SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

બોટાદમાં ભાજપ કિસાન મોરચાએ પ્રચાર શરૂ કર્યો:ગઢડા, રાણપુર, બરવાળા, બોટાદ જિલ્લાના ચાર તાલુકામાં ખેડૂતો સાથે ખાટલા બેઠકો યોજી

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) કિસાન મોરચા દ્વારા જિલ્લામાં પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કિસાન મોરચા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો સાથે 'ખાટલા બેઠકો' યોજવામાં આવી રહી છે. આ બેઠકોનો મુખ્ય હેતુ ખેડૂતો સુધી સીધો સંપર્ક સાધવાનો છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકાની જિલ્લા પંચાયત બેઠકો હેઠળ આવતા ગામોમાં આ બેઠકો યોજાઈ રહી છે. જેમાં સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે, તેમજ આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ રહી છે. આ પ્રચાર અભિયાનમાં કિસાન મોરચાના મહામંત્રી મંગળસિંહ ટાંક અને તેમની ટીમ સક્રિયપણે ભાગ લઈ રહી છે. તેઓ જિલ્લાભરમાં પ્રવાસ કરીને ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:26 pm

જમીનની અદાવતમાં વૃદ્ધ પર હુમલો:કડીના કૈયલના ખેડૂતને જૂની શેઢાવીમાં હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી, 6 શખસ સામે ફરિયાદ

કડી તાલુકાના કૈયલ ગામમાં 73 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર જૂની શેઢાવી ગામની સીમમાં છ શખસે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જમીન ખેડવાની અદાવતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જમીન મુદ્દે બોલાચાલી બાદ હુમલો કર્યોકૈયલ ગામના માધુપુરા વાસમાં રહેતા જોઈતારામ પટેલ 14 એપ્રિલની સાંજે સાડા પાંચ વાગ્યે જૂની શેઢાવીની સીમમાં તેમની માલિકીની જમીનમાં હવનના આયોજન માટે ગયા હતા. તેઓ ત્યાં મંડપ બાંધવાની ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે જૂની શેઢાવી ગામના અશોકસિંહ ચાવડા, હિતેશસિંહ ચાવડા, અરજણજી ચાવડા, સિદ્ધરાજસિંહ ઉર્ફે સિધો ચાવડા, સરોજબેન ચાવડા અને ગુલાબબેન ચાવડા સ્વિફ્ટ ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. હુમલામાં વૃદ્ધ ઈજાગ્રસ્ત થયાહુમલાખોરોએ જોઇતારામને ધમકી આપી કે 'આ જમીન અગાઉ અમે ખેડતા હતા, તો તમે અત્યારે મુકેશસિંહ ભુપતસિંહને વાવવા કેમ આપી છે? આ બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. વૃદ્ધે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા અશોકસિંહ ચાવડાએ તેમના હાથમાં રહેલો લાકડાનો ધોકો વૃદ્ધના માથામાં ફટકારી દીધો હતો. અન્ય હુમલાખોરોએ પણ હાથમાં રહેલી ટોમી અને દાંતી વડે વૃદ્ધને ગડદાપાટુનો માર માર્યો હતો. 6 શખસ સામે ગુનો નોંધાયોબૂમાબૂમ થતા નજીકથી અન્ય લોકો દોડી આવતા હુમલાખોરો આજે તો તું બચી ગયો છે, પણ હવે પછી જો હાથમાં આવ્યો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લાયન્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. લાંઘણજ પોલીસે આ મામલે તમામ છ શખ્સ વિરૂદ્ધ રાયોટિંગ અને મારપીટનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:24 pm

બોટાદમાં યુવા ભાજપ મોરચાની પરિચય બેઠક યોજાઈ:પ્રદેશ મહામંત્રીની હાજરીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા

બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવા ભાજપ મોરચા દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દેવાંગીબેન મૈયડ, જિલ્લા યુવા મોરચાના પ્રભારી રવિ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા યુવા મોરચાના મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા. બોટાદ યુવા ભાજપ મોરચાના કાર્યકરો દ્વારા ભાજપના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને યુવાનોને સંગઠિત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી દેવાંગીબેન મૈયડ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ રહેવા તથા પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોને જનજન સુધી પહોંચાડવા માટે આહ્વાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:24 pm

બોટાદ નગરપાલિકા ચૂંટણી: AAP એ અપક્ષને સમર્થન આપ્યું:વોર્ડ 9માં છત્રજીતભાઈ ધાધલને ખુલ્લું સમર્થન જાહેર

બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં રસપ્રદ મુકાબલો સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ આ વોર્ડમાં અપક્ષ ઉમેદવાર છત્રજીતભાઈ ધાધલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. AAP એ છત્રજીતભાઈ ધાધલની જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. આ સમર્થનથી વોર્ડ 9ની ચૂંટણી વધુ રોમાંચક બની છે. છત્રજીતભાઈ ધાધલને વિસ્તારમાં જનસમર્થન મળી રહ્યું છે. વોર્ડના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અને મતદારો તેમને વિજયી બનાવવાનો વિશ્વાસ આપી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. હવે જોવું રહ્યું કે વોર્ડ નંબર 9ના મતદારો કયા પક્ષની તરફેણમાં પોતાનો મત આપે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:20 pm

વઢવાણ શાળા નં. 14ના આચાર્ય પ્રેમીલાબેન પરમાર નિવૃત્ત:નિવૃત્તિ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, મહેમાનોનું સન્માન કરી બાળકોને ભેટ આપી

વઢવાણ પ્રાથમિક શાળા નંબર 14ના આચાર્ય પ્રેમીલાબેન હરિભાઈ પરમાર 31 માર્ચ, 2026ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. તેમના સન્માનમાં 11 એપ્રિલ, 2026ના રોજ એક નિવૃત્તિ શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગરના પ્રાચાર્ય સી.ટી. ટુંડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ઓઆઇસી સમગ્ર શિક્ષાના દિનેશભાઈ સોલંકી અને બીઆરસી વઢવાણના નરેશભાઈ ભદ્રેશિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ ટીપીઓ ગીરીશભાઈ ગઢવી, ઉત્કર્ષ મંડળના પ્રમુખ અશોકભાઈ જાદવ, શૈક્ષણિક મહાસંઘના પ્રદેશ પ્રમુખ અને જિલ્લા મહામંત્રી દશરથસિંહ અસવાર, જિલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ મોરી, પે સેન્ટર શાળા નંબર 2ના આચાર્ય અશોકભાઈ વાઘેલા તેમજ પૂર્વ આચાર્યઓ બીપીનભાઈ ગોસ્વામી, નીલાબેન ત્રિવેદી, હરજીભાઈ સોલંકી, ધરમશીભાઈ ચૌહાણ અને કાનજીભાઈ દુલેરા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે, નિવૃત્ત થતા પ્રેમીલાબેન પરમારે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમણે શાળાના 10 બાળકોને ચણિયાચોળી ભેટમાં આપી હતી. વધુમાં, શાળાના 150 બાળકોને શૈક્ષણિક કીટ અને બે-બે ચોપડાની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, આવેલા તમામ મહેમાનો અને શાળાના બાળકોએ સ્વરુચિ ભોજનનો આનંદ માણ્યો હતો. શાળાના તમામ શિક્ષકો, એસએમસીના સભ્યો અને આસપાસના આગેવાનોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:12 pm

'કોના પ્રેશરથી મામલતદારે આપઘાત કર્યો? રાજકીય દબાણની આશંકા':MLA અનંત પટેલે કહ્યું- 'કોણે એમને 30-40 દબાણના ફોન કર્યા તેની તપાસ થવી જોઈએ'; આદિવાસી સમાજમાં આક્રોશ

ઉમરગામના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ દલપતભાઈના અકાળ અવસાનથી આદિવાસી સમાજ અને વહીવટી વર્તુળોમાં ભારે શોક સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઘટનાને આત્મહત્યા ગણાવતા આદિવાસી સમાજના અગ્રણીઓએ સત્તાધારી પક્ષના સ્થાનિક નેતાઓ પર ગંભીર આક્ષેપોની તોપ ફોડી છે. સમાજના યુવા નેતૃત્વ દ્વારા આ સમગ્ર પ્રકરણની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે. 'આત્મઘાતી પગલાં પાછળ રાજકીય દબાણ હોવાની પ્રબળ આશંકા' વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા અનુસાર, દલપતભાઈ એક કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક સરકારી અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા. તેમના દ્વારા લેવાયેલા આત્મઘાતી પગલાં પાછળ રાજકીય દબાણ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા નિવેદનો મુજબ, સત્તાધારી પક્ષના કોઈ પ્રભાવશાળી નેતા દ્વારા તેમને સતત માનસિક રીતે નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે. મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ તપાસવા માગધારાસભ્ય અનંત પટેલે આ કેસમાં દલપતભાઈના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ (CDR) ની સઘન તપાસ કરવાની માંગણી દોહરાવી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેમને કોના દ્વારા 30 થી 40 જેટલા ફોન કોલ્સ કરીને માનસિક પજવણી કરવામાં આવી હતી, તેની સત્યતા જનતા સમક્ષ લાવવામાં આવે. આત્મહત્યા માટે મજબૂર કરનાર જવાબદાર નેતા વિરુદ્ધ ગુનો નોંધી કઠોર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે. ન્યાય મેળવવા માટે આરપારની લડતની ચીમકીઆ કરુણ ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના એક અગ્રણીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “એક આદિવાસી દીકરા તરીકે મારા પિતાતુલ્ય અધિકારીએ જો મરવા માટે મજબૂર થવું પડ્યું હોય, તો તે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. અમે હજારોની મેદની સાથે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પીશું અને ન્યાય મેળવવા માટે આરપારની લડત લડીશું.” રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સોવહીવટી તંત્ર દ્વારા જો આગામી દિવસોમાં આ મામલે સંતોષકારક તપાસ કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલમાં પોલીસ વિભાગ આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદાકીય તપાસ ચલાવી રહ્યો છે, પરંતુ રાજકીય દબાણના ગંભીર આક્ષેપોને કારણે આ કિસ્સો રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:03 pm

યુરોપિયન દેશો ટ્રમ્પનો ખેલ પાડી દેવાના મૂડમાં, હોર્મુઝ સ્ટ્રેટ માટે બનાવ્યો 'સીક્રેટ પ્લાન'!

Strait Of Hormuz: અમેરિકા અને યુરોપ વચ્ચે વધતી જતી ખાઈ હવે જગજાહેર થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પે જે રીતે પશ્ચિમી દેશોની ટીકા કરી છે, ત્યારબાદ ઘણા દેશોએ ખુલ્લેઆમ અમેરિકા વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. જેથી ખટરાગ સતત વધતો જઈ રહ્યો છે. ટ્રમ્પને લાગશે 440 વૉલ્ટનો ઝટકો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે હવે યુરોપના નવા પ્લાનથી અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગી શકે છે.

ગુજરાત સમાચાર 15 Apr 2026 11:30 am

વધુ નફાની લાલચમાં લાખો ગુમાવ્યા:યુવકને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહી 8.30 લાખ પડાવ્યા, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

શહેરના નરોડામાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ફોરેક્સ ટ્રેડિંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા જતા 8.30 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ગઠિયાઓએ યુવકને વિશ્વાસમાં લઈને વધુ નફો આપવાની લાલચ આપીને 8.30 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેની સામે મૂડી કે નફાની રકમ પરત આપી નહોતી. જેથી યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફોરેક્સમાં રોકાણ કરવું હોવાથી ટેલિગ્રામમાં ગ્રુપ જોઈન કર્યુંનરોડામાં 42 વર્ષે યુવક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપની ચલાવે છે. ઈન્સ્ટાગ્રામ પર ઇન્વેસ્ટમેન્ટ અંગેનો વિડીયો આવ્યો હતો જે વિડિયો ઓપન કરતા યુવક ટેલિગ્રામ ગ્રુપમાં એડ થયા હતા. ગ્રુપમાં 1.43 લાખ સભ્યો હતા. આ ગ્રુપમાં ટ્રેડિંગ માટેની લીડ આપવામાં આવતી હતી અને ગ્રુપના અન્ય સભ્યો દ્વારા નફો થયાની ખોટી વિગતો દર્શાવી લોકોને વિશ્વાસ આપવામાં આવતો હતો. યુવકને ફોરેક્સમાં રોકાણ કરવાનું હોવાથી ગ્રુપમાં આવેલી લીંક પર ક્લિક કર્યું જે બાદ વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં યુવકને શરૂઆતમાં 50,000નું રોકાણ કરવા જણાવ્યું હતું. નફાની લાલચે યુવકે 8.30 લાખ ગૂમાવ્યાયુવકે વધુ નફાની લાલચમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે યુવકને 3.94 લાખ રૂપિયાનો નફો બતાવતા હતા અને નફો મેળવવા માટે ફોરેક્સ ચાર્જિસ તરીકે 72,699 રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ યુવકને અજાણ્યા વ્યક્તિ દ્વારા અલગ અલગ રીતે ઈન્વેસ્ટમેન્ટ કરી નફો બતાવવામાં આવતો હતો. યુવકે ટુકડે ટુકડે 8.30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. યુવકને નફા પેટે ચાર્જીસ ચૂકવવા માટે વધારે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જેથી યુવકને છેતરપિંડી થયાની જાણ થઈ હતી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 11:26 am

'જયરાજ-ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ લાભ દે':ગોંડલમાં રાજકીય દાવપેચનો જબરો ખેલ જામ્યો, ડર, લાલચ, ધમકી ને અપહરણનો ગુજરાતમાં જામ્યો રાજકીય સંગ્રામ

આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે આ પહેલાં ઉમેદવારોને નજરકેદ, અપહરણ, ધાક-ધમકીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપો કરી રહી છે. વાઇરલ ઓડિયોમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર આક્ષેપગુજરાતના 'મિર્ઝાપુર' ગણાતા ગોંડલમાં પણ ખરાખરીનો ખેલ જામ્યો છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને લઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ખુદ મેદાને પડ્યા છે. આ માહોલ વચ્ચે ગોંડલ નગર પાલિકાના કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પાતર અને એક રાજન નામના યુવક વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ છે. આ ઓડિયોમાં ચૂંટણી ફોર્મ ખેંચવા માટે આપવામાં આવતાં દબાણ અને ઓફરોનો ઉલ્લેખ થતા રાજકીય 'ભૂકંપ' જેવી સ્થિતિ સર્જાઈ છે. વાઈરલ થયેલી ક્લિપમાં ભગવતપુરા વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર રાજન નામના યુવકને અત્યંત ગંભીર અને કટાક્ષભર્યા લહેજામાં ટોકતા સંભળાય છે. વાતચીત દરમિયાન દિનેશ પાતરે ભાજપના દિગ્ગજ નેતા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના નામનો સીધો ઉલ્લેખ કર્યો છે. કટાક્ષ અને ઓફરની વાત: દિનેશ પાતર ઓડિયોમાં કહે છે કે, જો તને ફોર્મ ખેંચાવવાનું કામ સોંપ્યું હોય તો મને કહેજે, મારે પણ ફોર્મ ખેંચવું છે, મને કંઈક સારી ઓફર અપાવ.લાભની માગ: તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, તને (રાજનને) જો આ જયરાજ અને ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ એમાં કંઈક લાભ દેવરાવ.આબરૂનો સવાલ: વાતચીત દરમિયાન દિનેશ પાતર ભાવુક થતાં સંભળાય છે. તેમણે કહ્યું કે, રાજન, તું ઘરનો છોકરો છે, તારી મજબૂરી હશે કે તું ભાજપમાં છે. પણ આ ફોર્મ ભર્યું એ દિનેશ પાતરની આબરૂ છે. અમારી આબરૂ પર હાથ નાખશો નહીં. 'ભાજપના ઉમેદવારે 25થી 50 લાખની ઓફર કરી'આ ઉપરાંત અમદાવાદ મનપાના રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બીનાબેન મોદીએ કર્યો છે. જો કે ભાજપના ઉમેદવાર મૌલિક પટેલે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં આ પ્રકારની કોઈ ઓફર ન કરી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીનાબેન મોદીનું કહેવું છે કે, મેં જે દિવસથી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે ત્યારથી સગા સંબંધીઓ અને મિત્રો મારફતે મને ફોર્મ પાછું ખેંચી લેવા માટે થઈ ઓફર આવી રહી છે. એક બે દિવસથી મારી ઉપર ફોન પણ આવી રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોન કરી 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી છે. સુરતમાં ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો AAPનો આક્ષેપસુરતની વાત કરીએ તો વોર્ડ 18ના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવ્યા ધમકાવ્યા અને કોર્ડન કરાયા હોવાનો આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે સવારે AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે બચાવવામાં આવ્યા છે. AAP નેતા રજનીકાંત વાઘાણી અને બીજા પદાધિકારીઓએ સ્થળે પહોંચી ગૌતમ પટેલને છોડાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 11:24 am

કેશોદ અને ઓસામાંથી દારૂ ઝડપાયો:​કેશોદ અને ઓસા(ઘેડ)માંથી ₹5.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, નામચીન બુટલેગર સહિત બેની ધરપકડ.

રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ચૂંટણીના માહોલમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ કરવાની ફિરાકમાં બેઠેલા તત્વો પર પોલીસે ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે કુલ 5.31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવ્યો છે. ​કેશોદમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂ ઝડપાયો ​જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી.કે. પટેલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક સેન્ટ્રો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અજાબ રોડથી કેશોદ તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દર્શન હોટલ વાળી ગલીમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 1032 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹3,24,000/- થાય છે.આ મામલે પોલીસે કારમાં સવાર અભીજીત કનુભાઈ દયાતર (રહે. કેશોદ) ની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹4,24,000/- નો મુદ્દામાલ જપ્ત કરી કેશોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ​ઓસા(ઘેડ)માં ગોડાઉન પર દરોડો, ​બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચે માંગરોળ તાલુકાના ઓસા(ઘેડ) ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અહીં નિલેશ હરદાસ માલમ નામના શખ્સના કબજા હેઠળના ગોડાઉનમાં તપાસ કરતા 96 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અહીંથી ₹96,000/- ની કિંમતનો દારૂ, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹1,06,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી નિલેશ માલમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા સામે આવ્યું છે કે તેની સામે અગાઉ પ્રોહિબિશન અને જુગારના 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી બદલ શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 11:21 am

'તમારો ગજબનો પ્રેમ મને નો ગમ્યો':વરાછામાં કુમાર કાનાણીએ મતદારોની ફિરકી લીધી, કહ્યું- કોર્પોરેશનમાં બીજાને અને વિધાનસભામાં મને? વિપક્ષ જીતશે તોય સત્તા તો ભાજપની જ આવવાની'

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વરાછા વિસ્તારમાં આયોજિત એક જનસભાને સંબોધતા ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર કાનાણી) એ પોતાના આગવા અંદાજમાં મતદારોને કહ્યું કે, તમારો બધાનો ગજબનો પ્રેમ છે હો ભાઈ! ગજબનો... પણ આ પ્રેમ મને નો ગમ્યો. કોર્પોરેશન આવે તો બીજાને પ્રેમ કરે, વિધાનસભા આવે તો મને પ્રેમ કરે... આ ગજબનો પ્રેમ તમારો! હવે એક સરખો પ્રેમ કરો ને ભાઈ! કાનાણીએ વરાછાના મતદારોને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે વિપક્ષને ચૂંટવાથી સત્તામાં કોઈ ભાગીદારી મળતી નથી અને વિકાસના કામોમાં અવરોધ ઊભો થાય છે. ‘વિપક્ષ જીતશે તોય સત્તા તો ભાજપની જ આવવાની’કાનાણીએ છેલ્લા 10 વર્ષના સમીકરણો ટાંકતા જણાવ્યું હતું કે વરાછામાંથી વિપક્ષી ઉમેદવારો જીતતા આવ્યા છે, પરંતુ તેનાથી જનતાને શું ફાયદો થયો? તેમણે પ્રશ્ન કર્યો કે 5 વર્ષ કોંગ્રેસ રહી અને 5 વર્ષ ‘આપ’ રહી, તો વરાછાને શું મળ્યું? તેમણે ભારપૂર્વક કહ્યું કે, સત્તા તો ભારતીય જનતા પાર્ટીની જ આવવાની છે. મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના જ બનવાના છે. જો તમે વિપક્ષને જીતાડશો તો આપણને કંઈ નહીં મળે. તેમણે મતદારોને બુદ્ધિપૂર્વક મંથન કરીને અને પોતાના આત્માનો અવાજ સાંભળીને મતદાન કરવા અપીલ કરી હતી. ‘ત્રીસ વર્ષથી કોંગ્રેસ ક્યાં છે કે તેમની યોજના હોય?’સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયો અને વિપક્ષી દાવાઓ પર પ્રહાર કરતા કાનાણીએ જણાવ્યું કે, 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) બાબતે વિપક્ષો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષી નેતાઓ એવો દાવો કરે છે કે આ યોજના તેમની છે, જે તદ્દન ખોટું છે. કાનાણીએ કહ્યું કે, આટલું ખોટું બોલે, ત્રીસ વર્ષથી કોંગ્રેસ ક્યાં છે કે તેમની યોજના હોય? આ લોકો પેટ ભરીને ખોટું બોલે છે. તેમણે લોકોને ચેતવ્યા કે ચૂંટણી સમયે ઘણા લોકો આવશે અને ગમે તેવી વાતો કરશે, પણ આપણે સમજદાર બનીને સાચું-ખોટું ઓળખવું પડશે. ‘પ્રાઈવેટ હોસ્પિટલનું બિલ કોણ ભરશે?’વિપક્ષ દ્વારા આપવામાં આવતી 'મફત આરોગ્ય'ની ગેરંટી સામે પણ કાનાણીએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે શું આ વિપક્ષી નેતાઓ પ્રાઈવેટ હોસ્પિટલના બિલ ભરશે? તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી હોસ્પિટલો જેવી કે સ્મીમેર અને સિવિલમાં તો પહેલેથી જ મફત સારવાર મળે જ છે. વિપક્ષો માત્ર વાતો કરે છે, જ્યારે ભાજપ સરકારે જમીની સ્તરે કામ કર્યું છે. તેમણે લોકોને અપીલ કરી કે જ્યારે પણ કોઈ મફત આરોગ્યની વાત કરવા આવે ત્યારે તેમને પૂછજો કે પ્રાઈવેટ હોસ્પિટલનું બિલ કોણ ભરશે? ‘આયુષ્માન કાર્ડ એટલે 10 લાખ રૂપિયાની સુરક્ષા’આરોગ્ય ક્ષેત્રે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કાનાણીએ આયુષ્માન કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આયુષ્માન કાર્ડ એટલે 10 લાખ રૂપિયાની સુરક્ષા. જો તમારા ઘરમાં પાંચ સભ્યો હોય તો ભાજપ સરકારે તમારા ઘરમાં 50 લાખ રૂપિયા રોકડા મૂક્યા છે તેમ સમજવું. તેમણે આ યોજનાને સાચા અર્થમાં ફ્રી આરોગ્ય સેવા ગણાવી હતી. કાનાણીએ ઉમેર્યું કે આ કાર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલમાં પણ મોંઘી સારવાર વિનામૂલ્યે કરાવી શકે છે. ‘વિરોધીઓ પણ ભાજપ સરકારની યોજનાઓનો લાભ લે છે’કાનાણીએ સભામાં પોતાના એક સંબંધીનો કિસ્સો શેર કરતા હાસ્યની છોળો ઉડાડી હતી. તેમણે કહ્યું કે, મારા એક સંબંધી જે 'આપ'ની વિચારધારા સાથે જોડાયેલા છે અને મને અવારનવાર તેમની પોસ્ટો મોકલતા હોય છે. જ્યારે તેમના પિતાને હાર્ટ એટેક આવ્યો અને વિનસ હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યારે હું ખબર કાઢવા ગયો હતો. મેં પૂછ્યું કે ઓપરેશનના પૈસા કેવી રીતે સેટ કર્યા? તો તેમણે જવાબ આપ્યો કે 'આયુષ્માન કાર્ડમાં'! આ ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું કે વિરોધ કરનારાઓ પણ અંતે તો ભાજપ સરકારની યોજનાઓનો જ લાભ લે છે. ‘ગેરમાર્ગે દોરાયા વગર બુદ્ધિપૂર્વક મતદાન કરજો’અંતમાં, કિશોર કાનાણીએ વરાછાની જનતાને ભાવુક અપીલ કરતા કહ્યું કે ચૂંટણી સમયે ઘણા લોકો ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરશે. પણ આપણે બુદ્ધિશાળી અને સમજદાર લોકો છીએ. તેમણે કહ્યું, બધાને સાંભળજો, બધાના વિચારો જાણજો, પણ અંતે તમારો આત્મા જે કહે તે મુજબ મતદાન કરજો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 11:12 am

ભારત મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ તરફ આગળ વધ્યું:SP યુનિવર્સિટીમાં 'નારી વંદન પરિસંવાદ'માં નિષ્ણાતોએ ચર્ચા કરી

સરદાર પટેલ યુનિવર્સિટીના MCA વિભાગ ખાતે ‘વિકસિત ભારત 2047’ના વિઝન અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ‘નારી વંદન પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીત અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રો. નિરંજન પટેલે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં નારી શક્તિનો ફાળો પાયાનો છે. દર્શના દવેએ તમામ અતિથિઓનું સ્વાગત કરી સેમિનારની રૂપરેખા રજૂ કરી હતી. પરિસંવાદના વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ ગહન ચર્ચાઓ કરી હતી. દર્શના દવે, અલકા મેકવાન અને કોમલ વ્યાસે નીતિ નિર્ધારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અને સામાજિક-સાંસ્કૃતિક અવરોધો વિશે વાત કરી હતી. પંચાયતી રાજ અને રાજકીય ભાગીદારી અંગેના સત્રમાં શિવાની મિશ્રા, ધૃતિ પટેલ અને હેમાલી બારોટે પંચાયતી સ્તરે મહિલાઓની સફળતાને બિરદાવી તેને સંસદ સુધી લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, સોનલ જૈન, કોમલ મિસ્ત્રી, વૈદેહી પટેલ અને વિરાજ રોધેલીયાએ જણાવ્યું હતું કે ભારત હવે ‘મહિલા વિકાસ’થી આગળ વધીને ‘મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ’ તરફ પ્રયાણ કરી રહ્યું છે. કાર્યક્રમના અંતે નારી શક્તિ વંદન અધિનિયમના સમયબદ્ધ અમલીકરણ માટે મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓને માત્ર લાભાર્થી નહીં પણ સક્રિય નિર્માત્રી તરીકે ઓળખ આપવાની ભલામણ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શન દવે દ્વારા થયું હતું, જ્યારે અહેવાલ પ્રસ્તુતિ અંજુ કુંજડિયા અને રાજેશ્વરી પટેલે કરી હતી. અંતમાં ધૃતિ પટેલે આભારવિધિ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 11:04 am

ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત બાદ વેપારીઓ ટેન્શનમાં, VIDEO:ધડાધડ ગ્રાહકો ઘટવા લાગ્યા, જોઈએ એટલું જ લાવીને વેચવાનું શરૂ કર્યું, અમદાવાદના વેપારીઓએ શું શું કહ્યું?

