સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4 માં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડમાંથી અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અન્ય ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન સમયે શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ મનહરસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખોની ઉપસ્થિતિ રહી હતી. સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપના વિકાસના કામોને જન-જન સુધી પહોંચાડી વોર્ડ નંબર-4 ના તમામ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં વોર્ડ નંબર-4 ના ઉમેદવાર જામાભાઇ ગરીયા અને મિલીંદભાઇની સાથે નગરજનો અને સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અગાઉ બિનહરીફ થયેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં મનહરસિંહભાઈ રાણા (શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ), જીગ્નાબેન પંડ્યા (જૂનાગઢ મહાનગર પ્રભારી તથા પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), વિરેન્દ્રભાઈ આચાર્ય (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), નિલેશભાઈ શેઠ (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર નગરપાલિકા), અને જીજ્ઞાસાબેન નાયક (ઉપપ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ) નો સમાવેશ થાય છે.
ગીર સોમનાથમાં સાંસદની 'બ્રાન્ડ સામે માલ' ટિપ્પણી:નવદ્રા બેઠકની સભામાં રાજકીય માહોલ ગરમાયો
ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આવું જ એક આક્રમક નિવેદન નવદ્રા જિલ્લા પંચાયત બેઠક પરથી સામે આવ્યું છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની જાહેર સભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઘણા લોકો રાજકારણમાં આવી પોતાનો માલ વેચવા નીકળે છે. પરંતુ જેનો માલ નબળો હોય એને જ વેચવા નીકળવું પડે... બ્રાન્ડને ક્યારેય વેચવું પડતું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપની 'બ્રાન્ડ' ગણાવી હતી. આ ટિપ્પણી બાદ રાજકીય વર્તુળોમાં ગહન ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષો આ નિવેદનને અહંકારપૂર્ણ અને અપમાનજનક ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના સમર્થકો તેને પક્ષના આત્મવિશ્વાસ અને વિકાસના એજન્ડા સાથે જોડીને જોઈ રહ્યા છે. આ વખતે ગીર સોમનાથમાં ચૂંટણી માત્ર ભાજપ અને કોંગ્રેસ પૂરતી મર્યાદિત રહી નથી. આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણીનું સમીકરણ ત્રિકોણીય બની ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોના પ્રભાવને કારણે મુખ્ય પક્ષોના ગણિતમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે, અપક્ષ અને નાના પક્ષો વોટ કટર સાબિત થઈ શકે છે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસ બંનેના પરિણામો પર પડી શકે છે. આ જ કારણ છે કે મુખ્ય પક્ષોના નેતાઓ હવે પ્રચાર દરમિયાન વધુ આક્રમક ભાષા અને વ્યૂહરચના અપનાવી રહ્યા છે. નવદ્રા બેઠક પર યોજાયેલી ભાજપની સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નોંધાઈ હતી, જે પક્ષ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, આવા આક્રમક નિવેદનો મતદારોમાં ધ્રુવીકરણ લાવે છે કે કેમ, તે પણ એક મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં હવે દરેક શબ્દ, દરેક નિવેદન અને દરેક સભાનું મહત્વ વધી ગયું છે. ગીર સોમનાથમાં હાલ રાજકીય જંગ માત્ર મત મેળવવાનો નથી, પરંતુ છબી, પ્રભાવ અને સંદેશાના યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસ વોર્ડ નંબર 9ના ઉમેદવારોએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન જનસંપર્ક અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત ઉમેદવારો ખેરાળી ગામ પણ પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આસપાસના ગામોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે, જે એક મહત્વપૂર્ણ ઘટના છે. કોંગ્રેસના ઉમેદવારોએ ગ્રામ્ય વિસ્તારના મતદારો સમક્ષ ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાઈ આવશે, તો લોકોના પ્રશ્નોનો વિશ્વાસપૂર્વક અને ઝડપથી નિકાલ કરશે. તેઓ પોતાના એજન્ડા સાથે મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાંચ દિવસીય પાટોત્સવનું મહા અભિષેક સાથે સમાપન થયું. આ વાર્ષિક ઉત્સવ ભગવાન રાધા માધવ, લક્ષ્મી નૃસિંહદેવ અને નિતાઈ ગૌરાંગના ભાડજ મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર ફૂલો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને વિવિધ ફૂલો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા. ભક્તો દ્વારા ભગવાનને વિશેષ સેવા તરીકે 108 પ્રકારના રાજભોગ અર્પણ કરાયા હતા. આ પછી, 'ચૂર્ણ અભિષેક' વિધિ યોજાઈ, જેમાં સાત પવિત્ર નદીઓના જળ સમાવવામાં આવેલા 108 પવિત્ર કળશોથી અભિષેક કરવામાં આવ્યો. આ દરમિયાન, ભક્તોએ ઋગ્વેદના પુરુષ સૂક્તનું પઠન કરીને મહાપ્રભુનો મહિમા કર્યો. ઉત્સવનું સમાપન મહા આરતી અને ભવ્ય પાલખી ઉત્સવ સાથે થયું. આ પ્રસંગે ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી હવાલા માર્ગે મોકલાયેલા કરોડો રૂપિયાના ફંડિંગમાં હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાણાંનો મુખ્ય હેતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મતદારોને રોકડ વહેંચીને પ્રભાવિત કરવાનો અને ત્યારબાદ તે જ લોકો પાસે ચૂંટણીમાં બબાલ અને અશાંતિ ઊભી કરાવવાનો હતો. આ સમગ્ર સિન્ડિકેટ દિલ્હીથી ઓપરેટ થઈ રહી હોવાનું ખૂલતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 1.25 કરોડનું હવાલા ટ્રાન્ઝેક્શનક્રાઈમ બ્રાંચને મળેલી બાતમી મુજબ, દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાએ સુરતની આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિધરપુરાની 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીમાં છેલ્લા 5-6 મહિનામાં અંદાજે 1.25 કરોડ આવ્યા હતા. આ રકમ લેવા માટે સુરતનો આકાશ મિશ્રા અને અજય તિવારી વારંવાર જતા હતા. આકાશ મિશ્રાની અટકાયત બાદ હવે પોલીસ અને આઈટી વિભાગ આ નાણાં કયા કયા ઉમેદવારોના ખિસ્સા સુધી પહોંચ્યા તેની તપાસ કરી રહી છે. હિમાંશુ પાહુજાનું દિલ્હીના 'મંત્રી' સાથે સીધું કનેક્શનતપાસમાં સૌથી મહત્વનું પાત્ર હિમાંશુ પાહુજા છે, જે આમ આદમી પાર્ટીના એક વગદાર મંત્રીનો અત્યંત નજીકનો હોવાનું માનવામાં આવે છે. આંગડિયા મારફતે નાણાં મોકલવા પાછળ હિમાંશુનો મુખ્ય હાથ હતો. આ કેસમાં 8 થી 10 લોકોની એક આખી સિન્ડિકેટ સક્રિય છે, જે ચૂંટણી દરમિયાન નાણાંની હેરફેરનું સંચાલન કરે છે. પોલીસ હવે દિલ્હી જઈને હિમાંશુની પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેથી ફંડના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકાય. આંગડિયા પેઢીના CCTV ફૂટેજે પોલ ખોલીપોલીસે જે આંગડિયા પેઢીમાં નાણાં આવ્યા હતા તેના માલિકની પૂછપરછ કરી છે અને ત્યાંથી મહત્વના CCTV ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નાણાં લેવા માટે આવતા સ્પષ્ટ દેખાય છે. આ પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આ રોકડ રકમ કયા વાહન દ્વારા અને કઈ રીતે સુરતના વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવી, તેની વિગતો પણ પોલીસ એકઠી કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 'કેશ ફોર વોટ' અને હિંસાનો માસ્ટર પ્લાનપોલીસ અને આઈટીની તપાસમાં એક ભયાનક સત્ય સામે આવ્યું છે. દિલ્હીથી આવેલી આ તોતિંગ રકમનો ઉપયોગ સુરતના રૂરલ વિસ્તારોના જરૂરિયાતમંદ મતદારોને રીઝવવા માટે થવાનો હતો. લાલચ આપીને મત મેળવવાની સાથે સાથે, આ મતદારોને ઉશ્કેરીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને હિંસક બબાલ કરાવવાનો પણ બદઇરાદો હતો. લોકશાહીને નાણાં અને હિંસાના જોરે પ્રભાવિત કરવાની આ રમતનો પોલીસે સમયસર પર્દાફાશ કર્યો છે. ઇન્કમટેક્સની એન્ટ્રીકરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાથી હવે ઇન્કમટેક્સ વિભાગ પણ એક્શન મોડમાં છે. આઈટી અધિકારીઓએ પોલીસ પાસેથી આ કેસની તમામ ડિટેલ્સ મેળવી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આઈટી વિભાગ મોટા પાયે દરોડા પાડી શકે છે અને આમ આદમી પાર્ટીના ફંડિંગને લઈને 'મોટા ધડાકા' કરે તેવી શક્યતા છે. આર્થિક ગુનાખોરીના આ નેટવર્કને તોડવા માટે એજન્સીઓ કામે લાગી છે. આગામી દિવસોમાં 'મોટા માથાઓ' પર લટકતી તલવારહાલમાં પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈને તેને મુક્ત કર્યો છે, પરંતુ અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આ કેસમાં સુરતના કેટલાક સ્થાનિક નેતાઓના નામ પણ ઉછળે તેવી શક્યતા છે. હવાલા કાંડમાં જે રીતે હાઈ-પ્રોફાઈલ લોકોના નામ સામે આવી રહ્યા છે, તે જોતા સુરતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. સુરત પોલીસ અને એજન્સીઓનું કડક વલણસુરત પોલીસ કમિશનરે આ કેસમાં ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. આઈટી વિભાગ સાથે મળીને પોલીસ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ હવાલાના રૂપિયા અન્ય કયા કયા શહેરોમાં મોકલવામાં આવ્યા હતા. પોલિટિકલ હવાલા કાંડમાં જેમ-જેમ કડીઓ જોડાતી જાય છે, તેમ તેમ 'આપ'ની મુશ્કેલીઓ વધી રહી છે. સત્ય બહાર લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને આંગડિયાના ચોપડાઓની પણ તપાસ ચાલી રહી છે.
અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાયું, મુસાફરો અટવાયા:ગોધરા નજીક બે કલાક બાદ ટ્રેન બાંદ્રા રવાના
ગોધરા નજીક મોડી રાત્રે અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાઈ ગયું હતું. આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાકના વિલંબ બાદ અન્ય એન્જિન જોડીને ટ્રેનને બાંદ્રા ટર્મિનલ તરફ રવાના કરવામાં આવી હતી. બરૌનીથી બાંદ્રા ટર્મિનલ જઈ રહેલી અવધ એક્સપ્રેસના એન્જિનમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ગોધરાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા કાસુડી રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે ટ્રેનનું એન્જિન ખોટકાઈ જતાં ટ્રેન થંભી ગઈ હતી. મોડી રાત્રિના સમયે અને આકરી ગરમીમાં ટ્રેન અટકી પડવાથી મુસાફરોની હાલત કફોડી બની હતી. આ ટ્રેન અગાઉથી જ બે કલાક મોડી ચાલી રહી હતી, જેમાં એન્જિન ખોટકાવાની ઘટના ઉમેરાતા મુસાફરોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક અન્ય એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. નવું એન્જિન જોડ્યા બાદ ટ્રેન મોડી રાત્રે 12:13 કલાકે ગોધરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી બાંદ્રા ટર્મિનલ તરફ આગળ વધી હતી.
નવસારી મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો વિસ્તાર છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ એટલે કે રત્નકલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી શહેરના વિકાસમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. રત્નકલાકારોના ગઢમાં દિવ્ય ભાસ્કરની ટીમ મતદારોનો મિજાજ જાણાવા પહોંચી હતી. વોર્ડ નંબર 2માં વિકાસના કામો થયા હોવાના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ જેવી કે ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને આંતરિક રોડ રસ્તાની હાલત હજુ પણ કથળેલી છે. આ વોર્ડમાં બ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને બાયપાસ રોડ છે તે રોડ બિસમાર હાલતમાં છે. જેથી વાહનચાલકોને ખુંબ મુશ્કેલી પડી રહી છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ચાલતી ટ્રેન પણ બંધ કરી દેવાઈ છે જેથી મુસાફરોને ખુબ હાલાકી પડી રહી છે. સ્થાનિકોની માગ છે કે, નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બની છે તો સારા રોડ રસ્તાની સુવિધા આપો. વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન બંધ કરાતા હાલાકીસ્થાનિક મનસુખ જાદવે જણાવ્યું કે, 50 વર્ષથી વિરાર શટલ અને ફિરોઝપુર જનતા ટ્રેન ચાલતી હતી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આ ટ્રેન ચાલતી હતી. જે આજે 5 વર્ષ થઈ ગયા સાવ બંધ છે જે બંધ કરવાનું કારણ શું? ‘બે કલાક ડેપોમાં બેસીએ ત્યારે માંડ એક બસ મળે છે’વધુમાં જણાવ્યું કે, નાના માણસોને મુસાફરી માટે ખુબ તકલીફ પડે છે. બસો મળતી નથી અને લોકલ બસ મૂકે તો બે કલાક ડેપોમાં બેસવું પડે. 10 બસ પ્રાઈવેટ જાય પછી એક બસ મૂકે છે. પ્રાઈવેટ બસનું 50 રૂપિયા ભાડું છે. એ લોકો એવું ડેરીંગ વાપરે કે આપણે પ્રાઈવેટ બસ જ 50 રૂપિયાવાળી મૂકવાની. નાનો માણસ બે કલાક ડેપોમાં બેસે ત્યારે એને એક લોકલ બસ મળે, એ પણ ભીડવાળી મળે. માણસ બસમાં ચડે કેવી રીતે? ‘રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે’નાગજીભાઈએ જણાવ્યું કે, અહીં કામ તો કાંઈ થયું જ નથી. રોડ રસ્તા પહોળા કરો, આવવા-જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ સુવિધા નથી, પાણી વ્યવસ્થિત આપતા નથી. ટાંકામાં ગાબડાં પડી ગયા છે. એક ટાઈમ પાણી આપતા હતા હવે બે ટાઈમ કર્યું તો પાણી અડધો કલાક જ આપે અને અડધો વાલ જ ખોલે. મહિલાઓને પાણી ભરવા જવું પડે. વધુમાં જણાવ્યું કે, જેણે દબાણ કરેલા છે એને હટાવો અને સુવિધા આપો. મહાનગરપાલિકા બની હોય તો કંઈક રસ્તાની સુવિધા કરો, સારા રોડ બનાવો. જે જે સોસાયટીમાં નેતા ચૂંટાયા છે ત્યાં રોડ બનાવી નાખ્યા છે. બીજે ક્યાંય બનાવ્યા નથી. હંસગંગા અને રાધે સોસાયટી જેવા વિસ્તારોમાં રસ્તા એટલા ખરાબ છે કે રિક્ષાઓ પણ ઉંધી વળી જાય છે. ‘બ્રિજનું કામ ચાલુ હોવાથી અડધો કલાક વહેલું નીકળવું પડે છે’વોર્ડ નંબર- બેમાંથી કોંગ્રેસના ઉમેદવાર અનિલ પટેલ જણાવે છે કે, મારા વિસ્તારમાં આ વિજલપોર ફાટક પર બ્રિજ બનાવવાનું કામ આ લોકોએ નિરંતર ચાર વર્ષથી ચાલુ રાખ્યું છે. આજે એ રસ્તો બંધ કરી દીધો છે, કોઈપણ બાયપાસ રોડ આપ્યા વગર. અમારે જો એરુ ચાર રસ્તા સુધી જવું હોય, તો અડધો કલાક પહેલા નીકળવું પડે, કારણ કે ઘેલખડીના રસ્તા બધા ખાડાવાળા છે. ‘પીવાના પાણીની સમસ્યા અવારનવાર ચાલ્યા કરે છે’પાણીની લાઈન નાખે ત્યારે રાધે પાર્કમાંથી લઈને ઘેલખડી થઈને ગોપાલનગર નીકળવું પડે. એટલો લાંબો બાયપાસ રોડ આપ્યો છે, પણ ત્યાં રોડના કોઈ ઠેકાણા નથી. પીવાના પાણીની સમસ્યા ઘેલખડીમાં અવારનવાર ચાલ્યા કરે છે. ગટર તો કાયમ ઉભરાતી રહે છે. ત્યાંના કેટલાય રહીશોનું એવું મંતવ્ય હતું કે ગટરનું કામ કરી આપો. અમે નગરપાલિકામાં ફરિયાદો કરી કરીને થાકી ગયા છીએ. નગરપાલિકાના બધા નેતાઓ જીતીને જતા રહે છે, પણ આજ સુધી કોઈ જોવા પણ નથી આવતું. ફોન કરી કરીને થાકી ગયા, પણ કોઈ સાંભળતું નથી. ‘કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે’સ્ટેશન વિસ્તારના ફાટકનો સવાલ છે, જે લોકોએ વિચાર્યા વગર બંધ કરી દીધું છે. એના કારણે જનતાને આવવા-જવામાં તકલીફ પડી રહી છે. જલારામપુરમાં પીવાનું પાણી નથી. બંદરોડ પર જોઈએ તો કચરો ગમે ત્યાં ઠાલવી દીધો છે. ડાંભર રોડના કોઈ ઠેકાણા નથી. એટલે આ વખતે જનતા આ લોકોને પાઠ ભણાવશે. બીજી તરફ કેટલાક સ્થાનિકો મનપાની કામગીરીથી ખુશ પણ નજર આવ્યાં હતા. તેઓનું માનવું છે કે, તંત્રએ અનેક સમસ્યાનો હલ કર્યો છે. ‘ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થઈ’વોર્ડ નંબર-2ના સ્થાનિક મહેન્દ્ર સાવલિયાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બંદર રોડ, કોટન કોલોની જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અને ઘરમાં પાણી ઘૂસવાની સમસ્યા હતી. તે સમસ્યા દૂર કરવા તેને વ્યવસ્થિત નિકાલ કરવા બ્લોક પેવરિંગ કરાયું જેના કારણે તેનો નિકાલ થઈ ગયો. રાયચંદ રોડની સ્કૂલ પર જર્જરિત બિલ્ડિંગ હતી જેના કારણે નાના છોકરા કે કોઈને હાની થવાની શક્યતા હતી, તે બિલ્ડિંગને ડિમોલેશન કરી અને ત્યાં બ્લોક નાખી, ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ થાય તે પ્રમાણેનું કામ કરાયું. ‘ભૂવા પડવાની મોટામાં મોટી સમસ્યા હવે હલ થઈ’શાળા નંબર-6માં કમ્પાઉન્ડ વોલ નહોતી, જેના કારણે પ્રાણીઓ અને પશુઓ ત્યાં પટાંગણમાં બેસી રહેતા હતા. જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. જલારામ સ્ટેશન પર અનેક ભૂવા પડતા હતા જે મોટામાં મોટી સમસ્યા હતી, જ્યાં ડ્રેનેજ લાઈન નખાઈ છે જેથી છેલ્લા પાંચ વર્ષથી ભૂવો તો શું પણ અત્યારે એક પણ ખાડો ત્યાં પડ્યો નથી. થાણે તળાવ ડેવલપ થાય છે, પાણીના સંગ્રહ માટે તો જલાલપોર વિસ્તારને ટૂંક જ સમયમાં એ પાણીની સમસ્યા દૂર થશે. વિરોધ પક્ષ અને જનતાનો આક્રોશ: 'બ્રિજના કામ અને ટ્રેનો બંધ થવાથી જનતા પરેશાન'પરિવહનનો પ્રશ્ન: વિજલપોર ફાટક પર છેલ્લા ચાર વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તો બંધ છે. કોઈ વ્યવસ્થિત બાયપાસ ન હોવાથી લોકોને ઘેલખડીના ખાડાવાળા રસ્તેથી અડધો કલાકનો ચકરાવો લેવો પડે છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18 ના 210 જેટલા EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ પશ્ચિમના મામલતદાર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદ નગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVM નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં ત્રણ ઝોન માટે 210 EVM નું ચેકિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. 30 જેટલા કર્મચારીઓ આ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18 ના EVM ની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્પીકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.
કાલાવડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટયાર્ડ નજીક ગઈકાલે (20 એપ્રિલે) બપોરે એક હિટ-એન્ડ-રનની ઘટના બની હતી. જેમાં એક મહિલા અને સગીરનું મોત થયું હતું. જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ આજે આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઘટનાની ભયાનકતા અને કારચાલકની બેદરકારીનો જીવંત પુરાવો બની રહ્યા છે. મૃતકોના નામ CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું? અકસ્માતની આ સમગ્ર ઘટનાા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કારચાલક જામનગરથી કાલાવડ તરફ આવી રહ્યો હતો. આગળ જઈ રહેલી એક બસને ઓવરટેક કરવાની ઉતાવળમાં ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર બાદ ચાર વ્યક્તિ હવામાં ફંગોળાયા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે (રોડની સાઈડમાં) ઉતારી દીધું હતું, જ્યાં શેરડીના રસની કેબિન આવેલી હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે, તે સીધી જ ચિચોડા પાસે ઉભેલા લોકો પર ફરી વળી હતી. ફૂટેજમાં ટક્કરની તીવ્રતા જોઈ શકાય છે, જેમાં ચારેય વ્યક્તિ હવામાં ફંગોળાયા હતા. ટક્કર માર્યા બાદ કાર રોડની નીચે આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. આ આખી ઘટના માત્ર ગણતરીની સેકન્ડોમાં બની ગઈ હતી. મૃતક કીર્તિબેન ચાનપાના પુત્ર મયુરે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે માતાનું મૃત્યુ, પિતાને ગંભીર ઈજા અને અયાન નામના 13 વર્ષના નિર્દોષ કિશોરના મોતનો જવાબદાર કારચાલક જ છે. દંપતી દવા લેવા જામનગર આવ્યું’તું, પરત જતા તા.. મૃતક મહિલા કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. તેમને પગમાં દુ:ખાવો થતો હોવાથી દંપતિ જામનગર દવા લેવા આવ્યું હતું. મળતી માહિતી મુજબ, દવા લીધા બાદ દંપતી કાલાવડ પરત પહોંચી યાર્ડ સામે ઉભા હતા. જ્યાં તેઓએ પુત્રને ફોન કરી લઈ જવા કહ્યું હતું. આ દરમિયાન જ જામનગર તરફથી આવતી કાળમુખી કારે દંપતિ સહિત ચારને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં મહિલાનું મોત થયું હતું. કારચાલકની પત્ની અને પુત્રીને પણ ઈજાપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કારચાલક કાલાવડ ટાઉનમાં રહેતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત સમયે તેની કારમાં તેની પત્ની અને પુત્રી પણ બેઠા હતા. અકસ્માતમાં તેમને પણ ઈજાઓ પહોંચી છે, જેમને કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક હાલ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા તેજ બનાવવામાં આવી છે. ગેરકાયદેસર દબાણને કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે માર્કેટયાર્ડની આસપાસ રોડ સાઈડમાં આવેલી ગેરકાયદેસર કેબિનો અને દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં ન આવતા હોવાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે અને બેદરકાર ડ્રાઈવિંગ સામે લોકોમાં ભારે રોષ છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજને મહત્વના પુરાવા તરીકે ગણી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી છે.
'માર્કસ ભી અછે નહી હે ઓર હો ભી નહી પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી', 'પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઓફ ધ મેન રીઝન, I'M Sorry 'આવા કમકમાટી ભર્યા શબ્દો લખીને ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી છે. વિદ્યાર્થિનીએ ગુમ થવા પાછળ અભ્યાસનું દબાણ હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે'ચાંદખેડા વિસ્તારમાં રહેતા પિતાએ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી છે. દીકરીના પિતા બિઝનેસ કરે છે અને તેમનો એક દિકરો ધો. 11માં જ્યારે દીકરી ધો. 9માં DPS સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે(20 એપ્રિલ) બપોરે ઘરના સભ્યો જમીને પોતપોતાના રૂમમાં ગયા હતાં. સાંજના પાંચ વાગ્યાની આસપાસ આધેડ તેના દિકરાને લઈને ટ્યુશન ક્લાસિસમાં એડમિશન માટે ગયા હતા. આ દરમિયાનમાં આધેડને તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે. 'મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી...આઈએમ સોરી'પત્નીનો ફોન આવતાની સાથે જ પિતા દિકરાને લઈને ઘરે પહોચી ગયા હતાં. પિતાએ ચીઠ્ઠી વાંચી તેમા દીકરીએ લખ્યું હતું કે, કોઈ ભાળ નહી મળતા પરિવારે ફરિયાદ નોંધાવીદીકરીની ચીઠ્ઠી વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ બાળકીને શોધવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો અને તેના સંબંધીઓને પણ પુછ્યુ હતું પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 'બાળકીને શોધવા માટે તપાસ ચાલુ છે'ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકી હજુ મળી નથી જેથી બાળકીને શોધવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદમાં 40.2C, ગાંધીનગરમાં 39.6C, વડોદરામાં 39.6C, સુરતમાં 37.5C અને અમરેલીમાં 40.9C મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતા તેના પ્રભાવ હેઠળ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આજે રાજકોટ 'અગનભઠ્ઠી' બનશે, પારો 42C સુધી જશેહવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41C; ગાંધીનગર અને ડીસામાં 40C; ભુજ અને સુરતમાં 39C; ભાવનગરમાં 37C; કંડલામાં 36C; નલિયા અને દમણમાં 35C; પોરબંદરમાં 34.4C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33C તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી નીચું 31C તાપમાન નોંધાઈ શકે છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4C; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44Cનો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ હવે કોંગ્રેસના પંજા સાથે મેદાનમાં ઉતરેલા દેવુબેન જાદવે કાલે આંબાવાડી વિસ્તારમાં આયોજિત કોળી સમાજની વિશાળ જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં મારા દ્વારા થતું લોકસેવાની કદર કરવાને બદલે ષડયંત્ર રાચાયું હતું. મંચ પરથી પ્રજાને સંબોધતા દેવુબેન જાદવે ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, મેં સતત 10 વર્ષ સુધી વોર્ડ નંબર 6 માં રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી છે. ગટર ઉભરાવાની સમસ્યા હોય, નળમાં ગંદુ પાણી આવતું હોય કે લાઈટની સમસ્યા—લોકો અડધી રાત્રે પણ મને યાદ કરતા અને અમે સ્થળ પર જઈને કામગીરી કરાવી છે. પ્રજા વચ્ચેની મારી આ લોકપ્રિયતા ભાજપના શાસકોથી સહન ન થઈ અને અમને નીચા પાડવા માટે એક ઊંડું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, નાના સમાજમાંથી આવતા લોકો જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેમને રોકવા માટે ખોટા આક્ષેપો અને પાયાવિહોણી વાતો ફેલાવીને બદનામ કરવામાં આવે છે. પરંતુ મને રાજકોટની જનતા પર અને મારા વોર્ડના રહીશો પર પૂરો ભરોસો છે કે તેઓ સત્યને ઓળખશે અને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે. આ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવુબેન જાદવે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવા છતાં તેમનું લક્ષ્ય તો હંમેશા લોકોની સેવા જ રહ્યું છે. નગરસેવકનું કામ જ એ છે કે પ્રજાની બધી પાયાની જરૂરિયાતો પૂરી કરવી. ભાજપે જે રીતે અમને અન્યાય કર્યો છે, તેનો બદલો હવે જનતા મતના રૂપમાં આપશે. અમે માત્ર વાતો નથી કરી, કામ કરીને બતાવ્યું છે અને એટલે જ આજે આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો અને કાર્યકરો અમને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા જણાવ્યું કે શહેરની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહીરે પણ મહિલા શક્તિ અને જનસેવાની વાત કરી દેવુબેનને ટેકો જાહેર કર્યો હતો. આ તકે વોર્ડ નંબર 3, 6 અને 7 ના કોંગ્રેસના કોળી સમાજના અન્ય ઉમેદવારોએ મંચ પરથી એકજુટતા પ્રદર્શિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ જાહેર સભા દેવુબેન જાદવના મતવિસ્તાર એવા આંબાવાડીમાં જ યોજાઈ હતી, જ્યાં તેમનું વ્યક્તિગત પ્રભુત્વ ઘણું વધારે છે. સભામાં ઉમટેલી મેદની અને લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 6 માં ભાજપ માટે આ વખતે રસ્તો આસાન નથી. કોંગ્રેસે અહીં કોળી સમાજના કાર્ડની સાથે સાથે દેવુબેનના 10 વર્ષના કામના અનુભવને પણ પ્રાધાન્ય આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ જનસમર્થન મતમાં કેટલું પરિવર્તિત થાય છે.
