રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગરમાં પૂર્ણ:U-14 અને U-17 ઇવેન્ટમાં 250થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર સ્ટેડિયમમાં બે દિવસીય રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા આજે સંપન્ન થઈ હતી. આ સ્પર્ધામાં U-14 અને U-17 કેટેગરીમાં 250થી વધુ ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ફાઇનલ રાઉન્ડ બાદ વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સાબર સ્ટેડિયમ ખાતે આજે સવારથી U-14 અને U-17 બહેનોની સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. U-14 કેટેગરીમાં 125થી વધુ અને U-17 કેટેગરીમાં પણ 125થી વધુ, એમ કુલ મળીને 250થી વધુ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દિવસ દરમિયાન U-14 અને U-17 એઇજ ગ્રુપમાં 200 મીટર ફ્રીસ્ટાઇલ, 200 મીટર બટરફ્લાય, 100 મીટર બેકસ્ટ્રોક, 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક, 100 મીટર બટરફ્લાય, 400 મીટર ફ્રીસ્ટાઇલ અને 400 x 100 મીટર ફ્રીસ્ટાઇલ રિલે સહિતની ઇવેન્ટ્સ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના રમતગમત અધિકારી એમ.એન. ચૌધરી અને ત્રિવેણીબેન સરવૈયાના હસ્તે વિજેતા ખેલાડીઓને બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. આ રાજ્યકક્ષાની સ્પર્ધાને સફળ બનાવવા માટે કોચ સહિતના કર્મચારીઓએ સઘન પ્રયાસો કર્યા હતા. આ અંગે સાબર સ્ટેડિયમના સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠામાં યોજાયેલી ખેલ મહાકુંભ 2025-26ની સ્વિમિંગ સ્પર્ધામાં U-11, U-14 અને U-17 બહેનોની કેટેગરીમાં કાજલ માળીને બે બ્રોન્ઝ મેડલ અને રૂતુ મલેશિયાને એક સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે.
પાટણમાં યુથ કોંગ્રેસે એપસ્ટિન ફાઈલ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે થયેલા આ પ્રદર્શનમાં કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે પૂતળા દહન પહેલા જ પાંચથી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે એપસ્ટિન ફાઈલમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીના નામનો ઉલ્લેખ છે. પ્રદર્શન દરમિયાન કાર્યકરો રસ્તા પર બેસી જતાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ પ્રદર્શન ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરવાના જવાબમાં યોજવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસે પણ પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ પોલીસે અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. યુથ કોંગ્રેસના પ્રમુખે પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે કોંગ્રેસના લોકશાહી ઢબે થતા કાર્યક્રમોમાં તાત્કાલિક અટકાયત કરવામાં આવે છે. કોંગ્રેસે પોલીસની આ બેવડી નીતિ સામે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરી એટલે કે પ્લાસ્ટિક વેસ્ટના ડેલામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે અંદાજે 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્લાસ્ટિકને કારણે આગ વિકરાળ બની પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના રેલનગર વિસ્તારમાં મારુતિ સુઝુકીના શોરૂમ પાછળ લકીરાજ એન્ટરપ્રાઇઝ નામનો પ્લાસ્ટિક વેસ્ટનો ડેલો આવેલો છે. આજે વહેલી સવારે 5:21 કલાકે આ ડેલામાં અચાનક આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેનાં કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. 8થી 9 જેટલા ફાયર ફાઈટરોની મદદથી કાબૂમાં લેવાઈઃ અશોકસિંહ ઝાલાઆ અંગે માહિતી આપતા ફાયર વિભાગના અધિકારી અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે સવારનાં 5:21 વાગ્યે પ્રથમ કોલ મળતા રેલનગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, આગ ખૂબ જ વિકરાળ હોવાથી અન્ય ફાયર સ્ટેશનોની પણ મદદ લેવામાં આવી હતી. કુલ 8થી 9 જેટલા ફાયર ફાઈટરોની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ અંદરના ભાગમાં ધગધગતી હોવાથી JCBની મદદથી પ્લાસ્ટિકના ઢગલાઓને ખસેડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગમાં લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખઝાલાએ વધુમાં જણાવ્યું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ વહેલી સવારનો બનાવ હોવાથી અને તે ખુલ્લી જગ્યામાં હોવાથી કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. વહેલી સવારે કોઈ પબ્લિક એક્ટિવિટી નહીં હોવાથી સદનસીબે જાનહાનિ ટળી છે. અંદાજે 5 કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. આ ભીષણ આગમાં લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની સતત કામગીરીને પગલે આગ આજુબાજુના વિસ્તારોમાં ફેલાતા અટકાવી શકાઈ હતી. હાલમાં કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટનાં સતત ધમધમતા રહેતા રેલનગર વિસ્તારમાં લાગેલી આ આગને કારણે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે.
જામનગરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2026 નિમિત્તે ITRA જામનગર દ્વારા લાઇવ STEM વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ધન્વંતરિ મેદાન ITRA ખાતે 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ ચાર દિવસીય કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા હેઠળની સરકારી શાળાઓના ધોરણ 6 થી 10 ના આશરે 400 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્કશોપનો સંપૂર્ણ ખર્ચ ITRA, જામનગર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત (STEM) વિષયના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણિક અને રસપ્રદ રમકડાં બનાવશે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં STEM વિષયો પ્રત્યે જાગૃતિ અને રસ વધારવાનો હેતુ છે. STEM વર્કશોપ ઉપરાંત, ITRA દ્વારા આયુર્વેદ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ – આયુર્વેદ વિશે જાગૃતિ લાવવાનો છે. વિદ્યાર્થીઓ આયુર્વેદના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વિવિધ સારવાર પદ્ધતિઓ અને ઔષધીય વનસ્પતિઓના ગુણધર્મો વિશે માહિતી મેળવી શકશે. આ કાર્યક્રમ માટે ITRA દ્વારા જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ મારફતે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ પાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જામનગરના કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ITRA ના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2026 આયોજન સમિતિના અધ્યક્ષ ડૉ. તનુજા નેસારી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે નંદવિદ્યા નિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે, સંકલ્પના પ્રમુખ લેખક અને સંચાલક ડૉ. દીપક પાંડે, તેમજ વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર સંજય પંડ્યા પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર માસ દરમિયાન ચાલનારી પ્રવૃત્તિઓનું આયોજન ITRA ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડૉ. ગોપીનાથ અગ્નિહોત્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી યુટ્યુબર કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢમાં ટૂંકા ગાળામાં તેની સામે નોંધાયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ધરપકડ બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ધરપકડથી બચવા માટે કીર્તિ પટેલે ઉદયપુરમાં આશરો લીધો હતો અને ત્યાંથી તે સતત પોલીસની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આજે (23 ફેબ્રુઆરી) સાંજના કીર્તિ પટેલાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાશે. અહીં મૃગી કુંડમાં સ્નાન કરવા અને PSI સામેના વર્તનના કેસ મામલે કોર્ટ દ્વારા નિર્ણય લેવાશે. ધરપકડ બાદ બે વખત કીર્તિનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, હવે સાંજના પણ મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરાશે. પોલીસનો 'ડબલ રોલ' ડ્રામા અને સુરક્ષા વ્યવસ્થાકીર્તિ પટેલને જૂનાગઢ લાવતી વખતે અને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે પોલીસે એક અનોખી રણનીતિ અપનાવી હતી. મીડિયા અને લોકોના ટોળાથી બચવા તેમજ સુરક્ષાના કારણોસર પોલીસે એક 'ડબલ રોલ' ડ્રામા રચ્યો હતો, જેમાં એક મહિલા પોલીસકર્મીને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી, મોઢે રૂમાલ બાંધીને 'નકલી કીર્તિ' તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, સતર્ક મીડિયાએ અસલી અને નકલી કીર્તિ વચ્ચેનો તફાવત પકડી પાડ્યો હતો, જેમાં અસલી કીર્તિના હાથમાં સોનાના ઘરેણાં સ્પષ્ટ દેખાતા હતા. DYSP રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ધાર્મિક લાગણી દુભાવવાના કેસને કારણે તેના પર હુમલો થવાની શક્યતા હોવાથી સુરક્ષાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું. એડવોકેટ સુરેશ પરમારની કોર્ટમાં ધારદાર રજૂઆતઆ કેસમાં કીર્તિ પટેલ વતી જાણીતા એડવોકેટ સુરેશ પરમાર હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢની નામદાર એડિશનલ ચીફ કોર્ટમાં બચાવ પક્ષે દલીલો કરતા જણાવ્યું હતું કે, માત્ર આક્ષેપોના આધારે આરોપીને સતત કસ્ટડીમાં રાખવો એ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. પોલીસે કીર્તિ પટેલના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે એડવોકેટે દલીલ કરી હતી કે, ઘણીવાર તપાસ માટે ફિઝિકલ કસ્ટડીની જરૂર હોતી નથી. રિમાન્ડ પહેલા અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ સુરેશ પરમારે કોર્ટને વિનંતી કરી હતી કે, આરોપીના માનવીય હકોનું રક્ષણ થાય તે જરૂરી છે. પરિણામે, નામદાર અદાલતે કીર્તિ પટેલના રિમાન્ડ આજે સાંજે 4:30 વાગ્યા સુધી જ મંજૂર કર્યા હતા અને પોલીસને કડક સૂચના આપી હતી કે, રિમાન્ડ પહેલા અને પછી ફરજિયાત મેડિકલ ચેકઅપ કરાવવું અને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપી હજુ પણ ફરારકીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ તેના પર 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા, હનીટ્રેપ જેવા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આરોપો છે. આ કેસમાં એક યુવકે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ હાલમાં કીર્તિ પટેલે ફરાર થવા માટે ઉપયોગમાં લીધેલી કારનો કબજો લેવાની પ્રક્રિયા કરી રહી છે. આ ઉપરાંત, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપી હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. રિમાન્ડ દરમિયાન પોલીસે કીર્તિ પટેલની સઘન પૂછપરછ કરી છે કે તેને ઉદયપુરમાં કોણે આશ્રય આપ્યો હતો અને આ ગુનાહિત કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે. આ કેસમાં પોલીસની તમામ પાસાઓની ઝીણવટભરી તપાસઆજે સાંજે 4:30 વાગ્યે રિમાન્ડની અવધિ પૂર્ણ થતા કીર્તિ પટેલને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેના વિરુદ્ધ નોંધાયેલા અન્ય બે કેસોમાં પણ પોલીસ તેની અટકાયત કરી શકે છે. એડવોકેટ સુરેશ પરમારે ખાતરી આપી છે કે, તેઓ કાયદાકીય મર્યાદામાં રહીને ન્યાયિક પ્રક્રિયામાં સહકાર આપશે અને આરોપીના હિતોનું રક્ષણ કરશે. જૂનાગઢ પોલીસ આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. કીર્તિ પટેલનું હસતા-હસતા મીડિયાને ટાટા-બાય બાય: અત્યાર સુધીના તમામ કારનામા અહીં વાંચો
પાળીયાદમાં ઠાકર પધરામણી મહોત્સવનો પ્રારંભ:ગામમાં ભક્તો દ્વારા ઠેર-ઠેર સામૈયા અને સ્વાગત
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પાળીયાદ સ્થિત વિસામણ બાપુની જગ્યા ખાતે વાર્ષિક ઠાકર ભગવાનની પધરામણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ આ ધાર્મિક ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. મહામંડલેશ્વર નિર્મળાબા, ભયલુબાપુ તેમજ અન્ય સંત-મહંતોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા, ઘોડા, બળદગાડા અને ઊંટ સાથે શોભાયાત્રા સ્વરૂપે ઠાકર ભગવાનની પધરામણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સમગ્ર પાળીયાદ ગામ ભક્તિમય માહોલમાં લીન બન્યું હતું. ગામના દરેક સેવકના ઘરે ઠાકર ભગવાનની પધરામણી યોજાઈ રહી છે. ભક્તો દ્વારા ઠેર ઠેર ઠાકર ભગવાનનું સામૈયું કરી ફૂલહાર અને આરતીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન ભક્તો ભજન-કીર્તન કરતા જોડાયા હતા, જેનાથી ગામમાં આધ્યાત્મિક ઉમંગ છવાઈ ગયો હતો. આ વાર્ષિક પધરામણી મહોત્સવ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો સંચાર કરે છે. સમગ્ર આયોજન સેવા ભાવથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ફિરદોષ સોસાયટીની મહિલાઓ થાળી-વેલણ સાથે કોર્પોરેશન કચેરીએ પહોંચી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફિરદોષ સોસાયટીમાં આવેલા ચાર માળીયા સરકારી આવાસમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ રણચંડી બનીને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી હતી. તેમણે પવિત્ર રમજાન માસ દરમિયાન પીવાના પાણીની તંગી અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અગાઉ પણ સ્થાનિકો દ્વારા પીવાના પાણીની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને આ પ્રદર્શન કર્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ મેદાનમાં હાલ હેન્ડબોલ બહેનોની વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની 2 ખેલાડી દિયા અને કિંજલ તાવિયા બંને સગ્ગી બહેનો છે અને નેશનલ મેડલિસ્ટ છે. જેઓ પોતાના વતન વિંછીયાના મોઢુકા ગામમાં ખેતી કામની સાથે હેન્ડબોલની પ્રેક્ટિસ કરે છે અને અભ્યાસમાં પણ અવ્વલ છે. તેમનો ભાઈ પણ હેન્ડબોલનો ખેલાડી છે. ગામડામાં ખેતી કામ કરતા મનસુખભાઈ અને પ્રભાબેનની બંને દીકરીઓનું ઓલમ્પિકમાં મેડલ લાવી ભારતનું નામ રોશન કરવાનું સ્વપ્ન છે. ખેલાડી દિયા તાવિયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટના વિંછીયા તાલુકાના મોઢુકા ગામમાં રહું છું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમાં અભ્યાસ કરું છું. યુનિવર્સિટીમાં હાલ વેસ્ટ ઝોન હેન્ડ બોલ બહેનોની ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાંથી ગોલકીપર છું. સ્પોર્ટ્સમાં રસ હોવાથી શાળા કક્ષાએથી DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં દાખલ થયા. ચાંપરડા DLSS સ્કૂલમાં એડમિશન લીધા બાદ તેજસ સર દ્વારા હેન્ડ બોલની ટ્રેનિંગ આપવામાં આવી. જે બાદ મહિપાલ સર પાસે ગોલકીપર તરીકે ટ્રેનિંગ મેળવી. ધોરણ 12 સુધી ચાપરડામાં અભ્યાસ કરીએ બાદ રાજકોટમાં જસાણી કોલેજમાં એડમિશન લીધું અને હાલ ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરી રહી છું. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની કેપ્ટન તરીકે છું. તેમણે જણાવ્યું હતું કે મારા પિતાનું નામ મનસુખભાઈ અને માતાનું નામ પ્રભાબેન છે. જે બંને ખેતી કરે છે. હું પોતે પણ ખેતી કરું છું અને તેની સાથે હેન્ડબોલની પ્રેક્ટિસ કરું છું. આ ઉપરાંત કોલેજમાં અભ્યાસ પણ ચાલી રહ્યો છે. અમારું સ્વપ્ન છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સુધી પહોંચે અને કેરળમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ખુબ જ સારું પર્ફોર્મન્સ આપે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ સુધી પહોંચવાનો મોકો મળે. તેમણે જણાવ્યું કે, સવાર અને સાંજ 2- 2 કલાક હેન્ડ બોલની પ્રેક્ટિસ કરું છું. મારી બહેન કિંજલ મારી સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાંથી હેન્ડબોલ રમી રહી છે. આ ઉપરાંત મારો ભાઈ ઉમેશ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરેલ છે અને તે જૂનાગઢના ચાપરડામાં આવેલી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં હેન્ડબોલની ગેમ સાથે જોડાયેલો છે. પરિવાર અને કોચના સપોર્ટના કારણે જ અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ. ઓલમ્પિકમાં મેડલ મેળવી શકીએ તે પ્રકારની તનતોડ પ્રેક્ટિસ રહેશે. જ્યારે કિંજલ તાવિયાએ જણાવ્યુ હતુ કે, આજે અમારે ગોધરા યુનિવર્સિટી સામે મેચ હતો જેમાં અમે 32-02 થી જીત્યા છીએ. આ જ રીતે તમામ જીતીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સુધી પહોંચે તેવા અમારા પૂરેપૂરા પ્રયાસો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની ટીમ દ્વારા આ ટુર્નામેન્ટ પહેલા 10 દિવસના કેમ્પમાં ખૂબ જ સારી પ્રેક્ટિસ કરવામાં આવી અને તેમાં રાહુલ સર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. મેં નેશનલ મેડલ મેળવેલો છે અને ખૂબ જ અઘરી પ્રેક્ટિસ કરીએ છીએ. ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી શકીએ તે પ્રકારના અમારા પ્રયાસો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમની ખેલાડીઓ વનિતા ગોહિલ, રવિના તાવિયા, મનસ્વી સાંગા, દયા ઝાપડીયા, પાયલ તાવિયા, દિવ્યા મેતાલિયા, દિયા તાવિયા, કિંજલ તાવિયા, તમન્ના વાંકાણી, મુદ્રા ઝાલા, પૂરવૈયા બાંભણીયા, ખુશી લક્કડ, નેન્સી ડાભી, દ્રષ્ટિ કોઠીયા, કૃપા તાવિયા, વૃત્તિકા બોડા.
વડોદરા જિલ્લાની 25 PM શ્રી શાળાઓના 50 જેટલા આચાર્યો અને શિક્ષકોએ તાજેતરમાં રાજસ્થાનની વિવિધ મોડેલ શાળાઓની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અસરકારક અમલીકરણ અને શૈક્ષણિક પદ્ધતિઓમાં નવીનતા લાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, કારેલીબાગ ખાતેથી જિલ્લા પ્રોજેક્ટ સંકલનકર્તા મહેશ પાંડેએ લીલી ઝંડી બતાવી પ્રવાસનું પ્રસ્થાન કરાવ્યું હતું. શૈક્ષણિક પદ્ધતિઓનું આદાન-પ્રદાન આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજસ્થાનમાં અમલી નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અને વર્ગખંડ વ્યવસ્થાનું અવલોકન કરવાનો હતો. વડોદરાના શિક્ષકોએ ત્યાંના પ્રયોગાત્મક શિક્ષણ, શાળા સંચાલન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના શ્રેષ્ઠ પ્રયોગોને નજીકથી નિહાળ્યા હતા. ખાસ કરીને PM શ્રી શાળાઓને આદર્શ કેવી રીતે બનાવી શકાય અને NEP 2020 મુજબ વિષયવાર પ્રવૃત્તિઓનો વ્યાપ કેવી રીતે વધારી શકાય તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજસ્થાનની પ્રતિષ્ઠિત શાળાઓની મુલાકાત પ્રવાસ દરમિયાન શિક્ષકોની ટીમે ઉદેપુરની PM શ્રી સરકારી ફતહ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, કુંભલગઢની PM શ્રી સરકારી ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય (મોરાણા) અને જેસલમેરની PM શ્રી સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય (કનોઈ) ની મુલાકાત લીધી હતી. આ તમામ શાળાઓમાં વડોદરાના શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ ત્યાંના ડિજિટલ સાધનોનો ઉપયોગ, સ્વચ્છ પરિસર અને રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજનની પ્રશંસા કરી હતી. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની સમજ શૈક્ષણિક પાસાઓની સાથે શિક્ષકોએ રાજસ્થાનની ભવ્ય વિરાસતનો પણ પરિચય મેળવ્યો હતો. ઉદેપુર, કુંભલગઢ, જોધપુર અને જેસલમેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. સેમ રેતીપ્રદેશના પ્રવાસ દ્વારા શિક્ષકોએ ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને સમજી હતી, જે શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સફળ સંચાલન અને સંકલન આ સમગ્ર પ્રવાસને સફળ બનાવવામાં ટીમ લીડર તરીકે નરેન્દ્રસિંહ ઠાકોર અને મહેશ પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. રહેવા, જમવા અને મુસાફરીની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. વધુમાં, રાજસ્થાનના શિક્ષણ વિભાગ સાથે સતત સંકલન સાધવામાં જિલ્લા સહાયક પ્રોજેક્ટ સંકલનકર્તા રાકેશ સુથારે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, આ શૈક્ષણિક પ્રવાસથી પરત ફરેલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ રાજસ્થાનના શ્રેષ્ઠ પ્રયોગોને પોતાની શાળામાં અમલમાં મૂકીને શિક્ષણની ગુણવત્તામાં સકારાત્મક બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે.
સુરતમાં પ્રેમના નામે વિકૃત માનસિકતાનો નવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વેપારીએ પૂર્વ પ્રેમિકા મોડેલને ટાર્ગેટ કરીને બીભત્સ ફોટા વાયરલ કર્યા અને એસિડ એટેકની ધમકી આપી. પ્રેમીનો ત્રાસ અહી સુધી જ સીમિત ન રહ્યો તેણે પૂર્વ પ્રેમિકાને ટાર્ગેટ કરતી રીલ્સ બનાવી તેનુ સતત શોષણ કર્યું. લાંબા સમયથી ચાલી આવતી આ હેરાનગતિમાં પીડિતાએ આજરોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં પાંચમી ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી મિતેશ સંપત જૈન વિરુદ્ધ અગાઉ દુષ્કર્મ, ફાયરિંગ, કાર સળગાવવી અને IT એક્ટ હેઠળ ફરિયાદો નોંધાઈ ચૂકી છે છતાં તેનું અભદ્ર વર્તન અને બદલાની ભાવના થંભી નથી, જેના કારણે પીડિતા અને તેના પરિવારમાં ભયનો માહોલ છે. ડુમસ સાયલન્ટ ઝોનમાં થયેલા ફાયરિંગના વિવાદમાં પણ આ જોડી અગાઉ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. પોલીસે તાજેતરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ આરોપીની કાયદાના ડર વગરની ગુનાહિત માનસિકતા ચર્ચાનું કેન્દ્ર બની છે. આરોપીએ વિવાદિત કેપ્શન સાથે મોડેલના બિકિનીવાળા ફોટો શેર કર્યાપીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 19 ફેબ્રુઆરીના રોજ મિતેશે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટાની સાથે તેણે ધમકીભર્યા કેપ્શન પણ લખ્યા હતા, જેમાં એસિડ એટેકનો ઉલ્લેખ હતો. વારંવારની જાનથી મારી નાખવાની ધમકીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ પર થતી બદનામીથી કંટાળીને આખરે મક્કમતા બતાવી કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું છે. મિતેશ સોશિયલ મીડિયાનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યો છે. મને નીચી દેખાડવા અને ડરાવવા ગંદા ઈશારાઓ તેમજ લખાણોનો ઉપયોગ કરે છેતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત ટાર્ગેટ કરતી રીલ્સ બનાવીને મૂકે છે. આ રીલ્સમાં તે મને નીચી દેખાડવા અને ડરાવવા માટેના ગંદા ઈશારાઓ તેમજ લખાણોનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર મારી છબી ખરડાઈ માટે તે જાણીજોઈને વિવાદિત કન્ટેન્ટ અપલોડ કરી રહ્યો છે, જે મારા માટે માનસિક અત્યાચાર સમાન બની ગયું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અમારા વચ્ચે વર્ષ 2018થી જે પ્રેમ સંબંધ હતો તે તોડી નાખ્યા બાદ મિતેશ અવારનવાર ફેક આઈડી બનાવીને તેને અને તેના પરિવારને પરેશાન કરતો હતો. ભૂતકાળમાં મિતેશ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધી હતી. જોકે, સમાધાન બાદ આ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે, હજુ પણ તેની વિકૃત માનસિકતામાં કોઈ સુધારો આવ્યો નથી. અગાઉ મર્સિડીઝ કાર સળગાવી અને GPS લગાવી ટ્રેક કરી આરોપી મિતેશ જૈનની હેરાનગતિની યાદી લાંબી છે. ગત જુલાઈ 2025માં તેણે બદલાની ભાવનાથી પીડિતાની મોંઘીદાટ મર્સિડીઝ કારને પણ આગ ચાંપી દીધી હતી, જે અંગે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આરોપીની જિદ્દ એટલી હદે હતી કે તેણે યુવતીની હિલચાલ પર નજર રાખવા માટે તેની કારમાં છૂપી રીતે જીપીએસ (GPS) ટ્રેકર પણ લગાવી દીધું હતું. આ બાબતે પણ અગાઉ બે વખત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આમ, મિતેશ સામે અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં પાંચમી ફરિયાદ સતત બદનામી થતા મોડેલે ફરી એકવાર મિતેશ સંપત જૈન (રહે. શ્રી સાઈ દર્શન સોસાયટી, ઘોડદોડ રોડ) સામે અલથાણ પોલીસમાં ફરિયાદ આપી હતી. સુરતના વેપારી મિતેશ જૈન પર તેની પૂર્વ પ્રેમિકાએ આ પાંચમી વખત FIR નોંધાવી છે. જેમાં દુષ્કર્મ, ફાયરિંગ અને બે વખત IT એક્ટ હેઠળ અગાઉ ફરિયાદો દાખલ થઈ ચુકી છે. અલથાણ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અત્યંત માથભારે છે અને કાયદાના ડર વગર વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. અગાઉ આઈટી એક્ટ હેઠળ બે ફરિયાદો નોંધાયા છતાં તેનું સોશિયલ મીડિયા પરનું અભદ્ર વર્તન અને પૂર્વ પ્રેમિકાને ટાર્ગેટ કરવાનું ચાલુ જ છે. મેં ભૂલથી ખાલી મારા એક ગ્રુપમાં શેર કર્યા હતાજોકે, આ ફરિયાદ બાદ સુરતના વેપારી મિતેષ જૈને પણ આ મામલે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે, એક છોકરીએ મારા પર એક અરજી કરેલી છે અને FIR પણ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મેં એના ફોટા વાયરલ કર્યા છે. મેં એના કોઈપણ ફોટા વાયરલ નથી કર્યા. આ ફોટા 2020થી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા છે. મેં ભૂલથી ખાલી મારા એક ગ્રુપમાં શેર કર્યા હતા. શેર કર્યા પછી મેં અડધા-પોણા કલાકમાં ડિલીટ કરી નાખ્યા હતા, એટલે કે ‘અનસેન્ડ’ કરી નાખ્યા હતા. તે પૈસા માટે દર ત્રણ-ચાર મહિને મારા પર અરજી કે FIR કરે છેવધુમાં તેણે જણાવ્યું કે, એ છોકરીએ મારા પર એવો પણ આક્ષેપ કર્યો છે કે હું એના પર એસિડ એટેક કરીશ. મેં એવું કશું લખ્યું પણ નથી અને એને કહ્યું પણ નથી. જો એની પાસે કોઈ પણ પુરાવા હોય, તો તે ઓડિયો કે મારી ચેટ અથવા બીજું કંઈ પણ આપી શકે છે. મેં એસિડ એટેક વિશે કોઈ વાત કરી જ નથી. તે મારા પર ખોટા આક્ષેપો કરે છે અને વારંવાર અરજીઓ અને FIR કરીને મને હેરાન કરવાની કોશિશ કરે છે. ઘણા લાંબા સમયથી એની સાથે મારા સંબંધો હતા. તેના કારણે અદાવત રાખીને તે દર ત્રણ-ચાર મહિને મારા પર અરજી કે FIR કરે છે.એની બીજી કોઈ જ માંગણી નથી, બસ એક જ છે - 'પૈસા આપો'. એના માટે જ તે મારા પર અરજીઓ કર્યા કરે છે અને ખોટી રીતે FIR કરાવે છે. આ પણ વાંચો મર્સિડીઝ સળગાવનારા બે આરોપી ઝડપાયા, એક મોડેલના પૂર્વ પ્રેમીનો મિત્ર:પૂર્વ પ્રેમીએ એસિડ-એટેકની ધમકી આપી, કહેલું- મારી નહીં તો કોઈની નહીં; મારી ગાડીઓમાં GPS પણ લગાવ્યું: મોડલ વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખસો દ્વારા આગ ચાંપવાની અને અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેશ જૈન નામના વેપારીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો મોડેલની મર્સિડીઝ કોણે સળગાવી?:12 કલાકમાં મોડલની 2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, કહ્યું-વેપારીએ ફેક સો. મીડિયા એકાઉન્ટ બનાવી પર્સનલ ફોટો પોસ્ટ કર્યા મોડેલિંગ કરતી યુવતીની મર્સિડીઝને અજાણ્યા શખસે આગ ચાંપી દીધી હતી. ગેલ કોલોની નજીક એક સોસાયટીમાં મોડેલે પોતાની મર્સિડીઝ પાર્કિંગમાં ઊભી રાખી હતી. આ દરમિયાન રાત્રે મોપેડ પર બે લોકો આવ્યા હતા, જેમાંથી એકના મોઢે રૂમાલ બાંધેલો હતો. ત્યાર બાદ જ્વલનશીલ પદાર્થની બોટલ કાર પર ઠાલવી આગ ચાંપી દીધી હતી (વાંચો સંપૂર્ણ સમાચાર)
સંઘ પ્રદેશ દમણ પોલીસે શનિવારે રાત્રે એક મેગા ઓપરેશન હાથ ધરીને બિહારના કુખ્યાત નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી મનોજ હાંસદાને ઝડપી પાડ્યો છે. હત્યા અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આ નક્સલી દાભેલ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે આખી રાત કાર્યવાહી કરી હતી. ગત 21 ફેબ્રુઆરીની રાત્રે બિહારના SSB (સશસ્ત્ર સીમા બલ) તરફથી દમણ પોલીસને માહિતી મળી હતી. જેમાં જમુઈ જિલ્લાનો રીઢો ગુનેગાર અને નક્સલી ગતિવિધિઓમાં સક્રિય 37 વર્ષીય મનોજ હાંસદા દાભેલ વિસ્તારમાં આશરો લઈ રહ્યો હોવાનું જણાવાયું હતું. આ બાતમીને ગંભીરતાથી લઈ દમણ એસપી કેતન બંસલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ડાભેલ SHO, ક્રાઈમ બ્રાન્ચ અને TAC સેલની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસની ટીમે મોડી રાત્રે જ દાભેલ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આશરે 100 થી વધુ રૂમો અને શંકાસ્પદ સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની મહેનત બાદ આખરે આરોપી મનોજ હાંસદા પોલીસના સકંજામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરાઈ હતી. પ્રાથમિક તપાસ અને બિહાર પોલીસ સાથેની વિગતો મુજબ, મનોજ હાંસદા વર્ષ 2015 ના એક હત્યા કેસ સહિત 2013 થી અનેક ગુનાઓમાં સામેલ છે. તેની સામે IPC, આર્મ્સ એક્ટ અને ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રહી રહ્યો હતો અને બે-ત્રણ દિવસ પહેલા જ દમણ આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ બિહારની ચરકાપથ્થર પોલીસની ટીમ દમણ પહોંચી હતી. દમણની કોર્ટમાં આરોપીને રજૂ કરી પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે. હવે બિહાર પોલીસ આરોપીને વધુ તપાસ માટે જમુઈ લઈ જશે. આ સફળ ઓપરેશનથી દમણ પોલીસે પરપ્રાંતિય ગુનેગારો માટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંઘ પ્રદેશમાં ગુનાખોરી ચલાવી લેવામાં આવશે નહીં.
