ભારત ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સુધારણા (SIR) અંતર્ગત બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જાણીજોઈને મોટા પાયે ફોર્મ નંબર-7 ભરીને ખોટા વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ‘હલ્લાબોલ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફોર્મ નંબર-7નો દુરુપયોગ કરવાનો આક્ષેપકોંગ્રેસના શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખે જણાવ્યું હતું કે, SIR કામગીરીના પ્રથમ તબક્કા બાદ હવે જ્યારે બીજો તબક્કો કાર્યરત છે, ત્યારે ભાજપ પ્રેરિત કાર્યકરો સક્રિય થયા છે. નિયમ મુજબ ફોર્મ નંબર-7નો ઉપયોગ કરી દરેક વોર્ડમાંથી 5000થી વધુ લોકોના મતદાર યાદીમાંથી નામ રદ કરવા અથવા કોઈના નામ સામે વાંધો ઉઠાવવા માટે કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે જે વિસ્તારોમાં ભાજપ નબળું છે અથવા જ્યાં વિરોધ પક્ષનું વર્ચસ્વ છે, ત્યાંના સાચા મતદારોના નામ કમી કરાવવા માટે સામૂહિક રીતે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે. કલેક્ટર કચેરીએ ભારે હોબાળોસુરત શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો અને જે લોકોના નામ મતદાર યાદીમાંથી દુર કરવામાં આવ્યા છે તે બધાએ એકઠા થઈને તંત્ર સામે ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે માગ કરી છે કે, જે લોકોએ સત્તાના જોરે અથવા ખોટા હેતુથી વાંધા અરજીઓ કરી છે, તેમની સામે તાત્કાલિક અસરથી કડક અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે. કોંગ્રેસના મતે, આ કૃત્ય મતદારોના અધિકારો પર તરાપ મારવાનું એક સુનિયોજિત કાવતરું છે. કડક પગલા લેવાની માગકોંગ્રેસ પ્રતિનિધિ મંડળે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, ચૂંટણી પંચે આ મામલે તટસ્થ તપાસ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપીને મતદારનું નામ કમી કરાવવાનો પ્રયાસ કરે, તો તેની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.
LJK યુનિવર્સિટીના LJ ઇન્ટિગ્રેટેડ MBA – 5 Year Program ના વિદ્યાર્થીઓ માટે 'બિઝેસ્ટ 4.0' મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ ત્રણ તબક્કામાં યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેમના વ્યવસાયિક કૌશલ્યોનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ તબક્કો 'Pitch your plan' 22, 23 અને 24 જાન્યુઆરીના રોજ સતત ત્રણ દિવસ યોજાયો હતો. આ રાઉન્ડમાં કુલ 42 ટીમોએ ભાગ લીધો હતો. ટીમોએ પોતાના બિઝનેસ પ્લાન નિષ્ણાત જ્યુરી સમક્ષ રજૂ કર્યા હતા. રજૂઆત દરમિયાન જોખમ વિશ્લેષણ, આવકના સ્ત્રોતો, વ્યવહારુતા અને વાટાઘાટ કૌશલ્ય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બીજો તબક્કો 'Buy Out' 29 જાન્યુઆરીના રોજ યોજાયો હતો. આ તબક્કામાં 38 ટીમો વચ્ચે સ્ટોલ મેળવવા માટે બોલી પ્રક્રિયા યોજાઈ હતી. કુલ 32 સ્ટોલ ઉપલબ્ધ હતા, જેમાં 8 ઇકોનોમી, 13 એક્ઝિક્યુટિવ અને 11 પ્રીમિયમ સ્ટોલનો સમાવેશ થતો હતો. ઇકોનોમી સ્ટોલ માટે બોલી રૂ. 1000થી, એક્ઝિક્યુટિવ સ્ટોલ માટે રૂ. 1200થી અને પ્રીમિયમ સ્ટોલ માટે રૂ. 1400થી શરૂ થઈ હતી. પ્રીમિયમ સ્ટોલમાં પાવર કનેક્શનની સુવિધા હતી, જે ટીમો માટે ફાયદાકારક હતી. 'બિઝેસ્ટ 4.0' નું ગ્રાન્ડ ફિનાલે 'Bizzest Mela' 3 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. આ મેળામાં 32 ટીમોએ ખાદ્યપદાર્થો, પીણાં, દાગીના, સુગંધિત વસ્તુઓ અને હસ્તકલા સહિતના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કર્યા હતા. આ મેળા સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી ખુલ્લો રહ્યો હતો.
પોરબંદરમાં 'બેટી બચાવો' હેઠળ 14 દીકરીઓને કીટ અપાઈ:રૂપાળીબા હોસ્પિટલમાં વધામણાં કીટનું વિતરણ કરાયું
પોરબંદરમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત રૂપાળીબા સરકારી લેડી હોસ્પિટલ ખાતે નવજાત 14 દીકરીઓને વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરાયો હતો. આ કીટનું વિતરણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં પોરબંદર તેમજ આસપાસના ગામો અને નજીકના જિલ્લાઓમાંથી આવતી પ્રસૂતા બહેનોની દીકરીઓને આ કીટનો લાભ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત માતાઓને 'વ્હાલી દીકરી યોજના' અને 'સુકન્યા સમૃદ્ધિ યોજના' વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે ફોર્મ અને પેમ્પ્લેટનું પણ વિતરણ કરાયું હતું. દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સમાજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવા અને દીકરીના શિક્ષણ તથા સશક્તિકરણ માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માતા-પિતાને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હંસાબેન ટાઢાણી ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ રાજીબેન સોલંકી, સુનેરાબેન મલેક અને હોસ્પિટલનો સ્ટાફ પણ સહભાગી બન્યો હતો.
'જમીન-દરિયાઈ-હવા ત્રણેય ક્ષેત્રોમાં મજબૂત સંબંધો', સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત
(IMAGE - IANS) PM Modi meets Seychelles President: ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારી અને દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભારત સરકારના સાહસ ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) દ્વારા દિવ્યાંગજનોના કલ્યાણ અને સહાય હેતુ એક વિશેષ ચકાસણી કેમ્પનું આયોજન કરાયું છે. IOCL GSOની CSR યોજના અંતર્ગત યોજાનાર આ કેમ્પનો મુખ્ય હેતુ દાહોદ જિલ્લાના વિવિધ પ્રકારના દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે. આ ચકાસણી કેમ્પ 11 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 8:00 કલાકે બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ, પંચમુખી હનુમાન મંદિર સામે, મંડાવાવ રોડ, દાહોદ ખાતે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનોને સમયસર હાજર રહેવા અને જરૂરી દસ્તાવેજો સાથે આવવા અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં એવા દિવ્યાંગ લાભાર્થીઓ હાજરી આપી શકશે, જેમણે અગાઉ પાંચ વર્ષ પહેલાં રાજ્ય સરકારની યોજનાનો લાભ લીધો હોય અથવા નાણાકીય વર્ષ 2020-21 થી 2025-26 દરમિયાન રાજ્ય સરકાર કે ભારત સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ ન લીધો હોય. ઉપરાંત, જેમણે આ માટે ઓનલાઈન અરજી ન કરી હોય, તેવા લાભાર્થીઓ જ યોગ્ય પુરાવાઓ સાથે કેમ્પમાં ઉપસ્થિત રહી શકશે. આ કેમ્પ દરમિયાન મોટરાઈઝ ટ્રાઈસીકલ, સામાન્ય ટ્રાઈસીકલ, બાળકો માટે વ્હીલચેર, પુખ્ત વયના દિવ્યાંગ માટે વ્હીલચેર, ફોલ્ડેબલ વોકર, ક્રચ એક્સિલા, વોકિંગ સ્ટિક, બ્રેઈલ કીટ, સુગમ્ય કેન, સ્માર્ટ ફોન, સીપી ચેર, TLM કીટ, ADL કીટ તેમજ BTE ડિજિટલ પ્રકારના સાધનો માટે ચકાસણી કરવામાં આવશે. કેમ્પમાં આવનાર લાભાર્થીઓએ જન્મના પુરાવાની નકલ, આધાર કાર્ડની નકલ, ડિસેબિલિટી સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝ ફોટો તથા રૂ. 22,000થી ઓછી વાર્ષિક આવકનો દાખલો સાથે લાવવાનો રહેશે. દાહોદના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ પાત્ર દિવ્યાંગજનોને આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે, જેથી તેઓ સ્વાવલંબી બની શકે.
Tarntaran Classmate Shot Case: પંજાબના તરનતારનમાં હચમચાવી દેનારી ઘટના બની છે. તરનતારનની લૉ કોલેજમાં સોમવારે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપીએ પોતાને પણ એ જ બંદૂકથી ગોળી મારી. બંનેના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. આ ઘટના બાદ કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો છે.
ભાવનગર-અમદાવાદ હાઇવે પર શાકભાજીની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે હાઇવે પર વોચ ગોઠવીને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પ્રોહીબિશન અંતર્ગત બોલેરો પીકઅપ સહિત કુલ રૂ.14.96 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી અન્ય આરોપીઓ અને દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. શાકભાજીની આડમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરીભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ ટીમ શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન વહેલી સવારે પોલીસને શાકભાજીની આડમાં છુપાવી લઈ જવાતા વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી, જે બાતમીને લઈને પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે ભાવનગર-અમદાવાદ હાઇવે રોડ પર માઢીયા ગામથી નારી ગામ તરફ, આદર્શ સોલ્ટ વર્કસ કારખાના નજીક વોચ ગોઠવી હતી. દારૂની બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવ્યોજેમાં અમદાવાદ હાઇવેના ધોલેરા તરફથી આવતી એક બોલેરો પીકઅપ ગાડી નં. MP-11-G-5597ને અટકાવી તલાસી લેતા પીકઅપ વાહનના પાછળના ભાગે શાકભાજી ભરેલા પ્લાસ્ટિકના ઝબલાઓની આડમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા વાહનચાલક સુનીલ ઘીસાલાલ મંડલોઈ (ઉવ. 24) તથા સાથે રહેલા લોકેશ જગદીશભાઈ દાવર (ઉવ. 22), બંને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. 3696 દારૂની બોટલ અને 960 ટીન જપ્તબંને આરોપીઓના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ 3696 કિ.રૂ. 9,75,744 તથા બિયર ટીન નંગ 960 કિ.રૂ. 1,10,400 મળી કુલ રૂ. 10,86,144 નો દારૂનો જથ્થો, તેમજ બોલેરો પીકઅપ વાહન કિ.રૂ. 4,00,000 તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. 10,000 મળી કુલ કિ.રૂ. 14,96,144 નો પ્રોહીબીશન હેઠળ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના સુનીલ પરમાર દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બે શખ્સોની ધરપકડ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી એકબીજાને મદદરૂપ બની દારૂની હેરાફેરી કરી હોવાનું બહાર આવતા પ્રોહિબીશન એક્ટ કલમ 65-A, 65(E), 116-B, 81, 83, 98(2) મુજબ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો નોંધાઈને વાહનચાલક સુનીલ ઘીસાલાલ મંડલોઈ અને લોકેશ જગદીશભાઈ દાવર બન્ને મધ્યપ્રદેશના રહેવાસીની ધરપકડ કરવામા આવી હતી. જ્યારે દારૂ મોકલનાર અન્ય આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનો માટે પ્રિ-સ્ક્રુટિની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા આગામી 13 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 9.30 કલાકે સાંદિપની મંદિર સામે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પોરબંદર ખાતે યોજાશે. આ પ્રિ-સ્ક્રુટિની અંતર્ગત ઉમેદવારોની લંબાઈ, ઊંચાઈ, છાતીના માપ તેમજ દોડની કસોટી લેવામાં આવશે. આ કસોટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 30 ઉમેદવારોની નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવશે. આ તાલીમ આર્મી, એરફોર્સ અને પોલીસ જેવી સંરક્ષણ દળોમાં જોડાવા માટે મદદરૂપ થશે. જે ઉમેદવારોએ અગાઉ રોજગાર કચેરી ખાતે નિવાસી તાલીમ માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલા છે, તેઓએ આ કસોટીમાં હાજર રહેવું ફરજિયાત છે. આ ઉપરાંત, જે યુવાનોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી પરંતુ સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છુક છે, તેઓ પણ નિયત તારીખ અને સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે સીધા હાજર રહી આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પોરબંદર જિલ્લાના વધુમાં વધુ યુવાનો આ તકનો લાભ લે અને સંરક્ષણ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવી અપીલ પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા એક યાદીમાં કરવામાં આવી છે.
ગાંધીનગરમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ રાજકીય અને વેપારિક હલચલ જોવા મળી રહી છે. શ્રીલંકાના પાંચ સભ્યનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન સચિવાલય પહોંચ્યું હતું. આ ડેલિગેશનમાં શ્રીલંકાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તેમજ સરકારના સિનિયર સેક્રેટરીનો સમાવેશ થતો હતો. ભારત અને શ્રીલંકાના સંબંધ વધુ મજબૂતશ્રીલંકન ડેલીગેશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક તેમજ રાજકીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બૌદ્ધ ભગવાનના પૌરાણીક અવશેષો શ્રીલંકા સરકારને ભેટ સ્વરૂપે અપાયાતાજેતરમાં વડોદરા (બરોડા)થી બૌદ્ધ ભગવાનના પૌરાણીક અવશેષો શ્રીલંકા સરકારને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ઘટનાને લઈ શ્રીલંકન ડેલિગેશને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ડેલિગેશનના સભ્યોએ જણાવ્યું હતું કે, આ ભેટ બંને દેશો વચ્ચે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ આપે છે. ગિફ્ટ સિટીમાં ડેલિગેશનની મહત્વપૂર્ણ બેઠકસચિવાલયની મુલાકાત બાદ શ્રીલંકાનું ડેલિગેશન ગાંધીનગર સ્થિત GIFT સિટી માટે રવાના થયું હતું. ગિફ્ટ સિટી ખાતે ડેલિગેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં શ્રીલંકા અને ગિફ્ટ સિટી વચ્ચે વેપાર, રોકાણ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને બિઝનેસ સહયોગને મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાતને ભારત-શ્રીલંકા સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં સાંસ્કૃતિક જોડાણ સાથે આર્થિક સહયોગને પણ નવી દિશા મળશે.
પોરબંદર, જિલ્લા રોજગાર કચેરી દ્વારા શ્રી મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય દિશા નિર્ધારિત કરવામાં મદદ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પ્રિન્સીપાલ રાજશ્રીબેન સીસોદિયાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મુખ્ય વક્તા ભાવનાબેન મોઢવાડિયાએ વિદ્યાર્થીનીઓને પરીક્ષાનો ભય દૂર કરવા, વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અને ટીમ વર્કના ગુણો કેળવવા તેમજ મનની શક્તિ દ્વારા લક્ષ્ય સિદ્ધ કરવા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી દિનેશભાઈ પરમારે ધોરણ ૧૦-૧૨ પછી શું? વિષય પર વિદ્યાર્થીનીઓની મૂંઝવણ દૂર કરી હતી. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને યોગ્ય ગોલ સેટિંગ દ્વારા સફળ કારકિર્દી બનાવી શકાય છે તેમ જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીગણ અને શિક્ષકગણે સક્રિય યોગદાન આપ્યું હતું. આ સેમિનાર દ્વારા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને ભવિષ્યના પડકારોનો સામનો કરવા અને યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતું.
પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે એક સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજના વિદ્યાર્થીઓને મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે માર્ગદર્શન આપી તેમને સજ્જ કરવાનો હતો. આ સેમિનારમાં કોલેજના 72 જેટલા વિદ્યાર્થીઓને POCSO એક્ટ, બાળલગ્ન અધિનિયમ, ઘરગથ્થુ હિંસા અધિનિયમ (DVA) અને POSH એક્ટ જેવા મહત્વના કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી, જેથી સરકારી યોજનાઓના લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચી શકે. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય રાહુલ જોશી અને અધ્યાપકગણ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કિરણબેન ગોસાઈ, 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર મીરાબેન માવદીયા, પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા અને પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટરના તેજલબેન રાજાણીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન તરફથી ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ડો. સંધ્યાબેન જોશી, ચિરાગ દવે અને હર્ષવીરભાઈ કારાવદરા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને જાગૃતિ માટે BBBP લોગોવાળી બેગ અને IEC કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંકલ્પ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને ડો. સંધ્યાબેન જોશી દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ આજે પોતાની પડતર માંગણીઓને લઈને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કામદારોએ 'બંધ કરો બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો' અને 'લોહી ચૂસવાનું બંધ કરો' જેવા ગગનભેદી નારા લગાવી સમગ્ર કચેરી સંકુલ ગજવી મૂક્યું હતું. રાજકોટ કામદાર યુનિયન દ્વારા મનપા કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં 532 કામદારોની ભરતી અને સ્વૈચ્છીક રાજીનામાંની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવા સહિતની પડતર માંગો તાત્કાલિક સંતોષવા માંગ કરી હતી. અને ટૂંક સમયમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાળ અને આંદોલન જેવા પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં 5000 થી વધુ સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. યુનિયનના જણાવ્યા અનુસાર, ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલા આ ભવનમાં જ શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. કામદારોની મુખ્ય માંગણીઓમાં મેડિકલ સર્ટિફિકેટના આધારે અપાતા સ્વૈચ્છિક રાજીનામાની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવી, કામદારોને તેમના ઘરની નજીકના વોર્ડમાં હાજરી પૂરવાની વ્યવસ્થા કરી આપવી અને 532 નવી સફાઈ કામદારોની ભરતીમાં સમાજના ઉમેદવારોને પ્રાથમિકતા આપી 5 વર્ષ બાદ કાયમી કરવાની બાબતોનો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટ પ્રથા અને મિત્ર મંડળ હેઠળ ચાલતા શોષણ સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયને માંગ કરી છે કે મિત્ર મંડળના લીડરોને 20 થી વધુ કામદારોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે જેથી મજૂરોને કાયદેસરના લાભો મળી શકે. આ ઉપરાંત માનદ વેતન પ્રથા નાબૂદ કરી લઘુત્તમ વેતન, પીએફ અને બોનસની ચૂકવણી સીધી બેંક ખાતામાં કરવાની માંગ કરવામાં આવી છે. સફાઈ કામદારોએ સફાઈ કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા દ્વારા કરોડો રૂ. નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી તેની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકામાં કાયમી કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના જે કૌભાંડો ચાલી રહ્યા છે, તેના વિરોધમાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, હોસ્પિટલ ચોક ખાતેથી પગપાળા રેલી કાઢવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી રાજકોટ કામદાર યુનિયન શિસ્તબદ્ધ રીતે આંદોલન કરી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા કાયમી કામદારોને બદલે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી કરાવી જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે બંધ કરી કામદારોને પીએફ, ઈએસઆઈ અને બોનસ આપવા જોઈએ. આ ઉપરાંત મિત્ર મંડળમાં અપાતું માનદ વેતન રદ કરી લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવાની અમારી મુખ્ય માંગણી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવ્યા હોવા છતાં વિજિલન્સ તપાસના નામે માત્ર ખોટી માહિતી આપવામાં આવે છે. આ વિવિધ મુદ્દાઓ અંગે આજે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજુઆત કરવામાં આવી છે. તારીખ 7-3-2024 ના રોજ મંજૂર થયેલી 532 સફાઈ કામદારોની ભરતીમાં 2 વર્ષ થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ભરતીમાં માતા-પિતા કે દાદા-દાદી વારસદાર હોવાનો જે અન્યાયી નિયમ રાખવામાં આવ્યો છે, તેને હટાવી તમામ લોકો ફોર્મ ભરી શકે તેવો નિયમ બનાવવાની અમારી ઉગ્ર માંગ છે. ઉલ્લેખનીય છે કે, કામદારોની અન્ય માંગણીમાં કામના કલાકો 4 કલાક પાર્ટ ટાઈમને બદલે 8 કલાક ફૂલ ટાઈમ કરવા, મહિનામાં 4 રજાઓની વ્યવસ્થા કરવી અને તમામ સફાઈ સૈનિકોને નિઃશુલ્ક સિટી બસ પાસ આપવા સહિતનો સમાવેશ થાય છે. યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો આ વ્યાજબી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો થનારી તમામ પરિસ્થિતિ માટે મનપા તંત્ર જવાબદાર રહેશે. તો આ મામલે આજે મેયર, સ્ટે. ચેરમેન અને કમિશનરને પણ રજુઆત થયા બાદ તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
મોરબીના રફાળેશ્વર સ્થિત મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ રવિવારે પાંચિયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રફાળેશ્વર ગામના સ્વ. ખોડાભાઈ જગાભાઈ પાંચિયા તથા સમસ્ત પાંચિયા પરિવાર દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. આ પાવન પર્વ નિમિત્તે સ્વ. ખોડાભાઈ પાંચિયાના નિવાસ સ્થાનેથી સવારે 7 કલાકે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં જોડાવા માટે પાંચિયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના 340 હજયાત્રીઓ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય તપાસ અને રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દોઢ મહિના પછી આ યાત્રીઓ હજ પઢવા જશે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા હજયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ કેસ કાઢવામાં આવે છે, ત્યારબાદ રજિસ્ટ્રેશન થાય છે અને પછી આરોગ્ય તપાસણી કરીને રસીકરણ કરવામાં આવે છે. રોજના 100 હજયાત્રીઓને તપાસ માટે બોલાવવામાં આવે છે. આ કામગીરી સવારે 9 થી સાંજના 5 કલાક દરમિયાન ચાલે છે અને કુલ ચાર દિવસ સુધી ચાલુ રહેશે.
દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
Lady Hervey claims Jeffrey Epstein Alive: જેફરી એપસ્ટિન કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સ ગર્લફ્રેન્ડ લેડી વિક્ટોરિયા હર્વીએ દાવો કર્યો છે કે કુખ્યાત ફાયનાન્સર જેફરી એપસ્ટિન ખરેખર મર્યો નથી, પરંતુ તે જેલમાંથી ભાગીને ઈઝરાયલમાં છુપાયો છે. લેડી હર્વીના જણાવ્યા અનુસાર, એપસ્ટિને જેલમાંથી ભાગીને બીજા દેશમાં શરણ લેવા માટે એક મોટું અને ગુપ્ત પ્લાનિંગ કર્યું હતું અને તેને સફળતાપૂર્વક અંજામ પણ આપ્યો હતો. આત્મહત્યાની વાત પર અવિશ્વાસ વ્યક્ત કરતાં લેડી હર્વીએ કહ્યું કે, મને ખાતરી છે કે એપસ્ટિન હજુ પણ જીવિત છે.
કેન્દ્ર સરકારે 2030 સુધી દેશમાંથી હાથીપગા (ફાઈલેરિયા) રોગનું સંપૂર્ણ નિર્મૂલન કરવાના લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 10થી 12 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇ તાલુકામાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના 17 જિલ્લાઓ હાથીપગા રોગ માટે સંવેદનશીલગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 17 જિલ્લાઓ હાથીપગા રોગ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. આ અભિયાનના ભાગરૂપે અગાઉ હાથ ધરાયેલા રાત્રિ બ્લડ સર્વે દરમિયાન ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા, નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડિયાપાડા તથા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં લોહીના નમૂનામાં ફાઈલેરિયાના કૃમિ જોવા મળ્યા હતા. આથી આ ચાર તાલુકાઓને વિશેષ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ દવાઓ અપાશેઅભિયાન અંતર્ગત કુલ 5.48 લાખથી વધુ વસ્તીને આવરી લઇને ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ દવાઓ રૂબરૂમાં આપવામાં આવશે. બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બીમાર વ્યક્તિઓ અને પ્રસૂતિ બાદ એક અઠવાડિયાની અંદરની ધાત્રી માતાઓને બાદ કરતાં બાકીની તમામ વસ્તીને દવા આપવામાં આવશે. જાહેર સ્થળોએ 61 બુથ પણ શરૂ કરાશેઆ કામગીરી માટે 759 આંગણવાડી, 742 શાળાઓ, 15 કોલેજો અને તમામ ઘરોમાં આરોગ્ય કાર્યકરોની 649 ટીમો દ્વારા દવા વિતરણ કરાશે. જો કોઈ રહી જાય તો 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન ફરી ઘર મુલાકાત લઈને દવા અપાશે. સાથે સાથે જાહેર સ્થળોએ 61 બુથ પણ શરૂ કરાશે. જનતાને અભિયાનમાં સક્રિય સહકાર આપવા અપીલકાર્યક્રમ દરમિયાન તેમજ પૂર્ણ થયા બાદ ત્રણ મેડિકલ કોલેજના પી.એસ.એમ. વિભાગ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા આરોગ્ય ટીમો, આશા વર્કર, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્થાનિક જનતાને આ અભિયાનમાં સક્રિય સહકાર આપવા અપીલ કરી છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કિશનવાડીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો અને છૂટક મંજુરી કરતા યુવકે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકનો પરિવાર ખંભાત લગ્નમાં ગયો હતો, ત્યારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવકે દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ સુદામાપુરી ઝૂંપડપટ્ટીમાં રહેતા 35 વર્ષીય યુવક છૂટક મજૂર કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા રવિ કાંતિભાઈ ચુનારે ગતરાત્રે દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કયાં કારણોસર યુવકે આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટિફિન આપવા ગયા ત્યારે યુવક મૃત હાલતમાં જોવા મળ્યોપરિવારના સભ્યો ખંભાત ખાતે સંબંધીના લગ્નપ્રસંગમાં ગયા હતાં. આ દરમિયાન રવિ એકલો ઘરે રહ્યો હતો. સવારે સંબંધી ટિફિન આપવા ઘરે પહોંચ્યા ત્યારે તેને ઝૂંપડીમાં હતો અને ભોજન લીધું હતું પરંતુ સાંજે ફરી સંબંધી ટિફિન આપવા ગયા ત્યારે આ યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોઆ બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક છૂટક વેપાર-મજૂરી કરતોપ્રાથમિક તપાસમાં આ યુવક અપરણિત હોવાનું તેમજ છૂટક વેપાર-મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા ઈસ્કોન રોડ પાસે બટરફ્લાય પાર્ક બનાવાઈ રહ્યો છે આ પાર્ક લગભગ પોણો બનીને તૈયાર થઈ ગયો છે, ત્યારે તંત્રને પાણીની ભૂગર્ભ લાઈન પાથરવા નું કામ યાદ આવતાં પાર્કનો પાર્કિંગ એરિયા તોડીફોડી તહેસનહેસ કરી નાખવામાં આવ્યો છે, ત્યારે પ્રજાના પૈસા નો વેડફાડ થઈ રહ્યો છે, બોરતળાવ ના પાળા પાસે બટરફ્લાય પાર્ક ને અડીને એક જૂનો કુવો આવેલો છે આ કુવામાં બોરતળાવનુ પાણી આવે છે આ કુવામાંથી ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા પાણી પંમ્પ કરી તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જ્યારે શહેરમાં શેત્રુંજી ડેમ અને મહીપરિએજ નું પાણી ન મળી શકે ત્યારે આ બોરતળાવ નું પાણી ઉપયોગમાં લઈ શકાય ઉપરાંત વધારાની જરૂરિયાત માટે પણ આ પાણી સ્ટોર કરી શકાય તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આમ પાર્કને થયેલ નુકશાની ની વાત સાઈડ લાઈન કરી સમગ્ર મુદ્દાનો ગોળગોળ જવાબ આપ્યો હતો અને આ પ્રોજેક્ટ પાર્કના નિર્માણ પૂર્વે શા માટે પૂર્ણ કરવામાં ન આવ્યો એ વાત નો છેદ ઉડાવી દિધો હતો. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારથી પેલા લખો અને પછી ભૂસો આ જ પદ્ધતિ ચાલી રહી છે અત્યારે જયારે બ્લોક અને બટરફ્લાય ગાર્ડનનું કર્યું ત્યારે પાણીની પાઇપ લાઇન ના સાંભરી કે અત્યારે નવા નવા નાખેલા બ્લોક તોડી અને પાણીની પાઇપ લાઇન નાખો છો ? એટલે ભાવનગરની જનતાના જે ટેક્સના પૈસા છે તે તમારા ખિસ્સાના પૈસા નથી, તમે ભાવનગરની જનતાના ટેક્સના પૈસાનો દુર ઉપયોગ વારંવાર શું કામ કરો છો? અને વારંવાર આવો ઉપયોગ કરી તમે પ્રજા સાથે દ્રોહ કરો છો એવું મારુ સ્પષ્ટ માનવું છે તો તમારે પેલા આયોજન તમારી પાસે નથી તમારી પાસે આયોજનની ટીમ નથી કે આયોજનની ટીમ પેલા નક્કી કરે કે આપણે આયા પેલા પાઇપ લાઇન નાખીએ અને પછી બ્લોક નાખીએ? હવે નવા નવા બ્લોક કાઢી ફરીથી પાઇપ લાઇન નાખવા જાઓ છો તો આવી મુર્ખામી ભર્યું પગલું વારંવાર શું કામ ભરો છો.... વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઇજનેર ફાલ્ગુન શાહએ જણાવ્યું હતું કે, શહેરમાં પાણીના સ્ત્રોતમાં વધારો કરવાના હેતુથી અને વિવિધ ફિલ્ટર પ્લાન્ટ પર રો-વોટરનો વૈકલ્પિક સ્ત્રોત મળી રહે તે હેતુથી ભાવનગરમાં આવેલા શહેરના પાણીની જીવાદોરી સમાન એવા બોરતળાવમાંથી હાલમાં જે નીલમબાગ અને ચિત્રા ફિલ્ટર પર પાણી લેવામાં આવે છે, તે ઉપરાંત હવે તખ્તેશ્વર ફિલ્ટર ઉપર પણ જરૂરિયાતના સમયે બોરતળાવનું પાણી લઈ શકાય તે માટે બટરફ્લાય ગાર્ડનની બહાર જે વર્ષો જૂનો કૂવો આવેલો છે, તેમાં હાલ પમ્પિંગનો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પમ્પિંગનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થવાથી દૈનિક ધોરણે લગભગ 20 MLD જેટલું પાણી બોરતળાવમાંથી તખ્તેશ્વર ફિલ્ટર ઉપર લઈ શકાશે, આ વધારાનો સ્ત્રોત ઊભો થવાથી કોઈપણ સમયે જ્યારે શેત્રુંજી અથવા મહી પરીએજના પાણીમાં કોઈ ડિસ્ટર્બન્સ આવવાથી કે તેનું પાણી ન મળવાના સમયે બોરતળાવનું પાણી તખ્તેશ્વર ફિલ્ટર ઉપર લઈ શકાશે, જેનાથી શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થામાં વધુ સરળતા અને સુગમતા આવશે, આ લગભગ રૂપિયા 2 કરોડ ના ખર્ચે હાલ આ કામગીરી શરૂ છે, જે આગામી 15 દિવસમાં પૂર્ણ થશે.