મનપા ની આગામી રવિવારના રોજ યોજાનાર ચૂંટણી ને લઈ રાજકીય પક્ષો એ ચૂંટણી નો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે સ્થળો એ જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગત રાત્રીના વિઠ્ઠલવાડી ખાતે વડવા બ વોર્ડની વિજય વિશ્વાસ જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, લોકશાહીમાં ચૂંટણી એ એક પવિત્ર પર્વ છે, પરંતુ ભાજપ આ પવિત્ર પર્વમાં 'હવનમાં હાડકાં' નાખવાનું કામ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ તંત્રનો દુરુપયોગ કરીને અને લાલચ આપીને લોકશાહીનું ગળું ઘોંટી રહ્યો છે. લોકશાહીમાં ચૂંટણી એ એક પવિત્ર પર્વ છે અને લોકો જે ઈચ્છે, એ લોકોનો પ્રતિનિધિ લોકો ચૂંટે અને એણે સેવા કરવાની હોય. પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ, જેમ ધર્મમાં પવિત્ર એવો હવન ગણાય અને એમાં હાડકાં નાખવાનું કામ થાય, એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે, સારા કામ કર્યા હોય તમે, જનસેવા કરી હોય, તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે સામ-દામ-દંડ-ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હથકંડા, કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક-ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગા-વહાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, એક હાથમાં ડરનો દંડો અને બીજા હાથમાં લાલચ આપી આવો, લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો. આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે. અને હું અભિનંદન આપીશ કે આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે, ગુજરાતની સુજ્ઞ જનતાને પણ હું કહીશ કે એમના ત્રાજવામાં વસ્તુઓ મૂકે, કોંગ્રેસના સમયમાં બનેલા આપણા સૌરાષ્ટ્રના જો તમે તો રજાવળ, ખારો, રંગોળા, આજી, ન્યારી અનેક ડેમો છે, જેની કાંકરી તૂટી નથી હજી સુધી. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવો બ્રીજ બન્યો હોય, હજી જેનું ઉદ્ઘાટન ના થયું હોય, ત્યાં બ્રીજ તૂટે! અને પછી પાછું એ બ્રીજ તોડવાના પૈસા નવો બન્યો હોય એના કરતા વધારે અપાય! શા માટે આ થાય છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે. ગુજરાતની જનતાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ પણ નહીં આપ્યો અને સંપૂર્ણ બહુમતી આપી. અંગ્રેજીમાં કહેવાય છે, Absolute majority makes absolute corrupt. સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ ભ્રષ્ટ બનાવતી હોય છે અને એ રીતે ભાજપને મળેલી સંપૂર્ણ બહુમતીએ સંપૂર્ણ ભ્રષ્ટ ભાજપને બનાવ્યો છે, કોંગ્રેસની સત્તાઓ નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં આવશે, તો ભ્રષ્ટાચારને સ્થાન નહીં. જેમ અત્યારે કમલમમાં ટકા આપો પછી જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળે, એવું નહીં. કોઈ ટકાવારી માંગવાની નહીં. પ્રજાનું કામ ઉત્તમ રીતે થાય, ટેક્સના જે ભારણો છે એ ઓછા થાય, સારા નળ-ગટર અને રસ્તા બને. કોઈનું ઘર જાહેર હિત માટે તોડવાની જરૂર ઉભી થાય તો એક ઉત્તમ પ્લાન બનાવવાનો કે જેનું ઝૂંપડું પણ તૂટતું હોય તો ઝૂંપડાવાળાને સારું ઘર મળે અને સ્વેચ્છાએ, રાજી-રાજી પોતે બીજી જગ્યાએ શિફ્ટ થાય, એવું આખું આયોજન સાથેનું પ્લાનિંગ કરવું. આ શહેરો માટે, ગામડાઓમાં જે ગ્રામ્ય મુશ્કેલીઓ છે એના માટેની વ્યવસ્થા કરીને પોઝિટિવ એજન્ડા સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. જનતાના આશીર્વાદ મળશે અને સારા પરિણામો આવશે એવી અપેક્ષા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અલગ અલગ મુદ્દાઓ પર રાજકીય પાર્ટીઓ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરતી હોય છે ત્યારે અમદાવાદમાં ચૂંટણીમાં હવે લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. AIMIM પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સભામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓ દ્વારા લવ જેહાદના મુદ્દે અમદાવાદના ચાર જેટલા મુસ્લિમ યુવકોને માર્યા છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. AIMIM પાર્ટીના ઉમેદવાર દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો અમે સફળ થઈ ગયા તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને પણ રોકીશું. ‘4 નહીં 400ને માર્યા, બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો’બજરંગ દળના નેતા જ્વલીત મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં AIMIM પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે લવ જેહાદના મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ ચાર મુસ્લિમ યુવકોને માર્યા હતા ત્યારે હું કહેવા માગું છું કે એમના આંકડા ખોટા છે અમે 4 નહીં 400ને માર્યા છે અને બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો છે. AIMIMવાળાને કહેવા માગું છું કે જે પણ હિન્દુ બહેન દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે એની અમે આવી જ હાલત કરીશું. AIMIMના જે મુસ્લિમ નેતાઓ બની રહ્યા છે એમને હું કહેવા માગું છું કે જો તમારા સમાજના છોકરાઓની આટલી જ ચિંતા હોય તો હિન્દુ બહેન-દીકરીઓની આજુબાજુ પણ ફરે નહીં. જો હિન્દુ બહેન-દીકરીઓને ફસાવશો અને લવ જેહાદ કરશે તો માર ખાવાનું નક્કી છે. ‘નિકોલ, વટવા, ઘાટલોડિયામાં લવજેહાદ મુદ્દે ફરિયાદ થઈ’અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIM પાર્ટી મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી જમાલપુર, દરીયાપુર, ગોમતીપુર સહિત અલગ અલગ બેઠકો પર લડી રહી છે ત્યારે જમાલપુર બેઠક પરથી AIMIM પાર્ટીના યુવા ઉમેદવાર અબ્દુલ અહદ દ્વારા જમાલપુર ખાતે એક જાહેર સભામાં સંબોધતા કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓએ લવ જેહાદ મુદ્દે અમદાવાદના ચાર મુસ્લિમ યુવકોને માર માર્યો હતો. નિકોલ, વટવા, ઘાટલોડિયા વિસ્તારમાં લવ જેહાદ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કેમ કોમના ધારાસભ્ય બોલ્યા નથી. ખબર નથી પડતી કેવા ધારાસભ્ય છે. એમને કોમની કંઈ પડી જ નથી. કોમ મુદ્દે બોલતા પણ નથી. ‘AIMIM સફળ થઈ તો દાદાગીરીને રોકવાનું કામ કરીશું’AIMIM પાર્ટીના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને હું કહેવા માંગુ છું કે જો AIMIM પાર્ટી સફળ થઈ ગઈ તો અમે તમારી દાદાગીરીને રોકવાનું પણ કામ કરીશું. આ નિવેદન બાજી પરથી હવે ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણીમાં જમાલપુર સહિત અલગ અલગ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર હિન્દુ મુસ્લિમનો મુદ્દો છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યો છે. જમાલપુર- ખાડીયા વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા પણ અગાઉ ખાડીયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ કહીને ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો લાવવામાં આવ્યો છે ત્યારે ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
રામકથા માનસ શ્રી શિવ સંકલ્પનો આજે ચોથો દિવસ:અનેક સાધુ-સંતો, મહેમાનો સહિત હજારો શ્રોતાઓની ઉપસ્થિતિ
પાલીતાણા તાલુકાના સગાપરાની ધાર ખાતે મોરારીબાપુની રામકથા 'માનસ - શ્રી શિવ સંકલ્પ' નો આજે ચોથો દિવસ છે. ગત શનિવારથી શરૂ થયેલી આ રામકથામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી અનેક સાધુ-સંતો, મહંતો અને અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને પાલીતાણા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રોતાગણો આ કથાનો લાભ લઈ રહ્યા છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટે રૂ. 64 લાખમાં સોદો કર્યો હતો. દરમિયાન, એજન્ટે બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા બાદ વસઈ ગામની ડાભલા ચોકડી પરના ગેસ્ટ હાઉસમાં પોતાના માણસો મોકલી પિસ્તોલની અણીએ પરિવાર પાસેથી લાખોની લૂંટ ચલાવી કારમાં ભાગી છૂટ્યા હતા. વસઇ પોલીસે એજન્ટ અને રૂપિયાની લૂંટ કરનાર બે શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પૈસાની લેણદેણ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી ગેસ્ટહાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલ ગણી રહ્યો છે. થોડીવારમાં પરિવારને પિસ્ટોલ બતાવી લૂંટ કરી હતી, જેના પણ સીસીટીવી સામે આવ્યાં છે. શું છે સમગ્ર ઘટના?વસાઈ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ખેડૂત બળવંતસિંહ સતુજી ચાવડાને કોલેજ કરતા દીકરા સિદ્ધાર્થને વિદેશ મોકલવાની ઈચ્છા હતી. તેમના ગામના મુકેશ મોતીભાઈ વણઝારાનો દીકરો દોઢ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ત્યારે બળવંતસિંહને નિલેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. બળવંતસિંહે નિલેશના નંબર ઉપર વ્હોટ્સએપ કોલથી વાત કરી પોતાના દીકરા અને અન્ય એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયા મોકલવા રૂ.64 લાખમાં નક્કી કર્યું હતું. જેને પગલે 18 એપ્રિલના રોજ નિલેશે ટિકિટ કરાવી સિદ્ધાર્થ અને મુકેશ વણઝારાને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે દિલ્હી બોલાવતાં બંને દિલ્હી જવા રવાના થયા હતા. એજન્ટે પૈસા તૈયાર રાખવાનું કહી બે શખ્સને મોકલ્યાંદરમિયાન 19 એપ્રિલે સવારે નિલેશે વ્હોટ્સએપ કોલ કરી તમારા દીકરા અને મુકેશને ઓસ્ટ્રેલિયા મોકલવાના છે, તમે પૈસા તૈયાર રાખો. મેં દિલ્હીથી મારા બે માણસોને મોકલી દીધા છે. તેમને તમારો નંબર આપ્યો છે તે આવીને તમને ફોન કરશે. આ વાત બાદ બપોરે બળવંતસિંહ ઉપર સાદો કોલ આવતાં નિલેશે મોકલેલા બે માણસોને તેઓ ગોઝારિયા લેવા ગયા હતા અને પોતાની ગાડીમાં બેસાડી ડાભલા ચાર રસ્તા પરના રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. આરોપીઓને ગેસ્ટ હાઉસ 64 લાખ રૂપિયા બતાવ્યાં તેમની સાથે વાત કરતાં તેમણે સિદ્ધાર્થ અને મુકેશને રાત્રે 1 વાગ્યાની દિલ્હીથી ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ છે, તમે પૈસા બતાવશો તો ઓસ્ટ્રેલિયા મોકલી આપીશું તેવું કહ્યું હતું. જેથી મુકેશ વણઝારાના ભાઈ ઈશ્વર વણઝારા અને બળવંતભાઈએ ઘરેથી રૂ.64 લાખ લઈ આવી, રાધે ગેસ્ટ હાઉસના રૂમમાં બેસીને બંને શખ્સને બતાવ્યા હતા. રાતના પૈસા લઈ બન્ને શખ્સો ફરાર, ગેસ્ટ હાઉસમાં બૂમાબૂમરાત્રે સાહિલ વણઝારા પોતાના કાકાના દીકરા જગદીશ વણઝારા સાથે ગેસ્ટ હાઉસ આવ્યા હતા. ત્યારે રાત્રે 9 વાગ્યે બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા નીચેની હોટેલ પર જમીને પરત ગેસ્ટ હાઉસ જતા હતા, તે સમયે જ ગેસ્ટ હાઉસમાં રહેલા સાહીલે બૂમ પાડીને આ બંને લોકો પૈસા લઈ ગાડીમાં ભાગ્યા છે, તેમને પકડો એવું કહેતાંની સાથે જ બંને શખ્સો નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ડાભલા ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતા. લૂંટ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોગેસ્ટ હાઉસમાં રહેલા સાહિલ અને જગદીશે એજન્ટ નિલેશે મોકલેલા બંને માણસે પિસ્તોલ જેવું હથિયાર બતાવી, 64 લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું જણાવતાં બળવંતસિંહ ચાવડાએ વસઈ પોલીસ મથકમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટનો નંબર થાઇલેન્ડનો નીકળ્યોપોલીસની પ્રાથમિક તપાસમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ નડિયાદનો હોવાનું અને તે જે નંબર ઉપરથી બળવંતસિંહ અને મુકેશ વણઝારા સાથે વાત કરતો હતો તે નંબર ઇન્ટરનેશનલ થાઈલેન્ડનો હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલ મુકેશ વણઝારાને મલેશિયાથી ત્યાંની સરકાર દ્વારા ડિપોર્ટ કરાયો હતો અને ત્યારબાદ નિલેશ બ્રહ્મભટ્ટ તેને મેસેજ કરીને પોતે તેનું ઓસ્ટ્રેલિયા જવાનું કામ કરી દેશેનું કહેતો હતો. દાગીના વેચી અને સગાંવ્હાલાં પાસેથી લાવેલા રૂપિયા લૂંટાયાપુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં ઘરના દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ભેગા કરેલા લાખો રૂપિયા લૂંટાતાં બંને પરિવારો હેબતાઈ ગયા હતા. નાસી છૂટેલા બંને શખ્સને પકડવા એલસીબીએ ચાર ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી છે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટિકિટ કાપવાના મુદ્દે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મંત્રી અમૃતિયાએ પૂર્વ પ્રમુખના 'અખંડ દીવા'ના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1 માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભાજપમાંથી 427થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી અનેક આગેવાનોને ટિકિટ મળી ન હતી, જેના કારણે કેટલાક અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેટલાક શાંત થઈ ગયા છે. વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાના, તેમના પુત્ર અમિતભાઈ અવાડિયા અને તેમની જૂની પેનલના ત્રણ સભ્યો માટે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. જોકે, દેવાભાઈ, તેમના પુત્ર કે તેમની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવી ન હતી. આથી દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિત કુલ ચાર આગેવાનોએ અપક્ષ પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી નોંધાવી છે. મોરબીના વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ પર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા દેવાભાઈ અવાડિયાએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી રજૂ કરી હતી અને ત્યારબાદ ટિકિટ કપાવવા બાબતે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં પાટીલે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી ૨૭ બેઠકો આ વખતે બચાવીને બતાવો. પાટીલના આ નિવેદનથી સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ‘આપ’ના ગઢમાં ગાબડું પાડવા પાટીલની રણનીતિસી.આર. પાટીલે વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગયા વખતે અચાનક 27 બેઠકો મેળવીને જે દેખાવ કર્યો હતો, તે માત્ર એક સંજોગ હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, હું આપના નેતાઓને ચેલેન્જ આપું છું કે જો તાકાત હોય તો આ 27 સીટો જાળવી બતાવો. પાટીલે ઉમેર્યું કે, જે લોકોએ 'આપ'ને મત આપ્યા હતા, તેઓ આજે પસ્તાઈ રહ્યા છે. પાટીલના મતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે. કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં: “આ વખતે પણ ખાતું નહીં ખુલે”કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુરત શહેર ગયા વખતે જ કોંગ્રેસમુક્ત બની ગયું હતું. 2021ની મનપા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી અને આ વખતે પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે જનતાએ તેમને નકારી દીધા છે. પાટીલે દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ વખતે પણ સુરતમાં પોતાનું ખાતું ખોલાવવા માટે ફાંફા મારશે, પરંતુ સફળતા મળશે નહીં. જનતાનો ભરોસો માત્ર ભાજપ પર: પાટીલચર્ચા દરમિયાન સી.આર. પાટીલે ગુજરાતમાં ભાજપના શાસન અને જનતાના અતૂટ વિશ્વાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા-મહાનગરપાલિકા, તમામમાં ભાજપે અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સાક્ષી છે કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિમાં માને છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાજપના કાર્યકરોની મહેનત જ પક્ષને વિજય અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ચાય પે ચર્ચામાં કાર્યકરો સાથે સીધો સંવાદપાંડેસરામાં આયોજિત આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા લેતા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આપણે ઘરે-ઘરે જઈને સરકારની યોજનાઓ પહોંચાડવાની છે. વિપક્ષો ભલે ગમે તેટલા પ્રલોભનો આપે, પરંતુ સુરતની જનતા જાગૃત છે. પાટીલે કાર્યકરોને પેજ સમિતિના માધ્યમથી વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા અને ગત વખતના 'આપ'ના દેખાવને ધૂળ ચાટતો કરવા આહ્વાન કર્યું હતું. ‘5 વર્ષના કામોનો હિસાબ જનતા માંગશે’પાટીલે ‘આપ’ના કોર્પોરેટરો પર નિશાન સાધતા કહ્યું કે, જો તેમણે ખરેખર 5 વર્ષ કામ કર્યું હોત તો તેમને હારવાનો ડર ન હોત. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે માત્ર વિરોધની રાજનીતિ કરી છે. તેમણે કહ્યું, જો તમે 27 સીટો ફરી જીતી શકો તો જ કહી શકાય કે તમે કામ કર્યું છે, પરંતુ મને એવી કોઈ શક્યતા દેખાતી નથી. મતદારો હવે લોભ-લાલચમાં આવ્યા વગર ભાજપના વિકાસના કામોને જોઈને મતદાન કરશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વિપક્ષોનું ગુજરાતમાં કોઈ વજૂદ નથી: મંત્રીનો આક્ષેપલેખના અંતે પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ બચ્યું નથી. સમગ્ર રાજ્યમાં વિપક્ષ પાસે કોઈ નક્કર વિઝન નથી. સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી ભાજપ માટે માત્ર ઔપચારિકતા સમાન છે કારણ કે જનતાએ મન બનાવી લીધું છે. પાટીલે અંતમાં વિજયી વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે સુરત ફરી એકવાર સો ટકા ભાજપમય બનશે અને વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ જશે.
દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. જેને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદની શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતોશહેરના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેના આંખમાં મારી દીધું હતું. ‘વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો’આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ‘આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ’વિદ્યાર્થીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ.8માં અભ્યાસ કરતા બે બાળકો ઝઘડી રહ્યા હતા અને તેના મિત્રના ઝઘડામાં મારો પુત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો તેમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને મારા પુત્રને આંખમાં પરિકર માર્યું હતું. એક આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ છે. હાલમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે. છોકરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આંખમાં ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની: PIનારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જમણવાર બાદ તબિયત લથડતાં દોડધામ પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં લગ્નપ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો જમવા માટે એકત્ર થયા હતા. જોકે, ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. દર્દીઓની સ્થિતિ અને સારવાર આ બનાવમાં કુલ 400થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમના માટે વિવિધ સ્તરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે: સદનસીબે, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કેટલાક દર્દીઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ અને ફૂડ સેફ્ટીની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ અને લોકોના નિવેદનોના આધારે, લગ્નમાં પીરસવામાં આવેલા 'કેરીનો રસ' અને 'પનીરનું શાક' ફૂડ પોઈઝનિંગનું કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે તપાસના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, મનીષાબેન પટેલ અને રાજેશભાઈ ઝાલાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સ્નેહલ પટેલ, મોહનભાઈ પટેલ, મહામંત્રી સંજય પટેલ, ડો. સેવંતીલાલ પટેલ અને મનોજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષ અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે પાટણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષને ગધેડા અને મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી પાર્ટી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારો વ્યક્તિગત રીતે સારા અને ઘોડા જેવા છે, પરંતુ તેમણે ગધેડાનું મહોરું પહેર્યું છે. તેમણે કાર્યકરોને અપીલ કરી હતી કે સગા-વહાલા જોઈને નહીં, પરંતુ પક્ષ જોઈને મતદાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જ્યારે મત આપો છો ત્યારે તમે તમારા સગા-વહાલાને નહીં, પરંતુ મલ્લિકાર્જુન ખડગેને મત આપો છો. સેવંતીલાલ પટેલે મલ્લિકાર્જુન ખડગેના કથિત નિવેદનની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખડગેએ કેરળની એક સભામાં RSS અને BJP ને ઝેરીલો સાપ કહીને મુસ્લિમોને તેમને ખતમ કરી નાખવા ઉશ્કેર્યા હતા. સેવંતીલાલે RSS ને દેશપ્રેમી સંસ્થા ગણાવીને ખડગેના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ભવિષ્યની સમસ્યાઓ અંગે ચેતવણી આપતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કચરાની ગાડીઓ બંધ થઈ જશે, પાણીની અછત સર્જાશે અને બેંકમાંથી પૈસા ઉપાડવા પણ મુશ્કેલ બનશે. કોંગ્રેસના ગેસના બાટલાના ભાવ 1500 રૂપિયા થવાના દાવા સામે તેમણે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલર સબસિડીની વ્યવસ્થા કરી છે, જેના કારણે 3500 રૂપિયાની ઇલેક્ટ્રિક સગડીથી કામ ચાલશે અને ગેસના બાટલાની જરૂર જ નહીં રહે. તેમણે પાટણમાં ઘૂસણખોરો મુદ્દે રેલી કાઢી કલેક્ટરને આવેદન આપવા બદલ પણ કોંગ્રેસની ટીકા કરી હતી. ભાષણના અંતે, તેમણે સનાતન ધર્મના જાગરણ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી ભ્રષ્ટ પાર્ટી છે. તેમણે મતદારોને ભાવનામાં વહ્યા વગર માત્ર મહોરું (પક્ષની વિચારધારા) જોઈને મતદાન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલના આકરા તાપની સાથે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનો પારો પણ સાતમાં આસમાને છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચેની રસાકસીની સાથે જ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં વોર્ડ નં. 8નો રાજકીય જંગ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નં. 8નો અનોખો જંગ: સાસુ વિરુદ્ધ વહુ સુરેન્દ્રનગરના વોર્ડ નં. 8માં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ લડાઈ એટલા માટે ખાસ છે કારણ કે, અહીં 'આપ'ની ટિકિટ પર સાસુ રેખાબેન થરેશા અને ભાજપની ટિકિટ પર વહુ હીનાબેન થરેશા ચૂંટણીના મેદાનમાં સામસામે છે. જોકે, બંને ઉમેદવારોનું માનવું છે કે, આ એક લોકશાહી પ્રક્રિયા છે અને અંતે વિસ્તારનો વિકાસ જ મહત્વનો છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓ અને સમસ્યાઓ ચૂંટણીના માહોલ વચ્ચે મતદારો માટે પક્ષ કે ઉમેદવાર કરતા 'વિકાસ' અને 'સુવિધા' સૌથી મહત્વના મુદ્દા છે. વોર્ડ નં. 8ના રહેવાસીઓ પાસેથી મળેલા પ્રતિસાદ મુજબ, વોર્ડના અનેક વિસ્તારોમાં સમયસર પાણી ન આવવું એ મુખ્ય સમસ્યા છે. સ્થાનિકો ઈચ્છે છે કે, ચૂંટાઈને આવનાર પ્રતિનિધિઓ આ મુદ્દે કાયમી ઉકેલ લાવે. ગટરની સફાઈ અને યોગ્ય નિકાલ વ્યવસ્થા માટે લોકોમાં અપેક્ષા છે. રોડ-રસ્તા અને રીવરફ્રન્ટ જેવી સુવિધાઓમાં સુધારો થયો આ વોર્ડમાં ઓબીસી અને પછાત વર્ગના લોકોની વસ્તી વધુ છે. સ્થાનિક રહીશ ઇસ્માઇલ બાદનાનીના જણાવ્યા મુજબ, વિસ્તારમાં એક આધુનિક કોમ્યુનિટી હોલની ખાસ જરૂર છે, જેથી સામાજિક પ્રસંગો માટે સુવિધા મળી રહે. મહિલા મતદારોનું કહેવું છે કે, મહાનગરપાલિકા બન્યા પછી રોડ-રસ્તા અને રીવરફ્રન્ટ જેવી સુવિધાઓમાં સુધારો થયો છે, જેનો ઉપયોગ હવે સાંજના સમયે સુરક્ષિત રીતે થઈ શકે છે. ભવિષ્યમાં પણ આવી જ સ્વચ્છતા અને સુરક્ષિત વાતાવરણની અપેક્ષા છે. ‘મારી દીકરી-જમાઈ પ્રચારમાં નીકળી જઈએ છીએ’ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 8ના ચૂંટણી જંગમાં સામસામે રહેલા સાસુ રેખાબેન થરેશા (આમ આદમી પાર્ટી)એ જણાવ્યું હતું કે, વોર્ડ નં-8માં પહેલાં મારી દીકરી દક્ષાબેન થરેસાને આપ પાર્ટીમાંથી ટીકીટ આપી ફોર્મ ભર્યું હતું, પરંતુ એનું મતદાર યાદીમાં નામ ન હોવાથી એનું ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ પાર્ટીના કહેવાથી મેં ફોર્મ ભર્યું હતું. હાલમાં હું સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને દીવા બત્તી કરીને ચા પાણી પીને હું, મારી દીકરી અને જમાઈ સહિતના બધા પ્રચારમાં નીકળી જઈએ છીએ, અને અમે મારી પેનલના ચારેય સભ્ય પ્રચાર કરવા નીકળી જઈએ છીએ. 