્યારેક કહે છે હોર્મુઝ બંધ છે, ક્યારેક કહે છે ખુલ્લું છે. ક્યારેક ઇરાનને તબાહ કરવાની તો ક્યારેક ચીન બહુ જ ખુશ હોવાની વાત કરે. લોકો એ હદે કંટાળ્યા છે કે, ટ્રમ્પની ગંભીરતાથી લેવાનું જ બંધ કરી દીધું છે. બીજું. રોજ એક ડેડલાઇન. નવી ડેડલાઇન 22 એપ્રિલની છે. આવતીકાલે નક્કી થઈ જશે કે યુદ્ધ લંબાશે કે પૂરું થઈ જશે. જે કંઈ પણ થાય પણ એક વાત નક્કી છે… આ બન્નેની દુનિયા પર મોટી અસર થવાની છે ત્રીજું. કોઇ વ્યક્તિ છે જે ટ્રમ્પ પોસ્ટ કરે એ પહેલા જ માહિતી લીક કરી દે છે. અને શેર માર્કેટમાં કરોડો ડોલરની કમાણી કરી લે છે. આજે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની વિગતે વાત કરીએ. નમસ્કાર... ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આજના સમયે સૌથી મહત્વનું નામ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ છે. કારણ કે હાલની જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં જે.ડી. વેન્સની પીસમેકર પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. આવતીકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યુદ્ધ રોકવા માટે મીટિંગ થવાની છે જેની લીડરશીપ જેડી વેન્સ કરવાના છે. આ મીટિંગથી વેન્સની લીડરશીપને જ નહીં પણ મીડલ ઈસ્ટના ભવિષ્યને પણ દિશા મળવાની છે. વાત જાણે એમ છે કે આવતીકાલે બે અઠવાડિયાનો યુદ્ધ વિરામ પૂરો થઈ રહ્યો છે. યુદ્ધને પૂરી રીતે ખતમ કરવાનું હાલ ટ્રમ્પ પર દબાણ છે. સામેની બાજુ પોતાની આદતથી મજબૂર ડોનાલ્ડ ટ્રમ્પે અંદરખાને એવા મેસેજ આપ્યા છે કે જો ઈસ્લામાબાદમાં યુદ્ધ રોકવાનું કોઈ સોલ્યુશન નહીં આવે તો ફરી હુમલા ચાલુ થઈ જશે. માત્ર વેન્સ સાથે જ વાત કરીશુંઃ ઈરાનનું વેન જે.ડી. વેન્સ સામે સૌથી મોટી ચેલેન્જ ઈરાનને મીટિંગના ટેબલ પર લાવવાની છે. ઈરાન અત્યારે અમેરિકાની નૌકાબંધીને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે અને આ મીટિંગને હારની રીતે જોઈ રહ્યું છે. વેન્સ માટે આ કસોટી એટલા માટે અઘરી છે કારણ કે તેમને એક તરફ ટ્રમ્પના આક્રમક મેક્સિમમ પ્રેશર વલણને જાળવી રાખવાનું છે અને બીજી બાજુ યુદ્ધ રોકીને દુનિયાની ઈકોનોમીને બચાવવાની છે. માટે જો આ મીટિંગ ફેલ જાય, તો તેલના ભાવમાં ભડકો થવાની અને વૈશ્વિક જીડીપીમાં મોટા ઘટાડાની ભીતિ છે. વધુમાં, ઈરાન પાસે રહેલા એડવાન્સ હથિયારો અને મિસાઈલ સિટીઝના કારણે લશ્કરી કાર્યવાહી પણ જોખમી છે. જેડી વેન્સ અમેરિકાના ભવિષ્યના રાષ્ટ્રપતિ! આમ, જે.ડી. વેન્સ માટે આ માત્ર ડિપ્લોમેટીક મીટિંગ નથી, પણ એક એવી રમત છે જ્યાં સમય ઘણો ઓછો છે અને જોખમ ઘણું મોટું છે. આવતીકાલની ડેડલાઈન પહેલાં તેઓ ઈરાનને મનાવવામાં સફળ થાય છે કે કેમ, તેના પર જ હવે વિશ્વની શાંતિનો આધાર છે. જો તેઓ આમાં સફળ થશે, તો તે તેમની ડિપ્લોમસીનો સૌથી મોટી વિક્ટ્રી ગણાશે, બાકી મીડલ ઈસ્ટ ફરી એકવાર વિનાશક યુદ્ધની જ્વાળાઓમાં ધકેલાઈ શકે છે. પણ અહીં એક વાત નોટ કરવી પડી કે વેન્સ અત્યારે બે રૂપમાં છે, એક ગૂડ કોપ અને બીજું બેડ કોપ. જો કે બંને રૂપ અત્યારે મહત્વના છે. કાલે મીટિંગમાં ઈરાન આવશે કે નહીં? ખેર, છેલ્લા બે અઠવાડિયાથી સીઝફાયરના કારણે સીધા હુમલાઓ રોકાયા છે, પણ આ શાંતિ કાચના ગ્લાસ જેવી નાજુક છે. પાકિસ્તાને યુદ્ધ રોકવા વચેટિયાનો રોલ બખૂબી નીભાવવાની ટ્રાય કરી છે પણ ડોનાલ્ડ ટ્રમ્પના કડક, અસ્થિર અને તરંગી એટિટ્યૂડના કારણે યુદ્ધ રોકવાની મીટિંગ જ જ જોખમમાં મૂકાઈ છે. ટ્રમ્પે તો અગાઉ જ કહી દીધું છે કે ઈરાન યુદ્ધ રોકવામાં માનશે નહીં તો આવતીકાલે ફરી હુમલાઓ શરૂ થશે. પણ બીજી બાજુ, ઈસ્લામાબાદમાં યુદ્ધ રોકવાની મીટિંગનો બીજો રાઉન્ડ થવા જઈ રહ્યો છે, જેમાં અમેરિકા તરફથી વાત ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ રાખવાના છે. જોકે, ઈરાન મીટિંગમાં આવશે કે નહીં તેના પર મોટો સવાલ છે. ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલીબાફની વાતોથી ખબર પડે છે કે ઈરાનને શાંતિ મંત્રણામાં વધારે રસ નથી લાગતો. ઈરાનને વાંધો એ છે કે અમેરિકાએ જે હોર્મુઝમાં નાકાબંધી કરી છે તે પાછી ખેંચી લે. ઈરાનના કહેવા મુજબ આ સીઝફાયરનું ઉલ્લંઘન છે. શાંતિ મંત્રણા કે દુનિયાનું ગળું દબાવવાની ગેમ ગઈકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવા માટે મીટિંગ થવાની હતી પણ અમેરિકાએ ચીનથી આવતા ઈરાની જહાજ તોસ્કાને મધદરિયે જ રોકી લીધું અને તેનાથી ઈરાન ચીડાઈ બેઠું છે. ઈરાને ફરી હોર્મુઝ બંધ કરી દીધી છે જેના કારણે ગઈકાલે કે આજે થનાર પાકિસ્તાનની યુદ્ધ રોકવાની મીટિંગ પણ નહીં થાય. આ બધા વચ્ચે લોકો હવે મુંજાઈને બેઠા ઠે કે યુદ્ધ રોકાવાનું છે કે ચાલુ રહેશે કારણ કે, તેલ બજારમાં ઉથલ પાથલ મચી છે. યુદ્ધ રોકાય તો શું અને ન રોકાય તો શું તેની વાત કરતા પહેલા આપણે યુદ્ધની એ વાત કરીએ જે માણસાઈને લાગે વળગે છે. અત્યાર સુધીમાં યુદ્ધના કારણે 3 હજારથી વધુ લોકોના મોત થયા છે, લાખો લોકો ઘરબાર છોડીને જતા રહ્યા છે અને અબજો રૂપિયાના વિકાસને નુકસાન થયું છે તે તો અલગ જ છે. ટૂંકમાં આ કોઈ યુદ્ધ નથી પણ માણસ જાતની સભ્યતા પર આવેલી મોટી આફત છે. લાખો લોકો અત્યારે ભૂખના કારણે વલખા મારી રહ્યા છે. ટ્રમ્પની પોલિસી બાય પોસ્ટ અને ઈરાનની 'ના' હવે આપણે વાત કરીએ ટ્રમ્પની ટ્રુથ સોશિયલની ડિપ્લોમસીની. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં એક નવી પ્રકારની ડિપ્લોમસી જોવા મળી છે, જેને એક્સપર્ટ્સ ડિપ્લોમસી બાય નોટિફિકેશન કહી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર સરકારી ચેનલોને બદલે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં 15 જેટલી મોટી ધમકીઓ આપી છે. આ ધમકીઓનો ક્રમ જોઈએ તો તે ચોંકાવનારો અને આઘાતજનક છે. 28 ફેબ્રુઆરીએ ઓપરેશન એપિક ફ્યુરીની જાહેરાતથી શરૂ કરીને, 6 માર્ચે બિનશરતી શરણાગતિની માંગ અને 1 એપ્રિલે ઈરાનને સ્ટોન એજ એટલે કે ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. સૌથી ગંભીર ધમકી 7 એપ્રિલે આવી હતી, જેમાં ટ્રમ્પે લખ્યું હતું કે, જો મધ્યરાત્રિ સુધીમાં ડીલ નહીં થાય, તો આખી ઈરાની સભ્યતા નાશ પામશે. ટ્રમ્પે વર્લ્ડ લેવલે અમેરિકાની છબી ડૂબાડી પરંતુ વિરોધાભાસ એ છે કે, આટલી ગંભીર ધમકીઓ છતાં તેહરાન પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ફાઈનલ ડેડલાઈન આપે છે અને પછીના દિવસે આપોઆપ તારીખ બદલાવી લે છે ત્યારે અમેરિકાની ગ્લોબલ સુપરપાવરની છબી પર તમતમતો તમાચો છે. ઈરાન અમેરિકાને ગાંઠતું નથી એટલે હવે બીજા દેશો પણ અમેરિકાથી ડરી નથી રહ્યા. યુકે અને ફ્રાન્સ જેવા સાથી દેશો પણ હવે અમેરિકાથી ડરી નથી રહ્યા. ઈરાનનો મેક્સિમમ રેઝિસ્ટન્સ: ધમકીઓને અવગણવાની કળા ઈરાને અમેરિકાની તમામ 15 ધમકીઓને કાં તો અવગણી છે અથવા તેનો સૈન્ય રીતે જવાબ આપ્યો છે. સુપ્રીમ લીડર અલી ખામેનીના આદેશથી ઈરાને બીટવીન ધ લાઈન્સ સંદેશ આપી દીધો છે કે ઈરાન બંદૂકની છાયામાં ક્યારેય વાટાઘાટો નહીં કરે. જ્યારે ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રાખવા ધમકી આપી, ત્યારે ઈરાને તેને પોતાની ઈચ્છા મુજબ બંધ અને ચાલુ રાખીને પોતાની તાકાત બતાવી છે. 7 એપ્રિલની સભ્યતાના વિનાશવાળી ડેડલાઈન વીતી ગઈ છતાં ઈરાને એક પણ રાજદ્વારી છૂટછાટ આપી નહીં. જેના લીધે, અમેરિકાએ હુમલો કરવાને બદલે પાકિસ્તાનથી 14 દિવસનો સીઝફાયર મોકલવામાં આવ્યો હતો તે માનવો પડ્યો છે. આના જ કારણે ઈરાનને એક સાયકોલોજીકલ જીત મળી ગઈ છે. ઈરાની સંસદના સ્પીકર ગાલીબાફ આ ધમકીઓને થિયેટર એટલે કે નાટક ગણાવી દીધું છે અને કહ્યું છે કે ઈરાનની વ્યૂહરચના અમેરિકન સૈનિકોની હિલચાલ પર ડિપેન્ડ છે, કોઈ રાષ્ટ્રપતિની સોશિયલ મીડિયા પોસ્ટ પર નહીં. આ સંઘર્ષમાં અમેરિકાએ અત્યાર સુધીમાં 5 મહત્વની ડેડલાઈન નક્કી કરી હતી, જે તમામ ઈરાને ચુકી દીધી છે અથવા ધ્યાને જ નથી લીધી. બદલામાં, ટ્રમ્પે 5 વખત નવી ડેડલાઈન સેટ કરવી પડી છે. ઈરાનની તાકાત તેનું મોઝેઈક ડિફેન્સ મોડલ અમેરિકાના પ્રચંડ હુમલાઓ છતાં ઈરાન હજુ પણ કેવી રીતે ટકી રહ્યું છે? તેનું કારણ તેનું મિશાઈલ સિટીઝનું નેટવર્ક છે. રિપોર્ટ્સ મુજ ઈરાનના 60% મિસાઈલ લોન્ચર્સ અને 40% એટેક ડ્રોન હજુ પણ સુરક્ષિત છે, કારણ કે તે ઊંડા ભૂગર્ભ બંકરોમાં છુપાયેલા છે. 