રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી યસ બેંકમાં રાત્રે 11:35 વાગ્યાના આસપાસ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રેસકોર્સ માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓએ સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાયું છે. આગને પગલે શહેર પોલીસે એક તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. બેંકના આગળના ભાગે આગ ઓલવ્યા બાદ ફરી અંદરના ભાગે આગ દેખાતા ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બેંકના અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
વડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પેડલરના મોબાઇલમાંથી ASI લક્ષ્મીકાંતની સંડોવણી ખુલતા SMCએ ગુનો નોંધી ધરપકડ કરી હતી. SOGના સસ્પેન્ડેડ ASI લક્ષ્મીકાંત દેસાઇના રિમાન્ડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીનું ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીની બેન્ક, પ્રોપર્ટી સહિતની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ગેરકાયદે પ્રવૃતિ કરીને કેટલી મિલકત વસાવી છે. આ ઉપરાંત બેન્કોમાં એફડી અને બચત કેટલા રૂપિયા કરી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ કેસમાં સંડોવણી ખુલતા ASIની ધરપકડવડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પેડલરના મોબાઇલમાંથી ASI લક્ષ્મીકાંતની સંડોવણી હોવાની વિગતો મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર ઘણા સમયથી તેના પર નજર હતી. આ દરમિયાન એએસઆઇની એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે, ડ્રગ્સ કોની પાસેથી મંગાવી આપવામાં મદદ કરતો હતો તેવી અન્ય વિગતોની ઘનિષ્ઠ પુછપરછ કરવા માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. આરોપી ASIની મિલકતને લઈ તપાસ શરૂરિમાન્ડના પ્રથમ દિવસે એસએમસી દ્વારા તેનું ઇન્ટ્રોગેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસની ફરજ દરમિયાન આ રીતો ગેરકાયદે કામ કરીને કેટ કેટલી મિલકત વસાવી છે. આ ઉપરાંત તેની પાસે કેટલા વાહનો હાલમાં છે. તેમજ બેન્કમાં કેટલા ખાતા છે અને તેમાં કેટલી એફડી, બચત સહિતના અસ્કયામતનો છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં એસએમસીની દ્વારા રૂબરૂ જઇને મિલકતની ચકાસણી કરાશે. ત્રણ ત્રણ મોબાઈલ રાખવાનું કારણ શું?એસએમસી દ્વારા ધરપકડ કરાઇ હતી ત્યારે આરોપી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. જેમાં એક મોબાઇલમાં તેનું રેગ્યુલર સિમકાર્ડ હતું. બીજામાં મોબાઇલમાંથી વડોદરાના કોઇ શખ્સના નામુ સિમકાર્ડ મળી આવ્યું છે, જેથી આગામી દિવસોમાં કંપનીમાંથી આ કોનું સિમકાર્ડ છે તેનું વિગત મંગાવાશે ત્યારબાદ આ વ્યક્તિને બોલાવી તેની પૂછપરછ કરાશે. આ ઉપરાંત અન્ય એક કિપેડ મોબાઇલ પણ કારમાંથી મળી આવ્યો છે. આરોપી આ મોબાઇલ તેનો નથી તેવું રટણ કરી રહ્યું છે. જેથી એસએમસી દ્વારા મોબાઇલને એફએસએલમાં આપવા સાથે કંપની પાસેથી તેની ડિટેલ મંગાવાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેડલર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સુવર્ણસિંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેલ કઢાવી હતી. ડ્રગ્સ પેડલર સાથે ASIની સંડોવણીવડોદરા શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, સુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંધ ઉદ્દે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ એસએમસી દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),22૨(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ASI લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એસએમસીની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટ્માં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન PSI એન.એન. ઝવેરીનો કથિત લાંચની માગણી કરતો અને સ્વીકારતો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી હતી. આ મામલે વડોદરા ટ્રાફિક પોલીસના PSI એન. એન. ઝવેરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ACP એ ડિવિઝનને સોંપવામાં આવી છે. આ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે વીડિયોને લઈને ગઈકાલે તપાસનો આદેશ આપ્યા હતા. 14 જાન્યુઆરી- 2025ના રોજ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી અને અકબર સહિતના લોકો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે PSIએ પૈસા માગ્યા હોવાનો કથિત વીડિયો હવે એક વર્ષ બાદ વાયરલ થયો છે. ઓક્ટોબર - 2025માં The Prevention of Cruelty to Animals Actનો ગુનો તેની સામે દાખલ થયો હતો. ત્યારબાદ એક મહિના પહેલા જ તેની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વીડિયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પૈસાની માગણી કરતા વીડિયોના મુખ્ય અંશઇનાયત: મારી જુબાન પર ભરોસો રાખો, અમારી મજબૂરી છે. PSI: અકબરીના છોકરાને કહું તો હમણાં 50 હજાર રૂપિયા આપી દેશે, તમારી ગાડી બરાબર ચાલે છે, તું કરોડપતિ હોય તો પણ મને શું?. હું 50 બોલું છું, પછી મેં 40 કરી આપ એમ કહ્યું હતું. 25 અત્યારે આપજે, 15 પછી આપી દેજે. ઇનાયત: સાહેબ મારી પોઝીશન નથી PSI: સારું ચલ, અત્યારે 20 આપી દે, પછી 20 આપી દેજે. ઇનાયત: મંજુર છે સાહેબ. પૈસા સ્વીકારતા વીડિયોના મુખ્ય અંશ પૈસા આપતી વ્યક્તિ: પૈસા ગણી લેજો. PSI: તું મારો માણસ છે મને તારા પર ભરોસો છે, પણ મારી ડિમાન્ડ બદલાશે નહીં. પૈસા આપતી વ્યક્તિ: ઓરતો લઈને આવીશ, 20 હજાર આપી દઈશ. ગુલામ મુસ્તફા ઉર્ફે ઈનાયતના પોલીસ પર ગંભીર આક્ષેપગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકીએ જણાવ્યું હતું કે, ગત 14 જાન્યુઆરીએ પોલીસવાળાઓએ મારી સામે ખોટી રીતે કેસ કરીને મને ફસાવ્યો હતો. જે લોકો દારૂ અને પેટ્રોલના ગેરકાયદેસર ધંધા કરે છે, તેમની સાથે પોલીસની મિલીભગત છે. એ સમયે પોલીસે મને ધમકી આપી હતી કે, તને અહીં રહેવા નહીં દઈએ અને તને ખોટા કેસમાં ફસાવીશું. આ ઉપરાંત 19 ઓક્ટોબરે મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો. તેઓ ક્યાંકથી ગાયનું લોહી લઈ આવ્યા અને મારા કપડાં પર લગાવી મને ફસાવ્યો હતો. મારી આસપાસ રહેતા તમામ હિન્દુ ભાઈઓને તમે પૂછી શકો છો કે, હું કેવો માણસ છું. હું તો એક નાની દુકાન ચલાવીને મારું ગુજરાન ચલાવું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મારા એ દિવસના કપડાં છે, જ્યારે પોલીસે રેડ પાડી હતી. મારી સ્પષ્ટ માગ છે કે, આ કપડાંનો FSL રિપોર્ટ કરાવવામાં આવે. જો તેમાં ગાયનું લોહી સાબિત થાય તો મને ભલે ફાંસીએ ચડાવી દેવામાં આવે. હકીકતમાં, એ મારા પાડા કાપતી વખતે ઉડેલું લોહી છે. મને જાણીજોઈને ગુંડા તરીકે ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ 4થી 5 પોલીસવાળા મને હેરાન કરી રહ્યા છે અને અહીંથી કાઢી મૂકવા માંગે છે. તેઓ કોઈના ઈશારે મને સતત ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે. મેં અત્યાર સુધીમાં લગભગ 20થી 25 અરજીઓ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. મારી પાસે પેનડ્રાઈવમાં પોલીસના વહીવટના અને અન્ય તમામ પુરાવાઓ છે. હું ગમે ત્યારે આ પુરાવા રજૂ કરવા તૈયાર છું.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 3 મિત્રો દ્વારા દારૂની મહેફિલ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે આ વીડિયો લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જેને પગલે ગોત્રી પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન વીડિયોમાં દેખાતા 3 શખસની ઓળખ થઈ હતી અને ત્રણેયની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે અને પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ માફી માગી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલવડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં 3 લોકો વિદેશી દારૂની બોટલો સાથે ખુલ્લેઆમ પાર્ટી કરતા હતા અને બોલિવૂડ સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી બેફામ નશાખોરીના દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીની ઓળખ થતાં ધરપકડ કરીએક શખસ તો માથે બોટલ મૂકીને નાચતો જોવા મળ્યો હતો અને તે હાથમાં દારૂ લઈને પી રહ્યો હતો. વાઇરલ વીડિયોની જાણ થતાં જ ગોત્રી પોલીસે વીડિયોમાં દેખાયેલા વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્રણેય સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ કાન પકડી માફી માગીઆરોપીઓ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને કહે છે કે, દારૂની મહેફિલનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ માટે અમે માફી માગીએ છીએ. હવે આવું ક્યારેય નહીં કરીએ. પકડાયેલા આરોપીઓના નામ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને ચેલેન્જઉલ્લેખનીય છે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આ પ્રકારે દારૂની મહેફીલ યોજાય રહી છે અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને જાણે ચેલેન્જ ફેંકતા હોય એવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી રહી છે.
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં જાહેરમાં આધેડ દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. અસારવા ચકલા પાસે જાહેરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી અને બીડી સળગાવી દીધી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરત જ આધેડ ઉપર પાણી છાંટી દીધું હતું. દાઝી જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે શાહીબાગ પોલીસને જાણ થતા તેઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્સરની બીમારીથી કંટાળી પગલું ભર્યાનું સામે આવ્યુંશાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન. ડી.નકુમે જણાવ્યું હતું કે કેન્સર નો દર્દી હતો અને બીમારીથી કંટાળી અને તેણે જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગ બુઝાવીમળતી માહિતી મુજબ 2 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આવેલા આધેડ અસારવા ચકલા ખાતે જાહેરમાં આવીને અચાનક જ પોતાની પાસે રહેલી બીડી સળગાવી દીધી હતી અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગેલી હાલતમાં જોતા તાત્કાલિક સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેનો જીવ બચાવવા માટે તેના ઉપર પાણી છાંટી દીધું હતું. પાણી નાખી અને આગ બુજાવી દીધી હતી પરંતુ તે દાજી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી સ્થાનિક સુત્રો મુજબ જે આધેડ દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે અગાઉ અસારવા વિસ્તારમાં રહેતો હતો અને તેના પરિવારજનો પણ આ જ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વ્યક્તિને કેન્સરની બીમારી હોવાનું સામે આવ્યું છે. તેણે પોતાનું ઘણું બધું ગુમાવી દીધું છે ત્યારે અચાનક જ તેણે કોઈ જગ્યાએથી જ્વલનશીલ પ્રવાહી છાંટી અને બીમારીથી કંટાળી અસારવા ચકલામાં જાહેરમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને હાલ શાહીબાગ પોલીસને જાણ થતા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
દિન પ્રતિદિન હવા પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે શહેરમાં હવા પ્રદુષણ ખૂબ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદ આવ્યા ત્યારે પણ અમદાવાદમાં હવા પ્રદુષણની સ્થિતિ ગંભીર બની હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને ઓળખી સૌથી વધારે હવા પ્રદુષણ ફેલાતાં કુલ 9 હોટસ્પોટ વિસ્તારો ઓળખી કાઢવામાં આવ્યા છે. પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 16 CD વેસ્ટ કલેક્શન સેન્ટરો પણ છે. આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ તમામ જગ્યા ઉપર એર ક્વોલિટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાતકન્સ્ટ્રક્શન સાઈટો પરથી ઉત્પન્ન થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં મૂકાઈ છે. જેમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મિસ્ટ મશીનનો ઉપયોગ કરવો તથા ખોદકામ દરમિયાન નીકળતી માટીને અથવા રેતી સંપૂર્ણ રીતે હાંકવી, સાઇટની આજુબાજુ બેરીકેટ અને ગ્રીટનેટની વ્યવસ્થા કરવી, સાઇટની અંદર આવવા જતા માર્ગોને યોગ્ય રીતે પેવ કરવા અને એન્ટ્રી એક્ઝિટ પર ટાયર વોશર સિસ્ટમ લગાવવાની રહેશે. 2025-26માં આજદિન સુધી 1.16 કરોડની પેનલ્ટી વસૂલીઆ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે અને નિયમિત મોનિટરિંગ કરીને આવવામાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે. એટલું જ નહીં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી પેનલ્ટી કલેક્શન લઘુતમ થયું છે. આ પોલીસી અંતર્ગત 2024-25 દરમિયાન વિવિધ કન્સ્ટ્રકશન સાઇટ પરથી રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરતCD વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે 25 CD કલેક્શન સેન્ટરો વિકસાવવામાં આવ્યા છે અને ગ્યાસપુર ખાતે 1000 TPD ક્ષમતાવાળો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. ડિસેમ્બર 2026 સુધીમાં વધુ 1000 TPD ક્ષમતાવાળો બીજો પ્લાન્ટ કાર્યરત થશે. આથી બાંધકામ કચરાના વૈજ્ઞાનિક નિકાલથી હવામાં ઉડતા ધૂળકણોમાં વધુ ઘટાડો થશે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અને 15મા નાણાપંચ હેઠળ મળેલી ગ્રાન્ટના સદુપયોગથી શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત છે. તેમાંથી 6 મીસ્ટ મશીનો પિરાણા ડમ્પસાઇટ અને આસપાસના વિસ્તારોમાં સતત કાર્યરત છે, જ્યારે 10 મીસ્ટ મશીનો પ્રદૂષિત માર્ગોના રૂટ નિશ્ચિત કરી નિયમિત રીતે મિસ્ટિંગ કામગીરી કરે છે. આ ઉપરાંત પીએમ મીટિંગેશન માટે કુલ 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો કાર્યરત છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરતઅમદાવાદમાં જાહેર પરિવહન ક્ષેત્રે શહેરે ગ્રીન મોડલ અપનાવ્યો છે. AMTS અને BRTS મળી કુલ 1250 બસો ક્લીન ફ્યુઅલ પર કાર્યરત છે. જેમાં 1052 CNG અને 207 ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. શહેરમાં 128 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે અને સોલાર પાવર્ડ ચાર્જિંગ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પહેલો વાહન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યુંપર્યાવરણ સંતુલન માટે શહેરમાં 303 ગાર્ડન્સ અને 118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. શહેરનું ગ્રીન કવર આશરે 12.5 ટકા સુધી પહોંચ્યું છે. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ 2024-25માં 40 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. NCAP હેઠળ મળેલી રૂ. 652.22 કરોડની ગ્રાન્ટમાંથી 95.69 ટકા એટલે કે રૂ. 624.14 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે,જે દર્શાવે છે કે આયોજન અને અમલ વચ્ચે સુમેળ છે અને પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસો જમીન પર અસરકારક રીતે સાબિત થઈ રહ્યા છે. શહેરમાં સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓવર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી છે. અમદાવાદમાં આગામી સમયમાં મિસ્ટિંગ ક્ષમતા વધારવા, ગ્રીન ટ્રાન્સપોર્ટનો વિસ્તાર, CD પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો અને ગ્રીન કવર વધારવાના પગલાંઓ દ્વારા શહેર “સ્વચ્છ હવા, સ્વસ્થ નાગરિક અને સસ્ટેનેબલ શહેરીકરણ”ના લક્ષ્ય તરફ આગળ વધશે.
‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે’ ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો
US President Donald Trump On PM Modi And Tariff : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ભારત પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા સંમત થયું છે. ટ્રમ્પનો આ દાવો ભારતની ઊર્જા નીતિ અને ભારત-રશિયા વચ્ચેના મજબૂત સંબંધો મામલે ગંભીર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત-રશિયા વચ્ચે તેલ અને ઊર્જા સેક્ટરમાં સહયોગ ચાલી રહ્યો છે, જે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો ભાગ છે. જોકે ટ્રમ્પે પોતાના દાવા પાછળ કોઈ ચોક્કસ કારણ કે સમયમર્યાદા સ્પષ્ટ જણાવી નથી. ટ્રમ્પના દાવા પર એ સવાલ થવો સ્વાભાવિક છે કે, શું ભારત પોતાની ઉર્જા નીતિમાં કોઈ મોટો ફેરફાર કરશે? ભારત સરકારે રશિયા પાસેથી તેલ ખરીદી મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન મંગળવારે સાયન્સ સેન્ટર ખાતે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આ વર્ષે બજેટનું કદ 11,000 થી ₹12,000 કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધી રજૂ થતા 250 થી 300 પાનાના લાંબા પ્રેઝન્ટેશનને બદલે આ વખતે માત્ર 50 પાનાનું સચોટ અને ટૂંકું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે, જેમાં બિનજરૂરી સ્લાઈડો પર કાપ મૂકી વાસ્તવિકતા પર ભાર મૂકાશે. ચૂંટણીલક્ષી આયોજન અને મધ્યમ વર્ગને ફાયદોવર્ષ 2026-27 એ ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં લોકપ્રિય જાહેરાતોની ભરમાર જોવા મળી શકે છે. મધ્યમ અને નાના વર્ગના પરિવારોને સીધો ફાયદો થાય તે હેતુથી શિક્ષણ, આરોગ્ય અને જાહેર પરિવહન જેવી પાયાની સેવાઓમાં મોટી રાહતો મળવાની શક્યતા છે. યુવાનો અને મહિલાઓને કેન્દ્રમાં રાખીને મનપા દ્વારા વિવિધ સેવાકીય છૂટછાટો જાહેર કરવામાં આવશે, જે આગામી ચૂંટણીમાં મતોના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. રાજકીય ગણિત: વરાછા અને સરથાણા પર ફોકસશહેરમાં આમ આદમી પાર્ટીના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ગાબડું પાડવા માટે શાસકો આ વખતે વરાછા, સરથાણા અને કતારગામ વિસ્તાર માટે બજેટની મોટી ફાળવણી કરી શકે છે. આ વિસ્તારોની વોટબેંકને રિઝવવા માટે રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓની સાથે નવા બગીચાઓ અને સામુદાયિક કેન્દ્રોના નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી સ્થાનિક રહીશોમાં સકારાત્મક સંદેશ જાય. ફ્લોપ પ્રોજેક્ટોની વિદાય અને નવા ઇનોવેશનનવનિયુક્ત કમિશનર એમ. નાગરાજન દ્વારા ગત વર્ષોના કાગળ પર ચાલતા પ્રોજેક્ટો જેવા કે લંડન આઈ, ડિઝની થીમ પાર્ક અને વોટર મેટ્રોને પડતા મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ, કમિશનર હવે ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશે. જેમાં સુરતને 'મેગા સ્કીલ ડેવલપમેન્ટ હબ' તરીકે સ્થાપિત કરવા અને સ્માર્ટ સિટી અંતર્ગત 'આઈ-લેબ' પ્રોજેક્ટને વધુ વેગ આપવાનું આયોજન મુખ્ય રહેશે. રિવાઇઝ્ડ બજેટમાં ઘટાડો અને વાસ્તવિક લક્ષ્યાંકોગત વર્ષના બજેટમાં 4,700 કરોડના વિકાસકામોની જોગવાઈ કરવામાં આવી હતી, જેની સામે અત્યાર સુધી માત્ર 2,200 કરોડના જ કામો પૂર્ણ થઈ શક્યા છે. આ લક્ષ્યાંક પૂરો ન થતા ચાલુ વર્ષના રિવાઇઝ્ડ બજેટમાં 1,000 થી 1,500 કરોડનો મોટો કાપ મૂકવામાં આવી શકે છે. મનપા હવે 'સુરત ઇકોનોમિક રિઝન 2047' ના વિઝન સાથે લાંબા ગાળાના પ્રોજેક્ટોને પ્રાધાન્ય આપશે. પાયાની સુવિધાઓ અને જાયન્ટ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતાબજેટમાં શોભાના ગાંઠિયા સમાન પ્રોજેક્ટોને બદલે જનતાને સ્પર્શતા પ્રકલ્પોને આગળ ધપાવાશે. જેમાં તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, કન્વેન્શનલ બરાજ, નવું વહીવટી ભવન અને તમામ વોર્ડમાં 50 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલોના નિર્માણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ અને સીસી રોડના નેટવર્કને મજબૂત કરવા માટે પણ મોટી રકમ ફાળવવામાં આવશે.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા બોટાદ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ સોમવારે બપોરે 4 વાગ્યાથી સ્વામિનારાયણ મંદિર, આર્ય પ્લાઝા પાસે, બોટાદ ખાતે યોજાયો હતો. આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી અને સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, બોટાદ દ્વારા તેનું આયોજન કરાયું હતું. આ દિવ્ય શાકોત્સવ કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત સામૈયું, શાકોત્સવ અને અન્નકૂટોત્સવનાં દર્શનનો સમાવેશ થતો હતો. પૂજનીય આચાર્ય સ્વામીજી મહારાજનાં દર્શન અને આશીર્વાદ પણ હરિભક્તોને પ્રાપ્ત થયા હતા.આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના 700થી વધુ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એક ધાર્મિક સાંસ્કૃતિક રાસનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય પરમાનંદ સ્વામી, પરમ પૂજ્ય શ્રી પ્રશાંત સ્વામી અને અન્ય સંતોએ પણ હાજરી આપી હતી. બોટાદના સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના હરિભક્તોએ આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
રાજ્ય સરકારે કલાકાર કલ્યાણ નિધિ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કલાકારોના હિત અને કલ્યાણ માટે રચાયેલ આ નિધિમાં બિનસરકારી (રાજકીય) સભ્યો તરીકે પાંચ જાણીતા કલાકારોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં અરવિંદ વેગડા, મનુ રબારી, શર્મિષ્ઠા સરકાર, દીપક જોશી અને અભેસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. કલાકાર કલ્યાણ નિધિ યોજના ખાસ કરીને વૃદ્ધ, બિમાર અથવા આર્થિક રીતે નબળા કલાકારોને આર્થિક સહાય અને સંરક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. રાજ્યના લોકસંસ્કૃતિ અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને મુશ્કેલ સમયમાં સહારો મળે એ ઉદ્દેશથી આ યોજના અમલમાં છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં નિધિના સભ્યોની પુનર્રચના માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત હવે નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. નવી ટીમથી કલાકારોના પ્રશ્નો વધુ અસરકારક રીતે રજૂ થશે અને કલ્યાણ યોજનાઓને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં માતાજીના મંદિરમાં ચરણ પાદુકાની ચોરી મામલે પોલીસ દ્વારા એક સગીરને પોલીસ સ્ટેશન બોલાવીને માર મારવામાં આવ્યો હોવાના સગીર અને તેના પિતાના આક્ષેપ બાદ વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે. ઘટનાની જાણ થતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે બાળકના ઘરે જઈ પરિવારને મળીને ન્યાય માટે પોલીસ અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ મામલે પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે સરકાર અને પોલીસ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તપાસના અંતે દોષિત સામે ચોક્કસ કાર્યવાહી થશે, સાથે જ બહારના લોકો દ્વારા રાજકીય લાભ લેવા પ્રયાસ ન કરવા અપીલ કરી હતી. બીજી તરફ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા આ મુદ્દો રાજકીય નહીં પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવવાનો હોવાનું જણાવ્યું હતું. બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, બાલાસિનોર ખાતે જે સગીરનો માર મારવાનો પ્રશ્ન થયો હતો. એ સંદર્ભમાં આજે અમે જનોડ ગામના દીકરાની મુલાકાત લીધી બધું તપાસના અંતે અમને એવું લાગે છે કે ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી. આ સરકારે તપાસના અંતે એમણે જિલ્લા વડા સાથે વાત પણ કરી છે. જિલ્લા નાયબ પોલીસ વડાને તપાસ પણ સોંપી છે મને સરકારમાં વિશ્વાસ છે કે જે કાઈ દોષિત હશે અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે જે દોષિત ઠરશે તપાસના અંતે એની સામે સંપૂર્ણ પણે આ સરકાર પગલા લેવાની છે પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલવી રહ્યા છે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે કે, આ બાલાસિનોરનો પ્રશ્ન છે બાલાસિનોર નો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ, બાલાસિનોરના આગેવાનો સક્ષમ છે. બાકીના લોકો આવીને આ બાલાસિનોરનું વાતાવરણ ન ડહોળે એ મારી સૌને વિનંતી છે અને સરકાર સરકારનું કામ કરશે. પોલીસમાં અમને વિશ્વાસ છે અને તપાસના અંતે જે કાંઈ અધિકારી હશે કે પદાધિકારી હશે જે કઈ હશે તેની સામે પગલાં સરકાર ચોક્કસ પણે લેશે. એવો અમને વિશ્વાસ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, બાલાસિનોરના ઘણા બધા આગેવાનો જાગૃત ન હતા એટલે મારે બહારથી જવું પડ્યું. પાંચ દિવસે પણ મારા આવવાથી એ આગેવાન જાગૃત થયા અને મદદે આવ્યા એ બદલ અભિનંદન અને ખાસ કરીને તમામ લોકોને વાત કરવાની કે, આ વાત કોઈ રાજકીય મુદ્દો નથી આ એક પીડિત પરિવારને મદદ કરવાની વાત છે, એટલે કોઈએ આને રાજકીય મુદ્દો બનાવવો નહીં સાથે જ તમામને વિનંતી કરું છું કે, પીડિત પરિવારની મદદે આવીએ. સરકાર મદદ કરી રહી છે સરકારે સૂચનાઓ પણ આપી દીધી છે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે એસપી કામ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે જે પણ આ છોકરાને મારવામાં દોષિત હશે પોલીસ કર્મી હોય કે કોઈ પણ હોય એના પર સખત કાર્યવાહી પોલીસ તંત્રના અધિકારી કરવાના છે અને સરકાર કરવાની છે એટલે આને રાજકીય મુદ્દો ન બનાવીને પીડિત પરિવારને મદદે આવીએ.
