પાટણના ધારપુરમાં કપિરાજને વીજ કરંટ લાગ્યો:અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સારવાર આપી
પાટણ તાલુકાના ધારપુર ગામના ઉમિયાપુરામાં એક કપિરાજને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના બાદ અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત કપિરાજને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. વન વિભાગના વિષ્ણુભાઈ એલ. દેસાઈએ પાટણ અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ એમ. રાવળને ટેલિફોનિક જાણ કરી હતી. આ જાણ થતા જ ટ્રસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.પ્રાથમિક સારવાર બાદ, વીજ કરંટનો ભોગ બનેલા આ કપિરાજને વધુ સારવાર માટે પાટણ જિલ્લા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સના પેડલરોએ એરપોર્ટ બદલ્યુંઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગતા અને સધન ચકાસણીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 300 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. એજન્સીઓની ધોંસના પગલે હવે પેડલરોએ એરપોર્ટ બદલ્યું હોય તેમ લાગે છે. આજે સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવતા મુસાફરને ઝડપી લઈને તેની પાસેથી ડીઆરઆઇની ટીમે 1.68 કિલો હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 1.68 કિલો ગાંજો ઝડપાયોડીઆરઆઇની ટીમને બાતમી મળી હતી કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-263માં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રીડ ગાંજો છે. તેને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતાં પ્રવાસી પાસેથી 24 વેક્યૂમ-પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ્સ મળ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ (હાઇબ્રીડ ગાંજો) હોવાની સાબિતી મળી હતી. પ્રતિબંધિત ગાંજો લઇને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે.
વપરાયેલા કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે પેક કરેલા ખાદ્ય તેલના વેચાણ સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઇ છે. આ રિટમાં કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતીને જોખમમાં મૂકે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે આ રિટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરીને તેમના જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. ગુજરાતમાં ખાદ્ય તેલનો વપરાશ અને કાયદાનું ઉલ્લંઘનગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયું છે કે, રાજ્યમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ખાદ્ય તેલમાં કપાસિયા તેલ, સૂર્યમુખી તેલ, તલ અને દ્રાક્ષના બીજના તેલ જેવા અન્ય ખાદ્ય તેલનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમાં સૌથી વધુ લોકપ્રિય કપાસિયા તેલ છે. જે ગુજરાતમાં વપરાશમાં લેવાતા ખાદ્ય તેલના 79.55% હિસ્સો ધરાવે છે. રાજ્યમાં આશરે 2 મિલિયન ટન તેલનો વપરાશ થાય છે અને તે રસોઈ માટે એક મૂળભૂત ઘરગથ્થુ ઘટક છે. નાગરિકોની સલામતી અને આરોગ્યનું રક્ષણ કરવા માટે ઉચ્ચતમ સ્તરનું પેકેજિંગ સુનિશ્ચિત કરવાની જરૂર છે. સેકન્ડ હેન્ડ ટીન કન્ટેનરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધઆ મુદ્દો ખાદ્ય તેલને ટીન કન્ટેનરમાં પેક કરીને ફરીથી ઉપયોગમાં લેવાનો હતો. એટલે કે ગ્રાહક દ્વારા પહેલાથી જ ઉપયોગમાં લેવાયેલા ટીન કન્ટેનર અને તેને ફેંકી દીધા પછી આ ટીન ફરીથી અનૈતિક કંપનીઓ/વેચાણકર્તાઓ પાસે પાછા ફરે છે. જેઓ તેનો ફરીથી ઉપયોગ કરે છે અને ખુલ્લા બજારમાં અલગ અલગ બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ અને લેબલિંગ) રેગ્યુલેશન્સ, 2011 કાયદા હેઠળ ઘડવામાં આવ્યા છે. જે પહેલાથી ઉપયોગમાં લેવાતા ટીન અને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખાદ્ય તેલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ બાકરોલ ગોયા તળાવ પાછળ આવેલા વણકર, ખ્રિસ્તી અને રોહિત સમાજના કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર જ અધિકારીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન, કમિશનરે વિવિધ સમાજના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. આગેવાનોએ શેડ, કમ્પાઉન્ડ વોલ, લાકડા અને ગેસ આધારિત સગડી, બેસવા માટેના બાંકડા અને સ્ટોર રૂમ જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી હતી. કમિશનર મિલિંદ બાપનાએ જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોની માંગણી અને સ્થળ નિરીક્ષણ બાદ આ કબ્રસ્તાન ખાતે ટૂંક સમયમાં જ જરૂરી પાયારૂપી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાઓ અંતિમવિધિ અને અવરજવર માટે સહાયરૂપ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન હેઠળ, પ્રાદેશિક સંતુલિત વિકાસના લક્ષ્ય સાથે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા બાદ ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર ક્ષેત્રના દરેક જિલ્લાની વિશિષ્ટ ઔદ્યોગિક શક્તિઓને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવાનો અને તેમને આકર્ષવાનો છે. આ સંદર્ભમાં, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે જાણીતો સુરેન્દ્રનગર જિલ્લો તેના ઐતિહાસિક વારસા અને સમૃદ્ધ સંસાધનોને કારણે રોકાણ માટેના એક અગ્રણી કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. જિલ્લાનું અર્થતંત્ર કૃષિ ઉત્પાદનો, મજબૂત ટેક્સટાઇલ માળખું અને સૌથી મહત્ત્વનું, મીઠાના વિશાળ ઉત્પાદન પર આધારિત છે, જે તેને સોલ્ટ-બેઝ્ડ કેમિકલ ઉદ્યોગો માટે એક આદર્શ હબ બનાવવાની પ્રબળ સંભાવના ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રોકાણની સૌથી મોટી અને મહત્વપૂર્ણ તક મીઠા પર આધારિત કેમિકલ ઉદ્યોગોમાં રહેલી છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન માટે અગ્રેસર રહેલો સુરેન્દ્રનગર જિલ્લો સોડિયમ ક્લોરાઇડનું વિપુલ પ્રમાણ પૂરું પાડે છે, જે સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોર-આલ્કલી જેવા મુખ્ય કેમિકલ ઉત્પાદનો માટેનો પાયાનો અને અનિવાર્ય કાચો માલ છે. અહીં ખારું પાણી અને અનુકૂળ જમીન ઉપલબ્ધ હોવાથી મીઠું ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ શકે છે. રોકાણકારો અહીં સોલ્વે પ્રક્રિયા અથવા આધુનિક સિન્થેટિક પદ્ધતિઓ દ્વારા સોડા એશના મોટા પાયાના પ્લાન્ટ અથવા આધુનિક મેમ્બ્રેન સેલ ટેકનોલોજી આધારિત ક્લોર-આલ્કલી પ્લાન્ટ્સ સ્થાપી શકે છે. આ પ્લાન્ટ્સ કોસ્ટિક સોડાની સાથે-સાથે ક્લોરિન (Cl2) અને હાઇડ્રોજન (H2) જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો પણ આપે છે, જેનાથી મૂલ્યવર્ધનની નવી તકો ઊભી થશે. જિલ્લાની ભૌગોલિક અને માળખાગત ક્ષમતાઓ રોકાણકારો માટે અત્યંત અનુકૂળ છે. સુરેન્દ્રનગર કચ્છ-રાજકોટ રિજિયનમાં આવેલું હોવાથી તે અન્ય ઔદ્યોગિક ક્લસ્ટર્સ અને બંદરો સાથે સારી કનેક્ટિવિટી પૂરી પાડે છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) કેમિકલ પ્લાન્ટ્સ માટે જરૂરી જમીન, વીજળી અને પાણી જેવી માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, ગુજરાત સરકારની ઉદાર ઔદ્યોગિક નીતિઓ જેવી કે સબસિડી, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અને મૂડી રોકાણ સહાય સોલ્ટ-બેઝ્ડ કેમિકલ પ્લાન્ટ્સ માટે આકર્ષક રોકાણ વાતાવરણ પૂરું પાડે છે. સુરેન્દ્રનગર ગુજરાતના કેમિકલ ક્લસ્ટર્સ જેમ કે વડોદરા, દહેજ અને ભરૂચને જરૂરી કાચો માલ અને મધ્યવર્તી ઉત્પાદનો સપ્લાય કરવા માટે એક સપ્લાય ચેઇન હબ તરીકે કાર્ય કરી શકે છે. મીઠા અને કેમિકલ ઉદ્યોગ ઉપરાંત, સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ અને એગ્રો-બેઝ્ડ ઉદ્યોગોમાં પણ રોકાણની મોટી સંભાવનાઓ રહેલી છે. કપાસનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવાને કારણે જિનિંગ, સ્પિનિંગ અને પ્રોસેસિંગ યુનિટ્સમાં રોકાણની તકો ઊભી થાય છે. સાથે જ, 'બાંધણી', 'સોમાસરના પટોળા' અને 'ટાંગલિયા' જેવી પરંપરાગત હસ્તકલાઓ કાપડ ઉદ્યોગને સંસ્કૃતિ પ્રવાસન સાથે જોડીને વિકાસની નવી દિશાઓ ખોલી શકે છે. આ કોન્ફરન્સ સુરેન્દ્રનગરના નાના અને મધ્યમ ઉદ્યોગો - MSMEને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને તેમની પ્રોડક્ટ્સને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડશે, જે પ્રાદેશિક મૂડીરોકાણને વેગ આપીને 'મેક ઇન ઇન્ડિયા'ના વિઝનને પ્રાદેશિક સ્તરે સાકાર કરશે. આગામી રાજકોટ VGRCના માધ્યમથી, ગુજરાત સરકાર સુરેન્દ્રનગર જિલ્લાના કૃષિ, ખનિજ અને પરંપરાગત ઔદ્યોગિક પોટેન્શિયલને જોડીને સર્વસમાવેશક વિકાસની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. સોલ્ટ-બેઝ્ડ કેમિકલ ઉદ્યોગોમાં થનારું મૂડીરોકાણ માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, પરંતુ કેમિકલ એન્જિનિયરિંગ, સંશોધન અને વિકાસ, ગુણવત્તા નિયંત્રણ અને અત્યાધુનિક ઓપરેશન મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ-કૌશલ્ય આધારિત રોજગારની તકો પણ ઊભી કરશે. સુરેન્દ્રનગરને રોકાણ સ્થળ તરીકે પ્રમોટ કરીને, આ કોન્ફરન્સ 'વિકસિત ગુજરાત'ના લક્ષ્યને હાંસલ કરવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે, જ્યાં રાજ્યના દરેક જિલ્લાના અનન્ય સંસાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં આવે છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરી 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરી શકાશે.
ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય સરકારના શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ જેવી ચાર યોજનાઓ અંતર્ગત રાજ્યભરના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 370 કરોડની સહાય DBT મારફતે એનાયત કરી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિ નોંધાઈ હતી. છેલ્લા અઢી દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનોમુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં છેલ્લા અઢી દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો થયા છે. કે.જી.થી પી.જી. સુધીનું શિક્ષણ દરેક બાળક માટે સરળ અને સુલભ બને તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીઓના શિક્ષણને વેગ આપવા નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેવી યોજનાઓની શરૂઆત થતાં દીકરીઓના ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક સમયે 37 ટકા જેટલો રહેલો દીકરીઓનો ડ્રોપઆઉટ દર આજે બે ટકા કરતાં પણ નીચો પહોંચી ગયો છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા 2834 સુધી વધી છે જ્યારે કોલેજોની સંખ્યા પણ 775થી વધીને 3200થી વધુ થઈ છે. મેડિકલ સીટો 1175થી વધી 7000થી વધુ થવી શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિ દર્શાવે છે. આર્થિક ભાર ઓછો થાય તે દિશામાં અનેક નિર્ણયો લીધાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, માત્ર આજે જ 13 લાખથી વધુ બાળકોના ખાતામાં 370 કરોડથી વધુ રકમ સીધી જ DBT દ્વારા ટ્રાન્સફર થઈ છે. અત્યાર સુધી ચારેય યોજનાઓ દ્વારા 13.50 લાખ બાળકોને કુલ 1332 કરોડથી વધુની સહાય રાજ્ય સરકારે પહોંચાડી છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ પરથી આર્થિક ભાર ઓછો થાય તે દિશામાં અનેક નિર્ણયો લીધા છે. પરિણામે વિદ્યાર્થિનીઓની હાજરીમાં 73 ટકા વધારો નોંધાયોશિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, “વિકસિત ગુજરાત”ના સપનાને સાકાર કરવા માટે શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતું રોકાણ માત્ર સહાય નથી, પરંતુ રાજ્યના ભવિષ્યનો મજબૂત પાયો છે. નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધી 10.49 લાખ દીકરીઓને 1033 કરોડની સહાય મળી છે, જેના પરિણામે વિદ્યાર્થિનીઓની હાજરીમાં 73 ટકા વધારો નોંધાયો છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા 1.5 લાખ વિદ્યાર્થીઓને 151.84 કરોડની સહાય મળી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહના એડમિશનમાં 6.34 ટકા વધારો થયો છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાઓ દ્વારા પણ લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે. 'શિક્ષણ એ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું શક્તિશાળી સાધન' શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે શિક્ષણ એ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 370 કરોડની સહાય પહોંચાડવામાં આવી તે સમગ્ર શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે, બાળકોના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમમાં જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિગણ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ત્રાલસા ગામ અને શહેરની હિતેષનગર સોસાયટીમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. LCBએ “સિકલીગર ગેંગ”ના બે સભ્યોને રૂ. 1,37,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ LCBના પીઆઈ એમ.પી. વાળાએ ટીમો બનાવી જિલ્લામાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસા ગામે રાત્રિના સમયે બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 1,87,500ની ચોરી થઈ હતી. આ ચોરીની તપાસ ચાલી રહી હતી ત્યારે PSI ડી.એ. તુવરની ટીમને બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા જસબીરસિંહ ટાંક અને તેજીન્દરસિંહ સરદાર યુનિકોર્ન બાઇક પર ભરૂચથી દહેજ તરફ જઈ રહ્યા છે. LCBએ ભરૂચ-દહેજ રોડ પર એક્સપ્રેસવે નીચે વોચ ગોઠવી બંને શખ્સોને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. તેમની તલાશી લેતા ચાંદીનો ઝુડો અને રોકડ મળી આવતા તેમની સંડોવણીની પુષ્ટિ થઈ હતી. આરોપીઓને LCB કચેરી લાવી સઘન પૂછપરછ કરતા તેમણે ત્રાલસા ગામની ચોરી ઉપરાંત ઓગસ્ટ 2023માં ભરૂચ શહેરની હિતેષનગર સોસાયટીમાં કરેલી બીજી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. બંનેએ જણાવ્યું કે, તેઓ માસિયાઈ ભાઈઓ છે અને અગાઉ સગાઓ સાથે ચોરી કરતા હતા. ભરૂચ વિસ્તારની જાણકારી હોવાથી તેઓ અહીં ચોરીને નિશાન બનાવતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે જસબીરસિંહ ટાંક હૈદરાબાદ રાજ્યના કામારેડી જિલ્લાના બે પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2024ની ત્રણ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ છે. પોલીસે તેમની પાસેથી રૂ. 30,000 રોકડા, એક ચાંદીનો ઝુડો અને યુનિકોર્ન બાઇક સહિત કુલ રૂ. 1,37,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ટીમે બંને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ ઉપરાંત, હૈદરાબાદ રાજ્ય સહિત સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં સરકારી કોન્ટ્રાક્ટના કામમાં રોકાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ શહેર અને આસપાસના 10 થી 12 જેટલા વ્યક્તિઓ પાસેથી કુલ 2.43 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આદિત્ય પાર્ક વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર અશ્વિન વશરામભાઈ વારાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ 10 થી 12 વ્યક્તિઓના કુલ 2,43,50,000 રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ 'મનશીલ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી શરૂ કરી હતી. તેણે લોકોને જણાવ્યું હતું કે, તેને જામનગર, મોરબી અને મહારાષ્ટ્ર સહિતના સરકારી વિભાગોમાં સ્ટ્રીટ લાઈટ અને ડસ્ટબીન સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ મળેલા છે. આ કોન્ટ્રાક્ટમાં 30 ટકા જેટલું ઊંચું વળતર મળતું હોવાનું જણાવી, રોકાણકારોને 14 ટકા વળતર આપવાની લાલચ આપી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી અશ્વિન પાસેથી તેમજ અન્ય વ્યક્તિઓ પાસેથી આરોપીએ હપ્તે હપ્તે નાણાં મેળવ્યા હતા. આ રકમ બેંક ખાતા મારફતે ચેક દ્વારા અથવા રોકડમાં મેળવવામાં આવી હતી. આમ, જુદી જુદી વ્યક્તિઓના કુલ 2,43,50,000 રૂપિયા પોતાના અલગ અલગ ખાતામાં જમા કરાવી લીધા હતા અથવા રોકડમાં મેળવી લીધા હતા. પૈસા મેળવ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયો હતો. સિટી-એ પીઆઈ એન.એ. ચાવડા અને તેમના સ્ટાફે તપાસ કરીને આરોપી મનશીલ કોયાને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બે દિવસ પૂર્વે રાત્રિના બનેલી હિટ એન્ડ રન જેવી ઘટનામાં 48 કલાક બાદ પણ થાર ગાડીના માલિકનો પતો નહીં, પરિવારજનો અને સમાજના લોકોએ આરોપીને ઝડપી પાડી કડકમાં કડક સજાની માગ સાથે DYSP સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બનેલી હિટ એન્ડ રન જેવી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. બે દિવસ પહેલા રાત્રિના સમયે થાર કારના સગીર ડ્રાઈવરે પૂરપાટ ઝડપે વાહન ચલાવી મહિલા અને યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માતની ઘટનામાં સોનલબેન ગોસ્વામીનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં નીલમબાગ પોલીસ હજી સુધી થાર ગાડીના મૂળ માલિક શક્તિસિંહ જાડેજા સુધી પહોંચી શકી નથી. ત્યારે મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સાથે આજરોજ DYSPને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને વહેલીમાં વહેલી તકે આરોપીને પકડી કડકમાં કડક સજા કરોની માગ કરવામાં આવી હતી. આ અંગે મૃતકના જેઠાણી મીનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે બંને દેરાણી જેઠાણી ચાલવા નીકળ્યા હતા. અમે સાઈડમાં ઊભા હતા અને સાઈડમાં ચાલતા હતા. કોઈ વાહન આવતું ન હતું અને અચાનક એટલી સ્પીડમાં આવ્યો અને મને ફગાવી દીધી, અને મારી દેરાણીને બોનેટ સાથે ભટકાડી અને 10 ફૂટ આઘે ઉડાડી દીધા હતા. એટલે આ કારચાલકને કડકમાં કડક કાયદો કરી એને સજા આપજો અને ક્યાંય જામીન ન મળે. એટલે આવી બેન દીકરીઓ માથે ન થાય કોઈના ઘરના વિખાય. અત્યારે અમારું ઘર વિખાઈ ગયું છે. અમારી નમ્ર વિનંતી છે કે, અમારા પરિવારને ન્યાય આપો. સરકારમાં ગમે એટલા કાયદા હોય, સરકારી કર્મચારી એના ઓળખતા હોય તો એને કોઈ મદદ ન કરતા. એક માણસને સજા આપો એટલે હજારો માણસોને બીક લાગે એવું કંઈક કરો. આ અંગે પંકજ ગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અમે આજે DYSPને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. અમારી માગ છે કે, આ હિટ એન રનનો કેસ બન્યો છે, જેમાં આરોપીને કડકમાં કડક સજા થાય એવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમાજના લોકો, અન્ય જે વ્યક્તિને ઇજા થઈ છે, તેનો પણ પરિવાર સાથે આવ્યો છે. FIRમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં સિરીઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હકીકતમાં ગાડી નંબર GJ-14-BG-58 છે અને જે FIRમાં છે એ BJ લખાણું છે. અમે ડીવાયએસપીને રજૂઆત કરવાની છે અને એ સુધારો કરી બરોબર કરવામાં આવે. અમારી માગ છે કે, ગાડીના માલિક છે, તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એને ઝડપી પાડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમે રજૂઆત કરીએ છીએ. આ બનાવમાં જે આરોપી છે, એ સગીર વયનો છે એવું કહેવામાં આવે છે. એની માનસિકતા ગુનાહિત પ્રવૃત્તિની છે. આની પહેલા કર્મચારી નગરમાં જે બનાવ બન્યો હતો, એ બનાવમાં આ સગીર છોકરાનો પરિવાર સપોર્ટ કરવા ગયો હતો. જે આર્મીમેને હવામાં ફાયરિંગ કર્યું હતું, આ છોકરો એ જ છે. આ અંગે સીટી DYSPએ જણાવ્યું હતું કે, નીલમબાગ પોલીસ સ્ટેશનના વાઘાવાડી રોડ પર ફેટલનો બનાવ બે દિવસ પહેલા બનેલો. આ બનાવમાં મીનાબેન અને સોનલબેન પાણીની ટાંકીથી વાઘાવાડી રોડ પર ચાલીને જતા હતા, દરમિયાન પાછળથી થાર ગાડી આવી અને અડફેટે લીધા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત સોનલબેનને સારવાર માટે સર્ટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ફેટલનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં થાર ગાડીનો ચાલક સગીર વયનો હોવાથી કાયદાની જોગવાઈ મુજબ સગીર વયનો કોઈ હોય તેને ગાડી આપી શકાતી નથી કે ગાડી ચલાવી નથી શકતા. જેથી આ બનાવમાં શક્તિસિંહ જાડેજા નામના વ્યક્તિએ થાર ગાડી સૂર્યદીપસિંહને આપેલી, તેના વિરુદ્ધ BNS 105 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવમાં આરોપીને વહેલી તકે અટક કરવામાં આવશે તથા નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવમા આરોપી સૂર્યદીપ સિંહ છે, તે સગીર વયનો છે, જેણે શક્તિસિંહ પાસેથી થાર ગાડી લીધી હતી અને ફેટલ કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો. ત્યારે નિલમબાગ પોલીસ સ્ટેશનના PSI દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને સાયન્ટિફિક પુરાવાઓ મેળવી આ બનાવમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તબક્કે વહાલીઓને વિનંતી કરવા માંગુ છું કે આપના સગીરવયના બાળકો હોય, તેમને ફોરવ્હીલ કે ટુવ્હીલ ગાડી ચલાવવા આપવી એ ગુનો હોય. જેથી ધ્યાન લઇ વ્હાલીઓએ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલાવવા ન આપવા વિનંતી કરું છું.
દેવગઢ બારીયા વિધાનસભા વિસ્તારના ધાનપુર તાલુકામાં રૂ. 12.70 કરોડના ખર્ચે માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ તાલુકાના 13 ગામોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવશે, જે વર્ષોથી ચાલી આવતી પરિવહન સમસ્યાને હળવી કરશે. આ યોજનામાં મહુનાણા, ઉમરીયા, દુધામલી, સજોય, નળુંવેડ, બેડત, રામપુર, ઘડા, લીમડી, મેંદરી, વાખસ્યા, કોઠારીયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના ગ્રામજનો લાંબા સમયથી કાચા અને ક્ષતિગ્રસ્ત માર્ગોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. નવા પાકા માર્ગો બનવાથી પરિવહન સુવિધામાં સુધારો થશે. વિદ્યાર્થીઓ અને કામદારોની દૈનિક અવરજવર સરળ બનશે, તેમજ કૃષિ ઉત્પાદનોની હેરફેર પણ વધુ સુવિધાજનક બનશે. આ વિકાસ કાર્યો સ્થાનિક આગેવાનો અને તાલુકા સ્તરના હોદ્દેદારોના પ્રયાસોથી શક્ય બન્યા છે. શિલાન્યાસ કાર્યક્રમોમાં વિધાનસભાના ધારાસભ્ય બચુ ખાબડ, ધાનપુર તાલુકા પ્રમુખ અભેસિંહ મોહનિયા, જિલ્લા કારોબારી અધ્યક્ષ અભેસિંહ વી. મોહનિયા અને પૂર્વ પ્રમુખ પ્રદીપ મોહનિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તાલુકાના સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સ્થાનિક સમાજના આગેવાનો, ગામના વડીલો અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માવી અને મારીએ પ્રોજેક્ટની તકનીકી વિગતો રજૂ કરી હતી. લોકોની લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આ વિકાસ કાર્યો ધાનપુર તાલુકાના પરિવહન માળખાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
અમરેલીમાં 'સશક્ત નારી મેળો' યોજાશે:જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને 20-22 ડિસેમ્બરે આયોજન
અમરેલી જિલ્લામાં સ્વદેશી અભિયાન અંતર્ગત 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય મેળો 20 થી 22 ડિસેમ્બર દરમિયાન નુતન હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ચિતલ રોડ, અમરેલી ખાતે યોજાશે. જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ મેળાની તૈયારીઓ માટે બેઠક મળી હતી. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલા આગેવાની હેઠળના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો તેમજ તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો છે. તે મહિલાઓની ઉદ્યમશીલતાને વેગ આપવા અને તેમને બજાર પૂરું પાડવા માટે એક મંચ પૂરો પાડશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પંડ્યાએ સ્થાનિક સ્તરે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી મહિલાઓને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. મહિલાઓના વ્યવસાયનો વ્યાપ વધારવા માટે વસ્તુઓના નિદર્શન અને વેચાણ માટે સ્ટોલ સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. તમામ 100 સ્ટોલ્સ પર QR કોડ દ્વારા કેશલેસ પેમેન્ટનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરાશે. આ સશક્ત નારી મેળામાં કૃષિ, સહકાર, કુટીર અને ગ્રામ ઉદ્યોગ, વન અને પર્યાવરણ, પશુપાલન, ખેતીવાડી, બાગાયત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ઈન્ડિયન પોસ્ટ તથા બેંક સહિતના વિભાગોના સંકલનથી 100 જેટલા સ્ટોલ્સ રાખવાનું આયોજન છે. આ મેળાના માધ્યમથી સ્થાનિક બ્રાન્ડ્સને પ્રોત્સાહન મળશે, સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ અને નોંધણીમાં વધારો થશે. લખપતિ દીદી, ડ્રોન દીદી અને ખેતીમાં પ્રગતિશીલ મહિલા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે, જેથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે. સ્વ-સહાય જૂથોને આર્થિક લાભ માટેની વધુ તકો ઉપલબ્ધ થશે. આ મેળો મહિલા આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડશે, જે સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપશે. રાજ્યકક્ષાએથી મળેલા માર્ગદર્શન મુજબ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળાના આયોજન માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન ચાર્જ નિયામક અર્પણ ચાવડા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, આત્મા પ્રોજેક્ટના નિયામક, આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર,જિલ્લા ખેતેવાડી અધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા રજીસ્ટાર, જિલ્લા લાઈવલીહૂડ મેનેજર છાયાબેન ટાંક તથા લીડબેંક મેનેજર અને ઇન્ડિયન પોસ્ટ પેયમેન્ટ બેંક સહિતના વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લાવવામાં સફળતા મેળવી છે. LCB એ વેસ્મા ગામ નજીકથી એક બોલેરો ટેમ્પોમાંથી ₹2.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. LCBના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાની સૂચના મુજબ, LCB સ્ટાફ ખાનગી બાતમીદારો દ્વારા વોચ રાખી રહ્યો હતો. 12 ડિસેમ્બરના રોજ HC નયનકુમાર હનુભા અને HC દિગ્વીજયસિંહ રવજીભાઇને મળેલી બાતમીના આધારે, નેશનલ હાઈવે નં-48 પર વેસ્મા ગામ, ઓવરબ્રીજના દક્ષિણ છેડે મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન, LCBની ટીમે બોલેરો મેક્સ પીકઅપ ટેમ્પાને રોક્યો હતો. ટેમ્પાની તપાસ કરતા, તેમાં વેસ્ટ ડુંગળીની બોરીઓ અને પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (વ્હીસ્કી)ની નાની-મોટી બોટલો અને ટીન બીયર મળી કુલ 1200 નંગ જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. 2,85,360 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે રૂ. 5,00,000નો બોલેરો પીકઅપ ટેમ્પો અને રૂ. 5,500ના બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે. આ ઓપરેશનમાં પોલીસે કુલ રૂ. 7,90,860ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ: વોન્ટેડ આરોપીઓ (દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર): બોલેરો પીકઅપ ટેમ્પોના હાલના માલિક તથા તપાસમાં નીકળે તે અન્ય શખ્સો.પકડાયેલા આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા જુનાગઢ પોલીસ સઘન ચેકીંગ હાથ ધર્યું છે.જેને લઈ જુનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.ત્યારે જિલ્લામાં તેમજ બહારના જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જુનાગઢ C-ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. C-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ગોહીલની દ્વારા ગુના નિવારણ સ્કોડના માણસો પીએસઆઇ એચ.બી. ચૌહાણ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન પો.કોન્સ. નારનભાઈ ગળચર અને પો.કોન્સ. જુવાનભાઈ લાખણોત્રાને ખાનગી બાતમી મળતા રાજકોટ શહેરના ગાંધીગ્રામ બે વિસ્તારમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લગારીયાને પ્રમુખનગર ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. સી ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 35(1)(જે) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી. ત્યારબાદ વધુ તપાસ અને આરોપીનો કબજો સોંપવા માટે રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા માટે ગૃહ મંત્રાલયની સૂચના બાદ પોલીસ કમિશનરે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે, જેના અંતર્ગત એક જ દિવસમાં શહેરના 19 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 27 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં સાયબર ઠગોએ નિર્દોષ નાગરિકો પાસેથી કુલ રૂ. 1.66 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, ઠગાઈના આ કિસ્સાઓમાં લઘુત્તમ રૂ. 400થી લઈને મહત્તમ રૂ. 1.02 કરોડ સુધીની છેતરપિંડી થઈ છે, જે સાયબર ક્રાઇમની વ્યાપકતા દર્શાવે છે. અનેક લોભામણી લાલચો આપી લોકોને શિકાર બનાવતાપોલીસ સ્ટેશન મુજબની કાર્યવાહીમાં સૌથી વધુ 4 કેસ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધ્યા છે, જ્યારે વરાછામાં 3 અને રાંદેર, અમરોલી તથા લસકાણામાં 2-2 કેસ નોંધાયા છે. અમરોલી પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ લોન અપાવવાના બહાને છેતરપિંડી કરનાર એક શખ્સની ધરપકડ પણ કરી છે. આ આરોપી બેંકમાં ખોટા ખાતા ખોલાવી સાયબર અપરાધીઓને ભાડે આપવાનું કામ કરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઠગો પીએમ કિસાન યોજના, શેરબજારમાં રોકાણ અને ટાસ્ક આપવા જેવી અનેક લોભામણી લાલચો આપી લોકોને શિકાર બનાવતા હતા. શંકાસ્પદ વ્યવહારની જાણ તુરંત પોલીસને કરવા અપીલસાયબર અપરાધીઓ હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર ફેક જાહેરાતો, એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને કે પછી સરકારી અધિકારી હોવાની ઓળખ આપી 'ડિજિટલ એરેસ્ટ'ના નામે પૈસા વસૂલવાની પદ્ધતિઓ મુખ્ય છે. ખાસ કરીને ફિલ્મોમાં કામ અપાવવા કે સલાઈ મશીન જેવી વસ્તુઓના નામે પણ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે. આ પ્રકારના જોખમોને જોતા સુરત પોલીસે નાગરિકોને કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને શંકાસ્પદ વ્યવહારની જાણ તુરંત પોલીસને કરવા અપીલ કરી છે. મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ પર ખાસ વોચ રાખવામાં આવશેઆગામી દિવસોમાં સુરત પોલીસ આ ઝુંબેશને વધુ તેજ બનાવશે, જેના માટે એક ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ બેંક એકાઉન્ટ ભાડે આપનારા મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ પર ખાસ વોચ રાખવામાં આવશે અને ટેકનિકલ પુરાવાઓના આધારે ગુનેગારોની ઝડપી ધરપકડ કરવામાં આવશે. પોલીસનો મુખ્ય હેતુ ડિજિટલ ટ્રાન્જેક્શનને સુરક્ષિત બનાવવાનો અને જનજાગૃતિ દ્વારા સાયબર ક્રાઇમના આંકડાઓને ઘટાડવાનો છે.
