મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે મોરબી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. મોરબી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 24 આગેવાનો સામે ભાજપે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ આ તમામ 24 કાર્યકરોને પક્ષમાંથી 6 વર્ષ માટે નિષ્કાસિત (સસ્પેન્ડ) કરવાનો આદેશ કર્યો છે. ટિકિટની ખેંચતાણ અને બળવો મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં 427 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી હતી, જેની સામે પક્ષે 52 ઉમેદવારોની પસંદગી કરી હતી. ટિકિટ ન મળતા અનેક પીઢ આગેવાનો અને તેમના પરિવારજનોએ નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પક્ષ દ્વારા આ આગેવાનોને સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા અંતે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા મુખ્ય આગેવાનોની યાદી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં નગરપાલિકાના 3 પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના 1 પૂર્વ ચેરમેનનો સમાવેશ થાય છે: મોરબી શહેર: દેવા પરબત અવાડિયા (પૂર્વ પ્રમુખ), લલીત કામરીયા (પૂર્વ પ્રમુખ), અનોપસિંહ સાજુભા જાડેજા (પૂર્વ પ્રમુખ). પૂર્વ સભ્યો: આસિફ રહીમ ઘાંચી, રાજેશ ચીમનલાલ રામાવત, નિર્મલા મોરારજી કંઝારીયા, નરેન્દ્ર લાલજી પરમાર અને ગીરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલા. અન્ય આગેવાનો: અમિત દેવા અવાડિયા, વનિતા મુકેશ ગામી, સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા, હરીશ મોતી રાતડીયા અને સીતાબા અનોપસિંહ જાડેજા. વાંકાનેર શહેર: દર્શના વિશાલ સંઘવી, જયશ્રી જયસુખ સેજપાલ અને મીનાક્ષી કાંતિલાલ વોરા. જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો નગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયતની બેઠકો પર બળવો કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ છે: ચંદ્રિકા નથુ કડીવાર (પૂર્વ ચેરમેન, જિલ્લા પંચાયત) અને તેમના પતિ નથુ ભુરા કડીવાર. કેતન રમેશ વિડજા (જુના ઘાટીલા તાલુકા પંચાયત). પ્રવીણ અરજણ અવાડિયા (ખાખરેચી જિલ્લા પંચાયત). કાંતિલાલ નાનજી દેત્રોજા (વેજલપર તાલુકા પંચાયત). ગોરધન પોલા સરવૈયા (કોઠી જિલ્લા પંચાયત). ભાવના ભરત કાંકરેચા અને કાળુ મેરૂ કાંકરેચા (ઢુવા જિલ્લા પંચાયત). યુસુફ મિરાજી શેરસીયા (ચંદ્રપુર જિલ્લા પંચાયત). ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના આ કડક વલણે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જગાવી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સ્તરના નેતાને છોડવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંકેત સંગઠન દ્વારા આપવામાં આવ્યો છે.
રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાજમહેલ રોડ પર નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ વૈદિક વિધિ અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વારાણસી અદ્વૈત આશ્રમના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદ અને રાજકોટ રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં રીબન કાપી તેમજ તકતીનું અનાવરણ કરી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક વાતાવરણસમારોહની શરૂઆતમાં 9 જેટલા સન્યાસીઓ અને ગુજરાત રામકૃષ્ણ ભાવપ્રચાર પરિષદના સભ્યોએ ભક્તો સાથે મંત્રોચ્ચાર વચ્ચે મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પૂજા, હવન અને ભોગ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. સંતોના આશીર્વચનજાહેરસભાને સંબોધતા સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે, ધરમપુરમાં ઠાકુરના આગમનથી આ સ્થાન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. અહીં પ્રાર્થના અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થશે. ઉદ્ઘાટક સ્વામી વિશ્વાત્માનંદે ઉમેર્યું હતું કે, રામકૃષ્ણ પરમહંસના દ્વાર તમામ ધર્મના લોકો માટે ખુલ્લા છે અને અહીંથી વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. મહાનુભાવોની ઉપસ્થિતિકાર્યક્રમ દરમિયાન સંસ્થાના સ્થાપક ડૉ. દોલત દેસાઈએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ સિવાય વિવિધ કેન્દ્રોના સંતો જેવા કે: વગેરેએ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા. વ્યાપક લોકભાગીદારીઆ પ્રસંગે ટ્રસ્ટના રાહુલ વસાણી, મુકેશ મેરાઈ, ગીરીશ સોલંકી, હિતેષ મેરાઈ, ઉદય પટેલ, હિરેન પટેલ સહિતના ટ્રસ્ટીઓ, નગરના અગ્રણીઓ, પાલિકા સદસ્યો, સામાજિક કાર્યકર્તાઓ અને આદિવાસી વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે કરી હતી. ઉપસ્થિત જનમેદનીએ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા આ મંદિરને ધરમપુરની આધ્યાત્મિક ધરોહર ગણાવ્યું હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા પાલડી સ્થિત લર્નિંગ ક્લિનિક સ્કૂલના મનોદિવ્યાંગ બાળકોને ઇડલી-સંભારનું ભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર પૂરો પાડવાનો હતો. આ કાર્યક્રમ સ્વ. ભગવતીબેન બળવંતરાય જાની પરિવારના સહયોગથી યોજાયો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ અને સહયોગી પરિવારના સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લર્નિંગ ક્લિનિક સ્કૂલના કુસુમબેન અને સ્ટાફનો કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ તેના 70 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ નિમિત્તે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, કોલેજમાં આજનું યુથ અને સોશિયલ મીડિયા વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના ઉદયથી ક્રાંતિ આવી છે. તેના વિવિધ પ્લેટફોર્મ્સના ઉપયોગથી ઘણા ફાયદા પણ થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શૈક્ષણિક અને વ્યાપારિક દ્રષ્ટિએ સરળતા અને પ્રગતિ શક્ય બની છે. ઇન્ટરનેટની સુવિધાને કારણે મિત્રો સાથે સંવાદ, કુટુંબ સાથેના સંબંધો અને વ્યવસાયમાં પણ ફાયદો થઈ શકે છે. યુવાનો પોતાની આવડત કે સ્કિલને લોકો સુધી પહોંચાડી શકે છે અને કંપનીની બ્રાન્ડનો પ્રચાર-પ્રસાર પણ કરી શકે છે. જોકે, પ્રિન્સિપાલ વકીલે ચેતવણી આપી હતી કે આજનો યુવાન તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર બધું નિર્ભર છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી હતાશા, ચિંતા અને ડિપ્રેશન આવી શકે છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. સામાજિક સંબંધો બગડવાનું કારણ પણ તે સાબિત થાય છે. યુવાનો પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. આ બધી નકારાત્મક અસરોથી બચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમયપૂર્વક કરવો જોઈએ અને સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જેથી આત્મવિશ્વાસથી જીવન સફળ બનાવી શકાય છે. કાર્યક્રમના અંતે કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી.
વકફ બોર્ડની જમીન ખાનગી માલિકીની હોવાનું જણાવી તેના નકલી કાગળો બનાવી જમીન શાહ પરિવારને વેચીનાખી હતી. વલસાડ તાલુકાના ઊંટડી ગામે વકફ બોર્ડ હસ્તકની મિલકતને પોતાની અંગત મિલકત ગણાવી, ખોટા દસ્તાવેજો ઊભા કરી ₹42.69 લાખમાં વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે મસ્જિદ ટ્રસ્ટની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી નાયબ કલેક્ટરે વેચાણ ફેરફાર નોંધ નં. 5481ને નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. સમગ્ર મામલો શું છે?ઊંટડી ગામની વિવાદિત જમીન બાબતે 'ઉંટડી સુન્ની જમાત મસ્જિદ ટ્રસ્ટ'ના ટ્રસ્ટી મોહમ્મદ હિદાયત કાસમભાઈ કાવલાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, જે જમીનનો સોદો કરવામાં આવ્યો છે તે ખરેખર વકફની મિલકત છે. સામાવાળાઓના પૂર્વજો આ જમીનમાં માત્ર ટ્રસ્ટી અથવા મુતવલ્લી તરીકે કાર્યરત હતા, પરંતુ તેઓએ ગેરકાયદેસર રીતે વારસાઈના આધારે પોતાના નામ દાખલ કરાવી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હતો. ₹42.69 લાખની છેતરપિંડીફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મિલકત પોતાની માલિકીની હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. જેના બદલામાં ₹42,69,397/- (બેતાલીસ લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો સત્તાણું) ની રકમ બેંક મારફતે ચૂકવવામાં આવી હતી. આ સોદાના આધારે મહેસૂલી રેકોર્ડમાં નોંધ પણ પાડવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટની જાગૃતતાને કારણે સમગ્ર ખેલ ખુલ્લો પડ્યો છે. વકફ એક્ટની કલમ હેઠળ કાર્યવાહીનાયબ કલેક્ટર વલસાડની કોર્ટમાં ચાલેલા આ કેસમાં મહત્વના તારણો સામે આવ્યા છે: ટ્રસ્ટીને વેચાણનો હક નથી: જે વ્યક્તિ કસ્ટોડિયન કે મુતવલ્લી હોય, તે મિલકત વેચી, ગીરો રાખી કે બક્ષીસ આપી શકતા નથી. કલમ 51નું ઉલ્લંઘન: વકફ એક્ટ 1995ની કલમ-51 મુજબ વકફ બોર્ડની મંજૂરી વિના મિલકતની તબદીલી ગેરકાયદેસર ગણાય છે. નોંધ નામંજૂર: કોર્ટે અવલોકન કર્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ વેચાણ વ્યવહાર ગેરકાયદે હોવાથી ફેરફાર નોંધ નં. 5481 (તા. 25/11/2025) ને નામંજૂર કરવામાં આવે છે. મિલકત વકફની હોવાથી આરોપીઓને તે વેચવાનો કોઈ કાયદેસરનો હક પ્રાપ્ત થતો નથી. ટ્રસ્ટની રજૂઆતો સાચી જણાતા અમે વેચાણ નોંધ રદ કરવાનો આદેશ કર્યો છે. — વિમલ પટેલ, નાયબ કલેક્ટર, વલસાડ
રાજકોટમાં AMR જાગૃતિ સેમિનાર યોજાયો:ફાર્માસિસ્ટોને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ રોકવા તાલીમ અપાઈ
રાજકોટમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) વિષે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના અભિયાનના ભાગરૂપે, રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન અને ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટ્સ એસોસિએશન દ્વારા આત્મીય યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર અને રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ સત્યેન પટેલ, જનરલ સેક્રેટરી પ્રતીક ગોસ્વામી અને મેમ્બર સચિન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને તેને અટકાવવામાં ફાર્માસિસ્ટના યોગદાન વિશે વિગતવાર માહિતી આપી હતી. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્માસિસ્ટો અને વિદ્યાર્થીઓને ભારતમાં એન્ટિબાયોટિક દવાઓના બિનજરૂરી અને વધતા જતા દુરુપયોગ સામે જાગૃતિ લાવવા માટે પ્રશિક્ષિત કરવાનો હતો, જેથી દેશને AMR મુક્ત કરી શકાય. વક્તાઓએ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (દવાઓ સામે બેક્ટેરિયામાં કેળવાતી પ્રતિકારક શક્તિ) અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું. ફાર્માસિસ્ટો અને વિદ્યાર્થીઓને એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી વપરાશ કેવી રીતે અટકાવવો અને દર્દીઓને સાચું માર્ગદર્શન કેવી રીતે આપવું તે સમજાવવામાં આવ્યું. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે, દવાઓ સામે બેક્ટેરિયામાં વધતી જતી પ્રતિરોધક શક્તિ (AMR) ભવિષ્યમાં જાહેર આરોગ્ય માટે એક મોટું સંકટ બની શકે છે, અને વર્તમાન સમયમાં આવી જાગૃતિ અત્યંત આવશ્યક છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ ફાર્માસિસ્ટોને પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક દવાઓ ન આપવા અને દર્દીઓને દવાનો કોર્સ પૂરો કરવા બાબતે સમજણ આપવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજય ચૌહાણ, કેવિન ગરાળા, ધાર્મિક મહેતા સહિત અન્ય કર્મચારીગણ અને વિદ્યાર્થી સંયોજકોએ સક્રિય યોગદાન આપ્યું હતું.
અમદાવાદ સ્થિત અનુબંધ ફાઉન્ડેશન દ્વારા ભીલવાડામાં ૯૫મું વરિષ્ઠ નાગરિક જીવનસાથી પસંદગી સંમેલન ૧૯ એપ્રિલ, રવિવારના રોજ મહેશ્વરી ભવન, નાગોરી ગાર્ડન ખાતે યોજાયું હતું. ભીલવાડામાં આ પ્રકારનું સંમેલન પ્રથમવાર આયોજિત થયું હતું. આ સંમેલન ૫૦ થી ૮૦ વર્ષના કુંવારા, ડિવોર્સી, વિધવા અને વિધુર માટે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ પટેલ, સેક્રેટરી ભુપતભાઈ સોની, કિન્નરી લાખાણી, હેમા કક્કડ સહિતના કાર્યકરો અને ભીલવાડાના અશોક જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, છત્તીસગઢ અને દિલ્હી સહિતના રાજ્યોમાંથી ૧૦૦ ભાઈઓ અને ૨૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંમેલનની એક નોંધનીય બાબત એ હતી કે ઉદયપુર અને દૌસાથી બે દીકરીઓ પોતાના પપ્પા માટે જીવનસાથી શોધવા હાજર રહી હતી. આ ઉપરાંત, એક ૭૯ વર્ષની માતા પોતાની ૫૧ વર્ષની દીકરી માટે જીવનસાથીની શોધમાં હતી, જ્યારે દિલ્હીના ૬૦ વર્ષના લોકસભાના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી અનિલકુમાર પણ પોતાના માટે જીવનસાથી શોધવા સંમેલનમાં આવ્યા હતા. આ સંમેલનમાંથી ૬ યુગલો બનવાની સંભાવના છે. સંમેલન સાથે ઉમેદવારો માટે એ.સી. કાર દ્વારા ચિત્તોડગઢ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સાથે રહેવાથી એકબીજાનો સ્વભાવ અને રહેણીકરણી જાણ્યા બાદ લગ્ન કરવા હિતાવહ છે. ઉમેદવારોએ સાંવરિયા શેઠ મંદિર, મીરાં મંદિર, કીર્તિ સ્તંભ, રાજા રતનસિંહ મહેલ, વિજય સ્તંભ, રાણી પદ્મિની જોહર સ્થળ અને ચિત્તોડગઢ કિલ્લા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ચિત્તોડગઢના પ્રખ્યાત રાજસ્થાની ભોજન, આઈસ્ક્રીમ અને ઠંડી લસ્સીનો પણ આનંદ માણ્યો હતો. અનુબંધ ફાઉન્ડેશન દ્વારા આગામી સંમેલન જૂન મહિનામાં બેંગલોર ખાતે આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સિલ્વર ઓક યુનિવર્સિટીના કોલેજ ઑફ ટેક્નોલોજીના IEEE વિદ્યાર્થી સભ્યોએ ચેન્નાઈમાં યોજાયેલી RMKMATE’26 IEEE આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ત્રણ રિસર્ચ પેપર સફળતાપૂર્વક રજૂ કર્યા છે. આ કોન્ફરન્સ અત્યંત સ્પર્ધાત્મક હતી, જેમાં કુલ 6,304 રિસર્ચ પેપર સબમિટ થયા હતા. તેમાંથી માત્ર 198 પેપર પસંદ કરવામાં આવ્યા હતા, જેનો સ્વીકૃતિ દર માત્ર 3.14% હતો.આ આંતરરાષ્ટ્રીય મંચ પર 14 દેશો અને ભારતના 28 રાજ્યોના પ્રતિભાગીઓએ સક્રિય ભાગ લીધો હતો, જે તેની વૈશ્વિક પ્રતિષ્ઠા દર્શાવે છે. આ સિદ્ધિ IEEE સિલ્વર ઓક યુનિવર્સિટી સ્ટુડન્ટ બ્રાન્ચના રિસર્ચ અભિયાન હેઠળ હાંસલ થઈ છે. કોલેજ ઑફ ટેક્નોલોજીના ડીન ડૉ. સાત્વિક ખારા અને પ્રોફેસર ગૌરવ ધ્રુવનારાયણ તિવારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સંયુક્ત સંશોધન પ્રયાસોનું આ પરિણામ છે. સ્વીકારાયેલા ત્રણ પેપરમાંથી એક પેપર કોન્ફરન્સ સ્થળે ઑફલાઇન રજૂ કરાયો હતો, જ્યારે બાકીના બે પેપર ઑનલાઇન રજૂ કરવામાં આવ્યા હતા.આ સફળતા આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર ઓક યુનિવર્સિટીની સંશોધન સંસ્કૃતિ, નવીનતા અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાઘપાણી ગામે 5 ફેબ્રુઆરીના રોજ પથ્થરની ખાણમાંથી મળી આવેલી યુવકની લાશના કેસમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. શરૂઆતમાં અકસ્માત જણાતી આ ઘટના સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું છે. મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી અને અન્ય સાગરીતો સાથે મળી પતિને રસ્તામાંથી હટાવવા આ કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે પત્ની સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. અકસ્માત નહીં, ઠંડા કલેજે કરેલી હત્યાગત 5 ફેબ્રુઆરીએ વાઘપાણી ગામની સીમમાં આવેલી અવાવરુ પથ્થરની ખાણના પાણીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, ઘટનાના સંજોગો શંકાસ્પદ જણાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR)ના આધારે તપાસ તેજ કરી હતી. મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સથી ફૂટ્યો ભાંડોપોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાના દિવસે મૃતકની પત્ની અને તેનો પ્રેમી સતત એકબીજાના સંપર્કમાં હતા. ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે શંકાસ્પદોની કડક પૂછપરછ કરતા સમગ્ર કાવતરું છતું થયું હતું. હત્યા પાછળનું કારણતપાસ મુજબ, મૃતકની પત્નીને અન્ય યુવક સાથે આડાસંબંધો હતા, જેમાં પતિ નડતરરૂપ બનતો હતો. આથી પત્ની અને તેના પ્રેમીએ પતિની હત્યા કરવાનું નક્કી કર્યું. યોજના મુજબ, પ્રેમી અને તેના સાગરીતોએ મૃતકને ફોન કરી ખાણ પાસે બોલાવ્યો હતો અને ત્યાં તેને પાણી ભરેલી ઊંડી ખાણમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ આરોપીઓની કરી ધરપકડવ્યારા પોલીસે હત્યાના આ ગુનામાં સામેલ 4 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે: હાલમાં પોલીસે ચારેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
વેરાવળમાં વર્કશોપ બહાર ત્રણ વાહનોમાં આગ:ડારી વાયરલેસ ઓફિસ સામેના બોડી વર્કશોપમાં ઘટના
