SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:28 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:પાલનપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. પાલનપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:26 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:વ્યારા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. વ્યારા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:22 pm

નવી મુંબઈના વેપારીએ ₹16.68 લાખની ઠગાઈ કરી:ઊંઝા ગંજબજારના વેપારી પાસેથી જીરાનું ખરીદી કરી પેમેન્ટ ન કર્યુ, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

ઊંઝા ગંજબજારના એક વેપારી સાથે નવી મુંબઈના શખ્સે વિશ્વાસ કેળવી 16.68 લાખ રૂપિયાની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચેક જમા કરાવ્યાની ખોટી રસીદ મોકલી પેમેન્ટ થઈ ગયું હોવાનો ડોળ કરી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. ઊંઝાની શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા અને ગંજબજારમાં 'એશિયન સ્પાઇસીસ' નામે પેઢી ધરાવતા અશોકન રામાસ્વામી ગાઉન્ડર સાથે આ ઘટના બની છે. તેમની ઓફિસના સેલ્સ એક્ઝિક્યુટિવ આકાશ શર્માએ ઇન્ડિયા માર્ટ પર 'જીયા ઇમ્પેક્ષ' નામની પેઢીની જાહેરાત જોઈ હતી. આ પેઢીના માલિક બિપીન પટેલે શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે 1 ટન જીરાનો ઓર્ડર આપી તેનું 2.35 લાખ રૂપિયાનું પેમેન્ટ રોકડેથી બેંકમાં જમા કરાવ્યું હતું. પ્રથમ વ્યવહાર સમયસર પૂર્ણ કરીને આરોપીએ ઊંઝાના વેપારીનો ભરોસો જીતી લીધો હતો. કેવી રીતે આચરી ઠગાઈ?પ્રથમ ઓર્ડરના સફળ વ્યવહાર બાદ બિપીન પટેલે વધુ 7 ટન જીરાની માંગણી કરી હતી. જે મુજબ ઊંઝાના વેપારીએ 16.68 લાખ રૂપિયાની કિંમતનું 280 બેગ જીરું ટ્રક મારફતે નવી મુંબઈ (વાસી) ખાતે મોકલી આપ્યું હતું. માલ મળી ગયા બાદ આરોપીએ બેંકમાં ચેક ભર્યાની રસીદનો ફોટો વોટ્સએપ પર મોકલી પેમેન્ટ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે, લાંબા સમય સુધી ખાતામાં નાણાં જમા ન થતા વેપારીએ તપાસ શરૂ કરી હતી. વેપારીએ પોતાના પુત્ર અને ભત્રીજાને નવી મુંબઈ મોકલ્યા હતા. ત્યાં બેંકમાં તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, બિપીન પટેલે ચેક જમા કરાવ્યા બાદ બેંક કર્મચારી પાસે 'બીજે પેમેન્ટ કરવાનું છે' તેમ કહી ચેક પરત મેળવી લીધો હતો. આરોપીએ માત્ર ફોટો પાડવા ખાતર જ રસીદ ભરી હતી. ઠગાઈનો અહેસાસ થતા વેપારીએ બિપીન પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ હતો અને ઓફિસ પણ બંધ મળી આવી હતી. અંતે અશોકન રામાસ્વામીએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બિપીન પટેલ (રહે. નવી મુંબઈ) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:14 pm

પંચમહાલ SOGએ બે વોન્ટેડ આરોપીઓને દબોચ્યા:ગોધરા રાયોટીંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર હતા

પંચમહાલ SOG પોલીસે ગોધરા રાયોટીંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ SOG ટીમે બે અલગ-અલગ ઓપરેશન પાર પાડી આ સફળતા મેળવી છે. આ આરોપીઓ ગોધરા ટાઉન 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા હતા અને લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યા હતા. SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાની સૂચના મુજબ કાર્યરત ટીમને બાતમી મળી હતી કે રાયોટીંગના ગુનાનો વોન્ટેડ આરોપી સાદ ઈસ્માઈલ બલકી (રહે. ગુહ્ના મહોલ્લા, ફેઝ-એ-આમ મસ્જિદ પાસે, ગોધરા) મોતીબાગ પાર્ટી પ્લોટ પાસે હાજર છે. પોલીસે ત્યાંથી તેને દબોચી લીધો હતો. ત્યારબાદ, ટીમને મળેલી બીજી બાતમીના આધારે વધુ એક આરોપી દાનિશ મુસ્તાક બોકડા (રહે. હુદા મસ્જિદ પાસે, વેજલપુર રોડ, ગોધરા) ને ગોધરા મહોલ્લા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:14 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:12 pm

ગેસ ગોડાઉનમાં બ્લાસ્ટ,3નાં મોત:ભાજપ ઓફિસ સામેથી ઓવૈસીનો ચૂંટણી શંખનાદ, ટ્રેનના પાટામાં ઘૂસી ગયો યુવક, હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

ઉમેદવારોને ફાઈનલ કરવા બેઠકોનો દોર સેન્સ પ્રક્રિયા બાદ રાજકોટ કોંગ્રેસે 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કર્યાની ચર્ચા..આવતીકાલે કોંગ્રેસ પ્રથમ લિસ્ટ જાહેર કરશે..અને 4 દિવસમાં તબક્કાવાર તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના મહેમાન બન્યા અસદુદ્દીન ઓવૈસી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદમાં..ખાનપુરના જે.પી. ચોકમાં આવેલા ભાજપ કાર્યાલયની સામે સભા યોજી ચૂંટણીનો શંખનાદ કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયા જંગની સંભાવના પાટીદાર પ્રભુત્ત્વ ધરાવતી ઉમરેઠ વિધાનસભા પેટચૂંટણીમાં ત્રિપાંખીયા જંગની સંભાવના. આમ તો મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે જ છે પરંતું હવે આમા જયંત પટેલ બોસ્કીની એન્ટ્રીથી ત્રીજું ફેક્ટર પણ ઉભું થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સસ્પેન્ડેડ કોર્પોરેટરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો રાજકોટમાં વોર્ડ નં.6ના ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ પતિ સાથે કોંગ્રેસમાં જોડાયા.. ભ્રષ્ટાચાર અને નાણાની લેતીદેતીનો વીડિયો વાયરલ થતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં આજે RR અને GT વચ્ચે મેચ અમદાવાદમાં આઈપીએલ 2026ની પહેલી મેચ ..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે RR અને GT વચ્ચે મુકાબલો. ગુજરાતની પણ તેના હોમગ્રાઉન્ડમાં પહેલી મેચ છે, જેને લઈને ફેન્સ પણ ઉત્સાહિત છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં બ્લાસ્ટ,3 ના મોત દાદરા નગર હવેલીના સેલવાસના ડેમ વિસ્તાર નજીકમાં આવેલા નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થયો...આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા અને 8 ઘાયલ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ ટ્રેનમાં ચડવા જતા પાટામાં ઘૂસી ગયો યુવક સુરતમાં ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરતો એક યુવક પાટામાં ઘૂસી ગયો અને અડધી મિનિટ સુધી ટ્રેન તેના પરથી પસાર થતી રહી.. જો કે રેલવે પોલીસની સર્વેલન્સ ટીમની સમયસૂચકતાથી યુવકનો બચાવ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટોડા જીઆઈડીસીમાં રબરના ગોડાઉનમાં આગ રાજકોટના મેટોડા GIDCમાં આવેલા રબરના ગોડાઉનમાં આગ લાગી.. આગ એટલી ભયાનક હતી કે ધૂમાડો એક કિમી દૂર સુધી ફેલાયો હતો..ફાયરની પાંચ ટીમો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જાહેરમાં દાતરડાથી યુવકનો હુમલો સુરતના ડીંડોલીમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર દાતરડાથી હુમલો કરવામાં આવ્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા રાજ્ય પર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં હજુ વરસાદી માહોલ યથાવત રહેશે.. સાત એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 6:00 pm

અમરોલીમાં ટ્યુશનથી ઘરે જતી ધો.8ની વિદ્યાર્થિનીની છેડતી:માસૂમ દીકરીનો પીછો કરી અજાણ્યા શખસે કહ્યું- 'ચાલ મારી ગાડીમાં બેસી જા', પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક 13 વર્ષીય કિશોરી જ્યારે પોતાના ટ્યુશન ક્લાસીસથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક અજાણ્યા બાઈક સવાર શખ્સે તેની જાહેરમાં છેડતી કરી બીભત્સ માંગણી કરી હતી. આ મામલે કિશોરીના પરિવારજનોએ હિંમત દાખવી અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ટ્યુશનથી ઘરે જતી વેળાએ બાઈક સવારે પીછો કર્યોઆ બનાવની વિગત એવી છે કે, અમરોલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય કિશોરી ગત તારીખ 3/4/2026ના રોજ રાબેતા મુજબ સવારે પોતાના ટ્યુશન ક્લાસીસ પર ગઈ હતી. સવારે 10:30 વાગ્યાના અરસામાં ટ્યુશન પતાવીને તે ચાલતી પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યો શખસ બાઈક લઈને તેની પાછળ પડ્યો હતો. નિર્જન રસ્તાનો લાભ લઈ આ શખસે કિશોરીની નજીક આવી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાલ આપણે ફરી આવીએ કહી નિર્લજ્જ માંગણી કરીજ્યારે કિશોરી પોતાની સોસાયટીના જાહેર રોડ પર પહોંચી ત્યારે બાઈક સવાર અજાણ્યા શખસે તેની એકદમ નજીક આવીને રોકતા કહ્યું હતું કે, ચાલ, મારી ગાડીમાં બેસી જા. અચાનક બનેલી આ ઘટનાથી કિશોરી ગભરાઈ ગઈ હતી પરંતુ તેણે મૌન જાળવી ચાલવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, વિકૃત માનસ ધરાવતા આ શખ્સે હિંમત હારી નહોતી અને ફરીથી તેની પાસે આવીને છેડતી કરતા કહ્યું હતું કે, ચાલ આપણે ફરી આવીએ. આ પ્રકારની નિર્લજ્જ હરકતોને કારણે કિશોરી અત્યંત ભયભીત થઈ ગઈ હતી. ગભરાયેલી કિશોરીએ ઘરે પહોંચી માતાને આપવીતી જણાવીઆ શખ્સની સતત હેરાનગતિથી બચવા કિશોરી તાત્કાલિક ઘરે પહોંચી ગઈ હતી. ઘરે પહોંચતા જ તેની હાલત જોઈ માતાને શંકા જતા પૂછપરછ કરી હતી. ગભરાયેલી દીકરીએ રડતા-રડતા રસ્તામાં બનેલી તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી. દીકરી સાથે બનેલી આ ઘટના સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રસ્તા પર આ રીતે દીકરીઓની છેડતી કરતા આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. અમરોલી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરીપરિવારના સભ્યોએ અમરોલી પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે અજાણ્યા શખસ વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાલમાં સોસાયટી અને રસ્તા પર લાગેલા CCTV ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી બાઈક નંબરના આધારે આરોપીની ઓળખ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:58 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:ભરૂચ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. ભરૂચ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:56 pm

ભરૂચમાં મતદાર જાગૃતિ અભિયાનને વેગ:હોલી એન્જલ્સ સ્કૂલમાં નાગરિકોને મતદાનની સમજ સાથે પ્રતિજ્ઞા લેવડાવી

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1 એપ્રિલે કરવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા 26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાઓ માટેની ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ મતદાન પ્રક્રિયા માટે વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલને સ્વીપ (SVEEP) નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ સંદર્ભે, ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલી હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને નાગરિકોને મતદાનના મહત્વ અંગે માહિતગાર કરાયા હતા. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. દિવ્યેશ પરમાર દ્વારા મતદાન પ્રક્રિયાની વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમણે દરેક નાગરિકને મતદાનમાં સક્રિય ભાગ લેવા અને જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામને મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:55 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:આણંદ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. આણંદ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:52 pm

ચમકાવી દેવાના નામે દાગીના સાફ કરનાર 2 શખસને ઝાડે બાંધ્યા:સ્થાનિકોએ રંગેહાથ બંનેને ઝડપી મેથીપાક ચખાડ્યો, વાયુવેગે વાત પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા

પાટણના જયવીરનગર વિસ્તારમાં વાસણ અને દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી કરતા બે શખ્સોને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. વાસણ અને દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડીનો પ્રયાસ કરતા બે શખ્સોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા છે. આ બંનેને ઝાડ સાથે બાંધી પોલીસને સોંપવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ શખ્સો વિસ્તારમાં ફરીને વાસણ સાફ કરી આપવાના બહાને મહિલાઓનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ કિંમતી દાગીના સાફ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની શંકા સ્થાનિકોને ગઈ હતી. મહિલાઓને નિશાન બનાવવાની પેરવી કરતા આ ગઠિયાઓને જાગૃત નાગરિકોએ રંગેહાથ પકડી પાડ્યા હતા. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ બંને શંકાસ્પદ ઈસમોને ઝાડ સાથે બાંધી દીધા હતા. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ ઝડપેલા બંને શખ્સોને પોલીસે કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:52 pm

સાબરકાંઠા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાયદો-વ્યવસ્થા જાળવવા નિર્ણય

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે, સાબરકાંઠા કલેકટર દ્વારા શનિવારે 11 જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને આચારસંહિતાનો ભંગ અટકાવવાનો છે. તેના અમલ માટે સંબંધિત વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા કલેકટર નારાયણસિંગ સાદુ દ્વારા જાહેર કરાયેલા આદેશો મુજબ, ચૂંટણી દરમિયાન જાહેરમાં હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરવાનેદાર હથિયાર ધારકોએ તેમના હથિયારો જમા કરાવવા પડશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર પાંચ વ્યક્તિઓ અને વધુમાં વધુ ત્રણ વાહનોને જ પ્રવેશ મળશે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે વાહનોની પરમિટ મેળવવી ફરજિયાત રહેશે. ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતપત્રો, હોર્ડિંગ્સ, પ્લેકાર્ડ, કટઆઉટ સહિતના પ્રચારના અન્ય સાધનો કે બોર્ડ જાહેર કે ખાનગી મિલકત પર પ્રદર્શિત કરવા માટે નિર્ધારિત માર્ગદર્શક નિયમોનું પાલન કરવું પડશે. ચોપાનીયા અને ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો અને પ્રકાશકો જો નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધિની વિગતો સંબંધિત વિભાગને આપવી પડશે. મતગણતરી કેન્દ્ર અને તેની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તેમજ તમામ મતદાન કેન્દ્રોની અંદર અને તેની 100 મીટરના અંતરમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચૂંટણીવાળા વિસ્તારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પણ પ્રતિબંધ રહેશે. જાહેરસભા, સરઘસ કે વાહનો પર ગોઠવેલા લાઉડસ્પીકરના ઉપયોગ માટે તંત્ર પાસેથી જરૂરી મંજૂરી મેળવવી ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:51 pm

પોરબંદર મહાનગરપાલિકાએ વનાણામાં નવી આંગણવાડી માટે દબાણ હટાવ્યું:ગેરકાયદેસર બાંધકામ દૂર કરી બાળકો માટે સુવિધાસભર કેન્દ્ર બનશે

પોરબંદર મહાનગરપાલિકાએ વનાણા ગામમાં નવી આંગણવાડી બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગામમાં આવેલી જૂની આંગણવાડી જર્જરિત અને અયોગ્ય હાલતમાં હોવાથી, બાળકો માટે સુવિધાસભર નવું કેન્દ્ર બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ (વહીવટ) અને ટાઉન પ્લાનર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે ગામના ચોકમાં આવેલી પ્રાથમિક શાળા પાસેની પાળીયાવાળી જગ્યા, ઢાળીયાવાળો રૂમ અને ખુલ્લો વંડો વનાણા ગામતળની માલિકીની જગ્યા છે. આ જગ્યા પર હરજી રાજા ઓડેદરા દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. દબાણ કરનાર તરફથી અરજી રજૂ કરાઈ હતી, પરંતુ માલિકી હકના કોઈ માન્ય પુરાવા રજૂ થયા ન હતા. રજૂ કરાયેલા દસ્તાવેજો પણ સહી વિનાના હતા. આ સ્થળ નવી આંગણવાડી માટે અત્યંત અનુકૂળ જણાયું હતું. તે ગામના કેન્દ્રમાં આવેલું હોવાથી નાના બાળકો સરળતાથી પહોંચી શકે છે. ઉપરાંત, ખુલ્લી જગ્યાની સુવિધા બાળકોને રમવા માટે પૂરતી જગ્યા પૂરી પાડશે. મહાનગરપાલિકાના રિપોર્ટના આધારે કમિશનર એચ. જે. પ્રજાપતિએ દબાણ દૂર કરવાની મંજૂરી આપી હતી. તારીખ 04/04/2026 ના રોજ સવારે 11:00 થી 12:00 દરમિયાન ઉદ્યોગનગર પોલીસ બંદોબસ્ત સાથે ઢાળીયાવાળા રૂમનું દબાણ દૂર કરવામાં આવ્યું. દબાણ કરનાર વ્યક્તિએ સ્થળ પર હાજર રહીને બે દિવસમાં કમ્પાઉન્ડ વોલ પણ દૂર કરવાની ખાતરી આપી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના એસ્ટેટ અધિકારી હિતેશભાઈ ગોરસીયાએ જણાવ્યું કે, આ ખાતરીને ધ્યાનમાં રાખીને હાલની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:46 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:43 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:શામળાજી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. શામળાજી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:41 pm

પશ્ચિમ રેલવે શરૂ કરશે અસારવા-કાનપુર વિશેષ સાપ્તાહિક ટ્રેન:યાત્રીઓની સુવિધા માટે એપ્રિલથી જુલાઈ સુધી સંચાલન થશે

પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને અસારવા અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન સંચાલિત થશે. ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન 07 એપ્રિલ 2026 થી 14 જુલાઈ 2026 સુધી દર મંગળવારે અસારવાથી સવારે 08:55 કલાકે ઉપડશે. તે બીજા દિવસે બુધવારે સવારે 07:00 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા વિશેષ ટ્રેન 06 એપ્રિલ 2026 થી 13 જુલાઈ 2026 સુધી દર સોમવારે કાનપુર સેન્ટ્રલથી સવારે 08:15 કલાકે પ્રસ્થાન કરશે. આ ટ્રેન બીજા દિવસે મંગળવારે સવારે 05:45 કલાકે અસારવા પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશાઓમાં હિંમતનગર, શામળાજી રોડ, ડૂંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી જંકશન, ચંદેરિયા, માંડલગઢ, બૂંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના જંકશન, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઇદગાહ, ટુંડલા જંકશન, ફિરોજાબાદ અને ઇટાવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 2 ટિયર એસી, 3 ટિયર એસી, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ માટે રિઝર્વેશન 05 એપ્રિલ 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:40 pm

કોંગ્રેસ દ્વારા 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી:ગોધરા નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત ઉમેદવારોની પસંદગી માટે બેઠક

ગોધરા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ દ્વારા કમર કસવામાં આવી છે. ગોધરા નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા આજે ગોધરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા જિલ્લા પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પક્ષ દ્વારા સક્ષમ અને લોકપ્રિય ઉમેદવારોની પસંદગી કરવા માટે આ લોકશાહી ઢબે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બેઠકમાં ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો પાસેથી તેમના અભિપ્રાય અને દાવેદારીઓ લેવામાં આવી હતી. નગરપાલિકાના વિવિધ વોર્ડ અને પંચાયતની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્સ પ્રક્રિયાના અંતે તૈયાર થયેલ રિપોર્ટ પ્રદેશ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે. ત્યારબાદ, પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા અંતિમ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:37 pm

ભોળાનાથનો ભક્ત બની સિફતપૂર્વક ચોરી, CCTV:લુણાવાડાના જેસિંગપુરમાં શિવ મંદિરમાં ગઠિયાએ પહેલા પ્રણામ કર્યા, પછી દાનપેટી ઉઠાવી ફરાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક આવેલા જેસિંગપુર ગામના એક પૌરાણિક શિવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં પ્રવેશીને ભગવાનને પ્રણામ કર્યા બાદ દાનપેટીની ચોરી કરનાર શખસની સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ચોરી 1 એપ્રિલના રોજ સવારે આશરે 11:30 વાગ્યે બની હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, એક અજાણ્યો શખસ મોટરસાઈકલ પર મંદિર આવ્યો હતો. મંદિરમાં પ્રવેશતા પહેલા તેણે શ્રદ્ધાળુની જેમ ભગવાન મહાદેવને પ્રણામ કર્યા હતા અને ત્યારબાદ તક જોઈને દાનપેટી ઉઠાવી લીધી હતી. ચોર દાનપેટી લઈને મંદિર પાસેના સ્મશાન તરફના રસ્તે ફરાર થઈ ગયો હતો. 3000ની મત્તાની ચોરીમંદિરમાં પૂજા-અર્ચનાની જવાબદારી સંભાળતા અમિતકુમાર સેવકે 2 એપ્રિલના રોજ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દાનપેટીમાં આશરે 3000 રૂપિયાની રોકડ રકમ હતી. ઉલ્લેખનીય છે કે, આ મંદિરમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને પરિવારના સભ્યો વારાફરતી એક-એક મહિનો સેવા પૂરી પાડે છે. સ્થાનિકોમાં ચિંતાજેસિંગપુરના આ પૌરાણિક મંદિરમાં અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો. અગાઉની ઘટનામાં તસ્કરોએ જળાધારીની ચોરી કરી હતી અને સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું. ધાર્મિક સ્થળ પર વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં રોષ અને સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. હાલ લુણાવાડા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:35 pm