રાજકોટના વાવડી વિસ્તારમાં ચાલતી અમિતભાઈની સાઈટ પર કામ કરતો લક્ષ્મણ કાનજીભાઈ ગરાસીયા (ઉ.વ.33) નામનો યુવાન રાત્રિના સમયે પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો જેથી ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ રાજસ્થાનનો વતની હોવાનું અને છેલ્લા એક મહિનાથી સાઇટ ઉપર કામ કરતા તેના બે ભાઈઓ સાથે કામ કરતો હતો અને રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાત્રિના સમયે લક્ષ્મણ લધુશંકા કરવા જતા સમયે પહેલા માળેથી નીચે પડેલી માલ વાહક લિફ્ટ પર પટકાયો હતો જેના કારણે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે ફુટપાથ પર સુતેલા લોકોને જમાડવા ગયેલો રેસ્ટોરન્ટ સંચાલકના ઘરમાં ચોરી તેજસભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગઇ તા.14નાં રોજ રાત્રીનાં 12.30 વાગ્યે રૈયા સર્કલ પાસે ફુટપાથ પર સુઈ રહેતા લોકોને રામ રોટી જમાડવા ગયા હતા. પત્ની અને પુત્ર બંને ઉપરનાં રુમમા સુતા હતા બાદમા તેઓ 3 વાગ્યે ઘરે પરત આવ્યા હતા. આ સમયે ઘરનાં નીચેનાં મેઇન દરવાજાનો લોક તુટેલો હતો. દરમ્યાન તેમનાં પત્ની અને દીકરો ઉપરનાં બીજા માળે રુમમા સુતા હતા તેમણે અંદર જોયુ તો કબાટ પણ ખુલ્લો હતો અને સામાન વેર વીખેર હાલતમા પડયો હતો. તેમણે પત્નીને જગાડી તપાસ કરતા માલુમ પડયુ કે ઘરમાથી 20 હજાર રોકડા અને ચાંદીનાં સીકા સહીત રૂ.44 હજારની મતા ચોરાઇ ગઇ છે આ મામલે તેમણે યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઓવરટેક કરવા બાબતે રિક્ષા ચાલક સાથે ઝઘડો કરી બે શખ્સોનો હુમલો આજીવસાહતમાં ખોડીયાર નગર શેરી નં.14માં રહેતો રિક્ષાચાલક દીલીપ ઉર્ફે મહારાજ શાંતીરામ ગોંડલીયા (ઉ.વ.42) ગત તા.7ના તેની પિતરાઇ ભત્રીજીની સગાઇ હોવાથી પરિવાર સાથે રિક્ષા લઇ ચોટીલા ગયો હતો ત્યાથી સાંજે પરત આવતા હતા ત્યારે રાજકોટમાં ભાવનગર રોડ પર થોરાડા પોલીસ સ્ટેશન પાસે રોડનુ કામ ચાલુ હોવાથી ડાયર્વઝનમાં અમુલ સર્કલ તરફ રિક્ષા લઇ જતો હતો ત્યારે બાઇકમાં અજાણયા બે શખ્સો રિક્ષાને ઓવરટેક કરવા જતા હતા ત્યારે તેમને તમે આગળ જતા રહો તેમ કહેતા આ શખ્સોને સારુ ન લાગતા બોલાચાલી કરી માર માર્યો હતો અને છુટો પથ્થર મારતા કપાળના ભાગે ઇજા થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે થોરાડા પોલીસે અજાણયા બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં સાત કરોડથી વધુના મનરેગા કૌભાંડમાં સંડોવણીના કેસમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સામે કાયદાનું કડક ઘેરું ફરી એકવાર સંકુચાયું છે. ભરૂચના પાંચમા એડિશનલ સેશન્સ જજ પી.એમ.સોનીએ આજે, 12 ડિસેમ્બરે, પિતા–પુત્રના શરતી જામીન રદ કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. ગત 26 સપ્ટેમ્બરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા.જોકે, સરકાર તરફથી સરકારી વકીલ પી.બી.પંડ્યાએ 1 નવેમ્બરે BNS કલમ 483(3) હેઠળ જામીન રદ કરવાની અરજી દાખલ કરી હતી અને મૂળ હુકમને પડકાર્યો હતો. આ પહેલાં 29 જુલાઈએ ભરૂચ કોર્ટે પિતા–પુત્રની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે ફરી એકવાર કોર્ટના તાજેતરના આદેશથી તેઓને કાયદાની પ્રક્રિયામાં વળગી રહેવું પડશે. કોર્ટના તાજા હુકમ મુજબ આરોપી હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ 13 ડિસેમ્બર સવારે 11 વાગ્યા સુધી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર થવાનું રહેશે. જો તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં સમક્ષ હાજર નહીં થાય તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તેમના વિરુદ્ધ પકડ વોરંટ કાઢી કસ્ટડીમાં લેવાનો અધિકાર રહેશે. આ કૌભાંડના કેસમાં કાનૂની કાર્યવાહી વધુ કડક વળાંક લેતી જોવા મળી રહી છે.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા ગીરનારી આશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં સામૂહિક હનુમાન ચાલીસા અને સમૂહ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ , વાલેરાભાઈ રાઠોડ સહિતના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંગઠનના કાર્ય વિસ્તાર, એકતા અને સમાજના હિત માટે ભવિષ્યમાં હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને આશીર્વચન સાથે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માહિતી સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના અધ્યક્ષ વનરાજસિંહ ખેરે આપી હતી.
અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસેના ભદ્રના પરંપરાગત પાથરણા બજારના ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાના મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે ફરી એકવાર સ્પષ્ટ અને સાફ શબ્દોમાં અરજદારોને ટકોર કરી હતી કે, ‘જાહેર માર્ગ કે ફૂટપાથ પર કોઇપણ હંગામી કે કાયમી બાંધકામ-દબાણને ચલાવી લેવાશે નહીં.’ હાઇકોર્ટની ખંડપીઠે આ મામલે ફેરિયાઓનું પ્રતિનિધિત્વ કરતી સેવા અને અન્ય સંસ્થાને તમામ અધિકૃત ફેરિયાઓની યાદી બનાવીને સોગંદનામા મારફતે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો મૌખિક નિર્દેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી 19મી ડિસેમ્બરે યોજાશે. ફેરિયાઓને 15 દિવસમાં વૈકલ્પિક સ્થળે જવાનો આદેશસુનાવણી દરમિયાન ખંડપીઠે ટકોર કરી હતી કે, અમે અરજદારોને 15 દિવસનો વધુ સમય આપીએ છીએ કે જે હંગામી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં જાઓ. સેવા કે અન્ય કોઈ સંસ્થા ઉપર કોર્ટ એ વાત છોડી શકે નહીં કે વેન્ડર્સ ક્યાં જશે. અમને સોગંદનામા ઉપર વિસ્તૃત રીતે જણાવો કે કોણ અધિકૃત્ત વિક્રેતાઓ છે. તેમના નામ, ઉંમર, ફોન નંબર્સ, સરનામા સહિતની વિગતો આપો. કેટલા લોકોને સેન્ટ્રલ ગાર્ડનમાં અને કેટલાને ફૂટપાથ ઉપર જગ્યા ફાળવી શકાય એ પણ જણાવો. જ્યાં સુધી આ વિગતો કોર્ટ સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે નહીં, ત્યાં સુધી કોઇપણ આદેશ કરવામાં આવશે નહીં. જાહેર માર્ગ પર દબાણ ન હોવું જોઈએ: હાઈકોર્ટહાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, અમારી સમક્ષ જે ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે એને જોઇએ તો બંને પક્ષો વચ્ચે કોઇ સમજૂતી દેખાતી નથી. અમે મધ્યસ્થીકાર તરીકે જોઈ રહ્યા છીએ. જો આવું જ રહેશે તો કોઈ સમાધાન આવી શકે નહીં. અમે જે ફોટો જોયા છે એ વ્યથિત કરનારા છે. જાહેર માર્ગ કે ફૂટપાથ ઉપર કોઇપણ અનઅધિકૃત ફેરિયાઓને જગ્યા ફાળવી શકાય નહીં. જો આ રીતે લોકો દબાણ કરી લેશે તો ફાયરના વાહનો નીકળી શકે નહીં, લોકો વાહનો ચલાવી શકે નહીં અને રાહદારીઓ ચાલી પણ શકે નહીં. જેથી અમારો મેસેજ લાઉડ અને ક્લિયર છે કે કોઈપણ પ્રકારનું હંગામી કે કાયમી બાંધકામ જાહેર માર્ગ પર હોવું જોઈએ નહીં. જ્યાં સુધી અરજદાર ફેરિયાઓનો મુદ્દો છે, તો અમે ફેરિયાઓના બંન્ને પ્રતિનિધિ સંસ્થા જોડેથી તેમની તમામ વિગતો સાથેનું સોગંદનામું અને તમામ અધિકૃત ફેરિયાઓની યાદી જોઈએ.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગામમાં સગીરાના અપહરણ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી વિપુલ ઉર્ફે ગડુ રતીલાલ મકવાણાને 20 વર્ષની સખ્ત કેદ અને રૂ. 15,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના ગત 10 જાન્યુઆરી, 2024ના રોજ બની હતી. આરોપી વિપુલ મકવાણાએ એક 15 વર્ષ અને 9 માસની સગીરાને લલચાવી-ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ અમરેલીના સ્પેશિયલ જજ (પોક્સો) અને ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલએ ધારદાર દલીલો રજૂ કરી હતી અને મહત્વના પુરાવાઓ રજૂ કર્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને માન્ય રાખીને આરોપી વિપુલ ઉર્ફે ગડુ રતીલાલ મકવાણાને ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376 (2)(એન), 376(2)(જે), 376(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8, 18 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારા અધિનિયમ 2015ની કલમ 3(2)(5) હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને રૂ. 15,000નો દંડ ભરવાનો આદેશ કર્યો છે. દંડની રકમમાંથી રૂ. 10,000 ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
• ઉમેદવારોએ યુરોપના સ્લોવાકિયાની વર્ક પરમિટ મેળવવા માટે આપ્યા હતા રૂપિયા વિદેશ જવાની ઘેલછામાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ વધુ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે જેમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં વર્ક પરમીટના બહાને 55 નોકરી વાંચ્છુકો સાથે કુલ 2.68 કરોડની છેતરપિંડી બેંગ્લુરુ અને કેરેલાના 3 મળી કુલ 4 શખ્સોએ કરી હોવાનું સામે આવ્યું છે ઉમેદવારો દ્વારા યુરોપના સ્લોવાકિયાની વર્ક પરમિટ મેળવવા માટે રૂપિયા આપ્યા હતા પરંતુ આરોપીઓ દ્વારા વર્ક પરમીટ કઢાવી ન આપતા અંતે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી મહિલા કે.એમ.ઈમીગ્રેશન કન્સલટ નામે પેઢી ધરાવે છેમીતલબેન સુરજીવાળા (ઉ.વ.38)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કે.એમ.ઈમીગ્રેશન કન્સલટ નામે રાજકોટમાં ધ વન વર્લ્ડ બીલ્ડીંગ 150 ફુટ રીંગ રોડ ખાતે ભાડાની ઓફિસ ધરાવી સ્ટુડન્ટ વીઝા, વીઝીટર વીઝા, વર્ક વીઝા કન્સલટન્સીને લગતું કામકાજ કરે છે. આર્મફલાય પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેકટર મોહમ્મદ ઉવૈશ કે જેઓ ઇમીગ્રેશન કન્સલટન્ટ તરીકે કામ કરે છે તેમની સાથે તેઓ કામ કરતા હતા અને તેની કંપનીમાં એચ.આર. મેનેજર તરીકે આયશા કામ સંભાળતા હતા. સ્લોવાકીયા દેશ(યુરોપ)માં વેરહાઉસમાં 100 જગ્યા છે મોહમ્મદ ઉવૈશએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની કંપની પાસે સ્લોવાકીયા દેશ(યુરોપ)માં વેરહાઉસમાં ભાઇઓ માટે ડ્રાયફ્રુટ પેકેજીંગ અને બહેનો માટે લેબલીંગ અને સ્કેનીંગનુ કામ કરવા માટે કુલ 100 ઉમેદવારોની જગ્યા હોવાનું તા.27.04.2024ના રોજ આયશાએ ઇ-મેઇલથી જણાવ્યું હતું જેમાં એક ઉમેદવાર દિઠ રૂ.4.20 લાખ તથા 3 મહીનામાં વિઝા અપાવી દેવાની વાત કરી હતી. આ સાથે એક એમ.ઓ.યુ. પણ મોકલ્યું હતું જેથી તેના પર વિશ્વાસ આવતા 01.05.2024 થી તા.27.06.2024 દરમિયાન અલગ અલગ કુલ 60 ગ્રાહકોને સ્લોવા કીયા(યુરોપ) દેશમાં વર્ક પરમીટ(વીઝા) પર મોકલવા માટેનું કંપનીને કામ આપ્યું હતું. તા.0.05.2024 થી તા.19.06.2024 સુધીમાં કુલ રૂ.19 લાખ મોહમ્મદ ઉવૈશના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.મોહમ્મદ ઉવૈશ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા મોહમ્મદ ઉવૈશ દ્વારા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને ત્યરબાદ ઓફર લેટર આપવામાં આવ્યા હતા. મોહમ્મદ ઉવૈશ દ્વારા ઓફર લેટરના રૂ.59 લાખની માંગણી કરી હતી જે રકમ મોહમ્મદ ઉવૈશના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમજ ઉપરોકત કામગીરી માટે મોહમ્મદ ઉવૈશ ફરીયાદીની ઓફીસ ખાતે આવી રૂ.60 લાખ રોકડમાં લઇ ગયો હતો. 60 ઉમેદવારોમાંથી 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી રદ કરાવતા 55 ઉમેદવારો માટેની કામગીરી કરવાની હતી. બાદમાં તા.11.08.2024 થી તા.13.09.2024 સુધીમાં તમામ ઉમેદવારોના વર્ક કોન્ટ્રાકટ લેટર આપ્યા હતા અને મોહમ્મદ ઉવૈશ દ્વારા વર્ક કોન્ટ્રાકટ લેટરના રૂ.84 લાખની માંગણી કરવામાં આવી હતી જે રકમ બેંક મારફતે મોહમ્મદ ઉવૈશના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમજ રૂ.25 લાખ તા.14.09.2024ના રોજ મોહમ્મદ ઉવૈશને ફરીયાદીની ઓફીસ ખાતે રોકડમાં આપ્યા હતા.સ્લોવાકીયા (યુરોપ)માં વર્ક પરમીટ કરાવી આપવા જણાવ્યુ હતુંતમામ 55 ઉમેદવારોને સ્લોવાકીયા (યુરોપ) દેશમાં વર્ક પરમીટ(વીઝા) કરાવી આપવા જણાવ્યા મુજબ રકમ ચુકવી આપી હતી પરંતુ તેઓ વિઝા સબમીશનની કોઇ તારીખ આપતા ન હોય જેથી ઉમેદવારોની વર્ક પરમીટ(વીઝા)નુ કામ રદ કરવાનો ઇ-મેઇલ મોકલ્યો હતો જેથી તેઓએ અમને જણાવ્યું કે હાલમાં સ્લોવાકીયાના વર્ક પરમીટ વિઝા સબમીશનની તારીખ માટે દરેક ઉમેદવાર દિઠ વધુ રૂ.1.30 લાખ આપશો તો કામ થશે અને રકમ આપશો તો તમામ ઉમેદવારોના વર્ક પરમીટ વિઝા સબમીશન તારીખ મેળવવાની બાહેંધરી આપી હતી જેથી ઉમેદવારોને વાત કરતા તેઓ રૂપીયા આપવા તૈયાર થતા તા.21 ફેબ્રુઆરીથી તા.6 માર્ચ 2025 સુધીમાં રૂ.18 લાખ આપ્યા હતા અને બાદમાં આર્મફલાય પ્રા.લી. કંપનીની ઓફીસ ખાતે ગયા તે વખતે મોહમ્મદ ઉવૈશે વધુ રૂ.3 લાખ આપવાનુ જણાવતા તા.11 માર્ચના રોજ મોહમ્મદ ઉવૈશને બેંગ્લોર ખાતેની ઓફીસે આપ્યા હતા. 9 ઉમેદવારો રશિયા જવા માટે તૈયાર થયા હતા આમ કુલ રૂ.2.68 કરોડ ઉમેદવારોને સ્લોવાકીયા (યુરોપ) દેશ ખાતે વર્ક પરમીટ(વિઝા)નુ કામ કરવા માટે “આમર્ફલાય પ્રા.લી.” કંપનીને કામ આપ્યા હતા. બાદમાં તમામ ઉમેદવારોની સ્લોવાકીયા (યુરોપ) દેશ માટેની વર્ક પરમીટ(વીઝા) કેન્સલ થાય તેમ છે અને તેઓ કોઇ ઉમેદવારોના સ્લોવાકીયા દેશના વર્ક પરમીટ(વીઝા) અપાવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું અને તમામ ઉમેદવારોની રકમ પરત ચુકવી આપશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ તા.21.06.2025ના રોજ જણાવ્યું હતું કે રશિયા ખાતેની વર્ક પરમીટ(વીઝા) એક અઠવાડીયામાં થઇ જશે અને તમામને રશિયા મોકલી આપશે જેથી કુલ 55 ઉમેદવારો પૈકી 9 ઉમેદવારો રશિયા જવા માટે તૈયાર થયા હતા અને રશિયા જવા માટેનો ખર્ચ રૂ.6.50 લાખ જણાવી રશિયાના વિઝા મોકલી ત્યાં જવા માટેની કોઇ વ્યવસ્થા કરી આપી ન હતી તેની છેલ્લી તા.01.10.2025ના રોજ પુર્ણ થઇ ગયેલ છે.બેંગ્લુરુના એક અને કેરળના 3 લોકો સામે ફરિયાદ દાખલઆમ કંપની દ્વારા 2.68 કરોડ રૂપિયા મેળવી લઇ ઉમેદવારોને વર્ક પરમીટ ન આપી છેતરપિંડી આચરી હોવાનું ધ્યાન પર આવતા બનાવ અંગે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બેંગ્લુરુના મોહમ્મદ ઉવૈસ, કેરેલાના અબ્દુલ વિટલ, સહાનાબાનું વિટલ, અને ઈમૂલ સહાના વિરુદ્ધ BNS કલમ 318(4), 3(5) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ (DLP)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 19 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10 કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યોજાશે. તેની અધ્યક્ષતા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવાનો છે. આ માટે ઔદ્યોગિક એકમો સાથે મૂડીરોકાણના સમજૂતી કરારો (MoU) કરવામાં આવશે. આ MoU દ્વારા જિલ્લામાં નવા ઉદ્યોગોની સ્થાપના થશે, રોજગારની નવી તકો ઊભી થશે અને આર્થિક પ્રવાહમાં વધારો થશે. આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે રાજકોટ ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશની VGRC અને જિલ્લા સ્તરીય કાર્યક્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ ઉદ્યોગો, MSMEs, એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગકારોને વિવિધ ઇવેન્ટ્સમાં વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને વધુ માહિતીસભર બનાવવા માટે બે દિવસીય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં કુલ 30 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા સ્તરની વિવિધ સરકારી કચેરીઓ, બેન્કો, ઔદ્યોગિક એકમો અને હસ્તકલા ક્ષેત્રના સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આનાથી સ્થાનિક કલા અને કારીગરીને એક વિશિષ્ટ પ્લેટફોર્મ મળશે, જે હસ્તકલા ઉત્પાદકોને સીધો લાભ આપશે. પાટણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. પારેજીયાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા માટે B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ, GST અને Gem પોર્ટલ માટેના સેમિનારો પણ યોજાશે. B2C સત્રો હેઠળ સામાન્ય નાગરિકોને વિવિધ સ્ટોલ્સ પરથી ખરીદી કરવાની તક મળશે, જે સ્થાનિક ઉત્પાદકોને સીધા ગ્રાહકો સાથે જોડશે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટાર્ટઅપ યુવાનો, હસ્તકલા કારીગરો અને તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ઓનલાઈન સાઇબર ફ્રોડ કરનારા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાઇબર ક્રાઇમના ગુનામાં ઓનલાઇન પૈસા જમા કરાવવા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે, જે બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે. ચાઇનીઝ સહિત વિદેશી ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે મ્યુલ એકાઉન્ટ પુરા પાડતા તત્વો વિરૂદ્ધ રાજ્ય પોલીસ દ્વારા મ્યુલ એકાઉન્ટ મામલે ડ્રાઇવ શરૂ કરી છે. શહેરમાં એક જ દિવસમાં મ્યુલ એકાઉન્ટ મામલે 15થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં 22 આરોપીઓ પોલીસ ચોપડે નોંધાયા છે. કમિશન પેટે આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઅમદાવાદના સાઇબર ક્રાઈમ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ તેમના માટે એજન્ટ તરીકે કામ કરતા યુવકોનો આરોપી તરીકે સમાવેશ થાય છે. નરોડામાં રહેતા શખ્સોએ બનાવટી ધંધાકીય પેઢી તૈયાર કરીને તેના કરંટ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયા ચાઇનીઝ ગેંગને પહોંચતા કર્યા હતા. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ ગુના નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે. ગઠિયાઓ એકાઉન્ટ ધારકોને 5 હજારથી 35 હજાર સુધીનું કમિશન આપતા હોવાનું સામે આવ્યું છે. આ કમિશન પેટે આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. બેંક એકાઉન્ટ આપનાર શખ્સો તેમજ એજન્ટો વિરૂદ્ધ કાર્યવાહીરાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં જ રાજ્ય પોલીસ વડા અને સાઇબર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના તમામ પોલીસ વડા અને કમિશનરો સાથે બેઠક કરીને સાયબર ક્રાઇમના ગુના આચરવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા એકાઉન્ટ એટલે કે મ્યુલ એકાઉન્ટ ધરાવનારા લોકો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી સાયબર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટ આપનાર શખ્સો તેમજ એજન્ટો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી શરૂ કરાઇ છે. જે અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં 15થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કરંટ એકાઉન્ટની મદદથી પુરા પાડતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં ત્રણ એજન્ટોના નામ ખુલ્યાનરોડામાં રહેતા આરતીબેન ગોહિલના નામે શીવશક્તિ એન્ટરપ્રાઇઝ નામથી નિકોલના સરનામે રજીસ્ટર્ડ હતું. શીવશક્તિ એન્ટરપ્રાઇઝરના કરંટ એકાઉન્ટ ઓનલાઇન ગેમિંગથી આવતા નાણાં જમા કરાવવાના બદલામાં ત્રણ શખ્સોએ કમિશનની લાલચ આપી હતી. જેમાં પરમ વાણંદે એકાઉન્ટ ખોલાવીને કરણ પટેલ અને સરગાસણમાં રહેતા કમલેશ પટેલે સમગ્ર કૌભાંડ આચરીને ગેમીંગ અને અન્ય છેતરપિંડીથી આવતા નાણાં જમા કરાવીને બારોબાર ઉપાડીને વિદેશમાં સક્રિય ગેંગને મોકલી આપ્યા હતા. પોલીસે જે ફરિયાદો નોંધી તેમાં આકુબ સૈયદ, હરીશ મલય અને પંકજ યાદવ નામના એજન્ટોના નામ ખુલ્યા છે. સાયબર ફ્રોડના રૂપિયાનું સ્થાનિક એકાઉન્ટ વગર ટ્રાન્જેક્શન કરવું મુશ્કેલસાયબર ફ્રોડના કરોડો રૂપિયા સાયબર માફિયાઓ પાસે પહોંચી રહ્યા છે. નાગરિકો પાસેથી પડાવવામાં આવતા આ સાયબર ફ્રોડના રૂપિયાનું સ્થાનિક એકાઉન્ટ વગર ટ્રાન્જેક્શન કરવું મુશ્કેલ છે. જેથી ગુજરાત પોલીસ દ્વારા આવા મ્યુલ એકાઉન્ટ અને તેને ઓપરેટ કરતા તત્વોને શોધી કાઢવા ‘ઓપરેશન મ્યુલ હંટ’ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક એકાઉન્ટની તપાસમાં ત્રણ ઓપરેટરો અને 20 કરોડના ટ્રાન્જેક્શનની વિગતો મળી છે, જેના છેડા સાયબર માફિયાઓ સાથે સંકળાયેલા છે. આરોપી જરૂરિયાતમંદોના એકાઉન્ટ ખોલાવી સંચાલન પોતાની પાસે રાખતોઆવા બેન્ક એકાઉન્ટોની અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આરતીબેન નામની મહિલાનું પરમ વાળંદ નામના એજન્ટે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ બેંક એકાઉન્ટ શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામે બેંક ઓફ ઈન્ડિયામાં ખોલવામાં આવ્યું હતું. હવે બેંકની કીટ, પાસબુક અને ચેકબુક બધું જ પરમ વાળંદે લઈ લીધું હતું અને તે જ આ એકાઉન્ટ ઓપરેટ કરશે તેમ નક્કી થયું હતું. પોલીસે આ એકાઉન્ટની તપાસ કરતાં એવી વિગતો સામે આવી હતી કે આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હતા. પોલીસે પરમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પરમ જરૂરિયાતમંદ લોકોના એકાઉન્ટ ખોલાવી તેનું સંચાલન પોતાની પાસે લઈ લેતો હતો અને ખાતેદારને ભાડા પેટે એક જ વખત 30 હજાર આપી દેતો હતો. પરમે આવા ઘણા એકાઉન્ટ ઓપન કરાવ્યા હતા. એકાઉન્ટોમાં 20 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતાપરમ આ એકાઉન્ટ કીટ તેના આકાઓ નિકોલના કરણ પટેલ અને સરગાસણ, ગાંધીનગરના કર્મેશ પટેલને આપી દેતો હતો. હવે આ કર્મેશ અને કરણની કામગીરીની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તો તેમણે આવા સાત એકાઉન્ટ સાયબર માફિયાઓને સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવા પ્રોવાઈડ કર્યા હોવાની વિગતો મળી હતી. સાથે-સાથે આ એકાઉન્ટોમાં 20 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા અને તે ટ્રાન્જેક્શન અંગે દેશના જુદા જુદા રાજ્યોમાં ઘણી ફરીયાદો પણ નોંધાઈ હતી, જેની તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાંચે આવા 34 એકાઉન્ટ શોધી તેની તપાસ શરૂ કરીતપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. પરમ તથા કર્મેશ અને કરણ જેવા સાયબર માફિયાના એજન્ટો જરૂરિયાતમંદ લોકોને જુદી જુદી લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હોય છે. તેમાં પોતાનો મોબાઇલ નંબર આપતા હોય એટલે ટ્રાન્જેક્શનની વિગતો ખાતેદારને મળતી નથી. સાથે-સાથે તેમને ચોક્કસ રકમ આપી ખાતાનું સંચાલન પોતાના હસ્તક લઈ લેતા હોય છે. આ ખાતામાં સાયબર માફિયાઓ સાયબર ફ્રોડ કે ક્રાઈમના રૂપિયા ટ્રાન્સફર કરાવતા હોય છે. ક્રાઈમ બ્રાંચે આવા 34 એકાઉન્ટ શોધી તેની તપાસ શરૂ કરી છે.
