ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો અને પાટનગરની આગવી ઓળખ સમાન વસંતોત્સવ તેના 31મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે કાલે 21 ફેબ્રુઆરીથી શહેરના સાંસ્કૃતિક કુંજ ખાતે આ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. આ ઉત્સવ માત્ર મનોરંજન જ નહીં પરંતુ લુપ્ત થતી પ્રાચીન કલાઓને જીવંત રાખવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. 600થી વધુ લોકકલાકારો પોતાની કલાના કામણ પાથરશેઆ 10 દિવસીય મહોત્સવમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના અંદાજે 600થી વધુ લોકકલાકારો પોતાની કલાના કામણ પાથરશે. જેમાં ભારતની વિવિધતાસભર લોકકલાનું જીવંત પ્રદર્શન આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાર્થક કરતા હસ્તકલા હાટ મેળામાં વિવિધ રાજ્યોની પરંપરાગત ચીજવસ્તુઓ અને ગ્રામીણ કલાના નમૂનાઓ જોવા મળશે. વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુંઆ ઉત્સવમાં મુલાકાતીઓ માટે શુદ્ધ દેશી અને પ્રાદેશિક વાનગીઓના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.જે ખાણી પીણીના શોખીનો માટે રસાસ્વાદની સુવર્ણ તક પૂરી પાડશે. ત્યારે દરરોજ રાત્રે 7 કલાકથી પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સમકળા એસોસીએશનના કલાકારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશેઆ કાર્યક્રમના પ્રથમ દિવસેએટલે કે કાલે 21 ફેબ્રુઆરીએ અરવિંદ વેગડા મંચ ગજવશે, ત્યારબાદ 22મીએ ઋષભ આહિર અને 23મીએ ધ્રુવમ ત્રિવેદી તથા સુશ્રી રાગ પટેલ પોતાની પ્રસ્તુતિ આપશે. 24 ફેબ્રુઆરીએ માલેદ આહિર, 25મીએ હિમાંશુ ચૌહાણ અને 26મીએ નંદલાલ ચાંગા તથા સમકળા એસોસીએશનના કલાકારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી પ્રદર્શન અને હસ્તકલા હાટ ખુલ્લું રહેશેઆ ઉત્સવના અંતિમ ચરણમાં 27મીએ વિમલ મહેતા અને હેરેશદાન ગઢવી, 28મીએ રવિ મારુ અને વિજય પી. સોલંકી, 1 માર્ચે રાજેશ આહિર અને અંતિમ દિવસે 2 માર્ચે અહેસાસ બેન્ડ તથા વાલમ બેન્ડ દ્વારા રજૂઆત કરવામાં આવશે.કલાપ્રેમીઓ માટે 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી બપોરે 2 થી રાત્રે 10વાગ્યા સુધી પ્રદર્શન અને હસ્તકલા હાટ ખુલ્લું રહેશે. વસંતના આગમનને વધાવવા અને ભારતની વિવિધતાસભર સંસ્કૃતિને નજીકથી નિહાળવા માટે ગાંધીનગરના નાગરિકોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલી સીતારામ જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હસ્તી મેડિકલ એજન્સી અને પાછળના ક્લિનિકમાં આજરોજ રાત્રે વિકરાળ આગ લાગી હતી, ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, આ બનાવ અંગે ફાયર કચેરીએથી મળતી માહિતી મુજબ ગાયત્રીનગર શિવાજી સર્કલ પાસે આજ રોજ રાત્રે અંદાજે સાડા આઠ આસપાસ મિતુલભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા ભાવનગર ફાયર કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી કે સીતારામ જનરલ હોસ્પિટલમાં આગ લાગી છે કોલ મળતાની સાથે જ પૂર્વ ઝોનલ ફાયર ટીમ અને ત્યારબાદ હેડ ક્વાર્ટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર ટીમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'હસ્તી મેડિકલ એજન્સી' ના વિજયભાઈ મકવાણાની માલિકીની દુકાનમાં આગ લાગી હતી, આગની જ્વાળાઓ મેડિકલની પાછળના ભાગે આવેલા ક્લિનિક સુધી પણ પહોંચી હતી ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો,સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ, મેડિકલ સ્ટોર અને ક્લિનિકમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
ભાવનગર શહેરની બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ ખાતે 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના લહિયા તરીકે સેવા આપવાનું સામાજિક ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું હતું. આ વિદ્યાર્થીઓ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે 'નેત્રદીપક' બનીને તેમની પરીક્ષામાં મદદ કરશે. આ પહેલ દ્વારા બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સમાજ પ્રત્યેની તેમની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ પ્રસંગે યોજાયેલા અભિનંદન અને શુભેચ્છા કાર્યક્રમમાં બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના આચાર્ય અરવિંદભાઈ સોલંકી, કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના આચાર્ય આઈ.જી.ગોહિલ, નીતિનભાઈ સોલંકી અને કલ્પેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો કહી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.શાળાના શિક્ષિકા હેતલબેન બલરે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવી શુભકામનાઓ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો તેમના લહિયા સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મહેશભાઈ ભટ્ટે કર્યા હતા.
સુરત મહાનગરપાલિકામાં ફરી એકવાર વહીવટી અને રાજકીય વિવાદ ઉભો થયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાઇનાન્સ) સ્વાતિ દેસાઈએ તાજેતરમાં રાજીનામું આપ્યું હતું, જેને મનપા કમિશનરે સ્વીકારી લીધું હતું. જોકે, આ રાજીનામું સ્વીકાર્યા બાદ લગભગ એક અઠવાડિયો વીતી ગયો હોવા છતાં તેને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ મનપા કમિશનરને પત્ર લખીને આગામી સ્થાયી સમિતિની સભામાં આ મુદ્દાને વધારાના કામ તરીકે સામેલ કરીને નિર્ણય કરવાની માંગ કરી છે. હજુ સુધી સ્વાતિ દેસાઈની બદલી કરવામાં આવી નથીપાયલ સાકરિયાએ પત્રમાં જણાવ્યું છે કે, આગામી ટૂંકા સમયમાં આચારસંહિતાની ઘોષણા થઈ શકે છે, તેથી આ મુદ્દાને તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે, સ્વાતિ દેસાઈએ ફાઇનાન્સ વિભાગના વડા તરીકે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઉદ્યોગોને પાણીના ભાવ નક્કી કરવામાં અને ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના નિકાલ વગર ઇજારાદારના બિલો મંજૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બાબતોની નિષ્પક્ષ તપાસ માટે તેમની પાસેથી ફાઇનાન્સ વિભાગ છીનવી લેવામાં આવ્યો હતો અને બીજા અધિકારીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેમની બદલી કરવામાં આવી નથી. પાયલ સાકરિયાએ આગળ જણાવ્યું છે કે, સ્વાતિબેન દેસાઈની કાર્યપદ્ધતિ બિનજવાબદાર અને જવાબદારીથી પલાયનવાદી રહી છે, જેનાથી મહાનગરપાલિકાના વિકાસમાં અવરોધ આવ્યો છે. તેમણે માંગ કરી છે કે: વિપક્ષ નેતાએ આગળ કહ્યું કે, આગામી સ્થાયી સમિતિની સભામાં આ મુદ્દાને વધારાના કામ તરીકે સામેલ કરીને નિર્ણય લેવો જોઈએ. આ પત્ર બાદ હવે મનપા કમિશનર પર આ મુદ્દાને તાત્કાલિક નિકાલ કરવાનું દબાણ વધી ગયું છે. આ ઘટના સુરત મહાનગરપાલિકાના વહીવટી અને નાણાકીય વિભાગમાં પારદર્શિતા અને જવાબદારીના પ્રશ્નોને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ ધામ ખાતે આહિર સમાજ દ્વારા નવ દિવસીય દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવ ૨૦ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલશે. સપ્તાહના પ્રારંભ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા અને પોથી યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં આહિર સમાજ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મચ્છુ માતાજીના મંદિર પરિસરમાં આશરે ૫ હજાર શ્રોતાઓ કથા શ્રવણ કરી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરાયો છે. કાર્યક્રમ માટે આકર્ષક લાઇટિંગ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને વિશેષ સુશોભનની વ્યવસ્થા કરવામાં આવી છે. સપ્તાહ દરમિયાન આવનાર તમામ ભક્તો માટે ચા-પાણી અને પ્રસાદની સુવિધા આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત, બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન અને ધૂન જેવા વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ નવ દિવસીય દેવી ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચના રહાડપોર ગામ નજીક નકલી પોલીસ બની ધાકધમકી આપતા શખ્સોના ત્રાસને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદીનું નકલી પોલીસના ડરથી હાર્ટ એટેક આવતા નિધન થયું હોવાનો આક્ષેપ તેમના પત્નીએ કર્યો છે. આખો બનાવ કેવી રીતે બન્યો?મળતી માહિતી મુજબ, ઉર્વીશ મોદી તેમની પત્ની સાથે એક્ટિવા પર શહેર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમનું વાહન રોક્યું હતું. આ શખ્સોએ પોતાની ઓળખ 'પોલીસ' તરીકે આપી હતી અને વાહન પર નંબર પ્લેટ ન હોવા બાબતે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે, આ શખ્સોએ 3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી તેમ કહીને નાણાંની માંગણી કરી ધમકાવ્યા હતા. નકલી પોલીસની આ દાદાગીરી અને ધાકધમકીથી ઉર્વીશ મોદી ગંભીર રીતે ગભરાઈ ગયા હતા. રસ્તા પર જ તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની પત્નીની કેફિયતમૃતકની પત્ની તૃપ્તિ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ સ્કૂલમાં નોકરી કરે છે અને તેમના પતિ તેમને લેવા આવ્યા હતા. રહાડપોર પાસે એક બાઈક સવારે તેમને રોક્યા બાદ અન્ય બે શખ્સોએ આવી પોતાને પોલીસ ગણાવી નાણાં માંગ્યા હતા. તૃપ્તિ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, ગાડીના કોઈ હપ્તા બાકી નહોતા, માત્ર નંબર પ્લેટ લગાવવાની બાકી હતી. પતિ હૃદય રોગના દર્દી હતા અને 1 અઠવાડિયા પહેલા જ તેમની સારવાર કરાવી હતી. પોલીસ સિવિલ દોડી ગઈઘટનાની ગંભીરતા જોતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI આર.એમ. વસાવા સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકની પત્નીનું નિવેદન નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ખાતરી આપી છે કે આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરી ખાતે 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન 3 દિવસીય વિશેષ વેલનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઉત્તરાખંડ આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને મર્મ ચિકિત્સાના વિશ્વપ્રસિદ્ધ નિષ્ણાત ડૉ. સુનીલ જોશી (આયુર્વેદાચાર્ય) દ્વારા મર્મ ચિકિત્સા, યોગ અને આયુર્વેદનું પ્રામાણિક જ્ઞાન આપવામાં આવશે. ડૉ. જોશી 40 વર્ષથી વધુના અનુભવ ધરાવે છે, 8થી વધુ પુસ્તકોના લેખક છે અને 10,000થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે. કાર્યક્રમની વિગતો: આ સમગ્ર પ્રોગ્રામ બિન-ઔષધીય, શક્તિશાળી અને સર્વાંગી આરોગ્ય માટે આદર્શ છે. કેમ્પમાં ભાગ લેનાર બાળકો અને વડીલો માટે રહેવા, જમવા અને પરિવહનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. નિઃશુલ્ક OPD રજિસ્ટ્રેશનવોટ્સએપ નંબર 9426084040 પર સંદેશ મોકલીને રજિસ્ટ્રેશન કરી શકાય છે. આ કેમ્પ શિવાનંદ આશ્રમ, ચિદાનંદમ ખાતે યોજાશે અને તેમાં મર્મ ચિકિત્સા, યોગ અને આયુર્વેદના માધ્યમથી આરોગ્ય સુધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આયુર્વેદ અને યોગના પ્રેમીઓ માટે અનોખી તક છે. વધુ માહિતી માટે વોટ્સએપ નંબર પર સંપર્ક કરી શકાય છે.
ગોધરા તાલુકાની 122 વર્ષ જૂની સહકારી સંસ્થા 'ધી કૃષ્ણ કો.ઓ.કોટન સેલ જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી લી., ટીંબા'માં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકમાં કિરીટસિંહ ઠાકોરને ચેરમેન અને હરિશ્ચંદ્ર રાઠોડને વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ટીંબા ખાતે આવેલી આ સંસ્થાની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1902માં થઈ હતી. એક સમયે આ મિલ વિસ્તારની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતી હતી. સમયના વહેણ અને આધુનિક ટેકનોલોજીના અભાવે આ મિલ લાંબા સમયથી નિષ્ક્રિય અવસ્થામાં હતી. જોકે, હવે સહકારી ક્ષેત્રના પ્રયાસો અને સરકારના સહયોગથી ₹6 કરોડના ખર્ચે આ મિલને ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.
મહેસાણા જિલ્લાના પીલુદરા ગામમાં આવેલા દેવીપૂજક વાસ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં એક જ પરિસરમાં બિરાજમાન જોગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરના તાળા તોડી અજાણ્યા ચોર શખસો અંદાજે 6 કિલો 500 ગ્રામ ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જેની બજાર કિંમત આશરે 6,50,000 જેટલી આંકવામાં આવી છે. આ ઘટનાની વિગત મુજબ મંદિરની પૂજા-સેવા કરતા મુકેશભાઈ માધાભાઈ દેવીપુજક ગતરોજ રાત્રે આરતી બાદ મંદિરને લોક મારીને ઘરે ગયા હતા. આજે વહેલી સવારે 5 વાગ્યે જ્યારે તેઓ પૂજા માટે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. મંદિરમાં તપાસ કરતા ગર્ભગૃહમાંથી ચાંદીના 3 મોટા છત્તર (વજન 1 કિલો), 2 ચાંદીના ઘોડા (વજન 500 ગ્રામ), 3 મોટા ચાંદીના નાગ (વજન 3 કિલો) અને 12 નાના ચાંદીના નાગ (વજન 2 કિલો) ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. બનાવ અંગે મુકેશભાઈએ સ્થાનિક રહીશોને જાણ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે મહેસાણા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ભરતી દોડમાં ઉમેદવારનું નિધન:અંતિમ રાઉન્ડમાં છાતીમાં દુખાવો થતા સારવાર દરમિયાન મોત
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક ઉમેદવારનું નિધન થયું છે. વાવ SRP ગ્રાઉન્ડ ખાતે દોડના અંતિમ રાઉન્ડમાં 27 વર્ષીય રવિન્દ્ર પ્રવિણભાઈ બારીયાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વલસાડ જિલ્લાના મોગરાવાડી દેવદર્શન સોસાયટીના રહેવાસી રવિન્દ્ર બારીયાને દોડતી વખતે પગ અને છાતીમાં દુખાવા સાથે ચક્કર આવ્યા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રવિન્દ્ર તેમના વતનથી આવેલા ડ્રાઈવર સાથે કામરેજની હોટલ પર પરત ફર્યા હતા. જોકે, ફરીથી તેમને પગ અને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમને પહેલા મોદી હોસ્પિટલ અને ત્યારબાદ કામરેજની સિટી લાઈફ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં વલસાડથી આવેલા રવિન્દ્રના પિતા પ્રવિણભાઈ બારીયાએ પુત્રના મોત અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉનાળાની રજાઓ નજીક આવી રહી છે અને પરિવાર સાથે આનંદમય પ્રવાસની યોજના બનાવવા માટે આ સૌથી યોગ્ય સમય છે. તેને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા 21-22 ફેબ્રુઆરીએ ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસ સ્થળો, ટુર પેકેજીસ, હોટેલ્સ, એરલાઈન્સ અને ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર્સ એક જ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ રહેશે. આ ટ્રાવેલ ફેરમાં વિવિધ ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ કંપનીઓ પોતાના આકર્ષક પેકેજ સાથે ભાગ લેશે. પરિવાર સાથે હોલિડે પ્લાન કરતા હોય, હનિમૂન માટે વિશેષ ડેસ્ટિનેશન શોધતા હોય કે એડવેન્ચર ટ્રિપની તૈયારી કરતા યુવાનો દરેક માટે અહીં ખાસ ઑફર્સ અને માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે. મુલાકાતીઓ સ્થળ પર જ પેકેજીસની તુલના કરી શકશે અને ખાસ ડિસ્કાઉન્ટ સાથે બુકિંગ કરવાની તક પણ મળશે. આ ફેર દરમિયાન દેશ-વિદેશનો પ્રવાસ, ધાર્મિક યાત્રા, ક્રૂઝ ટુર, હિલ સ્ટેશન જેવા અનેક વિકલ્પો રજૂ કરવામાં આવશે. ઉપરાંત વિઝા પ્રોસેસ, ટ્રાવેલ ઈન્શ્યોરન્સ અને ફ્લાઈટ બુકિંગ જેવી સેવાઓ વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ ટ્રાવેલ ફેરમાં અખિલ ભારત ટુર્સ ટ્રાવેલ્સ પ્રા. લિ., હાર્ટ હોલિડે, મેક માય ટ્રીપ હોલિડે, થોમસ કૂક, ટ્રિપસ્ટાર હોલિડે વગેરે જેવી નામાંકિત ટ્રાવેલ્સ કંપનીઓ ભાગ લઈ રહી છે. ફેરની મુલાકાત લેનારને વહેલા તે પહેલાના ધોરણે મળશે આકર્ષક સ્યોર ગિફ્ટ. અહીં એન્ટ્રી તદ્દન ફ્રી છે. ફ્રી રજિસ્ટ્રેશન માટે 9190000094 નંબર પર મિસ્ડ્ કૉલ કરો અથવા આપેલ લિન્ક પરથી ફ્રી ટિકિટ મેળવી લો.
હાઇકોર્ટે એક ચુકાદામાં એવું તારણ રજૂ કર્યું છે કે, પતિની જાણ વિના પત્ની તેના પિયરમાં વધુ રોકાઇ હોય અને તેથી પતિએ તેને માત્ર એકવાર થપ્પડ માર્યો હોય તો તેને ક્રૂરતા ઠરાવી શકાય નહીં. હાઇકોર્ટે આ મામલે આપઘાતની દુષ્પ્રેરણા અને ક્રૂરતાના આરોપમાં દોષિત ઠરેલા પતિને 23 વર્ષે નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો છે. વલસાડની સેશન્સ કોર્ટે દોષિત ઠેરાવતા પતિની હાઈકોર્ટમાં અપીલવલસાડની સેશન્સ કોર્ટે વર્ષ 2003માં પતિને આપઘાતની દુષ્પ્રેરણા અને ક્રૂરતા માટે દોષિત ઠરાવી સજા ફટકારી હતી. જેની સામે પતિએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલમાં ચુકાદો આપતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પતિને જાણ કર્યા વિના પિયરમાં એક રાત રોકાવાના કારણસર પતિ દ્વારા પત્નીને થપ્પડ મારવાની એક ઘટનાને ક્રૂરતા ગણી શકાય નહીં. આ જ કારણસર પત્નીએ આપઘાત કરી હોય એવું નજીકનું કારણ પણ અહીં સાબિત થતું નથી. મૃતકને બીજો કોઈ વિકલ્પ ન મળતાં ફાંસી લગાવીઆવા કિસ્સામાં સતત, અસહ્ય મારપીટની સાબિતી માટે મજબૂત પુરાવાની જરૂર પડે, જેથી તેને એવી ક્રૂરતા તરીકે માની શકાય કે જેના કારણે મૃતકને બીજો કોઈ વિકલ્પ ન મળતાં ફાંસી લગાવીને તેણે આપઘાત કર્યો હતો. આ કેસમાં સાક્ષીઓ ક્રૂરતા અને આપઘાતની દુષ્પ્રેરણાનો મજબૂત કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે. તેથી આ કોર્ટના મતે ટ્રાયલ કોર્ટનો નિષ્કર્ષ ખોટો બને છે અને આરોપીને દોષિત ઠેરવવા અને સજા કરવાનો આદેશ ટકી શકતો નથી. ટ્રાયલ કોર્ટે પતિને 7 વર્ષની સજા ફટકારી હતીઅપીલકર્તાનો કેસ હાઇકોર્ટ સમક્ષ ચાલ્યો હતો. આરોપીની પત્નીએ વર્ષ 1996 માં આપઘાત કર્યો હતો અને તેથી તેની સામે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં ટ્રાયલ કોર્ટે પતિને દોષિત ઠરાવ્યો હતો અને 7 વર્ષની સજા ફટકારી હતી. આ મામલે ફરિયાદી પક્ષનો કેસ એવો હતો કે લગ્નના એક વર્ષમાં જ પત્નીએ પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. આરોપી વિરૂદ્ધ આપઘાત સાથે જોડતા કોઈપણ કૃત્યો કે પુરાવા નથીઅપીલકર્તા પતિ તરફથી દલીલો કરવામાં આવી હતી કે આરોપી સામેના આક્ષેપો સાવ સામાન્ય પ્રકારના છે અને IPCની કલમ 498A ના અર્થમાં ક્રૂરતા સ્થાપિત કરતા નથી. દંપતી વચ્ચેના વિવાદો મુખ્યત્વે એટલા માટે ઉદ્ભવ્યા હતા. કારણ કે પતિ વધારાની આવક માટે રાત્રે બેન્જો વગાડવા માટે બહાર જતો હતો. જે પત્નીને ગમતું ન હતું અને આવા ઝઘડાઓ આપઘાત માટે ઉશ્કેરણી તરીકે ગણી શકાય નહીં. આરોપી વિરૂદ્ધ દહેજની માગ, ઉશ્કેરણી અથવા આપઘાત સાથે જોડતા કોઈપણ નજીકના કૃત્યો કે પુરાવા નથી.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણી આજે સવારે એક અજીબોગરીબ પરિસ્થિતિમાં મુકાયા હતા. તેઓ સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે જોયું કે એરલાઇન્સના કાઉન્ટર પર કોઈ પણ કર્મચારી હાજર નહોતો. મહેશભાઈએ સ્ટાર એરલાઇન્સમાં સુરતથી ભુજ જવા માટે એક અઠવાડિયા અગાઉ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી. જોકે, એરપોર્ટ પર બોર્ડિંગના સમયે કાઉન્ટર ખાલી હોવાથી અને કોઈ જવાબ આપનાર ન હોવાથી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આટલી મોટી એરલાઇન્સની આવી બેદરકારીએ એરપોર્ટ પર અન્ય મુસાફરોમાં પણ ચર્ચા જગાવી હતી. સામાજિક પ્રસંગમાં જવાનું હતું પણ એરલાઇન્સે છેલ્લી ઘડીએ દગો દીધોસમગ્ર મામલે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, તેઓ કચ્છમાં આયોજિત દરબાર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે ખૂબ જ અગત્યના કામે જઈ રહ્યા હતા. તેમણે અગાઉથી પ્લાનિંગ કરીને ટિકિટ બુક કરાવી હતી અને પરત આવવા માટે ટ્રેનનું બુકિંગ પણ કરી લીધું હતું પરંતુ, એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમને આંચકો લાગ્યો જ્યારે જાણવા મળ્યું કે આજે સ્ટાર એરની કોઈ ફ્લાઇટનું શિડ્યુલ જ નથી. નવાઈની વાત એ છે કે, ફ્લાઇટ રદ થઈ હોવા છતાં તેમને એરલાઇન્સ કે એજન્સી તરફથી કોઈ મેસેજ કે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી નહોતી. ટ્રાવેલ એજન્સીની ગંભીર ભૂલ અને રિફંડનો પ્રશ્નતપાસ દરમિયાન જાણવા મળ્યું કે 'ટ્રાવેલ બ્રિજ' નામની એજન્સી દ્વારા આ ટિકિટ ફાળવવામાં આવી હતી. જે ફ્લાઇટનું અસ્તિત્વ તે દિવસે હતું જ નહીં, તેની ટિકિટ ગ્રાહકને વેચી દેવી એ એજન્સીની મોટી ખામી દર્શાવે છે. મહેશ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે ઉદ્યોગપતિઓ સાથે પણ જો આવી મજાક થતી હોય તો સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે? જોકે, હોબાળો મચ્યા બાદ તેમને ટિકિટનું રિફંડ તો પરત મળી ગયું છે, પરંતુ સમયસર સામાજિક પ્રસંગમાં ન પહોંચી શકવાને કારણે તેમને માનસિક અને શારીરિક હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાને પગલે હવે એજન્સી અને એરલાઇન્સ વિરુદ્ધ તપાસની માંગ ઉઠી છે. મહેશ સવાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય નહીં. સુરત એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકો માટે આ એક ચેતવણી સમાન કિસ્સો છે. એજન્સીઓની આવી ભૂલને કારણે મુસાફરોનો કિંમતી સમય અને મહત્વના કામો બગડે છે.