વેરાવળના ડારી રોડ પર વાયરલેસ કચેરી સામે આવેલા એક વાહન બોડી રિપેરિંગ વર્કશોપની બહાર પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટના કામ ચાલુ હતું તે દરમિયાન બની હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ રોડ પર એક મોટી શાળા આવેલી છે અને વાહનોની સતત અવરજવર રહે છે. વર્કશોપના માલિકે સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતા મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ટુવા એન્જિનિયરિંગ કોલેજ ખાતે નેનો ટેકનોલોજીમાં નવો યુગ તેમજ ટકાઉ અને ગ્રીન એન્જિનિયરિંગ પ્રેક્ટિસ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારના પ્રથમ સેશનમાં વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાતોએ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જેમાં ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાના પ્રો. ડો.કમલેશ ચૌહાણ, એસ.પી.યુનિવર્સિટી, આણંદના ડો.યતી વૈદ્ય અને ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાના પ્રોફેસર ડો.દત્તાત્રેય સુબેદારનો સમાવેશ થાય છે. કાર્યક્રમના પ્રારંભે પંચમહાલ જિલ્લા શિક્ષણ પ્રચારક મંડળ, ટુવા એન્જિનિયરિંગ કોલેજના પ્રેસિડેન્ટ જે.આર. પટેલ અને આર.આર. પટેલના માર્ગદર્શન હેઠળ મહાનુભાવોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હર્ષ આર. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં 102 વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. સેમિનારનું આયોજન કન્વીનર ડો. દિવ્યેશકુમાર દવે અને કો-ઓર્ડીનેટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભૂમિકા જોષી દ્વારા કરાયું, જ્યારે પ્રો. સંદીપ પટેલે આભાર વિધિ કરી હતી. વિદ્યાર્થીઓએ આવા જ્ઞાનવર્ધક સેમિનારના આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેતન પટેલ નામના એક યુવાને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે ઝંપલાવી પોતાનું જીવન ટુકાવી લીધું છે. જેમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હાઇવે પરથી પસાર થઈ રહેલા જીજે 06 એઝેડ 1932 નંબરના ટ્રેલરની આગળ યુવાને અચાનક આવીને પડતું મૂક્યું હતું. જે યુવાન 20 ફૂટ ઢસડાતો દેખાઈ છે. ટ્રેલરના પૈડાં નીચે આવી જતાં ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલઆ મામલે મૃતકના ભાઈ હરેશકુમાર પટેલે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હરેશકુમારની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ખેતીકામ અને મુંબઈમાં સાળા સાથે દુકાન પર કામ કરતા હતાદુર્ઘટનાનો ભોગ બનેલા કેતન પટેલના પરિવાર અંગે મળેલી વિગતો મુજબ તેઓ ખેતીકામની સાથે મુંબઈમાં તેમના સાળાની દુકાન પર નોકરી કરતા હતાં. ખેતીના કામકાજ અને એરંડા લેવા માટે તેઓ 15 દિવસ પહેલા જ પોતાના વતન પરત ફર્યા હતાં. પરિવાર પર આભ તૂટી પડ્યું કેતન પટેલના પરિવારમાં પત્ની ઉપરાંત 16 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. જેઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. ઘરના મોભીના આકસ્મિક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો મહેસાણાના ખૌફનાક CCTV, યુવક ટ્રક નીચે સૂઈ ગયો મહેસાણાની રાધનપુર ચોકડી પર 18 ફેબ્રુઆરીને બુધવારે રાત્રે 10 વાગ્યાના સુમારે બનેલી અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો. શરૂઆતમાં જે અકસ્માત અને યુવકનું મોત ટ્રેલરની ટક્કરે ગણાતું હતું એ ખરેખર આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરતાં સામે આવ્યું કે, યુવક રોડ વચ્ચોવચ ચાલીને આવી રહ્યો હતો અને ટ્રેલર નજીક આવતાંની સાથે જ તે ટાયરની નીચે જતો રહ્યો હતો. આ અકસ્માતમાં યુવકના પેટના ભાગનો છૂંદો થઈ ગયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
• 6 મહિનામાં 6 ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શામજી ઉર્ફે શમા મકવાણા સહીત 12 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પોલીસે 8 આરોપીની અટકાયત કરી મુખ્ય આરોપી શામજી ઉર્ફે શમા મકવાણા સહીત ફરાર 4 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ જેવા ગંભીર કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે શામજી ઉર્ફે સમા સહીત કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધી 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા સહીત 4 આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. શામજી ઉર્ફે સમા ગેંગના 12 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ સહિત ગુના નોંધાઈ ચુક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી દેવશી મકાભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલો મકવાણા, મેહુલ કનુભાઈ સોલંકીની ધરપકડ કરી છે. જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા, કેવલ સોંદરવા, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ અને હરેશ ખીમસુરીયા ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપી દેવશી મકાભાઈ મકવાણા વિરુધ્ધ 6 ગુના, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ વિરુધ્ધ 8 ગુના, ચિરાગ ઉર્ફે ભયલુ વિરુધ્ધ 4 ગુના, કિરણ ખીમસુરીયા વિરુધ્ધ 2 ગુના, અજય જાદવ વિરૂદ્ધ 4 ગુના, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા વિરુધ્ધ 2 ગુના, નાગેશ ઉર્ફે લાલો મકવાણા વિરુધ્ધ 5 ગુના, મેહુલ કનુભાઈ સોલંકી વિરુધ્ધ 4 ગુના, શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ 12 ગુના, કેવલ સોંદરવા વિરુધ્ધ 10 ગુના, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ વિરુધ્ધ 5 ગુના અને હરેશ ખીમસુરીયા વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 8 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 6 ગુના છેલ્લા 6 મહિનામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ અન્ય 3 ગેંગ સામે આવનાર સમયમાં દાખલ કરવા માટે તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી દેવામાં આવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના બાદ, સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત એક આરોપી 6 વર્ષથી ચોરીના ગુનામાં વોન્ટેડ હતો, જ્યારે બીજો પ્રોહિબિશનના કેસમાં ફરાર હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાયમાએ એક ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડની ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને આરોપીઓને શોધી કાઢ્યા હતા. તારીખ 21 એપ્રિલ, 2026 ના રોજ, પો.હેડ.કોન્સ. કપિલ ખોડા સુમેરાને મળેલી સચોટ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં, સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપી રવિ નાજા પરમાર (રહે. પીપરડી, તા. લોધિકા, જિ. રાજકોટ)ને જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેના ઇન્દિરાનગરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, પેરોલ ફર્લો સ્કવોડે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા અન્ય એક આરોપીને પણ પકડી પાડ્યો હતો. આ બંને ધરપકડોથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોલીસના પ્રયાસોને વેગ મળ્યો છે.
વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગેરકાયદે ઇન્જેક્શન વેચાણના મામલે કંપની સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિભાગના અધિકારીઓએ 23 ડિસેમ્બર 2025ના રોજ વડોદરાની Medicament Solutions કંપની પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કંપનીનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, કંપની Mounjaro KwikPen ઇન્જેક્શન (મેદસ્વિતા ઘટાડવાની દવા)ને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતી હતી. અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને ઓનલાઇન ઓર્ડર આપ્યો અને પાર્સલ મંગાવીને આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો. કંપની સીધા જ લોકોને ઇન્જેક્શન વેંચતી જે નિયમોનું ઉલ્લંઘન છેતપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, કંપની વેબસાઇટ મારફતે સીધી જ ગ્રાહકોને આ ઇન્જેક્શન મોકલતી હતી, જે દવાઓના વેચાણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. અધિકારીઓએ આને ગંભીર બેદરકારી ગણાવીને ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. ડોક્ટરની સલાહ વગર ઇન્જેક્શનનો ઉપયોગ થતો!નિષ્ણાતોના મતે, ડોક્ટરની સલાહ વગર આવી ઇન્જેક્શનનો ઉપયોગ કરવાથી કિડની, પેન્ક્રિયાસ સહિત અન્ય અંગોને નુકસાન પહોંચી શકે છે. તેથી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર ન લે.
લુણાવાડામાં ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કલેક્ટર સાગરે માર્ગદર્શન આપ્યું
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે લુણાવાડા તાલુકાના ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે 'વાઇબ્રન્ટ વેવ્સ' સ્કૂલ ખાતે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગની જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પૂરતી સાવચેતી રાખવા અને નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયાના સુદૃઢ વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકામાં ચૂંટણી કામગીરી માટે કુલ 1121 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 193 પ્રિસાઇડિંગ ઓફિસર, 182 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 192 મતદાન અધિકારી, 368 મહિલા મતદાન અધિકારી અને 186 અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. સમગ્ર તાલીમ દરમિયાન ચૂંટણીલક્ષી ઝીણવટભરી બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાનો છે.
સાબરકાંઠા જિલ્લામાં 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ તંત્રએ પણ સ્ટાફની ફાળવણી પૂર્ણ કરી છે. જિલ્લા કલેક્ટર નારાયણસિંઘ સાદુ, અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા અને જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 107 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 34-34, આમ આદમી પાર્ટીના 26, અન્ય પક્ષોના 9 અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આઠ તાલુકા પંચાયતની 500 બેઠકો માટે ભાજપના 166, કોંગ્રેસના 165, આમ આદમી પાર્ટીના 118, અન્ય પક્ષોના 31 અને 20 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકાની 96 બેઠકો પર કુલ 231 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આમાં ભાજપના 93, કોંગ્રેસના 89, આમ આદમી પાર્ટીના 21, અન્ય પક્ષોના 4 અને 24 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1 એસપી, 4 ડીવાયએસપી સહિત પોલીસ, હોમગાર્ડ અને અન્ય કર્મચારીઓ મળીને અંદાજે 932 પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવશે. જિલ્લામાં કુલ 1210 જિલ્લા-તાલુકા પંચાયતના અને 137 નગરપાલિકાઓના મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 9,18,194 મતદારો નોંધાયા છે, જેમાં 4,73,69 પુરુષ મતદારો અને 4,44,825 સ્ત્રી મતદારો છે. ત્રણ નગરપાલિકાના કુલ મતદારોની સંખ્યા 1,17,976 છે, જેમાં 60,373 પુરુષ મતદારો અને 57,603 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે તાલુકા-જિલ્લા પંચાયતોના મતદાન મથકો પર 7,438 કર્મચારીઓ, નગરપાલિકાઓમાં 941 કર્મચારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતોમાં 156 ઝોનલ અધિકારીઓ અને નગરપાલિકામાં 22 ઝોનલ અધિકારીઓ ફરજ બજાવશે.
IPL સટ્ટો રમાડતો એક ઝડપાયો:પંચમહાલ LCBએ ગોધરામાંથી આરોપીને રોકડ સાથે પકડ્યો
પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રોકડ રકમ અને સટ્ટાના હિસાબ લખેલા કાગળો મળી આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી સ્ટાફે ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલ શ્યામલનગર સોસાયટી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સંજય ઉર્ફે સંજુ પરષોત્તમ તારાની નામનો આરોપી મોબાઈલ ફોન દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતો રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ. 16,500 રોકડા, એક બોલપેન અને અંગ્રેજીમાં આંકડા લખેલ કાગળો મળી આવ્યા હતા. આરોપી સટ્ટા માટે હારજીતના હિસાબો રાખતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી જુગાર અને દારૂ જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. પકડાયેલ આરોપી સંજય ઉર્ફે સંજુ તારાની વિરુદ્ધ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહીસાગરમાં 203 ગ્રામ ગાંજો ઝડપાયો:રમકડાની દુકાનમાંથી રૂ. 10,150નો મુદ્દામાલ જપ્ત
મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, એસ.ઓ.જી. ટીમે વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 203 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં સલીમ ઉર્ફે ગડ્ડો ઉસ્માનભાઈ શેખ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી. પીઆઈ વી.ડી. ધોરડાને મળેલી ગુપ્ત બાતમીના આધારે, વીરપુરના મહેમુદપુરામાં રહેતા સલીમ શેખની રમકડા વેચવાની કેબિનમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, કેબિનમાંથી 203 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા ગાંજાની કિંમત રૂ. 10,150 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, આમ કુલ રૂ. 15,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વીરપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પોલીસ નાર્કોટિક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા તત્વો સામે સતત પ્રયત્નશીલ છે.
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન માર્કેટમાં એપલ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝ વેચવાનું મોટું કૌભાંડ પોલીસની કાર્યવાહીમાં ખુલ્લું પડ્યું છે. આ મામલે ગ્રિફીન ઇન્ટેલેચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજા દ્વારા મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોટી માત્રામાં નકલી સામાન જપ્ત કર્યો છે. એપલના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનું વેચાણ કરતાંફરિયાદી વિશાલસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, તેમની કંપની અલગ-અલગ જાણીતી બ્રાન્ડ્સના ટ્રેડમાર્ક અને કોપીરાઈટના રક્ષણ માટે કાર્યરત છે. મળેલી ગુપ્ત માહિતીના આધારે તેઓ પોલીસ સ્ટાફ અને પંચો સાથે હબ ટાઉન માર્કેટમાં તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન માર્કેટમાં આવેલી ચાર અલગ-અલગ દુકાનોમાં એપલના લોગોવાળી ડુપ્લીકેટ એસેસરીઝ, જેમાં મોબાઈલ કવર, એરપોડ્સ, ચાર્જર એડેપ્ટર અને કેબલનો મોટો જથ્થો વેચાતો હોવાનું જણાયું હતું. કંપનીના લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. 4 દુકાનોમાંથી લાખો રૂપિયાનો નકલી સામાન કબજે કરાયોપોલીસે આ કાર્યવાહીમાં ઉમા મોબાઈલ કવર હાઉસના સંચાલક ચેતનભાઈ પટેલ, મિસ્ટર મોબાઈલ પોઈન્ટના સંચાલક મુકેશભાઈ જેઠવાણી, મહાદેવ મોબાઈલના સંચાલક શંકરલાલ દેસાઈ અને સ્માર્ટ સેલ હબના સંચાલક ક્રિષ્ણકુમાર રાજપુરોહિતની દુકાનોમાંથી લાખો રૂપિયાનો નકલી સામાન કબજે કર્યો છે. જેમાં ઉમા મોબાઈલમાંથી રૂ. 2,42,500, મિસ્ટર મોબાઈલ પોઈન્ટમાંથી રૂ. 60,000, મહાદેવ મોબાઈલમાંથી રૂ. 2,50,500 અને સ્માર્ટ સેલ હબમાંથી રૂ. 1,08,500ની કિંમતનો મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાયો છે. કોપીરાઈટ એક્ટની કલમ 63 મુજબ ગુનો નોંધાયોમહેસાણા બી-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ 63 મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ દરોડાની કાર્યવાહીને પગલે આસપાસના વિસ્તારના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ દુકાનદારો પાસેથી જપ્ત કરેલા માલસામાનના આધારે આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
ભાવનગર શહેર નજીક આવેલી મામસા જીઆઈડીસીમાં તસ્કરોએ એક ફેક્ટરીને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ખેતીના ઓજાર બનાવતી 'ચંદ્રા સ્ટીલ' નામની ફેક્ટરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશેલા ચાર શખ્સો પ્રોફાઈલ કટિંગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે. ચોર 4 ટન પ્રોફાઈલ કટિંગ ચોરી ગયાકાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને મામસા જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવતા નિલેષભાઈ ધનજીભાઈ મોરડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીની આ ઘટના ગત તા. 10 માર્ચના રોજ મોડી રાત્રે અંદાજે 12:30 કલાકે બની હતી. તસ્કરો ફેક્ટરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ત્યાં રાખેલું આશરે 4 ટન પ્રોફાઈલ કટિંગ (લોખંડનો જથ્થો) ચોરી ગયા હતા. જેની બજાર કિંમત અંદાજે ₹3.60 લાખ આંકવામાં આવી છે. ફેક્ટરીના સીસીટીવી ચેક કરતા મોઢે રૂમાલ બાંધેલા ચાર અજાણ્યા શખ્સો ચોરી કરતા નજરે પડ્યા હતા. પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલનિલેષભાઈની ફરિયાદને આધારે ઘોઘા પોલીસે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNS એક્ટની કલમ 305(a), 331(4) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE સેશન-2 ના પરિણામોમાં ભાવનગરની જ્ઞાનમંજરી વિદ્યાપીઠનો દબદબો જોવા મળ્યો હતો, જેમાં પરિણામોના તમામ જુના રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે, સંસ્થાની સચોટ શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની અથાક મહેનતનું જ પરિણામેં પરીક્ષા આપનાર 130 પૈકી 124 જેટલા વિદ્યાર્થીઓએ JEE Advanced માટે ક્વોલિફાય થઈને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમજ ઓલ ઇન્ડિયા ટોપ 500 વિદ્યાર્થીઓ માંથી જ્ઞાનમંજરીના 7 વિદ્યાર્થીઓ બાજી મારી હતી. મોરી જયવીરસિંહએ જણાવ્યું હતું કે, JEE Mains માં 99.73 પર્સન્ટાઇલ આવ્યા છે, જેમાં રોજની 11 થી 12 કલાક મહેનત કરતો હતો અને આનું શ્રેય હું ભગવાનને, મારા વાલીઓને અને GNM ના શિક્ષકોને આપીશ, અને આગળ બેસ્ટ IIT માં જવા માંગુ છું, મારો બીજા વિદ્યાર્થીઓને બસ એ જ સંદેશ છે કે બસ મહેનત કરતા રહો. આ બે વર્ષ છે, પછી જિંદગીમાં ઘણી મોજ છે. બસ અત્યારે આ બે વર્ષ સરખી રીતે કાઢી લો.મેં યુઝ્યુઅલી મેથ્સમાં તો વધારે પ્રેક્ટિસ જ કરતો હતો અને કેમેસ્ટ્રીમાં સ્પેસિફિકલી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકમાં થીયરી પોર્શન ઉપર વધારે ધ્યાન આપ્યું હતું. ભક્તિ પરમારએ જણાવ્યું હતું કે, JEE મેઈન્સમાં 99.61 પર્સન્ટાઈલ આવ્યા છે અને હું રિવિઝન ઓર્ગેનિકમાં બધી રીએક્શન જોઈ લેતી હતી, ફિઝિકલમાં બધા ફોર્મ્યુલા જોઈ લેતી હતી અને ઈનઓર્ગેનિકમાં NCERT અને જે મેં સરની નોટ્સ બનાવી હતી એ મેં પ્રિફર કરી હતી, મેથ્સમાં ફોર્મ્યુલા અને ફિઝિક્સમાં અમુક ક્વેશન્સ જે સારા લેવલના હોય એનું રિવિઝન, અમુકમાં શોર્ટકટ હોય એનું રિવિઝન અને અમુક બધી જે કાંઈ પણ ફોર્મ્યુલા હોય એનું રિવિઝન કર્યું હતું, કેમેસ્ટ્રીમાં વધારે, અને ક્વેશ્ચન પ્રેક્ટિસ તો મેથ્સ અને ફિઝિક્સ બેયમાં, આનો શ્રેય હું મારા માતા-પિતાને, ઈશ્વરને અને આ GNM ના સ્ટાફને આપીશ, આગળ એક સારા એન્જિનિયર... વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, JEE માં 99.49 PR આવેલા છે અને હું ડેઇલીનું 12 થી 13 કલાકનું સ્ટડી કરતો હતો અને સ્કૂલમાં મોટાભાગનું સ્ટડી થઈ જતું હતું અને થોડું-ઘણું હોસ્ટેલે જઈને કરતો હતો, 2-3 કલાક અને મોસ્ટ ઓફ PYQs એ બધું સોલ્વ કરતો હતો અને સ્કૂલનો સહકાર સારો હતો અને મમ્મી-પપ્પા અને ટીચરોનો સપોર્ટ સારો હતો, યુગ સાચાણીએ જણાવ્યું હતું કે,JEE માં મારે 201 માર્ક છે એટલે કે 99.46 પર્સેન્ટાઇલ એનો સૌથી મોટો શ્રેય તો હું ભગવાનને જ આપીશ, આગળ તો મારે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર છે, વિષયોમાં કેમેસ્ટ્રીમાં ફિઝિકલ કેમેસ્ટ્રી પર વધારે મહેનત કરવાની જરૂર હોય છે કારણ કે એનું વેઇટેજ વધારે હોય છે, જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે તમને એવું લાગશે કે આ અહીંથી કરું કે પેલું ત્યાંથી કરું. આમ આડાવળી મહેનત કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. કોઈ પણ એક વસ્તુ પકડો અને એને પરફેક્ટ કરો, એ જ તમને છેલ્લે સુધી લઈ જશે. જેનીલ કાનાણીએ જણાવ્યું હતું કે,JEE માં 99.33 પર્સન્ટાઈલ આવ્યા છે અને ઓલ ઈન્ડિયા રેન્ક 10,708 છે, આ મારા માર્ક આ સંસ્થા દ્વારા અને મારા માતા-પિતા દ્વારા આવ્યા છે, આગળ એનઆઈટી માં કે આઈઆઈટી માં સીએસ માં એડમિશન લેવા માંગુ છું, કેમેસ્ટ્રી સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે એટલે એમાં મહેનત કરવાની વધારે જરૂર, રાજવીરસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, JEE Mainsમાં 99.31 પર્સન્ટાઇલ આવ્યા છે અને મેં મેથ્સમાં થોડી વધારે મહેનત કરી હતી કારણ કે, એમાં રેન્ક લાવવા માટે વધારે ઈમ્પોર્ટન્ટ મેથ્સ છે અને સિલેક્શન માટે કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક ઈમ્પોર્ટન્ટ છે એમાં NCERT વધારે ઈમ્પોર્ટન્ટ થાય અને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિસ જેટલી કરો એટલું ઈમ્પોર્ટન્ટ બને અને ફિઝિક્સમાંય તે પ્રેક્ટિસ જ તે અને મેથ્સમાંય પ્રેક્ટિસ અને ઇનઓર્ગેનિક-ઓર્ગેનિકમાં NCERT જેટલી રીડ કરશો એટલો તમને ફાયદો થશે, આ અંગે ફાઉન્ડર ટ્રસ્ટી ઓફ જ્ઞાનમંજરી ના એમ.