'હું જીતુ કે મારી વહુ મને તો ખુશી જ થશે' આ ચૂંટણીમાં હું જીતુ કે મારી વહુ જીતે, મને એમાં ખુશી જ થવાની છે. અમે પ્રચારમાં જઈએ છીએ તો આ વોર્ડના લોકો એમ કહે છે કે, અમારે ટાઇમસર પાણી આવતું નથી. લોકોને ગટરની અને લાઈટની પણ એટલી જ સમસ્યાઓ છે, અને અમે જો ચૂંટાઈને આવીશુ તો આ બધા કામો કરી આપીશું. અત્યારે લોકોનો પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વહુ હીનાબેન થરેશા (ભાજપ)એ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે લોકોને અમારા ઉપર પૂરો વિશ્વાસ છે અને લોકો અમને વોટ આપીને જીતાડશે. અમે જીતીશું તો આ વિસ્તારના લોકો માટે રોડ-રસ્તા, પાણી સહિતના જનતાને લગતા તમામ કામો અમે કરી આપીશું. લોકોને જે પણ પ્રશ્નો આવશે એને અમે ઝડપી સુલઝાવી દઈશું. ‘મારા સાસુ એમની રીતે લડે છે અને હું મારી રીતે’ અમારા વોર્ડમાં મારા સાસુ એમની રીતે લડે છે અને હું મારી રીતે લડું છું, જે પણ જીતે એના માટે પરિવારજનો ખૂબ રાજી થશે. હું અને મારા સાસુ એક જ વોર્ડમાં પ્રચાર કરીએ છીએ, તો સારી અનુભૂતિ થાય છે. હું ઘરની તમામ જવાબદારીઓ સંભાળવાની સાથે સવારના ઘરના બધા જ કામો કરીને આવું છું અને સવારે 9 થી બપોરના એક વાગ્યા સુધીનો ટાઈમ પ્રચાર માટે ફાળવું છું. અત્યારે પ્રચારમાં લોકોના જે-જે પ્રશ્નો આવે, એના માટે એમને વાયદો આપીને કહું છું કે તમારા તમામ કામો થઈ જશે. 'અહીંના લોકોમાં ખુબ આનંદ છે, કારણ કે…' કૃષ્ણપાલસિંહ ઝાલા (સ્થાનિક મતદાર)એ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સૌપ્રથમવાર ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે અહીંના લોકોમાં ખુબ આનંદ છે, કારણ કે, મહાનગરપાલિકા બન્યા બાદ વિસ્તારની અંદર ખુબ સારી સગવડતાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. નેતાઓએ અમારા વિસ્તારમાં સારુ કામ કર્યું' 'ઇસ્માઇલ બાદનાની (સ્થાનિક મતદાર)એ જમાવ્યું હતું કે, ગત ટર્મમાં પણ નેતાઓએ અમારા વિસ્તારમાં સારું એવું કામ કર્યું હતું, જેમાં અહીંના કોર્પોરેટરો, ધારાસભ્ય અને સ્થાનિક નેતાગીરીએ સારુ એવુ કામ કર્યું છે. અમારા વિસ્તારના ઘણા બધા મુખ્ય પ્રશ્નો તો હલ થઇ ચુક્યા છે. 'મહાનગરપાલિકા બન્યા પછી વ્યવસ્થા ખુબ સારી છે' લક્ષ્મીબેન વડેસા (સ્થાનિક મહિલા મતદાર)એ જણાવ્યું હતું કે, પહેલાં કરતા મહાનગરપાલિકા બન્યા પછી વ્યવસ્થા ખુબ સારી છે, રોડની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને સાફસફાઈ સહીતની સુવિધાઓમાં વધારો થયો છે. અમને સારામાં સારો લાભ એ મળ્યો છે. ઉમેદવારોના વચનો રાજકીય સમીકરણો અને આંકડાકીય માહિતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા માળખા મુજબ, વોર્ડ નં. 8 વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે. 'આપ'ની એન્ટ્રીથી મુકાબલો ત્રિપાંખિયો બન્યો સુરેન્દ્રનગર જિલ્લામાં પરંપરાગત રીતે ભાજપનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ નવી બનેલી મહાનગરપાલિકામાં 'આપ'ની એન્ટ્રીથી મુકાબલો ત્રિપાંખિયો બન્યો છે. વોર્ડ નં. 8માં સાસુ-વહુની લડાઈ ભલે ચર્ચામાં હોય, પરંતુ અંતિમ નિર્ણય તો સ્થાનિકોની પાયાની જરૂરિયાતો—જેમ કે પાણી, સ્વચ્છતા અને સામુદાયિક સુવિધાઓ—પૂરી કરવાની ક્ષમતા પર આધાર રાખશે. આગામી સમયમાં મતદારો કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ---- આ પણ વાંચો વોર્ડ નં.2માં બિસ્માર રસ્તા, ગટર, પાણી સહિતની સમસ્યાથી રોષ દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ મતદારોનો મિજાજ જાણવા માટે સુરેન્દ્રનગરના વોર્ડ નં 2માં પહોંચી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 2માં વોર્ડ-2માં જૂની સર્કિટ હાઉસ વિસ્તાર, મહાદેવ મંદિર વિસ્તાર, ચર્ચ વિસ્તાર, સરદાર સોસાયટી સહિત કેટલીય સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બિસ્માર રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. વેરો ભરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળવાથી લોકોમાં ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… વોર્ડ નં. 4 માં સુવિધાઓના નામે 'મીંડું' વોર્ડ નં. 4, જે રાજકીય રીતે અત્યંત મહત્વનો ગણાય છે, ત્યાં સ્થાનિકોમાં તંત્ર અને શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોના મતે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરામાં તો તોતિંગ વધારો થયો છે, પરંતુ પાયાની સુવિધાઓ કથળી ગઈ છે. વોર્ડ નંબર 4નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… રસ્તા પર ઢોરનો આતંક અને નળમાં પાણીની તંગી:શું આ જ છે સુરેન્દ્રનગરની 'મહાનગરપાલિકા'? રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે પ્રથમવખત ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એપ્રિલ માસની કાળઝાળ ગરમીની સાથે અહીં રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને શહેરનો વોર્ડ નંબર 9, જેમાં ખેરાડી, ભોગાવો નદી કાંઠાનો વિસ્તાર, જંબુદ્વીપ નગર, સંજીવની સોસાયટી અને માંડવરાયજી નગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં અત્યારે જનતામાં શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કર ડિજિટલની ખાસ સિરીઝ અંતર્ગત જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવામાં આવી ત્યારે, વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. વોર્ડ નંબર 9નો ગ્રાઉન્ડ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ટેક્સ વધારા સામે સુવિધાની અપેક્ષા રાખતા મતદારો દિવ્ય ભાસ્કર ડિજિટલની ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના વોર્ડ નં. 10 ની, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક અને મહત્વનો ગણાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના સીમાંકનમાં રતનપર મોરબી પુલ વિસ્તાર, મિલન ચાલી, રતનપર શેરી 8થી 17, રેલવે લાઈન, સ્વામિનારાયણ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી મંદિર વિસ્તાર, રેલવે સ્ટેશન, દેરાસર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… '15 વર્ષથી અહિં રોડ બન્યા નથી, ગટરની કોઈ સુવિધા નથી' મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. વોર્ડ નંબર 11નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'વઢવાણને સ્મશાન બનાવી દીધું' સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની તમામ મહત્વની સંસ્થાઓ પર ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નં. 12માં આ વખતે રસ્તો આસાન નથી. વોર્ડ નંબર 12નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 'અમે શહેરનો ભાગ છીએ કે નહીં?' સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ભલે જામ્યો હોય, પણ વોર્ડ નં. 13ની ગલીઓમાં ફરતી વખતે જે અનુભવાય છે તે રાજકીય ઉત્સાહ નથી, પણ વર્ષોથી દબાયેલી વેદના અને તંત્ર પ્રત્યેનો ગહેરો આક્રોશ છે. ભોગાવાના કાંઠેથી લઈને સંસ્કાર કેન્દ્ર સ્કૂલ અને રસાલા સ્કૂલ સુધીના વિસ્તારોમાં રહેતા લોકો એકસૂરે એક જ વાત કરી રહ્યા છે: વહીવટી તંત્રના મતે અમે કદાચ શહેરનો હિસ્સો જ નથી. વોર્ડ નંબર 13નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો…
ભાવનગર પોલીસ એકશન મોડમાં:4921 આરોપી સામે અટકાયતી પગલાં, પાંચને પાસામાં ધકેલાયા
ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ એક્શનને વેગ આપ્યો છે. પોલીસે છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરી ઝીરો ટોલરન્સની નિતી અપનાવી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટા ભાગના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ ભાવનગર શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદનસીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખશે. ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. અને હજારો શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવી રહી છે. ચુંટણી દરમિયાન કોઇપણ પ્રકારની ખલેલ ન પહોંચે જેને લઇને પોલીસે કડક કામગીરી શરૂ કરી છે. છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 લોકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરી 11 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે મામલે શહેરના ચાર અને મહુવાના એક આરોપીને પાસા હેઠળ ધકેલી જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. તદ્દઉપરાંત શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદશનશીલ વિસ્તારોની પણ ઓળખ કરવામાં આવી છે જ્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. આગામી ચુંટણીમાં એક હજારથી વધુ પોલીસ જવાનો કાર્યરત રહેશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મહુવા ગ્રામ્યમાં માઢીયા, ખુંટવડામાં આસરાણા ચોકડી, ગારિયાધારમાં નાની વાવડી, વેળાવદર ભાલમાં અધેલાઇ ચોકડી, ઘોઘામાં ઘોઘા મરીન, વલ્લભીપુરમાં કેરીયાના ઢાળ તેમજ ઉમરાળામાં રંઘોળા ચોકડી પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચુંટણી દરમિયાન ભાવનગર પોલીસ દ્વારા ત્રિસ્તરીય બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. આ સિવાય શહેર અને જિલ્લામાં થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદા અને વ્યવસ્થાની જાળવણીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે મામલે હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરના દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગભાવનગર જિલ્લમાં 152 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેમાં ભાવનગર પોર્ટ મરીન દ્વારા 12 નોટીકલ માઇલમાં બોટ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોર્ટ મરીનના એક પી.એસ.આઇ. અને ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત માછીમારોની બોટ તેમજ અજાણ્યા લોકો ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ એક્શન આંકડાની નજરે
ઘરફોડ ચોરીનું બનાવ:પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરેથી 2 લાખના ઘરેણાં ચોરી
શહેરના જ્વેલર્સ સર્કલ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યો મકાન બંધ કરી બપોરના સમયે પ્રસંગમાં જમવા ગયા બાદ ધોળા દિવસે બંધ મકાનમાં તસ્કર પ્રવેશી કબાટમાં રાખેલ રૂપિયા બે લાખની આસપાસ ના સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી નાસી છૂટ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર શહેરના વિક્ટોરિયા રોડ જ્વેલર્સ સર્કલ પાસે આવેલ સરદાર નગર પટેલ સોસાયટી નંબર 1 ના પ્લોટ નંબર ત્રણ માં રહેતા ઉષાબેન નરેશભાઈ જોશી ગત તારીખ 7 એપ્રિલના રોજ બપોરે બાર વાગ્યા બાદ તેના દીકરા સાથે પોતાના મકાનના મુખ્ય દરવાજા ને તાળું મારી રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાડીમાં પ્રસંગના કારણે જમણવારમાં ગયા હતા ત્યારબાદ જમીને બે વાગ્યે ઘરે આવ્યા ત્યારે ઘરના દરવાજા નો નકુચો તોડી કોઈ અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશી કબાટ નું તાળું તોડી ઘરની તમામ વસ્તુઓ વેર વિખેર પડી હતી. બાદ સિક્યુરિટીમાં નોકરી એ ગયેલ તેમના પતિને બોલાવી તપાસ કરતા કબાટમાં રાખેલ રૂપિયા 1,97,709 ની કિંમત ના સોના ચાંદીના ઘરેણા ઉઠાવી કોઈ તસ્કર ધોળા દિવસે નાસી છૂટ્યો હતો. ઉષાબેન એ આ અંગે બોરતળાવ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતીં.
કરદાતાની હાલત કફોડી બની:ડેડલાઇનના દિવસે જ GSTN ડાઉન રિટર્ન ફાઇલિંગમાં અફરાતફરી મચી
એક તરફ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત ઢુંકડી હોય અને બીજી તરફ જીએસટીએન સર્વર સમસ્યાઓ ઉભી કરી રહ્યું હોય તેવા અરસામાં કરદાતા અને ટેક્સ પ્રોફેશનલોની હાલત કફોડી બની જાય છે. GSTN પોર્ટલ છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધીમું ચાલે છે, વારંવાર બંધ થઈ જાય છે તેમજ યોગ્ય રીતે કાર્યરત નથી રહેતું. જેના કારણે ટેક્સ પ્રોફેશનલ્સ તથા વેપારીઓને માર્ચ-2026ના GSTR-3B રિટર્ન ભરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ચ-2026ના GSTR-3B રિટર્નની ફાઇલ કરવાની અંતિમ તારીખ 20મી એપ્રિલ હતી, સવારથી જ પોર્ટલ ડચકા ખાવા લાગ્યુ હતુ અને સતત એરર પ્રદર્શિત કરી રહ્યું હતુ. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ટપ્પ બની ગઇ હતી. વેપારીઓ પર લેટ ફી અને પેનલ્ટીના જોખમ તોળાઇ રહ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા માનનીય કેન્દ્રીય નાણામંત્રી, ચેરમેન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ તથા કમિશનર ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્કને ઈ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી છે કે, માર્ચ-2026ના GSTR-3B રિટર્નની નિયત તારીખમાં વધારો કરવામાં આવે, તેમજ GSTN પોર્ટલની ખામીને કારણે વેપારીઓ પર કોઈપણ પ્રકારની લેટ ફી અથવા દંડ લાગુ ન કરવામાં આવે. ઉપરાંત, GST પોર્ટલ સુચારુ અને સતત કાર્યરત રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી આવનારા સમયમાં આવા પ્રશ્નો વારંવાર ઊભા ન થાય તેવી રજૂઆતો કરવામાં આવે છે. રિટર્ન સબમિટ કરતી વખતે સર્વર એરર આવતા આખો ડેટા ફરીથી પ્રોસેસ કરવો પડે છે. વર્ષાંતની કામગીરીમાં એક ભૂલ પણ વેપારીને મોટી પેનલ્ટી તરફ દોરી શકે છે. આ સંજોગોમાં સરકાર તાત્કાલિક મુદત વધારાની જાહેરાત કરે તો જ લાખો કરદાતાઓને વ્યાજ અને દંડમાંથી મોટી રાહત મળી શકે તેમ છે.
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આમ જનતાને સારી સુવિધા આપવાની સાથે એસ.ટી. બસ સ્ટેશનના પરિસર અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 'સ્વચ્છતા હી સેવા'ના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા સ્વચ્છતા જાળવણી અંગે માર્ચ-2026ના મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં એસ.ટી. ડેપોના પરિસરમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને દંડ ફટકારાયો છે. ભાવનગર એસ.ટી. ડિવિઝન નીચેના 8 એસ.ટી. ડેપોમાં કરાયેલી કાર્યવાહીમાં એક માસમાં રૂ.6470નો દંડ વસૂલાયો હતો. એસ.ટી. ડેપોના પરિસર અને બસોમાં જયાં ત્યાં પાન મસાલાની પીંચકારી મારી ગંદકી ન ફેલાવવા તેમજ જાહેરમાં ધૂમ્રપાન ન કરવા અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં અનેક મુસાફરો દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોય એસ.ટી. પ્રસાશન દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા એસ.ટી. ડેપોના પરિસર અને એસ.ટી. બસોમાં ગંદકી ફેલાવવા બદલ મુસાફરને રૂ.10થી લઈને રૂ.200 સુધીનો દંડ ફટકારાય છે. STના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપેસ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે દેશભરમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એસ.ટી. ડેપો પરિસર જેવા જાહેર સ્થળોએ સ્વચ્છતાની જાળવણી કરવી આપણા સૌ કોઈની નૈતિક ફરજ બને છે ત્યારે એસ.ટી.ના સ્વચ્છતા અભિયાનમાં મુસાફરો સહયોગ આપે તે ખુબજ જરૂરી બાબત છે. > આર.ડી.પીલવાઈકર, ડિવિઝન કન્ટ્રોલર, ભાવનગર એસ.ટી. ડિવિઝન
ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ:ભાવનગર બંદર મરણપથારીએ
ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે. ભાવનગર નવા બંદર પર 2210 મીટરનો ક્વે છે, જેમાં નોર્થ ક્વે અને કોંક્રિટ જેટી વિસ્તાર આવેલા છે. ભરતી અને ઓટની અસર બેસિનની અંદર કાર્યરત બાર્જના ઓપરેશન પર પડે નહીં તેના માટે લોકગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકગેટની અંંદર બેસિન વિસ્તારમાં માલવાહક બાર્જ આસાનીથી કાર્યરત રહે તેના માટે સતત ડ્રેજીંગ કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય છે, પરંતુ 6 માસથી બેસિનની અંદરનું ડ્રેજીંગ કાર્ય કરી રહેલા કટર સક્શન ડ્રેજર ક્રિષ્નામણીમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા તેની ક્ષમતા મુજબનું કામ કરવામાં અસક્ષમ છે. જ્યારે હોપર બાર્જ માત્ર ચેનલમાં ક્ષુલ્લક ડ્રેજીંગ કરે છે, જે સમગ્ર બેસિન માટે પર્યાપ્ત નહીં હોવાને કારણે કંાપના થર સતત વધતા જ ગયા છે, અને અત્યારે હાલત એવી છે કે ઓટના સમયે 1200થી 1500 ટન માલ ભરેલા બાર્જને પણ બેસિનમાં કામ કરવા માટે મુશ્કેલી નડે છે. ડ્રેજીંગની સમસ્યાથી ભાવનગર બંદર લાંબા સમયથી પિડાઇ રહ્યું હોવા છતા તેનો કાયમી અને વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. તાજેતરમાં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના ચિફ સેક્રેટરી હરિત શુક્લાની ભાવનગર પોર્ટની મુલાકાત દરમિયાન સબ સલામતના દ્રશ્યો ઉભા કરાયા હતા. ડ્રેજિંગ મટિરિયલ ડિસ્ચાર્જની લાઇન બદલાય છેભાવનગર નવા બંદરની બેસિનમાં અગાઉ નોર્થ ક્વે તરફ ડ્રેજીંગ મટિરીયલ ડિસ્ચાર્જની લાઇન હતી, જ્યાં હવે સીએનજી ટર્મિનલ સહિતની કામગીરી શરૂ થવાની હોવાથી આ લાઇનનું શિફ્ટિંગ કામ ચાલુ છે, અને સમગ્ર લાઇન અકવાડા જેટીથી આગળ લઇ જવાની છે. હાલ હોપર બાર્જથી મર્યાદિત ડ્રેજીંગ થાય છે. > ઇશ્વર મઢીયા, ડિવિઝનલ એન્જીનિયર, જીએમબી
સિટી એન્કર:એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન
ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માનવતાને ઉજાગર કરતી એક હૃદયસ્પર્શી ઘટનામાં, એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી એક પરિવારે પોતાના 74 વર્ષીય વૃદ્ધાના ચક્ષુદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના અવસાન બાદ મૃતદેહને વડોદરા લઈ જવા આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજાવી પ્રેરણા આપી હતી. ભાવુક પરિસ્થિતિ હોવા છતાં પરિવારે માનવતાને પ્રાથમિકતા આપતા આ ઉમદા કાર્ય માટે સંમતિ આપતા અંતિમ વિદાયમાં માનવતાના અનોખા સ્પર્શથી હવે બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. મૂળ ભાવનગરના વતની અને હાલ વડોદરા સાસરું ધરાવતા 74 વર્ષીય માલિનીબેન હરેશકુમાર બેલાણી શનિવારે ભાવનગર પોતાના ભાઈના ઘરે આવ્યા હતા. જેને રવિવારે રાત્રે હૃદય સંબંધિત તકલીફોને લઈ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડીરાત્રે 2:30 કલાકે તેમનું અવસાન થતા પરિવારજનો દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ મારફતે માલિનીબેનના નશ્વર દેહને વડોદરા લઈ જવા તજવીજ હાથ ધરી હતી. સર ટી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈ આવેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલક તોફીકભાઈ ખોખરે પરિવારજનોને અંગદાન અને ચક્ષુદાન અંગે સમજાવી તેની કાર્ય પદ્ધતિથી વાકેફ કર્યા હતા. પરિવારજનોએ ભાવુક પરિસ્થિતિ વચ્ચે પણ એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાના બંને ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરતા ભાવનગર સરકારી મેડિકલ કોલેજ અને ભાવનગર સર ટી. હોસ્પિટલ સંચાલિત ચક્ષુબેંકની ટીમને બોલાવવામાં આવી હતી. ચક્ષુબેંક તબીબી ટીમના ડો.શિવાલી અને ડો.ભાવિકાએ દસ્તાવેજી કાર્યવાહીને અંતે માલિનીબેનના ચક્ષુઓ કાઢી ચક્ષુબેંકમાં જમા કરાવ્યા હતા ત્યારે માલિનીબેનના બંને ચક્ષુઓની મદદથી અંધારથી ભરેલા બે લોકોના જીવનમાં ફરી ઉજાસ પથરાશે. વૃદ્ધાના પરિવારજનોના ઉમદા નિર્ણયથી એમ્બ્યુલન્સ ચાલકે રૂ.9000 જેટલું માતબર ભાડું લેવાને બદલે માત્ર ડિઝલ ખર્ચ લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય લોકોને પણ પ્રેરણારૂપ બન્યા છે. ભાવનગરનું ચક્ષુદાન અને દેહદાનમાં અનેરૂ પ્રદાનમેડિકલ ક્ષેત્રે ભાવનગરનું અંગદાન, ચક્ષુદાન અને દેહદાનનું ખુબ પ્રદાન છે. ભાવનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 83 જેટલા લોકોએ અંગદાન, 1000થી વધુ ચક્ષુદાન તથા 1100થી વધુ લોકોએ દેહદાન કર્યું છે. દર્દીઓના બ્રેઇનડેડ જેવા કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી અન્ય જરૂરિયાતવાળા લોકોની જિંદગીમાં ઉજાસ લાવી શકે છે. અંગદાન અંગેની વધુ જાણકારી મો. 95123-04381 પરથી મળશે. > ડો.યશ દવે, કોઓર્ડિનેટર, ઓર્ગન ડોનેશન અવેરનેસ પ્રોગ્રામ, સર ટી.હોસ્પિટલ.
આગામી તા.26 એપ્રિલને રવિવારે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન છે ત્યારે રાજકીય પક્ષો અને તંત્ર માટે મતદારોને મતદાન મથક સુધી પહોંચતા કરવા જાગૃતિ ફેલાવવામાં ત્રણ મુખ્ય પરિબળો આડખીલીરૂપ બની શકે તેમ છે. મતદાન વધારવા માટે ગરમી, વેકેશન અને લગ્નસરા ત્રણ કોઠા વિંધવા પડે તેમ છે ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક પ્રસંગો કે ગરમી વચ્ચે પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીને સાર્થક કરીએ. કારણ કે 21 ફેબ્રુઆરી 2021 ચૂંટણીના દિવસે તાપમાન 32 ડિગ્રી હતુ છતા 49% મતદાન જ થયુ હતું. જ્યારે આ વખતે 26 એપ્રિલે તાપમાન 40 ડિગ્રી પાર કરવાની આગાહી છે ત્યારે મતદાનની ટકાવારી વધારવાનો પડકાર રહેશે. ત્રણ કોઠામાં એક તો છે એપ્રિલના અંતે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમીની હવામાન વિભાગની આગાહી, બીજો કોઠા છે લગ્ન ગાળો અને તેમાં 26મી એપ્રિલને રવિવાર લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત પૈકીનું એક છે. ત્રીજો કોઠો છે વેકેશન, હવે પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને વાલીઓ પોતાના બાળકો સાથે વેકેશનમાં હળવા ફરવા કે પોતાના વતનમાં જાય તે સ્વાભાવિક છે. આ પાસું પણ મતદાનની ટકાવારીની સામે પડે તેવું છે. આ સ્થિતિમાં સ્વયંભૂ મતદાન જાગૃતિ ફેલાઈ તેવો પ્રયાસ કરવો પડશે. ગત 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન 21મી ફેબ્રુઆરીએ હતુ એટલે કે હજી ઉનાળો જામ્યો ન હતો અને બપોરે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી હતુ, પરીક્ષાઓ બાકી હતી તેમજ ઉનાળુ લગ્નોત્સવ પણ શરુ થયો ન હતો છતાં મતદાન 49.47 ટકા થયું હતુ. વળી 2021માં તો કોરોનાની ગાઇડલાઇન પણ હતી એટલે બહારગામ હરવા ફરવા જવાનો સવાલ પણ ન હતો. જ્યારે આ વખતે તાપમાન 40 ડિગ્રી પાર થઈ શકે છે, લગ્નસરા અને વેકેશન પણ મતદાન પર અસર કરી શકે છે. ભાવનગર ચૂંટણી વિશ્લેષણ મહાપાલિકાની છેલ્લી ચાર ચૂંટણીમાં મતદાનની ટકાવારી 1995ની મહાપાલિકા ચૂંટણીમાં 50.02 ટકા મતદાનનો વિક્રમ હજુ અતૂટ ભાવનગર મહાનગરપાલિકામાં ઇ.સ.1995ની ચૂંટણીમાં સૌથી વધુ 50.02 ટકા મતદાન થયેલું હતુ. ગત 2021ની ચૂંટણીમાં 49.47 ટકા મતદાન થતાં આ વિક્રમ માત્ર 0.55 ટકાના અંતરે તૂટતા રહી ગયો હતો. 2021માં જો થોડી મુશ્કેલી વોર્ડ વિભાજનની ન નડી હોત તો 2021ની મહાપાલિકાની ચૂંટણીમાં 1995માં સર્વાધિક મતદાનનો વિક્રમ ભૂતકાળ બની જાત. હવે આ વખતે જોઇએ કેટલી ટકાવારી થાય છે. ધંધા-રોજગાર માટે સ્થળાંતર ભાવનગરમાંથી ધંધા કે રોજગારની તક ઓછી થતા છેલ્લાં 5 વર્ષમાં ઘણા લોકો બહારગામ કમાવા માટે ગયા છે. આવા લોકો કામધંધા માટે બહાર રહેતા હોય છે, જેના કારણે તેઓ મતદાન દિવસે હાજર રહી શકતા નથી. આથી પણ મતદાન ઓછું થવાની શક્યતા હોય છે.
હાઈકોર્ટનો નિર્ણય:SR અને CR દવાઓ સમાન નહીં ગણાય
મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, સસ્ટેઇન્ડ રિલીઝ (એસઆર) અને કન્ટ્રોલ્ડ રિલીઝ (સીઆર) દવાઓને સમાન ગણીને તેમની સીલિંગ કિંમત નક્કી કરી શકાતી નથી, જ્યાં સુધી તેના માટે સ્પષ્ટ નોટિફિકેશન જારી ન કરવામાં આવે. અદાલતે વધુમાં જણાવ્યું કે દાયકાથી વધુ સમય પછી કોઈ યોગ્ય કારણ વગર અને યોગ્ય તક આપ્યા વગર કરવામાં આવેલી ડિમાંડ નોટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.આ મામલો ન્યાયમૂર્તિ મનીષ પિતળે અને શ્રીરામ વી. શિરસાટની ડિવિઝન બેન્ચની ડિવિઝન બેન્ચ સમક્ષ આવ્યો હતો. અરજીકર્તાઓએ 15 ફેબ્રુઆરી, 2016ની ડિમાંડ નોટિસને પડકારી હતી, જે કેન્દ્રીય ઔષધ વિભાગ દ્વારા જારી કરવામાં આવી હતી. વિવાદ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ જારી કરાયેલ ડ્રગ્સ (કિંમત નિયંત્રણ) ઓર્ડર, 1995 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ઊભો થયો હતો. અરજીકર્તાઓનું કહેવું હતું કે તેમની સીઆર વેરિયન્ટ દવા શરૂઆતમાં આ ઓર્ડરના દાયરામાં આવતી નહોતી અને 2006માં જ તેને સામેલ કરવામાં આવી હતી. ત્યારે સુધી તેઓ ઉત્પાદન બંધ કરી ચૂક્યા હતા. છતાં 2015માં તેમને નોટિસ આપવામાં આવી અને 2016માં ઓવરચાર્જિંગના આરોપ સાથે માગણી કરવામાં આવી. અદાલતે નોંધ્યું કે પ્રથમ નોટિસ લગભગ 9 વર્ષ પછી અને ડિમાંડ નોટિસ 10 વર્ષથી વધુ સમય બાદ જારી કરવામાં આવી હતી, જે અયોગ્ય વિલંબ છે.