હોળીના તહેવારને પગલે દક્ષિણ ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને મધ્યપ્રદેશ તરફ જનાર મુસાફરોની વતન વાપસીનો સિલસિલો શરૂ થયો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનો દોડાવી મુસાફરોને માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા અપનાવવામાં આવેલા ક્રાઉડ મેનેજમેન્ટના કારણે સ્ટેશન પર ભીડ હોવા છતાં કોઈપણ જાતની મુશ્કેલી વગર મુસાફરો સરળતાથી ટ્રેનમાં બેસીને વતન ગયા હતા. જોકે રાતથી ટ્રેનની રાહમાં પરપ્રાંતીયો પહોંચી જાય છે તેને લઈને મંડપ, પાણી અને ચાર્જિંગ સહિત વેઈટિંગ એરિયાની સુવિધા ઉભી કરાઈ છે. ગયા વર્ષે રેલવેએ યાત્રીઓ વતનમાં પહોંચી ગયા પછી મંડપ બનાવીને અક્કલનું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે પશ્વિમ રેલવેએ સમયસર જ હોળીમાં પેસેન્જરના ધસારા અને ગરમીને ધ્યાનમાં રાખીને હોલ્ડિંગ એરિયામાં મંડપ બનાવી દીધો છે. ઉધના જંકશન ઉત્તરભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે હોળી પહેલા અહીં શ્રમિકોની કીડિયારું ઉભરાય તેવી સ્થિતિ સર્જાય છે. પ્લેટફોર્મ નંબર 6 પર ખાસ 10 નાના શેડ બનાવાયાસ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા પ્લેટફોર્મ નંબર 6 પર ખાસ 10 જેટલા નાના શેડ બનાવવામાં આવ્યા છે. આ શેડમાં મુસાફરોને આકરા તાપથી બચાવવા માટે પંખા, રોશની માટે વીજળી અને મુસાફરોની સૌથી મોટી જરૂરિયાત એવા ‘મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડમાં ઉભેલા મુસાફરોની તરસ છિપાવવા માટે પ્લેટફોર્મ વિસ્તારમાં વધારાના 4 પીવાના પાણીના નળ મૂકાયા છે તેમજ રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ‘ક્રાઉડ મેનેજમેન્ટ' કરવામાં આવી રહ્યું છે. મુસાફરો સરળતાથી ટ્રેનમાં બેસી રહ્યા છેહોળી નિમિત્તે વતન જતાં મુસાફરોની ભીડ વચ્ચે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સ્ટેશન પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF)ના 50 જવાનો, GRPના 40 જવાનો અને 30 જેટલા ચેકિંગ સ્ટાફને સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા હતા. જનરલ ટિકિટ ધારકોને કતારબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવાની પદ્ધતિ અમલી બનાવતા અફરાતફરી ટળી હતી. મુસાફરો સરળતાથી ટ્રેનમાં બેસી રહ્યા છે. લાંબા વેઇટિંગ લિસ્ટથી મુસાફરો પરેશાનમુસાફરો 12થી 14 કલાક પહેલા સ્ટેશન પર પહોંચી રહ્યા છે જેથી ટ્રેન આવતાની સાથે જ સીટ મેળવી શકાય. ઘણા મુસાફરો કહે છે કે તેઓએ મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવ્યું હતું, પરંતુ લાંબા વેઇટિંગ લિસ્ટે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. હતાશાને કારણે મોટાભાગના લોકોને જનરલ કોચનો આશરો લેવાની ફરજ પડી છે. PRS કાઉન્ટર અથવા IRCTCની વેબસાઈટ પરથી ટિકિટ બૂક કરાવી શકાશેઆગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને વતન જનારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને અમદાવાદથી ઉપડતી ત્રણ લોકપ્રિય સ્પેશિયલ ટ્રેનોના સંચાલન અવધિમાં વધારો કરાયો છે, જેનાથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં રાહત થશે. આ લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. મુસાફરો રેલવેના તમામ PRS કાઉન્ટર અથવા IRCTCની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાની ટિકિટ બૂક કરાવી શકશે. હોળીના તહેવારમાં ઉત્તરભારત તરફ જતા મુસાફરોની સંખ્યામાં દર વર્ષે મોટો વધારો જોવા મળે છે, ત્યારે રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને શ્રમિક વર્ગ અને વતન જતા પ્રવાસીઓને મોટી સુવિધા મળી રહેશે. આ ટ્રેનોની સંચાલન અવધિમાં વધારો કરાયો
ગઢડામાં ગોપીનાથજી મંદિરે હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવ:વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિ
બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વના તીર્થધામ ગોપીનાથજી મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન પંચાહ પારાયણ ચાલી રહી છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આગમન પર ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસજી સ્વામી, અન્ય સંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઢડામાં યોજાઈ રહેલા આ પાંચ દિવસીય હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવ દરમિયાન વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ઉપસ્થિત સંતો અને હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલી ચોથી ટૂંક એટલે કે 'ઓઘડ ટૂંક' પર ધાર્મિક ધ્વજ લહેરાવવા અને સૂત્રોચ્ચાર કરવાના વિવાદમાં પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી છે. ભવનાથ તળેટીમાં રૂપાયતન પાસે રમકડાની દુકાન ધરાવતા અનુરાગ નેમિચંદભાઈ જૈન નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.આ ઘટનાને પગલે ગિરનારના સાધુ-સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગિરનારની ઓઘડ ટૂંક પર દિગંબર જૈન સંપ્રદાયનો ધાર્મિક ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ટૂંક વર્ષોથી નાથ સંપ્રદાયની માલિકીની હોવાનું અને શ્રીનાથજીના દલીચાના વહીવટ હેઠળ હોવાનું મનાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ નાથ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલે જૂનાગઢના નાથજીના દલીચાના મહંત પીર યોગી સોમનાથજી ગુરુશ્રી રાજનાથજીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ઓઘડનાથ ટૂંક એ નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા છે અને પીટીઆર ટ્રસ્ટ મુજબ તેની માલિકી પણ નાથજીના દલીચાની છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, છળકપટથી ધ્વજ ઉપર લઈ જઈને બે સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વાયરલ વીડિયોના આધારે તપાસ કરતા ભવનાથમાં જ રહેતા અનુરાગ નેમિચંદભાઈ જૈનની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ એક ગુનાહિત કાવતરું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.ગિરનાર કે ભવનાથની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ અસામાજિક તત્વોને સાંખી લેવામાં આવશે નહીં, પછી તે સ્થાનિક હોય કે અન્ય રાજ્યના. આ વિવાદ પર જૂનાગઢના અગ્રણી સંત યોગી શેરનાથજી બાપુએ આક્રોશ જણાવ્યું હતું કે પોતાના ધર્મની શ્રેષ્ઠતા બતાવવા બીજાના ધાર્મિક સ્થાન પર જઈને ઉગ્રતા બતાવવી એ પાપ છે. ઓઘડ શિખર ગોરખ ધુણા સાથે જોડાયેલું છે. જો શક્તિ જ બતાવવી હોય તો પાકિસ્તાનમાં જઈને ધજા લહેરાવો, અહીં સનાતન પરંપરા પર તરાપ મારવી યોગ્ય નથી. નોંધનીય છે કે એફઆઈઆર નોંધાય તે પહેલા જ ગિરનારના સાધુ-સંતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંતોનો આક્ષેપ હતો કે રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક એવી ઓઘડનાથજીની ચરણ પાદુકા પર પેઈન્ટથી લખાણો કરવામાં આવ્યા છે અને જૈન ધર્મના અમુક લોકો દ્વારા વર્ષોથી અહીં ખોટા હક-દાવા કરવામાં આવી રહ્યા છે. આ આવેદનપત્રમાં દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સુનીલ સાગરજી પર પણ ઉશ્કેરણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળનો મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ કોઈ મોટી સંસ્થા કે વ્યક્તિનો હાથ છે કે કેમ ? વીડિયોમાં દેખાતા અન્ય શખ્સોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થવાની શક્યતા છે. પોલીસે ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
મોરબીમાં સોની યુવકની હત્યા:અમરેલી સુવર્ણકાર સંઘે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી
મોરબીમાં ઓવરટેક કરવાના મુદ્દે સોની યુવકની હત્યાના મામલે સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપરત કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ ઘટના રાજકોટ-મોરબી હાઈવે પર બની હતી. જેમાં જીતેશભાઈ રમેશભાઈ આડેસરા નામના સોની યુવકની સામેના વાહનને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં પરિણમતા જીતેશભાઈની હત્યા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘે આડેસરા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સંઘે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા ખોરવનારા તત્વો તેમજ ગેરમાર્ગે દોરાયેલા યુવાનો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત, સંઘે ટ્રાફિક નિયમોનું સમાન રીતે પાલન કરાવવા અને વાહનચાલકો દ્વારા થતી ગેરરીતિઓ અટકાવવા પણ રજૂઆત કરી હતી. કાયદાનું ઉલ્લંઘન કરનારા યુવાનો અને વાહનચાલકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી.
સુરતના છાપરાભાઠા વિસ્તારમાં પતિના અન્ય મહિલા સાથેના આડા સંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને છાપરાભાઠાની 22 વર્ષીય પરિણીતાએ તાપી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું હતુ. અશ્વિનીકુમાર પોલીસે મૃતકના પતિ જોગેન્દ્રકુમાર પલધારી યાદવ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. અવારનવાર બન્ને વચ્ચે ઝઘડાઓ થતાંમળતી વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં નિચલી કોલોનીમાં રહેતા રાહુલ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની બહેન કુસુમના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલા જોગેન્દ્રકુમાર સાથે થયા હતા. લગ્ન બાદ કુસુમને જાણ થઈ હતી કે, તેના પતિને સોનાલી નામની અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતે અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા અને પતિ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂડ કરતો હતો. બહેનનો ફોન ચાલુ રહેતાં અફેરની વાત રેકોર્ડ થઈ ગઈગત 16 ફેબ્રુઆરીના રોજ સવારે પણ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કુસુમે તેની બહેન સીમાને ફોન કર્યો હતો, જેમાં પતિ સાથેના ઝઘડાનું રેકોર્ડિંગ થઈ ગયું હતું. આ રેકોર્ડિંગમાં કુસુમ તેના પતિને અન્ય મહિલા સાથેના સંબંધો તોડી નાખવા વિનંતી કરતી સંભળાય છે. વધુમાં, કુસુમને ઘરની તપાસ કરતા પતિના નામે લખાયેલા અન્ય મહિલાના પ્રેમપત્રો પણ મળી આવ્યા હતા, જે તેણે પુરાવા તરીકે સાચવી રાખ્યા હતા. પરિણીતા ગુમ થયા બાદ લાશ મળી હતીત્યારબાદ 16મી તારીખે બપોરે કુસુમ ઘરેથી ગુમ થઈ હતી, જે અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. દરમિયાન, 19 ફેબ્રુઆરીના રોજ રાત્રે તાપી નદીમાંથી કુસુમની લાશ મળી આવી હતી. ભાઈ રાહુલે આક્ષેપ કર્યો હતો કે પતિના ત્રાસ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે તેની બહેન આત્મહત્યા કરવા મજબૂર થઈ હતી. પોલીસે ગુનો નોંધી જોગેન્દ્રકુમાર પલધારી યાદવ (રહે- નીચલી કોલોની, છાપરાભાઠા- મુળ જોનપુર, યુપી)ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના પ્રકાશમાં આવતા મૃતક કુસુમના પરિવારે પોલીસ સમક્ષ જોગેન્દ્રકુમારના અફેરને લઇ આક્ષેપો કર્યા હતા. પતિ અવારનવાર માર મારતો હોવાનું પણ સામે આવ્યુંપોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે જોગેન્દ્રકુમાર પરસ્ત્રી સાથેના સંબંધને લીધે કુસુમને મારતો હતો અને બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. કુસુમને પતિ જોગેન્દ્રએ સ્ત્રીમિત્રને લખેલા લેટર ઘરમાંથી મળતા પોતાના પિયરમાં મુક્યા ત્યારે પરિવારને સમગ્ર પ્રકરણની જાણ થઈ હતી. સોમવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે કુસુમની બહેન સીમાએ ફોન કરતા તેમાં કુસુમ પતિને સોનાલી સાથેના સંબંધને બંધ કરવા કહેતી હતી.તે સમયે જોગેન્દ્રકુમારે તેને ગાળો આપી હતી.
ગોધરા રાયોટીંગ કેસનો ફરાર આરોપી ઝડપાયો:પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે તેના ઘરેથી ઝડપ્યો
પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ગોધરા રાયોટીંગ કેસના લાંબા સમયથી ફરાર આરોપી શાહનવાઝ ઉર્ફે યુ.પી. મોહમદ યુનુસ શેખને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો છે. પોલીસની નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે. પંચમહાલ રેન્જ આઈ.જી.પી. સંદીપસિંહ અને પંચમહાલ એસ.પી. ડૉ. હરેશભાઈ દૂધાતની સૂચનાથી જિલ્લામાં ફરાર ગુનેગારોને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સક્રિયપણે કાર્યરત હતી. આરોપી શાહનવાઝ ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ નં. 0559/2025 હેઠળ બી.એન.એસ. કલમ 189(2), 189(3), 189(5), 191(2), 192 અને 324(4) મુજબ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. પેરોલ ફ્લો સ્ક્વોડને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, રાયોટીંગ કેસનો આ ફરાર આરોપી શાહનવાઝ ગોધરાના સિગ્નલ ફળીયા, ઈમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરે હાજર હતો. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી શાહનવાઝને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં વધુ એક વાર સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દારૂ જમીનમાંથી એક એક બોટલ અલગ અલગ બ્રાન્ડની બહાર કાઢી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં 08 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે હાલમાં સમા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરી એકવાર શહેર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા શહેરમાં અવાર નવાર સ્થાનિક પોલીસ વિદેશી દારૂ સામે કાર્યવાહી કરે છે પરંતુ અસરકારક કામગીરી સામે પૂર્ણવિરામ માત્રને માત્ર સ્ટેટ મોનિટરિંગ સેલ મૂકે છે. સમા પોલીસ મથક હદ વિસ્તારમાં ગત મોડી રાત્રે દુમાડ ક્રોસ રોડ પાસે આવેલ આરોપી સરોજબેન ભલાભાઇ માળીના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી. આ દરમ્યાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ ચોંકી ઊઠી હતી. કારણ કે આરોપીને દારૂ ઘરમાં અંડરગ્રાઉન્ડ ભોયરુ બનાવો સંતાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ ટીમે અલગ અલગ બ્રાન્ડની કુલ 2658 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ઝડપી પાડી છે. આ દારૂની કુલ કિંમત રૂપિયા 13,09,655 સાથે દેશ બનાવટનો 250 લિટર દારૂ પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે એક વાહન, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 14,14,855 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે સાથે 08 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં કનુ પુત્ર ભલાભાઈ માળી ( રહે. યોગેશ્વર પેટ્રોલ પંપ, દુમાડ ક્રોસ રોડ, તળાવ પાસે, સમા, વડોદરા શહેર ), હિમ્મત ઉર્ફે અબ્બો સુ. શંકરભાઈ માળી (રહે,સંજીવનગર, સમા, વડોદરા), ગૌતમસિંહ ગોપાલસિંહ પરમાર (રહેસ્વામિનારાયણ ટેનામેન્ટ, આશાપુરી મંદિર પાસે, છાણી, વડોદરા)ને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી સરોજબેન ભલાભાઈ માળી (રહે .સામે યોગેશ્વર પેટ્રોલ પંપ, દુમાડ ક્રોસ રોડ, તળાવ પાસે, સમા, વડોદરા શહેર), કૈલાશબેન શંકરભાઈ માળી (રહે રેસી. સામે યોગેશ્વર પેટ્રોલ પંપ, દુમાડ ક્રોસ રોડ, તળાવ પાસે, સમા વડોદરા શહેર), સંકર ભલાભાઈ માળી ( રહે . સામે યોગેશ્વર પેટ્રોલ પંપ, દુમાડ ક્રોસ રોડ, તળાવ પાસે, સમા વડોદરા શહેર), બાંટો, શાહરૂખ શેખ સપ્લાયર, સન્ની સિંહ ઉર્ફે બાપુ, રફીક દિવાન, રવિ રાજપૂત સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે વડોદરા શહેર પોલીસની પીસીબી ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બુટલેગરના ઘરમાં POP માં સંતાડેલ બોટલો કાઢી હતી. આજે SMC ટીમે ઘરમાં અંડરગ્રાઉન્ડ જમીનમાં સંતાડેલી દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ફરી એકવાર ભ્રષ્ટાચારના કાદવમાં ખદબદતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં 10 જેટલા મનપાના અધિકારીઓ ACBની ટ્રેપમાં ફસાઈ ચૂક્યા છે. લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા લાંચ લેતા એસીબીની ટ્રેપમાં સપડાયા બાદ હવે આ વિવાદનો રેલો ઝોનલ ચીફ સુધી પહોંચ્યો છે. સુરત મનપાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને લિંબાયત ઝોનના ઝોનલ ચીફ નિલેશ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમની સામે તાત્કાલિક અસરથી ખાતાકીય તપાસ બેસાડવા તેમજ ફોજદારી ગુનો દાખલ કરવાની માગ કરી છે. હજુ પણ બન્ને આરોપી ફરાર20 ફેબ્રુઆરી, 2026ના રોજ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને કથિત પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ સહિતના મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચીને લાંચની રકમ ઉઘરાવવામાં આવતી હતી. ACBએ આ મામલે ટ્રેપ ગોઠવી હતી, જેમાં આ અધિકારીઓ રંગેહાથ પકડાયા હતા. ટ્રેપ બાદ વિપુલ ગણેશવાલા અને અન્ય સાથીદારો મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયા હતા, જેને પગલે એસીબીએ તેમને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. અઢી વર્ષમાં લાંચ લેતા પકડાયેલા અધિકારીઓપાલિકામાં ભ્રષ્ટાચારની જાળ કેટલી મજબૂત છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 2.5 વર્ષમાં જ 10 જેટલા અધિકારી અને કર્મચારીઓ એસીબીના સકંજામાં આવ્યા છે. 01/11/2023ના રોજ મહેશ ગુલાબભાઈ પટેલ અને કેતનરાય રાજકુમાર ભારદ્વાજવાલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ 13/12/2023ના રોજ અમિત કુમાર આરતીવાલા અને 13/12/2024ના રોજ ભાનુ ભીખુ પટેલ લાંચ લેતા પકડાયા હતા. ભ્રષ્ટાચારનો આ સિલસિલો સતત ચાલતો રહ્યો હતો, જેમાં 10/06/2024ના રોજ હેમંતકુમાર ગોહિલ અને ગુલાબમસીંગ શેખ તેમજ 15/06/2024ના રોજ પુષ્કરા સીમા પટેલ અને મેહુલ પટેલ સામે ગુના દાખલ થયા હતા. રોકડનું વજન પડે તો જ ફાઈલો આગળ વધે છેઃ વિપક્ષતાજેતરના વર્ષોમાં પણ આ પ્રવૃત્તિ અટકી નથી. 24/12/2025ના રોજ ઈશ્વર મગન પટેલ અને છેલ્લે 20/02/2026ના રોજ વિપુલ ગણેશવાલા એસીબીના ટાર્ગેટ પર આવ્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે, સામાન્ય જનતા પાસેથી દરેક કામ માટે નાણાં ઉઘરાવવામાં આવે છે અને જો રોકડનું વજન પડે તો જ ફાઈલો આગળ વધે છે. ઝોનલ ચીફની જવાબદારી પારદર્શક વહીવટ ચલાવવાની હોવા છતાં લિંબાયત ઝોનમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેની પાછળ આર્થિક લેતીદેતી મુખ્ય કારણ હોવાનું પાયલ સાકરિયાએ જણાવ્યું છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાનો કમિશનરને પત્રઆ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, લિંબાયત ઝોન હવે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે. ગેરકાયદે બાંધકામો અને દબાણો અટકાવવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ અધિકારીઓની મિલિભગત છે. સાથે પાયલ સાકરિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી કાર્યપદ્ધતિનો અમલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી ઝોનલ ચીફની હોય છે. જો લિંબાયત ઝોનમાં આ પ્રકારે 'ઉઘાડી લૂંટ' ચાલતી હોય તો તેના માટે ઝોનલ ચીફ નિલેશ પટેલ પણ તેટલા જ જવાબદાર છે. ’નિલેશ પટેલ ભ્રષ્ટાચારીઓ સાથે સીધા સંપર્કમાં’સાકરિયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, નિલેશ પટેલ ભ્રષ્ટાચારીઓ સાથે સીધા સંપર્કમાં છે અને તેમની 'મૌન સંમતિ'થી જ આ કૌભાંડો આચરવામાં આવ્યા છે. ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવતા નિલેશ પટેલે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જેના કારણે પ્રજાનું આર્થિક શોષણ થઈ રહ્યું છે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચ્યું છે. ઝોનલ ચીફ નિલેશ પટેલ સામે ખાતાકીય તપાસની માગવિપક્ષ નેતાએ મ્યુનિ. કમિશનર સમક્ષ માગ કરી છે કે, ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારીઓને છાવરવા બદલ ઝોનલ ચીફ નિલેશ પટેલ સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ-1988 હેઠળ તેમની સામે એસીબીમાં ફરિયાદ કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. તપાસ પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય અને તે પુરાવાઓ સાથે છેડછાડ ન કરી શકે તે હેતુસર તેમની તાત્કાલિક અસરથી અન્યત્ર બદલી કરવામાં આવે. ફરાર થયેલા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને તેમના સાથીદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. ‘લિંબાયત ઝોનમાં ગેરકાયદે અનેક બાંધકામો’ લિંબાયત ઝોન સુરતના સૌથી ગીચ વિસ્તારોમાંનો એક છે. અહીં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. પાયલ સાકરિયાના જણાવ્યા મુજબ, પાલિકાના કેટલાક જવાબદાર અધિકારીઓ અને મળતિયાઓ મળીને ગેરકાયદે બાંધકામ કરતા લોકો પાસેથી તોડબાજી કરે છે. આ આર્થિક શોષણના કારણે વિસ્તારનો વિકાસ રુંધાઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. મનપાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ અચાનક આપેલું પોતાનું રાજીનામું પરત ખેંચી લેતા પાલિકાના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં મોટો વળાંક આવ્યો છે. આ સમગ્ર ઘટનાથી તર્ક વિતર્કો વહેતા થયા છે. 10 દિવસ પહેલાં અચાનક રાજીનામું ધર્યું હતુંદસ દિવસ પહેલા જ્યારે સ્વાતિ દેસાઈએ સ્વેચ્છાએ નોકરી છોડવાનો નિર્ણય લઈ મ્યુનિસિપલ કમિશનરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, ત્યારે સમગ્ર તંત્ર ચોંકી ઉઠ્યું હતું. છેલ્લા બે દાયકાથી સુરત મહાનગરપાલિકા સાથે સંકળાયેલા અને અનુભવી એવા ડેપ્યુટી કમિશનરે બજેટની સામાન્ય સભા સુધી પણ રોકાયા વગર રાજીનામું ધરી દેતા અનેક સવાલો ઉભા થયા હતા. પરિવારને પૂરતો સમય ન આપી શકતા હોવાનો ઉલ્લેખ કર્યો હતોઆ રાજીનામાં પાછળ અનેક કારણો ચર્ચાઈ રહ્યા હતા. એક ચર્ચા મુજબ વિપક્ષના કેટલાક સભ્યો દ્વારા કરવામાં આવતી કનડગતથી તેઓ કંટાળી ગયા હતા. બીજી તરફ હજીરાની એક કંપનીને રી-સાઈકલ પાણી આપવાના મુદ્દે ઉભા થયેલા વિવાદમાં પણ તેમનું નામ ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનાથી તેઓ નારાજ હોવાનું કહેવાતું હતું. જોકે, પાલિકાના વર્તુળોમાં એવી પણ વાતો વહેતી થઈ હતી કે, તેઓ પરિવારને પૂરતો સમય આપી શકતા ન હોવાથી સ્વેચ્છાએ નિવૃત્તિ લેવા માંગતા હતા. પરિવાર અને મિત્રોની સમજાવટ બાદ રાજીનામું પરત ખેચ્યુંરાજીનામું મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થાય તે પહેલા જ સ્વાતિ દેસાઈએ મોટો યુ-ટર્ન લીધો છે. મળતી માહિતી મુજબ તેમના પરિવારના સભ્યો, વડીલો અને પારિવારિક મિત્રોએ તેમને સમજાવ્યા હતા કે શહેરના હિતમાં તેમણે પોતાની ફરજ ચાલુ રાખવી જોઈએ. લાંબી સમજાવટ બાદ સ્વાતિ દેસાઈએ પોતાનો નિર્ણય બદલ્યો છે અને રાજીનામું પરત ખેંચતો પત્ર કમિશનરને મોકલી આપ્યો છે. અકાઉન્ટ વિભાગમાંથી હટાવવા વિરોધ પક્ષની માગસ્વાતિ દેસાઈએ રાજીનામું પરત ખેંચતાની સાથે જ રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. મનપાના વિરોધ પક્ષે તાજેતરમાં એવી માંગણી કરી છે કે સ્વાતિ દેસાઈને અકાઉન્ટ વિભાગમાંથી મુક્ત કરવામાં આવે. વિપક્ષનો આક્ષેપ છે કે, એકવાર રાજીનામું આપીને પરત ખેંચનાર અધિકારી પાસે મહત્વના વિભાગની જવાબદારી રાખવી યોગ્ય નથી. જોકે મ્યુનિસિપલ તંત્રએ સ્માર્ટ સિટીની જવાબદારી તેમની પાસેથી લઈ લીધી છે પરંતુ અકાઉન્ટ વિભાગમાં તેમને યથાવત રાખ્યા છે.