એમ.નાકરાણી એ જણાવ્યું હતું કે, JEE સેશન-૨ નું રિઝલ્ટ 2026 માટેનું જાહેર થયું છે, જેમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દર વર્ષે જે ઉત્તરોત્તર વધુ ને વધુ સારું પરિણામ મેળવતા જાય છે એ મુજબ, ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ સાથે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ છે એના બાળકોએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું છે, કુલ લગભગ 130 આજુબાજુ વિદ્યાર્થીઓ છે એ JEEની તૈયારી કરતા હતા, એમાંથી 124 વિદ્યાર્થીઓ છે એ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને વધારે ડિટેલમાં જોવા જઈએ તો 16 વિદ્યાર્થીઓ 99+ પર્સેન્ટાઇલ સાથે સમગ્ર ભાવનગર અને ગુજરાતની અંદર શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે,ઓવરઓલ 98 પર્સેન્ટાઇલ કે એના કરતા વધારે મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 54 છે. 97 કે એની કરતા વધારે પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 109 છે, તો આ રીતે શ્રેષ્ઠ મેરિટ પણ ખરું. તમને મેરિટ વાઈઝ કહેવા જાવ તો, પહેલા 500 ઓલ ઈન્ડિયાની અંદર એમાં 7 વિદ્યાર્થીઓ છે, ટોપ 1000 ની અંદર 14 વિદ્યાર્થીઓ છે અને ટોપ 5000 ની અંદર 64 સ્ટુડન્ટ્સ છે, તો આ રીતે જ્ઞાનમંજરી વિદ્યાપીઠના મહેનત કરીને પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમગ્ર ટીમ જેમણે આ મહેનત કરી છે, અને આ બધા બાળકો ઉપરાંત બીજા બધા ભવિષ્યમાં આવનારા બાળકો છે એમને પણ આમાંથી પ્રેરણા મળે અને તેઓ ખૂબ ખૂબ આગળ વધે અને ભારતના ઘડતરની અંદર પોતપોતાનું યોગદાન આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
વિકાસ કામોમાં વિલંબ બદલ જાહેરમાં માફી માંગી ગોંડલની ચરખડી ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી કહ્યુ ‘ભૂલ થઈ હોય તો માફી માંગુ છું’ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સી.આર. પાટીલની 'આપ'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ સુરતમાં આમ આદમી પાર્ટીને સી આર પાટીલે ચેલેન્જ આપી કહ્યુ જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી પ્રચારમાં AI રીલનો નવો ટ્રેન્ડ ચુંટણીમાં ઉમેદવારો હવે પ્રચાર માટે AI રીલનો ઉપયોગ કરી રહ્યા છે .. જેમાં BJPએ રીલ થી વિકાસના કામો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો 'આપ'એ રીલથી રોડ રસ્તની હાલત બતાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ અંગે ખુલાસો કાજલ મહેરિયાએ પોતાના લગ્ન અને પારિવારિક વિવાદ મુદ્દે વીડિયો શેર કર્યો અને તેના અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે વિદ્યાર્થીઓના ઝઘડામાં આંખમાં પરિકર માર્યું અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દીધું. ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો જ્યા તેનું આપરેશન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગઝવા એ હિન્દના સપના જોતા 2 આતંકી ઝડપાયા ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારતા હતા.. બન્ને મોબાઇલમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ મળી આવી છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા કાલાવડ-જામનગર હાઈવે પર હિટ-એન્ડ-રનની ઘટનામાં એક મહિલા અને સગીરનું મોત થયું જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે ઉતાર્યુ જ્યા શેરડીનો રસ પીતા લોકો પર કાર ફરી વળી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી પાછળ નોટમાં લખીને નીકળી કે 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધના સ્ટેશન પર લાઇનમાં લોકોને ટ્રેનમાં બેસાડાયા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારની અફરાતફરી બાદ મંગળવારે 4 વિશેષ ટ્રેનો દોડાવાઇ જેમાં 8 હજારથી વધુ મુસાફરો વતન પરત ફર્યા... સાથે મુસાફરોને ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખી પસાર કરાયા ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી ગુજરાતમાં આકરી ગરમી પડવાની સંભાવના, રાજકોટ 41.1 ડિગ્રી સૌથી ગરમ શહેર તો મંગળવારે 42 પહોચવાની સંભાવના તો અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે અડધી રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. છેલ્લા 4 મહિનાથી પોતાના પિયરમાં રિસામણે રહેલી 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નીતિનભાઈ પરમાર પર તેના જ પતિ નીતિન ધનજી પરમારે જીવલેણ હુમલો કર્યો હતો. છૂટાછેડાની ખેંચતાણ અને પત્ની સાથે ન આવતી હોવાના મનદુખમાં અંધારી રાત્રે દિવાલ કૂદીને આવેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને બચાવવા વચ્ચે પડેલા સાસુ અને સસરા પર પણ આરોપીએ છરીના ઘા ઝીંકી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતાં. જયશ્રીબેનના આક્ષેપ મુજબ આરોપી નીતિન હુમલો કર્યા બાદ કબાટમાંથી 30,000 રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી ગયો હતો. પત્નીને પેટ અને અન્ય ભાગે 7થી 8 જેટલા છરીના ઘા વાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાઈ છે. હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વંડી ટપીને ઘરમાં ઘૂસ્યો અને પત્ની પર છરીથી હુમલો કર્યોપત્ની જયશ્રીબેન છેલ્લા કેટલાક સમયથી તેમના બાળકો સાથે પિતાના ઘરે રહેતા હતાં. 19મી એપ્રિલની મધ્યરાત્રીએ જ્યારે આખો પરિવાર નિદ્રામાં હતો, ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ આરોપી નીતિન પરમાર વંડી ટપીને ઘરમાં ઘૂસી આવ્યો હતો. કબાટ પાસે અવાજ થતા જયશ્રીબેન જાગી ગયા હતા અને તે સમયે નીતિને કહ્યું 'આજે તો તને પતાવી જ દેવી છે' અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ પત્નીના સાથળના ભાગે અને હાથની આંગળીઓમાં અનેક ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બચાવવા માતા-પિતા વચ્ચે પડતા આરોપીએ તેને પણ છરી મારીપુત્રીની ચીસાચીસ સાંભળીને ઓસરીમાં સૂતેલા માતા અને પિતા તરત જ રૂમમાં દોડી આવ્યા હતાં. પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેને બચાવવા પિતા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા નીતિને સસરા જીવણભાઈની ડાબી સાથળમાં છરીના 2 ઘા ઝીંકી દીધા હતાં. આટલેથી ન અટકતા તેણે સાસુ શારદાબેન પર પણ છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરીથી દિવાલ કૂદીને અંધારામાં નાસી છૂટ્યો હતો. આ હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પતિને દારૂ-ડ્રગ્સની આદતો અને સતત મારકૂટ કરતોજયશ્રીબેને જણાવ્યું હતું કે, તેમના લગ્નજીવનમાં છેલ્લા 1 વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતાં. અગાઉ સમાધાન બાદ તેઓ સાસરે ગયા હતા, પરંતુ પતિની દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે તેમને સિવિલ હોસ્પિટલની નોકરી પણ છોડવી પડી હતી. આર્થિક તંગી અને દેવાના કારણે પતિ સતત ઝઘડા કરતો હતો. છરીથી હુમલો કરીને પતિ ભાગવા જતા પગમાં ઈજા થઈ ઘટનાના દિવસે પતિ નશાની હાલતમાં બાળકોને લઈ જવાની જીદ કરતો હતો અને જયશ્રીબેને ના પાડતા તેને લાકડી વડે માર માર્યો હતો. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે નીતિનને ધમકાવ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈને તેણે રાત્રે આ ખૂની ખેલ ખેલ્યો હતો. જ્યારે હુમલો કરનાર પતિ ભાગવા જતા તેના પગમાં ઈજા થઈ હતી અને જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 'ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થયો'ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરતા આક્ષેપ કર્યો છે કે, આરોપી અત્યારે ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. નીતિન પરમાર વિરુદ્ધ ગુનો દાખલવંથલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી નીતિન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં BNS કલમ 109(1) મુજબ હત્યાનો પ્રયાસ, કલમ 118(1) હેઠળ ખતરનાક હથિયારથી ઇજા પહોંચાડવી, કલમ 331(6) મુજબ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરવો, કલમ 351(3) હેઠળ ગુનાહિત ધમકી આપવી તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર પંથકમાં આ અરેરાટીભરી ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. રાજપીપળાના વોર્ડ નંબર 6માં ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષે પ્રચાર કરવા ન આવવું તેવા બેનરો લાગ્યા છે. રાજપૂત ફળિયા વિસ્તારમાં લાગેલા આ બેનરોને કારણે અન્ય પક્ષોના કાર્યકરોને પ્રવેશ મળ્યો ન હતો. વોર્ડ નંબર 6ના મતદાર આગેવાન શૈલેન્દ્રસિંહ કાટોદરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં તેમના વિસ્તારમાં ભાજપ દ્વારા જ વિકાસ કાર્યો થયા છે. તેથી તેઓ ભાજપને જ મત આપે છે અને તેમની એક પરિવાર જેવી એકતા છે. તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં બધાને હક હોય, પરંતુ વિપક્ષ ખોટી વાતો અને ભ્રામક વાયદાઓ ફેલાવીને તેમની એકતા તોડે તે યોગ્ય નથી. આથી, વિસ્તારના લોકોએ સર્વસંમતિથી આવા બેનરો લગાવવાનો નિર્ણય કર્યો છે. કાટોદરિયાએ સ્પષ્ટ કર્યું કે તેમના વોર્ડમાં એક સભ્ય બિનહરીફ વિજેતા બન્યા છે, અને બાકીના ત્રણ ભાજપના સભ્યો પણ જંગી લીડથી જીતશે. તેમણે વિપક્ષને સંદેશ આપ્યો કે અહીં ખોટી મહેનત કરવાને બદલે અન્ય જગ્યાએ પ્રચાર કરે, જેથી તેમને વધુ મત મળી શકે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો જીતી હતી. સ્વર્ગસ્થ અલ્કેશસિંહજી ગોહિલ પરિવારનો દબદબો ત્રીજી પેઢીમાં કુલદીપસિંહ અને રાજદીપસિંહ દ્વારા પણ જાળવી રાખવામાં આવ્યો છે. આ વખતે પણ બાકીની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે તેવો સ્થાનિકો અંદાજ લગાવી રહ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પ્રભાસ પાટણમાં ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ યાત્રા વૈશાખ સુદ પાંચમ, તા. 21 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી, જેમાં સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં લીન બન્યું હતું. ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિવસની આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી નિયમિતપણે યોજાય છે. આ વર્ષે પણ પ્રાચીન જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિધિવત પાલખી પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્ધન જાની, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તેમજ વેરાવળ-પાટણ સનાતન હિન્દૂ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને કિશોરભાઈ કુહાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાના મહામંડલેશ્વર મહાસતી નંદગીરી અને મહાકાલી નંદગીરી ઉજ્જૈનથી આ યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભક્તોને આશીર્વચન આપ્યા હતા. પાલખી યાત્રા પ્રાચીન જુના સોમનાથ મંદિરેથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો જેવા કે મેઈન બજાર, દુધપીઠ, રામરાખ ચોક, પાટચકલા, લાંબી શેરી અને કુંભારવાડા થઈ ફરી મંદિર પરત ફરી હતી. યાત્રા દરમિયાન ઢોલ-શરણાઈના નાદ સાથે ભજનોનું ગાન અને વૈદિક મંત્રોચ્ચાર થતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. યાત્રાના માર્ગો પર ભક્તોએ પાલખીનું સ્વાગત કર્યું હતું. ઠેર ઠેર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઠંડા પીણા, શરબત અને ચા-પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સમગ્ર પ્રભાસ પાટણ શહેરના લોકો આ યાત્રામાં સહભાગી બન્યા હતા, જ્યાં સર્વ સમાજના લોકોએ ભગવાન સોમનાથની ભક્તિમાં લીન બની એકતાનો સંદેશ આપ્યો હતો.
ગોધરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર અજય દહિયાએ છબનપુર સ્થિત સરકારી ઇજનેરી કોલેજની મુલાકાત લીધી હતી. કલેક્ટરે મુલાકાત દરમિયાન EVM મશીનો માટે તૈયાર કરાયેલા સ્ટ્રોંગ રૂમ, EVM રીસીવિંગ અને ડિસ્પેચિંગ સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે EVM સીલિંગ પ્રક્રિયા પણ નિહાળી હતી. આ કામગીરી યોગ્ય રીતે પાર પાડવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તમામ વ્યવસ્થાઓ મજબૂત રાખવા પર ભાર મૂક્યો હતો. તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
CVM યુનિવર્સિટીમાં પાંચ દિવસીય FDP શરૂ:સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર 30થી વધુ ફેકલ્ટી ભાગ લેશે
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત એ ડી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (ADIT) ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા 'મલ્ટી ડિસિપ્લિનરી એપ્લિકેશન્સ ઓફ સેમિકન્ડક્ટર ટેકનોલોજીસ યુઝિંગ ઇડીએ ટુલ્સ' વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) નો 20 એપ્રિલના રોજ પ્રારંભ થયો છે. આ FDP માં ગુજરાતની વિવિધ કોલેજોમાંથી અંદાજે 30 થી વધુ ફેકલ્ટી સભ્યો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઇન્દ્રજીત પટેલ અને ADIT ના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈઈઆઈના ચેરપર્સન ડૉ. આરતી પમનાની પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે આ FDP રિસર્ચ કોલાબ્રેશન, ઇનોવેટિવ ટીચિંગ પ્રેક્ટિસિસ અને નવા આઈડિયાઝ માટે ખૂબ જ ઉપયોગી થશે. પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. હેતલ પટેલના જણાવ્યા અનુસાર, આ FDP માં સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ, ભારતનું સેમિકન્ડક્ટર મિશન, સેમી કંડક્ટર ઉપકરણો અને સેન્સર ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ વ્યાખ્યાનો આપશે. વધુમાં, સહભાગીઓ માટે ઈસરો ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ઈ.આઈ. વલ્લભ વિદ્યાનગર લોકલ ચેપ્ટર, ગુજકોસ્ટ, આઈએસટીઈ ફેકલ્ટી ચેપ્ટર, કોરેલ ટેકનોલોજી, આઈ.આઈ.સી., ઈ-ઈન્ફોચિપ અને ચિપ ઈન સેન્ટર બેંગ્લોરનો સહયોગ મળ્યો હતો. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ ADIT કોલેજને આ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
જામનગરમાં મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓએ મતદાનના શપથ લીધા:આગામી ચૂંટણી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જામનગરમાં આગામી ૨૬ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓ માટે એક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, વૃદ્ધાશ્રમની મહિલાઓને મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમને મતદાન કઈ રીતે કરવું તે વિશે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મતદાનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતની વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપ સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આ ચૂંટણી વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ (ભાજપ) અને ધારાસભ્ય અનંત પટેલ (કોંગ્રેસ) વચ્ચે મુખ્ય સ્પર્ધા બની છે. ભાજપના સાંસદ ધવલ પટેલે સઘન પ્રચાર કરતા દાવો કર્યો છે કે વાંસદામાં પરિવર્તનની લહેર છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા 5-6 દિવસમાં 18થી વધુ જનસભાઓ યોજીને તેમણે સમગ્ર વાંસદા વિસ્તારને આવરી લીધો છે. ધવલ પટેલે ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની વિગતો આપી હતી. જેમાં NH-56 માટે ₹647 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ₹500 કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે. તેમણે 77 વર્ષથી અટકેલા કાલાઆંબા-વાટી બ્રીજનો પ્રશ્ન હલ કરીને તેનું કામ શરૂ કરાવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાજપ 7 માંથી 7 જિલ્લા પંચાયત અને 28 માંથી 28 તાલુકા પંચાયત બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે, ભરબપોરે કડક તાપમાં પણ ઉમટી પડતી ભીડ સાબિત કરે છે કે લોકોનો ભાજપ પર ભરોસો વધ્યો છે. આ વખતે કોંગ્રેસ અને AAP બંનેના ડિપોઝીટ ડૂલ થશે. બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપના પ્રચારને ખાળવા માટે 'માઈક્રો પ્લાનિંગ' શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અનંત પટેલે પીવાનું પાણી, જર્જરિત શાળાઓ, આંગણવાડી અને GEBના વીજળીના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું. તેમણે જૂના અનુભવી અને નવા યુવાન ચહેરાઓના સંયોજન સાથે મેદાનમાં હોવાનું અને 75%થી વધુ ડોર-ટુ-ડોર સંપર્ક પૂર્ણ કર્યો હોવાનું ઉમેર્યું. રાત્રે 11 વાગ્યા સુધી જનસભાઓ દ્વારા લોકોનો સીધો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ તાલુકા પંચાયતમાં વકરેલા ભ્રષ્ટાચાર અને 'નલ સે જલ' યોજનાની અનિયમિતતાઓને લોકો સમક્ષ ઉજાગર કરી રહી છે. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, “અમે ગઢ બચાવવા નહીં પણ ગઢ યથાવત રાખવા લડીએ છીએ. ભાજપ ગમે તેટલા ડુંગરા ખૂંદે, પણ જનતા ન્યાય માટે લડનારાની સાથે જ રહેશે.”