સાબરકાંઠામાં જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા: 16614 વિદ્યાર્થીઓ હાજર:73 કેન્દ્રો પર યોજાઈ, 3087 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

સાબરકાંઠા જિલ્લામાં જ્ઞાનસાધના સ્કોલરશીપની પરીક્ષા 73 કેન્દ્રો પર યોજાઈ હતી. કુલ 19,655 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 16,614 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 3,087 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને અન્ય વર્ગના તેજસ્વી બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમના પરિવારને આર્થિક મુશ્કેલી ન ભોગવવી પડે તે હેતુથી આ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત, સરકારી કે અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરનાર અથવા RTE હેઠળ ખાનગી શાળામાં ભણેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ પરીક્ષા શનિવારે સાબરકાંઠાના હિંમતનગર અને ઇડર ઝોનમાં યોજાઈ હતી. હિંમતનગર ઝોનમાં 32 કેન્દ્રો અને 318 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી, જ્યારે ઇડર ઝોનમાં 41 કેન્દ્રો અને 373 બ્લોકમાં તેનું આયોજન થયું હતું. સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹22,000 અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹25,000ની સ્કોલરશીપ મળશે. ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો માટે વાર્ષિક ₹3,000 અને સંસ્થાને ₹6,000ની સહાય અપાશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:34 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:નવસારી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. નવસારી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:33 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ડખ્ખા, એસજી હાઈવે હિટ એન્ડ રનમાં યુવકનું 7 દિવસ બાદ મોત

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:30 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:29 pm

મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની નિમણૂક:નયનભાઈ અઘારાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા વરણી

મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારાની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. અગાઉ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. તેઓ ગત ટર્મમાં મોરબી જિલ્લા પંચાયતની રવાપર સીટ પરથી વિજેતા બનીને સભ્ય બન્યા હતા અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 2010-15 દરમિયાન તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે અને વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની આ વરણીને આવકારી છે. કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક નિધનને કારણે કોઈ પણ પ્રકારની ઉજવણી વિના સાદગીથી તેમણે પદભાર સંભાળ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના કાર્યોમાં લાગી ગયા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:28 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ:આહવા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર; 26 એપ્રિલે મતદાન, 28 તારીખે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. સાથે ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. આહવા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:23 pm

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: સરકારી વિશ્રામગૃહના ઉપયોગ પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આગામી એપ્રિલ-૨૦૨૬ દરમિયાન યોજાનારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે હેતુથી સરકારી મિલકતોના ઉપયોગ પર નિયંત્રણો મૂકે છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આવેલા સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકો અને તેની સાથે જોડાયેલા આંગણ કે કમ્પાઉન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના ચૂંટણી એજન્ટો રાજકીય હેતુ કે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે કરી શકશે નહીં. આવા સ્થળોએ રાજકીય પક્ષોની પ્રાસંગિક મીટિંગો યોજવા પર તેમજ ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના પાર્કિંગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વધુમાં, ચૂંટણી પ્રચાર અર્થે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ કે અતિથિગૃહમાં રૂમ ફાળવવામાં આવશે નહીં. જોકે, જે રાજકીય પદાધિકારીઓને 'Z' કક્ષાની કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હોય, તેમને આ નિયમમાંથી મુક્તિ આપી રૂમ ફાળવી શકાશે, પરંતુ તેઓ રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં. આ જાહેરનામું તા. ૨૮/૪/૨૦૨૬ સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ખાનગી તેમજ જાહેર મિલકતોના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક જાહેરનામા અનુસાર, કોઈપણ પ્રકારની જાહેર મિલકત કે ખાનગી મિલકતનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામા હેઠળ, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ, સંગઠન કે તેમના કાર્યકરોએ કોઈપણ વ્યક્તિની ખાનગી મિલકત કે મકાન પર તેના માલિકની લેખિત પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર માટેના પોસ્ટર ચોંટાડવા, લખાણ લખવું, પ્રતીકો ચીતરવા કે ધ્વજ-પતાકા લગાવવા પર સંપૂર્ણ મનાઈ છે. તેવી જ રીતે જાહેર રસ્તાઓ, સરકારી મકાનો, વીજળીના થાંભલા, કમ્પાઉન્ડની દીવાલો કે જાહેર જનતાની સગવડ માટેના સાઈન બોર્ડ અને માઈલ સ્ટોન જેવી જાહેર મિલકતોનો પણ ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. જાહેર મિલકત એટલે જાહેર મકાનો, માર્ગો, મહત્વના ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ પરના માઈલ પથ્થરો, રેલવે ફાટકના ચેતવણીના બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મિનલના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલી કોઈ અન્ય નોટિસ કે સાઈન બોર્ડનો સમાવેશ થશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે તા. 30/4/2026૩ના 24:00 કલાક સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ 'ગુજરાત પોલીસ અધિનિયમ-1951'ની કલમ-૧૩૫ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:18 pm

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ:શહેરમાં 28,819 અને ગ્રામ્યમાં 19,016 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 25 હજાર વિદ્યાર્થીઓને મેરીટના આધારે સ્કોલરશીપ અપાશે

રાજ્યભરમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે રાજ્યમાં 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. તેમજ અમદાવાદ ગ્રામ્યમાં કુલ 19,016 જેટલા વિદ્યાર્થીઓ અને અમદાવાદ શહેરમાં કુલ 28,819 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બાદ હવે રાજ્યના 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ માટે આર્થિકરૂપે મદદરૂપ થશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈધોરણ 9થી 12ના અભ્યાસ માટે આર્થિકરૂપે મદદરૂપ થતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાઈ હતી. રાજ્ય પરીક્ષા દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઈ હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. જેથી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓના ચહેરા ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ પરીક્ષા સેન્ટર પર કોઈ ગેરરીતિ ન થાય તે રીતે પરીક્ષા યોજાઈ હતી. તેમજ સીસીટીવીની દેખરેખ હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે મેરીટના આધારે 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે એ પ્રકારની તમામ વ્યવસ્થાસી.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલ ધવલભાઈએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા યોજવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને બે પેપર આપવાના છે. જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તે તમામ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી મુખ્યમંત્રી જ્ઞાન સાધના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવશે. દરેક વર્ષ દરમિયાન સ્કોલરશીપ આપવામાં આવશે. 'ખૂબ તૈયારી કરી છે આશા છે કે સારું પરિણામ આવે અને સ્કોલરશીપ મળે'વિદ્યાર્થીની પ્રગતિએ જણાવ્યું હતું કે, હું 8માં અભ્યાસ કરું છું. અત્યારે જ્ઞાન સાધના માટેની પરીક્ષા આપવા માટે આવી છું. પરીક્ષા માટે ખૂબ તૈયારી કરી છે જેથી આશા છે કે સારું પરિણામ આવે અને મને સ્કોલરશીપ મળે. દરરોજ ચારથી પાંચ કલાક સુધી અભ્યાસ કર્યો છે. જો સ્કોલરશીપ મળશે આગળ ભણવા માટે મદદરૂપ થશે. 'પુસ્તક સહિતનો ખર્ચ સ્કોલરશીપમાંથી નીકળી શકશે'ઝાલા તમન્નાએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરી છે જેથી પેપર સારું જાય તેવી આશા છે. જો સ્કોલરશીપ મળશે તો આગળના અભ્યાસ માટે ઘણો બધો ફાયદો થવાનો છે. પુસ્તક સહિતનો ખર્ચ સ્કોલરશીપમાંથી નીકળી શકશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:12 pm

ઓરવાડાની આરોગ્યમ હોસ્પિટલને NABH માન્યતા મળી:પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં પ્રથમ હોસ્પિટલ બની

ગોધરા તાલુકાના ઓરવાડા સ્થિત આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ (NABH) દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. આ માન્યતા મેળવનારી તે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓની પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ બની છે. ખાસ કરીને, હોસ્પિટલને કેન્સર અને યુરોલોજી વિભાગમાં NABHની વિશેષ મંજૂરી મળી છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન દોઢ વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. NABH માન્યતા એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અપાતું ઉચ્ચ કક્ષાનું પ્રમાણપત્ર છે. તે હોસ્પિટલમાં અપાતી સારવારની ગુણવત્તા, દર્દી સુરક્ષા, વ્યવસ્થાપન અને આધુનિક સારવાર પદ્ધતિઓને રાષ્ટ્રીય ધોરણો મુજબ માન્યતા આપે છે. આ માન્યતાથી દર્દીઓને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળવાની ખાતરી મળે છે. આ સાથે જ, આરોગ્યમ હોસ્પિટલ હવે રાષ્ટ્રીય સ્તરની હોસ્પિટલોની શ્રેણીમાં સ્થાન પામી છે. હોસ્પિટલ દ્વારા દર્દી કેન્દ્રિત સેવાઓ, અનુભવી તબીબોની ટીમ અને આધુનિક ટેકનોલોજી દ્વારા વિસ્તારના લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે આ સિદ્ધિ માટે સમગ્ર તબીબી અને સ્ટાફ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ આપવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:11 pm

વેરાવળમાં રવિવારે 6 કલાક વીજ પુરવઠો બંધ રહેશે:જાલેશ્વર ફીડર સમારકામને કારણે અનેક વિસ્તારોમાં વીજળી નહીં મળે

વેરાવળ શહેરમાં રવિવારે, 5 એપ્રિલે, સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL ની વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડર પર આવશ્યક સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ સમારકામને કારણે શહેરના નવા રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાર્ટર્સ સહિત આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL અધિકારીઓના મતે, વીજ લાઈનની સુરક્ષા અને ભવિષ્યમાં નિરંતર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ જાળવણી અને સમારકામની કામગીરી આવશ્યક છે. આ સમયગાળા દરમિયાન વીજ ગ્રાહકોને અસુવિધાનો સામનો કરવો પડશે. રવિવાર હોવાથી ઘરેલુ તેમજ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર તેની અસર પડી શકે છે. નાના વેપારીઓ, દુકાનદારો અને ઘરગથ્થુ ગ્રાહકોને અગાઉથી તૈયારી રાખવા સૂચના અપાઈ છે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈપણ પૂર્વ સૂચના વિના ફરી શરૂ કરવામાં આવશે. તેથી, નાગરિકોને વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અને અનાવશ્યક રીતે ચાલુ ન રાખવા અનુરોધ કરાયો છે. PGVCL ના નાયબ ઈજનેરે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે અને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:07 pm

ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારીયાને હાઈકોર્ટની મોટી રાહત:લલિત કગથરાની ચૂંટણી રદ કરવાની અરજી ફગાવી; ચૂંટણી ફોર્મમાં ભૂલો કાઢી, જીતને પડકારતી અરજી દાખલ કરી હતી

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મોરબીની ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથારિયાની જીતને પડકારતી કોંગ્રેસ નેતા લલિત કગથરાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. લલિત કગથરાએ ભાજપના ધારાસભ્યના ચૂંટણી ફોર્મમાં સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો, ઇન્કમટેક્સ રિટર્ન અને મિલકતોની સ્પષ્ટતામાં ગંભીર છબરડા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને રજૂ કરવામાં આવેલા તથ્યોને ધ્યાને રાખીને આ આક્ષેપોને ક્ષુલ્લક ગણાવ્યા હતા અને લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધની આ અરજી નકારી કાઢીને દુર્લભજી દેથારિયાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. લલિત કગથરાએ ટંકારા બેઠક પરથી કોંગ્રેસમાં ઝંપલાવ્યું હતુંકોંગ્રેસ નેતા લલિત કગથરાએ વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોરબીના ટંકારા બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમની સામે ભાજપમાંથી દુર્લભજી દેથારીયા ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથારીયા ટંકારાથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ગંભીર છબરડા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાઆ ચૂંટણીમાં ભાજપના દુર્લભજી દેથારીયાને 83,274 વોટ, જ્યારે કોંગ્રેસના લલિત કગથરાને 73,083 વોટ મળ્યા હતા. આમ ભાજપ આશરે 10 હજાર જેટલા વોટથી વિજેતા બન્યું હતું. જો કે ભાજપના જીતેલા ઉમેદવાર દુર્લભજી દેથારીયાના ચૂંટણી ફોર્મમાં કેટલીક રીતે વિસંગતતાઓના આક્ષેપને લઈને લલિત કગથરાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. એકાઉન્ટની વિગતો, ઇન્કમટેક્સ રિટર્ન અને મિલકતોની વિગતમાં અસ્પષ્ટતાજેમાં જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવારે પોતાના ફોર્મમાં તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે જણાવ્યું ન હતું, તેમના પાછળના વર્ષોના ઇન્કમટેક્સ રિટર્નમાં સ્પષ્ટ રીતે વર્ષો લખવામાં આવ્યા ન હતા, તેમાં ક્રિમિનલ કેસો અંગે જગ્યામાં ફક્ત લાઇન(ડૅશ) કરવામાં આવી હતી. મિલકતો અને ચૂંટણી ખર્ચ વિશે સ્પષ્ટતા નહોતી. કેટલીક જગ્યાઓ ખાલી છોડી હતી જ્યારે કેટલીક જગ્યાઓમાં ટીક કરાયું નહોતું. હાઈકોર્ટે લલિત કગથરાની અરજી નકારીદુર્લભજી દેથારીયા વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ 10 હજાર વોટથી જીત્યા છે. હારનાર પ્રતિધ્વંધી દ્વારા નાના અને સામાન્ય આક્ષેપો કરાયા છે. જ્યારે પ્રજાએ મત આપીને MLA બનાવ્યા હોય ત્યારે કોઈ ખોટી રજૂઆત થઈ શકે નહીં કે સ્વીકારી પણ શકાય નહીં. હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ અને લલિત કગથરાના આક્ષેપોને વિસ્તૃત રીતે જોઈને ચુકાદો દુર્લભજી દેથારીયા તરફે આપતા લલિત કગથરાની અરજી નકારી નાખી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:06 pm

મીરાપૂર પાસે બાઇક સ્લીપ થતા યુવાન ગંભીર ઘાયલ:સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો

પંચમહાલ જિલ્લાના મીરાપૂર ગામ નજીક આજે એક માર્ગ અકસ્માત થયો હતો. બાઇક સ્લીપ થતાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અભરામપટેલના મુવાડા ગામના રહેવાસી મુકેશ નાયક પોતાના મોટરસાઈકલનો હપ્તો ભરવા માટે શહેરા જઈ રહ્યા હતા. મીરાપૂર ગામ પાસેથી પસાર થતી વખતે તેમનું બાઇક અચાનક સ્લીપ થઈ ગયું હતું. બાઇક પરથી કાબૂ ગુમાવતા મુકેશભાઈ રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મુકેશની ગંભીર હાલત જોતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 5:01 pm

આત્મહત્યા દુષ્પ્રેરણા અને લાંચ કેસમાં આરોપીઓ નિર્દોષ:જ્યારે અકસ્માત કેસમાં બાઈક સવારને જેલમાં ધકેલાયો, સુરત વિવિધ અદાલતો દ્વારા ત્રણ મહત્વના ચુકાદા

સુરત વિવિધ અદાલતો દ્વારા તાજેતરમાં ત્રણ મહત્વના ફોજદારી કેસોમાં ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2016ના ચકચારી આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં પુરાવાના અભાવે ત્રણ ભાઈઓનો છૂટકારો થયો છે, તો બીજી તરફ વલસાડ રેલ્વે સ્ટેશન પર હપ્તા વસૂલીના 14 વર્ષ જૂના એસીબી કેસમાં આરપીએફ જવાનને નિર્દોષ જાહેર કરાયા છે. જોકે, કતારગામમાં બેદરકારીથી બાઈક ચલાવી અકસ્માત સર્જનાર યુવક પ્રત્યે કોર્ટે કડક વલણ અપનાવી તેને ત્રણ માસની કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે. પુરાવાના અભાવે હડિયા બંધુઓનો આત્મહત્યા કેસમાં છૂટકારો2016માં પુણાગામ વિસ્તારમાં વેપારી મનુ લુબા શિસારાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ કેસમાં મૃતકની પત્ની મુક્તાબેને આરોપી બિજલ હડિયા, નાનુ હડિયા અને ધનજી હડિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અને જમીનના વિવાદમાં ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેને મુખ્ય પુરાવો ગણવામાં આવતો હતો. જોકે, સુરત કોર્ટમાં ચાલેલી ઈન્સાફી કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષ સબળ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. બચાવ પક્ષના વકીલ ગૌતમ દેસાઈ અને ચેતન શાસ્ત્રીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું કે મરણ નોંધ અંગેના પુરાવા શંકાસ્પદ છે, પરિણામે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 14 વર્ષ બાદ આરપીએફ જવાન લાંચના કેસમાં દોષમુક્તવલસાડ રેલ્વે સ્ટેશન પર 2010માં પાઉં-વડાના ફેરિયા પાસે ધંધો કરવા માટે મહિને 500નો હપ્તો માંગવાના આરોપમાં ફસાયેલા આરપીએફ કોન્સ્ટેબલ રણજીતસિંહ સિંઘને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ACBના છટકામાં કોન્સ્ટેબલ ઝડપાયા હોવાનો દાવો હતો. બચાવ પક્ષના વકીલ ઈલ્યાસ પટેલે દલીલ કરી હતી કે, લાંચની માંગણી સાબિત થતી નથી અને ફરિયાદીની જુબાનીમાં અનેક વિરોધાભાસ છે. કોર્ટે અવલોકન કર્યું કે માત્ર નોટો પરના નિશાન ગુનો સાબિત કરવા પૂરતા નથી, જ્યાં સુધી લાંચની સ્પષ્ટ માંગણી પુરવાર ન થાય. લાંબા કાયદાકીય જંગ બાદ જવાનને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ સેફ્ટી અંગે કોર્ટનું કડક વલણ: અકસ્માત કેસમાં સજાકતારગામ લલિતા ચોકડી પાસે વર્ષ 2011માં પુરઝડપે બાઈક હંકારી અન્ય ચાલકને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી ક્રિષ્ના પ્રકાશ મૈરાલેને ત્રણ માસની સાદી કેદની સજા કરી છે. આ અકસ્માતમાં ભોગ બનનારને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. કોર્ટે આરોપીને પ્રોબેશનનો લાભ આપવાનો ઈનકાર કરતા મહત્વની ટિપ્પણી કરી હતી કે જાહેર રસ્તાઓ પર વધતી જતી વાહનોની સંખ્યા વચ્ચે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું એ અન્યના જીવને જોખમમાં મૂકવા સમાન છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. સ્યુસાઈડ નોટ માત્ર એક પુરાવો, નક્કર સાબિતી અનિવાર્યહડિયા બંધુઓના કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આત્મહત્યાના કેસમાં માત્ર સ્યુસાઈડ નોટ હોવી પૂરતી નથી. કાયદાકીય દૃષ્ટિએ એ સાબિત કરવું જરૂરી છે કે આરોપીઓએ મૃતકને એવી પરિસ્થિતિમાં મૂક્યા હતા કે તેમની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ કેસમાં ફરિયાદ પક્ષ એ સાબિત કરી શક્યો નથી કે આરોપીઓના કયા કૃત્યથી મૃતક ઉશ્કેરાયા હતા. સાક્ષીઓની ઉલટતપાસ અને દસ્તાવેજી પુરાવાઓમાં રહેલી ક્ષતિઓને કારણે 8 વર્ષ જૂના આ કેસમાં આરોપીઓનો વિજય થયો છે. એસીબી ટ્રેપમાં માંગણી સાબિત કરવી અનિવાર્યભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળના કેસોમાં કોર્ટનો અભિગમ હંમેશા પુરાવાલક્ષી રહ્યો છે. વલસાડના કેસમાં કોર્ટે નોંધ્યું કે ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉની દુશ્મનાવટ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કોઈ પણ લાંચના કેસમાં 'માંગણી, સ્વીકૃતિ અને રકમની રિકવરી' એ ત્રણેય પાસાઓ સાબિત થવા જોઈએ. આ કેસમાં ફરિયાદી પક્ષે માંગણીના પાસામાં કાચું કાપતા આરપીએફ જવાનને શંકાનો લાભ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:57 pm

સૂર્યાને ધૂરંધરની ધૂન લાગી, ડાન્સનો VIDEO વાઇરલ:બાંગ્લાદેશે પલટી મારી, BCCIને પગે પડ્યું; યુવરાજસિંહે ધોની અને કપીલ દેવની માફી કેમ માગી?