બોટાદના વતની અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણભાઈ રોજાસરાએ ચેન્નઈમાં યોજાયેલી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ આ સિદ્ધિ મેળવનાર ગુજરાતના પ્રથમ દિવ્યાંગ અને બોટાદ જિલ્લાના પ્રથમ યુવાન બન્યા છે. પ્રવિણભાઈ પોતાના વતન બોટાદ પરત ફરતા, 1 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે તેમના નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રોજાસરા પરિવાર, સગાં-સ્નેહીજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોટાદ ખાતે નિર્માણાધીન સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ) અને પ્રતિભા બૌદ્ધ (પ્રભાબેન રાઠોડ) દ્વારા પ્રવિણભાઈ રોજાસરાને ભગવાન બુદ્ધનું પંચશીલ ખેસ અને સમતા બુદ્ધ વિહારનો ફાઈબર લોગો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકીય અને સામાજિક આગેવાનો, જેમાં રવજીભાઈ વાટુકીયા, ભીખાભાઈ સોલંકી, પોલીસ અધિકારી અરવિંદભાઈ સુવેરા, અને ઘનશ્યામભાઈ ભટ્ટીનો સમાવેશ થાય છે, તેઓ પણ ઉપસ્થિત રહી પ્રવિણભાઈનું સ્વાગત કર્યું હતું.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર 2 લાખ જેવી રકમ માટે એક પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. ઓટો રીક્ષા ખરીદવાની જીદ પૂરી ન થતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને ઢોર માર મારી તેમનું માથું દીવાલમાં ભટકાડી દીધું હતું, જેના કારણે ગંભીર ઈજાઓ થતા પિતાનું કરૂણ મોત નીપજ્યું છે. શું હતી સમગ્ર ઘટના?મૂળ બિહારના પટના જિલ્લાના પાલિગંજ તાલુકાના વતની અને હાલ સુરતના પાંડેસરા, વડોદ ગામ ખાતે આશીર્વાદ નગર સોસાયટી પાસે આવેલી મહેન્દ્રભાઈની ચાલમાં રહેતા જયવંત પાસવાન પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હતા. તેમની સાથે તેમનો પુત્ર જગદીપ ઉર્ફે નિશાંત પણ રહેતો હતો. ગત 30 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1:30 થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જગદીપ પિતા પાસે આવ્યો હતો અને પોતાની આજીવિકા માટે ઓટો રીક્ષા ખરીદવા 2 લાખની માંગણી કરી હતી. પૈસાની ના પાડતા પુત્ર બન્યો હેવાનજયવંતભાઈએ આર્થિક સંકડામણ અથવા અન્ય કોઈ કારણસર તત્કાલ 2 લાખ આપવાની ના પાડી દીધી હતી. પિતાનો આ નકાર સાંભળતા જ જગદીપ પિત્તો ગુમાવી બેઠો હતો. પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે જગદીપે પિતાને બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેમના પર તૂટી પડ્યો હતો. તેણે પિતાને પેટના ભાગે અને શરીરે ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. દીવાલમાં માથું ભટકાડી ગંભીર ઈજાઓ પહોંચાડીઆક્રોશમાં અંધ બનેલા જગદીપે પિતાના વાળ પકડીને તેમનું માથું જોરથી દીવાલમાં ભટકાડ્યું હતું. આ હુમલાને કારણે જયવંતભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને આંતરિક રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક પુત્રના હાથે જ પિતાના મોતના સમાચાર વહેતા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પાંડેસરા પીઆઈ જે.સી.જાદવે જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક પીએમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક જયવંતભાઈના શરીર પર 'મલ્ટીપલ ઇન્જરી' એટલે કે અનેક જગ્યાએ ઈજાઓના નિશાન મળી આવ્યા છે. માથામાં થયેલી ગંભીર ઈજા અને પેટમાં મારેલા મારને કારણે થયેલી આંતરિક ઈજાઓ તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની હોવાનું સામે આવ્યું છે. બિહારથી નાના પુત્રએ આવી મોટા ભાઈ સામે નોંધાવી ફરિયાદજયવંતભાઈનો બીજો દીકરો નિતેશ બિહારમાં રહીને ખેતીકામ અને પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતાની હત્યાના સમાચાર મળતા જ નિતેશ તાત્કાલિક સુરત દોડી આવ્યો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર નિતેશે પોતાના સગા મોટા ભાઈ જગદીપ ઉર્ફે નિશાંત વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિતેશની ફરિયાદના આધારે જગદીપ વિરુદ્ધ આઈપીસી (હવે બીએનએસ) ની કલમ હેઠળ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી પુત્રની કરી ધરપકડપાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ પિતાની હત્યા કરનાર પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ જગદીપે પિતા સાથે નાણાકીય બાબતે ઝઘડો કર્યો હતો કે કેમ? એક તરફ પિતાનું મોત થયું છે અને બીજી તરફ પુત્ર જેલના સળિયા પાછળ ધકેલાયો છે, જેને કારણે આ પરિવાર વેરવિખેર થઈ ગયો છે.
ગોધરામાં રખડતા શ્વાનનો આતંક:ગદુકપુર બાયપાસ પાસે વૃદ્ધા પર હુમલો, ગંભીર ઇજા
ગોધરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ગદુકપુર બાયપાસ વિસ્તારમાં વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ મહિલા પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગોધરાના ગદુકપુર બાયપાસ નજીક રહેતા સંતોકબેન પટેલ પોતાના ઘરની બહાર ઊભા હતા. તે સમયે અચાનક એક રખડતા શ્વાને તેમના પર હુમલો કર્યો હતો. શ્વાને વૃદ્ધાના પગના ભાગે ગંભીર બચકા ભર્યા હતા. હુમલા બાદ વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત સંતોકબેનને તાત્કાલિક સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં રખડતા શ્વાનોના વધતા જતા હુમલાઓને કારણે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી રહી છે.
સુરત શહેરમાં શિયાળાની ઋતુ શરૂ થતા જ વહેલી સવારે નીરો પીવા માટે લોકોની ભારે ભીડ જામતી હોય છે. નીરાને એક સ્વાસ્થ્યવર્ધક અને કુદરતી પીણું માનવામાં આવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મનપાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીરાના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા હતા, જેમાં જાણવા મળ્યું છે કે સુરતીઓ જે નીરો હોંશે હોંશે પીવે છે તે નિર્ધારિત ધારાધોરણો મુજબ શુદ્ધ નથી. ચોર્યાસી અને ઓલપાડ મંડળીના સેમ્પલમાં ગંભીર ખામીમનપાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ ખાસ કરીને ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા સંચાલિત કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલા નીરા ભવન અને ચોક બજાર વિસ્તારમાં આવેલા વેચાણ કેન્દ્રો પરથી નીરાના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ, આ બંને મુખ્ય કેન્દ્રો પર વેચાતો નીરો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 ના નિયમો હેઠળ ગુણવત્તાના ધોરણે ઉતરતો સાબિત થયો છે. Brix અને સુગરની માત્રામાં નિયમ વિરુદ્ધનો ઘટાડોલેબોરેટરીના ટેકનિકલ રિપોર્ટમાં નીરાની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. નિયમ મુજબ શુદ્ધ નીરામાં ઘનતા એટલે કે %Brix ઓછામાં ઓછું 14.0% હોવું જોઈએ, જ્યારે આ સેમ્પલમાં તેની માત્રા ઓછી જણાઈ છે. આ ઉપરાંત, કુદરતી મીઠાશ માટે જવાબદાર 'Total Sugar' ની માત્રા પણ લઘુત્તમ 13.0% હોવી જોઈએ, જે નમૂનાઓમાં ઉણી ઉતરી છે. આ તફાવત સ્પષ્ટપણે સૂચવે છે કે નીરામાં પાણીનું પ્રમાણ વધારે હોઈ શકે છે અથવા તો તેની કુદરતી ગુણવત્તા જળવાઈ નથી. pH લેવલ અપ્રમાણિત મળતા સ્વાસ્થ્ય માટે જોખમીમાત્ર ઘનતા કે ખાંડ જ નહીં, પરંતુ નીરાના pH લેવલમાં પણ ગેરરીતિ સામે આવી છે. આદર્શ રીતે નીરાનું pH લેવલ 6.0 થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ, પરંતુ લેવાયેલા સેમ્પલમાં આ માત્રા પણ ઓછી જોવા મળી છે. pH લેવલમાં ફેરફાર થવાથી નીરો જલ્દી બગડી શકે છે અથવા તેમાં આથો આવી જવાની શક્યતા વધી જાય છે, જે પાચનતંત્ર અને એકંદર સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આમ, પોષણ માટે પીવાતો નીરો ઉલટાનું બીમારીનું કારણ બની શકે તેમ છે. દોષિતો સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારીડે. કમિશનર (હેલ્થ) અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે સંસ્થાઓ કે વ્યક્તિઓના નમૂના અપ્રમાણિત મળ્યા છે, તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ-2006 ના કાયદા મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તારીખ- 2 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરાયેલ આ રિપોર્ટ બાદ હવે નાગરિકોને પણ સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન પર ચોરીના ગુનામાં એક શકમંદ બાળકને માર મારવાનો આરોપ લાગ્યો છે. આ મામલે મહીસાગરના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક (DYSP) કમલેશ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને માહિતી આપી હતી. DySPએ કહ્યું- મેડિકલમાં રિપોર્ટમાં બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જોકે, તપાસમાં પોલીસ ટોર્ચર ખુલશે તો કાર્યવાહી કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાલાસિનોર તાલુકાના એક ગામમાં આવેલા મંદિરમાંથી માતાજીના ચાંદીના ચરણ પાદુકાની ચોરી થઈ હતી. આ ચોરીના સંદર્ભમાં એક બાળકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. બાળક અને તેના પિતાએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે પૂછપરછના બહાને બાળકને પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ બાયડના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાને થતા ધવલસિંહ ઝાલા તેમજ બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર પોલીસ કર્મચારી, અધિકારી સામે ફરિયાદ દાખલ કરવાની તેઓ દ્વારા વાત કરવામાં આવી હતી. આ ગંભીર આક્ષેપો બાદ, DYSP કમલેશ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ સમગ્ર મામલે આજરોજ મહીસાગર ડીવાયએસપી કમલેશ વસાવા એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, બાલાસિનોર તાલુકાના એક ગામમાં 20 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે એક ચોરી થાય છે. માતાજીના મંદિરમાં માતાજીના ચરણ પાદુકા જેનો અંદાજિત વજન 4 કિલો છે તે ચાંદીના પાદુકાની ચોરી થઈ હતી. બીજા દિવસે પૂજારીને આ ચરણપાદુકા ન દેખાતા ગામના આગેવાનોને ભેગા કરીને એમણે તપાસ કરી કે ચોરી કઈ રીતે થઈ છે. મંદિરના મેન ગેટનું લોક તૂટ્યું ન હતું અંદર બીજો દરવાજો હતો તેનું લોક ખુલુ હતું અને આ લોક ટેબલ ઉપર મૂકવામાં આવ્યું હતું. જે ચરણ પાદુકા કાચના બોક્સમાં હતી તે બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થયા હતા. મંદિરની ચાવીઓ બે વ્યક્તિઓ પાસે રહેતી હતી. એક પૂજારી પાસે અને બીજા સફાઈ કર્મચારી પાસે. સફાઈ કર્મચારી બેન હતા તે છેલ્લા એક-દોઢ મહિનાથી બીમાર હતા એમની જગ્યાએ સફાઈનું કામ એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું. જે દિવસે ચોરી થઈ હતી તે દિવસે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે તેણે સફાઈ કરી હતી એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, હા આજે મેં કચરા પોતુ કર્યું હતું પરંતુ ગામના આગેવાનોએ જ્યારે પોતુ જોયું તો તે પોતું ભીનું ન હતું એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે, કદાચ બની શકે કે આ કૃત્ય કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે. આ ઘટનાની જાણ બાલાસિનોર તાલુકા પોલીસને થતા બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. 29 તારીખે તેમના માતા-પિતા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને એમણે જણાવ્યું કે, કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક તેની પરીક્ષા છે તો બપોર પછી અમે તેને રજુ કરીશું. પોલીસે એમની રિક્વેસ્ટ માન્ય રાખીને સાંજના સમયે તે તેના સંબંધી સાથે પોલીસ સ્ટેશન આવે છે. ત્યારબાદ તેની પૂછપરછ થાય છે. કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક ઘરે પહોંચી જાય છે. 30 મી તારીખના રોજ બાલાસિનોર સીએચસીમાં દાખલ થઈ જાય છે જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવું આક્ષેપ કરવામાં આવે છે કે, મને પીઆઇ અને એમના બે કર્મચારીઓ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અમને મળ્યો છે જેમાં ક્લિયર મેન્સન કરવામાં આવ્યું છે કે, કોઈપણ પ્રકારની બાહ્ય ઇજા દેખાતી નથી. હવે જો કોઈ આ પ્રકારની ઘટના બની હતી તો એમના દ્વારા ડીવાયએસપી અથવા એસપીનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો અમે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત. એમણે એ પગલું ન ભરીને સોશિયલ મીડિયા ઉપર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું જેના ભાગરૂપે જિલ્લા પોલીસવડાએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ ડીવાયએસપી, એસટીએસસી સેલને સોંપવામાં આવી છે. જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે, કર્મચારીઓ હોય તો તેમના વિરુદ્ધ પગલાં લઈ શકાય. 30 તારીખના સાંજે બાલાસિનોરમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેમણે વિવિધ અધિકારીઓને કોલ કર્યા હતા. ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે શું ઘટના બની છે તેની મેં પૂરેપૂરી માહિતી લીધી ત્યારબાદ તેમના પિતાની એક તાત્કાલિક અરજી લેવામાં આવી પછી તપાસ કરવામાં આવી. વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધ સત્યને લઈ આપ આપનો ઓપિનિયન ના બનાવી લો આ એ જ જિલ્લો છે કે જેમાં પોલીસની બેદરકારી આવી છે તો જિલ્લા ટ્રાન્સફર પણ થઈ છે સાથો સાથ પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો તેના સામે એફઆઇઆર પણ થઈ છે. પોલીસની એ ફરજ છે કોઈપણ કોગ્રીઝિબલ ગુન્હો બને તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવી. પરંતુ આ એક તપાસ ચાલુ હતી આજે બાળક હતું તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હતું અને ચોરીના આરોપમાં શકમંદ તરીકે ઉભરી આવ્યું હતું અને એના ભાગરૂપે તેની તપાસ થઈ હતી. ડીવાયએસપી જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યું ત્યારે તે સમયના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ તે સમયે હાજર તમામ અધિકારી કર્મચારી અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ, આ તમામ બાબતો ધ્યાનમાં લઈને ડીવાયએસપી એસટીએસસી સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના અંતે એવું જો કંઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગ્રેશન સમય બળ પ્રયોગ કર્યો હતો તો જે અધિકારી કર્મચારીઓ સામેલ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. ચાઈલ્ડ વેલ્ફેરની એક કમિટી ત્યાં હોય અને બાળકનું કાઉન્સિલિંગ થવું જોઈતું હતું આવો સવાલ કરતા DySP એ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં એક ચાઈલ્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી હોય છે જ્યારે પણ આવી રીતે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હોય તો તેની હાજરીમાં જ તેનું નિવેદન લેવામાં આવે છે સાથો સાથ કાયદો એ પણ કહે છે 18 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ બાળક ગભરાઈ ના જાય એના માટે પોલીસ પોતાના યુનિફોર્મમાં ના રહીને ફોર્મલ ક્લોથમાં રહીને આવા બાળકનું સ્ટેટમેન્ટ અથવા નિવેદન કે પૂછપરછ કરી શકે. પીઆઈનો સંપર્ક ન થઈ શકતો હોવા અંગે પૂછતાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પીઆઇ રજા ઉપર ગયા છે આજે તપાસ છે એમના ઉપર આક્ષેપ થયા છે તપાસમાં તેમનું કોઈ ઇન્ટરફિએન્સ ન રહે તો બીજા કોઈ એલિગેશન ના થાય એટલા માટે તે રજા ઉપર છે. આ બાબતે કોઈ ફરિયાદ લેવામાં આવી છે તેવું પૂછતા dysp એ જણાવ્યું હતું કે, ધારાસભ્યની રજૂઆત હતી કે, તાત્કાલિક ધોરણે તેમના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે પંરતુ એકબાજુ તપાસ ચાલુ હતી DySP દ્વારા. તપાસના અંતે જો કોઈપણ બેદરકારી દેખાશે તો એમના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે સાથોસાથ તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે. જે ચોરી થઈ તેની ફરિયાદ ક્યારે લેવામાં આવી તે અંગે પૂછતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, એમની પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી. પૂજારી અને ગામના આગેવાનો એવુ જણાવે છે કે, આજથી બે વર્ષ પહેલા પણ ત્યાં ચોરી થઈ હતી પરંતુ બીજા દિવસે પૈસાની ચોરી થઈ હતી ત્યાં ફરી પાછા મૂકી ગયા હતા માતાજીના ડરથી. એટલે એમણે એટલા માટે ફરિયાદ ન હતી આપી કે કદાચ એમને એવું લાગ્યું કે આવી ઘટના ફરી પાછી બને અને ચાંદીના પાદુકા ફરી પાછી મૂકી જાય પંરતુ શરૂઆતમાં એમને અરજી આપી હતી ત્યાર પછી એના આધારે તપાસ કરવામાં આવી હતી. લોક મુખે ચર્ચા એવી છે કે, બાળકને બોલાવાયા બાદ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેવું પૂછતા dysp એ જણાવ્યું હતું કે, એ પણ એક તપાસનો વિષય છે. તમામ મુદ્દા આવરી લઈ તપાસ કરવામાં આવશે. એમાં બેદરકારી થઈ હશે તો તેના સામે પણ એકશન લેવામાં આવશે. મંદિરમાં કે પોલીસ સ્ટેશનમાં આ બાબતના CCTV હતા તે બાબતે dyspને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, તમામ સીસીટીવી, ત્યાં હાજર વ્યક્તિઓ હતા આ ઘટનામાં સંકળાયેલા તમામ ના નિવેદનો લેવામાં આવશે સારવાર કરેલ ડોક્ટરનું નિવેદન એમનાં મેડિકલ રિપોર્ટ તમામ એંગલ આમાં આવરી લેવામાં આવશે. ત્યાર બાદ ફાઈનલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. બાયડના ધારાસભ્યના કહેવા મુજબ બાજુમાં રિમાન્ડ રૂમ બનાવેલો છે ત્યાં રિમાન્ડ આપવામાં આવ્યો હતો તે અંગે ડીવાયએસપીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની પણ જિલ્લા પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આવો કોઈ પણ જો રૂમ ટોર્ચર રૂમ કે બીજો અનઓફિશ્યલી રૂમ એમણે કર્યો છે તો જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે.
માળીયામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ:પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલાયા
મોરબી જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં પોલીસે માળીયા તાલુકાના આ બંને શખ્સોને પકડીને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. માળીયા મિયાણાના પીઆઈ કે.કે. દરબાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલી પાસા દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ, પોલીસે વીર વિદરકા, માળીયા મિયાણાના રહેવાસી અલ્તાફભાઈ હસનભાઈ સંધવાણી અને મકબુલભાઈ ગફુરભાઈ સામતાણીની ધરપકડ કરી હતી. તેમને પાસા હેઠળ અનુક્રમે ભાવનગર અને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની રેડ કરવામાં આવી હતી. સરસ્વતી સોસાયટી સામે ખુલ્લી જગ્યામાંથી પસાર થઈ રહેલા અરમાન ઉર્ફે ભાણો ઈકબાલભાઈ જુનેજા (ઉં.વ. 21, રહે. ભારતનગર, મોરબી) પાસેથી પોલીસે 8 મોટી દારૂની બોટલ (કિંમત ₹8,000) જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી ઘટનામાં, માધાપરા શેરી નંબર 2 માં રામદેવપીરના મંદિર પાસેથી એક્ટિવા (GJ 36 AS 0015) પર પસાર થઈ રહેલા ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી (ઉં.વ. 33, રહે. માધાપરા, મોરબી) ને રોકીને તપાસ કરતા તેની પાસેથી 4 નાની દારૂની બોટલ (કિંમત ₹1,200) મળી આવી હતી. પોલીસે દારૂ અને ₹1 લાખની કિંમતનું વાહન મળી કુલ ₹1,01,200 નો મુદ્દામાલ જપ્ત કરી ચિરાગભાઈની ધરપકડ કરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
કહેવાય છે કે ‘રાખનહાર’ હંમેશા તૈયાર હોય છે અને આજે આ ઉક્તિ ગાંધીનગર પોલીસ સંચાલિત જીવન આસ્થા હેલ્પલાઇને સાર્થક કરી બતાવી છે. પાટનગરથી સેંકડો કિલોમીટર દૂર ગોવાના બીચ પર પહાડ પરથી મોતની છલાંગ લગાવવા જઈ રહેલા એક 21 વર્ષીય યુવાન માટે ગાંધીનગરના કાઉન્સિલરો દેવદૂત સાબિત થયા છે. સતત 40 મિનિટ સુધી ફોન પર ચાલેલા હૃદયદ્રાવક કાઉન્સિલિંગે એક પરિવારનો દીવો બુઝાતા બચાવી લીધો છે. 21 વર્ષીય યુવાન આર્થિક સંકળામણથી પીડાતો હતોમળતી માહિતી મુજબ, મૂળ અન્ય રાજ્યનો અને હાલ ગોવાના એક રિસોર્ટમાં કામ કરતો 21 વર્ષીય યુવાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણથી પીડાતો હતો. દેવું અને પૈસાની તંગીને કારણે માનસિક રીતે ભાંગી પડેલા આ યુવાને આજે જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. તે ગોવાના એક જાણીતા બીચ પાસે આવેલા ઊંચા પહાડ પર ચઢી ગયો હતો. કાઉન્સિલરે યુવાનની વેદના સાંભળવાનું શરૂ કર્યુંત્યારે અંતિમ ક્ષણે મનમાં ઉઠેલા કચવાટ વચ્ચે તેણે ગૂગલ પર આત્મહત્યા નિવારણ માટે સર્ચ કર્યું હતું. જ્યાં તેને ગાંધીનગરની જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 3330 નંબર મળ્યો. યુવાને ધ્રૂજતા હાથે ફોન જોડતા જ સામે છેડે હાજર કાઉન્સિલરે તેની વેદના સાંભળવાનું શરૂ કર્યું હતું. કાઉન્સિલરે સતત 40 મિનિટ સુધી વાતોમાં પરોવી રાખ્યોઆ દરમિયાન યુવાનની વેદના સાંભળી કાઉન્સિલરો સમજી ગયા હતા કે સ્થિતિ નાજુક છે. આથી કાઉન્સિલરોએ તેને મોત ઉકેલ નથી તેમ કહી સતત 40 મિનિટ સુધી વાતોમાં પરોવી રાખ્યો હતો. આ વાતચીતની સાથે જ કાઉન્સિલરોએ ટેકનિકલ સર્વેલન્સથી યુવાનનું ચોક્કસ લોકેશન મેળવી લીધું. સ્થાનિક પોલીસ લોકેશનના આધારે દોડતી પહોંચીબાદમાં ગાંધીનગરથી તાત્કાલિક ગોવાના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને યુવાન પહાડ પર કઈ જગ્યાએ છે તેની માહિતી શેર કરી હતી. જેથી સ્થાનિક પોલીસે લોકેશનના આધારે દોડતી પહોંચી જઇ યુવાનને પહાડ પરથી હેમખેમ નીચે ઉતારી તેનું રેસ્ક્યુ કર્યું હતું. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત આ હેલ્પલાઇન હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી નથી. ખાસ કરીને નર્મદા કેનાલ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા બોર્ડ અને ગૂગલ પર તેની સક્રિયતાને કારણે ભારતભરમાંથી લોકો સંપર્ક કરે છે. આ અગાઉ પણ દિલ્હી, મુંબઈ અને રાજસ્થાનના અનેક કિસ્સાઓમાં આ હેલ્પલાઇને જિંદગીઓ બચાવી છે. આજે ગોવાના આ કિસ્સાએ સાબિત કર્યું છે કે જો યોગ્ય સમયે સાચું માર્ગદર્શન મળે તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ માણસને મોતને ભેટતા અટકાવી શકાય છે.