ચાંદખેડામાં 4 એપ્રિલ, 2026ના રોજ મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જો કે રહસ્યમય બનેલો કેસ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઢોસાના ખીરાને લઈને દિવ્ય ભાસ્કરે અમદાવાદના વેપારીઓને ગ્રાહકો ઘટવાથી લઈને શું શું ધ્યાન રાખો છો? સહિતના સવાલો પૂછ્યા હતા. આ મામલે વેપારીઓએ શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:56 am

ગીર સોમનાથના વડોદરા ડોડીયા ગામે સિંહ પરિવાર:નાળિયેરીના બગીચામાં આરામ ફરમાવતા જોવા મળ્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સિંહ અને સિંહણ નાળિયેરીના બગીચામાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વન્યજીવોના રહેણાંક અને વાડી વિસ્તારમાં પ્રવેશવાના કિસ્સાઓમાં વધારો થયો છે, ત્યારે આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહ અને સિંહણ ગામની સીમમાં આવેલા નાળિયેરીના બગીચામાં શાંતિથી બેઠા હતા. આ દ્રશ્ય સ્થાનિક લોકો દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું. હાલ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે વન્યજીવો પણ પોતાના પરિવાર સાથે ઠંડક અને આરામ માટે સુરક્ષિત સ્થળો શોધી રહ્યા છે. આ કારણે જંગલ છોડીને માનવ વસવાટ નજીકના વિસ્તારોમાં તેમના આંટાફેરા વધ્યા હોવાનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:54 am

બોટાદના ટાટમ ગામે AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની સભા:સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા

બોટાદ જિલ્લાના ભીમડાદ જિલ્લા પંચાયત બેઠક હેઠળના ટાટમ ગામે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ એક જાહેર સભા યોજી હતી. આ સભામાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આવનારી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે બોટાદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ટાટમ ગામે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલીયાએ સભાને સંબોધતા ભાજપ સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈટાલીયાએ જણાવ્યું હતું કે ભાજપને વર્ષો સુધી શાસન કરવાની તક મળવા છતાં લોકોના મૂળભૂત પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે જો સરકાર ઈચ્છે તો વિકાસના કામો રાતોરાત થઈ શકે છે, પરંતુ ભાજપ માત્ર દેખાડો કરી રહી છે. આ અંગેની માહિતી બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડે આપી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:45 am

હિંમતનગર હાથમતી વિયર પર ઓવરબ્રિજનું કલર કામ શરૂ:22 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ચૂંટણી બાદ ખૂલશે

હિંમતનગરના હાથમતી વિયર પર બની રહેલા ઓવરબ્રિજનું કલર કામ શરૂ થઈ ગયું છે. આશરે ૨૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ લોકાર્પણ થવાની શક્યતા છે. આ ઓવરબ્રિજ હિંમતનગર, ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઈવેને જોડે છે. 210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં બ્રિજ નીચે માટીનું લેવલિંગ કરવામાં આવી રહ્યું છે. વીજ પોલ માટેનું વાયરિંગ અને ફૂટપાથ પર બ્લોક લગાવવાનું કામ પણ પૂરું થઈ ગયું છે. પુલની બંને તરફની પેરાફિટ પર કલર કરવાની કામગીરી ચાલી રહી છે. ઓવરબ્રિજના બંને તરફના એપ્રોચ રોડ પણ તૈયાર થઈ ગયા છે. હિંમતનગરના શહેરીજનો આ ઓવરબ્રિજ ક્યારે શરૂ થશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:42 am

વઘાસીયા ટોલનાકે ટોલ ભર્યા વિના વાહન પસાર કર્યું:સ્ટાફને માર મારી ધમકી આપનાર સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પર ટોલ ટેક્સ ભર્યા વિના વાહન પસાર કરવા અને સ્ટાફ સાથે મારામારી કરવા બદલ એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં આરોપીએ ટોલ બૂથના કર્મચારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગત 8 એપ્રિલના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. બોલેરો ગાડી નંબર GJ 10 TY 0847 ના ડ્રાઇવરે ટોલ ટેક્સ ભર્યા વિના બૂમ બેરીકેટને નુકસાન પહોંચાડી વાહન પસાર કર્યું હતું. આ દરમિયાન, આરોપીએ ટોલ બૂથના કર્મચારી સાથે બોલાચાલી કરી હતી, ગાળો આપી હતી અને ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વઘાસીયા ટોલનાકાના મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વઘાસીયા ગામના સંજયસિંહ ઝાલા નામના ડ્રાઇવર સામે આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:37 am

AAP નેતા સતીષ ગમારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું:સોશિયલ મીડિયા પર ભાજપમાં જોડાવાની જાહેરાત કરી

સુરેન્દ્રનગર-વઢવાણના આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાહેરાત કરી હતી અને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી. ગમારાએ ગુજરાત પ્રદેશ AAP પ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને પોતાનું રાજીનામું જાહેર કર્યું હતું. તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસ દ્વારા પણ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. નોંધનીય છે કે AAPના પૂર્વ કાર્યકરો અને હોદ્દેદારો હવે રાજીનામા આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આજ રોજ સાંજે કમલમ ખાતે સતીષ ગમારા અને તેમની સાથે શહેરી વિસ્તારના 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:34 am

વડોદરામાં 17 વર્ષીય કિશોરીએ લગ્નની જીદ પકડતા અભયમની મદદ લીધી:19 વર્ષના યુવક સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો, શારીરિક સંબંધ પણ રાખ્યા, અભયમે કિશોરીનું કાઉન્સેલિંગ કર્યું

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીને 19 વર્ષીય યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને કિશોરીએ યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. જેને પગલે કિશોરીના પિતાએ 181 અભયમ ટીમની મદદ લીધી હતી અને કિશોરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. 181 અભયમ ટીમ બાપોદ વિસ્તારમાં રહેતી કિશોરીના ઘરે પહોંચી હતી, જ્યાં કિશોરીના પિતાએ અભયમને જણાવ્યા પ્રમાણે તેમની 17 વર્ષીય પુત્રીનો 19 વર્ષીય યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો, જે બાદ બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ રહ્યા હતા. હાલ કિશોરી યુવક સાથે જ રહેવા તથા લગ્ન કરવા માટે અડગ રહી હતી અને તેને છોડવા માટે તૈયાર નહોતી, સાથે જ આત્મહત્યાની ધમકીઓ પણ આપતી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 181 અભયમ ટીમ દ્વારા કિશોરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન તેને સમજાવવામાં આવ્યું હતું કે હાલ તેની ઉંમર લગ્ન માટે યોગ્ય નથી અને તે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે તેમજ સ્વતંત્ર બની પોતાના ભવિષ્યનું નિર્માણ કરે. સાથે જ તેને આ પણ સમજાવવામાં આવ્યું હતું કે યોગ્ય ઉંમર થયા બાદ તે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે. આ ઉપરાંત, કિશોરીના પિતાએ યુવક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કિશોરી પુખ્ત વયની ન હોવાને કારણે તેમના પિતાની તરફથી બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. સાથે જ પરિવારને મફત કાનૂની સલાહ કેન્દ્ર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:29 am

બાબાસાહેબ આંબેડકર જયંતિ સુરેન્દ્રનગર-વઢવાણમાં ઉજવાઈ:શહેરીજનોએ ઉત્સાહભેર પુષ્પાંજલિ અર્પણ કરી

બાબાસાહેબ આંબેડકરની જયંતિ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ધામધૂમથી ઉજવવામાં આવી. શહેરીજનોએ વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણી સુરેન્દ્રનગરના બાબાસાહેબ આંબેડકર ચોક (રાજ હોટેલ પાસે) અને વઢવાણના ગેબાનશા સર્કલ ખાતે કરવામાં આવી હતી. દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:27 am

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ફાળવણી:પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે મશીનો મુકાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત, બહુમાળી ભવન ખાતેના EVM સ્ટ્રોંગ રૂમથી સંબંધિત ચૂંટણી અધિકારીઓને મતદાન મથક મુજબ EVM (BU અને CU)ની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષા સાથે હાથ ધરવામાં આવી હતી. EVM મશીનોને બંધ બોડીના વાહનોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિયમ મુજબ 15% વધારાના રિઝર્વ EVMની પણ ફાળવણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાના આગામી તબક્કા અંગે, આગામી તા. 15 માર્ચના રોજ ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરાશે. ત્યારબાદ મતપત્રોની છપામણી અને EVM પ્રિપેરેશનની સઘન તૈયારીઓ વિધિવત રીતે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:26 am

મોડાસામાં વલ્લભાચાર્યનો 559મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો:શોભાયાત્રા નીકળી, 300થી વધુ વૈષ્ણવોને પ્રસાદી અપાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જગદગુરુ મહાપ્રભુજી શ્રીમદ્ વલ્લભાચાર્યનો 559મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. ગોકુલનાથજી મંદિર, મોડાસા દ્વારા બુટાલવાડા ચોક ખાતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો જોડાયા હતા. આ અવસરે ધી યમુના બચત ધિરાણ સહકારી મંડળી, મોડાસા દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 300 જેટલા વૈષ્ણવ ભક્તોને પ્રસાદી અપાઈ હતી. કાર્યક્રમમાં મંડળીના ચેરમેન નીતિનભાઈ શેઠ સહિત તમામ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ગોકુલનાથજી મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠે મંડળીના સભ્યો અને ડિરેક્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારે મોડાસામાં વલ્લભાચાર્યનો પ્રાગટ્ય ઉત્સવ ધાર્મિક વાતાવરણમાં ઉજવાયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:25 am

કોઠારીયામાંઆજે ઝાલાવાડ રબારી સમાજના સમૂહ લગ્ન:45 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે; કનીરામ બાપુ, હાર્દિક ટમાલિયાનું સન્માન

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામે આજે 15 માર્ચના રોજ ઝાલાવાડ રબારી સમાજના 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર આ પ્રસંગે 45 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ સમૂહ લગ્ન કોઠારીયા સ્થિત રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ અને ગૌશાળાના વજા ભગતના સાનિધ્યમાં યોજાશે. નવદંપતીઓ વજાબાપાના આશીર્વાદ મેળવી તેમના લગ્નજીવનનો પ્રારંભ કરશે. ઝાલાવાડ રબારી સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયાએ જણાવ્યું હતું કે, 45 દીકરીઓ લગ્ન સંસારની શરૂઆત કરશે અને વજા ભગતના આશીર્વાદ હંમેશા તેમના પર રહેશે. આ પ્રસંગે હાલ ચાલી રહેલી રાધે-રાધે જીગ્નેશ દાદાની કથા સાથે ત્રિવેણી સંગમ રચાશે. આ અવસરે જગતગુરુ કનીરામ બાપુનું ભવ્ય સન્માન કરવામાં આવશે. તેમજ ભાજપના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનું પણ સ્વાગત અને સન્માન યોજાશે. આ ઉપરાંત, વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સંતો-મહંતો તેમજ અન્ય આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:15 am

મોડાસામાં બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવાઈ:જય ભીમના નાદ સાથે શોભાયાત્રા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે 'જય ભીમ'ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તાથી લિયો પોલીસ ચોકી સુધી આ શોભાયાત્રા નીકળી હતી. મોડાસાના નવીન બસ સ્ટેશન પાસે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નગરના રાજકીય અગ્રણીઓ, અનુસૂચિત સમાજના આગેવાનો, કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કોંગ્રેસ કાર્યકરો અને સર્વ સમાજના લોકોએ પુષ્પહાર અર્પણ કર્યા હતા. આ ઉજવણી દરમિયાન 'જય ભીમ'ના નાદ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં આપવામાં આવેલા હકો, સામાજિક ક્રાંતિ, સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાયના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:13 am

15 વર્ષીય સગીરા બિહારથી ભરૂચ આવી:માતા-પિતા સાથે ઘરકામના ઝઘડા બાદ ઘર છોડ્યું હતું; સખી સેન્ટરે પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું

ઘરકામના મુદ્દે માતા-પિતા સાથેના ઝઘડા બાદ એક 15 વર્ષીય કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પરથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેને સુરક્ષિત રીતે આશ્રય અને સહાય પૂરી પાડવામાં આવી હતી. સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈને માતા-પિતા દ્વારા થતા માનસિક ત્રાસને કારણે તે ઘરેથી નીકળી આવી હતી. કાઉન્સેલરોએ તેને સમજાવીને આશ્વાસન આપ્યું હતું. કાઉન્સેલિંગ બાદ યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર આપ્યો હતો. સખી સેન્ટર દ્વારા તાત્કાલિક યુવતીના પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને દીકરી સુરક્ષિત હોવાની જાણ કરી ભરૂચ આવવા વિનંતી કરાઈ હતી. માહિતી મળતા જ પિતા તાત્કાલિક ભરૂચ માટે રવાના થયા હતા. બીજા દિવસે તેઓ સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની ઓળખ માટે આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ માતા-પિતા અને યુવતીનું સંયુક્ત કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતે, સખી સેન્ટરના પ્રયાસોથી પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું અને યુવતીનું તેના માતા-પિતા સાથે સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 10:12 am

આંબેડકર જયંતિ નિમિત્તે દ્વારકાથી રેલી:મીઠાપુર પહોંચી, ગામડે ગામડે સ્વાગત કરાયું

આંબેડકર જયંતિ નિમિત્તે દ્વારકાથી મીઠાપુર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાબાસાહેબના ધજા, પતાકા અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં સુરેશભાઈ, મોહનભાઈ, જગદીશભાઈ સોલંકી, રાજમલભાઈ ચાનપા અને સોમભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેલીનું ગામે ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડવાળા અને આસપાસના ગામોના ગ્રામજનો પણ આ રેલીમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:45 am

વેરાવળમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી:શોભાયાત્રા, પુષ્પાંજલિ અને રક્તદાન કેમ્પ યોજાયા

ગીર સોમનાથના વેરાવળ ખાતે ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમાજના સંગઠનો અને અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા, પુષ્પાંજલિ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ભાલપરા, ભાલકા અને વેરાવળ સહિતના વિસ્તારોમાંથી વિવિધ સમાજના સંગઠનો, સમાજ પ્રમુખો અને અગ્રણીઓ રેલી સ્વરૂપે ટાવર ચોક પહોંચ્યા હતા. ડીજેના તાલે ભાઈઓ, બહેનો અને બાળકો સહિત દરેક સમાજના સંગઠનોના હોદ્દેદારોએ 'બાબાસાહેબ અમર રહો' જેવા નારા લગાવ્યા હતા. ટાવર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા સંગઠનોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે, ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ અને ડો. વ્રજકુમારની સ્મૃતિમાં એક મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ગુજરાત સામાન્ય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં 155 લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન થેલેસેમિયા અને કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે રેડ ક્રોસને અર્પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વેપારી મુકેશભાઈ ચોલેરાએ પોતાની દુકાન પાસે રેલીનું સ્વાગત કરી પુષ્પવર્ષા કરી હતી. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના આગેવાનોએ પણ ડો. બાબાસાહેબને પુષ્પો અર્પણ કર્યા હતા. ડો. બાબાસાહેબ આંબેડકરજીની મહારેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોકથી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકોએ બાબાસાહેબના વિચારો અંગેના પ્રવચનનો લાભ લીધો હતો. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડો. આંબેડકરનો સંદેશ માત્ર સમાનતાનો જ નહીં, પરંતુ સમાજ માટે કંઈક કરવાનો પણ છે. રક્તદાન જેવા ઉપક્રમો દ્વારા આ સંદેશને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ માનવ સેવા અને સામાજિક એકતાનું પ્રતિક બન્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:36 am

એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટ્યો:એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ

શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે 15 એપ્રિલે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. હોસ્ટેલના બ્લોક નંબર બીના એક રૂમમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સ્લેબ તૂટતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલઅચાનક સ્લેબ તૂટી પડવાના કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળની તસવીરો પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક રૂમમાં બેડ પર સ્લેબના પોપડા પડ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:30 am

બાદલપરામાં આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત:શિક્ષણ, સમાનતા, એકતાનું પ્રતિક બનશે; ધાનાબાપા પરિવારે ભૂમિદાન કર્યું

વેરાવળ ગીર સોમનાથના બાદલપરા ગામે ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધાનાબાપા પરિવાર દ્વારા ભૂમિદાન કરાયેલી જગ્યા પર સ્વખર્ચે આ ભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત લોકો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિઓ સાથે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું, જેમાં સૌએ ભવનના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આંબેડકર ભવન માત્ર એક ઇમારત નહીં, પરંતુ સમાજમાં શિક્ષણ, સમાનતા અને એકતાનું પ્રતીક બનશે. ભવિષ્યમાં આ ભવન વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ધાનાબાપા પરિવાર દ્વારા કરાયેલું ભૂમિદાન અને સ્વખર્ચે ભવન નિર્માણનો નિર્ણય સમાજસેવાનો ઉત્તમ દાખલો ગણાવાયો હતો. ઉપસ્થિત લોકોએ આ કાર્યને બિરદાવતા જણાવ્યું કે આ પહેલ આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:25 am

પૂર્વ વિસ્તારમાં દારૂની રેલમછેલ:નિકોલના ટેબલી ગામમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત, માતા- પુત્રએ ઘરમાં સંતાડ્યો હતો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દારૂ સહિતની વસ્તુઓની હેરફેર થતી હોય છે ત્યારે પોલીસ કમિશનરની પીસીબીની ટીમે પૂર્વ વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં મકાનમાંથી 1231 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માતા અને પુત્રએ ભેગા મળી ગામના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને મૂકી રાખ્યો હતો અને અલગ અલગ વ્યક્તિઓને આપવાનો હતો. પોલીસે હાલ કઠવાડા ગામમાં રહેતી મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બંધ મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતીપીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં હનુમાનજી મંદિર નજીક એક બંધ મકાનમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો મૂકી રાખવામાં આવેલી છે. જેના આધારે પોલીસે બાતમીવાળા મકાનમાં દરોડો પાડયો હતો. મકાનમાં અનિતાબેન ચુનારા (રહે. રાજીવનગરના કાચા છાપરા, કઠવાડા) નામની મહિલા હાજર મળી આવી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા અલગ-અલગ પુઠાના બોક્સ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. 1231 દારૂ-બિયરની બોટલો જપ્તપોલીસે અલગ અલગ બોક્સના પૂઠા ખોલી અને ગણતરી કરતા 1231 દારૂ અને બિયરની બોટલો રૂ. 5.22 લાખની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલાની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેના પુત્ર દિપક ઉર્ફે બાવો ચુનારાએ મંગાવ્યો છે અને દારૂનો જથ્થો દિપક તેના મિત્રો અને ખાનગી ગ્રાહકોને આપવાનો હતો હોવાનું જણાવ્યું હતું. પીસીબીની ટીમે અનિતાબેન અને તેના પુત્ર દિપક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને દારૂનો જથ્થો કોને કોને આપવાનો હતો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:23 am

'જો AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું':સુરતમાં પાયલ સાકરિયાનો ભાજપ પર ઉમેદવારોને ખરીદવાના પ્રયાસનો આક્ષેપ; કહ્યું- જનતા ગુંડાગીરીનો જવાબ આપશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સુરતના વોર્ડ નંબર 16ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર પાયલ સાકરિયાએ સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ભાજપ દ્વારા ડર અને ધમકીની રાજનીતિ કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, 2021થી અત્યાર સુધી અમે લોકોની વચ્ચે રહીને સેવા કરી છે. સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકેની જવાબદારી નિભાવીને અમે વિસ્તારમાં કરોડોના કામો કરાવ્યા છે. જે કામો ભાજપ શાસનમાં 30 વર્ષમાં નથી થયા, તે અમે વિપક્ષમાં રહીને 5 વર્ષમાં કરી બતાવ્યા છે. આ વિકાસ જોઈને હવે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. ‘30 વર્ષમાં કામ નથી થયા એ અમે 5 વર્ષમાં કર્યા’આજે 2026 એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ફરી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં વોર્ડ નંબર 16માંથી મેં ઉમેદવારી કરી છે. લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, પરંતુ ભાજપના પેટમાં તેલ રેડાય છે કે જે પ્રમાણે અમારા કામ વિસ્તારની અંદર બોલે છે કે 380 કરોડના કામ અમે પાંચ વર્ષ દરમિયાન કરાવી શક્યા છીએ, જે કામ 30 વર્ષની સત્તામાં પણ એમના માણસો કે એમના નેતાઓ નથી કરાવી શક્યા એ કામ અમે વિપક્ષમાં રહીને કરાવી શક્યા છીએ. જેનો પેટમાં દુખાવો મંત્રીજીને થઈ રહ્યો છે જેના કારણે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એન-કેન પ્રકારે લલચાવવા માટે એમના માણસોને મોકલી રહ્યા છે કે ભાજપમાં આવી જાઓ, ભાજપમાં આવી જાઓ. ‘કાર્યાલય માટે જગ્યા આપી તો દુકાન તોડી નાખીશું’આટલાથી શાંતિ નથી થતી પણ જે જગ્યાઓ ઉપર લોકો અમને કાર્યાલય માટેની જગ્યા આપી રહ્યા છે કે આ કાર્યાલય આ જગ્યા પર તમે કરો, તો એમને પણ એમના માણસો ધમકાવવા માટે પહોંચી જાય છે કે જો કાર્યાલય માટે આમ આદમી પાર્ટીવાળાને જગ્યા આપી તો તમારી જગ્યા તોડી નાખશું, તમારી દુકાન તોડી નાખશું, તમારું બાંધકામ નહીં થવા દઈએ, તમારા ધંધા-રોજગાર ભાંગી નાખશું. ‘ચૂંટણીમાં લોકો તમને જવાબ આપશે’તો તમે આ જે ગુંડાગર્દી જે લોકશાહીની જે હત્યા કરી રહ્યા છો, ગુંડાગર્દી કરી રહ્યા છો, લોકોને ધમકાવી રહ્યા છો તો એમનાથી સાહેબ તમને મત નહીં મળે. અમે લોકોની વચ્ચે સતત રહ્યા છીએ, લોકોના આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં એ તમામ લોકો તમને જવાબ આપશે, તમારી ગુંડાગર્દીને જવાબ આપશે, તમારી આ તાનાશાહીને જવાબ આપશે. ‘અમે રાજનીતિ બદલવા આવીએ છીએ’અમે ખૂબ ગર્વ સાથે કહીએ છીએ કે અમે જ્યારે 2021માં લોકોની વચ્ચે આવ્યા, સંકલ્પ લીધો હતો કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, સિસ્ટમ બદલવા માટે આવ્યા છીએ. આજે આપણો ભારત દેશ યુવાનોનો દેશ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનની રાજનીતિમાં જ્યારે અમે આગળ વધ્યા છીએ ત્યારે છેલ્લે પાંચ વર્ષની અંદર અમે કામની રાજનીતિ કરીશું એવું અમે કીધું હતું. આજે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના મોટા મોટા મંત્રીઓ અને નેતાઓએ વિસ્તારની અંદર ફરવું પડે છે અને કહેવું પડે છે કે વરાછામાં અમે આ કામ કરાવ્યા, વરાછાની અંદર આ શાળા બનાવી, વરાછાની અંદર આ હોસ્પિટલ બનાવી. ‘અન્ય મહાનગરપાલિકામાં કેમ શાળા-હોસ્પિટલની વાત થતી નથી’એટલા માટે કહેવું પડે છે કારણ કે વરાછાની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા. ગુજરાતની અંદર અલગ ઘણી બધી મહાનગરપાલિકાઓ છે, કેમ કોઈ જગ્યા પર શાળાઓ બાબતે વાત નથી થતી? કેમ કોઈ જગ્યા પર હોસ્પિટલો બાબતે વાત નથી થતી? કેમ કોઈ જગ્યા પર રોડ-રસ્તા બાબતે વાત નથી થતી? ‘પાંચ વર્ષમાં અમે તમામ કામો ઉપર સફળ નીવડ્યા છીએ’હું ખૂબ ગર્વ સાથે એટલા માટે કહું છું કે વરાછાના લોકો અને કતારગામના લોકોએ અમને જે સપોર્ટ અને અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, પાંચ વર્ષમાં અમે તમામ કામો ઉપર સફળ નીવડ્યા છીએ. આજે વરાછાની અંદર તમામ રોડ-રસ્તા સારા છે, હોસ્પિટલની સારી સુવિધાઓ અમે કરાવી શક્યા છીએ, શિક્ષણ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને અમે સારામાં સારી શાળાઓ ડેવલોપ કરી શક્યા છીએ. ‘મંત્રીઓને કોર્પોરેશનની ચૂંટણીમાં રસ લેવો પડે છે’ત્યારે આ મંત્રીઓને પોતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઈન્ટરફિયર કરવું પડે છે અને કહેવું પડે છે કે આમ આદમી પાર્ટીવાળાને કાર્યાલય નહીં આપતા. આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારી કરી રહ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે, એમના માણસો આવી રહ્યા છે, આગળ-પાછળ દોડી રહ્યા છે કે તમે ફોર્મ પાછું ખેંચી લો. ‘કાર્યકર્તાઓને લાલચ આપે છે’કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે તમારી ટીમ સાથે ભાજપમાં જોડાઈ જાઓ, અમે આ કરીશું, તે કરીશું... તમે ભાવ બોલો, પૈસા બોલો. શું તમે પૈસાથી ચૂંટણી લડવા આવ્યા છો? 30 વર્ષથી તમને લોકોએ મત આપ્યા છે તો કામ કરીને બતાવોને? તો તમારે પૈસા વહેંચવાની કે ખરીદવાની જરૂર ન પડત. ‘પૈસા અને સત્તાનું ઘમંડ વોર્ડ નંબર 16ના લોકો તોડીને બતાવશે’હું એટલું જ કહેવા માંગુ છું કે તમારું પૈસાનું ઘમંડ અને સત્તાનું ઘમંડ વોર્ડ નંબર 16ના લોકો તોડીને બતાવશે. 2021માં કામની રાજનીતિ પર વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યો હતો અને પાંચ વર્ષ અમે જે કામગીરી કરી છે એ જોઈને લોકો અમને મત આપવાના છે. તમે કાર્યાલય માટે જગ્યા નહીં આપવા દો, લોકોને ધમકાવશો પણ અમે લોકોના ઘર-ઘર સુધી છીએ. લોકો અમને આશીર્વાદ આપે છે, તમે એમાં કઈ રીતના અટકાવી શકશો? આ લોકશાહી ચાલી રહી છે સાહેબ, ક્યારે તમારી સત્તાનો પાયો ડગમગી જશે અને ક્યારે તમે ખુરશીની નીચે આવી જશો એ ખબર નહીં પડે. એટલે બસ એટલી જ વિનંતી છે કે કર્મ સારા કરો, લોકોના કામ કરો એટલે તમારે છે ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની જરૂર નહીં પડે અને કાર્યાલયો માટે લોકોને ધમકાવવાની જરૂર નહીં પડે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:07 am

પાટણમાં 5 લાખ સામે 17 લાખ વસૂલ્યા:વધુ 7 લાખની પઠાણી ઉઘરાણી, વ્યાજખોર સામે ફરિયાદ

પાટણ શહેરના એક બિલ્ડર પાસેથી ધંધા માટે લીધેલા 5 લાખ રૂપિયાની સામે વ્યાજ સહિત કુલ 17.38 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં, વધુ 7 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા વ્યાજખોર દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણના મીરા દરવાજા રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા મિતુલકુમાર અમિતકુમાર રાવતે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023માં ધંધાર્થે નાણાંની જરૂર પડતા પરિચિત દેવેન્દ્ર શંકરલાલ પટેલ પાસેથી 5 લાખ રૂપિયા 1 ટકા માસિક વ્યાજે લીધા હતા. આ રકમ મેળવતી વખતે જામીન પેટે ફરિયાદીએ પોતાના બે કોરા ચેક આપ્યા હતા. શરૂઆતમાં ફરિયાદીએ નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ વ્યાજખોરે વ્યાજનો દર વધારીને 3 ટકા કરી નાખ્યો હતો. નવેમ્બર 2024માં આરોપીએ નાણાંની ઉઘરાણી માટે દબાણ કરતા ફરિયાદીએ પોતાની સોનાની વીંટી વેચીને અને મિત્ર પાસેથી ઉછીના નાણાં લઈને કુલ 2 લાખ રૂપિયા મૂળ રકમ પેટે જમા કરાવ્યા હતા. તેમ છતાં, આરોપી દેવેન્દ્ર પટેલે વિચિત્ર ગણતરી રજૂ કરી હતી. આરોપીએ એવો દાવો કર્યો હતો કે તેણે ફરિયાદીને આપેલા નાણાં અન્ય વ્યક્તિ પાસેથી લાવ્યા હતા, જેમાં તેને એરંડાના વેચાણમાં નુકસાન થયું છે અને તે રકમ વ્યાજમાં ગણવી પડશે. આરોપીએ આ રીતે 5 લાખ સામે 12.41 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી જો નાણાં નહીં ચૂકવાય તો કોરા ચેકમાં 10 લાખ ભરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. ભયભીત થયેલા ફરિયાદીએ એપ્રિલ 2025થી જુલાઈ 2025 દરમિયાન ટુકડે-ટુકડે બેંક ટ્રાન્સફર (IMPS) અને રોકડ મળીને કુલ 17,38,243 રૂપિયા ચૂકવી દીધા હતા. આટલી માતબર રકમ વસૂલ્યા પછી પણ આરોપી સંતોષાયો ન હતો અને વધુ 7 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. સતત મળતી ધમકીઓથી કંટાળીને અંતે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી દેવેન્દ્રભાઈ શંકરલાલ પટેલ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 308(2), 308(3) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 9:01 am

ગુજરાતનો રાજકીય નક્શો બદલાશે! હવે 39 સાંસદ અને 273 ધારાસભ્યો હશે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર

Women Reservation Bill: કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જે આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે. ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. જ્યારે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્યારે કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.

ગુજરાત સમાચાર 15 Apr 2026 8:44 am

હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG લઈને 'જગ વિક્રમ' કંડલા બંદરે પહોંચ્યું

Jag Vikaram kandla News : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્રી નાકfબંધીના ભય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' (Jag Vikram) 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને આજે બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. સંઘર્ષવિરામનો મળ્યો લાભ અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામ બાદ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે. આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવારની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું હતું અને ઓમાનની ખાડી થઈને ભારત તરફ આગળ વધ્યું હતું.

ગુજરાત સમાચાર 15 Apr 2026 8:38 am

જેની સાથે લિવ-ઈનમાં હતો તે મહિલાની પુત્રી પર દુષ્કર્મ આચર્યું:માતાએ પોતાના પ્રેમી સાથે દીકરીને કઢંગી હાલતમાં જોઈ, ફરિયાદ કરતા આરોપીએ આપઘાત કરી લીધો

રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીર દીકરીની માતાના પ્રેમીએ જ સગીરા સાથે પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરા તેની માતા અને તેનો પ્રેમી સાથે રહેતા હતા. રાત્રિ દરમિયાન સગીરાની માતા સુઈ ગયા બાદ સગીરાને અલગ રૂમમાં લઇ જઈ શખસ દુષ્કર્મ આચરતો હતો. માતાએ પોતાના પ્રેમી સાથે દીકરીને કઢંગી હાલતમાં જોતા ભાંડો ફૂટ્યોરાત્રિ દરમિયાન સગીરાને બાજુમાં સુતેલી ન જોતા માતાએ તેને શોધતા ભાંડો ફૂટ્યો હતો. સગીરાની માતાએ પોતાના પ્રેમી સાથે સગીરાને કઢંગી હાલતમાં જોતા ભાંડો ફૂટ્યો હતો. પ્રેમી સાથે બોલાચાલી થતા અન્ય સબંધીના ઘર ચાલ્યા ગયા બાદ દીકરીએ આપવીતી જણાવી હતી. ફરિયાદ થતાં આરોપીએ ઝેરી દવા પી લીધીદીકરીની આપવીતી સાંભળી માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતા સાંજે તેને ઝેરી દવા પી લેતા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 8:34 am

અંદમાન સાગરમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, 250 લોકો ડૂબી ગયાની આશંકા

Boat Capsizes In Andaman Sea: અંદમાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અંદમાન દ્વીપસમૂહ પાસે મલેશિયા જઈ રહેલી એક મોટી હોડી સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ હોડીમાં 250થી વધુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકો સવાર હતા. બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં એક મહિલા સહિત નવ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના લોકોનું શું થયું તેનો કોઈ અત્તો પત્તો નથી. આ લોકોને તસ્કરી કરીને લઈ જવામાં આવી રહ્યા હતા.