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:55 pm

મહારાષ્ટ્રના વિદ્યાર્થીનો 'સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટ’ના છઠ્ઠા માળેથી આપઘાત:વાઘોડિયાની ખાનગી યુનિ.માં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતો, કારણ અકબંધ

શિક્ષણના હબ ગણાતા વડોદરા શહેરમાં આજે વહેલી સવારે એક આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાઘોડિયા વિસ્તારની એક ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. મિત્રો અને રહીશોમાં દોડધામમૂળ મહારાષ્ટ્રના પૂણેનો વતની સાઈરાજ અરુણભાઈ હરાલ (ઉં.વ. 21) તેના મિત્રો સાહિલ અને રીતેષ સાથે બાપોદ પોલીસ મથકની હદમાં આવેલા માધવપુરા ગામના 'સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટ'માં ભાડે રહેતો હતો. આજે વહેલી સવારે સાઈરાજે અચાનક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના રહીશો જાગી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં સાઈરાજને જોઈ તેના મિત્રોને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસ શરૂસાઈરાજ વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બાપોદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:54 pm

પોક્સોનો નાસતો આરોપી ઝડપાયો:​જૂનાગઢમાં દુષ્કર્મના ગુનામાં નાસતો ફરતો શખ્સ બનાસકાંઠાથી ઝડપાયો, પેરોલ ફર્લો સ્કવોડનો સપાટો,

​જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત એક્શન લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે, જેમાં પોક્સો અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપી. દસરથ ઉર્ફે ડુગરો હાલ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ આરોપી દસરથ ઉર્ફે ડુગરો બાબુભાઇ સોલંકી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ અતિ ગંભીર ગણાતા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તેની શોધખોળ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતો ફરતો હતો. પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ યુ.એમ.વેગડા અને તેમની ટીમ જિલ્લાના એવા તમામ આરોપીઓ પર નજર રાખી રહી હતી જેઓ પેરોલ, ફર્લો અથવા વચગાળાના જામીન પરથી ફરાર થયા હોય અથવા ગુનાના કામે પોલીસને હાથ તાળી આપી રહ્યા હોય. આ તપાસ દરમિયાન પેરોલ ફલો ટીમને બાતમી મળી કે, આ કેસનો મુખ્ય આરોપી દસરથ ઉર્ફે ડુગરો હાલ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામના સીમાડે આવેલા તેના રહેણાક મકાને છુપાયેલો છે. ​બાતમી મળતાની સાથે જ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ સ્થાનિક નેટવર્કની મદદથી ઓપરેશન પાર પાડવા માટે બનાસકાંઠા તરફ રવાના થઈ હતી. પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે પહોંચીને તપાસ કરતા આરોપી દસરથ ઉર્ફે ડુગરો બાબુભાઇ સોલંકી ત્યાં હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા, તેણે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનાની કબુલાત કરી હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ધરપકડના ડરથી લાંબા સમયથી છુપાઈને રહેતો હતો. ​આરોપી ઝડપાઈ ગયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેને હસ્તગત કર્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીને વધુ તપાસ અને જેલ હવાલે કરવાની પ્રક્રિયા માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:53 pm

સુરતના ઉદ્યોગો અને કારીગરોની ગેસ સમસ્યા ઉકેલાશે:સચિન-પલસાણામાં નવી લાઇન નાંખવા અને માત્ર 7 દિવસમાં કનેક્શન આપવા મહત્વનો નિર્ણય

સુરતમાં ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા અને કારીગરોને સરળતાથી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શનિવાર, 4 એપ્રિલ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અઠવા લાઇન્સ સ્થિત સરકીટ હાઉસ ખાતે ગુજરાત ગેસના મેનેજિંગ ડિરેકટર અવંતિકા સિંઘ (IAS)ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કારીગરોની હિજરત અટકાવવા સિલિન્ડરની વ્યવસ્થાજિલ્લા પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, HPCL, BPCL અને IOCLના ડિલરો દ્વારા 5 કિલો અને 3 કિલોના નાના ગેસ સિલિન્ડરનો સપ્લાય શરૂ કરાયો છે. ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને આ સુવિધા આપવા માટે એકમોએ પોતાના લેટરહેડ પર કારીગરના નામ અને આધારકાર્ડની નકલ સાથે અરજી કરવાની રહેશે. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ કારીગરોને પડતી મુશ્કેલી દૂર કરી તેમની હિજરત અટકાવવાનો છે. વધુમાં, કંપનીઓના જૂના સિલિન્ડરોનું રિપ્લેસમેન્ટ પણ કરી આપવામાં આવશે. નવા ગેસ કનેક્શનની પ્રક્રિયામાં મોટો ઘટાડોઉદ્યોગો માટે રાહતના સમાચાર આપતા પીએનજી પાઇપલાઇન કનેક્શનની પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવવામાં આવી છે. અગાઉ જે પ્રક્રિયામાં 45 દિવસ લાગતા હતા, તેને ઘટાડીને હવે માત્ર 7 દિવસ કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં હજુ ગેસ લાઇન પહોંચી નથી, તેની વિગતો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત ગેસને સોંપવામાં આવશે જેથી કામગીરી આગળ વધી શકે. ઔદ્યોગિક વિસ્તારોમાં નેટવર્ક વિસ્તારવા રજૂઆતધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ સચિન, પલસાણા, પાંડેસરા, કિમ–પીપોદરા, સાયણ અને માંગરોળ જેવા વિસ્તારોમાં વહેલી તકે ગેસ લાઇન નાંખવા રજૂઆત કરી હતી. સાથે જ, જ્યાં લાઇન નખાઈ ગઈ છે પરંતુ મીટરના અભાવે ગેસ સપ્લાય બંધ છે, ત્યાં તાત્કાલિક મીટર લગાવી સપ્લાય શરૂ કરવા માગ કરી હતી. ગુજરાત ગેસ તરફથી આ તમામ રજૂઆતો પર સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં વિજય મેવાવાલા, મિતિષ મોદી, આશીષ ગુજરાતી, અતુલ પટેલ, પૌલિક દેસાઈ અને વિનોદ અગ્રવાલ સહિતના ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:22 pm

લીમખેડામાં ટ્રાફિકજામની સમસ્યાથી નગરજનો પરેશાન:રોડ પર આડેધડ પાર્કિંગ અને લારીઓના દબાણથી વાહનચાલકોને હાલાકી

લીમખેડામાં ટ્રાફિકની સમસ્યા હવે માત્ર અગવડતા નહીં પણ લોકોને માથાના દુખાવો સાબિત થઈ રહી છે. નગરના સાંકડા રેલવે ગરનાળા અને ઝાલોદ રોડ પર સર્જાતા ટ્રાફિક જામમાં અગાઉ અનેક વખત ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો ફસાઈ હોવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર કે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને આડેધડ પાર્કિંગના કારણે સર્જાતી આ આપત્તિમાં નિર્દોષ નાગરિકોએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રેલવે ગરનાળું અને ઝાલોદ રોડ બન્યા ટ્રાફિકના એપી સેન્ટર લીમખેડાના ઝાલોદ રોડથી લઈને હરિહર સ્કૂલ સુધીનો વિસ્તાર જાણે વાહનોના વરઘોડામાં ફેરવાઈ જાય છે. ખાસ કરીને રેલવે ગરનાળું અત્યંત સાંકડું હોવાથી સામસામે વાહનો ભરાઈ પડે છે. એક તરફની લાઈન ક્લિયર કરાવવા માટે કોઈ ટ્રાફિક પોલીસકે ટીઆરબી જવાન કે જવાબદાર પોલીસ હાજર હોતી નથી. જો આ જામમાં એમ્બ્યુલન્સ ફસાય, તો પાછળથી વાહનો હટાવવાની કોઈ જગ્યા રહેતી નથી. આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ટ્રાફિક પોલીસના પૂરતા પોઈન્ટ ફાળવવામાં આવ્યા નથી, જેને કારણે જનતામાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:08 pm

અમરેલીના સૂર્યપ્રતાપગઢની મહિલાઓએ 1,111 શ્રીફળનું કીડીયારું પૂર્યું:શ્રીફળોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલનું ખાસ મિશ્રણ ભરાયું; 251 ચકલીઘરનું વિતરણ, ઉત્સવ જેવો માહોલ

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે જીવદયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામની મહિલાઓએ એકત્રિત થઈને મૂંગા જીવો પ્રત્યે સંવેદના દાખવી 1,111 શ્રીફળમાં કીડીયારું પૂરવા સહિત 251 ચકલીઘરના વિતરણનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. આ દરમિયાન ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. 5 દિવસની મહેનત અને વૈજ્ઞાનિક અભિગમઆ સેવાકીય પ્રવૃત્તિ માટે ગામની મહિલાઓએ 5 દિવસ સુધી સખત પરિશ્રમ કર્યો હતો. કુલ 1,111 શ્રીફળોને ડ્રિલ મશીન વડે ચોકસાઈપૂર્વક કાણાં પાડી તૈયાર કરવામાં આવ્યા હતા. કીડીઓના પૌષ્ટિક આહાર માટે આ શ્રીફળોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલનું ખાસ મિશ્રણ ભરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં સીમ ભણી પ્રયાણભરબપોરે આકરા તાપની પરવા કર્યા વગર સમસ્ત મહિલા શક્તિ ટ્રેક્ટરની લારીમાં શ્રીફળ ભરીને સીમ વિસ્તાર તરફ રવાના થઈ હતી. વાજતે-ગાજતે અને ભક્તિમય ધૂન સાથે નીકળેલી આ યાત્રાએ ધાર્મિક ઉત્સવ જેવો માહોલ સર્જ્યો હતો. ખેતરો અને સીમમાં જ્યાં કીડીઓના દર હતા, ત્યાં આ શ્રીફળો મૂકીને અબોલ જીવોની જઠરાગ્નિ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ જતન માત્ર જમીન પરના જીવો જ નહીં, પરંતુ આકાશમાં વિહરતા પક્ષીઓની પણ ગ્રામજનોએ ચિંતા કરી છે. લુપ્ત થતી જતી ચકલીઓને આશરો આપવા માટે 251 ચકલીઘર તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી. કીડીથી લઈને હાથી સુધીના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવો એ જ સાચો ધર્મ છે.— પુનિતાબેન, સ્થાનિક અગ્રણી આ ભગીરથ કાર્યમાં ગામના યુવાનો અને વડીલોએ પણ સહયોગ આપ્યો હતો. સૂર્યપ્રતાપગઢની મહિલાઓની આ જીવદયા પ્રેમી પ્રવૃત્તિની હાલ સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 4:02 pm

47.74 કરોડનું આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્ક ઝડપાયું:B.Sc. પાસ 22 વર્ષીય યુવાન સાયબર ઠગ ગેંગનો 'કેશ કલેક્ટર' નીકળ્યો, કાઉન્ટિંગ મશીન, 40 સીમકાર્ડ, 18.50 લાખની રોકડ જપ્ત

સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે ખાતાઓના ઉપયોગથી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતી હતી. પોલીસે આ મામલે ડિંડોલી વિસ્તારમાંથી એક 22 વર્ષીય B.Sc. પાસ યુવાનની ધરપકડ કરી છે, જે આ સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની કડી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ ગેંગ દ્વારા દેશભરમાં આશરે 47.74 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. ગેરકાયદે બેંક એકાઉન્ટ ખોલી ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેતાસુરત સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, ભાવેશ શિંદે અને હરીશ ચૌધરી નામના શખસો પોતાના સાગરીતો સાથે મળીને એક મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ગેંગ ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવતી હતી. એકાઉન્ટ ખુલ્યા બાદ, તેની ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ કિટ્સ અને સીમકાર્ડ સીધા દુબઈ મોકલવામાં આવતા હતા, જ્યાંથી સાયબર ગુનેગારો ઓનલાઇન છેતરપિંડીના નાણાં ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. પકડાયેલો આરોપી ગેંગમાં 'કેશ કલેક્ટર' તરીકે કામ કરતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી ભાવેશ મનોજભાઈ શિંદે (ઉ.વ. 22) જે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને B.Sc. સુધીનો અભ્યાસ કરી રહ્યો છે, તે આ ગેંગમાં 'કેશ કલેક્ટર' તરીકે કામ કરતો હતો. જ્યારે સાયબર ફ્રોડના નાણાં ભારતીય ખાતાઓમાં જમા થતા, ત્યારે અલગ-અલગ લોકો દ્વારા તે રકમ ATM કાર્ડથી વિડ્રો કરવામાં આવતી હતી. ભાવેશનું કામ આ તમામ રકમ એકત્રિત કરી મુખ્ય સૂત્રધાર હરીશ ચૌધરી સુધી પહોંચાડવાનું હતું. કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સીમકાર્ડ પણ જપ્ત કરાયાડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે ડિંડોલીના કૈલાસ પેલેસમાં રહેતા ભાવેશ શિંદેના ઘરે રેડ કરી હતી. ત્યારબાદ ફરાર આરોપી હરીશ ચૌધરીના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને હરીશના ઘરેથી 18.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત, ગુનામાં વપરાતા 9 મોબાઈલ ફોન, કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. 35 બેંક ખાતાઓમાં 47 કરોડથી વધુનું ટ્રાન્જેક્શનપોલીસને તપાસ દરમિયાન 35 જેટલા એવા બેંક એકાઉન્ટની માહિતી મળી છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, NCCRP (National Cyber Crime Reporting Portal) પર આ 35 ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 47 કરોડ 74 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. આ આંકડો હજુ પણ તપાસમાં વધી શકે તેવી શક્યતા છે. બે ફરાર મુખ્ય આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીઆ કેસમાં હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી નામના બે મુખ્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ડીસીપી જૈને વધુમાં ઉમેર્યું હતું કે, આ બંને આરોપીઓ અગાઉ 4 વર્ષ પહેલાં ED દ્વારા નોંધાયેલા એક મોટા ગેમિંગ કૌભાંડમાં પણ સામેલ હતા. તેમનો ગુનાહિત ઇતિહાસ જોતા આ એક વ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હોવાનું જણાય છે. હાલમાં પોલીસ આ બંને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:47 pm

જિ.પં, તા.પં. અને નપાની ચૂંટણી માટે પણ ભાજપમાં દાવેદારોનો રાફડો:જિલ્લા પંચાયતની 34 બેઠક માટે 260, તાલુકા પંચાયતની 170 બેઠક માટે 772 અને નગરપાલિકાની 112 બેઠક માટે 376 દાવેદારો

વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજવાની છે. ભાજપ દ્વારા તેની પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 316 બેઠકો માટે 1408 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લાની 8 તાલુકા પંચાયતની ચૂંટણીવડોદરા જિલ્લાની વડોદરા, ડેસર, સાવલી, વાઘોડિયા, ડભોઇ, પાદરા, કરજણ અને શિનોર એમ કુલ 8 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયતની આઠેય તાલુકા પંચાયતોમાં કુલ 170 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. જેમાં સૌથી વધુ બેઠકો વડોદરા તાલુકા પંચાયતમાં છે, વડોદરા તાલુકા પંચાયતની 30 બેઠકો છે. આ તમામ બેઠકો ઉપર ભાજપના 772 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. 4 નગરપાલિકામાં 376 દાવેદારોવડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઇ અને પાદરા નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ ચાર નગરપાલિકાઓમાં કુલ 112 બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 376 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ડભોઇની સૌથી વધુ 36 બેઠકો માટે 138 દાવેદારો છે. તો સાવલીની 24 બેઠકો માટે 63, વાઘોડિયાની 24 બેઠકો માટે 64 અને પાદરાની 28 બેઠકો માટે 11 દાવેદારો નોંધાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસાકસીપૂર્ણ રહેશેવડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાટો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ગ્રામ્ય કક્ષાએ પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે આગામી એક મહિના સુધી ઉનાળાની ગરમી કરતા પણ રાજકીય ગરમી વધુ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:46 pm

વડોદરાના સ્વામી પરિવારે પાટણમાં હવન-યજ્ઞ કર્યો:શ્રી સમેળા માતાજી મંદિરે વાર્ષિક સમૂહ યજ્ઞ યોજાયો

પાટણ: વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ શનિવારે પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર ખાતે વાર્ષિક સમૂહ હવન-યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પવિત્ર હવન-યજ્ઞમાં વડોદરાના ભરતભાઈ, જયેશભાઈ, અરવિંદભાઈ, લાલાભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, તુષારભાઈ, ભીખાભાઈ અને રાજેશભાઈ સહિતના સ્વામી પરિવારના સભ્યો યજમાન પદે બિરાજમાન થયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ અને શ્રી સમેળા માતાજી મંદિર સમિતિના સેવક શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ અને પુજારી નિતિનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ આ સહયોગ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:42 pm

નાલેજ સિંચાઈ કેનાલો જર્જરિત, ખેડૂતો પાણીથી વંચિત:છોટાઉદેપુરના ચાર ગામોમાં 500 હેક્ટર જમીનને અસર, ઉનાળુ પાક મુશ્કેલ

છોટાઉદેપુર તાલુકાના નાલેજ સહિત ચાર ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. જર્જરિત કેનાલોને કારણે ખેતરો સૂકાભઠ્ઠ બન્યા છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સિંચાઈ યોજના દ્વારા આશરે 500 હેક્ટર જમીનને પાણી મળવું જોઈએ. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે, જ્યાં ખેડૂતો નાની સિંચાઈ યોજનાઓ અને તળાવો દ્વારા ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જોકે, નાની સિંચાઈ યોજનાના અધિકારીઓના બેદરકાર વહીવટને કારણે કેનાલોની મરામત થઈ નથી, જેના પરિણામે આદિવાસી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. છોટાઉદેપુરથી પાંચ કિલોમીટર દૂર નાલેજ ખાતે જિલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ તળાવ આવેલું છે. આ તળાવ ભરેલું હોવા છતાં, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાણી ખેતરો સુધી પહોંચાડતી કેનાલો જર્જરિત થઈ ગઈ છે. કેનાલોમાં ઝાડી-ઝાખરા ઊગી નીકળ્યા છે, સાયફન તૂટી ગયા છે અને ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. આ સ્થિતિને કારણે ખેડૂતો ચોમાસુ અને શિયાળુ પાક તો લઈ શકે છે, પરંતુ ઉનાળુ પાક લઈ શકતા નથી. પરિણામે, તેમને પોતાનું વતન છોડીને મજૂરી માટે બહાર જવાની ફરજ પડી રહી છે. નાલેજ, ઓલિઆંબા, પાંધરવાંટ અને સિમલ ફળિયા ગામના ખેડૂતો આ ડેમ મારફત સિંચાઈનું પાણી મેળવતા હતા. સિંચાઈ વિભાગની વર્ષો જૂની કેનાલોમાં તિરાડો અને ગાબડાં પડવાને કારણે હજારો લિટર પાણી ખેડૂતોને મળવાને બદલે વેડફાઈ રહ્યું છે. ખેડૂતોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કેનાલો નવી બનાવવામાં આવી નથી. ખેડૂતો તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે કેનાલોનું નવીનીકરણ કરીને પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે. આ મામલે જિલ્લા પંચાયતના સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ કેનાલોના રીપેરીંગ માટે સૈદ્ધાંતિક મંજૂરી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. મંજૂરી મળ્યેથી ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં, આ ચાર ગામના આદિવાસી ખેડૂતો ઉનાળાના સમયમાં સિંચાઈના પાણીથી વંચિત છે. વહીવટીતંત્ર ક્યારે આ કેનાલોનું સમારકામ કરીને સિંચાઈ માટે પાણી પહોંચાડશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:36 pm

મીઠાપુરમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપાયો:પોલીસે મોજપ ગામમાંથી ₹83,892નો મુદ્દામાલ જપ્ત કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે મોજપ ગામેથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ભારત પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ 276 નંગ બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત ₹83,892 આંકવામાં આવી છે. આ કામગીરી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ. એસ.આર. ખરાડીએ ચાર્જ સંભાળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ માહિરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:33 pm

અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ડખ્ખો:હાજી સિમેન્ટવાળાએ કહ્યું-'હું AIMIMમાં નથી જવાનો, મારી ટિકિટ કાપવા માટે અફવા ફેલાવે છે, ટિકિટ માટે હું હકદાર છું'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત થાય તે પહેલા કોંગ્રેસમાં ટિકિટમાં ખેંચતાણ જોવા મળી રહ્યું છે. મકતમપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી છે. ટિકિટ ન મળે તે માટે કેટલાક લોકોએ પ્રયાસ શરૂ કર્યા હોવાના પૂર્વ કોર્પોરેટર હાજી સિમેન્ટવાળાએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ નહીં મળતી હોવાથી સાંજે AIMIMમાં જોડાવવાનો હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કેટલાક દાવેદારોએ ખોટી રજૂઆત પ્રદેશ સંગઠનને કરી હોવાનો દાવોઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ દાવેદારોએ પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ ખોટો પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના જ દાવેદારી કરનાર કાર્યકર્તાઓ મક્તમપુરા વોર્ડમાં પૂર્વ કોર્પોરેટરને ટિકિટ ન મળે તે માટે પ્રચાર શરૂ કરતા સમગ્ર મામલો હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે. વોર્ડ બદલવા માટે કેટલાક દાવેદારોએ ખોટી રજૂઆત પ્રદેશ સંગઠનને કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ AIMIMમાં જોડાતા હોવાથી ટિકિટ ન આપતા પણ રજૂઆત થઈ હોવાનો હાજી સિમેન્ટવાળાએ દાવો કર્યો છે. જેને લઈને ખોટી રજૂઆત કરવામાં આવતી હોવાની હાઇકમાન્ડને જાણ કરી છે. 'હું કોઈ સ્ટેજ પર જવાનો નથી અને કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી'પૂર્વ કોર્પોરેટર હાજી સિમેન્ટવાળાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયે પોત પોતાના સ્વાર્થ ખાતર અને ટિકિટ મને ન મળે અને તેમને મળી જાય તે માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હું સાંજે કોઈપણ સ્ટેજ પર જવાનો નથી અને કોઈ બીજી પાર્ટીમાં જોડાવાનો નથી. તેમજ હું કોઈ વોર્ડની પણ બદલી કરવાનો નથી. મારો હોમ ગ્રાઉન્ડ છે પ્રજાથી લઈને સરપંચ સુધી અને ત્રણ ટર્મ કોર્પોરેટર તરીકે કાઢી છે. મકમપુરામાં ટિકિટ માટેનો હું હકદાર છું જેથી પ્રદેશ પ્રમુખને રજૂઆતપાર્ટી ટિકિટ આપશે તેવો દાવો કરતા હાજી સિમેન્ટવાળાએ જણાવ્યું હતું કે, તેમજ સતત લોકો માટે મદદ કરી છે જેથી મને વિશ્વાસ છે કે પાર્ટી મને ટિકિટ આપશે અને હું અહીંયાથી જ ચૂંટણી લડીશ. ટિકિટ લેવા કેટલાક દાવેદારો ખોટી અફવા ફેલાવી રહ્યા છે. પાર્ટીના નેતા પણ મારા વિશ્વાસ રાખીને મને તક આપશે. સાંજે 4 વાગ્યે AIMIMમાં જોડાવવાનો છું તેવી ખોટી અફવા ફેલાવવામાં આવી છે. ટિકિટ નહીં મળે તેવી પણ ખોટી અફવા ચાલી રહી છે. મકમપુરામાં ટિકિટ માટેનો હું હકદાર છું જેથી પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:32 pm

ઉમરેઠમાં પાટીદાર કિંગમેકર, ‘બોસ્કી’ ક્યારે પત્તા ખોલશે?:પેટાચૂંટણી ત્રિપાખિયો જંગ જામશે, CM ભૂપેન્દ્ર પટેલ ભાષણમાં ‘ગોવિંદભાઈ’ 3 વાર, હર્ષદ માત્ર 1 વાર જ બોલ્યા

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી હવે રાજકીય રીતે અત્યંત રસપ્રદ અને બહુસ્તરીય બની ગઈ છે. ક્ષત્રિય અને પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આ વખતે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ જયંત પટેલ ‘બોસ્કી’ની એન્ટ્રીથી ત્રીજું ફેક્ટર પણ ઊભું થઈ શકે છે. અંદાજે 2.74 લાખ મતદારો ધરાવતી ઉમરેઠ બેઠકમાં ક્ષત્રિય મતદારો 40થી 45 ટકા છે, જ્યારે પાટીદાર મતદારો 20થી 22 ટકા છે, જેના કારણે આ બંને સમુદાયોનું ગઠબંધન જીત માટે સૌથી મહત્વપૂર્ણ બની રહે છે. ઉમરેઠ પેટાચૂંટણીમાં ક્ષત્રિય-ક્ષત્રિય સામસામે છે ત્યારે પાટીદાર કિંગમેકર તરીકે છે. CMના સંબોધનમાં ‘ગોવિંદભાઈ’ 3 વાર, હર્ષદ માત્ર 1 વાર ઉમરેઠમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદની ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ શક્તિપ્રદર્શન સભા યોજાઈ હતી. 2026 ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપે સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદને ઉમેદવાર બનાવી સહાનુભૂતિ અને ‘વારસદાર’ કાર્ડ રમ્યું છે. આ રણનીતિનો સંકેત મુખ્યમંત્રીના ભાષણમાં પણ જોવા મળ્યો, જ્યાં 5 મિનિટ 21 સેકન્ડના સંબોધનમાં ગોવિંદભાઈનું નામ ત્રણ વખત લેવામાં આવ્યું અને તેના કાર્યોને યાદ કરીને મતદારો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયાસ થયો. તેની સામે હર્ષદ પરમારનું નામ માત્ર એક જ વખત લેવાયું અને તે પણ સ્ટેજ પર હાજર મહાનુભાવોનું સ્વાગત કરતી વખતે. તેના પરથી રાજકીય ચર્ચા થઈ રહી છે કે, ભાજપ ‘ગોવિંદભાઈની છબી’ને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટી2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પરમારે 26,717 મતોથી જીત મેળવી હતી અને 283માંથી 215 બુથમાં લીડ મેળવી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટીને અંદાજે 13થી 15 હજાર મત રહી છે. કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા બીજી તરફ કોંગ્રેસે અનુભવી અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ તાલુકા પંચાયતના ત્રણ વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રમાં તેમની સારી ઓળખ છે. કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ વધારવા, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય તથા મુસ્લિમ મતોને એકતરફી કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘બોસ્કી’ની ચૂંટણી લડવાની જાહેરાતથી ત્રિપાખિયો જંગ થઈ શકેચૂંટણીમાં વધુ એક મહત્વનો ટ્વિસ્ટ જયંત પટેલ ‘બોસ્કી’ના રૂપમાં સામે આવ્યો છે. બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ તેઓ કયા પક્ષમાંથી લડશે તે હજી સ્પષ્ટ નથી. 2022માં કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર તરીકે મજબૂત પ્રદર્શન કરનાર બોસ્કીનો ભાલેજ, ઓડ અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો પ્રભાવ છે. જો તેઓ સ્વતંત્ર અથવા અન્ય પક્ષમાંથી મેદાનમાં ઉતરે છે તો ખાસ કરીને કોંગ્રેસના મતોમાં વિભાજન થવાની પૂરી શક્યતા છે, જે ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી શકે છે. AAP ઉમેદવાર ઉતારે તો તે પણ મતોમાં થોડો પ્રભાવ પાડી શકે આમ આદમી પાર્ટી માટે ઉમરેઠ બેઠક હજુ પડકારજનક છે. 2022માં પાર્ટીને માત્ર 2.12 ટકા મત મળ્યા હતા, છતાં પાર્ટી શહેરી અને યુવા મતદારોમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે. જો AAP ઉમેદવાર ઉતારે છે તો તે પણ મતોમાં થોડો પ્રભાવ પાડી શકે છે, પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર ‘કિંગમેકર’આ સમગ્ર પરિસ્થિતિમાં હવે ચૂંટણીનું સૌથી મોટું ગેમચેન્જર પાટીદાર મતદારો બની ગયા છે. બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર મત હવે ‘કિંગમેકર’ બની ગયા છે. જો પાટીદાર મત ભાજપ સાથે મજબૂત રીતે રહે તો ભાજપ પોતાની લીડ જાળવી રાખી શકે છે, પરંતુ તેમાં તિરાડ પડે અને સાથે બોસ્કી ફેક્ટરથી મતવિભાજન થાય તો કોંગ્રેસ માટે જીતનો રસ્તો ખુલ્લો થઈ શકે છે. બોસ્કી ફેક્ટર પેટાચૂંટણીને રસપ્રદ બનાવી શકેઆમ, ઉમરેઠ પેટાચૂંટણી હવે માત્ર મતદાનની લડાઈ નથી રહી, પરંતુ સામાજિક સમીકરણ, સહાનુભૂતિ, સ્થાનિક નેતૃત્વ અને ગ્રાઉન્ડ સ્તરની રણનીતિનો કઠિન ટેસ્ટ બની ગઈ છે. ભાજપ ‘વારસદાર કાર્ડ’ અને સંગઠન પર ભરોસો રાખી રહી છે, કોંગ્રેસ લોકલ ચહેરા અને મુદ્દા આધારિત અભિયાનથી ટક્કર આપી રહી છે, જ્યારે બોસ્કી ફેક્ટર આ જંગને વધુ અનિશ્ચિત અને રસપ્રદ બનાવી રહ્યો છે. આ પણ વાંચો પૂર્વ MLAના પુત્ર હર્ષદ પરમારે મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ ઉમરેઠ વિધાનસભાની આગામી પેટાચૂંટણી 2026ને લઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે આજે 4 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે આયોજિત જનસભા અને રોડ-શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શન જેવો માહોલ સર્જાયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:32 pm

ગીર સોમનાથમાં પરપ્રાંતીય મજૂરો મુદ્દે કડક કાર્યવાહી:જીંગા ફાર્મ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખવા અંગેના નિયમોના પાલન માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં ચાલી રહેલા ચેકિંગ અભિયાન દરમિયાન એક જીંગા ફાર્મ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા અન્ય ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આદેશ મુજબ, કોઈપણ સંસ્થા, ઉદ્યોગ, ફાર્મ, હોટલ કે કોન્ટ્રાક્ટર દ્વારા પરપ્રાંતીય મજૂરોને કામે રાખતા પહેલાં તેમની સંપૂર્ણ માહિતી નિર્ધારિત નમૂનામાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે. આ નિયમનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ અજાણ્યા તત્વો પર નિયંત્રણ રાખવાનો છે. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પો.સબ.ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ ટીમે વેરાવળ સિટી અને પ્રભાસ પાટણ વિસ્તારના હોટલ, રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન દારી ગામ નજીક દૌભાઈની દરગાહ પાસે આવેલા એક જીંગા ફાર્મમાં પરપ્રાંતીય મજૂરને કામે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી નહોતી. આ ઘટનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જીંગા ફાર્મના માલિક નિરવ ગોવિંદ ચોમલ (ઉંમર 29, રહે. વેરાવળ) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આ પ્રકારની બેદરકારી કાયદાકીય રીતે ગંભીર ગણાય છે અને તેના સામે કડક પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કાર્યરત તમામ ઉદ્યોગકારો, મજૂર ઠેકેદારો, સપ્લાયરો અને સંચાલકોએ પરપ્રાંતીય મજૂરોની માહિતી ફરજિયાતપણે પોલીસને આપવી પડશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી હાથ ધરાશે. આ કાર્યવાહીથી જિલ્લામાં સંચાલકોમાં સતર્કતા વધવાની સાથે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સંદેશ પણ ગયો છે કે નિયમોનો ભંગ હવે સહન કરવામાં નહીં આવે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:15 pm

ખાખીની ખુમારી અને માનવતાની મિશાલ:કતારગામમાં પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો કાયદાના રક્ષકો બન્યા 1100 બાળકોના રક્ત-પાલક

સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક અદભૂત નજારો જોવા મળ્યો, જ્યાં સુરત શહેર ઝોન-3 પોલીસ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવવા માટે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામમાં આયોજિત આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીથી પીડાતા નિર્દોષ બાળકોને લોહી પૂરૂં પાડવાનો હતો. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જીવવા માટે દર 15-20 દિવસે નવું લોહી ચઢાવવું પડતું હોય છે અને ઉનાળા જેવી ઋતુમાં જ્યારે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાય છે ત્યારે પોલીસની આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ કાર્યક્રમની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતે કેમ્પની મુલાકાત લઈ રક્તદાન કરી રહેલા પોલીસ જવાનો અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. રોગચાળાઓને લીધે બ્લડની જરૂરિયાત પડતી હોય છેસુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં લગભગ આપણા 1100 જેટલા થેલેસેમિયાથી ગ્રસ્ત બાળકો છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ તરફથી થેલેસેમિયાના બાળકો માટે લગભગ 10,000 જેટલા બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવે છે. એના જ ભાગરૂપે અત્યારે તમામ બ્લડ બેંકના હોદ્દેદારો અમે લોકો પાસે આવીને રજૂઆત કરેલી હતી, અત્યારે સમય એવો છે કે જ્યાં બીજા રોગચાળાઓને લીધે બ્લડની જરૂરત પડતી હોય છે, ત્યારે થેલેસેમિયાના બાળકોને પણ તકલીફ પડે છે. સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંકનો સંયુક્ત ઉપક્રમજેના લીધે જ અમે લોકો આજે DCP ઝોન-3 ના પોલીસ સ્ટેશનના વિસ્તારના તમામ અમારા અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોના સહયોગથી આજે 1000 જેટલા જો યુનિટ ભેગા કરવા માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે. અને આમાં ખાસ કરીને 5 જે બ્લડ બેંકો છે તે રક્ત આપણા થેલેસેમિયાના બાળકોને રક્ત પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ, એના સંકલનમાં જેમાં સ્મીમેર હોસ્પિટલ, ન્યૂ સિવિલ હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, આપણા સુરત રક્તદાન કેન્દ્ર અને રેડ ક્રોસ બ્લડ બેંક છે એમના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન છે અને અમારો હંમેશા એક એવો અભિગમ રહે છે કે અમારા જે બાળકો છે એને અમે લોકો એક રીતે બ્લડ માટે દત્તક લીધા છે, તો આ પ્રકારની પ્રક્રિયા દર માસે અમે લોકો કરવાના છીએ. અને અમારા સાતેય પોલીસ ઝોનના ટાર્ગેટ છે આ વખતે 10,000 થી વધુ યુનિટ ભેગા કરીને આપણા બાળકો માટે બ્લડ આપવાના છીએ. અમારા DCP ઝોન-3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છુંમારી આપના થકી લોકોને અપીલ છે કે જ્યારે જ્યારે બ્લડ ડોનેશન કરવામાં આવે ત્યારે વધુમાં વધુ માત્રામાં લોકો આવો, અમારા સહભાગી બનો જેથી એવા બાળકોને અમે લોકો બ્લડ આપીએ જેને આપ પણ નથી ઓળખતા, અમે પણ નથી ઓળખતા અને બાળકો પણ નથી ઓળખતા કે એમના પાસે બ્લડ ક્યાંથી આવ્યું. તો આ સૌથી શ્રેષ્ઠ દાન છે, એના માટે બધાને અપીલ પણ કરું છું અને અમારા DCP ઝોન-3ને અને એમની આખી ટીમને અભિનંદન પણ આપું છું. પોલીસ જનતાની મિત્ર છેથેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં શરીરમાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા ખોરવાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં બાળકો આ બીમારીથી પીડાય છે. લોહીની સતત જરૂરિયાતને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર મોટો આર્થિક અને માનસિક બોજ રહે છે. આવા સમયે જ્યારે પોલીસ જેવી સંસ્થા રક્તદાનના કાર્યમાં જોડાય છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે અને લોહીની અછત દૂર કરવામાં મોટી મદદ મળે છે. સુરત પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ કોરોના કાળ દરમિયાન લોકોની સેવા કરી હોય કે પછી રસ્તા પર નિરાધાર લોકોની મદદ કરી હોય, હંમેશા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઝોન-3 પોલીસ પરિવારની આ રક્તદાનની પહેલ એ સાબિત કરે છે કે પોલીસ જનતાની મિત્ર છે. કતારગામના આ કેમ્પની સફળતા પાછળ ઝોન-3 ના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની ઘણી મહેનત રહેલી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:10 pm

હિંમતનગર માર્કેટયાર્ડમાં 3 દિવસમાં તમાકુની 8699 બોરી આવક:ખેડૂતોને રૂ. 1285થી 2100 સુધીના ભાવ મળ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી શરૂ થઈ ગઈ છે. 2 એપ્રિલથી શરૂ થયેલી ખરીદીના પ્રથમ ત્રણ દિવસમાં કુલ 8699 બોરી તમાકુની આવક નોંધાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં 12,000 થી વધુ હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે. પાક તૈયાર થતાં, ખેડૂતો પોતાનો પાક વેચવા માટે હિંમતનગરના કોટન માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. ખરીદીના પહેલા દિવસે, 853 બોરી તમાકુની આવક થઈ હતી, જેના ભાવ રૂ. 1300 થી રૂ. 1865 પ્રતિ બોરી રહ્યા હતા. બીજા દિવસે ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં રૂ. 1300 થી રૂ. 2100 સુધીના ભાવ બોલાયા હતા અને 2418 બોરી તમાકુની આવક થઈ હતી. ત્રીજા દિવસે, તમાકુના ભાવ રૂ. 1285 થી રૂ. 2055 સુધી રહ્યા હતા અને 5428 બોરી તમાકુની આવક નોંધાઈ હતી. આમ, કુલ ત્રણ દિવસમાં 8699 બોરી તમાકુની આવક થઈ છે. માર્કેટયાર્ડમાં વધતી આવકને ધ્યાનમાં રાખીને, વેપારીઓ દ્વારા ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોટન માર્કેટયાર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:09 pm

શાંતેશ્વર રોડના સ્થાનિકોએ મારે રોષ સાથે રસ્તો બંધ કર્યો:જૂનાગઢમાં ત્રણ મહિનાથી ખોદાયેલા શાંતેશ્વર રોડ મામલે જનતાનો ભારે રોષ: વિપક્ષના નેતા અને કોર્પોરેટર આમને-સામને, લોકોએ રસ્તો બંધ કરી નોંધાવ્યો વિરોધ.

​જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવતા શાંતેશ્વર રોડની સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી અત્યંત દયનીય બની ગઈ છે. વિકાસના નામે શરૂ કરવામાં આવેલું ખોદકામ હવે સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે. હોળીના તહેવાર પહેલાથી આ માર્ગ ખોદીને મૂકી દેવામાં આવ્યો હોવાથી ધૂળની ડમરીઓ, ઉભરાતી ગટરો અને અધૂરી કામગીરીને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ગંભીર ભય પેદા થયો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા કાંકરા અને ખાડાઓને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. જેમાં વૃદ્ધો અને બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવતા આશ્વાસનો હવે પોલા સાબિત થઈ રહ્યા હોય તેમ લાગતા, કંટાળેલી જનતાએ આખરે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. વિપક્ષી નેતાઓએ આ મામલે સત્તાધારી પક્ષની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સ્થાનિક કોર્પોરેટરે ટેકનિકલ કારણો આગળ ધરીને પોતાનો બચાવ કર્યો છે. જો આગામી બે દિવસમાં આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. ​સ્થાનિક રહીશ હીરાબેન આત્રોલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ મુખ્ય માર્ગ ખોદકામ અને વહીવટી ઉદાસીનતાને કારણે બંધ હોવાથી સ્થાનિકોને રોજિંદા જીવનમાં અસહ્ય હાલાકી ભોગવવી પડી રહી છે. હીરાબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ગઈકાલે જ્યારે તેઓ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર આડેધડ વેરાયેલા કાંકરાને કારણે તેમનો પગ અચાનક લપસી ગયો હતો. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થઈ છે અને પગમાં ભારે સોજો આવી ગયો છે, જેના કારણે તેમની અવરજવર પણ મર્યાદિત થઈ ગઈ છે. ​રસ્તાની આ બદતર હાલતને કારણે માત્ર તેઓ જ નહીં.પરંતુ આખી સોસાયટીના રહીશો પરેશાન છે. ખાસ કરીને નાના બાળકોને શાળાએ મોકલવા અને વૃદ્ધોને બીમારીના સમયે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે આ રસ્તો બંધ હોવાથી મોટી મુસીબત ઊભી થાય છે. હીરાબેને તંત્ર સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, જો આટલા લાંબા સમય સુધી મુખ્ય રસ્તો જ બંધ હોય તો સામાન્ય જનતાએ જવું ક્યાં? જ્યારે પણ નગરપાલિકા કે કોર્પોરેટરનો સંપર્ક કરવામાં આવે છે, ત્યારે માત્ર ખોટા આશ્વાસનો જ મળે છે. ફોન પર એવું કહેવામાં આવે છે કે હમણાં ગાડી આવે છે અને કામ શરૂ થઈ જશે, પરંતુ વાસ્તવમાં કોઈ ફરક પડ્યો નથી. તેમણે આક્રોશ સાથે પૂછ્યું કે તંત્ર જાગે છે કે સૂતું છે? અંતમાં તેમણે ચીમકી આપતા કહ્યું કે જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો દુકાનદારો, વાલીઓ અને રહીશો ભેગા મળીને મોટું આંદોલન છેડશે. ​રસ્તાની જટિલ સમસ્યા અંગે જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા એક જાગૃત નાગરિકે જણાવ્યું કે આ માર્ગ ગોકુલનગર, શાંતેશ્વર અને અન્ય અનેક આસપાસની સોસાયટીઓને જોડતો મુખ્ય રસ્તો છે. છેલ્લા બે મહિનાથી રસ્તાની એક તરફનો ભાગ ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. આ વિસ્તારમાં ઘણા ગંભીર બીમાર દર્દીઓ રહે છે, પરંતુ રસ્તો બ્લોક હોવાના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર આવી શકતી નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈપણ કામ આયોજન સાથે થવું જોઈએ. જો તંત્રએ પહેલા એક બાજુનું કામ પૂર્ણ કર્યું હોત અને ત્યારબાદ બીજી બાજુનું ખોદકામ હાથ ધર્યું હોત, તો જનતાને આવી હાલાકી ન ભોગવવી પડત. આડેધડ ખોદકામને કારણે નાના બાળકોને સ્કૂલે જવામાં અને અન્ય જરૂરી કામો માટે બહાર નીકળવામાં સતત ભય રહે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ વિકાસના કામોનો વિરોધ નથી કરી રહ્યા, કારણ કે આ કામ જનતાના હિત માટે જ છે, પરંતુ યોગ્ય પ્લાનિંગ અને એસ્ટિમેટના અભાવે જનતાનો રોષ વધી રહ્યો છે. તંત્રએ વહેલી તકે વ્યવસ્થા જાળવીને કામ પૂર્ણ કરવું જોઈએ તેવી તેમની માંગ છે. ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો અને જણાવ્યું હતું કે આજે શાંતેશ્વર રોડના રહીશો અને વેપારીઓએ મજબૂર થઈને રસ્તો બંધ કર્યો હતો. છેલ્લા અઢી-ત્રણ મહિનાથી, એટલે કે હોળી પહેલાથી આ રોડ ખોદાયેલો પડ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર સાવ ઠપ્પ થઈ ગયા છે. અહીં લાંબા સમયથી વન-વે જેવી સ્થિતિ હોવાથી હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ગટરો તૂટેલી છે અને પાણીની લાઈનો પણ ક્ષતિગ્રસ્ત છે, છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી. ​પરસાણાએ સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકાની અણઘડ નીતિને કારણે આખી પ્રજા હેરાન થઈ રહી છે. ઉનાળાની સિઝનમાં લોકો પાણી વગર તડપી રહ્યા છે અને રસ્તા પર ગટરના પાણી વહેતા હોવાથી મચ્છરોનો ત્રાસ અને રોગચાળો વધ્યો છે. તેમણે ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ કાર્યાલય પાસેનો રસ્તો સારો હોવા છતાં તેને તોડીને પાંચ દિવસમાં નવો બનાવી દેવામાં આવ્યો, જ્યારે સામાન્ય જનતાના રસ્તા મહિનાઓ સુધી અધૂરા રહે છે. જે પ્રજા ટેક્સ ભરે છે તેમના કામ પહેલા થવા જોઈએ. તેમણે શાસકોને એસી ચેમ્બરોમાંથી બહાર આવવા અને જનતાની પીડા જોવા આહવાન કર્યું છે. જો બે દિવસમાં કામ શરૂ નહીં થાય તો ફરીથી જનતા દ્વારા રસ્તો બંધ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ​વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ આ સમગ્ર મામલે દર વખતની જેમ આ વખતે પણ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે લોકો દ્વારા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું તે એક ગેરસમજનું પરિણામ હતું. તેમણે વિલંબ પાછળના કારણો સ્પષ્ટ કરતા કહ્યું કે, રસ્તાની કામગીરી દરમિયાન અંદર રહેલી પાણીની લાઈનો અપેક્ષા કરતા ઉપર હોવાથી તે તૂટી ગઈ હતી. આ સાથે જ 11 કેવી ની વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની અને મકાનોના નવા પાણીના કનેક્શન આપવાની કામગીરી પણ સાથે કરવાની હતી. ​જ્યાં સુધી પાણીની નવી લાઈન નખાઈ ન જાય અને લોકોને કનેક્શન ન મળે ત્યાં સુધી રોડનું કામ ન કરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં ફરીથી રસ્તો તોડવો ન પડે. હવે આ તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી ગઈકાલથી જ ગેસ પંપ વિસ્તારથી રોડનું કામ પૂરઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. આશરે 3 કિલોમીટર જેટલી પાઇપલાઇન બદલવાની હોવાથી દોઢ મહિના જેટલો સમય લાગ્યો છે. આ રોડ અંદાજે 7 થી 8 કરોડના ખર્ચે એસ.આઈ. ઓફિસથી ગેસ પંપ સુધી બનાવવામાં આવશે, જેનાથી ટૂંક સમયમાં જ લોકોને કાયમી સુવિધા મળી જશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:04 pm

ફેસબુકની જાહેરખબર જોઈ ગાડીઓ ભાડે આપવી ભારે પડી:ગાંધીનગરમાં વેપારીની 26.50 લાખની પાંચ લક્ઝરી કાર ગઠિયાએ પચાવી પાડી, ઓલા-ઉબેરમાં મૂકવાની લાલચ આપીને છેતરપિંડી કરી

સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસ કેળવીને સેક્ટર-8માં રહેતા ગઠિયાએ ઓલા-ઉબેરમાં ગાડીઓ તગડા માસિક ભાડે રાખવાના બહાને અમદાવાદના ટ્રાસ્પોટેશનના વેપારીની 26.50 લાખની કિંમતની પાંચ લક્ઝરી કાર પચાવી પાડી છેતરપિંડી આચરતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાડીઓ ઓલા-ઉબેર ભાડે રાખવાની લાલચ આપવામાં આવી હતીઅમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને શ્રી રામ કાર રેન્ટલનો વ્યવસાય કરતા જિતેન્દ્રભાઈ ઠક્કરે ગત 5 ડિસેમ્બર, 2025ના રોજ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાત મુકેશ સોનાજી ઠાકોર (રહે . સેકટર 8, પ્લોટ નંબર 3382 એ2) દ્વારા મૂકવામાં આવી હતી. જેમાં ગાડીઓ ઓલા ઉબેર ભાડે રાખવાની લાલચ આપવામાં આવી હતી. આ જાહેરાત જોઈ જિતેન્દ્રભાઈ લાલચમાં આવીને મુકેશને પથિકા આશ્રમ ખાતે રૂબરૂ મળ્યા હતા. એ વખતે મુકેશે પોતાના ઊંચા બેંક ટ્રાન્જેક્શન બતાવીને તેમને વિશ્વાસમાં લીધા હતા. જેની વાતોમાં આવીને જિતેન્દ્રભાઈએ ત્રણ અર્ટિગા માસિક 21 અને 36 હજારના ભાડે અને બે સ્વિફ્ટ ડિઝાયર 24,000 ના માસિક ભાડા પેટે સોંપી દીધી હતી. વેપારીની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઆમ કુલ રૂ.26.50 લાખની પાંચેય ગાડીઓનું શરૂઆતના બે મહિના મૂકેશે ભાડું ચૂકવ્યું હતુ. જોકે, ફેબ્રુઆરી 2026થી ભાડું ચૂકવવાનું બંધ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જે અંગે તપાસ કરતા જિતેન્દ્રભાઈને જાણવા મળ્યું હતું કે, મુકેશે અન્ય એક વ્યક્તિની વેગનાર ગાડી પણ ભાડે રાખી હતી. જે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી હાલતમાં દારૂ ભરેલી મળી આવી હતી.આ ઘટના બાદ તેમને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. આ અંગે વેપારીની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:02 pm

ભાજપે ઉમેદવારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો માંગી:સુરેન્દ્રનગર મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં નવો નિયમ, 52 સભ્યની સામે 491 દાવેદારોએ ટિકિટ માંગી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં એક નવો નિયમ અમલમાં મૂક્યો છે. પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મમાં અરજદારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો પણ માંગવામાં આવી છે. આ પગલું પ્રચાર રણનીતિનો એક ભાગ હોવાનું મનાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા કમલમ ખાતે 13 વોર્ડ માટે ઉમેદવારી પત્ર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ 52 સભ્યોની સામે ભાજપના 491 કાર્યકરોએ ટિકિટ માંગી હતી, જે દર્શાવે છે કે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અગાઉની પાલિકા ચૂંટણીમાં આટલા જ વોર્ડ હોવા છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. સૌથી વધુ ટિકિટની માંગ વોર્ડ નંબર 9 માં જોવા મળી હતી, જ્યાં 52 કાર્યકરોએ દાવેદારી નોંધાવી. આ વોર્ડમાં માળોદ અને ખેરાળી ગામો ભળતા ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો પણ ઉમેદવાર બનવા ઉત્સુક છે. બીજા ક્રમે વોર્ડ નંબર 13 માં 50 લોકોએ ટિકિટ માંગી છે, જ્યારે સૌથી ઓછા 32 લોકોએ વોર્ડ નંબર 3માં ઉમેદવારી કરી છે. રસપ્રદ વાત એ છે કે, પાલિકા વહીવટના જાણકાર અને કાયદા-નિયમોથી વાકેફ એવા કેટલાક પીઢ નેતાઓએ ટિકિટ માંગવાનું ટાળ્યું હતું. ભાજપની પરંપરા મુજબ, ટિકિટ માંગવાનો અધિકાર સૌને છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશ મોદી અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠક્કરે ઉમેદવાર કાર્યકરોને સાંભળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાના માર્ગદર્શન હેઠળ પ્રભારી પ્રતાપ ખાચર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને વિપુલ ચૌહાણ સહિતની ટીમે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોના ફોલોઅર્સની માહિતી માંગવા પાછળનો હેતુ તેમના સ્થાનિક ફોલોઅર્સનો લાભ લેવા અને અન્ય જિલ્લાના ફોલોઅર્સ દ્વારા પક્ષના પ્રચારની રણનીતિ ઘડવાનો હોઈ શકે છે. જોકે, અન્ય જિલ્લાના ફોલોઅર્સ સુરેન્દ્રનગરના પ્રચારમાં કેટલી નોંધ લેશે તે પણ એક સવાલ છે. પક્ષમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ભાજપ નવી ઉમેદવાર ટીમ તૈયાર કરવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂકેલા અને પરિવારવાદના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લઈ શકે છે. જો આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય, તો હાલ ટિકિટ માંગી રહેલા ઘણા લોકોની દાવેદારી રદ થઈ શકે છે. ઉમેદવારો વધવાના મુખ્ય કારણો

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 3:01 pm

મુખ્યમંત્રીએ ઈડરના મુડેટીમાં સંસ્કૃત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું:શારદાપીઠાધીશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી ગામે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા નિર્મિત વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વૈદિક ગુરુકુળનું ખાતમુહૂર્ત બે વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડે છે, અને આ સંકુલ 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કરશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. તેમણે સંસ્કૃત ભાષાને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત ગણાવી, જેના વિના ઇતિહાસ સમજવો અશક્ય છે. તેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના જતન માટે સરકારની પ્રતિબદ્ધતા જણાવી. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ પ્રશંસનીય છે તેમ પણ તેમણે કહ્યું. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતાં કહ્યું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ ઋષિ-મુનિઓના જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે આ નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે આ સંસ્થાને વૈદિક પરંપરાઓના જતન માટે આદર્શ કેન્દ્ર ગણાવી. શંકરાચાર્યજી મહારાજે તેમના આશીર્વચનમાં અનેકતામાં એકતાનો સંદેશો આપ્યો હતો. તેમણે ગુજરાત સરકારે પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં, તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો દેશ અને દુનિયાનું કલ્યાણ થશે તેમ જણાવી, સરકારને આ અંગે વિલંબ ન કરવા વિનંતી કરી હતી. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર અને અન્ય ટ્રસ્ટીગણ, સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ સહિત આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:55 pm

'મને સોરી કહેશે તો પણ માફ નહીં કરું':ભાજપે સસ્પેન્ડેડ અલ્પેશ લિંબાચિયાને પરત લેતા પૂર્વ મેયર નારાજ, કહ્યું- પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડે તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી

વડોદરા શહેર ભાજપે 3 વર્ષ અગાઉ સસ્પેન્ડ કરેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાને સામી ચૂંટણીએ પુનઃ ભાજપનો ખેસ પહેરાવી ઘરવાપસી કરાવતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા છે. અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા બહાર પડી હોવાનો આક્ષેપ હતો અને તેના માટે તેઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પાર્ટીએ ભાજપાની પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ટિકિટ ન આપવી જોઇએઅલ્પેશ લિબચીયાની ઘરવાપસીથી વોર્ડ નંબર-17ના કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અત્યંત નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ પક્ષના જ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકાઓ વહેતી કરીને ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોય, તેની ઘરવાપસી સ્વીકાર્ય નથી. રાઠોડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અલ્પેશ લિબચીયાને પરત લેવાથી માત્ર તેઓ જ નહીં, પરંતુ તેમના સમર્થક કાર્યકરોમાં પણ ભારે અસંતોષ છે. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપે પ્રતિષ્ઠાને ધ્યાને લઈને તેઓને પુનઃ ટિકિટ ન આપવી જોઈએ. સોરી કહેશે તો પણ માફ નહીં કરુંનિલેશ રાઠોડે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, મારી સામે પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લિબચીયા જો મને સોરી કહેશે તો પણ હું તેને ક્યારેય માફ નહીં કરું. જોકે, તેમણે અંતમાં ઉમેર્યું હતું કે ટિકિટ આપવી કે નહીં તે પક્ષના મોવડી મંડળનો નિર્ણય છે. હાલમાં તો આ ઘરવાપસીએ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો કર્યો છે, જેની અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સમીકરણો પર જોવા મળી શકે છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશુંભાજપના શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ લિંબાચિયા એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે. અનેક રીતે એમને પાર્ટીમાં ઘણા બધા એવા કામો પણ કર્યા છે કે જે પાર્ટી હંમેશા યાદ રાખે. કોઈક એક ઘટનાના કારણે સ્વાભાવિક જ છે જેની સામે થયું હોય એને દુખ લાગે, નારાજગી પણ થાય અને એ ઘટનાના કારણે પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ લાંબા સમયથી એમની રજૂઆત હતી અને એમના વર્તન, વાણી અને વ્યવહાર એમને સસ્પેન્ડ કર્યા પછી પણ હંમેશા પાર્ટીને મદદરૂપ થાય એ પ્રકારના જ કામો કર્યા છે. . પાર્ટીમાં જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે તો નારાજગી થવાની સંભાવના રહેતી જ હોય છે. ભારતીય જનતા પાર્ટી એ ખૂબ વિશાળ પરિવાર છે, એ પરિવારની અંદર મનદુઃખ એકબીજાને થતું હોય છે. પરંતુ છેવટે બધા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:54 pm

પાવરગ્રીડ પ્રોજેક્ટનો વિરોધ:અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતોની કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત, આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમને પૂરતું અને ન્યાયસંગત વળતર આપવામાં આવતું નથી. જિલ્લા પ્રશાસન આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવી રહ્યું છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું હનન થઈ રહ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય વળતર વિના જમીન આપવા તૈયાર નથી. આવેદનપત્રમાં તેમણે કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી છે. આ ઉપરાંત, માર્કેટ રેટ નક્કી કરવા માટે એક સમિતિ રચવામાં આવે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે તેવી પણ માંગણી છે. ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું જોઈએ. તેમજ, ખેડૂતોની મંજૂરી વિના તેમની જમીનમાં પ્રવેશ ન કરવો જોઈએ. ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવા જ પ્રોજેક્ટ માટે વધુ સારું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ જિલ્લામાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આના કારણે નીતિ અને તેના અમલીકરણ વચ્ચે ભેદભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:50 pm

ભાજપે ટિકિટ માટે સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફરજિયાત કરી:ઉમેદવારોએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની વિગતો આપવી પડશે

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ મેળવવા માટે માત્ર ગ્રાઉન્ડ વર્ક જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા પણ નિર્ણાયક પરિબળ બનશે. ભાજપે પ્રથમ વખત દાવેદારી ફોર્મમાં ઉમેદવારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોવર્સની વિગતો ફરજિયાત કરી છે. ડિજિટલ યુગના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને, ભાજપે ઉમેદવારના ફોર્મમાં એક વિશેષ કોલમ ઉમેરી છે. જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉમેદવારના કેટલા ફોલોવર્સ છે તેની સચોટ માહિતી આપવી પડશે. પક્ષનું માનવું છે કે જે ઉમેદવાર ડિજિટલ માધ્યમથી મતદારો સાથે જોડાયેલા છે, તેઓ ટૂંકા સમયમાં પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. નવસારી જિલ્લામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહ 3,500 થી વધુ ફોલોવર્સ ધરાવે છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના 3,000 થી વધુ ફોલોવર્સ છે. વિજલપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદી પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા હવે જીતનું અગત્યનું પાસું છે. અમારા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાની સાથે ગ્રાઉન્ડ લેવલ પર પણ 'હોમ-ટુ-હોમ' સંપર્કમાં છે. આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપ નિશ્ચિતપણે વિજય મેળવશે. એક તરફ ભાજપ હાઈટેક પ્રચાર તરફ વળી રહ્યું છે, ત્યારે નવસારી કોંગ્રેસે આ અભિગમથી અંતર જાળવ્યું છે. કોંગ્રેસ હજુ પણ પરંપરાગત જનસંપર્ક પર ભાર મૂકી રહી છે અને સોશિયલ મીડિયા ફોલોવર્સને પ્રાથમિકતા આપતી નથી. નવસારી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજન જોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉમેદવારો માટે સોશિયલ મીડિયાના ફોલોવર્સની વિગતો આપવી જરૂરી નથી. અમારા માટે ઉમેદવારનો વોર્ડમાં મતદારો સાથેનો સીધો અને રૂબરૂ સંપર્ક જ સૌથી મહત્વનો છે. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનું વધતું પ્રભુત્વઆધુનિક સમયમાં સોશિયલ મીડિયા પ્રચાર માટેનું સબળ શસ્ત્ર બની ગયું છે: ટાર્ગેટેડ કેમ્પેઈન: ડેટા એનાલિટિક્સ દ્વારા યુવાનો અને ચોક્કસ વિસ્તારના પ્રશ્નો મુજબ જાહેરાતો પ્રસારિત કરવામાં આવે છે. વીડિયો માર્કેટિંગ: રીલ્સ અને ટૂંકા વીડિયો દ્વારા પક્ષની વિચારધારા ઝડપથી ફેલાવી શકાય છે. વોટ્સએપની તાકાત: આઈટી સેલ દ્વારા પાયાના સ્તર સુધી ગ્રાફિક્સ અને મેસેજ પહોંચાડવા સરળ બન્યા છે. પડકારો: ડિજિટલ પ્રચારની સાથે ફેક ન્યૂઝ અને ટ્રોલિંગ જેવી નકારાત્મક અસરો પણ જોવા મળે છે. જે ઉમેદવારો ટેકનોલોજીથી દૂર છે, તેમના માટે બદલાતા સમય સાથે તાલ મિલાવવો હવે કપરું બનશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:42 pm

સોમનાથ પાર્કિંગમાં મળ્યું બેગ, ₹23,000 અને મોબાઈલ:ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારીથી અમદાવાદના યાત્રિકને પરત કર્યું

સોમનાથ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં એક યાત્રિકનું બેગ મળી આવ્યું હતું, જેમાં રૂપિયા ૨૩,૦૦૦ રોકડા અને એક મોબાઇલ ફોન હતો. સોમનાથ ટ્રસ્ટના સ્ટાફે ઈમાનદારી દાખવી આ બેગ તેના મૂળ માલિકને પરત કર્યું છે. આ બેગ પ્રસાદી કાઉન્ટર પાસે મળી આવ્યું હતું. પ્રસાદી કાઉન્ટર પર ફરજ બજાવતા ક્લાર્ક કમલેશભાઈ ડોડીયા અને સિક્યુરિટી ગાર્ડ સરમણભાઈ રાઠોડે સતર્કતાપૂર્વક બેગને સુરક્ષિત રાખ્યું હતું. યોગ્ય તપાસ બાદ, આ બેગ અમદાવાદના એક યાત્રિકને સહીસલામત પરત કરવામાં આવ્યું હતું. બેગ પાછું મળતા યાત્રિકે બંને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશભાઈ ડોડીયા અને સરમણભાઈ રાઠોડની આ નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પણ કર્મચારીઓના આ સરાહનીય કાર્ય બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા સકારાત્મક પ્રસંગો સમાજમાં વિશ્વાસ અને માનવતા વધારવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:40 pm

મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં આગ:એક કિમી દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફાયરની પાંચ ટીમ દ્વારા કાબૂ મેળવવા પ્રયાસ

રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મેટોડા GIDC ગેઈટ નંબર-1માં આવેલા એક રબરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. રબરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા વાદળો આકાશમાં ઉંચે સુધી દેખાતા આસપાસના અન્ય કારખાનાના શ્રમિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ મેટોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડનું મેજર ઓપરેશનઆગની ગંભીરતાને જોતા રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના ફાયર વિભાગની વધારાની 4 ટીમો પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હાલ મેટોડા અને રાજકોટ મનપાની સંયુક્ત ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે, જોકે ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. કોઈ જાનહાનિ નહીંરાહતની વાત એ છે કે, જે સમયે આગ લાગી ત્યારે ગોડાઉનમાં હાજર તમામ શ્રમિકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, જેના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, રબરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:38 pm

જામનગરનો રૂ. 10,000નો ઇનામી લૂંટારો પકડાયો:5 વર્ષથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો

રાજકોટ રેન્જ પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા આશરે રૂ. 8.50 લાખની લૂંટના ગુનામાં પાંચ વર્ષથી ફરાર રૂ. 10,000ના ઇનામી આરોપીને રાજકોટ રેન્જની ટીમે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાથી 'ઓપરેશન નાસતા-ફરતા' હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેન્જના જિલ્લાઓમાં ગંભીર ગુના આચરી ફરાર રહેલા ગુનેગારોને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જામનગર પોલીસ અધિક્ષક દ્વારા ઇનામ જાહેર કરાયેલા આરોપીઓને ઝડપી પાડવા અગ્રતા આપવાની સૂચના અપાઈ હતી. રાજકોટ રેન્જ પી.આઈ. આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. સ્ટાફના કાસમ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મિતેશ પટેલ અને કમલેશ રબારીને આરોપીના લોકેશન અંગે સચોટ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ટીમે દાહોદ હાઈવે પર રાબડાલ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ભુવાનસિંગ રાયસિંગ વસુનિયા (રહે. મધ્યપ્રદેશ) છે. તેણે અન્ય સાગરીતો સાથે મળીને વર્ષ 2021માં (પંચકોષી બી-ડિવિઝન ગુ.ર.નં. 112/21) વાડીમાં સૂતેલા ફરિયાદી અને સાક્ષીઓને માર મારી રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 8.50 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં તે છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો અને જામનગર પોલીસે તેના પર રૂ. 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમ બ્લોચ, સંદીપસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ રશિક, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મિતેશ, કમલેશ અને ડ્રાઈવર દિનેશ ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:34 pm

જામનગરમાં દરિયાઈ પટ્ટી પર મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું, શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્ગે સંભવિત ખતરાઓને રોકવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીઆતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ-એલર્ટ કરતા પણ સામાન્ય સમયગાળામાં સતર્કતા રાખવી વધુ અનિવાર્ય હોવાથી આ સઘન પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ03/04/2026ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. યાદવ, સબ ઈન્સ્પેક્ટર ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના મહત્વના અને સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. આ કામગીરીમાં વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા: જોડીયા બંદર બાલાચડી વિસ્તાર સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ સચાણા જેટી અને સમગ્ર કોસ્ટલ પટ્ટી શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજરઆ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ્સ, ફિશિંગ સેન્ટરો અને અવાવરુ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવામાં આવી હતી. કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં પૂરતી તકેદારી રાખીને દેશની જળસીમાને સુરક્ષિત રાખવી અને સંભવિત ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવી એ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:25 pm

ચીખલીમાં ભાજપને મોટો ઝટકો:સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે હરણગામના ડે.સરપંચ 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા, પત્ની રાનકુવા બેઠક પરથી લડશે ચૂંટણી

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નવસારી જિલ્લામાં પક્ષ-પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ચીખલી તાલુકાના હરણગામમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અહીંના ડેપ્યુટી સરપંચે પોતાના 100થી વધુ કાર્યકરો સાથે કેસરીયો ત્યાગી પંજો પકડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અનંત પટેલની હાજરીમાં વિધિવત કોંગ્રેસમાં પ્રવેશચીખલીના હરણગામના ડેપ્યુટી સરપંચે ભાજપ સાથેના છેડા ફાડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે તમામ કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે, હરણગામના 100થી વધુ સક્રિય ભાજપ કાર્યકરો હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે, જે આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂતી આપશે. પત્ની રાનકુવા બેઠક પરથી મેદાનમાંઆ પક્ષ-પલટાની સાથે જ કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસમાં જોડાયેલા ડેપ્યુટી સરપંચની પત્ની રાનકુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ચીખલી તાલુકામાં ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા હસ્તગત કરવા માટે કોંગ્રેસ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહી છે. વાંસદામાં લોકપ્રિયતાનો જંગએક તરફ કોંગ્રેસ કાર્યકરોને પોતાની તરફ ખેંચી રહી છે, તો બીજી તરફ વાંસદા વિસ્તારમાં ભાજપના સાંસદ ધવલ પટેલની વધતી લોકપ્રિયતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે. ધવલ પટેલના વધતા પ્રભાવને પગલે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ચીખલી અને વાંસદા પંથકમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જામી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:05 pm

દ્વારકામાં શિવગંગા ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા-કુંડાનું વિતરણ:આઠ વર્ષથી પક્ષીઓ માટે નિઃશુલ્ક સેવા યથાવત

દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. 6 એપ્રિલ, 2026, સોમવારના રોજ સાંજે 5:30 વાગ્યે હોટેલ શિવ સામે, ત્રણબતી ચોક, દ્વારકા ખાતે યોજાશે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે, જે પક્ષીઓ પ્રત્યેની સેવાભાવના દર્શાવે છે. સંસ્થા દ્વારા દ્વારકાના તમામ પક્ષીપ્રેમીઓને આ નિઃશુલ્ક વિતરણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:04 pm

મુડેટીમાં વૈદિક જ્ઞાનના 'ચેતના કેન્દ્ર'નું લોકાર્પણ:જગદગુરુ શંકરાચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું 'સદધર્મ સમાજસેવા રત્ન' એવોર્ડથી વિશેષ સન્માન

સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક અને શૈક્ષણિક ઉર્જાના સંગમ સમાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના 'નૂતન સંકુલ'નો 3-દિવસીય ઉદ્ઘાટન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 'સદધર્મ સમાજસેવા રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સનાતન જ્ઞાન અને રાષ્ટ્ર નિર્માણનું કેન્દ્રઆ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલય માત્ર એક ઈંટ-પથ્થરની ઈમારત કે સંસ્થા નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર 'ચેતના કેન્દ્ર' છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને સંસ્કારો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને આ સંકુલ સાચા અર્થમાં ચરિતાર્થ કરશે. આધુનિકતા અને પરંપરાનો સમન્વયમુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રાણ છે. સંસ્કૃત વિના આપણો ઇતિહાસ અને વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત સમજવો અશક્ય છે. રાજ્ય સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આ ભાષાના જતન માટે કટિબદ્ધ છે. મુડેટી જેવા અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃતની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ આપવાની પહેલને તેમણે બિરદાવી હતી. આ મહાવિદ્યાલય આઝાદીના અમૃતકાળમાં 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સંસ્કૃત એ ઋષિમુનિઓનો વારસો: જગદગુરુ શંકરાચાર્યજગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલી સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે નૂતન સંકુલની પ્રશંસા કરતા જણાવ્યું કે, શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. તેમણે અનેકતામાં એકતાનો સંદેશ આપતા આ સંસ્થાને વૈદિક પરંપરાના જતન માટેનું આદર્શ કેન્દ્ર ગણાવ્યું હતું. સંસ્થાનો ભવ્ય ઇતિહાસઆ વેદ વિદ્યાલયની સ્થાપના પાછળ એક પવિત્ર સંકલ્પ જોડાયેલો છે. પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવા માટે આ બીજ રોપાયું હતું. ત્યારબાદ પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) ની પ્રેરણા અને અનંતદેવ હરિશંકર શુક્લ તથા વૈદ્યરાજ અનિરૂદ્ધ શુક્લના સહયોગથી 1988માં ટ્રસ્ટની પુન: સ્થાપના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી, 1997ના રોજ આ મહાવિદ્યાલયની શરૂઆત થઈ હતી, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે. આ ગરિમામય સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટી ઉદય માહૂરકર, રાજ્યમંત્રી પી.સી. બરંડા, વિવિધ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 2:01 pm

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ભાજપમાં 1680થી વધુ દાવેદારો:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે 1680થી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા જિલ્લાના વિવિધ ઝોનમાં દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. કાર્યકર્તાઓની સુવિધા માટે અમરેલી જિલ્લાને સાવરકુંડલા, ધારી અને અમરેલી એમ ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 1680 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. તેમાંથી, માત્ર જિલ્લા પંચાયત માટે જ આશરે 942 દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. વિધાનસભા વિસ્તાર મુજબ દાવેદારીની વિગતો નીચે મુજબ છે: અમરેલી વિધાનસભા વિસ્તારમાં કુંકાવાવ તાલુકા પંચાયત માટે 89, અમરેલી તાલુકા પંચાયત માટે 101 અને અમરેલી નગરપાલિકા માટે 195 દાવેદારો છે. બાબરા વિધાનસભા વિસ્તારમાં બાબરા તાલુકા પંચાયત માટે 94, બાબરા નગરપાલિકા માટે 110, લાઠી તાલુકા પંચાયત માટે 60 અને દામનગર તાલુકા પંચાયત માટે 75 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સાવરકુંડલા તાલુકા પંચાયત માટે 143, સાવરકુંડલા નગરપાલિકા માટે 223 અને લીલીયા તાલુકા પંચાયત માટે 22 દાવેદારો છે. ધારી વિધાનસભા વિસ્તારમાં ધારી તાલુકા પંચાયત માટે 56, ધારી નગરપાલિકા માટે 125, બગસરા તાલુકા પંચાયત માટે 48, બગસરા નગરપાલિકા માટે 100 અને ખાંભા તાલુકા પંચાયત માટે 65 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. રાજુલા વિધાનસભા વિસ્તારમાં રાજુલા તાલુકા પંચાયત માટે 125 અને જાફરાબાદ તાલુકા પંચાયત માટે 66 દાવેદારો છે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી 24 કલાકમાં ઉમેદવારોને ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:41 pm

વલસાડ લો કોલેજમાં ABVPનો ઉગ્ર વિરોધ:તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી

વલસાડની લો કોલેજમાં ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજના વડા અને અન્ય પ્રાધ્યાપકો સામે ગંભીર આક્ષેપો સાથે આંદોલન શરૂ કરાયું છે. ABVPએ તપાસ હેઠળના અધિકારીઓને પદ પરથી હટાવવાની માંગ કરી છે, જેથી પુરાવા સાથે છેડછાડ ન થાય. ABVPના કાર્યકરોએ જણાવ્યું કે, જે અધિકારી કે વ્યક્તિ સામે તપાસ ચાલતી હોય, તેમને પદ પર ચાલુ રાખવાથી પુરાવાનો નાશ થવાની કે તેમાં છેડછાડ થવાની શક્યતા રહે છે. સંગઠનનો આરોપ છે કે સંસ્થાના વડા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તપાસને પ્રભાવિત કરી શકે છે. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓએ ABVPના પ્રતિનિધિઓને જણાવ્યું કે, સંસ્થાના વડા અને પ્રાધ્યાપકો દ્વારા તેમના પર માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. સત્તાનો દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓને ધાક-ધમકી અને પ્રલોભન આપી, કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી બળજબરીપૂર્વક સત્તાધીશોના હિતમાં હોય તેવું લખાણ ગેરકાયદેસર રીતે લખાવી લેવામાં આવ્યું છે. ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો તટસ્થ તપાસ માટે જવાબદારોને પદ પરથી દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મુદ્દો હાલ શૈક્ષણિક જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને કોલેજ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:38 pm

સાબરકાંઠા જિલ્લામાં 6 PI અને 1 PSIનું પોસ્ટિંગ:પોલીસ વિભાગમાં બદલીઓ બાદ નવા અધિકારીઓની નિમણૂક

સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા 6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 1 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાજ્યમાં થયેલી PIની બદલીઓ બાદ આ નિમણૂકો કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યભરમાં PIની બદલીઓ થઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી 8 PIની બદલી અન્ય જિલ્લાઓમાં કરવામાં આવી હતી. તેના બદલામાં, અન્ય જિલ્લાઓમાંથી 8 PI સાબરકાંઠા જિલ્લામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આ પોસ્ટિંગના આદેશો જારી કર્યા છે. જેમાં લીવ રિઝર્વમાં મુકાયેલા PI એ.આર. ચૌધરીને ગાભોઈ પોલીસ સ્ટેશન, આર.એ. ચૌધરીને ઇડર પોલીસ સ્ટેશન, વી.એમ. ચૌધરીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, ડી.વી. હડાતને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, એસ.એમ. લાસનને IUCAW યુનિટ અને એચ.જે. પટેલને જાદર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, PSI બી.ડી. રાઠોડને વિજયનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:33 pm

ઇકબાલગઢ-ખારા પુલ 62 દિવસ બંધ:બનાસ નદી પર સમારકામ, વૈકલ્પિક માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ-ખારા માર્ગ પર આવેલા બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ થઈ છે. આ કારણે આગામી 62 દિવસ માટે પુલ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, વાહનચાલકોની સુવિધા માટે વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા કરાયેલા રૂટીન ઇન્સ્પેક્શનમાં પુલમાં મરામતની આવશ્યકતા જણાતા, સરકારે આ કાર્ય માટે રૂ. 474 લાખની વહીવટી મંજૂરી આપી છે. હાલમાં પુલના બેરીંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્સન જોઈન્ટની કામગીરી ચાલી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ માર્ગ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત કરાયો છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, તા. 02/04/2026 થી તા. 02/06/2026 (કુલ 62 દિવસ) સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇકબાલગઢથી ખારા તરફ જતા વાહનોએ ઇકબાલગઢથી સરોત્રા, ઘાંટા અને વેરા-બાલુન્દ્રા ત્રણ રસ્તા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે. ખારાથી ઇકબાલગઢ આવવા માટે બાલુન્દ્રા ત્રણ રસ્તાથી વેરા, ઘાંટા અને સરોત્રા વાળો માર્ગ ઉપયોગમાં લેવાનો રહેશે. જોકે, અગાઉ સૂચવેલા વૈકલ્પિક માર્ગને કારણે બાલુન્દ્રા અને ખારા તરફના મોટાભાગના ગામોના લોકોને 15 થી 20 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડતું હતું, જેનાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી. આ સમસ્યાને પગલે 15 થી વધુ ગામના આગેવાનોએ એકત્ર થઈને અધિકારીઓને રજૂઆત કરી હતી. જેના પરિણામે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશ્વેશ્વર નદીમાંથી યુદ્ધના ધોરણે નવો વૈકલ્પિક રસ્તો બનાવવાનું શરૂ કરાયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રસ્તો આજ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે અને આવતીકાલથી તેનો ઉપયોગ થઈ શકશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં લોકોને વધુ સુરક્ષિત અને સુગમ્ય વાહનવ્યવહારની સુવિધા મળી રહે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:30 pm

સુરત સિવિલમાં હૃદયરોગના 12 કરોડના અત્યાધુનિક મશીનો પર ધૂળ જામી:કાર્ડિયાક સર્જનના અભાવે હાર્ટ મશીનો 11 મહિનાથી સીલપેક, દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં લૂંટાવા મજબૂર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે 12 કરોડના ખર્ચે અત્યાધુનિક મશીનો ફાળવવામાં આવ્યા છે. ગરીબ દર્દીઓને એન્જિયોગ્રાફી અને હાર્ટ સર્જરી જેવી મોંઘી સારવાર મફત મળે તે માટે આ મશીનરી લવાઈ હતી. જોકે, દુર્ભાગ્યની વાત એ છે કે છેલ્લા 11 મહિનાથી આ મશીનો હોસ્પિટલમાં આવી ગયા હોવા છતાં, હૃદયના દર્દીઓ માટે તેનો ઉપયોગ 'શૂન્ય' રહ્યો છે. કરોડો રૂપિયાના સાધનો હોસ્પિટલના ખૂણામાં ધૂળ ખાઈ રહ્યા છે, જ્યારે શહેરના હૃદયરોગના દર્દીઓ મોંઘી ફી ભરીને ખાનગી હોસ્પિટલોના પગથિયાં ચઢવા મજબૂર બન્યા છે. હૃદય માટેની કેથલેબ મશીનનો અન્ય વિભાગોમાં ઉપયોગસિવિલ હોસ્પિટલમાં જે કેથલેબ મશીન લાવવામાં આવ્યું છે, તેનો મુખ્ય હેતુ હૃદયની જટિલ સર્જરી અને એન્જિયોગ્રાફી કરવાનો હતો. પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે, અત્યાર સુધી આ મશીનથી હૃદયની એક પણ સર્જરી કરવામાં આવી નથી. હાલમાં આ મશીનનો ઉપયોગ માત્ર ન્યુરોલોજી અને અન્ય વિભાગો માટે કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ન્યુરોલોજીની એક સર્જરી આ મશીન દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી, પરંતુ જે 'કાર્ડિયાક પેશન્ટ્સ' માટે આ મશીન ખાસ મંગાવવામાં આવ્યું હતું, તેમને તેનો કોઈ જ લાભ મળી રહ્યો નથી. હૃદય વિભાગ માટે આવેલું સાધન અન્ય કામોમાં વપરાતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 11 મહિનાથી આવેલા હાર્ટ મશીનો હજુ પણ સીલપેકનવી સિવિલ હોસ્પિટલના ચોથા માળે સ્થિતિ અત્યંત ગંભીર છે. હૃદયરોગની તપાસ માટે અતિ ઉપયોગી એવા મશીનો હજુ પણ કાગળના પેકિંગ બોક્સમાં જ બંધ હાલતમાં પડ્યા છે. આ બોક્સ પર સ્પષ્ટપણે 'ડિસ્પેચ ઇન્સ્પેક્શન એપ્રિલ 2025'ના સીલ જોવા મળી રહ્યા છે. 11 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ બોક્સ ખોલવાની તસ્દી પણ લેવામાં આવી નથી. હૃદયની તપાસ માટેના આ સાધનો ઇન્સ્ટોલ કરવાને બદલે બંધ રૂમમાં તાળા હેઠળ રાખવામાં આવ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે. આ મશીનનો ઉપયોગ માત્ર ન્યુરોલોજી અને એનેસ્થેસિયા (NSC) વિભાગ પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે. તાજેતરમાં ન્યુરોલોજીની એક સફળ સર્જરી આ મશીન દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે મુખ્ય હેતુ (હૃદયરોગની સારવાર) માટે આ મશીન લાવવામાં આવ્યું હતું, તે હેતુ હજુ સુધી સિદ્ધ થયો નથી. કાર્ડિયાક સર્જનના અભાવે 12 કરોડની મશીનરી બેકારમશીનો હોવા છતાં તેનો ઉપયોગ ન થવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવી સિવિલ હોસ્પિટલ પાસે હૃદયરોગના ઓપરેશન કરી શકે તેવા 'કાર્ડિયાક સર્જન' જ નથી. એન્જિયોગ્રાફી જેવી પાયાની તપાસ માટે પણ હોસ્પિટલ પાસે નિષ્ણાત ડોક્ટરોની ટીમ નથી. આર.એમ.ઓ કેતન નાયકે કબૂલાત કરી છે કે, સુરત સિવિલ પાસે હાલ એક પણ કાર્ડિયાક સર્જન ઉપલબ્ધ નથી. સાધનો હોવા છતાં નિષ્ણાત માનવબળના અભાવે હૃદયરોગના દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર આપીને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે, જ્યાં તેમને હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. હાઈ-ટેક મશીનો હોવા છતાં દર્દીઓની જૂની ટેકનોલોજીથી તપાસકેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક TMT (ટ્રેડમિલ ટેસ્ટ) મશીનો પણ હૃદયના દર્દીઓ માટે મોકલવામાં આવ્યા છે. આ નવા મશીનો અત્યારે બંધ રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારે પણ જૂના થઈ ગયેલા TMT મશીનનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવા અને હાઈ-ટેક મશીનો હોવા છતાં દર્દીઓને જૂની ટેકનોલોજીથી તપાસવામાં આવી રહ્યા છે. જો આ નવા મશીનો સમયસર શરૂ કરવામાં આવે તો હૃદયના ધબકારા અને બ્લોકેજની તપાસ વધુ સચોટ રીતે થઈ શકે તેમ છે, પરંતુ તંત્રની આળસને કારણે આ સુવિધા તાળામાં બંધ છે. તંત્રની આળસને કારણે આ સુવિધા તાળામાં બંધનવી સિવિલ હોસ્પિટલ પાસે નવા મશીનોનો સ્ટોક હોવા છતાં, હાલમાં જુના થઈ ગયેલા ટી.એમ.ટી મશીનનો ઉપયોગ કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. આર.એમ.ઓ કેતન નાયકના જણાવ્યા મુજબ, TMT મશીનો ઇન્સ્ટોલ થઈ ગયા છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. દર્દીઓને અત્યાધુનિક સુવિધાનો લાભ આપવાને બદલે જુના સંસાધનો પર જ નિર્ભર રાખવામાં આવી રહ્યા છે. હૃદય વિભાગ માટે જગ્યાનો અભાવ અને અનિશ્ચિતતાસરકાર દ્વારા નવી સિવિલમાં અલાયદો 'હાર્ટ વિભાગ' શરૂ કરવા માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સાથે વાટાઘાટો ચાલી રહી છે. યુ.એન. મહેતા હોસ્પિટલે આ માટે 4 માળની જગ્યા માંગી છે, પરંતુ સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે જગ્યાનો અભાવ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી જગ્યા ફાળવવામાં ન આવે અને યુ.એન. મહેતાની ટીમ અહીં ન આવે, ત્યાં સુધી આ 12 કરોડના હૃદયના મશીનો વણવપરાયેલા જ રહેશે. પ્રશ્ન એ થાય છે કે જો વિભાગ શરૂ કરવાની તૈયારી નહોતી, તો કરોડોના મશીનો 11 મહિના પહેલા મંગાવીને શા માટે ધૂળ ખાવા માટે મૂકી રાખવામાં આવ્યા છે?.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:30 pm