માહેશ્વરી સમાજની મુખ્ય હેડા ખાંપની કાર્યકારિણી મીટિંગ અને ચતુર્થ મહાસંમેલન ચારધામમાંના એક ભગવાન કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકામાં યોજાશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ બે દિવસનો અખિલ ભારતીય હેડા (માહેશ્વરી) સંગઠનનો કાર્યક્રમ પ્રથમ વખત ભવ્ય અને વિશાળ સ્તરે યોજાશે.સંગઠને મહાસંમેલન માટે દ્વારકામાં માહેશ્વરી સેવાકુંજ અને સ્વામિનારાયણ ભક્ત નિવાસમાં તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રહલાદ હેડા અને મહાસચિવ ડો. જી.એલ. હેડાના નેતૃત્વમાં યોજાનારા આ આયોજનમાં સમાજને સંગઠિત કરીને દેશહિતમાં કાર્ય કરવા અને તમામ બંધુઓને સાથે લઈને ચાલવાનો સંકલ્પ લેવામાં આવશે. આ પહેલા સંગઠનના નેતૃત્વમાં અત્યાર સુધી 3 મહાસંમેલનો સંપૂર્ણ ભવ્યતા અને અનુશાસન સાથે રાજસ્થાનના પુષ્કરમાં એકવાર, મહારાષ્ટ્રના શિરડી ધામ અને ગુજરાતના વડતાલ-નડિયાદ ધામમાં સંપન્ન થઈ ચૂક્યા છે. ચોથા મહાસંમેલનની તૈયારીઓ શરૂ દેશ-વિદેશમાં વસેલા હેડા પરિવારોનું આ દર ત્રીજા વર્ષે યોજાતું મહાસંમેલન છે. આ સમારોહમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ગોવા, દિલ્હીથી 1000થી વધુ હેડા બંધુઓ સપરિવાર તથા 100થી વધુ માર્ગદર્શકો, પદાધિકારીઓ અને કાર્યકારિણી સભ્યો અને તેમના પરિવારોની બહેનો-દીકરીઓ પણ ઉપસ્થિત રહેશે. મહાસચિવ ડો. જીએલ હેડાએ જણાવ્યું કે 30 ડિસેમ્બર 2025 સુધીમાં પ્રાપ્ત થયેલા રજીસ્ટ્રેશન કરાવનારાઓને આવાસ વ્યવસ્થા (31 જાન્યુઆરી સવારે 8 વાગ્યાથી 2 ફેબ્રુઆરી સવારે 8 વાગ્યા સુધીની) સંગઠન દ્વારા કરવામાં આવશે. આ માટે લઘુત્તમ શુલ્ક માત્ર 500 રૂપિયા રાખવામાં આવ્યું છે. ડો. હેડાએ જણાવ્યું કે પોતાની સ્થાપનાના 8મા વર્ષમાં પ્રવેશી ચૂકેલું હેડા સંગઠન એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સંગઠન દ્વારા અનેક સહાયતા અને પરોપકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે. સમાજના સભ્યો પોતાના દરેક શુભ કાર્યના પ્રસંગે સહયોગ રાશિ આપીને અમૃત કલશ નિધિનો સંચય કરી રહ્યા છે. હવે સંગઠનનું પોતાનું ટ્રસ્ટ પણ શરૂ થઈ ગયું છે જેના માધ્યમથી હેડા સંગઠન અને માહેશ્વરી સમાજને વધુ મજબૂતી મળશે. દ્વારકા નગરીમાં જ સંમેલન શા માટે હેડા મહાસંમેલન માટે પસંદ કરાયેલી દ્વારકા નગરી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલી એક પ્રાચીન અને પવિત્ર ભૂમિ છે, જે ગુજરાતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રના કાંઠે આવેલી છે. તે હિંદુ ધર્મના ચાર ધામો અને સપ્ત પુરીઓમાંથી એક છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણએ પોતાના યાદવ બંધુઓની સુરક્ષા માટે મથુરા છોડીને વિશ્વકર્મા પાસે આ ભવ્ય નગરીનું નિર્માણ કરાવ્યું હતું. તેને 'સુવર્ણ દ્વારકા' પણ કહેવામાં આવતી હતી. અહીં દ્વારકાધીશ મંદિર (જગત મંદિર) આવેલું છે. આ ભગવાન કૃષ્ણના વૈભવ અને રાજત્વનું પ્રતીક છે. જોકે, શ્રીકૃષ્ણના દેહત્યાગ પછી આ નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી, જેના પુરાવા આજે પણ મળે છે. દ્વારકા ભક્તોને મોક્ષ પ્રદાન કરનારી નગરી માનવામાં આવે છે. કાર્યકારિણી સભાના નિર્ણયો દ્વારકા મહાસંમેલન માટેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે હેડા સંગઠનની કાર્યકારિણી સભાનું વિધિવત આયોજન 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. સભાની અધ્યક્ષતા અધ્યક્ષ પ્રહલાદજીએ કરી હતી અને સંચાલન મહાસચિવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હેડા રત્ન કાલુરામજી અને હેડા ગૌરવ સહષકરણજી સહિત લગભગ 16 સભ્યોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં સંસ્થા દ્વારા આગામી સંમેલનમાં 'હેડા રત્ન' અને 'હેડા ગૌરવ' સન્માનથી બે ભાઈઓને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કારોબારી સભ્યો આગામી એક સપ્તાહની અંદર નામાંકિત વ્યક્તિની સિદ્ધિઓ સહિત નામ મહાસચિવને પ્રસ્તાવિત કરશે. નામાંકન પર અંતિમ નિર્ણય 18 ડિસેમ્બરે યોજાનારી આગામી કારોબારી સભામાં બહુમતીથી લેવામાં આવશે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલા દાતાઓની સૂચિ છેલ્લા મહાસંમેલનની યાદગાર તસવીરો...
ગોધરામાં ₹1.53 કરોડના દાવા મંજૂર:'તમારી મૂડી, તમારો અધિકાર' શિબિરમાં 92 લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત
ગોધરા ખાતે 'તમારી મૂડી, તમારો અધિકાર' અભિયાન અંતર્ગત યોજાયેલી વિશેષ શિબિરમાં રૂ. 1.53 કરોડના બિનદાવેદાર થાપણોના દાવા મંજૂર કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં 92 લાભાર્થીઓને સ્થળ પર જ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. પંચમહાલ જિલ્લાના મુખ્યાલય ગોધરામાં સિવિલ લાઈન્સ સ્થિત સદબા ફેડરેશન હોલ ખાતે બેંક ઓફ બરોડા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ મેગા કેમ્પનું આયોજન થયું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ગાંધીનગરથી 'તમારી મૂડી, તમારો અધિકાર' ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી સમગ્ર દેશમાં વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશને વેગ આપવા માટે પંચમહાલ જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા આ કેમ્પ યોજાયો હતો. શિબિરમાં બેંકોમાં જમા થયેલી બિનદાવેદાર રકમ, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન જેવી રકમો મૂળ લાભાર્થીઓને પરત અપાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં પંચમહાલના નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, બેંક ઓફ બરોડાના રિજનલ હેડ કૌશલ કિશોર પાંડે, ગુજરાત ગ્રામીણ બેંકના રિજનલ હેડ સતીશ કુમાર યાદવ, એસ.બી.આઈ.ના ડી.આર.એમ. બસુકીનાથ મિશ્રા, ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના ડી.જી.એમ. મયંક કુમાર પટેલ, નાબાર્ડના ડી.ડી.એમ. રાજેશ કુમાર ભોસલે તેમજ એલ.આઈ.સી. અને એચ.ડી.એફ.સી. મ્યુચ્યુઅલ ફંડના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. આ શિબિરમાં કુલ 236 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા રૂ. 1.53 કરોડના દાવાઓ મંજૂર કરાયા અને 92 દાવેદારોને સર્ટિફિકેટ એનાયત થયા. લાભાર્થીઓની સુવિધા માટે સ્થળ પર વિવિધ નાણાકીય સંસ્થાઓના 7 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં નાગરિકોને જૂના ખાતાઓ શોધવા અને મૃત્યુ પામેલા ખાતેદારોના વારસદારોને ક્લેઈમ કેવી રીતે કરવો તે અંગે પ્રત્યક્ષ જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પંચમહાલના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સત્યેન્દ્ર કુમાર રાવે ઉપસ્થિત તમામ અતિથિઓ, બેંક અધિકારીઓ અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 87મું સફળ અંગદાન થયું છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તારાપુર ગામના વતની 46 વર્ષીય બ્રેઈનડેડ જીતેન્દ્રભાઈ ઘેડિયાભાઈ ગાવીત બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનોએ માનવતાવાદી અભિગમ અપનાવી બે કિડનીનું દાન કરતા બે જરૂરિયાતમંદોને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો મુજબ, જીતેન્દ્રભાઈ વતન મહારાષ્ટ્રના તારાપુર ગામે ખેતરમાં વીણેલા કપાસને રિક્ષામાં ભરતા હતા એવામાં ચક્કર આવતા રિક્ષા ઉપરથી જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજા થતા પ્રાઈવેટ હોસ્પિટલમાં અને ત્યારબાદ ઈશરવાડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. સ્થિતિ ગંભીર હોવાથી ૧૦૮ સેવા દ્વારા નંદુરબાર સિવિલ અને ત્યાંથી તા.૯મી ડિસે.એ સવારે ૮.૩૨ વાગ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ICUમાં સઘન સારવાર બાદ પણ રિકવરી ન આવી. તા.૧૨મીએ સવારે RMO ડૉ.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા. ડૉ.નિલેશ કાછડીયા, ડૉ.કેતન નાયક અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ જીતેન્દ્રભાઈના પત્ની, પુત્ર અને પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે, દુ:ખના આ ક્ષણે વિચાર સાંત્વના આપે છે કે, અમારા સ્વજન હવે અન્યના શરીરમાં જીવંત રહેશે. તેમનો અંશ કોઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાવશે. અંગદાનના બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
મહેસાણા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી RTO દ્વારા સ્કૂલ સેફટી અંતર્ગત આજે એક મોટી અને આકસ્મિક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 15 થી વધુ RTO અધિકારીઓની ટીમ સાથે ટ્રાફિક પોલીસની ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હતી.શૈક્ષણિક સંકુલોની આસપાસના પાંચ અલગ-અલગ સ્થળો પર કુલ પાંચ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સ્કૂલ વાન અને સ્કૂલ બસોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 17 વાહનોને સ્કૂલ કેમ્પસમાં જ ડિટેઇન કરાયાચેકિંગ દરમિયાન 60 વાહનો પર નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ ₹2.44 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 17 વાહનોને સ્કૂલ કેમ્પસમાં જ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ખાસ કરીને લાઇસન્સ વિના વાહનો ચલાવતા સગીર બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રોડ સેફટી અને ટ્રાફિકના નિયમો વિશે વિદ્યાર્થીઓેને સમજણ અપાઈકાર્યવાહીની સાથે જ તેમને રોડ સેફટી અને ટ્રાફિકના નિયમો વિશે વિશેષ સમજણ પણ આપવામાં આવી હતી. RTO દ્વારા અગાઉ યોજાયેલી ડ્રાઈવની અસર પણ જોવા મળી હતી, જેના પરિણામે ઓછી સ્પીડ ધરાવતા ઇલેક્ટ્રિક વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય ડીજે જોરશોરથી વાગતુ હતું. જેથી યુવકે ડીજેના માલિક તથા ઓપરેટરને અવાજ ધીમો કરવા કહેતા માલિક, ઓપરેટર તથા લાઇટમેને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા લાઇટમેને લોખંડની પાઇપથી યુવક હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં રહેતા વિપુલભાઈ નગીનભાઈ પઢીયાર ફરીયાદ નોંધાવી છે કે ગત 11 ડિસેમ્બરના રોજ સાંજે રાતના 8.30 વાગ્યાના અરસામાં હું મારા ઘરે જમવા બેઠો હતો. તે વખતે અમારા ફળિયામાં મોટા અવાજે ડી.જે. ચાલતુ હોય હું બહાર જોવા ગયો હતો, ત્યારે અશોકભાઈ ખારવાના પુત્ર મીત ખારવાનું લગ્ન હોય ડી.જે. વાગતુ હતુ. અડધા કલાકથી સતત મોટા અવાજે ડી.જે. વાગવાનુ ચાલુ રહેતા અમારા ફળિયા પાસે ડીજેના ઓપરેટરને અવાજ ધીમો કરો તેમ કહ્યું હતું. ત્યારે ડી.જે.ના માલીક તેમના લાઇટમેન અને ઓપરેટર મારી સાથે ઝઘડો કરી માર મારવાની ધમકી આપવા લાગ્યાં હતા. ડી.જે.ના ઓપરેટર મને ગાળો બોલતા હતા તથા ડી.જે.ના લાઇટમેને મારા પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. પાઈપ ઝુંટવી લઈને મારા બચાવ માટે પ્રયાસ કરતા લાઈટમેનને પાઈપનો ફટકો માર્યો હતો. ત્યારબાદ ખારવા સમાજના ઘણા માણસો ભેગા મળીને અમારા ઘરે આવ્યાં હતા ત્યારબાદ પોલીસની ગાડી આવી જતા મને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ જવામાં આવ્યો હતો. જેથી નવાપુરા પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના ગોસા ગામમાં યુવકની ગોળી મારી હત્યા:નવીબંદર પોલીસે અજાણ્યા હુમલાખોર સામે તપાસ શરૂ કરી
પોરબંદરના ગોસા ગામની બેટી સીમ વિસ્તારમાં ભરત નાથાભાઈ ઓડેદરા નામના યુવકની અજાણ્યા ઇસમે પિસ્તોલથી ગોળી મારી હત્યા કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગોળીબાર બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મૃતકના સગા કાના નાથાભાઈ ઓડેદરાએ નવીબંદર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ભરત ઓડેદરાના જમણા પગના સાથળના ભાગે દેશી બનાવટની પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગવાથી થયેલા ભારે રક્તસ્રાવને કારણે ભરતભાઈનું મૃત્યુ થયું હોવાનું પોલીસને માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ નવીબંદર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા છે. આ ઉપરાંત, આસપાસના સીસીટીવી ફૂટેજ, લોકોના નિવેદનો અને મોબાઇલ સર્વેલન્સના આધારે અજાણ્યા આરોપીની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. નવીબંદર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે હુમલાખોરને વહેલી તકે પકડી પાડી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને ભયમુક્ત રહેવા અપીલ કરી છે.
દક્ષિણ રેલવેના ચેન્નાઈ એગ્મોર સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 5 અને 6 ના રી ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી આગામી 60 દિવસ માટે વિશેષ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ–તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસને બીજા રૂટ પરથી ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ડાઇવર્ટ રુટ– અમદાવાદ થી તિરૂચિરાપલ્લી (ટ્રેન નં. 09419)18 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી દરમિયાન નવો રુટ રેનિગુંટા – અરક્કોણમ નોર્થ કેબિન – મેલપક્કમ – કાટપાડી – વેલુર કેન્ટ – વિલ્લુપુરમ પરથી ચાલશે. આ દરમ્યાન ટ્રેન અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં રોકાય. ડાઇવર્ટ રુટ – તિરૂચિરાપલ્લી થી અમદાવાદ (ટ્રેન નં. 09420)21 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી દરમિયાન નવો રુટ વેલુર કેન્ટ – કાટપાડી – મેલપક્કમ – અરક્કોણમ નોર્થ કેબિન – રેનિગુંટા પર ચાલશે. આ દરમ્યાન ટ્રેન ચેંગલપટ્ટૂ, તામ્બરમ, ચેન્નાઈ એગ્મોર, પેરમ્બૂર, અરક્કોણમ સ્ટેશનો પર નહીં રોકાય. માર્ગ બદલાયેલ હોવાથી બંને ટ્રેનોને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપ આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેની ક્રિસમસ-નવા વર્ષ સ્પેશિયલ ટ્રેનક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન મુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી–દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. સાબરમતી–દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશિયલ (ટ્રેન નં. 04061/04062) કુલ 8 ફેરા ચાલશે. ટ્રેન નં. 04061 (સાબરમતી → દિલ્લી) 22, 25, 28, 31 ડિસેમ્બર 2025 દરમિયાન સવારે 05:15 વાગે ઉપડશે અને એજ દિવસ રાત્રે 11:30 વાગ્યે પહોંચશે. ટ્રેન નં. 04062 (દિલ્લી → સાબરમતી) 21, 24, 27, 30 ડિસેમ્બર 2025 દરમિયાન સવારે 08:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12:30 વાગ્યે પહોંચશે. આ દરમિયાન વચ્ચે સ્ટોપેજ પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંકશન, બિયાવર, અજીમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઇ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ રહેશે. AC-1 ટિયર, AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર અને સામાન્ય કોચ રહેશે.
અમદાવાદ ફલાવર શો–2026ના આયોજનના તૈયારીના ભાગરૂપે સાબરમતી રીવરફ્રન્ટ ફલાવર પાર્ક તેમજ મુન ટ્રેલ (ગ્લો ગાર્ડન) 13 ડિસેમ્બર, 2025થી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા દર વર્ષે યોજાતા ભવ્ય ફલાવર શો માટેની તૈયારીઓ વ્યાપક આયોજન સાથે શરૂ થઈ ગઈ છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તૈયારીઓ દરમિયાન પાર્ક બંધ રહેવા અંગે સહકાર આપે. ખોખરાનો સ્વિમિંગ પુલ રીપેરીંગ માટે બંધઅમદાવાદના ખોખરા વોર્ડમાં આવેલા લાલભાઈ છબાભાઈ પટેલ મ્યુ. સ્નાનાગાર (ખોખરા સ્નાનાગાર)માં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 15 ડિસેમ્બર 2025 (સોમવાર) થી સ્નાનાગાર અચોક્કસ સમય માટે બંધ રહેશે. રીપેરીંગની કામગીરી પૂર્ણ થતાં જ સ્નાનાગારને પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જાહેર જનતા તથા સ્નાનાગારનો નિયમિત ઉપયોગ કરતી પ્રજાજનોને વિનંતી છે કે આ બાબતની નોંધ લઈને સહકાર આપશો.
હિંમતનગર તાલુકાના હાપા ગામે રૂ. 18 કરોડના ખર્ચે નિર્માણ થનારા 8 કિલોમીટર લાંબા માર્ગનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. આ માર્ગ કાટવાડ, હાપા અને તાજપુરીને હિંમતનગર સાથે જોડશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ માર્ગ નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ માર્ગની પહોળાઈ 3.75 મીટરથી વધારીને 7 મીટર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ માર્ગના નિર્માણથી કાટવાડ, હાપા, પોલાજપુર, અશોકપુરા, તાજપુરી, મહોબતપરા, નવલપુર, દેરોલ, સાયબાપુર, સરોલી અને દેધરોટા સહિતના ગામોના નાગરિકોને મોટો ફાયદો થશે. આ માર્ગ મુસાફરીમાં સુવિધાજનક બનશે, સમયની બચત થશે અને સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પ્રમુખ હિતેન્દ્ર પટેલ, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ભગીરથસિંહ ઝાલા, નાયબ કાર્યપાલક ઇજનેર હેમંત પરમાર સહિત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરામાં મોપેડ-બાઈક અકસ્માત, બે યુવકોના મોત:સામલી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ગંભીર ઘટના, એક ઘાયલ
ગોધરા તાલુકાના સામલી ગામે ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક મોપેડ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 11 ડિસેમ્બરના રોજ સાંજના સુમારે ગોધરા તાલુકાના વેલવડ ગામના નિતેશકુમાર સ્વરૂપસિંહ મકવાણા (ઉં.વ. 34) પોતાની બાઈક લઈને ગોધરા તરફ આવી રહ્યા હતા. તે સમયે સામલી ગામ પાસે ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા મોપેડ સાથે તેમની બાઈક અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલક નિતેશકુમાર મકવાણા અને મોપેડચાલક નિલેશકુમાર રમણભાઈ પણદા (ઉં.વ. 22) ને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. બાઈક પર સવાર અન્ય એક યુવક જૈમિન સેલોતને પણ માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નિતેશકુમારના પિતા નટવરસિંહ મકવાણાએ આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં, ગોધરા તાલુકા પોલીસે ભેખડિયા ગામે જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. ગોધરા તાલુકા પોલીસનો સ્ટાફ 11 ડિસેમ્બરના રોજ પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેમને બાતમી મળી હતી કે ભેખડિયા ગામના હોળી ફળિયામાં મકાઈના ખેતરના શેઢા પર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી અભેસિંહ મગનભાઈ પટેલ નામના ઈસમને જુગાર રમતા ઝડપી પાડ્યો હતો, જ્યારે શૈલેષભાઈ બારિયા નામના ઈસમ નાસી છૂટ્યા હતા. પોલીસે દાવ પરથી રોકડ રૂ. 940, અંગઝડતીમાંથી રૂ. 630 અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,570 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને ઈસમો વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રીજી ઘટનામાં, ગોધરા તાલુકાના દરૂણીયા ગામની એક યુવતી કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. દરૂણીયા ગામના રાઠવા ફળિયામાં રહેતા રામસિંગભાઈ જમાલભાઈ રાઠવાએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે ગત 10 ડિસેમ્બરના રોજ તેમની દીકરી ગોધરા શહેરમાં કોલેજ જવા નીકળી હતી. તે અંબિકા ચોકડી પર ઉતર્યા બાદ કોલેજ જવાને બદલે ક્યાંક ચાલી જઈને ગુમ થઈ ગઈ હતી. પોલીસે જાણવાજોગ નોંધી યુવતીની શોધખોળ શરૂ કરી છે.
દાહોદ જિલ્લામાં 'ગામે ગામ આરોગ્ય કિરણ' કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 102 શાળાઓના 9790 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા નિર્દેશ હેઠળ આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આરોગ્ય શિક્ષણમાં સિકલ સેલ, બાળરોગ, એનિમિયા, ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ, પાણીજન્ય રોગો, સ્વચ્છતા અને યોગ્ય પોષણ જેવા વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રોજેક્ટર દ્વારા આરોગ્ય વિષયક વીડિયો અને PPT રજૂ કરવામાં આવી હતી. આનાથી બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને સમજણ વિકસી. તેમને હાથ ધોવાની યોગ્ય રીત પણ શીખવવામાં આવી હતી અને આંખો સહિત અન્ય તપાસ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન 1626 બાળકોને શરદી, ખાંસી અને તાવ માટે, 442 બાળકોને સિકલ સેલ માટે, 139 બાળકોને ટીબી માટે અને 1377 બાળકોને એનિમિયા માટે તપાસીને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, 326 બાળકોના આભા કાર્ડ પણ કાઢવામાં આવ્યા હતા.દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયાસ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યનું 'ઉજાસ કિરણ' સાબિત થઈ રહ્યો છે.
