સામાજિક સેવામાં અગ્રેસર રહેલા રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ગ્રૂપ દ્વારા આયોજિત ‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026’ શનિવારે મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. SRK નોલેજ ફાઉન્ડેશન અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ 12મા મહોત્સવમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે હજારો મહેમાનોની હાજરીમાં દીકરીઓને આશીર્વાદ આપી નવો સંસાર શરૂ કરાવવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા દીકરીઓને આપવામાં આવેલી ઘરવખરી રહી હતી. SRK પરિવાર દ્વારા દરેક નવવધૂને 3 લાખથી પણ વધુની કિંમતની વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ આર્થિક મદદ પાછળનો હેતુ એ છે કે નવદંપતિઓને પોતાનો નવો સંસાર શરૂ કરવામાં કોઈ આર્થિક મુશ્કેલી ન નડે. ગુણવત્તાયુક્ત ઘરવખરી અને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જોઈને વાલીઓના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. 12 વર્ષમાં 1000થી વધુ યુગલોના લગ્નનો રેકોર્ડવર્ષ 2015થી શરૂ કરાયેલ ‘પ્યોર વિવાહ’ શ્રેણી હવે એક વિશાળ અભિયાન બની ચુકી છે. આ 12મા સમારોહ સાથે અત્યાર સુધીમાં કુલ 1000થી વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન થયા છે. સુરતમાં સામાજિક જવાબદારીનું આ એક અદ્ભુત ઉદાહરણ છે, જ્યાં દીકરીઓના લગ્ન પ્રસંગને માત્ર એક વિધિ નહીં પણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પણ 15,000થી વધુ લોકો આ ભવ્ય મહોત્સવના સાક્ષી બન્યા હતા. પરિવારની દીકરી માનીને સમૂહ લગ્નોત્સવની સંકલ્પનાઆ ભવ્ય આયોજન પાછળ SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણા રહેલી છે. તેઓ દ્રઢપણે માને છે કે સંપત્તિનો સાચો ઉપયોગ એ જ છે કે જે તમારી આસપાસના જરૂરિયાતમંદ લોકોના કામમાં આવે. તેઓ દરેક દીકરીને પોતાના જ પરિવારની દીકરી માને છે અને આ જ ભાવનાથી તેમણે આ સમૂહ લગ્નોત્સવની સંકલ્પના તૈયાર કરી છે, જેથી દીકરીઓ આત્મસન્માન સાથે સાસરે વળાવી શકાય. કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહેમાનોની હાજરીઆ મંગલમય અવસરે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને ભારતના કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવદંપતિઓને શુભકામનાઓ પાઠવી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અનેક મહાનુભાવોએ આ સામાજિક કાર્યમાં પોતાની હાજરી નોંધાવી હતી. નવદંપતિએ લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યાસમગ્ર લગ્નોત્સવ દરમિયાન પરંપરા જળવાઈ રહે તે રીતે તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. જાન આગમનથી લઈને હસ્તમેળાપ અને આશીર્વચન સમારોહ સુધીની દરેક ક્ષણ આનંદમય રહી હતી. 15,000 લોકો માટે ભવ્ય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયેલા આ લગ્નોત્સવમાં દરેક નવદંપતિએ શિસ્ત અને ભક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. કન્યા વિદાયના ભાવુક દૃશ્યો અને આશીર્વાદસમારોહના અંતે જ્યારે કન્યા વિદાયનો સમય આવ્યો ત્યારે વાતાવરણ ખૂબ જ ભાવુક બની ગયું હતું. હજારોની હાજરીમાં દીકરીઓને વિદાય આપતા વાલીઓની આંખોમાં ખુશીના આંસુ હતા. SRK પરિવારના સભ્યોએ પિતાતુલ્ય હેત વર્ષાવી દરેક દીકરીને સાસરે વળાવી હતી. 3 લાખથી વધુની ઘરવખરી અને ગરિમામય આયોજને સાબિત કર્યું કે સુરતમાં સેવાના મૂલ્યો આજે પણ એટલા જ પ્રબળ છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી વસંતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં લોકકલાના વિવિધ રંગોની સાથે હસ્તકલા પ્રદર્શન અને વેચાણનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવનો વિધિવત પ્રારંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સંસ્કૃતિ કુંજમાં લોકકલાના મહાકુંભ વસંતોત્સવ શરૂઆજે ગાંધીનગર સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજમાં લોકકલાના મહાકુંભ વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે સાંસ્કૃતિક વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યે જણાવ્યું હતું કે આવા આયોજનોથી સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે છે. અને આપણી સમૃદ્ધ હસ્તકલા તેમજ લોકકલાની પરંપરા જીવંત રહે છે. કલાકાર અરવિંદ વેગડાએ ગીત ગુંજાવતા લોકો ઝૂમી ઊઠ્યાઆ ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુતિ આપી પ્રેક્ષકોમાં ઉત્સાહ ભરી દીધો હતો. મહોત્સવમાં આસામનું બિહુ, મહારાષ્ટ્રની લાવણી, પશ્ચિમ બંગાળનું છાઉ અને હરિયાણાના ફાગ નૃત્ય જેવા વિવિધ રાજ્યોના ભાતીગળ નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતની અસ્મિતા સમાન સિદ્દીધમાલ અને રાઠવા આદિવાસી નૃત્યોએ પણ સંસ્કૃતિ કુંજને ગજવી મૂક્યું હતું. 2 માર્ચ સુધી જામશે કલાની રમઝટ આ મહોત્સવમાં 500થી વધુ લોકકલાકારો અને હસ્તકલાના કારીગરો ભાગ લઈ રહ્યા છે. હસ્તકલા પ્રદર્શન અને વેચાણના સ્ટોલ્સ પણ મુલાકાતીઓ માટે મુખ્ય કેન્દ્ર બન્યા છે. આગામી 2 માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે વિવિધ રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવતા કાર્યક્રમો યોજાશે.
અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલ નજીક હોટલ હિલલોક પાસે ડિવાઇડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે લોકોને ત્રણ કિમી ફરીને જવું પડે છે. નાના ગરનાળામાંથી લોકો ટુ વ્હીલર લઇને પસાર થઈ શકે તે પ્રમાણે ઔડા દ્વારા આયોજન કરવામાં આવ્યું, પરંતુ ફોરવ્હીલરવાળા કોઈને ફરજિયાત ઝુંડાલ સુધી સર્કલ ફરીને આવવું પડે છે. જેના કારણે થઈને આજે ફરીથી ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો દ્વારા રેલી યોજી હોટલ હિલલોક પાસે વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા રોડ રોકી વિરોધ કરવામાં આવ્યો છે. બંને તરફ રોડ બંધ કરાયો છે.
BIG BREAKING: ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, ગ્લોબલ ટેરિફ 10% થી વધારી 15% કર્યો
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટ્રેડને લઈ મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે અમેરિકા તાત્કાલિક પ્રભાવથી દુનિયાભરના દેશો પર લાગુ થયેલા 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવા જઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ઘણા દેશો દશકોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓને ત્યાંથી નમૂનાઓ ચકાસવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 25 નમૂનાઓ ફેલ જાહેર થયા હતા. છેલ્લા કેટલાક સમયથી નકલી ચીજ વસ્તુઓ તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ થકી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફૂડ બિઝનેશ ઓપરેટરો સામે પગલાં ભરાયા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે શહે૨નાં જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. પબ્લીક હેલ્થ લેબોરેટરીનાં પૃથ્થક૨ણ રીપોર્ટ આધારે લેવામાં આવેલ શંકાસ્પદ નમુનાઓમાં 25 નમુના સબ-સ્ટાન્ડર્ડ ફેલ જાહેર થયા છે. ફેલ જાહેર થયેલા નમુનાઓ માટે જે તે ફુડ બીઝનેશ ઓપરેટરો સામે પગલાં ભરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ધારાસભ્યએ પણ અવારનવાર મુદ્દો ઉઠાવ્યો છેવડોદરા શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ ખાવાલાયક નહીં હોવાની અનેકવાર સામે આવ્યું છે. મહાનગરપાલિકાના ફેડ સેફટી વિભાગ સામે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે અવારનવાર રજૂઆત કરી છે. રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો ખોરાક નગરજનો આરોગી ચૂકેઆરોગ્ય વિભાગ દ્વારા નમૂનાઓ લેવામાં આવે છે, જેના રિપોર્ટ 15 દિવસ બાદ આવે છે એટલે કે જ્યાં સુધી રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો તે ખોરાક નગરજનો આરોગી પણ ચુક્યા હોય છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કોઈ મોટી દંડનીય કામગીરી નથી કરવામાં આવતી જેથી આવા વેપારીઓને મોકલું મેદાન મળી જાય છે તેવા પણ આક્ષેપ ધારાસભ્ય અગાઉ કરી ચુક્યા છે. જાણો કયાં નમૂનાઓ ફેલ
વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગોરા સીટી સેન્ટર નામની ખાનગી સાઇટના ચોથા માળેથી એક યુવક નીચે પટકાયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ મામલે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર, મૃતકની ઓળખ હિતેન્દ્ર પરમાર (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે, જે નવી નગરી, સમા વિસ્તારનો રહેવાસી હતો. ચોથા માળેથી કૂદી ગયો ને મોતપ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવક સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે, હિતેન્દ્ર ચોરીના ઈરાદાથી આ સાઇટમાં પ્રવેશ કર્યો હતો. સ્થળ પર લોકોની હલચલ અને અવાજો સાંભળતાં તે ગભરાઈને ભાગવા માગતો હતો અને તે દરમિયાન ચોથા માળેથી કૂદી ગયો હોવાની શક્યતા છે. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ચોરીની આશંકા, મૃતદેહને પીએમમાં ખસેડાયોસમા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર બી. બી. કોડિયાતરે જણાવ્યું હતું કે, આ યુવક સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. તે આ સાઇટ પર ચોરીની આશંકાએ ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોને જોઈ જતા તે કૂદી ગયો હોઈ શકે છે. આ મામલે યુવકના મૃતદેહનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
મોડાસા શહેરમાં વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ કિશોર વિકાસ કેન્દ્ર ખાતે ૨૧ ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી અને મોડાસા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ–૨૦૨૬ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું. આ ઉજવણીનો મુખ્ય હેતુ ભાષા પ્રત્યે અભિમાન અને સંસ્કારનું સંવર્ધન કરવાનો હતો. મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરીને ભાષા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી. કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનકુમાર શાહ અતિથિ વિશેષ તરીકે અને સાહિત્ય સર્જક તથા નિવૃત્ત આચાર્ય રસિકભાઈ વાળંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા, મંત્રી કિરીટભાઈ શાહ, ડૉ. પદ્માબેન પ્રજાપતિ, મિનેષકુમાર ગાંધી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા. વાચિકમ કાર્યક્રમના સંયોજક અને કલરવ કિશોર વિકાસ કેન્દ્રના આચાર્ય સેજલ ઠેકડીએ શાબ્દિક સ્વાગત કર્યું. વક્તા ઇલાબેન વ્યાસ અને તન્વી કડિયાએ શુદ્ધ ઉચ્ચાર અને સુંદર આરોહ-અવરોહ સાથે વાર્તા અને કાવ્યપઠન રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વાતિ ઉપાધ્યાયે કર્યું. મુખ્ય અતિથિ રસિકભાઈ વાળંદે મા અને માતૃભાષા વચ્ચેની સમાનતા સમજાવી ભાષાને અસ્તિત્વની ઓળખ ગણાવી. અતિથિ વિશેષ બિપિનકુમાર શાહે માતૃભાષાને સંભાળવા અને દૈનિક જીવનમાં તેનો ગૌરવપૂર્વક ઉપયોગ કરવા પ્રેરણા આપી. બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને નિયમિત એક ગુજરાતી સમાચારપત્ર વાંચવાનો સંકલ્પ લેવડાવ્યો. ડૉ. પદ્માબેન પ્રજાપતિએ પોતાના અનુભવ સાથે માતૃભાષામાં શિક્ષણ મેળવવાનું મહત્વ સમજાવ્યું. મિનેષભાઈ ગાંધીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો ઇતિહાસ અને તેની વૈશ્વિક પ્રાસંગિકતા અંગે માહિતી આપી. કોર્ડિનેટર ગૌરાંગકુમાર શાહે સૌને શુભેચ્છાઓ પાઠવી. કલરવ અને સર્વોદય પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મંડળના હોદ્દેદારોની સક્રિય ભાગીદારીથી આ કાર્યક્રમ યાદગાર બન્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાં અને ડૉ. જયેન્દ્રસિંહ જાદવની શુભેચ્છાઓ સાથે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સંસ્કારનું બીજ રોપવામાં આવ્યું.
જૂનાગઢ જિલ્લાનું એક નાનકડું ગામ 'ચોરવાડી' આજે ઇતિહાસના પાને અંકિત થઈ ગયું છે. ઘનશ્યામભાઈ કોટડિયા દ્વારા આયોજિત ભવ્ય સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં પોતાના દાદા સ્વર્ગસ્થ ઘેલાભાઈ રાજાભાઈ કોટડિયાની પ્રથમ પુણ્યતિથિને કોઈ શોક કે સામાન્ય વિધિમાં નહીં, પણ 11 જરૂરિયાતમંદ દીકરીઓના ઘર વસાવીને ઉજવવાનો એક અનોખો અને માનવીય અભિગમ અહીં જોવા મળ્યો હતો. આ લગ્ન મહોત્સવમાં 18,000થી વધુ લોકોની જનમેદની ઉમટી પડી હતી. દાદાની પ્રેરણા અને 11 દીકરીઓનું કન્યાદાન આ આયોજન પાછળની ભાવના વિશે જણાવતા ઘનશ્યામભાઈ કોટડિયા ભાવુક થઈને કહે છે કે, મારા દાદા હંમેશા કહેતા કે દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ દાન હોય તો તે દીકરીનું દાન (કન્યાદાન) છે. દાદાના આ જ શબ્દોને સાર્થક કરવા માટે તેમણે 11 દીકરીઓના સમૂહ લગ્નનું બીડું ઝડપ્યું હતું. આ કાર્યમાં તેમને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ પાસેથી પ્રેરણા મળી હતી, જેમણે સમજાવ્યું હતું કે રાજકીય હોદ્દાઓ કરતા સામાજિક ઋણ અદા કરવું એ ઈશ્વરની સાચી સેવા છે. કન્યાઓને કરિયાવરમાં 325થી પણ વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ અપાઈચોરવાડીના આ સમૂહ લગ્નની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે કોઈ સામાન્ય આયોજન જેવું નહોતું. જેવી રીતે કોઈ ધનાઢ્ય પરિવાર પોતાની દીકરીના લગ્ન ખૂબ જ વૈભવી રીતે કરે, તેવો જ 'રાજવી ઠાઠ' અહીં જોવા મળ્યો હતો. લગ્નમાં હાજર રહેલા હિતેશભાઈ અમીપરા (કાલસારી) જણાવે છે કે, અહીંનું ડેકોરેશન, લાઈટિંગ, સાઉન્ડ અને ગરબાનું આયોજન જોઈને કોઈને અહેસાસ જ ન થાય કે આ સમૂહ લગ્ન છે. એવું જ લાગે કે આ આપણા પોતાના ઘરનો પ્રસંગ છે. કન્યાઓને કરિયાવરમાં 325થી પણ વધુ જીવન જરૂરિયાતની નાની-મોટી તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. આટલી વિપુલ માત્રામાં વસ્તુઓ આપીને દીકરીઓને આર્થિક રીતે સધ્ધર કરી નવા સંસારમાં મોકલવામાં આવી હતી. કરિયાવરમાં 11 પુસ્તકો ભેટમાં અપાયાજીગર રાદડિયાએ આ આયોજનની સરાહના કરતા એક અનોખી પહેલ વિશે જણાવ્યું કે, અહીં દીકરીઓને માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ જ નથી અપાઈ, પરંતુ જ્ઞાનનો વારસો પણ અપાયો છે. દરેક નવવધૂને કરિયાવરમાં 11 જેટલા પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. આ પુસ્તકો દીકરીના નવા ઘરને સંસ્કારિત રાખશે અને નવી પેઢીને જ્ઞાનનો માર્ગ બતાવશે. સમૂહ લગ્નમાં પુસ્તકો આપવાનો આ વિચાર સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ જ્ઞાતિઓનો સંગમ ને 18000થી વધુ લોકોએ સાથે મળીને ભોજન લીધુંઆ મહોત્સવ માત્ર 'પટેલ સમાજ' પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ અહીં સાચા અર્થમાં 'અઢારે વર્ણ' એટલે કે તમામ જ્ઞાતિઓનો સંગમ જોવા મળ્યો હતો. આમંત્રણ પત્રિકામાં પટેલ સમાજથી લઈને વાળંદ, દલિત, આહીર અને અન્ય તમામ સમાજના અગ્રણીઓના નામ લખીને એકતાનો પ્રબળ સંદેશ આપવામાં આવ્યો હતો. ગામના જમાઈઓને પણ વિશેષ આમંત્રણ આપી બોલાવાયા હતા અને તેમનું સન્માન કરાયું હતું. 18000થી વધુ લોકોએ સાથે મળીને ભોજન લીધું હતું અને 11 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતોખુશીના આ અવસરે ઘનશ્યામભાઈ કોટડિયાએ દુઃખી લોકોની પણ દરકાર કરી છે. લગ્ન મહોત્સવની સાથે સાથે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોહીના ટીપે ટીપામાં માનવતા મહેકી ઉઠી હતી. આ કાર્યમાં સમગ્ર ચોરવાડી ગામ, મિત્ર વર્તુળ અને પરિવારના સભ્યોએ ખભેખભો મિલાવી સેવા આપી હતી. ‘વૈભવી લગ્ન અહીં એક પણ રૂપિયો ખર્ચ્યા વિના’હિતેશભાઈ અમીપરાએ સમાજના અન્ય લોકોને પણ અપીલ કરી છે કે આવા આયોજનોથી બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય છે. જે વૈભવી લગ્ન લોકો લાખો રૂપિયા ખર્ચીને કરે છે, તેવા જ લગ્ન અહીં એક પણ રૂપિયો ખર્ચ્યા વિના સન્માનપૂર્વક થઈ શકે છે. સાધુ-સંતોના આશીર્વાદ અને હજારો લોકોની હાજરીઘનશ્યામભાઈએ જણાવ્યું કે આ 11 દીકરીઓની વિદાય વખતે તેમને પોતાની જ દીકરીઓ વિદાય થઈ રહી હોય તેવો ભાવ અનુભવાય છે. સાધુ-સંતોના આશીર્વાદ અને હજારો લોકોની હાજરીમાં ચોરવાડીનું આંગણું આજે ભક્તિ અને સેવાથી તરબોળ બન્યું હતું. આ આયોજન આવનારા સમયમાં અન્ય ગામો અને સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.
વડોદરાના સયાજીપુરા ગામ ખાતે આવેલા શ્રી કપિલેશ્વર મહાદેવજી મંદિરમાં ૫૦મો પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ દરમિયાન મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો. અંતિમ દિવસે શ્રીફળ હોમ અને યજ્ઞની પૂર્ણાહુતિ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વડતાલ ગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના પ્રતિનિધિ પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં યજ્ઞની પૂર્ણાહુતિ વિધિ સંપન્ન કરવામાં આવી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર, સયાજીપુરા ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવના સમાપન પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
મોડાસામાં માતૃભાષા મહોત્સવ યોજાયો:સાહિત્ય અકાદમી, સરસ્વતી બાલમંદિર મંડળ દ્વારા આયોજન કરાયું
મોડાસામાં ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી સરસ્વતી બાલ મંદિર મંડળ, મોડાસા દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. આ મહોત્સવમાં શ્રી સરસ્વતી બાલ મંદિર મંડળ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ, આઈટીઆઈ મોડાસાના સભ્યો અને જાયન્ટ્સ મોડાસાના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃતના પ્રોફેસર ડૉ. મધુસુદન વ્યાસ અને ડૉ. કિરણ પટેલે પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે માતા અને માતૃભાષા એ જીવનના અવિભાજ્ય અંગ છે. વક્તાઓએ વિવિધ ઉદાહરણો દ્વારા માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવ અને તેની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વ્યક્તિના વ્યક્તિત્વ નિર્માણમાં માતૃભાષાનો મહત્ત્વપૂર્ણ ફાળો હોય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયોજક મંડળના પ્રમુખ નિલેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનીત પરીખ (જેસી મિલ્ક કમિટી ચેરમેન), નાનાલાલ પ્રજાપતિ, વિનોદ ભાવસાર, ઇશ્વરભાઈ ભાવસાર, શાળાના આચાર્ય સુનિલ પટેલ અને શૈલેષ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી કનકપુર વિસ્તારમાં બાકી વેરો ભરપાઈ ન કરતા કરદાતાઓ સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 63 મિલકતો સીલ ને 15 મિલકતોના નળ કનેક્શન કપાયાસાઉથ ઝોનમાં મિલકતોના આશરે 71 લાખ રૂપિયાના બાકી વેરા સામે વસુલાત પ્રક્રિયા તેજ બનાવતા કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. કરદાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા કુલ 63 મિલકતો સીલ કરવામાં આવી છે અને 15 મિલકતોના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. મનપાએ 45 કરોડ વસૂલ્યાઘણા કરદાતાઓએ સ્થળ પર જ 44 લાખ રૂપિયાની રકમની ચુકવણી કરી હતી. અને 17 લાખ રૂપિયાના એડવાન્સ ચેક સાથે કુલ 61 લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં 21 ફેબ્રુઆરી, 2026 સુધીમાં આ ઝોનમાં કુલ 82.30 કરોડની ડિમાન્ડ સામે 45 કરોડ રૂપિયા એટલે કે 54.72% જેટલી વસુલાત પૂર્ણ કરવામાં આવી છે. વેરો ન ભરનારાઓની મિલકતો ટાંચમાં લેવાશેઆગામી સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ વિસ્તારોમાં લાંબા સમયથી વેરો ન ભરનારાઓની મિલકતો ટાંચમાં લેવાની અને સીલિંગ કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. રહેણાંક વિસ્તારોમાં પણ બાકીદારોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની ઝુંબેશ ચલાવવામાં આવશે. ખુલ્લા પ્લોટના માલિકોનો નોટિસજે ખુલ્લા પ્લોટના માલિકોએ અખબારી નોટિસ છતાં વેરો ભરપાઈ કર્યો નથી, તેમની સામે પણ કાયદેસરના પગલાં લેવાશે. આથી, તમામ બાકીદારોને વહેલી તકે ઝોન ઓફિસ અથવા સિવિક સેન્ટરનો સંપર્ક કરી પોતાનો મિલકત વેરો ભરી દેવા ખાસ જણાવાયું છે. બે દિવસની કામગીરીથી કરદાતાઓમાં ફફડાટડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીનાબેન ગજ્જરની સૂચના અને આસી. મ્યુનિસિપલ કમિશનર પી.આર. પ્રસાદના માર્ગદર્શન હેઠળ આકારણી અને વસુલાત અધિકારી ચેતન એસ. પાટીલ તથા તેમની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં સઘન કામગીરી કરવામાં આવી છે.