ભરૂચમાં જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ:55 કેન્દ્રો પર 14,259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શનિવારે, 04 એપ્રિલ 2026 ના રોજ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સમગ્ર પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 14,259 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમના 694 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 21 વધારાના વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી. તાલુકાવાર વિતરણમાં, ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા. પરીક્ષાના સુચારુ વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો, 55 વહીવટી મદદનીશો, 55 ક્લાર્ક-કમ-ટેક્નિશિયન, 500 ખંડ નિરીક્ષકો અને 57 રિલીવરો સહિત કુલ 283 થી વધુ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પાણી અને સ્વચ્છતા માટે પણ અલગ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે, કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સવારે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:27 pm

BRTSના બંધ પડેલા સ્વીગ ગેટને ફરી ચાલુ કરાશે:2.37 કરોડના ખર્ચે 270 ઓટોમેટિક ગેટ કાર્યરત થશે, 5 વર્ષ સુધી એજન્સી સંભાળશે મેન્ટેનન્સ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લાઈફલાઈન ગણાતી BRTS સેવામાં છેલ્લા લાંબા સમયથી મેન્ટેનન્સના અભાવે બંધ પડેલા 270 જેટલા ઓટોમેટિક સ્વિંગ ગેટને ફરીથી શરૂ કરવા માટે પાલિકાના ટ્રાફિક અને BRTS પ્રોજેક્ટ સેલ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 2,37,86,156ના ખર્ચનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગેટ બંધ હોવાથી મુસાફરો ગમે ત્યાંથી પ્રવેશ કરતા હતાંસુરત BRTS સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા અને અનધિકૃત પ્રવેશ રોકવા માટે ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા. જોકે, યોગ્ય જાળવણીના અભાવે અને ટેકનિકલ ખામીઓને કારણે મોટાભાગના ગેટ લાંબા સમયથી બંધ હાલતમાં હતા. આ ગેટ બંધ હોવાને કારણે મુસાફરો ગમે ત્યાંથી કોરિડોરમાં પ્રવેશતા હતા, જેનાથી અકસ્માતનો ભય રહેતો હતો. હવે પાલિકાએ આ ખામી સુધારવા માટે કમર કસી છે. પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી ભૂતકાળમાં ગેટ રિપેર થયા બાદ ફરી બગડી જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ ટેન્ડરમાં કડક શરત મૂકી છે. જે એજન્સીને આ કામ સોંપવામાં આવશે, તેણે માત્ર ગેટ રિપેર નથી કરવાના, પરંતુ આગામી 5 વર્ષ સુધી તેનું સંપૂર્ણ મેન્ટેનન્સ અને જાળવણી પણ કરવાની રહેશે. આ શરતને કારણે હવે એજન્સીએ કામની ગુણવત્તા જાળવવી પડશે. કમિશનરે વિઝિટ કરી ખાનગી વાહનોને રોક્યાં હતાંથોડા દિવસો પહેલા જ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ પોતે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે બીઆરટીએસ કોરિડોરમાં અચાનક વિઝિટ કરી હતી અને ગેરકાયદેસર રીતે કોરિડોરમાં વાહનો ચલાવતા ખાનગી વાહન ચાલકોને અટકાવીને સ્થળ પર જ શિસ્તના પાઠ ભણાવ્યા હતા. કમિશનરની આ કડકાઈ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને બીઆરટીએસ સિસ્ટમને સંપૂર્ણપણે સ્માર્ટ બનાવવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:24 pm

મોરબી: જૂના જનસંઘીની રજૂઆત, પૂર્વ સભ્યોને ટિકિટ ન આપો:મહાપાલિકાની સેન્સ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપસર ટિકિટ ન આપવા માંગ

મોરબીના કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જૂના જનસંઘના સભ્ય અને સામાજિક કાર્યકર બાબુલાલ મોહનભાઈ સરડવાએ લેખિત રજૂઆત કરી હતી. તેમણે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પૂર્વ સભ્યને ટિકિટ ન આપવાની માંગ કરી છે. સરડવાએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકા માટે સ્વચ્છ છબી ધરાવતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટરો, એડવોકેટ અને ઇજનેરો જેવા નવા ચહેરાઓને ટિકિટ આપવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અગાઉના 52 સભ્યોની બોડીએ વ્યાપક ભ્રષ્ટાચાર આચરી મોરબીની જનતાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ધારાસભ્યએ કહ્યું હતું કે પાલિકાની બોડીએ ભ્રષ્ટાચાર કરીને પાલિકાને તળિયાઝાટક કરી નાખી છે. આ કારણોસર, સરડવાએ સ્પષ્ટપણે માંગ કરી છે કે અગાઉના 52 સભ્યોમાંથી એક પણ સભ્યને ફરીથી ટિકિટ ન આપવામાં આવે. બાબુલાલ સરડવાએ પોતાની રજૂઆતમાં જૂના જનસંઘ અને ભાજપ તેમજ હાલના ભાજપ વચ્ચેના તફાવત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપની છબી સુધરે અને શહેરનો સારો વિકાસ થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:22 pm

AAPએ પોરબંદર જિલ્લા પંચાયત ઉમેદવારો જાહેર કર્યા:6 બેઠકો માટે પ્રથમ તબક્કાની યાદી બહાર પાડી, વિસાવાડા બેઠક પર હિતેશ મોઢવાડીયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ પોરબંદર જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં દેગામ બેઠક પર સુમરીબેન નાથા કુછડીયા, ખાગેશ્રી બેઠક પર મેરુ રણમલ ઓડેદરા, મોઢવાડા બેઠક પર નીતાબેન સાદીયા, રાણા કંડોરણા-1 બેઠક પર કરણ કોડિયાતર, રાણા કંડોરણા-2 બેઠક પર બુટાણી રાજેશ અને વિસાવાડા બેઠક પર હિતેશ મોઢવાડીયાનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે, પાયાના કાર્યકરો અને જનતાની વચ્ચે રહીને કામ કરતા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. 'આપ' શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નોને મુખ્ય મુદ્દા બનાવી ભાજપ અને કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંકવાની તૈયારીમાં છે. ખાસ કરીને રાણા કંડોરણા અને વિસાવાડા જેવી મહત્વની બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને પાર્ટીએ પરિવર્તનનો સંકેત આપ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ તેજ બનશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 1:10 pm

જાહેરમાં દાતરડાથી યુવકનો હુમલો:ડીંડોલીમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગર-3માં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ અચાનક હિંસક વળાંક લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ યુવક હાથમાં મોટું દાતરડું લઈને ત્યાં પહોંચી ગયો હતો અને ઉભેલા 15થી 20 લોકોના ટોળા સામે જ એક વ્યક્તિ પર હુમલો કરવા દોડ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ હુમલા દરમિયાન કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી. હુમલાનો લાઈવ વીડિયો મોબાઈલના કેમેરામાં કેદજ્યારે આ હિંસક ઘટના બની, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ હિંમત દાખવીને સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપી યુવક કેવી રીતે દાતરડું હવામાં વીંઝી રહ્યો છે અને એક વ્યક્તિ પર પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આટલી ભીડ વચ્ચે હુમલો કર્યા બાદ પણ આરોપી કોઈ પણ પ્રકારના ડર વગર અત્યંત આરામથી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો પ્રારંભસોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ ડીંડોલી પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. સામાન્ય રીતે કોઈ પણ ગુનામાં ફરિયાદીની જરૂર હોય છે, પરંતુ આ કિસ્સામાં કોઈ પણ ભોગ બનનાર કે સાક્ષી સામે ન આવતા પોલીસે ગંભીરતા સમજીને પોતે જ ફરિયાદી બની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિડિયોમાં દેખાતા દૃશ્યો ખૂબ જ ગંભીર છે અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપીની ઓળખ થઈ, ધરપકડ માટે ચક્રો ગતિમાનડીંડોલી પોલીસ મથકના પીઆઈ પી.એલ. વાઘેલાએ આ મામલે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની એક ટીમ તાત્કાલિક આરોપીના ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં મળી આવ્યો ન હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર યુવક લીંબાયત વિસ્તારના રુસ્તમપુરાનો રહેવાસી છે. ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા રુસ્તમપુરામાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર વોચ રાખી રહી છે. ટૂંક સમયમાં આરોપી જેલના સળિયા પાછળ હશે: પોલીસપોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પીઆઈ વાઘેલાએ વધુમાં ઉમેર્યું કે, આરોપીની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ખૂબ જ ટૂંકા સમયમાં તેને ઝડપી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:59 pm

વડોદરામા સ્વામિનારાયણ ભગવાનના 9માં વંશજ દ્વારા દિવ્ય સત્સંગ સભાનું આયોજન:વડતાલગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ભક્તોને અમૃતવાણીનું રસપાન કરાવશે

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ અને મહિલા મંડળ - વડતાલ, શાખા: વડોદરા દ્વારા માસિક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં વડતાલગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ભક્તોને અમૃતવાણીનું રસપાન કરાવશે. આ આયોજન વડતાલગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સહિત સમગ્ર શ્રી ધર્મકુળ પરિવારના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. સત્સંગ સભા શનિવાર, 04/04/2026 ના રોજ સાંજે 5:30 કલાકથી 8:00 કલાક સુધી યોજાશે. સ્થળ: રાહુલભાઈ જગદીશભાઈ પટેલ, 20, શિવેન એન્કલેવ, ખોડીયાનગર રણછોડનગરની બાજુમાં, સિદ્ધેશ્વર હેપ્પી લાઈફની પાછળ, દરબાર ચોકડી બ્રિજ સામે છેડે, ન્યુ માંજલપુર, વડોદરા. આ સત્સંગ સભામાં વડતાલથી 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો સાથે પધારીને ભક્તોને અમૃતવાણીનું રસપાન કરાવશે. સત્સંગ સભાના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:46 pm

વિદેશ જવાની લાલચમાં યુવકે 12 લાખ ગુમાવ્યા:ઈમિગ્રેશન લોયરે ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું, ફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી રૂપિયા પડાવ્યા

ફરી એકવાર વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વિદેશમાં સેટિંગ હોવાનું અને દર મહિને અનેક લોકોને મોકલતા હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપ્યું હતું. વિશ્વાસમાં આવીને મિલને ડોક્યુમેન્ટ સાથે બેંકના કોરા ચેક અને 12 લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં વિદેશમાં મોકલવામાં ન આવતા ફરિયાદીએ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રૂપિયા પણ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ફરિયાદીએ બે લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા હોવાથી ઈમિગ્રેશન લોયર સાથે મુલાકાત કરીરાણીપમાં રહેતા 35 વર્ષીય મિલન બારોટ સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી છે. મિલન બારોટ ધંધો કરે છે અને તેને યુરોપમાં વર્ક પરમિટથી નોકરી કરવા માટેની ઈચ્છા હતી. જેથી તેને તેની સાથે નોકરી કરતા ભાવેશ પટેલ નામના મિત્રને વાત કરી હતી. ભાવેશ પટેલને પણ વિદેશ જવાની ઈચ્છા હોવાથી બંને લોકો સારા એજન્ટની શોધમાં હતા. ત્યારે ભાવેશ પટેલના એક મિત્રએ તેને ઉસ્માનપુરામાં આવેલા નૈમેષ શાહ નામના ઈમિગ્રેશન લોયરનો રેફરન્સ આપ્યો હતો. જે બાદ જુલાઈ 2024માં બંને મિત્ર નૈમેષ શાહની ઓફિસે ગયા હતા. જ્યાં વિદેશમાં વર્ક પરમિટથી વિઝા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટોપ યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાની લોભામણી લાલચ આપીજે દરમિયાન નૈમેષ શાહે તેની વિદેશમાં સારી ઓળખાણ હોવાની અને દર મહિને 15થી 20 લોકોને વર્ક પરમિટ વિઝા અપાવી સારી કમાણી માટે વિદેશમાં મોકલતા હોવાની લાલચ આપી હતી. યુરોપના ટોપ 5 દેશમાંથી કોઈ એક દેશના વર્ક પરમીટ બીજા અપાવી દેશે અને વીઝા આવી ગયા બાદ 12થી 13 લાખ સુધીનો ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ વિશ્વાસમાં આવીને તમામ અસલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જે બાદ નૈમેષ શાહ દ્વારા કોરા ચેક માંગવામાં આવ્યા હતા. જેથી કોરા ચેક માંગવામાં આવતા ભાવેશ પટેલે તેના અસલ ડોક્યુમેન્ટ પર માંગી લીધા હતા, પરંતુ મિલન બારોટને વિદેશમાં જવાની ઇચ્છા હોવાથી તેને બેંકના કોરા ચેક પણ આપી દીધા હતા. ફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી 12 લાખ લીધાફિનિશ રેસીડેન્સ પરમિટ કાર્ડ આવી ગયું હોવાનું કહી ફરિયાદી પાસેથી નૈમેષ શાહે પૈસાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ નૈમેષ શાહના કહેવાથી 12 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે બાદ ફરિયાદીએ તમામ પૈસા આપ્યા બાદ અસલ ડોક્યુમેન્ટની માંગણી કરતા એક બે દિવસમાં તમામ આપી દેવાનું વચન આપવામાં આવ્યું હતું. જે બાદ 25 ડિસેમ્બરના રોજ વિદેશ મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ અનેક દિવસ બાદ પણ વિદેશ મોકલવામાં ન આવતા આખરે ફરિયાદીએ નૈમેષ શાહ પાસે અસલ ડોક્યુમેન્ટ અને રૂપિયાની માંગણી હતી, પરંતુ 12 લાખ રૂપિયા પરત ન આપતા આખરે ફરિયાદીએ બે લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:41 pm

દહેગામમાં તસ્કરોનો આતંક:બહિયલમાં તબેલામાંથી 3.85 લાખની 4 ભેંસની ચોરી, પશુપાલક પરિવાર મુશ્કેલીમાં મુકાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં તસ્કરોએ એક પશુપાલક પરિવારના ખેતરમાં આવેલા તબેલામાંથી રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર ભેંસોની ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સામે આવી છે. આશરે પોણા ચાર લાખ રૂપિયાની કિંમતના પશુઓની ચોરી થતા પશુપાલક પરિવારે દહેગામ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. બહિયલ-કપડવંજ રોડ પરની ઘટનાપ્રાપ્ત વિગતો મુજબ, બહિયલ ગામના ગજેન્દ્રસિંહ કલ્યાણસિંહ ચૌહાણે દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગજેન્દ્રસિંહ અને તેમનો પરિવાર પશુપાલન અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં જ બહિયલ-કપડવંજ રોડ પર તેમનું ખેતર આવેલું છે, જ્યાં તેમણે પશુઓ રાખવા માટે તબલો બનાવ્યો છે. પાડોશીએ ફોન કરી ઘટનાની જાણ કરીગત 31 માર્ચના રોજ રાત્રિના સમયે ગજેન્દ્રસિંહ અને તેમના પત્ની અમરતબેન પશુઓને ઘાસચારો નાખી ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ સવારે જ્યારે પરિવાર ખેતરે જવા રવાના થયો ત્યારે રસ્તામાં બાજુનાં ખેતરના માલિકે ફોન દ્વારા જાણ કરી હતી કે તબેલાના દરવાજા ખુલ્લા છે. આ સાંભળી ગજેન્દ્રસિંહ તાત્કાલિક તબેલા પર પહોંચ્યા તો ત્યાંનું દૃશ્ય જોઈ તેમના હોશ ઉડી ગયા હતા. બે ભેંસો ફરિયાદીના ભાઈની હતીતેમના તબેલામાં બાંધેલી કુલ 4 ભેંસ ગાયબ હતી. જે અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તસ્કરોએ તબેલાના લોખંડના ગેટની સાંકળ કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને પશુઓને ચોરી ગયા હતા. ચોરી થયેલા પશુઓમાં એક ગાભણ ભેંસ, એક પાડી અને ગજેન્દ્રસિંહના મોટાભાઈ અજીતસિંહની બે ભેંસો મળીને અંદાજે 3,85,000 રૂપિયાની કિંમતના પશુધનની ચોરી થઈ છે. 3 દિવસની શોધખોળ બાદ ફરિયાદ નોંધાવીશરૂઆતમાં પરિવારે પશુઓ ક્યાંક છૂટા પડીને આજુબાજુના ખેતરોમાં નીકળી ગયા હશે તે આશાએ ત્રણ દિવસ સુધી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે ચોરી થયાની ખાતરી થઈ હતી. ત્યારે એકસાથે ચાર પશુઓની ચોરી થતા દહેગામ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા વખતથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી પશુચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક પશુપાલકોમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:36 pm

હિટ એન્ડ રનમાં 18 વર્ષીય યુવકનું મોત:કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને ઉડાવી કાર મૂકી ફરાર; ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના માર્ગો પર બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. શહેરના કોબા સર્કલથી ગાંધીનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી ફોરવ્હીલર ગાડીના ચાલકે રોડ પર ચાલીને જઈ રહેલા 18 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. હોટલના હેડ સેફનો ફોન આવ્યોને હિમાંગશુના અકસ્માતના સમાચાર આપ્યાપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પેથાપુરના રહેવાસી આદિલભાઈ આરીફભાઈ પરમાર કુડાસણ ખાતે આવેલી ધ મસાલા સિક્રેટ રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે 3 એપ્રિલની રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે આદિલભાઈ પોતાની ડ્યુટી પૂરી કરી ઘરે હતા. ત્યારે તેમને હોટલના હેડ સેફ સુખદેવભાઈ ભટ્ટે ફોન કરીને જણાવ્યું હતું કે, હોટલમાં કિચન હેલ્પર તરીકે કામ કરતો 18 વર્ષીય હીમાંગશુ અર્જુનભાઈ શર્મા અકસ્માતને અકસ્માત થયો છે. જેથી આદિલભાઈ સહિતના સ્થળ પર દોડી ગયા હતા . કારચાલકે પૂરઝડપે ગાડી હંકારી જોરદાર ટક્કર મારીસ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ રાંદેસણ ખાતે રહેતો હીમાંગશુ કોબા સર્કલથી ગાંધીનગર તરફ જવાના રોડ પર સુકન સ્કાય એપાર્ટમેન્ટ પાસેથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે GJ-18-BN-6637 નંબરની કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી હીમાંગશુને જોરદાર ટક્કર મારી હતી. યુવકને સારવાર અર્થે ખસેડાય તે પહેલાં જ મોતને ભેટ્યોઆ અકસ્માતમાં યુવકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર ચાલક પોતાની કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:32 pm