ભરૂચ શહેર અને જિલ્લામાં વધતી ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ભરૂચ નગરપાલિકાને ₹7.10 કરોડના ખર્ચે અદ્યતન ટર્ન ટેબલ લેડર (TTL) ફાયર ફાઇટિંગ વાહન ફાળવ્યું છે. આ વાહનનું આજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ હાઇડ્રોલિક સીડીવાળું વિશેષ ફાયર વાહન 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તે ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને અસરકારક બચાવ કામગીરી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભરૂચમાં શહેરીકરણની ગતિ તેજ બની છે. દહેજ બાયપાસ રોડ, તવરા રોડ અને ચાવજ જેવા વિસ્તારોમાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સ અને નવા રહેણાંક પ્રોજેક્ટ્સ મોટા પાયે આકાર લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે આ વાહનની જરૂરિયાત હતી. લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વીભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વોટર વર્ક્સના ચેરમેન રાકેશ કહાર સહિત પાલિકાના પદાધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયર ફાઇટરો ઉપસ્થિત રહ્યા હતા. ફાયર ઓફિસર ચીરાગ ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરમાં વધતી રહેણાંક અને વ્યાવસાયિક ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાનું આયોજન કરાયું છે. ટર્ન ટેબલ લેડર કાર્યરત થવાથી ફાયર બ્રિગેડની પ્રતિસાદ ક્ષમતા વધશે અને આપત્તિના સમયમાં જાનહાનિ તથા માલમિલકતના નુકસાનમાં ઘટાડો થશે. શહેરના ઝડપી વિકાસને અનુરૂપ ફાયર અને ઇમરજન્સી સેવાઓને આધુનિક બનાવવાની દિશામાં આ સુવિધા એક મહત્વપૂર્ણ કડી છે.
ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયા બાદ હવે સિંહો જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. વડિયા પંથકમાં આવેલા સુરવો ડેમ નજીક એક સિંહણ તેના 3 બચ્ચા સાથે જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. સિંહ પરિવારે મારણ કર્યા બાદ ખુલ્લા મેદાનમાં આરામ ફરમાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. લોકોના ટોળેટોળા ઉમટ્યાસિંહોના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સુરવો ડેમની પાળે સિંહદર્શન માટે એકઠા થયા હતા. સિંહણ અને તેના 3 બચ્ચાને નિર્ભય રીતે વિહાર કરતા જોઈ પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં સિંહ પરિવાર મારણ કર્યા બાદ નિરાંતે આરામ કરતો નજરે પડે છે. વન વિભાગ સતર્કવીડિયો વાઈરલ થતાં અને લોકોની ભીડ વધતા વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગના કર્મચારીઓએ ડેમની આસપાસ એકઠા થયેલા લોકોને સુરક્ષિત અંતરે ખસેડ્યા હતા. વનતંત્ર દ્વારા લોકોને સિંહ પરિવારની નજીક ન જવા અને કોઈ પણ પ્રકારની પજવણી ન કરવા કડક અપીલ કરવામાં આવી છે. હાલ વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સિંહોના મૂવમેન્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વિસ્તરતું સિંહોનું સામ્રાજ્યઅમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી સૌથી વધુ નોંધાઈ છે. હવે સિંહો માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા જિલ્લાની સરહદો અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વસવાટ કરી રહ્યા છે, જે પર્યાવરણ અને સિંહ સંરક્ષણની દ્રષ્ટિએ હકારાત્મક સંકેત માનવામાં આવે છે.
ગુરુકુલ કોલેજમાં સાયબર સિક્યુરિટી ચિત્ર સ્પર્ધા:વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે કવચ કેન્દ્ર દ્વારા આયોજન
પોરબંદરની ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના કવચ કેન્દ્ર અને રંગ કલા કૌશલ્ય ધારાના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ અંગે સમજ વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના પ્રિન્સિપલ ડૉ. અનુપમ નાગરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોલેજમાં સમયાંતરે સાયબર સિક્યુરિટી અવેરનેસ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાતી રહે છે. આ પ્રસંગે રંગ કલા કૌશલ્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજા, સભ્ય ડૉ. નમ્રતાબેન સામાણી તથા ધારાના સેક્રેટરી કુમારી રિયા ગોહેલે આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના કવચ કેન્દ્રના કોઓર્ડિનેટર ડૉ. રાજેન્દ્ર ચૌધરીએ જવાબદારી નિભાવી હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હેકિંગ, ફિશિંગ, પાસવર્ડ સુરક્ષા, સોશિયલ મીડિયા સેફ્ટી અને સેફ ઇન્ટરનેટ પ્રેક્ટિસિસ જેવા વિષયો પર સર્જનાત્મક અને સંદેશસભર ચિત્રો રજૂ કર્યા હતા. સ્પર્ધાના વિજેતાઓમાં સરવૈયા નંદીની એ., બામણીયા ભુમીશા ડી. અને બગીયા કૃપા એચ. નો સમાવેશ થાય છે. વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સુરક્ષિત ડિજિટલ જીવન તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
પાટણમાં રાણીની વાવ ઉત્સવ-2026 સંપન્ન:ઋષભ આહીરના સંગીતથી લોકસંસ્કૃતિની ઉજવણી થઈ
પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવમાં બે દિવસીય 'રાણીની વાવ ઉત્સવ-2026' સંપન્ન થયો છે. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસંસ્કૃતિને ઉજાગર કરવાનો હતો. રાજ્યભરના સુપ્રસિદ્ધ યાત્રાધામો તેમજ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સ્થળોએ લોકસંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમિયાન આયોજિત સંગીત સમારોહમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઋષભ આહીર અને તેમના ગ્રુપે લોકસંગીતની મનોહર રજૂઆત કરી હતી. તેમણે પરંપરાગત લોકગીતો, રાસ-ગરબા અને લોકધુનો રજૂ કર્યા હતા. ઋષભ આહીરના સૂર અને તાલે સમગ્ર રાણીની વાવ પરિસર સંગીતમય બની ગયું હતું. પાટણવાસીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓએ સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો તેમજ પાટણ જિલ્લાના નાગરિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ નગરપાલિકામાં BU પરમિશનને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે ચીફ ઓફિસર પર મીડિયાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ચીફ ઓફિસરે આર્કિટેક્ટની ભૂલ ગણાવી વધારાની મંજૂરી રદ કરી હોવાનું જણાવ્યું છે. આ વિવાદમાં તંત્ર દ્વારા સંબંધિત આર્કિટેક્ટનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પ્રોજેક્ટમાં અપાયેલી BU પરમિશન અંગે ચીફ ઓફિસરે અગાઉ મીડિયા સમક્ષ ખોટું નિવેદન આપ્યું હતું. ચીફ ઓફિસરે કુલ 4 માળની મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં કાગળ પર 7 માળની પરમિશન આપવામાં આવી હતી. આ વિસંગતતાને પગલે કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બરની બહાર 7 માળની મંજૂરીના કાગળો ચોંટાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દીપક પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે આ મુદ્દે રજૂઆત કરાઈ ત્યારે ચીફ ઓફિસરે પરમિશન રદ કરી હોવાનો બચાવ કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે જો પરમિશન રદ થઈ હોય તો ત્યાં કાર્યરત 'વી-માર્ટ' માં 4 માળ સુધી માલ ભરેલો છે અને તે ધમધમી રહ્યો છે. તેમણે માંગ કરી કે જો તંત્ર સામાન્ય નાગરિકોની દુકાનો કે મકાનો સીલ કરી શકતું હોય, તો પરમિશન વગર ચાલતા 'વી-માર્ટ' ને પણ તાત્કાલિક સીલ કરવું જોઈએ. આ ઉપરાંત, બસ સ્ટેન્ડના પ્રથમ માળની મંજૂરી 9 મહિના પહેલા અપાઈ હોવા છતાં 6 મહિના બાદ પણ તે શરૂ ન થતા જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિવાદ અંગે ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ કેસમાં જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હતા અને સર્વે કર્યા વગર 4 માળની BU પરમિશન મેળવવાનો પ્રયાસ કરાયો હતો. આ બાબત ધ્યાને આવતા નગરપાલિકાએ તુરંત આર્કિટેક્ટને નોટિસ આપી હતી. હાલમાં જ તે આર્કિટેક્ટનું લાયસન્સ રિન્યુ કરવાને બદલે રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે. ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, બસ સ્ટેશન બનાવી રહેલી એજન્સીને પણ 15 ઓક્ટોબરના રોજ લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી કે તેમના બીજા, ત્રીજા અને ચોથા માળની BU પરમિશન રદ કરવામાં આવે છે. હાલ માત્ર ફાયર NOC ના આધારે જેટલી મંજૂરી મળી છે તેટલી જ પરમિશન અમલમાં છે અને આ કાર્યવાહી GDCR ના નિયમો મુજબ થઈ છે. 'વી-માર્ટ' ના કિસ્સામાં તે પ્રથમ માળ સુધી કામગીરી ચાલુ રાખી શકશે, પરંતુ તેનાથી ઉપરના માળ બાબતે GDCR ની જોગવાઈઓ તપાસીને આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરિણીતે સ્નેપચેટ પર ખોટું નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. એક વર્ષ યૌનશોષણ કર્યા બાદ તે પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતાં ધાકધમકી અને બ્લેકમેઈલ કરી નાનાભાઈ સાથે બળજબરી પરણાવી દીધી હતી. જોકે લગ્ન બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ અને બળાત્કાર કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રતિક છ મહિના પહેલાં યુવતીને પોતાના નાના ભાઇ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં જ લઇ આવ્યો હતો. નાના ભાઇના લગ્ન નહિ થતાં હોય વાત છુપાવવા માટે એન.જી.ઓ.ની મદદથી બીજી જ્ઞાતિની યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું બહાર આવવા દીધું ન હતું. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહેવા માંગતી હોવા છતાં વાત જાહેર કરી દેવાની ધમકી આપી બળાત્કાર કરતાં ત્રાસેલી યુવતી છેવટે સિંગણપોર પોલીસ મથકે પહોંચી હતી. પ્રેમજાળમાં ફસાવી ને અનેક વખત શરીર સંબંધ બાંધ્યામળતી માહિતી પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કોલેજીયન યુવતીની દોઢેક વર્ષ અગાઉ સ્નેપચેટ પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતિક (નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઇ હતી. 40 વર્ષીય એક પુત્રીના પિતા પ્રતિકે પોતે અપરિણીત છે એમ કહી પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને શહેરના અલગ-અલગ વિસ્તારની હોટલમાં લઇ જઈ લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. પરિણીત હોવાનો ભાંડો ફૂટ્યો ને સંબંધ પર પૂર્ણવિરામબ્યુટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતા પ્રતિકે પોતે પરિણીત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાથી લગ્નનો ઇન્કાર કર્યો હતો. જેથી યુવતીએ પ્રતિક સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકયું હતું. એકાંત માણેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપીપરંતુ પરિણીત હોવાની હક્કીત છુપાવનાર નરાધમ પ્રતિકે એકાંત માણ્યું હતું, ત્યારના ફોટો ક્લીક કર્યા હતા, તે તેણીના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યુ હતું. નાનાભાઈ સાથે લગ્ન કરાવીને યુવતી પર દુષ્કર્મ આચર્યું ઉપરાંત આરોપીએ યુવતીને કહ્યું કે, 'આપણે જો સાથે રહેવું હોય તો તું મારા નાનાભાઇ સાથે લગ્ન કરી લે અને તું ના પાડશે તો હું ફોટા વાયરલ કરી દઈશ' એવી ધમકી આપી હતી. જેથી પ્રતિકની ધમકીને પગલે યુવતીએ તેના નાનાભાઈ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ છ મહિના સુધી પ્રતિકે યુવતી પર બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. હવસખોર પરિણીત પ્રતિકને પોલીસે દબોચ્યોપરંતુ છેવટે પ્રતિકની રોજબરોજની કનડગતથી યુવતી કંટાળીને ઘર છોડીને ચાલી ગઈ હતી અને હવસખોર પ્રતિકના જધન્ય અપરાધ અંગે સિંગણપોર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. આ પણ વાંચો 2 ફેબ્રુઆરીએ પરિણીત શખસે કુંવારો હોવાનું કહી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુંસુરતના વરાછા વિસ્તારમાં એક 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 5 નરાધમે હવસનો શિકાર બનાવી હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. પરિણીત શખસે કુંવારો હોવાની ઓળખ આપી વીડિયો ઉતાર્યો હતો અને ત્યાર બાદ મિત્રો અને સંબંધી પાસે પણ દુષ્કર્મ કરાવી 23,000 રૂપિયા તથા સોનાની બુટ્ટી પડાવી લેતાં પોલીસે તપાસ શરૂ કરી બે આરોપી અર્જુન અને રણજિતની ધરપકડ કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 4 ફેબ્રુઆરીએ 6 દિવસના પરિચયમાં 20 દિવસ સુધી દુષ્કર્મનો ભોગ બનીસુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ફ્રી ફાયર ગેમથી કોન્ટેક્ટ ને યુવકનું સગીરા પર દુષ્કર્મઅમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને ફ્રી ફાયર ગેમ રમતાં રમતાં પશ્ચિમ બંગાળના યુવક સાથે સંપર્ક થયો હતો. સગીરા અને યુવક સંપર્કમાં આવ્યાં બાદ યુવક સગીરાને મળવા અમદાવાદ આવ્યો હતો. સગીરાના ઘરે યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેનું અપહરણ કરીને પશ્ચિમ બંગાળ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી યુવકને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો છે. આ મામલે નાથ સંપ્રદાયના સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સનાતન ધર્મના અગ્રણી સંતોએ આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી છે. ‘સૂત્રોચ્ચાર કરીને નાથ અને જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય’શ્રીનાથજીના દલીચાના મહંત પીર યોગી સોમનાથજી ગુરુશ્રી રાજનાથજી (ઉં.વ. 55) દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આશરે 4 દિવસ પહેલા ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક (ચોથી ટૂંક) પર બે અજાણ્યા શખસે સફેદ કપડાં પહેરીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ શખસો નીચેથી જૈન સંપ્રદાયનો ઝંડો ચોરી-છુપીથી લઈ ગયા હતા અને ઓઘડ શિખર પર જઈને ફરકાવ્યો હતો. આ શખસોએ ત્યાં સૂત્રોચ્ચાર કરીને નાથ સંપ્રદાય અને જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટા અને વીડિયોના આધારે પોલીસે આ શખસની શોધખોળ હાથ ધરી છે. ઘટનાને લઈ યોગી શેરનાથ બાપુનો આકરા પ્રહારોઓઘડ શિખર પર થયેલા આ વિવાદ બાદ જૂનાગઢના અગ્રણી સંત યોગી શેરનાથજી બાપુનું આકરૂ નિવેદન સામે આવ્યું છે. તેમણે જૈન સમાજના આ કૃત્યની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, ધર્મ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે, પરંતુ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવા બીજાના ધાર્મિક સ્થાન પર જઈને ઉગ્રતા બતાવવી એ મોટામાં મોટો દોષ છે. મહાશિવરાત્રીના મેળા પૂર્વે તંગદિલીનો માહોલઆગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે. આવા સમયે ગિરનારના શિખરો પર થતી આ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી જાહેર સુલેહ-શાંતિનો ભંગ થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. સંતોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી મેળા દરમિયાન અશાંતિ સર્જાઈ શકે છે. હાલમાં ભવનાથ પોલીસે ગુન્હો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ આ મામલે સંતોએ પાઠવ્યું હતું આવેદનપત્રનોંધનીય છે કે, આ પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલા જ ગિરનારના સાધુ-સંતોએ આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. થોડા દિવસો પહેલા જ નાથ સંપ્રદાયના સંતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને જૂનાગઢ DYSPને આવેદનપત્ર પાઠવ્યું હતું. તે સમયે સંતોએ આક્ષેપ કર્યો હતો કે, ઓઘડ શિખર પર ઓઘડનાથજીની પ્રાચીન ચરણ પાદુકા આવેલી છે, જે રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે. જૈન ધર્મના અમુક લોકો દ્વારા વર્ષોથી અહીં ખોટા હક-દાવા કરવામાં આવે છે. આવેદનપત્રમાં દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સુનીલ સાગરજી પર ઉશ્કેરણીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. સંતોએ માગ કરી હતી કે, પવિત્ર પથ્થરો પર પેઈન્ટથી જે લખાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે અને જવાબદારો સામે FIR નોંધવામાં આવે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘પટેલ કેળવણી મંડળ’માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ઉગ્ર વિવાદ હાલ પૂરતો શાંત પડ્યો છે. દીકરીઓની સુરક્ષા અને ટ્રસ્ટીઓના અસભ્ય વર્તનને લઈને આકરા પાણીએ થયેલા વાલીઓ આજે તંત્રને આવેદનપત્ર પાઠવવાના હતા, પરંતુ સંસ્થાના હોદ્દેદારો સાથેની બેઠકમાં સુખદ નિરાકરણ લાવવાની ખાતરી મળતા વાલીઓએ પોતાનો વિરોધ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. સંસ્થાએ આગામી 24 ફેબ્રુઆરીએ વાલી મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે. વાલી અગ્રણી જીતુભાઈ જસાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે અમે સૌ વાલીઓ જૂનાગઢ વહીવટી તંત્રને ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવાના હતા.જોકે તે પૂર્વે જ પટેલ કેળવણી મંડળના હોદ્દેદારો સાથે અમારી મીટિંગ થઈ હતી.જેમાં મંડળ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં તમામ વાલીઓની એક સત્તાવાર મીટિંગ બોલાવવામાં આવશે અને વાલીઓના તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ ખાતરીને પગલે અમે આજે આવેદનપત્ર આપવાનું માંડી વાળ્યું છે. જો મીટિંગમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે ફરી આંદોલન કરીશું. બીજી તરફ ચંદ્રેશભાઇ જલસાણીયાએ જણાવ્યું હતું કે તેઓ આઈ.જી. અને એસ.પી.ને રજૂઆત કરવા જવાના હતા, પરંતુ તમામ ટ્રસ્ટીઓ એકઠા થતા તેમની સાથે બેઠક યોજાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અમારે સંસ્થા સામે કોઈ વિરોધ નથી, કારણ કે આ સંસ્થા સમાજના પરસેવાથી ઉભી થઈ છે. અમારો વિરોધ માત્ર તે ટ્રસ્ટીઓ સામે હતો જેમણે વાલીઓ સાથે ગેરવર્તણૂક કરી અને અસભ્ય શબ્દો વાપર્યા હતા. હવે જ્યારે ટ્રસ્ટીઓએ વાલી મીટિંગની ખાતરી આપી છે, ત્યારે અમે સંવાદ દ્વારા સમાધાન ઈચ્છીએ છીએ. પ્રમુખ સવજીભાઈ મેનપુરાનું નિવેદન પટેલ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ મેનપુરાએ સ્વીકાર્યું હતું કે વાલીઓની રજૂઆત વ્યાજબી છે. તેમણે જણાવ્યું કે, વાલીઓએ અમને રજૂઆત કરી હતી કે લાંબા સમયથી કોઈ મીટિંગ યોજાઈ નથી, તેથી બધાને સાંભળવા માટે ૨૪ ફેબ્રુઆરી કે તેની આસપાસના દિવસોમાં એક મોટી વાલી મીટિંગ બોલાવવામાં આવશે. વાલીઓના જે કંઈ પણ પ્રશ્નો હશે તેને અમે સંતોષકારક રીતે ઉકેલવા કટિબદ્ધ છીએ.આ વિવાદના મૂળમાં નવરાત્રિ દરમિયાન બનેલી એક ગંભીર ઘટના છે. અંદાજે દોઢ-બે મહિના પહેલા કન્યા હોસ્ટેલમાં એક બહારનો યુવક ઘૂસી ગયો હોવાની ઘટના બની હતી. આ મામલે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે એક છોકરો હોસ્ટેલના બાથરૂમમાં ૨૪ કલાક સુધી છુપાઈ રહ્યો હતો, જે સુરક્ષામાં મોટી ચૂક છે. જ્યારે વાલીઓ આ બાબતે રજૂઆત કરવા ગયા ત્યારે તત્કાલીન પ્રમુખ કાંતિભાઈ ફળદુ અને અન્ય સ્ટાફે અહંકારમાં આવીને વાલીઓને એમ કહ્યું હતું કે ‘આ સંસ્થા કોઈના બાપની જાગીર નથી, અમારી અંગત મિલકત છે’ અને ગાળાગાળી કરી હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો. વાલી સમીર ભાલોડિયા અને નિલેશભાઈ અધેરાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 8 વર્ષથી સંસ્થામાં વાલી મીટિંગ થઈ નથી. ખેડૂતોના દાનથી બનેલી આ સંસ્થામાં એક સમયે ૨૦૦૦ દીકરીઓ રહેતી હતી, જે સંખ્યા ઘટીને હવે ૬૦૦ થઈ ગઈ છે. ભોજનની ખરાબ ગુણવત્તા અને ટ્રસ્ટીઓની જાગીરદારી જેવી માનસિકતાને કારણે સંસ્થાની ગરિમા ખરડાઈ હોવાનું વાલીઓ માની રહ્યા હતા. આ અગાઉ વાલીઓ અને પટેલ સમાજના આગેવાનોએ સોમવારે એક મહાસંમેલન બોલાવી કલેક્ટર અને એસ.પી.ને ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટના પુરાવાઓ સાથે આવેદન આપવાની અને ધરણા કરવાની રણનીતિ ઘડી હતી. જોકે, હવે ટ્રસ્ટીઓએ નમતું જોખતા અને વાલીઓને માનપૂર્વક સાંભળવાની તૈયારી બતાવતા આ વિવાદ હાલ પૂરતો સમી ગયો છે. આગામી ૨૪ ફેબ્રુઆરીએ યોજાનારી મીટિંગમાં હોસ્ટેલની સુરક્ષા, ભોજનની ગુણવત્તા અને ટ્રસ્ટી મંડળના વલણ અંગે અંતિમ નિર્ણય લેવાશે તેવી શક્યતા છે
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સાપરથી સુડાવડને જોડતા માર્ગના સમારકામમાં ગંભીર ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો ઉઠ્યા છે. છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું કામ હજુ 8 દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું, પરંતુ સ્થાનિકોએ ડામર ઉખડતો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા તંત્ર દોડતું થયું છે. 5 વર્ષની રાહ બાદ થયેલું કામ વિવાદમાંસ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો લાંબા સમયથી આ માર્ગના સમારકામની માગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ 2 મહિના પૂર્વે કામ શરૂ થયું હતું. જોકે, કામ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ડામરના પોપડા ઉખડવા લાગતા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માર્ગ પર નીચે કોઈ મટીરિયલ નાખ્યા વગર સીધો ડામર પાથરી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા તપાસની માગસ્થાનિક ખેડૂત ભાવેશના જણાવ્યા મુજબ, સવારે વાડીએ જતી વખતે આ માર્ગ પરથી પસાર થતો એક ટ્રક ઉછળતા નબળા કામની પોલ ખુલી હતી. મેં તેનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો છે. જો આ રીતે જ કામ ચાલશે તો ટૂંક સમયમાં આખો રોડ ઉખડી જશે. આ મામલે સરકારે તટસ્થ તપાસ કરવી જોઈએ. સમસ્યા સાફ-સફાઈની હતી, હવે સ્થિતિ સામાન્ય: તંત્રઆ વિવાદ અંગે અમરેલી જિલ્લા પંચાયત સ્ટેટના અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયોને ધ્યાને લઈ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તે માર્ગનો પ્રથમ લેયર હતો અને સમસ્યા રોડની અંદર નહીં પણ બહારના ભાગમાં હતી. તે સમયે સાફ-સફાઈના અભાવે આ પ્રશ્ન સર્જાયો હતો. હાલ ATR (એક્શન ટેકન રિપોર્ટ) તૈયાર કરવામાં આવ્યો છે અને કામમાં સુધારો કરી દેવાયો છે. કોઈ પણ વ્યક્તિ સ્થળ પર જઈને વર્તમાન સ્થિતિની ચકાસણી કરી શકે છે.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો વધુ એક નવો કીમિયો નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે વેસ્ટેજ કપડાના પોટલાની આડમાં લઈ જવાતો ₹7.40 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી અમદાવાદ જતી એક પીકઅપમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર થાલા ગામની સીમમાં ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ અશોક લેલેન્ડ પીકઅપ ટેમ્પો (નંબર GJ 08 AU 0593) આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટેમ્પોમાં ઉપરના ભાગે વેસ્ટેજ કપડાના મોટા પોટલા ભરેલા હતા, જેની નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકા અને ટીન બીયરનો મસમોટો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 2208 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹7,40,400/- થાય છે. આ ઉપરાંત, ₹5,00,000/- ની કિંમતનો અશોક લેલેન્ડ પીકઅપ ટેમ્પો અને ₹10,000/- ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹12,50,400/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર રમેશકુમાર કિશનારામ બિશ્નોઈ (ઉ.વ. 26) ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો છે. જોકે, દારૂનો જથ્થો ભરાવનાર મુખ્ય સૂત્રધાર સુરેશ સુજાનારામ સિયાક (રહે. સાંચોર, રાજસ્થાન) અને સુરત ખાતે દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
LJIMC દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 'Cineverse 2026'નું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલમાં દેશભરની 37 ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની થીમ 'Going Beyond: Breaking Barriers' હતી, તેમ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોનીએ જણાવ્યું હતું. ફેસ્ટિવલને દેશભરમાંથી 40 જેટલી એન્ટ્રીઓ મળી હતી, જેમાં ફિક્શન, નોન-ફિક્શન, એનિમેશન અને AI ફિલ્મોનો સમાવેશ થતો હતો. યુવા ફિલ્મમેકર્સે સ્ત્રી સશક્તિકરણ, માનસિક સ્વાસ્થ્ય, વુમન સેફ્ટી, શિક્ષણ, માનવીય સંબંધો અને મર્ડર મિસ્ટ્રી જેવા સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી હતી. આ સ્પર્ધામાં સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી, MSU બરોડા અને સેવા એકેડમી જેવી સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલના ભાગરૂપે માસ્ટર ક્લાસનું પણ આયોજન કરાયું હતું. 'સ્ત્રી 2' અને 'બાલા' જેવી ફિલ્મોના લેખક નિરેન ભટ્ટે પટકથા લેખન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક સારી વાર્તા હંમેશા તમારા અંગત અનુભવો અને આસપાસના નિરીક્ષણમાંથી જન્મે છે. 'સત્યમેવ જયતે' ફિલ્મના સિનેમેટોગ્રાફર શાંતિભૂષણ રોયે સિનેમેટોગ્રાફી અને વિડિયોગ્રાફી સમજાવી હતી. તેમણે કેમેરા એન્ગલ્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. LJ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. મનીષ શાહે ફિલ્મ નિર્માણ અને સ્ટોરી ટેલિંગ ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા ₹1,00,000 ના ઇનામોની જાહેરાત કરી હતી. ઇવેન્ટના સમાપન સમારોહમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. વિરલ શાહ અને વાઇસ ચાન્સેલર ડૉ. દિનેશ અવસ્થીના હસ્તે વિજેતાઓને સન્માનિત કરાયા. વિજેતાઓની યાદીમાં, બેસ્ટ ડીઓપી તરીકે નિયતિ શાહ (રાડે), શ્રેષ્ઠ એડિટર તરીકે ચિંતન, દિવિજ્ઞા અને રાગવી (ધ રિપોર્ટર એટ પાઠશાળા) વિજેતા બન્યા. શ્રેષ્ઠ લેખકનો પુરસ્કાર તન્મય દુબે (સમર ટાઇમ રેન્ડરિંગ) અને કમાલ કાદરી (ધ રિડલ)ને મળ્યો. નિર્દેશન માટે આદિત્ય કાંબલે (મારી સ્કૂલ) અને આદર્શ કુમાર (અનહિન્જ્ડ)ને પુરસ્કૃત કરાયા. શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સૃષ્ટિ પ્રસાદ (મારી સ્કૂલ) અને ક્રિશ લખ્યાણી (પતા હૈ આજ ક્યા હુઆ)ને એનાયત થયો. શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં 'લુનર બર્ડ્સ' પ્રથમ સ્થાને રહી. 'બીકન ઓફ લાઈટ' અને 'પતા હૈ આજ ક્યા હુઆ' બીજા ક્રમે, જ્યારે 'રિપોર્ટર એટ પાઠશાળા' અને 'મારી સ્કૂલ' ત્રીજા ક્રમે વિજેતા બની. આ આયોજનમાં ડૉ. દિવ્યા સોનીની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિભાગના ડાયરેક્ટર્સ, ફેકલ્ટીઝ અને 1000 થી વધુ ફિલ્મપ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ જોઈને દંગ રહી ગયા હતા. દુબઈ-અમદાવાદ ફલાઈટમાં સોનાની દાણચોરીઅમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016થી અમદાવાદ પહોંચેલા એક શખસને અટકાવીને તપાસ હાથ ધરી હતી. બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી જપ્તતપાસ દરમિયાન શખસ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા 324.140 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 51,73,274 જેટલી થાય છે. સોનાને પેસ્ટ બનાવીને અન્ડરવેરમાં છુપાવ્યુંકસ્ટમ્સના અધિકારીઓને શખસની હિલચાલ પર શંકા જતાં તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, શખસે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવેરમાં છુપાવ્યું હતું. આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ 277.800 ગ્રામ શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રાપ્ત થયું હતું, જેની કિંમત અંદાજે 44,33,688 આંકવામાં આવી છે. શખસ પાસેથી 96 લાખનું સોનું જપ્તઆમ, અમદાવાદ કસ્ટમ્સ દ્વારા કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ બજાર કિંમત 96,06,962 થાય છે. અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરી શખ્સની અટકાયત કરી છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિદેશથી કેટલું સોનું, મોબાઇલ, દારૂ, રોકડ લાવી શકાય?એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કીમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ જેવાં ગેજેટ્સ સાથે મુસાફર પકડાઈ જવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. વળી, વિદેશમાં રહેતા સંબંધી વતન આવે તો મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુઓ મગાવવાની પણ ઘણા લોકોની ઇચ્છા હોય, પરંતુ સામાન્ય મુસાફરના મનમાં પણ સવાલો ઊઠે કે વિદેશથી કંઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લવાય, કેટલી રોકડ લાવી શકાય અને કેટલું લઈ જઈ શકાય? જો સોના-ચાંદીનાં ઘરેણાં પહેરીને વિદેશ જઈએ તો પરત આવતા સમયે એરપોર્ટ પર કોઈ રોકે તો શું કરવું? (વાંચો સંપૂર્ણ સમાચાર) 4 ઓક્ટોબર 2025ના અમદાવાદમાં પેન્ટમાં છુપાવેલી 491 ગ્રામ સોનાની પેસ્ટ ઝડપાઈઅમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દાણચોરી કરી લાવવામાં આવતું ગોલ્ડ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ કસ્ટમ દ્વારા દુબથી આવેલા એક ભારતીય નાગરિક પાસેથી રૂપિયા 59 લાખ રૂપિયાનું ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ચેકિંગમાં ઝડપાય નહીં તે માટે યુવક દ્વારા ગોલ્ડનો પાઉડર અને પેસ્ટ બનાવી જીન્સ પેન્ટના નીચેના ભાગે કાપડના બે સ્તર વચ્ચે છુપાવ્યું હતું. જો કે, ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે યુવક એરપોર્ટ પર ઉતરતા જ તેની તલાશી લઈ ઝડપી પાડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) ભેજાબાજ ટ્રોલીબેગના વ્હીલમાં સોનું છુપાડી લાવતો ઝડપાયોઅમદાવાદ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે સોનું મળવાની આજે ત્રીજી ઘટના સામે આવી છે. કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફર પાસેથી 24 કેરેટનું 16 લાખની કિંમતનું 152 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આરોપી 24 કેરેટના 152 ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવી આવ્યો હતો. જેને કસ્ટમ વિભાગે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) દુબઇથી ઇન્ડિગો ફ્લાઈટમાં 2.65 કિલો સોનાની પેસ્ટ મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યાઅમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટનાં 6 સિલ્વર કલરનાં પાઉચને મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 મુસાફરની ધરપકડ કરી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વહેલી સવારે બંધ મકાનમાં આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને મળતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ આગ ગીઝરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બંધ ઘરમાં આગ લાગતા તપાસશહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સૂર્યોદય પાર્ક સોસાયટીમાં વહેલી સવારે અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ મકાનમાં લગાવેલા ગીઝરમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંધ મકાનમાં ગીઝરમાં આગ કઈ રીતે લાગી તે પણ એક સવાલ છે. આ મામલે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. ગીઝર અને વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખઆ આગના બનાવને લઈ તાત્કાલિક વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તુરંત સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે મકાનમાં રહેલ ગીઝર અને વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવ્યોફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ બહાર લગાવેલ ગીઝરમાં લાગી હતી અને પાછી નીચે રહેલ વિશિંગ મશીનમાં પ્રસરતા આગ વધુ વિકરાળ બની હતી. જો કે અમારી ટીમે તાત્કાલિક પહોંચી ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી.