અમદાવાદના સાઇબર ક્રાઇમ પોલીસ મથકે જાન્યુઆરી, 2026માં જામનગરના કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા 51 વર્ષીય ધંધાર્થીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ફરિયાદીનો ન્યૂડ વીડિયો મેળવીને તેઓને બ્લેકમેલ કરીને 7 કરોડ રૂપિયા માંગ્યા હતા. જો તે નહીં આપે તો ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ સંદર્ભે પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અમદાવાદના હાટકેશ્વરના રહેવાસી આરોપી ગિલ પ્રેમજીતસિંગે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે નકારી નાખી છે. આરોપીઓએ ફરિયાદીનો એક ન્યૂડ વીડિયો બતાવ્યોકેસને વિગતે જોતા જામનગરના ફરિયાદી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને મુંબઈ જવાનું હોવાથી અમદાવાદની સોલા ખાતે આવેલી એક હોટલમાં પોતાની ગાડી મૂકીને ફ્લાઇટથી મુંબઈ ગયા હતા. જ્યાં એક અજાણ વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ આપીને ફરિયાદીને તેમનો એક વીડિયો આવ્યો હોવાનું જણાવી અમદાવાદમાં એક જગ્યાએ મળવા બોલાવ્યા હતા. છેવટે તેઓ વૈષ્ણોદેવી સર્કલ ખાતે મળ્યા હતા. જ્યાં આરોપીઓએ ફરિયાદીનો એક ન્યૂડ વીડિયો બતાવ્યો હતો. ફરિયાદી મકાનની લે-વેચ મામલે એક મહિલાના સંપર્કમાં આવ્યાફરિયાદી કન્સ્ટ્રકશનના ધંધા સાથે જોડાયેલા હોવાથી અમદાવાદમાં મકાનની લે વેચ સંબંધિત બાબતમાં એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. તે મહિલાના ઘરે જ્યારે ગયા ત્યારે અન્ય એક મહિલા અગાઉથી હાજર હતી. જેની સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. આરોપીઓ તરફથી ફરિયાદીને જણાવાયું હતું કે તેઓ સત્ય ટાઈમના નામની ન્યૂઝ ચેનલ ચલાવે છે. જો તેમને આ બાબતે પતાવતા કરવી હોય તો 10 કરોડ રૂપિયા આપવા પડશે. છેવટે આરોપીઓ તરફે 7 કરોડની માગ કરવામાં આવી હતી. વળી જો ફરિયાદી પૈસા નહીં આપે તો ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલમાં વાઈરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સંદર્ભે એક મિત્રની સલાહથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો ન્યૂડ વીડિયો ઉતારીને તેમને બ્લેકમેલ કર્યાઅરજદાર વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીએ ફરિયાદીને કોઈ ફોન કર્યો નથી. તેની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. તે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી. સામે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે આરોપીએ સહ આરોપીઓ સાથે મળીને ફરિયાદીનો ન્યૂડ વીડિયો ઉતારીને તેમને બ્લેકમેલ કર્યા હતા. વળી આરોપીએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખાણ આપી હતી. બંને પક્ષોની દલીલ સાંભળીને સેશન્સ કોરે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
આણંદપર બાઘી ગામે સાસરૂ ધરાવતી પૂજા અનિલ સોલંકી હાલ બે મહિનાથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે પિતાને ત્યાં રિસામણે આવી છે. ગઇકાલે સાંજે તેની દિકરી ધર્મિષ્ઠા અનિલ સોલંકી (ઉ.વ.2) રમતી રમતી ઘરના બીજા માળે બાથરૂમમાં જતી રહેતાં ત્યાં પાણીની ડોલ ભરેલી હતી તેમાં પડી ગઇ હતી આ વખતે નળ પણ ચાલુ થઇ ગયો હતો અને ધર્મિષ્ઠા ઉંધે માથે પડતા પાણી પી ગઇ હતી. થોડીવાર પછી તેની માતાને ખબર પડતાં તે બાળકીને શોધવા નીકળી ત્યારે બાથરૂમમાં ભરેલી ડોલમાંથી તેણી મળી આવતાં બેભાન હાલતમાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન બાળકીને તબીબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમાં બાળકી એક ભાઇથી નાની હોવાનું અને તેના પિતા અનિલભાઇ છુટક ડુંગળીની ફેરી કરી ગુજરાન પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવકનું બહેનના ઘરે હાર્ટ એટેકથી મોત નીપજ્યું રાજકોટ શહેરના થોરાળા રોડ ઉપર લખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ કુમારખાણીયા (ઉં.વ.44) ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના બહેનના ઘરે નવાગામ દિવેલીયાપરામાં હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં રાજેશભાઈ કારખાનામાં મજૂરી કરતા હોવાનું અને ચાર ભાઈ ચાર બહેનમાં નાના અને અપરણિત હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે બહેનના ઘરે આંટો મારવા ગયા અને ત્યાં જ ઢળી પડ્યા હતા. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે. યુવાને ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં શીતળાધાર પાસે આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતા ચંદન રામવિનય શાહ (ઉ.વ.33) નામના યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તે કારખાનામાં કામ કરતો હતો જો કે છેલ્લા બે મહિનાથી કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો જેના કારણે ગઇકાલે તેની પત્ની ઘરેથી ચાલી ગયા બાદ તેણે આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા હવે ઉદ્ઘાટન કાર્યક્રમો શરૂ કર્યા છે. જોકે ઉદ્ઘાટન કાર્યક્રમ પણ હવે વિવાદમાં આવ્યા છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં ચાર વર્ષ પહેલા સુહાના હોટલ પાસેના સર્કલનું શહીદ ગોપાલસિંહ ભદોરીયા ચોક તરીકે નામ આપી દેવામાં આવ્યું છે. ત્યાં સર્કલનું ફરીથી નામકરણ કરી મેયર હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે બાબતે ગોપાલસિંહ ભદોરીયાના પરિવારને જાણ થતા તેઓએ શહીદનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. આમરણ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી જેથી તાત્કાલિક ધોરણે મેયરનો સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં થનારા સર્કલના નામાભિધાન કાર્યક્રમ રદ કરી દેવાયો હતો. એક સર્કલનું નામકરણ થયેલું હોવા છતા નવું નામ અપાતા વિવાદશહેરના વિવિધ ચાર રસ્તા ઉપર આવેલા સર્કલોના નામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા હોય છે. સર્કલ પર તકતી મારીને સર્કલનું નામકરણ કરી દેવામાં આવે છે. જોકે શહેરના હીરાવાડી વિસ્તારમાં સૈજપુર બોઘા નજીક આવેલા સુહાના હોટલ પાસે વીર શહીદ ભદોરીયા ચોક તરીકે સર્કલનું નામાભિધાન પૂર્વ મેયર કિરીટ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. ચાર વર્ષ પહેલાં સર્કલનું નામ કરણ થઈ ગયું હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનના અધિકારીઓ દ્વારા દ્વારા સર્કલનું નામકરણ સ્વ.સાગરભાઇ દેસાઈ આપવાનો ઠરાવ મંજૂર કરાવી દીધો હતો. ઉદઘાટન કાર્યક્રમ રદ કરવાની ફરજ પડીઆજે 2 ફેબ્રુઆરીના રોજ મેયરના હસ્તે સર્કલનું ઉદ્ઘાટન કરવાના હતા જોકે આ સર્કલ પર નામકરણ હોવા છતાં પણ ફરીથી નામકરણ કરવાને લઈ સહિત પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સવારથી આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી આપવામાં આવી હતી જે અંગેની ભાજપના સત્તાધીશોને જાણ થતા તાત્કાલિક ધોરણે તેઓ દ્વારા મેયરના હસ્તે ઉદઘાટન રદ કરી દેવામાં આવ્યું હતું. ગાર્ડનના લોકાર્પણ કાર્યક્રમમાં પણ વિવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે વિવિધ સુવિધાઓ અંગેના ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં ખાસ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સહિત અનેક લોકો હાજર રહેતા નથી ત્યારે આજે કુબેરનગર વોર્ડમાં સાંઈ ઝુલેલાલ ગાર્ડન ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગાર્ડનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખાસ ઓછી હાજરી જોવા મળી હતી. સરદારનગર વોર્ડમાં સિંધી સમાજની વસ્તીને ધ્યાનમાં લઈને નવા બનાવાયેલા ગાર્ડનનું નામાભિધાન ઝૂલેલાલ રાખવામાં આવ્યું છે. મેયર પ્રતિભા જૈન દ્વારા નવા ગાર્ડનનું સોમવારે લોકાર્પણ અને નામાભિધાન કરવામાં આવ્યું હતું. જોકે, આ નવા બગીચાના લોકાર્પણ કાર્યક્રમનો સમય 11.15 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો અને મેયર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ 11 વાગ્યે પહોંચી ગયા હતા. સ્થાનિક વિસ્તારમાં જ્યારે મેયર ઉદ્ઘાટન કરવા આવતા હોય ત્યારે સમય કરતા પહેલા કોર્પોરેટરોએ હાજર રહેવું પડે પરંતુ ભાજપના બે જ કોર્પોરેટર હાજર હતા. બે કોર્પોરેટર આવ્યા બાદ તકતી નું ઉદઘાટન કરવા માં આવ્યું હતું ત્યાં સુધી મેયર અને અન્ય પદાધિકારીઓએ રાહ જોઈ હતી.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારા તત્વો સામે લિંબાયત પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં ચપ્પુ સાથેનો વીડિયો વાયરલ કરનારા 5 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. વીડિયો વાયરલ કરી ભય ફેલાવવાનો પ્રયાસઆજના યુગમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે યુવાનો અવનવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ સુરતના લિંબાયત વિસ્તારના કેટલાક યુવકોએ મર્યાદા વટાવી હતી. આ યુવકોએ હાથમાં ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે 1 વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ભય પેદા કરવાનો અને પોતાની ગેંગનો રૌફ જમાવવાનો હોય તેવું જણાતું હતું. વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડસોશિયલ મીડિયા પર આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ લિંબાયત પોલીસ હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા તમામ 5 શખ્સોની ઓળખ કરી લેવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ નિખિલ ઉર્ફે જીનકા અમર યાદવ (ઉંમર: 20 વર્ષ), વિષ્ણુ ભરત માળી (ઉંમર: 20 વર્ષ), બિટ્ટુ વિનોદ કોહાર (ઉંમર: 21 વર્ષ), કિશન રામપ્રવેશ સીંગ (ઉંમર: 21 વર્ષ) અને રતન રાજેન્દ્ર ભહુતે (ઉંમર: 29 વર્ષ) છે. કાયદેસરની કાર્યવાહીપોલીસે આ તમામ શખ્સો વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાહિત માનસ ધરાવતા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કે ભય ફેલાવવાની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે આત્મહત્યાની ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના ભોપાલ (બૈરાગઢ) ખાતે રહેતા એક ૩૩ વર્ષીય યુવકે પોતાના નાના-નાનીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ભોપાલના બૈરાગઢ વિસ્તારમાં રહેતો ૩૩ વર્ષીય રાહુલ મટાણી નામનો યુવક થોડા દિવસો પહેલા જ દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતા તેના નાના-નાનીના ઘરે આવ્યો હતો. તે અહીં રોકાયો હતો. ગતરોજ રાત્રે રાહુલ તેના નાના-નાનીના ઘરે જ હતો. આજે વહેલી સવારે જ્યારે ઘરના અન્ય સભ્યો હાજર ન હતા, તે સમયે તેણે મકાનના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારના સમયે આસપાસના લોકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે મકાનની બારીમાંથી રાહુલનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ રાહુલ મટાણીના મૃતદેહને નીચે ઉતારી પંચનામું કર્યું હતું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માત્ર ૩૩ વર્ષની નાની ઉંમરે રાહુલે આ પગલું ભરતા તેના પરિવાર અને સંબંધીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રાહુલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
વલસાડમાં નિર્માણાધીન પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને 'કમિશન રાજ'નો આક્ષેપ કર્યો છે. આ ઘટના વલસાડ શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં બની હતી, જ્યાં પાણીની ટાંકીનું સેન્ટિંગ અને સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું હતું. આ બનાવને કારણે મોટા વિવાદે જન્મ લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કપરાડા ખાતેની જનઆક્રોશ રેલીમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 'કમિશન રાજ' ચાલી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ'માં નક્કી કરેલી ટકાવારી પહોંચ્યા વિના વિકાસકાર્યોના વર્ક ઓર્ડર અપાતા નથી, જેના કારણે ગુણવત્તાવિહીન કામો થાય છે. કોંગ્રેસ નેતાએ વધુમાં ઉમેર્યું કે, થોડા સમય પહેલા સુરતમાં પણ લોકાર્પણ પૂર્વે પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી અને હવે વલસાડમાં પણ કામ પૂર્ણ થાય તે પહેલા જ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે. તેમણે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા થતા ભ્રષ્ટાચારને કારણે પૂલ તૂટવા અને રસ્તાઓમાં ગાબડા પડવા જેવી ઘટનાઓ બનતી હોવાનો દાવો કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ન ખાઈશ, ન ખાવા દઈશ' સૂત્ર પર કટાક્ષ કરતા કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલ સરકાર પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે જનતાના ટેક્સના પૈસાના દુરુપયોગનો આરોપ લગાવી સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓ અને લોકો વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. આવી જ વધુ એક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ દર્દીને મળવા જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત સિક્યુરિટી સ્ટાફ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. મળતી માહિતી મુજબ, જ્યારે સિક્યુરિટી ગાર્ડે વૃદ્ધને અટકાવ્યા ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલ્યા હતા. સામે પક્ષે સિક્યુરિટી સ્ટાફે પણ તેમને મર્યાદામાં રહીને વાત કરવા જણાવ્યું હતું. જોકે અંતે અન્ય લોકોની મધ્યસ્થી અને વૃદ્ધને મળવા જવાની છૂટ મળતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટના અંગે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વાયરલ વિડીયો કઈ તારીખનો છે અને ચોક્કસ શું કારણ હતું તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો આ મામલે સિક્યુરિટી સ્ટાફની કોઈ પ્રકારની બેદરકારી કે ગેરવર્તણૂક જણાશે, તો તેમની સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે. રાજકોટમાં એક સપ્તાહમાં શરદી-ઉધરસ-તાવનાં 1600 કરતા વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા સપ્તાહ દરમિયાન મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળો વકર્યો હોય તેમ શરદી-ઉધરસ અને તાવના કેસોમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહમાં ડેન્ગ્યુનો 1 નવો કેસ નોંધાતા ચાલુ વર્ષે કુલ પોઝિટિવ કેસનો આંકડો 3 પર પહોંચ્યો છે. અન્ય રોગોમાં શરદી-ઉધરસના 916 કેસ, સામાન્ય તાવના 727 કેસ અને ઝાડા-ઉલટીના 173 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કમળાના 2 કેસ પણ નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ચિકુનગુનિયાના સાથે ટાઈફોઈડ અને મરડાના કોઈપણ કેસ નોંધાયા નથી. જો કે રોગચાળાને અટકાવવા મનપાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા કુલ 13865 ઘરોમાં પોરાનાશક (એન્ટી-લાર્વા) કામગીરી કરવામાં આવી છે. અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા 380 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો માટે બેદરકાર 120 રહેણાંક મકાનો અને 38 કોર્મશીયલ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ તપાસમાં બાંધકામ સાઇટ, હોસ્પિટલ અને શાળાઓ સહિત કુલ 327 પ્રીમાઇસીસને આવરી લેવાયા હતા. પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 972 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. રૂડાના 49મા સ્થાપના દિવસે 20 આવાસોની ફાળવણી અને કર્મચારીઓનું સન્માન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા ગઈકાલે 1-2-2026ના રોજ સંસ્થાના 49મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ MIG પ્રકારના ખાલી પડેલા 20 આવાસોની ડ્રો પદ્ધતિ દ્વારા લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી. આ આવાસ ફાળવણીની પ્રક્રિયા ચેરમેન તુષાર સુમેરા અને કલેકટર ડૉ. ઓમ પ્રકાશના હસ્તે સંપન્ન થઈ હતી, જેનાથી અનેક પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ ઉજવણીમાં માત્ર આવાસ ફાળવણી જ નહીં, પરંતુ સંસ્થા માટે વર્ષો સુધી સેવા આપનાર નિવૃત્ત કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, કલેકટર ડૉ. ઓમ પ્રકાશ, રૂડાના સી.ઈ.ઓ. જી.વી. મિયાણી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સમીર ધડુક અને સિટી એન્જિનિયર કે.કે. મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી અંગે 132 પાસેથી રૂ. 44,350ની દંડ વસુલાયો રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને જાહેરમાં ગંદકી ફેલાવતા તમામ વેપારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર તપાસ હાથ ધરીને કુલ 132 આસામીઓ સામે વહીવટી પગલાં લેવાયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આ તમામ આસામીઓ પાસેથી કુલ રૂ. 44350નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. આ સાથે જ પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તથા ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરોના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઈજનેર, સેનીટેશન ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. આગામી સમયમાં પણ શહેરની સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આ પ્રકારે તપાસ ચાલુ રાખવામાં આવશે.
ચીકાસા ગામે જુગાર રમતા 5 ઝડપાયા:LCBએ ₹64,800 રોકડ અને પત્તા જપ્ત કર્યા, ચાર ફરાર
પોરબંદર જિલ્લામાં જુગારની બદી નાબૂદ કરવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચીકાસા ગામે દરોડો પાડ્યો છે. પોલીસે ₹64,800 રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત કરીને પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ચાર નાસી છૂટ્યા હતા. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને ગુપ્ત બાતમી મળી હતી કે ચીકાસા ગામના ભાદર પુલ પાસે બાવળની કાંટમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ₹64,800 રોકડ રકમ અને ગંજીપત્તાના 52 પાનાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં કિરણ બાબુભાઈ પરમાર (રહે. સાપુર), ઉત્તમ ઉર્ફે ભોલો રાજેશભાઈ માકડીયા (રહે. માંગરોળ), વિપુલ કાંધાભાઈ વાઢીયા (રહે. ફરેર), વિક્રમ લખમણભાઈ ભોગેસરા (રહે. ભોગસર) અને હાજાભાઈ ભુરાભાઈ ભોગેસરા (રહે. ભોગસર) નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન અર્જણ સરમણભાઈ ખુંટી, હરસુખ ઉર્ફે અશોક કરશનભાઈ પંડિત, પ્રવિણ ઉર્ફે સોપારીવાળો જીણાભાઈ કરગટીયા અને રામદે પરબતભાઈ ઓડેદરા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ નવીબંદર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ પોલીસે 4 બુલેટ ડિટેઇન કરી:વેરાવળ ચોપાટી પર મોડિફાઇડ સાઇલેન્સરવાળા વાહનો સામે કાર્યવાહી
ગીર સોમનાથ પોલીસે પ્રતિબંધિત મોડિફાઇડ સાઇલેન્સરવાળા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં જાહેર સલામતી, શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન. ગઢવી અને તેમની ટીમે શહેરમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. વેરાવળના ચોપાટી વિસ્તારમાં કેટલાક બુલેટ મોટરસાયકલ ચાલકો પ્રતિબંધિત મોડિફાઇડ સાઇલેન્સર લગાવી પૂરઝડપે વાહન ચલાવી રહ્યા હતા. તેઓ ફટાકડા જેવા મોટા અવાજ કરીને જાહેર જનતાને પરેશાન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા વાહનચાલકોને રોક્યા હતા. તપાસ દરમિયાન તેમની બુલેટ મોટરસાયકલોમાં ગેરકાયદેસર મોડિફાઇડ સાઇલેન્સર લગાવેલા હોવાનું જણાયું હતું. જાહેર માર્ગ પર શાંતિભંગ અને અકસ્માતનું જોખમ વધારતા આ વાહનોના સાઇલેન્સર સ્થળ પર જ કાઢી નાખવામાં આવ્યા હતા. મોટર વાહન અધિનિયમની કલમ-207 હેઠળ કુલ 4 બુલેટ મોટરસાયકલો ડિટેઇન કરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, પ્રતિબંધિત સાઇલેન્સરનો ઉપયોગ, બેફામ ગતિ, સ્ટન્ટબાજી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે જાહેર જનતાને સલામતી જાળવવા અને કાયદાનું પાલન કરવા સહકાર આપવા અપીલ પણ કરી છે.
દાહોદમાં ટ્રેનની અડફેટે દિવ્યાંગ યુવકનું મોત:પરેલ સી-સાઇડ નજીક અકસ્માત, પોલીસે ઓળખ પ્રક્રિયા શરૂ કરી
દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી. રેલવેના પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં એક દિવ્યાંગ યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક યુવક ઉત્તર પ્રદેશનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અકસ્માત દાહોદ રેલવે સ્ટેશનના પરેલ વિસ્તારમાં આવેલા સી-સાઇડ પાસે થયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના ફરીદાબાદનો રહેવાસી રામ ગોપાલ નામનો યુવક રેલવેના પાટા ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે અંધારામાં પૂરઝડપે આવી રહેલી ટ્રેનનો અંદાજ ન આવતા તે ટ્રેનની અડફેટે ચડી ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રામ ગોપાલ શારીરિક રીતે દિવ્યાંગ હતો. તેની દિવ્યાંગતાને કારણે તે પાટા ક્રોસ કરતી વખતે ઝડપથી ખસી શક્યો ન હોય અથવા ટ્રેનનો અવાજ પારખવામાં થાપ ખાઈ ગયો હોય તેવી શક્યતા છે. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત રેલવે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન મૃતકની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોનમાં રહેલા સંપર્ક નંબર અને અન્ય વિગતોના આધારે પોલીસે મૃતકની ઓળખ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. રેલવે પ્રશાસન અને પોલીસ દ્વારા વારંવાર મુસાફરોને જીવના જોખમે રેલવે પાટા ન ઓળંગવા અને ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં શોર્ટકટ અપનાવવાની લ્હાયમાં આવા અકસ્માતો સર્જાતા હોય છે. હાલમાં રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબીમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો:પીપળીયા ચાર રસ્તા પાસેથી 9 મોબાઈલ સાથે આરોપી ઝડપાયો
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી એક મોબાઈલ દુકાનમાંથી નવ મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. માળિયા પોલીસે ચોરી કરનાર આરોપીને ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ઘટના ગત તારીખ 29ના રોજ રાત્રિના 8:30 થી સવારના 5:00 વાગ્યા દરમિયાન બની હતી. પીપળીયા ચોકડી પાસેના કામધેનુ ગોલ્ડ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનની બારી તોડીને તસ્કરે પ્રવેશ કર્યો હતો. લૂંટાવદર ગામના અર્જુનભાઈ સેવાભાઈ ખાંભલા (ઉં.વ. 23)ની ફરિયાદ મુજબ, દુકાનમાંથી જુદી જુદી કંપનીના કુલ નવ મોબાઈલ ફોન ચોરાયા હતા, જેની કિંમત આશરે 50,000 રૂપિયા હતી. ફરિયાદ નોંધાયા બાદ માળિયા તાલુકા પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે પીપળીયા ચાર રસ્તા પાસેની દુકાનમાં ચોરી કરનાર શખ્સ ચોરાયેલા મોબાઈલ વેચવા માટે માળિયા વિસ્તારમાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને એક શંકાસ્પદ શખ્સને પકડી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી ચોરી થયેલા નવ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે માંડવી, કચ્છના રહેવાસી ભરતભાઈ કરસનભાઈ ભાટીની ધરપકડ કરી, 50,000 રૂપિયાના મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના અપમૃત્યુ થયા છે. ધર્મસૃષ્ટિ સોસાયટીમાં એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે લાલપર ગામ પાસે બાઇક અકસ્માતમાં એક આધેડનું મોત નીપજ્યું હતું. પ્રથમ ઘટનામાં, મોરબીના બાયપાસ રોડ પર આવેલી ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય નિકેતભાઈ ત્રીકમજીભાઈ ડાભીએ પોતાના ઘરમાં પંખા સાથે ટુવાલ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. નિકેતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ આપઘાત અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસ.કે. બાલાસરા આ યુવાનના આપઘાત પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. બીજી ઘટનામાં, મોરબીના રવાપર રોડ પર આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજાનું બાઇક અકસ્માતમાં મોત થયું હતું. ગઈકાલે મોડી સાંજે 8:30 વાગ્યાના અરસામાં તેઓ મોરબીના લાલપર ગામ પાસેથી બાઇક પર ઊભા હતા ત્યારે પાછળથી આવેલા અન્ય બાઇકના ચાલકે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સુરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને 02/02/2026 ના રોજ બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો એક ઈ-મેલ મળ્યો હતો. આ સંદેશમાં આજરોજ કોર્ટમાં બોમ્બ ફૂટશે તેવી ગંભીર ધમકી આપવામાં આવતા કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ તાત્કાલિક સુરક્ષા પગલાં લેવા આદેશ આપ્યા હતા. કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળવા માટે LCB, SOG અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડોગ સ્ક્વોડ (BDDS)ની ટીમોને કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના અપાઈ હતી. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત અને SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા સહિત LCB, SOG, BDDS અને ડોગ સ્ક્વોડના અધિકારીઓ-કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો તાત્કાલિક કોર્ટ પરિસરે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. નામદાર કોર્ટની પરવાનગી મેળવીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગને સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં આવ્યું હતું. કોર્ટમાં હાજર વકીલો, અસીલો, ન્યાયિક કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કોર્ટના તમામ પ્રવેશ અને નિકાસ દ્વાર પર કડક સુરક્ષા કોર્ડન ગોઠવી દેવાયું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ રૂમો, લોબી, રેકોર્ડ રૂમ, ચેમ્બર, પાર્કિંગ એરિયા તેમજ આસપાસના ખુલ્લા વિસ્તારોમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ, ગેરકાયદેસર પાર્સલ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી, જેના પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન, આ ધમકીભર્યો ઈ-મેલ કોણે મોકલ્યો છે અને તેનો ઉદ્દેશ શું છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. LCB, SOG અને સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, IP ટ્રેકિંગ અને ડિજિટલ પુરાવાઓના આધારે ઈ-મેલની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
NDPS કેસનો આરોપી મુંબઈથી ઝડપાયો:ચાર વર્ષથી ફરાર આરોપીને ગીર સોમનાથ SOGએ ડોંગરીમાંથી પકડ્યો
ગીર સોમનાથ પોલીસે NDPS એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાનો આરોપી મુંબઈના ડોંગરી વિસ્તારમાંથી પકડાયો હતો. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(B) અને 29 હેઠળ નોંધાયેલા ગુનામાં અબુબકર અમીરહુસેન શાહ નામનો આરોપી છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીને પકડવા માટે SOG શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવા દ્વારા ગુનાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપી મુંબઈ શહેરના ડોંગરી વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે SOG શાખાની ટીમ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેર ખાતે પહોંચી હતી. મુંબઈ શહેરના ડોંગરી પોલીસ સ્ટેશનની મદદથી આરોપીની સતત વોચ રાખીને તેને ડોંગરી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સનો જથ્થો ડિલિવરી મારફતે સપ્લાય કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં SOG શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવા, એ.એસ.આઇ. દેવદાનભાઈ માણંદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કૈલાસસિંહ જેસાભાઈ, મહાવીરસિંહ મંગલસિંહ, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ કાળુભાઈ, LCB શાખાના એ.એસ.આઇ. રામદેવસિંહ ઇન્દુભા અને મિસિંગ પર્સન સ્ક્વોડના એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભગવાનભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ગાંજો, ચરસ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
પોરબંદરમાં વીજતંત્રનું મેગા સર્ચ ઓપરેશન:43 કનેક્શનમાં ગેરરીતિ બદલ રૂ. 11.70 લાખનો દંડ
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી ડામવા માટે વીજતંત્ર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં 43 કનેક્શનમાં ગેરરીતિ પકડી પાડી રૂ. 11.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની જુદી-જુદી ટીમો દ્વારા પોરબંદરના ગળુ, હાથલા, દુધાળા, અડવાણા, ખાંભોદર, મોરાણા, પારાવાડા, મજીવાણા અને સોઢાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન કુલ 430 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 43 કનેક્શનમાં વીજચોરી અથવા અન્ય ગેરરીતિઓ મળી આવી હતી, જે કુલ ચેક કરાયેલા કનેક્શનના 10% જેટલા છે. ગેરરીતિ આચરનારા તમામ કનેક્શન ધારકોને વીજ કાયદા મુજબ કુલ રૂ. 11.70 લાખના પૂરક બિલ (દંડ) ફટકારવામાં આવ્યા છે. વીજતંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી શક્યતા છે.
કોડીનારના શેરડી પકવતા ખેડૂતો આર્થિક સંકટમાં:IPL કંપની સમયસર પાક નિકાલ ન કરતા રજૂઆત
કોડીનાર તાલુકાના શેરડી પકવતા ખેડૂતો હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આઈ.પી.એલ. કંપની દ્વારા ખેડૂતોના શેરડીના પાકનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો નથી. પાક 15 મહિનાથી વધુ સમયનો થઈ ગયો હોવા છતાં કંપની દ્વારા કાપણી કે નિકાલ ન થતાં ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે કોડીનાર તાલુકાના શેરડી પકવતા ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ એકત્રિત થઈ આઈ.પી.એલ. કંપનીના મેનેજરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે કંપની સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. ખેડૂતોએ જણાવ્યું કે, શેરડીનો સમયસર નિકાલ ન થવાથી ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. આ ઉપરાંત, પાકની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડી રહી છે, જેના કારણે અનેક ખેડૂતો પર દેવાનો બોજ વધ્યો છે. મિત્યાજ ગામના યુવા સરપંચ અને અન્ય ખેડૂત અગ્રણીઓએ ઉમેર્યું કે પાક વધુ સમય ખેતરમાં ઊભો રહેવાથી નવી વાવણી શક્ય બનતી નથી, જે આગામી પાકની આવકને પણ અસર કરી રહી છે. ખાતર, સિંચાઈ, મજૂરી અને વાહન વ્યવહાર જેવા ખર્ચમાં વધારો થતાં ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. આવેદનપત્રમાં ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી હતી કે, શેરડીના પાકમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે અથવા તો તાત્કાલિક અસરથી શેરડીનો નિકાલ કરવામાં આવે. જો કંપની દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો ખેડૂતોની આજીવિકાનો મોટો પ્રશ્ન ઊભો થશે. ખેડૂત આગેવાનોએ આઈ.પી.એલ. કંપનીના જવાબદાર અધિકારીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને કારણે જો કોઈ ખેડૂત આર્થિક સંકટમાં આવી કોઈ આત્યંતિક પગલું ભરે, તો તેની સંપૂર્ણ જવાબદારી આઈ.પી.એલ. કંપનીની રહેશે. ખેડૂતોની આ કડક રજૂઆત બાદ હવે કંપનીના જવાબદાર અધિકારીઓ શું નિર્ણય લે છે, તેના પર સમગ્ર કોડીનાર તાલુકાના ખેડૂતોની નજર ટકેલી છે.
મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે. લાંબા સમયથી અટવાયેલી ઇનામી જમીનોના અનધિકૃત કબજાહક્કને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે. રી-ગ્રાન્ટ કરાયેલી કે રી-ગ્રાન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીનો માટે આ નિર્ણય ગેમચેન્જર સાબિત થવાનો છે. નવી જોગવાઈ મુજબ, જમીનધારકોએ પ્રવર્તમાન જંત્રીના માત્ર 20 ટકા કબજાહક્કની રકમ ભરવાની રહેશે અને જમીન નિયમબદ્ધ થઈ શકશે. આથી વર્ષોથી કાનૂની ગૂંચવણમાં ફસાયેલા કેસોમાં ઝડપી ઉકેલ આવશે. કોને મળશે સીધો લાભ? સરકારના આ નિર્ણયથી જમીન વિવાદોમાં ઘટાડો થશે, આવકમાં વધારો થશે અને મહેસુલી વ્યવસ્થામાં પારદર્શિતા આવશે—એવો વિશ્વાસ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાત હવે માત્ર ઉદ્યોગોનું રાજ્ય નથી રહ્યું, પરંતુ ટેક્નોલોજી અને ઇનોવેશનનું પાવરહાઉસ બની રહ્યું છે. સ્ટાર્ટઅપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાતના યુવાનો વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ (FTO)’ વિષયક વર્કશોપમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વાત પર ભાર મૂક્યો હતો. યુવાનોની મહેનતથી ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમેમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ઇનોવેશન માત્ર લેબોરેટરી સુધી સીમિત હતું, જ્યારે આજે સરકારની નીતિઓ અને યુવાનોની મહેનતથી ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. સેટેલાઇટ માટે જરૂરી સેમિકન્ડક્ટરની આખી ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી રહી છે, જે રાજ્યની ટેક્નોલોજીકલ ક્ષમતાનો સ્પષ્ટ પુરાવો છે. ઇનોવેટર્સને 87.34 લાખની સહાયઆ કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ, IP કોમર્શિયલાઇઝેશન અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.87.34 લાખની સહાય વિવિધ ઇનોવેટર્સને આપવામાં આવી હતી. મંત્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરા સહિત રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવાથી વિદેશમાં કામ કરતું ભારતીય યુવાધન ફરી દેશની વિકાસ યાત્રામાં જોડાશે. નિષ્ફળતાને પગથિયું બનાવી આગળ વધવાની પ્રેરણા પણ તેમણે યુવાનોને આપી. બજેટમાં યુવાનો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યોઆ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના તાજેતરના બજેટમાં યુવાનો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને ગુજરાતને આર્થિક રીતે દેશના ટોપ ત્રણ રાજ્યોમાં લઈ જવામાં યુવાનોની ભૂમિકા મહત્વની રહેશે. વર્કશોપમાં સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ માટે IP સ્ટ્રેટેજી, પેટન્ટ એનાલિટિક્સ અને માર્કેટ એક્સેસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી તાલુકાના અનેક ગામોમાં ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કોડીનાર તાલુકાના ફાચરિયા, સિંધાજ, કાંટાળા અને સુત્રાપાડા તાલુકાના ભુવાવડ, વિઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હાલ રવિ સિઝનના ઘઉં, તલ અને ચણા જેવા પાક કાપણીના આરે છે. કમોસમી વરસાદના કારણે ખેતરમાં કાપીને મુકેલા અથવા ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે. સ્થાનિક ખેડૂત અગ્રણી સુરપાલ બારડના જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં ફરી વરસાદ પડે તો ઘઉં સહિતના પાકની ગુણવત્તા અને ઉપજ પર ગંભીર અસર પડી શકે છે. અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પાકને વધુ નુકસાન થવાનો ભય છે. કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનનો અંદાજ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળકો અને મહિલાઓમાં કુપોષણને લઈને મોટો પ્રશ્ન ઉભો થયેલો છે. પરંતુ હવે કુપોષણનો પ્રશ્ન આગામી ટૂંક સમયમાં જ ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. ખુદ મુખ્ય સચિવ એમ.કે.દાસે જ સમગ્ર અભિયાન હાથ પર લીધું હોય તેમ તેઓ આ સંદર્ભમાં સીધું મોનિટરિંગ અને ગાઈડન્સ આપી રહ્યા છે. જેને કારણે કેન્દ્રના 'પોષણ ટ્રેકર' પર માત્ર 2 મહિના દરમિયાન જ ગુજરાતની 6.45 લાખ મહિલાઓ અને બાળકોને નોંધવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ 'પોષણ ટ્રેકર' એક મોબાઈલ આધારિત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે આંગણવાડી કેન્દ્રોના સંચાલન તથા સેવાઓની અસરકારક દેખરેખ માટે ઉપયોગમાં લેવાય છે. આ વિશેષ અભિયાન અંતર્ગત 19 જાન્યુઆરી સુધીના 2 મહિનામાં રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ નામાંકન અભિયાન હાથ ધરાયું હતું. ગ્રાઉન્ડ લેવલ પર આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધીને વિવિધ વિભાગના યોગ્ય પરામર્શ દ્વારા આ સિદ્ધિ મેળવી છે. પોષણ ટ્રેકર પર નોંધણી કરાવવાના ફાયદાપોષણ ટ્રેકર પર બાળકો અને મહિલાઓની નોંધણી મહત્વની છે, કારણ કે તેનાથી સરકારને જાણકારી મળે છે કે કેટલી મહિલાઓ અને બાળકોને પોષણ માટે કઈ વસ્તુઓની જરૂર છે. હાલમાં જે સામગ્રી અપાઈ રહી છે તે પૂરતી છે કે તેમાં કંઈ ઉમેરવાની જરૂર છે, તેની જાણકારી પણ મળી રહે છે. યોગ્ય ડેટા અપડેટ થતા રહેવાથી તંત્રને આયોજન કરવામાં સરળતા રહે છે અને રીયલ ટાઈમ કામગીરી કરી શકાય છે. દરેક જિલ્લાને ટાર્ગેટ આપતા સફળતા મળીમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લાને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તેના પરિણામે માત્ર બે મહિનામાં લગભગ 6.5 લાખ નવા લાભાર્થીઓને યોજનામાં આવરી લેવાયા છે. મોટા ભાગના જિલ્લાઓએ જાન્યુઆરી અંત સુધીમાં તમામ પાત્ર લાભાર્થીઓને આવરી લેવાનો દાવો કર્યો છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં આ પ્રક્રિયા ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ગર્ભવતી મહિલાઓ અને બાળકોને અગ્રતાકેન્દ્રના પ્રમાણિત પોષણ ટ્રેકર પર શરૂ થયેલા અભિયાનમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને અગ્રતા અપાઈ હતી. જેમાં 1,36,655 ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી માતાઓ અને 6 વર્ષથી ઓછી વયના 5,08,492 બાળકોનો સમાવેશ કરાયો હતો. આ રીતે કુલ 6,45,147 નવા લાભાર્થીઓ પોષણ ટ્રેકર સાથે જોડાયા છે. 53,000 આંગણવાડીમાં 47 લાખ લાભાર્થીઓને સેવાઓગુજરાતમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેના માધ્યમથી આશરે 47 લાખ લાભાર્થીઓને વિવિધ સેવાઓ અપાઈ રહી છે. આ આંકડો રાજ્યની કુલ વસતિના અંદાજે 7 ટકા જેટલો છે. સરકાર દ્વારા નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ અંગે પણ સક્રિય કામગીરી કરાઈ રહી છે. ઉપરાંત, જાન્યુઆરીમાં રાજ્યભરમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા નિયમિત સમીક્ષા બેઠકો યોજવામાં આવે છે. જિલ્લાઓને નવા પાત્ર લાભાર્થીઓને જોડવાની સાથે 'ગેપ રિપોર્ટ' અને 'એક્શન ટેકન રિપોર્ટ' રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ફક્ત નવા લાભાર્થીઓને ઉમેરવા પૂરતું નથી, પરંતુ તેઓ નિયમિત રીતે આંગણવાડીમાં હાજરી આપે અને તેમને તમામ સરકારી લાભો સમયસર મળે તે સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવે તાકીદ કરી છે. આંગણવાડીઓમાં 3 મહિનામાં 1.85 લાખ બાળકો વધ્યા, કુલ સંખ્યા 33.30 લાખે પહોંચીગુજરાતમાં દર વર્ષે સરેરાશ 12 લાખ બાળકો જન્મે છે, જેની સામે 8 લાખ બાળકો આંગણવાડીમાં આવતા હોય છે. હાલમાં આંગણવાડી સાથે સંકળાયેલા બાળકોની સંખ્યા 33.30 લાખ છે. કેબિનેટ બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસે આ મુદ્દે તપાસ કરવા સૂચન કર્યું હતું. તેમણે આંગણવાડી કાર્યકરોને ખાસ ટ્રેનિંગ આપવા જણાવ્યું છે, જેમાં નવા આવતા બાળકોને જૂના બાળકો સાથે સેટ થવા માટે બે અઠવાડિયાનો સમય આપવાની અને ત્યારબાદ સૌને સાથે ભેળવવાની વાત કરી છે. આંગણવાડીમાં ઉપલબ્ધ સરકારી સુવિધાઓની સાચી જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે પણ અધિકારીઓને મહેનત કરવા જણાવાયું છે.
પંચમહાલ જિલ્લાના ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવા અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધારવા માટે ગોધરા ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત તાલીમ કેન્દ્ર, ધોળાકુવા ખાતે યોજાયેલી આ શિબિરમાં નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ સીડ (NMEO) યોજના અંતર્ગત એરંડી ક્લસ્ટરના 100થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમ શિબિર ખેતીવાડી શાખા (ગોધરા તાલુકા) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી. પટેલ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભાવિન મહેતાએ યોજનાની રૂપરેખા આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના પાક સંરક્ષણ નિષ્ણાત ડૉ. શક્તિ ખજૂરિયા અને જમીન વિજ્ઞાન નિષ્ણાત ડૉ. અભિષેકે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખાતરનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દશ પરણી અર્ક અને સુઠાસ્ત્ર જેવા ઘરેલુ અસ્ત્રો દ્વારા રોગ-જીવાત નિયંત્રણની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. આ ઉપરાંત, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ અને ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ વિશે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. મદદનીશ ખેતી નિયામક શ્રી મનીષભાઈ ડાભી, વિસ્તરણ અધિકારી શ્રીમતિ શિલ્પાબેન પટેલ, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી યોગેશ પટેલ, ગ્રામ સેવકો, બ્લોક ટેક્નોલોજી મેનેજર અને કૃષિ મદદનીશોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. કૃષિ સખી શ્રીમતી રાધાબેન બારીયાનું યોગદાન ખેડૂતોની બહોળી હાજરી સુનિશ્ચિત કરવામાં મહત્વનું રહ્યું હતું.
કહેવાઈ છે કે, પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી ઉપર આવે જ છે. આવી જ એક ઘટના પુણા વિસ્તારમાં બની છે. ત્રણ વર્ષ પહેલાં નશીલા પદાર્થનું સેવન કરીને ત્રણ-ચાર સગીરોએ ભેગા મળીને એકની હત્યા કરી નાંખીને લાશને જમીનમાં દાટી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણ વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટના કહેતા વાત પુણા પોલીસ સુધી પહોંચી હતી અને પોલીસે સ્થળ ઉપર જઈને સતત પાંચ દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જોકે પોલીસ દ્વારા 15 હજાર સ્ક્વેરફૂટમાં 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, હાલ જે કહાની પોલીસને જણાવવામાં આવી છે તે આધારે, અંદાજિત ત્રણ વર્ષ પહેલા પુણાના કેનાલ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં ત્રણથી ચાર જેટલા સગીર મિત્રો સાથે રહીને નશો કરતા હતા. આ પૈકી એકના પિતા ફ્રુટ વેચતા હતા અને બીજાના પિતા મજૂરી કામ કરતા હતા. ત્રણ-ચારેય મિત્રોએ કોઇક નશીલા પદાર્થનું સેવન કર્યું હતું અને નશામાં ચૂર હતા. તેવામાં નાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો છેક હત્યા સુધી પહોંચ્યો હતો. જેમાં ત્રણેય ભેગા થઈ એક સગીર બાળકની ઘાતકી હત્યા કરી નાંખી હતી. પથ્થર જેવા બોથડ પદાર્થ દ્વારા હુમલો કરી સગીરની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. અંધારી રાત્રે બનેલી આ ઘટનાને છુપાવવા માટે ત્રણેય મિત્રોએ ભેગા થઈ જ્યાં હત્યા કરી તે જ સ્થળ ઉપર ખાડો ખોદ્યો અને ત્યાં જ સગીર મિત્રની લાશને દફનાવી દીધી હતી. આ ઘટના બાદ ત્રણેય સગીર મિત્રો અલગ અલગ થઇ ગયા હતા અને અઠવાડિયે-પંદર દિવસે એકાદવાર મળતા હતા. થોડા દિવસ પહેલા જ આ ત્રણેય ફરીવાર મળ્યા હતા અને ફરીવાર ત્રણેયની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ ત્રણ પૈકી એક સગીરે બીજા બે મિત્રોને હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખવાડવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ સગીર મૃત બાળકના ભાઈને જઈને મળ્યો હતો અને ત્રણ વર્ષ પૂર્વેની ઘટના વગોળી હતી. તેને મૃતકના ભાઈને કહ્યું કે, તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી, અમે જ તેને પતાવી દીધો છે અને પુણાની આ જગ્યા ઉપર દફનાવી દીધો છે. આ વાત સાંભળીને મૃતકનો ભાઈ પણ ચોંકી ઉઠ્યો હતો અને ઘટનાને બહાર લાવવા તે પોલીસના શરણે પહોંચ્યો હતો. પુણા પોલીસના પીઆઈ વી.એમ. દેસાઈને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. થોડા દિવસ પૂર્વે આ યુવક ફરિયાદ લઇને પુણા પોલીસ સ્ટેશન આવ્યા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સગીરે જે સ્થળ બતાવ્યું ત્યાં જઇને ખોદકામ પણ શરૂ કરાવ્યું છે. પાંચ દિવસથી જેસીબીની મશીનની મદદ લઇને ખોદકામ શરૂ કરાયું છે, પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી. જમીનના પડ નીચે દટાયેલું સત્ય શોધવા પોલીસ રાત-દિવસ એક કરી રહી છે. હાલમાં પોલીસ આ મામલે કાયદાકીય ગૂંચ ઉકેલી રહી છે. આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કિસ્સો અમારી સામે આવ્યો છે, જેમાં પૂછપરછ દરમિયાન અમને એવી જાણકારી મળી છે કે એક માણસની ત્રણ શખ્સોએ મળીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આજથી ત્રણ વર્ષ પહેલા તેને જમીનની અંદર ક્યાંક દાટી દીધો હતો. અમે ત્રણેય આરોપીઓની અલગ-અલગ રીતે પૂછપરછ કરીને હકીકતની ખરાઈ કરી. આ વાતની સચ્ચાઈ જાણવા માટે અમે પહેલા એ તપાસ કરી કે જે મૃતકનું નામ લેવામાં આવી રહ્યું છે તેની કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં? પરંતુ આવી કોઈ પણ ફરિયાદ નોંધાઈ નહોતી. જે ફરિયાદી છે એટલે કે મૃતકનો ભાઈ, તેણે પણ ક્યારેય ગુમ થયાની ફરિયાદ આપી નહોતી. છતાં પણ, અમે સાવચેતી રાખતા જ્યાં તેમણે મૃતદેહ દાટ્યો હોવાનું જણાવ્યું હતું, ત્યાં છેલ્લા પાંચ દિવસથી સતત ખોદકામ કરી રહ્યા છીએ. આ કામમાં કુલ 5 જેસીબી અને 1 હિટાચી મશીન તેમજ ઘણા બધા મજૂરો રોકાયેલા છે. આ તમામ ખોદકામ મામલતદાર અને પંચોની દેખરેખ હેઠળ તેમજ સીસીટીવી અને વીડિયોગ્રાફી સાથે કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અમે 15,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં અને 10 ફૂટથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરી ચૂક્યા છીએ. હવે અમે આમાં અલગ-અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. જો આમાં કંઈ પણ પરિણામ મળશે, તો અમે તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મેહતાએ એક્ઝિટિવ કાઉન્સિલના સભ્ય બનવા માટે ISNN (ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સીરીયલ નંબર) માં જૂની તારીખમાં સંશોધન પત્રો છપાવ્યાનો આક્ષેપ આ જ સત્તા મંડળના અન્ય સભ્ય એવા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.નિદત બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમને RTI માં માંગેલી વિગતો સાથેની રજૂઆત કુલસચિવ સમક્ષ કરી છે અને ડૉ.મેહતાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યપદેથી દૂર કરવા, આગામી સમયમાં આવનારા સિનિયર પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં તેમને ખોટા રિસર્ચ પેપરના આધારે પ્રમોશન આપવામાં ન આવે તેમજ તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી છે. આ બાબતે પ્રોફેસરનો સંપર્ક થઈ શક્યો ન હતો જ્યારે કુલસચિવ ડૉ.મનીષ ધામેચાએ ડૉ. બારોટની અરજી આવી હોવાનું જણાવ્યું હતુ. જોકે આ બાબતે કુલપતિ નિર્ણય કરશે તેમ કહ્યુ હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.નિદત બારોટે કુલસચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલપતિ દ્વારા ડૉ. કમલ મહેતાની નિયુક્તિ કરવામાં આવી છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી મને મળેલી RTI ની માહિતીમાં જે વિગત મળી છે. તેમાં ડૉ.કમલ મહેતા દ્વારા પ્રકાશિત સંશોધન પત્રો અને અન્ય પ્રકાશનોની યાદી સામેલ છે. આ યાદી કમલ મહેતા એ પોતે સહી કરીને યુનિવર્સિટીમાં આપેલી છે. જે RTI દ્વારા મને મળી છે. તેમણે પ્રસિદ્ધ કરેલ રિસર્ચ પેપર્સની યાદી ચકાસતા, નીચે મુજબની બાબતો ઉડીને આંખે વળગે છે. જેમકે તેમણે પ્રસિદ્ધ કરેલા સંશોધન પત્રો વર્ષ 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022 આમ દર વર્ષે એક Vidhyayana નામના ઓનલાઈન જર્નલમાં પ્રસિદ્ધ થયા છે. આપની પહેલાના કુલપતિ ડૉ. નીલાંબરી દવે દ્વારા કમલ મહેતાને EC માટે લાયક ગણ્યા ન હતા અને તેમાં કારણ આપવામાં આવ્યું હતું કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રિસર્ચ પેપર ISSN વાળા જર્નલમાં પ્રસિદ્ધ થયેલ નથી. આમ કમલ મહેતાના રિસર્ચ પેપર ISSN જર્નલમાં કેવી રીતે આવ્યા તે જાણવું જરૂરી લાગતા તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને આ ટેકનિકલ એનાલિસિસને તપસતા નીચે મુજબની બાબતો ધ્યાનમાં આવી છે. 1. બધા જ પેપરને ડાઉનલોડ કરીને તપાસતા પહેલી દ્રષ્ટિએ આ પેપર વર્ષ 2014 થી 2022 દરમિયાન પ્રસિદ્ધ થયાં હોય તેવું દેખાય છે પરંતુ PDF ડોક્યુમેન્ટની પ્રોપર્ટી જોવામાં આવે તો આ બધા જ પેપર તા.30/12/2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યા હોય તેનો આધાર Vidhyayana ની વેબસાઇટ ઉપરથી જ મળી શકે છે. 2. જર્નલના ઇન્ડેક્સમાં કમલ મહેતાનું નામ દેખાતું નથી કારણ કે જ્યારે જર્નલ પ્રસિદ્ધ થયું ત્યારે તેમનું પેપર નહતું. પાછળથી પેપર અપલોડ કરાતા તેમનું નામ ઇન્ડેક્સમાં નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે IQAC દ્વારા દર વર્ષે NAAC, ને મોકલવાનો થતો AQAR બનાવેલો હોય છે. આ AQAR માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક અધ્યાપકે પોતે કરેલા સંશોધન સંબંધી વિગતો આપવાની હોય છે. આ વિગતોને આધારે યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકન માટે SSR તૈયાર કરવામાં આવે છે. કમલ મહેતા દ્વારા 2014 થી 2022 સુધીના આ પેપરનો ઉલ્લેખ AQAR માં કરવામાં આવેલ છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ. કોઈપણ પ્રોફેસર માટે સિનિયર પ્રોફેસરનું પ્રમોશન મેળવવાના ખોટા ઈરાદાથી, જૂની તારીખમાં સંશોધન પત્રો છપાવવા, તેની વિગત યુનિવર્સિટીમાં રજૂ કરી, પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવો તે અતિ ગંભીર ક્રિમિનલ ગુન્હો છે. રાજ્ય સરકાર પાસેથી ખોટી રીતે વધારાનો આર્થિક લાભ લેવા માટે કરવામાં આવેલું સમજણ પૂર્વકનું ષડયંત્ર છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળમાં સભ્ય થવા માટે આપવામાં આવેલા આ ખોટા સંશોધન પત્રોનો ઉપયોગ એ માત્ર ગુનાહિત કૃત્ય નથી પરંતુ ખોટી રીતે લાયક ન હોવા છતાં, કુલપતિને છેતરી ને, સત્તા મંડળમાં સભ્ય બનવા માટેનું જાણી જોઈને કરેલી ગુનાહિત પ્રવૃતિ છે. આગામી દિવસોમાં સિનિયર પ્રોફેસરોના CAS ના ઈન્ટરવ્યૂ થનાર છે. મારી આ ફરિયાદને કમલ મહેતાના ખોટી રીતે સિનિયર પ્રોફેસર થવાના પ્રયાસને અટકાવી, રાજ્ય સરકારને થનાર લાખો રૂપિયાના નુકશાનને અટકાવવું જોઈએ તેવી માંગણી ગણવી. મહેતાની EC માં કરેલી નિયુક્તિને તાત્કાલિક સ્થગિત કરવા માંગણી છે. મારી ફરિયાદ સંદર્ભે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી.
જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026 નું અંદાજપત્ર આજે મનપા કમિશનર તેજસ પરમાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને સુપ્રત કરવામાં આવ્યું હતું. જી.પી.એમ.સી. એક્ટની કલમો હેઠળ રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણની જાળવણી અને વહીવટી સુધારણા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કમિશનરે જણાવ્યું હતું કે, આ બજેટ જૂનાગઢને સુંદર, રમણીય અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે. બજેટની સૌથી મહત્વની બાબત ટેક્સને લઈને છે. કમિશનરના જણાવ્યા મુજબ, પ્રોપર્ટી ટેક્સના બેઝ રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે શહેરીજનો માટે રાહતના સમાચાર છે. જોકે, મહાનગરપાલિકાની આવક વધારવા અને વિકાસકામોના ખર્ચને પહોંચી વળવા માટે ટેક્સના ફેક્ટરમાં 5 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ ફેરફારથી મનપાની તિજોરીમાં આવક વધશે, જેનો ઉપયોગ શહેરની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવશે. શહેરમાં જે રસ્તાઓ ભૂગર્ભ ગટર કે પાણીની લાઈનો નાખવા માટે ખોદવામાં આવ્યા હતા, તેને નવા બનાવવા માટે બજેટમાં ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. આગામી વર્ષમાં ભૂગર્ભ ગટર અને પાણીની નવી લાઈનો નાખવાની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 'નવી પાર્કિંગ પોલિસી' અમલમાં લાવવાની દરખાસ્ત પણ મુકાઈ છે. જૂનાગઢને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે મનપા દ્વારા 50 નવી ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે વાહન ચાર્જ નહીં લેવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઉપરાંત, ઈવનગર ડમ્પિંગ સાઈટ ખાતે જમા થયેલા વર્ષો જૂના લેગસી વેસ્ટને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે અને શહેરમાં 'રેઈન વોટર હાર્વેસ્ટીંગ' દ્વારા જળ સંચય પર ભાર મૂકવામાં આવશે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રીઝર્વ પ્લોટમાં 392 નવા મકાનો બનાવવામાં આવશે. લોકોના આરોગ્ય માટે ફીઝીયોથેરાપીની સુવિધા અને સ્વચ્છતા માટે સ્માર્ટ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન છે. સુરક્ષાના ભાગરૂપે શહેરમાં નવા બે ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે. વાઘેશ્વરી તળાવનું બ્યુટિફિકેશન પૂર્ણ કરી આગામી વર્ષમાં તે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. મનપાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે તમામ શાખાઓની કામગીરી ઓનલાઈન કરવામાં આવશે. હાલમાં શહેરમાં જીઆઈએસ મેપીંગની કામગીરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 75 હજાર મિલકતોનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. આગામી સમયમાં બાકી રહેલી મિલકતોને આવરી લેવાશે. આ ઉપરાંત, શહેરની ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે મનપા ખાસ જગ્યા ફાળવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે કમિશનર દ્વારા રજૂ થયેલા બજેટ પર હવે કમિટીમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ તેને મંજૂરી માટે જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે.