ગુજરાત સમાચાર 15 Apr 2026 8:01 am

પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે:અંતિમ ઘડીએ 'ખેલ' ન થઈ જાય તે માટે કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. કોંગ્રેસે ભાજપના ડરથી ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યાકોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના 14 એપ્રિલથી જ ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. '30 લાખની લાલચ આપી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે'ગઈકાલે 14 એપ્રિલે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓ રૂ.20થી 30 લાખ આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) કનુભાઈ પ્રજાપતિ અમારા સંપર્કમાં નથી વડોદરા કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ ભાસ્કરને જણાવ્યું હતું કે, વોર્ડ 11ના અમારા ઉમેદવાર અમારા સંપર્કમાં નથી. તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. અન્ય વોર્ડમાં પણ ઉમેદવારી પરત ખેંચવા ધાકધમકી મળી રહી છે. જેઓને પણ અમે સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ કરી છે. આજે જ ખબર પડશે કે કનુભાઈ પ્રજાપતિ ક્યાં હતા અને તેઓ ચૂંટણી લડશે કે નહીં. ભાજપના ઉમેદવારના પિતાની આખા ગુજરાતમાં સૌથી વધુ જમીન?વડોદરા મનપાના વોર્ડ 11માં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિના પિતા દલસુખ પ્રજાપતિ આખાયે ગુજરાતમાં સૌથી વધુ જમીન ધરાવતા ધનકુબેર હોવાનું કહેવાય છે. અને તેના કારણે જ તેઓ શામ, દામ, દંડ, ભેદ જેવી નીતિઓ અપનાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે. કોંગ્રેસના ઉમેદવાર પણ પ્રજાપતિ સમાજમાંથી જ આવે છે જેથી તેઓ ઉપર સમાજમાંથી પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચશે તો ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ જાહેર થઇ જશે અને તેઓના વોર્ડમાં બાકીના 3 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 7:00 am

'ચાર દિવસે પાણી આવે છે એનો પણ ટાઈમ ફિક્સ નથી':'કોઈ ગટર સાફ કરવા આવતું નથી, અમારે હાથે ગટરો સાફ કરવી પડે'; વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ

રાજ્યમાં નવી બનેલી 15 મહાનગરપાલિકાઓમાં અત્યારે સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં આક્રોશ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. ‘અમારે પાણીની ખુબ મોટી સમસ્યા છે’વોર્ડ નં -2ના હસુબેને જણાવ્યું હતું કે, અમારે પાણીની ખુબ મોટી સમસ્યા છે. ચાર દિવસે પાણી આવે છે અને એ પણ ટાઈમ વગરનું. ક્યારેક આઠ વાગ્યે આવે તો ક્યારેક નવ વાગ્યે આવે છે. ક્યારેક તો રાત્રે પાણી આવે છે. પાણીનો ફિક્સ ટાઈમ હોવો જોઈએ. ‘વિસ્તારમાં સફાઈ કરવાવાળા કોઈ આવતા નથી’આ અંગે ઇન્દીરાબાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના રોડમાં ખુબ બિસમાર હાતલમાં છે. ખાડામાં કેટલાય માણસો પડી જાય છે. શેરીમાં ગંદકી એટલી છે કે, લોકોને ડેન્ગ્યુ થઇ ગયા હતા. આ વિસ્તારમાં સફાઈ કરવાવાળા કોઈ દિવસ આવતા જ નથી. અમારે પૈસા નથી જોઈતા બસ અમને આટલી સુવિધા કરી દો. અન્ય એક સ્થાનિક વિકી ભરવાડે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા બની પણ જે પ્રકારે સુવિધાઓ મળવી જોઈએ, એ અહીંના સ્થાનિક લોકોને મળતી નથી, અહીં રોડ, રસ્તા, ગટર, પાણી શિક્ષણ અને આરોગ્ય તમામને લગતી ઘણી બધી સમસ્યાઓ છે, જેમાં મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે. આ વખતે અમારી સોસાયટીના રહીશો મત બહિષ્કારની વાતો કરી રહ્યાં છે. આ અંગે ખોડુભા મહીપતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નવા ચૂંટાઈને આવનારા નેતાઓ પાસે રોડ-રસ્તા અને પાણી સહિતની સુવિધાઓની અપેક્ષાઓ છે. કિંજલબેને જણાવ્યું હતું કે, અહીં ડામરનો નહીં, પણ પાક્કો RCC રોડ બનાવો, નહીં તો અમે હવે વોટ નહીં આપીએ. રંજનબેને જણાવ્યું હતું કે, અહિં સફાઈ માટે નિયમિત એક બેનને મોકલો. અહીં હનુમાન મંદિરે દર અગિયારસે અમે ધૂન કરીએ છીએ, તો અમને બેસવા માટે બે ત્રણ બાંકડા મુકાવી દો. પાલિકામાં અમે વેરા ભરીએ છીએ, તો અમને સુવિધાઓ આપવી પડે ને, નહીં તો હવે અમે મત નહીં આપીશું. રસ્તો, સફાઈ, ગટર ચોખ્ખી રખાવોકાળુ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હરીપ્રકાશ નગરની હાલત તમે જોવો તો ખબર પડે, ચોમાસામાં કોઈ ગટર સાફ કરવા આવતું નથી. ફોન કરીએ તો સરખો જવાબ નથી આપતા. એમ એમ નથી કેતા કે, અમારા ઘરે ઘઉંની બોરી અને તેલનો ડબ્બો મૂકી જાવ, પણ અમને રસ્તો, સફાઈ, ગટર ચોખ્ખી રખાવો, લાઈટ અને પાણી નિયમિત આપો, બે મહિને લાઈટો રિપેર થાય છે, કોઈ સાંભળતું જ નથી. અગાઉ ત્રીસ વખત અમે રજૂઆત કરી હતી, છેવટે અમે હાથે ગટરો સાફ કરી હતી. સુરેન્દ્રનગરમાં ત્રિપાંખિયો જંગસુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એક હથ્થુ શાસન છે. તેવી જ રીતે સંયુકત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ હતી. જયારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યુ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા માળખા પ્રમાણે કુલ 13 વોર્ડની 52 બેઠકોની કુલ 2,66,733ની વસ્તી સામે ક્યા વર્ગની કેટલી બેઠકો અનામત છે, એમાં સામાન્ય વર્ગની 16 બેઠકો, સ્ત્રી અનામતની 17 બેઠકો, SCની 3 બેઠકો, SC સ્ત્રી અનામતની 2 બેઠકો, OBCની 7 અને OBC સ્ત્રી અનામતની 7 બેઠકોનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વર્ષ 2021માં પુરુષ મતદારો - 8,554, સ્ત્રી મતદારો - 8,099 મળી કુલ મતદારો - 16,653 હતા. જે મહાનગરપાલિકા બન્યા બાદ આ વોર્ડ નં 2માં પુરુષ મતદારો - 7,350, સ્ત્રી મતદારો - 6,758 મળી કુલ મતદારો - 14,108 થયા છે, એટલે કે આ વોર્ડમાં કુલ 2,545 મતદારોનો ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગર મનપામાં જ્ઞાતિ મુજબ વસ્તી જોઈએ તો વોર્ડ નં 2માં કુલ 22,657 વસ્તીમાં SCની વસ્તી-157, STની 81 અને OBCની વસ્તી 9,421ની છે. જયારે આ વોર્ડ નં 2માં બેઠક-1માં OBC સ્ત્રી અનામત, બેઠક-2માં સ્ત્રી અનામત, બેઠક-3માં સામાન્ય વર્ગ અને બેઠક-4માં પણ સામાન્ય વર્ગની બેઠક છે. આ વોર્ડ નં 2માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:05 am

નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નં.1નો ગ્રાઉન્ડ રિપોર્ટ:કેસરિયો ગઢ સાચવવા ભાજપ સજ્જ, પ્રદૂષણ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ મેદાનમાં ઉતરી;પરિવર્તન કે પુનરાવર્તન નક્કી કરશે જનતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. પશ્ચિમ વિસ્તારના આ પરંપરાગત ભાજપી ગઢમાં આ વખતે વિકાસના દાવાઓ સામે મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોએ રાજકીય જંગને વધુ રોમાંચક બનાવ્યો છે. ભાજપના રિપોર્ટ કાર્ડ સામે વિપક્ષની ઘેરાબંધીસત્તાધારી ભાજપ પક્ષ પોતાના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યોના રિપોર્ટ કાર્ડ સાથે મેદાનમાં છે, તો સામે પક્ષે કોંગ્રેસ ગટર વ્યવસ્થાની બદહાલી અને પર્યાવરણીય પ્રદૂષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવી શાસક પક્ષની ઘેરાબંધી કરી રહી છે. જલાલપોર અને પૂર્ણેશ્વર જેવા અતિ મહત્વના વિસ્તારોને આવરી લેતા આ વોર્ડમાં કુલ 14,592 મતદારો છે. અહીંના ચૂંટણી જંગમાં પાટીદાર, કોળી પટેલ, આદિવાસી અને અનાવિલ જ્ઞાતિના સમીકરણો હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતા આવ્યા છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, આ વોર્ડમાં 7,540 પુરુષ મતદારો અને 7,051 મહિલા મતદારોની સાથે 1 અન્ય મતદાર પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં જશુબેન રાઠોડ, કેયુરીબેન દેસાઈ, દિપક પટેલ અને આશિષ રાખોલીયા જેવા દિગ્ગજ ચહેરાઓ પક્ષની શાખ જાળવવા કમર કસી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે પરિવર્તનના નાદ સાથે જયશ્રીબેન રાઠોડ, મનિષાબેન દેવાણી, નેહલ કુમાર પટેલ અને જયેશભાઈ આહીર પર પસંદગીનો કળશ ઢોળીને ચૂંટણી જંગને પ્રબળ બનાવ્યો છે. અર્વાચીન સોસાયટીઓ આ વોર્ડની ભૌગોલિક ઓળખ ભગત ફળિયા, મકાટી વાડ, કુંભાર વાડ અને આહિરવાસથી લઈને વૃન્દાવન સોસાયટી, પૂર્ણેશ્વર રોડ, વિજયનગર, મહાદેવ નગર, કણબી વાડ અને લક્ષ્મીનગર જેવી અનેક પુરાણી અને અર્વાચીન સોસાયટીઓ આ વોર્ડની ભૌગોલિક ઓળખ છે. નોંધનીય છે કે, વર્ષ 2007 માં નવસારી નગરપાલિકામાં સમાવેશ થયા બાદ આ સમગ્ર વિસ્તારના માળખાગત ઢાંચામાં અનેકવિધ પરિવર્તનો અને બદલાવ જોવા મળ્યા છે. ભાજપ ગણાવે છે વિકાસની અવિરત યાત્રાસામાજિક અગ્રણી જે.ડી. દેસાઈના મતે, 2007 થી અત્યાર સુધીમાં WTP પ્રોજેક્ટ, સુદ્રઢ ડ્રેનેજ અને સીસી રોડના કામોથી વિસ્તારની કાયાપલટ થઈ છે. મહાનગરપાલિકાના દરજ્જા સાથે બાકી રહેલા પ્રશ્નો પણ ઉકેલાશે. સ્થાનિક નાગરિક કમલેશભાઈ દેસાઈ સી.આર. પાટીલ અને કોર્પોરેટરોની કામગીરીથી સંતુષ્ટ છે અને રેલવે ઓવરબ્રિજ જેવી સમસ્યાઓના નિકાલની આશા સેવી રહ્યા છે. કોંગ્રેસને લાગે છે વિકાસના છાયામાં ભ્રષ્ટાચારની આશંકાકોંગ્રેસના ઉમેદવાર નેહલભાઈ પટેલે પ્રહાર કરતા જણાવ્યું છે કે 19 વર્ષના શાસન છતાં સ્થિતિ જૈસે થે છે. ધાણા તળાવ જેવો પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો છે અને લોકોને ગંદા પાણીની સમસ્યા વચ્ચે શુદ્ધ પાણી માટે વલખાં મારવા પડે છે. બંદર રોડ પર કચરો સળગાવવાથી પ્રદૂષણ વધ્યું છે અને આગામી ડેમ પ્રોજેક્ટ ખેતી તથા ભૂગર્ભ જળ માટે જોખમી સાબિત થશે. સુરતની ટ્રેનો બંધ થવાનું કારણ શું છે?સ્થાનિક મતદાર જેન્તીભાઈ આ વિસ્તારની સમસ્યા જણાવતા કહે છે કે પહેલા અહીંથી સુરત જવા માટે ટ્રેનો ચાલતી હતી જે હવે બંધ થઈ ગઈ છે, સામાન્ય લોકોને ઘણી તકલીફ પડી રહી છે. ટ્રેનો બંધ થવાનું કારણ સમજાતું નથી. નેતાઓને સામાન્ય લોકોની સમસ્યા દેખાતી જ નથી મતદારોની વ્યથા: આર્થિક મંદી અને મોંઘવારીની ભીંસસ્થાનિક ઉમાકાંત દેસાઈના જણાવ્યા મુજબ, હીરા ઉદ્યોગમાં વ્યાપેલી મંદીએ રોજગારી છીનવી લીધી છે, જેના કારણે લોકો પલાયન કરી રહ્યા છે. માળખાગત સુવિધાઓમાં સુધારો થયો હોવા છતાં, જૂની પાઈપલાઈનોને કારણે ઉંચાઈવાળા વિસ્તારોમાં જળ સંકટ હજુ પણ યથાવત છે. છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ 'સુખાકારી' ના મંત્ર સાથે મતોની આશા રાખી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 'ગંદકી અને પ્રદૂષણ' ને જનતાની અદાલતમાં મુદ્દો બનાવી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે વોર્ડ નંબર 1 ના મતદારો આ વખતે કોની વિજય પતાકા લહેરાવે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:00 am

BJPના કાર્યક્રમમાં મહિલા ઉમેદવારો ક્યાં?:ભોંઠા પડતા સ્ટેજ પરથી નેતાઓએ સલાહો ઠોકી; કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’, પોતાના જ ઉમેદવારો સામે અવિશ્વાસ!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:00 am

પૂર્વ સરપંચની હત્યાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી:પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો કેસ, 3 જુલાઇ આશાનું કિરણ લઇને આવી

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે લોલિયા ગામના પૂર્વ સરપંચ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક 6 લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટના વિજયભાઇના બહેન પ્રવીણાબેન અને ભાણીયા બિપિન સોલંકીની આંખો સામે ઘટી હતી. હુમલા બાદ વિજયભાઇને તાત્કાલીક સારવાર માટે તો લઇ જવાયા પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. પૂર્વ સરપંચની થયેલી હત્યાએ આખા પંથકમાં ઉહાપોહ મચાવી દીધો હતો. જેના કારણે કેસની તપાસ બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપાઇ હતી. હવે આગળ વાંચો.... પૂર્વ સરપંચની હત્યાથી ભારે આક્રોશ હતો. લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેથી પોલીસ પર કોઇપણ ભોગે આરોપીઓને પકડવાનું દબાણ વધ્યું હતું. હવે પોલીસ માટે આ કેસ માત્ર એક હત્યાનો નહોતો પરંતુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. જ્યારે પણ કોઇ ગુનો બને છે ત્યારે પોલીસની પ્રાથમિકતા ઘટનાસ્થળેથી જે પણ પુરાવા મળે તેને એકઠા કરવાની હોય છે. કેમ કે આ પુરાવા જ મહત્વના સાબિત થતાં હોય છે. આ કેસમાં પણ પોલીસે આ જ પ્રકારની કામગીરી કરી. પોલીસે કોર્ડન કરેલા ઘટનાસ્થળે FSLની ટીમને બોલાવી. જે જગ્યાએ લાશ પડી હતી ત્યાં ચપ્પલ વેરવિખેર હાલતમાં હતા. જમીન પર લોહીના ખાબોચિયાં જામી ગયા હતા. પોલીસે લોહીવાળી માટી અને સાદી માટીના નમૂના પણ લેવડાવ્યા. આ માત્ર નમૂના નહોતા પણ એવા પુરાવા હતા જે આવનારા સમયમાં આરોપીઓને જેલમાં સળિયા પાછળ ધકેલવામાં મહત્વની ભૂમિકા ભજવવાના હતા. વિજયભાઇની લાશનું પોસ્ટ મોર્ટમ કરવા માટે પણ ખાસ ડૉક્ટર્સની એક પેનલ બનાવાઇ હતી. ડૉક્ટર્સે કરેલા પોસ્ટ મોર્ટમનો જે રિપોર્ટ આવવાનો હતો તે જોઇને ભલભલાને આંચકો લાગવાનો હતો કેમ કે વિજયભાઇને 1-2 નહીં પણ 88 જગ્યા પર ગંભીર ઇજા પહોંચી હોવાનો તેમાં ઉલ્લેખ હતો. આ આંકડો જ દર્શાવતો હતો કે હુમલાખોરોમાં કેટલી નફરત ભરેલી હશે. તેમને માથાથી માંડીને હાથ-પગ પર આડેધડ લાકડીઓના એવા ફટકાં મારવામાં આવ્યાં હતા કે તેમનું એક પણ અંગ આ હુમલા પછી સાજું નહોતું રહ્યું. લોખંડની ટોપીવાળી લાકડીઓથી શરીરની અંદરના ભાગમાં પણ એટલી ઇજા પહોંચી હતી કે ત્યાંનો ભાગ પણ ફાટી ગયો હતો. પીએમ રિપોર્ટ પરથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે વિજયભાઇનું મોત અતિશય વહેલા લોહી અને આઘાતના કારણે થયું છે. જે રીતે હુમલો થયો તે જોતાં પોલીસને આશંકા હતી કે આ કોઇ આકસ્મિક ઝઘડા બાદનો હુમલો નથી પણ પ્રોપર પ્લાનિંગ કરીને હત્યા કરવાના ઇરાદે થયેલો હુમલો છે. પીએમ રિપોર્ટ આવી ગયો હતો પણ જેણે હુમલો કર્યો તે 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. રઘુભાઇ, ભીમાભાઇ, કાળુભાઇ, મફાભાઇ ઉર્ફે દાનુભાઇ, કુલદીપ ઉર્ફે લાલાભાઇ અને જીજ્ઞેશભાઇ નામના આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. આ તમામ આરોપીઓ ગામ છોડીને ભાગી ગયા હતા એટલે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની જાળ બિછાવી દીધી હતી, અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા પણ આરોપીઓનો કોઇ પત્તો મળતો નહોતો. આમને આમ એક દિવસ વિતી ગયો પણ 3 જુલાઇની તારીખ પોલીસ માટે આશાનું કિરણ લઇને આવવાની હતી. ત્રીજી તારીખે પોલીસે ઘટનાના મુખ્ય આરોપી રઘુની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ એક પછી એક બીજા આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવી ગયા. એટલું જ નહીં તપાસ દરમિયાન પોલીસે આરોપીઓએ વાપરેલી લાકડીઓ અને ઘટના સમયે જે કપડાં પહેર્યાં હતા તેને પણ એકઠાં કરીને વધુ તપાસ માટે FSLમાં મોકલી આપ્યાં હતાં. હવે વિજયભાઇની હત્યાના કારણ પરથી પડદો ઊંચકાવાનો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી. પહેલાં તો બધાએ એવો જ ડોળ કર્યો કે પોતે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે આ કેસમાં સંડોવાઇ રહ્યાં છે પરંતુ પોલીસે થોડી સખ્તાઇ વર્તી એટલે આરોપીઓના ચહેરા પરનું નૂર ઊડી ગયું. થોડીવારમાં તો તેમણે પોલીસ સમક્ષ બે હાથ જોડીને કબૂલાત કરવાની શરૂઆત કરી દીધી. 'સાહેબ… અમે વિજયભાઇના વધી રહેલાં વર્ચસ્વથી નારાજ હતા. આ વાત અમને જરા પણ હજમ થાય તેવી નહોતી અને એટલા જ માટે અમે તેનું કાસળ કાઢવાનું નક્કી કરીને આખો પ્લાન ઘડી નાંખ્યો હતો. આ માટે અમે લાકડીઓ વડે તેના પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું.' આરોપીઓની આ કબૂલાતથી વિજયભાઇની હત્યાનું કારણ તો સામે આવી ગયું પણ હજુ વધુ એક ઘટસ્ફોટ થવાનો હતો. વિજયભાઇ જ્યારે સરપંચ હતા ત્યારે રઘુભાઇ ડેપ્યુટી સરપંચ હતા. આ સમયથી જ બન્ને વચ્ચે દુશ્મનીના બીજ વવાયા હતા. આ કેસ ધોળકા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરિયાદી પ્રવીણાબેન તરફથી સરકારી વકીલ જે.સી.પટેલે ધારદાર રજૂઆતો કરી હતી. આ કેસમાં એક સમયે એવો પણ વળાંક આવ્યો કે જે સાક્ષીઓ હતા તેમણે પણ પોતાનો જવાબ ફેરવી નાંખ્યો હતો પણ વિજયભાઇના બેન પ્રવિણા અને ભાણિયા બિપિને ઘટના સમયે જે ખૂની ખેલ જોયો હતો તેના પર અડગ રહ્યાં હતા. તેમની જુબાનીએ કેસનો પાયો મજબૂત કર્યો હતો. બીજીતરફ ઘાયલ થયેલા ઘનશ્યામભાઇએ પણ હુમલાખોરોની ઓળખ કરી હતી. મેડિકલ રિપોર્ટ અને FSL રિપોર્ટે પણ સાક્ષીઓની જુબાનીને સમર્થન આપ્યું હતું. બચાવ પક્ષે પણ ખૂબ લાંબી દલીલો કરી હતી કે આરોપીઓ નિર્દોષ છે. ઘટનામાં તેમનો કોઇ રોલ નથી. જૂની અદાવતના કારણે ફસાવાઇ રહ્યાં છે. કોર્ટે પીએમ રિપોર્ટ, FSL રિપોર્ટ અને સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખીને બચાવ પક્ષની દલીલો ફગાવી દીધી હતી. આ કાનૂની કાર્યવાહી દરમિયાન કેસના મુખ્ય આરોપી રઘુભાઇનું બીમારીના કારણે અવસાન થયું હતું. જ્યારે બાકીના પાંચેય આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. વર્ષો વીતતા ગયા પણ વિજયભાઇનો પરિવાર ન્યાયની આશા છોડવા તૈયાર નહોતો. આખરે 13 વર્ષ બાદ એટલે કે 17 માર્ચ, 2026 ના રોજ તે ઐતિહાસિક દિવસ આવ્યો જ્યારે કોર્ટે પોતાનો આખરી ફેંસલો સંભળાવ્યો અને તમામ આરોપીઓને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. ચુકાદો આપતાં ન્યાયાધીશ એન.જી દવેએ અવલોકન કર્યું કે સાક્ષીઓની સંખ્યા કરતાં પુરાવાની ગુણવત્તા મહત્વની છે. દોષિતોએ કાયદાને હાથમાં લઇને જે નિર્મમતા દાખવી છે તે માફીને માત્ર નથી. કોર્ટે મૃતક વિજયભાઇની માતાને 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. પૂર્વ સરપંચની હત્યાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:00 am

પ્લેગથી પેન્ટાગોનને ટક્કર આપતા સુરતની ગૌરવગાથા:રાખમાંથી બેઠા થયેલા રત્નના મનપાનો ઈતિહાસ, હીરા ઘસતા ને નેતા ઘડતા પણ આવડે; અણનમ જુસ્સા ને સાહસની રોમાંચક કહાની

રાખમાંથી બેઠું થઈ વૈશ્વિક ફલક પર ચમકતું સુરત! પ્લેગના વિનાશથી આધુનિક વિકાસ સુધીની સુરતના અણનમ જુસ્સાની આ છે ગૌરવશાળી ગાથા. ઉપરના વીડિયો પર ક્લિક કરીને જાણો મનપાની A to Z વિગતો

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:00 am

ભર ઉનાળે જેકેટ પહેરેલી પોલીસને જોઇને નવાઇ ન પામતા:ટ્રાફિક જવાનોને મળશે હાઇટેક ‘કવચ’, 45 ડિગ્રી ગરમીમાં પણ લાગશે ઠંડા ઠંડા કુલ કુલ

ભારે ગરમીમાં જ્યારે આપણે થોડીવાર પણ બહાર કામથી નીકળીએ તો જાણે ચામડી બળી જાય તેવું લાગે છે. અને ઘણીવાર હીટવેવના કારણે લૂ લાગવાની પણ ઘટના બનતી હોય છે. નોકરીએ જવાનું હોય તો બાઇક ચલાવતા હોય ત્યાં સુધી તડકો સહન કરવો પણ ભારે પડી જાય છે. ત્યારે વિચાર કરો કે શહેરના વ્યસ્ત જંકશનો પર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ જવાનો માટે આ ધોમધખતો તાપ કેટલો મોટો પડકાર હોય છે. 40 ડિગ્રી તાપમાન હોય કે 45 તેમને ખરા બપોરમાં ગરમ વરાળ ફેંકતા રોડ પર ઊભા રહીને ટ્રાફિક નિયમન કરવું પડે. એમાં પણ અમદાવાદમાં તો કેટલી ગરમી પડે છે તેની સૌ કોઇને ખબર જ છે. આવામાં શહેરમાં ભર તડકે ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ગરમીથી બચાવવા માટે ઠંડક આપતા જેકેટ અપાશે. જેથી હવે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જવાનો માત્ર વર્દીમાં જ નહીં પણ હાઇ-ટેક કૂલિંગ જેકેટમાં સજ્જ જોવા મળશે. કાળઝાળ ગરમીમાં ટ્રાફિક જવાનોને જેકેટ પહેરેલા જોઇને શહેરીજનો પણ આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. અને વિચારી રહ્યાં છે કે આટલી ગરમીમાં પોલીસકર્મીઓ જેકેટ પહેરીને કેમ ઊભા છે?. ત્યારે આ હાઇટેક જેકેટ કેવી રીતે કામ કરે છે? કોના તરફથી આપવામાં આવ્યા છે? હાલમાં કેટલા જેકેટ અપાયા છે? બાકીના ટ્રાફિક જવાનો તથા ટી.આર.બી. જવાનોને ક્યારે અપાશે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેર ટ્રાફિક (વહીવટી) વિભાગના નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. 4000 ટ્રાફિક જવાનોઅમદાવાદ ટ્રાફિક પોલીસમાંથી લગભગ 1800 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમને સ્પેશિયલી ટ્રાફિક માટે ડિપ્લોય કરવામાં આવેલા છે. વિવિધ જંકશનો, રસ્તાઓ કે જ્યાં ત્રણ રસ્તા, ચાર રસ્તા કે છ રસ્તા છે ત્યાં આગળ અલગ અલગ પોઇન્ટ નક્કી કરી અને ટ્રાફિક ફ્લો સરસ રીતે મેઇન્ટેન થાય તેમજ લોકોની સમસ્યા ઓછી થાય તે માટે તેમને ડેપ્લોય કરાયા છે. આ 1800 કર્મચારીઓની સાથે મદદમાં 2550 જેટલા ટી.આર.બી. જવાનો પણ ફરજ બજાવે છે. ઉનાળામાં અમદાવાદમાં બપોરના સમયે તાપમાન 42થી 44 ડિગ્રી પહોંચી જતું હોય છે. અમદાવાદમાં 131 જેટલા જંકશન છે જ્યાં કેમેરા ઇન્સ્ટોલ કરેલા છે. તેમાંથી 78 જેટલા જંકશન પર ટ્રાફિકનો ફ્લો ઓછો હોવાના કારણે બપોરના 12થી 4 વાગ્યા સુધીના સમયમાં આ સિગ્નલોને બ્લિન્કર મોડ પર મૂકેલા છે. એ સિવાયના જેટલા પણ જંકશન છે ત્યાં ફ્લો વધારે હોવાના કારણે પોલીસ સતત કાર્યરત હોય છે. ‘ગરમીમાં મુશ્કેલી ન પડે તે માટે જેકેટ તૈયાર કરાવ્યા’નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ કહે છે કે આટલી ગરમીમાં તેમને ઓન-રોડ કામ કરવું બહુ મુશ્કેલ છે. તેના કારણે અમદાવાદ બેઇજ મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે ટ્રાફિક પોલીસે સંકલન સાધીને આ જેકેટ તૈયાર કરાવ્યા છે અને ડિઝાઇન કરાવ્યા છે. જેકેટમાં કોલર બેલ્ટચિરાગ પટેલના જણાવ્યા મુજબ જેકેટમાં રહેલા ફેન ચાલુ કરવાના કારણે એર-ફ્લો મેઇન્ટેન થાય છે. એર સરકયુલેશન બરાબર મેન્ટેઇન થશે. જેથી જવાનોની કામ કરવાની ક્ષમતા પણ વધારી શકાશે. આની સાથે સાથે હીટવેવનો જે પ્રશ્ન છે તે ના રહે તે માટે કોલરના ભાગે સ્પેશિયલ ડિઝાઇન કોલર બેલ્ટ મૂકવામાં આવ્યા છે. તેને નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીથી ભીના કરીને પહેરવાના રહેશે. જેના કારણે ટ્રાફિક જવાનોને હીટવેવની સંભાવના પણ ઓછી રહેશે. દરેક પોલીસ સ્ટેશનના દરેક જવાનને તે મળી રહે તે માટે આગામી દિવસોમાં ડિસ્ટ્રીબ્યુશન પૂર્ણ કરવાનો અમારો પ્રયત્ન રહેશે. હાલ ટ્રાયલ બેઝ પર આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેમાં રોજ અલગ અલગ પોઇન્ટ ઉપર અલગ અલગ જવાનોને ટ્રાયલ માટે આ જેકેટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમના ફીડબેક લેવામાં આવે છે. અને સુધારા કે સૂચનોની નોંધ કરાય છે. જેના કારણે તેની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી શકાય. આ અંગે તેઓ કહે છે કે થોડા દિવસની અંદર સૂચનો આવી જાય, ત્યારબાદ તાત્કાલિક ધોરણે CSR ફંડ અથવા બીજી કોઈ ગ્રાન્ટમાંથી આ જેકેટ તૈયાર કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. થોડા દિવસથી આ જેકેટનો ઉપયોગ શરૂ કર્યો છે. શરૂઆત પકવાન ચાર રસ્તાથી કરી હતી. ત્યારબાદ ઇસ્કોન જંકશન, પેલેડિયમ જંકશન અને એ સિવાયના મુખ્ય જંકશન જેવા કે રામદેવનગર, સ્ટાર બજાર અને શિવરંજની ખાતે ટ્રાયલ માટે જવાનોને રોજ જેકેટ આપવામાં આવી રહ્યા છે અને તેમના સૂચનો આપણે મંગાવી રહ્યા છીએ. અમે જેકેટનો ઉપયોગ કરનાર પોલીસકર્મીઓ સાથે પણ વાત કરી. એસ.જી.-2 પોલીસ સ્ટેશનમાં પકવાન ચાર રસ્તા પર ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ યશલસિંહ કહે છે કે, અમને ગ્રીન (હાફ સ્લીવ) અને વ્હાઇટ (ફૂલ સ્લીવ) એમ બે પ્રકારના જેકેટો અપાયા છે.આમાં એર ફેન આપેલા છે. જેનાથી ગરમી ઓછી લાગે છે. પહેલા રોડ પર ઊભા હોઇએ તો શર્ટ પરસેવાથી ભીનો થતો હતો. પ્રહલાદનગર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે દસ દિવસથી આ કૂલિંગ જેકેટ વાપરીએ છીએ. જેકેટમાં બંને સાઇડ મોટર છે જે પાવર બેંકથી ઓપરેટ થાય છે. પાવર બેંક ઘરેથી ચાર્જ કરીને આવીએ છીએ. જે 8 કલાકની શિફ્ટ સુધી ચાલે છે. ટ્રાફિક જવાનોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાનચિરાગ પટેલ વધુમાં કહે છે કે, હાલ સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી અને બપોરના 3થી રાત્રિના 11 વાગ્યા સુધી એમ 2 શિફ્ટમાં ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. જવાનો પાસે કામગીરી કરાવાય છે. આ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે સ્થાનિક લેવલે પાણીની વ્યવસ્થા અને ઓ.આર.એસ. (ORS) પેકેટ પણ અપાય છે. ફરજ દરમિયાન ખાસ એ પણ ધ્યાન રખાય છે કે સીધા તડકામાં જો શક્ય હોય તો કામ કરવાનું એવોઇડ કરવામાં આવે અને જ્યાં છાંયડો છે તેનો ઉપયોગ કરીને તેમની પાસેથી કામગીરી કરાવાય છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 6:00 am