મોરબીની ડેરીમાં બોઇલર બ્લાસ્ટ:ઓવરહીટિંગથી એક શ્રમિકને ઇજા, કોઈ જાનહાનિ નહીં
મોરબીના સનાળા રોડ પર આવેલા જીઆઇડીસી વિસ્તારમાં ભોલે બાબા ડેરીમાં આજે (9 ફેબ્રુઆરી) સવારે બોઇલર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ડેરીનો શેડ તૂટી ગયો હતો અને બોઇલરના ટુકડા આસપાસના કારખાનાઓમાં ફેલાઈ ગયા હતા. બ્લાસ્ટના કારણે એક શ્રમિકને ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, બોઇલરમાં ઓવરહીટિંગના કારણે આ બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના યુનિટોમાં કામ કરતા શ્રમિકો સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને લાગેલી આગને કાબુમાં લીધી હતી.
ટંકારા ઓવરબ્રિજ પાસે ST બસ-ટ્રક અકસ્માત:ટ્રક ચાલક સામે ₹50 હજારના નુકસાનની ફરિયાદ નોંધાઈ
ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસ અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં એસટી બસને આશરે ₹50,000નું નુકસાન થયું હતું. એસટી બસના ચાલકે ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંદ્રાથી કોડીનાર જતી એસટી બસ શનિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં ટંકારાથી રાજકોટ તરફ જઈ રહી હતી. ટંકારાના ઓવરબ્રિજ ઉપરથી આવતા ટ્રક કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી. સદનસીબે, બસમાં બેઠેલા કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાદ ટ્રક કન્ટેનર પલટી મારી ગયું હતું. આ બનાવ અંગે તાલાલાના રહેવાસી એસટી બસના ડ્રાઇવર ઉત્તમકુમાર રામદેવભાઈ સોલંકી (ઉંમર 47)એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, રાજકોટ હાઇવે રોડ પર લતિપર ચોકડીના ઓવરબ્રિજના રાજકોટ તરફના છેડા પાસેથી તેઓ સર્વિસ રોડ પરથી મેઈન હાઇવે રોડ પર પોતાની એસટી બસ (નંબર GJ 18 Z 3339) લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન પંજાબના રહેવાસી ટ્રક કન્ટેનરના ચાલક નવલકિશોર સુરજીતકુમારે તેમના ટ્રકથી બસને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે એસટી બસના જમણી બાજુના દરવાજા અને બારીમાં આશરે ₹50,000થી વધુનું નુકસાન થયું હતું. એસટી બસના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક નવલકિશોર સુરજીતકુમાર સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
નકલી દસ્તાવેજ કૌભાંડનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડને મળી સફળતા
પંચમહાલ પોલીસે નકલી દસ્તાવેજ કૌભાંડના લાંબા સમયથી ફરાર આરોપી રથીનભાઈ અતુલભાઈ દેસાઈની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રથીન દેસાઈ સામે શહેરા પોલીસ મથકે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ૦૮૮૨/૨૦૨૫ હેઠળ ગુનો નોંધાયો હતો. તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળ નકલી દસ્તાવેજો બનાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ આરોપ છે. ગુનો નોંધાયા બાદથી આરોપી ફરાર હતો. પંચમહાલ રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને એસ.પી. ડો. હરેશભાઈ દુધાતની સૂચનાથી પેરોલ ફ્લો સ્ક્વોડ સક્રિય થઈ હતી. પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપી અમદાવાદમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે અમદાવાદના મણિનગર વિસ્તારમાં વોચ ગોઠવી રથીન દેસાઈને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પ્રખ્યાત આધ્યાત્મિક સંત અને રામકથા વક્તા મોરારીબાપુએ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ભારતના નવા નકશાનું સ્વાગત કર્યું છે. આ નકશામાં પાકિસ્તાન કબજા હેઠળનો કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતના અભિન્ન અને અખંડ ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલી તેમની “માનસ કૃષ્ણ અવતાર” કથા દરમિયાન વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ ગતરોજ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, આજના અખબારોમાં તેમણે યુએસ દ્વારા રજૂ કરાયેલા ભારતના નવા નકશા વિશે વાંચ્યું છે, જે ભારતની પ્રાદેશિક અખંડિતતા અને ઐતિહાસિક સત્યને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. વ્યાસપીઠ વતી તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો. મોરારીબાપુએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન તથા ચીન દ્વારા કબજામાં રાખવામાં આવેલા વિસ્તારોને ભારતના નકશામાં સ્પષ્ટ રીતે સામેલ કરવા એ અખંડ ભારતની ભાવનાને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે, આવી આંતરરાષ્ટ્રીય માન્યતા દેશની એકતા અને અખંડિતતાના વિચારને વૈશ્વિક સ્તરે વધુ દૃઢ બનાવે છે. મોરારીબાપુના આ નિવેદનને કથા શ્રોતાઓ તરફથી તાળીઓ અને સમર્થન મળ્યું હતું, જેના કારણે કથા પંડાલમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) કાર્યાલય દ્વારા ભારત–અમેરિકા વેપાર કરાર સંદર્ભે આ નકશો જાહેર કરાયો છે. તેમાં PoK સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીરને કોઈપણ વિભાજક રેખા વિના ભારતના ભાગરૂપે દર્શાવવામાં આવ્યું છે, તેમજ અક્સાઈ ચીનને પણ ભારતની ભૂમિ તરીકે રજૂ કરાયું છે. અગાઉ યુએસની વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવતાં નકશામાં આ વિસ્તારોને વિવાદિત તરીકે દર્શાવવામાં આવતા હતા. આ નવી રજૂઆતને રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ અને દિશાસૂચક પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે, જે ભારતની વર્ષોથી રહેલી ભૂમિકા અને દાવાને મજબૂત આધાર પૂરો પાડે છે.
પોરબંદર GIDC ખાતે ઉદ્યોગસાહસિકતા તાલીમ સંપન્ન:CED દ્વારા 15 દિવસીય તાલીમમાં ઉદ્યોગ સ્થાપના શીખવાઈ
પોરબંદરના GIDC ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા ૧૫ દિવસીય ઉદ્યોગસાહસિકતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્યરત અગ્રણી સંસ્થા CED દ્વારા આ તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છુક ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ઉદ્યોગ શરૂ કરવા, તેની સ્થાપના કરવી, ઉપલબ્ધ સરકારી સહાય અને સવલતો, ઉદ્યોગનું સફળ સંચાલન કેવી રીતે કરવું તેવા વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓની માહિતી, લોન અરજી પ્રક્રિયા, ધિરાણ મેળવવાની સરળ સમજૂતી, સ્થાનિક એકમોની મુલાકાત અને પ્રોજેક્ટ રિપોર્ટની સમજણ જેવા મુદ્દાઓ પર તજજ્ઞ નિષ્ણાતો દ્વારા જ્ઞાન અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ 15 દિવસીય તાલીમ કાર્યક્રમના સફળ આયોજન માટે CED પોરબંદરના સિનિયર ટ્રેનિંગ ઓફિસર સિરાજ બગથરીયા અને એક્ઝિક્યુટિવ જીગ્નેશ ચૌહાણે સક્રિય ભૂમિકા ભજવી હતી.
હળવદ પાસે 1188 દારૂ બોટલ ભરેલી ઇનોવા ઝડપાઈ:કાર ચાલક ફરાર, 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ તાલુકાના ચરડવા ગામ પાસે દેવળીયા ચોકડી નજીકથી પોલીસે દારૂ ભરેલી એક ઇનોવા કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની કુલ 1188 બોટલો જપ્ત કરી છે. જોકે, કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ 8.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ચરડવા ગામ પાસે આવેલ દેવળીયા ચોકડી નજીકથી દારૂ ભરેલી એક ઇનોવા કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 12 BE 1111 નંબરની ઇનોવા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને કાર ભગાવી હતી અને થોડે આગળ જઈને કાર છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે તુરંત જ કારનો પીછો કરીને તેને કબજે લીધી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1188 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત 3,98,400 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 5 લાખ રૂપિયાની ઇનોવા કાર સહિત કુલ 8,98,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હળવદ તાલુકા પોલીસે ફરાર થયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી હળવદના પીઆઇ ડી.વી.કાનાણી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
છોટા ઉદેપુર LCBએ ₹3.22 લાખનો દારૂ ઝડપ્યો:ઓડ ગામના બંધ મકાનમાંથી 810 બોટલ જપ્ત
છોટા ઉદેપુર જિલ્લા LCBએ ઓડ ગામના એક બંધ મકાનમાંથી ₹3,22,710/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 810 બોટલ દારૂ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી, પડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સતત કાર્યરત છે. જિલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ઓડ ગામના પટેલ ફળિયામાં રહેતી ચેકલીબેન નાયકના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક બંધ મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની 810 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹3,22,710/- આંકવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ દારૂની હેરફેર માટે વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી વખત એસપી રિંગ રોડ પરથી પીસીબીની ટીમે 63.86 લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. હેલમેટની આડમાં દારૂનો જથ્થો પંજાબથી અમદાવાદ થઈને જૂનાગઢ જવાનો હતો, પરંતુ પીસીબીની ટીમે તને ઝડપી પાડ્યો છે. પીસીબીની આ કામગીરીના કારણે નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ડ્રાઈવરે ટ્રકમાં હેલ્મેટ હોવાનું કહ્યુંપીસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક હીમાચલ પાસિંગની ટ્રક હાથીજણ સર્કલ તરફથી અસલાલી આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રકને રોકીને ડ્રાઈવર તેની પૂછપરછ કરી હતી. ડ્રાઈવરનુ નામ જોની બળદેવસિંહ ચંદેલ છે અને તે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના હવાની ગામનો વતની છે. પોલીસે ટ્રકમાં શું છે? તે મામલે જોનીને પૂછ્યુ હતું, ત્યારે તેણે જણાવ્યુ હતું કે, ટ્રકમાં હેલમેટ છે. બોક્સની તપાસ કરતા દારૂ નીકળ્યોહેલ્મેટ ભરેલી ટ્રક નારોલ પોલીસ સ્ટેશન લાવી હતી. પીસીબીએ એક બાદ એક બોક્સ ખોલીને જોતા પહેલા હેલ્મેટ મળી આવ્યા હતા, પરંતુ હેલ્મેટની આડમાં દારૂની પેટીઓ પણ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી 63,86,608 રૂપિયાની કિંમતની દારૂની 10749 બોટલો, 5.25 લાખની કિંમતના 1053 હેલ્મેટ, તેમજ 15 લાખ રૂપિયાની ટ્રક સહિત કુલ 84.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતોપૂછપરછ દરમિયાન સામે આવ્યુ હતું કે, દારૂનો જથ્થો ચંદીગઢથી આવી રહ્યો હતો અને જૂનાગઢ ખાતે પહોચાડવાનો હતો. જૂનાગઢના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. હીમાચલ પ્રદેશના સરકાઘાટ ખાતે રહેતા દીલેરામ શેરસીંગે દારૂનો જથ્થો મોકલી આપ્યો હતો. જૂનાગઢ ટ્રક પહોચી ગયા બાદ બુટલેગર દારૂનો જથ્થો લેવા માટે આવવાનો હતો. પીસીબીએ નારોલ પોલીસ સ્ટેશનમાં જોની, દીલેરામ અને અન્ય જૂનાગઢના બુટલેગર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસ બીજી વાર ઊંઘતી ઝડપાઈ!અઠવાડિયામાં બીજી વખત નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસ નહીં, પરંતુ એજન્સીઓ બીજી વખત લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. અગાઉ ટ્રાન્સપોર્ટમાં આવેલો 3.53 લાખનો દારૂ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો હતો, ત્યારે હવે બીજી વખતમાં લાખોનો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. જોકે સ્થાનિક પોલીસ અજાણ હતી કે, સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી હતી તે મામલે તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
પાટણ શહેરના પનાગર વાડા વિસ્તારમાં નીલમ સિનેમા સામે આવેલો એક વીજ સિમેન્ટ પોલ અત્યંત જોખમી હાલતમાં છે. આ પોલ હાલ માત્ર દોરડાના સહારે ટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે. આ ગંભીર મુદ્દે વોર્ડના કોર્પોરેટર ભરત ભાટીયાએ UGVCLના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. કોર્પોરેટર ભરત ભાટીયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે પનાગર વાડા મોહલ્લામાં આવેલો આ વીજ પોલ રહેણાંક અને અવરજવર વાળા વિસ્તારમાં છે. પોલ એટલી હદે વળી ગયો છે કે તેને ટેકો આપવા માટે દોરડાનો ઉપયોગ કરવો પડ્યો છે. અગાઉ આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં UGVCL વિભાગ દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ભરત ભાટીયાએ તંત્રની આ કાર્યપણાલીને દુર્ભાગ્યપૂર્ણ અને બેદરકારી ગણાવી છે. જો આ જોખમી પોલ અચાનક પડી જાય તો મોટી માનવ જાનહાનિ કે મિલકતને નુકસાન થવાની પૂરી શક્યતા છે. કોર્પોરેટરે પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તંત્રની બેદરકારીને કારણે કોઈ પણ અઘટિત ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારી અને કર્મચારીની રહેશે. હાલમાં સ્થાનિક રહીશો પણ આ જોખમી પોલને કારણે ફફડાટ અનુભવી રહ્યા છે. તેઓ તંત્ર વહેલી તકે આ પોલ બદલે અથવા તેનું યોગ્ય સમારકામ કરે તેવી માંગ કરી રહ્યા છે.
મોરબી નાગરિક બેંક ચૂંટણી પરિણામ જાહેર:5 'ફૂલ' અને 1 'સિંહ' નિશાન પર વિજેતા; જુઓ વિજેતાઓની યાદી
મોરબી નાગરિક સહકારી બેંકના છ ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે મોડી રાત સુધી ચાલેલી મતગણતરી બાદ, 'ફૂલ'ના નિશાન પર પાંચ અને 'સિંહ'ના નિશાન પર એક ઉમેદવાર વિજેતા બન્યા છે. બેંકના કુલ નવ ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતી હોવાથી ચૂંટણી જાહેર કરાઈ હતી. તેમાંથી ત્રણ અનામત બેઠકો પર જ્યોતિબેન વિરાણી, હંસાબેન ઠાકર અને વિજયભાઈ વાઘેલા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. બાકીની છ જનરલ કેટેગરીની બેઠકો માટે 'ફૂલ' અને 'સિંહ'ના નિશાન સાથે બે અલગ-અલગ પેનલના કુલ ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. રવિવારે મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટયાર્ડ ખાતે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. કુલ 6596 સભાસદોમાંથી 2049 સભાસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોવાથી મતગણતરીમાં વધુ સમય લાગ્યો હતો, જે મોડી રાત્રે 1 વાગ્યા સુધી ચાલી હતી. પરિણામો દર્શાવે છે કે બંને પેનલ તૂટી છે, જે ક્રોસ વોટિંગનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી લડનારા તમામ 12 ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હતા. બંને પેનલો દ્વારા જીત માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિજેતા ઉમેદવારોમાં દીપકભાઈ પોપટને 1032, પરેશભાઈ કચોરીયાને 991, સંજયભાઈ ધોળકિયાને 969, ભુપતભાઈ રવેશિયાને 967, અશ્વિનભાઈ કોટકને 926 અને મનીષભાઈ ઓગણજાને 922 મત મળ્યા હતા. અન્ય ઉમેદવારો અજયભાઈ કોટકને 909, હિમાંશુભાઈ રવેશિયાને 879, ભરતભાઈ મીરાણીને 857, કુશલભાઈ હિરાણીને 851, દીપકભાઈ સોમૈયાને 842 અને નિલેશભાઈ ખખખરને 814 મત મળ્યા હતા.
વડોદરામાં 2 ફેબ્રુઆરીના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે એક વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં 'સત્સંગ દીક્ષા' ગ્રંથના તમામ 315 શ્લોકોનું મુખપાઠ કરીને આ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિમાં વેરાવળ BAPS મંદિર બાળ સત્સંગ મંડળના 67 બાળકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ 67 બાળકો વેરાવળ, સુત્રાપાડા, લોઢવા, કેશોદ, વિસાવદર, માળિયા હાટીના, તાલાલા અને કોડીનાર જેવા વિવિધ વિસ્તારોમાંથી આવ્યા હતા. તેમણે 'સત્સંગ દીક્ષા' ગ્રંથના તમામ 315 શ્લોકોનું મુખપાઠ કરીને તેમની યાદશક્તિ અને આધ્યાત્મિક નિષ્ઠાનો પરિચય આપ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમને 'વિદ્વાન'નો સન્માનિત દરજ્જો અર્પણ કરવામાં આવ્યો હતો. આ બાળકોએ તેમની ઉત્કૃષ્ટ યાદશક્તિ, શિસ્ત અને આધ્યાત્મિક નિષ્ઠાનો પરિચય આપ્યો હતો, જેનાથી વેરાવળનું નામ દેશભરમાં ગૌરવપૂર્વક પ્રગટ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિના અનુસંધાને વેરાવળ BAPS મંદિર પરિસરમાં પૂજ્ય સંતોના હસ્તે 67 બાળકોનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને પ્રશસ્તિ પત્ર, આશીર્વાદ અને પ્રોત્સાહન આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. પૂજ્ય સંતોએ તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, આ બાળકો માત્ર શ્લોકોનું સ્મરણ નથી કરતા, પરંતુ સંસ્કાર, સંયમ અને સંસ્કૃતિના સાચા વારસદાર બની રહ્યા છે. તેમણે બાળકોના માતા-પિતા અને સંયોજકોની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, માતા-પિતા અને સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. BAPS સંસ્થાની બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા 'મિશન રાજીપો' અંતર્ગત આ વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે કુલ 12,723 બાળકોએ હિન્દુ પરંપરા અનુસાર 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 શ્લોકોનું સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ અને ગાયન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. વેરાવળના બાળકો દ્વારા પ્રાપ્ત આ સિદ્ધિ આવનારી પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહેશે અને BAPS સંસ્થાના સંસ્કાર આધારિત શિક્ષણ કાર્યને નવી ઊંચાઈ આપશે. આ ઐતિહાસિક રેકોર્ડમાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ચાર બાળકોના નામ નોંધાયા છે. તેમાં 5 વર્ષના ઘનશ્યામભાઈ સુરેશભાઈ વાઢેર, 9 વર્ષની નિરવાબેન સુરેશભાઈ વાઢેર, 12 વર્ષના મીતભાઈ અશ્વિનભાઈ કવા અને 13 વર્ષના અક્ષરભાઈ ભીમશીભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે માત્ર 5 વર્ષની નાની વયે ઘનશ્યામભાઈ વાઢેરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી લોઢવા ગામ, તેમના પરિવાર અને સમગ્ર સત્સંગ મંડળનું ગૌરવ વધાર્યું છે.