દેવનગર અને વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા હરેકૃષ્ણ નગર વિવેકાનંદ વિસ્તાર વડોદરા દ્વારા વિશાળ હિંદુ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ઘુમંતુ સંયોજક વડોદરા વિભાગના ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ દેશ હિન્દુ રાષ્ટ્ર હતું, હિન્દુ રાષ્ટ્ર છે ભરતસિંહ સોલંકીએ સંબોધન કરતા કહ્યું કે, ભારતના નાગરિક તરીકે આપણા પણ કેટલાક કર્તવ્યો છે. આપણે પંચ પરિવર્તનના ધ્યેય સાથે કામ કરવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા તેઓએ સંઘની યાત્રા વિશે વાત જણાવી હતી. 1925થી શરૂ થયેલ સંઘ 15 વર્ષના ટૂંકા ગાળામાં અખંડ ભારતમાં વિસ્તરી ગયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર કહેતા હતા કે, આ દેશ હિન્દુ રાષ્ટ્ર હતું, હિન્દુ રાષ્ટ્ર છે અને દેશમાં એક હિન્દુ હશે ત્યાં સુધી આ દેશ હિન્દુ રાષ્ટ્ર જ રહેશે. વાયુ પ્રદુષણ ન થાય તે માટે આપણે વૈદિક હોળી દહન કરવું જોઈએવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સંસ્કારથી સમાજનું ઘડતર થાય છે. આપણે આપણા બાળકોનું પણ ધ્યાન રાખવું પડશે, આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો પડશે, વાયુ પ્રદુષણ ન થાય તે માટે આપણે વૈદિક હોળી દહન કરવું જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વધુ વુક્ષો વાવી પર્યાવરણનું જતન કરવું જોઈએ. સામાજિક સમરસતા જળવાય તે માટે આપણે અસ્પૃશ્યતા ત્યજી દેવી જોઈએ. સર્વ સમાન હિન્દુ નાગરિક તરીકેના આપણા કર્તવ્ય નિભાવવા જોઈએ. નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા ભાવ રાખવો જોઈએઆ સંમેલનમાં અતિથિ તરીકે ઇસ્કોન મંદિરના સેવા વિલાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં કહ્યું કે, નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા ભાવ રાખવો જોઈએ. શ્રીમદ્ ભાગવત ગીતા સંસ્કારોનું સિચન કરે છે. કાર્યક્રમના સંયોજક પ્રવીણભાઈ પ્રજાપતિએ વ્યક્તવ્યમાં હિન્દુ સમાજમાં જાગૃતિ લાવી સામાજિક એકતા વધુ મજબૂત થાય તે દિશામાં આપણે કામ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
ભાવનગર શહેરના કરચલિયાપરા શિવનગર વિસ્તારમાં ગતમોડી રાત્રે યુવક પર છરી અને ધોકા વડે હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં યુવકની બહેન સાથે પ્રેમસબંધની શંકા હોવાથી શખસોને સમાધાન માટે બોલવતા 4 શખસ છરી-ધોકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસે 4 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ ઝઘડો કર્યોઆ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલીયાપરા શિવનગર વિસ્તારમાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ પીરૂભાઈ પરમાર (ઉં.વ.26) દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, 22 ફેબ્રુઆરીની રાત્રે તેઓ પોતાના ઘરની બહાર રોડ પર ઉભા હતા, ત્યારે પ્રકાશ ઉર્ફે બકો અને સમીર ઉર્ફે સંતોષ તેમની બહેન સાથે પ્રેમસબંધ હોવાની શંકાને લઈને બોલાચાલી કરવા લાગ્યા હતા. અગાઉ જીતેશે બંનેને પોતાની બહેન સાથે કોઈ સંબંધ ન હોવાનું કહી રાખડી બંધાવવાની વાત કરી હતી, જેના કારણે શખસો દાઝ રાખી આવ્યા હતા. ધોકાની સાથે છરીથી હુમલો કર્યોતે સમયે પ્રકાશ ઉર્ફે બકો, સમીર ઉર્ફે સંતોષ તેમજ તેમના મિત્રો જીતો ઉર્ફે કાળીયો અને આનંદ મળી ચારેયએ અપશબ્દો બોલી જીતેશ પર ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન છરી વડે જીતેશને ઈજા પહોંચાડવામાં આવી હતી. તેમજ ધોકાથી જમણા પગ ગંભીર ઈજા કરાઈ હતી. જ્યારે વચ્ચે પડેલા તેઓના ભાભી ખુશ્બુબેનને પણ છરીથી હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. વચ્ચે પડેલાં ભાભી અને પત્નીને પણ ઈજાબનાવ સમયે બચાવ માટે જીતેશની ભાભી અને પત્ની વચ્ચે પડતાં તેમને પણ ઈજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ જતા ચારેય શખસ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ જીતેશને તેના ભાઈ સાજન દ્વારા સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદના અનુસંધાને ગંગાજળિયા પોલીસ દ્વારા પ્રકાશ ઉર્ફે બકો, સમીર ઉર્ફે સંતોષ, જીતો ઉર્ફે કાળીયો અને આનંદ સામે BNS 118(1), 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક સિંધી ઝાયકામાં પરંપરાગત સ્વાદની જમાવટ:સાંસ્કૃતિક ઉત્સવમાં સમાજની એકતા અને પરંપરાનો અનોખો સંગમ
વડોદરા શહેરમાં સિંધી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને ખાણી-પીણીના વારસાને ઉજાગર કરતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સિંધ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સિંધુ સદભાવના સમિતિના સંયુક્ત ઉપક્રમે સોસાયટીના સ્થાપના દિન નિમિત્તે વારસિયાની GNV સ્કૂલના મેદાનમાં સતત બીજા વર્ષે “એક સિંધી ઝાયકા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીને વારસાની ભેટ આ મિજબાનીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંધી સમાજની પરંપરાગત વાનગીઓ, રીત-રિવાજો અને સાંસ્કૃતિક ધરોહરથી નવી પેઢીને માહિતગાર કરવાનો હતો. મેદાનમાં સિંધી વ્યંજનોના વિવિધ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને સ્વાદિષ્ટ વાનગીઓનો લ્હાવો લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મહાનુભાવો અને સંતોની ગરિમામય ઉપસ્થિતિ કાર્યક્રમમાં સિંધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ જ્ઞાનચંદાની, ઉપપ્રમુખ સુનિલભાઈ બાલાની અને માનદ મંત્રી રમેશભાઈ રામરખીયાની સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. વિશેષ આમંત્રિત તરીકે અમદાવાદ નરોડા પાટિયાના ધારાસભ્ય પાયલબેન પોખરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નં. 6ના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી અને પી.આઈ. મકવાણા જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. શેરાવાલી સાઈ અને ભૈયાસાહેબ ઈશ્વરભાઈ સહિતના સાધુ-સંતોનું સંસ્થા દ્વારા શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. સાંસ્કૃતિક રંગ અને સ્પર્ધા શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને ઓમ’સ ક્રીએશનના ઓમ ભારવાણી દ્વારા 5 ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર આયોજન અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.
અમદાવાદ શહેરના ઇસનપુર ખાતે આવેલી વેદાંત સ્કૂલ દ્વારા CBSE સ્કૂલ શરૂ કરવાની અને ગુજરાત બોર્ડની સ્કૂલને અન્ય સ્થળે શિફ્ટ કરવાની જાહેરાત સામે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ ઉઠાવી હતી. ત્યારે શાળા સંચાલક દ્વારા આગામી 10થી 15 દિવસમાં ફરી ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. ‘વિદ્યાર્થીઓને શોર્ટ નોટિસમાં BVD મુક્તજીવન સ્કૂલમાં સ્થળાંતરિત કરાયા’ABVP મહાનગર મંત્રી ધ્રુવે જણાવ્યું હતું કે, હમણાં થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરમાં ઇસનપુર ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે, તથા જે ઇંગ્લિશ મીડિયમ જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરે છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને એક શોર્ટ નોટિસની અંદર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે આપને આ વેદાંત સ્કૂલની અંદરથી બીજી એક નજીકની સ્કૂલ BVD મુક્તજીવન સ્કૂલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, આપને હવે આગામી જે અભ્યાસ છે એ ત્યાં આગળ લેવાનો રહેશે. ‘આ સ્કૂલને જોઈ ફી ભરી, અન્ય સ્કૂલમાં સ્થળાંતરિત ના કરાય’આ ઘટના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓના ધ્યાનમાં આવતા આજ રોજ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ABVPના કાર્યકર્તાઓ તથા વાલી મંડળ અને વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અને પ્રિન્સિપાલને આવેદનપત્ર સોંપવામાં આવ્યું કે આ જે સામાન્ય વિદ્યાર્થીઓ છે, જે લોકોએ અહીં ફી ભરી છે, તે આ સ્કૂલને જોઈને ભરી છે, આ વાતાવરણને જોઈને ફી ભરી છે, એ લોકોને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં ન આવે. અને આગામી વર્ષથી જે નવા વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છે, તેમને BVD સ્કૂલ બતાવી ત્યાં એડમિશન આપવામાં આવે. ‘વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લે તો ABVP ધરણા કરશે’જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે એ લોકોને જ્યાં સુધી એમનું મન છે, એમની ઈચ્છા છે, ત્યાં સુધીનો અભ્યાસ અહીં આ સ્કૂલમાં જ પૂરો કરવા દેવામાં આવે એવી ABVPએ સ્પષ્ટ માંગણી કરી છે. વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ અહીં આંદોલન અને ધરણા પ્રદર્શન કરશે. BBDની આસપાસનું વાતાવરણ ખૂબ જ ન્યુસન્સ વાળું છે: વાલીવાલી પ્રશાંત ગુંજાલએ જણાવ્યું હતું કે, મારી દીકરી આ સ્કૂલની અંદર છેલ્લા 8 વર્ષથી ભણી રહી છે. આ વર્ષે આ સ્કૂલના પરિસરને બદલીને BBD સ્કૂલમાં ખસેડવામાં આવ્યું છે. ત્યાંનું વાતાવરણ બિલકુલ યોગ્ય નથી, ત્યાંની લોકાલિટી પણ યોગ્ય નથી. એક વાલી તરીકે અમારી એવી માંગણી છે કે અમારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પરિસરમાંથી તેમને બીજી કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં ન આવે. BBDની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ન્યુસન્સવાળું છે. ત્યાં પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા નથી, યોગ્ય રસ્તો નથી અને આસપાસ ખૂબ જ ગીચ વસ્તી છે. આ બધું જોતા, તે શાળા માટેનું કોઈ યોગ્ય વાતાવરણ નથી. સંચાલકોએ અમારી માંગણી સ્વીકારી છે અને કહ્યું છે કે તેઓ મેનેજમેન્ટ સાથે વાત કરશે અને 10 દિવસમાં અમને યોગ્ય પ્રતિસાદ આપશે. વેદાંત એજ્યુકેશન કેમ્પસ હંમેશા બાળકો-વાલીઓ સાથે મળીને કામ કરે છે: પ્રિન્સિપાલનિરંજન જોશી, વેદાંત સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, વાલીઓની જે માગ છે, તે તેમણે મને લેખિતમાં જણાવી છે. મેનેજમેન્ટ સાથે પણ મારી આ વિષય પર ચર્ચા ચાલી રહી છે અને ચોક્કસપણે અમે વાલીઓની વાત સાંભળવા તૈયાર છીએ. તેમની વાત સાંભળી પણ છે. ઘણા બધા નિર્ણયો હંમેશા વાલીઓના પક્ષમાં લેવામાં આવ્યા છે. વેદાંત એજ્યુકેશન કેમ્પસ હંમેશા બાળકો અને વાલીઓ સાથે મળીને કામ કરે છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત છે. ‘10થી 15 દિવસમાં અંતિમ નિર્ણય લઈ વાલીઓ સાથે ચર્ચા કરીશું’વધુમાં જણાવ્યું કે જે રીતે વેદાંત એજ્યુકેશન કેમ્પસ અને વાલીઓ વર્ષોથી સાથે મળીને કામ કરતા આવ્યા છે, તેમ ભવિષ્યમાં પણ સાથે જ કામ કરીશું. મને જે લેખિતમાં માંગણીઓ મળી છે, તે હું મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરીશ અને આગામી 10થી 15 દિવસમાં અમે આ બાબતે અંતિમ નિર્ણય લઈ વાલીઓ સાથે ચર્ચા કરીશું. સોસાયટીમાં ભીડભાડ ઓછી થાય તે માટે વિદ્યાર્થીઓની એક અલગ ઓળખ બને અને તેમને એક વિશાળ અને સારું કેમ્પસ મળે તેવો હેતુ છે. બાળકોને રમવા અને અન્ય પ્રવૃત્તિઓ માટે પૂરતી જગ્યા મળી રહે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે.
રોલર્સ સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન – ઉત્તર ગુજરાત દ્વારા પાટણના એ.કે. મ્યુનિસિપલ જીમખાના ખાતે 'સ્કેટિંગ ચેમ્પિયનશિપ – 2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 150 થી વધુ ખેલાડીઓએ ભાગ લઈને સ્કેટિંગ રિંગમાં પોતાની ઝડપ અને સંતુલનનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના વિવિધ વયજૂથના ખેલાડીઓમાં જીતવા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ઉત્તર ગુજરાતના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, મહામંત્રી અંકિતાબેન રાવલ અને સહમંત્રી મૃદુલા ઠક્કર પણ જોડાયા હતા. આ ઉપરાંત કારોબારી સભ્યો પ્રશાંત રાવલ, પંકજ જોષી, સુનિલ રબારી, ભાવેશ આચાર્ય, અજય મોદી, હાર્દિક રાવલ અને સંદીપ જોષીએ પણ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતાઓનું સન્માન અને પ્રોત્સાહન સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન બદલ પ્રશાંતભાઈ રાવલ અને તેમની ટીમને તમામ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તર ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા વાલીઓ અને કોચની હાજરીએ વાતાવરણને વધુ જીવંત બનાવ્યું હતું. ભવિષ્યનું આયોજન: નેશનલ ટુર્નામેન્ટનું લક્ષ્ય એસોસિએશનના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિએ આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પાટણ જિલ્લામાં વધુમાં વધુ બાળકો અને ખાસ કરીને મહિલાઓ આ રમત સાથે જોડાય તે માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત, પાટણમાં ટૂંક સમયમાં રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની સ્કેટિંગ ટુર્નામેન્ટ યોજાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
વડોદરા મંડળના કોમર્શિયલ વિભાગ દ્વારા તાજેતરમાં કઠાણા-વાસદ ખંડમાં RailOne એપના પ્રમોશન અને ડિજિટલ જાગૃતિ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, આ આયોજન વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક નરેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. મુસાફરો સાથે સીધો સંવાદ અભિયાન દરમિયાન રેલવેના કર્મચારીઓએ કઠાણાથી વાસદ સ્ટેશન વચ્ચે મુસાફરી કરતા લોકો સાથે સીધી વાતચીત કરી હતી. તેમને RailOne એપના ફાયદા સમજાવી, એપ ડાઉનલોડ કરવાની અને તેમાં રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ પ્રક્રિયાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પડકારો વચ્ચે મળી સફળતા આ રૂટ પર મોટાભાગના મુસાફરો MST (માસિક સીઝન ટિકિટ) ધારક હતા અને ઘણા પાસે કીપેડ મોબાઈલ હોવાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી હતી. તેમ છતાં, ટીમના પ્રયાસોથી 07 મુસાફરોએ સ્થળ પર જ સફળતાપૂર્વક એપ ડાઉનલોડ કરી નોંધણી કરાવી હતી. વડોદરા મંડળ દ્વારા મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે જોડવા માટે આવા અભિયાનો સમયાંતરે યોજવામાં આવે છે.
ટેટીનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક:ધાંગધ્રાના ખેડૂત અશ્વિન પટેલે બાગાયત ખેતી અપનાવી
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે બાગાયતી ખેતી અપનાવીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. તેમણે પરંપરાગત પાકો છોડીને ટેટીનું વાવેતર કરીને સફળતા હાંસલ કરી છે. ખેડૂત અશ્વિનભાઈના જણાવ્યા અનુસાર, તેઓ અગાઉ મુખ્યત્વે એરંડા અને કપાસ જેવા પાકો પર નિર્ભર હતા, જેમાં પૂરતું વળતર મળતું નહોતું. જિલ્લા બાગાયત અધિકારીઓના માર્ગદર્શન, આધુનિક ટેકનોલોજી અને સરકારી સહાયથી તેમણે ટેટીનું ઉત્પાદન શરૂ કર્યું, જેનાથી તેમની આવક દોઢથી બમણી થઈ ગઈ છે. સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ હેઠળ મળતી લોન અને સબસિડીનો લાભ લઈને અશ્વિનભાઈએ 13 એકરમાં ટેટીનું વાવેતર કર્યું છે. તેમણે મલ્ચિંગ અને ગ્રો કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી ટેટીનું ઉત્પાદન કર્યું છે. આ વર્ષે તેમણે વેપારીઓને સીધું વેચાણ કરીને 40 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી છે. એક વીઘામાં 200 થી 250 મણ જેટલી ટેટીનું ઉત્પાદન થાય છે. આ પાક ઓછા ખર્ચે અને માત્ર સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે, જેના કારણે સારી ગુણવત્તા અને વધુ આવક પ્રાપ્ત થાય છે.
સુરતની ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની શાન ગણાતા ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2026’ ને બાયર્સ અને વિઝિટર્સ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત આ એક્ષ્પોએ માત્ર બે દિવસમાં જ સફળતાના નવા શિખરો સર કર્યા છે. વર્લ્ડ ક્લાસ મશીનરીનું આકર્ષણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે, આ એક્ષ્પોમાં વિશ્વસ્તરીય ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ વિશ્વમાં પ્રથમ વખત લોન્ચ થયેલું ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન છે. આ ઉપરાંત, હાઇસ્પીડ એરજેટ મશીન, નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી, પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી અને સર્ક્યુલર નિટિંગ મશીનોની આધુનિક શ્રેણી ઉદ્યોગકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મુલાકાતીઓનો આંકડો 17 હજારને પાર સીટેક્ષ એક્ષ્પોના પ્રથમ બે દિવસના આંકડા ઉત્સાહજનક છે. શનિવારે પ્રથમ દિવસે 5,560 બાયર્સ આવ્યા હતા, જ્યારે રવિવારે રજાના દિવસે મુલાકાતીઓની સંખ્યા બમણી થઈને 11,850 પર પહોંચી હતી. આમ, માત્ર બે જ દિવસમાં કુલ 17,410 લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી છે, જેનો સીધો લાભ પ્રદર્શનમાં ભાગ લેનાર એક્ઝિબિટર્સ અને સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. આ પ્રદર્શનમાં માત્ર સ્થાનિક જ નહીં, પણ દેશના ખૂણેખૂણેથી વિઝિટર્સ આવ્યા છે. અમદાવાદ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર, વારાણસી, નવી દિલ્હી અને કોઇમ્બતુર જેવા 35થી વધુ શહેરોના બાયર્સે હાજરી આપી છે. સરસાણા સ્થિત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા આ એક્ષ્પોમાં ટેક્ષ્ટાઇલ ટેકનોલોજીનું ભવિષ્ય જોવા મળી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજે રાજ્યના તબીબી શિક્ષણ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આ કોલેજમાં બે નવા સુપર-સ્પેશિયાલિટી કોર્સ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ સફળતા સાથે NHL કોલેજ ઉચ્ચ તબીબી અભ્યાસમાં અગ્રેસર સાબિત થઈ છે. ગુજરાતમાં પ્રથમવાર 'ક્લિનિકલ ઇમ્યુનોલોજી'નો પ્રારંભNMCના 20-02-2026ના જાહેરનામા અનુસાર, કોલેજને બે મહત્વપૂર્ણ વિભાગોમાં બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં ડી.એમ. ક્લિનિકલ ઇમ્યુનોલોજી એન્ડ રુમેટોલોજી માટે 2 બેઠકો અને એમ.સી.એચ. યુરોલોજી માટે 2 બેઠકો મળીને કુલ 4 સુપર-સ્પેશિયાલિટી બેઠકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 'ડી.એમ. ક્લિનિકલ ઇમ્યુનોલોજી એન્ડ રુમેટોલોજી' કોર્સ શરૂ કરનારી NHL ગુજરાતની સર્વપ્રથમ મેડિકલ કોલેજ બની છે. SVP હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે અદ્યતન સારવારઆ બંને નવા વિભાગો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ SVP હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. અહીં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સાંધા અને રોગપ્રતિકારક શક્તિ સંબંધિત ઓટોઈમ્યુન બીમારીઓ તેમજ કિડની, મૂત્રાશય અને પ્રોસ્ટેટ જેવા જટિલ યુરોલોજીકલ રોગોની સચોટ સારવાર મળશે. આ સુવિધાને કારણે હવે ગુજરાતના દર્દીઓને ગંભીર બીમારીઓની સારવાર માટે અન્ય રાજ્યોમાં જવાની જરૂર નહીં પડે. આરોગ્ય માળખું બનશે વધુ મજબૂતસુપર-સ્પેશિયાલિટી કોર્સ શરૂ થવાથી રાજ્યમાં ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબો તૈયાર થશે, જે સરકારી આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવશે. આ સિદ્ધિ બદલ AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અને હોસ્પિટલના તબીબી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દિલ્હી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને દીનદયાલ ઉપાધ્યાય કોલેજ (દિલ્હી યુનિવર્સિટી) દ્વારા શૈક્ષિક ફાઉન્ડેશનના સહયોગથી 22 અને 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. Digital Society and Human Value: Reimagining Integral Humanism in the AI Era વિષય પર કેન્દ્રિત આ પરિષદમાં ટેકનોલોજી અને નૈતિકતાના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતની આગેવાની અને AIનો નવો મંત્ર ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે વિશેષ હાજરી આપી હતી. તેમણે ભારતમંડપમ ખાતે યોજાયેલા વૈશ્વિક AI સમિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત આજે AI ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. 86 દેશોએ હસ્તાક્ષર કરેલા માનવ-કેન્દ્રિત AI સંકલ્પ અંગે માહિતી આપતા તેમણે AI સૌ માટેનો મંત્ર આપ્યો હતો. તેમણે ડિજિટલ સાક્ષરતા વધારવા અને ડીપફેક તેમજ ભ્રામક માહિતી જેવા ગંભીર પડકારો સામે સાવચેત રહેવા આહવાન કર્યું હતું. એકાત્મ માનવવાદ અને શૈક્ષણિક ચિંતન પરિષદના અધ્યક્ષસ્થાને મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. નારાયણ લાલ ગુપ્તા રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર અને રાષ્ટ્રીય મહામંત્રી ગીતા ભટ્ટની ઉપસ્થિતિમાં વક્તાઓએ AI ને માનવમૂલ્યો સાથે સાંકળીને સર્વાંગી વિકાસનો માર્ગ કંડારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બે દિવસ દરમિયાન વિવિધ સત્રોમાં સંશોધકો દ્વારા ઉચ્ચ કક્ષાના સંશોધનપત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતની સક્રિય ભાગીદારી આ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ મજબૂત રહ્યું હતું. પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાંથી આશરે 12 પ્રતિનિધિઓએ આ પરિષદમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સમગ્ર દેશમાંથી 800થી વધુ શિક્ષણવિદો અને નીતિનિર્માતાઓની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 23 ફેબ્રુઆરીના રોજ સમાપન સત્રમાં કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડશે.
મોરબીના આલાપ રોડ પર પટેલનગર પાસે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ઘર પાસે રમી રહેલી અઢી વર્ષની બાળકી ધનશ્રી વાસુદેવભાઈ વડસોલાનું કાર અડફેટે મોત નીપજ્યું છે. કાર ચાલકે બાળકીને હડફેટે લીધા બાદ તેના શરીર પરથી બંને ટાયર ફેરવી દીધા હતા. આ ઘટના સિલ્વર એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી ખાતે બની હતી. મૃતક બાળકીના પિતા વાસુદેવભાઈ નરભેરામભાઇ વડસોલા (ઉંમર 42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જુના દેવળીયાના રહેવાસી નિરવભાઈ મહાદેવભાઇ ભોરણીયા કાર નંબર GJ 36 AJ 9315 લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વાસુદેવભાઈની અઢી વર્ષની દીકરી ધનશ્રી ઘર નજીક શેરીમાં રમી રહી હતી. આરોપી નિરવભાઈએ પોતાની કાર બેદરકારીપૂર્વક ચલાવી બાળકીને હડફેટે લીધી હતી અને તેના શરીર પરથી કારના બંને ટાયર ફેરવી દીધા હતા. આ ગંભીર અકસ્માતમાં બાળકીને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે, મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી કાર ચાલક નિરવભાઈ ભોરણીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર શૈક્ષણિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ ભવ્ય કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ અત્યારે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 12 ફેકલ્ટી અને 99 કોર્સના હજારો વિદ્યાર્થીનો દબદબોઆ વર્ષે યોજાનારા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક વિવિધતાનો સંગમ જોવા મળશે. યુનિવર્સિટીની કુલ 12 ફેકલ્ટી અને 99 જેટલા વિવિધ કોર્સના કુલ 8725 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આમાં આર્ટસ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, એજ્યુકેશન, મેનેજમેન્ટ, રૂરલ સ્ટડીઝ અને આર્કિટેક્ચર જેવી વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ સામેલ છે. લાંબા સમય પછી યોજાઈ રહેલા આ સમારોહને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફરી મારી મેદાન મારશેયુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. કુલ 8725 વિદ્યાર્થીઓમાંથી એકલા કોમર્સ ફેકલ્ટીના જ 3407 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે દક્ષિણ ગુજરાતના યુવાનોમાં હજુ પણ કોમર્સ અને પ્રોફેશનલ એકાઉન્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો ક્રેઝ યથાવત છે. મેડલની સંખ્યામાં ધરખમ ઘટાડોઆ વખતના પદવીદાન સમારોહની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે યુનિવર્સિટીએ 'ક્વોલિટી' પર વધુ ભાર મૂક્યો છે. અગાઉના 57માં પદવીદાન સમારોહમાં જ્યાં 95 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા, ત્યાં આ વખતે માત્ર 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ મેરિટના ધોરણોને વધુ ચુસ્ત બનાવીને માત્ર અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને જ સન્માનિત કરવાની નવી નીતિ અપનાવી છે, જે શૈક્ષણિક જગતમાં ચર્ચાનો વિષય બની છે. રિસર્ચ સ્કોલર્સનું સન્માનમાત્ર સ્નાતક અને અનુસ્નાતક જ નહીં, પરંતુ સંશોધન ક્ષેત્રે પણ યુનિવર્સિટીએ પોતાની મજબૂત પકડ દર્શાવી છે. આ સમારોહમાં 151 જેટલા Ph.D. અને M.Phil.ના રિસર્ચ સ્કોલર્સને વિશેષ રીતે પદવી આપી સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે ગત વર્ષે અંદાજે 40,000 વિદ્યાર્થીઓને ડિગ્રી મળી હતી, જેની સરખામણીએ આ વર્ષે સંખ્યા ઓછી છે, પરંતુ મેરિટના ધોરણો ઊંચા રાખવામાં આવ્યા છે. રાજ્યપાલની પ્રસ્તાવિત ઉપસ્થિતિ આ ભવ્ય સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ પ્રસ્તાવિત છે, જે કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. યુનિવર્સિટીના કન્વોકેશન હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં શિસ્ત અને મર્યાદા જળવાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ સમારોહ માત્ર ડિગ્રી એનાયત કરવાનો પ્રસંગ નથી, પરંતુ હજારો યુવાનો માટે તેમના શૈક્ષણિક જીવનના નવા સોપાનની શરૂઆત છે.
બોટાદ APMCમાં ચણાની આવક શરૂ:શરૂઆતમાં 5 હજાર મણ આવક, ખેડૂતોને રૂ.1000થી 1060 ભાવ મળ્યા
બોટાદ APMC ખાતે ચણાની આવક શરૂ થઈ ગઈ છે. શરૂઆતના દિવસોમાં જ બજારમાં ૫ હજાર મણથી વધુ ચણાની આવક નોંધાઈ રહી છે. હાલ છૂટક બજારમાં ચણાના ભાવ પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૦૬૦ રૂપિયા સુધી મળી રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. APMCમાં ચણાની આવક શરૂ થતાં જ બજારમાં ચહલપહલ વધી છે. બજાર સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ચણાની આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. સારો પાક અને અનુકૂળ હવામાનને કારણે ખેડૂતો મોટી સંખ્યામાં ચણા વેચાણ માટે લાવી રહ્યા છે. હાલ છૂટક બજારમાં ચણાના ભાવ પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૦૫૦ રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે. ગુણવત્તા અનુસાર ભાવમાં થોડો ફરક જોવા મળી રહ્યો છે, પરંતુ એકંદરે વર્તમાન ભાવથી ખેડૂતો સંતુષ્ટ છે. બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકાઓમાં ચાલુ વર્ષે કુલ ૨૪ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે, જે ગયા વર્ષ જેટલું જ છે. બોટાદ APMCના ચેરમેન મનહરભાઈ માતરીયા અને વેપારીઓના મતે, જિલ્લામાં ચણાનું સારું વાવેતર થયું છે. જેના કારણે આવક વધતા ભાવમાં હલચલ જોવા મળી શકે છે. ચણાની સીઝનના શરૂઆતના દિવસોમાં જ ૧૦૦થી વધુ વાહનોમાં ખેડૂતો ચણા વેચવા આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આવકમાં ધરખમ વધારો થવાની શક્યતા છે.