કોઠારીયા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક ખાતે રહેતો રિષી વિનોદભાઈ દોંગા (ઉં.વ.21)એ ગઈકાલે સાંજે 4.45 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધાની પરિવારને જાણ થતા 108માં જાણ કરતા 108 ના EMTએ રિષિને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રીષિ બે ભાઈમાં નાનો હતો તેમના માતા-પિતા ગામડે રહે છે પોતે અહીં ભાઈ-ભાભી સાથે રહેતો હતો. ભાઈ પોતાના કામ પર ગયા અને ભાભી નજીકમાં જ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા રિશી ઘરે એકલો હતો ત્યારે તેણે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. રિશીના પિતા ખેતી કામ કરે છે. એકાદ વર્ષ પહેલા રિષિને ધો.12માં ઓછા ટકા આવ્યા હતા જે બાદથી તે નિરાશ રહેતો હતો. જેના કારણે આ પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રેલનગરમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો રેલનગરમાં સાફી પાર્કમાં રહેતાં મયુર શ્રીપ્રસાદ રાણા (ઉ.વ.30) નામના નેપાળી યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મયુર બે ભાઈ બે બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ ડિલેવરીમેન તરીકે કામ કરતો હતો. બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોય જેથી કામ કરતો ન હતો. આજે સિવિલમાં બતાવવા જવાનું હતું તે સવારે મિત્રને ફોન કરી રૂપિયા માંગતો હોય જેથી તેની પત્ની નિશાએ બીજા પાસે રૂપિયા કેમ માંગો છો ? તેમ કહી મશ્કરીમાં મોબાઈલ છીનવી લીધો હતો. જેથી તેણે ‘મારે મરી જવું છે’ તેમ કહ્યું હતું. જો કે પત્નીએ ‘આવું કેમ બોલો છો’ તેમ કહી તેણી ન્હાવા માટે જતી રહી હતી. પત્ની નાહીને બહાર નીકળતા પતિ રૂમમાં હતો અને દરવાજો બંધ હતો જેથી ખખડાવવા છતાં તે દરવાજો ખોલતો ન હોય જેથી પાડોશીને બોલાવી દરવાજો ખોલતાં તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મયુરના શરીરે વિખોડીયાના નિશાન હોવાથી પોલીસે પેનલ પોસમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે. ભગવતીપરામાં રૂ.2 લાખની ઉઘરાણીમાં મકવાણા બંધુ પર છરી વડે હુમલો રાજકોટમાં રૂ.બે લાખની ઉઘરાણી મામલે સોહમનગરમાં રહેતા મકવાણા બંધુ પર ભગવતીપરામાં છરી વડે જીવલેણ હુમલો થતાં બંને ભાઈઓ લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. સેલ્ફ ડ્રાયવિંગમા કમિશનનું કામ કરતા યુવાનને મિત્રને અગાઉના વ્યવહારના રૂપિયા આપવાનાં હતા તે મામલે બંને ભાઈઓને બોલાવી સ્કોર્પિયોમાં આવેલ આરોપી તૂટી પડ્યા હતાં અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં. આ મામલે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 'તું અહીંથી કેમ નીકળ્યો?' કહીં કુવાડવાના વાદીપરા નજીક પિતા-પુત્ર પર પ્રેમસંબંધમાં તલવારથી હુમલો કુવાડવા નજીક વાદીપરામાં રહેતાં મુન્નાનાથ રાણીનાથ મેર (ઉ.વ.20) તથા તેના પિતા રાણીનાથ રૂપનાથ મેર (ઉ.વ.70) પર ગામમાં જ રહેતાં જાગુનાથ, દેવનાથ સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુનો મારમારી, તલવાર વડે હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી પોલીસ પુછપરછમાં મુન્નાનાથે કહ્યું હતું કે તે ઘરેથી મોટરસાઇકલ લઇ બહાર જતો હતો ત્યારે દૈવનાથના ઘર પાસેથી જ રસ્તો નીકળતો હોઈ ત્યાંથી પસાર થતાં તેના સહિતનાએ તેને આંતરી અહિથી તું શું કામ નીકળે છે? કહી ગાળો દઇ ધમકાવી તલવારથી હુમલો કર્યો હતો. આ ઝઘડાની જાણ થતાં તેના પિતા રાણીનાથ બચાવવા વચ્ચે પડતાં તેને પણ તલવાર ઝીંકી દીધી હતી. મુન્નાનાથે આક્ષેપ કર્યો હતો કે એક છોકરી સાથે તેને અગાઉ પ્રેમ હતો તેના કારણે પણ દેવનાથ સાથે મનદુઃખ હતું હાલ બનાવ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદમાં સીડી પરથી પડી યુવાનનું મોત:માળિયામાં દવા છાંટતા ઝેરી અસરથી અન્ય યુવાનનું નિધન
હળવદ અને માળિયા મિયાણા તાલુકામાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ નોંધાયા છે. હળવદના અજીતગઢ ગામે એક યુવાન સીડી પરથી પડી જતાં ગંભીર ઈજા થવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે માળિયાના જૂના ઘાટીલા ગામે વાડીમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં અન્ય એક યુવાનનું પણ સારવાર દરમિયાન નિધન થયું છે. પ્રથમ બનાવ હળવદના અજીતગઢ ગામે બન્યો હતો. ગામમાં રહેતા વાસુદેવભાઈ ગગજીભાઈ ઈટોદરા (ઉંમર 35) ગત 15 ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરના ધાબાની સીડી પરથી અકસ્માતે પગ લપસતા નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વાસુદેવભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ નિલેશભાઈ ઈટોદરાએ હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. બીજો બનાવ માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જૂના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પટેલની વાડીમાં મજૂરી કરતા સુરસિંહભાઈ રતનભાઈ ડાવર (ઉંમર 35) ગત 14 ફેબ્રુઆરીના રોજ વાડીમાં જીરુંના પાકમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા. દવાનો છંટકાવ કરતી વખતે સુરસિંહભાઈને ઝેરી દવાની અસર થઈ હતી. તેમને તાત્કાલિક જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં જાન્યુઆરી મહિનામાં જ 1117 વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી રૂ.,45 લાખના દંડની વસૂલાત થઈ છે. આ દરમિયાન કલેક્ટર દ્વારા હાઇવે પર અકસ્માત માટે જવાબદાર ગેરકાયદેસર રીતે ડિવાઈડર તોડી પાડતા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને કડક દંડનીય કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. 1117 વાહનચાલકોને 45 લાખથી વધુનો દંડ ફટકાર્યોઆ બેઠકમાં ક્લેક્ટરે પોલીસ, આર.ટી.ઓ અને સંલગ્ન રોડ એજન્સી દ્વારા રાજકોટ - ભાવનગર, આટકોટથી જસદણ, રાજકોટથી કાલાવડ, જેતપુર - સોમનાથ હાઈ વે ઉપર સંયુક્ત તપાસણીના અહેવાલની સમીક્ષા કરીને ગેરકાયદે ડિવાઈડર તોડી પાડતા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને કડક દંડનીય કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. આ તકે આર.ટી.ઓ આઈ.એસ.ટાંકે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં રોડ સેફ્ટી ચેકીંગની કામગીરી અન્વયે હેલ્મેટ, સીટ બેલ્ટ, પી.યુ.સી., ડ્રાઈવિંગ લાયસન્સ સહિત ફિટનેસ વિના વાહન ચલાવનાર, થર્ડ પાર્ટી વીમા, ઓવર લોડ, ઓવર ડાયમેન્શન, એલ.ઈ.ડી લાઈટ અંગેનું ચેકીંગ, અન્ય ગુનાઓ સહિત 1117 કેસોની સંખ્યા સાથે આશરે રૂ.45 લાખથી વધુની રકમની વસૂલાત કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલોને મદદરૂપ બનનારને રાહવીર એવોર્ડ તેને વધુમાં કહ્યું કે, રોડ અકસ્માતમાં ઘાયલોને મદદરૂપ બનનાર નાગરિકોનું રાહવીર યોજના હેઠળ સન્માન કરવામાં આવે છે. જે અન્વયે કલેક્ટરના હસ્તે ગોંડલના રહેવાસી દિનેશભાઈ ખીમજીભાઈ માધડનું રાહવીર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. જેઓએ વીરપુર ગામના વિષ્ણુભાઈનું બસ સાથે અકસ્માત થતાં માથાના ભાગમાં ઈજા પહોંચી હતી ત્યારે પોતાની કારમાં બેસાડીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. એઇડ્સ અટકાવવા ભૌગોલિક એનાલિસિસ થશેરાજકોટમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અને અન્ય આરોગ્ય સમિતિઓની બેઠક પણ યોજાઈ હતી. જેમા જિલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં ઓ.પી.ડી., દવાના સ્ટોકની ઉપલબ્ધતા, ચેપી, બિનચેપી અને ગંભીર રોગોના કેસ, સ્ટાફ, ગ્રાન્ટ, દરખાસ્ત, જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓની સમીક્ષા કરી હતી. સંચારી રોગ અટકાયત માટે જિલ્લાકક્ષાની સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં રોગચાળા સર્વેલન્સ અને અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી. પીવાના પાણીનું ક્લોરીનેશન, ક્લોરીન ટેસ્ટ, બેક્ટેરીયા લોજિકલ તપાસ, પાઈપલાઈન લિકેજ નોંધણી અને રીપેરીંગ, પાણી પૃથ્થકરણ, ક્લોરીનેશન, બરફ અને બરફની બનાવટોના કારખાનાઓની તપાસ તથા જનરલ સેનિટેશન અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. મૃત્યુ દર, ચાઈલ્ડ સ્ક્રીનીંગ, જેન્ડર રેશિયો, કેન્સરના કેસ, સ્વચ્છતા બાબતે સમીક્ષા આ ઉપરાંત ક્ષય નિર્મૂલન અભિયાનને વેગવંતુ બનાવવા અને એઇડ્સ માટે ભૌગૌલિક એનાલિસિસ કરીને પેટર્ન જાણવા સૂચના આપી હતી. દરેક તાલુકા મુજબ હાઈ રિસ્ક સગર્ભાની પ્રસૂતિ, સગર્ભા અને બાળ મૃત્યુ દર, ચાઈલ્ડ સ્ક્રીનીંગ, જેન્ડર રેશિયો, કેન્સરના કેસ, સ્વચ્છતા બાબતે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લે, તે બાબતે ભાર મૂક્યો હતો. તેમજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી અસ્યોરન્સ કમિટી, ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. શાળા - કોલેજ આસપાસ તમાકુ વેચતા 239 દંડાયારાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. શાળા કોલેજોની બહાર 100 મીટરના વિસ્તારમાં પાન ગલ્લાની લારીઓમાં તમાકુનું વેચાણ અટકાવવા માટે દંડનીય કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. આ તકે એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉ. વૈભવ ગોરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત ટોબેકો કંટ્રોલ સેલ રાજકોટ દ્વારા તમાકુ નિયંત્રણ રેડ અંતર્ગત પડધરી, લોધિકા, જેતપુર, રાજકોટ, કોટડાસાંગાણી, ગોંડલ, જસદણ અને ઉપલેટા તાલુકામાં જાન્યુઆરી 2026થી 16 ફેબ્રુઆરી, 2026 સુધીમાં 123 કેસમાં આશરે રૂ.21,500 નો દંડ વસૂલવામાં આવ્યો છે. વધુમાં આરોગ્ય, પોલીસ, રેલવે, જિલ્લા પંચાયત, એસ.ટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ 239 કેસ સામે આશરે રૂ.30,350 ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.આ ઉપરાંત ગત વર્ષે જિલ્લાની 34 શાળાના આશરે 4859 વિદ્યાર્થીઓ અને 9 કૉલેજના 1754 વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનું શહીદ સૈનિકોના પરિવાર માટે રૂ.2.80 લાખનું અનુદાનસશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોનો સહારો બનવા રાજકોટ કલેકટરે લોકોને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી. જેને ઝીલી લેતા રાજકોટ શહેર અને જિલ્લામાં નાગરિકો તેમજ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દાન આપી આ ઉમદા કાર્યમાં સહભાગી બની રહયા છે. આ કાર્યમાં પતંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૈનિકોના પરિવારો માટે રૂ.2.80 લાખનું અનુદાન આપી સમાજને પ્રેરણા પુરી પાડી છે. 1 એપ્રિલ, 2025 થી તા.17 ફેબ્રુઆરી, 2026 સુધી રૂ.20,54,432નો ફાળો એકઠો થયો છે. ગત વર્ષે કુલ રૂ.36,37,728નો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રકમમાંથી સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ અને યુધ્ધ, લડાઈ, આંતકવાદી સામે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોને માસિક આર્થિક સહાય ચુકવવામા આવશે. તેમજ સૈનિકોની પુત્રીના લગ્ન પ્રસંગે દીકરી લગ્ન સહાય, સૈનિકોના મૃત્યુ પ્રસંગે મરણોત્તર સહાય, તેમજ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનોને શિષ્યવૃત્તિ ચુકવવામા આવશે. નાગરિકોને વધુમાં વધુ અનુદાન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતના આર્થિક અને સાંસ્કૃતિક પાટનગર ગણાતા સુરત શહેરમાં સાહિત્ય, કલા અને પ્રકૃતિનો અદભૂત સંગમ રચાવા જઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં આગામી 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો’, ‘હોર્ટિકલ્ચર મેળો’ અને ‘ફ્લાવર શો’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બહુઆયામી મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી પોતે સ્ટોલ્સ પર જઈને કારીગરો અને પ્રકાશકોને પ્રોત્સાહિત કરશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે કાર્યક્રમ સ્થળે પહોંચશે. તેઓ રિબન કાપીને પુસ્તક મેળો, હોર્ટિકલ્ચર મેળો, ફ્લાવર શો, શિલ્પગ્રામ અને ફૂડ ઝોનનું લોકાર્પણ કરશે. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી મેળાના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરશે અને પ્રદર્શિત કરાયેલ સાહિત્ય તથા કલા વિશે જાણકારી મેળવશે. આ મુલાકાત સુરતના નાગરિકો માટે ઉત્સાહવર્ધક બની રહેશે કારણ કે મુખ્યમંત્રી પોતે સ્ટોલ્સ પર જઈને કારીગરો અને પ્રકાશકોને પ્રોત્સાહિત કરશે. યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી માણશે ‘મન કી બાત’આ મુલાકાતનું સૌથી મહત્વનું પાસું એ છે કે, ઉદ્ઘાટન વિધિ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સવારે 11:00 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેમિનાર હોલમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ અન્ય મહાનુભાવો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ને જીવંત સાંભળશે. રાષ્ટ્રીય પુસ્તક મેળા જેવા જ્ઞાનવર્ધક પ્લેટફોર્મ પરથી વડાપ્રધાનના વિચારો શ્રવણ કરવાનો આ કાર્યક્રમ એક વિશેષ ગરિમા પ્રદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહિત્યનું વિશેષ થીમ પેવેલિયનઆ વર્ષના પુસ્તક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને કવનને કેન્દ્રમાં રાખીને એક ભવ્ય થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ખાસ કરીને આ પેવેલિયનની મુલાકાત લેશે, જ્યાં નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકો તેમજ અન્ય લેખકો દ્વારા તેમના સુશાસન અને વિચારધારા પર લખાયેલા પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત, અહીં ‘નમો રીડિંગ કોર્નર’ અને ‘લેટર્સ ટુ પીએમ’ સેક્શન પણ ઉભા કરાયા છે. 11 વિશાળ ડોમમાં ફેલાયેલું સાહિત્યનું વિશ્વરાષ્ટ્રીય પુસ્તક મેળાની ભવ્યતાનો અંદાજ તેના આયોજન પરથી લગાવી શકાય છે. કુલ 11 વિશાળ ડોમમાં આ મેળો વિસ્તરેલો છે. જેમાં બુક ફેર માટે સમર્પિત 5 ડોમમાં 63 જેટલા બુક સ્ટોલ્સ હશે. સુરતની જનતામાં વાંચનનો વ્યાપ વધે અને નવી પેઢી સાહિત્ય તરફ વળે તે હેતુથી અહીં વિવિધ ભાષાઓના અને વિષયોના લાખો પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે આ સાહિત્યિક મલહારનો પ્રારંભ થતા જ સુરત પુસ્તક પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે. રંગબેરંગી ફ્લાવર શો અને હોર્ટિકલ્ચર મેળોપ્રકૃતિ પ્રેમીઓ માટે મેળાના મધ્ય ભાગમાં 800 ચોરસ મીટર વિસ્તારમાં આકર્ષક ‘ફ્લાવર શો’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ હોર્ટિકલ્ચર મેળામાં ગુજરાત અને મહારાષ્ટ્રની 40 થી વધુ ખ્યાતનામ નર્સરીઓ ભાગ લઈ રહી છે. અહીં 45 થી વધુ જાતિના ફૂલ-છોડ અને બાગાયતી સાધનો વ્યાજબી દરે ઉપલબ્ધ થશે. ફ્લાવર શોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પીએમ સૂર્યઘર અને જલશક્તિ અભિયાનને ફૂલોના માધ્યમથી સજાવવામાં આવી છે. હસ્તકલા અને હાથશાળનું જતનમેળામાં આવનાર મુલાકાતીઓ માટે ‘શિલ્પગ્રામ મેળો’ એક વિશેષ આકર્ષણ રહેશે. જેમાં 1 ડોમમાં 44 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં કચ્છી જ્વેલરી, શંખની વસ્તુઓ, એમ્બ્રોઇડરી અને બીડ વર્ક જેવી લુપ્ત થતી હસ્તકલાની કૃતિઓનું પ્રદર્શન અને વેચાણ થશે. આ આયોજન પાછળ મુખ્યમંત્રીનો અભિગમ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવાનો અને જનતાને આપણી પ્રાચીન વિરાસતથી પરિચિત કરાવવાનો છે. સ્વાદના શોખીનો માટે ભવ્ય ફૂડ ફેસ્ટિવલસુરતીઓ અને સ્વાદનો અતૂટ નાતો છે ત્યારે આ મેળામાં ખાણી-પીણીના શોખીનો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 1 ડોમમાં 36 સ્ટોલ્સ સાથેનો વિશાળ ફૂડ ઝોન તૈયાર કરાયો છે. અહીં મુલાકાતીઓ પુસ્તકો અને પ્રકૃતિની મુલાકાત લીધા બાદ વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકશે. મુખ્યમંત્રી પોતે પણ ફૂડ ઝોનની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા કરશે અને સુરતી ખાણીપીણીની વિવિધતા નિહાળશે. વર્ષ 2000થી શરૂ થયેલી સુરતની આ ગૌરવશાળી પરંપરાઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમવાર મે-2000 માં રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો. સુરત માત્ર ઉદ્યોગનું કેન્દ્ર નથી, પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિનું પણ એટલું જ સન્માન કરે છે. આ પરંપરાને આગળ ધપાવતા હવે પુસ્તક મેળાની સાથે હોર્ટિકલ્ચર ફેર અને શિલ્પ મેળાનું પણ જોડાણ કરવામાં આવ્યું છે, જે સુરતની સર્વાંગી વિકાસની છબી રજૂ કરે છે.
સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરતના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યોએ પ્રજાકીય પ્રશ્નોની વણઝાર લગાવી હતી. ખાસ કરીને સરકારી જમીનો પર થતા ગેરકાયદે દબાણો, શિક્ષણ અને ડ્રેનેજની સમસ્યાઓ મુદ્દે લોકપ્રતિનિધિઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી, જેના પગલે કલેકટરે અમલીકરણ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા છે. પ્રાથમિક સ્કૂલના અધૂરા કામ મામલે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા આદેશધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓના બાંધકામમાં થતા વિલંબ અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, મંજૂરી મળી હોવા છતાં લાંબા સમયથી સ્કૂલોનું કામ શરૂ થયું નથી અથવા અટવાયેલું છે. આ બાબતને કલેકટરે ગંભીરતાથી લઈ બેદરકાર કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક 'બ્લેક લિસ્ટ' કરવાની સૂચના આપી હતી. શિક્ષણ સાથે જોડાયેલા આવા કામોમાં વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં તેમ જણાવી મામલતદારોને તમામ શાળાઓના બાંધકામનો રિપોર્ટ સોંપવા તાકીદ કરી છે. સરકારી જમીન પરના દબાણો હટાવવા પોલીસ બંદોબસ્તની સૂચનાઆ બેઠકમાં સૌથી વધુ ચર્ચા સરકારી જમીનો પર થયેલા અતિક્રમણની થઈ હતી. ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઓલપાડના અટોદરા, બરબોધન, કાસલા બુજરંગ અને મંદરોઈ જેવા ગામોમાં સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. કલેકટરે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત મેળવીને આ તમામ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. બરબોધન તળાવ પાસેના દબાણો મુદ્દે ગ્રામ પંચાયતે નોટિસ આપી હોવાની વિગતો પણ બેઠકમાં રજૂ કરાઈ હતી. ખાડી પૂરની સ્થિતિ ટાળવા ડ્રેનેજ લાઈનોનું આયોજનસુરત શહેરના મેયર દક્ષેષ માવાણીએ ગત ચોમાસામાં ખાડી વિસ્તારોમાં સર્જાયેલી પૂરની ભયાનક સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. આગામી ચોમાસામાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે અત્યારથી જ આયોજન કરવા તેમણે ભાર મૂક્યો હતો. કલેકટરે મહાનગરપાલિકા અને ડ્રેનેજ વિભાગને 'કમ્બાઈન્ડ દરખાસ્ત' પ્રાયોરિટીના ધોરણે તૈયાર કરવા જણાવ્યું હતું. ખાડીઓમાં થતા અવરોધો અને ઝીંણા તળાવો દૂર કરવાની કામગીરી પણ વેગવંતી બનાવવાની સૂચના અપાઈ છે. વુમન પોસ્ટ ઓફિસનું અસ્તિત્વ ટકાવવા અને અશાંતધારાના કડક અમલની માંગધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ ઝાંપાબજાર સ્થિત ગુજરાતની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત 'વુમન પોસ્ટ ઓફિસ'ને બંધ થતી અટકાવવા રજૂઆત કરી હતી. કલેકટરે આ પોસ્ટ ઓફિસનું વિલીનીકરણ ન થાય તે માટે હકારાત્મક અભિપ્રાય મોકલવા પોસ્ટ વિભાગને જણાવ્યું છે. આ ઉપરાંત, રાણાએ અશાંતધારા હેઠળના વિસ્તારોમાં મિલકતોની ખોટી રીતે થતી તબદીલી અટકાવવા રજૂઆત કરી હતી, જેના પર કલેકટરે પોલીસ કમિશનર સાથે પરામર્શ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ભેદવાડ ખાડી અને GIDC વિસ્તારના ગેરકાયદે બાંધકામોધારાસભ્ય મનુભાઈ પટેલે GIDC વિસ્તારમાંથી પસાર થતી ભેદવાડ ખાડી પરના દબાણોનો પ્રશ્ન રજૂ કર્યો હતો. ખાડી કિનારે નિયત અંતર જાળવ્યા વિના થયેલા બાંધકામોને કારણે પર્યાવરણ અને જળ નિકાલની સમસ્યા સર્જાય છે. કલેકટરે GIDC અને મનપાના અધિકારીઓને સંયુક્ત રીતે માપણી કરી સર્વે કરવાની અને તાત્કાલિક ધોરણે આ દબાણો દૂર કરવાની સૂચના આપી છે જેથી ખાડીના પ્રવાહમાં અવરોધ ન આવે. ડીંડોલી-કરાડ રોડની ગંદકી અને ગાંધી આશ્રમની જમીનનો વિવાદધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ ડીંડોલીથી કરાડ તરફ જતા 18 મીટરના રસ્તા પર ફેલાયેલી ગંદકી અને દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ રસ્તાને તાત્કાલિક 'રીકાર્પેટ' કરવાની માંગ કરી હતી. વધુમાં, સત્યાગ્રહ સ્મૃતિ ટ્રસ્ટ ભીમરાડ ખાતે નિર્માણાધીન ગાંધી આશ્રમની જમીનમાં થયેલા અનધિકૃત દબાણો અને ઈચ્છાપોર ખાડીની સફાઈ અંગે પણ તેમણે રજૂઆત કરી હતી. કલેકટરે આ તમામ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગોને આદેશ આપ્યા હતા. સરકારી કોલેજ અને મિલકતોની 7/12માં નોંધણીધારાસભ્ય સંગીતાબેન પાટીલે પોતાના વિસ્તારમાં સરકારી કોલેજ માટે જમીનની ફાળવણી કરવા રજૂઆત કરી હતી. કલેકટરે સંકલન ભાગ-2 ની બેઠકમાં જિલ્લાના તમામ મામલતદારોને સૂચના આપી હતી કે, જિલ્લાના દરેક ગામમાં આવેલી સરકારી મિલકતોની જમીનો 7/12 ના સરકારી ચોપડે નોંધાયેલી છે કે નહીં તેની તપાસણી કરી કામગીરી પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત પેન્શન કેસો અને સરકારી વસૂલાતના કામોમાં ઝડપ લાવવા પણ જણાવાયું હતું. વીજળી બચાવવા અને વિકાસ ગ્રાન્ટના સમયસર વપરાશ પર ભારઆ બેઠકના અંતે કલેકટર ડો. સૌરભ પારધીએ તમામ સરકારી કચેરીઓમાં વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા કડક સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, વિકાસના કામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમયસર અને યોગ્ય ઉપયોગ થાય તે જોવાની જવાબદારી અધિકારીઓની છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, DDO શિવાની ગોયલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 23 ફેબ્રુઆરી, 2026 થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે મુસાફરોની સેવામાં ઉપલબ્ધ રહેશે. ટ્રેનનું સમયપત્રક અને રૂટ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 10:40 વાગ્યે ઉપડશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા પહોંચશે. પરતમાં આ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે રવાના થઈ સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ પરત ફરશે. મુખ્ય સ્ટોપેજ અને અપીલ આ ટ્રેન તેના રૂટ દરમિયાન તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ વિસ્તારના મુસાફરોને આ નવી રેલ સેવાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી છે. આ નવી ટ્રેન શરૂ થવાથી સ્થાનિક મુસાફરો અને વેપારીઓ માટે અવરજવર વધુ સરળ બનશે.