સુરત શહેરના ધમધમતા લિંબાયત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે પશ્ચિમ બંગાળથી સુરત સુધી વિસ્તરેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે માત્ર ત્રણ આરોપીઓને જ નથી ઝડપ્યા, પરંતુ શહેરના અર્થતંત્રમાં ઉધઈની જેમ ઘૂસી રહેલી 3.82 લાખ રૂપિયાની બનાવટી નોટોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. એક કોલ અને મોટું કૌભાંડ બહાર આવ્યુંઘટનાની શરૂઆત એક સામાન્ય ફોન કોલથી થઈ હતી. લિંબાયત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું, ત્યારે અનીલ બંસીલાલ ચૌધરી નામના એક જાગૃત નાગરિકે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં જોયો. આ ઈસમ બજારમાં 500ના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનીલભાઈને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક જનરક્ષક-112 પર કોલ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશી લીધી, જેની પાસેથી અલગ-અલગ સીરીયલ નંબરની 500ની 5 નોટો મળી આવી હતી. તપાસમાં 500ના દરની બીજી 763 નોટો મળી આવી પોલીસને સફીકુલની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી. તેના તાર છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા. પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નં-38 પર દરોડા પાડ્યા. ત્યાં તપાસ કરતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી 500ના દરની બીજી 763 નોટો મળી આવી હતી. કુલ મળીને પોલીસે રૂ. 3,84,500ની કિંમતની 769 નકલી નોટો જપ્ત કરી હતી. આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ (ઉ.વ. 32), મોહમદ રાકીબ નાજીમુદ્દીન શેખ (ઉ.વ. 32), તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલ (ઉ.વ. 42) તમામ રહેવાસી: સાહિલનગર, ભેસ્તાન અને મૂળ વતન: મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળના જેમની ધરપકડ કરવામાં આવી છે.. નોટોના બંડલ પર એક જ સીરીયલ નંબર છપાયેલો હતોઆ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી નોટોના બંડલોમાં પાંચ-પાંચ બંડલ એવા હતા જેમાં તમામ નોટો પર એક જ સીરીયલ નંબર છપાયેલો હતો. સામાન્ય રીતે નકલી નોટોમાં પણ અલગ નંબર છાપવાની તસ્દી લેવાતી હોય છે, પરંતુ અહીં જથ્થાબંધ રીતે માર્કેટમાં નાણાં ઠાલવવાનું ષડયંત્ર હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના છે. મુર્શિદાબાદ બાંગ્લાદેશ બોર્ડરની નજીક હોવાથી, એવી પ્રબળ શક્યતા છે કે આ નોટો બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી. તેઓ બહરામપુરથી 5 લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા. 50-100ની ખરીદી કરી અસલી નોટો પરત મેળવી લેતાઆરોપીઓ ખૂબ જ ચાલાકીપૂર્વક કામ કરતા હતા. તેઓ ભીડભાડવાળા વિસ્તારો અને નાના વેપારીઓને ટાર્ગેટ કરતા. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ 500 રૂપિયાની નકલી નોટ આપીને માત્ર 50થી 100 રૂપિયાની નજીવી ખરીદી કરતા. બદલામાં વેપારી પાસેથી 400 રૂપિયા જેટલી 'અસલી' કરન્સી પરત મેળવતા. આમ, નકલી નોટ બજારમાં પધરાવીને તેઓ અસલી રોકડ એકઠી કરતા હતા. શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા અને નાની દુકાનો તેમનો મુખ્ય ટાર્ગેટ હતી. જ્યાં વેપારીઓ ઘાઈમાં નોટની ખરાઈ કરતા નથી. આરોપી સફીકુલ રીઢો ગુનેગારપકડાયેલો મુખ્ય આરોપી સફીકુલ ઇસ્લામ કોઈ નવો નિશાળિયો નથી. પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે કે, તેની વિરુદ્ધ અગાઉ પણ નકલી નોટોના પ્રકરણમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેલની હવા ખાધા પછી પણ તેણે ફરીથી આ જ કાળો કારોબાર શરૂ કર્યો હતો, જે દર્શાવે છે કે આ એક સુવ્યવસ્થિત સિન્ડિકેટ છે. નાગરિકો માટે ચેતવણીઆ ઘટના સુરતીઓ માટે લાલબત્તી સમાન છે. જે નોટો જપ્ત થઈ છે તેમાં વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ અને કાગળની ગુણવત્તામાં સ્પષ્ટ ખામીઓ જોવા મળી છે. જો તમે પણ રોકડ વ્યવહાર કરતા હોવ, તો 500ની નોટ સ્વીકારતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જળસંચયના મહત્વને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી આ કથા એક નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કરવા જઈ રહી છે. આ કાર્યક્રમને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિશ્વની પ્રથમ જલકથા અને સૌથી મોટા જળ-વિશ્વાસ મેળાવડા તરીકે નોંધવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણને પ્રમાણિત કરવા માટે દેશ-વિદેશની વિવિધ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ રાજકોટમાં હાજર રહેશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક કન્સલ્ટિંગ ફર્મ તરીકે કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, OMG બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ જેવી સંસ્થાઓ જોડાશે. આ આયોજનને જળ સંરક્ષણ માટેના સૌથી મોટા અને પ્રથમ આધ્યાત્મિક-સાંસ્કૃતિક મેળાવડા તરીકે માન્યતા આપવામાં આવશે. જે માત્ર રાજકોટ જ નહીં ગુજરાત માટે ગૌરવ સમાન બની રહેશે. રાજકોટ મનપામાં આસિસ્ટન્ટ કમિશ્નર અને મેનેજરોની જવાબદારીમાં મોટો ફેરફાર રાજકોટ કોર્પોરેશનના વહીવટી માળખામાં મોટા ફેરફારો કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આજે આસિસ્ટન્ટ કમિશનર અને 4 મેનેજરોની કામગીરીમાં ફેરફારના આદેશો કરવામાં આવ્યા છે. આ ફેરબદલ હેઠળ પ્રોજેક્ટ શાખાના મેનેજર કાશ્મીરાબેન ડી. વાઢેરને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ હવે ડેપ્યુટી કમિશનર સમીર ધડુક હસ્તકની સેન્ટ્રલ ઝોન, ટેક્સ, ચૂંટણી અને આવાસ યોજના વહીવટી જેવી મહત્વની કામગીરી સંભાળશે. આ ઉપરાંત, સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર બી.એલ. કાથરોટીયાનો કાર્યબોજ ઘટાડીને શોપ શાખાની જવાબદારી પણ કાશ્મીરાબેન વાઢેરને સોંપાઈ છે. અન્ય મેનેજરોની વાત કરીએ તો, ફાયર શાખાના મેનેજર આર.એમ. ગામેતીને હાલની કામગીરી સાથે પ્રોજેક્ટ શાખાના મેનેજરનો વધારાનો હવાલો સોંપાયો છે. આર.આર. સેલના મેનેજર મનીષ વોરાને હવે સોલિડ વેસ્ટ શાખા અને નોડલ ઓફિસર (IEC) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મેનેજર એન.એમ. વ્યાસને ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા, આર.આર. સેલ અને ICCC ના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા અને કામગીરીમાં વેગ લાવવા માટે મ્યુ. કમિશ્નર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં રસ્તો ભૂલી ગયેલી બાળકીનું અભયમ ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન રાજકોટમાં 181 અભયમ હેલ્પલાઇન અને એક જાગૃત નાગરિકની સમયસૂચકતાને કારણે રસ્તો ભૂલી ગયેલી એક નાની બાળકીનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે. જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં એક રીક્ષા ચાલકને નાની બાળકી 1થી 2 કલાકથી એકલી અને રડતી હાલતમાં મળી આવી હતી. આ બાળકીની સુરક્ષાને ધ્યાને રાખી રીક્ષા ચાલકે તુરંત 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો, જેના પ્રતિસાદમાં રાજકોટ તાલુકા 181 ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અભયમની ટીમે ગભરાયેલી બાળકીને શાંત પાડી પ્રેમપૂર્વક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તે મૂળ નેપાળના વતની છે અને હાલ પરિવાર સાથે રાજકોટમાં રહે છે. આ બાળકી તેની માતાની જાણ બહાર તેમની પાછળ ઘરેથી નીકળી ગઈ હતી અને હોસ્પિટલ જવાના રસ્તે વિખૂટી પડી ગઈ હતી. અભયમ ટીમને બાળકીએ આપેલા ગોપાલ ચોક અને મારુતિ દવાખાના જેવા સંકેતોના આધારે ટીમે તપાસ હાથ ધરી તેના વાલીને શોધી કાઢ્યા હતા. તમામ જરૂરી ખરાઈ કર્યા બાદ 181 ટીમે બાળકીને તેના માતા-પિતાને સોંપી હતી. પોતાના વહાલસોયી સંતાનને પરત મેળવી પરિવાર ભાવુક બન્યો હતો અને અભયમ ટીમનો આભાર માન્યો હતો. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 'ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનો 425 પેન્શનરોએ લાભ મેળવ્યો પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી 'ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 4.0' સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોને 'જીવન પ્રમાણ' મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની પ્રક્રિયાથી માહિતગાર કરી તેમને સશક્ત બનાવવાનો હતો. આ અભિયાન અંતર્ગત રાજકોટ, જામનગર, હાપા, થાન અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વિવિધ બેંક શાખાઓમાં કુલ 15 વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરો અને રાજકોટ ખાતેના સમર્પિત હેલ્પ ડેસ્ક દ્વારા કુલ 425 નિવૃત્ત રેલવે કર્મચારીઓએ સીધો લાભ મેળવ્યો હતો. ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીના અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમૃત વી. સોલંકીના નેતૃત્વમાં એકાઉન્ટ્સ અને કાર્મિક વિભાગની ટીમોએ આ કામગીરી સંભાળી હતી. ખાસ દિવ્યાંગ અને અતિ વરિષ્ઠ પેન્શનધારકો માટે સ્થળ પર જ પ્રમાણપત્ર બનાવી આપવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પ્રભારી સચિવે SIR, ક્ષય નિવારણ ઝૂંબેશ, સરકારી યોજનાઓની સમીક્ષા કરી રાજકોટ જીલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ આજે અહીં આવી પહોંચ્યા હતા. જીલ્લા કલેકટર કચેરી ખાતે મામલતદાર અને ડેપ્યુટી કલેકટરો સાથે રીવ્યુ બેઠક આયોજીત કરી કામગીરીની સમીક્ષા કરી હતી.જેમાં ખાસ કરીને આરોગ્ય, ક્ષય નિવારણ ઝુંબેશ, સરકારી યોજનાઓ સહિતની કામગીરીનો રીપોર્ટ તેઓએ મેળવ્યો હતો. તેની સાથોસાથ આગામી કાર્યક્રમો અંગેની માહિતી પણ પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા અધિકારીઓને આપવામાં આવી હતી.આ ઉપરાંત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)ની કામગીરીના મુદ્દે પણ જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ સાથે ચર્ચા કરી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત ચૂંટણીપંચ દ્વારા લંબાવી દેવામાં આવી છે. જેના પગલે એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓ અને ચૂંટણી વિભાગના અધિકારીઓને રાહત થવા પામી છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેટરિંગમાં કામ કરતી આશરે ૨૮ મહિલાઓને લઈ જતી પિકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં ૨૦થી વધુ મહિલાઓને ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ પિકઅપ વાન બોટાદ તરફ જઈ રહી હતી ત્યારે તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાન પલટી ખાઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને રાણપુર, બોટાદ અને ધંધુકાની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
દલપુર લૂંટનો ભેદ ઉકેલાયો:ફાઈનાન્સ કર્મચારી પાસેથી ₹7.88 લાખની, લૂંટ કરનાર 6 આરોપી LCBની પકડમાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક નવ દિવસ અગાઉ થયેલી રૂ. 7.88 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. પ્રાંતિજથી ફાઈનાન્સ કંપનીનો એક કર્મચારી રૂ. 7.88 લાખ રોકડ લઈ હિંમતનગર આવી રહ્યો હતો ત્યારે દલપુર પાસે રાત્રે બે અજાણ્યા બાઈક સવારો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ LCBએ ગુરુવારે માહિતીના આધારે છ આરોપીઓને મામરોલીની સીમમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 9.88 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, LCBના પીઆઈ ડી.સી. સાકરીયા, પીએસઆઈ આર.જે. જાડેજા અને તેમની ટીમને દલપુર નજીક થયેલી લૂંટ અંગે કેટલીક વિગતો મળી હતી. આ માહિતીના આધારે LCBના સ્ટાફે પ્રાંતિજ તાલુકાના મામરોલીની સીમમાં આવેલા ઉમિયા કંપા નજીકના ખરાબામાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઉંછા ગામના પાંચ અને પોગલુ ગામનો એક મળી કુલ છ વ્યક્તિઓ લૂંટના પૈસાની વહેંચણી કરી રહ્યા હતા ત્યારે LCBએ તેમને ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓએ તેમના મિત્રોને કંપનીના કર્મચારીની તમામ વિગતો આપી હતી. આ માહિતીના આધારે 3 ડિસેમ્બરની રાત્રે લૂંટનું આયોજન કરવામાં આવ્યું હતું. બે બાઈક પર આવેલા આરોપીઓએ ફાઈનાન્સ કંપનીના કર્મચારી ધર્મેન્દ્ર સુતરિયાને બોથડ પદાર્થથી ઈજા પહોંચાડી તેની પાસેથી રૂ. 7,88,155 રોકડ ભરેલા થેલાની લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ધર્મેન્દ્ર સુતરિયાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉંછાના પાંચ અને પોગલુના એક મળી કુલ છ આરોપીઓને રૂ. 9,88,480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. LCBએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી રૂ. 7,71,930 રોકડા, લૂંટમાં ગયેલો રૂ. 16,500નો મોબાઈલ, પકડાયેલાઓ પાસેથી રૂ. 40 હજારના પાંચ મોબાઈલ અને રૂ. 1.60 લાખની બે બાઈક મળી કુલ રૂ. 9,88,480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: 1. મિતેષગીરી ઉર્ફે મીત્યો ઉર્ફે અકલો અશોકગીરી ગોસ્વામી (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) 2. સુરજસિંહ રણજીતસિંહ મકવાણા (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) 3. કુલદીપસિંહ ઉર્ફે પીન્ટો દિપસિંહ મકવાણા (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) 4. ભાવિકસિંહ વિરસંગજી મકવાણા (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) 5. મિહિલસિંહ ભરતસિંહ મકવાણા (રહે. ઉંછા, તા. પ્રાંતિજ) 6. હંસરાજગીરી પ્રવિણગીરી ગોસ્વામી (રહે. પોગલુ, તા. પ્રાંતિજ)
જુનાગઢ રેન્જ આઇ.જી. નિલેશ જાંજડિયાએ આજે જુનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પરેડ અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યા બાદ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જુનાગઢ પોલીસે આ વર્ષે ગુનાઓ બનતા અટકાવ્યા છે, જેના પરિણામે ગુનાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આઇ.જી.એ પોલીસને 'પ્રજાનો મિત્ર' ગણાવી, સારા લોકોને સારી વર્તણૂક કરીને ગુના ઘટાડવાના પોલીસના હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. ક્રાઇમ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર મંથન હેડક્વાર્ટર ખાતે પરેડ બાદ આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં આઇ.જી. નિલેશ જાંજડિયાએ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પોલીસની સુવિધા બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે નવા પોલીસ સ્ટેશનો અને પોલીસ કર્મીઓ માટે નવા ક્વાર્ટર શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આંકડાઓ રજૂ કરતા આઇ.જી.એ જણાવ્યું હતું કે, આ વર્ષે પોલીસની મુખ્ય ત્રણ કામગીરીઓ – કાયદો અને વ્યવસ્થા જાળવવી, ગુના અટકાવવા અને ગુના શોધવા તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. સંગઠિત ગુનાખોરી સામે ગુજસીટોકનું શસ્ત્ર જુનાગઢ પોલીસે સંગઠિત ગુનાખોરી સામે છેલ્લા બે વર્ષમાં અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે.આઇ.જી. જાંજડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 9 જેટલા ગુજસીટોક (GCTOC) હેઠળના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 54થી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ સંગઠિત ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભય પેદા કરતા હતા. મોટા બુટલેગર વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢ પોલીસની કાયદા પરની સારી પકડને કારણે આવા ગુનેગારોને તાત્કાલિક પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. એસ.પી. સુબોધ ઓડેદરાની સરાહનીય કામગીરીઆઇ.જી.એ ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં એસ.પી. સુબોધ ઓડેદરાના નેતૃત્વ હેઠળ થયેલી ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી. તાજેતરમાં જ પકડાયેલા પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડના કેસને તેમણે મોટી સફળતા ગણાવી હતી. આ કેસમાં 1000થી વધુ પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ્સ કબજે કરવામાં આવ્યા હતા. આ કાર્ડ્સનો સાયબર ક્રાઇમમાં ઉપયોગ થાય તે પહેલા જ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા, જેનાથી સાયબર ગુનાઓ બનતા અટકાવવામાં મોટી મદદ મળી. ગંભીર ગુનાઓનો સફળ ઉકેલ ધારાસભ્યને ધમકી: જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને કોંગોથી ધમકી આપી ખંડણી માંગવાના કેસના લોકલ આરોપીઓ અને મુખ્ય સૂત્રધાર કોંગોના આરોપીને પણ ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગિરનાર મૂર્તિ ખંડન: ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ ખંડિત કરવાની સંવેદનશીલ ઘટનામાં પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે સાધુ સમાજ દ્વારા પણ પોલીસનું સન્માન કરાયું હતું. હાઇબ્રિડ ગાંજા ગેંગ: હાઇબ્રિડ ગાંજાના કેસમાં માત્ર સ્થાનિકોને પકડવાને બદલે પોલીસે ગુનાના મૂળ સુધી જઈ, આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ધરાવતી આખી રાજ્યવ્યાપી ગેંગનો પર્દાફાશ કર્યો, જેમાં 3 મહિલાઓ સહિત 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. દબાણ હટાવવું: રસ્તાના દબાણો, ગેરકાયદેસર ધાર્મિક દબાણો અને સરકારી જમીન પરના બાંધકામો સહિતના દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ડિમોલેશન કરવામાં આવ્યું છે. ગિરનાર પર સીસીટીવીનો 50% કામ પૂર્ણ આઇ.જી.એ જણાવ્યું કે, ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિ ખંડિત થવાની ઘટના બાદ ગિરનાર પર્વત પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 50 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. ઓપ્ટિકલ ફાઇબરની મદદથી દત્તાત્રય ટૂંક સુધી કેમેરા લગાવાશે. સાથે જ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ડેવલોપ કરાઈ છે, જેથી ભીડ નિયંત્રણ માટે એક જ જગ્યાએથી ભાવિકોને સૂચના આપી શકાય. છેલ્લા 15 વર્ષથી જે પ્રશ્ન હતો, તે હવે હલ થઈ રહ્યો છે. પોલીસ વહીવટ અને લોકઅપમાં ઘટાડો એડમિનિસ્ટ્રેશનની વાત કરતા આઇ.જી.એ જણાવ્યું કે, એસ.પી. સુબોધ ઓડેદરા દ્વારા 400થી વધુ પોલીસ કર્મચારીઓની ગ્રેડિંગ પદ્ધતિથી બદલી કરવામાં આવી હતી, જે બાબતે એક પણ ફરિયાદ મારા કે ઉપરી અધિકારીઓ સુધી પહોંચી નથી, જે સરાહનીય છે. તેમણે પોલીસના હકારાત્મક અભિગમની વાત કરતા કહ્યું કે, ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી, પણ નિર્દોષને બિલકુલ હેરાન ન કરવો. આ અભિગમને કારણે CRPCની કલમ 151 અને 170 હેઠળ લોકોને લોકઅપમાં રાખવામાં 55 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે 4500થી વધુ લોકોની સામે આ વર્ષે માત્ર 2200 લોકોને લોકઅપમાં રખાયા હતા. ટ્રાફિક સમસ્યા પર તાત્કાલિક પગલાં આઇ.જી.એ સ્વીકાર્યું હતું કે જુનાગઢમાં ટ્રાફિક સમસ્યા છે, જેના કારણે અકસ્માતો પણ થાય છે. તેમણે ખાતરી આપી કે, આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે અને આવતીકાલથી જ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા અને લોકોને રાહત મળે તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે રિટની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠ સમક્ષ થઇ હતી. જેમાં નડાબેટના સંદર્ભમાં એવો ઘટસ્ફોટ કરાયો હતો. 5 લાખ પક્ષીઓનું વસવાટ ધરાવતાં ‘નડાબેટ’નો 90 ટકા ભાગ ભારતમાં હોવા છતાંય તેને સંરક્ષિત ‘રામસર સાઇટ’ જાહેર કરતા નથી. જ્યારે કે 10 ટકા ભાગ ધરાવતાં પાકિસ્તાને 2002માં ‘નડાબેટ’ને રામસર સાઇટ જાહેર કરી દીધી છે. આ મામલે સુનાવણીના અંતે ખંડપીઠે રાજ્ય સરકારના વન્ય વિભાગના ચીફ સેક્રેટરીને તમામ મુદ્દે વિસ્તૃત સોગંદનામું કરીને જવાબ રજૂ કરવામાં આદેશ કરવામાં આવ્યો છે. જેથી કેસની વધુ સુનાવણી 30મી જાન્યુઆરીએ રાખવામાં આવી છે. 'ભારતમાં ન તો એને સંરક્ષિત જાહેર કરાઈ છે અને ન તો રામસર સાઇટ'કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નળસરોવર, થોળ અને નડાબેડની મુલાકાત લઈ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી નડાબેટની વાત છે કે તે 10 ટકા પાકિસ્તાનમાં અને 90 ટકા ભારતમાં છે. 2002માં પાકિસ્તાને તેને સંરક્ષિત રામસર સાઇટ જાહેર કરી છે. જોકે ભારતમાં ન તો એને સંરક્ષિત જાહેર કરાઈ છે અને ન તો રામસર સાઇટ. 5 લાખ યાયાવર પક્ષીઓ દુનિયાભરમાંથી આવતા હોય છે. માનવનો કોઈ હસ્તક્ષેપ ન હોવાથી તેઓ અહીં લાંબો સમય વસવાટ કરતાં હોય છે. પરંતુ સરકાર દ્વારા એને રામસર સાઇટ જાહેર કરીને સંરક્ષિત કરવામાં આવતું નથી. 'સંરક્ષિત રાખવા માટેની એક શરત એ છે કે એમાં ક્યાંય બહારથી પાણી લાવવું જોઇએ નહીં'અમદાવાદની નજીક આવેલા પક્ષી અભ્યારણ નળસરોવરની પરિસ્થિતિ અત્યંત દયનીય હોવાની રજૂઆત કરતાં એડવોકેટે દલીલ કરી હતી કે, આ વેટલેન્ડ ખૂબ વિશાળ છે અને એને સંરક્ષિત રાખવા માટેની એક શરત એ છે કે એમાં ક્યાંય બહારથી પાણી લાવવું જોઇએ નહીં. કુદરતી પાણીથી જ એ ભરાવું જોઈએ અને ખાલી થવું જોઇએ. પરંતુ નળસરોવરમાં નર્મદાનું પાણી ખેંચીને લાવવામાં આવે છે. તેથી આ રામસર સાઇટ પર ફ્લેમિંગો આવતા બંધ થઇ ગયા છે. આ જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટના આદેશોના પગલે દાખલ કરવામાં આવી હતી. 'દર વર્ષે નડાબેટમાં 5 લાખથી વધુ યાયાવર પક્ષીઓ આવે છે'તેમજ એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાજસ્થાન તરફથી લૂણી નામની એક નદી આવે છે. જેનું પાણી વરસાદી પાણી સિવાય નડાબેટ સુધી આવતું હોય છે. પરંતુ અહી મોટા પ્રમાણમાં સોલર પેનલો ગોઠવી દેવામાં આવતા તેનું અસ્તિત્વ જોખમમાં છે. દર વર્ષે નડાબેટમાં 5 લાખથી વધુ યાયાવર પક્ષીઓ આવે છે. જો સોલર પેનલ લગાવી દેવામાં આવશે તો પક્ષીઓ આવતાં બંધ થઈ જશે. વેટલેન્ડનો અર્થ જ એ છે કે એમાં વરસાદનું કુદરતી પાણી ભરાય અને ઊનાળામાં એ પાણી સુકાઇ જવું જોઇએ. જેથી આ કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે પક્ષીઓને તેમનો આહાર મળી રહે. જો નદીનું પાણી આ વેટલેન્ડમાં ભરાય તો એનો પ્રકાર જ બદલાઈ જાય. સરકાર દ્વારા ટુરિઝમને વેગ આપવા માટે આ વેટલેન્ડને ગમે એ ભોગે ભરી દેવામાં આવે છે. આ રીતે ટુરિઝમ અને રામસર બંને એકસાથે ચાલી શકે નહીં.
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા સાબરમતી નદી પરના સુભાષ બ્રિજના વચ્ચે આવેલા સ્પાનમાં ખામી અને તિરાડ જણાતા સલામતીને ધ્યાનમાં રાખીને બ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજની સ્થિતિ અંગે બ્રિજના નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક ઇન્સપેક્શન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાથમિક ઇન્સ્પેક્શનમાં હયાત બ્રિજના ફાઉન્ડેશનની વિગતવાર ઈન્વેસ્ટિગેશન કરવાની ભલામણ કરવામાં આવતાં બ્રિજ ઇન્સ્પેક્શન એજન્સીને ફાઉન્ડેશનના ટેસ્ટિંગ કાર્ય માટે સોંપણી કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા હાલ બ્રિજના ફાઉન્ડેશનના ટેસ્ટિંગનું કાર્ય પ્રગતિમાં છે. સોમવાર સુધી ટેસ્ટીંગની પ્રક્રિયા ચાલશેસુભાષ બ્રિજના સંપૂર્ણ તકનીકી ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારના આર એન્ડ બી ડિઝાઇન સર્કલ તેમજ એમ-પેનલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે મળીને ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજને વધુ ઇન્સ્પેક્શન અને ટેસ્ટીંગની જરૂરિયાત જણાતાં અનુભવી તજજ્ઞ સંસ્થાઓ દ્વારા બ્રિજની હાલ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ફાઉન્ડેશનની ચકાસણી પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજના પીલ્લર પાસે વિવિધ મશીનરી મૂકીને અલગ અલગ સંસ્થાઓ પાસે અત્યારે હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સોમવાર સુધી આ ટેસ્ટીંગની પ્રક્રિયા ચાલશે.
ગાંધીનગર જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા તત્ત્વો સામે ગાંધીનગર ભૂસ્તર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમે ગઈકાલ અને આજે એમ બે દિવસ સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરી 2.10 કરોડના 7 ડમ્પર જપ્ત કર્યા છે. વિવિધ સ્થળોએથી કુલ 7 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યાભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમે કલેક્ટર મેહુલ દવેના આદેશથી સઘન ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે બે દિવસમાં વિવિધ સ્થળોએથી કુલ 7 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનો અને ખનિજનો આશરે કુલ મુદ્દામાલ 2.10 કરોડ જેટલો આંકવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ તા. 18 ડિસેમ્બરથી તા. 20 ડિસેમ્બર દરમિયાન ગોધરાના લાલબાગ ટેકરી મેદાન, બસ સ્ટેશનની પાછળ ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળો' યોજાશે. આ મેળાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી, ગોધરા સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આ મેળો મહિલાની આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણને જિલ્લા સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડશે અને સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડશે. આ મેળામાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો અંગે, સ્ટોલમાં ભાગ લેનારની તમામ વ્યવસ્થાઓનું કાળજીપૂર્વકનું આયોજન કરવા અને આનુષાંગિક વ્યવસ્થા માટે સંબંધિત વિભાગને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે, આ મેળાનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સ્ટાર્ટઅપ સપોર્ટ, મહિલા કેન્દ્રિત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ મહિલા ઉદ્યોગસાહસિકતા સાથે સ્વદેશી મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ત્રણ દિવસ ચાલનાર આ મેળામાં મહિલા સશક્તિકરણને લક્ષમાં રાખીને સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર, વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, જિલ્લાકક્ષાએ મહિલા સ્ટાર્ટઅપ પિંચિંગ, બેંક અને એન.બી.એફ.સી. લિંકેજ ડેસ્ક, તેમજ ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન વ્યવસાય ક્ષમતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં કૃષિ વિભાગ/ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, મહિલા આર્થિક વિકાસ નિગમ લી., કુટીર અને ગ્રામ ઉદ્યોગ/કોટેજ ઇન્ડસ્ટ્રી, વન અને પર્યાવરણ, સહકારી મંડળીના રજીસ્ટ્રાર, નગરપાલિકા ચીફ ઓફીસર, નાયબ ઇજનેર એમ.જી.વી.સી.એલ, એલ.આઇ.બી., મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજસ્થાનથી અમદાવાદ ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા શખ્સને એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિશાલા પાસેથી ઝડપી પાડ્યો છે. જેમાં આરોપી પાસેથી પોલીસે રૂ. 23.49 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. રાજસ્થાનના ડ્રગ્સ માફિયા માલની ડિલિવરી કરવા મોકલ્યો હતો. જેમાંથી તેને 5થી 10 હજાર રૂપિયાનું કમિશન આપતો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 23.49 લાખનો 234.970 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્તએસઓજીની ટીમને બાતમી મળી હતી કે સરખેજ વિશાલા સર્કલ પાસે એક યુવક ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે. તેના આધારે પોલીસે વોચ ગોઠવીને શાહિદ અલી સૈયદ મૂળ રહે. મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો. યુવકની તપાસ કરતા પોલીસને રૂ. 23.49 લાખનો 234.970 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજસ્થાનના બીટ્ટુએ તેને ડ્રગ્સનો જથ્થો આપીને અમદાવાદ મોકલ્યોપોલીસે આરોપીની પૂછપરછ કરતા રાજસ્થાનના બીટ્ટુએ તેને ડ્રગ્સનો જથ્થો આપીને અમદાવાદ ડિલિવરી કરવા મોકલ્યો હતો. જેમાં બીટ્ટુ તેને એક ડિલીવરીના રૂ. 5 થી 10 હજાર કમિશન આપતો હતો. શોર્ટકટમાં રૂપિયા કમાવવા ડ્રગ્સ કેરિયર બન્યો હોવાનું સામે આવ્યુ છે. ગોગા મહારાજના મંદિરમાં ચોરીઅમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો છે. 