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો જોર લગાવી રહ્યા છે. આ અંતર્ગત, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વડગામ પહોંચ્યા હતા. તેમણે વડગામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના પ્રચાર માટે વડગામ APMC નજીક એક જંગી જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો પણ મતદારોને ગણાવ્યા હતા. સંઘવીએ મતદારોને ભાજપના નિશાન પર મતદાન કરીને પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.
ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય
Char Dham Yatra 2026 : ભારતની સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થયાત્રાઓમાંની એક એવી ચારધામ યાત્રા-2026નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં મંદિરના દ્વાર ખુલતાની સાથે જ લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક ડારી ગામ તરફ જતા રસ્તા પર આવેલા એક ગેરેજમાં બપોરે અંદાજે 2 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે મુકાયેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઉંમરભાઈ જીકાણીના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલા વાહનોમાં અચાનક આગ લાગતા જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના હરપાલસિંહ ખેર અને જતીન્દ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી ટૂંકા ગાળામાં આગને કાબૂમાં લીધી હતી. ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના પરિણામે આસપાસની મિલકતોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. જોકે, આ ઘટનામાં રિપેરિંગ માટે આવેલી એક આઈ-20 કાર તેમજ ફિશ કંપનીની મચ્છીની બોગી સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી જતા ભસ્મીભૂત થઈ ગઈ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે છે, જે અંગે પોલીસ તથા સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા જુગારના અખાડા પર બી ડિવિઝન પોલીસે સફળ દરોડો પાડ્યો છે. પીઆઇ એ.બી. ચૌધરી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે અસ્મીતાબેન પ્રવીણભાઈ પટેલ નામની મહિલા પોતાના મકાનમાં અન્ય મહિલાઓને બોલાવીને અંગત ફાયદા માટે જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે પોલીસે નાયબ પોલીસ અધીક્ષક પાસેથી ખાસ સર્ચ વોરંટ મેળવી સહજાનંદ સોસાયટીના ગરબી ચોક પાસે આવેલા મકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ સમયે મકાનની અંદર લાઈટ પંખા ચાલુ રાખીને અનેક મહિલાઓ પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલી કુલ 11 મહિલાઓની અટકાયત કરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસને રોકડા રૂપિયા 41,500, આઠ નંગ મોબાઈલ ફોન જેની કિંમત 40,000 તેમજ ત્રણ મોટરસાયકલ જેની કિંમત 1,10,000 મળીને કુલ 1,91,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપીઓમાં મુખ્ય સંચાલક અસ્મીતાબેન પટેલ ઉપરાંત મધુરમ વિસ્તારની રાણીબેન વાઢેર, રીનાબેન અટારા અને કીંજલબેન મકવાણાનો સમાવેશ થાય છે. આ સિવાય ઝાંઝરડા રોડ પરથી શારદાબેન આસોદરીયા અને પુષ્પાબેન અદોદરીયા તેમજ તળાવ દરવાજા પાસે રહેતા નયનાબેન ટાંક પણ જુગાર રમતા ઝડપાયા હતા. અન્ય મહિલાઓમાં હર્ષદનગરના ઇમરાનાબેન પુછડા, સહજાનંદ સોસાયટીના શીતાબેન ધીરવાણી, જોષીપરાના આશાબેન શાહ અને ખામધ્રોળ રોડના નીશાબેન જુમાણીની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ મહિલાઓ ઘરકામ વ્યવસાય સાથે સંકળાયેલી છે અને મધ્યમ તેમજ ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે. પોલીસે આ સમગ્ર મામલે જુગાર ધારા એક્ટની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હુણ અને કોન્સ્ટેબલ મુકેશભાઈ મકવાણાની બાતમી મુખ્ય રહી હતી. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા આ પ્રકારના જુગારધામ પર પોલીસની આ મોટી કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલ તમામ મહિલાઓ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બનીને આગળની તપાસ તજવીજ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
કુકરમુંડા પોલીસે મુંબઈના સાયબર ઠગને ઝડપ્યો:ઓનલાઈન ગિફ્ટ હેમ્પરના નામે રૂ. 2.50 લાખની છેતરપિંડી આચરી
કુકરમુંડા પોલીસે ઓનલાઈન ગિફ્ટ હેમ્પરના નામે રૂ. 2.50 લાખની છેતરપિંડી આચરનાર મુંબઈના એક સાયબર ઠગને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ નિર્દોષ લોકોને કમિશનની લાલચ આપીને નિશાન બનાવ્યા હતા. પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમગ્ર ઘટના 23 ઓગસ્ટ, 2025ના રોજ શરૂ થઈ હતી, જ્યારે આરોપી મોહમદ યુસુફ અબ્દુલ સિદ્દિકી (રહે. મલાડ પૂર્વ, મુંબઈ) એ ફરિયાદીને ગિફ્ટ હેમ્પર બનાવીને તેમાં સારું કમિશન મળશે તેવી લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાના બેંક ઓફ બરોડા (કુકરમુંડા શાખા) ના ખાતામાંથી તેમજ તેમના પિતરાઈ ભાઈ અને મિત્રના UPI અને ગૂગલ-પે એકાઉન્ટ દ્વારા અલગ-અલગ સમયે કુલ રૂ. 2,50,000/-નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. પૈસા મેળવી લીધા બાદ આરોપીએ ન તો ગિફ્ટ હેમ્પર આપ્યા કે ન તો રૂપિયા પરત કર્યા. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, 20 એપ્રિલ, 2026ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાંથી આરોપી મોહમદ યુસુફ અબ્દુલ સિદ્દિકી (ઉંમર 26) ને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 316(2), 318(4) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C), 66(D) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ શશાંક સિંઘ અને ગૌતમ મુલચંદ ગુપ્તાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. આઈ.ડી. દેસાઈ સાથે હેડ કોન્સ્ટેબલ રવિ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ, કમલેશ અને જનક જોડાયા હતા. સાયબર ક્રાઈમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે કુકરમુંડા પોલીસની આ ત્વરિત કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
આણંદ-વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી અને મુંબઈના Virtuoskill વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ અને Virtuoskillના CEO કલ્યાણ રામને આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ MOU ઉચ્ચ શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સેતુ બનાવવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે.આ સમજૂતી અંતર્ગત, સરદાર પટેલ યુનિવર્સિટીના વ્યવસાય વ્યવસ્થાપન, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સહિતના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ Virtuoskill પ્લેટફોર્મ પર ઉદ્યોગ-સુસંગત સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ માટે સ્વૈચ્છિક રીતે નોંધણી કરાવી શકશે. આ ખાસ કરીને બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્રમાં પ્લેસમેન્ટ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક પૂરી પાડશે. બંને પક્ષો સંયુક્ત રીતે એવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વિકસાવશે જે વિદ્યાર્થીઓને વાસ્તવિક ઉદ્યોગ-કૌશલ્ય સાથે તૈયાર કરશે.આ પ્રસંગે Virtuoskillના CEO કલ્યાણ રામને જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી. વિદ્યાર્થીઓએ ઉદ્યોગ-ક્ષેત્ર માટે સુસજ્જ બનવું અત્યંત આવશ્યક છે. Virtuoskill નું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ સાથે કદમ મિલાવવા અને રોજગારીની નવી ક્ષિતિજો ખોલવા માટે સક્ષમ બનાવે છે.આ MOU હસ્તાક્ષરની તારીખથી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના વડા ડૉ. દર્શના દવેના પ્રયત્નો અને સક્રિય પહેલને કારણે આ MOU સાકાર થઈ શક્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટી અને Virtuoskillનો આ સંયુક્ત પ્રયાસ ગુજરાતના યુવાનોને ડિજિટલ ક્ષેત્રે આત્મનિર્ભર અને સફળ બનાવવાની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ છે. આ કરારથી વિદ્યાર્થીઓ માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકશે.
નવસારીના સુપા ગામમાં શાકભાજીનો વ્યવસાય કરતા એક યુવક સાથે ફેસબુક મિત્રના નામે રૂ. 3.12 લાખની સાયબર ઠગાઈ થઈ છે. સાઉદી અરેબિયાથી મિત્ર ભારત આવવાનો છે અને જેલમાં ફસાયો હોવાનું નાટક રચી ઠગોએ આ છેતરપિંડી આચરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ નવસારીના સુપા ગામે રહેતા ચંદ્રશેખર બિરબલી બીંદ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. ગત 30 ડિસેમ્બરે તેમને ફેસબુક પર 'શાહનવાબ અહમદ' નામના આઈડી પરથી મેસેજ મળ્યો હતો. શાહનવાબ તેમના ગામનો મિત્ર હોવાથી અને હાલ સાઉદીમાં હોવાથી ચંદ્રશેખરને વિશ્વાસ બેસી ગયો હતો. ઠગે જણાવ્યું કે, તે ભારત આવવાનો છે અને રૂ. 3 લાખ ચંદ્રશેખરના ખાતામાં મોકલવા માંગે છે, જે તે ભારત આવીને પરત લઈ લેશે. ઠગે સાઉદી સેન્ટ્રલ બેંકમાંથી રૂ. 4.35 લાખ ટ્રાન્સફર થયા હોવાનો ખોટો સ્ક્રીનશોટ મોકલી વિશ્વાસ જીત્યો. ત્યારબાદ અલગ-અલગ આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ કરી ચંદ્રશેખરને જણાવાયું કે, પૈસા 24 કલાકમાં જમા થઈ જશે. થોડીવારમાં ઠગે મેસેજ કર્યો કે 'હું પોલીસ કેસમાં ફસાઈ ગયો છું, મને છોડાવવા પૈસા આપો.' તેણે હાજી બિલાલ નામના કથિત એજન્ટનો નંબર પણ આપ્યો હતો. મિત્રને મુસીબતમાંથી છોડાવવા માટે ચંદ્રશેખરે પોતાના સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી ટુકડે-ટુકડે પૈસા મોકલવાનું શરૂ કર્યું. ઠગોએ એટલું માનસિક દબાણ બનાવ્યું કે ચંદ્રશેખરે પોતાના મિત્રો અને સાળા પાસેથી પણ પૈસા ઉધાર લઈને ટ્રાન્સફર કર્યા. 30 અને 31 ડિસેમ્બર દરમિયાન કુલ રૂ. 3,12,389 ટ્રાન્સફર કરાવાયા હતા. આ રકમ કેનેરા બેંક એકાઉન્ટ અને એક્સિસ, RBL, યસ બેંકના ક્રેડિટ કાર્ડમાં પણ ચૂકવવામાં આવી હતી. વધુ રૂ. 13,000ની માંગણી થતા ચંદ્રશેખરને શંકા ગઈ. તેમણે વતનમાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે, અસલી શાહનવાબ અહમદ તો સાઉદીમાં સુરક્ષિત છે અને તેણે કોઈ પૈસા માંગ્યા નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ તેમણે સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી. નવસારી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વોર્ડ નંબર 15માં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે. કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાએ ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાના ભાઈ અને મોરબી એસીબી (ACB) ના પીઆઈ સામે આચારસંહિતા ભંગનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ફરિયાદને પગલે તંત્રએ ત્વરિત કાર્યવાહી કરતા સંબંધિત અધિકારીને ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. કોંગ્રેસના આક્ષેપો બાદ પીઆઈને હાજર થવા આદેશકોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને પૂર્વ મંત્રી દિનેશ પરમારે રજૂઆત કરી છે કે, મોરબી એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હરેશ હેરભા રજા લઈને છેલ્લા 10 દિવસથી રાજકોટમાં પોતાના ભાઈ નિલેશ હેરભા (ભાજપ ઉમેદવાર) માટે પ્રચાર કરી રહ્યા છે. સરકારી હોદ્દા પર હોવા છતાં પ્રોટોકોલ તોડીને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય થવાનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હતો. સાગઠિયાએ મોરબી કલેક્ટર અને રાજકોટ એસીબી ડેપ્યુટી ડાયરેક્ટરને પુરાવા સાથે રજૂઆત કર્યા બાદ, તંત્રએ પીઆઈને તાત્કાલિક અસરથી મોરબી ખાતે હેડક્વાર્ટર પર હાજર થવાનો આદેશ આપ્યો છે. ભાજપે 'આક્ષેપો પાયાવિહોણા' ગણાવ્યાભાજપના ઉમેદવાર નિલેશ હેરભાએ આ તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, હરેશ હેરભા સગા ભાઈ હોવાને નાતે માત્ર એક વાર મળવા આવ્યા હતા, જેને પ્રચારમાં ખપાવી દેવો તે ખોટું છે. કોંગ્રેસ વોર્ડ 15માં પોતાની હાર ભાળી ગઈ હોવાથી હતાશામાં આવીને સરકારી અધિકારીઓ અને પરિવારને નિશાન બનાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના ભાઈઓ વર્ષોથી જનસંપર્ક કાર્યાલય દ્વારા લોકોની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. વોર્ડ 15 કોંગ્રેસનો ગઢ કે ભાજપની એન્ટ્રી?વોર્ડ 15 હંમેશા રાજકોટમાં કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાય છે. વશરામ સાગઠિયાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાજપ ભલે ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ જનતા કોંગ્રેસની સાથે જ છે. તેમણે પક્ષ પલટો કરનારા નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, પ્રવીણ સોરાણી જેવા નેતાઓ પક્ષ છોડીને જાય તેનાથી કોંગ્રેસને કોઈ ફેર પડવાનો નથી. ભૂતકાળમાં પણ ઘણા લોકો ગયા છે, પરંતુ મતદારોએ હંમેશા પંજા પર જ ભરોસો મૂક્યો છે. અગાઉની કોર્પોરેશન ચૂંટણીમાં પણ આ વોર્ડે 72 કોર્પોરેટરોમાંથી સૌથી વધુ લીડ આપીને કોંગ્રેસની પેનલને વિજયી બનાવી હતી. ભાજપે પ્રચાર કરવા બહારના હોદ્દેદારોને મેદાનમાં ઉતાર્યાબીજી તરફ, કોંગ્રેસના અન્ય ઉમેદવાર મકબુલ દાઉદાણીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપ આ વોર્ડમાં એટલી નબળી પડી ગઈ છે કે તેમને પ્રચાર કરવા માટે બહારના જિલ્લાઓ અને અન્ય જ્ઞાતિના હોદ્દેદારોને મેદાનમાં ઉતારવા પડ્યા છે. જો ભાજપ ખરેખર મજબૂત હોત તો તેમણે રાજકોટ શહેરના હોદ્દેદારોની મદદ લેવાની જરૂર ન પડત. સાથે જ તેમણે દાવો કર્યો કે જનતાનો બહોળો પ્રતિસાદ કોંગ્રેસને મળી રહ્યો છે અને આ વખતે પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં જ આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ વોર્ડ 15માં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ છે. એક તરફ કોંગ્રેસ સરકારી મશીનરીના દુરુપયોગનો મુદ્દો ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપ તેને કોંગ્રેસની હારનો ડર ગણાવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ તપાસ અને રાજકીય ઘર્ષણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
નવસારી પોલીસે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ 15 દિવસીય ડ્રાઈવ દરમિયાન, LCB અને સ્થાનિક પોલીસે મળીને પેરોલ જમ્પ કરનારા અને વિવિધ ગુનાઓમાં ફરાર 30 આરોપીઓની ધરપકડ કરી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે અને ગુનાહિત તત્વો મતદાનને પ્રભાવિત ન કરે તે સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ 7 એપ્રિલ, 2026 થી 21 એપ્રિલ, 2026 દરમિયાન ચલાવવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાસતા-ફરતા આરોપીઓ, પેરોલ કે ફર્લો પરથી ફરાર થયેલા અને જેલમાંથી ભાગી ગયેલા ગુનેગારોને પકડવાનો હતો. આ ઓપરેશન માટે LCBના સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાને એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. LCB ટીમે, જેમાં PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી અને PSI એમ.બી. ગામીતનો સમાવેશ થાય છે, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કામગીરી કરી હતી. LCB નવસારીએ 19 આરોપીઓને પકડ્યા હતા, જ્યારે જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો અને શાખાઓ દ્વારા 11 આરોપીઓ ઝડપાયા હતા, આમ કુલ 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ફરાર આરોપીઓ ઘણીવાર ચૂંટણી દરમિયાન ભયનું વાતાવરણ ઊભું કરતા હોય છે અથવા મતદાન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરતા હોય છે. આ ડ્રાઈવ દ્વારા આવા તત્વોને શોધીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જેથી જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીનું વાતાવરણ જળવાઈ રહે. નવસારી પોલીસની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે.
