SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

પંચમહાલના શહેરામાં ખાણ ખનીજ વિભાગના દરોડા:ગેંગડીયા ગામેથી ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લામાં નદીઓ અને સરકારી જમીનો પર બિન-અધિકૃત ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ ખનીજ વિભાગે સઘન તપાસ શરૂ કરી હતી. વિભાગને શહેરા તાલુકાના ગેંગડીયા ગામે પરવાનગી વગર ખનીજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે સ્થળ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટાપાયે બિન-અધિકૃત ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ટ્રક સહિત અંદાજે ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિભાગે જપ્ત કરાયેલા તમામ વાહનોને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખનીજ ચોરી કરનારા તત્વો સામે માત્ર વાહનો જપ્ત કરવા પૂરતું સીમિત ન રહેતા, તેમની સામે મોટો દંડ વસૂલવાની અને કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:56 am

પંચમહાલમાં ગેરકાયદે ખનીજ વહન, ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત:શહેરાના ગેંગડીયામાંથી ટ્રક-જેસીબી સાથે ક્વાર્ટઝ ઝડપાયું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ક્વાર્ટઝનું ખનન કરી ટ્રકમાં ભરીને વહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ગેંગડીયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન, ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને ખનન કરતા એક જેસીબી મશીનને અટકાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિનો ભંડાર આવેલો છે, ત્યારે કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગની ટીમ આવા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને અસરકારક કામગીરી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:55 am

પોલીસની ફોજ સાથે પાટણ પાલિકાની ટીમ ઉતરી:40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ, ઘરોમાંથી માસ-મટન જપ્ત

પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો (કતલખાના) સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન ઘરોમાંથી માસ-મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:51 am

સુપ્રીમ કોર્ટના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે વિરોધ:ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે ફરી વિચારણાની માગ

સુપ્રીમ કોર્ટ દ્વારા રસ્તા પરના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે દેશભરના જીવદયાપ્રેમીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પોરબંદરની ચોપાટી ખાતે ભારતીય દેશી શ્વાનોને બચાવવા માટે શાંતિપૂર્ણ અભિયાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ, પ્રાણીપ્રેમી સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો જોડાયા હતા. આ વિરોધ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહોતો, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને માનવતાના આધારે નિર્ણય પર ફરી વિચારણા કરવાની માંગ સાથે યોજાયો હતો. ઉપસ્થિત જીવદયાપ્રેમીઓએ જણાવ્યું કે તેઓ ન્યાયપાલિકાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ન્યાય માત્ર કાયદાકીય જોગવાઈઓ પૂરતો સીમિત ન રહેતા તેમાં કરુણા, સંવેદનશીલતા અને સહઅસ્તિત્વની ભાવના પણ આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ્'નો ભાવ પ્રાચીન કાળથી રહેલો છે. હિંદુ ધર્મમાં ભગવાન ભૈરવ સાથે શ્વાનનું વિશેષ સ્થાન છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં અહિંસા પરમો ધર્મ મનાય છે, જ્યારે શીખ અને ઇસ્લામ ધર્મમાં પણ તમામ જીવો પ્રત્યે કરુણા અને જવાબદારીનો ઉપદેશ અપાયો છે. આવા સંસ્કારી દેશ માટે નિર્દોષ અને અવાજ વિનાના પ્રાણીઓ પ્રત્યે કઠોર વલણ યોગ્ય નથી, તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. વિરોધ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે રસ્તા પર રહેતા શ્વાનો ગુનેગાર નથી. તેઓ બિનયોજિત શહેરીકરણ અને માનવીય બેદરકારીનું પરિણામ છે. તેમને દૂર કરવા એ ઉકેલ નથી, પરંતુ જન્મ નિયંત્રણ, રસીકરણ, સંભાળ, દત્તક પ્રક્રિયા અને જનજાગૃતિ જેવા માનવીય અને વૈજ્ઞાનિક ઉકેલો જ સ્થાયી માર્ગ છે. કાર્યક્રમ દરમિયાન ONE DAY | ONE VOICE | ONE CAUSE અને DO OR DIE – કરો કે મરો જેવા સંદેશાઓ દ્વારા સહઅસ્તિત્વ અને દયાનો સંદેશ અપાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો. અંતમાં, જીવદયાપ્રેમીઓએ સરકાર અને ન્યાયપાલિકાને અપીલ કરી કે આ નિર્ણય પર ફરી વિચારણા કરી ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મૂલ્યો અને માનવતાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના હિતમાં નીતિ ઘડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:50 am

નવસારી-ગણદેવી રોડ પર શેરડી ભરેલી ટ્રક પલટી:અંધારામાં ડિવાઈડર ન દેખાતા અકસ્માત સર્જાયો, સદનસીબે જાનહાનિ ટળી

નવસારી-ગણદેવી માર્ગ પર મોડી રાત્રે ઈટાળવા ગામ નજીક એક ટ્રક પલટી ગઈ હતી. 15 ટન શેરડી ભરેલી આ ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંધારાને કારણે ડિવાઈડર ન દેખાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક શેરડીનો જથ્થો લઈને જઈ રહી હતી ત્યારે ઈટાળવા પાસે અકસ્માતનો ભોગ બની હતી. રાત્રિના ગાઢ અંધારામાં ડિવાઈડર સ્પષ્ટ દેખાતું ન હોવાથી ટ્રક સીધી તેની સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 15 ટન શેરડી ભરેલી ટ્રક રોડ પર જ પલટી ગઈ. ટ્રક પલટી જતાં તેમાં ભરેલી શેરડી રસ્તા પર વિખેરાઈ ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. અકસ્માતની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસની 'જનરક્ષક વાન' તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સૌ પ્રથમ ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી. હાલ ક્રેઈન અને અન્ય સાધનોની મદદથી રોડ પરથી ટ્રક અને વિખેરાયેલી શેરડી હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી માર્ગ ફરીથી કાર્યરત કરી શકાય. આ અકસ્માતમાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાથી રાહત અનુભવાઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:37 am

જાહેરમાં બેલ્ટ અને છુટ્ટાહાથની મારામારી:વડોદરામાં પતંગની લારીને લગાવવાના મુદ્દે 4 લોકો વચ્ચે જાહેરમાં મારામારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે ચાર લોકો વચ્ચે મારામારીનો વિડીયો થતા કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ વીડિયોમાં 4 લોકો કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે કબીર ચિકનના સામેના રોડ પર 4 વ્યક્તિઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને અને કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. આ ઝઘડો પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરો અંદરની વિવાદને કારણે થયો હતો. કુંભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને સામેલ વ્યક્તિઓની ઓળખ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.કુંભારવાડા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ અને અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદને શરીરે સામાન્ય ઈજાઓ થઈ છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને મારામારીમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓના નામ પ્રથમ પક્ષ 1. અબ્દુલમજીદ અબ્દુલરહેમાન સૈયદ (રહે: હાથીખાના ગેટ-૧ની સામે કબીર ચિકનની સામે, ઈન્દિરાનગર, વડોદરા શહેર) 2. અબ્દુલરમઝાન અબ્દુલમજીદ સૈયદ (રહે: તે જ) બીજો પક્ષ 3. અબ્દુલગની અબ્દુલરહેમાન સૈયદ (રહે: સદર સ્થળ) 4. આરીફ સલીમભાઈ મલેક (રહે: અજબડીમીલ, યાકુતપુરા, વડોદરા શહેર) ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં મારામારીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં જાણે કાયદો વ્યવસ્થાને લઈને કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને લઇને વડોદરા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને આ પ્રકારના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:37 am

સુરતમાંથી ફરી ઝડપાયું નકલી ઘીનું કારખાનું:તબેલાની આડમાં ચાલતું હતું કૌભાંડ; સોયાબીન-વેજિટેબલ ઓઈલમાં એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું

સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાંથી તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધણી રહ્યું હતું. પોલીસે માહિતીના આધારે છાપો મારીને નકલી ઘીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું. રાજ્યભારમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થતું હતું. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 9:18 am

ડુમસના દરિયાઈ વિસ્તારમાંથી ડીઝલની ચોરી ઝડપાઈ:તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા

સુરત એસ.ઓ.જી. પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે. પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૭૫ જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:58 am

પિકઅપ ગાડી પલટી, બેનાં મોત, 26 ઈજાગ્રસ્ત:બોટાદના મિલેટ્રી રોડ પર 28 ડિસેમ્બરે થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા; વાન બેવાર ગુલાંટ ખાતી રોડ પર ઢસડાઇ

બોટાદમાંથી એક ગંભીર અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. મિલેટ્રી રોડ પર ગત 28 ડિસેમ્બરના રોજ બપોરના સમયે થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભયાનક ઘટનાના લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મિલેટ્રી રોડ પરથી પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડી અચાનક ડ્રાઈવરના કાબૂ બહાર જઈ ગઈ હતી. ગાડી પલટી મારીને બેવાર ગુલાંટ ખાતી રોડ પર પલટી ગઈ હતી. માહિતી મુજબ, શહેરના હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના આશરે 28 લોકો વાડીએ જમવાના કાર્યક્રમ માટે આ પિકઅપ ગાડીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:43 am

સાઉથ બોપલના સોબો સેન્ટરમાં આગ બાદ મોટો બ્લાસ્ટ:ફટાકડા-પતંગના સ્ટોલમાં ભીષણ આગ; મોડીરાતે ગેસ સિલિન્ડર ફાટવાના અવાજથી સ્થાનિકો ફફડી ઉઠ્યાં

અમદાવાદના સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે મોડીરાતે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પતરાના શેડમાં દુકાનો ઊભી કરાઈ હતી આગ લાગવાને કારણે એક મોટો બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતું, જેમાં બ્લાસ્ટ થયો હતો. પતરાના શેડ બનાવીને દુકાનો ઊભી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી. જોકે, ફાયરકર્મીઓ સમયસર પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા રોકી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:02 am

બગદાણા હુમલા કેસને લઈ કોળી સમાજના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળશે:નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ન્યાયિક તપાસની માગ, માયાભાઈ આહીરના પુત્ર પર ષડયંત્ર રચ્યાનો આક્ષેપ

બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એકત્ર થશે અને ત્યારબાદ સાડા દસ વાગ્યે મુખ્યમંત્રીને રજૂઆત માટે જશે. શું છે સમગ્ર મામલો?બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું. જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે. કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમાએ નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી3 જાન્યુઆરીએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના ખબરઅંતર પૂછ્યા હતા. બંને નેતાઓએ જણાવ્યું હતું કે, નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે અને પોલીસ આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ અને અન્ય આગેવાનો સોમવારે ગાંધીનગર જશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:00 am

Dy. CM સંઘવી આજે રાજકોટમાં:11 મીએ PMના હસ્તે ઉદ્ઘાટિત સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. જે બાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશેમારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની રીવ્યુ બેઠક તાજેતરમાં જ રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી ન અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે. જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ સેમિનાર યોજાશેઆ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં MSME, કુટિર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે. જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે. જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000થી વધુ ઉદ્યમીઓ હશે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકઆ દરમિયાન સોમવારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અધિકારીઓને પદાધિકારીઓની બેઠક યોજાશે. જેમાં રાજકોટ ભાજપના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે વાઇબ્રન્ટ સમિટના મુખ્ય આયોજક ઇન્ડેક્ષ- બીના મેનેજીંગ ડિરેક્ટર કે.સી. સંપટ, કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી અને પ્રાંત અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 8:00 am

વલસાડ કોર્ટમાં આધાર કાર્ડ કેમ્પનું આયોજન:રજીસ્ટ્રેશન અને સુધારા માટે 9 જાન્યુઆરીએ કેમ્પ યોજાશે

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા વલસાડ જિલ્લા અદાલત ખાતે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ન્યાયિક વિભાગના કર્મચારીઓ, વકીલો અને પક્ષકારોની સુવિધા માટે યોજાશે. આ કેમ્પ 9મી જાન્યુઆરી 2026 ના રોજ સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ચાલશે. તેનું સ્થળ ઈ-સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ, વલસાડ ખાતે રાખવામાં આવ્યું છે. કેમ્પનો લાભ 18 વર્ષ સુધીના બાળકો, જેમના આધાર કાર્ડ બન્યા નથી અથવા અપડેટ કરવાના છે, તે લઈ શકશે. ઉપરાંત, જે પુખ્ત વયના લોકોના આધાર કાર્ડને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને અપડેટ કરાવ્યા ન હોય, અથવા જેમણે નવું આધાર કાર્ડ કઢાવવું હોય, તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓએ જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), રહેઠાણનો પુરાવો, માતા-પિતાના આધાર કાર્ડ અને સુધારા માટે અસલ આધાર કાર્ડ જેવા જરૂરી અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. આ કેમ્પમાં ડેમોગ્રાફિક અપડેશન માટે ₹ 50 અને બાયોમેટ્રિક અપડેશન માટે ₹ 100 ની નિયત ફી ચૂકવવાની રહેશે. વલસાડના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ, આ કેમ્પના સુચારું આયોજન માટે તમામ સંબંધિત કર્મચારીઓ અને વકીલોએ પોતાના નામની નોંધણી 7મી જાન્યુઆરી 2026 સુધીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં કરાવી લેવાની રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:55 am

'AAPના કાર્યકરો ભાજપમાં જોડાયાની વાત પાયાવિહોણી':વલસાડ ‘આપ’ પ્રમુખનું નિવેદન, કહ્યું- 'ભાજપ અમારા કાર્યકરોનું મનોબળ તોડે છે'

વલસાડ જિલ્લાના ફલધરા ખાતે ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) ના 300 થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને વલસાડ 'આપ' પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ભાજપ દ્વારા કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, 3 જાન્યુઆરીની રાત્રે ફલધરા ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 'આપ' ના 400 જેટલા સક્રિય કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના દવા સાથે સાંસદ ધવલ પટેલના સમાચાર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વહેતા થયા હતા. આ સમાચારને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુ દેસાઈ અને ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. તેમણે આને 'ભાજપનો ભ્રામક પ્રચાર' ગણાવ્યો છે. વલસાડ જિલ્લા 'આપ' પ્રમુખ જીતુ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે. 'આપ' નો કોઈ પણ ચાલુ હોદ્દેદાર ભાજપમાં જોડાયો નથી. ઉલટાનું, છેલ્લા છ-સાત મહિનામાં અનેક નવા કાર્યકરો 'આપ' માં જોડાયા છે અને પક્ષ વધુ મજબૂત બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે 'આપ' આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂરી તાકાતથી લડશે. ગુજરાત પ્રદેશ એસ.ટી. વિંગના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે પણ આ વાતને નકારતા કહ્યું કે, ભાજપ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી આજે એક પરિવાર સમાન બની ગઈ છે જે લોકોના હક, અધિકાર, શિક્ષણ અને આરોગ્ય માટે લડી રહી છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પેસા (PESA) કાયદા બાબતે ભાજપ દ્વારા થતા અન્યાયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે લોકો હવે જાગૃત થયા છે અને તેઓ 'આપ' સાથે જોડાઈ રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષના પાયાના કાર્યકરો મક્કમ છે અને ભાજપ દ્વારા ફેલાવવામાં આવતી આવી અફવાઓથી પક્ષને કોઈ નુકસાન થશે નહીં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:54 am

બોટાદના ડીએસઓ જી.એસ.મકવાણાને સુરેન્દ્રનગર મુકાયા‎:બોટાદ જિલ્લાનાં ઉદ્યોગ સાહસિકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે અપીલ

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)-કચ્છ અને સૌરાષ્ટ્રનું આયોજન 11 અને 12 જાન્યુઆરી 26 દરમિયાન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થનાર છે. આ કોન્ફરન્સમાં બોટાદ જિલ્લાનાં અગ્રગણ્ય ઉદ્યોગ સાહસિકો, ઔદ્યોગિક સંગઠનો તથા એસો., ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં લાભ લેવા જઈ રહ્યાં છે. ખાસ કરીને બોટાદ જિલ્લાનાં તમામ ઉદ્યોગસાહસિકોને આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવા બોટાદ વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. VGRCમાં 11જાન્યુઆરી અને 12 જાન્યુઆરીના કાર્યક્રમોમાં ભાગ લેવા ઇચ્છુક બોટાદ જિલ્લાનાં ઉદ્યોગકારોએ https://vibrantguj arat. com/registration પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું અગત્યનું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:52 am

પારડી હાઈવે પર ચાલુ કારમાં આગ લાગી:શોર્ટ સર્કિટ થતાં i20 કાર ભડકે બળી, નીચે ઉતરી જતાં ચાલકનો બચાવ

પારડીના નેશનલ હાઈવે નંબર–48 પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર ગત રાત્રે એક ચાલુ i20 કારમાં ભીષણ આગ લાગી હતી. અભિનવ પાર્કના જેનીલ દેસાઈ પોતાની કાર (નં. GJ-15-CJ-9975) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે કારના બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક ધૂમાળો નીકળવા લાગ્યો હતો. કાર ચાલકે કાર અટકાવી નીચે ઉતર્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પારડી ફાયર ટીમને જાણ કરી હતી. પારડી નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર જવાનોની સમયસરની કામગીરીને કારણે કાર સંપૂર્ણપણે ખાખ થાય તે પહેલાં જ મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારના એન્જિન વિભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:52 am

દાતરડી બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત તિરાડ:ભાવનગર-સોમનાથ હાઇવે પરથી પસાર થતા દરરોજના 4700થી વધુ વાહનચાલકો પર જોખમ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા અને વાહનચાલકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી દરરોજ 4700થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે. વાહનચાલકો માટે જોખમઅગાઉ પણ આ બ્રિજ પર તિરાડો પડતાં સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, ફરીથી મોટી તિરાડો પડવાને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. આ હાઇવે 24 કલાક ધમધમતો રહે છે, ત્યારે નબળી ગુણવત્તાના કામો થયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'બ્રિજ પર વારંવાર તિરાડો પડે છે'મજાદર ગામના મુનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ મજાદરથી મહુવા જાય છે અને આ બ્રિજ પર વારંવાર તિરાડો પડે છે. તેમણે સરકારને આવા બેદરકારીભર્યા કામો ન થાય અને લોકોના જીવ જોખમમાં ન મુકાય તેવી વિનંતી કરી હતી. 'વાહનો પલટી મારવાના બનાવો વધ્યા'વાહનચાલક હાર્દિકભાઈ પટેલે કહ્યું કે, તેઓ ભાવનગરથી સોમનાથ જાય છે અને દાતરડી પાસેના બ્રિજ પર વારંવાર તિરાડો જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે, આ કારણે અકસ્માતો પણ વધુ થાય છે અને વાહનો પલટી મારવાના બનાવો પણ બને છે, જે નબળા કામની નિશાની છે. દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવરભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના આ બ્રિજ પરથી સોમનાથ, ભાવનગર, મહુવા અને દીવ સહિતના સ્થળોએથી દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવર રહે છે. નવા બનેલા બ્રિજની આવી હાલત થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ સરકાર દ્વારા તપાસ એજન્સીઓ બેસાડીને આ મામલે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. પ્રભારી મંત્રીએ નેશનલ હાઈવેની તપાસ કરવા માંગ કરીરાજય સરકારના કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં અમરેલી જિલ્લામાં સ્ટેટ સહિત વિવિધ જિલ્લાના નબળા માર્ગો અને નબળા કામો ઉપર કેટલીક એજન્સીઓ સામે કાર્યવાહી કરવા તપાસ બેસાડવા કલેકટરને સૂચના આપ્યા બાદ કાર્યક્રમમા જાહેરમંચ પરથી કહ્યુ નબળા કામો કરનારાને ગુજરાત અને દેશમાં કામ નહીં કરવા દઈએ, અમરેલીમાં કેટલુંક અમારા ધ્યાને આવ્યું છે બ્લેક લિસ્ટ કરી કાર્યવાહી કરીશુ. આ પ્રકારના નિવેદન બાદ પ્રભારી મંત્રીએ નેશનલ હાઇવેમાં નબળા કામો કરનારા એજન્સીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની જરૂર છે.અથવા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને બ્રિજ ઉપર મુલાકાત લેવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:50 am

પઠાણી ઉઘરાણી:પાંચ લાખના રૂા. 6.82 લાખ પડાવી, મકાન ઉપરાંત સાત લાખની પઠાણી ઉઘરાણી કરી

ભાવનગર શહેરમાં વ્યાજ વટાવનો વ્યવસાય કરતા વ્યાજખોર પાસેથી એક યુવકે વ્યવસાય અર્થે પાંચ લાખ રૂપિયા લીધેલ હતા. જેના બદલામાં યુવકે વ્યાજ સહિત રૂા. 6.82 લાખ ચુકવી આપવા છતાં પણ યુવકના માતા-પિતાને મકાન વ્યાજખોરના નામે કરી દેવાનું તેમજ એ ઉપરાંત સાત લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, બે ચેક પડાવી લીધા હતા. બંન્ને ચેકો બેન્કમાંથી બાઉન્સ કરાવી, કોર્ટ પરિસરની બહાર જ વ્યાજખોરે ખુલ્લેઆમ દંપતિને ધમકાવીને ડર પેદા કરી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જે વ્યાજખોરના ત્રાસથી આધેડે શહેરના કાળિયાબીડ ખાતે રહેતા વ્યાજખોર વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં રહેતા અને તેમના પુત્ર હિતેશભાઇ સાથે બટાકા વેચાણનો વ્યવસાય કરતા હરેશભાઇ પ્રીતમદાસ પારવાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર હિતેશભાઇએ વ્યવસાય અર્થે છએક વર્ષ અગાઉ કાળિયાબીડમાં રહેતો અને વાઘાવાડી. ટી.બી.ઝેડના શોરૂમ ઉપર બીજા માળે ઓફિસ ધરાવતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભાઇસાબભા ગોહિલ પાસેથી વ્યાજે રૂા. 5,00,000 લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરે વ્યાજ સહિત રૂા. 7 લાખ રૂપિયા પરત આપવાની વાત કરી હતી. જે બાદ ગત વર્ષ 2021 સુધીમાં હિતેશભાઇએ કટકે કટકે રૂા. 6,82,800 વ્યાજ સહિત ચુકવી આપેલ હતા. પરંતુ તે ગાળામાં વ્યાજખોર રાજેન્દ્રસિંહે વકીલને બોલાવી, હરેશભાઇના મકાન પોતાના નામે લખાવી, બળજબરીથી સહી કરાવી લીધી હતી અને હિતેશભાઇ અને તેની પત્નીના નામે બે કોરા ચેક લઇ, રકમ લખી બંન્ને ચેકો બેન્કમાંથી બાઉન્સ કરાવી, હરેશભાઇ ઉપર ચેક પરતનો કેસ કર્યો હતો. જે દરમિયાન ફરિયાદી કોર્ટમાં જતાં કોર્ટ પરિસરની બહાર વ્યાજખોરે પુત્રને જોઇ લઇશ તેમ કહી, હરેશભાઇને ધમકી આપી, મકાન ઉપરાંત વધુ સાત લાખ રૂપિયા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હરેશભાઇએ વ્યાજખોર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભાઇસાબભા ગોહિલ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:50 am

સિદ્ધિ:ગુણવંતભાઈ પટેલને સોરવી ચેરી.ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ - ૨૦૨૫ મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરાયા. આ સમારંભમાં ભાવનગર તાલુકાની નાગધણીબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગુણવંતભાઈ પટેલનું સન્માન ટ્રોફી અને પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું હતુ. ઉચ્ચતમ શિક્ષણનો વ્યાપ વધારવાનાં હેતુસર શિક્ષક કદી નિવૃત્ત થતો નથી. શિક્ષક સતત પ્રવૃત શીલ હોવો જ જોઈએ, એટલું જ નહીં પરંતુ આજીવન શિક્ષક તરીકે કાર્યરત રહે એ જ સાચો શિક્ષક છે. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 'સોરવી યુવા તેજપદક પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો. GCERT નાં સચિવ એસ. જે. ડુમરાળિયાએ એવોર્ડ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા પુરસ્કારોથી શિક્ષણ જગતમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે. પુલકિતભાઈ જોષીએ શિક્ષકનો જુસ્સો વધારવા પ્રેરણાદાયી ઉદ્દબોધન કર્યું હતું. સોરવી ચેરીટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને શિક્ષણ જગત અને સમાજના ઉત્થાન માટે એક સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યો હતો. પ્રશાંતભાઈ શ્રીમાળીએ સંસ્થાને શૈક્ષિણક કાર્યો કરવા શિક્ષણનાં હેતુસર 51 હજારનું દાન આપવાની જાહેરાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:49 am

તાલુકા સંકલન બેઠક મળી:ભાવનગર તાલુકાના વિકાસના કામોને વેગ આપવા તાકીદ

પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામ્ય વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા બેઠક મળી હતી. જેમાં ભાવનગર તાલુકાના વિકાસકામો ની ચર્ચા કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે કર્યા બાદ જે લોકોના પ્રોપર્ટી કાર્ડ બાકી છે, બિન ખેતી થયેલ પ્લોટ માટે ગામ નમુના બે, આકાણી પત્રક, રસ્તાઓ બાબત, એસ.ટી.ના પ્રશ્નો અંગે, સ્મશાન નિમ કરવા બાબત થતા ગામડાઓમાં અનિયમિત વીજળી બાબત અને અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવેલ સરકાર ગ્રામ્ય વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે. એટીવીટી સભ્ય રાજુભાઈ ફાળકી, પ્રવીણભાઈ બારૈયા સહિત વિભાગના અધિકારી, પદાધિકારીઓ હાજર રહી લોક સમસ્યા, પ્રશ્નો નિરાકરણ માટે રજુઆત કરી હતી. તેમણે વિકાસકામો કયા સ્ટેજ ઉપર છે તેને સમયસર પૂર્ણ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા, તાલુકા વિકાસ અધિકારી પિયુષ રાવત , નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા, જીજ્ઞાબેન સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:48 am

લોક માંગ:સિહોરની જનતાને રિવરફ્રન્ટની સુવિધાની જરૂર

સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. ઐતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ પણ સિહોરનું એક અનેરું મહત્વ છે.ઐતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે. પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો ઐતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે. સિહોરમાં ગૌતમ ઋષિના નામ પરથી જેનું નામ રાખવામાં આવ્યું તેવી ગૌતમી નદીમાં આ વરસે પડેલા સારા વરસાદને કારણે અત્યારે પાણી છે જેથી સિહોરમાં મુકતેશ્વર મહાદેવ નજીક ગૌતમી નદીના પટ પર રિવરફ્રન્ટ બનાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ બનાવવાને કારણે લોકો માટે એ સન્ડે સ્પેશ્યલ બની ગયું. સિહોરમાં ગૌતમી નદીના તટ પર મુકતેશ્વર મહાદેવના મંદિરે પણ ભાવિકો અને પ્રવાસીઓમાં સારું એવું આકર્ષણ જમાવ્યું છે.અહીં જ ગૌતમી નદીનો કિનારો છે. અહીંથી સિહોરી માતા, સિહોરના ઐતિહાસિક કિલ્લાનો અદભુત નજારો નિહાળી શકાય છે. જો અહીં ગૌતમી નદીના તટ પર ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો આ સિહોરની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરાશે. રિવર ફ્રન્ટ બને તો આકર્ષણનું કેન્દ્ર બનેસિહોરએ તાલુકા મથક છે. અહીં નવનાથ અને પાંચપીરના બેસણા છે. સિહોર નગરપાલિકા અને 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો છે. સિહોરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ ધોરીમાર્ગ પસાર થાય છે. આથી સિહોરએ સિહોરવાસીઓ અને અન્ય પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. રવિવાર કે જાહેર રજાના દિવસે લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે એવા સ્થળો આંગળીના વેઢે ગણી શકાય એવા માંડ છે.જો સિહોરમાં રિવર ફ્રન્ટ બને તો સિહોર શહેર ઉપરાંત તાલુકાના લોકો માટે પણ એ લાભદાયી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:47 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં ચાર રસ્તાઓ બની રહ્યા છે વાહન અકસ્માતોના કેન્દ્ર : ટ્રાફિક સિગ્નલ મૂકો

ભાવનગર શહેરમાં દિવસેને દિવસે વધતા જતા વાહન વ્યવહારને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક અકસ્માતો તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોવાના બનાવોએ શહેરમાં ચિંતા જગાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે વાહનો બેફામ ઝડપે દોડે છે અને ટ્રાફિક નિયંત્રણની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ સતત વધતી જાય છે. ત્યારે વાહનોની વધતી ઝડપને કાબુમાં લેવા તંત્રએ પગલાં લેવા જરૂરી છે. ભરતનગર ચોકડી પાસે આવેલ લાલાબાપા ચોક, સુભાષ નગર ચાર રસ્તા દેરાસર સામે, ડોન ચોક ચાર રસ્તા ભાવનગર નાગરિક બેંકની, ટોપ થ્રી સર્કલ પાસે તેમજ રબર ફેક્ટરી ચાર રસ્તા જેવા વિસ્તારોમાં રોજબરોજ ભારે વાહનવ્યવહાર જોવા મળે છે. આ સ્થળોએ વાહનો અટક્યા વગર પસાર થાય છે અને ઘણી વખત પદયાત્રીઓ તથા દ્વિચક્રી વાહનચાલકો જોખમમાં મુકાતા જોવા મળે છે. સ્થાનિક પરિસ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે અહીં ટ્રાફિક સિગ્નલ અને સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાની તાત્કાલિક જરૂરિયાત છે. શહેરના જુના વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો જોવા મળે છે, પરંતુ નવા વિકસતા વિસ્તારોમાં આવી વ્યવસ્થા અછતમાં છે. પરિણામે વાહનોની ઝડપ પર કોઈ નિયંત્રણ રહેતું નથી અને અકસ્માતો ની શક્યતા વધી જાય છે. જો આ વિસ્તારોમાં નવા ટ્રાફિક પોઇન્ટ ઊભા કરી સિગ્નલો અને સ્પીડ બ્રેકર સ્થાપિત કરવામાં આવે તો વાહનવ્યવહાર સુવ્યવસ્થિત બની શકે અને અનેક નાગરિકોના જીવ બચાવી શકાય. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર તંત્રએ કોઈપણ વિલંબ કર્યા વગર તાત્કાલિક જરૂરી પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:46 am

યુનિ. ખાતે અદ્યતન ડિજિટલ સ્ટુડિયો નિર્માણાધીન:ડિજિટલ સ્ટુડિયોથી યુનિ.માં શિક્ષણ પદ્ધતિ વધુ સક્રિય થશે

શિક્ષણના ક્ષેત્રે નવીન તકનીક સાથે સુસંગત રહેવા અને ગુણવત્તાપૂર્ણ ડિજિટલ સામગ્રી નિર્માણ માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે એક અદ્યતન ડિજિટલ સ્ટુડિયોની રચના કરવામાં આવી રહી છે. આ સ્ટુડિયોમાં યુનિવર્સિટીના અનુભવી અધ્યાપકો દ્વારા ઉચ્ચ-ગુણવત્તાવાળી ઈ-કન્ટેન્ટ અને વિડિઓ શૈક્ષણિક સામગ્રી (વિડિઓ રિસોર્સ) તૈયાર કરવામાં આવશે, જે આધુનિક શિક્ષણ પદ્ધતિઓને વધુ સક્રિય અને પ્રભાવી બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. ડિજિટલ સ્ટુડિયોની આ સુવિધા ફક્ત શૈક્ષણિક વિડિઓ બનાવવા સુધી મર્યાદિત નથી પણ સુવિધા મળવાથી સમગ્ર સત્ર માટે પૂર્વ-રેકોર્ડેડ, ગુણવત્તાપૂર્ણ વ્યાખ્યાનોનું નિર્માણ થઇ શકશે, દેશ-વિદેશના વિદ્વાનોના ઑનલાઇન/રેકોર્ડેડ સેમિનાર, પેનલ ચર્ચા અને વ્યાખ્યાનોનું આયોજન શક્ય બનશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિષયવાર શૈક્ષણિક પોડકાસ્ટ થઇ શકશે. વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ અંતર્ગત વિદ્યાર્થીઓને તેમના સંશોધન, ઇન્ટર્વ્યુ અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સ માટે વ્યાવસાયિક રેકોર્ડિંગ સુવિધા મળશે. શૈક્ષણિક સંશોધન સામગ્રી, ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજીકરણ માટે ઉપયોગ થઇ શકશે. યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ, ઉપલબ્ધિઓ અને જાહેર સેવા સંદેશા વ્યવહાર માટે વિડિઓ સામગ્રીનું નિર્માણ કરી શકાશે તેમ યુનિ.ના કુલપતિ ડો.ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતુ. યુનિ.ના વિદ્યાર્થીઓને મળનારા ફાયદાઓ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:42 am

વીજળીની સમસ્યાનો આવશે તાત્કાલિક ઉકેલ:ભાવનગર જિલ્લામાં મળશે 32 FRT ટીમોની સવલત

ભાવનગર જિલ્લાના વિકાસ અને વિસ્તારમાં વધારો થવાની સાથે 2026ના નવા વર્ષમાં અનેકવિધ કામોથી લોકોની સવલતોમાં વધારો થવાનો છે. જે માં વીજળીને લગતી સમસ્યા તાત્કાલિક ઉકેલ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગર સહિત 11 જિલ્લા13 ની સર્કલ કચેરીઓમાં રૂ.272 કરોડના ખર્ચે GPSથી સજ્જ વ્હીકલ સાથે 256 FRT (ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમ)ની ટીમો મુકવામાં આવનાર છે ત્યારે 2026ના વર્ષમાં ભાવનગર જિલ્લાને પણ 32 FRT ટીમોની સવલત મળશે. પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને જાન્યુઆરી-2026 મહિનાથી લાગુ કરવા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં કુલ 126 FRT ટીમો 365 દિવસ અને 24x7 સેવારત બનશે. પી.જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ કચેરી ખાતે GPSથી સજ્જ વ્હીકલોનું આગમન થયું છે ત્યારે દસ્તાવેજી પ્રક્રિયાની જરૂરી કાર્યવાહી બાદ નજીકના સમયમાં ભાવનગર જિલ્લામાં 32 FRT ટીમોની કાર્યરત બનશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:40 am

વેધર રિપોર્ટ:10 કિલોમીટરની ઝડપે પવન સાથે સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો

ભાવનગર શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતાં જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને આજે સવારે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા અને સાથે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ ઉષ્ણતામાને લોકોએ સવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. શહેરમાં નવા વર્ષના આરંભે ગઇ કાલથી ઉત્તર દિશાના બરફવર્ષાના પવનથી ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં ગઇ કાલે લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ તે આજે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જો કે સવારના સમયે 10 કિલોમીટરની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતા ભાવેણાવાસીઓએ ઠંડીનો સતત બીજા દિવસે સવારે અને મોડી રાત્રે અનુભવ કર્યો હતો. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 83 ટકા હતુ જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 53 ટકા નોંધાયુ હતુ. આજે સાંજે પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડી રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:40 am

સિટી એન્કર:ભાવનગરના નંદીશ ભટ્ટે મેળવી નાટકોમાં નામના

ઘરથી દૂર કોઈ શહેરમાં રહીને સંઘર્ષ કરતાં બાળકોની વાત લગભગ હવે દર ઘરે થતી જોવા મળે છે. પણ આ જ વાત એ બાળક અને માતા પિતા બંનેના દ્રષ્ટિકોણથી, અને એ પણ એક મનોરંજક નાટ્ય રૂપાંતરણ સાથે જોવા મળે તો કેવું ? આ અનુભવ કરાવતું ‘ત્રિનેત્ર થિયેટર્સ’નું પરિવારિક મનોરંજક નાટક ‘બેચલર્સ એકોમોડેશન’ તાજેતરમાં ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહમાં યોજાઇ ગયું. મૂળ ભાવનગરના અને અમદાવાદમાં છેલ્લાં 8 વર્ષથી ગુજરાતી અને હિન્દી રંગભૂમિ તથા ફિલ્મોમાં કાર્યરત નંદીશ ભટ્ટ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ નાટકમાં નંદીશ સાથે ધ્વનિત, સ્મિત, માર્ગી, શ્વેતા, નવિદ, હેત, હર્ષ વગેરે અમદાવાદ થિયેટરના કલાકારો જોડાયેલ છે. આ નાટક ગુજરાતનાં વિવિધ શહેરોમાં 25થી વધુ શૉ કરીને દરેક વયનાં પ્રેક્ષકોનો પ્રેમ મેળવી રહ્યું છે. ભાવનગરમાં યોજાયેલા શૉનાં આયોજનમાં વિવેક પાઠક, સંદીપ પંડ્યા તથા નાટક ‘ભણકારા’ની આખી ટીમે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વિશ્વસ્તરે સુંદર પ્રદર્શન કરી લોકોનાં દિલ જીતનારી ફિલ્મ ‘લાલો - કૃષ્ણ સદા સહાયતે’માં પણ નંદીશે સુંદર ભૂમિકા ભજવીને પોતાની કારકિર્દીમાં ગૌરવપૂર્ણ મુકામ હાંસલ કર્યો છે. ભાવનગરનું નામ રોશન કરનાર નંદીશે બાલમંદિરથી ધોરણ 12 સુધીનો અભ્યાસ ભાવનગરથી કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગરની બી વી એમ એન્જીનિયરીંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું છે. હવે નાટ્ય અને ફિલ્મોના ક્ષેત્રે કાર્યરત રહીને કલાનગરી ભાવનગરનું ગૌરવ વધારી રહ્યાં છે. ફિલ્મોમાં એક્ટર, રાઇટર અને ડિરેક્ટર તરીકે કાર્યરતસતત 8 વર્ષથી એ અમદાવાદ ખાતે સ્ટેજ અને ફિલ્મોમાં એક્ટર, રાઇટર અને ડિરેક્ટર તરીકે કામ કરતો આવ્યો છે. ‘લાલો’ અને ‘બેચલર્સ એકોમોડેશન’ ઉપરાંત નંદીશના નોંધપાત્ર કામોમાં ‘ઉડન છૂ’, ‘ભેદ’ જેવી ગુજરાતી ફિલ્મો, ‘મુરશીદ (હિન્દી)’, ‘સંતાકૂકડી’, ‘થૂપ્પિસ’, ‘કાયદેસર’ જેવી વેબ સીરિઝ અને ‘મહેતા Vs મહેતા’, ‘હમ કૌન હૈ’, ‘કુમારની અગાશી’, ‘મૃત્યુંજય’, ‘આત્મસમર્પણ’ વગેરે નાટકોનો પણ સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:39 am

મંડે પોઝિટીવ:17,500 ચો.મી. જગ્યામાં 5 માળની કલેકટર કચેરી બનશે

ભાવનગર કલેકટર કચેરીનું બિલ્ડીંગ 67 વર્ષ જૂનું હોવા સાથે નવી સેવા અને સુવિધાઓનો પણ સમાવેશ થઈ શકે તેમ નહીં હોવાથી શહેરના વિદ્યાનગર ખાતે 33 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ સભર કલેકટર કચેરીનું નવનિર્માણ થઈ રહ્યું છે. આ વર્ષમાં ભાવનગર જિલ્લાના પ્રજાજનોને નવી કલેકટર કચેરીની સેવા મળી રહેશે. શહેરના વિદ્યાનગર ખાતે અધ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત કલેકટર કચેરી 17,500 ચોરસ મીટર જગ્યામાં પાંચ માળ અને 10,621 ચોરસ મીટર બાંધકામ વિસ્તાર ધરાવતા બિલ્ડીંગમાં પ્રજાજનોને સેવા અને સુવિધા મળી રહેશે. ભાવનગર જિલ્લાના મહેસુલ વિભાગની જુદી જુદી તમામ સેવાનો લાભ એક જ કેમ્પસમાં નવનિર્મિત કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં મળી રહે તે તે મુજબની ડિઝાઇન સાથેનું માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને નજીકના દિવસોમાં જ તે કામ પણ પૂર્ણ થશે. કલેકટર કચેરીના બિલ્ડિંગમાં પ્રાંત કચેરી, સીટી મામલતદાર કચેરી, ગ્રામ્ય મામલતદાર કચેરી, હક્ક ચોક્શી, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરી, એનઆઈસી કચેરી, ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ, જિલ્લા જમીનની કચેરી, પુરવઠા કચેરી, જન સેવા કેન્દ્ર વગેરે મહેસુલ વિભાગની કચેરીઓનો સમાવેશ કરવામાં આવશે. તદુપરાંત 215 ચોરસ મીટર વિસ્તાર ધરાવતો વિશાળ કોન્ફરન્સ અને 62 ચોરસ મીટર વિસ્તારના વિડીયો કોન્ફરન્સ હોલ સાથે અરજદારો માટે વેઇટિંગ રૂમ તેમજ ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સેવા અને સુવિધા પણ કલેકટર કચેરીના બિલ્ડિંગમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ કલેકટર કચેરીના કેમ્પસમાં વિશાળ પાર્કિંગ સાથે ગાર્ડનિંગ પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:36 am

ઠગાઈનો નવો કીમિયો:વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની એપીકે લિંક મોકલી ગઠીયાએ આધેડના 2.53 લાખ ટ્રાન્સફર કરી લીધા

સાયબર ફ્રોડ કરનારે હવે લગ્નની કંકોત્રીના નામે ઠગાઇ કરી રહ્યા છે. વોટ્સએપ પર ગઠીયાએ મોકલેલી કંકોત્રીની એપીકે ફાઇલ ખોલતા જ એમ્બ્રોઇડરીના કારીગરના ખાતામાંથી ફ્રોડ કરનારે ફોન હેક કરીને તેના ખાતામાંથી 3 ટ્રાન્જેકશન કરીને2.53 લાખ લઇ લીધાનો બનાવ બન્યો છે. વાલક ગામ વૃંદાવન હોમ્સમાં રહેતા વિનુભાઇ મકોડભાઇ નાકરાણી (ઉ‌વ.49) મગોબ આઇ માતા રોડ સ્થિત ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે. તા.10-4-2025ના રોજ વિનુભાઇ નોકરી પર હતા ત્યારે તેમના વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ.એપીકેની લીંક આવી હતી. વિનુભાઇને એમ કે કોઇ સંબંધીએ મોકલી એમ સમજીને લીંક ખોલી હતી. પણ આમંત્રણ કાર્ડ ખુલ્યુ ન હતું. જેથી વિનુભાઇએ તમે કોણ છો એમ મેસેજ મોકલ્યો હતો. પણ કોઇ જવાબ આ‌વ્યો ન હતો. બીજા દિવસે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ગઠીયાએ વિનુભાઇનો મોબાઇલ ફોન હેક કરી લીધો હતો. જેથી ફોન અચાનક ચાલુ થઇ ગયો હતો. પણ સિમકાર્ડ બંધ થઇ ગયો હતો. દરમિયાનમાં ગઠીયાએ તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ.96,000, બીઓબીના ખાતામાંથી 89250 તથા યુનિયન બેંકના ખાતામાંથી રૂ.68,000 મળી કુલ રૂ.2,53,250 ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવ અંગે વિનુભાઇએ લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડના ગુનો નોંધી તપાસ આદરી છે. એપીકે ફાઇલ ડાઉનલોડ થાય તો તાત્કાલિક મોબાઇલ ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દેવોએક્સપર્ટ મુજબ એપીકે ફાઇલ એક પ્રકારનો સોફટવેર છે. જેના કોડીંગના કારણે મોબાઇલ હેક કરી શકે છે. ભૂલથી કદાચ APK ફાઇલ ડાઉનલોડ કરવામાં જો ફોન હેક થાય તો સૌથી પહેલા મોબાઇલને ફલાઇટ મોડમાં મુકી દો, અથવા ફોનમાંથી સીમકાર્ડ કાઢી નાખો, જેથી ફોન હેક કરી શકશે નહિ. સેટિંગમાં જઈ એપમાં ચેક કરી શકો છો, જો એપ ડાઉનલોડ થઈ હોય તો એપ ડિટેઇલ્સ ઈન સ્ટોરમાં એપ્લીકેશન કેવી રીતે ડાઉનલોડ થઈ તે પણ બતાવી દેશે. જાણકાર પાસે એપ ડીલીટ કરાવી દેવાની અને પોલીસને જાણ કરવી. પૂર્વ ભૂસ્તશાસ્ત્રીના ફોનને હેક કરી ફાઇલ મોકલીએપીકે ફાઇલ સુરતમાં ફરજ બજાવી ચૂકેલા ભુસ્તર શાસ્ત્રી ડી.કે. પટેલના વોટ્સએપ એકાઉન્ટ સાયબર માફિયા દ્વારા હેક કરીને લોકોને .એપીકે ફાઇલ મોકલવામાં આવી રહી છે. ડી.કે પટેલના ફોટા સાથેના વોટ્સએપ પર રિમાઇન્ડર એલર્ટ લખ્યા બાદ PM Challan Notice.apk ફાઇલ મોકલવામાં આવે છે. આ અંગે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આ‌વ્યો હતો પણ સંપર્ક થઇ શક્યો ન હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:34 am

એસઓજીનું દરિયામાં ઓપરેશન:ભરતી સમયે ડુમસ ડક્કા ઓવારા પર ચોરીનું ડીઝલ લાવી ટેમ્પોમાં ઝિંગાના તળાવોમાં સપ્લાય કરાય છે

હજીરાના દરિયામાં આવતા જહાજમાંથી ડીઝલ ચોરીનું મોટું રેકેટ એસઓજીએ શનિવારે પકડી પાડયું છે.એસઓજીના પીઆઈ સોનારાની સૂચનાથી સ્ટાફે દરિયામાં પ્રાઇવેટ બોટમાં બેસી વોચ ગોઠવી હતી. દરમિયાન એક બોટમાં ડીઝલના મોટા પ્રમાણમાં બેરેલ સાથે મજૂરો પકડાયા હતા. મજૂરોની પૂછપરછ કરતા 4 ડીઝલ માફિયાના નામો આપ્યા હતા પછી આ ડીઝલ કંઈ જગ્યા પર લઈને જવાના તે બાબતે કડક હાથે તપાસ કરી હતી. જેમાં એક ઝિંગા ફાર્મ દરિયાની વચ્ચે બનાવવામાં આવેલું હતું. જ્યાં ડીઝલ માફિયાઓ ડીઝલનો સ્ટોક કરી વહેલી સવારે ભરતીના સમયે ત્યાંથી ડુમસ ડક્કા ઓવારા પર લાવી ટેમ્પામાં ઝિંગા તળાવોમાં સપ્લાય કરી દેતા હતા. આ ડીઝલ ચોરીનો ધંધો છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહયો છે અને સ્થાનિક પોલીસ આ બાબતે જાણતી હોય છતાં કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. અગાઉ ડીઝલ માફીયાઓ સામે ગાંધીનગરની વિજીલન્સે બબ્બે વારની કાર્યવાહી કરી છતાં પણ આ બેનંબરી ધંધો દરિયામાં બેરોકટોક ચાલી રહ્યો છે. ઉપરથી દરિયામાં આવી ગતિવિધી ચાલતી હોય છતાં મરીન પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. એસઓજીએ લાખોની કિંમતનો લગભગ 200થી વધુ બેરેલડીઝલનો જથ્થો તેમજ 4 બોટો કબજે કરી હોવાની વાત સામે આવી રહી છે. બચાવવા મોટા માથા મેદાનમાંડુમસના ઓવારાથી ડીઝલના ટેમ્પો સપ્લાય માટે નીકળે છે ત્યારે માફિયાની જે પ્રાઇવેટ ગાડીમાં પાઈલોટિંગ કરાય છે ગાડી મોટે ભાગે એક પોલીસકર્મી વાપરતા હોવાની વાત છે. માફીયાઓમાં ગવિયરના તેજસ, રાજો ડુમસનો અજીત, અજય, જૈમો હોવાની વાત સામે આવી છે. અજીતને બચાવવા મોટા માથાએ વચ્ચે પડયા હોવાની ચર્ચા છે. 24 કલાક સુધી દરિયામાં વોચડીઝલ ચોરોને કૅપ્ટન માટે એસઓજીના સ્ટાફેને 24 કલાક સુધી દરિયામાં રહેવાની નોબત આવી ડીઝલ ચોરીના ઓપરેશન માટે એસઓજીના સ્ટાફે શનિવારે સવારથી લઈ રવિવારે સાંજ સુધી દરિયામાં રહેવું પડયું હતું. કેમ કે ભરતીના પાણી આવે ત્યારે ડીઝલ ભરેલા બેરેલો બહાર લાવી શકાય તેમ હતું. તમામ બેરેલો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. મોટા જહાજના કેપ્ટન સાથે ડીઝલ માફિયાઓની સાઠગાંઠહજીરાની કંપનીમાં આવતા કેટલાક મોટા જહાજના કેપ્તાન સહિતના સ્ટાફને ડીઝલ માફીયાઓ દિવસ દરમિયાન બોટમાં જઈ પહેલા ગોઠવણી કરી આવતા હોય છે. એટલું જ નહિ જહાજના સ્ટાફને સુરતના મોલમાં ફરવાથી લઈ ખરીદી તેમજ ખાણીપીણીની તમામ સવલતો માફીયાઓ કરી આપે છે. ત્યાર પછી તેનો મોબાઇલ નંબર લઈ મધરાત્રે બોટમાં મજૂરો સાથે જતા હોય છે. જહાજ પાસે બોટ પહોંચે એટલે ડિઝલમાફીયાઓ કોલ કરી દેતા હોય છે. પછી જહાજનો સ્ટાફ ઉપરથી દોરડું નાખે છે. જે દોરડામાં પાઇપ બાંધી પાછો જહાજમાં ડિઝલની ટેન્કમાં નાખી દેવામાં આવે છે. ડિઝલમાફીયાઓ જનરેટરની મદદથી મોટર ચાલુ કરી બોટમાં મુકેલા બેરેલમાં ગણતરીના મિનીટમાં ડીઝલ ભરી નીકળી જતા હોય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:33 am

નર્સે કર્યો આપઘાત:ડ્યુટી મામલે સ્ટાફ સાથે ઝઘડો થતા 45 વર્ષીય નર્સે કેમિકલ પી જીવન ટૂંકાવી લીધું

રાંદેર વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલમાં 45 વર્ષની સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ સર્જરીના સાધનો ડીસઈન્ફેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ પી જીવન ટુંકાવી લીધું હતું. સ્ટાફ સાથે ડ્યુટી ગોઠવવા બાબતે ઝગડો થયા બાદ માઠુ લાગી આવતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પાલ રાજ કોર્નરની પાછળ સુડા આવાસમાં રહેતા 45 વર્ષીય અમીષાબેન હેમંતભાઈ શર્મા રાંદેર મોરા ભાગળ પાસે આવેલી જનની હોસ્પિટલમાં સિનિયર નર્સ તરીકે નોકરી કરી પુત્રી અને તેમનું ગુજરાન ચલાવતા હતા. તેમના પતિનું 12 વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું. રાંદેરની જનની હોસ્પિટલમાં તેઓ ઓપરેશન થિયેટર ઈન્ચાર્જ પણ હતા. શનિવારે રાત્રે તેમણે જનની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતું ફોર્મોલીન પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમિષા શર્માએ ફોર્મોલિન પી લીધાની જાણ થતાજ તેમને તાત્કાલિક સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. સિનિયર નર્સ દ્વારા ફોર્મોલિન પી જીવન ટૂંકાવી લેવાના બનાવની જાણ થતા જ રાંદેર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સિનિયર નર્સ અમીષાબેન શર્મા ઓપરેશન થિયેટર ઈન્ચાર્જ હોવાથી ડ્યૂટી ગોઠવવા બાબતે અન્ય સ્ટાફ સાથે તેમને શનિવારે ઝગડો થયો હતો. જેમાં માઠુ લાગી આવતા અમીષાબેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સાધનો ડિસઇન્ફેક્ટ કરવા ફોર્મોલિનનો ઉપયોગફોર્મોલિન એક સોલ્યુશન છે જે હોસ્પિટલમાં સર્જરીના સાધનો ડિસઈન્ફેક્ટ કરવા માટે, મૃતદેહ અને ટીશ્યુને સુરક્ષિત રાખવા માટે, લેબોરેટરીમાં નમૂનાઓ સાચવવા, રૂમ, વોર્ડ ઓપરેશન થિયેટર ફ્યૂમિગેશન માટે તેમજ જીવાણુ, બેક્ટેરીયા અને વાયરસ નાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સોલ્યુશન આંખ, નાક, ફેફસાંને ગંભીર નુકસાન, લાંબા સમય સુધી સંપર્કથી કેન્સરનું જોખમ વધે છે તેમજ ત્વચા પર પડવાથી બળતરા થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:32 am

ગોઝારો બનાવ બન્યો:ઉધનામાં મામાના ઘરે પતંગ ચગાવતા ચોથા માળેથી પટકાતાં બાળકનું મોત

ઉધનામાં મામાના ઘરે રહેતા 9 વર્ષના બાળકનું પતંગ ચગાવતી વખતે ચોથા માળના ટેરેસ પરથી પટકાતા મોત નીપજ્યું હતું. ઉધના વિજ્યા નગર રાધાકૃષ્ણ આવાસ ખાતે રહેતો મીર પ્રેમલ પટેલ છેલ્લા એક વર્ષથી માતા સાથે મામાના ઘરે રહેતો હતો. તેના પિતા હીરાના કારખાનામાં કામ કરતા હતા. જોકે વતન મહેસાણા ખાતે મકાનનું કામ ચાલુ હોવાથી તેઓ છેલ્લા એક વર્ષથી વતનમાં રહે છે. મીર ઘર નજીકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. ગઈ તા.2 જાન્યુઆરીના રોજ મીર આવાસના ટેરેસ પર પતંગ ચગાવતો હતો. ત્યારે પતંગ ચગાવતી વખતે કોઈક રીતે સંતુલન ગુમાવી દેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા મીરને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન શનિવારે મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ઉધના પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પતંગની દોરી આવી જતા યુવકને ઈજાઅમરોલી કોસાડ આ‌વાસ ખાતે રહેતા 30 વર્ષીય અરૂણ ભાગવતપ્રસાદ તિવારી શનિવારે રાત્રે બાઈક લઈ અમરોલી બ્રિજ પરથી અમરોલી તરફ જતા હતા. તેઓ બ્રિજ પરથી શાકમાર્કેટ પાસે ઉતરતા અચાનક પતંગની દોરી વચ્ચે આવી ગઈ હતી. જેથી ગળાના ભાગે ઈજા થતા તેમણે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સદનસીબે તેમને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ ન હતી. પતંગ પકડવામાં દીવાલ પરથી પટકાતા ઇજાગ્રસ્તપતંગ પકડવા જતા દીવાલ પરથી પટકાતા બાળક ઈજાગ્રસ્ત થયો. વરાછામાં પતંગ પકડવા જતા દીવાલ પરથી પટકાવાના કારણે દસ વર્ષીય બાળક ઈજાગ્રસ્ત થયો હતો. વરાછા રાધાકૃષ્ણ મંદિર પાસે શ્રી સોસાયટી ખાતે રહેતો કૃણાલ સંતોેષ વાઘેલા ધોરણ 4માં અભ્યાસ કરે છે. રવિવારે સવારે કૃણાલ ઘર નજીક જવલંત ટાઉનશીપની વાડીની દીવાલ પર પતંગ પકડવા માટે ચડ્યો હતો. સંતુલન ગુમાવતા નીચે પટકાતા હાથના ભાગે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સ્મીમેર દાખલ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:30 am

રાજ્યમાં સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા:સુરતમાં 3 વર્ષમાં સૌથી વધારે 2025માં 1016થી વધુ અસામાજિક તત્વો પાંજરે

વર્ષ 2025માં સુરત શહેર પોલીસની PCBએ પાસા હેઠળ રેકોર્ડબ્રેક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષમાં 1016 આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2024ની સરખામણીએ આ આંકડો ઘણો વધારે છે. ગુજરાત પોલીસમાં સૌથી વધારે લિંબાયત પોલીસે 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દીધા છે. વર્ષ 2025માં 507 લુખ્ખા તત્વો અને 307 બુટલેગરોને પાસા હેઠળ જેલભેગા કરાયા છે. 43 જાતીય સતામણી કરનારાઓ સામે કડક પગલાં લીધા છે. વ્યાજખોરી, અનૈતિક વેપારમાં સંડોવાયેલા ગુનેગારોને પણ પાસા કરાયા છે. સુરત પોલીસે આ વર્ષે 27 જેટલા સાયબર ક્રિમિનલ્સને પાસા હેઠળ જેલભેગા કર્યા છે. પોલીસે જે રીતે સાઇબર ગુનેગારોને પકડ્યા છે. ભય-અશાંતિ ફેલાવનારા સામે ઝીરો ટોલરન્સ આ વખતે ખાસ કરીને સાયબર ક્રાઇમ, કાપડ અને હીરામાં થતી ચીટિંગ, ખંડણી, વ્યાજખોરી તેમજ જાતીય સતામણી માં સંડોવાયેલા તત્વો સામે પાસાની કાર્યવાહી કરાઇ છે. ભય અને અશાંતિ ફેલાવનારા તત્વો સામે પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આવનારા દિવસોમાં પણ આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી કરાશે. > અનુપમસિંહ ગહલૌત, પોલીસ કમિશનર, સુરત શહેર ગૌહત્યા, કાપડ અને ડાયમંડ ચીટિંગમાં કડક પગલા 1. લિંબાયત - 100 2. ઉધના - 90 3. પાંડેસરા - 81 4. સચીન - 56 5. ભેસ્તાન - 52 સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલાયા હતા. ઉધના, પાંડેસરા,સચિન, ભેસ્તાનમાં કાર્યવાહી કરાઇ હતી રાજ્યમાં સૌથી વધુ લિંબાયતમાં 100 ગુનેગારોને પાસા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:29 am

શપથ ગ્રહણ સમારોહમાં હર્ષ સંઘવીનું સંબોધન:‘બાળકોને કુપોષણથી મુક્ત કરવા તબીબોનો સહયોગ અનિવાર્ય છે’

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુપોષિત બાળકો માટે તબીબો વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે. સમારોહને સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને કુપોષણના વીષ ચક્રમાંથી બહાર કાઢવા માટે સરકારની સાથે-સાથે ડૉક્ટરોનો સહયોગ અનિવાર્ય છે. તેમણે મુખ્યત્વે બાબતો પર ભાર મૂક્યો હતો કે, ડૉક્ટરોએ શાળાએ જતાં બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેથી, કુપોષણને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય. માત્ર સારવાર જ નહીં પરંતુ, વાલીઓમાં પોષણક્ષમ આહાર બાબતે જાગૃતિ લાવવા માટે ડૉક્ટરોએ આગળ આવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:25 am

શાકોત્સવમાં 17 હજાર ભક્તોએ ભાગ લીધો:શ્રીજી મહારાજે કરેલી આજ્ઞા મૂળ સંપ્રદાયની પરંપરા છે તેને અવગણી વર્તવું નહીં : આચાર્ય

વાલક પાટીયા, સ્વામિનારાયણ મિશન પ્રાગણમાં રવિવારે સાંજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17000થી વધારે ભક્તોએ ભોજન, પ્રસાદ અને સત્સંગનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મિશનના સ્થાપક નીલકંઠ ચરણદાસજી સ્વામીએ 2026ના વર્ષને ભજન વર્ષ તરીકે જાહેર કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ધોરાજી નજીક ફરેણી ગામ ખાતે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હતો. તે દિવસની ઉજવણી નિમિત્તે ભક્તો વર્ષ દરમિયાન જુદા જુદા ભજન ભક્તિના કાર્યક્રમો કરશે અને 1 કરોડ મંત્રજાપ કરી શ્રીજી મહારાજને અર્પણ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનું નામ શિરમોર છે તેવા દાદા ખાચરના પરિવારનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે પરિવારમાં એકતા ખૂબ જ જરૂરી છે. રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે તે પ્રમાણે ચાલવું તેમાં આપણું કલ્યાણ છે તેમણે કરેલી આજ્ઞા એ જ મૂળ સંપ્રદાયની પરંપરા છે. ઘણાને ધન સંપત્તિ કે લોકોનો સમુદાય જોઈને નવું કરવાના વિચારો આવતા હોય છે. પરંતુ મહારાજે જે વચનામૃત અને શિક્ષાપત્રીમાં કહ્યું છે તેને અવગણીને ક્યારેય વર્તવું નહીં.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:25 am

રક્તદાન કેમ્પનું આયોજન:શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટના કેમ્પમાં 257 યુનીટ રક્ત એકત્ર

શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત કતારગામ તળપદા કોળી પટેલ પંચ દ્વારા સુરત રક્તદાન કેન્દ્ર નાં સહયોગથી ભરતનાથ મંદિરની વાડી, ડેરી ફળિયા, કતારગામ ખાતે ‘ચતુર્થ રક્તદાન શિબિર તેમજ ફ્રી મેડિકલ કેમ્પ’નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ મિલન મંદિરનાં સ્વામી અંબરીશાનંદજી. ધારાસભ્ય વિનોદ મોરડીયા, મેયર દક્ષેશ માવાણી, સમાજનાં આગેવાનોએ તમામ રક્તદાતાઓને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા. રક્તદાન શિબિરની સાથે ફ્રી મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી જેનો સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ મહા રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 257 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:24 am

કોર્ટે અપાવ્યો ન્યાય:83 હજારનો પગાર ધરાવતા શિક્ષકનું અકસ્માતમાં મોત, કોર્ટે 4 માસમાં જ પરિવારને 1 કરોડનું વળતર અપાવ્યું

ચાર મહિના અગાઉ સુરત-વડોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર ચાલક શિક્ષકનું કરુણ મોત થયું હતું. આ કેસમાં આજે વીમા કંપની સાથે સમાધાનના કેસમાં મરનાર શિક્ષકના પરિજનોને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવામા આવ્યું હતું. વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા ધર્મેશભાઈ પોતાની કાર લઈને વડોદરાથી સુરત આવી રહ્યા હતા ત્યારે આઇસર ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથા અ્ને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેના લીધે તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં સમગ્ર મામલો અસક્માત વળતર ધારા હેઠળ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં મરનાર 48 વર્ષના હતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી દર મહિને 83 હજાર કમાતા હતા. આથી વારસદારોએ 1.30 કરોડનુ વળતર માગ્યું હતું. આવક, તબિયત અને રોકાણ બધુ જ જોવામાં આવેઅકસ્માત વળતરના કેસમાં મરનાર કે અકસ્માતમા ખોડખાપણના કેસમાં આવક-રોકાણ અને ભવિષ્યની આવક બધુ જ જોવામા આવતુ હોય છે અને ગણતરીના આધારે વળતર નક્કી કરવામા આવે છે. ઉપરાંત મરનાર પાછળ કોને-કોને છોડી ગયા છે તે પણ જોવામા આવે છે. આ સાથે લોસ ઓફ એસ્ટેટ,લોસ ઓફ કોન્સોટીઅમ, લોસ ઓફ લવ એન્ડ અફેક્શન વગેરેના આધારે વળતર નક્કી થાય છે. > નિમેશ દલાલ, એડવોકેટ બાઇક ચોરીની ફરિયાદ મોડી થતાં અરજી નામંજૂર કરાઈનાનપુરાના યુવકની બાઇક ચોરી થઈ જવાના કેસમાં વીમા કંપનીને સાત દિવસ મોડે જાણ કરવામાં આવતા રુપિયા 48 હજારની વળતરની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહ દ્વારા દલીલો કરવામા આવી હતી. બાઇક ચોરી થતા બિજા દિવસે પોલીસ ફરિયાદ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:23 am

વેધર રિપોર્ટ:શહેરમાં ફુલગુલાબી ઠંડી, લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સુધી નોંધાયું

દક્ષિણ ગુજરાતમાં હવે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. કેટલાક દિવસોથી સુરત વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ પલટાને કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ઘટીને 15.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. નોંધનીય છે કે પાછલા દિવસની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં થઈ રહેલા આ સતત ઘટાડાને કારણે રાત્રિના સમયે ઠંડીની તીવ્રતા વધી રહી છે. પવનની ગતિ અને દિશા શહેરમાં અત્યારે ઉત્તર દિશા તરફથી અંદાજે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. હિમાલય અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ત્યાંથી આવતા ઠંડા પવનો સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:21 am

ભાસ્કર એક્સક્લુસિવ:રિટર્નમાં ગોટાળાની શંકા વચ્ચે જેમને ઇ-મેલ કરાયા, તેઓના ઇ-મેલ જ અપડેટ ન થયા, હવે 90% પેનલ્ટી

આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ અનેક કરદાતાઓને મેસેજ અને ઇ-મેલ મારફત રિટર્ન અપડેટ કરવાની સૂચના આપી હતી. પરંતુ ઘણા કરદાતા એવા છે જેઓને ઇ-મેલ મળ્યા નહતા. કેમકે તેઓએ રિટર્ન ભરતી વખતે પોતાના નવા ઇ-મેલ અપડેટ કરાવ્યા ન હતા. જ્યારે આઇટીનું ન્યૂઝ.2 કેમ્પેઇન ચાલી રહ્યું હતું અને આ કેમ્પેઇનના પહેલા ચરણમાં જ્યારે મેસેજ કે ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા ત્યારે 61 ટકા લોકોએ જવાબ આપ્યા હતા જ્યારે 39 ટકા લોકોએ કોઈ જવાબ જ આપ્યા ન હતા. હવે જે લોકોને ઇ-મેલ મળ્યા નથી તેઓને પર 30 ટકાથી લઈને 90 ટકા સુધીની પેનલ્ટીની તલવાર લટકી રહી છે. સી.એ. ધર્મેશ શાહ કહે છે કે જે કેસમાં મેસેજ કે ઇ-મેલ આવ્યા છે તેવા ઘણા કેસોમાં તો કરદાતાની કોઈ ભૂલ નથી, રિટર્ન યોગ્ય જ ભરાયુ છે પરંતુ છતાં એઆઇએસ ચકાસી લેવામાં આવ્યું છે અને નાની-મોટી ભૂલ હોય તો ફરી રિટર્ન ભરી દેવાયું છે. કમિશનથી દાન આપનારા અને લેનારાઓને શોધાયાઆઇટી વિભાગે ત્રણ તબક્કામાં દાન લેનારા અને આપનારાઓને ત્યાં તપાસ કરીને અનેક ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે અને તેના આધારે એવી પોલિટિકલ પાર્ટીઓની યાદી પણ તૈયાર કરી છે જે કમિશન લે છે. રીટર્નમાં મિલકતો દર્શાવી ન હોય તો બેનામી ઘોષિત થશેઅધિકારી સૂત્રો કહે છે જો વિદેશમાં કે દેશમાં મિલકત ખરીદી હોય અને તેને રિટર્નમાં ન બતાવે અને પાછળથી તપાસ થયા અને કરદાતા જો પુરાવા ન આપી શકે તો આવી મિલકતો પણ બેનામી પુરાવાર થઈ શકે છે. ઇ-મેલ અપડેટ નહીં કરનાર નુકસાનમાંઇ-મેલ બદલાયું હોય તો તે અપડેટ જરૂરી છે નહીં તો નોટિસની બજવણી એક રીતે લીગલ જ કહેવાશે. હાલ જે કેસમાં ઇ-મેલ આવ્યા છે તેમાં જો ઇ-મેલ અપડેટ ન કરાતા જૂના જ એડ્રેસ પર ઇ-મેલ ગયો હયો તો કરદાતાએ પેનલ્ટીની માર સહન કરવી પડશે. > રમેશ ગોયેલ, સી.એ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:21 am

સિટી એન્કર:અનોખું સ્નેહમિલન : યુવાઓને આકર્ષાયા, બિઝનેસ પણ વધાર્યો, લેઉઆ પટેલ દેસાઈ પરિવારે 3 વર્ષમાં રૂ. 41 કરોડનો બિઝનેસ કર્યો