ધરપકડ:બેંક ઠગાઈ કેસમાં અનિલ અંબાણીની કંપનીના બે એક્ઝિક્યુટિવની ધરપકડ
17 જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 19,694.33 કરોડનું ખોટી રીતે નુકસાન કરવામાં આવ્યું હોવાની એસબીઆઈની ફરિયાદની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ઉદ્યોગપતિ અનિલ ડી. અંબાણી દ્વારા નિયંત્રિત મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર.કોમ)ના બે સિનિયર એક્ઝિક્યુટિવ ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા મેસર્સ રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિ., અનિલ અંબાણી અને અન્ય અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બેંકનો આરોપ છે કે તેણે આરોપી કંપનીને ધિરાણ સુવિધાઓ મંજૂર કરી હતી, પરંતુ આરોપી ઋણદારો દ્વારા છેતરામણી પ્રવૃત્તિઓને લીધે બેંકને રૂ. 2929.05 કરોડનું નુકસાન થયું હતું. એસબીઆઈની જ ફરિયાદ અનુસાર 17 જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 19,694.33 કરોડનું નુકસાન થયું હતું. હમણાં સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આર.કોમે કંપનીના અધિકારીઓ દ્વારા નિયંત્રિત શેલ (બોગસ કંપનીઓ) કંપનીઓ થકી આડકતરા વ્યવહારો કર્યા હતા અને તેની ગ્રુપની કંપનીઓ સાથે બોગસ સેવા સંબંધી લેણદેણ માટે ડિસ્કાઉન્ટેડ એલસી (લેટર ઓફ ક્રેડિટ) પણ મેળવ્યા હતા, જે હસ્તાંતરિત થતાં બેંકોને મોટું નુકસાન થયું હતું.ડી. વિશ્વનાથ જોઈન્ટ પ્રેસિડેન્ટ હતો. તે ગ્રુપની બેંકિંગ કામગીરીઓનો એકંદર ઈનચાર્જ હતો અને તેના નિર્દેશ હેઠળ ભંડોળનો દુરુપયોગ કરાયો હતો. તે આરોપી કંપનીને સુવિધાની મંજૂરી અને વિતરણ માટે બેંકો સાથે સમન્વય કરતો હતો. વાઈસ પ્રેસિડેન્ટ અનિલ કાલ્યાએ ડી. વિશ્વસનાથને સક્રિય રીતે ટેકો આપ્યો હતો અને આ બંને આર.કોમ ગ્રુપના મહત્ત્વપૂર્ણ કારોબારીઓ હોઈ કોર્પોરેટ ફાઈનાન્સ, બેંકિંગ કામગીરીઓ, ભંડોળના પેમેન્ટ/ ઉપયોગ વગેરેનું વ્યવસ્થાપન કરતા હતા. નોંધનીય છે કે વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઈસી દ્વારા હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી સંબંધે અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે સાત કેસ છેલ્લા થોડા મહિનામાં દાખલ કર્યા છે.
6 કરોડનું ડ્રગ્સ જપ્ત:મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સ કાંડ પછી પોલીસ સક્રિય
ગોરેગાવ સ્થિત નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બે એમબીએ વિદ્યાર્થી- વિદ્યાર્થિનાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ બાદ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ડ્રગ્સના વધતા પ્રસાર અંગે ચિંતા વધારી છે, જેના પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી) એ સક્રિય તપાસ શરૂ કરી છે.તાજેતરમાં એએનસીએ ટિટવાલામાંથી એક મહિલા ડ્રગ સપ્લાયરને ઝડપી પાડી છે. તેની પાસેથી અંદાજે ₹6 કરોડની કિંમતની 5,000 એમડીએમએ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જેને શહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી સિંગલ-સોર્સ રિકવરી માનવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલી મહિલા, જે 40 વર્ષની આસપાસની છે, ભૂતપૂર્વ બાર ડાન્સર હોવાનું સામે આવ્યું છે. તેણે મુંબઈ અને થાણે વિસ્તારમાં એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા બાદ લગભગ ત્રણ વર્ષ પહેલા ડ્રગ્સના ધંધામાં પ્રવેશ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક વેપારીએ તેને નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાવી હતી અને ઊંચા નફાની લાલચ આપી હતી. દરોડા દરમિયાન પોલીસે તેના નિવાસસ્થાનમાંથી પાંચ મોબાઇલ ફોન અને આઠ સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ ઉપકરણોના કોલ ડેટા રેકોર્ડનું વિશ્લેષણ કરી રહી છે જેથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય અને સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થઈ શકે.આ કાર્યવાહી અગાઉ 16 એપ્રિલે સાકીનાકાના જરીમારી વિસ્તારમાંથી ઈરફાન અલી અંસારી (40) ની ધરપકડ સાથે જોડાયેલી છે, જેને 200 એમડીએમએ ગોળીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. અંસારી અગાઉ 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ ચાર વર્ષ જેલમાં રહી ગયા વર્ષે જામીન પર બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, છૂટ્યા બાદ તેણે ફરી ડ્રગ્સનું વિતરણ શરૂ કર્યું હતું.હાલમાં અંસારી અને અન્ય આરોપીઓને 22 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સરસંઘચાલક મોહન ભાગવતને આપવામાં આવેલી 'ઝેડ પ્લસ' સુરક્ષા કવચ અંગે મોટો વિવાદ ઊભો થયો છે. મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં એક જાહેર હિત અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં માગણી કરવામાં આવી છે કે આ સુરક્ષા કવચનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવે અને સરકારી તિજોરીમાંથી નહીં. આ અરજીએ રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા જગાવી છે. આ અરજી નાગપુર સ્થિત સામાજિક કાર્યકર્તા લાલન કિશોર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની અરજીમાં સ્પષ્ટતા કરી છે કે આરએસએસ રજિસ્ટર્ડ સંગઠન ન હોવા છતાં તેને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ સુરક્ષાનો ખર્ચ કરદાતાઓના પૈસામાંથી સીધો ચૂકવવામાં આવી રહ્યો હોવાથી, તે સરકારી તિજોરી પર મોટો નાણાકીય બોજ નાખી રહ્યો છે. તેથી, એવી માગણી કરવામાં આવી છે કે કોર્ટ સંબંધિત વ્યક્તિ પાસેથી આ ખર્ચ વસૂલવાનો નિર્દેશ આપે. અરજીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાજ્ય સરકારના નાણાં વિભાગને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ મામલાની સુનાવણી 20 એપ્રિલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થશે. તેથી, બધાનું ધ્યાન આ સુનાવણી પર છે. અરજદારના મતે, 'ઝેડ પ્લસ' સુરક્ષાનો ખર્ચ દર મહિને આશરે 40 થી 45 લાખ રૂપિયા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ખર્ચ કરદાતાઓના પૈસામાંથી થઈ રહ્યો હોવાથી, તે જાહેર ભંડોળનો દુરુપયોગ છે. તે 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાનો પણ ઉલ્લેખ કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવી સુરક્ષાનો ખર્ચ સંબંધિત વ્યક્તિ પાસેથી વસૂલ કરવો જોઈએ. દાવો કરો કે અરજી જાહેર હિતમાં છેઅરજદારે જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે જાહેર હિતમાં છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમાં કોઈ વ્યક્તિગત હિત નથી. સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાની અને ‘ઝેડ પ્લસ’ સુરક્ષાનો ખર્ચ તાત્કાલિક સંબંધિત પક્ષો પાસેથી વસૂલ કરવાની માગ કરવામાં આવી છે. હવે સમગ્ર રાજ્ય હાઈકોર્ટ આ અંગે શું નિર્ણય લેશે તેના પર નજર રાખી રહ્યું છે.
સિટી એન્કર:ઝૂંપડપટ્ટી પરિસરમાં શૌચાલયની સ્વચ્છતા માટે 5 નવા વાહન
ઝૂંપડપટ્ટી ભાગના શૌચાલયોની સ્વચ્છતા માટે મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગે પાંચ નવા વાહન ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મહાપાલિકા પાસેના પહેલાંના વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી નવા વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ બાબતના પ્રસ્તાવને સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં આ વાહનો ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના કાફલામાં દાખલ થશે. મુંબઈ સ્વચ્છ અને સુંદર રહે એ માટે મહાપાલિકા તરફથી સતત વિવિધ ઉપક્રમ અને ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવે છે. તેમ જ મુંબઈની ગંદકી દૂર કરવા મહાપાલિકાનું ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ વિવિધ પ્રયત્ન કરે છે. ઝૂંપડપટ્ટી ભાગના સાર્વજનિક શૌચાલયની ગંદા પાણીની ટાંકીઓની સ્વચ્છતા માટે મહાપાલિકા વિશેષ વાહનનો ઉપયોગ કરે છે. હાલની સ્થિતિમાં મહાપાલિકાના કાફલામાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ વાહન છે. આ બધા વાહન આઠ વર્ષ જૂના થયા છે. પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણના નિયમ અનુસાર વાહનની આયુમર્યાદા આઠ વર્ષ થયા બાદ એનો ઉપયોગ કરી શકાતો નથી. પહેલાંના પાંચ વાહનોનું આયખુ પૂરું થયું હોવાથી હવે નવા વાહનોની ખરીદી કરવી જરૂરી છે. આ વાહનો માટે મહાપાલિકાએ ડિસેમ્બર 2025માં ટેંડર જારી કર્યા હતા. આ વાહનો માટે લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એના માટે ત્રણ ટેંડર મળ્યા હતા. એમાંથી એક કોન્ટ્રેક્ટરને મહાપાલિકાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યો. વિવિધ મુદ્દા ધ્યાનમાં લઈને ચર્ચાના અંતે સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી. એ અનુસાર હવે ટૂંક સમયમાં શૌચકૂપ સ્વચ્છ કરતા પાંચ નવા વાહન મહાપાલિકાના કાફલામાં દાખલ થશે. વોર્ડ દીઠ વાહનની માગણીદરમિયાન નવા વાહનોના સમાવેશથી ઝૂંપડપટ્ટી ભાગના સ્વચ્છતા કામ વધુ કાર્યક્ષમતાથી પાર પાડી શકાશે એવો વિશ્વાસ મહાપાલિકાના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. જો કે સંપૂર્ણ મુંબઈ માટે ફક્ત પાંચ વાહન ઓછા પડતા હોવાથી મહાપાલિકાના દરેક પ્રશાસકીય વોર્ડ દીઠ એક વાહન ઉપલબ્ધ કરવું એવી માગણી મહાપાલિકા સમક્ષ કરવામાં આવી છે.
ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી:મુંબઈમાં 209 કરોડના દાણચોરીનાં કલીંગડ બીજ, લીલા વટાણા અને ચીની ફટાકડા જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે જોરદાર કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા બે દિવસમાં બે પ્રકરણમાં 139 કરોડના આયાત કરાયેલા કલીંગડ બીજ અને લીલા વટાણાની દાણચોરી સંબંધે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેમ જ બીજા કેસમાં 70 કરોડના ચીની ફટાકડા જપ્ત કર્યા છે. વિશ્વસનીય માહિતીને આધારે ડીઆરઆઈ દ્વારા ન્હાવા શેવા બંદર ખાતે કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. તે સમયે તુવેર દાળ તરીકે ઘોષિત કરાયેલાં 132 કન્ટેઈનરોમાંથી 3029 મેટ્રિક ટન કલીંગડ બીજ અને લીલા વટાણા મળી આવ્યા હતા. તુવેર દાળ હોવાનું દર્શાવીને 2710 મે.ટન કલીંગડ બીજ તાંઝાનિયા અને સુદાનથી આયાત કરાયા હતા, જ્યારે 319 મે.ટન લીલા વટાણા કેનેડાથી આયાત કરાયા હતા, એમ ડીઆરઆઈના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. નોંધનીય છે કે ઘરઆંગણાના ખેડૂતોનું આછી કિંમતની આયાતોથી રક્ષણ કરવા માટે સરકાર દ્વારા આ ચીજો પર સખત આયાત નિયંત્રણ લાદ્યાં છે. આ અંગે નોટિફિકેશન જારી કર્યાં છે. આયાત લઘુતમ કિંમતને આધીન અને કોલકતા બંદર થકી જ નિયંત્રિત છે. આમ છતાં આયાતી કંપનીના ડાયરેક્ટરે તુવેરની આડમાં આ દાણચોરીનો પ્રયાસ કર્યો હતો, જેથી રવિવારે તેની ધરપકડ કરાઈ હતી. બીજા એક કેસમાં પ્રતિબંધ છતાં ચીની ફટાકડા દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે એવી માહિતીને આધારે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે ન્હાવા શેવામાં તલાશી હાથ ધરી હતી. આ ઓપરેશનને ‘‘ઓપરેશન પાયરો હિસ્ટ’’ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં શંકાસ્પદ કન્ટેઈનરોની તલાશી લેવામાં આવી હતી. બારીકાઈથી તલાશી લેવામાં આવતાં અમુક કન્ટેઈનરોમાંથી 70 મે.ટન ચીની ફટાકડા મળી આવ્યા હતા, જેનું મૂલ્ય આશરે રૂ. 17.07 કરોડ થાય છે. આ દાણચોર ટોળકીના બે જણની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ટોળકીએ કસ્ટમ્સ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે ઉત્તમ નિયોજનબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. કેન્સાઈનમેન્ટને નિરુપદ્રવી માલો તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓએ કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાંથી આ દાણચોરીનો માલ ચાલાકીપૂર્વક કાઢીને ફેરબદલી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આયાતી કન્ટેઈનરોમાંથી ફટાકડા અન્ય વાહનમાં લાદવામાં આવતા હતા ત્યારે તેમને રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ માટે કન્ટેઈનરના સીલમાં તેમણે ચેડાં કર્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગ દ્વારા સુધારેલું નવું ધોરણ:સરકારી ભૂખંડ ભાડે આપવા હવે 30ના બદલે 49 વર્ષની મર્યાદા
રાજ્યના વિવિધ સરકારી વિભાગો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી ઉપાય તરીકે આવક વધારવા સરકારી ભૂખંડ હવે 49 વર્ષ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ ભાડે આપેલી સરકારી જમીનના કરારનું નૂતનીકરણ કરવા છૂટ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગે આ સંદર્ભે સુધારેલું ધોરણ જાહેર કર્યું છે. સરકારી જમીન ભાડે આપવાનો સમય 30 વર્ષથી વધારીને 49 વર્ષ કરવા જાન્યુઆરી મહિનામાં મંત્રીમંડળ બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી. આ નિર્ણય અનુસાર મહેસૂલ વિભાગે સરકારના વિવિધ પ્રશાસકીય વિભાગ અને તેમની અખત્યાર હેઠળના મહામંડળ, પ્રાધિકરણોની જમીન વ્યવસાયિક કારણોસર ભાડે આપવા બાબતે નવો નિર્ણય જાહેર કર્યો છે. એ અનુસાર હવે રાજ્યના વિવિધ વિભાગના અને ઉપક્રમની માલિકીના મોટા ભૂખંડ હવે 49 વર્ષના સમયગાળા માટે ભાડે આપી શકાશે. મહેસૂલ વિભાગે જારી કરેલા પરિપત્ર અનુસાર આ પહેલાં ભાડે આપવામાં આવેલા ભૂખંડના કરારની શરતો અને ધોરણનું ઉલ્લંઘન થયું ન હોય તો ભાડાકરારની મુદત વધારી શકાશે. વધુમાં વધુ બે વખત 49 વર્ષ માટે સરકારી ભૂખંડ ભાડેથી આપી શકાશે. મહેસૂલ વિભાગ તરફથી સીધા ભાડે આપેલા ભૂખંડોને આ નિયમ લાગુ રહેશે. તેમ જ જેમના ભાડાકરાર અત્યારે અસ્તિત્વમાં છે એવા વિભાગોને કરારનું ઉલ્લંઘન થયું હોય તો તે નિયમિત કરીને જ નૂતનીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વ્યવસાયિક વપરાશ માટે ભૂખંડ આપતા નવી સમયમર્યાદાનું પાલન કરવું ફરજિયાત રહેશે. જિલ્લાધિકારીઓ પર જવાબદારીકોઈ પણ સરકારી વિભાગ અથવા ઉપક્રમ યોગ્ય ભાડુ નક્કી કરીને પોતાનો ભૂખંડ ભાડેથી આપી શકે છે. આ પ્રક્રિયા પર નિયંત્રણ રાખવાની જવાબદારી જિલ્લાધિકારીઓ પર સોંપવામાં આવી છે. ભાડાની રકમ સમયસર સરકારી તિજોરીમાં જમા કરવી અને ભાડામાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યાની ખાતરી કરવાનો નિર્દેશ જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યો છે.
સામાન્ય પ્રજા પરેશાન:RTOમાં તમામ સેવા ઓનલાઈન હોવા છતાં નાગરિકોને આંટાફેરાથી હેરાનગતિ
દેશમાં આરટીઓ સેવા સારથી અને વાહન 4.0 ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરીને પ્રક્રિયા સરળ કરવાનો સરકારનો પ્રયત્ન છે છતાં વાસ્તવિકતામાં નાગરિકોએ આરટીઓ કાર્યાલયમાં આંટાફેરા કરવા પડે છે. ઓનલાઈન 105 સેવા ઉપલબ્ધ છે છતાં ટેકનિકલ અડચણ, અધુરી માહિતી, પ્રક્રિયામાં ગુંચવાડાના લીધે નાગરિકોની હેરાનગતિ યથાવત છે. ડ્રાઈવિંગ લાયસંસ, વાહન નોંધણી, નૂતનીકરણ, સરનામામાં ફેરફાર, ડુપ્લિકેટ આરસી, ઈ-ચલાન, વાહન માલિકી હસ્તાંતરણ જેવી મહત્વની સેવા ઓનલાઈન થઈ છે. જો કે અરજી ભર્યા પછી દસ્તાવેજોની ચકાસણી, બાયોમેટ્રીક નોંધણી, ફોટો સહી, અંતિમ મંજૂરી માટે અનેક વખત જાતે હાજર થવું ફરજિયાત બને છે. તેથી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણપણે ઘેરબેઠા થતી નથી એવી નાગરિકોની ફરિયાદ છે. સારથી પોર્ટલ પર લર્નિંગ અને પાકુ લાયસંસ માટે સ્લોટ મેળવવા અડચણ આવતી હોવાનું અનેક જણ જણાવે છે. ઘણી વખત વેબસાઈટ ધીમી ચાલવી, પેમેન્ટ ફેલ થવું અથવા અરજી સબમિટ ન થવી જેવી ટેકનિકલ સમસ્યા પણ વારંવાર ઉદભવે છે. પરિણામે નાગરિકોએ ફરીથી આરટીઓ કાર્યાલયમાં જવું પડે છે. કેટલાક આરટીઓ કાર્યાલયમાં ટેકનિકલ મદદ કેન્દ્ર (હેલ્પડેસ્ક) ઓછા હોવાથી નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ ભાગના લોકો માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ મુશ્કેલીવાળી બને છે. નિષ્ણાતોના મતે ડિજિટલ સિસ્ટમના લીધે પારદર્શકતા અને ઝડપ વધવાની ક્ષમતા છે પણ એના માટે પોર્ટલની કાર્યક્ષમતા સુધારવી, સ્લોટ ઉપલબ્ધતા વધારવી, નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. નહીં તો ના આંટાફેરા કે ન એજન્ટ ઝુંબેશનો ઉદ્દેશ ફક્ત કાગળ પર જ રહેવાની શક્યતા રહે છે. અરજી નકારના કારણઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અનેક નાગરિકોને જરૂરી દસ્તાવેજોની ચોક્કસ માહિતી નથી હોતી. તેથી અરજી નકારવી, ફરીથી પ્રક્રિયા કરવી અથવા એજન્ટની મદદ લેવી પડે છે. એજન્ટ તરફથી અતિરિક્ત શુલ્ક લેવામાં આવે છે એવી ફરિયાદ પણ હજી યથાવત છે. ફિટનેસ માટે વાહન દેખાડવું અનિવાર્યવાહન 4.0 પ્લેટફોર્મ પર વાહન નોંધણી, માલિકી હસ્તાંતરણ, ફિટનેસ પ્રમાણપત્ર, લાયસંસ અને ઈ-ચલાન જેવી સુવિધા છે છતાં કેટલીક સેવા માટે સ્થાનિક આરટીઓ તરફથી વાસ્તવિક તપાસ જરૂરી હોય છે. ખાસ કરીને વાહન ટ્રાન્સફર, હાયપોથિકેશન (કરજ) કાઢવું અથવા ફિટનેસ માટે વાહન વાસ્તવિકતામાં દેખાડવું પડે છે.
એમએમઆરડીએ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું:મુંબઈ 3.0 માટે રાયગઢમાં 216 એકર જમીન સંપાદન
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ‘મુંબઈ 3.૦’ નામના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાયગઢ જિલ્લામાં પ્રસ્તાવિત ગ્રોથ સેન્ટર માટે 216 એકર જમીન સંમતિના આધારે સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ પહેલને જમીન માલિકો તરફથી પ્રથમ જ દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે પ્રોજેક્ટને વાસ્તવિક ગતિ આપનાર સાબિત થયો છે. આ યોજના સમતિ દ્વારા વિકાસ, વિસ્થાપન દ્વારા નહીંના સિદ્ધાંત પર આધારિત છે. એમએમઆરડીએ પરંપરાગત જમીન સંપાદન પદ્ધતિથી અલગ જઈને જમીન માલિકોને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાની નવી નીતિ અપનાવી છે. જમીન માલિકોને સીધી નાણાકીય ચૂકવણી ઉપરાંત એફએસઆઈ/ટીડીઆર જેવા વિકલ્પો તેમજ લેન્ડ પૂલિંગ દ્વારા વિકસિત પ્લોટના 22.5 ટકા પરત આપવાની યોજના રજૂ કરવામાં આવી છે. રાયગઢ-પેન ગ્રોથ સેન્ટર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર અટલ સેતુ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને વિરાર-અલીબાગ મલ્ટી-મોડલ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સની નજીક આવેલો છે, જેના કારણે આ પ્રોજેક્ટનું મહત્વ વધુ વધી ગયું છે.
2 કેબિનેટ અને 5 રાજ્યમંત્રીને પણ ઓફિસ મળશે:નવા મંત્રાલયમાં સૌથી વધુ ઓફિસ સ્પેસ સીએમઓને
મહાયુતિ સરકારના મંત્રીઓ માટેની મંત્રાલયની ઈમારતમાં જગ્યા ઓછી પડી રહી છે. તેથી મંત્રાલયની બાજુમાં જ નવી એનેક્સ 2 ઈમારત ઊભી થઈ રહી છે. આ ઈમારતમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીને કાર્યાલય મળશે. એનેક્સ 2માં સંપૂર્ણ પહેલા માળ પર મુખ્યમંત્રી કાર્યાલયને એટલે કે સીએમઓને સાત હજાર સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. મંત્રાલયની અત્યારની ઈમારતમાં સીએમઓ પાસે 9 હજાર સ્કવેર ફૂટ જગ્યા છે. હવે બંને ઈંમારતમાં મળીને સીએમઓને કુલ 16 હજાર સ્કવેર ફૂટ જગ્યા મળશે. અત્યારે અનેક સરકારી કાર્યાલય નરિમાન પોઈંટથી જીટી હોસ્પિટલ ખાતેના મિની મંત્રાલયમાં છે. તેથી લગભગ 110 કરોડ રૂપિયા ખર્ચ કરીને ગાર્ડન ગેટ નજીક નવી પાંચ માળાની એનેક્સ ઈમારત બાંધવામાં આવી. આમ તો આ ઈમારત પ્રી ફેબ ટેકનોલોજીથી 100 દિવસમાં પૂરી કરવાનો ઉદ્દેશ હતો. પણ કોન્ટ્રેક્ટરનું કામ ધીમી ગતિએ ચાલુ છે. હવે 31 જુલાઈ સુધી ઈમારત પૂરી કરવાનો નિર્દેશ સાર્વજનિક બાંધકામ વિભાગે આપ્યો છે. પણ કોન્ટ્રેક્ટરે 31 ઓગસ્ટ સુધીની મુદત માગી છે. જો કે એનેક્સ 2માં અત્યારથી જ જગ્યાની વહેંચણી કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને કાર્યાલયના કામ કરવા માટે વહેંચણી કર્યાનું જણાવવામાં આવે છે. નવી ઈમારતમાં કેબિનેટ મંત્રીઓને 1600થી 1700 સ્કવેર ફૂટ જગ્યા તો રાજ્યમંત્રીઓને 1400થી 1500 સ્કવેર ફૂટ જગ્યા ફાળવવામાં આવી છે. ઉપરાંત મંત્રાલયની બહારના તબીબી શિક્ષણ, સાર્વજનિક આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓને નવી ઈમારતમાં જગ્યા ઉપલબ્ધ થઈ છે.