LCBએ પ્રાંતિજથી 1.69 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:કારના ગુપ્ત ખાનામાંથી દારૂ સાથે ચાલક પકડાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી LCBએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રસુલપુર પાસેથી એક કારમાંથી ગુપ્ત ખાનામાં સંતાડેલી રૂ. 1,69,428ની કિંમતની 260 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કુલ રૂ. 3,69,428નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સાબરકાંઠા LCBના પીઆઈ ડી.સી. સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCB ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અમરતભાઈ અને જીજ્ઞેશકુમારને મળેલી બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ હાઈવે રોડ પર દર્શન હોટલ નજીક રસુલપુર પાટિયા રોડ પર વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી. બાતમી મુજબની એક રેનોલ્ટ ડસ્ટર ગાડી હિંમતનગર તરફથી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીના ચાલકની પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા પાછળના ભાગે ડીકીમાં બનાવેલા ચોરખાનામાંથી, ગાડીના તમામ દરવાજાની અંદરથી અને એન્જિનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 1,69,428નો દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,69,428નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીનું નામ રોડસિંહ દલપતસિંહ રાઠોડ (ઉંમર 37) છે. તે હાલ અમદાવાદના દસકોઈ તાલુકાના કઠવાડા ખાતે એ/303 સાકમરાજ રેસીડેન્સી, સિંગરવા કઠવાડા રોડ, સફલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહે છે. તેનો મૂળ વતન રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના સરાડા તાલુકાનું મીદોડા ગામ છે. પ્રાંતિજ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં રમઝાન માસ દરમિયાન કાલાવડ નાકા બહારના વિસ્તારમાં મોડી રાત સુધી વેપાર-ધંધા ચાલુ રાખવા દેવા માટે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે સકારાત્મક પ્રતિસાદ આપતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. આ રજૂઆત બે દિવસ પૂર્વે પાંચ હાટડી વિસ્તારમાં થયેલી માથાકૂટના પગલે કરવામાં આવી હતી. તે સમયે સિટી-એ ડિવિઝન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાંચ હાટડી વિસ્તારમાં હોટલ, ખાણી-પીણીની લારીઓ, ચા-પાન ગલ્લા સહિતના તમામ ધંધા બંધ કરાવ્યા હતા. ત્યારબાદ, પાંચ હાટડી વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન વેપારીઓને મોડી રાત સુધી વેપાર-ધંધો ચાલુ રાખવાની મંજૂરી મળે તે હેતુથી સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ અને વેપારીઓએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડાને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પી.આઇ. ચાવડાએ યોગ્ય અને સંતોષકારક જવાબ આપી સમગ્ર પોલીસ સ્ટાફ તરફથી પૂરતો સાથ-સહકાર મળશે તેવી ખાતરી આપી હતી. તેમણે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચન પણ કર્યું હતું. આ રજૂઆત સમયે જામનગર જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાલા, મુસ્લિમ સમાજના મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, બુલંદી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અસલમભાઇ સોરા, મોશીનભાઇ ખફી, પાંચ હાટડી વિસ્તારના વેપારી અને કસાઇ સમાજના અગ્રણી નુરમામદભાઇ કસાઇ, ભૂરાભાઇ કસાઇ, બાબરભાઇ લાખા અને નદીમભાઇ બાબી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા જિલ્લાના બેચરાજીના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો, જ્યારે બેચરાજી APMCના ડિરેક્ટર હિરેન પટેલની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી. સુરત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે વધુ તપાસ માટે તેને બેચરાજી પોલીસને સોંપવામાં આવ્યો છે. એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આર્થિક ગુનાખોરીમાં સંડોવાયેલા ડિરેક્ટરનો પર્દાફાશ થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જામીન પર મુક્ત થયા બાદ પણ ન સુધર્યોહિરેન લક્ષ્મણભાઈ પટેલ 2020માં બેચરાજી APMCની ચૂંટણીમાં વેપારી વિભાગમાંથી ચૂંટાઈને ડિરેક્ટર બન્યો હતો. માર્કેટ યાર્ડમાં તેની 'પટેલ હિરેન લક્ષ્મણભાઈ એન્ડ કંપની' નામે પેઢી પણ કાર્યરત હતી. જોકે સત્તા મળ્યા બાદ તે સાયબર ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હિરેન પટેલ અગાઉ પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે. 2025માં સુરતમાં નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદના આધારે ઓગસ્ટ, 2025માં તેની ધરપકડ થઈ હતી. જામીન પર મુક્ત થયા બાદ તેણે સુધરવાને બદલે ગુનાખોરીનો વ્યાપ વધાર્યો હતો. આરોપીની પત્ની હાલમાં જેલમાં બંધનવા કૌભાંડમાં હિરેન પટેલે પોતાની પત્ની પ્રેમિલા પટેલને પણ સામેલ કરી હતી. અંદાજે રૂ.16.68 લાખ જેટલી માતબર રકમ તેની પત્નીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે ગત 9 ડિસેમ્બર, 2025ના રોજ બેચરાજી પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પત્ની પ્રેમિલા પટેલની અગાઉ ધરપકડ કરી લેવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. આરોપી હિરેન લાંબા સમયથી ફરાર હતોપોલીસ કાર્યવાહીથી બચવા માટે હિરેન પટેલે બેચરાજી APMCમાં આવેલી પોતાની પેઢીનું વેચાણ કરી દીધું હતું અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. લાંબી તપાસ બાદ આખરે સુરત પોલીસે ફરાર હિરેનને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે બેચરાજી પોલીસને હવાલે કર્યો છે.
શહેરમાં અવારનવાર રોડ રેજના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે ભેસ્તાનમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. એસએમસી કોમ્પ્લેક્સની સામે રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટેમ્પો ચાલકની પ્રેમનગરમાં રહેતા એક યુવક સાથે સામાન્ય ટક્કર થઈ હતી. આ સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે યુવક અને તેના મિત્રોએ ભેગા મળીને ટેમ્પો ચાલકને જાહેરમાં બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. જોકે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ ટેમ્પો ચાલક અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ બોલાચાલી જોઈને નજીકમાં ઉભેલા યુવકના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા અને વાતચીત કરવાને બદલે સીધો ટેમ્પો ચાલક પર હુમલો કરી દીધો હતો. કોલર પકડીને રસ્તા વચ્ચે ખેંચવા લાગ્યાવાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટેમ્પો ચાલકને લગભગ પાંચથી વધુ લોકોએ ઘેરી લીધો હતો. આ ટોળકી ટેમ્પો ચાલકનો કોલર પકડીને તેને રસ્તા વચ્ચે ખેંચી રહી હતી. માનવતા નેવે મૂકીને આ શખ્સો હાથ, પગ અને જે હાથમાં આવ્યું તેનાથી ફટકારી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક શખ્સોએ ડોલથી ટેમ્પો ચાલકના માથા અને શરીરના ભાગે પ્રહાર કર્યા હતા. જાહેરમાં રસ્તા પર ચાલતી આ ગુંડાગીરી જોઈને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કાયદાનો કોઈ ડર રહ્યો નહોતોઆ મારામારીની ઘટનામાં હુમલાખોરો એટલા ઉશ્કેરાયેલા હતા કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નહોતો. ટેમ્પો ચાલક જીવ બચાવવા આજીજી કરી રહ્યો હતો, તેમ છતાં એક પછી એક યુવકો આવીને તેને ફટકારી રહ્યા હતા. ટેમ્પો ચાલકને ઢોર માર મારતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. હુમલાખોરોએ શિસ્તની તમામ મર્યાદા ઓળંગીને જાહેર માર્ગને કુસ્તીનું મેદાન બનાવી દીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે અને વીડિયો ફૂટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરી હતી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગુંડાગીરી ભૂલાઈ ગઈ,આરોપીઓએ કાન પકડી માફી માંગીપોલીસના સકંજામાં આવતા જ રસ્તા પર દાદાગીરી કરનારા યુવાનોની સાન ઠેકાણે આવી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે, હવે પછી અમે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને ફરી કોઈ આવી હિંમત ન કરે તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ ધારકોના બાકી રહેલા e-KYC ઝડપથી પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સૂચના અનુસાર, NFSA હેઠળના લાભાર્થીઓને અનાજનો લાભ સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવા e-KYC ફરજિયાત છે. જિલ્લા પુરવઠા અધિકારી, બનાસકાંઠાના નિર્ણય મુજબ, સૌથી વધુ e-KYC બાકી હોય તેવા તાલુકાઓમાં આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થી અનાજના લાભથી વંચિત ન રહે. આગામી 23 થી 25 ફેબ્રુઆરી, 2026 દરમિયાન બનાસકાંઠાના હડાદ, ઓગડ, અમીરગઢ અને ધાનેરા તાલુકાના 20થી વધુ ગામોમાં આ કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. આ કામગીરી માટે ગ્રામ્ય કક્ષાએ રેવન્યુ તલાટી, સરપંચ, તલાટી કમ મંત્રી, VCE (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને ફરજિયાત હાજર રહીને e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત, હડાદ તાલુકામાં 23 ફેબ્રુઆરી, 2026ના રોજ મચકોડા, હડાદ, ઉણોદરા, ઇસરવા અને નાના જામપુર ખાતે કેમ્પ યોજાશે. 24 ફેબ્રુઆરીના રોજ તોરણીયા, છોટા બામોદરા અને ખંઢોર ઉંબરી ગામમાં e-KYCની કામગીરી થશે. ઓગડ તાલુકામાં 23 ફેબ્રુઆરીએ ઇસરવા અને નાના જામપુરમાં, 24 ફેબ્રુઆરીએ રાણકપુર અને વરસડામાં, તથા 25 ફેબ્રુઆરીએ ભલગામમાં કેમ્પનું આયોજન છે. અમીરગઢ તાલુકામાં 24 ફેબ્રુઆરી, 2026ના રોજ અમીરગઢ ગામમાં, જ્યારે 25 ફેબ્રુઆરીએ રામપુરા વડલા, વિરમપુર અને ધનપુરા (વિ) ગામમાં કેમ્પ યોજાશે. ધાનેરા તાલુકામાં 24 ફેબ્રુઆરીએ રૂણી અને ખીંમત ખાતે, તથા 25 ફેબ્રુઆરીએ જડીયા-2, ભાટરામ અને રામપુરા મોટા ગામોમાં e-KYCની કામગીરી હાથ ધરવામાં આવશે. લાભાર્થીઓએ પોતાના જરૂરી આધાર-પુરાવા સાથે કેમ્પના સ્થળે ઉપસ્થિત રહી પોતાનું e-KYC કરાવી લેવા વિનંતી છે. જો કોઈ લાભાર્થીનું અવસાન થયું હોય અથવા સ્થળાંતર થયું હોય, તો તેવા કિસ્સાઓમાં પંચ રોજકામ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. બનાસકાંઠાના નાગરિકોને આ વિશેષ કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ખનીજ ચોરી અટકાવવા નીકળેલી ખાણખનીજ વિભાગની ટીમ પર નાટ્યાત્મક રીતે છાશવારે હુમલાની ઘટના પ્રકાશમાં આવતી રહેતી હોય છે. એવામાં આ વખતે ખુદ જિલ્લા ભૂસ્તર અધિકારી પ્રણવસિંહને પણ સમગ્ર જિલ્લામાં બેખોફ રીતે સિસ્ટમથી ચાલતા નેટવર્કનો ખનીજ માફિયાઓએ ફિલ્મી સ્ટાઈલમાં લક્ઝુરિયસ ચાર ગાડીઓ થકી હુમલો કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કરી પરચો બતાવી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે નિર્ભય બની માઇન્સ સુપરવાઝરે માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચાર કારથી ફિલ્મી સ્ટાઇલમાં રેકી, એકમાં ‘Raahi’ લખેલું હતું ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહ સહિત માઇન્સ સુપરવાઇઝર સગુણા ઓઝા, રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલા સભાયા ગત 2 ફેબ્રુઆરીએ માણસાના પુંધરા ખનિજની બિનઅધિકૃત સંગ્રહ/વહનની તપાસ પૂર્ણ કરી વહેલી પરોઢિયે ખાનગી ગાડીમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નંબર પ્લેટ વિનાની કાળા કાચ વાળી નંબર પ્લેટ વિનાની બે સ્કોર્પિયો અને એક વેન્યુ કારે પુંધરાથી પેથાપુર તરફ જવાના રસ્તે ઈશ્વરપુરા ગામથી ફિલ્મી સ્ટાઇલમાં આગળ-પાછળ રહી પીછો કરવા લાગી હતી. જેમાં એક સ્ક્રોપીયોના કાળા કાચ પર ‘Raahi’ લખેલ ગાડીમાં ભૂમાફિયા દિગ્વીજસિંહ ચાવડા (રહે, વરસોડા તા-માણસા) બેઠો હોવાનું માઇન્સ સુપરવાઇઝર જાણી ગયા હતા. એ વખતે ભૂસ્તર શાસ્ત્રી પ્રાણવસિંહે લગાતાર હોર્ન માર્યા પણ ભૂમાફિયા સ્કોર્પિયો ચાલકે સાઇડ નહીં આપી ભયનો માહોલ ઉભો કર્યો હતો. મહિલા અધિકારીએ વીડિયો બનાવ્યોઆ ભૂમફિયાઓની ગેંગ દ્વારા અર્જુનપુરા ખાતે ભૂસ્તર ટીમની ગાડીની આગળ પાછળ રહી રેકી કરી અવરોધો ઊભા પણ કરવામાં આવી રહ્યા હતા, જેનો મહિલા અધિકારીએ વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહ સહિતની ટીમ સેક્ટર-28 ડીએસપી ઓફિસ સુધી પહોંચ્યા હતા, જ્યાં વધુ સંખ્યામાં પોલીસ જોઇને ભૂસ્તર ટીમે પોતાની ગાડી ધીમી કરતા ભૂમાફિયાઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ભૂસ્તરની ટીમે પોલીસની મદદ લીધી હોત તો આરોપી ઝડપાઈ જાત જોકે, એસપી કચેરી ખાતેથી પસાર થયા તોય પોલીસની મદદ માંગવાની જગ્યાએ ભૂસ્તર ટીમ બહાદુરીપૂર્વક સેક્ટર 30 સર્કલ તરફ આગળ વધી હતી. જ્યાં આગળ જતા જ એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી I-10 ગાડીએ ચ 0 સર્કલ સુધી પીછો શરૂ કર્યો હતો. જ્યાં અગાઉથી ઉપરોક્ત ત્રણ ગાડીઓ ભૂસ્તર ટીમની રાહમાં ઊભી રહી ગઈ હતી. મહિલા અધિકારીએ ગભરાઈને 112માં કોલ કર્યોઆટલેથી ન અટકેલા ભૂમાફિયા ગેંગ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહ સહિતની ટીમમાં ખૌફ ઊભો કરવા એક જૂથ થઈ રફ ડ્રાઈવિંગ કરી સરકારી કામગીરીમાં અડચણો ઊભી કરી હતી. બાદમાં માઇન્સ સુપરવાઇઝર સગુણા ઓઝા પોતાનું એક્ટિવા લેવા ઇન્ફોસિટી ખાતે ગયા હતા, જ્યાં પણ ઉક્ત ચારેય ગાડીઓ જોવા મળી હતી, જેથી તેમણે અંતે ગભરાઈને 112 હેલ્પલાઇનની મદદ માંગતા પોલીસ એક્ટિવ થઈ હતી. બાદમાં બે ઇસમો i-10 ગાડી મૂકીને નાસી ગયા હતા. આ ફિલ્મી હાઈવોલ્ટેજ ડ્રામા મામલે આખરે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. મહિલાની સુરક્ષાને હાનિ પહોંચાડવાનો એક હીન પ્રયાસઉલ્લેખનીય છે કે આ માત્ર રેકી નહોંતી, પરંતુ રાત્રિના સમયે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને ડરાવવાનો અને તેમની સુરક્ષાને હાનિ પહોંચાડવાનો એક હીન પ્રયાસ હતો. અગાઉ પણ જે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેવા તત્વો ફરી સક્રિય થતા પોલીસ પણ પાસા સુધીની કડક પગલાં લે તો નવાઈ નહીં. ભૂમાફિયાઓએ ગોઠવેલું નેટવર્ક હજી પણ સિસ્ટમથી એક્ટિવનોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં ભૂતકાળમાં કાઠિયાવાડી કોયલના નામે ચાલતું નેટવર્ક બહાર આવી જતા ભૂસ્તર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. જોકે તોય ભૂમાફિયાઓએ ગોઠવેલું નેટવર્ક હજી પણ સિસ્ટમથી એક્ટિવ હોવાનો ગણગણાટ યથાવત્ છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ભૂસ્તર તંત્રની ટીમ ઉપર હુમલો પ્રયાસ થયાની ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. એવામાં ખુદ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહને પણ ભાફિયાઓએ પરચો આપ્યો હોવાની ફરિયાદ માણસા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા જઈ રહેલા પદયાત્રી સંઘની બે મહિલાઓને ક્રેનના ચાલકે હડફેટમાં લેતા એકનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક મહિલાને ઈજા પહોંચી છે. પોલીસે ક્રેન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામના રબારી પરિવારની ચાર મહિલા સભ્યો દ્વારકાધીશજીના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રા કરીને જઈ રહી હતી. જેમાં જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉં. 54), આરતીબેન દિલીપભાઈ રબારી, કમુબેન દેવશીભાઈ મોરી અને રાધાબેન ગભરૂભાઈ ખાંભલાનો સમાવેશ થાય છે. ગઈકાલે બપોરના સમયે તેઓ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સી.જી. -10 એ.એસ.3665 નંબરની ક્રેનના ચાલકે બેફામ ગતિએ આવી પાછળથી જેઠીબેન રામાભાઇ ખટાણા અને રાધાબેન ગભરૂભાઈ ખાંભલાને હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં જેઠીબેન રામાભાઇ ખટાણા (ઉંમર 54 વર્ષ)નું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રાધાબેન ગભરૂભાઈ ખાંભલાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક જેઠીબેનના પુત્ર વલ્લભભાઈ રામાભાઇ ખટાણાએ આ અંગે જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ક્રેનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઇ. એસ.સી. જાડેજાએ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે ક્રેનના ચાલકની અટકાયત કરી ક્રેન કબજે કરી લીધી છે. આ બનાવથી પદયાત્રી સંઘમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અમદાવાદમાં 27 PIની બદલી અને લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી બદલી દાણીલીમડાના PIની છે જેમને કંટ્રોલરૂમમાં મૂકાયા છે. કહેવાય છે કે તેમને કેમિકલ ચોરીનો કેસ નડી ગયો છે. કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે PI મળ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
નવસારીના વિજલપોર સ્થિત ઐતિહાસિક વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિરમાં 43 વર્ષથી અવિરત અખંડ હરિનામ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ભક્તિમય માહોલમાં યોજાતા આ મહોત્સવના આજે આઠમા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આવતીકાલે કાળાના કીર્તન સાથે આ ભક્તિમય મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ પ્રસંગે હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. આ આયોજન પાછળના ઉદ્દેશ્ય અંગે માહિતી આપતા આયોજક સુરેશ નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પરંપરાનો મુખ્ય હેતુ સમાજમાંથી વ્યસનોને દૂર કરવાનો છે. ખાસ કરીને યુવા પેઢી દારૂ અને તમાકુ જેવા દૂષણોથી મુક્ત બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રથી પધારેલા સંતો દ્વારા યુવાનોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ કાર્યમાં તરુણ અને યુવા મંડળના સભ્યો ખભેખભા મિલાવીને સેવા આપી રહ્યા છે. સમાજમાં સંસ્કારોનું સિંચન કરવા માટે એક નવતર પ્રયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે. આગામી શ્રાવણ માસ દરમિયાન 50 જેટલા બાળકોને વારકરી સંપ્રદાયની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ સવાર-સાંજ બે કલાક ચાલશે, જેમાં ભજન, કીર્તન અને સંપ્રદાયની પરંપરાઓ શીખવવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ અને બાળકોને વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, આજે આપણા વિજલપોરની અંદર વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિર ખાતે અખંડ હરિનામ સપ્તાહનો આઠમો દિવસ છે અને કાલે સવારે કાળાનું કીર્તન થશે, ત્યારે બધાને મહાપ્રસાદ મળશે. આ એક ઉમદા હેતુ છે. આ કાર્યક્રમ લગભગ 43 વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહ્યો છે. આ પરંપરામાં અમારું તરુણ મંડળ અને યંગ મંડળ ખૂબ જ સક્રિય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય બધાને વ્યસનમુક્તિ, દારૂબંધી અને તમાકુમુક્તિ માટે જાગૃત કરવાનો છે. મહારાષ્ટ્રથી પધારેલા સંતો પણ લોકોને વ્યસન કેવી રીતે છોડવું અને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા તે અંગે માર્ગદર્શન આપે છે. વારકરી સંપ્રદાયની આ પરંપરા છેલ્લા 43 વર્ષથી વિજલપોરમાં અવિરત ચાલી રહી છે. હવે અમે એક નવો સંકલ્પ લીધો છે કે શ્રાવણ મહિનામાં 50 જેટલા છોકરા-છોકરીઓને સવાર-સાંજ બે કલાક વારકરી સંપ્રદાયની ટ્રેનિંગ આપવામાં આવશે. જે ભાઈ-બહેનોને આમાં જોડાવાની ઈચ્છા હોય તેઓ વિઠ્ઠલ મંદિરનો સંપર્ક કરી શકે છે.
વડોદરા-હાલોલ હાઈવે પર 22 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે. મૃતક યુવકને ગંભીર ઇજાઓને લઈ રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. રોડ પર પરિવારજનોની રોકકળથી માહોલ તંગ બન્યો હતો. આ અસ્માત કેવી રીતે થયો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. વધારે લોહી વહી જતાં યુવકનું સ્થળે જ મોતપ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-હાલોલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક મોટરસાયકલને કોઈ અજાણ્યા કારચાલકે જોરદાર ટક્કર મારી હોવાની આશંકા સેવાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ લોહીનો રેલો વહ્યો હતો અને યુવકે ત્યાં જ દમ તોડી દીધો હતો. બાઈકસવાર અન્ય યુવકને નાની-મોટી ઈજાબાઈક પર સવાર બે લોકોમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક અકસ્માત સ્થળની નજીકના જ કોઈ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જરોદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઅકસ્માતની જાણ થતા જ જરોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મધરાતે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ટક્કર મારી ફરાર થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ કરી રહી છે. ગઈકાલે તરસાલી બળીયાદેવ મંદિર નજીક ડમ્પરે આધેડને કચડી નાખ્યાં હતાં વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં 22 ફેબ્રુઆરીએ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી. તરસાલી બળીયાદેવ મંદિર નજીક પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા સવાર 55 વર્ષીય દોલતરામ લુહારને અડફેટે લઈ કચડી નાખ્યાં હતાં. આ અકસ્માતમાં જામ્બુવામાં રહેતાં દોલતરામ લુહારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે રોડ પર ભારે ટ્રાફિકજાન સર્જાયો હતો. પોલીસે સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ:ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, કપાસ-તુવેર પાકને નુકસાનની ભીતિ
ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે મોસમી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને કપાસ, તુવેર અને મગના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે, પાક તૈયાર થવાની કગાર પર હોય ત્યારે પડેલો વરસાદ ઉપજ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે.
20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે (23 ફેબ્રુઆરી) વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અને ગાંધીનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમીધારે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં આગામી 3 કલાક એટલે કે, 11 વાગ્યા સુધી યેલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલીરાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે. જોકે આજે વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. અનેક શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનમાં કોઈ મોટો ઉછાળો નહિ જોવા મળેરાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ થઈ શકેહાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે-ધીમે શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.
હિલપાર્ક ચોકડી પાસે DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન નામની ઓફીસ ખોલીને બે શખ્સોએ બૂચ માર્યા ભાવનગર શહેરના સીદસર રોડ પર દ્વિજા ફાઈનાન્સ્યલ સોલ્યુશન નામની ઓફીસ ખોલીને અનેક લોકોને 7 ટકા વળતર આપવાની રોકણ કરાવીને શીશા ના ઉતર્યા હતા બાદ રકમ પરત નહીં કરતા ઘટસ્ફોટ થયો હતો, 40થી વધુ લોકો પાસેથી 4.20 કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી, બે પૈકી એકને ભાવનગર સીઆઈડી ક્રાઈમએ વિવેક ને ઝડપી લઈ કોર્ટ માં રજૂ કરતા ત્રણ દિવસમાં રિમાન્ડ મંજુર થયા હતા, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા જીગર અશોકભાઈ ભટ્ટ તથા તેની માતા રેખાબેન થોડા સમય પહેલા વિવેક નાથાણી અને પ્રતિક ગળચર નામના શખ્સોના પરીચયમા આવ્યા હતા, આ બંને શખ્સોએ DWIJA ફાઈનાન્સ્યલ સોલ્યુશન નામની મની ઈન્વેસ્ટમાં રોકાણ કરી સારૂં એવું આર્થિક વળતર અપાવવાની લાલચ આપી હતી, દરમ્યાન માતા-પુત્ર એ આર્થિક રોકાણ કર્યાં ના ટૂંકા ગાળામાં સારૂં એવું આર્થિક પ્રોપિટ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો, દરમ્યાન આ કંપનીમાં વધુ રોકાણ સાથે વધુ નફાની લાલચ આપી જીગર તથા તેની માતા રેખાબેન ને લોભામણી જાહેરાતો કરી ફસાવ્યા હતા, જેમાં માતા પુત્ર સહિત અન્ય 41 વ્યક્તિઓએ પણ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું, DWIJA FINANACIAL SOLUTIONS પ્રેમ્ફલેટ બતાવી મંથલી 7 ટકા સુધીના વળતર આપવાની લોભામણી લલચામણી જાહેરાતો બતાવી તથા અન્ય 41 ભોગબનનાર/રોકાણકારો પાસેથી તે પૈકી આજદીન સુધી ફરી.ને રૂ.3,02,38,500 તથા બીજા રોકાણકારોની રૂ.1,17,92,273 મળી ફૂલ રૂ.4,20,30,773 જેટલી રકમ મેળવી રોકાણકારોને પાકતી મુદતે નાણાની ચુકવણી કરવામાં કપટપુર્વક કસુરવાર થઇ આજદીન સુધી આરોપીઓએ વાયદાના નાણા પરત કર્યા ન હતા, પરંતુ સમય વિત્યે નફો કે મુદ્દલ પરત ન મળતા રોકાણકારો એ રોકેલા રૂ.4.20 માતબર રકમ બંન્ને ગઠીયાઓ ઓળવી જતા રેખાબેન એ રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે વિવેક નાથાણી નામના ઠગની ધડપકડ કરી છે અને તપાસનો ધમધમાટ આદર્યો છે.
પાટણમાં RSS શતાબ્દી સંમેલન:પંચ પરિવર્તનની થીમ હેઠળ સામાજિક સમરસતા પર ભાર મુકાયો
પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચમુખી વસ્તી દ્વારા એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંચ પરિવર્તનની થીમ હેઠળ સમાજને સંગઠિત કરવાનો હતો. RSS ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં કુલ 15 સંમેલનો યોજવાનું આયોજન કરાયું છે, જેમાંથી આ પંચમુખી વસ્તી સંમેલન એક હતું. સંમેલનની શરૂઆત પૂર્વે શહેરના વિવિધ માર્ગો પર એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 'જય શ્રી રામ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાયેલું આ સંમેલન 'પંચ પરિવર્તન'ની થીમ પર કેન્દ્રિત હતું. જેમાં સામાજિક સમરસતા, સ્વદેશીનો આગ્રહ, નાગરિક કર્તવ્ય પાલન, પરિવાર પ્રબોધન અને પર્યાવરણ જાળવણી જેવા પાંચ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઢીમાંના સંત જાનકીદાસજીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધી હિન્દુ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના અગ્રણી કાર્યકરો અને પાટણના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સંમેલન દ્વારા સામાજિક જાગૃતિ અને સંગઠિત શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું.
વલસાડ-ખેરગામ રોડ પર સેગવા ગામ પાસે આજે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધરમપુર તાલુકાના મોહપાડા ગામના રસિકભાઈ કાશીનાથ કાકડનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, રસિકભાઈ કાકડ પોતાની બાઈક લઈને વલસાડ તરફ જઈ રહ્યા હતા. તે સમયે વલસાડથી ખેરગામ તરફ પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે સેગવા ગામના કટ પાસે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રસિકભાઈ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો અને સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોહપાડા ગામના યુવાનના નિધનના સમાચારથી પરિવાર અને પંથકમાં શોક વ્યાપી ગયો છે.
વલસાડમાં હુમલો કરનાર એક આરોપી ઝડપાયો:ખડકીભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જૂની અદાવતમાં હુમલો કર્યો હતો
વલસાડ શહેરના ખડકીભાગડા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક જૂની અદાવતને કારણે થયેલા હુમલા પ્રકરણમાં વલસાડ સીટી પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે. ક્રિકેટ સ્ટમ્પ વડે કરાયેલા આ હુમલા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે ખડકીભાગડા ગ્રાઉન્ડ પાસે બોલાચાલી થયા બાદ ત્રણ શખ્સોએ એક યુવક પર ક્રિકેટ સ્ટમ્પ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 115(2), 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ASI હેમંતભાઈ વેણીલાલ અને તેમની ટીમે બાતમીના આધારે તા. 22/02/2026ના રોજ આરોપી હિમેશભાઈ મનીષભાઈ પટેલ (રહે. ખડકીભાગડા, વલસાડ)ની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કેસમાં પોતાની સંડોવણી અને અન્ય યુવકોની હાજરી તેમજ ઇજાગ્રસ્ત યુવકને માર માર્યો હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ વિશાલ જીતુભાઈ રાઠોડ અને 'ડીલર' ઉપનામ ધરાવતા શખ્સની શોધખોળ તેજ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચલાવવામાં આવી રહી છે.
