SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

સાહેબ મિટિંગમાં છે:જનસંપર્કના દિવસે મંત્રી અરજદારના બદલે ફોટો પડાવવામા વ્યસ્ત, રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં 'અંગત'ને ગોઠવા ધારાસભ્યોમાં ખેંચતાણ

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… મુખ્ય સચિવના ડરથી પાલિકા- કોર્પોરેશનોએ નાના મોટા કામોમાં ઝડપ લાવી દીધીમુખ્ય સચિવ એમ.કે. દાસે ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લા કલેકટરો,ડીડીઓ,સચિવોને સાફ કહી દીધુ છે કે, કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારને ચલાવી લેવામાં નહી આવે. એટલુ જ નહી, કામમા પણ ઝડપ લાવવાની રહેશે. જેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી થશે. આવા આદેશ બાદ વિવિધ મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓ-તાલુકા પંચાયતોના વિવિધ કામમા ખુબ જ ઝડપ આવી ગઈ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કેટલાક અધિકારીઓ ચર્ચા કરતા હતા કે, દાસ સાહેબની કડકાઈથી હવે બધા સીધા થઈ ગયા છે. પહેલા ગટર સહિતના કામ માટે જગ્યા જોઈતી હોય તો એક એક વર્ષ સુધી જવાબ આપતા નહોતા. હવે તેઓ સીધા થઈ ગયા છે. એક વાર કહેવાથી જ તેઓ જગ્યાની ફટોફટ ફાળવણી કરી દે છે. ચમત્કાર વગર નમસ્કાર નહી એ કહેવતને મુખ્ય સચિવે યથાર્થ ઠેરવી છે. 'ભાજપના નેતાને સરકારી સ્લોટર હાઉસ દેખાયું પણ ગેરકાયદે કતલખાના નથી દેખાતા!'અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ઐતિહાસિક બજેટમાં નવું સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્તને લઈને ભાજપના ધારાસભ્ય ભડક્યા અને કમિશનરે દરખાસ્ત પરત ખેંચી લીધી હોવાની જાહેરાત કરવી પડી છે. જોકે આ સમગ્ર મામલો રાજકીય થયાં બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં ચર્ચા છે કે, સરકારી નિયમ પ્રમાણે સ્લોટર હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે અને હાલની સ્થિતિને જોતા નવું બનાવવું પડે છે. જોકે પશુઓની કતલને રોકવાના નામે ભાજપના ધારાસભ્યએ વિરોધ કર્યો પરંતુ શહેરમાં બાપુનગર, ગોમતીપુર, બહેરામપુરા, વટવા સહિત અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાના ચાલે છે જેને ભાજપના નેતાઓ બંધ કરાવી શકતા નથી. પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી શકતા હોય છે, પરંતુ ત્યાં આવી કોઈ રજૂઆત થતી નથી. જો ગેરકાયદેસર બંધ કરાવી દે તો પણ ઘણા બધા પશુ કતલ થતી રોકાઈ જાય. જોકે નેતાજીને સરકારી સ્લોટર હાઉસ દેખાય છે પરંતુ શહેરમાં અનેક ગેરકાયદેસર સ્લોટર હાઉસ ચાલે છે એના વિશે ક્યાંય રજૂઆત થઈ હોય તેવું જણાતું નથી. શિક્ષણ વિભાગમાં ફાઈલોના ઢગલા,મુખ્યમંત્રીએ પણ તેની ગંભીર નોંધ લીધીથોડો સમય પહેલા જ મુખ્ય સચિવ એમ.કે. દાસે કેબિનેટને સમાંતર મળતી સેક્રેટરીઓની મીટીંગમાં સૂચના આપી હતી કે, કોઈપણ પ્રકારની ફાઈલ હોય તેનો સાત દિવસમાં નિકાલ કરવો પડશે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હજુ પણ તેનો પૂરો અમલ થયો નથી.સચિવાલયમાં ચર્ચા છે કે, અગાઉની જેમ હજુ સૌથી વધુ ફાઈલોનો નિકાલ થતો ન હોય તેવા ડીપાર્ટમેન્ટમાં શિક્ષણ વિભાગ નંબર 1 ઉપર આવે છે. મંત્રીમંડળનુ વિસ્તરણ થયા બાદ નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રધ્યુમન વાઝાએ કારભાર સંભાળ્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. વિભાગના અધિકારીઓ દ્રારા જૂદી જૂદી ફાઈલોને સમયસર મંત્રીના કાર્યાલયમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાંથી ફાઈલોનો નિકાલ થતો નથી. ઉચ્ચ અધિકારીઓ મંત્રીને સમજાવીને થાકી જાય છે પણ મંત્રી સમજી શકતા નથી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયાને પણ ખબર પડી ગઈ છે. તેઓએ પણ તેની ગંભીર નોંધ લીધી છે.જોવાનુ એ રહે છે કે, બજેટ સત્ર પહેલા ફાઈલોનો નિકાલ થાય છે કે પછી ફાઈલોનો સંખ્યા વધે છે. બાંધકામોની સાઈટો પરથી સેમ્પલ લો, નીચેના અધિકારીઓ પર સોપો પાડી દોગત અઠવાડીયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી-મુખ્ય સચિવની હાજરીમાં પ્રભારી સચિવોની મીટીંગ મળી હતી. જેમાં એડિશનલ ચીફ સેક્રેટરીઓ,પ્રિન્સિપલ સેક્રેટરીઓ અને સેક્રેટરીઓ જોડાયા હતા. આ મીટીંગ લાંબો સમય ચાલી હતી. જેમાં પ્રભારી સચિવોને કહેવાયુ કે, તમે જે જીલ્લા માટે પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે તે જીલ્લાની એકાએક મુલાકાત લેવાનુ ચાલુ કરી દો.ત્યાં જઈને વિવિધ પ્રકારના બાંધકામોની સાઈટ પર જાવ અને તેના સેમ્પલ લો અને ચકાસણી કરો કે કામ બરોબર થાય છે કે નથી થતુ. તેમાં ખાસ કરીને ક્વોલિટીની ચકાસણી કરવાની છે. તમે લોકો જઈને ત્યાં સોપો પાડી દો.આવી ચર્ચા દરમિયાન એક બે મહીલા સચિવે હિંમત કરીને દલીલ કરી હતી કે, અમારી પાસે મટીરીયલ્સનુ ચેકીંગ કરવાની કોઈ સુવિધા કે મશીનરી નથી અને કઈ રીતે આ કામ કરી શકીએ. અમને આમાં ટેકનિકલી કશી ખબર પણ ન પડે.અમારુ કામ તો જીલ્લાના પ્રશ્નો ઉકેલવાનુ છે તેમજ સરકાર સાથેના કોઈ ઈસ્યુ હોય તો જીલ્લાના સ્થાનિક તંત્ર વચ્ચે કો ઓર્ડીનેશન કરવાનુ છે. જો કે, સચિવોને એવુ કહેવાયુ છે કે, તમે કામ શરુ કરો સરકાર તમને તમામ વ્યવસ્થા કરી આપશે. આ બેઠક બાદ બ્યુરોક્રેટ્સમાં ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી તૂટી પડવાની, જૂદા જૂદા બ્રિજો તૂટવાની કે નબળા પડવાની ઘટના બન્યા બાદ સરકાર હવે એ જવાબદારી પણ આપણા પર નાખવા માગે છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં AI પર બ્રેક,વરસાદી પાણી નિકાલની ફાઈલ દોઢ મહિનાથી પેન્ડિંગઅમદાવાદ મહાનગરપાલિકાનો વર્ષોથી સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન રહ્યો છે વરસાદી પાણી ભરાવાનો. દર વર્ષે થોડો પણ ભારે વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને વૈજ્ઞાનિક અને આધુનિક ટેકનોલોજીથી કંટ્રોલ કરવા માટે હવે AI (Artificial Intelligence)નો ઉપયોગ કરવો જોઈએ એવી ચર્ચા જોર પકડી રહી છે. કેટલો વરસાદ આવશે તેનું એડવાન્સ ફોરકાસ્ટ, કયા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે અને કયા પ્રિવેન્ટિવ એક્શન લેવા, આ બધું AIના માધ્યમથી શક્ય છે. આ મુદ્દે બ્રેઈન સ્ટોર્મિંગ પણ થયું છે, કોર્પોરેશનમાં લોકો મળ્યા છે, ચર્ચાઓ થઈ છે.પરંતુ ચર્ચા અહીં જ અટકી ગઈ છે. ચર્ચાઈ રહ્યું છે કે AI આધારિત પ્રોજેક્ટની ફાઈલ છેલ્લા દોઢ મહિનાથી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર ધૂળ ખાતી પડી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. શહેર માટે એટલો ગંભીર મુદ્દો હોવા છતાં કમિશનરનો રસ ન દેખાતો હોવાની ચર્ચા કોર્પોરેશનના ગલિયારાઓમાં ચાલી રહી છે. GFGNLના કથિતકૌભાંડ બાદ DSTમાં ‘સાઈલન્સ મોડ’?ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ને લઈને ચર્ચાઓ ગરમ છે. મોના ખંધાર જ્યારે DSTમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમની બદલી પાછળ GFGNL (Gujarat Fibre Grid Network Limited)ના કથિત કૌભાંડની છાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, 1 સપ્ટેમ્બરે GFGNLની રીવ્યુ મીટિંગ યોજાઈ હતી અને એ પછી જ મોના ખંધારની બદલી થઈ. ત્યારબાદ આજદિન સુધી GFGNLને લઈને એકપણ સિંગલ મૂવમેન્ટ નથી થઈ. ચર્ચા એવી છે કે હવે તો GFGNLની ફાઈલને સ્પર્શ કરવા માટે ન મંત્રી તૈયાર છે, ન સેક્રેટરી, ન કોઈ અધિકારી. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બર પછી DSTને જાણે તાળું વાગી ગયું હોય, એવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારના જનસંપર્કમાં ફક્ત ફોટોગ્રાફી, નિકાલ શૂન્ય? મંત્રીઓ માટે જનતાને મળવાનો નક્કી કરાયેલ દિવસ એટલે સોમવાર. આ દિવસે અરજદારો રજુઆત કરવા આવે છે, પરંતુ રજુઆતનો નિકાલ થાય છે કે નહીં, એ મોટો પ્રશ્ન બની ગયો છે.એક જિલ્લામાંથી રજુઆત કરવા આવેલા એક સંગઠનનું કહેવું છે કે, “અમે એક મહિના પહેલા અરજી આપી હતી. ફોલોઅપ માટે એક મહિના પછી ફરી આવ્યા તો કહેવામાં આવ્યું કે અરજી મળતી નથી, ફરી આપી દો. ફરી આપી, છતાં ફોલોઅપ લીધો તો કોઈ કાર્યવાહી નથી.” આવા અનુભવો બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકો કહે છે કે જનસંપર્કના દિવસે મંત્રીઓ અરજદારોને મળવાને બદલે ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે. રજુઆતો સાંભળવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ નિકાલ ક્યાંય દેખાતો નથી. જનસંપર્કનું ‘આઉટકમ’ ક્યાં? ફરિયાદો એવી ઉઠી રહી છે કે જનસંપર્કનું કોઈ સ્પષ્ટ આઉટકમ જ નથી આવતું. લોકો મળ્યા, ફોટા પડ્યા, વાતો થઈ… પણ ફાઈલ ત્યાં જ અટકી જાય છે. શિક્ષણનુ સ્તર સુધારવા માટે શિક્ષકોને સોંપાતી અન્ય કામગીરીને બંધ કરાવોગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનુ સ્તર કથળ્યું છે. તેને સુધારવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે પણ હજુ સુધી કોઈ જ સફળતા મળતી નથી. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં પણ શિક્ષણનુ સ્તર સુધારવા માટેની ચર્ચા થઈ હતી. અધિકારીઓ દ્રારા સેક્રેટરીઓની મીટીંગમાં પ્રેઝન્ટેશન પણ અપાયુ હતુ.જેમાં એવો મત વ્યક્ત કરાયો હતો કે, શિક્ષણનુ સ્તર સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓએ પોતાની પૂરી તાકાત લગાવવી પડશે. જ્યારે કોઈ અધિકારીએ એવી દલીલ પણ કરી હતી કે, વર્ષ દરમિયાન વેકેશનો અને રજાના દિવસો બાદ કરતા વિધાર્થીઓને ભણવા માટે ઘણા ઓછા દિવસો મળે છે.ઉપરાંત શિક્ષકોને વર્ષ દરમિયાન BLO સહિતની અનેક કામગીરી સોંપાતી હોય છે. જેથી તેઓ શાળામાં ભણાવવામાં પૂરતુ ધ્યાન આપી શકતા નથી. કોઈએ એવુ સૂચન કર્યુ હતુ કે, જો એજ્યુકેશનનુ સ્તર સુધારવુ હોય તો, ત્રણ વર્ષ સુધી તમામ શિક્ષકોને ભણાવવા સિવાયની કોઈ જ અન્ય કામગીરી સોંપવી જોઈએ નહી. સરકાર હવે આ સંદર્ભમા કેવો નિર્ણય કરે છે તે જોવાનુ રસપ્રદ બનશે. બે પ્રિન્સિપલ સેક્રેટરીઓ ઈટલીના પ્રવાસે ઉપડ્યા, અધિકારીઓમાં ગણગણાટગત અઠવાડીયે સચિવાલયમાં ફરજ બજાવતા બે IPS અધિકારીઓ અશ્વિનીકુમાર અને રાહુલ ગુપ્તા ઈટલીના પ્રવાસે ઉપડી ગયા છે. જો કે આ તેમનો સરકારી અને સત્તાવાર પ્રવાસ છે. ઈટલીમાં ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં બેઠક મળી રહી છે જેમાં હાજર રહેવા માટે સરકારે બન્ને અધિકારીઓને ત્યાં મોકલ્યા છે. જેને લઈને સચિવાલયમાં કેટલાક અધિકારીઓમાં ગણગણાટ શરુ થયો છે. તેઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, વિદેશ પ્રવાસ માટે આપણો નંબર ક્યારે આવશે.આ બન્ને અધિકારીઓની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જવાના હતા પણ તેઓ શ્રીલંકા ગયા હતા. રાજકોટ ભાજપ સંગઠનમાં પોતાના વિશ્વાસુઓને ગોઠવવા ધારાસભ્યોમાં ખેંચતાણરાજકોટ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ શહેર ભાજપના જૂથવાદની વાતો પ્રદેશ જ નહિ પરંતુ રાષ્ટ્રીય મવડી મંડળ સુધી પણ પહોંચી ગઈ જેના કારણે પ્રથમ પ્રમુખ સહિત આખું માળખું નવું જાહેર કરવા અટકળો શરૂ થઇ. જો કે પ્રમુખે પોતાને નવી ટિમ મળી ન હોવાથી યોગ્ય કામ થઇ ન શકતું હોવાની રજુઆત કરી નવી ટિમ સાથે તાકાતથી કામ કરવાની ખાતરી આપતા મોવડી મંડળ આ વાતથી માંડ માંડ સહમત થયું ત્યાં બાકીના હોદેદારો માટે ખેંચતાણ શરૂ થઇ. રાજકોટના એક ધારાસભ્યના અંગતને સંગઠનમાં નિમણુંક પાક્કી છે તેવું ચર્ચાવા લાગતા બીજા ધારાસભ્યએ પણ પોતાના માનીતાનો સમાવેશ કરવા માંગણી કરી છે પરંતુ હવે એ નામ માટે તો સ્પષ્ટ મનાઈ જ આવી છે માટે હવે ગુંચવાયેલા કોકડા વચ્ચે મહદ અંશે નો રિપીટ સાથેના માળખામાં કોનો સમાવેશ થાય અને કોની બાદબાકી તેના પર આખાએ રાજકોટના ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓની મિટ મંડાયેલી છે. સમસ્યાના નિરાકરણના બદલે ભાજપ નેતાએ નાગરિકને ઉડાઉ જવાબ આપ્યો!ભાજપના એક નેતાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નેતાજીની રજૂઆતના આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ ભાજપના નેતાને ફોન કરીને તેમની સમસ્યા સાંભળવા માટે કીધું તો ભાજપના નેતાએ કહી દીધું કે તમે મંત્રીઓ જોડે જાઓ સરકારમાં જાઓ જે કરવું હોય એ કરો. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના નેતાજીએ સ્થાનિક લોકોને સાંત્વના આપી તેમની સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય પરંતુ ભાજપના આ નેતાજી તો તમારે જ્યાં સરકારને કહેવું હોય અને જે મંત્રીને કહેવું હોય એ કહી દો હું કોઈ સરકારનો માલિક નથી એવું કહ્યું હતું. ભાજપના નેતાજીના હઠના કારણે આગામી ચૂંટણીમાં નેતાજીના આવા જવાબ અને તેમની કરેલી રજૂઆતના કારણે હેરાનગતિ લોકો ચોક્કસ યાદ રાખીને મતદાન કરશે એવી ચર્ચા છે. મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક લડાઈ તેજ બન્યાની ચર્ચાગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે જિલ્લા અને શહેરમાં પણ નવા સંગઠનની ટીમ જાહેર થઈ રહી છે. જોકે ભાજપમાં સંગઠનમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓમાં અંદરો અંદર લડાઈ ચાલુ થયાની ચર્ચા છે. ભાજપ ભલે શિસ્ત પાર્ટી કહેવામાં આવે પરંતુ પાર્ટીમાં હવે શિસ્ત જેવું ક્યાંય રહ્યું નથી. પાર્ટીમાં ઉચ્ચ નેતા સર્વોપરી હોય છે પરંતુ હવે પાર્ટીના કેટલાક નેતાઓ જ ગમે ત્યારે ગમે તે રીતે વર્તન અને પૂછ્યા વિના નિર્ણયો કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના સંગઠનમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં પણ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોવાને લઈને નવી ટીમ જાહેર થતાની સાથે જ મોટો વિરોધ સામે આવે એવી ચર્ચા જાગી છે CMOમાં ફરજ બજાવતા અજયકુમાર અને વિક્રાંત પાંડેની શાલીનતા જોઈ CM-નાણામંત્રી પ્રભાવિતગત અઠવાડીયે કેન્દ્ર સરકારનુ બજેટ જાહેર થયા બાદ તેના પર પ્રતિક્રિયા આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરવાનુ નક્કી કર્યુ હતુ. તેમની સાથે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, નાણા ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી ટી.નટરાજન, સીએમઓમાં ફરજ બજાવતા સંજીવકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી વિક્રાંત પાંડે અને સચિવ અજયકુમાર જોડાયા હતા. સ્ટેજ પર મુખ્યમંત્રી નાણામંત્રી ઉપરાંત આ પાંચેય આઈએએસ અધિકારીઓ માટે પણ ખુરશી ગોઠવાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો કાફલો સ્વર્ણિમ-1ના તાપી હોલમાં પહોચ્યો હતો. એ સમયે પાંડે અને અજયકુમાર સિવાયના બાકીના તમામ લોકો સ્ટેજ પર જતા રહ્યા હતા. એક તબક્કે આ બન્ને અધિકારીઓ પણ સ્ટેજ પર જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેઓ સ્ટેજ પર બેઠા નહોતા. એટલુ જ નહી મીડીયાના લોકો જ્યાં બેઠા હતા ત્યાં જઈને બન્ને અધિકારીઓ શાંતિથી બેસી ગયા હતા. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ આ બન્ને અધિકારીઓ હાથમાં ફાઈલો લઈને ઉભા થઈ ગયા હતા. બન્ને અધિકારીઓની આવી શાલીનતા જોઈને મુખ્યમંત્રી-નાણામંત્રી પ્રભાવિત થયા હતા. શહેરી વિકાસ મંત્રીએ ટીપીના સંદર્ભમાં સીટીપી-મ્યુનિ.કમિશનરો,ઔડા-ગુડાને નોટિસ ફટકારીતાજેતરમાં જ નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ટાઉન પ્લાનીંગ સ્કીમના સંદર્ભમાં સીટીપી તેમજ તમામ મ્યુનિસિપલ કમિશનરોને તથા ઔડા,ગુડા જેવી ઓથોરીટીઓને નોટિસો ફટકારી છે. જેમાં જણાવાયુ છે કે, જે કામ 100 દિવસમાં થતા હોય તેનો સમય ઘટાડીને 20 દિવસનો કરવાની વાતનુ શું થયુ. કામ કેમ ઝડપથી થતુ નથી, સમય કેમ ઘટતો નથી તેનો ખુલાશો કરો. અગાઉના પરિપત્ર મુજબ ટીપીની કામગીરીમાં ઝડપથી નિર્ણયો લેવાના થતા હોય છે એ મુજબનુ કામ અધિકારીઓ અને તંત્ર કરતુ નથી. અત્રે નોંધનીય છે કે, સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે એક પરિપત્ર કરાવ્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, ટીપીમાં સુધારાઓ કરીને તેની પ્રોસેસને નાની-ટૂંકી કરી દો જેથી નાગરિકોને કોઈ તકલીફો ન પડે. જો કે, હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. માટે આવી નોટિસ કાઢવી પડી છે. કોઈ સીટીપીને નોટીસ મળી હોય એવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.હવે તંત્ર આવી નોટીસને ઘોળીને પી જાય છે કે પછી તેનો અમલ કરાવે છે તે જોવાનુ રહ્યુ.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 7:00 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:દવા લેવા જતાં દંપતિનું કાર અડફેટે કરૂણ મોત

દિહોર ગામે રહેતા દંપતિ ઠાડચ ગામે હોસ્પિટલ જતાં ઠાડચ ગામની નજીક એક ટાટા કંપનીના કાર ચાલકે પુરપાટ ઝડપે, બેફીકરાઇથી કારને દોડાવી, મોટર સાયકલમાં બેસેલા દંપતિ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જતા દંપતિ ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતા. જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિને સારવારમાં ભાવનગર ખાતે લઇ જવાતા દંપતિનું સારવારમાં કરૂણ મોત નિપજતા શોક છવાઇ જવા પામ્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા દલપતભાઇ ખાટાભાઇ દિહોરા અને તેમના પત્નિ કાન્તુબેન દલપતભાઇ ખાટાને ઘણા સમયથી તાવ આવતો હોય જેને લઇને તેઓ પોતાની મોટર સાયકલ નં. GJ 04 FB 3848 લઇને દિહોર ગામેથી ઠાડચ ગામે હોસ્પિટલમાં સારવાર માટે જઇ રહ્યા હતા. જે દરમિયાન તેઓ પોતાનું મોટર સાયકલ લઇને ઠાડચ ગામ નજીક પહોંચ્યા હતા જે વેળાએ ઠાડચ થી તળાજા તરફ જતી એક ટાટા કંપનીની સફેદ કલની કર્વ કાર નં. GJ 04 EP 3195ના ચાલકે દંપતિના મોટર સાયકલ સાથે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં દંપતિ મોટર સાયકલમાંથી ફંગોળાઇને રોડ ઉપર પટકાતા, દંપતિને શરીરના જુદા જુદા ભાગો ઉપર ગંભીર ઇજા પહોંચતા સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઼ જ્યાં સારવાર દરમ્યાન દલપતભાઇ ખાટાભાઇ દિહોરા (ઉ.વ.48) અને કાન્તુબેન દિહોરા (ઉ.વ.42)નું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જે ઘટનાને લઇને શંભુભાઇ ખાટાભાઇ દિહોરાએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લક્ઝરી બસ અડફેટે સીદસરના આધેડનું મોતભાવનગર શહેરના વાળુકડ, સીદસર ગામે રહેતા અનિલભાઇ બાવભાઇ પરમારના પિતા બાવભાઇ પરમાર મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેમના ઘરની નજીક આવેલ ચામુંડા હોટલે ગયા હતા અને જ્યાંથી સર્વોત્તમ ડેરી પાસે આવેલ એક પાર્કિંગની જગ્યામાં સુઇ ગયા હતા. જે બાદ એક લક્ઝરી બસના ચાલકે ત્યાંથી તેમની બસ પસાર કરતા તેમના પિતા બાવભાઇ પરમાર બસના ટાયર તળે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમના સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જે મામલે અનિલભાઇ બાવભાઇ પરમારે અજાણી લક્ઝરી બસના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:55 am

તસ્કરો ઝડપાયા:ભાવનગર પોલીસ લાઇનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

ભાવનગર શહેરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં એક બંધ જુના ક્વાર્ટરમાં નેત્રમ તેમજ અન્ય સરકારી પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સહિતનો કિંમતી સામાન સહિતની રૂા. 1.75 ના મુદ્દામાલની તસ્કરી થવા પામી હતી. જે મામલે એલ.સી.બી. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે તસ્કરી કરનારા ત્રણ તસ્કરોને રૂા. 1.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ બનાવમાં વધુ બે તસ્કરોની સંડોવણી ખુલતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ ક્વાર્ટરમાં ત્રણથી વધુ વખત ચોરી કરી હતી. શહેરમાં આવેલ વિદ્યાનગર પોલીસ લાઇનમાં કન્ડમ હાલતમાં રહેલા બંધ ક્વાર્ટરમાંથી સરકારી નેત્રમ પ્રોજેક્ટ સહિત ત્રણ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સહિતની ચોરી થયાની પાંચેક દિવસ અગાઉ વાયરલેસ પી.એસ.આઇ. દ્વારા ફરિયાદ નોંધાવા પામી હતી. તસ્કરો દ્વારા ફ્લેટના બારીની ગ્રીલ તોડી, ફ્લેટમાં પ્રવેશી ત્રણ પ્રોજેક્ટના પચાસથી વધુ કેમેરા, સર્વર, હાર્ડડિસ્ક સહિતની રૂા. 1.75 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જણાવાયું હતું. જે તસ્કરી બાદ પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. આ ચોરીની ઘટના બાદ એલ.સી.બી. પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરતા વડવા તલાવડી વિસ્તારમાં રહેતા કેટલાક શકમંદોએ તસ્કરી કરી હોવાનું અને ચોરીનો સામાન મીહીર ભંગારીના ઘરના ફળિયામાં રાખ્યો હોવાની બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે તપાસ કરતા, પોલીસને ચોરી થયેલ રૂા. 1,51,350 લાખનો મુદ્દામાલ મળી આવતા, મુદ્દામાલ સાથે તસ્કરોને પણ ઝડપી લેવાયા હતા. જેમાં રાહુલ ઉર્ફે બાડો સવજીભાઈ સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપરા, મિહીર મુકેશભાઈ ટાંકને ઝડપી લેવાયા છે. તેમજ વિજય ઉર્ફે કાળીયો હિંમતભાઈ સોલંકી, સુલેમાનભાઈ સર્કીટની શોધખોળ શરૂ કરાઇ છે. ક્વાર્ટરમાં તસ્કરોએ ત્રણથી વધુ વખત ખાતર પાડ્યુંત્રણ આરોપીની ધરપકડ બાદ રાહુલ ઉર્ફે બાડો તેમજ પકડવાનો બાકી વિજય એ પ્રથમ બંન્ને અને ત્યાર બાદ રાહુલ ઉર્ફે બાડાએ બેથી ત્રણ વખત અને એક વખત રાહુલ પોતે અને હાર્દિક મીઠાપરાની સાથે પણ તસ્કરી કરી હોવાનું એલ.સી.બી. પોલીસ દ્વારા જણાવાયું હતું. જો કે, આ તસ્કરો દ્વારા કેટલા સમય અગાઉ ચોરી કરી તે જણાવાયું ન હતું.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:53 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:પ્રવાસીઓ માટે ભાવનગરના દિશાસૂચક બોર્ડ ત્રણ ભાષામાં રાખો

ભાવનગર શહેરના વિવિધ માર્ગો પર લગાવવામાં આવેલા દિશાસૂચક (Direction Boards) માત્ર ગુજરાતી ભાષામાં હોવાના કારણે રાજ્યની બહારથી આવતા પ્રવાસીઓ, વેપારીઓ તેમજ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી કચેરીઓ તરફ માર્ગદર્શન આપતા બોર્ડમાં અન્ય ભાષાનો અભાવ હોવાના કારણે બહારગામથી આવતા લોકો માટે યોગ્ય સ્થળ ઓળખવું અને માર્ગ સમજવો કઠિન બન્યું છે. ભાવનગર પ્રવાસન, ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ શહેર છે. રોજબરોજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર, વ્યવસાય અને અન્ય કામ માટે આવનજાવન કરે છે. આવા સંજોગોમાં માત્ર ગુજરાતી ભાષાના સાઇનબોર્ડ બહારથી આવતા નાગરિકો માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. શહેરમાં હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ મહત્વના ચોક તરફ દિશા દર્શાવતા બોર્ડ જો વાંચી ન શકાય, તો પ્રવાસીઓમાં ગુંચવણ ઊભી થાય છે. જેના કારણે શહેરની વ્યવસ્થાપન ક્ષમતાની છબી પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. સ્થાનિક વેપારી વર્ગ અને નાગરિકોમાંથી માંગ ઉઠી છે કે તમામ દિશાસૂચક બોર્ડ પર ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે, જેથી બહારથી આવતા લોકોને માર્ગ શોધવામાં સરળતા રહે અને શહેર સાચા અર્થમાં “સ્માર્ટ સિટી”ની ઓળખ મેળવી શકે. નાગરિકોનું કહેવું છે કે દેશના મોટાભાગના મહાનગરોમાં ત્રિભાષા (Gujarati–Hindi–English) પદ્ધતિ અમલમાં છે, ત્યારે ભાવનગરમાં માત્ર એક ભાષા સુધી મર્યાદિત રહેવું સમયની જરૂરિયાત સાથે સુસંગત નથી. આ મુદ્દે ભાવનગર મહાનગરપાલિકા તેમજ માર્ગ વિભાગે તાત્કાલિક ધ્યાન આપી ભાષાત્મક સુવિધા સાથે માનવહિતને પ્રાધાન્ય આપતું નિર્ણય લેવું જરૂરી હોવાનું મત વધુ મજબૂત બની રહ્યું છે. પ્રવાસીઓની સ્પષ્ટ માંગ છે કે ભાવનગર જેવા મહત્વના શહેરમાં દિશાસૂચક બોર્ડ પર ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે, જેથી બહારથી આવનાર લોકો પણ સરળતાથી માર્ગ શોધી શકે અને શહેર પ્રત્યે સકારાત્મક છાપ ઉભી થાય. બહારગામથી આવતા પ્રવાસીઓનો અવાજભાવનગરમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અને મુસાફરો પણ દિશાસૂચક બોર્ડ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતા લોકોનું કહેવું છે કે શહેરના મોટાભાગના માર્ગો પરના સાઇનબોર્ડ માત્ર ગુજરાતી ભાષામાં હોવાથી અજાણ્યા વિસ્તારમાં યોગ્ય સ્થળ સુધી પહોંચવામાં ભારે તકલીફ પડે છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે સરકારી કચેરી શોધવા માટે વારંવાર સ્થાનિક લોકો પાસે પૂછવું પડે છે, જેના કારણે સમય બગડે છે અને ગુંચવણ સર્જાય છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:47 am

મુસાફરોની સુવિધા વધારવા લેવાયો નિર્ણય:બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન માર્ચ માસ સુધી લંબાવાઈ

ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને મળી રહેલા અભૂતપૂર્વ આવકાર બાદ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડળ થઈને ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, ટ્રેન નંબર 09208 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 26 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસને 27 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09216 ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ – ભાવનગર ટર્મિનસ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને પણ 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. વેરાવળ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, બાન્દ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના વિસ્તૃત ફેરાઓ માટેની બુકિંગ 8 ફેબ્રુઆરી, 2026થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ ચૂકી છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવા જણાવાયુ છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:45 am

દિન વિશેષ:આજે નેશનલ ટૂથએક ડે, સર ટી. હોસ્પિટલમાં મહિને દાંતના દુ:ખાવાના 2100 કેસ

દરરોજ આપણે અનેક કામોમાં વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ પોતાના આરોગ્ય તરફ ખાસ કરીને દાંત અને મોંના આરોગ્ય તરફ ઘણી વખત ધ્યાન નથી આપતા ! જ્યારે અચાનક દાંતમાં દુખાવો થાય છે, ત્યારે તેની ગંભીરતા સમજાય છે. આવા જ મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 9મી ફેબ્રુઆરીના દિવસને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં દાંતના દુખાવા દિવસ ઉજવવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ ભાવનગર શહેરની સરકારી ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 2100 જેટલા દાંતના સહિતના રોગોની સારવાર કરવામાં આવે છે. દાંતનો દુખાવો માત્ર અસહ્ય પીડા જ નથી આપતો, પરંતુ તે શરીરમાં કોઈ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. દાંતનું ઘસાઈ જવાથી, સડાના ચેપથી થતો દુખાવો, દાંત તૂટવો કે વધારે સૅન્સિટિવિટી જેવા કારણો દાંતના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે, તો નાની સમસ્યા મોટી બની શકે છે. સર ટી. હોસ્પિટલમાં દાંત વિભાગમાં છેલ્લા બે વર્ષના આંકડા મુજબ વર્ષ-2025માં 26,043 તથા વર્ષ-2024માં 23,898 દર્દીઓએ દાંતના દુખાવાથી પીડિત દર્દીઓએ સારવાર લીધી છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટજંકફૂડ અને બદલાતી જીવનશૈલીથી દર્દીઓ વધ્યા જંકફૂડ અને બદલાતી જીવનશૈલીથી દર્દીઓ વધ્યા છે. જેમાં લેટ નાઈટ લાઈફ કલ્ચરમાં રાત્રે સુતા પહેલા ખાવાની આદત, પાન-માવાનું વ્યસન અને વધારે પડતા ગળપણવાળા ખોરાક બાદ બરાબર દાંતની સફાઈ ન કરવાની મોટાભાગે દાંતની સમસ્યા ઉદ્દભવતી હોય છે. - ડૉ. જિજ્ઞાબેન શાહ, દંત ચિકિત્સા વિભાગ, સર ટી. દાંતના દુ:ખાવા દિવસ ઉદ્દેશ શું છે ?