6 ડિસેમ્બરના રોજ ગોગા મહારાજના મંદિરમાં ચોરી થઈ હતી. જેમાં ચાંદલોડિયા રહેતા નિલેશ આડેસરાએ ચોરી કરી હતી. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં માધુપુરા વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં પણ ચોરી કરી હતી. આરોપી નિલેશ આડેસરા પાસેથી 500 ગ્રામ ચાંદીના મૂર્તિ અને છતર મળી આવ્યા છે. આરોપીએ 8 જેટલા મંદિરમાં ચોરી કરીઆરોપી નિલેશ આડેસરા અત્યાર સુધીમાં 8 જેટલા મંદિરમાં ચોરી કરી ચૂક્યો છે. જે મંદિરમાં તાળું ના હોય તે મંદિર જઈ આરતી અને પૂજા બાદ ચોરીને અંજામ આપતો હતો. પત્ની ડિલિવરી માટે પૈસા ના હોવાના કારણે ચોરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભારતમાં બનેલી, ભારત-પાકિસ્તાનનો ઈતિહાસ દર્શાવતી ફિલ્મ 'ધુરંધર' માત્ર ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ચર્ચામાં છે. એના ત્રણ કારણો છે. 1. એક જ સપ્તાહમાં આ ફિલ્મ દુનિયામાં 300 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. 2. પાકિસ્તાને આ ફિલ્મ સામે વાંધો લીધો છે 3. છ ખાડી દેશોએ ધુરંધર ફિલ્મને રિલિઝ કરવા પ્રતિબંધ મૂકી દીધો છે. 4. જૂનાગઢના બલોચ સમાજે વિરોધ કર્યો નમસ્કાર, નિર્માતા-નિર્દેશક આદિત્ય ધર કાશ્મીરી પંડિત છે. તે અને તેમનો પરિવાર આતંકવાદનો સામનો કરી ચૂક્યા છે. ઉરી- ધ સર્જીકલ સ્ટ્રાઈક અને આર્ટીકલ-370 જેવી ફિલ્મો બનાવનારા આદિત્ય ધરની બારામુલ્લા નામની ફિલ્મ પણ નેટફ્લિક્સ પર ચાલી રહી છે. આ બધા વચ્ચે આદિત્ય ધર 'ધુરંધર' ફિલ્મથી વધારે ચર્ચામાં આવ્યા. જે-તે સમયે ભારતના રાષ્ટ્રીય સલાહકાર રહેલા અજીત ડોભાલે ઓપરેશન 'ધુરંધર' શરૂ કરાવ્યું તે સમયની આ કહાની છે. અહિ આ ફિલ્મના એક-એક પાસાં અને તેની પોલિટિકલી અસરો જોઈએ.... 'ધુરંધર' ફિલ્મમાં આદિત્ય ધરે આતંકીઓની ઓરિજીનલ ઓડિયો ક્લિપ સંભળાવી 'ધુરંધર' સાડા ત્રણ કલાકની ફિલ્મ છે. એક સપ્તાહમાં ભારતમાં 200 કરોડ અને વિદેશમાં 100 કરોડ મળીને 300 કરોડ પાસ કરી ગઈ છે. ધુરંધર અલગ ઝોનરની ફિલ્મ છે. તેમાં પ્યાર મોહબ્બતની વાત નથી. તેમાં 2008માં મુંબઈમાં આતંકી હુમલો થયો, તેની વાત છે. 1999માં કંદહાર હાઈજેકની ઘટના છે. 2001માં સંસદ પર હુમલો થયો હતો તે ઘટના છે. ફિલ્મનો પહેલો સીન કંદહાર હાઈજેકનો છે. ફિલ્મમાં અજીત ડોભાલને બતાવવાની કોશિશ કરી છે. આર.માધવને ડોભાલનો રોલ કર્યો છે. ખેર, આદિત્ય ધરે એક બોલ્ડ પગલું ભર્યું છે. સ્ક્રીન પર ફિલ્મ ઊભી રહી જાય છે ને મુંબઈમાં હુમલા પછી આતંકીઓ તેના પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે વાત કરે છે તે ઓરીજીનલ ઓડિયો ક્લિપ દર્શકો સાંભળી શકે છે. આદિત્ય ધરે એક રીતે આ હિંમતભર્યું કામ કર્યું છે. આનાથી ફિલ્મમાં ન્યૂઝી ટચ મળ્યો છે. ફિલ્મને વેબ સિરિઝ સ્ટાઈલમાં બનાવાઈ છે. ચેપ્ટર વાઈઝ. ફિલ્મ રિયાલિસ્ટિક બનાવાઈ છે. તેમાં ડિટેલિંગ જોરદાર છે. પાકિસ્તાનના કરાચી પાસે લયારી ગામ છે. તે કેવું હતું. પાકિસ્તાનની રાજનીતિ કેવી હોય છે, લયારીની ગંદી ગલીઓ, લયારીના મકાનો બતાવાયા છે. પાકિસ્તાનમાં રહેતા લોકો પણ કહે છે કે આવું અસ્સલ લયારી ગામ કેવી રીતે સ્ક્રીન પર આવી શકે? 'શોલે'ની જેમ તેના પાત્રો માટે યાદ રખાશે ધુરંધર... 50 વર્ષ પહેલાં રમેશ સિપ્પીની 'શોલે' રિલિઝ થઈ હતી. 50 વર્ષ પછી પણ લોકો તેના પાત્રોને ભૂલ્યા નથી. જે રીતે શોલેને કાસ્ટિંગ માટે યાદ કરાય છે તે રીતે ધુરંધરને પાત્રો માટે યાદ કરાશે. શોલેમાં ગબ્બરસિંહના રોલમાં અમજદખાને પ્રભાવ ઊભો કર્યો હતો તેવો પ્રભાવ પોતાના રોલ રહેમાન ડકૈતમાં અક્ષય ખન્નાએ ઊભો કર્યો છે. રણવીરસિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ જેવા મોટા કલાકારોનું પરફોર્મન્સ તો કાબિલે તારીફ છે જ, તેની વચ્ચે બે કલાકારોની નોંધ લેવાઈ છે. એક છે, રાકેશ બેદી. સામાન્ય રીતે કોમેડી રોલ માટે જાણીતા રાકેશ બેદીએ પાકિસ્તાની નેતા જમીલ જમાલીનું પાત્ર ભજવ્યું છે. બીજા કલાકાર છે ગૌરવ ગેરા. તેમણે પણ મોહમ્મદ આલમનો રોલ એવો ભજવ્યો છે જે કાલિયા ને શાંભા જેવો નાનો છે છતાં યાદ રહી જાય તેવો છે. સોશિયલ મીડિયામાં ધુરંધરના ભરપૂર વખાણ, ભરપૂર વિરોધ... ધુરંધર ફિલ્મ મોટો મુદ્દો બની ગઈ છે. તેના પર રાજનીતિ ચાલુ થઈ છે. એક વર્ગ વખાણ કરે છે ને બીજો વર્ગ વિરોધ કરે છે. આવા લોકોને પાકિસ્તાનની સાચી વાત ખૂંચી રહી છે. આ ફિલ્મમાં પાકિસ્તાન અને બલુચિસ્તાનના સંબંધો પણ બારીકી સાથે બતાવાયા છે. સંજય દત્તનો એક ડોયલોગ છે - મગરમચ્છ પર ભરોસા કર સકતે હૈ, લેકિન બલોચ પર નહિ. આ સંવાદના કારણે જૂનાગઢમાં બલોચ સમાજે વિરોધ કર્યો છે ને છેક PM સુધી પત્ર પહોંચાડ્યો છે. એક વર્ગ એવું માને છે કે આ બધું નેરેટિવ સેટ કરવાની વાત છે. જેમ કે, 'ઓપરેશન ધુરંધર' થયું ત્યારે 2006થી 2008નો સમય હતો. ત્યારે UPA સરકાર હતી. છતાં ફિલ્મમાં ડાયલોગ છે કે, 'યે નયા ભારત હૈ, ઘર મેં ઘૂસકર મારતા હૈ...' જેના પરથી ફિલ્મ બની તે મોહિત શર્મા કોણ છે? આ ફિલ્મમાં રણવીર સિંહ જેનો રોલ કરે છે તે ઈન્ડિયન આર્મી ઓફિસર મેજર મોહિત શર્મા પરથી લેવાયેલો રોલ છે. મેજર મોહિત શર્મા ડોભાલના કહેવાથી 'ઓપરેશન ધુરંધર' માટે પાકિસ્તાન ગયા હતા. વાત જાણે એમ છે કે 2004માં એક ઓપરેશન દરમિયાન મોહિત શર્માએ એવું જોખમ લીધું જેની કલ્પના પણ ન કરી શકાય. તે સમયે બે ખતરનાક હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ અબુ તોરારા અને અબુ સબઝાર બોર્ડર પાર કરવાના હતા. તેમને પકડવા માટે મોહિત શર્માએ વેશપલટો કર્યો અને ઇખ્તાર ભટ નામના કાશ્મીરી યુવાન તરીકે તેમને મળ્યા. તેણે એક કહાની ઊભી કરી કે કે તેનો ભાઈ 2001માં લશ્કરી ચોકી પર માર્યો ગયો હતો અને હવે તે બદલો લેવા માંગે છે. આ બહાના હેઠળ તે આતંકવાદીઓના કેમ્પમાં ભળી ગયા. તેણે તેમની સાથે લગભગ બે મહિના વિતાવ્યા. તેમનો વિશ્વાસ કેળવી લીધો. પછી આતંકવાદીઓએ તેને સાથી સમજીને તેને હથિયારો પણ આપ્યા. પરંતુ જ્યારે યોગ્ય તક મળી ત્યારે મોહિતે બહાદુરીથી બંને આતંકવાદીઓને ખતમ કરી દીધા. આ ઓપરેશન આર્મીના રેકોર્ડમાં ગુપ્ત અને વ્યૂહાત્મક મિશન તરીકે નોંધાયેલું છે. 2009માં મેજર મોહિત શર્મા કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતા. પાકિસ્તાની પોલીસ અધિકારી ચૌધરી અસલમ કોણ હતા? ફિલ્મમાં સંજય દત્ત પાકિસ્તાની પોલીસ અધિકારી ચૌધરી અસલમનો રોલ કરે છે. 1963માં જન્મેલા ચૌધરી અસલમ 1980ના દાયકામાં સિંધ પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે જોડાયા હતા અને પાકિસ્તાની પ્રાંતના અનેક શહેરોમાં સેવા આપી હતી. 2000ના દાયકામાં કરાચીમાં ગેંગ પર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીમાં તેમને લ્યારી ગામના ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની પોલીસ અધિકારીને આ વિસ્તારમાં ઘણા ગેંગસ્ટરોને ખતમ કરવાનો શ્રેય આપવામાં આવે છે. 2011માં તાલિબાનના હુમલામાં અસલમ બચી ગયા હતા. જોકે, 2014માં પાકિસ્તાનમાં રહેતા તાલિબાનોની સંસ્થા TTPના આતંકીઓએ તેમની હત્યા કરી હતી. ચૌધરી અસલમની પત્નીએ શું બળાપો કાઢ્યો? તાજેતરમાં જ ચૌધરી અસલમની પત્ની નૂરીને પાકિસ્તાનના પોડકાસ્ટમાં બળાપો કાઢ્યો હતો. નૂરીને કહ્યું હતું કે તેના પતિ 1990ના દાયકામાં સંજય દત્તની ફિલ્મ ખલનાયક જોયા ત્યારથી જ તેના ખૂબ મોટા ચાહક હતા. ધુરંધરમાં તેના પતિનું પાત્ર ભલે સંજય દત્તે જ ભજવ્યું છે પણ નૂરીને આના માટે નિરાશા વ્યક્ત કરી હતી. તેની ફરિયાદ એ છે કે ફિલ્મમાં બે વ્યક્તિ વાતો કરે છે, તેમાં ચૌધરી અસલમને 'શેતાન' અને 'જીન'નું સંતાન કહે છે. વાતચીત દરમિયાન નૂરીનએ કહ્યું કે આવા શબ્દો ફક્ત પાકિસ્તાની પોલીસ અધિકારી માટે જ નહીં પરંતુ તેની માતા માટે પણ અપમાનજનક છે. મારા પતિ ચૌધરી અસલમને ધુરંધરમાં નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા તો તે ફિલ્મ સામે કડક કાનૂની કાર્યવાહી કરશે. મને લાગે કે ફિલ્મમાં મારા પતિને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. હું ચોક્કસપણે તમામ કાનૂની પગલાં લઈશ. તે વિચિત્ર છે કે ભારતીય ફિલ્મ નિર્માતાઓને પાકિસ્તાનને બદનામ કરવા સિવાય બીજા કોઈ વિષય મળતા નથી. 6 ગલ્ફ દેશોએ ધુરંધર ફિલ્મની રિલિઝ પર પ્રતિબંધ મૂક્યો ધુરંધર ફિલ્મને યુએઈ/ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) જેવા દેશોમાં રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. ધુરંધર ફિલ્મને છ ગલ્ફ દેશો- સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, ઓમાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ ફિલ્મની કમાણી પર સીધી અસર કરશે, કારણ કે આ દેશો વિદેશી આવકમાં નોંધપાત્ર ફાળો આપે છે. નોંધનીય છે કે, અક્ષય ખન્નાની એન્ટ્રી વખતનું ગીત FA9LA (ફાસલા), જેના પર આખો દેશ ઝૂમે છે તે ખરેખર બહેરીનનું ગીત છે. હવે, તે દેશમાં જ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો? અહેવાલો અનુસાર ફિલ્મ 'ધુરંધર' ને પાકિસ્તાન વિરોધી તરીકે જોવામાં આવી રહી છે. પરિણામે મુસ્લિમ દેશોમાં તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આવું પહેલીવાર નથી કે જ્યારે ગલ્ફ દેશોમાં બોલિવૂડ ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. 'ધુરંધર', 'સ્કાય ફોર્સ', 'ધ ડિપ્લોમેટ' અને 'ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મો પર પણ અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ધુરંધર ટીમે તેને ગલ્ફ દેશોમાં રિલીઝ કરાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ બધા દેશોએ ફિલ્મની સ્ટોરીને રિજેક્ટ કરી. આના પરથી એટલું તો સમજી જ શકાય કે ગલ્ફ દેશો માત્ર ને માત્ર ભારત સાથે બિઝનેસ સંબંધો રાખવામાં માને છે. તેમને આ બધી બાબતો સાથે લાગતું વળગતું નથી. જ્યારે ઈસ્લામિક દેશોની વાત આવે છે ત્યારે તે પાકિસ્તાનની પડખે ઊભા રહી જાય છે. સાડાત્રણ કલાકની ફિલ્મે પાકિસ્તાનીઓને અંદરો અંદર ઝઘડો કરાવ્યો!! જ્યારે કરાચીના કુખ્યાત લ્યારી ગેંગ વોર પર આધારિત ભારતીય જાસૂસી ફિલ્મ 'ધૂરંધર' ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે એક વિચિત્ર ઘટના બની. બન્યું એવું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના ઈતિહાસ કે બીજી કોઈ ચર્ચા કરવાના બદલે પાકિસ્તાનીઓ અંદરો અંદર દલીલ કરવા લાગ્યા. ખાસ કરીને પાકિસ્તાની પત્રકારો ચેનલ પર ડિબેટ કરવા લાગ્યા. ધ પ્રિન્ટના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના પત્રકારોનો એક વર્ગ એવું કહે છે કે ભારતે આ ફિલ્મ બનાવીને પાકિસ્તાનનું સત્ય બતાવ્યું છે તો આપણને પેટમાં કેમ દુખે છે? પાકિસ્તાનનો બીજો વર્ગ એવું કહે છે કે આમાં ભારતના રાષ્ટ્રવાદને ભડકાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાનની વિરૂદ્ધમાં ખોટાં તથ્યો બતાવાયાં છે. ખાસ કરીને બલૂચ લોકોની સંસ્કૃતિ ખોટી રીતે બતાવાઈ છે. પાકિસ્તાનમાં આ ફિલ્મના ભરપૂર વખાણ થઈ રહ્યા છે ને વિરોધ પણ થઈ રહ્યો છે. છેલ્લે, ફિલ્મમાં એક ડાયલોગ છે જે આપણને બધાને વિચારતા કરી દે છે. ''હિન્દુસ્તાનીઓ કા સબસે બડા દુશ્મન હિન્દુસ્તાની હી હૈ... પાકિસ્તાન તો દૂસરે નંબર પર આતા હૈ...'' આ એક લાઈનનો ડાયલોગ ભારતના જ લોકોને ઊંડો મેસેજ આપી જાય છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- યશપાલ બક્ષી)
પોલીસ વિભાગમાં પડેલી ખાલી જગ્યાઓ અંગેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં પોલીસ રિક્યુમેન્ટ પ્રોગેસને લઈને એફિડેવિટ હાઈકોર્ટમાં ફાઈલ કરવામાં આવ્યું છે. ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યું છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કોન્સ્ટેબલ અને PSI ભરતી અંગેની પક્રીયાનો પ્રોગેસ રિપોર્ટ પણ કોર્ટમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ફેઝ 1માં 11000થી વધારે ભરતીની પક્રીયા પૂર્ણ થવાના આરે હોવાની વાત રજૂ કરવામાં આવી છે. 11925 લોકોનું પ્રોવિશન સિલેક્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવ્યું છે. તો ફાઈનલ લિસ્ટ 9 દિવસની અંદર જાહેર કરવામાં આવશે. તેમજ PSIની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં અત્યારે પેપર ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ તેનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે. તેમજ ફેઝ 2 ભરતીને લઈને પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેઝ 2 ભરતી અંગેની કામગીરી ચાલુ થઈ ગઈ છે. 13591 જગ્યા માટે કોન્સ્ટેબલ અને PSI માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ભરતીની પ્રોસેસ નવેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. PSI કલાસ 3 અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા જૂન 2026માં યોજાશે અને ફાઈનલ સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર 2026માં બહાર પડાશે. છેલ્લા 2 મહિનામાં 362 ઉમેદવારને પ્રમોશન આપવામાં આવ્યું છે. તો 1094 હવે પોલીસ ખાતામાં અલગ અલગ કેડરમાં પ્રમોશનલ પોસ્ટ ભરવાની બાકી છે.
મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા દ્વારા મોડેલ કરીઅર સેન્ટર- મદદનીશ નિયામક રોજગારની કચેરી પહેલો માળ આઈ.ટી.સી બીલ્ડીંગ આઈ.ટી.આઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો. 6 નોકરીદાતા કંપનીના પ્રતિનીધી દ્વારા ઈન્ટરવ્ચૂહજેમા ટેક્નીશન, એન્જીનીયર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોઓર્ડીનેટર, એકાઉન્ટન્ટ, ટીચર જેવી 173 કરતા વધુ (જગ્યા)માટે સર્વિસ સેક્ટરની અને મેન્યુફેક્ચરિંગ સેકટરના 6 નોકરીદાતા કંપનીના પ્રતિનીધી હાજર રહીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. 49 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસ માટે પ્રાથમિક પસંદગીઆ ભરતી મેળામાં આઈટીઆઈ, ડીપ્લોમાં તથા ગ્રેજ્યુએટ, લાયકાત ઘરાવતા 110થી વધુ ઉમેદવારો ભાગ લીધો. ભરતી મેળામાં 49 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી અને 19 ઉમેદવારો ફ્રી વોકેશનલ અને સ્કીલ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભરતી મેલામા ભારત સરકારની પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના અંતર્ગત (PMVBRY)યોજનામા પાર્ટ Aમા પ્રથમ વખત રોજગારી મેળવનાર કર્મચારીને મળતા લાભ તેમજ પાર્ટ Bમાં સંસ્થાને રોજગારી આપવા બદલ મળતી સહાય લાભો અંગે ઈપીએફઓ કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફીસર દિપક રાણા તેમજ ભુપેન્દર યાદવ દ્વારા માહિતી આપવામા આવી હતી. લશ્કરી ભરતી પુર્વેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમઆ સાથે મદદનીશ નિયામક રોજગાર અલ્પેશ ચૌહાણ અને રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરીની સેવાઓ જેમા લશકરી ભરતી પુર્વેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ, ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ટ કરીઅર કાઉન્સેલીંગ, સ્વરોજગાર લોન સહાય તેમજ અનુબંધમ અને એનસીએસ ઓનલાઈન જોબ પોર્ટલ રજીસ્ટ્રેશન અંગે માહીતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
ઉમરાળામાં કોંગ્રેસે કોલેજ સ્થાપવા આવેદન આપ્યું:તાલુકામાં ઉચ્ચ શિક્ષણ માટે એક પણ કોલેજ નથી
ઉમરાળા તાલુકામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્થાપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં તાલુકામાં ઉચ્ચ અભ્યાસની સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાલુકામાં ઉચ્ચ અભ્યાસ માટે એક પણ કોલેજ ન હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર થવું પડે છે. આના કારણે તેમને શૈક્ષણિક અને આર્થિક બંને રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મહામંત્રી પ્રતાપ ડાંગર દ્વારા આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમણે ઉમરાળામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરવાની તાત્કાલિક માંગ કરી હતી, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દૂર ન જવું પડે. આ ઉપરાંત, ટીંબી ગામ નજીક આવેલું ITI બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ સ્થિતિ પણ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓના અભાવને વધુ ગંભીર બનાવે છે અને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે.
108 એમ્બ્યુલન્સ કર્મીઓની પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના સોના-ચાંદી અને રોકડ પરત કર્યા
સાબરકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સના કર્મીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજયનગર તાલુકામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન સહીસલામત પરત કર્યા હતા. વિજયનગર તાલુકાના રહેવાસી કમાભાઈ ધ્રાંગી અને તેમના પત્ની તારાબેન ધ્રાંગી બાઇક પર અંબાજી તરફ જઈ રહ્યા હતા ત્યારે ખેરોજ પેટ્રોલ પંપ સામે બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કમાભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓ બેભાન અવસ્થામાં હતા, જ્યારે તારાબેનને કમર અને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. અકસ્માતનો કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સ ટીમના EMT કિરણ સોલંકી અને પાયલોટ ભાવિક પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બંને ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. દર્દીઓની ઓળખ માટે તેમના આઈડી કાર્ડ તપાસતી વખતે, તેમની પાસેથી રૂ. 26,620 રોકડા, એક સ્માર્ટફોન, એક સાદો ફોન, એટીએમ કાર્ડ, જરૂરી દસ્તાવેજો સાથેની એક બેગ, એક સોનાની ચેઈન, એક મંગળસૂત્ર અને ચાંદીની વીંટી મળી આવી હતી. 108 ટીમના કર્મીઓએ આ તમામ કિંમતી વસ્તુઓ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ઓન-ડ્યુટી ડો. બીનાબેનને સુપરત કરી હતી. દર્દીના પરિવારજનોએ 108ની આ પ્રમાણિક સેવા બદલ સરકાર અને આરોગ્ય કર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો ક્રાઇસીસ ને કારણે ઘણા લોકોને હેરાનગતિ થઈ હતી. જોકે અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો આજે અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની એક પણ ફ્લાઇટ કેન્સલ થઈ ન હતી. ઓપરેટ થતી ફ્લાઇટની વાત કરીએ તો રાત્રે 12 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 88 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જેમાં 41 અરાઇવલ અને 47 ડિપાર્ચર ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. જોકે આજે ઈન્ડિગોની એક પણ ફ્લાઇટ કેન્સલ થઈ ન હતી. આજે અમદાવાદ એરપોર્ટ પર એકપણ ફલાઈટ કેન્સલ ના થઈછેલ્લા અઠવાડિયામાં ઈન્ડિગોની ઘણી બધી ફ્લાઇટ કેન્સલ થઈ હતી. જેને કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. ઘણા લોકોની મીટિંગ કેન્સલ થઈ હતી. ઘણા સ્ટુડન્ટની પરીક્ષા મિસ થઈ હતી. ઘણા લોકો પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા ન હતા. ઘણા લોકોને પોતાનો બેગેજ પાછું મેળવવામાં 4થી 5 કલાકની રાહ જોવી પડી હતી. એમ આ છેલ્લા અઠવાડિયામાં ઈન્ડિગોને કારણે ઘણા લોકોને મુશ્કેલીઓ પડી હતી. ખાસ કરીને ટ્રાવેલ એજન્ટને પણ આને કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. 'ટ્રાવેલ એજન્સીની પાસે કંઈ જ કરવા માટે હતું નહીં'દિવ્ય ભાસ્કરે ચીકી ટ્રાવેલ્સ ના ઓનર આકાશ બજાજ સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જેટલી મુશ્કેલી મુસાફરોને પડી હતી. એટલી જ મુશ્કેલી અમને લોકોને એટલે કે ટ્રાવેલ એજન્ટને પડી હતી. વહેલી સવારે ઓફિસ આવીને ઈન્ડિગો સિવાય નું કંઈ કામ જ હોતું નથી અમારી પાસે. ફ્લાઇટ કેન્સલેશનના હિસાબે લોકોને રિફંડ આપવા કે ટ્રીપ ડાયવર્ટ કરવી જેવા અનેક પ્રશ્નોનો સામનો અમે પણ કર્યો છે. એરલાઇન્સ પાસેથી અમારે રિફંડ લેવા માટે ઈન્ડિગો એરલાઇનને કોન્સ્ટન્ટ સંપર્કમાં રહેવું પડતું હતું. આપણા ભારતમાં 60થી 65 ટકાનું શેર ઈન્ડિગો પાસે છે. શરૂઆતના બે દિવસ આખું ટ્રાવેલ એજન્સીની પાસે કંઈ જ કરવા માટે હતું નહીં. 'મુસાફરને રિફંડ આપવા માટે ખીસામાંથી પૈસા કાઢીને આપવા પડતા'અમે લોકો જ્યારે પણ બુકિંગ કરતા હોઈએ છીએ ત્યારે તેનું રિફંડ મેળવવા માટેની એક પ્રોસેસ છે. જેમાં એક એજન્સી હોય છે જેમાં અમારું રિફંડ આવતું હોય છે. ધારો કે કોઈ ગ્રુપ અમારી પાસે બુકિંગ કરાવે છે અમે એમની માટે કોઈ એરલાઇનમાં બુકિંગ કરાવ્યું હોય અને પછી એ એરલાઇનની ફ્લાઈટ કેન્સલ થાય તો જે મુસાફરે અમારી પાસે બુકિંગ કરાવ્યું હોય તે લોકો ને અમારે રિફંડ આપવું પડતું હોય છે. અને અમારું રિફંડ એજન્સીના એકાઉન્ટમાં જતું હોય છે. જે અમને વળતર કે રિફંડ સ્વરૂપમાં ત્યારે જ મળે જ્યારે કોઈ અન્ય મુસાફર અમારી પાસે બુકિંગ કરાવવા આવે. એટલે અમારી માટે પણ આ એક ચેલેન્જ હતું. કારણ કે અમારે મુસાફરને રિફંડ આપવા માટે ખીસામાંથી પૈસા કાઢીને આપવા પડતા હોય છે. પરંતુ અમે એરલાઇન પાસેથી આવી રીતે રિફંડ મેળવી શકતા નથી. હોટેલ બુકિંગની વાત કરીએ તો અમુક હોટલ માં લગભગ એકાદ વર્ષનું વાઉચર આપવામાં આવતું હોય છે. જેથી મુસાફર એ એક વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઈ શકે. જ્યારે અમુક હોટલમાં આવું થતું નથી. 5,000થી 10,000 રૂપિયા સુધીનું વળતર અત્યારે ઈન્ડિગોએ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું હતું કે પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર 5,000થી 10,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. આ સાથે જ એરલાઇને સૌથી વધુ પ્રભાવિત મુસાફરો માટે 10,000 રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર જારી કરવાની પણ જાહેરાત કરી છે.
છોટા ઉદેપુર જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત રોજગારી માટે વિતરણ કરાતી કીટમાં મોટા પાયે ગોબાચારી થઈ રહ્યાનો આરોપ લાગ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અપાતી આ કીટમાં હલકી ગુણવત્તાનો સામાન પધરાવાઈ રહ્યો હોવાથી લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળવવા ઈચ્છુક લોકોને સહાયરૂપ થવા વિવિધ કીટ આપવામાં આવે છે. સરકારે નક્કી કરેલી એજન્સીઓ મારફતે આ કીટ લાભાર્થીઓને પહોંચાડવામાં આવે છે. જોકે, આ કીટમાં ISI માર્કા વગરનો અને હલકી કક્ષાનો માલસામાન આપવામાં આવી રહ્યો છે. હાલમાં જિલ્લામાં કુલ 746 લાભાર્થીઓની ડ્રો સિસ્ટમથી પસંદગી કરવામાં આવી છે. આ લાભાર્થીઓને અલગ અલગ એજન્સીઓ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હલકી ગુણવત્તાના સામાનને કારણે લાભાર્થીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેઓ સારી ગુણવત્તાવાળો સામાન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે તે માટે વિવિધ કારીગરોને તેમની જરૂરિયાત મુજબની કીટ આપવાનો છે. આ માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નોંધણી કરાવાય છે અને ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી થાય છે. પરંતુ, સરકાર દ્વારા નિયુક્ત એજન્સીઓ દ્વારા જ હલકી કક્ષાનો સામાન અપાઈ રહ્યો છે. રોજગારી માટે અપાતી આ કીટમાં મોટા પાયે ગોબાચારી ચાલતી હોવાની આશંકા છે. લોકહિતમાં સરકારે આ મામલે તાત્કાલિક તપાસ કરીને યોગ્ય પગલાં લેવા અત્યંત જરૂરી બન્યું છે.
રાજકોટના ભાવનગર રોડ પર આવેલ અણીયારા ગામે સરકારી જમીન ઉપર ઝૂપડાનું દબાણ થઈ ગયું હતું અને ત્યા દારૂના વેચાણ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. જોકે આજે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બુલડોઝર ફેરવી દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઢાંઢણી ગામે બેલાના બાંધકામવાળું મકાન ખડકી દેવાયું હતું જે પણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ રૂપ હોવાથી હટાવવામાં આવ્યું હતુ. રૂ.50 લાખની કિંમતની સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. રાજકોટના ભાવનગર રોડ પર આવેલ ઢાંઢણી અને અણીયારામાં સરકારી જમીન પર ખડકાયેલા દબાણોને તોડી પાડવા માટે અગાઉ મહેસુલ વિભાગ દ્વારા નોટીસ દબાણકારોને ફટકારવામાં આવી હતી. જેમાં દબાણો દૂર કરવા માટેની છેલ્લી મુદ્દત આપવામાં આવી હતી.પરંતુ આ મુદત દરમ્યાન દબાણકારોએ ખડકેલા દબાણ નહીં હટાવાતા અંતે રેવન્યુ વિભાગના અધિકારીઓએ ઢાંઢણી અને અણીયારામાં પોલીસ કાફલા સાથે દોડી જઈ સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે ખડકાયેલા આ દબાણો હટાવ્યા હતા. જેમાં ઢાંઢણીમાં 150 વારમાં ખડકાયેલ બેલાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત અણીયારા ગામે સરકારી જમીન ઉપર ત્રણ ઝુંપડા પણ ગેરકાયદેસર હોવાથી તે બુલડોઝરથી તોડી પાડવામાં આવેલ હતા. આ દબાણ હટાવ કામગીરી નાયબ મામલતદાર ભૂમી લાવડીયા તથા તેમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. અણીયારા ગામે અગાઉ દારૂના વેચાણ શહીદની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી જોકે વહીવટી તંત્રને ધ્યાનમાં આવતા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને આજે ડિમોલિશન કરવામાં આવતા અસામાજિક પ્રવૃત્તિઓ બંધ થઈ છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી (MPEC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સભામાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરતા પકડાયેલા કુલ 183 વિદ્યાર્થીઓને સુનવણી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં 4 વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ કર્યો હતો. 131 વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહ્યા હતા, જેમના નિવેદનો કમિટી દ્વારા નોંધવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનોલોજીનો દુરુપયોગ પણ મોટા પાયે જોવા મળ્યોતપાસ દરમિયાન કમિટી સમક્ષ ગેરરીતિના અનેક કિસ્સાઓ આવ્યા હતા, જેમાં સૌથી વધુ 95 વિદ્યાર્થીઓ કાપલી કે નકલના સાહિત્ય સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત 32 વિદ્યાર્થીઓ કાપલીમાંથી સીધો ઉતારો કરતા, 8 વિદ્યાર્થીઓ હાથ-પગ પર લખાણ લખીને અને 23 વિદ્યાર્થીઓ બેન્ચ કે રૂમાલ પર લખાણ લખીને પરીક્ષા આપતા પકડાયા હતા. આ પરંપરાગત રીતોની સાથે ટેકનોલોજીનો દુરુપયોગ પણ મોટા પાયે જોવા મળ્યો હતો. Chat GPTનો નકારાત્મક ઉપયોગ કરતા 4 વિદ્યાર્થીઓ મળ્યાઆ સુનવણીમાં સૌથી ચોંકાવનારો કિસ્સો Chat GPTના ઉપયોગ સામે આવ્યો છે. આધુનિક ટેકનોલોજીનો નકારાત્મક ઉપયોગ કરતા 4 વિદ્યાર્થીઓ એવા મળી આવ્યા હતા. જેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AIની મદદથી પ્રશ્નોના જવાબો તૈયાર કર્યા હતા. શિક્ષણ જગતમાં આ એક નવી અને ગંભીર પ્રકારની ગેરરીતિ માનવામાં આવી રહી છે, કારણ કે AI સાધનોનો ઉપયોગ પકડવો સામાન્ય નિરીક્ષણ કરતા ઘણો અઘરો હોય છે. આ સાથે જ ડિજિટલ ગેઝેટ્સના વધતા દુરુપયોગના પુરાવા રૂપે 15 વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સાથે અને અન્ય વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર કે ડિજિટલ સાધનો સાથે ગેરરીતિ આચરતા ઝડપાયા હતા. કમિટીએ આ પ્રકારની હાઈટેક ચોરીને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને નોંધ્યું છે કે હવે વિદ્યાર્થીઓ પરંપરાગત કાપલીઓને બદલે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનું વિતરણ અને કાઉન્સિલિંગમાત્ર દંડ કે સજા કરવાને બદલે વિદ્યાર્થીઓના માનસિક પરિવર્તન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ગેરરીતિમાં ઝડપાયેલા 14 વિદ્યાર્થીઓને વિશેષ રીતે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને સલાહ કેન્દ્ર પાસે મોકલવામાં આવ્યા હતા. ત્યાં નિષ્ણાતો દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ ભવિષ્યમાં આવા ખોટા રસ્તાઓ ન અપનાવે અને શૈક્ષણિક કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે. નૈતિકતાના પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી કમિટી દ્વારા આ વિદ્યાર્થીઓને 'શ્રીમદ ભગવદ ગીતા' નું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. અંતે, કમિટી દ્વારા તમામ 183 કેસોમાં થયેલી સુનવણીના આધારે વિવિધ સ્તરની સજા અને પેન્લ્ટી નક્કી કરી તેની ભલામણ EC અને BOMને મોકલી આપવામાં આવી છે, જેમના દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે.