સ્થાનિકોની આંદોલનની ચીમકી:સિલોટવાડમાં ગટરના પાણી રસ્તા પર‎ફરી વળતા રહીશોમાં ભારે આક્રોશ‎

નવસારી શહેરના સિલોટવાડ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે છેલ્લા એક સપ્તાહથી ગટર લાઇન ઉભરાવાની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં અનેક રહેણાંક મકાનો આવ્યા છે. ગટરના ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર આ ગંભીર સમસ્યા અંગે નવસારી મનપામાં વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરાઇ છે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કે સફાઈ અભિયાન હાથ ધરાયું નથી. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે આ ગંદકીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં આ જનરોષના ઘેરા પડઘા પડશે. રોષે ભરાયેલા સ્થાનિકોએ હવે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ફરિયાદ કરવા છતાં કોઇ સાંભળતું નથી અમે છેલ્લા એક અઠવાડિયાથી નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યાં છીએ. ગટરના ગંદા પાણી ઘરના દરવાજા સુધી આવી ગયા છે અને દુર્ગંધના કારણે શ્વાસ લેવો પણ ભારે છે. મહાપાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી. જો આવી જ હાલત રહી તો અમે ચૂંટણીમાં વોટ બાબતે વિચાર કરીશું. > નજમાબેન, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

મુસાફરો થયા પરેશાન:અસારવા સ્ટેશને જયપુર એક્સપ્રેસ આખો દિવસ રોકી રખાતા પેસેન્જરોને હાલાકી

અસારવા સ્ટેશને સવારે આવતી જયપુર–અસારવા એક્સપ્રેસને પ્લેટફોર્મ નંબર 1 પર આખો દિવસ ઊભી રાખવાના કારણે અન્ય ટ્રેનોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 8:40 વાગે આવતી આ ટ્રેન સાંજે 7:55 વાગ્યા સુધી પ્લેટફોર્મ પર જ રહેતાસર્જાઈ રહી છે. જયપુર એક્સપ્રેસને કારણે ઈન્દોર–અસારવા વીરભૂમિ એક્સપ્રેસ જે સવારે 10:40 વાગે આવી બપોરે 2:10 વાગે ઉપડે છે અને આગરા–અસારવા એક્સપ્રેસ જે સવારે 11:00 આવી બપોરે 3:00 વાગે ઉપડે છે તેને પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર મુકવામાં આવે છે. પરિણામે મુસાફરોને સીધો એક્ઝિટ મળતો નથી. પ્લેટફોર્મ 2 અને 3 પર ઉતરતા મુસાફરોને ફૂટ ઓવરબ્રિજ દ્વારા અથવા લાંબો ચક્કર મારીને બહાર નીકળવું પડે છે. લગેજ સાથે પેસેન્જરોને 500થી 600 મીટર સુધી વધારે ચાલવું પડે છે. જયપુર–અસારવા એક્સપ્રેસને પ્લેટફોર્મ-1 પરથી યાર્ડમાં ખસેડવામાં આવે તો અન્ય ટ્રેનોને પ્લેટફોર્મ-1 મળી શકે અને મુસાફરોને સીધો એક્ઝિટ મળી રહેશે. કનેક્ટિંગ ટ્રેન પકડવા માટે દોડાદોડી કરવી પડે છેરાજસ્થાન તરફથી આવતા ઘણા મુસાફરોને અમદાવાદ મુખ્ય સ્ટેશન પરથી દક્ષિણ ભારત તરફ જવા કે અન્ય ટ્રેન પકડવાની હોય છે. પરંતુ અસારવા સ્ટેશને ઉતર્યા બાદ બહાર નીકળવામાં વધુ સમય લાગતા તેમને તાત્કાલિક વાહન શોધીને અમદાવાદ પહોંચવા દોડાદોડ કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં પરિવાર સાથે આવેલા મુસાફરો, વૃદ્ધો અને બાળકો માટે હાલત વધુ કફોડી બની જાય છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

વાતાવરણ:ભેજનું પ્રમાણ વધતાં 41 ડિગ્રી ગરમીમાં 46 ડિગ્રી જેવો અનુભવ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શહેરમાં ગરમીનો પારો 40થી 41 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો ઉનાળાની ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ, મંગળવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ઉંચકાતા શહેરમાં દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાકમાં શહેરના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિશેષજ્ઞ એ.ટી. દેસાઇએ કહ્યું કે, , મંગળવારે મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા હતું, જેને કારણે 41 ડિગ્રીએ પણ લોકોને 45થી 46 ડિગ્રીનો અનુભવ થતાં ગરમી વર્તાઇ હતી. પરંતુ, બુધવારથી ચાર દિવસ શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસે ગરમીમાં ઘટાડો થશે. પરંતુ, ભેજમાં વધારો થતાં રાત્રિનું તાપમાન વધતાં અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળિયું વાતાવરણ સર્જાશેપાકિસ્તાનમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન સુધી પહોંચીને સાઈક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, તેની સાથે ટ્રફની સિસ્ટમ હોવાથી મંગળવારે વાતાવરણમાં ભેજમાં વધારો થયો હતો. શહેરના મહત્તમ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી વધીને 41.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ભેજની અસરથી લઘુતમ તાપમાન એક જ દિવસમાં 23.5 ડિગ્રીથી 3.5 ડિગ્રી ઉંચકાઇને 27 ડિગ્રી નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

તપાસ:વાસણ બેઠકના ઉમેદવાર ગુમ થયા બાદ નાટકીય ઢબે હાજર થઇ ગયો

વલસાડ તાલુકાના વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારની અપહરણની વાતો વચ્ચે નાટકિય ઢબે 24 કલાકમાં ઘરે હાજર થઇ જતાં આ કેસમાં રહસ્યમય વળાંક આવી ગયો હતો.ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇ પટેલે ઘરે પહોંચીને વાત માડી કહ્યું કે,મને કોઇ ઉપાડી ગયું ન હતું,મારી રીતે હું સાળા સાથે તેના ઘરે ચાલી ગયો હતો. મારા પરિવાર સાથે શાંતિથી જીવવા હું ચૂંટણી લડવાનો નથી,ફોર્મ પરત ખેંચી લેવાનો છું.કોઇ ટોર્ચર કરે તે માટે સાળા સાથે નિકળી ગયો હતો. વલસાડમાં મામલતદાર કચેરીમાં સોમવારે ફોર્મ ચકાસણી માટે વાસણ બેઠકના ઉમેદવાર ભીખુભાઇ ખંડુભાઇ પટેલનું ફોર્મ માન્ય થઇ ગયા બાદ ગાયબ થઇ જતાં તેમનું અપહરણ કરાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.આ ઘટનાને 24 કલાક બાદ નાટકિય ઢબે ઘરે આવી પહોંચ્યા હતા.મીડિયા સાથે વાત કરતા આપ પાર્ટીના ઉમેદવારે કહ્યું કે મારું ફોર્મ સિલેક્ટ થઇ ગયા બાદ મામલતદાર કચેરીની બહાર નિકળી લીંબું શરબત પીને સાળા સાથે તેના ઘરે ચાલી ગયો હતો.મને કોઇ ઉપાડી ગયું ન હતું,કોઇએ અપહરણ કર્યું નથી.કોઇ ટોર્ચર ન કરે તે માટે નિકળી આવ્યો હતો.એક રાત રહીને મારા ઘરે આવી ગયો,મારો મોબાઇલ ચાલૂ જ છે. મારા ઘરે છું, મને કોઇ ઉપાડી ગયો હતો તેવું અપક્ષો કહે છે.મને કોઇ ઉપાડી ગયું નથી. ચૂંટણી લડવાના કે કેમ તેવો પ્રશ્નમાં તેમણે કહ્યું,ના હવે હું ચૂંટણી લડવાનો નથી.જીવનમાં એ જોવાનું છે કે, મારી બે દીકરી છે,તેમનું ભવિષ્ય જોવાનું છે મને કંઇ થઇ જાય તો કોઇ જવાબદારી લેવાવા‌ળું નથી.આમ આદમી પાર્ટીવાળા મને ચૂંટણી લડી લેવા કહે છે.પણ હવે ફોર્મ પરત ખેંચી લેવાની વાત પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

નિર્ણય:તા.પં.ની સરીગામ બેઠક માટે ચૂંટણી અધિકારીએ અપક્ષનું ફોર્મ માન્ય કર્યુ

ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપે વાંધા અરજી રજૂ કરી હતી. આ ઉપરાંત ચૂંટણી અધિકારી અને મામલતદાર દલપતભાઇ બ્રાહમણકાચ્છ ઉપર રાજકીય પક્ષ દ્વારા સતત દબાણ કરાતા તેમણે આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી છે. આ સંજોગમાં મામલતદારના આપઘાતના બીજા દિવસે ચૂંટણી અધિકારીએ અપક્ષ ઉમેદવારનું ફોર્મ માન્ય રખાયું હોવાનો નિર્ણય કર્યો છે. ઉમરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 23 સરીગામ 2 બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાકેશ રાય સામે રજૂ કરાયેલ વાંધો આગ્રહ્ય રખાયો. ઉમેદવાર રાકેશભાઈ નું રજૂ કરેલું ફોર્મ માન્ય કરતો હુકમ કરાયો. ઉમરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન 23 સરીગામ બે બેઠકો પર હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અપક્ષ ઉમેદવાર રાકેશ રાય સામે વાંધો રજુ કરાયો હતો ત્યારબાદ મોડી સાંજ સુધી બંને પક્ષો દ્વારા દલીલો રજૂ કરાઈ હતી. અંતિમ નિર્ણય જાહેર કરવા નિર્ધારિત સમય નક્કી કરાયો હતો. તારીખ 14 એપ્રિલના રોજ ઉપરોક્ત મામલે મદદનીશ ચૂંટણી અધિકારી 23-સરીગામ-2 (બિન અનામત સામાન્ય) ઉમરગામ તાલુકા પંચાયત મતદાર વિભાગ અને સર્કલ ઓફીસર ઉમરગામના હસ્તાક્ષર સાથે હુકમ કરાયો હતો જે મુજબ લેખિત હુકમમાં જણાવ્યું હતું કે, રજુ થયેલ વાંધા અરજી “અગ્રાહ્ય” રાખવામાં આવે છે અને રાકેશ કમલાંશકર રાય દ્વારા ઉમેદવારી ફોર્મ સાથે રજુ થયેલ તમામ વિગતો યોગ્ય જણાતી હોય તેમનું ઉમરગામ તાલુકા પંચાયત મતદાર મંડળની 23-સરીગામ-2 (બિન અનામત સામાન્ય) બેઠક માટે રજુ થયેલ ઉમેદવારી પત્ર “માન્ય” રાખવા હુકમ કરવામાં આવે છે. સોમવારે રાત્રે 9 વાગ્યે મામલતદાર દલપતભાઇ બંને પક્ષોને 11 કલાકે નિર્ણય જણાવવાનું કહી નિકળી જઇ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો હતો. દબાણ કરનારા સામે તપાસ થવી જરૂરી ઉમેદવારી પત્રક ચકાસણીના દિને અપક્ષનું ઉમેદવારી પત્રક રદ કરવા માટે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં મામલતદાર કચેરીના સીસીટીવી કેમેરા અને ચૂંટણી માટેની વિડીઓગ્રાફીનો રેકોર્ડ તથા મામલતદારના ફોન રેકોર્ડ તપાસ કરવા જરૂરી છે. જે બાબતે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. દબાણ કરવા કોણ ગયું હતું. કોના ધમકી ભર્યા કે માનસિક તાણ આપતા કોલ આવ્યા હશે. સાહેબના ઘરે 9 વાગ્યે ટિફિન આપ્યું, ફરી ગયો તો તાળું હતુંકચેરીથી અચાનક મામલતદાર 500 મીટર અંતરે આવેલા ફ્લેટમાં પહોંચી ગયા હતા. હાલ પરિવાર વતનમાં ગયો હોવાથી રાત્રિના નવ વાગ્યે ડ્રાઈવર ઉમેશ પવારે ટિફિન પહોંચાડ્યો હતો. ત્યારબાદ મામલતદાર તાળું મારી ચાલી જતા રાત્રિના 11 વાગ્યે ઉમરગામ રેલવે સ્ટેશન પ્લેફોર્મ નંબર 1ના એક છેડે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સાહેબના ઘરે 9 વાગ્યે ટિફિન આપ્યું હતું. થોડા સમય પછી પરત ગયો તો દરવાજે તાળું લટકતું જોવા મળ્યું હતું.> ઉમેશ પવાર, મામલતદારના ડ્રાઈવર રાત્રે મામલતદારે પત્નીને ફોન કરી કહ્યું ‘‘ તમે સ્ટ્રોંગ રહેજો’’રાત્રિના નવ વાગ્યેના સમયે મામલતદાર દલપતભાઇએ તેમના પત્નીને ટેલિફોનીક સંપર્ક કરી તમે સ્ટ્રોંગ રહેજો એમ કહ્યું હતું. આવા શબ્દ જણાવતા તેમના પરિવારને કંઇક અજુગતું લાગતા વલસાડથી ઉમરગામ આવી પહોંચ્યા હતા. પત્ની અને તેમના દીકરા સાથે મામલતદાર કચેરીના સ્ટાફે શોધખોળ કરતા ઉમરગામ રેલવે ટ્રેક ઉપર મૃત અવસ્થામાં મામલતદાર મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવે, રેલવે પોલીસ, કલેક્ટર સ્થળ ખાતે દોડી આવ્યા હતા. મૃતદેહને પરિવારને સોંપાયો હતો. મૂળ ધરમપુરનાં વતની પરંતુ વલસાડ અબ્રામા ખાતે મકાન ધરાવતા મામલતદારના પરિવારે મંગળવારે વલસાડમાં અંતિમક્રિયા કરી હતી.પરિવારે હાલ આ મુદ્દે કઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

PIUનો વિચિત્ર ફતવો:કોન્ટ્રાક્ટરોને ચોક્કસ કંપનીનો વીમો લેવા દબાણ

ગાંધીનગર ગાંધીનગર સ્થિત પ્લાનિંગ એન્ડ ઇમ્પલીમેન્ટેશન યુનિટ (પીઆઇયુ) વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને સબ-સેન્ટરોના રિનોવેશન તેમજ નવા બિલ્ડિંગના કામો કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોનો ગંભીર આક્ષેપ છે કે વર્ક ઓર્ડર મેળવતા પહેલા વિભાગ દ્વારા એસબીઆઈ (SBI) જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના નામે જ પ્રીમિયમનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) માંગવામાં આવે છે. અન્ય માન્ય કંપનીઓમાં જે પોલિસીનું પ્રીમિયમ અંદાજે રૂ. 1 કરોડ થતું હોય, તેના માટે મજબૂરીમાં SBIની પોલિસી લઈ રૂ. 3 થી 4 કરોડ ચૂકવવા પડે છે. સરકારની નવી સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ (SBD) ની માર્ગદર્શિકા મુજબ, કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે ‘કોન્ટ્રાક્ટર્સ ઓલ રિસ્ક’ (C.A.R.) પોલિસી લેવાની હોય છે. નિયમ મુજબ કોન્ટ્રાક્ટર કોઈપણ ઈરડા માન્ય કંપની પસંદ કરી શકે છે, પરંતુ પીઆઈયુમાં અધિકારીઓ દ્વારા નક્કી કરેલા ચોક્કસ એજન્ટ પાસેથી જ પોલિસી લેવાનો મૌખિક નિર્દેશ અપાય છે. આ મામલે ટેન્ડર-એકાઉન્ટ ઓફિસર પ્રિયાંક જણાવે છે કે, “અમે આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ અને અન્ય કંપનીના વિકલ્પ આપીએ છીએ. જે કંપની ટેન્ડરના ક્રાઈટેરિયા પૂરા કરતી હોય તેની પોલિસી લઈ શકાય છે.” જોકે, કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે જો બીજી કંપનીની પોલિસી રજૂ કે તો વર્ક ઓર્ડર આપવામાં વિલંબ કરી હેરાન કરાય છે. આ કેસમાં અધિકારીઓની મૌન સંમતિ હોવાથી પારદર્શિતા પર સવાલ ઉભા થયા છે. ચીફ એન્જિનિયર પી.એમ. ચૌધરીનો સંપર્ક સાધવા છતાં તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. બાંધકામ સમયે અચાનક આવતી આફતોનું વીમા રક્ષણબાંધકામ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દરમિયાન અચાનક આવતી આફતો સામે આ પોલિસી આર્થિક સુરક્ષા આપે છે. જેમાં આગ, પૂર, વાવાઝોડા જેવા કુદરતી જોખમો તેમજ મશીનરીને થતા નુકસાનને આવરી લેવાય છે. કામ દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ (થર્ડ પાર્ટી) ને ઈજા થાય કે તેની મિલકતને નુકસાન પહોંચે, તો તેનું વળતર પણ આ વીમા દ્વારા મળે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ઓડિટ પ્રક્રિયા સામે સવાલો:દર વર્ષે ઓડિટ થતું હોવા છતાં પણ લિકર પરમિટનું કૌભાંડ પકડાયું નહીં

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાજેલા લિકર પરમિટ કૌભાંડના પ્રત્યાઘાતો હવે રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યા છે. રોગી કલ્યાણ સમિતિ (RKS) દ્વારા દર વર્ષે થતા ઓડિટ છતાં આટલું મોટું કૌભાંડ પકડાયું ન હોવાથી ઓડિટ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 1998થી લિકર પરમિટ આપવાની પ્રક્રિયા ચાલે છે. વર્ષ 2025માં આરોગ્ય વિભાગ દ્વારા પરમિટના દરમાં ધરખમ વધારો કરાયો હતો, જેમાં નવી પરમિટ માટે ₹25,000 અને રિન્યુઅલ માટે ₹20,000 નક્કી કરાયા હતા. આ કૌભાંડમાં આઉટસોર્સ એજન્સી ‘વિશ્વા એન્ટરપ્રાઇઝ’ના ત્રણ કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે, જેઓ વર્ષ 2023થી આ વિભાગમાં કાર્યરત હતા. દર વર્ષે થતા ઓડિટમાં આ ગોટાળો કેમ ન પકડાયો? સૂત્રોના મતે ઓડિટમાં માત્ર આવક-જાવકના આંકડા તપાાતા હોવાથી આર્થિક ગેરરીતિ નજરે ચઢી ન હતી. હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો. જસ્મીન દિવાને પણ કબૂલાત કરી છે કે પરમિટથી અત્યાર સુધી કેટલા નાણાં મળ્યા તેની કોઈ માહિતી તેમની પાસે નથી. આગામી સમયમાં રાજ્યની અન્ય સિવિલમાં પણ રોગી કલ્યાણ સમિતિના હિસાબોની તપાસ માટે કમિટી રચાય તેવી પૂરી શક્યતા છે. સિવિલ પાસે જમા થયેલા નાણાની માહિતી નથીસિવિલમાં દર વર્ષે રોગી કલ્યાણ સમિતિનું ઓડિટ થતું હોવા છતાં લિકર પરમિટનું આર્થિક કૌભાંડ પકડાયું નથી. ઓડિટમાં માત્ર આંકડાકીય મેળવણું થતું હોવાથી ગેરરીતિ બહાર આવી નથી. છેલ્લાં બે વર્ષમાં હોસ્પિટલને અંદાજે રૂ.16.50 કરોડની આવક થઈ હોવા છતાં, તંત્ર પાસે આ પેટે જમા થયેલા નાણાંની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ગુદવાણમાં ટાંકી ઉતારી લેવામાં તંત્રની આળસ:નાની મોગરી, મોટી મોગરી અને ગુદવાણના સ્થાનિકો પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરશે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અનેક ગામડાઓ હજી વિકાસથી વંચિત રહી ગયાં છે. નાની મોગરી, મોટી મોગરી અને ગુદવાણ ગામના રહેવાસીઓને પાયાની સુવિધાઓ ન મળતા ચૂંટણીનો બહિષ્કાર ચીમકી ઉચ્ચારી છે. સાગબારા તાલુકાના ત્રણ ગામોના આગેવાનો અને ગ્રામજનોએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. નાની મોગરી, મોટી મોગરી અને ગુદવાણ ગામના રહેવાસીઓએ પાયાની સુવિધાઓ ન મળતા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે ગ્રામજનોએ દેડિયાપાડાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આઝાદીના 78 વર્ષ બાદ પણ ગામમાં અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. મોટીમોગરી (ગુદવાણ) વિસ્તારમાં પાણી પુરવઠા યોજના હેઠળ બનાવાયેલી પાણીની ટાંકી અને પાઈપલાઈન તકલાદી રીતે બનાવવામાં આવી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ટાંકીમાં લીકેજ છે અને તે તૂટી પડે તેવી હાલતમાં છે, જેના કારણે આજદિન સુધી નિયમિત પાણીની સુવિધા મળતી નથી. તે ઉપરાંત ગામના રસ્તાઓ વર્ષો બાદ પણ બન્યા નથી અને જે બનાવાયા છે તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. નાની મોગરીથી મોટીમોગરી (ગુદવાણ) અને દેવમોગરા–કણબીપીઠા જોડતો માર્ગ એક વર્ષથી અધૂરો પડ્યો છે. ગુદવાણથી દેવમોગરા તરફનો રસ્તો પણ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. ચોમાસા દરમિયાન નાળા ઉપરથી પાણી વહી જવાથી મોટીમોગરી અને નાની મોગરીના ગ્રામજનનું જનજીવન દર વર્ષે ખોરવાઈ જાય છે. ખાસ કરીને શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે આજદિન સુધી ફળિયાના રસ્તાઓ બન્યા નથી, આંગણવાડીનું મકાન બનાવાયું નથી તેમજ શૌચાલય માટે સહાય પણ મળતી નથી. સમસ્યાઓનો ઉકેલ ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. અધિકારી આશ્વાસનો આપે છે, કામ કરતાં નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી આવે ત્યારે આદિવાસી વિસ્તારોમાં લોકોને રોડ રસ્તા અને પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા ન મળતાં વિરોધ સ્વરૂપે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. ત્યારે સરકારી અધિકારીઓ તેમજ નેતાઓ દ્વારા લોકોને કામ થઇ જશે તેવો લોલીપોપ આપવામાં આવે છે પરંતુ ચૂંટણીના પરિણામ બાદ પણ સ્થાનિકોમાં પ્રશ્નો ઉકેલાતા નથી. ગત લોકસભા વખતે ડેડીયાપાડાના સાબુટી ગામના લોકોએ શાળાના મકાન ન હોવાને કારણે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. પરંતુ અધિકારો દ્વારા જલ્દી મકાન બની જશે તેવા વાયદાઓ આપ્યા પરંતુ હજુ સુધી સાબુટી ગામની શાળાનું નવું મકાન બન્યું નથી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

અસમાજિક તત્વો બેફામ:માલપુર ચાર રસ્તા પાસે ચા ની દુકાનમાં બે શખ્સોનો યુવાન પર હિચકારો હુમલો

માલપુર ચાર રસ્તા પાસે આવેલી ચાની દુકાન પર બે યુવાનોએ અચાનક યુવાન ઉપર હુમલો કરી કોઈક કારણોસર મારમાર્યાની ઘટનાથી ચકચાર મચી છે. ચૂંટણી પૂર્વે માલપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની લોકોની બૂમ ઉઠી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે. ઝઘડાની આ ઘટનામાં સૌ પ્રથમ ચાની દુકાન ઉપર આવેલા બે શખ્સો યુવાન સાથે હાથ મિલાવીને ખુશી ખુશીથી વાતચીત કરી રહેલા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ કોઈ કારણોસર અચાનક બે શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો કરી તેને માર મરાયો હોવાની ઘટના બહાર આવતાં માલપુરના લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ઝઘડાના પગલે આજુબાજુથી એક મહિલા સહિત અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા શખ્સોની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માલપુરના જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે. ચાની દુકાનમાં મારમારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

મોટી દુર્ઘટના ટળી:કૃષ્ણગઢ ગામે ઘર પાછળ લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહે હુમલો કરીને સાથળ ફાડી ખાધો

લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. યુવાન પર સિંહના હુમલાની આ ઘટના સવારે આઠેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના કૃષ્ણગઢ ગામે બની હતી. મુળ કૃષ્ણગઢના વતની અને હાલમાં સૂરતમાં રહેતા હરેશભાઈ ભીમજીભાઈ ચૂડાસમાં (ઉ.વ.45) નામના યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. હરેશભાઈ સવારના સમયે ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા માટે ગયા હતા. તે સમયે અચાનક પાછળથી સિંહ ધસી આવ્યો હતો અને તેમના પગ અને સાથળના ભાગે બટકા ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જો કે હુમલો કર્યા બાદ સિંહ નાસી ગયો હતો. હરેશભાઈ ચૂડાસમાંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ લાઠીના લુવારીયામાં સિંહે એક યુવાનને ફાડી ખાદ્યો હતો. હરેશભાઈ પર હુમલો કરનાર સિંહ આ જ હોવાનું માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ઉનાળાનો આકરો મિજાજ દેખાયો:19 અને 20મીએ ફરી માવઠાની આગાહી 41.1 ડિગ્રીથી બપોરે 2થી 4 રસ્તા સુમસામ

ચાલુ ઉનાળામાં અમરેલી પંથકમાં વારંવાર માવઠા થયા હોય તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતો હતો અને ઉનાળાનો અસલી મીજાજ દેખાતો ન હતો. પરંતુ હવે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે અને 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. બળબળતા તાપની જન જીવન પર પણ અસર થઈ છે. અમરેલી પંથકમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચુકી છે. આમ પણ અમરેલી જિલ્લામાં દર વર્ષે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં ગરમી વધુ પડે છે. જો કે ચાલુ સાલે હજુ સુધી અમરેલી પંથકમાં આકરી ગરમીનો રાઉન્ડ આવ્યો ન હતો. કારણ કે પાછલા એક મહિના દરમિયાન આ વિસ્તારમાં વારંવાર માવઠા થયા હતા. જેના કારણે તાપમાન 40 ડિગ્રીથી નીચે જ રહેતું હતું. 10 દિવસ પહેલા સુધી મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેતું હતું. જો કે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો એકદમ જ ઉંચકાયો છે. મંગળવારે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી પર પહોંચી ગયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 24 ડિગ્રી જેટલું હતું. હવામા ભેજનું પ્રમાણ પણ 60 ટકાથી વધુ હતું. તથા પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 6.7 કિ.મીની રહી હતી. આકરી ગરમીના કારણે અમરેલી શહેરની બજારો બપોરના સમયે સુમસામ બની ગઈ હતી. બપોરના 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીના સમયગાળામાં રસ્તા પર વાહનો અને લોકોની પાંખી અવરજવર હતી. ગરમીના કારણે ચૂંટણી પ્રસાર પર પણ અસર પડી છે. બપોરે ચૂંટણી કાર્યાલયો સુમસામ દેખાતા હતા. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં ફરી 19 અને 20 તારીખે માવઠાની આગાહી કરી છે. 3 માવઠાથી કેરીના પાક પર વિપરીત અસર થશેઅત્યાર સુધીમાં ત્રણ માવઠાના કારણે અમરેલી જિલ્લામાં કેરીના પાક પર વિપરીત અસર થઈ ચુકી છે. હજુ પણ પવન સાથે માવઠાની આગાહી હોય કેરીનો પાક લેનારા ખેડૂતો ચિંતત છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં બે દિવસ માવઠું દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 19 અને 20મી તારીખે માવઠાની આગાહી કરાય છે. અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લા સહિત રાજ્યના 5 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