ગોપીનાથજી મંદિરે હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવનો પ્રારંભ:જળયાત્રા અને પોથીયાત્રા યોજાઈ, ભક્તોમાં ઉત્સાહ
ગઢડાના પવિત્ર ગોપીનાથજી મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન પંચાહ પારાયણનો આજથી શુભારંભ થયો છે. આ પાંચ દિવસીય કથા મહોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહોત્સવના પ્રારંભે લક્ષ્મીવાડી ખાતેથી જળયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી. ગઢડાના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે આ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. પોથીયાત્રામાં મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામી સહિત સંતમંડળ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બગીઓ, ડીજે અને વિવિધ ધૂન મંડળીઓએ દેશી તબલાના તાલે ધૂન રજૂ કરી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવ અંતર્ગત આગામી પાંચ દિવસ સુધી શ્રીમદ્ સત્સંગિજીવનની પવિત્ર કથા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
બોટાદ જિલ્લા યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનોના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી હતી. આ વિરોધ દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા AI વીડિયો બનાવીને કરાયેલા નિવેદનોને લઈને હતો, જેને યુવા ભાજપે 'હાસ્યાસ્પદ' ગણાવ્યા હતા. પ્રદર્શન દરમિયાન, યુવા ભાજપના કાર્યકરોએ 'રાહુલ ગાંધી હાય-હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. આ રેલી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી હતી.
સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સિટિલિંક' દ્વારા 22 ફેબ્રુઆરી 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શહેરના અનેક BRTS અને સિટી બસ રૂટોમાં કામચલાઉ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. 22 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીનો સુરત પ્રવાસમુખ્યમંત્રી 22 ફેબ્રુઆરીના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરક્ષાને ધ્યાને રાખીને સુરત એરપોર્ટથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, વેસુ ખાતેના ગુરુ લબ્ધી સામ્રાજ્ય બલર ફાર્મ અને સર્કિટ હાઉસ સુધીના માર્ગો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારોમાંથી પસાર થતી બસ સેવાઓને ડાયવર્ટ કરવામાં આવી છે. કયા કયા રૂટની બસ ડાયવર્ટ કરાયમુખ્યમંત્રીના રૂટ પર આવતા વિસ્તારો જેવા કે મગદલ્લા, અણુવ્રત દ્વાર, વેસુ અને યુનિવર્સિટી વિસ્તારની બસોને ડાયવર્ટ કરાઈ છે. જેમાં રૂટ નં. 12 ઓનજીસી કોલોનીથી સરથાણા, રૂટ નં. 706, રૂટ નં. 126R રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી અને રૂટ નં. 506 ડિંડોલીથી યુનિવર્સિટીની બસોને અણુવ્રત દ્વાર સુધી જ ચલાવવામાં આવશે. જ્યારે એરપોર્ટ અને ડુમસ તરફ જતા રૂટ નં. 140, 136, 206, 216B અને 216K ને મગદલ્લા સુધી જ ટૂંકાવવામાં આવ્યા છે. રૂટ નં. 15AA અને 15CCને અણુવ્રત દ્વાર સુધી રાઉન્ડ ટ્રીપ તરીકે ચલાવાશે. જ્યારે રૂટ નં. 226J ને કારગિલ ચોક સુધી જ મર્યાદિત કરાયો છે. રૂટ નં. 106R ને એસ.ડી. પ્લાનેટ સ્કૂલ સુધી, રૂટ નં. 146ને શ્યામ પેલેસ અને રૂટ નં. 716 ને રત્ન જ્યોતિ ટાવર સુધી જ ચલાવવામાં આવશે. પુસ્તક મેળાનું આયોજનશહેરમાં વાંચન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 22 ફેબ્રુઆરી 2026થી 1 માર્ચ 2026 સુધી VNSG યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં દરરોજ વક્તાઓના વ્યાખ્યાન, કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
“સોમનાથ સ્વાભિમાન પર્વ – 2026” અંતર્ગત 150 કિલોમીટર લાંબા ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો સોમનાથ બીચથી પ્રારંભ થયો છે. આ દસ દિવસીય અભિયાન આધ્યાત્મિકતા, સાહસ અને સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવશે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ અભિયાન 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 દરમિયાન યોજાશે. સોમનાથથી શરૂ થયેલી આ સમુદ્રી સફર દેલવાડા–સિમોર બીચ ખાતે સમાપ્ત થશે, જેમાં કુલ 150 કિલોમીટરનું સ્વિમિંગ અને કાયકિંગ કરવામાં આવશે. અભિયાનના પ્રથમ દિવસે ખેલાડીઓએ આશરે 15 કિલોમીટર જેટલું ઓપન વોટર સ્વિમિંગ અને કાયકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ સાહસિક અભિયાનમાં સ્વિમર તરીકે વેનેસા શુક્લા (ઉ.19), પાર્થિવ મેઘાણી (ઉ.14) અને દિવ્યમ ચોટલિયા (ઉ.14) જોડાયા છે. કાયકિંગ ટીમમાં આર્યન જોશી (ઉ.20), વેદાંત જોશી (ઉ.18), સિદ્ધરાજ સોલંકી (ઉ.19) અને જિનલ પિત્રોડા (ઉ.19) સક્રિય ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સેબેસ્ટિયન રાજ દ્વારા દરિયામાં લાઈફ સેવિંગ સ્પોર્ટ્સની વિવિધ તકનીકોનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય અને પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઈ ટીલારા, RDSA ના પ્રમુખ તથા ગુજરાત રાજ્યના પૂર્વ રમત-ગમત મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, હર્ષિતભાઈ રૂપાણી (શ્રી રામ સ્વિમિંગ ક્લબ, પોરબંદર), અશ્વિનભાઈ સોલંકી, અંકિતા પાનસુરીયા (સ્કૂબા ઇન્સ્પેક્ટર), ડૉ. જયેશભાઈ મુગ્રા (સ્પોર્ટ્સ ડિરેક્ટર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી), સુનિલભાઈ રાજગોર, ભરતભાઈ કામલિયા, ચીનુભાઈ હાપાણી, ધરમશીભાઈ કલોલા, કાનજીભાઈ જુંગી, હસમુખભાઈ અઢિયા, અનિસ રાચ્છ તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ આધ્યાત્મિકતા સાથે સાહસિક રમતગમતને પ્રોત્સાહન આપવાનો છે. તે પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ અને સામાજિક જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવા પર પણ ભાર મૂકે છે. આ પહેલ યુવાનોમાં શારીરિક અને માનસિક દૃઢતા વિકસાવવા તેમજ તેમને સાહસિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા માટે નોંધપાત્ર બનશે.
ભગવાન સ્વામિનારાયણે ધોલેરામાં મદનમોહનજી મહારાજની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૭:૩૦ કલાકે યોજાશે. આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી, દેશ-વિદેશમાં વસતા ભક્તો દ્વારા આ ધાર્મિક ઉત્સવ અને માનવસેવાલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ રક્તદાન કેમ્પ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તેમજ મુંબઈ અને પૂના જેવા શહેરોમાં એક જ તારીખે અને એક જ સમયે યોજાશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. આ સામાજિક જાગૃતિના માનવસેવાલક્ષી કાર્યક્રમમાં રક્તદાન કરવા માટે લોકોને આમંત્રણ છે. રક્તદાન અનેક લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. વડોદરા શહેર અને જિલ્લામાં રક્તદાન કેમ્પના સ્થળો નીચે મુજબ છે: વડોદરા: ગોપીનાથજી હોસ્પિટલ, અભિલાષા ચાર રસ્તા, નિઝામપૂરા સમા રોડ, છાણી જકાતનાકા, વડોદરા. વડોદરા - મકરપુરા: શ્રી સ્વામિનારાયણ મંદિર, મકરપુરા, વડોદરા. દૂધવાડા: પટેલવાડી, દૂધવાડા ગામ, તાલુકો: પાદરા, જિલ્લો: વડોદરા. પાદરા: શ્રી સ્વામિનારાયણ મંદિર, નવાપુરા, પાદરા. ઉતરાજ: રાજગોર ફાર્મ, સાધલી - ટીંબરવા રોડ, તા. શિનોર, જી. વડોદરા. કાયાવરોહણ: શ્રી સ્વામિનારાયણ મંદિર, કાયાવરોહણ, તા. ડભોઇ, જિ. વડોદરા. સંખેડા: શ્રી રામજી મંદિર સંકૂલ, સંખેડા, જિ. છોટાઉદેપુર.
વાવ બાકરોલ પાસે ST બસ પલટી, 10થી વધુ ઘાયલ:ડ્રાઈવર સામે રાજગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
ઘોઘંબા તાલુકાના વાવ બાકરોલ ગામ પાસે રાજ્ય પરિવહનની એસ.ટી. બસ પલટી જતાં 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે બસ કંડક્ટર દ્વારા ડ્રાઈવર સામે રાજગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ એસ.ટી. ડેપોમાં છેલ્લા 8 વર્ષથી કંડક્ટર તરીકે ફરજ બજાવતા નિમેષકુમાર વિનોદભાઈ પંચાલ 20 ફેબ્રુઆરીના રોજ ડ્રાઈવર સફરુદ્દીન શિકંદર મકરાણી સાથે સરકારી એસ.ટી. બસ લઈને જામ્બાથી વડોદરા તરફ જઈ રહ્યા હતા. જામ્બાથી પ્રસ્થાન કર્યા બાદ ભીખાપુરા, ખટાશ, સાકરિયા, કદવાલ અને બાકરોલ સહિતના બસ સ્ટોપ પરથી કુલ આશરે 41 મુસાફરો બસમાં સવાર થયા હતા. આશરે પોણા છ વાગ્યાના સમયે વાવ નવા ફળિયા પાસે વળાંક અને ઢાળ ધરાવતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. આરોપ મુજબ, ડ્રાઈવરે બસને વધુ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી, જેના કારણે વળાંક લેતી વખતે તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બસ ખાડામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે કંડક્ટર નિમેષકુમાર પંચાલ અને ડ્રાઈવરને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. બસને પણ નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. કંડક્ટરે ડ્રાઈવર સફરુદ્દીન શિકંદર મકરાણી સામે ગફલતભરી અને બેદરકારીપૂર્વક બસ હંકારવાના આક્ષેપ સાથે રાજગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. રાજગઢ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં યોજાતા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો ઉમટી પડે છે, પરંતુ આ મેળાની ભવ્યતા પાછળ હજારો એવા 'અદ્રશ્ય નાયકો' છે જેમની નોંધ લેવી અનિવાર્ય છે. આ નાયકો એટલે કે સ્વયંસેવકો, જેઓ પોતાના ધંધા-રોજગાર અને ઘર-પરિવારની ચિંતા છોડીને માત્ર સેવા ભાવનાથી મેળામાં આવતા શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ ઠારવાનું ભગીરથ કાર્ય કરે છે. સોરઠ અને સૌરાષ્ટ્રના સાધુ-સંતો દ્વારા સ્થાપિત અન્નક્ષેત્રોની આ પરંપરા આજે પણ આ સ્વયંસેવકોના બળે અડીખમ છે. વ્યવસાય છોડી સેવામાં ધન્યતા અનુભવતા સ્વયંસેવકો મેળામાં આવતા સ્વયંસેવકોમાં કોઈ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલું છે તો કોઈ વેપાર સાથે. અમદાવાદના મયુર પટેલ છેલ્લા 30 વર્ષથી શેરનાથ બાપુના આશ્રમમાં સેવા આપે છે. તેમની સાથે 400 થી 450 લોકોની ટીમ પૂરા ભાવથી લોકોને ભોજન કરાવે છે. ટુકડો ત્યાં હરિ ઢુકડો ના મંત્રને સાર્થક કરતા આ સેવકો માને છે કે અહીં સેવા કરવાથી માનસિક શાંતિની સાથે જીવનમાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. સાત સમંદર પારથી આવતો સેવાભાવ આશ્ચર્યની વાત એ છે કે સેવાનો આ રંગ માત્ર સ્થાનિકો પૂરતો મર્યાદિત નથી. છેલ્લા 30-35 વર્ષથી લંડનથી ખાસ મહાશિવરાત્રીના મેળામાં સેવા આપવા આવતા ભાવિક બહેનો માટે આ એક અનેરો લ્હાવો છે. તેઓ કોઈપણ સંકોચ વગર જુદી-જુદી સેવાઓમાં સહભાગી બની ધન્યતા અનુભવે છે. પશ્ચિમી સંસ્કૃતિમાં રહેવા છતાં ગિરનારની આ પવિત્ર ભૂમિ અને સેવાની પરંપરા પ્રત્યે તેમનો લગાવ અજોડ છે. પેઢી દર પેઢી જળવાતી સંસ્કારોની સરવાણી અન્નક્ષેત્રોમાં સેવા આપતા સ્વયંસેવકોનું માનવું છે કે આ સેવાથી માત્ર આત્માને સંતોષ નથી મળતો, પણ પરિવારમાં બરકત રહે છે અને નવી પેઢી સંસ્કારવાન બને છે. કિશોરભાઈ વાડોદરિયા જણાવે છે કે તેમના પૂર્વજોની પ્રેરણાથી છેલ્લા 60-62 વર્ષથી તેમનો પરિવાર આ સેવામાં જોડાયેલો છે. 50 વર્ષથી આવતા અંબાબેન કાકડિયા અને જ્યોતિબેન માયાણી જેવા અનેક સેવકો માને છે કે ઈશ્વરીય કૃપા વગર આટલી મોટી સંખ્યામાં લોકોની સેવા કરવાનું સામર્થ્ય આવતું નથી. ગમે તેટલો થાક હોય, પણ શ્રદ્ધાળુઓના ચહેરા પરનો સંતોષ જોઈ બધો જ થાક ઉતરી જાય છે. સરકાર દ્વારા સેવાની વિશેષ નોંધ આ વર્ષે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોની મુલાકાત લઈ સ્વયંસેવકોની નિ:સ્વાર્થ કામગીરીને બિરદાવી હતી. તેમણે રાજ્ય સરકાર વતી તમામ સેવાભાવી સંસ્થાઓનો આભાર માનતા કહ્યું હતું કે, ગુજરાતની આ સંસ્કૃતિ અને સેવાના મૂલ્યો વિશ્વમાં અજોડ છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં આ સ્વયંસેવકો ખરેખર ગૌરવશાળી સ્તંભ સમાન છે.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી તોરણ હોટલમાં આયોજિત એક લગ્ન પ્રસંગના રિસેપ્શનમાં અમદાવાદના કાપડના વેપારી પર અચાનક હુમલો થવાની ઘટના સામે આવી છે. કોઈપણ પ્રકારના જૂના ઝઘડા કે અદાવત વગર યુવકે વેપારીને લાફો મારી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રિસેપ્શનમાં યુવકે વેપારીને લાફો મારી દીધોમૂળ વડનગરના વતની અને હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય કાપડના વેપારી કમલેશભાઈ છનાભાઈ પટેલ ગત 9 ફેબ્રુઆરીના રોજ વડનગરની તોરણ હોટલમાં તેમના સંબંધીના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પરિવાર સાથે આવ્યા હતા. રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ રિસેપ્શન પૂર્ણ કરી જમવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ ઉર્ફે પીન્ટુ વિષ્ણુભાઈ પટેલે તેમની પાસે આવીને ગાલ પર જોરદાર લાફો મારી દીધો હતો. વેપારીએ યુવક સામે ફરિયાદ નોંધાવીઆ અચાનક થયેલા હુમલાને જોઈ વેપારીના પુત્ર અને ભાઈએ વચ્ચે પડી તેમને વધુ મારથી છોડાવ્યા હતા. હુમલો કરનાર શખસે જતી વખતે ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, 'આજે તો માત્ર લાફો માર્યો છે, પણ હવે પછી જ્યારે મળીશ ત્યારે જાનથી મારી નાખીશ'. લગ્ન પ્રસંગમાં બનેલી આ ઘટનાથી વેપારી પરિવાર માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. શરૂઆતમાં માનસિક અસ્વસ્થતાને કારણે માત્ર અરજી આપ્યા બાદ હવે વેપારીએ હિરેનભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના સોનગઢથી આહવાને જોડતા નેશનલ હાઈવે નંબર 953 પર શનિવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહાલ અને બરડીપાડા વચ્ચે આવેલા જોખમી વળાંક પર એક પિકઅપ ગાડી પલટી જતાં તેમાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળ પાસિંગની પિકઅપ ગાડી (નંબર WB 83 2654) સોનગઢથી આહવા તરફ જઈ રહી હતી. આ દરમિયાન મહાલથી લશ્કર્યા વચ્ચેના અત્યંત સાંકડા માર્ગ પર ચાલકે કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે વાહનમાં અંદાજે 12 જેટલા લોકો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે 2 લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. તંત્રની કાર્યવાહીઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુબીર પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માર્ગ વિભાગ સામે સ્થાનિકોનો રોષઆ અકસ્માતને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ સિંગલ માર્ગ: નેશનલ હાઈવે હોવા છતાં મહાલ અને બરડીપાડા વચ્ચેનો માર્ગ અત્યંત સાંકડો છે. રક્ષણનો અભાવ: ઘાટ સેક્શનમાં જરૂરી સુરક્ષા બેરિકેડ કે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. વારંવાર અકસ્માત: આ વળાંક પર અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે, તેમ છતાં માર્ગ પહોળો કરવાની કામગીરી કરવામાં આવતી નથી. સાવચેતીની અપીલપોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડાંગના ઘાટ માર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકોને અત્યંત સાવચેતીપૂર્વક અને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર': 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, મામલો હાઈકોર્ટ પહોંચ્યો
Jangleshwar Demolition in Rajkot: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જૂના દબાણો સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ લાલ આંખ કરી છે. આજી નદીના પટ્ટા અને 15 મીટરના ટી.પી. રોડ પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશાળ સ્તરે તબક્કાવાર ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી હેઠળ અંદાજે 1400 થી વધુ મકાનોને જમીનદોસ્ત કરવાનું લક્ષ્ય છે.
ગુજરાતની ખમીરવંતી ધરતી અને કડવા પાટીદાર સમાજના આધ્યાત્મિકતાને સમર્પિત પરિવારમાં જન્મેલા વિશ્વ વિખ્યાત ડૉ. કશ્યપ પટેલને આગામી 14 ઓગસ્ટ ના રોજ યોજાનારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહમાં વિશ્વના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં અત્યંત ગૌરવશાળી ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે ક્ષણ ભારત દેશ અને પ્રત્યેક ભારતીય માટે ગૌરવની ક્ષણ બની રહેશે. સમાજના ઉત્થાન બદલ સન્માનભારતીય મૂળના ચિકિત્સક અને ઓન્કોલોજી લીડર ડૉ. કશ્યપ પટેલની એનઆરઆઇ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્રારા ભારતીય ડાયસ્પોરાના સભ્યોને આપવામાં આવતાં સર્વોચ્ચ સન્માનોમાંના એક એવા હિન્દ રત્ન એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. વ્યવસાયિક શ્રેષ્ઠતા અને જાહેર સેવા થકી સમાજના ઉત્થાનમાં યોગદાન આપનારા બિન નિવાસી ભારતીયોને આ પુરસ્કાર એનાયત કરાય છે. આ પુરસ્કાર તેમને આગામી 14 ઓગસ્ટના રોજ ઇંગ્લેન્ડના લંડન સ્થિત સુપ્રીમ કોર્ટમાં યોજાનારા સમારોહમાં એનાયત કરાશે. કડવા પાટીદાર પરિવારમાં જન્મગુજરાતના કડવા પાટીદાર સમાજમાં જન્મેલા કશ્યપ પટેલ બાળપણથી જ ભણવામાં હોંશિયાર હતા. આધ્યાત્મિકતાને સમર્પિત માતાપિતા અને પરિવારજનોએ કરેલા ઉચ્ચ કોટીના ધાર્મિક સંસ્કારોના સિંચનના કારણે કશ્યપ પટેલ બાળપણથી જ સેવા પરમો ધર્મ, નિઃસ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા માટે સંકલ્પબદ્ધ હતા. અમદાવાદની મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી તબીબ બન્યા હતા. દર્દીઓ પ્રત્યે સમર્પિત ડૉ. કશ્યપ પટેલે દ્રઢ સંકલ્પ કર્યો હતો કે જીવનમાં વૈભવી સુખસગવડો, ધન-દોલત એકઠી કરવી એ જીવનનું લક્ષ્ય નહીં, પણ સમર્પિતતાના ભાવથી દર્દીઓની સેવા કરવી. નિઃસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરીડૉ. કશ્યપ પટેલે બ્રિટનમાં મેડિકલ પ્રેક્ટિસ કરી પણ તેમના દ્રઢ સંકલ્પને સાકાર કરવા અમેરિકા પહોંચ્યા. અમેરિકાના નોર્થ કોરોલીનામાં હોસ્પિટલની સ્થાપના કરી અને સેવા પરમો ધર્મના સંકલ્પ સાથે ઓન્કોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરુ કરી. દર્દીઓ પ્રત્યે કરુણાનો ભાવ,નિ:સ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા, સરળતા, સાદગીના કારણે ડૉ. કશ્યપ પટેલ વિશ્વ વિખ્યાત ઓન્કોલોજિસ્ટ તરીકે પ્રસ્થાપિત થયા. આશ્ચર્ય અને ગૌરવની વાત એ છે કે ડૉ. કશ્યપ પટેલના મેડિકલ ક્ષેત્રે કરેલા સંશોધન, દર્દીઓની સારવાર, આધ્યાત્મિક વિચારધારા જેવા વિષયોને વિશ્વભરના 100 થી વધારે પ્રતિષ્ઠિત સમાચાર પત્રો, મેગેઝિન, ન્યૂઝ ચેનલ્સે ડૉ. કશ્યપ પટેલના ઇન્ટરવ્યૂ પ્રકાશિત અને પ્રસારિત કર્યા છે. અમેરિકામાં ઓન્કોલોજિસ્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે તથા વિવિધ વિશ્વ કક્ષાના સંગઠન સાથે જોડાયેલા ડૉ. કશ્યપ પટેલની પ્રતિષ્ઠિત હિન્દ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીયો વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે. જે ભારતીય નાગરિકોએ મેળવેલી અકલ્પનિય સિધ્ધિ ના કારણે વિશ્વભરમાં ભારત દેશની પ્રતિષ્ઠા વધે અને તિરંગાને સન્માન મળે તેવા પ્રતિષ્ઠિત ગૌરવવંતા ભારતીયોને હિન્દ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. ડો. કશ્યપ પટેલ દક્ષિણ કેરોલિનાના બ્લુ ક્રોસ બ્લુ શીલ્ડ ખાતે મેડિકલ ડિરેકટર અને કન્સ્લટન્ટ છે. સામુદાયિક કેન્સર સારવારમાં બે દાયકાથી પણ વધુ સમય સુધી એકાઉન્ટ પર સેવાના ધ્યાનમાં લઇને આ સન્માન માટે પટેલની પસંદગી કરાઇ છે. 25થી વધુ એવોર્ડથી સન્માનિતઉલ્લેખનીય છે કે દર્દીઓ પ્રત્યે સમર્પિત ડૉ. કશ્યપ પટેલ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના 25 કરતાં પણ વધારે એવોર્ડથી સન્માનિત થઇ ચુક્યા છે. તેમના દ્વારા લિખિત બીટવીન લાઇફ એન્ડ ડેથ પુસ્તક વિશ્વ વિખ્યાત બની રહ્યું છે. મૃત્યુના આરે પહોંચેલા દર્દીઓ ને મૃત્યુ સમયે કોઈ દુ:ખ, શોક કે પીડા ન પહોંચે તે માટે દર્દીઓની સાયકોલોજિકલ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ડૉ. કશ્યપ પટેલને શ્રીમદ ભાગવત કથાના પ્રત્યેક શ્લોક કંઠસ્થ છે. દર્દીઓના ઓપરેશન કરતા હોય ત્યારે શ્રીમદ ભાગવત કથાના દિવ્ય શ્લોકોનું ઉચ્ચારણ પણ કરતા રહે છે. આર્થિક રીતે નબળા દર્દીઓની લાખો ડોલરની ફી માફ કરી ચુક્યા છે. ડૉ. કશ્યપ પટેલ કહે છે કે દર્દીઓ પાસેથી આર્થિક ફાયદા કરતાં તેને રોગ મુક્ત કરવામાં અને તેમની સમર્પિતતાના ભાવથી સેવા કરવા માં મને અનુભવાતી અલૌકિક આનંદની અનુભૂતિ અકલ્પનીય છે. અમેરિકા સરકારે વર્ષ 2022 માં ખરડો પસાર કરીને ડૉ. કશ્યપ પટેલની સેવાકીય પ્રવૃત્તિ અને અકલ્પનિય સફળતાને સુવર્ણ સિદ્ધિ ગણાવી છે. હિન્દ રત્ન એવોર્ડ માટે ડૉ. કશ્યપ પટેલની પસંદગી થયાના સમાચારો મળતાં જ ડૉ. કશ્યપ પટેલની હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીઓ, પ્રશંસકો, સ્નેહીજનો, શુભેચ્છકો, ગુજરાતમાં વસતા પરિવારજનો, સ્નેહીજનો, સંબંધીઓ, સામાજીક સંસ્થાઓ અને તબીબોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. હિન્દ રત્ન પુરસ્કાર શું છે?હિન્દ રત્ન પુરસ્કાર ભારતીય પ્રવાસીઓને આપવામાં આવતાં સર્વોચ્ચ સન્માનમાંનો એક છે. જે એનઆરઆઇ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્રારા ઉત્કૃષ્ટ સેવાઓ, સિદ્ધિઓ, યોગદાન માટે દર વર્ષે એનાયત કરાય છે. પટેલની પસંદગી કેન્સરની સારવારની સુલભતા વધારવા, સ્વતંત્ર સમુદાય ક્લિનિક્સ જાળવવા અને નૈતિક, દર્દી પ્રથમ આરોગ્ય સંભાળ નીતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબત કરે છે. તેમના કાર્યએ કેન્સરની સંભાળ કેવી રીતે ગરીબ વસતી સુધી પહોંચે છે તેને સીધી રીતે આકાર આપ્યો છે. જે સંસ્થાકીય સુવિધાના કારણે દર્દીઓની જરૂરિયતો પ્રત્યે સીસ્ટમનો વધુ પ્રતિભાશીલ બનાવે છે.