વર્ષ 2026માં ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કેનેડા, મેક્સિકો, મોરોક્કો અને અમેરિકામાં થવા જઈ રહ્યું છે. વિદેશ જઈને પોતાના મનપસંદ સ્ટાર્સને વર્લ્ડ કપમાં રમતા જોવાની ઈચ્છા ઘણા લોકો ધરાવે છે. જેનો ફાયદો ઉઠાવીને ઈમિગ્રેશન એજન્ટો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. ભ્રષ્ટ એજન્ટોએ વિશેષ વિઝા પેકેજ તૈયાર કર્યા ફૂટબોલ વર્લ્ડ કપ જોવાની સાથે કેનેડામાં રહેવા અને કામ કરવાની લાલચ આપીને પંજાબમાં છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલો ધ્યાને આવ્યા બાદ કેનેડા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. પંજાબના કેટલાક ભ્રષ્ટ એજન્ટોએ કેનેડામાં સરળતાથી પ્રવેશની લાલચ આપીને 'વિશેષ વિઝા પેકેજ' તૈયાર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિઝામાં માત્ર રમત જોવાની જ નહીં, પરંતુ કેનેડામાં વિઝિટર વિઝા પર કામ કરવાની પણ છૂટ મળશે. લોકોને કેનેડામાં કાયમી વસવાટ કરવાની લાલચ ચંદીગઢના એક ટ્રાવેલ એજન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પંજાબી ભાષામાં પોસ્ટ કરવામાં આવી કે, 'જેઓ લાંબા સમયથી કેનેડામાં કાયમી રહેવા માંગે છે, તેમના માટે આ સુવર્ણ તક છે.' તે એજન્ટનો દાવો હતો કે, 'કેનેડાએ નવી પબ્લિક પોલિસી જાહેર કરી છે. જે મુજબ જે લોકો ફીફા વર્લ્ડ કપ જોવા જઈ રહ્યા છે, તેઓ વિઝિટર વિઝા પર કામ પણ કરી શકે છે.' તેનો અર્થ એ છે કે વર્લ્ડ કપના બહાને લોકોને કેનેડામાં કાયમી વસવાટ કરવાની લાલચ આપવામાં આવી રહી છે. કેનેડાનું ઈમિગ્રેશન વિભાગ સક્રિય થયું આ મુદ્દો સામે આવતા જ કેનેડાનું ઈમિગ્રેશન વિભાગ સક્રિય થયું છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) એ નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે કોઈપણ વિશેષ FIFA વર્લ્ડ કપ વિઝાની વ્યવસ્થા નથી. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, 'જો તમે ફૂટબોલ ફેન તરીકે વર્લ્ડ કપ જોવા કેનેડા આવવા માંગતા હોવ, તો તમારે પ્રવાસી (Tourist) તરીકે જ દેશમાં આવવું પડશે.' આ માટે સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (eTA) ની જરૂર પડશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. કેનેડા સરકારની ચેતવણી સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે કેનેડામાં એક ખાસ વિઝા છે, પરંતુ તે માત્ર FIFA કર્મચારીઓ અને ખાસ આમંત્રિતો માટે જ છે, સામાન્ય નાગરિકો માટે નથી. રમત જોવા કે મુસાફરી કરવા માટે કેનેડા જવા ઈચ્છતા લોકોએ પ્રવાસન (Tourist) વિઝા માટે જ અરજી કરવી પડશે. વિઝા સંબંધિત કોઈપણ દસ્તાવેજમાં છેતરપિંડી જણાશે તો તે એજન્ટને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ચેતવણી કેનેડા સરકારે આપી છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં 11 થી 19 જૂન 2026 વચ્ચે ટોરોન્ટો અને વેનકુવરમાં વર્લ્ડ કપની 13 મેચો રમાશે. જેમાં જર્મની, ક્રોએશિયા અને બેલ્જિયમ સહિત 12 ટીમો ભાગ લેશે.
ઘોઘંબા તાલુકાની વતની અને અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી કૈલાશ બારીયાને ગોધરા નજીક માર્ગ અકસ્માત નડ્યો છે. અમદાવાદથી પોતાના વતન ઘોઘંબા જતી વખતે તેનું એક્ટિવા સ્લિપ થતાં તેને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. કૈલાશ બે મહિનાના લાંબા સમય બાદ પોતાના માતા-પિતાને મળવા અમદાવાદથી ઘોઘંબા જઈ રહી હતી. તે એક્ટિવા પર સવાર થઈને વતન તરફ નીકળી હતી. ગોધરા પાસે પહોંચતા જ અચાનક તેનું એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં કૈલાશને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
જયરાજ સહિતનાઓ હજુ જેલમાં બંધ રહેશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે તાજેતરમાં નવનીત ડાયા બાલધીયા પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા પ્રકરણ પોલીસે અત્યાર સુધીમાં 14 શખ્સોને ધરપકડ કરી છે અને હાલ જેલમાં હતા ત્યારે આ 14 પૈકી આઠ શખ્સોએ જામીન માટે મહુવા કોર્ટમાં અરજી કરી હતી જેમાં મહુવા સેશન્સ કોર્ટે આઠ શખ્સોના શરતી જામીન મંજૂર કર્યા હતા. બગદાણા ગામે યુવાન પર થયેલ હુમલા સંદર્ભે હાલમાં ભાવનગર જિલ્લા જેલમાં કુલ 14 શખ્સો બંધ હતા, આ 14 પૈકી રાજુ દેવાયત ભમ્મર, વીરુ મધુ સાયડા,આતુ ઓઘડ ભમ્મર, ભાવેશ ભગવાન છેલાણા, વિરેન્દ્ર જેરામ પરમાર, પંકજ માવજી મેર, સન્ની ઉર્ફે સતીષ વિજય વનાળીયા એ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જેમાં કોર્ટે આ આઠેય શખ્સોને જામીન પર મુક્ત કરવા કે કેમ તે અંગેનો નિર્ણય આજે તા.2 ફેબ્રુઆરી તારીખ આપવામાં આવી હતી અને ભાવનગર જિલ્લા જેલમાંથી આઠ ઈસમોને શરતી જામીન મુક્ત કરવામાં આવ્યા હતા, આ જામીન મહુવા સેશન્સ કોર્ટે દ્વારા જામીન આપવામાં આવ્યા છે જોકે હુમલાનાં મુખ્ય માસ્ટર માઈન્ડ જયરાજ આહીર સહિત છ શખ્સો જેલમાં જ છે આ સિવાય એક વ્યક્તિએ આગોતરા જામીન અરજી કરી હતી, આ શખ્સે પોતાની આગોતરા જામીન અરજી પરત ખેંચી છે જામીન મુક્ત કરાયેલ શખ્સોને એ શરતે જામીન આપવામાં આવ્યા છે કે તેઓ સોશિયલ મીડિયા અને બગદાણા પ્રકરણે દૂર રહેશે પોલીસ ને તપાસ માટે જરૂર પડે ત્યારે હાજરી આપવી પડશે સહિતની શરતો પર જામીન આપવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં ખાદ્ય ચીજોના નમુના લેવાની અને ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા જાન્યુઆરી માસ દરમિયાન કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ડ્રાયફ્રૂટ, ગોળ સહિતના 56 શિયાળુ પાકના નમુના,દૂધ અને દૂધની બનાવટોના 14 નમુના, બેકરી પ્રોડક્ટ્સના 17 નમુના, ચોકલેટ્સ, સુગર બોઈલ્ડ કન્ફેક્શનરીના 59 નમુના, મીઠાઈ, જલેબીના 41 નમુના, ઉંધીયુના 10, નમકીનના 27, બેસન, લોટ, મેંદો, અનાજના 32, ખાદ્યતેલના 9, બેવરેજીસ, ઠંડાપીણાના 2, મસાલાના 69 તેમજ અન્ય ખાદ્યચીજવસ્તુઓના 234 સહિત કુલ 570 ચીજ વસ્તુઓના નમુનાનો સમાવેશ થાય છે. 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરવામાં આવ્યોફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચકાસણી દરમિયાન નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 1485 એકમોમાં તપાસ કરી 523 નોટિસ ઈસ્યુ કરી હતી. વાસી ખોરાક, સડેલા ફળો, પાણીપુરીના પાણી સહિત બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ પેટે 5.73 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 235 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ 1319 નમુના લેવાયાજાન્યુઆરી માસ દરમિયાન પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ 1319 નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી 291 નમુનાઓમાં હાનિકારક ફુડ ગ્રેડ કલર અને બિનઆરોગ્યપ્રદ તત્વો મળી આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમોને જે તે ઝોનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલા છે. ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિના કારણે સીલ મરાયાજાહેર આરોગ્ય સાથે ચેડા કરતા અને લાયસન્સ વગર ધંધો કરતા નિકોલ વિસ્તારમાં આવેલા દાસ ખમણને 13 જાન્યુઆરી 2026ના રોજ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિના કારણે સીલ કરવામાં આવ્યું હતું. 20 જાન્યુઆરીના દિવસે ઉસ્માનપુરામાં આવેલા સવાઈ ભોજ મહારાજ નામના ફૂડ એકમ અને બહેરામપુરામાં આવેલા શૈલેષની પાણીપુરીને ગંદકીના કારણે સીલ કરવામાં આવી હતી. જુહાપુરા વિસ્તારમાં આવેલા અફઝલ અહેમદભાઈ ઝવેરીના ફૂડ એકમને ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેમજ ગંદકીના કારણે સીલ કરવામાં આવ્યું હતું. જૈન ચવાણા માર્ટમાંથી લીધેલો ઘીનો નમુનો અપ્રમાણિતFSSAI એક્ટ અંતર્ગત શહેરના તમામ ઝોનમાં કેટલાક એકમોના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. તેમાં મધ્ય ઝોનના શાહીબાગ વિસ્તારમાં આવેલા રાધે ડેરી પાર્લરમાંથી લીધેલો લો ફેટ પનીર, જમાલપુર બ્રિજ નીચેના ફેરીયા પાસેથી લીલી હળદરનો નમુનો અપ્રમાણિત જાહેર થયો હતો. આ સિવાય, ઉત્તર ઝોનના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલું જય અંબ પાત્રા હાઉસમાંથી પાત્રાનો નમુનો તેમજ નરોડા વિસ્તારમાં જૈન ચવાણા માર્ટમાંથી લીધેલો ઘીનો નમુનો અપ્રમાણિત જાહેર થયો હતો. આ નમુનાઓ અપ્રમાણિત જાહેર થયાઅમદાવાદ શહેરના દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી શ્રી રામ ચોળાફળી નામના એકમની ગ્રીન ચટણી અને મણિનગરના રામદેવ ડ્રાયફ્રુટ્સમાંથી લીધેલા ફ્રાયમ્સના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. પૂર્વ ઝોનના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બાલાજી પૌઆ હાઉસની લીલી ચટણી, વસ્ત્રાલના ક્રિષ્ના મિલ્ક્સમાં પનીર અને નિકોલના કે.પી.સુપર માર્કેટમાંથી લીધેલો ગોળનો નમુનો અપ્રમાણિત જાહેર થયો હતો. પશ્ચિમ ઝોનના નવરંગપુરા વિસ્તારમાં આવેલા હોર કિદન ફુડ્સ પ્રા.લીમાંથી લીધેલુ બટર અપ્રમાણિત જાહેર થયું હતું. ઉપરોક્ત તમામ એકમોમાંથી લીધેલા ખાદ્યપદાર્થોના નમુના અપ્રમાણિત જાહેર થતા FSSAI એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પનીર, બટર અને ઘી-દૂધની બનાવટોમાં સ્ટાર્ચ, પામોલિન ઓઈલ કે હલકી ગુણવત્તાની ફેટમહત્વનું છે કે, ભેળસેળયુક્ત ખોરાકની સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન જે પ્રકારની ભેળસેળ પકડાઈ છે. પનીર, બટર અને ઘી-દૂધની બનાવટોમાં સ્ટાર્ચ, પામોલિન ઓઈલ કે હલકી ગુણવત્તાની ફેટ ભેળવવાથી તેની પોષણક્ષમતા ઘટે છે અને હ્રદયરોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગોળને ચમકાવવા વપરાતા સલ્ફર ડાયોક્સાઈડપાણીપુરીનું પાણી અને લીલી ચટણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરાના લાબા સમય સુધી સેવન કરવાથી અપચો, ઉલટી, ઉબકા તેમજ લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગોળને ચમકાવવા વપરાતા સલ્ફર ડાયોક્સાઈડથી શ્વસનતંત્રને નુકસાન અને અસ્થમા જેવી તકલીફો થઈ શકે છે. ફ્રાયમ્સ અને ફરસાણમાં વારંવાર તળેલા તેલનો ઉપયોગ કરવાથી એસિડિટી તેમજ અન્ય ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે.
અમદાવાદના SP રિંગ રોડ પર ત્રાગડ અંડપાસ પાસે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ગુજરાત ATSમાં ફરજ બજાવતા ASIનું મોત નિપજ્યું છે. ASI અજીત નાંદે પોતાનું બાઈક લઈને રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સર્વિસ રોડ પર એક એક્ટિવા સાથે ટક્કર થયા બાદ રસ્તા પર પટકાયા હતા. આ સમયે જ બાજુમાંથી પસાર થઈ રહેલા મિક્સર ટ્રકના વ્હિલ નીચે આવી જતા 100 મીટર સુધી ઘસડાયા હતા. જેના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રસ્તા પર કંપારી છોડાવનારા દૃશ્યો સર્જાયા હતા. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક્ટિવા સાથે ટક્કર થયા બાદ ASI ડમ્પરના વ્હિલ નીચે આવી ગયામળતી માહિતી મુજબ નરોડા SRP કેમ્પસ પાસે આવેલી અમરદીપ પાર્ક સોસાયટીમાં રહેતા અજીત નાંદે (ઉ. વ. 50) ગુજરાત ATSમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા હતા. આજે 2 ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ એસપી રીંગ રોડ પર વૈષ્ણવ દેવીથીઝુંડાલ તરફ જતાં હતા ત્યારે ત્રાગડ અંડરપાસ પાસેથી સર્વિસ રોડ પરથી એક એકિટવા ચાલક મુખ્ય રોડ પર આવ્યો હતો. ત્યારે ASI અજીત નાદેનાના બાઇક સાથે ટક્કર થઈ હતી. ત્યારે રિંગ રોડ પરથી આવતાં મિક્સર ટ્રકની પાછળના ભાગે અડફેટે આવી ગયા અને પાછળના ટાયરમાં આવી જતાં 100 મીટર ઘસડાયા હતા અને તેઓનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ સમાચાર વાંચોઃનોકરી કરીને ઘરે જતા યુવક પર ડમ્પર કાળ બનીને ત્રાટક્યું વડોદરા શહેરના અક્ષર ચોક સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. જેપી રોડ પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના પાદરામાં રહેતો શ્રીજી ધર્મેશકુમાર ગાંધી (ઉં. 21) પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરતો હતો અને સેકન્ડ શિફ્ટમાં જતો હતો. ગઈકાલે(31 જાન્યુઆરી) મોડી રાત્રે યુવક નોકરી કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ડમ્પરને ઓવરટેક કરતી વખતે અકસ્માત થયો હતો. જેમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે, જેને પગલે ગાંધી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
મહેસાણા તાલુકાના કલ્યાણપુરા મોટી દાઉ ખાતે રહેતા ફતેહસિંહ ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ગત સાંજે મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલા સોનેરીપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇકો ચાલકે બે રાહદારીને ટક્કર મારતાં રોડ પર ફંગોળાયાફરિયાદની વિગતો મુજબ ગત તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે ફતેહસિંહ ઠાકોર અને તેમની સાથેના છગનજી છનાજી ઠાકોર મહેસાણા-ઊંઝા હાઈવે પરથી સોનેરીપુરા પાટિયા તરફ જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતાં. આ દરમિયાન ઊંઝા તરફથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ઇકો ગાડીના ચાલકે બંને રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને જણા રોડ પર ફંગોળાયા હતા, જ્યારે અકસ્માત સર્જી ઇકો ચાલક પોતાની ગાડી લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બંને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા અને ગુનો નોંધાયોઆ અકસ્માતમાં છગનજી ઠાકોરને બંને પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે મહેસાણા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદકર્તા ફતેહસિંહને માથા અને કમરના ભાગે ઇજાઓ પહોંચતા તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રામાપીરના મંદિર સામે બનેલી આ ઘટના અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં આજે ગુજરાત નિયંત્રણ બજાર સંઘના ચેરમેન જિગ્નેશભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં રાજ્યભરના માર્કેટ યાર્ડને લગતા પ્રશ્નો, સબસિડી, તેમજ આવનારી ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થઈ હતી. APMC માટેની સહાયમાં વધારો કરવા માટે દિલાસોબેઠક દરમિયાન સંઘના વિવિધ મુદ્દાઓ કેબિનેટમાં રજૂ કરવામાં આવશે અને નજીકના સમયમાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી. ખાસ કરીને APMC માટેની સહાયમાં વધારો કરવા માટે દિલાસો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી દર વર્ષે APMCને મળતા 5 કરોડ રૂપિયાની સહાયમાં વધારો થવાની શક્યતા છે. માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં આશાની લહેરસરકાર તરફથી APMC માટે દર વર્ષે 10 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો સ્પષ્ટ દિલાસો આપવામાં આવતા માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં આશાની લહેર દોડી ગઈ છે. આ નિર્ણયથી રાજ્યના માર્કેટ યાર્ડની કામગીરી વધુ સઘન અને મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા SIR પ્રક્રિયા હવે વિવાદોના વમળમાં ફસાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે લઘુમતી સમાજના અગ્રણીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. મુસ્લિમ સમાજના મહિલા અગ્રણી નાઝીમાબેન હાલા અને લઘુમતી સમાજના ઉપપ્રમુખ ઇદ્રીશભાઇ વડગામાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં કરવામાં આવેલા દાવાઓ મુજબ ગત તા. 19 નવેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદા મતદાર યાદી બાદ વાંધા-સૂચનો માટેની અંતિમ તારીખ 18 જાન્યુઆરી 2026 નિર્ધારિત કરવામાં આવી હતી. જોકે, આ સમયમર્યાદાના છેલ્લા ત્રણ દિવસો એટલે કે 16,17 અને 18 જાન્યુઆરી દરમિયાન અચાનક જ સમગ્ર જિલ્લાની અલગ-અલગ પ્રાંત કચેરીઓમાં હજારોની સંખ્યામાં ફોર્મ નંબર-7 જેમાં નામ કમી કરવા માટેની અરજીઓનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે આ ફોર્મ કોઈ વ્યક્તિગત જાગૃતિના કારણે નહીં પરંતુ સત્તાધારી પક્ષના ઈશારે સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા લોકો દ્વારા એકીસાથે 'બલ્ક' માં રજૂ કરવામાં આવ્યા છે. લઘુમતી સમાજના અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે ચૂંટણી પંચના નિયમો મુજબ ફોર્મ નંબર-૭ ત્યારે જ સબમિટ કરી શકાય જ્યારે મતદારનું મૃત્યુ થયું હોય અથવા તેનું રહેઠાણ બદલાયું હોય. પરંતુ અહીં જે ફોર્મ રજૂ થયા છે તેમાં હયાત અને કાયદેસરના મુસ્લિમ મતદારોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં મતદારોની ખોટી માહિતી દર્શાવીને તેમના લોકશાહી અધિકારો છીનવી લેવા માટે વ્યવસ્થિત પ્રયાસ થયો હોવાનું લઘુમતી સમાજ માની રહ્યો છે. ખાસ કરીને વિધાનસભા મત વિસ્તાર ૮૫ થી ૮૯ સુધીની કચેરીઓમાં એક સાથે પ્રિન્ટેડ ફોર્મના પાર્સલો ઉતારવામાં આવ્યા હોવાથી તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર નાઝીમાબેન હાલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતના બંધારણે દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે અને આઝાદીની લડાઈમાં મુસ્લિમ સમાજનું જે મહત્વનું યોગદાન રહ્યું છે તેને નકારી શકાય તેમ નથી. ત્યારે આ પ્રકારે ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને તેમના નામો મતદાર યાદીમાંથી કમી કરવાનું હીન કૃત્ય એ લોકશાહીની હત્યા સમાન છે.તેમણે માંગ કરી છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1950ની કલમ-31 હેઠળ આવા ખોટા ફોર્મ રજૂ કરનારા લોકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જૂનાગઢ જિલ્લા લઘુમતી સમાજના ઉપપ્રમુખ ઇદ્રીશભાઇ વડગામાએ આ મામલે તર્ક રજૂ કરતા કહ્યું હતું કે, BLO સ્તરે થયેલી ચકાસણીમાં જે નામો સાચા ઠર્યા હતા, તે નામો સામે જ હવે વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે. ઘણી અરજીઓમાં તો અરજદાર તરીકેના નામો પણ મળતિયાઓના હોવાનું અને સહીઓ પણ ખોટી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. આ સંજોગોમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કોઈ પણ રાજકીય દબાણ વશ થયા વગર આ પાર્સલોમાં આવેલા ફોર્મ રદ કરવા જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ સાચા મતદારનું નામ યાદીમાંથી કપાય નહીં. આવેદનપત્ર આપતી વખતે લઘુમતી સમાજે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રીતે ખોટી પ્રક્રિયા દ્વારા મતદારોના અધિકાર છીનવવામાં આવશે તો આગામી દિવસોમાં તેઓ આ મામલાને છેક ચૂંટણી પંચ અને અદાલત સુધી લઈ જશે. હાલ તો આ ઘટનાએ જૂનાગઢના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે
પ્રાંતિજ રોડ પર મૃત બાળક મળ્યું:પોલીસે DNA સેમ્પલ લીધા, હોસ્પિટલોમાં તપાસ શરૂ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર-તખતગઢ રોડ પરથી એક ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવ્યું હતું. આ બાળક તળાવના ગરનાળા પાસે મૃત હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકોએ 108ને જાણ કરતા બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું. બાળક મૃત હોવાથી પ્રાંતિજ પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફતેપુરા મહેતાવાસના 56 વર્ષીય મુકેશભાઈ મોહનભાઈ પંચાલની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ નારાયણસિંહ ઉમટે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્યજી દેવાયેલા બાળકનું મોત થયું હતું. બાળકને રવિવારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ સોમવારે તેનું પોસ્ટમોર્ટમ કરીને DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળી આવેલ સ્થળની આસપાસની હિંમતનગર, મોડાસા અને પ્રાંતિજની મેટરનિટી હોસ્પિટલોમાં તપાસ કરીને જરૂરી માહિતી એકઠી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યટનનાં વિકાસ માટે સાકાર થઈ રહેલા લાયન સફારી પાર્કની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા સાતમ-આઠમ પહેલા આ પાર્ક ખુલ્લો મુકવા તૈયારી કરવામાં આવી રહી છે. જેને લઈને જન્માષ્ટમીનાં તહેવારોમાં રાજકોટિયાનોને સાસણ જેવો આનંદ રાજકોટમાં મળે તેવી શક્યતા છે. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સાઇટની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 2.75 મીટરની કમ્પાઉન્ડ વોલ, 5.0 મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ, નાઇટ શેલ્ટર અને આંતરિક રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં એન્ટ્રન્સ પ્લાઝાનું બાંધકામ ચાલુ છે. ત્યારે મ્યુ. કમિશ્નરે બાકી રહેલા કામો સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા ઇજનેરોને સૂચનાઓ આપી હતી. સાથે મ્યુ. કમિશ્નરે ઈસ્ટ ઝોનના વોર્ડ નં.5માં આવેલ આરોગ્ય કેન્દ્ર)ની પણ મુલાકાત લીધી હતી. રાજકોટ મહાપાલિકાના ચાલુ પ્રોજેક્ટની સમિક્ષા કમિશ્ર્નર દ્વારા આગળ વધારવામાં આવી છે. આજે કમિશ્ર્નરે પ્રદ્યુમન પાર્ક પાછળ બની રહેલા સાસણ ગીર જેવા લાયન સફારી પાર્ક સાઇટની મુલાકાત લીધી હતી. રાજકોટમાં સાસણ અને દેવળીયા પાર્ક જેવો સફારી પાર્ક ગત બજેટમાં મંજુર થયો હોય, બાંધકામની કામગીરી વચ્ચે સંભવત: ઓગસ્ટ માસમાં રાજકોટની જનતાને ફરવાનું આ વધુ એક નજરાણું મળી જાય તેવી આશા છે. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરીની કમિશનર તુષાર સુમેરાએ સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. શહેરના પર્યટન વિકાસ તથા પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણને ધ્યાને રાખીને અમલમાં મુકાયેલ લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. પ્રોજેક્ટ વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 2.75 મીટર ઊંચાઈની કમ્પાઉન્ડ દિવાલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ પ્રાણીઓ તથા મુલાકાતીઓની સલામતીને ધ્યાનમાં રાખી 5 મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્સિંગ દિવાલની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. નાઇટ શેલ્ટરનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સફારી પાર્કના આંતરિક વિસ્તારમાં સરળ અવરજવર માટે ઇન્ટરનલ રોડ તથા પાર્ક વિસ્તારની બહાર ઇન્સ્પેકશન રોડનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ટુ-વે ગેઇટ, જીએસઆરનું કામ પુરું થયું છે અને એન્ટ્રન્સ પ્લાઝાનું કામ ચાલુ છે. તુષાર સુમેરાએ લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા કામની ગુણવત્તા, સુરક્ષા ધોરણો અને પર્યાવરણને અનુકૂળ વિકાસ ઉપર વિશેષ ધ્યાન રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડે. કમિશનર પી.પી. પટેલ, સીટી એન્જી. શ્રીવાસ્તવ, ઝૂ સુપ્રી. ડો. હિરપરા સહિતના અધિકારીઓ તથા પ્રોજેક્ટ સ્ટાફ હાજર રહ્યો હતો. આ સાથે તુષાર સુમેરાએ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.5માં આવેલ અર્બન હેલ્થ સેન્ટર (આરોગ્ય કેન્દ્ર)ની પણ મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કેન્દ્રમાં સરકારની વિવિધ યોજનાઓના લક્ષ્યાંકોની સમીક્ષા કરી હતી. જેમાં ANC (પ્રસુતિ પહેલાની સારવાર) હેઠળ 1012ના ટાર્ગેટ સામે 973 (97%), PNC (પ્રસુતિ પછીની સારવાર)માં 998 સામે 984 (99%), સંપૂર્ણ રસીકરણમાં 998 સામે 962 (97%) અને નમોશ્રી યોજનામાં 312 સામે 306 (98%) લાભાર્થીઓને આવરી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે કમિશ્નરે ફિલ્ડ સ્ટાફને 100% સિદ્ધિ મેળવવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા સૂચના આપી હતી. કમિશ્ર્નર દ્વારા વોર્ડ નં.5ના આઇએમએ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઉપલબ્ધ સુવિધાઓ, કામગીરીની વ્યવસ્થા તેમજ સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની અમલવારી અંગે વિસ્તૃત સમીક્ષા, સ્ટાફ સાથે યોજનાઓની ચર્ચા, પોર્ટલ, લાભાર્થીઓની સંખ્યાનો રિપોર્ટ લઇ સંતોષ વ્યકત કર્યો હતો. આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન કમિશનરે કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ તથા ચાલતી આરોગ્યલક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી.