નકલી નંબર પ્લેટ સાથે ટ્રક ચલાવતો શખ્સ ઝડપાયો:ફાઈનાન્સના હપ્તા ટાળવા ₹15 લાખનો ટ્રક કબજે
કુતિયાણા પોલીસે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરીને ટ્રક ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી ફાઈનાન્સના હપ્તા ભરવાથી બચવા માટે આ કીમિયો અપનાવી રહ્યો હતો. પોલીસે ટ્રક અને નકલી નંબર પ્લેટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત અનુસાર, કુતિયાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એમ.ડી. વાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન કુતિયાણા ચોટા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે પોરબંદર તરફથી આવી રહેલા અશોક લેલન કંપનીના સિમેન્ટ ભરવાના બન્કર ટ્રકને રોકવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક (નંબર GJ-03-BY-7745) ના કાગળો અને રજીસ્ટ્રેશન વિગતોની ચકાસણી કરતા જાણવા મળ્યું કે ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ નકલી હતી. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે ફાઈનાન્સના હપ્તા ન ભરવા પડે તે હેતુથી આ બનાવટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ મામલે પોલીસે જાજાભાઈ જેઠાભાઈ ગોઢાણીયા (ઉં.વ. 40, રહે. ખાંભોદર) નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી મીલનભાઈ રમેશભાઈ દુધાત (રહે. ગુંદાળા ચોકડી, ગોંડલ) ને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે અંદાજે ₹15 લાખની કિંમતનો ટ્રક અને નકલી નંબર પ્લેટ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે હેતુથી રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડોગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓના ખિસ્સા પરનો બોજ ઘટશે. 11થી 15 ફેબ્રુઆરી સુધી ભક્તોને ફાયદો થશેટિકિટ દરમાં કરવામાં આવેલો આ ઘટાડો મર્યાદિત સમય માટે અમલી રહેશે. આગામી તારીખ 11થી 15 ફેબ્રુઆરી સુધી, એમ કુલ પાંચ દિવસ સુધી આ ઘટાડેલા ભાવ લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ શકશે. ગિરનાર રોપ-વે જનાર ભક્તોમાં ભારે આનંદની લાગણી મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનારની સીડીઓ ચઢવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણયથી ગિરનાર જનાર ભક્તોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાટણમાં 24મા સમૂહલગ્ન, 9 યુગલ લગ્નગ્રંથિથી જોડાયા:દાતાઓએ 32 કરિયાવર વસ્તુઓ ભેટ આપી
પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા પાટણના મોતીશા દરવાજા બહાર આવેલી ખોડીયાર માતાની વાડી ખાતે 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના 9 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. આ મંગલમય પ્રસંગે જ્ઞાતિના વિવિધ દાતાઓના સહયોગથી નવદંપતીઓને ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા. જ્ઞાતિના અગ્રણીઓ અને મહેમાનોની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન થઈ હતી. સમૂહ લગ્નના આયોજનમાં સમાજના દાતાઓએ આર્થિક અને સાધન સહયોગ પૂરો પાડ્યો હતો. જમણવાર માટે મનસુખભાઈ હરિભાઈ પટેલ પરિવાર, રેફ્રિજરેટર માટે રણછોડભાઈ પુંજાભાઈ પટેલ અને લગ્ન મંડપ માટે હીરાબેન મંછારામ પટેલ પરિવારે સેવા આપી હતી. મંડળ દ્વારા આ તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ દ્વારા દરેક નવદંપતીને કરિયાવર રૂપે સોનાની ચૂની, ચાંદીના સિક્કા, ચાંદીના ગણપતિ, ગેસ સગડી, મિક્સર અને ઇન્ડક્શન કુકટોપ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઘરવખરીની અન્ય નાની-મોટી મળીને કુલ 32 જેટલી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપી નવદંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત 31 જાન્યુઆરીના રોજ શહેરના ઉધના અને અડાજણ વિસ્તારમાં માત્ર પોણા કલાકના અંતરે બે ગૃહિણીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકી લેનાર રીઢા ગુનેગારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપી શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક જ દિવસમાં બે વિસ્તારોમાં તરાપબપોરે 2.15 વાગ્યે (અડાજણ): શંખેશ્વર હાઈટ્સમાં રહેતા 31 વર્ષીય જ્યોત્સનાબેન પટેલ નિશાલ આર્કેડ પાસે જૈન ધર્મના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલ પાસે એક મોપેડ ચાલક તેમની બાજુમાંથી પસાર થઈ ગળામાંથી રૂ. 14 હજારનો અછોડો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. બપોરે 3 વાગ્યે (ઉધના): અડાજણની ઘટનાના ગણતરીના સમયમાં જ આરોપી ઉધના પહોંચ્યો હતો. ઉધના ગામના કર્મકાંડી બ્રાહ્મણની પત્ની સોનમબેન દવે (ઉં.વ. 37) પોતાના પુત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. તેરાપંથ ભવન પાસે જ્યુપીટર મોપેડ પર આવેલા આ જ શખસે સોનમબેનના ગળામાંથી 8 ગ્રામની સોનાની ચેઇન (કિંમત આશરે રૂ. 1 લાખ) આંચકી લીધી હતી. ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ CCTVનું ચેકિંગઆ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઉધનાથી લિંબાયત સુધીના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને ગુનામાં વપરાયેલ મોપેડ (GJ-5-UC-1023) એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લિંબાયત વિસ્તારમાં મળી આવ્યું હતું. બે મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલાયોપોલીસે ચોક્કસ બાતમીના આધારે શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની ચેઇન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સાથે ઉધના અને અડાજણ પોલીસ મથકે નોંધાયેલા બે મહત્વના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે લૂંટ ચલાવી છે કે કેમ? 19 જાન્યુઆરી, 2026: મહિલાની પાછળ જઈને ચોરે સોનાનો દોરો તોડ્યો, CCTV, બાઈક પર ત્રણની ટોળકી આવી'તી અમદાવાદના ખોખરા વિસ્તારમાં 19 જાન્યુઆરીના રોજ ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. મહિલા સ્ટેશનરીની દુકાનેથી વસ્તુ લઈને તેમના ફ્લેટમાં જઈ રહ્યા હતા, ત્યારે એક ચોર તેમની પાછળ પાછળ આવ્યો અને મોકો મળતા મહિલાઓના ગળામાં રહેલી સોનાનો દોરો તોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા ચોર ગભરાયો અને દોરો મૂકીને પેન્ડલ લઈને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી, ટુર્નામેન્ટની એક મેચમાં પાંચ મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનીલ પટેલનું માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના લાડકા ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે વલસાડના ક્રિકેટપ્રેમીઓ ધરમપુર ચોકડી ખાતે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. હેનીલ પટેલ વલસાડ પહોંચવાના હોવાની જાણ થતાં જ રવિવારે સાંજથી ચાહકો, યુવા ક્રિકેટરો અને સ્થાનિક અગ્રણીઓ ધરમપુર ચોકડી ખાતે એકઠા થવા લાગ્યા હતા. વાતાવરણમાં ઉત્સાહ એટલો હતો કે લોકો હાથમાં તિરંગા અને સ્વાગતના બેનરો લઈને કલાકો સુધી ઊભા રહ્યા હતા. રાત્રે 10 કલાકે હેનીલનું આગમન થતાં જ 'હેનીલ... હેનીલ...' ના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે પુષ્પવર્ષા સાથે તેનું શાહી સન્માન કરવામાં આવ્યું. અંડર-19 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયામાં રમીને આવેલા હેનીલે જરા પણ અભિમાન વગર અત્યંત સાદગીપૂર્વક ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભીડ વચ્ચે પણ તેણે ધૈર્ય જાળવી રાખી યુવા ચાહકો સાથે સેલ્ફી પડાવી, વડીલોના આશીર્વાદ લીધા અને સ્થાનિક ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા. હેનીલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મારા વતન વલસાડના લોકોએ જે પ્રેમ આપ્યો છે, તે મારા માટે કોઈ પણ મેડલ કરતાં મોટો છે. આ સપોર્ટ જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. હેનીલની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને પરિવારનો સંઘર્ષ રહેલો છે. સ્વાગત વેળાએ હેનીલના માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. સ્થાનિક કોચના જણાવ્યા અનુસાર, હેનીલની આ સિદ્ધિ વલસાડના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આગામી દિવસોમાં હેનીલના માનમાં શહેરમાં વધુ કેટલાક સન્માન સમારોહ પણ યોજાય તેવી શક્યતા છે.
વાપીમાં 30.94 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો:યુપીનો યુવક પકડાયો, કુલ 31.58 લાખનો મુદ્દામાલ જપ્ત
ડુંગરા પોલીસે વાપી તાલુકાના બલીઠા વિસ્તારમાંથી ₹30.94 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે ઉત્તર પ્રદેશના એક યુવકની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ ₹31.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને પ્રિન્સકુમાર પ્રેમચંદ્ર મૌર્ય (રહે. બલીઠા, વાપી; મૂળ રહે. અમેઠી, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 884 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹30,94,000 છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹30,94,000નો હાઈબ્રિડ ગાંજો, ₹8,000 રોકડા, ₹5,500ના બે મોબાઈલ ફોન, ₹50,000નું હીરો મેસ્ટ્રો સ્કૂટર તેમજ વજન કાંટો અને પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નશા નેટવર્ક પાછળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો સૂરજસિંગ પ્રમોદસિંગ નામનો શખ્સ મુખ્ય સપ્લાયર છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડુંગરા પોલીસે આરોપી પ્રિન્સકુમાર સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે એક ખાનગી બસના બ્રેક ફેલ થયા હતા. ડ્રાઈવરની સતર્કતાને કારણે 52 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને બસ ખાઈમાં પડતા અટકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, DD 01 S 9879 નંબરની ખાનગી બસ સાપુતારાથી માલેગામ તરફ 52 મુસાફરોને લઈને જઈ રહી હતી. સાપુતારા અને માલેગામ વચ્ચેના ઘાટ માર્ગના ઉતરાણ દરમિયાન અચાનક બસના બ્રેક ફેલ થઈ ગયા હતા. બ્રેક ફેલ થતા ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ અનિયંત્રિત બની હતી. આ સમયે મુસાફરોમાં ગભરાટ અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, ડ્રાઈવરે હિંમતભેર બસને માર્ગની બાજુએ સુરક્ષિત રીતે રોકી દીધી હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ સાપુતારા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘાટ માર્ગ પર વારંવાર થતી બ્રેક ફેલ જેવી ઘટનાઓને લઈને મુસાફરો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ઉતરાણવાળા વિસ્તારોમાં વાહનોની તકનિકી તપાસ અને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવાની માંગ કરવામાં આવી છે. હાલ સાપુતારા પોલીસ દ્વારા બસના ટેક્નિકલ દસ્તાવેજો, બ્રેક સિસ્ટમની સ્થિતિ અને ડ્રાઈવરની પૂછપરછ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ઘાટ માર્ગ પર વાહન ચાલકો માટે સાવચેતી અને નિયમિત વાહન તપાસની અગત્યતા ફરી એકવાર સ્પષ્ટ કરી છે.
ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારનો કહેર: ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત
AI Image
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… મુખ્ય સચિવના ડરથી પાલિકા- કોર્પોરેશનોએ નાના મોટા કામોમાં ઝડપ લાવી દીધીમુખ્ય સચિવ એમ.કે. દાસે ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લા કલેકટરો,ડીડીઓ,સચિવોને સાફ કહી દીધુ છે કે, કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચારને ચલાવી લેવામાં નહી આવે. એટલુ જ નહી, કામમા પણ ઝડપ લાવવાની રહેશે. જેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી થશે. આવા આદેશ બાદ વિવિધ મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓ-તાલુકા પંચાયતોના વિવિધ કામમા ખુબ જ ઝડપ આવી ગઈ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કેટલાક અધિકારીઓ ચર્ચા કરતા હતા કે, દાસ સાહેબની કડકાઈથી હવે બધા સીધા થઈ ગયા છે. પહેલા ગટર સહિતના કામ માટે જગ્યા જોઈતી હોય તો એક એક વર્ષ સુધી જવાબ આપતા નહોતા. હવે તેઓ સીધા થઈ ગયા છે. એક વાર કહેવાથી જ તેઓ જગ્યાની ફટોફટ ફાળવણી કરી દે છે. ચમત્કાર વગર નમસ્કાર નહી એ કહેવતને મુખ્ય સચિવે યથાર્થ ઠેરવી છે. 'ભાજપના નેતાને સરકારી સ્લોટર હાઉસ દેખાયું પણ ગેરકાયદે કતલખાના નથી દેખાતા!'અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ઐતિહાસિક બજેટમાં નવું સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્તને લઈને ભાજપના ધારાસભ્ય ભડક્યા અને કમિશનરે દરખાસ્ત પરત ખેંચી લીધી હોવાની જાહેરાત કરવી પડી છે. જોકે આ સમગ્ર મામલો રાજકીય થયાં બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં ચર્ચા છે કે, સરકારી નિયમ પ્રમાણે સ્લોટર હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે અને હાલની સ્થિતિને જોતા નવું બનાવવું પડે છે. જોકે પશુઓની કતલને રોકવાના નામે ભાજપના ધારાસભ્યએ વિરોધ કર્યો પરંતુ શહેરમાં બાપુનગર, ગોમતીપુર, બહેરામપુરા, વટવા સહિત અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાના ચાલે છે જેને ભાજપના નેતાઓ બંધ કરાવી શકતા નથી. પોલીસ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી શકતા હોય છે, પરંતુ ત્યાં આવી કોઈ રજૂઆત થતી નથી. જો ગેરકાયદેસર બંધ કરાવી દે તો પણ ઘણા બધા પશુ કતલ થતી રોકાઈ જાય. જોકે નેતાજીને સરકારી સ્લોટર હાઉસ દેખાય છે પરંતુ શહેરમાં અનેક ગેરકાયદેસર સ્લોટર હાઉસ ચાલે છે એના વિશે ક્યાંય રજૂઆત થઈ હોય તેવું જણાતું નથી. શિક્ષણ વિભાગમાં ફાઈલોના ઢગલા,મુખ્યમંત્રીએ પણ તેની ગંભીર નોંધ લીધીથોડો સમય પહેલા જ મુખ્ય સચિવ એમ.કે. દાસે કેબિનેટને સમાંતર મળતી સેક્રેટરીઓની મીટીંગમાં સૂચના આપી હતી કે, કોઈપણ પ્રકારની ફાઈલ હોય તેનો સાત દિવસમાં નિકાલ કરવો પડશે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હજુ પણ તેનો પૂરો અમલ થયો નથી.સચિવાલયમાં ચર્ચા છે કે, અગાઉની જેમ હજુ સૌથી વધુ ફાઈલોનો નિકાલ થતો ન હોય તેવા ડીપાર્ટમેન્ટમાં શિક્ષણ વિભાગ નંબર 1 ઉપર આવે છે. મંત્રીમંડળનુ વિસ્તરણ થયા બાદ નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રધ્યુમન વાઝાએ કારભાર સંભાળ્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. વિભાગના અધિકારીઓ દ્રારા જૂદી જૂદી ફાઈલોને સમયસર મંત્રીના કાર્યાલયમાં મોકલવામાં આવે છે. પરંતુ ત્યાંથી ફાઈલોનો નિકાલ થતો નથી. ઉચ્ચ અધિકારીઓ મંત્રીને સમજાવીને થાકી જાય છે પણ મંત્રી સમજી શકતા નથી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢીયાને પણ ખબર પડી ગઈ છે. તેઓએ પણ તેની ગંભીર નોંધ લીધી છે.જોવાનુ એ રહે છે કે, બજેટ સત્ર પહેલા ફાઈલોનો નિકાલ થાય છે કે પછી ફાઈલોનો સંખ્યા વધે છે. બાંધકામોની સાઈટો પરથી સેમ્પલ લો, નીચેના અધિકારીઓ પર સોપો પાડી દોગત અઠવાડીયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી-મુખ્ય સચિવની હાજરીમાં પ્રભારી સચિવોની મીટીંગ મળી હતી. જેમાં એડિશનલ ચીફ સેક્રેટરીઓ,પ્રિન્સિપલ સેક્રેટરીઓ અને સેક્રેટરીઓ જોડાયા હતા. આ મીટીંગ લાંબો સમય ચાલી હતી. જેમાં પ્રભારી સચિવોને કહેવાયુ કે, તમે જે જીલ્લા માટે પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ છે તે જીલ્લાની એકાએક મુલાકાત લેવાનુ ચાલુ કરી દો.ત્યાં જઈને વિવિધ પ્રકારના બાંધકામોની સાઈટ પર જાવ અને તેના સેમ્પલ લો અને ચકાસણી કરો કે કામ બરોબર થાય છે કે નથી થતુ. તેમાં ખાસ કરીને ક્વોલિટીની ચકાસણી કરવાની છે. તમે લોકો જઈને ત્યાં સોપો પાડી દો.આવી ચર્ચા દરમિયાન એક બે મહીલા સચિવે હિંમત કરીને દલીલ કરી હતી કે, અમારી પાસે મટીરીયલ્સનુ ચેકીંગ કરવાની કોઈ સુવિધા કે મશીનરી નથી અને કઈ રીતે આ કામ કરી શકીએ. અમને આમાં ટેકનિકલી કશી ખબર પણ ન પડે.અમારુ કામ તો જીલ્લાના પ્રશ્નો ઉકેલવાનુ છે તેમજ સરકાર સાથેના કોઈ ઈસ્યુ હોય તો જીલ્લાના સ્થાનિક તંત્ર વચ્ચે કો ઓર્ડીનેશન કરવાનુ છે. જો કે, સચિવોને એવુ કહેવાયુ છે કે, તમે કામ શરુ કરો સરકાર તમને તમામ વ્યવસ્થા કરી આપશે. આ બેઠક બાદ બ્યુરોક્રેટ્સમાં ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી તૂટી પડવાની, જૂદા જૂદા બ્રિજો તૂટવાની કે નબળા પડવાની ઘટના બન્યા બાદ સરકાર હવે એ જવાબદારી પણ આપણા પર નાખવા માગે છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં AI પર બ્રેક,વરસાદી પાણી નિકાલની ફાઈલ દોઢ મહિનાથી પેન્ડિંગઅમદાવાદ મહાનગરપાલિકાનો વર્ષોથી સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન રહ્યો છે વરસાદી પાણી ભરાવાનો. દર વર્ષે થોડો પણ ભારે વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને વૈજ્ઞાનિક અને આધુનિક ટેકનોલોજીથી કંટ્રોલ કરવા માટે હવે AI (Artificial Intelligence)નો ઉપયોગ કરવો જોઈએ એવી ચર્ચા જોર પકડી રહી છે. કેટલો વરસાદ આવશે તેનું એડવાન્સ ફોરકાસ્ટ, કયા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે અને કયા પ્રિવેન્ટિવ એક્શન લેવા, આ બધું AIના માધ્યમથી શક્ય છે. આ મુદ્દે બ્રેઈન સ્ટોર્મિંગ પણ થયું છે, કોર્પોરેશનમાં લોકો મળ્યા છે, ચર્ચાઓ થઈ છે.પરંતુ ચર્ચા અહીં જ અટકી ગઈ છે. ચર્ચાઈ રહ્યું છે કે AI આધારિત પ્રોજેક્ટની ફાઈલ છેલ્લા દોઢ મહિનાથી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર ધૂળ ખાતી પડી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. શહેર માટે એટલો ગંભીર મુદ્દો હોવા છતાં કમિશનરનો રસ ન દેખાતો હોવાની ચર્ચા કોર્પોરેશનના ગલિયારાઓમાં ચાલી રહી છે. GFGNLના કથિતકૌભાંડ બાદ DSTમાં ‘સાઈલન્સ મોડ’?ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ને લઈને ચર્ચાઓ ગરમ છે. મોના ખંધાર જ્યારે DSTમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેમની બદલી પાછળ GFGNL (Gujarat Fibre Grid Network Limited)ના કથિત કૌભાંડની છાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, 1 સપ્ટેમ્બરે GFGNLની રીવ્યુ મીટિંગ યોજાઈ હતી અને એ પછી જ મોના ખંધારની બદલી થઈ. ત્યારબાદ આજદિન સુધી GFGNLને લઈને એકપણ સિંગલ મૂવમેન્ટ નથી થઈ. ચર્ચા એવી છે કે હવે તો GFGNLની ફાઈલને સ્પર્શ કરવા માટે ન મંત્રી તૈયાર છે, ન સેક્રેટરી, ન કોઈ અધિકારી. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બર પછી DSTને જાણે તાળું વાગી ગયું હોય, એવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારના જનસંપર્કમાં ફક્ત ફોટોગ્રાફી, નિકાલ શૂન્ય? મંત્રીઓ માટે જનતાને મળવાનો નક્કી કરાયેલ દિવસ એટલે સોમવાર. આ દિવસે અરજદારો રજુઆત કરવા આવે છે, પરંતુ રજુઆતનો નિકાલ થાય છે કે નહીં, એ મોટો પ્રશ્ન બની ગયો છે.એક જિલ્લામાંથી રજુઆત કરવા આવેલા એક સંગઠનનું કહેવું છે કે, “અમે એક મહિના પહેલા અરજી આપી હતી. ફોલોઅપ માટે એક મહિના પછી ફરી આવ્યા તો કહેવામાં આવ્યું કે અરજી મળતી નથી, ફરી આપી દો. ફરી આપી, છતાં ફોલોઅપ લીધો તો કોઈ કાર્યવાહી નથી.” આવા અનુભવો બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકો કહે છે કે જનસંપર્કના દિવસે મંત્રીઓ અરજદારોને મળવાને બદલે ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત રહે છે. રજુઆતો સાંભળવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ નિકાલ ક્યાંય દેખાતો નથી. જનસંપર્કનું ‘આઉટકમ’ ક્યાં? ફરિયાદો એવી ઉઠી રહી છે કે જનસંપર્કનું કોઈ સ્પષ્ટ આઉટકમ જ નથી આવતું. લોકો મળ્યા, ફોટા પડ્યા, વાતો થઈ… પણ ફાઈલ ત્યાં જ અટકી જાય છે. શિક્ષણનુ સ્તર સુધારવા માટે શિક્ષકોને સોંપાતી અન્ય કામગીરીને બંધ કરાવોગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણનુ સ્તર કથળ્યું છે. તેને સુધારવા માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે પણ હજુ સુધી કોઈ જ સફળતા મળતી નથી. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં પણ શિક્ષણનુ સ્તર સુધારવા માટેની ચર્ચા થઈ હતી. અધિકારીઓ દ્રારા સેક્રેટરીઓની મીટીંગમાં પ્રેઝન્ટેશન પણ અપાયુ હતુ.જેમાં એવો મત વ્યક્ત કરાયો હતો કે, શિક્ષણનુ સ્તર સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓએ પોતાની પૂરી તાકાત લગાવવી પડશે. જ્યારે કોઈ અધિકારીએ એવી દલીલ પણ કરી હતી કે, વર્ષ દરમિયાન વેકેશનો અને રજાના દિવસો બાદ કરતા વિધાર્થીઓને ભણવા માટે ઘણા ઓછા દિવસો મળે છે.ઉપરાંત શિક્ષકોને વર્ષ દરમિયાન BLO સહિતની અનેક કામગીરી સોંપાતી હોય છે. જેથી તેઓ શાળામાં ભણાવવામાં પૂરતુ ધ્યાન આપી શકતા નથી. કોઈએ એવુ સૂચન કર્યુ હતુ કે, જો એજ્યુકેશનનુ સ્તર સુધારવુ હોય તો, ત્રણ વર્ષ સુધી તમામ શિક્ષકોને ભણાવવા સિવાયની કોઈ જ અન્ય કામગીરી સોંપવી જોઈએ નહી. સરકાર હવે આ સંદર્ભમા કેવો નિર્ણય કરે છે તે જોવાનુ રસપ્રદ બનશે. બે પ્રિન્સિપલ સેક્રેટરીઓ ઈટલીના પ્રવાસે ઉપડ્યા, અધિકારીઓમાં ગણગણાટગત અઠવાડીયે સચિવાલયમાં ફરજ બજાવતા બે IPS અધિકારીઓ અશ્વિનીકુમાર અને રાહુલ ગુપ્તા ઈટલીના પ્રવાસે ઉપડી ગયા છે. જો કે આ તેમનો સરકારી અને સત્તાવાર પ્રવાસ છે. ઈટલીમાં ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં બેઠક મળી રહી છે જેમાં હાજર રહેવા માટે સરકારે બન્ને અધિકારીઓને ત્યાં મોકલ્યા છે. જેને લઈને સચિવાલયમાં કેટલાક અધિકારીઓમાં ગણગણાટ શરુ થયો છે. તેઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, વિદેશ પ્રવાસ માટે આપણો નંબર ક્યારે આવશે.આ બન્ને અધિકારીઓની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જવાના હતા પણ તેઓ શ્રીલંકા ગયા હતા. રાજકોટ ભાજપ સંગઠનમાં પોતાના વિશ્વાસુઓને ગોઠવવા ધારાસભ્યોમાં ખેંચતાણરાજકોટ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ શહેર ભાજપના જૂથવાદની વાતો પ્રદેશ જ નહિ પરંતુ રાષ્ટ્રીય મવડી મંડળ સુધી પણ પહોંચી ગઈ જેના કારણે પ્રથમ પ્રમુખ સહિત આખું માળખું નવું જાહેર કરવા અટકળો શરૂ થઇ. જો કે પ્રમુખે પોતાને નવી ટિમ મળી ન હોવાથી યોગ્ય કામ થઇ ન શકતું હોવાની રજુઆત કરી નવી ટિમ સાથે તાકાતથી કામ કરવાની ખાતરી આપતા મોવડી મંડળ આ વાતથી માંડ માંડ સહમત થયું ત્યાં બાકીના હોદેદારો માટે ખેંચતાણ શરૂ થઇ. રાજકોટના એક ધારાસભ્યના અંગતને સંગઠનમાં નિમણુંક પાક્કી છે તેવું ચર્ચાવા લાગતા બીજા ધારાસભ્યએ પણ પોતાના માનીતાનો સમાવેશ કરવા માંગણી કરી છે પરંતુ હવે એ નામ માટે તો સ્પષ્ટ મનાઈ જ આવી છે માટે હવે ગુંચવાયેલા કોકડા વચ્ચે મહદ અંશે નો રિપીટ સાથેના માળખામાં કોનો સમાવેશ થાય અને કોની બાદબાકી તેના પર આખાએ રાજકોટના ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓની મિટ મંડાયેલી છે. સમસ્યાના નિરાકરણના બદલે ભાજપ નેતાએ નાગરિકને ઉડાઉ જવાબ આપ્યો!ભાજપના એક નેતાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નેતાજીની રજૂઆતના આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ ભાજપના નેતાને ફોન કરીને તેમની સમસ્યા સાંભળવા માટે કીધું તો ભાજપના નેતાએ કહી દીધું કે તમે મંત્રીઓ જોડે જાઓ સરકારમાં જાઓ જે કરવું હોય એ કરો. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના નેતાજીએ સ્થાનિક લોકોને સાંત્વના આપી તેમની સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય પરંતુ ભાજપના આ નેતાજી તો તમારે જ્યાં સરકારને કહેવું હોય અને જે મંત્રીને કહેવું હોય એ કહી દો હું કોઈ સરકારનો માલિક નથી એવું કહ્યું હતું. ભાજપના નેતાજીના હઠના કારણે આગામી ચૂંટણીમાં નેતાજીના આવા જવાબ અને તેમની કરેલી રજૂઆતના કારણે હેરાનગતિ લોકો ચોક્કસ યાદ રાખીને મતદાન કરશે એવી ચર્ચા છે. મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક લડાઈ તેજ બન્યાની ચર્ચાગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે જિલ્લા અને શહેરમાં પણ નવા સંગઠનની ટીમ જાહેર થઈ રહી છે. જોકે ભાજપમાં સંગઠનમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર આવી ગયો છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓમાં અંદરો અંદર લડાઈ ચાલુ થયાની ચર્ચા છે. ભાજપ ભલે શિસ્ત પાર્ટી કહેવામાં આવે પરંતુ પાર્ટીમાં હવે શિસ્ત જેવું ક્યાંય રહ્યું નથી. પાર્ટીમાં ઉચ્ચ નેતા સર્વોપરી હોય છે પરંતુ હવે પાર્ટીના કેટલાક નેતાઓ જ ગમે ત્યારે ગમે તે રીતે વર્તન અને પૂછ્યા વિના નિર્ણયો કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના સંગઠનમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં પણ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ હોવાને લઈને નવી ટીમ જાહેર થતાની સાથે જ મોટો વિરોધ સામે આવે એવી ચર્ચા જાગી છે CMOમાં ફરજ બજાવતા અજયકુમાર અને વિક્રાંત પાંડેની શાલીનતા જોઈ CM-નાણામંત્રી પ્રભાવિતગત અઠવાડીયે કેન્દ્ર સરકારનુ બજેટ જાહેર થયા બાદ તેના પર પ્રતિક્રિયા આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરવાનુ નક્કી કર્યુ હતુ. તેમની સાથે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, નાણા ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી ટી.નટરાજન, સીએમઓમાં ફરજ બજાવતા સંજીવકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી વિક્રાંત પાંડે અને સચિવ અજયકુમાર જોડાયા હતા. સ્ટેજ પર મુખ્યમંત્રી નાણામંત્રી ઉપરાંત આ પાંચેય આઈએએસ અધિકારીઓ માટે પણ ખુરશી ગોઠવાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનો કાફલો સ્વર્ણિમ-1ના તાપી હોલમાં પહોચ્યો હતો. એ સમયે પાંડે અને અજયકુમાર સિવાયના બાકીના તમામ લોકો સ્ટેજ પર જતા રહ્યા હતા. એક તબક્કે આ બન્ને અધિકારીઓ પણ સ્ટેજ પર જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેઓ સ્ટેજ પર બેઠા નહોતા. એટલુ જ નહી મીડીયાના લોકો જ્યાં બેઠા હતા ત્યાં જઈને બન્ને અધિકારીઓ શાંતિથી બેસી ગયા હતા. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા બાદ આ બન્ને અધિકારીઓ હાથમાં ફાઈલો લઈને ઉભા થઈ ગયા હતા. બન્ને અધિકારીઓની આવી શાલીનતા જોઈને મુખ્યમંત્રી-નાણામંત્રી પ્રભાવિત થયા હતા. શહેરી વિકાસ મંત્રીએ ટીપીના સંદર્ભમાં સીટીપી-મ્યુનિ.કમિશનરો,ઔડા-ગુડાને નોટિસ ફટકારીતાજેતરમાં જ નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ટાઉન પ્લાનીંગ સ્કીમના સંદર્ભમાં સીટીપી તેમજ તમામ મ્યુનિસિપલ કમિશનરોને તથા ઔડા,ગુડા જેવી ઓથોરીટીઓને નોટિસો ફટકારી છે. જેમાં જણાવાયુ છે કે, જે કામ 100 દિવસમાં થતા હોય તેનો સમય ઘટાડીને 20 દિવસનો કરવાની વાતનુ શું થયુ. કામ કેમ ઝડપથી થતુ નથી, સમય કેમ ઘટતો નથી તેનો ખુલાશો કરો. અગાઉના પરિપત્ર મુજબ ટીપીની કામગીરીમાં ઝડપથી નિર્ણયો લેવાના થતા હોય છે એ મુજબનુ કામ અધિકારીઓ અને તંત્ર કરતુ નથી. અત્રે નોંધનીય છે કે, સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે એક પરિપત્ર કરાવ્યો હતો. જેમાં જણાવાયુ હતુ કે, ટીપીમાં સુધારાઓ કરીને તેની પ્રોસેસને નાની-ટૂંકી કરી દો જેથી નાગરિકોને કોઈ તકલીફો ન પડે. જો કે, હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. માટે આવી નોટિસ કાઢવી પડી છે. કોઈ સીટીપીને નોટીસ મળી હોય એવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.હવે તંત્ર આવી નોટીસને ઘોળીને પી જાય છે કે પછી તેનો અમલ કરાવે છે તે જોવાનુ રહ્યુ.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:દવા લેવા જતાં દંપતિનું કાર અડફેટે કરૂણ મોત
દિહોર ગામે રહેતા દંપતિ ઠાડચ ગામે હોસ્પિટલ જતાં ઠાડચ ગામની નજીક એક ટાટા કંપનીના કાર ચાલકે પુરપાટ ઝડપે, બેફીકરાઇથી કારને દોડાવી, મોટર સાયકલમાં બેસેલા દંપતિ સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જતા દંપતિ ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતા. જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિને સારવારમાં ભાવનગર ખાતે લઇ જવાતા દંપતિનું સારવારમાં કરૂણ મોત નિપજતા શોક છવાઇ જવા પામ્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા દલપતભાઇ ખાટાભાઇ દિહોરા અને તેમના પત્નિ કાન્તુબેન દલપતભાઇ ખાટાને ઘણા સમયથી તાવ આવતો હોય જેને લઇને તેઓ પોતાની મોટર સાયકલ નં. GJ 04 FB 3848 લઇને દિહોર ગામેથી ઠાડચ ગામે હોસ્પિટલમાં સારવાર માટે જઇ રહ્યા હતા. જે દરમિયાન તેઓ પોતાનું મોટર સાયકલ લઇને ઠાડચ ગામ નજીક પહોંચ્યા હતા જે વેળાએ ઠાડચ થી તળાજા તરફ જતી એક ટાટા કંપનીની સફેદ કલની કર્વ કાર નં. GJ 04 EP 3195ના ચાલકે દંપતિના મોટર સાયકલ સાથે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં દંપતિ મોટર સાયકલમાંથી ફંગોળાઇને રોડ ઉપર પટકાતા, દંપતિને શરીરના જુદા જુદા ભાગો ઉપર ગંભીર ઇજા પહોંચતા સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઼ જ્યાં સારવાર દરમ્યાન દલપતભાઇ ખાટાભાઇ દિહોરા (ઉ.વ.48) અને કાન્તુબેન દિહોરા (ઉ.વ.42)નું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જે ઘટનાને લઇને શંભુભાઇ ખાટાભાઇ દિહોરાએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લક્ઝરી બસ અડફેટે સીદસરના આધેડનું મોતભાવનગર શહેરના વાળુકડ, સીદસર ગામે રહેતા અનિલભાઇ બાવભાઇ પરમારના પિતા બાવભાઇ પરમાર મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં તેમના ઘરની નજીક આવેલ ચામુંડા હોટલે ગયા હતા અને જ્યાંથી સર્વોત્તમ ડેરી પાસે આવેલ એક પાર્કિંગની જગ્યામાં સુઇ ગયા હતા. જે બાદ એક લક્ઝરી બસના ચાલકે ત્યાંથી તેમની બસ પસાર કરતા તેમના પિતા બાવભાઇ પરમાર બસના ટાયર તળે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમના સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. જે મામલે અનિલભાઇ બાવભાઇ પરમારે અજાણી લક્ઝરી બસના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરો ઝડપાયા:ભાવનગર પોલીસ લાઇનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં એક બંધ જુના ક્વાર્ટરમાં નેત્રમ તેમજ અન્ય સરકારી પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સહિતનો કિંમતી સામાન સહિતની રૂા. 1.75 ના મુદ્દામાલની તસ્કરી થવા પામી હતી. જે મામલે એલ.સી.બી. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે તસ્કરી કરનારા ત્રણ તસ્કરોને રૂા. 1.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ બનાવમાં વધુ બે તસ્કરોની સંડોવણી ખુલતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ ક્વાર્ટરમાં ત્રણથી વધુ વખત ચોરી કરી હતી. શહેરમાં આવેલ વિદ્યાનગર પોલીસ લાઇનમાં કન્ડમ હાલતમાં રહેલા બંધ ક્વાર્ટરમાંથી સરકારી નેત્રમ પ્રોજેક્ટ સહિત ત્રણ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરા સહિતની ચોરી થયાની પાંચેક દિવસ અગાઉ વાયરલેસ પી.એસ.આઇ. દ્વારા ફરિયાદ નોંધાવા પામી હતી. તસ્કરો દ્વારા ફ્લેટના બારીની ગ્રીલ તોડી, ફ્લેટમાં પ્રવેશી ત્રણ પ્રોજેક્ટના પચાસથી વધુ કેમેરા, સર્વર, હાર્ડડિસ્ક સહિતની રૂા. 1.75 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જણાવાયું હતું. જે તસ્કરી બાદ પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. આ ચોરીની ઘટના બાદ એલ.સી.બી. પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરતા વડવા તલાવડી વિસ્તારમાં રહેતા કેટલાક શકમંદોએ તસ્કરી કરી હોવાનું અને ચોરીનો સામાન મીહીર ભંગારીના ઘરના ફળિયામાં રાખ્યો હોવાની બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે તપાસ કરતા, પોલીસને ચોરી થયેલ રૂા. 1,51,350 લાખનો મુદ્દામાલ મળી આવતા, મુદ્દામાલ સાથે તસ્કરોને પણ ઝડપી લેવાયા હતા. જેમાં રાહુલ ઉર્ફે બાડો સવજીભાઈ સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપરા, મિહીર મુકેશભાઈ ટાંકને ઝડપી લેવાયા છે. તેમજ વિજય ઉર્ફે કાળીયો હિંમતભાઈ સોલંકી, સુલેમાનભાઈ સર્કીટની શોધખોળ શરૂ કરાઇ છે. ક્વાર્ટરમાં તસ્કરોએ ત્રણથી વધુ વખત ખાતર પાડ્યુંત્રણ આરોપીની ધરપકડ બાદ રાહુલ ઉર્ફે બાડો તેમજ પકડવાનો બાકી વિજય એ પ્રથમ બંન્ને અને ત્યાર બાદ રાહુલ ઉર્ફે બાડાએ બેથી ત્રણ વખત અને એક વખત રાહુલ પોતે અને હાર્દિક મીઠાપરાની સાથે પણ તસ્કરી કરી હોવાનું એલ.સી.બી. પોલીસ દ્વારા જણાવાયું હતું. જો કે, આ તસ્કરો દ્વારા કેટલા સમય અગાઉ ચોરી કરી તે જણાવાયું ન હતું.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:પ્રવાસીઓ માટે ભાવનગરના દિશાસૂચક બોર્ડ ત્રણ ભાષામાં રાખો
ભાવનગર શહેરના વિવિધ માર્ગો પર લગાવવામાં આવેલા દિશાસૂચક (Direction Boards) માત્ર ગુજરાતી ભાષામાં હોવાના કારણે રાજ્યની બહારથી આવતા પ્રવાસીઓ, વેપારીઓ તેમજ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી કચેરીઓ તરફ માર્ગદર્શન આપતા બોર્ડમાં અન્ય ભાષાનો અભાવ હોવાના કારણે બહારગામથી આવતા લોકો માટે યોગ્ય સ્થળ ઓળખવું અને માર્ગ સમજવો કઠિન બન્યું છે. ભાવનગર પ્રવાસન, ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ શહેર છે. રોજબરોજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર, વ્યવસાય અને અન્ય કામ માટે આવનજાવન કરે છે. આવા સંજોગોમાં માત્ર ગુજરાતી ભાષાના સાઇનબોર્ડ બહારથી આવતા નાગરિકો માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. શહેરમાં હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ મહત્વના ચોક તરફ દિશા દર્શાવતા બોર્ડ જો વાંચી ન શકાય, તો પ્રવાસીઓમાં ગુંચવણ ઊભી થાય છે. જેના કારણે શહેરની વ્યવસ્થાપન ક્ષમતાની છબી પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. સ્થાનિક વેપારી વર્ગ અને નાગરિકોમાંથી માંગ ઉઠી છે કે તમામ દિશાસૂચક બોર્ડ પર ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે, જેથી બહારથી આવતા લોકોને માર્ગ શોધવામાં સરળતા રહે અને શહેર સાચા અર્થમાં “સ્માર્ટ સિટી”ની ઓળખ મેળવી શકે. નાગરિકોનું કહેવું છે કે દેશના મોટાભાગના મહાનગરોમાં ત્રિભાષા (Gujarati–Hindi–English) પદ્ધતિ અમલમાં છે, ત્યારે ભાવનગરમાં માત્ર એક ભાષા સુધી મર્યાદિત રહેવું સમયની જરૂરિયાત સાથે સુસંગત નથી. આ મુદ્દે ભાવનગર મહાનગરપાલિકા તેમજ માર્ગ વિભાગે તાત્કાલિક ધ્યાન આપી ભાષાત્મક સુવિધા સાથે માનવહિતને પ્રાધાન્ય આપતું નિર્ણય લેવું જરૂરી હોવાનું મત વધુ મજબૂત બની રહ્યું છે. પ્રવાસીઓની સ્પષ્ટ માંગ છે કે ભાવનગર જેવા મહત્વના શહેરમાં દિશાસૂચક બોર્ડ પર ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે, જેથી બહારથી આવનાર લોકો પણ સરળતાથી માર્ગ શોધી શકે અને શહેર પ્રત્યે સકારાત્મક છાપ ઉભી થાય. બહારગામથી આવતા પ્રવાસીઓનો અવાજભાવનગરમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અને મુસાફરો પણ દિશાસૂચક બોર્ડ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતા લોકોનું કહેવું છે કે શહેરના મોટાભાગના માર્ગો પરના સાઇનબોર્ડ માત્ર ગુજરાતી ભાષામાં હોવાથી અજાણ્યા વિસ્તારમાં યોગ્ય સ્થળ સુધી પહોંચવામાં ભારે તકલીફ પડે છે. ઘણા મુસાફરોનું કહેવું છે કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે સરકારી કચેરી શોધવા માટે વારંવાર સ્થાનિક લોકો પાસે પૂછવું પડે છે, જેના કારણે સમય બગડે છે અને ગુંચવણ સર્જાય છે.
વેધર રિપોર્ટ:બપોર અને રાતના તાપમાન વચ્ચે 15 ડિગ્રીના તફાવત સાથે બેવડી ઋતુ
ભાવનગર શહેરમાં આજે બપોર અને રાતના તાપમાન વચ્ચે 15 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવો નોંધપાત્ર તફાવત હોય નગરજનોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. આજે સવારે લઘુત્તમ ઉષ્ણતામાન 16.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ જ્યારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જો કે આજે પવનની ઝડપ ઘટી જતા અને ભેજ રહેતા બફારો વધ્યો હતો. હાલમાં અરબ સાગરથી ગુજરાત સુધી ભેજની પટ્ટી(ટ્રફ) સક્રિય છે, જેની અસરોથી નીચલા લેવલે પવની ગતિમાં ઘટાડો થયો છે. જેથી બપોરે લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો. હજુ ચારથી પાંચ દિવસ શહેરના લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, આજે રવિવારે ભાવનગરનું મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુત્તમ ઉષ્ણતામાન 16.7 ડિગ્રી નોંધાયું હતું. હાલમાં વાતાવરણના મધ્ય લેવલમાં અરબ સાગર ગુજરાત સુધી ટ્રફની સિસ્ટમ સક્રિય છે. રવિવારે બપોર પછી પવનની ગતિ ઘટીને 6 કિલોમીટરની થઇ ગઇ હતી, જેને કારણે બપોર પછી લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ભાવનગર શહેરમાં આજે બપોર તાપમાન 31.8 ડિગ્રી હતુ જે સામમન્ય તાપમાનથી 2.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ.
દિન વિશેષ:આજે નેશનલ ટૂથએક ડે, સર ટી. હોસ્પિટલમાં મહિને દાંતના દુ:ખાવાના 2100 કેસ
દરરોજ આપણે અનેક કામોમાં વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ પોતાના આરોગ્ય તરફ ખાસ કરીને દાંત અને મોંના આરોગ્ય તરફ ઘણી વખત ધ્યાન નથી આપતા ! જ્યારે અચાનક દાંતમાં દુખાવો થાય છે, ત્યારે તેની ગંભીરતા સમજાય છે. આવા જ મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 9મી ફેબ્રુઆરીના દિવસને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં દાંતના દુખાવા દિવસ ઉજવવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ ભાવનગર શહેરની સરકારી ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 2100 જેટલા દાંતના સહિતના રોગોની સારવાર કરવામાં આવે છે. દાંતનો દુખાવો માત્ર અસહ્ય પીડા જ નથી આપતો, પરંતુ તે શરીરમાં કોઈ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. દાંતનું ઘસાઈ જવાથી, સડાના ચેપથી થતો દુખાવો, દાંત તૂટવો કે વધારે સૅન્સિટિવિટી જેવા કારણો દાંતના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે, તો નાની સમસ્યા મોટી બની શકે છે. સર ટી. હોસ્પિટલમાં દાંત વિભાગમાં છેલ્લા બે વર્ષના આંકડા મુજબ વર્ષ-2025માં 26,043 તથા વર્ષ-2024માં 23,898 દર્દીઓએ દાંતના દુખાવાથી પીડિત દર્દીઓએ સારવાર લીધી છે. સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટજંકફૂડ અને બદલાતી જીવનશૈલીથી દર્દીઓ વધ્યા જંકફૂડ અને બદલાતી જીવનશૈલીથી દર્દીઓ વધ્યા છે. જેમાં લેટ નાઈટ લાઈફ કલ્ચરમાં રાત્રે સુતા પહેલા ખાવાની આદત, પાન-માવાનું વ્યસન અને વધારે પડતા ગળપણવાળા ખોરાક બાદ બરાબર દાંતની સફાઈ ન કરવાની મોટાભાગે દાંતની સમસ્યા ઉદ્દભવતી હોય છે. - ડૉ. જિજ્ઞાબેન શાહ, દંત ચિકિત્સા વિભાગ, સર ટી. દાંતના દુ:ખાવા દિવસ ઉદ્દેશ શું છે ?
ઠગાઈ:મહુવાના નાના પીપળવા ગામના શખ્સે 49.79 લાખની ઠગાઈ કરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાની જાગધાર ગામે રહેતા અને એસ.બી.આઇ. બેન્કમાં ફરજ બજાવતા અધિકારી અર્જુનદાસ જીણારામ ગોંડલીયા અને મહુવાના વી.ટી. નગર વિસ્તારમાં રહેતા પાંસઠ વર્ષિય વૃદ્ધ લાલજીભાઇ ભગવાનભાઇ જિંજાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવાના નાના પીપળવા ગામે રહેતો ગોવિંદભાઇ રણછોડભાઇ ઢાપા નામના શખ્સે વેપારીની ઓળખ બતાવી સુરત સહિત ભાવનગર જિલ્લામાં સાડીનો મોટા પાયે વ્યવસાય કરતો હોવાનું જણાવી, આ વ્યવસાયમાં નફાની લાલચ આપી, બંન્ને લોકોને સાડીના વ્યવસાયમાં રોકાણ કરાવ્યું હતું. તે પેટે વળતર પણ આપવાની વાત કરી, અર્જુનદાસ જીણારામ ગોંડલિયા પાસેથી કટકે કટકે રૂા. 14,79,998 તેમજ લાલજીભાઇ જીંજાળા પાસેથી રૂા. 35,00,000 રૂપિયા લઇ, પરત ન આપી છેતરપિંડી આચરતા બંન્ને લોકોએ નાની પીપળવા ગામના ગોવિંદભાઇ રણછોડભાઇ ઢાપા વિરૂદ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મંડે પોઝિટીવ:માતા, પુત્ર અને પુત્રવધૂની ત્રિપુટીએ સાક્ષરતા માટે જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો
“શિક્ષા દાન એ ઉત્તમ દાન છે” આ ઉક્તિને અક્ષરશઃ સાબિત કરવા મેદાને પડેલી ભાવનગરની એક માતા–પુત્ર–પુત્રવધૂની ત્રિપુટી આજે સંવેદનાની જીવતી પાઠશાળા બની રહી છે. ધો. 12 પાસ માતા રૂપાબેન વસાણી, MBA કરેલ પુત્ર ભાવિનભાઈ અને ગ્રેજ્યુએટ પુત્રવધૂ મનીષાબેન , આ મધ્યમ વર્ગીય પરિવાર એરપોર્ટ રોડ વિસ્તારની ઝૂંપડપટ્ટી અને આસપાસના વિસ્તારમાં રહેતા આશરે 38 જેટલા ગરીબ બાળકોને નિઃશુલ્ક પાયાનું શિક્ષણ આપી તેમને સાક્ષરતા અને સમૃદ્ધ ભવિષ્ય તરફ અગ્રેસર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરી રહ્યો છે. કોઈ ફોટોશૂટ કે પ્રચાર વિના, ચૂપચાપ શિક્ષા યજ્ઞ કરતો આ પરિવાર સમાજ માટે દૃષ્ટાંત સમાન છે. શરૂઆતમાં 5થી 7 બાળકોમાંથી શરૂ થયેલ આ અભિયાનમાં દિનપ્રતિદિન બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે. જરૂર પડે ત્યારે બાળકોને પુસ્તકો અને અન્ય સ્ટેશનરી પણ પોતાના ખર્ચે પૂરી પાડી માનવધર્મનું ઋણ અદા કરવામાં આવે છે. આવા અનેક બાળકોને પાયાનું શિક્ષણ આપ્યા પછી શાળામાં દાખલ કરાવી ઉજ્જવલ ભવિષ્યની તક પણ આ પરિવારે આપી છે. રવેચીધામમાં સાંજે 5 થી 7 સુધી શિક્ષણનો યજ્ઞગરીબી અને ભૂખ સામે ગરીબ બાળકોના શિક્ષણના સપનાઓ ઘણી વખત દમ તોડી દે છે, ત્યારે આ પરિવાર એવા બાળકો માટે આશાની જ્યોત બની રવેચીધામના પવિત્ર પરિસરમાં રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન શિક્ષણનો યજ્ઞ ચલાવે છે.
ઠગાઈ:સરકારી લોન, સિલાઈ મશીન આપવાના નામે ગઠિયાએ 78 મહિલાના રૂ. 1.94 લાખ પડાવ્યા
હું પ્રેરક સ્વસહાય જૂથમાંથી આવું છું, બૅન્કમાં ઝીરો બેલેન્સથી તમારું ખાતું ખોલાવીશું. સંસ્થાના સભ્ય બનવા રૂ. 620નું ફોર્મ ભરો તો રૂ. 1000ની ઘરવખરી આપીશું. ત્યાર બાદ સિલાઈ મશીન, રસોડાનો સામાન અને મહિલા લોન અપાવવાનું કહીને ગઠિયાએ 78 મહિલા પાસેથી રૂ. 1.94 લાખ પડાવી લીધા હતા. મહિલાઓને વિશ્વાસમાં લેવા ગઠિયાએ સ્થાનિક સામાજિક કાર્યકરને કમિશનની લાલચ આપી પૈસા ઉઘરાવ્યા હતા. 7 જુલાઈ, 2025એ પરિક્ષિતલાલ નગરમાં રહેતા વસીદ શેખે ચાલીની મહિલાઓને પોતે પ્રેરક સ્વસહાય જૂનમાંથી આવતો હોવાનું કહીને સંસ્થામાં રૂ. 620નું સભ્યપદ લેવાથી રૂ. 1000ની ઘરવખરી આપવાની વાત કરી હતી. સાથે જ આજીવન સભ્ય બનાવીને સરકારી યોજનામાંથી સિલાઈ મશીન, મહિલા લોન અપાવવાની લાલચ આપી હતી. પછી એ જ દિવસે 50 મહિલા પાસેથી પૈસા લઈ પહોંચ પણ આપી હતી. ત્યાર પછી વસીદ સ્થાનિક સામાજિક કાર્યકર ગુલશનબહેનને મળીને તેમને સભ્ય લઈને આવશો તો તમને કમિશન આપીશું, તેવું કહ્યું હતું. આથી ગુલશનબહેને સભ્ય બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે મશીન અને રસોડાના સામાન માટે 32 સભ્ય પાસેથી રૂ. 3000 લેખે રૂ. 96,000, 20 સભ્ય પાસેથી કરિયાણાના રૂ. 2500 લેખે રૂ. 50 હજાર તેમજ 78 સભ્યના ફોર્મનાં રૂ. 620 લેખે રૂ. 48,360 મળીને કુલ રૂ. 1.94 લાખ વાસીદખાને આપ્યા હતા પરંતુ સહાય ન આપતાં ગુલશનબહેને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરકારી યોજનાનો લાભ લેવા સરકારી કચેરી સિવાય ક્યાંય ન જવું, કોઈને પૈસા ન આપવાસરકારી અધિકારીઓનું કહેવુ છે કે સરકારની જે પણ યોજના હોય છે તેના ફોર્મ સરકારી કચેરીઓમાં જ મળે છે. તે ફોર્મ ભરીને પાછા સરકારી ઓફિસમાં જ જમા કરાવવાના હોય છે. જેના માટે જે તે અધિકારી દ્વારા ખરાઈ કરીને આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, આવાકનો દાખલો જેવા ડોકયુમેન્ટસ પણ લેવામાં આવે છે. જેથી કોઈ પણ વ્યકિતને કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તેમણે સૌથી પહેલા સરકારી કચેરીમાં જઈને તે યોજના વિશે માહિતી એકત્રિત કરવી જોઈએ. ત્યારબાદ ત્યાંથી ફોર્મ લઈને ફોર્મ ભરીને પાછુ ત્યાં જ જમા કરાવવુ જોઈએ. આ ઉપરાંત કોઈ એજન્ટ કે અનધિકૃત વ્યકિતને કયારેય કોઈ સરકારી યોજનાનો લાભ લેવા પૈસા આપવા નહીં. આમ કરવાથી છેતરપીંડીનો ભોગ બનતા અટકી શકાશે.
અનોખા પ્રકારની કાર રેલી યોજાઈ:, જોઈ શકતો ચાલક રૂટથી અજાણ હતો, જેની પાસે મેપ હતો એ પ્રજ્ઞાચક્ષુ હતા
અમદાવાદમાં આ રવિવારની સવાર નવતર પ્રકારનો સૂર્યપ્રકાશ લઈને આવી હતી. વસ્ત્રાપુરસ્થિત અંધજન મંડળ અને બિન સરકારી સંગઠન રાઉન્ડ ટૅબલ ફાઉન્ડેશને વિશિષ્ટ પ્રકારની કાર રેલી યોજી હતી. આ રેલીમાં રફતાર નહોતી છતાં રોમાંચ હતો. આ રેલીમાં બીજા સ્પર્ધકોને પાછળ રાખીને પહેલા પહોંચવાની હોડ નહોતી છતાં અનુભવ દિલધડક હતો. કારણ કે કાર ચલાવનાર જોઈ શકતા હતા પણ એમને ક્યાં જવાનું છે - એ ખબર નહોતી અને જેની પાસે આ માહિતી હતી એ વ્યક્તિ અંધ હતી! અમદાવાદના, ગુજરાતના અને ગુજરાત બહારના 100 કારચાલક આ રેલીમાં જોડાયા હતા અને 100 પ્રજ્ઞાચક્ષુ એમના માર્ગદર્શક બન્યા હતા. રૂટ 50 કિલોમીટરનો હતો અને અંધજન મંડળથી નીકળી સાયન્સ સિટી, ભાડજ હરેકૃષ્ણ મંદિર, રાંચરડા, સિંધુ ભવનથી પરત અંધજન મંડળ પહોંચવાનું હતું. 1થી 7 સેક્શન સુધીની 50 કિલોમીટરની રેલી પૂરી કરવા માટે સરેરાશ 24થી 32ની એવરેજ નક્કી કરાઈ હતી. રૂટ પર નિર્ધારિત સ્થળે 5 અજ્ઞાત માર્શલ ચોકી રખાઈ હતી. ફ્લેગ ઓફ માટે કાર આવે ત્યારે જ પ્રજ્ઞાચક્ષુને બ્રેઇલ મેપ અપાયો હતો. કાર રેલીના અંતે લવ કારિઆ, નિશત ભુરાણી અને અંધ નેવિગેટર ભાવેશ કટારા પ્રથમ; ઋષિ ગુપ્તા, શિવાંગ મુકિમ અને નેવિગેટર દિનેશ મકવાણા દ્વિતીય તથા દેવલ શાહ અને નેવિગેટર તેજપાલ સિંહ તૃતીય સ્થાને આવ્યા હતા. માર્શલ પૉઇન્ટ પર વહેલા નહીં પણ મોડા પહોંચવામાં ઓછું નુકસાન થતું હતુંપ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ મેપ પર આંગળી ફેરવીને માર્ગ બતાવતા, એને અનુસરીને ચાલકે કાર હંકારવાની હતી. એટલે રેલીમાં ગતિનું નહીં પણ કોમ્યુનિકેશન, ચોકસાઈ અને ભૂલરહિત ડ્રાઇવિંગનું મહત્ત્વ હતું. નિયમ પ્રમાણે એક માર્શલ ચોકીથી બીજી ચોકીએ કાર નિર્ધારિત સમય કરતાં વહેલી પહોંચે તો મિનિટ દીઠ 3 પૉઇન્ટ અને મોડા પહોંચે તો માત્ર 1 પૉઇન્ટ કપાય. એટલે રેલીમાં વહેલા કરતાં મોડા પહોંચવામાં ઓછું નુકસાન હતું. બ્રેઇલ એક્સપર્ટ નેવિગેટર અદિતિએ પૂછ્યું, ‘રંગબેરંગી ઝાડ કેવું હોય વળી!’અંધજન મંડળના ઈંગ્લીશ ટ્રેનર અને બ્રેઇલ એક્સપર્ટ અદિતિ પંડ્યા ગુડગાંવના આઇટી સેક્ટરના આકિફ શેખના નેવિગેટર બન્યાં હતાં. સાયન્સ સિટીથી આગળ વધ્યા ત્યારે મેપમાં ‘રંગબેરંગી ઝાડને ડાબી બાજુએ રાખીને ડાબે વળવું’ એવી સૂચના અપાઈ હતી. અદિતિએ આ સૂચના આપ્યા પછી પૂછ્યું, ‘રંગબેરંગી ઝાડ કેવું હોય વળી!?’ પોલીસ કમિશનરે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુંડૉ. ભૂષણ પુનાની, પ્રમુખ રાજેન્દ્ર શાહ અને પોલીસ કમિશનર જી. એસ. મલિકે મારુતિ, કિયા, હ્યુન્ડાઈ, મિનિ કૂપર અને મર્સિડિઝ જેવી કારને પ્રસ્થાન કરાવ્યું હતું.