અકસ્માત:લાઠી રોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું

અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક ડમ્પરે અડફેટે લેતા પત્નીની નજર સામેજ પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અમરેલી હનુમાન પરામાં રહેતા મનોજભાઈ મોહનભાઈ દેસાઈ (ઉ.વ.34) તેમની પત્ની નિમિષાબેન અને પુત્ર દિકરા શિવાંશ સાથે બાઇક પર ભુરખિયા હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સમયે ઈશ્વરીયા ગામ થી એક કી.મી. દૂર પહોચતા જ કાળ બનીને પૂરઝડપે આવતું GJ 14 AT 9989 નંબરના ડમ્પરે તેઓની બાઇક સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનોજભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને દીકરા શિવાંશને માથા અને પગમાં ઇજાઓ પહોચતા ઇમરજન્સી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તેઓના મોટાભાઈ રાજેશભાઈ મોહનભાઈ દેસાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી વિસ્તારમાં બે લગામ ચાલતા ડમ્પરો વિરુદ્ધ કડક પગલા લેવામાં તંત્ર વમળું સાબિત થયું છે. ઓવરલોડ ખનીજ ભરીને આવતા ડમ્પર ચાલકો કોઈની પણ પરવાહ કર્યા વિના બે રોક ટોક ચાલતા વારંવાર અકસ્માતો સર્જતા રહે છે અને લોકોના મોત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

રાજકીય માહોલ ગરમાયો:મોરબી મનપાના ઉમેદવારોને તોડવા ભાજપ‎પ્રયાસ કરતું હોવાનો કોંગી ઉમેદવારનો આક્ષેપ‎

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં હાલ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને ચકાસણીની કામગીરી પૂર્ણતાને આરે છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને તે પૂર્વે જ મોરબીમાં કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. મોરબીમાં મનપાની ચુંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર જયેશ કાલરીયાએ ભાજપના નેતા પર આક્ષેપ કર્યા હતા કે ભાજપના નેતા દ્વારા તેમના સાથી ઉમેદવારોને ફોન કરીને અને અન્ય રીતે ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પરત ખેંચાવી બિન હરીફ વિજેતા થવાની ભાજપની ચાલ હોવાની અમને ફરિયાદ મળતાં અમારે સક્રિય થવાની ફરજ પડી છે. અમારા ઉમેદવાર સાથે દબાણ કરી ફોર્મ પરત ખેંચાવી ન લે અને તેમના ઉમેદવાર સરળ જીત મેળવી લે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે અમારે અમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા પડ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસના આક્ષેપ મુજબ, મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૧૧, ૧૨ અને ૧૩ના ૪ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. ભાજપના કાર્યકર્તાઓ તેમનો સંપર્ક કરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણે ઉમેદવારોને અસુરક્ષિતતા અનુભવાતાં તેમને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માળિયા તાલુકા પંચાયત 3 બેઠકના ઉમેદવારને પણ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. કોંગી અગ્રણીએ દાવો કર્યો હતો કે હજુ ઉમેદવારોના જણાવ્યા મુજબ તેમના ઉમેદવાર પાસે સગા સંબંધીઓ થકી દબાણ ઉભું કરવાના પ્રયાસ છે, જો ભાજપમાંથી કાયદાનો ભંગ થાય તેવા પ્રયાસ થશે તો ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા કોંગ્રેસ દ્વારા માત્ર પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અને આવી વાત મારા સુધી પણ પહોંચી નથી. હારના ડરથી કોંગ્રેસ આવા ખોટા દાવા કરે છે. અમારી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને આવા આક્ષેપો તદન ખોટા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

પરપ્રાંતિય શ્રમિક પરિવાર પર વજ્રઘાત‎:દાત્રાણા ગામે રમતા રમતા 3 બાળકો તળાવના ઉંડા પાણીમાં ગારદ, સગા ભાઈ-બહેનના મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ભાગોળે દાત્રાણા ગામે મંગળવારે સાંજે જળઘાતની હ્દયદ્વાવક ઘટના સામે આવી છે.જેમાં તળાવ પાસે રમતા રમતા બે સગા ભાઇ-બહેન સહિત ત્રણ બાળકો પાણીમાં પડી જતા ડુબી જવાથી ચાર વર્ષીય ભાઇ અને સાત વર્ષીય બહેનના મોત નિપજયાનો બનાવ બહાર આવ્યો છે. ઉંડા પાણીમાં ગારદ બનેલા બંને માસુમ ભાઇ-બહેનને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવતા બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા.જયારે અન્ય બે વર્ષીય બાળકીને પણ ગંભીર હાલતમાં બહાર કાઢી સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવના પગલે નાના એવા દાત્રાણા ગામમાં ભારે અરેરાટી સાથે શ્રમિક પરીવારના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. દેવભૂમિ સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવની મળતી વિગત અનુસાર ખંભાળિયા નજીક દાત્રાણા ગામની સીમમાં રહેતા મુળ મધ્યપ્રદેશના વતની શ્રમિક થાનસિંહ ચીટુભાઇ નામનો યુવાન અને તેનો પરીવાર દેવશીભાઇ નામના ખેડૂતની વાડીમાં ખેતમજુરીકામ કરી જીવન નિર્વાહ કરી રહયા હતા. જે દરમિયાન મંગળવારે સાંજે ચાર વાગ્યાના સુમારે શ્રમિક યુવાન અને તેના પત્ની વાડીએ ખેતમજુરી કામમાં વ્યસ્ત હતા જે વેળાએ તેઓનો માસુમ પુત્ર વીકેશ (ઉ.વ. 4) ઉપરાંત પુત્રી વૈશાલી (ઉ. વ. 07) ઉપરાંત તેની ત્રણેક વર્ષીય પિતરાઇ બહેન ખારીવાળા તળાવ પાસે રમી રહયા હતા.જે દરમિયાન રમતા રમતા ત્રણેય બાળકો અચાનક તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા ભારે દેકારો બોલી ગયો હતો. જયારે આજુબાજુના લોકો પણ તુરંત જ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.જે બાદ તળાવમાં ગારદ ત્રણેય માસુમ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં માસુમ વિકેશ (ઉ.વ. 4) અને વૈશાલી (ઉ.વ. 07) નામના સગા ભાઇ બહેનના પાણીમાં ડુબી જવાથી ઘટનાસ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા.જયારે અન્ય એક ત્રણેક વર્ષીય બાળકીને સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડાઇ છે. એકસાથે બે માસૂમ બાળકોના મોતથી શ્રમિક પરિવાર પર વજ્રઘાત થયો છે.જયારે નાના એવા દાત્રાણા ગામ સહિત દેવભૂમિમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. બંને મૃતક, ગંભીર બાળકી પિતરાઈ ભાઈ-બહેન જળઘાતમાં જીવ ગુમાવનારા બંને મૃતક બાળકો અને પાણીમાંથી ગંભીર હાલતમાં બહાર કાઢી જામનગર ખસેડાયેલી બાળકી પિતરાઇ બહેનો હોવાનુ સામે આવ્યુ છે.જાણવા મળ્યા મુજબ મૃતકના મામાની દિકરી કવિતા પિન્ટુભાઈ (ઉ.વ. 2 ) નામની માસુમ બાળકીને સઘન સારવાર અર્થે જામનગરમાં રીફર કરાઇ છે. આ ઘટનામાં બે માસૂમ ભાઈ-બહેનોએ જીવ ગૂમાવતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. જ્યારે જળઘાતનો ભોગ બનેલી માસૂમ પિતરાઈ બહેન પણ ગંભીર હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાનું સામે આવયું છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

સત્કાર્ય:વાંકાનેર નજીક જડેશ્વર જંગલ વિસ્તારમાં 1000થી વધુ નારિયેળ બનશે કીડી સહિત નાના જંતુઓનું ભોજનગૃહ

યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વરના જંગલ વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા અને જીવદયા માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. સભ્યો દ્વારા 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં ‘કીડિયારું’ ભરીને જંગલના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા, જેથી આ નાનકડા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે. ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે અને અબોલ પશુ, પંખીઓની ખોરાક, પાણીની વ્યવસ્થા કરવી એ માનવતા સહજ સ્વભાવ બનવો જોઇએ તેવી વિચારસરણી સમાજમાં વહેતી કરવામાં આ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ મોખરે છે. આ ઉપરાંત, પક્ષીઓ માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષોની ડાળીઓ પર કૂંડા બાંધી તેમાં દાણા નાખવામાં આવ્યા, જેથી પક્ષીઓને સતત ખોરાક મળી રહે અને તેઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાય. આ સમગ્ર પહેલ માત્ર એક પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. સંસ્થાના સભ્યોએ સાથોસાથ ઉમેર્યું હતું કે, આવી માનવતાભરી કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે, જેથી સમાજમાં જીવદયા, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જાગૃતિ વધુ મજબૂત બને. યુવાનોએ તડકાની પરવા કર્યા વિના હોંશભેર કરી કામગીરીઆ પહેલમાં યુવાનોનો ઉત્સાહ પણ નોંધપાત્ર રહ્યો હતો. અનેક સેવાભાવી લોકો અને સ્વયંસેવકોએ સક્રિય ભાગ લઇને જંગલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. પર્યાવરણ અને જીવદયા પ્રત્યેની જવાબદારી માત્ર વાતોમાં નહીં પરંતુ કાર્યરૂપે પણ દેખાડવાની જરૂર છે — તેવો સકારાત્મક સંદેશ આ કામગીરી દ્વારા સમાજને મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધે તો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ વચ્ચેનું સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

શિક્ષણ:મોરબી જિલ્લાની 197 ખાનગી શાળામાં આરટીઇ‎અંતર્ગત અપાતી 1692 બેઠક માટે 2559 અરજી‎

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં નિશુલ્ક પ્રાથમિક શિક્ષણની તક આપતા કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત મોરબી જિલ્લામાં આ વર્ષે પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. મોરબી જિલ્લાની ૧૯૭ ખાનગી શાળાઓમાં કુલ ૧૬૯૨ સીટ માટે ૪ એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે, જે ૧૭ એપ્રિલ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.મોરબી જિલ્લામાં આ વર્ષે ૩૧ અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ૪૧૫ બેઠકો તથા ૧૬૫ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ૧૨૭૭ બેઠકો માટે અરજીઓ ભરાઈ રહી છે. ૧૩ એપ્રિલ સુધીમાં જિલ્લામાં કુલ ૨૫૫૯ અરજીઓ નોંધાઈ છે. જેમાંથી ૨૪૮૭ અરજીઓ મંજૂર થઈ છે, જ્યારે ૩૨૯ અરજીઓ કોઈક કારણસર રિજેક્ટ થઈ છે. આ ઉપરાંત ૭૩૧ અરજીઓ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવી છે અને ૧૭ અરજી સોમવાર સુધી પેન્ડિંગ સ્થિતિમાં હતી. આ વખતે સિનારિયો અલગ સર્જાશે તે નક્કી છે. જિલ્લાની માત્ર ૧૬૯૨ બેઠકો સામે ૨૫૫૯ અરજીઓ નોંધાતા અરજીઓની સંખ્યા બેઠકો કરતાં ઘણી વધારે છે. પોર્ટલ ૧૭ એપ્રિલ રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રહેવાનું હોવાથી અરજીઓની સંખ્યામાં વધુ વધારો થવાની પ્રબળ શક્યતા છે.એડમિશનની આ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી અલગ અલગ કેટેગરી મુજબ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. જો કે તેના અરજદારોએ પોતાની અરજી નિયમ મુજબ તેમજ તેમાં માંગવામાં આવેલી તમામ વિગત સંપૂર્ણ પણે ભરાયેલી હોવી ખાસ જરૂરી છે. અરજીની મુદ્દત પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં મંજૂર અરજી અંગેનું લીસ્ટ જાહેર કરવામાં આવશે અને તેના માટે અરજી કર્તાએ RTEના અધિકૃત પોર્ટલ પર નિયમિત તપાસવી પડશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ધરપકડ કરાઈ:સુદર્શન સેતુ પાસે નશાકારક 232 કેપ્સ્યુલ સાથે પાલિકાનો રોજમદાર કર્મી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક સુદર્શન સેતુ પાસથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ઘટક ધરાવતી 232 કેપ્સ્યુલ સાથે પાલિકાના રોજમદાર કર્મચારીને પકડી પાડયો હતો.પોલીસ પુછપરછમાં આ જથ્થો ખાવડીના પરપ્રાંતિય શખસે સપ્લાય કર્યાનુ ખુલતા એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ વી.એ.રાણાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ ડી.એ.વાળા તથા સ્ટાફ ઓખા-બેટ દ્વારકા પંથકમાં પેટ્રોલિંગ કરી રહયો હતો. જે વેળાએ સ્ટાફના હરદાસભાઇ મોવર, અશોકભાઇ સવાણી, કાનાભાઇ માડક સહિતની ટીમને ચોકકસ બાતમી મળી હતી કે, બેટ દ્વારકા પાસે પાર્કિગમાં ફરજ બજાવતા એક ઇસમ પાસે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક ટેબલેટ પોતાના આર્થિક ફાયદા માટે યુવાનોને વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ પાર્કિગ વિસ્તારમાં ધસી જઇ રાજેશભા ટપુભા કેર નામના શખસને અટકાવી તપાસ કરતા તેના કબજામાંથી પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ઘટક ધરાવતી 232 કેપ્સ્યુલ મળી આવી હતી.આથી પોલીસે નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા આરોપી રાજેશભા કેરની ધરપકડ કરી તેની પ્રાથમિક પુછપરછ કરી હતી. જે પોલીસ પુછપરછમાં ઉકત નશાકારક કેપ્સ્યુલનુ પોતે પણ સેવન કરતો હોય તથા નશો કરવાની ટેવવાળા ગ્રાહકોને વેચાણ કરતો હોવાની પોલીસને કબુલાત આપી હતી.પોલીસ પુછપરછમાં આ કેપ્સ્યુલ ખાવડી ગામેથી રવિ ગુપ્તા નામના પરપ્રાંતિય શખસે સપ્લાય કર્યાનુ ખુલ્યુ હતુ.પોલીસે નશાકારક કેપ્સ્યુલ ઉપરાંત મોબાઇલ અને બાઇક સહિત 56 હજારથી વધુનો મુદામાલ કબજે કરી બંને સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. ખાવડીના મેડિકલ સ્ટોર્સવાળાએ સપ્લાય કર્યાનું ખૂલ્યું પોલીસ પુછપરછમાં પકડાયેલા આરોપીએ નશાકારક કેપ્સ્યુલનો આ જથ્થો ખાવડી ગામે લક્ષ્મી મેડીકલ સ્ટોર્સવાળા રવિ ગુપ્તાએ સપ્લાય કર્યાનુ કબુલ્યુ હતુ.આથી પોલીસે નશાકારક કેપ્સ્યુલનો જથ્થો પુરો પાડનારા પરપ્રાંતિય સપ્લાયર શખસને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ભાસ્કર એક્સક્લુસિવ:પોરબંદરમાં ભાજપના વિક્રમ ઓડેદરા પાસે રૂપિયા 19.94 કરોડની સંપત્તિ અને રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા

પોરબંદર મનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં ભાજપે 52 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જે ઉમેદવારોની સંપતિ, અભ્યાસ અને ગુન્હાની વિગતોનું એનાલિસિસ કરતા 4 ઉમેદવાર કરોડપતિ છે ભાજપના વિક્રમ ઓડેદરા પાસે રૂ.19.94 કરોડની સંપતિ અને રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા છે. જયારે કે, મનપાના ભાજપી ઉમેદવાર માંથી એક 4 ધોરણ પાસ, પંદર ઉમેદવાર ધોરણ 9 પાસ અને 21 ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. 4 ઉમેદવાર કરોડપતિ છે, અને 2 ઉમેદવાર પર ગુન્હા નોંધાયેલા છે. વોર્ડ નંબર 2 પર લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર માત્ર 4 ધોરણ ભણેલા છેપોરબંદર મનપાના વોર્ડ નં. 2 મા ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન ચનાભાઈ પાંડાવદરા સૌથી ઓછું ભણેલા છે. તેઓ માત્ર ધોરણ 4 પાસ છે. ભાજપના વોર્ડ નં 11 ના ઉમેદવાર કે જેમની પર ગુન્હા નોંધાયાપોરબંદર મનપાના વોર્ડ નં. 11 મા ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વનરાજ પરબતભાઇ કેશવાલા પર 2 ગુન્હા નોંધાયેલ હોવાનું તેમણે આપેલા સોગંદનામાં પરથી જાણવા મળે છે. પોરબંદર મનપાના વોર્ડ નં. 5 મા ઉમેદવારી કરી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ધર્મેશ સુકાભાઈ પરમાર પર 1 ગુન્હો નોંધાયેલ હતો જે ડિઝાસ્ટર ગુન્હો એટલેકે માસ્ક પહેર્યા વિના નિકળ્યા હતા તેનો ગુન્હો હતો. પોરબંદર મનપાના 9 નંબર વોર્ડમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર વિક્રમભાઈ ઓડેદરા સૌથી વધુ સંપતી ધરાવતા ઉમેદવાર હોવાનું તેના સોગંદનામાં પરથી જાણવા મળે છે. તેમની પાસે રોકડ રૂ.2.25 કરોડ છે, જ્યારે 1.25 કરોડ બેન્કમાં છે, 3 કાર છે જેની મીનીમમ કિંમત રૂ.30 લાખ, 15.89 કરોડ ખેતી પ્લોટના અને 77 દાગીના દર્શાવ્યા છે. જ્યારે તેઓ પર રૂ. 1.30 કરોડની લોન છે. પોરબંદર મનપાના વોર્ડ નંબર 8 મા ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રાજેશ અરજન લોઢારી નામના ઉમેદવાર સૌથી ઓછી સંપતી ધરાવતા ઉમેદવાર છે. તેમણે દાખલ કરેલા સોગંદનામાં મુજબ તેમની પાસે રોકડ રૂ.10 હજાર, 2 વાહન અને 1 દાગીનો દર્શાવેલ છે. અન્ય વધુ સંપતિ ધરાવનાર ભાજપના ઉમેદવારો વોર્ડ નંબર 5ના ઉમેદવાર ધર્મેશ સુકાભાઈ પરમાર પાસે રૂ. 9.05 લાખની સયુંકત રોકડ, રૂ.20 લાખની એફડી, રૂ.5.79 બેન્કમાં, 2 કાર, 1 સ્કૂટર, રૂ.5.15 લાખની પત્નીની એફડી, રૂ.4.50 લાખના પોતાના અને રૂ. 11.30 લાખના પત્નીના દાગીના, રૂ.15 લાખની જમીન સહિત અંદાજિત રૂ.95.30 લાખની સંપતિ છે અને રૂ.25 લાખની લોન બાકી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાવિકાબેન દીપક જુંગી પાસે વારસાઈ સંયુક્ત મિલકત ઉપરાંત અંદાજિત રૂ.90 લાખની સયુંકત સંપતિ છે. વોર્ડ નંબર 3ના નીરવ ભાગ્યવિજય દવે પાસે રૂ. 60 લાખ રોકડા સંયુક્ત, રૂ.52 લાખનો ગાંધીનગર ખાતે ફ્લેટ, સંયુક્ત દાગીના સહિત અંદાજિત રૂ.76 લાખની સંપતિ છે અને રૂ.42 લાખની લોન બાકી છે. જ્યારે વોર્ડ નંબર 11માં વનરાજ પરબતભાઇ કેશવાલા પાસે રૂ.1.17 લાખ રોકડા, રૂ.35.59 લાખ બેન્કમાં, રૂ.16.35 લાખના ખેતી પ્લોટ તેમજ 3 કાર સહિત અંદાજિત રૂ. 83 લાખથી વધુની સંપતિ છે. જયારે વોર્ડ નંબર 9માં સાગરભાઈ રાજેશભાઈ મોદીએ રૂ.5 લાખ કેશ, રૂ.9.45 લાખ બેન્કમાં, 3 કાર, 4 બાઇક, 5 દાગીના , પ્લોટ તેમજ વારસદાર મકાનની સંપતિ દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

અત્યાર સુધીમાં 9 બેઠક ભાજપના ખોળામાં બિનહરીફ:ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસે પોતાના 35 ઉમેદવારોને છુપાવી દીધા

પોરબંદર મહાનગર પાલિકામાં અત્યાર સુધીમાં 9 બેઠકો ભાજપના ખોળે બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ફોર્મ પરત ખેંચાવની મુદત પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસે પોતાના 35 ઉમેદવારોને છુપાવી દીધા છે.કોંગ્રેસ પોરબંદર મનપામાં 1 વોર્ડમાં ઉમેદવારો ઉભા કરી શકી નહીં તો 2 ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ થયા હતા ત્યારે બાકીની વિકેટ ન પડે તે માટે કોંગ્રેસે ઉમેદવારોને અન્ડર ગ્રાઉન્ડ કરી દીધા છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સીધો જંગ થવાનો છે ત્યારે ભાજપના 9 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી ન થાય તે પૂર્વે જ બિનહરીફ થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસે મહાનગરપાલિકા તમામ 35 જેટલા ઉમેદવારોને અજ્ઞાત જગ્યા પર છુપાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં ઉતરેલા 35 જેટલા ઉમેદવારોને સોમવારે રાત્રિના જ પોરબંદર થી દુર અન્ડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી પોરબંદર પરત ન લાવવા પણ હાઈ કમાન્ડની સૂચના હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર જિલ્લામાં તોડજોડની રમતની આશંકા : ચર્ચા જાગી પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે તો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર જ ઉમેદવારો ઉતાર્યા છે ત્યારે હાલ જિલ્લામાં તોડજોડની રમતો શરૂ થઈ હોવાની પણ ચર્ચા જાગી છે જેને લઈને કૉંગ્રેસે તમામ ઉમેદવારો છુપાવી દીધા હોવાની ચર્ચા જાગી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ચુંટણી:ગોધરા પાલિકાના અપક્ષો મોબાઇલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા...!

ગોધરા નગર પાલિકાના 11 વોર્ડમાં ચુંટણીનો માહોલ હજુ છવાયો નથી. સોમવારે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા નગર પાલિકાના 11 વોર્ડમાં 186 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.ચકાસણી કરવામાં આવતા રાજકીય પક્ષોના ડમી સહીત ભુલો ધરાવતા 42 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં કોગ્રેસના 3 અને આપ પાર્ટીના 1 મળીને 4 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે.જયારે 142 ફોર્મ માન્ય થયા હતા. આજે 15 મીના બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. તે પહેલા હરીફ ઉમેદવારોને ફોર્મ ખેંચવા બંધ બારણે બેઠકોનો દોર ચાલુ થયો હતો.જયારે કોગ્રેસના ઉમેદવારોને અજ્ઞાન સ્થળે લઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.તો અપક્ષ ઉમેદવારોના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. વોર્ડમાં પોતાના ઉમેદવારને બિનહરીફ કરવા શામ,દામ અને દંડની નીતીઓ ચાલુ થઇ હોવાની માહિતી મળી છે. જેમાં કેટલાક હરીફ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ પરત ખેચવાની તૈયારીઓ બતાવી છે. આજે બુધવારે ગોધરા પાલીકાના 3 જેટલા ઉમેદવાર બીનહરીફ થવાની શકયતાઓ સેવાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

હિંમતનગર સિવિલનો 4.37 કરોડનો વેરો બાકી:સિવિલના વહીવટી વિભાગને સીલ કરવા ગ્રામ પંચાયતની તૈયારી

હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલનો હડીયોલ પંચાયતમાં લાંબા સમયથી બાકી રહેલ 4.37 કરોડના વેરાનો મામલો હવે ગરમાયો છે. સરકાર ખાલી હૈયાધારણાં આપી રહી હોવાથી સિવિલના વહીવટી વિભાગને તા.8-5-26ના રોજ સીલ મારવાની હડીયોલ પંચાયતે નોટિસ પણ તૈયાર કરી દીધી છે. હિંમતનગરના જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલ માટે હડીયોલ ગામની જમીન ફાળવાયા બાદ સૈદ્ધાંતિક રીતે હડીયોલ પંચાયતમાં 1.12 કરોડની આસપાસ વેરો ભરવાની આકારણી થઈ હતી. તે પૈકી મેડિકલ કોલેજ દ્વારા ત્રણ વર્ષ સુધી 98 લાખ દર વર્ષે વેરા પેટે નિયમિત ચૂકવી અપાયા હતા. પરંતુ સિવિલ દ્વારા વેરો ન ચૂકવતાં મેડિકલ કોલેજે પણ વેરો ચૂકવવાનું બંધ કરી દીધું હતું. હડીયોલ પંચાયત દ્વારા તત્કાલીન ડીડીઓ રાજેન્દ્ર પટેલનો સંપર્ક કરતાં તેમણે ગ્રામસભા બોલાવી આકારણી ફરીથી નક્કી કરવા સલાહ આપતાં ગ્રામસભા બોલાવી સિવિલ અને મેડિકલ કોલેજનો રૂ.30-30 લાખ વેરો નક્કી કરાયો હતો. તા.1-01-24ના રોજ જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ સંકુલવાળી જગ્યા પાલિકામાં સમાવિષ્ટ થઈ ત્યાં સુધી સિવિલઅને મેડિકલ કોલેજ દ્વારા વેરો ચૂકવાયો હતો. આરોગ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છીએ હડીયોલ તલાટી ઘનશ્યામભાઈએ જણાવ્યું કે 4.37 કરોડની વેરા વસૂલાત માટે સિવિલના વહીવટી વિભાગને તા.13-04-26ના રોજ સીલ કરવા નોટિસ આપ્યા બાદ ચૂંટણી જાહેર થતાં હવે વહીવટી વિભાગને તા.8-05-26ના રોજ સીલ કરવા સરપંચ દ્વારા નોટિસ તૈયાર કરાઈ છે. ગામના અગ્રણી મહેન્દ્રભાઈ ભુદરભાઈ પટેલે જણાવ્યું કે સામાન્ય નાગરિકનું બાકી લ્હેણું હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાય છે. આરોગ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છીએ. ન છૂટકે ગ્રામજનોના અભિપ્રાય મુજબ કાયદાકીય સલાહ લઈને પંચાયત દ્વારા નોટિસ આપી ચૂંટણી પૂર્ણ થયા બાદ સિવિલના વહીવટી વિભાગને સીલ કરવા આખું ગામ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

બેઠકવાર મતોનું ગણિત અત્યંત રસપ્રદ:સાબરકાંઠા જિ.પં.ની બડોલી બેઠક ઉપર સૌથી વધુ, દેમતીમાં સૌથી ઓછા મતદારો

સાબરકાંઠા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ત્યારે બેઠકવાર મતોનું ગણિત અત્યંત રસપ્રદ બની રહ્યું છે. જિલ્લાની કુલ 34 બેઠકોમાં મતદારોના સંખ્યાબળની દ્રષ્ટિએ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. બડોલી બેઠક 34,737 મતદારો સાથે સમગ્ર જિલ્લામાં સૌથી મોટું કદ ધરાવે છે, જ્યાં ઉમેદવારોએ જીત માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. તેની સાપેક્ષમાં દેમતી બેઠક પર સૌથી ઓછા એટલે કે માત્ર 18,934 મતદારો નોંધાયા છે. જિલ્લામાં કુલ 918177 મતદારો છે. જેમાંથી 473367 પુરુષ અને 444810 મહિલા મતદારો છે. જિલ્લાની મુખ્ય 34 બેઠકોમાં મોટાભાગની બેઠકો પર પુરુષ મતદારોની સંખ્યા વધારે છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતાં ઓછી છે. સાબરકાંઠાની 34 બેઠકો પર પુરુષ મતદારો 312 થી લઇને 1415 જેટલી સંખ્યાંમાં સ્ત્રી મતદાર કરતાં વધારે છે.જ્યારે ફકત કણાદર બેઠક જ એવી છે. જ્યાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે છે. અહીં મહિલા મતદારોની સંખ્યા 14384 જયારે પુરુષ મતદારો 14324 છે. જોકે, આ આંકડો પણ ખૂબ નાનો ફકત 60 જેટલો જ છે. બડોલી બેઠક પર જિલ્લામાં સૌથી વધુ મહિલા મતદારો નોંધાયા છે. અહીં મહિલા મતોની સંખ્યા 17,124 છે. ત્યારબાદ ગોલવાડામાં 16,211 અને જાદરમાં 16,319 મહિલા મતદારો છે. જ્યારે સૌથી ઓછા મહિલા મતદારો દેમતી બેઠક ઉપર 9007 છે. આમ છતાં જિલ્લાની 34 બેઠકોમાં જ્યાં પુરુષ અને મહિલા મતદારો વચ્ચેનો તફાવત ઓછો હોય અથવા જ્યાં મહિલાઓ પુરુષો કરતાં વધુ હોય ત્યાં તેઓ નિર્ણાયક બને છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

સમસ્યા:હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં નિયમિત‎સફાઈ અને રસ્તાની સુવિધાઓનો અભાવ‎

હિંમતનગર શહેરનો વોર્ડ-3 મુસ્લિમ બહુલ વિસ્તાર છે અને આ વોર્ડમાંથી જ કોંગ્રેસને દર વખતે પ્રતિનિધિત્વ મળે છે. ભાજપને અહીં ઉમેદવાર મળતા નથી. આ વિસ્તારના મતદારો વિરોધ પક્ષને જ ચૂંટીને મોકલતા હોવા છતાં પાલિકા દ્વારા મળતી સુવિધાઓ અંગે રહીશો દ્વારા એકંદરે સંતોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. કાઉન્સિલરોને એક ફોન કરતાં હાજર થઈ જતાં હોવાનું અને નિયમિત સફાઈની તથા રસ્તાની સમસ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા આવતું ટ્રેક્ટર નિયમિત ન આવતું હોવાનું અને મોડું આવતું હોવાનું જણાવાઈ રહ્યું છે. મતદારોની સંખ્યા : 10,493 બેઠક વિવરણ : 1-પછાતવર્ગ 2-સામાન્ય 3-અનુસૂચિત જાતિ 4-સામાન્ય