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:44 am

ઠગાઈ:મહુવાના નાના પીપળવા ગામના શખ્સે 49.79 લાખની ઠગાઈ કરી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાની જાગધાર ગામે રહેતા અને એસ.બી.આઇ. બેન્કમાં ફરજ બજાવતા અધિકારી અર્જુનદાસ જીણારામ ગોંડલીયા અને મહુવાના વી.ટી. નગર વિસ્તારમાં રહેતા પાંસઠ વર્ષિય વૃદ્ધ લાલજીભાઇ ભગવાનભાઇ જિંજાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવાના નાના પીપળવા ગામે રહેતો ગોવિંદભાઇ રણછોડભાઇ ઢાપા નામના શખ્સે વેપારીની ઓળખ બતાવી સુરત સહિત ભાવનગર જિલ્લામાં સાડીનો મોટા પાયે વ્યવસાય કરતો હોવાનું જણાવી, આ વ્યવસાયમાં નફાની લાલચ આપી, બંન્ને લોકોને સાડીના વ્યવસાયમાં રોકાણ કરાવ્યું હતું. તે પેટે વળતર પણ આપવાની વાત કરી, અર્જુનદાસ જીણારામ ગોંડલિયા પાસેથી કટકે કટકે રૂા. 14,79,998 તેમજ લાલજીભાઇ જીંજાળા પાસેથી રૂા. 35,00,000 રૂપિયા લઇ, પરત ન આપી છેતરપિંડી આચરતા બંન્ને લોકોએ નાની પીપળવા ગામના ગોવિંદભાઇ રણછોડભાઇ ઢાપા વિરૂદ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:39 am

મંડે પોઝિટીવ:માતા, પુત્ર અને પુત્રવધૂની ત્રિપુટીએ સાક્ષરતા માટે જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો

“શિક્ષા દાન એ ઉત્તમ દાન છે” આ ઉક્તિને અક્ષરશઃ સાબિત કરવા મેદાને પડેલી ભાવનગરની એક માતા–પુત્ર–પુત્રવધૂની ત્રિપુટી આજે સંવેદનાની જીવતી પાઠશાળા બની રહી છે. ધો. 12 પાસ માતા રૂપાબેન વસાણી, MBA કરેલ પુત્ર ભાવિનભાઈ અને ગ્રેજ્યુએટ પુત્રવધૂ મનીષાબેન , આ મધ્યમ વર્ગીય પરિવાર એરપોર્ટ રોડ વિસ્તારની ઝૂંપડપટ્ટી અને આસપાસના વિસ્તારમાં રહેતા આશરે 38 જેટલા ગરીબ બાળકોને નિઃશુલ્ક પાયાનું શિક્ષણ આપી તેમને સાક્ષરતા અને સમૃદ્ધ ભવિષ્ય તરફ અગ્રેસર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરી રહ્યો છે. કોઈ ફોટોશૂટ કે પ્રચાર વિના, ચૂપચાપ શિક્ષા યજ્ઞ કરતો આ પરિવાર સમાજ માટે દૃષ્ટાંત સમાન છે. શરૂઆતમાં 5થી 7 બાળકોમાંથી શરૂ થયેલ આ અભિયાનમાં દિનપ્રતિદિન બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે. જરૂર પડે ત્યારે બાળકોને પુસ્તકો અને અન્ય સ્ટેશનરી પણ પોતાના ખર્ચે પૂરી પાડી માનવધર્મનું ઋણ અદા કરવામાં આવે છે. આવા અનેક બાળકોને પાયાનું શિક્ષણ આપ્યા પછી શાળામાં દાખલ કરાવી ઉજ્જવલ ભવિષ્યની તક પણ આ પરિવારે આપી છે. રવેચીધામમાં સાંજે 5 થી 7 સુધી શિક્ષણનો યજ્ઞગરીબી અને ભૂખ સામે ગરીબ બાળકોના શિક્ષણના સપનાઓ ઘણી વખત દમ તોડી દે છે, ત્યારે આ પરિવાર એવા બાળકો માટે આશાની જ્યોત બની રવેચીધામના પવિત્ર પરિસરમાં રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન શિક્ષણનો યજ્ઞ ચલાવે છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:37 am

ઠગાઈ:સરકારી લોન, સિલાઈ મશીન આપવાના નામે ગઠિયાએ 78 મહિલાના રૂ. 1.94 લાખ પડાવ્યા

હું પ્રેરક સ્વસહાય જૂથમાંથી આવું છું, બૅન્કમાં ઝીરો બેલેન્સથી તમારું ખાતું ખોલાવીશું. સંસ્થાના સભ્ય બનવા રૂ. 620નું ફોર્મ ભરો તો રૂ. 1000ની ઘરવખરી આપીશું. ત્યાર બાદ સિલાઈ મશીન, રસોડાનો સામાન અને મહિલા લોન અપાવવાનું કહીને ગઠિયાએ 78 મહિલા પાસેથી રૂ. 1.94 લાખ પડાવી લીધા હતા. મહિલાઓને વિશ્વાસમાં લેવા ગઠિયાએ સ્થાનિક સામાજિક કાર્યકરને કમિશનની લાલચ આપી પૈસા ઉઘરાવ્યા હતા. 7 જુલાઈ, 2025એ પરિક્ષિતલાલ નગરમાં રહેતા વસીદ શેખે ચાલીની મહિલાઓને પોતે પ્રેરક સ્વસહાય જૂનમાંથી આવતો હોવાનું કહીને સંસ્થામાં રૂ. 620નું સભ્યપદ લેવાથી રૂ. 1000ની ઘરવખરી આપવાની વાત કરી હતી. સાથે જ આજીવન સભ્ય બનાવીને સરકારી યોજનામાંથી સિલાઈ મશીન, મહિલા લોન અપાવવાની લાલચ આપી હતી. પછી એ જ દિવસે 50 મહિલા પાસેથી પૈસા લઈ પહોંચ પણ આપી હતી. ત્યાર પછી વસીદ સ્થાનિક સામાજિક કાર્યકર ગુલશનબહેનને મળીને તેમને સભ્ય લઈને આવશો તો તમને કમિશન આપીશું, તેવું કહ્યું હતું. આથી ગુલશનબહેને સભ્ય બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે મશીન અને રસોડાના સામાન માટે 32 સભ્ય પાસેથી રૂ. 3000 લેખે રૂ. 96,000, 20 સભ્ય પાસેથી કરિયાણાના રૂ. 2500 લેખે રૂ. 50 હજાર તેમજ 78 સભ્યના ફોર્મનાં રૂ. 620 લેખે રૂ. 48,360 મળીને કુલ રૂ. 1.94 લાખ વાસીદખાને આપ્યા હતા પરંતુ સહાય ન આપતાં ગુલશનબહેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી યોજનાનો લાભ લેવા સરકારી કચેરી સિવાય ક્યાંય ન જવું, કોઈને પૈસા ન આપવાસરકારી અધિકારીઓનું કહેવુ છે કે સરકારની જે પણ યોજના હોય છે તેના ફોર્મ સરકારી કચેરીઓમાં જ મળે છે. તે ફોર્મ ભરીને પાછા સરકારી ઓફિસમાં જ જમા કરાવવાના હોય છે. જેના માટે જે તે અધિકારી દ્વારા ખરાઈ કરીને આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, આવાકનો દાખલો જેવા ડોકયુમેન્ટસ પણ લેવામાં આવે છે. જેથી કોઈ પણ વ્યકિતને કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તેમણે સૌથી પહેલા સરકારી કચેરીમાં જઈને તે યોજના વિશે માહિતી એકત્રિત કરવી જોઈએ. ત્યારબાદ ત્યાંથી ફોર્મ લઈને ફોર્મ ભરીને પાછુ ત્યાં જ જમા કરાવવુ જોઈએ. આ ઉપરાંત કોઈ એજન્ટ કે અનધિકૃત વ્યકિતને કયારેય કોઈ સરકારી યોજનાનો લાભ લેવા પૈસા આપવા નહીં. આમ કરવાથી છેતરપીંડીનો ભોગ બનતા અટકી શકાશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:28 am

અનોખા પ્રકારની કાર રેલી યોજાઈ:, જોઈ શકતો ચાલક રૂટથી અજાણ હતો, જેની પાસે મેપ હતો એ પ્રજ્ઞાચક્ષુ હતા

અમદાવાદમાં આ રવિવારની સવાર નવતર પ્રકારનો સૂર્યપ્રકાશ લઈને આવી હતી. વસ્ત્રાપુરસ્થિત અંધજન મંડળ અને બિન સરકારી સંગઠન રાઉન્ડ ટૅબલ ફાઉન્ડેશને વિશિષ્ટ પ્રકારની કાર રેલી યોજી હતી. આ રેલીમાં રફતાર નહોતી છતાં રોમાંચ હતો. આ રેલીમાં બીજા સ્પર્ધકોને પાછળ રાખીને પહેલા પહોંચવાની હોડ નહોતી છતાં અનુભવ દિલધડક હતો. કારણ કે કાર ચલાવનાર જોઈ શકતા હતા પણ એમને ક્યાં જવાનું છે - એ ખબર નહોતી અને જેની પાસે આ માહિતી હતી એ વ્યક્તિ અંધ હતી! અમદાવાદના, ગુજરાતના અને ગુજરાત બહારના 100 કારચાલક આ રેલીમાં જોડાયા હતા અને 100 પ્રજ્ઞાચક્ષુ એમના માર્ગદર્શક બન્યા હતા. રૂટ 50 કિલોમીટરનો હતો અને અંધજન મંડળથી નીકળી સાયન્સ સિટી, ભાડજ હરેકૃષ્ણ મંદિર, રાંચરડા, સિંધુ ભવનથી પરત અંધજન મંડળ પહોંચવાનું હતું. 1થી 7 સેક્શન સુધીની 50 કિલોમીટરની રેલી પૂરી કરવા માટે સરેરાશ 24થી 32ની એવરેજ નક્કી કરાઈ હતી. રૂટ પર નિર્ધારિત સ્થળે 5 અજ્ઞાત માર્શલ ચોકી રખાઈ હતી. ફ્લેગ ઓફ માટે કાર આવે ત્યારે જ પ્રજ્ઞાચક્ષુને બ્રેઇલ મેપ અપાયો હતો. કાર રેલીના અંતે લવ કારિઆ, નિશત ભુરાણી અને અંધ નેવિગેટર ભાવેશ કટારા પ્રથમ; ઋષિ ગુપ્તા, શિવાંગ મુકિમ અને નેવિગેટર દિનેશ મકવાણા દ્વિતીય તથા દેવલ શાહ અને નેવિગેટર તેજપાલ સિંહ તૃતીય સ્થાને આવ્યા હતા. માર્શલ પૉઇન્ટ પર વહેલા નહીં પણ મોડા પહોંચવામાં ઓછું નુકસાન થતું હતુંપ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ મેપ પર આંગળી ફેરવીને માર્ગ બતાવતા, એને અનુસરીને ચાલકે કાર હંકારવાની હતી. એટલે રેલીમાં ગતિનું નહીં પણ કોમ્યુનિકેશન, ચોકસાઈ અને ભૂલરહિત ડ્રાઇવિંગનું મહત્ત્વ હતું. નિયમ પ્રમાણે એક માર્શલ ચોકીથી બીજી ચોકીએ કાર નિર્ધારિત સમય કરતાં વહેલી પહોંચે તો મિનિટ દીઠ 3 પૉઇન્ટ અને મોડા પહોંચે તો માત્ર 1 પૉઇન્ટ કપાય. એટલે રેલીમાં વહેલા કરતાં મોડા પહોંચવામાં ઓછું નુકસાન હતું. બ્રેઇલ એક્સપર્ટ નેવિગેટર અદિતિએ પૂછ્યું, ‘રંગબેરંગી ઝાડ કેવું હોય વળી!’અંધજન મંડળના ઈંગ્લીશ ટ્રેનર અને બ્રેઇલ એક્સપર્ટ અદિતિ પંડ્યા ગુડગાંવના આઇટી સેક્ટરના આકિફ શેખના નેવિગેટર બન્યાં હતાં. સાયન્સ સિટીથી આગળ વધ્યા ત્યારે મેપમાં ‘રંગબેરંગી ઝાડને ડાબી બાજુએ રાખીને ડાબે વળવું’ એવી સૂચના અપાઈ હતી. અદિતિએ આ સૂચના આપ્યા પછી પૂછ્યું, ‘રંગબેરંગી ઝાડ કેવું હોય વળી!?’ પોલીસ કમિશનરે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુંડૉ. ભૂષણ પુનાની, પ્રમુખ રાજેન્દ્ર શાહ અને પોલીસ કમિશનર જી. એસ. મલિકે મારુતિ, કિયા, હ્યુન્ડાઈ, મિનિ કૂપર અને મર્સિડિઝ જેવી કારને પ્રસ્થાન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:25 am

સ્પોન્જ પાર્કનું કરાશે નિર્માણ:વાસણા વિસ્તારમાં 1.47 કરોડના ખર્ચે મ્યુનિ. સ્પોન્જ પાર્ક બનાવશે

શહેરમાં વાસણામાં 1.47 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવાની તૈયારી કરી છે. વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરી છે. અગાઉ વેજલપુર વિસ્તારમાં ગાર્ડનમાં સ્પોન્જ પાર્ક બનાવવાની દરખાસ્તને કમિટી દ્વારા પરત કરી દેવાઇ હતી. જ્યારે હવે આગામી દિવસોમાં 5 સ્થળે આવા સ્પોન્જ પાર્ક બનશે. સ્પોન્જ પાર્ક બનાવવા માટે મ્યુનિ. દ્વારા 7 વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ આખરે એક કોન્ટ્રાક્ટરે રસ દાખ‌વતાં મ્યુનિ. દ્વારા સિંગલ ટેન્ડર મંજૂર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ડીઝાસ્ટર મિટિગેશન ફંડની ફાળવણી કરી છે. જેના હેઠળ અમદાવાદમાં સ્પોન્જ પાર્ક બનાવવાની કામગીરી હાથ ધરાશે. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તેની નજીક આ સ્પોન્જ પાર્ક બનાવાય છે. જેથી આ વિસ્તારનું પાણી સ્પોન્જ પાર્કમાં વહાવવામાં આ‌વે. જેને કારણે વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવે જ્યારે બીજી તરફ લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળે. કેવું હોય સ્પોન્જ પાર્ક?પ્લોટમાં ખોદાણ કરી તેમાં અર્થન ટેંક બેડ એરિયા બનાવવામાં આવે છે. જે ટેંકમાં પહેલા માટી, ઘાસ હોય છે તેની નીચે મોટા કાંકરા સહિતની વસ્તુઓ હોય જે સરળતાથી પાણીને ભૂગર્ભમાં ઉતારે. આ ટેંકમાં આસપાસના વિસ્તારનું પાણી એકઠું કરવા માટે લાઇનો નાંખ‌ામાં આવે. જેથી ભરાઇ રહેતું વરસાદી પાણી આ સ્થળે આવે. ખાડામાં પરકોલેટિંગની સુવિધા હોય જેથી પાણી ભૂગર્ભમાં ઉતરતાં ભૂગર્ભજળ રિચાર્જ થાય. વરસાદી સીઝન સિવાય આ ખાડામાં ઘાસ ઉગે તેમજ ત્યાં બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા હોય. જેથી ચોમાસા સિવાય આ સ્થળનો બાળકો માટે ઉપયોગ થાય. તે સિવાય ગણેશ કિંડ, પોડિયમ, જીમ એરિયા, સાયકલ ટ્રેક જેવી સુવિધા પણ આ સ્થળે ઉપલબ્ધ કરાવાય. આ સ્થળે સ્પોન્જ પાર્ક બનશે

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:22 am

NIFT પ્રવેશ પ્રક્રિયા:શહેરના 750 સહિત રાજ્યના 1500 વિદ્યાર્થીએ NIFT માટેની ટેસ્ટ આપી

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટૅક્નોલોજી (NIFT) નવી દિલ્હીમાં પ્રવેશ માટે રવિવારે ગાંધીનગરમાં 2 ભાગમાં લેવાયેલી એન્ટ્રન્સ ટેસ્ટ, જનરલ એલિજિબિલિટી ટેસ્ટ અને ક્રિએટિવ એબિલિટી ટેસ્ટનું ઓવરઓલ પ્રશ્નપત્ર ઈઝી ટુ મોડરેટ લાગ્યું હતું. જોકે જીએટીમાં 20 માર્કના ક્વોન્ટેટિવ એબિલિટીના ટેસ્ટનું પ્રશ્નપત્ર થોડું અઘરું લાગ્યું હતું. ટેસ્ટનું પરિણામ એપ્રિલમાં જાહેર કરાશે. તે પછી બીજા તબક્કામાં મે મહિનામાં સિચ્યુએશન ટેસ્ટ થશે. આ સિચ્યુએશન ટેસ્ટનું પરિણામ મેના અંતમાં કે જૂનમાં જાહેર થશે. પ્રથમ તબક્કાની અને બીજા તબક્કાની ટેસ્ટના પરિણામના આધારે ઓવરઓલ મેરીટ તૈયાર કરીને નિફ્ટ દિલ્હી દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રવિવારે 15 હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. અમદાવાદમાં 750 સહિત રાજ્યના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી. 20 સંસ્થાનમાં ઉપલબ્ધ બેઠકોની વિગતો ક્વોન્ટેટિવ એબિલિટીના પ્રશ્નો અઘરા‘રવિવારે કુલ 200 માર્કસની જીએટી (જનરલ એબિલિટી ટેસ્ટ), સીએટી (ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ) યોજાઈ હતી, જેમાં કુલ 100 માર્કની જીએટીમાં 20 માર્કસના ક્વોન્ટેટિવ એબિલિટીના 20 મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (પ્રશ્નો) થોડાક અઘરા લાગ્યા હતા.100 માર્કસની જનરલ એબિલિટી ટેસ્ટમાં ક્વોન્ટિટેટિવ એબિલીટીના 20 પ્રશ્નો થોડાક અધરા લાગ્યા, જ્યારે બાકીના પ્રશ્નો અને પ્રશ્નપત્ર મોડરેટ લાગ્યુ હત.જ્યારે બપોરના ભાગે ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ (સીએટી)માં કુલ 100 માર્કસના ત્રણ પ્રશ્નો ડ્રોઈંગને લગતા વિઝયુલાઈઝેશન,ગ્રાફિક્સને લગતા પૂછાયા હતા. - પ્રતીક બ્રહ્મભટ્ટ, ડિઝાઈન કોચિંગ એક્સપર્ટ

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:21 am

ACPC દ્વારા કરાઈ જાહેરાત:ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીની 42 હજાર બેઠક માટે આજથી નોંધણી શરૂ થશે

એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ ડિપ્લોમા ઈજનેરી-ફાર્મસી પછીના ડીગ્રી ઈજનેરી-ફાર્મસી કોર્સની પ્રવેશ પરીક્ષા ડીડીસીઈટી-2026 (ડિપ્લોમો ટુ ડીગ્રી કોમન એન્ટ્રી ટેસ્ટ) કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર 26મી એપ્રિલે યોજાનારી ડીડીસીઈટી-2026 માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો 9મી ફેબ્રુઆરી સોમવારથી પ્રારંભ થશે અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30મી માર્ચ, 2026 સુધી ચાલશે. ડીડીસીઈટી-2026ના આધારે ડિપ્લોમા ઈજનેરીમાંથી ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં ત્રીજા વર્ષમાં પ્રવેશ માટેની રાજ્યભરમાં 139 જેટલી ડીગ્રી ડિપ્લોમા ફાર્મસીની 36 હજારથી વધુ ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી ફાર્મસી કોલેજોની બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ 2023-24માં 16 હજારથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024-25માં 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ટેસ્ટના માળખાની વિગતો : ટેસ્ટના રજિસ્ટ્રેશન અંગેની વિગતો સંખ્યા વધી રહી છે‘2 વર્ષમાં ડીડીસીઈટી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે યોજાનારી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા, ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.’ - નીલય ભૂપતાણી, મેમ્બર સેક્રેટરી, એસીપીસી

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:19 am

હિંદુ સંગઠનની માંગ:‘નગરયાત્રાનું આયોજન તિથિ પ્રમાણે કે મહાશિવરાત્રીના દિવસે થવું જોઈએ’

ભદ્રકાળી માની નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળવાની છે ત્યારે હિંદુ સંગઠનોએ તારીખનો વિરોધ કરી તેને તિથિ પ્રમાણે કે મહાશિવરાત્રીએ યોજવા કહ્યું છે. તેમનું માનવું છે કે, મા ભદ્રકાળી અને 26 ફેબ્રુઆરી વચ્ચે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ 26 ફેબ્રુઆરી 1411ના રોજ અહમદશાહે શહેરની સ્થાપના કરી હતી. 614 વર્ષ બાદ પહેલી વખત નગરયાત્રા નીકળી હતી, પણ તે દિવસે મહાશિવરાત્રિ પણ હતી, પરંતુ આ વર્ષે 26 ફેબ્રુઆરીએ એવી કોઈ મહત્ત્વપૂર્ણ તિથિ નથી. ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટે કહ્યું કે, યાત્રા તિથિ કે, મહાશિવરાત્રીએ નીકળે તો હિન્દુ પરંપરા જળવાશે. મંદિર ટ્રસ્ટે ફેર વિચાર કરવો જોઈએ. યાત્રાની પરંપરા સારી, પણ 26મીએ થશે તો વિરોધમંદિર સત્તાધારીઓ પરંપરાનો દુરુપયોગ કરશે તો કડક વિરોધ થશે. નગરયાત્રાને અહમદશાહ સાથે જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે સ્વીકાર્ય નથી. મહાશિવરાત્રિના દિવસે યાત્રા નીકળે તેવો અમારો આગ્રહ છે. - નલીન પટેલ, સંગઠન મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત આવતા વર્ષે જ્યોતિષશાસ્ત્રીઓની સલાહથી તિથિ કાઢીશુંપંડિતો અને જ્યોતિષશાસ્ત્રીઓની સલાહથી 615 વર્ષ પહેલાની તિથિ ગણતરી કરાશે અને આવતા વર્ષથી તે મુજબ આયોજન કરાશે. અમે સનાતન હિંદુ છીએ, અમારે અહમદશાહ સાથે કોઈ લેવા-દેવા નથી. - શશિકાંત તિવારી, શ્રી રામબલિ પ્રાગ તિવારી ટ્રસ્ટ, ભદ્રકાળી અને મહાલક્ષ્મી મંદિર

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:13 am

સિવિલ હોસ્પિટલમાં અદ્યતન મશીન વસાવાયું:પેશાબની તકલીફમાં સર્જરીની જરૂર છે કે નહીં તે UDS મશીનથી જાણી શકાશે

સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં રાજ્ય સરકારની સહાયથી રૂ. 55 લાખની કિંમતનું યુડીએસ મશીન લવાયું છે. દર્દીના હૃદયનું પમ્પિંગ જાણવા ઇકો કરાય છે તેવી રીતે બ્લેડરની કાર્યક્ષમતા માટે યુરોડાયનેમિક સ્ટડી કરાય છે. આ મશીનથી દર્દીના બ્લેડર(મૂત્રાશય)ની કાર્યક્ષમતા જાણીને તેને આધારે દર્દીને સતાવતી પેશાબને લગતી સમસ્યાનો સચોટ ઇલાજ કરી શકાશે. સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણીક શાહે કહ્યું કે, હોસ્પિટલની ઓપીડીમાં દર મહિને પેશાબ ધીમે આવવો, ટપકીને આવવો, પેશાબ ટપક્યાં કરવો જેવી તકલીફ સાથે 15થી વધુ દર્દી નોંધાય છે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં રૂ. 4થી 5 હજારને ખર્ચે થતો આ ટેસ્ટ સિવિલમાં મફતમાં થશે. આ રોગના દર્દી માટે ઉપયોગી થશેવારંવાર પેશાબ થવો કે પેશાબ અટકાવી ન શકવો, પેશાબ કરતાં દુખાવો કે મુશ્કેલી, ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો, મહિલાઓમાં યુરિન લીકેજની સમસ્યા, સ્પાઇનલ(કરોડરજ્જુ)ની ઈન્જરી, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓના દર્દી માટે ઉપયોગી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:12 am

સિટી એન્કર:એસટી 10 નવી કેરાવાન વસાવશે, લક્ઝુરિયસ ઓફિસ જેવી વાનમાં પ્રવાસની સાથે કોર્પોરટ મીટિંગ પણ થઈ શકશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પેસેન્જરોને હાઈટેક કેરાવાનની ભેટ આપશે. અત્યાર સુધી માત્ર વીઆઈપી લોકો પાસે જોવા મળતી લક્ઝુરિયસ ‘કેરાવાન’ હવે સામાન્ય જનતા અને કોર્પોરેટ ગ્રૂપ પણ વાપરી શકશે. નિગમે પ્રથમ તબક્કામાં 10 અત્યાધુનિક કેરાવાન લાવવાની તૈયારી પૂર્ણ કરી છે. આ કેરાવાન એવા પરિવારોને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરાઇ છે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા કે કચ્છના રણ જેવા સ્થળે ગ્રૂપમાં પ્રવાસ કરવા ઇચ્છે છે. એ રીતે મલ્ટિનેશનલ કંપનીઓ એક્ઝિક્યુટિવ માટે ચાલુ મુસાફરીએ મીટિંગનું આયોજન કરી શકશે, જેથી મીટિંગની સાથે મનોરંજન પણ માણી શકશે. જેથી લોકોના સમયની બચત થશે. એ રીતે વિદેશથી ગ્રૂપમાં આવતા પ્રવાસીઓ પણ ફરવા માટે આ કેરાવાનનું બુકિંગ કરાવી વીઆઈપી પ્રવાસનો આનંદ માણી શકશે. આ કેરાવાનનું સંચાલન અમદાવાદ જેવાં મુખ્ય શહેરો, તીર્થ સ્થળો તથા પર્યટન સ્થળો માટે કરી શકાશે. કેરાવાનમાં રેસ્ટ એરિયા, મિની પેન્ટ્રી, એટેચ વોશરૂમ પણ હશે GSRTCની વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી બુકિંગમુસાફરોની સુરક્ષા માટે દરેક વાનમાં જીપીએસ ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરા હશે, જેનું મોનિટરિંગ સીધું નિગમના કંટ્રોલ રૂમ દ્વારા કરાશે. આ વાનમાં ખાસ તાલીમબદ્ધ ડ્રાઈવર અને સહાયક અપાશે. જીએસઆરટીસીની વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા આ કેરાવાનનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:08 am

મંડે મેગા સ્ટોરી:વર્ષમાં આગની 2835માંથી 567 ઘટના ACમાં શોર્ટસર્કિટ, કોમ્પ્રેસર બ્લાસ્ટ, ગેસ લિકેજથી બની

શહેરમાં એક વર્ષમાં નોંધાયેલા કુલ 2835 આગના બનાવોમાંથી 567 માત્ર એસીમાં શોર્ટસર્કિટ, કોમ્પ્રેસર બ્લાસ્ટ કે ગેસ લિકેજને કારણે બન્યા હતા. ખાસ કરીને માર્ચથી જૂનમાં આગનું પ્રમાણ વધી જતું હોય છે. ઉનાળાના આ સમયમાં એસી, ફ્રીજનો વધુ પડતો ઉપયોગને કારણે પાવર ઓવરલોડિંગ થતાં આગ લાગે છે. આ કુલ બનાવો પૈકી 58 ટકા આગના બનાવોનું કારણ પણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું હતું. ભાસ્કર નોલેજજ્વલનશીલ ગેસથી એસીમાં બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે એસીથી આગ માટે આ કારણો જવાબદાર આટલું જરૂરી:સારી ગુણવત્તાની MCB વાપરવી. એસી ડક્ટમાં સિલન્ટ કરવું. મજબૂત કોપર વાયરિંગ. આઉટડોર યુનિટ સામે 2-3 ફૂટ જગ્યા રાખવી. નિયમિત ગેસ ચેકિંગ, સર્વિસ અને સફાઈ.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:03 am

ભાસ્કર ઈનસાઈડ:ઓનલાઇન પોર્ટલના ડિલિવરી બોયે 2 આઈફોન 17-પ્રો, એરબડ કાઢી પાર્સલમાં નકલી મૂકી દીધાં

ઓનલાઇન ડિલિવરી પોર્ટલના ડિલિવરી બોયે ટોળકી સાથે મળી પાર્સલ સાથે ચેડા કરી 2 આઈફોન 17-પ્રો અને એરબડ કાઢી નકલી ફોન-એરબડ મુક્યા હતા. કંપનીના અધિકારીઓના ચેકિંગમાં ભાંડો ફુટતા પોલીસે તપાસ શરૂ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે ડિલિવરી બોય સામે ગુનો નોંધ્યો હતો. સુભાનપુરા સહકાર સોસાયટીમાં રહેતા અશોક ગેરધનભાઈ પરમાર લક્ષ્મીપુરા રોડ નંદિશ પેલેસ ખાતે ઓનલાઇન ડિલિવરી પોર્ટલ કંપનીના સંકલનમાં રહીને સ્ટોર ચલાવે છે. તે પાર્સલની ડિલિવરી કરાવે છે. અશોકભાઈ સાથે મનોજ શાહ અન મનોજ નેકારામ સોલંકી (રહે, ફોર્ચ્યુન સ્કાય, કલાલી, મુળ ઝાલોર, રાજસ્થાન) ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તા.2 ફેબ્રુઆરીએ અશોકભાઈની ઓફિસે કંપનીના અધિકારી આવ્યા હતા અને કહ્યું કે, મનોજ સોલંકીએ 3 ડિલિવરી કરી નથી. અશોકભાઈએ રહી ગયેલા પાર્સલ ખોલીને જોતા તેમાં ડુપ્લિકેટ મોબાઇલ મળી આવ્યા હતા. તેમાં એપલ એરપોર્ડ પ્રો રૂ.27 હજાર અને બે એપલ આઈફોન 17 પ્રો રૂ.1.14 લાખ- રૂ.1.14 લાખના હતા. ત્રણેયના ડિલિવરી એડ્રેસ જુદા-જુદા હતા. ત્રણેય પાર્સલની ડિલિવરી કરવા મનોજ ગયો હતો. જ્યારે મનોજ સોલંકીનો ફોન બંધ આવતો હતો. પાર્સલમાં ડુપ્લિકેટ ફોન, એરપોર્ડ મુકીને મનોજે છેતરપિંડી કરી હતી. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મનોજ સોલંકી સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 જણાની ટોળકીને પકડી પાડવામાં આવી હતી. ટોળકી દ્વારા લોકોના પાર્સલ સાથે ચેડા કરીને અસલી વસ્તુ કાઢી લેવામાં આવતી હતી અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકી દેવામાં આવતી હતી. ભેજાબાજે ડિલિવરી બોય પાસે નાણાં લેવાનાં હતાં, ન આપવા ઠગાઈ કરીસુત્રધાર રાજસ્થાનનો રામલાલ ગેહલોક અને મનોજ સોલંકી પણ ઝાલોરનો છે. રામલાલ મનોજ પાસે રૂ.3 લાખ માગતો હતો. જેથી રૂપિયા ન આપવા હોય તો ઠગાઈ કરવા રામલાલે ટોળકી અને મનોજને સાથે જોડી લીધા હતા. તેઓ મળીને ખોટા ઓર્ડર કરતા હતા અને વડોદરામાં સાથે મળીને પાર્સલ ખોલી જે-તે વસ્તુ કાઢી લઈને ઠગાઈ કરતા હતા. આ રીતે નકલી સામાન મુકાતો હતોટોળકી ઈન્જેક્શનમાં સોલ્યુશન ભરી પાર્સલના સીલ પર લગાવીને સીલ ખોલતી હતી. ફોનનું સીલ હેરડ્રાયર દ્વારા ખોલી દેવાતું હતું. ફોન કાઢી તેની જગ્યાએ નકલી કે ડમી ફોન મુકી દેતા હતા અને ફરી પાર્સલ સીલ કરી દેતા હતા. પાર્સલ પોતે મગાવ્યું હોય તો ખોઈ ગયાનું જણાવીને રિટર્ન કરી દેવાતું હતું.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:02 am