ભાવનગર શહેરમાં વડવા સીદ્દીવાડમા રહેતા યુવાનની પૈસાની લેવડદેવડ અને મોબાઈલ મુદ્દે બે શખસોએ ગત શુક્રવારે ઢળતી સાંજે હત્યા કરી હતી. આ અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બંને હત્યારાઓને ઝડપી લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં બંને હત્યારાઓને ઝડપી લીધાશહેરના વડવા સીદ્દીવાડમા રહેતા યુવાનની ગત શુક્રવારે ઢળતી સાંજે ગીરવે મૂકેલા મોબાઈલ પરત આપવા અને 5 હજાર ચૂકવવા મામલે હુસૈન સલીમખાન પઠાણ પર શેલારશાના ઢાળમાં સોયેબ જાહિદ રફાઈ રહે. પ્રભુદાસ તળાવ તથા સાહિલ ઉર્ફે ટકો નાળબંધ નામના શખસોએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ઘટનામાં મૃતકના ભાઈ મોહસીન સલીમખાન પઠાણ એ સોયેબ તથા સાહિલ ઉર્ફે ટકા વિરુદ્ધ ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બંને હત્યારાઓને ઝડપી લીધા હતા. ફોન અને 5,000ની લેતીદેતી બાબતે વિવાદ ચાલતો હતોઆ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન હેઠળના દરબારી કોઠા વિસ્તારમાં ગઈકાલે સાંજે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં થઈ હતી એ મારામારી હત્યામાં પરિણમી હતી. આ કેસના ફરિયાદી મોહસીન અને તેમના ભાઈ હુસેન સલીમ પઠાણને આરોપી સાહિલ ઉર્ફે ટકો અને સોહેબ સાથે મોબાઈલ ફોન અને 5,000ની લેતીદેતી બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ગઈકાલે સાંજના સમયે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે હુસેન સલીમ પઠાણ પર આડેધડ હુમલો કર્યો હતો, હુસેનને છાતી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું, પોલીસે રાતે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યાગંગાજળિયા પોલીસ સ્ટેશનના PI વાઘેલા અને તેમની ટીમ તપાસમાં જોડાઈ હતી. પોલીસે રાત્રે જ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી બંને આરોપીઓ સાહિલ અને સોહેબને હસ્તગત કરી લીધા હતા તેમજ ઘટનાસ્થળની મુલાકાત લઈ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શંકાસ્પદ જણાતા વિવાદ સર્જાયો છે. શાળાના આચાર્યાએ તાત્કાલિક ભોજન વિતરણ અટકાવતા લગભગ 200 બાળકોનો આબાદ બચાવ થયો હતો. ફૂડ સેફટી વિભાગે ભોજનના નમૂના લીધા છે અને તપાસ હાથ ધરી છે. શાળામાં મેનુ મુજબ જીરા રાઈસ, ચણા ચાટ અને સુખડી પીરસવામાં આવી હતી. ભોજન પીરસતી વખતે ચણા ચાટમાંથી એક કાપડની પોટલી મળી આવી હતી. આ પોટલીમાં કોઈ રાસાયણિક પદાર્થ હોવાનું જણાયું હતું. આ ઘટનાને પગલે શાળાના પ્રિન્સિપાલ સ્નેહાબેને તાત્કાલિક નિર્ણય લઈ બાળકોને ભોજન આરોગતા અટકાવ્યા હતા, જેના કારણે 200 જેટલા બાળકોનો બચાવ થયો હતો. આ મધ્યાહન ભોજન 'નાયક ફાઉન્ડેશન' દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થા સામે અગાઉ પણ હલકી ગુણવત્તાનું ભોજન આપવાના આક્ષેપો થયા છે. વારંવાર વિવાદોમાં આવવા છતાં તંત્ર દ્વારા ફાઉન્ડેશનને બ્લેકલિસ્ટ ન કરવા સામે સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતા મામલતદાર, CRC, BRC, SMC અધ્યક્ષ સહિતના અધિકારીઓ શાળાએ પહોંચ્યા હતા. ફૂડ સેફટી અધિકારીઓએ ભોજનના નમૂના લીધા છે, જેને નવસારી ખાતેની ફૂડ સેફટી કચેરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ખેરગામ મામલતદાર ભાવેશભાઈએ જણાવ્યું કે, શાળા તંત્ર દ્વારા જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પુષ્ટિ કરી કે ચણા ચાટમાં કાળા રંગની કાપડની પોટલીમાં પથ્થર જેવો પદાર્થ જોવા મળ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળાના આચાર્ય સ્નેહાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભોજન પીરસતા અગાઉ શાળા દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે જેથી ચણા ચાટમાં મને શંકાસ્પદ વસ્તુ જણાતા તાત્કાલિક તે ભોજન બાળકો પાસે જતા અટકાવ્યું હતું અને મામલતદાર સહિતના અધિકારીઓને તેની જાણ કરી હતી. નાંધઈ પ્રાથમિક શાળાના અધ્યક્ષ-સચિવ ઠાકોર દેવભાઈ પટેલે જણાવ્યું કે, આજ રોજ મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં કંઈક વાંધાજનક વસ્તુ નીકળેલી. જેથી મધ્યાહન ભોજનની વસ્તુ પીરસેલી પાછી રિટર્ન લઈ લેવામાં આવી હતી. તેમજ આ માટે આગળના અધિકારીઓને મામલતદાર, ટી.ડી.ઓ. તથા બીજા અધિકારીઓને બોલાવ્યાં હતા. અધિકારીઓએ આગળની કાર્યવાહી કરી છે. ભોજન પણ રિટર્ન લઈને જમીનમાં દાટી દીધું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં હિન્દુ સંમેલન સમિતિ, લીમખેડા મંડલ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીમખેડા તાલુકાના લીમખેડા, જેતપુર દુ, વટેડા, દાતિયા, ચોપાટ પલ્લી, નાના હાથીધરા, મોટા હાથીધરા અને કાકરી ડુંગરી એમ કુલ આઠ ગામોના હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિ, શક્તિ અને સંગઠનનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ભવ્ય કળશ યાત્રા અને શોભાયાત્રાનું આકર્ષણકાર્યક્રમની ગરિમાપૂર્ણ શરૂઆત લીમખેડાના ઐતિહાસિક રામજી મંદિર ખાતેથી 101 કળશની ભવ્ય યાત્રા સાથે કરવામાં આવી હતી. આ યાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓ અને દીકરીઓએ માથા પર મંગલ કળશ ધારણ કર્યા હતા, જ્યારે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજનું રૂપ ધારણ કરેલા અશ્વસવારોએ આકર્ષણ જમાવ્યું હતું. નગરના રાજમાર્ગો પર ભજન અને જયઘોષ સાથે ફરેલી આ યાત્રા મોટા હાથીધરાના ઠાકર મંદિરે પહોંચતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. મહાનુભાવો અને વક્તાઓની ગરિમામય ઉપસ્થિતિશોભાયાત્રા બાદ ઠાકર મંદિરના પટાંગણમાં આયોજિત મહાસભામાં અનેક સંતો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રાંત શાશ્વત ગ્રામ વિકાસ સંયોજક શ્રી દિલીપસિંહ ચૌહાણ, જિલ્લા સંઘ પ્રચારક કૈવલ્ય ઠાકર, મહંત ભરત મહારાજ તેમજ સામાજિક કાર્યકરો અને ભક્તજનોએ હાજરી આપી હતી. નિનામાની વાવ શાળાના આચાર્ય અને કવિ જશવંતસિંહ જાટવાએ પણ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક વિચારો રજૂ કર્યા હતા. સામાજિક સમરસતા અને એકતાનો પ્રેરક સંદેશસભામાં ઉપસ્થિત વક્તાઓએ હિન્દુ સમાજને જાતપાત અને ઊંચનીચના ભેદભાવ ભૂલીને એક થવા પર ભાર મૂક્યો હતો. કબીર સાહેબના દૃષ્ટાંતનો ઉલ્લેખ કરતા સમજાવવામાં આવ્યું હતું કે જેવી રીતે અલગ-અલગ વાસણોમાં રહેલા પાણીનું તત્વ એક જ હોય છે, તેવી જ રીતે સમાજની વિવિધતામાં પણ એકતા જળવાયેલી હોવી જોઈએ. સંગઠિત શક્તિ જ રાષ્ટ્ર અને સમાજને મજબૂત બનાવે છે તેવો મજબૂત સંદેશ આ તબક્કે આપવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓનો અદભૂત પ્રતિસાદ અને સફળતાઆ વિરાટ સંમેલનમાં આઠેય ગામોના અબાલ-વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર વિસ્તાર ધાર્મિક નાદ અને ભક્તિથી ગુંજી ઉઠ્યો હતો. આ આયોજન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ મર્યાદિત ન રહેતા, સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક બની રહ્યું હતું. અંતમાં સમૂહ પ્રસાદ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
મોરબીમાં જતિન આડેસરાની હત્યા, સોની સમાજની મૌન રેલી:આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજાની માંગ
મોરબીમાં સોની વેપારી જતિન આડેસરાની હત્યાના વિરોધમાં આજે સોની સમાજ દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. આ રેલી હત્યા સ્થળ સુધી પહોંચી હતી, જ્યાં આરોપીઓને આકરી સજા થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. ગુરુવારે રાત્રે જતિન આડેસરા (36) પોતાના પરિવાર સાથે કારમાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્કૂટર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે તેમને છરીના ત્રણ ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક જતિન આડેસરાની આત્માની શાંતિ માટે આજે મોરબીના શનાળા રોડ પર આવેલી સત્યમ પાનવાળી શેરીમાં સિદ્ધિવિનાયક વાડી ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો અને મોરબીના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બેસણા બાદ સિદ્ધિવિનાયક વાડીથી લઈને શનાળા રોડ પર રંગોલી આઈસ્ક્રીમની સામે, જ્યાં જતિન આડેસરાની હત્યા કરવામાં આવી હતી, તે સ્થળ સુધી મૌન કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સમાજના લોકો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સોની સમાજે માંગ કરી છે કે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને મૃતક જતિન આડેસરાના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.
દિલ્હીના ભારત મંડપમ ખાતે 'India-AI Impact Summit 2026'નો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને ઠેર-ઠેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સતત બીજા દિવસે ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે રાહુલ ગાંધીના વિરોધ સાથે જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જોકે, કોંગ્રેસ કાર્યાલય સુધી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ બંને પક્ષના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ભાજપે રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા જેની સામે NSUIના પ્રદેશ પ્રમુખે નરેન્દ્ર મોદીનું પોસ્ટર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા AI સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યાના આક્ષેપ સાથે ગઈકાલે કિશાનપરા ચોક ખાતે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના પૂતળાનું દહન કર્યું હતું. ભાજપનો રાહુલ ગાંધી વિરુધ્ધ પોસ્ટર સાથે ઉગ્ર વિરોધરાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજે 6 વાગ્યે ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમના દ્વારા રાહુલ ગાંધી વિરુધ્ધ પોસ્ટર દર્શાવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પછી તમામ કાર્યકર્તાઓ એક સાથે કોંગ્રેસ કાર્યાલય તરફ આગળ વધ્યાં હતાં જ્યાં અગાઉથી જ પોલીસ બેરિકેટિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હોવાથી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી શક્યા ન હતા. રાહુલ ગાંધીના વિરોધ સામે મોદીનું પોસ્ટર સળગાવ્યુંજોકે, ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવતા સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરને સળગાવવામાં આવ્યું હતું, પરંતુ આખું પોસ્ટર સળગે તે પહેલા પોલીસે તેને ઝૂંટવી આગને ઠારી દીધી હતી. ભાજપના 50 આગેવાનો-કાર્યકર્તાઓની અટકાયતઉલ્લેખનીય છે કે, વિરોધ દરમિયાન બંને પક્ષના કાર્યકર્તાઓને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેથી ઉગ્ર વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકર્તા અને આગેવાનો વચ્ચે વધુ વાતાવરણ તંગ ન બને તે માટે પોલીસે 50 જેટલા આગેવાનો અને કાર્યકર્તાની અટકાયત કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. કેશોદના પીપળિયા નગર વિસ્તારમાં ગત રાત્રિએ સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ બે મિત્રો પર જીવલેણ હુમલો કરી, રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, કેશોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. પૈસાની માંગણી કરી લાકડી-ધોકા વડે તૂટી પડ્યા ઘટનાની વિગત મુજબ, ફરિયાદી મિત રાજુભાઈ સિંગાળા અને તેમનો મિત્ર કેયુર સિદપરા પીપળિયા નગર પાસે આવેલા હનુમાન મંદિર નજીક બેઠા હતા. આ દરમિયાન કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. ગાડીમાંથી ઉતરેલા પ્રિન્સ કાનાભાઈ ભેડા, ઉદીપ સરમણભાઈ ભેડા અને યશપાલ મેસુરભાઈ હડીયાએ ફરિયાદી પાસે જઈને અચાનક પૈસાની માંગણી કરી હતી. જ્યારે મિત સિંગાળાએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે આ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ પોતાની પાસે રહેલા લાકડી અને ધોકા વડે બંને મિત્રો પર હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં મિત રાજુભાઈને માથાના ભાગે ધોકાનો ગંભીર ઘા વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ₹8,900ની લૂંટ ચલાવી સ્કોર્પિયોમાં ફરાર હુમલાખોરોએ માત્ર માર મારીને સંતોષ ન માન્યો, પરંતુ જબરદસ્તીથી ફરિયાદીના ખિસ્સામાં રહેલા ₹8,900ની રોકડ રકમ આંચકી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય આરોપીઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં બેસીને અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીઓને દબોચ્યા લૂંટની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કેશોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. મકવાણા, પી.એસ.આઈ. વાજા અને ડી-સ્ટાફની ટીમો એક્શન મોડમાં આવી હતી. પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટુકડીઓ બનાવી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન નાકાબંધી અને કડક તપાસને કારણે આ ત્રણેય શખ્સો ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આવી ગયા હતા.હાલ પોલીસે પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયાની ધરપકડ કરી લૂંટની રકમ તેમજ ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ આવી કોઈ ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
વલસાડમાં ભાજપ યુવા મોરચા દ્વારા આજે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દિલ્હીમાં આયોજિત ગ્લોબલ AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના વિરોધમાં હતી. ભાજપે કોંગ્રેસની માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. તાજેતરમાં દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટ યોજાઈ હતી, જેમાં વિશ્વભરની જાણીતી કંપનીઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભાજપનો આરોપ છે કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ અયોગ્ય રીતે વિરોધ પ્રદર્શન કરીને ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રેલી દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, જ્યારે દેશ ટેકનોલોજી અને વિકાસના પંથે આગળ વધી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી હંમેશા અવરોધ ઊભો કરવાનું કામ કરે છે. તેમણે ઉમેર્યું કે AI સમિટ કોઈ પક્ષનો કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ હતો. વલસાડના મુખ્ય માર્ગો પર ભાજપના કાર્યકરોએ કેસરી ખેસ ધારણ કરીને મૌન રેલી કાઢી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે આ રેલી રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓને સદબુદ્ધિ મળે તે હેતુથી યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મૌન રેલીના એક દિવસ અગાઉ ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ રેલીમાં વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો જોડાયા હતા. ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની પ્રગતિને રોકવા માંગતા તત્વો સામે તેમનો આક્રમક વિરોધ ચાલુ રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટે મૂળ RSS ના અને અંગ્રેજી ભવનના પ્રોફેસર ડો. કમલ મહેતાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમી કાઉન્સિલમાંથી દૂર કરવા માટે કુલપતિને પત્ર લખ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ડૉ.મહેતાએ જૂની તારીખોમાં સંશોધન પત્રો છપાવી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે. વર્ષ 2020માં થયેલી કોન્ફરન્સ 2018માં થઈ હોવાનું દર્શાવી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી, તેમની સામે શિસ્તભંગના પગલા લેવાની સાથે નિવૃત જજ અને પૂર્વ કુલપતિ કક્ષાની ઉચ્ચ સ્તરીય કમિટી રચવામાં આવે તેવી માંગ કરી છે. જોકે, RSSની વિચારધારા સાથે જોડાયેલા કુલપતિ ડૉ. ઉત્પલ જોશી ડૉ. મહેતા સામે પગલાં ભરે છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. આ બાબતે અધ્યાપકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. કમલ મહેતાના સંશોધન પત્રોમાં તારીખ અને વિગતોની મોટી વિસંગતતાડૉ. બારોટે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક ગૌરવ અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે તેવી એક ગંભીર વિગત ધ્યાને આવી છે. અંગ્રેજી ભવનના અધ્યક્ષ EC અને AC ના સભ્ય કમલ મહેતા દ્વારા રજૂ કરવામાં આવેલ સંશોધન પત્રોમાં તારીખ અને વિગતોની મોટી વિસંગતતા જોવા મળી રહી છે. જે શૈક્ષણિક જગતમાં 'બેક-ડેટેડ' દસ્તાવેજો ઉભા કર્યા હોવાનો પુરાવો આપે છે. મુખ્ય મુદ્દાઓ:તારીખની વિસંગતતા: કમલ મહેતાનું એક સંશોધન પત્ર વર્ષ 2018 માં પ્રસિદ્ધ થયેલું દર્શાવવામાં આવ્યું છે.અશક્ય વિગતો: આ 2018ના પેપરના ત્રીજા પાના પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલી 2019ની કોન્ફરન્સની વિગતો ટાંકવામાં આવી છે.વાસ્તવિક સ્થિતિ: હકીકતમાં જે કોન્ફરન્સનો ઉલ્લેખ છે, તે વર્ષ 2020માં યોજાઈ હતી. કોઈપણ સંશોધન પત્ર તેના પ્રકાશન વર્ષ પછીની ઘટનાઓની વિગત અગાઉથી આપી શકે નહીં. આ બાબત સાબિત કરે છે કે, આ પેપર પાછળની તારીખમાં (Back-dated) ખોટી રીતે અપલોડ કરવામાં આવ્યું છે અને યુનિવર્સિટીને છેતરવાનો પ્રયાસ થયો છે. સત્તા મંડળમાં આવા વ્યક્તિની હાજરી યુનિવર્સિટીની ગરિમાને કલંકિત કરેઅગાઉ આપને લેખિત જાણ કરી હતી કે, ડિસેમ્બર 2015માં પ્રસિદ્ધ થયેલ સંશોધન પત્રમાં NEP 2020નો ઉલ્લેખ છે. આ ઉપરાંત 2018માં પ્રસિદ્ધ થયેલ પેપરને રેફરન્સમાં દર્શાવેલુ છે. યુનિવર્સિટીની એકિઝક્યુટિવ કાઉન્સિલ(EC)અને એકેડેમિક કાઉન્સિલ (AC)જેવા સર્વોચ્ચ સત્તા મંડળમાં આવા વ્યક્તિની હાજરી યુનિવર્સિટીની ગરિમાને કલંકિત કરે છે. જે વ્યક્તિ પોતે શૈક્ષણિક સંશોધનમાં પ્રામાણિકતા જાળવી શકતા ન હોય, તેઓ યુનિવર્સિટીના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં હોવા જોઈએ નહીં. માંગણી:
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ ૮૨ મો પાટોત્સવ વિવિધ ગ્રંથોની પારાયણ સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાયો. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ ત્રિદિવસીય કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્ય આચાર્યપ્રવર શ્રી મુકતજીવન સ્વામીબાપાએ ત્યાગીની ગાદીની પરંપરા સ્થાપીને મંદિરને ૮૨ વર્ષ થતાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પંચામૃત અભિષેક, આરતી, અન્નકૂટ, મહાપૂજા વિગેરે કરવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્યવાણી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત તથા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ વિગેરે આધ્યાત્મિક સભર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પંચમ વારસદાર પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને ગાદી સોંપણી દિનની ઉજવણી કરતાં પાદપ્રક્ષાલન, પૂજન, અર્ચન, આરતી પણ કરાઈ હતી. જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશિર્વાદનો લાભ ટેપ દ્વારા મળ્યો હતો. આ પ્રસંગે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયે વ્યસનોના વળગાડ સહિતના અનેક દુષણો સમાજના માનવીને કોરી ખાય છે માટે તેનાથી સદંતર દૂર રહેવું. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જણાવ્યાનુસાર વ્યસન, વહેમ અને વેર એ ત્રણે દુષણ મનુષ્યના જીવનને બરબાદ કરી દે છે, સાથે પરિવારનો પણ નાશ થાય છે માટે તેનાથી દૂર રહી સ્નેહ, સંપ, ભાતૃભાવ પરિવારમાં કેળવાય તેવું જીવન જીવવા હાકલ કરી હતી. દેશ વિદેશના હરિભક્તોના વિશાળ સમુહ ઉપસ્થિત રહી મહોત્સવનો લાભ લીધો હતો.
સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ-2026)નો પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે પ્રારંભ થયો છે. શ્રી નવદુર્ગા મંદિરના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો આ મેળો ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ સ્થાનિક કારીગરો, સખીમંડળો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપશે. આ મેળો સુત્રાપાડા ખાતે 21 ફેબ્રુઆરી, 2026 થી 27 ફેબ્રુઆરી, 2026 સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન ચાલશે. તેનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને 'લોકલ ફોર વોકલ' વિભાવનાને મજબૂત બનાવવાનો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા કક્ષાએ યોજાયેલા આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો, સ્વ-સહાય જૂથોની બહેનો, કળા સર્જકો અને નાના ઉદ્યોગકારોને યોગ્ય મંચ પૂરો પાડવાનો છે. મેળામાં હસ્તકલા, ભરતગુંથણ, બાંધણી, માટીકામની વસ્તુઓ, પર્સ અને હર્બલ પ્રોડક્ટ્સ સહિતના વિવિધ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી માટે નાગરિકોને ઉત્તમ તક મળી રહી છે. આ ઉપરાંત, મેળામાં ફૂડ કોર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે મેળાના માહોલને વધુ ઉત્સવમય બનાવે છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, સી.એચ.સી. અધિક્ષક સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર મોલિક વંશની દેખરેખ હેઠળ આ સ્વદેશી મેળાનું સુવ્યવસ્થિત આયોજન કરાયું છે. મેળાને સફળ બનાવવા માટે પાલિકા કર્મચારીઓ અને સખીમંડળોની બહેનો સક્રિયપણે કાર્યરત છે. આ સ્વદેશી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો, નાના ઉદ્યોગકારોને સહયોગ આપવાનો અને નાગરિકોને ગુણવત્તાસભર સ્થાનિક વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનો છે. નગરપાલિકાએ નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે, જેથી ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મિશનને સાકાર કરી શકાય.