20 એપ્રિલના અહેવાલો મુજબ, ઈરાન અબુ મહદી ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. આ AI-ગાઈડેડ મિસાઈલ દરિયાની સપાટીથી એકદમ નજીક ઉડે છે, જે યુએસ નેવીના રડાર માટે પણ પડકારરૂપ છે. તેની રેન્જ 1,000 કિમીની છે. ઈરાન પાસે CM-302 સુપરસોનિક એન્ટી-શિપ મિસાઈલ અને પર્શિયન ગલ્ફ બેલેસ્ટિક મિસાઈલ છે, જે ખૂબ જ ઝડપે ઉડે કરે છે. આ ઝડપ અમેરિકી જહાજો માટે તેને રોકવું અશક્ય બનાવે છે. એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ અને પ્રાદેશિક જ્વાળા ઈરાન માત્ર પોતાની ધરતી પરથી જ નથી લડતું. તેણે સાબિત કર્યું છે કે તેના પરનો કોઈ પણ હુમલો પ્રાદેશિક આગ લગાડશે. યમનના હૂથી બળવાખોરો અને લેબનોનના હિઝબુલ્લાએ આ સંઘર્ષમાં ભૂસકો માર્યો છે. ગલ્ફ દેશોના એનર્જી હબ અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર હુમલા કરીને ઈરાને અમેરિકા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધાર્યું છે. જો આ દેશોમાં પાણી અને વીજળીનું સંકટ ઊભું થાય, તો અમેરિકા માટે યુદ્ધ ચાલુ રાખવું મુશ્કેલ બની જાય છે. સાયબર યુદ્ધ અને ચીનનો સાથ? ઈરાનમાં ભલે ઈન્ટરનેટ બંધ હોય, પણ તેમના સાયબર ગ્રુપ જેવા કે મડીવોટર અને હંડાલા હેક આજે પણ ઈરાનમાં એક્ટિવ છે. 11 માર્ચે યુએસ મેડિકલ ટેક કંપની સ્ટ્રાઈકર પર થયેલો વાઈપર માલવેર એટેક તેનું જીવતું ઉદાહરણ છે. વધુમાં, અમુક લીક થયેલી ઈન્ફોર્મેશન મુજબ ચીન પડદા પાછળથી ઈરાનને મિસાઈલ પ્રોપેલન્ટ, સેટેલાઈટ ઈમેજરી અને રોકેટ ફ્યુઅલ માટેના કેમિકલ્સ પૂરા પાડી રહ્યું છે, જેના કારણે અમેરિકાના આર્થિક પ્રતિબંધો ધાર્યા મુજબ અસર કરી રહ્યા નથી. બજારની પ્રતિક્રિયા: 'નોઈઝ' વિરુદ્ધ 'સિગ્નલ' ગ્લોબલ માર્કેટ અત્યારે ટ્રમ્પની પોસ્ટ્સને ગંભીરતાથી લેવાને બદલે તેને નોઈઝ એટલે કે ન પસંદ આવે એવા અવાજ તરીકે જોવાઈ રહ્યું છે. તેલના ભાવમાં દરેક પોસ્ટ સાથે 4-5% નો ઉછાળો આવે છે અને થોડી જ વારમાં તે પાછા સામાન્ય થઈ જાય છે. રોકાણકારો હવે વાસ્તવિક લશ્કરી હિલચાલની રાહ જુએ છે, સોશિયલ મીડિયાની નોટિફિકેશનની નહીં. આ સ્થિતિ અમેરિકાના આર્થિક શસ્ત્રની ધાર બુઠ્ઠી કરી રહી છે. પણ યુદ્ધ માત્ર મેદાન પર જ નથી લડાઈ રહ્યું, પરંતુ તેની સીધી અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર પડી રહી છે. BBCની એક મોટી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પોસ્ટ્સ આવવાના થોડી મિનિટો પહેલા જ બજારમાં શંકાસ્પદ અને મોટા પાયે ટ્રેડિંગ થઈ રહ્યા છે. આ ડેટા કહે છે કે કોઈની પાસે આ માહિતી અગાઉથી આવી જાય છે જે લીક કરી દે છે અને માર્કેટમાં કરોડો ડોલરનો નફો ખાઈ જાય છે. ટ્રમ્પની પોસ્ટ ને શેરબજારમાં સટ્ટો માર્ચ 9ના રોજ જ્યારે ટ્રમ્પે યુદ્ધ પૂરું થઈ ગયું હોવાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારે તે ઈન્ટરવ્યૂ લાઈવ થાય તેના 47 મિનિટ પહેલા જ તેલના ભાવ ઘટવા પર કરોડોના સેલ ઓર્ડર મુકાયા હતા. તેવી જ રીતે, 23 માર્ચે ઈરાન સાથેની વાતચીત હકારાત્મક હોવાની પોસ્ટના માત્ર 15 મિનિટ પહેલા 58 કરોડ ડોલરના કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા. સૌથી મોટો ઉછાળો 7 એપ્રિલે જોવા મળ્યો, જ્યારે સીઝફાયરની જાહેરાત પહેલા અંદાજે 95 કરોડ ડોલરનો સટ્ટો રમાયો હતો. શું આ માત્ર અકસ્માત છે કે પછી વહીવટીતંત્રમાંથી માહિતી લીક થઈ રહી છે? આ પ્રશ્ન અત્યારે અમેરિકન રાજકારણમાં તોફાન મચાવી રહ્યો છે. ઈનસાઈડર ટ્રેડિંગ પર અમેરિકાની લાલ આંખ આ ગંભીર આક્ષેપોને પગલે યુએસ કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન એટલે કે CFTCએ તપાસ શરૂ કરી છે. તેઓ ટેગ 50 આઈડેન્ટિફિકેશન ડેટાની મદદથી એવા ટ્રેડર્સને શોધી રહ્યા છે જેમણે આ ચોક્કસ સમયે સટ્ટો રમીને અબજો કે કરોડો ડોલરની કમાણી કરી છે. વ્હાઈટ હાઉસના મેનેજમેન્ટ વિભાગે 24 માર્ચે તમામ સ્ટાફને એક ઈન્ટરનલ ઈમેલ મોકલીને વોર્નિંગ આપી હતી કે સરકારી માહિતીનો ઉપયોગ કરીને જાહેર બજારમાં સોદાબાજી કરવો ગુનો છે. અમેરિકાનો BETS OFF Act આ પ્રકારના સંજોગોમાં સટ્ટાબાજી પર રોક મૂકવાની વાત કહે છે. જો તપાસમાં સાબિત થાય કે એડમિનિસ્ટ્રેશનના બાબુઓએ યુદ્ધની માહિતીનો ઉપયોગ અંગત લાભ માટે કર્યો છે, તો ટ્રમ્પ સરકારની વિશ્વસનીયતાને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થશે. ક્યાં બીજા રાષ્ટ્રપતિ અને ક્યાં ટ્રમ્પ! પોલિટિકલ એક્સપર્ટ્સ ટ્રમ્પના નેતૃત્વની સરખામણી રૂઝવેલ્ટ, રીગન અથવા ઓબામા જેવા પુરોગામીઓ સાથે કરી રહ્યા છે. જ્યાં અગાઉના રાષ્ટ્રપતિઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલથી ગણતરીપૂર્વકની વ્યૂહાત્મક સ્થિરતા જાળવતા હતા, ત્યાં ટ્રમ્પની શૈલી સંપૂર્ણપણે ટ્રાન્ઝેક્શનલ એટલે કે સોદાબાજી પર ટકેલી છે. તેઓ આ યુદ્ધને લોકશાહીના મૂલ્યોને બદલે આર્થિક માપદંડો, જેમ કે તેલના ભાવ કે ટેરિફ સાથે જોડે છે. અગાઉના નેતાઓ અમેરિકા શબ્દ વાપરતા હતા, જ્યારે ટ્રમ્પ તેમની પોસ્ટમાં પોતાના નામનો વધુ પડતો ઉપયોગ કરે છે. ટ્રમ્પ પોતાનીની મેડમેન થીયરી હેઠળ દુશ્મનને અસમંજસમાં રાખવા માંગે છે, પણ આ વ્યૂહરચનાથી સાથી દેશોમાં પણ ગભરાટ ફેલાયો છે. અમેરિકાનો સુપરપાવર ખોખલો થઈ જશે? વર્લ્ડ ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે આવતીકાલની બુધવારની ડેડલાઈન એ માત્ર ઈરાન માટે જ નહીં, પણ અમેરિકા માટે પણ કસોટી સમાન છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર ISWના રિપોર્ટ મુજબ, જો આ વખતે પણ ધમકી આપ્યા બાદ ટ્રમ્પ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો અમેરિકાની સૈન્ય ધમકીઓની અસર કાયમ માટે ખતમ થઈ જશે. તેને નિષ્ણાતો ડિટરન્સ ડેફિસિટ કહે છે. બીજી બાજુ ઈરાને જી રીતે હોર્મુઝની સ્ટ્રેટમાં ચીની ટેન્કર્સ પાસેથી પણ ફી વસૂલ્યાની વાતો આવી રહી છે. ચીન અને રશિયા જેવા દેશો હવે વોશિંગ્ટનને બદલે પાકિસ્તાન જેવા ઓપ્શનલ મધ્યસ્થી પર વધુ વિશ્વાસ રાખી રહ્યા છે જે અમેરિકાના ડોમિનન્સ માટે મોટો ફટકો છે. મોતનો મલાજો નહીં, યુદ્ધ એ પતનની ગાથા જ્યારે આપણે યુદ્ધની વાત કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન માત્ર મિસાઈલ અને બોમ્બમારા પર હોય છે, પરંતુ 2026ના આ સંઘર્ષે સાબિત કર્યું છે કે આધુનિક યુદ્ધ સંસાધનોથી પણ લડાય છે. 21 એપ્રિલની આ સવારે જ્યારે આપણે 22 એપ્રિલની ડેડલાઈન તરફ વધી રહ્યા છીએ, ત્યારે આંકડાઓ માત્ર મોતનો મલાજો નથી જાળવતા, પણ એક આખી સભ્યતાના આર્થિક અને સામાજિક પતનની ગાથા લખી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે આ સંઘર્ષમાં ઈરાને જે રીતે કુવૈત અને કતારના ડિસેલિનેશન પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે, તે યુદ્ધના ઈતિહાસમાં એક નવો અને ભયાનક વળાંક છે. મધ્ય-પૂર્વના દેશો માટે પીવાનું પાણી એ તેલ કરતાં પણ વધુ કિંમતી છે. જો આ યુદ્ધ લંબાશે, તો લાખો લોકો માટે પીવાના પાણીનું સંકટ ઊભું થશે. યુદ્ધથી બેઠું થતાં વર્ષો લાગી જશે? એક્સપર્ટ્સના મતે, આ પ્લાન્ટ્સ પરના હુમલાને કારણે માત્ર ઈરાનમાં જ નહીં પણ પાડોશી આરબ દેશોમાં પણ કાયમી માનવીય આપત્તિ સર્જાઈ શકે છે. IMFના અંદાજ મુજબ, મધ્ય-પૂર્વમાં થયેલા વિનાશને ફરીથી બેઠો કરવા માટે આગામી 15 વર્ષમાં 600 બિલિયન ડોલરથી વધુનો ખર્ચ થશે. આ રકમ આખા વિશ્વના ઘણા નાના દેશોના કુલ જીડીપી કરતા પણ વધુ છે. એકલા ઈરાને જ પોતાની સૈન્ય અને નાગરિક માળખાકીય સુવિધાઓને પુનર્જીવિત કરવા માટે 270 બિલિયન ડોલરની જરૂર પડશે. આ બધુ કહી જાય છે કે હવે આ યુદ્ધ કાં તો લો લેવલનું ફ્રોઝન કોન્ફ્લિક્ટ બની ગયું છે અથવા ત્સુનામી પહેલાની શાંતિ છે. જે કંઈ પણ હોય આવતીકાલે બધુ ક્લિયર થઈ જશે કે શાંતિ થશે કે બોમ્બ ફૂટશે. અને છેલ્લે... અમેરિકા, ચીન, પાકિસ્તાન, યુએઈ, કેનેડા, બ્રિટન અને ફ્રાન્સ સહિત દુનિયાના લગભગ 120 દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. પણ જોવા જેવી વાત એ છે કે ભારતમાં તેલના ભાવમાં 1 રૂપિયો પણ નથી વધ્યો. સારી વાત છે…. પણ સવાલો અત્યારે એ થઈ રહ્યા છે કે જેવી 5 રાજ્યોની ચૂંટણી પતી જાય તેવા જ પેટ્રોલ ડીઝલના ભાવ બીજા દેશોની જેમ ક્યાંક ભારતમાં પણ નહીં વધી જાય ને? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:55 pm