AI સમિટમાં ભારત વિરોધી ટિપ્પણી:પાટણમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન, ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ
દિલ્હીમાં યોજાયેલી AI સમિટમાં ભારત દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ કાઢીને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ નોંધાવવાના મુદ્દે પાટણમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. BJYM કાર્યકરોએ રાહુલ ગાંધી દ્વારા કરાયેલી કથિત અભદ્ર ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ટિપ્પણીને દેશ વિરોધી ગણાવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ મિલન પટેલ, જિલ્લા મંત્રી વિજયા બારોટ, શહેર મહામંત્રી સંજય મોદી અને જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર ગૌરવ મોદી ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેર યુવા મોરચાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લા અને શહેરના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી એક ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં જાણીતી આશ્રમ શાળાના ટ્રસ્ટીના પુત્ર અને સંસ્થાના ડાયરેક્ટરે 11 સાયન્સમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી મર્યાદા ઓળંગી છે. આ મામલે વાંસદા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર ઘટના શું છે ?મળતી વિગતો અનુસાર, વાંસદા વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પાસેથી વોર્ડનને મોબાઈલ મળી આવ્યો હતો. નિયમ વિરુદ્ધ મોબાઈલ હોવાથી વોર્ડને તે જપ્ત કરી સંસ્થાના ટ્રસ્ટીના પુત્ર અને ડાયરેક્ટર દિશાંત કમલેશસિંહ ઠાકોરને સોંપ્યો હતો.આરોપી દિશાંત ઠાકોરે તપાસના બહાને વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં એકલી બોલાવી હતી. ઓફિસમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી આરોપીએ સગીરા સાથે અશ્લીલ હરકતો કરી હતી અને શારીરિક અડપલાં કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહીભોગ બનનાર વિદ્યાર્થિનીએ આ આઘાતજનક ઘટનાની જાણ તેની માતાને કરતા, પરિવારે તાત્કાલિક વાંસદા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 74, 75(1), 76 તેમજ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દિશાંત ઠાકોરની ધરપકડ કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાપોલીસે આરોપીને નવસારી સેશન્સ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી દિશાંત ઠાકોરના 23 ફેબ્રુઆરી 2026 સુધીના (4 દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ મામલે અન્ય કોઈ દીકરીઓ ભોગ બની છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ખેડૂતો, કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી હતી. તેમણે 'સેવા સેતુ' કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી મહત્વનું યોગદાન આપી શકે છે. રાસાયણિક ખેતીમાં પાણી અને ખાતરનો ખર્ચ વધુ હોય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ પાક મળે છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ ઉત્તરોત્તર વધતું જાય છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાન જન આંદોલન બન્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના હાલોલમાં કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઝેરમુક્ત ખેતપેદાશ પૂરી પાડીને જમીન અને નાગરિકો બંનેને સ્વસ્થ રાખવાનો છે. રાજ્યપાલએ રાસાયણિક ખેતીના ગેરફાયદા સમજાવતા કહ્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. રાસાયણિક ઝેર ખેતપેદાશમાં ભળીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની રહ્યું છે. આ રસાયણો વાયુ અને પાણીમાં ભળીને પ્રદુષણ ફેલાવે છે, જેનાથી જમીન ખેતી માટે અયોગ્ય બની શકે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. અળસિયા દ્વારા કુદરતી 'વોટર હાર્વેસ્ટિંગ' થાય છે, જે જમીનને પોચી બનાવી તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો કરે છે. જંગલોમાં કોઈ ખાતર નાખતું ન હોવા છતાં વૃક્ષો કુદરતી રીતે વિકસે છે, તે પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યપાલએ ગૌમાતાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, દેશી ગાય એ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી જ ખેતી સમૃદ્ધ અને ટકાઉ બની શકે છે, જેનાથી ઝેરમુક્ત પેદાશો મેળવી શકાય છે. પશુપાલનને ખેતી સાથે જોડીને ખેડૂતો પોતાની આવક બમણી કરી શકે છે. આ માર્ગ અપનાવીને જ આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને નિરોગી જીવનનો વારસો આપી શકીશું. વધુમાં તેમણે કાર્યક્રમના સારા આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સારંગપુર ખાતે કાર્યરત પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ટ્રેનિંગ સેન્ટરની પ્રશંસા કરીને સંસ્થાના પ્રાકૃતિક કૃષિ અંગેના પ્રયાસોને બિરદાવ્યા હતાં. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવા અને તેના સકારાત્મક પરિણામો જોઈને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 140 ક્લસ્ટર કાર્યરત કરાયા છે અને 150થી વધુ સી.આર.પી. તથા કૃષિ સખીઓ માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને તાલીમ આપી રહી છે. આ વર્ષે અંદાજે 1488 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે, જેના માર્ગદર્શન માટે જિલ્લામાં 31 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ અને 216 મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની વિગતો આપતા કલેકટરએ ઉમેર્યું હતું કે, ઓક્ટોબર-૨૦૨૫ના કમોસમી વરસાદ સામે 1.40 લાખથી વધુ ખેડૂતોને રૂ.484.88 કરોડની સહાય સીધી ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે, જ્યારે ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂતોને રૂ.1621.24 કરોડનું ચુકવણું કરાયું છે. 'એગ્રીસ્ટેક' પ્રોજેક્ટ હેઠળ 92 પ્લોટનો ડિજિટલ સર્વે પૂર્ણ થયો છે અને પશુપાલન ક્ષેત્રે 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ ગૌશાળાઓને રૂ.3.77 કરોડની સહાય ફાળવવામાં આવી છે. અંતમાં, તેમણે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગરના ખેડૂત વધુ સમૃદ્ધ અને પ્રાકૃતિક ખેતી તરફ વળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપીને તેના દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી, જમીનની ફળદ્રુપતા વધારીને કેવી રીતે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે અંગે તેમણે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોનું સ્વાગત મિલેટ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ મોમેન્ટો દ્વારા રાજ્યપાલને આવકાર્યા હતા. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડે આભાર દર્શન કર્યું હતું. આ સાથે જ રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ અંગેના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ તકે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, રસીકરણ કેમ્પ, કૃષિ અને પશુપાલનલક્ષી જાણકારી સહિતની સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે પૂરા પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામોના સરપંચઓ, રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કૃષિ સખીઓ, સી.આર.પી. કિસાન મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ગ્રામજનોને પ્રેરણા આપી. આ મુલાકાત દરમિયાન, રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભાદરા ગામમાં વૃક્ષારોપણ કર્યું. તેમણે ભાવુક અપીલ કરતા જણાવ્યું કે, માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. વૃક્ષને ઉછેરવું પુણ્યનું કામ છે, પરંતુ રોપ્યા બાદ સંભાળના અભાવે સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે. તેમણે વૃક્ષોના ઉછેર માટે નિયમિત સારસંભાળ અને ફેન્સિંગ પર ભાર મૂક્યો. પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યના મહત્વને ધ્યાનમાં રાખીને, રાજ્યપાલશ્રીએ 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાર્થક કર્યો. તેમણે ગ્રામ પંચાયત ચોક ખાતે સ્વયં ઝાડુ પકડી સફાઈ કરી ગ્રામજનો સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કહ્યું કે, જ્યારે આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ સ્વસ્થ અને સુદ્રઢ સમાજનું નિર્માણ થઈ શકશે. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યપાલ સાથે અગ્ર સચિવ અશોક શર્મા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. સમગ્ર ભાદરા ગામ આ જનજાગૃતિ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી બન્યું.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષકને તેની પત્નીએ અજાણ્યા ઈ-મેઈલ આઈડી ઉપરથી ધમકી ભર્યો ઈ-મેઈલ કરી તેનાં અને તેના પરિવારના સભ્યોના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ ઈ-મેઈલમાં મહિલાઓ પ્રત્યે અભદ્ર અને અશ્લિલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ બનાવ અંગે શિક્ષકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઈ-મેલમાં પરિવારને હાથ-પગ તોડી નાખવાની ધમકી આપીરાજકોટની કેન્દ્રીય વિદ્યાલય ક્વાર્ટરમાં રહેતાં અને સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય શિક્ષકે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા ઇ-મેઇલ આઈડી ધારકનું નામ આપ્યું છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, તેઓ સરકારી ક્વાર્ટર્સમાં ઓક્ટોમ્બર 2021થી રહે છે અને સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. તેઓના લગ્ન વર્ષ 2020માં થયા હતાં. હાલ બન્ને વચ્ચે મન દુઃખ થતા તેણી તેમના માતા-પિતાના ઘરે રહે છે. ગત તા.06.10.2025ના તેઓ ઘરે હતાં ત્યારે તેમના જી-મેઈલ આઈડી પર કોઈ અજાણ્યા જી-મેઇલ આઇડી godk0531gmail.com પરથી એક અત્યંત ભયાનક અને વાંધાજનક લખાણ વાળો ઈ-મેઈલ મળ્યો હતો. જેમા મેઇલ કરનાર વ્યક્તિએ પોતાને અંતે અનામી તરીકે દર્શાવી તેમને અને પરિવારને સ્પષ્ટ શબ્દોમાં હાથ-કાપી પગ તોડી નાખવાની જેવી ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાની ધમકીઓ આપી છે. શિક્ષિકા પત્નીએ જ મેઈલ મોકલ્યો હોવાનું સામે આવ્યું હતુંઆ ઉપરાંત ઈ-મેઈલમાં તેના પરિવારની મહિલાઓ એટલે કે વૃદ્ધ માતા, બહેનો, મોટાભાઈની પત્ની, મોટાભાઈ તેમજ પરિવારની અન્ય મહિલાઓ વિશે અત્યંત બીભત્સ અશ્લીલ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. આ અંગે તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનાં આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અજાણ્યા ઈ-મેઈલ આઈ.ડી.ની તપાસ કરતાં આ ઈ-મેઈલ કોઈ અન્યએ નહીં પરંતુ, તેની શિક્ષીકા પત્નીએ જ મોકલ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતિ વચ્ચે મનમેળ ન રહેતા બંને અલગ થયા હતા અને બાદમાં પત્નીએ ભરણપોષણનો કેસ પણ કર્યો હતો.
દિલ્હીમાં AI સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોઓએ ટી-શર્ટ કાઢીને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. જામનગરમાં શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધી સામે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દેદારોની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો શહેર ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. ત્યાંથી લાલ બંગલા સર્કલ સુધી વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકરોએ 'રાહુલ ગાંધી મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા હતા. ભાજપના કાર્યકરો લાલ બંગલા સર્કલ પાસે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવા જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમને અટકાવ્યા હતા. પૂતળા દહન રોકવા માટે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણ અને ઝપાઝપી થઈ હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને કાર્યકરો પાસેથી રાહુલ ગાંધીનું પૂતળું ઝૂંટવી લીધું હતું, જેના કારણે કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિદેશી મંચો પર દેશની છબી ખરાબ કરી રહ્યા છે અને તેમનું વલણ હંમેશા દેશ વિરોધી રહ્યું છે. પોલીસ સાથેની ઝપાઝપી બાદ અંતે ભાજપના નેતાઓએ અને કાર્યકરોએ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીના શનાળા રોડ પર ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં સોની યુવાન જતીન આડેસરાની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને હસ્તગત કર્યા છે. ગુનામાં વપરાયેલ એક્સેસ સ્કૂટર અને છરી પણ કબ્જે કરવામાં આવી છે. આ ઘટના ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં બની હતી. જતીનભાઈ રસિકલાલ આડેસરા (ઉં.વ. 36) રાજકોટથી પોતાની કારમાં (GJ 36 AF 4464) મોરબી પરત ફરી રહ્યા હતા. તેમની સાથે તેમની બહેન ચેતનાબેન, માસાજી સસરા કિશોરભાઈ અને તેમના પત્ની દીનાબેન પણ હતા. શનાળા રોડ પર રંગોલી આઇસ્ક્રીમ પાસેથી પસાર થતી વખતે, એક્સેસ સ્કૂટર પર આવેલા બે બાળકિશોરોએ ઓવરટેક કરવા બાબતે જતીનભાઈ સાથે બોલાચાલી કરી હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, બાળકિશોરોએ જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના ત્રણ ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા જતીનભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મૌલિક આડેસરાની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા બંને બાળકિશોરોને હસ્તગત કરી, ગુનામાં વપરાયેલ સ્કૂટર અને હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યા છે. માત્ર ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં સોની વેપારી યુવાનની હત્યા થતાં સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. શુક્રવારે આખો દિવસ મોરબીમાં સોની બજાર સદંતર બંધ રાખવામાં આવી હતી. પોલીસે હસ્તગત કરેલા બાળકિશોરો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બે પૈકીના એક બાળકિશોરના ઘરની જડતી લેતા ત્યાંથી 22 બિયરના ટીન મળી આવ્યા હતા.
દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા 'ગામે ગામ આરોગ્ય કિરણ' કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા નિર્દેશ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 102 શાળાઓમાં કુલ 10,075 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે. જેમાં સિકલ સેલ, બાળરોગ, એનિમિયા, ટીબી, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ, પાણીજન્ય રોગો, સ્વચ્છતા અને યોગ્ય પોષણ જેવા વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક વીડિયો અને PPT રજૂ કરવામાં આવી હતી. આનાથી બાળકોમાં આરોગ્ય પ્રત્યે યોગ્ય જાગૃતિ અને સમજણ વિકસી છે. સાથે જ, બાળકોને હાથ ધોવાની રીત બતાવવામાં આવી હતી અને આંખોની તપાસ સહિત અન્ય જરૂરી તપાસ પણ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 1,590 બાળકોમાં ખાંસી, શરદી, તાવના લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 135 બાળકો સિકલ સેલ, 11 ટીબી અને 1,036 બાળકો એનિમિયાથી પીડિત જણાયા હતા. આ ઉપરાંત, 27 બાળકોના આભા કાર્ડ પણ કાઢવામાં આવ્યા હતા.દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયાસ ખરેખર 'ગામે ગામ આરોગ્ય કિરણ' રૂપે ગામડાઓમાં આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યો છે.
ગોધરા તાલુકાના મેહલોલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સળિયા ભરેલા ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા 60 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમનો પૌત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વટલાવ ગામના રહેવાસી સનાભુલાભાઈ ખાતુભાઈ (ઉં.વ. 60) તેમના પૌત્ર ખુશાલ જયદીપ સાથે બાઇક પર મેહલોલ ખાતે દવા લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મેહલોલ પાસે લોખંડના સળિયા ભરેલા એક ટ્રેક્ટરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેક્ટરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટ્રેક્ટરનું ટાયર સનાભુલાભાઈના શરીર પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પૌત્ર ખુશાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ APMCના પૂર્વ પ્રમુખ રાજુભાઈ સુખિયાપુરી સહિતના સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પૌત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ:રાજ્યપાલ:જામનગરના ભાદરા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે આજ રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અને 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે અને તેના ગૌમૂત્ર-છાણના ઉપયોગથી ઝેરમુક્ત ખેતપેદાશો મેળવી શકાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાન એક જન આંદોલન બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના હાલોલમાં કરવામાં આવી છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન અને નાગરિકો બંનેને સ્વસ્થ રાખી ઝેરમુક્ત ખેતપેદાશ પૂરી પાડવાનો છે. રાસાયણિક ખેતીથી ઘટેલી જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરવા અને ભૂગર્ભ જળસ્તર જાળવવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનના મિત્ર એવા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયો છે. આ રાસાયણિક ઝેર ખેતપેદાશમાં ભળીને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની રહ્યું છે. ઉપરાંત, રાસાયણિક ખાતરો વાયુ અને પાણીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે અને પાણીને ઝેરયુક્ત બનાવે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જંગલમાં કોઈ ખાતર નાખતું નથી, છતાં ત્યાં વૃક્ષો કુદરતી રીતે વિકસે છે કારણ કે ત્યાં રસાયણોનો ઉપયોગ થતો નથી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. આનાથી અળસિયા દ્વારા કુદરતી 'વોટર હાર્વેસ્ટિંગ' થાય છે અને જમીન પોચી બની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત હોય છે અને ઉત્પાદન વધુ મળે છે. રાજ્યપાલે ગૌમાતાના મહત્વ પર ભાર મૂકતા ફરીથી જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી જ ખેતી સમૃદ્ધ અને ટકાઉ બની શકે છે. પશુપાલનને ખેતી સાથે જોડીને ખેડૂતો પોતાની આવક બમણી કરી શકે છે. આ માર્ગ અપનાવીને જ આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને નિરોગી જીવનનો વારસો આપી શકીશું. વધુમાં તેમણે કાર્યક્રમના સારા આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સારંગપુર ખાતે કાર્યરત પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ટ્રેનિંગ સેન્ટરની પ્રશંસા કરીને સંસ્થાના પ્રાકૃતિક કૃષિ અંગેના પ્રયાસોને બિરદાવ્યા હતાં. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવા અને તેના સકારાત્મક પરિણામો જોઈને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 140 ક્લસ્ટર કાર્યરત કરાયા છે અને 150થી વધુ સી.આર.પી. તથા કૃષિ સખીઓ માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને તાલીમ આપી રહી છે. આ વર્ષે અંદાજે 1,488 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે, જેના માર્ગદર્શન માટે જિલ્લામાં 31 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ અને 216 મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે. ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની વિગતો આપતા કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, ઓક્ટોબર-2025ના કમોસમી વરસાદ સામે 1.40 લાખથી વધુ ખેડૂતોને રૂ. 484.88 કરોડની સહાય સીધી ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે, જ્યારે ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂતોને રૂ.1621.24 કરોડનું ચુકવણું કરાયું છે. 'એગ્રીસ્ટેક' પ્રોજેક્ટ હેઠળ 92 ટકા પ્લોટનો ડિજિટલ સર્વે પૂર્ણ થયો છે અને પશુપાલન ક્ષેત્રે 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' હેઠળ ગૌશાળાઓને રૂ. 3.77 કરોડની સહાય ફાળવવામાં આવી છે. અંતમાં, તેમણે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ જામનગરના ખેડૂત વધુ સમૃદ્ધ અને પ્રાકૃતિક ખેતી તરફ વળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપીને તેના દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી, જમીનની ફળદ્રુપતા વધારીને કેવી રીતે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે અંગે તેમણે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સાથે જ રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અંગેના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ગામોના સરપંચો, રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કૃષિ સખીઓ, સી.આર.પી. કિસાન મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
પારડીમાં 78 વર્ષ પછી ગાંધી મેળાનું આયોજન:2000થી વધુ વિદ્યાર્થીઓએ ગાંધી મૂલ્યો જાણ્યા
વલસાડ જિલ્લાના પારડી ખાતે 78 વર્ષના લાંબા અંતરાલ બાદ 'ગાંધી પ્રદર્શન મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃતકાળમાં યોજાયેલા આ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો અને તેમને ગાંધીજીના જીવન આદર્શોમાંથી પ્રેરણા આપવાનો છે. પારડીનો ઇતિહાસ મહાત્મા ગાંધી સાથે સીધો સંકળાયેલો છે. વર્ષ 1942માં ગાંધીજીએ અહીં મુલાકાત લીધી હતી. આ નગરનું નામ 'જાનકીદેવી નગર' રાખવામાં આવ્યું છે, જે ગાંધીજીની માનસપુત્રી ગણાતા જાનકીદેવી બજાજ (બજાજ પરિવાર)ના નામ પરથી છે. ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી અને આયોજક ડો. કુરૈશીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક જોડાણને જીવંત રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ મેળાનું આયોજન એક મહત્વનું પગલું છે. આ મેળામાં ગાંધીજીના 'સ્વદેશી' મંત્રને અનુરૂપ 'વોકલ ફોર લોકલ'ના વિચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાદી અને ગ્રામોદ્યોગના વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં NGO અને સ્થાનિક કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. મુલાકાતીઓ તરફથી આને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેળાના પ્રથમ દિવસે સવારના સત્રમાં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. ડો. કુરૈશીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ગાંધીજીએ ક્યારેય શોર્ટકટ કે સમજૂતી કરી નથી. બોર્ડના વિદ્યાર્થીઓ જો આ મૂલ્યોને સમજે તો તેઓ જીવનના કોઈપણ પડકાર સામે સફળતા મેળવી શકે છે. રવિવારે સાંજે 4:00 થી 5:30 દરમિયાન એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં જાણીતા વક્તા જયનારાયણ વ્યાસ 'ગાંધી જીવન અને વર્તમાન સમય' વિષય પર સંવાદ કરશે. આ ઉપરાંત, ગાંધીજીના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ્સ અને તેમના રમુજી કિસ્સાઓ રજૂ કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત અને વાપી-વલસાડથી પણ અનેક મહાનુભાવો આ મેળાની મુલાકાત લેવાના છે.
AI સમિટ ટિપ્પણી પર ભાજપ યુવા મોરચાનો વિરોધ:ગોધરામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના પૂતળા દહન કરાયા
દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ક્લાસ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો છે. આ ટિપ્પણીના વિરોધમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારતીય જનતા યુવા મોરચા અને ભાજપ દ્વારા કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરુદ્ધ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે ગોધરામાં ભાજપના કાર્યકરોમાં કોંગ્રેસની ટિપ્પણીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. દિલ્હીમાં ભાજપ સરકારના શાસન હેઠળ યોજાયેલી 'વર્લ્ડ ક્લાસ AI સમિટ'ની કોંગ્રેસ દ્વારા મજાક ઉડાવવામાં આવતા ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભારતીય જનતા યુવા મોરચા પંચમહાલ અને ભાજપ ગોધરા દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના પૂતળા દહન કરવામાં આવ્યા હતા. ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર સરકારનો નથી, પરંતુ ભારતની પ્રગતિ અને દેશના નાગરિકોનું અપમાન છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રીક્ષા અને ઈકો કારના ચાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ટ્રાફિક અને ગેરવ્યવસ્થાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજ પર ચઢવાના ભરૂચ છેડે મુસાફરને બેસાડવા બાબતે ઈકો ચાલક અને રીક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો હિંસક બન્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં બંને ચાલકો એકબીજાને મુક્કા મારતા સ્પષ્ટપણે દેખાય છે. ઘટનાસ્થળે હાજર લોકોએ વચ્ચે પડીને ઝપાઝપી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં બ્રિજ તરફ જવાના રસ્તા પાસે કંપનીઓના વાહનો, પેસેન્જર વાહનો અને રીક્ષાઓ આડેધડ ઊભા રહે છે. આ કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મુસાફરોને બેસાડવાની હોડમાં સર્વિસ રોડ પર પણ વાહનો ઊભા કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. મારામારીની ઘટનાની જાણ થતાં નજીકના પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા અને પુરુષ ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના સહયોગથી બંને ચાલકોને અલગ પાડવામાં આવ્યા હતા, જેના પગલે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. આ અંગે સી ડિવિઝન પીઆઈ એન.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, વાન ચાલક અને રીક્ષા ચાલકને શોધવાની કામગીરી ચાલી રહી છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં ઉત્તરવહીની વિગતો ભરવા અંગેનો ભય જોવા મળે છે. આ ભય દૂર કરવા ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળે એક અનોખી પહેલ કરી છે. મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પૂરવણી (સપ્લીમેન્ટરી) કેવી રીતે ભરવી તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાયું હતું. આ પહેલ અંતર્ગત, ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંકુલના પ્રમુખે આગામી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. હોલ ટિકિટ વિતરણ સાથે, શાળા પ્રશાસને વિદ્યાર્થીઓને પૂરવણી ભરવા માટેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રેક્ટિસ કરાવી હતી. ખાસ કરીને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ, જેઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, તેમની મૂંઝવણો દૂર કરવા આ પ્રયાસ કરાયો હતો.