નશામુક્ત ભવિષ્ય માટે યુવાનોનો હુંકાર:અમદાવાદમાં પ્રોજેક્ટ IRAADA અને રોટરી સર્વમના સહયોગથી આયોજન
અમદાવાદમાં નશાખોરી સામે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 'પ્રોજેક્ટ IRAADA – હોપ ઓવર ડોપ' દ્વારા એક ભવ્ય વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અયાન ભટ્ટ દ્વારા સ્થાપિત આ પ્રોજેક્ટનું વર્ષ 2025–2026 માટેનું નેતૃત્વ AIS સ્કૂલના વિદ્યાર્થી વિહાન પુરવ પટેલ કરી રહ્યા છે. આ પહેલ દ્વારા યુવાનો પોતાની પેઢીને નશાના દૂષણથી બચાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. રોટરી સર્વમ અને મહાનુભાવોનો સહયોગ આ વોકાથોન રોટરી સર્વમના વિશેષ સહયોગથી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા અને ભાજપ યુવા નેતા પૌરાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યુવાનોના આ પ્રયાસને બિરદાવતા સામાજિક જવાબદારી અને સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. જાગૃતિ દ્વારા નિવારણનો મંત્ર વોકાથોનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના જોખમો અને તેના લાંબા ગાળાના વિનાશક પરિણામો વિશે શિક્ષિત કરવાનો હતો. AMC સ્કૂલના આશરે 300 વિદ્યાર્થીઓએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જાહેર સ્થળે એકઠા થયેલા આ યુવાનોએ માનસિક સુખાકારી અને સમજદારીપૂર્વક નિર્ણય લેવાની ક્ષમતા કેળવવા માટેનો સંદેશ ફેલાવ્યો હતો. ટીમ વર્ક અને સામૂહિક સંકલ્પ પ્રોજેક્ટ IRAADA ની સમર્પિત ટીમમાં ફલક પારેખ, શયાન પટેલ, હાર્વી પટેલ, કનિષ્ક શેઠ, મેહા ટિંબડિયા, હવિશ પટેલ, કાશ્વી શાહ, રિદાન ઓસતવાલ, નીવ શાહ અને સનાયા રાવલ જેવા યુવાનોએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આકર્ષક સૂત્રો, નશા વિરોધી પ્રતિજ્ઞા અને સોશિયલ મીડિયા કેમ્પેઈન દ્વારા આ વોકાથોન માત્ર એક ચાલવાની પ્રક્રિયા નહીં, પરંતુ વ્યસનમુક્ત સમાજ તરફનું એક મજબૂત ડગલું બની રહી હતી.
વાંસદા તાલુકાને વિજ્ઞાન કોલેજની ભેટ મળી છે. સાંસદ ધવલ પટેલના સતત પ્રયાસો અને નાણાંમંત્રી કનુ દેસાઈના સહયોગથી સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણયથી વાંસદાના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે. લાંબા સમયથી વાંસદાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક કક્ષાએ વિજ્ઞાન કોલેજનો અભાવ આદિવાસી વિસ્તારના બાળકો માટે મોટો પડકાર હતો. સાંસદ ધવલ પટેલે વાંસદામાં લોકદરબાર યોજ્યા ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમને રૂબરૂ મળીને વિજ્ઞાન કોલેજની રજૂઆત કરી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, સાંસદ ધવલ પટેલે નાણાંમંત્રી કનુ દેસાઈ સાથે આ અંગે ચર્ચાઓ કરી હતી. તેમણે જુલાઈ 2025 અને ડિસેમ્બર 2025માં રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્રો લખીને વાંસદામાં વિજ્ઞાન કોલેજ સ્થાપિત કરવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. સાંસદ ધવલ પટેલના અથાગ પ્રયાસો અને અનેક રજૂઆતો બાદ, સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી છે. આ કોલેજ શરૂ થવાથી આદિવાસી વિસ્તારના બાળકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને ઓછા ખર્ચે શિક્ષણ મેળવવાની તક મળશે, જે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે નાણાંમંત્રી, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજ્ઞાન કોલેજ માટે રજૂઆત કરનાર વિદ્યાર્થીઓ દ્વારા વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલનું સન્માન પણ કરવામાં આવશે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, વાંસદા ખાતે અગાઉ મોટી સંખ્યામાં વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાન કોલેજ માટે મને રજૂઆત કરી હતી. જેને લઈ મેં આ દીશામાં કામગીરી શરૂ કરી નાણાંમંત્રી, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરી રૂબરૂ ચર્ચાઓ કરી હતી. વિજ્ઞાન કોલેજની મંજૂરી મેળવી છે આદિવાસી વિસ્તારના આવા અનેક પ્રશ્નોને લઈ સરકારમાં રજુઆત કરી વાંસદાને વિકાસની દિશામાં ખૂબ આગળ લઈ જવા માટે સરકાર સાથે અમે તત્પર છીએ.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને સહયોગ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવાની સાથે બાકી રહેલા કામો બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો. ખાસ કરીને 'નલ સે જલ' યોજના હેઠળ જિલ્લાના કેટલાક ગામડાઓમાં કામગીરી અધૂરી છોડીને જતી રહેલી એજન્સીઓ સામે કલેક્ટરે આકરા તેવર બતાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરાવવા અથવા તો આવી એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવાના પગલાં લેવા. બોર્ડની પરીક્ષામાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિઆગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. કલેક્ટરે સૂચના આપી હતી કે પરીક્ષા કેન્દ્રો પર ફાળવવામાં આવેલા ઓબ્ઝર્વરોએ સતત હાજર રહીને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવી. પરીક્ષા દરમિયાન આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, બિનજરૂરી રૂમો સીલ કરવા અને સૌથી મહત્વનું એ કે પરીક્ષાના સમયે વીજ પુરવઠો સતત ચાલુ રહે તે માટે વીજ કંપનીને તાકીદ કરી છે. વિદ્યાર્થીઓને આવા-જવામાં તકલીફ ન પડે તે માટે વધારાની બસ વ્યવસ્થા અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના આદેશ આપ્યા છે. પ્રાકૃતિક ખેતી અને જળસંચય પર ભારબેઠકમાં 'જળસંચય-જનભાગીદારી યોજના' અંતર્ગત ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ વિભાગોને નિર્દેશ આપ્યા હતા કે જળસંગ્રહના પ્રગતિ હેઠળના તમામ કામો આગામી 1 મે, 2026 સુધીમાં અનિવાર્યપણે પૂર્ણ કરી લેવા. આ સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે વિશેષ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે. આ માટે પ્રાંત અધિકારીઓ અને ચીફ ઓફિસરોને તાકીદે જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું છે. સંકલન બેઠકમા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિઆ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ અને ધારાસભ્ય બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ, એટ્રોસિટી એક્ટની કામગીરી અને મહિલા-બાળ વિકાસ વિભાગની યોજનાઓનું રાશન સમયસર વિતરણ થાય તે બાબતે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી.
જામનગર વેસ્ટના જાયન્ટ્સ ગ્રુપે ડી.કે.વી. કોલેજ ખાતે બે મહત્વપૂર્ણ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમો જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3-Bના ચેરમેન ડો. મધુકાંતભાઈ આચાર્ય અને સેક્રેટરી પ્રદીપભાઈ જોશીની ઉપસ્થિતિમાં યોજાયા હતા. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ડી.કે.વી. કોલેજના બોટનિકલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. બીજા પ્રોજેક્ટ તરીકે ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક જાગૃતિ અંગે પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે નિલેશ ગોહિલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ વેસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ જગતભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પાઠક, વ્યસનમુક્તિ ઓફિસર જયેશભાઈ ગોપીયાણી, વર્તમાન પ્રમુખ અશોકભાઈ કુબાવત અને પૂર્વ પ્રમુખ જતીનભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડી.કે.વી. કોલેજ તરફથી આચાર્ય ડો. પરેશભાઈ બાણુગરીયા, અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક કરણસિંહ રાઠોડ, પ્રાધ્યાપક ડી. એ. રાઠોડ તેમજ એનએસએસ ઓફિસર અને પ્રાધ્યાપક કૌશિક જોશી પણ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. ઉપસ્થિત સૌએ આ પ્રયાસને બિરદાવ્યો હતો.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયા બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગામની આસપાસનો ૨ કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો છે. જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દરખાસ્તના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ ૩ હેઠળ કોલેરાનો ફેલાવો અટકાવવા અને તાત્કાલિક પગલાં લેવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોલેરા નિયંત્રણ માટે જામનગરના તાલુકા વિકાસ અધિકારીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના ભારત મંડપમ ખાતે સંપન્ન થયેલી વૈશ્વિક AI સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધના પ્રત્યાઘાતો હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીની 'દેશવિરોધી માનસિકતા' સામે રોષ પ્રગટ કરવા માટે આજે ભાવનગર મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના 120 જેટલા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારતની યજમાનીમાં આયોજિત આ સમિટમાં સહભાગી થયા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું કૃત્ય દેશની ગરિમાને ઠેસ પહોંચાડનારું છે યુવા મોરચાના હોદ્દેદારોએ જણાવ્યું કે, સમિટ દરમિયાન જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ હંમેશા દેશના વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાની વિરોધી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને ભાવનગર મહાનગર અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શનનું સફળ નેતૃત્વ યુવા મોરચાના અધ્યક્ષ ભવદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જે યાત્રા ઘોઘા ગેટ ચોકથી શરૂ થઈ એમ.જી.રોડ થઈ વોરા બજાર થઈ મહાલક્ષ્મી માતાજીનું મંદિર થઈ બાર્ટન લાઈબ્રેરી થઈ હલુરીયા ચોક થઈ ઘોઘા ગેટ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતા 39 વર્ષીય અર્જુનભાઈ છનાભાઈ હળપતિનું ઝાડા-ઉલટીને કારણે ચાલુ નોકરીએ તબિયત લથડતા તેમને પ્રાઈવેટ એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા જ્યાં રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું છે. ચાલુ નોકરીએ તબિયત લથડીમળતી વિગતો અનુસાર, મૂળ નવસારી જિલ્લાના અબાડા ગામના રહેવાસી અર્જુનભાઈ છનાભાઈ હળપતિ ઉંમર 39 વર્ષ સચિન GIDC સ્થિત 'CT લાઇફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ' કંપનીમાં નોકરી કરતા હતા. આજે ફરજ દરમિયાન અચાનક તેમને ઝાડા-ઉલટ થઈ હતી. ઝાડા-ઉલટીને કારણે શરીરમાં અશક્તિ આવી જતાં તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ઉધના હોસ્પિટલમાં સારવાર ન થઈ શકીઅર્જુનભાઈની હાલત જોતા કંપનીના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમને ઉધના વિસ્તારની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સવારે અંદાજે 11:30 વાગ્યે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને બચાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઝાડા-ઉલટીની ગંભીર અસરને કારણે તેઓ બપોરે 2:00 વાગ્યે તેમણે પ્રાઇવ એમ્બ્યુલન્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. સામાન્ય ઝાડા ઉલટીમાં અર્જુનભાઈ હળપતિનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
અમદાવાદના આંગણે રમાયેલી આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સની રોમાંચક મેચ માત્ર ક્રિકેટના સ્કોર માટે જ નહીં, પરંતુ સ્વચ્છતાના એક અનોખા ઉદાહરણ તરીકે પણ યાદ રાખવામાં આવશે. આણંદાના - ધ કોકા-કોલા ઈન્ડિયા ફાઉન્ડેશને આઈસીસી (ICC) સાથે મળીને 'મેદાન સાફ અભિયાન' અંતર્ગત વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં એક પ્રશંસનીય પહેલ કરી હતી. પદ્ધતિસરનું કચરાનું વર્ગીકરણ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મેદાનમાંથી એકત્રિત થયેલા કચરાને માત્ર ભેગો કરવાનો જ નહીં, પરંતુ તેને યોગ્ય રીતે અલગ પાડીને રિસાયકલ (પુનઃ વપરાશ) માટે મોકલવાનો હતો. સ્ટેડિયમમાં મેચ દરમિયાન હજારો દર્શકોની હાજરી હોવા છતાં, એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે મેચના આનંદમાં કોઈ ખલેલ ન પહોંચે. દર્શકો સરળતાથી નક્કી કરેલી કચરાપેટીમાં કચરો નાખી શકે તે માટે પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સ્વયંસેવકો અને સ્થાનિક ટીમોનું સંકલન મેદાનમાંથી વધેલો ખોરાક, કોલ્ડ ડ્રિંકના કપ, પાણીની બોટલ્સ, પેપર પ્લેટ્સ, પ્લાસ્ટિક અને પોલિથીન જેવી વસ્તુઓ એકત્ર કરવામાં આવી હતી. આ કચરાના ચોકસાઇપૂર્વક વર્ગીકરણ માટે સતર્ક સ્વયંસેવકો અને સ્થાનિક ટીમોએ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું. આ સંકલનને કારણે કચરાનો દરેક ટુકડો યોગ્ય પ્રોસેસિંગ પદ્ધતિ સુધી પહોંચાડવો શક્ય બન્યો હતો. મોટા કાર્યક્રમો માટે નવી મિસાલ આણંદાના ફાઉન્ડેશનના આ પ્રયાસે સાબિત કરી દીધું છે કે જ્યારે રમતગમતના મોટા આયોજનો થતા હોય, ત્યારે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ સફળતાપૂર્વક નિભાવી શકાય છે. વિશ્વકક્ષાની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ સાથે સભાન વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે જોડી શકાય, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
મોરબીમાં હત્યાના પડઘા બોટાદમાં:સોની વેપારીઓએ બંધ પાળ્યો, આરોપીઓને કડક સજાની માંગ સાથે વિરોધ પ્રદર્શન
મોરબીમાં સોની વેપારીની જાહેરમાં થયેલી હત્યાના વિરોધમાં બોટાદના સોની વેપારીઓએ આજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. મોરબી શહેરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વેપારી વર્ગમાં આક્રોશ જગાવ્યો છે. સામાન્ય બાબતમાં અજાણ્યા શખ્સોએ સોની વેપારી પર છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી હતી. આ ઘટનાના વિરોધમાં બોટાદ શહેરમાં સોની વેપારીઓ એકઠા થયા હતા. તેમણે બપોર બાદ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખીને કડક વિરોધ પ્રદર્શિત કર્યો. બોટાદના લીમડાવાળા ચોક, ઢાળ બજાર અને અંબાજી ચોક સુધીનો સમગ્ર સોની બજાર સજ્જડ બંધ રહ્યો હતો. વેપારીઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બોટાદના સોની વેપારી અશ્વિનભાઈ માંડલીયાએ આ અંગે માહિતી આપી હતી.
ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ દ્વારા સુત્રાપાડા ખાતે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા કથિત દેશવિરોધી નિવેદનોના વિરોધમાં હતી. યુવા ભાજપે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય AI સમિટમાં કોંગ્રેસના નેતાઓએ દેશની વૈશ્વિક છબી ખરડાય અને ભારતની પ્રતિષ્ઠા પર પ્રહાર થાય તેવા નિવેદનો આપ્યા હતા. આ નિવેદનો સામે સુત્રાપાડા શહેર મંડળ ખાતે જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો. પદયાત્રા દરમિયાન કાર્યકર્તાઓએ 'ભારત માતા કી જય' અને 'દેશવિરોધી માનસિકતા હાય હાય' જેવા સુત્રોચ્ચાર કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાનો હતો. યુવા ભાજપના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભારતની અસ્મિતા અને દેશના ગૌરવ પર આંચ આવે તેવું કોઈ પણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડએ જણાવ્યું હતું કે, ‘ભારત આજે વિશ્વ મંચ પર નવી શક્તિ તરીકે ઉભર્યું છે. આવા સમયે દેશની છબી ખરડવાનો કોઈ પણ પ્રયાસ રાષ્ટ્રહિત વિરુદ્ધ ગણાશે.’ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પરમારએ કહ્યું કે, 'યુવા ભાજપ દેશના ગૌરવ સાથે દ્રોહ કરનાર કોઈપણ શક્તિ સામે રસ્તા પર ઉતરીને મજબૂત અને લોકશાહી રીતે વિરોધ નોંધાવતું રહેશે.' આ પદયાત્રામાં જિલ્લા મહામંત્રી હરેશભાઈ ધોળીયા, પારસભાઈ પરમાર, સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહભાઈ મોરી, શહેર મહામંત્રી સિદ્ધરાજસિંહજી, વેરાવળ શહેર યુવા મહામંત્રી યજ્ઞેશભાઈ સિરોદરિયા સહિત નગરપાલિકાના નગરસેવકો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોંગ્રેસ વિરુદ્ધ એકજૂટતા દર્શાવી હતી. આ પદયાત્રા દ્વારા યુવા ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો કે દેશના ગૌરવ અને વૈશ્વિક પ્રતિષ્ઠા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વલસાડના ધમડાચી ખાતે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને ચંદ્રમૌલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 111 યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ આયોજનમાં નવદંપતિઓ, તેમના પરિવારજનો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી કનુ દેસાઈ તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી અને વલસાડના પ્રભારી મંત્રી નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 111 નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. લોકસભા દંડક અને સાંસદ ધવલ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મંત્રી કનુ દેસાઈએ નવદંપતિઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આજના સમયમાં લગ્ન પ્રસંગો ખર્ચાળ બની રહ્યા છે. આવા સમયે સમુહલગ્નોનું આયોજન સમાજ માટે ખૂબ જ સરાહનીય કાર્ય છે. સમુહલગ્ન દ્વારા નવદંપતિઓ પરનો આર્થિક બોજો ઓછો થાય છે અને તેઓ જીવનની નવી શરૂઆત સરળતાથી કરી શકે છે. પ્રભારી મંત્રી નરેશ પટેલે આર્શીવચન પાઠવતાં કહ્યું કે, સંતો, મહાનુભાવો અને સમાજસેવકોની હાજરીમાં લગ્ન થવાથી નવદંપતિઓ પર પરિવાર અને સમાજને સાથે લઈને ચાલવાની જવાબદારી વધે છે. તેમણે પરિવારજનોને સંદેશ આપ્યો કે, ઘરમાં દીકરી આવી રહી છે તેવી ભાવનાથી વહુને જીવનભર સાચવી રાખવી જોઈએ. નરેશ પટેલે સમુહલગ્નના સફળ આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. વલસાડના ધારાસભ્ય અને સમુહલગ્નના આયોજક ભરત પટેલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.
પાટણ નગરપાલિકાની હરાજી મોકૂફ, વેપારીઓમાં રોષ:વારંવાર રદ થતા આર્થિક નુકસાનની ભીતિ, પ્રમુખે ખાતરી આપી
પાટણ નગરપાલિકા દ્વારા સીઝનેબલ ધંધા માટે યોજાયેલી જાહેર હરાજી અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયથી વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. પોતાનો રોજગાર છોડીને આવેલા 35 થી 40 વેપારીઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી પારદર્શક અને ઝડપી હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી છે. નગરપાલિકાએ સીઝનેબલ ધંધા માટેની હંગામી જગ્યાઓની ફાળવણી માટે આ હરાજીનું આયોજન કર્યું હતું. જોકે, મહત્વની બેઠકોને કારણે આ પ્રક્રિયા આજે થઈ શકી ન હતી. અગાઉ માત્ર શેરડીના કોલા માટે હરાજી કરાઈ હતી, પરંતુ હવે આનંદ સરોવર સહિતની તમામ હંગામી જગ્યાઓ માટે સામૂહિક હરાજી કરવાનું પાલિકા તંત્રનું આયોજન છે. પાલિકા પ્રમુખ હીરલબેન પરમારે ખાતરી આપી હતી કે ચીફ ઓફિસર સાથે પરામર્શ કરીને વેપારીઓને અનુકૂળ સમય ફાળવી આગામી દિવસોમાં આ પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા આવેલા વેપારીઓના મતે, છેલ્લા 15 દિવસમાં બે વખત હરાજીની જાહેરાત છતાં પ્રક્રિયા પૂર્ણ ન થતા તેમનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. સીઝનલ ધંધો હોવાથી ફાળવણીમાં વિલંબ થાય તો તેમને મોટા આર્થિક નુકસાનનો ભય છે. વેપારીઓએ પાલિકા તંત્ર પર અધિકારીઓની ગેરહાજરી કે અન્ય કારણોસર વારંવાર ધક્કા ખવડાવવાનો આક્ષેપ કર્યો છે. પાલિકા પ્રમુખે વેપારીઓના હિતમાં વહેલી તકે પારદર્શક હરાજી યોજવાની ખાતરી આપી છે.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોધરાની બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા માટે સજ્જ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમની તૈયારીઓ સુચારુ રૂપે ચાલી રહી છે. તેઓ હાલ છેલ્લા વર્ષના પ્રશ્નપત્રો અને બહુવિકલ્પીય પ્રશ્નો (MCQs) ઉકેલી રહ્યા છે. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને બોર્ડની પરીક્ષામાં સારો સ્કોર કરવાની અપેક્ષા છે. તેમને વાલીઓ અને શિક્ષકોનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. એક વિદ્યાર્થીએ માહિતી આપતા જણાવ્યું કે તેણે 2, 3 અને 4 માર્ક્સના પ્રશ્નોનું અલગ સેક્શન પાડીને તૈયારી શરૂ કરી છે. સલમાન સરના માર્ગદર્શન હેઠળ તેઓ પાછલા વર્ષના પ્રશ્નપત્રો અને ગુજકેટ (GUJCET) ની તૈયારીઓ પણ સાથે કરી રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓએ ગ્રુપમાં ચર્ચા કરીને અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવી છે, જેનાથી અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકાય છે. વાલીઓનો સહયોગ પણ પ્રશંસનીય છે, તેઓ વિદ્યાર્થીઓને સવારે વહેલા ઉઠીને તાજા મનથી અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરે છે. શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. સલમાન સરે વિદ્યાર્થીઓને MCQs અને સારા સ્કોરિંગ માટે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેના કારણે ફિઝિક્સ જેવા વિષયમાં પણ હવે કોઈ ડર નથી રહ્યો. અન્ય વિદ્યાર્થીઓએ ઉમેર્યું કે તેમની તૈયારીઓ ખૂબ સારી છે અને જે કોઈ શંકાઓ હોય તે તેઓ શાળામાં જ ઉકેલી લે છે. ફેકલ્ટી ખૂબ જ સહાયક હોવાથી પરીક્ષાનું કોઈ ટેન્શન નથી. આમ, બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર જણાઈ રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના વચેટિયા (પરવાના) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ શિકંજો કસ્યો છે. 15 લાખની લાંચના આ પ્રકરણમાં બંને આરોપીઓ હાલ ફરાર છે પરંતુ, તપાસ દરમિયાન સામે આવેલા આંકડાઓએ પાલિકા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. એસીબીની તપાસમાં ગણેશવાલાના બેંક લોકરમાંથી અંદાજે 55 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. જ્યારે પરવાનાના ઑફિસથી 80 હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાયો છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા વિરુદ્ધ એસીબીની કાર્યવાહી બાદ હવે પાલિકા તંત્ર દ્વારા પણ કડક પગલાં લેવામાં આવ્યા છે; 15 લાખની લાંચના આ પ્રકરણમાં ગણેશવાલા અને તેમના સાગરીત પરવાના સામે ગુનો નોંધાયા બાદ અને તેમના બેંક લોકરમાંથી 55 લાખના દાગીના મળી આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજમોકૂફ) કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. લોકર ખોલતા જ એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાએન્ટી કરપ્શન બ્યુરોની ટીમે જ્યારે ફરાર ઇજનેર વિપુલ ગણેશવાલાના બેંક લોકરની તપાસ હાથ ધરી, ત્યારે અધિકારીઓ પણ દાગીનાનો જથ્થો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકરમાંથી કુલ 55 લાખ રૂપિયાની કિંમતના કિંમતી ઘરેણાં મળી આવ્યા છે. આ મિલકત તેમની કાયદેસરની આવક કરતા કેટલી વધુ છે તેની તપાસ અત્યારે ચાલી રહી છે. બીજી તરફ, ગણેશવાલાના વચેટિયા ગણાતા 'પરવાના' ની ઓફિસ પર દરોડા પાડતા ત્યાંથી પણ 80 હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. વચેટિયા પાસે મિલકતોનો ખજાનોતપાસ દરમિયાન એસીબીને માત્ર રોકડ કે દાગીના જ નહીં, પરંતુ સ્થાવર મિલકતોની પણ મોટી વિગતો હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગણેશવાલાના સાગરીત પરવાના પાસે સુરતમાં 6 થી 7 જેટલા મકાન અને દુકાનો હોવાનું સામે આવ્યું છે. એક સામાન્ય વચેટિયા પાસે આટલી મોટી મિલકત ક્યાંથી આવી? શું આ બધી મિલકતો ભ્રષ્ટાચારના નાણાંમાંથી વસાવવામાં આવી છે? તે દિશામાં હવે એસીબીએ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. ડિમોલિશન રોકવા માટે 15 લાખની લાંચની માંગણીઆ સમગ્ર વિવાદ લિંબાયત ઝોનમાં ગેરકાયદેસર બાંધકામો સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનની તલવાર લટકાવીને તેને રોકવા માટે 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના હપ્તા પેટે જ્યારે 4 લાખ રૂપિયા સ્વીકારવાના હતા, ત્યારે જ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જોકે, ટ્રેપની ગંધ આવી જતાં વચેટિયો પરવાના 4 લાખ રૂપિયા લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને તેની પાછળ પાછળ ઇજનેર ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. રાજકીય કનેક્શન અને અગાઉ થયેલી ફરિયાદોવિપુલ ગણેશવાલાના કારનામાઓ કઈ નવા નથી. અહેવાલો મુજબ, થોડા સમય પહેલા લિંબાયતના જ એક કોર્પોરેટરે સંગઠનમાં ગણેશવાલા અને તેના વચેટિયા વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી હતી. આ બાબત એટલી ગંભીર હતી કે ભાજપના મોવડી મંડળે ગણેશવાલાને રૂબરૂ બોલાવીને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો તેમછતાં તેમની કાર્યપદ્ધતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો અને અંતે તેઓ એસીબીની જાળમાં ફસાઈ ગયા. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ જારીહાલમાં વિપુલ ગણેશવાલા અને પરવાના બંને પોલીસ પકડથી દૂર છે. એસીબી દ્વારા તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. શંકા સેવાઈ રહી છે કે બંને આરોપીઓ સુરતની બહાર કોઈ સુરક્ષિત સ્થળે છુપાયા હોઈ શકે છે. એસીબીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ આ બંનેની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની વધુ મિલકતોના રહસ્યો પરથી પડદો ઊંચકાશે. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટગણેશવાલાના લોકરમાંથી મળેલા 55 લાખના દાગીના અને 80 હજારની રોકડ બાદ સુરત મહાનગરપાલિકાના અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લિંબાયત ઝોન હંમેશા ગેરકાયદેસર બાંધકામો અને તેમાં થતા વહીવટો માટે ચર્ચામાં રહે છે, ત્યારે એસીબીની આ આકરી કાર્યવાહીથી ભવિષ્યમાં વધુ મોટા માથાઓ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની બહેનોની બે દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સ્પર્ધા માટે આજે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ભાગ લેવા આવેલા તરવૈયાઓએ આજે સાંજે વોર્મઅપ પણ કર્યું હતું. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આ સ્પર્ધા હિંમતનગરના ભોલેશ્વરમાં આવેલા સાબર સ્ટેડિયમ ખાતે 22 અને 23 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તેમાં અંડર-11, અંડર-14 અને અંડર-17 એમ ત્રણ વયજૂથની બહેનો ભાગ લેશે. સ્પર્ધા માટે ખેલાડીઓના રજિસ્ટ્રેશન શનિવારે સાંજથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયા હતા, જે આવતીકાલે સવાર સુધી ચાલશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેલાડીઓએ સ્વિમિંગ પૂલમાં વોર્મઅપ કર્યું હતું.