ગોધરામાં ભયજનક બિલ્ડિંગમાં મતદાન મથક:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્ય ચૂંટણી આયોગે 2 બૂથ રદ કર્યા

દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્ય ચૂંટણી આયોગે ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલા બે મતદાન મથકો રદ કરવાનો આદેશ કર્યો છે. આ બૂથ ભયજનક જાહેર કરાયેલી ઇમારતમાં બનાવવામાં આવ્યા હતા. આયોગે હવે તાલુકા પંચાયત બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના આપી છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માટે બૂથ નંબર 8 અને 9 એક એવી ઇમારતમાં નક્કી કરાયા હતા, જે તાલુકા પંચાયત હસ્તકની છે અને પ્રશાસન દ્વારા તેને 'ભયજનક' (જર્જરિત) જાહેર કરવામાં આવી હતી. આ સ્થિતિ હોવા છતાં, નગરપાલિકાના ચૂંટણી અધિકારીએ સ્થળ તપાસ કર્યા વિના જ મતદારોની સલામતી જોખમમાં મૂકીને આ જર્જરિત ઇમારતમાં મતદાન મથકો ઊભા કર્યા હતા. દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગે તાત્કાલિક પગલાં લીધા હતા. આયોગે સંબંધિત તંત્રને પત્ર પાઠવીને સ્પષ્ટ આદેશ આપ્યો કે, મતદારોની સલામતી અને સુરક્ષાને સર્વોપરી રાખીને વોર્ડ નંબર 9 ના બૂથ નંબર 8 અને 9 ને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવે. નોંધનીય છે કે વોર્ડ નંબર 9 માં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો મતદાન કરવા આવે છે. આવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા લેવાયેલા આ પગલાની સ્થાનિક સ્તરે સરાહના થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:53 pm

ગોધરામાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓનું મતદાન પૂર્ણ:324 પોસ્ટલ બેલેટ દ્વારા સુરક્ષાકર્મીઓ અને કર્મચારીઓએ મત આપ્યા

ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફરજ પર તૈનાત કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પૂર્ણ થયું છે. આ પ્રક્રિયામાં કુલ ૩૨૪ પોસ્ટલ બેલેટ નોંધાયા હતા. ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો પોતાનો મતાધિકાર ગુમાવે નહીં તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગોધરા ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે એક ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં પોલીસ વિભાગના અધિકારીઓ, હોમગાર્ડના જવાનો અને ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાલમાં, આ તમામ પોસ્ટલ બેલેટને સીલબંધ કરીને ચૂંટણી પંચના નિયમો અનુસાર સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ બેલેટની ગણતરી મતગણતરીના દિવસે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:40 pm

મહિસાગરમાં ચૂંટણી સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું:કલેક્ટર અર્પિત સાગરે મતદાન મથકની મુલાકાત લીધી

મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા ખાતેના પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી. ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા પોલીસકર્મીઓ અને મતદાન મથકના સ્ટાફે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. આ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લુણાવાડાની વાઇબ્રન્ટ વેવ્સ સ્કૂલ ખાતે ખાસ મતદાન મથક ઊભું કરાયું હતું. મહિસાગર જિલ્લામાં લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની પેટાચૂંટણી, જિલ્લા પંચાયતની 28 બેઠકો અને આઠ તાલુકા પંચાયતો (કડાણા, સંતરામપુર, ગોધર, ખાનપુર, લુણાવાડા, કોઠંબા, બાલાસિનોર અને વિરપુર)ની કુલ 150 બેઠકો માટે મતદાન થશે. પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા કર્મચારીઓએ અન્ય મતદારોને પણ 26 એપ્રિલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જે તંદુરસ્ત લોકશાહી માટે મહત્વપૂર્ણ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:29 pm

મોરબીમાં 24 ભાજપ આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ:3 પૂર્વ પ્રમુખ સહિત 24 આગેવાનોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી હતી

મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે મોરબી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. મોરબી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 24 આગેવાનો સામે ભાજપે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ આ તમામ 24 કાર્યકરોને પક્ષમાંથી 6 વર્ષ માટે નિષ્કાસિત (સસ્પેન્ડ) કરવાનો આદેશ કર્યો છે. ટિકિટની ખેંચતાણ અને બળવો મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં 427 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી હતી, જેની સામે પક્ષે 52 ઉમેદવારોની પસંદગી કરી હતી. ટિકિટ ન મળતા અનેક પીઢ આગેવાનો અને તેમના પરિવારજનોએ નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પક્ષ દ્વારા આ આગેવાનોને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા અંતે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા મુખ્ય આગેવાનોની યાદી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં નગરપાલિકાના 3 પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના 1 પૂર્વ ચેરમેનનો સમાવેશ થાય છે: મોરબી શહેર: દેવા પરબત અવાડિયા (પૂર્વ પ્રમુખ), લલીત કામરીયા (પૂર્વ પ્રમુખ), અનોપસિંહ સાજુભા જાડેજા (પૂર્વ પ્રમુખ). પૂર્વ સભ્યો: આસિફ રહીમ ઘાંચી, રાજેશ ચીમનલાલ રામાવત, નિર્મલા મોરારજી કંઝારીયા, નરેન્દ્ર લાલજી પરમાર અને ગીરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલા. અન્ય આગેવાનો: અમિત દેવા અવાડિયા, વનિતા મુકેશ ગામી, સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા, હરીશ મોતી રાતડીયા અને સીતાબા અનોપસિંહ જાડેજા. વાંકાનેર શહેર: દર્શના વિશાલ સંઘવી, જયશ્રી જયસુખ સેજપાલ અને મીનાક્ષી કાંતિલાલ વોરા. જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો નગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયતની બેઠકો પર બળવો કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ છે: ચંદ્રિકા નથુ કડીવાર (પૂર્વ ચેરમેન, જિલ્લા પંચાયત) અને તેમના પતિ નથુ ભુરા કડીવાર. કેતન રમેશ વિડજા (જુના ઘાટીલા તાલુકા પંચાયત). પ્રવીણ અરજણ અવાડિયા (ખાખરેચી જિલ્લા પંચાયત). કાંતિલાલ નાનજી દેત્રોજા (વેજલપર તાલુકા પંચાયત). ગોરધન પોલા સરવૈયા (કોઠી જિલ્લા પંચાયત). ભાવના ભરત કાંકરેચા અને કાળુ મેરૂ કાંકરેચા (ઢુવા જિલ્લા પંચાયત). યુસુફ મિરાજી શેરસીયા (ચંદ્રપુર જિલ્લા પંચાયત). ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના આ કડક વલણે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સ્તરના નેતાને છોડવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંકેત સંગઠન દ્વારા આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:28 pm

ધરમપુરમાં શ્રી રામકૃષ્ણ મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ:સ્વામી નિખિલેશ્વરાનંદએ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા કેન્દ્ર ગણાવ્યું

રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાજમહેલ રોડ પર નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ વૈદિક વિધિ અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વારાણસી અદ્વૈત આશ્રમના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદ અને રાજકોટ રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં રીબન કાપી તેમજ તકતીનું અનાવરણ કરી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક વાતાવરણસમારોહની શરૂઆતમાં 9 જેટલા સન્યાસીઓ અને ગુજરાત રામકૃષ્ણ ભાવપ્રચાર પરિષદના સભ્યોએ ભક્તો સાથે મંત્રોચ્ચાર વચ્ચે મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પૂજા, હવન અને ભોગ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. સંતોના આશીર્વચનજાહેરસભાને સંબોધતા સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે, ધરમપુરમાં ઠાકુરના આગમનથી આ સ્થાન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. અહીં પ્રાર્થના અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થશે. ઉદ્ઘાટક સ્વામી વિશ્વાત્માનંદે ઉમેર્યું હતું કે, રામકૃષ્ણ પરમહંસના દ્વાર તમામ ધર્મના લોકો માટે ખુલ્લા છે અને અહીંથી વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. મહાનુભાવોની ઉપસ્થિતિકાર્યક્રમ દરમિયાન સંસ્થાના સ્થાપક ડૉ. દોલત દેસાઈએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ સિવાય વિવિધ કેન્દ્રોના સંતો જેવા કે: વગેરેએ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા. વ્યાપક લોકભાગીદારીઆ પ્રસંગે ટ્રસ્ટના રાહુલ વસાણી, મુકેશ મેરાઈ, ગીરીશ સોલંકી, હિતેષ મેરાઈ, ઉદય પટેલ, હિરેન પટેલ સહિતના ટ્રસ્ટીઓ, નગરના અગ્રણીઓ, પાલિકા સદસ્યો, સામાજિક કાર્યકર્તાઓ અને આદિવાસી વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે કરી હતી. ઉપસ્થિત જનમેદનીએ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા આ મંદિરને ધરમપુરની આધ્યાત્મિક ધરોહર ગણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:23 pm

રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવ્યો:પાલડીની લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં ઇડલી-સંભારનું ભોજન અપાયું

રાહી ફાઉન્ડેશન દ્વારા પાલડી સ્થિત લર્નિંગ ક્લિનિક સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોને ઇડલી-સંભારનું ભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર પૂરો પાડવાનો હતો. આ કાર્યક્રમ સ્વ. ભગવતીબેન બળવંતરાય જાની પરિવારના સહયોગથી યોજાયો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ અને સહયોગી પરિવારના સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લર્નિંગ ક્લિનિક સ્કૂલના કુસુમબેન અને સ્ટાફનો કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:20 pm

એચ.એ. કોલેજમાં 'આજનું યુથ અને સોશિયલ મીડિયા' પર વક્તવ્ય:પ્રિન્સિપાલે સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા સમજાવ્યા

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ તેના 70 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ નિમિત્તે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, કોલેજમાં આજનું યુથ અને સોશિયલ મીડિયા વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના ઉદયથી ક્રાંતિ આવી છે. તેના વિવિધ પ્લેટફોર્મ્સના ઉપયોગથી ઘણા ફાયદા પણ થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શૈક્ષણિક અને વ્યાપારિક દ્રષ્ટિએ સરળતા અને પ્રગતિ શક્ય બની છે. ઇન્ટરનેટની સુવિધાને કારણે મિત્રો સાથે સંવાદ, કુટુંબ સાથેના સંબંધો અને વ્યવસાયમાં પણ ફાયદો થઈ શકે છે. યુવાનો પોતાની આવડત કે સ્કિલને લોકો સુધી પહોંચાડી શકે છે અને કંપનીની બ્રાન્ડનો પ્રચાર-પ્રસાર પણ કરી શકે છે. જોકે, પ્રિન્સિપાલ વકીલે ચેતવણી આપી હતી કે આજનો યુવાન તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર બધું નિર્ભર છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી હતાશા, ચિંતા અને ડિપ્રેશન આવી શકે છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. સામાજિક સંબંધો બગડવાનું કારણ પણ તે સાબિત થાય છે. યુવાનો પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. આ બધી નકારાત્મક અસરોથી બચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમયપૂર્વક કરવો જોઈએ અને સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જેથી આત્મવિશ્વાસથી જીવન સફળ બનાવી શકાય છે. કાર્યક્રમના અંતે કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:18 pm

વલસાડના ઊંટડીમાં વકફ બોર્ડની જમીન ખાનગી બતાવી પધરાવી દીધી:નાયબ કલેક્ટરે ₹42.69 લાખની જમીનની નોંધ નામંજૂર કરી, મસ્જિદ ટ્રસ્ટની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી

વકફ બોર્ડની જમીન ખાનગી માલિકીની હોવાનું જણાવી તેના નકલી કાગળો બનાવી જમીન શાહ પરિવારને વેચીનાખી હતી. વલસાડ તાલુકાના ઊંટડી ગામે વકફ બોર્ડ હસ્તકની મિલકતને પોતાની અંગત મિલકત ગણાવી, ખોટા દસ્તાવેજો ઊભા કરી ₹42.69 લાખમાં વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે મસ્જિદ ટ્રસ્ટની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી નાયબ કલેક્ટરે વેચાણ ફેરફાર નોંધ નં. 5481ને નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. સમગ્ર મામલો ​શું છે?​ઊંટડી ગામની વિવાદિત જમીન બાબતે 'ઉંટડી સુન્ની જમાત મસ્જિદ ટ્રસ્ટ'ના ટ્રસ્ટી મોહમ્મદ હિદાયત કાસમભાઈ કાવલાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, જે જમીનનો સોદો કરવામાં આવ્યો છે તે ખરેખર વકફની મિલકત છે. સામાવાળાઓના પૂર્વજો આ જમીનમાં માત્ર ટ્રસ્ટી અથવા મુતવલ્લી તરીકે કાર્યરત હતા, પરંતુ તેઓએ ગેરકાયદેસર રીતે વારસાઈના આધારે પોતાના નામ દાખલ કરાવી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હતો. ​₹42.69 લાખની છેતરપિંડી​ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મિલકત પોતાની માલિકીની હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. જેના બદલામાં ₹42,69,397/- (બેતાલીસ લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો સત્તાણું) ની રકમ બેંક મારફતે ચૂકવવામાં આવી હતી. આ સોદાના આધારે મહેસૂલી રેકોર્ડમાં નોંધ પણ પાડવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટની જાગૃતતાને કારણે સમગ્ર ખેલ ખુલ્લો પડ્યો છે. ​વકફ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી​નાયબ કલેક્ટર વલસાડની કોર્ટમાં ચાલેલા આ કેસમાં મહત્વના તારણો સામે આવ્યા છે: ​ટ્રસ્ટીને વેચાણનો હક નથી: જે વ્યક્તિ કસ્ટોડિયન કે મુતવલ્લી હોય, તે મિલકત વેચી, ગીરો રાખી કે બક્ષીસ આપી શકતા નથી. ​કલમ 51નું ઉલ્લંઘન: વકફ એક્ટ 1995ની કલમ-51 મુજબ વકફ બોર્ડની મંજૂરી વિના મિલકતની તબદીલી ગેરકાયદેસર ગણાય છે. ​નોંધ નામંજૂર: કોર્ટે અવલોકન કર્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ વેચાણ વ્યવહાર ગેરકાયદે હોવાથી ફેરફાર નોંધ નં. 5481 (તા. 25/11/2025) ને નામંજૂર કરવામાં આવે છે. ​મિલકત વકફની હોવાથી આરોપીઓને તે વેચવાનો કોઈ કાયદેસરનો હક પ્રાપ્ત થતો નથી. ટ્રસ્ટની રજૂઆતો સાચી જણાતા અમે વેચાણ નોંધ રદ કરવાનો આદેશ કર્યો છે. — વિમલ પટેલ, નાયબ કલેક્ટર, વલસાડ

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:18 pm

શ્રેયાંસ સ્કૂલ દ્વારા ફ્રી સમર કેમ્પ:27 એપ્રિલથી 2 મે સુધી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

શ્રેયાંસ સ્કૂલ દ્વારા ૨૭ એપ્રિલ, ૨૦૨૬ થી ૨ મે, ૨૦૨૬ દરમિયાન ફ્રી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે અને તેમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. આ સમર કેમ્પમાં પપેટ શો, રોબોટિક્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, યોગ, વિજ્ઞાનના પ્રયોગો, સ્પોર્ટ્સ અને ડાન્સિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આયોજકોનો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ બાળકો આ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લે અને તેમને આનંદમય વાતાવરણ પૂરું પાડવામાં આવે. આ કેમ્પનો લાભ કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ લઈ શકે છે.આ સમર કેમ્પના આયોજન માટે જરૂરી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:14 pm

દીકરીઓ પપ્પા માટે જીવનસાથી શોધવા આવી:અનુબંધ ફાઉન્ડેશનનું 95મું સંમેલન ભીલવાડામાં, ચિત્તોડગઢ ટૂર પણ યોજાઈ

અમદાવાદ સ્થિત અનુબંધ ફાઉન્ડેશન દ્વારા ભીલવાડામાં ૯૫મું વરિષ્ઠ નાગરિક જીવનસાથી પસંદગી સંમેલન ૧૯ એપ્રિલ, રવિવારના રોજ મહેશ્વરી ભવન, નાગોરી ગાર્ડન ખાતે યોજાયું હતું. ભીલવાડામાં આ પ્રકારનું સંમેલન પ્રથમવાર આયોજિત થયું હતું. આ સંમેલન ૫૦ થી ૮૦ વર્ષના કુંવારા, ડિવોર્સી, વિધવા અને વિધુર માટે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ પટેલ, સેક્રેટરી ભુપતભાઈ સોની, કિન્નરી લાખાણી, હેમા કક્કડ સહિતના કાર્યકરો અને ભીલવાડાના અશોક જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, છત્તીસગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાંથી ૧૦૦ ભાઈઓ અને ૨૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંમેલનની એક નોંધનીય બાબત એ હતી કે ઉદયપુર અને દૌસાથી બે દીકરીઓ પોતાના પપ્પા માટે જીવનસાથી શોધવા હાજર રહી હતી. આ ઉપરાંત, એક ૭૯ વર્ષની માતા પોતાની ૫૧ વર્ષની દીકરી માટે જીવનસાથીની શોધમાં હતી, જ્યારે દિલ્હીના ૬૦ વર્ષના લોકસભાના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી અનિલકુમાર પણ પોતાના માટે જીવનસાથી શોધવા સંમેલનમાં આવ્યા હતા. આ સંમેલનમાંથી ૬ યુગલો બનવાની સંભાવના છે. સંમેલન સાથે ઉમેદવારો માટે એ.સી. કાર દ્વારા ચિત્તોડગઢ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સાથે રહેવાથી એકબીજાનો સ્વભાવ અને રહેણીકરણી જાણ્યા બાદ લગ્ન કરવા હિતાવહ છે. ઉમેદવારોએ સાંવરિયા શેઠ મંદિર, મીરાં મંદિર, કીર્તિ સ્તંભ, રાજા રતનસિંહ મહેલ, વિજય સ્તંભ, રાણી પદ્મિની જોહર સ્થળ અને ચિત્તોડગઢ કિલ્લા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ચિત્તોડગઢના પ્રખ્યાત રાજસ્થાની ભોજન, આઈસ્ક્રીમ અને ઠંડી લસ્સીનો પણ આનંદ માણ્યો હતો. અનુબંધ ફાઉન્ડેશન દ્વારા આગામી સંમેલન જૂન મહિનામાં બેંગલોર ખાતે આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:13 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીના 3 રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ:6304 માંથી માત્ર 198 પેપર પસંદ થયા