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા મતદારોનો મિજાજ બદલાતો જોવા મળી રહ્યો છે. નંદેલાવ પંચાયત વિસ્તારમાં આવેલી ગણેશ ટાઉનશીપના રહીશોએ જાહેરમાં વિરોધ પ્રદર્શન કરી બેનરો લગાવ્યા છે, જેના કારણે રાજકીય પક્ષોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી ૨૬ એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા પૂર્વે જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે મતદારો વિકાસના મુદ્દે વધુ સજાગ બન્યા હોવાનું જણાઈ રહ્યું છે. ગણેશ ટાઉનશીપના રહીશોએ તેમના વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ સામે સોસાયટીમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સ્પષ્ટ સંદેશ છે કે, “પ્રજાની એક જ માંગ… પહેલા કામ કરો, પછી જ મત માંગવા આવો.” આ વિરોધ ભોલાવ જિલ્લા પંચાયત બેઠક અને નંદેલાવ પંચાયત વિસ્તારમાં રાજકીય ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. રહીશોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ વિસ્તારમાં દેખાય છે, જ્યારે વર્ષો સુધી મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. આ વખતે મતદારો પોતાના હક્ક માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે અને જવાબદારી નિભાવવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આવા વિરોધ પ્રદર્શનો રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. મતદારોના આ બદલાતા મિજાજને કારણે ઉમેદવારો માટે આ ચૂંટણી સરળ નહીં રહે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
જલાલપોરના કોથમડીમાં દીવાલ પર દીપડો દેખાયો:પશ્ચિમ પટ્ટીના ગામોમાં ફફડાટ, વન વિભાગે સર્ચ શરૂ કર્યું
જલાલપોર તાલુકાના કોથમડી ગામે ગત રાત્રે એક દીપડો દીવાલ પર બેઠેલો જોવા મળ્યો હતો. આ ઘટનાથી પશ્ચિમ પટ્ટીના ગામોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. વન વિભાગે દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 8:30 કલાકના અરસામાં દીપડો ગામમાં એક ઘરની દીવાલ પર શાંતિથી બેઠેલો નજરે પડ્યો હતો. સ્થાનિક રહીશે આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જલાલપોરના પશ્ચિમ વિસ્તારના ગામોમાં દીપડા દેખાવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. અગાઉ પણ પશુઓના મારણની ઘટનાઓ બની હોવાથી ખેડૂતો અને શ્રમજીવીઓ રાત્રિના સમયે ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. કોથમડીના આ તાજેતરના વીડિયોએ ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે. ઘટનાની જાણ થતાં જ નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જની ટીમ સક્રિય થઈ ગઈ છે. વન વિભાગ દ્વારા દીપડાના લોકેશનના આધારે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જરૂર જણાય ત્યાં પાંજરું ગોઠવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
જામનગર પાસે ફ્યુલ ભરેલું ટેન્કર પલટ્યું:લાલપુર બાયપાસ પર ફ્યુલ ઢોળાતા વિસ્તાર સીલ, વાહનવ્યવહાર બંધ
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ફ્યુલ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. આ ઘટનાને કારણે ટેન્કરમાંથી ફ્યુલ લીકેજ થવા લાગ્યું હતું, જેને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. જી.જે ૨૭ ટી જી ૬૯૦૫ નંબરનું આ ટેન્કર આઈઓસી કંપનીમાંથી ફ્યુલ ભરીને લઈ જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે, ઉપરોક્ત વિસ્તારનો એક તરફનો વાહનવ્યવહાર બંધ કરાવી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. આઈઓસી કંપનીની ટીમ પણ લીકેજ બંધ કરવા માટે યુદ્ધના ધોરણે કાર્યરત થઈ હતી. કોઈ અન્ય આગ કે અકસ્માતનો બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
સુરતના ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં છેતરપિંડીના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને 9.70 લાખની ઠગાઈ થઈ છે. તો બીજી તરફ ઘરના ધાબે સોલાર પેનલ લગાવવાના નામે એક મહિલા પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ બંને કિસ્સાઓમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. PM આવાસના નામે 9.70 લાખની લૂંટસુરતના લિંબાયત પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ડિંડોલીમાં રહેતા મયુર પાટીલ નામના શખ્સે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ આચર્યું છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા હિરાદેવી પૌનીકર અને તેમના સંબંધીઓને વિશ્વાસમાં લઈને આરોપીએ પોતાની ઝેરોક્સની દુકાન પરથી ઠગાઈની જાળ બિછાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તે સરકારી પ્રક્રિયા દ્વારા સસ્તા આવાસ અપાવી શકે છે. આ લાલચમાં આવીને ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાની મહેનતની કમાણી આરોપીના હાથમાં સોંપી દીધી હતી. ખોટી રસીદો આપી અનેક પરિવારોને વિશ્વાસમાં લીધાઆરોપી મયુર પાટીલની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેણે ફરિયાદી હિરાદેવી પાસેથી 1.60 લાખ, તેમના ભાઈ જયરામ પાસેથી 4.80 લાખ અને અન્ય સંબંધીઓ પાસેથી મળી કુલ 9.70 લાખ રૂપિયા વસૂલ્યા હતાં. આ રકમ લીધા બાદ લોકોને શંકા ન જાય તે માટે તેણે ખોટી રસીદો પણ પધરાવી દીધી હતી. જ્યારે પણ લોકો મકાન વિશે પૂછતા ત્યારે તે 'પ્રક્રિયા ચાલુ છે' તેમ કહીને સમય પસાર કરતો હતો. અંતે, કોઈ પરિણામ ન મળતા ભોગ બનનાર પરિવારોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. સોલાર પેનલ લગાવવાના નામે મહિલા સાથે 2 લાખની છેતરપિંડીબીજી ઘટના ડિંડોલીની સાઈ દર્શન સોસાયટીમાં બની છે. અહીં રહેતા રેખાબેન નાગર નામના મહિલાએ ગણેશ મલ્લેયા ગુડલા નામના શખ્સ સામે રૂ. 2 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સપ્ટેમ્બર 2025થી આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં આરોપીએ મહિલાના ઘરે સોલાર પેનલ ફીટ કરી આપવાનો વાયદો કર્યો હતો. આજકાલ સોલાર પેનલની માગ વધતા ઠગબાજોએ હવે આ ક્ષેત્રને પણ પોતાનું નિશાન બનાવ્યું હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે. પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપીરેખાબેને જ્યારે વારંવાર કામ પૂરું કરવા માટે દબાણ કર્યું, ત્યારે આરોપી ગણેશ ગુડલાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. કામ પૂરું ન થતા જ્યારે પરિવારે પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીએ ગાળાગાળી કરી અને 'તારું કામ નહીં થાય, જે કરવું હોય તે કરી લે' કહી ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ 20 એપ્રિલ 2026ના રોજ પોલીસનો આશરો લીધો હતો. આ કિસ્સો દર્શાવે છે કે ઠગબાજો હવે માત્ર પૈસા પડાવતા નથી, પરંતુ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને શાંત રાખવાનો પણ પ્રયાસ કરે છે. આરોપીઓની ધરપકડ કરવા પોલીસ તપાસ શરૂઆ બંને કિસ્સાઓમાં સુરત પોલીસે ગુના નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. PM આવાસ યોજનાના નામે છેતરપિંડી કરનાર મયુર પાટીલ અને સોલાર પેનલના નામે છેતરપિંડી કરનાર ગણેશ ગુડલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે મયુર પાટીલે આ સિવાય પણ અન્ય અનેક લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરી હોઈ શકે છે. પોલીસ હાલ આરોપીઓની ધરપકડ કરવા અને નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવા મથામણ કરી રહી છે.
નાયબ કલેક્ટરે બે ગામોમાં તલાટી દફતર તપાસ્યા:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી પ્રાકૃતિક ખેતી સમજાવી
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના રામપરા (ચોબારી) અને મૂળી તાલુકાના દિગસર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી-કમ-મંત્રીના દફતરની તપાસણી કરી હતી. દફતર તપાસણીમાં સામાન્ય દફતર અને એપેન્ડિક્સ 'એ' ફોર્મ ભરવામાં આવ્યા હતા. કલેક્ટર મકવાણાએ ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા, જેમાં પીવાના પાણી, દબાણ, પાણી ચોરી અને દિગસર તળાવની પાળ તોડી ભૂંગળા નાખવાથી ખેડૂતોને થતા નુકસાન જેવા મુદ્દાઓ મુખ્ય હતા. આ પ્રશ્નો અંગે તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તપાસ કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન, નાયબ કલેક્ટરે ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, પદ્ધતિઓ અને તેનાથી થતા રોગોથી બચવાના ઉપાયો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સમજાવ્યા હતા. આ ઉપરાંત, શિક્ષણનું મહત્વ સમજાવી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વાલીઓને પણ સમજાવ્યા હતા. દફતર તપાસણી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી 1. ગામ નમૂના નંબર 1: ખેતીવાડી પત્રક 2. ગામ નમૂના નંબર 8 (ક): શિક્ષણ ઉપકર 3. ગામ નમૂના નંબર 9: રોજમેળ તથા પહોંચનું પત્રક 4. ગામ નમૂના નંબર 10: ચલણ 5. ગામ નમૂના નંબર 14: જન્મ-મરણ રજીસ્ટર 6. ગામ નમૂના નંબર 14 (ડ): ઢોરોનું રજીસ્ટર 7. ગામ નમૂના નંબર 17: આવક-જાવક રજીસ્ટર 8. ગામ નમૂના નંબર 18: સરક્યુલર ફાઇલ આ તપાસણીમાં ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો, રોગચાળા, પહોંચબુક, ગામના નકશા અંગેની માહિતી યોગ્ય રીતે રાખવામાં આવે છે કે કેમ તેની ચકાસણી થઈ હતી. તલાટી-કમ-મંત્રી નિયમિત ગામે જાય છે, ડાયરી લખે છે અને પંચાયતની મિલકતની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતભરમાં 700થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. આ પ્રક્રિયાના વિરોધમાં અમરેલીના જેસિંગપરા સ્થિત શિવાજી ચોકમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા 'લોકશાહીનું બેસણું' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ચૂંટણી ટાણે પક્ષો સભાઓ યોજી મત માંગતા હોય છે, પરંતુ કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરીને મતદારોનું ધ્યાન ખેંચ્યું હતું. પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહારકાર્યક્રમ દરમિયાન પરેશ ધાનાણીએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા ભાજપને 'સત્તા ભૂખ્યા વરુ' તરીકે સંબોધ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મતાધિકાર જબરદસ્તીથી છીનવી લેવાનો આ એક હીન પ્રયાસ છે. જનમેદનીને સંબોધતા તેમણે અપીલ કરી હતી કે, ખોટાને નહીં, પરંતુ 'નોટા' (NOTA) ને પસંદ કરો. અમરેલી ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે કોંગ્રેસે આક્રમક પ્રચાર દ્વારા સત્તા પરિવર્તન માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપનો વિકાસલક્ષી પ્રચારબીજી તરફ, ભાજપ દ્વારા વિપક્ષના આક્ષેપો સામે મૌન સેવીને સીધો જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. અમરેલી શહેરમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા 'ડોર-ટુ-ડોર' પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણીમાં પડ્યા વગર માત્ર 'વિકાસની રાજનીતિ'ના મુદ્દાને આગળ ધરીને મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.
આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 18 ના વિક્રમનગર-3 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી સર્જાયેલી પાણીની તીવ્ર અછતને પગલે સ્થાનિક રહીશોએ આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો. ધોમધખતા ઉનાળામાં છેલ્લા ચાર દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ શાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાણી માટે વલખાં મારતી જનતાવિક્રમનગર-3 ની છેલ્લી શેરીમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે. સ્થાનિક મહિલાઓએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ભીષણ ગરમીમાં છેલ્લા ચાર દિવસથી નળમાં ટીપું પાણી પણ આવ્યું નથી. પીવા માટે તેમજ રસોઈ અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી અનેક પરિવારો પોતાના સગા-સંબંધીઓના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે. 8 થી 10 દિવસથી ચાલી રહેલી આ અનિયમિતતાએ રહીશોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. વિકાસના દાવાઓ પર રાજકીય પ્રહારોઘટના સ્થળે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના 30 વર્ષના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ 'સ્માર્ટ સિટી'ના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધા સમાન પાણી માટે તરસી રહ્યા છે. રહીશોની ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગઆ મામલે 'આપ' દ્વારા વરાછા ઝોનના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા (SMC)ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પૂર્વવત કરવા માંગ કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીમાં જનતાની ધીરજ ખૂટી રહી છે ત્યારે તંત્રની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને પગલે લાગુ કરાયેલ આદર્શ આચાર સંહિતાના કારણે દર મહિને યોજાતા પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ આગામી ગુરુવાર તારીખ 23 એપ્રિલ 2026ના રોજ યોજાનાર આ કાર્યક્રમ હવે યોજાશે નહીં. 30 એપ્રિલે ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશેસરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ એપ્રિલ મહિનાનો રાજ્ય અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ હવે પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે. પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યોમહત્વપૂર્ણ બાબત એ છે કે, 30 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ પ્રજાજનોની રજૂઆતો સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા આ ફેરફાર અંગે તમામ સંબંધિતોને જાણ કરી, નવી તારીખની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યો છે, જેથી વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝનોર NTPCમાં ફાયર સર્વિસ સપ્તાહ સમાપ્ત:લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન દ્વારા જાગૃતિ પર ભાર
ભરૂચના ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ ખાતે CISF યુનિટ દ્વારા ૧૪ એપ્રિલથી શરૂ થયેલા ફાયર સર્વિસ સપ્તાહનું ૨૦ એપ્રિલે સફળતાપૂર્વક સમાપન થયું. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો, જેના સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન યોજાયું. સપ્તાહ દરમિયાન, CISF ફાયર વિંગ દ્વારા આગ નિવારણની આધુનિક તકનીકો અને પ્રાથમિક સારવાર અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ, તેમના પરિવારો અને આસપાસના ગામોની શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૂત્ર લેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સમાપન સમારોહનું મુખ્ય આકર્ષણ લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન હતું. આ પ્રદર્શનમાં આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા અને સલામતીના પગલાં લેવા અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ઉપસ્થિત લોકોને આગ જેવી આપત્તિમાં કેવી રીતે સતર્ક રહેવું અને યોગ્ય રીતે નિવારણ કરવું તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. કાર્યક્રમના અંતે સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાયું. પ્રોજેક્ટ હેડ દિનેશ કુમાર સિંહ રૌતેલાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ CISF ટીમનો આભાર વ્યક્ત કર્યો અને સલામતી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો. CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે પણ સૌને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.
હારીજમાં વૃદ્ધ વેપારી પાસેથી 2.80 લાખની લૂંટ:દુકાનથી ઘરે જતી વખતે છરી બતાવી બે શખસ ફરાર
પાટણ જિલ્લાના હારીજમાં એક વૃદ્ધ અનાજના વેપારી પાસેથી છરી બતાવીને રૂ. 2.80 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હારીજ મેઈન બજારમાં ભાવેશ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા 73 વર્ષીય જયંતિલાલ ભુરાલાલ ઠક્કર ગત 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના નવેક વાગ્યે પોતાના પુત્ર કિશોર સાથે દુકાન બંધ કરી રહ્યા હતા. દિવસ દરમિયાનના વેપારના રૂ. 2,80,000 રોકડા એક થેલામાં ભરીને તેઓ પોતાના જ્યુપિટર વાહન (નંબર GJ24AL2704) પર ઘરે જવા નીકળ્યા હતા. જયંતિલાલ જ્યારે બહુચર માતાજીના મંદિર થઈને પોતાની સિધ્ધયોગી રેસીડેન્સીના ગેટ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી કાળા કલરના એક્ટિવા પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ બંને શખ્સોએ વેપારીના વાહનને ઓવરટેક કરીને રસ્તા વચ્ચે પોતાનું એક્ટિવા ઉભું રાખી દીધું. વેપારીએ પોતાનું વાહન ધીમું પાડતા જ એક્ટિવા પાછળ બેસેલ શખ્સ નીચે ઉતર્યો અને છરી જેવું હથિયાર કાઢી વેપારીને ડરાવ્યા. લૂંટારુએ વેપારીના ગળા અને છાતીના ભાગે લટકાવેલા રૂપિયાના થેલાને ખેંચવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે વેપારી પોતાના વાહન સાથે નીચે પડી ગયા. વેપારીએ બૂમાબૂમ કરતા લૂંટારુએ છરી વડે થેલાના પટ્ટા કાપી નાખ્યા અને રૂ. 2,80,000ની રોકડ ભરેલો થેલો લઈને બંને શખ્સો એક્ટિવા પર બહુચર માતાજીના મંદિર તરફ ભાગી છૂટ્યા. આ ઘટના દરમિયાન લૂંટારુઓ એક્ટિવા સાથે નીચે પડી ગયા હોવા છતાં તુરંત ઉભા થઈને નાસી છૂટ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો અને વેપારીના પુત્રો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લૂંટ કરનાર બંને શખ્સો આશરે 20 થી 25 વર્ષની ઉંમરના હતા, જેમાં એકે લાલ અને બીજાએ કાળા રંગનું શર્ટ પહેર્યું હતું. વેપારીની ફરિયાદના આધારે હારીજ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઇ દેસાઇને સોંપવામાં આવી છે.
સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને વચગાળાની પેરોલ રજા પરથી ફરાર થયેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આરોપીને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી પકડીને અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો હતો. સાબરકાંઠા LCBના PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું હતું કે, 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં વિવિધ ગુનાઓમાં પેરોલ અને વચગાળાની રજા પરથી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB ટીમના ઘનશ્યામસિંહ અને અનિરુદ્ધસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસનો આરોપી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોર (રહે. 007 ટાટા હાઉસિંગ, વડસર, તા. કલોલ, જિ. ગાંધીનગર) પોતાના ઘરે હાજર છે. વર્ષ 2024માં અજય ઉર્ફે ચકો ઠાકોર અને રાહુલ ઉર્ફે ખિસકોલી સહિત ચાર આરોપીઓએ જૂની અદાવતના કારણે અમરજીત હોંસલાપ્રસાદ ચૌહાણ (ઉં.વ. 23)ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે તીક્ષ્ણ હથિયાર વડે અમરજીતના શરીર પર આશરે ત્રીસ જેટલા ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ગુનામાં આરોપીઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. વર્ષ 2025માં કેદી અજય ઠાકોરને 7 દિવસની વચગાળાની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે રજા પૂરી થયા બાદ જેલમાં પરત ફર્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે ફરાર કેદી નંબર 1583, અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને વડસર ખાતેથી પકડી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે.
નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા હક અને અધિકાર માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં જમીન ગુમાવવાના મુદ્દે સમાજે એકસૂરે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. નિર્ણાયક મતબેંક અને વધતો રોષનવસારીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજ દાયકાઓથી નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી મોટાભાગના વોર્ડમાં આદિવાસી બેઠકો ફાળવવામાં આવી છે. શહેરમાં અંદાજે 45,000 જેટલા આદિવાસી મતદારો નોંધાયેલા છે. હાલમાં સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકાસ જોઈએ, વિનાશ નહીંઆદિવાસી જનજાગૃતિ સમિતિના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે, નવસારીમાં સમાજની વસ્તી 70,000 થી 80,000 ની આસપાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સમાજ વિકાસનો વિરોધી નથી, પરંતુ વિકાસના નામે આદિવાસીઓને નુકસાન પહોંચાડવામાં આવશે તો તે ચલાવી લેવાશે નહીં. તમામ રાજકીય પક્ષોમાં પ્રતિનિધિત્વ હોવા છતાં પ્રશ્નો વણઉકેલ્યા રહેતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સ્થાનિક રહેવાસી ડિમ્પલ નાયકાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવસારીમાં 70% વસ્તી આદિવાસીઓની છે, છતાં હંમેશા તેમને જ વિસ્થાપિત થવું પડે છે. અમે આ જમીનના મૂળ માલિક છીએ અને હવે જાગૃત થયા છીએ. જો ઘર કે જમીન છીનવવાનો પ્રયાસ થશે તો અમે એક ઈંચ જમીન પણ આપીશું નહીં. જરૂર પડ્યે અમે મતદાનના બહિષ્કારનો નિર્ણય પણ લીધો છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણઆ વિરોધને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના વોર્ડ નંબર 13 ના ઉમેદવારે સ્વીકાર્યું હતું કે આદિવાસી સમાજના આંદોલનથી સરકાર ચિંતિત છે. તેમણે ખાતરી આપી હતી કે TP સ્કીમ (TPDP) અંગેના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિનિધિ મંડળ સાથે મળીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને મધ્યસ્થી કરી યોગ્ય માર્ગ કાઢવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસ પણ આ સળગતા મુદ્દે આદિવાસી મતો મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. નવસારીમાં હાર-જીતનો દારોમદાર આદિવાસી મતો પર રહેલો હોવાથી બંને મુખ્ય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે 28 એપ્રિલના રોજ આવનારા પરિણામો જ સ્પષ્ટ કરશે કે આદિવાસી સમાજનો અસંતોષ કઈ પાર્ટીને ભારે પડે છે.
અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન અને 28 એપ્રિલના પરિણામને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મહત્વના આંકડા અને વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે. મતદાર અને ઉમેદવારોના આંકડાઅમદાવાદમાં અંદાજે 38 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાં 19.67 લાખ પુરુષો અને 18.33 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. 48 વોર્ડની કુલ બેઠકો માટે 652 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે બે બેઠકો પર બિનહરીફ વરણી થઈ ચૂકી છે. કુલ 1553 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 877 રદ થયા હતા અને 22 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી વ્યવસ્થા અને EVM ની વિગતચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે મોટા પાયે સંસાધનો ફાળવવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં 30,000 વહીવટી કર્મચારીઓ, શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. ગરમીને ધ્યાને રાખી વિશેષ સુવિધાઓચૂંટણીના દિવસે કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. દરેક મતદાન અને મતગણતરી કેન્દ્રો પર પાણી અને ORS ની સુવિધા ઉપલબ્ધ રહેશે. મોબાઈલ મેડિકલ ટીમ અને ફર્સ્ટ એઈડ કીટની વ્યવસ્થા કરવામાં આવશે. મતદારોને ગરમીથી બચાવવા માટે કેન્દ્રો પર શેડ (માંડવા) બનાવી ઠંડકની વ્યવસ્થા કરવામાં આવશે.