મોડાસા-માલપુર સ્ટેટ હાઈવે પર ગોરીટીંબા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકે બાઇકચાલકને ટક્કર મારતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, બાઇકચાલક ગોરીટીંબા પાસે આવેલી એક હોટલમાં કામ કરતો હતો. ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધા બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે ટ્રકચાલકને સહયોગ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા મોડાસા રૂરલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિને નવા વેગ આપતા ગાંધીનગર ખાતે યોજાયેલા Regional AI Impact Conferenceના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત SpaceX–Starlinkના બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. ગુજરાત ટેક્નોલોજી માટે મુખ્ય કેન્દ્ર બનવા તરફ અગ્રેસરબેઠક દરમિયાન રાજ્યમાં નેક્સ્ટ-જેન ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ડિજિટલ એક્સેસનો વિસ્તરણ, હાઇબ્રિડ ક્લાઉડ સોલ્યુશન્સ, GenAI એપ્લિકેશન્સ, અને ફ્યુચર-રેડી ટેક્નોલોજી અંગે વિગતવાર ચર્ચા થઈ. સ્ટારલિંક ભારતીય બજારમાં ઝડપથી પ્રવેશી રહ્યું છે અને ગુજરાત રાષ્ટ્રના ઝડપી વિકસતા રાજ્ય તરીકે આ ટેક્નોલોજી માટે મુખ્ય કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. સ્ટારલિંક તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યોલોરેન ડ્રેયરે ગુજરાત સરકારના ટેક્નોલોજી-ફ્રેન્ડલી વલણ અને નવીનતાને પ્રોત્સાહન માટેની નીતિઓની પ્રશંસા કરી હતી. આ બેઠક બાદ સ્ટારલિંક તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો “આભાર માનનીય મુખ્યમંત્રી…@Starlink ટૂંક સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવા આતૂર છે!”. ગુજરાતમાં ડિજિટલ એક્સેસને અંતિમ માઈલ સુધી પહોંચાડવા માટે સ્ટારલિંકનો હાઈ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ મોટો ગેઈમ-ચેન્જર સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં 10મી ડિસેમ્બરે થયેલા અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 36 વર્ષીય યુવતીની હત્યા તેની જ મોટી બહેને તેના પ્રેમી સાથે મળી કરવાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાની બહેનનો રૂપિયા 40 લાખનો જીવન વીમો પકવવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મોટી બહેન અને તેના પ્રેમી દ્વારા 28મી નવેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે બે વાર હત્યાના પ્લાનને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. અંતે 10મી ડિસેમ્બરે શ્રમ કાર્ડ કઢાવવાના બહાને અજીઝાબાનુને બહાર લઈ જઈ પ્રેમીએ ઓઢણીથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અંકોડિયા પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ માટે તેની ઓળખ કરવાથી લઈ આરોપી સુધી પહોંચવાનો એક મોટો પડકાર હતો. જે કઈ રીતે પાર પાડ્યો તેની સિલસિલાબંધ વિગત એસપીએ આપી હતી. 10મી તારીખે અંકોડિયા પાસેથી અજાણી યુવતીની લાશ મળી10મી ડિસેમ્બરે વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક 35 વર્ષ આસપાસની ઉંમરની યુવતીની લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં ગળેટૂંપો આપવાના કારણે યુવતીનું મોત નિપજ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. પોલીસે તપાસ કરી તો મૃતક એક યુવક સાથે મોપેડ પર જતી જોવા મળીવડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા, મોબાઇલના સીડીઆર અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. જેમાં અજીઝાબાનુની હત્યા પાછળ પરિવારનો જ કોઇ સભ્યો હોવાની શંકા ઉઠી હતી. જેથી પોલીસે એ થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે, અજીઝાબાનું ઘરેથી એક મોપેડ પર બેસી નિકળી હતી, એટલે પોલીસે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરતા રમીઝ રાઝા હનિફભાઇ બન્નુમીયા શેખ (રહે. દાતાર બાવાની દરગાહ, ગોરવા) પાસે રહેતો હોવાનું ખુલ્યું હતુ. રમીઝ રાજા અને મૃતકની બહેન વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યુંપોલીસે જ્યારે વધુ તપાસ કરી તો અજીઝાબાનું જેની સાથે મોપેડ પર નીકળી હતી તે રમીઝ રાજાને અને મૃતક અજીઝાબાનુની મોટી બહેન ફિરોઝાબાનુને પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાનું માલૂમ પડ્યું હતું. અંતે પોલીસે સીધી જ ફિરોજાબાનું પાસે પહોંચી ગઈ હતી અને કડકાઈથી પૂછપરછ શરૂ કરતા હત્યા પરથી પડદો ઊંચકાઈ ગયો હતો. 40 લાખનો વીમો પકવવા માટે નાની બહેનનો જીવ લીધોઅજીઝાબાનુની હત્યા રૂપિયા 40 લાખનો વીમો પકવવા માટે કરવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે. પોલીસનું માનીએ તો, 28મી નવેમ્બરે અજીઝાબાનુ (મૃતક)નો રૂપિયા 40 લાખનો જીવન વીમો લેવામાં આવ્યો હતો. જેના પ્રિમિયમનો પ્રથમ હપતો પણ મોટી બહેને ફિરોજાબાનુએ ભર્યો હતો. જે દિવસે નાની બહેનનો જીવન વીમો લીધો તે દિવસથી જ તેની હત્યા નિપજાવી વીમો પકવવાનો ખતરનાક પ્લાન મોટી બહેન ફિરોજાબાનુંએ વિચારી લીધો હતો અને તેને અંજામ આપવા માટે પ્રેમી રમીઝ રાજાને કામ સોંપ્યું હતું. બે વાર હત્યા કરવાામં નિષ્ફળતા મળ્યા બાદ ત્રીજીવાર સફળતા મળીઆરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વીમો ઉતરાવ્યો ત્યારથી લઈ હત્યા થઈ ત્યાં સુધીના 12 દિવસમાં આરોપીઓએ અજીઝાબાનુની હત્યા માટે કૂલ ત્રણ પ્રયાસ કર્યા હતા. જેમાં પ્રથમ બે પ્રયાસોમાં સફળતા મળી ન હતી. ત્રીજા પ્રયાસમાં અજીઝાબાનું પોતાની મોટી બહેનની વાતમાં આવી જતા પ્રેમીની મદદથી કામ તમામ કરી નાખવામાં આવ્યું હતું. શ્રમ કાર્ડ કઢાવવા માટે રમીઝ રાજા સાથે જવા કહ્યું હતું9 ડિસેમ્બરે ફિરોજાબાનું (આરોપી)એ તેની નાની બહેન અજીઝાબાનુ (મૃતક)ને કહ્યું હતું કે, તારે શ્રમ કાર્ડ કઢાવવાનું છે તો મારો ઓળખીતો છે તે રમીઝ રાજા તે કાઢી આપશે. શ્રમ કાર્ડ કઢાવવા માટે ફિરોજાએ મૃતક અજીઝાને ઘરેથી આર્યા હાઇટ્સ પાસે મોકલી હતી. જ્યાં રમીઝ તેને પોતાની મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને અજીઝાએ પહેરેલા દુપટ્ટા વડે જ તેને ગળે ટુંપો દઇ હત્યા કરી નાખી હતી. જે વીમો પાકે તેમાંથી રમીઝને 7 લાખ રૂપિયા આપવાનો વાયદો કરાયો હતોફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા હત્યાના બનાવમાં એ પણ વિગત સામે આવી છે કે, નાની બહેનના મોત બાદ વીમાની જે રકમ પાકે તે 40 લાખ રૂપિયામાંથી 7 લાખ રૂપિયા હત્યાને અંજામ આપનાર પોતાના પ્રેમી રમીઝ રાજાને આપવાનો વાયદો કર્યો હતો. આરોપીઓ પોતાના પ્લાન મુજબ હત્યા કરવામાં તો સફળ રહ્યા પણ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેનો પ્લાન ઊંધો પાડી નાખતા હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. ફિરોજાબાનુ અને અજીઝાબાનું બંને પરણિતપોલીસના જણાવ્યા મુજબ આરોપી ફિરોજાબાનું પોતે પરણિત છે. જ્યારે મૃતક અજીઝાબાનુંના ભૂતકાળમાં ત્રણ લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે આરોપી રમીઝ રાઝા પોતે ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ કરે છે.
કચ્છના સામખીયારી નજીક વાંઢીયા ગામે ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા હાઈ-ટેન્શન વીજ લાઈનના ટાવર ઊભા કરવાના કામ સામે અપૂરતા જમીન વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જે બાદ રેલી યોજાઈ હતી. તેમજ ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી ચક્કાજામ કર્યો હતો. ધોરીમાર્ગ પર બંને તરફ વાહનોની કતારો લાગીઆ ચક્કાજામ બપોરે 3:30 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે ધોરીમાર્ગ પર બંને તરફ આશરે 10-10 કિલોમીટર લાંબી વાહનોની કતારો જામી ગઈ હતી. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી સાથે આજે વાંઢીયા ખાતે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જેમાં 120 દિવસથી ચાલી રહેલા આંદોલનને ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. રામધૂન કર્યા બાદ ખેડૂતોએ રેલી યોજી હતી અને વાંઢીયામાં ચાલી રહેલું કામ બંધ કરાવ્યું હતું. ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકીકિસાન સંઘે જણાવ્યું હતું કે, આ આંદોલન હવે રાજ્યવ્યાપી બનશે અને આગામી 20મી તારીખે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. ખેડૂતો અને કિસાન સંઘ અદાણી કંપની સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા.
ગાંધીનગરના રિલાયન્સ સર્કલ નજીક આવેલી કુડાસણની સુકન આઈ સોસાયટીમાં ગઈકાલે રાત્રે પેઇંગ ગેસ્ટમાં રહેતી યુવક-યુવતીઓ અને સોસાયટીના મકાન માલિકો વચ્ચે જોરદાર માથાકૂટ થઈ હતી. આ મામલે સોસાયટીના ચેરમેન વર્ષાબેન દ્વારા પીજીમાં રહેતા યુવક-યુવતીઓ પર બેફામ બનીને સોસાયટીના સભ્યોને માર મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક-યુવતીઓ મોડી રાત સુધી આવ-જા કરતા માહોલ બગડ્યોઆ અંગે સુકન આઈ સોસાયટીના ચેરમેન વર્ષાબેને જણાવ્યું હતું કે, આ સોસાયટી વર્ષ 2011થી અસ્તિત્વમાં છે અને તેમાં કુલ 274 ફ્લેટ આવેલા છે. કેટલાક ફ્લેટ માલિકો દ્વારા સોસાયટીના નિયમોને નેવે મૂકીને તેમના મકાનો ભાડૂઆતોને અને પીજી/હોસ્ટેલ તરીકે છોકરા-છોકરીઓને ભાડે આપી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં યુવક-યુવતીઓ મોડી રાત સુધી આવ-જા કરતા હોવાથી માહોલ બગડ્યો છે. સોસાયટીમાં આ વધી રહેલી સમસ્યાને નિયંત્રિત કરવા માટે બે મહિના પહેલા સોસાયટીની જનરલ મીટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં તમામ સભ્યો અને રહેવાસીઓ હાજર રહ્યા હતા. પીજીમાં રહેતા લોકોને મકાન ખાલી કરી દેવા નિર્ણય કરાયોઅમારી સોસાયટીમાં એક વર્ષની એક મિટિંગ રાખવામાં આવે છે, ત્યારે અમે સોસાયટીના બધા જ મકાન માલિક ભેગા થઈએ છીએ અને એક ઠરાવ કરવામાં આવે છે. એ ઠરાવમાં છોકરા-છોકરીઓને પીજી કોઈને આપવું નહીં એવો અમારો ઠરાવ હતો. જનરલ મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે સાત ડિસેમ્બર સુધીમાં તમામ ભાડૂઆતો તેમજ પીજીમાં રહેતા યુવક-યુવતીઓ મકાન ખાલી કરી દે. આ નિર્ણયની એક નકલ પણ આપવામાં આવી હતી. યુવક-યુવતીઓના ટોળાંએ ભેગા મળીને માથાકૂટ કરીમુદત પૂરી થઈ હોવા છતાં ઘણા ખરા લોકોએ હજી મકાન ખાલી કર્યા નથી. ગઈકાલે રાત્રે સોસાયટીના સભ્યો દ્વારા H બ્લોકમાં રહેતી યુવતીઓને મકાન ક્યારે ખાલી કરશે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછના પગલે યુવતીઓ એકદમ ઉશ્કેરાઈ ગઈ અને માથાકૂટ કરવા લાગી. ચેરમેનના કથિત આક્ષેપ મુજબ, યુવતીઓ દારૂના નશામાં બેફામ બની હતી. યુવતીઓએ સોસાયટીમાં રહેતા અન્ય પીજીના યુવકોને બોલાવી લીધા હતા. ત્યારબાદ યુવક-યુવતીઓના ટોળાંએ ભેગા મળીને માથાકૂટ કરી હતી. જેના પગલે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. લોકોએ ઉશ્કેરાઈને એક માસીને માર્યા છે, બીજા બે એક માસીને પગમાં વાગ્યું છે અને એક માસીને હાથમાં વાગ્યું છે. આ મારામારીમાં સોસાયટીની બે મહિલાઓને ઈજાઓ પણ થઈ હતી અને તેમને દવાખાને લઈ જવા પડ્યા હતા. ભાડાકરારનો ભંગ દેખાશે તો કસૂરવાર સામે કાર્યવાહી થશેચેરમેન વર્ષાબેનનું કહેવું છે કે, નિયમોની મુદતનું અમલ ન થતાં અને આટલું તોફાન થતાં અમારે આ પગલું લેવું પડ્યું છે. સોસાયટીમાં હોબાળો થતા તાત્કાલિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. બાદમાં મોડી રાતે પોલીસમાં આ સમગ્ર મામલે અરજી પણ આપવામાં આવી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઇ વી.આર.ખેરે જણાવ્યું કે, સોસાયટીમાં યુવક યુવતીઓએ માથાકૂટ કરી હોવાની અરજી મલી છે. આ મામલે સોસાયટીમાં તપાસ કરીને ભાડા કરારનો ભંગ થયો હોવાનું જણાઈ આવશે તો તમામ કસૂરવાર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.
વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રએ તેની સેવાનો વ્યાપ વધાર્યો છે. આરોગ્ય તંત્રએ એક વિશેષ અભિયાનના ભાગરૂપે નર્મદા પરિક્રમામાં કરી રહેલા યાત્રિકો માટે વિશેષ કેમ્પ યોજી રાજ્ય બહારના દર્દીઓની પણ સારવાર કરી છે. છેલ્લા ત્રણેક દિવસમાં આવા કેમ્પમાં 850થી પણ વધુ પરિક્રમાર્થીઓને સારવાર આપવામાં આવી છે. ભાવિકો વડોદરામાં નર્મદા નદી કિનારેથી પસાર થાય છેમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, શિયાળાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાના ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે નીકળે છે. આ પરિક્રમા દરમિયાન આ ભાવિકોના સમુહ વડોદરા જિલ્લામાં આવેલા નર્મદા નદીના કિનારેથી પસાર થાય છે. પરિક્રમાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંઆ બાબતને ધ્યાને રાખીને શિનોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. જિજ્ઞેશ વસાવા તથા વિવિધ આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા તા. 10ના રોજ માલસર, દિવેર, અનસૂયા આશ્રમ બીથલી સહિત ગામોમાં પરિક્રમાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીપીના 33, મધુપ્રમેહના 58, પગના દુઃખાવાના 238, સામાન્ય ડ્રેસિંગના 42, તાવના 37, શરદી ખાંસીના 88 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. બે દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા. કેમ્પમાં કુલ 255 ભાવિકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધોઆ જ દિવસે બપોરના સમયે દિવેર ગામમાં યોજાયેલા કેમ્પમાં કુલ 255 ભાવિકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમાં બીપીના 45, મધુપ્રમેહના 38, પગના દુઃખાવાના 101, ડ્રેસિંગના 14 સહિતના તાવ અને શરદી-ખાંસીના દર્દીઓન સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની ટીમોએ નર્મદા પરિક્રમાર્થીઓની સારવાર કરવા માટે તા. 10ના માલસરમાં રાત્રી કેમ્પ પણ કર્યો હતો. માલસરના આ કેમ્પમાં 97 પરિક્રમાર્થીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી મોટાભાગના પગના દુઃખાવાના દર્દીઓ હતા.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સિંગરવા ગામ ખાતે નવી બનતી બાંધકામ સાઈટ ઉપર રહેતા મજૂર દ્વારા તેની પત્નીની હત્યા કરવામાં આવી છે. પતિએ અચાનક જ રૂમમાં બેઠેલી પત્નીના માથાના ભાગે ઈંટ અને પાવડો મારી દીધો હતો. જેના કારણે થઈને ઘટના સ્થળ પર જ મહિલાનો મૃત્યુ થઈ ગયું હતું. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા ઓઢવ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઓઢવ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાઈડમાં પડેલો પાવડો લઈને ફટકા મારવા લાગ્યોમળતી માહિતી મુજબ, શહેરના શિખરવા ગામમાં પ્રાર્થના ફ્લોરેન્સ નામની નવી બાંધકામ સાઈટ બની રહી છે. જ્યાં પ્રભુ કટારા નામનો વ્યક્તિ તેની પત્ની સીમા સાથે રહેતો હતો. સીમાના ભાઈ અને તેમનો પરિવાર પણ ત્યાં જ સાથે રહેતો હતો. બાંધકામ સાઈટ ઉપર કોન્ટ્રાક્ટર લેબરનું કામ કરતા હતા. 11 ડિસેમ્બરના રોજ 6:30 વાગ્યાની આસપાસ ઘરમાં સીમા અને અન્ય લોકો બેઠા હતા, ત્યારે અચાનક જ હિમાના પતિ પ્રભુ દ્વારા માત ત્યાં સાઈડમાં પડેલો પાવડો લઈને ફટકા મારવા લાગ્યો હતો. નજીકમાં પડેલી ઈંટ લઈને પણ મારવા લાગ્યો હતો જેના કારણે થઈને સીમા લોહીલુહાણ થઈ ગઈ હતી. સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યુંસાઈડ પર હાજર બીજા તાત્કાલિક દોડી આવ્યા હતા અને પ્રભુને ત્યાંથી પકડી લીધો હતો. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં તપાસ કરતાં સીમાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવતા ઓઢવ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપી પતિ પ્રભુ કટારા અને પકડી લીધો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રભુ કટારા દ્વારા અગાઉ પણ આ પ્રમાણે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસા ધરી છે.
પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને ચાલુ રાખવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્ત કરાયેલા નવા મહિલા પ્રમુખને તાત્કાલિક પદેથી દૂર કરવાની પણ માંગ કરાઈ છે. પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરોએ આ મામલે પાટણના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી. તેઓએ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો પાટણ જિલ્લાના તમામ તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો સામૂહિક રીતે પક્ષમાંથી રાજીનામા આપી દેશે. ધારાસભ્યની ઓફિસે પહોંચીને કાર્યકરોએ પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી અને નવનિયુક્ત મહિલા પ્રમુખની નિમણૂકને તાત્કાલિક અસરથી સ્થગિત રાખવાની માંગ કરી હતી. લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને, પાટણના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમની રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
બિલિમોરા પોલીસે ઇન્સ્ટાગ્રામ પર જોખમી બાઈક સ્ટંટ અને અર્ધ નગ્ન થઈ વીડિયો અપલોડ કરનારા ચાર યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો 'લાઇક' અને 'ફોલોઅર્સ' મેળવવાના શોખમાં જાહેર રસ્તાઓ પર આવા ગુનાહિત કૃત્યો કરતા હતા. પોલીસને 'crazy__gang_1530' નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક વીડિયો જોવા મળ્યા હતા. આ વીડિયોમાં બે મોપેડ પર સવાર યુવકો પુરઝડપે અને બેફામ રીતે વાહન ચલાવતા દેખાયા હતા. યુવકો ક્યારેક ડબલ તો ક્યારેક ત્રણ સવારી કરતા, શરીર પરનો શર્ટ નિર્લજ્જપણે કાઢી નાંખીને બેકાળજીથી વાહન ચલાવતા હતા. તેઓ ખાલી બોટલોમાંથી દારૂ પીવાની અને લથડિયા ખાવાની એક્ટિંગ પણ કરતા હતા. આ કૃત્યો દેસરા ઓવર બ્રિજ અને અન્ય જાહેર રસ્તાઓ પર કરવામાં આવ્યા હતા, જેનાથી લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી. બિલિમોરા પોલીસ સ્ટેશનના એ.હે.કો. મહેશકુમાર સતિષભાઇએ પેટ્રોલિંગ દરમિયાન તેમના મોબાઈલ ફોન પર આ વાયરલ વીડિયો જોયા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઇન્સ્ટાગ્રામ પેજની ખરાઈ કરતા, તેનો વપરાશકર્તા ઋત્વિક ધર્મેશભાઇ નટુભાઇ કો.પટેલ, રહેવાસી ઉંડાચ, વાણિયા ફળિયું, ગણદેવી હોવાનું જાણવા મળ્યું. વીડિયોમાં દેખાતી મોપેડના માલિકોની તપાસ બાદ પોલીસે ઋત્વિકના સરનામે પહોંચી તેની ધરપકડ કરી. ઋત્વિકની પૂછપરછમાં તેના અન્ય મિત્રો ગૌરવ કમલેશભાઇ શંકરભાઇ, પ્રફુલ સુરેશભાઇ બાબુભાઇ નાયકા અને જય બિપીનભાઇ પટેલના નામ પણ સામે આવ્યા, જેમને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ ઇન્સ્ટાગ્રામ પર 'લાઇક' અને 'ફોલોઅર્સ' વધારવા માટે આવા જોખમી અને નિર્લજ્જ વીડિયો બનાવીને અપલોડ કરતા હતા. પોલીસે આ ગુનાહિત કૃત્ય બદલ તમામ આરોપીઓની કાયદેસરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશના મેટ્રોપોલિટન સીટી ગણાતા અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ભારણ ઘટાડવા માટે મુખ્ય 25 જંકશન ઉપર ટ્રાફિકને લઈ ડ્રોન એરિયલ સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. શહેરના વધુ 10 જંકશનો ઉપર પણ ડ્રોન એરિયલ સર્વે તેમજ ટ્રાફિકની અવરજવર અંગેનો સર્વે કરાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આગામી 10 વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ સર્વે કરવામાં આવશે. જેથી કોર્પોરેશન અને પોલીસ સાથે મળી અને ટ્રાફિકની કેવી રીતે નિવારણ કરી શકાય તે અંગે નિર્ણય લઇ શકશે. 25 જંકશન પર ટ્રાફિકની અવરજવર માટે કોન્ટ્રાક્ટ અપાયોઅમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે, જેમાં અંદાજે 38 લાખ જેટલા વાહનો નોંધાયેલા છે. શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને મુખ્ય જંકશનનો ઉપર ટ્રાફિક વધુ હોય છે. પાર્કિંગના અભાવના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે જેથી તેનું ભારણ ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય 25 જંકશન પર ટ્રાફિકની અવરજવરનો સર્વે કરાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થાને સર્વે માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામાં આવતા રાઉન્ડ દરમિયાન શહેરના વધુ 10 જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી બીજા જંકશન પર પણ સર્વે કરાવવા માટે નિર્ણય લેવાયો છે. આગામી 10 વર્ષના ટ્રાફિક અંગેનો સર્વે કરવામાં આવશેસેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા દ્વારા બીજા 10 જેટલા મુખ્ય જંકશન પર આગામી 10 વર્ષના ટ્રાફિક અંગેનો સર્વે કરવામાં આવશે. જેમાં એરિયલ ડ્રોન સર્વે કરવામાં આવશે કે કેટલો ટ્રાફિક ત્યાંથી પસાર થાય છે. દરેક દિશામાંથી સમયાંતરે કેટલા વાહનો એકસાથે ત્યાંથી પસાર થાય છે. પીક અવર્સ દરમિયાન કેટલા વાહનો અને કેટલો ટ્રાફિક રહે છે તે અંગે માહિતી મેળવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શું કરી શકાય તે અંગેનો પ્લાન પણ બનાવીને આપવામાં આવશે. મુખ્ય જંકશન ઉપર વાહનોના પસાર થવામાં કેટલી જમીનનો ઉપયોગ થાય છે, કેટલું દબાણ છે, ત્યાં અવર-જવરમાં તકલીફ પડી રહી છે કે કેમ, આ તમામ પ્રકારનો સર્વે કરવામાં આવશે. કયા કયા મુખ્ય જંકશન પર સર્વે થશે
યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકી દેવાંશીબા દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા. જોકે, કથિત રીતે એજન્ટોએ તેમને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધા હતા. લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં $54,000 (લગભગ ₹45 લાખ)ની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે ₹1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ રકમ $54,000 સાથે મળીને લગભગ ₹2 કરોડ સુધી પહોંચી શકે છે. સરકાર પાસે મદદની માંગમુસીબતમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડાના પરિજને આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે. હાલમાં આ મામલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને પરિવારને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
નવસારી ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત એક ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પ્રદેશ સંયોજનના ઇન્ચાર્જ મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી ધનકર સહિતના નેતાઓ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ આગામી સમયમાં હાથ ધરાનાર સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) કામગીરી માટે પક્ષના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનો હતો. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાચા મતદારો યાદીમાંથી બાકાત ન રહે અને ખોટા મતદારોનો સમાવેશ ન થાય તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને મતદાર યાદી સુધારણા સંબંધિત વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ઉપસ્થિત નેતાઓએ કાર્યકર્તાઓને આ કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જગદીશ પંચાલ, મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી ધનકરે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને તેમને મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની ઝીણવટભરી માહિતી આપી હતી.
ભરૂચમાં રોટરી ક્લબ ઑફ ભરુચ હેરિટેજ દ્વારા નર્મદા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજને આશરે રૂ. 55,000ના પુસ્તકોનું દાન કરવામાં આવ્યું છે. આ દાન 12 ડિસેમ્બરે લાઇબ્રેરી બુક ડોનેશન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસાધનોને મજબૂત બનાવવાનો અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટેરિયન અયૂબ પટેલે કામગીરી સંભાળી હતી, જ્યારે જોઈન્ટ સચિવ રોટેરિયન સમીર પટેલ અને સચિવ રોટેરિયન નઝીર પટેલે આયોજનમાં વિશેષ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે રોટરીયન યાસીનભાઈ, ક્લબ એડવાઇઝર અને ભૂતપૂર્વ પ્રમુખ તાલકીન જમીનદાર, ભૂતપૂર્વ પ્રમુખ રીજવાના જમીનદાર, પ્રિન્સિપાલ કૌશલ પટેલ, લાઇબ્રેરિયન રોહિત પરમાર અને પ્રોફેસર વિજય શાહ સહિતના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ પરિવારે રોટરી ક્લબ ઑફ ભરુચ હેરિટેજના આ શૈક્ષણિક પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મહિસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ:₹875 લાખના વિકાસના કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી
મહિસાગર જિલ્લા આયોજન મંડળની એક મહત્વપૂર્ણ બેઠક લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. પ્રભારી મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ₹875 લાખના વિકાસના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કામોમાં જિલ્લાના 6 તાલુકાઓ માટે ₹800 લાખ અને 3 નગરપાલિકાઓ માટે ₹75 લાખનો સમાવેશ થાય છે. આ નિર્ણય જિલ્લામાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે એક નોંધપાત્ર પગલું છે. આયોજન મંડળની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 12 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાયેલી અગાઉની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવામાં આવી હતી. ઉપરાંત, વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જોગવાઈઓ હેઠળ વર્ષ 2025-26 માટે તાલુકા અને નગરપાલિકા કક્ષાએ નવીન આયોજન કરવા અંગે ચર્ચા થઈ હતી. બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ 2025-26નું નવીન આયોજન પણ મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ મંજૂર કરાયેલા કામો (વર્ષ 2023-24 થી નવેમ્બર-2025 સુધીના)ની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેથી કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય. સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) હેઠળના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2025-26 માટે 15 % વિવેકાધીન જિલ્લા કક્ષા જોગવાઈ અને 51 % વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળના આયોજન અંગે પણ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. કાર્યવાહક આયોજન સમિતિઓમાં કામ રદ કરવા કે તેમાં ફેરફાર કરવાના નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલ, ધારાસભ્યો કુબેર ડિંડોર, માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, ગુલાબસિંહ ચૌહાણ, કલેક્ટર અર્પિત સાગર, અગ્રણી દશરથ, નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા, તાલુકા પંચાયત પ્રમુખો સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા જુનાગઢ ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના પ્રથમ દિવસે, બાયોટેકનોલોજીના માધ્યમથી વન્યજીવ સંરક્ષણ અને વ્યવસ્થાપનના નવા આયામો પર વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ગહન ચર્ચા કરી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. ચર્ચા દરમિયાન નિષ્ણાતોએ એક મહત્ત્વપૂર્ણ સૂર વ્યક્ત કર્યો હતો કે, માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુઓ અને લોકોમાં નવીન રોગોનો ઉદ્ભવ થઈ રહ્યો છે. GSBTM દ્વારા ફંડ અને સંશોધનની હિમાયત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે,ગીરના સિંહ જેવા જગવિખ્યાત વન્યજીવોના ઓબ્ઝર્વેશન અને સંરક્ષણ માટે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધનો હાથ ધરવા GSBTM તત્પર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સિંહ સહિતના વન્ય પ્રાણીઓમાં આવતા આનુવંશિક રોગોથી બચાવવા માટે શું કરી શકાય, તેના પર મંથન કરવું જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને વન્યજીવોના સંરક્ષણ માટે સહયોગથી કામ કરવાની હિમાયત કરી અને ખાતરી આપી કે GSBTM દ્વારા આવા રિસર્ચ માટે પૂરતું ફંડ આપવામાં આવશે. તેમણે કોરોના મહામારી દરમિયાન વેક્સિન દ્વારા બાયોટેકનોલોજીના સકારાત્મક પ્રભાવનું ઉદાહરણ આપી, યુવાનોને આત્મવિશ્વાસ સાથે સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. માનવ-પ્રાણી સંઘર્ષ અને રોગ નિયંત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો જેમાં રામ રતન નાલાએ જણાવ્યું હતું કે જૂનાગઢ વન્ય વર્તુળના મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું કે, સંરક્ષણના પરિણામે વન્યજીવોની સંખ્યામાં મોટો વધારો થયો છે, જેનાથી માનવ સાથે સંઘર્ષ વધ્યો છે. આ સંઘર્ષની સાથે નવીન પ્રકારના રોગો પણ જોવા મળી રહ્યા છે, જેના પ્રિવેન્શન માટે પૂરતી તૈયારી રાખવી જરૂરી છે.ડો. નિશિથ ધારૈયા એ જણાવ્યું હતું કે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફના ડાયરેક્ટરે જણાવ્યું કે, શહેરી અને પ્રવાસન સ્થળોએ વન્યજીવોના આવાગમનથી તેઓ માનવકૃત ખોરાક લે છે, જેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે.એને ડો. એસ. કે. ગુપ્તા એ જણાવ્યું હતું કે માય લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદૂન,ના સાયન્ટિસ્ટે જણાવ્યું કે, મનુષ્ય પર વન્યપ્રાણીઓ દ્વારા હુમલો થાય ત્યારે, હુમલો કરનાર પ્રાણીના વાળ, લાળ કે ટીશ્યુના નમૂના લઈ બાયોટેકનોલોજીના માધ્યમથી પૃથ્થકરણ કરી સચોટ જવાબો મેળવી શકાય છે. દૂધ ઉત્પાદન અને ઓલાદ સુધારણામાં બાયોટેકનોલોજી રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક અમિત કાનાણીએ પશુપાલન ક્ષેત્રે બાયોટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, તેની મદદથી દૂધાળા પશુઓમાં રોગ નિયંત્રણ કરી શકાય છે અને દૂધ ઉત્પાદન પણ વધારી શકાય છે. તેમણે સેક્સ્ડ સીમન ટેકનિકનો ઉપયોગ કરીને પશુઓમાં ઓલાદ સુધારણા અને શ્રેષ્ઠ નસલ દ્વારા પશુઓના સંરક્ષણની વાત કરી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, દેશની ઉન્નતિ માટે નવા વિચાર સાથે ઇનોવેશનનો અભિગમ રાખવો જરૂરી છે.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓનો ઉલ્લેખ કરી GSBTM સાથે જોડાઈને વન્યજીવ સંરક્ષણના રિસર્ચને ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.ડો. અપૂર્વ સિંહ પુવારે (ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર) એ વન્યજીવનના જીનોમિક્સ સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મિશનના ડાયરેક્ટર ડી.ડી.જાડેજાએ અંતમાં વન વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ વિષયો પર રિસર્ચ કરવા અને પોતાના મંતવ્યો રજૂ કરવા આહ્વાન કર્યું હતું, જેનાથી ગીરના સિંહ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે એક નવો રોડમેપ તૈયાર થઈ શકે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક(LRD) કેડર માટે યોજાયેલી સમગ્ર ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે 12 ડિસેમ્બર 2025ના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં લાખો ઉમેદવારો દ્વારા આતૂરતાથી રાહ જોવામાં આવતા આ પરિણામ સાથે લોકરક્ષક કેડરની લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. ભરતી બોર્ડે જણાવ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયા શારીરિક કસોટી, લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી સંપૂર્ણ પારદર્શકતા અને નિષ્પક્ષતા સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ઉમેદવારોની સુરક્ષા અને ભરતીની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે તમામ તબક્કાઓમાં ટેક્નોલોજી આધારિત માપદંડો અપનાવવામાં આવ્યા હતાં. CCTV મોનીટરીંગ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને મશીન આધારિત OMR ચકાસણી દ્વારા સમગ્ર પ્રક્રિયાને નિષ્ઠાપૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો. LRD કેડરનું આખરી પરિણામ તથા ભરતી સંબંધિત તમામ દસ્તાવેજો આજે જ મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય તેમજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્યને સુપ્રત કરવામાં આવ્યા છે. આ સાથે ભરતી પ્રક્રિયાના સત્તાવાર સમાપનની પૂર્ણાહુતિ પણ થઈ છે. ભરતી બોર્ડે સૂચના આપી છે કે, ઉમેદવારો પોતાના મેરિટ ક્રમાંક, પસંદગીની સ્થિતિ, કેટેગરીવાઈઝ કટ-ઓફ માર્ક્સ તેમજ તમામ વિગતો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકે છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ Final Result – Lokrakshak Cadre (GPRB/202324/1) વિભાગમાં જઈ પોતાની વિગતો દાખલ કરી રહેશે. લોકરક્ષક કેડરની ભરતીમાં પસંદગી મેળવનાર ઉમેદવારોને આગળની નિયુક્તિ પ્રક્રિયા અંગેની માહિતી આગામી દિવસોમાં અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે.