મોડાસા સ્કૂલના 2007 બેચનું 19 વર્ષે પુનર્મિલન:મિત્રોએ 'સમન્વય' ગેટ-ટુ-ગેધર યોજી જૂની યાદો તાજી કરી
મોડાસાની કે.એન. શાહ સ્કૂલના વર્ષ 2007ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 19 વર્ષ બાદ પુનર્મિલન યોજાયું હતું. આ 'ગેટ-ટુ-ગેધર' કાર્યક્રમ સાકરીયા ચિરંજીવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. લાંબા સમય બાદ એકબીજાને મળેલા સહપાઠીઓએ શાળાજીવનની જૂની યાદો તાજી કરી હતી. આ મેળાપ મિત્રો માટે વ્યસ્ત જીવનમાંથી વિરામ લઈ ભૂતકાળને યાદ કરવાનો અવસર બન્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં, સ્કૂલના સ્વર્ગસ્થ શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પરસ્પર સંવાદ, જૂના પ્રસંગોની યાદો, ફોટોગ્રાફી, ગરબા, ડાન્સ અને વિવિધ રમતોનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા મિત્રતાનું બંધન વધુ મજબૂત બન્યું હતું. આ મેળાપનું આયોજન 2007 બેચના ચિરાગ ડાભીના સંકલન અને પ્રયત્નોથી 'સમન્વય' નામ હેઠળ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા અને ગ્રુપ સંવાદ દ્વારા લાંબા સમયથી વિખૂટા પડેલા મિત્રો ફરી એકબીજા સાથે જોડાયા હતા. આ બેચના વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, વેપારી અને આર્કિટેક્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં સફળ થયા છે. કેટલાક મિત્રો દેશ-વિદેશમાં પણ કારકિર્દી બનાવી રહ્યા છે. જે મિત્રો ઉપસ્થિત રહી શક્યા ન હતા, તેમણે વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવી કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન, પરિચય સત્ર યોજાયું હતું જેમાં દરેક સહપાઠીએ પોતાની વ્યવસાયિક અને પારિવારિક યાત્રા વિશે માહિતી આપી હતી. જૂની યાદો તાજી કરવામાં આવી હતી અને આ પળોને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. મિત્રોએ ભવિષ્યમાં પણ આવા 'સમન્વય' કાર્યક્રમો યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીના NCC કેડેટ્સે નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC) 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટી દ્વારા કેડેટ્સ અને NCC ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. RDC 2026 માટે ADIT કોલેજના કેડેટ રાઠોડ ગુરુરાજ સિંહ અને GCET કોલેજના કેડેટ લાધવાલા દેવની પસંદગી થઈ હતી. કેમ્પ દરમિયાન, આ કેડેટ્સને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જેવા ઉચ્ચ મહાનુભાવો સાથે સંવાદ કરવાની અમૂલ્ય તક મળી હતી. કેડેટ લાધવાલા દેવને તેમની અસાધારણ કામગીરી માટે DG NCC દ્વારા પ્રતિષ્ઠિત 'કોમેન્ડેશન કાર્ડ' એનાયત કરાયું હતું. દિલ્હીથી પરત ફર્યા બાદ, બંને કેડેટ્સે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ADG ગુજરાત દ્વારા બંને કેડેટ્સને 'એપ્રીસીએશન મેડલિયન' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે કેડેટ્સની શિસ્ત અને સમર્પણને બિરદાવતા આ સિદ્ધિને શ્રેષ્ઠ માર્ગદર્શનનું પરિણામ ગણાવ્યું હતું. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયાએ આ સફળતાને ટીમવર્કનું ઉદાહરણ ગણાવી 38 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અખિલ માંધે અને લેફ્ટનન્ટ કર્નલ અનિલ મેહરાના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ADITના પ્રિન્સિપાલ ડૉ. વિશાલ સિંહ, GCETના પ્રિન્સિપાલ ડૉ. કૌશિક નાથ અને NCC ઓફિસર ડૉ. શિવકુમાર સિંહ સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સિદ્ધિ આગામી સમયમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
આમ તો વડોદરા શહેરમાં કોઈ એવો વિસ્તાર નથી, જ્યાં દારૂ ન મળતો હોય! આખા શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે અને વડોદરા પોલીસ દારૂની હેરાફેરીને રોકવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આવા સમયે વડોદરા શહેરમાં પોલીસની નજરથી બચવા બુટલેગરે બ્યુટી પાર્લરની દુકાનમાં દારૂ છુપાવવા અનોખો કીમિયો અજમાવ્યો હતો. દુકાનમાં રહેલી POPની LED લાઇટ ખોલતા જ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો નિકળ્યો હતો. POPમાં ચારકોરથી બોટલો નીકળવા લાગી હતી, જે જોઈને PCB પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. PCBએ હાઈપ્રોફાઈલ દારૂ નેટવર્કનો પર્દાફાશ કર્યોવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા આપવામાં આવેલી કડક સૂચના આપી છે. તેમ છતાં વડોદરા શહેરમાં દારૂ બેરોકટોક વેચાય છે અને પીવાય પણ છે. આવા સમયે વડોદરા PCB પોલીસની ટીમે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક મકાનની સીલિંગ (POP) અને બ્યુટી પાર્લરની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. બે લાખ 73 હજારનો દારૂ-બિયરનો જથ્થો નીકળ્યોPCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કિશનવાડી વુડાના મકાન પાસે આવેલ પરશોત્તમનગર સોસાયટીના મકાન નં. સી-35માં હિતેશકુમાર રતિલાલ જયસ્વાલ દારૂનો વેપલો કરે છે. આ બાતમીના આધારે PCB પોલીસની ટીમે જ્યારે આ મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોલીસથી બચવા માટે મકાનમાં POP અને ઘરમાં ચાલતા બ્યુટી પાર્લરના ખાનાઓમાં દારૂની બોટલો છુપાવી હતી. જ્યાંથી 2,73,820 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પરથી એકની ધરપકડ, એકની શોધખોળપોલીસે આરોપી હિતેશકુમાર રતિલાલ જયસ્વાલ (ઉં.વ. 45)ની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર જીજ્ઞેશ ઉર્ફે જીગા પરમારને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી પી.સી.બી.ના પી.આઈ. સી.બી. ટંડેલ અને તેમની ટીમે પાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દારૂનું વેચાણ સતત વધી રહ્યું છે. બુટલેગરો પણ પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા છે. આવા સમયે બુટલેગરો દારૂનું વેચાણ કરવા માટે પોલીસથી બચવાના પ્રયાસ કરે છે. બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે વિવિધ પ્રકારના કીમિયા અજમાવી રહ્યા છે. બુટલેગર પોલીસને લઈ બીજા બુટલેગરને ત્યાં પહોંચ્યો, ચાર પોલીસકર્મી સામે એક્ટિવામાં દારૂ લઈ ફરાર વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને બુટલેગરો વચ્ચેનો એક વિવાદિત વીડિયો 24 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વાઇરલ વીડિયો મુજબ, બુટલેગર ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો કનોજીયાને ત્યાં ચાર જેટલા પોલીસકર્મીએ રેડ કરતા આ બુટલેગરે અન્ય જગ્યાએ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી ‘મને ધંધો કરવા દો નહીં તો બધું બંધ કરાવો' તેવું કહ્યું હતુ. બાદમાં ગુરુ પ્રસાદ પોલીસને લઈને બુટલેગર રોહિત કથીરિયાને ત્યાં પહોંચ્યો હતો. અહીં રોહિત કથીરિયા દારૂના જથ્થા સાથે પોલીસની સામે જ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમયે ગુરુ પ્રસાદ સહિતનાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે બુટલેગર રોહિત કથીરિયા ભગાવી દીધો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
સરદાર પટેલ યુનિવર્સિટીમાં રવિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમ 'સંધાન-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીની 1000 દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવાની જાહેરાત કરાઈ હતી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તાત્કાલિક 500 દીકરીઓ માટે રસીના ડોઝની સહાય જાહેર કરી હતી. ઈપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલપતિ પ્રો. નિરંજન પટેલે પૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનો જીવંત વારસો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માત્ર ભૂતકાળ નથી, પણ યુનિવર્સિટીની વિસ્તરતી પરંપરા છે. આ સામાજિક પહેલ યુનિવર્સિટીની દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત IIM કોઝીકોડના પ્રોફેસર ડૉ. અભિલાષ નાયરે સંસ્થાના વિકાસમાં એલ્યુમનીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ગવર્નન્સ, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ગ્લોબલ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનની ચર્ચા કરી. અતિથિ વિશેષ મહેશ પાઠકે મહેનત કરી ધન કમાવવા અને ઉદાર હાથે દાન આપવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જીવરાજભાઈ ડંખરાએ સેમી કંડકટર ક્ષેત્રે મણીબેન પટેલના નામ પર ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીની પ્રથમ એલ્યુમની સ્મરણિકા ‘યોગત્વ’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક સ્તરે નામના મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જેમાં યુનાઈટેડ વુલ્ફ્રામના એમ.ડી. અભિષેક ગામી, સેબોટેકના સી.ઈ.ઓ. શ્વેતા પ્રજાપતિ, ઇસરોમાં કાર્યરત આર. જે. ભંડેરી અને સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સુરેશ બાલદણિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકન એક્સપ્રેસના અબ્દુલ વાહિદ સૈયદ, વન વિભાગના ડૉ. મીનલ દીપકકુમાર જાની, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, પ્રોફેસર વિઠ્ઠલભાઈ પટેલ અને 23 ગ્લોબલ પેટન્ટ ધરાવતા ડૉ. યોગેન્દ્ર ચૌહાણને પણ બિરદાવવામાં આવ્યા હતા. મુખ્ય સમારોહ બાદ વિવિધ વિભાગોમાં વિભાગવાર મીટ યોજાઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના જૂના સહપાઠીઓ અને પ્રોફેસરો સાથે સંવાદ કરી સ્મૃતિઓ તાજી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અંકુર અમીને અને આભારવિધિ રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલે કરી હતી.
રાજ્યભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે ભરુચમાં ત્રણ દિવસ બાદ ફરી કાળાડિબાંગ વાદળો અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના ડરથી ફફડી રહ્યો છે. ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારીઆજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અચાનક કમોસમી વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાબીજી તરફ રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે. જોકે, આજે વહેલી સવારથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિસિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાહવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આગામી 2થી 3 દિવસોમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયા કિનારાના શહેરોમાં પવનની ગતિ અને તાપમાનમાં થતા ફેરફારને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાન 1થી 2 ડિગ્રી જેટલું નીચે જવાની શક્યતા છે, જોકે ત્યાં આ ફેરફાર ખૂબ જ સામાન્ય રહેશે. અમદાવાદમાં 34.3 ડિગ્રી તાપમાનરાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં હાલમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 34થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં 33થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. એકંદરે આ શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે અને વાતાવરણ સ્થિર રહેશે. ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશેહાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો પ્રભાવી છે. આ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને સૂકા પવનો ફૂંકાશે. દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની આ દિશા અને ગતિ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે. જેને કારણે રાજ્યમાં વરસાદની કોઈ જ શક્યતા નથી અને ખેડૂતો માટે પણ આ સૂકું વાતાવરણ રાહતરૂપ સાબિત થઈ શકે છે. રાજ્યમાં હવે શિયાળાની જમાવટ ધીમે ધીમે શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનમાં ક્રમશઃ ઘટાડો અને ઉત્તરીય પવનોની અસરને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બદલાવ જોવા મળશે.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 23 ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ‘વિજ્ઞાનોત્સવ-2026’ (SCIFEST) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝનને સાકાર કરવાના હેતુથી આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક વિજ્ઞાન અને સંશોધન પ્રત્યે રુચિ વધારવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્લેટફોર્મ યુવા પ્રતિભાઓને તેમના નવીન વિચારો સાકાર કરવાની તક પૂરી પાડશે. આજે સવારે 11 વાગ્યે એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં કુલપતિ પ્રો. નિરંજન પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશી અને અમદાવાદ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજીના ડાયરેક્ટર પ્રો. પંકજ જોશી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ મહોત્સવ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વેગ આપશે. આ ત્રિ-દિવસીય વિજ્ઞાનોત્સવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, સેમિકન્ડક્ટર, સ્માર્ટ મટીરીયલ્સ અને ગ્રીન એન્વાયર્નમેન્ટ જેવા અત્યાધુનિક વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં સાયન્સ એક્ઝિબિશન, સાયન્સ ક્વિઝ, લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ખ્યાતનામ વૈજ્ઞાનિકોના ટોક સેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એસ્ટ્રોનોમી સેશનમાં સાંજ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આકાશ દર્શન (Sky Gazing) અને એસ્ટ્રોફોટોગ્રાફીના વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે.
વેરાવળના ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલા કામનાથ મંદિર નજીક સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા સમસ્ત હિન્દુ સમાજ આયોજન સમિતિના સહયોગથી 23 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ ગુંજ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંગલાચારણ, ભારત માતાની છબી અને પવિત્ર ધર્મગ્રંથોને પુષ્પાંજલિ અર્પણ તેમજ દીપ પ્રજ્વલન સાથે વિધિવત રીતે થયો હતો. આમંત્રિત સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી કામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. સંમેલનમાં જુના અખાડાના સંન્યાસી અને રોકડીયા હનુમાનજી આશ્રમ (ડેરી પીપળીયા, તા. બગસરા, જી. અમરેલી)ના મહંત પરમ પૂજ્ય શ્રી હંસગીરીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે પરિવાર, સમાજ અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી જ સંસ્કૃતિને જીવંત રાખી શકાય છે. આ પ્રસંગે વિખ્યાત કથાકાર કલ્પેશભાઈ મહેતા, દીપમાલા ગ્રુપના CEO જગદીશભાઈ ફોફંડી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજિક સમરસતા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જતીનભાઈ નાણાવટી મુખ્ય વક્તા તરીકે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા જતીનભાઈ નાણાવટીએ પોતાના ઉદ્બોધનમાં હિન્દુ સમાજમાં સંગઠન, સમરસતા અને રાષ્ટ્રીય એકતાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મ વૈદિક સંસ્કૃતિમાં મૂળ ધરાવતો વિશ્વનો પ્રાચીન ધર્મ છે અને સનાતન ધર્મના મૂલ્યો સમાજને સંસ્કારિત બનાવે છે. તેમણે આવા સંમેલનોને સામાજિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. સંમેલન દરમિયાન ભક્તિમય ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો રજૂ કરાયા હતા, જેનાથી ઉપસ્થિતોમાં નવી ઊર્જાનો સંચાર થયો. સમાજમાં કર્તવ્યબોધ, સ્વદેશી વિચારધારા અને સંસ્કારોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી, ખારવા સમાજના અધ્યક્ષ લખમભાઈ ભેંસલા સહિત શહેરના વિવિધ સમાજના આગેવાનો, સામાજિક અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળની કામનાથ વસ્તીમાં યોજાયેલું આ વિરાટ હિન્દુ સંમેલન સમાજને એકતા, સમરસતા અને સાંસ્કૃતિક ગૌરવના સૂત્રમાં બાંધનાર પ્રેરણાદાયી સમારંભ બન્યું. ઉપસ્થિતોએ હિન્દુ સમાજની શક્તિ અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
CET:પ્રથમ યાદીમાં 85 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો
રાજ્ય પરીક્ષા બોર્ડે જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, ટ્રાઈબલ સ્કૂલ્સ, રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે 31 જાન્યુ્આરીએ લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2026નું પરિણામ જાહેર કર્યું છે. 5,89,640 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં પ્રથમ હંગામી યાદીમાં 85 હજારનો સમાવેશ થયો હતો. 2025માં હંગામી યાદીમાં 76 હજારનો સમાવેશ હતો. વધુ 9000 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. જૂન-2026 સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશિપની ફાળવણી કરાશે.ધોરણ 6થી12 સુધીના 30 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સાથે વિવિધ રેસિડેન્સિયલ સ્કૂલ્સમાં 22000 જગ્યામાં ધોરણ 6થી 12માં પ્રવેશ મળશે. કમિશ્નર ઓફ સ્કૂલ્સ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંયુક્તપણે આ પ્રક્રિયા હાથ ધરાશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા.31મી જાન્યુઆરીના રોજ આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. આ પરીક્ષાના પરિણામના આધારે સ્કોલરશીપ યોજના અને વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ જેવી કે, એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં પણ આદિજાતિ વિદ્યાર્થીઓને ધો.6માં પ્રવેશ ફાળવવામાં આવશે. પરિણામના મહત્વના અંશો
પાલિતાણા ખાતે રહેતા અને વેપારીએ વીસેક વર્ષ અગાઉ બિલ્ડીંગ ચણેલ જે બિલ્ડીંગમાં પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે રહેતા પિતા-પુત્રને જગ્યા ભાડે આપેલ હતી. જે બાદ બિલ્ડીંગમાં રિનોવેશન કરવાનું હોય જેથી વેપારીએ પિતા-પુત્રને બિલ્ડીંગ ખાલી કરવાનું જણાવતા આજદિન સુધી ખાલી ન કરતા વેપારીએ મોટી રાજસ્થળી ગામે રહેતા પિતા-પુત્ર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગી નોંધાવી હતી. પાલિતાણાના લાતી બજારમાં રહેતા અને વેપારી હરેશકુમાર અનંતરાય મહેતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સે 2003માં ચાર ભાગીદારોએ મળી બિન ખેતી જમીન ખરીદી જમીનમાં ચાર માળનું બિલ્ડીંગ તૈયાર કર્યું હતું. જે બાદ તેમના મિત્ર અને પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે રહેતા દુલાભાઇ કુરજીભાઇ કાકડીયા અને પુત્ર સુનીલ દુલાભાઇ કાકડીયાને ભાડે દુકાનો આપેલ હતી. જે મામલે આ બિલ્ડીંગ રિનોવેશન કરવાવાનું હોય જેથી પિતા-પુત્રને આ બિલ્ડીંગ ખાલી કરી દેવાનું જણાવેલ હતું પરંતુ આજદિન સુધી પિતા-પુત્રએ બિલ્ડીંગ ખાલી ન કરી, પચાવી પાડી, હિરાના કારખાના શરૂ કરી પચાવી પાડતા હરેશકુમાર મહેતાએ પિતા-પુત્ર વિરૂદ્ધ પ્રાંત કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ જે અરજી મંજુર થઇ જતાં હરેશકુમાર અનંતરાય મહેતાએ દુલાભાઇ કુરજીભાઇ કાકડીયા અને સુનિલ દુલાભાઇ કાકડીયા વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.
કરુણાંતિકા સર્જાઈ:પઢીયારકા ગામ નજીક બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું
રાજુલા તાલુકાના વીસળીયા ગામે રહેતા એક વૃદ્ધા ઘરેથી પઢીયારકા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા. જે દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ એક બાઇક ચાલક પુરપાટ ઝડપે બાઇક ચલાવી, વૃદ્ધા સાથે બાઇકનો ગમખ્વાર અકસ્માત કરતા વૃદ્ધાને શરીરીના ભાગો ઉપર ગંભીર ઇજા થવા પામી હતી. જે દરમિયાન વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા બાઇક ચાલક વિરૂદ્ધ મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી. રાજુલા તાલુકાના વીસળીયા ગામે રહેતા હિંમતભાઇ અરજણભાઇ શિયાળએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા મંગુબેન અરજણભાઇ શિયાળ (ઉ.વ.65) ઘરેથી પઢીયારકા ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નિકળ્યા હતા. જે દરમિયાન મંગુબેન શિયાળ માઢીયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર ઉતરી પઢીયારકા ગામ જવા હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ મહુવા તરફથી આવતા બાઇક નં. GJ 04 AG 2055ના ચાલકે પુરપાટ ઝડપે મોટર સાયકલ ચલાવી, મંગુબેન સાથે બાઇકનો ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતન ઘટના બાદ મંગુબેનને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં મંગુબેનનું સારવાર દરમ્યાન મોત થતાં હિંમતભાઇ અરજણભાઇ શિયાળે મહુવા રૂરલ પોલીસમાં બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
હુમલો કરાયો:કફ સીરપમાં નામ ખોલાવાની દાઝ રાખી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે ત્રણ શખ્સોએ આરોપીનું નામ ખોલાવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઉપર લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં કોન્સ્ટેબલને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયો હતો. ભાવનગરના નેસવડ ગામે રહેતા અને ભરતનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલમાં નોકરી કરતા લાલજીભાઇ વલ્લભભાઇ ડાભીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે માસ અગાઉ કફ શીરપમાં એક આરોપીની નામ ખુલવાની દાઝ રાખી નેસવડ ગામે રહેતા આકાશ વેલજીભાઇ ડાભી, લક્ષ્મણ વેલજીભાઇ ડાભી અને વીજય જગાભાઇ ડાભીએ લાલજીભાઇ પાસે આવી ઝઘડો કરી, લાકડી, લોખંડના પાઇપ લઇ આવી ત્રણેય શખ્સોએ લાલજીભાઇ ઉપર જીવલેણ હુમલો કરી, શરીરના ભાગો ઉપર ગંભીર મારમાર્યો હતો. જે બાદ લાલજીભાઇને સારવારમાં ખસેડાયા હતા જ્યાં લાલજીભાઇએ વરતેજ પોલીસ મથકમાં આકાશ વેલજીભાઇ ડાભી, લક્ષ્મણ વેલજીભાઇ ડાભી, વીજય જગાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાસ્કર એનાલિસિસ:ભાવનગરમાં છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે ફેબ્રુઆરીનું પ્રથમ સપ્તાહ સૌથી ગરમ
ભાવનગર શહેરમાં હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પ્રભાવે રાતનું ઉષ્ણતામાન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગત વર્ષેની તુલનામાં 3.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાતા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમા઼ જ ગરમી શરૂ થઇ ગઇ છે. ગત વર્ષે ભાવનગર શહેરમાં સરેરાશ લઘુત્તમ ઉષ્ણતામાન 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આ વર્ષે 3.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ છે. જેથી રાત્રે પણ ઠંડી ગયાબ થઇ ગઇ છે. આ સાથે જ ભાવનગર શહેરમાં છેલ્લાં ચાર વર્ષમાં આ વર્ષે રાતના સમયે સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. ભાવનગર શહેરમાં હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે રાહતના સમાચાર એ છે કે 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે અને તે 30 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે. હવે શિયાળાની ઠંડીના દિવસોની તુલનામાં ચોમાસા અને ઉનાળાના દિવસો વધ્યા છે. આગામી દિવસોમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓને આરંભની થોડી ગરમી રહેશે. ભાવનગરમાં આ વર્ષે ભર શિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો આરંભ બપોરના સમયે થઇ ગયો છે. આ માસમાં પલટાતા હવામાનની સ્થિતિ અંગે જોઈએ તો ફેબ્રુઆરી તારીખ 15થી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનોથી રાત્રે તાપમાન વધ્યુશહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીમાં વધારો થયો છે. એક સપ્તાહથી રાત્રે ઠંડીનો પારો 19 ડિગ્રીથી 20 ડિગ્રી ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. જ્યારે દિવસે તો ગરમીનો પારો 32 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 10 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને હવામાન શુષ્ક રહેશે. હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે 11 ફેબ્રુઆરી આસપાસ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે રહી શકે છે, જેને કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. 4 વર્ષમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહનું તાપમાન ભાસ્કર એક્સપર્ટગત વર્ષે ઉત્તરના પવનની ઠંડી વધુ રહેલીગત વર્ષે પ્રથમ સપ્તાહમાં સતત ઉત્તર દિશાના હિમાલયના ઠંડા ઝડપી પવનને લીધે છેલ્લાં ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ સરેરાશ ઠંડી રહી છે. 2024 ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એવરેજ લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 19.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આ ગત વર્ષે 2025માં ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ઘટીને સરેરાશ 15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા 2025માં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લઘુત્તમ ઉષ્ણતામાન સરેરાશ 3.3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું રહેતા ઠંડીની તીવ્રતા વધુ રહી હતી. - ડો.બી.આર.પંડિત, હવામાનશાસ્ત્રી
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:નાગરપોળના ડેલા અને દેરી રોડમાં કચરાના ઢગલાથી રોગચાળાની ભીતિ
ભાવનગર શહેરના હૃદયસ્થાને આવેલ નાગરપોળના ડેલા પાસેના ચોકમાં તથા ડોનની બાજુમાં દેરી રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર રોજબરોજ સેંકડો લોકો અવરજવર કરે છે. પરંતુ અહીં દર સવારે એટલો મોટા પાયે કચરો ફેલાયેલો જોવા મળે છે કે ત્યાંથી પસાર થતી વખતે નાક પર રૂમાલ દબાવીને જ નીકળવું પડે છે. આસપાસ દુર્ગંધ ફેલાય છે અને સમગ્ર વિસ્તાર અસ્વચ્છ દેખાય છે. ખાસ કરીને આ કચરામાં રહેલું પ્લાસ્ટિક વાતાવરણ માટે અત્યંત હાનિકારક છે. પ્લાસ્ટિકના ટુકડા ગાય જેવા નિર્દોષ પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થાય છે. અનેકવાર પ્રાણીઓ આ કચરો ખાઈ લેતા હોવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુકા અને ભીના કચરાની અલગ-અલગ બંધ પેટીઓ તાત્કાલિક મુકવામાં આવે તેવી માંગણી છે. સાથે સાથે, જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જ જવાબદારી નાગરિકોની પણ છે કે તેઓ ખુલ્લામાં કચરો ન ફેંકવામાં અને સ્વચ્છતા જાળવવામાં લોકો દ્વારા સહકાર આપવો જોઈએ. -દેરી રોડના વાચક જયેશ ભટ્ટનો રિપોર્ટ ખુલ્લા કચરાને કારણે થતા આરોગ્યની મુખ્ય સમસ્યાકચરાથી ચેપી રોગો થાય છે, ખુલ્લા કચરાના ઢગલા માખી, મચ્છર અને ઉંદર જેવા રોગવાહકોનું ઘર બને છે, જેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ, પ્લેગ અને કોલેરા ફેલાય છે. કચરો સળગાવવાથી પેદા થતા ઝેરી ધુમાડા(જેમ કે કાર્બન ડાયોક્સિન)ને કારણે અસ્થમા, બ્રોન્કાઈટિસ અને ટ્યુબરક્યુલોસિસ જેવી બીમારીઓ થાય છે. તબીબી અને રાસાયણિક કચરાના સીધા સંપર્કથી ચામડીના રોગો, એલર્જી અને આંખમાં બળતરા જેવી સમસ્યાઓ થાય છે. દૂષિત પાણીથી થતા રોગો: જમીનમાં દટાયેલો કચરો ભૂગર્ભ જળને ઝેરી બનાવે છે, જે પીવાથી ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઉલટી થાય છે. પ્લાસ્ટિક અને ઈ-કચરા (E-waste) માંથી નીકળતા કેડમિયમ અને સીસું (Lead) જેવા ભારે ધાતુઓ કેન્સર, કિડનીની બીમારી અને ચેતાતંત્રને નુકસાન પહોંચાડી શકે છે
સિદ્ધિ:બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ સીલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા
ભાવનગર : તાજેતરમાં 26મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ ઓફ ધ ડેફનું આયોજન નાગપુર ખાતે તા.16/2થી તા.20/2 દરમિયાન યોજાયેલ. જેમાં ભારતભરમાંથી કુલ 20 રાજ્યોના અંદાજિત 265 જેટલા ડેફ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમાં ગુજરાતની ટીમમાં 19 બાળકો તથા 3 શિક્ષકએ ભાગ લીધો હતો. ભાવનગરની શાહ ખી. લ. બહેરા મૂંગા શાળાનાં ખેલાડીઓ પૈકી ગ્રુપ (U-16) સબ જુનિયર ગર્લ્સ બિન્સ ગેમમાં એકતા ડાભીએ ત્રીજા નંબરે આવી રૂ.500 રોકડ પુરસ્કાર, સિનિયર મેન ગ્રુપ (A–18) યુવરાજ જાડેજાએ ત્રીજા નંબરે આવી બ્રોન્ઝ મેડલ, જુનિયર બોયઝ (U–18) નિર્મળ હિતે બીજા નંબરે આવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ. 1 દિવસમાં 9 રાઉન્ડ ગેમની અંદર સારું પર્ફોમન્સ કરી 3 નંબર પ્રાપ્ત કરી રોકડ પુરસ્કાર રૂપે રૂ.500/- મેળવી શાળાનું તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું સાથે પ્રિન્સ ખત્રી સબ જુનિયરમાં સારું પર્ફોમન્સ કરી બતાવ્યું હતું. ગુજરાત ટીમમાં કોચ તરીકે સંદીપભાઈ ગોસ્વામીએ સેવા આપી હતી.
લૂંટનો મામલો આવ્યો સામે:વૃદ્ધાનો સોનાનો કાપ લૂંટી લેવાયો ઈજા કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના વિસ્તારમાં એક લૂંટારૂએ મોઢે રૂમાલ બાંધીને આવી મચ્છીનો વેચાણ કરતા વૃદ્ધાના કાનમાંથી સોનાની કાપ ખેંચી લઇ, લોહીયાળ ઇજા કરી, કાપની લૂંટ કરી, લૂંટારૂ ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જે ઘટના બાદ વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાએ અજાણ્યા લૂંટારૂ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ભાવનગર શહેરમાં ઇન્ચાર્જ અધિકારીથી ચાલતા નિલમબાગ પોલીસ મથકના વિસ્તારોમાં અસામાજીક તત્વો, તસ્કરો અને હવે લૂંટારૂઓ બેફામ બની રહ્યા છે. નિલમબાગ પોલીસનો અસામાજીક તત્વો અને બુટલેગરોમાં કોઇ ખોફ જ રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. ભાવનગર શહેરના માઢીયા ફળી વડવા સપ્ટેશનવાળી શેરીમાં મચ્છીનો વેપાર કરતા નાનીબેન બાલાભાઇ ગુજરીયા પાસે એક લૂંટારૂ આવ્યો હતો અને અજાણ્યા લૂંટારૂએ નાનીબેનને છરી બતાવી મારી નાંખીશ તેમ કહી અજાણ્યા લૂંટારૂએ નાનીબેનના કાનમાં રહેલ એકાદ તોલાની સોનાની કાપ ખેંચી, લોહીયાળ ઇજા કરી, સોનાના કાપની સરાજાહેર લૂંટ કરી, લૂંટારૂ ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ લૂંટની ઘટના બાદ વૃદ્ધાને કાનમાં ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નાનીબેને અજાણ્યા લૂંટારૂ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટારૂની શોધખોળ શરૂ કરી છે.