સ્પોન્જ પાર્કનું કરાશે નિર્માણ:વાસણા વિસ્તારમાં 1.47 કરોડના ખર્ચે મ્યુનિ. સ્પોન્જ પાર્ક બનાવશે
શહેરમાં વાસણામાં 1.47 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવાની તૈયારી કરી છે. વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરી છે. અગાઉ વેજલપુર વિસ્તારમાં ગાર્ડનમાં સ્પોન્જ પાર્ક બનાવવાની દરખાસ્તને કમિટી દ્વારા પરત કરી દેવાઇ હતી. જ્યારે હવે આગામી દિવસોમાં 5 સ્થળે આવા સ્પોન્જ પાર્ક બનશે. સ્પોન્જ પાર્ક બનાવવા માટે મ્યુનિ. દ્વારા 7 વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ આખરે એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતાં મ્યુનિ. દ્વારા સિંગલ ટેન્ડર મંજૂર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ડીઝાસ્ટર મિટિગેશન ફંડની ફાળવણી કરી છે. જેના હેઠળ અમદાવાદમાં સ્પોન્જ પાર્ક બનાવવાની કામગીરી હાથ ધરાશે. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તેની નજીક આ સ્પોન્જ પાર્ક બનાવાય છે. જેથી આ વિસ્તારનું પાણી સ્પોન્જ પાર્કમાં વહાવવામાં આવે. જેને કારણે વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવે જ્યારે બીજી તરફ લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળે. કેવું હોય સ્પોન્જ પાર્ક?પ્લોટમાં ખોદાણ કરી તેમાં અર્થન ટેંક બેડ એરિયા બનાવવામાં આવે છે. જે ટેંકમાં પહેલા માટી, ઘાસ હોય છે તેની નીચે મોટા કાંકરા સહિતની વસ્તુઓ હોય જે સરળતાથી પાણીને ભૂગર્ભમાં ઉતારે. આ ટેંકમાં આસપાસના વિસ્તારનું પાણી એકઠું કરવા માટે લાઇનો નાંખામાં આવે. જેથી ભરાઇ રહેતું વરસાદી પાણી આ સ્થળે આવે. ખાડામાં પરકોલેટિંગની સુવિધા હોય જેથી પાણી ભૂગર્ભમાં ઉતરતાં ભૂગર્ભજળ રિચાર્જ થાય. વરસાદી સીઝન સિવાય આ ખાડામાં ઘાસ ઉગે તેમજ ત્યાં બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા હોય. જેથી ચોમાસા સિવાય આ સ્થળનો બાળકો માટે ઉપયોગ થાય. તે સિવાય ગણેશ કિંડ, પોડિયમ, જીમ એરિયા, સાયકલ ટ્રેક જેવી સુવિધા પણ આ સ્થળે ઉપલબ્ધ કરાવાય. આ સ્થળે સ્પોન્જ પાર્ક બનશે
NIFT પ્રવેશ પ્રક્રિયા:શહેરના 750 સહિત રાજ્યના 1500 વિદ્યાર્થીએ NIFT માટેની ટેસ્ટ આપી
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટૅક્નોલોજી (NIFT) નવી દિલ્હીમાં પ્રવેશ માટે રવિવારે ગાંધીનગરમાં 2 ભાગમાં લેવાયેલી એન્ટ્રન્સ ટેસ્ટ, જનરલ એલિજિબિલિટી ટેસ્ટ અને ક્રિએટિવ એબિલિટી ટેસ્ટનું ઓવરઓલ પ્રશ્નપત્ર ઈઝી ટુ મોડરેટ લાગ્યું હતું. જોકે જીએટીમાં 20 માર્કના ક્વોન્ટેટિવ એબિલિટીના ટેસ્ટનું પ્રશ્નપત્ર થોડું અઘરું લાગ્યું હતું. ટેસ્ટનું પરિણામ એપ્રિલમાં જાહેર કરાશે. તે પછી બીજા તબક્કામાં મે મહિનામાં સિચ્યુએશન ટેસ્ટ થશે. આ સિચ્યુએશન ટેસ્ટનું પરિણામ મેના અંતમાં કે જૂનમાં જાહેર થશે. પ્રથમ તબક્કાની અને બીજા તબક્કાની ટેસ્ટના પરિણામના આધારે ઓવરઓલ મેરીટ તૈયાર કરીને નિફ્ટ દિલ્હી દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રવિવારે 15 હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. અમદાવાદમાં 750 સહિત રાજ્યના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી. 20 સંસ્થાનમાં ઉપલબ્ધ બેઠકોની વિગતો ક્વોન્ટેટિવ એબિલિટીના પ્રશ્નો અઘરા‘રવિવારે કુલ 200 માર્કસની જીએટી (જનરલ એબિલિટી ટેસ્ટ), સીએટી (ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ) યોજાઈ હતી, જેમાં કુલ 100 માર્કની જીએટીમાં 20 માર્કસના ક્વોન્ટેટિવ એબિલિટીના 20 મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (પ્રશ્નો) થોડાક અઘરા લાગ્યા હતા.100 માર્કસની જનરલ એબિલિટી ટેસ્ટમાં ક્વોન્ટિટેટિવ એબિલીટીના 20 પ્રશ્નો થોડાક અધરા લાગ્યા, જ્યારે બાકીના પ્રશ્નો અને પ્રશ્નપત્ર મોડરેટ લાગ્યુ હત.જ્યારે બપોરના ભાગે ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ (સીએટી)માં કુલ 100 માર્કસના ત્રણ પ્રશ્નો ડ્રોઈંગને લગતા વિઝયુલાઈઝેશન,ગ્રાફિક્સને લગતા પૂછાયા હતા. - પ્રતીક બ્રહ્મભટ્ટ, ડિઝાઈન કોચિંગ એક્સપર્ટ
ભાસ્કર એક્સક્લુસિવ:દિવ્યાંગ વિદ્યાર્થીએ એઆઇ આધારિત માસ્ટર મેક્સ વેબ એપ્લિકેશન બનાવી
સરકારી પોલિટેક્નિકમાં ઑટોમેશન એન્ડ રોબોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થી યશ પંચાલે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ગૃહકાર્ય-પ્રોજેક્ટ વર્કને લગતું માર્ગદર્શન આપવા, ઈજનેરીના વિદ્યાર્થીઓને કોર્સને લગતી પરીક્ષાલક્ષી માહિતી આપવા માટે તેમજ નાના મોટા વેપારીઓને વેપાર સબંધિત સ્ટોકને લગતી માહિતી,નાણાંકીય વ્યવસ્થાપન-હિસાબ કિતાબને લગતી માહિતી-માર્ગદર્શન આપવા માટેની વેબ એપ્લિકેશન ડિઝાઈન કરી દીધી છે. આ એપ્લિકેશને હજી પણ વધુ ઉપયોગી બનાવવા માટે અપગ્રેડેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. એપ્લિકેશનમાં આ પ્રમાણેની વિગતો રજૂ કરાઈ છે વ્યાપક જનસમુદાય સુધી એપ પહોંચાડવા પ્રયાસ કરાશે‘અમારી સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થી યશ પંચાલે શાળાના તેમજ ડિપ્લોમા-ડીગ્રી ઈજનેનેરી કોલેજોના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી આ નિ:શુલ્ક એઆઈ માસ્ટર મેક્સ વેબ એપ્લિકેશન ડિઝાઈન કરી છે. આ એપ્લિકેશન સમાજના વિવિધ વર્ગના લોકો સુધી, વ્યાપક જન સમુદાય સુધી પહોંચે તે ઈચ્છનીય બાબત છે.આ એપ્લિકેશન મહત્તમ લોકો સુધી પહોંચે તે માટેના અમે સઘન પ્રયાસો કરીશું.’ -ડો ભાસ્કર ઐયર, પ્રિન્સિપાલ,ગવર્નમેન્ટ પોલિટેકનિક,આંબાવાડી
હિંદુ સંગઠનની માંગ:‘નગરયાત્રાનું આયોજન તિથિ પ્રમાણે કે મહાશિવરાત્રીના દિવસે થવું જોઈએ’
ભદ્રકાળી માની નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળવાની છે ત્યારે હિંદુ સંગઠનોએ તારીખનો વિરોધ કરી તેને તિથિ પ્રમાણે કે મહાશિવરાત્રીએ યોજવા કહ્યું છે. તેમનું માનવું છે કે, મા ભદ્રકાળી અને 26 ફેબ્રુઆરી વચ્ચે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ ઇતિહાસની દૃષ્ટિએ 26 ફેબ્રુઆરી 1411ના રોજ અહમદશાહે શહેરની સ્થાપના કરી હતી. 614 વર્ષ બાદ પહેલી વખત નગરયાત્રા નીકળી હતી, પણ તે દિવસે મહાશિવરાત્રિ પણ હતી, પરંતુ આ વર્ષે 26 ફેબ્રુઆરીએ એવી કોઈ મહત્ત્વપૂર્ણ તિથિ નથી. ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટે કહ્યું કે, યાત્રા તિથિ કે, મહાશિવરાત્રીએ નીકળે તો હિન્દુ પરંપરા જળવાશે. મંદિર ટ્રસ્ટે ફેર વિચાર કરવો જોઈએ. યાત્રાની પરંપરા સારી, પણ 26મીએ થશે તો વિરોધમંદિર સત્તાધારીઓ પરંપરાનો દુરુપયોગ કરશે તો કડક વિરોધ થશે. નગરયાત્રાને અહમદશાહ સાથે જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે સ્વીકાર્ય નથી. મહાશિવરાત્રિના દિવસે યાત્રા નીકળે તેવો અમારો આગ્રહ છે. - નલીન પટેલ, સંગઠન મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત આવતા વર્ષે જ્યોતિષશાસ્ત્રીઓની સલાહથી તિથિ કાઢીશુંપંડિતો અને જ્યોતિષશાસ્ત્રીઓની સલાહથી 615 વર્ષ પહેલાની તિથિ ગણતરી કરાશે અને આવતા વર્ષથી તે મુજબ આયોજન કરાશે. અમે સનાતન હિંદુ છીએ, અમારે અહમદશાહ સાથે કોઈ લેવા-દેવા નથી. - શશિકાંત તિવારી, શ્રી રામબલિ પ્રાગ તિવારી ટ્રસ્ટ, ભદ્રકાળી અને મહાલક્ષ્મી મંદિર
સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં રાજ્ય સરકારની સહાયથી રૂ. 55 લાખની કિંમતનું યુડીએસ મશીન લવાયું છે. દર્દીના હૃદયનું પમ્પિંગ જાણવા ઇકો કરાય છે તેવી રીતે બ્લેડરની કાર્યક્ષમતા માટે યુરોડાયનેમિક સ્ટડી કરાય છે. આ મશીનથી દર્દીના બ્લેડર(મૂત્રાશય)ની કાર્યક્ષમતા જાણીને તેને આધારે દર્દીને સતાવતી પેશાબને લગતી સમસ્યાનો સચોટ ઇલાજ કરી શકાશે. સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણીક શાહે કહ્યું કે, હોસ્પિટલની ઓપીડીમાં દર મહિને પેશાબ ધીમે આવવો, ટપકીને આવવો, પેશાબ ટપક્યાં કરવો જેવી તકલીફ સાથે 15થી વધુ દર્દી નોંધાય છે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં રૂ. 4થી 5 હજારને ખર્ચે થતો આ ટેસ્ટ સિવિલમાં મફતમાં થશે. આ રોગના દર્દી માટે ઉપયોગી થશેવારંવાર પેશાબ થવો કે પેશાબ અટકાવી ન શકવો, પેશાબ કરતાં દુખાવો કે મુશ્કેલી, ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો, મહિલાઓમાં યુરિન લીકેજની સમસ્યા, સ્પાઇનલ(કરોડરજ્જુ)ની ઈન્જરી, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓના દર્દી માટે ઉપયોગી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પેસેન્જરોને હાઈટેક કેરાવાનની ભેટ આપશે. અત્યાર સુધી માત્ર વીઆઈપી લોકો પાસે જોવા મળતી લક્ઝુરિયસ ‘કેરાવાન’ હવે સામાન્ય જનતા અને કોર્પોરેટ ગ્રૂપ પણ વાપરી શકશે. નિગમે પ્રથમ તબક્કામાં 10 અત્યાધુનિક કેરાવાન લાવવાની તૈયારી પૂર્ણ કરી છે. આ કેરાવાન એવા પરિવારોને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરાઇ છે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા કે કચ્છના રણ જેવા સ્થળે ગ્રૂપમાં પ્રવાસ કરવા ઇચ્છે છે. એ રીતે મલ્ટિનેશનલ કંપનીઓ એક્ઝિક્યુટિવ માટે ચાલુ મુસાફરીએ મીટિંગનું આયોજન કરી શકશે, જેથી મીટિંગની સાથે મનોરંજન પણ માણી શકશે. જેથી લોકોના સમયની બચત થશે. એ રીતે વિદેશથી ગ્રૂપમાં આવતા પ્રવાસીઓ પણ ફરવા માટે આ કેરાવાનનું બુકિંગ કરાવી વીઆઈપી પ્રવાસનો આનંદ માણી શકશે. આ કેરાવાનનું સંચાલન અમદાવાદ જેવાં મુખ્ય શહેરો, તીર્થ સ્થળો તથા પર્યટન સ્થળો માટે કરી શકાશે. કેરાવાનમાં રેસ્ટ એરિયા, મિની પેન્ટ્રી, એટેચ વોશરૂમ પણ હશે GSRTCની વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી બુકિંગમુસાફરોની સુરક્ષા માટે દરેક વાનમાં જીપીએસ ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરા હશે, જેનું મોનિટરિંગ સીધું નિગમના કંટ્રોલ રૂમ દ્વારા કરાશે. આ વાનમાં ખાસ તાલીમબદ્ધ ડ્રાઈવર અને સહાયક અપાશે. જીએસઆરટીસીની વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા આ કેરાવાનનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.
શહેરમાં એક વર્ષમાં નોંધાયેલા કુલ 2835 આગના બનાવોમાંથી 567 માત્ર એસીમાં શોર્ટસર્કિટ, કોમ્પ્રેસર બ્લાસ્ટ કે ગેસ લિકેજને કારણે બન્યા હતા. ખાસ કરીને માર્ચથી જૂનમાં આગનું પ્રમાણ વધી જતું હોય છે. ઉનાળાના આ સમયમાં એસી, ફ્રીજનો વધુ પડતો ઉપયોગને કારણે પાવર ઓવરલોડિંગ થતાં આગ લાગે છે. આ કુલ બનાવો પૈકી 58 ટકા આગના બનાવોનું કારણ પણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું હતું. ભાસ્કર નોલેજજ્વલનશીલ ગેસથી એસીમાં બ્લાસ્ટ થવાનો ખતરો રહે છે એસીથી આગ માટે આ કારણો જવાબદાર આટલું જરૂરી:સારી ગુણવત્તાની MCB વાપરવી. એસી ડક્ટમાં સિલન્ટ કરવું. મજબૂત કોપર વાયરિંગ. આઉટડોર યુનિટ સામે 2-3 ફૂટ જગ્યા રાખવી. નિયમિત ગેસ ચેકિંગ, સર્વિસ અને સફાઈ.
ભાસ્કર ઈનસાઈડ:ઓનલાઇન પોર્ટલના ડિલિવરી બોયે 2 આઈફોન 17-પ્રો, એરબડ કાઢી પાર્સલમાં નકલી મૂકી દીધાં
ઓનલાઇન ડિલિવરી પોર્ટલના ડિલિવરી બોયે ટોળકી સાથે મળી પાર્સલ સાથે ચેડા કરી 2 આઈફોન 17-પ્રો અને એરબડ કાઢી નકલી ફોન-એરબડ મુક્યા હતા. કંપનીના અધિકારીઓના ચેકિંગમાં ભાંડો ફુટતા પોલીસે તપાસ શરૂ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે ડિલિવરી બોય સામે ગુનો નોંધ્યો હતો. સુભાનપુરા સહકાર સોસાયટીમાં રહેતા અશોક ગેરધનભાઈ પરમાર લક્ષ્મીપુરા રોડ નંદિશ પેલેસ ખાતે ઓનલાઇન ડિલિવરી પોર્ટલ કંપનીના સંકલનમાં રહીને સ્ટોર ચલાવે છે. તે પાર્સલની ડિલિવરી કરાવે છે. અશોકભાઈ સાથે મનોજ શાહ અન મનોજ નેકારામ સોલંકી (રહે, ફોર્ચ્યુન સ્કાય, કલાલી, મુળ ઝાલોર, રાજસ્થાન) ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તા.2 ફેબ્રુઆરીએ અશોકભાઈની ઓફિસે કંપનીના અધિકારી આવ્યા હતા અને કહ્યું કે, મનોજ સોલંકીએ 3 ડિલિવરી કરી નથી. અશોકભાઈએ રહી ગયેલા પાર્સલ ખોલીને જોતા તેમાં ડુપ્લિકેટ મોબાઇલ મળી આવ્યા હતા. તેમાં એપલ એરપોર્ડ પ્રો રૂ.27 હજાર અને બે એપલ આઈફોન 17 પ્રો રૂ.1.14 લાખ- રૂ.1.14 લાખના હતા. ત્રણેયના ડિલિવરી એડ્રેસ જુદા-જુદા હતા. ત્રણેય પાર્સલની ડિલિવરી કરવા મનોજ ગયો હતો. જ્યારે મનોજ સોલંકીનો ફોન બંધ આવતો હતો. પાર્સલમાં ડુપ્લિકેટ ફોન, એરપોર્ડ મુકીને મનોજે છેતરપિંડી કરી હતી. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મનોજ સોલંકી સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 જણાની ટોળકીને પકડી પાડવામાં આવી હતી. ટોળકી દ્વારા લોકોના પાર્સલ સાથે ચેડા કરીને અસલી વસ્તુ કાઢી લેવામાં આવતી હતી અને તેની જગ્યાએ નકલી વસ્તુ મુકી દેવામાં આવતી હતી. ભેજાબાજે ડિલિવરી બોય પાસે નાણાં લેવાનાં હતાં, ન આપવા ઠગાઈ કરીસુત્રધાર રાજસ્થાનનો રામલાલ ગેહલોક અને મનોજ સોલંકી પણ ઝાલોરનો છે. રામલાલ મનોજ પાસે રૂ.3 લાખ માગતો હતો. જેથી રૂપિયા ન આપવા હોય તો ઠગાઈ કરવા રામલાલે ટોળકી અને મનોજને સાથે જોડી લીધા હતા. તેઓ મળીને ખોટા ઓર્ડર કરતા હતા અને વડોદરામાં સાથે મળીને પાર્સલ ખોલી જે-તે વસ્તુ કાઢી લઈને ઠગાઈ કરતા હતા. આ રીતે નકલી સામાન મુકાતો હતોટોળકી ઈન્જેક્શનમાં સોલ્યુશન ભરી પાર્સલના સીલ પર લગાવીને સીલ ખોલતી હતી. ફોનનું સીલ હેરડ્રાયર દ્વારા ખોલી દેવાતું હતું. ફોન કાઢી તેની જગ્યાએ નકલી કે ડમી ફોન મુકી દેતા હતા અને ફરી પાર્સલ સીલ કરી દેતા હતા. પાર્સલ પોતે મગાવ્યું હોય તો ખોઈ ગયાનું જણાવીને રિટર્ન કરી દેવાતું હતું.
કાર ચાલક પોલીસ પકડથી દૂર:રેન્જરોવર ચાલકે અકસ્માત કર્યા પછી ‘મેં કંઇ કર્યું નથી’ તેવી બૂમો પાડી હતી
ટાવર ચાર રસ્તા પાસે શનિવારે વહેલી સવારે 3 વાગે અકસ્માત સર્જી રેન્જ રોવર કારની બહાર નિકળીને આ ચાલકે ‘ મે કશુ કર્યું નથી.’ તેવી બુમો પાડ્યા બાદ ભાગી ગયો હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. ઘટનાને 24 કલાક ઉપર થઈ ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આ અકસ્માત સર્જનાર સુધી પહોચી શકી નથી. ત્યારે આ સમગ્ર ઘટના ડ્રીંગ એન્ડ ડ્રાઈવની હોવાનું પણ સ્થાનિકોનું માનવું છે. જ્યારે પોલીસ દ્વારા કાર માલિક હરેન્દ્રસિંહ ભદોરીયાની પુછપરછ કરતાં તેને આ કાર બે દિવસ માટે આકાશ દરજીને આપી હોવાનું જણાવ્યું હતું. જોકે આકાશ દરજી મુંબઈ લગ્નમાં ગયો હોવાનું પોલીસ જણાવી રહી છે. તેના નિવેદન બાદ કાર ચાલક કોણ છે તે અંગે સ્પષ્ટ થશે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગે અકસ્માતના કેસમાં કાર ચાલક જ અકસ્માત થયો હોવાની જાણ પોલીસને કરતો હોય છે. જ્યારે ચાલકે દારૂ પીધો હોય તો તે કાર છોડીને ફરાર થાય છે તેવું પણ સ્થાનિક સુત્રોનું માનવું છે. પોલીસ દ્વારા આ ઘટના અંગે નોંધેલી ફરિયાદ અનુસાર, શનિવારે વહેલી સવારે 3:11 વાગે કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી કે, રાવપુરા ટાવર ચાર રસ્તા પર અકસ્માત થયો છે. તપાસ કરતા 1011 નંબરની રેન્જ રોવર કાર રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે ખોડિયાર માતા મંદિર પાસે પડી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરનાર શીયાબાગમાં રહેતા યુવકે આ અંગે જણાવ્યું હતું કે, આ કાર પુરઝડપે જ્યુબિલી બાગ તરફથી આવીને ખોડિયાર માતા મંદિર પાસેના ટ્રાફિક સિગ્નલના પોલ તેમજ તેની બાજુમાં મુકેલા કંટ્રોલ બોક્ષ સાથે અથડાઈ હતી. ચાલક ભાગી ગયો હતો.
મંડે પોઝિટીવ:3500 બાળકોએ 3 હજાર કિલો દોરી ભેગી કરી, ગાદલાં-ઓશિકાં બનાવવા ગૃહઉદ્યોગને અપાશે
ઉત્તરાયણ પછી ઝાડ કે ધાબા પર લટકી દોરી પક્ષીઓ માટે ઘાતક ન બને તે માટે રાજયશ ફાઉન્ડેશને અભિયાન શરૂ કર્યું હતું. અમદાવાદ, સાણંદ અને નળસરોવર પંથકની સ્કૂલોના 3700 વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપી દોરી એકત્રિત કરવાની સમજ અપાઈ હતી. આ વર્ષે 3500 વિદ્યાર્થીઓએ 3 હજાર કિલો દોરી એકત્રિત કરી છે. આ એકત્ર થયેલી દોરીનો સદુપયોગ કરીને સ્ટ્રીટ ડોગ માટે 350થી વધુ ધાબળા તૈયાર કરાશે, જે વિવિધ સેવાભાવી સંસ્થાને ફ્રીમાં અપાશે તેમજ ઓશિકા-ગાદલા બનાવતા ગૃહઉદ્યોગોને પણ અપાશે. રાજયશ ફાઉન્ડેશનના ફાઉન્ડર જલ્પા શાહે જણાવ્યું કે, ઉત્તરાયણ પૂર્વેના 6 મહિના અગાઉથી જ આ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જેમાં અમદાવાદની જૈન પાઠશાળાના 400 વિદ્યાર્થીઓ સહિત ગ્રામ્ય વિસ્તારોની સ્કીલોમાં બાળકોને તાલીમ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 25 હજાર વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. છેલ્લાં 4 વર્ષથી આ કામગીરી કરાઈ છે. પ્રથમ વર્ષે 800 કિલો દોરી એકત્રિત કરાઈ હતી. દર વર્ષે 900 કિલો દોરી પ્રોસેસ કરવામાં આવે છેગત વર્ષોના અનુભવના આધારે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અંદાજે 900 કિલો દોરીને પ્રોસેસ કરવામાં આવે છે. ગરમ પાણી ભરેલા મોટા ડ્રમોમાં બે થી ચાર દિવસ દોરી રાખી ‘કાચ’ ઉતારાય છે. એકત્રિત થયેલી દોરીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો આવે છે, તેનો ફરી ઉપયોગ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાય છે. આવી દોરીને પ્લાસ્ટિક રિસાઈકલ કરતા યુનિટોમાં મોકલી દેવાય છે, જ્યાં તેનો ઉપયોગ દાણા બનાવવામાં થાય છે.