સિલ્વર ઓક યુનિવર્સિટીના કોલેજ ઑફ ટેક્નોલોજીના IEEE વિદ્યાર્થી સભ્યોએ ચેન્નાઈમાં યોજાયેલી RMKMATE’26 IEEE આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ત્રણ રિસર્ચ પેપર સફળતાપૂર્વક રજૂ કર્યા છે. આ કોન્ફરન્સ અત્યંત સ્પર્ધાત્મક હતી, જેમાં કુલ 6,304 રિસર્ચ પેપર સબમિટ થયા હતા. તેમાંથી માત્ર 198 પેપર પસંદ કરવામાં આવ્યા હતા, જેનો સ્વીકૃતિ દર માત્ર 3.14% હતો.આ આંતરરાષ્ટ્રીય મંચ પર 14 દેશો અને ભારતના 28 રાજ્યોના પ્રતિભાગીઓએ સક્રિય ભાગ લીધો હતો, જે તેની વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે. આ સિદ્ધિ IEEE સિલ્વર ઓક યુનિવર્સિટી સ્ટુડન્ટ બ્રાન્ચના રિસર્ચ અભિયાન હેઠળ હાંસલ થઈ છે. કોલેજ ઑફ ટેક્નોલોજીના ડીન ડૉ. સાત્વિક ખારા અને પ્રોફેસર ગૌરવ ધ્રુવનારાયણ તિવારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સંયુક્ત સંશોધન પ્રયાસોનું આ પરિણામ છે. સ્વીકારાયેલા ત્રણ પેપરમાંથી એક પેપર કોન્ફરન્સ સ્થળે ઑફલાઇન રજૂ કરાયો હતો, જ્યારે બાકીના બે પેપર ઑનલાઇન રજૂ કરવામાં આવ્યા હતા.આ સફળતા આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર ઓક યુનિવર્સિટીની સંશોધન સંસ્કૃતિ, નવીનતા અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:09 pm

પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો:વ્યારાના વાઘપાણીમાં પાણી ભરેલી ખીણમાં ધક્કો મારી દીધો હતો, અઢી મહિને 4 આરોપીની ધરપકડ

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાઘપાણી ગામે 5 ફેબ્રુઆરીના રોજ પથ્થરની ખાણમાંથી મળી આવેલી યુવકની લાશના કેસમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. શરૂઆતમાં અકસ્માત જણાતી આ ઘટના સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું છે. મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી અને અન્ય સાગરીતો સાથે મળી પતિને રસ્તામાંથી હટાવવા આ કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે પત્ની સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. અકસ્માત નહીં, ઠંડા કલેજે કરેલી હત્યાગત 5 ફેબ્રુઆરીએ વાઘપાણી ગામની સીમમાં આવેલી અવાવરુ પથ્થરની ખાણના પાણીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, ઘટનાના સંજોગો શંકાસ્પદ જણાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR)ના આધારે તપાસ તેજ કરી હતી. મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સથી ફૂટ્યો ભાંડોપોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાના દિવસે મૃતકની પત્ની અને તેનો પ્રેમી સતત એકબીજાના સંપર્કમાં હતા. ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે શંકાસ્પદોની કડક પૂછપરછ કરતા સમગ્ર કાવતરું છતું થયું હતું. હત્યા પાછળનું કારણતપાસ મુજબ, મૃતકની પત્નીને અન્ય યુવક સાથે આડાસંબંધો હતા, જેમાં પતિ નડતરરૂપ બનતો હતો. આથી પત્ની અને તેના પ્રેમીએ પતિની હત્યા કરવાનું નક્કી કર્યું. યોજના મુજબ, પ્રેમી અને તેના સાગરીતોએ મૃતકને ફોન કરી ખાણ પાસે બોલાવ્યો હતો અને ત્યાં તેને પાણી ભરેલી ઊંડી ખાણમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ આરોપીઓની કરી ધરપકડવ્યારા પોલીસે હત્યાના આ ગુનામાં સામેલ 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે: હાલમાં પોલીસે ચારેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:08 pm

વેરાવળમાં વર્કશોપ બહાર ત્રણ વાહનોમાં આગ:ડારી વાયરલેસ ઓફિસ સામેના બોડી વર્કશોપમાં ઘટના

વેરાવળના ડારી રોડ પર વાયરલેસ કચેરી સામે આવેલા એક વાહન બોડી રિપેરિંગ વર્કશોપની બહાર પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટના કામ ચાલુ હતું તે દરમિયાન બની હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ રોડ પર એક મોટી શાળા આવેલી છે અને વાહનોની સતત અવરજવર રહે છે. વર્કશોપના માલિકે સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતા મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:07 pm

ટુવા એન્જિનિયરિંગ કોલેજમાં એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર:નેનો ટેકનોલોજી અને ગ્રીન એન્જિનિયરિંગ પર ચર્ચા કરાઈ

ટુવા એન્જિનિયરિંગ કોલેજ ખાતે નેનો ટેકનોલોજીમાં નવો યુગ તેમજ ટકાઉ અને ગ્રીન એન્જિનિયરિંગ પ્રેક્ટિસ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારના પ્રથમ સેશનમાં વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાતોએ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જેમાં ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાના પ્રો. ડો.કમલેશ ચૌહાણ, એસ.પી.યુનિવર્સિટી, આણંદના ડો.યતી વૈદ્ય અને ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાના પ્રોફેસર ડો.દત્તાત્રેય સુબેદારનો સમાવેશ થાય છે. કાર્યક્રમના પ્રારંભે પંચમહાલ જિલ્લા શિક્ષણ પ્રચારક મંડળ, ટુવા એન્જિનિયરિંગ કોલેજના પ્રેસિડેન્ટ જે.આર. પટેલ અને આર.આર. પટેલના માર્ગદર્શન હેઠળ મહાનુભાવોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હર્ષ આર. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં 102 વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. સેમિનારનું આયોજન કન્વીનર ડો. દિવ્યેશકુમાર દવે અને કો-ઓર્ડીનેટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભૂમિકા જોષી દ્વારા કરાયું, જ્યારે પ્રો. સંદીપ પટેલે આભાર વિધિ કરી હતી. વિદ્યાર્થીઓએ આવા જ્ઞાનવર્ધક સેમિનારના આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:04 pm

ટ્રેલરના ટાયર નીચે યુવકે પડતું મૂક્યું, 20 ફૂટ ઢસડાયાના CCTV:બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, મહેસાણા-ઊંઝા હાઈવે પર રૂંવાડા ઊભા કરી દેતી ઘટના

મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેતન પટેલ નામના એક યુવાને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે ઝંપલાવી પોતાનું જીવન ટુકાવી લીધું છે. જેમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હાઇવે પરથી પસાર થઈ રહેલા જીજે 06 એઝેડ 1932 નંબરના ટ્રેલરની આગળ યુવાને અચાનક આવીને પડતું મૂક્યું હતું. જે યુવાન 20 ફૂટ ઢસડાતો દેખાઈ છે. ટ્રેલરના પૈડાં નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલઆ મામલે મૃતકના ભાઈ હરેશકુમાર પટેલે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હરેશકુમારની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ખેતીકામ અને મુંબઈમાં સાળા સાથે દુકાન પર કામ કરતા હતાદુર્ઘટનાનો ભોગ બનેલા કેતન પટેલના પરિવાર અંગે મળેલી વિગતો મુજબ તેઓ ખેતીકામની સાથે મુંબઈમાં તેમના સાળાની દુકાન પર નોકરી કરતા હતાં. ખેતીના કામકાજ અને એરંડા લેવા માટે તેઓ 15 દિવસ પહેલા જ પોતાના વતન પરત ફર્યા હતાં. પરિવાર પર આભ તૂટી પડ્યું કેતન પટેલના પરિવારમાં પત્ની ઉપરાંત 16 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જેઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. ઘરના મોભીના આકસ્મિક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો મહેસાણાના ખૌફનાક CCTV, યુવક ટ્રક નીચે સૂઈ ગયો મહેસાણાની રાધનપુર ચોકડી પર 18 ફેબ્રુઆરીને બુધવારે રાત્રે 10 વાગ્યાના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો. શરૂઆતમાં જે અકસ્માત અને યુવકનું મોત ટ્રેલરની ટક્કરે ગણાતું હતું એ ખરેખર આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરતાં સામે આવ્યું કે, યુવક રોડ વચ્ચોવચ ચાલીને આવી રહ્યો હતો અને ટ્રેલર નજીક આવતાંની સાથે જ તે ટાયરની નીચે જતો રહ્યો હતો. આ અકસ્માતમાં યુવકના પેટના ભાગનો છૂંદો થઈ ગયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 7:00 pm

રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ:ગેંગના 12 શખ્સોએ 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ અને લૂંટ સહીત કુલ 22 ગુના આચર્યા, 8ની ધરપકડ મુખ્ય સહીત 4 ફરારની શોધખોળ ચાલુ

• 6 મહિનામાં 6 ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શામજી ઉર્ફે શમા મકવાણા સહીત 12 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પોલીસે 8 આરોપીની અટકાયત કરી મુખ્ય આરોપી શામજી ઉર્ફે શમા મકવાણા સહીત ફરાર 4 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ જેવા ગંભીર કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે શામજી ઉર્ફે સમા સહીત કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધી 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા સહીત 4 આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. શામજી ઉર્ફે સમા ગેંગના 12 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ સહિત ગુના નોંધાઈ ચુક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી દેવશી મકાભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલો મકવાણા, મેહુલ કનુભાઈ સોલંકીની ધરપકડ કરી છે. જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા, કેવલ સોંદરવા, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ અને હરેશ ખીમસુરીયા ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપી દેવશી મકાભાઈ મકવાણા વિરુધ્ધ 6 ગુના, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ વિરુધ્ધ 8 ગુના, ચિરાગ ઉર્ફે ભયલુ વિરુધ્ધ 4 ગુના, કિરણ ખીમસુરીયા વિરુધ્ધ 2 ગુના, અજય જાદવ વિરૂદ્ધ 4 ગુના, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા વિરુધ્ધ 2 ગુના, નાગેશ ઉર્ફે લાલો મકવાણા વિરુધ્ધ 5 ગુના, મેહુલ કનુભાઈ સોલંકી વિરુધ્ધ 4 ગુના, શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ 12 ગુના, કેવલ સોંદરવા વિરુધ્ધ 10 ગુના, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ વિરુધ્ધ 5 ગુના અને હરેશ ખીમસુરીયા વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 8 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 6 ગુના છેલ્લા 6 મહિનામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ અન્ય 3 ગેંગ સામે આવનાર સમયમાં દાખલ કરવા માટે તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:56 pm