ખોટી રીતે થતાં લગ્ન પર લાગશે બ્રેક:ભાવનગરમાં ભાગીને લગ્ન કરવાનો ક્રેઝ
પ્રેમની પરિભાષા બદલી માવતરની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરતા યુવાધનને રોકવા માટે ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે નિયમો સૂચિત કર્યા છે. જેમાં માતા-પિતાની સંમતિ અનિવાર્ય બનાવતા અપરિપક્વતાથી ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓ અને ખોટી રીતે લગ્ન કરાવતા એજન્ટોને પણ બ્રેક લાગશે. હાલના યુવક યુવતીઓમાં ભવિષ્યનો અને માતા પિતાનો કોઈ વિચાર કર્યા વગર ફિલ્મી સ્ટાઇલથી ભાગીને લગ્ન કરવાનો ચીલો વધ્યો છે. જે માતા પિતાએ નાનપણથી દીકરીને પોતાના જીવથી પણ વધુ સાચવીને મોટી કરી હોય તે દીકરી અણસમજણથી ટપોરી જેવા યુવાનો કે જે પરિવારનું ભરણ પોષણ કરવા પણ અસક્ષમ હોય તેવાના આકર્ષણમાં આવી ભાગીને લગ્ન કરી નાખતા હોય છે અને તેમાં અમુક વકીલો અને બનાવટી ગોર રૂપિયાની લાલચે લગ્ન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે લગ્ન નોંધણી માટે નવા નિયમોની રૂપરેખા રજૂ કરી જેમાં માતા પિતાની સંમતિ અને લગ્ન નોંધણીની અરજી બાદ 30 દિવસ સુધી કોઈ વાંધા કે વિવાદ ન હોય ત્યારબાદ નોંધણી કરવાના નિયમો સૂચિત કર્યા છે. જોકે તેમાં ફેરફારની શક્યતા સાથે જ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. પરંતુ સરકાર દ્વારા ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓની ગંભીરતા સમજી છે. ભાવનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી યુવક યુવતીઓ ભાગીને લગ્ન કરતા હોવાના કિસ્સાઓ વધ્યા છે. અને તેમાં માતા પિતા સાથેના અણબનાવ અને યુવક યુવતીઓ વચ્ચે સમજણ બાદના ગુન્હાના પણ બનાવો સામે આવતા હોય છે. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી લગ્ન નોંધણી માટે સહકાર આપતા વકીલો અને ગોર પણ આ ગુન્હામાં તેટલા જ જવાબદાર છે અને ભૂતકાળમાં તેઓ પર પણ તપાસ થયેલી છે. શહેરમાં નિયમનું પાલન થશે તો ખોટી રીતે લગ્ન પર આગામી દિવસોમાં બ્રેક લાગશે. ભાવનગર કોર્પો.માં ક્યારે કેટલી નોંધણી શહેરમાં ચોક્કસ વ્યક્તિઓ યુવક-યુવતિઓને લઈ જઈ ચોક્કસ સ્થળે કરાવે છે પ્રેમલગ્નભાવનગર શહેરમાં ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓ માટે મોટાભાગે એકાદ બે ચોક્કસ સ્થળ છે. લગ્ન નોંધણી માટે તે સ્થળ પર લગ્ન થયાની પહોંચ રજૂ કરવામાં આવે છે. લગ્ન સ્થળ ના સંચાલકો દ્વારા ફક્ત એક પહોંચ આપે છે 900 રૂપિયાની જેમાં કોઈ રજીસ્ટ્રેશન નંબર પણ હોતું નથી. અને તે બાબતે વહીવટી તંત્ર દ્વારા પણ લગ્ન નોંધણી સમયે કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. લવ મેરેજના મોટાભાગના કિસ્સાઓમાં એક ને એક સ્થળ અને એક ને એક ગોર હોવા છતાં તંત્રને કોઈ શંકા પણ આજ સુધી ઉપજી નથી અને તેની કોઈ તપાસ આવતી નથી. ઘણીવાર તો સાક્ષીઓ ના હોય તો હાઇકોર્ટ રોડ ઉપરથી કોઈપણને રૂપિયા આપી સાક્ષી બનાવી રાખે છે. જે ખરેખર સમાજ માટે લાલબત્તી સમાન છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ગાંધીનગરમાં IAS અધિકારીનું ઓફિસની મહિલા કર્મચારી સાથે ઈલુ ઈલુ!ગાંધીનગરમાં ફરજ બજાવતા એક IAS અધિકારીને તેની ઓફિસમાં ફરજ બજવતી એક મહિલા અધિકારી સાથે ઈલુ ઈલુ કરી રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, આ અધિકારી પોતાના પરિવારથી ત્રસ્ત છે. પત્ની સાથે અણબનાવ છે. દંપતી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરમાં રહેવા છત્તા બોલવાના પણ સંબંધો નથી. પરિવારથી દુઃખી એવા આ સનદી અધિકારી ઓફિસના કામમા પણ પુરતું ધ્યાન આપી શકતા નથી. ટેન્ડરો સહિતની અનેક મહત્વની ફાઈલોમાં લોચા મારી રહ્યા છે. થોડો સમય પહેલા ફાઈલ ઉપર તેઓએ એવુ લખ્યું કે, ટેન્ડરની પ્રાઈઝ ઓપન કરવાની જરુર નથી. તેમજ ચોક્કસ કંપનીને ટેન્ડર એલોટ પણ કરી દીધુ હતુ. આ સંદર્ભમાં એક સિનિયર IAS અધિકારીએ એવુ કહ્યું કે, આમાં તેમણે કૌભાંડ કર્યુ હોય એવુ લાગતું નથી પણ તે માનસિક રીતે સ્વસ્થ નથી. આ સ્થિતિમાં તેમની સાથે ઓફિસની એક મહિલા અધિકારી નજીક આવી ગઈ છે. બન્ને વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યુ હોવાનો ગણગણાટ છે. મહિલા અધિકારી સાહેબની કેબિનમાં કોઈની મંજૂરી વિના ગમે ત્યારે આવજા કરે છે. તેમજ સાહેબની સાથે બહાર ફરવા પણ જઈ રહી છે. સાત દિવસમાં ફાઈલ નિકાલનો CSનો આદેશ છતા 3 મહિનાથી પેમેન્ટની ઢગલાબંધ ફાઈલો પેન્ડિંગકેબિનેટ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસે આ અગાઉ જ એવી ચેતવણી આપી હતી કે, કોઈપણ ફાઈલનો 7 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. જે અધિકારી કે કર્મચારી પાસે 7 દિવસથી વધુ સમય સુધી ફાઈલ રહેશે તેનો જવાબ અને ખુલાસો આપવો પડશે. ગેરરીતિના કેસમાં જે તે અધિકારી સામે કડક પગલાં લેવાશે. મોટા સાહેબની આ ચેતવણીની અસર મોટાભાગના ટોચના અધિકારીઓ પર થઈ રહી છે.પરંતુ કેટલાક માથાભારે IAS અધિકારી તેમજ તેનાથી નીચેની કક્ષાના અધિકારીઓ સીએસની સૂચનાને ઘોળીને પી ગયા છે. ખાસ કરીને પેમેન્ટ ચૂકવવાની અનેક ફાઈલોનો બેથી ત્રણ મહીના પછી પણ નિકાલ કરાતો નથી. ભુતકાળમાં અનેક વખત સીએમ સમક્ષ તેમજ સીએમઓમાં ફરિયાદ આવી હતી કે, કામ સંપૂર્ણ કર્યા પછી પણ લાંબો સમય સુધી પેમેન્ટ નથી મળતું. પેમેન્ટ માટે બિલ મુકાયા બાદ મોટી 'પ્રસાદી'ની માગણી કરવામાં આવે છે. જેમાં ઘણી વખત માગણી અયોગ્ય હોય છે. જેથી કંપની કે એજન્સી આવી માગણીઓને સંતોષી શકતી નથી. જેથી આવી કંપની-એજન્સીઓની પેમેન્ટ માટેની ફાઈલોને ખોટી રીતે મુકી રાખવામાં આવે છે. ગ્રાન્ટ નથી એવા બહાના કાઢવામાં આવતા હોય છે.જો કોઈ ફરિયાદ કરે તો તેની ફાઈલોમાં ખોટા ખોટા કારણો મુકીને અધિકારીને ગેરમાર્ગે દોરવામાં આવે છે. હવે કંપની-એજન્સીઓ મુખ્ય સચિવ તરફ આશા રાખીને બેઠા છે કે, પેમેન્ટ માટેની ફાઈલોનો પણ સાત દિવસમાં નિકાલ થઈ જાય તો અમારું કલ્યાણ થઈ જાય. સિનિયર IASના પુત્રને ખાનગી કંપનીના માલિકે ઓટોમેટિક કાર ભેટમાં આપી! ગાંધીનગરમાં ફરજ બજાવી રહેલા એક સિનિયર IAS અધિકારીના પુત્રને એક કંપનીના માલિકે ખુશ થઈને થોડો સમય પહેલા ઓટોમેટિક કાર ભેટમાં આપી હતી. 15 લાખની આસપાસની કિંમતની આ કારનું આરટીઓમાં કંપનીના નામે જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી આરસી બુકમાં કંપનીના માલિકનુ નામ બોલી રહ્યુ છે. જ્યારે આ કાર સાહેબનો પુત્ર ફેરવી રહ્યો છે. સાહેબે એક ટેન્ડરમાં કંપનીને મદદ કરી હતી. તેમજ વહીવટ પણ કર્યો હતો. આમ છત્તા કંપનીના માલિકે મોટું મન રાખીને સાહેબ સાથેનો ઘરોબો વધારવા માટે સાહેબના પુત્રને લક્ઝુરીયસ કાર ભેટમાં ધરીને સાહેબના પરિવારને પણ ખુશ કરી દીધું હતું. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ વિધાનસભામાં પણ ગોગલ્સ પહેરી રાખ્યા, પુત્રીને રમાડતા રહ્યાક્રિકેટર રવીન્દ્ર જાડેજા ગત અઠવાડિયે પોતાની પુત્રી-પરિવાર સાથે ધર્મપત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની વિધાનસભામાં ચાલી રહેલી કામગીરીને જોવા માટે આવ્યા હતા.તેઓ પોતાની પુત્રી અને પરિવાર સાથે ગૃહની કામગીરી જોવા માટે VIP ગેલેરીમાં બેઠા હતા. તેઓ આવ્યા ત્યારે પ્રશ્નોતરી ચાલી રહી હતી. પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો પુછાતા હતા. જેના જવાબો આપવા માટે રીવાબા ઉભા થતા હતા. એ સમયે જાડેજાએ ખૂબજ રસથી મંત્રી ધર્મપત્નીને સાંભળ્યા હતા.જો કે, સૌને આશ્ચર્ય એ વાતનુ લાગ્યુ હતુ કે, ગૃહની અંદર તો એસી અને લાઈટો ચાલુ જ હોય છે. આમ છત્તા જાડેજાએ ગોગલ્સ પહેરીને જ રાખ્યા હતા. તેઓ પોતાની બાજુની જ ખુરશી પર બેઠેલી દીકરી સાથે પણ ગમ્મત કરી રહ્યા હતા તેમને રમાડતા હતા. તેઓએ સારો એવો સમય આ ગેલેરીમાં વિતાવ્યો હતો. તેઓ ગયા બાદ કેટલાક ધારસભ્યો ગોગલ્સ પહેરી રાખવાનુ રહસ્ય શું હોઈ શકે તેની ચર્ચા કરતા હતા. કોઈએ એવુ અનુમાન લગાવ્યુ કે, બાપુએ વિધાનસભામાં રીવાબાને પ્રથમવાર સાંભળ્યા છે. પત્ની આટલું બધુ સરસ બોલી શકતા હશે તેનો અંદાજ તેમને નહોતો. આથી તેમને સાંભળીને ક્રિકેટરની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આ આંસુ કોઈ જોઈ ન જાય તે માટે તેઓએ ગોગલ્સ પહેરી રાખ્યા હતા. કેબિનેટ મંત્રીએ રાહ જોવડાવતા પૂર્વ મંત્રીનો બાટલો ફાટ્યોભુપેન્દ્ર પટેલની સરકારમાં મોટાભાગના મંત્રીઓ નવા અને અનુભવ વગરના છે. આમાંથી ઘણા મંત્રીઓ તો ભાજપના હાલના અને ભુતકાળના પૂર્વ નેતાઓ-મંત્રીઓને પણ સારી રીતે ઓળખતા નથી. એટલુ જ નહી, તેઓ તેમને મળવા જાય ત્યારે પણ તેમને અપમાનિત કરતા હોય છે. થોડા દિવસો પહેલા એક પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય વર્તમાન કેબિનેટ મંત્રીને મળવા તેમની ઓફિસમાં ગયા હતા. જો કે, મંત્રી કોઈ અધિકારી સાથે ચર્ચા કરતા હોવાથી થોડીવાર બહાર બેસવા માટે કહ્યું હંતુ. પૂર્વ મંત્રીએ 20 મિનિટ સુધી રાહ જોઈ હતી. ત્યારબાદ તેમની ધીરજ ખૂટી હતી.આથી તેઓએ ઉભા થઈને મંત્રીનો દરવાજો ખોલી અંદર ઘૂસી ગયા હતા. એટલુ જ નહી, પોતાના કામની વાત પણ કરી હતી અને મંત્રી પાસે જવાબ માગ્યો હતો. મંત્રીએ પણ તેની સ્ટાઈલમાં જ કહ્યું કે, તમારુ કામ હજુ થયુ નથી. હું જોવડાવી લઈશ. થોડો સમય લાગશે. આવુ સાંભળીને પૂર્વ મંત્રી ફટોફટ બહાર આવી ગયા હતા. જતા જતા તેઓ સ્ટાફ સાંભળે એ રીતે મંત્રી સામે બેફામ ઉચ્ચારણો કર્યા હતા. આ જોઈને ત્યાંનો સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. ત્યારબાદ સ્ટાફ દ્રારા મંત્રીનુ ધ્યાન દોરાયુ હતુ. પૂર્વ મંત્રી કયા કામથી આવ્યા હતા અને વર્તમાન મંત્રીએ તેનુ કામ શા માટે અટકાવી રાખ્યુ છે તે પ્રશ્ન પણ મોટો છે. ગતિશીલ ગુજરાતની IT સંસ્થામાં કામની ગતિ ધીમી પડી!રાજ્યની આઈટી સંસ્થા Gujarat Informatics Limitedમાં ગત કેટલાક સપ્તાહથી ગતિ ધીમી પડ્યાની અંદરખાને ચર્ચા છે. સંસ્થાના વડા અરવિંદ વિજયન પાસે નાણાં વિભાગની વધારાની જવાબદારી હોવાને કારણે સમયનું સંતુલન બગડ્યું હોવાનું કહેવાય છે. બજેટ સીઝનમાં તો તેમની પ્રાથમિકતા નાણા વિભાગ તરફ વળી જતા જીઆઈએલમાં નિર્ણયો લંબાયા હોવાની ટિપ્પણીઓ થઈ રહી છે. સેવાઓ માટે આવતા પ્રતિનિધિઓને “આવતી કાલ”નો જવાબ વધુ મળ્યો હોવાની પણ ચર્ચા છે. હવે સૂચન થઈ રહ્યું છે કે આઈટી જેવી મહત્વની સંસ્થાને સંપૂર્ણ સમય આપનાર નેતૃત્વ જરૂરી છે. વિઘાનસભા ગૃહમાં ગર્જના, બહાર મિત્રતા!વિધાનસભાની અંદર સત્તા-વિપક્ષ વચ્ચે તીખી ટકરાવ જોવા મળે, પરંતુ બહારનું દ્રશ્ય સહજ અને હળવું રહે છે. ચર્ચા દરમિયાન તણાવ, અને વિરામ દરમિયાન સ્મિત—આ દ્વિધા રાજકારણના જાણકારોને નવાઈ પમાડતી નથી. મીડિયા બ્રિફિંગ વખતે પણ રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ. વિપક્ષ નિયમિત રીતે કેમેરા સામે આવતો રહ્યો, જ્યારે સત્તાપક્ષ થોડો સંકોચાતો દેખાયો. અંતે આંતરિક સૂચના બાદ સત્તાપક્ષના નેતાઓએ પણ બજેટની જોગવાઈઓ અને સરકારની કામગીરી રજૂ કરવા મીડિયા રૂમનો રસ્તો પકડ્યો. થોડા સમય માટે તો “બાઈટ આપવા માટે રાહ જોતા નેતાઓ”નું દ્રશ્ય જોવા મળ્યું. નિવૃત્તિ પછી પણ ચર્ચામાં બે પૂર્વ અધિકારીરાજ્યના બે નિવૃત્ત IAS અધિકારીઓ અલગ કારણોસર ચર્ચામાં છે. પૂર્વ અધિક મુખ્ય સચિવ કમલ દયાણીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાથી તેમના સંપર્કોને પૈસાની માંગણીના સંદેશા મોકલાયા હોવાનું બહાર આવ્યું. સાયબર ગુનાની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી બાજુ, જે.પી. ગુપ્તા નિવૃત્તિ બાદ ફરી કોઈ જવાબદારી મળે તેવી અપેક્ષા રાખી રહ્યા હોવાની ચર્ચા છે. નિવૃત્તિ સમયે મળેલા સંકેતો હજી સુધી હકીકતમાં બદલાયા નથી. તેમ છતાં તેઓ વિધાનસભા સત્ર દરમિયાન સક્રિય હાજરી આપતા જોવા મળતા હોવાથી “વાપસીની તૈયારી?” જેવી અટકળો ઊઠી રહી છે. મોડું જાગેલું IAS ઓફિસર્સ એસોસિયેશનરાજ્યનું IAS Officers Association Gujarat લાંબા વિરામ બાદ સક્રિય બન્યું છે. નવા મુખ્ય સચિવ મનોજ દાસના સન્માનમાં કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. કેટલાક વર્તુળોમાં પ્રશ્ન ઉઠ્યો કે આવું આયોજન થોડું વહેલું કેમ ન થયું? તેમ છતાં નિવૃત્ત અધિકારીઓને પણ સાથે સન્માનિત કરવાની વિચારણા પગલે કાર્યક્રમને વિશેષ રંગ મળવાની શક્યતા છે. “ડિજિટલ” દાવા અને જમીની હકીકતડિજિટલ પરિવર્તનના દાવાઓ વચ્ચે જૂના સચિવાલયમાં સ્થિત Directorate of Accounts and Treasury Gujarat અંગે અલગ જ ચર્ચા છે. ઉચ્ચતર પગાર અને અન્ય નાણાકીય પ્રક્રિયાઓ હજી પણ પરંપરાગત ફાઈલ પદ્ધતિથી ચાલે છે. નાની ત્રુટિએ ફાઈલ પરત, સ્થિતિ જાણવા વ્યક્તિગત હાજરી અને સમયમર્યાદાની અસ્પષ્ટતા, આ બધાથી કર્મચારીઓમાં અસંતોષ છે. વિલંબના કારણે અંતે બાકી ચૂકવણીનો ભાર પણ વધે છે.હવે સવાલ એ છે કે રાજ્ય જ્યારે ટેકનોલોજી આધારિત સેવાઓની વાત કરે છે ત્યારે આંતરિક નાણાકીય પ્રક્રિયાઓને પણ ઈ-ફાઈલિંગ, ઓનલાઈન ટ્રેકિંગ અને ઓટોમેટેડ સ્ક્રુટિની તરફ કેમ ન લઈ જવાય? ચર્ચાઓ ગરમ છે, અને નિર્ણયની રાહ પણ એટલી જ ઉત્સુકતાથી જોવાઈ રહી છે. રાષ્ટ્રીય નેતાના સ્વાગતમાં અમદાવાદના ધારાસભ્યો ભોંઠા પડ્યાભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા. જેમાં ગાંધીનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતાના સ્વાગતમાં અમદાવાદના ધારાસભ્યોને કેટલાંક ભોંઠા પડવાની સ્થિતિ સામે આવી હતી. રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરવા માટે ભાજપના ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાંચથી સાત ધારાસભ્યો સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર ગયા અને સ્વાગત વિધિ કરી હતી. બીજા નેતાના સ્વાગત માટે અન્ય ધારાસભ્યોને બોલાવવામાં આવનાર હતા, પરંતુ અચાનક જ સ્વાગત વિધી ટૂંકાવી દીધી હતી. જેથી બીજા ધારાસભ્યોને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ ભાજપના પ્રદેશમાં એક હોદ્દો ભોગવી ચૂકેલા નેતા રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરવાનું ચૂકયા નહોતા ધારાસભ્યોએ સ્વાગત કર્યા બાદ પ્રદેશના પૂર્વ હોદ્દેદારે એકલાએ રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરી ફોટો પડાવી લીધો હતો. જે બીજા ધારાસભ્યો પણ જોતા રહી ગયા હતા. અમદાવાદના ધારાસભ્યો કરતા પ્રદેશના પૂર્વ હોદ્દેદાર ફાવી ગયા હતા. ભાજપના ધારાસભ્ય ન ગમતા કાર્યકર્તા કે નેતાને બોલાવતા જ નથીભાજપના એક ધારાસભ્ય હંમેશા વિવાદમાં જ રહ્યા છે. તાજેતરમાં જ ધારાસભ્યનો ખૂબ મોટો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે ધારાસભ્યને જે ભાજપના કાર્યકર્તા કે નેતા ન ગમતા હોય એમને વધારે બોલાવતા નથી. ભાજપના ધારાસભ્યના મત વિસ્તારમાં આંતરિક વિખવાદના કારણે કેટલાક પ્રજાના કામો પણ અટકી જાય છે. એક સોસાયટીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવાનો હતો. જોકે સોસાયટીનું કામ હવે મંજૂર હોવા છતાં પણ ન કરવાની સૂચના ધારાસભ્ય આપી હોવા અંગેની ચર્ચા છે. જે સોસાયટીનું કામ મંજૂર થયું છે એમાં ભાજપના એક યુવા હોદ્દેદાર રહે છે જેની સાથે ધારાસભ્ય અને બનતું નથી જેના કારણે આ કામ અટવાયુ હોવા અંગેની ચર્ચા હાલ જાગી છે. ભાજપના આ ધારાસભ્ય હંમેશા વિવાદમાં રહ્યા છે, પરંતુ પ્રદેશના મોવડી મંડળ કે શહેર પ્રમુખ ધારાસભ્યને પાર્ટીની છબી ન ખરાબ થાય તેવા વિવાદો ન કરવા બે શબ્દ પણ કહી શકતા નથી. પૂર્વ હોદ્દેદારનો જબરો વટ, હોદ્દો જતો રહ્યો પણ લક્ઝુરિયસ ગાડી પરથી નેમ પ્લેટ ના હટાવીભાજપના નેતાઓ સામાન્ય કાર્યકર હોવાની વાતો કરતા હોય છે. ભાજપમાં સામાન્ય કાર્યકર બનીને રહે છે, પરંતુ અમદાવાદના એક પૂર્વ હોદ્દેદાર પોતાના હોદ્દા દૂર થઈ ગયા છે, પરંતુ પોતાના હોદ્દાનું બોર્ડ ગાડીમાં લગાવીને હજી ફરી રહ્યા છે. લક્ઝુરિયસ ગાડી લઈને ફરતા ભાજપના પૂર્વ હોદ્દેદાર હજી પણ જે હોદ્દો ભોગવ્યો હતો તેના હોદ્દાવાળી નેમ પ્લેટ લગાવી અને ગાડી લઈને ફરી રહ્યા છે. આ બાબતે ભાજપના નેતાઓનું ધ્યાન હજી ગયું ન હોવાની ચર્ચા છે. ભૂતકાળમાં પણ પૂર્વ હોદ્દેદાર ખૂબ વિવાદમાં રહ્યા છે ત્યારે હજી પણ તેમના હોદ્દાનો મોહ છૂટતો નથી. મોટા સાહેબની આગળ પાછળ રહેવા યુવા મોરચાના પ્રમુખ પોતાના જ કાર્યક્રમમાં ગેરહાજરભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ ગળામાં ખેસ પહેર્યો હતો. પરંતુ અમદાવાદના એક યુવા નેતા ગળામાં ખેસ પહેર્યા વિના જ કાર્યક્રમમાં ફરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ફોટો પણ ખેસ વિના પડાવી દીધો હતો. દિલ્હી ખાતે AI સમિટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચા તાત્કાલિક કોંગ્રેસ વિરુદ્ધ રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. નવા નવા બનેલા યુવા મોરચાના નેતાઓએ વિરોધ કાર્યક્રમ એલિસબ્રિજ ખાતે આવેલા ટાઉનહોલ ખાતે રાખી દીધો હતો. પરંતુ પાછળથી ભાજપ કાર્યાલયની નજીક જ એટલે કે રૂપાલી સિનેમા પાસેના વિક્ટોરિયા ગાર્ડન પાસે જ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરી દીધું હતું. એટલું જ નહીં યુવા મોરચાના પ્રમુખનો સૌથી પહેલો અમદાવાદમાં કાર્યક્રમ હતો, પરંતુ યુવા મોરચાના પ્રમુખ જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. યુવા મોરચા મહામંત્રીઓએ કાર્યક્રમ કરવો પડ્યો. જોકે યુવા મોરચામાં હોદ્દો મેળવેલા નેતાઓની નોંધ લેવાય એની પહેલા તો મીડિયામાં ધારાસભ્યના પુત્ર જ છવાઈ ગયા હતા. યુવા પ્રમુખ કાર્યક્રમને મહત્વ આપવાની જગ્યાએ રાષ્ટ્રીય નેતાઓની સેવામાં લાગ્યા હતા. પ્રથમ વખત કાર્યક્રમ કરવા માટે આખા શહેરના યુવાઓના પ્રમુખ તરીકે હાજર રહેવાની જગ્યાએ મોટા સાહેબની આગળ પાછળ રહી સેવામાં વધુ રહેવું જોઈએ એવું માની અને કાર્યક્રમમાં આવ્યા નહીં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કામ કરવા મામલે નેતાઓને ટકોર કરવી પડીભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના નેતાઓ સાથે તેમણે બેઠક કરી હતી. ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાતના ભાજપના નેતાઓના સોશિયલ મીડિયા વિભાગની કામગીરી નબળી હોવા અંગેની પોલ ખુલી ગઈ હતી. ચર્ચા મુજબ દિલ્હી ખાતે AI કમિટમાં થયેલા વિરોધ મામલે કેટલા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી તે અંગે રાષ્ટ્રીય અધ્યક્ષએ પૂછતા 70 ટકા લોકોએ પોસ્ટ ન કરી હોવાનું સામે આવ્યું હતું. ચર્ચા એવી પણ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના નેતાઓને ટકોર કરવી પડી હતી કે તમે પ્રભારી વાળા જિલ્લાઓમાં જઈને ન્યાયની વાત કરો છો, પરંતુ નેતાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાના જ માણસો ગોઠવે છે જેથી આવું ન કરવા માટે પણ અધ્યક્ષે સૂચના આપી હતી. તમે જે હોદ્દા ઉપર છો એનાથી બે સ્ટેપ નીચે કામ કરશો તો સારું કામ થશે એવી પણ ટકોર કરી હતી. AMCની બજેટ સભા વચ્ચે ભાજપના કોર્પોરેટરની લક્ઝુરિયસ કાર ચર્ચામાં આવીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસથી બજેટ સભા દાણાપીઠમાં આવેલી મુખ્ય ઓફિસ ખાતે મળી હતી. બજેટ સભામાં કોર્પોરેટરો પોતાના વાહનો લઈને આવતા હતા જેમાં સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈની લક્ઝુરિયસ ગાડી ખૂબ ચર્ચામાં હતી. રૂ. 1.40 કરોડની લક્ઝુરીયસ કાર પરિસરમાં પાર્ક કરેલી હતી જેની કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ અને કેટલાક નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા હતા. ભાજપના કોર્પોરેટરની મોંઘી ગાડીમાં ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરોએ પણ બેસવાનો લાભ લઈ લીધો હતો.
વેધર રિપોર્ટ:પવન પડી જતા બપોરે 33.8 ડિગ્રીએ ગરમી
ભાવનગર શહેરમાં 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉનાળાના આરંભની ગરમીનો અનુભવ આજે પણ નગરજનોને થયો હતો. સાથે સવારના સમયે 66 ટકા ભેજ હોય બપોરના સમયે બફારાનો અનુભવ થયો હતો. ભાવનગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સામાન્ય કરતા બપોરના સમયે તાપમાન 2.0 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 20.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે સામાન્ય કરતા 2.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજુનં પ્રમાણ 66 ટકા હતુ તે સાંજના સમયે પણ 55 ટકા હોય આખો બપોરના સમયે બફારો રહ્યો હતો. આજે સાંજના પવનની ઝડપ 8 કિલોમીટર નોંધાઇ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ટ્રફની સિસ્ટમ આગળ વધી ગઈ છે, જેની અસરથી ભાવનગરમાં બે દિવસથી ગરમીનો પારો ઊંચકાયો છે , જેને પગલે લોકોએ બપોર દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો. આમ, બપોર દરમિયાન પવનનું જોર ઘટ્યું હતું. જેને કારણે શહેરમાં લોકોએ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો.