લેઉઆ પટેલ દેસાઈ પરિવાર દ્વારા મોટા વરાછા અક્ષરવાડી ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.અજય દેસાઈએ જણાવ્યું હતું કે સામાજિક કાર્યક્રમોમાં યુવા વર્ગ ખૂબ જ ઓછો રસ ધરાવે છે. અમને વડીલોએ સુકાન સોપતાં અમે અપનાવેલા અભિગમથી પરિવારને ખૂબ જ મોટો ફાયદો થયો છે. પરિવારના નાના નાના બિઝનેસ મેનોને પ્લેટફોર્મ મળે તે માટે એક્સપોનું આયોજન કરીએ છીએ. ધંધા સાથે જોડાયેલા લોકોને પ્લેટફોર્મ મળતા 3 વર્ષમાં 41 કરોડથી વધારે બિઝનેસ થયો છે. મિટિંગમાં 3 બાબતો સમજાવવામાં આવી1. કોઈપણ વિવાદ થાય ત્યારે 30 મિનિટ સુધી રિએક્શન આપવું નહીં.2. પરિવારના દરેક સભ્યની વાત ધ્યાનથી સાંભળો.3. દરેક વાત પર થોડું ઊંડું ચિંતન-મનન કરીને પછી જવાબ આપો તેનાથી પરિવારમાં ખૂબ જ ઊંડાણપૂર્વક અસર પડી અને ઘણા પરિવર્તનો મળતા સંયુક્ત કુટુંબો જળવાઈ રહ્યા છે. 16 પરિવારોએ પ્રેરણા લઈને બિઝનેસમાં સફળતા મેળવી છે16 પરિવારોએ પ્રેરણા લઈને બિઝનેસમાં સફળતા મેળવી છે. માત્ર આર્થિક બાબતો જ નહીં પરંતુ સામાજિક રીતે દરેક પરિવારમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેના નિરાકરણ માટે દેસાઈ હ્યુમન ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા 6 પરિવારો માં નાની મોટી ગેરસમજના કારણે વાદવિવાદો એટલી હદે વધી ગયા હતા કે છૂટા પડવાની નોબત આવી હતી પરંતુ પરિવારની હ્યુમન ક્લબના માધ્યમથી ટકી ગયા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:17 am

26 પદાધિકારી બરતરફ કરાયા:શિવસેના ઠાકરે જૂથનો બળવાખોરોને ફટકો

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની સમયમર્યાદામાં પણ પીછેહઠ ન કરીને, સત્તાવાર ઉમેદવારોને પડકાર ફેંકનારા બળવાખોર નેતાઓને 'માતોશ્રી'એ ઘરનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વારંવારના આદેશો અને અલ્ટિમેટમનો અનાદર કરનારા 26 મુખ્ય પદાધિકારીઓને હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. હાંકી કાઢવામાં આવેલામાં અનિલ પરબના નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. ઠાકરે જૂથે આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. આ કાર્યવાહીમાં, વોર્ડ નંબર 95 ના શેખર વાયંગણ્કરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ પરબના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેમણે બાંદરા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાર્ટી સંગઠનમાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે ચૂંટણી લડવાના તેમના નિર્ણયને કારણે તેમની સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલા 'એબી ફોર્મ' ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ પાછી ખેંચી ન લેવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર જૂથ)ની યુતિમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. યુતિને બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું કારણ કે સાથી પક્ષોને ફાળવવામાં આવેલી બેઠકોમાં પણ બળવાખોરો થયા હતા. એક જ પક્ષના બે ઉમેદવાર મેદાનમાં હોય અને ભાજપ અથવા શિંદે જૂથ તેનો સીધો ફાયદો ઉઠાવી શકે તો મત વિભાજનનું નુકસાન ટાળવા માટે બળવાખોરોને હાંકી કાઢવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને સંદેશ આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી કે પક્ષથી કોઈ મોટું નથી. પક્ષ મોટા નેતાઓ સામે કાર્યવાહી કરીને અન્ય પદાધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી અન્ય પદાધિકારીઓ આવી કૃત્યો કરવાની હિંમત ન કરે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:12 am

અમિત સાટમ દ્વારા સનસનાટીભર્યો આરોપ:જો ઉદ્ધવ ઠાકરે મેયર બનશે તો મુંબઈ પાકિસ્તાન બની જશે

ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ ૧૯૯૭ થી ૨૦૨૨ સુધીનાં ૨૫ વર્ષ દરમિયાન મુંબઈ મહાપાલિકામાં દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. દેશમાં અત્યાર સુધી થયેલા 2જી, કોલસા કૌભાંડ કે કોમનવેલ્થ જેવા મોટા કૌભાંડોની સંખ્યા ૧ લાખ ૭૬ હજાર કરોડ રૂપિયાથી વધુ નથી, પરંતુ ઠાકરેએ મુંબઈ મહાપાલિકામાં જ ૩ લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. જો મેયર ચૂંટવામાં ઠાકરે સફળ થાય તો મુંબઈ પાકિસ્તાન બની જશે.મુંબઈ શહેર અને મહાપાલિકાની દ્રષ્ટિથી સૌથી મોટો મુદ્દો રસ્તાનો છે. મુંબઈ શહેર તેના રસ્તાઓ માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. શહેરના રસ્તાઓ કેવા છે તેના આધારે આપણે સંબંધિત શહેર વિશે આપણો અભિપ્રાય વ્યક્ત કરીએ છીએ, પરંતુ, અમે ઘણાં વર્ષોથી આ ચર્ચા સાંભળી રહ્યા છીએ, મુંબઈ શહેરના રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે, એમ સાટમે જણાવ્યું.મુંબઈના રસ્તાઓની ખરાબ સ્થિતિ તરફ ધ્યાન દોરતાં, સાટમે માહિતી અધિકાર (આરટીઆઈ) દ્વારા મેળવેલી માહિતીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં જ મહાપાલિકાએ મુંબઈના રસ્તાઓ પર 21,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આટલી મોટી રકમ ખર્ચવા છતાં, મુંબઈના રસ્તાઓની હાલત દયનીય છે, અને રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે તે સ્પષ્ટ નથી. તેમણે સીધો આરોપ લગાવ્યો કે આ પરિસ્થિતિ માટે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. અમિત સાટમે કહ્યું કે શિક્ષણ કૌભાંડ, પાણી યોજના રદ કરવાનું કૌભાંડ, કચરો કૌભાંડ અને જાહેરાત આવકમાં ભ્રષ્ટાચાર, મુંબઈના 1700 બાર અને રેસ્ટોરાંમાંથી ખંડણી વસૂલી તેમને નામે બોલાય છે. મહાલક્ષ્મી કોવિડ સેન્ટર બિલ્ડરના ફાયદા માટે બનાવવામાં આવ્યું હતું અને બોડી બેગ અને પીપીઈ કિટની ખરીદીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. અમિત સાટમે દાવો કર્યો હતો કે સ્થાયી સમિતિ ઉદ્ધવ ઠાકરેના માણસો દ્વારા 'રિમોટ કંટ્રોલ'થી ચલાવવામાં આવતી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:11 am

નેતાનો આરોપ:ખુદ પોલીસ અમારા ઉમેદવારને શિંદેના બંગલા પર લઈ ગઈ

મહાપાલિકાની ચૂંટણીઓ આડે થોડા દિવસો બાકી છે અને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી બાજુ સામદામદંડ ભેદ નીતિ અપનાવવામાં પણ કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. મનસે નેતાએ આરોપો કર્યો છે કે મહાયુતિએ બળ અને નાણાકીય લાલચનો ઉપયોગ કરીને વિપક્ષી ઉમેદવારોને અરજીઓ પાછી ખેંચવા માટે દબાણ કર્યું છે, જેથી અમુક બેઠકો પર ચૂંટણીઓ બિનહરીફ થઈ હતી. મનસે નેતા અવિનાશ જાધવે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતાં જણાવ્યું કે થાણે મહાપાલિકાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને તેમની અરજીઓ પાછી ખેંચવા દબાણ કરાયું હતું. અવિનાશ જાધવે એક પોલીસ અધિકારીનો વિડિયો બતાવ્યો છે જેમાં એક મનસે ઉમેદવારને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના થાણે નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યો છે. જાધવે એમ પણ કહ્યું છે કે ઉમેદવાર શિંદેના ઘરે ગયા પછી પોતાની અરજી પાછી ખેંચી લે છે. આ ઉમેદવારનું નામ વિક્રાંત ઘાગ છે અને હવે આ ઉમેદવારનો મોબાઇલ પણ બંધ છે, એમ જાધવે માહિતી આપી. અવિનાશ જાધવે કહ્યું, આ તે દિવસનો વીડિયો છે જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા. અમને આ વિડિયો ત્યાં હાજર પત્રકારો દ્વારા મળ્યો છે, અમે ત્યાં કેટલાક કેમેરા લગાવ્યા હતા. અમે હજુ સુધી ઉમેદવારને મળ્યા નથી, તે પોતાનો ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો છે. જો કોઈ પોલીસ જ ઉમેદવારને શિંદે પાસે લઈ જાય તો તેને ધમકી આપવામાં આવી જ હશે. જાધવે ચેતવણી આપી છે કે જેમણે શિવસેના મનસે પાર્ટી સાથે દગો કર્યો છે તેમની સાથે અમારી સ્ટાઈલમાં વર્તન કરવામાં આવશે. શિવસેના ઠાકરે જૂથના નેતા રાજન વિચારેએ પણ આ બાબતે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 68 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના 44 અને શિંદે જૂથના 22 ઉમેદવારનો સમાવેશ થાય છે. બિનહરીફ ચૂંટાવા માટે આ નવો ફંડા શરૂ કરવામાં આવ્યો છે. મશીનમાં ખામી અને મતચોરી પછી, હવે ચૂંટણી પહેલાં જ પૈસા આપીને, ધમકી આપીને અને પોલીસનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનું કારસ્થાન કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:10 am

રાજ ઠાકરેનો સવાલ:પ. બંગાળમાં બિનહરીફ ચૂંટણીનો વાંધો તો મહારાષ્ટ્રમાં કેમ નહીં?

પશ્ચિમ બંગાળમાં બિનહરીફ ચૂંટણી સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, તો હવે મહારાષ્ટ્રમાં કેમ નહીં? એમ રાજ ઠાકરેએ ભાજપને પૂછ્યું છે. કોઈ પણ સત્તાનો અમરપટ્ટો લઈને આવ્યું નથી. કાલે સત્તા પરિવર્તન થશે અને બીજો કોઈ આવશે અને તે વધુ ખરાબ હશે. શાસક પક્ષે વિચારવું જોઈએ કે તે સમયે તેઓ શું કરશે, એમ રાજ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ યુતિ કરી છે. રવિવારે શિવસેના ઠાકરે જૂથ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)નો સંયુક્ત ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. ઢંઢેરાને 'મુંબઈવાસીઓ માટે શિવશક્તિનો ઢંઢેરો' નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલતાં, રાજ ઠાકરેએ ઉમેદવારોની બિનહરીફ ચૂંટણીને કારણે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ આપીને ભાજપ પર જોરદાર હુમલો કર્યો. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સંસ્કૃતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં રાજ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રને આ રીતે વાળવું, મહારાષ્ટ્રની આગામી પેઢીઓને વાળવી, મહારાષ્ટ્રમાં રાજકારણમાં પ્રવેશવા માગતા લોકોની વિચારસરણી બદલવી એ મહારાષ્ટ્રના ભવિષ્ય માટે ખતરનાક છે. રાજકીય પક્ષોએ આ બધી બાબતો વિશે વિચારવાની જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને બાળાસાહેબ ઠાકરેના વિચારોના વારસદાર કહ્યા હતા. રાજ ઠાકરેને આ નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં ફક્ત હસીને જવાબ આપ્યો હતો. તેમની પ્રતિક્રિયા પૂછી ત્યારે કહ્યું, ખરેખર, હું હસ્યો, હું પછી હસ્યો. હું શાંતિથી હસ્યો. સંજય રાઉત જોરથી હસ્યા. આ મારો જવાબ છે, એમ રાજ ઠાકરેએ કહ્યું. તેમણે આડકતરી રીતે કહેવાનો પ્રયાસ કર્યો કે ફડણવીસનું નિવેદન હાસ્યાસ્પદ હતું. તેઓ ખરેખર તેની પર હસ્યા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:09 am

ઠાકરેનું નિવેદન:રાજ્યમાં ટોળાશાહી ચાલી રહી છે, લોકશાહીનો અંત આવ્યો છે: ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ચૂંટણીઓ બિનહરીફ કરાવવાની સત્તાધારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે, બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, એમ ઉદ્ધવે જણાવ્યું હતું. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં રવિવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં મુંબઈવાસીઓ માટે વચનનામું જાહેર કર્યું હતું. તે સમયે તેઓ બોલી રહ્યા હતા.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં ટોળાશાહી ચાલી રહી છે, લોકશાહી હવે ખતમ થઈ ગઈ છે. વોટ- હેરાફેરી પછી, ઉમેદવારો ભગાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, ચૂંટણીઓ બિનહરીફ થઈ રહી છે. રાહુલ નાર્વેકર ધમકીઓ આપી રહ્યા છે. ચૂંટણી પંચે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને તેમને પદ પરથી સસ્પેન્ડ કરવા જોઈએ, એવી માગણી ઠાકરેએ કરી છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે. તેઓ ધારાસભ્ય જેવું વર્તન નહીં કરી શકે. બિનહરીફ ઉમેદવારો બળજબરીથી ચૂંટાઈ રહ્યા છે, તેમણે તે સ્થાનના મતદારોને મતદાનથી વંચિત રાખ્યા છે. તેથી, જ્યાં બિનહરીફ ચૂંટણીઓ યોજાઈ છે, ત્યાં ફરીથી ચૂંટણીઓ થવી જોઈએ. વિધાનસભાના અધ્યક્ષ કોઈ પણ પક્ષના પ્રચાર કે સમર્થન માટે જઈ નહીં શકે, પરંતુ નાર્વેકરે વિરોધી પક્ષના નેતાની સુરક્ષા પાછી ખેંચવાનો જે પણ આદેશ આપ્યો છે, તે તેમના અધિકારની બહાર છે. અમે મહાપાલિકાના ભંડોળમાંથી કોસ્ટલ રોડ બનાવ્યો છે અને તે પણ ટોલ ફ્રી છે. મહાપાલિકાની તિજોરીમાં અમે 92 હજાર કરોડ સુધી જમા કરાવ્યા. વિકાસકાર્યો સાથે અમે આ કર્યું છે. નીતિન ગડકરીનો મુંબઈ-ગોવા હાઇવે હજુ પણ બની રહ્યો છે. મહાયુતિએ લગભગ 3 લાખ કરોડનું કૌભાંડ કર્યું છે. મને આ વિશે ખબર પડી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:08 am

સિટી એન્કર:પવાર સહિત 7 સાંસદ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી મોટી ઉથલપાથલ

આગામી વર્ષમાં રાજ્યસભાના રાજકારણમાં મોટા ઊથલપાથલના સંકેતો છે અને 2026નું વર્ષ સંસદીય રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. મહારાષ્ટ્ર અને દેશભરના ઘણા દિગ્ગજ નેતાઓનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને કુલ 71 સાંસદો નિવૃત્ત થવાના છે. આમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સહિત મહારાષ્ટ્રના સાત સાંસદોનો સમાવેશ થાય છે. બીજી તરફ, આ વર્ષે મહત્તમ 30 ભાજપના સાંસદો રાજ્યસભા છોડી રહ્યા હોવાથી, આ ચૂંટણી શાસક અને વિપક્ષી પક્ષો માટે પ્રતિષ્ઠિત રહેશે.2026 માં, દેશના પાંચ રાજ્યોમાં માત્ર રાજ્યસભાની ચૂંટણીઓ જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે, તેથી રાજકીય ગતિવિધિઓ વેગ પકડવા જઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્યસભાની બેઠકોની ગણતરી અને નવા ઉમેદવારોની તપાસ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે, રાજ્યસભામાં કુલ 71 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને 1 માર્ચમાં નિવૃત્ત થશે, જેમાં મહત્તમ 37 એપ્રિલમાં, 22 જૂનમાં અને 11 નવેમ્બરમાં નિવૃત્ત થશે. એવી અપેક્ષા છે કે આ નિવૃત્તિઓ સંસદના ઉપલા ગૃહમાં રાજકીય સંતુલન પર મોટી અસર કરશે.રાજ્યસભાની કુલ 245 બેઠકોમાંથી, એપ્રિલ, જૂન અને નવેમ્બર 2026 દરમિયાન 73 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હોવાથી, પક્ષોની આંતરિક વ્યૂહરચના, જોડાણો અને સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કાર્યકાળ 25 જૂન, 2026 ના રોજ સમાપ્ત થશે અને નિવૃત્ત થનારા નેતાઓમાં તેમને સૌથી મોટું નામ માનવામાં આવે છે. તેવી જ રીતે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડા પણ આ સમયગાળા દરમિયાન રાજ્યસભાને વિદાય આપશે. મહારાષ્ટ્રના રાજકારણ પર નજર કરીએ તો, રાજ્યના સાત રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 2 એપ્રિલ, 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ ચંદ્ર પવારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમની સાથે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલે, ભાજપના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડ અને સાંસદ ધૈર્યશીલ મોહન પાટીલ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના રજની પાટિલ અને એનસીપી શરદ પવાર જૂથના ડૉ. ફૌઝિયા ખાનનો કાર્યકાળ પણ તે જ દિવસે સમાપ્ત થશે. તેથી, સૌનું ધ્યાન મહારાષ્ટ્રમાંથી નવા ચહેરાઓને તક મળશે કે જૂના ચહેરાઓને ફરીથી નોમિનેશન આપવામાં આવશે તેના પર છે. રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા: ઉત્તર પ્રદેશના ઘણા મહત્ત્વપૂર્ણ નામો પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી અને બી. એલ. વર્માનો કાર્યકાળ 25 નવેમ્બર, 2026 ના રોજ સમાપ્ત થશે. આ જ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના વધુ આઠ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થશે, તેથી દેશના સૌથી મોટા રાજ્યમાં રાજકીય સમીકરણ બદલાવાની શક્યતા છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનનો કાર્યકાળ પણ આવતા વર્ષે સમાપ્ત થશે. આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો પણ સમાવેશ થાય છે અને તેમની નિવૃત્તિ કોંગ્રેસની રાજ્યસભાની રણનીતિને અસર કરી શકે છે. કયા નિવૃત્ત સૈનિકો વિદાય લેશે?રાષ્ટ્રપતિ પદના નોમિનેશન ક્વોટા દ્વારા રાજ્યસભામાં નિયુક્ત થયેલા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈનો કાર્યકાળ માર્ચ 2026 માં સમાપ્ત થશે. તેથી, ન્યાયતંત્ર, રાજકારણ અને સંસદીય પ્રક્રિયા વચ્ચેના સંબંધો પર નવેસરથી ચર્ચા થવાની શક્યતા છે. એકંદરે, 2026 માં રાજ્યસભાની ચૂંટણીઓ ફક્ત સભ્યોના પરિવર્તન સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ કેન્દ્રમાં સત્તા સંતુલન, રાજ્યોમાં રાજકીય સત્તા અને આગામી વિધાનસભા ચૂંટણીઓના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સંસદમાં કયા નવા ચહેરા પ્રવેશ કરશે અને કયા દિગ્ગજો વિદાય લેશે તેના પર સમગ્ર દેશ ધ્યાન આપી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:07 am

RTO એક્શન મોડમાં:વાહન પર એચએસઆરપી પ્લેટ માટે મુદત પૂરી થતા આરટીઓની કાર્યવાહી

હજી પણ વાહનની નંબરપ્લેટ પર ફેન્સી લખાણ હશે અને એચએસઆરપી પ્લેટ નહીં હોય તો આરટીઓ કાર્યવાહી કરશે. મહારાષ્ટ્રમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાડવાની છેલ્લી મુદત 31 ડિસેમ્બર 2025 અધિકૃત રીતે પૂરી થઈ છે. 1 જાન્યુઆરી 2026થી રાજ્યમાં આરટીઓ અને પરિવહન પોલીસે એચએસઆરપી નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કમર કસી છે અને હવે સોરી, ભૂલી ગયો એવું બહાનું નહીં ચાલે. 1 એપ્રિલ 2019 પહેલાં નોંધમી થયેલા તમામ જૂના વાહનો પર એચએસઆરપી નંબરપ્લેટ લગાડવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. સરકારે અનેક વખત મુદતવધારો આપવા છતાં લાખો વાહનધારકોએ એના પર દુર્લક્ષ કર્યું. જો કે હવે સરકારનું વેઈટ એન્ડ વોચ ધોરણ ખતમ થયું છે. જેમણે 31 ડિસેમ્બર સુધી એપોઈંટમેન્ટ લીધી નથી તેમના માટે નવા વર્ષની શરૂઆત દંડથી થઈ શકે છે. એચએસઆરપી નંબરપ્લેટ વિના વાહન સાથે પહેલી વખત પકડાયા તો એક હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરતા બીજી વખત પકડાયા તો 5000થી 10 હજાર રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એટલે જે વાહન પર એચએસઆરપી નંબરપ્લેટ નહીં હોય તેઓ આરટીઓના મહત્વના કામ (ઉદાહરણ તરીકે માલિકી હસ્તાંતરણ, પાસિંગ અથવા ફિટનેસ પ્રમાણપત્ર) કરી શકશે નહીં. ડેડલાઈન પૂરી થઈ છે છતાં ગભરાવાનું કોઈ કારણ નથી. તમારે તરત મહારાષ્ટ્ર પરિવહન વિભાગના અધિકૃત પોર્ટલ પર જવું. પોતાના વાહનની વિગત ભરીને ઓનલાઈન ફી ભરો અને ફિટમેંટ માટે એપોઈંટમેન્ટ બુક કરવી. જો તમારી પાસે અધિકૃત એપોઈંટમેન્ટની રસીદ હશે તો પોલીસ તમારા પર કાર્યવાહી નહીં કરે. છતાં હવે આળસ કરશો તો મોંઘુ પડશે. દરમિયાન આ નંબરપ્લેટ ફક્ત ફેન્સી નથી પણ તમારા વાહનની સુરક્ષા માટે છે. એમાં રહેલાં લેઝર કોડના લીધે તમારું વાહન ચોરી થશે તો એને શોધવું સહેલુ થશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:03 am

23.29 કરોડ શિર્ડી સંસ્થાનની તિજોરીમાં આવ્યા:શિર્ડીમાં સાઈબાબાના ચરણે નવા વર્ષ નિમિત્તે ભાવિકોનું વિક્રમજનક દાન

નાતાલની રજા, વિતેલા વર્ષને વિદાય અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડીમાં આયોજિત કરવામાં આવેલા શિર્ડી મહોત્સવમાં સાઈભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 25 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026ના નવ દિવસના સમયગાળામાં દેશવિદેશથી લગભગ 8 લાખ કરતા વધુ ભાવિકોએ સાઈબાબાની સમાધીના દર્શન કર્યા હતા. આ સમયમાં ભાવિકોએ શ્રદ્ધાથી 23 કરોડ 29 લાખ 373 રૂપિયા જેટલું વિક્રમજનક દાન સાઈ સંસ્થાનની ઝોળીમાં અર્પણ કર્યું એવી માહિતી સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે આપી હતી. મહોત્સવના સમયમાં ભાવિકોએ વિવિધ માધ્યમથી દાન અર્પણ કર્યું. દાનપેટીમાંથી 6 કરોડ 2 લાખ 61 હજાર 6 રૂપિયા, દાન કાઉન્ટર પર 3 કરોડ 22 લાખ 43 હજાર 388 રૂપિયા તો પીઆરઓ પાસની ફી દ્વારા 2 કરોડ 42 લાખ 60 હજાર રૂપિયા સંસ્થાનને મળ્યા. બદલાતી ટેકનોલોજી સાથે ભાવિકોએ ડિજિટલ દાન પણ કર્યું. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન દાન, ચેક અને મની ઓર્ડર દ્વારા 10 કરોડ 18 લાખ 86 હજાર 955 રૂપિયા જમા થયા છે. દાનનો ઉપયોગ લોકકલ્યાણ માટેસાઈ સંસ્થાનને મળતા આ દાનનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરવામાં આવતો હોવાનું મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે સ્પષ્ટ કર્યું. સાઈબાબા હોસ્પિટલ અને સાઈનાથ હોસ્પિટલમાં તબીબી સારવાર, મફત ભોજન વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાનું સંચાલન અને વિવિધ સામાજિક તથા લોકહિતના ઉપક્રમ માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. મહોત્સવના સમયમાં તમામ વિભાગના કર્મચારી, સ્વયંસેવક અને સુરક્ષા રક્ષકોએ ભાવિકોને સરળતાથી અને સુરક્ષિતતાથી દર્શન મળે એ માટે સખત પરિશ્રમ કર્યાનું તેમણે જણાવ્યું હતું. 6 લાખથી વધુએ ભોજન કર્યુંભાવિકોની ગિરદી ધ્યાનમાં લઈને સાઈ સંસ્થાન તરફથી દર્શન વ્યવસ્થાનું ચોકસાઈવાળું નિયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે જ અન્નદાનની પરંપરા પણ મોટા પ્રમાણમાં અમલમાં મૂકવામાં આવી. આ નવ દિવસમાં 6 લાખ કરતા વધારે ભાવિકોએ સાઈ પ્રસાદાલયમાં મફત ભોજનનો લાભ લીધો. તેમ જ 1 લાખ 9 હજાર ભાવિકોને અન્નપેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ જ સમયમાં 7 લાખ 67 હજાર લાડુ પેકેટના વેચાણથી 2.30 કરોડ રૂપિયા સંસ્થાનને મળ્યા તો 5 લાખ 76 હજાર ભાવિકોને બુંદીના પ્રસાદનું મફત વિતરણ કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:01 am

સાહેબ મિટિંગમાં છે:શમશેરસિંહની ગુજરાત વાપસી 'આવોને બેસો' કે પછી 'આવોને જોઈ લો', પ્રદેશ ભાજપ સંગઠનમાં પત્તા કપાતા હવે શહેર-જિલ્લામાં સ્થાન મેળવવા નેતાઓની દોડધામ

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... શમશેરસિંહની વાપસી: “આવો ને બેસો” કે “આવો ને જોઈ લો”?કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ DGP બનાવ્યાને હજી 48 કલાક પણ નહોતા થયા ત્યાં દિલ્હી ડેપ્યુટેશન પરથી શમશેરસિંહની વાપસી. જાણે ક્રિકેટમાં નેટ પ્રેક્ટિસ ચાલતી હોય અને અચાનક સિનિયર ખેલાડી પેડ પહેરીને મેદાનમાં ઉતરી આવે. કેટલાક બોલ્યા – “હવે તો નવા સમીકરણ બનશે.” કેટલાકે કહ્યું – “અરે ભાઈ, આ તો રૂટીન છે.” પણ ગુજરાતમાં રૂટીન શબ્દ પણ ઘણી વખત રહસ્ય જેવો જ લાગે. નિવૃત્તિ પહેલાં DGP તરીકે પરત આવવાની ઇચ્છા, નિયમોની 6 મહિનાની દીવાલ અને ત્રણ મહિનાનો સમય… બધું ગણિતમાં તો બંધબેસતું નથી, પણ અહીં ગણિત કરતાં રાજકીય અલ્જેબ્રા વધારે ચાલે છે. એટલે જ લોકો હજુ પણ કહી રહ્યા છે – “કઈ નવાઈ નહીં, કાલે ફરી કોઈ ટ્વિસ્ટ આવે.” છ નહીં, સાત નહીં… સીધા આઠ DG!“ઘરમાં મહેમાન વધે તો રસોઈ મુશ્કેલ, અને પોલીસમાં DG વધે તો પોસ્ટિંગ મુશ્કેલ.” ગુજરાત પોલીસમાં હવે DGની સંખ્યા આઠ. પહેલાં છ, પછી સાત અને હવે શમશેરસિંહની વાપસી સાથે આઠ. વર્ષો પહેલાં 1985 બેચ વખતે સાત DG હતા, પણ આઠ? એવું તો પહેલીવાર. મુખ્ય DGP એક, બાકી બધા DG – એટલે ભાષામાં કહીએ તો “સિંહ એક, પણ ગર્જના ઘણી.” 14 DIG અને પોસ્ટિંગ ઝીરોપ્રમોશન મળી ગયું, ફૂલોની માળા પણ પહેરાઈ ગઈ, પણ પોસ્ટિંગ? DIG બનીને પણ ઘણા અધિકારીઓ ઘેર બેઠા છે. કુલ 14 DIG “વેઇટિંગ ફોર પોસ્ટિંગ”. એક અધિકારીએ તો મજાકમાં કહ્યું – “પ્રમોશન તો મળ્યું, હવે બદલી ભગવાન ભરોસે.” બદલીના ઓર્ડર ‘આવે છે, આવે છે’ કહીને તારીખ પર તારીખ. જાણે સરકારી કૅલેન્ડરમાં Tomorrow નામનો દિવસ જ સૌથી લાંબો હોય! ફાઈલ પર સહી કરતા કલેક્ટરોની કલમ કંપે છેસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મોટા જિલ્લાના કલેક્ટર સામે ઇન્કવાયરીની ચર્ચા. સત્તાવાર કોઈ બોલતું નથી, પણ સચિવાલયની દિવાલો ઘણું સાંભળી લે છે. “એક પર એક્શન થાય તો બીજા સીધા થઈ જાય” – આ કહેવત અહીં સાચી પડી રહી છે. ED અને ACBની એન્ટ્રી પછી જિલ્લાઓમાં કલેક્ટરો હવે ફાઈલ પર સહી કરતાં પણ બે વાર વાંચે છે. મંત્રીઓ, PA-PS અને નવી ખુરશીઓકેટલાક નવા મંત્રીઓને જુના મંત્રીઓના PA-PS પસંદ નથી. એટલે ઓળખીતાને ગોઠવવાની દોડ. એક PAએ તો ચેમ્બરનો દરવાજો બદલી નાખ્યો, નવી ખુરશી મંગાવી… જાણે સંદેશો હોય – “હું આવ્યો છું, સેટિંગ સાથે.” સોશિયલ મીડિયા,પોસ્ટ અને ડિલીટગાંધીનગરમાં એક મહિલા કાર્યકર્તાની સોશિયલ મીડિયા પોસ્ટે પક્ષમાં ગરમાવો લાવ્યો. આરોપ, પ્રતિઆરોપ અને પછી ઉપરથી ફોન અને પોસ્ટ ડિલીટ. અહીં એક કહેવત યાદ આવે – “લખતા પહેલાં વિચાર, ડિલીટ પછી અફસોસ.” પોસ્ટ ગઈ, પણ વાત રહી ગઈ. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર CTP તરીકે નિવૃત થયેલા અધિકારીને કોન્ટ્રાક્ટ પર લેવાયાગુજરાતના ઈતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યુ હોય તેવી એક ઘટના બની છે. જેમાં સીટીપી એટલે કે ચીફ ટાઉન પ્લાનર તરીકે એક નિવૃત્ત થયેલા અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ પર રખાયા છે. પ્રમોટી આઈએએસ અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા 31મી ડિસેમ્બરે નિવૃત્ત થયા હતા. આ પદ ખુબ જ મહત્વનુ અને ટેકનિકલ છે. તેઓ નિવૃત્ત થયાના દિવસે જ તેઓને એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરીને 1લી જાન્યુઆરીથી જ ચીફ ટાઉન પ્લાનર તરીકેની ફરજોમાં ચાલુ રખાયા છે. આશ્ચર્યની વાત એ છે કે, 31મીએ તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. જેમાં તેમને વિદાય આપવા માટે પણ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહેલા ચૈતન્ય શાહ, રાજકોટના આગકાંડમાં સંડોવાયેલા સાગઠીયાના સગા ભાઈ, રાજેશ રાવલ પ્રકાશ દત્તા વગેરે હતા. આ બધા લોકો સ્ટેજ પર હતા જ્યારે યુવાન અધિકારીઓ સામે બેઠા હતા. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, ગુજરાતમમાં સૌથી વધુ અર્બનાઈઝેશન થયુ છે. આમ છત્તા આટલી મોટી પોસ્ટ માટે આખા ગુજરાતમાં શું કોઈ લાયકાત વાળો બીજો અધિકારી જ નથી કે નિવૃ્ત્ત થતા બિન ટેકનિકલ અધિકારીને કોન્ટ્રાક્ટબેઝ પર લેવાની ફરજ પડી ? સતત સાત વાઈબ્રન્ટ સમિટમાં કામગીરી કરનારા ACS એસ.જે. હૈદર વયનિવૃત31મી ડીસેમ્બરે એડિશનલ ચીફ સેક્રેટરી એસ. જે. હૈદર વયનિવૃત્ત થયા છે. તેઓએ છેલ્લા દિવસે મોડે સુધી કામ કર્યુ હતું. રાત્રે સાડા આઠ વાગ્યે તમામ પેન્ડીંગ કામ પતાવીને સ્ટાફને મળ્યા બાદ તેઓ મુખ્યમંત્રી અને મુખ્યસચિવને મળવા ગયા હતા ત્યાર બાદ તેઓ ઘરે ગયા હતા. આ એવા અધિકારી છે કે જેમને 2003માં વાઈબ્રન્ટ શરુ થઈ ત્યારથી કોઈને કોઈ મહત્વની ભુમિકા ભજવી હતી. તેઓએ 2009, 2011,2013,2015,2019માં વાઈબ્રન્ટ સમિટમાં ખુબ જ અગત્યની કામગીરી કરી હતી. છેલ્લે 2024મા મહેસાણામાં યોજાયેલી રીજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં પણ તેઓનુ યોગદાન ખુબ જ મહત્વનુ હતુ. આ સમિટમાં સૌથી વધુ એટલે કે કુલ એમઓયુ પૈકીના 80 ટકા એમઓયુ માત્ર એનર્જી ડીપાર્ટમેન્ટ સાથે થયા હતા. ગત વર્ષે ડીસામાં યોજાયેલા એક મોટા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ એવી કોમેન્ટ કરી હતી કે, આ વખતની વાઈબ્રન્ટનુ આયોજન શાનદાર રહ્યું હતુ. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આવો કાર્યક્રમ નહોતો થઈ શક્યો. મારાથી વધુ સારો કાર્યક્રમ કરાયો છે. હું તેના માટે સીએમની ટીમનો આભાર માનુ છું. જો કે, બુધવારે હૈદર માટે છેલ્લી કેબિનેટ હતી. જેમાં મુખ્યમંત્રીએ પણ તેમની ભારોભાર પ્રસંશા કરી હતી. ઉપરાંત મુખ્યસચિવ સહિતના સિનિયર અધિકારીઓએ પણ તેમને ભાવપૂર્વક વિદાય આપી હતી. બિલાડીને દૂધના રખોપા, ભાજપ સંગઠનની એક એવી નિમણૂક થયા બાદ કાર્યકરોમાં ચર્ચાભાજપના નવા પ્રદેશ પ્રમુખે પોતાની ટીમ બનાવી છે. જેમાં યુવાનોને ખાસ્સુ મહત્વ સાથે સ્થાન અપાયુ છે. જેમાં ભુતકાળમાં ભાજપમાં અને સરકારમાં વર્ચસ્વ ધરાવતા હતા તેવા કેટલાક નેતાઓના જૂથને સાફ કરી નખાયુ છે. ઉપરાંત આ સંગઠન અત્યાર સુધીનુ સૌથી નબળુ સંગઠન હોવાની વાત પણ છે. એક નિમણૂકમાં જૂના ખેલાડીને ફરીથી મેદાનમાં લાવવામાં આવ્યા છે. જેને લઈને ભાજપના નાના મોટા કાર્યકરોમાં ચર્ચા સાથે ગણગણાટ શરૂ થયો છે. કાર્યકરો મઝાક કરી રહ્યા છે કે, આ તો પંચાલ સાહેબે બિલાડને દૂધના રક્ષણની જવાબદારી સોંપી છે. હવે ભવિષ્યમાં શુ થશે એ રામ જાણે. આવી ચર્ચા પાછળનુ કારણ એવુ છે કે, આ નેતાની ઈમેજ એટલી ચોખ્ખી નથી. વહીવટ કરવામાં તેમનુ નામ અવ્વલ છે. જો કે,મોટા નેતાઓની નજીક રહેવામાં માહીર ગણાતા આ નેતા હવે દૂધના રખોપા કરે છે કે પછી દૂધ પોતે પી જાય છે તે જોવાનુ પણ રસપ્રદ બનશે. CMOમાં કોન્ટ્રાક્ટ પર રહેલા ચૈતન્ય શાહે પોતાના વિશ્વાસુને શહેરી ખાતામાં મુકાવી દીધાવયનિવૃત્ત અધિકારી ચૈતન્ય શાહને સીએમઓમાં લઈ જવાયા હતા. જો કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સીએમ પાસે શહેરી વિભાગ રહ્યો નથી. જ્યારે ચૈતન્ય શાહની વહીવટી આવડત અને જ્ઞાન શહેરી વિભાગ પૂરતુ સિમિત છે. હવે તેમની પાસે ખાસ કોઈ કામગીરી રહી નથી. આમ છત્તા મહીને એક લાખનો પગાર અને અન્ય સુવિધા મેળવી રહ્યા છે. એટલુ જ નહી સીએમઓના પાવરનો પણ ધૂમ ઉપયોગ કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ પોતાની વગ વાપરીને ટીપીઓ કક્ષાના અધિકારી રાજન મુરબીયાને ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં એસટીપીનો ચાર્જ અપાવ્યો હતો. હવે ફરીથી તેમને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયમાં પર્સનલ સેક્રેટરી તરીકે મુકાવવામાં મહ્તવની ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે.આમ આ રીતે તેઓ હવે શહેરી વિકાસ વિભાગની કેટલીક ફાઈલોમાં તેમજ અન્ય કેટલીક કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકે છે. કોના બાપની દિવાળી?, ડિમોલિશન કામગીરી સમયે સાહેબોને બેસવા માટે ખુરશી પાછળ 1 લાખનો ખર્ચ!અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસાનો ખર્ચ કરવામાં ક્યાંય પણ કચાશ બાકી રાખતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓને જૂની ખુરશી નહીં પરંતુ નવી ખુરશીમાં બેસવામાં રસ છે. શહેરના ચંડોળા તળાવના ડિમોલેશન વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના અધિકારીઓને બેસવા માટે એક લાખ રૂપિયાની ખુરશી ખરીદી હતી. કોર્પોરેશનમાં કામગીરી કરનારી માહિતી એજન્સીને લાભ કરાવવા માટે થઈને ખાલી અધિકારીઓને બેસવા માટે 1 લાખ રૂપિયાની નવી ખુરશી ખરીદી લીધી હતી. ચંડોળા તળાવની કામગીરી ચારથી પાંચ દિવસ માટે ચાલી હતી. સાહેબોને બેસવા માટે જૂની ખુરશીઓ ના જોઈએ પણ નવી ખુરશી મંગાવી લીધી હતી. જેનું બિલ પણ પાસ કરી દેવામાં આવ્યું છે અને એજન્સીને એક લાખ રૂપિયાનો ફાયદો પણ થઈ ગયો છે. પ્રદેશ ભાજપ બાદ હવે શહેર-જિલ્લા ભાજપના નવા સંગઠનની રચનાની તૈયારી ગુજરાત પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે ત્યારે હવે પ્રદેશના શહેર અને જિલ્લાના નવા સંગઠનની જાહેરાત થવાની તૈયારીઓ ચાલી રહી છે. જેની વચ્ચે અમદાવાદના શહેર પ્રમુખ બદલાવવા અંગેની ચર્ચા શરૂ થઈ હતી. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક ઊકળતો ચરું જોવા મળી રહ્યો છે. શહેર ભાજપના પ્રમુખ અને કેટલાક નેતા- ધારાસભ્યો વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક નેતાઓ પ્રમુખ સામે પડ્યા હોવા અંગેની ચર્ચા છે તો બીજી તરફ કેટલાક નેતાઓ એવું પણ કહી રહ્યાં છે કે પ્રમુખ માત્ર પોતાની કામગીરી બતાવવા માટે દરેક જગ્યાએ પોતાની વાહવાહી મેળવી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપની આંતરિક જૂથબંધીને લઈ સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાઓ તેજ બની છે. પ્રદેશ સંગઠનનમાં સ્થાન ન મળતા હવે શહેર-જિલ્લામાં સ્થાન મેળવવાના પ્રયાસો શરૂગુજરાત પ્રદેશ ભાજપનું નવું માળખું તૈયાર થઈ ચૂક્યું છે. પ્રદેશ સંગઠનમાં પ્રદેશ પ્રમુખની સાથે ઝભ્ભા પકડીને ચાલનારા નેતાઓની હકાલપટ્ટી થઈ હોય તેમ ક્યાંય મહત્વનું પદ મળ્યું નથી. પરંતુ શહેર અને જિલ્લા સંગઠનોમાં ક્યાંક હજી પણ સ્થાન મળે એવી આશા છે. અમદાવાદ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે ત્રણ મોટા યુવા નેતાઓના નામ ચર્ચામાં છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે પાટીદાર નેતા મૂકવામાં આવી શકે છે જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બે નેતાઓના નામની ચર્ચા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવવા માટે કેટલીક મહિલાઓ પણ સક્રિય થઈ ચૂકી છે. મહામંત્રી તરીકે મહિલા નેતાઓની પણ નિમણૂક થઈ શકે છે જેમાં પૂર્વ મેયરથી લઈને હાલના ચાલુ હોદ્દેદારો પણ ચર્ચામાં છે. મહિલા પ્રમુખ તરીકેના પૂર્વ વિસ્તારની બે મહિલા નેતાઓના નામની ચર્ચા છે. રાજકારણ અને ભ્રષ્ટાચારને લઈ સુરેન્દ્રનગર ચર્ચામાંરાજ્યમાં ઝાલાવાડ તરીકે ઓળખાતા પ્રદેશ એવા સુરેન્દ્રનગર જિલ્લો આજકાલ ખૂબ ચર્ચામાં છે. રાજકારણ અને ભ્રષ્ટાચાર એમ બંને માટે ચર્ચામાં રહ્યો છે જેની પાછળનું કારણ એવું છે કે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની રચના થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે મહત્વના પદ આપવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી અને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું જેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કદ સંગઠનમાં વધ્યું છે. જોકે રાજકરણ સાથે ભ્રષ્ટાચારની પણ ચર્ચા એટલી જોરસોરથી થઈ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો બીન ખેતી કરવા માટે કરોડો રૂપિયાની લાંચના પ્રકરણમાં કલેકટર અને નાયબ મામલતદારની ધરપકડ કરી છે અગાઉના કલેકટરો પણ ગેરરીતિમાં પકડાઈ ચૂક્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગર રાજ્યમાં ચર્ચામાં છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 7:00 am

જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસે કોર્ટમા કેસ દાખલ કર્યો:મહિલા દર્દીના મૃત્યુના કેસમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ટ્રસ્ટી વિરુદ્ધ કેસ

ગયા વર્ષે એપ્રિલમાં મહિલા દર્દી તનીષાના મૃત્યુ સંબંધમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. તનિષા ભિસે ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના પર્સનલ સેક્રેટરીની પત્ની હતી. તેને ગર્ભવતી હતી. તબિયત બગડતાથી તેને સંબંધીઓ દ્વારા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાંથી તેને રૂ. 10 લાખ ડિપોઝિટ જમા કરાવવા કહ્યું, જે નહીં કરાવાતાં દાખલ કરી લેવાઈ નહોતી. આ પછી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં જોડિયા બાળકીઓને જન્મ આપ્યા પછી તેનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને કારણે પૈસા માટે હોસ્પિટલમાં દાખલ નહીં કરવા બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આથી આ વિવાદ ભારે ચગ્યો હતો, જે પછી સરકાર દ્વારા તપાસ માટે સાસૂન જનરલ હોસ્પિટલ દ્વારા સમિતિ સ્થાપવામાં આવી હતી. આ સમિતિના અહેવાલ પછી દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ડો. સુશ્રૂત ઘૈસાસ વિરુદ્ધ પુણે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ હોસ્પિટલ ધર્માદા હેઠળ આવતી હોવાથી જોઈન્ટ ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં દર્દીને કટોકટીમાં સારવાર આપવાનો ઈનકાર કરવા માટે હોસ્પિટલને જવાબદાર ઠરાવવામાં આવી હતી. આ પછી ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. અમે ચાર કલાક દેખરેખ રાખીઃ હોસ્પિટલદરમિયાન દીનાનાથ મંગેશકર હોસ્પિટલે જણાવ્યું કે અમે શનિવારે ચેરિટી કમિશનર ઓફિસમાંથી કોઈ પણ અહેવાલ પ્રાપ્ત થયો નથી. તનિષા ભિસે પર અમારી હોસ્પિટલમાં ચાર કલાક સુધી દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી તેના પરિવારે ડોક્ટરોને જાણકારી આપ્યા વિના તનિષાને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. આ પછી તનિષાનો પરિવાર તેને હોસ્પિટલમાંથી ખાનગી વાહનમાં લઈ ગયો હતો. અમારી હોસ્પિટલનો ડોક્ટર તેમની પાછળ દોડ્યો હતો, પરંતુ તેઓ રોકાયા નહોતા, એમ દીનાનાથ મંગેશકર હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:59 am

સિટી એન્કર:ભાઈંદરથી પકડવામાં આવેલા માર્ગ ભૂલેલો દીપડો કુદરતી નિવાસમાં મુક્ત

થોડા દિવસ પહેલાં ભાઈંદરથી સુરક્ષિતપણે પકડવામાં આવેલા દીપડાને ફરીથી પોતાના કુદરતી પરિસરમાં છોડવામાં આવ્યો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને થાણે વન વિભાગ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ ભૂલીને માનવ વસતિમાં આવી ચડેલા દીપડાનું ફરીથી સુરક્ષિત પુનર્વસન કરવામાં આવ્યું છે. હવે એના પ્રવાસ માર્ગ પર ધ્યાન રાખવામાં આવશે. વન વિભાગના જણાવ્યા અનુસાર માનવ અને વન્યજીવનું સહઅસ્તિત્વ જાળવવાની દષ્ટિએ આ હકારાત્મક પગલું માનવામાં આવે છે. ભાઈંદર પૂર્વની પારિજાત હાઉસિંગ સોસાયટીમાં ડિસેમ્બર મહિનામાં એક દીપડો પહોચ્યો હતો. એના લીધે થોડો સમય આ પરિસરના નાગરિકોમાં ડરનું વાતાવરણ નિર્માણ થયું હતું. તેમ જ આ દીપડાએ થોડા જણને ગંભીર જખમી કર્યા હતા. નેશનલ પાર્ક અને થાણે વન વિભાગ તથા બચાવ ટીમ તરફથી આ દીપડાને સુરક્ષિતપણે પકડવામાં આવ્યો હતો. એ પછી એને નેશનલ પાર્કમાં તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. તપાસ પછી નિરોગી હોવાનો અહેવાલ આવ્યા બાદ કેદ કરેલા દીપડાને ફરીથી તેના કુદરતી અધિવાસમાં છોડવાની દષ્ટિએ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એના માટે વન્ય અધિકારીઓની સમિતિમાં થયેલી ચર્ચા પછી દીપડાને ફરીથી તેના કુદરતી અધિવાસમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી આ સંપૂર્ણ પ્રક્રિયા નેશનલ પાર્કના વનસંરક્ષક અને સંચાલક અનિતા પાટીલ અને થાણે વન વિભાગના ઉપવનસંરક્ષક સચિન રેપાળના માર્ગદર્શન હેઠળ પાર પડી હતી. પ્રવાસ માર્ગ પર નજરદીપડાને ફરીથી તેના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યો એ પહેલાં એને સેટેલાઈટ કોલર અને માઈક્રોચીપ લગાડવામાં આવી. એ પછી તેને છોડવામાં આવ્યો. જીપીએસ યંત્રણાના લીધે તેના પ્રવાસના માર્ગની નોંધ રાખવામાં આવે છે. એના માટે વન વિભાગના કર્મચારી અને એક સ્વયંસેવી સંસ્થાની સંશોધક ટીમ જીપીએસ અને રેડિયો સિગ્નલના આધારે દીપડાના પ્રવાસમાર્ગ પર નજર રાખી રહી છે. અત્યારે આ દીપડાની જ્યાં અવરજવર છે તેને છોડવામાં આવેલા પરિસરમાં જ છે. એ આ જ પરિસરનો હોવાથી દીપડો તેના કુદરતી અધિવાસમાં ઠરીઠામ થયો હોવાની માહિતી વન વિભાગ તરફથી આપવામાં આવી છે. જીપીએસ સિસ્ટમના લીધે દીપડાને તેના મૂળ અધિવાસમાં છોડવામાં આવ્યા પછી એની હિલચાલ પર નજર રાખવી શક્ય થયું અને એનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય છે. આવી ઉપાયયોજનાને લીધે માનવ અને વન્યજીવનું સહઅસ્તિત્વ જાળવવામાં મદદ થાય છે એમ અનિતા પાટીલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:58 am

મંડે પોઝિટીવ:2026માં મેટ્રો-2બી, મેટ્રો-9, મેટ્રો-4, મેટ્રો-4એના પહેલા તબક્કાની શરૂઆત

નવા વર્ષમાં મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. આ વર્ષમાં મુંબઈગરાની સેવામાં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. એમાં એક રૂટ ઉત્તર મુંબઈને ભાઈંદર સાથે જોડશે, બીજો રૂટ થાણેના ઘોડબંદર રોડ પર દોડશે તો ત્રીજો રૂટ પૂર્વ મુંબઈમાં છે. મુંબઈમાં કુલ 17 મેટ્રો રૂટનું 350 કિલોમીટરનું જાળુ બિછાવવામાં આવશે. એમાંથી લગભગ 70 કિમીના ચાર મેટ્રો રૂટ પ્રવાસીઓની સેવામાં ચાલુ છે. હવે 2026માં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કામાં લગભગ 22 કિમી સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે.પશ્ચિમ મુંબઈને પૂર્વ કિનારાપટ્ટી સાથે જોડતો મેટ્રો-2બી રૂટ ઈએસઆઈસી નગરથી મંડાલા છે. આ રૂટનો પહેલો તબક્કો મંડાલાથી ચેંબુર સુધી પાંચ સ્ટેશનનો છે. આ તબક્કો તૈયાર છે. જો કે વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાનું હોવાથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો નથી. આ રૂટ 2026માં શરૂ થશે. મેટ્રો-2બીના પહેલા તબક્કામાં મંડાલા, માનખુર્દ, બીએસએનએલ (ગોવંડી), શિવાજી ચોક (ચેંબુર) અને ડાયમંડ ગાર્ડન એમ પાંચ સ્ટેશન છે.એલિવેટેડ મેટ્રો-9 રૂટ દહિસરથી નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન (ભાઈંદર) સુધીનો છે. આ રૂટના ચાર સ્ટેશનના પહેલા તબક્કાની તૈયારી પૂરી થઈ છે. વડાપ્રધાનના હસ્તે આ રૂટના પહેલા તબક્કાનું ઉદઘાટન થવાનું છે. આચારસંહિતા પૂરી થયા પછી 2026ની શરૂઆતમાં આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ થશે. આ રૂટના પહેલા તબક્કામાં દહિસર પૂર્વ, પાંડુરંગવાડી, મિરાગાવ અને કાશીગાવ સ્ટેશનનો સમાવેશ છે.. થાણેને હજી થોડા મહિના પ્રતિક્ષા : ગાયમુખ-કાસારવડવલી-ઘાટકોપર-વડાલા મેટ્રો-4 અને મેટ્રો-4એ થાણે મેટ્રો તરીકે જાણીતી છે. 2025ના ડિસેમ્બરમાં આ મેટ્રો રૂટનો પહેલો તબક્કો શરૂ થવાનો હતો. પણ હજી થયો નથી. ગાયમુખથી વિજયનગરી સુધી પાંચ સ્ટેશનમાં પરીક્ષણ કર્યા પછી આ રૂટનો પહેલો તબક્કો તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું. નિયોજન અનુસાર પહેલા તબક્કામાં ગાયમુખ-કાસારવડવલી-કેડબરી જંકશન એમ 10 સ્ટેશનનો સમાવેશ હતો. હવે આ રૂટ શરૂ થાય એવા ચિહ્ન છે. એના માટે 2026નું વર્ષ અડધુ પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. મેટ્રો-9ને સુરક્ષા પ્રમાણપત્ર :દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના દહિસરથી કાશીગાવ તબક્કાના સુરક્ષા તપાસની શરૂઆત મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા, દિલ્હીએ કરી છે. સુરક્ષા પ્રમાણપત્ર મેળવીને મેટ્રો સંચાલનનો માર્ગ ખુલ્લો કરવાની આ છેલ્લી અને મહત્વની પ્રક્રિયા શરૂ થવાથી ટૂંક સમયમાં આ તબક્કાને સુરક્ષા પ્રમાણપત્ર મળશે. એ પછી આ તબક્કો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અત્યારે મહાપાલિકાની ચૂંટણીના લીધે આચારસંહિત લાગુ થયેલી છે. આચારસંહિતા પૂરી થયા પછી જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં દહિસરથી કાશીગાવ મેટ્રો દોડે એવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:57 am

વેરા વિભાગના અધિકારીઓ શંકાના દાયરામાં:550 મોબાઇલ ટાવરનો રૂપિયા 50 કરોડથી વધુનો વેરો બાકી, સામાન્ય બાકીદારની મિલકત સીલ કરતી મનપાનું ભેદી મૌન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસૂલાતનો આંક વધારીને રૂ.459 કરોડ કરવામાં આવ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા બાકીદારોની મિલકત સીલિંગ સહિતની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે ત્યારે બીજીબાજુ મનમાની કરતી મોબાઇલ કંપનીઓ દ્વારા શહેરમાં આડેધડ ખડકાતા મોબાઇલ ટાવરનો રૂ.50 કરોડથી વધુનો વેરો હજુ સુધી ભરપાઇ કરવામાં ન આવ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. સામાન્ય બાકીદારોની મિલકત સીલ કરતી મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ મોબાઇલ ટાવરની કંપનીઓ પાસે બાકી લેણાની ઉઘરાણી માટે સીલની કાર્યવાહી કરવાના બદલે ઘૂંટણિયે પડી ગઇ હોય તેમ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2018થી કાર્પેટ આધારિત મિલકત વેરા લેવાની શરૂઆત કરવામાં ત્યારથી મોબાઇલ કંપનીના વેરાનો ભારાંક વધારીને રૂ.50 કરવામાં આવ્યો હતો. તેની સામે મોબાઇલ કંપનીઓઓ રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરી હતી, પરંતુ સરકારે તેમની માગણી નહીં સ્વીકારતા અંતે ન્યાયાલયનો આશરો લીધો હતો અને અમદાવાદ, સુરત અને વડોદરા જેવી મહાનગરપાલિકા કરતા રાજકોટ મહાનગરપાલિકાનો ભારાંક વધારે હોવાનું જણાવી તેમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ મોબાઇલ ટાવર કંપનીઓનો ભારાંક રૂ.50 પરથી ઘટાડીને રૂ.15 કરવામાં આવ્યો હતો. આમ છતાં અનેક મોબાઇલ કંપનીઓએ ભારાંક ઘટાડવાની માગણી ચાલુ રાખી મોબાઇલ ટાવરનો વેરો ભરવાનું બંધ કરી દેતા બીએસએનએલ, જિઓ, સહિતની કંપનીઓનો રૂ.50 કરોડથી વધુનો વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેરા વસૂલાતની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી દેવાયા બાદ મોબાઇલ ટાવરના વેરા વસૂલાતની કામગીરી ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશન અને મેનેજરોને સોંપવામાં આવી છે, પરંતુ આ અધિકારીઓને મોબાઇલ કંપની પ્રત્યે સોફ્ટ કોર્નર હોય તે રીતે તેની માહિતી છુપાવવા ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે અને કેટલો વેરો બાકી છે તે બાબતે પૂછતા એકબીજાને ખો આપી રહ્યા છે. આ અધિકારીઓ શા માટે મોબાઇલ ટાવર સીલ કરવાની કાર્યવાહી કરતા નથી તે બાબતે પણ મૌન સેવી લેતા ઇસ્ટ ઝોનના મેનેજર ગૌરવ ઠક્કર, આસિસ્ટન્ટ મેનેજર એચ.પી.રૂપારેલિયા સહિતના અધિકારીઓનો રોલ પણ શંકાના દાયરામાં આવી ગયો છે અને કોઇ અગમ્ય કારણોસર તેઓ મનપાનો બાકી વેરો વસૂલવા પ્રયાસ કરતા ન હોવાની છાપ ઊભી થઇ છે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ બીએસએનએલ કંપનીનો રૂ.14 કરોડથી વધુનો વેરો બાકી છે અને તેનાથી પણ વધુ રિલાયન્સ જિઓ કંપનીના મોબાઇલ ટાવરનો વેરો બાકી છે ત્યારે શા માટે તેમની સામે કાર્યવાહી કરાતી નથી તે મોટો સવાલ છે. આ બાબતની માહિતી મેનેજર આપશે: આસિસ્ટન્ટ મેનેજરે હાથ ખંખેર્યામહાનગરપાલિકાની સેક્રેટરી બ્રાન્ચમાંથી માહિતી લીક કરવાની શંકાએ હાંકી કઢાયેલા સેક્રેટરી ડો.એચ.પી. રૂપારેલિયા હાલમાં ઇસ્ટ ઝોનના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેમને મોબાઇલ કંપનીઓનો વેરો બાકી છે તેની સંપૂર્ણ ખબર છે, પરંતુ માહિતી તો કાલે મેનેજર જ આપશે. ત્યારે શા માટે તેઓ માહિતી આપવાથી કતરાઇ રહ્યા છે અને કોને બચાવી રહ્યા છે તપાસનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:54 am

કૌભાંડીઓનો ખેલ ઊલટો પડ્યો:રાજકોટના તત્કાલીન પ્રાંત અધિકારીએ ખાનગી ઠેરવેલ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કરાયો

પારકી જમીન પચાવી પાડવાની માનસિકતા સાથે રાજકોટ શહેર-જિલ્લામાં જમીન કૌભાંડી તત્ત્વો દ્વારા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવા જ એક જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સામે શંકાની સોય તાણતો ચુકાદો આપ્યો છે. 46 વર્ષથી સરકારી નામે ચાલતી કરોડોની કિંમતી વેજાગામની એક એકરથી વધુ જમીન વર્ષ 2016માં રાજકોટ સિટી પ્રાંત-2 દ્વારા એક જ ઝાટકે ખાનગી ઠેરવી નાખ્યા બાદ ચટ મંગની પટ વિવાહ ઉક્તિ મુજબ ઉપરાછાપરી બબ્બે વેચાણ દસ્તાવેજ પણ કરી નાખવામાં આવ્યા હતા. જોકે બિનખેતી પોટેનશિયલ વાળી આ જમીન ખાનગી ઠેરવી દેવાના હુકમને જિલ્લા કલેક્ટરે રિવિઝનમાં લઈ તત્કાલીન પ્રાંત અધિકારીનો હુકમ રદ કરી દેતા જમીન કૌભાંડિયા તત્ત્વોની મેલી મુરાદ બર નથી આવી ઊલટું સરકારી જમીન ખાનગી ઠેરવવા કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલ વેજાગામ રેવન્યુ સરવે નંબર-57 પૈકી 4ની 1એકર 5 ગુંઠા જમીન વર્ષ 1968માં પ્રમોલગેશનથી સરકારના નામે ચાલતી હોય વર્ષ 1969માં નોંધ નંબર 205 રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં અચાનક જ વર્ષ 2016માં તત્કાલીન રાજકોટ સિટી પ્રાંત-2 અધિકારી દ્વારા પરચૂરણ અપીલ કેસ ચલાવી અરજદાર સોમાભાઈ મેરૂભાઇ માલકિયાની નોંધ પાડવા હુકમ કરી દીધો હતો. હકીકતમાં આવા કેસમાં પ્રથમ વિલંબ માફીની અરજી બાદ નિર્ણય લેવાતો હોય છે અને સરકાર અને ખાનગી માલિક વચ્ચેના જમીન વિવાદને જમીન મહેસૂલ કાયદાની કલમ 37/2 અન્વયે ચલાવવાને બદલે સીધી જ પરચૂરણ અપીલમાં સરકાર હેડે ચાલતી કરોડોની કિંમતી જમીન ખાનગી નામે ચડાવી દેવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા સત્તા બહાર જઈ પ્રાંત અધિકારીએ કરેલ ગેરકાયદેસર હુકમને રિવિઝનમાં લઈ સરકારના હિતને નુકસાન કરતા હુકમને રદ કરવા હુકમ કરી બોજા રહિત સરકાર દાખલ કરવા હુકમ કર્યો હતો. નોંધનીય છે કે, 46 વર્ષ બાદ ખાનગી નામે જમીન ચડતા જ આ જમીનના ઉપરાછાપરી બે વેચાણ દસ્તાવેજ પણ થઇ ગયા હોય જમીન ખરીદનારાઓને પણ ભોગવવાનો વારો આવ્યો છે. ત્રંબામાં કસ્તુરબા આશ્રમને ફાળવેલી જમીન ખાલસા રાખવાનો હુકમ યથાવત્ રાખતા જિલ્લા કલેક્ટરરાજકોટ તાલુકાના ત્રંબા ગામે કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટને ખેતીનું શિક્ષણ અને છાત્રાલય માટે રેવન્યુ સરવે નંબર 277ની 35 એકર જમીન વર્ષ 1972માં ભાડાપટ્ટે ફાળવવામાં આવી હતી. જોકે વર્ષો સુધી કસ્તુરબા આશ્રમને ફાળવવામાં આવેલ જમીન પર મૂળ હેતુ મુજબ ખેતીનું શિક્ષણ આપવાનું કે, છાત્રાલય બાંધકામનું કામ ન થતા વર્ષ 2006-07માં શરતભંગ કેસ ચલાવી નાયબ કલેક્ટર દ્વારા શરતભંગ સાબિત માની છાત્રાલય માટે ફાળવેલી 20 એકર જમીન તેમજ ખેતીના શિક્ષણ માટે આપેલી 15 એકર જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. જેની સામે ટ્રસ્ટના વર્તમાન પ્રમુખે 17 વર્ષ બાદ વિલંબ માફ કરવાની અરજી કરતા વિલંબ માફીના કારણો વાજબી ન લાગતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વિલંબ માફીની અરજી રિજેક્ટ કરી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:53 am

એસએસજીના તબીબની ખાનગી હોસ્પિ.માં સર્જરી:ખભાના ફાટેલા સ્નાયુની છીદ્ર કરીને સર્જરી,હવે એસએસજીમાં પણ થશે

ઇજા કે વધતી વયને લીધે જ્યારે ઘણીવાર ખભા, ઘૂટણ અને ઘૂંટીના હાડકામાંથી સ્નાયુ છૂટા પડી જાય કે ફાટી જતા હોય છે, ત્યારે વ્યક્તિને એ અંગ હલાવતાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. આ ફાટેલા કે જુદા પડેલા સ્નાયુઓનું હાડકાં સાથે ફરી જોડાણ કરવાની ચીરફાડ વિનાની પહેલી સફળ સર્જરી શહેરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી. લેટેસ્ટ જર્મન ટેક્નોલોજી પર આધારિત આ સર્જરી આગામી સમયમાં એસએસજીમાં પણ થાય તેવી શક્યતા છે. આ સર્જરીમાં જે અંગના સ્નાયુ ફાટ્યા હોય ત્યાં એક અતિશય નાનું છીદ્ર પાડીને દૂરબીન મોકલાય છે, જે સ્નાયુનું પરીક્ષણ કરે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ 6થી 16 ચો. સેમીના માપનો એલોગ્રાફ્ટ મૂકાય છે. આ સર્જરી સ્પંદન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન ડૉ. ધ્રુવ શાહના નેતૃત્વમાં શહેરમાં પ્રથમ ડર્મલ એલોગ્રાફ્ટ ટેક્નિક સાથે કરાઈ હતી, જેમાં દર્દીને 3 જ ટાંકા લેવાયા હતા. એલોગ્રાફ્ટ જર્મન ટેક્નોલોજીથી બને છે. જેમાં બ્રેઇન ડેડ વ્યક્તિ જેમણે અંગદાન કર્યું હોય તેની ત્વચામાંથી તૈયાર કરાય છે. તેમાં સ્નાયુના રિપેરિંગ માટેના વિશેષ પ્રોટીન, કોલાજન અને ગ્રોથ ફેક્ટર્સ ઉમેરાય છે. આ જ કારણસર એક એલોગ્રાફની કિંમત 3થી 4 લાખ હોય છે. ડર્મલ એલોગ્રાફ્ટ સપોર્ટ પેચ જેવું કામ કરે છેડર્મલ એલોગ્રાફ્ટ ખભાના ફાટેલા સ્નાયુ માટે સપોર્ટ પેચ જેવું કામ કરે છે, જે મજબૂતી આપી ઝડપથી રૂઝ લાવે છે. 62 વર્ષીય વૃદ્ધાને 6 મહિનાથી ડાબા ખભે દુ:ખાવો થતો હતો, તેઓને હાથ ઉપર લઈ જવામાં તકલીફ પડતી હતી. હવે રિકવરી 4થી 6 મહિનામાં આવી જશે. > ડો. ધ્રુવ શાહ, ઓર્થોપેડિક સર્જન

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:52 am

ભાસ્કર એક્સપર્ટ:ઉત્તરાયણ પૂર્વે 10 દિવસમાં દોરા-તારમાં સમડી-ઘૂવડ સહિત 20 પક્ષીઓ ફસાયાં

ઉતરાયણના દિવસોમાં લટકતા દોરામાં પક્ષીઓ ફસાવાની ઘટનાઓ વધે છે. ફાયરબ્રિગેડના ડેટા મુજબ 10 દિવસમાં શહેરમાં 20 પક્ષીને રેસ્ક્યૂ કરાયા છે. લટકતા દોરામાં સૌથી વધુ 14 કબૂતરો ફસાયા હતા. જ્યારે અજબડી મિલ પાસે પિપળાના ઝાડ પર લટકતા દોરામાં સમડી ફસાઇ હતી. જેને બચાવવા બીજી સમડી આવી તો તે ફસાઇ ગઇ હતી. દરગાહના ખાદિમ અને સામાજિક કાર્યકરે જોતાં 112 પર કોલ કરતાં ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. ફાયરબ્રિગેડે આવીને સમડીને દોરામાંથી કાઢતા તે તુરંત જ ઊડી ગઇ હતી. કબૂતર વિશે વાત કરતાં એક પક્ષીવિદે કેટલીક રસપ્રદ વાત જણાવતા કહ્યું કે, કબૂતરો કેટલી નજીકથી દોરા જોઇ ઓળખી શકે છે તેનું કોઇ સંશોધન હજી સુધી થયું નથી. કબૂતર જ્યારે પણ ઊડે ત્યારે ઝડપભેર ઉડતા દોરામાં તુરંત જ ફસાય છે. તેની સંખ્યા પણ વધુ હોય છે. વળી તેના હાડકા અને પાંખ પોંચી હોવાથી વધુ ઇજા થાય છે. સમડીઓમાં સ્વજનને બચાવવાની વૃત્તિ વધારેસમડીની ખાસિયત એ છે કે, તેના બચ્ચા પુખ્ત થાય પછી જ ઊડે છે. અજબડી મિલના કિસ્સામાં પણ લોકોને મોટી સમડી દેખાઇ પણ તે ખરેખર બચ્ચું હશે, જે ફસાયું હતું અને તેની માતા સમડી તેને બચાવવા આવી હોય તેવી શક્યતા છે. સમડીઓમાં મુશ્કેલીમાં ફસાયેલા સ્વજનને કે સાથીને બચાવવાની સહજવૃત્તિ વધુ હોય છે. વાડી, ગોત્રી રોડ સહિતના વિસ્તારમાં પક્ષી ફસાયાં10 દિવસમાં વાડી ભાટવાડા, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેના ઝાડમાં, હસ્તીનાપુર સોસાયટી સામે, અજબડી મિલ પાછળ, પોપ્યુલર બેકરી પાસે (ઘુવડ), શ્રી હરિટાઉનશિપ, આજવા રોડ, તોડાવાળાનો ખાંચો, ગાજરાવાડી સુએઝ પંપિગ સ્ટેશન, તરસાલી તળાવ પાસે, યશ કોમ્પ્લેક્સ પાસે, દાંડિયાબજાર ગણપતિ મંદિર પાસે, સ્ટારસિટી, તાંદળજા સહિતના સ્થળોએ પક્ષીઓ દોરામાં ફસાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:50 am

હરીફ જૂથના આક્ષેપ, અમને ચૂંટણીથી દૂર રાખવાનો પ્રયાસ:ડૉ.બેંકરના પુત્રના લગ્નના ટાણે BCA ચૂંટણીના ફોર્મની તારીખ રખાતાં વિવાદ

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ચૂંટણીની તારીખો અને કાર્યક્રમને લઈ કેટલાક આક્ષેપો થયા હતા. હરિફ જૂથના ડૉ.દર્શન બેંકર ઉમેદવારી ન કરી શકે તે માટે તેમના પુત્રના લગ્નના બે દિવસ દરમિયાન જ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ રખાઈ હોવાના આરોપ લાગ્યા હતા. બે જાન્યુઆરીએ એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં બીસીએની ચૂંટણી 15 ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત કરાઈ હતી. ઉમેદવારી પત્રક 12 અને 13 જાન્યુઆરીએ ઉપલબ્ધ રહેશે. 19-20 જાન્યુઆરીએ શપથપત્ર સાથે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા રખાશે. 21 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે અને 23 જાન્યુઆરીએ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે તેમ જાણવા મળ્યું હતું. હરિફ જૂથે અમને ચૂંટણીથી દૂર રાખવાનો આ પ્રયાસ છે, તેવા આક્ષેપ કર્યા હતા. ત્યારે આ મામલે પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડના ગ્રૂપે આક્ષેપ નકાર્યા હતા. તેમને કહ્યું હતું કે, અમને ડૉ.દર્શન બેંકરના પુત્રના લગ્નની તારીખની જાણ નથી. અગાઉ પણ ચૂંટણી પારદર્શી થઈ હતી, આ ચૂંટણી પણ પારદર્શી જ કરાવાશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:48 am

