ડાંગ જિલ્લામાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તેમને મુસદ્દા મતદારયાદીની નકલ સુપરત કરાઈ હતી. આ સાથે, મૃત્યુ પામેલા, ગેરહાજર કે કાયમી સ્થળાંતર કરનાર મતદારોની વિગત દર્શાવતી યાદીની નકલ પણ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર, રાજ્યમાં 01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારયાદીને સંપૂર્ણપણે ભૂલરહિત અને સ્વચ્છ બનાવવાનો છે, જેથી દરેક લાયક નાગરિકને મતાધિકારનો લાભ મળે અને મૃત, સ્થળાંતરિત કે ડુપ્લિકેટ મતદારોની નોંધો દૂર કરી શકાય. આ કાર્યક્રમના ભાગરૂપે, ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના કુલ 329 બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા 04/11/2025થી ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ (Enumeration Form-EF)નું વિતરણ અને ભરેલા ફોર્મનું સંકલન 100% સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના કુલ 2,01,682 મતદારોમાંથી 1,90,561 મતદારોના ગણતરી ફોર્મ (EF) ડિજિટાઈઝ્ડ કરવામાં આવ્યા છે. ગણતરી દરમિયાન, 3963 મતદારો મૃત, 5562 સ્થળાંતરિત, 551 ડુપ્લિકેટ, 979 ગેરહાજર અને 66 અન્ય કેટેગરીના મળીને કુલ 11,121 મતદારોને અનકલેક્ટેબલ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ મતદારોની નોંધો દૂર કરવાની પ્રક્રિયા નિયમો મુજબ હાથ ધરવામાં આવશે. સુધારણા કાર્યક્રમનો આગામી તબક્કો નીચે મુજબ રહેશે: મતદારો 19/12/2025 થી 18/01/2026 સુધી પોતાના નામ દાખલ કરવા, કમી કરવા અથવા સુધારા-વધારા માટે ફોર્મ નં. 6, 7 અને 8 દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. નોટિસનો તબક્કો, ગણતરી ફોર્મ પર નિર્ણય અને હક્ક-દાવા તથા વાંધા અરજીઓનો નિકાલ 19/12/2025 થી 10/01/2026 દરમિયાન કરાશે. આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ 17/01/2026ના રોજ થશે. ડાંગ જિલ્લાના તમામ મતદારોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ખાતરી કરી લે. જો જરૂરી જણાય તો, ઉપરોક્ત સમયમર્યાદામાં દાવો કે વાંધો રજૂ કરે, જેથી લોકશાહીના આ મહાપર્વમાં તેઓ પોતાનો મતાધિકાર ગુમાવે નહીં.
રાજ્યમાં ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટનો સીધો સંબંધ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી સાથે રહેશે. જો નિર્ધારિત ટકાવારી પ્રમાણે હાજરી નહીં રહે, તો ગ્રાન્ટમાં મોટો કાપ મુકવામાં આવશે, જે કેટલીક સ્થિતિમાં 100 ટકા સુધી જઈ શકે છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા નવા પરિપત્ર મુજબ, લઘુમતી શાળાઓ સહિત તમામ ગ્રાન્ટેડ શાળાઓ માટે આ નિયમ ફરજિયાત રહેશે. અત્યાર સુધી ગ્રાન્ટ મુખ્યત્વે દાખલ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મળતી હતી, પરંતુ હવે વર્ગખંડમાં વાસ્તવિક હાજરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોની ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી 80 ટકાથી ઓછી હશે તો 25 ટકા ગ્રાન્ટ કપાશેશહેરોમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી 80% હાજરી ફરજિયાત રાખવામાં આવી છે. જો હાજરી આ મર્યાદાથી ઓછી રહેશે, તો મળવાપાત્ર ગ્રાન્ટમાંથી 25% કાપી લેવામાં આવશે. સૌથી કડક જોગવાઈ મુજબ, જો હાજરી 60%થી પણ ઓછી નોંધાશે, તો તે શાળાની સમગ્ર 100% ગ્રાન્ટ બંધ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં 55 ટકા હાજરી જરુરી રહેશેગામડાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ગ્રામ્ય શાળાઓમાં 55% હાજરી જરૂરી રહેશે. જો કોઈ શાળામાં હાજરી 40%થી નીચે જશે, તો સરકાર દ્વારા કડક પગલાં લઈ શાળાની 100% ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય શું?આ નિર્ણયનો મુખ્ય હેતુ માત્ર કાગળ પર ચાલતી શાળાઓને બંધ કરવો અને વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળામાં હાજર રાખવાનો છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તા સુધરશે અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે વધુ સક્રિય બનશે.હવે સ્પષ્ટ છે કે, ગ્રાન્ટ મેળવવી હોય તો શાળાઓએ માત્ર નોંધણી નહીં, પરંતુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી પણ સુનિશ્ચિત કરવી પડશે.
પંચમહાલના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7મો દીક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી તથા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત, 140 જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્યસેનાની અને સમાજસુધારક શ્રી ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે, ગુરુ ગોવિંદે આદિવાસી સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરીને સમાજ સુધારણાનું કાર્ય કર્યું, જે યુવાનો માટે પ્રેરણારૂપ છે. રાજ્યપાલએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકો અને બાળકોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને પણ યાદ કર્યો. તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સત્ય, ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું કે, સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય-તણાવથી મુક્ત રાખે છે. તેમણે વિદ્યાર્થીઓને શુભ કર્મ, વિવેક અને બુદ્ધિ કૌશલ્ય દ્વારા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ પોતાના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા જણાવ્યું. રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું કે, મનુષ્યનું જીવન ફક્ત રોટી, કપડાં અને મકાન મેળવવા પૂરતું નથી, પરંતુ તેની ખાસિયત સહિષ્ણુતા, દયા અને પરોપકારમાં છે. શિક્ષણનો મુખ્ય હેતુ માનવતા અને નૈતિકતા જાગૃત કરવાનો હોવો જોઈએ. આ દીક્ષાંત સમારોહમાં યુવા પદવીધારકોને સંબોધતા રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું કે, શિક્ષણનો સાચો હેતુ માત્ર રોજગારલક્ષી અક્ષરજ્ઞાન મેળવવાનો નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપવાનો છે. તેમણે જીવનના આગામી દસ વર્ષોને કારકિર્દી નિર્માણ માટે અત્યંત મહત્વના ગણાવી યુવા શક્તિને આહવાન કર્યું કે, તેઓ કોઈપણ નકારાત્મક પ્રભાવમાં આવ્યા વિના પૂર્ણ પરિશ્રમથી પોતાની શક્તિનો ઉપયોગ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે કરે. મંત્રીએ રાજ્યમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવા બદલ મીડિયાની ભૂમિકાને પણ બિરદાવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ હરિ કટારિયાએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટીમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. તેમણે યુનિવર્સિટીની ભૌતિક સુવિધાઓ તેમજ શૈક્ષણિક, સંશોધન, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગૌરવ અપાવનાર અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની માહિતી આપી. કુલ સચિવ ડૉ. અનિલ સોલંકીએ આભાર વિધિ કરી હતી. રાજ્યપાલએ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ડિજિટલ સ્ટુડિયોનું ઈ-લોકાર્પણ પણ કર્યું. મહાનુભાવો દ્વારા રાજ્યપાલનું સુતરની માળા પહેરાવી અને પીઠોરા પેઇન્ટિંગનું સ્મૃતિચિન્હ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. દેસાઈ, પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિત કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી APMC ફાર્મસી કોલેજનો રજત જયંતી મહોત્સવ શનિવારે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક, ગુજરાતના ઊર્જા મંત્રી, સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત APMC ફાર્મસી કોલેજને 25 વર્ષ પૂર્ણ થતાં આ રજત જયંતી મહોત્સવનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત મહેમાનોએ ફાર્મા ક્ષેત્રે યુવાનોના યોગદાન અને ભવિષ્યના પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. APMC ફાર્મસી કોલેજનો આ બે દિવસીય રજત જયંતી મહોત્સવ શનિવારે રાત્રે ગાયિકા ઐશ્વર્યા મજમુદારના લાઈવ કોન્સર્ટ સાથે આગળ વધ્યો હતો. રવિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મિલન સમારંભ યોજાશે. કોલેજ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દીવ, દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ખાસ હાજર રહ્યા હતા.
સુરત જિલ્લાના માંડવી પંથકમાં સરકારી શાળાની આડમાં પાસ્ટર ગ્રૂપ દ્વારા ગેરકાયદેસર ધર્માંતરનું નેટવર્ક ચલાવનારા આચાર્ય સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. આ મામલે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ડૉ. અરુણ અગ્રવાલે મોટી કાર્યવાહી કરતા મુખ્ય આરોપી આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે. આ સાથે જ આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે TDOને તપાસના કડક આદેશો આપવામાં આવ્યા છે. શાળામાં થતી પ્રવૃત્તિઓની TDO કરશે તપાસDPEO ડૉ. અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, રામજી ચૌધરી સરકારી કર્મચારી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈને ટ્રસ્ટ બનાવી ધર્માંતરની પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને TDO ને તપાસ સોંપવામાં આવી છે. TDO એ તપાસ કરશે કે, રામજી ચૌધરી દ્વારા શાળાના પરિસરમાં કે શાળાના સમય દરમિયાન કોઈ ધાર્મિક પ્રચાર કરવામાં આવતો હતો કે કેમ? શાળાના અન્ય સાધનો કે હોદ્દાનો દુરુપયોગ ધર્માંતર માટે કરવામાં આવ્યો છે? શાળામાં બાળકો કે વાલીઓ પર કોઈ ચોક્કસ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું હતું?. આચાર્ય વોટ્સએપ ગ્રુપ દ્વારા ધર્માંતરનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતોરામજી ચૌધરીની કરતૂતોનો કાચો ચિઠ્ઠો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચી ગયો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ આચાર્ય પાસ્ટર બનીને માંડવી અને તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં WhatsApp ગ્રુપ દ્વારા ધર્માંતરનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતો. સરકારી પગાર લઈને ધાર્મિક પ્રચાર કરવો એ સરકારી સેવાની શરતોનો સીધો ભંગ છે. વધુ સાથીદાર શિક્ષકોની પણ તપાસ થશેપોલીસે આ મામલે રામજી ચૌધરી ઉપરાંત અન્ય એક શિક્ષક ગુરજીભાઈ વસાવા અને પાસ્ટર નવીન ચૌધરીની પણ ધરપકડ કરી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા બનેલી સ્પેશિયલ ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ 'પાસ્ટર ગ્રુપ' માં જિલ્લાના અન્ય કેટલા સરકારી શિક્ષકો સામેલ છે. TDO ના રિપોર્ટ બાદ આ કેસમાં હજુ વધુ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ કાર્યવાહીથી સરકારી તંત્રમાં એવો સ્પષ્ટ સંદેશ ગયો છે કે શિક્ષણના ધામમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી ગઇકાલે યોજાઈ ગઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ યતીન ઓઝા ચૂંટાઈ આવ્યા છે. તેઓને ચૂંટણીમાં કુલ 946 મત મળ્યા છે. ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજાની ચૂંટાઇ આવ્યા છે. જ્યારે સેક્રેટરી પદે ભાવિક પંડ્યા અને જોઇન્ટ સેક્રેટરી પદે દર્શન દવે અને ખજાનચી પદે અમી પટેલ જીત્યા છે. પ્રમુખ પદ માટે 5 ઉમેદવારો ઊભા હતાઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં 2500 કરતાં વધુ મતદારો નોંધાયેલા છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 5 ઉમેદવારો ઊભા હતા. જેમાં એડવોકેટ યતીન ઓઝા, બાબુ માંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, વિરાટ પોપટ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી ઉમેદવાર હતા. જનરલ સેક્રેટરીના પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશ બારીયા, ભાવિક પંડ્યા, દેવેન્દ્ર પંડ્યા અને વિશાલ ઠક્કર ઉમેદવાર હતા. અનેક મુદ્દાઓને લઈને આગામી સમયમાં કાર્ય કરશેખજાનચીના મહિલા અનામત પદ માટે ભક્તિ જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ ઉમેદવાર હતા. જ્યારે જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 10 ઉમેદવાર નોંધાયા હતા. જેમાં ઓમ કોટવાલ, દર્શન દવે, વિલવ ભાટિયા, રેખા કાપડિયા, અન્વિત મહેતા, ચંદ્રમણી મિશ્રા, આકાશ પંડ્યા, હેમાંગ કુમાર શાહ, અલકા વાણીયા અને નિખિલ વ્યાસના નામ હતા. યતીન ઓઝાએ પોતાની જીતની સાથે જણાવ્યું હતું કે, તેઓ હાઇકોર્ટમાં ઇ-ફાઇલિંગ, વકીલોની માટે નવી ચેમ્બર બનાવવાની માંગ અને જુનિયર વકીલોને જમવા માટેની બેઠક વ્યવસ્થા જેવા મુદ્દાઓને લઈને આગામી સમયમાં કાર્ય કરશે. આ પણ વાંચો: હાઇકોર્ટ એડવોકેટ એસો. પ્રમુખ પદ માટે બે-ઉમેદવાર વચ્ચે ખરાખરીનો ખેલ:આવતીકાલે પરિણામ જાહેર થશે, ગુજરાતના 278 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ'તી
રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કરી રહેલા વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધને ઝડપી પાડ્યો છે. માસૂમ બાળકી સાથે જાહેરમાં અડપલાંનો વીડિયો વાઈરલ થતા નાની બાળકીના માતાપિતાઓ પણ પોતાના સંતાનોની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે. લોકો વૃદ્ધ પર ફિટકાર વરસાવી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર કારની આડે બાળકી સાથે અડપલાં કર્યાસોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તે રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર મોવડી ચોકડી નજીકના છે. જે વીડિયો વાઈરલ થયા છે તેમાં 70 વર્ષ આસપાસની ઉંમર ધરાવતો વૃદ્ધ એક બાળકને રમાડી રહ્યો છે. બાજુમાં જ આઠથી દસ વર્ષની એક બાળકી ઉભી છે.જેના ગુપ્તભાગે વૃદ્ધ હાથ ફેરવતા જોવા મળી રહ્યો છે. હદ તો ત્યારે થઈ ગઈ કે વિકૃત માનસિકતા ધરાવતો આ વૃદ્ધ સતત દોઢથી બે મિનિટ સુધી અડપલાં કરતો રહ્યો. વીડિયો વાઈરલ થતા જ પોલીસે વિકૃત વૃદ્ધને ઝડપી પાડ્યોસભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવા બનાવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ પોલીસ એકશનમાં આવી અને ગણતરીના કલાકોમાં જ વિકૃતને ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમારા બાળકને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવો બાળકોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જાણતા નથી. તેઓ એટલા સરળ અને પ્રામાણિક છે કે તેઓ દરેકને પોતાના તરીકે સ્વીકારે છે. જો કોઈ તમારી સાથે પ્રેમથી વાત કરે અથવા તમને કેન્ડી આપે તો તમે ના પાડતા નથી. તેથી, માતાપિતાની જવાબદારી છે કે તેઓ તેમને શું સાચું અને ખોટું શું છે તે સમજાવે. નીચેનાં ગ્રાફિક જુઓ અને તમારાં બાળકોને ઉછેરતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખો.
શંખારીના 'સંસ્કૃતિ' જૂથનું મિલેટ્સ ઉત્પાદનોથી લાખોનું વેચાણ:સરકારી સહયોગથી મહિલાઓ આત્મનિર્ભર બની
પાટણ જિલ્લાના શંખારી ગામમાં કાર્યરત ‘સંસ્કૃતિ’ સ્વ-સહાય જૂથ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વર્ષ 2016થી દવે નિશાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ જૂથની છ બહેનો પરંપરાગત ખાદ્ય પદાર્થોને આધુનિક વ્યવસાયમાં રૂપાંતરિત કરી આત્મનિર્ભરતાની નવી દિશા ચીંધી રહી છે. આ સ્વ-સહાય જૂથ રાગી, બાજરી, જુવાર, મગ, મઠ, મકાઈ જેવા વિવિધ મિલેટ્સ અને પ્રોટીનયુક્ત અનાજમાંથી પોષક ખાખરા અને બિસ્કિટ જેવા આરોગ્યપ્રદ ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરે છે. ગુણવત્તા અને સ્વાદના સંયોજનથી તૈયાર થતા આ ઉત્પાદનોને બજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે વર્ષથી ‘સંસ્કૃતિ’ સ્વ-સહાય જૂથ દર મહિને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું વેચાણ કરી રહ્યું છે. આ સિદ્ધિ મહિલાઓની સતત મહેનત, શિસ્તબદ્ધ આયોજન અને ઉત્પાદનની ઉચ્ચ ગુણવત્તાનું પ્રતીક છે. આ જૂથને ગુજરાત લાઈવલિહૂડ પ્રોમોશન કંપની (GLPC) દ્વારા સખી મંડળો મારફતે નોંધપાત્ર સહયોગ મળ્યો છે. GLPC વર્ષ દરમિયાન 10 થી 12 વિવિધ મેળાઓમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે, તેમજ માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને કન્વર્ઝન જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. સરકારની મોટી ઇવેન્ટ્સ, જેમ કે G20 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોમાં પણ ‘સંસ્કૃતિ’ જૂથના ઉત્પાદનો નાસ્તા રૂપે અપનાવવામાં આવ્યા છે, જે જૂથ માટે ગૌરવની વાત છે. દવે નિશાએ GLPC અને ‘સશક્ત નારી મેળા’ જેવા કાર્યક્રમો દ્વારા મળતા પ્રોત્સાહન બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શંખારી ગામની આ બહેનોએ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો ગ્રામ્ય મહિલાઓ પણ સફળ ઉદ્યોગસાહસિક બની શકે છે અને આર્થિક રીતે સશક્ત બની શકે છે.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને આંગણવાડીઓની નિયમિત મુલાકાત લઈ બાળકોને અપાતા પોષણયુક્ત આહારની ચકાસણી કરવા સૂચના આપી હતી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે કચેરીઓને કર્મચારીઓના બાકી પેન્શન કેસોનો નિકાલ કરવા, ઈ-સરકારનો મહત્તમ ઉપયોગ કરવા અને પરસ્પર સંકલનમાં રહીને કામ કરવા પણ જણાવ્યું હતું. કલેક્ટરે ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓને સમયાંતરે આંગણવાડીઓની મુલાકાત લેવા અને બાળકોને અપાતા પોષણયુક્ત આહારની ગુણવત્તા ચકાસવા પર ભાર મૂક્યો હતો. બેઠકના પ્રારંભે, કલેક્ટરે 'કનેક્ટ ગુજરાત' પહેલ હેઠળ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને જિલ્લા કચેરીઓની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી અને નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ સહિત સંકલન સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ:સભા, સરઘસ અને હથિયારબંધી પર પ્રતિબંધ, 2026 સુધી અમલ
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37 (1), 37 (3) અને 33 હેઠળ પ્રસિદ્ધ કરાયેલું આ જાહેરનામું 1 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા હેઠળ, અમરેલી જિલ્લામાં સભા, સરઘસ, હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, વ્યક્તિઓ અથવા તેમના શબ, આકૃતિઓ કે પૂતળાં પ્રદર્શિત કરવા, બૂમો પાડવી, ગીતો ગાવા અને વાદ્ય વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા કે મંડળી ભરવા અથવા સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે. તેવી જ રીતે, સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકર વગાડવા પર પણ મનાઈ છે. જોકે, ફરજ પરના પોલીસ જવાનો, હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ-સરકારી અધિકારી-કર્મચારીઓ, તેમજ વરઘોડા અને સ્મશાનયાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 અને કલમ-135 હેઠળ સજા અને દંડને પાત્ર થશે.
પાટણમાં બી.કે. શિવાની દીદીનો આધ્યાત્મિક કાર્યક્રમ:'સંસ્કાર પરિવર્તનથી સંસાર પરિવર્તન' વિષય પર પ્રવચન
પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક વક્તા બી.કે. શિવાની દીદીએ 'સંસ્કાર પરિવર્તનથી સંસાર પરિવર્તન' વિષય પર અમૃતવાણી દ્વારા પ્રવચન આપ્યું. બી.કે. શિવાની દીદીએ પોતાના પ્રવચનમાં આગામી નવા વર્ષમાં નકારાત્મક વિચારોને કેવી રીતે દૂર કરવા અને સુખ-શાંતિમય સંસારનું નિર્માણ કેવી રીતે કરવું તે વિશે સુંદર આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડ્યું હતું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ, હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, ડૉ. કાંતિભાઈ પટેલ, પિયુષભાઈ આચાર્ય, ગોરધનભાઈ ઉર્ફે બેબાભાઈ શેઠ સહિત શહેરના વિવિધ વેપારી મંડળના હોદ્દેદારો, તબીબો, સામાજિક-રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો, પાઠશાળાના ભાઈ-બહેનો અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી. સૌએ આ પ્રવચનનો લાભ લઈ જીવનમાં સંસ્કાર પરિવર્તનથી સંસાર પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બી.કે. નીલમ દીદી, બી.કે. નીતા દીદી અને બી.કે. નિધિ દીદી સહિત વિદ્યાલય પરિવારે ઉપસ્થિત સૌ આત્મિય બંધુ-ભગિનીઓનું સ્વાગત-સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
લીમખેડા તાલુકાની ઉસરા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને વિકાસકામોમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રચાયેલી વિશેષ તપાસ ટીમે બુધવારે ઉસરા ગામની રૂબરૂ મુલાકાત લઈ વિવિધ વિકાસકામોની ભૌતિક ચકાસણી હાથ ધરી હતી. આ તપાસ અરજદાર સુંદરસિંહ મનસુખભાઈ પરમાર દ્વારા ગત ૨૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ કરવામાં આવેલી લેખિત રજૂઆત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, દાહોદના પત્રના સંદર્ભે શરૂ થઈ છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે 'મેરી પંચાયત' એપ્લિકેશન પર પૂર્ણ દર્શાવીને જે વિકાસકામોનું પેમેન્ટ કરવામાં આવ્યું છે, તેમાંથી કેટલાક કામો સ્થળ પર અસ્તિત્વમાં નથી અથવા અધૂરા છે. તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, અધિક મદદનીશ ઈજનેર (બાંધકામ શાખા), વિસ્તરણ અધિકારી (પંચાયત), વિસ્તરણ અધિકારી (સહકાર) અને ટેકનિકલ આસિસ્ટન્ટની સંયુક્ત ટીમ ઉસરા ગામે પહોંચી હતી. તપાસ દરમિયાન લુહાર ફળિયા, પંચાયત કચેરી વિસ્તાર અને પરમાર ફળિયામાં કાગળ પર દર્શાવેલા સામૂહિક શૌચાલયોની વાસ્તવિક સ્થિતિ તપાસવામાં આવી હતી. આ ઉપરાંત, રેલવે લાઇનથી પ્રભાત મંગાના ઘર સુધીના સીસી રોડમાં દર્શાવાયેલા રૂપિયા ૧.૨૩ લાખના ખર્ચ અને કામની ગુણવત્તાની પણ ચકાસણી કરાઈ. તપાસમાં બોર મોટર, વોશિંગ ઘાટ અને હવાડાના કામોમાં જગ્યાની અદલાબદલી તેમજ નાણાકીય ઉચાપતના મુદ્દાઓ પણ તપાસના દાયરામાં લેવાયા છે. મુખ્ય નિશાળથી રમણભાઈના ઘર સુધીના અધૂરા રોડના કામમાં પૂરેપૂરું પેમેન્ટ ઉપાડી લેવાયું હોવાની ફરિયાદ અંગે પણ ખરાઈ કરવામાં આવી રહી છે. તપાસ ટીમે સ્થળ પર પંચનામું કરી માપણી લીધી હતી અને ગ્રામજનોના નિવેદનો નોંધી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી લીમખેડા પ્રકાશ રાવતે જણાવ્યું હતું કે, ઉસરા ગ્રામ પંચાયતના વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને લેખિત રજૂઆત મળતાં સ્થળ તપાસ માટે ટીમ બનાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, હાલ રેકોર્ડની તપાસ ચાલુ છે અને તપાસ રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જો તપાસમાં ભ્રષ્ટાચાર કે સરકારી નાણાંની ઉચાપત સાબિત થશે તો જવાબદાર સરપંચ, તલાટી અથવા અન્ય સંડોવાયેલી એજન્સીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, ગેરવાપરાયેલા નાણાંની વસૂલાત પણ કરાશે.
જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ યોજાયું હતું જે જનરલ બોર્ડ તોફાની રહ્યું હતું, જેમાં શાસક અને વિરોધ પક્ષ સામસામે આવી ગયા હતા. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકો જૂની અને સેટિંગવાળી એજન્સીઓને જ કરોડો રૂપિયાના ટેન્ડરો પધરાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘાસચારા, આઉટ સોર્સિંગ અને લેગસી વેસ્ટ જેવા અનેક મહત્વના કામોમાં નવી ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે જૂના ટેન્ડરોની મુદત વધારી દેવામાં આવે છે, જે સીધેસીધો ભ્રષ્ટાચાર અને માનીતી એજન્સીઓને ફાયદો પહોંચાડવાની પેરવી છે. વિપક્ષ દ્વારા ખાસ કરીને ઘાસચારાના ટેન્ડરમાં થયેલી ગેરરીતિઓનો મુદ્દો ગજવવામાં આવ્યો હતો. પરસાણાએ આંકડાકીય માહિતી સાથે જણાવ્યું હતું કે જ્યારે ઘાસચારાનું પ્રથમ ટેન્ડર બહાર પડ્યું ત્યારે તે નિયત ભાવ કરતા 5.50 ટકા ડાઉન હતું અને કમિશનરે તેને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યું હતું. જોકે, સ્ટેન્ડિંગ કમિટીએ આ ફાયદાકારક ટેન્ડર રદ કરી દીધું અને એક મહિના બાદ ફરીથી નવી પ્રક્રિયા હાથ ધરી હતી. આ નવા ટેન્ડરમાં ભાવ સીધા 21 ટકા વધીને આવ્યા હતા, જેને કારણે પાલિકાની તિજોરી પર કરોડોનું ભારણ વધ્યું છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશોએ ગાયોના ઘાસચારામાં પણ ભ્રષ્ટાચાર આચરીને પોતાના ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસ કામો અંગે પણ જનરલ બોર્ડમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે અગાઉ મંજૂર થયેલા 300 કરોડના વિકાસ કામોમાંથી વર્ષ 2025માં સત્તાધારી પક્ષે 104 કરોડના કામો કયા કારણોસર રદ કરી નાખ્યા છે. આ ઉપરાંત શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણ અંગે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જનતા લાંબા સમયથી આ સરોવર ખુલ્લું મુકાય તેની રાહ જોઈ રહી છે, પરંતુ પાલિકા પાસે આ કામ ક્યારે પૂર્ણ થશે તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. સરોવરની આસપાસની સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા હજુ પણ યથાવત હોવાનું વિપક્ષે ધ્યાન દોર્યું હતું. સામે પક્ષે શાસક પક્ષના નેતા મનન અભાણીએ જનરલ બોર્ડમાં લેવાયેલા હકારાત્મક નિર્ણયોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મનપાના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ રૂપે પગાર વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જે કર્મચારીઓના હિતમાં લેવાયેલું મોટું પગલું છે. આ ઉપરાંત અમૃત પેલેસ ગિરીરાજ રોડથી આંબાવાડી સુધીના માર્ગને 'ગુરુ નાનક રોડ' નામ આપવાનો નિર્ણય પણ સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. નરસિંહ મહેતા સરોવર પાસેના ગટરના પ્રશ્નો અંગે તેમણે કહ્યું હતું કે હાલ કામગીરી પ્રગતિમાં છે અને ભવિષ્યમાં સરોવરમાં ગંદુ પાણી ન જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ઘાસચારાના ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે બચાવ કરતા મનન અભાણીએ જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા હજુ ચાલુ છે અને તે પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે પદાધિકારીઓ આ બાબતે વિગતવાર ખુલાસો કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાલ આ મામલે મૌન ધારણ કર્યું છે, જેણે વિપક્ષના આક્ષેપોને વધુ વેગ આપ્યો છે. જનરલ બોર્ડમાં ટેન્ડર પ્રક્રિયા નીતિ-નિયમ મુજબ થાય તે માટેની દરખાસ્ત પર પણ લાંબી ચર્ચાઓ થઈ હતી, પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે શાસક પક્ષ રક્ષણાત્મક મોડમાં જોવા મળ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ વિકાસ કામો કરતા ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે વધુ ગાજ્યું હતું. એક તરફ શાસક પક્ષ કર્મચારીઓને પગાર વધારો આપીને પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા મથે છે, તો બીજી તરફ વિપક્ષે કરોડોના ટેન્ડર કૌભાંડો ખુલ્લા પાડીને મનપાના વહીવટ સામે સવાલો ઉભા કર્યા છે. આગામી દિવસોમાં ઘાસચારાના આ વિવાદિત ટેન્ડર અંગે સ્ટેન્ડિંગ કમિટી શું નિર્ણય લે છે અને સરોવરનું લોકાર્પણ ક્યારે થાય છે તેના પર જૂનાગઢની જનતાની નજર રહેશે.
જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા દલિત અગ્રણી રાજુ સોલંકી વચ્ચે મૌખિક સમાધાન થયું હોવાની પ્રબળ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ચર્ચાને ત્યારે સમર્થન મળ્યું જ્યારે જૂનાગઢ કોર્ટ પરિસરમાં ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના ભાઈ સાવન ઉર્ફે જવા સોલંકી એકબીજા સાથે ઉષ્માભેર હાથ મિલાવતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ કાયદાકીય જંગમાં નરમાશ આવી હોવાના સંકેતો વહેતા થયા છે. ક્યારેય સમાધાન કરુ નહીં, પણ વર્તમાન પરિસ્થિતિને જોતા નિર્ણય લીધો: રાજુ સોલંકીઆ ઘટનાક્રમની વચ્ચે રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતર વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઓડિયોમાં રાજુ સોલંકી વકીલની ફી મામલે ચર્ચા કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે અત્યંત વ્યથિત હૃદયે સ્વીકાર્યું હતું કે તેઓ હવે સમાજથી કંટાળી ગયા છે. રાજુ સોલંકીએ ઓડિયોમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે સમાજના જ કેટલાક તત્વો દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે અને આ આંતરિક ખેંચતાણને કારણે તેઓ માનસિક રીતે થાકી ગયા છે.તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય સમાધાન કરે તેવા વ્યક્તિ નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા તેમણે આ નિર્ણય લીધો છે. ‘એક પણ રૂપિયો લીધા વગર મફતમાં સમાધાન કર્યું’વાઇરલ ઓડિયોમાં રાજુ સોલંકીએ એક મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે તેમણે ગણેશ જાડેજા સાથેના આ કેસમાં એક પણ રૂપિયો લીધા વગર મફતમાં સમાધાન કર્યું છે. તેમણે વકીલ દિનેશ પાતરને કહ્યું હતું કે તેમના વિરુદ્ધ સમાજના જ બે-ત્રણ 'લુખ્ખાઓ' દ્વારા ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જેનાથી કંટાળીને આખરે તેમણે સમાધાનનો રસ્તો અપનાવ્યો છે. આ પણ વાંચો: જયરાજસિંહ સામે બાથ ભીડનાર રાજુ સોલંકી કોણ? ‘દરેક તારીખે ત્રણ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું’બીજી તરફ વકીલ દિનેશ પાતરે વકીલાતની ફીની માંગણી કરી હતી જેના જવાબમાં રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ અઢી લાખ રૂપિયા નક્કી થયા હતા જેમાંથી દોઢ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને દરેક તારીખે ત્રણ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. 30 મે 2025એ કાળવા ચોકમાં વાહન અથડાવા બાબતે માથાકૂટ થઈ હતીઆ સમગ્ર વિવાદની પાછળના ભૂતકાળ પર નજર કરીએ તો તારીખ 30 મે 2025એ જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. રાજુ સોલંકીના પુત્ર અને NSUI પ્રમુખ સંજય સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે ગણેશ જાડેજા અને તેની ટોળકીએ તેનું અપહરણ કર્યું હતું અને તેને ગોંડલ લઈ જઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડની પાઈપો વડે ઢોર માર માર્યો હતો. ગણેશ જાડેજા સહિત 8 શખસોની ધરપકડ કરાઈ હતી30 મે 2025એ બનેલી ઘટનાને લઈ સંજય સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રિના સમયે તેના પુત્ર સાથે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલી ફોર વ્હીલર કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગણેશ જાડેજા અને તેના માણસોએ તેના ઘર પાસે આવીને હુમલો કર્યો હતો. જોકે તે સમયે રાજુ સોલંકીએ વચ્ચે પડીને સમાધાન કરાવી દીધું હતું, પરંતુ થોડીજ વારમાં ગણેશની ટોળકીએ ફરીથી હુમલો કરી સંજયનું અપહરણ કર્યું હતું અને તેને કારમાં નાખી ગોંડલ બાજુ લઈ ગયા હતા જ્યાં તેને જીવલેણ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ ફરિયાદને આધારે પોલીસે ગણેશ જાડેજા સહિત 8 શખસો સામે હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. આ પણ વાંચો: બેશરમ 'ગણેશ ગોંડલ'ની હસતા મોઢે જેલમાં એન્ટ્રી રાજુ સોલંકી સહિત 6 પરિવારજનો પર ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયોજોકે આ કેસમાં વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે જૂનાગઢ પોલીસે સામી કાર્યવાહી કરતા રાજુ સોલંકી, તેમના પુત્ર સંજય સોલંકી, ભાઈ સાવન ઉર્ફે જવો સોલંકી અને પત્ની હંસા સોલંકી સહિત પરિવારના 6 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગંભીર ગુનો નોંધ્યો હતો. પોલીસનું કહેવું હતું કે આ પરિવાર એક વ્યવસ્થિત ગુનાહિત ટોળકી ચલાવી રહ્યો હતો અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જોખમાય તેવા કૃત્યો કરી રહ્યો હતો. પોલીસે રાજુ સોલંકીના પરિવાર પર ગુજસીટોકનો ગાળિયો કસ્યો હતો. બંને પક્ષો વચ્ચે પડદા પાછળ સમાધાન થયાની શક્યતાપોલીસની આ કડક કાર્યવાહી બાદ રાજુ સોલંકીનો પરિવાર કાનૂની સંકજામાં ફસાયો હતો, અને રાજુ સોલંકી સહિત પરિવારના છ સભ્યોએ ગુજસીટોકમાં જેલવાસ ભોગવ્યો હતો. થોડો સમય પહેલા જ આ તમામના જામીન મંજૂર થયા છે અને કદાચ આ જ દબાણને કારણે અથવા તો સામાજિક કારણોસર હવે બંને પક્ષો વચ્ચે પડદા પાછળ સમાધાન થઈ ગયું હોય તેવી પ્રબળ શક્યતા છે. રાજુ સોલંકીએ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતોહાલમાં જ્યારે ગણેશ જાડેજા જૂનાગઢ કોર્ટમાં નિવેદન આપવા પહોંચ્યા હતા ત્યારે રાજુ સોલંકીએ મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે થયેલી ઉષ્માભરી મુલાકાત અને વાઇરલ થયેલો ઓડિયો એ વાતની સાક્ષી પૂરે છે કે ભૂતકાળના કડવા અનુભવોને ભૂલીને બંને પરિવારો વચ્ચે હવે સમજૂતી થઈ ગઈ છે. આ સમાધાન કેમ થયું તે ચર્ચાનો વિષય છે, પરંતુ રાજુ સોલંકીના નિવેદન મુજબ તેમણે સમાજની અંદરોઅંદરની લડાઈથી કંટાળીને જ આ પગલું ભર્યું હતું. ગણેશ જાડેજા અને તેના સાથીદારોને મોટી રાહત મળી શકેઆ સમગ્ર મામલે હજુ પણ કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ફરિયાદી પક્ષે નરમાશ બતાવતા હવે આ કેસમાં ગણેશ જાડેજા અને તેના સાથીદારોને મોટી રાહત મળી શકે છે. જૂનાગઢના આ ચકચારી કિસ્સામાં આવેલો આ નવો વળાંક આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણ અને સામાજિક સમીકરણો પર શું અસર પાડશે તે જોવું રહ્યું. આગામી સોમવારે અનુ.જાતિના આગેવાનો રણનીતિ નક્કી કરશેતો બીજી તરફ આ સમગ્ર મામલે અનુ.જાતિ સમાજના અગ્રણી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે દિનેશ પાતર અને રાજુભાઈ સોલંકી વચ્ચે થયેલ વાતચીતનો હાલ જે ઓડિયો વાઈરલ થયો છે જેમાં રાજુભાઈએ જણાવ્યું છે કે સમાજથી કંટાળી તેમને સમાધાન કર્યું છે પરંતુ આ વાત ખોટી છે. રાજુભાઈ સોલંકીને જ્યારે જયરાજસિંહ જાડેજાના દીકરા સાથેનો બનાવ બન્યો હતો જેમાં સૌરાષ્ટ્રભરનો અનુ.જાતિ સમાજ રાજુભાઈ ભેગો હતો, પરંતુ આજે રાજુભાઈએ સમાધાન કરી લેતા આગામી સોમવારે આ બાબતને લઈ અનુ.જાતિ સમાજના લોકો એકઠા થઈ આગળની રણનીતિ નક્કી કરશે.
ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIRની કામગીરી બાદ ગઈકાલે મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. SIRની કામગીરી શરૂ થતાની સાથે જ સુરતના ઉન વિસ્તારને અડીને આવેલા 'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લાના સામે આવેલા દૃશ્યો સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. અહીં રહેતાં 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, બૂથ નંબર 517 હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા. જોકે, જ્યારે BLO દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર SIRની કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે, તેમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું છે. બાકીના 550 મતદારો ક્યાં છે? શું તેઓ રાતોરાત અદ્રશ્ય થયા કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા? આ સવાલો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકોએ વાતચીતમાં ગાયબ લોકો બાંગ્લાદેશી હોવાનું કહ્યુંદિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજે 100 મકાનમાંથી 50 જેટલા મકાનોમાં મસમોટા તાળા લટકી રહ્યા હતાં. આ મામલે જ્યારે અમે સ્થાનિકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતાં અને અહીં ભાડેથી રહેતાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે, SIRની કામગીરી શરૂ થતા જ આ મકાનોમાં રહેતા લોકો પોતાનો સામાન સંકેલીને ફરાર થઈ ગયા. બાંગ્લાદેશી કે પાકિસ્તાની ઘૂસણખોરો હોઈ શકે છેઃ સોમનાથ મરાઠેઆ મામલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, બૂથ નંબર 517માં આવતા બંગાળી મહોલ્લામાં 950 મતદારો હતા, જેમાંથી હવે માત્ર 400 જ મળી રહ્યા છે. તપાસ શરૂ થઈ ત્યારથી જ લોકો મકાનોને તાળા મારી વતન ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે 550 મતદારો ગૂમ થતાં અનેક સવાલોએક જ વિસ્તારમાંથી એક સાથે 550 મતદારો ગૂમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે. આ સાથે જ 550 લોકોએ કયા આધારે ચૂંટણીકાર્ડ મેળવ્યા હતા? તેમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપવામાં કોણે મદદ કરી? શું આ લોકો પાસે ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ) પણ હતા? વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં? તે સવાલો પણ ઊભા થયા છે. તપાસ થાય તો મોટા ખુલાસા થવાની શકયતા સુરતનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. એક તરફ તંત્ર SIRની કામગીરી દ્વારા ડમી મતદારોને દૂર કરી રહ્યું છે, તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરો હોય તો તેઓનું ભારતીય મતદાર યાદીમાં હોવું એ સુરક્ષા-વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભુ કરે છે. આગામી દિવસોમાં જો પોલીસ દ્વારા મકાનમાલિકો અને ભાડૂઆતોની કડક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે.
કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને વ્હારે આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય વિતરણની કામગીરી જિલ્લાના ધારાસભ્યોએ સંકલનની બેઠકમાં એક સૂરે વધાવી છે. કલેક્ટર ઓફિસમાં આજે મળેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં પૂછાયેલા એક પ્રશ્નમાં ખેતીવાડી વિભાગ તરફથી મળેલા જવાબના પ્રતિસાદમાં આ રાહત પેકેજની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભૂતકાળમાં ખેડૂતોને આટલી મોટી સહાય ક્યારેય ન મળીકલેક્ટર ડો.અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કૃષિ રાહત પેકેજ વિતરણ સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં હવે માત્ર 700 જેટલી જ અરજીઓ મંજૂર કરવાની બાકી હોવાનું જણાવાયું હતું. અંદાજે રૂ. 240 કરોડ ખેડૂતોને મળવાપાત્ર છે, એમાંથી મોટાભાગના મળી ચૂક્યા છે. જે બાદ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, અક્ષયભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ચૈતન્યસિંહ ઝાલાએ એક સૂરે મુખ્યમંત્રીના કૃષિ રાહત પેકેજ અંતર્ગત વડોદરા જિલ્લામાં થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને ભૂતકાળમાં ખેડૂતોને આટલી મોટી સહાય ક્યારેય ન મળી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં અનેક જુદા-જુદા વિષયો પર પ્રશ્નો કરવામાં આવ્યા હતાઆ બેઠકમાં માર્ગો, પાણી, કેનાલ સફાઇ, વીજળી, રેલ્વે, દબાણો, ટ્રાફિક સહિતના વિષયો અંગે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને તેના નિકાલ માટે કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની આજની બેઠકમાં સાંસદ હેમાંગભાઇ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ચેરમેન મથુરભાઇ રાઠોડિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર તુષાર ભટ્ટે ધારાસભ્યો દ્વારા કરાયેલી રજૂઆતોનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે લોકો તરફથી વિવિધ વિભાગોને મળેલ અરજીઓ અને પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, રેલવે, આરોગ્ય, વન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા વિભાગને લગતા પ્રશ્નોની રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આદેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ, લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી સહિત સંકલનના તમામ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યની માફક પાટનગર ગાંધીનગરમાં પણ સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન ઠગાઈના નાણાં સગેવગે કરવા માટે વપરાતા 'મ્યુલ એકાઉન્ટ' ધારકો સામે લાલ આંખ કરી છે. પોતાની દિકરીની બિમારીનું બહાનું બતાવી મિત્રએ કલોલના યુવકના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં સાયબર ફ્રોડના 86 હજાર ટ્રાન્સફર કરાવી મેળવી લીધાનું તપાસમાં બહાર આવતા સાયબર ક્રાઈમ સેલે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. 1.14 લાખનું ટ્રાન્ઝેક્શન ને 86,500 સાયબર ઠગાઈનાભારત સરકારના I4C પોર્ટલ (NCCRP) પર ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એક શંકાસ્પદ એકાઉન્ટ નંબર વિરૂદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. આ ખાતામાં માર્ચ અને એપ્રિલ 2025 દરમિયાન કુલ 1.14 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જેમાંથી રૂ.86,500 જેટલી રકમ સાયબર ઠગાઈની હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલનું બહાનું કરીને મિત્રએ જ મિત્રને ફસાવ્યોજેના પગલે પોલીસે જ્યારે ખાતાધારક કમલેશજી સુરેશજી ઠાકોર (રહે. મોટી ભોયણ, કલોલ)ની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કમલેશને તેના મિત્ર વાસુ રતિલાલે (રહે. ટેંબા દંતાલી, કલોલ) પોતાની દીકરી બીમાર હોવાનું કહી હોસ્પિટલમાં પૈસા ભરવાની જરૂર હોવાનું બહાનું બતાવ્યું હતું. આથી મિત્ર મુશ્કેલીમાં હોવાનું માનીને કમલેશે પોતાનું બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા દીધો હતો. ત્યારે વાસુએ કમલેશના ખાતામાં અલગ-અલગ દિવસે ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા, જે કમલેશે રોકડા ઉપાડીને વાસુને આપી દીધા હતા. યુવકના ખાતાનો દુરુપયોગ કરી સાયબર ક્રાઇમના ઠગાઈના નાણાં સગેવગે કર્યાજેની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે વાસુ રતિલાલે આર્થિક લાભ મેળવવા માટે કમલેશના ખાતાનો દુરુપયોગ કરી સાયબર ક્રાઇમના ઠગાઈના નાણાં સગેવગે કર્યા હતા. જેના પગલે સાયબર ક્રાઈમ સેલે સાંતેજ પોલીસ મથકમાં વાસુ રતિલાલ વિરુધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ચડોતર ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પાલનપુર તાલુકાની ચડોતર પ્રાથમિક શાળામાં આયોજિત આ સ્પર્ધામાં, સંચાલકો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર પટેલે જણાવ્યું હતું કે, આ વાનગીઓ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લાભદાયી છે. તેમણે શાળાના બાળકોને નિયમિત મેનુ સાથે આવી પૌષ્ટિક વાનગીઓ પીરસવા અનુરોધ કર્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય PM પોષણ યોજના હેઠળ કાર્યરત માનદ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવાનો હતો. તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલા સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમે કાંકરેજના ફતેગઢના ઠાકોર નયનાબેન પરબતજીને રૂ. 8,000, દ્વિતીય ક્રમે વડગામના મોરિયાના શ્રીમાળી દક્ષાબેન રમણલાલને રૂ. 5,500 અને તૃતીય ક્રમે અમીરગઢ-૨ના જમણેસા આરતીબેન પીન્ટુભાઈને રૂ. 4,500 નો પુરસ્કાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી, પાલનપુર પ્રાંત અધિકારી કે.પી.ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS, પાટણ લો કોલેજ પ્રોફેસર અવનીબેન આલ, SMC અધ્યક્ષ સુલતાનભાઈ, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી સેવ ઉસળની દુકાન પર કામ કરતો યુવક ગુમ થયો હતો, ત્યારે આજે આ યુવકનો મૃતદેહ વાસણા ખાતેના તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રીમાં પાંચ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યોવડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રણછોડરાય મંદીર પાછળ દેવનગરમાં રહેતો ભરત પરમાર (ઉ.વ.48) સેવ ઉસળની દુકાન પર કામ કરતો હતો. તે પાંચ દિવસ અગાઉ ગુમ થયો હતો. આ અંગે જાણવા જોગ ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી. જોકે, પોલીસે આ મામલે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. આ યુવકની લાશ તળાવમાં દેખાતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ સામે આવશેઆ મામલે ગોત્રી પોલીસે અકસ્માતે મોત અંગેનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મૃતકનું કંઈ રીતે મોત નિપજ્યું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે. હાલમાં પોલીસે આ મૃતક ભરતનું પાણીમાં ડુબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક કારણ બતાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા જાહેર હિતના પ્રશ્નોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ લાવવા માટે અમલીકરણ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં મેટ્રોની કામગીરીથી થતી હાલાકી, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને પ્રોપર્ટી કાર્ડ જેવા જટિલ પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યની રિવરફ્રન્ટ અને પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નને લઈને રજૂઆતધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ બેઠકમાં સુરત શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ અને નાગરિકોની પાયાની સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2006માં તાપી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ નદી કિનારાની સુરક્ષા અનિવાર્ય છે. આ માટે શીતલ ટોકીઝથી હજીરા સુધીના વિસ્તારમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને પાળા બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. વધુમાં, તેમણે શહેરના વોર્ડ નં. 1 થી 12માં પ્રોપર્ટી કાર્ડ મેળવવામાં નાગરિકોને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે, આ માટે અલગ મીટિંગ કરી સરકારમાં નવું પ્રપોઝલ મોકલવામાં આવશે. મોદીએ મેટ્રો કામગીરીના કારણે થતી ટ્રાફિક સમસ્યાનો રિપોર્ટ અને રેશનકાર્ડ ધારકો માટે નવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવા પણ માગ કરી હતી. મેટ્રો બેરીકેટિંગ અને દબાણની સમસ્યાકરંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ મેટ્રો રેલવેની કામગીરીને કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનો અવાજ ઉઠાવ્યો હતો. લંબે હનુમાન રોડ, વસંતભિખાની વાડી અને પંચરત્ન ટાવર જેવા વિસ્તારોમાં મેટ્રોના બેરીકેટિંગને કારણે વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમણે રસ્તાના ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા મેટ્રોના અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, તેમણે વરાછા સહિત શહેરના વિવિધ બ્રિજ નીચે થતા દબાણો દૂર કરી ત્યાં સતત મોનિટરિંગ કરવાની રજૂઆત કરી હતી. શાકભાજીના ફેરિયાઓને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે તેમને નિર્ધારિત શાક માર્કેટમાં બેસાડવા માટે પાલિકાને સૂચન કર્યું હતું. પ્રશ્નોનો ત્વરિત અને અસરકારક નિકાલજિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે તમામ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો માત્ર નિકાલ જ નહીં, પરંતુ તેની જાણ સંબંધિત પદાધિકારીઓને પણ કરવી. બેઠકમાં મુખ્યમંત્રીના ઓનલાઇન પોર્ટલ પર આવતી અરજીઓને ગંભીરતાથી લેવા અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ સુદ્રઢ કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં માંડવી પ્રાયોજના અધિકારી સુનિલ, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય સૂર એ હતો કે વિકાસલક્ષી કામોમાં સામાન્ય જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે અને પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે.
પાટણના શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય કેમ્પસમાં રૂ. 90 લાખના ખર્ચે તૈયાર કરાયેલી નવી સુવિધાઓનું શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી જૈન મંડળ સંચાલિત આ વિદ્યાલયમાં ચાર નવા ક્લાસરૂમ, એક મલ્ટીપરપઝ હોલ અને સોલાર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. આ સુવિધાઓમાં 800 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપરપઝ હોલ, ચાર નવા ક્લાસરૂમ અને સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ એકમો વિદ્યાલયની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દાતાઓના આર્થિક સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે. દોઢ વર્ષ પહેલાં સમાજના દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આર્થિક સહયોગથી રૂ. 5 કરોડના ખર્ચે શરૂ કરાયેલી સેલ્ફ-ફાઇનાન્સ વિદ્યાલયને સારો પ્રતિસાદ મળ્યો છે. હાલમાં અહીં 500 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પોતાનું જીવન ઘડી રહ્યા છે. આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ શાહ, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ, દિનેશભાઈ શાહ, હિતેશભાઈ શાહ, સ્કૂલ ફાઇન્ડર દાતા ત્રિભોવનભાઈ પટેલ, મંડળના અગ્રણી દાતા રાકેશભાઈ શાહ, એસોસિએશનના પ્રમુખ યશવંતભાઈ ઝવેરી, જનરલ સેક્રેટરી દેવેશભાઈ શાહ, ભાવિકભાઈ શાહ, વિદ્યાલય સેક્રેટરી જીગરભાઈ શાહ, સંચાલક ધીરુભાઈ શાહ, બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડો. બળદેવભાઈ દેસાઈ અને શ્રી ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયના આચાર્ય હીરાલાલ આર. પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાલયને વધુ અદ્યતન બનાવવા માટે ઉદાર હાથે દાન આપનાર દાતાઓની અનુમોદના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની વધતી હવા પ્રદૂષણ સમસ્યા અને વિશ્વામિત્રી નદી તેમજ તળાવોના સંરક્ષણ માટે અનેક કડક પગલાની જાહેરાત કરી છે. આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં વિશ્વામિત્રી કમિટી, NGT કેસ સંબંધિત કમિટી, ક્રેડાઈના સભ્યો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), VMC અધિકારીઓ, એમ.એસ. યુનિવર્સિટીના અર્બન પ્લાનર્સ અને અન્ય હિતધારકો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતા. શહેરમાં વધતા પ્રદૂષણને રોકવા માટે GPCB અને VMCની સંયુક્ત કામગીરીને વેગ આપવામાં આવશે. ગયા અઠવાડિયામાં 127 કન્સ્ટ્રક્શન સાઇટ્સની તપાસ કરી દંડ વસૂલાયોકન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કડક નિયમો અંગે કમિશનરે જણાવ્યું કે, ક્રેડાઈ સભ્યો સાથે બેઠકમાં ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOPs) શેર કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયામાં 127 કન્સ્ટ્રક્શન સાઇટ્સની તપાસ કરી દંડ વસૂલાયો છે. હવેથી તમામ બિલ્ડર્સને તાત્કાલિક ગ્રીન નેટ લગાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી ધૂળનું પ્રદૂષણ ફેલાતું અટકે અને એર ક્વોલિટી મોનિટરિંગ અને સ્મોગ ગન્સ આવનારા દિવસોમાં સ્માર્ટ સિટી અંતર્ગત મૂકેલા સેન્સર્સને રી-કેલિબ્રેટ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડિસ્પ્લે કરવામાં આવશે. જેથી નાગરિકોને પ્રદૂષણના સ્તરની જાણકારી મળશે. આ ઉપરાંત 6 સ્મોગ ગન્સ ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેને હોટસ્પોટ્સમાં તૈનાત કરવામાં આવશે. '16 MLD અનટ્રીટેડ પાણીને ડાઈવર્ટ માટે કામગીરી કરવામાં આવશે'આ સાથે વિશ્વામિત્રી નદીમાં અત્યાર સુધી 64 MLD અનટ્રીટેડ પાણીને ડાઈવર્ટ કરવામાં આવ્યું છે, હજુ 16 MLD માટે કામગીરી કરવામાં આવશે. માઇક્રો STPને પાયલોટ તરીકે શરૂ કરાશે. કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન (CD) વેસ્ટને નદી કે તળાવોમાં ડમ્પ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેને પ્રોસેસ કરીને બ્રિક કે રોડ માટે વાપરવામાં આવશે. 'VMC, GPCB અને ક્રેડાઈ સહિત તમામ સંસ્થાઓ સાથે મળીને કામ કરીશું'વધુમાં કહ્યું કે, શહેરના તળાવોના સર્વે પૂર્ણ થયા છે, તેમને નોટિફાય કરીને લેક રેજુનેશન અને ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આવનારા દિવસોમાં ક્લીન પ્રેક્ટિસ, પ્રદૂષણ નિયંત્રણ અને શહેરને હરિયાળું બનાવવા માટે VMC, GPCB અને ક્રેડાઈ સહિત તમામ સંસ્થાઓ સાથે મળીને કામ કરીશું. આ પગલાંથી વડોદરાને વધુ સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી શહેર બનાવવાનો પ્રયાસ થશે.
ખેડા જિલ્લાની એક યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેબ્લેટ અપાવવાના બહાને યુવતીની સહીઓ કરાવી લઈ પાડોશીએ તેની જાણ બહાર લગ્ન નોંધણી કરાવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે ભોગ બનનાર યુવતીએ પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. યુવતીને ટેબ્લેટ અપાવવાના નામે સહી કરાવી યુવકે લગ્ન નોંધણી કરાવી લીધીમળતી માહિતી મુજબ યુવતીના પાડોશમાં રહેતા હરેશ રોહિત નામના યુવાને યુવતીને સરકાર તરફથી ટેબ્લેટ અપાવવાનું લાલચ આપી હતી. આ બહાને તેણે યુવતી પાસેથી કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. યુવતીને અંધારામાં રાખીને આ સહીઓનો ઉપયોગ લગ્ન નોંધણી માટે કરવામાં આવ્યો હતો. યુવતી જે ગામમાં ક્યારેય ગઈ પણ નથી એવા ઠાસરા તાલુકાની ઢુણાદરા ગ્રામ પંચાયતમાં આ લગ્ન નોંધવામાં આવ્યા હતા. યુવતીની હાજરી વગર જ ગ્રામ પંચાયતમાં લગ્ન કેવી રીતે નોંધાઈ શકે?જ્યારે હરેશ રોહિતે યુવતીને લગ્નનું સર્ટિફિકેટ બતાવ્યું ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. યુવતીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, તે પોતે રૂબરૂ હાજર રહી નથી, તો પછી ગ્રામ પંચાયતમાં લગ્ન કેવી રીતે નોંધાઈ શકે? ઢુણાદરા ગ્રામ પંચાયતમાં આ રીતે અનેક શંકાસ્પદ લગ્ન નોંધાયા હોવાની વિગતો પણ બહાર આવી રહી છે.જે પંચાયતની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. ખોટા દસ્તાવેજોના આધારે તેને ધમકાવીને કુકર્મ પણ આચર્યુંભોગ બનનાર યુવતીએ માત્ર છેતરપિંડી જ નહીં પરંતુ, હરેશ રોહિત દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે. ખોટા લગ્ન દસ્તાવેજોના આધારે તેને ડરાવી-ધમકાવીને કુકર્મ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે યુવતીએ હિંમત દાખવીને ખેડા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે. છેતરપિંડીથી લગ્ન નોંધણી કરાવનાર યુવાન અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. SPGએ તપાસ કરાવતા આ ઘટનાનો પર્દાફાશ થયોમહેસાણામાં SPG દ્વારા પ્રેમ લગ્ન બાબતે એક લડત ચલાવવામાં આવી રહી છે ત્યારે આ ખેડાની યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના SPGને જણાવતા SPGએ તપાસ કરાવતા આ ઘટનાનો પર્દાફાશ થયો હતો તેમજ યુવતી પોતાના પરિવાર સાથે મહેસાણા આવી આ બાબતે પ્રેસ યોજી હતી
હિંમતનગરમાં દિવ્યાંગો માટે સહાય કેમ્પ યોજાયો:જોયસ્ટિક વ્હીલચેર, ટ્રાઈસિકલ સહિતના લાભો અપાશે
હિંમતનગરના મોતીપુરા સ્થિત માનસિંગ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાય કેમ્પ યોજાયો હતો. સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પનો હેતુ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ હિંમતનગર અને ઇડર તાલુકાના દિવ્યાંગજનોને આપવાનો હતો. આ કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓને જોયસ્ટિક વ્હીલચેર, મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને સંત સૂરદાસ યોજના જેવી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. કેમ્પનું ઉદ્ઘાટન હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ડી. ઝાલાના હસ્તે થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઝાલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજનાઓની પ્રશંસા કરી હતી. તેમણે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બની સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી, સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર વી.એ. ગોપલાણી, હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, કારોબારી અધ્યક્ષ જીનલબેન પટેલ, શૈલેન્દ્રસિંહ પરમાર અને જીતુભાઈ પટેલ સહિત સંસ્થાના કર્મચારીઓ અને દિવ્યાંગ લાભાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવણી:જામનગરમાં 08 ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા પદયાત્રા
જામનગરમાં 08 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા આજરોજ સવારે રણમલ તળાવથી શરૂ થઈને રણજીતનગર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા, અનુશાસન અને શિસ્તના ગુણોને યાદ કરવાનો અને તેનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવાનો હતો. આ કાર્યક્રમમાં 117 એનસીસી કેડેટ્સ, 07 એએનઓ (એસોસિયેટ એનસીસી ઓફિસર્સ), સીટીઓ (કેડેટ ટ્રેનિંગ ઓફિસર્સ) અને 10 પીઆઇ (પર્મેનન્ટ ઇન્સ્ટ્રક્ટર) સ્ટાફ સહિત કુલ 134 લોકો જોડાયા હતા.
સુત્રાપાડા નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત જાહેર અને વાણિજ્યિક વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારા વ્યક્તિઓ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કચરાના સ્ત્રોત સેગ્રીગેશન (કચરાનું વર્ગીકરણ) અંગે જાગૃતિ લાવવા માટે દરરોજ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ડમ્પિંગ સાઇટ પર એકઠા થયેલા કચરાના નિકાલની કામગીરી પ્રગતિમાં છે. દૈનિક એકઠા થતા કચરાના પ્રોસેસિંગ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ કચરા પ્રોસેસિંગની કામગીરી નગરપાલિકાને જમીનની ફાળવણી થયા બાદ શરૂ કરવામાં આવશે.
ખનન માફિયાઓના આતંક સામે મહેસુલી કર્મચારીઓ લાલઘુમ:ભાવનગર કલેક્ટરને આવેદન આપી સુરક્ષાની માંગ કરાઈ
ચોટીલાના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન રોકવા ગયેલા નાયબ મામલતદાર તરુણ દવે અને તેમની ટીમ પર ભૂ-માફિયાઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં ભાવનગર જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર ડો.મનીષ બંસલને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત તા. 15/12/2025 ના રોજ રાત્રિના સમયે પ્રાંત અધિકારીની સૂચનાથી નાયબ મામલતદાર તરુણ દવે અને તેમની ટીમ થાનગઢના ભડુલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા અસામાજિક તત્વોએ આયોજનબદ્ધ રીતે સરકારી ટીમ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને વાહનો તેમજ હથિયારો વડે હુમલો કરી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. કર્મચારી મંડળની મુખ્ય માંગણીઓવડોદરા અને ભાવનગર સહિતના મહેસુલી મંડળોએ આ ઘટનાને કાયદો-વ્યવસ્થા પર સીધો હુમલો ગણાવીને માંગણીઓ કરી છે કે, હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવી, ફિલ્ડમાં કામ કરતા નાયબ મામલતદાર સહિતના મહેસુલી કર્મચારીઓને સ્વ-બચાવ માટે હથિયારના પરવાના આપવા, રેવન્યુ વિભાગની ટીમ જ્યારે દરોડા કે તપાસમાં જાય ત્યારે પૂરતી પોલીસ સુરક્ષા પૂરી પાડવી, ખનન માફિયાઓના વાહનો અને મશીનરી જપ્ત કરી તેમના વ્યવસાયો કાયમી ધોરણે બંધ કરાવવા સહિતની માંગ કરી હતી, આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ જૂનાગઢમાં પણ ઈ-ધરા નાયબ મામલતદાર પર કચેરીમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓથી કર્મચારીઓના મનોબળ પર નકારાત્મક અસર પડી રહી છે. જો સરકાર દ્વારા આ બાબતે નક્કર પગલાં ભરવામાં નહીં આવે, તો મહેસુલી કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પાર્ટીએ આ માટે સત્તાધારી ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, એસ.આઈ.આર. (SIR) મામલામાં અનેક લોકોના નામ કમી કરવામાં આવ્યા છે. તેમણે મણિનગર વિધાનસભાનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક જ ઘરના સરનામે અલગ-અલગ જ્ઞાતિના અનેક લોકોના નામ નોંધાયેલા છે, જે શંકાસ્પદ છે. આપે આક્ષેપ કર્યો કે આ કોઈ ભૂલ નથી પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કરવામાં આવેલી 'ગડબડ' હોઈ શકે છે. ખાસ કરીને જે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે અથવા જેઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવે છે, તેમના નામ મતદાર યાદીમાંથી જાણીજોઈને કાઢી નાખવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 20,000 જેટલા BLA-2 ની ટીમ બનાવી છે. આ ટીમ દરેક વિધાનસભામાં મતદાર યાદીની તપાસ કરશે અને જો કોઈનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું હશે તો પાર્ટી તેમને મદદ કરશે. આપે વલસાડ અને વાપીના પ્રદૂષણ, બિસ્માર રસ્તાઓ અને ભ્રષ્ટાચાર જેવા સ્થાનિક મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ ઉઘરાવવાના ચક્કરમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કોંગ્રેસ સાથેના ગઠબંધન અંગે સ્પષ્ટતા કરતા આપે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીઓ એકલા હાથે લડશે. પાર્ટીએ દાવો કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસના અનેક સારા નેતાઓ અત્યારે 'આપ' ના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં પાર્ટીમાં જોડાશે. આપે જનતાને અપીલ કરી હતી કે મતદાનના દિવસે જાગૃત રહે અને પરિવર્તન માટે મક્કમ બને.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવતા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ મુદ્દે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા અને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવા નીકળેલી કોંગ્રેસની કૂચને પોલીસે અટકાવી હતી. શનિવારે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કુલ 77 કાર્યકરોની અટકાયત કરી હતી. સૂત્રોચ્ચાર સાથે નીકળી કૂચપ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા. ત્યાંથી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ ભાજપ કાર્યાલય તરફ કૂચ શરૂ કરી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્તકોંગ્રેસની આ કૂચને પગલે હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કૂચ આગળ વધતા જ SOG, LCB અને બી-ડિવિઝન પોલીસના કાફલાએ કાર્યકરોને રસ્તામાં જ અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાર્યકરોને પોલીસ વાહનોમાં બેસાડી દીધા હતા અને તેમને સ્થાનિક તાલીમ ભવન ખાતે લઈ જવામાં આવ્યા હતા. 77 લોકોની અટકાયતહિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર માહિતી આપતા જણાવાયું હતું કે, મંજૂરી વિના ઘેરાવો કરવાના પ્રયાસ બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિવિધ પાંખના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મળી કુલ 77 વ્યક્તિઓને ડીટેન કરવામાં આવ્યા હતા.