પંચમહાલ જિલ્લાના ચંચોપા ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાળ કન્યા વિદ્યાલયમાં કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લાની કુલ 17 કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયોની દીકરીઓએ ભાગ લીધો હતો અને તેમની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, કસ્તુરબા ગાંધી બાળ કન્યા વિદ્યાલય, ચંચોપાને સ્વચ્છતા માટે એવોર્ડ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ ટ્રોફી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડી.પી.ઓ. ગાયત્રીબેન, જિલ્લા કો-ઓર્ડિનેટર રિપલબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનભાઈ સહિત શાળા પરિવાર, ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે અને તેમની કલાકૃતિઓ પંચમહાલ સહિત દેશભરમાં વિખ્યાત થાય તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા કાર્યક્રમો શિક્ષણ અને સ્વચ્છતાના મહત્વને પ્રોત્સાહન આપવા માટે આયોજિત થતા રહેશે, જેથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે અને તેમને પ્રોત્સાહન મળે.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. જેમાં 38 લાખના દારૂના જથ્થો જપ્ત કર્યો છે અને 3 આરોપીની ધરપકડ કરી છે અને રૂ. 53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશને ખાતે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, કોયલી ગામની સીમમાં મોટી માત્રમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. જેના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે 3 આરોપી સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા આ સાથે 38,21,350 રૂપિયાની કિંમતની 1949 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત જે ગાડીઓમાં દારૂનું કટીંગ કરીને દારૂ ભરવામાં આવી રહ્યો હતો તે 14,50,000 રૂપિયાની કિંમતની 3 કાર પણ જપ્ત કરી હતી. તથા પોલીસે આરોપીઓ પાસેથી 55,000ની કિંમતના મોબાઇલ અને રોકડ મળી કુલ 53,36,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુનો નોંધી ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પશ્ચિમ વિસ્તારના નામચીન બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસિંઘાણીનો હોવાનું ખુલ્યું હતુ. પોલીસે નામચીન બુટલેગર મનોજ પાપડ સહિત કુલ 15 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધોખોળ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ 1) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઇ અગ્રાવલ (રહે. સી-75, ઘનશ્યામ નગર ગોરવા) 2) મણીલાલ તેરસિંગ જોરપાટ (રહે. દેવલપાડા, રાજસ્થાન) 3) અનવરખાન મતાબદીન ખાન (રહે. જમ્મુ કાશ્મીર) વોન્ટેડ આરોપીઓ નામ મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસિંઘાણી (રહે. નર્મદેશ્વર સોસ. ગોરવા લાલચંદ ઉર્ફે લાલુ હેમંતદાસ ખાનાણી (રહે. વારસીયા સુનિલ ઉર્ફે અદ્દો પ્રકાશમલ કેવલરામાણી (રહે. વારસીયા) છોટુ (કેશીયર, રહે. ગોરવા) બંટો (મહિન્દ્રા એક્સ યુ વી કારનો ડ્રાઇવર, રહે. કમલાનગર) ઉપો (મહિન્દ્રા ટી યુ વી કારનો ડ્રાઇવર, રહે. કમલાનગર) સંજયસિંઘ ઉર્ફે અન્નો (રહે. ફોર્ચ્યુનર કારનો ડ્રાઇવર, રહે. લક્ષ્મીપુરા ) ગોરધન (દારુ ખરીદનાર, રહે. ભાયલી) અનીલ માળી (દારૂ ખરીદનાર, સેવાસી) સંજુ ભોઇ (દારુ ખરીદનાર, રહે. ગધેળા માર્કેટ, વારસીયા) કરણ (દારુ ખરીદનાર, રહે. શેરખી ગામ) ગીરી (દારુ ખરીદનાર, રહે. વારસીયા) સફેદ બોલેરોનો માલિક સિલ્વર મહેન્દ્ર ટી યુ વીનો માલિક સિલ્વર મહેન્દ્ર એક્સ યુ વીનો માલિક વડોદરા શહેરના ગોરવા રીફાઇનરી રોડ પર આવેલા નર્મદેશ્વર સોસ. પાછળ સહ્યોગ સોસા.માં રહેતો લીસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસીંઘાણી સામે શહેરના સયાજીગંજ, જવાહરનગર-3, વાડી, છાણી, જવાહરનગર , વડોદરા તાલુકા, ગોરવા, લક્ષ્મીપુરા, ફતેહગંજ અને વાઘોડીયા મળી પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અત્યાર સુધીમાં મનોજને 3 વખત પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે.
કઠાણા પાસે હિટ એન્ડ રન:એકનું મોત અને બે ઘાયલ, કાર ચાલક બે બાઈકને ટક્કર મારી થયો ફરાર
ડાલી-બોરસદ રોડ પર કઠાણા ગામ નજીક રામપુરા નહેર પાસે ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક કારે બે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. વીરસદ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કઠાણા ગામના મુકેશ ગણપતભાઈ પરમાર (ઉં.વ. આશરે 25) ગઈકાલે રાત્રે પોતાના બાઇક (નંબર GJ-23, EA-7647) પર કલમસર ખાતે ફોઈના ઘરે જઈ રહ્યા હતા. રામપુરા નહેર પાસે પહોંચતા જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક કારે તેમના બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે મુકેશભાઈ રોડ પર પટકાયા હતા. પ્રથમ બાઇકને ટક્કર માર્યા બાદ કાર ચાલકે કારને પાછી વાળી બોરસદ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલા અન્ય એક બાઇક (નંબર GJ-23, DE-8009)ને પણ ટક્કર મારી હતી. આ બાઇક પર સવાર બદલપુર ગામના અર્જુનભાઈ ભીમાભાઈ ચુનારા વાઘરી અને દિનેશભાઈ રઈજીભાઈ ચુનારા વાઘરી પણ રોડ પર પટકાયા હતા અને તેમને હાથ-પગમાં ઈજાઓ થઈ હતી. બંને બાઇકને ટક્કર મારી કાર ચાલક ત્યાંથી બોરસદ તરફ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય ઘાયલોને સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મુકેશભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા. આ અંગે શૈલેષભાઈ ગણપતભાઈ પરમારે અજાણી કારના ચાલક વિરુદ્ધ વીરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે હાલમાં ગુજરાતના પ્રવાસ દરમિયાન એશિયાઈ સિંહોના ગઢ ગણાતા સાસણ ગીરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ ગીરના વન્યજીવ સંરક્ષણ અને પ્રવાસન વ્યવસ્થાપનથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગીરની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સિંહોના રક્ષણ માટેની કામગીરી સમગ્ર દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. મુખ્યમંત્રી મોહન યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જે વન મોડલ તૈયાર થયું હતું, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ખૂબ જ કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. તેમણે ગીરના રિઝર્વ ફોરેસ્ટમાં પ્રવાસનની અદભૂત વ્યવસ્થા અને સ્થાનિક કેસરની વાડીઓના પણ વખાણ કર્યા હતા. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને રાજ્યો વચ્ચે વન વ્યવસ્થાપન અને ટુરિઝમ ક્ષેત્રે આદાન-પ્રદાનનો રહ્યો છે. મુખ્યમંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ગુજરાતના ગીર મેનેજમેન્ટના સફળ પાઠ હવે મધ્યપ્રદેશમાં પણ ભણાવવામાં આવશે. જંગલ વ્યવસ્થાપનથી લઈને ટુરિઝમ સિસ્ટમમાં બંને રાજ્યો એકબીજાના અનુભવો શેર કરશે, જેથી પ્રવાસનની નવી અતૂટ જુગલબંધી જામશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સિંહોના સંરક્ષણ માટે ગુજરાતની શિસ્ત બેમિસાલ છે. વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ગીરના વન વ્યવસ્થાપનના અનુભવોથી દેશને નવી દિશા મળશે. આગામી સમયમાં મધ્યપ્રદેશ સરકાર ગીરના ટુરિઝમ મોડલ પરથી પોતાના રાજ્યમાં પણ નવી નીતિઓ અમલી બનાવી શકે છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી હાડપિંજરનાં ટુક્ડા બહાર કાઢ્યાં હતા. ત્યારે સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ખમીદાણ ગામનો પુજારી મહેશ વ્યાસ નામના આરોપીએ લૂંટના ઈરાદે વૃદ્ધની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપીએ વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. જૂનાગઢ આર.આર. સેલની ટીમે સતત મહેનત બાદ આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પાંચ કલાકની સઘન પૂછપરછ બાદ આરોપીએ ગુનો કબુલ્યોઆ મામલે આર.આર. સેલના પીઆઇ સી.વી. નાયકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રેન્જ આઇજીની સૂચના મુજબ વણશોધાયેલા ગુનાઓ પર કામ કરતા ખમીદાણના આ કેસમાં ઊંડાપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં વૃદ્ધા પાસે સાદો ફોન હોવાથી કોઈ કડી મળતી નહોતી. તેથી પોલીસે માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો. ખમીદાણ અને આસપાસના 450 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેશ મુકેશભાઈ વ્યાસના વર્તન પર શંકા ગઈ હતી. પાંચ કલાકની સઘન પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિ બાદ મહેશે પોતાનો ગુનો કબુલ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સુમરીબેન જ્યારે હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે મહેશ વ્યાસ જે મંદિરનો પૂજારી હતો તેમને ઓળખતો હોવાથી તેણે પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા અને હત્યા કરી લૂંટી લીધા હતા. પકડાયેલા આરોપી મહેશ વ્યાસના મોબાઇલમાંથી ઉમર લાયક મહિલાઓના 150 વધુ ફોટાઓ મળી આવ્યા છે. જેને તેની હલકી માનસિકતા છતી કરી હતી. 'મહેશે વિશ્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી'મૃતક સુમરીબેનના ભત્રીજા નાથાભાઈ વાઢીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ફોઈ સુમરીબેન ગત 7 જૂન 2025ના રોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે હોસ્પિટલ ગયા હતા. અમે પોલીસમાં વારંવાર રજૂઆતો કરી અને ન્યાય માટે હાઈકોર્ટનો સહારો પણ લીધો હતો. ફોઈ પોતાની સાથે હંમેશા 15 તોલા સોનું અને રોકડ રાખતા હતા. જેની જાણ ગામના જ મહેશ વ્યાસને હતી. મહેશે વિશ્વાસઘાત કરીને તેમની હત્યા કરી નાખી. આજે સાત મહિના બાદ સત્ય સામે આવ્યું છે. અમે માગ કરીએ છીએ કે આ આરોપીને ફાંસીની સજા મળે. પાણી પીવાના બહાને બોલાવી હત્યા કરી લૂંટી લીધાનાથાભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મહેશ લાદી બતાવવાના બહાને ફોઈને રૂમમાં લઈ જઈ તેમની સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી. જ્યારે વૃદ્ધાએ પ્રતિકાર કર્યો ત્યારે મહેશે તેમના જ ઓઢણાથી ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ વૃદ્ધાના 15 તોલા સોનાના દાગીના અને 2 લાખની રોકડ લૂંટી લીધી હતી. આરોપીએ લૂંટના પૈસે ઘરમાં રિનોવેશન અને સોલાર પ્લાન્ટ ફીટ કરાવ્યોહત્યા કર્યા બાદ મહેશ વ્યાસે લાશને પ્લાસ્ટિકના બાચકામાં ભરી દોરીથી બાંધી દીધી હતી. તેણે આ લાશને પોતાની મોટરસાયકલ પર લઈ જઈ ગામની સીમમાં આવેલા એક અવાવરૂં કૂવામાં ફેંકી દીધી હતી. બીજી તરફ લૂંટના પૈસાથી તેણે પોતાના ઘરમાં રિનોવેશન કરાવ્યું અને સોલાર પ્લાન્ટ પણ ફીટ કરાવ્યો હતો. તેની અચાનક બદલાયેલી રહેણી-કહેણી જ પોલીસ માટે શંકાનું મુખ્ય કારણ બની હતી. કૂવાથી 100 મીટર દૂર બાવળીયામાંથી વૃદ્ધાનું કંકાલ મળ્યુંઆરોપીની કબુલાત બાદ જ્યારે પોલીસ તેને કૂવા પાસે લઈ ગઇ અને તાપસ કરી ત્યારે ત્યાંથી વૃદ્ધાની ચીજવસ્તુઓ તો મળી આવી પરંતુ લાશ કે કંકાલ મળ્યા નહીં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન નદીના પૂરને કારણે કૂવો છલગાઈ ગયો હતો. આ માહિતી મળતા જ પોલીસ ટીમે કૂવાની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કૂવાથી 100 મીટર દૂર બાવળની જાળીમાંથી કોથળામાં બંધાયેલું વૃદ્ધાનું કંકાલ મળી આવ્યું હતું. પોલીસે ગાંઠિયા, વેફર અને બિસ્કીટ ખાઈને પણ પોતાની ફરજ બજાવીનાથાભાઈ વાઢીયાના જણાવ્યા મુજબ પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તપાસના 17 દિવસ દરમિયાન પોલીસ સ્ટાફ સાંજ-સવાર જોયા વગર ગામમાં જ રહ્યો હતો. ઘણીવખત જમવાનો સમય ન મળતા પોલીસે ગાંઠિયા, વેફર અને બિસ્કીટ ખાઈને પણ પોતાની ફરજ બજાવી હતી. આ ઝીણવટભરી તપાસને કારણે જ આજે ગુનેગાર પાંજરે પુરાયો છે. આરોપી વિરૂદ્ધ હત્યા અને લૂંટનો ગુનો દાખલકેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ મુકેશભાઈ વ્યાસ વિરૂદ્ધ BNS કલમ 103(1), 309(4), 62 અને 238(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વૃદ્ધાના દાગીના કબેજ કરવાની અને વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. ગામના પૂજારી તરીકે ઓળખાતા વ્યક્તિએ આચરેલા આ જઘન્ય કૃત્યથી સમગ્ર ખમીદાણા ગામમાં આરોપી સામે ફિટકારની લાગણી વરસી રહી છે.
પાટણ વન વિભાગ વિસ્તરણ રેન્જ દ્વારા વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ નાયબ વન સંરક્ષક પાટણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી થાય છે. કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરીએ જળ પ્લાવિત વિસ્તારો વિશે સવિસ્તાર માહિતી આપી હતી. ત્યારબાદ, કાર્યક્રમના અધ્યક્ષ અને નાયબ વન સંરક્ષક એન.જે. પરમારે જળ પ્લાવિત વિસ્તારોનું મહત્વ અને તેના સંરક્ષણ અંગે સરળ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પરમારે વેટલેન્ડની જાણકારી, તેનું મહત્વ, ગુજરાતમાં આવેલી રામસર સાઇટ્સ અને તાજેતરમાં જાહેર થયેલી નવી રામસર સાઇટ છારીઢંઢ વેટલેન્ડ વિશે પણ માહિતી આપી હતી. આ ઉજવણીમાં નાયબ વન સંરક્ષક એન.જે. પરમાર, મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી પી.એમ. ચૌધરી (પાટણ), પાટણ વિસ્તરણ રેન્જ અને સિદ્ધપુર વિસ્તરણ રેન્જના તમામ સ્ટાફ તેમજ પર્યાવરણ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નાયબ વન સંરક્ષક પાટણના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં સાયબર છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે વપરાતા ‘મ્યુલ એકાઉન્ટ’ના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રૂ. 7.60 લાખની ફ્રોડ રકમ શોધી કાઢી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ છે. પોલીસે ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Center) તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, વલસાડના મોગરાવાડી વિસ્તારના શાહીદ સમસાદખાનના બેંક ખાતામાં સાયબર ફ્રોડની શંકાસ્પદ રકમ જમા થતી હોવાનું જણાયું હતું. આ રકમ ATM અને ચેક દ્વારા ઉપાડવામાં આવતી હતી. પોલીસ પૂછપરછમાં શાહીદ સમસાદખાને કબૂલ્યું કે, તેણે પોતાનું બેંક ખાતું મુખ્ય આરોપી અબ્દુલ્લા આરીફ અન્સારીને આપ્યું હતું. અબ્દુલ્લા અને તેની ટોળકી પાર્ટ-ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ અને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી લોકોને છેતરતી હતી. છેતરપિંડીથી મેળવેલી રકમ મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી આગળ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે શાહીદ સમસાદખાન (રહે. સલાબત મંઝિલ, મોતીવાડી, મોગરાવાડી, વલસાડ)ની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અબ્દુલ્લા આરીફ અન્સારી (રહે. સુધાનગર, વલસાડ) હાલ ફરાર છે અને તેને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, નાની રકમની લાલચમાં આવીને કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું કે સીમકાર્ડ અન્યને ઉપયોગ માટે આપવું નહીં. ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ થવા પર તેની સંપૂર્ણ જવાબદારી ખાતાધારકની રહેશે.
બોટાદમાં શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલની કથિત બેદરકારીને કારણે એક બાળકીનો જન્મ દાખલો છેલ્લા ત્રણ વર્ષથી અટવાયેલો છે. જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે બાળકીના માતા-પિતા હોસ્પિટલ અને નગરપાલિકા વચ્ચે હાલાકી ભોગવી રહ્યા છે. બાળકીના માતા-પિતાએ જણાવ્યું કે, તેમની બાળકીનો જન્મ શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલમાં સિઝેરિયન દ્વારા થયો હતો. હોસ્પિટલના રજિસ્ટરમાં જન્મની નોંધણી થઈ હોવા છતાં, હોસ્પિટલ દ્વારા નગરપાલિકામાં જન્મ સંબંધિત ઓનલાઈન ડેટા મોકલવામાં આવ્યો નથી. આ કારણે નગરપાલિકાના જન્મ નોંધણી રેકોર્ડમાં બાળકીનું નામ આજદિન સુધી નોંધાયું નથી. પરિવારે આ બાબતે વારંવાર હોસ્પિટલનો સંપર્ક કર્યો છે, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. નગરપાલિકાના જન્મ-મરણ નોંધના સબ-રજિસ્ટરે જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા ઓનલાઈન ડેટા ન મોકલવામાં આવવાને કારણે જન્મ પ્રમાણપત્ર કાઢી શકાય તેમ નથી. જન્મ પ્રમાણપત્રના અભાવે બાળકી સરકારી યોજનાઓ, શૈક્ષણિક લાભો અને અન્ય આવશ્યક સુવિધાઓથી વંચિત રહી છે. ત્રણ વર્ષથી સતત રજૂઆતો છતાં આ મામલે કોઈ ઉકેલ આવ્યો નથી. આ પરિસ્થિતિ હોસ્પિટલની કથિત બેદરકારી અને સંબંધિત તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કરે છે. આ મામલે શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટર ગુંજન બદ્રુકીયાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ મનાવાઈ રહ્યો છે. 13 લાખ એનઆરઆઈ સાથે બે લાખ ભક્તો હાજર..15000થી વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથના શ્લોકોનું મુખપાઠ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિમોલીશન પર રોક લગાવતા 1388 પરિવારોને રાહત રાજકોટના જંગલેશ્વરમાં થનાર ડિમોલીશન પર હાઈકોર્ટે રોક લગાવતા 1358 પરિવારોને ત્રણ મહિનાની રાહત મળી.. સાથે જ 2010ના પુનર્વસન સરક્યુલરને ધ્યાને લેવાની પણ તાકીદ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કલેક્ટર ઓફિસ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળી ધમકી રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. તંત્રએ તાત્કાલિક પરિસર ખાલી કરાવી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી સઘન ચેકિંગ હાથ ધર્યું.. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પહેલા દીકરીની છેડતી બાદમાં પરિવાર સાથે મારામારી અસ્થિવિસર્જન કરવા ઉજ્જૈન જતા દાહોદના પરિવાર સાથે ટ્રેનમાં વિધર્મી યુવકે મારપીટ કરી..યુવકે પરિવારની દીકરી પર સિગરેટનો ધૂમાડો છોડતા બોલાચાલી થઈ, જે બાદ યુવકે તેની કોમના અન્ય ટોળાને બોલાવી લીધું અને મારામારી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવકને ગાડીમાંથી ઉતારી ઢોર માર મારી વીડિયો બનાવ્યો આ તરફ ગીર ગઢડામાં સલીમ બુટલેગરના પુત્ર અને તેની ટોળકીએ કોળી સમાજના યુવકને ગાડીમાંથી ઉતારી ઢોર માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો..યુવકે લખાવ્યા મુજબ પોલીસે ફરિયાદ ન લેતા કોળી સમાજના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલ સ્પીડમાં પાંચ વાહનો ઉડાવ્યા,પછી ખેંચનું બહાનું સુરતના મગદલ્લા ડુમસ રોડ પર વિરલ દેસાઈ નામના નબીરાએ મહિન્દ્રા BE-6 કારથી 5 વાહનોને અડફેટમાં લીધા. કોઈ જાનહાની નથી થઈ, પણ વાહનોને મોટું નુક્શાન થયું છે. તો નબીરાની કરતૂત છુપાવવા તેને ડ્રાઈવિંગ કરતા સમયે ખેંચ આવી ગઈ હોવાનું બહાનું કાઢ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચોરીમાંથી જીવતો વંદો નીકળ્યો વડોદરાની 'હનુરામ ફૂડ્સ'ની કચોરી ચાટમાંથી જીવતો વંદો નીકળ્યો, જે જોઈ ગ્રાહકને ઉલટીઓ થવા લાગી. ફૂડ વિભાગે સેમ્પલ લઈ 10 હજાર રુ.નો દંડ ફટકાર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિતરાઈ કાકા અને બહેનોને કરી યુવકની હત્યા દ્વારકામાં પિતરાઈ કાકા અને બે બહેનોએ મળીને યુવકની હત્યા કરી... બાદમાં યુવકના પિતાને ફોન કરી કહ્યું, અમે તારા દીકરાને મારી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓનલાઈન ગેમિંગથી દોસ્તી કરી દુષ્કર્મ આચર્યું અમદાવાદની સગીરા પર પ.બંગાળના એક યુવકે દુષ્કર્મ આચર્યું. બંને ફ્રી ફાયર ગેમથી સંપર્કમાં આવ્યા હતા. ..યુવક સગીરાને ફોસલાવી તેને પ.બંગાળ લઈ જઈ રહ્યો હતો. જો કે પોલીસે અધવચ્ચેથી જ તેને ઝડપી પાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના તાપમાનમાં થથે 3 ડિગ્રી સુધીનો ઘટાડો આજ રાતથી રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે..વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ઠંડીનું પ્રમાણ વધશે.. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પાટણમાં રેવન્યુ તલાટીઓની અનિયમિતતાથી અરજદારોને હાલાકી:પૂર્વ વિરોધપક્ષના નેતાએ કલેક્ટરને રજૂઆત કરી
પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટીઓ ગ્રામ્ય સ્તરે હાજર ન રહેતા હોવાથી અરજદારોને પડતી હાલાકી મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા અશ્વિન પટેલે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે આ અંગે કડક સૂચનાઓ આપવા માંગ કરી છે. અશ્વિન પટેલે જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં રેવન્યુ તલાટીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતના મહેસૂલી કામો ઝડપી બને તે હેતુથી તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી એમ બે અલગ જગ્યાઓ ઊભી કરી છે. જોકે, પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટીઓ ગ્રામ્ય કક્ષાએ પોતાની કામગીરીમાં નિષ્ક્રિય રહેતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી ઉપલબ્ધ હોય છે, પરંતુ રેવન્યુ તલાટીઓ ક્યારે હાજર રહેશે તેની કોઈ વિગતો ઉપલબ્ધ હોતી નથી. આ તલાટીઓ ગ્રામ પંચાયતના બદલે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં બેસીને જ કામ કરતા હોવાથી ગ્રામજનોને પેઢીનામા કે અન્ય મહેસૂલી કામો માટે વારંવાર તાલુકાના ધક્કા ખાવા પડે છે. આના કારણે લોકોનો સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે અશ્વિન પટેલે સૂચન કર્યું છે કે, રેવન્યુ તલાટીઓ કયા દિવસે કયા ગામે હાજર રહેશે તેનું બોર્ડ નક્કી કરવામાં આવે. તેમજ દરેક સેજાના ગામમાં તેમનું હાજરી પત્રક નિભાવી સરપંચના રેકોર્ડમાં રાખવામાં આવે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારની જમીનોના ફેરફાર અંગે યોગ્ય રેકોર્ડ નિભાવવા અને ગ્રામસભા જેવા મહત્વના કાર્યક્રમોમાં રેવન્યુ તલાટીની હાજરી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે. વધુમાં, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર દ્વારા દર મહિને બે વખત રેવન્યુ તલાટીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. દરેક ગામના સરપંચ અને સભ્યો પાસે રેવન્યુ તલાટીના સંપર્ક નંબર ઉપલબ્ધ કરાવવા અને સંકલનમાં રહીને કામગીરી કરવા માટે જરૂરી આદેશો આપવા કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરતા લારીધારકોને યોગ્ય જગ્યા ફાળવવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. AAPના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભરૂચ શહેરમાં ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો નાની લારીઓ દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અત્યાર સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા આ લારીધારકોને કોઈ નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી. આથી, તેઓ રોડ અને જાહેર માર્ગો પર ઉભા રહીને વ્યવસાય કરવા મજબૂર છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નિયમભંગના નામે પોલીસ દ્વારા તેમની લારીઓ વારંવાર જપ્ત કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં લારીધારકો પર દંડ પણ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે, શહેરના લારીધારકોને તેમના વ્યવસાય માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. આનાથી તેઓ નિર્ભય રીતે રોજગાર કરી શકશે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોના જીવનનિર્વાહ પર કોઈ અસર નહીં થાય.