નીતિન નબીને રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.તેમણે સવારે રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું. રિવરફ્રન્ટ ખાતે તેમણે ગાઠિયા, પૌવા અને ઉપમાનો નાસ્તો પણ કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટના જંગલેશ્વરમાં થશે મેગા ડિમોલિશન રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનની તૈયારીઓ થઈ ગઈ છે. સોમવારે સવારે ડિમોલિશન શરૂ થશે. જો કે, ડિમોલિશન શરૂ થાય તે પહેલા જ ઘણા લોકોએ પોતાના ઘર જાતે તોડવાની શરૂઆત કરી દીધી છે. અહીં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો તોડી પડાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસે બિલ્ડરની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અટકાયત કરી છે. બિલ્ડરના પરિવારનો આક્ષેપ છે કે, તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો DJ ધીમુ વગાડવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અમદાવાદના સરસપુરમાં ડીજે ધીમુ વગાડવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી સાત લોકોની અટકાયત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરત ભાજપે રાહુલ ગાંધીના પૂતળા દહન કર્યું દિલ્હીમાં AI સમિટમાં બનેલી ઘટનાના પડઘા સુરતમાં પડ્યા.અઠવાગેટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ રાહુલ ગાંધીના પૂતળા દહન કર્યું. સાથે જ રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નંબર પ્લેટ વિનાના ડમ્પરે યુવકને કચડી નાખ્યો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં નંબર પ્લેટ વિનાના ડમ્પરે મોપેડ પર જઈ રહેલા 22 વર્ષના યુવકને કચડી નાખ્યો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં 7 દિવસમાં ત્રીજી ફરિયાદ જૂનાગઢના યુટ્યૂબર યુવકે કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. યુવકનો આક્ષેપ છે કે,તેની પાસે 20 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈકો કારનો ભયંકર અકસ્માત,5 લોકોના મોત ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ભયંકર અકસ્માત સર્જાયો. ઈકો કાર ડિવાઇડર સાથે અથડાતા બે પરિવારના 5 સભ્યોના મોત થયા. મૃતકો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી અમદાવાદમાં પરત ફરી રહ્યો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માતા-પુત્રી મકાનના પહેલા માળેથી નીચે પટકાયા સુરતના લિબાયત વિસ્તારમાં માતા-પુત્રી નિર્માણાધીન મકાનના પહેલા માળેથી નીચે પટકાયા. આટલી ઉંચાઈએથી પડવા છતાં બંનેનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ચિત્રા GIDCમાં ટાયર્સના ગોડાઉનમાં આગ ભાવનગરની ચિત્રા GIDCમાં જે. કે. ટાયર્સના ગોડાઉન અને લક્ષ્મી ફરસાણના યુનિટમાં અચાનક આગ ફાટી નીકળી. ફાયરની 11 ગાડીઓ અને 70 જવાનોએ 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાના ખાસ સાગરીત પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. લુકઆઉટ સર્ક્યુલરના આધારે ઝડપાયેલા આરોપીને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં જુના રેવન્યુ સર્વે નં. 426 નવા સર્વે નં. 311/2 વાળી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન શ્રી સોમ રિયાલિટી નામની પેઢી દ્વારા તેના મૂળ માલિકો પાસેથી કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી અને ત્રણ વર્ષ અગાઉ તેના દસ્તાવેજ પણ થઈ ગયા હતા. આ જમીન પર નજર રાખનાર કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ હરીભાઈ માલવિયા અને તેના સાગરીત પ્રતુલ અરવિંદભાઈ પટેલે જમીન પચાવી પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું. કેવી રીતે રચ્યું હતુ ષડયંત્ર?આરોપીઓએ જમીન હડપવા માટે કાયદાકીય છટકબારીઓ અને બોગસ દસ્તાવેજોનો સહારો લીધો હતો. આરોપીઓએ જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બોગસ સાટાખત તૈયાર કર્યા હતા. નવી શરતની જમીન હોવા છતાં અને કલેક્ટરની કોઈ મંજૂરી વિના આરોપીઓએ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા અને મૂળ માલિકો સાથે સમાધાન થઈ ગયું હોવાનું જણાવી હુકમનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત રાજેશકુમાર સુભાષચંદ્ર પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ન્યાયતંત્રને અંધારામાં રાખી કરોડોની મિલકત પચાવવાનો કારસો રચ્યો હતો. બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડરાજેશકુમારની ફરિયાદ બાદ વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી હતી. ઇકો સેલે ગત અઠવાડિયે મુખ્ય આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરી હતી. આ પછી પ્રતુલ પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો પરંતુ, પોલીસે તેની વિરુદ્ધ અગાઉથી જ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી દીધો હતો. બેંગ્લોર એરપોર્ટ પર જેવો તે ઈમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો કે, તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો.
AI ઇમ્પેક્ટ સમિટ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને યુવાશક્તિના ઉજ્જવળ ભવિષ્ય સાથે રાજકારણ કરવું યોગ્ય નથી. AI સમિટ દેશના યુવાનો માટે નવી દિશા અને અનંત તકોમુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ ભારત ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. AI સમિટ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના યુવાનોને નવી દિશા અને અનંત તકો આપતી ઐતિહાસિક પહેલ છે. તેમણે ઉમેર્યું કે, સ્ટાર્ટઅપ્સ, ઇમર્જિંગ ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી ઐતિહાસિક પહેલનો વિરોધ કરવો એ દેશના હિતો સામે જવું સમાન છે. ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવો રાજકીય અસ્થિરતાનું પ્રતીકમુખ્યમંત્રીએ કોંગ્રેસને સંબોધતા કહ્યું કે, જ્યારે જ્યારે ભારત વિશ્વમંચ પર ગૌરવ અનુભવે છે, ત્યારે કેટલાક લોકો તેના વિરોધમાં ઊભા રહે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાત સહિત સમગ્ર દેશની યુવાશક્તિ માટે આ સમિટ નવી આશાઓનો દ્વાર ખોલે છે. આવા સમયે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવો રાજકીય અસ્થિરતાનું પ્રતીક છે. રાજકીય માહોલમાં આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ ભાજપ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દેશના વિકાસ અને ટેક્નોલોજી ક્ષેત્રની પ્રગતિમાં કોઈ અવરોધ સહન નહીં કરવામાં આવે.
પતિએ પત્નીની હત્યા કરી:સાપુતારા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
ડાંગ જિલ્લાના સાપુતારા નજીક નવાગામમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. સાપુતારા પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રહલાદ વિષ્ણુભાઈ આહીર નામના વ્યક્તિએ પોતાની પત્ની સવિતાબેનની હત્યા કરી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકાને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી પ્રહલાદે કુહાડી વડે પત્ની સવિતાબેનના ગળાના ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય ગુપ્ત માહિતીના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સતત દબાણ અને સૂચનાના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રહલાદ આહીરને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાપુતારા પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી ગંભીર ગુનાનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલાયો છે.
મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ લોકપ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેને સમયમર્યાદામાં ઉકેલવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. પ્રજાલક્ષી કામો ઝડપથી પૂરા કરવા જણાવ્યું હતુંઆ બેઠક દરમિયાન લોકસભા સાંસદ હરિભાઈ પટેલે ઉનાળામાં પીવાના પાણીનું આગોતરું આયોજન કરવા, તળાવો ભરવાની લિન્ક યોજના, શ્રમિકોને રોજગારી, જમીન માપણીની સમસ્યાઓ અને મહેસાણા શહેરની ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. તેમણે હાઈ-વે અને હોટલો પાસે ફેલાતી ગંદકી દૂર કરવા તેમજ વધુ ઝડપે દોડતા વાહનો પર નિયંત્રણ લાવવા જેવી બાબતો પર પણ ભાર મૂક્યો હતો.આ ઉપરાંત રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયકે વૃદ્ધ સહાય અને ગંગાસ્વરૂપા સહાય યોજનાના લાભાર્થીઓ માટે વિશેષ ઝુંબેશ ચલાવવા અને પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. વહીવટી બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતીવિવિધ ધારાસભ્યો દ્વારા પણ દેરોલ બ્રિજ પર એસ.ટી. બસની વ્યવસ્થા, જમીન માપણી અને રાહત ગાળાના પ્લોટ ફાળવવા સહિતના મહત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં માર્ગ સલામતી માસ અભિયાન અને જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસકામો અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. કલેક્ટરે સંકલન ભાગ-2માં અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા તથા પેન્શન કેસો, ઓડિટ પેરા અને સરકારી નાણાંની વસૂલાત જેવી વહીવટી બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ સહિત અન્ય ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના તાત્કાલિક નિરાકરણ માટે કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા CSR હેઠળ કરવામાં આવેલી ખર્ચ અને કામગીરીની વિગતો અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ધારાસભ્ય પી.કે. પરમારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જમીન સંપાદનમાં હદ નિશાન, નોંધ, માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય હસ્તકના રોડ-રસ્તાના રીપેરીંગ, પ્રગતિ હેઠળના કામો અને અતિવૃષ્ટિ સહાય પેકેજ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ પ્રશ્નોના સંદર્ભે કલેકટરે સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં ઉકેલ લાવવા તાકીદ કરી હતી. જિલ્લા કલેકટર કે.એસ. યાજ્ઞિકે ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે, સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવામાં આવે. તેમણે 'પ્રો-એક્ટિવ' અભિગમ અપનાવી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, સર્વે મામલતદારો, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ કલેકટર કચેરી સભાખંડ ખાતે કલેકટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે, ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો સહિત 564 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 41 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા તથા 94 નવા ખાદ્ય પરવાના અપાયા હતા. આ બેઠકમાં વાજબી ભાવની દુકાનોની સંખ્યા અને અનાજ વિતરણ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તા કે.એસ. યાજ્ઞિકે અનાજનો પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી. હાલ જિલ્લામાં કુલ 536 વાજબી ભાવની દુકાનો કાર્યરત છે. જે પૈકી 41 જેટલી દુકાનો હાલ ચાર્જમાં છે. NFSA 2,55,396 કાર્ડ અને NON NFSA 1,01,821 કાર્ડ નોંધાયેલા છે. ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા 55 જેટલા પેટ્રોલ પંપ, ગેસ એજન્સીની સંખ્યા 8 સામે તપાસ કરવામાં આવી હતી. સસ્તા અનાજની 15 દુકાનો તેમજ અન્ય 564 વેપારી/ફેરિયાઓ સામે તપાસ કરવામાં આવી છે. જેમાં 10 સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ પેટે રૂ. 58,000 તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ. 3,50,275 ફી વસુલ કરવામાં આવી હતી.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગત માસમાં 41 જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા. 24 જેટલા ખાદ્ય નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટીની કામગીરી દરમિયાન 20 જેટલા ઇન્ફોર્મલ નમુના લેવામાં આવ્યા હતા. 94 જેટલા રજિસ્ટ્રેશન અને લાયસન્સ ખાદ્ય પરવાના આપવામાં આવ્યા છે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, પાણીની લારી, અનાજ કરિયાણાની પેઢી અન્ય સ્થળ સહિત 60 જેટલા સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લાના વાપી ખાતે નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹19.71 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા દંડક અને સાંસદ ધવલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બલીઠા પાસે આ અંડરપાસનું ઉદ્ઘાટન થયું. આ સાથે વાપી મહાનગરપાલિકાના ₹32.23 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને ₹25.39 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંડરપાસના નિર્માણથી શહેરીજનોની લાંબા સમયની રાહનો અંત આવ્યો છે અને તેમની ટ્રાફિક સમસ્યાઓ હલ થશે. તેમણે વાપી મહાનગરપાલિકા દ્વારા કાર્યોના ઝડપી અમલીકરણની પ્રશંસા કરી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પીવાના પાણી માટે ડુંગરા ખાતેની વ્યવસ્થાનો પ્રોજેક્ટ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં ત્રણ વર્ષ સુધી કોઈ ટેક્સ વધારો કરવામાં આવ્યો નથી. તેમણે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે અનેક શહેરોનો વિકાસ થયો છે. મંત્રી દેસાઈએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025માં આ યોજનાના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને સમગ્ર ગુજરાતના શહેરોના વિકાસ માટે ₹30 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. હાલમાં આ વિકાસ કાર્યો મુખ્યમંત્રી સ્વયં શહેરી વિકાસ યોજનામાંથી કરવામાં આવે છે અને આ વર્ષે તેનું બજેટ ₹34 હજાર કરોડ કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પોતાના વિસ્તારના વિકાસ માટે રાહ જોવાની જરૂર નથી, માત્ર યોગ્ય આયોજનની જરૂર છે. સાંસદ ધવલભાઈ પટેલે અંડરપાસની સુવિધા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સરકારની વિકાસગાથા વર્ણવી હતી. વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન આપી સૌનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, વાપી તાલુકા સંગઠન પ્રમુખ મનીષ પટેલ, તાલુકા શહેર પ્રમુખ સમય પટેલ, વીઆઈએ પ્રમુખ શૈલેષ પટેલ અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતિન પટેલ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં અમદાવાદના DCB પોલીસ મથક ખાતે BNS અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત 5 આરોપીઓ સામે બાળ તસ્કરીનો ગુનો નોંધાયો હતો. જે પૈકી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી અને ઓઢવ ખાતે રહેતી મહિલા વંદના પંચાલે અમદાવાદની સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. 3.60 લાખમાં બાળક ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતુંવિગતે જોતા અમદાવાદના કોતરપુર ખાતેથી ગાડીમાં ત્રણ આરોપીઓ નવજાત બાળકની તસ્કરી કરતા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમી મુજબ તેઓએ વોચ ગોઠવીને ગાડી રોકી હતી અને અંદર બેસેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા, તેમની પાસેથી એક નાનું બાળક મળી આવ્યું હતું. જેને 3.60 લાખમાં ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બાળક હિંમતનગરના વ્યક્તિ પાસેથી ખરીદી હોવાનું તેઓએ જણાવ્યું હતું. બાળ તસ્કરીની આંતરરાજ્ય ગેંગ હોવાની સંભાવના ઉલ્લેખનીય છે કે, બાળ તસ્કરીની આંતરરાજ્ય ગેંગ હોવાની સંભાવના છે. જેમાં હજુ પણ 6 જેટલા આરોપીઓને ઝડપવાના બાકી છે. વંદના પંચાલ વચેટિયા તરીકે કામ કરતી હતી. બાળક બનાસકાંઠાથી હૈદરાબાદ જતું હતું. જોકે, અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સહ-આરોપીએ ખોટી રીતે તેને ફસાવી દીધી છે. તેનો ગુનામાં કોઈ ભાગ નથી. જોકે, સરકારી વકીલે સુધીર બ્રહ્મભટ્ટે આ જામીન અરજીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. અગાઉ પણ તેની સામે હૈદરાબાદના પોલીસ મથકે બાળ તસ્કરીનો ગુનો નોંધ્યોવંદના પંચાલ અમદાવાદમાં રહીને બાળ તસ્કરીના ગુન્હાની અંજામ આપી હતી. તે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં જઈને ગરીબ માતા-પિતાનો સંપર્ક કરી તેમને લલચાવીને બાળક ખરીદી લેતી હતી. બાળકોને રાજ્ય બહાર વેચવાનુ ષડયંત્ર ચાલતું હતું. અગાઉ પણ તેની સામે હૈદરાબાદના પોલીસ મથકે બાળ તસ્કરીનો ગુનો નોંધાયેલો છે.
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આજે (21 ફેબ્રુઆરી)ના રોજ દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. ટાઉનશીપમાં અનેક મકાનધારકો દ્વારા ઘરની બહાર ઓટલા અને કંપાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હતી, જેને તોડી પાડવામાં આવ્યા હતા. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના બાદ કામગીરીખોડિયાર નગર વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશીપમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. સાનિધ્ય ટાઉનશીપના કેટલાક મકાનધારકો દ્વારા મકાનોની બહાર ઓટલા અને કંપાઉન્ડ વોલ બનાવી દીધી હતી, જેના કારણે આંતરિક રોડ સાંકળો થઇ ગયો હતો. ટાઉન પ્લાનિંગ શાખાની સૂચના મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓનલાઇન ફરિયાદ બાદ પગલાં ભરવામાં આવ્યાસમગ્ર વિગત એવી છે કે, સોસાયટીનો આંતરિક રોડ ખોદવા બાબતે ફરિયાદીએ ફરિયાદ કરી હતી. સીએમ ઓનલાઇન અને સરકારના પોર્ટલ પર આ ફરિયાદ મુકવામાં આવી હતી, જેના આધારે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ, આ દબાણ દૂર નહીં અંતે આજરોજ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગની મદદ લેવામાં આવીઆ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા કોઈ ઘર્ષણ ઉભું ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓની હાજરીમાં ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા.
પાટણ નગરપાલિકાના સદસ્ય ભરત ભાટીયાએ ચીફ ઓફિસર હીરલબેન ઠાકરને લેખિત રજૂઆત કરી છે. નગરપાલિકા હસ્તકના અનેક કિંમતી વાહનો અને મશીનરી લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યા છે. નજીવી ટેકનિકલ ખામીઓને કારણે આ સાધનો રિપેર ન થતા પાલિકાની રોજિંદી કામગીરી પર માઠી અસર પડી રહી છે. પાટણ નગરપાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટ અને સ્વભંડોળમાંથી રોડ લોડર, સ્કાય લિફ્ટર, જેસીબી, મોટું રોડ સ્વીપર અને બે નાના રોડ સ્વીપર જેવા સાધનોની ખરીદી કરવામાં આવી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ સાધનો નાની ટેકનિકલ ખામીઓને કારણે બિનઉપયોગી પડ્યા છે. પાલિકાની સામાન્ય સભામાં વાહન રિપેરિંગના લાખો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવે છે. તેમ છતાં, વાસ્તવિકતામાં આ સાધનોનો ઉપયોગ થઈ રહ્યો નથી, જે વહીવટી દૃષ્ટિએ ચિંતાનો વિષય બન્યો છે. નગરપાલિકાના નિયમ મુજબ, આ સાધનો ભાડે આપીને આવક ઊભી કરી શકાય છે, પરંતુ હાલ સાધનો બંધ હોવાથી પાલિકાને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત, સફાઈ, મરામત અને વિકાસના કામોમાં પણ અવરોધ ઊભો થયો છે. જરૂરિયાતના સમયે પાલિકાએ ખાનગી સાધનો મોંઘા ભાવે ભાડે લાવવાની નોબત આવી છે. સદસ્ય ભરત ભાટીયાએ ચીફ ઓફિસરને રૂબરૂ સ્થળ તપાસ કરવા અને બંધ પડેલા સાધનોને સત્વરે કાર્યરત કરાવવા માંગ કરી છે, જેથી આર્થિક નુકસાન અટકે અને શહેરના વિકાસ કાર્યોમાં ગતિ આવે.