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોનું બેંક બેલેન્સ 5 વર્ષમાં રૂ. 13 હજારથી 45 લાખ થયું

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. ગત ટર્મમાં નગરપાલિકા તરીકે લડેલા અને આ વખતે મહાનગરપાલિકાના જંગમાં ઉતરેલા ઉમેદવારોની આર્થિક સ્થિતિમાં છેલ્લા 5 વર્ષમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ, અનેક નેતાઓની સ્થાવર અને જંગમ મિલકતોમાં લાખોનો વધારો થયો છે, તો બીજી તરફ દેવાનો બોજ પણ વધ્યો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલી વિગતો તપાસતા જાણવા મળે છે કે, ભાજપ અને કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોની જીવનશૈલી અને આર્થિક ગ્રાફમાં પાંચ વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. અમુક ઉમેદવારોની લોન 13 લાખથી વધીને 98 લાખે પહોંચી છે, તો બીજી તરફ તેમની સ્થાવર મિલકત શૂન્યમાંથી વધીને 1.15 કરોડથી વધુ થઈ છે. તેવી જ રીતે જેઓ અગાઉ કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં છે, તેમની બેંક સેવિંગમાં 13 હજારથી વધીને 45 લાખ સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.મહિલા ઉમેદવારોમાં પણ આર્થિક સધ્ધરતા વધી છે. જ્યારે મહિલા ઉમેદવારના દાગીના 8 લાખથી વધીને 48 લાખના થયા છે. જ્યારે એક મહિલા ઉમેદવારના જવેરાત 4.50 લાખથી વધીને 24 લાખે પહોંચ્યા છે. આ સરખામણી દર્શાવે છે કે રાજકીય સફરની સાથે ઉમેદવારોની સંપત્તિના સમીકરણો પણ ઝડપથી બદલાયા છે.મોટાભાગના ઉમેદવારોની સ્થાવર મિલકત મકાન, જમીન, ઓફિસમાં 20%થી 50% સુધીનો વધારો જોવા મળ્યો છે. મહિલા ઉમેદવારોના સોનાના દાગીનાની કિંમતમાં 2026માં મોટો તફાવત દેખાય છે, જેમાં સોનાના ભાવમાં વધારો પણ કારણ હોઈ શકે છે. સંપત્તિ વધવાની સાથે-સાથે અનેક ઉમેદવારોએ બેંક લોન પણ મોટી લીધી હોવાનું સોગંદનામામાં દર્શાવ્યું છે. ઉમેદવારો પાસે ટ્રેક્ટર અને કોંક્રિટ મિક્સર જેવા વ્યવસાયિક વાહનો પણ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માત્ર પક્ષની લડાઈ નથી, પરંતુ આ આર્થિક આંકડાઓ મતદારોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ સમૃદ્ધિની અસર મતદાન પર કેવી પડે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

રાજકારણ ગરમાયુ:BJPમાં ભળી જવાના ડરે 30 કોંગી ઉમેદવારોને અજ્ઞાતવાસ‎

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડમાં ભાજપે 21 નવા અને 31 જુના જોગીને મેદાને ઉતર્યા છે. સામે કોંગ્રેસના 50 ઉમેદવારે ફોર્મ ભરતાં મનપામાં પોતાના વધુમાં વધુ ઉમેદવારો બીનહરીફ થાય અથવા કોંગ્રેસના ઉમેદવારો હટી જાય તે માટે ભાજપ અંદરખાને જોરદાર પ્રયાસ કરી રહયુ છે.અને આથી જ ભાજપના જુવાળથી બચાવવા માટે કોંગ્રેસને તેના 30 વધુ ઉમેદવારોને રાજસ્થાન અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 13 વોર્ડના 52 ઉમેદવારોની સામે કોંગ્રેસે પોતાના કુલ 50 ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા છે. ત્યારે ભાજપે જાણે કોંગ્રેસ મુકત ચૂંટણી કરવાનું બીડુ ઝડપ્યુ હોય તેમ એક પછી એક કોંગ્રેસના કાંગરા ખેરવી રહ્યું છે. પાટડી નગર પાલિકામાં કોંગ્રેસના એકસાથે 9 ઉમેદવારને ભાજપનો ખેસ પહેરાવીને મોટુ ગાબડુ પાણી દીધુ હતુ.ત્યારે હવે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નં 1,2,3,4,5,6,7,10ના કોંગ્રેસના 30 થી વધુ ઉમેદવારો ઉપર ભાજપની ધોસ વધતા કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે.અને આથી જ ભાજપના જુવાળથી પોતાના ઉમેદવારોને કોંગ્રેસ રાજસ્થાનના અજ્ઞાત રીસોર્ટમાં લઇ ગઇ છે. આટલુ જ નહી પરંતુ તમામ ઉમેદવારોના ફોન પણ સ્વીચ ઓફ કરાવી દવામાં આવ્યા છે. ફોર્મ પાછુ ખેચવાની તા.15 બાદ આ ઉમેદવારોને પરત સુરેન્દ્રનગર લાવવામાં આવશે. જે કોંગ્રેસી ઉમેદવારો મકકમ છે ભાજપનો દાવ ચાલે તેમ નથી તેવા વોર્ડ નં 11,12,12 અને 9 ના કેટલાક ઉમેદવારોને રાજસ્થાન લઇ જવામાં આવ્યા નથી. તે ઉમેદવારો સુરેન્દ્રનગરમાં જ છે. તોડ જોડની નીતીને લઇને રાજકારણ ગરમાયુ છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપની આવી નીતી બાબતે અમે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરી છે.ઉમેદવારના ઘરે ગુંડા મોકલવા,દબાણ કરવુ તે બાબત કોઇ સંજોગોમાં ન ચલાવી લેવાય. ભાજપના પ્રેશરથી બચવા અમારે આ કરવું પડ્યુંઅમારા ઉમેદવારોને ભાજપમાં ભળી જવા ઘણું પ્રેશર આવે છે. સારા હોદ્દા આપવાની પણ લાલચ અપાય છે. સામ,દામ અને દંડ,ભેદની નીતી અપનાવીને કોઇ પણ સંજોગોમાં કોંગ્રેસના ઉમેદવારને તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. > ઝરણાબેન જાની, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસને તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ નથીઆ વાત ધ્યાને પણ આવી છે પરંતુ ભાજપ આવી કોઇ પ્રવૃત્તિ કરતુ નથી. કોંગ્રેસને તેના ઉમેદવારો ઉપર વિશ્વાસ ન હોય અને આથી જ અજ્ઞાત સ્થળે લઇ ગયા હોય તેવુ બની શકે છે. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછુ ખેચવા કહેતા હોય. > દેવાંગભાઇ રાવલ, શહેર ભાજપ પ્રમુખ ભાજપ મિત્રો, સગાને હાથો બનાવી કોંગેસ ઉપર દબાણ લાવે છેકોંગ્રેસના ઉમેદવારો તુટી જાય અને ભાજપ બીનહરીફ થઇ જાય તો એકતો પક્ષમાં વજન વધે અને બીજુ કે ચૂંટણી લડવાથી રાહત થઇ જાય.કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે ભાજપના નેતાઓ સીધા સામે આવતા નથી.પરંતુ સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી ઉમેદવારના સગા અને ખાસ મિત્રોનો સંપર્ક કરીને ફોર્મ પાછુ ખેચીને ભાજપમાં ભળી જવા માટે દબાણ કરવામાં આવે છે.જેથી ભાજપ ચિત્રમાં ન આવે અને કામ પણ થઇ જાય.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

રેસ્ક્યુ:કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલા આઈશરનો 60 કિમી પીછો કરી ઝડપ્યું

ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી હતી. માળીયા પુલથી 6 જીવદયાપ્રેમીએ બે કાર લઇને આઇસરનો 60 કિમી પીછો કર્યો હતો. અને છેક ધ્રાંગધ્રા પહોંચતા તેને ઝડપી પાડી હતી. પીછો કરી રહેલા જીવદયા પ્રેમીઓએ ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓને આ આઇશર વાહન અંગે જાણ કરતા રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાખી દેવામાં આવ્યા હતા. આથી આઇસરના ટાયર ફાટી જતા આઇશરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પુલની ગ્રીલ સાથે ભટકાયું હતું. કચ્છ જિલ્લાના અંજારથી પશુઓને લઇ જતી આઇશરનો મોરબીના જીવદયા પ્રેમીઓ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આઇશરમાં 38 નંગ પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત આઇશર ચાલક અમદાવાદના જાવિદખાન ઇકબાલખાન પઠાણને ઝડપ્યો હતો. રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાંખતા ટાયર ફાટ્યું જીવદયા પ્રેમીઓ દ્વારા જીવના જોખમે આઈસરનો 60 કિમી પીછો કર્યો હતો. ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમીઓને આઇશર અંગે જાણ કરાતા રસ્તા પર ખિલ્લાવાળા પટ્ટા નાંખ્યા હતા જેથી આઇસરના ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અને 38 પાડાને નિર્દય રીતે બાંધેલી હાલતમાં મુક્ત કરી પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી મિલકતો:હિંમતનગરના વોર્ડ-7માં ભાજપના ઉમેદવાર 23.52 કરોડના આસામી

હિંમતનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો દ્વારા જાહેર કરવામાં આવેલી મિલકતો ચર્ચાનું કેન્દ્ર બની છે. હિંમતનગર પાલિકામાં વોર્ડ-7માં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર અમૃતભાઈ પુરોહિતે પોતાની અને તેમના પત્નીની 23.52 કરોડોની સંપતિ જાહેર કરી છે. જે મુજબ તેઓ કરોડપતિ ઉમેદવારોની યાદીમાં સ્થાન પામ્યા છે. અમૃતભાઈ અને તેમના પત્ની પાસે કુલ 21.01 કરોડથી વધુની જંગમ મિલકતો છે. જેમાં સૌથી મોટો હિસ્સો શેર અને મ્યુચ્યુઅલ ફંડનો છે. જેની કિંમત અંદાજે 14.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત બેંક ડિપોઝિટ બંનેના મળીને 41.98 લાખથી વધુ દંપતી પાસે કુલ 2.04 કરોડથી વધુનું સોનું-ચાંદી ઝવેરાત છે. તેમની પાસે 3.31 કરોડના મૂલ્યના વાહનો છે. અમૃતભાઈ જમીન-મકાનમાં પણ મોટું રોકાણ ધરાવે છે. તેમની પાસે 2.50 કરોડથી વધુની સ્થાવર મિલકત છે. જેમાં ખેતીની જમીન બે વિશાળ ગોડાઉન કિંમત 1.37 કરોડ, કોમર્શિયલ મિલકત અને 80.37 લાખનું રહેણાંક મકાન સામેલ છે. અમૃતભાઈ પર 92.78 લાખની કાર લોન અને મિલકત વેરા સહિત કુલ 97.78 લાખનું દેવું પણ છે. આમ, તમામ મિલકતો ગણતા તેમની કુલ સંપત્તિ 23.52 કરોડથી વધુ થાય છે. જંગમ મિલકતો : વિગત અમૃતભાઈ પત્ની રોકડ 3,18,534 1,52,316 બેંકમાંથાપણો 35,22,381 6,76,343 શેરઅનેમ્યુચ્યુ.ફંડ 14,51,18,110 LICપોલિસી 15,00,000 53,00,000 વાહનો 2,38,77,824 92,73,250 ઝવેરાત 1,24,50,000 80,00,000 કુલ 18,67,86,849 2,34,01,909 જંગમ મિલકતોનો કુલ સરવાળો : 21,01,88,758

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ:કેમિકલથી દારૂ બનાવીને બ્રાન્ડના સ્ટીકર લગાવતી ફેક્ટરી ઝડપાઈ

થરા નજીક માંડલામાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અહીં થરા પોલીસે રેડ કરી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે. અને દારૂ બનાવટ માટે વપરાતી મશીનરી કબજે કરવામાં આવી છે. ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ ભેળવી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી દારૂ તૈયાર થતો હતો. થરા પોલીસના સ્ટાફે માંડલા ગામની સીમમાં ચેલાભાઈ અણદાભાઈ પટેલના ખેતરમાં આવેલા પાકા ઢાળિયામાં દરોડો પાડ્યો હતો. અહીં જયેશજી ભાવાજી ઠાકોર દ્વારા મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ દરમિયાન 492 બોટલ રોયલ ચેલેન્જ, 3 બોટલ રોયલ સ્ટેગ અને 100 લીટર ખુલ્લું કેમિકલયુક્ત પ્રવાહી, 500 લીટરની પ્લાસ્ટિકની ટાંકી, ઇલેક્ટ્રોનિક ગ્લેન્ડર, મોનોબ્લોક મોટર, 65 ખાલી કાચની બોટલો અને બ્રાન્ડેડ દારૂના ડુપ્લીકેટ પૂંઠાં-ખોખાં જપ્ત કર્યા હતા. મુખ્ય આરોપી જયેશજી ભાવાજી ઠાકોર થરા પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટ્યો હતો. પોલીસ જયેશ ઠાકોર તેની અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓની શોધખોળ કરી રહી છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ રીતે તૈયાર થતો હતો ડુપ્લીકેટ દારૂ આરોપીઓ કેસરી રંગના મોટા બેરલમાં કેમિકલયુક્ત પ્રવાહી મિક્સ કરી ઇલેક્ટ્રિક ગ્લેન્ડર અને મોનોબ્લોક મોટરની મદદથી ડુપ્લીકેટ દારૂ તૈયાર કરતા હતા. ત્યારબાદ આ પ્રવાહીને પ્લાસ્ટિકની નળીઓ દ્વારા ખાલી બોટલોમાં ભરી, તેના પર રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ જેવી જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર લગાવીને તેને સીલ કરવામાં આવતો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ભાસ્કર વિશ્લેષણ:પાલનપુરમાં ભાજપના રિપિટ પૂર્વ‎નગરસેવકોમાં 4ની મિલકત વધી‎

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઉમેદવારોના સોગંદનામામાં કેટલીક રસપ્રદ વિગતો સામે આવી છે. 2021થી 2026ના 5 વર્ષના સમયગાળામાં ભાજપના 5 રિપીટ ઉમેદવારો પૈકી 4ની મિલકતમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે એક મહિલા કોર્પોરેટરની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. આ વિશ્લેષણમાં પૂર્વ ઉપપ્રમુખનું શેરબજારમાં ₹11 લાખનું એસ.આઈ.પી.રોકાણ અને અન્ય ઉમેદવારની નવી મળેલી લાખોની જમીન છે. બીજી તરફ, ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલાં પૂર્વ સભ્યોની આર્થિક સ્થિતિ પણ ખાસ્સી ચર્ચામાં છે. કોઈની લોનનો આંકડો કરોડને પાર કરી ગયો છે, તો કોઈની બેંક બેલેન્સમાં મોટો ઉછાળો આવ્યો છે. સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે ઉમેદવારોની બદલાતી આર્થિક પ્રોફાઇલ પાલનપુરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. પાલનપુર નગર પાલિકાની ચૂંટણીમાં રિપિટ કરેલા ઉમેદવારોની સંપત્તિનું વિવરણ નાગજીભાઈ દેવકરણભાઈ દેસાઈ વોર્ડ નં.- 7પાલનપુર પાલિકામાં અઢી વર્ષથી ઉપપ્રમુખ પદે રહેનારા નાગજીભાઈ (ઉ.41 વર્ષ) પાલનપુરમાં માર્બલના વેપારી ઉપરાંત અન્ય વેપારી એકમોમાં પણ ભાગીદારી ધરાવે છે. તેઓ બી કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. પાછલી ચૂંટણીમાં તેમણે બેંકમાં રૂ.17.66 લાખ દર્શાવ્યા હતા, 5 તોલા સોનુ પત્ની પાસે, 15 તોલા સોનું, કોમર્શિયલ 6 દુકાનોમાં 33%નો ભાગ સહિત રૂ.7 લાખની કિંમત દર્શાવી હતી. આ વખતે નવા સોગંદનામામાં રોકડ રૂ.6 લાખ, બેંકમાં રૂ.19.60 લાખ, શેર બજારમાં એસ.આઈ.પી દ્વારા રૂ.11.7 લાખનું રોકાણ, એક કરોડનો ટર્મ પ્લાન, અગાઉની 6 દુકાનોમાં 33 ટકાનો હિસ્સા ઉપરાંત વધારાની અન્ય 3 દુકાનોમાં 50%ની ભાગીદારી મળી કુલ રૂ.50 લાખથી વધુની મિલકત દર્શાવી છે જ્યારે પત્નીના નામે મકાનમાં 50% હિસ્સો દર્શાવી રૂ.35 લાખની મિલકત દર્શાવી છે. ભારતીબેન અંબાલાલ રંગવાણી વોર્ડ નં-2 ભારતીબેન અંબાલાલ રંગવાણી ઉ.62 અને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. પાછલી ચૂંટણીમાં ભારતીબેને બેંકમાં રૂ.1.36 લાખ, જ્યારે રૂ.2.48 લાખની થાપણ દર્શાવી હતી જ્યારે પતિ અંબાલાલની રૂ.1.71 લાખની થાપણ દર્શાવી હતી જ્યારે આ વખતની ચૂંટણીમાં બેંકમાં પણ રૂ.1.83 લાખ જ્યારે પતિની બેંક થાપણ મામૂલી દર્શાવાઈ હતી. પાછલી ચૂંટણીમાં 6 તોલા સોનું રૂ.2.70 લાખનો દર્શાવ્યું હતું જ્યારે આ વખતે 4 તોલા સોનું ઘટીને બે તોલા રૂ.3.10 લાખનું દર્શાવ્યું છે. નરેશ રાણા વોર્ડ નં.-3 પાલિકાએ જે રિપીટ કર્યા હતા તેમાં આદિવાસી બેઠક પરથી ઉમેદવાર તરીકે નરેશ મોતીભાઈ રાણા(ઉ.40)ને ટિકિટ આપી હતી. તેઓ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરેલું છે. જેમાં અગાઉ જાહેર કરાયેલી વિગતોમાં પત્ની પાસે 10 તોલા સોનુ અને 1 કિલો ચાંદી હોવાનું દર્શાવ્યું હતું. જ્યારે આ વખતે જાહેર કરાયેલા આંકડાઓમાં પત્ની પાસે 1 કિલો ચાંદી અને 8 તોલા સોના ઉપરાંત અમીરગઢના આવલમાં રૂ.55 લાખની કિંમતની અંદાજિત 4.20 વિઘા જમીન દર્શાવાઇ છે. રીનાબેન પ્રવીણભાઈ ઠાકોર વોર્ડ નં.-7 રીનાબેન પ્રવીણભાઈ ઠાકોર ધો-5 સુધી અભ્યાસ કરેલો છે. રીનાબેને 2021માં ત્રણ તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદી દર્શાવી હતી જ્યારે બેંકમાં રૂ.56 હજાર હોવાનું દર્શાવ્યું હતું જ્યારે તેમના પતિના એકાઉન્ટમાં રૂ.1.40 લાખ દર્શાવ્યા હતા જ્યારે આ વખતે સોનામાં કોઈ ફેરફાર આવ્યો નહીં. જોકે, 500 ગ્રામ ચાંદી વધીને એક કિલો દર્શાવાઇ હતી. ભાજપમાંથી ચૂંટાયા હતા પરંતુ આ વખતે તેમને ટિકિટ મળી નથી અને ભાજપ સામે ઉભા રહ્યા છે સાગર પ્રવીણચંદ્ર પરમાર વોર્ડ નં. 2 ઉ.42 અભ્યાસ ધોરણ 12 અગાઉ ભાજપમાંથી ચૂંટાયેલા પરંતુ આ વખતે ટિકિટ ન અપાતા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પાછલી ચૂંટણીમાં તેમણે કુલ રૂ.37.69 લાખની લોન દર્શાવી હતી. જે જુદી જુદી લોનમાં આ વખતે વધારો થઈ 1. 15 કરોડની વાહન લોન, કાર લોન, પર્સનલ લોન, એકાઉન્ટ લોન, બિઝનેસ લોન અને ગોલ્ડ લોન દર્શાવાઇ છે. જોકે અત્યારે રજૂ કરેલા ઉમેદવારી ફોર્મમાં બેંકમાં રૂ.86 લાખ હોવાનું પણ દર્શાવ્યું છે. જ્યારે ગઈ વખતની ચૂંટણીમાં માત્ર રૂ.1.53 લાખ દર્શાવ્યા હતા. કૌશલ અમૃતલાલ જોશી(ઉ.38) વોર્ડ નં-8 અભ્યાસ-FYBAપાલિકાની ભૂગર્ભ સમિતિમાં વર્ષો સુધી ચેરમેન પદે રહેનારા કૌશલભાઈએ તેમના અને તેમની પત્નીના બેંક રોકડ તેમજ અન્ય રોકાણો અંગેની વિગતો દર્શાવી હતી જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈ ચૂંટણીમાં હાથ પર રોકડ રૂ.2.49 લાખ, બેંકમાં રૂ.7.56 લાખ, પતિ પત્નીના શેર બજારમાં રૂ.4.18 લાખ, પતિ પત્નીના પોસ્ટમાં રૂ.3.77 લાખ અને પત્ની પાસે 200 ગ્રામ સોનુ દર્શાવ્યું હતું. જ્યારે આ વખતે પતિ પત્ની બંને પાસે રૂ.7 લાખ રોકડ, રૂ.6 લાખ સંયુક્ત રીતે બેંકમાં તેમજ શેર બજારમાં સંયુક્ત રીતે રૂ.3.80 લાખ, જ્યારે પોસ્ટ અને પોલીસી મળી અંદાજિત રૂ.19 લાખ દર્શાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ભાસ્કર ખાસ‎:સબ જેલના 23 કેદી ફૂડ એન્ડ ન્યુટ્રિશનની પરીક્ષામાં પાસ

પાલનપુર સબ જેલમાં સજા કાપી રહેલ 24 કેદીઓમાંથી 23 કેદીઓએ ફૂડ એન્ડ ન્યુટ્રિશનની પરીક્ષા પાસ કરતા 95.83 ટકા પરિણામ નોંધાયું હતું. પાલનપુરની જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર પંકજભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત ચલાવાતા ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોર્સમાં પાલનપુર જિલ્લા જેલમાં સજા કાપી રહેલ કાચા કામના કેદીઓએ ઉત્સાહજનક પ્રદર્શન કર્યું હતું. કુલ 24 કેદીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 23 કેદીઓ પાસ થયા હતા. જ્યારે માત્ર એક જ નાપાસ થયો હતો. આ સાથે જ જેલનું કુલ પરિણામ 95.83 ટકા નોંધાયું હતું. જેલમાં શિક્ષણ દ્વારા સુધાર અને સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડે છે. પાલનપુરની સબ જેલમાં છેલ્લા 15 મહિનાથી હત્યાના ગુનામાં સજા કાપી રહેલ પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના મહેશકુમાર નરસંગજી મકવાણાના માતા પિતાનું અગાઉ મોત નિપજ્યું હતું.જ્યારે બહેન પરણીને સાસરે ગઈ છે.તથા ભાઈનું પણ મોત નિપજ્યું હતું. તેવા સમયમાં કાકાનું પણ મોત નિપજતાં મહેશકુમાર કાકી જોડે રહેતા હતા. કુટુંબમાં દાદા-દાદી, માતા-પિતા, ભાઈ-કાકાનું મોત નિપજ્યું હતું. તેઓ હત્યાના કેસમાં સજા કાપી રહ્યા છે. જેલમાં રહીને ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં સર્ટિફિકેટ કોર્સની પરીક્ષા આપી હતી.અને પરીક્ષા પાસ કરી હતી. જ્યારે અમદાવાદના વતની અને પાલનપુરની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ 47 વર્ષીય દિવ્યેશભાઈ ઇશ્વરભાઈ પટેલે ધોરણ-9 પાસ કર્યું હતું. જે બાદ જેલમાંથી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.માંથી ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં સર્ટિફિકેટ કોર્સની પરીક્ષા આપી અને તે પાસ કરી હતી. ઓછું ભણેલા લોકો માટે આ કોર્સ ફાયદાકારક જેલના કેદીઓ માટે ફૂડ એન્ડ ન્યુટ્રિશન સર્ટિફિકેટ કોર્સ મહત્વનો છે. જેલમાંથી મુક્ત થયા બાદ હોસ્પિટાલિટી, હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ક્ષેત્રમાં રોજગારીની તકો વધે છે, જેથી તેઓ સ્વનિર્ભર બની શકે છે. જેલમાં રસોડાનું સંચાલન કરતા કેદીઓ આ કોર્સથી વધુ પૌષ્ટિક અને ગુણવત્તાવાળો ખોરાક તૈયાર કરી શકે છે. ટૂંકા ગાળાનો અને સરળ હોવાને કારણે ઓછું ભણેલા લોકો માટે પણ અનુકૂળ છે. આ કોર્સ કૌશલ્ય વિકાસ સાથે સામાજિક પુનઃસ્થાપન અને સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

નિર્ણય:કોંગ્રેસે મહિલા શહેર પ્રમુખને અભદ્ર વર્તન અને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલે સસ્પેન્ડ કર્યા

પાટણ શહેરમાં મેન્ડેટના આપવા મામલે મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટણી કન્વીનર મધુભાઈ પટેલ વચ્ચે થયેલી બબાલ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ મુમતાજબેન અને તેમના પતિ દ્વારા ઉમેદવાર જાહેર કરવા પૂર્વે જ જાહેર ગ્રુપમાં પક્ષ વિરોધી કોમેન્ટ કરતા હતા. મહિલા પ્રમુખે ફોર્મ ચકાસણી સમયે પ્રાંત કચેરી બહાર ચૂંટણી કન્વીનર મધુભાઈ પટેલ સાથે તેમને ના બોલવાના શબ્દોમાં વાતચીત કરી તેમનું અપમાન કર્યું હતું. અભદ્ર અને અશોભનીય વર્તન બદલ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેમને લાફો મારવા માટે સસ્પેન્ડ કર્યા નથી.અને તેમને લાફો પણ માર્યો નથી.માત્ર હાથ ઉગામ્યો હતો પણ તેઓ દૂર હતા. મમતાજ બાનુને લાફો માર્યો છે કેમ આ બાબતે પૂછતા તેમણે પોતાનું આપેલું નિવેદન બદલીને મેં માર્યો નથી માત્ર હાથ ઉગામ્યો તેવું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

કરુણાંતિકા સર્જાઈ:ચાણસ્માના ગંગાપુરામાં તળાવમાં ડૂબી જતાં દાહોદના શ્રમિકનું મોત

ચાણસ્મા તાલુકાના ગંગાપુરા (ધિણોજ) ગામે રોડ બનાવવાની કામગીરી માટે આવેલા દાહોદ જિલ્લાના શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું છે. તળાવમાં ન્હાવા ગયેલા 48 વર્ષીય શ્રમિકનું ડૂબી જવાથી કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના ભે.પાટીયા ગામના વતની કનુભાઈ નારસંગભાઈ ઉહુનિયા પરિવાર સાથે મજૂરી અર્થે ચાણસ્મા પંથકમાં આવ્યા હતા.ગંગાપુરા ગામે ચાલી રહેલા રોડના કામમાં તેઓ શ્રમિક તરીકે ફરજ કામ કરતા હતા અને ત્યાં જ મુકામ કર્યો હતો.ગતરોજ કનુભાઈ રહેણાંક ઘરના નજીકમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જોકે, કલાકો વીતી જવા છતાં તેઓ પરત ન ફરતા ચિંતાતુર બનેલા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી.પરિવારજનો જ્યારે શોધતા તળાવ કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં કનુભાઈના કપડાં પડેલા જોવા મળ્યા હતા. આ જોઈ પરિવારને કોઈ અશુભ ઘટનાની આશંકા ગઈ હતી.સ્થાનિકોની મદદથી તળાવના ઊંડા પાણીમાં તપાસ હાથ ધરતા કનુભાઈનો મૃત દેહ મળી આવ્યો હતો. પિતાનો મૃતદેહ જોતા જ સંતાનો અને પત્નીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક લણવા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્રએ ચાણસ્મા પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.રોજીરોટી કમાવવા આવેલા પરિવારે ભારે હૈયે કનુભાઈના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન દાહોદ ખાતે રવાના થયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:પાટણ પાલિકાના વોર્ડ-5ના ભાજપના રીટા પટેલ‎પાસે સૌથી વધુ રૂ. 64 લાખનું 466 ગ્રામ સોનું છે‎