કાર ચાલક પોલીસ પકડથી દૂર:રેન્જરોવર ચાલકે અકસ્માત કર્યા પછી ‘મેં કંઇ કર્યું નથી’ તેવી બૂમો પાડી હતી

ટાવર ચાર રસ્તા પાસે શનિવારે વહેલી સવારે 3 વાગે અકસ્માત સર્જી રેન્જ રોવર કારની બહાર નિકળીને આ ચાલકે ‘ મે કશુ કર્યું નથી.’ તેવી બુમો પાડ્યા બાદ ભાગી ગયો હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. ઘટનાને 24 કલાક ઉપર થઈ ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આ અકસ્માત સર્જનાર સુધી પહોચી શકી નથી. ત્યારે આ સમગ્ર ઘટના ડ્રીંગ એન્ડ ડ્રાઈવની હોવાનું પણ સ્થાનિકોનું માનવું છે. જ્યારે પોલીસ દ્વારા કાર માલિક હરેન્દ્રસિંહ ભદોરીયાની પુછપરછ કરતાં તેને આ કાર બે દિવસ માટે આકાશ દરજીને આપી હોવાનું જણાવ્યું હતું. જોકે આકાશ દરજી મુંબઈ લગ્નમાં ગયો હોવાનું પોલીસ જણાવી રહી છે. તેના નિવેદન બાદ કાર ચાલક કોણ છે તે અંગે સ્પષ્ટ થશે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગે અકસ્માતના કેસમાં કાર ચાલક જ અકસ્માત થયો હોવાની જાણ પોલીસને કરતો હોય છે. જ્યારે ચાલકે દારૂ પીધો હોય તો તે કાર છોડીને ફરાર થાય છે તેવું પણ સ્થાનિક સુત્રોનું માનવું છે. પોલીસ દ્વારા આ ઘટના અંગે નોંધેલી ફરિયાદ અનુસાર, શનિવારે વહેલી સવારે 3:11 વાગે કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી કે, રાવપુરા ટાવર ચાર રસ્તા પર અકસ્માત થયો છે. તપાસ કરતા 1011 નંબરની રેન્જ રોવર કાર રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે ખોડિયાર માતા મંદિર પાસે પડી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરનાર શીયાબાગમાં રહેતા યુવકે આ અંગે જણાવ્યું હતું કે, આ કાર પુરઝડપે જ્યુબિલી બાગ તરફથી આવીને ખોડિયાર માતા મંદિર પાસેના ટ્રાફિક સિગ્નલના પોલ તેમજ તેની બાજુમાં મુકેલા કંટ્રોલ બોક્ષ સાથે અથડાઈ હતી. ચાલક ભાગી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:01 am

મંડે પોઝિટીવ:3500 બાળકોએ 3 હજાર કિલો દોરી ભેગી કરી, ગાદલાં-ઓશિકાં બનાવવા ગૃહઉદ્યોગને અપાશે

ઉત્તરાયણ પછી ઝાડ કે ધાબા પર લટકી દોરી પક્ષીઓ માટે ઘાતક ન બને તે માટે રાજયશ ફાઉન્ડેશને અભિયાન શરૂ કર્યું હતું. અમદાવાદ, સાણંદ અને નળસરોવર પંથકની સ્કૂલોના 3700 વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપી દોરી એકત્રિત કરવાની સમજ અપાઈ હતી. આ વર્ષે 3500 વિદ્યાર્થીઓએ 3 હજાર કિલો દોરી એકત્રિત કરી છે. આ એકત્ર થયેલી દોરીનો સદુપયોગ કરીને સ્ટ્રીટ ડોગ માટે 350થી વધુ ધાબળા તૈયાર કરાશે, જે વિવિધ સેવાભાવી સંસ્થાને ફ્રીમાં અપાશે તેમજ ઓશિકા-ગાદલા બનાવતા ગૃહઉદ્યોગોને પણ અપાશે. રાજયશ ફાઉન્ડેશનના ફાઉન્ડર જલ્પા શાહે જણાવ્યું કે, ઉત્તરાયણ પૂર્વેના 6 મહિના અગાઉથી જ આ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જેમાં અમદાવાદની જૈન પાઠશાળાના 400 વિદ્યાર્થીઓ સહિત ગ્રામ્ય વિસ્તારોની સ્કીલોમાં બાળકોને તાલીમ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 25 હજાર વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. છેલ્લાં 4 વર્ષથી આ કામગીરી કરાઈ છે. પ્રથમ વર્ષે 800 કિલો દોરી એકત્રિત કરાઈ હતી. દર વર્ષે 900 કિલો દોરી પ્રોસેસ કરવામાં આવે છેગત વર્ષોના અનુભવના આધારે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અંદાજે 900 કિલો દોરીને પ્રોસેસ કરવામાં આવે છે. ગરમ પાણી ભરેલા મોટા ડ્રમોમાં બે થી ચાર દિવસ દોરી રાખી ‘કાચ’ ઉતારાય છે. એકત્રિત થયેલી દોરીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો આવે છે, તેનો ફરી ઉપયોગ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાય છે. આવી દોરીને પ્લાસ્ટિક રિસાઈકલ કરતા યુનિટોમાં મોકલી દેવાય છે, જ્યાં તેનો ઉપયોગ દાણા બનાવવામાં થાય છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:00 am

સુરતના બિલ્ડરે મેગઝીન વિનાની પિસ્તોલથી કેવી રીતે આપઘાત કર્યો?:તુષાર ઘેલાણીએ ટ્રીગર દબાવ્યું ને ગોળી માથું ફાડી દિવાલ સાથે અથડાઈ, બાકીની 5 બુલેટ અને મેગઝીન ક્યાં?

ગત 1 ફેબ્રુઆરીની રાત સુરતના ઘેલાણી ફેમિલી માટે આઘાતની રાત બની ગઈ હતી. ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને તુષાર ઘેલાણીએ પોતાની જ પિસ્તોલ દ્વારા આત્મહત્યા કરતા માતમ છવાઈ ગયો હતો. જો કે આ આત્મહત્યા પાછળના ઘણાં રહસ્યો હજુ પણ વણઉકેલ્યા છે. પાંચ દિવસની લાંબી સારવાર બાદ ગુરુવારે તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે રિવોલ્વર કબ્જે લઈ એફએસએલમાં મોકલી છે. જોકે એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, જે રિવોલ્વરથી તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો એ રિવોલ્વરમાં મેગઝિન હતી જ નહીં. પણ રિવોલરની ચેમ્બરમાં રહેલી એક ગોળીથી જ પોતાનો જીવ લીધો હતો. 1 ફેબ્રુઆરીની એ કાળી રાત્રિએ પરિવારના સભ્યો અને સુરતના સિટીલાઇટ વિસ્તાર સ્થિત પોતાના ઘરે આવેલા મહેમાનો વચ્ચે દીકરી તન્વીના લગ્નના આયોજન અને કંકોત્રીના લિસ્ટ બાબતે ચર્ચા ચાલી રહી હતી. 2 ફેબ્રુઆરીના રોજ સવારે શુભ મુહૂર્તમાં કંકોત્રી લેખનનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જોકે, રાત્રિના આશરે એક વાગ્યાની આસપાસ કોઈ અંગત કારણોસર કે મનદુઃખ થતા તુષારભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. ડાબા કાન પાછળના ભાગે ગોળી મારી દીધી ને સામેની દિવાલે અથડાઈરૂમમાં ગયાના ગણતરીની મિનિટોમાં જ એક જોરદાર ધડાકો સંભળાયો હતો. પરિવારજનો દોડીને રૂમમાં પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. તુષારભાઈએ પોતાની લાયસન્સવાળી લામા (LLAMA) જર્મન મેડ રિવોલ્વર વડે ડાબા કાનની પાછળના ભાગે ગોળી મારી દીધી હતી. ગોળી એટલી નજીકથી અને જોરથી મારવામાં આવી હતી કે તે માથું ફાડીને આરપાર નીકળી ગઈ હતી અને સામેની દીવાલ સાથે અથડાઈને નીચે પડી હતી. આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત એક ગોળી લોડ થયેલી હતી પણ મેગઝિન નહોતીઉમરા પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. તપાસ દરમિયાન પોલીસને તુષારભાઈના રૂમમાંથી જે રિવોલ્વર મળી, તેમાં મેગેઝિન ઇન્સર્ટ કરેલું નહોતું. સામાન્ય રીતે પિસ્તોલમાં મેગઝિન ન હોય તો તેને ખાલી માનવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં રિવોલ્વરની ચેમ્બરમાં એક ગોળી પહેલેથી જ લોડ થયેલી હતી. મેગઝીન અને 5 ગોળી ક્યાંથી મળ્યા?પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તુષારભાઈ કદાચ ઉગ્ર સ્વભાવના હોવાથી અકસ્માતે કોઈ મોટી ઘટના ન બને તે માટે મેગઝિન અલગ રાખતા હતા. પરંતુ ચેમ્બરમાં એક ગોળી રહી ગઈ હતી, જે તેમના મૃત્યુનું કારણ બની. પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર, દીવાલમાં અથડાયેલી ગોળી અને ડ્રોઅરમાંથી 5 ગોળી ભરેલું મેગેઝિન તથા અન્ય 15 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. હથિયારને હાલ એફએસએલ (FSL)માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર ને પછી બ્રેઇનડેડતુષારભાઈના કાનની પાછળના ભાગેથી મારવામાં આવેલી ગોળી મગજ ચીરીને આરપાર નીકળી ગઈ હતી. આ ગોળી 9 MMની હતી. ત્યાર બાદ તુરંત જ લોહીલુહાણ હાલતમાં તુષારભાઈને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા રહ્યા. જોકે, ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો પણ અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યોતુષારભાઈના પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ ઉમદા નિર્ણય લીધો હતો. તેમણે તુષારભાઈના અંગોનું દાન કરી અન્યોને નવું જીવન આપવાનું નક્કી કર્યું. 'ડોનેટ લાઈફ'ની ટીમ હોસ્પિટલ પહોંચી અને અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પરંતુ, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ગુરુવારે સવારે જ્યારે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ તેમને અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. તબીબોએ 20 મિનિટ સુધી સતત CPR આપીને હૃદય ધબકતું કરવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી નહીં. હાર્ટ ફેલ થવાને કારણે કિડની, લિવર કે હૃદયનું દાન ન થઈ શક્યું, માત્ર તેમની આંખો (ચક્ષુદાન) સ્વીકારવામાં આવી હતી. દીકરીઓએ કાંધ આપી, સ્મશાનમાં હૃદયદ્રાવક દ્રશ્યો5 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યે તુષાર ઘેલાણીની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળીને ઉમરા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં તેમની બંને દીકરીઓએ પિતાને કાંધ આપી હતી. ભારે હૈયે પરિવારજનો અને સગા સંબંધી સહિત મિત્રોએ વિદાય આપી હતી. ગુરુવારે બપોરે જ્યારે તુષારભાઈની અંતિમયાત્રા નીકળી ત્યારે સમગ્ર સુરતની બિલ્ડર લોબી અને ઉદ્યોગપતિઓ ઉમટી પડ્યા હતા. પરંતુ સૌથી વધુ કરુણ દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે પિતાની અર્થીને તેમની લાડકવાયી દીકરીઓએ કાંધ આપી. જે દિવસે દીકરી ફેરા ફરવાની હતી એ જ દિવસે તેણે રડતી આંખે અને ધ્રૂજતા હાથે પિતાને મુખાગ્નિ આપવો પડ્યો હતો. ઉમરા સ્મશાનગૃહમાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો આ જોઈને ભીની થઈ ગઈ હતી. આ પ્રશ્નો હજુ પણ અનુત્તરએક સફળ બિલ્ડર અને પરિવારના મોભી એવા તુષારભાઈએ આટલું અંતિમ પગલું કેમ ભર્યું? શું માત્ર ક્ષણિક આવેશમાં આવીને આ નિર્ણય લેવાયો કે પછી કોઈ ઊંડું માનસિક દબાણ હતું? પોલીસ હાલ આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. કોણ હતા તુષાર ઘેલાણી?તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લેપોઈન્ટ ખાતે જોલી કોમ્પલેક્ષમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:00 am

પ્રગતિશીલ ખેડૂત:કાશ્મીરના ઠંડા પ્રદેશમાં થતા સફરજન સહિતના ફળ પાટણની ગરમ ધરા

પાટણના કુડેર ગામના 52 વર્ષીય રમેશભાઈ રાજપૂત જન્મજાત ખેડૂત પુત્ર પરંતુ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય કંઈક નવું શીખવાની અને કરવાની પ્રવૃત્તિના ભાગરૂપે કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં જ થતા સફરજન, કીવી, અંજીર જેવા વિવિધ પ્રકારના ફળ પાટણની ભૂમિ ઉપર કરી ખેતરને ફળનું વન બનાવી દીધું છે. તેમની આ સફળ બાગાયતી ફળોની ખેતી સમગ્ર પાટણ પંથકમાં ખેડૂતો માટે માર્ગદર્શન બની છે. જાણીએ તેમની કહાની તેમના શબ્દોમાં..... હું પાટણ તાલુકાના કુડેર ગામમાં રહું છું અને રાધનપુર સરકારી પ્રા.શાળા શિક્ષક તરીકે નોકરી કરું છું. મારા પિતાજી ખેડૂત હોય જન્મજાત ખેતી સાથે જોડાયેલો છું. આમ તો પાટણ જિલ્લો જે એક સમયે 'ડ્રાય એરિયા' ગણાતો હતો, ત્યાં હવે આધુનિકતાના મિશ્રણથી ખેતીમાં નવો સૂર્યોદય થયો છે. જેથી ખેતી ક્ષેત્ર કંઈક નવું કરવા અને અનુભવ માટે વિચાર આવ્યો હતો. જેથી મારા ખેતરની માત્ર દોઢ વીઘા જમીનમાં સફરજન , નાસપતિ, અંજીર, દ્વાક્ષ જેવા 8 થી 10 પ્રકારના વિશિષ્ટ ફળોની ખેતી કરીને સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો પાટણની વધુ તાપમાનવાળી ધરતી પર પણ શીતભૂમિ કાશ્મીરમાં થતા ફળફળાદી ઉગાડી શકાય છે. હવે ખેતી માત્ર નસીબ પર આધારિત નથી, પણ ટેકનોલોજી અને કુદરતી સંસાધનોના સમન્વયથી તેને નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. ​3 વર્ષની મહેનતે 5 લાખનો ખર્ચ ગાય આધારિત પધ્ધતિથી ફ્રૂટની આ રીતે ખેતી કરી ઇન્ટરનેટના માધ્યમથી ઠંડા પ્રદેશના ફળના પાકોનો અભ્યાસ કર્યો. બાદમાં આ ખેતીમાં તેમણે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર માત્ર ગૌમૂત્ર અને છાણિયા ખાતરના જોરે 3 ફૂટ ઊંડા ખાડા કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઠંડા પ્રદેશ સમાન ફળના પાકો માટે જમીન અનુરૂપ કરી ઓનલાઈન રોપા મંગાવી વાવ્યા હતા. આજે તેમની મહેનત રંગ લાવી છે અને તમામ છોડ પર ફળો બેસવાનું શરૂ થઈ ગયું છે. રોપામાં ફળ આવ્યા , વેપારીઓએ સંર્પક શરૂ કર્યા ખેડૂતના 22 પ્રકારના તમામ ફ્રુટના રોપાઓમાં સારા પ્રમાણમાં ફળ બેસવા લાગ્યા છે. ટૂંક સમયમાં ફળ પાકી જતાં બજારમાં વેચાણ માટે મૂકી શકાશે. પ્રથમવાર પાટણ પંથકમાં પણ આવા ફળ થયા હોય ફળ સ્વાદે સ્વાદિષ્ટ હોય હોલસેલના અનેક વેપારીઓ દ્વારા ખેડૂતનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતને આ ફળોમાંથી સારી આવક થવાનો આશાવાદ જોવા મળી રહ્યો છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી મેળવવો વધુ વિગતો : 8320559065(પાટણથી ગોવિંદ પ્રજાપતિ સાથેની વાતચીતના આધારે )

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:00 am

પોલીસે ‘મેઈન મૂર્ગા’ને રસ્તા વચ્ચે કુકડો કર્યો:લેડીઝના ડ્રેસમાં પકડાયો, રાજકોટની બજારમાં સરઘસ કાઢ્યું; મેવાણીએ લખન બની ઠુમકા લગાવ્યા, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:00 am

વિદેશથી કેટલું સોનું, મોબાઇલ, દારૂ, રોકડ લાવી શકાય?:સામાન, ઘરેણા માટે આવ્યા નવા નિયમ; કસ્ટમ્સ વિભાગે અમદાવાદ એરપોર્ટ બહાર શરૂ કરી હેલ્પ ડેસ્ક

એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કિંમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ જેવા ગેજેટ્સ સાથે મુસાફર પકડાઈ જવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. વળી, વિદેશમાં રહેતા સંબંધી વતન આવે તો મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુઓ મંગાવવાની પણ ઘણા લોકોની ઇચ્છા હોય. પરંતુ સામાન્ય મુસાફરના મનમાં પણ સવાલો ઉઠે કે વિદેશથી કંઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લવાય, કેટલી રોકડ લાવી શકાય અને કેટલુે લઈ જઈ શકાય? જો સોના-ચાંદીના ઘરેણા પહેરીને વિદેશ જઈએ તો પરત આવતા સમયે એરપોર્ટ પર કોઈ રોકે તો શું કરવું? અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. નાણાકીય વર્ષ 2024-25માં 1 કરોડ 34 લાખ લોકોએ અમદાવાદ એરપોર્ટ મારફતે મુસાફરી રહી હતી. દરરોજ 290થી વધુ ફ્લાઇટમાં 37 હજારથી પણ વધુ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ગુજરાતીઓને કસ્ટમ્સના નિયમો સીધી રીતે અસર કરે છે. કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ કસ્ટમના નિયમોમાં કેટલોક ફેરફાર આવ્યો છે. એટલે માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદ સ્થિત કસ્ટમ કમિશનરેટમાંથી કસ્ટમ ક્લિયરન્સને લગતી માહિતી મેળવી. અમદાવાદ સહિત કોઈપણ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે બે લાઇન હોય છે. એક ગ્રીન ચેનલના નામે ઓળખાય છે અને બીજી રેડ ચેનલ. જો વિદેશથી આવતા કોઈ પેસેન્જર પાસે કસ્ટમ ડ્યૂટીને લગતો કોઈ સામાન ન હોય તો તે ગ્રીન ચેનલમાંથી પસાર થઈને એરપોર્ટ બહાર નીકળી શકે છે. પરંતુ મુસાફર પાસે કસ્ટમ ડ્યૂટીના નિયમો લાગૂ થાય એવો સામાન હોય તો તેણે રેડ ચેનલમાંથી પસાર થવું પડે છે અને જરૂર પડે તો ડોક્યુમેન્ટ, સામાનનું ડિક્લેરેશન ફોર્મ, બિલ વગેરે બતાવવાથી લઈને સામાન ચેક કરાવવામાં પણ સહકાર આપવો પડે. તો જાણી લો કે વિદેશથી મુસાફરી કરીને ભારતના કોઈપણ એરપોર્ટ પર ઉતરો ત્યારે કેવા નિયમો લાગુ પડે છે અને કઈ-કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લાવી શકાય છે. વિદેશમાં દાગીના લઈ જવા માટેનો નિયમ સમજોલગ્ન કે અન્ય પ્રસંગોમાં સોના, પ્લેટિનમ કે ડાયમંડના દાગીના પહેરીને વિદેશ જતા લોકોએ કસ્ટમ્સ વિભાગ પાસેથી 'એક્સપોર્ટ સર્ટિફિકેટ' મેળવવાનું હોય છે. આ માટે ગવર્મેન્ટ એપ્રુવ્ડ વેલ્યુઅર દાગીનાની કિંમત નક્કી કરે છે, તેના ફોટા પણ પાડવામાં આવે છે અને જ્વેલરી સીલ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. મુસાફર જ્યારે પરત ફરે ત્યારે એક્સ-રે અને કેરેટોમીટર મશીન દ્વારા ચકાસણી કરવામાં આવે છે કે દાગીના બદલાયા તો નથી ને. જો કોઈ શંકા થાય તો ફરીથી વેલ્યુઅર પાસે તપાસ કરાવાય છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 96 મુસાફરોએ આ સર્ટિફિકેટ મેળવ્યા હતા. જેમાંથી 92 લોકોએ રૂબરૂમાં અને 4 લોકોએ ઓનલાઇન પ્રક્રિયા કરી હતી. સામાન્ય રીતે કસ્ટમ્સની વેબસાઇટ પર રોજિંદા પ્રશ્નોની વિગતો ઉપલબ્ધ હોય છે, પરંતુ કેટલીકવાર અમુક પ્રશ્નોનો જવાબ ત્યાં ન મળતા મુસાફરો રૂબરૂ જાણકારી મેળવવા એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારી પાસે જતા હોય છે. અમદાવાદ અને સુરત જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ 24 કલાક હાજર રહે છે. જોકે, મુશ્કેલી એ આવે કે એરપોર્ટની અંદર બેસતા અધિકારીને મળવા માટે ટિકિટ વગર પ્રવેશ મેળવવા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી પાસેથી સિક્યોરિટી પાસ લેવો પડતો હતો. જેના કારણે મુસાફરોને ભારે પરેશાની થતી હતી. લોકોની આ મુશ્કેલી દૂર કરવા કસ્ટમ્સ કમિશનરેટ કચેરી દ્વારા એરપોર્ટ પર પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં 24 કલાક કસ્ટમ્સ અધિકારીઓ તૈનાત હોય છે. આ સુવિધાને કારણે મુસાફરોને હવે પાસ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને તેઓ એરપોર્ટની બહારથી જ સીધા અધિકારીઓના સંપર્કમાં આવી શકે છે. છેલ્લા દોઢેક મહિનામાં આશરે 80થી વધુ નાગરિકોએ આ સેન્ટરની મુલાકાત લઈને જરૂરી પૂછપરછ કરી છે. કસ્ટમ્સ કમિશનર શિવકુમાર શર્માએ જણાવ્યું,અહીં વિદેશ જતા મુસાફરો કેટલી કરન્સી લઈ જઈ શકે, કેટલી લાવી શકે અથવા જો કોઈના માલસામાનને ડીટેઇન કરવામાં આવ્યો હોય તો તે માટે કેટલી પેનલ્ટી કે ફી ભરવી પડશે તેવી તમામ માહિતી 24 કલાક ઉપલબ્ધ છે. એરપોર્ટ પર મુસાફરોની જાણકારી માટે આ સેન્ટરના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. કસ્ટમ્સ વિભાગની છબી વધુ પારદર્શક બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોફેશનલ્સ દ્વારા મુસાફરો સાથેના વર્તન અને વાતચીત અંગે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, અધિકારીઓને બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ક્લિયરન્સ વખતે મુસાફરો પાસેથી ફીડબેક લેવાની સિસ્ટમ પણ શરૂ કરાશે. જો કોઈ મુસાફર નેગેટિવ ફીડબેક આપશે તો તે મુસાફર એરપોર્ટ છોડે તે પહેલાં જ અધિકારીઓ દ્વારા તેમની મુશ્કેલીનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 6:00 am

નવી તરકીબ:એક્સપોર્ટના વેપારીનું નકલી ખાતું બનાવી કસ્ટમના સરકારી લાભના ~8 લાખ ઠગ્યા

વડોદરાના એક્સપોર્ટ-ઇમ્પોર્ટના વેપારી સાથે સરકારી વેબસાઈટ પર નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. ભેજાબાજે કસ્ટમ વિભાગના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના પોર્ટલ પર વેપારીનું નકલી એકાઉન્ટ બનાવી 8.12 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકે પણ આ પ્રકારની છેતરપિંડીની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઇપી એડ્રેસ અને બેંક ખાતા દ્વારા પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે. સુભાનપુરા વિસ્તારની સેમી સોસાયટીમાં રહેતા દીપેનભાઇ જયંતીભાઈ શિંગડા 25 વર્ષથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું જીત એન્જિનિયર્સ નામે ફર્મ ચલાવું છું. એક્સપોર્ટના વેપારીઓને થતા લાભો માટે ભારતના કસ્ટમ એન્ડ એક્સાઇઝ વિભાગની આઈસગેટ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમાં એક્સપોર્ટ પ્રોડક્ટની ડ્યૂટીની રેમિશન સ્કીમ હોય છે. 2021થી મારા ખાતામાં મેં ભરેલી એક્સપોર્ટ ડ્યુટીના લાભની રકમ જમા થતી હતી. આ ડીજીએફટી પોર્ટલ પર સપ્ટેમ્બર-2025માં રજીસ્ટ્રેશન બાકી હતું. થોડા સમય પહેલા તપાસ કરતાં મારા નામનું ખાતું અગાઉથી જ બનેલું હોવાનું જાણવા મળ્યું હતું. કોઈએ મારા પાસવર્ડ-આઇડી બદલીને ખાતું બનાવી રૂ.8.12 લાખની ક્રેડિટ તેના ખાતામાં ટ્રાન્સફર કરી હોવાની માહિતી મળી હતી. 3 માર્ચ 2025ના એક જ દિવસે 4 ટ્રાન્જેક્શન કરી લીધા હતા. આ ટ્રાન્જેક્શન અંગે રજિસ્ટ્રેશનની માહિતી ચેક કરતા એ આઈ.પી એડ્રેસ પરથી પ્રથમ વાર નોંધણી કરાવી હોવાનું બહાર આવ્યું હતું. સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવી છેતરપિંડી ફિશિંગથી થાય છેસરકારી ગેટવેમાં પણ હવે કૌભાંડો શરૂ થયા છે. ભેજાબાજો ઇમેઇલ, ટેક્સ્ટ અથવા કોલ કરી HMRCનો સંપર્ક કરી છેતરપિંડી કરે છે. અજાણી લિંક પર ક્લિક કરીને અંગત માહિતી આપવી નહીં. કૌભાંડીઓ ICE કોડનો દૂર ઉપયોગ કરી છેતરપિંડી કરતા હોય છે.સરકારી ગેટવે જેવો ઇમેઇલ મોકલી તાત્કાલિક માહિતી માંગે તો આપવી નહીં. પ્રથમ મોકલનારને તપાસવા જોઈએ. શંકાસ્પદ ઇમેઇલ કે મેસેજ પર ક્લિક ન કરો, આવા ઇમેઇલ-મેસેજ આવે તો સાયબર વિભાગને જાણ કરવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:59 am

‘મેરેજ ટુરિઝમ’ના ક્ષેત્રમાં નવસારીની મોટી છલાંગ:ઉદયપુર અને ગોવાને ટક્કર આપશે નવસારી ₹250 કરોડના ખર્ચે વેડિંગ કોરિડોર તૈયાર થશે

દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું નવસારી શહેર હવે ‘મેરેજ ટુરિઝમ’ના ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. અત્યાર સુધી જે શહેર માત્ર ચીકુ, કેરી અને વેપાર માટે જાણીતું હતું, તે હવે ડેસ્ટિનેશન વેડિંગના કારણે અર્થતંત્રનું નવું એન્જિન બનવા જઈ રહ્યું છે. પરંપરાગત પાર્ટી પ્લોટના જમાનાને અલવિદા કહી રહેલો આજનો યુવા વર્ગ લક્ઝુરિયસ રિસોર્ટ્સ અને નેચર-બેઝ્ડ લોકેશન્સ તરફ વળ્યો છે, જેને પગલે નવસારીમાં કરોડો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. અડદા ગામે સાકાર થનારો રૂ. 250 કરોડનો મેગા પ્રોજેક્ટ નવસારીને વૈશ્વિક નકશા પર નવી ઓળખ અપાવશે. કમોસમી વરસાદ અને ખેતીમાં થતા નુકસાન સામે હાર માનવાને બદલે સંઘર્ષનો માર્ગ અપનાવનાર ખેડૂતપુત્ર સંજયભાઈ પટેલે નવસારીમાં આ ખાસ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ નવું હબ સુરત અને મુંબઈ પરની નિર્ભરતા ઘટાડશે. આ પ્રોજેક્ટમાં 5,000 ચોરસ ફૂટનો ભવ્ય કોલમ-લેસ હોલ, તાજ અને મેરિયટ જેવી હોટલ્સને ટક્કર આપે તેવા અદ્યતન રૂમ્સ, IPL કદનું ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ અને ગોકાર્ટિંગ તેમજ 1,200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવશે.​જ્યાં એક સમયે લોકો લગ્નની ખરીદી કે હોલ માટે સુરત-મુંબઈ તરફ દોડતા હતા, ત્યાં હવે નવસારી પોતે એક એવું કેન્દ્ર બની રહ્યું છે જે અન્ય મેટ્રો સિટીના લોકોને આકર્ષશે. દક્ષિણ ગુજરાતના NRIને સરળતા રહેશેનવસારી અને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી વિદેશમાં વસતા NRI યુવક-યુવતીઓ ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માટે પોતાના વતન આવે છે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં રહેતા લોકોને પોતાના જ ગામ નજીક લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમો માટે આ પ્રોજેક્ટ થકી સારી સુવિધા મળી રહેશે. અન્ય મોટા વેડિંગ ડેસ્ટિનેશન પણ સજ્જનવસારીની ભૌગોલિક સ્થિતિ તેને ડેસ્ટિનેશન વેડિંગ માટે સર્વોત્તમ બનાવે છે. પૂર્ણા નદીના કિનારે ‘ધરતી રિસોર્ટ’ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નવસારીનો કાંઠા વિસ્તાર હવે ગોવાની તર્જ પર ‘બીચ વેડિંગ’નો અનુભવ આપી રહ્યો છે. જલતરંગ વોટરપાર્ક, ઉદય પેલેસ અને જાનકી રિસોર્ટ જેવા સ્થળોએ પણ થીમબેઝ્ડ વેડિંગ અને પ્રી-વેડિંગ શૂટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બુલેટ ટ્રેનને ધ્યાનમાં રાખી પ્લાન તૈયાર કર્યોબુલેટ ટ્રેન શરૂ થતા મુંબઈથી નવસારીનું અંતર માત્ર 90 મિનિટનું રહી જશે. મુંબઈ અને ઉદયપુરમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અમે અહીં આંતરરાષ્ટ્રીય સુવિધાઓ આપીશું, જે મુંબઈગરાઓ અને NRI માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. > સંજય પટેલ, ડેવલોપર, નવસારી રોજગારી વધવા સાથે સ્થાનિક ઇકોનોમીને મોટો ફાયદોનવસારી વેડિંગ હબ બનવાને કારણે કેટરિંગ, ડેકોરેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે હજારો સ્થાનિક લોકોને રોજગારી મળશે. આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં ઉછાળો આવ્યો છે. ખાસ કરીને NRI પટ્ટા ધરાવતા નવસારીમાં વિદેશથી આવતા ભારતીયો માટે હવે ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:57 am

સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના એમડીની પત્રકાર પરિષદ:સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના નામ અને લોગોનો દુરુપયોગ થયો છે

સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના વિવાદમાં બંને ગ્રૂપ અલગ હોવાનો એમડીનો ખુલાસો કર્યો હતો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું તથા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ જણાવ્યું હતું કે એસ.પી.ગ્રૂપ અને અમારું સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપ બંને સંપૂર્ણપણે અલગ છે. એસ.પી.ગ્રૂપનું નામ સિદ્ધેશ્વરાય ગ્રૂપ છે. અમારા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરાયો છે. અમારે એસ.પી.ગ્રૂપ સાથે કોઈપણ પ્રકારની લેવા દેવા નથી. દર્શિત કમલેશ શાહ દ્વારા ન્યાલકરણ ગ્રૂપના એમ.ડી અશ્વિનભાઈ એમ.ગોળવિયાના એસ.પી ગ્રૂપમાં ઈન્વેસ્ટમેન્ટના રેફરન્સની જે વાત કરી છે તે તદ્દન ખોટી છે. શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં કરાર કરી રોકાણની જે વાત કરી છે તે પણ તદ્દન ખોટી વાત છે. ખરેખર હકીકત એવી છે કે દર્શિત કમલેશ શાહએ શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં ટાવર-એ માં ફલેટ નં. 1003 તથા 1004 જે બુક કરાવેલા છે અને બંને યુનિટ ઉપર હોમલોન કરાવી પાર્ટ પેમેન્ટ આપેલું છે. એમના દ્રારા અમારી કંપનીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ઘોર કૃત્ય કરેલ છે. જેની સામે અમે કાયદાકીય કાર્યવાહી કરી છે. દર્શિત શાહે જણાવ્યું હતું કે મારે એસ.પી.ઇન્ફ્રા સાથે મતલબ છે. સિદ્ધેશ્વર હેઝલવુડમાં ફલેટ લીધો છે. ન્યાલકરણમાં ફલેટ લીધા છે જે ઇન્વેસ્ટમેન્ટની મેટર છે. પોલીસ ફરિયાદમાં તમામ બાબતોનો ઉલ્લેખ છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:57 am