અમદાવાદના શીલજથી અડાલજ આવી રહેલા 50 વર્ષીય વિધવા મહિલાની બેગમાંથી રિક્ષા ગેંગ 7 લાખની રોકડ અને 2 લાખનો ચેક ભરેલી પ્લાસ્ટિકની થેલી સેરવીને ફરાર જતાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, પુત્રના વિદેશ અભ્યાસ અર્થે મહિલાએ મકાન વેચીને રકમ એકઠી કરી હતી. વિધવા માતાની મૂડી રિક્ષા ગેંગ સેરવી લઈને ફરાર શહેરના એસ.પી. રિંગ રોડ પર આવેલી હોસ્ટેલમાં નાઈટ ડ્યુટી કરી પેટે પાટા બાંધી પોતાના દીકરાને વિદેશમાં ભણાવતી વિધવા માતાની મૂડી રિક્ષા ગેંગ સેરવી લઈને ફરાર થઈ ગઈ છે. મૂળ બનાસકાંઠાના અને હાલ સીલજની સાંદિપની હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા દક્ષાબેન ઓઝાનો દીકરો પ્રિન્સ રશિયામાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. 7 લાખ રોકડા અને 2 લાખનો ચેક હતોજ્યારે દક્ષાબેન સેકટર-22 શ્રેયસ સોસાયટીમાં રહે છે. દીકરાની કોલેજ ફી અને વતનમાં પૈસા મોકલવા માટે દક્ષાબેને ચાણક્યપુરી વિસ્તારમાં આવેલું પોતાનું માલિકીનું મકાન વેચવા કાઢ્યું હતું. ગત 17 ફેબ્રુઆરીના રોજ આ મકાનનું બાનાખત ઇન્કમટેક્સ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું. જે પેટે સામા પક્ષે તેમને 7 લાખ રોકડા અને 2 લાખનો ચેક આપ્યો હતો. અન્ય ત્રણ પેસેન્જર પહેલેથી બેઠેલા હતાઆ રકમ તેમણે સુરક્ષાના કારણોસર સીલજ ખાતે રહેતી તેમની ભત્રીજી મનીષાબેનના ઘરે મૂકી હતી. આજરોજ સવારે દક્ષાબેન ભત્રીજીના ઘરેથી રોકડ રકમ અને ચેક એક સફેદ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને પોતાની વાદળી બેગમાં મૂકીને નીકળ્યા હતા અને સીલજ ચોકડીથી રિક્ષામાં બેસી તેઓ વૈષ્ણવદેવી સર્કલ પહોંચ્યા હતા. બેગની ચેન ખોલી રોકડ ભરેલી થેલી સેરવી લીધીત્યાંથી અડાલજ જવા માટે તેઓ અન્ય એક CNG રિક્ષામાં બેઠા હતાં. જેમાં ડ્રાઈવર સિવાય અન્ય ત્રણ પેસેન્જર પહેલેથી બેઠેલા હતા. ત્યારે રિક્ષામાં મુસાફરી દરમિયાન દક્ષાબેનની બાજુમાં બેઠેલા શખ્સે મને ફાવતું નથી, આઘા બેસો તેમ કહી ધક્કામુક્કી કરી હતી અને પોતાની બેગ દક્ષાબેનની બેગ પર મૂકી દીધી હતી. આ દરમિયાન તેમની નજર ચૂકવી દક્ષાબેનની બેગની ચેન ખોલી રોકડ ભરેલી થેલી સેરવી લીધી હતી. ફરિયાદ નોંધાઈબાદમાં રિક્ષા અડાલજ પીકઅપ બસ સ્ટેશન પહોંચી ત્યારે તમામ પેસેન્જરો ઉતરી ગયા હતા. અને દક્ષાબેને રિક્ષામાંથી ઉતરીને જોતા વાદળી બેગની ચેન ખુલ્લી જોવા મળી હતી અને અંદર રહેલી 7 લાખની રોકડ ગાયબ હતી. પોતાની આજીવનની મૂડી ચોરાઈ ગઈ હોવાનું જણાતા મહિલા સ્તબ્ધ થઈ ગયા હતા. આ મામલે દક્ષાબેને અડાલજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બોટાદમાં રાહુલ ગાંધીનું પૂતળું દહન:યુવા ભાજપે AI વીડિયો નિવેદનો સામે વિરોધ નોંધાવ્યો
બોટાદ જિલ્લા યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન શહેરના દિનદયાળ ચોક ખાતે આવેલા ભાજપ કાર્યાલય પાસે યોજાયું હતું. યુવા ભાજપના કાર્યકરોએ દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા AI વીડિયો બનાવીને કરાયેલા નિવેદનોને 'હાસ્યાસ્પદ' ગણાવી તેનો સખત વિરોધ કર્યો હતો. પૂતળા દહન દરમિયાન યુવા ભાજપના કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી યુવા ભાજપના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી વિશાલ મારુએ આ અંગેની માહિતી આપી હતી.
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સાઇટમાં વેપારીને 7 ઓફિસો અને વૃદ્ધને દુકાનનું વેચાણ આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા 67.70 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. પરંતુ મહાઠગ બિલ્ડર મનિષ પટેલ તથા તેની પત્ની રૂપલ પટેલ પજેશન નહી આપી દસ્તાવેજ પણ કરી આપતો ન હતો. જેથી બાપોદ પોલીસ સ્ટેશનમાં મહાઠગ બિલ્ડર દંપતી વિરુદ્ધ બંનેએ ફરિયાદ નોંધાવી છે. મહાઠગ બિલ્ડર દંપતી પજેશન ના આપતાં ફરિયાદ નોંધાઈવડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર મહાઠગ બિલ્ડર મનિષ મેહન્દ્ર પટેલ તથા રૂપિલ મનિષ પટેલ દ્વારા ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની ઓફિસ અને દુકોનોની સ્કિમ શરૂ કરી હતી. જેમા અગાઉ ઘણા લોકો પાસેથી રૂપિયા લઇને આ બિલ્ડર દંપતી દ્વારા પજેશન નહી આપતા તેમની સાથે અસંખ્ય ફરિયાદ નોંધાઇ છે. 62.30 લાખ રોકડે તથા ચેકથી બિલ્ડર દંપતીને ચુકવ્યાત્યારે વધુ બે ફરિયાદ મહાઠગ મનિષ પટેલ તથા તેની રૂપલ પટેલ સામે નોંધાઇ છે, જેમાં એવી વિગત છે કે ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી સિધ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતા કિશોર રામાકિશન સેન લેબના ઇન્સટ્રુમેન્ટની સર્વિસનો ધંધો કરે છે. તેઓએ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં બિલ્ડર દંપતીને વર્ષ વર્ષ 2015માં મળ્યાં હતાં. ત્યારબાદ તેમની સાઇટમાં ઓફિસ નંબર 309, 315 સુધી 7 જેટલી દુકાનો રૂપિયા 60 લાખમાં બુક કરાવી હતી અને વેપારી દુકાનો રૂપિયા 62.30 લાખ રોકડે તથા ચેકથી બિલ્ડર દંપતીને ચુકવી દીધા હતા. વારંવાર કહેવા છતાં ઠગ દંપતીએ ઓફિસોનું પજેશન આપ્યું નહીંઉપરાંત વધારાના રૂ.2.30 લાખ વધારાના ચુકવ્યાં હતાં. બિલ્ડર દંપતીએ વર્ષ 2019માં ઓફિસોના કામ પૂર્ણ કરીને દસ્તાવેજ કરી આપવાનું વાયદો કર્યો હતો. પરંતુ વારંવાર કહેવા છતાં આ ઠગ દંપતી એ ઓફિસોનું પજેશન આપતો ન હતો. જેથી વેપારીએ દસ્તાવજે ના કરવો હોય અને પજેશન ન આપવું હોય તો રૂપિયા પરત કરી દો, પરંતુ બિલ્ડર દંપતી રૂપિયા પરત નહી આપતુ ન હતું. જેથી વેપારીએ બિલ્ડર મનિષ પટેલ તથા તેની પત્ની રૂપલ પટેલ સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. વેચાણ દસ્તાવેજ ના કરતાં વૃદ્ધે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવીતેવી જ રીતે ખોડિયારનગર વિસ્તારમાં સંગમપાર્ક સોસાયટીમાં રહેતા અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)માંથી નિવૃત જીવન ગુજારે છે. વૃદ્ધે ન્યુ વીઆઇપી રોડ પર આવેલી ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સાઇટમાં વર્ષ 2015માં દુકાન રૂપિયા 18 લાખમાં બુક કરાવી હતી અને બિલ્ડર દંપતીને રૂપિયા 5.40 લાખ રોકડે તથા ચેકથી ચૂકવી દીધા હતા. પરંતુ બિલ્ડર દુકાનનું પજેશન આપતો ન હતો કે વેચાણ દસ્તાવેજ પણ કરતો ન હતો. જેથી વૃદ્ધે બિલ્ડર મનિષ પટેલ તથા રૂપલ પટેલ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડર મનિષ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાયોતાજેતરમાં છેતરપિંડીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને આરોપી મહાઠગ બિલ્ડર મનિષ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ઠગ બિલ્ડર દંપતી સામે 4 ફરિયાદ નોંધાઇબાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ કે ગુર્જરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઠગ બિલ્ડર દંપતી સામે 4 ફરિયાદ નોંધાઇ છે અને હજુ ત્રણ પણ નોંધાવાની છે. ત્યારે પોલીસે સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ઠગ આરોપી બિલ્ડર મનિષ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બિલ્ડરની પત્ની રૂપલની ધરપકડ બાકી છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. આ સફળ આયોજન પાછળ આરોગ્ય ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. જેમાં CHO હિરલબેન, FHW રેખાબેન અને MPHW યોગેશભાઈએ ગ્રામજનો સાથે સતત સંપર્ક જાળવીને પ્રેરણાદાયક કામગીરી કરી હતી. નાદરી ગામનો આ પ્રયાસ અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે પણ રક્તદાન જેવી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જોડાઈને રક્તદાન કર્યું હતું.
કોડીનારના પીપળવા ગામે રોડ પર પાંચ સિંહો દેખાયા:ગીર જંગલથી 30 કિમી દૂર, વનવિભાગ એલર્ટ મોડમાં
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પીપળવા ગામે પીપળવા–મિતિયાજ રોડ પર એકસાથે પાંચ સિંહો જોવા મળ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ગામ ગીર જંગલ વિસ્તારથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું છે. સિંહોના મૂળ નિવાસસ્થાનથી દૂર હોવા છતાં અહીં અવારનવાર સિંહોના આંટાફેરા જોવા મળે છે. માર્ગ પરથી પસાર થતા એક રાહદારીએ આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા થોડા સમયથી સિંહો ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. પશુઓના શિકારની શોધમાં અથવા પાણી અને ખોરાકની તલાશમાં સિંહો જંગલ વિસ્તાર છોડી ગામડાં તરફ વળી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. અધિકારીઓએ ગામજનોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત વાડામાં રાખવા સૂચના આપી છે. વનવિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગીર વિસ્તાર વિશ્વપ્રસિદ્ધ એશિયાટિક સિંહો માટે જાણીતો છે. જોકે, જંગલ સીમા બહાર તેમની વધતી હાજરી હવે માનવ-વન્યજીવ સંઘર્ષ અંગે ચિંતા ઊભી કરી રહી છે. નિષ્ણાતોના મતે, સિંહોની સંખ્યામાં વધારો અને તેમના માટે નવા વિસ્તારની જરૂરિયાતને કારણે તેઓ જંગલ છોડી બહાર આવી રહ્યા છે. હાલ ગામમાં ભયનો માહોલ હોવા છતાં, કોઈ જાનહાનિ કે ઇજા થવાની માહિતી સામે આવી નથી.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અંગે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત, 15 જેટલા ખાદ્ય એકમો પાસેથી સ્વચ્છતાનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા કુલ ₹71,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર, આરોગ્ય વિભાગના ડોક્ટર રાજેશ પટેલ અને તેમની ટીમે કરમસદ-આણંદ વિસ્તારના વિવિધ ખાદ્ય એકમોની આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસણી દરમિયાન, અનેક એકમોમાં સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન થતું ન હોવાનું અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉલ્લંઘનો બદલ વહીવટી ચાર્જ પેટે કુલ ₹71,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને, જય અંબે દાળવડા, જય જલારામ ખમણ હાઉસ, એ જે. ફૂડ જંક્શન, બોમ્બે સેન્ડવીચ, પટેલ સેન્ડવીચ, બ્રહ્માણી લાઈવ વેફર્સ, એવર ફ્રેશ સ્પેશિયલ, છાશ વાલા, હેપ્પી વાલી ફીલિંગ, ડોમિનોઝ પિઝા અને કચ્છી દાબેલી જેવા એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જેના બદલ કુલ ₹59,000 નો દંડ વસૂલ કરાયો. જ્યારે, પ્રકાશ મસાલા અને એવર ફ્રેશ બેકરી ખાતેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા, આ બે એકમો પાસેથી કુલ ₹12,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ખાદ્ય એકમો ખાતે તપાસણી ઝુંબેશ ચાલુ રહેશે. તેમણે તમામ ખાદ્ય એકમોને સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે.
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બોર્ડની પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જે એન્ડ આર બી.એડ કોલેજ, દાહોદ ખાતે યોજાઈ હતી. આ બેઠક ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનાર ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓમાં જરૂરી તકેદારી રાખવા બાબતે હતી. પરીક્ષા સંચાલન અંગેની માર્ગદર્શિકા (S.O.P.) મુજબ કેન્દ્ર સંચાલકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે કેન્દ્ર સંચાલકોને વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા સૂચના આપી હતી. તેમણે પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ પ્રશ્નો ઊભા ન થાય અને પાણી જેવી મૂળભૂત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. દાહોદ જિલ્લામાં SSC/HSCની પરીક્ષા કેન્દ્રો પર તકેદારી રાખવા માટે વર્ગ 1 અને વર્ગ 2ના 39 અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલ. દામાસાહેબ, શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ ભોકણ, પાંચ ઝોનના ઝોનલ અધિકારીઓ, SSC અને HSCની 213 પરીક્ષા બિલ્ડિંગના તમામ સ્થળ સંચાલકો તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા કર્મચારીઓની તબિયત લથડી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભોજનમાં ગરોળી હોય તેવા ફોટા વાયરલ થયા હતા. કંપનીમાં દોડધામ મચી ગઈઆ ઘટનાને પગલે કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીની કેન્ટીનમાં આપવામાં આવેલા ભોજનમાં ગરોળી જોવા મળતાં કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ભોજન લીધેલા 25 જેટલા કર્મચારીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારા કર્મચારીઓ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય આપવાની માંગ કરવામાં આવી રહી છે. કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માંગમળતી માહિતી મુજબ, કેન્ટીન સંચાલન અંગે પૂછપરછ કરતાં પ્લાન્ટ મેનેજર દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો આરોપ છે, જેના કારણે કર્મચારીઓમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની અને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ કંપનીમાં કુલ 25 કર્મચારીઓ અને 200 જેટલા યુપી બિહારના મજૂરો કામ કરે છે. જેમાં કેન્ટીનના ભોજનમાં ગરોળી નીકળતા 25 જેટલા મજૂરોને ઊલટીઓ થતાં તાત્કાલિક બેચરાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ‘તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે’આ અંગે સુરેન્દ્રનગર ફૂડ અને ડ્રગ્સ વિભાગના પિયુષ સાવલિયાનો સંપર્ક કરાતા એમણે જણાવ્યું કે, આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જયારે આ અંગે કંપનીના મેનેજર બી.કે.ઝાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું તેઓનો સંપર્ક થઇ શક્યો નહોતો. આ પણ વાંચો અમદાવાદની પ્રખ્યાત શિવશંકર PGમાં જીવાતવાળો ખોરાક, VIDEO અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલી શિવશંકર પીજી બોયઝ હોસ્ટેલમાં ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઇજેનિક ખાવાનું આપવામાં આવતું હોવા અંગેની ફરિયાદો મળી હતી. જમવાનું બનાવવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત મળી આવી હતી. સડેલા શાકભાજી અને અનહાઇજનિક કન્ડિશન રસોડામાં મળી આવી હતી. ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) ભોજનમાં ઈયળો નીકળવા મુદ્દે શિક્ષણમંત્રીએ સમાજ કલ્યાણ અધિકારીને ખખડાવ્યા 19 ડિસેમ્બરના રોજ દિવ્ય ભાસ્કરે સમરસ બોયઝ હોસ્ટેલના જમવામાં કીડા, મકોડા અને જીવાત, રબ્બર જેવી રોટલી અને પાણી જેવી છાશને કારણે 1000થી વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ત્યારે આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કુલપતિના નિવાસસ્થાને વિદ્યાર્થી આગેવાન અને કોંગ્રેસ પ્રવકતા રોહિત રાજપૂત તથા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી 14 ફેબ્રુઆરીના રોજ ગુમ થયેલી ચાર સગી બહેનોને ગઢડા પોલીસે ઉત્તર પ્રદેશના નોઈડાથી સુરક્ષિત શોધી કાઢી છે. ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની ત્વરિત કામગીરીને પગલે ચારેય દીકરીઓને પરત લાવી પરિવારને સોંપવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર ઘટના શું હતી?પ્રાપ્ત વિગતો અનુસાર, 14 ફેબ્રુઆરીના રોજ એક જ પરિવારની ચાર બહેનો રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારજનોએ સ્થાનિક સ્તરે શોધખોળ કર્યા બાદ કોઈ પતો ન લાગતા 15 ફેબ્રુઆરીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સથી લોકેશન મળ્યું તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસને જાણવા મળ્યું કે ચારેય બહેનો નોઈડામાં છે. આ માહિતી મળતા જ હેડ કોન્સ્ટેબલ નિતેશ ગઢવી, પ્રવીણ ચૌધરી, વિજય હરસોરા અને મહિલા કોન્સ્ટેબલ માયા રતનપરાની ટીમ તાત્કાલિક નોઈડા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ચારેય બહેનોને સુરક્ષિત રીતે કબજે કરી હતી. ભણવાની જીજ્ઞાસા બની ઘર છોડવાનું કારણપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પરિવારની બે નાની બહેનો આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ પિતાની નબળી આર્થિક સ્થિતિને કારણે તેઓ ભણી શકે તેમ નહોતી. આથી આર્થિક મજબૂરીને કારણે અભ્યાસ છૂટી ન જાય તેવા ડરથી ચારેય બહેનોએ ઘર છોડવાનો નિર્ણય લીધો હતો. તેઓ બોટાદથી અમદાવાદ, ત્યાંથી પુણે અને દિલ્હી થઈને નોઈડા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં ખુશીનો માહોલગઢડા પોલીસે ચારેય બહેનોને ગઢડા લાવી તેમના માતા-પિતાને સોંપી છે. ગુમ થયેલી દીકરીઓ હેમખેમ પરત મળતા પરિવારજનોએ પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ ખાતે આવેલો રાજકોટનો યુવક રોકાવા માટે રાત્રીના સમયે હોટલ શોધતો હતો, ત્યારે એક શખ્સે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે તેની પાસે જઇને રૂ. 10 માંગીને ચપ્પુ બતાવ્યું હતું. બાદમાં રિક્ષામાં અજાણ્યા ત્રણ શખ્સોએ આવ્યા હતાં અને યુવકનું અપહરણ કરીને રિક્ષામાં મોબાઇલ, અમેરિકન ડોલર સહિત કુલ રૂ. 40 હજારની મત્તા લૂંટીને કાંકરિયા તરફ અંધારામાં ઉતારીને નાસી ગયા હતાં. યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ઝોન-6 એલસીબીની ટીમે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે રૂ. 10 માંગીને ચપ્પુ બતાવ્યુંમળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા સિફતેનરઝા શોહરવદી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 9 ફ્રેબ્રુઆરીએ તે કંપનીના કામ અર્થે સિધ્ધપુર ગયો હતો. કામ પૂર્ણ કરીને તે સિધ્ધપુરથી એસટી બસમાં ગીતામંદિર આવ્યો હતો. જ્યારે રાત્રીના સમયે રાજકોટ જવા બસ ન મળતા ગીતામંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટેલમાં રોકવા ગયો પરંતુ રૂમ બરોબર ન હોવાથી તે ચાલતો ગીતા મંદિર બસ સ્ટેન્ડ ચાર રસ્તા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એક શખ્સ તેની પાસે આવ્યો હતો તેને રૂ. 10 માંગીને ચપ્પુ બતાવ્યું હતું. ત્રણ શખ્સો રિક્ષા લઈને આવ્યા ને યુવકનું અપહરણ કર્યુંજેનાથી યુવક ગભરાઇ ગયો હતો. આ દરમ્યાન એક રિક્ષા લઇને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યાં હતાં. બાદમાં ચારેય શખ્સોએ યુવકનું અપહરણ કરીને રિક્ષામાં બેસાડીને કાંકરિયા તરફ લઇ જઇને મોબાઇલ રોકડા રૂ. 15 હજાર અને 40 ડોલર તેમજ અન્ય સામાન થઇને કુલ રૂ. 40 હજારની મત્તા લૂંટીને યુવકને કાંકરિયા તળાવ પાસે અંધારામાં ઉતારીને નાસી ગયા હતા. 3 શખ્સો ઝડપાયા અને એક ફરારયુવકે પોતાની સાથે લૂંટ થઈ હોવા અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ઝોન-6 એલસીબીની ટીમે રિક્ષા નંબરના આધારે 24 કલાકમાં જ આનંદ વાઘેલા, વિપુલ મકવાણા, સમીર મકવાણાને ગણતરીના કલાકોમાં કાંકરિયા પાસેથી ઝડપી પાડીને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ફરાર એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
દાહોદ તાલુકાના બાવકા ગામના પ્રગતિશીલ ખેડૂત હિરાભાઈ ડામોર વર્ષ 2014થી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા છે. તેમણે આણંદ, અડાલજ, દેથલી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ખેતર પર 10 દિવસની તાલીમ લીધી હતી. આ ઉપરાંત, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી 15 દિવસની તાલીમમાં પણ તેમણે ભાગ લીધો હતો. આ તાલીમ બાદ તેમણે પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની શરૂઆત કરી. હિરાભાઈ ડામોર ઋતુ અનુસાર વિવિધ પાકોની પ્રાકૃતિક ખેતી કરે છે. હાલમાં શિયાળાની ઋતુમાં તેમણે ઘઉં, ચણા, મકાઈ જેવા અનાજનું વાવેતર કર્યું છે. શાકભાજીમાં પાલક, ડુંગળી, લસણ, ટામેટાં, ભીંડા, મરચાં, રીંગણ, ગવાર અને ચોળી સહિતના પાકો લીધા છે. આ ઉપરાંત, તેમણે સ્ટ્રોબેરીના 1,000 રોપાનું પણ વાવેતર કર્યું છે. અનાજ, શાકભાજી, ગુલાબના ફૂલો અને સ્ટ્રોબેરી સહિતના પાકોમાંથી તેમને વાર્ષિક 3 લાખથી વધુની આવક થાય છે. હિરાભાઈ ડામોર અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તેઓ આસપાસની ત્રણ ગ્રામ પંચાયતોના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓમાં મદદ કરી, તેમને જીવામૃત, ઘન-જીવામૃત અને બીજામૃત બનાવતા શીખવે છે. તેમનો ઉદ્દેશ્ય વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો છે. હિરાભાઈ ડામોરના મતે, રાસાયણિક ખાતર-દવા આધારિત ખેતી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વચ્ચે મોટો તફાવત છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીનો ખર્ચ ઘટે છે અને આવક બમણી થાય છે. આ પદ્ધતિથી જમીન વધુ ફળદ્રુપ બને છે, પિયતની જરૂરિયાત ઓછી થાય છે અને જમીનમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે. જેના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ વધુ થાય છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ, શાકભાજી અને ફળ-ફળાદી પૂરતા પ્રમાણમાં વિટામિન અને પ્રોટીન પૂરા પાડે છે, જે શરીરને રોગમુક્ત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.તેમણે દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે. હિરાભાઈના મતે, પરિવારને સ્વસ્થ અને રોગમુક્ત રાખવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમાં જ સૌની ભલાઈ છે.
આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને તેમના વચેટિયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ લાંચ વારસાઈ નોંધ મંજૂર કરવા માટે માંગવામાં આવી હતી, જેમાં તલાટીએ કુલ ₹1.20 લાખની માંગણી કરી હતી. બાકરોલ ગામના એક અરજદારની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈ નોંધ ના-મંજૂર થઈ હતી. આ નોંધ ફરીથી મંજૂર કરાવવા માટે અરજદારે આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપૂતનો સંપર્ક કર્યો હતો. તલાટી ગૌરવ રાજપૂતે આ કામ માટે ₹1,20,000ની લાંચ માંગી હતી. અરજદારે અગાઉ Google Pay દ્વારા ₹30,000 તલાટીને ચૂકવી દીધા હતા. ત્યારબાદ અપીલની પ્રક્રિયા શરૂ કરવા માટે તલાટીએ ફરીથી ₹10,000ની માંગણી કરી હતી, જ્યારે બાકીના ₹80,000 કામ પૂર્ણ થયા બાદ આપવાના નક્કી થયા હતા. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ ACB કચેરીનો સંપર્ક કર્યો હતો. ACB પી.આઈ. એમ.એલ. રાજપૂત અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. તલાટીએ લાંચની રકમ સ્વીકારવા માટે વચેટિયા બદરુદ્દીન શરફુભાઈ મલેકને મોકલ્યો હતો. જિલ્લા સેવા સદન બહાર આવેલી એક ચાની લારી પાસે જ્યારે વચેટિયો બદરુદ્દીન મલેક અરજદાર પાસેથી ₹10,000 સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ ACBની ટીમે તેને દબોચી લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપૂત (વર્ગ-3, આણંદ ગ્રામ્ય) અને વચેટિયો બદરુદ્દીન શરફુભાઈ મલેક (રહે. બોરીયાવી) નો સમાવેશ થાય છે. ACB એ બંને આરોપીઓ વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી BRTS બસ અચાનક બેકાબુ બની હતી અને રેલિંગ તોડી બસ BRTS ટ્રેક પરથી બહાર રોંગ સાઈડમાં રસ્તામાં આવી ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલ તરફથી આવી રૈયા ચોક તરફ જતા સમયે પુરપાટ ઝડપે અચાનક બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અંદાજિત 30 ફૂટ જેટલી BRTS ટ્રેકની રેલિંગ તોડી દીધી હતી અને બાજુમાં રસ્તા પરથી પસાર થતી અન્ય બે કારને અડફેટે લીધી હતી. બોલેરો અને સ્વિફ્ટને અડફેટે લીધીBRTS બસ( GJ.03.BY0847)ના ચાલક ધર્મેશભાઈ શીંગરાખિયાએ ચાલુ બસે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે એક મારુતિ સ્વીફ્ટ કાર (જીજે.23.સીડી.4692 )અને બોલેરો કાર નંબર (GJ.03.BZ.5811)ને અડફેટે લીધી હતી. જેમાં સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ટ્રાફિકજામ થતાં પોલીસ દોડી આવીઆ બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક બસ ચાલકની અટકાયત કરી ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી. આ ગંભીર દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. પરંતુ સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણ રીતે બસચાલકની બેદરકારી હોવાનું દેખાઈ રહ્યું છે. ગઈકાલે નેક્સન રેલિંગ તોડી BRTS ટ્રેકમાં ઘુસી ગઈ હતીઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ઓવરબ્રિજ નીચે રિલાયન્સ મોલની સામે એક નેક્સન કારના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાઈડ પણ BRTS રેલિંગ તોડી BRTS ટ્રેકમાં ઘુસી ગઈ હતી જેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ હુસેન સલીમભાઈ પઠાણ (ઉંમર આશરે 28-30 વર્ષ) પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ યુવકને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પૈસાની લેતી-દેતીના કારણે અજાણ્યા શખ્સો સાથે વિવાદમાં હતોપ્રાથમિક માહિતી અનુસાર હુસેન પઠાણ પૈસાની લેતી-દેતીના કારણે અજાણ્યા શખ્સો સાથે વિવાદમાં હતો. આ વિવાદને કારણે જ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેને ગંભીર રીતે ઘાયલ કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને શોધવાના પ્રયાસ શરુ કર્યાભાવનગર સિટી પોલીસે આ ઘટનાને ગંભીર ગુનો ગણીને તપાસ શરૂ કરી છે. હાલમાં હત્યાના આરોપે ગુનો નોંધવામાં આવ્યો છે અને હુમલાખોરોને ઝડપવા માટે ટીમો રચીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થળ પરથી મળેલા પુરાવા અને CCTV ફૂટેજની તપાસ પણ ચાલુ છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને નાકાબંધી કરીને આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો વેગવંતા કર્યા છે. આ ઘટનાએ દરબારી કોઠાર અને આસપાસના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં આતંકનો માહોલ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના ઉવારસદ ગામે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં પિતા અને તેમના બે માસૂમ બાળકો ચાલુ બાઈકે સીધા જ કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આ શંકાસ્પદ અકસ્માતમાં પિતાનો આબાદ બચાવ થયો છે, જ્યારે 10 અને 7 વર્ષના બંને બાળકો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સંતાનોની મંચુરિયન ખાવની નાનકડી જીદ પૂરી કરવા નીકળેલા પિતાની નજર સામે જ કાળજાના કટકા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી આજે 20 ફેબ્રુઆરીના મોટા પુત્રની લાશ કડી કરણનગર કેનાલમાંથી મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે. હસતો રમતો પરિવાર પળભરમાં વેરવિખેરનસીબ જ્યારે રૂઠે છે ત્યારે હસતો રમતો પરિવાર પળભરમાં વેરવિખેર થઈ જાય છે. આવો જ એક કંપારી છૂટી જાય તેવો કિસ્સો ગાંધીનગરના ઉવારસદ ગામે બન્યો છે. પિતાના ખભા પર બેસીને દુનિયા જોવાની ઉંમરે બે માસૂમ બાળકો શંકાસ્પદ અકસ્માતની ઘટનામાં કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બંને બાળકોને બાઈક પર બેસાડી પાંઉભાજી-મંચુરિયન લેવા નીકળ્યાગાંધીનગરના ઉવારસદ ગામમાં રહેતા રાજુભાઈ ઠાકોર GIDCમાં સોની કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમણે તાજેતરમાં જ પોતાનું બાઈક મોડીફાઈડ કરાવ્યું હતું, ત્યારે 18 ફેબ્રુઆરી બુધવારે રાજુભાઈ તેમના બે બાળક યશ (ઉ.વ. 10) અને મનદીપ (ઉ.વ. 7)ને બાઈક પર બેસાડી પાંઉભાજી અને મંચુરિયન લેવા માટે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હતા. બાળકોની ઇચ્છા પુરી કરવા એસજી હાઈવે તરફ નીકળ્યાઆગળ જતાં બાળકોએ બાઇક ઉપર લાંબો આંટો મરાવવા માટે કહ્યું હતું. આથી રાજુભાઈ બંને બાળકોની ઇચ્છા પુરી કરવા એસજી હાઈવે તરફ નીકળ્યા હતા. પરંતુ રાજુભાઈએ ટ્રાફિકના ડરથી સાવચેતીના ભાગરૂપે અંબાપુર કેનાલ તરફનો રસ્તો પસંદ કર્યો હતો. તેમને ક્યાં ખ્યાલ હતો કે, જે રસ્તો તેમણે બાળકોની સુરક્ષા સમજીને પસંદ કર્યો એ રસ્તો કાળનો મુખ બની જશે. કુતરું આડે આવતા ત્રણેય બાઈક સાથે કેનાલમાં ખાબક્યાઆ દરમિયાન અંબાપુર કેનાલના સર્વિસ રોડ પર બાઈકની ત્રણેય પિતા-પુત્રો લાંબી રાઈડની મજા માણી રહ્યા હતા, ત્યારે આગળ જતાં કેનાલના ખુલ્લા કટ પાસે અચાનક કુતરું આવી ગયું હતું. જેના લીધે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ત્રણેય બાઈક સાથે કેનાલમાં ખાબક્યા હતા. આ શંકાસ્પદ ઘટના ઘટતા રાજુભાઈ અને બંને બાળકો કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. પિતા પાણીમાં તણાતા 7 કિમી દૂર અડાલજ પહોંચ્યા અને જીવ બચ્યોજોકે, રાજુભાઈએ જેમ તેમ કરીને બચવા માટે પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાં આશરે છ સાત કિલોમીટર તણાતા તણાતા અડાલજ વોટર સાઇટ કેનાલ સુધી પહોંચ્યા હતા. જ્યાં કેનાલની વચ્ચે લગાવેલું દોરડું પકડીને રાજુભાઈએ પોતાનો જીવ બચાવી લીધો હતો. સિક્યોરિટીના મોભાઈલથી સમગ્ર ઘટના પોતાના ભાઈને કહીએ વખતે ત્યાં હાજર સિક્યોરિટી જવાનો આ દૃશ્ય જોઈ ગયા હતા. જેમણે રાજુભાઈની પૂછપરછ કરતા તેમણે બંને બાળકો પણ ડૂબી ગયા હોવાની કથની વર્ણવી હતી. બાદમાં સિક્યોરિટીના મોભાઈલથી રાજુભાઈએ સમગ્ર ઘટના પોતાના ભાઈને કહી હતી. આથી પરિવારજનો રાજુભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. ગુરૂવારે બહિયલ ગામના તરવૈયાઓ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશનઆ બનાવની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ પ્રજાપતિ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે બુધવાર રાતે જ પરિવારજનો સહિત ગ્રામજનો કેનાલ દોડી ગયા હતા. પરંતુ ગાઢ અંધારૂ હોવાથી બંને બાળકોને શોધવામાં અડચણો આવી હતી, ત્યારે રાજુભાઈએ બતાવેલી જગ્યા પર પોલીસે 19 ફેબ્રુઆરી ગુરૂવારે બહિયલ ગામના તરવૈયાઓની ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કડીની કરણનગર કેનાલમાંથી 10 વર્ષના યશનો મૃતદેહ મળ્યોતરવૈયાઓની ભારે જહેમત બાદ કેનાલમાંથી બાઈકને શોધી કાઢ્યું હતું, પરંતુ બંને બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. એવામાં આજે 20 ફેબ્રુઆરી શુક્રવારે કડીની કરણનગર કેનાલમાંથી 10 વર્ષીય યશ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 7 વર્ષના મનદીપ ઠાકોરનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પત્ની અને પિયર-સાસરી પક્ષના લોકોની પણ પૂછપરછ કરાઈઆ બનાવની તપાસ કરતા અડાલજ પોલીસ સ્ટેશનના ASI વિશાલભાઈ જયંતીલાલે જણાવ્યું હતું કે, રાજુભાઈ બંને બાળકોને બાઈક પર આંટો મરાવવા લઈને નીકળ્યા હતા. બાળકોને મંચુરિયન અને પાંઉભાજી ખાવું હોવાથી રાજુભાઈ બંને દીકરાને લઈ કેનાલ તરફ આવ્યા હતા. રસ્તામાં કુતરું આવી જતા રાજુભાઈ અને બંને બાળકો બાઈક સાથે કેનાલમાં ખાબક્યા હતા. આ મામલે તેમની પત્ની અને પિયર-સાસરી પક્ષના લોકોની પણ પૂછપરછ કરી છે, પરંતુ પતિ-પત્ની વચ્ચે કોઈ ખટરાગની વાત પણ હાલના તબક્કે સામે આવી નથી. આ દુર્ઘટના અંગે રાજુભાઈનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ એક કમનસીબ અકસ્માત હોવાનું જણાય છે. રાજુભાઈનું કડકાથી ઇન્ટ્રોગેશન કર્યું હતું: પીઆઇઆ અંગે અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ મામલે રાજુભાઈનું કડકાથી ઇન્ટ્રોગેશન કર્યું હતું અને આસપાસના પાડોશીઓનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલી નિલકંઠ ગુરુકુલમ ખાતે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા મેનેજમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરના સંકલ્પ સાથે આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમોના સવારના સત્રમાં 'પ્રેમયોગ ફાઉન્ડેશન'ના પ્રણેતા રણધીરજી દ્વારા ગુરુકુલમના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને 'સહજ ધ્યાન-મહાધ્યાન' કરાવવામાં આવ્યું હતું. કુદરતી અને શાંત વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમથી સૌએ માનસિક શાંતિનો અનુભવ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં દિવ્યતા અને પવિત્રતાના સંસ્કાર સિંચાય તેવા ઉમદા હેતુથી 'જ્ઞાનજ્યોત મહાયજ્ઞ' યોજાયો હતો. ગુરુકુલમના તમામ વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની પૂજા-અર્ચના કરી હતી. ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્ય યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી. આ ધાર્મિક વિધિ ગુરુકુલમના નવનિર્મિત ભવનમાં સંપન્ન થઈ હતી. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને વાચા આપવા માટે વાર્ષિકોત્સવ 'શિવોહમ્' અંતર્ગત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વીતા હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતો-મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો, શિક્ષણવિદો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના નવા ટ્રસ્ટીઓ ભરતસિંહ મોરી, બળદેવસિંહ ચુડાસમા, વિપુલસિંહ પરમાર અને યશપાલસિંહ વનાર દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવી કે નિલકંઠ ગુરુકુલમ હવે નવીન અભિગમ સાથે આધુનિક શિક્ષણ, સંસ્કાર અને શિસ્તના મૂલ્યોનું જતન કરવા કટિબદ્ધ છે.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધર્મેન્દ્રભાઈ કનાલા અને દિલીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રૈવતસિંહ પી. સરવૈયા સહિત નિલકંઠ ગુરુકુલમ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
સુરત શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવાની દિશામાં મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશથી આજે વહેલી સવારથી જ મનપાનું તંત્ર એક્શનમાં જોવા મળ્યું હતું. શહેરના પાલનપુર કેનાલ રોડ પર મનપાએ ‘લાલ આંખ’ કરી રસ્તા પરના દબાણો અને ગંદકી સામે મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હેલ્થ અને એન્જિનિયરિંગ ટીમ મેદાનેડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થના સીધા માર્ગદર્શન હેઠળ આ આખી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી ડો. રિકીતા જે. પટેલની દેખરેખ નીચે કરવામાં આવી હતી. વહેલી સવારે સામાન્ય રીતે અવરજવર ઓછી હોય ત્યારે મનપાની હેલ્થ અને એન્જિનિયરિંગ વિભાગની ટીમો કાફલા સાથે પાલનપુર કેનાલ રોડ પર ત્રાટકી હતી. મનપાની ટીમે આજે સપાટો બોલાવી તમામ ગેરકાયદે લારીઓ જપ્ત કરી હતીપાલનપુર કેનાલ રોડ પર છેલ્લા લાંબા સમયથી ફૂટપાથ અને રોડની સાઈડમાં ગેરકાયદસર લારીઓ અને પાથરણાવાળાઓનો જમાવડો રહેતો હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. મનપાની ટીમે આજે સપાટો બોલાવી તમામ ગેરકાયદે લારીઓ જપ્ત કરી હતી. રસ્તા પરના દબાણોને દૂર કરીને આખો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. 4 અલગ-અલગ ટીમો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાઈઆ કામગીરી દરમિયાન આખા વિસ્તારને સ્વચ્છ કરવા માટે મનપાએ વિશેષ ભાર મૂક્યો હતો. સફાઈ કામદારોની 4 અલગ-અલગ ટીમો દ્વારા કેનાલ રોડની બંને બાજુએ સફાઈ કરવામાં આવી હતી. વર્ષોથી જમા થયેલો કચરો અને ધૂળ દૂર કરવામાં આવી હતી. આ સાથે એન્જિનિયરિંગ વિભાગની ટીમ દ્વારા રસ્તા પર નડતરરૂપ ઝાડની ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું હતું, જેથી વાહનચાલકોની વિઝિબિલિટી વધે અને જે જગ્યાએ ફૂટપાથ તૂટી ગયા હતા અથવા બ્લોક નીકળી ગયા હતા, ત્યાં તાત્કાલિક રીપેરીંગની કામગીરી પણ હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, જો ફરીથી રસ્તા પર દબાણ કરવામાં આવશે આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર પાલનપુર વિસ્તારમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી.
માર્ચથી મે-2026 વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી થવાની છે. આસામ, પશ્ચિમ બંગાળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને કેરાલા. આમાંથી આસામમાં ભાજપની સરકાર છે. પુડ્ડુચેરીમાં ભાજપની ગઠબંધન સરકાર છે. બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર નથી. બંગાળમાં મમતાની TMCનો દબદબો છે તો કેરાલામાં લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટ (LDF)ની સરકાર છે. તમિલનાડુમાં DMKનું રાજ છે. આ પાંચમાંથી આપણે ત્રણ રાજ્યોની વાત કરવાની છે. આસામ, પશ્ચિમ બંગાળ અને કેરાલા. આ જ ત્રણ રાજ્યોની ચર્ચા એટલા માટે, કારણ કે અહિયા મુસ્લિમ મતદારોનો દબદબો છે અને એટલે જ ભાજપ માટે પડકાર છે. ત્રણ રાજ્યોમાં આવનારી ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારો કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે, આજે એની વાત... નમસ્કાર, દેશમાં ભલે મુસ્લિમ વસ્તી 14 થી 15 ટકા છે પણ આસામ, પશ્ચિમ બંગાળ અને કેરાલામાં વસ્તીના 27થી 35 ટકા મુસલમાન મતદારો છે. ત્રણેય રાજ્યોમાં મુસ્લિમ રાજનીતિને મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મુસ્લિમ મતદારો પર આધાર રાખનારી પાર્ટીઓનું આ વખતે શું થશે એના પર પણ નજર રહેશે. જમ્મુ અને કાશ્મીર પછી આસામ, પશ્ચિમ બંગાળ અને કેરાલામાં સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. કેરાલામાં 27 ટકા, બંગાળમાં 30 ટકા અને આસામમાં લગભગ 35 ટકા મુસ્લિમ મતદારો છે. મુસ્લિમ મતોનો પોલિટિકલ પાવર અને મહત્વને જોતાં કેરાલામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ, આસામમાં મૌલાના બદરુદ્દીન અજમલની AIUDF અને બંગાળમાં અબ્બાસ સિદ્દીકીની ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને હુમાયુ કબીરની જનતા ઉન્નયન પાર્ટી. આ બધા જ ચૂંટણી મેદાનમાં સંપૂર્ણ તાકાતથી ઉતરી રહ્યા છે. આ પક્ષોનો રાજકીય આધાર માત્ર ને માત્ર મુસ્લિમ વોટર્સ છે. આપણે ત્રણેય રાજ્યોનું ચિત્ર જોઈએ. આસામ: ચૂંટણી પહેલાં ત્રિભેટે રાજનીતિ આસામ વિધાનસભાની 126 સીટ છે. તેમાંથી 32 બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. 2021માં 31 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા. પરંતુ સીમાંકનથી મુસ્લિમ સીટોની ગેમ બદલાઈ ગઈ છે. મુસ્લિમ મતદારો હવે 32 ની જગ્યાએ ફક્ત 22 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કોંગ્રેસ અને સ્થાનિક મુસ્લિમ નેતા બદરુદ્દીન અજમલ બંને મુસ્લિમ વોટ બેંક પર નજર રાખી રહ્યા છે. બદરુદ્દીન અજમલની તાકાત છે મુસ્લિમ મતદારો. 2021માં બદરુદ્દીન અજમલ અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી પણ આ વખતે બંને અલગથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે મુસ્લિમ મતદારોની પહેલી પસંદ કોણ બનશે તે મોટો સવાલ છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો કહે છે કે મૌલાના બદરુદ્દીન અજમલથી મુસ્લિમોનો મોહભંગ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની સીધી લડાઈમાં મુસ્લિમ મતદારો કયો પક્ષ લેશે તે નિર્ણાયક બની રહેશે. મૌલાના બદરુદ્દીન અજમલ કોંગ્રેસની બાજી બગાડી શકે હેમંતા બિસવા સરમાની વાત કરીએ તે પહેલાં એ જાણી લો કે બદરૂદ્દીન અજમલ કોણ છે. મૌલાના બદરુદ્દીન અજમલ આસામના સ્થાનિક નેતા છે. 2005માં ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ની રચના કરી. અજમલે મુસ્લિમ લઘુમતીઓ, ખાસ કરીને આસામી ભાષી અને બંગાળી મૂળના મુસ્લિમોના અધિકારોના હિમાયતી તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2009 થી 2024 સુધી ધુબરીના સાંસદ રહ્યા. 2006ની વિધાનસભા ચૂંટણીમાં AIUDFના 10 ધારાસભ્યો જીત્યા હતા, જે 2011માં વધીને 18 થયા હતા. 2016માં તેણે 13 બેઠકો જીતી હતી. 