સામાન્ય પ્રવાહમાં અસામાન્ય વધારો:આ વર્ષે ધો.12 સા.પ્ર.માં 77,377 પરીક્ષાર્થી વધ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.10 અને ધો.12ની બોર્ડની લેખિત પરીક્ષાનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે આ વર્ષે એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે ધો.12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં 77,337નો સામાન્ય વધારો નોંધાયો છે. ગત વર્ષે પરીક્ષામાં કુલ 4,23,909 વિદ્યાર્થી હતા તે આ વર્ષે વધીને 5,01,286 થઇ ગયા છે. હવે સામાન્ય પ્રવાહ તરફ વિદ્યાર્થીઓની પસંદ વધી છે તેના મુખ્ય કારણોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અથવા તો પોતાના સ્ટાર્ટઅપ કે બિઝનેસ તરફ આગળ વધવા આર્ટસ અથવા કોમર્સ ફેકલ્ટીની પસંદગી તેમને લાભદાયક નીવડે છે. વિદ્યાર્થીઓમાં હાલમાં માત્ર થિયરી અભ્યાસ કરતા થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું જ્ઞાન સાથે મેળવવા વિદ્યાર્થીઓ વધુ જાગૃત બની રહ્યા છે. વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ તરફ વધારે રસ વધી રહ્યો છે, તેની પાછળ પાછળના મુખ્ય કારણો જોઈએ તો આર્ટસ અને કોમર્સ ના અભ્યાસ પછી વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં વધારે પસંદગી મળે છે. જેમાં B.A, B.Com, BBA, BCA ઉપરાંત ડિઝાઇનીંગ અને એની સાથે સાથે ઘણા બધા ડિપ્લોમા કોર્સિસ સેનેટરી સ્પેકટર(SI), હોટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ ,જેવા સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકે છે. આ ઉપરાંત જે જે વિદ્યાર્થી પોતાનું નવું સ્ટાર્ટઅપ કે પોતાનો બિઝનેસ કરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થી ખાસ સામાન્ય પ્રવાહ પસંદ કરે છે અને તે સારી રીતે પોતાનું નવું સ્ટાર્ટઅપ તૈયાર કરી શકે છે અને એમાં આગળ વધી રહ્યા છે. GPSC કે UPSCમાં આર્ટસ ફેકલ્ટી લાભદાયીકોમર્સના વિષયો સાથે અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ એકાઉન્ટ,બેન્કિંગ, માર્કેટિંગ ક્ષેત્રમાં કે CA કે CS ની પરીક્ષા ક્રેક કરી પોતાની કારકિર્દી તરફ એ આગળ વધી રહ્યો છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ આર્ટસના વિષયો રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આર્ટ્સના વિષયો સાથે સારી રીતે તૈયાર કરી શકે છે ઉપરાંત GPSC કે UPSC પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખાસ આર્ટસના વિષયો પસંદ કરીને આર્ટ્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જેમાં આર્ટસમાં મુખ્ય વિષય તરીકે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભૂગોળ, અંગ્રેજી, ઇતિહાસ અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયોની પસંદગી કરી કરી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ લાભદાયી નીવડે છે. ડો.ભાવિક કામદાર, HOD, આર્ટ્સ ડિપાર્ટમેન્ટ, જ્ઞાનમંજરી યુનિ. આર્થિક ભારણ પણ એક મુખ્ય પરિબળ છેવિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને 12 બંને વર્ષ અત્યંત મહેનત કરવી પડે છે અને એક જ બુકમાંથી વિદ્યાર્થીને બોર્ડની એક્ઝામ, ગુજકેટ, જેઇઇ મેઈન, જેઇઈ એડવાન્સ અથવા નીટ જેવી પરીક્ષાઓ આપવી પડે છે નેશનલ લેવલની પરીક્ષાઓ હોવાથી ખૂબ તૈયારી માંગી લે છે. ટ્યુશનનો ખર્ચ પણ સામાન્ય પ્રવાહની તુલનામાં ઘણો વધી જાય છે આ ઉપરાંત સાયન્સ પછી મેડિકલ કે ઇજનેરીમાં પણ અભ્યાસમાં ઘણું આર્થિક ભારણ વાલીને વધે છે આથી આર્થિક પરિબળો પણ સામાન્ય પ્રવાહ પસંદ કરવાનું એક પરિબળ બની રહે છે વળી હવે ડોક્ટર કે ઇજનેરીમાં નોકરીની તકો અને કારકિર્દી માટે સંઘર્ષ વધી ગયો છે મોટો ખર્ચો કર્યા પછી પણ યોગ્ય કેરિયરના સ્કોપના ડરથી સામાન્ય પ્રવાહ તરફ પસંદગી વધી છે. સરકારી નોકરીઓની ભરતી વધી છે આથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરે છે આથી સા.પ્ર.ની પસંદગી પ્રથમ ક્રમે બની છે. પોતાનો વ્યવસાય શરૂ કરવો તે એક પસંદગી હોય વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહ લેતા થયા છે. મનહર રાઠોડ, જનરલ સેક્રેટરી, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફેડરેશન ધો.12 સા.પ્રા.ગત વર્ષે અને આ વર્ષે સંખ્યાની તુલના
સિટી એન્કર:ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો
ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયા બાદ માગશર સહિત શિયાળામાં માવઠા ન વરસતા તેમજ જિલ્લાના મુખ્ય 12 જળાશયોમાં પાણીનો સંગ્રહ હોય શિયાળુ વાવેતર વધ્યું છે જેમાં ખાસ કરીને આ વખતે ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ઘઉંનું શિયાળામાં વાવેતર 34,300 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 45,200 હેકટર થઇ ગયુ છે. આ રીતે એક જ વર્ષમાં ઘઉંના વાવેતરમાં ભાવનગરમાં 10,900 હેકટરનો વધારો થયો છે. શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઇ જતાં આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે. સાથે સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. આજથી 7 વર્ષ પૂર્વે 2019માં સમગ્ર ભાવનગર જિલ્લામાં ઘઉંનું વાવેતર ઘટીને 5500 હેકટર થઇ ગયેલું તે આ વર્ષે સવા આઠ ગણું વધીને 45,200 હેકટરના આંકને આંબી ગયું છે. ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 1,40,300 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,62,400 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2026ના 7 વર્ષમાં રવિ પાકમાં કુલ ચાડા ચાર ગણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં વર્ષોથી ડુંગળીનું સર્વાધિક વાવેતર અને ઉત્પાદન થાય છે. આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર વધીને 94,800 હેકટર થયું છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં વાવેતર 42,500 હેકટર થયું છે. એટલે કે રાજ્યના કુલ વાવેતરના 44.83 ટકા ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ચણાના વાવેતરમાં 1 વર્ષમાં 11,700 હેકટરનો વધારોભાવનગર જિલ્લામાં આ વર્ષે ચણાના વાવેતરમાં 7,900 હેકટરનો વધારો નોંધાયો છે. અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વાવેતર 21,800 હેકટર થયું હતુ તે આ વર્ષે 11,700 હેકટર વધીને 33,500 હેકટરના આંકને આંબી ગયું છે. 1 વર્ષમાં ડુંગળીના વાવેતરમાં 1,700 હેકટરનો વધારોઆ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 1,700 હેકટરનો વધારો થયો છે. તેમજ ટકાવારીની દ્રષ્ટિએ ગણીયે તો આ વર્ષે પણ ડુંગળીના વાવેતરમાં 4.17 ટકાનો વધારો થયો છે. અને ગત વર્ષે વાવેતર 40,800 હેકટર હતુ તે આ વર્ષે પણ વધીને 42,500 હેકટર થઇ ગયું છે. 2015થી 2026 સુધી ઘઉં વાવેતરની સ્થિતિ
મંડે પોઝિટીવ:ઈજનેર થયા પછી 3 વર્ષ નોકરી કરી અને 27 વર્ષની વયે કંપનીનો માલિક
યુવાનો 27 વર્ષની ઉંમરે કારકિર્દી બનાવવાની મથામણ કરતા હોય છે તો કેટલાક યુવાનો આ ઉંમરે જીવનની દિશા શોધતા હોય છે પરંતુ ભાવનગરના યુવાન દીક્ષિત ડાયાણીએ સુરતમાં પોતાની કંપની સ્થાપીને 40 માણસોને રોજગારી આપવા સાથે યુવાનોને નવી પ્રેરણા આપી છે. જન્મ અને અભ્યાસ ભાવનગરમાં થયા.પિતા શિક્ષક અને માતા ગૃહિણી. દિક્ષિતને ભણવામાં ખાસ રૂચી નહી, પરંતુ કુદરતે એક મોટી ભેટ આપેલી. તે બાળપણથી જ તેને ટેક્નોલોજીમાં ભારે રસ હતો. પિતા જ્યારે વિજ્ઞાન મેળો લઇને જતા તો સાથે જતો અને પિતાને ઘરે રાત્રે વિજ્ઞાન પ્રોજેક્ટમાં મદદ પણ કરતો. એ પછી એ જાતે જુના ભંગારમાંથી કઇંકને કઇંક બનાવતો, કઇંક બગડેલું રિપેર કરી નાંખતો અને ટેક્નોલોજીમાં એનો રસ વધતો ગયો. સુરતમાં આવીને ઇલેક્ટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એન્જીનિયર થયો. 2015માં સુરત આવ્યો ત્યારે હોસ્ટેલમાં રહીને ભણ્યો.નાની ઉંમરે જ ઘરે સોલાર સીસ્ટમ બનાવી દીધેલી.આજે સોલાર બિઝનેસનો જમાનો છે, પરંતુ દિક્ષિત જ્યારે નાનો હતો ત્યારે જ તેણે સુર્ય ફરે તેની સાથે સુર્યમુખીની જેમ ફરે તેવી સોલાર પેનલ બનાવેલી. સુરજના પ્રથમ કિરણ જ સૌર ઉર્જા મળતી થાય તેવું મિકેનિઝમ બનાવેલું. મા ત્ર 1.92 કિલો વોટ પર તે ઘર માટે 12થી 15 યુનિટ વીજળી રોજ મેળવતો. મતલબ કે સૌર ઉર્જાના ઉપયોગ વિશે તેને પહેલેથી નોલેજ હતું. તેણે સોલાર પેનલ બનાવી ત્યારે લગભગ 20 વર્ષની ઉંમર હતી. દીક્ષિતે પોતે ટેક્સટાઇલ મીલમાં ડ્રમ અને જેટની પેનલ ડિઝાઇન બનાવવાની નોકરી શરૂ કરી. એક વર્ષ નોકરી કરી પણ ખરી, પરંતુ અંદરથી મજા નહોતી આવતી એટલે દીક્ષિત હૈદ્રાબાદ જવાનું વિચારતો હતો એ સમયે એક મિત્ર સુરત આવ્યો અને ડાયમંડ ટેક્નોલોજી કંપનીમાં નોકરીએ લઇ ગયો. આ કંપનીમાં પણ લગભગ 2 વર્ષ કામ કર્યા પછી દીક્ષિતે માઇન્ડ્રોન નામની પોતાનીકંપની શરૂ કરી. એક મકાનમાં 10 બાય 10ની રૂમમાં તેણે કામ શરૂ કર્યું, સોફ્ટવેરથી માંડીને બધુ કામ આ રૂમમાં જ દીક્ષિત કરતો હતો. ધીમે ધીમે કરીને આજે સુમુલ ડેરી રોડ પર પોતાની ઓફિસ બનાવી છે અને 40 માણસોને રોજગારી આપે છે.તેમના કર્મચારીઑ એક પરિવારની જેમ રહે છે. ખોટ ખાઈને છેવટે સફળતા મેળવી..તે અનેક સંશોધનો કરવામાં ઉંડો ઉતરી જતો, પરંતુ અનેક વખત નિષ્ફળ પણ જતો. એક ડ્રોન પ્રોજેક્ટમાં તેને 2થી 3 લાખ રૂપિયાનું નુકશાન થયું, પરંતુ પરિવાર તેની સાથે ઉભો રહ્યો. પિતાએ કહ્યું કે, તારે જે કરવું હોય તે કર, નિરાશ નહીં થતો, ભલે નિષ્ફળ ગયો,પરંતુ આ અંત નથી. તારા માટે જરૂર હશે તો બીજા રૂપિયા લઇ આવીશ. પરિવાર અને પિતાનો સાથ મળ્યો અને ફરી પ્રયાસ કર્યો અને ડ્રોન બનાવવામાં સફળ થયો.
સુરતના રસ્તાઓ પર અત્યારે મેટ્રોની કામગીરીને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય રહી છે, ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડના ધો.10-12ના પરીક્ષાર્થીઓમાં ટ્રાફિક જામમાં ફસાઈ જવાની ચિંતા જોવા મળતી હોય છે. જો કે, આ જ ચિંતાથી વિદ્યાર્થીઓ દૂર રહે અને પરીક્ષાની તૈયારી શાંત મનથી કરી શકે તે માટે સુરત ટ્રાફિક પોલીસની ટીમ રક્ષક અને સારથિ એમ બંને ભૂમિકા સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થતી ધો.10-12ની મુખ્ય જાહેર પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી રસ્તાની રઝળપાટને કારણે પેપરથી વંચિત ન રહે તે માટે પોલીસ દર વર્ષની જેમ જ આ વખતે પણ ફૂલપ્રૂફ પ્લાનિંગ કરી રહી છે. શહેર પોલીસે હેલ્પલાઇન નંબર 74340-95555 જાહેર કર્યો છે. આ માત્ર નંબર નથી, પણ મુશ્કેલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે લાઈફલાઈન સમાન છે. જો કોઈ વિદ્યાર્થી અજાણ્યા વિસ્તારમાં રસ્તો ભૂલી જાય અથવા પરીક્ષા કેન્દ્ર શોધવામાં થાપ ખાઈ જાય અથવા મેટ્રોના ડાયવર્ઝનમાં અટવાઈ જાય તો માત્ર એક કોલ કરતાની સાથે જ પોલીસનો જવાન તેની વહારે આવશે. આ રીતે ટ્રાફિક પોલીસની સેવાનો લાભ લઈ શકાશે મારા કામની વાત આ છે ટ્રાફિક વિભાગનો માસ્ટર પ્લાન
ટ્રાફિક સમસ્યા નાથવા પાલિકાનો પ્રયાસ:સચિનથી ગોથાણ સુધી રેલવે ટ્રેક નીચેથી ગરનાળા બનાવાશે
શહેરમાં દર વર્ષે વધતા જતા વાહનોની સંખ્યાની સરખામણીએ રોડ પહોળા કરવાની શક્યતા નહિવત્ હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. આ સ્થિતિમાં હવે શહેરના એક છેડેથી બીજા છેડા સુધી પસાર થતા રેલવે ટ્રેક નીચેથી નવા ગરનાળા અને અન્ડર બ્રિજ બનાવી વૈકલ્પિક માર્ગો ઊભા કરવાની દિશામાં પાલિકા તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયા અંતર્ગત સચિન રેલવે ટ્રેકથી સાયણ અને ગોથાણ સુધીના વિસ્તારમાં રેલવે ટ્રેક નીચે નવા માર્ગોની શક્યતા તપાસવા આગામી દિવસોમાં ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ હયાત ગરનાળા સાંકડા સાબિત થઇ રહ્યા હોવાથી ખુબ ઉપયોગી આ ગરનાળાને ડેવલપ કરવાની સાથે અન્ડર બ્રિજમાં રુપાંતર કરવાની પણ કવાયત શરુ કરાઇ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય જિતેન્દ્ર સોલંકીએ મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, ‘હાલથી જ નવા રસ્તાના વિકલ્પો શોધવા પગલાં નહીં લેવાય તો આગામી વર્ષોમાં ટ્રાફિકજામની સમસ્યા શહેરમાં વધુ ગંભીર બની શકે છે.’
અમેરિકાએ હીરા-જ્વેલરી પર ટેરિફ ઘટાડતાં ભારતીય નિકાસકારોને રાહત મળશે તેવી અપેક્ષા હતી. જો કે, હકીકતમાં અમેરિકના વેપારીઓ હવે વધુ ડિસ્કાઉન્ટ માંગી નવા દબાણ ઊભા કરવા માંડ્યા છે, જેથી સુરતના હીરા ઉદ્યોગમાં માર્જિન પર ફરી અસર થઈ શકે છે. ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ટેરિફ ઘટાડાથી અમેરિકના બજારમાં ખરીદીમાં તેજી આવવાની ધારણા હતી, પરંતુ રિટેલ વેચાણ ધીમી ગતિએ વધતાં ત્યાંના હોલસેલર્સ અને જ્વેલરી ચેઇન્સ કિંમતોમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ અને સ્ટડેડ જ્વેલરીમાં 3થી 7 ટકાના વધારાના ડિસ્કાઉન્ટ માટે દબાણ થઈ રહ્યું છે. સુરતના નિકાસકારોએ એક તરફ ઓર્ડર જાળવવા ડિસ્કાઉન્ટ આપવું પડે છે, તો બીજી તરફ રફના ભાવ, મેન્યુફેક્ચરિંગ ખર્ચ અને ફાઇનાન્સ કૉસ્ટ ઊંચી હોવાથી નફો ઘટે છે. નાનાં અને મધ્યમ યુનિટોને સૌથી વધુ મુશ્કેલીઉદ્યોગકારો કહે છે કે, ‘ટેરિફ ઘટાડાનો વાસ્તવિક લાભ ત્યાંના વેપારીઓ જ લઈ રહ્યા છે.’ અમેરિકા ભારત માટે સૌથી મોટું બજાર હોવાથી નિકાસકારો માટે ઓર્ડર જાળવી રાખવા જરૂરી છે. જો કે, સતત ડિસ્કાઉન્ટના દબાણથી નાનાં-મધ્યમ યુનિટો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે. રિટેલ ડિમાન્ડ રિવાઈવ ન થાય ત્યાં સુધી મુશ્કેલી છે. આ સ્થિતિમાં સુરતના હીરા ઉદ્યોગ માટે કૉસ્ટ કંટ્રોલ, વેલ્યૂ એડિશન અને નવા બજારો એકમાત્ર ઉકેલ છે.
પાલિકાની ટર્મ 11 માર્ચે પૂરી થઈ રહી છે. ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલાં શાસકો ડુમસ સી-ફેસ (ફેઝ-1) ખુલ્લો મૂકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 કે 8 માર્ચે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવશે. પાલિકાએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. પહેલા ચરણમાં આ મુખ્ય આકર્ષણોનો લાભ લઈ શકાશે હવે ઝોન 2, 3 અને 4નાં કામ થશે
અડાજણમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઇન્કમટેક્સ ભવનની સામે મણિયા હોસ્પિટલની સાઈટ પર ડાયાફ્રેમ વોલ ધસી પડતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. નિર્માણ કાર્ય માટે મંગાવેલું 100 ટન સ્ટીલ રોડ સાઈડની ડાયાફ્રેમ વોલની નજીક મૂકાયું હતું, જેથી.ભારે દબાણને કારણે દીવાલ તૂટી પડી હોવાની શક્યતા છે. અડાજણ ટીપી-31, એફ.પી-31 ખાતે 7 માળની હોસ્પિટલનું બાંધ ચાલી રહ્યું છે, જેમાં ત્રણ બેઝમેન્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ દરમિયાન રવિવારે રોડ સાઈડની સુરક્ષા માટે બનાવાયેલી ડાયાફ્રેમ વોલ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી.
વીજબિલની વસૂલાત કરવા DGVCLનું અભિયાન:વીજ બિલ મળ્યાના 10 દિવસમાં ચુકવણું ન થાય તો જોડાણ કપાશે
ડીજીવીસીએલ હવે બાકી વીજબિલની વસૂલાત કરવા માટે કડક અભિયાન શરૂ કરશે, જેમાં બિલ મળ્યાના 10 દિવસમાં ચુકવણી નહીં કરવામાં આવે તો જે તે ધારકનું જોડાણ કાપી નખાશે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં 465.49 કરોડના વિજ બિલ ભરાયાં નથી. કંપની પર નાણાકીય ભારણ વધતું જતાં હવે કડક કાર્યવાહી કરાશે. આ બાબતે ડીજીવીસીએએ સ્પષ્ટ કર્યું હતું કે, વીજળી આવશ્યક સેવા છે અને તેના ઉત્પાદન, ટ્રાન્સમિશન તથા વિતરણ માટે ભારે ખર્ચ થાય છે. અગાઉ ગ્રાહકોને અનુકૂળતા રહે તે માટે હપ્તા, સમયમર્યાદામાં છૂટછાટ અપાતી હતી છતાં ઘણાં ગ્રાહકો નિયમિત ચુકવણી કરતા નથી. હવે આવા ગ્રાહકોની યાદી તૈયાર કરી નોટિસ અપાશે. વીજ કંપનીએ તમામ ગ્રાહકોને સમયસર બિલની ચુકવણી કરવા અપીલ કરી છે જેથી કાર્યવાહીથી બચી શકાય. પેમેન્ટ કરવા ઓનલાઇન-ઓફલાઇન સહિતના વિકલ્પોકંપનીના અધિકારીએ કહ્યું કે, ‘આ અભિયાનનો હેતુ ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી, પરંતુ કંપનીની મુશ્કેલી ઓછી કરવાનો છે. ગ્રાહકોને સરળતા રહે તે માટે ડિજિટલ તથા ઓફલાઇન ચુકવણીના વિકલ્પો છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ, નેટ બેન્કિંગ, UPI, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એજન્સીઓ તેમજ અધિકૃત કલેકશન સેન્ટર મારફતે બિલ ભરવાની સુવિધા આપવામાં આવી જ રહી છે.’
વેધર રિપોર્ટ:પારો 1.4 ડિગ્રી ઘટીને 35.4 છતાં પવન ધીમા થતાં બફારો
શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી ઘટીને 35.4 ડિગ્રી થયું હતું . જો કે, પવનની ગતિ માત્ર 4 કિમી પ્રતિ કલાકની રહેતાં બપોરે ભારે બફારાનો અહેસાસ થયો હતો. બીજીતરફ, લઘુતમ તાપમાનમાં 1.3 ડિગ્રી ઘટી 19.2 થતાં રાત્રે હળવી ઠંડીનો અમુભવ થયો હતો. હવામાન વિભાગ મુજબ, શહેરમાં આવેલા તાપમાનના ઘટાડા પાછળ ઉત્તર દિશાથી ફૂંકાતા પ્રમાણમાં ઠંડા પવન મુખ્ય કારણ છે. આ સાથે જ શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ભેજનું પ્રમાણ 84 ટકા જેટલું ઊંચું નોંધાયું હતું, જે સાંજ થતા સુધીમાં 42 ટકા જેટલું સામાન્ય થઈ ગયું હતું. ભેજ અને પવનની દિશામાં થતા ફેરફારને કારણે આગામી બે દિવસ હજુ પણ મિશ્ર હવામાનની સ્થિતિ યથાવત રહેશે. આગાહી મુજબ બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 34 ડિગ્રી, જ્યારે લઘુતમ 20થી 22 ડિગ્રીની વચ્ચે રહેશે. આમ, સુરતીઓએ હજુ પણ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો સામનો કરવો પડશે.
પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર પરવાના પઠાણના 4 લાખના લાંચ કેસમાં ભ્રષ્ટાચારની ચોંકાવનારી બાબતો ખુલી રહી છે. કેટલાક અગ્રણી કોન્ટ્રાક્ટરોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદે બાંધકામોમાં તો ઉઘરાણા હતાજ, પરંતુ ઝોન લેવલના વિકાસ કામોનાં બિલ મંજૂર કરાવવા પણ ઇજારદારો પાસેથી 30 ટકા સુધી કટકી લેવાતી હતી. જે ઈજારદાર ‘કટ’ આપવાની ના પાડે તો તેના બિલો જાણી જોઈને દબાવી દઈ ધક્કા ખવડાવાતા હતા. 5-10 હજારના પરચૂરણ બિલમાં પણ અધિકારીઓ ‘રાજી’ થયા બાદ જ સહિ કરતા હતા. દોઢ વર્ષ પહેલાં પત્રકાર પરવાના પેશાબના બહાને પોલીસને ચકમો આપી ભાગ્યો હતો દોઢેક વર્ષ પહેલાં પત્રકાર પરવાના પોલીસને પેશાબ કરવાના બહાને ચકમો આપી ભાગી ગયો હતો. જો કે પોલીસે તરતજ પકડી પાડી પાસા હેઠળ કચ્છ-ભૂજની જેલમાં મોકલી આપ્યો હતો. અગાઉ મારામારીના કેસમાં પાસાની કાર્યવાહી થઈ હતી. હાલમાં એસીબી પોલીસની મદદે ઈજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર પરવાનાને શોધી રહી છે. એસીબીએ પાલિકામાંથી વિપુલની માહિતી મંગાવી છે. અશાંતધારાની વાંધા અરજીઓની તપાસ થાય તો પરવાનાના 4 પન્ટરોના નામ મળે લિંબાયતમાં અશાંતધારા હેઠળની મિલકતોમાં 3 વર્ષથી ટોળકી લોકો પાસેથી ઉઘરાણા કરે છે. પરવાનાની આ ટોળકીમાં 4 પન્ટરો પોલીસથી લઈ સરકારી કચેરીઓમાં ‘સેટિંગ’ કરાવી વાંધા અરજીનો ઉકેલ લાવતા હતા. દરેક સભ્યનું પોતાનું નેટવર્ક છે, જેમાં બે શખ્સ પોલીસ સાથે સંપર્ક જાળવતા, જ્યારે અન્ય એક પાલિકામાં મિત્રતા કેળવતો. બાકીનો એક પન્ટર રાજકીય સંપર્કથી કામ સરળ કરાવતો હોવાની ચર્ચા છે. ભાસ્કર ઇનસાઇટઝોનલ ચીફ પાસે 5 લાખ સુધીના ‘તાકીદના કામ’ કરવાની સત્તાનો દુરુપયોગ, પોસ્ટિંગ મેળવવા ₹50-60 લાખનો ભાવઝોનના ચીફ પાસે 5 લાખ અને ઓફિસર પાસે 1 લાખની મર્યાદામાં ‘તાકીદના કામ’ કરાવવાની સત્તા છે, જેનો દુરુપયોગ કરી મોટા કામોના ટુકડા કરી ટેન્ડર વિના માનીતા ઇજારદારોને લ્હાણી કરાય છે. ગેરકાયદે બાંધકામોમાં લખલૂંટ કમાણી હોવાથી ઇજનેરો મલાઈદાર ઝોનમાં આવવા 50-60 લાખ આપવા તૈયાર થઈ જાય છે. ઝોનમાં પોસ્ટિંગ મેળવવા લાખોનો ભાવ ચર્ચામાં છે. નિષ્ફળ ઝોનલ ચીફની બદલી અને ખાતાકીય તપાસની માંગલિંબાયત ઝોનમાં લૂંટ રોકવામાં નિષ્ફળ ઝોનલ ચીફ નિલેશ પટેલ સામે વિરોધ ઊઠ્યો છે. તેમની સામે તાત્કાલિક તપાસ બેસાડી તેમની ભૂમિકા બદલ ACBમાં ગુનો દાખલ કરવાની વિપક્ષે ઉગ્ર માગણી કરી છે. ગણેશવાલાની સાથે ઝોનના અધિકારીઓની પણ સંડોવણીઆ ઉઘાડી લૂંટમાં ગણેશવાલા જ નહીં, ઝોનના અધિકારીઓની પણ સંડોવણી હતી. અગાઉ ડે. ઇજનેર સામે ફરિયાદ થઈ હતી. હવે ઇજારદારોમાં હિંમત આવી છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા માથાઓનાં નામ ખુલી શકે છે.