સુવિધા:સયાજી હોસ્પિટલમાં આવેલી 108ની જર્જરિત ઇમારત તૂટશે,સર્જિકલ વૉર્ડ બહાર પાર્કિંગની સમસ્યા નિવારાશે

સયાજી હોસ્પિટલમાં આવેલી વધુ એક જર્જરિત બિલ્ડિંગ તોડવાનો નિર્ણય કરાયો છે. આ બિલ્ડિંગ તોડી પડતાં પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી થશે અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને પાર્કિંગ કરવામાં આસાની રહેશે. હાલમાં સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડની બહાર ઘણીવાર દર્દીઓને પાર્કિંગ કરવામાં તકલીફ પડતી હોય છે. જેના કારણે ઘણીવાર દર્દીના સગાઓ આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે. ઈમર્જન્સી વિભાગની સામે આવેલા એક માળના બિલ્ડિંગને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં 108 એમ્બ્યુલન્સની ઓફિસ આવેલી છે અને પહેલા માળે નર્સિંગ એસોસિયેશનની ઓફિસ આવેલી છે. બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેથી તેને નોટિસ અપાશે. નર્સિંગ એસોસિયેશનની ઓફિસને મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડાશે. હાલમાં ત્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, કામ પૂર્ણ થતાં ઓફિસ ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. જો કે 108 એમ્બ્યુલન્સની જગ્યા નક્કી કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:56 am

જનજાગૃતિ રેલી:મકરપુરામાં રહીશો-સફાઇ કર્મીની સ્વચ્છતા રેલી, નાગરિકોને સ્વચ્છતા માટે જાગૃત કર્યા

શહેરને સ્વચ્છ બનાવવા લોકોને સાથે રાખી અભિયાન કરાયું હતું. આસિ. મ્યુનિ. કમિશનરે મકરપુરામાં રહીશો, સફાઇ કર્મીને સાથે રાખી સ્વચ્છતા રેલી યોજી હતી. મકરપુરા બસ ડેપો પાછળ આવેલી શુભ રેસિડેન્સી અને રાધે રેસિડેન્સીના રહીશોને સાથે રાખીને સ્વચ્છતા રેલી યોજાઈ હતી. દક્ષિણ ઝોનના આસિ. મ્યુ. કમિશનર શમિક જોશીની ઉપસ્થિતમાં વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો કચરાના નિકાલ પ્રત્યે જાગૃત બને તેવા હેતુથી પાલિકાના સહયોગથી જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલીમાં રહીશોએ પ્લેકાર્ડ્સ દ્વારા સંદેશ આપ્યો હતો કે, કચરો ગમે ત્યાં ન ફેંકવો. ભીનો અને સૂકો કચરો અલગ રાખવો. આસિ. મ્યુ. કમિશનર શમિક જોશીએ કહ્યું કે, સ્વચ્છતા એ માત્ર કાગળ પર લખવાનો વિષય નથી. અન્ય સોસાયટીએ પણ પ્રેરણા લેવી જોઈએ. સૂકો-ભીનો કચરો જુદો કરવા ઝુંબેશસૂકા અને ભીના કચરાની ભેદરેખા લોકોને સમજાવાઈ રહી છે. જેને પગલે ડોર ટુ ડોરની ગાડીમાં પણ લોકો સૂકો અને ભીનો કચરો અલગ નાખે. આ બંને મિક્સ કરી નાખવાથી રોગચાળો થઇ શકે છે અને રિસાઇકલ થનાર કચરો પણ પડી રહે તો પર્યાવરણને નુકસાન થઇ શકે છે. આસિ. મ્યુ. કમિશનરના પ્રયાસથી પાલિકાના કર્મચારી સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર જઇને સૂકો-ભીનો કચરો અલગ નાખવા પર રહીશોને સમજાવે છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:55 am

આયોજન:વીઆઇપી રોડ પર વરસાદી લાઇન નખાશે, પાણી ભરાવા અને ભૂવામાંથી છુટકારો મળશે

અમિતનગર સર્કલ તરફથી રાત્રી બજાર સુધી વરસાદી ગટર બનાવાશે. વીઆઇપી રોડ પર ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલના સ્થાને 7.50 કરોડના ખર્ચે વરસાદી લાઇન નખાશે. પાણી ભરાવા અને ભૂવા પડવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગટર નખાશે. વીઆઇપી રોડ પર અમિતનગર સર્કલ તરફથી રાત્રી બજાર સુધીના રસ્તા પર હયાત જૂની જર્જરિત ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલ આવેલી છે. જેમાં 2024ના ચોમાસામાં પૂર દરમિયાન અને તે પછી ભંગાણો સર્જાયાં હતાં. જેથી ચોમાસામાં વરસાદના સમયે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતાં હોવાથી અકસ્માતની સંભાવના વધી ગઇ છે. આ કામ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા સ્થળ-સ્થિતિનો વિગતવાર સરવે કરાયો હતો. અંદાજિત 965 રનિંગ મીટર લંબાઈમાં 2 મીટર સાઈઝની પ્રિ-કાસ્ટ બોક્સ ડ્રેઈન બેસાડવાનું આયોજન છે. આ કામગીરી 4 ઈજારદારોના ભાવપત્રો આવ્યા હતા. જેમાં 8.24 કરોડ કરતાં 9.03 ટકા ઓછા મુજબ 7.50 કરોડનું ભાવપત્ર આવેલું છે. આ દરખાસ્તને સ્થાયીમાં રજૂ કરાઈ છે. ગટરનાં જોડાણથી વરસાદી ચેનલ નબળી પડીવરસાદના પાણીના નિકાલ માટે 2 દાયકા પહેલાં બનાવેલી ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલમાં વીઆઇપી રોડની સોસાયટીઓની ગટરનાં જોડાણ નાખી દેવાયાં છે. બારે મહિનામાં વરસાદી ચેનલમાંથી ડ્રેનેજનાં પાણી જઇ રહ્યાં છે, જેથી તે નબળી પડી ગઇ છે અને ભૂવા પડી રહ્યા છે. વુડા સર્કલ પાસે ટેમ્પો સમાય તેટલો ભૂવો પડ્યો હતો2 વર્ષમાં વુડા સર્કલ પાસે 8 જેટલા ભૂવા પડ્યા હતા. જેમાંથી એક ભૂવો તો આખેઆખો ટેમ્પો સમાઇ જાય તેટલી સાઇઝનો હતો. જેને પગલે સામાજિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક રહીશો પણ પરેશાન થઇ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:53 am

ભાસ્કર એનાલિસિસ:રાજ્યમાં ગુનાની રીત બદલાઈ, ચોરી, લૂંટ, મર્ડરના 16,440 કેસ સામે સાઇબર ફ્રોડના 1.72 લાખ કેસ

ગુજરાતમાં ફિઝિકલ ક્રાઈમમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સામે સાઇબર ક્રાઈમ ભયાનક ગતિએ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે લોકો હવે માત્ર રસ્તા પર નહીં, પોતાના ઘરમાં અને ફોન સામે પણ અસુરક્ષિત બની ગયા છે. વર્ષ 2025માં એક જ વર્ષમાં રોડ પરના ગુનાની સંખ્યા 16,440 જેની સામે સાઇબર ક્રાઈમના 1.72 લાખ કેસ નોંધાયા અને લોકોએ 1400 કરોડ રૂપિયા પણ ગુમાવ્યા પરંતુ આ પ્રકારના કેસનો ઉકેલ પણ આવી રહ્યો નથી. આંકડા આ ફેરફારને સ્પષ્ટ કરે છે. વર્ષ 2024માં ગુજરાતમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ચોરી અને દૂષકર્મ જેવી કુલ 18,150 ઘટનાઓ નોંધાઈ હતી. તેની સામે સાઇબર ક્રાઈમની ઘટનાઓ 1.31 લાખ સુધી પહોંચી હતી. સાઇબર ગઠીયાઓએ લોકોને અંદાજે 1011 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ 2025માં રોડ પર થતા ગંભીર ગુનાઓમાં ઘટાડો નોંધાયો અને આવી ઘટનાઓ ઘટીને 16,440 રહી. પરંતુ તેની સામે સાઈબર ક્રાઈમ વધુ ઝડપે વધ્યો. 2025માં સાઈબર ગુનાઓની સંખ્યા વધીને 1.72 લાખ થઈ ગઈ, જેમાં ઠગોએ લોકો પાસેથી લગભગ 1400 કરોડ રૂપિયા પડાવી લીધા. ગાંધીનગર ખાતે એઆઈ ટેકનોલોજીથી સજ્જ નવું સ્ટેટ સાઈબર એક્ષલેન્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં નવા 165 સાઈબર એક્ષપર્ટની ભરતી કરવામાં આવશે. જેનાથી એક્ષલેન્સ સેન્ટરનો સ્ટાફ વધીને 1200 થશે. આ ઉપરાંત દરેક મોટા શહેર અને રેન્જમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવાયા છે. જ્યારે પોલીસ સ્ટેશનોમાં સાઈબર સેલ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ અધિકારી - કર્મચારીઓને પણ સાઈબર ક્રાઈમની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. ચોરી, લૂંટ, મર્ડર જેવા ફિઝિકલ ક્રાઈમના 18,150 કેસ18 હજાર ગુનાની તપાસ માટે 1.25 લાખ પોલીસ કર્મી, જ્યારે 1.50 લાખ સાઇબર ફરિયાદ માટે માત્ર 2 હજાર કર્મચારી: રોડ પર બનતા ગંભીર ગુનાઓની સંખ્યા 16થી 18 હજાર વચ્ચે છે, જેને કાબૂમાં લેવા માટે 1.25 લાખ પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત છે. બીજી તરફ દર વર્ષે લગભગ 1.50 લાખ લોકો સાઇબર ક્રાઈમનો ભોગ બને છે, પરંતુ તેમની તપાસ માટે માત્ર 2000 પોલીસ સ્ટાફ. સરકારે આતંકવાદ, નક્સલવાદ જેવી પ્રાથમિકતા આપવી પડશેસાઇબર ક્રાઈમના ગુનાઓમાં ખૂન, લૂંટ, ચોરી જેવી ઈમરજન્સી હોતી નથી. જો કે સાઇબર ક્રાઈમ માટે સૌથી વધારે બેંક અને મોબાઈલ કંપની જ જવાબદાર હોય છે, પરંતુ તેમની સામે પણ પગલા લેવાતા નથી. જે રીતે દેશભરમાં સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે અને લોકોની જીવન ભરની પૂંજી લૂંટાઈ રહી છે. તે જોતા સરકારે આતંકવાદ, નકસલવાદ અને ડ્રગ્સ જેવી જ પ્રાથમિકતા સાઇબર ક્રાઈમને આપવી પડશે. > અનવેશ મંગલમ. નિવૃત્ત એડિશનલ ડીજીપી મધ્યપ્રદેશ 2025માં સાઇબર ક્રાઈમના 1.72 લાખ ગુના 2024માં સાઇબર ક્રાઈમના 1.31 લાખ ગુના

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:52 am

મંડે મેગા સ્ટોરી:લાશ્કરનો જીવ 12 રૂપિયાનોઃ આગમાં જીવ બચાવવાનું ભથ્થુ મહિને ~350

વડોદરા ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગમાં જઇ કે પાણીમાં ઊંડે ઊતરી જોખમી ફરજ બજાવે છે. આ જોખમી ફરજ માટે તેમને વિશેષ રિસ્ક એલાઉન્સ અપાય છે. આ એલાઉન્સ મહિનાનું રૂા.350 છે એટલે સરેરાશ રોજનું રૂા.12થી પણ ઓછું છે. જ્યારે પાલિકાના પટાવાળાઓને માસિક વિશેષ અલાઉન્સ 1 હજાર અપાય છે. સાદી ગણતરી માંડીએ તો રોજનું રૂા.33 થાય. ફાયરબ્રિગેડના નારાજ લાશ્કરો કહે છે તેમ પાલિકાના મતે પટાવાળાનું રિસ્ક અમારા કરતાં 3 ગણું છે! ફાયરબ્રિગેડના 300 જેટલા કર્મીઓ પ્રત્યે પાલિકાના અધિકારીઓ, નેતાઓ ઓરમાયું વર્તન રાખે છે, જ્યારે પટાવાળાઓ પર ફીદા છે. ઉપરાંત વિચિત્ર જણાય તેવી બીજી હકીકત પણ જાણવા જેવી છે. 8 મહિના અગાઉ રૂા.3200ની એક સિસોટી ખરીદીને વિવાદમાં આવેલા વડોદરા ફાયરબ્રિગેડમાં આ લાશ્કરોના યુનિફોર્મ માટેનું ધોલાઇ ભથ્થું આપે છે. આ ભથ્થું માસિક રૂા.15 છે. આજે સામાન્ય વોશિંગ પાઉડરની નાનું પાઉચ પણ રૂા.10નું થયું છે ત્યારે 30 દિવસમાં ફાયરબ્રિગેડનો કર્મચારી આખો મહિનો રૂા.15માં યુનિફોર્મ કેવી રીતે ધોઇ શકે. વડોદરા ફાયરબ્રિગેડમાં પિતાએ નોકરી કર્યા બાદ પુત્ર પણ નોકરી કરતા હોય તેવા દાખલા છે. હાલમાં નોકરી કરતા એક કર્મચારીએ કહ્યું કે, મારા પિતા કહેતા હતા કે, હું જ્યારે ફાયરબ્રિગેડમાં જોડાયો ત્યારે પણ ભથ્થામાં આટલા જ રૂપિયા મળતા હતા. સ્માર્ટ સિટીના અધિકારીઓ આ વિશે તુરંત કંઇક કરી શાણો નિર્ણય લે તેવી સાદી ઝંખના ફાયરબ્રિગેડના કર્મચારીઓ રાખી રહ્યા છે. આ વિશે પાલિકાના એક રાજકીય અગ્રણીએ કહ્યું કે, અમારી પાસે આવી કોઇ રજૂઆત આવે તો ચોક્કસ ધ્યાન આપીશું. પટાવાળાઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે તેમને વિશેષ ભથ્થામાં વધારો કરી આપ્યો હતો. 40 વર્ષમાં મોંઘવારી જેટ ગતિએ વધી, પણ ભથ્થામાં સુધારો નહીંફાયરબ્રિગેડના કર્મચારીઓને કેટલાં ભથ્થાં આપવાં તેની પોલિસી રાજ્ય સરકાર નક્કી કરે છે. બીજી તરફ વડોદરામાં યુનિફોર્મ ધોલાઇ ભથ્થું રૂા.15 છે. જ્યારે સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં આ રકમ બમણાથી વધુ એટલે કે, રૂા.35થી રૂા.36 છે. એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આજથી 40 વર્ષ પહેલાં વોશિંગ પાઉડરની થેલી રૂા.15ની આવતી હશે. એટલે ગણતરી એવી કે, એક થેલીમાં તે મહિનો પોતાનો યુનિફોર્મ ધોઇ શકે. જ્યારે ફાયરબ્રિગેડના કર્મચારીઓ કહે છે કે, અત્યારે વોશિંગ મશીન આવ્યાં છે. તેનો પાઉડર પણ જુદો હોય છે. આ સ્થિતિમાં પંદર રૂપરડી? કોઇ રીતે મેળ બેસે એવી વાત નથી. પોલીસ વિભાગમાં પણ કોન્સ્ટેબલને ધોલાઇ ભથ્થું રૂા.40 મળે છે. મારી પાસે હજુ કોઇ રજૂઆત આવી નથીભથ્થા અંગે કર્મચારીઓને કોઇ અસંતોષ હોય તો રજૂઆત કરવી જોઇએ. મારી પાસે આવી કોઇ રજૂઆત હજી સુધી આવી નથી. > હરેન્દ્રસિંહ ગોહિલ, ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયરબ્રિગેડના ટેલિફોન ઓપરેટરને ભથ્થા પેટે રોજના રૂા.3 ચૂકવાય છેફાયરબ્રિગેડના કર્મીઓનો અન્ય અસંતોષ પણ જાણવા જેવો છે. ફાયરબ્રિગેડની ટ્રેનિંગ લઇ આવેલા કેટલાક કર્મીને ટેલિફોન ડ્યૂટી અપાય છે. તેમનું કામ 8 કલાક ટેલિફોન પાસે બેસી લોકોની ટેન્કરની માગ, પક્ષી ફસાયાં, પશુ કેનાલ કે ખાડામાં પડ્યાં, ઝાડ પર કે ઘરની પાઇપોમાં બિલાડી-કૂતરા ફસાયાં તેવી ફરિયાદો સાંભળવાની હોય છે. આ કામ માટે તેમને મહિને ભથ્થા પેટે રૂા.85 એટલે કે રોજના રૂા.3 અપાય છે. આટલા રૂપિયામાં તો સારો પાણીપૂરીવાળો એક સાદી પાણીપૂરી આપે છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:51 am

ઘટસ્ફોટ:એસઆઈઆર: કોર્પોરેટર અજિત દધીચ સહિત ભાજપના કાર્યકર-નેતાએ 1689 વાંધા ઉઠાવ્યા

મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે કોંગ્રેસના નેતા ઋત્વિજ જોશીએ અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર અજિત દધીચે 122 વાંધા, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે 30 વાંધા, કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ 81 વાંધા મળી ભાજપના 13 જેટલા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને નેતા દ્વારા 1689 વાંધા ઉઠાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જ્યારે શહેરના 5 વિધાનસભા વિસ્તારોમાં ફોર્મ-7 હેઠળ 46,266 અરજી દાખલ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ઋત્વિજ જોશીએ જણાવ્યું કે, આ સામાન્ય પ્રક્રિયા નહીં, પણ ભાજપ અને ઇલેક્શન કમિશનના મેળાપીપણાનું પૂર્વનિયોજિત મતચોરી તરફ સ્પષ્ટ સંકેત કરે છે. કોંગ્રેસે ‘ઓપરેશન સરકાર ચોરી’ શીર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજી SIRની કામગીરીમાં ફોર્મ-7 ભરી ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ મતદારોનાં નામ કમી કરવાનું ષડ્યંત્ર રચ્યું હોવાના પુરાવા રજૂ કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર અજિત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. ઉપરાંત અનેક નેતાએ વાંધા ઉઠાવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ મામલે રાજદ્રોહનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માગ કરી છે. નિયમ પ્રમાણે તો 1 વર્ષની સજા અને 1 લાખના દંડની જોગવાઈ છે. કોંગ્રેસની માગ છે કે, કોઈ પણ ચમરબંધી હોય, ભાજપના કોર્પોરેટર કે નેતા હોય, જેણે ખોટો વાંધો લીધો હોય તો તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો. આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરી રેલી કાઢીશું. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે,મારા નામે લેવાયેલા વાંધા અંગે જાણ નથીકોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું રહ્યું છે. જ્યારે મારા નામે 122 વાંધા લેવાયાનો કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરાયો છે. તે અંગે મને કોઈ જાણ નથી. > અજિત દધીચ, કાઉન્સિલર, વોર્ડ-4 દેવેશ પટેલ નામના વ્યક્તિ પાસે 25, સીએન માછી પાસે 20 એપીક નંબર છેશહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે એક જ વ્યક્તિ પાસે અનેક મતદાર ઓળખપત્ર છે. જેના પુરાવા અમારી પાસે છે, જે જાહેર કરાયા છે. એક વ્યક્તિએ ખોટા એપીક આઇડીથી એકથી વધુ વાંધા અરજી આપી છતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તે સ્વીકારી, જે ગંભીર છે. પુરાવા મુજબ દેવેશ પટેલ પાસે 25 એપીક નંબર છે. જ્યારે સી.એન. માછી પાસે 20 અને અન્ય કેટલાક પાસે પાસે 2 થી 4 એપીક નંબર છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:50 am

મંડે પોઝિટીવ:રાજ્યમાં સૌપ્રથમ કચ્છના 910 ‘તળાવનીમ’ કરાયા

સતત વરસાદને ઝંખતા, પાણી માટે બારેય માસ વલખાં મારતા અને રણ-દરિયા થકી ભૂતળના મીઠા પાણી ગુમાવીને નર્મદાના પાઇપલાઇન વાટે આવતા પીવાના પાણી થકી પ્યાસ બુઝાવતા કચ્છમાં જો હયાત તળાવો, ડેમ પરંપરાગત કુદરતી જળસ્ત્રોતને ગંભીરતાપૂર્વક સાચવવામાં આવે તો રાષ્ટ્રના સૌથી વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાને પાણીક્ષેત્રે સ્વાવલંબનતા પ્રાપ્ત થાય, આવા જ વિચાર સાથે સરહદી અને સુકા જિલ્લામાં 281 ગામનાં કુલ 910 તળાવોને સંપૂર્ણ સુરક્ષિતતા આપવાના એક ભગીરથ વ્યાયામમાં હાલ ખુદ કચ્છ કલેક્ટર આનંદ પટેલના નેજા હેઠળ મહેસુલ તંત્ર લાગ્યું છે આવું જિલ્લાના નહીં પણ ગુજરાત રાજ્યનાં ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું હોવાથી આવતા સમયમાં તેનો સાનુકુળ પડઘો પડે તેવી પુરી સંભાવના છે. આવું ક્યાં ક્યાં થયું?કચ્છમાં હજારો એકર-હેક્ટર જમીન એવી છે જે નવસાધ્ય કરવાના પ્રયાસો થાય તો તુરત જ પરિણામ આપે તેમ છે, આ જમીનો પર કાં તો દબાણ છે કાં રેવન્યુ રેકર્ડમાં અધુરાશ છે, ગુજરાતભરમાં કચ્છ જિલ્લો રેવન્યુ કાયદાની દૃષ્ટિએ અલગ પડે છે અહીંના પ્રશ્નો પણ અલગ છે અને તેથી જ પોતાના સનદી અધિકારી તરીકેના પ્રાથમિક કાર્યકાળમાં ટ્રેઇની તરીકે ફરજ બજાવી ગયેલા સમાહર્તા આનંદ પટેલે હવે એ દિશામાં પુરી ગંભીરતા સાથે કામ હાથ ધરતાં 10 તાલુકાના 281 ગામોના 910 તળાવો ‘નીમ’ થઇ ગયા છે. ધ્યાન રહે એકવાર રેવન્યુ રેકર્ડ પર આ મિલકત ચડી જાય એટલે તેનો દૂરૂપયોગ અટકે અને વધારામાં કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્ત્વની યોજનાઓનો લાભ પણ રેકર્ડ પર ચડેલી હોય તેવી જ મિલકતોને મળે, આમ મહેસુલ તંત્ર પાસેથી તળાવો ‘નીમ’ કરાવવાની ઝુંબેશ હાથ ધરીને કલેક્ટરે તળાવોનું ભાવી સુરક્ષિત કરી દીધું છે. આ કચ્છ હિતનું કાર્ય હજુ સુધીના કલેક્ટરોને ન્હોતું સુઝ્યુ હવે જ્યારે ઔદ્યોગિકરણનો વાયરો ફૂંકાયો છે ત્યારે પરંપરાગત જળસ્ત્રોત કેન્દ્રોની સંભાળ નહીં રાખે તેનું રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત પુછાણું લેતી હોવાથી આ કાર્યને તંત્રના હકારાત્મક પગલાં તરીકે ગણવું જ પડે! રાજ્યમાં પ્રથમ પ્રયોગસમગ્ર રાજ્યમાં આવો આ સર્વપ્રથમ કચ્છમાં થયો છે હવે તેના ફાયદા-ગેરફાયદા પર નજર દોડાવીએ તો જ્યાં જ્યાં હવે ‘સુજલામ સુફલામ યોજના’, ‘અમૃત સરોવર’, ‘વીબી રામજી’ જેવી યોજનાઓ તળે જળ સંરક્ષણના કામ ન્હોતા થતાં ત્યાં થઇ શકશે, પર્યાવરણની જાળવણી થશે, અને હવે વન વિભાગ એ તળાવ ફરતે વૃક્ષારોપણ કે વનીકરણનાં કામ કરશે એ ફાયદા, જ્યાં તંત્રનું ધ્યાને નથી ત્યાં અને તળાવો ચોપડે ચડ્યા નથી ત્યાં હવે શું? એ અંગે કોઇ સ્પષ્ટતા હજુ થઇ નથી તેથી એ ગેરફાયદો. શું પરિણામ આવશે?ભુજ શહેરમાં 21 તળાવોને નીમ કરવાનો હુકમ કરી એ તળાવોને સંબંધિત સત્તામંડળ કે જવાબદારોને સોંપી દેવાયા આવું આખા કચ્છમાં થયું હવે તળાવોનાં નિયત ક્ષેત્રફળમાં દબાણો, ગેરકાયદે કબજો, માલિકીના વિવાદ થશે નહીં, ગામે-ગામ ગૌચર અને તળાવના ક્ષેત્રફળમાં જે વિસંગતતા આવતી અને તળાવો પર દબાણ થતાં તે સંપૂર્ણ અટકી જશે. કલેક્ટરથી લઇ મહેસુલ અધિકારોઓ જોડાયા910 તળાવોને ‘નીમ’ કરવાની આ કામગીરીની શરૂઆત કલેક્ટરે સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, લેન્ડ રેકર્ડ ઓફિસર્સ સાથે સંવાદ કરી તળાવોની જમીનોનું સંરક્ષણ-સંવર્ધન અને સૌંદર્યીકરણ કરવા હેતુ સૌ પ્રથમ ‘તળાવનીમ’ અભિયાન આદર્યું. ભવિષ્યમાં તળાવોનાં ક્ષેત્રફળને લઇને કોઇ વાદ-વિવાદ ન જાગે તે માટે ડી.આઇ.એલ.આર.ને સાથે રાખીને તમામ તળાવોની વૈજ્ઞાનિક માપણી કરાઇ, માપણી બાદ ‘તળાવનીમ’ના આખરી હુકમો કરી દેવાયા જેથી ભવિષ્યમાં કોઇ નડતર ન આવે. આ પ્રક્રિયાથી તળાવોનું ભાવી સુરક્ષિત થયુંભુજ તાલુકામાં 313, મુન્દ્રામાં 25, માંડવીમાં 38, નખત્રાણામાં 163, અબડાસામાં 87, અંજારમાં 132, ભચાઉમાં 78, રાપરમાં 18, લખપતમાં 45 અને ગાંધીધામમાં 11 મળી કુલ 910 તળાવોની હદ્દ નક્કી થઇ ગઇ અને મહેસૂલના ચોપડે ચડી ગઇ. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ 5691 એકર જમીન નીમ કરાઇ છે. આમા અનેક તળાવ એવા પણ છે જે હયાત હોવા છતાં મહેસુલી રેકર્ડ પર ન્હોતા તેથી જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને સૌંદર્યીકરણ માટે સરકારી ગ્રાંટ ફાળવી શકાતી ન્હોતી. હવે કમસેકમ 910 સત્તાવાર તળાવ કચ્છમાં મહેસુલ ચોપડે ચડાવાયા છે. આ તળાવો તો નીમ થયા જ થયા પણ તેની સામે અનેક સ્થળોએ ગૌચર જમીન પણ જોડાયેલી હતી તેથી તે પણ સુરક્ષિત થઇ.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:47 am

અપહરણનો મામલો આવ્યો સામે:ખોખડદળ પાસે યુવકને છરી બતાવી 4 શખ્સ ઉઠાવી ગયા

આ બનાવમાં શહેરના કણકોટ કોળીવાસમાં રહેતા પૂજાબેન મુકેશભાઈ ઉધરેજા(ઉં.વ.26)એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના પતિ રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે. ગત તા.07/02ના પતિ મુકેશ ઉધરેજા તેના મિત્ર અરુણ તથા વિજય અને મામાના દીકરા વિનાશ સાથે ફોર વ્હિલ કાર લઈને શાપર ગયા હતા. સાંજે પતિનો તેણીના ફોનમાં કોલ આવ્યો કે, રાત્રે જમવાનું ના બનાવીશ આપણે જમવા જઈશું. ત્યારબાદ પતિનો કોલ ન લાગતા સસરાએ જાણ કરી કે, તેને અરુણે જણાવ્યું હતું કે, મુકેશને કારમાં આવેલા ચાર શખ્સે ખોખડદળ મેલડી માતાજીના મંદિર પાસે રસ્તામાં આંતરી લઇ માર મારી છરી બતાવી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હોય જે બાબતે મહિલાની ફરિયાદ પરથી પોલીસે અપહૃત પતિને શોધવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:39 am

રહેવાસીઓ ગંદકીથી ત્રાહિમામ્ થયા:ગોવર્ધન ચોક માધવ ગેટમાં અવાવરું પ્લોટમાંથી પશુ માંસથી ભરેલો કોથળો મળ્યો, ગૌમાંસ હોવાની શંકા

શહેરમાં ગંદકી માત્ર સ્વચ્છતાનો પ્રશ્ન નથી રહી, પરંતુ ગુનાઓની જન્મભૂમિ બની રહી છે. શહેરના ગોવર્ધન ચોક માધવ ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં ક્લીનઅપ રાજકોટ ગ્રૂપના યુવાઓ દ્વારા જ્યારે સફાઈ અભિયાન હાથ ધરાયું ત્યારે અમુક ચોંકાવનારી ચીજવસ્તુઓ અહીં કચરાના ઢગમાંથી પ્રાપ્ત થઇ હતી. અહીં એક કોથળામાંથી માંસ મળી આવતા રહેવાસીઓમાં અરેરાટી મચી જવા પામી હતી. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવતા રાજકોટ તાલુકા પોલીસ મથકની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પ્રાપ્ત થયેલા પશુ માંસ પ્રાથમિક દૃષ્ટિએ ગૌવંશનું હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કચરાના ઢગ અને કટાઈ ગયેલી બંધ સ્થિતિમાં પડેલ કારમાંથી અનેક દારૂની ખાલી બોટલો મળી આવી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ગોવર્ધન ચોક માધવ ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં સવારે દસેક વાગ્યાના અરસામાં જ્યારે ક્લીનઅપ રાજકોટ નામે સફાઈ ગ્રૂપના યુવાનોએ અહીં સફાઈ અભિયાન શરૂ કર્યું ત્યારે અહીંથી અનેક ચોંકાવનારી ચીજવસ્તુ મળી આવી હતી. થોડી જ વખતમાં એક કોથળાને હટાવવા જતા તેમાંથી રક્તના કણ નીચે પડતાં સાફ-સફાઈ કરનાર યુવાનો ડરી ગયા હતા. રહેવાસીઓ સ્થળે એકત્રિત થઇ ગયા હતા. કોથળાને ખોલીને જોયું તો અંદરથી માંસ મળી આવ્યું હતું. મનુષ્ય દેહનું માંસ હોવાની શંકાએ લોકોમાં અરેરાટી મચી જવા પામી હતી. તત્કાલ પોલીસને જાણ કરતાં રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી.જોષી સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ માંસ કોઈ પશુનું હોવાનું જાણવા મળ્યું હતું. આ માંસ ગૌવંશનું હોવાની રહેવાસીઓમાં ચર્ચા થતા પોલીસે માંસને એફએસએલ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. અસામાજીક તત્વોની ગેરકાનૂની પ્રવૃતિથી લોકો પરેશાનસોસાયટીના રહેવાસીઓએ મનપાને માગણી કરતા જણાવ્યું છે કે, અહીં બાળકો હાથમાં દારૂની બોટલો લઈને ઘરે આવે છે. અસામાજિક લોકો ખાલી કટાઈ ગયેલી કારમાં રાત્રીના બેસીને ખરાબ કર્યો કરે છે. દારૂની ખાલી બોટલો, એંઠવાડ અને અંતિમ વિધિમાં ઉપયોગમાં આવતો સામાન પણ લોકો અહીં ફેંકીને જતા રહે છે. જેનાથી અહીં રહેતા લોકોના સ્વાસ્થ્ય અને સમાજ બંનેને નુકસાન થાય છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:38 am

ભાસ્કર વિશેષ:મચ્છોયા આહિર સમાજના વરરાજાનો સદીઓ જૂનો પરંપરાગત પહેરવેશ એ સંસ્કૃતિની ઓળખ