વડોદરામાં પ્રાણી પ્રત્યે ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટી પાસે રહેતા ત્રણ ગલૂડિયાને ચાર મહિલાઓ દ્વારા કોથળામાં ભરી કારમાં લઈ જવાતા હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા અજાણી મહિલાઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. ચાર મહિલાઓએ મળી ત્રણ ગલૂડિયાને બોરીમાં પૂરી દીધા!બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, મૂળ અમદાવાદના અને ગુજરાત યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા તથા પ્રાણી કલ્યાણ સંસ્થાઓ સાથે જોડાયેલા સમીરભાઈ ચંદુભાઈ ગજ્જર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત તારીખ 15 એપ્રિલના સાંજના સમયે પંચમ ડુપ્લેક્સ, રઘુકુળ સ્કૂલ પાસે ચાર અજાણી મહિલાઓએ શ્વાનના ત્રણ નાના ગલુડિયાઓને પકડીને એક બોરીમાં પૂર્યા હતા. પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવીત્યારબાદ, એક ફોર-વ્હીલર કારના ચાલકે ત્યાં આવી આ ગલુડિયા ભરેલો બોરો કારમાં મૂકી દીધો હતો અને ગલુડિયાઓને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રાણી પ્રેમી સંસ્થા પીપલ ફોર એનિમલ-2 અને કેરએસ્ટે ફાઉન્ડેશનના સ્વયંસેવક ચંચલબેન વશીક દ્વારા આ વીડિયો સમીરભાઈને મોકલવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પ્રાણી પ્રેમી કાર્યકરો દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ગલુડિયાઓનો કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે, અબોલ જીવો પ્રત્યેની આ ક્રૂરતા બદલ સમીરભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે ગલુડિયાઓને ક્યાં લઈ જવામાં આવ્યા છે અને આ મહિલાઓ કોણ હતી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, વ્યારા ખાતે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી ચૂંટણીના દિવસે કાયદો-વ્યવસ્થા અને મતદાનની કામગીરીમાં વ્યસ્ત રહેલા કર્મચારીઓ તેમના મતાધિકારથી વંચિત ન રહે. વ્યારામાં આયોજિત આ પ્રક્રિયામાં વિવિધ વિભાગના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે લોકશાહીમાં દરેક મત કિંમતી છે, અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ અગાઉથી મતદાન કરીને પોતાની નૈતિક જવાબદારી નિભાવી છે. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. વહીવટી તંત્ર તમામ બેઠકો પર તટસ્થ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા સજ્જ છે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ હવે સામાન્ય જનતા માટેના મતદાનના દિવસની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ નારાજગીની વાત નકારી:દીકરીને ટિકિટ ન મળવા છતાં ભાજપના ઉમેદવારોને જીતાડવા હાકલ
રાજપીપળા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે સાંસદ મનસુખ વસાવા તેમની દીકરીને ટિકિટ ન મળવાને કારણે નારાજ હોવાની વિપક્ષ દ્વારા ફેલાવાતી અફવાઓનું તેમણે જાહેરમાં ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ દિલ્હીમાં સંસદ સત્રમાં હાજર હતા અને હવે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. સાંસદ વસાવાએ જણાવ્યું કે, તેમની દીકરી સક્ષમ હોવા છતાં પાર્ટીના નિયમો મુજબ ટિકિટ મળી ન હતી, જેમાં કોઈ મોટી વાત નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમારા માટે પાર્ટી મહાન છે. મારા શરીરના લોહીના છેલ્લા ટીપામાં પણ ભાજપ જ છે. દિલ્હીથી પરત ફર્યા બાદ તેમણે નેત્રંગમાં સભા સંબોધી હતી. તેમણે વિપક્ષોને પડકાર ફેંકતા કહ્યું કે, મનસુખ વસાવા મેદાનમાં જ છે. તેમણે આશા વ્યક્ત કરી કે જિલ્લા, તાલુકા અને પાલિકાઓની તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે અને વિપક્ષોનો સફાયો થઈ જશે. તેમણે ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવી અને કહ્યું કે પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે, તેથી તેમના કે તેમના પરિવાર માટે ભાજપ સિવાય કોઈ કામગીરી નથી. વસાવાએ વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવાના નજીકના મોટાભાગના આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપની વિચારધારા સાથે જોડાયા છે. તેઓ સમજી ગયા છે કે ગામ કે તાલુકામાં વિકાસ કરવો હોય તો ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ચૈતર વસાવા જે પુલ પરથી ચાલીને ઘરે જાય છે, તે રસ્તો અને બ્રિજ ભાજપ સરકારે બનાવ્યો છે, જે તેમણે રજૂઆત કરીને મંજૂર કરાવ્યો હતો. સાંસદે ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની યાદી આપી, જેમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો, લાઇબ્રેરીઓ સહિત મોટા શૈક્ષણિક વિકાસ, રોડ-રસ્તા, પાણી અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારત બનાવશે, જેમાં કોઈ બે મત નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ ૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ મતદાન મથકો પર કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ-શાંતિ જાળવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આ જાહેરનામા અનુસાર, મતદાનના દિવસે દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશ દ્વાર પાસે નિયત લાઇનમાં ઊભા રહીને શિસ્તબદ્ધ રીતે પ્રવેશ મેળવવાનો રહેશે. મહિલાઓ માટે અલગ લાઇન હશે અને દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સિનિયર સિટિઝન્સને મતદાનમાં અગ્રતા આપવામાં આવશે. મતદારે પોતાની લાઇન મુજબ ક્રમાનુસાર જ મતદાન મથકમાં પ્રવેશ કરી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મત આપ્યા બાદ મતદારોએ મતદાન મથક કે તેના પ્રતિબંધિત વિસ્તારમાં બિનજરૂરી રોકાયા વગર તુરંત ત્યાંથી રવાના થવું પડશે. આ જાહેરનામું આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના મતદાનના દિવસે સમગ્ર જિલ્લામાં જ્યાં ચૂંટણી યોજાનાર છે, તે તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ આદેશોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતનગરમાં રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપાયો:એકની ધરપકડ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડ તસિયા રોડ પરથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિતરાજસિંહને બાતમી મળી હતી કે, એક સીએનજી રિક્ષા (GJ-31-X-2387)માં વિદેશી દારૂ હિંમતનગર શહેર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સુંદરગઢ ગામની સીમમાં સ્ટેટ હાઈવે રોડ પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. બાતમીવાળી રિક્ષા આવતા તેને રોકવામાં આવી હતી. રિક્ષાની તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે અને પાછળની સીટમાં રાખેલા થેલાઓમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 111 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ₹47,320ની કિંમતનો દારૂ, ₹5,000નો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન અને ₹70,000ની કિંમતની સીએનજી રિક્ષા સહિત કુલ ₹1,22,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાત (ઉંમર 19, રહે. અણસોલ, તા. ભિલોડા, જિ. અરવલ્લી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફ્રીસ્ટાઇલ ડાન્સર કિરણ લેઈ આવ્યા હતા. મંગળવારે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને ડાન્સના વિવિધ સ્ટેપ્સ અને ટેકનિક્સ શીખવ્યા હતા. કિરણ લેઈનું વિદ્યાર્થિનીઓએ તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરીને તેમનું અભિવાદન કર્યું. સ્કૂલના આચાર્યએ સન્માનરૂપે કિરણ લેઈને એક કાર્ડ, ફૂલછડી અને તેમનું ચિત્ર ભેટ આપ્યું હતું. કિરણ લેઈ ઇંગ્લેન્ડના જાણીતા સ્ટ્રીટ ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે, જે તેમની અનોખી ડાન્સ સ્ટાઇલ માટે ઓળખાય છે. તેમણે ઉપસ્થિત સૌ સામે સ્ટેજ પર એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પછી, કિરણ લેઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સ્થાપિત કરીને તેમને વિવિધ ડાન્સ સ્ટેપ્સ અને ટેકનિક્સનું માર્ગદર્શન આપ્યું. આ ઇન્ટરએક્ટિવ સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નવી કળા શીખવાનો અવસર મેળવ્યો. બે કલાકના આ રોકાણ દરમિયાન કિરણ લેઈ વિદ્યાર્થીઓ માટે મનોરંજક અને પ્રેરણાદાયક સાબિત થયા હતા.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મેડિકલ સર્ટિફિકેટ છતાં પરીક્ષાથી વંચિત ABVPના કર્ણાવતી મહાનગર સહ-મંત્રી પ્રિયમ ભાટિયાએ જણાવ્યું કે, અનેક વિદ્યાર્થીઓ પાસે યોગ્ય મેડિકલ સર્ટિફિકેટ હોવા છતાં કોલેજ સત્તાધીશો તેમને પરીક્ષામાં બેસવા દેતા નથી. આ નીતિને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. '₹250 ની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે'વિદ્યાર્થી નેતાના જણાવ્યા અનુસાર, કોલેજ દ્વારા આયોજિત ઇવેન્ટ્સ કે કાર્યક્રમોમાં જે વિદ્યાર્થીઓ હાજર નથી રહેતા, તેમની પાસેથી ₹250 ની પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. જો પેનલ્ટી ન ભરે, તો તેમની એટેન્ડન્સ કાપી નાખવામાં આવે છે અને માર્કશીટ કે સર્ટિફિકેટ અટકાવવાની ધમકી આપવામાં આવે છે. પૈસા ઉઘરાવવાની વાતનો ઇનકાર કર્યોજ્યારે આ મુદ્દે પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે ઇવેન્ટના નામે પૈસા ઉઘરાવવાની વાતનો ઇનકાર કર્યો હતો. જોકે, ABVPએ જ્યારે આ બાબત લેખિતમાં આપવાની માંગ કરી, ત્યારે પ્રશાસને મૌન સેવી લીધું હતું. ABVPએ આંદોલનની ચીમકી ઉચ્ચારીABVP દ્વારા આજે કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પ્રિયમ ભાટિયાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.
હિંમતનગર: ચૂંટણી માટે PR, APR, FPO ને તાલીમ અપાઈ:પોલીટેકનીક કોલેજમાં મતદાન મથકની કામગીરી શીખવાડાઈ
હિંમતનગર: આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, હિંમતનગરની પોલીટેકનિક કોલેજના એકેડેમી બિલ્ડીંગ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવનાર પ્રિસાઈડીંગ ઓફિસર (PR), આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલી આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકાના 88 મતદાન મથકો પર ફરજ બજાવનારા 128 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 137 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 211 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગર તાલુકા પંચાયત અને સાત જિલ્લા પંચાયત બેઠકોના 269 મતદાન મથકો માટે 306 પ્રિસાઈડીંગ ઓફિસર (PR), 330 આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર (APR) અને 580 ફીમેલ પોલિંગ ઓફિસર (FPO) ને પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન મથક પર પહોંચ્યા પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરી કેવી રીતે સુચારુ રીતે પાર પાડવી તે અંગેની જાણકારી આપવાનો હતો. તાલીમ સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી એમ બે સેશનમાં યોજાઈ હતી.
શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્વેલર્સ સર્કલ પાસે આવેલી સરદાર પટેલ સોસાયટી-1માં એક પરિવાર માત્ર પોણા બે કલાક માટે જમણવારમાં ગયો અને તસ્કરોએ ઘરનો નકુચો તોડી ₹1,97,709 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની વિગતો: ક્યારે અને કેવી રીતે બની ચોરી?સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ઉષાબેન જોષીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 7 એપ્રિલના રોજ તેમના પતિ નોકરી પર હતા. બપોરે 12.15 કલાકે ઉષાબેન તેમના પુત્ર અને દિયરની દીકરી સાથે રેલવે ટર્મિનસ પાસે વાડીમાં જમવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં રાખેલો સામાન વેરવિખેર કરી દાગીના ચોરી નાસી છૂટ્યા હતા. શું-શું ચોરાયું?તસ્કરો કબાટમાંથી સોનાની બે ચેઈન, બે ચુડી, પોંચી, પાંચ ચુક, કાનની સર, ઓમકાર, પેંડલ અને વીંટી. તો ચાંદીના 4 જોડ છડા, 3 પોંચી, મંગળસૂત્ર, ગાય, 2 કંદોરા અને જાંજરી મળી કુલ ₹1,97,709ના દાગીનાની ઉઠાવી ગયા હતાં. પોલીસ કાર્યવાહીતસ્કરોએ પરિવારની અવરજવર પર અગાઉથી વોચ રાખી હોવાની શક્યતા છે, કારણ કે માત્ર 1 કલાક અને 45 મિનિટના ટૂંકા ગાળામાં જ મકાન શોધીને ચોરીને અંજામ અપાયો છે. બપોરે 2 વાગ્યે પરિવાર પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS એક્ટ 305(A), 331(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો પ્રયાસ
વલસાડમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ સિટી પોલીસ અને SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી તપાસમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભાઈઓએ નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેમનો હેતુ પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવિક સંદીપ ફાક્વિર અને પ્રજ્ઞેશકુમાર સંદીપ ફાક્વિર નામના બે ભાઈઓએ વિદેશ જવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાથી તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળવો મુશ્કેલ હતો. આથી, તેઓએ યુકે (UK) ના વિઝા મેળવવા માટે આ ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, જો કોઈ વ્યક્તિના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોય, તો તેમને યુકેના વિઝા સરળતાથી મળી શકે છે. આ બંને ભાઈઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હતા, પરંતુ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળી શકતો નહોતો. આથી, તેઓએ વલસાડ નગરપાલિકાના નકલી જન્મના દાખલા બનાવ્યા અને તેના આધારે આધાર કાર્ડ તથા પાનકાર્ડમાં સુધારા કરાવી નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જ્યારે પાસપોર્ટ અરજી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે આવી, ત્યારે પોલીસને શંકા ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે, નગરપાલિકામાં જે નંબરના જન્મ પ્રમાણપત્રો રજૂ કરાયા હતા, તેવા કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નહોતા. એસઓજી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 336(2), 336(3), 337, 338, 339, 340(2), 61(2) અને ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડીવાયએસપી (DySP) એ.કે. વર્માએ જણાવ્યું કે, આ કેસમાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલી રહી છે.
વેરાવળમાં રાજકીય ભાષણો બન્યા વિવાદનું કેન્દ્ર:સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે પોલીસ કાર્યવાહીની માંગ કરી
વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા છે. ઉશ્કેરણીજનક અને અશોભનીય ભાષાના ઉપયોગથી શહેરની શાંતિ જોખમાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરતા સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે આ મામલે સક્રિયતા દાખવી છે. સમાજના પ્રમુખ અને પૂર્વ નગરસેવક અફઝલ પંજા સહિતના આગેવાનોએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયા પર જાહેર ભાષણોમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે. આગેવાનોએ જણાવ્યું કે વેરાવળ શહેર હંમેશા શાંતિ અને સહઅસ્તિત્વ માટે જાણીતું છે. જોકે, અમુક રાજકીય વ્યક્તિઓ દ્વારા સ્વાર્થ ખાતર કરવામાં આવતા 'વાણી વિલાસ'થી સમાજમાં વેરઝેર ફેલાઈ શકે છે. આનાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. ફરિયાદમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે પોલીસ તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે. જો આવા કૃત્યોને રોકવામાં નહીં આવે તો નિર્દોષ નાગરિકોને તેનો ભોગ બનવું પડી શકે છે. આ વિવાદ અંગે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ જણાવ્યું કે, મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લેખિત ફરિયાદ મળી છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને જો કોઈ વાંધાજનક બાબત સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય ગરમાવા વચ્ચે આવી ઘટનાઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. શહેરની શાંતિ જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની હોવાથી, આ મામલે તેમની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આચાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા ગાળી થઈ હતી. આ મામલે ભાજપના કાર્યકરે હસમુખ વોરા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાજપના ઉમેદવારો લોકસંપર્ક રાઉન્ડમાં ગયા ને સ્થાનિકોમા રોષ જોવા મળ્યોમળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ઇન્ડિયા કોલોની વોર્ડના ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક રાઉન્ડ કરી રહ્યાં છે. ત્યારે તેમની સાથે નરોડા રોડ વિસ્તારમાં બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તા ધીરજભાઈ રાઠોડ પણ ચારેય ઉમેદવારો સાથે લોક સંપર્ક રાઉન્ડમાં જોડાયા હતાં. ચૂંટણી પ્રચાર માટે લક્ષ્મીપુરાની ચાલી અને અશોક મિલની નવી ચાલીની આજુબાજુના વિસ્તારોમાં લોક સંપર્કો રાઉન્ડ માટે ગયા હતાં. કોલર પકડીને ભાજપના કાર્યકરને લાફો મારી દીધોઅશોક મિલની નવી ચાલી પાસે ભાજપના કાર્યકર્તાઓ અને ચારેય ઉમેદવારો ગયા હતા, ત્યારે ચાલીના નાકે હસમુખભાઈ વોરા ઉર્ફે કાળુ ગુલાબી ઊભો હતો. હસમુખભાઈએ કહ્યું હતું, તમારે ભાજપવાળા અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો. જેથી ધીરજભાઈએ કહ્યું હતું કે, અમે અહીંયા લોક સંપર્ક રાઉન્ડ માટે આવ્યા છીએ, જે લોક સંપન્ન રાઉન્ડ પૂરો કરી જતા રહીશું. જેથી હસમુખભાઈએ ઉશ્કેરાઈ અને ધીરજભાઈને ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈએ કોલર પકડી અને ભાજપના કાર્યકર એવા ધીરજ પ્રજાપતિને લાફો મારી દીધો હતો. ભાજપના કાર્યકરે ફરિયાદ નોંધાવીહસમુખભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું. જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ભાજપના કાર્યકરને પ્રચારમાં માર મારવામાં આવતા પાર્ટીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હસમુખ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા અને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ પ્રકાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. ત્યારે અશોક મિલની નવી ચાલી પાસે પણ જ્યારે ભાજપના ઉમેદવારો લોક સંપર્ક રાઉન્ડમાં ગયા હતા ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈપોલીસ ફરિયાદ મુજબ માત્ર એક જ ભાજપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પ્રચારમાં ગયા ત્યારે ભાજપના ઉમેદવારના ભાઈને અને અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના પ્રચારમાં થઈ રહેલા વિરોધને લઈને સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે 21 એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં 125 પરીક્ષા કેન્દ્ર પરથી 51836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 95 પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઉનાળુ વેકેશન બાદ પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી પડી હતી જોકે આ વખતે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. ચૂંટણીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ત્રણ દિવસની રજા મળશે અને તેથી 30 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે. વિદ્યાર્થિની રશ્મિ રાવલે જણાવ્યું હતું કે, હું કણસાગરા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરું છું. વખતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી થઈ છે ગત વર્ષે ઉનાળુ વેકેશન પછી પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં પરીક્ષાની ચિંતા હતી પરંતુ આ વર્ષે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપી રહ્યા છીએ. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે. જ્યારે અન્ય વિદ્યાર્થિની જાનવી વિરડીયાએ જણાવ્યું હતું કે, હું FY બી.કોમ.માં અભ્યાસ કરું છું. પરીક્ષાની તૈયારી સારી થઈ છે. ગ્રેજ્યુએશન પછી સારી જોબ મેળવવાનું સ્વપ્ન છે. વેકેશન પહેલા પરીક્ષા લેવાઈ રહી છે તે ખૂબ જ સારું છે અને તેનાથી આખું વેકેશન પરીક્ષાની ચિંતા તો ન રહે. કણસાગરા કોલેજના 235 વિદ્યાર્થિની બી.કોમ. સેમેસ્ટર-2 ની પરીક્ષા આપી રહી છે. CCTV અને ચુસ્ત સુપરવિઝન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી રહી છે. યુનિવર્સિટીમાં આજે 21 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સેમેસ્ટર -2 માં બી.એ.માં 17948 તો બી.કોમ.માં 16595 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે બી.સી.એ.માં 5990, બી.બી.એ.માં 5295, બીએસ.સી.માં 1861 અને એમ.એ.માં 1024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 25 કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. જે 30 એપ્રિલ સુધી ચાલશે કારણકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે તા.25,26 અને 27 એપ્રિલના રજા રાખવામાં આવી છે.
પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે ગત રાત્રિએ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેક્ટરે કારને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાવીજેતપુરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશ જીવન સોલંકી (55) તારીખ 20ની રાત્રિએ પોતાની કાર લઈને પાવીજેતપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સુસ્કાલ ગામ પાસે સામેથી આવતા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ અને કરુણ મોતઅકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં રાકેશ સોલંકીને ડાબા પગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ કાર્યવાહીઘટના અંગે જાણ થતાં પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. દાંડિયા બજારના રહીશના આકસ્મિક અવસાનને પગલે સ્થાનિક પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વલસાડ જિલ્લાના પારડીમાં પોલીસે ડ્રગ્સ વેચાણના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે દરોડો પાડીને 1.27 લાખથી વધુની કિંમતના બ્રાઉન હેરોઈન સાથે એક ગેરેજ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પારડી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, દોલતનગર વિસ્તારમાં આવેલી વિશ્રામ હોટલની પાછળ, અલીફ રો-હાઉસના મકાન નંબર 9માં નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા 45 વર્ષીય અસફાક સફીઉલ્લા શેખ ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીની અંગઝડતી અને મકાનની તપાસ કરતા 6 ગ્રામ 380 મિલીગ્રામ બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 1,27,600 રૂપિયા છે. આ ઉપરાંત, 25,500 રૂપિયાના 2 મોબાઈલ ફોન, હેરોઈન ભરવા માટેની 1 ઝીપલોક થેલી અને પ્લાસ્ટિકના 7 ટુકડા સહિત કુલ 1,53,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો વડોદરાના ‘બાજ (સરદાર)’ નામના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યો હતો. આરોપી અસફાક આ જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વોન્ટેડ આરોપી બાજ (સરદાર) ને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ 8(સી), 21(બી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ પોલીસ નશાના આ કારોબારમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટડી અને ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ થાનગઢ તાલુકાના રૂટ નંબર 5માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને VVPAT નિદર્શન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મતદારોને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવાનો હતો. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગવંત બનાવવામાં આવી છે. પાટડી અને ચોટીલા ખાતેના નિદર્શનમાં નાગરિકોને EVM દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અને VVPAT મશીનમાં પોતાનો મત કયા ઉમેદવારને મળ્યો છે તેની ખાતરી કઈ રીતે કરવી તે અંગે પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી. આ જનજાગૃતિ અભિયાનનો ઉદ્દેશ્ય મતદાનની ટકાવારીમાં વધારો કરવો અને મતદારોમાં મશીન પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે. થાનગઢ તાલુકાના નિર્ધારિત રૂટ નંબર 5 પર ટેકનિકલ સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓની ટીમે ગ્રામજનોને મશીનનો ઉપયોગ કરવાની સરળ રીત સમજાવી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રક્રિયા અંગેની મૂંઝવણ દૂર કરવા માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો. અનેક મતદારોએ ડમી વોટ આપીને મશીનની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાની ખાતરી કરી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક મત કિંમતી છે અને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા વોર્ડ સ્તરે અને ગ્રામ્ય સ્તરે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમો દરમિયાન આદર્શ આચારસંહિતાના નિયમો, ચૂંટણી પ્રક્રિયાની ગરિમા અને મતદાનના દિવસે રાખવાની સાવચેતીઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મહિલા આરક્ષણ બિલને લઇ હજુ પણ શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી છે. ગઈકાલે ભજો બાદ આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પક્ષ હમેશા મહિલાઓના સન્માન સાથ કામ કરતી હોવાનું જણાવી આ બિલને તાત્કાલિક અસરથી આજે જ પાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેશનલ સેક્રેટરી સુભસીની યાદવે આક્ષેપ કરતા જણાવ્યું કે, મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો માટે વિરોધ કરવામાં આવ્યો છે. આજે જ કોઈ શરતો વગર બિલ પાસ કરવામાં આવે તો અમારું સમર્થન છે. સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કર્યા બાદ આ બિલ પસાર થવું જોઇએ પરંતુ આ વાતથી સરકાર સહમત નહિ થાય. મહિલા આરક્ષણ બિલને લઇ ગઈકાલે ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવમાં આવી હતી જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી સુભાસીની યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે આ બિલના સમર્થનમાં છીએ. વિપક્ષ ઇચ્છે છે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરીને આ બિલ પસાર થવું જોઇએ. મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો. કોંગ્રેસે પંચાયતી રાજમાં મહિલા આરક્ષણ લાવી અને તેના કારણે આજે અનેક મહિલાઓ સ્થાનિક ચૂંટણીઓ લડીને સંસદ સુધી પહોંચી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના એક માત્ર મહિલા સાંસદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે જેઓ પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા છે અને તે કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાસીની યાદવએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપ જમીની હકિકતથી બહું દૂર રહે છે. આ સ્થાનિક ચૂંટણી છે જેમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થાય છે. લોકો રોડ રસ્તા, વરસાદી પાણી ભરાવા જેવા અનેક મુદ્દાઓથી ત્રસ્ત છે. લોકોમાં એક અંડરકરંટ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં અમેરિકા કે દિલ્લીની ચર્ચાઓ ન થાય પરંતુ સ્થાનિક ચર્ચાઓ થાય જેથી લોકો કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખુબ સારું આવતી ચૂંટણીમાં જોવા મળશે.
સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત અને પરપ્રાંતિયોમાં વતન જવાની હોડ વચ્ચે આજે 21 એપ્રિલ મંગળવારે ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર માનવ મહેરામણ ઉમટ્યું હતું. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે. આજે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં. હોલ્ડિંગ એરિયામાં રાતથી જ જમાવડો, લાઈનબદ્ધ રીતે પ્રવેશગત રવિવારે(19 એપ્રિલ) થયેલી અફરાતફરી બાદ રેલવે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. મુસાફરો મંગલવાર રાતથી જ સ્ટેશન પર ધસી આવ્યા હોવાથી તેમને પ્લેટફોર્મ પર ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખવામાં આવ્યા હતાં. ટ્રેન આવવાના સમયે મુસાફરોને લાઈનબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ વ્યૂહરચનાને કારણે આજે કોઈ મોટી દુર્ઘટના કે ધાંધલ-ધમાલ જોવા મળી નહોતી. ચાર ટ્રેનો હાઉસફૂલ, વેકેશન અને અછતનું બેવડું ભારણસુરતમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજાઓ પડી ગઈ છે, સાથે જ હીરા અને કાપડના કેટલાક એકમોમાં પણ રજાનો માહોલ છે. બીજી તરફ, યુદ્ધની વૈશ્વિક સ્થિતિને કારણે રાંધણગેસની અછત ઉભી થતા શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ પરિબળોને કારણે આજે યુપી અને બિહાર તરફ જતી ચારેય સ્પેશિયલ ટ્રેનો પેક(હાઉસફૂલ) થઈને રવાના થઈ હતી. RPF અને GRPનો ચુસ્ત બંદોબસ્તમુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉધના સ્ટેશન પર પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને ભીડનું સંચાલન કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને જોતા હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે તેવી તૈયારીઓ છે. આ પણ વાંચો 19 એપ્રિલે પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર ભીડ અને અફરાતફરી મચી ગઈ હતી. ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારું ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન.. આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન. (જુઓ વીડિયો) ઉધના રેલવે સ્ટેશને પર લાઠીચાર્જ થયાનો વેસ્ટર્ન રેલવેના GMનો ઇન્કાર સુરતના ઉધના રેલવે સ્ટેશને 19 એપ્રિલે શ્રમિકોની ભારે ભીડને કારણે મચેલી અફરાતફરીની ઘટનાને રેલવે તંત્રએ ગંભીરતાથી લીધી હતી જેથી સ્થિતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે 20 એપ્રિલે ઉધના સ્ટેશને આવ્યા હતા. જનરલ મેનેજરે સ્ટેશનના પ્લેટફોર્મ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પ્રતીક્ષા ખંડ સહિતના વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમની સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે તે ચોક્કસ સ્થળોની તપાસ કરી હતી જ્યાં ભીડ બેકાબૂ બની હતી. જો કે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના ભાસ્કર પાસે વીડિયો હોવાછતાં તેમણે આ વાતનો ઇન્કાર કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચા)
ભરૂચમાં મતદાન જાગૃતિ અભિયાન શરૂ:ગંધારમાં કામદારોને મતદાન માટે પ્રેરિત કરાયા
ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે. લોકશાહીના આ પર્વમાં છેવાડાના માનવી સુધી જાગૃતિ ફેલાવવાનો હેતુ છે. આ અભિયાનના ભાગરૂપે, વાગરા તાલુકાના ગંધાર વિસ્તારમાં વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. દરિયાકાંઠાના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અગરિયા ભાઈઓ-બહેનોને 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયામાં અનિવાર્યપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, કામદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત, ટીમ દ્વારા ગંધારના રહેણાંક વિસ્તારોમાં ઘર-ઘર જઈને મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા અને લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ ડેર દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર વેગવંતો બન્યો છે. સોનલ ડેર ભાજપના મહિલા નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો સાથે 'જય ભાજપ વિકાસ'ની પત્રિકાઓનું ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોનલ ડેર લોકસાહિત્યકાર માયા આહીરની દીકરી છે. તેમના સસરા જીતુ ડેર પણ જિલ્લા ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે. આ બેઠક રાજકીય રીતે અમરેલી અને તળાજા-મહુવા વિસ્તારમાં ચર્ચાસ્પદ માનવામાં આવે છે. હાલ અહીં કોઈ મોટા નેતાઓની સભાઓ યોજાઈ નથી, પરંતુ ડોર-ટુ-ડોર પ્રચાર પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અમરેલીમાં પાનની દુકાન પર છરી હુમલો:CCTV ફૂટેજ વાઈરલ થયા બાદ પોલીસે ત્રણેય આરોપીને ઝડપ્યા
અમરેલી શહેરના બીનાકા ચોક વિસ્તારમાં આવેલી ડીલક્ષ પાનની દુકાન પર જાહેરમાં છરી વડે હુમલો કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી છરી પણ કબજે લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિરાજભાઈ મહેબૂબભાઈ કુરેશી ડીલક્ષ પાનની દુકાન પર બેઠા હતા ત્યારે આરોપીઓ એક્ટિવા લઈને આવ્યા અને દુકાન સાથે ભટકાવ્યું હતું. સિરાજભાઈએ તેમને ધ્યાનથી વાહન ચલાવવાનું કહેતા આરોપીઓને આ વાત પસંદ ન આવતા તેમણે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ સિરાજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક્ટિવામાંથી છરી કાઢી પાછળથી ત્રણ ઘા માર્યા હતા. આ હુમલામાં સિરાજભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના પાનની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ વાયરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એસપીની સૂચના બાદ સિટી પીઆઈ એમ.એમ. ઝાલાની ટીમે દાદલીમિયા રફીકમિયા સૈયદ, ઇરફાનભાઈ રફીકભાઈ સૈયદ અને અજુમિયા રફીકમિયા સૈયદ (રહે. અમરેલી) નામના ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. સિરાજભાઈ કુરેશીની ફરિયાદના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
પાટણ નગરપાલિકા ચૂંટણી: EVMમાં પીળું બટન ફરજિયાત:ચાર મત બાદ દબાવવું ફરજિયાત, એક જ યુનિટ વપરાશે
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મતદારોએ EVM માં પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. 26 એપ્રિલે યોજાનારી આ ચૂંટણીમાં મલ્ટી મેમ્બર વોર્ડ પદ્ધતિ મુજબ મતદારે પોતાના પસંદગીના ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ મતદાન રજિસ્ટર કરવા માટે આ ખાસ બટન દબાવવું પડશે. જો મતદાર પીળું બટન નહીં દબાવે તો તેનું મતદાન નિષ્ફળ જઈ શકે છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને કર્મચારીઓને EVM પર મતદાન પ્રક્રિયાનું પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. શહેરના 11 વોર્ડમાં કુલ 101 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 1,08,999 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ બૂથ પર 101 ઇલેક્ટ્રોનિક મશીનોનો ઉપયોગ થશે. આ વખતે EVM મશીનની કામગીરીમાં મહત્વનો ફેરફાર કરાયો છે. દરેક મતદારે કુલ 4 મત આપવાના રહેશે. મશીનમાં 13 ઉમેદવારોના નામ અને પ્રતીક સામે વાદળી બટન, એક નોટા માટેનું બટન અને વધારાનું એક પીળા રંગનું બટન રાખવામાં આવ્યું છે. મતદારે પોતાની પસંદગીના 4 કે તેથી ઓછા ઉમેદવારોને મત આપી દીધા બાદ બીપનો અવાજ આવે એટલે અંતે પીળા રંગનું બટન દબાવવું ફરજિયાત છે. નોટાનો ઉપયોગ કરનાર મતદારે પણ નોટાનું બટન દબાવ્યા બાદ પીળું બટન દબાવી મતદાન પૂર્ણ કરવાનું રહેશે. મતદાન પ્રક્રિયામાં સુધારાની પણ તક આપવામાં આવી છે. જો કોઈ મતદારને 4 કે તેથી ઓછા બટન દબાવ્યા બાદ લાગે કે ભૂલથી ખોટા ઉમેદવારને મત અપાઈ ગયો છે, તો તે જ ઉમેદવારના નામ સામેનું બટન ફરીથી દબાવીને તે મત રદ કરી શકશે અને ત્યારબાદ અન્ય પસંદગીના ઉમેદવારનું બટન દબાવી શકશે. પાટણના તમામ વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા 13 કે તેથી ઓછી હોવાથી દરેક બૂથ પર માત્ર એક જ મતદાન યુનિટ (EVM) વપરાશે. આનાથી મતદાન અને મતગણતરી બાદ સીલિંગની પ્રક્રિયા ઝડપી બનશે અને પરિણામો પણ વહેલા જાહેર થશે.
ફાટસર ગણપતિ મંદિરે ભક્તો ઉમટ્યા:હજારો ભક્તોએ મહાપ્રસાદ લીધો, ધ્વજારોહણ કરાયું
સુરેન્દ્રનગરના સ્વયંભુ ફાટસર ગણપતિ મંદિરે વૈશાખ સુદ ચોથ, ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આસપાસના ગામો અને બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ દિવસે સવારે ભગવાનને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજ પૂજન, શૃંગાર દર્શન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પૂજા બાદ સાધુ-સંતો, મહંતો અને મહામંડલેશ્વરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બપોરે 12:30 વાગ્યે આશરે 5000 શહેરીજનો અને મહેમાનોએ મહાપ્રસાદનો લાભ લીધો. આ રીતે, શહેરના જગવિખ્યાત ફાટસર ગણપતિ મંદિરે ગણેશ ચોથની ઉજવણી ધામધૂમ અને ઉત્સાહભેર સંપન્ન થઈ.
સુરેન્દ્રનગરના અમિઝરા વાસુપૂજ્ય તીર્થ ખાતે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આ શિબિર યોજાઈ હતી. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મનોરંજન કાર્યક્રમો ઉપરાંત જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું છે. તાજેતરમાં જ તેમણે પક્ષીઓ માટે 500 પાણીના કુંડા, 200 પક્ષીઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, ત્રણ સ્થળોએ પીવાના પાણીની પરબ અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ લખતર પ્રાથમિક શાળામાં પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું. વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ સમય ન બગાડે અને જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આ આયોજન કરાયું છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ છે. સિલ્વર ગ્રુપ વર્ષોથી દેરાસરમાં પક્ષાલ પૂજાના આયોજન માટે સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે 6 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે, આજે અમિઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલ પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો પૂજાના વસ્ત્રોમાં જોડાયા હતા. આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવનાર બાળકોને સિલ્વર ગ્રુપ અને દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આ સુંદર કાર્યનો લાભ લેવામાં આવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના સેક્રેટરી પંકીલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલથી 31 મે સુધી દર રવિવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.
બે વર્ષથી નાસતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે દબોચી લીધો
ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવીને ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના સાગટાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં તે વોન્ટેડ હતો. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ, નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન PSI એન.પી. સેલોત અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવી કંકુથાંભલા ચોકડી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લખનઉથી 1008 યાત્રિકો સોમનાથ પહોંચ્યા:'સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોરઠી સંસ્કૃતિથી ભવ્ય સ્વાગત
સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક ગૌરવને દેશભરમાં ઉજાગર કરવાના હેતુથી ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પર્વ અંતર્ગત આજે સવારે ઉત્તર પ્રદેશના લખનઉથી 1,008 યાત્રિકોનો વિશેષ સમૂહ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સોરઠી લોકસંસ્કૃતિથી સ્વાગત રેલવે સ્ટેશન પર યાત્રિકોનું સોરઠી પરંપરા મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાંના નાદ અને પરંપરાગત લોકનૃત્યો સાથે ‘જય સોમનાથ’ના ઉદ્ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્રથમ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને અસ્મિતાથી માહિતગાર કરવાનો છે. 3 દિવસીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવાસ આ યાત્રિકો આગામી 3 દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ આસપાસના પવિત્ર સ્થળોની મુલાકાત લેશે. આ દરમિયાન તેમને મંદિરના સ્થાપત્ય, પ્રાચીન પરંપરાઓ અને આક્રમણો સામે અડીખમ રહેલા ભારતના પ્રતીક સમાન સોમનાથના ઇતિહાસ અંગેની માહિતી આપવામાં આવશે. યાત્રિકો મુલાકાત પૂર્ણ કરી 4 થા દિવસે પરત ફરશે. વહીવટી તંત્રની સજ્જતા યાત્રિકોની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને ડેપ્યુટી કલેક્ટર જૈમીન કાકડિયાની દેખરેખ હેઠળ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા-જમવાની વ્યવસ્થા: વિવિધ સરકારી વિભાગોના સંકલનથી સુનિશ્ચિત કરાઈ. પરિવહન: યાત્રિકો માટે સ્થાનિક સ્તરે બસ અને વાહનોની સુવિધા. સહયોગી વિભાગો: શિક્ષણ, રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને નગરપાલિકા તંત્ર કાર્યરત. આગામી આયોજન ‘સ્વાભિમાન પર્વ’ના આગામી તબક્કામાં દેશના અન્ય શહેરોમાંથી પણ વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓને સોમનાથ લાવવાનું આયોજન છે. આ અભિયાન દ્વારા વિવિધ પ્રાંતના લોકો સોમનાથની સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત થશે.