શહેરમાં વ્યાજખોરી નામનું દૂષણ વધ્યું છે, ત્યારે વધુ એક બીએસએનએલના નિવૃત્ત કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. શહેરના સદર બજારમાં ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં.2માં રહેતા જગદીશભાઈ મનજીભાઈ વાણિયા(ઉં.વ.56)નામના વૃદ્ધે ગત તા.17મીએ ઘરે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં વૃદ્ધનું 5 દિવસની લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પી.સી. પ્રતાપભાઇ વદર સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, વૃદ્ધે ગત તા.17મીએ પગલું ભર્યું હતું. મળતી વધુ માહિતી મૃતક જગદીશભાઈના પુત્ર અજયે જણાવ્યા મુજબ, પિતા બીએસએનએલમાં છેલ્લા 26 વર્ષથી સર્વિસ કરતા હતા. પિતા ગત ઓગસ્ટ માસમાં જ નિવૃત્ત થયા હોય નિવૃત્તિની રકમ પેટે તેઓને અંદાજિત રૂપિયા 20 લાખ મળ્યા હતા. પિતા જીવંત હતા ત્યારે તેઓએ જણાવ્યા અનુસાર, તેઓને વ્યાજખોરો ત્રાસ આપતા હોય નિવૃત્તિ સમયે પ્રાપ્ત રકમ પણ વ્યાજખોરો પચાવી ગયા છે તેવા આક્ષેપો કર્યા છે. વધુમાં અજયભાઈએ જણાવ્યા મુજબ પિતાએ આપઘાત કર્યા પૂર્વે છેલ્લો ફોન તેને જ કર્યો હતો અને કોલમાં કહ્યું હતું કે, તું ફટાફટ ઘરે આવી જા મારી તબિયત ખરાબ છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ચા પીવા રોડ ક્રોસ કરતી વખતે કારે ઠોકરે લેતા ટ્રક ડ્રાઈવરનું મોત
રાજકોટ-અમદાવાદ હાઈવે પાસે આવેલા માલિયાસણ ગામે પેટ્રોલ પંપની નજીક ચાલીને રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢને કારના ચાલકે ઠોકરે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર પ્રૌઢ મૂળ તમિલનાડુના હતા. અહીં ઘણા વર્ષોથી માલિયાસણ ખાતે આવેલા ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાં માલ-સામાન લાવવા લઇ જવાનું કામ કરતા હતા. બે દિવસ પૂર્વે જ તમિલનાડુથી સ્ટીલ ભરેલી ટ્રક હંકારીને માલિયાસણ ટ્રાન્સપોર્ટ ખાતે લાવ્યા હતા. ચા પીવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટનામાં મોત થયું હતું. અકસ્માત સર્જી નાસી જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પાસે આવેલા માલિયાસણ ગામે પેટ્રોલ પંપની નજીક ચાલીને રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢને કારના ચાલકે ઠોકરે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું. પ્રૌઢને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામનાર તમિલનાડુના રહેવાસી હતા. તેમનું નામ મણીખંડન કાલિયાપન(ઉં.વ.48) છે. સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બે દિવસ પૂર્વે તમિલનાડુથી સ્ટીલ ભરેલી ટ્રક હંકારીને રાજકોટ માલિયાસણ ખાતે આવ્યા હતા. ચા પીવા માટે રોડ ક્રોસ કરતી વખતે કારના ચાલકે ઠોકરે લેતા મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના મિત્ર રઘુપતિ વેગડસ્વામી ચટ્ટીયારની ફરિયાદ પરથી સ્વિફ્ટ કાર જીજે-03-પીએ-2900ના ચાલકની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા પરીક્ષાના મહાકુંભ માટે તંત્ર સજ્જ બન્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 4,17,920 વિદ્યાર્થીના ભવિષ્યનો નિર્ણય કરનારા પ્રશ્નપત્રો રાજકોટના ઝોન પર આવી ગયા છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટેટ ઝોન પરથી ધોરણ-10ના 2.52 લાખ વિદ્યાર્થીના પ્રશ્નપત્રો 18 જેટલી એસ.ટી. બસમાં રવાના કરાયા હતા. આ પ્રક્રિયા અત્યંત ગોપનીય અને સુરક્ષિત રાખવા માટે દરેક બસને GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે, જેથી બોર્ડના અધિકારીઓ દરેક પળનું ટ્રેકિંગ કરી શકે. પેપરોની સુરક્ષા માટે બસમાં ઝોનલ અધિકારી અને સ્ટાફની સાથે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 18 ઝોનના પેપરો રવાના થયા બાદ, આજે એટલે કે 23મી ફેબ્રુઆરીએ રાજકોટ શહેર (સદર, મવડી, બેડીપરા), ધોરાજી, જસદણ તેમજ જામનગર શહેર અને દિગ્વિજય સેન્ટર માટે પેપરો રવાના કરવામાં આવશે. આમ, પેપર લીક જેવી ઘટનાઓ ન બને અને પરીક્ષાની ગરિમા જળવાય તે માટે બોર્ડ દ્વારા ટેક્નોલોજી અને સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10ના પેપરોની વહેંચણી ચાલી રહી છે, ત્યારે ધોરણ 12 (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ના પ્રશ્નપત્રો લેવા માટે ઝોનલ અધિકારીઓ ગાંધીનગર જશે. આ પેપરો આજે રાજકોટ પહોંચતા જ તેને કરણસિંહજી હાઈસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં પોલીસ પહેરા હેઠળ સીલ કરવામાં આવશે. નોંધનીય છે કે, 25 ફેબ્રુઆરીથી કરણસિંહજી હાઈસ્કૂલમાં પરીક્ષા માટેનો સ્પેશિયલ કંટ્રોલરૂમ પણ કાર્યરત થઈ જશે.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક ઓસ્કાર સ્કાય પાર્ક કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ નામની સોસાયટી આવી છે અને તેમાં 480 જેટલા પરિવારો રહે છે ત્યારે આ એપાર્ટમેન્ટની પાસે જાહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને તેની બાજુમાં જ આવેલા કોર્પોરેશનના પ્લોટમાં ભંગારનો ડેલો, ચાની હોટેલ સહિતના દબાણો ખડકાઇ ગયા છે અને આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સફાઇ અને દબાણ દૂર કરવા મુદ્દે આંખ આડા કાન કરી રહ્યાની ફરિયાદો ઉઠી છે. સોસાયટીના રહીશોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઓસ્કાર સોસાયટીમાં 2000થી વધુ લોકો રહે છે અને આમ છતાં સોસાયટીના ગેટ પાસે સફાઇ થતી ન હોય મોટાપ્રમાણમાં ગંદકીના ગંજ ઠલવાયેલા છે. આ રોડ પર અવર-જવર કરતા લોકો અહીં કચરો ઠલવી જાય છે. આથી કોર્પોરેશન દ્વારા જો પેવિંગ બ્લોક નાખવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં વાહનચાલકોની અવર-જવર વધુ રહેતી હોય ટીપીનો 40 મીટરનો રોડ મોટો કરવા પણ માંગણી કરાઇ છે. તેમજ આ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત ઓસ્કાર સ્કાય પાર્કના મુખ્ય ગેટ સામે આવેલા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં ભંગારવાળા, ચાના હોટેલવાળા અને પંચરવાળાઓના દબાણને કારણે આ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો અડિંગો જમાવીને પડ્યા-પાથર્યા રહેતા હોવાની અને મહિલાઓની પજવણી કરતા હોવાની રજૂઆત કરી આ દબાણો તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે. આ મુદ્દે કોર્પોરેટરને ફરિયાદ કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં સોસાયટીના રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને છતાં પરિણામ ન મળે તો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટના અરવિંદભાઇ મણિયાર ટ્રસ્ટના ઉપક્રમે અનેક સેવાના પ્રકલ્પો તેમજ સાંસ્કૃતિક ઉત્સવ, રાષ્ટ્રભાવના સંગીત નૃત્ય અને ભક્તિ સંગીતના કાર્યક્રમો કરાય છે. જે અંતર્ગત સાદગીના મૂર્તિ હંસિકાબેન અરવિંદભાઇ મણિયારના 86મા જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા રાજકોટના નગરજનો માટે ‘સ્વરથી ઇશ્વર’ સંગીતમય કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ રાજ્યના ખ્યાતનામ કલાકાર સચિન લિમિયે અને આશિતા લિમિયે અને કલાવૃંદ દ્વારા લોકભોગ્ય ગીતો, ભજનો અને ગઝલો દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં મહાદેવને રિઝવતી સ્તુતિ અને મંત્રોના શુદ્ધ ઉચ્ચારણો કરાયા હતા. જીવંત પ્રસારણના માધ્યમથી દેશ-વિદેશના અનેક લોકોએ કાર્યક્રમ માણ્યો હતો. આ તકે શહેરના સામાજિક, ધાર્મિક, રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. સાથે જ ટ્રસ્ટ દ્વારા એક નવો પ્રકલ્પ જૈનમ બાયોડેટાઅ મોબાઇલ એપનું લોકાર્પણ કરાયું હતું. જે સમસ્ત જૈન સમાજ માટે દેશ-વિદેશમાં કોઇપણ જાતના ચાર્જ લીધા વિના જ ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમની સફળતા માટે ડો.વલ્લભભાઇ કથીરિયા, શિવુભાઇ દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટની એક મહિલાને વર્ષ 2006માં બ્લડ કેન્સર આવ્યું તે સમયે તેમને દોઢ વર્ષનો પુત્ર હતો. આ માત્ર બીમારી નહોતી, પરંતુ આખા પરિવાર માટે આઘાત સમાન હતું. સુમિત્રાબેન ભૂતએ જણાવ્યું હતું કે, ટ્રીટમેન્ટ લાંબી અને કઠિન હતી, દવાઓની ભારે આડઅસરને કારણે શરીર તૂટી પડતું હતું, માનસિક રીતે પણ અનેક વાર હાર માની જાઉં એવી સ્થિતિ ઊભી થતી, પરંતુ આ જ સમય દરમિયાન જીવનમાં એક નવો રસ્તો મળ્યો – યોગ અને વિપશ્યનાનો. શરૂઆતમાં તેમણે ફક્ત પ્રાણાયામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સતત છ મહિના સુધી રોજ પ્રાણાયામનો અભ્યાસ કર્યો. અને દોઢ વર્ષ સુધી સતત યોગ સાધના કરી. સુમિત્રાબેન કહે છે કે, યોગ માત્ર વ્યાયામ નથી, તે મન અને શરીર વચ્ચેનો સેતુ છે. વિપશ્યના ધ્યાનથી મનની અશાંતિ દૂર થવા લાગી.ત્યારબાદ વિચાર્યું કે જો યોગ અને ધ્યાનથી મને નવું જીવન મળી શકે, તો અનેક બીમારીઓથી પીડાતા લોકોને પણ આ માર્ગથી લાભ મળી શકે. આ વિચાર સાથે તેમણે યોગા ક્લાસ શરૂ કર્યા. છેલ્લા છ વર્ષથી તેઓ ઇન્દ્રેશ્વર મંદિરે નિયમિત યોગ ક્લાસ ચલાવે છે. દર રવિવારે બાળકો માટે પણ વિનામૂલ્યે ધ્યાન સત્રક્લાસમાં હાલ 25થી વધુ બહેનો આવે છે જેમાં વિશેષ વાત એ છે કે, દર મહિને આવતી યોગાની રકમ દરેક બહેનો સાથે મળીને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેમાં જરૂરિયાતમંદને દવા, અનાજની કિટ આપવી, બાળકોને ભણતરમાં કોઇ પણ વસ્તુની જરૂર હોય તો પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત દર રવિવારે બાળકો માટે પણ મફત ધ્યાન સત્ર યોજાય છે. બાળકોને જીવનમૂલ્યો સમજાવવામાં આવે છે જેમાં સત્ય બોલવું, હત્યા ન કરવી, ચોરી ન કરવી, દૂરાચાર ન કરવો અને વ્યસનથી દૂર રહેવું સહિતની સમજ આપવામાં આવે છે તેમજ કાળાસર(ચોટીલા) નજીક આવેલી આશ્રમશાળાની મુલાકાત લે છે. ત્યાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને આનાપાન ધ્યાન શીખવાડવામાં આવે છે, ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ નોટબુક, પેન જેવી જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. થાઈરોઈડની દવા, રિપોર્ટમાં સહાય પૂરી પાડે છે છેલ્લા 5 વર્ષથી મને થાઈરોઈડ આવ્યો હતો. જેમાં ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું, પરંતુ જ્યારે યોગના મહત્ત્વ વિશે જાણ થઇ ત્યારે 2 વર્ષથી યોગ કરવાનું શરૂ કર્યું. યોગા કરવાની મારી કોઇ ફી લેવામાં આવતી નથી ઉપરાંત દવા, રિપોર્ટ સહિતની દરેક પ્રકારે અહીંથી સહાય કરે છે. > જશુબેન જેઠવા, લાભાર્થી
મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત રાજ્ય સરકારની 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ફરી એકવાર પીડિત યુવતી માટે જીવનદોરી સાબિત થઈ છે. અભ્યાસ કરીને આત્મનિર્ભર બનવાની જીદ રાખતી યુવતીને પરિવાર તરફથી લગ્ન માટે દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવતા ટીમે સમયસર પહોંચી રક્ષણ પૂરું પાડ્યું હતું. એક 20 વર્ષીય યુવતીએ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે, માતા-પિતા આગળ ભણવા દેતા નથી અને ઘરકામ કરાવી લગ્ન માટે દબાણ કરે છે. ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી ત્યારે યુવતી રડતી અને ગભરાયેલી હાલતમાં મળીઆવી હતી. કાઉન્સેલિંગમાં યુવતીએ અભયમની ટીમને જણાવ્યું કે, પોતે ત્રણ બહેનમાં મોટી હોવાને કારણે તેની પાસે જ ઘરની જવાબદારી રાખવામાં આવે છે, જ્યારે નાની બહેનોને ભણાવવામાં આવે છે. પાર્લર ટ્રેનિંગ કરીને આત્મનિર્ભર બનવાની ઇચ્છા હોવા છતાં પિતાએ મનાઈ કરી હતી. પિતાનું પણ કાઉન્સેલિંગ થતા ઉકેલ ન આવતા ટીમ દ્વારા યુવતીની સુરક્ષા માટે તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવી હતી. ત્યારબાદ બે-ત્રણ દિવસમાં માતા-પિતા સેન્ટર પર પહોંચ્યા હતા. દીકરીની વાત સાંભળ્યા બાદ તેમણે અભ્યાસ અને કોર્સ કરવાની મંજૂરી આપી તેમજ થોડા વર્ષ સુધી લગ્ન માટે દબાણ નહીં કરવાનો વિશ્વાસ આપતા સમાધાન થયું હતું. વધુમાં 181ના કર્મચારી બીનાબેન જણાવે છે કે, તેઓએ જ્યારે દીકરીનું કાઉન્સેલિંગ હાથ ધર્યું ત્યારે તેણીએ ટીમને જણાવ્યું હતું કે, તેણીએ ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. તેનું સ્વપ્ન છે આગળ ભણી ગણીને પગભર થઇ માતા-પિતાનો સહારો બનવાનું, તે નાનપણથી પિતાને મજૂરી કામ કરતી જોતી આવે છે, તેણી કોલેજમાં અભ્યાસ કરવા માગે છે. ધોરણ-12 વાણિજ્ય પ્રવાહમાં તેણીએ ક્લાસમાં ટોપ કર્યું હતું તેવી વાત તેણીએ ટીમ સમક્ષ જણાવી હતી. ‘મોટી દીકરી પર જવાબદારીનો બોજ’ માનસિકતા હજુય જીવંતસમાજમાં અનેક પરિવારોમાં મોટી દીકરીને ઘરકામ અને જવાબદારી સાથે જોડવામાં આવે છે. પરિણામે શિક્ષણ અને કારકિર્દી પર અસર પડે છે. નિષ્ણાતોના મત મુજબ આ માનસિકતા યુવતીઓમાં આત્મવિશ્વાસ ઘટાડી માનસિક તણાવ વધારતી હોય છે. જેમ કોઈ પણ બાળકને વધારે પ્રમાણમાં ટોકવું ગેરવાજબી છે, તેની બાળકના ઉછેર ઉપર માઠી અસર થાય છે. તેવી જ રીતે કોઈ પણ બાળકને તેના ભાઈ-બહેનોની સમકક્ષ ઓછું કે વધારે ધ્યાન આપવામાં ત્યારે પણ તેના પર અનેક નકારાત્મક અસરો થતી જોવા મળે છે. ખાસ કરીને દીકરીઓની માનસિકતા પર તેની ઊંડી અસર થાય છે કેમ કે, સમાજના એક ચોક્કસ વર્ગના મત અનુસાર તેનું માવતરના ઘરે દીકરાની સમકક્ષ ઓછીવતી તોલવામાં આવે છે. ખરેખર આ માનસિકતા ગેરવાજબી છે.
25મીએ મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવ:વીજબિલ ન ભરનાર સૌરાષ્ટ્રના 4.43 લાખ ગ્રાહકના કનેક્શન PGVCL કાપી નાખશે
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (PGVCL)એ બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. તા.25 ફેબ્રુઆરી, બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના 12 સર્કલમાં એકસાથે ‘મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવ’ હાથ ધરાશે, જેમાં જે ગ્રાહકોના વીજબિલ બાકી છે, તેમના જોડાણો કાપી નાખવામાં આવશે. સમગ્ર ઝોનમાં કુલ 4.43 લાખ ગ્રાહક એવા છે જેમણે બિલની ચૂકવણી કરી નથી. જેમાં રાજકોટ શહેરના 26325 વીજ ગ્રાહક પાસેથી અંદાજે રૂ.66 કરોડ વસુલવાના બાકી છે. જોડાણ કપાયા બાદ રિ-કનેક્શન ચાર્જ ચૂકવવો પડશેPGVCL દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડિસ્ક્નેક્શન ડ્રાઈવ દરમિયાન સ્થળ પર વીજબિલના નાણાં સ્વીકારવામાં આવશે નહીં. ગ્રાહકોએ ફરજિયાતપણે પેટાવિભાગીય કચેરીએ જઈને 100% રકમ ભરપાઈ કરવી પડશે. એટલું જ નહીં, જોડાણ કપાયા બાદ નિયમ અનુસાર ‘રિ-કનેક્શન ચાર્જ’ વસૂલ્યા પછી જ પાવર સપ્લાય પુનઃ ચાલુ કરવામાં આવશે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ચાલતી અન્ય કામગીરીને કારણે હાલ માત્ર બુધવારે જ આ ઝુંબેશ ચાલશે અને ત્યારબાદ તબક્કાવાર કાર્યવાહી થશે. મુશ્કેલીથી બચવા 25મી પહેલાં કેશલેસ પેમેન્ટનો આગ્રહ
રેલવેમાં મુસાફરી કરતા સામાન્ય વર્ગના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ રાહતના સમાચાર આપ્યા છે. રાજકોટ ડિવિઝન હેઠળ આવતી અને ઓખા તથા પોરબંદરથી દોડતી ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનમાં હવેથી વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. આ ફેરફાર કોઈ ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ કાયમી ધોરણે અમલી બનાવવામાં આવ્યો છે. કોચનો વધારો કરતા ટ્રેનમાં થતી ભીડમાં રાહત થશે અને મુસાફરોને જગ્યા મળી રહેશે. અત્યાર સુધી લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા મર્યાદિત હોવાને કારણે અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ ધરાવતા મુસાફરોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને તહેવારો અને વેકેશનના સમયમાં મુસાફરોએ દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરવી પડતી હતી. રેલવેના આ નિર્ણયથી હવે સામાન્ય ટિકિટ પર મુસાફરી કરતા લોકોને ટ્રેનમાં બેસવા માટે પૂરતી જગ્યા મળી રહેશે અને તેમની મુસાફરી વધુ સુખદ અને સરળ બનશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અને ઓખા-પોરબંદરને જોડતી લાંબા અંતરની મુખ્ય ચાર જોડી ટ્રેનની કોચ સંરચનામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો લાભ સૌરાષ્ટ્રના મુસાફરોને મળશે જેઓ રાજ્ય બહાર કે અન્ય લાંબા અંતરના રૂટ પર મુસાફરી કરે છે. રાજકોટ ડિવિઝન દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય મુસાફરોની સતત વધી રહેલી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં થશે કોચમાં વધારો 1. ઓખા-શાલિમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906): આ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3થી વધારીને 4 કરાઈ છે. આ વ્યવસ્થા ઓખાથી 26 એપ્રિલ 2026 અને શાલિમારથી 28 એપ્રિલ 2026થી અમલી બનશે. 2. પોરબંદર-શાલિમાર-પોરબંદર એક્સપ્રેસ (12905/12906): આમાં પણ જનરલ કોચ 3થી વધીને 4 થશે. પોરબંદરથી 29 એપ્રિલ 2026 અને શાલિમારથી 01 મે 2026થી આ સુવિધા અમલી બનશે. 3. પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (20968/20967): આ ટ્રેનમાં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યા 3થી વધારીને 4 કરવામાં આવી રહી છે. આ ફેરફાર પોરબંદરથી 28 એપ્રિલ 2026 અને સિકંદરાબાદથી 29 એપ્રિલ 2026થી અમલી બનશે. 4. પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ (12949/12950): આ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 2થી વધારીને 4 કરવામાં આવી છે. આ સુવિધા પોરબંદરથી 1 મે અને સાંતરાગાછીથી 3 મેથી અમલી બનશે.
પ્રગતિશીલ ખેડૂત:સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અપનાવી હળદરના પાકથી સારી આવક મેળવી
રાસાયણિક ખેતીમાં ખર્ચ વધતા જામનગરના દડિયા ગામના યુવા ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાયને ગાય આધારિત ખેતી અપનાવી છે, 19 વીઘામાં સિઝનેબલ પ્રાકૃતિક ખેતી કરે છે. હાલ 4 વીઘા જમીમાં હળદરની ખેતીથી વીઘે 150 મણનો ઉતારો આવે છે. તેનો પાઉડર બનાવી વેચાણ થકી સારી આવક મેળવી રહ્યા છે. આ અંગેની સમગ્ર જાણકારી તેમના જ શબ્દોમાં.... મારો પરિવાર પહેલા રાસાયણિક ખેતી કરતો હતો. જેમાં ખર્ચ વધતા બચત થતી નહતી. દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી ગાય આધારિત (પ્રાકૃતિક) ખેતી કરવાનો વિચાર આવ્યો, અને વર્ષ 2019થી બાપ-દાદાની 19 વીઘા જમીનમાં પાકૃતિક ખેતી અપનાવી. જેમાં મગફળી, રાય, ઘઉં, હળદર, ગુલાબ તેમજ હળદરનું વાવેતર કરીએ છે. ચાલુ વર્ષે જીરૂ, લસણ, ડુંગળીનું પણ ટ્રાયલ પુરતું વાવેતર કર્યુ છે. અમે છેલ્લા ચાર વર્ષથી હળદરની ખેતી ખેતી કરીએ છીએ, પ્રથમ એક વીઘામાં હળદરનું વાવેતર કર્યા બાદ જેમ-જેમ હળદર પાવડરની માંગ વધતી ગઈ તેમ તેમ વાવેતર વધારીને આજે 4 વિઘા જમીનમાં હળદરનું વાવેતર કરીએ છીએ. જેમાં વીઘે 150 મણનો ઉતારો આવે છે. ત્યારબાદ હળદરની પ્રોસેસ કરી પાવડર બનાવી વેચીએ છીએ. 100 મણ લીલી હળદરમાં 18 મણ જેવો પાવડર બને છે. હળદરના વાવેતર બાદ 9 માસે પાક તૈયાર થાય છે -જૂન માસમાં હળદરનું વાવેતર કરવામાં આવે છે -વાવેતર પછી 1 માસે હળદરના છોડ ઉગે છે -દોઢ માસ સુધી પીયત કરવું પડે છે બાદ વરસાદ થઈ જાય છે -8 થી 10 વખત નીંદામણ કરવું પડે છે -ફ્રેબુઆરી માસમાં હળદરનો પાક તૈયાર થાય છે હળદરનો પાક તૈયાર થયા પછી એક માસ સુધી પ્રોસેસ કરવી પડે છે ખેડૂતે જણાવ્યું હતું કે, હળદરનો પાક તૈયાર થયા પછી પાવડર બનાવવા માટેની એક માસ સુધી પ્રોસેસ ચાલે છે. જેમાં ચીપ્સ અને બોઈલીંગ પધ્ધતિ હોય છે. જેમાં ચીપ્સ પધ્ધતિમાં પાવડર થોડો ડાર્ક રહી જાય છે. બોઈલીંગ પધ્ધતિ થોડી લાંબી છે અને મહેનતવાળી છે. જેમાં હળદર સુકવ્યા બાદ બાફીને સુકવવામાં આવે છે. સૂકાયા બાદ તેમનો પાવડર બનાવાય છે.અમે બોઈલીંગ પધ્ધતિ અપનાવીએ છીએ. - આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત. સંપર્ક 9824890489
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. પરીક્ષાની તારીખ નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં એક અજાણ્યો ભય, ચિંતા અને તણાવ જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓના આ માનસિક ભારને હળવો કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓ માટે મેન્ટલ ક્લિનિક બન્યું છે. અહીં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક કાઉન્સેલિંગ કરી તેમનો આત્મવિશ્વાસ વધારવામાં આવી રહ્યો છે. યાદશક્તિ વધે, ડર દૂર થાય તે માટે બોર્ડની પરીક્ષા પહેલા ટોક થેરાપી અને PQRST મેથડથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે છે. મનોવિજ્ઞાન ભવનમાં આવતા વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે પરીક્ષાની ચિંતા, માતા-પિતાનું અપેક્ષા રૂપી દબાણ, ચોક્કસ વિષયનો ફોબિયા અને ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. આ પડકારો સામે લડવા માટે ભવન દ્વારા આધુનિક સાઇકોલોજિકલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વાલીઓને સમજાવવામાં આવે છે કે સાયન્સ, કોમર્સ કે આર્ટસ - તમામ ક્ષેત્રોનું પોતાનું મહત્ત્વ છે. સંતાનની રસ-રુચિ જાણીને તેને પ્રોત્સાહન આપવામાં આવે તો જ તે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ ‘સેલ્ફ એસેસમેન્ટ સ્ક્રીનિંગ કેમ્પ’ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સતત કાર્યરત રહેશે, જેથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ડરને કારણે હારી ન જાય અને પોતાની પૂરેપૂરી ક્ષમતા સાથે પરીક્ષા આપી શકે. આ 5 પદ્ધતિ મનોબળ વધારે છે PQRST મેથડ | યાદશક્તિ વધારવા માટેનું બ્રહ્માસ્ત્ર વિદ્યાર્થીઓની સૌથી મોટી ફરિયાદ ‘વાંચેલું યાદ નથી રહેતું’ તેવી હોય છે. તેના ઉકેલ માટે મનોવિજ્ઞાન ભવન PQRST ટેક્નિક શીખવી રહ્યું છે. જેનો અર્થ થાય છે: ભાસ્કર એક્સપર્ટ એકાગ્રતાની કમી અને ‘બધું ભૂલી જવાનો ડર’ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે ખાસ કરીને વાલીઓની ઊંચી અપેક્ષાઓ અને અન્ય સાથેની સરખામણીથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો અભાવ અને ડર પેદા કરે છે. સતત વાંચવાને કારણે થતો માનસિક થાક, એકાગ્રતાની કમી અને ‘બધું ભૂલી જવાનો ડર’ તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે, જેના કારણે ક્યારેક ચીડિયાપણું કે અનિદ્રા જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં માત્ર મહેનત જ નહીં, પણ સકારાત્મક અભિગમ અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. - ડો. યોગેશ જોગસણ, પ્રોફેસર
રાજકોટનાં જંગલેશ્વરમાં આજે ડિમોલિશનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 1489 મકાનનું ડિમોલિશન કરાશે. આ માટે ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક સાધનો સાથે 7 ટીમો શેઠ હાઇસ્કૂલ ખાતેથી રવાના થશે. આ ઓપરેશન માટે જુદી-જુદી 7 ટીમો બનાવવામાં આવી છે, જેની અધ્યક્ષતા ચારેય સિટી ઇજનેરો સહિત 14 અધિકારીઓને સોંપવામાં આવી છે. મ્યુ. કમિશનર કંટ્રોલરૂમથી રાખશે બાજ નજરઅધિકારીઓ અલગ-અલગ 2 શિફ્ટ મુજબ આખા ઓપરેશનને પાર પાડશે. તેઓની સીધી દેખરેખ હેઠળ બુલડોઝર સહિતના સાધનો દ્વારા મેગા ડિમોલિશનની પ્રક્રિયા થોડી જ વારમાં શરૂ કરવામાં આવશે. મ્યુ. કમિશનર તુષાર સુમેરા નીલકંઠ ટોકીઝ સામે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર કામગીરી પર બાજ નજર રાખશે. મેગા ડિમોલિશનમાં અનેક લોકોના આશિયાના તૂટશેઆ ઉપરાંત, તંત્ર દ્વારા દર 2 કલાકે અપડેટ્સ સાથે ડ્રોન વીડિયો પણ જાહેર કરવામાં આવશે. આ વિશાળ અને મેગા ડિમોલિશનમાં 1489 જેટલી મિલકતો તોડવામાં આવનાર હોવાથી અનેક લોકોના આશિયાના તૂટશે. આ કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 2 દિવસ જેટલો સમય લાગવાની શક્યતા છે. 500 કરતા વધુ લોકો હાથોડા-ડ્રીલથી મકાનો તોડ્યાઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજ દિવ્યભાસ્કરની ટીમ જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી હતી, ત્યારે દરેક ચોકમાં પોલીસ અને મહાપાલિકાનાં અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તો સાથે જ 500 કરતા વધુ લોકો હાથોડા અને ડ્રિલ જેવા સાધનો વડે જાતે જ પોતાના મકાનો તોડતા અને પાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો સ્વેચ્છાએ આ કામગીરી કરતા હતા ત્યાં પણ પોલીસ તેમજ ફાયરનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ પણ વાંચો: 'આ કેવો દોર છે, નેતા ચોર છે':જસ્ટિસ ફોર જંગલેશ્વર સોંગ વાઇરલ આ પણ વાંચો: ગુનાખોરીના કારણે બદનામ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની ક્રાઈમ કુંડળી આ પણ વાંચો: આશરો, આંસુ ને આક્રોશ, 'મારી નાખો, પછી મકાન પાડો'; '5000ની કમાણીમાં 10 ખાવાવાળા, ભાડા કેમ ભરી'?

34 C