રાજકોટના ગોંડલ ચોકડી પાસે એક કરુણ ઘટના બની છે, જેમાં વંદે ભારત ટ્રેને 3 વ્યક્તિઓને હડફેટે આવ્યા છે. આ ગંભીર અકસ્માતમાં હડફેટે આવેલા 3 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો અકસ્માત છે કે આત્મહત્યાનો પ્રયાસ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ……
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો, યજમાનો અને ગ્રામજનોની ઊપસ્થિતીમાં વિજયસ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વિજયસ્તંભની ઉંચાઇ 51 ફુટ છે જેની ઉપરની બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા લહેરાશે, આ સ્તંભને કાંસામાંથી નિર્માણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ભાવી આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજએ કહ્યું હતું કે આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનો સંદેશ આપશે તથા આ મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા અને સંસ્કારોને ઉજાગર કરતો એક પર્વ બની રહેશે. આ દ્વિશતાબ્દી પાટોત્સવ દરમ્યાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 200 કુંડી મહાવિષ્ણુયાગ, પોથી યાત્રા । પાલખી યાત્રા, નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપુજા, નિત્ય ગૌમાતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવ ધામ મંદિરોના દર્શન, ચાર વેદની ચાર યજ્ઞશાળા, ઠાકોરજીને પુષ્પ અભિષેક, ઠાકોરજી નો મહા અભિષેક, ઠાકોરજીને છપ્પન ભોગનો અન્નકૂટ, ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડૉક્યુમેન્ટરી દર્શન, ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજી નો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષય પર પરીસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણધામ, જેતલપુર દ્વારા મંદિર પરીસરની આસ-પાસનાં ગામમાં આવેલી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 15000 સ્કુલબેગનું વિતરણ કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ ભક્તો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
પાટણમાં પીવાના પાણીની કેનાલની સફાઈ શરૂ:ચીફ ઓફિસરના આદેશ બાદ 24 કલાકમાં પાણી આપવાની ખાતરી
પાટણ શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકા દ્વારા સિંચાઈ કેનાલની સફાઈનું અભિયાન શરૂ કરાયું છે. ચીફ ઓફિસર હીરલબેનની સૂચનાથી આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેથી શહેરનો પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય. પાટણ નગરપાલિકા શહેરના રહેવાસીઓને સિંચાઈ કેનાલ મારફતે પીવાનું પાણી પૂરું પાડે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ થતાં શહેરમાં પાણીની અછત સર્જાઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈ, ચીફ ઓફિસર હીરલબેને કેનાલની તાત્કાલિક સફાઈના આદેશ આપ્યા હતા. જેના પગલે, કોર્પોરેટર દેવચંદભાઈ, જયેશ પટેલ અને અન્ય વોર્ડના કોર્પોરેટરોની હાજરીમાં બાંધકામ વિભાગના મજૂરો, સફાઈ કામદારો અને જેસીબી મશીનરીની મદદથી કચરો તથા કાંપ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે કે, આ સફાઈ અભિયાન આગામી 24 કલાક સુધી સતત ચાલુ રહેશે. કેનાલ સંપૂર્ણપણે સાફ થયા બાદ પાટણ શહેરને ઝડપથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેનાલ સાફ થતાં જ પાણીનો પ્રવાહ શરૂ કરાશે, જેથી નાગરિકોને પડતી હાલાકીનો અંત આવશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નાગેલ ગામના 33 વર્ષીય શૈલેષભાઈ રાવત, જેઓ પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના ગામથી પાલનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન વણસોલ–ઢેલાણા માર્ગ પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં તેમને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ શૈલેષભાઈને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાલનપુર બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ જમણા પગની ઢાકણીમાંથી વહી રહેલું લોહી રોકવા માટે સફાઈ કરી ટાંકા લીધા હતા. પગમાં અસહ્ય દુખાવો હોવાથી એક્સ-રે સહિતના જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. આથી તેમને ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે જમણા પગની ઢાકણી (ની-કેપ) ત્રણ ટુકડામાં તૂટી ગઈ હતી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ બીજા દિવસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓર્થો વિભાગના ડો. આશિષ પુરોહિત, ડો. દેવેન્દ્ર દેસાઈ, ડો. દર્શિત શાહ, ડો. રિયાઝ મસીયા સહિતના ડૉક્ટર સ્ટાફની ટીમે લગભગ એક કલાકની જહેમત બાદ વાયરનો ઉપયોગ કરીને બે તબક્કામાં સફળ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ ત્રણ દિવસ સુધી નિયમિત ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જોકે પગમાં હલનચલનમાં તકલીફ રહેતાં એક મહિના સુધી ફિઝિયોથેરાપી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી હતી. ફિઝિયોથેરાપીના ડો. સોનાલી કૌશિકે જણાવ્યું હતું કે, દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યો ત્યારે પગમાં અસહ્ય દુખાવો હતો અને હલનચલનમાં ભારે મુશ્કેલી હતી. આધુનિક સાધનોની મદદથી દરરોજ એક કલાક સુધી વિવિધ કસરતો કરાવવામાં આવતાં એક મહિના બાદ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયો છે અને હવે પોતાની જાતે ચાલી શકે છે. આ અંગે શૈલેષભાઈ રાવતે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તેમને પગ સાજો થશે કે નહીં તેની ભારે ચિંતા હતી. પરંતુ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ સારવાર અને સુવિધાઓ મળતાં આજે તેઓ ફરીથી પોતાના રોજિંદા કાર્ય પર પરત ફર્યા છે. તેમણે ડૉક્ટરો, ફિઝિયોથેરાપી નર્સિંગ સ્ટાફ અને બનાસ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
હિંમતનગરમાં બે આખલાની લડાઈ CCTVમાં કેદ:પાણી છાંટવા છતાં લડાઈ ચાલુ રહી, સ્થાનિકોમાં ભયનો માહોલ
હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં બે આખલા વચ્ચે લડાઈ થઈ હતી. આ ઘટના સોમવારે સવારે બની હતી અને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના પોલોગ્રાઉન્ડ પાસેની રૂષભદેવ સોસાયટી નજીકના રોડ પર સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી, જે શાળાનો સમય હોય છે. આખલાઓની લડાઈ એટલી ઉગ્ર હતી કે આસપાસના લોકો થોડા સમય માટે થંભી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે તેમના પર પાણી પણ છાંટ્યું હતું. તેમ છતાં, બંને આખલાઓ વચ્ચેની લડાઈ ચાલુ રહી હતી અને તેઓ એકબીજા સાથે અથડાતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના સ્થાનિક રહેવાસી શ્રવણકુમાર સાંખલાના ઘરે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે રેકોર્ડ થઈ ગઈ હતી.
અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે જમાલપુરના રહેવાસી 28 વર્ષીય આરોપી ઇશાન પવાર સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ સેટેલાઈટની રહેવાસી 19 વર્ષીય યુવતી ઉતરાયણના દિવસે પોતાના મિત્રને ત્યાં આવેલી કનક સોસાયટીમાં પતંગ ઉડાડવા ગઈ હતી. રાત્રિના પોણા દસ વાગે જ્યારે તે સોસાયટીની બહાર ઊભી હતી. ત્યારે આરોપી એક્ટિવા લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે 1 હજાર રૂપિયા આપીશ ચલ મારી સાથે. આથી યુવતીએ પોલીસને ફોન કરવાની વાત કરતા આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી તે સોસાયટી પાસે આવ્યો હતો. તેને ફરીથી યુવતી પાસે તે જ પ્રકારની માંગણી કરી હતી. યુવતીને પાછળથી ધક્કો મારીને પાડી દીધી હતીયુવતી સોસાયટીમાં ચાલીને જતા આરોપીએ તેને પાછળથી ધક્કો મારીને પાડી દીધી હતી અને તેના મોઢા પર હાથ રાખીને તેના વાળ ખેંચ્યા હતા. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સોસાયટી વાળા દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. આરોપીની કરતૂત જોઈ કોર્ટે જામીન અરજી ફગાવીઆરોપી 15 દિવસથી જેલમાં રહેતા તેને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેના તરફે રજૂઆત કરાઈ હતી કે આ ગુનામાં એક વર્ષથી સજાની જોગવાઈ છે. તેને કોઈ છેડતી કરી નથી, પરંતુ માત્ર બોલાચાલી થઈ હતી. જ્યારે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટે સામે દલીલ કરી હતી કે આરોપીને જામીન મળે તો તે ફરી આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે છે. તેમજ ફરિયાદી અને સાહેદોને ધમકાવી શકે છે. કોર્ટે આરોપીની કરતુત જોઈને તેની જામીન અરજી ફગાવી નાખી હતી.
જામનગરમાં બસ સળગાવનાર સામે ગુનો નોંધાયો:સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર એક ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડવાના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. ગત 24મી જાન્યુઆરીની રાત્રે પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બસના માલિક અને કારખાનેદાર નિશાંતભાઈ ડોબરીયાએ તે સમયે પોલીસને જાણ કરી હતી અને કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બસ પાર્ક કરાઈ હતી તે સ્થળ નજીકના એક કારખાનાના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. જેમાં રાત્રિના 11:30 વાગ્યા આસપાસ એક વ્યક્તિ બસ પાસે આવી, આગ ચાંપી અને ત્યાંથી ચાલ્યો ગયો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. આ ફૂટેજના આધારે બસ માલિક નિશાંત ડોબરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની રૂ. 16 લાખની કિંમતની બસ સળગાવી દેવા બદલ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં આરોપી બસની બારીનો કાચ તોડી અંદર ઘૂસી આગ લગાડીને ભાગી છૂટતો દેખાય છે. પોલીસ આ ફૂટેજ અને અન્ય વર્ણનના આધારે આરોપીને શોધી રહી છે.
આણંદમાં બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ:શાળાઓમાં પ્રેક્ટિસ પેપર દ્વારા મહાવરો કરાવાશે
આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પ્રેક્ટિસ પેપરનું આયોજન કર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાનો ભય દૂર કરવાનો છે. આ આયોજન હેઠળ, બોર્ડની પરીક્ષાની પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને પેપર લખવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આ પ્રેક્ટિસ દ્વારા, પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડના વાતાવરણનો અનુભવ મળશે. તેમને પરીક્ષા ખંડમાં કઈ વસ્તુઓ લઈ જવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ નિરીક્ષકો અને આચાર્યો દ્વારા કરવામાં આવશે. આ પ્રેક્ટિસ રાઉન્ડ પરીક્ષા શરૂ થવાના આગલા દિવસો સુધી સતત ચાલુ રહેશે. આનાથી વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પેપર પૂર્ણ કરવાની કળા શીખી શકશે અને પોતાની ભૂલો સુધારીને વધુ સારું પ્રદર્શન કરી શકશે.
મેંદરડા TDO 80,000ની લાંચ લેતા ઝડપાયા:ACBએ ટીવી રાદડિયાની અટકાયત કરી, ATVTના કામો માટે લાંચ માગી હતી
મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે. [17:05, મેંદરડા તાલુકાના એક ગામે ATVT(આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો)ના કામો મામલે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ACBએ તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી છે. તાલુકા વિકાસ અધિકારી પર લાંચનું છટકું ગોઠવાતા હાલ વહીવટી તંત્રમાં સોંપો પડી ગયો છે.
NCC ડિરેક્ટોરેટ ગુજરાતે 01 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદ્ઘાટન NCC ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટનું આયોજન કર્યું હતું. એર માર્શલ તેજિન્દર સિંહ AVSM, PVSM, VM, AOC-in-C, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે, સાબરમતી નદીની પૃષ્ઠભૂમિમાં 800 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કેડેટ્સ, નાગરિક અને લશ્કરી મહાનુભાવો સહિત NCC યુનિટી માર્ચને લીલી ઝંડી આપી હતી. એર માર્શલ તેજિન્દર સિંહ, જે પોતે NCCના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેમણે રાષ્ટ્ર નિર્માણમાં NCCના અપાર યોગદાનની પ્રશંસા કરી હતી, તેમજ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને આકાર આપ્યો હતો. મનોહર રિવરફ્રન્ટ અને પ્રતિષ્ઠિત અટલ બ્રિજ પર, NCC કેડેટ્સે અનેક કિઓસ્ક સ્થાપ્યા હતા, જ્યાં તેઓએ સાહસ, સમુદાય સેવા, સામાજિક જાગૃતિ અને તાલીમ જેવી NCC પ્રવૃત્તિઓના વિવિધ પાસાઓ પર માહિતી આપી હતી અને પ્રદર્શન કર્યું હતું. બાદમાં, NCC ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા હતા અને લો ગાર્ડન ખાતે એક શાનદાર સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેજર જનરલ બિમલ મોંગા એસએમ, વીએસએમ, એડિશનલ ડાયરેક્ટર જનરલ, એનસીસી ડિરેક્ટોરેટ ગુજરાત, એડીશનલ ડાયરેક્ટર જનરલ, એ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે એનસીસી દ્વારા સરહદી અને દરિયાકાંઠાના પ્રદેશો અને દમણ, દીવ, દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાંથી 85000 કેડેટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. આગામી છ વર્ષમાં આ સંખ્યા વધીને 1 લાખ 15 હજાર થશે. વધુમાં, હાલમાં ગુજરાતમાં 10 લાખથી વધુ એનસીસી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. એ નોંધવું યોગ્ય છે કે મોટી સંખ્યામાં કેડેટ્સ, પરિવારો અને સમગ્ર સમાજ એનસીસી દ્વારા સતત સકારાત્મક અસર કરી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે એનસીસી કેડેટ્સમાં શિસ્ત, મિત્રતા, સાહસ અને એકતાની ભાવના જગાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે; મુખ્ય ઉદ્દેશ્ય યુવા કેડેટ્સને આદર્શ નાગરિકોમાં પરિવર્તિત કરવાનો છે, જેઓ યોગદાન આપશે અને આપણને સશક્ત અને વિકાસ ભારત તરફ દોરી જશે.
ચાંદીના ભાવમાં 1980 જેવો આંચકો : 80 કલાકમાં ભાવ 2 લાખ રૂપિયા ઘટતા રોકાણકારોમાં ફફડાટ
Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવમાં 1.95 લાખનો કડાકો બોલી જતાં 1980નો રેકોર્ડ તૂટી ગયો છે. 29 જાન્યુઆરીએ MCX પર ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયાના ઐતિહાસિક ટોચે પહોંચી ગયો હતો. જોકે કોઈને ખબર ન હતી કે, માત્ર 70થી 80 કલાકમાં ચાંદીનો ભાવ જમીન પર આવી જશે.
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ:આરોગ્ય શિબિરનું આયોજન અને દર્દીઓને મફત દવાઓનું વિતરણ
૧ ફેબ્રુઆરીના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોબડી ગામમાં Indian Red Cross Society તથા NSS કેડેટ્સ – Maharanishree Nandkuvarba Mahila Collegeના સહયોગથી મૂળભૂત તબીબી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું.આ શિબિરમાં ગ્રામજનોએ માટે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, છાતીના ચેપ તથા હિમોગ્લોબિન જેવી મૂળભૂત તબીબી તપાસ કરવામાં આવી. તપાસ બાદ જરૂરી મુજબ દર્દીઓને મફત દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.ગ્રામજનો દ્વારા શિબિરનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો અને NSS કેડેટ્સની સક્રિય ભાગીદારીથી આ સેવા કાર્ય સફળ અને સાર્થક બન્યું. આ શિબિર ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ અને નિવારક સારવાર તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. લક્ષ્મી ગ્રુપ અને અનિલ બગદાણા જેવા મોટા માથાઓ બાદ આઇટી વિભાગની ટીમે શહેરના અગ્રણી ફાઈનાન્સર બ્રિજે ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીને નિશાન બનાવ્યા હતા. સુરતના પાલ વિસ્તારમાં આવેલી તેમની ઓફિસ અને રહેણાંક સ્થળોએ લગભગ બે દિવસ સુધી સઘન તપાસ હાથ ધરી હતી. જેના કારણે શહેરના નાણાકીય બજારમાં ભારે ફફડાટ ફેલાયો છે. મુંબઇ અને સુરત આઇટીનું સંયુક્ત ઓપરેશનઆ દરોડાની કામગીરીમાં માત્ર સ્થાનિક સુરત આઇટીની ટીમની જ નહીં પરંતુ ખાસ મુંબઇથી આવેલી આઇટીની નિષ્ણાત ટીમ પણ જડાઈ હતી. આ આંતરરાજ્ય સંકલન દર્શાવે છે કે, તપાસનો વ્યાપ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના છેડા રાષ્ટ્રીય સ્તરના આર્થિક વ્યવહારો સાથે જોડાયેલો હોઈ શકે છે. કરોડોની હાઈરાઈઝ ઓફિસની કેશમાં ડીલતપાસના કેન્દ્રમાં સુરતના એક અત્યંત પોશ વિસ્તારમાં થયેલો એક રિયલ એસ્ટેટ સોદો છે. આવક વિભાગને એવી પાકી બાતમી મળી હતી કે, બ્રિજેશ ઠક્કરે શહેરના એક મોટા બિલ્ડરના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની રોકડ રકમ ચૂકવીને આખી હાઈરાઈઝડ ઓફિસ ખરીદી હતી. આ પ્રકારના મોટા પાયે થતા બ્લેક મનીના રોકાણને પકડવા માટે અધિકારીઓએ રાત્રિના સમયે ઓચિંતા દરોડો પાડ્યો હતો. બિલ્ડર અને ફાઈનાન્સર વચ્ચેના કનેક્શનની તપાસઆઇટીના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજેશ ઠક્કર સુરતના બિલ્ડરો માટે એક મોટા 'બેકડોર' ફાઈનાન્સર તરીકે જાણીતા છે. તેઓ શહેરના નામી બિલ્ડરોને પ્રોજેક્ટ્સ માટે મોટા પાયે નાણાં ધીરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અધિકારીઓ હાલ એ તપાસી રહ્યા છે કે, આ ફાઇનાન્સિંગમાં વપરાતા નાણાંનો સ્ત્રોત શું છે અને શું તે ટેક્સ ચોરી કરીને ભેગા કરવામાં આવ્યા છે? ખાસ કરીને એક બિલ્ડર સાથેની મિલકત ખરીદીની તપાસ અત્યારે પ્રાથમિક તબક્કે છે. પાલની ઓફિસ અને દસ્તાવેજો જપ્ત કર્યાઅધિકારીઓએ સુરતના પાલ વિસ્તારમાં આવેલી 'જુનો મોનેટા' નામની મુન્ના ઓલપાડીની ઓફિસમાં પણ દરોડો પાડીને તમામ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા છે. આ તપાસ દરમિયાન ડિજિટલ ડેટા, બેંક સ્ટેટમેન્ટ અને કાચી ડાયરીઓ પણ મળી આવી છે. જેમાં કેશમાં થયેલા વ્યવહારોની વિગતો હોવાની પૂરી શક્યતા છે. આર્થિક વ્યવહારોની ઝીણવટભરી તપાસ માટે ફોરેન્સિક ઓડિટની પણ મદદ લેવામાં આવી રહી છે. હવાલા અને સટ્ટા બજાર સાથે કનેક્શન?આઇટી તપાસનો કેન્દ્રમાં સૌથી ચોંકાવનારો મુદ્દો હવાલા અને સટ્ટા સાથે જોડાયેલો છે. આવક વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, મુન્ના ઓલપાડીના સંબંધો દેશના એક ટોચના સટોડિયા સાથે હોવાનું જાણવા મળ્યું છે. તપાસકર્તાઓ એ શોધી રહ્યા છે કે, શું સટ્ટા બજારમાંથી કમાયેલા નાણાં હવાલા મારફતે રિયલ એસ્ટેટમાં રોકવામાં આવતા હતા અથવા આમાં બીજા કેટલા મધ્યસ્થીઓ સામેલ છે? આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતાબે દિવસની સતત તપાસ બાદ હાલ અધિકારીઓ જપ્ત કરેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર બ્રિજેશ ઠક્કરની આખી 'કરમ કુંડલી' ખંખેરવામાં આવી રહી છે. જે રીતે ડેટા અને પુરાવાઓ હાથ લાગ્યા છે તે જોતા આગામી દિવસોમાં સુરતના અનેક મોટા ગજાના બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના નામ સામે આવી શકે છે.
પાલેજમાં કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:પોલીસે મુદ્દામાલ અને વાહન સાથે આરોપીને ઝડપ્યો
પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી ઇલેક્ટ્રિક કેબલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પાલેજ પોલીસે ચોરીમાં ગયેલા સમગ્ર મુદ્દામાલ તેમજ ચોરી માટે વપરાયેલા વાહન સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે 31 જાન્યુઆરીના રોજ ડી.જી.વી.સી.એલ. પાલેજ સબ ડિવિઝનના કર્મચારી દ્વારા પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વરેડિયા ગામની સીમમાં હોટલ બલદેવ નજીકથી પસાર થતી બંધ હાલતમાં રહેલી ઇલેક્ટ્રિક લાઇન પરથી 55 સ્ક્વેર એમ.એમ. કન્ડક્ટર (એલ્યુમિનિયમ વાયર)ના કુલ 360 મીટર વાયરની ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત રૂ. 14,040 હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર વરેડિયા ચોકડી નજીક વોચ ગોઠવી આરોપી સુનિલ મોહન કાલબેલીયા (જોગી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા 55 સ્ક્વેર એમ.એમ. એલ્યુમિનિયમ વાયરના 360 મીટર (કિંમત રૂ. 14,040) તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા થ્રી-વ્હીલર છકડો ટેમ્પો (નં. GJ-06-ZZ-4467) જેની કિંમત રૂ. 30,000 છે, તે સહિત કુલ રૂ. 44,040 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યુવકની હત્યા બાદ આરોપીએ મૃતકના પિતાને ફોન કર્યો હતો. તેણે ફોન પર કહ્યું હતું કે, તારા દીકરા જશવંતને મેં અને મારી બે દીકરીઓએ મળીને મારી નાખ્યો છે. રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે મૃતકના જ પિતરાઈ કાકા અને તેમની બે પુત્રીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતારામનગર વિસ્તારની ગુંદમોરા સીમમાં રહેતા 25 વર્ષીય જશવંત અશ્વિન ચોપડાના લગ્ન થોડા સમય પહેલા જ પ્રિયા નામની યુવતી સાથે થયા હતા. રવિવારે સવારે જશવંતના માતા-પિતા ખેતીકામ માટે ભટ્ટગામની સીમમાં ગયા હતા. આ દરમિયાન તેમના પિતરાઈ ભાઈ રવજી ભાણા ચોપડાએ ફોન કરી તેમને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા.અશ્વિનભાઈ જ્યારે રવજીના ઘરે પહોંચ્યા ત્યારે રૂમમાં જશવંતનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ચહેરા પર પ્લાસ્ટિકનું બાચકું પહેરાવેલું હતું અને શરીર પર તીક્ષ્ણ હથિયારોના ગંભીર ઘા હતા. પરિવારજનોએ જ કબૂલાત કરીસ્થળ પર હાજર જ્ઞાતિના અગ્રણીઓની હાજરીમાં આરોપી રવજી ચોપડાએ કબૂલાત કરી હતી કે, તેણે અને તેની બે પુત્રીઓ કિરણ તથા કાજલે મળીને જશવંતની હત્યા કરી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસ કાર્યવાહીબનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને DYSP વી.પી. માનસેતા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે પિતા અને બે પુત્રીઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઇન્ચાર્જ PI એન.એચ. જોશી આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને ઝડપી પાડવા વિવિધ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામની માધ્યમિક શાળામાં 'સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ' વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ NSS ના સંકલન સાથે આયોજિત કરાયો હતો. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત આ સેમિનારમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેસદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર બંસીબેન ખોડિયાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપી મહિલા લક્ષી યોજનાઓ અને સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI એચ.કે. ઝાલાએ સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના માધ્યમથી થતા વિવિધ ગુનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને આધુનિક ડિજિટલ યુગમાં સતર્ક રહીને ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર ટીમ, અલીયાબાડા કોલેજના આચાર્ય, મોટી બાણુંગાર શાળાના આચાર્ય, પ્રોગ્રામ ઓફિસર NSS, DHEW તથા OSC સ્ટાફ અને અધ્યાપકગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાયલા: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આશીર્વાદ વિકલાંગ ગૃહમાં 'સંપૂર્ણતા અભિયાન 2.0'નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકની અધ્યક્ષતામાં આ અભિયાન શરૂ કરાયું હતું. કલેક્ટરે સાયલા તાલુકાને આકાંક્ષી બ્લોક (ABP)ની શ્રેણીમાંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા માટે સૌને કટિબદ્ધ થવા હાકલ કરી હતી. કલેક્ટર યાજ્ઞિકે અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, અગાઉના સંપૂર્ણતા અભિયાનમાં સાયલા તાલુકાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પુરસ્કાર મેળવ્યો હતો. આ જ ઉત્સાહ સાથે 'સંપૂર્ણતા અભિયાન 2.0'માં પણ સાયલાને અગ્રેસર રાખવાનો લક્ષ્ય છે. નીતિ આયોગના 'એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ' (ABP) હેઠળ ગુજરાતના ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં સાયલાનો સમાવેશ થાય છે. આ અભિયાન અંતર્ગત ICDS વિભાગના ચાર મુખ્ય સૂચકાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી. આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં ચોકસાઈ રાખવા તથા બાળકોની સંભાળ રાખવા અપીલ કરાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે, શ્રીમદ રાજચંદ્ર મિશનના સહયોગથી ૧૮ વર્ષથી નીચેના તમામ બાળકો અને કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરી જરૂરિયાત મુજબ આઈએફએની ગોળીઓ આપવાનું જણાવાયું હતું. કુપોષિત બાળકો માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા શરૂ કરાયેલ 'સરગવાની ચોકલેટ' આપવાની કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગમાં દરેક શાળામાં કુમાર-કન્યાઓ માટે અલગ શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો. શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ધોરણ ૮માંથી ૯માં પ્રવેશતા બાળકો વંચિત ન રહી જાય તેની કાળજી લેવા શિક્ષકોને તાકીદ કરાઈ હતી. પશુપાલન ક્ષેત્રે ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સક્રિય સહયોગ લેવા પણ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. જાલંધર, જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી. ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા, સંશોધન અધિકારી એ.એમ. પટેલ, સાયલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં સ્ટ્રીટ લાઈટના પોલ પર ખુલ્લા વાયર:તૂટેલા ફાઈબર બોક્સથી રાહદારીઓ અને વાહનચાલકોને જોખમ
બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ગઢડા રોડ, પાળીયાદ રોડ અને સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટના વીજપોલ પર ખુલ્લા વાયરો જોવા મળી રહ્યા છે. આ પોલ પર લગાવવામાં આવેલા ફાઈબર બોક્સના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં છે, જેના કારણે વીજ વાયરો ખુલ્લા પડી ગયા છે. આ મુખ્ય માર્ગો પરથી દરરોજ અસંખ્ય નાના-મોટા વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. ખુલ્લા વીજ વાયરો રાહદારીઓ, ખાસ કરીને ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરતા લોકો અને રસ્તા પર રમતા બાળકો માટે જીવલેણ જોખમ ઊભું કરી શકે છે. થોડા સમય અગાઉ ગઢડા રોડ પર ખુલ્લા વીજ વાયરના કારણે પશુઓના મોત થયા હોવા છતાં, નગરપાલિકા દ્વારા હજુ સુધી આ ખુલ્લા વાયરોને સુરક્ષિત કરવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ પરિસ્થિતિ અંગે નગરપાલિકા તંત્ર ક્યારે જાગૃત થશે તે એક મોટો પ્રશ્ન છે.