ભરૂચની શબરી વિદ્યાપીઠમાં મોક પાર્લામેન્ટ:લોકસભાની કાર્યપ્રણાલી સમજાવતો કાર્યક્રમ યોજાયો
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી શબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મિડિયમ શાળામાં શનિવાર, 20 ડિસેમ્બર 2025 ના રોજ મોક પાર્લામેન્ટ લોકસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 60 વિદ્યાર્થીઓએ વર્તમાન રાજકીય વિષયો પર શિસ્તબદ્ધ રીતે પોતાના વિચારો અને વક્તવ્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જજ તરીકે યુ.પી.એલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. તૃપ્તિ અનમોલા અને એડવોકેટ અનુરાગ અગ્રવાલે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં સંસદની કાર્યપ્રણાલી, રાજ્યસભા અને લોકસભાના પરિસરની સમજ વિકસાવવાનો હતો. તેમજ લોકશાહી પ્રક્રિયામાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો પણ આશય હતો. વિદ્યાર્થીઓએ સંસદીય શિસ્ત સાથે જે રીતે ચર્ચા કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા તે પ્રેરણાદાયક બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને વિચારોની પરિપક્વતા ખાસ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય શાલિન જહોને ઉપસ્થિત તમામ વાલીગણ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પાળીયાદ પોલીસે પાળીયાદ-રાણપુર રોડ પરથી કપાસની આડમાં લઈ જવાતો બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આઈસર ટ્રકમાંથી રૂ. 3,19,680ની કિંમતના 1776 ટીન બિયર જપ્ત કર્યા છે અને ટ્રક ચાલકની અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રક મારફતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે, પોલીસે પાળીયાદ-રાણપુર રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રકને રોકાવી તપાસ કરતા, ઉપરના ભાગે કપાસ ભરેલો હતો. જોકે, તેની નીચે મોટી માત્રામાં બિયર છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ટ્રકને પોલીસ સ્ટેશન લઈ જઈ કપાસ ખાલી કરાવતા, બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ચાલક ગોગજી સામત કુકવાવાને અટકાયતમાં લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં ચાલકે જણાવ્યું કે આ બિયરનો જથ્થો ટ્રકના માલિક પ્રવિણભાઈ મેણીયાનો છે અને તે મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો. પાળીયાદ પોલીસે ટ્રક ચાલક અને ટ્રકના માલિક સામે ગુનો નોંધી કુલ રૂ. 15,52,954 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીઝલ-કેમિકલ ચોરીનો આરોપી દારૂની બોટલ સાથે ઝડપાયો:સાયલા નેશનલ હાઈવે પરથી સાયલા પોલીસે ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ અને કેમિકલ ચોરીના મોટા રેકેટનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. સાયલા પોલીસે તેને નેશનલ હાઈવે પર આવેલી રવિરાજ હોટલ પાસેથી વિદેશી દારૂ સાથે પકડી પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નેશનલ હાઈવે તેમજ જિલ્લાની હદમાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન, જુગાર, ડીઝલ, કેમિકલ, સળિયા, સિમેન્ટ અને ગેસ ચોરી જેવી પ્રવૃત્તિઓ ડામવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીએ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ પર વોચ રાખવા અને કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યવાહીના ભાગરૂપે, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી અને સાયલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચુડાસમા તથા સ્ટાફના માણસોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર ગોસળ ગામના બોર્ડથી આગળ આવેલી રવિરાજ હોટલ ખાતે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, હોટલમાંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી ન હતી. જોકે, ત્યાં હાજર આરોપી રવિરાજભાઈ ભુપતભાઈ પટગીર (ઉંમર 36, ધંધો: હોટલ વ્યાપાર, રહે: વિશ્વકુંજ સોસાયટી, રતનપર, સુરેન્દ્રનગર)ની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી 'ઓફસ્મિથ ઇન્ટરનેશનલ બ્લેન્ડ વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર' લખેલી 180 મિલીની પ્લાસ્ટિકની સીલબંધ બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત ૩૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે રવિરાજભાઈ પટગીરની ધરપકડ કરી હતી. તેની સામે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રવિરાજભાઈ પટગીરનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન, બી ડિવિઝન અને સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઠ જેટલા ગુનાઓનો સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લામાં આવતીકાલે એટલે કે 21 ડિસેમ્બરે TETની પરીક્ષા આખા રાજ્યમાં યોજાવા જઈ રહી છે. ત્યારે વડોદરામાં યોજાનાર પરીક્ષાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પરીક્ષા શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત મેળવવા માટે અનિવાર્ય છે. જિલ્લામાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો પર 30,475 ઉમેદવારો પરીક્ષા આપશે. શહેર અને જિલ્લામાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાઆ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મુકેશ પાંડેએ જણાવ્યું હતું કે, ઉમેદવારોની સુવિધા માટે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે દરેક કેન્દ્ર પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 12થી 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં એટલે કે 11:30 વાગ્યા સુધીમાં પોતાના કેન્દ્ર પર હાજર રહેવું ફરજિયાત છે. તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવીવધુમાં કહ્યું કે, પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો શિક્ષક પદ માટે યોગ્યતા ધરાવશે. તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પરીક્ષા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.
શહેરા વન વિભાગે ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી:પાસ-પરમીટ વગરના લાકડા સાથે ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી એક ટ્રકને કાકારી રોડ પાસેથી ઝડપી પાડી છે. આ ટ્રક નડિયાદ તરફ ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઈ જઈ રહી હતી. વન વિભાગે આ કાર્યવાહીમાં કુલ રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચમહાલ જિલ્લામાં વન સંપત્તિની ચોરી અટકાવવા વન વિભાગ સતર્ક બન્યું છે. શહેરા વન વિભાગે બાતમી અને પેટ્રોલિંગના આધારે વહેલી પરોઢે ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતી આ ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરા પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા રેન્જ સ્ટાફ શહેરાથી મોરવા (રેણા) રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કાકારી રોડ પાસેથી પસાર થતી ટ્રક નંબર GJ 09 V 5691 શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી પાસ કે પરમીટ વગરના લીલા તાજા પંચરાઉ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વધુ પૂછપરછમાં આ લાકડાનો જથ્થો નડિયાદ ખાતે લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી લાકડા અને ટ્રક સહિત અંદાજે કુલ રૂ. 4,65,000નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે કર્યો છે. જપ્ત કરાયેલ વાહન અને મુદ્દામાલને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, બીટ ગાર્ડ બી.એન. રાવલ અને નવાગામ બીટ ગાર્ડ એલ.ડી. રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
વડોદરા જિલ્લામાં થોડા સમય પહેલા બહેને પ્રેમી સાથે મળી બહેનની હત્યા નિપજાવવાના બનાવ બાદ હવે પુત્રી દ્વારા પ્રેમી સાથે મળી પિતાની હત્યા નિપજાવવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પાદરા તાલુકામાં રહેતા એક યુવકની તેના જ ઘરમાં છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. જેની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ હત્યા મૃતકની સગીરવયની દીકરીએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સાથે મળી કરી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. બનાવના દિવસે પુત્રીએ પિતાને જે ભોજન આપ્યું હતું તેમાં ઊંઘની ગોળી નાખી દીધી હતી. ત્યારબાદ દીકરીના પ્રેમી અને તેના મિત્રએ રાત્રિના સમયે છરીના ત્રણ ઘા મારી હત્યા નિપજાવી હતી. પોલીસે હાલ સગીરા, તેના પ્રેમી સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાદરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોવડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતા એક વ્યકિતની તેના જ ઘર પાસેથી બે દિવસ પહેલા લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતક યુવકની સગીર વયની દીકરી, તેનો પ્રેમી રણજીત વાઘેલા અને પ્રેમીનો મિત્ર ભવ્ય મહેશ વસાવા હોવાનું ખૂલ્યું છે. દીકરીએ ભોજનમાં ઊંઘની ગોળી નાખી, પ્રેમીએ મિત્ર સાથે મળી હત્યા કરીફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવમાં સગીર વયની દીકરીનો પ્રેમસંબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પ્રેમસંબંધમાં આડે આવતા પિતાનો કાયમ માટે કાંટો કાઢી નાખવા માટે દીકરીએ પ્રેમી સાથે મળી હત્યાનો અંજામ આપ્યો હતો. સગીર પુત્રીએ પોતાના પિતાના ભોજનમાં ઊંઘની ગોળી નાખી દીધી હતી અને ત્યારબાદ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્યએ છરીના ત્રણ ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. ઘણા દિવસથી સગીરા હત્યાનો પ્લાન કરતી હતીદીકરીએ પોતાના માતા પિતાને અગાઉ પાણીમાં અને બાદમાં ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી હતી પરંતુ તેઓને સફળતા મળી ન હતી. અંતે બનાવના દિવસે ત્રીજી વાર ભોજનમાં ગોળીઓ ભેળવી ઉંઘમાં પિતાની હત્યા કરાવી હતી. દીકરીના પ્રેમપ્રકરણને લઈ પિતા નારાજ હતા. તેઓ પોતાની પત્ની અને દીકરીને ઓરડીમાં બંધ કરીને બહારથી તાળું મારીને ચાવી પાસે રાખતા હતા. આ હત્યાના સમયમાં આ દીકરી બારીમાંથી જોતી હતી કે, આ કામ પૂર્ણ થયું છે કે કેમ. પ્લાનિંગ આખું સગીર વયની દીકરી અને તેના પ્રેમી રણજીતનું હતું અને તે હત્યા કરી પ્રેમી સાથે ભાગી જવાની હતી. મૃતકે ભૂતકાળમાં આરોપી પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતીપોલીસનું માનીએ તો, સગીરાને ભૂતકાળમાં રણજીત વાઘેલા ભગાડી ગયો હતો. જે બાબતે પિતા (મૃતકે) ફરિયાદ નોંધાવતા રણજીતની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં જામીન પર બહાર આવતા જ ફરી સગીરા પ્રેમિકા સાથે મળી પિતાની હત્યા કરી ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો. આ ઊંઘની ગોળીઓ અને હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ ચાલી રહી છે.
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસવડા, અધિક કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ કલેકટર ડૉ. મનિષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળી હતી. મિડિયન કટ અને અનધિકૃત પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી કરવા કલેક્ટરની સૂચના આ બેઠકમાં જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથે નેશનલ હાઇવે પર અનધિકૃત પાર્કિંગ, મિડિયન કટ કરનારા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવા, લોકો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવાં સંબંધિત અધિકારીઓને સૂચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આર.ટી.ઓ.ઓફિસર સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.નીતીશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, રોડ સેફ્ટી ટ્રેઇનર અજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં રેલવે સ્ટેશનની સામે આવેલા મેડિકલ સ્ટોરના દુકાન માલિક ગુરુવારના સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શુક્રવારની વહેલી સવારના આસપાસ દુકાનનું તાળું તોડીને શટર ઊંચું કરીને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, શુક્રવારની વહેલી સવારે દુકાનનું શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કંઈ હાથ ના લાગતા તેઓ ભાગી ગયા હતાં. બે દિવસ પહેલાં પણ તાળું તોડ્યું હતુંબીજી તરફ આ જ વિસ્તારમાં બે દિવસ અગાઉ ગુરૂકૃપા કિરાણામાં પણ વહેલી સવારે તાળું તોડીને ચોરીનો પ્રયાસ કયો હતો, પરંતુ ત્યાંથી સ્થાનિક વ્યક્તિ જોઈ જતાં તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતાં. પોલીસના પેટ્રોલિંગ પર સવાલસ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગના દાવાઓ કરી રહી છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં ચોરીના બનાવ બનતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ તસ્કરોને નાથવા માટે પેટ્રોલિંગ સઘન બનાવવાની જરૂર જણાઈ રહી છે.
વર્ષ 2022માં અમદાવાદ DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી આરોપી મોહમ્મદ ફારુક મેમણ અને જાવેદશા સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં કોર્ટે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી CTM પાસે સ્વિફ્ટ ગાડીમાં એમડી ડ્રગ્સ વેંચતો હતોકેસને વિગતે જોતા પોલીસને પેટ્રોલિંગ કરતા બાતમી મળી હતી કે અમદાવાદના CTM પાસે એક સ્વિફ્ટ ગાડીમાં આરોપી મોહમ્મદ ફારુક મેમણ એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે પંચો સાથે આરોપીને કોર્ડન કરીને તેની તપાસ કરતા, આરોપી પાસેથી 6.07 લાખની કિંમતનું 60.700 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તેનું કહેવું હતું કે તે જાવેદશા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. આરોપીને 12 વર્ષની કેદ અને 5 લાખનો દંડઆરોપીઓ સામે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને જજ વી.બી. રાજપૂતે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની સખત કેદ અને કુલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ભારતીય કિસાન સંઘની ગાંધીનગર બેઠકમાં આંદોલનની ચીમકી:સહાય, વીજળી, અને અન્ય પડતર માંગણીઓ ઉકેલવા માગ
ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરાઈ. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા આજે ગુજરાતનો ખેડૂત ગંભીર મુશ્કેલીમાં છે. 'પ્રશ્નો ઉકેલાશે નહીં તો આંદોલનનો માર્ગ અપનાવીશું'કિસાન સંઘે જણાવ્યું કે, ખેડૂતોની તકલીફો સાંભળ્યા બાદ આવનાર દિવસોમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ખાસ કરીને સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળવાની સમસ્યા પર સરકાર ગંભીર બને તેવી કડક અપીલ કરાઈ. જો પ્રશ્નો તાત્કાલિક ઉકેલાશે નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. '18 હજાર ગામડાઓમાંથી ખેડૂતો શક્તિ પ્રદર્શનમાં ભાગ લેશે'બેઠકમાં એ પણ જણાવાયું કે, આવનાર સમયમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં રાજ્યના અંદાજે 18 હજાર ગામડાઓમાંથી ખેડૂતો ભાગ લેશે. આજે યોજાયેલી બેઠકમાં આંદોલનની રૂપરેખા અને આગળની રણનીતિ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. સહાય, વીજળી, અને અન્ય પડતર માગણીઓ ઝડપથી ઉકેલવા માગકિસાન સંઘે સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સહાય, વીજળી, અને અન્ય પડતર માંગણીઓ ઝડપથી ઉકેલવામાં આવે. જો સરકાર માંગણીઓ પ્રત્યે ગંભીરતા દાખવશે નહીં, તો ખેડૂતો ના છૂટકે ખેતર છોડીને ગાંધીનગર કૂચ કરશે અને આક્રમક આંદોલન શરૂ કરશે. એવી ખુલ્લી ચીમકી સંઘ દ્વારા આપવામાં આવી છે.
રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 150થી વધુ વિદ્યાર્થી અને 14 શિક્ષકોને 3 બસમાં સોમનાથ-સાસણના પ્રવાસે લઈ જવાયા હતાં. આ પ્રવાસ દરમિયાન બપોરના સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી દુઃખદ નિધન થયુ હતુ. આ દુર્ઘટનામાં પ્રવાસમાં હાજર શિક્ષકો અને ભાજપ આગેવાન એવા સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવે છે. શિક્ષકોએ ધ્યાન ન આપ્યું અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યા અને તેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયુ. રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા નિયમો પ્રમાણે સ્કૂલ સંચાલક દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માગવાની બદલે માત્ર જાણ કરવામાં આવી હતી. આ સાથએ જ આરટીઓ કચેરીમાં પણ વાહનની ફિટનેસ ચેક કરાવવામાં ન આવી હોવાનો ખૂલાસો થયો છે. દરમિયાન સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તાએ સ્કૂલની માન્યતા રદ કરવાની સાથે વિદ્યાર્થીના પરિવારજનોને રૂ.50 લાખની આર્થિક સહાય આપવાની માગ કરી છે. પ્રવાસ અંગેની ફાઈલ જમા કરાવવામાં આવેલી છેઃ DEOઆ બાબતે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યુ કે, 24 ઓક્ટોબર, 2024નો ગુજરાત શિક્ષણ વિભાગનો ઠરાવ છે, જેમાં કોઇપણ સ્કૂલ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે એ સ્કૂલે કચેરી ખાતે જાણ કરવાની હોય છે. નવયુગ સ્કૂલ દ્વારા 11 ડિસેમ્બરના રોજ પ્રવાસ અંગેની ફાઈલ જમા કરાવવામાં આવેલી છે. જેમાં નોંધ્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો પ્રવાસ હતો. તેમાં સૌપ્રથમ સોમનાથ અને ત્યાર પછી દેવડીયા પાર્ક પ્રવાસ જવાનો હતો. ‘જમવા માટે સાસણના રિસોર્ટમાં રોકાયા હતા, નહાવાનું આયોજન નહોતું’એક દિવસનો પ્રવાસ હતો, પરંતુ જ્યારે સંચાલક સાથે પ્રાથમિક વાતચીત કરી ત્યારે તેમના જણાવ્યા મુજબ તેઓ જમવા માટે સાસણ ખાતેના રિસોર્ટમાં રોકાયા હતા. જ્યાં નહાવા માટેનું કોઈ આયોજન ન હતું, તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યા હતા અને તેમાં એક વિદ્યાર્થીનું ડૂબી જવાથી અવસાન થયુ છે. આ બાબતે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ‘ત્રણ સભ્યની ટીમ વિદ્યાર્થીઓ-શિક્ષકોના નિવેદન લેશે’તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. ત્રણ સભ્યોની આ ટીમ વિદ્યાર્થીઓને શિક્ષકોના નિવેદન લેશે. તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ બાબતમાં પોલીસ કેસ નોંધાયો છે, ત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે અને અમારી ટીમ પણ તપાસ કરી રહી છે. શિક્ષણ ખાતાના કોઈ નિયમનું ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ‘હાલ ઠરાવમાં સજાની કોઈ જોગવાઈ નથી’તેમણે ઉમેર્યુ કે, બાળકોને સાચવવાની જવાબદારી શિક્ષકોની જ હોય છે. હાલ ઠરાવમાં આ બાબતે સજાની કોઈ જોગવાઈ નથી. જોકે શિક્ષણ વિભાગના કયા ઠરાવો લાગુ પડે છે તે ચકાસી કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં કહ્યું કે, શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ પોલીસને જાણ કરી બંદોબસ્ત માગવાનો હોય છે. જોકે પોલીસને માત્ર જાણ કરવામાં આવી હશે તો એ બાબતે સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ દુખદ ઘટના બની છે, ત્યારે શિક્ષણ વિભાગનો ઠરાવ ફરી એક વખત તમામ સ્કૂલોને મોકલવામાં આવશે. પ્રવાસમાં જતી વખતે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવશે. રાજકોટ આરટીઓના ઇન્ચાર્જ અધિકારી કેતન ખપેડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સરકારના નિયમ મુજબ કોઈપણ બસ પ્રવાસમાં જાય ત્યારે તે વાહન આરટીઓ કચેરીમાં ચેકિંગ કરાવવાનું હોય છે, પરંતુ નવયુગ સ્કૂલની પ્રવાસની બસ અહીં ચેક થવા માટે આવી નથી. વિદ્યાર્થીઓ શિક્ષકોની નજર ચૂકવી સ્વિમિંગ પૂલમાં ગયા હતાઃ સંચાલકઆ મામલે નવયુગ સ્કૂલના સંચાલક જયદીપ જલુએ જણાવ્યું કે, શહેરના હાથીખાના મેઇન રોડ ઉપર શેરી નંબર 9માં આવેલી નવયુગ સ્કૂલના ધોરણ 5થી 12ના 155 જેટલા વિદ્યાર્થીઓનો એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ગઈકાલે શુક્રવારે સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન માટે ગયા હતા, જે બાદ સાસણમાં આવેલા રિસોર્ટમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં તમામ વિદ્યાર્થીઓને 14 જેટલા શિક્ષકો ભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમાંથી બેથી ત્રણ વિદ્યાર્થીઓ શિક્ષકોની નજર ચૂકવી સ્વિમિંગ પૂલમાં નહાવા માટે ગયા હતા, જેમાંથી એક વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું મૃત્યુ નીપજ્યુ. જે ઘટના અમારા માટે દુઃખદ છે. હાલ મેંદરડા પોલીસ સ્ટેશન હું જઈ રહ્યો છું. પોલીસને પણ કહ્યું છે કે, જેની પણ બેદરકારી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. અહીં સ્વિમિંગપૂલ પાસે કોઈ સીસીટીવી કેમેરા નથી, પરંતુ ભોજન કક્ષમાંથી જ્યારે આ વિદ્યાર્થી બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે કોઈ હતું કે કેમ? તેના સીસીટીવી તપાસવામાં આવશે. નિર્દોષ બાળકનું મોત અકસ્માત નહીં, સિસ્ટેમેટિક બેદરકારીનું પરિણામ છેઃ કોંગ્રેસઆ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે માગ કરી છે કે, આ કિસ્સામા એક નિર્દોષ બાળકનું મૃત્યુ માત્ર અકસ્માત નહીં, પરંતુ સિસ્ટેમેટિક બેદરકારીનું પરિણામ છે. રાજ્ય સરકારના નિયમોને ધ્યાને લઈને પોલીસ વિભાગને ભલામણ કરી BNS કલમ 106 મુજબ ગુનો નોંધવામાં આવે. નવયુગ સ્કૂલ સામે તાત્કાલિક તપાસ હાથ ધરીને માન્યતા રદ કરવામા આવે. સ્કૂલની બેદરકારીથી ભોગ બનનાર બાળકના પરિવારને રૂ.50 લાખની આર્થિક સહાય આપવામા આવે. વિશેષ કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જિલ્લામાં તમામ સ્કૂલોને કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. રજૂઆતના અંતમા વિદ્યાર્થી નેતાએ જિલ્લા શિક્ષણ અધિકારીને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, આ બાબતે કડક કાર્યવાહી કરવામા નહીં આવે તો આગામી દિવસોમા ગાંધી ચીંધ્યા માર્ગે ભોગ બનનાર બાળકના પરિવારને સાથે રાખીને આંદોલન કરવામા આવશે.
અમદાવાદના મિરઝાપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતી મહિલા કર્મચારીએ થોડા દિવસ અગાઉ કેશરૂમમાં જઈને 80 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહિલા નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. મેનેજરે હિસાબ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મેનેજરે મહિલા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેનેજરે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ને ખબર પડીમિરઝાપુર કોર્ટની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર આસિફ મન્સૂરી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 4 ડિસેમ્બરે આસિફે કેશરૂમમાં જઈને ગણતરી કરી ત્યારે વકરા કરતા 80 હજાર રૂપિયા ઓછા હતા, જેથી આસિફે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે સીસીટીવી ફુટેજમાં બપોરની શિફટમાં કામ કરતી મહેરાજબાનું અંસારી અલગ અલગ રકમમાંથી ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહેરાજબાનુએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદ નોંધાઈથોડા સમય સુધી રાહ જોયા બાદ મહેરાજબાનું પરત ન આવતા આસિફે શાહપુર પોલીસ સ્ટેશનમાં મહેરાજ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અમદાવાની સાબરમતી જેલમાં પાકા કામના કેદીની બેરેકમાં લાદી નીચે સંતાડેલો મોબાઈલ ફોન મળી આવતા જેલની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોય કોનો છે તે સામે આવ્યું નથી. અજાણ્યા કેદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બડા ચક્કરમાં 44 નંબરના યાર્ડની બેરેકમાંથી મોબાઈલ મળ્યોસાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી જેલર તરીકે ફરજ બજાવતા મોહસીન પઠાણને બાતમી મળી હતી જેના આધારે જૂની જેલમાં બડા ચક્કરમાં 44 નંબરની યાર્ડમાં તપાસ કરવામાં આવી રહી હતી.આ તપાસ દરમિયાન બંધ બાથરૂમમાં લાદી તોડવામાં આવી હતી ત્યારે નોકિયા કંપનીનો ફોન મળી આવ્યો હતો.આ ફોનમાં કોઈ સીમકાર્ડ નહોતું જેથી ફોન કોનો છે તે જાણી શકાયું નથી.જેલર દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પાકા કામના કેદીની બેરેકમાંથી મોબાઈલ મળતા જેલ પ્રશાસન પર અનેક સવાલ ઊભા થયા છે.અગાઉ અતિક અહમદે સાબરમતી જેલમાંથી બેઠે બેઠા હત્યા કરાવી હોવાની વાત સામે આવી હતી.લોરેન્સ બિશ્નોઈ પણ સાબરમતી જેલમાં બંધ છે ત્યારે જેલમાંથી મોબાઇલ મળતા અનેક સવાલ ઊભા થયા છે.