2021માં 16 બેઠકો જીતી હતી. આમ, દર વર્ષે AIUDFનું જોર વધ્યું છે અને પાર્ટી મજબૂત બની છે. જો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં બદરુદ્દીન અજમલની રાજકીય કારકિર્દીને મોટો ઝટકો લાગ્યો જ્યારે તે પોતાની જ સીટ પરથી હારી ગયા. મુસ્લિમ વોટ પર કોંગ્રેસ ફરીથી પોતાનો કબજો જમાવી રહી હોય તેવું લાગે છે, જેના કારણે 2026ની ચૂંટણી અજમલ માટે મહત્વપૂર્ણ બની રહેશે. હિમંતાના નિવેદનો ભાજપને ભારે પડી શકે હવે વાત હિમંતા બિસવા સરમાની. હિમંતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ને અત્યારે આસામના મુખ્યમંત્રી છે. હિમંતા બહુ ટૂંકા ગાળામાં બે મોટા વિવાદમાં આવી ગયા. પહેલો વિવાદ એક વીડિયોના કારણે થયો. જેમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા મુસલમાનો પર બંદૂક તાંકતા દેખાય છે અને તેના કેપ્શનમાં લખ્યું છે. પોઈન્ટ બ્લેન્ક શોટ... આનો વિવાદ થયો એટલે પોસ્ટ ડિલિટ કરી નાખી. મુસલમાનોનો આરોપ છે કે હિમંતા નફરત ફેલાવે છે, વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કરે છે તો તેની સામે ભાજપ સરકાર પગલાં કેમ નથી લેતી? આ જ વિવાદમાં AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરમા સામે હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. હિમંતાએ જ્યારે વીડિયો પોસ્ટ કર્યો ત્યારે કોંગ્રેસે આક્રમક વલણ અપવાનીને ટ્વિટ કર્યું કે, આ વીડિયો ડિલિટ કરી નાખવામાં આવ્યો છે. આ તાકાત નથી પણ ડર છે. RJDના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે જ્યારે મોદી મલેશિયામાં અનવર ઈબ્રાહિમને ભેટતા હતા ત્યારે તેની જ પાર્ટીના મુખ્યમંત્રી મુસ્લિમો પર બંદૂક તાંકતા હતા. હિમંતાનો બીજો વિવાદ મુસ્લિમો પ્રત્યેના નિવેદનના કારણે થયો. હિમંતા બિસવા સરમાએ મીડિયાને બાઈટ આપતાં આપતાં આસામના લોકોને અપિલ કરી કે તે 'મિયાં મુસ્લિમ' સમુદાયને પરેશાન કરે. જો એ લોકો રિક્ષાનું ભાડું 5 રૂપિયા માગે તો 4 રૂપિયા આપો. મુસ્લિમોને પરેશાન કરવા માટે જો મારે રાત્રે 12 વાગ્યે પણ જવું પડે તો પણ વાંધો નથી. આનો વિવાદ થયો ત્યારે હિમંતા સરમાએ ટ્વિટ કરીને ચોખવટ કરી કે મિયાં શબ્દનો ઉપયોગ ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ માટે થાય છે. આસામની ચૂંટણી પહેલાં મિયાં મુદ્દો ગરમાયો છે. આ નિવેદન બાદ જમિયત ઉલેમા-એ-હિન્દે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં એવું જણાવાયું છે કે હિમંતા બિસવા સરમા જાહેરમાં અપિલ કરીને કહે છે કે મુસ્લિમોને પરેશાન કરો. આની સામે સુપ્રીમ કોર્ટ એક્શન લે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીને કહી દીધું કે સીધા સુપ્રીમ પાસે ન આવો. પહેલાં પોલીસ પાસે જાવ. ભૂપેન બોરાના રાજીનામાથી રાજકારણ ગરમાયું આસામ ચૂંટણી પહેલાં ભૂપેન બોરા ચર્ચામાં છે. ભૂપેન બોરા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તે આસામ કોંગ્રેસના અધ્યક્ષ હતા. અત્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર કમિટિના અધ્યક્ષ છે. તેમણે 16 ફેબ્રુઆરીએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી દીધું. હાઈકમાન્ડે તેમને મનાવવા પ્રયાસો કર્યો પણ તે માન્યા નહિ. તેમણે રાજીનામું આપ્યું તો કોંગ્રેસને આંચકો લાગ્યો. રાહુલે ભૂપેન બોરાને ફોન કર્યો ને મનાવવા પ્રયાસ કર્યા. તેમણે ગૌરવ ગોગોઈ સહિત કોંગ્રેસના નેતાઓને આસામ મોકલ્યા કે બોરાને મનાવો. આ વાતની ખબર હેમંતાને પડી તો તેમણે ભૂપેન બોરાને સેઈફ સીટની ઓફર કરી દીધી. હેમંતાએ કહ્યું કે કોંગ્રેસમાં આસામમાં છેલ્લા હિન્દુ નેતા છે. એટલે મેં તેમને ભાજપમાં જોડાવા ઓફર કરી છે. લગભગ 22 ફેબ્રુઆરીએ ભૂપેન બોરા ભાજપમાં જોડાઈ જશે. જોકે 17 ફેબ્રુઆરીએ ભૂપેન બોરાએ રાજીનામું પાછું ખેંચી લીધું છે, તેનાથી કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો છે. ભૂપેન બોરાએ મીડિયા સામે કહ્યું કે હું કોંગ્રેસમાં જવા તૈયાર છું પણ કોંગ્રેસ-Rમાં જવા તૈયાર નથી. અહીં Rનો મતલબ રકીબુલ હસન ગણી શકાય. કારણ કે આસામ કોંગ્રેસના પ્રમુખ ભલે ગૌરવ ગોગોઈ હોય પણ રકીબુલ હસન કહે એટલું જ કોંગ્રેસમાં થાય છે. ધુબરીના સાંસદ રકીબુલ હસને બદરૂદ્દીન અજમલને 10 લાખ વોટથી હરાવ્યા હતા. બોરાનો આરોપ છે કે આસામની કોંગ્રેસ બાંગ્લાદેશી મુસલમાનોને લઈને સોફ્ટ છે જે મને પસંદ નથી. પશ્ચિમ બંગાળ : ભાજપનો લિટમસ ટેસ્ટ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 296 સીટ છે. આ રાજ્યમાં મુસ્લિમ મતદારો 30 ટકા છે. રાજ્યની 120 બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. મુસ્લિમ મતોની રાજકીય શક્તિને ઓળખીને પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ પહેલીવાર ભારતીય સેક્યુલર મોરચા નામના પક્ષની રચના કરી. આ વખતે TMCમાંથી અલગ પડેલા મુસ્લિમ આગેવાન હુમાયુ કબીરે બાબરના નામે મુર્શિદાબાદમાં મસ્જિદ બનાવવાની જાહેરાત કરીને મુસ્લિમ રાજકારણનો ચહેરો બનવાનો પ્રયાસ કર્યો છે. હુમાયુ કબીરે પોતાનો રાજકીય પક્ષ જનતા ઉન્નયન પાર્ટી પણ બનાવી છે. બાબરીના નામે હુમાયુ કબીર તરી જશે? 2026ની બંગાળની ચૂંટણીઓ અબ્બાસ સિદ્દીકી અને હુમાયુ કબીર માટે રાજકીય કસોટી હશે. હુમાયુ કબીર બંગાળમાં મુસ્લિમ રાજકારણનો ચહેરો બનવા માટે બાબરી મસ્જિદ મુદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે. પણ જોવાનું એ રહે છે કે દર વખતની જેમ મુસ્લિમ મતદારો મમતાની સાથે રહેશે કે હુમાયુ તરફ જશે. હૂમાયુ કબીરે બંગાળના મુર્શીદાબાદમાં બાબરી મસ્જિદનું નિર્માણ શરૂ કરી દીધું. 11 ફેબ્રુઆરીએ બાબરી મસ્જિદની પહેલી ઈંટ મૂકી, 12 ફેબ્રુઆરીએ બાબરી યાત્રા કાઢી, 13 ફેબ્રુઆરીએ હજારો સમર્થકો સાથે જૂમાની નમાઝ અદા કરી. હૂમાયુ કબીર માત્ર બાબરી મસ્જિદ બનાવવા નથી માગતા, તે બાબરીને સતત ન્યૂઝમાં રાખવા માગે છે. હવે હૂમાયુ કબીર મમતાને ચેલેન્જ કરવા ગઠબંધન બનાવી રહ્યા છે. તે અસદુદ્દીનની AIMIM, SDPI, આઝાદ સમાજ પાર્ટી, જાતીય નાગરિક પાર્ટી અને CPM જેવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે. બંગાળમાં મમતાની ગાદી કોઈ છીનવી શક્યું નથી બંગાળમાં યાવદચંદ્ર દિવાકરોની જેમ મમતા બેનર્જી જ મુખ્યમંત્રી રહ્યાં છે ને આગળ પણ એ જ રહેશે, એવું કહી શકાય. કારણ કે બંગાળના હિન્દુ હોય, મુસ્લિમ હોય કે કોઈપણ હોય. પશ્ચિમ બંગાળના લોકો કાયમ મમતા દીદીની પડખે રહ્યા છે. બંગાળના લોકો તો સ્પષ્ટ કહે છે કે અમારે વિકાસ નથી જોઈતો, અમારે દીદી જોઈએ છે. એનું સૌથી મોટું કારણ છે કે મમતા બેનર્જી માત્ર ને માત્ર બંગાળીઓ માટે કામ કરે છે. બંગાળીઓ પર સમસ્યા આવે તો ઢાલ બનીને ઊભાં રહે છે. વિધાનસભાની ગયા વખતની ચૂંટણીનું જ પરિણામ જોઈ લો. 2021ની વિધાનસભા ચૂંટણીમાં બંગાળના મુસ્લિમોએ TMCને 86 ટકા મતદાન કર્યું હતું. આના પરિણામે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો મુસ્લિમ બહુમતી મતવિસ્તારોમાંથી સફાયો થઈ ગયો. તેમનાં ખાતા પણ ખુલ્યા નહીં. મમતા બેનર્જી ખુલ્લેઆમ મુસ્લિમોની પડખે ઊભા છે. SIRમાંથી ઘણા મુસ્લિમ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા, તેવા આક્ષેપ સાથે મમતા દીદી 4 ફેબ્રુઆરીએ સીધા સુપ્રીમ પહોંચ્યા ને દલીલ કરી. આ વાત મુસ્લિમ મતદારોને સ્પર્શી ગઈ. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે કોઈ રાજ્યના સિટિંગ CMએ કોર્ટમાં હાજર રહીને દલીલો કરી હોય. 18 ફેબ્રુઆરીએ મમતા બેનર્જીએ મીડિયા સાથે વાતચીતમાં એવો આરોપ મૂક્યો કે, બંગાળમાં સારી ને સાચી કામગીરી કરનારા 8 કર્મચારીઓને ઈલેક્શન કમિશને તગેડી મૂક્યા છે. જે કર્મચારીઓને ECએ ડિમોટ કર્યા, તેને અમે પ્રમોટ કરીશું. મમતા દીદીએ એવો પણ આરોપ લગાવ્યો કે બંગાળમાં ભાજપના IT સેલની એક મહિલા કર્મચારીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને બંગાળમાં 58 લાખ મતદારોના નામ હટાવી દીધા છે. મમતા બેનર્જી ખુલ્લેઆમ ભાજપ સામે નહોર ભરાવે છે. બંગાળના લોકોને વિશ્વાસ છે કે મમતા દીદી સત્તામાં છે ત્યાં સુધી અમે સુરક્ષિત છીએ. બંગાળીઓના મનમાં છપાઈ ગયેલી આ વાત કઢાવવામાં ભાજપ કેટલો સફળ થાય છે તે જોવાનું રહ્યું. કેરાલા : ભાજપ માટે આશાનું કિરણ સૂર્ય પ્રકાશ લાવશે? કેરાલામાં વિધાનસભાની 140 સીટ છે. અત્યાર સુધી ભાજપનો ગજ વાગ્યો નથી. પણ હમણાં ભાજપ માટે આશાનું કિરણ નીકળ્યું છે. ગયા મહિને જાન્યુઆરી 2026માં ત્રિવેન્દ્રમમાં મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓ હતી. તેમાં પહેલીવાર ભાજપને બહુમતી મળી. ત્રિવેન્દ્રમના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે 45 વર્ષ પછી લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટના બદલે ભાજપના મેયર મળ્યા. ત્રિવેન્દ્રમ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 50 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા. આ આંકડો ભાજપમાં આશાનો સંચાર કરનારો છે. જીતેલા આ 50 કાઉન્સીલરોને વડાપ્રધાને દિલ્હી બોલાવ્યા. તમામને મળ્યા ને સાથે ડીનર લીધું. કોર્પોરેટરોને વડાપ્રધાન મળે તે નાની વાત નથી. 50 ધારાસભ્યો માટે દિલ્હી સુધીની સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે રાજ્યમાં સંઘના પ્રચારકોને મારવામાં આવ્યા હોય, ત્યાંના લોકો કેસરી ખેસ પહેરીને દિલ્હી પહોંચ્યા. કેરાલામાં મુસ્લિમ મતદારો જ સરકાર નક્કી કરે છે દક્ષિણ ભારતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી કેરાલામાં છે.અહિ મુસ્લિમ વસ્તી 27 ટકા છે એટલે 80 લાખથી વધારે. મલપ્પુરમ, કોઝિકોડ અને કન્નુર જિલ્લામાં મુસ્લિમ મતદારોનો દબદબો છે. કેરાલાનો મુસ્લિમ સમુદાય ભણેલો-ગણેલો છે. સારી સારી ડિગ્રીઓ ધરાવે છે. રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં સક્રિય ભાગીદારી માટે જાણીતો છે. કેરાલામાં મુસ્લિમ રાજકારણ સ્થાનિક પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) આસપાસ કેન્દ્રિત છે, તેની પક્કડ ઠીકઠાક છે. આ મુસ્લિમ લીગ કોંગ્રેસની આગેવાની હેઠળના પક્ષ UDF સાથે જોડાણ કરીને કેરાલામાં ચૂંટણી લડે છે. તે મુસ્લિમો મતદારોમાં મજબૂત પાર્ટી તરીકે ઊભરી આવી છે. 1962થી તેના દરેક લોકસભામાં ઓછામાં ઓછા બે સાંસદ રહ્યા છે અને તે સતત દરેક વિધાનસભા ચૂંટણી જીતી છે. કેરાલા વિધાનસભાની 140 બેઠકોમાંથી 32 મુસ્લિમ ધારાસભ્યો છે. આમાંથી 15 ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), નવ ડાબેરી પક્ષો, ત્રણ કોંગ્રેસના, ત્રણ અપક્ષ અને એક-એક ઇન્ડિયન નેશનલ લીગ અને નેશનલ સેક્યુલર કોન્ફરન્સના છે. કેરાલામાં કુલ 43 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો રાજકીય સમીકરણો બદલી શકે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ કેરાલાના મુસ્લિમોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કોંગ્રેસ સાથેના જોડાણના કારણે મુસ્લિમ મતો વિભાજિત થતા નથી. કેરાલામાં મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો મલપ્પુરમ હંમેશા IUMLનો ગઢ રહ્યો છે. પરિણામે કેરાલામાં મુસ્લિમ લીગનો પોતાનો રાજકીય પ્રભાવ છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહે છે કે 2026ની ચૂંટણીમાં મુસ્લિમોની પહેલી પસંદગી કોણ બને છે? કારણ કે ત્રિવેન્દ્રમમાં ભાજપની જીત થોડીઘણી અસર કરી શકે. કેરાલામાં ડાબેરી અને ભાજપની વોટબેન્ક હિન્દુ છે અને કોંગ્રેસની વોટબેન્ક મુસ્લિમ છે. જો મુસ્લિમ મતદાન વધે તો કોંગ્રેસની સરકાર આવે તેવું પણ બને. મણિશંકર અય્યરે બળતાંમાં ઘી હોમ્યું કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર બોલવામાં બેફામ છે. તેમણે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં એવું કહ્યું કે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર એન્ટી-પાકિસ્તાન છે. તેઓ આગામી વિદેશ મંત્રી બનવા માંગે છે. કેરાલા વિધાનસભા ચૂંટણીને લઈને અય્યરે કહ્યું- હું ઈચ્છું છું કે કોંગ્રેસ જીતે પણ મને નથી લાગતું કે તે જીતશે. કોંગ્રેસ નેતાઓ અંદરોઅંદર વહેંચાયેલા છે. તેઓ કમ્યુનિસ્ટો કરતાં એકબીજાને વધુ નફરત કરે છે. કેરાલાના ત્રિવેન્દ્રમની સીટ પરથી શશી થરૂર સાંસદ છે. આ એ જ ત્રિવેન્દ્રમ છે જ્યાં પાલિકા ચૂંટણીઓમાં ભાજપની જીત થઈ. ઓપરેશન સિંદૂર પછી વિદેશોમાં જે ડેલિગેશન ગયા તેમાં અમેરિકાના ડેલિગેશનના હેડ તરીકે શશી થરૂર હતા. ત્યારથી એવી અટકળોએ જોર પકડ્યું હતું કે થરૂર ભાજપમાં જોડાશે. ડિસેમ્બર 2025માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવ્યા ત્યારે મોદી સરકારે પુતિન સાથે ડીનર ગાઠવ્યું હતું. તેમાં વિપક્ષી નેતાઓને આમંત્રણ નહોતું પણ થરૂરને હતું. ત્યારે પણ એવી ચર્ચા થઈ હતી કે થરૂર ભાજપમાં જોડાઈ જશે. જોકે થરૂર કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં મારી કદર નહિ થાય તો વિચારીશ. બાકી અત્યારે ભાજપમાં જાડાવાનો વિચાર નથી. પણ એક વાત તો નક્કી છે કે જે રીતે મણિશંકર અય્યરે બોમ્બ ફોડ્યો છે કે થરૂર વિદેશમંત્રી બનવા માગે છે, તે જોતાં એવું લાગે છે કેરાલા વિધાનસભાની ચૂંટણી પહેલાં કાંઈક તો નવાજૂની થશે. છેલ્લે, ચૂંટણીઓ નજીક આવે ત્યારે હેટ સ્પીચનો વિવાદ છાપરે ચડીને પોકારે. સેન્ટર ફોર સ્ટડી ઓફ ઓર્ગેનાઈઝ્ડ હેટ સ્પીચના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં 2025માં 1318 જેટલી હેટ સ્પીચની ઘટનાઓ બની. એ હિસાબે રોજના 4 નફરતી ભાષણો થયા. આ 1318 હેટ સ્પીચોમાં સૌથી વધારે હેટ સ્પીચ 1156 સ્પીચ મુસ્લિમ વિરોધી હતી. 29 સ્પીચ ક્રિશ્ચિયન વિરોધી હતી. 133 સ્પીચ એવી હતી જેમાં બંનેનો ઉલ્લેખ હોય. હેટ સ્પીચની ઘટનાઓમાંની 88% ઘટના એવા રાજ્યોમાં બની જ્યાં ભાજપ કે તેની સહયોગી પાર્ટીઓનું શાસન છે. આનો અર્થ એવો થયો કે 2026માં હેટ સ્પીચની ઘટનાઓ વધી શકે છે ને એ આપણા લોકતંત્ર માટે, સમાજ માટે સારું નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી રજનીકાંત આચાર્યએ 'એચ.એ. કોલેજના મારા સંસ્મરણો' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. કોલેજની સ્થાપના 1956માં થઈ હતી, જે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા શહેરની કોમર્સ કોલેજ હતી. 1956 થી 1960 સુધીના કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે, રજનીકાંત આચાર્યએ તેમના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે 1956ના પ્રથમ વર્ષમાં માત્ર 60 વિદ્યાર્થીઓ હતા, જેમાં એકમાત્ર વિદ્યાર્થીની હતી. તે સમયે સાયકલ લઈને કોલેજ આવવું એ લક્ઝરી ગણાતું હતું. વિદ્યાર્થીઓ અધ્યાપકો અને આચાર્યથી સન્માનપૂર્વક અંતર રાખીને અભ્યાસ કરતા હતા.આચાર્યએ વધુમાં ઉમેર્યું કે કોલેજ તેમના માટે આકર્ષણનું કેન્દ્ર હતું. અધ્યાપકોની વિદ્વત્તા અને જ્ઞાનથી વિદ્યાર્થીઓ અભિભૂત થઈ જતા હતા. સમગ્ર કોલેજનું વાતાવરણ શિસ્ત અને સંસ્કારથી ભરપૂર હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે એચ.એ. કોલેજની ભવ્ય પરંપરા, સંસ્કૃતિ અને ઇતિહાસે સમાજને આદર્શ નાગરિકો આપ્યા છે. આ કોલેજમાંથી ભણી ગયેલા વિદ્યાર્થીઓએ સરકારી અધિકારીઓ, બેંકના અધિકારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વકીલો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવાઓ આપી છે.
અમદાવાદના નારણપુરા સ્થિત સુમન વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ, વાંચન પ્રત્યે રસ અને સાહિત્ય પ્રત્યે આદરની ભાવના વિકસાવવાનો હતો. પુસ્તક પ્રદર્શનમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખકોના ગ્રંથો, બાળસાહિત્ય, જીવનચરિત્રો, પ્રેરણાત્મક પુસ્તકો, લોકસાહિત્ય, કાવ્યો, વાર્તાસંગ્રહો અને જ્ઞાનવર્ધક પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું અને પુસ્તકો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. શાળા પરિસરમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવના છલકાઈ રહી હતી.કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના મહામંત્રી અલ્કેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રજ્વલન કરીને પુસ્તક પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. પોતાના વક્તવ્યમાં શ્રી અલ્કેશ પટેલે માતૃભાષાનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, વ્યક્તિના વિચાર, સંસ્કાર અને વ્યક્તિત્વના ઘડતરમાં માતૃભાષાનો અમૂલ્ય ફાળો છે. માતૃભાષા વ્યક્તિને તેની સંસ્કૃતિ અને પરંપરાથી જોડે છે, તેથી દરેકે પોતાની ભાષા પ્રત્યે ગૌરવ અનુભવવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાંચન એ જ્ઞાનનો ભંડાર છે અને પુસ્તક માનવનો સાચો મિત્ર છે. શાળામાં આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક વલણ, સર્જનાત્મકતા અને ભાષાકૌશલ્યનો વિકાસ થાય છે. શિક્ષકમંડળે પણ વિદ્યાર્થીઓને વાંચનની ટેવ વિકસાવવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કવિઓ અને લેખકોના ઉપનામના ધ્વજ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમના ફોટાના સ્કેચ પણ પ્રદર્શિત કરાયા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉર્જાસભર અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને આયોજનબદ્ધ રીતે સંપન્ન થયો હતો. વિશ્વ માતૃભાષા દિનની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાની ભાષા પ્રત્યે નવી જાગૃતિ અને ગર્વની ભાવના વિકસે તેવો સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો.
અરબી સમુદ્રની અનંત તરંગો રોજ વેરાવળના કિનારે આવીને અથડાય છે, પરંતુ આ તરંગો સાથે જોડાયેલા અનેક પરિવારોના સપના વર્ષોથી કિનારે જ અટવાઈ ગયા છે. રોજી-રોટી માટે દરિયામાં ઉતરેલા 198 જેટલા ભારતીય, ખાસ કરીને ગુજરાતના માછીમારો, છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલોમાં કેદ હોવાનું જણાવાતા વેરાવળ અને આસપાસના માછીમાર વિસ્તારોમાં વ્યથા અને વેદનાનો માહોલ વ્યાપ્યો છે. વેરાવળ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન માછીમાર પરિવારની મહિલાઓએ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહ સમક્ષ અશ્રુભીની આંખે કરુણ રજુઆત કરી. પતિના ફોટા હાથમાં પકડી રડતી મહિલાઓએ કહ્યું કે, “અમારા બાળકો પિતાને ઓળખતા નથી… પાંચ વર્ષથી તેઓ જેલમાં છે.” કોઈ માતાએ દીકરાના નામે દુહાઈ આપી, તો કોઈએ પતિની રાહ જોતા જીવનના સંઘર્ષની વ્યથા વ્યક્ત કરી. તૂટેલા ઘરો અને અધૂરી રાહઆ પરિવારો માટે સમય જાણે સ્થગિત થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. પાંચ વર્ષનો સમય માત્ર એક અવધિ નહીં પરંતુ પાંચ દીવાળી, પાંચ ઈદ, અનેક તહેવારો અને જન્મદિવસોની ખાલી રાહ બની ગયો છે. ઘરમાં ખાલી ખુરશી સામે દીવો બળે છે અને દરિયાની દિશામાં નજર રાખતી આંખો હજુ આશાની જ્યોત જીવંત રાખે છે. માછીમારોની ગેરહાજરીએ પરિવારોને આર્થિક અને માનસિક રીતે ખોખલા બનાવી દીધા છે. ઘણા ઘરોમાં મહિલાઓ મજૂરી, વણકામ કે ઉધાર લઈને ઘર ચલાવે છે અને બાળકોનું ભણતર ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય જ જેલમાં હોવાને કારણે જીવન જીવવું દુષ્કર બન્યું છે. કોટડા ગામની મંજુબેન બારિયા સહિત ની બહેનોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમારા સ્વજનો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં પકડાયા નથી. તેઓ માત્ર પેટિયું રડાવવા માછીમારી કરવા ગયા અને ભૂલથી સરહદ ઓળંગી ગયા. આવી ભૂલ માટે છ મહિના કે એક વર્ષની જ સજા હોવી જોઈએ, પરંતુ પાંચ વર્ષથી તેઓ જેલમાં છે.” મૃતદેહો આવે છે, જીવતા કેમ નહીં?: મહિલાઓનો સવાલમહિલાઓએ ભાવુક સ્વરે જણાવ્યું કે કેટલાક કિસ્સાઓમાં મૃતદેહો વતન પરત આવે છે, પરંતુ જીવતા માછીમારોની મુક્તિ માટે સ્પષ્ટ અને સ્થાયી વ્યવસ્થા થતી નથી. “જો મૃતદેહ ઘર સુધી આવી શકે, તો જીવતા માણસો કેમ નહીં? આ સવાલે કાર્યક્રમનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પણ આજીજી કરી કે, ભારત-પાકિસ્તાનના સંબંધો ભલે સારા ન હોય, પરંતુ માનવતાના ધોરણે અમારા સ્વજનોને વતન પરત લાવવા રાજનૈતિક સ્તરે પ્રયાસો વધારવા જોઈએ. 1100થી વધુ ફિશિંગ બોટો પણ પાકિસ્તાનના કબ્જામાંમાછીમાર અગ્રણી વેલજી મસાણીએ જણાવ્યું કે વર્ષ 2000 પછી પાકિસ્તાન પકડાયેલી ભારતીય ફિશિંગ બોટો પરત આપવાનું લગભગ બંધ કરી દીધું છે અને અંદાજે 1100થી વધુ બોટો હજુ પણ પાકિસ્તાનના કબ્જામાં છે. એક બોટની કિંમત 50થી 60 લાખ રૂપિયા સુધી હોય છે, જે માછીમાર પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014માં ભારતના વડાપ્રધાનના શપથવિધિ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 57 જેટલી બોટો પરત કરી હતી, પરંતુ ત્યારબાદ એકપણ બોટ પરત આપવામાં આવી નથી. સતત વાટાઘાટ છતાં પરિણામ શૂન્યવેલજી મસાણીએ જણાવ્યું કે માછીમારોની મુક્તિ માટે તેઓ પ્રતિનિધિમંડળ સાથે 11 વખત પાકિસ્તાન જઈ આવ્યા છે અને ભારત સરકારના અધિકારીઓ પણ સતત સંપર્કમાં છે. અઠવાડિયામાં અનેક વખત વાટાઘાટો થતી હોવાના સંકેતો મળતા રહે છે, પરંતુ 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, હોળી કે દિવાળી જેવા પ્રસંગોએ મુક્તિના આશ્વાસન છતાં હકીકતમાં હજુ સુધી કોઈ ઠોસ પરિણામ મળ્યું નથી. તેમણે ભાવુકતા સાથે ઉમેર્યું કે, સરકાર દ્વારા આપવામાં આવતી લઘુત્તમ આર્થિક સહાય પરિવારો માટે પૂરતી નથી. પરિવારનો મોભી જ જેલમાં સબડી રહ્યો હોય ત્યારે 500 કે 1000 રૂપિયાની સહાયનો અર્થ રહેતો નથી. તેમની નજર તો પોતાના સ્વજનના સુરક્ષિત વતન વાપસી પર જ ટકેલી છે. માનવતાના આધારે મુક્તિની માગહાલ રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને પણ માછીમાર આગેવાનોએ માનવતાના ધોરણે પાકિસ્તાન સરકાર માછીમારોને મુક્ત કરે તેવી આશા વ્યક્ત કરી છે. એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંપર્ક પ્રયાસો ચાલુ હોવાની માહિતી આપવામાં આવી. આ સમગ્ર મુદ્દો માત્ર કાનૂની કે રાજકીય વિવાદ નહીં, પરંતુ માનવતાનો પ્રશ્ન બની ગયો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે આજે પણ અનેક ઘરોમાં પ્રાર્થનાઓ થાય છે, દીવા બળે છે અને એક જ આશા ગુંજે છે — અમારા માછીમારો સુરક્ષિત પરત આવે.
દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં સાંસ્કૃતિક દિવસ:ધોરણ 1 અને 2ના 400 વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું
કાંકરિયા સ્થિત દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં 20 ફેબ્રુઆરી, 2026ના રોજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 400 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નૃત્ય, ગીતો, નાટિકાઓ અને અન્ય સર્જનાત્મક પ્રસ્તુતિઓ સહિત વિવિધ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક પ્રસ્તુતિએ નાના વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને દર્શાવી હતી. ઉપસ્થિત વાલીઓ અને અન્ય દર્શકોએ પ્રદર્શનોને ખૂબ માણ્યા હતા. બાળકોના પ્રયાસો અને શિક્ષકોના માર્ગદર્શનની સૌએ પ્રશંસા કરી હતી.
સિલ્વર ઓક યુનિવર્સિટીની લો કોલેજના વિદ્યાર્થીઓએ તાજેતરમાં 'જાતીય સતામણી નિવારણ' (POSH) કાયદા પર વિશેષ ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા 'સેતુ' કાર્યક્રમ હેઠળ, GNLUના સહયોગથી કરાયું હતું. બપોરે 3:00 થી 5:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ સત્રમાં લો કોલેજના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાત POSH ટ્રેનર દ્વારા તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યસ્થળ પર જાતીય સતામણીના કાનૂની અને સામાજિક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ટ્રેનરે 'કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013' ના ઉદ્દેશ્યો સમજાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ અનિચ્છનીય શારીરિક, મૌખિક કે ડિજિટલ આચરણ જે મહિલાના ગૌરવનું ઉલ્લંઘન કરે છે, તેનો સમાવેશ સતામણીમાં થાય છે. 'સંમતિ' ના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે તે હંમેશા મુક્ત અને સ્પષ્ટ હોવી જોઈએ, અને મૌનને ક્યારેય સંમતિ ગણી શકાય નહીં. ઐતિહાસિક 'વિશાખા વિરુદ્ધ રાજસ્થાન સરકાર' ના સીમાચિહ્નરૂપ ચુકાદા અને તેનાથી અમલમાં આવેલા POSH કાયદાની ઉત્ક્રાંતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન કાર્યસ્થળ પર ઉત્પીડનના મૂળ કારણો જેવા કે પિતૃસત્તાક માનસિકતા અને સત્તાના દુરુપયોગ અંગે પણ છણાવટ કરવામાં આવી હતી. નિષ્ણાત વક્તાએ આંતરિક સમિતિ (IC) ના બંધારણ, ફરિયાદ નોંધાવવાની પદ્ધતિ, પૂછપરછ પ્રક્રિયા અને ભારત સરકારના 'SHE-Box' ઓનલાઇન ફરિયાદ પોર્ટલની ભૂમિકા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કેસ-આધારિત ચર્ચાઓ અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ POSH અધિનિયમની જોગવાઈઓ, લિંગ સંવેદનશીલતા અને કાર્યસ્થળની ગરિમા જાળવવા અંગેની કાનૂની સમજ મેળવી હતી.
દિલ્હી ખાતે યોજાયેલ ત્રણ દિવસીય વૈશ્વિક AI સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત ભાવનગરમાં જોવા મળ્યા હતો જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાવનગર શહેર દ્વારા આજે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે રાહુલ ગાંધી અને કોંગ્રેસના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેમજ કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. દિલ્હીમાં વિશ્વભરના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં AI સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમ ભારતની વિકાસગાથાને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મંડપમાં જઈને ટી-શર્ટ ઉતારી મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, ભાજપના મતે આ કૃત્ય ભારતની આંતરરાષ્ટ્રીય છબીને ખરડવાનું એક વ્યવસ્થિત કાવતરું હતું, પુતળા દહન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ એ જણાવ્યું હતું કે, આ કોઈ પક્ષનો કાર્યક્રમ નહોતો, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધારતી ઇવેન્ટ હતી, આ પ્રકારનું કૃત્ય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ ભારતને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે, વિકાસની રાજનીતિ સહન ન થતી હોવાને કારણે કોંગ્રેસ આવા હીન કૃત્યો પર ઉતરી આવી છે, આ વિરોધ પ્રદર્શનમાં ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આજ રોજ સંત પ્રેમદાસ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા (સવારની પાળી) ના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
અમદાવાદ: વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) ના અયોધ્યા ચેપ્ટર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખે યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે લેખિત પુસ્તક સુખનો સૂર્યોદય પણ સભ્યોને ભેટ આપ્યું. VBN એ વૈષ્ણવ વણિક યુવાન-યુવતીઓનું સંગઠન છે, જેઓ વેપાર અને વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સંસ્થા ઉદ્યોગસાહસિકતા, વ્યવસાયિકતા, વેપાર અને રોજગારમાં એકબીજાને મદદરૂપ થવા માટે એક મંચ પૂરો પાડે છે. અમદાવાદ શહેરમાં તેના ગોકુળ, પુષ્કર, વૃંદાવન, બરસાના અને અયોધ્યા જેવા વિવિધ ચેપ્ટર સક્રિયપણે કાર્યરત છે. VBN નું અયોધ્યા ચેપ્ટર ડૉ. નિર્મિત શાહના સબળ નેતૃત્વ હેઠળ અને તેમની કાર્યદક્ષ તથા ઉત્સાહી ટીમ દ્વારા સંચાલિત થાય છે. આ ચેપ્ટર દ્વારા આયોજિત આ પ્રેરક કાર્યક્રમમાં જયેશ પરીખે યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. VBN ની આ પ્રવૃત્તિઓ યુવાધનને સ્વ-વિકાસની સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે. સંસ્થા ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.
શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, સરદારનગરની વિદ્યાર્થીની ચૌહાણ જાનસી સુરેશભાઈએ ખેલ મહાકુંભ – 2026 માં રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે એર રાઈફલ સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ – 2026 અંતર્ગત આ સ્પર્ધા 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ વડોદરા ખાતે યોજાઈ હતી. જાનસીબેને 10 મીટર પીપ સાઈટ એર રાઈફલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે કુલ 600 માંથી 450 ગુણ મેળવી રાજ્ય સ્તરે સ્થાન પ્રાપ્ત કર્યું. રાજ્યભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીએ સારું પ્રદર્શન કર્યું હતું. તેમની નિશાનેબાજી કૌશલ્ય પ્રશંસનીય રહ્યું. વિદ્યાર્થીનીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકમંડળ અને વાલીઓએ અભિનંદન પાઠવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મકુમાર પટેલ અને સ્ટાફે જાનસીને ભવિષ્યમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ આપી. શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે રમતગમત પ્રવૃત્તિઓને પણ સતત પ્રોત્સાહન આપવામાં આવે છે, તેમ આ પ્રસંગે જણાવાયું હતું.
રાજકોટ: 19000થી વધુ પશુઓની નિ:શુલ્ક સારવાર:અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 564 મેજર ઓપરેશન કરાયા
છેલ્લા 22 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં મૂંગા અને બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરાઈ રહી છે. આ સેવા 'મોબાઇલ પશુ ચિકિત્સાલય', 'એનિમલ હેલ્પલાઇન' અને 'વેટરનરી હોસ્પિટલ' સ્વરૂપે કાર્યરત છે. અત્યાર સુધીમાં 11 એમ્બ્યુલન્સ અને ત્રણ બાઇક એમ્બ્યુલન્સ દ્વારા 14 લાખ જેટલા પશુ-પક્ષીઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવી છે. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી 'અર્હમ યુવા સેવા ગ્રુપ' અને 'કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન – રાજકોટ'ના સહયોગથી એક નિ:શુલ્ક પશુ-પક્ષી સારવાર દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આ દવાખાનું રાજકોટના તિરુપતિ નગર 1, હનુમાન મઢી ચોક પાસે આવેલું છે. આ અતિ આધુનિક પશુ દવાખાનામાં પશુ-પક્ષીઓ માટે ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ગંભીર બીમારીવાળા કેસ માટે તમામ પ્રકારના લોહી, લીવર-કિડનીના રિપોર્ટની સુવિધા પણ છે. પશુ અને પક્ષીઓની બ્લડલેસ આધુનિક મશીનો દ્વારા સર્જરી, તૂટેલા હાડકાના પ્લેટિંગ, પથરી, પેટ અને આંતરડા, આંખ, કેન્સર વગેરેના ઓપરેશન પણ અહીં કરવામાં આવે છે. આ ઉપરાંત, પશુઓ માટે ECG, BP, Spo2 ની આધુનિક મશીન વડે તપાસ, તમામ પ્રકારના રોગો માટેની સારવાર અને રસી આપવાની સુવિધા પણ છે. પશુ-પક્ષીઓની જાળવણી, માવજત અને ખોરાક સંબંધી માર્ગદર્શન સહિતની તમામ પ્રકારની સારવાર દવાખાનામાં નિ:શુલ્ક આપવામાં આવે છે. આ દવાખાનામાં અત્યાર સુધીમાં 19,000થી વધુ પશુઓની સારવાર અને 564 મેજર ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનિમલ હેલ્પલાઇન, રાજકોટ એ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા છે અને નિ:શુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા ગણાય છે. બીમાર, અશક્ત કે અકસ્માતથી ઘવાયેલા પશુ-પક્ષીઓને ગૌશાળા, પાંજરાપોળ અથવા સંસ્થાની જ નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા પણ છે. 'જીવદયા રથ' દ્વારા દરરોજ પશુઓ, પક્ષીઓ, કીડી અને ખિસકોલી જેવા જીવો સહિતના પ્રાણીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરના અલગ-અલગ શહેરો અને ગામડાઓમાંથી જીવદયા પ્રેમીઓ, પશુપાલકો અને પાલતુ પશુ-પંખીઓના માલિકો સારવાર માટે અહીં આવે છે. સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રભરમાંથી આવેલા પ્રાણીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. દવાખાનાનો સમય સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 છે. નિ:શુલ્ક પશુ-પક્ષી સારવાર કરાવવા માટે મો. 7567075680 પર સંપર્ક કરવા જણાવાયું છે.
આયુર્વેદિક ઔષધોના ફાયદા:જાણો કયા રોગમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે
ભારતીય પરંપરામાં અનેક ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ વિવિધ રોગોના ઉપચાર માટે સદીઓથી થતો આવ્યો છે. આ વનસ્પતિઓ કુદરતી રીતે ઉપલબ્ધ છે અને તેના અનેક સ્વાસ્થ્ય લાભો છે. ચાલો કેટલીક મુખ્ય ઔષધીઓ અને તેના ઉપયોગો વિશે જાણીએ. તુલસી મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શન, તાવ અને શરદી જેવા રોગોમાં અત્યંત ફાયદાકારક છે. લીલી ચા પણ વાયરલ ઇન્ફેક્શન અને શરદીમાં રાહત આપે છે. અજમો પેટના દુખાવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે ફુદીનો અગ્નિમાંદ્ય, પેટનો દુખાવો, શરદી અને તાવમાં ઉપયોગી છે. ગળો જૂના તાવ, એસિડિટી, ગાઉટ અને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓમાં લાભદાયી છે. કુવારપાઠુ દાઝવા પર, સૌંદર્ય સંબંધિત રોગો અને સ્ત્રી રોગોમાં ઉપયોગી નીવડે છે.અરડૂસી શરદી, ખાંસી, દમ અને નસકોરી ફૂટવા જેવી સ્થિતિમાં રાહત આપે છે. હાડસાંકળ કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે, તેથી તે સાંધાના રોગોમાં ઉપયોગી છે. નગોડ વાના રોગો અને વાળના રોગોમાં ફાયદાકારક છે. બ્રાહ્મી યાદશક્તિ વધારવા માટે જાણીતી છે. સાટોડી મૂત્રરોગોમાં અથવા શરીરમાં સોજો થયો હોય ત્યારે કામ લાગે છે. અશ્વગંધા વજન વધારવા અને સારી ઊંઘ લાવવા માટે ઉપયોગી છે.ગરમાળો કબજિયાત અને ચામડીના રોગો મટાડવામાં મદદ કરે છે. આંકડો શ્વાસના રોગો અને વા જેવા રોગોમાં ઉપયોગી નીવડે છે. લીમડો ચામડીના રોગો અને દાંતના રોગોમાં ખૂબ જ અસરકારક છે. દુધી ચરબી ઘટાડવા, પિત્તશામક તરીકે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી થાય છે. જાસુદ રક્તસ્ત્રાવ ઘટાડવા અને વાળના સૌંદર્ય માટે ફાયદાકારક છે. ભોંયરીંગણી ખાંસી મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત સિદ્ધગિરી કનેરી મઠના માર્ગદર્શન હેઠળ 15થી 17 ફેબ્રુઆરી, 2026 દરમિયાન 'સિદ્ધગિરી કેટલ શો'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) ના નેચરલ ફાર્મિંગ ડેમોન્સ્ટ્રેશન ઘટક અંતર્ગત દેશી ગૌ પ્રદર્શન સાથે યોજાયો હતો. કનેરી મઠ ખાતે યોજાયેલા આ દેશી ગૌ પ્રદર્શનનું ઉદ્ઘાટન પરમ પૂજ્યશ્રી કાડસિદ્ધેશ્વર સ્વામીજીના સાનિધ્યમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બક્સરના સાંસદ અને લોકસભા કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા અંગેની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સુધાકર સિંહ, સર્વોદય કાર્યકર વસંતજી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રદર્શનમાં 250થી વધુ દેશી ગાયો રજૂ કરવામાં આવી હતી. આ પહેલ ગ્રામીણ જીવનોપાર્જનને મજબૂત બનાવવા તેમજ શાશ્વત કૃષિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. મુખ્ય મહેમાન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશી ગૌ આધારિત કૃષિ અને પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરાગત કૃષિ સંસ્કૃતિનો આધારસ્તંભ છે. તેમણે શ્રેષ્ઠ ગૌ વંશ દ્વારા દૂધ ઉત્પાદનમાં વધારો કરવા અને ગામેગામ શ્રેષ્ઠ નંદી ઘર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડૉ. કથીરિયાએ દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબરની ડેરી સ્થાપિત કરીને ગૌપાલકોની આવક વધારવા, મહિલા સ્વાવલંબન અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા અંગે ઉપસ્થિત જનસમુદાયને ગૌ મહાત્મ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેટલ શોમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકની સ્થાનિક જાતિઓ જેવી કે ખીલ્લાર, મલ્લાડગીડા, પુંગનુર, કૃષ્ણામહલ, ખિલ્લારી ઉપરાંત ગીર, કાંકરેજ અને થારપારકર જેવી ગાયો પ્રદર્શિત કરવામાં આવી હતી. શ્રેષ્ઠ નંદીઓની હરીફાઈ પણ યોજાઈ હતી અને વિજેતા બુલ તથા નંદીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી માર્ચ 2026માં પુણે ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના તત્ત્વાવધાન હેઠળ “ગૌ ટેક–2026: કાઉ બેઝ્ડ ગ્લોબલ સમિટ એન્ડ એક્સ્પો” યોજાશે. આ વૈશ્વિક મંચ દેશી ગૌ આધારિત કૃષિ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, ગૌ આધારિત ઉદ્યોગો, સંશોધન અને ટેકનોલોજી માટે ખેડૂતો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગકારો અને નીતિનિર્ધારકોને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપવામાં અગ્રણી ભૂમિકા ભજવશે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના ટાઈમ્સ ફાઉન્ડેશન દ્વારા 21 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે TOI નેશનલ CSR સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો મુખ્ય હેતુ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ને રાષ્ટ્ર નિર્માણ સાથે વધુ સક્રિય રીતે જોડવાનો છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમિટમાં ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના સ્થાપક અને પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ CSR દ્વારા “ગૌ આધારિત બ્રાઉન રેવોલ્યુશન: રાષ્ટ્ર નિર્માણનો માર્ગ” વિષય પર સંબોધન કરશે. આ સમિટમાં ભારત સરકારના મંત્રીઓ, દેશભરના અગ્રણી ઉદ્યોગપતિઓ, CSR હેડ્સ, કોર્પોરેટ નેતાઓ, નીતિ નિર્માતાઓ, સરકારી અધિકારીઓ, યુએન એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય વિકાસ ભાગીદારો હાજર રહેશે. ડૉ. કથીરિયા પોતાના સંબોધનમાં દેશી ગાય આધારિત અર્થતંત્ર, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો-એનર્જી, ગ્રામીણ ઉદ્યોગો અને રોજગાર સર્જનમાં CSRની ભૂમિકા અંગે માર્ગદર્શન આપશે. તેઓ ગૌ આધારિત વિકાસને આત્મનિર્ભર ભારત અને Viksit Bharat@2047ના લક્ષ્ય સાથે કેવી રીતે જોડી શકાય તે અંગે સ્પષ્ટ દ્રષ્ટિ રજૂ કરશે. આ સમિટમાં CSRને માત્ર કાયદાકીય જવાબદારી નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના શક્તિશાળી સાધન તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થશે. ડૉ. વલ્લભભાઈ કથીરિયાનો વિચારાત્મક સંદેશ કોર્પોરેટ અને સામાજિક ક્ષેત્રના નેતાઓને ગૌ આધારિત શાશ્વત વિકાસ માટે પ્રેરણા આપશે.
તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સહ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા સંચાલક મંડળના મહામંત્રી ભરતસિંહ ડોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દિલીપસિંહ ચૌહાણે મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને જીવનમાં સકારાત્મક રહીને આગળ વધવા પ્રેરણા આપી હતી. મુખ્ય મહેમાન ભરતસિંહ ડોડનું સ્વાગત વિવિધ રીતે કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રાવલે તેમને સૂતરની આંટી પહેરાવી, રમેશભાઈ પટેલે શાલ ઓઢાડી અને આચાર્ય દિલીપસિંહ ચૌહાણે મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, ધોરણ 12ની વિદ્યાર્થીની ચૌહાણ જીનલ જે. અને ધોરણ 10ના વિદ્યાર્થી ઝાલા દર્શન સિંહ જી. દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શિક્ષક વિજયભાઈ રાવલ અને આસિફભાઇ મન્સૂરીએ પણ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. વિદાય લેતા ધોરણ 12ના વિદ્યાર્થીઓએ શાળાને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. વિસલપુર કેળવણી મંડળ અને કાશીન્દ્રાના એડવોકેટ તેમજ વાલી સતિષભાઈ પારેખ દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા રૂપે ભેટ આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન ભરતસિંહ ડોડે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો વાગોળી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમણે શાળાના પ્રમુખ ધીરેશભાઈ શાહ અને મંડળની કામગીરીની પ્રશંસા કરી હતી. ડાયરેક્ટર રમેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને શાળાના વિકાસમાં પ્રમુખશ્રી તથા અન્ય સંચાલક મંડળના સભ્યોના સહકાર અને પ્રયાસોને યાદ કર્યા. તેમણે 100 ટકા પરિણામ માટે પ્રયત્નશીલ શિક્ષકોના પ્રયત્નોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે બીનાબેન નાયક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સાઉન્ડની જવાબદારી તુષારભાઈ પટેલે અને ફોટોગ્રાફીની જવાબદારી કામેશ પ્રસાદે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. અવનીકાબેન પટેલે અને સંચાલન પાયલબેન મહેતાએ કર્યું હતું. સમગ્ર શાળા પરિવારના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પાટણમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી:ગુજરાત સાહિત્ય અકાદમી અને કોટાવાલા કોલેજે સંયુક્ત કાર્યક્રમ યોજ્યો.
પાટણમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા 18 ફેબ્રુઆરી, 2026ના રોજ માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાયસેગ હોલ ખાતે સવારે 9:30 કલાકે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ કોલેજના લાઇબ્રેરીયન ડૉ. વલ્લરીબેન હાથીએ પ્રાર્થનાથી કર્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાનો વીડિયો સંદેશ પણ પ્રદર્શિત કરાયો હતો. આચાર્ય રીટાબેન પારેખે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા માતૃભાષાના મહત્વ અને તેને બચાવવાના ઉપાયો વિશે વાત કરી હતી. મંચ પર ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વક્તા ડૉ. ઋષિકેશ રાવલે માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માતૃભાષાની સરખામણી માતાના દૂધ સાથે કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય ભાષાઓ શીખવી જરૂરી છે, પરંતુ માતૃભાષાના ભોગે નહીં. તેમના વ્યાખ્યાનમાં તેમણે ગુજરાતી સાહિત્યના લોકગીતો અને કાવ્યોનો સમાવેશ કરીને તેને રસપ્રદ બનાવ્યું હતું.બીજા વક્તા ડૉ. ભરત સોલંકીએ માતૃભાષા સામેના વર્તમાન પડકારો અને તેને બચાવવા માટે જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જો માતૃભાષા બચશે તો જ આપણે ટકીશું. NGES કેમ્પસના CDO અને કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. જય ધ્રુવે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. બાબુ દેસાઈએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. ઝંઝા પટેલે કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંયોજન ડૉ. પીયૂષ ચાવડાએ કર્યું હતું.