ફરિયાદ નોંધાઈ:કૌટુંબિક કાકાની ટ્રેડર્સના વેપારીને ધમકી, છરી બતાવી ગાળો ભાંડી

શહેરના રેસકોર્સ રિંગ રોડ આઈસક્રીમ પાછળ શ્રીરામ પાર્ક શેરી નં.2માં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ દુધાત્રા નામના ટ્રેડર્સના વેપારીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રાનું નામ આપ્યું હતું. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો મોરબી રોડ જકાતનાકા પાસે ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાય નામનો ટ્રેડર્સનો વેપાર છે. કૌટુંબિક કાકા પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રા જકાતનાકા પાસે ખોડિયાર માતાજીના મંદિર ખાતે એકલા રહે છે. તા.01/01/2026ના રોજ પુરુષોત્તમભાઈ તેની ટ્રેડર્સની ઓફિસ બહારથી પસાર થયા ત્યારે પોતે અન્ય વેપારીઓ સાથે ત્યાં ઊભા હોય તે સમયે પુરુષોત્તમભાઈએ આવીને કહ્યું કે, તારા પિતાજીને સમજાવી દેજે, મારા એકેય કામમાં આડા ન આવે. જે બાબતે સમજાવવા જતા તેમણે છરી બતાવી ગાળો ભાંડી હતી. આ મામલે પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

યુવક સામે ગુનો દાખલ:નંબર પ્લેટ વિનાની બુલેટ, મોડિફાઈડ સાઇલેન્સર મુદ્દે પોલીસ સાથે ઝપાઝપી કરનાર યુવક સામે ગુનો દાખલ

શહેરમાં ટ્રાફિક નિયમન કરવામાં અસમર્થ વડોદરા પોલીસ હવે શહેરીજનો સાથે રીઢા આરોપી જેવો વ્યવહાર કરતી થઈ ગઈ છે. શનિવારે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પર નંબર પ્લેટ વિનાની બુલેટ અને તેમાં લાગેલા મોડિફાઈડ સાયલન્સરને લઈને બાજવાના યુવક કૌશલસિંહ જાટ વિરુદ્ધ રાવપુરા પોલીસમાં ગુનો પણ દાખલ કરાવ્યો છે. યુવકે આક્ષેપ કર્યો હતો કે તેને ટ્રાફિક એસીપી ડી.એમ.વ્યાસે માર માર્યો હતો. રાવપુરા પોલીસ મથકમાં પશ્ચિમ ટ્રાફિક વિભાગના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ જોગદીયા દ્વારા કૌશલસિંહ જાટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, બુલેટ ચાલક સવારે 10:35 વાગે ચાર રસ્તા પર સિગ્નલ પાસે ઉભો રહી મોબાઈલ પર વાત કરતો હતો. બુલેટની આગળ-પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી. મોડિફાઈડ સાઈલેન્સર લગાવ્યું હતું. વાહનચાલકને સાઈડમાં લઈ જતા તેને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. રાવપુરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આપ્યાં છે. જેમાં બુલેટ ચાલકને ત્રણથી ચાર પોલીસકર્મીએ જાહેર રોડ પર ખેંચીને પોલીસવાનમાં ધકેલ્યા બાદ માર માર્યો હતો. પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં સ્ષષ્ટ દેખાઈ આવતી હતી. રાવપુરા પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

વ્યાજખોરો સામે નોંધાયો ગુનો:રિક્ષાચાલકને વ્યાજના ચક્રમાં ફસાવી ઉઘરાણી કરતા મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટના જંગલેશ્વર કીર્તિધામ સોસાયટીમાં રહેતા સતારભાઇ ખમીશાભાઈ પતાણી(ઉ.વ.50) એ ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી તરીકે કુલસુમબેન મેમણ, હનિફ અને યુવરાજ ડાંગર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. આશરે ચાર વર્ષ પહેલાં ભવાની ચોક નજીક પાનની દુકાને જતી વખતે તેમનો પરિચય કુલસુમબેન મેમણ સાથે થયો હતો. બે વર્ષ પહેલાં રિક્ષાના એન્જિન રિપેરિંગ માટે પૈસાની જરૂર પડતા તેમણે કુલસુમબેન પાસેથી કટકે-કટકે કુલ રૂ.3.10 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. તેઓને દર મહિને 30,000 વ્યાજ પેટે ચૂકવતો હતો. છેલ્લા બે વર્ષથી નિયમિત વ્યાજ ભર્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી આર્થિક તંગીને કારણે તેઓને વ્યાજ ભરી શકાયું નહોતો. ફરિયાદીએ દેવપરામાં રહેતા હનિફ નામના શખ્સ પાસેથી 20,000ની ડાયરી કરાવી હતી. જેમાં વ્યાજ કાપીને રકમ આપવામાં આવી હતી. જે રકમનું દોઢ વર્ષમાં અંદાજે દોઢ લાખ રૂપિયા વ્યાજે ચૂકવ્યું હતું. સતારભાઇએ આવી જ રીતે યુવરાજ ડાંગર નામના શખ્સ પાસેથી 30,000ની ત્રણ ડાયરી કરાવી હતી. મહિલા સહિત ત્રણેય વ્યાજખોરો ફરિયાદીના ઘરે જઈ વારંવાર ઉઘરાણી કરતાં હોય જેથી કંટાળીને સતારભાઈએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:47 am

26મી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન:DRDOની 41 લેબ અને 5 યંગ સંસ્થા ભારતને આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરે છે: ડૉ.ઉપેન્દ્રસિંહ

27 ડિસેમ્બરથી શરૂ થયેલી રાષ્ટ્રકથા શિબિરનું સમાપન થયું હતું. અંતિમ દિવસે DRDOના ઉપેન્દ્રસિંહે કહ્યું હતું કે, ભારતને અતિ આધુનિક શસ્ત્રોથી સુરક્ષિત કરવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 41 લેબોરેટરી અને 5 ડીઆરડીઓ યંગ સંસ્થાઓ દ્વારા થતી કામગીરીની માહિતી આપીને શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મનિર્ભર જ નહીં નિકાસકર્તા દેશ તરીકે સિદ્ધિ મળી છે. રાજકોટના વતની અને રાજદૂત તરીકે વિવિધ દેશોમાં સેવા આપી હાલમાં મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસના ડાયરેક્ટર જનરલ પદે સેવા આપી રહેલ સુજોય ચિનોય એ શિબિરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, વૈશ્વિક સ્તરે સામાજિક- આર્થિક પરિસ્થિતિના બદલાવના લીધે અગાઉની માત્ર અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવીયના સ્થાને બહુધ્રુવીય વ્યવસ્થા નિર્માણ થવા પામી છે. આવા સંજોગોમાં પરસ્પર હિત ટકરાતા હોય એવા બંને દેશો જેમકે, અમેરિકા-રશિયા, ઇરાન-સાઉદી અરેબિયા, ઇઝરાયેલ- પેલેસ્ટાઇન એમ બંને દેશ સાથે કૂટનીતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ ટેરરથી વિશ્વના દેશો વિચલિત થયા, પરંતુ ભારત ઉપર તેની અસર નહિવત રહી. બેંગ્લોરથી પધારેલા જે.એન.પ્લેનેટોરિયમના વૈજ્ઞાનિક ડૉ.બી.આર. ગુરુપ્રસાદે ભારતે ઇસરોની સ્થાપના પછી અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓની અલભ્ય ડોક્યુમેન્ટરી વિશાળ સ્ક્રીન ઉપર દર્શાવી હતી. જેમાં ચંદ્રની ધરતી ઉપર મિનરલ્સ-પાણીની શોધ માટે ચંદ્રયાન-1,2,3 તેમજ સૂર્ય ગ્રહના સંશોધન માટે આદિત્ય એલ-1, મંગળ ગ્રહ ઉપર પાણીના સ્રોત અને માનવ વસાહતના સંશોધન માટે ગ્રહથી માંડીને ઈસરો અને નાસાના સંયુક્ત સાહસ એવા નિસાર ઉપગ્રહને અંતરીક્ષમાં મૂકવો, કેવી રીતે એકસાથે 104 ઉપગ્રહ તેમજ બાહુબલી 6500 કિગ્રાનો કદાવર સેટેલાઈટનું પ્રક્ષેપણ કર્યુ વિગેરેથી શિબીરાર્થીઓને અભિભૂત કર્યા હતા. રાષ્ટ્રકથા શિબિરમાં 1310 સૈનિકનું શિબિર દરમિયાન ક્રમશઃ હસ્તે શાલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ રાજ્યમાં 17,303 શિબિરાર્થીઓ સાથે આવેલ શિક્ષકો, વિનામૂલ્યે રાતદિવસ સેવા આપનાર મળીને 1200થી અધિક સહયોગીઓનું પણ સન્માન કરાયું

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:46 am

હાર્ટ એટેક:ચાલુ બાઇકે પ્રૌઢ ઢળી પડ્યા, 108ના સ્ટાફે 6 મિનિટ સીપીઆર આપ્યો છતાં જીવ ન બચ્યો

વાડી વિસ્તારમાં રહેતા પૌઢ રવિવારે બપોરે વાડી ટાવર પાસેથી બાઈક પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક ચાલુ બાઈક પરથી ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, પૌઢને હાર્ટ એટેક આવ્યો હશે. હાલમાં વાડી પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓ રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાંં જ વડોદરાના એક મહિલા તબીબનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું, જેમની વય 40 વર્ષ હતી. ત્યારે હાલમાં એક બાઈક ચાલકને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવી ગયો હતો. વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળમાં રહેતા 55 વર્ષીય સુજીતભાઈ મારકન્ડે રવિવારે તેમની દીકરી માટે કોઈ વસ્તુ લેવા માટે વાડી ટાવર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાડી ટાવર પાસે તેઓ ચાલું બાઈકે તે ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને 6 મિનિટ સુધી સીપીઆર આપ્યો હતો. કોઈ પ્રતિસાદ ન મળતા 108 તેઓને લઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ તેઓને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના કિસ્સામાં ફુડ અને હવાના પ્રદૂષણ સાથે ઘણા પાસા જવાબદાર છે હાલમાં જે રીતે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, સાથે ખાવાની સામગ્રીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે આ પ્રકારની તકલીફ વધી રહી છે. આ સાથે હાલમાં જે રીતે નાની વયના બાળકો અને જુવાન લોકોમાં જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે અને તે તપાસની બાબત છે. આવા કિસ્સાઓમાં ઘણા પાસાઓ કામ કરે છે. આવા કિસ્સાઓમાં તે પાસુ પણ કામ કરે છે કે, તમારી પેઢીમાં કોઈને આ પ્રકારની તકલીફ છે કે કેમ..? આજકાલ લોકો પેકેટ ફૂડ તરફ વધી રહ્યા છે. જે નુકસાનકારક છે. પહેલા શ્રમજીવીઓ બાજરીના રોટલા જમતા હતા પણ હવે તે પણ પેકેટ ફૂડનું જમે છે. લોકોએ પોતાનું જમણ સુધારવું જોઈએ. સાથે સ્વાસ્થવર્ધી આદતો અપનાવવી જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ. જો તમારી પેઢીમાં કોઈને હૃદયની તકલીફ હોય તો નિયમિત રીતે હૃદયની તપાસ કરાવવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:46 am

તૈયારીની સમીક્ષા કરશે હર્ષ સંઘવી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં

આગામી તા.11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થનાર હોય રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે . તેઓ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા કરવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે પણ બેઠક યોજશે. કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તડામાર તૈયારી વચ્ચે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે બેઠક યોજશે તેમજ કોન્ફરન્સની તૈયારીની પણ સમીક્ષા કરશે. આ તકે, ઇન્ડેક્સ- બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપટ સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:45 am

ભાસ્કર એક્સક્લુસિવ:હવે જમીન માપણી માટે જિલ્લા કચેરીએ ધક્કા નહિ થાય, તાલુકા કક્ષાએ જ માપણી કચેરી

રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લામાં આગામી સમયમાં ડીઆઇએલઆર એટલે કે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તમામ તાલુકા મથકોએ જમીન માપણી કચેરી કાર્યરત કરવાની દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આપેલ મંજૂરીને પગલે તમામ જિલ્લા કલેક્ટરને તાલુકા કક્ષાએ જમીન માપણી કચેરી માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના સેટલમેન્ટ કમિશનર દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને ડીઆઇએલઆર કચેરીનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા મથકોએ જમીન દફતર કચેરી કાર્યરત કરવા માટે સૂચના આપી કચેરી માટે જગ્યા ઉપલબ્ધ કરવા સૂચના આપવામાં આવી છે જેમાં ખાસ કરીને દરેક તાલુકા મથકોએ 18થી 20 કર્મચારીના મહેકમને ધ્યાને લઈ હાલમાં સિટી સરવે કચેરી કાર્યરત હોય તો તે સ્થળે અથવા મહેસૂલી કચેરી કે, તાલુકા સેવાસદન ખાતે જગ્યા ઉપલબ્ધ કાવવા તેમજ જગ્યા ઉપલબ્ધ ન હોય તો ભાડાની જગ્યામાં કચેરી કાર્યરત કરવા કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જમીન માપણી, રિ-સરવે સહિતની કામગીરી ઝડપી થશેડીઆઇએલઆર કચેરીના વિકેન્દ્રીકરણથી નાગરિકોની કામગીરી ઝડપી બનશે સાથે જ નાગરિકોને હાલમાં જમીન માપણી માટે જિલ્લાકક્ષાએ થતા ધક્કા પણ બચી જશે. સાથે જ હાલમાં રાજ્યમાં જમીન રિ-સરવેને લગતા કેસનો ભરાવો થયેલ હોવાથી નવી વ્યવસ્થા બાદ નાગરિકોના રિ-સરવે સહિતના પ્રશ્નોનો પણ ઝડપથી ઉકેલ આવશે.> નિમિષ પટેલ, ડીઆઇએલઆર કચેરી, રાજકોટ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:42 am

વેધર રિપોર્ટ:9.5 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજું ‘કોલ્ડ સિટી’, હજુ પણ પારો ગગડશે

નવા વર્ષની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. કમોસમી વરસાદના વિદાય બાદ હવે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતના જનજીવન પર જોવા મળી રહી છે. રવિવારે રાજ્યમાં 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટ 9.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજા નંબરનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, હાલમાં પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફની છે. ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે લઘુતમ પારો નીચે ઉતરી રહ્યો છે, જેનાથી વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજકોટમાં ઠંડીનું જોર એટલું વધ્યું છે કે રાત્રિના સમયે માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ઠંડીથી બચવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગના મતે 9 જાન્યુઆરી બાદ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાથી ઠંડીનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, હજુ ઠંડીમાંથી મુક્તિ મળવાની આશા નથી. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો પારો વધુ ગગડશે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ઠંડીનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે. જોકે રાહતની વાત એ છે કે, આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં ક્યાંય પણ વરસાદની શક્યતા નથી અને વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:41 am

વેદજ્ઞાન:150 બાળકોએ સલાકા પરીક્ષા આપી, યજુર્વેદ માધ્યંદિની શાખાના 430 મંત્રો કંઠસ્થ રજૂ કર્યા

શહેરના આજવા રોડ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે રવિવારે વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ત્રિવેણી સંગમ યોજાયો હતો. જેમાં વિવિધ પાઠશાળાઓમાંથી યજુર્વેદના વિદ્યાર્થીઓ આવ્યા હતા.જેમની સલાકા પરીક્ષા લેવાઈ હતી. જ્યારે વ્યાકરણ અને જ્યોતિષ અંગેની પણ પરીક્ષા વિદ્વાન આચાર્યો દ્વારા લેવાઈ હતી. 150 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જ્યારે સાંજે સંસ્કૃતમાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંતરામ મંદિર નડિયાદના મહંત રામદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કેબિનેટ મંત્રી રમણ સોલંકી, મંત્રી મનિષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વ્યાકરણની પરીક્ષા લેનાર પેટલાદના ડો. રઘુ જોશીએ જણાવ્યું હતું કે, પાણીની સંસ્કૃત ભાષાના વ્યાકરણ અને 3996 સૂત્રક્રમમાં બાંધી દીધી છે પાણીનીય મુનિ દ્વારા સ્વરના 14 સૂત્રો અપાયા છે. જેનો ઉપયોગ થાય તો સંસ્કૃતિ ઉપજતી તમામ ભાષા સરળતાથી શીખી શકાય. બારાક્ષરીમાં પ્લુતનો સમાવેશ નથી પરંતુ તે પણ ખૂબ જ જરૂરી છે. માત્ર બ્રાહ્મણને વેદ હોય છે તેવું નથીયજુર્વેદના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યા મુજબ ક્ષત્રિય, વૈશ્ય સમાજના લોકોને પણ ગોત્ર અને વેદ ભણવાનો અધિકાર છે. ગુજરાતમાં મોટાભાગે શુક્લ યજુર્વેદના બ્રાહ્મણો હોવાથી સામવેદના બ્રાહ્મણો મળતા નથી. વેદ શીખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 2006 બાદ વધારો નોંધાયોયજુર્વેદ શીખેલા બાળકોએ 1થી 10 અધ્યાયના શુક્લ યજુર્વેદ માધ્યંદિની શાખાના 430 મંત્રો કંઠસ્થ અવરોહ સાથે રજૂ કર્યા હતા. વેદ શીખનારને પણ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી મળે છે. ડિગ્રી માનવામાં આવે છે તેથી વેદ શીખનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 2006 બાદ વધારો નોંધાયો છે. કથા પૂર્ણ ન થાય તો યજમાન-વક્તાને દોષ લાગેવેદના જાણકાર નિસર્ગ ઉપાધ્યાય કુલદીપભાઈ પુરોહિત અને વિમલભાઈ વ્યાસે જણાવ્યુંહતું કે, કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી જો કથા પૂર્ણ કરવામાં ન આવે તો કથાના આયોજક યજમાન અને વક્તા બંનેને દોષ લાગે છે. ભાગવત જેવા ગ્રંથની એક કલાક પાઠ કરી સંદર્ભ કથા કરવી જોઈએ જેવી રીતે બાળકો વેદ ભણે છે, કંઠસ્થ કરે છે તેવી રીતે ધર્મ ગ્રંથો પણ કંઠસ્થ કરવા જોઈએ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:40 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વોર્ડ-9માં ગોપાલ ચોક પાસે RMCનું અક્કલનું પ્રદર્શન, રોડ વચ્ચે જ વાલ્વ ચેમ્બરથી અકસ્માતો

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે પ્રજાજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. શહેરમાં નવા નક્કોર રોડ બનાવ્યાના મહિનાઓના જ સમયગાળામાં રોડ ખોદી નાખી પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવે છે ત્યારે એવો જ કિસ્સો શહેરના વોર્ડ નંબર 9માં સામે આવ્યો છે. જ્યાં પાણીની લાઈન નાખ્યા બાદ નવો રોડ તો બન્યો, પરંતુ યોગ્ય પુરાણ કરવામાં ન આવતા ફરી રોડ બેસી ગયો. એટલું ઓછું હોય તેવામાં રોડ બનાવતા પહેલા પાણીની વાલ્વ ચેમ્બર બનાવવાના બદલે રોડ બન્યા બાદ વાલ્વ ચેમ્બર બનાવી અહીં રોડ પર જ મલબો રાખી દેવામાં આવતા દરરોજ અનેક વાહનચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. શહેરના ગોપાલ ચોકથી બાપા સીતારામ ચોકને જોડાતા મુખ્ય રોડ પર વોર્ડ નંબર 9માં મનપાની વોર્ડ ઓફિસ સામે જ મહાનગરપાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી જોવા મળી રહી છે. ચોમાસા પહેલાં અહીં પાણીની નવી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવ્યા બાદ અભય ભારદ્વાજ હોલ પાસે પાણીની વાલ્વ ચેમ્બર બનાવવાનું ઈજનેર અને કોન્ટ્રાક્ટર ભૂલી જતા પંદરેક દિવસ પૂર્વે રસ્તો ખોદી નાખી અહીં નવી વાલ્વ ચેમ્બર રોડની વચ્ચોવચ બનાવવામાં આવી છે. જોકે વાલ્વ ચેમ્બર બનાવ્યા બાદ હજુ સુધી રોડ પરથી પથ્થર, સિમેન્ટ સહિતનો મલબો હટાવવામાં આવ્યો ન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મહત્ત્વનું છે કે, પાણીની લાઈન નાખવામાં આવ્યા બાદ અહીં નવો પેવર રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ પાઈપલાઈન ખોદાણ બાદ યોગ્ય પુરાણ ન થયું હોવાથી રોડનો એક ભાગ બેસી જતા ચોમાસામાં જ પેચવર્ક કરાયું હતું જે પણ હાલમાં બેસી ગયું હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:40 am

સિટી એન્કર:300 પાટીદાર મહિલાનો હૂંકાર, દાનમાં પહેલાં અમારું રક્ત લો, 100થી વધુએ રેકોર્ડબ્રેક રક્તદાન કર્યું, 70 મહિલાએ પ્રથમવાર રક્ત આપ્યું

છાણી લેઉઆ પટેલ સમાજના શનિવારે સવારે યોજાયેલી રક્તદાન શિબિરનો નજારો અભૂતપૂર્વ હતો. જેમાં પહેલીવાર 300 પાટીદાર મહિલા રક્તદાન માટે પહોંચી હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં લેઉઆ સમાજની મહિલાઓએ ક્યારેય રક્તદાન કર્યું ન હતું. સમાજના અગ્રણીઓ મુજબ શિબિરમાં 100થી વધુ પાટીદાર મહિલાઓનું રેકોર્ડબ્રેક રક્તદાન નોંધાયું હતું. મહિલાઓએ કહ્યું કે, 5 મહિના અગાઉ છાણીના લેઉઆ પટેલ હોલ ખાતે સંમેલનમાં સમાજની 800 જેટલી મહિલા હાજર રહી હતી. તે સમયે રક્તદાન શિબિરની જાહેરાત કરાઇ હતી. ત્યારે અમારામાં રક્તદાન માટે શંકા હતી. અમે 4-5ના ગ્રૂપમાં એકબીજાનો બ્લડ ડોનેશન કરી શકીએ છીએ, એ રીતે આત્મવિશ્વાસ વધારવાનું કામ કર્યું. આજે શિબિર યોજાઇ ત્યારે 300 જેટલી મહિલા આવી હતી. હિમોગ્લોબીન ઓછું હોવાથી 200 મહિલા રક્તદાન ન કરી શકીરક્તદાન માટે 300 મહિલાઓ પહોંચી હતી, પણ 200 જેટલી મહિલાનું હિમોગ્લોબીન ઓછું હોવાથી રક્ત આપી શકી નહોતી. જ્યારે 100 મહિલાએ રક્તદાન કર્યું, જેમાંથી 70 મહિલાએ પહેલીવાર રક્ત આપ્યું હતું. યુવા સંગઠનના અગ્રણી હિતેશ પટેલે કહ્યું કે, શિબિરમાં મેડિકલ કેમ્પ હતો. જેમાં તબીબોએ હિમોગ્લોબિન વધારવા બીટ અને ફોલિક એસિડની ટેબ્લેટ્સ સહિતના ઉપાયો દર્શાવ્યા હતા. શિબિરમાં 350 યુનિટ રક્ત એકત્ર થયું હતું. હવે રક્તદાનમાં મહિલાની સંખ્યામાં હજુ વધારો થશે ડાયેટ ચેન્જ કરવું જ પડશે. રક્તદાનથી એ વાત અડી ગઇ છે. બીજીવાર કેમ્પમાં આવીશું ત્યારે ચોક્કસ વધુ મહિલા રક્તદાન કરશે. > અર્પિતા પટેલ, છાણી રક્તદાન પુરુષોએ જ કર્યું છે, પાટીદાર મહિલા આવા કેમ્પમાં ગઇ નથી. આ શરૂઆત છે. અમને એ તો ખબર પડી કે શું ખાવું જોઇએ. > અંજલિ પટેલ, છાણી

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:38 am

વાહનચાલક માંડ માંડ બચ્યો:પીપીપી યોજનાની બિલ્ડિંગમાં 12મા માળેથી ક્રેનનો પાઇપ વાહનચાલક પર પડતાં ઘાયલ

રાજકોટના અમીન માર્ગ પાસે પીપીપી યોજના હેઠળ નિર્માણાધીન મણિયાર ક્વાર્ટરની બિલ્ડિંગમાં 12મા માળે લગાવેલી ક્રેન તૂટતાં તેનો એક પાઈપ રોડ પર પડ્યો હતો. આ સમયે એક યુવાન ત્યાંથી સ્કૂટર લઈને જઈ રહ્યો હતો અને પાઈપ સ્કૂટર પાસે પડતા તેનું વાહન અકસ્માતગ્રસ્ત થયું હતું. પાઈપ પડવાના અવાજથી ટોળાં એકઠા થયા હતા. સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી હતી અને તુરંત જ યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પીપીપી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ મણિયાર ક્વાર્ટરના રિ-ડેવલપમેન્ટનું કામ જે.પી. સ્ટ્રક્ચર્સને આપ્યું છે. સવારે 11 વાગ્યા આસપાસ આ બિલ્ડિંગમાં ક્રેનમાંથી એક ભાગ તૂટી પડતા રોડ પરથી પસાર થયેલા એક સ્કૂટરચાલક યુવાન પર પડ્યો હતો જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. મોહિત નામના યુવાને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્ટાફે યુવાનને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો યુવાને પોતાનું નામ સાવન ઠુમ્મર(ઉ.વ.27 જણાવ્યું હતું. તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સ સિવિલે પહોંચી ત્યાં યુવાનના સ્વજનો પણ પહોંચી ગયા હતા. જોકે સ્વજનોને સોંપ્યા પહેલાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ યુવાનને ત્યાં મૂકીને આવી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને બિલ્ડર પર રોષ ઠાલવ્યો હતો. વધુ લોકો એકઠા થાય તે પહેલાં બિલ્ડરના હાજર સ્ટાફે અકસ્માતગ્રસ્ત એક્ટિવાને ઢસડીને બિલ્ડિંગ સાઈટની અંદર મૂકી દીધુ હતું. ક્રેન છોડાવતી વખતે ઘટના બની, બિલ્ડરને નોટિસ અપાશેટી.પી. શાખાના ઈજનેરોને આ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાંથી ક્રેન છોડાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પાઈપ નીચે પડતા દુર્ઘટના બની હતી. આ અંગે બિલ્ડરની બેદરકારી હોવાથી સોમવારે તેને નોટિસ ફટકારવામાં આવશે. હાલ બિલ્ડિંગના બીજા સેફ્ટી પ્રોટોકોલની તપાસ ચાલી રહી છે. ભાસ્કર ઇનસાઇડબિલ્ડરની બેદરકારીજે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સનું ફોલ પ્રોટેક્શન નેટ વગર હાઈરાઈઝનું બાંધકામમનપાના જૂના હોદ્દેદારો અને પૂર્વ ઈજનેરો સાથે ઘરોબો ધરાવતા તેમજ પીપીપી કૌભાંડમાં જેમનું નામ અગાઉ આવી ગયું છે તેવા જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પાસે જ આ પ્રોજેક્ટ હતો જ્યારથી તેણે કામ ચાલુ કર્યું છે ત્યારથી જ વિવાદ ચાલ્યો છે. પોતાના સાધનો, લોખંડ તેમજ મશીન માટે રોડ બંધ કરી દેવો, ફૂટપાથ પણ દબાવી દેવી જેવી ફરિયાદો રહી છે. જોકે ગંભીર બાબત એ છે કે, 12 માળની બિલ્ડિંગ કે જે મુખ્ય રોડ પર જ બને છે તેમાં સુરક્ષાના માપદંડો રાખવામાં આવ્યા ન હતા. હાઈરાઈઝ બિલ્ડિંગમાં દરેક તબક્કે અલગ અલગ ઊંચાઈએ ફોલ પ્રોટેક્શન નેટ લગાવવી ફરજિયાત છે. આ કારણે જો કોઇ વસ્તુ પડે તો રોડ પર ન પડે અને મજૂર પડી જાય તો પણ તેનો જીવ બચાવી શકાય જોકે દરેક વખતે નિયમ ઘોળીને પી જતા બિલ્ડરોએ આ નિયમ પણ પાળ્યો ન હતો. ભાસ્કર ફર્સ્ટ પર્સનપાઈપ એક્ટિવાની આગળ પડ્યો, માથું સહેજમાં રહી ગયુંસવારે 11 વાગ્યે હું અને વરજાંગભાઈ બિલ્ડિંગની સામે ઊભા હતા. એવા સમયે બિલ્ડિંગ ઉપરથી એક પાઈપ પડ્યો અને નીચે રોડ પરથી નીકળતા એક્ટિવા પર પડ્યો. એક્ટિવાના આગળના ભાગમાં પાઈપ લાગતા મોરાનો ભાગ તૂટી ગયો અને યુવાન પડી જતા હાથ અને પગમાં લાગ્યું હતું. જો પાઈપ માથા પર જ પડ્યો હોત તો શું થાત તેની કલ્પના પણ ન કરી શકાય. યુવાન ભાનમાં હતો એ જોઇને રાહત થઈ. > હસમુખભાઈ સભાડ ઈનસાઇડ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:38 am

મંડે પોઝિટીવ:પ્રદૂષણ નાથવા પરંપરાઃ કૃષિ યુનિ.માં ગૌ ગોબર-ગૌ મૂત્ર થકી બનેલો ખેસ પહેરાવી અતિથિના સ્વાગતની પ્રણાલી

દેશભરમાં વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા બની છે. વડોદરા સહિતનાં શહેરોમાં એલઈડી સ્ક્રીન પર એક્યુઆઈ બતાવવો પડી રહ્યો છે. ત્યારે હાલોલ કૃષિ યુનિ. અને તાજપુરાની શ્રીનારાયણ ગીર ગૌશાળા સાથે સંકળાયેલા ડો.રાજુ ઠક્કરે વાયુ પ્રદૂષણથી બચાવે તે માટે ગૌ કવચ ખેસ બનાવ્યા છે. જે એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુને શોષે છે અને જેણે ખેસ પહેર્યો હોય તેની આસપાસની એર ક્વોલિટી પણ સુધારે છે. તેમણે કહ્યું કે, કંતાન પર છાણ, ગૌ મૂત્ર, કપૂર સહિતની ઔષધિનો લેપ લગાવી ખેસ તૈયાર કર્યો છે. હાલોલ કૃષિ યુનિ.માં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દ્વારિકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓને ગૌ કવચ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. અત્યાર સુધી 100 ખેસ બનાવ્યા છે. ખેસ નર્વસ સિસ્ટમને સક્રિય કરે છેગૌ કવચ ખેસનું વૈદિક, આરોગ્ય અને માનસિક લાભ ઘણા છે. જેમાં છાણની સુગંધ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. જેને કારણે તણાવ, ચિંતા અને નકારાત્મક ઊર્જામાં ઘટાડો થાય છે. > ડો.રાજુ ઠક્કર, શ્રીનારાયણ ગીર ગૌશાળા, તાજપુરા ખેસના વૈજ્ઞાનિક લાભો

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:37 am

ભાસ્કર એનાલિસીસ:આ વર્ષે પણ પાણીની તંગી રહેવાનો પાલિકાનો અંદાજ, ટેન્કરોના કોન્ટ્રાક્ટમાં ગત વર્ષ કરતાં દોઢ કરોડનો વધારો

પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા વર્ષ દરમિયાન ભંગાણના સમારકામ સહિતની કામગીરીને પગલે જે તે વિસ્તારમાં પાણીની અછત સર્જાય છે, તે સમયે ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. આ સંજોગોમાં પાણી વિતરણ કરવા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. જેમાં ટેન્કર દીઠ રૂા.310 ચૂકવાશે. લાઇનમાં કોન્ટામિનેશન, લો-પ્રેશર, ગંદું પાણી, ભંગાણ, વાલ્વ બગડવા સહિતના પ્રશ્નના ઉકેલ માટે કામગીરી કરાય ત્યારે જે તે વિસ્તારમાં પાણી બંધ રહે કે ઓછું મળતું હોય છે. આ સંજોગોમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે. ચારે ઝોનમાં ડિપાર્ટમેન્ટને ફાળવેલાં વાહનથી પાણી પહોંચાડાય છે, જે પૂરતું નથી. જેથી જરૂરિયાત પૂરી કરવા ખાનગી વાહનો ભાડેથી લેવાની જરૂર રહે છે. આ વાહનોની ઘટને પહોંચી વળવા પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા ભાડેથી ટેન્કર મેળવવા વાર્ષિક ઇજારો કરાય છે. કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂરો થતો હોવાથી વહેલી પ્રક્રિયા કરાઈપાણી પુરવઠાની રોજિંદી અગત્યની અને આવશ્યક કામગીરીમાં વિક્ષેપ ન પડે તેમજ ખાતાની કામગીરી કરવામાં સાનુકૂળતા રહે તે માટે ચાલુ ઈજારો પૂર્ણ થતાં સુધી નવીન ઈજારાની કાર્યવાહી થઈ રહે તે માટે પહેલેથી ઇજારો આપવાની પ્રક્રિયા કરાઇ રહી છે. ગત વર્ષે એપ્રિલમાં ઇજારો કરાયો હતો. રુ 310માં 1 ટેન્કર પ્રમાણે વર્ષમાં 1,12,903 ટેન્કર વિતરણ થશેપાલિકાએ પાણીના ટેન્કરનો રૂા.3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત રજૂ કરી છે. જેમાં રૂા.310 લેખે 1 ટેન્કર પ્રમાણે વર્ષ દરમિયાન 1,12,903 ટેન્કરનું વિતરણ કરી શકશે. ગત વર્ષે પાલિકાએ 2 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં 1 ટેન્કરનો ભાવ રૂા.389 હતો, જે પ્રમાણે 51,413 ટેન્કરથી પાણીનું વિતરણ કરાયું હતું. તે પછી જરૂર જણાતાં વધુ 1.50 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:34 am

મંડે પોઝિટીવ:રાજકોટના અન્નદાતાઓ : 15 વર્ષથી રોજ રાતના જીવ માત્રના ભૂખ્યા પેટને અન્નનો પ્રસાદ ધરી સંતોષનો ઓડકાર ખાય છે