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લયે કર્યું હતું. જેનો મુખ્ય ઉદેશ્ય છે કે વોકલ ફોર લોકલ, સશક્ત નારી હસ્તકલા મેળામાં મહિલાઓ દ્વારા 120 જેટલા વિવિધ સ્ટોલ લગાવાયા હતા, જેમાં જુદી જુદી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આગામી 22 ડિસેમ્બર સુધી આ મેળો ખુલ્લો રહેશે. નારીને વધુ સશક્ત સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 120 સ્ટોલ અને 15 જેટલા ફૂડ કોર્ટ આ અંગે વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નારી શક્તિને સશક્ત કરવા માટે થઈને સશક્ત નારી સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે. તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં પણ અકોટા વિસ્તારમાં આ પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવ્યું. આમાં કુલ મળીને અલગ-અલગ સેલ્ફ-હેલ્પ ગ્રુપની બહેનો અને ફક્ત બહેનો દ્વારા ચાલતી સંસ્થાઓના 120 જેટલા સ્ટોલ છે અને 15 જેટલા ફૂડ કોર્ટ છે, ફૂડના સ્ટોલ છે. 'કોઈપણ પ્રકારનો કમિશન ચાર્જ નથી'વધુમાં કહ્યું કે, આમાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગોને પણ એક સ્ટોલ આપેલો છે, સેન્ટ્રલ જેલના પણ એક સ્ટોલ છે અને તેની સાથે સાથે ટ્રાન્સજેન્ડર માટેનો પણ એક સ્ટોલ છે. આ બધા જ સ્ટોલના જે ઓપરેટર્સ છે એટલે કે જે સંસ્થાઓ છે તેમની પાસેથી તંત્ર દ્વારા કોઈ પ્રકારની ફી આકરવામાં નથી આવી. સાથે સાથે આગામી ત્રણ દિવસમાં જે પણ સેલ થશે તેના ઉપર પણ કોઈપણ પ્રકારનું કમિશન ચાર્જ કરવામાં આવ્યું નથી. 'નારી શક્તિને આર્થિક સદ્ધર કરવા મેળાનું આયોજન'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે આખી એક આર્થિક મહાસત્તા તરફ લઈ જવા માટેનું એક સૌથી મહત્વનું જો કોઈ પાસું હોય તો નારી શક્તિને મજબૂત કરવાનું પાસું છે. અલગ-અલગ એટલી બધી યોજનાઓ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલે છે ત્યારે આ અતિશય મહત્વનું એક પગલું છે કે નારીઓ દ્વારા, નારી શક્તિ દ્વારા ચાલતી, એમના દ્વારા ઉત્પાદિત એવી વસ્તુઓનું પ્રદર્શન અને સેલ થાય. તે માટેનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે, આપણે બધા જ આ મેળો જોવા આવીએ અને સાથે સાથે ખૂબ સરસ મજાની વસ્તુઓ છે તે આપણે પર્ચેસ કરીએ જેથી કરીને નારી શક્તિને આર્થિક રીતે સદ્ધર કરવામાં આપણે પણ એક હાથ બટાવી શકીએ. 'મારી બહેનો એમના પોતાના પગ પર ઉભી થઈ શકે'આ કાર્યક્રમમાં સખી મંડળ ચલાવતા ઇશિતા પરમારે જણાવ્યું હતું કે, હું 'મિશુ સખી મંડળ' ચલાવી રહી છું. મારું મંડળ અંદાજે 15 વર્ષથી ચાલે છે. મારી ઈચ્છા એવી છે કે મારી બહેનો એમના પોતાના પગ પર ઉભી થઈ શકે અને ઘરે બેઠા જ એમની એક ઇન્કમ (આવક) ઉભી કરી શકે, જેનાથી એ પણ આગળ વધી શકે છે. 'લોકો ઘરે બેઠા બધું કામ કરી શકે છે'કારણ કે ગામડાની બહેનો બહાર જઈને કામ કરી શકતી નથી અને શહેરોમાં પણ એવું છે કે ઘણી બહેનો ઘરની બહાર નીકળીને કામ નથી કરી શકતી. તો અમે ઘરે બેઠા એક પ્લેટફોર્મ આપ્યું છે કે એ લોકો ઘરે બેઠા બધું કામ કરી શકે અને મહિનાની અંદાજે 8થી 10 હજાર રૂપિયા સુધીની આવક પણ ઉભી કરી શકે, જેથી તેમના ખર્ચા નીકળી શકે. 'આરતીની થાળીઓ અને લગ્નની ડેકોરેશન આઈટમો બનાવાની ટ્રેનિંગ'વધુમાં કહ્યું કે, અમે આરતીની થાળીઓ અને લગ્નની ડેકોરેશન આઈટમો બનાવવાની ટ્રેનિંગ આપીને શીખવાડીએ છીએ અને એ લોકો બધું પોતાની જાતે ઘરે બેઠા બનાવે છે. તેના માટે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. બહેનોએ અમારે ત્યાં માત્ર એક કે બે દિવસ આવીને શીખવાનું હોય છે, પછી તેઓ ઘરે બેઠા પોતાની જાતે કામ કરી શકે છે. તેમને એક પણ રૂપિયાનો ખર્ચ હોતો નથી, માત્ર પોતાની મહેનત કરવાની હોય છે. ડાયમંડ લગાવવા માટે વપરાતી કેન્ડલ જેવી દરેક સામગ્રી અમે પૂરી પાડીએ છીએ. અમે તેમને શીખવાડીએ છીએ અને તેમની મહેનતના વળતર રૂપે પૈસા આપીએ છીએ. 'થાળી બનાવવાના 20થી 25 રૂપિયા મળે'વધુમાં કહ્યું કે, આ કામગીરીમાં એક થાળી બનાવવાના 20થી 25 રૂપિયા મળે છે. ઘણી બહેનો મહિનાની ઘણી બધી થાળીઓ બનાવીને સારી કમાણી કરે છે. મારી સાથે અંદાજે 80 થી 90 બહેનો કામ કરી રહી છે અને પગભર થઈ છે. જેમાં ગામડાની અને શહેરની એમ બંને વિસ્તારની બહેનોનો સમાવેશ થાય છે. જેલના કેદીઓ દ્વારા જે પ્રોડક્ટ્સ બનાવેલ તેનું વેચાણઆ સાથે વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા મુકાયેલ સ્ટોલ ચલાવતા કર્મચારી ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, જેલના કેદીઓ દ્વારા જે પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, તેનું અમે અહીં વેચાણ કરીએ છીએ. જે જેલના ફેક્ટરી વિભાગમાં તૈયાર થાય છે. વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો, લિક્વિડ ફોર્મ, સફારી બેગ જેનું મેન્યુફેક્ચરિંગ પણ જેલમાં થાય છે. આ સિવાય, જો આપને વધારે પ્રોડક્ટ્સ જોવી હોય અથવા ખરીદવી હોય, તો જેલ રોડ ઉપર અમારો કાયમી સ્ટોલ અવેલેબલ છે, ત્યાં આપ વિઝિટ કરી શકો છો.
ગાંધીનગરની કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ટુરીઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા 'નવરાત્રી ફેસ્ટિવલ-2003' ના ખાતાને ખોટી રીતે એક્ટિવેટ કરી તેમાંથી 2 કરોડ 2 લાખ 78 હજારથી વધુની રકમ એક ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાના કૌભાંડ મામલે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર અને ખાનગી ટ્રેડર્સ વિરુદ્ધ ખોટા લેટરો અને સહીઓ દ્વારા સરકારી નાણાં સગેવગે કરવાનો ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર અને વેપારી સામે ફરિયાદઆ સમગ્ર કૌભાંડ અંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી રીજીયોનલ મેનેજર કે.આર. નાગરાજે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોન ( રહે. સત્યમેવ આવાસ મેંગો, કુડાસણ) અને ટ્રેડર્સ રીતેશ ધીરજલાલ શેઠ (રહે.સુદર્શન ટાવર સોમેશ્વર પાર્ટ 3, થલતેજ)વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બેંકની તપાસમાં ખુલાસો થયો છે કે 17 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ટુરીઝમ વિભાગના નામે એક બનાવટી લેટર રજૂ કરવામાં આવ્યો હતો. બે અધિકારીઓની ખોટી સહી કરી બંધ ખાતાને એક્ટિવેટ કરાયુંઆ લેટરમાં બે અધિકારીઓની ખોટી સહીઓ અને બે વ્યક્તિઓના આધાર કાર્ડ જોડીને બંધ ખાતું એક્ટિવેટ કરાવવામાં આવ્યું હતું. આ લેટર બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોને પોતે જ રિસીવ કર્યો હતો. આ ખાતું એક્ટિવેટ થતાની સાથે જ તેમાંથી કરોડો રૂપિયા RTGS દ્વારા અમદાવાદની ધનલક્ષ્મી બેંકમાં આવેલા 'ટયુ-પે ટ્રેડર્સ' (Tyu-Pay Traders) ના ખાતામાં મોકલી દેવાયા હતા. જોકે બેંકના ઉચ્ચ અધિકારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે મેનેજર હિમાંશુના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પરથી તેના પર્સનલ ઈ-મેઈલ પર આ કૌભાંડને લગતી ફાઈલો મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ટુરીઝમ વિભાગની ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ,વિભાગ દ્વારા આવો કોઈ લેટર આપવામાં આવ્યો નથી અને સહીઓ પણ બનાવટી છે. કૌભાંડ સામે આવતા બ્રાંચ મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયો હતોકૌભાંડના મુખ્ય સૂત્રધાર હિમાંશુને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તા.4/12/2025 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. જે ખાતામાં રૂપિયા જમા થયા હતા એ રીતેશ ધીરજલાલ શેઠે બેંકની પૂછતાછમાં પહેલા ઠાગાઠૈયા કર્યા હતા. બાદમાં અંદાજે 36.50 લાખ પરત કર્યા હતા.પરંતુ બાકીની રકમ પરત ન કરી ન હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ બંને ભેજાબાજો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર SOGએ શહેર અને મોટી ખાવડીમાં બે પાનની દુકાનો પર દરોડા પાડી 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા છે. ગૃહ વિભાગની સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાકારક પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ તથા હેરફેર પર અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGની ટીમે સૌ પ્રથમ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી 'આરજુ પાન' નામની દુકાનમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી 35 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે કબજે કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી 'ગુપ્તા પાન' નામની દુકાનમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. અહીંથી 29 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે પણ જપ્ત કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં SOGની ટીમ દ્વારા અન્ય સ્થળોએ પણ આવી ચકાસણીઓ ચાલુ રાખવામાં આવી છે.
પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ, નવગુજરાત ટ્રસ્ટ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે તારીખ 20/12/2025ના રોજ પરંપરાગત દિવસ (Traditional Day)નું ઉજવણીસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષા સાથે ગરબાની રમઝટે સમગ્ર કોલેજ પરિસરને ઉત્સવમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રંગબેરંગી ચણિયા-ચોળી, કેડિયાં અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉત્સાહપૂર્વક ગરબામાં જોડાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત સંસ્કૃતિ અને એકતાની ભાવનાનો સુંદર પરિચય આપ્યો. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉલ્લાસ અને સંસ્કૃતિપ્રેમથી ભરપૂર રહ્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનાં હેતૂ સાથે નીચે નાં વિદ્યાર્થીઓને ઈનામોથી નવાજવામાં આવ્યા. વિદ્યાર્થીઓની કેટેગરીમાં1. મિસ્ત્રી સૌમ્ય 2.ચોહાણ જાસ્મિન વિદ્યાર્થીનીઓની કેટેગરીમાં1.ભરવાડ નિહારિકા 2. સોની વિશ્વા
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ઝપેટમાં છે. શિયાળુ હવામાનના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની 15 ફ્લાઈટ કેન્સલ અને 24 ડીલે થઈ હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. 15 ફ્લાઇટ્સ રદ અને 24 ફ્લાઇટ મોડી પડીદિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 15 ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને 24 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદ એરપોર્ટ પર આવતી આ ફલાઈટ કેન્સલઅરાઇવલ કેન્સલ ફ્લાઇટ્સની વાત કરીએ તો, સ્ટાર એરની ઇન્દોરથી આવતી ફ્લાઇટ, ઈન્ડિગોની ગાઝિયાબાદથી આવતી ફ્લાઇટ, સ્પાઇસજેટની કોલકાતા, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હીથી આવતી બે ફ્લાઇટ્સ, તેમજ ઈન્ડિગોની મુંબઈ અને સ્પાઇસજેટની વારાણસીથી આવતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ ડિલે થઈતે ઉપરાંત, અરાઇવલ ડિલે ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની રાંચી, દિલ્હી, મુંબઈ, ગોવા, જયપુર, જમ્મુ, દેહરાદૂન અને દુબઇ, સ્ટાર એર ની પૂર્ણિયા, સ્પાઇસજેટની દિલ્હી, અને એર ઇન્ડિયાની મુંબઈથી આવતી ફ્લાઇટ્સ ડીલે થઈ છે. અમદાવાદથી ઉપડતી આ ફલાઈટ કેન્સલ ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ્સમાં સ્ટાર એરની ઇન્દોર, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી (બે ફ્લાઇટ), ઈન્ડિગોની ગાઝિયાબાદ અને અમૃતસર, અને સ્પાઇસજેટની કોલકાતા જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ 11 ફલાઈટ મોડેથી રવાના થશેજ્યારે ડિપાર્ચર ડિલે ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની ચંદીગઢ, મુંબઈ, દિલ્હી, રાંચી, જયપુર, જેદ્દાહ, વારાણસી અને ગોવા, સ્પાઇસજેટની દિલ્હી, દુબઇ અને ચેન્નઈ જતી ફ્લાઇટ્સ મોડેથી રવાના થશે. ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ઘટાડો થતાં અસરફ્લાઇટ્સ કેન્સલ અને મોડું થવાને કારણે મુસાફરોને લાંબી રાહ જોવી પડી રહી છે. એરલાઈન્સ દ્વારા ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં વિઝિબિલિટી ઘટીબીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ, 25 ડિસેમ્બર, જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ના લાભો પ્રકાશિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઢી વર્ષમાં આ યોજના હેઠળ 1,66,130 ક્લેમ દ્વારા 382.39 કરોડ ચૂકવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. તે છેવાડાના નાગરિકો સુધી સાર્વત્રિક આરોગ્ય સંભાળ પહોંચાડવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. વડગામ તાલુકાના થુર ગામના મોંઘાજી ઠાકોરે જણાવ્યું કે, તેમને સાત-આઠ વર્ષથી પગની એડીમાં તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચની વાત કરાતા તેઓ અસમર્થ હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ દ્વારા તેમને મફત સારવાર મળી, જેનાથી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો. પાલનપુરના પરમેશ્વરીબેન ગેહાનીએ તેમના અકસ્માતનો અનુભવ વર્ણવ્યો. અકસ્માતમાં તેમને શોલ્ડર અને હિપ બોલમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ તેમને મફત સારવાર મળી અને ડોકટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાઓની તેમણે પ્રશંસા કરી. સામાન્ય ગરીબ પરિવારોને મોટી અને ગંભીર બીમારીઓમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન કાર્ડ આવા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત ₹10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે, જેનાથી વંચિત પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે.
લખપત તાલુકાના ઘડુલી ગામને આગામી એક વર્ષમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ સાથે ગ્રામ પંચાયત ખાતે સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનનો નિર્ણય લેવાયો હતો. સરપંચના હસ્તે 'પ્લાસ્ટિક મુક્ત ગામ' લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ઘડુલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીલમબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ગામમાં પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો અને અન્ય પ્લાસ્ટિકનો કચરો શેરીઓ કે અન્ય જગ્યાએ ફેંકવામાં આવે છે. આ કચરાનો યોગ્ય સ્થળે નિકાલ થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ગ્રામજનો જોડાય તે માટે આગામી દિવસોમાં ગામના વેપારીઓ, વિવિધ સમાજો, મંડળોના સભ્યો અને ગામની અલગ અલગ શેરીઓમાં બેઠકોનું આયોજન કરાશે. ત્યારબાદ સમસ્ત ગ્રામજનોની ગ્રામસભા યોજાશે, જેમાં નિર્ણય લેવાયા બાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમનો આરંભ કરી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત ગામના પૂર્વ સરપંચ નીતિન પટેલે જણાવ્યું હતું કે, અંદાજિત 4000 જેટલી વસ્તી ધરાવતા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામજનોનો ચોક્કસ સહયોગ મળશે. આ અભિયાનમાં જીએમડીસી, પોલીસ, બીએસએફ, સેતુ સંસ્થા અને અલગ અલગ ઔદ્યોગિક એકમો તેમજ કંપનીઓ દ્વારા પણ સહકાર મળી રહ્યો છે. જીએમડીસીના એસઆર માણેકભાઈએ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના કાર્યને બિરદાવી સહયોગ આપવાની ખાતરી આપી હતી. બેઠકમાં સેતુ સંસ્થાના ગોપાલભાઈ ભરવાડ, વિનોદ ગીરી ગોસ્વામી, ઉપસરપંચ મેમુના હનીફ રાયમા, જેઠાલાલ મહેશ્વરી, મુકેશ ત્રિવેદી, ઉંમર હુસેન કોલી, વનીતાબેન ગોસ્વામી, ચંદ્રિકાબેન ચરપોટ, જયશ્રીબેન પટેલ, વનીતાબેન પટેલ તેમજ તલાટી ભાવેશ જાટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગ્રામ પંચાયતના સરપંચના હસ્તે જીએમડીસી દ્વારા મળેલા કોમ્પ્યુટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. યુનિવર્સિટીની વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે 'આજના યુવાનોમાં મૂલ્યોનું સિંચન' વિષય પર એક વિશેષ વ્યાખ્યાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જી. જસાણી (IPS) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SP ગૌરવ જસાણીએ પોતાના ઉદ્બોધનમાં આધુનિક યુગમાં યુવાનો માટે નૈતિક મૂલ્યો, શિસ્ત અને સામાજિક જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ મજબૂત ચારિત્ર્ય જ વ્યક્તિને સાચી સફળતા અપાવે છે. આ કાર્યક્રમ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયો હતો. વેમેડ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો. નિરાલી સોની પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલની 75મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ગૌરવ જસાણી અને અન્ય મહાનુભાવોના હસ્તે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે આજનો દિવસ દિવાળી જેવો સાબિત થયો છે. છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવતા 192 પરિવાર આખરે પોતાના ઘરે પરત ફર્યા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલની ધારદાર અસર અને તંત્રની સક્રિયતાને કારણે જે કામમાં અઠવાડિયા લાગવાના હતા, તે ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. શું હતી સમગ્ર ધટના?16 ડિસેમ્બરને મંગળવારની રાત્રે ભીમરાડની શિવ રેસીડેન્સીની બાજુમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઈટ પર ખોદાણ કરતી સમયે ડી વોલમાં ભંગાણ પડતા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ પત્તાના મહેલની માફક ધસી પડી હતી. જમીનમાં પોલાણ સર્જાવાના કારણે સોસાયટીમાં આવેલા 10-10 માળના બે ટાવરમાં આવેલા ફ્લેટમાં રહેતા રહીશોને સલામતીના ભાગરૂપે ફ્લેટ ખાલી કરવા 17 ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન દ્વારા નોટિસ અપાઈ હતી. લોકો ભગવાનની મૂર્તિ અને પહેરવાના કપડા સાથે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. ઘણા રહીશો હેરાન થતાં આંખોમાં આંસુ પણ જોવા મળ્યાં હતાં. દિવ્ય ભાસ્કર દ્વારા રહીશોની વેદના અને તંત્રની શિથિલતા અંગે કરવામાં આવેલા અહેવાલ બાદ પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. જે સુરક્ષા અને સમારકામની કામગીરીમાં 15 દિવસનો સમય લાગવાનો અંદાજ હતો, તે માત્ર 24 કલાકમાં રાત-દિવસ એક કરીને પૂર્ણ કરવામાં આવી છે. લોકોની ફરિયાદ પર ધ્યાન આપીને પાલિકાએ પહેલેથી કામ અટકાવ્યું હોત તો લોકોને હેરાન થવાનો વખત જ ન આવત! SVNITના રિપોર્ટમાં ગ્રીન સિગ્નલ, બિલ્ડિંગ સુરક્ષિતઆ ઘટના બાદ રહીશોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકા દ્વારા SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી)ના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી. ડો. જીતેશ ચાવડા, ડો. જે.પી. પટેલ (જીઓ ટેક્નિકલ કન્સલ્ટન્ટ), સી.ડી. મોઢેરા અને સોઈલ એક્સપર્ટ એચ.એમ. કોકાણી સહિતના 6 નિષ્ણાતોની ટીમે સ્થળ પર જઈ સોઈલ ટેસ્ટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતના કુલ 5 ટેકનિકલ રિપોર્ટ તૈયાર કર્યા હતા. આ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડિંગના માળખાને કોઈ નુકસાન થયું નથી અને તે રહેવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આ રિપોર્ટ મળતા જ પાલિકાએ સોસાયટીના પ્રમુખને ટેલિફોનિક જાણ કરી રહેવા જવાની મંજૂરી આપી હતી. ફ્લેટ ખરીદ્યો હતો, તેના કરતા પણ વધુ ખુશી આજે છેઃ રીમઝીમચાર દિવસ પહેલા જ્યારે મકાન ખાલી કરવાનું હતું, ત્યારે અનેક પરિવારોની આંખમાં આંસુ હતા. ખાસ કરીને સોસાયટીમાં રહેતી રીમઝીમ નામની મહિલા, જેમના પતિને પોલિયો છે અને ત્રણ ઓપરેશન થયેલા છે, તેઓ ભાવુક થઈ ગયા હતા. રીમઝીમે જણાવ્યું હતું કે, જ્યારે મકાન છોડવાનું આવ્યું ત્યારે ભવિષ્ય અંધકારમય લાગતું હતું, પણ આજે ઘરે પરત આવ્યા ત્યારે લાગે છે કે નવો જન્મ થયો છે. આજે દિવ્ય ભાસ્કર અને તંત્રના કારણે અમે ઘરે આવ્યા છીએ. ફ્લેટ ખરીદ્યો ત્યારે જેટલી ખુશી હતી એનાથી અનેકગણી ખુશી આજે છે. તેમણે બિલ્ડરને પણ ટકોર કરી હતી કે, નફા માટે આવી બેદરકારી ફરી ક્યારેય ન કરે. આખરે પાલિકા જાગી ખરી! આ સમગ્ર મામલે પાલિકાએ કડક વલણ અપનાવતા જવાબદાર બિલ્ડર, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. સોસાયટીની દીવાલ પાસેના ઊંડા ખાડામાં 1,500થી વધુ ટ્રક માટી ભરીને તેને તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવી છે. રહીશો હવે પોતાની મિટિંગ યોજીને બિલ્ડર સામે વળતર કે અન્ય કાયદાકીય પગલાં લેવા અંગે આગામી નિર્ણય લેશે.