મીઠાપુરમાં રઘુવંશી ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:આરપીએલ-2026નું આયોજન, લોહાણા યુવાનો ભાગ લેશે

મીઠાપુર ખાતે રઘુવંશી ગ્રુપ દ્વારા આરપીએલ-2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા અને આરંભડા સહિતના વિસ્તારોમાં રહેતા લોહાણા જ્ઞાતિના યુવા ખેલાડીઓ માટે છે. તેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ સાથે થયો હતો. દીપ પ્રાગટ્ય ઓખા મંડળના વેપારી અગ્રણી અને હોટલીયર બિપીનભાઈ સામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પરિમલભાઈ દાસાણી, રાજુભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ અને દિલીપભાઈ કોટેચા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહાનુભાવોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આરપીએલ-૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:28 pm

ખેરાલુના ડભોડામાં રસ્તા બાબતે લોહિયાળ જંગ:બે પક્ષો વચ્ચે ધારિયા ઉછળ્યા; બે મહિલાઓના માથામાં ટાંકા આવ્યા, 8 સામે સામસામી ફરિયાદ

ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારીયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંનેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંનેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે. જે અંગે ખેરાલુ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ફરિયાદસુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યાડભોડા ગામના સુરેખાબેન વિનુજી ઠાકોર ગઈકાલે સવારે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના કુટુંબી નિરમાબેન ઠાકોરના ઘરે પાડોશમાં રહેતા સ્નેહાબેન ઠાકોર ગાળાગાળી કરી રહ્યા હોવાથી સુરેખાબેન ત્યાં સમજાવવા ગયા હતા. આ દરમિયાન સ્નેહાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનું ઉપરાણું લઈને આવેલા ભરતજી ઈશ્વરજી ઠાકોર, અજયજી દશરથજી ઠાકોર (બંને રહે. ડભોડા) અને હંસાબેન ફુલાજી ઠાકોર (રહે. વિસનગર) એ ભેગા મળી સુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' આ મારામારી દરમિયાન ભરતજી ઠાકોરે ઉશ્કેરાઈને ધારિયાના ઉંધા ભાગ વડે સુરેખાબેનને ડાબા કાનના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરો 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. મહિલાને કાનના ભાગે ચાર ટાંકા આવતા પોલીસમાં ફરિયાદઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને કાનના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. આ મામલે સુરેખાબેને ચારેય હુમલાખોરો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ફરિયાદત્રણ શખસોએ દોડી આવી ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યોડભોડા ગામની સીમમાં રહેતા સ્નેહાબેન ઠાકોર અને તેમની બહેન ઘરે હાજર હતા, ત્યારે પડોશમાં રહેતા નિરમાબેન શંકરજી ઠાકોર રસ્તા બાબતે ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે સ્નેહાબેનના ઘરે સામાજિક પ્રસંગે આવેલા તેમના ફોઈ અને અન્ય સંબંધીઓએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. નિરમાબેનના સમર્થનમાં અન્ય ત્રણ શખ્સો વિનુજી હરીજી, સુર્યાબેન વિનુજી અને શંકરજી વેલાજી પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. ધારિયું મહિલાના માથામાં મારી દેતા ચાર ટાંકા આવ્યાઆ ઝઘડા દરમિયાન આરોપીઓએ સ્નેહાબેન અને તેમના ફોઈ વિજયાબેન સાથે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા શંકરજી વેલાજીએ પાસે પડેલું ધારિયું લાવી સ્નેહાબેનના ફોઈ હંસાબેનના માથામાં ડાબી બાજુએ ઝીંકી દીધું હતું. હુમલામાં હંસાબેન લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક 108 મારફતે ખેરાલુ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીહુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સ્નેહાબેન ઠાકોરે નિરમાબેન, વિનુજી, સુર્યાબેન અને શંકરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:22 pm

સેલવાસના એક ગોડાઉનમાં બ્લાસ્ટ, 3નાં મોત:સ્કૂલથી માત્ર 30 મીટર જ દૂર ગોડાઉન; દાદરા નગર હવેલી ફાયર ફાઈટર ઘટના સ્થળ પર

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના હૃદય સમાન સેલવાસના ડેમ વિસ્તારની સમીપમાં આવેલ નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનાએ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. અત્યંત ચોંકાવનારી વિગત એ છે કે, આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ એક શૈક્ષણિક સંકુલ એટલે કે સ્કૂલથી માત્ર 30 મીટરના અલ્પ અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત, તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેમ છે. ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા અને શ્રમ કરી રહેલા 3 નિર્દોષ લોકોના લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ મૃતાત્માઓના પરિવારોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી છે. આ પ્રચંડ બ્લાસ્ટ અને ત્રણ-ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારના જોખમી ગોડાઉનોની મંજૂરી સામે પણ અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 12:03 pm

મહેસાણા પોલીસ બેડામાં મોટો ફેરફાર:SP હિમાંશુ સોલંકીએ એકસાથે 18 PIની આંતરિક બદલીના હુકમ કર્યા; લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યું

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યુંજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા આ આદેશમાં મુખ્યત્વે લિવ રિઝર્વમાં રહેલા અને નવા આવેલા અધિકારીઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિગતો મુજબ, કુલ 18 અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો જેઓ અત્યાર સુધી લિવ રિઝર્વમાં હતા તેમને અલગ-અલગ પોલીસ મથકોમાં નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. 5 PIની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂકઆ ઉપરાંત, જિલ્લામાં અગાઉથી કાર્યરત એવા અન્ય 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ તેમની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને કારણે પોલીસ તંત્રમાં નવીનતા આવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સોંપાયેલા નવા પોલીસ મથકોમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:52 am

વડોદરામાં સાંઈબાબાની પાલખી યાત્રા અને ભજન-કીર્તન:જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા બે દિવસીય કાર્યક્રમનું આયોજન

વડોદરાના આજવા રોડ પર આવેલી જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન ખાતે જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા સાંઈબાબાની પાલખી યાત્રા, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ 4 અને 5 એપ્રિલ,2026ના રોજ યોજાશે. ચૈત્ર વદ બીજ, શનિવાર, 4 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:00 કલાકે સાંઈબાબાની પાલખી યાત્રા નીકળશે. આ યાત્રા મહેશભાઈ કહાર (મૂર્તિકાર) નાલંદા પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડથી શરૂ થઈ જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન, આજવા રોડ ખાતે પહોંચશે. પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાશે. ભાવેશભાઈ આર્ય ગ્રુપ દ્વારા ભજન-કીર્તનનું રસપાન કરાવવામાં આવશે, જેમાં ભાવિક ભક્તોને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચૈત્ર વદ ત્રીજ, રવિવાર, 5 એપ્રિલ, 2026ના રોજ સાંજે 7:00 કલાકે સાંઈબાબાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે પણ સર્વ ભાવિક ભક્તોને પ્રસાદી લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:42 am

પાટણ તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષે હરાજી શરૂ:પ્રથમ દિવસે ₹2326 ભાવ મળ્યો, ખેડૂતોને વાજબી દામ

પાટણ ખાતે ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે તમાકુનો ભાવ ₹2326 નોંધાયો હતો. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ વેચવા અહીં આવી રહ્યા છે, જ્યાં તેમને રોકડ નાણાં અને યોગ્ય તોલ સાથે સારા ભાવ મળી રહ્યા છે. આ સબયાર્ડ 30 વીઘા જમીનમાં ફેલાયેલું છે અને સમગ્ર ગુજરાતમાં તમાકુ માટેનું સૌથી વિશાળ યાર્ડ ગણાય છે. મોટા ખરીદદાર વેપારીઓની હાજરીને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો અહીં મોટી માત્રામાં તમાકુ લઈને પહોંચી રહ્યા છે. ગત વર્ષે પણ આ માર્કેટયાર્ડમાં ગુજરાતનો સૌથી મોટો તમાકુનો વેપાર નોંધાયો હતો, જેને કારણે આ વર્ષે અન્ય વેપારીઓ પણ ખરીદી માટે જોડાયા છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે પાકા શેડ સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોને તેમના માલના વ્યાજબી ભાવ મળે, વજનમાં પારદર્શિતા જળવાય અને વેચાણ બાદ તરત જ રોકડ નાણાં ચૂકવાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક વધુ હોવાથી અને પાટણ ખાતે વેપારી-ખેડૂતો વચ્ચેના સારા સંબંધોને કારણે માલની આવકમાં વધારો થયો છે. APMC ચેરમેન સ્નેહલ પટેલ અને ડિરેક્ટર કે.સી. પટેલે જણાવ્યું હતું કે હાલમાં અંદાજે 45 થી 50 હજાર બોરીની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:40 am

ગાંજા વાવેતર કેસ: આરોપીને પાંચ વર્ષની સખત કેદ:પાટણ SOGએ રૂ. 5.22 લાખના 35 છોડ જપ્ત કર્યા હતા

સમી તાલુકાના ઉમેદપુરા ગામમાં ગાંજાના વાવેતર કેસમાં રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને કુલ એક લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ કરાયો છે. આ કેસ 24 જાન્યુઆરી, 2022નો છે, જ્યારે પાટણ SOGએ સમી તાલુકાના બાસ્પાથી રાધનપુર જતા હાઈવે પર આવેલી નર્મદા કેનાલની અમરાપુર બ્રાન્ચ કેનાલ પાસેના એક ખેતરમાંથી દરોડો પાડ્યો હતો. પોલીસે ચણાના પાકની વચ્ચે વાવેલા 52 કિલો 295 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાના 35 લીલા છોડ અને 4510 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત રૂ. 5,22,950 આંકવામાં આવી હતી. આ કેસમાં ઉમેદપુરા (જાખેલ) ગામના કનુભાઈ ચુંડાભાઈ ઠાકોરને આરોપી બનાવવામાં આવ્યા હતા. રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ (સેશન્સ કોર્ટ)ના જજ આર.આર. ચૌધરીએ તેમને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની કલમ 20(એ)(આઈ) અને 20(બી)(2)બી હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને પ્રત્યેક ગુના માટે રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદની સજા પણ ફરમાવી હતી. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કર અને જિતેન્દ્ર જે. બારોટે દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓની સમાજ પર વિપરીત અસર પડે છે. જજે નોંધ્યું હતું કે માદક પદાર્થોનું સેવન ઝડપથી વધી રહ્યું છે અને તે દેશના યુવાધનને ખતમ કરી રહ્યું છે, જે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપીને સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં ગાંજાનું બિયારણ પૂરું પાડવાનો આરોપ ધરાવતા અન્ય આરોપી હસુભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલો ગાંજાનો જથ્થો ખેતરમાં ચણાના વાવેતર વચ્ચેથી મળી આવ્યો હતો, અને સૂકો ગાંજો મિણિયામાંથી પણ મળી આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:36 am

વલસાડમાં ગરમી ઘટશે, વરસાદનું એલર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હળવા ઝાપટાં, તાપમાન 3 ડિગ્રી ઘટશે

વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ગઈકાલે 32C તાપમાન નોંધાયા બાદ આજે પારો ગગડશે અને હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડમાં મહત્તમ તાપમાન 29C આસપાસ રહેવાની સંભાવના છે, જે ગઈકાલના 32C કરતાં 3 ડિગ્રી ઓછું છે. જોકે, ભેજનું પ્રમાણ 64 જેટલું ઊંચું રહેવાને કારણે નગરજનોને બફારાનો અનુભવ થશે. હાલ વલસાડમાં તાપમાન 28C છે, જે અનુભવમાં 30C જેવી ગરમીનો અહેસાસ કરાવી રહ્યું છે. બે બેક-ટૂ-બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વલસાડ સહિતના વિસ્તારોમાં આજે આકાશ વાદળછાયું રહેશે. બપોર બાદ કે સાંજના સમયે હળવા વરસાદી ઝાપટાં પડવાની 30 શક્યતા છે. આ દરમિયાન પશ્ચિમ દિશામાંથી 8 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગામી 4 એપ્રિલ (આજે) માટે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાની આગાહી કરી છે. વલસાડ જિલ્લામાં જો વરસાદ પડે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવતીકાલે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજની સ્થિતિ પર એક નજર: મહત્તમ તાપમાન 29C (ગઈકાલે 32C), વરસાદની શક્યતા 30 ભેજ 64 અને પવનની ગતિ 8 mph (પશ્ચિમ દિશાથી).

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:29 am

આણંદની સી.પી. પટેલ કોલેજમાં વાર્ષિકોત્સવ, ફેરવેલ ઉજવાયો:તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરાયું, માર્ગદર્શન અપાયું

આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET) સંચાલિત સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ (ઓટોનોમસ) ખાતે BCA, BBA-ITM, PGDCA અને M.Sc. (ડેટા સાયન્સ) વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિકોત્સવ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સાયન્સ ડીન ડો. દર્શન બી. ચોક્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આઈટી સેક્ટરમાં રહેલી ઉજ્જવળ તકો અને ભવિષ્યના વિષયો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે SPET ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બી.એન. પટેલ, અનવેષભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના અને વિભાગીય વડા ડો. નયન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. મિતેશ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલો વાર્ષિક અહેવાલ વીડિયો સ્વરૂપે રજૂ કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ નિષ્કા જયસ્વાલ, રાશિ ભાનુશાલી અને પ્રિતેશ પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રો. શનિ પટેલે મિત્રતાનું ગીત રજૂ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રો. નિધિ રાણા અને ડો. લતા વેદના સંચાલન હેઠળ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:27 am

ધારપુર સિવિલમાં વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી:બાળકોને રમતો, નાસ્તો, કીટ વિતરણ; વાલીઓને માર્ગદર્શન અપાયું

પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓટિઝમથી પીડિત બાળકો માટે વિવિધ રમતો, પોષણયુક્ત નાસ્તો અને કીટનું વિતરણ કરાયું હતું, સાથે જ વાલીઓને માર્ગદર્શન પણ અપાયું હતું. NHM અંતર્ગત કાર્યરત DEIC વિભાગમાં 0 થી 18 વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે. આ ઉજવણીમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો, ઓટિઝમ પીડિત બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. RCHO, THO પાટણ, એડિશનલ MS, RMO, પીડિયાટ્રિક વિભાગના ડોકટરો તેમજ RBSK ટીમના નોડલ અધિકારીઓ અને સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, એડિશનલ MS અને RCHO દ્વારા વાલીઓને ઓટિઝમના લક્ષણો, વહેલી ઓળખ અને યોગ્ય થેરાપી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ઓટિઝમ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ઓટિઝમ ધરાવતા બાળકોને સમાનતા તથા સમાવેશપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો હતો. વાલીઓને બાળકોની કાળજી રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. બાળકો માટે આનંદદાયક, શૈક્ષણિક અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ તેમજ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગી થયેલા બાળકોને પોષણયુક્ત નાસ્તો અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી પ્રોત્સાહન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર દામિની પટેલ, ડેન્ટલ મેડિકલ ઓફિસર પ્રિયંશી ભોજક, મેનેજર મિહિર પટેલ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પંચાલ જલ્પા, DEIC વિભાગના સ્ટાફ અને પીડિયાટ્રીશિયન ડોકટરોએ જહેમત ઉઠાવી હતી. તબીબી અધિક્ષક પારુલ શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:24 am

જામનગર સિટી-એ PI એ ચાર્જ સંભાળ્યો:સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા પી.આઇ. વી.એમ. ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પી.આઇ. ડોડીયાએ સૌ પ્રથમ પાંચ હાટડી, પટણીવાડ અને વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા. પી.આઇ. ડોડીયાએ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, જે કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:18 am

જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, કુલ 1294 મુરતિયા મેદાનમાં

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' લેવાની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલી હતી, આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી આ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવી છે, ​ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી કાર્યકરોઓમાં​ભાવનગર તાલુકા પંચાયતની 210 બેઠકો માટે કુલ 913 કાર્યકરોએ દાવેદારી કરી છે, ​જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે કુલ 381 કાર્યકરો મેદાનમાં છે, જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે 377 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, મળી કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી હતી, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે જિલ્લા ભાજપમાં બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 381 ઉમેદવારો તથા 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 913 ઉમેદવારો અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 ઉમેદવારો નોંધાયા હતા, આમ બે દિવસ દરમિયાન કુલ 1294 જેટલા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો, ​સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થયા બાદ, હવે સ્થાનિક કક્ષાએ નામોની પેનલ બનાવીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે, ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે, કયા કાર્યકરનું નસીબ ખુલે છે અને કોને ટિકિટ મળે છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:13 am

આજે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે:20 જેટલાને ટેલિફોનિક જાણ કરાઈ, જુના જોગીઓને મેદાને ઉતારવા કર્યો નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી પ્રદેશ કક્ષાએ યાદી મોકલી દેવામાં આવી હતી. કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જ્યારે ભાજપ 9 એપ્રિલે પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારો ફાઈનલ કર્યાઆધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર કોંગ્રેસમાં ચૂંટણી માટે 20 જેટલા ઉમેદવારોના નામને અંતિમ મ્હોર આપી દેવામાં આવી છે અને તેમના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી છે. આ યાદી જોતા કોંગ્રેસ અનુભવી અને જૂના જોગીઓને મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આ ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:06 am

ROBOFEST 5.0 માં CSPIT વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું:Application-Based Robotics માં પ્રથમ, તૃતીય સ્થાન સાથે ₹15 લાખના પુરસ્કારો જીત્યા

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના વિદ્યાર્થીઓએ GUJCOST દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ROBOFEST 5.0 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. Application-Based Robotics કેટેગરીમાં CSPITની ટીમોએ પ્રથમ અને તૃતીય સ્થાન મેળવી કુલ ₹15 લાખના પુરસ્કારો જીત્યા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની એક ટીમે Pinaka નામનો સ્માર્ટ એગ્રીકલ્ચર રોબોટ વિકસાવ્યો હતો. આ પ્રોજેક્ટને ₹10 લાખના પુરસ્કાર સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. Pinaka રોબોટ વાવેતર, સ્પ્રેઇંગ અને માટીનો ભેજ માપવા જેવી સુવિધાઓ પૂરી પાડી કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા લાવવાનો પ્રયાસ કરે છે. આ ટીમના સભ્યોમાં પ્રેમ જોગાણી, દેવ ભાલોડિયા, ખુશી સોનાગરા અને હીત શાહનો સમાવેશ થાય છે. ફેકલ્ટી માર્ગદર્શક તરીકે ડૉ. બ્રિજેશ કુંડાલિયાએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Pinaka એક કોમ્પેક્ટ એગ્રોરોબોટ છે, જે પૂર્વનિર્ધારિત માર્ગ પર ચોકસાઈ સાથે વિવિધ કૃષિલક્ષી કામગીરી કરે છે. તેમાં વાવેતર મિકેનિઝમ, સ્પ્રેઇંગ સિસ્ટમ, સોલાર સહાયતા, માટીની ભેજ માપવાની વ્યવસ્થા, ટિલ્ટ ડિટેક્શન અને બ્લેક લાઇન નેવિગેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માનવશ્રમ ઘટાડી સ્માર્ટ કૃષિને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની બીજી ટીમે Sarva Netra નામનો સ્માર્ટ સર્વેલન્સ રોબોટ રજૂ કર્યો હતો. આ ટીમને ₹5 લાખના પુરસ્કાર સાથે તૃતીય સ્થાન મળ્યું છે. આ ટીમના સભ્યોમાં યાશ્વી તન્ના, તિશા મણિયાર, ખુશી ઉધાડ અને કૈવલ શાહનો સમાવેશ થાય છે. ફેકલ્ટી માર્ગદર્શક તરીકે ડૉ. જીગર સારડાએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Sarva Netra એક આધુનિક સ્વચાલિત સર્વેલન્સ સિસ્ટમ છે. તેમાં GPS આધારિત પેટ્રોલિંગ, લાઇવ વિડિયો મોનીટરીંગ, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ગેસ સેન્સર આધારિત એલર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રોબોટ અવરોધ ટાળવાની ક્ષમતા ધરાવે છે અને 3D એન્વાયર્નમેન્ટ પરસેપ્શન માટે ડેપ્થ કેમેરાનો ઉપયોગ કરે છે, જે સુરક્ષા ક્ષેત્રે વિશ્વસનીય ઉકેલ પૂરો પાડે છે. આ સિદ્ધિ બદલ FTEના ડીન ડૉ. વિજય ચૌધરી અને CSPITના પ્રિન્સિપાલ ડૉ. તૃષિત ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા CSPIT અને ચારુસેટના વિદ્યાર્થીઓની ઇનોવેશન, ટેક્નિકલ કૌશલ્ય અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Apr 2026 11:03 am