વાંસદા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા પુરાવા વગર 650થી વધુ મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે અરજીઓ કરવામાં આવતા રોષ ફેલાયો છે. આ મામલે મુસ્લિમ સમાજે કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા અને સુધારવા દરમિયાન, મોટી સંખ્યામાં 'ફોર્મ નંબર-7' (નામ રદ કરવા માટેનું ફોર્મ) અજાણ્યા ઈસમો દ્વારા ભરવામાં આવ્યા છે. આ ફોર્મ્સ ખાસ કરીને મુસ્લિમ મતદારોને નિશાન બનાવીને ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં કોઈ નક્કર પુરાવા રજૂ કરાયા નથી. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આ એક ચોક્કસ રણનીતિ હેઠળ મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કાવતરું છે. તેમણે ખોટા ફોર્મ ભરીને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરનારા તત્વો સામે તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. એક સ્થાનિક મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું કે, કોઈપણ જાતના આધાર વગર માત્ર હેરાન કરવાના આશયથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. અમે પ્રાંત અધિકારી અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે. આ રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો આ ફોર્મ્સ ખોટી રીતે ભરવામાં આવ્યા હોવાનું સાબિત થશે, તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
UGC દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોના સમર્થનમાં આજે 'સ્વયમ્ સૈનિક દળ' (SSD) ગુજરાત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને મનુવાદ કો મારો લાત, સંવિધાન કી કરો બાત અને અમલ કરો, અમલ કરો, UGC બિલ અમલ કરોના નારા લગાવ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, UGC (Promotion of Equity in Higher Education Institutions) Regulations, 2026માં બંધારણની કલમ 14, 15 અને 16 હેઠળ સામાજિક ન્યાયની વિભાવનાને મજબૂત કરે છે. ‘સ્વયમ્ સૈનિક દળ’ એ રજૂઆત કરી છે કે, આ નિયમો SC, ST, OBC, લઘુમતી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સમાન તકો અને ગરિમામય વાતાવરણ સુનિશ્ચિત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણ માટે આ પગલું અત્યંત આવશ્યક છે. સંગઠને આ નિયમોના પારદર્શી અને સમયબદ્ધ અમલીકરણ માટે ભારપૂર્વક સમર્થન જાહેર કર્યું છે. સ્વયં સૈનિક દળના પ્રતિનિધિ નિલેશભાઈએ જણાવ્યું હતું કે, આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. હાલમાં સરકાર દ્વારા જે UGC (University Grants Commission) બિલ રજૂ કરવામાં આવ્યું છે, તેના સમર્થનમાં અમે અહીં એકત્રિત થયા છીએ. આ UGC બિલ તો આમ 1956થી અમલમાં હતું જ, પરંતુ હાલની સરકારે તેમાં જે સુધારા કર્યા છે તે અત્યંત આવકારદાયક છે. આ સુધારાઓ દ્વારા OBC, માઈનોરિટી, મહિલાઓ, વિકલાંગો અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને વધુ સુરક્ષા પ્રાપ્ત થશે. તેમને પોતાની પ્રતિભા (હુનર) દેખાડવાની એક નવી તક મળશે, જેનાથી તેઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનો હેતુ એવો છે કે આ બિલ પાસ ન થાય. વર્ષોથી SC, ST, OBC અને માઈનોરિટીના જે હક અને અધિકારોનું હનન થઈ રહ્યું છે, તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તે સ્થિતિ તેવી ને તેવી જ જળવાઈ રહે તેવા તેમના પ્રયાસો છે. અમે UGC બિલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને તે જ હેતુથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી-કોલેજમાં ભેદભાવ રોકવા માટેના UGCના નવા નિયમ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નિયમોની જોગવાઈઓ સ્પષ્ટ નથી. આનો ખોટો ઉપયોગ થઈ શકે છે. UGCના 2012ના નિયમમાં ફેરફાર બાદ 13 જાન્યુઆરી 2026 ના રોજ આને જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ્સનો એક વર્ગ આને જરૂરી ગણાવી રહ્યો હતો, જ્યારે બીજો વિરોધમાં હતો.
અમદાવાદના મણીનગરની સેવન્થ ડે સ્કુલમાં થોડો સમય પહેલા જ સામાન્ય ઝઘડામાં એક વિધાર્થીએ બીજા વિધાર્થીના પેટમાં ધારદાર પરીકર મારીને તેની હત્યા કરી દીધી હતી. હવે ફરીથી આ પ્રકારની ઘટના જ બહાર આવી છે. જો કે, તેમાં કોઈનો જીવ ગયો નથી પરંતુ જે રીતે ઘટના બની છે તે જોતા એવુ લાગે છે કે, વિધાર્થીઓના જીવ સામે જોખમ ઉભું થયું હતું.બાળકો શા માટે આટલા હીંસક બની રહ્યા છે અને બદલાની ભાવનાથી પીડાઈ રહ્યા છે તે પ્રશ્ન સમાજને સતાવી રહ્યો છે. મણીનગરની દૂર્ગા સ્કુલમાં ભણતા ધો. 6ના કેટલાક વિધાર્થીઓ સાથે રમતા હતા તેમજ સાથે જ ફરતા હતા. થોડા દિવસો પહેલા બે મિત્રો વચ્ચે સામાન્ય વાતને લઈને ઝગડો થયો હતો. આ વાતને ધ્યાનમાં લઈને બીજા મિત્રએ એટેલ ધો. 6ના જ વિધાર્થીએ પોતાના મિત્રને પાઠ ભણાવવાનુ નક્કી કર્યુ હતુ. આ છોકરાના પિતા કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધુંઆથી આ વિધાર્થીએ ઘરના સભ્યોને ખબર ન પડે એ રીતે થોડું કેમિકલ પોતાની સાથે લઈ લીધું હતું. ત્યારબાદ તેમણે પોતાના જે મિત્રને પાઠ ભણાવવાનો હતો તેની પાણીની બોટલમાં કેમિકલને નાખીને બોટલના પાણી સાથે મિક્સ કરી દીધું હતું. પાણી પીધું ને મિત્રને ઉલ્ટીઓ થતા ભાંડો ફૂટ્યોઆ ઘટનાની કોઈને ખબર નહોતી. થોડીવાર પછી જેની બોટલમાં કેમિકલ મિકસ કર્યુ હતું તે છોકરાએ પાણી પીધું હતું. સદનસીબે થોડું પાણી પીધા બાદ તેનો સ્વાદ કડવો અને ખરાબ લાગતા તેમણે વધુ પાણી પીધું નહોતું. પાણી પીધાની ગણતરીની મિનિટોમાં જે તેને ઉલટીઓ શરુ થઈ ગઈ હતી. આ બાબતની જાણ થતા જ ટીચરો ભેગા થઈ ગયા હતા. જો કે, છોકરો થોડી મિનિટો પછી સ્વચ્છ થઈ ગયો હતો. કરતુત સીસીટીવીમાં કેદ થઈ ને સ્કૂલને ખબર પડીઆ છોકરાને શંકા હતી કે તેની બોટલમાં તેના જ એક મિત્રએ કશુ મિક્સ કર્યું હોવું જોઈએ. આથી પ્રિન્સિપલે તે છોકરાને બોલાવીને પૂછ્યુ તો તેમણે કહ્યું કે, મે કશું કર્યું નથી. આથી સ્કુલના સીસીટીવીની ચકાસણી કરાઈ. જે જોઈને બધાના પગ નીચેથી જાણે ધરતી સરી ગઈ. કેમકે જે છોકરો ના પાડતો હતો તેમણે જ બોટલમા કશું મિક્સ કર્યુ હતું તેના આ કરતુત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. માતા પિતાને બોલાવ્યા અને છોકરાને ઠપકો અપાયોઆખો મામલો ગંભીર બની ગયો હતો. આખરે ટ્રસ્ટીએ તે છોકરાના તેમજ જે છોકરાની બોટલમાં કેમિકલ જેવુ પ્રવાહી મિકસ કર્યુ હતુ તેના માતા પિતાને બોલાવ્યા હતાં. છોકરાને ઠપકો અપાયો હતો અને તેમની પાસેથી માફી પત્ર લખાવી લેવાયું હતું. બીજી બાજુ પોતાના સંતાનને કશુ નુકસાન થયુ નહી હોવાથી બીજા માતા પિતાએ પણ મન મોટું રાખીને કોઈ જ કાર્યવાહી નહી કરવાનુ મન બનાવીને સમાધાન કરી લીધું હતું. આ શાળાના આચાર્ય કેતન શાહે પણ આવી ઘટના બની હોવાનો સ્વીકાર કરીને કહ્યુ કે,આ ઘટના સમાજ માટે ખુબ જ ગંભીર છે.
સિલ્વર ઓક યુનિવર્સિટીની લો કોલેજ દ્વારા મૂટ કોર્ટ હોલ ખાતે “ભારતીય અદાલતોના દ્રષ્ટિકોણથી માનવ અધિકારો” વિષય પર નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદા વિભાગના વિવિધ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્ર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ હર્ષ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે માનવ અધિકારોની સંકલ્પના, તેના વિવિધ સ્વરૂપો તેમજ બંધારણીય જોગવાઈઓ અંતર્ગત માનવ અધિકારોના રક્ષણમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. એડવોકેટ રાવલે કલમ 32 અને 226ના માધ્યમથી માનવ અધિકારોના અમલ અને ન્યાયિક અર્થઘટન દ્વારા અધિકારોના વિસ્તરણ અંગે સ્પષ્ટતા કરી હતી. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ વ્યાખ્યાન કાયદાના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયું.
ડૉ. ધનરાજ ઠક્કરે 46મી વખત રક્તદાન કર્યું:જન્મદિવસ નિમિત્તે આયોજિત કેમ્પમાં 31 બોટલ રક્ત એકત્ર થયું
પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પોતાના 54મા જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરી હતી. આ કેમ્પમાં કુલ 31 બોટલ રક્ત એકત્ર થયું હતું, જેમાં ડૉ. ઠક્કરે પોતે 46મી વખત રક્તદાન કર્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે સમાજસેવાના ભાગરૂપે આ જન્મદિવસની ઉજવણી કરી. ચિત્રકૂટ સોસાયટી યુવક મંડળ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘણા મિત્રોએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. એક યુવાને પેરાલિસિસ હોવા છતાં રક્તદાન કર્યું. ડૉ. ધનરાજભાઈના પુત્ર ડૉ. શિવમે પણ રક્તદાન કર્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ પરિવાર સાથે સેવા આપી, જ્યારે ડૉ. ચિન્મય પટેલ ખાસ મહેસાણાથી આવી રક્તદાનમાં જોડાયા. ડૉ. ધનરાજભાઈએ રક્તદાતાઓને પક્ષીના માળા અને પાણીના કુંડા આપી પ્રકૃતિપ્રેમ અને પક્ષી સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં રિજીયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માનવસેવા બદલ ડૉ. ઠક્કરનું સન્માન કર્યું હતું. એસ.કે. બ્લડ બેન્ક દ્વારા પણ તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. નગરસેવકો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, રોટરી મિત્રો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિથી આ કેમ્પ સફળ રહ્યો હતો. અંતે, ડૉ. ધનરાજભાઈએ તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનની હાઇકોર્ટે નોટિસ રદ કરી દીધી છે. 27 જાન્યુઆરીએ રહેવાસીઓને ઘર ખાલી કરવા નોટિસ આપી હતી. તે અગાઉ GRT(ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યૂનલ)માં અરજદારો અપીલમાં ગયા હતા. જેથી કોર્ટે કહ્યું કે, GRT ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે. આ ઉપરાંત 1358 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાશે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતાં અનેક પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતાં અનેક પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે. શુક્રવારે દિવ્ય ભાસ્કર જંગલેશ્વરવાસીઓની વ્યથા જાણવા જંગલેશ્વરમાં પહોંચ્યું હતું અમે રાધાકૃષ્ણ સોસાયટીનાં વેલનાથજી મંદિરે પહોંચ્યા ત્યારે અહીં મહિલાઓ સહિત 50 જેટલા લોકો એકઠા થયા હતા. ડિમોલિશનની નોટિસ મળતાં જ આશરો છીનવાઈ જવાની ભીતિમાં ગરીબ પરિવારો જોવા મળ્યા હતા. સ્થાનિકોએ તંત્ર સહિત નેતાઓ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. અનેકે તો ઘરમાં રાંધ્યું પણ નહોતું. જ્યાં જુઓ ત્યાં લોકો એકત્ર થઈને હવે શું થશે? ક્યાં જઈશું? જેવી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા વર્ણવતાં એક મહિલા તો રડી પડી હતી. અન્ય વૃદ્ધાએ કહ્યું હતું કે અમને બધાને મારી નાખે અને પછી મકાનો પાડીને જે વિકાસકામો કરવાં હોય એ કરે. તો વેલનાથજી મંદિરના મહંતે કહ્યું કે હજારો લોકોને આશરો આપતા મંદિરને પણ આ લોકોએ છોડ્યું નથી, તેણે પણ તોડી પાડવા નોટિસ આપી છે. 35 વર્ષ પહેલાં તમામ સમાજે મળી વેલનાથજી મંદિરનું નિર્માણ કર્યું હતુંઃ મહંતરાધાકૃષ્ણ નગરના વેલનાથજી મંદિરમાં છેલ્લાં 50 વર્ષથી વસવાટ કરતા મહંત મનુભાઈ ધેણોજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે જ્યારે તેઓ અહીં રહેવા આવ્યા ત્યારે આ વિસ્તારમાં છૂટાછવાયાં જ મકાનો હતાં. સમય જતાં વસતિ વધી અને લોકોની સુવિધા માટે આશરે 35 વર્ષ પહેલાં તમામ સમાજના લોકોએ સાથે મળી વેલનાથજી મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે મધ્યમ અને ગરીબવર્ગના લોકો, જેઓ મોંઘા વાડીના ભાડા ખર્ચી શકતા નથી, તેઓ પોતાના પ્રસંગો અને જમણવાર અહીં યોજી શકે છે. ‘મંદિરને પણ તોડી પાડવા નોટિસ અપાઈ છે’આ મંદિરમાં લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગો માટે 40 કે 50,000 જેવું મોટું ભાડું વસૂલવામાં આવતું નથી. માત્ર વાસણ, લાઈટ અને પાણીના ખર્ચ પેટે નજીવી રકમ લઈને લોકોને પ્રસંગો કરવાની મંજૂરી આપવામાં આવે છે, જેથી ગરીબ લોકો પણ પોતાનાં દીકરા-દીકરીનાં લગ્ન સારી રીતે કરી શકે છે, જોકે તંત્રએ કોરોના સહિતના કપરા સમયમાં હજારોને આશરો આપનારા આ મંદિરને પણ છોડ્યું નથી. એનું પણ ડિમોલિશન કરવાની નોટિસ આપવામાં આવી છે. ‘હકીકતમાં તંત્રએ 1300ને નહિ, 4000 જેટલા લોકોને નોટિસ આપી છે’મહંતના જણાવ્યા મુજબ, આ ડિમોલિશન માટે હુસેની ચોકથી લઈને નાડોદા સુધીના વિસ્તારમાં આશરે 3500થી 4000 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા આશરે 1300 મકાનો તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં 4000 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે. એના કારણે આશરે 1.5થી 2 લાખ જેટલા લોકોની વસતિ પ્રભાવિત થઈ શકે એમ છે. આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરબાર વગરના કરવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે અજંપો વ્યાપેલો છે. ‘મકાન ભાડે આપવા કોઈ તૈયાર નથી, ભાડું સીધું રૂ. 15000 માગે છે’વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે જંગલેશ્વરનું નામ પડતાં જ બહાર કોઈ ભાડે મકાન આપવા તૈયાર નથી અને જ્યાં મળે છે ત્યાં ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રૂ. 5000નું ભાડું સીધું રૂ. 15000 સુધી માગી રહ્યા છે, જે આ મજૂરવર્ગના લોકો માટે અશક્ય છે. આ વિસ્તારમાં અત્યંત ગરીબ અને મજૂરવર્ગના લોકો વસવાટ કરે છે. ડિમોલિશનના ડર અને મકાન ન મળવાની ચિંતામાં ગઈકાલે 2 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું પણ તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું. ‘વિકાસનો વિરોધ નથી, ગરીબોને પહેલાં આશરો આપો’સરકાર જો વિકાસનાં કામો કરવા માગતી હોય તો એેનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ આ ગરીબ લોકોને ક્યાંક આશરો આપવામાં આવે એવી મારી મુખ્ય માગ છે. જો તંત્રને આ જમીન જોઈતી હોય તો અમને પણ આવાસ યોજનાના ક્વાર્ટર્સ અથવા અન્ય કોઈ જગ્યાએ 50 વારની જગ્યા આપવામાં આવે તો અમે સ્થળાંતર કરવા તૈયાર છીએ. ગરીબ જનતાની પીડા સાંભળવા કોઈ નેતા કે અધિકારી આગળ આવે એવી અપીલ પણ તેમણે કરી છે. નોટિસ મળતાં ઘણા લોકોએ ઘરમાં રાંધ્યું પણ નથી: જેનુબેનજંગલેશ્વર ખાતે રહેતાં જેનુબેન અમનભાઈ સેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમે અહીં 35 વર્ષથી રહીએ છીએ. અમે ગરીબ માણસો માંડ-માંડ દિવસો કાઢીએ છીએ. અમારા ત્રણ દીકરા છે, જેમને ત્યાં નાની દીકરીઓ અને દીકરાઓ છે. હું પોતે વિધવા છું અને આટલા મોટા પરિવાર સાથે હવે ક્યાં જવું? ‘અમને બધાને મારી નાખે અને પછી મકાનો પાડે’વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો અમારો આ આશરો છીનવાઈ જશે તો અમારી પાસે બીજો કોઈ રસ્તો રહે એમ નથી. તેમણે માગ કરી છે કે તંત્ર તેમની પરિસ્થિતિ પર ધ્યાન આપે અને તેમને અહીંથી ન હટાવે. આટલાં વર્ષોથી જે જગ્યાએ તેમનું જીવન વીત્યું છે ત્યાંથી અચાનક બહાર કાઢી મૂકવા એ માનવીય રીતે પણ યોગ્ય નથી. આ કરતાં તો અમને બધાને મારી નાખે અને પછી મકાનો પાડીને જે વિકાસકામો કરવા હોય એ કરે. આ મામલે સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ હાથ ઝાલતું નથી. 65 વર્ષથી રહીએ છીએ, 30 વર્ષથી નિયમિત વેરો પણ ભરીએ છીએઃ હીરાબાહીરાબા નામનાં વૃદ્ધાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં છેલ્લાં 65 વર્ષથી રહે છે. તેઓ 30 વર્ષથી નિયમિત રીતે વેરો પણ ભરી રહ્યા છે. ખૂબ નાની વયથી આ વિસ્તારમાં રહે છે તેમજ પોતાનાં બાળકોને પણ કાગળિયાં વીણી-વીણીને મોટાં કર્યાં છે. એ સમયે સરકાર ક્યાં ગઈ હતી ? એવો પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે હાલ તેમના પરિવારમાં 15 સભ્યો છે અને ડિમોલિશન બાદ તેઓ ક્યાં જશે? તેમને રહેવા માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્ર દ્વારા અગાઉ 992 જેટલાં બાંધકામોને નોટિસ અપાઈ હતીદિવ્ય ભાસ્કર દ્વારા આ ડિમોલિશનની તંત્ર પાસેથી વિગતો મેળવાઈ હતી, જેમાં જાણવા મળ્યું હતું એે મુજબ, મનપા દ્વારા જંગલેશ્વર નદીના પટમાં ગેરકાયદે 992 જેટલાં મકાનોને 2024માં નોટિસ અપાઈ હતી. ત્યાર બાદ ચોમાસાને કારણે કામ અટક્યું હતું. ફરીથી નોટિસ આપી હતી, એનો પિરિયડ પણ પૂરો થઈ ગયો છે. જે લોકોને આ નોટિસ અપાઈ છે તેઓ ટીપી સ્કીમ નં. 6 ફાઇનલ પ્લોટ નં. 133, 134, 137 અને 159માં રહે છે. આ કુલ 80 હજાર ચોરસ મીટર જગ્યા છે, જે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને ફાળવવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ 992 જેટલાં બાંધકામોને નોટિસ અપાઈ હતી, જેમાં દરવાજા ખખડાવી ખખડાવી નોટિસ અપાઈ હતી. પુરુષ ન હોય તો મહિલાને નોટિસ આપી વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જોકે બાદમાં સ્થાનિકોનાં વિરોધને પગલે આ ડિમોલિશન થઈ શક્યું નહોતું અને જગ્યા કલેક્ટર તંત્રને ફાળવવામાં આવી હોઈ, અંતે આ જવાબદારી કલેક્ટરને સોંપવામાં આવી છે. જંગલેશ્વરના અનેક વિસ્તારો દસ્તાવેજવાળાજંગલેશ્વરના ભૌગોલિક વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પટેલનગર, પરસાણા સોસા. અને ગોકુલનગર તેમજ નીલકંઠ પાર્ક સહિતના વિસ્તારો દસ્તાવેજવાળા છે. જ્યારે ભરતવન, સૂર્યોદય, લેઉવા પટેલ, અંકુરનગર, ન્યૂ સાગર, સંત ભોજલરામ, પૂજા પાર્ક, બુદ્ધનગર અને રાધાકૃષ્ણ સોસા., દીપ્તિનગર અને સિદ્ધાર્થનગર સોસા. સહિતની સૂચિત સોસાયટીઓ આવેલી છે. જંગલેશ્વરની 1થી 58 નંબરની શેરીને નોટિસ અપાઈજ્યાં ડિમોલિશનની નોટિસ અપાઈ એમાં મુખ્ય જંગલેશ્વરની 1થી 58 નંબરની શેરી તેમજ નાડોદનગર, રાધા કૃષ્ણ સોસા., હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, જમજમ ચોક, નૂરાની ચોક, કનૈયા ચોક, એકતા કોલોની, અંકુર સોસાયટી, ન્યૂ સાગર, પટેલ સોસાયટી અને ઠક્કરબાપા વાસનાં અનેક મકાનોનો સમાવેશ થાય છે. આ તમામ સોસાયટીમાં મકાન તેમજ પાણીવેરો વસૂલવામાં આવે છે, પરંતુ Gpmc એક્ટ 1949ની મુજબ મિલકત વેરો ભરનાર પ્રથમ વ્યક્તિનું નામ ચોક્સાઇ કરવા પૂરતું જ હોય છે. તે માલિકીનો આધાર હોવાની સ્પષ્ટતા કાયદા મુજબ કરતું નથી, જેથી નિયમ મુજબ તંત્ર ડિમોલિશન કરી શકે છે. જમીનની કિંમત અંદાજે રૂ. 400 કરોડનીઃ પૂર્વ મામલતદારરાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારોના સર્વે નંબર 256 ટીપી સ્કીમ નંબર 6 ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159 ની કુલ જમીન 1,05,800 ચોરસ મીટર થાય છે. જ્યાં રહેતા 1350 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ લેન્ડ રેવન્યુ કલમ 61 હેઠળ આપવામાં આવેલી છે. જમીનની કિંમત અંદાજે રૂ. 400 કરોડ જેટલી થાય છે. સામાન્ય રીતે સરકારી જમીન ઉપર દબાણ હોય એ ખાલી કરાવવાનું જ હોય છે, જોકે અહીં ભવિષ્યમાં આજી રિવરફ્રન્ટ બનવાની પણ યોજના છે. નોટિસ દરમિયાન ત્યાંના લોકોનું શું કહેવું છે એ બાબતે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ત્યાંના લોકો પણ જાણે છે કે આ સરકારી જમીન છે અને એના પર દબાણ થયેલું છે અને એને કારણે મકાનો અને દુકાનો ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટની કામગીરી 2011થી શરૂઆજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વર્ષ 2011થી કાર્યરત છે, જેમાં સૌથી મહત્ત્વનું અને પ્રથમ પગલું એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું કામ 17 ફેબ્રુઆરી, 2022ના રોજ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે જરૂરી એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ સર્ટિ. માટે State Expert Appraisal Committee (SEAC) સમક્ષ 20 ઓગસ્ટ, 2021થી સર્ટિફિકેટ મળવા માટે સબ્મિટ કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂરી સુધારાવધારા કરવા જણાવેલું, જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજૂ કરાયું હતું. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ અમદાવાદની 5 માર્ચ, 2014થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટને એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સની પણ મંજૂરી મળી ગઈકંપની દ્વારા ત્રણ ફેઝમાં કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ, ફિઝિબિલિટી સ્ટડી, બીજી, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ત્રીજી, ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડિટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી, જે પૈકી ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ છે અને એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ (EC)ની મંજૂરી પણ મળી ગઈ છે. હવે પછી આજી નદીમાં રિવફ્રન્ટ અન્વયેનાં વિશેષ કામો હાથ ધરવામાં આવશે. નદીનો દૂધસાગરબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધીનો ભાગ ડેવલપ કરાશેઆ પ્રોજેક્ટથી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80થી 150 મીટરની છે, જેને અંદાજિત 70 મીટરની કરી આજુબાજુના કાંઠાવાળા ભાગોમાં ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોન, STP વી.ની કામગીરી કરવામાં આવશે. નદીનો દૂધસાગરબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધીનો ભાગ ડેવલપ કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે. હાઈકોર્ટનો 2 ફેબ્રુઆરી સુધી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા આદેશઉલ્લેખનીય છે કે એક તરફ, તંત્ર જંગલેશ્વર સહિતની સોસાયટીમાં ડિમોલિશન કરવા માટે મક્કમ છે તેમજ આ માટેની મોટા ભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ, અસરગ્રસ્તો કોઈપણ રીતે ડિમોલિશન અટકાવી શકાય એ માટે હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. હાઇકોર્ટમાં સરકારી વકીલે હાલમાં કોઇ અસરકારક પગલાં ન ભર્યાં હોવાની દલીલ કરી છે. હાઇકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. કેટલાક ભાડાથી રહેતા લોકોએ તો પોતાનો સામાન ફેરવવાની તેમજ આ વિસ્તારમાંથી અન્યત્ર સ્થળાંતર કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી સમયમાં આ ડિમોલિશન કરવામાં આવે તો સ્થાનિકો અને તંત્ર વચ્ચે મોટું ઘર્ષણ થવાનાં એંધાણ પણ વર્તાઇ રહ્યાં છે.
સિલ્વર ઓક યુનિવર્સિટીના સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (SOIM)ના બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) વિભાગ દ્વારા બ્રેનવેવ – ધ નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટી-સ્તરીય શૈક્ષણિક તથા કૌશલ્ય આધારિત કાર્યક્રમ બ્લોક-બી નજીક આવેલા ફૂડ કોર્ટ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું સંકલન સહાયક પ્રાધ્યાપક કલશ પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન સાથે વિશ્લેષણાત્મક વિચારસરણી, સંશોધન કુશળતા, નિર્ણયક્ષમતા અને સર્જનાત્મક અભિગમ વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન જ્ઞાન ક્વિઝ, રિસર્ચ અને એનાલિસિસ રાઉન્ડ, ટ્રેઝર હન્ટ, સ્ક્રિબલ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. KBC-શૈલીનું ગ્રાન્ડ ફિનાલે રોબ યોર મની પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સિલ્વર ઓક યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ આ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્રેનવેવ – ધ નોલેજ કાર્નિવલ શિક્ષણ અને મનોરંજનનું સુમેળભર્યું સંયોજન સાબિત થયું, જેનાથી વિદ્યાર્થીઓને પ્રાયોગિક શીખ અને સ્પર્ધાત્મક અનુભવ મળ્યો. આ કાર્યક્રમ BBA વિભાગની શૈક્ષણિક ઉત્તમતા અને નવીન શિક્ષણ અભિગમને દર્શાવે છે.
હીરાપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - આનંદધામ ખાતે મહામાસની પૂર્ણિમા અને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની પારાયણનું આયોજન કરાયું હતું. પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે, છત્રી સ્થાન ઉપર સંતો અને હરિભક્તોએ સામૂહિક આરતીનો લાભ લીધો હતો.

27 C