બોટાદમાં 65,840 ખેડૂતને ₹220.54 કરોડ સહાય ચૂકવાઈ:87 ટકા પાક નુકસાની સહાય પૂર્ણ, 9933 ખેડૂત બાકી
બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાયની 87 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યારસુધીમાં 65,840 ખેડૂના બેંક ખાતામાં કુલ ₹220.54 કરોડની સહાય જમા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 75,773 ખેડૂતોએ પાક નુકસાની માટે અરજી કરી હતી. આ સહાયની રકમ સરકાર દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જોકે, હજુ 9933 ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાકી રહેલા ખેડૂતોને પણ ટૂંક સમયમાં સહાયની રકમ મળે તે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અણધાર્યા વરસાદ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન બાદ ખેડૂતો માટે આ સહાય મોટી રાહતરૂપ સાબિત થઈ રહી છે. બોટાદ જિલ્લા પ્રશાસન આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.
પાટણ શહેરમાં રવિવારે 8 કલાકનો વીજ કાપ:132 KV સબ સ્ટેશનના સમારકામ માટે સમગ્ર શહેરમાં પુરવઠો ખોરવાશે
પાટણ શહેરમાં રવિવારે, 21 ડિસેમ્બરના રોજ આઠ કલાકનો વીજ કાપ રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. શહેરના 132 KV સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરીને કારણે સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પાટણ શહેરના ગ્રાહકો માટે આ સૂચના જાહેર કરાઈ છે. સબ સ્ટેશન ખાતે તાત્કાલિક સમારકામની જરૂરિયાત ઊભી થઈ છે. આ ટેકનિકલ કામગીરીના કારણે સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો ફરજિયાતપણે બંધ રાખવામાં આવશે. પરિણામે, પાટણ શહેરના તમામ રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં સતત 8 કલાક સુધી વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં. કંપનીએ જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ અગાઉની જાણ કર્યા વગર પાવર સપ્લાય ફરીથી ચાલુ કરી દેવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.
સાળંગપુર હનુમાનજીને દક્ષિણી થીમ પર વિશેષ શણગાર:શનિવારે ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે 20 ડિસેમ્બરના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શનિવારે મોટી સંખ્યામાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ વિશેષ શણગારમાં દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિર પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના મયૂરપંખ ડિઝાઈનવાળા વાઘા, ચાંદીનો મુગટ તેમજ તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોથી અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શનિવારે વહેલી સવારે 5: 30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ દરમિયાન, એટલે કે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2026 સુધી, પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠ તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” મંત્રનો જપ યજ્ઞ યોજાઈ રહ્યો છે. આ યજ્ઞ સવારે 7થી 12 અને સાંજે 3થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે. આ વિશેષ દક્ષિણી થીમ શણગારના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે હજારો ભક્તો પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.
વાપી GIDCમાં પ્રતિબંધિત સામગ્રી ઝડપાઈ:ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે એક ઝડપાયો
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કાર્યવાહી કરીને પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એક દુકાનમાંથી કુલ 17,088નંગ પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2,05,310/- છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સરકારના જાહેરનામા મુજબ, રાજ્યભરમાં પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રતિબંધિત છે. આ વસ્તુઓમાં રહેલા ઝેરી રસાયણો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ, LCB દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન વાપી GIDCમાં આવેલી ટી.એન.એસ. સોલ્યુશન નામની દુકાનમાંથી આ પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી નેહલ વિજય કનૈયાલાલ શર્મા (ઉંમર 30)ની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ વાપી GIDC પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
બૂટ-ચંપલના ગોડાઉન આગ:ભાવનગરમાં જૂના બંદર રોડ પર બૂટ-ચંપલના ગોડાઉનમાં વહેલી સવારે આગ ભભૂકી
ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર આવેલ બિલાલ શેઠના કાંટા પાસે એક બૂટ-ચંપલના ગોડાઉનમાં વહેલી સવારે આગની ઘટના બનાવ પામી હતી, ઘટનાની જાણ તાત્કાલિક ફાયરવિભાગ ને થતા કાફલો ઘટનાસ્થળે દોડી જઈ દોઠ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે ફાયર કચેરીથી મળતી માહિતી મુજબ આજરોજ શનિવારે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને વિવેક નામના વ્યક્તિ દ્વારા કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, મેલડી માતાના મંદિર પાસે, જૂના બંદર રોડ પર આવેલ બૂટ-ચંપલના ગોડાઉનમાં આગ લાગી છે, ફાયર વિભાગ નો કાફલો તાત્કાલિક બિલાલ શેઠનો કાંટો, મેલડી માતાના મંદિર પાસે, જૂના બંદર રોડ દોડી જઈ આગ પર પાણી નો મારો ચલાવી દોઢ કલાકની બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, આ બુટ-ચંપલ ના ગોડાઉન માલિક શ્યામભાઈ કેવલરામ ડોડેજાની માલિકીની દુકાનમાં આગ લાગી હતી, હેડક્વાર્ટરની ટીમ વહેલી સવારે 3:30 આસપાસ બે મોટા બ્રાઉઝર (ફાયર ફાઈટર) સાથે ઘટનાસ્થળે પહોંચી હતી, ફાયર વિભાગની અંદાજે દોઢ કલાકની જહેમત બાદ સવારે 5 વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, આગ લાગવા કારણ જાણવા મળ્યું ન હતું.
રાજ્યમાં હવે ઠંડીનો પારો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. સૌથી વધુ ઠંડી અમરેલીમાં જોવા મળી હતી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ઉત્તર તરફથી ફૂંકાવાના કારણે ઠંડીમાં વધારો થયો છે. આગામી 2 દિવસ ઠંડીનો પારો યથાવત રહે તેવી શક્યતા છે. સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યમાં અમરેલીમાં સૌથી વધુ ઠંડીઅમરેલી બાદ દીવમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌથી ઠંડું રહેતું શહેર નલિયાને પાછળ પાડી અમરેલી, દીવ અને વડોદરામાં ઠંડી વધી. નલિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુંઅમદાવાદમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 17.9 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 14.5 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 13 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 19 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 16.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 19 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 14 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ વેરાવળમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગીર સોમનાથમાં SP જાડેજાની કડક કાર્યવાહી:176 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશ, જુઓ યાદી
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ફરજ બજાવતા 176 પોલીસ કર્મચારીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ, વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તેમજ ત્રણ વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓની ફરજસ્થળ બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ખાસ બાબત એ છેકે, બદલી પ્રક્રિયામાં રાજકીય ભલામણો અને લાગવગ ધરાવતા કર્મચારીઓ પણ બચી શક્યા નથી, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાયો છે. થોડા દિવસો પહેલા LCB તથા SOG બ્રાન્ચો માં પણ મોટા પાયે સાફસૂફી કરી રાજકીય ઓથ ધરાવતા અને લાગવગીયા કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવ્યા છે. એસ.પી. જયદીપસિંહ જાડેજાની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે કામગીરીમાં બેદરકારી, કામચોરી કે ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે. જિલ્લાનું પોલીસ તંત્ર વધુ સુદ્રઢ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે એસ.પી. જાડેજા મક્કમ વલણ સાથે આગળ વધી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત LCB અને SOG જેવી મહત્વપૂર્ણ બ્રાન્ચોમાં પણ મોટી સાફસૂફી હાથ ધરવામાં આવી છે. આ પગલાને પોલીસ તંત્રમાં શિસ્ત અને જવાબદારી વધારવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. સાથે સાથે કામચોર અને બેદરકાર કર્મચારીઓ માટે કડક સમયની ચેતવણી સમાન આ કાર્યવાહી બની છે.
વલસાડમાં CPRથી જીવ બચ્યો:જૈન અગ્રણી મનસુખભાઈ શેઠિયાને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયો
વલસાડ શહેરમાં જૈન સમાજના અગ્રણી મનસુખભાઈ શેઠિયા સાથે અચાનક તબિયત બગડવાની ઘટના સામે આવી હતી. તેઓ પોતાના ઘરની બાલ્કનીમાં અખબાર વાંચી રહ્યા હતા ત્યારે બેચેની અનુભવી ફ્લેટના હોલમાં ખુરશી પર બેઠા. થોડા જ સમયમાં તેઓ અખબાર વાંચતા વાંચતા ઢળી પડ્યા. થોડીવાર બાદ તેમના દીકરાએ તેમને હલાવી જોયા, પરંતુ કોઈ હલનચલન ન દેખાતા પરિવારજનો ચિંતામાં મુકાયા. તાત્કાલિક રીતે પરિવારના અન્ય સભ્યોની મદદથી યોગ્ય રીતથી CPR આપવામાં આવ્યું, જેના કારણે મનસુખભાઈનો જીવ બચાવી શકાયો. મનસુખભાઈએ જણાવ્યું કે તે સમયે તેમનું હૃદય લગભગ ત્રણ મિનિટ માટે કોઈ પૂર્વ સંકેત વગર બંધ થઈ ગયું હતું. તેમને કોઈ ભાન રહ્યું નહોતું, આંખોના ડોળા ફરી ગયા હતા અને મોઢામાંથી ફીણ નીકળતી હતી. પરિવારજનો દ્વારા છાતી પર પંપિંગ કરવામાં આવ્યું તેમજ પગ ઉંચા રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવતા ફરી શ્વાસ શરૂ થયો. બાદમાં તેમને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ જરૂરી તપાસો કરવામાં આવી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મનસુખભાઈએ આ ઘટના અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું કે અચાનક આવી તકલીફ વખતે સમયસર અને યોગ્ય CPR આપવાથી જીવ બચી શકે છે. તેમના પરિવારની સતર્કતા અને હિંમતને કારણે એક મોટું અનર્થ ટળી ગયું.
જામનગર બાર એસો.માં ભરત સુવા 12મી વખત પ્રમુખ બન્યા:598 મત મેળવી ભરતસિંહ જાડેજાને 222 મતે હરાવ્યા
જામનગર બાર એસોસિએશનની વર્ષ 2026 માટેની ચૂંટણીમાં એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત પ્રમુખ પદે ચૂંટાયા છે. તેમને કુલ 598 મત મળ્યા હતા. ભરતભાઈ સુવાના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને 376 મત મળ્યા હતા. આમ, ભરતભાઈ સુવાએ 222 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં કુલ 985 મત પડ્યા હતા. લાઇબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઈ પારેખ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયદેવસિંહ જાડેજાને 533 મત મળ્યા હતા, જ્યારે હર્ષભાઈ પારેખને 367 મત મળ્યા હતા. આથી, જયદેવસિંહ જાડેજા વિજેતા જાહેર થયા હતા. ઉપ પ્રમુખ પદે રુચિર રાવલ, સેક્રેટરી પદે મનોજ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી પદે દીપક ગચ્છરની બિનહરીફ વરણી થઈ હતી. આ ઉપરાંત, ત્રણ મહિલા સભ્યો ગીતાબેન પારગી, દીપાલીબેન મંગે અને માનસીબેન જાટીયા પણ બિનહરીફ ચૂંટાયા હતા. અન્ય કારોબારી સભ્યો તરીકે રાહુલભાઈ ચૌહાણ, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઈ લહેરૂ, વનરાજભાઈ મકવાણા, અમિતભાઈ પરમાર, ભાવેશભાઈ સોનગ્રા, જયેશભાઈ સુરડીયા અને ઓડિયાભાઈ વાઘેલા વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં કિશોરભાઈ ચૌહાણે ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી હતી, જ્યારે ભરત ગોસાઈ અને મિહિર નંદાએ આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી હતી.
ગાંધીનગર વકીલ આલમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉત્તેજનાનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે(19 ડિસેમ્બર) શુક્રવારે ગાંધીનગર બાર એસોસિએશનની યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં એકતા પેનલના શંકરસિંહ ગોહિલે પ્રમુખ પદ પર ભવ્ય વિજય મેળવ્યો છે. વિધાનસભા જેવો માહોલ અને ભોજન સમારંભોની ડિપ્લોમસી વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. શંકરસિંહ ગોહિલને 505 મતો મળતા વિજેતાપ્રમુખ પદ માટે મેદાનમાં ઉતરેલા ચાર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં સિનિયર વકીલ શંકરસિંહ ગોહિલને 505 મતો મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમના હરીફ ઉમેદવારો પૈકી પ્રવિણસિંહ રાઠોડને 255 મતો, અમૃત જેપાલને 103 મતો અને અમિતા વાઘેલાને 48 મતો પ્રાપ્ત થયા હતા. પ્રમુખની આ ચૂંટણીમાં 18 મતો નોટામાં પડ્યા હતા, જ્યારે 5 મતો રદ થયા હતા. ઉપપ્રમુખ પદ પર રાજેન્દ્રસિંહ ચાવડાની 337 મતો મેળવીને જીતજ્યારે ઉપપ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી, જેમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ 337 મતો મેળવીને જીત હાંસલ કરી છે. જ્યારે સેક્રેટરી પદ માટે દિલીપસિંહ છતુજી ગોહિલને 519 મતો મળતા તેઓ જંગી બહુમતીથી વિજયી થયા છે. અંદાજિત 83 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયુંગાંધીનગર બાર એસોસિએશનના કુલ 1114 નોંધાયેલા મતદારોમાંથી 914 વકીલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, અંદાજે 83 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. સવારથી જ વકીલો મતદાન મથકે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.. મતદારોને રીઝવવા ત્રણ દિવસ સુધી ચા-નાસ્તા અને જમણવારની વ્યવસ્થાઆ વખતે ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત અલગ જ નજારો જોવા મળ્યો હતો. ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે ત્રણ દિવસ સુધી ચા-નાસ્તા અને જમણવારની વ્યવસ્થાઓ કરી હતી. પ્રચાર પાછળ ઉમેદવારોએ પાણીની જેમ નાણાં વહાવ્યા હોવાની ચર્ચાઓ પણ વકીલ આલમમાં ગુંજતી રહી હતી.
અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાથી પોલીસનું આઇડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયામહિલાએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતું. બંસરીબેને લાઇસન્સ આપ્યું હતું. બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને બંસીબેન ઊંચા અવાજે વાત કરતા હતા જેથી બંસરીબેને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો? આઈડી નીચે પડતાં પોલીસકર્મી ગુસ્સે થયાતમારું આઈડી બતાવો ત્યારે પોલીસ કર્મીએ આઈડી આપ્યું હતું જે જોઈને બંસરીબેને પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું હતું.આઈડી નીચે પડતા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા હતા કે કાર્ડ ઉપાડીને આપ. મહિલા પીઆઈએ ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધાપોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો.એટલું જ નહીં પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા હતા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું હતું. તેમના કાન, ગાલ પર ઇજાઓ પણ થઈ હતી જેથી તેમને ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો હતો.ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી.જે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધા હતા.બંસરીબેન રાત્રે 11:50 વાગે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી. મુદ્દો ટ્રાફિકનો હતો એટલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદનું કહ્યું હતું: PIઆ અંગે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન પારેવડાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ટ્રાફિકનો હતો એટલા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું અને ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વખતે ઘર્ષણ થયું હતું.જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ હતી.
ગુજરાતમાં હવે લાઈટ ગૂલ થાય તો ગ્રાહકોને તેની ફરિયાદ કરવાની નહીં રહે કારણકે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનાથી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરવામાં આવનાર છે. જેની મદદથી કોઈપણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થશે કે વોલ્ટેજ ફ્લેક્યુએશન થશે તો તેની જાણ આ ઓનલાઇન પોર્ટલ મારફત સીધી કંટ્રોલરૂમમાં થઈ જશે અને તેથી તરત જ ટીમ વીજ ફોલ્ટ નિવારવા જે તે સ્થળે પહોંચી જશે. રાજકોટ સ્થિત PGVCL ઉપરાંત UGVCL, DGVCL અને MGVCL દ્વારા આ પોર્ટલનુ ટૂંક સમયમાં અમલીકરણ થતા વીજ ફોલ્ટ ઝડપથી નિવારી શકાશે. રાજકોટ સ્થિત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર અને GUVNL મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેઓએ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉર્જા સંવર્ધન અંગે સમજૂતી આપી હતી. ઉર્જા સંવર્ધન એ ગ્રાહકોના વર્કલોડ સાથે સીધો સંબંધ ધરાવતું ઓનલાઇન પોર્ટલ છે કે જેનાથી ગ્રાહકોને કઈ જગ્યાએ વીજ પ્રવાહમાં ખામી આવે છે. કઈ જગ્યાએ વોલ્ટેજ વધી અથવા ઘટી જાય છે. કઈ જગ્યાએ વારંવાર ફોલ્ટ સર્જાય છે અને કેટલા સમય માટે સર્જાય છે જે તમામ વિગતો ઓનલાઈન પોર્ટલથી મળી શકે છે. જે માટે ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગના દરેક ડિવિઝન, દરેક સર્કલ અને દરેક સબ ડિવિઝન લેવલે એક કંટ્રોલરૂમ કરવામાં આવ્યો છે. ઉર્જા સંવર્ધન પોર્ટલ ઉપરથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા વ્યક્તિઓ આ બધી વિગતો મેળવી ગ્રાહકોને ગુણવત્તાલક્ષી વીજ પુરવઠો મળી રહે તે માટેનો ખાસ અભિગમ છે. ખેતરમાં ખેતી કરતા ખેડૂતોને વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળે છે તો તેને કઈ રીતે સુધારી શકાય તેનો શુભ હેતુ રહેલો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલ આ શરૂઆતનો તબક્કો છે ત્યારે અમારા લેવલે ડિવિઝન, સર્કલ અને કોર્પોરેટ ઓફિસ લેવલે વિશેષ તપાસ થઈ અમલવારી કરવામાં આવશે. આ પોર્ટલ આવવાથી ગ્રાહકોને લાઇટ ગૂલ થયાની ફરિયાદ કરવાની જ જરૂર નહીં રહે. અમારા તબક્કે જ જાણી શકાશે કે કઈ જગ્યાએ વીજ પુરવઠામાં વિક્ષેપ આવે છે અને કઈ કઈ જગ્યાએ વોલ્ટેજ ફ્લેક્યુએશન છે તે જાણી તકેદારી ના પગલા લેવામાં આવશે. હાલ સરકાર દ્વારા જાન્યુઆરી મહિનાથી આ પોર્ટલ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
19 ડિસેમ્બરને શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવી 5 મેચની T-20 સિરીઝ 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત 8મી સિરીઝ જીતી છે. આ જીત બાદ ભારતીય ટીમ જ્યારે આઈટીસી નર્મદા હોટેલ પરત ફરી ત્યારે ટીમની જીત માટે હોટેલના શેફ દ્વારા ખાસ પ્રકારની કેક તૈયાર કરવામાં આવી હતી. અહીં તમામ ક્રિકેટરોએ કેક કાપી જીતની શાનદાર ઉજવણી કરી હતી. હોટેલના સેલિબ્રેશનમાં રાજીવ શુકલા પણ હાજર રહ્યાં હતાં. આ મેચ દરમિયાન ખાસ હાર્દિક પંડ્યાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાર્દિક રાત્રિના જાતે કાર ચલાવીને પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મેચ દરમિયાન હાર્દિકે સિક્સર મારતા બોલ કેમેરા ઓપરેટરને વાગ્યો હતો. જેમાં ઇનિંગ્સ પછી હાર્દિક કેમેરા ઓપરેટર પાસે પહોંચ્યો હતો અને વ્યક્તિગત રીતે તેની તબિયત પૂછી અને માફી માંગી હતી. આ ઘટનાએ બધાના દિલ જીતી લીધા છે.
રાજ્યમાં આવેલા તમામ 272 કરતા વધુ બાર એસોસિએશનની ચૂંટણી ગઇકાલે યોજાઈ ગઈ હતી. જેમાં પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ, સેક્રેટરી પદ વગેરે માટે વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં ઉમેદવારોના મતોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા વકીલોના બાર એવા અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઈશ્વર દેસાઈ ચૂંટાઈ આવ્યા છે. ગત મોડી રાતે તેમના વિજયની જાહેરાત કરાઈ હતી. તેમને કુલ 1760 મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ હેમંત નવલખાને 1601 મત મળ્યા હતા. આમ તેઓએ હરીફ ઉમેદવાર કરતા 159 મત વધુ મેળવ્યા છે. ઈશ્વર દેસાઈ 1990થી બાર એસોસિએશનમાં જુદા જુદા પદો ઉપર ચૂંટાય છેઉલ્લેખનીય છે કે ઈશ્વર દેસાઈ 1990થી બાર એસોસિએશનમાં જુદા જુદા પદો ઉપર ચૂંટાઈ આવે છે. જેમાં તેઓ સૌપ્રથમ કારોબારી સભ્ય બન્યા હતા. ચાર ટર્મ ઉપપ્રમુખ રહી ચૂક્યા હતા. વળી સેક્રેટરી પદ ઉપર તેઓ ગત ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ પોતાના ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે બારની મદદથી હાઇકોર્ટ અને સરકાર સમક્ષ રજૂઆત કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટને અપના બજારથી મેટ્રો કોર્ટની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતરણ કરાવ્યું છે. જેથી વકીલોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ન પડે. વકીલોના પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. નેગોસિબલ કોર્ટમાં જવા ચોથા માળેથી વોક વે બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવશે. વકીલો માટે હેલ્થ પોલિસી લાગુ કરવામાં આવશે. અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ તરીકે જગત ચોકસીની જીતવધુમાં અમદાવાદ શહેરમાં અમદાવાદ બાર એટલે કે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી વખત જગત ચોકસીની જીત થઈ છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં પ્રમુખ પદની ચૂંટણીમાં યતીન ઓઝા, બ્રિજેશ ત્રિવેદી, ચિત્રજીત ઉપાધ્યાય, દર્શન શાહ વગેરે તરફે મતદાન થઈ ચૂક્યું છે. જો કે તેની મતગણતરી અત્યારે શરૂ થતા આજે તેનું પરિણામ જાહેર થવાની શક્યતા છે. તમામ બાર એસોસિએશનમાં સુપ્રીમ કોર્ટના આદેશથી ટ્રેઝરર માટેનું પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યું છે. ચૂંટાયેલા ઉમેદવારો વકીલોના પ્રશ્નો અને માગો ઉપરના ફોરમ સુધી પહોંચાડે છે અને તેનું નિરાકરણ લાવવામાં સૂત્રધાર સાબિત થાય છે.