એક મતની તાકાત સમજાવતા વિદ્યાર્થીઓ:રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યું 'VOTE', પરિવારોમાં 100 ટકા મતદાન કરાવવા લીધા શપથ

રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ મતદારો અને સમાજમાં લોકશાહીના પર્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે લોકશાહીમાં એક-એક મતની ખૂબ જ કિંમત હોય છે અને 'મારો મત, મારો અધિકાર' એ માત્ર સૂત્ર નહીં પણ દરેક નાગરિકની ફરજ છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને મતદાનની ગુપ્તતા જાળવવાના મહત્વ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે શાળાના મેદાનમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને મતદાન કરવાના શપથ લીધા હતા. વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો હતો કે તેઓ મતદાનને પોતાનો ધર્મ સમજશે અને માત્ર પોતે જ નહીં, પરંતુ પોતાના કુટુંબમાં પણ 100 ટકા મતદાન થાય તે માટે સક્રિય પ્રયાસો કરશે. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે વિરાણી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને 'VOTE' (મતદાન કરો) લખેલી એક ભવ્ય માનવ આકૃતિ તૈયાર કરી હતી. આ નયનરમ્ય દ્રશ્ય દ્વારા સમગ્ર શહેરમાં મતદાનનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન દ્વારા યુવા પેઢીમાં લોકશાહી પ્રત્યેની જવાબદારી અને મતદાનના મહત્વ અંગે સચોટ સમજ કેળવવામાં આવી હતી. મિલકત વેરો ભરનારાઓ માટે ચેતવણી, ચેક બાઉન્સ થતા મનપા દ્વારા 757 કરદાતાઓને નોટિસ અપાશે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જમા થયેલા ચેકોની ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના સમયગાળામાં કુલ 757 મિલકતધારકોના રૂ. 4.56 કરોડની કિંમતના ચેક બાઉન્સ થયા છે. સાયબર ફ્રોડ અટકાવવા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમલમાં મુકાયેલી 'ઈઝી-પે' સિસ્ટમ હેઠળ રૂ. 1 લાખથી વધુની રકમના ચેક માટે ઓનલાઇન એન્ટ્રી કરવી અનિવાર્ય હોવા છતાં પ્રક્રિયા પૂર્ણ ન થતા મોટી રકમના ચેક પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જે કરદાતાના ચેક પરત ફર્યા છે તેને પ્રથમ ટેલિફોનિક અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે તમામ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહીની નોટિસ આપવામાં આવી રહી છે. મનપાની મુખ્ય આવક સમાન મિલકત વેરા અને પાણી વેરાની વસુલાતમાં આટલી મોટી રકમના ચેક બાઉન્સ થતા વહીવટી તંત્ર દ્વારા બાકી લેણાંની વસુલાત માટે કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન આપવાની સત્તા ચેમ્બરને સોંપવા રજૂઆત ભારતીય વ્યવસાયો અને MSMEs ને ગ્લોબલ વેલ્યુ ચેઈન્સ સાથે જોડવા માટે સરકાર દ્વારા અનેક Free Trade Agreements (FTAs) કરવામાં આવ્યા છે. આ કરારો હેઠળ ડ્યુટીમાં મુક્તિ મેળવવા નિકાસકારોએ પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન મેળવવું અનિવાર્ય હોય છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી પાસે માત્ર નોન-પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઈશ્યુ કરવા સત્તા છે. નિકાસ પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી રાજ્યની અગ્રણી ચેમ્બર્સ અને FIEO ને સોંપવા માટે રાજકોટ ચેમ્બર દ્વારા વાણિજ્ય મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે. આ મામલે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત FIEO ના ડાયરેક્ટર જનરલ ડો. અજય સહાય તથા એડિશનલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જો પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઈશ્યુ કરવાની સત્તા સ્થાનિક ચેમ્બરોને આપવામાં આવે તો નિકાસ સંબંધિત પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત થશે અને સમય તેમજ ખર્ચમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી MSMEs ને મજબૂત સમર્થન મળશે અને ભારતને વૈશ્વિક નિકાસ હબ બનાવવાના લક્ષ્યને વેગ મળશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:36 pm

વડોદરામાં ગેરકાયદે ઇન્જેક્શન બનાવનાર કંપનીનું લાયસન્સ રદ્દ:અધિકારીએ નકલી ગ્રાહક બનીને ઓનલાઇન ઓર્ડર આપ્યો અને ગોરખ ધંધાનો પર્દાફાશ થયો

વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઇન્જેક્શન વેચાણના મામલે કંપની સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિભાગના અધિકારીઓએ 23 ડિસેમ્બર 2025ના રોજ વડોદરાની Medicament Solutions કંપની પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કંપનીનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, કંપની Mounjaro KwikPen ઇન્જેક્શન (મેદસ્વિતા ઘટાડવાની દવા)ને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતી હતી. અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને ઓનલાઇન ઓર્ડર આપ્યો અને પાર્સલ મંગાવીને આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો. કંપની સીધા જ લોકોને ઇન્જેક્શન વેંચતી જે નિયમોનું ઉલ્લંઘન છેતપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, કંપની વેબસાઇટ મારફતે સીધી જ ગ્રાહકોને આ ઇન્જેક્શન મોકલતી હતી, જે દવાઓના વેચાણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. અધિકારીઓએ આને ગંભીર બેદરકારી ગણાવીને ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. ડોક્ટરની સલાહ વગર ઇન્જેક્શનનો ઉપયોગ થતો!નિષ્ણાતોના મતે, ડોક્ટરની સલાહ વગર આવી ઇન્જેક્શનનો ઉપયોગ કરવાથી કિડની, પેન્ક્રિયાસ સહિત અન્ય અંગોને નુકસાન પહોંચી શકે છે. તેથી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર ન લે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:27 pm

લુણાવાડામાં ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કલેક્ટર સાગરે માર્ગદર્શન આપ્યું

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે લુણાવાડા તાલુકાના ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે 'વાઇબ્રન્ટ વેવ્સ' સ્કૂલ ખાતે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગની જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પૂરતી સાવચેતી રાખવા અને નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયાના સુદૃઢ વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકામાં ચૂંટણી કામગીરી માટે કુલ 1121 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 193 પ્રિસાઇડિંગ ઓફિસર, 182 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 192 મતદાન અધિકારી, 368 મહિલા મતદાન અધિકારી અને 186 અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. સમગ્ર તાલીમ દરમિયાન ચૂંટણીલક્ષી ઝીણવટભરી બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:22 pm

સાબરકાંઠામાં 26 એપ્રિલે મતદાન:838 ઉમેદવારો મેદાનમાં, ચૂંટણી માટે 932 પોલીસકર્મી, 7438થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે

સાબરકાંઠા જિલ્લામાં 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ તંત્રએ પણ સ્ટાફની ફાળવણી પૂર્ણ કરી છે. જિલ્લા કલેક્ટર નારાયણસિંઘ સાદુ, અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા અને જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 107 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 34-34, આમ આદમી પાર્ટીના 26, અન્ય પક્ષોના 9 અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આઠ તાલુકા પંચાયતની 500 બેઠકો માટે ભાજપના 166, કોંગ્રેસના 165, આમ આદમી પાર્ટીના 118, અન્ય પક્ષોના 31 અને 20 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકાની 96 બેઠકો પર કુલ 231 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમાં ભાજપના 93, કોંગ્રેસના 89, આમ આદમી પાર્ટીના 21, અન્ય પક્ષોના 4 અને 24 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1 એસપી, 4 ડીવાયએસપી સહિત પોલીસ, હોમગાર્ડ અને અન્ય કર્મચારીઓ મળીને અંદાજે 932 પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં કુલ 1210 જિલ્લા-તાલુકા પંચાયતના અને 137 નગરપાલિકાઓના મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 9,18,194 મતદારો નોંધાયા છે, જેમાં 4,73,69 પુરુષ મતદારો અને 4,44,825 સ્ત્રી મતદારો છે. ત્રણ નગરપાલિકાના કુલ મતદારોની સંખ્યા 1,17,976 છે, જેમાં 60,373 પુરુષ મતદારો અને 57,603 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે તાલુકા-જિલ્લા પંચાયતોના મતદાન મથકો પર 7,438 કર્મચારીઓ, નગરપાલિકાઓમાં 941 કર્મચારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતોમાં 156 ઝોનલ અધિકારીઓ અને નગરપાલિકામાં 22 ઝોનલ અધિકારીઓ ફરજ બજાવશે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:17 pm

IPL સટ્ટો રમાડતો એક ઝડપાયો:પંચમહાલ LCBએ ગોધરામાંથી આરોપીને રોકડ સાથે પકડ્યો

પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રોકડ રકમ અને સટ્ટાના હિસાબ લખેલા કાગળો મળી આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી સ્ટાફે ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલ શ્યામલનગર સોસાયટી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સંજય ઉર્ફે સંજુ પરષોત્તમ તારાની નામનો આરોપી મોબાઈલ ફોન દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતો રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ. 16,500 રોકડા, એક બોલપેન અને અંગ્રેજીમાં આંકડા લખેલ કાગળો મળી આવ્યા હતા. આરોપી સટ્ટા માટે હારજીતના હિસાબો રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી જુગાર અને દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. પકડાયેલ આરોપી સંજય ઉર્ફે સંજુ તારાની વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:16 pm

મહીસાગરમાં 203 ગ્રામ ગાંજો ઝડપાયો:રમકડાની દુકાનમાંથી રૂ. 10,150નો મુદ્દામાલ જપ્ત

મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, એસ.ઓ.જી. ટીમે વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 203 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં સલીમ ઉર્ફે ગડ્ડો ઉસ્માનભાઈ શેખ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી. પીઆઈ વી.ડી. ધોરડાને મળેલી ગુપ્ત બાતમીના આધારે, વીરપુરના મહેમુદપુરામાં રહેતા સલીમ શેખની રમકડા વેચવાની કેબિનમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, કેબિનમાંથી 203 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા ગાંજાની કિંમત રૂ. 10,150 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ રૂ. 15,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વીરપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પોલીસ નાર્કોટિક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા તત્વો સામે સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:08 pm