મચ્છોયા આહિર સમાજના વરરાજાનો પહેરવેશ એ સમાજની સંસ્કૃતિની ઓળખ છે. મચ્છોયા આહિર સમાજમાં લગ્નને દિવસે વરરાજા અંગે વાધા ધારણ કરે છે. અંતરજાળના ડૉ.વિજય નારણભાઇ ઝાટિયાએ વાધાએ સદીઓ જૂનો પરંપરાગત પહેરવેશ છે). વરરાજા જે શણગાર સજે એનું પણ એક વિશેષ ગીત ગવાય છે. વરરાજાના પહેરવેશનું ગીત, ‘નીલા પીળા મારે વડલાના પાંદ, એ થી પીળા મારા વીરના અંગ, ઈ રે અંગે રે વાઘલિયા સોહે માણા રાજ.’ વરરાજા અંગે ઝરી ભરેલા વાઘા ધારણ કરીને ત્યારબાદ ગળામાં ઝૂમણા, ટુપિયા પહેરે છે. કાનમાં ઓગનીયા, ઠોરિયા અને કણકુ પણ ધારણ કરે. હાથમાં સિમુરા પહેરી શણગાર સોહે છે. વીરના પગમાં તોડા-બેડી પહેરાવવામાં આવે છે. હાથમાં તલવાર તેની માથે ભરત ભરેલી મ્યાન હોય, કણીયલની ડાળખી બાંધે સાથે ખોંભાનો દોરો પણ શુભ શુકન અર્થે બાંધવામાં આવે છે. પહેલના સમયમાં તો વરરાજા ગણેશ સ્થાપન થાય ત્યારથી લગ્ન થાય એ દિવસોમાં એક નાનકડી થેલી પોતાના પહેરવેશમાં બાંધતા જેમાં સોપારી અને એલચી, તજ, લવિંગ અને સુડી રાખવામાં આવતી. સામે જે કોઈ મળે એ લાડાને મીઠપથી કહેતા કે, લાડા લાડા કટકો દે અને વરરાજા એ નાની કોથળી જેવી થેલીમાંથી કટકો આપતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:37 am

TAT-HSની પરીક્ષા:TAT-HSની પ્રિલિમ પરીક્ષા 29 માર્ચે લેવાશે, 19મી સુધી રજિસ્ટ્રેશન

શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - 2026” (TAT-HS) નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબમાધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેઉમેદવારો 10 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન ફી ભરવા માટે 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પરીક્ષા બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રાથમિક પરીક્ષા 29 માર્ચ 2026ના રોજ અને મુખ્ય પરીક્ષા સંભવિત રીતે મે 2026માં યોજાશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 400 ફી નક્કી કરવામાં આવી છે, જે નેટ બેન્કિંગ મારફતે ભરી શકાશે. દ્વિસ્તરીય પરીક્ષા માળખું TAT-HS પરીક્ષા દ્વિસ્તરીય સ્પર્ધાત્મક સ્વરૂપની રહેશે ક્યા વિષયો માટે યોજાશે પરીક્ષાઆ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. જેમાં મુખ્યત્વે એકાઉન્ટ, કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, કૃષિ વિદ્યા, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, આંકડાશાસ્ત્ર અને શારીરિક શિક્ષણ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:35 am

ભુજ તાલુકાના 300 જેટલા નવનિયુક્ત વિધાસહાયકોની સેવાપોથી:શિક્ષકોને હક્ક સાથે પોતાની ફરજો પણ પ્રામાણિકતાથી બજાવવી જોઇએ

તાજેતરમાં કચ્છ જિલ્લામાં ખાસ ભરતી અંતર્ગત વિધાસહાયકોની મોટી ભરતી કરવામાં આવી હતી જેમાં ભુજ તાલુકાને પણ વિશેષ સંખ્યામાં શિક્ષકો ફાળવાયા હતા. આ તમામ નવનિયુક્ત વિધાસહાયકોની સેવા માટે અગત્યનો દસ્તાવેજ ગણી શકાય એવી સેવાપોથીના નિર્માણ સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પ્રા. શિ.સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોર,રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 300 થી વધારે નવનિયુક્ત વિધાસહાયકોની એક સાથે સેવાપોથી નિર્માણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મેહુલભાઈ જોશીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તો પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ તકે ચૂંટણી અધિકારી ધીરજભાઈ ઠક્કરે ઔપચારિક રીતે વર્ષ 2026 થી 28 માટે ભુજ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે મેહુલભાઈ જોશીના નામોની સતાવાર ઘોષણા કરી હતી જેને સૌએ વધાવી હતી. નવનિયુક્ત પ્રમુખ દ્વારા ખજાનચી તરીકે કાંતિભાઈ સુથાર અને ભુજ તાલુકા મહિલા સમિતિના અધ્યક્ષ તરીકે વિલાસબા જાડેજાની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ તાલુકા શૈક્ષીક સંઘના પ્રમુખ શામજીભાઈ કેરાસીયાને પુનઃ માતૃ સંસ્થા શિક્ષક સંઘમાં આવકાર અપાયો હતો. અગ્રણીઓ હરિસિંહ જાડેજા, નિલેશભાઈ ગોર અને નયનસિંહ જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષકોને હક્ક સાથે પોતાની ફરજો પણ પ્રામાણિકતાથી બજાવવા અનુરોધ કર્યો હતો અને આયોજનને બિરદાવ્યું હતું. અભૂતપૂર્વ અને કચ્છમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં એક સાથે એસ.બી. નિર્માણના આ ભગીરથ કાર્યમાં હિતેશ મહેશ્વરી, વિરલસિંહ જાડેજા, ધવલ ત્રિવેદી, નિલેશ અજાણી, જય ચનિયારા, ઉત્તમ મોતા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે આભારવિધિ હાર્દિક ત્રિપાઠીએ કરી હતી. કાર્યક્રમમાં એક્સિસ બેન્કના અમિતભાઈ ધામેચા અને હિતેશ પટેલ દ્વારા સેલેરી એકાઉન્ટ બાબતે સૌ શિક્ષકોને માર્ગદર્શિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:35 am

NEET UG:1 જાન્યુઆરી 2025 પછીનો જ ફોટો માન્ય, અંગૂઠાના નિશાન પણ અપલોડ કરવા પડશે

દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ‘ડોક્ટર’ બનવાનું સ્વપ્નું જોતા લાખો વિદ્યાર્થીઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વર્ષ 2026 માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)નું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામા સાથે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ વર્ષે પણ પરીક્ષા રાષ્ટ્રીય સ્તરે અત્યંત ચુસ્ત સુરક્ષા અને પારદર્શિતા સાથે યોજાવા જઈ રહી છે. ખાસ કરીને ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જેઓ માતૃભાષામાં પરીક્ષા આપવા માગે છે, તેમના માટે ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે આ પરીક્ષા ગુજરાતી સહિત દેશની કુલ 13 ભાષામાં આયોજિત કરવામાં આવશે. જેમાં અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે. આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવા પડશે ઉમેદવારોએ આવી રીતે અરજી કરવી

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:34 am

ફિરોજપુર પંજાબથી નીકળેલી દેશી ગૌ રસોઈ યાત્રા કુકમા પહોંચી:ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશો થકી જ મળશે તમામ સમસ્યાઓનું સમાધાન

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત અન્નથી બનેલી રસોઈમાં જ સર્વે સમસ્યાઓનું સમાધાન મળી શકે તેવા ઉદેશ્ય સાથે પંજાબના ફિરોજપુરથી નીકળેલી ગૌ રસોઈ યાત્રા શનિવારનાં કુકમા આવી હતી. ભારત ગોપાલ રત્ન બુટ્ટાસિંઘનાં માર્ગદર્શનમાં અને સારથીજી તેમજ અન્ય નિવૃત ફૌજી અધિકારીઓ આ યાત્રામાં જોડાયા છે અને તેઓ ગાય આધારિત રસોડાનાં મોડેલને સમજાવવા તેઓ પ્રવાસ કરી રહ્યા છે. કુકમા ખાતે શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે તેઓએ દરેક પ્રવૃત્તિ નિહાળી હતી. સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. મનોજભાઈ સોલંકી સાથે ગહન ગોષ્ઠી પણ કરી હતી. ટ્રસ્ટમાં થઇ રહેલી પ્રવૃત્તિ તદ્દન અનોખી હોવાનો મત વ્યક્ત કરી આ દિશામાં થઇ રહેલ કામ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ યાત્રામાં પંજાબ ઉપરાંત ઉતર પ્રદેશ, હરિયાણાથી વિવિધ પરિવારો જોડાયેલા છે. રાજકોટમાં તેઓ ઘી બનાવવાની વિશેષ તાલીમ લેવા જશે. યાત્રાનાં સંયોજક સારથીજી એ કહ્યું કે હાલમાં ફિરોજપુર ખાતે ગાય આધારિત રસોઈનો પ્રયોગ કરાયો છે. જેને આખા દેશમાં લઇ જવાનું આયોજન છે. એક વોટ્સએપ ગ્રુપ દ્વારા તેઓ જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. કુકમાનાં પ્રવાસ દરમ્યાન તેઓએ ડૉ. વીરાભાઈ ચાવડાનાં માર્ગદર્શનમાં તમામ આયામો નિહાળ્યા હતા અનેસમજણ મેળવી હતી. અહી ચાલતા ગુરુકુળની મુલાકાત લીધી હતી તેઓને ડૉ. મુક્તીબેન પટેલએ ઉદેશ સમજાવ્યો હતો. કચ્છમાં અંજારના રાજાભાઈ આહીર તેઓની સાથે રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:34 am

બોર્ડ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર:10મીએ DEOને ગાંધીનગરનું તેડું, 12મીએ શિક્ષણમંત્રી લેશે રિવ્યૂ મિટિંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેનો ‘એક્શન પ્લાન’ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતા આ ‘શિક્ષણના મહાકુંભ’માં કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગે હવે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે આગામી 10મી તારીખે રાજકોટ સહિત રાજ્યભરના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO)ને ગાંધીનગર ખાતે બોલાવાયા છે. આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રની સુરક્ષા, પેપર વિતરણ અને સીસીટીવી મોનિટરિંગ જેવી બાબતો પર અંતિમ મહોર મારવામાં આવશે. ત્યારબાદ, 12મી તારીખે ખુદ શિક્ષણમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના વહીવટી તંત્ર સાથે સીધી વાતચીત કરી તૈયારીઓની સમીક્ષા કરશે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારો જેવા કે જસદણ, વીંછિયા અને ગોંડલના કેન્દ્રો પર ખાસ તકેદારી રાખવામાં આવશે. રાજકોટ ઝોનમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેના માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પરીક્ષા કેન્દ્રો તરીકે સજ્જ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પહોંચવાનું રહેશે. મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા ખંડમાં લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ વિદ્યાર્થી ભૂલથી સાહિત્ય લાવ્યો હોય તો તે પરીક્ષા શરૂ થયા પહેલાં પશ્ચાત્તાપ પેટીમાં નાખી શકશે, જેથી તેની સામે કોઈ કાર્યવાહી ન થાય. રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી, 308 બિલ્ડિંગ, 2753 બ્લોકમાં વ્યવસ્થારાજકોટ જિલ્લામાં ધોરણ-10માં આશરે 47,500 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ-12 કોમર્સમાં 23,200 અને ધોરણ-12 સાયન્સમાં 7690 વિદ્યાર્થી પરીક્ષા આપવાનો અંદાજ છે. કુલ 308 બિલ્ડિંગ અને 2,753 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ધોરણ-10માં કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે, જેમાં ત્રણ ઝોન રાજકોટ શહેરમાં, એક ઝોન ધોરાજીમાં અને એક ઝોન જસદણમાં નિયત કરવામાં આવ્યો છે. ધોરણ 12માં પરીક્ષા માટે પણ કુલ પાંચ ઝોન નક્કી કરાયા છે. આમાં પણ શહેરમાં ત્રણ, ધોરાજીમાં એક અને જસદણમાં એક ઝોનનો સમાવેશ થાય છે. એક્શન પ્લાનની મુખ્ય હાઈલાઈટ્સ ગેરરીતિ ડામવા ‘થ્રી-લેયર’ સુરક્ષાએક્શન પ્લાન મુજબ, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં સ્થાનિક સ્ક્વોડ, જિલ્લા કક્ષાની ફ્લાઈંગ સ્ક્વોડ અને ગાંધીનગરથી સીધું મોનિટરિંગ સામેલ છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ખાસ પરીક્ષા સમિતિ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:33 am

મંડે પોઝિટિવ:‘અમને ભણવા દેજો’: 31 હજાર લોકોએ સાંભળ્યો દીકરીઓનો સંદેશ

વાગડ પંથકમાં બાળકોના શિક્ષણ તેમજ બાળલગ્ન નાબૂદી અંગે જનજાગૃતિ લાવવા માટે 7 દિવસીય ‘વાગડ બાળ વિકાસ યાત્રા’નું શનિવારે સમાપન થયું હતું. જેમાં 45 ગામોને આવરી લઈને 400 કિલોમીટરથી વધુ મુસાફરી કરવામાં આવી હતી. તેમજ વાગડ વિસ્તારના અલગ અલગ ગામડાઓમાં ડોર ટુ ડોર સંપર્ક, ગ્રામસભાઓ, રેલીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા 31 હજારથી વધુ લોકો સુધી બાળ લગ્ન નાબૂદી તેમજ શિક્ષણનો સંદેશ પહોંચાડાયો હતો. વાગડ વિસ્તારમાં બાળ લગ્ન અને શિક્ષણ અંગે સામાજિક પરિવર્તન લાવવાના હેતુથી યોજાયેલી યાત્રા ગ્રામજાગૃતિનો પ્રેરણાદાયી અભિયાન બન્યો હતો. 7 દિવસ સુધી ચાલેલી આ યાત્રાએ 45 ગામોમાં સીધો સંપર્ક સાધી બાળકોના ભવિષ્ય, શિક્ષણ અને બાળલગ્ન વિરોધ અંગે વ્યાપક સંવાદ કર્યો અને સમાજમાં ઘર કરેલ કુરિવાજોને લોકોના જન્માનસ માંથી કાઢવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક થી બીજા ગામોમાં જતી યાત્રાને પાંચ ગામોએ સ્વયંપ્રેરિત રીતે યાત્રાને આમંત્રણ આપ્યું હતું તેમજ 170થી વધુ બાળકોએ પોતાના વડીલો પાસેથી શિક્ષણ અને બાળલગ્ન વિરોધના વચનો લેવડાવ્યા હતા. આ યાત્રામાં સ્થાનિકો, સરપંચો, કિશોર-કિશોરીઓ, સરકારી વિભાગો, કાનૂની સત્તા મંડળ અને પોલીસ તંત્ર જોડાયા હતા. યાત્રાની સૌથી હ્રદયસ્પર્શી પ્રવૃત્તિ તરીકે ‘રક્ષા કવચ’ અભિયાન રહ્યું હતું. જેમાં, ગામની કિશોરીઓએ તેમના પિતા, દાદા અને વડીલોના કાંડે રક્ષા કવચ બાંધતી અને એક લાગણીસભર વિનંતી કરતી કે ‘અમને ભણવા દેજો, બાળલગ્નથી અમારું બાળપણ ન છીનવો’. અનેક સ્થળોએ આ દ્રશ્યો ભાવુક બની રહ્યા, જ્યાં વડીલોની આંખ ભીની થઈ હતી અને તેઓએ જાહેરમાં દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાનું વચન આપ્યું હતું. આ યાત્રામાં રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓ, સામાજિક ન્યાય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા તાલુકા તંત્રએ સ્થળ પર માર્ગદર્શન આપ્યું અને દીકરીઓને પ્રોત્સાહન કીટનું પણ વિતરણ કર્યું હતું. મા રવેચીના ધામથી શરૂ થયેલી આ યાત્રાનું સમાપન શનિવારે શ્રી રામદેવપીર મંદિરે કરવામાં આવ્યું હતું. બાળલગ્ન નાબૂદી અને બાળકોના શિક્ષણના હેતુથી આયોજિત આ યાત્રામાં ઈસાર એનજીઓના સેજલબેન જોશી તેમજ એમની ટીમે આ યાત્રાની જહેમત ઉઠાવી હતી. વાગડ બાળ વિકાસ યાત્રા હવે વાગડ પ્રદેશમાં સામાજિક પરિવર્તનની મજબૂત પાયાની જેમ જોવામાં આવી રહી છે. એક ગામથી યાત્રા નીકળતા તે ગામની દીકરીઓ બીજા ગામ પણ સાથે આવીયાત્રા દરમિયાન પદમપર ગામની કિશોરીઓએ દીકરીઓના શિક્ષણ માટે અમે ક્યાંય પણ સાથે આવીશું એમ કહીને આગળના ગામોમાં પણ રેલીમાં જોડાવવા તૈયાર થઈ હતી. તેમજ સુવઈ ગામની કિશોરીઓ પણ જાતે બાઇક ચલાઈ આ રેલીમાં જોડાણી હતી.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:32 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કોર્પોરેશનમાં ભળી ગયા બાદ પણ નાગેશ્વર વિસ્તારમાં રોડ-રસ્તા અને પાણીની સમસ્યા

શહેરના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તાર છેલ્લા ત્રણેક વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળી ગયો હોવા છતાં હજુ પણ આ વિસ્તારને રોડ-રસ્તા, પાણી, ભૂગર્ભ, સ્ટ્રીટલાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓમાં અન્યાય થઇ રહ્યો છે. વોર્ડ નં.1માં આવતા નાગેશ્વર વિસ્તારમાં જવા માટે જામનગર રોડથી મુખ્ય રસ્તો આવેલો છે. અહીં પહોળો રસ્તો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા એકપણ વખત ડામર રોડ કરાયો નથી. રોડની બન્ને તરફ મોટા પથ્થરો અને કપચી પથરાયેલી હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માતો થતા રહે છે. સાથે જ નાગેશ્વર ચોકથી પટેલ ચોક તરફ જવાનો રસ્તો સીસી રોડ બનાવ્યા બાદ અહીં લેવલ વગરનું કામ થયું હોય ભૂગર્ભની કુંડીઓ રસ્તા પર ઉંચા લેવલમાં છે જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. નાગેશ્વર વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં આવેલી બહુમંજીલા ઇમારતોમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પૂરતા ફોર્સથી ન આવતું હોવાથી શિયાળો અને ઉનાળો બન્ને ઋતુમાં લોકોને નાછૂટકે ટેન્કર મંગાવવા પડે છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:31 am

નિ:શુલ્ક પાઠ્યપુસ્તક બેંક:જૂના પુસ્તકો એકત્રિત કરી જરૂરિયાતમંદ બાળકો માટે બને છે ભણતરનો સહારો

સમાજમાં શિક્ષણને સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવે છે, પરંતુ આજે પણ અનેક એવા પરિવારો છે, જ્યાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બાળકોને શિક્ષણ માટે જરૂરી પાઠ્યપુસ્તકો મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા સમયમાં રાજકોટમાં શરૂ કરાયેલું ‘નિઃશુલ્ક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક બેંક’ એક આશાની કિરણ સમાન બની રહ્યું છે. દર વર્ષે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં ઘણા વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકો ઘરમાં જ પડ્યા રહે છે અથવા પછી નકામા બની જાય છે અને પસ્તીમાં આપી દે છે, પરંતુ આ પુસ્તકો બીજા કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે ખૂબ જ મૂલ્યવાન બની શકે છે. આ વિચાર સાથે ‘શ્રીકૃષ્ણમ્ સેવા’ દ્વારા પાઠ્યપુસ્તક બેંકનો અનોખો સેવાકીય પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં નીલકંઠ સિનેમાની સામે કોઠારિયા મેઇન રોડ ખાતે આવેલી ઓફિસમાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ 6થી લઈને કોલેજની કોઈપણ ફેકલ્ટીના પાઠ્યપુસ્તક રાખવામાં આવે છે. જેમાં હાલ મેડિકલ, એન્જિનિયરિંગ તથા બાયોલોજીના પણ પુસ્તકો આવ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે, જે બાળકો પાઠ્યપુસ્તકો ખરીદી શકતા નથી, તેઓને મફતમાં પુસ્તકો ઉપલબ્ધ થાય અને તેઓ શિક્ષણથી વંચિત ન રહે. સંસ્થા લોકો પાસે અપીલ કરે છે કે પોતાના બાળકોના જૂના પાઠ્યપુસ્તકો પસ્તીમાં આપવાને બદલે દાનમાં આપીને કોઈના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં સહભાગી બનવું. આ કાર્ય માત્ર દાન પૂરતું નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને માનવતા બંનેનું ઉત્તમ ઉદાહરણ છે. આ સેવા કાર્યને કારણે ઘણા વિદ્યાર્થીઓને નવી આશા મળી છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે, જેમના માતા-પિતા મજૂરી અથવા નાની નોકરી કરતા હોય છે. તેમના માટે દર વર્ષે નવા પુસ્તકો ખરીદવું મુશ્કેલ બની જાય છે, પરંતુ પાઠ્યપુસ્તક બેંકના કારણે હવે તેઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરી શકે છે. ‘એક બાળકને શિક્ષણ આપવું એટલે આખા સમાજને ઉજ્જવળ બનાવવું.’ આ વિચારને સાકાર બનાવવા માટે લોકો પણ ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. ઘણા પરિવારો પોતાના બાળકોના પુસ્તકો દાન કરીને આ સેવા યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે. શિક્ષણ માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. પાઠ્યપુસ્તક બેંક જેવી પહેલ સમાજમાં સમાન શિક્ષણના અધિકારને મજબૂત બનાવે છે. આ તકે સંસ્થાના જગદેવસિંહ જાડેજાએ આ સેવા કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અપીલ કરે છે કે, જો તમારા ઘરે ઉપયોગમાં ન હોય તેવા પાઠ્યપુસ્તકો હોય, તો તેને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી તમારું આ નાનું યોગદાન કોઈ બાળકના ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સેવા કાર્યો માટે સૌરાષ્ટ્ર મેડિકલ એસોસિએશનના પ્રમુખ મયૂરસિંહ સતુભા જાડેજા એ આ જગ્યા ઉપયોગ કરવા માટે ફાળવેલી છે. જ્યારે સત્ર શરૂ થયા બાદ પાઠ્યપુસ્તક આપવા કે લેવા માટે 96383 16016 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:30 am

રાજકોટમાં બેવડી ઋતુ:બપોરે આકરો તાપ અને વહેલી સવારે ગુલાબી ઠંડી

રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાતા શહેરીજનોને બપોરે ગરમી અને મોડી રાત્રે તથા વહેલી સવારે ગુલાબી ઠંડી એમ ‘મિક્સ ઋતુ’નો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે મધ્ય ફેબ્રુઆરી બાદ ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના આરંભથી જ તાપમાનનો પારો ઊંચો ગયો છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી એક સપ્તાહ સુધી ગરમીનો માહોલ યથાવત્ રહેશે. જોકે તા.10થી 12 ફેબ્રુઆરી દરમિયાન લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આમ છતાં આ ઘટાડાથી ખાસ ઠંડીનો અનુભવ થશે નહીં, માત્ર રાત્રિના સમયે થોડી રાહત મળશે. હવામાન વિભાગના આંકડા મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમયે લઘુતમ તાપમાન 12થી 14 ડિગ્રી વચ્ચે રહેતું હોય છે, પરંતુ અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સરેરાશ કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:28 am

ફોજદારી રાહે મંજૂરી પર નિર્ણય લેવા હાઈકોર્ટનો આદેશ:કચ્છમાં ‘સુજલામ-સુફલામ’ કૌભાંડમાં FIRની મંજૂરીમાં ‘ઠાગાઠૈયા’ કરતા વિભાગને ગુજરાત હાઈકોર્ટની લાલબત્તી

કચ્છ જિલ્લામાં સરકારની મહત્વકાંક્ષી ‘સુજલામ-સુફલામ યોજના’ (2022) ભ્રષ્ટાચારના ખપરમાં હોમાઈ ગઈ છે. કચ્છ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ચેકડેમ અને તળાવો ઊંડા કરવાના નામે કરોડો રૂપિયા ચાઉં કરી જવાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે એક તરફ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) તપાસમાં ગુનો બનતો હોવાનું સ્વીકારી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરમાં બેઠેલો નર્મદા, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ પોતાના જ લાંચિયા અધિકારીઓ સામે FIR નોંધવાની મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યો છે. આ ગંભીર બેદરકારી સામે જસ્ટિસ એમ. આર. મેંગડેની કોર્ટે લાલબત્તી ધરી છે. આ કેસની વિગત એવી છે કે, કચ્છ જેવા અછતગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતો અને માલધારીઓને પાણી મળી રહે તે હેતુથી સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ હતી. પરંતુ જાગૃત નાગરિક અને અરજદાર દેવેન્દ્રસિંહ બૈસ દ્વારા એકત્ર કરાયેલા પુરાવા, સ્થળ નિરીક્ષણ અને ગ્રામ પંચાયતના રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો હતો કે કામો કાગળ પર જ થયા છે અને નાણાં ગેરવલ્લે થયા છે. અરજદાર દેવેન્દ્રસિંહ બૈસે અગાઉ પણ હાઈકોર્ટમાં ધા નાખી હતી. તે સમયે (27.08.2024) સરકારે કોર્ટમાં “ત્વરિત તપાસ કરી લોજીકલ નિષ્કર્ષ લાવવાની” ખાતરી આપતા અરજદારે પિટિશન પાછી ખેંચી હતી. પરંતુ “રાત ગઈ, બાત ગઈ”ની જેમ સરકારે કોઈ નક્કર પગલાં ન લેતા મામલો ફરી કોર્ટમાં પહોંચ્યો હતો. વરિષ્ઠ ધારાશાસ્ત્રી આશિષ એમ. ડગલી અને એડવોકેટ અમન સમાની દલીલો બાદ, તાજેતરમાં 04.02.2026ના રોજ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી કે ACBએ તેની તપાસમાં સ્પષ્ટ કર્યું છે કે ‘પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ હેઠળ ગુનો બને છે. ACBએ કલમ 17(A) હેઠળ FIR નોંધવા માટે સક્ષમ સત્તાધિકારી (નર્મદા અને પાણી પુરવઠા વિભાગ) પાસે મંજૂરી માંગી છે, જે મંજૂરી આપવામાં વિભાગ અકારણ વિલંબ કરી રહ્યો છે. માત્ર ખાતાકીય તપાસથી નહીં ચાલેહાઈકોર્ટ જસ્ટિસ એમ. આર. મેંગડેએ પોતાના આદેશમાં ટકોર કરી છે કે, માત્ર ખાતાકીય તપાસ ચલાવવાથી ભ્રષ્ટ અધિકારીઓની ફોજદારી જવાબદારી પૂરી થતી નથી. જો ગુનો બનતો હોય તો કાયદેસરની પોલીસ ફરિયાદ થવી જ જોઈએ. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગને ACB દ્વારા માંગવામાં આવેલી સેક્શન 17(A) હેઠળની મંજૂરીના પ્રસ્તાવ પર તાત્કાલિક નિર્ણય લેવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. ખેડૂતોના હક્કના પૈસા કોણ ખાઈ ગયું?કચ્છ સિંચાઈ વિભાગના આ કૌભાંડમાં માત્ર અધિકારીઓ જ નહીં, પણ કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાની પણ ચર્ચા છે. સુજલામ-સુફલામ યોજનાનો ઉદ્દેશ્ય જળસંચયનો હતો, પરંતુ જમીન પર ખાડા ખોદવાને બદલે માત્ર બિલોના ખાડા ભરાયા છે. હવે હાઈકોર્ટના આદેશ બાદ ગાંધીનગરના બાબુઓ મંજૂરી આપે છે કે કેમ, તેના પર કચ્છના ખેડૂતોની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:27 am

મુસાફરોને મળશે નવી સુવિધા:ભુજ એરપોર્ટ પર શરૂ થશે ભારત ટેક્સી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ભુજ સહિત દેશના પસંદગીના એરપોર્ટ પર મુસાફરોને છેવાડાના સ્થળ સુધી પહોંચાડવા માટે સુરક્ષિત અને પારદર્શક ટેક્સી સેવા પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી આ ભારત ટેક્સી સેવા અન્ય એપ-આધારિત ટેક્સીઓ કરતા અલગ છે. આ મોડેલની ખાસિયત એ છે કે તે ડ્રાઈવરોની માલિકીની સહકારી સંસ્થા છે. મુસાફરો માટે સૌથી મોટો ફાયદો એ રહેશે કે અહીં કોઈ પણ પ્રકારનો વધારાનો ભાવવધારો વસૂલવામાં આવશે નહીં. એટલે કે, પીક અવર્સ કે વરસાદ જેવા સમયે પણ ભાવ એકસમાન અને વાજબી રહેશે. ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન વિપિન કુમારની હાજરીમાં થયેલા આ કરાર મુજબ, પ્રાથમિક તબક્કે ગુજરાતના ભુજ, રાજકોટ, વડોદરા અને સુરત એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પુણે, વારાણસી અને આગ્રા જેવા શહેરોનો પણ સમાવેશ કરાયો છે.આ પહેલ આત્મનિર્ભર ભારત અને સહકાર સે સમૃદ્ધિના વિઝનને વેગ આપશે. ભારત ટેક્સીએ અગાઉ દિલ્હી પોલીસ અને મેટ્રો સાથે પણ જોડાણ કર્યું છે, જે હવે એરપોર્ટ ઇકોસિસ્ટમમાં પ્રવેશ કરી રહી છે. આનાથી સ્થાનિક ડ્રાઈવરોને રોજગારી મળવાની સાથે મુસાફરોને ભરોસાપાત્ર વાહન વ્યવહાર મળશે. ભારત ટેકસી સાથે કઈ રીતે જોડાઈ શકાય?આ સેવા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત હોવાથી ડ્રાઈવરોએ તેના સભ્ય બનવું પડશે. ડ્રાઈવર પાસે માન્ય કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સ, ટેક્સીનું ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ અને આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે ડ્રાઈવરોએ પ્લે સ્ટોર પરથી Bharat Taxi Driver એપ ડાઉનલોડ કરી તેમાં પોતાની વિગતો અપલોડ કરવાની રહેશે.એરપોર્ટ પર મુસાફરો સાથે કેવું વર્તન કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટૂંકી તાલીમ સંસ્થા દ્વારા આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:26 am

પ્રવાસીઓની ભીડ અવિરત રહેતા રેલવે દ્વારા નિર્ણય લેવાયો:ભુજ-ગાંધીધામથી બાંદ્રાની સ્પેશિયલ ટ્રેનોના ફેરા માર્ચ સુધી લંબાવાયા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોમાં જોવા મળતી ભીડને ધ્યાનમાં રાખીને વિવિધ રૂટ પર ચાલતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય કરાયો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા મુજબ, કચ્છના ભુજ અને ગાંધીધામને મુંબઈ બાંદ્રા ટર્મિનસ સાથે જોડતી ટ્રેનોના સમયગાળામાં વધારો કરાયો છે.આ તમામ સ્પેશિયલ ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 8 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોને ભુજથી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર તેમજ બાંદ્રાથી મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવારે સ્પેશિયલ ટ્રેનની સેવા મળી રહેશે. જ્યારે ગાંધીધામથી ગુરૂવારે આ ટ્રેન ઉપડે છે. અત્રે મહત્વનું છે કે, રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેનોને કાયમી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત કચ્છ અને સયાજીમાં લોકલ કોચની સંખ્યામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિકટ્રેન નંબર 09415 અને 09416 બાંદ્રા-ગાંધીધામ-બાંદ્રા હવે 26 માર્ચ સુધી કાર્યરત રહેશે.આ ટ્રેન બંને સ્થળેથી દર ગુરૂવારે ઉપડે છે. બાંદ્રા ટર્મિનસ – ભુજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ1 ટ્રેન નંબર 09037 બાંદ્રા-ભુજને 28 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09038 ભુજ-બાંદ્રાને 29 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન બાંદ્રાથી ગુરુવાર અને શનિવાર જ્યારે ભુજથી શુક્રવાર અને રવિવારે ઉપડે છે.2 ટ્રેન નંબર 09009 બાંદ્રા-ભુજ હવે 29 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09010 ભુજ-બાંદ્રા 30 માર્ચ, 2026 સુધી દોડશે. આ ટ્રેન ભુજ થી સોમવારે અને બાંદ્રાથી રવિવારે ઉપડે છે.3 ટ્રેન નંબર 09011 બાંદ્રા-ભુજને 31 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09012 ભુજ-બાંદ્રાને 25 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન બાંદ્રાથી દર મંગળવાર અને ભુજ થી દર બુધવારે ઉપડે છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:25 am

ભાસ્કર એનાલિસીસ:‘બેવડી ઋતુ’ : 24 કલાકમાં તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત!

ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ કચ્છમાં વિચિત્ર ઋતુ અનુભવાઇ રહી છે. અત્યારે લોકો એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. રવિવારે નલિયામાં લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન હતું. પરંતુ નવાઈની વાત એ છે કે અહીં દિવસનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. નલિયામાં રાત અને દિવસના તાપમાન વચ્ચે સીધો 20.7 ડિગ્રીનો તોતિંગ તફાવત જોવા મળ્યો હતો. અહીંના લોકો સવારે સ્વેટર પહેરે છે અને બપોરે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ છે. ગરમી અને ઠંડી વચ્ચે હરીફાઈ કંડલામાં પણ જારી છે. અહીં પણ બેવડી ઋતુનો માર સ્પષ્ટ દેખાય છે. કંડલા પોર્ટનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યના સૌથી ગરમ શહેરો (સુરત અને રાજકોટ 34.2 ડિગ્રી) ની હરોળમાં આવે છે. અહીં લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી રહ્યું હતું. આમ, અહીં 17.3 ડિગ્રીનો તફાવત હતો. બીજી તરફ કંડલા એરપોર્ટ પર લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યના સૌથી ઠંડા મથકોમાં બીજા ક્રમે (ડીસા સાથે સંયુક્ત રીતે) હતું. જ્યારે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી રહ્યું હતું. અહીં તાપમાનનો તફાવત 19.2 ડિગ્રી જેટલો રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ સ્થિતિ અલગ નથી. ભુજમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. ભુજવાસીઓ પણ દિવસ અને રાતના તાપમાનમાં 16.7 ડિગ્રી જેટલો મોટો ફેરફાર સહન કરી રહ્યા છે 20-20 ડિગ્રીના આ તાપમાન ફેરફારને કારણે વાયરલ ઇન્ફેક્શનઆ આંકડા દર્શાવે છે કે કચ્છમાં હાલ “સવારે શિયાળો અને બપોરે ઉનાળો” જેવો ઘાટ સર્જાયો છે. નલિયા અને કંડલા એરપોર્ટ જેવા વિસ્તારોમાં જ્યાં રાત્રે તાપમાન 11-13 ડિગ્રી થઈ જાય છે, ત્યાં બપોરે 33 ડિગ્રી ગરમી થતાં શરીરનું તાપમાન જાળવવું મુશ્કેલ બને છે. 20-20 ડિગ્રીના આ તાપમાન ફેરફારને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના કેસો વધી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે કચ્છવાસીઓએ હજુ થોડા દિવસ આ મિશ્ર ઋતુ સહન કરવી પડશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:24 am

વેક્સિનેશન કેમ્પનું આયોજન:ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 500થી વધુ‎હજયાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું‎

ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ પઢવા જનારા 500થી વધારે લોકોએ રસી લીધી હતી. ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો.સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન ડૉ.ગોપિકા મેખીયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ડૉ. અભીનવ શર્મા,ઇન્ચાર્જ સિવિલ સર્જન, ડૉ.રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોર્ડિનેટર મુકીમ મન્સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:22 am

દારુ ઝડપાયો:આમોદ નજીકથી બિસ્કિટના પૂઠાની આડમાં‎લઇ જવાતો ~ 25.64 લાખનો દારૂ ઝડપાયો‎

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે આમોદ- મગણાદ રોડ પર આવેલી ક્રિષ્ણા કાઠીયાવાડી હોટલના પટાંગણમાંથી 25.64 લાખના દારૂ સાથે 6 ઇસમોને ઝડપી પાડયાં છે. ઉબેર ગામના બુટલેગરે વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, જંબુસરના ઉબેરના બુટલેગર કિરણસિંહ ચૌહાણે વિપુલ માત્રામાં દારૂનો જથ્થો મંગાવ્યો છે અને દારૂ ભરેલા વાહનો મગણાદ પાસે આવેલી ક્રિષ્ણા કાઠીયાવાડી હોટલના પટાંગણમાં ઉભા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં હોટલના પટાંગણમાંથી એક ટેમ્પો સહિત બે વાહનો સાથે 6 ઇસમો મળી આવ્યાં હતાં. ટેમ્પાની તલાશી લેવામાં આવતાં તેમાં બિસ્કિટના પુઠ્ઠાની આડમાં સંતાડેલી દારૂની 7,200 જેટલી બોટલ મળી આવી હતી. આ બોટલોની કિમંત 25.64 લાખ રૂપિયા થવા જાય છે. સ્થળ પરથી બુટલેગર સહિત 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ તથા વાહનો સહિત કુલ 39.30 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિદેશી દારૂનો જથ્થો કયાંથી મંગાવવામાં આવ્યો હતો સહિતની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે. એલસીબીએ મોટા પ્રમાણમાં દારુનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:21 am

કાર્યવાહી:ઝાડેશ્વરની દુબઇ ટેકરી પરથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ભરૂચના ઝાડેશ્વરની દુબઇ ટેકરી પાસેથી બે ઇસમોને ઝડપી પાડયાં છે. સી ડિવિઝન પોલીસની ટીમગત રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી. કે ઝાડેશ્વર ગામ દુબઈ ટેકરી કબીર મંદિર સામે રહેતા ઇમરાન મનસુરિયાના ઘરે હિતેશ પટેલ ભેગા મળીને વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. તેવી માહિતી મળતા પોલીસની ટીમ બે પંચો સાથે મળીને બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી બે ઈસમ મળી આવ્યા હતા તેઓની સાથે ઘરની તપાસ કરતાં પોલીસે અલગ અલગ કંપનીની વિદેશી દારૂની નાની-મોટી કુલ 96 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 31,200 આંકવામાં આવી છે.આમ બંને ઇસમોને પૂછતાં તેઓ વેચાણ માટે વિદેશી દારૂ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:20 am

છેતરપિંડીનો નવો કીમિયો:AIના ડીપફેક ઓડિયોથી સાયબર ફ્રોડ, 5થી 10 હજાર માગી છેતરપિંડી

તમારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવે છે. સામે છેડેથી હૂબહૂ તમારા સંબંધીનો અવાજ સંભળાય છે. અને અકસ્માત થયો છે કહીને પૈસાની માંગણી કરે તો પૈસા મોકલી આપવા નહીં આ ફ્રોડ હોઇ શકે છે. એઆઇની મદદથી પૈસા પડાવવા માટે નવી તરકીબ અપનાવવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ દ્વારા પૈસા પડાવવા માટે નવી નવી તકનીક અપનાવવામાં આવી રહી છે. હવે એઆઇના જમાનામાં ડિપફેક વીડિયો જ નહીં પણ ઓડિયો પણ બનાવા લાગ્યા છે. સાયબર ફ્રોડને તમારા કે તમારા સગા સબંધીનો માત્ર 10 સેકન્ડનો ઓડિયો મળી જાય તો તેના આધારે એઆઇની મદદથી વોઇસ ક્લોનિંગ કરી લે છે. સામાન્ય માણસે બચવા માટે શું કરવું?આવો કોલ આવે અને તાત્કાલિક પૈસા માંગે તો તરત કોલ કટ કરીને કન્સર્ન વ્યક્તિના નંબર પર કોલ કરી ખાત્રી કરી લેવી. તેના પરિવારને જાણતા હોય એવો અંગત સવાલ કરવો અને ખાત્રી થયા બાદ ખરેખર જરૂર હોય તો તેના એકાઉન્ટમાં જ નાણા મોકલવા જોઇએ. - ચંદ્રવદન ધ્રુવ, એક્ષપર્ટ સાયબર પુત્ર બાજુમાં બેઠેલો અને ફોન પર તેણે રૂપિયા માગ્યા કેસ-1 : પુત્ર બાજુમાં હતો અને તેના અવાજથી કોલ આવ્યો અડાજણના સુનિલભાઇએ જણાવ્યું હતું બે મહિના પહેલા તેમના મોબાઇલ પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. જેમાં તેના દિકરા જેવોજ અવાજ હતો. તેણે અકસ્માત થયો હોય તાત્કાલિક રૂ.10 હજાર મોકલવાનું કહ્યું હતું. પણ તેમને દિકરો તેમની સાથે જ બેઠો હતો. કેસ-2 : અરજન્ટ જરૂર છે તાત્કાલિક પૈસા મોકલો હિતેશ પટેલને તેના ભાઇના નામથી ફોન આવ્યો હતો. જેમાં પોતે બહાર કામથી આવ્યો હોય અને અરજન્ટ પૈસાની જરૂર છે એટલે આ નંબર પર પૈસા મોકલી આપો. જ્યારે ફોન કાપીને તેણે ભાઇને કોલ કરતા તેણે કોલ કર્યો ન હોય અને મિત્ર સાથે હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:16 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:કાર પલટી જતાં પાંચ મિત્રો પૈકી એકનું મોત, ચાર ઘવાયા

બોક્ષ ક્રિકેટ રમવા માટે જતી વખતે ઈચ્છાપોર ભેંસાણ રોડ રિલાયન્સ કોલોની પાસે કાર પલટી જતાં કારમાં સવાર 5 મિત્રો પૈકી એક મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડભોલી નાની વેડ ખાતે રહેતો 24 વર્ષીય ઓમ અશોક રોય પિતાના ચણાના લોટના કારખાનામાં મદદરૂપ થતો હતો. શનિવારે ઓમ તેના મિત્રો બંટી ભરતભાઈ મોરડીયા, દર્શીત ધનસુખભાઈ જીવાણી, ક્રિષ્ણા અશોકભાઈ ઘેલાણી અને રૂશીક નરસિંહભાઈ કુંભાણી સાથે ડુમસ ખાતે બોક્ષ ક્રિકેટ રમવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. પાંચેય મિત્રો કતારગામ ખાતે રહેતા દર્શીતની ફોર્ડ ઈકો સ્પોર્ટસ કારમાં ડુમસ જવા માટે નીકળ્યા હતા. તેઓ ઈચ્છાપોર ભેંસાણ રોડ પર રિલાયન્સ કોલોની પાસેથી પસાર થતા હતા. ત્યારે રસ્તાની બાજુમાં ખોદકામ કરેલું હોય તેની માટીના ઢગલા પરથી વ્હીલ પસાર થતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચેય મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઓમ રોયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઈચ્છાપોર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:15 am

સુરત એરપોર્ટ બન્યું હાઇબ્રીડ ગાંજાનું ગેટ વે:બેંગકોકના ડ્રગ માફિયાએ 9 કરોડનો ગાંજો ફ્લાઇટમાં સીટ નીચે સંતાડ્યો, દિલ્હીનો પેસેન્જર માલ લેવાનો હતો

સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ થવાનો હતો. બેંગ્કોકથી આવેલી આ વીકની બે ફલાઇટમાં આ ગાંજો મળ્યો છે. પહેલા દિવસે ફ્લાઇટમાં છ કિલો તો બીજા દિવસે બે કિલો ગાંજો મળ્યો હતો. આઠ કિલો ગાંજાની બજાર કિંમત રૂપિયા નવ કરોડ છે. સમગ્ર કાંડમાં સ્મગલરોની નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. ખાસ કરીને ઇમરાન હાશ્મીની ‘તસ્કરી’ વેબ સિરિઝમાં બતાવેલી સ્ટાઇલ સ્મગલરોએ અપનાવી છે. બંને કેસમાં ગાંજો વિમાનમાં જ સીટ નીચે અને સીટની પાછળ છોડી દેવામાં આવ્યો હતો. તમામ મુસાફરો ઉતરી ગયા બાદ ફ્લાઇટ દિલ્હી જનાર હતી અને ત્યાથી સંતાડેલા ગાંજાની ડિલિવરી અજાણ્યા શખ્શો લેનાર હતા. ડીઆરઆઈએ પ્રવિણ કરમવીર, પ્રદિપ ભાન, વિક્રમ બુકલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરી છે. ક્રુ મેમ્બરે સીટ ઉપસેલી જોતા શંકા ગઈ, ચેક કરતા જ ગાંજો મળી આવતા ભાંડો ફૂટ્યોપેહલા દિવસની ફ્લાઇટ બેંગ્કોકથી આવી હતી. સુરત આવ્યા બાદ ફ્લાઇટ થોડી ખાલી થઈ ગઈ હતી અને દિલ્હી જનારા થોડા પેસેન્જર બેસી રહ્યા હતા. ત્યારે ક્રુ મેમ્બરે જોયું કે એક રોની કેટલીક સીટ પાછળના ભાગેથી ઉપસેલી છે, જાણે કંઇ મૂકયુ હોય તેણે સીટ કવર ખસેડીને પાછળની બાજુએ જોયુ તો થેલીમાં કંઇ ભરેલું હતું. પાછળની બીજી સીટ જોઇ અને ત્યારબાદની પણ બે સીટ જોઇ તો દરેકમાં આવું જ હતું અને સીટનો પાછળનો ભાગ ઉપસેલો હતો. તમામ સીટ ચેક કરવામાં આવતા ચાર બેગ મળી આવી હતી. જેમાં 6 કરોડનો (6 કિલો) ગાંજો હતો. બીજા દિવસે જે ફ્લાઇટ આવી તેમાં પણ પેસેન્જરો ઉતરી ગયા બાદ ક્રૂ મેમ્બરનું ધ્યાન સીટ નીચે રાખેલી બે થેલી પર પડી હતી અને તમાંથી પણ ગાંજો મળ્યો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ કેસ, પકડે કોઈ પણ એજન્સીકસ્મટ હોય કે ડીઆરઆઇ કે પોલીસ જો ગાંજો કે હાઇબ્રીડ ગાંજો પકડાય તો આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ જ કાર્યવાહી થતી હોય છે અને સજાની જોગવાઈ તેની ક્વોન્ટિટીના આધારે થતી હોય છે. જેમાં એક વર્ષથી લઇને 20 વર્ષ અને સેક્સન 31એ હેઠળ થાય છે. આરોપી ફરી પકડાય અને જથ્થો વધુ હોય તો આજીવન સજા થઈ શકે. - સોનલ શર્મા, સ્વાતી મહેતા, એડવોકટ

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:15 am

61 કેવલરીમાં જોડાવાની તક:સંરક્ષણ મંત્રાલયમાં કુલ 12 અશ્વપાલની ભરતી થશે, ધો.10 પાસ જરૂરી

ભારતીય સેનાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જયપુર સ્થિત પ્રતિષ્ઠિત 61 કેવલરી માં ગ્રુપ-સી સ્ટાફ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ સઇસ (અશ્વપાલ) પદ માટે કુલ 12 જગ્યાઓ ભરવામાં આવશે. અશ્વપાલ એટલે કે ઘોડાઓની માવજત, ખોરાક અને તેમને તાલીમ માટે તૈયાર કરનાર કર્મચારી. ધોરણ 10 પાસ હોય અને સેનામાં શિસ્તબદ્ધ નોકરી કરવા ઈચ્છતા હોય તેવા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. લાયક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે પોતાની અરજી ટાઈપ કરી કમાન્ડન્ટ, મુખ્યાલય એસી સેન્ટર અને સ્કૂલ, પિન 900476, સી/ઓ 56 એપીઓના સરનામે માત્ર ટપાલ દ્વારા મોકલવાની રહેશે. આ રીતે ઉમેદવારની પસંદગી થશે

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:10 am

ભાસ્કર એક્સક્લુસિવ:યુજીમાં વિદ્યાર્થીઓને 4 વર્ષ ભણવામાં રસ નથી, 41 ટકા 3 વર્ષમાં જ એક્ઝિટના મુડમાં

વીર નર્મદ યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ ફોર્થ યર ઓનર્સ કોર્સની એન્ટ્રી તો થઈ, પણ વિદ્યાર્થીઓએ તેને ‘ઠંડો’ પ્રતિસાદ આપ્યો છે. યુનિવર્સિટીના પ્રાથમિક સર્વેમાં એક ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સર્વેક્ષણ હેઠળના 19,675 વિદ્યાર્થીઓમાંથી 41.31% વિદ્યાર્થીઓ ત્રણ વર્ષે જ ‘એક્ઝિટ’ લેવાના મૂડમાં છે. આ ‘રિવર્સ ગિયર’ પાછળનું મુખ્ય કારણ રિસર્ચ પ્રત્યેની ઉદાસીનતા છે, કારણ કે માત્ર 3.59% વિદ્યાર્થીઓ જ સંશોધન કરવા માંગે છે. આજના યુવાનોને ફોર્થ યરનો વધારાનો ‘લોડ’ લેવાને બદલે વહેલી તકે ડિગ્રી મેળવી ‘ટાટા-બાય બાય’ કહેવામાં વધુ રસ છે. બીજી તરફ, 25% સ્ટુડન્ટ્સ હજુ પણ ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ ગણાતા જૂના ટુ-યર PG કોર્સના જ ફેન છે. આમ, NEP-2020ના અમલીકરણ પહેલાં જ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓમાં આ નવો ટ્રેન્ડ ચર્ચાનો વિષય બન્યો છે. ડિગ્રીના લાંબા અભ્યાસ કરતા કમાવવાને પ્રાધાન્યનવી શિક્ષણ નીતિમાં ભલે સંશોધન પર ભાર મુકાયો હોય, પણ સુરતી સ્ટુડન્ટ્સ તો ‘વહેલા તે પહેલા’ના ધોરણે કેરિયર સેટ કરવા માંગે છે. વિદ્યાર્થીઓમાં વહેલી એક્ઝિટના ક્રેઝ પાછળનું સૌથી મોટું કારણ ‘આર્થિક રીતે પગભર’ થવાની ઉતાવળ છે; 3 વર્ષમાં ડિગ્રી ખિસ્સામાં નાખી નોકરીના મેદાનમાં ઉતરી પડવાની હોડ જામી છે. વળી, વર્ષોથી ચાલી આવતી ‘થ્રી-યર ગ્રેજ્યુએશન’ની માનસિકતા હજુ વાલીઓના મનમાંથી ગઈ નથી, તેમને ચોથા વર્ષનો અભ્યાસ એક વધારાનો ‘લોડ’ લાગે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જેમને સરકારી પરીક્ષાના ‘ચક્રવ્યૂહ’માં ઉતરવું છે, જ્યાં માત્ર ગ્રેજ્યુએશન જ પૂરતું છે. આ સંજોગોમાં, વધુ એક વર્ષ કોલેજમાં વિતાવવાને બદલે વિદ્યાર્થીઓ કેરિયરના ‘શોર્ટકટ’ શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાસ્કર નોલેજ : ચાર વર્ષની ડિગ્રી સ્માર્ટ ચોઈસ 1. ઓનર્સ ડિગ્રી એટલે કેરિયરની નવી ઊંચાઈ 2. ઓનર્સ વિથ રિસર્ચ એટલે ફ્યુચર રેડી પ્રોફાઇલ

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:09 am

બાન્દ્રા અને ગાંધીગ્રામ રૂટ પર મળશે મોટી રાહત‎:વેરાવળથી મુંબઈ જતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડળ થઈને ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરવામાં આવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર આ ટ્રેનોની વિગત આપતા જણાવ્યુ કે, ટ્રેન નંબર 09018 વેરાવળ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે તે જ રીતે, ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.ટ્રેન નંબર 09208 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 26 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરાઇ છે. તે જ રીતે, ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસને 27 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરાઇ છે. ટ્રેન નંબર 09216 ભાવનગર–ગાંધીગ્રામ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને પણ 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:08 am

3 સામે ફરિયાદ:રણીયારમાં રસ્તો જોઇને ચાલવાનું કહેતાં વૃદ્ધ પર હુમલો

લીમડી તાલુકાના રણીયાર ગામના 65 વર્ષીય વૃદ્ધ મજુભાઇ મલાભાઇ ભાભોર 2જી ફેબ્રુઆરીના રોજ સવારે તેમના ઘરેથી ચાલતા ચાલતા તેમના ભાગે રાખેલ ખેતરે જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન ચણાસર ફળિયામાંથી પસાર થતાં તેમના ફળિયામાં જ રહેતો શ્યામ મહેશ ભાભોર અને તેનો ભાઇ સાવન મહેશ ભાભોર, તેની માતા લીલાબેન મહેશ ભાભોર પણ મોટર સાયકલ લઇને ખેતરે જતા હતા. તે દરમિયાન શ્યામે તેની મોટર સાયકલ વૃદ્ધને અડાડતા તેને મોટર સાયકલ જોઇને ચલાવવાનું કહેતા શ્યામ તથા સાવન બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને વૃદ્ધને જાહેરમાં બિભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી તમે મને કોઇ કેવા વાળા તેમ કહી શ્યામે પકડી રાખતા સાવને ગાલ ઉપર બે ઝાપટો ઝીંકી દીધી હતી. તેમજ ઉચકીને રોડ ઉપર પછાડી દીધા હતા અને લીલાબેને લાતો મારી હતી. ત્યાર બાદ ગાળો બોલતા જઇને ત્રણેય જણા મોટર સાયકલ લઇને જતા રહ્યા હતા. ઘટનાની જાણ વૃદ્ધને ઘરે જતાં પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે લઇ ગયા હતા. આરોપીઓએ શરૂઆતમાં સારવારના ખર્ચ માટે રૂપિયા આપવાની હા પાડી હતી, પરંતુ બાદમાં ગલ્લા તલ્લા કરી આજદિન સુધી કોઈ રકમ ચૂકવી ન હતી. અંતે ઇજાગ્રસ્ત વૃદ્ધે લીમડીની ખાનગી હોસ્પિટલમાંથી લીમડી પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:07 am

‘સ્થાપત્ય 2026’નું ભવ્ય આયોજન કરાયું:સરસાણામાં સ્થાપત્ય પ્રદર્શની 90 એક્ઝિબીટર્સે ભાગ લીધો

સુરત શહેરમાં બાંધકામ અને ડિઝાઇન ક્ષેત્રની પ્રતિષ્ઠિત પ્રદર્શની ‘સ્થાપત્ય 2026’નું ભવ્ય આયોજન ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ (ICEA), સુરત દ્વારા તા. 6 થી 9 ફેબ્રુઆરી 2026 દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC), સરસાણા ખાતે કરવામાં આવ્યું છે. છેલ્લા 28 વર્ષથી સતત આયોજિત થતી આ પ્રદર્શની બાંધકામ અને આર્કિટેક્ચર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મંચ બની છે. ICEA સંસ્થામાં હાલમાં 1200થી વધુ સભ્યો છે, જેમાં સિવિલ એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સનો સમાવેશ થાય છે. સંસ્થા બાંધકામ ક્ષેત્રના વ્યાવસાયિક વિકાસ, જ્ઞાન વિનિમય અને નવી ટેકનોલોજીના પ્રચાર માટે સતત કાર્યરત છે. ICEA પ્રમુખ એન્જિનિયર કમલેશ વૈષ્ણવના જણાવ્યાનુસાર સ્થાપત્ય 2026માં દેશભરના 90થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, જે બાંધકામ સામગ્રી, આર્કિટેક્ચરલ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ તેમજ વિવિધ સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:06 am

રજૂઆત:ગોધરાના પઢીયાર ગામમાં દબાણો નહીં હટતાં મુખ્યમંત્રી કાર્યલયને રજૂઆત કરાઇ

પઢીયાર ગામમાં જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી લડત ચલાવી રહેલા 70 વર્ષના વૃદ્ધ અરજદાર કાનાભાઈ રામાભાઈ પરમારે છેવટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પઢીયાર ગામના મુખ્ય માર્ગ પર ઇસમો દ્વારા પાકી દીવાલો અને કોર્ટ બનાવી રસ્તો અત્યંત સાંકડો કરી દેવામાં આવ્યો હોવાથી ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર જેવા ઇમરજન્સી વાહનો પણ પ્રવેશી શકતા નથી અને ગામના ચાર જેટલા મુવાડામાં જવા માટે સામાજિક પ્રસંગોમાં લક્ઝરી અને એસટી બસની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે. આ બાબતે ફેબ્રુઆરી 2025માં યોજાયેલ જિલ્લા સ્વાગતમાં પંચમહાલ કલેક્ટર દ્વારા 15 દિવસમાં દબાણ દૂર કરવા અને દબાણકર્તાઓને છાવરતા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે ટીડીઓ ગોધરાને કડક આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, કલેક્ટરના લેખિત આદેશને 18 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. જ્યારે બીજી તરફ સરપંચ પોતાના સગાઓના દબાણ હોવાથી નોટિસ પર સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના દબાણોને કારણે સાઈડ સોલ્ડરનું કામ પણ થઈ શક્યું નથી જે સરકારી નાણાંનો વ્યય ગણાય. આ વહીવટી નિષ્ક્રિયતા સામે લડતા વૃદ્ધ નાગરિકે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ મળીને જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા અને દબાણો ખુલ્લા કરવા લેખિત ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઇન અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:02 am

રોજનાં 25 હજાર વાહનોને રાહત મળશે:આભવા, ખજોદ, મીંઢોળા રોડના ક્રોસિંગ પર રૂ. 142 કરોડના ખર્ચે 3 ફ્લાયઓવર બનાવાશે

હજીરા–ધુલિયા હાઈવે-53 પર ટ્રાફિકજામ અને અકસ્માતોને ધ્યાને લઈ 3 જંક્શનો પર ફ્લાયઓવર બનાવવા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લીલીઝંડી આપી છે. આભવા, ખજોદ અને મીંઢોળા રોડ (નદી બ્રિજને જોડતા રસ્તા પર) નજીક કુલ 142 કરોડના ખર્ચે 3 ફ્લાયઓવર બનાવાશે. લાંબા સમયથી સ્થાનિકોની માંગ હોવાથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ પરિવહન મંત્રીને દિલ્હી ખાતે રજૂઆત કરી હતી. હજીરામાં એલ. એન્ડ.ટી., ક્રિભકો, AM/NS, રિલાયન્સ, ગેઇલ, NTPC જેવી મહાકાય કંપનીઓ ઉપરાંત એસ્સાર અને અદાણી પોર્ટ છે. આ ઉદ્યોગોમાં કામ કરતા હજારો કર્મચારી તેમજ કન્ટેનરોની સતત અવરજવર રહે છે. આ હાઈવે પર રોજ અંદાજે 25 હજારથી વધુ વાહનો પસાર થાય છે, જેથી પિક અવર્સમાં રોજની ટ્રાફિકજામની સમસ્યા રહે છે. ત્રણેય જંક્શનો પર સર્વિસ રોડ પણ બનાવાશે, જેથી સ્થાનિક અવર-જવર વધુ સરળ અને સુરક્ષીત બનશે

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:02 am

સેમિનાર:ગોધરા ખાતે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગમાં કેમ્પસથી કારકિર્દી વિષય પર સેમિનાર યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ગોધરા ખાતે એક દિવસીય પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ અને ડીન ડો. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ જમીન અને જળ સંરક્ષણ ઈજનેરી વિભાગ તથા સિંચાઈ અને ડ્રેનેજ ઈજનેરી વિભાગ દ્વારા એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એલ્યુમિની એસો., ગોધરાના સહયોગથી કરવામાં આવ્યું હતું. “From Campus to Career : Job Entrepreneurship Opportunities in Agricultural Engineering” વિષય પર યોજાયેલ આ સેમિનારમાં કોલેજના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભૂમિ પોલિમર્સ પ્રા. લી.ના જનરલ મેનેજર નિકુંજ પટેલે કૃષિ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ નોકરીની વિવિધ તકો, ઉદ્યોગ ક્ષેત્રની વર્તમાન જરૂરિયાતો તેમજ ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી કુશળતાઓ, નવીન વિચારો અને દૃષ્ટિકોણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તથા યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ વિવિધ મુદ્દાઓ પર ઉત્સાહપૂર્વક ચર્ચા કરી હતી. કૃષિ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રમાં ખેડૂતોને વધુ સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મલેશિયામાં મોદી બોલ્યા- આતંકવાદ સામે કોઈ સમજૂતી નહીં; ભાજપનું મુસ્લિમો પર વિવાદાસ્પદ ટ્વીટ, પછી હટાવ્યું; હાઇકોર્ટના વકીલે ઉંઝામાંથી 3 કરોડનું જીરું ચોર્યું