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સંપત્તિ અને શિક્ષણની વિગતો અંગે રજૂ કરેલા એફિડેવિટનું એનાલિસિસ કરતા અનેક રસપ્રદ બાબતો સામે આવી છે. જેમાં 11 વોર્ડના 44 ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે.જેમાં આઈ.ટી અને સિવિલ એન્જિનિયર,2 ડૉક્ટર,બિલ્ડર,વકીલ તો ધો 2 પાસથી PHD સુધીના અભ્યાસ કરેલ અને સામાન્ય શાકભાજી અને ભંગારનો ધંધો કરતા ઉમેદવાર થી લઈ કરોડોની જંગમ મિલકત ધરાવતા ધનાઢ્યો પ્રથમવાર મેદાનમાં ઉતર્યા છે. વિશેષમાં મહિલાઓમાં ડૉક્ટર અને વકીલ પણ છે.સાથે 1 તોલા થી 466 ગ્રામ સોનાના લાખોના ઘરેણા ધરાવતી સુખી સંપન્ન પરિવારની મહિલાઓને છે.સૌથી વધુ વોર્ડ-5 ના ઉમેદવાર રીટા પટેલ પાસે 466 ગ્રામ સોનાના દાગીના એટલે કે લાખોનુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પુરુષમાં સૌથી વધુ પૈસાદાર દિલીપભાઈ પટેલ ( એક્ટિવ ગ્રુપ ) બિલ્ડર જેમને કરોડોની સંપત્તિ દર્શાવવામાં આવી છે. તો આ વખતે વિશેષ ભાજપે 25 વર્ષથી 59 વર્ષના જ તમામ ઉમેદવારોને ટિકિટ આપી છે.જેમાં 50% ચેહરા 25 થી 40 વર્ષના યુવા ચહેરા છે.60 વર્ષના નિયમનું પાલન થયું હોય તે અહીંયા દેખાય છે.પાટણમાં કેટલા ઉમેદવાર કરોડપતિ છે.તો કેટલાક સામાન્ય . 22 પુરુષ ઉમેદવારોમાં શૈક્ષણિક‎અને આર્થિક સ્તરે વૈવિધ્ય‎ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારેલા 22 પુરુષ ઉમેદવારોમાં શૈક્ષણિક અને આર્થિક સ્તરે ભારે વૈવિધ્ય જોવા મળે છે. બાબુ પ્રજાપતિ સહિત બે ઉમેદવારો Ph.D , મનોજ ઠાકોર ડૉક્ટર જેવી ઉચ્ચ પદવી ધરાવે છે. અભ્યાસમાં ઉત્કર્ષ પટેલ અને વિવેક પટેલ એન્જિનિયર છે. અન્ય ઉમેદવાર વકીલાતથી લઈને 10 પાસ ખેડૂત સુધીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. સૌથી વિશેષ પટ્ટણી સમાજના ત્રણ ઉમેદવાર શાકભાજી અને ભંગાર જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:મનપાના વોર્ડ 1,12 અને 13માં સમાવિષ્ટ 13‎ગામના મતદારો પહેલીવાર 4-4 મત આપશે‎

મહેસાણા મહાનગરપાલિકાની સીમા હવે કુલ 19 ગામ અને 5 ગામના ઓજી (સોસાયટી) વિસ્તાર સુધી વિસ્તરેલી છે. નવી રચાયેલ 13 વોર્ડમાંથી વોર્ડ નં. 1, 12 અને 13માં કુલ 13 ગામ (ઓજી) સમાવાયા છે અને તેમાં થોડો પાલિકાનો જૂનો વિસ્તાર પણ છે. આ ત્રણ વોર્ડના મતદારો પહેલીવાર 4 મત આપીને મનપાનું શાસન નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મતદારો માટે પંચાયતથી અલગ કોર્પોરેશનના નવા સમીકરણનો આ પ્રથમ ચૂંટણી અનુભવ રહેશે, જ્યારે ઉમેદવારો માટે વિસ્તારને ગઢ બનાવવા ભારે પ્રયત્નો કરવાની જરૂર પડશે. ગામ અને સોસાયટી (ઓજી) વિસ્તારોમાં ઉમેદવારો માટે આ ચૂંટણી એક પ્રકારની લીટમસ ટેસ્ટ સાબિત થશે. વોર્ડ નંબર-1માં સૌથી વધુ 191 સોસાયટીઓવોર્ડ નં.1માં ચાર ગામની 191 સોસાયટીઓ અને દેદીયાસણ ગામનો સમાવેશ થાય છે. અહીં પાલિકાના જૂના વોર્ડ નં.5નો માત્ર 10 ટકા વિસ્તાર છે, જ્યારે 90 ટકા વિસ્તાર નવા ભળેલા ગામોનો છે. આમાં પાંચોટના રાધનપુર રોડ, સી-લિંક રોડ અને બાવન સ્ટ્રીટ વિસ્તારમાં સૌથી વધુ 120 સોસાયટીઓ છે. ઉપરાંત, રામોસણાની 35 અને દેદીયાસણની 35 સોસાયટીઓ તેમજ દેદીયાસણ ગામનો સમાવેશ થાય છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, આ વોર્ડમાં પાટીદાર 8500, ઠાકોર 1300, પ્રજાપતિ 800, મોદી 300, સુથાર 200, રાવળ 210 તથા અન્ય મતદારો. વોર્ડ નં.12માં 14,207 મતદારો, 4 ગામના વધુ મનપાના વોર્ડ નં.12માં કુલ 14,207 મતદારો છે, જેમાંથી 4 ગામના 8,770 મતદારોનો પ્રભાવ વધુ છે. આ વોર્ડમાં જૂના પાલિકાના વોર્ડ નં.4નો કસ્બા, ભાગોળ, માર્કેટયાર્ડ પાછળનો જનતાનગર તથા ઓજી સોસાયટીઓનો લગભગ 10 ટકા વિસ્તાર છે. જ્યારે શોભાસણ, હનુમંત હેડુવા, પાલાવાસણા અને હેબુવા ગામનો સમાવેશ થાય છે. સુખપરડા ઓજી પણ અહીં છે, પરંતુ ત્યાં મતદારો ઓછા છે. જ્ઞાતિ સમીકરણ : રાજકીય સૂત્રો મુજબ, આ વોર્ડમાં ઠાકોર 2000, પટેલ 1300, પ્રજાપતિ 1000, મુસ્લિમ 1200, દલિત 300, રબારી 250 અને રાજપૂત 300 મતદારો મુખ્ય છે. મતદાન બુથ અને મતદારો : કસ્બા-શોભાસણ : 5 બુથ 5056 મતદારો પાલાવાસણા : 4 બુથ 3173 મતદારો શોભાસણ : 2 બુથ 2164 મતદારો હનુમંત હેડુવા : 2 બુથ 1955 મતદારો હેબુવા : 2 બુથ 1478 મતદારો વોર્ડ નંબર-13માં પરા વિસ્તારનો પ્રભાવ વધુ મનપાના વોર્ડ નં.13માં નગર પાલિકાના જૂના વોર્ડ નં.11નો પરા વિસ્તાર અને આસપાસનો વિસ્તાર લગભગ 50 ટકા વિસ્તારનો સમાવેશ કરાયો છે, જેમાં 8 બુથના 8,972 મતદારો છે. જ્યારે ચાર ગામના 6 બુથમાં કુલ 5,219 મતદારો છે. એટલે કે, વિસ્તાર મોટો હોવા છતાં મતદારોમાં જૂના વિસ્તારનો પ્રભાવ વધુ રહેવાની શક્યતા છે. તે જોતા રાજકીય ઉમેદવારોએ અહીં થોડી રાહત રહેશે. જ્ઞાતિ સમીકરણ: રાજકીય સૂત્રો મુજબ, આ વોર્ડમાં દલિત 2200, ચૌધરી 2500, ઠાકોર 1700, પટેલ 800 અને પ્રજાપતિ 300થી વધુ મતદારો મુખ્ય વોટબેન્ક છે. મતદાન બુથ અને મતદારો પરા-ઓજી : 8 બુથ 8972 મતદારો કુકસ ગામ : 2 બુથ 1405 મતદારો લાખવડ રોડ : 2 બુથ 2101 મતદારો કુકસ (રૂપાલ) : 1 બુથ 734 મતદારો રામપુરા : 1 બુથ 978 મતદારો કુલ : 14 બુથ 14,201 મતદારો બે વિધાનસભા ક્ષેત્રનો પ્રભાવ: મહાનગરપાલિકામાં સમાવાયેલા મોટા ભાગના ગામો મહેસાણા વિધાનસભામાં આવે છે. જ્યારે પાંચોટની ઓજી સોસાયટીઓ, રામોસણા ગામ અને ફતેપુરા બહુચરાજી વિધાનસભામાં આવે છે. આથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહેસાણા અને બહુચરાજી વિસ્તારના એમએલએને મતદારો સુધી પહોંચવા સક્રિય બનવું પડશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

કામગીરી:અભયમને મળેલી એસટીની ટિકિટ ઓળખ માટે સાંકળ બની 72 કલાકથી માતાને શોધતો પરિવાર મળી આવતાં પુન:મિલન

ખેતરમાંથી ઘરે પરત ફરી રહેલા ખેડૂતની સતર્કતા અને 181 અભયમ ટીમની સમયસર કામગીરીથી છેલ્લા ત્રણ દિવસથી મહેસાણા વિસ્તારમાં ઝાંડી-ઝાંખરામાં રાત પસાર કરતી માનસિક અસ્વસ્થ મહિલા આખરે પરિવાર સાથે મળી શકી હતી. મહિલા પાસે મળેલી એસટી બસની ટિકિટ ઓળખનું સૂત્ર બનતાં ટીમે પરિવાર સુધી પહોંચીને સંવેદનાસભર પુનર્મિલન કરાવ્યું છે. બન્યું એવું કે, મોડી સાંજે ખેતરનું કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા એક જાગૃત ખેડૂતની નજર રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓ પર પડી. તપાસ કરતા ત્યાં એક આધેડ મહિલા અસહાય અવસ્થામાં મળી આવ્યા. પ્રાથમિક પૂછપરછમાં જ મહિલાની માનસિક સ્થિતિ નાજુક હોવાનું જણાયું. સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે આ અજાણ્યા માજી છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં ભટકી રહ્યા છે, માંગીને પેટનો ખાડો પૂરે છે અને રાત્રે ઝાડીઓમાં સૂઈ જાય છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી ખેડૂતે તુરંત 181 અભયમ હેલ્પલાઈનને કોલ કર્યો. અભયમની ટીમ સ્થળ પર પહોંચી અને કાઉન્સિલિંગ શરૂ કર્યું. જોકે, માનસિક અસ્વસ્થતાને કારણે મહિલા પોતાનું નામ કે સરનામું જણાવી શકતા નહોતા. જ્યારે બધું અંધકારમય લાગતું હતું, ત્યારે તેમની પાસે રહેલી એક થેલીની તપાસ કરવામાં આવી. તેમાંથી મળેલી એસટી બસની એક જૂની ટિકિટ આશાનું કિરણ બની.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

કાર્યવાહી:તાપી જિલ્લા પોલીસમાં 196 હથિયાર જમા, 5 વોન્ટેડ ઝડપાયા

વ્યારાની પત્રકાર પરિષદમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે સંક્ષિપ્ત માહિતી આપતા જણાવ્યું હતું કે હથિયાર જમા કરાવવાની પ્રક્રિયા, નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ, અટકાયતી પગલાં અને પ્રોહીબિશન કેસમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વ્યારા ખાતે વિગતવાર માહિતી આપતા જે.એન દેસાઈએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 245 લાયસન્સવાળા હથિયારોમાંથી 196 હથિયાર જમા લેવાયા છે, જ્યારે 29 હથિયારને મુક્તિ આપી છે. બાકી હથિયારો જમા લેવા માટે કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં જણાવ્યું કે તા. 01/04/2026થી અત્યાર સુધી નાસ્તા ફરતા 192 આરોપીમાંથી 5ને ઝડપી લેવાયા છે. ખાસ કરીને એક આરોપી છેલ્લા 25 વર્ષથી અને બીજો 12 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું સામે આવ્યું છે. તડીપાર માટે 4 અને પાસા હેઠળ 1 દરખાસ્ત કરવામાં આવી છે. પ્રોહીબિશન સંબંધિત કામગીરી અંગે તેમણે જણાવ્યું કે કુલ 216 કેસ નોંધાયા છે, જેમાં દેશી દારૂના 160 કેસ અને ઇંગ્લિશ દારૂના 56 કેસનો સમાવેશ થાય છે. પોલીસે મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરીને કાયદાની કડક અમલવારી કરી હોવાનું તેમણે જણાવ્યું હતુ.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી; બિહારના 'સમ્રાટ' હવે ચૌધરી, 'ધુરંધર'ના બંને પાર્ટની કમાણી 3,000 કરોડ

નમસ્તે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કરીને 40 મિનિટ વાતચીત કરી હતી. બીજી તરફ, સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા છે. મોર્નિંગ ન્યૂઝમાં તમને જણાવીશું 'ધુરંધર' ની કમાણી વિશે… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોંગ્રેસ નેતા પવન ખેડાને તેલંગાણા હાઈકોર્ટમાંથી મળેલી ટ્રાન્ઝિટ આગોતરા જામીન સામે આસામ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 2. જૂલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી:ઈરાન યુદ્ધ પર ચર્ચા, બંનેએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો ખૂબ જ જરૂરી છે PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. ફોન કોલ દરમિયાન PM મોદીએ ટ્રમ્પને કહ્યું, “ભારતના લોકો તમને પસંદ કરે છે.” PM મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું- મને મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે બંને દેશો વચ્ચે અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલા કામ અને પ્રગતિ પર વાત કરી. અમે એ પણ કહ્યું કે આગળ જતાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરીશું. આ સાથે, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ અને આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે હોર્મુઝ ખુલ્લું અને સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી:ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, આવતીકાલે શપથ લેશે; PM મોદી હાજર રહેશે સમ્રાટ ચૌધરી બિહારના નવા CM હશે. તેમને પહેલા ભાજપ અને પછી NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સમ્રાટ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને મળીને તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આવતીકાલે 15 એપ્રિલે લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. આ સાથે બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી હશે. વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠકમાં નીતિશ સમ્રાટના પ્રસ્તાવક બન્યા. નીતિશે તેમને માળા પહેરાવી. સમ્રાટે પણ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ તેમણે કહ્યું, 'મેં નીતિશજી પાસેથી રાજનીતિ શીખી છે. મેં તેમની સાથે કામ કર્યું છે. તેમના સમૃદ્ધ બિહારને વધુ આગળ લઈ જવાનું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'બાહુબલી'ના સામ્રાજ્ય પર હવે 'ધુરંધર'નું રાજ!:બંને ભાગે વર્લ્ડવાઇડ ₹3000 કરોડ કમાણી કરી રેકોર્ડ બનાવ્યો; મોટા આંકડા સુધી પહોંચનાર પહેલી ભારતીય ફ્રેન્ચાઈઝ રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ' ફિલ્મોએ અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ્સ તોડ્યા પણ છે. તેવામાં બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં ₹3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. પરિણામે તે ₹3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. જ્યારે કોઈ એક ફિલ્મની સફળતા પછી, તેના એકથી વધુ ભાગ બનાવવામાં આવે છે, ત્યારે તે એક ફ્રેન્ચાઇઝીનું રૂપ લઈ લે છે. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝે 'બાહુબલી', 'પુષ્પા', 'ટાઇગર' સહિતની ફિલ્મ ફ્રેન્ચાઇઝને પાછળ છોડી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 મોંઘું થઈ શકે છે:બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પછી દેશમાં ભાવ વધી શકે છે, તેલ કંપનીઓને નુકસાન ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 પ્રતિ લિટર સુધી મોંઘું થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વાયરીના રિપોર્ટમાં જણાવાયું છે કે ક્રૂડ ઓઇલ મોંઘું હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. આનાથી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી કંપનીઓ ભાવ વધારી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નોઈડામાં સતત બીજા દિવસે પોલીસ સાથે ઝપાઝપી, પથ્થરમારો:વિવિધ જગ્યાએ ફ્લેગ માર્ચ, 300ની ધરપકડ; સરકારે કર્મચારીઓનો પગાર વધાર્યો નોઇડામાં મંગળવારે ફરીથી હોબાળો થયો. બીજા દિવસે પણ ફેક્ટરીના કર્મચારીઓ કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અથડામણ થઈ. ભીડે 2-3 જગ્યાએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે થોડી જ વારમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો. પ્રદર્શનકારીઓને ત્યાંથી ભગાડી દીધા. હાલમાં, પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ઔદ્યોગિક વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. CCTV અને ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે મોટાભાગની કંપનીઓ બંધ છે. આ દરમિયાન, ડીજીપી રાજીવ કૃષ્ણએ કહ્યું - હિંસા અને આગચંપીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નુકસાનગ્રસ્ત સંપત્તિની ભરપાઈ પણ ઉપદ્રવીઓ પાસેથી કરાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માતા-પિતા બંનેનું ખીરું ખરાબ હોવાનું રટણ:પૂછપરછમાં સરખા નિવેદનથી પોલીસ ગોથે ચડી: ચાંદખેડામાં શંકાસ્પદ ખીરું-ઢોસા કેસમાં બાળકીઓના મોતનું રહસ્ય હવે FSL રિપોર્ટમાં જ ખુલશે અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે.બાળકીઓ માતા પિતાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ બંનેના એક સરખા જ નિવેદનથી પોલીસ પણ ગોથે ચડી છે. બંને નિવેદનમાં ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસની તપાસ હવે FSLના રિપોર્ટ પર અટકી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ બે બાળકીના મોતનું રહસ્ય ખુલી શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. જીમટ્રેનરે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે 5 લાખની ખંડણી માંગી:શબ્બીરે કહ્યું, તારી પત્નીના અંગત વીડિયો વાઇરલ કરીશ; ગળે કાચ રાખી 50 હજાર લૂંટ્યા સુરતના પાલ વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય પરિણીત મહિલાને જીમ ટ્રેનરે પોતાની પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જીમ ટ્રેનરે મહિલાના પતિને ધમકાવી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેર SOGએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 9નાં મોત:30થી વધુ મજૂરો દાઝ્યા, 12ની હાલત ગંભીર; પરિવારજનોએ હોબાળો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈલોન મસ્કની કોવિડ વેક્સિનની આડઅસરની ટિપ્પણીથી સનસનાટી:કહ્યું- રસીના બીજા ડોઝથી મને મોત નજીક હોવાનો અનુભવ થયો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગુજરાત-રાજસ્થાન-MP સહિત 6 રાજ્યોમાં પારો 40C ને પાર:15 એપ્રિલથી હીટવેવનું એલર્ટ; સિક્કિમ અને અરુણાચલમાં ભારે વરસાદ પડી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં હોસ્પિટલની બેદરકારીથી 331 બાળકો HIV પોઝિટિવ:8 વર્ષના બાળકના મૃત્યુ બાદ ખુલાસો, સિરીંજના વારંવાર ઉપયોગથી ફેલાયું સંક્રમણ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ઈરાન યુદ્ધની અસર- ખાદ્ય તેલ 7% મોંઘું:સાબુ-બિસ્કિટના પેકેટ નાના થયા, વોશિંગ મશીન, ફ્રિજ અને LEDના ભાવ 15% સુધી વધ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હવે વિમેન્સ T-20 વર્લ્ડ કપની વિજેતા ટીમને મળશે ₹21.8 કરોડ!:પ્રાઇઝમની 10% વધી, ICC એ ટુર્નામેન્ટની કુલ રકમ ₹82 કરોડ નક્કી કરી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રાજસ્થાનમાં હવે ‘ઘસીટારામ’ જેવા નામ બદલી શકાશે રાજસ્થાનમાં હવે ‘ઘસીટારામ’, ‘ખોજારામ’ જેવા વિચિત્ર નામ બદલી શકાશે. રાજસ્થાન સરકાર ‘સાર્થક નામ અભિયાન’ હેઠળ 2950 વધુ સારા નામોના વિકલ્પ આપશે. આનો હેતુ બાળકોનો આત્મવિશ્વાસ વધારવાનો છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત: ‘તું ગમે તે હોય બોલતો નહીં પાડી દઈશ’:રાજકોટમાં બા બગડ્યાં, સ્નેહલતા સ્ટાઇલમાં કહી દીધું 'હાલતીનો થા', તડકામાં તમ્મર ચઢે એવો વિરોધ, ભાજપના નેતાઓ ભાગ્યા 2. ભાસ્કર સિરીઝ : આસારામના ગુંડાએ ACPને બોમ્બથી ઉડાવવાનું કાવતરું ઘડ્યું: બીજી બાજુ આસારામના ફોનમાંથી પોર્નોગ્રાફી-બ્લુ ફિલ્મો મળી આવી, જુઓ સિરીઝનો થ્રિલિંગ એપિસોડ-36 3. હમ લોગ : નાચતી છોકરીનો હાથ પકડ્યો અને છોકરો ભગાડી ગયો:મૈતેઈ લોકોમાં લગ્નની અનોખી પરંપરા, જન્મતાની સાથે જ બાળકને ખવડાવે છે મીઠું 4. પૂર્વ સરપંચને રસ્તામાં આંતરી મોતને ઘાટ ઉતાર્યા:7 વર્ષ પહેલાંનું વેર વાળવા 6 શખસો તૂટી પડ્યા, સરકારે IPS નિર્લિપ્ત રાયને તપાસ સોંપી ને કેસની દિશા બદલાઇ 5. 'જેને ગદ્દારી કરવી છે તેને કોણ રોકી શકે?':ઉમેદવારોએ દગો દેતા લાચાર કોંગ્રેસનું દુઃખ છલકાયું, ભાજપ પર લગાવ્યો સામ, દામ, દંડ, ભેદની નીતિનો આરોપ 6. હિંદુ પિતા-પુત્રને કાપી નાખ્યા, બંગાળમાં ચૂંટણીનો મુદ્દો નથી:હિંસાવાળી 76 બેઠકો, લોકો બોલ્યા- પોલીસ છુપાઈ જાય છે, મમતા બચાવતી નથી 7. ભાસ્કર એનાલિસિસ : હવે આજની મિટિંગ પર યુદ્ધનો મદાર:ઈઝરાયલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાટાઘાટો; બંને દેશ વચ્ચે ડીલ થઈ જાય તો હિઝબુલ્લાહની પાંખો કપાઈ જાય 8. સાવધાન, ઝેરમાં જબોળી કેરીને પકવવામાં આવે છે!:10 સેકન્ડમાં 5 સરળ રીતથી ઓળખો કુદરતી છે કે કેમિકલયુક્ત; ખાતા પહેલાં 11 ટિપ્સ ફોલો કરો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:તુલા-વૃશ્ચિક રાશિના જાતકોને પ્રમોશનના યોગ, વૃષભ રાશિના લોકો માટે રોકાણ કરવાનો ઉત્તમ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 5:00 am

'4 વર્ષથી ગંદકી છે કોઈ આવતું નથી':'ચૂંટણીમાં 5 દિવસ મત માંગવા આવે, પછી 5 વર્ષ આપણે ધક્કા ખાવાના', કામ કરે તેને મત આપવાની વોર્ડ-4ના રહીશોની ચીમકી

ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વોર્ડ નંબર 4(કરચલિયાપરા)માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં ભાજપના ચાર ઉમેદવારે આ વોર્ડમાં જીત મેળવી હતી. જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મતદારો રોડ રસ્તા, ગટર, ગંદકીના કારણે મરછરનો ઉપદ્રવ, અનિયમિત સફાઈ તેમજ પાણી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. ‘અમારું કામ થશે તો જ મત આપીશું’ટેકરી વિસ્તારના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અહીં ગટરનું પાણી કાયમ ઉભરાય છે. દરોજ ફરિયાદ કરીએ છીએ તો જવાબ મળે છે કે થઈ જશે. ત્યારે જોવા આવે છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. ગંદકી અને ડ્રેનેજના પાણીના કારણે છોકરાઓ બિમાર પડે છે. આ વખતે ચૂંટણીમાં જે અમારું કામ કરશે, અમારું સાંભળશે, એને અમે મત આપીશું. એટલું જ નહીં જે અમારી સમસ્યા લઈને તેમની પાસે જઈશું અને કામ થશે તો જ મત આપવા છે. ‘ફરિયાદ કરીએ છતા કોઈ જવાબ નથી આપતું’સ્થાનિક મહિલા કાજલબેને જણાવ્યું હતું કે, કચરાવાળા સમયસર આવતા નથી. અમે મહાનગરપાલિકામાં કેટલી વાર ફરિયાદ કરવા ગયા પણ કોઈ જવાબ દેતું નથી. મત લેવાનો હોય છે ત્યારે બધા આવે છે પણ કામ કરવા કોઈ આવતું નથી. એટલે આ વખતે કોઈને મત દેવાની ઈચ્છા નથી. આ સમસ્યાને ચાર વર્ષ તો થયા પણ નિરાકરણ આવતું નથી. 'ચોમાસામાં દર વર્ષે ગંદુ પાણી આવે છે'સ્થાનિક સંજયભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં પીવાનું પાણી ગંદુ આવે છે. કોર્પોરેટર આવે અને કહે છે કે થઈ જશે. જો કે વોટ આપવાનો હોય ત્યારે આવે અને પછી વોટ મળી જાય અને ખુરશી પર બેસી જાય પછી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. 'ખુરશી મળે એટલે જલસા કરવાના'રુવાપરી રોડ ટેકરીચોક વિસ્તારના સ્થાનિક ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, નથી રોડ બનતો, નથી ગટર લાઈન અને પાણીની સમસ્યા પણ છે. અહીંથી અમારા 300થી 400 ઝૂપડા છે, અમારી માંગ પૂરી થશે ત્યારે અમે વોટ આપીશું. ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવે, પાંચ જ દિવસએ લોકો માંગવા આવે છે, પછી પાંચ વર્ષ સુધી અમારે ધક્કા ખાવાના. ખુરશી મળે એટલે જલસા કરવાના, બાકી ગરીબ કોણ છે કોઈને ખબર નથી. ‘બાકી રહેતા વિકાસના કામો અમે પૂર્ણ કરીશું’આ અંગે વોર્ડ નંબર 4 પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકાળ દરમિયાન અમે ચારેય નગરસેવકો દ્વારા કુંભારવાડા વિસ્તારમાં આશરે 150 કરોડના કામ અમે કર્યાં છે. અમારા વિસ્તારમાં પહેલી તો લાઈબ્રેરી છે. આખા ભાવનગરની અંદર પ્રથમ લાઈબ્રેરી છે એ અમારા વોર્ડમાં બની. PHC સેન્ટર નવું બની રહ્યું છે. છેવાડાના લોકો સુધી ધનાનગર, શાંતિનગર એ બધા વિસ્તારની અંદર બ્લોક નખાવ્યા છે. ધનાનગરમાં ડ્રેનેજની પણ નવી લાઈનો નખાવી છે અને જે પણ બાકી રહેતા કામો પણ હજુ અમે પૂરા કરીશું. 'ગંદકીના કારણે લોકો બિમાર પડે જે પૈસા દવામાં જાય છે'વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર સાગરભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં પાંચ વર્ષમાં કોઈ કામ થયા જ નથી. ગટરની સમસ્યા તો એટલી હદે વધી ગઈ છે કે માણસો રોગચાળાથી પીડાય છે અને માંદા પડે છે. મધ્યમવર્ગ, ગરીબવર્ગના લોકો અહીંયા રહે છે જે રોજ સવારે રોજીરોટી લાવીને ખાય છે, તો એના પૈસા દવામાં જ જાય છે. 'કોર્પોરેટરે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી'સમસ્યા એવી છે કે રુવાપરીથી વૈશાલી ટોકીઝ સુધીનો રોડ જ્યારે બિસમાર હાલતમાં હતો ત્યારે જે રોડ બનાવવા માટે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો હતા તેમણે પણ રાજીનામાની ચીમકી આપવી પડી હતી. એક નનામી પણ અહીથી જઈ શક્તિ નહોતી, એ નનામી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે જનતામાં ખૂબ આક્રોશ હતો.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:05 am

'મમ્મી-પપ્પા હું હારી ગયો છું, મને માફ કરી દેજો':અમરોલીમાં સુસાઈડ નોટ લખી યુવકે ફાંસો ખાધો, વેડરોડના BCAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું; સુરતમાં આપઘાતના બે બનાવ

સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બોટાદના રહેવાસી અને હાલ વેડરોડ ખાતે રહેતા બીસીએના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આપઘાતનો પહેલો બનાવમળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા ખાતે આવેલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા 29 વર્ષીય સચિન રમેશભાઈ પીપલીયા હીરાના કારખાનામાં મશીન રીપેરીંગનું કામકાજ કરી માતા-પિતા સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સાંજે સચિને ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમરોલી પોલીસે સચિને મારતા પહેલા લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં સચિને હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો સહિતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એક પેજમાં ગુજરાતીમાં સુસાઇડ નોટ લખેલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સચીને તેમના લગ્ન થતા ન હોવાથી હતાશામાં આવી આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આપઘાતનો બીજો બનાવમળતી માહિતી અનુસાર, મૂળ બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના વતની અને હાલ વેડરોડ વિસ્તારમાં આવેલ ભગુનગર સોસાયટી વિભાગ-૧માં ૨૨ વર્ષીય શર્મિલ મુકેશભાઈ માંડવીયા પરિવાર સાથે રહેતો હતો. શર્મિલ બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમના પિતા વતનમાં ખેતી કામ કરે છે. બપોરે શર્મિલે ઘરે લોખંડના પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચોકબજાર પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શર્મિલએ અભ્યાસના તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:05 am

કંપનીમાં પાર્ટનર બનાવવાની લાલચ આપી 6.75 કરોડ પડાવ્યા:કાગળ પર શેર બતાવ્યા પણ ROCમાં નોંધણી જ ના કરી, વુપ એમ્યુઝમેન્ટ પાર્કના રજત અને નિશા મહીન્દુ સામે ફરિયાદ નોંધાઈ