ભરૂચ શહેરમાં 85 વર્ષીય સ્વ. ભુપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના નિધન બાદ તેમના પરિવારે દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની અંતિમ ઈચ્છા મુજબ, માનવસેવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું. આ દેહદાન પ્રક્રિયા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પૂર્ણ કરવામાં આવી. પરિવારજનોએ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. મૃતદેહને પરિવારજનોની હાજરીમાં સન્માનપૂર્વક ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો. કોલેજ તરફથી જનરલ મેનેજર હેતલ રાવે દેહદાન સ્વીકાર્યું હતું, જે મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી બનશે. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 1229 ચક્ષુદાન અને 22 દેહદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે. સંસ્થા આવા સેવાભાવી કાર્યોમાં સતત સક્રિય છે. આ પ્રકારના દેહદાનથી મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માનવ શરીર રચનાનો ઊંડો અભ્યાસ કરવાની તક મળે છે, જે ભવિષ્યમાં કુશળ ડોકટરો તૈયાર કરવામાં મદદરૂપ થાય છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ‘પૂર્ણા યોજના’ અને ‘પોષણ સંગમ’ કાર્યક્રમો હેઠળ 1934 બાળકો કુપોષણમુક્ત બની સુપોષિત થયા છે. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પાલનપુર ઘટક-1 અને 2 માં કિશોરીઓ અને બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પાલનપુર ઘટક-2 માં ‘પૂર્ણા યોજના’ અંતર્ગત ભૂતેડી ખાતે પૂર્ણા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 થી 18 વર્ષની કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટનું વિતરણ કરાયું હતું અને પોષણ તથા આરોગ્ય તપાસ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે કિશોરીઓ માટે મહેંદી અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓ યોજી તેમને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી. પાલનપુર ઘટક-1 ના 108 આંગણવાડી કેન્દ્રોમાં ‘પોષણ સંગમ’ અને ‘સુપોષણ ઝુંબેશ’ હેઠળ 1934 કુપોષિત બાળકોને સફળતાપૂર્વક સુપોષિત કરાયા છે. આ અભિયાન અંતર્ગત RBSK ટીમ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનું નિયમિત વજન, ઊંચાઈ અને ભૂખ પરીક્ષણ કરી જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગંભીર કુપોષિત બાળકોને CMTC કેન્દ્રોમાં રીફર કરવાની સાથે વાલીઓને ટેક હોમ રાશન (THR) અને પ્રોટીનયુક્ત ખોરાક વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, ગ્રામ અગ્રણીઓ અને દૂધ મંડળીઓએ ‘પાલક વાલી’ તરીકે જોડાઈને અભૂતપૂર્વ સહયોગ આપ્યો છે. જાન્યુઆરી-2025 થી જાન્યુઆરી-2026 સુધીના એક વર્ષના સમયગાળામાં સામુદાયિક પ્રયાસોને પરિણામે મોટી સંખ્યામાં બાળકો કુપોષણ મુક્ત બન્યા છે. હાલમાં સુપોષિત થયેલા બાળકોના વાલીઓનું સન્માન અને પોષણ કીટ વિતરણ દ્વારા સમગ્ર જિલ્લામાં કુપોષણ મુક્તિના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મક્કમ ડગલાં ભરવામાં આવી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટરે અધિકારીઓને વીજળી-પાણી બચાવવા અપીલ કરી
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ અધિકારીઓને તેમની કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા માટે અપીલ કરી હતી. બેઠક દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, નવી મંજૂર માધ્યમિક શાળાઓ માટે જમીન-મકાનની ગ્રાન્ટ, દેરોલ બ્રિજ, નેશનલ હાઈવે, શહેરી ટ્રાફિક સમસ્યા, બાકી રોડ-રસ્તાના કામો, સિવિલ હોસ્પિટલ રોડ પહોળો કરવા, મોતીપુરા બ્રિજ અને રિવરફ્રન્ટ બ્યુટિફિકેશન, અંડરગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી.ઓ. સર્કલ બ્યુટિફિકેશન, તેમજ કેન્દ્રીય વિદ્યાલય અને ત્રિવેણી હાઈસ્કૂલ આગળ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બેરીકેટ જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકના બીજા ભાગમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો અને આદિજાતિ વિસ્તારના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને નશાબંધી અંગે જાણકારી આપી હતી. તેમણે આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ જેવા વિવિધ વિભાગોને જિલ્લાને નશામુક્ત બનાવવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં સરકારી કોલેજો બનશે:ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ શિક્ષણ વિભાગની દરખાસ્ત
બોટાદ જિલ્લાને ૧૩ વર્ષ બાદ સરકારી કોલેજો મળશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં નવી સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને કલા કોલેજો શરૂ કરવાની દરખાસ્ત કરી છે. બોટાદ જિલ્લો બન્યાના ૧૩ વર્ષ પછી પણ અહીં એક પણ સરકારી કોલેજ નહોતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, જેમાં સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને કલા કોલેજો સ્થાપવાની માંગણી કરવામાં આવી હતી. તાજેતરમાં વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નંબર ૩૯ હેઠળ બોટાદ જિલ્લામાં ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ની સ્થિતિએ સરકારી કોલેજો બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સન ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં બોટાદ જિલ્લામાં નવી સરકારી વિજ્ઞાન, વાણિજ્ય અને કલા કોલેજો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, બોટાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. તેથી, જ્યારે સરકારી કોલેજો બનવા જઈ રહી છે, ત્યારે એક કોલેજનું નામ ઝવેરચંદ મેઘાણીના નામ પર અને બીજી કોલેજનું નામ કવિ બોટાદકરના નામ પર રાખવા માટે તેઓ સરકારમાં રજૂઆત કરશે.
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. દબાણો હટાવવા, આરોગ્ય અને વીજળી, પાણી, આવાસો સહિતના વિષયોવડોદરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો અંગે વિસ્તુત ચર્ચાઓ કરી તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજમાર્ગો માટે સંપાદનની પ્રક્રીયા, સરકારી જમીનો ઉપર થયેલા દબાણો હટાવવા, આરોગ્ય અને વીજળી, પાણી, આવાસો સહિતના વિષયો અંગે ધારાસભ્ય અક્ષય પટેલ તથા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીને સૂચના આપી હતી. પડતર તૂમાર, પેન્શન, સરકારી બાકી લેણા સહિતની બાબતે ચર્ચાસંકલનની બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓમાં પડતર તૂમાર, પેન્શન, સરકારી બાકી લેણા સહિતની બાબતો ચર્ચવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, માળોદ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત એક વિશાળ નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સંચાલિત સુરેન્દ્રનગરની આ શાખામાં યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી આરોગ્યનું મૂલ્યાંકન કરી સમયસર સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કેમ્પ દરમિયાન હેલ્થ ટીમના ડો. વિવેકસર પરમાર અને તેમની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા વિદ્યાર્થીઓની વિગતવાર આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સામાન્ય શારીરિક ચકાસણી ઉપરાંત આંખ, કાન, નાક, ગળું, દાંત, ત્વચા તેમજ પોષણ સંબંધિત તપાસો હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ઊંચાઈ, વજન, હિમોગ્લોબિન સ્તર અને લોહીની ટકાવારી જેવા જરૂરી આરોગ્ય પરિમાણોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. RBSK કાર્યક્રમ હેઠળ જન્મજાત તકલીફો, પોષણની અછત, વિકાસમાં વિલંબ અને શારીરિક ખામીઓ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓની વહેલી તકે ઓળખ કરવા પર ખાસ ધ્યાન અપાયું. જો કોઈ વિદ્યાર્થીમાં વિશેષ સારવારની જરૂરિયાત જણાઈ હોય, તો તેને આગળની સારવાર માટે યોગ્ય આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, પોષણયુક્ત આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. તબીબી ટીમે શિક્ષકો અને વાલીઓ સાથે પણ ચર્ચા કરી બાળકોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. આ પહેલથી સમુદાયમાં આરોગ્ય પ્રત્યેની સમજ વધારવામાં મદદ મળી. શાળાના સંચાલક આનંદપ્રિય સ્વામીજીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના આરોગ્યનું જતન શિક્ષણ જેટલું જ મહત્વપૂર્ણ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ગુજરાત સરકાર તથા હેલ્થ ટીમનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમ ગુરુકુલના શિક્ષક ગણ અને કર્મચારીઓના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો.
રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને શહેરીજનો વધુમાં વધુ જાહેર પરિવહનની સેવાનો ઉપોયગ કરે તે માટે આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ સુધી લક્ઝરી બસો અને ગુજરાત ST નિગમની બસો શહેરની બહાર દોડાવવામાં આવશે. અમદાવાદમાં ભારે લક્ઝરી અને એસટી બસો એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સુધી જ આવશે. હાઈવેથી જાહેર પરિવહન સેવા AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને AMCનો સાથે મળી મહત્વનો પ્રોજેક્ટઅમદાવાદમાં જાહેર એક્ઝિબિશન 'AmdavadNXT'ના ઉદ્ઘાટન પ્રસંગમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે, ત્યારે મહત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરી રહી છે. શહેરમાં જાહેર પરિવહનની AMTS, BRTS અને મેટ્રો દોડી રહી છે. અમદાવાદના રિંગરોડ પર જે બહારથી ભારે વાહનો જેવા કે લક્ઝરી બસો અને એસટી બસો દોડી રહી છે. જે હવે હાઈવે સુધી જ દોડશે અને ત્યાંથી જે પણ મુસાફરોને શહેરમાં આવવું હોય તેમને AMTS અને BRTS તેમજ મેટ્રો મારફતે શહેરમાં આવી શકશે. AMTS, BRTS અને મેટ્રોનો વધુ ઉપોયગ કરવા અપીલઆ પ્રકારના આયોજનથી શહેરમાં ટ્રાફિક હળવો થયા તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. લોકો AMTS અને BRTS તેમજ મેટ્રોનો વધુમાં વધુ ઉપોયગ કરે તેવી મારી અપીલ છે. શહેરમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. એક ઘરમાં ચાર લોકો રહેતા હોય અને ચારે વાહનોનો ઉપયોગ થાય તો ટ્રાફિક સમસ્યા વધુ થાય. જેથી લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરશે તો ટ્રાફિક ઘટાડી શકાશે. અમદાવાદ મેટ્રોસિટી છે જેથી અન્ય મેટ્રોસિટીની જેમ પ્લાનથી જો પરિવહન સેવા ચાલશે તો અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ખૂબ ઘટાડી શકાશે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે જાહેર પરિવહન સેવા પર એક્ઝિબિઝનવર્ષ 2023માં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે ત્યારે અનેક પ્રતિનિધિઓ અન્ય દેશમાંથી આવશે. ત્યારે અમદાવાદ શહેરની સારી ઓળખ લઇને જશે. રોડ-રસ્તા ફૂટપાથ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં અમદાવાદનું નામ રોશન કરીએ જેના માટે લોકો સરકાર અને AMCને સપોર્ટ કરે એવી અપીલ છે. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે 21થી 23 ફેબ્રુઆરી ત્રણ દિવસ દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જાહેર પરિવહન સેવા પર એક્ઝિબિઝન યોજાયું છે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લુ રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા થશે. અમદાવાદને વિશ્વસ્તરીય 'લિવબલ સિટી' બનાવશેસાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરાઈ હતી. આગામી 25થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રિંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય 'લિવબલ સિટી' બનાવશે. તેમણે રિંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મુકાયો છે. શહેરમાં 3000થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજનઅમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધીના 'નેટ ઝીરો' લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા AMC કટિબદ્ધ છે. આ માટે શહેરમાં 3000થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા વાહન વેરામાં 100% મુક્તિ અપાઈ છે. સાથોસાથ MyByk જેવી સેવાઓ દ્વારા પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો. AQI સુધારવા એરપોર્ટ-ગિફ્ટ સિટીને જોડતી 4 નવી મેટ્રો લાઇનશહેરી વિકાસના વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક્સ માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એર ક્વોલિટી (AQI) સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 4 નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે. ગુજરાત સરકાર દ્વારા પરિવહન માટે વાયબીલીટી ગેપ ફન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કલોલ અને સાણંદને 'રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ'થી જોડશેમ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ 'લાસ્ટ માઈલ કનેક્ટિવિટી' અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતાં તેમણે જણાવ્યું કે, કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને 'રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTS) થી જોડવામાં આવશે, જેનાથી મુસાફરીનો સમય માત્ર 30-45 મિનિટ થઈ જશે. આ પ્રસંગે ધારાસભ્ય અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, AMTS ચેરમેન ધરમશી દેસાઈ, અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:બોર્ડ પરીક્ષા દરમિયાન ST બસ સંચાલન સુવ્યવસ્થિત રાખવા સૂચના
અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન તમામ એસ.ટી. બસોનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા અને લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જનપ્રતિનિધિઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતા રસ્તાઓ, નવા આધારકાર્ડ બનાવવા અને આધાર અપડેટ સેવા કેન્દ્રો સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાવર, સામાપાદર, મોટા ઝીંઝુડા અને પીઠવડી ખાતે ગૌચર જમીન પરના દબાણ દૂર કરવા તેમજ જમીન માપણીના પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી. ધારીના સરસયીયા મુકામે વીજ જોડાણ, સીમરણ મુકામે ગૌચર જમીન દબાણ દૂર કરવું અને બગસરા-હામાપુર રોડ પર જંગલ કટીંગ સહિતના પ્રશ્નોને લઈને હાલ સુધીની પ્રગતિલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરએ સમીક્ષા હાથ ધરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. રાજુલા અને વેરાવળ એસ.ટી. બસને નિયમિત શરૂ કરવી, ચમારડી પેટા આરોગ્ય કેન્દ્રની કામગીરી અને સાવરકુંડલાથી લીમડા રોડ સહિતના મુદ્દે પણ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે દિશાનિર્દેશો આપ્યા હતા. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને આગામી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એસ.ટી. બસ તંત્ર અમરેલીને નિર્દેશ આપ્યો હતો કે, પરીક્ષા દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ એસ.ટી. બસોનું સંચાલન નિર્ધારિત સમય મુજબ રાબેતા મુજબ શરૂ રહે તે સુનિશ્ચિત કરવું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, લાઠી પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ, બગસરા, ધારી, સાવરકુંડલા-લાઠીના પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર ધોળાવાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા, તાલુકા અને શહેર મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ શહેરમાં વીજ બિલના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. PGVCLની વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીએ બાકીદારોના વીજ જોડાણ કાપવા માટે વિશેષ અભિયાનની જાહેરાત કરી છે. નાયબ ઇજનેર ડી. ડી. ડોડીયાએ જણાવ્યું હતું કે, કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ વીજ ગ્રાહકો જેમણે બિલ ભર્યા નથી, તેઓ તાત્કાલિક ભરપાઈ કરી દે. કંપની દ્વારા 25 ફેબ્રુઆરી, 2026 (બુધવાર) ના રોજ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ટીમો દ્વારા બાકીદાર ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવશે. ગ્રાહકોને ઓનલાઈન માધ્યમ દ્વારા અથવા વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીએ રૂબરૂ જઈને પોતાનું બાકી બિલ તાત્કાલિક ભરપાઈ કરવા વિનંતી કરવામાં આવી છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્થળ પર અથવા ટીમ પહોંચે ત્યારે કોઈપણ પ્રકારની રોકડ કે અન્ય પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. જો બિલ ભરવામાં વિલંબ થશે અને જોડાણ કપાઈ જશે, તો ગ્રાહકોને પુનઃ વીજ જોડાણ મેળવવા માટે સંપૂર્ણ બાકી બિલ ઉપરાંત રી-કનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે. આનાથી ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડશે. PGVCL દ્વારા બાકીદાર ગ્રાહકોને અનાવશ્યક અસુવિધા, વધારાના ખર્ચ અને વીજ પુરવઠા ખોરવાઈ જવાની પરિસ્થિતિથી બચવા માટે તાત્કાલિક બિલ ભરપાઈ કરવા અનુરોધ કરાયો છે. કંપનીએ જણાવ્યું છે કે નિયમિત અને સમયસર બિલ ચુકવણીથી જ સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરી શકાય છે. PGVCL એ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી કડક અને વ્યાપક રહેશે. તેથી, વેરાવળ શહેરમાં 25 ફેબ્રુઆરી પહેલા બિલ ભરપાઈ કરવા માટે ગ્રાહકોમાં સક્રિયતા જોવા મળી શકે છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ એક ટેક્સટાઇલ વેપારીનું ધોળા દિવસે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અપહરણમાં વપરાયેલી કાળા રંગની સ્કોર્પિયો કાર સુરત કરણી સેનાના હોદ્દેદાર સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરી વેપારીને મુક્ત કરાવ્યો છે. 50 હજારને લઈ ઘર્ષણ ચાલી રહ્યું હતુંઆ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિમાં આર્થિક વ્યવહાર હોવાનું બહાર આવ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને ગોડાદરાની ગંગોત્રીનગર સોસાયટીમાં રહેતા 21 વર્ષીય દીવાકર ઉર્ફે ટીકુ તિવારી ટેક્સટાઇલ પાર્સલ પેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દીવાકર અગાઉ અડાજણના પિયુષ શંકર અગ્રવાલ સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો. ધંધામાંથી છૂટા થયા બાદ દીવાકરે પિયુષ પાસે પોતાના હકના 50,000 રૂપિયાની માંગણી કરી હતી. આ રકમ બાબતે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું અને ફોન પર પણ ગાળાગાળી થઈ હતી. નમો કાફે પર બોલાવી બળજબરી પૂર્વક કારમાં બેસાડી દીધોપિયુષ અગ્રવાલે આ નાણાકીય વિવાદનો અંત લાવવાના બહાને દીવાકરને ગોડાદરા વિસ્તારની શ્યામસૃષ્ટિ સોસાયટી પાસે આવેલા 'નમો કાફે' પર મુલાકાત માટે બોલાવ્યો હતો. દીવાકર જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે પિયુષ તેની સાથે અન્ય પાંચ અજાણ્યા સાગરીતોને લઈને પહેલેથી જ હાજર હતો. દીવાકર કંઈ સમજે તે પહેલા જ આ શખ્સોએ તેના પર હુમલો કરી દીધો હતો અને જાહેર રોડ પરથી જ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. કરણી સેનાના અધ્યક્ષના લખાણવાળી કારનો અપહરણમાં ઉપયોગઆ ગુનામાં જે વાહનનો ઉપયોગ થયો તે ચર્ચાનો વિષય બન્યું છે. અપહરણકર્તાઓએ કાળા રંગની સ્કોર્પિયો કારનો ઉપયોગ કર્યો હતો, જેના પર 'ચંદન કુમાર ઠાકુર-કરણી સેના અધ્યક્ષ, સુરત' તેવું લખાણ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ હાઈપ્રોફાઇલ ઓળખ ધરાવતી કારનો ઉપયોગ કરીને આરોપીઓએ વેપારીને ગોડાદરાથી પાંડેસરાના અવાવરૂ વિસ્તારમાં લઈ ગયા હતા. સત્તા અને સંગઠનના નામે કાયદો હાથમાં લેવાની આ હિંમત જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ખંઢેરમાં ગોંધી રાખી ચપ્પુની અણીએ ઢોર માર માર્યોઅપહરણ કર્યા બાદ આરોપીઓ દીવાકરને પાંડેસરા વિસ્તારમાં એક ખંઢેર જેવી જગ્યાએ લઈ ગયા હતા, ત્યાં તેને ગોંધી રાખીને ઢીકમુક્કીનો ઢોર માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ દીવાકરને ચપ્પુ બતાવીને ધમકાવ્યો હતો કે, જો હવે પછી પૈસા માંગ્યા છે તો જાનથી હાથ ધોવા પડશે. બિભત્સ ગાળો આપીને યુવાનને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો, જેથી તે ભવિષ્યમાં પોતાના બાકી નીકળતા રૂપિયા ભૂલી જાય. પોલીસે મધુરમ સર્કલથી વેપારીનો છુટકારો કરાવ્યોઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એસ. મેવાડા અને તેમની ટીમે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો. આખરે ડીંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે કુનેહપૂર્વક વેપારી દીવાકર તિવારીને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી હેમખેમ મુક્ત કરાવ્યો હતો. મુખ્ય આરોપી સહિત પાંચ જેલના સળિયા પાછળપોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર પિયુષ અગ્રવાલ સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં (1) પિયુષ અગ્રવાલ (અડાજણ) (2) ચંદન ઠાકુર ઉર્ફે યુગ (પાંડેસરા) (3) વિવેકસિંઘ રાજપુત (કતારગામ) (4) લક્કી ખટીક (પાંડેસરા) અને (5) સંજુકુમાર સિંઘ (પાંડેસરા)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે અપહરણ, ગેરકાયદે ગોંધી રાખવા, માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત પોલીસની કડક ચેતવણીઆરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેઓ અલગ-અલગ રાજ્યોના વતની છે અને સુરતમાં મજૂરી કે નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. કરણી સેનાના નામનો ઉપયોગ આ ગુનામાં કેવી રીતે અને કોના ઈશારે થયો તે દિશામાં પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગોડાદરા પોલીસે જણાવ્યું છે કે શહેરમાં શાંતિ જાળવવા અને ગુંડાતત્વોને ડામવા માટે આવા ગુનાઓમાં કડક દાખલો બેસાડવામાં આવશે.
દેશમાં સાહસ અને ધાર્મિક એકતાના સંગમ સમાન એક અનોખી સ્કેટિંગ યાત્રાની શરૂઆત થઈ છે. બિહારના વતની શેખ તજમ્મુલ અને તેમના મિત્ર શેખ મુંઝાહિર ભારતનો રાષ્ટ્રધ્વજ ગર્વભેર લહેરાવીને દેશના કુલ 20 રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પ્રવાસ કરવા નીકળ્યા છે. આ યુવાનોએ પોતાની આ સાહસિક સફરનો પ્રારંભ ગુજરાતથી કર્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતની પ્રખ્યાત દરગાહ શરીફ પર જઈને ઝિયારત કરવાનો અને લોકોમાં ધાર્મિક એખલાસનો સંદેશ ફેલાવવાનો છે. ત્રણ ચાર હજાર રૂપિયા સાથે યાત્રા પર નીકળ્યાશેખ તજમ્મુલએ જણાવ્યું હતું કે, જેઓ ધોરણ 8 સુધીનો અભ્યાસ ધરાવે છે અને ઘરેથી માત્ર ત્રણ ચાર હજાર રૂપિયા સાથે આ યાત્રા પર નીકળી ગયા છે. તેઓ પોતાના સાથીદાર સાથે દરરોજ 50 થી 90 કિલોમીટર જેટલું અંતર સ્કેટિંગ કરીને કાપે છે. અને 20 રાજ્ય ફરવામાં તેઓને આઠથી નવ મહિના જેટલો સમય લાગશે. રસ્તાની પરિસ્થિતિ મુજબ તેઓ પોતાની ગતિ જાળવી રાખે છે. આ લાંબી સફર માટે તેઓ પોતાની સાથે 8થી 15 કિલો વજનની બેગ પણ રાખે છે. જેમાં કપડાં અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. પેટ્રોલ પંપ, દરગાહ, મદરેસા કે મસ્જિદમાં રોકાણ યાત્રા દરમિયાન આ યુવાનો રાત્રિના સમયે સુરક્ષિત સ્થળો જેવા કે પેટ્રોલ પંપ, દરગાહ, મદરેસા કે મસ્જિદમાં રોકાણ કરે છે. તેમની પાસે રહેલા કેમ્પની મદદથી તેઓ રાત્રિ વિશ્રામ કરીને ફરી બીજા દિવસે પોતાની મંજિલ તરફ આગળ વધે છે. આ યુવાનોની હિંમત અને શ્રદ્ધા આજના યુવા વર્ગ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે જો મનમાં દ્રઢ મનોબળ હોય તો કોઈપણ મુશ્કેલ લક્ષ્ય મેળવી શકાય છે. તિરંગા સાથેની તેમની આ સફર લોકોમાં આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની છે.