અમદાવાદના સરખેજ ગામ સ્થિત શકરી તળાવ ખાતે ગ્રીન લીફ ટ્રસ્ટ દ્વારા 5000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર Can Fin Homes Ltd - CSR અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મિયાવાકી અર્બન ફોરેસ્ટ પદ્ધતિ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં હરિયાળી વધારવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું અને ભવિષ્ય માટે શુદ્ધ હવા તથા સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરવાનો છે. મિયાવાકી ટેકનિક દ્વારા ઓછા સમયમાં ગાઢ જંગલનું નિર્માણ શક્ય બને છે, જે પર્યાવરણ માટે અત્યંત લાભદાયી છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય ધારાસભ્ય અમિત ઠાકર હાજર રહ્યા હતા. તેમણે ગ્રીન લીફ ટ્રસ્ટના ટ્રસ્ટી દર્શન મિસ્ત્રી અને ભાવિક રામાણી તેમજ સહયોગી સંસ્થાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. શ્રી ઠાકરે જણાવ્યું કે શહેરના વિકાસ સાથે પર્યાવરણના સંતુલન માટે આવી હરિયાળી પહેલો અત્યંત જરૂરી છે. ગ્રીન લીફ ટ્રસ્ટ દ્વારા વાવવામાં આવેલા તમામ છોડની આગામી ત્રણ વર્ષ સુધી યોગ્ય સંભાળ અને જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી છે. આ સુનિશ્ચિત કરશે કે દરેક વૃક્ષ મજબૂત બની વિકસિત થાય અને એક સઘન અર્બન ફોરેસ્ટનું સ્વરૂપ ધારણ કરે. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, સામાજિક આગેવાનો અને પર્યાવરણપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાનો સમર્થન વ્યક્ત કર્યો હતો. ગ્રીન લીફ ટ્રસ્ટની આ પહેલ શહેર માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય સર્જવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં આવેલી અથર્વ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સંસ્થાના પ્રમુખ સંદીપ શ્રીવાસ્તવ અને સોનલ શ્રીવાસ્તવને પોતાના હાથે બનાવેલા પોર્ટ્રેટ ભેટમાં આપ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ કોકલિયર ઇમ્પ્લાન્ટ એસેસમેન્ટ અને ફિટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન એક જ દિવસમાં આશરે 46 બાળકોને નવા એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનું ફિટિંગ અને મેપિંગ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આ સમગ્ર પ્રોસિજર અંદાજે રૂપિયા 1.26 કરોડથી વધુના ખર્ચની હોવા છતાં બાળકોને સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાવવામાં આવી હતી. વાલીઓ માટે રહેવા-જમવાની પણ મફત વ્યવસ્થાકેમ્પ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બાળકો અને તેમના વાલીઓ માટે રહેવા, જમવા અને પરિવહનની સંપૂર્ણ મફત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે. ફિટિંગ બાદ બાળકોની સાંભળવાની ક્ષમતા ચકાસવા ઓડિયોલોજી ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને વાલીઓને સ્પીચ થેરાપી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પ આરોગ્ય વિભાગ અને GMERS મેડિકલ કોલેજ, સોલા દ્વારા પૂરો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે, સરકારી હોસ્પિટલમાં એક વખત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવેલ બાળકોને મોંઘા એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર વિનામૂલ્યે બદલાવી આપવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
નવસારીમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રીલ્સ વાયરલ કરવા બદલ બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનિટરિંગ કરીને આ કાર્યવાહી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરી રહી હતી ત્યારે એક આઈડી પરથી રીલ વાયરલ થયેલી જોવા મળી હતી. આ રીલમાં ચારથી પાંચ યુવકો જાહેરમાં અત્યંત અશ્લીલ ભાષા બોલતા અને બિભત્સ ઈશારા કરતા નજરે પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એકાઉન્ટ પર આશરે 2,738 ફોલોઅર્સ હતા અને 60 જેટલી વાંધાજનક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 294(2), 296 તથા આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો હતો. ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે બે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષિલ નવીનભાઈ નાયકા (ઉંમર 19 વર્ષ, રહે. રૂસ્તમવાડી, રિંગ રોડ, નવસારી) અને સોહન ઠાકોરભાઈ રાઠોડ (ઉંમર 22 વર્ષ, રહે. રૂસ્તમવાડી, રિંગ રોડ, નવસારી)નો સમાવેશ થાય છે. બંને યુવકો ડાયમંડમાં નોકરી કરે છે. આ કેસ બાદ નવસારી પોલીસે સોશિયલ મીડિયા યુઝર્સને કડક ચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી કે ગેરકાયદેસર પ્રવૃત્તિને ઉત્તેજન આપતી પોસ્ટ કરશે, તો તેની વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન પીઆઈ શ્રી યુ. એલ. મોદીના માર્ગદર્શન હેઠળ અ.પો.કો. જયદીપસિંહ, વિપુલભાઈ, સુરેશભાઈ, સહદેવભાઈ અને સાયબર એક્સપર્ટ કરણભાઈ દોશી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 3 મહિનાથી નાસતા ફરતા અને દેશભરમાં અંદાજે 13 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સાગરીત હિરેન લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, પકડાયેલો આરોપી હિરેન પટેલ બેચરાજી APMC માર્કેટમાં છેલ્લા 5 વર્ષથી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે અને સમાજમાં પ્રતિષ્ઠિત વેપારીની છાપ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળતા હિરેન પટેલને વરાછામાંથી દબોચ્યોસુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો આરોપી હિરેન પટેલ સુરતના વરાછા ઉમિયાધામ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 46 વર્ષીય હિરેન પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ મહેસાણાના બેચરાજી તાલુકાના ડેડાણા ગામનો રહેવાસી છે અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કિર્તન ફ્લેટમાં G-130 નંબરના મકાનમાં રહે છે. પત્નીના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો સાયબર ફ્રોડના રૂપિયાપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હિરેન પટેલે ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવાના હેતુથી પોતાની પત્ની પ્રેમીલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકની બહુચરાજી શાખામાં સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ખાતામાં ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા જમા કરાવવામાં આવતા હતા. હિરેન પટેલ પોતે જ આ નાણાં ચેક દ્વારા ઉપાડી લેતો હતો. પત્નીના ખાતામાંથી અંદાજે 16,68,001 રૂપિયા રોકડ ઉપાડી અંગત ઉપયોગમાં લીધા હોવાની પ્રાથમિક વિગતો મલી છે. છેલ્લા પાંચ વર્ષથી બેચરાજી APMCમાં ડાયરેક્ટર તરીકે કાર્યરતઆરોપી હિરેન પટેલની પ્રોફાઈલ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તે છેલ્લા 5 વર્ષથી બેચરાજી APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)માં ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. આ ઉપરાંત તે APMCમાં 'પટેલ હિરેનકુમાર લક્ષ્મણભાઈ એન્ડ કંપની'ના નામે વેપારની પેઢી પણ ધરાવે છે. આરોપી દિવસ દરમિયાન વેપાર અને સમાજસેવા કરતો હતો અને રાત્રે સાયબર માફિયાઓ સાથે મળી કૌભાંડ આચરતો હતો. હિરેન પટેલ સામે દેશના 10 રાજ્યોમાં 21થી વધુ પોલીસ ફરિયાદહિરેન પટેલ સામેની તપાસમાં એક પછી એક મોટા ફ્રોડના આંકડા સામે આવ્યા છે. તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં 21થી વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સૌથી મોટું ફ્રોડ મુંબઇ સાઉથ સાયબર ક્રાઈમમાં નોંધાયેલું છે, જે અંદાજે 5,88,86,957 રૂપિયાનું છે. આરોપીએ કુલ મળીને દેશભરમાં 11,93,52,525 અને સુરતની ફરિયાદ મળીને આ આંકડો 13 કરોડને પાર કરી ગયો છે. એક જ દિવસમાં HDFC બેંકના ખાતામાં 5 કરોડની લેણદેણપોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, હિરેન પટેલે ખેરાલુના જાવેદ અને ઉત્તરપ્રદેશના લખનૌના 'મિશ્રાજી' નામના શખસો સાથે નેટવર્ક બનાવ્યું હતું. આરોપીએ પોતાના HDFC બેંકના ખાતામાં માત્ર એક જ દિવસમાં સાયબર ફ્રોડના 5 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને ત્યાર બાદ ત્વરિત ગતિએ આ રકમ અન્ય અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખી હતી. આ વ્યવહારોથી સાયબર ક્રાઈમનું મોટું આંતરરાજ્ય નેટવર્ક હોવાનું સાબિત થાય છે. પત્ની જેલના સળિયા પાછળ અને આરોપીની ધરપકડઆ ગુનામાં આરોપીની પત્ની પ્રેમીલા પટેલની બેચરાજી પોલીસે અગાઉ 8 જાન્યુઆરી 2026ના રોજ ધરપકડ કરી હતી. હાલમાં તેની પત્ની પાટણની સુજનીપુર જેલમાં બંધ છે. હિરેન પટેલે પકડાઈ જવાની બીકે મહેસાણાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તેની કરતૂતોની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન ના મળતા તે સુરત આવીને છૂપાયો હતો. આરોપી હિરેન પટેલનો ગુનાહિત ઇતિહાસઆરોપી હિરેન પટેલ માત્ર સાયબર ક્રાઈમમાં જ નહીં પણ આર્થિક છેતરપિંડીના અન્ય કિસ્સામાં પણ સંડોવાયેલો છે. હિરેન પટેલ સામે મહેસાણામાં 12 લાખ રૂપિયાના બે અલગ અલગ ચેક રિટર્નના કેસ પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરત શહેર સાયબર ક્રાઈમમાં પણ 19,91,000 ના ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે હિરેન પટેલનો કબજો બેચરાજી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.
આણંદ મહાનગરપાલિકાએ ખાદ્ય એકમો પર દરોડા પાડ્યા:સ્વચ્છતાના અભાવ અને પ્લાસ્ટિક બદલ ₹71,000 દંડ વસૂલ્યો
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ ખાદ્ય એકમો પર તપાસ હાથ ધરી હતી. સ્વચ્છતાના અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કુલ 15 એકમો પાસેથી ₹71,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કમિશનરની સૂચના અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટર રાજેશ પટેલના નેતૃત્વ હેઠળ આ ઝુંબેશ ચલાવી હતી. આ તપાસણીનો મુખ્ય હેતુ ખાદ્ય એકમોમાં સ્વચ્છતા જાળવણી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવાનો હતો. તપાસ દરમિયાન, જય અંબે દાળવડા, જય જલારામ ખમણ હાઉસ, એ જે. ફૂડ જંક્શન, બોમ્બે સેન્ડવીચ, પટેલ સેન્ડવીચ, બ્રહ્માણી લાઈવ વેફર્સ, એવર ફ્રેશ સ્પેશિયલ, છાશ વાલા, હેપ્પી વાલી ફીલિંગ, ડોમિનોઝ પિઝા અને કચ્છી દાબેલી સહિત 11 ખાદ્ય એકમોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ એકમો પાસેથી ₹59,000નો દંડ વસૂલવામાં આવ્યો. વધુમાં, પ્રકાશ મસાલા અને એવર ફ્રેશ બેકરી ખાતેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તેમની પાસેથી ₹12,000નો દંડ લેવામાં આવ્યો. આમ, કુલ 15 એકમો પાસેથી ₹71,000નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ખાદ્ય એકમો ખાતે તપાસણી ઝુંબેશ ચાલુ રહેશે. તેમણે તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરની રાજકીય સક્રિયતામાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. ભાજપમાં જોડાયા બાદ છેલ્લા કેટલાક સમયથી શાંત દેખાતા ડેરે તાજેતરમાં પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે શ્રેણીબદ્ધ મુલાકાતો કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. અંબરીષ ડેરે ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ અને રાજ્યના જનરલ સેક્રેટરી સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, આ પહેલા તેઓ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી ચૂક્યા છે. છેલ્લા 15 દિવસથી તેમની આ ગતિવિધિઓ સૂચવે છે કે આગામી સમયમાં તેમને પક્ષમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વર્ષ 2017માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બનેલા અંબરીષ ડેર 2022ની ચૂંટણીમાં પરાજય બાદ ભાજપમાં જોડાયા હતા. શરૂઆતના સમયમાં તેઓ પક્ષમાં થોડા નિષ્ક્રિય જણાતા હતા, પરંતુ હવે નેતાઓ સાથેની તેમની વધતી નિકટતા રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને રાજુલા-જાફરાબાદ પંથકમાં તેમના સમર્થકોમાં આ સક્રિયતાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાટડીમાં શક્તિમાતાજી મંદિર પાસે તળાવ ડેવલપમેન્ટ વિસ્તારમાં શુક્રવારથી ભવ્ય 'પાટડી શોપિંગ ફેસ્ટિવલ - સ્વદેશી મેળા'નો પ્રારંભ થયો છે. સ્થાનિક કલા-કૌશલ્ય અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ મેળામાં પહેલા જ દિવસે નગરજનોની ભારે ભીડ જોવા મળી હતી. ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ઉદ્ઘાટન દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ અને ગણતર સંસ્થાના સુખદેવભાઈ પટેલ દ્વારા આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મેળો 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સખી મંડળો અને સ્થાનિક વેપારીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. 30 સ્ટોલ્સ: સખી મંડળથી લઈને ખાદી ગ્રામ ઉદ્યોગ સુધી મેળામાં વિવિધ સખી મંડળો, ખાદી ગ્રામ ઉદ્યોગ, સ્વ-સહાય જૂથો અને મેડિકલ વિભાગ સહિત કુલ 30 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. પાટડી નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારાણા અને સમગ્ર સ્ટાફના સહયોગથી આયોજિત આ મેળામાં નગરજનો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા પાસે આવેલા સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે આજે 42મા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પાટોત્સવના પાવન અવસરે મંદિરમાં બિરાજમાન આદ્યશક્તિ અંબિકા માતાજીને મનમોહક ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. બપોરે યજમાન કુલદીપભાઈ પટેલના પ્રતિનિધિના હસ્તે અને આચાર્ય ગીરીશભાઈ દવેના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોડી સાંજે હવનમાં શ્રીફળ હોમ્યા બાદ પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. ભક્તિમય માહોલને વધુ રંગીન બનાવવા માટે રાત્રિના સમયે મંદિર પરિસરમાં બહેનો માટે 'પસંદગી અપની અપની' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર ભૂતકાળમાં નકલી પોલીસ બનીને અનેક લોકોને લૂંટવાના બનાવો સામે આવ્યા હતા ત્યારે રિંગ રોડ પર હેબતપુર મલ્હાર ઢોસા ટ્રાફિક પોઇન્ટ પાસે યુવક પોતે પ્રહલાદ નગર પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હોવાની ઓળખ આપી લોકો પાસેથી લાયસન્સ અને વાહનોના કાગળ માંગતો હતો. આ બાબતે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પહોંચ્યા હતા અને યુવકને ઝડપી લીધો હતો. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે. ગઈકાલે રાતે યુવક પોલીસના પહેરવેશમાં વાહનચાલકોને રોકી લાયસન્સ અને કાગળ માંગતો હતોએન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેજુભા નામના પોલીસ કોન્સ્ટેબલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે એસ.પી. રીંગ રોડ પર શીલજથી ભાડજ સર્કલ તરફ જવાના રોડ ઉપર હેબતપુર પાસે મલ્હાર ઢોસા ટ્રાફિક પોઇન્ટ પર નોકરીએ હાજર હતા. તેમની સાથે અન્ય કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પણ હતા. રાત્રે આઠ વાગ્યાની આજુબાજુ ખાખી કલરનું પેન્ટ અને આછા વાદળી જેવો શર્ટ પહેરેલો એક યુવક ટ્રાફિક પોઇન્ટ પાસે વાહનચાલકોને રોકી તેની પાસેથી લાયસન્સ અને કાગળ માંગતો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી ભરત સેનમાની ધરપકડ કરી જેથી, તેજુભા અને અન્ય પોલીસકર્મીઓ તેમની પાસે ગયા હતા અને તેનું નામ પૂછતા તેણે ભરત સેનમા (રહે. વડાસણ, મહેસાણા) હોવાની ઓળખ આપી હતી. હું પોલીસમાં છું અને પ્રહલાદ નગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું એવું કહ્યું હતું. જેથી પાસે આઈકાર્ડ માંગ્યું હતું પરંતુ, તેની પાસે આઈકાર્ડ હતું નહીં. બાદમાં પૂછપરછ કરતા તેઓ પોલીસમાં ન હોવાનું જણાવ્યું હતું. પોલીસ તરીકેની ઓળખ આપી અને લોકોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી, એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના તેજુભાએ બોડકદેવ પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપી ભરત સેનમાની ધરપકડ કરી છે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે ગત રાત્રિએ એક સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. ગામમાં દુકાન ચલાવતા અમિતભાઈ રણજીતભાઈ વઢેળ નામના યુવક પર કેટલાક અજાણ્યા શખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલાની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઇજાગ્રસ્ત અમિતભાઈના પિતા રણજીતભાઈ વઢેળના જણાવ્યા અનુસાર, અમિતભાઈ પોતાની દુકાનના વ્યવહાર પેટે કેટલાક શખ્સો પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. આ ઉઘરાણીની દાઝ રાખીને અદાવતમાં કેટલાક શખ્સોએ એકાએક હુમલો કરી દીધો હતો. હુમલામાં અમિતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ ગઢડા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્ત યુવક અને તેના પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. CCTV ફૂટેજમાં દેખાતા શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે.
બાકરોલ સ્ક્વેર પાસે હિન્દુ સંમેલન યોજાયું:ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે એકતા પર ભાર મૂકાયો
શહેરના પુરષોત્તમ નગર વસ્તી વિસ્તારમાં ગઈકાલે સાંજે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાકરોલ સ્ક્વેર પાસે આવેલી એમ. જે. સ્કૂલના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ભજન મંડળો, મંદિરોના પૂજારીઓ અને ગણેશ-ગરબા ઉત્સવ મંડળના સભ્યો સહિત સંઘના સ્વયંસેવકો જોડાયા હતા. સાંજે 5:30 થી 7:30 દરમિયાન યોજાયેલા આ સંમેલનમાં વક્તાઓએ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓના જતન માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ સાધુ વેદ મનનદાસે પોતાના વક્તવ્યમાં હિન્દુ એકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને ધર્મના આધાર સ્તંભો આપણા શાસ્ત્રો અને શ્લોકો છે. તેમણે ધર્મગ્રંથોમાં રહેલી શક્તિ અને તેના જ્ઞાનથી ઉપસ્થિત જનમેદનીને માહિતગાર કર્યા હતા.સંમેલનના સંયોજક રાઘવ ત્રિવેદીએ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના આગ્રહ પર ભાર મૂકી સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો. મુખ્ય વક્તા પ્રો. વસંત પટેલે શૂરવીર શહીદો અને શિવાજી મહારાજના જીવનના ઉદાહરણો ટાંકીને હિન્દુ ધર્મમાં ઘૂસી ગયેલા આડંબરો અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડતા દૂષણો સામે જાગૃત થવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સાંસ્કૃતિક વારસાને નષ્ટ કરનારા તત્વો સામે સમાજે સમયસર જાગવું પડશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહ-સંયોજક ડો. મુકેશકુમાર જોશીએ કર્યું હતું અને અંતમાં ડો. સંદીપ ચંદ્રાએ આભારવિધિ કરી હતી.
આણંદ મનપાએ 8 દુકાન સીલ કરી:વેરો-ભાડું બાકી હોવાથી ગણેશ ચોકડી વિસ્તારમાં કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકાએ બાકી વેરા અને ભાડાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર, આ ઝુંબેશના ભાગરૂપે, મનપાની રિકવરી ટીમે આજે આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ટીમે લાંબા સમયથી વેરો ન ભરતી પાંચ દુકાનોને સીલ કરી દીધી હતી.આ પાંચ દુકાનોનો અંદાજે રૂ. 3.39 લાખથી વધુનો વેરો બાકી હતો. આ ઉપરાંત, ટીમે અન્ય મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ રૂ. 2.73 લાખના બાકી વેરાની વસૂલાત પણ કરી હતી. વેરા ઉપરાંત, મહાનગરપાલિકાના શોપ એક્ટ વિભાગે બાકી ભાડાની વસૂલાત માટે પણ કડક કાર્યવાહી કરી છે. ચર્ચ શોપિંગ સેન્ટરની બે દુકાનો અને ડો. એચ. એમ. પટેલ મ્યુનિસિપલ માર્કેટની એક દુકાન સહિત કુલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ દુકાનોનું રૂ. 3.86 લાખથી વધુનું ભાડું બાકી હતું. આમ, એક જ દિવસની કાર્યવાહીમાં મહાનગરપાલિકાની ટીમે કુલ આઠ દુકાનો સીલ કરી હતી. આ કાર્યવાહીથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.મહાનગરપાલિકાએ તમામ મિલકત ધારકો અને દુકાનદારોને કડક તાકીદ કરી છે. બાકી વેરો કે ભાડું ધરાવતા લોકોએ 31 માર્ચ, 2026 પહેલાં મનપા કચેરીએ રકમ જમા કરાવી દેવી. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો નિયત સમયમર્યાદામાં બાકી લેણાં ભરપાઈ કરવામાં નહીં આવે, તો મ્યુનિસિપલ એક્ટ હેઠળ મિલકત જપ્તી સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ટેક્સટાઈલ સિટી ગણાતા સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કાપડ અને પેકિંગ મટીરિયલથી આગ વિકરાળ બનીમળતી માહિતી મુજબ, માર્કેટની એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. કાપડ અને પેકિંગ મટીરિયલની ચીજવસ્તુઓ હોવાને કારણે આગ જોતજોતામાં વિકરાળ બની હતી. આગના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી હતી. 4 ફાયરની ગાડીએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોઆગની જાણ થતા જ સુરત ફાયર વિભાગે આગની ગંભીરતાને ધ્યાને રાખીને શહેરના ચાર અલગ-અલગ 4 ફાયર સ્ટેશનો માન દરવાજા, ઉધના, ડુંભાલ અને ઘાંચી શેરીની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગને માર્કેટની અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાનઆગ લાગવાથી માર્કેટની દુકાનોમાં રાખવામાં આવેલી સાડીઓ, ડ્રેસ મટીરિયલ અને અન્ય તૈયાર કાપડનો જથ્થો સંપૂર્ણપણે બળી ગયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આગને કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 22 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ‘સંધાન-2026’ યોજાશે. NAAC દ્વારા ‘A’ ગ્રેડ પ્રાપ્ત આ યુનિવર્સિટીના સ્થાપના કાળથી અત્યાર સુધીના વિદ્યાર્થીઓ આ દિવસે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે યુનિવર્સિટીના ઈપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે યોજાશે, જેનું અધ્યક્ષપદ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલ સંભાળશે. આ સ્નેહમિલનમાં IIM કોઝીકોડના પ્રોફેસર ડૉ. અભિલાષ નાયર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે અતિથિ વિશેષ તરીકે પ્રો. મહેશ પાઠક, પ્રો. વિઠ્ઠલભાઈ એ. પટેલ, જીવરાજભાઈ ડંખરા અને ડૉ. મનીષ દાસ હાજર રહેશે. આ વર્ષના સ્નેહમિલનનું મુખ્ય આકર્ષણ યુનિવર્સિટીની પ્રથમ એલ્યુમની સ્મરણિકા ‘યોગત્વ’નું વિમોચન રહેશે. આ સ્મરણિકામાં યુનિવર્સિટીની સિદ્ધિઓ, ઇતિહાસ અને પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનનું સંકલન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ અને ભોજન બાદ બપોરે 2:00 કલાકથી જે-તે વિભાગો ખાતે વિભાગવાર એલ્યુમની મીટ યોજાશે. જેમાં દેશ-વિદેશથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના જૂના સહપાઠીઓ અને પ્રોફેસરો સાથે સંવાદ કરી શકશે. આ આયોજન યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
બરવાળા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દાત્રેટીયાથી સોઢી ગામ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ બાઈકને રોક્યું હતું. બાઈક પર સવાર બે યુવકો પાસેથી 45 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂ, 39,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હીરો સ્પ્લેન્ડર બાઈક (નં. GJ-38AR-3734) પર જગદીશભાઈ ઠાકરશીભાઈ સોલંકી (ઉ.વ. 32) અને કલ્પેશભાઈ ધીરુભાઈ સોલંકી (ઉ.વ. 29), બંને રહે. સોઢી, તા. ધોલેરા, જિ. અમદાવાદ, જઈ રહ્યા હતા. તેમની તપાસ કરતા બાઈક પર રાખેલી મીણીયાની કોથળીમાંથી પ્લાસ્ટિકની આઠ થેલીઓમાં ભરેલો આશરે 45 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹9,000 આંકવામાં આવી છે, જ્યારે બાઈકની કિંમત ₹30,000 છે. આમ, કુલ ₹39,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે દારૂનો નમૂનો FSL તપાસ માટે સીલ કર્યો છે. આ મામલે બરવાળા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 81 અને 98(ઘ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અહીં ફરજ બજાવતા ડોક્ટર વિજય ઓડેદરા પર આક્ષેપ છે કે તેઓ દર્દીઓની તપાસ કર્યા વિના જ પ્રિસ્ક્રિપ્શન પર દવાઓના નામનો સિક્કો મારી દે છે. આ પદ્ધતિ સામે સામાજિક આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તપાસ વિના જ 'કોમન' દવાઓનો સિક્કો સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા સહિતના વક્તાઓએ આક્ષેપ કર્યો છે કે, અલગ-અલગ શારીરિક તકલીફો ધરાવતા દર્દીઓને ડોક્ટર તપાસ્યા વગર જ પેન ચલાવવાની તસ્દી લીધા વિના એક જ પ્રકારની દવાઓ પધરાવી દે છે. આડેધડ અપાતી આવી દવાઓથી ગરીબ દર્દીઓની કિડની કે લીવર પર ગંભીર અસર થઈ શકે છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધમકાવવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આરોગ્ય તંત્રનો બચાવ: સમય બચાવવા લીધો શોર્ટકટ આ વિવાદ અંગે પ્રાદેશિક આરોગ્ય અધિકારી (RD) એ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઓર્થોપેડિક વિભાગમાં આવતા 70% થી વધુ દર્દીઓને હાડકાની નબળાઈ કે સાંધાના દુખાવાની જ ફરિયાદ હોય છે. સિક્કામાં કેલ્શિયમ, વિટામિન અને એસિડિટી જેવી સામાન્ય દવાઓનો જ સમાવેશ થાય છે. વધુ સંખ્યામાં આવતા દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે અને લખવાનો સમય બચે તે હેતુથી આ પદ્ધતિ અપનાવાઈ હોઈ શકે છે. વધારાની દવાની જરૂર હોય તેવા દર્દીઓને અલગથી લખી આપવામાં આવે છે. જોકે, વિરોધને ધ્યાને રાખી તપાસની ખાતરી અપાઈ છે. આ ગંભીર આક્ષેપો બાદ હોસ્પિટલના આરોગ્ય અધિકારી દ્વારા આ મામલે ખુલાસો આપવામાં આવ્યો છે. જોકે, આ ખુલાસાની વિગતો જાહેર કરવામાં આવી નથી.
રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમો કડક બનશે ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના નિયમો કડક બનશે. લગ્ન માટે અરજી કરવા પર માતા-પિતાને જાણ કરાશે અને 40 દિવસ પછી જ મેરેજ સર્ટિફિકેટ મળશે.એક મહિના પછી આ નિયમો લાગુ પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌથી મોટું ગ્રીન AI ડેટા સેન્ટર ધોલેરામાં બનશે ધોલેરામાં દેશનું સૌથી મોટું ગ્રીન AI ડેટા સેન્ટર બનશે. દિલ્હીમાં ચાલી રહેલી 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં LT વ્યોમા અને ગુજરાત સરકાર વચ્ચે 25,000 કરોડના રોકાણના MOU થયા...250 મેગાવોટ હાઇપરસ્કેલ કેમ્પસ 2028માં કાર્યરત થશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'ચૂંટણી આવતા હાફ પોલિટિકલ પાર્ટી સક્રિય થઈ જાય છે' ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે.અમદાવાદમાં તેમણે કહ્યું ભાજપ સંપૂર્ણ પોલિટિકલ પાર્ટી છે.. ચૂંટણી આવતા જ હાફ પોલિટિકલ પાર્ટી સક્રિય થઈ જાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે હવે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બનવા માટે ફિક્સ પગારની નોકરીનો અનુભવ પણ માન્ય ગણાશે....અત્યાર સુધી અધ્યાપક સહાયક તરીકેની ફિક્સ પગારની નોકરી અનુભવમાં ગણાતી નહોતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વેશ્યાવૃત્તિને સમાજસેવા ગણાવતા નિવેદનથી વિવાદ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિ પર આપેલા નિવેદને વિવાદનો મધપૂડો છેડ્યો. તો જેની ઠુમરે પણ તેમના નિવેદનનો વિરોધ કરી મહિલાઓની માફી માગવાની વાત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રક અને ઈકો કારની ટક્કરમાં પાંચ લોકોના મોત વલસાડના કપરાડાના કુંભઘાટ પર પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર આંબા જંગલ ગામનો રહેવાસી હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારની ટક્કરે બાઈક સવારનું મોત ડીસા -થરાદ હાઈવે પર ફૂલસ્પીડમાં આવતી કારે બાઈકને ટક્કર મારી. બાઈક સવાર હવામાં ઉછળીને નીચે પટકાયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આત્મહત્યાના પ્રયાસની અફવાઓ પર સ્પષ્ટતા સુરતમાં ડિલીવરી બોય આત્મહત્યાનો પ્રયાસ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જો કે ડિલીવરી બોયે સ્પષ્ટતા કરી કે તે આત્મહત્યા નહોતો કરી રહ્યો, તેને ખેંચ આવી હતી અને તે બ્રિજ પરથી નીચે પટકાયો હતો.. 17 ફૂટની ઉંચાઈથી પડવા છતા તેનો આબાદ બચાવ થયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ- ભાવનગરથી મુંબઈની ફ્લાઈટ શરુ થશે હવે રાજકોટ અને ભાવનગરથી મુંબઈની ફ્લાઈટ શરુ થશે. માર્ચ મહિનાથી સવાર સાંજ બે ફ્લાઈટ માટે ટૂંક સમયમાં બુકિંગ ખુલશે. તો 29 માર્ચથી રાજકોટ મુંબઈ માટે દરરોજ સવારે વધુ એક ફ્લાઈટ મળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વહેલી સવારે માવઠું,લગ્નના આયોજનોમાં ભંગ આજે વહેલી સવારે સુરત, અંકલેશ્વર અને હાંસોટમાં વરસાદી ઝાપટું પાડ્યું.. લગ્નની સીઝન હોવાથી લોકોના આયોજનોમાં ભંગ પડ્યો હતો.. રાજ્ય પર અત્યારે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી માવઠું પડ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
આણંદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2025 દરમિયાન ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. સિવિલ સર્જન ડો. અમર પંડ્યા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 1,70,854 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત, 60,327 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. આ સમયગાળામાં હોસ્પિટલે 2,280 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવી હતી, જેમાં 30 ટકા હાઈ-રિસ્ક ડિલિવરીનો સમાવેશ થાય છે. વધુમાં, 1,032 મેજર ઓપરેશન અને 7.98 લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ પણ હાથ ધરવામાં આવ્યા હતા. કિડની ફેલ્યરના 700થી વધુ દર્દીઓને 24 કલાક ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, 1,478 નવજાત બાળકોને સઘન સારવાર માટે પેટીમાં રાખીને તેમનું જીવન બચાવવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓના અમલીકરણમાં પણ આણંદ સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ એક વર્ષમાં 2,500થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે મોંઘી સારવારનો લાભ મળ્યો હતો. વસ્તી નિયંત્રણ માટે 484 ફેમિલી પ્લાનિંગના ઓપરેશન અને 1,095 મહિલાઓને કોપર-ટી મૂકવાની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને ઓર્થોપેડિક સહિતની તમામ આધુનિક સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે. આ સેવાઓ રાજ્ય સરકારના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના લક્ષ્યને સાર્થક કરે છે.
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશને ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સામે ડોયરામાં હાજર ન રહી 8 લાખની છેતરપિંડી આચરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં બંને પક્ષે સમાધાન થઈ જતાં સાણંદ કોર્ટ દ્વારા દેવાયત ખવડને નિર્દોષ છોડી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. રોકડા 8 લાખ આપ્યા છતાં દેવાયત ખવડ હાજર રહ્યા નહોતાફરિયાદીએ ભગવતસિંહ ચૌહાણે પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે 20 ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. ફરિયાદીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમને અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યો નહોતો. દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈદેવાયત ખવડ અને તેમનો PA પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો. બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષે સમાધાન થતાં સાણંદ કોર્ટે કેસનો નિકાલ કર્યોબીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. આ કેસ સાણંદની કોર્ટમાં ચાલતો હતો. જેમાં ફરિયાદીએ ઉપસ્થિત થઈને સમાધાન થયું હોવાનું જણાવી આગળ કેસ ચલાવવા અનિચ્છા વ્યક્ત કરી હતી. જેથી સાણંદની કોર્ટે આ કેસનો નિકાલ કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન રદ્દ કરતા હાઈકોર્ટમાં અપીલઉલ્લેખનિય છે કે આ જ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના શરતોનો ભંગ કરવા બદલ આગોતરા જામીન રદ્દ કરી નાખ્યા હતા. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. તેની ઉપર 23 ફેબ્રુઆરી રોજ સુનવણી યોજાનાર છે.
અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026થી 11 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. જિલ્લાના કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને ગેરરીતિમુક્ત માહોલમાં સંપન્ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તથા કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવાનો છે. જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ અને ફેક્સ મશીનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા સમય દરમિયાન આ હદમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની અંદર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ વગેરે જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષાર્થીઓ અને ફરજ પરના સ્ટાફ સિવાય અન્ય કોઈ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ શાળાના આચાર્યના રૂમમાં સુરક્ષિત રાખી શકશે. પરીક્ષા દરમિયાન ચોરી કે નકલ કરાવવા અથવા તેમાં સહાય કરવા અંગે કડક મનાઈ છે અને લાઉડસ્પીકરનો ઉપયોગ પણ પ્રતિબંધિત છે. દરેક કેન્દ્ર પર ઝેરોક્ષ મશીન અને સ્કેનર સીલ કરવાની ફરજિયાત વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ હુકમ નિર્ધારિત પરીક્ષા તારીખોએ સવારે 09:30 થી બપોરે 02:30 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી, કેન્દ્ર સંચાલકો અને અમરેલી જિલ્લા પોલીસને જાહેરનામાના અમલ અને ભંગ બદલ પગલાં લેવા માટે સત્તાધિકૃત કરવામાં આવ્યા છે. જિલ્લામાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં આદિત્ય બિરલા કોવાયા (રાજુલા), પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ (અમરેલી) અને જવાહર નવોદય વિદ્યાલય (મોટા ભંડારીયા)નો સમાવેશ થાય છે. પરીક્ષાર્થીઓ, ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ, જાહેર માર્ગ પર પસાર થતાં મુસાફરો અને CBSEના અધિકૃત વાહનોને ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આણંદ જિલ્લા સેવા સદન ખાતે ACBએ લાંચનું છટકું ગોઠવી ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને એક વચેટિયાને ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. બાકરોલ ગામના એક અરજદારના પિતા અને તેમના કુટુંબીજનોના નામે આવેલી વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈની નોંધ નામંજૂર થઈ હતી. આ નોંધ મંજૂર કરાવવા માટે અરજદારે આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતનો સંપર્ક કર્યો હતો. તલાટી ગૌરવ રાજપૂતે નામંજૂર થયેલી નોંધને મંજૂર કરવા માટે ₹1,20,000ની લાંચની માંગણી કરી હતી. અરજદારે અગાઉ Google Pay દ્વારા ₹30,000 તલાટીને ચૂકવ્યા હતા.ત્યારબાદ, અપીલની પ્રક્રિયા શરૂ કરવા માટે તલાટી રાજપૂતે અરજદાર પાસેથી ફરીથી ₹10,000ની લાંચ માંગી હતી. બાકીના ₹80,000 વારસાઈ નોંધ મંજૂર થયા બાદ આપવાના હતા. અરજદારે લાંચ આપવા ન માંગતા આણંદ ACB કચેરીનો સંપર્ક કર્યો હતો. આણંદ ACB કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. રાજપૂતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતે અરજદારને લાંચની રકમ વચેટિયા બદરૂદ્દીન મલેકને આપવા જણાવ્યું હતું. જિલ્લા સેવા સદન બહાર ચાની લારી પાસે વચેટિયા બદરૂદ્દીન મલેકે અરજદાર પાસેથી ₹10,000ની લાંચ સ્વીકારતા જ ACB પોલીસે તેને અને તલાટી ગૌરવ રાજપૂતને રંગે હાથે ઝડપી લીધા હતા. ACB પોલીસે આરોપી ગૌરવ રાજેશકુમાર રાજપૂત (રેવન્યુ તલાટી, વર્ગ-3, મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય, રહે. 3, આધ્યાપાર્ક સોસાયટી, પેટલાદ-ઈસરામા રોડ, પેટલાદ) અને વચેટિયા બદરૂદ્દીન શરફુભાઈ મલેક (રહે. મલેકવાડી, બોરીયાવી) વિરુદ્ધ લાંચ રૂશ્વત નિયંત્રણ ધારા હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસે સંગઠિત ગુનાખોરી ડામવા માટે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે. વર્ષોથી વિદેશી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલી મુસ્તાક ઉર્ફે બાઠુની ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCTOC) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી સામે છેલ્લા 10 વર્ષમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 55 જેટલા ગુના નોંધાયેલા છે. આંતરરાજ્ય નેટવર્ક અને કાળા નાણાનો ખેલ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં સામે આવ્યું છે કે, ગેંગ લીડર મુસ્તાક ચૌહાણ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને દિવ-દમણ જેવા રાજ્યોમાંથી ગેરકાયદે દારૂ મંગાવી વેરાવળ અને પ્રભાસ પાટણ પંથકમાં વેચતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા કરોડો રૂપિયાના કાળા નાણાંની હેરાફેરી થતી હતી, જેના પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવતો ન હતો. 8 આરોપીઓ સામે શિકંજો વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં કુલ 8 આરોપીઓનો સમાવેશ થાય છે. જેમાંથી 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ અગાઉના ગુનાઓમાં જેલના સળિયા પાછળ છે. આ ગેંગના સભ્યો છેલ્લા એક દાયકાથી સક્રિય રહી ગુનાહિત સામ્રાજ્ય ચલાવતા હતા. હાલ આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.
સુરતના કતારગામ વિસ્તારમાંથી થોડા સમય પહેલા એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ગુન્હામાં સંડોવાયેલો અને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇ આખરે પાટણના વાગડોદ ગામેથી ઝડપાઇ ગયો છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. પોતાની આ ટેક્નિકલ જાણકારીનો ઉપયોગ તેણે ગેરકાયદેસર ઓનલાઇન બેટિંગ સાઇટ્સના કરોડો રૂપિયાના ફંડ ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો. આ રેકેટમાં અત્યાર સુધીમાં કરોડોની છેતરપિંડી અને 800 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. 800 કરોડના ટ્રાન્ઝેક્શન્સ અને 402 ફરિયાદોનો પર્દાફાશસાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં કરવામાં આવેલી સર્ચ ઓપરેશન દરમિયાન લેપટોપ, મોબાઇલ અને અનેક બેંક ચેકબુક મળી આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આ ટોળકી દ્વારા સંચાલિત 149 જેટલા જુદા-જુદા બેંક એકાઉન્ટમાં કુલ 8,00,66,51,326.33 (આશરે 800 કરોડ) જેટલી માતબર રકમના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ અંગે NCRP પોર્ટલ પર દેશભરમાંથી કુલ 402 જેટલી ફરિયાદો નોંધાયેલી હતી, જે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલું વિશાળ અને ફેલાયેલું હતું. MSC.IT પાસ બેરોજગાર યુવાન બન્યો સાયબર માફિયાઆ કેસમાં સૌથી આઘાતજનક બાબત આરોપીની શૈક્ષણિક લાયકાત છે. પાટણના વાગડોદનો રહેવાસી 33 વર્ષીય કરણ દેસાઇ MSC.IT થયેલો છે. ઉચ્ચ અભ્યાસ હોવા છતાં તે બેરોજગાર હતો અને શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં તે આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાઈ ગયો હતો. તેણે પોતાની ટેક્નિકલ આવડતનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા અને ફંડ મેનેજમેન્ટમાં કર્યો હતો. સાયબર ક્રાઇમ રેકેટના બેંગકોક અને વિયેતનામ સાથે જોડાયેલા હતા તારપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ રેકેટના તાર વિદેશો સાથે જોડાયેલા છે. અગાઉ પકડાયેલ આરોપી જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર બેંગકોક અને વિયેતનામમાં રહીને BIG IDEA, OPS, DAFA અને PARIMATCH જેવી 50થી વધુ ઓનલાઇન બેટિંગ સાઇટ્સનું સંચાલન કરતો હતો. આ સાઇટ્સ પરથી આવતા પૈસાને ઠેકાણે પાડવા માટે તેણે ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. 'Leopay155' ફ્રેન્ચાઇઝી દ્વારા ફંડનું લોન્ડરિંગજતીન ઠક્કર દ્વારા ગેરકાયદે ફંડ ટ્રાન્સફર કરવા માટે જુદી-જુદી ફ્રેન્ચાઇઝીઓ આપવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઇએ 'leopay155' નામની ફ્રેન્ચાઇઝી મેળવી હતી. આ ફ્રેન્ચાઇઝીનો ઉપયોગ કરીને તે ગેમિંગ અને બેટિંગનું ફંડ મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો. બાદમાં તેણે આ કામ તેના સહ-આરોપી મીત શાહને સોંપ્યું હતું, જે ફંડ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને અંજામ આપતો હતો. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈઆ કૌભાંડમાં સુરત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર ઉપરાંત મીત શાહ, યશ શિંદે, રૂષિકેશ સપકાળ, નિલેશ સોલંકી, પરેશકુમાર મોદી અને દીપકુમાર ઠક્કરનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સુરત, અમદાવાદ, પાટણ અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના રહેવાસી છે. જેઓ અલગ-અલગ ભૂમિકા ભજવી આ આખા રેકેટને ચલાવતા હતા. કોર્ટે આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાપાટણથી ઝડપાયેલા કરણ દેસાઇને સુરત લાવી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ 800 કરોડ રૂપિયા ક્યાં મોકલવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા ટેક્નિકલ માસ્ટરમાઇન્ડ સામેલ છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરી, 2026 થી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાનારી SSC અને HSC (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો આ જાહેરનામાનો મુખ્ય હેતુ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ હદમાં પરીક્ષાર્થીઓ અને અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ બિન-અધિકૃત વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. જાહેરનામા મુજબ, પરીક્ષા દરમિયાન આ વિસ્તારમાં આવેલી તમામ ઝેરોક્ષની દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાની રહેશે. ઉપરાંત, પરીક્ષામાં અવરોધ ઊભો કરે તેવા લાઉડસ્પીકરના ઉપયોગ પર અને પરીક્ષાર્થીઓનું ધ્યાન ભંગ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવવામાં આવી છે. ચોરી અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનું સાહિત્ય, નકલ, પુસ્તકો કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, પેજર કે વોકી-ટોકીના ઉપયોગ અને વહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે. પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ તેમજ પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા તમામ સ્ટાફને આ અંગે ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના પતિ વિનોદભાઈ પેઢડીયા દ્વારા શહેરના સામાકાંઠે સંત કબીર રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં કરવામાં આવેલા બાંધકામનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સૂચિત જમીન ઉપર પ્લાન મંજૂરી વગર બાંધકામ કરવાના આક્ષેપો સાથે મહાપાલિકાની ટીપી (ટાઉન પ્લાનિંગ) શાખાએ આ બાંધકામ અટકાવીને નોટિસ ફટકારી છે. આ ઘટનાને પગલે ભાજપના આંતરિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે, મેયર હોય કે સામાન્ય માણસ નિયમ બધા માટે સરખા હોય છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ મામલે જણાવ્યું હતું કે, કાયદો અને નિયમો દરેક નાગરિક માટે સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજકોટના પ્રથમ નાગરિક હોય કે સામાન્ય શહેરીજન, નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આ મામલે તંત્રએ પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ પણ આપી છે. પક્ષ કાયદાકીય પ્રક્રિયામાં કોઈ દખલગીરી કરશે નહીં. વિનોદભાઈએ ટીપી શાખા સમક્ષ પોતાના દસ્તાવેજો રજૂ કરવા પડશે અને જો બાંધકામ નિયમ વિરુદ્ધ જણાશે તો તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાંમાં પક્ષ રોકટોક કરશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંગઠન કે સરકારમાં કાયદો અને નિયમો દરેક નાગરિક માટે એકસમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજકોટના પ્રથમ નાગરિક હોય કે શહેરનો સામાન્ય માણસ, સરકારી નીતિ-નિયમોનું પાલન કરવું દરેકની નૈતિક અને કાયદેસરની ફરજ છે. ટીપી શાખાએ જે નોટિસ આપી છે તે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને તંત્ર જે કંઈ પણ પગલાં લેશે તેમાં ભાજપ સંગઠન ક્યાંય વચ્ચે આવશે નહીં કે કોઈ રોકટોક કરશે નહીં. જોકે મેયર દ્વારા આ જગ્યા તેમને વારસામાં મળેલી હોય તેવું જણાવવામાં આવ્યું છે. છતાં સૂચિત જમીનમાં કોઈ બાંધકામ થઈ શકે નહીં. મેયરના પતિએ જે બાંધકામ કર્યું છે તે અંગે ટીપી શાખા દ્વારા નોટિસ આપી બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે. તેમણે હવે ટીપી શાખામાં પુરાવાઓ સાથે જવાબ રજૂ કરવો પડશે. તેમણે ઉમેર્યું કે, પક્ષમાં આ બાબતે ચર્ચા થઈ છે અને જે મુજબ તંત્ર નિર્ણય લેશે તેનું પાલન કરવાનું રહેશે. તંત્ર દ્વારા થયેલી કાર્યવાહી બાદ જો કસૂરવાર સાબિત થશે તો પક્ષમાં ઉપર સુધી જાણ કરવામાં આવશે, ત્યારબાદ પક્ષ દ્વારા શુ પગલાં લેવા તે નક્કી કરવામાં આવશે. બીજી તરફ, મેયર નયનાબેન પેઢડીયા આજે યોજાયેલી ભાજપ સંકલન સમિતિની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા, જે અંગે તેમણે જણાવ્યું હતું કે પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી તેઓ હાજર રહી શક્યા નહોતા. ગઈકાલે જ મેયરે પક્ષના હોદ્દેદારો અને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, જે જમીન પર બાંધકામ થઈ રહ્યું છે તે તેમની પૈતૃક મિલકત છે અને તેની પાસે તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે. અમે કોઈની એક વેત જમીન પણ દબાવી નથી. આ આક્ષેપો કરીને મેયર પદ અને એક મહિલાની ગરિમાને પણ ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રકરણમાં પક્ષ તરફથી શિસ્તભંગના પગલાં લેવાશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં માધવ દવેએ જણાવ્યું કે, હાલ આ મામલો વહીવટી પ્રક્રિયા હેઠળ છે. તંત્રના અંતિમ નિર્ણય અને રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ બાદ જ પક્ષ સ્તરે કોઈ વિચારણા કરવામાં આવશે. ત્યારે આ વિવાદ હવે માત્ર ગેરકાયદે બાંધકામ પૂરતો મર્યાદિત ન રહેતા રાજકોટ ભાજપમાં જૂથવાદ તરીકે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ તરસમિયા રોડ પર આવેલ મહાદેવનગર ની બાજુમાં આવેલ ખારસીની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ, આ આવાસ યોજના માંથી 33 ભાડુઆત ઝડપાતા હાલ તંત્ર દ્વારા ભાડુઆત અને મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસની મુદત આપવામાં આવી છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મૂળ લાભાર્થીઓના સ્થાને ભાડુઆત અગર બંધ હાલતમાં આવાસ જોવા મળતા હોય છે ત્યારે આ આવાસ યોજનાનો લાભાર્થીઓ ખરા અર્થમાં લાભ લઈ શકે તે માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી અને ટીમ દ્વારા સમય સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે આજરોજ તરસમિયા રોડ મહાદેવનગર ની બાજુમાં આવેલ ખારસીની સામે આવેલ 2548 ઇડબલ્યુએસ 1 પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 48 માં કુલ 92 આવાસ આવેલા છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર એન.બી વઢવાણિયાએ જણાવ્યું હતું કે, તપાસ હાથ ધરતા 92 પૈકી 33 આવાસમાં ભાડુઆત અને 35 આવાસમાં લાભાર્થીઓ તેમજ 24 આવાસ બંધ હાલતમાં મળી આવેલ આથી અધિકારીઓ દ્વારા ભાડુઆતોને નોટિસ ફટકારી સાત દિવસની અંદર આવાસ ખાલી કરી દેવા મુદત આપવામાં આવી છે જો સાત દિવસ બાદ પણ આવાસ ખાલી કરવામાં નહીં આવે તો મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, કુલ 33 ભાડૂઆત પૈકી 16 આવાસોનાં મુળ લાભાર્થી દ્વારા દંડની રકમ, સોસાયટી એન.ઓ.સી. અને બાંહેધરી વિભાગ ખાતે રજૂ ન કરતા ભાડૂઆત આવાસ ખાલી ન કરાવેલ હોવાનું પ્રસ્થાપીત ગણીને આ કુલ 16 આવાસોને આજરોજ રોજ સિલીંગ કરવામાં આવેલ છે ઉપરાંત સિલીંગનો દંડ ફટકારવામાં આવેલ છે, તેમજ આવાસ યોજનામાં સતત ચાલતા ચેકિંગ ને પગલે ભાડું ખાતા લાભાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
પાટણનું નવનિર્મિત બસ સ્ટેશન ઝડપથી કાર્યરત કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધહેમ સરસ્વતી ફાઉન્ડેશન દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના નવા બસ સ્ટેશનને તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી હતી. સિદ્ધહેમ સરસ્વતી ફાઉન્ડેશનના પ્રમુખ અશોક રાવલે પણ આ મુદ્દે ધારાસભ્ય સાથે ચર્ચા કરી હતી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ફાઉન્ડેશન દ્વારા શહેરની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ વતી બિન-રાજકીય રીતે પ્રજાલક્ષી કામો માટે શહેરી વિકાસ કમિશનર, ગાંધીનગરને પણ રજૂઆત કરવામાં આવશે. આ અંગે અશોક રાવલે ગાંધીનગર ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ચર્ચા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટૂંક સમયમાં જ નવીન બસ સ્ટેશન શરૂ કરવા માટે સહમતિ દર્શાવી છે, તેમ અશોક રાવલે વધુમાં જણાવ્યું હતું.

29 C