મોરબી જિલ્લાની નવનિર્મિત ટંકારા નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીનો જંગ જામ્યો છે. ગ્રામ પંચાયતમાંથી અપગ્રેડ થયા બાદ પાલિકા તરીકેની આ પહેલી જ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. જોકે, રાજકીય પક્ષોના જીતના દાવાઓ વચ્ચે સ્થાનિક મતદારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાઈટ, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. મતદારોનું ગણિતટંકારા ગ્રામ પંચાયત વિસ્તાર ઉપરાંત જબલપુર ગ્રામ્ય વિસ્તારની આર્યનગર સોસાયટીનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે હવે પાલિકાના કુલ મતદારોની સંખ્યા 9,918 પર પહોંચી છે. આ મતદારો પ્રથમ વખત નગરપાલિકાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી મેદાનમાં 6 વોર્ડમાં ઉમેદવારોવોર્ડ 1: ભાજપના જયેશ ભટાસણા, ભારતી પાંચોટીયા, મનિષા દુબરીયા અને સિરાજ અબ્રાણી સામે કોંગ્રેસના કુમાર ત્રિવેદી, જ્યોત્સના લો, મહેશ મેરા અને મિતલ કક્કડ મેદાનમાં છે. બસપા તરફથી કનૈયાલાલ બાબરીયા સહિત 3 ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ 2: ભાજપના જયસુખ સારેસા, મનિષા દતેસરીયા, મુકેશ ભૂકુ અને સરોજ ખોખાણીનો સામનો કોંગ્રેસના ગિરિશ ઘેટિયા, જીનત મોડ, નિલેશ રાઠોડ અને સિધ્ધિ પાચોટીયા સાથે થશે. વોર્ડ 3: ભાજપના અર્જુન ઝાપડા, જયદીપ જાની, પાયલ કુકડિયા અને પુનમ આશર સામે કોંગ્રેસના ગીતા દુબરીયા, પરેશ ફેફર, મંજુલા ઝાપડા અને રમેશ ભુંભરીયા નસીબ અજમાવી રહ્યા છે. વોર્ડ 4: અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ભાજપના આરીફ ભુંગર અને સલીમ માડકીયા સામે કોંગ્રેસના અબ્દુલ ચૌધરી અને ગફાર ભુંગર મેદાનમાં છે. જ્યારે બસપા અને અપક્ષ ઉમેદવાર કનુ ઝાંપડા પણ રેસમાં છે. વોર્ડ 5: ભાજપના આશા કટારીયા, પંકજ કારેલીયા, મુક્તા મેરજા અને રશ્મિકાંત દુબરીયા સામે કોંગ્રેસના નાગજી ઝાંપડા, રોશન સેરસીયા, સુનિતા ગોધાણી અને હસમુખ જીવાણી વચ્ચે મુકાબલો છે. વોર્ડ 6: ભાજપના અકશાબાનુ સોહવંદી, નિશા મહેતા, પ્રતિક આચાર્ય અને મીરાજ કટારીયા સામે કોંગ્રેસના ગોપાલ ઝાંપડા, સલીમ ભાણુ, મિના ત્રિવેદી અને હેતલ ગૌસ્વામી ચૂંટણી લડી રહ્યા છે. 'સુવિધા આપો, વોટ લો'ટંકારાના શહેરી વિસ્તારમાં વસતા લોકોનું કહેવું છે કે પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, પરંતુ સુવિધાઓમાં હજુ કોઈ સુધારો થયો નથી. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અનિયમિતતા અને ખખડધજ રસ્તાઓ મુખ્ય સમસ્યા છે. રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ જનતા આ વખતે પાયાની સુવિધાઓના આધારે જ મતદાન કરવાના મૂડમાં જણાય છે.
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ મેદાને આવ્યો છે. માણાવદર તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે યોગ્ય ન્યાય ન મળતા, આગામી 25 અને 26 એપ્રિલ દરમિયાન ચૂંટણી બૂથની મર્યાદા બહાર જનજાગૃતિ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, માણાવદર તાલુકામાં થયેલા અંદાજે 39 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે વર્ષ 2023 સુધીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને 5 થી વધુ અરજીઓ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવેદનકર્તાએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય પક્ષોને સભાઓ માટે તુરંત મંજૂરી મળી જાય છે, પરંતુ પ્રજાના હક અને સરકારની નાકામીયાબીના પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવતી નથી. આવેદનમાં વહીવટી તંત્ર પર સનસનાટીભર્યા આક્ષેપો કરતા જણાવાયું છે કે, કુકસવાડા અને માખીયાળા જેવા વિસ્તારોમાં જ્યાં વિરોધ પક્ષના ધારાસભ્યો હતા ત્યાં તંત્રએ તાત્કાલિક ગુના દાખલ કર્યા હતા. જ્યારે માણાવદરમાં છેલ્લા 10 વર્ષથી સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યો હોવાથી કૌભાંડ હોવા છતાં કોઈ તપાસ થતી નથી. આવેદનકર્તાના જણાવ્યા મુજબ, અધિકારીઓ પણ બદલી કે જેલના ભયથી સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. માણાવદર તાલુકા ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નો વર્ષ 2016 થી પેન્ડિંગ છે. અમે 13 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હોવા છતાં તંત્ર માત્ર સમય પસાર કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયા પગાર અને સુવિધાઓ મેળવે છે, પરંતુ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. • પ્લોટ ફાળવણીમાં રાજકારણ: ગ્રામ્ય વિસ્તારોમાં 100 ચોરસ વારના પ્લોટના ફોર્મ ભરવા માટે ભાજપને મત આપવાના સોગંદ લેવડાવવામાં આવતા હોવાનો આક્ષેપ. • શિક્ષણ પર પ્રહાર: ગીર સોમનાથ જિલ્લામાં અનુસૂચિત જાતિની છાત્રાલયો છેલ્લા 6 વર્ષથી બંધ હોવા છતાં કોઈ નવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. • વિરોધ પ્રદર્શન: આગામી 25/04/2026 થી 26/04/2026 દરમિયાન ચૂંટણી બૂથની નિર્ધારિત રેન્જની બહાર પોસ્ટરો દ્વારા જનતાને જાગૃત કરવામાં આવશે. આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે મારી માટી મારો દેશ, કરો કૌભાંડ લૂંટો દેશ; જો કોઈ કરે વિરોધ તો કરો એની ઉપર ખોટા કેસ. દલિત સમાજે સ્પષ્ટ કર્યું છે કે જો તેમના 21 મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કાળવા ચોકથી લઈને નામદાર કોર્ટ સુધી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે...
વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલ VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ અંગે 3 સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક નિયંત્રણની ફરજ સોંપવામાં આવી હતી. બંદોબસ્ત અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને રોકી કોન્વોય પસાર થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી. રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમથી બંદોબસ્ત સમાપ્ત થવાનો મેસેજ મળ્યા બાદ પોલીસે દુમાડ ચોકડી પાસે વાહનોને નિયમ મુજબ રોકી માર્ગ વ્યવસ્થા જાળવી હતી. તે દરમ્યાન એક હોન્ડા પેશન બાઈક પર સવાર વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવાર વ્યક્તિએ તોછડું વર્તન કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે રહેલા અન્ય એક યુવાન તથા ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે પણ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને એક આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન, સાથે આવેલી એક મહિલાએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિકભાઈ બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ તથા ફાલ્ગુનીબેન કૌશિકભાઈ પટેલ, ( ત્રણેય રહે. ગણેશપુરા, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે. આરોપીએ ફંડ ભેગા કરવાની અને બોમ્બ બનાવવાની પણ તૈયારી કરી હતીગુજરાત એટીએસના પી.એસ.આઇ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ અત્યારે ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે.જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. સમાન વિચારધારા ધરાવતા લોકો એક ગ્રુપથી સંપર્કમાં હતાજે બાદ ઈરફાનની તપાસ કરતા મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટર ઈસ્લામિક માનસિકતા ધરાવતા લોકોના ગ્રુપ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. ઈરફાને તેના મળતિયાઓ સાથે મળીને દેશમાં ગઝવા એ હિન્દ સ્થાપિત કરવા માટે રાજકીય નેતાઓ, RSS સાથે સંકળાયેલા લોકોને મારવા માટે અને શરિયત લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં સમાન ઈસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને એક સાથે જોડી RDX બોમ્બ અને અન્ય પ્રકારના બોમ્બ બનાવવાની ટ્રેનિંગ કેવી રીતે આપવી, કેમ્પમાં મોકલવા, ISIS તથા અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હથિયારોનું સ્મગલિંગ કરવું અને ફંડ ભેગું કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી.તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી.બંને આરોપીઓની ધરપકડ કરીને બંનેના 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં નાના બાળકના કારણે એક ગાય ભડકતા આ ગાયએ બાળકને અડફેટે લેતા બે પાડોશી વચ્ચે પથ્થરમારો અને મારામારી સર્જાઇ હતી. આ મારામારીમાં એક બાળા સહીત ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવને લઈને ઘોઘારોડ પોલીસે 5 શખ્સો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગાય પસાર થઈને દીકરીને પછાડી દીધીમળતી વિગતો અનુસાર, ખેડૂતવાસ વિસ્તારમાં રૂવાપરી રોડ નજીક રહેતા સીતાબેન કાંતિભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે ફરિયાદીના ભાઈ દિનેશ મકવાણાનો પાંચ વર્ષીય પુત્ર અલ્પેશ ઘર બહાર શેરીમાં રમતો હોય એ દરમિયાન ગાય પસાર થતાં અલ્પેશે બંને હાથ ઊંચા કરતા ગાય ભડકી હતી અને દોડતી આગળ જતા પડોશમાં રહેતા સુરેશના ભાઈની દીકરીને અડફેટે લઈ પછાડી દીધી હતી. બિભત્સ ગાળો ભાંડીને પથ્થર મારો કર્યોપડોશી કિસ્મત ગોહેલ, લખન ગોહેલ, અશ્વિન ગોહેલ, સુરેશ ગોહેલ અને પવન ગોહેલ સીતાબેનના ઘરે ઝઘડો કરવા આવ્યા હતાં અને તમામ શખ્સોએ ફરિયાદી તથા તેના પરિવારને બિભત્સ ગાળો ભાંડી પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારામાં દિનેશ, શાંતુબેન, દિનેશની પત્ની અંજુ, તથા દિનેશની પુત્રી પ્રિયાને ઈજા પહોંચી હતી. શખ્સોએ ઘર પર પથ્થર મારો કરી બારી બારણાના કાચ તેમજ અન્ય નુકસાન કરી ફરિયાદી તથા તેના પરિવારને તમને છોડવાના નથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 5 સામે ગુનો નોંધાયોઆ ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને સીતા કાંતિભાઈ મકવાણાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચેય શખ્સો વિરુદ્ધ BNS એક્ટ 115(2), 351(3), 352, 125(a), 324(4), 54 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં સગાઈની અંગૂઠી બાબતે ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ઘરે જઈ તેના પરિવાર સાથે ઝઘડો કરી, યુવતી પર હુમલો કરી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, આરોપી આનંદ નવીનકુમાર ગોહિલ (રહે આનંદનગર આજવા રોડ)ની સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી. જોકે, સગાઈની વીંટી બાબતે વિવાદ થતા આરોપી આનંદે યુવતીના ઘરે જઈ પરિવાર સાથે ગાળાગાળી કરી ધાક-ધમકી આપી હતી. યુવકના આવા વર્તનથી કંટાળીને યુવતીએ બીજા દિવસે આનંદની માતાને ફોન કરી સગાઈ તોડી નાખવાની જાણ કરી હતી. સગાઈ તોડવાની વાતથી ઉશ્કેરાયેલા આનંદે યુવતીને ફોન કરી ગંદી ગાળો આપી હતી. યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતા, તે સાંજના સમયે ફરીથી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં ઝઘડો કરી માર મારવાની કોશિશ કરી હતી. સાથે યુવતી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરી રહી હતી. તે સમયે આરોપી આનંદ ત્યાં આવ્યો અને બળજબરીથી યુવતીનો ફોન ઝૂંટવી લીધો હતો. બાદમાં પંદર મિનિટ બાદ તે તેની મિત્ર સાથે એક્ટિવા પર પરત આવ્યો હતો. કંઈ પણ બોલ્યા વગર તેણે યુવતીનો કોલર પકડી, યુવતીની છેડતી કરી હતી. સાથે આ યુવકે યુવતીને બે લાફા ઝીંકી દીધા હતા અને જાહેરમાં અભદ્ર ગાળો આપી હતી. હાલમાં આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાળીયાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની 119મી વર્ષગાંઠ:મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ધજા આરોહણ કરાયું
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા જૈન દેરાસરમાં ભગવાન શ્રી શાંતિનાથની ૧૧૯મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજના પાવન દિવસે, ૨૦ એપ્રિલ, ૨૦૨૬, સોમવારના રોજ યોજાયો હતો. આ નિમિત્તે ધજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન સમાજના લોકો તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાળિયાદના અનેક શ્રાવકોએ આ પ્રસંગને ધાર્મિક મહત્વનો ગણાવ્યો હતો. ભગવાન શ્રી શાંતિનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા સાથે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના બની છે. થલતેજના એક ગેસ્ટ હાઉસમાં મોડી રાત્રે 4 શખ્સોએ ઘુસીને મેનેજરને ચપ્પુની અણીએ બંધક બનાવીને અને માર મારી રોકડ રૂપિયા અને ઈલેક્ટ્રોનિક સામાન સહિત કુલ 92,000ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે ગેસ્ટ હાઉસના માલિકે બોડકદેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પહેલાં બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યામૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતા 57 વર્ષીય મુલસિંગ શિવજી પુરોહીતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ થલતેજમાં સહજાનંદ કોમ્પલેક્ષમાં ભાડે રાજવંશી ગેસ્ટ હાઉસ ચલાવે છે. 20 એપ્રિલે વહેલી સવારે હોટેલના મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ પટેલ હાજર હતા. ગીરીરાજ જ્યારે નાસ્તો કરી રહ્યો હતો, ત્યારે બે શખ્સો રૂમ ભાડે રાખવાના બહાને આવ્યા હતાં. ગીરીરાજ તેમને રૂમ બતાવવા ગયો ત્યારે અચાનક તેઓએ તેને પકડી લીધો હતો અને પૈસા ક્યાં છે? તેવું પૂછીને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ મેનેજરને કાઉન્ટર પાસે લાવ્યા ત્યારે ત્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. 'આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે' કહીને લૂંટ કરી આ શખ્સોએ ચપ્પુ બતાવીને ધમકી આપતા કહ્યું હતું કે, આવાજ મત કરના વરના ચપ્પુ માર દંગે. એટલું જ નહીં એક વ્યક્તિ કોમ્પલેક્ષની સીડીમાં ઉભો રહીને રેકી કરી રહ્યો હતો. લોકર તોડીને રોકડ સહિત 92 હજારની લૂંટ કરીને ભાગ્યાચારેય શખ્સોએ લોકર તોડીને કાઉન્ટર અને લોકરમાંથી 72000 હજાર રોકડા, કમ્પ્યુટર મોનિટર, ટીવી અને મોબાઈલ સહુતની કુલ રૂ. 92,000ની લૂંટ કરી હતી. લૂંટની સમગ્ર ઘટના ગેસ્ટ હાઉસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સંસ્કારી નગરી વડોદરા હવે ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા રંગે રંગાવા જઈ રહી છે. વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ ખાતે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આગામી 23 એપ્રિલથી સાત દિવસ ભવ્ય ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલથી 29 એપ્રિલ 2026 દરમિયાન વડોદરાની ધરા પર આધ્યાત્મિકતાનો અપૂર્વ સંગમ જોવા મળશે. પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને સ.ગુ. કે. કે. શાસ્ત્રીજીના આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સરધારના પ્રસિદ્ધ વક્તા પ.પૂ. સ.ગુ. નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 200 વર્ષ પૂર્વેની ચલે ગજ બૈઠ કે મહારાજા સવારીને યાદ અપાવતી ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા (શોભાયાત્રા) પણ નીકળશે. મહોત્સવ દરમિયાન માનવસેવાના વિવિધ પ્રકલ્પો જેમ કે મહાવિષ્ણુયાગ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી નયન પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી 150 વર્ષ પૂર્વે આ વડોદરા ખાતે સયાજીરાવ સરકારે સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાન આપી અને સરસ ભવ્ય દિવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ કરાવેલું હતું. વાડી વિસ્તારની અંદર આવેલું સ્વામિનારાયણ મંદિરએ મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એ 150 વર્ષનો સાર્ધ શતાબ્દી મહોત્સવ વડોદરા ખાતે લેપ્રેસી ગ્રાઉન્ડમાં ઉજવવા જઈ રહ્યા છીએ. 23 થી લઈને 29 એપ્રિલ સુધી આ ભવ્ય મહોત્સવ ઉજવાશે. જેની અંદર 23 થી 27 તારીખ સુધી શ્રીમદ સત્સંગી જીવનની કથા પરમ પૂજ્ય વક્તા સ્વામી નિત્યસ્વરૂપદાસજી સ્વામીના મુખેથી સાંભળવાનો લાભ આપણને પ્રાપ્ત થશે. ભવ્ય દિવ્ય મહોત્સવનું આયોજન, અનેક આયોજનો આ સાથે કરવામાં આવેલા છે. જેની અંદર સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, ભવ્ય દિવ્ય બાલમંચ, મહિલા મંચનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આ મહોત્સવની અંદર જે અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો પધારશે એમના માટે પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરરોજ 30000 જેટલા લોકો ભોજન લઈ શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. ઉનાળો છે એટલા માટે અહીંયા મંડપની અંદર કથા બધા ભક્તો શ્રવણ કરી શકે એટલા માટે ઘણા બધા પંખાઓ, મોટા ફેન, સાથે સાથે સ્પ્રિંકલર, કુલર, એસીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દરરોજ અનેક પ્રકારના શરબતોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મહોત્સવનું વિશેષ આકર્ષણ એટલે કે તારીખ 28ના રોજ ભવ્ય દિવ્ય મંદિરથી લઈ ગેંડીગેટ અને સુરસાગર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેની અંદર ભવ્ય આતિશબાજી થશે અને ઘણા બધા સંતો-મહંતોના પણ આપણને દર્શન થશે. સમગ્ર વડોદરાવાસી ધાર્મિક જનતા, સમગ્ર હિન્દુ સનાતન ધર્મના બધા જ ધર્મપ્રેમી ભક્તોને અમે સાદર આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આ મહોત્સવના દર્શન, લાભ લેવા માટે અવશ્ય પધારશો. મુખ્ય અતિથિ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર રાકેશપ્રસાદજી મહારાજશ્રી, સાથે સાથે હિન્દુ સનાતન ધર્મના જેટલા પણ વડોદરા ખાતે રહેલા આચાર્યશ્રીઓ છે એમને પણ અમે ભાવભર્યું આમંત્રણ પાઠવેલું છે. રાજકીય વિભાગની અંદર પણ અમે આમંત્રણ પાઠવેલું છે. પોતપોતાના સમય અનુસાર બધા જ પધારશે. વિશેષ કરીને ગાયકવાડ સરકારના જે અત્યારે વંશજો છે એમને પણ અમે બહુ પ્રેમથી આમંત્રણ પાઠવેલું છે, એ પણ આ મહોત્સવની અંદર પધારશે.

30 C