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મલેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે જોડાયેલા રહ્યા. તેમણે કહ્યું કે આતંકવાદ સામે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. બીજા મોટા સમાચાર આસામ ભાજપના મુસ્લિમો પરના વિવાદાસ્પદ ટ્વીટને લઈને રહ્યા, જે બાદમાં ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ભારતમાં વોટ્સએપ બંધ થશે કે ચાલુ રહેશે. 2. કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે MP (મધ્ય પ્રદેશ) ના મંત્રી વિજય શાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. 'આતંકવાદ મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ નહીં':મોદીએ કહ્યું- તમિલ ભાષા ભારત-મલેશિયાને જોડે છે; મિત્રને આપેલું વચન પાળવા અહીં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ વચ્ચે આજે દ્વિપક્ષીય વાતચીત થઈ. PM મોદીએ આતંકવાદ પર પોતાનું વલણ કડક કર્યું. તેમણે કહ્યું, 'આતંકવાદ વિશે અમારો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે, કોઈ બેવડા ધોરણો નહીં, કોઈ બાંધછોડ નહીં. ભારત અને મલેશિયા આતંકવાદ વિરુદ્ધ મળીને કામ કરશે.' સંપૂર્ણ સમાચાર વાંચો 2. કોંગ્રેસ સાંસદની પત્ની 9 વખત પાકિસ્તાન ગઈ:ભારતની ગુપ્ત માહિતી લીક કરી પાક.ને આપી, સાંસદ ગોગોઈના ISI સાથે સંબંધ; આસામના CM હિમંતાનો મોટો દાવો આસામના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમની પત્ની એલિઝાબેથ પાકિસ્તાની એજન્ટ અલી તૌકીર શેખના ખૂબ નજીક છે. એક પાકિસ્તાની ફર્મે ગૌરવની પત્નીને નોકરી આપી, પછી તેમને ભારત ટ્રાન્સફર કરી દીધા. આ કામ માટે પગાર અલી તૌકીર શેખ જ આપતો હતો. હિમંતાનો આરોપ છે કે એલિઝાબેથ ભારત સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ એકઠી કરતી હતી, અને પાકિસ્તાની નાગરિક અલી શેખને રિપોર્ટ આપતી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. મહારાષ્ટ્ર જિલ્લા પરિષદની ચૂંટણીમાં સગીરોએ મતદાન કર્યું:દાવો- સોલાપુરના ઉમેદવારના પુત્રએ વોટિંગ કર્યું; સંભાજીનગરમાં પણ ધારાસભ્ય પુત્રને લઈને પહોંચ્યા મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી દરમિયાન નાબાલિગને પોલિંગ બૂથની અંદર લઈ જવાના બે કિસ્સા સામે આવ્યા છે. પહેલો કિસ્સો સોલાપુર અને બીજો છત્રપતિ સંભાજીનગર જિલ્લા સાથે સંબંધિત છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, સોલાપુર જિલ્લાના અકલુજ સ્થિત યશવંત નગર મતદાન કેન્દ્ર પર ઉમેદવાર અર્જુન સિંહ મોહિતે પાટીલ તેમના 14 વર્ષના પુત્ર સાથે પોલિંગ બૂથની અંદર ગયા. આરોપ છે કે નાબાલિગે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નું બટન દબાવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 75 વર્ષના ભાગવત પદ છોડવા તૈયાર:કહ્યું- 'સંઘ કહે તો પદ છોડી દઈશ; ક્ષત્રિય-બ્રાહ્મણ નહીં, કોઈ પણ હિંદુ RSS પ્રમુખ બની શકે, સાવરકરને ભારત રત્ન આપવામાં આવે ' રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે જો સંઘ તેમને પદ છોડવાનું કહેશે, તો તેઓ તરત જ તેમ કરશે. સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર પછી કોઈ પદ પર ન રહેવાની પરંપરાની વાત કહેવાય છે. RSS પ્રમુખે કહ્યું કે સરસંઘચાલક બનવા માટે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે બ્રાહ્મણ હોવું કોઈ યોગ્યતા નથી. જે હિંદુ સંગઠન માટે કામ કરે છે. તે જ સરસંઘચાલક બને છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. હાથમાં બંદૂક, ટાર્ગેટ પર મુસલમાનો:આસામ CMના હાથમાં બંદૂકવાળો વીડિયો વાઇરલ થતાં ભાજપે ડિલીટ કર્યો; કોંગ્રેસ બોલી- શું કોર્ટ સૂઈ રહી છે કોંગ્રેસે રવિવારે દાવો કર્યો કે આસામ ભાજપના X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા મુસ્લિમોને ગોળી મારતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે આ વીડિયો લઘુમતીઓની લક્ષિત પોઈન્ટ-બ્લેન્ક હત્યાને પ્રોત્સાહન આપવા જેવો છે. કોંગ્રેસનો દાવો છે કે વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના X હેન્ડલ પર દેખાઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા કથિત રીતે એક રાઈફલથી નિશાન સાધતા અને બે લોકો પર ગોળી ચલાવતા દેખાઈ રહ્યા હતા. નિશાનમાં દેખાઈ રહેલી તસવીરમાં એકે ટોપી પહેરી હતી અને બીજાની દાઢી હતી. તેનું કેપ્શન પોઈન્ટ-બ્લેન્ક શોટ હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજકોટમાંથી ચોરી થયેલી ચાંદી મહેસાણામાંથી ઝડપાઈ:અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 40 કિલો ચાંદી સાથે એકની ધરપકડ, અન્ય જથ્થો કબજે કરવા સુરત- વડોદરામાં તપાસ રાજકોટમાંથી ચાર દિવસ પહેલા થયેલી 125 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણાથી એક શખસને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો છે. ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોય ક્રાઈમ બ્રાંચની એક ટીમે સુરત-વડોદરા તરફ તપાસ હાથ ધરી છે. ચાર દિવસ પહેલા રાજકોટના ચંપકનગરમાંથી 125 કિલો ચાંદીની ચોરી થઈ હતીપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજકોટના સોના-ચાંદીના વેપારી અતુલ પટેલે પોતાના મિત્ર બીપીનભાઈના ઘરમાં સવાસો કિલો ચાંદી સુરક્ષિત રાખી હતી. આ ઘર રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલું છે. જોકે તસ્કરોને ચાંદી હોવાની માહિતી મળતાં તેમણે બીપીનભાઈના ઘરમાં ઘુસી સવાસો કિલો ચાંદીની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 7. હાઇકોર્ટના વકીલે ગેંગ સાથે ઉંઝામાંથી 3 કરોડનું જીરું ચોર્યું:ગજબનું ષડ્યંત્ર રચી એક ચાવીથી ખેલ પાડી દીધો, પોલીસને એક નંબર મળ્યો ને પિક્ચર પૂરું થયું મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મુકેલા 3 કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી હતી. 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આ ચોરી ની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર 13,14 અને 15ના તાળા ખોલી તસ્કરોએ રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ટ્રક મારફતે સાફ કરી દીધી ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ગણાતા ઊંઝામાં થયેલી રૂ 3.02 કરોડના જીરાની ચોરીનો મામલો હવે ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો વળાંક લઈ રહ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કરો નહીં પરંતુ હાઈકોર્ટના વકીલ, દિલ્હીના ડુપ્લીકેટ ચાવી બનાવવાના એક્સપર્ટ અને રીઢા ગુનેગારોની એક ગેંગ હોવાનું મહેસાણા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લાખોની રોકડ સહિત કુલ રૂ 58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ કર્ણાટકમાં પ્રાઇવેટ ટ્રેની પ્લેન ખેતરમાં ક્રેશ:બંને પાયલટે કૂદીને જીવ બચાવ્યો; પ્રાથમિક તપાસમાં એન્જિન ખરાબી કારણ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ બાંગ્લાદેશને 35 વર્ષ પછી નવા PM મળશે:ચૂંટણી પર ભારત-પાક અને ચીનની નજર, બદલાઈ જશે સાઉથ એશિયાનું પાવર બેલેન્સ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ બે બાઈકની સામસામે જોરદાર ટક્કર, VIDEO:3 યુવકો અને એક યુવતી ફુટબોલની જેમ ઉછળીને રસ્તા પર ફેંકાયા; એકનું મોત, અન્ય ઘાયલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો:મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં છરો લઈને ઘૂસ્યો 15 વર્ષનો હુમલાખોર, 4 ભારતીય વિદ્યાર્થી સહિત 6 ઘાયલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટસઃ નેપાળને હરાવતા ઈંગ્લેન્ડનો પરસેવો છૂટ્યો:T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાતા રહી ગયો, નેપાળે છેલ્લા બોલ સુધી લડત આપી; ઈંગ્લિશ ટીમ માત્ર 4 રનથી જીતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ નવા ઇનકમ ટેક્સ નિયમોનો ડ્રાફ્ટ જાહેર:નિયમોની સંખ્યા 511થી ઘટીને 333 થઈ; 1 એપ્રિલ 2026 થી નવી સિસ્ટમ લાગુ પડશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ 5 ગ્રહોનો મહાસંગમ અને સૂર્યગ્રહણ:પંચગ્રહી યુતિમાં કોણ બનશે ધનવાન અને કોના પર આવશે સંકટ?, ગ્લોબલ એસ્ટ્રોગુરૂ ડૉ. પંકજ નાગર પાસેથી જાણો (સંપૂર્ણ સમાચાર વાંચો) અજબ ગજબ વ્યક્તિએ કુહાડીથી નિશાન લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અમેરિકાના જેસી રૂડે સૌથી વધુ 67 મીટર દૂર કુહાડી ફેંકીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમના પહેલા તુર્કિયેના ઉસ્માન ગુરકુએ 56 મીટર દૂરથી કુહાડી વડે નિશાન સાધ્યું હતું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો, તેમના લોહીથી દીવાલ પર બનાવ્યો 'સ્વસ્તિક'; નાઝીવાદી જર્મનીના આ નિશાનની શું છે કહાની 2. PAKને ધૂળ ચટાડનાર 18 વર્ષનો ગુજ્જુ કોણ?:કોહલીને જોઇ બેટ લઇ નીકળી પડતો, સચિને આપી કૂલ રહેવાની ટિપ્સ; 21 નંબરની જર્સી અને 21મી તારીખનું ખાસ કનેક્શન 3. કલાકારો હવે રાજકીય અને સામાજિક નિશાને?:ક્યાંક જ્ઞાતિ બહાર તો ક્યાંક મંચ પરથી ગાળો; રાજભા ગઢવી બોલ્યા-અપશબ્દોથી તમારું નામ થતું હોય તો આપો! 4. ફાંસીએ લટકતાં પહેલાં સિરિયલ કિલર બોલ્યો, ‘આઈ એમ રેડી, સર’:જેલ અધિકારીએ જલ્લાદ બનીને ફાંસી આપી, કેરળનો સિરિયલ કિલર ‘રિપર ચંદ્રન’ 5. ‘ડો. યુનુસ રાજકીય પક્ષોના દબાણમાં, મારે રાજીનામું આપવું પડ્યું’:શેખ હસીનાને ભગાડનાર વિદ્યાર્થી નેતાએ કહ્યું- જમાત જીતશે, તો લઘુમતીઓને મુશ્કેલી પડશે 6. સંડે જઝબાત: પપ્પાને લાફો, મમ્મીને ધક્કો માર્યો:ખબર પડી કે દત્તક લીધેલી દીકરી છું તો 2 વર્ષ રૂમમાં બંધ રહી, દિવસભર ક્રાઈમ પેટ્રોલ જોતી હતી 7. ક્યાં ગયો 400 કિલો સોનું ચોરી કરનારો સિમરનપ્રીત:32 કરોડ ખર્ચ કરીને પણ પકડી નથી શકી કેનેડા પોલીસ, ત્રણ વર્ષ બાદ પાકિસ્તાની માસ્ટરમાઈન્ડ અરેસ્ટ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મેષ રાશિના અટકેલા કાર્યો પૂરાં થશે, સિંહ જાતકોના દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 5:00 am

સરથાણા નેચર પાર્કની રોનકમાં થશે વધારો:સરથાણા નેચર પાર્કમાં 3 કદાવર વાઘનો ઉમેરો, 45 દિવસના ક્વોરન્ટાઇન બાદ જોવા મળશે

પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના પછી પાર્કની રોનક વધી જશે. ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરતની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે. આ ઉપરાંત 2 માદા વરૂ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોશિંગા પણ લવાયા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદન કાનન ઝૂને 3 નર અને 2 માદા જળબિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર વરૂ અપાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબરમાં ઈન્દોરથી 1 નર વાઘ સુરત લવાયો હતો. આ સાથે પાર્કમાં ‘ક્રિષ્ણા’ વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. ત્રણેય નવા વાઘને સોમવારે સવારે 9થી 11 દરમિયાન ડિસ્પ્લે એરિયામાં માત્ર મીડિયા સમક્ષ મૂકાશે. જો કે, પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઈન રાખી કાયમી પ્રદર્શનમાં મુકાશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:59 am

પરવટની કરિયાણાની દુકાનમાં ગેરકાયદે વેપલો:સિલિન્ડર રિફિલિંગ કરતા ફ્લેશ ફાયર, યુવક-બે બાળકી દાઝ્યા

પરવટ રબારીવાસમાં કરિયાણાની દુકાનમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર રિફિલ કરતી વખતે ફ્લેશ ફાયર થતાં દુકાનદાર તેમજ ખરીદી કરવા આવેલી બે બાળકી દાઝી ગઈ હતી. ત્રણેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, પરવટ વિસ્તારમાં મમતા ટોકીઝ પાસે રબારીવાસમાં એક કરીયાણાની દુકાનમાં 38 વર્ષીય દુકાનદાર મુકેશભાઈ રવિવારે સવારે ગેસના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં રિફિલિંગનું કામ કરતા હતા. દરમિયાનમાં લીકેજ થયેલા ગેસે કોઈક રીતે સ્પાર્ક મળતાં ધડાકા સાથે ફ્લેશ ફાયર થઈ હતી અને આગ ભભૂકી ઉઠી હતી. આ ફ્લેશ ફાયરના કારણે મુકેશભાઈ મેવાડા તેમજ દુકાને ચોકલેટ બિસ્કીટ ખરીદવા માટે ગયેલી 6 વર્ષીય ખુશી મહેશ ગૌતમ અને 5 વર્ષીય શશી મહેશ ગૌતમ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી ત્રણેને સ્થાનિક રહીશોએ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:58 am

એન્જિનિયરોની ગંભીર બેદરકારી:કોરિડોર રોડના અંડરબ્રિજમાં ‘લોચો' મોટા વાહનો માટે નો-એન્ટ્રીની સ્થિતિ

લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામેથી પસાર થતા કોરિડોર રોડના નિર્માણમાં એન્જિનિયરોની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં બનાવેલા અંડરબ્રિજની ઊંચાઈ એટલી ઓછી રાખી છે કે મોટા વાહનો વારંવાર છત સાથે ભટકાય છે અથવા ફસાઈ જાય છે. સ્ટેટ હાઈવે હોવા છતાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લીધા વિના કરાયેલું આ બાંધકામ હવે હજારો વાહનચાલકો અને ગ્રામજનો માટે કાયમી મુસીબત બની ગયું છે. ફુલપરીથી ઉસરા હાઈવે પર ઝેરજીતગઢ મુનિયા ફળિયા પાસે આવેલા આ અંડરબ્રિજની હાલત અત્યંત દયનીય છે. નિયમ મુજબ સ્ટેટ હાઈવે પર જે ઊંચાઈ હોવી જોઈએ તેના કરતા ઘણી ઓછી ઊંચાઈ રાખવામાં આવી છે. સ્થિતિ એવી છે કે સરકારી એસટી બસ પણ અહીંથી ઘસાતી-ઘસાતી માંડ પસાર થાય છે. જો વાહન પર થોડો પણ વધારે સામાન હોય તો તે બ્રિજ નીચેથી નીકળી શકતું નથી, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ક્ષતિયુક્ત બાંધકામની સૌથી માઠી અસર સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો પર પડી રહી છે. ગામમાં રેતી, સિમેન્ટ કે ઘરવખરીનો સામાન લાવતી મોટી ટ્રકો બ્રિજ નીચેથી પસાર થઈ શકતી નથી. પરિણામે, ગ્રામજનોએ હાઈવે પર જ સામાન ઉતારી નાના ટેમ્પો કે રિક્ષામાં ફેરવવો પડે છે. આ મજૂરી અને વધારાના પરિવહનને કારણે લોકોએ બમણું ભાડું ચૂકવવાની નોબત આવી છે. કોરિડોર રોડના નિર્માણ વખતે જવાબદાર એન્જિનિયરોએ માપણીમાં આટલી મોટી ભૂલ કેવી રીતે કરી? શું સ્ટેટ હાઈવેના ધારાધોરણો નેવે મૂકવામાં આવ્યા? હવે જ્યારે બ્રિજ બનીને તૈયાર છે, ત્યારે ગ્રામજનોની આ કાયમી હાલાકીનો ઉકેલ તંત્ર લાવશે કે પછી લોકોએ આ ‘એન્જિનિયરિંગ બ્લન્ડર’ સહન કરવું પડશે? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:57 am

વેધર રિપોર્ટ:દિવસે 34.2 ડિગ્રીથી ગરમી, રાત્રે 18.4 ડિગ્રીથી હળવી ઠંડી

શહેરમાં ફેબ્રુઆરીની સાથે મિશ્રઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે દિવસે 34.2 ડિગ્રીથી ગરમી, રાત્રે 18.4 ડિગ્રીથી હળવી ઠંડીનો અનુભવ થયો હતો. આગાહી પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન શહેરનું હવામાન સ્થિર રહેશે છે. આકાશ અંશતઃ વાદળછાયું રહી શકે છે. દિવસે તાપમાનમાં હળવો વધારો થઈ 34થી 35 ડિગ્રી આસપાસ રહી શકે છે. લઘુતમ તાપમાન 18થી 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે, જેના કારણે સવાર અને રાત્રે હળવી ઠંડક અનુભવાશે. રવિવારે શહેરમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહ્યું હતું. દિવસનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જેના કારણે સવારે અને રાત્રે હળવી ઠંડકનો અનુભવ થયો હતો. દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશ તેજ રહ્યો હોવાતી બપોરે ગરમી વધારે અનુભવાઈ હતી. સોમવારે વાતાવરણ સુકું રહેશે. હવામાનનું દબાણ સ્થિર રહેતાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે. પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાંથી હળવી ગતિએ આશરે 4થી 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:57 am

સિટી એન્કર:સ્મીમેરમાં માત્ર દવા-ઈન્જેક્શનથી હાર્ટએટેકના દર્દીની સારવાર સ્ટેન્ટ પણ મૂકવું ન પડ્યું, ગોલ્ડન અવર્સમાં દાખલ થવાનો લાભ

વરાછાના 58 વર્ષીય આધેડને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુ:ખાવો થતાં સ્મીમેરમાં લવાયા હતા. તેમના પલ્સ અને બ્લડ પ્રેશર આવતા ન હતા, જેથી ઈસીજી કરતા તેમને હાર્ટએટેક ચાલી રહ્યો હોવાનું નિદાન થયું હતું. સાથે જ હૃદયના નીચેના ભાગમાં કાર્ડિયોજનિક શોક, ફેફસાંમાં પાણી તેમજ અગાઉથી હૃદયરોગનો ઈતિહાસ હોવાનું નિદાન થયું હતું. દર્દીને પહેલાં સ્ટેન્ટ મૂકી હતી અને બે વખત એટેક પણ આવી ચૂક્યો હતો. દર્દીનું ઓક્સિનજ લેવલ ઓછું હતું અને બીપી પણ ઝીરો હોવાથી તાત્કાલિક બાઈપેપ પર સારવાર શરૂ કરાઈ હતી. બ્લડ પ્રેશર જાળવવા લોડિંગ દવા અને ઈન્જેક્શન અપાયાં હતાં. ગોલ્ડન અવર્સમાં અપાયેલી યોગ્ય, ઝડપી અને સંયોજિત સારવારના પરિણામે દર્દીની હાલતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. હાલ દર્દી સંપૂર્ણપણે સ્થિર છે. તમામ દવાઓ બંધ કરવામાં આ‌વી છે અને બાઈપેપ સપોર્ટ પણ દૂર કરવામાં આવ્યો છે. દવાઓથી તેમની ધમનીમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર થઈ ગયો હતો અને બ્લોકેજ ક્લિયર થઈ જતાં ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું હતું. (ભરત સૂર્યવંશી સાથે થયેલી વાતચીત મુજબ) ભાસ્કર ફર્સ્ટ પર્સન એન્જિયોગ્રાફીમાં હૃદયની ધમની સામાન્ય, લોહીનો ગઠ્ઠો તૂટી ગયો એન્જિયોગ્રાફીમાં ધમનીઓ ફરી ખુલ્લી થઈ ગઈ હતી અને લોહીનો ગઠ્ઠો તૂટી ગયો હતો, જેથી સ્ટેન્ટ મૂકવાની જરૂર રહી ન હતી. ડો. વિપુલ શ્રીવાસ્તવ, ડો. અશોક ચૌધરી, ડો. પૂર્વી પટેલ અને ડો. ભાવેશ ગાયકવાડ સહિતની ટીમે સારવાર આપી હતી.- ડો. રોહન શાહ, મેડિસીન

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:35 am

ભાસ્કર એક્સક્લુસિવ:હેરિટેજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ પોટેન્શિયલને સાંકળી ગ્લોબલ ટૂરિઝમ માસ્ટર પ્લાન બનાવાશે

સુરત હવે પ્રવાસન ક્ષેત્રે પણ આગવી ઓળખ ઊભી કરશે. શહેરના ભવ્ય સાંસ્કૃતિક વારસા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ પોટેન્શિયલને એક તાંતણે બાંધીને રાજ્ય સરકાર અને પાલિકા ઇન્ટિગ્રેટેડ ટૂરિઝમ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરશે, જે અંતર્ગત સુરતને માત્ર બિઝનેસ ડેસ્ટિનેશન નહીં, પણ ફેમિલી હોલિડે સ્પોટ તરીકે વિકસાવવાનું લક્ષ્ય છે. સુરતની ખાણીપીણી અને મહેમાનગતિ તો વખણાય જ છે હવે તેમાં વર્લ્ડ ક્લાસ લોકેશન્સ ઉમેરાશે, જે સ્થાનિક રોજગારીમાં 20% સુધીનો વધારો કરી શકશે. આ પ્લાન આગામી 5થી 10 વર્ષના વિઝનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે, જેથી સુરત ગ્લોબલ ટૂરિઝમ હબ તરીકે પણ વિકસી શકશે. આ પ્લાનમાં હાલના ફરવા લાયક સ્થળોને પણ નવા રંગરૂપ અપાશે, જેમાં કિલ્લો, ડચ ગાર્ડન, નેચરપાર્ક, સાયન્સ સેન્ટર, ગોપી તળાવ, ઇસ્કોન, પાલ ઍક્વેરિયમ, લેક વ્યૂ, ડિંડોલી ફ્લાવર ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. ઐતિહાસિક વારસો-આધુનિકતાનો સંગમ1. તાપી રિવરફ્રન્ટ: તાપીના કિનારે રિક્રિએશનલ ઝોન, ફૂડ કોર્ટ બનાવી સાથે વોટર સ્પોર્ટ્સ પણ વિકસાવાશે.2. હેરિટેજ વૉક: ચોકના કિલ્લાની આસપાસના વિસ્તારને હેરિટેજ સર્કિટ તરીકે જોડીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવાશે.3. શહેરમાં ઐતિહાસિક કિલ્લો, ડચ અને આર્મેનિયન કબ્રસ્તાન જેવી ભવ્ય ધરોહરો આવેલી છે. આ ફરવા લાયક સ્થળોને નવા રંગરૂપ અપાશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી 1.જાહેર પરિવહન: ટૂરિસ્ટ પોઈન્ટ્સને સિટી-BRTS, મેટ્રો સ્ટેશનો સાથે સીધા સાંકળાશે. 2. ડુમસ: દરિયાકિનારે ઇકો-ટૂરિઝમ પાર્ક, વર્લ્ડ ક્લાસ એમ્યુઝમેન્ટ ફૅસિલિટી ઉભી કરાશે. 3. ક્રૂઝ ટૂરિઝમ: હજીરાથી દીવ અને મુંબઈ વચ્ચેની ફેરી સર્વિસને વધુ સુદ્દઢ બનાવાશે. વ્યવસાય અને ટુરિઝમનું ‘બ્લેન્ડિંગ’

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:32 am

સિટી એન્કર:31 દિવસ, 9 ઓપરેશન્સ અને હજારો મુસાફરોની સુરક્ષા: યાત્રિકોને રૂ.2.71 લાખનો સામાન પરત અપાવ્યો, 3 માસૂમોના જીવ બચાવ્યા

રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ જાન્યુઆરી 2026ના માત્ર 31 દિવસમાં સેવાનો અદભુત ઈતિહાસ રચ્યો છે. ‘સેવા હી સંકલ્પ’ અભિયાન હેઠળ RPF એ સુરક્ષાની સાથે માનવીય સંવેદનાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જેણે મુસાફરોના દિલ જીતી લીધા છે. RPFની ટીમે જાન્યુઆરી માસમાં વિવિધ 9 ઓપરેશન્સ દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી છે. RPF એ ‘ઓપરેશન અમાનત’ હેઠળ અસાધારણ તત્પરતા દાખવી સ્ટેશનો અને ટ્રેનમાંથી 26 મુસાફરનો રૂ.2,71,589ની કિંમતનો સામાન શોધી કાઢ્યો અને તેમના અસલી માલિકોને પરત સોંપ્યો હતો. ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 3 ગુમ થયેલા બાળકોને અને ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ 1 વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલાવીને અનેક ઘરોમાં ખુશીઓ પાછી લાવી છે. આમ 31 દિવસમાં 9 ઓપરેશન્સ કરીને હજારો મુસાફરોની સુરક્ષાને પ્રાધન્ય આપ્યું છે. RPFએ આ 9 ઓપરેશન કર્યા : મુસાફરોને નિયમો અને સાવચેતી અંગે જાગૃત કર્યા 1. ઓપરેશન અમાનત : આ અભિયાન હેઠળ સ્ટેશનો અને ટ્રેનમાં છૂટી ગયેલા 26 મુસાફરોનો અંદાજે રૂ.2,71,589ની કિંમતનો સામાન પરત કરાયો. 2. ઓપરેશન નન્હે ફરિશ્તે : 3 ગુમ થયેલા બાળકોને હેમખેમ શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપાયા 3. ઓપરેશન રેલ સુરક્ષા : રેલવે સંપત્તિની ચોરી રોકવા માટે ચલાવવામાં આવેલા અભિયાનમાં 03 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 4. ઓપરેશન સમય પાલન : ગેરકાયદેસર ચેઈન પુલિંગની ઘટનાઓ પર કાર્યવાહી કરતા 49 કેસ નોંધ્યા અને 29 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. 5. ઓપરેશન ઉપલબ્ધ : રેલવે ટિકિટોના કાળાબજારમાં સંડોવાયેલા 01 વ્યક્તિને ઝડપી કાર્યવાહી કરાઈ હતી. 6. ઓપરેશન ડિગ્નિટી : 01 વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. 7. ઓપરેશન યાત્રી સુરક્ષા : મુસાફરોના સામાનની ચોરીના 02 કિસ્સામાં 02 આરોપીની ધરપકડ કરાઈ. 8. ઓપરેશન જીવન રક્ષા : ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પ્લેટફોર્મ-ટ્રેન વચ્ચે ફસાયેલા એક મહિલા બચાવાઈ. 9. ઓપરેશન જનજાગરણ : લોકોને જાગૃત કરવાના હેતુથી રેલવે લાઈન ઓળંગવી નહીં, પથ્થરમારો ન કરવો, નશામુક્તિ, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર જાગૃતિ કાર્યક્રમો કર્યા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:27 am

મંડે પોઝિટીવ:978 આંગણવાડીની થશે કાયાપલટ, દીવાલોના રંગબેરંગી ચિત્રો અને અંકો ભૂલકાંઓને શીખવશે વાર્તા-શિક્ષણના પાઠ

નાના બાળકોના પાયાના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ રાજકોટ જિલ્લામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હવે આંગણવાડીના ઓરડા માત્ર ચાર દીવાલો નહીં, પણ બાળકો માટે રમતાં-રમતાં શીખવાનું જીવંત માધ્યમ બની રહ્યા છે. જિલ્લાની 978 આંગણવાડીમાં સુવિધા અને બ્યુટીફિકેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેનાથી આંગણવાડીઓ સ્માર્ટ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી બની રહી છે. આ નવીનીકરણની સૌથી આકર્ષક બાબત Building as Learning Aid (BaLA) પેઇન્ટિંગ છે. આ ટેક્નિક દ્વારા આંગણવાડીની દીવાલો પર શૈક્ષણિક ચિત્રો, મૂળાક્ષરો, અંકો અને રંગબેરંગી આકૃતિઓ દોરવામાં આવે છે. આનાથી બાળકોને કુતૂહલ જાગે છે અને તેઓ રમતગમતમાં ઘણું શીખી શકે છે. ‘ભૂલકાંઓને હવે ભણવું ગમશે અને આંગણવાડીમાં આવવું ગમશે’ એ ઉક્તિ અહીં સાર્થક થતી જોવા મળે છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને સફળ બનાવવા વિવિધ સ્રોતોમાંથી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની નવીનીકરણ ગ્રાન્ટ, જિલ્લા સ્વભંડોળની બ્યુટીફિકેશન ગ્રાન્ટ અને PGVCL CSR ગ્રાન્ટ આ સંયુક્ત પ્રયાસોથી અત્યાર સુધીમાં 164 આંગણવાડીમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે અન્ય કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે. 16 ફેબ્રુઆરી 2026 દરમિયાન ચાલનારી આ એક માસની ઝુંબેશ રાજકોટના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો નાખશે. આ પરિવર્તનથી વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે તેમના સંતાનો હોંશે-હોંશે આંગણવાડીએ જશે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન : આંગણવાડીમાં ક્રિએટિવિટી, આત્મવિશ્વાસ, સમૂહ ભાવના શીખશે

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:24 am

જળપ્રવાસ ઝડપી અને સહેલો બનશે:રો-રો જેટ્ટીના લીધે બોરીવલીથી ગોરાઈ હવે ફક્ત 15 મિનિટમાં

બોરીવલી અને ગોરાઈ દરમિયાનનો જળપ્રવાસ ટૂંક સમયમાં ઝડપી અને સહેલો થશે. અત્યારે આ માર્ગ પર એકથી દોઢ કલાક જેટલો સમય લાગે છે. નવી રો-રો જેટ્ટીના લીધે આ પ્રવાસ ફક્ત 15 મિનિટમાં પૂરો થશે. થોડા મહિના પહેલાં આ પ્રકલ્પનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને હવે જેટ્ટીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બોરીવલીથી ગોરાઈ માર્ગ પર રોજગાર, રોજિંદા પ્રવાસ અને પર્યટન માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અવરજવર કરે છે. આખો દિવસ ફેરી ચાલુ રહે છે અને ભાડું ફક્ત 10 થી 15 રૂપિયા હોવાથી ગોરાઈ બીચ જતા પર્યટકો માટે આ સસ્તો વિકલ્પ છે. જો કે પ્રવાસ માટે લાગતો લાંબો સમય મુખ્ય સમસ્યા હતી. આ અડચણ દૂર કરવા રો-રો ફેરીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જેટ્ટી શરૂ થયા પછી પ્રવાસીઓ અને વાહનો માટે વધુ જગ્યા ઉપલબ્ધ થશે. પર્યટકોની સંખ્યા વધવાથી સ્થાનિક વ્યવસાય અને રોજગાર પણ વધશે એવી માહિતી ગોરાઈ ગાવઠાણ પંચાયતના સભ્ય જણાવે છે. નાગરિકોની માગણી: દરમિયાન કેટલાક સ્થાનિક રહેવાસીઓએ આ પ્રકલ્પ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ગોરાઈના સાંકડા અને અકસ્મતાની શક્યતાવાળા રસ્તા પર તેઓ ધ્યાન ખેંચે છે. તેથી રસ્તા પહોળા કરવાની માગણી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સાગરી મંડળે રો-રો પ્રકલ્પ અમલમાં મૂક્યો છે તો મુંબઈ મહાપાલિકાએ મેનગ્રોવ્ઝને નુકસાન ન થાય એ રીતે રસ્તા પહોળા કરવાનો વિચાર કરવો જોઈએ એવો મત વ્યક્ત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:11 am

કોપીમુક્ત ઝુંબેશ:હવે પરીક્ષા કેન્દ્રના 500 મીટર પરિસરમાં ઝેરોક્સની દુકાનો બંધ

બારમા ધોરણની પરીક્ષાઓ મંગળવાર 10 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ પરીક્ષા શાંત, તાણમુક્ત અને કોપીમુક્ત વાતાવરણમાં પાર પડે એ માટે રાજ્ય પ્રશાસને કઠોર ઉપાયયોજના કરવાનો નિર્ણય લીધો છે. એના અંતર્ગત પરીક્ષાના સમયગાળામાં દરેક પરીક્ષા કેન્દ્રની આસપાસ 500 મીટર પરિસરમાં ઝેરોક્સની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્દેશ રાજ્ય મંડળે આપ્યો છે. પ્રશ્નપત્રિકા લીક થવું, કોપીની સામગ્રી પૂરી પાડવા જેવી બાબતો પર અંકુશ આવે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બારમા અને દસમા ધોરણની પરીક્ષા પારદર્શક, કોપીમુક્ત પાર પડે એ માટે રાજ્યસ્તરે સમન્વય, નિયંત્રણ અને અસરકારક અમલબજાવણી માટે રાજ્ય મંડળ તરફથી સ્વતંત્ર શિક્ષણ આયુક્તની અધ્યક્ષતા હેઠળ સ્વતંત્ર રાજ્યસ્તરીય વિજિલન્સ સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિના માર્ગદર્શન હેઠળ જિલ્લાસ્તરીય વિજિલન્સ સમિતિઓને આ ઝુંબેશની જવાબદારી સોંપવામાં આવી છે. એ અનુસાર બારમા અને દસમા ધોરણના પરીક્ષા કેન્દ્રોમાં કોપી કરવા પર અંકુશ આવે એ માટે પરીક્ષા કેન્દ્રના ઠેકાણાથી 500 મીટર પરિસરની ઝેરોક્સની તમામ દુકાનો પરીક્ષાના સમયગાળામાં બંધ રાખવાનો નિર્દેશ રાજ્ય સમિતિને આપવામાં આવ્યો છે. રાજ્યસ્તરીય સમિતિમાં તમામ પરિક્ષેત્રના વિશેષ પોલીસ મહાનિરીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:10 am

પાણીકાપ:10 ફેબ્રુઆરીએ બાન્દરા-ખારમાં પાણી પુરવઠો બંધ

મુંબઈમાં મંગળવારે 10 ફેબ્રુઆરીના કેટલાક ભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે. મુંબઈ મહાપાલિકાએ નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની હાકલ કરી છે. મુંબઈના અનેક ભાગમાં પાણી કાં તો પૂર્ણપણે બંધ રહેશે અથવા ઓછા દબાણથી આવશે. એ દષ્ટિએ નાગરિકોએ તકેદારી લેવી એવી હાકલ મહાપાલિકા પ્રશાસને કરી છે. મુંબઈ મહાપાલિકાએ બાન્દરા પશ્ચિમ ખાતે 900 મિમી વ્યાસની પાઈપલાઈનના ગળતરનું રિપેરીંગ કામ હાથમાં લીધું છે. તેથી 10 ફેબ્રુઆરીના સવારના 10 થી મધરાતે 12 વાગ્યા સુધી ચૌદ કલાક સુધી પાણી પુરવઠો બંધ રહેશે. કેટલાક ભાગમાં પાણી પુરવઠો પૂર્ણપણે બંધ રહેશે અથવા કેટલાક ઠેકાણે ઓછા દબાણથી આવશે. પાલીહિલ જળાશયની 900 મિમી ઈનલેટ પાઈપલાઈનમાં ગળતર થતું હોવાનું જણાયું છે. તેથી એ રિપેર કરવું જરૂરી છે. આ કામ બાન્દરા પશ્ચિમના કુરેશીનગર ઝૂંપડપટ્ટી નજીકની એમએચએડીએના ખુલ્લા ભૂખંડમાંથી તેમ જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીકની પાઈપલાઈનમાં કરવામાં આવશે. આ રિપેરીંગના લીધે એચ પશ્ચિમ વોર્ડના મોટા ભાગના પરિસરના પાણી પુરવઠા પર અસર થશે. બાન્દરા પશ્ચિમના હિલ રોડ, પાલી હિલ, કાર્ટર રોડ, સેંટ એન્ડ્ર્યુઝ રોડ, પાલી ગાવ, ચિંબઈ, શેર્લી ગાવ, કાંતવાડી તેમ જ ખાર દાંડા, કોલીવાડા, દાંડા પાડા, ચુઈમ ગાવઠાણ, ખાર પશ્ચિમનો કેટલોક ભાગ, માઉન્ટ મેરી પરિસર, કે.સી. રોડ, બજાર રોડ, પાલી માલા, કોલ ડોંગરી, નરગીસ દત્ત રોડ પરિસરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:09 am