ભરૂચમાં 2.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો:જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોંધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 4.56 કલાકે નોંધાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. જોકે, ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. આ આંચકા અનુભવાતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક નાગરિકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે, કોઈ મોટી ઘટના કે નુકસાનના સમાચાર નથી. જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ ઊભી થઈ નથી. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
અંબુજા કોટસ્પીન પાવર પ્લાન્ટમાં આગ:હિંમતનગર ફાયર ટીમે 12,000 લીટર પાણીથી બુઝાવી
પ્રાંતિજના દલપુર નજીક આવેલી અંબુજા કોટસ્પીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાવર પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે 4 વાગ્યે અંબુજા ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં અચાનક આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ માહિતી મળતા જ ફાયર ટીમ એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી હતી. ટીમે લગભગ 12,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.
પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ત્રિ-દિવસીય સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વિશેષ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પાટણ દ્વારા આ સ્ટોલનું આયોજન કરાયું હતું. આ સ્ટોલમાં રસાયણિક ખાતર અને કીટનાશક દવાઓ વિનાના, સંપૂર્ણપણે ઝેરમુક્ત પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ખેત પેદાશો પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી. ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, તેના ફાયદા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ઉપજ ક્ષમતા વધારવા તેમજ માનવ આરોગ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મેળામાં ઉપસ્થિત નાગરિકોએ પ્રાકૃતિક ખેત પેદાશોમાં વિશેષ રસ દાખવી મોટી સંખ્યામાં ખરીદી પણ કરી હતી. આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કાર્યરત ખેડૂતો અને મહિલાઓને પ્રોત્સાહન મળ્યું હતું. રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા અને જનસામાન્યને ગુણવત્તાયુક્ત તથા સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક કૃષિને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે, જેમાં આવા મેળા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા હંસાબેન કનુભાઈ જેઠવાને હૃદયની બીમારીમાં ‘આયુષ્માન કાર્ડ’ આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ કાર્ડના કારણે તેમને AIIMS હોસ્પિટલમાં નિ:શુલ્ક અને સફળ સારવાર મળી, જેનાથી તેમને નવજીવન પ્રાપ્ત થયું છે. હંસાબેનને હૃદયમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલે ઝડપી અને વધુ સારી સારવાર માટે તેમને AIIMS હોસ્પિટલમાં રિફર કર્યા હતા. તેમના પૌત્ર દેવેન્દ્રભાઈએ તત્કાલ હંસાબેનને AIIMS હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના હૃદયની બે નળીઓ બ્લોક હતી. ડોક્ટરની ટીમે તાત્કાલિક સફળ સર્જરી કરીને તેમને નવજીવન આપ્યું છે. દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે, અમારા માટે આ કટોકટીનો સમય હતો. બા પાસે પોતાનું આયુષ્માન કાર્ડ હોવાથી અમને નિ:શુલ્કમાં સર્જરી અને સારવાર મળી છે. રાજ્ય સરકારનો આભાર. તેમણે ઉમેર્યું કે આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં સાર્વત્રિક આરોગ્ય સંભાળના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ આજે છેવાડાના અને વંચિત નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. અમરેલી જિલ્લામાં એપ્રિલ-2024 થી માર્ચ-2025 સુધીના એક વર્ષના ગાળામાં કુલ 48 હજારથી વધુ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આયુષ્માન આરોગ્ય મંદિરો અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. સામાન્ય અને ગરીબ પરિવારો પાસે આરોગ્ય કવચ ન હોવાને કારણે તેમને મોટી અને ગંભીર બીમારી સમયે આર્થિક સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન કાર્ડ આવા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે, જે સામાન્ય નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડી રહ્યું છે અને તેમને આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે.
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતા 15 આઇસર અને ટ્રક વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેકટર એચ.ટી. મકવાણા દ્વારા રાત્રિના 12 થી સવારના 4 વાગ્યા દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં કુલ ₹2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પકડાયેલા વાહનો કોઈ પણ પ્રકારની પરવાનગી, વાહતુક પાસ કે લાકડા કાપવાની પરવાનગી વગર લીલા લાકડાની હેરાફેરી કરી રહ્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951નું ઉલ્લંઘન છે.જપ્ત કરાયેલા તમામ 15 વાહનો અને ₹2.40 કરોડનો મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ વાહનોના માલિકો અને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અધિકારીઓએ જપ્ત કરાયેલા 15 આઇસર અને ટ્રકના નંબર જાહેર કર્યા છે, જેમાં GJ 6 XX 1254, GJ 12 W 8677, GJ 11 Z 3411, GJ 03 AT 4347, GJ 02 XX 7607, GJ 07 TU 2663, GJ 07 YZ 9840, GJ 07 TW 2919, GJ 36 V 0666, GJ 36 B 5508, GJ 07 TU 4341, GJ 06 BT 6111, GJ 13 AT 6961, GJ 03 HJ 4921 અને GJ 36 V 7128 નો સમાવેશ થાય છે. આ વાહનોના માલિકોમાં અશ્વીનભાઇ પટેલ (મોરબી), ગોપાલભાઇ વડેજા (ગોંડલ), વેજાભાઇ મેરામણભાઇ (પોરબંદર), દિનેશભાઇ વાઘરોડીયા (નીનામા, સાયલા), જેઠાભાઇ બચુભાઇ રબારી (પોરબંદર), જયદીપસિંહ પરમાર (કઠલાલ), યોગેશભાઇ પટેલ (કઠલાલ), રાજુભાઇ ડાભી (કપડવંજ), વિરપાલભાઇ (મોરબી), રાજુભાઇ (મોરબી), મનોજભાઇ પટેલ (કઠલાલ), જયંતીભાઇ પરમાર (કઠલાલ), હર્ષદભાઇ ઠાકોર (હળવદ), હર્ષદભાઇ ઠાકોર (હળવદ) અને હર્ષદભાઇ રબારી (મોરબી) નો સમાવેશ થાય છે.ડ્રાઇવરોમાં મહેશભાઇ સુરેલા (મોરબી), ગંગારામભાઇ બીલવાલ (દાહોદ), સુમરાભાઇ ખુટી (પોરબંદર), દિનેશભાઇ વાઘરોડીયા (નિનામા, સાયલા), લખુભાઇ રબારી (પોરબંદર), રાહુલભાઇ પરમાર (ખેડા), આશીકભાઇ મલેક (કઠલાલ), વિશ્વજીતસિંહ ઝાલા (કઠલાલ), રજબભાઇ બલોચ (રાજસ્થાન), શાહમહમંદભાઇ (ઉત્તર પ્રદેશ), પાર્થભાઇ સુથાર (કઠલાલ), શૈલેષભાઇ સોલંકી (કઠલાલ), રવિભાઇ સિંગાર (મધ્યપ્રદેશ), પ્રકાશભાઇ મુળીયા (મધ્યપ્રદેશ) અને મુકેશભાઇ પરમાર (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, વાહન માલિકો અને વાહનચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'નો ઐતિહાસિક હવા મહેલ ખાતે શુભારંભ થયો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આ ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ મેળો આગામી 21 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ફૂડ ફેસ્ટિવલ આપણને આપણા મૂળ સાથે જોડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શહેરનો વિકાસ માત્ર ઊંચી ઇમારતો કે બ્રિજ પૂરતો સીમિત નથી, પરંતુ નાગરિકોને આનંદ-પ્રમોદની સુવિધાઓ મળે અને હેરિટેજ વારસો જળવાય તે પણ તેટલું જ મહત્વનું છે. તેમણે ઉમેર્યું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા હેરિટેજ અને બાગ-બગીચાઓના વિકાસ માટે 'આગવી ઓળખ' હેઠળ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. મંત્રીએ વડાપ્રધાનના 'સ્વદેશી અપનાવો'ના મંત્રને સાર્થક કરવા સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોને અપીલ કરી હતી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર-વઢવાણના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે હવા મહેલના વિકાસ માટે ₹21 કરોડ અને સાઉથ ઝોન રિવરફ્રન્ટ માટે ₹265 કરોડ જેવા મોટા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરનો કાયાકલ્પ કરવામાં આવશે. તેમણે વઢવાણના શૌર્યપૂર્ણ ઇતિહાસ અને માધાવાવના બલિદાનને યાદ કરી આગવા વિઝન સાથે શહેરને સજ્જ કરવાની નેમ વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ સાંસ્કૃતિક અને સ્વાદિષ્ટ મેળાનો લ્હાવો લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, અગ્રણી દેવાંગભાઈ રાવલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વાપી શહેરના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. આરોપી ગુલામ મહેબુદ્દીન ખાનની અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઘટના 23 ઓક્ટોબર 2025ના રોજ સાંજે આશરે 8:00 કલાકે છીરી મહાદેવનગર ખાતે કમાલભાઈના ભંગારના ગોડાઉન સામે બની હતી. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ત્રણ આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીની મોટરસાયકલને લાત મારી નીચે પાડી દીધો હતો અને ગાળો બોલી ઢીકા-મુક્કી તથા ગડદા-પાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, લોખંડના સળિયા વડે હુમલો કરીને ફરિયાદીના જમણા હાથમાં તથા ડાબા પગમાં ઘૂંટણથી નીચે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં અમરુદીન નઈમ ખાન, મહેબુબદીન નઈમ ખાન અને ગુલામ મહેબુદ્દીન ખાન (રહે. છીરી, તા. વાપી, જી. વલસાડ) સામેલ હતા. ડુંગરા પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં આરોપી ગુલામ મહેબુદ્દીન ખાને રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલએ સરકારી વકીલ (ડીજીપી) અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.
જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ:24 આરોપી પકડાયા, સવા બે કરોડના સાયબર ફ્રોડના વ્યવહારો સામે આવ્યા
જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ ₹2,23,58,227નું સાયબર ફ્રોડ આચર્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના નેતૃત્વમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે જામનગર જિલ્લામાં કુલ 363 શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરી હતી. આ તપાસના પરિણામે, 1930 હેલ્પલાઈન પર મળેલી 35 ફરિયાદોના આધારે જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમના 24 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કુલ ₹2,23,58,225ના સાયબર ફ્રોડના વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 55 આરોપીઓ પૈકી 24ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો તેમજ અજાણતા કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતાઓનો મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપનાર વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સંકલન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા માનવ સંસાધન અને ટેકનિકલ વિશ્લેષણના આધારે સંડોવાયેલા આરોપીઓને પકડવાની કામગીરી સઘન રીતે ચાલી રહી છે.
'આપ'ની રણનીતિ તૈયાર:વાપી મહાનગરપાલિકા ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉતારશે
આમ આદમી પાર્ટી (આપ) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વાપીની મુલાકાત લીધી હતી. તેમણે આગામી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ગઢવીએ જણાવ્યું હતું કે વાપી હવે મહાનગરપાલિકા બની હોવાથી 'આપ' તમામ બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડશે. તેમણે ઉમેર્યું કે આગામી 15 દિવસમાં 'ઉમેદવાર સિલેક્શન કમિટી'ની જાહેરાત કરાશે. આ કમિટી વાપીની મુલાકાત લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરશે. ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષ અને કેન્દ્રમાં 11 વર્ષના શાસન છતાં પ્રજાના પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી. ગઢવીએ વાપીમાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા અને ટેન્કર માફિયાઓના રાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્રાફિક, પ્રદૂષણ, ગટર અને રોડ-રસ્તાના પ્રશ્નો યથાવત હોવાનું જણાવ્યું. ગઢવીએ આક્ષેપ કર્યો કે બ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે 700-700 કરોડનું બજેટ હોવા છતાં પ્રજાને હાડમારી જ મળી રહી છે. ગઢવીએ વાપીની જનતાને પરિવર્તન માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો શાસકોને કામ ન કરવા છતાં મત મળતા રહેશે, તો તેઓ ક્યારેય ગંભીર નહીં બને. તેમણે બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે જનતાને જાગૃત થઈને મતદાન કરવા હાકલ કરી હતી.
આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ઈસુદાન ગઢવીએ વલસાડ જિલ્લાના વાપીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં દારૂબંધીની સ્થિતિ અને વધતા જતા પ્રદૂષણના મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કેટલાક નેતાઓ અને અધિકારીઓ દારૂના વ્યવસાયથી માલામાલ થઈ રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી માત્ર 10 મિનિટમાં થઈ જાય છે. વધુમાં, તેમણે ડ્રગ્સના વધતા દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગઢવીએ કહ્યું કે, દારૂ કરતાં પણ વધુ ખતરનાક ડ્રગ્સના રવાડે ગુજરાતના યુવાનોને ચડાવવામાં આવ્યા છે. તેમણે આને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું, જેથી યુવાનો રોજગારી કે નોકરીની માંગ ન કરે. વાપીના સ્થાનિક પ્રશ્નો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, વાપીની જનતાને શુદ્ધ હવા પણ નસીબ નથી થઈ રહી. રાત્રે 12 વાગ્યા પછી ઉદ્યોગો બેફામ રીતે હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવે છે. તેમણે આક્ષેપ કર્યો કે કંપનીઓ ગેરકાયદે બોર કરી પ્રદૂષિત પાણી દમણગંગા નદીમાં ઠાલવે છે. ગઢવીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ 'હપ્તા' લેતા હોવાને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગઢવીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં જનતા ભાજપને વિદાય આપશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી વાપી તેમજ સમગ્ર ગુજરાતને કેમિકલ માફિયાઓ અને પ્રદૂષણથી મુક્ત કરાવશે.
વલસાડ મહિલા બેંક પર RBIના નિયંત્રણો:થાપણદારોના નાણાં સુરક્ષિત હોવાનો બેંકનો દાવો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વલસાડની ‘ધ વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિ.’ પર છ મહિના માટે કડક નાણાકીય નિયંત્રણો લાદ્યા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35-એ હેઠળ આ નિર્ણય લેવાયો છે. બેંકની નબળી રિકવરી અને આર્થિક સ્થિતિને કારણે RBI એ આ પગલું ભર્યું છે, જે 18 ડિસેમ્બર, 2025 ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદ અમલમાં આવ્યું છે. RBI ના આદેશ મુજબ, બેંક હવે નવી ફિક્સ્ડ ડિપોઝિટ કે અન્ય કોઈ નવી થાપણો સ્વીકારી શકશે નહીં. બચત, ચાલુ કે અન્ય ખાતાઓમાંથી હાલ કોઈપણ રકમ ઉપાડવાની મંજૂરી રહેશે નહીં. વધુમાં, RBI ની લેખિત મંજૂરી વિના બેંક નવી લોન આપી શકશે નહીં કે જૂની લોન રિન્યુ કરી શકશે નહીં. બેંક પોતાની મિલકતો વેચી કે ટ્રાન્સફર પણ કરી શકશે નહીં. આ સમાચારને પગલે ગ્રાહકોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બેંક સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે થાપણદારોને ગભરાવાની જરૂર નથી. બેંકમાં કુલ 29,633 થાપણદારો છે, જેમાંથી માત્ર 36 ગ્રાહકોની થાપણ 5 લાખ રૂપિયાથી વધુ છે. બેંકે જણાવ્યું છે કે 5 લાખ રૂપિયા સુધીની તમામ થાપણો DICGC (ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) વીમા કવચ હેઠળ સંપૂર્ણ સુરક્ષિત છે. બેંકે બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. 40 મોટા બાકીદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, 85 થી વધુ લોન ધારકોને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે અને 18 સામે કોર્ટ કેસ દાખલ કરાયા છે. આ કાર્યવાહી દ્વારા અંદાજે 21 કરોડ રૂપિયાની રિકવરી થવાની અપેક્ષા છે. બેંક સત્તાધીશોએ વધુમાં જણાવ્યું કે બેંકને મજબૂત બનાવવા માટે એક મોટી બેંક સાથે વિલીનીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તેનો પ્રસ્તાવ RBI ને મોકલવામાં આવ્યો છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયંત્રણોનો અર્થ બેંક બંધ થવી એવો નથી; કર્મચારીઓના પગાર, ભાડું અને અન્ય આવશ્યક ખર્ચ કરવા બેંકને છૂટ આપવામાં આવી છે. આ તમામ પગલાં થાપણદારોના હિતોની રક્ષા માટે લેવામાં આવ્યા છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત RBA અને સમરસ પેનલ વચ્ચે ચૂંટણી જંગમાં પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા અને ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થવા પામી છે જયારે સેક્રેટરી પદ માટે RBA પેનલના નિલેશ પટેલની જીત થવા પામી છે. 16 પદ માટે 40 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને કુલ 4349 મતદારો પૈકી 2704 મતદારોએ મતદાન કરી રાજકોટ બાર એસોસિએશનના નવા હોદેદારોને વિજેતા બનાવ્યા છે જેમાં મોટાબાગે RBA પેનલનો દબદબો રહ્યો છે અને પ્રમુખ સહિત સભ્યોની જંગી જીત થવા પામી છે. ઉલ્લેખનીય છે કે 4 વાગ્યાથી શરૂ થયેલ મત ગણતરી મોડી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલી હતી અને રાત્રિના 2 વાગ્યા સુધી કોર્ટ પરિસરમાં વકીલો અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપપ્રમુખને બાદ મોટા ભાગે RBA પેનલનો દબદબોરાજકોટ બાર એસોસીએશનની ગઈકાલે શુક્રવારે 19 ડિસેમ્બરના રોજ યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત 16 જેટલા પદ માટે 40 ઉમેદવારોએ દાવેદારી કરી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ લીગલ સેલ પ્રેરિત RBA અને સમરસ પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં 4349 પૈકી 2704 મતદારોએ મતદાન કર્યું હતું અને આ પછી 4 વાગ્યાથી મોડી રાત્રિના 1 વાગ્યા સુધી મતગણતરી ચાલી હતી જેમાં પરિણામ જાહેર થતા જેમાં પ્રમુખ પદ પર RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદ પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા અને સેક્રેટરી પદ પર RBA પેનલના નિલેશ પટેલની જીત થવા પામી છે. જો કે શરૂઆતથી જ પ્રમુખ પદ પર RBA પેનલના સુમિત વોરા આગળ ચાલી રહ્યા હતા અને ઉપપ્રમુખ પદ પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા હતા આમ ઉપપ્રમુખને બાદ કરતા મુખ્ય હોદા ઉપર તેમજ બાકીના સભ્યોમાં પણ મોટા ભાગે RBA પેનલનો દબદબો જોવા મળ્યો છે. મોડી રાત સુધી મતગણતરી થઈરાજકોટના જામનગર રોડ પર આવેલા કોર્ટ બિલ્ડીંગ ખાતે મોડી રાત સુધી બાર એસોસિએશનની આ રસપ્રદ ચૂંટણીની મતગણતરી થઇ હતી અને રાત્રિના 2 વાગ્યા સુધી કોર્ટ બિલ્ડીંગ પરિસર અને પટાંગણ વકીલો અને તેમના સમર્થનોથી ધમધમતું રહ્યું હતું. RBA પેનલનો દબદબો યથાવત રહેતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી, ઢોલીના તાલે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજારાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે RBA પેનલના નિલેશ પટેલ, જો.સેક્રેટરી તરીકે RBA પેનલના જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર તરીકે RBA પેનલના પ્રગતિ માકડીયા, કારોબારી મહિલા અનામતની 3 સીટ પર હિરલબેન જોષી, નીશા લુણાગરિયા અને મીનલ સોનપાલ, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે RBA પેનલના કેતન મંડની જીત થવા પામી છે. આ ઉપરાંત કારોબારી સભ્ય પદ પર સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા અને દીપ વ્યસની ભવ્ય જીત થવા પામી છે જેમાં સુમિત વોરાને 1498 મત, સિધ્ધરાજસિંહ જાડેજાને 1354 મત, નિલેશ પટેલને 1174 મત, જયેન્દ્ર ગોંડલીયાને 1225 મત, પ્રગતિ માકડીયાને 1383 મત મળ્યા છે. 25 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલાત કરતા બહેનોના સન્માન માટે કામ કરાશેપ્રમુખ પદ પર વિજેતા બનેલા સુમિત વોરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટના વકીલોનો RBA પેનલ પરનો ભરોસો પહેલેથી જ હતો જેના કારણે આજે અમારી પેનલના મોટા ભાગના સભ્યો વિજેતા બન્યા છે. રાજકોટ બારના સભ્યોએ અમને સારામાં સારું પરિણામ આપ્યું એનું કારણ એ છે કે કેટલાક લોકો અમારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતા અમને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા તેમને રાજકોટના વકીલોએ સચોટ જવાબ મતદાન કરીને આપી દીધો છે. વકીલો માટે કામ કરતી અમારી ટિમને વિજેતા બનાવી છે. મહિલાઓના ઉત્થાન અને જુનિયરોમાં લીગલ અવેરનેશન માટે સ્કિલ ડેવલોપમેન્ટ માટે અને 25 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલાત કરતા બહેનોના સન્માન માટે કામ કરવામાં આવશે. રાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે પ્રયાસ કરાશેરાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે 1983થી લડત ચાલુ છે, પરંતુ લેખિત રજૂઆત થઇ ન હતી. અમારી પેનલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે પુરેપુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઉપપ્રમુખ પદ પર જયારે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા વિજેતા બન્યા છે તો તેમને પણ સાથે રાખી અને રાજકોટ બાર એસોસિએશન માટે સારામાં સારો કામો કરવામાં આવશે.