કમિશ્નરનો આદેશ:ચોમાસામાં લોકોની હેરાનગતિ ટાળવા 30 એપ્રિલ પછી રસ્તા ખોદકામ બંધી
શહેર અને ઉપનગરોમાં અત્યારે રસ્તાઓનું કોંક્રિટીકરણ, ડામરીકરણના કામ ઝડપી કરવામાં આવ્યા છે. જો કે ચોમાસામાં નાગરિકોને હેરાનગતિ ન થાય એ માટે 30 એપ્રિલ પછી કોઈ પણ ખોદકામ કરવા નહીં અને 15 મે પહેલાં અત્યારે ચાલી રહેલા કામ પૂરા કરવા એવી સૂચના મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ અધિકારીઓને આપી છે. મહાપાલિકાના રસ્તા કોંક્રિટીકરણ પ્રકલ્પના તબક્કા 1 અને 2 અંતર્ગત 1204 રસ્તાઓનું, 327.69 કિલોમીટર લાંબા રસ્તાઓનું કામ પૂરું થયું છે. 532 રસ્તાઓના કામ અંશતઃ પૂરા થયા છે તો 169.14 કિમી રસ્તાઓનું કોંક્રિટીકરણ થયું છે. એકંદરે અત્યાર સુધી કુલ 73.39 ટકા રસ્તાઓનું કોંક્રિટીકરણ પૂરું થયું છે. મુંબઈને ખાડામુક્ત કરવા સાથે પરિવહન વધુ સુરક્ષિત, ઝડપી, થવાના ઉદ્દેશથી આ પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. કોંક્રિટ રસ્તા પર ચોમાસામાં ખાડા પડવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી દેખભાળ અને રિપેરીંગ ખર્ચ પણ ઓછો થશે. જો કે એક જ સમયે અનેક ઠેકાણે રસ્તાઓનું કામ ચાલુ છે. તેથી એ ચોમાસા પહેલાં પૂરા કરવાની સૂચના કમિશનરે આપી છે. આઈઆઈટી દ્વારા ઓડિટરસ્તા કોંક્રિટીકરણના કામ દરજ્જાવાળા અને ગુણવત્તાપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જો કે એની તપાસ કરવા મહાપાલિકાએ કરાર દ્વારા આઈઆઈટી મુંબઈની થર્ડ પાર્ટી તરીકે નિયુક્તી કરી છે. કોંક્રિટ મિશ્રણ બનાવવાથી લઈને રસ્તાઓના કામ પૂરા થાય ત્યાં સુધીના તબક્કામાં ટ્યુબ ટેસ્ટ, કોર ટેસ્ટ, ડ્યુરેબિલિટી ટેસ્ટ, ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટ, વગેરે ટેસ્ટ આઈઆઈટીએ કરી છે. કોંક્રિટીકરણ પછી ખાડા ખોદવા મનાઈરસ્તાઓના કામ પૂરા કરતા મહાપાલિકા વોટર એન્જિનિયર, પાઈપલાઈન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, મળનિસણ પ્રચલન, મળનિસરણ પ્રકલ્પ, વગેરે વિવિધ વિભાગ અને વિદ્યુત, ગેસ વિતરણ, મોબાઈલ વગેરે સંબંધિત કંપનીઓ સાથે સમન્વય રાખવામાં આવે છે. કોંક્રિટીકરણ થયેલા રસ્તાઓ પર કોઈ પણ સંસ્થાને ખોદકામ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
સિટી એન્કર:ઉત્તન-વિરાર સીલિન્ક દ્વારા નરિમાન પોઈંટથી સીધા વિરાર-પાલઘર
મુંબઈના કોસ્ટલ રોડના ઉત્તર તરફના ભાગમાં ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. એના માટે રાજ્ય સરકારે વિગતવાર પ્રકલ્પ અહેવાલને મંજૂરી આપી છે. પર્યાવરણ સંબંધિત તમામ પરવાનગીઓ પણ આપવામાં આવી છે. આ પ્રકલ્પ માટે મે 2026થી ટેંડર મગાવવાની શરૂઆત કરવામાં આવશે. મુંબઈના અટલ સીલિન્ક કરતા પણ લાંબો આ પ્રસ્તાવિત સીલિન્ક હશે. ઉત્તન-વિરાર સીલિન્ક પ્રકલ્પ 55.12 કિલોમીટર લાંબો હશે. આ રોડના કારણે દક્ષિણ મુંબઈના નરિમાન પોઈંટથી વિરાર અને આગળ પાલઘર સુધીનો પ્રવાસ સહેલો અને ઝડપી થશે. ઉત્તર અને દક્ષિણ કિનારાપટ્ટીના જોડતો આ રોડ આઠ લેનનો હશે. અત્યારે 90 મિનિટમાં થતો આ પ્રવાસી સીલિન્કના લીધે 30 થી 40 મિનિટમાં પૂરો થશે. આ રોડ પર એક મુખ્ય સીલિન્ક, એપ્રોચ રોડ, અનેક ઈંટરચેન્જનો સમાવેશ હશે. પણ આ સીલિન્ક પ્રકલ્પ માટે 100 હેકટર મેનગ્રોવ્ઝ બાધિત થશે. આ પ્રકલ્પનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં ઉત્તનથી વિરાર દરમિયાન 24.35 કિલોમીટર લાંબો સીલિન્ક ભાઈંદર નજીક જોડવામાં આવશે. એમાં સીલિન્ક અને એપ્રોચ રોડ એમ બે મહત્વના રોડનો સમાવેશ છે. ઉત્તનને જોડતો 9.32 કિમી રોડ, વસઈને જોડતો 2.5 કિમી રોડ અને વિરાર સુધી 18.95 કિમી લાંબા રોડનો સમાવેશ છે. આ પ્રકલ્પ માટે અત્યારે 58 હજાર 754 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. દરમિયાન આ પ્રકલ્પના બીજા તબક્કામાં આ રોડને આગળ પાલઘર સુધી જોડવામાં આવશે. આ રોડના લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસવી રોડ અને લિન્ક રોડ પરનો ટ્રાફિકજામ ઓછો થવામાં મદદ થશે. અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પ ચાલુમુંબઈમાં અત્યારે અનેક મહત્વકાંક્ષી પ્રકલ્પના કામ ચાલુ છે. એનો જ એક ભાગ ઉત્તન-વિરાર સીલિન્ક પણ છે. બીજા મહત્વના પ્રકલ્પોમાં મુંબઈનો કોસ્ટલ રોડ, બાન્દરા-વરલી સીલિન્ક, અટલ સેતુ, ઓરેંજ ગેટ ટનલ, વર્સોવા-બાન્દરા સીલિન્ક, ઉત્તર કોસ્ટલ રોડ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને શિવરી-વરલી કનેક્ટરનો સમાવેશ છે.
ગુજરાતના સુરત શહેરમાં ગેસની ગંભીર અછતની સ્થિતિની અસર હવે મોટા પાયે જોવા મળી રહી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રોહિણી ખડસેએ આ સંદર્ભમાં રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી છે. મધ્ય- પૂર્વમાં યુદ્ધને કારણે એલપીજી સંકટ ભારતના ઘણા ભાગોને અસર કરી રહ્યું છે, અને તેની ગંભીર અસરો સુરતમાં જોવા મળી રહી છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને મજૂરો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.સુરતમાં પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે ઘણી કંપનીની ઇમારતોને તાળા લાગી ગયા છે. હજારો દૈનિક વેતન કામદારો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને રસોઈ ગેસની અછતને કારણે, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, નાની હોટલો અને ઢાબા બંધ થઈ ગયા છે. આનાથી આ વ્યવસાય પર નિર્ભર પરિવારોની આવક સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે, મોટી સંખ્યામાં કામદારોને તેમના ગામોમાં પાછા ફરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિની સીધી અસર સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં સીટ મેળવવા માટે હજારો મજૂરો અને મુસાફરો સ્ટેશન પર એકઠા થયા હતા. આ વિશાળ ભીડને કારણે અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.રોહિણી ખડસેએ સોશિયલ મિડિયા પર આ સંદર્ભમાં એક વિડિયો શેર કરીને પોતાની તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે સુરતનાં દ્રશ્યો ખૂબ જ પીડાદાયક છે. ગેસની અછતને કારણે મજૂરોના હાથમાંથી રોજગાર અને ખોરાક બંને છીનવાઈ ગયા છે. હજારો લોકો તેમના પરિવારો સાથે પાછા ફરતા જોવા મળે છે તે ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, એમ તેમણે સમજાવ્યું. આ સાથે તેમણે મહારાષ્ટ્રની પરિસ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. થોડા દિવસો પહેલાં ગેસની અછતને કારણે મુંબઈ અને પુણે શહેરોમાં હોટલ અને રેસ્ટોરાં બંધ થઈ ગયા હતા. રોજગાર માટે મોટા શહેરોમાં આવેલા યુવાનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભય વ્યક્ત કર્યો છે કે આ પરિસ્થિતિ સુરત જેવી જ હોઈ શકે છે. મુંબઈ અને પુણેમાં વિકટ સ્થિતિરોહિણી ખડસેએ સરકારની ટીકા કરતા કહ્યું કે જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે ત્યારે સરકાર નિષ્ક્રિય લાગે છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મુંબઈ અને પુણે જેવા શહેરોમાં સુરત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી, તેમણે સરકારને ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અને મજૂરોની સમસ્યાઓ પર ગંભીર ધ્યાન આપવાની અપીલ કરી છે.
લાશ મળી:ચાર દિવસથી ગુમ પરિણીતાની લાશ કૌટુંબિક જેઠની વાડીના કૂવામાંથી મળી
રાજકોટ શહેરના છેવાડે આવેલા જામગઢ ગામે ચાર દિવસથી ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ પોતાના જ ખેતરના કૂવામાંથી મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. બનાવથી ચાર દીકરી અને એક દીકરાએ માતાની મમતા ગુમાવી છે. કુવાડવા પંથકના જામગઢમાં રહેતી રેખાબેન કિશોરભાઈ ગોહેલ(ઉં.વ.38) ગત 16 એપ્રિલની રાત્રે અંદાજે દશેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઇ પત્તો ન મળતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સોમવારે સવારે આશરે 11 વાગ્યે રેખાબેનનો મૃતદેહ તેમના કૌટુંબિક જેઠ હરેશ પ્રાગજીભાઈ ગોહેલની વાડીમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઈ એમ.જી. સોલંકી સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકના પતિ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગરીબ પરિવારોને આરોગ્ય ક્રક્ષેત્રે ક્ષા પૂરી પાડવા સરકારે આયુષ્માન (PMJAY) યોજના અમલમાં મુકી છે. જોકે, આ યોજનાનો લાભ લેતા હજારો એવા પરિવારો છે જેમની આવક મર્યાદા વર્ષો બાદ વધી ગઈ હોવા છતાં તેઓ હજુ પણ જૂના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારના નિયમ મુજબ આવક મર્યાદાની બહાર જનાર આસામીઓના કાર્ડ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ આ કાર્ડ રિન્યૂ કરાવવા માટે 31/03/2026 સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ અનેક લોકો જાણકારીના અભાવે આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા. હવે લાખો લોકોના હિતને ધ્યાને રાખીને સરકારે રિન્યૂઅલની મુદત એક માસ લંબાવીને 30/04/2026 કરી છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જે અરજદારોએ આવકના દાખલાના આધારે કાર્ડ કઢાવ્યા છે અને જેમના દાખલાની મુદત પૂર્ણ થઈ છે, તેઓએ ફરજિયાતપણે કાર્ડ રિન્યૂ કરાવવું પડશે. જો 30 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો કાર્ડ સરકાર સ્થગિત અથવા રદ કરી દેશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં આયુષ્માન યોજનામાં વધુ કડક નિયમોની અમલવારી થવાની સંભાવના છે, જેનાથી માત્ર પાત્રતા ધરાવતા લોકોને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ભાસ્કર એક્સપ્લેનર | કાર્ડ રિન્યૂઅલ ગાઈડલાઈન આવકના દાખલાની સાથે જ કાર્ડની મુદત પૂર્ણ થશેસરકારે આયુષ્માન યોજનાની સિસ્ટમમાં મોટો ટેક્નિકલ ફેરફાર કર્યો છે. અગાઉ કાર્ડ અને આવકના દાખલાની મુદત અલગ-અલગ રહેતી હતી, પરંતુ હવે બંનેને લિંક કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, જે દિવસે તમારા આવકના દાખલાની મુદત પૂર્ણ થશે, તે જ દિવસે આયુષ્માન કાર્ડ પણ પોર્ટલ પર આપોઆપ નિષ્ક્રિય થઈ જશે. અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદત ગણીને નવો આવકનો દાખલો રજૂ કરવો પડશે અને ત્યારબાદ જ કાર્ડ ફરી સક્રિય થઈ શકશે. આ ફેરફારને કારણે હવે કાર્ડધારકોએ દર વર્ષે પોતાની આવકની સ્થિતિ પ્રમાણિત કરવી પડશે. સરકારી કર્મીઓ સામે કાર્યવાહીના નિર્દેશઆ યોજનાનો લાભ અનેક એવા સરકારી કર્મચારીઓ પણ લઈ રહ્યા છે જેમના પગાર અને ભથ્થામાં છેલ્લા થોડા વર્ષોમાં મોટો વધારો થયો છે. નિયમ મુજબ જે કર્મચારીઓની આવક નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ છે, તેઓ હવે આ યોજના માટે પાત્ર નથી. છતાં લાભ લેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આપઘાત:રાજકોટના આંબેડકરનગરમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના ગોકુલધામ સોસાયટી નજીક આવેલ આંબેડકરનગરમાં રહેતા 25 વર્ષીય યુવકે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ અંગેની વિગતો મુજબ, આંબેડકરનગર મેઇન રોડ રવિ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા રોહન હેમંતભાઈ ચૌહાણ(ઉં.વ.25)નામના યુવકે સોમવારે બપોરે બારેક વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ લેતા બનાવ અંગે જાણ થતા પરિવારે તુરંત 108 બોલાવી હતી. 108ના સ્ટાફે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ માલવિયાનગર પોલીસ મથકના જમાદાર સારંગભાઈ ઓગાણિયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક એક બહેન એક ભાઇમાં નાનો હતો તેણે દર્શન એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારે યુવકે ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પરિવારને કોઈ જાણ ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ નજીક લોઠડા ગામે દીકરી અંગે ખોટી વાતોનો વિરોધ કરનાર પિતાને જ નિશાન બનાવી પાડોશીઓએ ધોકા-પાઈપથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી છે. લોઠડા ગામે શિવ મેન્યુફેક્ચર કંપની પાસે રહેતા ઉત્તરપ્રદેશના રામભવન નન્હેલાલ પાસવાન(ઉ.30) પર રવિવારે રાત્રે હુમલો થયો હતો. તેની પત્નીએ તેને બંને હાથમાં ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. શરૂઆતમાં રામભવને પડવાથી ઇજા થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તબીબોને શંકા જતા પૂછપરછમાં સત્ય બહાર આવ્યું હતું. રામભવને પોલીસને જણાવ્યું કે, પાડોશમાં રહેતા બિહારના ઇન્દર અને રાજકોટના રમેશ તેની આઠ વર્ષની દીકરી અંગે અયોગ્ય વાતો કરતા હતા. આ બાબતે અગાઉ ચેતવણી આપ્યા છતાં રવિવારે ફરી બોલાચાલી થઈ હતી. જેના કારણે બંને શખ્સે ગુસ્સે આવી ધોકા અને લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો, જેમાં રામભવનના બંને હાથ ભાંગી ગયા હતા. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
JEE મેઈન:AIR 16 અને 100 PR સાથે રાજકોટનો નિમય પુરોહિત ગુજરાત ટોપર બન્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સોમવારે રાત્રે જેઈઈ મેઈન-2026નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે દેશમાં પોતાની ધાક જમાવી છે. એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે જાન્યુઆરીના પ્રથમ સત્ર બાદ એપ્રિલમાં લેવાયેલી બીજા સત્રની પરીક્ષામાં પણ 100 પર્સેન્ટાઈલ (NTA સ્કોર) પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિમયે દેશભરના 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા 16મો રેન્ક પ્રાપ્ત કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે JEE મેઈન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 15,38,468 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ગુજરાતની વાત કરીએ તો આશરે 1,56,038 વિદ્યાર્થી (SC, ST, OBC, EWS અને જનરલ કેટેગરી) મેદાનમાં હતા, જેમાં રાજકોટ સેન્ટર પરથી 2,000થી વધુ વિદ્યાર્થીએ જેઈઈ મેઈન્સની પરીક્ષા આપી હતી. આ સ્કોર સાથે દેશના ટોચના 2,50,000 વિદ્યાર્થી હવે જેઈઈ એડવાન્સ્ડ માટે લાયક ઠર્યા છે. રાજકોટના સફળ થયેલા વિદ્યાર્થીઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ડોક્ટર દંપતીનો પુત્ર હવે દેશની ટોચની IITમાં ભણશે એન્જિનિયરિંગનિમય પુરોહિતના માતા-પિતા બંને સફળ ડોક્ટર છે. પિતા ડૉ.હર્ષલ પુરોહિત અને માતા ડૉ.દર્શના પુરોહિત તબીબી વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, નિમયે નાનપણથી જ ગણિત અને એન્જિનિયરિંગમાં રસ દાખવ્યો હતો. ડોક્ટર દંપતીએ પણ પુત્રની રુચિને માન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નિમય છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યો હતો. તેને સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખવી અને દરરોજ 10થી 12 કલાકના સતત પરિશ્રમનું આ ફળ મળ્યું છે. હવે તે દેશની ટોચની IIT મુંબઈમાં કમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનો લક્ષ્યાંક છે. કેટેગરી વાઈઝ ક્વોલિફાઈંગ કટ-ઓફ જાહેર કરાયું JEE મેઇનના બીજા સત્રમાં દેશમાં 26 વિદ્યાર્થીને 100 PR મળ્યા, ગુજરાતમાંથી એકમાત્ર નિમયNTA દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, આ વર્ષે દેશભરમાંથી કુલ 26 વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. આ યાદીમાં ગુજરાતમાંથી એકમાત્ર નિમય પુરોહિતે જ ટોપ ટેબલ પર સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે, જાન્યુઆરીના પ્રથમ સત્રમાં પણ નિમયે 100 PR મેળવ્યા હતા અને એપ્રિલમાં તે જ દેખાવનું પુનરાવર્તન કર્યું છે. NTAના નિયમ મુજબ, બંને સત્રમાં હાજર રહેલા વિદ્યાર્થીઓનો જે સત્રમાં સ્કોર વધુ હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે.
ભાજપને વહાલા થવા માટે સ્કૂલ સંચાલકો મહિલાઓના નંબર પરથી પ્રચાર કરવા સુધીની ચેષ્ટા કરવામાં શરમાતા નથી તેવી બાબત સામે આવી છે. ઈનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની કે જેના દર્શિત જાની પણ ભાજપમાં સક્રિયા છે તેઓએ પોતાની શાળાની શિક્ષિકાઓના મોબાઇલ પ્રચારના ટૂલ તરીકે ઉપયોગકર્યા છે. ઇનોવેટિવ સ્કૂલના સંચાલક નિરેન જાની છે. તેમણે ભાજપના પ્રકાર માટે શિક્ષિકાઓના નંબર જાહેર કરવાની વિકૃત ચેષ્ટા કરી છે. સ્કૂલના કર્મચારી રાજેશ જોટવાએ શિક્ષિકાઓ પાસેથી મોબાઈલ જમા કરાવવા માટે માગ્યા હતા. મોબાઈલ લેવા માટે રેખાબેન નામના મહિલાકર્મીને મોકલ્યા હતા. જ્યારે શિક્ષિકાઓ પાસે ફોન આવ્યો તો ખબર પડી કે તેમના મોબાઈલમાંથી 50-50 લોકોને ભાજપના પ્રચારના મેસેજ પહોંચી ગયા છે અને ઘણાએ તો ફોન અને મેસેજ કરી મતદાર સ્લિપ માગવાનું ચાલુ કરી દીધું છે. જેમને મેસેજ ગયા તે પૈકીના ઘણા અજાણ્યા તો અમુક વિદ્યાર્થીઓના વાલીઓ છે. આ ઘટનાએ શિક્ષિકાઓને સ્તબ્ધ કરી દીધી હતી જોકે રાજેશ જોટવાએ બધાને મૌન રહેવા કહી દીધું હતું. આ મામલે ભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા નિરેન જાનીએ તો ફોન જ સ્વિચ ઓફ કરી દીધો છે. જોટવાએ પહેલા નિરેનનું નામ દીધું પછી દર્શનાબેન બોલી ના પાડી દીધી!રાજેશ જોટવાને ભાસ્કરે સવાલ કર્યો હતો કે, શિક્ષિકાઓના નંબર પરથી મેસેજ કરાયો તેની શિક્ષિકાઓ પાસેથી લેખિત મંજૂરી લીધી હતી તો તેમણે ના પાડી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નિરેનભાઈને કીધું તો તેમણે હા પાડી હતી. ત્યારબાદ કહ્યું કે, સીધા તેમણે નથી કીધું પણ તેમનું સંભાળતા દર્શનાબેને કીધું છે. બાદમાં ફાળ પડતા ફોન જ કટ કરી નાખ્યો હતો. જાની બંધુ અને હિરેન ખીમાણિયા છે ભાગીદારભાજપના ઉમેદવાર હિરેન ખિમાણિયા તેમજ ભાજપના આગેવાન દર્શિત જાની અને નિરેન જાની ધંધાકીય રીતે ભાગીદારો છે. આ જ કારણ છે કે મહિલાઓના નંબર પરથી વાલીઓને મેસેજ કરાવીને તેમણે હલકી કક્ષાના પ્રચાર કરવામાં શરમ અનુભવી નથી.
STને અખાત્રીજ ફળી:લગ્નગાળો અને વેકેશનને કારણે એક્સ્ટ્રા 30 બસ દોડાવી
રાજ્યભરમાં અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્નો યોજાયા હતા, જેની સીધી અસર ST નિગમની તિજોરી પર થઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બસ હાઉસફૂલ દોડી, પરંતુ તેનાથી વધુ 30 એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. રાજકોટ ડિવિઝનને અખાત્રીજના દિવસે રૂ.73 લાખથી વધુની જંગી આવક થઈ છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ રૂ.13 લાખ વધુ છે. આગામી દિવસોમાં મુસાફરોને હાલાકી ન પડે તે માટે 100 જેટલી વધારાની બસ દોડાવાશે. આ રૂટ ઉપર સૌથી વધુ ટ્રાફિક રહ્યો નિયમભંગ : આચારસંહિતાના અમલના 17 દિવસ પછી પણ ST બસમાં PM-CMની તસવીરો!સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ 1 એપ્રિલથી આચારસંહિતા લાગુ હોવા છતાં એસ.ટી. નિગમમાં તેનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ બસપોર્ટ પર જોવા મળેલી કેશોદ ડેપોની બસ (GJ-18-ZT-3040) માં દરવાજાની સામે જ PM અને CMની તસવીરો તથા મુસાફરો માટેના હેન્ડલ પર સરકારી જાહેરાતો હજુ પણ યથાવત્ છે. આટલું જ નહીં, ઉપલેટા ડેપોની બસ (GJ-18-ZT-1802 અને GJ-18-Z-1963) માં પણ ડ્રાઈવરની પાછળ મુખ્યમંત્રી-પ્રધાનમંત્રીના ફોટાવાળી પત્રિકાઓ દૂર નથી કરાઈ. 17 દિવસ વીત્યા છતાં તસવીરો પર પડદા ન પાડતા કેશોદ અને ઉપલેટા ડેપોના જવાબદાર અધિકારીઓ સામે નોટિસ પાઠવી કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.
સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજાનું રીપેરીંગ કરવાનું હોવાથી 15 એપ્રિલથી ત્રણ મહિના સુધી નદી ખાલી કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે સુભાષબ્રિજનું સુપર સ્ટ્રકચરને પણ તોડી પડાશે. નદી ખાલી થતાં જ કેટલાક લોકો ધૂળમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ શોધતા જોવા મળ્યા હતા. જેને લઈ દિવ્ય ભાસ્કરે તેમને પૂછ્યું કે, શું શું મળે છે અને તેની કેટલી કિંમત ઉપજે છે? આ જવાબો જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો
રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં એક 33 વર્ષીય ઈમિટેશન વેપારીના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી ધમકી આપવાના આક્ષેપો સાથે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ(ઉ.વ.33) નામના ઈમિટેશનના વેપારીએ આરોપી તરીકે ભૂપત અનક ખાચર અને રવિ ભૂપત ખાચરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે ફેબ્રુઆરી 2023માં નોંધાયેલા દસ્તાવેજથી ખુલ્લો પ્લોટ ખરીદી કબજો સંભાળ્યો હતો. ફરિયાદ મુજબ, ખરીદી બાદ થોડા જ દિવસોમાં પ્લોટ પર આવેલી જૂની ઓરડીને પાકી બનાવવા કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળ પર હાજર ભૂપતભાઈ અનકભાઈ ખાચર અને તેમના પુત્ર રવિભાઈ ભૂપતભાઈ ખાચરે પ્લોટ પોતાનો હોવાનું કહી ફરિયાદી અને તેમના 59 વર્ષીય પિતા, નિવૃત્ત વૃદ્ધ સામે ધમકીઓ આપી હતી. “આ વિસ્તારમાં રહેવું હોય તો પ્લોટ પાસે દેખાતા નહીં, નહીં તો ટાંટિયા ભાંગી નાખીશું” એવી ધમકી અપાઈ હોવાનું જણાવાયું છે. વધુમાં ફરિયાદમાં ઉલ્લેખ છે કે, રાત્રે ઘરે આવી રવિભાઈએ રૂ.22 લાખની માગણી કરી હતી અને “પ્લોટ જોઈએ તો પૈસા આપ, નહીં તો જાનથી મારી નાખીશ” કહી ધમકાવી ગયો હતો. ફરિયાદીએ કલેક્ટર કચેરી, પીજીવીસીએલ તેમજ સિવિલ કોર્ટમાં રજૂઆતો કર્યા બાદ અંતે સેશન્સ કોર્ટે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે અગાઉ ઢીલી નીતિ અપનાવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કારણ કે, સેશન્સ કોર્ટના હુકમના આધારે આ ગુનો પોલીસે નોંધવો પડ્યો છે.
ગાંજો ઝડપાયો:રાજકોટમાં હવે પાનના ગલ્લે પણ ગાંજો વેચાય છે, ધંધાર્થી પકડાયો: સપ્લાયર ફરાર
શહેરમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાન-બીડીના ધંધાની આડમાં નશાનો સામાન વેચાતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગાંધીગ્રામ પોલીસે પાનની કેબિન ચલાવતા એક શખ્સને છૂટકમાં ગાંજાની પડીકીઓ વેચતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ શખ્સને ગાંજો પૂરો પાડનાર કોઈ મોટો માફિયા નહીં, પણ રાજકોટનો જ એક સફાઈ કામદાર હોવાનું ખૂલતા પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ હર્ષાબેન ગઢવીની સૂચનાથી પીએસઆઈ વી.ડી. રાવલિયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહિતદાન ગઢવીને સચોટ બાતમી મળી હતી કે, એસ.કે. ચોક પાસે આવેલી ગંગેશ્વર મહાદેવ મંદિરવાળી શેરી નં.2/બ માં નરસી નાગર નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવવાનો છે. બાતમીના આધારે પોલીસે તુરંત વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા નરસિંહ મુળજી નાગર (ઉ.વ.45, રહે. ગાંધીગ્રામ) ને આંતરી લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, એક સફાઈ કામદાર તેને આ જથ્થો આપી ગયો હતો અને તે પોતાની પાનની કેબિનેથી બંધાણીઓને છૂટકમાં પડીકીઓ વેચતો હતો. પોલીસે સફાઈ કર્મચારીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. બીજી તરફ આ સફાઈ કામદાર ગાંજાનો વેપલો કઈ-કઈ જગ્યાએ કરતો અને જથ્થો ક્યાંથી મગાવતો તે સહિતની બાબતો તેની ધરપકડ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો નરસિંહ નાગર પોલીસ માટે કોઈ નવો ચહેરો નથી. તે અગાઉ શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ નજીકથી પ્ર.નગર પોલીસના હાથે પણ ગાંજા સાથે પકડાઈ ચૂક્યો છે.
વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર કઈ રીતે કરવો અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કઈ રીતે લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વોર રિસ્ક સરચાર્જમાં 50 ટકા રિમ્બર્સમેન્ટ સહિતના સારા સમાચાર ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી (રાજકોટ), એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના સંયુક્ત ઉપક્રમે 17 એપ્રિલે આ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની, ECGC બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી, એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્મા અને મેનેજર પીયૂષ પલ્લવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, આ સેમિનાર ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. નિકાસકારોને ક્યા લાભ મળશે?નિકાસ દરમિયાન વસૂલવામાં આવતા ‘વોર રિસ્ક સરચાર્જ’ પર 50 ટકા રિમ્બર્સમેન્ટ કેવી રીતે મેળવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ECGC અને DGFTના અધિકારીઓએ નિકાસકારોને સરકાર દ્વારા જાહેર કરાયેલી રિલીફ સ્કીમ અને ECGC દ્વારા મળતા વીમા કવચની વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, નિકાસકારોએ કોઈપણ કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક (જેમ કે દેશો વચ્ચે તણાવ) સામે રક્ષણ મેળવવા ECGC ની સેવાઓનો અચૂક લાભ લેવો જોઈએ. આ પ્રસંગે ECGCના એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્માએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા દ્વારા નિકાસકારોને વિકટ પરિસ્થિતિઓમાં થતી નુકસાની સામે સીધી વીમા સુરક્ષા આપવામાં આવે છે. ’ આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘રિઝિલિયન્સ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન’ પેકેજના ત્રણ મુખ્ય ઘટકો અંગે પણ વ્યાપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં મુક્યો હતો. આ કાયદા હેઠળ રાજકોટમાં હજારો આસામીઓએ વધારાના બાંધકામોને ફી ભરીને કાયદેસર કરાવી લીધા, પરંતુ હવે આ જ મિલકતદારો માટે ‘ફાયર સેફ્ટી’ ગળાફાંસો બની છે. મનપાના ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, રાજકોટમાં 1304 એવા એકમ છે જેમના ઇમ્પેક્ટ પ્લાન તો મંજૂર થઈ ગયા છે, પરંતુ તેઓ ફાયર NOC મેળવવા માટે લાયક ઠર્યા નથી. તંત્રએ આવા તમામ એકમોની અરજીઓ નામંજૂર કરી વધારાનું બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી છે. જો આ બાંધકામો દૂર નહીં કરાય તો આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. ફાયર એનઓસી માટે આવેલી વોર્ડ વાઈઝ અરજીઓ એક્ઝિટ ગેટ, ડબલ સીડીના નિયમો નડ્યારાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર ફાયર સેફ્ટીના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂર થયેલા બાંધકામોમાં સૌથી મોટી સમસ્યા એક્ઝિટ ગેટ, ડબલ સીડી અને બિલ્ડિંગની ચારેતરફ રાખવાની થતી ફરજિયાત જગ્યાની છે. ઘણા કિસ્સાઓમાં આસામીઓએ માર્જિનની જગ્યામાં જ બાંધકામ કરી લીધું છે, જેના કારણે ઇમર્જન્સી સમયે ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ અંદર જઈ શકે તેમ નથી. આવા જોખમી બાંધકામોને કારણે 1300થી વધુ એકમોને અત્યારે ફાયર વિભાગે લાલબત્તી ધરી દીધી છે. ઇમ્પેક્ટ બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી કરવી ફરજિયાત, ઓનલાઈન પોર્ટલ બંધઇમ્પેક્ટ ફી હેઠળના કેસોમાં ઘણી ટેક્નિકલ વિસંગતતાઓ સામે આવી છે. વધારાના બાંધકામો બાદ બિલ્ટઅપ એરિયાની માપણી અને વાસ્તવિક બાંધકામમાં તફાવત આવતા ઓનલાઇન અરજીઓ ઇન્વર્ડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આથી, ફાયર વિભાગે નિર્ણય લીધો છે કે, ઇમ્પેક્ટના નિયમો હેઠળ થયેલા તમામ વધારાના બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. રહેણાકમાંથી કોમર્શિયલનો ખેલ ઊંધો પડ્યોઅનેક મિલકતધારકોએ રહેણાકના એકમોમાં ફેરફાર કરી તેને કોમર્શિયલ બાંધકામો તરીકે દર્શાવ્યા હતા. વધારાનું બાંધકામ કર્યા બાદ જ્યારે ફાયર NOC માટે અરજી કરવામાં આવી, ત્યારે ફાયર અને ટીપી વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના બાંધકામો ફાયર સેફ્ટીના પાયાના નિયમોનું પણ પાલન કરતા નથી. આવું પણ થયું : ગેરકાયદે બાંધકામ કર્યું, ઈમ્પેક્ટમાં મંજૂર થયું બાદમાં ફરી બાંધકામ કર્યું!ગેરકાયદે બાંધકામ કરવા માટે અમુક તત્ત્વો કેવા નિયમભંગ કરે છે તેના પણ દાખલા જોવા મળ્યા છે. સૌથી પહેલા તો ગેરકાયદે બાંધકામ કર્યું ત્યારબાદ તેને રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરી દીધી. ટી.પી. શાખાએ આવા બાંધકામની વિઝિટ કરીને રેગ્યુલરાઈઝ કરવાની પ્રક્રિયા કરી ત્યાં તો તે સ્થળે ફરીથી બાંધકામ કરી દેવાયું એટલે કે બે વખત ગેરકાયદે બાંધકામ કર્યું. અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે જેનો ફરીથી સરવે કરાશે.He/
ઉધના સ્ટેશન પર રવિવારે મુસાફરોની ભીડ અનિયંત્રિત થઈ સ્થિતિ બગડ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. ઘટનાના બીજા જ દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ટીમ સાથે ઉધના સ્ટેશને પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન DRM પંકજ સિંહ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમણે પેસેન્જર મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓનું બારીકાઈથી આકલન કર્યું. તેમણે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે વીકેન્ડ અને પીક સીઝન દરમિયાન મુસાફરોની સંખ્યાનું અગાઉથી આકલન કરી નક્કર રણનીતિ બનાવવામાં આવે, જેથી કોઈ પણ સ્થિતિમાં ગેરવ્યવસ્થા ન ફેલાય. તેમણે કહ્યું કે, મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. ઘટના બાબતે ચેમ્બરની રેલવે કમિટીના ચેરમેન રાકેશ શાહે જીએમને વિવિધ રજૂઆતો કરી હતી. સીધીવાત - રામાશ્રય પાંડે, જનરલ મેનેજરસવાલ: રવિવારે સ્થિતિ અનિયંત્રિત કેવી રીતે થઈ?જવાબ: 28 હજાર લોકો સ્ટેશન પર આવી ગયા હતા. તેમની વચ્ચે એક ભ્રમ ફેલાઈ ગયો કે સવારે 11.30 વાગ્યા વાળી સ્પેશિયલ ટ્રેન પછી કોઈ સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે, જેથી એક જ ટ્રેનમાં ચઢવા માટે લાઇન તોડીને ભાગવા લાગ્યા હતા. સવાલ: પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો?જવાબ: સુરક્ષા કર્મીઓએ ફેન્સિંગ પર ડંડા માર્યા હતા, જેથી લોકો પાછળ હટે, અનિયંત્રિત હાલત ન થાય, કોઈ પણ પેસેન્જરને ક્યાંય પણ ઈજા થઈ નથી. સવાલ: આવી ભીડ ન ઉમટે તે માટે શું કરાશે? જવાબ: રોજ વધારાની ટ્રેનો દોડે છે, પરંતુ હવે એક-બે દિવસ પહેલાં જ ટ્રેનોની જાહેરાત કરીશું જેથી એડવાન્સમાં જાણકારી મળે. જેને કારણે મુસાફરો પોતાની યાત્રા અગાઉથી સુનિશ્ચિત કરી શકશે. સવાલ: કાળઝાળ તડકામાં પણ ઊભા હતા જેનાથી આવી સ્થિતિ થઈ તેના માટે શું યોજના છે? જવાબ: અમે એવી તૈયારી કરી રહ્યા છીએ કે હવે મોટાભાગની સ્પેશિયલ ટ્રેનોને વહેલી સવારે અથવા આકરો તડકો થાય તે પહેલા જ ચલાવવામાં આવે. જેનાથી લોકો વધુમાં વધુ નીકળી જશે. આ સિવાય હોલ્ડિંગ એરિયા હવે આવનારા 3 મહિનામાં પૂરી રીતે અપગ્રેડ થઈ જશે. સવાલ: ઘણા મુસાફરો ટિકિટ હોવા છતાં ન જઈ શક્યા, તેમને રિફંડ પણ ન મળ્યું? શું કહેશો? જવાબ: અત્યાર સુધીમાં અમને આવી કોઈ જાણકારી મળી નથી કે ન તો આવી કોઈ ફરિયાદ મળી છે. 11.30 પછી સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે તેવી અફવા ફેલાતાં સ્થિતિ કથળી‘વોટર્સ સ્પેશિયલ ટ્રેન’માં 1300 લોકો બંગાળ ગયાઉધના સ્ટેશન પર રાત્રે અલગ જ નજારો જોવા મળ્યો હતો. અંદાજે 1300થી વધુ બંગાળી શ્રમિક મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન દ્વારા વતન રવાના થયા હતા. પ્લેટફોર્મ 5 પર મુસાફરોના હાથમાં તિરંગો અને આખું સ્ટેશન ‘વંદે માતરમ્’ તેમજ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ વ્યવસ્થા સુરત ભાજપ અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા કરવામાં આવી હતી. કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 મતદારોને ફ્રીમાં કોલકાતા પહોંચાડાશે. પ્રથમ ટ્રેન રવાના થઈ ચૂકી છે. હવે બીજી ટ્રેન 24 એપ્રિલે રવાના કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ:દિલ્હીથી 4 મહિનામાં રોકડા સવા કરોડ ટ્રાન્સફર થયા
સુરતમાં પોલીસે આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ બહાર પાડ્યું છે. આંગડિયા પેઢી પર વોચ ગોઠવી આકાશ મિશ્રા નામની વ્યક્તિને પોલીસે પકડી લેતાં તે આમ આદમી પાર્ટી માટે અન્ય સ્થળેથી આવતા રૂપિયાનો વહીવટ કરતો હોવાનું અને છેલ્લાં ચાર મહિનામાં ગુજરાતમાં આપને પ્રચાર કરવા માટે હવાલા થકી સવા કરોડ રૂપિયા મોકલાયા હોવાનું ખૂલ્યું હતું. મિશ્રા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચુક્યો છે. આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન માહિતી આવી છે કે તે ગુજરાત સહિત અન્ય રાજ્યોના આપ નેતાઓ સાથે સતત સંપર્કમાં હતો, પોલીસે સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગને પત્ર લખીને આ વિષયમાં જાણકારી આપી હતી, આ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે. હિમાંશુ પોતે આપનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ ‘પનીર વેપારી’ તરીકે આપતો હતો. તેણે મોકલેલી રકમ આકાશ સુરતની ઓફિસમાંથી લઇ લેતો, જેના CCTV પુરાવા પોલીસ પાસે છે. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે ખુલાસો કર્યો હતો કે, દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો. રકમનો અસલી ઉદ્દેશ્ય શંકાસ્પદ હતો. આ રોકડ લેવા માટે આકાશ મિશ્રા દર મહિને આવતા હતા. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આશરે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા હતા, જેની છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હતી. પનીરની ફેક્ટરી-દુકાન હોવાનું કહી પૈસા મોકલતો હતોઆ પોલિટિકલ હવાલા કેસમાં હાલમાં પોલીસ રેકોર્ડ, એન્ટ્રી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીનો નિયમિત ગ્રાહક હતો. પેઢીના સંચાલકના જણાવ્યા મુજબ, તેણે ભરોસો અપાવ્યો હતો કે તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ બહાને તે નિયમિત સુરત પૈસા મોકલતો રહ્યો, જ્યારે હકીકત કંઈક અલગ જ હતી. આશંકા છે કે આ રકમ ચૂંટણી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતી હતી.
ઉધનાની ઘટના:જમવા મામલે ઝઘડો થતાં પુત્રે 70 વર્ષીય માતાની હત્યા કરી
ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ગત રાત્રે પોતાના માટે અને તેની પુત્રી હિયા માટે “જમવાનું કેમ નથી બનાવ્યું” તેમ કહી પોતાની 70 વર્ષીય માતા પ્રતિક્ષા અને પિતા હર્ષદ શાહ સાથે ઝઘડો કર્યો હતો. આવેશમાં મેહુલે પોતાના પિતા હર્ષદનું ગળું દબાવવા જત માતા પ્રતિક્ષા તેમને છોડાવવા માટે પહોંચી ત્યારે મેહુલે માતા સાથે ઝપાઝપી કરી જોરથી ધક્કો મારી દીધો, જેથી તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા.108 આવી ત્યાં સુધીમાં પ્રતિક્ષાબેનનું અવસાન થઈ ગયું હતું. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રતિક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે આરોપી 33 વર્ષીય મેહુલ ઉર્ફે મોન્ટુ વિરુદ્ધ પોતાની માતાની હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. પાંચ વર્ષ પહેલા પત્ની છોડીને જતી રહી હતીઉધના પીઆઇ આર.એમ. રાઠોડે જણાવ્યું કે આરોપીની પત્ની 5 વર્ષ પહેલા તેના વર્તનથી કંટાળીને તેને છોડીને જતી રહી હતી. તેને 8 વર્ષની દીકરી છે અને તે બેરોજગાર છે. આરોપી દરરોજ આ જ રીતે ઘરમાં હોબાળો કરીને ઝઘડો કરતો હતો. પિતાએ અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો5 વર્ષ પહેલા આરોપીના પિતા પ્રાઈવેટ નોકરી કરતા હતા. આ દરમિયાન એક અકસ્માતમાં તેમનો પગ કાપવો પડ્યો હતો. ત્યારથી તેઓ પણ કામ પર જઈ શકતા નહોતા. દીકરીના લગ્ન થઈ ગયા છે અને તે પરિવારને મદદરૂપ થતી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ નવી શિક્ષણ નીતિ હેઠળ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત બનાવી છે. આ નિર્ણયનો હેતુ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનને બદલે લર્નિંગ બાય ડુઈંગ થકી હુનરના પાઠ ભણાવી આત્મનિર્ભર બનાવવાનો છે. નિયમ મુજબ, દરેક સ્કૂલે 600 ચોરસ ફૂટમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી સાથેની લેબ તૈયાર કરવી પડશે. નવી સ્કૂલો માટે આ શરત એફિલિએશન પૂર્વે જ લાગુ થશે, જ્યારે હાલની સંસ્થાઓને ઓગસ્ટ 2027 સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. આ વ્યવહારિક અભિગમથી વિદ્યાર્થીઓમાં વાસ્તવિક કૌશલ્યો વિકસશે અને સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક શિક્ષણ વચ્ચેનો ગેપ દૂર થશે. સ્કૂલો પર આર્થિક બોજ પડતા જ ફી વધવાની શક્યતા આ ફાયદો વિદ્યાર્થીને મળશે માત્ર માર્કશીટ નહીં, માર્કેટમાં ટકી શકે તેવું હુનર શીખવાડાશેસ્કૂલમાં સ્કિલ લેબ એ એવું પ્રાયોગિક કેન્દ્ર છે, જ્યાં વિદ્યાર્થીઓ આધુનિક સાધનો, ટૂલ્સ-મશીનની મદદથી વોકેશનલ વિષયોનું જીવંત શિક્ષણ મેળવે છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ માત્ર થીયરી ભણતા હતા, પણ હવે લેબમાં ઈલેક્ટ્રોનિક્સ, કોડિંગ કે રોબોટિક્સ જેવા વિષયો જાતે પ્રેક્ટિકલ કરીને શીખી શકશે. હાલના સમયમાં માત્ર માર્કશીટથી નોકરી મળવી મુશ્કેલ છે. ઈન્ડસ્ટ્રીઝમાં એવા યુવાનોની જરૂર છે જેમનામાં ટેકનિકલ સૂઝબૂઝ હોય. વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલથી જ આત્મનિર્ભર બને અને હાલની દુનિયાના પડકારો માટે તૈયાર થાય તે હેતુથી લેબ બનશે.
રવિવારે યોજાયેલી પીએસઆઇની પરીક્ષામાં ઉમેદવાર મોબાઇલથી ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ બેંચ સાથે ચોંટાડેલો ફોન સેલો ટેપ ઢીલી પડતા પડી ગયો હતો. જેથી અંકલેશ્વરના રહેવાસી PSI પરીક્ષાના ઉમેદવાર રિષભ યાદવનો પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીનું નામ રિષભ રાજકુમાર યાદવ (22, ઘર નંબર A-19, કુંભણી રેસીડેન્સી, અંકલેશ્વર) છે. તે 19 એપ્રિલ 2026 ના રોજ અમરોલી સ્થિત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ (સેન્ટર નંબર 101) માં PSI ની પરીક્ષા આપવા આવ્યો હતો. તેણે અગાઉથી જ ગેરરીતિનું મોટું ષડયંત્ર રચ્યું હતું. પરીક્ષાના સમયે રિષભ સવારે 07:30 વાગ્યે ગેટ ખુલવાની રાહ જોવાને બદલે સવારે 06:30 વાગ્યે જ સ્કૂલની પાછળ પહોંચી ગયો હતો. તે પાછળનો દરવાજો કૂદીને પાર્કિંગમાં દાખલ થયો અને ત્યાંથી અંદાજે 8 થી 10 ફૂટ ઊંચો બેઝમેન્ટનો દરવાજો કૂદીને અંદર ઘૂસી ગયો. કોઈ ગાર્ડની નજરમાં આવ્યા વિના તે ચોથા માળે પહોંચીને પોતાના પરીક્ષા ખંડમાં બેસી ગયો હતો. ફોનનું વજન વધારે હોવાથી ટેપ નીકળી ગઇપોતાની બેંચ પાસે પહોંચીને રિષભે સ્માર્ટફોન સેલોટેપથી બેંચની નીચે છુપાવી દીધો હતો. પરીક્ષા દરમિયાન તે ગુગલ કે સોશિયલ મીડિયાની મદદથી જવાબ લખશે. પરંતુ મોબાઈલનું વજન વધારે હોવાથી ટેપ નીકળી ફોન ધડામ કરતાં નીચે પડી ગયો. સ્ટાફની નજર આના પર પડતા જ રિષભનો પ્લાન ફેલ થઈ ગયો.પોલીસે રિષભ વિરુદ્ધ ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ-2023 ની કલમ 3 અને 12(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત બીએનએસની કલમ 329(3) અને 223 પણ ઉમેરવામાં આવી છે.
આપનું હવાલા કાંડ:આકાશ મિશ્રા ગુજરાતના આપના તમામ મોટા નેતાઓના સંપર્કમાં હતો
આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગને પત્ર લખીને આ વિષયમાં જાણકારી આપી હતી, જેનો અર્થ છે કે આગામી સમયમાં આ કેસની તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ સામેલ થશે. મહિધરપુરાની અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીએ છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા દિલ્હીથી સુરત મોકલ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ પોલિટિકલ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે, હિમાંશુ પોતે આપનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ ‘પનીર વેપારી’ તરીકે આપતો હતો. આ રકમ સુરતમાં પૂર્વ મંત્રીના પીએ રહી ચૂકેલા આકાશ મિશ્રા દ્વારા લેવામાં આવતી હતી, જેના CCTV પુરાવા પોલીસ પાસે છે. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલે વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો. હિમાંશુ પોતાને પનીરનો મોટો વેપારી ગણાવતો હતો, પરંતુ રકમનો અસલી ઉદ્દેશ્ય શંકાસ્પદ હતો. આ રોકડ લેવા માટે પૂર્વ મંત્રીના પીએ આકાશ મિશ્રા દર મહિને આવતા હતા. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આશરે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા હતા, જેની છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હતી. હવાલા કાંડની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાશે દિલ્હીથી કરોડો રૂપિયા સુરતની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આંગડિયા મારફત હવાલાથી મોકલવાનું રેકેટ સુરત પોલીસે પકડી પાડ્યું હતું. આકાશ મિશ્રાને ક્રાઇમ બ્રાંચની પૂછપરછ પણ કરી હતી તેમાં તે રૂપિયા બાબતે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યો ન હતો. બીજીતરફ, તે ગુજરાતના ટોચના આપના નેતાઓ સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચને શંકા છે કે દિલ્હીથી જે રૂપિયા ગુજરાતમાં આવ્યા છે તેવી જ રીત હરિયાણા, એમપી, યુપી સહિતના રાજ્યોમાં પણ મોકલવામાં આવ્યા છે કે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણીઓ છે. આ કેસની ગંભીરતા જોઈને તટસ્થ અને યોગ્ય તપાસ થાય તે માટે સુરત ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. પનીરની ફેક્ટરી-દુકાન હોવાનું કહી પૈસા મોકલતો હતોઆ પોલિટિકલ હવાલા કેસમાં હાલમાં પોલીસ રેકોર્ડ, એન્ટ્રી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીનો નિયમિત ગ્રાહક હતો. પેઢીના સંચાલકના જણાવ્યા મુજબ, તેણે ભરોસો અપાવ્યો હતો કે તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ બહાને તે નિયમિત સુરત પૈસા મોકલતો રહ્યો, જ્યારે હકીકત કંઈક અલગ જ હતી. આશંકા છે કે આ રકમ ચૂંટણી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતી હતી.
બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં વાયરિંગ ડક્ટને અસર:પુણા પોલારીસ મોલમાં આગ 4 માળનું વાયરિંગ બળી ગયું
પુણાના પોલારીસ મોલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં 4 માળનું વાયરિંગ સળગી ગયું હતું. ફાયરબ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બેઝમેન્ટની આગ જોતજોતામાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. વાયરિંગ ભડકે બળતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનો બીએ સેટ સાથે અંદર પહોંચ્યા હતા અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. દુકાનમાં ઈન્વર્ટર ચાલુ થતાં જવાનો ફરી દોડ્યાફાયરની ટીમ પરત ફર્યા બાદ એક દુકાનદારે ઈન્વર્ટર શરૂ કરતાં ફરી વાયરિંગમાં આગ પકડાઈ ગઈ હતી. દુકાનની બહારના પેસેજમાં પીઓપીમાંથી ધુમાડો નીકળતાં ફરી ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં મોલનું વાયરિંગ સંપૂર્ણપણે બળી ગયું હતું. જો કે, વાયરિંગમાં લાગેલી આગ દુકાનો સુધી પહોંચી ન હતી, જેથી કોઈ નુકશાન કે કોઈને ઈજા થઈ ન હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:ખાડીપૂરના હલ માટે વૈજ્ઞાનિકો સર્વે કરી મોડલ બનાવશે
શહેરમાં છેલ્લાં 4 ચોમાસાથી મીઠી ખાડી ઓવરફ્લો થવાની સમસ્યાનો ઉકેલ મેળવવા સફાઈ અને એક્રોચમેન્ટ દૂર કર્યા બાદ પણ પૂરનું સંકટ ટળતું નથી, જેથી કાયમી ઉકેલ માટે પાલિકાએ હવે દેશની પ્રખ્યાત IIT અને NIH (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇડ્રોલોજી)ના નિષ્ણાતોને સુરત બોલાવ્યા છે. આંધ્રપ્રદેશ અને રૂરકી (ઉત્તરાખંડ)ના વૈજ્ઞાનિકોની ટીમે કામરેજથી હજીરા સુધીના ડેટા એકત્ર કર્યા હતા. હવે ખાડીનો ટોપોગ્રાફી સર્વે કરી કોમ્પ્યુટર પર આધુનિક હાઇડ્રોલોજિકલ મોડલ રન કરાશે, જેથી પાણીના વહેણ અને તેના નિકાલની ક્ષમતાનો ચોક્કસ ખ્યાલ આવશે. અંતે ક્યાં માળખાગત ફેરફારો કરવા પડશે તેનો રિપોર્ટ કમિશનરને સોંપશે, જેના આધારે ખાડીના અવરોધો દૂર કરવા, સાંકડા વિસ્તારને પહોળા કરવા તથા ડ્રેજિંગ વગેરે કામગીરી કરાશે. 3D નકશા સાથે આભાસી પૂરનો અભ્યાસ દબાણ અને ગેરકાયદે જોડાણોથી ક્ષમતા ઘટીખાડીમાં બેફામ સીવેજ વોટર ઠલવાતાં ઢોળાવ અને વહન ક્ષમતા ઘટી છે. મોટાપાયે થયેલું પુરાણ દૂર કરવું શક્ય નથી. માળખાગત ખામીઓ દૂર થવાથી દર વર્ષે થતો સફાઈ ખર્ચ બચશે અને ખાડીની ડ્રેનેજ સિસ્ટમની લાઈફ વધશે. - ડો. પંકજ ગાંધી, PhD (SVNIT), MURP (અર્બન પ્લાનર, CEPT અમદાવાદ) ફાયદા: આડેધડ ખર્ચને બદલે સચોટ કામગીરી 1. પાણી ક્યાં અને કેમ અટકે છે તેનું સચોટ લોકેશન પકડાશે.2. આખી ખાડીમાં આડેધડ ખર્ચ કરવાના બદલે માત્ર જરૂરી જગ્યાએ જ દીવાલ કે વહેણ પહોળું કરવાનું કામ કરાશે.3. ભવિષ્યના ભારે વરસાદ સામે ખાડી કેટલી ટકાઉ બની છે તેની અગાઉથી જાણ થઈ જશે. 5 વર્ષમાં ડીસિલ્ટિંગ પાછળ જ 20 કરોડ ખર્ચ્યાકાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ કહ્યું કે, ‘ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સપાટી વધી ખાડી ઓવરફ્લો થાય છે. એટલે હવે ટીમના રિપોર્ટ મુજબ અમલીકરણ કરાશે.’ ઉલ્લેખનીય છે કે, 40 કિમી લાંબી મીઠી ખાડીમાં 5 વર્ષમાં માત્ર પ્રી-મોન્સૂન ડી-સિલ્ટિંગ પાછળ જ 20 કરોડ ઉપરાંતનો ખર્ચ કરાયો છે.
સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે. મળતી વિગત અનુસાર, બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓકટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે. 'ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં'કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા મારફતે વીડિયોમાં જણાવ્યું છે કે, મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેરથા ગામમાં ગયા હતાં. હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી, ત્યાં ગયા એટલે અમે કહ્યું કે ભાઈ મારી છોકરી અમને સોંપી દો એટલે અમને અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં. ‘અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો’શારદાબેન મહેરિયાએ કહ્યું કે, મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી જ નમ્ર વિનંતી કે મારી છોકરી એક સિંગર છે. હવે કઈ રીતે આ બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. આ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહ્યો છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમને અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ વિજાપુર ખાતે છેઆ અંગે ગાંધીનગરમાં સૂત્રોએ જણાવ્યું કે, ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ મહેસાણાના વિજાપુર ખાતે યોજાશે. ત્યારબાદ આવતા મહિને કાજલ ઓસ્ટ્રેલિયા જવાની છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ.જી.દેસાઈએ જણાવ્યું કે, કાજલ મહેરિયાના લગ્નનું સર્ટિફિકેટ 20 એપ્રિલે મળી ગયું છે. સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજનો વિવાદ વધુ વકર્યોગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 19 એપ્રિલે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા- સંદિપ મહેરિયાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે. જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. 'તમારી છોકરી પાછી આવતી હોય તો લઈ જાઓ'અલ્પેશ ઠાકોરના માતા તારાબેન ઠાકોરે ગઈકાલે(20 એપ્રિલે) એક પ્રાઈવેટ મીડિયાને જણાવ્યું હતું કે, '20-25 લોકો આવ્યા હતા, ને કહ્યું છોકરાને પાછો વાળી લો'કાજલ મહેરિયાના જેની સાથે લગ્ન થયા એ અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે 20 એપ્રિલે જણાવ્યું હતું કે, કાલે(19 એપ્રિલ) 20-25 લોકો આવ્યા હતા. તમારા છોકરાને બોલાવો અને પાછો વાળી લો અને અમારી છોકરી ભલે મરી જતી. અમે ફરિયાદ નોંધાવી છે. 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) હાલ આ મામલે કાજલ-અલ્પેશનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથીઉલ્લેખનીય છેકે,કિંજલ દવે અને ગીતા રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. હાલ કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોણ છે કાજલ મહેરિયા? કાજલ મહેરિયા વિસનગરના ગોઠવા ગામની વતની કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તે લોકગીતો, ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવા ગુજરાતી ગીતોને તેનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યાર બાદ કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
11મી એપ્રિલની એ સવાર એક ઘરના બંધ દરવાજા પાછળ ધરબાયેલી હત્યાનો પર્દાફાશ કરવાની હતી. બહેને ખાટલામાં સૂતેલા ભાઇને જોયો પણ તેને ખબર નહોતી કે વ્હાલો વીરો કાયમ માટે પોઢી ગયો છે. શરીરે કોઇ ઇજા નહોતી. લોહીના કોઇ ડાઘ નહોતા તો પછી એ યુવાન કેવી રીતે મૃત્યુ પામ્યો હતો? પોલીસની એન્ટ્રી થયા બાદ આ કેસ અકસ્માતે મોતમાંથી હત્યાના ગુનામાં ફેરવાઇ ગયો. અત્યારના સમયમાં પતિ, પત્ની ઓર વોના કિસ્સા સૌથી વધુ બની રહ્યાં છે. આડા સબંધોને કારણે ઘણીવાર પતિ કે પત્નીનું મર્ડર થાય છે અને આખા પરિવાર પર અસર થાય છે. આ કિસ્સો પણ આવો જ છે. દોઢ વર્ષના આડા સંબંધો, રાતે થયેલો કકળાટ અને આવેશમાં આવીને ભરાયેલા એક પગલાંએ 3 માસૂમ બાળકોની છત્રછાયા છીનવી લીધી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત કાતિલ પ્રેમ કહાનીની. જેનો અંતે જેલના સળિયા પાછળ આવ્યો છે. સવારે સાતેક વાગ્યાનો સમય હશે. સાણંદના પરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસમાં પણ સામાન્ય રીતે જ દિવસ શરૂ થયો હતો. એક યુવતી એના ઘરેથી નીકળીને ચાલતી ચાલતી જતી હતી. રસ્તામાં તેના ભાઇ સંજયનું ઘર આવ્યું. બહારથી આંકડી મારેલી હતી. તેણે મનોમન વિચાર્યું કે આટલી વહેલી સવારે આંકડી? ભાઇ સંજય અને પાયલ ભાભી ક્યાં ગયા? લાવ, ઘરમાં જઇને જોવા દે.. આ યુવતીના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા પરંતુ તેને પતિ સાથે બનતું ન હોવાથી એ છેલ્લા કેટલાય સમયથી માતા પિતા સાથે રહેતી હતી. જેના ઘરની બહાર આંકડી મારેલી હતી તે સંજયના લગ્ન પાયલ સાથે થયા હતા. તેને સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર હતા. સંજયની 2 પુત્રીઓ દાદા-દાદી સાથે જ રહેતી હતી. આમ તો સંજય દરરોજ સવારે કામ પર નીકળી જતો એટલે ઘર પર તાળું હોય પણ આ વખતે ફક્ત આંકડી મારેલી હતી. જે શંકાસ્પદ લાગતા એ યુવતી દરવાજો ખોલીને અંદર ગઇ. સંજય હજી ખાટલામાં સૂતો હતો. જે જોઇને યુવતીને આશ્ચર્ય થયું અને મનમાં સવાલ- અત્યારમાં પાયલ ભાભી ક્યાં ગયા હશે? મનમાં ચાલતા વિચારો અને સવાલોને એકબાજુ મૂકીને તે સંજયની નજીક ગઇ અને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગ્યો નહીં. સંજય... સંજય... બૂમ પાડીને 2-3 વાર હલબલાવ્યો પણ ફરીથી નિષ્ફળતા મળી. હવે તે ગભરાઇ ગઇ. તરત જ પિતાને ફોન કર્યો અને સંજયની સ્થિતિ વિશે વાત કરી. તેના માતા-પિતા પણ નજીકમાં જ રહેતા હતા. દીકરાની હાલત વિશે જાણીને તે હાંફળા-ફાંફળા થતા તરત ત્યાં પહોંચી ગયા. માતા-પિતાએ પણ સંજયને જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે ન જાગ્યો. આગલી રાતે તો ઘરે બનાવેલાં ભજિયાં લઇને સંજય પિતાના ઘરે આપવા ગયો હતો. ત્યારે તેને કશું નહોતું પણ બીજા દિવસની સવારે તેની આ હાલત જોઇને પરિવારને ફાળ પડી. સૌએ બૂમાબૂમ કરી મૂકી. જે સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા. હવે એક જ ઉપાય હતો સંજયને જેમ બને તેમ જલ્દી દવાખાને લઇ જવો કેમ કે ત્યાં પહોંચ્યા પછી જ કંઇક ખબર પડે તેમ હતું એટલે બધા ભેગા મળીને સંજયને CHC સેન્ટર લઇ ગયા. જો કે કોઇને ખબર નહોતી કે તે ક્યારનોય મૃત્યુ પામ્યો છે. CHC સેન્ટરમાં ફરજ પરના ડૉક્ટરે તપાસ કરીને જાહેર કર્યું કે સંજય તો મૃત્યુ પામ્યો છે. સૌથી મોટો સવાલ એ હતો કે તેના શરીરે ઇજાના કોઇ નિશાન નહોતા તો મોત થયું કેવી રીતે? ડૉક્ટરને આ કેસ શંકાસ્પદ લાગતા રૂટિન કાર્યવાહી પ્રમાણે પોલીસને જાણ કરી અને FSL દ્વારા તપાસ કરવાનું પણ સૂચવ્યું. ડૉક્ટર તરફથી જાણ થયા બાદ સાણંદ પોલીસનાં કેટલાક જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોલીસ અને પરિવાર વચ્ચે કંઇક આ રીતનો સંવાદ થયો.‘કોણ છે આ’‘અમારો દીકરો છે,સાહેબ.’‘શું નામ છે?’ ‘સંજય’‘શું થયું છે?’ ‘અમને ખબર નથી.’ જેમ જેમ પોલીસ પોતાની સ્ટાઇલમાં પરિવારને સવાલો પૂછતી ગઇ તેમ તેમ ઘટના સ્પષ્ટ થતી ગઇ. હોસ્પિટલમાં હાજર પોલીસ જવાનોએ તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે PI સહિત પોલીસ સ્ટેશનનો વધારાનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. આખો મામલો જાણી લીધો. FSL રિપોર્ટ કરવાનો આદેશ અપાયો અને પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસની એક ટીમ સંજયના ઘરે પહોંચી. સૌથી પહેલા સંજયને જોનાર બહેનની પૂછપરછ કરી. જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા. ઘરનો દરવાજો બહારથી બંધ હતો જેથી એટલું તો સ્પષ્ટ થયું કે મરનાર કોઇ દિવસ ઘરનો દરવાજો બહારથી બંધ ન કરે. બીજું, મૃતકની પત્ની પાયલ દેખાતી નહોતી. પોલીસે પાડોશમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પાયલનું બાજુમાં જ રહેતા રાહુલ નામના યુવાન સાથે અફેર ચાલતું હતું. આ માહિતીએ રાહુલને પોલીસના રડાર પર લાવી દીધો. હવે પોલીસને રાહુલની શોધ હતી. તપાસ કરી તો રાહુલ ઘરે નહોતો. આ તપાસ ચાલતી જ હતી ત્યાં એક નવો જ ટ્વીસ્ટ આવ્યો. પાયલની માતાએ કડીના બાવલુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે મારી દીકરીને તેનો પતિ અને સસરા બન્ને હેરાન કરે છે. બીજીતરફ સાણંદ પોલીસે ફટાફટ 4 ટીમ બનાવી દીધી. એક ટીમ પાયલ અને રાહુલને શોધવામાં લાગી હતી. બીજી ટીમ બાવલુ પોલીસ સ્ટેશનમાં મોકલી આપી. ત્રીજી ટીમને CCTVની તપાસમાં લગાવી હતી. ચોથી ટીમ ટેકનિકલ સોર્સિસ માટે હતી. આમ સાણંદ પોલીસના તમામ 50 જવાનોનો સ્ટાફ આ કેસનું કોકડું ઉકેલવામાં લાગી ગયો હતો. પોલીસ કોઇ જોખમ લેવા માગતી નહોતી કેમ કે મોટાભાગે કેસમાં એવું બનતું હોય છે કે આરોપીને પકડવામાં જેટલું મોડું થાય એટલો જ આરોપી પોલીસની પકડથી દૂર થતો જાય છે. સૌથી મોટી વાત એ હતી કે સંજય અને પાયલને 2 છોકરી અને એક છોકરા સહિત 3 નાના સંતાનો હતા. ડર એ વાતનો હતો કે જો પાયલ નહીં મળે તો એ સંતાનોનું શું થશે? પોલીસે FSLની ટીમ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. ડોગને સંજયના ઘરે લઇ ગયા. જ્યાંથી તે સીધો રાહુલના ઘરે ગયો. રાહુલના ઘરમાં થઇને પાછળના રસ્તેથી બહાર નીકળીને પીપળ પાટિયા તરફ ગયો પણ આગળ કંઇ પગેરૂં ન મળ્યું. આ કેસમાં પ્રાથમિક તથ્યોના આધારે પાયલ અને રાહુલ બન્ને શંકાના ઘેરામાં હતા પરંતુ ચોક્કસ કારણ જાણવા ન મળે ત્યાં સુધી કોઇના તરફ આંગળી ચિંધી શકાય તેમ નહોતી કારણ કે સામાન્ય ઝઘડામાં પણ ક્યારેક કોઇને ડરના માર્યા એટેક આવી જાય તો બાકીના ગભરાઇને ભાગી જતાં હોય છે. સાણંદ PI ગોહિલ બોપલમાં હતા એ સમયે આવો જ એક બનાવ બન્યો હતો. બધા મિત્રો વોલીબોલ રમવા ગયા હતા, ત્યાં CCTV હતા. એક યુવાનને વોલીબોલ રમતા-રમતા એટેક આવી ગયો. જોકે અન્ય લોકો હાજર હતા. જેમની સામે આ ઘટના બની હતી. આવી ઘટનામાં કોઇ સાક્ષી ન હોય તો તરત ખબર ન પડે કે માણસ કેવી રીતે મર્યો. ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી એવું ચોક્કસ ન કહી શકાય કે મર્ડર જ છે. જો કે સંજયના મોતનું કારણ સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ ગયું. FSLને તપાસ આપ્યા બાદ એક ટીમ સતત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખડેપગે હતી ત્યાંથી સાંજે રિપોર્ટ પણ આવી ગયો. જેમાં સંજયના મોતનું કારણ સ્પષ્ટ હતું કે ગળું દબાવવાથી આ મોત થયું છે. પાયલ અને રાહુલ ગાયબ હતા એટલે પોલીસે કોલ ડિટેલ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એ તમામના ફોન નંબર બંધ આવતા હતા. જેથી કઇ દિશામાં ગયા હશે એની ખબર પડી શકે એમ નહોતી. મૂંઝવણમાં મૂકાયેલી પોલીસ હવે શું કરવું તેનો વિચાર કરતી હતી તેવામાં જ CCTVની તપાસ કરતી ટીમને પહેલી સફળતા મળી. બાવળા તરફ જતાં માર્ગ પર લાગેલા એક CCTVમાં પાયલ, રાહુલ દેખાઇ ગયા ત્યાંથી આગળ તેમને ટ્રેક કરવામાં આવ્યા. CCTVમાં બન્ને ક્યારેક રિક્ષા, ક્યારેક ડમ્પર તો ક્યારેક ચાલીને જતાં દેખાયા. એમની સાથે 3 વર્ષનો છોકરો હતો. પોલીસની ટીમે બન્નેને ટ્રેક કરવાનું ચાલુ જ રાખ્યું. આમ કરતા કરતા પોલીસ થાનગઢ સુધી પહોંચી ગઇ. થાનગઢ અને રાહુલને એક કનેક્શન ખૂલ્યું. અહીં તેના મામાનું ઘર હતું. પોલીસ રાહુલના મામાના ઘરે પહોંચી તો ત્યાં પાયલ, રાહુલ અને રાહુલના માતા-પિતા, ભાઇ, દાદા સહિત આખો પરિવાર ત્યાંથી મળી આવ્યો. અચાનક પહોંચેલી પોલીસને જોઇને સૌ સ્તબ્ધ થઇ ગયા. તેમના ચહેરાએ પોલીસને એ વાતની સાબિતી આપી દીધી કે હવે કેસ સોલ્વ થઇ ગયો છે. પોલીસ તમામને પકડીને સાણંદ લઇ આવી. અહીં પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં પાયલ અને રાહુલ કહેતા રહ્યાં કે અમને કંઇ ખબર નથી પણ જ્યારે પોલીસે તેમને અમૂક પુરાવા બતાવ્યા તો બન્ને ભાંગી પડ્યા. બન્નેએ પોલીસ સામે જે કબૂલાત કરી તે ચોંકાવનારી હતી. તેમણે કહ્યું, હા, સાહેબ અમે જ સંજયને મારી નાખ્યો છે. અમારે રોજનો કકળાટ થતો હતો. પોલીસ જે કેસને સવારથી ચેઝ કરી રહી હતી તેનો અંત આ શબ્દોએ લાવી દીધો. અકસ્માતે મોતનો દાખલ થયેલો ગુનો હવે મર્ડરના ગુનામાં ફેરવાઇ ગયો હતો. બન્નેના મોં પર પસ્તાવાનો ભાવ હતો. તેમને ખબર હતી કે પોતાના કારણે 3 કુટુંબ વિખેરાઇ ગયા છે પણ હવે પોલીસે એ ઉકેલવાનું હતું કે આખરે ઘટના કેવી રીતે ઘટી. એવું તો શું બની ગયું કે પાયલે પોતાના જ પતિની હત્યા કરી નાખી? આવા સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.
હોટેલ-રેસ્ટોરાંના રેટિંગના ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચમાં ખાનગી કંપનીના જનરલ મેનેજરે રૂ.30.49 લાખ પડાવ્યા હતા. 50 રૂપિયાથી શરુ કરવામાં આવેલા ટાસ્ક ક્રિપ્ટો કરન્સીના રોકાણ સુધી પહોંચ્યા હતા. તેમાં મેનેજરને એપમાં 1 મિલિયન બેલેન્સ બતાવી રૂ.1.6 મિલિયન જમા કરાવડાવ્યા હતા. પૈસા પાછા ન મળતા આ અંગે તેમણે સાઈબરમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાલમાં રહેતા રામભાઈ લાડુમોર(38) વટવા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમને 11 માર્ચ 2026એ મેસેજ આવ્યો હતો. તેમાં પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી. આ જોબમાં ફોનથી ગુગલ મેપમાં જઈને હોટેલ - રેસ્ટોરાંમાં રિવ્યુના ટાસ્ક પૂરા કરવાનાં હતાં, જેમાં એક ટાસ્કના રૂ.50 મળશે અને એડવાન્સ પૈસા જમા કરાવીને ટાસ્ક પૂરો કરશે તો એક ટાસ્કના રૂ.100 મળશે તેવી વાત કરી હતી. જોકે રૂ. 50થી શરૂ થયેલી છેતરપિંડી રૂ. 30 લાખ સુધી પહોંચી હતી. ફ્રીઝ એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસા ભરાવડાવ્યા1 મહિના પછી રામભાઈ પાસેથી પૈસા વિડ્રો કરવા રિકવેસ્ટ નાખી હતી, પરંતુ પૈસા વિડ્રો થયા ન હતા, જેથી ગઠિયાઓએ તેમને મેસેજ કરીને કહ્યું હતું કે, તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે, જેથી તમારા એકાઉન્ટમાં જમા થયેલા પૈસા વિડ્રો કરવા તમારે એકાઉન્ટ અનફ્રીઝ કરાવવું પડશે. તેવું કહીને પૈસા ભરવા દબાણ કરવામાં આવતું હતું.
પશ્ચિમ બંગાળમાં 23, 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મતદારોને પોતાના વતન સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નં. 09421 સાબરમતી-દુર્ગાપુર સ્પેશિયલ 21, 26 એપ્રિલે સવારે 10.35 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરી ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે દુર્ગાપુર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09422 દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ 23, 28 એપ્રિલે સવારે 4 વાગ્યે દુર્ગાપુરથી નીકળી બીજા દિવસે સાંજે 7.30 વાગ્યે સાબરમતી પહોંચશે. અગાઉ વટવાથી હાવડા અને સાબરમતીથી આસનસોલ માટે ટ્રેનો જાહેર કર્યા બાદ હવે વધુ એક ટ્રેન દુર્ગાપુર માટે જાહેર કરાઈ છે.
મ્યુનિ. ચૂંટણીમાં એકતરફ ભાજપ ઠેર ઠેર વિકાસની વાતો કરી રહ્યો છે તો તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટ મુદ્દે આંતરિક કલહ છે. મકતમપુરા વોર્ડમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જુહાપુરા અને મકતમપુરાના વિકાસની વાત કરતા જણાવ્યું કે વિસ્તારમાં ખૂબ જ ખાલી જગ્યા છે. અમે અહીં ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું, પણ બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ, જેને વિકાસ જોઈએ એ ભાજપને મત આપે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ બુટલેગરો સાથે સેટિંગ કરીને મતો મેળવવામાં માનતી નથી. ધારાસભ્યે દાવો કર્યો હતો કે ભાજપે મકતમપુરામાં કરોડોના ખર્ચે પાર્ટી પ્લોટ અને ડ્રેનેજ લાઈનો નાખી છે, જે કામ વિપક્ષો કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે સર્જાયેલો આંતરિક અસંતોષ સપાટી પર જોવા મળી રહ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ વિરોધના કારણે કાર્યક્રમ સ્થળ બદલવો પડ્યું હતું અને તેમની સાથે પેનલના ફક્ત એક જ ઉમેદવાર સુબોધ કુમુદ જ હાજર રહ્યાં હતાં. ત્યારે હવે રખિયાલ- સરસપુર વોર્ડમાં પણ કાળા વાવટા બતાવીને મેવાણીનો વિરોધ કરાયો છે. રખિયાલ-સરસપુર વોર્ડમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો સ્થાનિક કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયથી નારાજ કાર્યકર્તાઓએ રેલી દરમિયાન કાળા ઝંડા ફરકાવ્યા હતા અને નારા લગાવ્યા હતા. સિનિયર નેતાઓની જદના કારણે સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવતા હવે કોંગ્રેસના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને જનતા વચ્ચે જવા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. અસારવાના ઉમેદવારે 100 રિક્ષા સાથે રેલી યોજીભાજપે અસારવા વોર્ડમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. ભાજપે અહીં રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, જેમના સમર્થનમાં સોમવારે 100 જેટલી રિક્ષાઓની રેલી યોજવામાં આવી હતી. ભાજપના ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસીને રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી જનસંપર્ક કર્યો હતો.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2011થી 2025 સુધીમાં ઈજનેરી-મેનેજમેન્ટ-ફાર્મસી, એમસીએમાં ભણતા આશરે 2521 વિદ્યાર્થીઓએ અમેરિકા,કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, રશિયા, બલ્ગેરીયા સહિતના દેશોની 9 યુનિ.માં આઈઈપી હેઠળ 1 મહીનાની શૈક્ષણિક ટ્રેનિગનો લાભ લીધો છે. વર્ષ 2026માં પણ ઈજનેરી,મેનેજમેન્ટ, ફાર્મસી, એમસીએ સહિતની વિદ્યાશાખામાં ફાઈનલ યરમાં ભણતાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા,વિયેટનામ, મલેશિયા જેવા દેશોની આઈઈપી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશનનો આંકડો 250 સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે. ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા, સહિતના દેશોની શિક્ષણ સંસ્થાઓમાં જુલાઈ,ઓગષ્ટ મહીનામાં 2 મુખ્ય વિષયોનો અભ્યાસ કરવાની અને સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ આ વૈશ્વિક યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હેઠળ જશે IPP પ્રોગ્રામથી નોકરી-વ્યવસાય માટેની સ્કિલ ડેવલપ થાય છેફ્યૂચર ઓફ જોબ રીપોર્ટ 2025 પ્રમાણે લીડરશીપ અને સોશિયલ ઈન્ફ્લુએન્સ,ક્રિટિકલ થિન્કિંગ,ફ્લેક્સિબિલીટી સહિતની સ્કિલ્સને 2030ની સાલ સુધીની સૌથી મહત્વની સ્કિલ તરીકે જોવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ વૈશ્વિક યુનિવર્સિટીઓમાં એક મહીના માટે રહેશે તેથી ઉપરોકત વિવિધ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાની તક મળે છે.> કે એન ખેર, રજીસ્ટ્રાર, GTU
અમદાવાદમાં હાલમાં 28 જગ્યાઓ પર બ્લેક સ્પોટ આવેલ છે, જ્યાં 2022થી 24 દરમિયાન કુલ 100થી વધુ અકસ્માતમાં 144 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે યોજાનારી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં બ્લેકસ્પોટ ઘટાડવા અને તેના પર થતા અકસ્માત ઘટાડવા માટે કામગીરી શરૂ કરાશે. શહેરમાં બ્લેકસ્પોટની સંખ્યા ઘટાડીને 25થી પણ ઓછી કરવામા આવે તેવા પ્રયત્નો કરવામા આવશે. જે વિસ્તારોમાં સૌથી વધુ અકસ્માત થાય છે, ત્યાં એન્જિનિયરિંગમાં ફેરફાર કરવા અને ટ્રાફિક સિગ્નલ કે સાઈન બોર્ડ જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર ભાર મૂકાશે. જે જગ્યાએ અકસ્માતની સૌથી વધુ ઘટનાઓ બનતી હોય છે તે તમામ જગ્યાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા કટને બંધ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ બ્લેકસ્પોટ પર સૌથી વધુ અકસ્માત ત્રણ વર્ષમાં 3969 અકસ્માતમાં 1280 લોકોએ જીવ ગુમાવ્યો
છેલ્લાં 5 વર્ષમાં નાગરિકોએ લોકોએ કુલ 1003 કરોડ અને છેલ્લા વર્ષમાં 293 કરોડ પાણી વેરો ભર્યો છે, એટલે કે એક દિવસમાં અમદાવાદીઓ સરેરાશ 55 લાખ રૂપિયા પાણી વેરો ભરે છે. ઉપરાંત મ્યુનિ.ના બજેટમાં પાણી સંબંધિત કામો માટે કુલ 795 કરોડ ફાળવાયા છે છતાં વટવા જેવા ઘણા વિસ્તારોમાં મોટરો ચાલુ કર્યા વિના પાણી ઘરના નળ સુધી ખેંચાતું નથી. વટવામાં આજે પણ નાગરિકો મૂળભૂત સુવિધા એવી પીવાનાં પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. સવિતાનગરમાં આશરે એક હજાર મકાનો છે, જેમાંથી લગભગ 250 મકાનમાં પાંચ વર્ષથી નિયમિત પાણી પહોંચતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોજ સવારે પાણી આવવાના સમયે મોટર લગાવવી પડે છે, ત્યારે જ ઘરમાં પીવાનું પાણી ભરી શકાય છે. જો સમયસર મોટર ન લગાડાય તો દિવસભર પાણી વગર રહેવાની ફરજ પડે છે. નિયમિત ટેક્સ ચૂકવવા છતાં પીવાનું પાણી મળી રહ્યું નથી. 1 હજારમાંથી 250 મકાન પાંચ વર્ષથી પાણી માટે સંઘર્ષ કરે છે, મોટર વિના માટલુંય ભરાતું નથી ગટરોનાં પાણી ભળતાં નવી પાઇપલાઇન નખાઈ હતીવર્ષ 2020 પહેલાં જૂની પાણીની લાઇનમાં ગટરનાં પાણી ભળવાની ફરિયાદો આવતી હતી. ત્યાર બાદ નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ પાણી મળવાનું જ બંધ થઈ ગયું છે. પરિણામે દરરોજ સવારના સમયે પાણી માટે પડોશીઓ વચ્ચે ઝઘડા સર્જાય છે. આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં પરિણામ મળ્યું નથી. વટવામાં અન્ય ઘણા વિસ્તારોમાં પણ પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રિત પાણી આવે છે. નવા જોડાયેલા વિસ્તારોમાં હજુ પણ ગટર કનેક્શન ઉપલબ્ધ નથી. વટવા સહિત 26 વિસ્તાર પાણીજન્ય રોગના હોટ સ્પોટમ્યુનિ.એ થોડા સમય પહેલાં વટવા, દાણીલીમડા, લાંભા, ગોમતીપુર, બાપુનગર, ખાડિયા, શાહપુર, બહેરામપુરા, રામોલ, જમાલપુર, અમરાઈવાડી, મણિનગરમાં આવતા 26 વિસ્તારોને પાણીજન્ય રોગોના હોટસ્પોટ તરીકે જાહેર કર્યા હતા. જૂની અથવા લિકેજ હોય તેવી પાણીની લાઇનો, ગટરનાં પાણી પીવાના પાણીમાં ભળવાને કારણે તથા ખુલ્લી નાળીઓને કારણે પાણીજન્ય રોગ વધુ હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રોજ સવારે પાણી પુરવઠા વખતે સેમ્પલ ચેકિંગ, ક્લોરિન ટેસ્ટિંગ, ગાર્બેજ ક્લિનિંગ અને સ્વચ્છતા કામગીરી વધુ સઘન બનાવાઈ છે. શહેરમાં એક દિવસમાં 171 કરોડ લિટર પાણી સપ્લાયજાસપુર, રાસ્કા, કોતરપુરમાં આવેલા મ્યુનિ.ના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા 175 કરોડ લિટર છે, જ્યારે શહેરનો દૈનિક વપરાશ 171 કરોડ લિટર છે.
ઉંદરોનો ત્રાસ:1200 બેડમાં ફોલ્સ સીલિંગ લગાવાતાં ફરી ઉંદરો આવ્યા
સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસને કારણે લાખોના ખર્ચે લાગેલી ફોલ્સ સીલિંગ તોડી પડાઈ હતી, જેથી ઉંદરોને છુપાવાની જગ્યા ન મળે, પરંતુ સિવિલના ટ્રોમા સેન્ટર, લોબી, ત્રીજા-ચોથા માળે આવેતી ઓટીમાં તાજેતરમાં નવી ફોલ્સ સીલિંગ બનાવાઈ છે, જેથી અત્યારે ટ્રોમા સેન્ટરના સર્જન રૂમ, લોબી અને વોર્ડમાં ઉંદરો દોડાદોડ કરી રહ્યા છે. ફોલ્સ સીલિંગનો પ્રત્યેક સ્કેવર મીટર અંદાજિત ખર્ચ 1200 છે, તે પ્રમાણે ટ્રોમા સેન્ટરની લોબી, વોર્ડ અને સર્જન રૂમમાં ફોલ્સ સીલિંગનો ખર્ચ અંદાજે રૂ.30થી 40 લાખની આસપાસ થયાનો અંદાજ છે. પીઆઈયુના એન્જિનિયર રોમેશ રાવલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જૂની સિવિલ બિલ્ડિંગ અને ટ્રોમા સેન્ટરમાં તાજેતરમાં ફોલ્સ સીલિંગ બનાવાઈ તેની કોઇ માહિતી મારી પાસે નથી. જ્યારે એડિ. સુપરિન્ટેન્ડન્ટ ડો. જસ્મીન દીવાનનો સંપર્ક થઈ શક્યો નહોતો. અગાઉ ઉંદરોને ભગાડવા હટાવી દેવાઈ હતી હોસ્પિટલમાં ફોલ્સ સીલિંગ કેમ રાખવી જોઈએ નહિ?ફોલ્સ સીલિંગ અને મૂળ છત વચ્ચે ખાલી જગ્યા રહેતી હોવાથી ઉંદરો માટે છુપાવાની જગ્યા બની જા છે. એસી ડક્ટ, વાયરિંગને કારણે ઉંદરને અહીં હુંફાળું વાતાવરણ મળે છે અને પાઇપલાઇન માટે બનાવેલા છીદ્રો જો સારી રીતે સીલ ન થાય તો ઉંદરોનો રસ્તો બની જાય છે. રોગનું જોખમ: ઉંદરોના પેશાબ અને મળથી દર્દીને લિપ્ટોસ્પાયરોસિસ જેવો જીવલેણ રોગ થઈ શકે છે.