4 વર્ષની દિકરી સાથે અડપલા કરનારા નરાધમ પાડોશીની પોક્સો હેઠળ ધરપકડ કર્યા બાદ માંજલપુર પોલીસ મથકના પીઆઈ કે.પી.ખરાદી દ્વારા આરોપીને વી.આઈ.પી ટ્રીટમેન્ટ આપ્યા બાદ જામીન પર મુક્ત કરી દિધો હોવાનું સગીરાના પિતાએ આક્ષેપ કર્યો છે. જ્યારે આ અંગે ફરિયાદીને ખોટી રીતે ધમકાવવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ડિસીપીને કરી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે, તેમની સગીર દિકરી સાથે જાતીય છેડતીના ગુનામાં માંજલપુર પોલીસ દ્વારા ન્યાય આપવાના બદલે આરોપીને છાવરવામાં આવી રહ્યો છે. જ્યારે કેસની તપાસ કરતા પીઆઈ દ્વારા અમે ગુનેગાર હોઈએ તેવું વર્તન કરી રહ્યાં છે. જ્યારે આ ઘટનાનું વિડિયો રેકોર્ડીંગ લાવવા પીઆઈ જણાવી રહ્યાં છે. ત્યારે આવી ઘૃણાસ્પદ ઘટનાનો વિડિયો ફુટેજ કોઈની પાસે કેવી રીતે હોઈ શકે? આ માંગણી તદ્દન અતાર્કિત છે. જ્યારે પોલીસ ઈન્સપેક્ટર દ્વારા આરોપી વિરૂધ્ધ કેસ પાછો ખેંચવા માટે આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું છે. આરોપીને આવા ગંભીર ગુનામાં સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાના બદલે આરોપીને જામીન આપી દેવામાં આવી છે. જ્યારે ફરિયાદીએ ડિસીપીને અરજી આપીને માંગણી કરી છે કે, પીઆઈ ખરાદી વિરૂધ્ધ પોક્સો એક્ટના આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવા, જામીન પર મુક્ત કરવા તેમજ ફરીયાદીને ખોટી રીતે ધમકાવવાનું વર્તન કરવા બાબતે કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલા લેવામાં આવે. નોંધનિય છે કે પાડોશીએ જ બાળકી સાથે અડપલાં કર્યા હતા. અમે અરજીની તપાસ કરી રહ્યાં છીએમારી પાસે ફરિયાદીએ કરેલી અરજી આવી છે. જેમાં કરાયેલા આક્ષેપ અંગે તપાસ કરી રહ્યાં છીએ. જો ખરેખર કોઈ નિષ્કાળજી હશે તો પગલા લેવામાં આવશે. > અભિષેક ગુપ્તા, ડીસીપી
પ્રગતિશીલ ખેડૂત:કાશ્મીરના ઠંડા પ્રદેશમાં થતા સફરજન સહિતના ફળ પાટણની ગરમ ધરા
પાટણના કુડેર ગામના 52 વર્ષીય રમેશભાઈ રાજપૂત જન્મજાત ખેડૂત પુત્ર પરંતુ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય કંઈક નવું શીખવાની અને કરવાની પ્રવૃત્તિના ભાગરૂપે કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં જ થતા સફરજન, કીવી, અંજીર જેવા વિવિધ પ્રકારના ફળ પાટણની ભૂમિ ઉપર કરી ખેતરને ફળનું વન બનાવી દીધું છે. તેમની આ સફળ બાગાયતી ફળોની ખેતી સમગ્ર પાટણ પંથકમાં ખેડૂતો માટે માર્ગદર્શન બની છે. જાણીએ તેમની કહાની તેમના શબ્દોમાં..... હું પાટણ તાલુકાના કુડેર ગામમાં રહું છું અને રાધનપુર સરકારી પ્રા.શાળા શિક્ષક તરીકે નોકરી કરું છું. મારા પિતાજી ખેડૂત હોય જન્મજાત ખેતી સાથે જોડાયેલો છું. આમ તો પાટણ જિલ્લો જે એક સમયે 'ડ્રાય એરિયા' ગણાતો હતો, ત્યાં હવે આધુનિકતાના મિશ્રણથી ખેતીમાં નવો સૂર્યોદય થયો છે. જેથી ખેતી ક્ષેત્ર કંઈક નવું કરવા અને અનુભવ માટે વિચાર આવ્યો હતો. જેથી મારા ખેતરની માત્ર દોઢ વીઘા જમીનમાં સફરજન , નાસપતિ, અંજીર, દ્વાક્ષ જેવા 8 થી 10 પ્રકારના વિશિષ્ટ ફળોની ખેતી કરીને સાબિત કર્યું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો પાટણની વધુ તાપમાનવાળી ધરતી પર પણ શીતભૂમિ કાશ્મીરમાં થતા ફળફળાદી ઉગાડી શકાય છે. હવે ખેતી માત્ર નસીબ પર આધારિત નથી, પણ ટેકનોલોજી અને કુદરતી સંસાધનોના સમન્વયથી તેને નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. 3 વર્ષની મહેનતે 5 લાખનો ખર્ચ ગાય આધારિત પધ્ધતિથી ફ્રૂટની આ રીતે ખેતી કરી ઇન્ટરનેટના માધ્યમથી ઠંડા પ્રદેશના ફળના પાકોનો અભ્યાસ કર્યો. બાદમાં આ ખેતીમાં તેમણે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર માત્ર ગૌમૂત્ર અને છાણિયા ખાતરના જોરે 3 ફૂટ ઊંડા ખાડા કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઠંડા પ્રદેશ સમાન ફળના પાકો માટે જમીન અનુરૂપ કરી ઓનલાઈન રોપા મંગાવી વાવ્યા હતા. આજે તેમની મહેનત રંગ લાવી છે અને તમામ છોડ પર ફળો બેસવાનું શરૂ થઈ ગયું છે. રોપામાં ફળ આવ્યા , વેપારીઓએ સંર્પક શરૂ કર્યા ખેડૂતના 22 પ્રકારના તમામ ફ્રુટના રોપાઓમાં સારા પ્રમાણમાં ફળ બેસવા લાગ્યા છે. ટૂંક સમયમાં ફળ પાકી જતાં બજારમાં વેચાણ માટે મૂકી શકાશે. પ્રથમવાર પાટણ પંથકમાં પણ આવા ફળ થયા હોય ફળ સ્વાદે સ્વાદિષ્ટ હોય હોલસેલના અનેક વેપારીઓ દ્વારા ખેડૂતનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતને આ ફળોમાંથી સારી આવક થવાનો આશાવાદ જોવા મળી રહ્યો છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી મેળવવો વધુ વિગતો : 8320559065(પાટણથી ગોવિંદ પ્રજાપતિ સાથેની વાતચીતના આધારે )
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા જેવી કિંમતી વસ્તુ અને મોંઘા મોબાઈલ જેવા ગેજેટ્સ સાથે મુસાફર પકડાઈ જવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. વળી, વિદેશમાં રહેતા સંબંધી વતન આવે તો મોબાઇલ, લેપટોપ જેવી વસ્તુઓ મંગાવવાની પણ ઘણા લોકોની ઇચ્છા હોય. પરંતુ સામાન્ય મુસાફરના મનમાં પણ સવાલો ઉઠે કે વિદેશથી કંઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લવાય, કેટલી રોકડ લાવી શકાય અને કેટલુે લઈ જઈ શકાય? જો સોના-ચાંદીના ઘરેણા પહેરીને વિદેશ જઈએ તો પરત આવતા સમયે એરપોર્ટ પર કોઈ રોકે તો શું કરવું? અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. નાણાકીય વર્ષ 2024-25માં 1 કરોડ 34 લાખ લોકોએ અમદાવાદ એરપોર્ટ મારફતે મુસાફરી રહી હતી. દરરોજ 290થી વધુ ફ્લાઇટમાં 37 હજારથી પણ વધુ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ગુજરાતીઓને કસ્ટમ્સના નિયમો સીધી રીતે અસર કરે છે. કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ કસ્ટમના નિયમોમાં કેટલોક ફેરફાર આવ્યો છે. એટલે માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદ સ્થિત કસ્ટમ કમિશનરેટમાંથી કસ્ટમ ક્લિયરન્સને લગતી માહિતી મેળવી. અમદાવાદ સહિત કોઈપણ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે બે લાઇન હોય છે. એક ગ્રીન ચેનલના નામે ઓળખાય છે અને બીજી રેડ ચેનલ. જો વિદેશથી આવતા કોઈ પેસેન્જર પાસે કસ્ટમ ડ્યૂટીને લગતો કોઈ સામાન ન હોય તો તે ગ્રીન ચેનલમાંથી પસાર થઈને એરપોર્ટ બહાર નીકળી શકે છે. પરંતુ મુસાફર પાસે કસ્ટમ ડ્યૂટીના નિયમો લાગૂ થાય એવો સામાન હોય તો તેણે રેડ ચેનલમાંથી પસાર થવું પડે છે અને જરૂર પડે તો ડોક્યુમેન્ટ, સામાનનું ડિક્લેરેશન ફોર્મ, બિલ વગેરે બતાવવાથી લઈને સામાન ચેક કરાવવામાં પણ સહકાર આપવો પડે. તો જાણી લો કે વિદેશથી મુસાફરી કરીને ભારતના કોઈપણ એરપોર્ટ પર ઉતરો ત્યારે કેવા નિયમો લાગુ પડે છે અને કઈ-કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લાવી શકાય છે. વિદેશમાં દાગીના લઈ જવા માટેનો નિયમ સમજોલગ્ન કે અન્ય પ્રસંગોમાં સોના, પ્લેટિનમ કે ડાયમંડના દાગીના પહેરીને વિદેશ જતા લોકોએ કસ્ટમ્સ વિભાગ પાસેથી 'એક્સપોર્ટ સર્ટિફિકેટ' મેળવવાનું હોય છે. આ માટે ગવર્મેન્ટ એપ્રુવ્ડ વેલ્યુઅર દાગીનાની કિંમત નક્કી કરે છે, તેના ફોટા પણ પાડવામાં આવે છે અને જ્વેલરી સીલ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. મુસાફર જ્યારે પરત ફરે ત્યારે એક્સ-રે અને કેરેટોમીટર મશીન દ્વારા ચકાસણી કરવામાં આવે છે કે દાગીના બદલાયા તો નથી ને. જો કોઈ શંકા થાય તો ફરીથી વેલ્યુઅર પાસે તપાસ કરાવાય છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 96 મુસાફરોએ આ સર્ટિફિકેટ મેળવ્યા હતા. જેમાંથી 92 લોકોએ રૂબરૂમાં અને 4 લોકોએ ઓનલાઇન પ્રક્રિયા કરી હતી. સામાન્ય રીતે કસ્ટમ્સની વેબસાઇટ પર રોજિંદા પ્રશ્નોની વિગતો ઉપલબ્ધ હોય છે, પરંતુ કેટલીકવાર અમુક પ્રશ્નોનો જવાબ ત્યાં ન મળતા મુસાફરો રૂબરૂ જાણકારી મેળવવા એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારી પાસે જતા હોય છે. અમદાવાદ અને સુરત જેવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ 24 કલાક હાજર રહે છે. જોકે, મુશ્કેલી એ આવે કે એરપોર્ટની અંદર બેસતા અધિકારીને મળવા માટે ટિકિટ વગર પ્રવેશ મેળવવા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી પાસેથી સિક્યોરિટી પાસ લેવો પડતો હતો. જેના કારણે મુસાફરોને ભારે પરેશાની થતી હતી. લોકોની આ મુશ્કેલી દૂર કરવા કસ્ટમ્સ કમિશનરેટ કચેરી દ્વારા એરપોર્ટ પર પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં 24 કલાક કસ્ટમ્સ અધિકારીઓ તૈનાત હોય છે. આ સુવિધાને કારણે મુસાફરોને હવે પાસ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને તેઓ એરપોર્ટની બહારથી જ સીધા અધિકારીઓના સંપર્કમાં આવી શકે છે. છેલ્લા દોઢેક મહિનામાં આશરે 80થી વધુ નાગરિકોએ આ સેન્ટરની મુલાકાત લઈને જરૂરી પૂછપરછ કરી છે. કસ્ટમ્સ કમિશનર શિવકુમાર શર્માએ જણાવ્યું,અહીં વિદેશ જતા મુસાફરો કેટલી કરન્સી લઈ જઈ શકે, કેટલી લાવી શકે અથવા જો કોઈના માલસામાનને ડીટેઇન કરવામાં આવ્યો હોય તો તે માટે કેટલી પેનલ્ટી કે ફી ભરવી પડશે તેવી તમામ માહિતી 24 કલાક ઉપલબ્ધ છે. એરપોર્ટ પર મુસાફરોની જાણકારી માટે આ સેન્ટરના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. કસ્ટમ્સ વિભાગની છબી વધુ પારદર્શક બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોફેશનલ્સ દ્વારા મુસાફરો સાથેના વર્તન અને વાતચીત અંગે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, અધિકારીઓને બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ક્લિયરન્સ વખતે મુસાફરો પાસેથી ફીડબેક લેવાની સિસ્ટમ પણ શરૂ કરાશે. જો કોઈ મુસાફર નેગેટિવ ફીડબેક આપશે તો તે મુસાફર એરપોર્ટ છોડે તે પહેલાં જ અધિકારીઓ દ્વારા તેમની મુશ્કેલીનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવશે.
નવી તરકીબ:એક્સપોર્ટના વેપારીનું નકલી ખાતું બનાવી કસ્ટમના સરકારી લાભના ~8 લાખ ઠગ્યા
વડોદરાના એક્સપોર્ટ-ઇમ્પોર્ટના વેપારી સાથે સરકારી વેબસાઈટ પર નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. ભેજાબાજે કસ્ટમ વિભાગના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના પોર્ટલ પર વેપારીનું નકલી એકાઉન્ટ બનાવી 8.12 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકે પણ આ પ્રકારની છેતરપિંડીની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઇપી એડ્રેસ અને બેંક ખાતા દ્વારા પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે. સુભાનપુરા વિસ્તારની સેમી સોસાયટીમાં રહેતા દીપેનભાઇ જયંતીભાઈ શિંગડા 25 વર્ષથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું જીત એન્જિનિયર્સ નામે ફર્મ ચલાવું છું. એક્સપોર્ટના વેપારીઓને થતા લાભો માટે ભારતના કસ્ટમ એન્ડ એક્સાઇઝ વિભાગની આઈસગેટ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેમાં એક્સપોર્ટ પ્રોડક્ટની ડ્યૂટીની રેમિશન સ્કીમ હોય છે. 2021થી મારા ખાતામાં મેં ભરેલી એક્સપોર્ટ ડ્યુટીના લાભની રકમ જમા થતી હતી. આ ડીજીએફટી પોર્ટલ પર સપ્ટેમ્બર-2025માં રજીસ્ટ્રેશન બાકી હતું. થોડા સમય પહેલા તપાસ કરતાં મારા નામનું ખાતું અગાઉથી જ બનેલું હોવાનું જાણવા મળ્યું હતું. કોઈએ મારા પાસવર્ડ-આઇડી બદલીને ખાતું બનાવી રૂ.8.12 લાખની ક્રેડિટ તેના ખાતામાં ટ્રાન્સફર કરી હોવાની માહિતી મળી હતી. 3 માર્ચ 2025ના એક જ દિવસે 4 ટ્રાન્જેક્શન કરી લીધા હતા. આ ટ્રાન્જેક્શન અંગે રજિસ્ટ્રેશનની માહિતી ચેક કરતા એ આઈ.પી એડ્રેસ પરથી પ્રથમ વાર નોંધણી કરાવી હોવાનું બહાર આવ્યું હતું. સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવી છેતરપિંડી ફિશિંગથી થાય છેસરકારી ગેટવેમાં પણ હવે કૌભાંડો શરૂ થયા છે. ભેજાબાજો ઇમેઇલ, ટેક્સ્ટ અથવા કોલ કરી HMRCનો સંપર્ક કરી છેતરપિંડી કરે છે. અજાણી લિંક પર ક્લિક કરીને અંગત માહિતી આપવી નહીં. કૌભાંડીઓ ICE કોડનો દૂર ઉપયોગ કરી છેતરપિંડી કરતા હોય છે.સરકારી ગેટવે જેવો ઇમેઇલ મોકલી તાત્કાલિક માહિતી માંગે તો આપવી નહીં. પ્રથમ મોકલનારને તપાસવા જોઈએ. શંકાસ્પદ ઇમેઇલ કે મેસેજ પર ક્લિક ન કરો, આવા ઇમેઇલ-મેસેજ આવે તો સાયબર વિભાગને જાણ કરવી જોઈએ.
દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું નવસારી શહેર હવે ‘મેરેજ ટુરિઝમ’ના ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. અત્યાર સુધી જે શહેર માત્ર ચીકુ, કેરી અને વેપાર માટે જાણીતું હતું, તે હવે ડેસ્ટિનેશન વેડિંગના કારણે અર્થતંત્રનું નવું એન્જિન બનવા જઈ રહ્યું છે. પરંપરાગત પાર્ટી પ્લોટના જમાનાને અલવિદા કહી રહેલો આજનો યુવા વર્ગ લક્ઝુરિયસ રિસોર્ટ્સ અને નેચર-બેઝ્ડ લોકેશન્સ તરફ વળ્યો છે, જેને પગલે નવસારીમાં કરોડો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. અડદા ગામે સાકાર થનારો રૂ. 250 કરોડનો મેગા પ્રોજેક્ટ નવસારીને વૈશ્વિક નકશા પર નવી ઓળખ અપાવશે. કમોસમી વરસાદ અને ખેતીમાં થતા નુકસાન સામે હાર માનવાને બદલે સંઘર્ષનો માર્ગ અપનાવનાર ખેડૂતપુત્ર સંજયભાઈ પટેલે નવસારીમાં આ ખાસ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ નવું હબ સુરત અને મુંબઈ પરની નિર્ભરતા ઘટાડશે. આ પ્રોજેક્ટમાં 5,000 ચોરસ ફૂટનો ભવ્ય કોલમ-લેસ હોલ, તાજ અને મેરિયટ જેવી હોટલ્સને ટક્કર આપે તેવા અદ્યતન રૂમ્સ, IPL કદનું ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ અને ગોકાર્ટિંગ તેમજ 1,200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવશે.જ્યાં એક સમયે લોકો લગ્નની ખરીદી કે હોલ માટે સુરત-મુંબઈ તરફ દોડતા હતા, ત્યાં હવે નવસારી પોતે એક એવું કેન્દ્ર બની રહ્યું છે જે અન્ય મેટ્રો સિટીના લોકોને આકર્ષશે. દક્ષિણ ગુજરાતના NRIને સરળતા રહેશેનવસારી અને દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી વિદેશમાં વસતા NRI યુવક-યુવતીઓ ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માટે પોતાના વતન આવે છે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોમાં રહેતા લોકોને પોતાના જ ગામ નજીક લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમો માટે આ પ્રોજેક્ટ થકી સારી સુવિધા મળી રહેશે. અન્ય મોટા વેડિંગ ડેસ્ટિનેશન પણ સજ્જનવસારીની ભૌગોલિક સ્થિતિ તેને ડેસ્ટિનેશન વેડિંગ માટે સર્વોત્તમ બનાવે છે. પૂર્ણા નદીના કિનારે ‘ધરતી રિસોર્ટ’ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નવસારીનો કાંઠા વિસ્તાર હવે ગોવાની તર્જ પર ‘બીચ વેડિંગ’નો અનુભવ આપી રહ્યો છે. જલતરંગ વોટરપાર્ક, ઉદય પેલેસ અને જાનકી રિસોર્ટ જેવા સ્થળોએ પણ થીમબેઝ્ડ વેડિંગ અને પ્રી-વેડિંગ શૂટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બુલેટ ટ્રેનને ધ્યાનમાં રાખી પ્લાન તૈયાર કર્યોબુલેટ ટ્રેન શરૂ થતા મુંબઈથી નવસારીનું અંતર માત્ર 90 મિનિટનું રહી જશે. મુંબઈ અને ઉદયપુરમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અમે અહીં આંતરરાષ્ટ્રીય સુવિધાઓ આપીશું, જે મુંબઈગરાઓ અને NRI માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. > સંજય પટેલ, ડેવલોપર, નવસારી રોજગારી વધવા સાથે સ્થાનિક ઇકોનોમીને મોટો ફાયદોનવસારી વેડિંગ હબ બનવાને કારણે કેટરિંગ, ડેકોરેશન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે હજારો સ્થાનિક લોકોને રોજગારી મળશે. આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં ઉછાળો આવ્યો છે. ખાસ કરીને NRI પટ્ટા ધરાવતા નવસારીમાં વિદેશથી આવતા ભારતીયો માટે હવે ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ થશે.
સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના વિવાદમાં બંને ગ્રૂપ અલગ હોવાનો એમડીનો ખુલાસો કર્યો હતો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું તથા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ જણાવ્યું હતું કે એસ.પી.ગ્રૂપ અને અમારું સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રૂપ બંને સંપૂર્ણપણે અલગ છે. એસ.પી.ગ્રૂપનું નામ સિદ્ધેશ્વરાય ગ્રૂપ છે. અમારા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરાયો છે. અમારે એસ.પી.ગ્રૂપ સાથે કોઈપણ પ્રકારની લેવા દેવા નથી. દર્શિત કમલેશ શાહ દ્વારા ન્યાલકરણ ગ્રૂપના એમ.ડી અશ્વિનભાઈ એમ.ગોળવિયાના એસ.પી ગ્રૂપમાં ઈન્વેસ્ટમેન્ટના રેફરન્સની જે વાત કરી છે તે તદ્દન ખોટી છે. શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં કરાર કરી રોકાણની જે વાત કરી છે તે પણ તદ્દન ખોટી વાત છે. ખરેખર હકીકત એવી છે કે દર્શિત કમલેશ શાહએ શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં ટાવર-એ માં ફલેટ નં. 1003 તથા 1004 જે બુક કરાવેલા છે અને બંને યુનિટ ઉપર હોમલોન કરાવી પાર્ટ પેમેન્ટ આપેલું છે. એમના દ્રારા અમારી કંપનીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ઘોર કૃત્ય કરેલ છે. જેની સામે અમે કાયદાકીય કાર્યવાહી કરી છે. દર્શિત શાહે જણાવ્યું હતું કે મારે એસ.પી.ઇન્ફ્રા સાથે મતલબ છે. સિદ્ધેશ્વર હેઝલવુડમાં ફલેટ લીધો છે. ન્યાલકરણમાં ફલેટ લીધા છે જે ઇન્વેસ્ટમેન્ટની મેટર છે. પોલીસ ફરિયાદમાં તમામ બાબતોનો ઉલ્લેખ છે.
સયાજી હોસ્પિટલમાં આવેલી વધુ એક જર્જરિત બિલ્ડિંગ તોડવાનો નિર્ણય કરાયો છે. આ બિલ્ડિંગ તોડી પડતાં પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી થશે અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને પાર્કિંગ કરવામાં આસાની રહેશે. હાલમાં સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડની બહાર ઘણીવાર દર્દીઓને પાર્કિંગ કરવામાં તકલીફ પડતી હોય છે. જેના કારણે ઘણીવાર દર્દીના સગાઓ આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે. ઈમર્જન્સી વિભાગની સામે આવેલા એક માળના બિલ્ડિંગને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં 108 એમ્બ્યુલન્સની ઓફિસ આવેલી છે અને પહેલા માળે નર્સિંગ એસોસિયેશનની ઓફિસ આવેલી છે. બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જેથી તેને નોટિસ અપાશે. નર્સિંગ એસોસિયેશનની ઓફિસને મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડાશે. હાલમાં ત્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, કામ પૂર્ણ થતાં ઓફિસ ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. જો કે 108 એમ્બ્યુલન્સની જગ્યા નક્કી કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા અને ગેમિંગ પાછળ ખુવાર થતા યુવાધનને બચાવવા પેટ્રોકેમિકલ એન્જિનિયરે એબીસીડી ઓફ જૈનિઝમ પ્રોજેક્ટ અંતર્ગત સોશિયલ મીડિયા એપ થકી આઝાદીના નાયકો, સનાતની સંતો, શૌર્ય સાહસિકોની વાર્તા મોબાઈલ થકી કિશોરો-બાળકો સુધી પહોંચાડાય છે. આજના યુગમાં પુસ્તકો વાંચવાનું ઓછું થઈ રહ્યું છે અને નવી પેઢી માતૃભાષા અને સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે ત્યારે સુભાનપુરા જૈન સંઘના અગ્રણી અને પેટ્રોકેમિકલ એન્જિનિયર 52 વર્ષિય મનીષ શાહનો પ્રયાસ દીવાદાંડી સમાન છે. તેમણે કહ્યું કે,1 વર્ષથી હું ‘એબીસીડી ઓફ જૈનિઝમ’ નામનો પ્રોજેક્ટ સોશિયલ મીડિયા એપ દ્વારા ચલાવું છું. હાલમાં તેમાં 770થી વધુ સભ્ય જોડાયેલા છે. ઉપરાંત બીજા 50થી વધુ સોશિયલ મીડિયા ગ્રૂપમાં નિયમિત મેસેજ મોકલું છું. દર રવિવારે સવારે આ સંસ્કાર પીરસતો મેસેજ મોકલાય છે. ઉલ્લેખનિય છે કે, મનીષભાઈ દર રવિવારે બપોરે બાળકો માટે વિશેષ શિબિર યોજે છે, જ્યારે બુધવારે પરિવારના સભ્યો માટે પારિવારિક મસ્તી કી પાઠશાળા પણ યોજે છે. પ્રોજેક્ટની ખાસિયત અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્યબાળકો અને યુવાનોને સોશિયલ મીડિયા અને હિંસક ગેમ્સના વળગણથી દૂર રાખવાં. } જીવનના દરેક તબક્કે (ભણતર, નોકરી, વ્યવસાય કે પરિવાર) ઉપયોગી થાય તેવા સંસ્કારોનું સિંચન કરવું. } સમાજ અને ઘરમાં શાંતિથી હળી-મળીને રહી શકાય તેવાં નૈતિક મૂલ્યો શીખવવાં.
આયોજન:વીઆઇપી રોડ પર વરસાદી લાઇન નખાશે, પાણી ભરાવા અને ભૂવામાંથી છુટકારો મળશે
અમિતનગર સર્કલ તરફથી રાત્રી બજાર સુધી વરસાદી ગટર બનાવાશે. વીઆઇપી રોડ પર ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલના સ્થાને 7.50 કરોડના ખર્ચે વરસાદી લાઇન નખાશે. પાણી ભરાવા અને ભૂવા પડવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગટર નખાશે. વીઆઇપી રોડ પર અમિતનગર સર્કલ તરફથી રાત્રી બજાર સુધીના રસ્તા પર હયાત જૂની જર્જરિત ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલ આવેલી છે. જેમાં 2024ના ચોમાસામાં પૂર દરમિયાન અને તે પછી ભંગાણો સર્જાયાં હતાં. જેથી ચોમાસામાં વરસાદના સમયે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાતાં હોવાથી અકસ્માતની સંભાવના વધી ગઇ છે. આ કામ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ દ્વારા સ્થળ-સ્થિતિનો વિગતવાર સરવે કરાયો હતો. અંદાજિત 965 રનિંગ મીટર લંબાઈમાં 2 મીટર સાઈઝની પ્રિ-કાસ્ટ બોક્સ ડ્રેઈન બેસાડવાનું આયોજન છે. આ કામગીરી 4 ઈજારદારોના ભાવપત્રો આવ્યા હતા. જેમાં 8.24 કરોડ કરતાં 9.03 ટકા ઓછા મુજબ 7.50 કરોડનું ભાવપત્ર આવેલું છે. આ દરખાસ્તને સ્થાયીમાં રજૂ કરાઈ છે. ગટરનાં જોડાણથી વરસાદી ચેનલ નબળી પડીવરસાદના પાણીના નિકાલ માટે 2 દાયકા પહેલાં બનાવેલી ઈંટોના ચણતરવાળી વરસાદી ચેનલમાં વીઆઇપી રોડની સોસાયટીઓની ગટરનાં જોડાણ નાખી દેવાયાં છે. બારે મહિનામાં વરસાદી ચેનલમાંથી ડ્રેનેજનાં પાણી જઇ રહ્યાં છે, જેથી તે નબળી પડી ગઇ છે અને ભૂવા પડી રહ્યા છે. વુડા સર્કલ પાસે ટેમ્પો સમાય તેટલો ભૂવો પડ્યો હતો2 વર્ષમાં વુડા સર્કલ પાસે 8 જેટલા ભૂવા પડ્યા હતા. જેમાંથી એક ભૂવો તો આખેઆખો ટેમ્પો સમાઇ જાય તેટલી સાઇઝનો હતો. જેને પગલે સામાજિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક રહીશો પણ પરેશાન થઇ ગયા હતા.