અમદાવાદ શહેરના ઈસનપુર અને સોલા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઈ છે, જેમાં ફરિયાદીઓ આંગડીયા પેઢીની ઓફિસથી રૂપિયા લઈને જતા હતા ત્યારે તેમની સાથે ચોરીની ઘટના બની છે. ગોતામાં વેપારી પાસેથી 2 લાખની ચોરી અને ઇસનપુરમાં 4.30 લાખ રૂપિયા ચોરી થઈ છે. પી.એમ.આંગડીયા પેઢીની ઓફિસમાં બે લાખ લેવા માટે ગયા હતાગોતા વિસ્તારમાં આવેલા પ્રાઈમ સ્ટેટ્સમાં રહેતા અલ્પેશ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં બે લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. અલ્પેશ પટેલ ફર્માની કંપની ધરાવીને દવાના કાચા માલ બનાવવાનું કામ કરે છે. થોડા દિવસ પહેલા અલ્પેશ પટેલ પોતાની કાર લઈને સાયન્સ સીટી રોડ પર આવેલા બ્લુમીંગ કેમ્પસની બાજુમાં આવેલી પી.એમ.આંગડીયા પેઢીની ઓફિસમાં બે લાખ રુપિયા લેવા માટે ગયા હતા. અલ્પેશ પટેલના મિત્રએ બે લાખ રૂપિયા આંગડીયા પેઢી મારફતે મોકલાવેલા હતા. રૂપિયા ભરેલી થેલી અલ્પેશ પટેલે ડ્રાઈવર સીટની બાજુમાં નીચે મૂકી હતી. અલ્પેશ પટેલે કાર નહી ઉભી રાખીને સીધી તેમના ઘર તરફ જવા દીધી હતીકાર લઈને અલ્પેશ પટેલ પોતાના ઘરે જવા માટે કારગીલ પેટ્રોલ પંપ પાસે પહોચ્યા હતા ત્યારે તેમની સાથે બનાવ બન્યો હતો. બાઈક પર હેલમેટ અને મોઢા પર રૂમાલ બાંધીને બે શખસો આવ્યા હતા અને તેમને ઈશારો કરીને અલ્પેશ પટેલને કાર ઉભી રાખવાનું કહ્યુ હતું. અલ્પેશ પટેલે કાર નહી ઉભી રાખીને સીધી તેમના ઘર તરફ જવા દીધી હતી. બાઈકર્સ અલ્પેશ પટેલનો પીછો કરીને તેમની સોસાયટી સુધી પહોચી ગયા હતા. બે લાખ રૂપિયા લઈને રફ્ફુચક્કર થઈ ગયા હતાઅલ્પેશ પટેલે કાર ઉભી રાખીને કાચ ખોલ્યો હતો. અલ્પેશ પટેલ બંને શખસો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બીજા બે શખસો બાઈક લઈને આવ્યા હતા. અલ્પેશ પટેલ બંને સાથે વાત કરતા હતા એવામાં બીજા બે શખસો કારનો દરવાજો ખોલીને બે લાખ રૂપિયા લઈને રફ્ફુચક્કર થઈ ગયા હતા. વાત કરનાર બંને શખસો પણ ત્યાંથી રવાના થઈ ગયા હતા, જ્યારે અલ્પેશ પટેલે ઘરે આવી ગયા હતા. અલ્પેશ પટેલની નજર બે લાખ ઉપર જતા તે ગાયબ હતા. આ મામલે અલ્પેશ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ખાલીદે 4.32 લાખ લઈ લીધા બાદ તેને સ્કૂટરની ડેકીમાં મૂકીને મિત્રને મળવા માટે ગયાઈસનપુર વિસ્તારમાં આવેલી જીતુભગત કમ્પાઉન્ડમાં રહેતા મોહમ્મદ ખાલીદે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં 4.32 લાખની ચોરીની ફરિયાદ કરી છે. મોહમદ ખાલીદ સંયુક્ત પરિવારમાં રહે છે અને મોબાઈલ તથા વાહનોની લે-વેચનું કામ કરે છે. થોડા દિવસ પહેલા મોહમદ ખાલીદનું પેમેન્ટ આંગડીયા મારફતે આવ્યુ હોવાથી તેને લેવા જવાનું હતું. ખાલીદ નારોલ પાસે આવેલા એચ.આર.આંગડીયા પેઢીની ઓફિસમાં 4.32 લાખ રૂપિયા લેવા માટે સ્કૂલર લઈને ગયા હતા. ખાલીદે 4.32 લાખ રૂપિયા લઈ લીધા બાદ તેને સ્કૂટરની ડેકીમાં મુકીને શાહઆલમ મિત્રને મળવા માટે ગયા હતા. સ્કૂટરની ડેકી ખોલી તો રૂપિયા ગાયબ હતાખાલીદે રૂપિયાને શાહઆલમ ખેરૂવાલા કોમ્પલેક્ષ ખાતે પાર્ક કર્યુ હુતં અને ત્યારબાદ તે મિત્ર ફરદીનની સાયકલની દુકાને ગયા હતા. થોડા સમય બાદ ફરદીન અને ખાલીદને ઘંટાકર્ણ માર્ટે પાસે ગયા હતા. રાતે 8 વાગ્યાની આસપાસ બંને પરત આવી ગયા હતા. જ્યા ખાલીદે ખેરૂવાલા કોમ્પલેક્ષ પાસે પાર્ક કરેલુ સ્કૂટર લઈને પોતાના ઘરે જતો રહ્યો હતો. ખાલીદે ઘરે જઈને સ્કૂટરની ડેકી ખોલી તો રૂપિયા ગાયબ હતા. ખાલીદ તરત જ ખેરુવાલા કોમ્પલેક્ષ પાસે પહોચી ગયો હતો અને ત્યા લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ચેક કરતા સામે આવ્યુ હતું કે, એક શખ્સ આવ્યો હતો અને સ્કૂટરની ડેકી ખોલીને 4.32 લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં તેની સાથે આવેલા શખ્સ સાથે બાઈક પર બેસીને ફરાર થઈ ગયો હતો. ખાલીદે આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નવસારીના અબ્રામા ગામના મામા-ભાણેજ વિદેશમાં સ્ટોર કીપરની નોકરી અપાવવાના બહાને 5 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. વડોદરાના બે ભાઈઓએ તેમને જ્યોર્જીયામાં મહિને 1 લાખથી વધુ પગારની લાલચ આપી હતી. પૈસા લીધા બાદ વિઝા કે ટિકિટ ન આપી છેતરપિંડી આચરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અબ્રામા ગામના દિવ્યેશભાઈ આહીર અને તેમના મામા પિયુષભાઈ આહિરને વિદેશ જવાની ઈચ્છા હતી. વર્ષ 2024માં વડોદરાથી પરત ફરતી વખતે ટ્રેનમાં તેમની મુલાકાત અસ્તમ દેવ ક્રિષ્ણા શુક્લા નામના શખ્સ સાથે થઈ હતી. અસ્તમે પોતાની ઓળખ વિદેશમાં માણસો મોકલનાર એજન્ટ તરીકે આપી તેમનો વિશ્વાસ જીત્યો હતો. મુલાકાતના એક વર્ષ બાદ, ઓગસ્ટ 2025માં અસ્તમે દિવ્યેશભાઈને ફોન કર્યો હતો. તેણે જ્યોર્જીયાના ટિબિલીસીમાં સ્ટોર કીપરની ખાલી જગ્યા હોવાનું જણાવ્યું હતું, જેમાં મહિને 1 લાખથી વધુ પગાર મળશે તેવી લાલચ આપી હતી. આ નોકરી માટે એક વ્યક્તિ દીઠ 2.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ વિઝા પ્રોસેસના નામે સ્કેનર મોકલી દિવ્યેશભાઈ પાસેથી 3.20 લાખ અને તેમના મામા પાસેથી 1.80 લાખ મળી કુલ 5 લાખ રૂપિયા અસ્તમ અને તેના ભાઈ શુભમના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા લીધા બાદ આરોપીઓએ વોટ્સએપ પર ઓફર લેટર અને ટિકિટ પણ મોકલી હતી, પરંતુ છેલ્લી ઘડીએ 'યુરોપમાં માહોલ ખરાબ છે' તેમ કહી મુસાફરી અટકાવી દીધી હતી. વારંવાર ઉઘરાણી કરવા છતાં અસ્તમ અને શુભમે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આરોપીઓએ 8 જાન્યુઆરી 2026 સુધીમાં પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું. આ મુદત વીતી જવા છતાં પૈસા ન મળતા દિવ્યેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુપીના જાવેદ અંસારી નામના વ્યક્તિ સાથે પણ આ જ રીતે ઠગાઈ કરવામાં આવી છે. આખરે, દિવ્યેશભાઈ આહીરે અસ્તમ શુક્લા અને શુભમ શુક્લા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુનાહિત કાવતરા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન થયું હતું. આ દરમિયાન તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે મોરબી નજીક બેલા ગામ પાસે આવેલા ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે શિવ શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ અમૃતિયાને અન્નનળીનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમની સારવાર મુંબઈમાં ચાલી રહી છે, જ્યાં આજે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં મોરબી શહેર ભાજપના આગેવાનો, મિશન નવભારતની યુવા ટીમ, વિવિધ એનજીઓ અને કાંતિભાઈ અમૃતિયાના સમર્થકોએ આહુતિ આપી હતી. મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં આ યજ્ઞ યોજાયો હતો. શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી મુંબઈની હોસ્પિટલમાં કાંતિભાઈ અમૃતિયાનું ઓપરેશન ચાલુ હતું, ત્યાં સુધી ખોખરા હનુમાન મંદિરના પટાંગણમાં યજ્ઞશાળા ખાતે શિવ શક્તિ યજ્ઞ યોજીને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના સાથે આહુતિ આપવામાં આવી હતી. મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે, કાંતિભાઈ અમૃતિયા ફરીથી લોકસેવામાં સક્રિય બની શકે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી આ શિવ શક્તિ યજ્ઞ ખોખરા હનુમાનજીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુના આશીર્વાદ અને કૃપા માટે કરવામાં આવ્યો છે.
વેરાવળ-તાલાલા હાઇવે પર ટ્રાફિક જામ:અડધો કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી, પ્રવાસીઓ અટવાયા
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-તાલાલા સ્ટેટ હાઇવે પર આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઇવેના નવીનીકરણના કામને કારણે એક તરફનો માર્ગ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામનું મુખ્ય કારણ એક એસ.ટી. બસ અને હાર્વેસ્ટર મશીન સામસામે આવી જતાં માર્ગ પર જગ્યાનો અભાવ હતો. આ કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. બંને તરફ આશરે અડધો કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી, જેમાં કાર, ટ્રક, બાઇક અને અન્ય પ્રવાસી વાહનો ફસાયા હતા. આ માર્ગ સોમનાથ મંદિરથી ગીર નેશનલ પાર્ક (સાસણ ગીર) જવાનો મુખ્ય સ્ટેટ હાઇવે હોવાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓની સતત અવરજવર રહે છે. આજના ટ્રાફિક જામને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ બહારથી આવેલા યાત્રિકોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. સ્થાનિકોના મતે, માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થાના અભાવે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, ટ્રાફિક પોલીસને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને ધીમે ધીમે જામ હળવો કર્યો હતો. હાઇવેના નવીનીકરણનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ ફરી સર્જાઈ શકે તેવી શક્યતા છે. આથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક અને ધીરજ સાથે મુસાફરી કરવા અપીલ કરવામાં આવી રહી છે.
મોરબીમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉપયોગમાં લેવાતા જેટીંગ મશીન ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને ગટરનું ઢાંકણું તોડી નાખ્યું છે. આ ઘટના સામાકાંઠા વિસ્તારમાં રિલીફનગરના ખૂણા પાસે આવેલી પોસ્ટ ઓફિસ નજીક બની હતી. ચાલક પોતાનો ટ્રક ચાલુ હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. કોન્ટ્રાક્ટરનો આ ટ્રક ભૂગર્ભ ગટરની કુંડી ઉપર મૂકેલા મોટા પથ્થર પર ચડી ગયો હતો, જેના કારણે પથ્થર તૂટી ગયો હતો અને ટ્રક ફસાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કુંડી અંદાજે 30 ફૂટ ઊંડી છે. ચાલક વાહન ચાલુ હાલતમાં છોડીને નાસી છૂટતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બાદમાં અન્ય વાહનની મદદથી ફસાયેલા જેટીંગ મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ ઘટના પણ આવી જ એક કામગીરી દરમિયાન બની હતી. હાલમાં આ ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હાલતમાં છે, જે જોખમી છે. સ્થાનિક લોકોની માંગ છે કે કોઈ જીવલેણ અકસ્માત ન થાય તે માટે વહેલી તકે ખુલ્લી ગટર ઉપર આડસ મૂકવામાં આવે અથવા ઢાંકણું ગોઠવવામાં આવે. ખુલ્લી કુંડીમાં કોઈ બાળક કે અબોલ જીવ પડી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતના યોગીચોક વિસ્તારમાં શુક્રવારની રાત્રે એક રિક્ષાચાલકે માર્ગ પર જઈ રહેલા 2થી 3 લોકોને અડફેટે લીધા હતા. ત્યારબાદ રિક્ષાચાલકે ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે દારૂના નશામાં મશગુલ રિક્ષાચાલકે ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવ્યા સાથે કાઠિયાવાડી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેથી મામલો ગરમાયો હતો અને રોષે ભરાયેલા લોકોના ટોળાએ રિક્ષાચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. નશામાં બેફામ રિક્ષાચાલકે 2-3 લોકોને અડફેટે લીધામળતી માહિતી મુજબ, ગઈકાલે 20 ફેબ્રુઆરી રાત્રે અંદાજે 11:30 વાગ્યાની આસપાસ જ્યારે યોગીચોક વિસ્તારમાં લોકોની અવરજવર હતી, ત્યારે એક રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં બેફામ રિક્ષા હંકારી રહ્યો હતો. નશાના કારણે રિક્ષા પરનો કાબૂ ગુમાવતા તેણે માર્ગ પર જઈ રહેલા 2થી 3 લોકોને અડફેટે લીધા હતા. ભૂલ સ્વીકારવાને બદલે લોકો સાથે માથાકૂટ કરી અકસ્માત સર્જ્યા બાદ રિક્ષાચાલકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ત્યાં હાજર લોકો સાથે માથાકૂટ શરૂ કરી હતી અને રિક્ષાચાલકે કાઠિયાવાડી સમાજને નિશાન બનાવીને અભદ્ર ભાષામાં ગાળો ભાંડી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. જાહેર રસ્તા પર સમાજ વિરુદ્ધ આવી ગંદી ટિપ્પણીઓ સાંભળીને સ્થાનિક રહીશો અને રાહદારીઓનો પિત્તો ગયો હતો. અપશબ્દો બોલતાં ટોળાએ મેથીપાક ચખાડ્યો જેવી રિક્ષાચાલકે અભદ્ર ભાષા બોલવાનું શરૂ કર્યું, કે તરત જ લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ તેને પકડી પાડ્યો હતો અને તેને સબક શીખવાડવા માટે મેથીપાક ચખાડ્યો હતો. ઘટના સ્થળે થયેલા ભારે હોબાળાને કારણે લોકોનુ ટોળુ ભેગો થતા થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રીક્ષાચાલક અંગે તપાસ કરી રહ્યા છીએ-PIઆ મામલે પોલીસનો સંપર્ક કરતા સરથાણા PI બી.બી કરપડાએ જણાવ્યું હતું કે, અમને માહિતી છે ત્યાં સુધી તે રીક્ષા ચાલક નહોતો પરંતુ બે બાઈક ચાલકો વચ્ચે બબાલ થઈ હતી. પરંતુ બંને એક જ સમાજના હોવાથી સમાધાન થઈ ગયું હતું અને રીક્ષાચાલક અંગે તપાસ કરી રહ્યા છીએ.
દાદરા-નગર હવેલીમાં બંધનું એલાન:સ્થાનિક સમુદાય એકતા મંચ દ્વારા સ્વૈચ્છિક બંધનું આહ્વાન અપાયું
દાદરા અને નગર હવેલી સ્થાનિક સમુદાય એકતા મંચ દ્વારા 21 ફેબ્રુઆરી, 2026ના રોજ સ્વૈચ્છિક અને શાંતિપૂર્ણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બંધ દાદરા અને નગર હવેલીની દીકરીઓની સલામતી અને સન્માન માટે બોલાવવામાં આવ્યો હતો. મંચે જણાવ્યું છે કે તેઓ બધા સમુદાયોમાં એકતા, ભાઈચારો અને શાંતિ માટે પ્રતિબદ્ધ છે. આ બંધનો મુખ્ય હેતુ દીકરીઓની સુરક્ષા અને ગરિમા સુનિશ્ચિત કરવાનો સંદેશ ફેલાવવાનો છે. બંધના દિવસે, એટલે કે 21 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ભાસ્તા ફળિયાથી શરૂ થઈ અને જનનાયક મોહન ડેલકર ચોક, ગોડસે કોર્નર, આદિવાસી ભવન - તીન રસ્તો (ટોકરખાડા), સિલ્વાસા ચાર રસ્તા પોલીસ સ્ટેશન (સિલ્વાસા), ઝાંડા ચોક, કિલવાની નાકા, ગોગ બાર (કલેક્ટર) થઈને ફરી ભાસ્તા ફળિયા ખાતે સમાપ્ત થઈ હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે રેલી શાંતિપૂર્ણ, બંધારણીય અને સામાજિક ધોરણોને અનુરૂપ રહી હતી.
નવસારીના એક વેપારીનો મોબાઈલ RTO ચલણની નકલી ફાઈલ મોકલીને હેક કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સાયબર ઠગોએ વેપારીના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. 97,000 ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, છાપરા રોડ પર રહેતા શિવાકુમાર ગણપતભાઈ ટંડેલ 5 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે ઉનાઈ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમના મોબાઈલ પર RTO ચલણ સંબંધિત એક ફાઈલ આવી હતી. આ ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ આપમેળે ઓપરેટ થવા લાગ્યો અને એપ્લિકેશનો ખુલવા-બંધ થવા માંડી. શંકા જતાં વેપારીએ બેંકમાં તપાસ કરાવી, જ્યાં તેમને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ. તપાસમાં સામે આવ્યું કે સાયબર ઠગોએ ટેકનિકલ રીતે ફોન હેક કરીને વેપારીની જાણ બહાર નાણાકીય વ્યવહારો કર્યા હતા. બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ. 90,000 પુણેના કોંઢવા વિસ્તારમાં રહેતા યશ ચંદ્રકાંત અનીલના SVC કો-ઓપરેટિવ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ખાતામાંથી રૂ. 7,000 ચિન્તુ બૌરી નામના શખ્સના યુકો બેંકના ખાતામાં જમા થયા હતા. પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી (એકનોલેજમેન્ટ નં. 31102260028634 અને 31102260028679). નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. ભરવાડ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં આજે વહેલી સવારે મોટું ગાબડું પડ્યું હતું. અંદાજિત 30 થી 40 ફૂટનું આ ગાબડું પડતા હજારો લિટર પાણી બનાસ નદીમાં વહી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા ડેમના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ગાબડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ગાબડું ડેમથી માત્ર 15 થી 20 મીટરના અંતરે જ પડ્યું હતું. જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો હતો. અધિકારીઓ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ કેનાલ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના કુલ છ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો સ્ત્રોત છે. આ ઉપરાંત, પીવાના પાણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. સિંચાઈ માટે, બનાસકાંઠા જિલ્લાના કુલ 61 ગામોમાં 26,134 હેક્ટર વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે પાટણ જિલ્લાના 49 ગામોમાં 19,689 હેક્ટર વિસ્તારને કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પીવાના પાણીની વાત કરીએ તો, પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના કુલ 87 ગામડાઓને ડેમનું પાણી પૂરું પાડવામાં આવે છે.
ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડૉ. જગદેવ સવારે અયોધ્યા રામ મંદિરના દર્શન કર્યા બાદ વનતારાની મુલાકાત માટે જામનગર આવ્યા છે.
વલસાડ શહેરને રૂ. 85 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ મળી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવ્ય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ કાર્યરત થતાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને પશ્ચિમ વિસ્તાર તથા તીથલ રોડ તરફ જતી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્યો જિતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને રમણલાલ પાટકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં વિકાસના અનેક કામો પ્રગતિ હેઠળ છે. આ બ્રિજ વલસાડ શહેરની જીવાદોરી સમાન સાબિત થશે અને લોકોનો સમય તેમજ ઈંધણ બંનેની બચત થશે. કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલે બ્રિજના નિર્માણમાં થયેલા વિલંબ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોની સુરક્ષા પ્રાથમિકતા હોવાથી માર્ગ અને મકાન વિભાગ (RB) દ્વારા અનેકવાર લોડ ટેસ્ટિંગ અને સેફ્ટી ચેક કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે આ સુરક્ષા કારણોસર થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે વલસાડને એક મજબૂત અને ભવ્ય બ્રિજ મળ્યો છે. લોકાર્પણ બાદ આ ઓવરબ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવતા વાહનચાલકોમાં ખુશી જોવા મળી હતી. આ બ્રિજ વલસાડના સિટી એરિયાને સીધો હાઈવે અને અન્ય વિસ્તારો સાથે જોડશે, જેનાથી પીક અવર્સમાં થતી ટ્રાફિક જામની સમસ્યા ભૂતકાળ બની જશે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલી શ્રી ગૌરી વિદ્યાલયમાં શનિવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ચેતનભાઈ વ્યાસે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો શાળાનું ધોરણ 10નું પરિણામ 80%થી વધુ આવશે, તો શાળામાં એક સુંદર ગાર્ડન બનાવવામાં આવશે. ગ્રામ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાનુભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને શાળા છોડ્યા પછી પણ શાળા સાથેનો સંબંધ જાળવી રાખવા અપીલ કરી હતી. પૂર્વ માહિતી અધિકારી ભરતભાઈ રાવલે વિદ્યાર્થીઓને જીવન અને કારકિર્દીમાં આવતા અવરોધો સામે આશાવાદી રહેવા પ્રેરણા આપી હતી. મંત્રી એલ.ડી. પટેલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોના ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે ભણવામાં નબળા હોવા છતાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. પ્રાથમિક શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયાએ વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો ન છોડવા ભારપૂર્વક જણાવ્યું હતું, કારણ કે અધૂરા અભ્યાસથી ભવિષ્ય નિર્માણ મુશ્કેલ બની શકે છે. ઉપપ્રમુખ પ્રમોદભાઈ વ્યાસે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો હતો. સુનિલભાઈ વ્યાસે છેલ્લા દસ વર્ષમાં શાળાએ કરેલી પ્રગતિને બિરદાવી હતી. કાર્યક્રમ સંચાલક નિરંજનભાઈ દવેએ શાળાના રસ્તાની સ્વચ્છતા જાળવવા પર ધ્યાન દોર્યું હતું. પ્રમુખે શાળામાં પ્રાર્થના શેડ બનાવી આપવા બદલ દિલીપભાઈ દવે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા સૌથી વધુ પરિણામ લાવનાર ત્રણ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ દીક્ષાંત સમારોહમાં ઉપ સરપંચ મોબુજી ઠાકોર, આચાર્ય સતિષભાઈ જાદવ, બળવંતસિંહ દરબાર, ભાજપના વિરેશ વ્યાસ, પૂર્વ શિક્ષક મહાદેવભાઈ દેસાઈ, આંગણવાડી કાર્યકરો દીપાબેન વ્યાસ અને વર્ષાબેન વ્યાસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારીના અમલસાડમાં વહેલી સવારે દિપડો પાંજરે પુરાયો:પંથકમાં ફેલાયેલો ભય દૂર, વનવિભાગે રાહત અનુભવી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડાના આતંકથી ગ્રામજનો ભયભીત હતા. વનવિભાગની સતત મહેનત બાદ આજે વહેલી સવારે એક કદાવર દિપડો પાંજરે પુરાયો છે, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમલસાડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડો અવારનવાર દેખાતો હતો. ખેતરોમાં કામ કરતા મજૂરો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગે ગણદેવી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા અમલસાડના મધ તળાવ પાસે આવેલા ભીખુભાઈ આહિરના ખેતરમાં મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલો અંદાજે 4 વર્ષનો કદાવર દિપડો આ પાંજરામાં કેદ થઈ ગયો હતો. દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગણદેવી સામાજિક વનીકરણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દિપડાનો કબજો મેળવ્યો હતો. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા દિપડાની હાલ પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી રહી છે. દિપડો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાતા તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડૂતો અને ગ્રામજનોએ વનવિભાગનો આભાર માન્યો છે.
ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચા દ્વારા વેરાવળ શહેરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ રાહુલ ગાંધીના કથિત દેશવિરોધી નિવેદનના આક્ષેપ સામે નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વેરાવળના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પરમારે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે આયોજિત AI સમિટ 2026 દરમિયાન રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ ગણાવતું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે આ નિવેદનને દેશવિરોધી અને ભારતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું. પરમારે ઉમેર્યું કે આવી નિવેદનબાજી દેશના ગૌરવ અને વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા મોરચાના કાર્યકરોએ દેશ વિરોધી નિવેદન પાછું લો અને ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા. કાર્યકરોએ દેશના સ્વાભિમાનની રક્ષા માટે કડક વલણ અપનાવવાની માંગણી પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કોષાધ્યક્ષ હાર્દિકસિંહ ઝાલા, જિલ્લા આઈ.ટી. કન્વીનર આશિષ ગૌસ્વામી, યુવા મોરચાના મહામંત્રી પારસસિંહ પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણીયા, મહામંત્રી જયેશભાઈ પંડ્યા અને મૌલિકભાઈ વૈયાટા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાએ ચેતવણી ઉચ્ચારી હતી કે દેશ અને તેની પ્રતિષ્ઠા વિરુદ્ધ કોઈપણ પ્રકારની નિવેદનબાજી સહન કરવામાં આવશે નહીં. તેમણે ભવિષ્યમાં પણ આવા મુદ્દાઓ પર સશક્ત વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી હતી.

30 C