શહેરમાં છેલ્લા 15 વર્ષથી અવિરત અન્નદાતાઓ દ્વારા રાતના ભૂખ્યા પ્રાણીઓ તથા ગરીબ લોકોને અન્ન વિતરણ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ, હોટેલોના રાંધેલા અનાજનો દુરુપયોગ ન થાય તે હેતુથી આ સેવાભાવીઓ દ્વારા રોજ શહેરની અલગ અલગ વિસ્તારની હોટેલ-રેસ્ટોરન્ટમાંથી અનાજ એકઠું કરીને ભૂખ્યા ગરીબ લોકો સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. આ સેવાભાવીઓ રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવી લોકોની અને મૂંગા પશુઓની અવિરત સેવા કરે છે. આ સેવાનું કાર્ય તેજસભાઈ જોશી, દીપકભાઈ રાઠોડ, ડાયાભાઈ ટાંક, પ્રશાંતભાઈ જોધપુરા, રાજેશભાઈ હિંગુ, મેરામભાઇ આહીર, કરણભાઈ ઝાપડા અને ભરતભાઈ ચાવડા સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે. આ લોકો પોતપોતાના જીવનમાં અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. આમ છતાંય રોજ રાતે 9 વાગ્યાથી ઘરેથી વાહન લઈને જુદા-જુદા સ્થળે પહોંચી શ્વાનને દૂધ, ગાયને રોટલા, કીડીઓનું કીડિયારું અને અને ખિસકોલીઓને અન્નનું વિતરણ કરે છે. આ ઉપરાંત શહેરના વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટના રાંધેલા અનાજને ફેંકી ન દેવામાં આવે તે અનાજથી ભૂખ્યા ગરીબ લોકોનું પેટ ભરાઈ તે માટે રોજ 200થી પણ વધારે લોકોને જમાડવામાં આવે છે. આ આઠેય ભાઈઓનું એક જ સૂત્ર છે કે, કીડીઓને કણ અને હાથીને મણ મળી જ રહે છે. મનુષ્ય તો માત્ર માધ્યમ છે. જેથી દરેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેય પણ માનવતા ન ચૂકવી જોઈએ. મૂંગા પશુઓની સેવા એ જ મનુષ્યનું કર્તવ્ય છે. આ મિત્રો રૈયાધાર અને યુનિવર્સિટી કેમ્પસ વિસ્તાર સુધી પહોંચી આ સેવાનું કાર્ય કરે છે. અંદાજે અઢી હજાર ઉંદરડા અને ખિસકોલીઓ અને 400થી પણ વધારે શ્વાન અને ગાયો, ભૂંડ તેમજ 200થી પણ વધારે ભૂખ્યા માણસોને દરરોજ ભોજન પૂરું પાડી તેમના પેટ ભરવાનું કાર્ય કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:33 am

સિટી એન્કર:ઠંડી સામે સેવાનું કવચ : શિયાળાની કડકડતી ઠંડીમાં છેલ્લા 4 વર્ષથી જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરી હૂંફ આપતી સંસ્થા

શિયાળાની ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે જેસલરાજ ટ્રસ્ટ દ્વારા “સેવાગંગા’ નામે એક ધાબળા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકો સુધી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. જેથી આવી કડકડતી ઠંડીમાં પણ કોઈ ગરીબ માણસ ઠંડીના કારણે ઠૂંઠવાય નહીં અને તેમનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી આ અભિયાન અવિરત 4 વર્ષથી કાર્યરત છે. જેસલરાજ ટ્રસ્ટના પ્રમુખ, પૂજાબા વનરાજસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2008થી સંસ્થામાં વિવિધ સામાજિક સેવા કાર્યો કરી રહ્યા છે. છેલ્લા ચારેક વર્ષથી તેઓ દર વર્ષે ગરીબોને વિનામૂલ્યે ગરમ કપડાં-ધાબળાનું વિતરણ કરી રહ્યા છે. આ સેવાના કાર્યમાં તેઓનો પરિવાર અને નજીકના લોકો ઉપરાંત જે કોઈ પણ વ્યક્તિ કે જે આ ભગીરથ સેવામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ પણ યથાશક્તિ મદદ કરે છે. વધુમાં પૂજાબાએ જણાવ્યું હતું કે, આપણે શિયાળામાં ઘરમાં રહેતા હોવા છતાંય ઠંડી અનુભવતા હોઈએ છીએ, તો કેટલાક એવા લોકો પણ સમાજમાં જીવે છે કે જેમની પાસે રહેવા માટે છત કે અંગ ઢાંકવા માટે કપડાં પણ નથી હોતા, તો મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે કે જરૂરિયાતમંદોને સેવાના એક ભાગરૂપે વસ્ત્ર ઇત્યાદિનું વિતરણ કરીએ. જે લોકો સેવામાં સમય નથી ફાળવી શકતા તેઓ આર્થિક સહાય પૂરી પાડી શકે છે અથવા તો પોતાની રીતે જ વસ્તુ ઈત્યાદિને સંસ્થા સુધી પહોંચાડી શકે છે. આ સંસ્થા દ્વારા શહેરના ખૂણે ખૂણે ઝૂંપડપટ્ટી, ફૂટપાથ ઉપર રહેતા બેઘર જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા પહોંચાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા બધા ગરીબોને આ સેવાનો લાભ મળી ચૂક્યો છે. હજુ વધુ લોકો સેવાનો લાભ લે એ હેતુથી સંસ્થા કાર્યરત છે. આ સેવા થકી ગરમ વસ્ત્રોને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી અમુક લોકોને ઠંડીમાં હેરાન થતા બચાવી શકાશે અને સમાજમાં માનવતા હજુ પણ જીવંત છે. તેના ઉત્તમ ઉદાહરણ તરીકે લોકોમાં આશાનું કિરણ જીવંત રાખી શકાશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:31 am

ભાસ્કર એનાલિસીસ:પશ્ચિમ કચ્છમાં 2025માં ઠગાઇના 99 ગુના, 2024થી ડબલથી પણ વધુ

સરહદી પશ્ચિમ કચ્છ જિલ્લામાં વર્ષ 2024 ની સરખામણીએ ગત વર્ષ 2025 માં ગંભીર ગુનાઓમાં વધારો થયો છે. રાજ્યના સૌથી મોટા જિલ્લામાં એક જ વર્ષમાં ઠગાઈના ડબલથી પણ વધારે બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ, ધાડ, લુંટ, દુષ્કર્મ, પોક્સો અને જીવલેણ અકસ્માતના બનાવોમાં વધારો થતા ગંભીર પ્રકારના બનાવોમાં વધારો નોંધાયો છે. જોકે મોટા ભાગના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઔદ્યોગિક એકમો, પવનચક્કી, રણ, દરિયો અને મોટા ધાર્મિક સ્થળો ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લામાં સુરક્ષાના ભાગરૂપે પોલીસને સતત એલર્ટ રહેવું પડે છે. જોકે 26 પોલીસ મથક ધરાવતા આ જિલ્લામાં વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં ગુનાખોરી વધી છે. જેમાં ખાસ કરીને ગત વર્ષે ઠગાઈના બનાવો ડબલથી પણ વધારે નોધાયા છે. વર્ષ 2024 માં માત્ર 48 બનાવ બન્યા હતા જેની સામે 2025 માં વધીને 99 સુધી પહોચ્યા છે. તેમજ વિશ્વાસઘાતના 15 ગુના નોંધાતા તેમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત 2024 માં ધાડનો એકપણ બનાવ ન હતો જેની સામે ગત વર્ષે 2 બનાવ બન્યા છે. તેમજ વર્ષ 2024 માં દુષ્કર્મના 34 બનાવ બન્યા હતા જેની સામે ગત વર્ષે 39 ગુના નોધાયા છે, જ્યારે પોક્સોના 25ની સામે 43 ગુના નોધાતા તેમાં પણ વધારો થયો છે. સતત ભારે વાહનોની અવર જવર વાળા જિલ્લામાં અકસ્માતના બનાવો પણ વધ્યા છે. જેમાં 297 બનાવની સામે 313 અને અકસ્માતમાં જીવ ગુમાવવાના 138 ની સામે 162 બનાવ બનતા ફેટલના 24 બનાવનો વધારો થયો છે. આ ઉપરાંત ઘરફોડ ચોરી, વાહન ચોરી, મંદિર ચોરી અને રાયોટીંગના બનાવોમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ વર્ષ 2024 ની સરખામણીએ 2025 માં 436 જેટલા ગુના વધુ નોંધાયા છે જે ચિંતાજનક છે. જોકે વધી રહેલી ગુનાખોરી સામે પોલીસે મોટા ભાગના ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે. એકજ વર્ષમાં હત્યાના 7 બનાવ વધ્યા,1 ગુનો હજુ વણઉકેલાયેલોહાલના સમયમાં માણસની સહનશીલતા ઘટી છે જેના કારણે નાની નાની બાબતોમાં આવેશમાં આવી જઈ લોહિયાળ બનાવને અંજામ આપી દે છે. ત્યારે વર્ષ 2024 માં પશ્ચિમ કચ્છમાં હત્યાના 21 બનાવ બન્યા હતા જેની સામે 2025 માં 28 બનાવ બનતા 7 હત્યાનો વધારો થયો છે. જ્યારે હત્યાની કોશિશના 10 બનાવની સામે 2025 માં 23 બનાવ બનતા તેમાં પણ વધારો થયો છે. પોલીસે હત્યાના 27 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે, જોકે ગઢશીશા પોલીસ મથકે નોંધાયેલા 45 વર્ષીય યુવાનની હત્યાના બનાવમાં હજુ સુધી પોલીસ આરોપી કે કારણ શોધી શકી નથી. વર્ષ 2025 દરમિયાન એટ્રોસિટીના 36 ગુના, નોંધપાત્ર ઘટાડો નોંધાયોપશ્ચિમ કચ્છમાં એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાતા ગુનામાં ઘટાડો થયો છે. વર્ષ 2022 માં એસસીએસટી સેલમાં ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન ફરજ પર આવ્યા હતા. વર્ષ 2022 માં ગુનાની સંખ્યા 70 હતી જે વર્ષ 2023 માં 64 થયા બાદ 2024 માં 50 અને ગત વર્ષે માત્ર 36 ગુના નોધાતા તેમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. માત્ર નવા ગુના અટકાવવા જ નહીં પરંતુ વર્ષોથી કોર્ટમાં પેન્ડીંગ પડી રહેલા કેસોના નિકાલમાં પણ સારી કામગીરી કરી છે. પરિણામે ડીવાયએસપી ફરજ પર આવ્યા ત્યારે 2022 માં કુલ 53 કેસ પેન્ડીંગ હતા જે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં માત્ર 14 કેસ પેન્ડીંગ રહ્યા છે. આ ઉપરાંત ગુનાની નિષ્પક્ષ તપાસ અને ઊંડાણપૂર્વકની કામગીરીથી ગુનેગારોને દાખલો બેસાડતી સજા થયેલી છે. જેમાં માનકુવા પોલીસ મથકે નોંધાયેલા દિલીપ આહીરને મરવા મજબુર કર્યાના ગુનામાં સત્ય બહાર લાવવામાં આવ્યું. આ ઉપરાંત સાયબર પોલીસ મથકે નોધાયેલા ગુનામાં આરોપીએ પોતાનો ધર્મ છુપાવી 28 યુવતીઓને ફસાવી હતી જેમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં સારી કામગીરીને કારણે ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચનને 16 જેટલા પ્રસંશાપત્ર પણ મળ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:26 am

બુટલેગર ઝડપાયો:ઘાટલોડિયામાં 336 બોટલ સાથે બુટલેગર ઝડપાઈ ગયો

ભૂયંગદેવ ચારરસ્તા પાસે શ્રીનગર ફ્લેટમાં બુટલેગર દિલીપ અસરાનીને દારૂની ડિલિવરી કરવા આવેલા વાડજના બુટલેગરને ક્રાઈમ બ્રાંચે 336 બોટલ તથા ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી દારૂ ભરેલી ગાડી પકડી પાડવા સાથે વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં રહેતા બુટલેગર સન્ની ઉર્ફે માંજરો તોલાણીને ઝડપી લઇ તપાસ કરતા તેની ગાડીમાં 3 થેલામાંથી દારૂની 336 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી સાથે સન્નીની ધરપકડ કરી રૂ.3.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજસ્થાનથી બસમાં દારૂ અમદાવાદ આવ્યો હતોસન્નીએ જણાવ્યું કે રાજસ્થાનના સાંચોરના બુટલેગર માંગીલાલ પાસેથી તે દારૂ મગાવતો હતો. 2 દિવસ પહેલાં જથ્થો મગાવ્યો હતો, જેથી માગીલાલે ખાનગી બસમાં દારૂનો જથ્થા સાથે પેસેન્જરરૂપે બેઠો હતો. વહેલી સવારે બસ અડાલજ આવી ત્યારે સન્ની ગાડી લઈ અડાલજ પહોંચ્યો હતો, જ્યાં દારૂ સન્નીને આપતાં તે ગાડીમાં દારૂ લઈ જતો રહ્યો હતો. જ્યારે માંગીલાલ વળતી બસમાં રાજસ્થાન જતો રહ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે માંગીલાલને પકડવાની તજવીજ આદરી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:24 am

ભાસ્કર વિશેષ:ડાકોરના યુવાને સહાય માટે 1 કરોડથી વધુ ભંડોળ ભેગું કર્યું

આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે, પરંતુ જો તેનો સદુપયોગ કરવામાં આવે તો તે કોઈનું જીવન બદલી શકે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે ડાકોરના રહેવાસી હેમરાજ રબારીએ. સોશિયલ મીડિયા પર ‘માલધારી પેજ’ના માધ્યમથી તેમણે અત્યાર સુધીમાં કુલ રૂ. 1,08,43,560 જેટલી રકમ એકઠી કરી સીધી પીડિતો સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્ય ફેબ્રુઆરી, 2020થી, ખાસ કરીને રબારી અને ભરવાડ સમાજના જ્ઞાતિજનો માટે કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની સૌથી મોટી મદદ પોરબંદરના રાજાભાઈના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કરવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી માત્ર 3 જ દિવસમાં રૂ. 21 લાખ એકત્ર કરાયા હતા. દરેક જિલ્લામાં ટીમ દ્વારા ચકાસણી અને સોશિયલ મીડિયાનો સદુપયોગ ઓનલાઈન પેમેન્ટની મર્યાદા નડતાં ‘ફાઉન્ડેશન’ બનાવી નાખ્યુંશરૂઆતમાં દાનની રકમ સીધી પીડિતના ખાતામાં જતી હતી પણ ગૂગલ પે કે બેંક એકાઉન્ટમાં લિમિટ આવતી હોવાથી ‘મિશન’ અટકે નહીં તે માટે ‘અમીધારા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. હેમરાજ જણાવે છે કે, “મિશન શરૂ કરતી વખતે અને પૂરું કરતી વખતે બેંક સ્ટેટમેન્ટ જાહેર કરીએ છીએ. દાતા રૂ. 51 આપે કે 1 લાખ, અમે દરેકના ફોટો સાથે પોસ્ટ મૂકીએ છીએ.” પશુ બચાવતાં જીવ ગુમાવનારના સમાચારથી સેવાનો વિચાર આવ્યોઆ સેવા કાર્યની શરૂઆત ઉનાની એક હૃદયદ્રાવક ઘટનાથી થઈ હતી. ઉનામાં તળાવમાં ડૂબી રહેલા પશુઓને બચાવવા જતા પિતા અને તેમને બચાવવા જતા બે જુવાન દીકરા એમ કુલ ત્રણ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટનાએ હેમરાજને હચમચાવી દીધા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા પીડિત પરિવારોને આર્થિક ટેકો આપવાનો સંકલ્પ કર્યો. અત્યાર સુધી 20 લોકોને ગંભીર બીમારીમાં મદદ કરવામાં આવીઅત્યાર સુધી 20 પરિવારોને ગંભીર બીમારીમાં, 8 વિધવાને આર્થિક રીતે અને 3 વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરીઈ છે. કોઈ આકસ્મિક મૃત્યુનો કિસ્સો બને ત્યારે પરિવાર નિરાધાર ન બને તે માટે તાત્કાલિક ફંડ એકઠું કરાય છે. માતાજીના પુંજ ઉત્સવમાં કરંટ લાગવાથી મૃત્યુ પામેલા કરશનભાઈના પરિવારને રૂ. 4.74 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:21 am

મોટેરા ખાતે મહિના પહેલાં ડેમોલિશન કર્યું, પણ કાટમાળ ન હટાવ્યો, રેલવે સ્ટેશન પાસે આડેધડ પાર્કિંગ મોટી સમસ્યા

ભાસ્કરની ટીમ દ્વારા સાબરમતી વોર્ડના વિકાસ કાર્યો અને જનસમસ્યાઓ અંગે સ્થાનિકો સાથે ચર્ચા કરાઈ હતી. આ દરમિયાન વિસ્તારની અનેક હાલાકીઓ સામે આવી છે. અહીં સ્મશાનનો માર્ગ બિસમાર હાલતમાં છે અને આંતરિક રસ્તા પણ અનેક જગ્યાએ ખરાબ છે. રસ્તા પર દબાણ અને રખડતાં ઢોરનો ત્રાસ છે. વધુમાં ડેમોલિશન બાદ હજુ સુધી કાટમાળ હટાવવામાં આવ્યો નથી, જે ગંદકી ફેલાવે છે. શિક્ષણ અને સુવિધાના નામે અહીં લાઈબ્રેરી અને જૂની પ્રયોગશાળા બંધ હાલતમાં છે તેમ જ મ્યુનિસિપલની એકમાત્ર હિન્દી શાળા પણ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, સાબરમતી રેલવે સ્ટેશન પાસે રિક્ષાના આડેધડ પાર્કિંગથી થતાં ટ્રાફિકને કારણે મુસાફરો અને સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. વિસ્તારની અન્ય સમસ્યાઓ: સ્થાનિકોના સુર કોર્પોરેટરનો પક્ષ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:16 am

લેખક લલિત ખંભાયતા સાથે સંવાદ:કચ્છમાં હવે શિયાળામાં પણ વધુ ઠંડી નથી પડતી તે ગ્લોબલ વોર્મિંગની લોકલ અસર

ભુજ શહેરની વિજયરાજજી પુસ્તકાલયમાં સફર, સંવાદ, સાહિત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય અકાદમી પુરસ્કૃત લેખક–પત્રકાર લલિત ખંભાયતા સાથે યોજાયેલા આ સંવાદનું સંચાલન રોનક ગજ્જરે કર્યું હતું. જેમાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધ સાથે સંશોધન, સરહદી સુરક્ષા અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દિવ્ય ભાસ્કર ભુજના તંત્રી નવીનભાઈ જોશી, આર.જે. મકવાણા, મધુકાંતભાઈ આચાર્ય, ચેતનગિરિ ગુંસાઈ, લલિત ખંભાયતાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં સંચાલકે લેખકના જીવનપ્રવાસ અને તેમની પ્રકાશિત નવ પુસ્તકોનો પરિચય આપ્યો હતો. પોતાના બાળપણના અનુભવો કહેતા લલિત ખંભાયતાએ જણાવ્યું કે ગામમાં બસ આવતી ત્યારે આવતાં અખબારો જોવાની આદતમાંથી વાંચનનો રસ વિકસ્યો, જે આગળ જતાં પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી અને વ્યવસાયિક પત્રકારત્વ સુધી પહોંચ્યો. લેખકે જણાવ્યું હતું કે પત્રકારત્વ અને સાહિત્ય એકબીજાના પૂરક છે. પત્રકારત્વ શબ્દોની ચોકસાઈ શીખવે છે. જ્યારે સાહિત્ય જીવનને ઊંડાણથી સમજવાની દૃષ્ટિ આપે છે. સંવાદ દરમિયાન ચારણકન્યાના વિષયક તેમનું સંશોધન મુખ્ય કેન્દ્રમાં રહ્યું. મેઘાણી અને કવિ કાગ સાથેના ગીર પ્રવાસોની વાત કરતા તેમણે ચારણ સમાજની પરંપરા અને ચારણકન્યાના વંશજો અંગે કરેલા અભ્યાસ પર પ્રકાશ પાડ્યો હતો. કચ્છ સરહદી જિલ્લો હોવાથી અહીંના પત્રકારો માટે ડિફેન્સ કોરસ્પોન્ડન્સ કોર્સનું મહત્વ દર્શાવતાની સાથે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા રિપોર્ટિંગની પ્રશંસા કરી હતી. સાથે સાથે કચ્છમાં બદલાતા હવામાન,શિયાળામાં પણ ઠંડી ન પડવી, પવનના સ્વરૂપ અને સ્થાનિક પ્રદૂષણને વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડતું વિશ્લેષણ રજૂ કર્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે લેખકના પુસ્તકોનું પ્રદર્શન અને સહી સત્ર યોજાયું હતું. કાર્યક્રમનો અંત સંચાલકે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં અન્ય કાર્યક્રમ આયોજિત ન થાય ત્યાં સુધી સ્થગિત કર્યો હતો. લેખકનું ભુજમાં સ્મૃતિચિન્હ આપી મહેમાનોએ સન્માન કર્યુંકાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા લલિત ખંભાયતાને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આવા સાહિત્યિક સંવાદો ભવિષ્યમાં કચ્છમાં વધુ થાય તેવી આશા વ્યક્ત કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:12 am

જ્ઞાન યજ્ઞની ઉજવણી:ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાગવત કથા જ્ઞાન યજ્ઞની ઉજવણી

ભુજ લોહાણા મહાજન સંચાલિત મહિલા મંડળ દ્વારા 25મી ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વ્યાસપીઠ પદેથી શાસ્ત્રી જનક મહારાજે કૃષ્ણ જન્મનું વર્ણન કર્યું હતું. બાળકો રાધા અને કૃષ્ણના વેશમાં સજ્જ રહ્યા હતા. પાંચમા દિવસે ગોવર્ધન પૂજામાં સર્વે યજમાનો, મહિલા મંડળ, ભક્તો પોતાના ઘરેથી કનૈયા માટે પ્રસાદ બનાવી લાવ્યા હતા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. બાદમાં મહા આરતી યોજાઈ હતી. છઠ્ઠા દિવસે મહાઆરતી અને નારાયણ યજ્ઞ યોજાયો હતો. અંતિમ દિવસે ગઢશીશાના ચંદુમાં અને આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા. મહાજન પ્રમુખ મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતીરા, મંત્રી કમલ કારીયા, હિતેશ ઠક્કર, અલ્પેશ ચંદે, પ્રફુલાબેન કોટક, યુવા મંડળ પ્રમુખ નીલ સચદે, મહિલા આશ્રમ પ્રમુખ ચેતન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય યજમાન તરીકે સૂર્ય સ્વ.મંગળદાસ કલ્યાણી કોઠારી તથા કુલ 33 પોથી સાથે કથા યોજાઇ હતી. કથા પ્રેરક સ્વ.સરસ્વતીબેન ચંદન રહ્યા હતા. પ્રમુખ મમતાબેન ઠક્કર, રૂક્ષ્મણીબેન જોબનપુત્રા, પંકજબેન રામાણી, શારદાબેન ઠક્કર, દક્ષાબેન રૂપારેલ, દીપાબેન પુજારા, શીલાબેન માણેક, જ્યોતિબેન પવાણી, લતાબેન કોઠારી, ભારતીબેન રાજદેવ કથા સમિતિના સર્વે બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલક તરીકે તૃપ્તિબેન ઠક્કરે સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:11 am

ભાસ્કર વિશેષ:ગુજરાત બાર કાઉન્સિલમાં કચ્છના પ્રતિનિધિત્વ માટે મંથન

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભુજ ખાતે કચ્છ જિલ્લાના વકીલોની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર જિલ્લાના વકીલ મંડળોના પ્રમુખ-મંત્રીઓ અને સીનિયર પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ હેમસિંહ ચૌધરી દ્વારા આયોજિત આ બેઠકનો મુખ્ય હેતુ આગામી 9 માર્ચના યોજાનારી ચૂંટણીમાં કચ્છનું મજબૂત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો હતો. બેઠકમાં એ બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી કે વર્ષ 2017 થી બાર કાઉન્સિલમાં કચ્છમાંથી કોઈ પ્રતિનિધિત્વ રહ્યું નથી, જે ઉણપ દૂર કરવા માટે આ વખતે તમામ વકીલોએ જ્ઞાતિ, સંગઠન કે રાજકીય ભેદભાવ અને સેહશરમ રાખ્યા વગર એકસંપ થઈને મતદાન કરવું જોઈએ. આ વ્યૂહરચનાના ભાગરૂપે પશ્ચિમ કચ્છ માટે ભુજ બારના પ્રમુખ સચિન ગોર અને પૂર્વ કચ્છ માટે ગાંધીધામ બારના પ્રમુખ મયુરધ્વજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ બે દિવસમાં સંભવિત ઉમેદવારોના નામ મેળવે, જેના આધારે એક સમિતિ બનાવી સક્ષમ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત સીનિયર એડવોકેટ્સ દ્વારા એવો સુર વ્યક્ત કરાયો હતો કે જો કચ્છમાંથી ઓછામાં ઓછા 2500 જેટલા ‘ફર્સ્ટ પ્રેફરન્સ’ મતો એક જ ઉમેદવારને પડે, તો કચ્છનો વિજય નિશ્ચિત બની શકે છે. આ ચિંતન શિબિરને કચ્છના સાંસદ અને એડવોકેટ વિનોદભાઈ ચાવડાએ પણ પોતાનો ટેકો જાહેર કરતો સંદેશ પાઠવ્યો હતો. આ સાથે જ બેઠકમાં વકીલોના વેરિફિકેશન પ્રક્રિયા અંગે પણ ગંભીરતા દાખવવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યાદી મુજબ કચ્છના અંદાજે 1060 જેટલા વકીલોના પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાવાયું હતું. આ તમામ વકીલોને આગામી 9 જાન્યુઆરી પહેલા પોતાના ફોર્મ અમદાવાદ ઓફિસ ખાતે પહોંચતા કરવા તાકીદ કરવામાં આવી છે, જેથી તેઓ મતાધિકારથી વંચિત ન રહી જાય. અંતમાં વિમલભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર વકીલ આલમે એકતાના શપથ સાથે કચ્છના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:10 am

પત્રકાર પરિષદ:દારૂ-ડ્રગ્સના હપ્તા ગાંધીનગર અને કમલમ સુધી જાય છે : કચ્છ કોંગ્રેસ

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાતના સહ પ્રભારી સુભાષિનીબેન યાદવની અધ્યક્ષતામાં ભુજના ઉમેદભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે સૌને આવકારી જણાવ્યું હતું કે દારૂ અને ડ્રગ્સના દૂષણ કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વધી રહ્યા છેે. દારૂ અને ડ્રગ્સમાંથી સૌથી વધુ હપ્તા પોલીસથી લઈને કમલમ અને ગાંધીનગર સુધી જાય છે એટલે દારૂ બંધ નથી થઈ રહ્યો. સાથે આક્ષેપ કરતા ઉમેર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીજીનું નામ ભૂંસવા માંગે છે અને ગાંધીજી કરતા તેમનું નામ મોટુ થાય એવા વિચારો સાથે અનેક યોજના બંધ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલે કહ્યું કે ગુજરાતમાં બળાત્કાર, અત્યાચાર, શોષણના કેસો વધી રહ્યા છે. નશાબંધી માટેના કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાતના સહ પ્રભારી સુભાષિનીબેન યાદવે જણાવ્યું હતું કે મનરેગા બચાવવા માટે દેશભરમાં કોંગ્રેસ પક્ષે વ્યાપક આંદોલન શરૂ કર્યું છે તેને ‘મનરેગા બચાવો સંગ્રામ’ નામ અપાયું છે. મનરેગાનું નામ બદલીને બીજી ધારામાં લઈ જવાના કામથી તેનું સ્વરૂપ બદલશે નહીં. કોઈ પણ ચર્ચા વિના વિધેયક પસાર કરીને કોંગ્રેસે ખેડૂતો, મજૂરો માટે બનાવેલી યોજનાને નબળી બનાવવાનું કામ છે અને યોજનાનું નામ બદલી દેવાયું છે. મજૂરોના હાથ આમ પણ કામના કારણે ઘસાઈ જતા હોય છે તેવામાં બાયોમેટ્રિક કઈ રીતે કામ કરશે? મનરેગા યોજના અંતર્ગત 90 ટકા કોસ્ટ શેરિંગ કેન્દ્ર સરકાર અને 10 ટકા રાજ્ય સરકાર પર હતું જે હવે 60:40 કરી દેવાયું છે આ તમામ કાર્યો થકી મનરેગા યોજના બંધ કરવાના પ્રયાસ કરાઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ કલ્પનાબેન જોશી, કચ્છ મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંગ ચૌધરી, પ્રદેશ મંત્રી કિરણબેન પોકાર, આઈશુબેન સમા, રસિકબા જાડેજા, પુષ્પાબેન સોલંકી, જિલ્લા પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, અંજલિબેન ગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મનરેગા બચાવો અંતર્ગત કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો યોજશેમનરેગા બચાવો સંગ્રામ અંતર્ગત 11 જાન્યુઆરીએ જિલ્લા મુખ્યાલય જિલ્લા પક્ષ એક દિવસીય ઉપવાસ અને ધરણા કરશે. 12 જાન્યુઆરીથી પંચાયતી સ્તરે જનસંવાદ શરૂ કરાશે. જેમાં લોકોને મનરેગાના ફાયદા લોકોને જણાવવામાં આવશે. ફેબ્રુઆરીમાં રાજ્ય વિધાનસભાના ઘેરાવ કરવામાં આવશે અને ફેબ્રુઆરી મધ્યથી અંત સુધીમાં એઆઈસીસી દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:09 am

આજે જીયુમાં 74મો કોન્વોકેશન કાર્યક્રમ:ત્રણ વર્ષમાં મેડલ મેળવવામાં વિદ્યાર્થીનીઓનું પ્રભુત્વ વધ્યું

રાજ્યની સૌથી જૂની ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશનમાં મેડલ મેળવનાર છોકરા-છોકરીઓમાં ‘વામા’નું સૌથી વધારે પ્રમાણ જોવા મળ્યું છે. શૈક્ષણિક વર્ષ 2024, 2025માં યોજાયેલા પદવીદાન સમારોહમાં આઠથી વધુ વિદ્યાશાખામાં કુલ 881 મેડલ 504 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મેળવ્યો છે. જેમાં 187 છોકરાનો જ્યારે 317 છોકરીનો સમાવેશ થાય છે. આમ મેડલ મેળવનારાઓમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ ઘણી આગળ છે. જેમાં આ વર્ષે કુલ 342ને મેડલ અપાશે જેમાં 126 છોકરીઓને મેડલ આપવામાં આવશે જ્યારે 66 વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે. અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા- નિષ્ઠા- સમર્પણ- અને પ્રચંડ પુરુષાર્થના સહારે છોકરીઓએ એ બાબતને સાચી સાબિત કરી છે કે છોકરીઓ દરેક ફેકલ્ટીમાં મેડલ અને સફળતા મેળવવામાં અગ્રેસર છે. પ્રવેશમાં છોકરીઓનું પ્રમાણ વધ્યું, પરિણામે મેડલમાં પણ વધારો‘ છેલ્લા કેટલાક વર્ષોમાં વાલીઓમાં છોકરીઓને ભણાવવા માટેના ટ્રેન્ડમાં વધારો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ છોકરીઓને મેડિકલ,એજ્યુકેશન ઉપરાંત નર્સિગ,ફાર્મસી, ટીચિંગ, યોગા, ફાઈન આર્ટસના ક્ષેત્રે છોકરીઓને ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડતરની તકો પણ ઉપલબ્ધ છે. મારા મતે છોકરાઓ અને છોકરીઓ બંન્ને કેરિયર ઓરિએન્ટેડ છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવનાર છોકરીઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હોવાથી સ્વાભાવિક રીતે મેડલ મેળવનારી છોકરીઓની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. વિશેષ કરીને મેડિકલ, આટર્સ, એજ્યુકેશન ફેકલ્ટીમાં મેડલ મેળવનાર વિદ્યાર્થી તરીકે નોંધપાત્ર સંખ્યા જોવા મળી રહી છે.’ - ડો નિરજા ગુપ્તા, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી MDMSમાં સૌથી વધુ 52 મેડલ અપાશે : 3 વર્ષમાં મેડલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા :

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:07 am

STI પરીક્ષા:STI પરીક્ષામાં નોંધાયેલ કુલ 88276 ઉમેદવારમાંથી 83 ટકા હાજરી નોંધાઈ

જીપીએસસી દ્વારા રાજયના જીએસટી વિભાગમાં ટેકસ ઈન્સરપેક્ટર્સની 323 સુપર ક્લાસ-3 પોસ્ટ માટેની પ્રીલિમનરી એક્ઝામ રવિવારે અમદાવાદ સહિતના રાજ્યના 25 જિલ્લાઓમાં યોજાઈ હતી.જેમાં રાજ્યભરમાં 83 ટકા હાજરી નોંધાઈ હતી. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર,વિજ્ઞાન, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સબંધો અંગેના પ્રશ્નો પૂછાયાં હતા. પરીક્ષા આપનારા ઉમેદવારોનું કહેવું છે કે યુપીએસસીની જેમ આ પરીક્ષાનું પરિણામ પણ 22થી 24 માર્ચ 2026 દરમ્યાન લેવાનારી મુખ્ય પરીક્ષા પહેલા જ જાહેર કરવામાં આવે જેથી તૈયારી માટે પુરતો સમય મળી શકે. પરીક્ષામાં પુછાયેલા કેટલાક મહત્ત્વના પ્રશ્નો આ વર્ષે પેપર લાંબું અને મધ્યમ કક્ષાનું રહ્યું હતું‘જીપીએસસીએ લીધેલ સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટર નુ પેપર પ્રાથમિક દ્રષ્ટિએ ખૂબ જ લાંબુ અને મધ્યમ કક્ષાનુ ગણી શકાય.જે ઉમેદવારોને માટે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવુ એક પડકાર જનક રહ્યું હતુ. કુલ 200 માર્કસના પ્રશ્નપત્રમાં કુલ 200 પ્રશ્નો પૂછાયા હતા. જેમાં બંધારણ ભૂગોળ અને અર્થશાસ્ત્રનું બાહુલ્ય ચોક્કસ હતું. આ પ્રશ્નો સમજણ માંગી લે તેવું, સમજણ માંગે તેવા હતા. આ સિવાય જ્યોતિગ્રામ અને પીએમ પોષણ યોજના જેવા સરકારની મહત્વપૂર્ણ પહેલ પર આધારિત પ્રશ્નો પૂછાયા હતા. પર્યાવરણ અને તેના આતંરાષ્ટ્રીય કરારો, પરમાણુ ઊર્જા, અને મિસાઇલ ટેકનોલોજીના પ્રશ્નો સમજણ માગે તેવા હતા.’ - ડો હર્ષ પટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત, સ્પીપા ફેકલ્ટી, એકસ્પર્ટ

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:05 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધિત હોવા છતાં પ્રવાસીઓ દ્વારા રોકટોક વિના ઉડાડવામાં આવે છે !