તોડફોડ:વંચિત બહુજન આઘાડીનાં કાર્યકરો દ્વારા બિલ્ડર સુશીલ રહેજાની ઓફિસમાં ભાંગફોડ

પ્રકાશ આંબેડકરના નેતૃત્વ હેઠળની વંચિત બહુજન આઘાડીના કાર્યકરોએ બિલ્ડર સુશીલ રહેજાને પાઠ ભણાવ્યો છે. રહેજાએ એક મરાઠી યુવાન સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેને ઘાટી કહીને સંબોધ્યો હતો. આ માટે વંચિતની મહિલા કાર્યકરો બિલ્ડરની ઓફિસમાં ધસી ગઈ હતી અને ભાંગફોડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને લઈ રહેજાને રીતસર ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. થોડા દિવસો પહેલાં રહેજાએ તેને ત્યાં નોકરી કરતા બૌદ્ધ યુવાન રાહુલ જાધવ સાથે નજીવા કારણોસર જાતિગત દુર્વ્યવહાર કર્યો હતો. ઓફિસમાં બધા સ્ટાફની સામે તેને અપમાનિત કર્યો હતો. આ અંગે વંચિત બહુજન આઘાડીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. મુંબઈના ગોવંડી પોલીસ સ્ટેશનમાં રાહજા બિલ્ડર વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી આરોપી રહેજા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. આ અંગે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.રહેજા શનિવારે ચેમ્બુર સ્થિત પોતાની ઓફિસમાં હતા. આ અંગેની જાણ થતાં વંચિત બહુજન મહિલા આઘાડીનાં મુંબઈ પ્રદેશ અધ્યક્ષ સ્નેહલ સોહની અને વંચિત બહુજન યુવા આઘાડીના સાગર ગવઈ તેમની ઓફિસે ધસી ગયાં હતાં. રહેજા તેમની ઓફિસથી નીકળી ગયા, જે કાર્યકરોએ ભાંગફોડ કરી હતી.પીડિત રાહુલ જાધવ બિલ્ડર સુશીલ રહેજા માટે કામ કરતો હતો. ઘટનાના દિવસે, દસ્તાવેજો યોગ્ય રીતે સ્ટેપલ ન કર્યા હોવાથી ગુસ્સામાં રહેજાએ રાહુલને ઠપકો આપ્યો. આ પછી તુમ ઘાટી, જય ભીમવાલે લોગ કભી સુધરેગા નહીં જેવા વિવાદાસ્પદ અને જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું. મનસે નવી મુંબઈના પ્રમુખ ગજાનન કાળેએ પણ આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને ભાજપ પર નિશાન સાધ્યું.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:08 am

મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું:લોકલમાં બુરખો પહેરીને શંકાસ્પદ વ્યક્તિ મહિલાઓના ડબ્બામાં ઘૂસી

મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ફરી એક વાર સામે આવ્યો છે. મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં મહિલાઓ માટે અનામત ડબ્બામાં બુરખો પહેરેલી એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસી હઈ હતી, જેનાથી મહિલા મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું. મુસાફરોને શંકા જતાં તેમણે તેને પકડી લીધો અને તેનો વિડિયો પણ બનાવ્યો, પરંતુ ઘાટકોપર સ્ટેશન પહોંચતાંની સાથે જ તે ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી લોકલમાંથી કૂદીને ભાગી ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનમાં બની હતી. મુસાફરોએ મહિલા ડબ્બામાં બુરખો પહેરેલી એક વ્યક્તિને બેઠેલી જોઈ. બુરખો પહેરેલી વ્યક્તિ જાણીજોઈને ડબ્બામાં અન્ય મહિલાઓને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે પુરુષની હિલચાલ શંકાસ્પદ લાગતાં, મહિલાઓએ તેને ઘેરી લીધો અને તેની પૂછપરછ શરૂ કરી. કેટલીક મહિલાઓએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી. જોકે ટ્રેન ઘાટકોપર પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં તે વિરુદ્ધ દિશામાં કૂદી ગયો અને આગળ પાર્ક કરેલી કર્જત ફાસ્ટ લોકલમાં ચઢી ગયો અને ભાગી ગયો.આ ઘટના બાદ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક મુલુંડ અને થાણે સ્ટેશનો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ આરોપી હાથ લાગ્યો નથી. આ કેસમાં ઘાટકોપર RPF એ રેલવે એક્ટની કલમ 162 હેઠળ કેસ નોંધ્યો છે. કુર્લા જીઆરપીના વરિષ્ઠ અધિકારી સંભાજી યાદવના જણાવ્યા અનુસાર, ગયા મહિને આંબિવલી સ્ટેશન પર બુરખો પહેરેલી એક વ્યક્તિ દ્વારા ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. કલ્યાણ જીઆરપીમાં આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ બંને ઘટનાઓમાં સામેલ વ્યક્તિ એક જ છે કે નહીં.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:05 am

ફેરિયા સામે 'એમ્બ્યુલન્સ' સ્ટંટ:નેતાએ એમ્બ્યુલન્સ ચલાવતા વિવાદ

દાદરના વ્યસ્ત બજાર વિસ્તારમાં ફેરિયાઓ સામે વિરોધ પ્રદર્શન કરતી વખતે ભાજપ મુંબઈના પદાધિકારી અક્ષતા તેંડુલકર પર કટોકટી સેવાઓનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપો છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિ વિના અને એમ્બ્યુલન્સમાં દર્દી વિના, ફક્ત પ્રચાર માટે સાયરન વગાડીને એમ્બ્યુલન્સ ચલાવતો તેમનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો છે, જેનાથી કાનૂની મુશ્કેલી ઊભી થઈ છે. દાદર બજારમાં ફેરિયાઓની સમસ્યા સામે ભાજપના કાર્યકરો વિવિધ રીતે વિરોધ કરી રહ્યા છે. અક્ષતા તેંડુલકર છેલ્લાં કેટલાંક વર્ષોથી દાદર વિસ્તારમાં ફેરિયાઓ સામે પણ વિરોધ કરી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે તેણે દાદરમાં એક ફેરિયાને બાંગ્લાદેશી હોવાની શંકા પરથી માર માર્યો હતો. ત્યાર બાદ, તેણે ફેરિયાઓ દ્વારા થતી ટ્રાફિકજામ બતાવવા માટે પોતાની મુસાફરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે અક્ષતા તેંડુલકર અને તેના કેટલાક કાર્યકરો એમ્બ્યુલન્સમાં બેઠા છે અને એમ્બ્યુલન્સ તેના સાયરન વગાડતા ભીડમાંથી પસાર થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નહોતો કે કોઈ મેડિકલ ઇમરજન્સી નહોતી.ટ્રાફિક નિયમો અનુસાર, જ્યારે એમ્બ્યુલન્સમાં દર્દી હોય અથવા કટોકટી સેવાની જરૂર હોય ત્યારે સાયરનનો ઉપયોગ કરવાની મંજૂરી છે. જોકે, રાજકીય આંદોલન અથવા વ્યક્તિગત કામ માટે સાયરનનો ઉપયોગ કાયદા હેઠળ ગુનો છે. નાગરિકો ટીકા કરી રહ્યા છે કે કટોકટીના માર્ગોનો આવો ઉપયોગ સાચા દર્દીઓના જીવનને જોખમમાં મૂકી શકે છે.મુંબઈ ટ્રાફિક પોલીસે આ વાઈરલ વિડિયોની નોંધ લીધી છે અને પુરાવાના આધારે, અક્ષતા તેંડુલકર અને સંબંધિત ડ્રાઈવર સામે દંડાત્મક કે કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ હોવાની માહિતી આપવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:04 am

સિટી એન્કર:મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મિસિંગ લિન્ક 1 મેથી વાહનો માટે શરૂ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળવાર 3 ફેબ્રુઆરીના ગેસ ટેન્કર પલટી થવાથી હાઈવે લગભગ 32 કલાક સુધી જામ રહ્યો હતો. એના લીધે વાહનચાલકો, પ્રવાસીઓએ સખત હેરાનગતિ ભોગવવી પડી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિન્કનું કામ પૂરું થયું હોવા છતાં આ રોડ વાહનવ્યવહાર માટે બંધ છે. એ ચાલુ હોત તો ટ્રાફિકજામ ટાળી શકાયો હોત એમ જણાવવામાં આવે છે. જો કે આ મિસિંગ લિન્ક પ્રકલ્પમાં ઘણો વિલંબ થયો છે. હવે આ પ્રકલ્પ ઝડપથી પૂરો કરવાનો આદેશ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી તથા નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળને આપ્યો છે. તેથી હવે એમએસઆરડીસીએ આ પ્રકલ્પને ઝડપી કર્યો છે અને 1 મે વાહનવ્યવહાર માટે મિસિંગ લિન્ક શરૂ કરવાનું નિયોજન કર્યું છે. આ પ્રકલ્પનું અત્યાર સુધી 95 ટકાથી વધુ કામ પૂરું થયું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા અને મુંબઈથી પુણેનો પ્રવાસ વધુ ઝડપી કરવા એમએસઆરડીસીએ ખપોલીથી કુસગાવ 13.3 કિલોમીટરનો નવો રોડ બાંધવાનો નિર્ણય લીધો. આ રોડ એ જ મિસિંગ લિન્ક છે. એના કામની 2019માં બે તબક્કામાં શરૂઆત કરવામાં આવી. આ કામ 2021માં પૂરું થઈને રોડ શરૂ થવો અપેક્ષિત હતું. જો કે અનેક કારણોસર આ પ્રકલ્પમાં વિલંબ થયો અને હજી પણ વાહનવ્યવહાર માટે શરૂ થયો નથી. આ રોડ સમયસર તૈયાર થઈને વાહનવ્યવહાર માટે શરૂ થયો હોત તો 32 કલાકનો ટ્રાફિકજામ ટાળી શકાયો હોત એમ જણાવવામાં આવે છે. મિસિંગ લિન્ક રોડના લીધે વાહનચાલકોને એક જુદો વિકલ્પ મળ્યો હોત અને વાહનવ્યવહારમાં કોઈ અડચણ ઊભી ન થાત. તેથી મિસિંગ લિન્ક પ્રકલ્પમાં વિલંબ થવા માટે એમએસઆરડીસી પર ટીકા થઈ રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પણ એના પર નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારની ઘટના પછી તેમણે મિસિંગ લિન્કનું કામ વહેલાસર પૂરું કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પછી એમએસઆરડીસીના અધિકારીઓએ મિસિંગ લિન્કનું કામ વધુ ઝડપી કરવાની દષ્ટિએ પ્રયત્ન શરૂ કર્યા છે. કામની નિરીક્ષણ કરીને હવે અધિકારીઓ કામ પર ઝીણી નજર રાખી રહ્યા છે. બાકીના કામ એપ્રિલ સુધી પૂરા: મિસિંગ લિન્કનું કામ અત્યાર સુધી 95 ટકા પૂરું થયું છે. બાકીના કામ એપ્રિલ સુધી પૂરા કરવામાં આવશે. એ પછી ભાર ઉંચકવાની દષ્ટિએ જે પરીક્ષણ કરવામાં આવે છે એ પૂરા કરવામાં આવશે અને 1 મે આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે એવી માહિતી એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલક અનિલકુમાર ગાયકવાડે આપી હતી. આ રોડ શરૂ થશે પછી હાઈવે પરનો ઘાટ પૂર્ણપણે ટાળી શકાશે. 6 કિમી અંતર ઓછું થશેમિસિંગ લિન્ક રોડ શરૂ થશે એટલે એક્સપ્રેસ વે પર 6 કિલોમીટર જેટલો પ્રવાસ ઓછો થશે અને 30 મિનિટની બચત થશે. મહત્વની વાત એટલે આ રોડ પર વિસ્ફોટકો, જ્વલનશીલ પદાર્થો લઈ જતા વાહનો માટે બંધી મૂકવામાં આવશે. તેથી આ રોડ પ્રવાસ વધુ સુરક્ષિત થશે. વાયુ ગળતર કે ગળતરના કારણે વિસ્ફોટ જેવી દુર્ઘટનાનો ડર નહીં હોય. મિસિંગ લિન્ક અતિઝડપી પ્રવાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. 1 મેના આ રોડ શરૂ થશે એટલે વાહનચાલકોને ઘણી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:03 am

અકસ્માતોની સંખ્યા ઓછી કરવા પરિવહન વિભાગ કટિબદ્ધ:રાજ્યમાં 2030 સુધી અકસ્માતની સંખ્યામાં 50% ઘટાડો કરવાનો ઉદ્દેશ

છેલ્લા બે વર્ષની સરખામણીએ રાજ્યમાં અકસ્માતની સંખ્યા 332 વધી છે અને અકસ્માતમાં મૃત્યુ પામનારાની સંખ્યામાં 1.05 ટકા ઘટાડો થયાની માહિતી પરિવહન વિભાગે આપી છે. રાજ્યમાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા પરિવહન વિભાગ જુદી જુદી ઉપાયયોજના કરે છે. એમાં ઓટોમેટિક વાહન તપાસ કેન્દ્ર, ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ સેંટર, એકાત્મિક પરિવહન વ્યવસ્થા પ્રણાલી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એના દ્વારા રાજ્યમાં 2030 સુધી અકસ્માત 50 ટકા ઓછા કરવાનો ઉદ્દેશ પરિવહન વિભાગે રાખ્યો છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં રાજ્યમાં 36 હજાર 118 અકસ્માત થયા હતા. આ અકસ્માતમાં 15 હજાર 715 જણના મૃત્યુ થયા હતા. જાન્યુઆરીથી ડિસેમ્બર 2025ના સમયગાળામાં રાજ્યમાં 36 હજાર 450 અકસ્માત થયા જેમાં 15 હજાર 541 જણના મૃત્યુ થયા. ગયા વર્ષની સરખામણીએ 2025માં 332 અકસ્માત વધારે થયા. લગભગ 0.91 ટકા પ્રમાણ વધ્યું. 2025માં અકસ્માતથી મૃત્યુમાં 166નો ઘટાડો થયો અને આ પ્રમાણ 1.05 ટકા છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર જાન્યુઆરીથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં 74 અકસ્માત અને 90 મૃત્યુ થયા તો 2025ના આ જ સમયગાળામાં 60 અકસ્માત અને 68 મૃત્યુ થયા. ગયા વર્ષની સરખામણીએ 2025માં 14 અકસ્માત ઓછા થયા અને આ પ્રમાણ લગભગ 19 ટકા છે. અકસ્માતમાં 22 મૃત્યુ ઓછા થયા અને આ પ્રમાણ 24 ટકા ઘટ્યું છે. રાજ્યમાં રસ્તા સુરક્ષા માટે પરિવહન વિભાગ મારફત અમલમાં મૂકવામાં આવતી ઉપાયયોજનાના હકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. ડિસેમ્બર 2025ના આંકડાઓ અનુસાર રાજ્યમાં અકસ્માતે મૃત્યુની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ 1.05 ટકાનો ઘટાડો થયો છે. તેમ જ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માતથી મૃત્યુના પ્રમાણમાં 24 ટકાનો ઘટાડો થયો છે. રસ્તા સુરક્ષા ઉપાયને લીધે રાજ્યના અનેક જિલ્લાઓમાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયાનું જણાયું છે એવી માહિતી પરિવહન વિભાગના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. 19 ટકાનો ઘટાડોરાજ્યમાં 53 સરકારી અને 13 ખાનગી ઓટોમેટિક તપાસ કેન્દ્ર, 38 ઓટોમેટિક વેહિકલ ટેસ્ટિંગ રોડ 2026માં શરૂ કરવામાં આવશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક વર્ષથી એકાત્મિક પરિવહન વ્યવસ્થાપન પ્રણાલી શરૂ કરવાથી એક્સપ્રેસ વે પરના અકસ્માતમાં 19 ટકા ઘટાડો થયો છે એવી માહિતી પરિવહન વિભાગે આપી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

ગામ ગામની વાત:કુતિયાણાનુ કંટોલ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થશે‎

આ ગામમાં મોટાભાગના લોકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પોરબંદરથી 48 કિમી દૂર કુતિયાણા તાલુકામાં કંટોલ ગામ આવેલ છે. આ કંટોલ ગામ નાની વસ્તી ધરાવતું અને રળિયામણું ગામ છે. કુતિયાણાના કંટોલ ગામમાં સીસીટીવી કેમેરા માટે પંચાયત ખાતે લખાણ કરવામાં આવ્યું છે. થોડા માસ બાદ આ નાનું ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થશે. ગામમાં ક્રાઇમ રેટ નહીવત છે. ગામના લોકો હળીમળીને સંપથી રહે છે અને દરેક તહેવારોની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી આનંદ માણે છે. કંટોલ ગામમાં પીવાનું પાણી ભાદર નદીનું પાણી આવે છે. કંટોલ ગામના મોટાભાગના લોકો મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. મજૂર વર્ગ વધુ છે અને કડિયાકામ, ખેતરમાં મજૂરીકામ કરે છે. ઉલ્લેખનીય છે કે, સરપંચ દ્વારા કંટોલ ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા પંચાયત ખાતે દરખાસ્ત મૂકી છે અને આવનારા મહિનાઓમાં નાનું એવું કંટોલ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બની જશે. ગામમાં ક્રાઈમ રેટ નહીવત છે. ગામમાં શું સુવિધા છે?કંટોલ ગામમાં પીવાના પાણીની પૂરતી સુવિધા છે. ભાદર નદીનું પાણી આવે છે, ગામમાં રસ્તા સારા છે અને ગલીઓમાં પેવર બ્લોક પાથરેલ છે. આંગણવાડી અને સ્કૂલ આવેલ છે. હજુ સુવિધામાં વધારો કરાશે.> રંભુબેન જાદવભાઈ મોરી, સરપંચ, કંટોલ ગામ

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

દેગામ સહિત વિસ્તારોની સુવિધામાં થશે વધારો‎:ગ્રામ્ય પંથકમાં વોકળા ઊંડા ઉતારવાના કામોનો પ્રારંભ

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકના દેગામ, સીમાણી, ભારવાડા, બખરલા અને બેરણ સહિતના ગામોમાં વોકળા ઉડા ઉતારવાના રૂ.1.73 કરોડના કામનો કેબિનેટમંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. પોરબંદર જિલ્લામાં જળસંચયના સ્તરને મજબૂત કરવાના હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સિંચાઈ અને પાણીની સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ અંતર્ગત રૂ. 23 લાખના ખર્ચે લાવડીયા દેગામ વોકળાને ઊંડો ઉતારવાના કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જ્યારે રૂ. 150 લાખના ખર્ચે મસાણીયા વોકળાને ઊંડો કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજે કુલ રૂ. 173 લાખના ખર્ચે હાથ ધરાનારી આ કામગીરીને કારણે ચોમાસામાં પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. આ પ્રોજેક્ટનો સીધો લાભ દેગામ, સીમાણી, ભારવાડા, બખરલા અને બેરણ સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને મળશે, જેનાથી ખેડૂતોને સિંચાઈની સુવિધામાં મોટી રાહત થશે. વોકળા ઊંડા ઉતારવાના કાર્યથી જળ સંચય થશે વર્તમાન સમય ખેડૂતોની સમૃદ્ધિનો છે અને સરકાર તેમના સર્વાંગી વિકાસ માટે અવિરત કામ કરી રહી છે. તાજેતરમાં કમોસમી વરસાદ (માવઠા) ને કારણે જગતના તાત પર આવી પડેલી મુશ્કેલીઓ સમયે સરકારે સંવેદનશીલતા દાખવીને ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે, જે ખેડૂતો માટે મોટું આર્થિક પીઠબળ સાબિત થયું છે. ગામના વોકળાઓ ઊંડા ઉતારવાના કાર્યથી જળ સંચય થશે, જેના સીધા પરિણામે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે અને ખેતી તેમજ પશુપાલન જેવા વ્યવસાયો વધુ સમૃદ્ધ થશે. > અર્જુનભાઇ મોઢવાડીયા, કેબિનેટમંત્રી

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

કરુણાંતિકા સર્જાઈ:ઓડદરના દરિયામાં એલઇડી લાઇટ ચાલુ રાખી ગેરકાયદેસ ફિશીંગ કરતી બોટ ઝડપાઈ

સમુદ્રમાં લાઇન ફિશીંગ, લાઈટ ફિશીંગ, ઘેરા ફિશીંગ કરવા પર પ્રતિબંધ છે ત્યારે સમુદ્રમાં લાઈટ ફિશીંગ કરતી બોટ સામે હાર્બર મરીન પોલીસે કાર્યવાહી કરી 2 શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. આ ઘટનાની મળતી વિગત અનુસાર, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના હેઠળ ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા આપેલ સૂચના અનુસંધાને હાર્બર મરીન પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાઈ હતી. ચેકીંગ દરમ્યાન ઓડદર સામે દરિયામાં સફર 4 નામની બોટ IND GJ 37 MO 2788માં અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે લાઇટ ફીશીંગ કરતા મળી આવતા આ બોટના મુસા હુસૈન ભેંસલીયા અને અસગર મૂસા ભેંસલીયા વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

કરુણાંતિકા સર્જાઈ:તલાવડીમાં પડતા અસ્થિર મગજની કિશોરીનું મૃત્યુ

રાણાવાવના રાણા વડવાળા ગામે સીમ વાડીમાં એક ખેત તલાવડીમાં પડી જતા ડૂબી જવાથી અસ્થિર મગજની કિશોરીનું મોત નીપજતા તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. મૂળ રાણાવાવના બાપોદર ગામે રહેતી અને હાલ વડવાળા ગામની ભાડી સીમમાં રહેતી ગીતા નવઘણભાઈ મકવાણા નામની 16 વર્ષીય કિશોરી જન્મથી માનસિક અસ્થિર મગજની હોય અને તેણીને જન્મથી તાણ આંચકી બીમારી હતી. આ કિશોરીતા.6/2ના રોજ ઘરેથી નીકળી હતી અને સરમણ વેજા મકવાણાની વાડીમાં આવેલ ખેત તલાવડીના પાણીમાં પડી જતા ડૂબી જવાથી આ કિશોરીનું મોત થયું હતું. આ બનાવ અંગે નવઘણ પરબતભાઇ મકવાણાએ પોલીસ ચોપડે જાહેર કર્યું છે. આ કિશોરીના મોતના બનાવથી તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. કિશોરીના મોત અંગે વધુ તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

સુરખાબ નગરી પોરબંદર:સાત સમુદ્ર પારના મહેમાન સુરખાબ પક્ષીઓનું પિયર એટલે પોરબંદર

પોરબદરને સુરખાબીનગરી તરીકે પણ ઓળખાઈ છે ત્યારે આ પોરબંદરમાં અનેક પ્રજાતીના વિદેશી આવે છે.ત્યારે સાત સમુદ્ર પારના મહેમાન સુરખાબ પક્ષીઓનું પિયર એટલે પોરબંદર કહેવાય છે. પોરબંદરના હૃદયમાં ધબકતો પર્યાવરણીય વારસો વાગોળતા વન વિભાગના પૂર્વ અધિકારી અને વર્તમાન સંત સ્વામી પરમાત્માનંદ ગિરીજી કરી હતી. કહેવાય છે કે પક્ષીઓને કોઈ સરહદ નડતી નથી, તેમને તો માત્ર પ્રેમ અને સુરક્ષાની ભાષા સમજાય છે. જ્યારે હજારો માઈલ દૂર યુરોપના બરફીલા પ્રદેશોમાંથી ઊડીને પક્ષીઓ પોરબંદરના આંગણે ઉતરે છે, ત્યારે તે માત્ર એક સ્થળાંતર નથી રહેતું, પણ પ્રકૃતિ અને માનવ વચ્ચેના અતૂટ સંબંધની સાક્ષી પૂરે છે. પોરબંદરનો આ કુદરતી વારસો અને તેને સાચવવા માટે સરકાર દ્વારા થઈ રહેલા ભગીરથ પ્રયાસોની વાત જ્યારે વન વિભાગના પૂર્વ અધિકારી અને વર્તમાન સંત સ્વામી પરમાત્માનંદ ગિરીજીના મુખેથી સાંભળવા મળે, ત્યારે તેમાં વહીવટી અનુભવ અને આધ્યાત્મિક સંવેદનાનો સંગમ જોવા મળે છે. સન્યાસ પૂર્વે વન વિભાગમાં 28 વર્ષ સુધી અધિકારી તરીકે સેવા આપનાર સ્વામી પરમાત્માનંદ ગિરીજીએ પોરબંદરના પર્યાવરણને અત્યંત નજીકથી નિહાળ્યું છે. તેઓ જણાવે છે કે પોરબંદર જિલ્લો કુદરતી વિરાસતથી અત્યંત સમૃદ્ધ છે. એક તરફ બરડા ડુંગરનું જંગલ છે, જ્યાં હવે એશિયાટિક સિંહોનુ પણ પુન: વસવાટ થયુ છે, જે આ વિસ્તાર માટે ગૌરવની વાત છે.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

એક દીકરીને રૂ.દોઢ લાખનું કરિયાવર, કપલ ટુરનું પણ આયોજન‎‎:ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજના સમૂહલગ્નમાં 17 દીકરીઓને 25 લાખનું કરિયાવર અપાયું

ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા સામૂહિક લગ્નની પરંપરા યથાવત રાખતા પાલનપુરના ચડોતર સ્થિત પંચાલ વાડીમાં સમાજનો 34મો સમૂહલગ્નમાં 17 નવયુગલોએ વૈદિક વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્ન સમિતિ દ્વારા દરેક નવદંપતિને અંદાજે રૂ.1.50 લાખનું કુલ રૂપિયા 25 લાખનું કરિયાવર આપવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ચડોતર ગામે પંચાલ સમાજની વાડીમાં ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજ દ્વારા 34મો સમૂહલગ્નમાં 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. દરેકને ઘરગથ્થુ સામાન સાથે રોકડ ફિક્સ ડિપોઝિટનો સમાવેશ હતો. ઉપરાંત 17 નવયુગલો માટે કપલ ટૂરનું આયોજન કરતાં આ પ્રસંગ વધુ યાદગાર બન્યો હતો. સમારંભના પ્રમુખ તરીકે રાજુભાઈ એન. પંચાલ (રસાણા) ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉદ્ઘાટન રમેશભાઈ એચ. પંચાલ અને કિર્તીભાઈ એચ. પંચાલ (સામઢીવાળા) પરિવાર દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, સમાજને ખોટા ખર્ચાઓ ઘટાડીને બચત શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. સાથે જ તેમણે પોતાની સંસદસભ્ય ગ્રાન્ટમાંથી શૈક્ષણિક હેતુ માટે રૂ.5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. ટ્રસ્ટ તથા પાંચે ગોળના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

જીવંત ઉજવણું:મનોદિવ્યાંગ ભાઈની સંપતિ તેના જ હસ્તે લોક કલ્યાણમાં વાપરી બહેનોએ ભાઈનું ઉજમણું કર્યું

જ્યાં આજનો સમાજ મિલકત અને પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે અને સગા ભાઈ-બહેનો કોર્ટના પગથિયે મિલકત માટે ન્યાય શોધતા ફરે છે, ત્યાં પાટણ જિલ્લાના ચાણસ્મા પાસેના રૂપપુર ગામે પ્રેમ, ત્યાગ અને સમર્પણની એક એવી સરવાણી વહાવી છે.મનોદિવ્યાંગ એવા ભાઈની મિલકત પચાવી પાડવાને બદલે, તેની સંપત્તિ તેના જ માનમાં અને તેના જ હસ્તે લોક કલ્યાણમાં વાપરીને બે બહેનોએ ભાઈનું જે ભવ્ય ‘ઉજમણું’ કર્યું, તે સાચા અર્થમાં 'રક્ષાબંધન' બની રહ્યું. આશરે છ દાયકા વટાવી ચૂકેલા પરસોત્તમભાઈને આખું ગામ 'પસા' તરીકે ઓળખે. તેમની શારીરિક રચના એવી છે કે પ્રથમ નજરે તે દિવ્યાંગ જ લાગે. શરીરનો બાંધો નીચો, ગોળ અને સફેદ ચહેરો. નાનપણથી શારીરિક માનસિક વિકાસ અન્ય કરતાં પ્રમાણમાં ઓછો. પણ વર્ષોથી અબોલ પશુઓને રોટલા અને પંખીઓને ચણ નાખવું એ તેમનો નિત્યક્રમ. એટલું જ નહીં, તેમણે સ્વખર્ચે ગામના તળાવ કિનારે એક સુંદર ચબૂતરો પણ બંધાવ્યો છે. માતા-પિતાના અવસાન પછી બહેનો પાર્વતીબેન અને પુષ્પાબેન તેમજ બનેવી અંબાલાલ પટેલ (સેવાનિવૃત્ત સૈનિક) અને નગીનભાઈ પટેલે પસાભાઈને પિતૃવત્ પ્રેમ આપીને પોતાની સાથે રાખ્યા છે. બહેન-બનેવીએ પરસોતમભાઈ પાસે જે કંઈ બચત અને સંપત્તિ હતી તે તેમના માટે જ વાપરવાનો નિર્ણય કર્યો અને તેમનું જીવંત ઉજવણું કરવાનું આયોજન કર્યું.

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am

મનપાના બજેટમાં ₹938 કરોડના વિકાસ કાર્યો:25% પૂર્ણ, 50% પ્રગતિમાં, 25% કાગળ પર

મહેસાણા મહાનગરપાલિકાના વર્ષ 2025ના રૂ. 938.06 કરોડના વિકાસકાર્યોમાં શહેરના વિભિન્ન વિસ્તારોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી છે. ઓડિટમાં જાણવા મળ્યું કે, કુલ પ્રોજેક્ટોમાં 25% પૂર્ણ થયા છે, 50% કામો હાલ પ્રગતિમાં છે, અને બાકીના 25% હજી માત્ર યોજના અથવા પેપર વર્ક સ્તરે જ છે. મહાનગરપાલિકા આ વર્ષે શહેરની સુશોભનતા, સ્વચ્છતા અને રોડ ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યારે કેટલાક ગામડાઓમાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હજુ શરૂ થવાના બાકી છે. હજુ નાણાકીય વર્ષ પુરુ થવામાં પોણા બે મહિના બાકી છે,ત્યારે કેટલાક પ્રોજેક્ટ પુરા થશે, કેટલાક શરૂ થશે. મનપાનું પ્રથમ વર્ષ મુખ્યત્વે શહેરના સુશોભન, સ્વચ્છતા અને રોડ ડેવલપમેન્ટ પર વધુ કેન્દ્રિત જોવા મળ્યુ છે.જોકે, પાંચોટ, તળેટી, રામોસણા અને દેદીયાસણ જેવા ભળેલા 14 ગામોના વંચિત સોસાયટી વિસ્તારોમાં હજુ પણ ગટર વ્યવસ્થા ના પ્રોજેક્ટ્સ પેપર વર્ક સ્તરે જ છે. મહત્વના આ પ્રોજેક્ટ- કામ પૂર્ણ થયા ગટરનો રૂ.392 કરોડનો પ્રોજેક્ટ GUDMમાં, પાણીનો રૂ.213 કરોડનો પ્રોજેક્ટ સરકારમાંગટર નેટવર્ક માટે રૂ. 392 કરોડનો માસ્ટર પ્લાન મનપાએ તૈયાર કર્યો છે. શહેરની 200 થી વધુ સોસાયટીઓ આજે પણ ગટર લાઇનના અભાવે શોષ કુવા પર નિર્ભર છે. સમસ્યાના ઉકેલ માટે રૂ. 392 કરોડનો ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ 200 કિ.મી લાઇન નેટવર્ક સહિત જીયુડીએમમાં મોકલાયો છે. જ્યારે પીવાના પાણી માટે નવા પ્રોજેક્ટ્સ હાલમાં મહેસાણામાં 77 એમએલડી પાણીના વપરાશ સામે 56 એમએલડી નર્મદાનું પાણી મળે છે, જ્યારે બાકીનું ટ્યુબવેલ આધારિત મિશ્ર પાણી આપવામાં આવે છે. વર્ષ 2040 સુધી ધ્યાને લઇ રૂ. 213 કરોડના ખર્ચે મોઢેરા કેનાલથી નાગલપુર સુધી નવી કાચુ પાણી લાવવા પાઇપલાઇન પ્રોજેક્ટ પ્રપોઝલ છે. આ પ્રોજેક્ટ ચાલુ મહાત્મા ગાંધી બાગનું રી- ડેવલપમેન્ટ અરવિંદ બાગ રી ડેવલપમેન્ટ મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સ્પેસ મેકિગ તાવડીયા, તળેટી, લાખવડ તળાવ ડેવલપરામોસણા અંડરપાસ નીચે અને મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સ્પેસ મેકિગ મહેસાણામાં 72 કોઠાની વાવ નું મૂળ સ્વરૂપમાં રિસ્ટોરેશન રાધનપુર સર્કલ થી પાંચોટ બાયપાસ આઇકોનિક રોડ મોઢેરા સર્કલ થી બાયપાસ આઇકોનિક રોડ ઝુલેલાલ સર્કલ થી યુજીવીસીએલ, માનવ આશ્રમ આઇકોનિક રોડ સોમનાથ ચોકડી થી માનવ આશ્રમ વિસનગર લિંક આઇકોનિક રોડ તોરણવાળી ચોક હેરિટેજ લુકમાં ડેવલપ 21 પૈકી 10 મોડલ આંગણવાડી તૈયાર 51 પૈકી 25 આંગણવાડી રીનોવેશન માઇક્રો એસટીપી

દિવ્ય ભાસ્કર 9 Feb 2026 4:00 am