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર વેપારીઓને ટાર્ગેટ કરતી એક હનીટ્રેપ ગેંગે જામકંડોરણા વિસ્તારના એક આધેડ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. એક મહિલા આરોપીએ ચેટિંગ કરીને વેપારીને મળવા બોલાવ્યા બાદ જામનગર નજીક અવાવરું જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં ગેંગના અન્ય સભ્યોએ મહિલાના સગાં તરીકે ઓળખ આપી વેપારી સાથે મારપીટ કરી અને દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. 50 લાખની માંગણી કરી હતી. જોકે આખરે રૂ. 6 લાખનું સેટલમેન્ટ કરીને આંગડિયા મારફત રકમ પડાવી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની મોડેસ ઓપરેન્ડીમાં માત્ર ફોર-વ્હીલર લઈને આવતા 40થી 60 વર્ષના વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ જ ટોળકીએ અન્ય બે વેપારીઓ સાથે પણ હનીટ્રેપ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેના અલગ ગુના નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. પોલીસે બે મહિલા સંહિત સાત આરોપીઓની ધરપકડ કરી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારી સાથે હનીટ્રેપ થયા હોવાની જાણ થતા તેની ઓળખ ગુપ્ત રાખી ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સંહિત સાત આરોપીઓની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપી પૈકી જાનવી પંચોલી સામે તાજેતરમાં થોડા સમય પૂર્વે જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે, જ્યારે બાકીના આરોપી વિપુલ સુસરા સામે 3 ગુના, સવજી ઠુંગા અને વિશાલ પરમાર વિરુદ્ધ એક-એક ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી શું હતી? પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જુદા જુદા વેપારીઓનો સંપર્ક શોધી બાદમાં વેપારીને વ્હોટ્સએપ પર હાય, હેલો, અને હાઉ આર યુ જેવા મેસેજ કરી બાદમાં વાત શરૂ કરતા હતા. જેમાં સામે રિસ્પોન્સ મળે તો આગળ વાત કરી બાદમાં તેને જાળમાં ફસાવી મળવા માટે બોલાવતા હતા. તેમાં પણ જો કોઈ ટુ વ્હિલર લઈને આવે તો મળવાનું ટાળી દેતા હતા. કારણ કે તેમનો પ્લાન ફોર વ્હિલરમાં આગળ અવાવરું જગ્યાએ લઇ જવાનો રહેતો હતો. વેપારીઓને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાફોર વ્હિલર લઈને વેપારી આવે તો તેની સાથે અવાવરું જગ્યાએ મળવા પહોંચી બાદમાં ગેંગના બાકીના સભ્યો આવી મહિલાના ભાઈ, પિતા, પતિ, મામા સહિતની જુદી જુદી ઓળખ આપતા. જે બાદ વેપારી સાથે મારામારી કરી દુષ્કર્મ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જો કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે કહી રૂપિયાની માંગણી કરી રૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓ રૂપિયા મેળવ્યા બાદ 14 ભાગ પાડતા હતા અને રૂપિયાની ભાગબટાઈ કરતા હતા અને તમામ અલગ અલગ હિસ્સામાં રૂપિયા ઓલવી લેતા હતા. જામકંડોરણાના વેપારી પાસે 50 લાખની માંગણી કરાઈપોલીસ તપાસમાં જામકંડોરણાના વેપારી સાથે સંપર્ક કેળવી બાદમાં તેની સાથે વ્હોટ્સએપ પર ચેટિંગ કરી મળવા બોલાવ્યા હતા. જે બાદ મહિલા વેપારીને લઇ જામનગર નજીક અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં ઉભા રહેતા પાછળથી શખ્સોએ આવી મહિલાના પરિવારજન તરીકે ઓળખ આપી વેપારી સાથે મારકૂટ કરી હતી. મહિલાને બાઈક મારફતે પરત મોકલી વેપારીને દુષ્કર્મ સહિત ખોટા કેસની ધમકીઓ આપી ફસાવી દેવા બ્લેકમેલ કર્યા હતા અને તેની પાસેથી રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવી હતી. 6 લાખ મેળવી વેપારીને છોડી દેવામાં આવ્યારકજકના અંતે 6 લાખમાં સેટિંગ થતા પીએમ આંગડિયા જામનગર પેઢી ખાતેથી 6 લાખ મેળવી વેપારીને છોડી દેવામાં આવ્યા હતા. વેપારી પોતાની આબરૂ જવા બીકે ફરિયાદ ન કરતા હતા પરંતુ પોલીસે વિશ્વાસ અપાવી ઓળખ છુપાવાની ખાતરી આપતા અંતે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ, હનીટ્રેપ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરાયોપકડાયેલા આરોપીઓ દ્વારા અન્ય બે વેપારી સાથે આ રીતે હનીટ્રેપ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે બંને વેપારી પોલીસના સંપર્કમાં છે. અન્ય કોઈ લોકો આ રીતે ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જેની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે. હાલ પોલીસે સાતેય આરોપીજે ઝડપી પડી તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈ જાણકાર લોકો એટલે કે પોલીસ અથવા તેના પરિજનો, વકીલ અથવા તેના પરિજનો, રાજનેતા કે તેના પરિજનો આ ટોળકીની જાળમાં ફસાય જાય તો તેને છોડી દેતા હતા તેની પાસે કોઈ રૂપિયાની માંગણી કરતા ન હતા કારણ કે તેનાથી પોતે પોલીસ પકડમાં આવી જશે તેવી બીક હતી, માટે આરોપીઓ મોટા ભાગે વેપારીઓ તેમજ આધેડ અને સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરવાનું નક્કી કરતા હતા.
અમદાવાદ શહેરમાં આવેલા 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે રીસ્ટ્રીકટેડ હાઇટ બેરીયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવશે. 2.49 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ 16 બ્રિજ પર બેરિયર લગાવી દેવામાં આવશે જેના કારણે થઈને ભારે અને ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં. અન્ય બ્રિજ પર લોડીંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડીઝાઈન કેપેસીટી અંગેના ઇન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવવામાં આવશે.
નેગેટિવ સમાચારને પોઝિટિવ લઇએ છીએ:CM ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ફેસ્ટિવલ 'ભારત કુલ'નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું.આ દરમિયાન તેમણે કહ્યું, નેગેટિવ સમાચારને પોઝિટિવ લઇએ છીએ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટઃ SRP જવાને પોલીસ કમિશનર કચેરીમાં આપઘાત કર્યો રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં જ SRP જવાને આપઘાત કર્યો. ચાલુ ફરજે કચેરીના ગેટ પાસે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી.મૃતક ગજુભા રાઠોડ મૂળ કચ્છના મોટા રાપર ગામના વતની હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વલસાડઃ 42 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું વલસાડના કૈલાશ રોડ ઉપર 42 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું.આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. સદનસિબે કોઈ જાનહાનિ થઈ નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બાઇક-રિક્ષા વચ્ચે અકસ્તમાત,મહિલા બળીને ભડથું અંકલેશ્વર-વાલિયા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્તમાત સર્જાતા ભીષણ આગ ફાટી નીકળી.જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ડૉક્ટર કારચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉડાવ્યો વડોદરામાં ડોક્ટર કારચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉડાવ્યો. આ અકસ્માતમાં નયનભાઈ મરાઠે નામના સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું છે.અકસ્માત બાદ પણ ડોક્ટર કારચાલક નફ્ફટની જેમ હસતો રહ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો VCEને વધારાની કામગીરી માટે મિનિમમ રૂ.20 ચૂકવાશે હવે ગ્રામ પંચાયતના VCEને સોંપવામાં આવતી વધારાની કામગીરી માટે મિનિમમ રૂ.20 ચૂકવાશે. જેનો ઇ-સેવા આપતાં 14 હજાર વીસીઇને ફાયદો થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શિક્ષિકા પત્નીની ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાએ 35 હજારના પગારદાર પતિ પાસે 50 હજારનું ભરણપોષણ માગ્યું. નવાઈની વાત એ છે કે બંને એક જ ઘરમાં સાથે રહે છે.કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પત્નીની અરજી ફગાવી દીધી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું મહીસાગરના બાલાસિનોરમાંથી પોલીસે 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો.ખેતરમાં એરંડાના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે કૂલ 473 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રિસામણે ગયેલી પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી ગીરસોમનાથમાં રિસામણે ગયેલી પત્નીને પતિએ છરીના 7 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી.બાઈક અને હથિયાર મૂકી આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નલિયા 8.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજ્યમાં શિયાળાની સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું. કચ્છનું નલિયા 8.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. અમદાવાદમાં પણ 0.3 ડિગ્રીના ઘટાડા સાથે 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
રાજકોટમાં શિયાળાના પ્રારંભ સાથે જ ખોરાક અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેને લઈને મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા પર્યટન સ્થળો અને ખાણીપીણીના બજારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અટલ સરોવરની ફૂડ કોર્ટમાં આવેલા ફિરંગી બર્ગરમાંથી 18 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે કાઠિયાવાડી કસુંબો, કે.કે. એન્ટરપ્રાઇઝમાંથી 5 કિલો જેટલા વાસી અને એક્સપાયરી ડેટ વાળા સાબુદાણા વડા તથા બ્રેડ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. એટલું જ નહીં પ્રદ્યુમ્ન પાર્ક અને ગાંધી મ્યુઝિયમમાં આવેલા 'ચરખા' સહિતના એકમોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આજે કુલ 23 કિલો જેટલો વાસી ખોરાક જપ્ત કરી તેનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. તેમજ 15 વેપારીઓને લાયસન્સ માટે નોટિસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હાથ ધરેલી આ ડ્રાઈવમાં કુલ 41 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન 30 જેટલા નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરાઈ હતી અને લાયસન્સ વગર વ્યવસાય કરતા 15 વેપારીઓને નોટિસ આપી તાકીદે લાયસન્સ મેળવવા સૂચના અપાઈ છે. રાજકોટમાં પ્રથમ વખત આ રીતે અટલ સરોવર, પ્રદ્યુમ્ન પાર્કની કેન્ટીનો અને ગાંધી મ્યુઝિયમ જેવી જગ્યાએ એકસાથે દરોડા પાડવામાં આવતા ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાનાં ફૂડ વિભાગે જણાવ્યા મુજબ અટલ સરોવર ફૂડ કોર્ટમાં આવેલી ફિરંગી બર્ગર/શાશ્વત ફૂડ્સમાં તપાસ કરતા ત્યાંથી 18 કિલો ફ્રોઝન મોમોઝનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા પર ઉત્પાદકની કોઈ વિગત કે લેબલિંગ ન હોવાથી તેને અખાદ્ય ગણી નાશ કરવામાં આવ્યો હતો. તેવી રીતે અટલ સરોવરના કાઠિયાવાડી કસૂબો/કે.કે. એન્ટરપ્રાઇઝમાંથી 5 કિલો જેટલા વાસી અને એક્સપાયરી ડેટ વાળા સાબુદાણા વડા તથા બ્રેડ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત અટલ સરોવરમાં કાર્યરત જમ્બો સ્નેક્સ, ઓસ્ટેલો સીસીએલ, માં આર્શિવાદ મદ્રાસ કાફે, ઓમ ફૂડ ઝોન, સદગુરુ કેટરર્સ, કેટી ફૂડ વેન્ચર, હેવમોર-કંપની આઉટલેટ અને ટાઢક ફૂડઝ બેવરેજીસ જેવા એકમોમાં પણ હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સ બાબતે ઝીણવટભરી તપાસ કરાઈ હતી. શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો આજીડેમ ચોકડી પાસે આવેલી રાજકોટ અમેરિકન મકાઈ, ચામુંડા કોલ્ડ્રિંક્સ, ભેરૂનાથ પાણીપુરી, ગાયત્રી કોલ્ડ્રિંક્સ, શિવશક્તિ સોડા સેન્ટર અને સાલોની પાણીપુરી સહિતના 15 જેટલા એકમોને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત રામકૃષ્ણ આશ્રમ પાસે આવેલા બોમ્બે સ્ટાઈલ ભેળ, ઈશ્વર ઘૂઘરા, સંતોષ ભેળ અને ઠક્કર લચ્છી જેવા જાણીતા સ્થળોએ પણ ફૂડ વિભાગની ટીમે વિઝિટ લીધી હતી. પ્રદ્યુમ્ન પાર્કની મુલાકાતે આવતા સહેલાણીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ત્યાં આવેલી રામનાથ કેન્ટીન, શ્રી રામ કેન્ટીન, તિરૂપતિ કેન્ટીન અને ચામુંડા કેન્ટીનમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ જવાહર રોડ પર સ્થિત ગાંધી મ્યુઝિયમમાં આવેલી 'ચરખા ઈટરી'માં પણ ખાદ્યચીજોની ગુણવત્તા તપાસવામાં આવી હતી. આટલું જ નહીં, શહેરની પ્રતિષ્ઠિત ગણાતી ભાભા હોટલ, રાધે હોટલ, જોકર ગાંઠિયા અને મોંજીનિસ કેક શોપમાં પણ ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચકાસણી કરાઈ હતી. ખાણીપીણીના તૈયાર નાસ્તા સિવાય ફૂડ વિભાગે ગૃહ ઉદ્યોગો પર પણ નજર ફેરવી છે. ભાવનગર રોડ પર શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી મેગા ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાંથી 'ધનુષ' બ્રાન્ડના રોસ્ટેડ અને મસાલા ચનાના નમૂના લેવાયા છે. તેમજ સંત કબીર રોડ પર આવેલા વિજય સીંગ સેન્ટરમાંથી પણ શેકેલા ચણાના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં અખાદ્ય સામગ્રી પીરસતા એકમો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 6થી 10 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. દર વર્ષે ગુજરાતની અલગ- અલગ મહાનગરપાલિકામાં ટૂર્નામેન્ટ યોજાય છે જે આ વર્ષે ભાવનગર મહાનગર પાલિકાને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન પદ મળ્યું છે. જેમાં ગુજરાત રાજ્યની 8 મહાનગર પાલિકાની મેયર ઇલેવન ટીમ અને કમિશનર ઇલેવન ટીમ ભાગ લેશે,જેને પગલે મનપા દ્વારા તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. આ બે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજનઆ અંગે મેયર ભરત બારડે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા વચ્ચે 6થી 10 જાન્યુઆરી સુધી ટુર્નામેન્ટ રમાવાની છે. તેમાં 8 મહાનગરની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એવી રીતે કુલ 16 ટીમોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ ભાવનગરમાં સરભાવસિંહજી ક્રિકેટ ક્લબ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને જરૂર જણાશે તો રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવશે. 'મુખ્યમંત્રી, હર્ષ સંઘવી સહિતને આમંત્રણ અપાયું'તેને વધુમાં કહ્યું કે, દરેક ખેલાડીઓને સંપૂર્ણ સગવડતા સાથે મનપા દ્વારા તેમને તમામ સગવડ પુરી પાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયાને અને ભાવનગરના ધારાસભ્યોને આમંત્રણ પાઠવામાં આવશે.
રાજકોટ શહેરમાં ગઈકાલે(11 ડિસેમ્બર) મહિલાને માર મારવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરસી પર ગળું દબાવી આડેધડ મુક્કા માર્યાં હતાં. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ યુવકે પણ યુવતી તેને માર મારતી હોય તેવા સીસીટીવી ફૂટેજ વાઇરલ કરાવ્યા હતા. આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે આ એક આખું ષડયંત્ર છે. મને મારવામાં આવ્યો તે વર્ષ 2024ની ઘટના છે. જેની જાણ મેં મૌલિક્ના પરિવારજનોને પણ કરી હતી આ પછી તેના પિતાએ સમાધાન કરાવ્યું હતું અને હવે એવું નહીં કરે તેવો વિશ્વાસ આપ્યો હતો. બનાવના સીસીટીવી ફૂટેજ મારી પાસે હોવાની જાણ થતા મૌલિકે ષડયંત્ર રચી પોતાને ગિલ્ટી ફીલ થાય છે તો તું પણ મને મારી લે તને સંતોષ થઇ જશે કહી ઉશ્કેરી હતી. જેથી મેં તેને માર્યું હતું. મૌલિકે મને ખુરશીમાંથી પછાડી માર માર્યો હતો. જ્યારે પોતે સામેથી સુઈ જાય છે અને મને મારવા માટે ઉશ્કેરે છે. તે મને શારીરિક માનસિક ત્રાસ આપતો, જેનાથી કંટાળી મેં મને ખુદને માર પણ માર્યો હતો અને આત્મહત્યાની કોશિશ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ આજે હકીકત જાણવા માટે દિવ્યભાસ્કરે પીડિત મહિલા સાથે વાતચીત કરી હતી. મૌલિકે ષડયંત્રપૂર્વક સમગ્ર ઘટનાને અંજામ આપ્યો- યુવતીઆ મહિલાએ જણાવ્યું કે, મૌલિકે મારી સાથે ષડયંત્ર પૂર્વક ઘટનાને અંજામ આપ્યો છે. મેં જે બે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા તે વર્ષ 2024ના છે અને મૌલિકે જાહેર કર્યા એ સીસીટીવી ફૂટેજ વર્ષ 2025ના છે. મને ખુરશીમાંથી પછાડી વાળ પકડી ગળું દબાવી ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો. જેની જાણ મેં તેના પરિવારજનોને કરી હતી અને વિડીયો પણ બતાવ્યા હતા. ત્યાર પછી અમારી વચ્ચે સમાધાન થયું હતું. મહિલા પોલીસ સ્ટેશન પણ હું ફરિયાદ કરવા પહોંચી હતી. જ્યાં એના પિતાએ સમાધાન કરાવ્યું હતું અને હવે આવું નહીં કરે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારે પણ મને એના પિતાએ કહ્યું કે મારા દીકરાનો વાંક છે જ જેથી મેં તેની સામે ત્રણ ચાર લાફા માર્યા હતા. આ મૌલિક ઉપર મેં ભરોસો કર્યો હતો અને એ મને વારંવાર શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો. જેનાથી કંટાળી હું ખુદને માફ કરી શકતી ન હતી. માર પર ગુસ્સો કરી ખુદની જાતને જ માર મારતી હતી અને એના ત્રાસથી કંટાળી ન્યારી ડેમ પહોંચી સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ સ્યુસાઇડ નોટ મારી બેનને મળતા મૌલિક અને તેના પિતાને જાણ કરવામાં આવી હતી. જે બાદ તે બન્ને મને શોધતા શોધતા ન્યારી ડેમ આવ્યા હતા. આ પછી સમાધાન થયું હતું. જો કે એમ છતાં તેણે ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું. આ પછી એક દિવસ મૌલિકે મને ઉશ્કેરી હતી અને પોતાને ગિલ્ટી ફીલ થાય છે તું પણ મને મારી લે તો તને શાંતિ થશે અને પછી પોતે જાતે ઓફિસમાં સુઈ ગયો હતો અને તેણે મને પોતાના ઉપર બેસીને મારવાનું કહેતા મેં તેને માર્યું હતું. 2021માં નોકરીના ઈન્ટરવ્યૂ દરમિયાન યુવતીની મૌલિક સાથે મુલાકાત થઈ હતીબન્ને સંપર્કમાં કેવી રીતે આવ્યા તે અંગે કહ્યું કે, મારો અને મૌલિકનો સંપર્ક એક જોબ ઇન્ટરવ્યૂમાં 2021માં થયો હતો. ત્યારબાદ વર્ષ 2022થી બન્નેએ સાથે પેકેજિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં મેં લોન લઇ ક્રેડિટ કાર્ડથી અલગ અલગ રીતે રૂપિયા આપ્યા હતા. ધંધા માટે જે રૂપિયા આપ્યા હતા તેનો બીજે ઉપયોગ કરતો હતો અને મને આ વસ્તુની જાણ ન હતી. ત્યાર બાદ રૂપિયા માંગતા બન્ને વચ્ચે ઝઘડા થયા હતા. જો કે આ પછી સમાધાન પણ થયું હતું. પરંતુ થોડા દિવસ પહેલાં ફરી રૂપિયા માંગતા મને બેફામ ગાળો આપતા આખરે કંટાળીને મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જૂન-2025માં સુસાઈડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતોજૂન 2025ના રોજ લખેલી સ્યુસાઇડ નોટમાં મહિલાએ લખ્યું હતું કે, 3 વર્ષ પહેલા મૌલિકને 3 લાખ રોકડા તેમજ કોઈને કહ્યા વગર મારા ફ્લેટ પર લોન લઇ 15 લાખ ધંધા માટે આપ્યા હતા. એ પછી પર્સનલ લોન 10 લાખ, મમ્મીને 10 લાખ આપ્યા તેની જવાબદારી મૌલિકે લીધી હતી. મને 3 વર્ષથી માર મારતો અને ટોર્ચર કરતો હતો. ગાળો આપતો હતો અને બદનામ કરવાની ધમકી આપતો હતો. મારા ફોટા વિડીયો બધાને મોકલી બદનામ કરવા મને હેરાન કરતો હતો આ બધું ટોર્ચર કોઈ બીજી છોકરીના કહેવાથી કરતો હતો. હું તેનાથી હેરાન થઈને જાવ છું, ગાળો આપે છે અને બોવ માર મારે છે. પોતે કરેલી વાતથી ફરી ગયો છે. મારા માટે કહી વધ્યું નથી બધું ધીમે ધીમે લઇ લીધું છે પોતાની જાત પર આવી ઉભો રહી ગયો છે. મૌલિક્ના ત્રાસથી હેરાન થઇ હું મરવા જાવ છું. મિત્રતા, ધંધામાં ભાગીદારી, મારામારી અને વિશ્વાસઘાતની ફરિયાદ36 વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે નોકરીની જરૂરીયાત હોવાથી વર્ષ 2021માં ઓનલાઇન જોબ એપ્લીકેશન મારફત મૌલિક પ્રફુલભાઇ નાદપરાનો સંપર્ક કર્યો હતો. મારે તેની સાથે ફોન ઉપર વાત પણ થઇ હતી અને ત્યારબાદ અમે બન્નેએ ભાગીદારીમાં ઓફિસ લઈ અને ધંધો કરવાનુ નક્કી કર્યું હતું. લોન લીધા બાદ તેના હપ્તા બન્ને સાથે ભરીશું તેવુ કહ્યું હતું. જેથી મે લોન લઈ અને 2023માં 150 ફુટ રીંગરોડ પર શીતલ પાર્ક ચોક મા ધ સ્પાયર ટુ નામની બિલ્ડીંગમાં ઓફીસ નં.913 લઈ પેકેજિંગનો ધંધો શરુ કર્યો હતો. ત્યારબાદ મૌલિક નાદપરાએ અમારા ધંધામા ધ્યાન આપવાનુ બંધ કરતા ધંધો ઓછો ચાલવા લાગ્યો. મેં તેને સમજાવતા તેણે મારી સાથે ઝઘડો કરી બોલચાલી કરતો અને કહેતો કે તારે મને સલાહ આપવી નહીં. જૂન 2025માં હું મારી ઓફિસ ખાતે હતી ત્યારે બપોરના 12 વાગ્યા આસપાસ મૌલિકને મે બેંકમા આપણી લોનના હપ્તા ભરવાનું ચાલુ છે જેથી તુ ધંધામા ધ્યાન આપ કહેતા મૌલીક ઉસ્કેરાઇ અને મને ખરાબ ગાળો આપી, મારા વાળ પકડી, ગળું પકડી નીચે પછાડી જેમફાવે તેમ ઢીકાપાટાનો માર મારવા લાગ્યો હતો અને તેની ઓફીસમા પડેલ પ્લાસ્ટીકનો નાનો પાઇપ લાવી મને શરીરે માર્યો હતો. ત્યારબાદ મારા વાળ પકડી હવે કોઇ સલાહ ન આપતી બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે અરજી આધારે હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના વર્ષ 2017માં લગ્ન થયા હતા અને ત્યારબાદ તેમને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો જો કે પતિ સાથે અણબનાવ થતા વર્ષ 2022માં પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા આ પછીથી મહિલા તેની દીકરી સાથે પોતાના માવતરે રહેતી હતી. ભાગીદાર મૌલિકએ બાળકીની હાજરીમાં માર મારતા બાળકીની ઉપર પણ માનસિક અસર થવા પામી છે અને તે ડરી ગઈ હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો છે. જૂન મહિનામાં માર માર્યો હતો ત્યારબાદ અવારનવાર રૂપિયા પરત આપી દેવા જાણ કરવામાં આવી હતી અને અરજી પાછી ખેંચી લેવા તેમજ સમાધાન કરવા દબાણ કરતો હતો જો કે થોડા દિવસ પૂર્વે ફેઈ રૂપિયા માંગણી કરતા બેફામ ગાળો ફોનમાં આપતા અંતે પોલીએ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સીસીટીવી ફુટેજમાં ઓફિસની અંદર બે વખત માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પરંતુ આ ઉપરાંત પણ અનેક વખત માર મારવામાં આવ્યો છે અને ધમકી પણ અનેક વખત આપવામાં આવેલ છે. આરોપી મૌલિક વિરુદ્ધ સખ્તમાં સખ્ત સજા કાર્યવાહી થાય તેવી મારી માંગણી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-સ્કૂલ પર તવાઈ બોલાવવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરની 35 કરતા વધુ પ્રિ-સ્કૂલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવતા હવે પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરીને AMCના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. ચાલુ સત્રમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જશે તેવી ચિંતા પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કોઈ પ્રકારની નોટિસ આપ્યા વગર પ્રિ-સ્કૂલોને સીલ મારવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ચાલુ સત્ર દરમિયાન પ્રિ-સ્કૂલ સીલ મારવાની કામગીરી ન કરવામાં આવે તેવી માગ કરાઈ છે. છેલ્લા બે દિવસમાં જ 35 જેટલા પ્રિ-સ્કૂલને સીલ મારવામાં આવીરાજકોટ ગેમઝોન બાદ BU પરવાનગી અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલા ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરવાનગી વગર પ્રિ-સ્કૂલ ચાલી રહી છે તે યોગ્ય નથી તેવું કહીને સીલ મરવાની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં જ 35 જેટલા પ્રિ-સ્કૂલને સીલ મારવામાં આવી છે. 35 જેટલી પ્રિ-સ્કૂલને ચાલુ સત્રમાં સીલ મારવામાં આવતા હવે વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યાં થશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી ચાલુ સત્રમાં આ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તેવી AMCમાં રજૂઆત કરવામાં આવી છે. કોઈપણ નોટિસ આપ્યા વગર સીધી પ્રિ-સ્કૂલને સીલ મારીપ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મોટા ભાગની શાળાઓએ BUની પરવાનગી માટે અરજી કરી દીધી છે. તેમજ ઇમ્પેક્ટ ફી ભરીને તેના કાગળ પણ AMCમાં મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ફાઈલો ક્લિયર થતી જ નથી. ફાઈલો ક્લિયર થાય તો અમને BU પરમિશન મળી રહે, પરંતુ અચાનક જ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધી પ્રિ-સ્કૂલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે. એકેડેમિક વર્ષનો સમય આપવામાં આવે તેવી રજૂઆતપ્રિ-સ્કૂલ એસોસિએશનના અમદાવાદ ઝોન સેક્રેટરી સાગર નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં 35 જેટલી પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે. જેમાં કારણે 850 કેટલા બાળકો શિક્ષણથી વંચિત રહેવાના છે. જેથી વિદ્યાર્થીઓના હિત માટે AMC ચેરમેનને રજૂઆત કરી હતી. નોટિસ અમને મળી કે ન મળી તે બધી બાબતથી દૂર રહીને વિદ્યાર્થીઓની ચિંતા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જે બાદ તેનું કંઈક નિવારણ લાવવા માટે ખાતરી આપવામાં આવી છે. તેમજ BU પરવાનગી ન લીધી હોય તો એકેડેમિક વર્ષનો સમય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે ચાલુ સત્રમાં સ્કૂલને સીલ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ જાય ક્યાં ? જેથી ચાલુ સત્રમાં સ્કૂલને સીલ મારીને વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત ન રાખી શકાય. AMCએ તમામ પ્રિ-સ્કૂલને સપ્ટેમ્બરમાં એક એક કાગળ આપ્યા હતાખોટી રીતે કાર્યવાહી કરાઈ હોવાનું કહી વધુમાં સાગર નાયકે જણાવ્યું હતું કે, ઇમ્પેક્ટ માટે તમામ પ્રિ-સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી દીધી છે. ફાઈલો આગળ પહોંચી ગઈ છે, પરંતુ ત્યાંથી કોઈ ફાઇલ ક્લિયર થતી નથી. ત્યાંથી ક્લિયરન્સ ક્યારે આવશે ? અને શું થશે ? તેમાં અમે શું કરવાના. AMCએ તમામ પ્રિ-સ્કૂલને સપ્ટેમ્બરમાં એક એક કાગળ આપ્યા હતા. જેમાં એવું લખેલું હતું કે, તમે લોકોએ જે પણ BU માટે કામગીરી કરી હોય તે 7 દિવસમાં રજૂ કરાવી દેવામાં આવે. 'અઢી મહિના સુધી કઈપણ ચેક કરવા માટે આવ્યું નથી'ઇમ્પેક્ટ ફી સહિતના કાગળ અમે લોકોએ રજૂ કરી દીધા હતા. જેના અઢી મહિના સુધી કઈપણ ચેક કરવા માટે આવ્યું નથી. જે બાદ હવે અચાનક સીલ મારવાની શરૂઆત કરવામાં આવી. નોટિસ આપ્યા વગર જ પ્રિ-સ્કૂલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એ તદ્દન ખોટું છે, પરંતુ અમારા માટે બાળકોના શિક્ષણની ચિંતા વધારે છે જેથી અમે રજૂઆત માટે ગયા હતા. જ્યાં આશ્વાશન આપવામાં આવ્યું છે કે કઈક રસ્તો કાઢવામાં આવશે.