રાજકોટ ખાતે યોજાનાર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નું આયોજન કરાયું હતું. શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે 30 જેટલા ઔદ્યોગિક એકમો સાથે રૂ. 834 કરોડના મહત્વના MoU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી, જેને આજે 22 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટને જિલ્લા કક્ષાએ લાવીને સ્થાનિક કલા અને બિઝનેસને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે થયેલા MoU માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ તેને વાસ્તવિક ઉદ્યોગમાં બદલવા માટે સરકાર ઉદ્યોગપતિઓની સાથે ઊભી છે. મંત્રીએ સુરેન્દ્રનગરની વિશેષતાઓ વર્ણવતા પટોળા, ટાંગલિયા શાલ અને સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 'હર ઘર સ્વદેશી'ના મંત્ર સાથે સ્થાનિક વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો. સખી મંડળની બહેનો 'લખપતિ દીદી' બનીને આત્મનિર્ભર બની રહી છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2026ની 11મી વાઇબ્રન્ટ સમિટ સુરેન્દ્રનગર માટે સુવર્ણ તક છે. ધોળીધજા ડેમ દ્વારા પાણીની સુવિધા, હીરાસર એરપોર્ટની નિકટતા અને અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવેની કનેક્ટિવિટીને કારણે સુરેન્દ્રનગર રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. કુટિર ઉદ્યોગ સચિવ અને કમિશનર આર્દ્રા અગ્રવાલે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’ની રૂપરેખા આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ વિકસિત ગુજરાત 2047 માટે વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્વ સમજાવ્યું. ઉપસ્થિત સર્વે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મ નિહાળી હતી. બાદમાં યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભ બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પરષોત્તમભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, ઉદ્યોગકાર દિનેશભાઈ તુરખીયા, નરેશભાઈ કૈલા, અરુણભાઈ પટેલ, મયુરભાઈ ત્રિવેદી, સુમિત પટેલ, બાબુભાઈ પટેલ, વૈભવભાઈ ચોકસી, પદ્મ શ્રી મુકતાબેન ડગલી, શાહબુદ્દીન રાઠોડ, લવજીભાઈ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્રકુમાર ઓઝા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે સ્વદેશી અંતર્ગત આયોજિત ખાદી મેળાની મુલાકાત લીધી હતી. આ ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળામાં કુલ 68 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને કારીગરોને મંચ પૂરો પાડવાનો છે. મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોમાં સશક્ત નારી મેળાઓનું આયોજન થાય અને વધુમાં વધુ મહિલા કારીગરો ભાગ લઈ શકે તેવું આયોજન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ મેળામાં વલસાડના દરેક તાલુકાની મહિલાઓ ભાગ લઈ સારું વેચાણ કરી રોજગારી મેળવી રહી છે. ખાદી મેળામાં ખાદીનું સારું વેચાણ થઈ રહ્યું છે, જેનાથી ખરીદનાર અને વેચાણકર્તા બંનેને લાભ મળી રહ્યો છે. આત્મનિર્ભર ભારતમાં 'વોકલ ફોર લોકલ'ને પ્રાધાન્ય આપવાથી આવનારી પેઢીને સારી રોજગારી મળશે તેવી ખાતરી છે. મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ મેળાના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટોલ ધારકોને ખાદીને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા અને સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
PMJAY કૌભાંડની તપાસની માંગ:જામનગર મહાપાલિકાના જનરલ બોર્ડમાં નગરસેવિકાએ મુદ્દો ઉઠાવ્યો
જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આયુષ્યમાન કાર્ડ (PMJAY) યોજના હેઠળ કથિત કૌભાંડની તપાસની માંગ ઉઠી હતી. નગરસેવિકા રચના નંદાણીયાએ શહેરમાં આવેલી બે હોસ્પિટલો સામે તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ માંગણી મેયર વિનોદ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કરવામાં આવી હતી. નંદાણીયાએ જણાવ્યું હતું કે, સરકારી જેસીસી હોસ્પિટલ અને ઓશવાળ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ખોટા ઓપરેશન થયા હોવાના આક્ષેપો છે. તેમણે મહાપાલિકા સંચાલિત આરોગ્ય શાખાના અધિકારીઓને આ અંગે તપાસ કરી વિગતો જાહેર કરવા જણાવ્યું હતું. વધુમાં, નગરસેવિકાએ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને કમિશનર સહિતના પદાધિકારીઓને આ ગંભીર કૌભાંડ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા પણ સૂચન કર્યું હતું. બોર્ડની બેઠકમાં મહાપાલિકા સંચાલિત ગાયના ઢોર ડબા (ગૌશાળા) અંગે પણ ચર્ચા થઈ હતી. નગરસેવકોએ ઢોર ડબામાં ગાયોની સંભાળ અને વ્યવસ્થા અંગે વારંવાર તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભે, અધિકારી કેતન કટેશીયાએ જણાવ્યું કે દુઝણી ગાયોને રકમ ભરીને લોકો છોડાવી જાય છે. રાહુલ બોરીચાએ આક્ષેપ કર્યો કે જામનગરની બહાર મોકલવામાં આવતી કેટલીક ગાયોને રસ્તામાં ઉતારી લેવામાં આવે છે. આ આક્ષેપ પર મનીષ કટારીયાએ ગુસ્સામાં કહ્યું કે, કોઈપણ જાતિ તપાસ કર્યા વિના આવા આક્ષેપો ન કરવા અને જો પુરાવા હોય તો રજૂ કરવા. જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા ધવલ નંદા, ચેરમેન નિલેષ કગથરા, જૈનંબ ખફી સહિતના કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં મહાપાલિકાની આખરી ટી.પી. સ્કીમ નંબર ૨, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ યોજનામાં દ્વિતીય ફેરફાર કરવાના ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ ઠરાવને બહાલી આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત, ટી.પી. સ્કીમ નંબર ૨, ફાયનલ પ્લોટ નં. ૨૭ પૈકીની ૨૧૨૧ ચો.મી. જમીન શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેચાણથી આપવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી. વોટર વર્ક્સ શાખાના સબ ઇન્સ્પેક્ટરની મંજૂર થયેલી જગ્યામાં વધારો કરવાની દરખાસ્ત તેમજ સેક્રેટરીની જગ્યા માટે વધારાનો ચાર્જ આપવાની દરખાસ્ત પણ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાના અલિયાબાડા સ્થિત પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પ્રદર્શનમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષય આધારિત 77 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અમલમાં મુકાયેલ ‘અટલ ટિંકરિંગ લેબ’નો મહત્તમ ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા હતા. આર્ડીનો બોર્ડ અને સેન્સરની મદદથી તૈયાર કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક પ્રોજેક્ટ્સ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શનની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ રોબોટિક બેન્ડ સહિતના વિવિધ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને રસપૂર્વક નિહાળ્યા હતા. કલેક્ટરએ વિદ્યાર્થીઓની સૂઝબૂઝ અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવા જ સંશોધનાત્મક કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનમાં સૈનિક સ્કૂલ બાલાચડી, દિલ્હી પબ્લિક સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય જામનગર અને દરબાર ગોપાલદાસ બી.એડ. કોલેજના તજજ્ઞ શિક્ષકોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને સામુદાયિક ભાગીદારી સુદ્રઢ બને તે હેતુથી અલિયાબાડા અને આસપાસના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રદર્શન નિહાળવા આમંત્રિત કરાયા હતા. શાળાના પ્રાચાર્ય એમ.પી. સિંઘના માર્ગદર્શન હેઠળ સંયોજક અજય કુમાર પાંડે, ઉમેશ કુમાર, સ્પંદન પાટીદાર, એસ.પી. શાર્દૂલ, અંકુર મલ્હાન, એન.એમ. સુપ્રિયા તથા એટીએમ ઇન્સ્ટ્રક્શન કેયુર પટેલ સહિતના સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
SIRની કામગીરી:છોટાઉદેપુર જિ.માં SIRની કામગીરીમાં કુલ 8,42,280 મતદારો નોંધાયા
છોટા ઉદેપુર જિલ્લામાં SIRની કામગીરી દરમિયાન કુલ 8,42,280 મતદારો નોંધાયા છે.આ કામગીરી દરમ્યાન હાલ પુરતા 65336 મતદારો કેન્સલ થયા છે. છેલ્લા એક મહિનાથી ચાલતી SIRની કામગીરી ચાલી રહી હતી. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત કુલ 8,42,280 મતદારો નોંધાયા છે. જિલ્લાના 8,42,280 મતદારોમાંથી કુલ 7,76,945 મતદારોના ડેટા ડિઝિટાઇઝ્ડ કરી દેવામાં આવ્યા છે. એટલે કે 92.24% મતદારો ડિઝિટાઇઝ્ડ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન કુલ 27647 મતદારો એટલે કે 3.28% મતદારો મૃત્યુ પામ્યા છે. 0.50% એટલે કે 4224 મતદારો મળી આવ્યા નથી. જિલ્લાના કુલ મતદારોમાંથી 3.32% મતદારો એટલે કે 27994 મતદારો કાયમી સ્થળાંતર થયા છે. જિલ્લાના કુલ 7.76% એટલે કે 65336 મતદારોના વિવિધ કારણોસર ફોર્મ ભરાયા નથી. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 8,42,280 મતદારો એટલે કે કુલ 92.24%માંથી 89.49% મતદારોનું મેપિંગ થયું છે. જ્યારે 2.75% મતદારોનું મેપિંગ કરવાનું બાકી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે છોટા ઉદેપુર જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં મેપિંગની દ્રષ્ટિએ ત્રીજા નંબરે આવ્યો છે.
જાગૃતિ કાર્યક્રમ યોજાયો:છોટાઉદેપુરમાં તમારી મૂડી તમારો અધિકાર અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજ્ય સ્તરની બેન્કર્સ કમિટીની અધ્યક્ષતામાં બેંક ઓફ બરોડા અને તમામ સભ્ય બેંકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે તમારી મૂડી તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્થાનિક દરબાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શર્માએ જણાવ્યું હતું કે, જિલ્લાના ઘણા નાગરિકોના બેંક ખાતા છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય (Inactive) છે. આવા ખાતાઓની રકમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ‘ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ’ (DEAF) માં જમા કરવામાં આવી છે. આ રકમ તેના સાચા વારસદારો કે ખાતેદારોને પરત મળે તે હેતુથી તમારી મૂડી તમારો અધિકાર’ અભિયાન શરૂ કરાયું છે, જેનો જિલ્લાના નાગરિકોએ મહત્તમ લાભ લેવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે રૂ. 29.64 કરોડ જેટલી માતબર રકમ અનક્લેમ તરીકે RBI ના ફંડમાં ટ્રાન્સફર થયેલી છે. આ રકમ પરત મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન દિવસ’ અને ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અમૃતમ (મા) અને પી.એમ. જે.એ.વાય. યોજનાનો લાભ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લાના પી.એચ.સી., સી.એચ.સી. અને સબ-સેન્ટરના માધ્યમથી ‘હાઉસ ટુ હાઉસ’ (ઘેર-ઘેર) મુલાકાત લઈને કુલ 444 નવા આયુષ્માન કાર્ડની નોંધણી કરાઈ હતી. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો માટેની ‘આયુષ્માન વય વંદના યોજના’ હેઠળ 22 લાભાર્થીઓની નોંધણી કરી તેઓને આરોગ્ય કવચ પૂરું પડાયું હતું. આ સપ્તાહમાં 10 ક્લેમની નોંધણી, 10 દર્દીઓને ડિસ્ચાર્જ, 4 હોસ્પિટલ ઓડિટ અને એન્ટી ફ્રોડ પોર્ટલ દ્વારા 20 કાર્ડનું ઓડિટ, લેવલ ટુ કાર્ડ વેરીફીકેશન 20 કરી શાસન પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 561914 લાભાર્થીઓની નોંધણી કરી દેવામાં આવી છે. પોલિસી-10 અંતર્ગત કુલ નોંધાયેલ ક્લેમ: 2236 અંદાજિત રકમ રૂ. 32392900, ચુકવવામાં આવેલ ક્લેમ: 1790 અંદાજિત રકમ રૂ. 24553225 થાય છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આર્થિક મુશ્કેલીના કારણે સ્થાનિક પરિવાર સારવારથી વંચિત ન રહે.
SOGની કાર્યવાહી:ગોધરા- કાલોલથી રૂ.1600નો રોલિંગ પેપર, સ્મોકિંગ કોનનો જથ્થો ઝડપાયો
ગોધરા, કાલોલમાંથી એસઓનજીએ રૂા.1600નો પ્રતિબંધીત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવાત પોલીસે પાન પાર્લરના સંચાલકોની અટકાયત કરી ગુનો નોંધ્યો છે. ગુજરાત રાજ્યમાં સગીર વયના કિશોરો અને યુવાનોને ચરસ ગાંજા અને ડ્રગ્સ જેવા જીવલેણ નશાઓના પ્રોત્સાહન આપતી અને રાજ્યભરમાં શેરીએ શેરીએ ખાસ કરીને પાન પાર્લરો સહિતની દુકાનોમાં વેચાણ થતા ગોગોના નામથી જાણીતા ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલના ખુલ્લેઆમ થતા ધૂમ વેચાણ બાદ સરકાર એક્સનમાં આવી ગઇ હતી. સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્યભરમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચમહાલ એસઓજી દ્વારા ખાસ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે દરમ્યાન ગોધરાના અમદાવાદ રોડ પર શિવમ પાન પાર્લરમાંથી 33 નંગ ગોગો સ્મોકિંગ કોન અને 30 નંગ રોલિંગ પેપરનો રૂા.795નો જથ્થો મળી આવતા પાર્લર સંચાલક ઠાકોરલાલ ગેંદાલાલ ભોઈ વિરુદ્ધ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કાલોલના અલિંદ્રા હાઈવે રોડ પર ચામુંડા પાન સેન્ટરમાંથી 7 નંગ સ્મોકિંગ કોન અને 49 નંગ રોલિંગ પેપરનો રૂા.805નો જથ્થો મળી આવતા સંચાલક રાકેશકુમાર વિક્રમસિંહ ચાવડા વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડયુવાધનને નશાના માર્ગે જતું રોકવા કડક નિર્ણય લેવાયોયુવાનો અને સગીરો દ્વારા ચરસ, ગાંજો અને નશીલા માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર્સ અને કોન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રોલિંગ પેપર્સ અને કોન્સના ઉત્પાદનમાં અત્યંત જોખમી ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ,ક્લોરીન બ્લીચ (કાગળને સફેદ કરવા માટે), આર્ટિફિશિયલ ડાય અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા કેમિકલ્સ વપરાય છે, જે ફેફસાં અને શરીર માટે અત્યંત હાનિકારક છે. આ વસ્તુઓ અત્યાર સુધી પાન પાર્લર, ચાની કિટલીઓ, કરિયાણાની દુકાનો પણ સરળતાથી મળતી હતી. આ સરળ ઉપલબ્ધતાને કારણે યુવાધનને નશાના માર્ગે જતું રોકવા માટે આ કડક નિર્ણય લેવાયો છે. જો કોઈ વેપારી આ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વિતરણ કરતા પકડાય, તો તેની સામે ગુનો નોંધાય છે.
મૃતદેહ મળી આવ્યો:સાત તળાવના ખેતરમાં હત્યાકરેલ યુવકનો મૃતદેહ મળ્યો
લુણાવાડા તાલુકાના સાતતળાવ ગામના ખેતરમાં હત્યા કરેલ યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ ધટનાસ્થળે આવી પહોચી હતી. તપાસમાં ગામના યુવાનુ તીક્ષ્ણ હથિયાર વડે મોત જણાયુ હતુ. પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઇ છે. લુણાવાડાના સાતતળાવ ગામે એક યુવાનની ખેતરમાં હત્યા કરવામાં આવી હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ટોળા ધટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા લુણાવાડા ટાઉન પોલીસ, SOG, LCB ટીમ સહિત DYSP ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જ્યારે મૃતક યુવાન સાતતળાવ ગામનો સમીર પટેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રિ દરમિયાન પાક રક્ષણ માટે ખેતરમાં ગયેલા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ઠગાઈ:જૂની ગાડીના બહાને અમદાવાદીએ દાહોદના વેપારીના 1.98 લાખ ઠગ્યા
દાહોદમાં જૂની ગાડીઓની લે-વેચનો વ્યવસાય કરતા એક વેપારી સાથે અમદાવાદના વેપારીએ વિશ્વાસઘાત કરી રૂ.1,98,000ની ઠગાઈ છે. દાહોદના ગોધરા રોડ પર ‘ડ્રીમ મોટર’ નામની ઓફિસ ધરાવતા અસ્લમખાન પઠાણનો સંપર્ક છ માસ અગાઉ અમદાવાદના કાંકરીયા રોડ સ્થિત વાણિજ્ય ભવનમાં વ્યવસાય કરતા પ્રવિણકુમાર જૈન સાથે થયો હતો. આરોપીએ વોટ્સએપ પર એક ઇનોવા અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ફોટા મોકલી કુલ રૂ. 1.98 લાખમાં સોદો નક્કી કર્યો હતો. અસ્લમખાન પઠાણએ વિશ્વાસમાં આવી ગત માર્ચ મહિનામાં બે હપ્તામાં કુલ રૂ.1,98,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ચુકવ્યા બાદ ફરિયાદી ચાર વખત વાહનોનો કબજો લેવા અમદાવાદ ગયા હતા, પરંતુ પ્રવીણકુમારે દરેક વખતે ખોટા વાયદા કરી વાહનો આપ્યા નહોતા. અંતે પ્રવીણકુમારે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને અન્ય નંબર પરથી સંપર્ક કરતા હવે વાહનો કે પૈસા પરત નહીં મળે, થાય તે કરી લો તેવી ધમકી આપી હતી. આથી અસ્લમખાન પઠાણએ દાહોદ કોર્ટમાં અરજી કરી હતી.
તેરા તુજકો અર્પણ:તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 68 સાયબર ફ્રોડ પીડિતોને
દાહોદ જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવાના હેતુથી અમલમાં મૂકાયેલા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ અંતર્ગત જિલ્લામાં રહેતા કુલ 68 અરજદારોના ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રૂા.1,01,10,518 સફળતાપૂર્વક પરત અપાવ્યા છે. દાહોદ જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ તથા સાયબર ક્રાઈમના ગુનાઓમાં ભોગ બનેલા નાગરિકોએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. તેમજ NCCRP પોર્ટલ અને 14C સાયબર ક્રાઈમ માધ્યમથી ફ્રોડમાં ગયેલ નાણાંને સમયસર હોલ્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી ન્યાયાલયના હુકમ અનુસાર આ રકમ અરજદારોને પરત અપાવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સચોટ તપાસ, તકેદારીપૂર્વકની કાર્યવાહી અને સમયસર કાનૂની અનુસરણના પરિણામે પીડિત નાગરિકોને તેમની મહેનતની કમાણી પરત મળી શકી છે. નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી નાગરિકોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે.
રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ:રક્તપિત્ત દર્દી શોધ અભિયાનમાં 42 નવા દર્દી મળ્યા
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં તારીખ 8 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન તમારા ગામમાં, તમારા દ્વાર સુધી’ ના સંદેશ સાથે નવા દર્દી શોધવા માટે સઘન કામગીરી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં હાલ રક્તપિતના 174 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે આ શોધ અભિયાનની પ્રગતિ અને ગુણવત્તા ચકાસવા માટે ભારત સરકારની નેશનલ ટીમે દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. નેશનલ ટીમમાં સામેલ ડૉ.આશિષ વાગ, ડૉ.કિરણ અખાડે અસિસ્ટન્ટ ડિરેક્ટર – RLTRI અને ડૉ.સુધિર વાંજેએ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ટીમે રાબડાલ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. LCDC કેમ્પેઇન દરમિયાન શોધાયેલા નવા દર્દીઓના ઘરે જઈ વધુ ચકાસણી કરી હતી. નેશનલ ટીમે જિલ્લા પંચાયત દાહોદ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બાળ દર્દીઓની વહેલી ઓળખ માટે વધુ સ્ક્રીનિંગ કરવા અને શંકાસ્પદ દર્દીઓની સ્પર્શ પદ્ધતિ દ્વારા સચોટ તપાસ કરવા પર ભાર મૂકાયો હતો. જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી. પહાડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 42 નવા રક્તપિત્ત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજિત કરાયેલા અભિયાનમાં જિલ્લા રક્તપિત્ત કચેરી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સક્રિય સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. અગાઉના દર્દીના સંપર્કમાં રહેલા લોકો સપડાયા રક્તપિત્તના કેસો અગાઉના દર્દીઓના નિકટતમ સંપર્કમાં રહેલા લોકોમાં વધુ જોવા મળ્યા છે. આથી છેલ્લા પાંચ વર્ષના દર્દીઓના સંપર્કોનું નિયમિત ફોલોઅપ લેવું અત્યંત અનિવાર્ય હોવાનું ચર્ચા અંતે નક્કી કરાયુ હતું. બાળ દર્દીઓ માટે વધુ સ્ક્રીનિંગ અને શંકાસ્પદ લોકોની સ્પર્શ દ્વારા તપાસ પર ભાર મૂકવામાં આવ્યુ છે. ચેપી રોગ રક્તપિત કઇ રીતે ફેલાય છેરક્તપિત્ત એ ''''માયકોબેક્ટેરિયમ લેપ્રે'''' નામના બેક્ટેરિયાથી થતો એક લાંબાગાળાનો ચેપી રોગ છે.જે મુખ્યત્વે મનુષ્યના શરીરની નસો અને ચામડી પર અસર કરે છે. આ રોગ હવા દ્વારા ફેલાય છે.એટલે કે જ્યારે કોઈ સારવાર ન લીધેલ દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે તેના સંપર્કમાં આવવાથી અન્યવ્યક્તિને ચેપ લાગી શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં ચામડી પર આછા કે લાલાશ પડતા ડાઘા પડવાઅને તે ભાગ પર સંવેદના ગુમાવવી એ છે.

30 C