હથિયાર સાથે ઇસમની ધરપકડ:કુતિયાણામાંથી જામગરી સાથે શખ્સ ઝડપાયો
કુતિયાણા પોલીસે બાતમી આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાએ હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે કુતિયાણા પોલીસ મથકના પીઆઈ એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે ડૈયર ગામના આરોપી સીદિ ઉર્ફે રાજેશ ગગુભાઈ સોલંકીને કુતિયાણા મહોબતપરા રોડ,કેશુપરા પ્રાથમિક શાળા સામેથી ઝડપી લઇ તલાસી લેતા શખ્સના કબ્જા માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા આ શખ્સ સામે હથીયાર ધારા કલમ સહિતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી મધમાખી:આશાપુરા ચોકડી પાસે દુકાન પાસે 5 અસામાજિક તત્વોએ બબાલ મચાવી
પોરબંદરના આશાપુરા ચોકડી પાસે દુકાન નજીક આરોપીઓએ યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બબાલ મચાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપી સામે ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતો પ્રતાપ રાજશી મોઢવાડીયા નામના યુવાનને તેના મિત્ર ભરતભાઈ મૈયારીયા સાથે સારા સબંધ હોય તે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓ મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકીડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા, કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધલ ઓડેદરાએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે યુવાન પાસે જઈને પોતાની દુકાને ન આવવા કહેલ અને આરોપીઓએ યુવાનને બેફામ ભુંડી ગાળો કાઢી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતાં પાંચેય આરોપીઓએ સાથે મળીને યુવાનને લાફાલુફી કરીને શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા પહોંચાડી હતી. આ દરમ્યાન નયન કેશવાલા ફરિયાદી વચ્ચે પડતાં પાંચેય આરોપીઓએ નયન કેશવાલાને ધક્કા મારીને દુર કરી નાખી પાંચેય આરોપીઓએ યુવાન તથા નયનને બેફામ ભુંડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપી સામે ગુન્હા નોંધી આગળની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. રાયોટિંગના ગુનાના આરોપીઓની અટક કરી રાયોટિંગના ગુનાના આરોપીઓ મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકીડોક નાગજનભાઈ ગોરાણીયા, કાંધલ હાજા ઓડેદરા, માલદે ઉર્ફે જગીરો રામભાઈ કૂછડિયાને એલસીબીએ ઝડપી લઇ અટક કરી છે.
ધમકી આપી:પોરબંદરના પૂર્વ સુધરાઇ સભ્ય અને તેની દીકરીને આરોપીએ ફોન પર ધાક ધમકી આપી
પોરબંદરના મીલપરા શેરી નંબર 1માં રહેતા ભરત ઉર્ફે ભલો મુળુભાઇ મૈયારીયા નામના પૂર્વ સુધરાઇ સભ્યની દીકરી ભૂમિના ફોનમાં ગઇ તા.19/4ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના સમયે મયુર હરદાસ ઓડેદરાએ કોલ કરી અને જણાવેલ કે હુ તારા પિતાનો મિત્ર મયુર ઓડેદરા બોલુ છુ તારા પિતા મારો ફોન ઉપાડતા નથી. જેથી તુ મને તારા પિતા સાથે કોન્ફરન્સમા વાત કરાવ જેથી ભુમીએ કહેલ કે મારા પિતા ચુંટણીના કામમા છે. અને હું અહી અમદાવાદ અભ્યાસ કરવા આવેલ છે, એટલે તમે મને મોડી રાત્રીના ખોટા વારંવાર ફોન ના કરો, હવે તમે મને વારંવાર ફોન કરી હેરાન કરશો તો પોરબંદરના એસપી અને અમદાવાદના કમીશ્નરને ફોન કરીશ. ફરીયાદ આપીશ જેથી મયુર ઓડેદરા ઉશ્કેરાઇ જઇ બેફામ ભૂંડી ગાળો આપી જેમફાવે તેમ બોલી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડેલ અને બાદ રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે ભલાભાઈ મૈયારિયાને આરોપીએ ફોન કરી ભુંડી ગાળો બોલેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભલાભાઈ મૈયારિયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વધુમાં જણાવ્યું છેકે, મયુર હરદાસભાઈ ઓડેદરા ઇરાદાપૂર્વક મારા પરિવારને હેરાન કરે છે. હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મયુર ગમે ત્યારે મારા પર હુમલો કરી શકે છે તેવું ફરિયાદમાં દર્શાવ્યું છે.પોલીસે મયુર હરદાસ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર જિલ્લામાં દારૂબંધી હોય અને જિલ્લામાં લીકર શોપ ન હોવાછતાં પોરબંદરમાં મતદાન અને મતગણતરીના દિવસોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડ્રાય ડે અંગે જાહેરનામું જાહેર કર્યું છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્યપેટા ચુંટણીઓ એપ્રિલ- ૨૦૨૬ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. મતદારો નિર્ભયપણે મતદાનકરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આજુબાજુના વિસ્તારોમાંથી પણ એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ચોરી છુપીથી ગેરકાયદેસર હેરાફેરી ન થઇ શકે તે માટે જરૂરી પગલા ભરવાના રહે છે. તેમજ મતગણતરીના દિવસને પણ ડ્રાય ડે તરીકે જાહેર કરવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં નિયત દિવસોને ડ્રાય ડે જાહેર કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
પોલીસ કાર્યવાહી:રાણાવાવમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબના ગુન્હામાં વધુ એક આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રહેતા ઐબાણી મુહમ્મદ હનીફ અબ્દુર રહેમાન નામના વૃધ્ધની માલીકીની રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અંદાજીત જંત્રી મુજબ કીમત રૂપીયા 20 લાખની જમીન પર ખીમા પોલા ગરચર અને મહિલાઓ સહિત 11 આરોપીઓએ જમીન પર અનઅધિકૃત રીતે કબ્જો કરી ગેરકાયદેસર જમીન પચાવી પાડી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓ સહિત 11 શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા ચલાવી રહ્યા છે, ત્યારે આરોપીને ઝડપી લેવા આપેલ સુચના અન્વયે રાણાવાવના પીઆઇ બી.જી.ડાંગર સહિતનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી આધારે પોલીસે આરોપી દેવા ગોગન ગરચરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં અગાઉ કયો આરોપી ઝડપાયો હતો ? રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અંદાજીત જંત્રી મુજબ કીમત રૂપીયા 20 લાખની જમીન પર મહિલાઓ સહિત 11 આરોપીઓએ અનઅધિકૃત રીતે કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ અંગેના ગુન્હામાં પોલીસે અગાઉ કારા પોલા ગરચરને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
યાર્ડમાં કેરીની આવકમાં થયો વધારો:એક જ દિવસમાં 1400 બોક્સ કેરીની આવક નોંધાઈ
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1400 બોક્સ કેરીની આવક નોંધાઈ છે. યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1300 થી 1750 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં સોમવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1400 બોક્સ એટલે કે 14000 કિલો કેસર કેરીની આવક થઈ હતી.જેનો પ્રતિબોક્સના રૂ.1300 થી 1750 ભાવ બોલાયા હતા. પ્રતિબોકસે રૂ.100 થી 300 ભાવ ઘટયા પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીના બોક્સના રૂ.1300 થી 2000 ભાવ બોલાતા હતા ત્યારે હાલ રૂ.1300 થી 1750 પ્રતિબોકસે ભાવ બોલાયા છે ત્યારે હાલ પ્રતિબોકસે રૂ.100 થી 300 ભાવ ઘટયા હતા.
મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ:પોરબંદરમાં ફળથી લઈને ફ્યુઅલ પંપ સુધી મતદાર જાગૃતિનો અનોખો મેસેજ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. શહેરના જાહેર સ્થળોથી લઈને રોજિંદા જીવનમાં વપરાતા ફળો સુધી મતદાનનો સંદેશો પહોંચાડવા માટે સ્ટીકરો લગાવવામાં આવતા લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વેપ ટીમ દ્વારા સતત મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્વેપ નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી વી. કે. પરમારની ટીમ દ્વારા શાળાઓ, કોલેજો, મહિલા મંડળો અને વિવિધ એન.જી.ઓ.ના સહકારથી લોકજાગૃતિનું અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વહેલી સવારથી જ સુદામા ચોક સહિત શહેરના અનેક વિસ્તારોમાં નવતર રીતે મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સિટી બસ, રિક્ષા, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ અને વિવિધ વાહનો પર સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, લીલા નાળિયેર, કેરી, પપૈયા અને ખાસ કરીને તરબૂચ જેવા ફળો પર પણ મતદાન જાગૃતિના સ્ટીકરો લગાવી લોકો સુધી સીધો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોરબંદર સિવાય રાણાવાવમાં પણ આ પહેલ જોવા મળી હતી, જ્યાં સ્વેપ ટીમના કિશોરભાઈ રામ દ્વારા તરબૂચની લારીઓ પર સ્ટીકરો લગાવી મતદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રકારના નવતર પ્રયાસને કારણે બજારો અને જાહેર સ્થળો પર લોકોનું ધ્યાન આકર્ષાયું હતું અને મતદાન અંગે ચર્ચા પણ જોવા મળી હતી. શહેરના મુખ્ય સ્થળોએ લગાવવામાં આવેલા હોર્ડિંગો સાથે આ સ્ટીકરો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે.આ કામગીરીને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડલ અધિકારી સંદીપ સોની, ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી અને કિશોર રામ સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન:જિલ્લાના 10 વિભાગ દ્વારા 156 જળસંચયના કામો થશે
પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લાના વિવિધ 10 સરકારી વિભાગ દ્વારા તળાવ,નદી, ડેમ,વૉકળા ઊંડા કરવાના કામો ખેડૂતોએ સ્વખર્ચે પ્રારંભ કર્યો છે.જિલ્લામાં હાલ 156 કામોને મજૂરી આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં આ કામોમાં પણ વધારો થવાની શક્તયા જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે ઉનાળાના પ્રારંભે જ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં આવેલ તળાવ,નદી,વૉકળા,કેનાલ સહિતના પાણીના સ્ત્રોતને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ઉનાળાના પ્રારંભે જ ક્ષાર અંકુશ વિભાગ, પંચાયત, જળ સંપત્તિ વિભાગ, મનરેગા, વૉટર શેડ, પાણી પુરવઠા વિભાગ,વન વિભાગ, પોરબંદર મહાનગરપાલિકા, રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા સહિત 10 વિભાગ દ્વારા નદી, તળાવ, વૉકળા,ડેમ સહિત 156 સ્થાનિક જળ સ્ત્રોતને ઊંડા ઉતારવાની કામગીરી ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચે શરૂ કરવામાં આવી છે. જોકે આ તમામ કામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મજૂર થઈ જતા હાલ કામગીરી ચાલુ છે.આ કામગીરી બાદ ચોમાસામાં પડતા વરસાદી પાણીનો સંગ્રહમાં વધારો થશે. કામોમાં વધારો થશે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસહિતને લીધે કામોને મજૂરી આપવામાં આવી નથી ત્યારે ચૂંટણીની આચારસહીતા પૂર્ણ થયે હજુ પણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કામોમાં વધારો થશે.જોકે હાલ જે કામો ચાલી રહ્યા છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મજૂરી મળી ગઈ હતી.
આપમાં પડ્યું ભંગાણ:જિલ્લાના મહિલા વિંગના આપના ઉપપ્રમુખ ભાજપ પક્ષમાં જોડાયા
પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગ ના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી ભાજપમાં જોડાયા છે.પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે મહિલા આગેવાનને ખેસ પહેરાવી આવકાર્ય છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તોડજોડની રાજનીતિ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં શહેરમાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે સોમવારે પોરબંદર જીલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી નીતાબેન સદીયા ( એડવોકટ ) ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા. આ આગેવાનોને પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ ભાજપમાં આવકારી ખેસ પહેરાવ્યો હતો.
પોરબંદર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુને ખરવા મોવાસા નામનો રોગ અટકાવવા વેક્સિન આપવાનું આયોજન કર્યું છે. પોરબંદર જિલ્લામાં 187000 પશુને વેક્સિન આપવાનું લક્ષ્યાંક છે અને આ કામગીરી પશુધન નિરીક્ષક કરે છે. માર્ચ માસમાં કામગીરી શરૂ કરી છે પરંતુ ગોકળગાયની ગતિએ કામગીરી થઈ રહી છે. હજુ સુધીમાં માત્ર 14 ટકા કામગીરી થઈ છે, ત્યારે સરકારે તા.15/5/2026 સુધી સમય મર્યાદા વધારી છે પરંતુ આ સમય મર્યાદામાં પણ 100 ટકા કામગીરી પૂરી કરવી કપરી બની છે. સરકારે ખરવા મોવાસા રોગને અટકાવવા વેક્સિન આપવાનું આયોજન કર્યું છે અને પોરબંદર જિલ્લામાં 187000 ગાય અને ભેંસ વર્ગના પશુને વેક્સિન આપવા માટેનો ટાર્ગેટ આપ્યો છે અને આ કામગીરી માટે 45 દિવસનો સમય આપ્યો હતો. માર્ચ માસમાં કામગીરી શરૂ થઈ હતી..મહત્વની વાત એ છે કે, આ કામગીરી પશુધન નિરીક્ષક કરી શકે છે અને જિલ્લામાં અલગ અલગ ગામમાં કેન્દ્ર દીઠ કુલ 10 જ પશુધન નિરીક્ષક છે. અત્યાર સુધીમાં જિલ્લામાં માત્ર 14 ટકા જ કામગીરી કરી છે. એટલે કે જિલ્લામાં 26180 પશુને વેક્સિન આપી છે, સરકારે હવે તા.15/5/2026 સુધીની સમય મર્યાદા વધારી છે, પરંતુ આ સમય મર્યાદામાં પણ 100 ટકા કામગીરી શક્ય નથી. હિસાબ કરીએ તો 10 પશુધન નિરીક્ષક છે અને સમય મર્યાદામાં કામ કરે તો ટાર્ગેટ પૂરો કરવા એક પશુધન નિરીક્ષકને 21 કલાક કામ કરવું પડે. હકીકતમાં ગામ કે શહેરમાં પશુ પકડવામાં સમય લાગે, માલિક શોધવો પડે, રેકોર્ડ રાખવો પડે એક સ્થાનથી બીજે જવામાં સમય જાય એટલે સરેરાશ 1.5 થી 2 મિનિટ પ્રતિ પશુ લાગી શકે જો 2 મિનિટ પ્રતિ પશુ 640 2 = 1280 મિનિટ એટલે કે 21 કલાક થાય, એક પશુધન નિરીક્ષક રોજના 640 પશુને વેક્સિન આપે તો આ કામગીરી 100 ટકા પૂર્ણ થાય તેમ છે, જે શક્ય નથી તેવું ગોકળગાયની ગતિએ થતું કામ પરથી જણાઈ આવે છે.. ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવશે - અધિકારી પશુઓને વેક્સિન કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવશે. પોરબંદરમાં મહાનગરપાલિકા અને રાણાવાવ કુતિયાણામાં પાલિકામાં તેઓના સંકલનમાં રહી પશુઓને વેક્સિન આપવામાં આવશે. પશુઓને ઝડપી ગતિએ વેક્સિન આપવામાં આવે તેવા પૂરતા પ્રયાસ કરશું. > હાર્દિક બેઘડિયા, અધિકારી, પશુપાલન વિભાગ, પોરબંદર
યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ
પોરબંદરના યાર્ડમાં રજા બાદ જણસીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ છે.તેમજ યાર્ડમાં મગફળી, ચણા, જીરું,અડદની આવક પણ નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં સોમવારે મગફળીની 3000 કિલો,મગની 100 કિલો,ચણાની 7000 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 16,900 કિલો,ઘઉંની 17,100 કિલો,જુવારની 400 કિલો તેમજ અડદની 800 કિલો આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1155 થી 1450 ભાવ,મગના રૂ.1910 ભાવ,જીરુના રૂ.3450 થી 4100 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1500 થી 2550 ભાવ અને ચણાના રૂ.975 થી 1375 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં વધારોજોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા પંથકમાંથી 1100 કિલો સૂકા મરચાની આવક થઈ પોરબંદરના યાર્ડમાં દેવભૂમિ દ્વારકા પંથકના ગામોમાંથી સોમવારે 1100 કિલો લાલ સૂકા મરચાની આવક નોંધાઈ હતી.આ મરચાનો પ્રતિમણે રૂ.1200 થી 6300 ના ભાવ બોલાયા હતા.જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાની આવકમાં ઘટાડો નોંધાયો છે.
મહત્વના દસ્તાવેજો રાખ થવાનો ખતરો:પાણી પૂરવઠા બોર્ડની કચેરીના 8 ફાયર સેફ્ટી બાટલાઓ 11 માસથી એક્સપાયર
પોરબંદર પાણી પૂરવઠા બોર્ડની કચેરીમાં ફાયર સેફ્ટી અંગે ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે વિવિધ વિભાગ આવેલા છે અને અહીં મૂકેલા તમામ 8 ફાયર સેફ્ટી બાટલાઓ તા. 31/05/2025થી એક્સપાયર થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેને રિફિલિંગ કરવામાં આવ્યા નથી. છેલ્લા 11 મહિનાથી કચેરી સંપૂર્ણપણે ફાયર સેફ્ટી વગર ચાલી રહી છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર કચેરી પોરબંદર ખાતે આવેલ છે. આ કચેરીમાં વિભાગીય કાર્ય, બિલ ચેકિંગ, તાલુકા સ્તરની કામગીરી, વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ ત્રણેય સબ ડિવિઝનમાંથી આવતી માહિતી મર્જ કરી મોકલવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત સબ ડિવિઝન કચેરીઓમાં મહત્વપૂર્ણ ફાઈલો, એસ્ટીમેટ અને એકાઉન્ટ બ્રાન્ચની દસ્તાવેજી કામગીરી પણ અહીં સંભાળવામાં આવે છે. જ્યારે કચેરીના ઉપરના માળે વાસ્મો વિભાગ તેમજ મેકેનિકલ સબ ડિવિઝન અને નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ તેમજ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ કચેરી કાર્યરત છે, જ્યાં દરરોજ અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે. આવા સંજોગોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર સેફ્ટીના 4 બાટલા તેમજ ઉપરના માળે પણ ફાયર સેફ્ટીના 4 બાટલા મૂકવામાં આવ્યા છે. મહત્વની વાત એ છેકે, આ તમામ ફાયર સેફ્ટીના બાટલા તા. 31/5/2025 થી એક્સપાયરી થયા છે. અહીં અધિકારીઓ અને કર્મીઓ અવર જવર કરે છે પરંતુ 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયા હોવા છતાં અધિકારીઓએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ 11 માસ જેટલો સમય વીતી ગયો છતાં હજુસુધી રિફિલિંગ કરાવ્યા નથી. વહેલી તકે રિફિલિંગકરાવવામાં આવશે - અધિકારીપાણી પૂરવઠા બોર્ડ કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પરઅને ઉપરના માળે એક્સપાયર થયેલ ફાયર સેફ્ટીનાબાટલા વહેલી તકે એજન્સીને કહીને રિફિલિંગકરાવવામાં આવશે. બાકી સંવેદનશીલ લેબોરેટરીવિભાગની અંદર ફાયર સેફ્ટી બાટલો ગત માસેરિફિલિંગ કરાવ્યો હતો. > વી.સી. રંજન, કાર્યપાલકઇજનેર, પાણી પૂરવઠા અધિકારી કચેરી, પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે જેમાં જે જ્ઞાતિના સૌથી વધુ છે તે જ્ઞાતિને ભાજપે 39 સીટ ફાળવી છે અને બાકીના જ્ઞાતિને 13 સીટ ફાળવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ખારવા, મહેર ,લોહાણા અને બ્રાહ્મણને 39 સીટ,એસ.સી.ને 4,એસ.ટી.ને 2,જનરલને 10 અને લઘુમતીને 2 બેઠકો ફાળવી 52 બેઠકો કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી છે તો કોગ્રેસે 13 વૉર્ડમાં 31 અને આપે 29 ઉમેદવારો ઉતાર્યા છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ પ્રચાર તેજ બન્યો છે.પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપને 11 બેઠકો બિનહરીફ પોતાના ખાતામાં આવી ગઈ છે તો કૉંગ્રેસ અને આપના ઉમેદવારો તૂટી રહ્યા હોય તેમ ફોર્મ પરત ખેંચી લીધા હતા ત્યારે હાલ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને પ્રચાર પણ તેજ બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ જ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે.પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે જ્ઞાતિના મત વધુ છે તે જ્ઞાતિના ભાજપે 39 ઉમેદવારોને ટીકીટ આપી છે તો બાકીના જ્ઞાતિના 13 ઉમેદવારોને ટીકીટ આપી છે. જેમાં ખારવા, મહેર,લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિના 39 ઉમેદવારો, એસ.સી.ના 4 ઉમેદવારો, એસ.ટી.ના 2 ઉમેદવારો, જનરલ કેટેગરીની જ્ઞાતિના 10 ઉમેદવારો તથા લઘુમતી સમાજના 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી 52 બેઠકો કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી છે તો કોગ્રેસે 13 વૉર્ડમાં 31 અને આપે 29 ઉમેદવારો ઉતાર્યા છે. વિધાનસભાની તૈયારી મુજબ ટિકીટ ફાળવણીપોરબંદર વિધાનસભા સૌથી વધુ મહેર સમાજના મતદારો રહેલ છે જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ મહેર સમાજના ઉમેદવારોને ટિકીટ ફાળવી આગામી 2027માં આવતી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. ભાજપે અનેક દિગ્ગજ આગેવાનની ટિકીટ કાપી તો કોંગ્રેસ અને આપને પૂરતા ઉમેદવારો ન મળ્યામનપાની ચૂંટણીમાં ભાજપે અનેક દિગજ્જ આગેવાનની ટિકીટ કાપી છે અને અમુક બેઠકમાં નવા ઉમેદવારોને ટીકીટ ફાળવી છે તો કોંગ્રેસે 52 બેઠકમાં માત્ર 31 અને આપે માત્ર 29 ઉમેદવારો ઉતાર્યા છે ભાજપે દિગજ્જ આગેવાનોની ટીકીટ કાપી છે તો આપ અને કોંગ્રેસને પૂરતા ઉમેદવારો મળ્યા ન હતા.
ફરાર આરોપી પકડાયો:ફેમિલી કોર્ટના કેસમાં સજા, ઝડકા ગામનો ફરાર આરોપી ઝડપાયો
ફેમિલી કોર્ટના કેસમાં સજા પામેલ ઝડકા ગામના ફરાર આરોપીને ચોરવાડ પોલીસે દબોચી લઈ જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો. કેશોદ ખાતે રહેતા મૂળ માળીયાહાટીના તાલુકાના ઝડકા ગામના સલીમ અલારખાભાઈ લાખા નામના શખ્સને કેશોદ ફેમિલી કોર્ટ દ્વારા કેસમાં 105 તથા 90 દિવસની સજા ફટકારવામાં આવી હતી. આ સજાથી બચવા માટે આરોપી છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. દરમ્યાન ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જી. આઈ. રાઠોડની ટીમે ટેકનિકલ સોર્સીસ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી કેશોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં છુપાયેલો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી રવિવારે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
પતિ બન્યો હિંસક:મોટા કાજલીયાળામાં સસરાના ઘરમાં ઘુસી પત્ની, સસરા-સાસુને જમાઈએ છરી ઝીંકી
વંથલીના મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુઃખ રાખી પતિ ગત તા. 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંક્યા હતા. દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા. વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહાદેવની પાલખીયાત્રાનું આયોજન:સાળાએ બહેન સાથે બોલાચાલી કરતા બનેવીનું માથું ફોડી નાખ્યું
જૂનાગઢમાં રહેતા 21 વર્ષીય પાર્થ સુરેશભાઈ સોલંકી નામનો ગત તા. 14 એપ્રિલના રોજ બપોરના પોતાના ઘરે હતો. તેને અને તેની પત્ની વચ્ચે ઘરમાં બોલાચાલી થતી હતી અને સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા હતા. તે દરમિયાન, પાર્થના સાળા જયેશ ભુપતભાઈ મકવાણા અને તેનો મિત્ર રોહિત ભુપતભાઈ જીલીયા ત્યાં આવી પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા સાળા જયેશે પથ્થર ઉપાડી પાર્થના માથામાં ઝીંકી દીધો હતો. હુમલા સમયે રોહિતે યુવકને પકડી રાખ્યા હતા અને ઢીકાપાટુનો પણ માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતા પાર્થને સારવારમાં ખસેડાયો હતો. યુવકની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી આદરી હતી.
કચરા કલેકશનની વધશે કેપેસીટી:કચરો વધુ સમાય તેવી 90 નવી CNG ગાડી દોડશે
જૂનાગઢ મહાનગર પાલિકા કચરા દ્વારા નવી 90 કચરા કલેકશન સીએનજી ગાડીની રવિવારે ફાળવણી કરવામાં આવી છે. હવે શહેરમાં પ્રદૂષણથી રાહત અને વધુમાં વધુ કચરો સમાય શકે તેવી કેપેસેટીવાળી ગાડી દોડશે. એજન્સીના જગદીશ બારડે જણાવ્યુ કે, જૂનાગઢ શહેરમાં સીએનજીવાળી કુલ 90 કચરા કલેકશન ગાડીની ફાળવણી કરવામાં આવી છે. સીએનજીવાળી ગાડીનો મુખ્ય હેતુ એ છે કે, ઇંધણની બચત થાય અને પ્રદૂષણ ઓછુ ફેલાય. ઉપરાંત નવી ગાડીમાં કચરાપેટીની કેપેસીટી પણ વધારી છે. અગાઉ જે 700 કિલોની હતી તે વધારીને 1250 કિલોની કચરા ટોપલી કરી નાખી છે. ઉપરાંત હવે લોકો બંને સાઇડ ભીનો અને સુકો કચરો નાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:અડધો માસ વીતી ગયો છતા 3498 પ્રા. શિક્ષકોનો પગાર હજુ થયો નથી
જૂનાગઢ જિલ્લાના 3498 પ્રાથમિક શિક્ષકો એપ્રિલ માસ અડધો વિતી ગયો છતા માર્ચ મહિનાના પગારથી વંચિત બન્યા છે. દર મહિને તારીખ 1 થી 10માં પગાર થઇ જાય છે. શિક્ષકોએ જણાવ્યુ કે, શિક્ષણ વિભાગ દ્વારા દર મહિનાનો પગાર સમયસર તારીખ 1 થી 10ની અંદર જમા કરી દેવામાં આવે છે. પરંતુ આ મહિને એટલે કે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનો અડધો વીતી ગયો છતા હજુ થયો નથી. કચેરીમાં પુછતા ઉપરથી ગ્રાન્ટ આવી નથી એવો જવાબ આપવામાં આવ્યો છે. ઉલેખનીય બાબત એ છે કે, એસઆઇઆર, ચુંટણી કે વસ્તીગણતરી સહિતની તમામ કામગીરીમાં સરકારી કર્મચારીઓને સોંપવામાં આવતી હોય છે. પરંતુ આ કામગીરીમાં સરકારી અન્ય શાખાના કર્મચારી કરતા શિક્ષકોની ફાળવણી વધારે થતી હોય છે. બાળકોના શિક્ષણ ઉપરાંત અન્ય જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે પરંતુ માસિક પગારમાં શિક્ષકોને જ મોડો ફાળવાતા જિલ્લાભરના શિક્ષકોમાં રોષ છવાયો છે. ઉપરથી જ ગ્રાન્ટ મોડી આવી છે માર્ચ મહિનાના પગાર માટેની ગ્રાન્ટ ગાંધીનગરથી જ કોઇ કારણોસર મોડી આવી છે. બે દિવસ પહેલા ગ્રાન્ટ મળતા જ શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકા મુજબ ફાળવણી કરી દેવામાં આવી છે. એક થી બે દિવસમાં શિક્ષકોને પગાર મળી જશે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી- જૂનાગઢ

30 C