ભુજમાં દાદુપીર રોડ પર ગઈકાલે રાત્રે એક ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો. 25 વર્ષીય આમરીન અલાના પઢિયારની તેના પતિ ફિરોઝ ઇબ્રાહિમ સિદીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. આરોપી પતિ હત્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ભુજ નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફિરોઝે દાદુપીર માર્ગ પરથી પસાર થતી તેની પત્ની આમરીન પર પાછળથી ધારિયાના અનેક ઘા ઝીંક્યા હતા. તેણે પોલીસ મથકે હાજર થઈને કબૂલ્યું હતું કે, તેણે તેની પત્નીની હત્યા કરી છે. મૃતક આમરીન અને આરોપી ફિરોઝના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. જોકે, બંને વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અલગ રહેતા હતા. આરોપી ફિરોઝ તેની પત્ની પર શંકા રાખતો હતો અને ગુસ્સામાં રહેતો હતો, જે આ હત્યાનું કારણ બન્યું છે. આ સરાજાહેર હત્યાના બનાવને પગલે ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને 112 મારફતે જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલા 108 એમ્બ્યુલન્સ દ્વારા આમરીનને લોહીલુહાણ હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે આમરીનને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં હતભાગી મહિલાના પરિવારજનો અને અન્ય લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે ઉમરા ગોથાણ બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જી હતી. ટ્રકે એક-બે નહીં પણ 3થી વધુ કારને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું. 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારીપ્રાપ્ત માહિતી અનુસાર, આજે આ ઘટના ઉમરા ગોથાણ બ્રિજ પર બની હતી. બેફામ ગતિએ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. કારોને ટક્કર માર્યા બાદ આ બેકાબૂ ટ્રક અન્ય એક ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગયો હતો, જેના કારણે અકસ્માતની ગંભીરતામાં વધારો થયો હતો. ટ્રક ચાલક ફરાર, લોકોને સામાન્ય ઇજાસદ્દનસીબે, આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ઉમરા ગોથાણ બ્રિજ અને આસપાસના રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. એકસાથે આટલા વાહનોને નુકસાન થવાથી અને ટ્રક રસ્તા વચ્ચે ઊભો રહેવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બેફામ ડ્રાઇવિંગના જોખમો પર ફરી એકવાર સવાલ ઊભા કરે છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 24 કિલોમીટરથી વધુ લાંબા ગ્રીનફીલ્ડ બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. ખોડલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો. ગઇકાલે બાયપાસનું ખાતમુહૂર્તપાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઘણા સમયથી હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારે 562 કરોડથી વધુના ખર્ચે 24 કિલોમીટરથી લાંબા બાયપાસને મંજૂરી આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે આ બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને હવે તેનું કામ શરૂ થવાનું છે. પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યાજોકે, બાયપાસ મંજૂર થયો ત્યારથી જ જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતો પૂરતા વળતરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત બાદ પણ ખેડૂતોનો રોષ શાંત પડ્યો નથી. આજે ખોડલા ગામે એકઠા થયેલા ખેડૂતોએ એક ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિવિધ માંગણીઓ દર્શાવતા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. જમીનનું પૂરતું વળતર આપવા માંગખેડૂતોનું કહેવું છે કે તેમને વિકાસ સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમની સંપાદિત થતી જમીનનું પૂરતું વળતર મળવું જોઈએ. ખેડૂતોએ સરકાર પર વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો પૂરતું વળતર નહીં મળે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને જમીનનો એવોર્ડ મળ્યો ન હોવા છતાં ખાતમુહૂર્ત કરી દેવાયું છે. એક તરફ સરકાર વિકાસના કાર્યો કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના ગંભીર આક્ષેપો અને ચૂંટણી બહિષ્કારની ચીમકીને કારણે આ બાયપાસ પ્રોજેક્ટ ફરી વિવાદમાં સપડાય તેવી શક્યતા છે. 'ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળી નથી'આ અંગે ખેડૂત સોમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે બે-ત્રણ વર્ષથી બાયપાસ માટેની રજૂઆતો સરકારમાં કરી છે, અમે મુખ્યમંત્રીની બે-ચાર વખત મીટિંગો કરી. મુખ્યમંત્રી અમને એવો આદેશ આપ્યો કે બાયપાસ તો નીકળવાનો જ નથી, જમીન ખેડૂતની લેવી જ નથી, અમે બ્રિજ બનાવશું. છતાં કાલે મુખ્યમંત્રી આવી અને રોડનું ખાત મુર્હત કર્યું. ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળી નથી અને પૂરતા અમને ભાવ ચૂકવણું કર્યું નથી. ખેડૂતને બે વીઘાથી ખેડૂત રખડતો થઈ ગયો. ખેડૂત રખડતો થઈ ગયો, એના છોકરાનું એના પરિવારનું કઈ રીતે ખેડૂત પૂરું કરશે , ખેડૂતની રજૂઆત કેમ સરકાર નહીં સાંભળતી જો રજૂઆત નહીં સાંભળે તો ખેડૂતો બહિષ્કાર કરવા માટે, ચૂંટણીમાં બહિષ્કાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે, તો આ ખેડૂતની રજૂઆત ખરેખર સરકારે સાંભળવી પડે. કલેક્ટર સાથે પણ મીટિંગો કરી પણ કલેક્ટરે પણ અમારી રજૂઆત સાંભળેલી નથી. 'ખેડૂતોની મોંઘી જમીન પડાવી લીધી'ખેડૂત આગેવાન અમૃતભાઈ લોહે જણાવ્યું હતું કે, આજે અમે ખોડલા ગામે દરેક ગામના ખેડૂતો એકઠા થયા છીએ અને અમે અલગ રીતે ખેડૂતનું એક પૂતળું બનાવી અને વિરોધ પ્રદર્શન કર્યું છે. સરકારની સામે જે ખાતમુરત કર્યું, તે ખોડલાથી એમને વિહોણું રાખી અને ખાતમુર્તહ કર્યું છે. ખોડલાની કોઈ કાર્યવાહી કર્યા સિવાય, સંપાદન કર્યા સિવાય એમની ખાતમુરત કર્યું છે જે મુખ્યમંત્રી એ. તો સરકારે કશું આપ્યા સિવાય અમારી મોંઘી, મહામૂલી જમીન, એક તરફ એવું સરકાર કહે છે કે ખેડૂત પ્રધાન દેશ છે, ખેડૂત પ્રધાન દેશ છે, તો ઉપરથી એવું લોકો કહી રહ્યા છે સરકારી માણસો કે ખેડૂત પ્રધાન દેશ છે. તો ખેડૂતનો તો કોઈ, કહેવાયને કે વળતર નામે કશું ચૂકવતી નથી. જે વળતરના નામે એમને ખહડાના હાર પહેરાવી દીધા છે ખેડૂતને અને ખેડૂતની મહામોલી, મોંઘી જમીન પડાવી લીધી છે 'ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું'ખોડલા ગામના ખેડૂત ભગવાન ભાઈએ કહ્યું હતું કે ખોઢલા ગામમાં બાયપાસ જે નીકળવામાં નીકળે છે, એમાં 100 મીટર કર્યું અને 60 મીટર કર્યું. હવે, એમાં 60 મીટર રાખ્યું અને 100 મીટર રાખ્યું. એ એક તો અમને આ સરકારે એવો ભેદભાવ કર્યો છે, કે કોઈ હદ જ મૂકી દીધી છે. પછી, એ અન્ય પછી રેલ્વેની બાજુમાં પુલ આવે છે. તો એ પુલમાં એક જાહેર માર્ગ બોલે છે, કે એ જાહેર માર્ગ આજનો છે નહિ, અંગ્રેજો વખતનો છે. માર્ગ છે હવે ખેડૂતોને એક જ કે નીચા ભાવની તો જમીનો છે અમારી. અમારી બાજુમાં ચડોતર ગામ આવ્યું. ચડોતર અહીંથી અડીને જ છે, નજીક જ છે એકદમ શોર્ટ છે. તો, એમના જે દસ્તાવેજો છે, એમના ભાવો કોક ચૂકવવા નામ લેતા નહિ. તો અમારે શું કરવું, અને અમે આગળ પાછળ આ આજે અમે આંદોલન કરી રહ્યા છીએ, અને કાલે ફરી બે દિવસ પછી અમે કલેક્ટર પાસે મંજૂરી માંગી, અમે ગાંધી માર્ગે આંદોલન કરવાના કલેક્ટરની ઓફિસ આગળ જઇશું.
હિંમતનગરમાં 'સશક્ત નારી મેળો' યોજાશે:21થી 23 ડિસેમ્બર દરમિયાન આયોજન; આજની બેઠકમાં ચર્ચા
હિંમતનગરમાં 21 થી 23 ડિસેમ્બર દરમિયાન 'સશક્ત નારી મેળો' યોજાશે. મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં તેના સુચારુ આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ મેળો હિંમતનગરના સહકારી જીન અક્ષર ટી.પી. રોડ બાજુના મેદાન ખાતે યોજાશે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મેળાના વિવિધ પાસાંઓ પર ચર્ચા થઈ હતી. સંભવતઃ જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં 21 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે મેળાનો પ્રારંભ થશે. આ ત્રિદિવસીય મેળો સવારે 10 થી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લો રહેશે. મેળામાં મહિલા આર્થિક વિકાસ નિગમ, ICDS, મહિલા અને બાળ કલ્યાણ, કૃષિ, સ્વસહાય જૂથો, કુટીર ઉદ્યોગ અને વન વિભાગ સહિત વિવિધ વિભાગોના અંદાજે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓ દ્વારા સંચાલિત ફૂડ કોર્ટનું પણ આયોજન કરાશે, જેમાં જિલ્લાની વિશેષ અને મોસમી વાનગીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત', મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને અનુરૂપ આ મેળો યોજાશે. આ મેળામાં 'ડ્રોન દીદી', 'લખપતિ દીદી', મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સફળતા અને સંઘર્ષ ગાથાઓ રજૂ કરીને ઉપસ્થિતોને પ્રેરણા આપવામાં આવશે. સ્વદેશી ઉત્પાદનોને મંચ અને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. મહિલા કેન્દ્રિત આજીવિકાને ઉત્તેજન આપવા માટે વિશેષ પ્રયાસો કરાશે. મહિલા મંડળો, મહિલા રાજકારણીઓ અને મહિલા અધિકારીઓની સફળતાની ગાથાઓ પણ આ મેળામાં ચર્ચવામાં આવશે. આયોજન બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ વન સંરક્ષક, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, નાયબ નિયામક (આત્મા), મહિલા બાળ અધિકારી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર અને સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' (BBBP) યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ડો. સંધ્યાબેન જોષીએ BBBP યોજનાના ઉદ્દેશ્યો અને જિલ્લામાં તેની પ્રગતિ વિશે માહિતી આપી હતી. જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવેએ મહિલા સુરક્ષા, જાતિગત ભેદભાવ અને લિંગ સમતોલતા જેવા વિષયો પર ચર્ચા કરી હતી. નાણાકીય સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકતા, લિટ્રસી ઇન ફાઇનાન્સના શ્રી સૌરભભાઈ મારુએ 'સુકન્યા સમૃદ્ધિ યોજના' અને ગુજરાત સરકારની 'વ્હાલી દીકરી યોજના'ના નાણાકીય લાભો તથા અરજી પ્રક્રિયાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. કાયદાકીય માર્ગદર્શન સત્રમાં ઘરેલું હિંસા વિરોધી કાયદા, સખી વન-સ્ટોપ સેન્ટર (OSC)ની સેવાઓ અને સગીર દીકરીઓના રક્ષણ માટેના પોક્સો એક્ટની જોગવાઈઓ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અપાઈ હતી. ઉપસ્થિતોને BBBP કિટ (બેગ)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંકલ્પ – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં અધિકારીઓ અને ICDS વિભાગના CDPO રાણાવાવ દક્ષાબેન સહિતના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા, દીકરીઓને જન્મથી શિક્ષણ અને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા તેમજ મહિલાઓમાં કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ વધારવા માટે આવા વિવિધ કાર્યક્રમો નિયમિતપણે યોજાય છે. મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણીના માર્ગદર્શન હેઠળ 90થી વધુ આંગણવાડી કાર્યકર બહેનોને BBBP યોજનાના 'માસ્ટર ટ્રેનર' તરીકે તાલીમ આપવામાં આવી છે. આ તાલીમનો ઉદ્દેશ્ય તેમને ગ્રામ્ય સ્તરે વધુ મહિલાઓને જાગૃત કરવા સક્ષમ બનાવવાનો છે.
વેરાવળમાં જુગારધામ પર LCBનો દરોડો:પાંચ જુગારીઓ ₹1.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી પોલીસે વેરાવળના સહયોગ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને ₹1.68 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ગુપ્ત બાતમીના આધારે, પોલીસે વેરાવળના શિવજી નગર, વિસાવડીયા વંડી પાસે આવેલા સહયોગ એપાર્ટમેન્ટના બીજા માળે, બ્લોક નંબર 04 માં રાત્રિના સમયે રેઇડ કરી હતી. ઝડપાયેલા પાંચ શખ્સોમાં કિશન કનુભાઈ પરમાર, દિપક કરમશીભાઇ વાઘેલા, ઘુસાભાઇ ગોબરભાઇ પરમાર, ભીખુભાઈ મનસુખભાઈ રાઠોડ અને જયદિપ દિનેશભાઇ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ₹48,140/- સહિત કુલ ₹1,68,140/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB ટીમે કરી હતી.
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ ગઢડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. એસપી શર્માએ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે બિલ્ડિંગ, રાઈટર રૂમ, લોકઅપ અને પીએસઓ ટેબલ સહિતના તમામ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ કામગીરી સુધારવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ સ્ટેશનની તપાસ બાદ, એસપી ધર્મેન્દ્ર શર્મા ગઢડા તાલુકાના અડતાળા અને લાખણકા ગામે વિલેજ વિઝિટ માટે પહોંચ્યા હતા. તેમણે બંને ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકોમાં ગામની શાંતિ-સુરક્ષા, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વડાએ રજૂ થયેલા મુદ્દાઓ સાંભળીને જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબી માળિયા હાઇવે પર ટિંબડી ગામ પાસે આવેલા ગણેશ કોમ્પ્લેક્સના એક ગોડાઉનમાંથી પોલીસે દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 9516 દારૂની બોટલો, 3000 બિયરના ટીન અને એક બોલેરો ગાડી સહિત કુલ ₹94,77,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે.ચારેલ અને તેમની ટીમને ટિંબડી ગામની સીમમાં ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલા ગોડાઉનમાં તેજસભાઈ મનુભાઈ વહેરા દારૂ અને બિયરનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ₹85,45,200 ની કિંમતની 9,516 દારૂની બોટલો, ₹6,32,280 ની કિંમતના 3 હજાર બિયરના ટીન અને દારૂની હેરાફેરીમાં વપરાતી બોલેરો ગાડી (નંબર GJ 13 W 2878) જેની કિંમત ₹3 લાખ છે, તે જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ ₹94,77,480 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જોકે, પોલીસના દરોડા સમયે આરોપી તેજસભાઈ મનુભાઈ વહેરા (રહે. ધરમપુર, મોરબી) તેમજ બોલેરો ગાડીનો કબજેદાર કે માલિક સ્થળ પર હાજર નહોતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ એસ.કે.ચારેલની સૂચના મુજબ પીએસઆઈ એસ.એચ.ભટ્ટ, ડી.ડી.જોગેલા અને સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.
બુટલેગર અલ્પુ સિંધી તથા હેરી લુધવાણી ગેંગવોર ચાલી રહ્યું છે, ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને હેરી લુધવાણી સહિતના સાગરીતોએ વારસીયામાં રહેતા યુવકની કાર સહિત 3 કાર સળગાવી દીધી હતી. જેની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, ત્યારે બુટલેગરના સાગરીતે યુવકને તું ફરીયાદ પરત ખેંચી લે નહીં તો તારી કારની જે તમારા ઘરને પણ સળગાવી દઈશું. આ ઉપરાંત તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી, જેથી યુવકે પોલીસ બોલાવવાનું કહેતા યુવક માથાભારે શખ્સ ભાગી ગયો હતો. આ મામલે વારસિયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી ગણેશનગર સોસાયટીમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ ફરિયાદ નોંધાવી છે કે, ગત 27 નવેમ્બરના રોજ રાત્રીના આશરે 2 વાગ્યાની આસપાસ મારી માલીકીની થાર ગાડી તથા તેની આજુબાજુની પડેલી બે ફોર વ્હીલર ગાડીઓ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી, વિવેક ઉર્ફે બન્ની મોહન કેવલાણી, દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીએ જુની અદાવત રાખી કોઈ જ્વલનશીલ પદાર્થો નાખી આગ લગાડી સળગાવી દીધી હતી. તેની ફરિયાદ તેઓની સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ ગત 8 ડિસેમ્બરના રોજ બપોરના હું મારા ઘરે હાજર હતો મારા મોટાભાઈ હિતેશના મોબાઇલ પર રોહિત ઉર્ફે બાબલો રામ અવતાર શર્માના મોબાઇલ પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તે ફોન મે રીસીવ કતા તેણે મને ફરીયાદ પાછી ખેંચવા વાતચીત કરવા લાગ્યો હતો. જેથી મેં કહ્યું હતું કે, હું ફોન પર વાત કરવા માંગતો નથી, ત્યારે તેણે કહ્યું હતું કે, હું તારા ઘરે આવું છું, તેમ કહ્યું હતું. થોડીવારમાં રોહિત ઉર્ફે રામ અવતાર શર્મા મારા મીત્ર પ્રદીપ અનીલભાઈ ભાલીયા સાથે બાઈક ઉપર આવ્યો હતો અને રોહીત શર્મા મને જોરજોરથી બુમો પાડતા અમે બધા ઘરમાંથી બહાર આવ્યાં હતા. ત્યારે રોહીતે મને ગાળો આપી હતી અને હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી તથા વિવેક ઉર્ફે બન્ની મોહન કેવલાણી વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવી છે, તે ફરિયાદ તું આજે જ પાછી ખેંચી લે નહી તો જેવી રીતે તારી થાર ગાડી સળગાવેલ છે તેવી જ રીતે તારૂ ઘર પણ સળગાવી દઈશું તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી મે તેઓને ગાળો આપવાની ના પાડતા તેણે મને કહ્યું હતું કે, તું મને ઓળખતો નથી હું તને ગમે ત્યારે પતાવી દઈશ તેવી ધમકી આપતા હું પોલીસને બોલાવું છું તેમ કહેતા તે તેની સાથે આવેલ પ્રદીપ ભાલિયા તેને બાઇક પર લઈને જતો રહ્યો હતો. જેથી વારસીયા પોલીસે રોહિત ઉર્ફે બાબલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી રહી છે, ત્યારે જુનાગઢ સ્થિત એશિયાના સૌથી જૂના પૈકીના એક એવા સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા અહીં રહેલા તમામ પશુ, પ્રાણીઓ અને પક્ષીઓને કડકડતી ઠંડીથી બચાવવા માટે વિશેષ અને અદ્યતન વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઝૂ પ્રશાસને શિયાળાની સિઝનના ઠંડા પવનો અને ટાઢથી રક્ષણ મળી રહે તે માટે વિવિધ ઉપાયો કરીને ઝૂ ને સજ્જ કરી દીધું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગુજરાતનો શિયાળો ભલે અન્ય રાજ્યોની જેમ અત્યંત ઠંડો ન હોય, પરંતુ શિયાળુ ઋતુના 30 થી 40 દિવસો એવા હોય છે જેમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આવા સમયમાં ઝૂમાં રહેલા વન્યજીવોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે, અને તેમને ઠંડી સામે રક્ષણ આપવા માટે સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. માંસાહારી પ્રાણીઓ માટે વિશેષ કાળજી: ઝૂ તંત્ર દ્વારા મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે તેમની રાત્રિના શેલ્ટર પાંજરાઓમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.આ પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે તેમના પાંજરાઓમાં હીટર અને લેમ્પ મૂકવામાં આવ્યા છે.રાત્રે સૂતી વખતે ઠંડી ન લાગે અને આરામદાયક ઊંઘ મળી રહે તે માટે તેમના શેલ્ટરમાં સૂકું ઘાસ, નાળિયેરીના પાન કે કોથળા પાથરવામાં આવ્યા છે.હિંસક અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં 20 થી 30 ટકા વધુ જોઈએ છે, જે મુજબ તેમના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. પક્ષીઓ અને સરીસૃપ માટે આયોજન માત્ર મોટા પ્રાણીઓ જ નહીં, પણ પક્ષીઓ અને સરીસૃપ વર્ગના જીવોને પણ ઠંડીથી બચાવવા માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઠંડા પવનોથી રક્ષણ મળી રહે તે માટે પક્ષીઓના પાંજરા પર ગ્રીન નેટની આડસ ઉભી કરવામાં આવી છે. તેમના પાંજરામાં હીટર, લેમ્પ અને માટલાઓ ગોઠવવામાં આવ્યા છે, તેમજ તંત્ર દ્વારા અલગ-અલગ પ્રકારના માળાઓ પણ બનાવવામાં આવ્યા છે. તેમના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાપ અને અન્ય સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પણ પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે તેમના પાંજરાઓમાં માટલાઓ અને બલ્બની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ સૂકા ઘાસ અને નેટ પાથરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પાંજરામાં યોગ્ય સમયે તડકો આવે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સતત મોનિટરિંગ અને મેડીકલ ટીમનું ઓબ્ઝર્વેશન ઝૂ તંત્ર દ્વારા વન્ય પ્રાણીઓના સતત મોનિટરિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વેટનરી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા તમામ વન્ય પ્રાણીઓનું સતત ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) કરવામાં આવી રહ્યું છે.ઝૂના તમામ પશુ, પક્ષીઓ અને પ્રાણીઓની હલનચલન તેમજ તેમની સ્થિતિ પર ચોક્કસ નજર રાખી શકાય તે માટે સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઠંડીના સમયગાળા દરમિયાન ઘણા પ્રાણીઓમાં ખોરાકની વધુ જરૂરિયાત ઊભી થતી હોવાથી, દરેક પ્રાણીની જરૂરિયાત મુજબ યોગ્ય પદ્ધતિથી ખોરાક આપવામાં આવી રહ્યો છે, જેથી તેમને શિયાળામાં સારું સ્વાસ્થ્ય મળી રહે અને ઠંડીના કારણે કોઈપણ મુશ્કેલી ન પડે.
આણંદમાં હોટલ સનરાઈઝ સીલ:નોટિસના 10 દિવસમાં પૂરાવા રજૂ ન કરતાં મનપાએ શરતોના ભંગ બદલ કાર્યવાહી કરી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે હોટલ સનરાઈઝને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી મનપાની શરતોના ભંગ બદલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસીફ મિયા સેલિયાને નોટિસ પાઠવી હતી. 10 દિવસની સમયમર્યાદા પૂરી થયા છતાં પણ તેઓ યોગ્ય પુરાવા સાથે જવાબ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કાર્યવાહી મનપા વિસ્તારમાં ચલાવવામાં આવી રહેલી આકસ્મિક ચેકિંગ ઝુંબેશનો એક ભાગ છે. હોટલ સનરાઈઝ રેલ્વે સ્ટેશન સામેના વિસ્તારમાં આવેલી દુકાન નંબર 1, શોપિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસની મ્યુનિસિપલ દુકાનોનો એક ભાગ છે.
અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકીને લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો છે જેના પગલે ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે. 50 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયાફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. ત્રીજા માળે ફસાયેલા લોકોનું રેસ્કયુંકોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયેલા છે અને કાચ તોડી તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી રહ્યા છે
સુરત શહેરના સણીયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કાર્યરત 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો પણ મિલકત ધારકોએ દાવો કર્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષસણીયા હેમાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મનપાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાતાધારકોના જણાવ્યા મુજબ, થોડા થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે. તાજેતરમાં જ, ગામની અંદર વધુ બે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા યુનિટ્સને છાવરી, નાના એકમોને ટાર્ગેટ કરવાનો આક્ષેપમિલકત ધારકોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સણીયા હેમાદ ગામમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું ત્યારે જે તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે, હવે જ્યારે નાના એમ્બ્રોડરીના યુનિટ ધારકોએ પોતાના નાના એકમો શરૂ કર્યા છે, ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે. ખાતાધારકોના મતે, આ કાર્યવાહી બેવડા ધોરણો દર્શાવે છે. મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરવામાં આવતા હોય અને માત્ર નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીના યુનિટ ધારકોને જ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે. 'કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છતાં કેમ પરેશાની?'ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમના એકમો પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને તેમના દ્વારા કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ કરવામાં આવી રહ્યું છે. કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત હોવા છતાં અધિકારીઓ દ્વારા વારંવાર આવીને ઉદ્યોગકારોને કેમ પરેશાન કરવામાં આવે છે, તે સમજાતું નથી. આ સમગ્ર મામલે, મિલકત ધારકોએ માંગણી કરી છે કે મનપાના અધિકારીઓ દ્વારા આ ખોટી રીતે થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરના એકમોને શાંતિથી કામ કરવા દેવામાં આવે. જો આ કાર્યવાહી બંધ નહીં થાય, તો તમામ 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માલિકો દ્વારા સામૂહિક રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ઉમરગામ તાલુકાના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ ચાલુ છે. કંપનીમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...
વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે પારિવારિક વિવાદનો એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પિયર રિસામણે રહેલી 42 વર્ષીય પત્નીની તેના પતિએ છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દીધી હતી. પરિણીતાએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે હત્યારો પતિ તેની બાઈક અને હથિયાર ફેંકીને નાસી છૂટ્યો હતો. સવારે પતિ કાળ બની તૂટી પડ્યોપતિ-પત્ની વિનોદ ધોળીયા અને ચંપાબેન ધોળીયા વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેહ ચાલી રહ્યો હતો. વિનોદના ત્રાસથી કંટાળીને ચંપાબેને તેની સામે ભરણપોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. મૃતક ચંપાબેન વિનોદ ધોળીયા (ઉંમર આશરે 42 વર્ષ) છેલ્લા પાંચ મહિનાથી તેમના પિયર ડારી ગામે રિસામણે રહેતા હતા. આજે સવારે અચાનક પતિ વિનોદ ધોળીયા ચંપાબેનના પિયર ખાતે પહોંચ્યા હતા. અહીં તેણે પોતાની પત્ની ચંપાબેન પર ધારદાર છરી વડે આશરે સાત જેટલા ઘા ઝીંકી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાને પગલે મોત પતિએ આડેધડ ઝીંકેલા છરીના ઘાના કારણે પરિણીતાને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દોડી ગઈઆ હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. DYSP વી. આર. ખેંગાર, પ્રભાસ પાટણ પી.આઈ. પટેલ, અને સર્વેલન્સ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારો પતિ વિનોદભાઈ ધોળીયા ઘટનાસ્થળે પોતાની બાઈક અને હત્યામાં વપરાયેલી છરી છોડીને નાસી છૂટ્યો હતો. આરોપી પતિને ઝડપી પાડવા નાકાબંધીપોલીસે આરોપી વિનોદ ધોળીયાને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ અને નાકાબંધી હાથ ધરી છે. આ હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

26 C