ગુજરાતમાં ફિઝિકલ ક્રાઈમમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સામે સાઇબર ક્રાઈમ ભયાનક ગતિએ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે લોકો હવે માત્ર રસ્તા પર નહીં, પોતાના ઘરમાં અને ફોન સામે પણ અસુરક્ષિત બની ગયા છે. વર્ષ 2025માં એક જ વર્ષમાં રોડ પરના ગુનાની સંખ્યા 16,440 જેની સામે સાઇબર ક્રાઈમના 1.72 લાખ કેસ નોંધાયા અને લોકોએ 1400 કરોડ રૂપિયા પણ ગુમાવ્યા પરંતુ આ પ્રકારના કેસનો ઉકેલ પણ આવી રહ્યો નથી. આંકડા આ ફેરફારને સ્પષ્ટ કરે છે. વર્ષ 2024માં ગુજરાતમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ચોરી અને દૂષકર્મ જેવી કુલ 18,150 ઘટનાઓ નોંધાઈ હતી. તેની સામે સાઇબર ક્રાઈમની ઘટનાઓ 1.31 લાખ સુધી પહોંચી હતી. સાઇબર ગઠીયાઓએ લોકોને અંદાજે 1011 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ 2025માં રોડ પર થતા ગંભીર ગુનાઓમાં ઘટાડો નોંધાયો અને આવી ઘટનાઓ ઘટીને 16,440 રહી. પરંતુ તેની સામે સાઈબર ક્રાઈમ વધુ ઝડપે વધ્યો. 2025માં સાઈબર ગુનાઓની સંખ્યા વધીને 1.72 લાખ થઈ ગઈ, જેમાં ઠગોએ લોકો પાસેથી લગભગ 1400 કરોડ રૂપિયા પડાવી લીધા. ગાંધીનગર ખાતે એઆઈ ટેકનોલોજીથી સજ્જ નવું સ્ટેટ સાઈબર એક્ષલેન્સ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં નવા 165 સાઈબર એક્ષપર્ટની ભરતી કરવામાં આવશે. જેનાથી એક્ષલેન્સ સેન્ટરનો સ્ટાફ વધીને 1200 થશે. આ ઉપરાંત દરેક મોટા શહેર અને રેન્જમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવાયા છે. જ્યારે પોલીસ સ્ટેશનોમાં સાઈબર સેલ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ અધિકારી - કર્મચારીઓને પણ સાઈબર ક્રાઈમની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. ચોરી, લૂંટ, મર્ડર જેવા ફિઝિકલ ક્રાઈમના 18,150 કેસ18 હજાર ગુનાની તપાસ માટે 1.25 લાખ પોલીસ કર્મી, જ્યારે 1.50 લાખ સાઇબર ફરિયાદ માટે માત્ર 2 હજાર કર્મચારી: રોડ પર બનતા ગંભીર ગુનાઓની સંખ્યા 16થી 18 હજાર વચ્ચે છે, જેને કાબૂમાં લેવા માટે 1.25 લાખ પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત છે. બીજી તરફ દર વર્ષે લગભગ 1.50 લાખ લોકો સાઇબર ક્રાઈમનો ભોગ બને છે, પરંતુ તેમની તપાસ માટે માત્ર 2000 પોલીસ સ્ટાફ. સરકારે આતંકવાદ, નક્સલવાદ જેવી પ્રાથમિકતા આપવી પડશેસાઇબર ક્રાઈમના ગુનાઓમાં ખૂન, લૂંટ, ચોરી જેવી ઈમરજન્સી હોતી નથી. જો કે સાઇબર ક્રાઈમ માટે સૌથી વધારે બેંક અને મોબાઈલ કંપની જ જવાબદાર હોય છે, પરંતુ તેમની સામે પણ પગલા લેવાતા નથી. જે રીતે દેશભરમાં સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે અને લોકોની જીવન ભરની પૂંજી લૂંટાઈ રહી છે. તે જોતા સરકારે આતંકવાદ, નકસલવાદ અને ડ્રગ્સ જેવી જ પ્રાથમિકતા સાઇબર ક્રાઈમને આપવી પડશે. > અનવેશ મંગલમ. નિવૃત્ત એડિશનલ ડીજીપી મધ્યપ્રદેશ 2025માં સાઇબર ક્રાઈમના 1.72 લાખ ગુના 2024માં સાઇબર ક્રાઈમના 1.31 લાખ ગુના
મંડે મેગા સ્ટોરી:લાશ્કરનો જીવ 12 રૂપિયાનોઃ આગમાં જીવ બચાવવાનું ભથ્થુ મહિને ~350
વડોદરા ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગમાં જઇ કે પાણીમાં ઊંડે ઊતરી જોખમી ફરજ બજાવે છે. આ જોખમી ફરજ માટે તેમને વિશેષ રિસ્ક એલાઉન્સ અપાય છે. આ એલાઉન્સ મહિનાનું રૂા.350 છે એટલે સરેરાશ રોજનું રૂા.12થી પણ ઓછું છે. જ્યારે પાલિકાના પટાવાળાઓને માસિક વિશેષ અલાઉન્સ 1 હજાર અપાય છે. સાદી ગણતરી માંડીએ તો રોજનું રૂા.33 થાય. ફાયરબ્રિગેડના નારાજ લાશ્કરો કહે છે તેમ પાલિકાના મતે પટાવાળાનું રિસ્ક અમારા કરતાં 3 ગણું છે! ફાયરબ્રિગેડના 300 જેટલા કર્મીઓ પ્રત્યે પાલિકાના અધિકારીઓ, નેતાઓ ઓરમાયું વર્તન રાખે છે, જ્યારે પટાવાળાઓ પર ફીદા છે. ઉપરાંત વિચિત્ર જણાય તેવી બીજી હકીકત પણ જાણવા જેવી છે. 8 મહિના અગાઉ રૂા.3200ની એક સિસોટી ખરીદીને વિવાદમાં આવેલા વડોદરા ફાયરબ્રિગેડમાં આ લાશ્કરોના યુનિફોર્મ માટેનું ધોલાઇ ભથ્થું આપે છે. આ ભથ્થું માસિક રૂા.15 છે. આજે સામાન્ય વોશિંગ પાઉડરની નાનું પાઉચ પણ રૂા.10નું થયું છે ત્યારે 30 દિવસમાં ફાયરબ્રિગેડનો કર્મચારી આખો મહિનો રૂા.15માં યુનિફોર્મ કેવી રીતે ધોઇ શકે. વડોદરા ફાયરબ્રિગેડમાં પિતાએ નોકરી કર્યા બાદ પુત્ર પણ નોકરી કરતા હોય તેવા દાખલા છે. હાલમાં નોકરી કરતા એક કર્મચારીએ કહ્યું કે, મારા પિતા કહેતા હતા કે, હું જ્યારે ફાયરબ્રિગેડમાં જોડાયો ત્યારે પણ ભથ્થામાં આટલા જ રૂપિયા મળતા હતા. સ્માર્ટ સિટીના અધિકારીઓ આ વિશે તુરંત કંઇક કરી શાણો નિર્ણય લે તેવી સાદી ઝંખના ફાયરબ્રિગેડના કર્મચારીઓ રાખી રહ્યા છે. આ વિશે પાલિકાના એક રાજકીય અગ્રણીએ કહ્યું કે, અમારી પાસે આવી કોઇ રજૂઆત આવે તો ચોક્કસ ધ્યાન આપીશું. પટાવાળાઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે તેમને વિશેષ ભથ્થામાં વધારો કરી આપ્યો હતો. 40 વર્ષમાં મોંઘવારી જેટ ગતિએ વધી, પણ ભથ્થામાં સુધારો નહીંફાયરબ્રિગેડના કર્મચારીઓને કેટલાં ભથ્થાં આપવાં તેની પોલિસી રાજ્ય સરકાર નક્કી કરે છે. બીજી તરફ વડોદરામાં યુનિફોર્મ ધોલાઇ ભથ્થું રૂા.15 છે. જ્યારે સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં આ રકમ બમણાથી વધુ એટલે કે, રૂા.35થી રૂા.36 છે. એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આજથી 40 વર્ષ પહેલાં વોશિંગ પાઉડરની થેલી રૂા.15ની આવતી હશે. એટલે ગણતરી એવી કે, એક થેલીમાં તે મહિનો પોતાનો યુનિફોર્મ ધોઇ શકે. જ્યારે ફાયરબ્રિગેડના કર્મચારીઓ કહે છે કે, અત્યારે વોશિંગ મશીન આવ્યાં છે. તેનો પાઉડર પણ જુદો હોય છે. આ સ્થિતિમાં પંદર રૂપરડી? કોઇ રીતે મેળ બેસે એવી વાત નથી. પોલીસ વિભાગમાં પણ કોન્સ્ટેબલને ધોલાઇ ભથ્થું રૂા.40 મળે છે. મારી પાસે હજુ કોઇ રજૂઆત આવી નથીભથ્થા અંગે કર્મચારીઓને કોઇ અસંતોષ હોય તો રજૂઆત કરવી જોઇએ. મારી પાસે આવી કોઇ રજૂઆત હજી સુધી આવી નથી. > હરેન્દ્રસિંહ ગોહિલ, ચીફ ફાયર ઓફિસર, વડોદરા ફાયરબ્રિગેડના ટેલિફોન ઓપરેટરને ભથ્થા પેટે રોજના રૂા.3 ચૂકવાય છેફાયરબ્રિગેડના કર્મીઓનો અન્ય અસંતોષ પણ જાણવા જેવો છે. ફાયરબ્રિગેડની ટ્રેનિંગ લઇ આવેલા કેટલાક કર્મીને ટેલિફોન ડ્યૂટી અપાય છે. તેમનું કામ 8 કલાક ટેલિફોન પાસે બેસી લોકોની ટેન્કરની માગ, પક્ષી ફસાયાં, પશુ કેનાલ કે ખાડામાં પડ્યાં, ઝાડ પર કે ઘરની પાઇપોમાં બિલાડી-કૂતરા ફસાયાં તેવી ફરિયાદો સાંભળવાની હોય છે. આ કામ માટે તેમને મહિને ભથ્થા પેટે રૂા.85 એટલે કે રોજના રૂા.3 અપાય છે. આટલા રૂપિયામાં તો સારો પાણીપૂરીવાળો એક સાદી પાણીપૂરી આપે છે.
ઘટસ્ફોટ:એસઆઈઆર: કોર્પોરેટર અજિત દધીચ સહિત ભાજપના કાર્યકર-નેતાએ 1689 વાંધા ઉઠાવ્યા
મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે કોંગ્રેસના નેતા ઋત્વિજ જોશીએ અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર અજિત દધીચે 122 વાંધા, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે 30 વાંધા, કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ 81 વાંધા મળી ભાજપના 13 જેટલા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને નેતા દ્વારા 1689 વાંધા ઉઠાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જ્યારે શહેરના 5 વિધાનસભા વિસ્તારોમાં ફોર્મ-7 હેઠળ 46,266 અરજી દાખલ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. ઋત્વિજ જોશીએ જણાવ્યું કે, આ સામાન્ય પ્રક્રિયા નહીં, પણ ભાજપ અને ઇલેક્શન કમિશનના મેળાપીપણાનું પૂર્વનિયોજિત મતચોરી તરફ સ્પષ્ટ સંકેત કરે છે. કોંગ્રેસે ‘ઓપરેશન સરકાર ચોરી’ શીર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજી SIRની કામગીરીમાં ફોર્મ-7 ભરી ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ મતદારોનાં નામ કમી કરવાનું ષડ્યંત્ર રચ્યું હોવાના પુરાવા રજૂ કર્યા છે. જેમાં ભાજપના કોર્પોરેટર અજિત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. ઉપરાંત અનેક નેતાએ વાંધા ઉઠાવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ મામલે રાજદ્રોહનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માગ કરી છે. નિયમ પ્રમાણે તો 1 વર્ષની સજા અને 1 લાખના દંડની જોગવાઈ છે. કોંગ્રેસની માગ છે કે, કોઈ પણ ચમરબંધી હોય, ભાજપના કોર્પોરેટર કે નેતા હોય, જેણે ખોટો વાંધો લીધો હોય તો તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો. આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરી રેલી કાઢીશું. કોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું છે,મારા નામે લેવાયેલા વાંધા અંગે જાણ નથીકોંગ્રેસનું કામ આક્ષેપ કરવાનું રહ્યું છે. જ્યારે મારા નામે 122 વાંધા લેવાયાનો કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરાયો છે. તે અંગે મને કોઈ જાણ નથી. > અજિત દધીચ, કાઉન્સિલર, વોર્ડ-4 દેવેશ પટેલ નામના વ્યક્તિ પાસે 25, સીએન માછી પાસે 20 એપીક નંબર છેશહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે એક જ વ્યક્તિ પાસે અનેક મતદાર ઓળખપત્ર છે. જેના પુરાવા અમારી પાસે છે, જે જાહેર કરાયા છે. એક વ્યક્તિએ ખોટા એપીક આઇડીથી એકથી વધુ વાંધા અરજી આપી છતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તે સ્વીકારી, જે ગંભીર છે. પુરાવા મુજબ દેવેશ પટેલ પાસે 25 એપીક નંબર છે. જ્યારે સી.એન. માછી પાસે 20 અને અન્ય કેટલાક પાસે પાસે 2 થી 4 એપીક નંબર છે.
મંડે પોઝિટીવ:રાજ્યમાં સૌપ્રથમ કચ્છના 910 ‘તળાવનીમ’ કરાયા
સતત વરસાદને ઝંખતા, પાણી માટે બારેય માસ વલખાં મારતા અને રણ-દરિયા થકી ભૂતળના મીઠા પાણી ગુમાવીને નર્મદાના પાઇપલાઇન વાટે આવતા પીવાના પાણી થકી પ્યાસ બુઝાવતા કચ્છમાં જો હયાત તળાવો, ડેમ પરંપરાગત કુદરતી જળસ્ત્રોતને ગંભીરતાપૂર્વક સાચવવામાં આવે તો રાષ્ટ્રના સૌથી વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાને પાણીક્ષેત્રે સ્વાવલંબનતા પ્રાપ્ત થાય, આવા જ વિચાર સાથે સરહદી અને સુકા જિલ્લામાં 281 ગામનાં કુલ 910 તળાવોને સંપૂર્ણ સુરક્ષિતતા આપવાના એક ભગીરથ વ્યાયામમાં હાલ ખુદ કચ્છ કલેક્ટર આનંદ પટેલના નેજા હેઠળ મહેસુલ તંત્ર લાગ્યું છે આવું જિલ્લાના નહીં પણ ગુજરાત રાજ્યનાં ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું હોવાથી આવતા સમયમાં તેનો સાનુકુળ પડઘો પડે તેવી પુરી સંભાવના છે. આવું ક્યાં ક્યાં થયું?કચ્છમાં હજારો એકર-હેક્ટર જમીન એવી છે જે નવસાધ્ય કરવાના પ્રયાસો થાય તો તુરત જ પરિણામ આપે તેમ છે, આ જમીનો પર કાં તો દબાણ છે કાં રેવન્યુ રેકર્ડમાં અધુરાશ છે, ગુજરાતભરમાં કચ્છ જિલ્લો રેવન્યુ કાયદાની દૃષ્ટિએ અલગ પડે છે અહીંના પ્રશ્નો પણ અલગ છે અને તેથી જ પોતાના સનદી અધિકારી તરીકેના પ્રાથમિક કાર્યકાળમાં ટ્રેઇની તરીકે ફરજ બજાવી ગયેલા સમાહર્તા આનંદ પટેલે હવે એ દિશામાં પુરી ગંભીરતા સાથે કામ હાથ ધરતાં 10 તાલુકાના 281 ગામોના 910 તળાવો ‘નીમ’ થઇ ગયા છે. ધ્યાન રહે એકવાર રેવન્યુ રેકર્ડ પર આ મિલકત ચડી જાય એટલે તેનો દૂરૂપયોગ અટકે અને વધારામાં કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્ત્વની યોજનાઓનો લાભ પણ રેકર્ડ પર ચડેલી હોય તેવી જ મિલકતોને મળે, આમ મહેસુલ તંત્ર પાસેથી તળાવો ‘નીમ’ કરાવવાની ઝુંબેશ હાથ ધરીને કલેક્ટરે તળાવોનું ભાવી સુરક્ષિત કરી દીધું છે. આ કચ્છ હિતનું કાર્ય હજુ સુધીના કલેક્ટરોને ન્હોતું સુઝ્યુ હવે જ્યારે ઔદ્યોગિકરણનો વાયરો ફૂંકાયો છે ત્યારે પરંપરાગત જળસ્ત્રોત કેન્દ્રોની સંભાળ નહીં રાખે તેનું રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત પુછાણું લેતી હોવાથી આ કાર્યને તંત્રના હકારાત્મક પગલાં તરીકે ગણવું જ પડે! રાજ્યમાં પ્રથમ પ્રયોગસમગ્ર રાજ્યમાં આવો આ સર્વપ્રથમ કચ્છમાં થયો છે હવે તેના ફાયદા-ગેરફાયદા પર નજર દોડાવીએ તો જ્યાં જ્યાં હવે ‘સુજલામ સુફલામ યોજના’, ‘અમૃત સરોવર’, ‘વીબી રામજી’ જેવી યોજનાઓ તળે જળ સંરક્ષણના કામ ન્હોતા થતાં ત્યાં થઇ શકશે, પર્યાવરણની જાળવણી થશે, અને હવે વન વિભાગ એ તળાવ ફરતે વૃક્ષારોપણ કે વનીકરણનાં કામ કરશે એ ફાયદા, જ્યાં તંત્રનું ધ્યાને નથી ત્યાં અને તળાવો ચોપડે ચડ્યા નથી ત્યાં હવે શું? એ અંગે કોઇ સ્પષ્ટતા હજુ થઇ નથી તેથી એ ગેરફાયદો. શું પરિણામ આવશે?ભુજ શહેરમાં 21 તળાવોને નીમ કરવાનો હુકમ કરી એ તળાવોને સંબંધિત સત્તામંડળ કે જવાબદારોને સોંપી દેવાયા આવું આખા કચ્છમાં થયું હવે તળાવોનાં નિયત ક્ષેત્રફળમાં દબાણો, ગેરકાયદે કબજો, માલિકીના વિવાદ થશે નહીં, ગામે-ગામ ગૌચર અને તળાવના ક્ષેત્રફળમાં જે વિસંગતતા આવતી અને તળાવો પર દબાણ થતાં તે સંપૂર્ણ અટકી જશે. કલેક્ટરથી લઇ મહેસુલ અધિકારોઓ જોડાયા910 તળાવોને ‘નીમ’ કરવાની આ કામગીરીની શરૂઆત કલેક્ટરે સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, લેન્ડ રેકર્ડ ઓફિસર્સ સાથે સંવાદ કરી તળાવોની જમીનોનું સંરક્ષણ-સંવર્ધન અને સૌંદર્યીકરણ કરવા હેતુ સૌ પ્રથમ ‘તળાવનીમ’ અભિયાન આદર્યું. ભવિષ્યમાં તળાવોનાં ક્ષેત્રફળને લઇને કોઇ વાદ-વિવાદ ન જાગે તે માટે ડી.આઇ.એલ.આર.ને સાથે રાખીને તમામ તળાવોની વૈજ્ઞાનિક માપણી કરાઇ, માપણી બાદ ‘તળાવનીમ’ના આખરી હુકમો કરી દેવાયા જેથી ભવિષ્યમાં કોઇ નડતર ન આવે. આ પ્રક્રિયાથી તળાવોનું ભાવી સુરક્ષિત થયુંભુજ તાલુકામાં 313, મુન્દ્રામાં 25, માંડવીમાં 38, નખત્રાણામાં 163, અબડાસામાં 87, અંજારમાં 132, ભચાઉમાં 78, રાપરમાં 18, લખપતમાં 45 અને ગાંધીધામમાં 11 મળી કુલ 910 તળાવોની હદ્દ નક્કી થઇ ગઇ અને મહેસૂલના ચોપડે ચડી ગઇ. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ 5691 એકર જમીન નીમ કરાઇ છે. આમા અનેક તળાવ એવા પણ છે જે હયાત હોવા છતાં મહેસુલી રેકર્ડ પર ન્હોતા તેથી જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને સૌંદર્યીકરણ માટે સરકારી ગ્રાંટ ફાળવી શકાતી ન્હોતી. હવે કમસેકમ 910 સત્તાવાર તળાવ કચ્છમાં મહેસુલ ચોપડે ચડાવાયા છે. આ તળાવો તો નીમ થયા જ થયા પણ તેની સામે અનેક સ્થળોએ ગૌચર જમીન પણ જોડાયેલી હતી તેથી તે પણ સુરક્ષિત થઇ.
અપહરણનો મામલો આવ્યો સામે:ખોખડદળ પાસે યુવકને છરી બતાવી 4 શખ્સ ઉઠાવી ગયા
આ બનાવમાં શહેરના કણકોટ કોળીવાસમાં રહેતા પૂજાબેન મુકેશભાઈ ઉધરેજા(ઉં.વ.26)એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના પતિ રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે. ગત તા.07/02ના પતિ મુકેશ ઉધરેજા તેના મિત્ર અરુણ તથા વિજય અને મામાના દીકરા વિનાશ સાથે ફોર વ્હિલ કાર લઈને શાપર ગયા હતા. સાંજે પતિનો તેણીના ફોનમાં કોલ આવ્યો કે, રાત્રે જમવાનું ના બનાવીશ આપણે જમવા જઈશું. ત્યારબાદ પતિનો કોલ ન લાગતા સસરાએ જાણ કરી કે, તેને અરુણે જણાવ્યું હતું કે, મુકેશને કારમાં આવેલા ચાર શખ્સે ખોખડદળ મેલડી માતાજીના મંદિર પાસે રસ્તામાં આંતરી લઇ માર મારી છરી બતાવી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હોય જે બાબતે મહિલાની ફરિયાદ પરથી પોલીસે અપહૃત પતિને શોધવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં ગંદકી માત્ર સ્વચ્છતાનો પ્રશ્ન નથી રહી, પરંતુ ગુનાઓની જન્મભૂમિ બની રહી છે. શહેરના ગોવર્ધન ચોક માધવ ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં ક્લીનઅપ રાજકોટ ગ્રૂપના યુવાઓ દ્વારા જ્યારે સફાઈ અભિયાન હાથ ધરાયું ત્યારે અમુક ચોંકાવનારી ચીજવસ્તુઓ અહીં કચરાના ઢગમાંથી પ્રાપ્ત થઇ હતી. અહીં એક કોથળામાંથી માંસ મળી આવતા રહેવાસીઓમાં અરેરાટી મચી જવા પામી હતી. તત્કાલ પોલીસને જાણ કરવામાં આવતા રાજકોટ તાલુકા પોલીસ મથકની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પ્રાપ્ત થયેલા પશુ માંસ પ્રાથમિક દૃષ્ટિએ ગૌવંશનું હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કચરાના ઢગ અને કટાઈ ગયેલી બંધ સ્થિતિમાં પડેલ કારમાંથી અનેક દારૂની ખાલી બોટલો મળી આવી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ગોવર્ધન ચોક માધવ ગેટની અંદર ખુલ્લા પ્લોટમાં સવારે દસેક વાગ્યાના અરસામાં જ્યારે ક્લીનઅપ રાજકોટ નામે સફાઈ ગ્રૂપના યુવાનોએ અહીં સફાઈ અભિયાન શરૂ કર્યું ત્યારે અહીંથી અનેક ચોંકાવનારી ચીજવસ્તુ મળી આવી હતી. થોડી જ વખતમાં એક કોથળાને હટાવવા જતા તેમાંથી રક્તના કણ નીચે પડતાં સાફ-સફાઈ કરનાર યુવાનો ડરી ગયા હતા. રહેવાસીઓ સ્થળે એકત્રિત થઇ ગયા હતા. કોથળાને ખોલીને જોયું તો અંદરથી માંસ મળી આવ્યું હતું. મનુષ્ય દેહનું માંસ હોવાની શંકાએ લોકોમાં અરેરાટી મચી જવા પામી હતી. તત્કાલ પોલીસને જાણ કરતાં રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી.જોષી સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ માંસ કોઈ પશુનું હોવાનું જાણવા મળ્યું હતું. આ માંસ ગૌવંશનું હોવાની રહેવાસીઓમાં ચર્ચા થતા પોલીસે માંસને એફએસએલ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. અસામાજીક તત્વોની ગેરકાનૂની પ્રવૃતિથી લોકો પરેશાનસોસાયટીના રહેવાસીઓએ મનપાને માગણી કરતા જણાવ્યું છે કે, અહીં બાળકો હાથમાં દારૂની બોટલો લઈને ઘરે આવે છે. અસામાજિક લોકો ખાલી કટાઈ ગયેલી કારમાં રાત્રીના બેસીને ખરાબ કર્યો કરે છે. દારૂની ખાલી બોટલો, એંઠવાડ અને અંતિમ વિધિમાં ઉપયોગમાં આવતો સામાન પણ લોકો અહીં ફેંકીને જતા રહે છે. જેનાથી અહીં રહેતા લોકોના સ્વાસ્થ્ય અને સમાજ બંનેને નુકસાન થાય છે.
ભાસ્કર વિશેષ:મચ્છોયા આહિર સમાજના વરરાજાનો સદીઓ જૂનો પરંપરાગત પહેરવેશ એ સંસ્કૃતિની ઓળખ
મચ્છોયા આહિર સમાજના વરરાજાનો પહેરવેશ એ સમાજની સંસ્કૃતિની ઓળખ છે. મચ્છોયા આહિર સમાજમાં લગ્નને દિવસે વરરાજા અંગે વાધા ધારણ કરે છે. અંતરજાળના ડૉ.વિજય નારણભાઇ ઝાટિયાએ વાધાએ સદીઓ જૂનો પરંપરાગત પહેરવેશ છે). વરરાજા જે શણગાર સજે એનું પણ એક વિશેષ ગીત ગવાય છે. વરરાજાના પહેરવેશનું ગીત, ‘નીલા પીળા મારે વડલાના પાંદ, એ થી પીળા મારા વીરના અંગ, ઈ રે અંગે રે વાઘલિયા સોહે માણા રાજ.’ વરરાજા અંગે ઝરી ભરેલા વાઘા ધારણ કરીને ત્યારબાદ ગળામાં ઝૂમણા, ટુપિયા પહેરે છે. કાનમાં ઓગનીયા, ઠોરિયા અને કણકુ પણ ધારણ કરે. હાથમાં સિમુરા પહેરી શણગાર સોહે છે. વીરના પગમાં તોડા-બેડી પહેરાવવામાં આવે છે. હાથમાં તલવાર તેની માથે ભરત ભરેલી મ્યાન હોય, કણીયલની ડાળખી બાંધે સાથે ખોંભાનો દોરો પણ શુભ શુકન અર્થે બાંધવામાં આવે છે. પહેલના સમયમાં તો વરરાજા ગણેશ સ્થાપન થાય ત્યારથી લગ્ન થાય એ દિવસોમાં એક નાનકડી થેલી પોતાના પહેરવેશમાં બાંધતા જેમાં સોપારી અને એલચી, તજ, લવિંગ અને સુડી રાખવામાં આવતી. સામે જે કોઈ મળે એ લાડાને મીઠપથી કહેતા કે, લાડા લાડા કટકો દે અને વરરાજા એ નાની કોથળી જેવી થેલીમાંથી કટકો આપતા.
નવતર પ્રયોગ:ભુજની શાળામાં યોજાયો એક્સ્પો, વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલી
શહેરની સૂર્યા વરસાણી એકેડેમી ખાતે તાજેતરમાં EXPO 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ પી. એસ. હિરાણીએ પ્રદર્શનની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓના અવિરત પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં નવીન વિચારો અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તેમણે યુવા પેઢીને આધુનિક ટેકનોલોજી અને સર્જનાત્મકતા સાથે દેશના વિકાસમાં સહભાગી થવા પ્રોત્સાહન આપ્યું હતું. એક્સ્પોમાં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, રોબોટિક્સ, સંગીત, કલા તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓને આવરી લેતા પ્રકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. દરેક વર્ગખંડને ખાસ થીમ આધારિત સજાવવામાં આવ્યા હતા, ખાસ કરીને રોબોટિક્સ અને વિજ્ઞાનના ‘વર્કિંગ મોડલ્સ’ તેમજ સંગીત વિભાગની સર્જનાત્મકતાએ વાલીઓ અને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમની સફળતા પાછળ શાળાના પ્રિન્સિપાલ વિનીતા રાજપૂતનું માર્ગદર્શન અને સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, EXPO 3.0 દ્વારા વિદ્યાર્થીઓમાં સહકારભાવ અને પ્રાયોગિક જ્ઞાન વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. શિક્ષકોના સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની તનતોડ મહેનતના પરિણામે આ કાર્યક્રમ યાદગાર બન્યો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ શાળાના આ નવતર પ્રયોગની ભારોભાર પ્રશંસા કરી હતી.
TAT-HSની પરીક્ષા:TAT-HSની પ્રિલિમ પરીક્ષા 29 માર્ચે લેવાશે, 19મી સુધી રજિસ્ટ્રેશન
શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - 2026” (TAT-HS) નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબમાધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેઉમેદવારો 10 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન ફી ભરવા માટે 20 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પરીક્ષા બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રાથમિક પરીક્ષા 29 માર્ચ 2026ના રોજ અને મુખ્ય પરીક્ષા સંભવિત રીતે મે 2026માં યોજાશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 400 ફી નક્કી કરવામાં આવી છે, જે નેટ બેન્કિંગ મારફતે ભરી શકાશે. દ્વિસ્તરીય પરીક્ષા માળખું TAT-HS પરીક્ષા દ્વિસ્તરીય સ્પર્ધાત્મક સ્વરૂપની રહેશે ક્યા વિષયો માટે યોજાશે પરીક્ષાઆ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. જેમાં મુખ્યત્વે એકાઉન્ટ, કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, કૃષિ વિદ્યા, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, આંકડાશાસ્ત્ર અને શારીરિક શિક્ષણ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
તાજેતરમાં કચ્છ જિલ્લામાં ખાસ ભરતી અંતર્ગત વિધાસહાયકોની મોટી ભરતી કરવામાં આવી હતી જેમાં ભુજ તાલુકાને પણ વિશેષ સંખ્યામાં શિક્ષકો ફાળવાયા હતા. આ તમામ નવનિયુક્ત વિધાસહાયકોની સેવા માટે અગત્યનો દસ્તાવેજ ગણી શકાય એવી સેવાપોથીના નિર્માણ સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પ્રા. શિ.સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોર,રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 300 થી વધારે નવનિયુક્ત વિધાસહાયકોની એક સાથે સેવાપોથી નિર્માણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મેહુલભાઈ જોશીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તો પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ તકે ચૂંટણી અધિકારી ધીરજભાઈ ઠક્કરે ઔપચારિક રીતે વર્ષ 2026 થી 28 માટે ભુજ તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે મેહુલભાઈ જોશીના નામોની સતાવાર ઘોષણા કરી હતી જેને સૌએ વધાવી હતી. નવનિયુક્ત પ્રમુખ દ્વારા ખજાનચી તરીકે કાંતિભાઈ સુથાર અને ભુજ તાલુકા મહિલા સમિતિના અધ્યક્ષ તરીકે વિલાસબા જાડેજાની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ તાલુકા શૈક્ષીક સંઘના પ્રમુખ શામજીભાઈ કેરાસીયાને પુનઃ માતૃ સંસ્થા શિક્ષક સંઘમાં આવકાર અપાયો હતો. અગ્રણીઓ હરિસિંહ જાડેજા, નિલેશભાઈ ગોર અને નયનસિંહ જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષકોને હક્ક સાથે પોતાની ફરજો પણ પ્રામાણિકતાથી બજાવવા અનુરોધ કર્યો હતો અને આયોજનને બિરદાવ્યું હતું. અભૂતપૂર્વ અને કચ્છમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં એક સાથે એસ.બી. નિર્માણના આ ભગીરથ કાર્યમાં હિતેશ મહેશ્વરી, વિરલસિંહ જાડેજા, ધવલ ત્રિવેદી, નિલેશ અજાણી, જય ચનિયારા, ઉત્તમ મોતા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે આભારવિધિ હાર્દિક ત્રિપાઠીએ કરી હતી. કાર્યક્રમમાં એક્સિસ બેન્કના અમિતભાઈ ધામેચા અને હિતેશ પટેલ દ્વારા સેલેરી એકાઉન્ટ બાબતે સૌ શિક્ષકોને માર્ગદર્શિત કરાયા હતા.

31 C