કચ્છમાં આવેલા વિવિધ પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાં હાલ ‘રોડ ટુ હેવન’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરતી સૌંદર્ય અને અનોખા નજારાને માણવા માટે સ્થાનિકો ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. પચ્છમના કાઢવાંઢથી ખડીરના ધોળાવીરા સુધી રણ ચીરીને નીકળતો રોડ ટુ હેવન જે સુરખાબ અભયારણ્યમાંથી પસાર થાય છે, આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં કેટલાક પ્રવાસીઓ દ્વારા બેરોકટોક ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રણોત્સવ માણવા આવતા લોકો અચૂક રોડ ટુ હેવનનો અદ્ભુત અને કુદરતી નજારો માણવા આવે છે, ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે તો કેટલાક યુટ્યુબ ચેનલ માટે વિડીયો શૂટ કરવા માટે નિયમોને અવગણીને પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડે છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી ધરાવતા આ વિસ્તારમાં ડ્રોન થકી ગુજરાતના રાજ્યપક્ષી સુરખાબ, કુંજ સહિતના અન્ય વિવિધ વિદેશી પક્ષીઓને ખલેલ પહોંચે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી માત્ર સુરક્ષાને જોખમ ઊભું થાય છે એટલું જ નહીં, પરંતુ કાયદા અને તંત્રની સૂચનાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા અગાઉથી જ આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. વનવિભાગનું બોર્ડ હોવા છતાં પણ શૂટ થાય છેઅગાઉ રોડ ટુ હેવન પર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પ્રિવેડ શૂટ અને રીલ્સ મોટી સંખ્યામાં લોકો બનાવવામાં આવતી હતી. ત્યારે જંગલ ખાતાએ અહીં શિયાળામાં આવતા ફ્લેમિંગો, પેલિકન જેવા વિદેશી પક્ષીઓ પરેશાન ન થાય તે માટે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ક્યા વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈસરકાર દ્વારા ડ્રોન ઉડાવવા રેડ ઝોન, ઇનર યલો ઝોન, આઉટર યલો ઝોન ગ્રીન ઝોન વગેરેનો સમાવેશ કરાયો છે. રેડ ઝોન એટલે કે એવો વિસ્તાર જ્યાં ડ્રોન ઉડાડવાની સખત મનાઈ હોય છે. જેમ કે સંસદ ભવન, આંતરરાષ્ટ્રીય સરહદ, મિલિટરી ઇન્સ્ટોલેશન, સચિવાલય, વિધાનસભા, રાષ્ટ્રીય ઉદ્યાનો, વાઇલ્ડલાઇફ અભયારણ્ય, દરિયાકાંઠે, એરપોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલા હાઈ સિક્યુરિટી એરિયા વગેરે. કચ્છનો ઘણો વિસ્તાર રેડ ઝોનમાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:04 am

મેટ્રોની ફ્રિકવન્સી-કોચ વધારવાની જરૂર ઊભી થઈ:મેટ્રોના 70% મુસાફરો માત્ર વસ્ત્રાલ- થલતેજ વચ્ચે નોંધાયા, ડિસેમ્બરમાં સૌથી વધુ 46 લાખ

મેટ્રોમાં મુસાફરી કરતાં પેસેન્જરોમાં 70 ટકાથી વધુ ફક્ત ઇસ્ટ-વેસ્ટ કોરિડોર એટલે કે વસ્ત્રાલથી થલતેજ ગામ રૂટ પર મુસાફરી કરી રહ્યા છે. જ્યારે ડિસેમ્બર 2025માં અત્યાર સુધીની સૌથી વધુ 45.96 લાખ પેસેન્જરે મુસાફરી કરી હતી, જે દૈનિક સરેરાશ 1.48 લાખથી વધુ થાય છે. હાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સવારે અને સાંજે પીકઅવર્સમાં દર 7 મિનિટે મેટ્રોનું સંચાલન થઈ રહ્યું છે, જ્યારે નોન પિકઅવર્સમાં દર 10 મિનિટે મેટ્રો દોડાવાય છે. નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર મેટ્રો દર 12 મિનિટે ચલાવવામાં આવી રહી છે. જોકે ટ્રેનના કોચ વધારાય તો મેટ્રોમાં લોકોએ ભીડનો સામનો કરવો ન પડે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2025માં નોંધાયેલા પેસેન્જર મેટ્રોની ક્ષમતા 800ની, બેસીને 136 જઈ શકે છેહાલ 3 કોચની મેટ્રો ટ્રેન ચાલે છે. તેની ક્ષમતા 800 મુસાફરોની છે. 136 મુસાફરો બેસી શકે છે, જ્યારે 628 લોકો ઊભા રહેવું પડે છે. મેટ્રોની ડિઝાઇન એ રીતે બનાવાય છે કે જેથી પિક અવર્સમાં વધુ લોકો ઊભા ઊભા સરળતાથી જઇ શકે. નવા 10 મેટ્રો રેક વધારાશેજીએમઆરસીએ નવા 10 મેટ્રો રેકની ખરીદી કરી છે. નવા રેક આગામી દિવસોમાં તબક્કાવાર જોડાશે, જેથી મેટ્રોની ફ્રિક્વન્સી વધરશે અને જરૂરિયાત મુજબ પીકઅવરમાં 7 મિનિટના બદલે 5 મિનિટે મેટ્રો દોડાવાની યોજના છે. ઇસ્ટ-વેસ્ટ રૂટ પર પીકઅવર્સમાં 7 મિનિટે 1 મેટ્રો મળે છે

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:03 am

44 જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકાશે:12 પાસ યુવાનો માટે નેવીમાં ભરતી, JEE મેઇનના સ્કોર પર પસંદગી

ધો. 12 પાસ યુવાનો માટે ઇન્ડિયન નેવીમાં લેફ્ટનન્ટ બની દેશસેવા કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ કરાવાઇ છે. ઇન્ડિયન નેવીએ 10+2 B.Tech કેડેટ એન્ટ્રી સ્કીમ જાન્યુઆરી 2027 બેચ હેઠળ એક્ઝિક્યુટિવ અને ટેકનિકલ બ્રાન્ચમાં પરમેનન્ટ કમિશન માટે ભરતી જાહેર કરી છે. આ સ્કીમ હેઠળ પસંદ થયેલા કેડેટ્સને કેરળના એઝીમાલા સ્થિત ઇન્ડિયન નેવલ એકેડમી ખાતે 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ નિઃશુલ્ક કરાવાશે. કેડેટ્સને એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં B.Tech કરાવાશે. કોર્સ પૂર્ણ થયા બાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી અપાશે.અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ, પુસ્તકો, કપડાં અને રહેવા-જમવાની વ્યવસ્થા નૌસેના દ્વારા કરાશે. મહિલા અનામત સહિત કુલ 44 બેઠકોમાં પ્રવેશ માટે ધોરણ-12 (PCM) માં સરેરાશ 70% અને અંગ્રેજીમાં 50% માર્ક્સ ફરજિયાત છે આ ઉપરાંત ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2007 થી 1 જાન્યુઆરી 2010 ની વચ્ચે હોય તેવા અવિવાહીત ઉમેદવાર જ www.joinindiannavy.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. JEE (Main) 2025 ના ઓલ ઇન્ડિયા કોમન રેન્ક લિસ્ટના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરી ઓગસ્ટ-ઓક્ટોબર 2026 દરમિયાન બેંગલુરુ, ભોપાલ, કોલકાતા કે વિશાખાપટ્ટનમ ખાતે SSB ઇન્ટરવ્યુ માટે બોલાવાશે. મેડિકલ ટેસ્ટ અને SSB ના માર્ક્સના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:02 am

સિટી એન્કર:ચરિયાણ ઘટવાના કારણે ખારઇ ઊંટની વસ્તીમાં ઘટાડો !

કચ્છના ગૌરવ સમાન તરતા ઊંટ એટલે કે ખારાઈ ઊંટ અત્યારે જોખમમાં છે. ઊંટની આ અનોખી પ્રજાતિ મુખ્યત્વે ચેર (મેન્ગ્રોવ) પર નભે છે, પરંતુ ચરિયાણના વિસ્તારો ઘટવાને કારણે અને આર્થિક મુશ્કેલીઓને લીધે તેમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં જિલ્લામાં આ ઊંટની સંખ્યા અંદાજે 1 હજાર જેટલી છે. આ ગંભીર સ્થિતિને સુધારવા માટે કચ્છ ઊંટ ઉંછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા ભુજમાં ખાસ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં પરામર્શ કરવા અર્થે ભારત સરકારના પશુપાલન મંત્રાલયના કમિશનર, નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સના ડાયરેક્ટર, નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ્સના સિનિયર વૈજ્ઞાનિકો, કામધેનુ યુનિવર્સિટીના એક્સ્ટેન્શન વિભાગના ડાયરેક્ટર, રાજ્ય પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓ, કચ્છ કલેક્ટર, સરહદ ડેરી, બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ, વન વિભાગના અધિકારીઓ તેમજ અન્ય વિસ્તારમાં માલધારીઓ સાથે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. આ પરામર્શનો મુખ્ય ઉદ્દેશ્ય ખારાઈ ઊંટ ઉછેરતા માલધારીઓના પ્રશ્નો અને પડકારોને પ્રત્યક્ષ સાંભળીને તેને ઊંડાણપૂર્વક સમજવાનો છે. આ બેઠક દ્વારા એક એવી સહાયક વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરાશે જેનાથી ખારાઈ ઊંટની વસ્તીમાં વૃદ્ધિ થઈ શકે. સાથે જ ખારાઈ ઊંટ અને તેમના માટે અત્યંત મહત્વના એવા ચેરના જંગલોના સંરક્ષણ માટે તમામ હિતધારકો સાથે મળીને એક વ્યાપક અને લાંબાગાળાની રણનીતિ તૈયાર કરશે, જેથી આ અમૂલ્ય વારસાને લુપ્ત થતો બચાવી શકાય. ખારાઇ ઊંટના પગ લાંબા અને મજબૂત, જેથી તરવામાં અને કાદવમાં ચાલવામાં સરળતા રહેખારાઇ ઊંટ કચ્છ પ્રદેશની એક અનોખી અને વિશ્વપ્રસિદ્ધ ઊંટની જાત છે. ખારાઇ શબ્દનો અર્થ ખારાશ અથવા દરિયાઈ વિસ્તાર સાથે જોડાયેલો થાય છે, વિશ્વમાં ઊંટની આ એકમાત્ર જાત છે જે દરિયામાં લાંબા અંતર સુધી તરવામાં નિપુણ છે. મુખ્યત્વે મૅન્ગ્રોવ વૃક્ષોની પાંદડીઓ ખાઈને જીવંત રહે છે. મૅન્ગ્રોવમાં રહેલા ખારા અને ઔષધીય તત્ત્વો કારણે ખારાઇ ઊંટનું દૂધ પૌષ્ટિક માનવામાં આવે છે તેનું શરીર અન્ય ઊંટની તુલનામાં પાતળું, પગ લાંબા અને મજબૂત હોય છે, જેથી તરવામાં અને કાદવમાં ચાલવામાં સરળતા રહે. તેની ઊંચી સહનશક્તિ તેને કઠિન પરિસ્થિતિમાં પણ જીવતા રાખે છે.જોકે, ઉદ્યોગીકરણ, પોર્ટ વિકાસ અને મૅન્ગ્રોવ વિસ્તારના ઘટાડાના કારણે આજે આ ઊંટ લુપ્ત થવાની કગાર પર છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:01 am

લગ્ન નોંધણી માટે માતાપિતાની સહમતી, બંધારણીય રીતે કેટલી ટકી શકે?:સિનિયર એડવોકેટે કહ્યું- 'કાયદામાં ફેરફારની સત્તા રાજય સરકાર પાસે છે પણ તે બંધારણીય હક પર તરાપ મારી શકે નહીં'

પાટીદાર, ઠાકોર સમાજ સહિતના અલગ અલગ સમાજમાં છેલ્લા કેટલાક સમયથી 'ભાગેડુ લગ્ન' ચર્ચાનો વિષય બન્યો છે. માતાપિતાની સહમતી વગર થતા લગ્નને સમાજમાં રીતસરના બે ફાંટા જોવા મળી રહ્યા છે. લગ્ન સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની એક વર્ગ માગણી કરી રહ્યો છે. લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, સુરતની આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ નામના યુવક સાથે કરેલા મૈત્રી કરાર અને ભાવનગરની પ્રિયા મોરડિયાએ કરેલા લવમેરેજને લઈ માતાપિતાની સહમતીનો મુદ્દો ફર એકવાર ચર્ચામાં આવ્યો છે. વિવિધ સમાજની માગણીઓ બાદ સરકાર દ્વારા પણ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. જો કે, સરકાર દ્વારા જે ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે તે બંધારણીય રીતે કેટલા ટકી શકે, પુખ્તવયના યુવક-યુવતીઓને લગ્ન માટે કેવા બંધારણીય અધિકાર મળ્યા છે? આ તમામ સવાલોનો જવાબ મેળવા ભાસ્કરે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેકટિસ કરતા સિનિયર એડવોકેટ સાથે વાતચીત કરી હતી. વિધાનસભા કાયદો પસાર કરી શકે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ હોય શકે નહીં- અયાઝ શેખએડવોકેટ અયાઝ શેખે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુખ્ત વયની વ્યક્તિ બંધારણીય હક અનુસાર કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. વિધાનસભા લગ્ન નોંધણીને લઈને કાયદો પસાર કરી શકે છે, પરંતુ તે બંધારણ વિરુદ્ધ હોઈ શકે નહીં. અત્યારે પણ સ્પેશિયલ મેરેજ એક્ટમાં માતા પિતાને બોલાવી તેમના નિવેદન લેવામાં આવે છે પરંતુ યુવતીનું નિવેદન આખરી ગણાય છે. ક્લાસ- 2 ઓફિસરને માતા-પિતાને જ્યાં સુધી નોટિસ આપીને તેમના જવાબ લેવાની વાત છે તે યોગ્ય છે. કારણ કે તેનાથી બાળકો ખોટા રસ્તે જશે નહીં, પરંતુ, પુખ્તવયનો નાગરિક ગમે તે સાથે લગ્ન કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 7 થી 13 સુધી જુદી જુદી જોગવાઈઓ અંતર્ગત લગ્ન નોંધણીની જોગવાઈ છે. જેમાં લગ્ન નોંધણી માટે આવતા યુવક યુવતીઓની ખાસ કરીને ઉંમરની ચકાસણી કરવામાં આવે છે. જેમાં જન્મનો દાખલો ખાસ ચકાસવામાં આવે છે. સાક્ષીઓની સહી લેવામાં આવે છે. લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારને છે. સાથે કેન્દ્ર સરકારને પણ છે, પરંતુ બંધારણીય હક ઉપર તેઓ તરાપ મારી શકે નહીં. પુખ્તવયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં- અનિલ કેલ્લાબાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદાર અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણે પુખ્ત વયના લોકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. 18 વર્ષથી ઉપરની યુવતી અને 21 વર્ષ થી ઉપરના યુવકને લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે. તેઓ સ્વેચ્છાએ અને પસંદગીથી લગ્ન કરી શકે છે તેમાં માતા-પિતાની મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકાર જે નિયમ બનાવવાનું વિચારી રહી છે, તે કાયદાથી વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ બંધારણ વિરુદ્ધ આવા કાયદા અને નિયમોને રદ કર્યા છે. પુખ્ત વયના લોકોનો હક સરકાર છીનવી શકે નહીં. પ્રેમ લગ્નમાં મા-બાપની ઈચ્છા જાણવી લગભગ અશક્ય છે. લગ્ન નોંધણી પ્રક્રિયાની નિયમોમાં ફેરફાર રાજ્ય સરકાર કરી શકે છે, પરંતુ તે ફેરફારો બંધારણને આધીન હોવા જોઈએ તેનાથી ઉપર નહીં. માતાપિતાની સહમતીની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ- અલકા જાનીફેમિલી કેસ લડતા મહિલા વકીલ અલકા જાનીએ જણાવ્યું હતું કે માતા પિતાની ઇનડાયરેક્ટ પરવાનગી લેવાનો આ પ્રસ્તાવિત નિયમ ઉમદા વિચાર છે. પ્રેમલગ્નથી લગ્ન પ્રથા નિષ્ફળ બની રહી છે. માતા-પિતાની જો સહમતી ન મળે તો બાળકો વિદ્રોહ કરી શકે છે. તેથી સહમતીની જગ્યાએ ફક્ત જાણકારી રાખવી જોઈએ. જો માતા પિતા સહમતી ન આપે અને લગ્ન નોંધણી ન થાય તો લિવ ઇન રિલેશનશિપમાં મોટો ઉછાળો આવશે. ભારતમાં લગ્ન કોન્ટ્રાક્ટ નહીં, પરંતુ સંસ્કાર છે. રાજ્ય સરકાર લગ્ન નોંધણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકે છે. તેના માટે વિધાનસભામાં ખરડો પસાર કરવો પડે. ક્લાસ- 2 અધિકારી લગ્ન કરનાર યુવક યુવતીના માતા પિતાને નોટિસ આપીને લગ્નની જાણકારી આપી શકે. પરંતુ તેમની મંજૂરી વધારે પડતું છે. 21 વર્ષનો યુવક અને 18 વર્ષ કે તેથી ઉપરની યુવતી ગમે તે સાથે લગ્ન કરીને તેની નોંધણી કરાવી શકે છે પરંતુ સાંસ્કૃતિક રીતે લગ્ન થવા જરૂરી છે. લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા સરકારની વિચારણારાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા હાથ ધરી છે. નવા પ્રસ્તાવ મુજબ ભાગેડુ લગ્નના કિસ્સામાં લગ્ન નોંધણી સમયે ક્લાસ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત થઈ શકે છે. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે. આ સમાચાર પણ વાંચો: લવ મેરેજ માટે માતા-પિતાની સંમતિ જરૂરી?, અમદાવાદીઓ સામ-સામે આવ્યા રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સમાજો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. આ અતિ ચર્ચિત મુદ્દાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 13 જેટલા યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના યુવાઓએ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીને ફરજિયાત કરવાની વિચારણા સાથે સહમતિ દર્શાવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) પ્રેમલગ્ન બાબતે શું કહી રહ્યા છે ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રીઓ? વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવમેરેજનો વિરોધ થઈ રહ્યો છે અને એનો ઉકેલ શું હોઈ શકે? આ બાબતે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશી અને ગૌરાંગ જાની સાથે વાતચીત કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાની સરકારને રજૂઆત:સંતાનોના લગ્ન માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવા હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવાની માગ પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાએ સંતાનોના લગ્ન પહેલા માતા-પિતા અથવા વાલીની લેખિત સંમતિ ફરજિયાત બનાવવાની માગ સાથે હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારા કરવા બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. વલ્લભ કાકડિયા લાંબા સમયથી સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આગેવાન તરીકે ઓળખાય છે અને પરિવાર તથા સમાજને અસર કરતી સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોરતા રહ્યા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પ્રેમલગ્ન-મૈત્રી કરારના કાયદામાં ફેરફારની માગ:વિજાપુરમાં 'પાસ'ની ટીમે 50થી દીકરીઓને માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી ગુજરાતમાં પ્રેમલગ્ન અને મૈત્રી કરારના કાયદામાં ફેરફાર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માગ વધુ ઉગ્ર બની છે. સમગ્ર રાજ્યમાં રેલીઓનું આયોજન કર્યા બાદ, હવે જૂની પાસ (PAAS)ની ટીમ દ્વારા ગામડે-ગામડે જઈને દીકરીઓને શપથ લેવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ માતા-પિતાની મરજી મુજબ જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેશે.(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:00 am

કેન્દ્ર સરકારે રૂ.5631 કરોડ આપ્યા, ગુજરાતે વાપરવામાં ઠાગાઠૈયા કર્યા:એક જ વિભાગના અધિકારીઓ બે જૂથમાં વહેંચાયા, આંધ્રપ્રદેશના નેતાના સંબંધીને ફાયદો કરાવવા સોંગઠા ગોઠવાયા

ગુજરાતના વિકાસ માટે ‘ડબલ એન્જિન સરકાર’ના નારા તમે ચૂંટણી સમયે ઘણા સાંભળ્યા હશે. પણ એક હકીકત જોતા એવું લાગે છે કે અધિકારીઓની આળસના કારણે ગુજરાતનું ગ્રોથ એન્જિન ધીમું પડ્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને ત્રણ મોટા પ્રોજેક્ટ માટે 5631 કરોડ રૂપિયા છુટ્ટા હાથે આપ્યા હતા. પણ ચાર મહિનાથી ટેન્ડર કામગીરી અદ્ધરતાલ થઈ ગઈ અને વારો એવો આવ્યો છે કે માર્ચ, 2026 સુધીમાં કેન્દ્ર સરકારને સાડા પાંચ હજાર કરોડ કરતા વધુની રકમ વાપર્યા વગર પાછી આપવી પડી શકે છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં આજે વાંચો ગુજરાતના એવા ત્રણ પ્રોજેક્ટ વિશે, જેનું કામ પૂરું થાય તો કરોડો ગુજરાતીઓનું જીવન સરળ થઈ શકે છે. તેમ છતાં આ પ્રોજેક્ટના ટેન્ડરમાં જ કેમ ગોલમાલ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે? આ પાછળ કોનું હિત સચવાયેલું હોઈ શકે છે? અને બે અધિકારીઓની બદલીથી કેવી રીતે આખી પ્રક્રિયા પાટા પરથી ઉતરી ગઈ? દેશભરના ગામડાઓમાં આરોગ્યની યોજનાઓનો લાભ લેવો હોય, શિક્ષણને લગતી યોજનાના ફોર્મ ભરવા હોય કે પછી મહેસુલને લગતા વિવિધ ઉતારા અને નકલો કઢાવવી હોય કે પછી શહેરી વિકાસ વિભાગ સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવો હોય, લોકોના આવા બધા કામો ઝડપથી અને સરળતાથી થઈ જાય એ માટે કેન્દ્ર સરકારે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેનું નામ ભારત નેટ રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ થકી દેશભરના તમામ ગામોને ઈન્ટરનેટથી જોડી લેવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ફાઈબર કેબલ્સ નાખીને ઈન્ટરનેટની સુવિધા અપાશે. જેના માટે દેશના કોઈપણ રાજ્યએ પોતાની તિજોરીમાંથી એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. તમામ ખર્ચો કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જ થશે. આ દૂરદર્શી પ્રોજેક્ટને લાગુ કરવા માટે થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે દોઢ લાખ કરોડનું બજેટ બહાર પડ્યું હતું. જેમાં વિવિધ કંપનીઓને વર્કઓર્ડર આપી દેવાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ભારત નેટ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2નું કામ થઈ ચૂક્યું છે. હવે ફેઝ-3ના કામ માટે ભારત નેટ, ગુજરત સરકાર અને વચ્ચે BSNL વચ્ચે 14 જૂન 2025ના રોજ MoU થયા હતા. ત્યાર બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયએ ગુજરાતને 5631 કરોડની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળ્યા બાદ ગુજરાત સરકારે અલગ-અલગ ત્રણ પ્રોજેક્ટ હેઠળ યોજનાને લાગુ કરવા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી. પણ આ ટેન્ડરના કામમાં ઘણી બેજવાબદારી દાખવવામાં આવી હોવાનું ખુલાસો દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છે. જેના પરિણામે ટેન્ડર ભરનારી કંપનીઓના કરોડો રૂપિયા એક રીતે ફસાઈ ચૂક્યા છે અને ખુદ મંત્રીના ધ્યાને આ મુદ્દો આવતા અંદરખાને દોડધામ મચી ગઈ છે. ટેન્ડર-1નું ટેકનિકલ ઇવેલ્યુએશન થઈ ગયું છે અને ભાવ પણ ખોલી દેવાયા હતા. તેમાં ઇઝરાયેલની રીબન કંપની L-1 આવી હતી. અમેરિકાની સિસ્કો નામની કંપની 145 કરોડ રૂપિયાના ટેન્ડર સાથે L-2 અને નોકિયા 151 કરોડ રૂપિયાના ટેન્ડર સાથે L-3 આવી હતી. નિયમો મુજબ L-1 કંપનીને વર્કઓર્ડર આપવાનો થાય છે, પરંતુ એક નનામી અરજીને કારણે ઓર્ડર અપાયો નથી. અરજીમાં આક્ષેપ કરાવામાં આવ્યો છે કે આ ટેન્ડરમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. પોતાની માનીતી કંપનીને હવે ટેન્ડર મળી શકશે નહીં તેવું લાગતા સમગ્ર ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા અટકાવી દેવા માટે જાતજાતના આક્ષેપો સાથેનો પત્ર લખાયો હતો. જેમાં કેટલું તથ્ય છે તેની હજુ સુધી કોઈને ખબર પડી નથી. વળી, આ ટેન્ડર બીજીવારનું છે. ગયા વર્ષે 180 કરોડ રૂપિયાની વેલ્યુ સાથે પોલીકેબ L-1 આવી હતી, પરંતુ તેણે સમયસર કામગીરી ન કરતાં ટેન્ડર રદ કરાયું હતું. હાલમાં આ જ ટેન્ડર માત્ર 128 કરોડ રૂપિયામાં ગયું છે, જે એક વર્ષમાં લગભગ 30 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે. આ વખતે ફાઇલને કમિટીમાં મંજૂરી મળી ગઈ છે અને માત્ર વર્કઓર્ડર આપવાનો બાકી છે. બાકીના બે ટેન્ડરના ભાવ ખોલવાના બાકી છે. આમ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે બહાર પાડેલા અલગ-અલગ ત્રણેય ટેન્ડર ભરાઈ ગયા છે. આ ટેન્ડરમાં QCBS પદ્ધતિ (ક્વોલિટી એન્ડ કોસ્ટ બેઝ સિલેક્શન) નથી. પરંતુ ક્વોલિટી ક્રાઈટેરિયા છે. એટલે કે પ્રેઝન્ટેશન રખાયું હતું. જેમાં લગભગ તમામ કંપનીઓ ક્વોલિફાઈ થઈ ગઈ છે. ત્યાર બાદ ટેક્નિકલ ઈવેલ્યુએશન પણ થઈ ગયુ છે. હવે પ્રાઈઝ ઓપન કરવાની છે. જે કંપની L-1 આવે તેનો વર્કઓર્ડર આપવાનો રહેશે. ત્રણ જગ્યાએથી મંજૂરી મળી છતાં ટેન્ડર ટલ્લે ચડ્યાટેન્ડર માટે ભારત નેટ બોર્ડની મંજૂરી લેવી ફરજિયાત છે. ગુજરાત સરકારે આ મંજૂરી લઈને જ ટેન્ડરો જારી કરાયા હતા. ગુજરાતમાં પણ ભારત નેટનું એક બોર્ડ છે, જેનું નામ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ છે. જેમાં રેવન્યુ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને પંચાયત વિભાગના સચિવો સભ્ય હોય છે. એટલે ટેન્ડર બહાર પાડતા પહેલાં આ કમિટીની પણ મંજૂરી જરૂરી હોય છે. નિયમો અનુસરીને આ કમિટીની મંજૂરી હતી. ત્યાર બાદ ટેન્ડર જારી કરવા માટે કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયની પણ મંજૂરી લેવાઈ હતી. આટલી મોટી કિંમતના મહત્વના ટેન્ડર અટકવાનું કારણ શું?છેલ્લા પાંચેક વર્ષથી સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં કોઈપણ ટેન્ડર ઝડપથી ક્લિયર થઈ શકતા નથી. ચારેક મહિના પહેલા આ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારની રાતોરાત બદલી કરી દેવાઈ હતી. જ્યારે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડના ડાયરેક્ટર સંજય ગાર્ડન પાસેથી રાજીનામું લઈ લેવાયુ હતું. તેમની સામેની આ કાર્યવાહી એક નનામી અરજીને કારણે આ કાર્યવાહી કરાઈ હતી. જેમાં સંજય ગાર્ડન કાયમી નહીં હોવાની ફરિયાદ થઈ હતી. સંજય ગાર્ડનને હટાવ્યા બાદ સરકારે આ પોસ્ટ માટે તુરંત જ જાહેરાત આપી દીધી હતી. જેના માટે બે ડઝનથી વધુ અરજી આવી છે પણ ચાર મહીના પછી પણ સરકારે હજુ સુધી આ પદ પર ભરતી કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી. વળી, આ જ સમયગાળામાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં સચિવ તરીકે પી. ભારતીને જવાબદારી સોંપવામાં આવી. જ્યારે સંજય ગાર્ડનની કેટલીક જવાબદારી તેનાથી સાવ જૂનિયર ગણાતા અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી સંજય પ્રજાપતિને તેમજ કેટલીક કામગીરી કલ્પેશ પટેલને સોંપાઈ છે. આ સ્થિતિમાં કોઈ અધિકારી ટેન્ડરમાં જોખમ લેવા માગતુ ન હોવાથી કામ લટકી પડ્યું છે. ટેન્ડર આગળ વધારવા કે રદ કરવા? અધિકારીઓમાં પણ ફાંટાકરોડો રૂપિયાના ટેન્ડર અત્યારે તો ફાઈલોમાં અને અધિકારીઓની ખેંચતાણમાં અટવાઈ ગયા છે. કેટલાક અધિકારીઓનું જૂથ અને ટેન્ડર ભરનારી કંપનીઓ આ ટેન્ડરમાં આગળની પ્રક્રિયા ઝડપથી આગળ ધપે અને ટેન્ડર રદ ન થાય તેવા પ્રયાસો કરી રહી છે. જો કે એક જૂથ ઈચ્છે છે કે આ તમામ ટેન્ડર કેન્સલ થાય અને ફરીથી ટેન્ડર થાય તો પોતાની માનિતી કંપનીઓને ઘુસાડી શકાય. આની પાછળ રાજકીય પરિબળો પણ એટલા જ જવાબદાર છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંંબંધીની કંપનીનું હિત હોવાની ચર્ચાએક એવી ચર્ચા ચાલી રહી છે કે આ ટેન્ડરો મેળવવામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંબંધીની એક કંપનીને પણ રસ છે. આ કંપનીની ટ્રાન્સકોડર ટેક્નોલોજી ઘૂસાડવા દલાલી કરવા માટે સુરતનો જીજ્ઞેશ નામનો જમીન દલાલ એક ટોચના અધિકારીને મળવા ગયો હતો. તેણે આ અધિકારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, સૂત્રો તો ત્યાં સુધી જણાવે છે કે આ અધિકારીને વહીવટની લાલચ પણ આપી હતી. એવું પણ કહ્યું કે તમારાથી સિનિયર સાહેબનો આદેશ છે કે તમામ ટેન્ડરોને રદ કરી દો. જો કે અધિકારીએ તેમની વાતને ગણ્યા વગર જ ઓફિસમાંથી ભગાડી દીધો હતો. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ પણ ટેન્ડર મામલે અપડેટ્સ લીધીકેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા થોડા દિવસો પહેલાં જ વડોદરા આવ્યા હતા. એ સમયે તેમણે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી પી.ભારતી સાથે બેઠક પણ કરી હતી. ચર્ચા મુજબ, સિંધિયાએ અટકી પડેલા ટેન્કરનું કામ ઝડપથી પૂરું કરવા માટે સૂચના આપી હતી. એટલે મામલો ઘણો ગંભીર બન્યો છે. સરકારને થનારી લિઝિંગની આવક ઉપર પણ હવે પ્રશ્નાર્થ લાગી ગયોએરટેલ, વીઆઈ જેવી મોટી કંપનીઓ પોતાની રીતે આંતરિયાળ ગામોમાં ફાઈબર કેબલ નેટવર્કની સેવા આપતી નથી. કારણ કે એમાં ખર્ચ વધુ આવે છે. જેથી આવી કંપનીઓ સરકારે નાખેલા ફાઈબરને લીઝ પર લઈને પોતાની સેવાઓ પૂરી પાડે છે. જેના બદલામાં કંપનીઓ ભાડા પેટે સરકારને મોટી રકમ પણ ચૂકવતી હોય છે. ઘણા રાજ્યોમાં આવું ચાલે છે. ફેઝ-3ના ટેન્ડરને પગલે આવી કંપનીઓએ લિઝિંગ માટેની તૈયારી દર્શાવી હતી. પરંતુ હવે ટેન્ડરોના જ ઠેકાણા નહીં હોવાથી આ કંપનીઓ પાસેથી થતી આવકનો વિકલ્પ પણ છીનવાઈ ગયો છે. કંપનીઓની 100 કરોડની EMD ફસાઈઆ તમામ ટેન્ડરોમાં વિવિધ કંપનીઓએ સરકારમાં અંદાજે 100 કરોડની રકમની તો EMD (અર્નેસ્ટ મની ડિપોઝીટ) તરીકે ભરેલી છે. હવે તે ક્યારે પરત મળશે તેની કોઈને સ્પષ્ટતા નથી. હાલમાં તો વિવિધ કંપનીએ EMD તરીકે ભરેલી આ જંગી રકમ ફસાઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆતો થયા બાદ તેમની સૂચનાથી વિભાગ દ્વારા ટેન્ડર ભરનારી કંપનીઓને ઈ-મેઈલ કરાયા છે. જેમાં EMD ની મુદતને એક્સ્ટેન્ડ કરવાની વિનંતી કરાઈ છે. એવો અર્થ એવો થયો કે હવે આગામી સમયમાં લટકી પડેલા ટેન્ડરોને આગળ ધપાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જો ટેન્ડર કેન્સલ થશે તો પછી ટેન્ડર પ્રક્રિયાનું કામ કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લેશેગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચાડવાના કરોડ રૂપિયાના ટેન્ડર કરવાની મંજૂરી કેન્દ્રએ ગુજરાતને આપી હતી. અન્ય રાજ્યોમાં કેન્દ્ર સરકારે જ ટેન્ડર કર્યા હતા. જો ગુજરાતમાં આ ટેન્ડર રદ કરાશે, તો ગુજરાત ફરીથી ટેન્ડર જારી કરી શકશે નહીં. ત્યાર બાદ કેન્દ્ર સરકાર 5631 કરોડ રૂપિયાની જંગી રકમ પોતાની પાસે લઈ લેશે. એટલું જ નહીં, આ ટેન્ડરનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લેશે. જેમાં 7 થી 8 મહિનાનો સમય લાગી શકે છે અને ગુજરાતની છબી પણ નબળી પડશે એ વાત પણ નક્કી છે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:00 am