સુરતના ડુમસ રોડ પર જાણીતા 'વુપ (Woop) એમ્યુઝમેન્ટ પાર્ક' ના માલિકો રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, સુરતના ડુમસ રોડ પર 'વુપ એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' ચલાવતા રજત રાજેશ મહીન્દુ અને નિશા રાજેશ મહીન્દુ સામે છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. રજત મહીન્દુ આ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાની કંપનીમાં હિસ્સો આપવાના બહાને સદાનંદ મંધ્યાન પાસેથી ટુકડે-ટુકડે રૂ. 6.75 કરોડની રકમ મેળવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ છે કે આરોપીઓએ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ હોવાનો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો છે. દસ વર્ષ જૂની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવ્યાનો આક્ષેપસદાનંદ મંધ્યાન દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી નિશા મહીન્દુ અને ફરિયાદીની પત્ની વચ્ચે છેલ્લા 10 વર્ષથી મિત્રતા હતી. આ પારિવારિક સંબંધોને કારણે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધો હતા. જુલાઈ-2024માં રજત અને નિશા મહીન્દુ ફરિયાદીના ઘરે ગયા હતા અને જણાવ્યું હતું કે તેમનો બેંગલુરુ ખાતેનો નવો ગેમઝોન પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે અને તેમાં નાણાંની જરૂર છે. જો તેઓ રોકાણ કરશે તો કંપનીમાં 25% શેર આપવાની ખાતરી ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. ટુકડે-ટુકડે 6.75 કરોડ પડાવ્યાફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિશ્વાસમાં આવીને ફરિયાદીએ શરૂઆતમાં નિશા મહીન્દુના ખાતામાં 2.50 લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ રજત મહીન્દુએ કંપની માટે વધુ નાણાંની માંગણી કરતા ઓગસ્ટ-2024થી મે-2025 દરમિયાન અલગ-અલગ તારીખે કુલ 6.75 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ આ રકમ અનસિક્યોર્ડ લોન પેટે મેળવી હતી અને તેના બદલામાં કંપનીના 25,000 શેર આપવાનું વચન આપ્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવી ગેરમાર્ગે દોર્યાફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, રજત મહીન્દુએ વિશ્વાસ જીતવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સહીવાળા પત્રો અને શેર ટ્રાન્સફરના SH-4 ફોર્મ મોકલી આપ્યા હતા. ફરિયાદ મુજબ, આ પત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ફરિયાદીની કંપની 'કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ' હવે વુપ એમ્યુઝમેન્ટમાં 25%ની ભાગીદાર છે. જોકે, આરોપીઓએ આ દસ્તાવેજો માત્ર વિશ્વાસ કેળવવા માટે જ બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે. શેર સર્ટિફિકેટમાં છેડછાડ કર્યાની પોલીસમાં રજૂઆતફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, સપ્ટેમ્બર-2025માં આરોપીઓએ 18,000 શેરનું જે સર્ટિફિકેટ (SH-1) વોટ્સએપ પર મોકલ્યું હતું તેમાં ડિસ્ટિન્ક્ટિવ નંબર લખેલા નહોતા અને કંપનીના નામમાં પણ ભૂલ હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેમણે 25,000 શેર અંગે પૂછ્યું ત્યારે આરોપીઓએ પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો હોવાનું બહાનું બતાવીને ગેરમાર્ગે દોર્યા હતા. ROCમાં નોંધણી ના કરી હોવાનું તપાસમાં ખુલ્યાની ફરિયાદસદાનંદ મંધ્યાનની ફરિયાદ મુજબ, જાન્યુઆરી-2026માં જાણવા મળ્યું કે આરોપીઓએ ROC (રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ) માં આ શેર ટ્રાન્સફરની કોઈ સત્તાવાર નોંધણી કરી જ નથી. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે કંપનીના MGT ફોર્મમાં તેમને માત્ર 14,000 શેરના ધારક જ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે, ફરિયાદીએ આપેલા કરોડો રૂપિયા લીધા બાદ પણ તેમને કાયદેસરનો હિસ્સો આપવાને બદલે માત્ર કાગળ પર જ શેર બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. કંપનીમાંથી પણ હાંકી કાઢ્યા હોવાનો ઉલ્લેખસૌથી ગંભીર આક્ષેપ ફરિયાદમાં એ છે કે, જ્યારે ફરિયાદીના CA દ્વારા હિસાબ માંગવામાં આવ્યો ત્યારે આરોપીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ, 12 ફેબ્રુઆરી 2026ના રોજ રજત મહીન્દુએ ઇમેઇલ કરીને એવી જાણ કરી કે તમે ફોર્મ જમા કરાવ્યું નથી. તેથી તમને શેર હોલ્ડર ગણવામાં આવતા નથી અને તમે જનરલ મીટિંગમાં પણ આવી શકશો નહીં. આમ, નાણાં પડાવી લીધા બાદ પણ તેમને છેતરી દેવામાં આવ્યા હોવાની હકીકત પોલીસ ફરિયાદમાં વર્ણવવામાં આવી છે. વેસુ પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ શરૂ કરીફરિયાદી સદાનંદ મંધ્યાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રજત અને નિશા મહીન્દુએ ખોટા દસ્તાવેજો બનાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી 6.75 કરોડની છેતરપિંડી આચરી છે. આ ફરિયાદના આધારે વેસુ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓએ આપેલા બેંક ખાતાઓની વિગતો અને ROC ના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:05 am

'દારૂ અને ગાંજો બેફામ મળે':'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ', કપડાની મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સ્થાનિકોમાં આક્રોશ

સુરત શહેર દિવસેને દિવસે વિકસી રહ્યું છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે ખૂબ જરૂરી બનતું હોય છે અને તેને જ લઈને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંગ્રામ લોકોને મળતી પ્રાથમિક સુવિધાના કારણે હાર જીત નક્કી થતી હોય છે. ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે પહોંચી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રસાસ કર્યો હતો. મિલોના ધુમાડાથી રહીશો ત્રાહિમામઅશ્વિનીકુમાર રોડ વિસ્તારનું સૌથી મોટી સમસ્યા છે રહેણાંક વિસ્તારમાં કાપડની મિલો. આ મિલોમાંથી નીકળતો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. ઘરની દીવાલો પણ કાળી થઈ જતી હોય એટલો ધુમાડો રોજ થાય છે. આ સાથે જ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગારનું દુષણ પણ મોટા પ્રમાણમાં છે. ફુલપાડા વિસ્તારમાં આવેલા નંદઘરમાં જીવના જોખમે ભૂલકાઓ ભણી રહ્યા છે. રજૂઆત છતા રોડ યોગ્ય રીતે બનતા નથીઆ વિસ્તારની મહિલાઓએ પોતાના વિસ્તારમાં ચોપાટી, રસ્તા, શાળા તેમજ વૃદ્ધોને બેસવા માટે શાંતિકુંજ ગાર્ડન બનાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેટરો દ્વારા જે કામ કરવામાં આવ્યા છે. એ કામ તકલાદી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રોડ-રસ્તાની ખૂબ જ તકલીફ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રસ્તા યોગ્ય રીતે બનતા નથી. હવે કોઈ પણ મત માંગવા આવે તો પહેલા અમારી મુખ્ય માંગણી રોડ બનાવવાની રહેશે ત્યારબાદ જ અમે મત આપવા જશું. 'સ્કૂલ ફીમાં ઘટાડો કરવામાં આવે'ગૃહિણી શીતલ ગજેરાએ જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર સારું હોવું જોઈએ, સ્કૂલ સારી હોવી જોઈએ. નાના-મોટા ગાર્ડન બનાવી આપે તો સારું રહે. સ્થાનિક લુણાગરીયા કિરણબેને જણાવ્યું હતું કે, અહીંયા સ્કૂલમાં ફી બહુ વધારે છે. અત્યારે નાના માણસો પાસે પૈસા નથી હોતા. એટલે ફી ઓછી કરે એવી અમારી માગ છે. નવા રોડ બનાવવામાં આવે છે પરંતુ 4-6 મહિનામાં જ ફરીથી એવી જ પરિસ્થિત થઈ જાય છે. 'એક વાર AAPને મોકો આપવો જોઈએ'સ્થાનિક પીપળિયા અનસૂયાબેને જણાવ્યું હતું કે, એક વખત સરકારને પણ બદલવી જોઈએ અને એક વખત બીજાને પણ મોકો આપવો જોઈએ. AAP વાળાને મોકો આપો તો એ શું કામ કરે છે એ આપણને પણ ખબર પડે. અત્યારે તો બધી સુવિધા આપે છે પણ ચૂંટણી જતી રહે એટલે બધા બધું જ ભૂલી જાય છે અને કોઈ કામ વ્યવસ્થિત કરતા નથી. AAP વાળા એમ કહે છે કે અમે કરી આપીશું, તો એને પણ એક મોકો આપવો જોઈએ કે એ કેવું કામ કરે છે. આ વિસ્તારમાં મહિલાઓ માટે કોઈ સુરક્ષા નથી. એટલું જ નહીં અનસૂયાબેને ગેસ સિલિન્ડર ન મળતા હોવાની વ્યથા ઠાલવી હતી. 'દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ છે'કરિયાણાના વેપારી ગૌતમભાઈ જૈને જણાવ્યું હતું કે, અહીંયા દર વર્ષે મોદી મહોલ્લામાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ બરાબર થતો નથી. આ વિસ્તારના કોર્પોરેટરને ક્યારેય નથી જોયા. આવે તો કહેવું જ પડશે કે આ નિકાલ કરાવો, વોટ તો માંગવા આવો છો તમે અહીંયા! આ દર વર્ષે પાણી દુકાનમાં ભરાય તો શું મતલબ છે? દર વર્ષે એકની એક રામાયણ છે અમારે તો પાણીની કરવાની હોય છે. 'સારી સુવિધા મળે તો જ વોટ આપીશું'સ્થાનિક પ્રવીણ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બસ મોટી આ સમસ્યા, રોડની આ સમસ્યા છે. આરોગ્ય કેન્દ્ર છે પણ દૂર છે. પહેલા અમારી જે પાયાની જે સુવિધા છે, એની ઉપર જો ગવર્મેન્ટ, સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપે તો જ અમે વોટિંગ કરીશું. 'મિલોના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ'દુકાનદાર ગૌતમભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં 40 વર્ષથી રહું છું. સમસ્યા એવી છે કે આ વિસ્તારની અંદર આજે કેટલાય વર્ષોથી મીલો ચાલુ છે. મીલોનો ધૂમાડો એટલો બધો ત્રાસ આપે છે કે માણસ બિમાર પડી જાય. 50 વર્ષની ઉંમરના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ટાઇમ હોય, તેમને સ્ટડી કરવાનું હોય અને બારી ખોલીને ચોખ્ખી હવા લેવાની હોય, જેથી તેમનું મગજ ચાલે, તો એ લોકો શ્વાસ નથી લઈ શકતા. ‘સમસ્યા સાંભળવા કોઈ નથી’ટેરેસ પર જઈએ તો ટેરેસ પર એકદમ કાળું ડીબાંગ જેવું હોય અને હાથ લગાડીએ તો ધૂમાડાના રજકણો હાથમાં આવે છે. ઘણી રજૂઆતો કરી, સ્થાનિક કોર્પોરેટરોને પણ માહિતી આપી, પણ કોઈ ધ્યાન દેતું નથી. જ્યારે કામ હોય ત્યારે 'હા' પાડીને જાય છે પણ કામ પત્યા પછી મીલના ધૂમાડા ચાલુ જ રહે છે. અમારા જેવા સામાન્ય નાગરિકો પીડાઈ રહ્યા છે, સાંભળવા વાળું કોઈ નથી. ‘મહિલાઓની સામે ગાંજા, દારૂની હેરાફરી’આ ઉપરાંત, અહીં દારૂ અને ગાંજો પણ બેફામ મળે છે. વૃદ્ધો અને બહેનો નીકળતા હોય તેમની સામે ગાંજાની સપ્લાય અને દારૂનું વેચાણ થાય છે. અમે સવારે શોપ ખોલીએ તો સામે દારૂની 8-10 બોટલો પડી હોય છે. અમને દેખાય છે તો શું બીજા લોકોને કે સ્થાનિક તંત્રને નથી દેખાતું?

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:05 am

'ચોમાસામાં કમર સુધીના પાણી ભરાઈ છે':ચૂંટણીના ઢોલ વાગ્યા એટલે ખાલી દેખાડા પૂરતી કામગીરી ચાલુ કરી, ગટરની સમસ્યાથી વોર્ડ-15ના રહીશો ત્રાહિમામ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અસારવા વોર્ડમાં શું સ્થિતિ છે. આ વિસ્તારનો વિકાસ કેવો થયો છે. અહીં સ્થાનિકો કોર્પોરેટરની શું ફરિયાદ કરી રહ્યા છે, તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા અસારવા વોર્ડનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઅસારવા વોર્ડમાં અસારવા ચકલા,મેઘાણીનગર, કલાપી નગર,ચમનપુરા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.અહીંયા મોટાભાગે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે. સાથે જ કેટલાક વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા પણ છે. અસારવામાં સ્થાનિકોનું કહેવું છે કે અમારા ત્યાં તો વર્ષોથી વરસાદના પાણીની સમસ્યા હતી. જે અત્યારે ઓછી થઈ છે. બાકી વિસ્તારમાં મોન્ટુ ભાઈ (પૂર્વ કોર્પોરેટર - દિશાંત ઠાકોર)અમારી બધી સમસ્યા પર નજર રાખે છે. 'સફાઈ થાય તો માનીએ કે કામ થયું'સ્થાનિક ઈન્દુબેને જણાવ્યું હતું કે, આ ગટર લાઈનનું રોજે પાણી નીકળે છે. છેલ્લા સાત આઠ મહિનાથી આ સમસ્યા છે. જોવા આવે, પણ કોઈ કામ થતું નથી અહીયા. રજૂઆત તો કેટલી કરી અમે, પણ કોઈ સાંભળતું નહી. રાતનું કામ ચાલે છે શું કરીને જાય છે શું નહીં અમને ખબર નહી. પણ અમારે તો સફાઈ થાય ત્યારે કહેવાય કે કામ કર્યું કહેવાય. બાકી અમે ના માનીએ કે કામ કર્યું. 'કોર્પોરેટર તો અહીંયા આવતા જ નથી'મોઈદુદ્દીન કુરેશીએ જણાવ્યું હતું કે, સમસ્યા પાણીની છે. પાણી પહેલા ભરાતું હતું, પછી બંધ થઈ ગયું. અને આ 15-20 દિવસથી ફરીથી ગટરનું પાણી આવે છે.વરસાદમાં તો કમરસમા પાણી ભરાઈ છે અહીંયા. એ બધાની તકલીફ છે, મારી એકની નથી. રજૂઆત કરી હતી પણ કોઈ સુનાવણી નથી થતી ભાઈ, સમજી ગયા તમે? એવું છે. અમારી તો કોઈ સાંભળતું પણ નથી. અમે ગટરવાળાને બોલાવીએ તો એ લોકો કહે 'અમે શું કરીએ?'. કોર્પોરેટર તો અહીંયા આવતા જ નથી. 'મેઘાણીનગરમાં પાણીની ટાંક બનાવાઈ'અસારવા વોર્ડથી પૂર્વ કોર્પોરેટર દિશાંત ઠાકોરે કહ્યું કે, પાંચ વર્ષની અંદર અસારવા મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે મેં જે અસારવા વોર્ડમાં સૌથી મોટો પાણીનો જે પ્રશ્ન હતો, એના માટે આપણે મેઘાણીનગર પાણીની ટાંકી જે બનાવી એ સૌથી મુખ્ય કામ હતું. એ પછી જે મુખ્ય STP પ્લાન્ટનું હતું, STP પ્લાન્ટ 18 કરોડના ખર્ચે જે પમ્પિંગ સ્ટેશનની બહાર બની રહ્યો છે. પમ્પિંગ સ્ટેશન એ સાડા ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણ કર્યું. ‘ચાલીમાં ડ્રેનેજના પાણીનો પ્રશ્નનો ઉકેલ આવશે’રિહેબના કામો હતા જે અસારવા વોર્ડમાં ઘણા સમયથી કામ બાકી રહી ગયા હતા. એ રિહેબના કામોનું પોલ્યુશન અંતર્ગત 68 કરોડ રૂપિયાનું કામ જે અસારવા વોર્ડમાં (હું વોટર સપ્લાય કમિટીમાં હતો) અમે ચારેય કાઉન્સિલરોએ ભેગા થઈને કામ લાવ્યા અને ધારાસભ્ય દર્શનાબેને આ કામમાં મદદ કરી હતી. એ કામ થવાથી અસારવામાં જે ચાલીઓમાં ડ્રેનેજના ગંદા પાણીનો પ્રશ્ન છે એનો હલ આવશે અને એનું કાયમી સોલ્યુશનનો નિકાલ થશે. વરસાદમાં જે આજથી 15 વર્ષ પહેલા ત્રણ-ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા હતા, એનું કાયમી સોલ્યુશન અસારવા તળાવ બનવાથી આવી ગયેલું છે. અને બીજું જે STP પ્લાન્ટ બનશે એમાં પર-ડે 20 લાખ લીટર (2 MLD)નો પ્લાન્ટ બની રહ્યો છે, તો એ તરત જ પાણી ઉતરી જશે અને એકાદ કલાકમાં જે વિસ્તાર નાનો હોવા છતાં જે જગ્યામાં પાણી ભરાય છે એમાં રાહત મળશે. 'વેપારીઓ અને સ્થાનિકો ત્રસ્ત છે' જયપાલસિંહએ જણાવ્યું હતું કે, પ્રથમ યાદી આમ આદમી પાર્ટીની જે ઉમેદવારની આવી, એમાં મારું નામ હતું. અસારવા વોર્ડનો ચમનપુરા અને ઓમ નગરનો વિસ્તાર છે, જ્યાં આ ગટરની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. વચ્ચે 15 દિવસ પાણી બંધ થયું હતું અને પાછું અત્યારે 15 દિવસથી કોન્સ્ટન્ટ ગટરનું પાણી આવે છે. અહીંયા વેપારીઓ હેરાન થઈ રહ્યા છે અને પબ્લિક પણ ખાસી હેરાન થઈ રહી છે. 'ખાલી દેખાડો કરવા પૂરતી કામગીરી ચાલુ કરી'જયપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, અડધો ઈંચ વરસાદ પડે ને, તો પણ કમર સુધી પાણી ભરાઈ જાય છે. અત્યારે હવે ખબર છે કે ચૂંટણીના ઢોલ વાગ્યા છે એટલે કામગીરી ચાલુ કરી છે ખાલી દેખાડો કરવા પૂરતી. અને કહે છે કે રોજ 20,000 લિટર પીવાનું ચોખ્ખું પાણી મળશે. પણ જે પાંચ વર્ષથી તમે કંઈ કામ નથી કર્યું, એનો રિપોર્ટ તો આપો જનતાને! અત્યારે હું તો એ જ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી આ વખતે લડશેને કે બધું બદલી નાખશે. ‘ગંદા પાણીના કારણે છોકરાઓ બિમાર પડે છે’સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારથી ત્યાંથી ખોદકામ કર્યું છે (ક્રોસિંગ જોડેથી), ત્યારનું પાણી નીકળ્યા જ કરે છે. એ પાણી અમારે જાતે જ કાઢવું પડે છે અહીંયા. આની કોઈ તપાસ લેતું નથી ને કોઈ જોવા પણ ઊભા રહેતા નથી. તમે આ વીડિયો બતાવી દો એટલે એમને ખબર પડે કે આ કેટલું પાણી ભરાયું છે અને આગળ કેટલું પાણી ભરાય છે! નકરું પાણી દેખાય ને. એટલે અમારા નાના-નાના છોકરાઓ હોય, દુકાન લઈને બેઠેલા હોય અને અમારા છોકરા બીમાર થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:05 am

મનપા વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ?:કોંગ્રેસ પ્રમુખે કહ્યું, ઉમેદવાર સંપર્ક વિહોણા, અનેક ઉમેદવારોને ધાકધમકી મળી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ આજે 15 એપ્રિલ છે ત્યારે વિરોધી ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવી બિનહરીફ થવા માટેના કાવાદાવા થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 11ના ભાજપના ઉમેદવાર બિનહરીફ બને તે માટે કોંગ્રેસના ઉમેદવારને ધાકધમકી મળી હોવાની ચર્ચા છે. જો કે આ અંગે કોંગ્રેસના પ્રમુખે કહ્યું છે કે, અનેક ઉમેદવારોને ધાકધમકી મળી રહી છે અને અમે તેઓને સલામત ખસેડવાની તજવીજ કરી રહ્યા છે. વોર્ડ 11માં ધનકુબેર પિતાના પુત્ર મેદાનમાં છે વોર્ડ 11માં ભાજપમાંથી ઉપેન્દ્ર પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. ઉપેન્દ્ર પ્રજાપતિએ શહેરના ધનકુબેરો પૈકીના એક દલસુખ પ્રજપતિના પુત્ર છે. ગત ટર્મમાં તેઓના અન્ય પુત્ર કોર્પોરેટર હતા અને આ ચૂંટણીમાં તેઓના બીજા પુત્રને ટિકિટ આપવામાં આવી છે. તેની સામે કોંગ્રેસમાંથી કનુભાઈ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી છે. કનુભાઈ પ્રજાપતિ ગાયબ થઇ ગયા!જોકે ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ બને તે માટેના કાવાદાવાઓ કરવામાં આવી રહ્યાં છે. કનુભાઈ પ્રજાપતિ સવારથી જ પોતાના ઘરે નથી અને તેઓ ક્યાંક ગાયબ થઇ ગયા છે. તેઓના પરિવારજનોને પણ ખ્યાલ નથી કે તેઓ ક્યાં છે. તેના પરિવારજનો માત્ર એમ જ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં તે આવતીકાલે ખબર પડશે. કનુભાઈ પ્રજાપતિ અમારા સંપર્કમાં નથી કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વોર્ડ 11ના અમારા ઉમેદવાર ગઈકાલ(14 એપ્રિલ) સવારથી અમારા સંપર્કમાં નથી. તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. અન્ય વોર્ડમાં પણ ઉમેદવારી પરત ખેંચવા ધાકધમકી મળી રહી છે જેઓને પણ અમે સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ કરી રહયા છે. આજે જ ખબર પડશે કે કનુભાઈ પ્રજાપતિ ક્યાં હતા અને તેઓ ચૂંટણી લડશે કે નહીં. ભાજપના ઉમેદવારના પિતાની આખા ગુજરાતમાં સૌથી વધુ જમીન?વોર્ડ 11માં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિના પિતા દલસુખ પ્રજાપતિ આખાયે ગુજરાતમાં સૌથી વધુ જમીન ધરાવતા ધનકુબેર હોવાનું કહેવાય છે. અને તેના કારણે જ તેઓ શામ, દામ, દંડ, ભેદ જેવી નીતિઓ અપનાવી રહયા હોવાની પણ ચર્ચા છે. કોંગ્રેસના ઉમેદવાર પણ પ્રજાપતિ સમાજમાંથી જ આવે છે જેથી તેઓ ઉપર સમાજમાંથી પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચશે તો ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ જાહેર થઇ જશે અને તેઓના વોર્ડમાં બાકીના 3 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

દિવ્ય ભાસ્કર 15 Apr 2026 12:05 am

બુધવારે શેરબજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ, આ 5 સંકેતથી સેન્સેક્સ-નિફ્ટીમાં આવશે તેજી

Indian Market Positive Signal : દેશમાં સોના-ચાંદીમાં અને શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આમ તો મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા, જ્યારે અન્ય દેશોમાં માર્કેટો ખુલ્લા રહ્યા હતા. જોકે આ જ સમયગાળા દરમિયાન જે અહેવાલો સામે આવ્યા છે, તેના કારણે બુધવારે ભારતીય શેરમાર્કેટ રોકેટ ગતિએ દોડવાના સંકેત મળ્યા છે. જે પાંચ કારણો સામે આવ્યા છે, તેનાથી આશા જાગી છે કે, બુધવારે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળવાની છે. વૈશ્વિક શેરમાર્કેટમાં તેજી

ગુજરાત સમાચાર 14 Apr 2026 11:30 pm

પ્રભાસ પાટણમાં ચૂંટણી પૂર્વે પોલીસનો કડક બંદોબસ્ત:ફૂટ પેટ્રોલિંગ દ્વારા શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરાયું

પ્રભાસ પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે હેતુથી શહેરમાં વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ સિટી વિસ્તારના મુખ્ય માર્ગો, બજારો અને રાજમાર્ગો પર પોલીસના મોટા કાફલાએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ ઊભો કરવાનો હતો. આ કામગીરીમાં પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વનારકા, પી.એસ.આઈ શક્તિસિંહ સોલંકી અને એસ.ડી. વડારીયા સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. તેમની સાથે સર્વેલન્સ સ્ક્વોડ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ સક્રિય રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્કતા વધારવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસની આ કામગીરીને આવકાર મળ્યો હતો. તેમણે નિર્ભય વાતાવરણમાં મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:28 pm

પ્રાથમિકમાં નાપાસ થયેલા ગુજરાતીની પ્રેરણાદાયી સફર:કચ્છના નાના ગામડાંથી કેન્યા થઇ લંડન પહોંચ્યો, લાકડાની માપણીની ઝંઝટ છોડાવવા યુનિક એપ્લિકેશન બનાવી

મહેન્દ્રનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા એક નાના ગામમાં થયો હતો. માતા‑પિતાએ તેને શાળામાં મોકલ્યો હતો પરંતુ અભ્યાસમાં ધ્યાન ન આપવાના કારણે તે પ્રાથમિક પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. અભ્યાસમાં આગળ ન વધ્યો પણ તેને હસ્તકલામાં રસ હતો. જેથી તેણે ગામની નાની વર્કશોપમાં સુથારકામ શીખવાનું શરૂ કર્યું હતું. પડકારો વચ્ચે ભાષા શીખીસમય જતાં તેને કેન્યાના નૈરોબીના એક મોટા વર્કશોપમાં કામ કરવાની તક મળી પણ અહીં તેના માટે સૌથી મોટો પડકાર ભાષાનો હતો. સ્થાનિક ભાષા સ્વાહિલી બોલવામાં સરળ હતી પરંતુ તેનું અંગ્રેજી અક્ષરોમાં લખાતી હતી એટલે આ ભાષા શીખવા માટે તેણે પહેલાં અંગ્રેજી શીખવી જરૂરી હતી. મહેન્દ્રએ દૃઢ નિશ્ચય સાથે પુસ્તકો, યુટ્યુબ અને ઇન્ટરનેટની મદદથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. થોડા જ મહિનામાં તેણે અંગ્રેજી અને સ્વાહિલી બંને ભાષાઓ વાંચતા, લખતા અને બોલતા શીખી લીધી હતી. 1 વર્ષ પછી મહેનતનું ફળ મળ્યુંએક વર્ષ પછી તેની મહેનતનું ફળ મળ્યું અને તેને વર્કશોપ ફોરમેન તરીકે પ્રમોશન મળ્યું. ટીમનું સંચાલન કરતાં‑કરતાં તેણે બારીઓ, દરવાજા અને વોર્ડ રોબ બનાવવા માટે જરૂરી એવી માપણી અને ગણતરીઓમાં કુશળતા મેળવી લીધી. સાથે‑સાથે તેણે CNC મશીનો ચલાવવાની કળા પણ શીખી અને ઇન્ટરનેટ તથા યુટ્યુબની મદદથી વિવિધ ડિઝાઇન અને પેટર્ન બનાવવાનું શરૂ કર્યું. ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણયવર્ષો પસાર થતાં વર્કશોપ ખૂબ સફળ બન્યો. જેમાં લગભગ 50 લોકો કામ કરતા હતા. લગભગ 10 વર્ષ પછી કંપનીના ડિરેક્ટરે નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો અને વ્યવસાય વેચવાનો વિચાર કર્યો. મહેન્દ્ર પણ જીવનમાં આગળ વધવા ઇચ્છતો હતો તેથી તેણે ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો. તેના અનુભવને કારણે તેને ત્યાં આવું જ કામ શોધવામાં કોઇ મુશ્કેલી ન પડી. તેને સેશ વિન્ડોઝ અને વોર્ડરોબ બનાવવામાં નિષ્ણાત વર્કશોપમાં નોકરી મળી. એક વિચાર આવ્યો અને એપ બનાવીઆ કામમાં દરેક પ્રોજેક્ટ માટે લાકડાની માપ‑માપણી અને ગણતરીમાં ઘણો સમય જતો હતો. જેનાથી ઉત્પાદન ધીમું પડતું હતું. મહેન્દ્રના મનમાં વિચાર આવ્યો કે શું કોઇ સોફ્ટવેર અથવા એપ્લિકેશન આવી ગણતરીઓ સેકન્ડોમાં કરી શકે? કમ્પ્યુટર પ્રત્યે વધતા રસને કારણે તેણે પ્રયોગો શરૂ કર્યા. AIની મદદથી અને પોતાના અનુભવના આધારે તેણે બે એપ બનાવી. એક બારીઓ માટે અને એક વોર્ડરોબ માટે. જે હવે સેકન્ડોમાં લાકડાની જરૂરી માપણી કરે છે. તેણે આ એપ્સ પ્લે સ્ટોર પર પણ લોન્ચ કરી. જે આજે વિશ્વભરના લોકોને મદદરૂપ બની રહી છે. પ્રાથમિક શાળામાં નિષ્ફળ થયેલા, ક્યારેય હાઇસ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ન ગયેલા અને અંગ્રેજી ભાષા ક્યારેય ન શીખેલા એક ગુજરાતી યુવાને ભાષાઓ શીખી, મોટી ટીમ સંભાળી, આધુનિક મશીનો ચલાવ્યા અને વિશ્વભરમાં ઉપયોગ થતી ડિજિટલ એપ્સ બનાવી. જે સાબિત કરે છે કે ગુજરાતી ક્યાંય અટકતો નથી. પ્લે સ્ટોર પર લોન્ચ થયા પછીના માત્ર 5 અઠવાડિયામાં વોર્ડ્રોપ એપને 1.12 હજાર ડાઉનલોડ મળ્યા છે. દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:27 pm

મોરબીમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ-દુષ્કર્મ:આરોપી સંજય સુરેલાની ધરપકડ, પોલીસે કાર્યવાહી કરી

મોરબી શહેરી વિસ્તારમાં એક માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના એક પરિવારની સગીર વયની દીકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સે ટીંબડી નજીકથી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયા અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સંજય મનજીભાઈ સુરેલા (ઉંમર ૩૨, રહે. હાલ રાજ હોટલ પાસે, ટીંબડી, મૂળ રહે. જીંજુડા, મોરબી) ની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Apr 2026 11:23 pm