મહેસાણાના હબ ટાઉન માર્કેટમાં એપલના નામે નકલી એસેસરીઝનું કૌભાંડ ઝડપાયું:ચાર દુકાનદારો વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન માર્કેટમાં એપલ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝ વેચવાનું મોટું કૌભાંડ પોલીસની કાર્યવાહીમાં ખુલ્લું પડ્યું છે. આ મામલે ગ્રિફીન ઇન્ટેલેચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજા દ્વારા મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોટી માત્રામાં નકલી સામાન જપ્ત કર્યો છે. એપલના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનું વેચાણ કરતાંફરિયાદી વિશાલસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, તેમની કંપની અલગ-અલગ જાણીતી બ્રાન્ડ્સના ટ્રેડમાર્ક અને કોપીરાઈટના રક્ષણ માટે કાર્યરત છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે તેઓ પોલીસ સ્ટાફ અને પંચો સાથે હબ ટાઉન માર્કેટમાં તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન માર્કેટમાં આવેલી ચાર અલગ-અલગ દુકાનોમાં એપલના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ, જેમાં મોબાઈલ કવર, એરપોડ્સ, ચાર્જર એડેપ્ટર અને કેબલનો મોટો જથ્થો વેચાતો હોવાનું જણાયું હતું. કંપનીના લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. 4 દુકાનોમાંથી લાખો રૂપિયાનો નકલી સામાન કબજે કરાયોપોલીસે આ કાર્યવાહીમાં ઉમા મોબાઈલ કવર હાઉસના સંચાલક ચેતનભાઈ પટેલ, મિસ્ટર મોબાઈલ પોઈન્ટના સંચાલક મુકેશભાઈ જેઠવાણી, મહાદેવ મોબાઈલના સંચાલક શંકરલાલ દેસાઈ અને સ્માર્ટ સેલ હબના સંચાલક ક્રિષ્ણકુમાર રાજપુરોહિતની દુકાનોમાંથી લાખો રૂપિયાનો નકલી સામાન કબજે કર્યો છે. જેમાં ઉમા મોબાઈલમાંથી રૂ. 2,42,500, મિસ્ટર મોબાઈલ પોઈન્ટમાંથી રૂ. 60,000, મહાદેવ મોબાઈલમાંથી રૂ. 2,50,500 અને સ્માર્ટ સેલ હબમાંથી રૂ. 1,08,500ની કિંમતનો મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાયો છે. કોપીરાઈટ એક્ટની કલમ 63 મુજબ ગુનો નોંધાયોમહેસાણા બી-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ 63 મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ દરોડાની કાર્યવાહીને પગલે આસપાસના વિસ્તારના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ દુકાનદારો પાસેથી જપ્ત કરેલા માલસામાનના આધારે આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 6:00 pm

મામસા GIDCના ફેકટરીમાં તસ્કરો ત્રાટક્યા:મોડીરાત્રીના ફેકટરી માંથી ચાર ટન પ્રોફાઈલ કટિંગની ચોરી. કારખાનામાં લાગેલા સીસીટીવીમાં ચાર તસ્કરો કેદ

ભાવનગર શહેર નજીક આવેલી મામસા જીઆઈડીસીમાં તસ્કરોએ એક ફેક્ટરીને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતીના ઓજાર બનાવતી 'ચંદ્રા સ્ટીલ' નામની ફેક્ટરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશેલા ચાર શખ્સો પ્રોફાઈલ કટિંગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે. ચોર 4 ટન પ્રોફાઈલ કટિંગ ચોરી ગયાકાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને મામસા જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવતા નિલેષભાઈ ધનજીભાઈ મોરડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીની આ ઘટના ગત તા. 10 માર્ચના રોજ મોડી રાત્રે અંદાજે 12:30 કલાકે બની હતી. તસ્કરો ફેક્ટરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ત્યાં રાખેલું આશરે 4 ટન પ્રોફાઈલ કટિંગ (લોખંડનો જથ્થો) ચોરી ગયા હતા. જેની બજાર કિંમત અંદાજે ₹3.60 લાખ આંકવામાં આવી છે. ફેક્ટરીના સીસીટીવી ચેક કરતા મોઢે રૂમાલ બાંધેલા ચાર અજાણ્યા શખ્સો ચોરી કરતા નજરે પડ્યા હતા. પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલનિલેષભાઈની ફરિયાદને આધારે ઘોઘા પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNS એક્ટની કલમ 305(a), 331(4) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:51 pm

JEE રિઝલ્ટમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો:ઓલ ઇન્ડિયા ટોપ 500 માંથી જ્ઞાનમંજરીના 7 વિદ્યાર્થીઓ, 130 માંથી 124 વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ માટે ક્વોલિફાય

રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE સેશન-2 ના પરિણામોમાં ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં પરિણામોના તમામ જુના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે, ​સંસ્થાની સચોટ શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની અથાક મહેનતનું જ પરિણામેં પરીક્ષા આપનાર 130 પૈકી 124 જેટલા વિદ્યાર્થીઓએ JEE Advanced માટે ક્વોલિફાય થઈને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમજ ઓલ ઇન્ડિયા ટોપ 500 વિદ્યાર્થીઓ માંથી જ્ઞાનમંજરીના 7 વિદ્યાર્થીઓ બાજી મારી હતી. મોરી જયવીરસિંહએ જણાવ્યું હતું કે, JEE Mains માં 99.73 પર્સન્ટાઇલ આવ્યા છે, જેમાં રોજની 11 થી 12 કલાક મહેનત કરતો હતો અને આનું શ્રેય હું ભગવાનને, મારા વાલીઓને અને GNM ના શિક્ષકોને આપીશ, અને આગળ બેસ્ટ IIT માં જવા માંગુ છું, મારો બીજા વિદ્યાર્થીઓને બસ એ જ સંદેશ છે કે બસ મહેનત કરતા રહો. આ બે વર્ષ છે, પછી જિંદગીમાં ઘણી મોજ છે. બસ અત્યારે આ બે વર્ષ સરખી રીતે કાઢી લો.મેં યુઝ્યુઅલી મેથ્સમાં તો વધારે પ્રેક્ટિસ જ કરતો હતો અને કેમેસ્ટ્રીમાં સ્પેસિફિકલી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં થીયરી પોર્શન ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. ભક્તિ પરમારએ જણાવ્યું હતું કે, JEE મેઈન્સમાં 99.61 પર્સન્ટાઈલ આવ્યા છે અને હું રિવિઝન ઓર્ગેનિકમાં બધી રીએક્શન જોઈ લેતી હતી, ફિઝિકલમાં બધા ફોર્મ્યુલા જોઈ લેતી હતી અને ઈનઓર્ગેનિકમાં NCERT અને જે મેં સરની નોટ્સ બનાવી હતી એ મેં પ્રિફર કરી હતી, મેથ્સમાં ફોર્મ્યુલા અને ફિઝિક્સમાં અમુક ક્વેશન્સ જે સારા લેવલના હોય એનું રિવિઝન, અમુકમાં શોર્ટકટ હોય એનું રિવિઝન અને અમુક બધી જે કાંઈ પણ ફોર્મ્યુલા હોય એનું રિવિઝન કર્યું હતું, કેમેસ્ટ્રીમાં વધારે, અને ક્વેશ્ચન પ્રેક્ટિસ તો મેથ્સ અને ફિઝિક્સ બેયમાં, આનો શ્રેય હું મારા માતા-પિતાને, ઈશ્વરને અને આ GNM ના સ્ટાફને આપીશ, આગળ એક સારા એન્જિનિયર... વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, JEE માં 99.49 PR આવેલા છે અને હું ડેઇલીનું 12 થી 13 કલાકનું સ્ટડી કરતો હતો અને સ્કૂલમાં મોટાભાગનું સ્ટડી થઈ જતું હતું અને થોડું-ઘણું હોસ્ટેલે જઈને કરતો હતો, 2-3 કલાક અને મોસ્ટ ઓફ PYQs એ બધું સોલ્વ કરતો હતો અને સ્કૂલનો સહકાર સારો હતો અને મમ્મી-પપ્પા અને ટીચરોનો સપોર્ટ સારો હતો, યુગ સાચાણીએ જણાવ્યું હતું કે,JEE માં મારે 201 માર્ક છે એટલે કે 99.46 પર્સેન્ટાઇલ એનો સૌથી મોટો શ્રેય તો હું ભગવાનને જ આપીશ, આગળ તો મારે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર છે, વિષયોમાં કેમેસ્ટ્રીમાં ફિઝિકલ કેમેસ્ટ્રી પર વધારે મહેનત કરવાની જરૂર હોય છે કારણ કે એનું વેઇટેજ વધારે હોય છે, જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે તમને એવું લાગશે કે આ અહીંથી કરું કે પેલું ત્યાંથી કરું. આમ આડાવળી મહેનત કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. કોઈ પણ એક વસ્તુ પકડો અને એને પરફેક્ટ કરો, એ જ તમને છેલ્લે સુધી લઈ જશે. જેનીલ કાનાણીએ જણાવ્યું હતું કે,JEE માં 99.33 પર્સન્ટાઈલ આવ્યા છે અને ઓલ ઈન્ડિયા રેન્ક 10,708 છે, આ મારા માર્ક આ સંસ્થા દ્વારા અને મારા માતા-પિતા દ્વારા આવ્યા છે, આગળ એનઆઈટી માં કે આઈઆઈટી માં સીએસ માં એડમિશન લેવા માંગુ છું, કેમેસ્ટ્રી સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે એટલે એમાં મહેનત કરવાની વધારે જરૂર, રાજવીરસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, JEE Mainsમાં 99.31 પર્સન્ટાઇલ આવ્યા છે અને મેં મેથ્સમાં થોડી વધારે મહેનત કરી હતી કારણ કે, એમાં રેન્ક લાવવા માટે વધારે ઈમ્પોર્ટન્ટ મેથ્સ છે અને સિલેક્શન માટે કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક ઈમ્પોર્ટન્ટ છે એમાં NCERT વધારે ઈમ્પોર્ટન્ટ થાય અને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિસ જેટલી કરો એટલું ઈમ્પોર્ટન્ટ બને અને ફિઝિક્સમાંય તે પ્રેક્ટિસ જ તે અને મેથ્સમાંય પ્રેક્ટિસ અને ઇનઓર્ગેનિક-ઓર્ગેનિકમાં NCERT જેટલી રીડ કરશો એટલો તમને ફાયદો થશે, આ અંગે ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ જ્ઞાનમંજરી ના એમ.એમ.નાકરાણી એ જણાવ્યું હતું કે, JEE સેશન-૨ નું રિઝલ્ટ 2026 માટેનું જાહેર થયું છે, જેમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દર વર્ષે જે ઉત્તરોત્તર વધુ ને વધુ સારું પરિણામ મેળવતા જાય છે એ મુજબ, ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ સાથે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ છે એના બાળકોએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું છે, ​કુલ લગભગ 130 આજુબાજુ વિદ્યાર્થીઓ છે એ JEEની તૈયારી કરતા હતા, એમાંથી 124 વિદ્યાર્થીઓ છે એ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને વધારે ડિટેલમાં જોવા જઈએ તો 16 વિદ્યાર્થીઓ 99+ પર્સેન્ટાઇલ સાથે સમગ્ર ભાવનગર અને ગુજરાતની અંદર શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે,​ઓવરઓલ 98 પર્સેન્ટાઇલ કે એના કરતા વધારે મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 54 છે. 97 કે એની કરતા વધારે પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 109 છે, તો આ રીતે શ્રેષ્ઠ મેરિટ પણ ખરું. તમને મેરિટ વાઈઝ કહેવા જાવ તો, પહેલા 500 ઓલ ઈન્ડિયાની અંદર એમાં 7 વિદ્યાર્થીઓ છે, ટોપ 1000 ની અંદર 14 વિદ્યાર્થીઓ છે અને ટોપ 5000 ની અંદર 64 સ્ટુડન્ટ્સ છે, ​તો આ રીતે જ્ઞાનમંજરી વિદ્યાપીઠના મહેનત કરીને પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમગ્ર ટીમ જેમણે આ મહેનત કરી છે, અને આ બધા બાળકો ઉપરાંત બીજા બધા ભવિષ્યમાં આવનારા બાળકો છે એમને પણ આમાંથી પ્રેરણા મળે અને તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને ભારતના ઘડતરની અંદર પોતપોતાનું યોગદાન આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:50 pm

ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો સંવાદ:મોદીજીના હાથ મજબૂત કરવા 100% મતદાન જરૂરી: વિશ્વકર્મા

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દેશ અને રાજ્યના વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સંવાદ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત મહાનુભાવોને ભાજપ અને NDA સરકારના સમયમાં થયેલા બદલાવો અને સકારાત્મક અનુભવો વિશે પ્રશ્ન કર્યો હતો. જેના પ્રતિસાદમાં મહાનુભાવોએ જણાવ્યું કે આજે ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી અને વિકાસના નવા આયામો જોવા મળી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે આઝાદી બાદ લાંબા સમય સુધી દેશ માત્ર બે પ્રકારની અર્થવ્યવસ્થા પર આધારિત હતો, જ્યારે આજે ભારત 8 વિવિધ ઇકોનોમી મોડલ સાથે વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “આજે પીનથી લઈને પ્લેન સુધીનું ઉત્પાદન દેશમાં થઈ રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશના વિકાસને સતત આગળ ધપાવવા માટે મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ વિઝન અનિવાર્ય છે, જે હાલ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે. તેમણે 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં 100 ટકા મતદાન કરીને વિકાસયાત્રાને વધુ ગતિ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા વિશ્વકર્માએ કહ્યું કે પાર્ટી પાસે આજે નેતૃત્વ, નીતિ અને વિઝનની ખોટ છે, જ્યારે ભાજપે વિકાસ અને ઉદ્યોગના ક્ષેત્રમાં ભરૂચ જિલ્લામાંથી વૈશ્વિક નિકાસ સુધીની સફળ ગાથા રચી છે. અંતે તેમણે ભારપૂર્વક કહ્યું કે “આજે ભાજપ છે એટલે દેશ અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા છે. આ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક નાગરિકે મતદાન કરી પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.” આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:50 pm

ગુજરાતીઓ શેકાવા તૈયાર રહેજો, તાપમાન 41 ડિગ્રી પાર જવાની સંભાવના:પ્રચારમાં AI રીલનો નવો ટ્રેન્ડ, ગઝવા એ હિન્દના સપના જોતા 2 આતંકી ઝડપાયા

વિકાસ કામોમાં વિલંબ બદલ જાહેરમાં માફી માંગી ગોંડલની ચરખડી ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી કહ્યુ ‘ભૂલ થઈ હોય તો માફી માંગુ છું’ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સી.આર. પાટીલની 'આપ'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ સુરતમાં આમ આદમી પાર્ટીને સી આર પાટીલે ચેલેન્જ આપી કહ્યુ જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી પ્રચારમાં AI રીલનો નવો ટ્રેન્ડ ચુંટણીમાં ઉમેદવારો હવે પ્રચાર માટે AI રીલનો ઉપયોગ કરી રહ્યા છે .. જેમાં BJPએ રીલ થી વિકાસના કામો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો 'આપ'એ રીલથી રોડ રસ્તની હાલત બતાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ અંગે ખુલાસો કાજલ મહેરિયાએ પોતાના લગ્ન અને પારિવારિક વિવાદ મુદ્દે વીડિયો શેર કર્યો અને તેના અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે વિદ્યાર્થીઓના ઝઘડામાં આંખમાં પરિકર માર્યું અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દીધું. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો જ્યા તેનું આપરેશન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગઝવા એ હિન્દના સપના જોતા 2 આતંકી ઝડપાયા ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારતા હતા.. બન્ને મોબાઇલમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ મળી આવી છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા કાલાવડ-જામનગર હાઈવે પર હિટ-એન્ડ-રનની ઘટનામાં એક મહિલા અને સગીરનું મોત થયું જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે ઉતાર્યુ જ્યા શેરડીનો રસ પીતા લોકો પર કાર ફરી વળી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી પાછળ નોટમાં લખીને નીકળી કે 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધના સ્ટેશન પર લાઇનમાં લોકોને ટ્રેનમાં બેસાડાયા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારની અફરાતફરી બાદ મંગળવારે 4 વિશેષ ટ્રેનો દોડાવાઇ જેમાં 8 હજારથી વધુ મુસાફરો વતન પરત ફર્યા... સાથે મુસાફરોને ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખી પસાર કરાયા ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી ગુજરાતમાં આકરી ગરમી પડવાની સંભાવના, રાજકોટ 41.1 ડિગ્રી સૌથી ગરમ શહેર તો મંગળવારે 42 પહોચવાની સંભાવના તો અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:50 pm

નશાખોર પતિએ પત્નીને છરીના ઉપરાછાપરી 8 ઘા માર્યા:માતા-પિતા દીકરીને બચાવા જતાં લોહીલુહાણ, જૂનાગઢમાં મધરાતે દીવાલ કૂદી ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો

જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે અડધી રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. છેલ્લા 4 મહિનાથી પોતાના પિયરમાં રિસામણે રહેલી 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નીતિનભાઈ પરમાર પર તેના જ પતિ નીતિન ધનજી પરમારે જીવલેણ હુમલો કર્યો હતો. છૂટાછેડાની ખેંચતાણ અને પત્ની સાથે ન આવતી હોવાના મનદુખમાં અંધારી રાત્રે દિવાલ કૂદીને આવેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને બચાવવા વચ્ચે પડેલા સાસુ અને સસરા પર પણ આરોપીએ છરીના ઘા ઝીંકી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતાં. ​જયશ્રીબેનના આક્ષેપ મુજબ આરોપી નીતિન હુમલો કર્યા બાદ કબાટમાંથી 30,000 રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી ગયો હતો. પત્નીને પેટ અને અન્ય ભાગે 7થી 8 જેટલા છરીના ઘા વાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાઈ છે. હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વંડી ટપીને ઘરમાં ઘૂસ્યો અને પત્ની પર છરીથી હુમલો કર્યો​પત્ની જયશ્રીબેન છેલ્લા કેટલાક સમયથી તેમના બાળકો સાથે પિતાના ઘરે રહેતા હતાં. 19મી એપ્રિલની મધ્યરાત્રીએ જ્યારે આખો પરિવાર નિદ્રામાં હતો, ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ આરોપી નીતિન પરમાર વંડી ટપીને ઘરમાં ઘૂસી આવ્યો હતો. કબાટ પાસે અવાજ થતા જયશ્રીબેન જાગી ગયા હતા અને તે સમયે નીતિને કહ્યું 'આજે તો તને પતાવી જ દેવી છે' અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ પત્નીના સાથળના ભાગે અને હાથની આંગળીઓમાં અનેક ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બચાવવા માતા-પિતા વચ્ચે પડતા આરોપીએ તેને પણ છરી મારી​પુત્રીની ચીસાચીસ સાંભળીને ઓસરીમાં સૂતેલા માતા અને પિતા તરત જ રૂમમાં દોડી આવ્યા હતાં. પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેને બચાવવા પિતા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા નીતિને સસરા જીવણભાઈની ડાબી સાથળમાં છરીના 2 ઘા ઝીંકી દીધા હતાં. આટલેથી ન અટકતા તેણે સાસુ શારદાબેન પર પણ છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરીથી દિવાલ કૂદીને અંધારામાં નાસી છૂટ્યો હતો. આ હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પતિને દારૂ-ડ્રગ્સની આદતો અને સતત મારકૂટ કરતોજયશ્રીબેને જણાવ્યું હતું કે, તેમના લગ્નજીવનમાં છેલ્લા 1 વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતાં. અગાઉ સમાધાન બાદ તેઓ સાસરે ગયા હતા, પરંતુ પતિની દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે તેમને સિવિલ હોસ્પિટલની નોકરી પણ છોડવી પડી હતી. આર્થિક તંગી અને દેવાના કારણે પતિ સતત ઝઘડા કરતો હતો. છરીથી હુમલો કરીને પતિ ભાગવા જતા પગમાં ઈજા થઈ ઘટનાના દિવસે પતિ નશાની હાલતમાં બાળકોને લઈ જવાની જીદ કરતો હતો અને જયશ્રીબેને ના પાડતા તેને લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે નીતિનને ધમકાવ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈને તેણે રાત્રે આ ખૂની ખેલ ખેલ્યો હતો. જ્યારે હુમલો કરનાર પતિ ભાગવા જતા તેના પગમાં ઈજા થઈ હતી અને જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 'ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થયો'ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરતા આક્ષેપ કર્યો છે કે, આરોપી અત્યારે ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. નીતિન પરમાર વિરુદ્ધ ગુનો દાખલ​વંથલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી નીતિન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં BNS કલમ 109(1) મુજબ હત્યાનો પ્રયાસ, કલમ 118(1) હેઠળ ખતરનાક હથિયારથી ઇજા પહોંચાડવી, કલમ 331(6) મુજબ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરવો, કલમ 351(3) હેઠળ ગુનાહિત ધમકી આપવી તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર પંથકમાં આ અરેરાટીભરી ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 21 Apr 2026 5:47 pm