યમદૂતની જેમ ટેમ્પો આવ્યો ને શૈલેષભાઈને કચડી નાખ્યા:હિટ એન્ડ રનનો કેસ મર્ડર નીકળ્યું, હત્યા પાછળ હતી આધેડ ‘ભાઈ-બહેન’ની અનૈતિક લવ સ્ટોરી

24 જૂન 2022 વસ્ત્રાલ, અમદાવાદ. સમયઃ સવારે 06:00 - 06:30 વાગ્યાની આસપાસનો. પોલીસ કંટ્રોલ રૂમનો ફોન રણક્યો. ફોન કરનારે સહેજ કાંપતા અવાજે માહિતી આપી, ‘સાહેબ, અહીં એક હિટ એન્ડ રન કેસ થયો છે. એક ટેમ્પો ગાડીએ એક ભાઇને ઉડાવી દીધા છે. ભાઇની હાલત ગંભીર છે. જલદી મદદ મોકલો.’ લોકેશન વસ્ત્રાલનું હતું. ગણતરીની મિનિટોમાં તો પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોનાં ટોળેટોળાં ચીરીને પોલીસ આગળ પહોંચી ત્યારે કોઇકે લોહીના ખાબોચિયામાં પડેલા પુરુષ પર કપડું ઓઢાડી દીધું હતું. પોલીસને ખ્યાલ આવી ગયો કે વ્યક્તિ મૃત્યુ પામી છે. એમ્બ્યુલન્સ આવી. ડૉક્ટરોએ પણ આ વાતની પુષ્ટિ કરી. મીડિયામાં સમાચારો વહેતા થયા, ‘અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ. મોર્નિંગ વૉક પર નીકળેલા શૈલેષભાઈ પ્રજાપતિ નામના આધેડને અડફેટે લઇને એક બોલેરો ગાડી ત્યાંથી નાસી છૂટી હતી. આ અકસ્માતમાં શૈલેષભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.’ પરંતુ નોર્મલ હિટ એન્ડ રનના લાગતા આ કેસમાં આગામી થોડા દિવસમાં જ જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો હતો અને આખો કેસ ઊંધે માથે થઇ જવાનો હતો. ‘લાલ ઈશ્ક’: લોહિયાળ પ્રેમનો લાલ રંગ મહાન બ્રિટિશ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કહેલું કે, ‘પ્રેમ આંધળો હોય છે.’ પરંતુ પ્રેમમાં જ્યારે વાસના, લાલચ, સામાજિક પ્રેશર, ખોટો માન-મોભો, ખુન્નસ, નફરત, વિશ્વાસઘાત જેવાં એલિમેન્ટ ભળે એટલે પ્રેમીઓ અને તેની આસપાસ રહેલા લોકો પણ આંધળા થઈ જાય છે. સરવાળે એવા જઘન્ય ક્રાઇમ થાય છે, જેના વિશે જાણીને આપણને કંપારી છૂટી જાય. દિવ્ય ભાસ્કર એપ પર આજથી શરૂ થઈ રહી છે નવી સિરીઝ ‘લાલ ઈશ્ક’. આ સિરીઝમાં આપણે ગુજરાતની ધરતી પર થયેલા આવી જ કેટલીક લોહિયાળ ક્રાઇમકથાઓની વાત કરીશું, જે શરૂ તો થઈ પ્રેમનાં સુંવાળાં સપનાંથી, પરંતુ લોહિયાળ દુઃસ્વપ્નમાં પલટાઇ ગઇ. ‘લાલ ઈશ્ક’માં આજે વાત કરી રહ્યા છીએ ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલા એક કેસથી જેની શરૂઆત હિટ એન્ડ રનમાં એક પુરુષના મૃત્યુથી થઈ, પરંતુ થોડા દિવસમાં જ તેમાં કોઈ સસ્પેન્સ થ્રિલર મુવીને આંટે એવા ટ્વિસ્ટ આવ્યા. CCTVમાં કેદ થયો ખૂની ખેલ ટેમ્પોની અડફેટે આવીને મૃત્યુ પામનાર વ્યક્તિ હતા શૈલેષભાઈ પ્રજાપતિ. તેમને કચડીને ટેમ્પો તો યમદૂતની જેમ આવ્યો અને એવી જ સ્પીડે ત્યાંથી પોબારા ગણી ગયો હતો. વહેલી સવારનો સમય હતો એટલે રસ્તા પર ખાસ અવર જવર પણ નહોતી. પોલીસ હજુ તપાસ આગળ ધપાવી રહી હતી ત્યાં આ જ એક્સિડન્ટનો એક CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. દરઅસલ, જ્યાં એક્સિડન્ટ થયો તે જ વિસ્તારના કોઈ CCTV કેમેરાએ આખો એક્સિડન્ટ અનાયાસે શૂટ કરી લીધો હતો. રસપ્રદ વાત એ હતી કે આ CCTV ફૂટેજથી જ આખો કેસ સોલ્વ થવાનો હતો. પોલીસે તાત્કાલિક તે ફૂટેજ કબ્જે કર્યા અને તેનું એનાલિસિસ શરૂ કર્યું. રોંગ સાઇડથી યમદૂત જેવો ટેમ્પો આવ્યો અને… વીડિયોમાં રસ્તાની જમણી બાજુએ ચાલીને જતા શૈલેષભાઈ પ્રજાપતિ દેખાતા હતા. તેમણે પાછળ ફરીને જોયું તો એક બોલેરો ટેમ્પો તેમની દિશામાં આવી રહ્યો હતો. રોંગ સાઇડમાં ટેમ્પો આવતો જોઇને શૈલેષભાઈએ રોડ ક્રોસ કરીને પોતાની દિશા બદલી નાખી. તેમના આઘાત વચ્ચે ટેમ્પોએ પણ દિશા બદલી અને અચાનક પોતાની સ્પીડ વધારી મૂકી. ફુલ સ્પીડે ટેમ્પો તેમના પર ફરી વળ્યો અને તેની નીચે શૈલેષભાઈનો દેહ હતો ન હતો થઈ ગયો. પોલીસની પારખુ નજરે તરત જ પકડી પાડ્યું કે બોલેરો ચાલકે ઇરાદાપૂર્વક પોતાની દિશા બદલી અને શૈલેષભાઇને કચડી નાખવાના ઇરાદે જ પોતાની સ્પીડ વધારી હતી. યાને કે આ કોઈ ડ્રાઇવરને ઊંઘ આવી જવાથી કે બ્રેક ફેલ્યોર જેવાં કારણોસર થયેલો અકસ્માત નહોતો. બલકે આ સમજીવિચારીને કરાયેલી હત્યા હતી. હવે આ એક કોલ્ડ બ્લડેડ મર્ડરનો કેસ હતો. ‘સાહેબ, આ કેસનો માસ્ટર માઇન્ડ કોઈ બીજો જ છે’ આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એક હેડ કોન્સ્ટેબલને પણ ક્યાંકથી ચોક્કસ બાતમી મળી કે, વસ્ત્રાલમાં થયેલો આ હિટ એન્ડ રન એક્સિડન્ટ હકીકતમાં એક હત્યા છે. ઇન્ફોર્મરે એવું પણ કહ્યું કે, તમે આ વિજયભાઇને (નામ બદલ્યું છે) ઉઠાવો, એને આ સમગ્ર હત્યાકાંડની ખબર છે. દિવ્ય ભાસ્કરની ટીમે ક્રાઇમ બ્રાન્ચના આ હેડ કોન્સ્ટેબલ સાથે વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે, ‘જેવી મને ખબર પડી એટલે તરત જ હું અને મારી ટીમના કેટલાક માણસો એ વિજયભાઇને ઉઠાવીને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લઈ આવ્યા અને પૂછપરછ શરુ કરી. પહેલાં તો એમણે ‘મને કંઈ ખબર નથી, હું નિર્દોષ છું...’ એવું રટણ ચાલુ રાખ્યું, પરંતુ પોલીસને પોતાની ઇન્ફર્મેશન પર પાકો ભરોસો હતો. એટલે પછી ક્રાઇમ બ્રાન્ચે પોતાની ‘આગવી રીતે’ તેની કડક પૂછપરછ કરી. જેલના સળિયા દેખાઈ જતાં એ વિજય ભાંગી પડ્યો અને તેણે વટાણા વેરી નાખ્યાઃ ‘સાહેબ, હું તો ખાલી નીતિનનો ફ્રેન્ડ છું. એ નીતિન અને શારદા વચ્ચે અફેર ચાલે છે. અને શારદા એટલે આ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામનાર શૈલેષ પ્રજાપતિની પત્ની. આ કેસમાં મેઇન માસ્ટરમાઇન્ડ નીતિન છે. હજી આમાં યાસિન કાણિયા નામનો માણસ પણ સામેલ છે. સાહેબ, મારો વિશ્વાસ કરો, હું નિર્દોષ છું...’ નીતિન અને શારદા વચ્ચે શું ચાલતું હતું? કેસ સોલ્વ કરવાની દિશામાં આ સોલિડ લીડ હતી. ક્રાઇમ બ્રાન્ચે શૈલેષ પ્રજાપતિની પત્ની શારદા અને વિજયની કૉલ હિસ્ટ્રી કઢાવી. બંને વચ્ચે અઢળક ફોન અને મેસેજની આપ-લેથી એટલું તો સ્પષ્ટ થઇ ગયું કે બંને વચ્ચે કંઇક તો છે. જરાય સમય ગુમાવ્યા વિના ક્રાઇમ બ્રાન્ચની ટીમે શારદાબેન અને તેના પ્રેમી નીતિનને પૂછપરછ માટે ઉઠાવ્યાં. અલબત્ત, જ્યાં સુધી આરોપીઓ પોતાનો ગુનો કબૂલે નહીં ત્યાં સુધી તેમની ધરપકડ કરાય નહીં. કેસને કોન્ક્રિટ જેવો સોલિડ બનાવવા માટે પોલીસ શૈલેષ પ્રજાપતિ અને તેમની પત્ની શારદાના ઘરે પહોંચી. આ એક્સિડન્ટ નથી, વેલ પ્લાન્ડ મર્ડર છે સ્વાભાવિક રીતે જ શૈલેષભાઈના ઘરે શોકનો માહોલ હતો. ઘરના મોભીનું અકાળે મૃત્યુ થયું હતું. મહિલા કોન્સ્ટેબલને લઇને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ શૈલેષભાઇના ઘરે પહોંચ્યાં. કેસ વિશે અમુક પેપર્સની પ્રોસેસ કરવાની છે એવું કહીને તેમને પોલીસ સ્ટેશને લઈ ગયાં. જેવા પોલીસ સ્ટેશને પહોંચ્યાં કે ત્યાં નીતિનને પણ શિયાંવિયાં થઇને બેઠેલો જોઇને શારદાનાં મોતિયાં મરી ગયાં. હવે નીતિન અને શારદા પાસે છુપાવવા જેવું કશું બચ્યું નહોતું. કેમ કે, એ તો પુરવાર થઇ જ ગયું હતું કે આ એક્સિડન્ટ એ વેલ પ્લાન્ડ મર્ડર છે અને તેને શારદા-નીતિને મળીને અંજામ આપ્યો હતો. ‘મને ને નીતિનને ક્યારે પ્રેમ થઇ ગયો, ખબર જ ન પડી…’ શારદા પાસેથી માહિતી ઓકાવવામાં પોલીસને ખાસ મહેનત ન પડી. એ પોતે જ પોપટની જેમ બધું બોલવા લાગીઃ ‘હું અને નીતિન પ્રજાપતિ બંને એક જ ગામનાં. મારા પતિ શૈલેષ અને નીતિન વચ્ચે બિઝનેસ રિલેશનશિપ પણ હતી. છેલ્લાં અઢી વર્ષથી નીતિનની અમારા ઘરે પણ અવર-જવર શરૂ થઈ હતી. એ દરમિયાન ક્યારે મને ને નીતિનને પ્રેમ થઇ ગયો એ ખબર જ ન પડી...’ ‘આપણે નીતિનને કાયમ માટે રસ્તામાંથી હટાવી દઇએ તો?’ કહે છે કે ઇશ્ક ઔર મુશ્ક છુપાયે નહીં છુપતે. ઘટનાનાં બે વર્ષ પહેલાં શારદાના પતિ શૈલેષને ખબર પડી ગઇ કે એની અને નીતિન વચ્ચે ‘કંઇક’ ચાલી રહ્યું છે. તેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થવા લાગ્યા હતા. શારદાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમારા પ્રેમ સંબંધની જાણ મારા પતિ શૈલેષને થઈ જતાં તેઓ રોજ મારી જોડે ઘરમાં ઝઘડા કરતા હતા અને સતત ટોર્ચર કરતા હતા. એમના સતત ત્રાસથી હું એવી કંટાળી ગઈ હતી કે મને આત્મહત્યાનો વિચાર આવતો હતો. મેં આ વાત નીતિનને કરી તો તેણે મને સલાહ આપી કે શૈલેષને આપણે કાયમ માટે રસ્તામાંથી હટાવી દઈએ તો?’ જે કામ એક ડિવોર્સમાં પૂરું થઇ જાત, તે માટે શૈલેષનો જીવ લેવાનો કારસો ઘડાયો. બે દાયકાનાં લગ્નજીવનમાં જે પતિ માટે શારદાએ વ્રત, પૂજાઓ અને જાગરણ કરેલાં, તેની જ હત્યા કરાવવા માટે પ્રેમમાં આંધળી બનેલી આ સ્ત્રી તૈયાર થઈ ગઈ! એ પછી સમગ્ર પ્લાન બનાવવામાં આવ્યો. યાસીન કાણિયાએ 10 લાખમાં સોપારી લઈને 7 લાખમાં ટ્રાન્સફર કરી નીતિન પાસેથી મળેલી બાતમીને આધારે પોલીસે ગોમતીપુરના કુખ્યાત યાસીન ‘કાણિયા’ને પણ પકડી પાડ્યો. નીતિન પ્રજાપતિએ શૈલેષની હત્યા કરવા માટે યાસીન કાણિયાને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. યાસીન કાણિયો પકડાયો ત્યારે નવી હકીકત જાણવા મળી કે યાસીને પોતે પણ હત્યા નહોતી કરી, બલકે એણે અન્ય બે લોકોને શૈલેષભાઈની સોપારી ‘ટ્રાન્સફર’ કરી હતી. યાસીને 10 લાખમાં લીધેલી સોપારી રાહીલ ઉર્ફે રાહુલ શેખ અને અકરમ અલી ઘાંચી નામના અન્ય બે કોન્ટ્રાક્ટ કિલર્સને ₹7 લાખમાં ‘પેટા સોપારી’ આપી હતી. યાસીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્લાન બનાવ્યો. તેમાં શૈલેષભાઇનાં પત્ની શારદાએ પોતાના પતિની રજેરજની માહિતી હત્યારાઓને આપી. શૈલેષભાઈ રોજ કેટલા વાગ્યે ક્યાં જાય છે, કોને મળે છે, ક્યાં તેમની બેઠક છે વગેરે ઉપરાંત શૈલેષભાઇના ફોટા સહિતની તમામ માહિતી પૂરી પાડી. યાસીનને ખબર પડી કે શૈલેષભાઇ રોજ સવારે ચાલવા જાય છે, એટલે યાસીન કાણિયાને આઇડિયા આવ્યો કે વહેલી સવારે જ એક્સિડન્ટ કરીને હત્યાને અંજામ આપી શકાય તેમ છે. પત્નીએ જ હત્યારાઓને રજેરજની માહિતી આપી હત્યા માટે દિવસ નક્કી કરાયો 24 જૂન, 2022. શૈલેષભાઈ પ્રજાપતિ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે 6 વાગ્યે ચાલવા નીકળ્યા. શૈલેષભાઈ જેવા ઘરની બહાર ગયા એટલે તેમની પત્ની શારદા તેની જાણ તેના પ્રેમી નીતિનને કરી અને નીતીને યાસિનને કહ્યું કે, ‘શૈલેષ ઘરની બહાર નીકળી ગયો છે. થોડી વારમાં તે RAF કેમ્પ પાસે પહોંચશે.’ શૈલેષભાઈ જે ટ્રેક સૂટ પહેરીને ઘરેથી નીકળ્યા હતા તેની જાણ પણ શારદાએ તેના પ્રેમી નીતિન અને યાસીનને કરી દીધી હતી. એટલે સાડા છ વાગ્યાની આસપાસ રિંગરોડ પર આવેલા RAF કેમ્પ પાસે શૈલેષભાઈ રોડની સાઈડમાં ચાલતા હતા, તે દરમિયાન પાછળથી યાસિને બોલેરો દ્વારા શૈલેષભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. શૈલેષભાઈનું કામ તમામ કરવા માટે યાસિનને એડવાન્સમાં સાડા ચાર લાખ રુપિયા પણ મળ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ ગુનેગારોએ માલ ભરવા જવાનું છે તેવું બહાનું બતાવીને અન્ય કોઈ વ્યક્તિ પાસેથી બોલેરો લીધી હતી. એટલે પોલીસે આ કેસમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં મૃતક શૈલેષની પત્ની શારદા, શારદાનો પ્રેમી નીતિન, સોપારી લેનાર યાસિન કાણિયા, રાહીલ અને અકરમને જેલ હવાલે કરાયા હતા. યાસિન કાણિયો ગોમતીપુરનો કુખ્યાત ગુનેગાર છે. જ્યારે રાહીલ અને અકરમ અગાઉ હત્યાના ગુનામાં જેલની સજા કાપી ચૂક્યા છે. શૈલેષભાઇનું ઘર બન્યું, ‘હોન્ટેડ હાઉસ’ શૈલેષભાઈ પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ‘ગેલેક્સી કોરલ’ સોસાયટીમાં રહેતા હતા. આ સ્ટોરી માટે દિવ્ય ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી. અમારા આઘાત વચ્ચે આ ઘર ખંડેર હાલતમાં હતું. દરવાજા પર તાળું લટકતું હતું અને દરવાજા પાસે ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં. આ ઘર શૈલેષભાઈઅને તેમની પત્ની શારદાબેનના નામે બોલે છે. શૈલેષભાઈની હત્યા થઈ એટલે હવે આ ઘર શારદાબેનની સહી વગર કોઇને વેચી પણ ન શકાય. શૈલેષભાઈ અને શારદા બહેનનાં લગ્ન 20 વર્ષ પહેલાં થયાં હતાં. અગાઉ તેઓ ઓઢવ વિસ્તારમાં રહેતાં હતાં. બાદમાં બનાવનાં 3-4 વર્ષ પહેલાં જ તેમણે વસ્ત્રાલની આ ‘કોરલ ગેલેક્સી’ નામની સ્કીમમાં નવું મકાન લીધું હતું. મૃતક શૈલેષભાઈને 20 વર્ષનો એક પુત્ર છે, જે વડોદરામાં તેમનાં દાદી સાથે રહે છે. આ ઉપરાંત એક દીકરી પણ છે, જેનાં લગ્ન થઈ ગયાં છે. દીકરી વસ્ત્રાલમાં જ તેના પતિ સાથે રહે છે અને એક કેફે ચલાવે છે. હાલ આ કેસના તમામ આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે. કેસ કોર્ટમાં ચાલે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે શારદાબહેને શૈલેષભાઈ સાથે ભાગીને લવ મેરેજ કર્યાં હતાં. એટલે પિયરમાં પણ એમને કોઈ ખાસ બોલાવતું નથી, જેથી શારદા બહેન જામીન પર બહાર આવ્યાં ત્યારે તેઓ તેમના પ્રેમી નીતિન પ્રજાપતિ સાથે જ રહેવા લાગ્યાં હતાં. પરંતુ પાછળથી તેઓ તેમનાં બહેનનાં ઘરે જતાં રહ્યાં હતાં. ‘શારદાએ પોતાના માનેલા ભાઈ સાથે જ લફરું કર્યું’ મૃતક શૈલેષભાઈનાં વૃદ્ધ માતા મંજુબેન આજે પણ તેમના દીકરા શૈલેષને યાદ કરતાં રડી પડે છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં તેઓ પોતાના દીકરાને યાદ કરીને રડી પડ્યાં હતાં. તેમણે રડતી આંખે જણાવ્યું કે, ‘મારે અને મારી વહુ શારદાને સારું બનતું હતું. હું ગામડે રહેતી હતી. અમુક વાર અહીં અમદાવાદ રોકાવા આવું ત્યારે આ નીતિન ક્યારેક અમારા ઘરે આવતો હતો. જ્યારે તે અમારા ઘરે આવે ત્યારે આ શારદા તેની સામે જ જોયા કરતી. પરંતુ નીતિન તો એનો માનેલો ભાઈ હતો, એટલે અમને કોઇને કશી જ શંકા નહોતી ગઈ. મારો દીકરો શ્રવણ જેવો હતો. મારી બહુ જ સારસંભાળ રાખતો. મને જે જોઇએ તે લાવીને આપતો હતો. જ્યારે મને ખબર પડી કે મારા દીકરાની હત્યા તેની પત્ની અને અમારા ઘરની વહુ શારદાએ કરાવી છે, ત્યારે મારા પગ નીચેની જમીન ખસી ગઈ હતી. છ મહીના સુધી તો અમને કંઈ ખબર જ નહોતી પડતી કે શું કરીએ? અમારા ગળે કોળિયો પણ ઊતરતો નહોતો. બબ્બે દાયકા સુધી અમારા પરિવારનો ભાગ બની રહેલી અમારી પુત્રવધૂએ આવું કર્યું? અત્યારે પણ કોઈ તેને યાદ કરીને તેની વાતો કરે તો હું સાંભળતી નથી. જો મને કોઈ તેની વાત કરે તો સતત રડવું આવ્યા કરે છે. એક તો મારો દીકરો મરાવી નાખ્યો અને જામીન પર બહાર આવીને પોતાનો છોકરો લેવા માટે કેસો કરે છે ને સંપત્તિમાં ભાગ માગે છે, રહેવા માટે ઘર માગે છે. આ કેટલું વાજબી કહેવાય? હું અત્યારે આ વૃદ્ધાવસ્થામાં ઘરનાં નાનાં મોટાં કામ કરીને વડોદરામાં મારા પૌત્ર સાથે ભાડે રહું છું. મહિને નવ હજાર રૂપિયા ભાડું ભરું છું. અત્યારે અમે વસ્ત્રાલમાં અમારા ઘર પાસેથી નીકળી નથી શકતા. આ બધું થયું એટલે અમારે અમદાવાદ છોડી દેવું પડ્યું. એ શારદા તો ના જ પાડે છે, કે મેં આવું કંઈ કર્યું નથી. તો ક્રાઇમ બ્રાન્ચવાળા કંઈ ગાંડા છે કે ગમે તેને હત્યાના આરોપમાં પકડીને જેલમાં પૂરી દે? અને આ તે કેવો કાયદો છે કે હત્યાના આરોપીઓ જામીન પર બહાર આવી જાય?’ ‘ક્રાઇમ બ્રાન્ચનું નામ સાંભળીને શારદાને તાવ આવી ગયો’ અમે શૈલેષભાઈનાં બહેન ક્રિષ્નાબેન સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, ‘હું શારદાબહેનની નણંદ થઉં, પરંતુ અમે બંને બહેનપણીની જેમ રહેતાં હતાં. બનાવ બન્યાના નવ દિવસ અમે બધા જોડે એક જ ઘરમાં રહ્યાં, છતાં અમને કોઇને ગંધ સુદ્ધાં ન આવી કે એણે જ આ બધું કર્યું હશે. નવ દિવસ બાદ અમારા કાકાની છોકરીએ આવીને ઘરમાં કહ્યું કે, જેણે પણ આ અકસ્માત કર્યો છે તેને ક્રાઇમ બ્રાન્ચવાળા પકડી પાડશે અને છોડશે નહીં. આવું સાંભળ્યું એટલે શારદાને તાવ આવી ગયો, બીમાર પડી ગઈ. બીમાર પડી એટલે આખી રાત મેં સાચવી, માથે પોતાં મૂક્યાં. બીજા દિવસે સવારે એનું બીપી ઓછું થઈ ગયેલું. મેં શરબત બનાવીને આપ્યું. જ્યાં બનાવ બન્યો ત્યાં રહેતા એક ડૉક્ટર અમારા ઘરે આવ્યા અને કહ્યું કે, આ બનાવ એમના ઘર સામે જ બન્યો હતો. આ સાંભળીને તેને વધારે બીક લાગી, પણ અમને ત્યારે શું ખબર કે તે પોતે પકડાઈ જશે તેની બીકે એટલે બીમાર પડી રહી છે. શારદાને તાવ આવ્યો એના બીજા દિવસે તો ક્રાઇમ બ્રાન્ચવાળા એને ઉઠાવી પણ ગયા અને સૌને ખબર પડી ગઇ કે એણે જ આવું કર્યું છે. એક્સિડન્ટના વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે, તે બોલેરો ગાડી નાના સર્વિસ રોડ પર દોડતી હતી. ત્યાં કોઈ આટલી સ્પીડે ગાડી ચલાવી જ ન શકે. મારા ભાઇએ પાછળ ફરીને જોયું પણ ખરું કે ગાડી આવી રહી છે. તેઓ રોડની સાઇડમાં પણ આવી ગયેલા, છતાં તેમની ઉપર ગાડી ચડાવી દેવામાં આવી. શારદા અત્યારે બહાર આવીને પ્રોપર્ટીમાં ભાગ માગે છે. આ બધી પ્રોપર્ટી એની જ હતી. આ બધું કરવાની ક્યાં જરુર હતી? પણ હવે અમારા ભાઇને એણે, ખુદ એમની જ પત્નીએ મરાવી નાખ્યો, તો હવે કેવી પ્રોપર્ટી અને શું ભાગ...?’ ‘એક્સિડન્ટ પછી નીતિન પણ અમારા ઘરે જ આવી ગયેલો’ શૈલેષભાઈના અન્ય એક સંબંધી એવા તેમના મામાના દીકરા નીરજભાઈ સાથે પણ અમે વાત કરી. તેમણે જણાવ્યું કે, ‘આરોપી નીરજ શારદાબેનના માનેલા ભાઈ હતા. અમારા શૈલેષભાઈ અને નીતિનભાઈ બંને એક જ ગામના હતા અને બંને એક જ સમાજના હોવાથી સાથે સામાજિક પ્રસંગોમાં પણ મુલાકાત થતી રહેતી હતી. બાદમાં કન્સ્ટ્રક્શનનો અને જમીનનો ધંધો પણ સાથે કરતા થયા એટલે ઘરે આવવા-જવાનું વધી ગયું. એટલે શારદાબહેને તેમને ધરમનો ભાઈ બનાવી દીધો. જ્યારે બનાવ બન્યો ત્યારે તેઓ પણ ઘરે આવી ગયા હતા. ઘરના બધા ચર્ચા કરે એટલે તેઓ પણ ચર્ચા કરતા અને કહેતા કે, હજી આપણને ખબર નથી કે, કોણે આવું કર્યું છે? એટલે હાલમાં અમને કોઈ અરજી ન કરવાની સલાહ આપતા હતા. એ તો એવું પણ કહેતા હતા આ એક અકસ્માત જ છે, પોલીસે એની રીતે આ કેસની તપાસ કરી છે. 9-10 દિવસ બાદ જ્યારે ખબર પડી કે, આ લોકોએ જ આવી જ રીતે હત્યા કરી છે ત્યારે તો અમને વિશ્વાસ જ ન આવ્યો કે નીતિન અને શારદાએ આવું કર્યું હશે. 10 દિવસ સુધી આ નીતિને કે શારદાએ અમને ખબર પણ ન પડવા દીધી કે, તેમણે આ હત્યા કરી હશે. ક્રાઇમ બ્રાન્ચના માણસો અમારાં મામી શારદા બેનને પૂછપરછ માટે લઈ ગયાં તે પછી અમે જ્યારે તેમને પાછા લેવા ગયાં ત્યારે અમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને કહ્યું કે અમારા ભાઇની વિધિ માટે તેમને લઈ જવા દો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચવાળાઓએ અમને કહ્યું કે, તમે જેને લેવા આવ્યા છો, તમે તમારાં મામી શારદાબેનનું જેટલું ધ્યાન રાખો છો, તેમણે જ પોતાના પતિ શૈલેષભાઈની હત્યા કરી છે. અમને તો પોલીસની વાત માનવામાં જ નહોતી આવતી. અમને ક્યારેય ખ્યાલ પણ નહોતો કે નીતિન અને શારદા બેનનું અફેર ચાલતું હશે. હાલમાં તમામ આરોપીઓ જામીન પર બહાર ફરે છે. આ તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઇએ.’ જામીન મળ્યા એટલે શારદાબેન ઘરનું તાળું તોડીને ઘરમાં રહેવા આવી ગયાં શૈલેષભાઈના અન્ય એક મામાના દીકરા હાર્દિકભાઈ સાથે કરતાં તેમણે જણાવ્યું કે, મૃતક શૈલેષભાઈનાં પત્ની શારદાબેનને બનાવના 3 મહિના પછી જામીન મળી ગયા હતા અને જામીન મળ્યાના 7-8 મહીના બાદ તેઓ વસ્ત્રાલના કોરલ ગેલેક્સીમાં આવેલા ઘરનું તાળું તોડીને ઘરમાં રહેવા આવી હતા. બનાવ બન્યા બાદ તેમનો દીકરો તો તેમનાં દાદી સાથે વડોદરા રહેવા જતો રહ્યો હતો. ઘરમાં રહેવા માટે શારદા, તેના બનેવી યોગેશ અને શારદાના પિતા મગનભાઈ ઘરમાં હતા ત્યારે અમને અડોશ પડોશમાંથી માહિતી મળી કે શૈલેષભાઈનાં પત્ની આરોપી શારદાબહેન ઘરમાં આવી ગયાં છે. અમને માહિતી મળતાં જ અમે શૈલેષભાઈનાં બહેન અને તેમનાં માતાને પણ વડોદરાથી બોલાવી લીધાં. અમે ઘરની બહાર ઊભાં રહ્યાં અને પોલીસ બોલાવી. પછી તેમને કહેવામાં આવ્યું કે, તમે કોર્ટમાંથી ઑર્ડર લેતા આવજો પછી તમને ઘર મળશે એટલે પછી અમે ઘરમાં તાળું મારી દીધું. એ વખતે તેમની સાથે થોડી બોલાચાલી પણ થઈ હતી. એ કહેતાં હતાં કે આ ઘર મારું છે, આના પર મારો અધિકારી છે. શારદાબહેને તે સમયે અમારાં બા-શૈલેષભાઈનાં માતાને ધક્કો મારીને પાડી દીધાં હતાં. પરંતુ પોલીસ આવી ગઈ હતી એટલે તેમને ઘરની બહાર કાઢીને ઘરે તાળું મારી દેવામાં આવ્યું. અમે તેમને કહ્યું કે, તમે કોર્ટમાંથી ઑર્ડર લેતાં આવો, તો કહે કે, કોર્ટે તો મને છોડી છે. અમે કહ્યું કે, આ તો જામીન મળ્યા છે નિર્દોષ છૂટે ત્યારે આવજે ખબર પડશે. આ ઘર શૈલેષભાઈના નામે છે અને તેમનાં પત્ની શારદા બહેને જ તેમની હત્યા કરાવી છે. અમે તેમને કેવી રીતે તે ઘરમાં રહેવા દઈએ? સૌથી મહત્ત્વની વાત તો એ કે તેમને જ આ ઘર માગતાં શરમ આવવી જોઈએ. આ શારદાબહેનને ફક્ત પ્રોપર્ટીમાં જ રસ છે. આ બનાવ બન્યા બાદ પણ જામીન પર બહાર આવીને નીતિન મને રસ્તામાં મળ્યો હતો. ત્યારે અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મેં તેની વિરુદ્ધમાં પોલીસમાં અરજી પણ કરી હતી. બાદમાં 151ની કલમમાં 24 કલાકમાં લોકઅપ રહ્યા બાદ અમને બંનેને જામીન મળી ગયા હતા.’ આરોપી શારદાબહેને કહ્યું, ‘હું નિર્દોષ છું’ આ કેસને 360 ડિગ્રી એન્ગલથી જોતાં અને સામેના પક્ષનો વ્યૂ જાણવા માટે દિવ્ય ભાસ્કરે આ કેસનાં સહ-આરોપી એવાં શારદાબેન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. તેમણે સોય ઝાટકીને કહી દીધું કે, ‘હું નિર્દોષ છું. આમાં હું કંઈ જાણતી નથી. હાલમાં હું મારાં બહેન સાથે રહું છું. મારી સાસરીમાં શૈલેષભાઈના પરિવાર સાથે હાલમાં મારો કોઈ સંબંધ નથી. મેં મારા દીકરાની કસ્ટડી માટે કોર્ટમાં કેસ કરેલો છે. બનાવ બન્યા બાદ એકપણ વાર મારાં બાળકો સાથે મારી મુલાકાત નથી થઈ. હવે કોર્ટમાંથી ઑર્ડર આવશે એટલે મુલાકાત થશે.’ આટલી વાત કર્યા બાદ તેમણે અમારો ફોન કટ કરી દીધો હતો બાદમાં શારદા બહેન સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 6:00 am

વીજકાપ:પશ્ચિમના વિસ્તારોમાં મંગળવારે સાંજે, બુધવારે સવારે પાણીકાપ

જાસપુર ખાતે તેમ જ અન્ય સ્થળે પાણીની 11 લાઇનનાં જોડાણો કરવાના હોવાથી 6 જાન્યુઆરીએ સવારે પાણીનો સપ્લાય આપ્યા બાદ પાણી બંધ કરાશે. 7મીએ આ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી અપાશે. પશ્ચિમના વિસ્તારોમાં મંગળવારે સાંજે, બુધવારે સવારે પાણી નહિ મળે. જાસપુરના નવા બનેલા 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના 2200 મીમી વ્યાસની પાઇપને હાલની 2 હજાર તથા 2500 મીમી વ્યાસની લાઇન સાથે જોડાશે. આ સિવાય ભાડજ, શીલજ, સિંધુભવન, ઘાટલોડિયા, નિરમા યુનિવર્સિટી, છારોડી તળાવ પાસે પાણી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Jan 2026 5:59 am