શહેરામાં આધેડના ગુપ્ત ભાગે સળિયો ખૂંપ્યો:શૌચક્રિયા દરમિયાન અકસ્માત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાજીવાવ ગામે એક વિચિત્ર અકસ્માતમાં 40 વર્ષીય આધેડ સુખાભાઈ કેસરાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે. વહેલી સવારે શૌચક્રિયા દરમિયાન તેમના ગુપ્ત ભાગે લોખંડનો સળિયો ખૂંપી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સુખાભાઈ વહેલી સવારે કુદરતી હાજત માટે ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનું શારીરિક સંતુલન બગડ્યું હતું. તેઓ જ્યાં પડ્યા, ત્યાં પશુઓને બાંધવા માટે જમીનમાં ખોડેલો લોખંડનો સળિયો હતો. સંતુલન ગુમાવવાને કારણે સુખાભાઈ સીધા સળિયા પર પટકાયા હતા. આશરે 10 ઇંચ જેટલો લોખંડનો સળિયો તેમના ગુપ્ત ભાગે ગંભીર રીતે ખૂંપી ગયો હતો. તેમની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર હાલત જોતા, પરિજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ ફરજ પરના ડોકટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
ભારતની જીત બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના ટાવર વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. તેમણે તિરંગા સાથે ઢોલ-નગારાના તાલે નૃત્ય કર્યું અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી. નવસારીમાં ભારતની મોટી મેચ જીત્યા બાદ આ ટાવર વિસ્તાર ઉજવણીનું મુખ્ય કેન્દ્ર બને છે. ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ બીજી સેમીફાઇનલ હતી. ભારત ચોથી વખત (2007, 2014, 2024 અને 2026) આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. આગામી 8 માર્ચ, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખિતાબી મુકાબલો થશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. સંજુ સેમસને સર્વાધિક 89 રનનું યોગદાન આપ્યું હતું. શિવમ દુબેએ 43 રન અને ઈશાન કિશને 39 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 રન અને તિલક વર્માએ 21 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ અને વિલ જેક્સે 2-2 વિકેટ લીધી હતી. 254 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 246 રન બનાવ્યા હતા. જેકબ બેથલે 48 બોલમાં 105 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય બેટ્સમેનોનો પૂરતો સાથ ન મળતા ઇંગ્લેન્ડ 7 રનથી મેચ હારી ગયું.
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે. સામાન્ય બાબતોમાં છરી લાકડી જેવા હથિયારો વડે મારામારી કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છક્કરબાપાનગર અને દાણીલીમડા પોલીસ સ્ટેશનના શાહઆલમમાં મારામારીના બનાવ સામે આવ્યા છે. શાહઆલમમાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ઠક્કરબાપાનગરના માધવ મોલમાં પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બંને ઘટના 3 માર્ચના રોજ બની હતી. ઉલ્લેખનીય છે કે, 4 ઓગસ્ટે મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું, ત્યારે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઇમરાન ખાનની કાર પર પાણીના છાંટા ઉડતા ધોવા કહ્યું હતુંદાણીલીમડા વિસ્તારમાં 42 વર્ષીય પરવીનબાનુ મકરાણી પરિવાર સાથે રહે છે. તેમના પતિ ઇરફાન ખાન ઝારા ફ્લેટ પાસે કાર વોશિંગનું કામ કરે છે. ધૂળેટીના દિવસે મહિલાનો પતિ અને તેનો દીકરો ફૈઝાન વોશિંગની દુકાને હાજર હતા અને ગાડીઓ ધોવાનું કામકાજ કરી રહ્યાં હતાં. તેમની દુકાનની બાજુમાં ઇમરાન ખાન નામની વ્યક્તિ ટુ-વ્હીલરનું વેચાણ કરે છે. બપોરના સમયે ઇરફાન ખાન અને તેમનો પુત્ર ગાડીનું વોશિંગનું કામ કરતા હતા, ત્યારે ભૂલથી ઇમરાન ખાનની ગાડી પર પાણીના છાંટા ઉડ્યા હતા. ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી પિતા-પુત્ર પર છરીના ઘા ઝીંક્યાઇમરાને ગાડી સાફ કરી આપવાનું કહેતા ઇરફાને હમણાં થોડીવારમાં કરી આપું કહ્યું હતું. આ દરમિયાન બપોરના સમયે બ્લેક કલરની ફોર્ચ્યુંનર કાર લઈને ઇમરાન ખાનનો દીકરો સફ્ફાન આવ્યો અને કારમાંથી ધારદાર ચપ્પુ લઈને ગાડી ધોઈ રહેલા ઇરફાન અને તેમના દીકરા ફૈઝાન પર તૂટી પડ્યો અને આજે તો તમને બંને બાપ દીકરાને જાનથી મારી નાંખવાના છે કહીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. મહિલાએ છરી લઈને હુમલો કરવા આવેલા સફ્ફાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનું ટોળું ભેગું થતાં આરોપી સફ્ફાન નાસી છૂટ્યોમારામારીમાંથી છોડાવવા માટે ઇમરાન ખાન વચ્ચે પડ્યા તો તેમને પણ ચપ્પુનો ઘા મારી દીધો હતો. આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી સફ્ફાન ગાડી લઈને નાસી છુટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે ઇસનપુર પોલીસે ઇમરાન ખાન અને સફ્ફાન સામે ગુનો નોંધીને સફ્ફાનની ધરપકડ કરીને ગાડી પણ કબજે લીધી છે. ચપ્પુથી હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદસમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, આરોપી ચપ્પુ જેવું હથિયાર લઈને એક દુકાનમાં પ્રવેશયો હતો. જે બાદ જોતજોતામાં પિતા-પુત્ર પર તૂટી પડ્યો. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડી પાડી પિતા-પુત્રને વધુ ઈજા થતા બચાવ્યા હતા. '14 લાખ રૂપિયા તું કેમ આપતો નથી'તો બીજી તરફ ઠક્કરબાપાનગર વિસ્તારમાં માધવ મોલ પાસે નંદનવનપાર્ક સોસાયટીમાં નિકુંજ કોરટ તેના પરિવાર સાથે રહે છે અને ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. ત્રણ માર્ચના રોજ રાત્રે નિકુંજ તેના મિત્ર ઋત્વિક સાથે માધવ મોલ પાસે રામદેવ ઢોસા ખાતે બેસવા ગયો હતો. જ્યાં જૈમીન ભરવાડ આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, હર્ષલ ઉર્ફે જેકસન પાસેથી ત્રણ મહિના પહેલા 14 લાખ રૂપિયા ધંધા માટે લઈ ગયો છે તે પૈસા તું કેમ આપતો નથી. જૈમીન ભરવાડે ઉશ્કેરાઈને બેથી ત્રણ લાફા મારી દીધાનિકુંજે જણાવ્યું હતું કે, હાલ મારી પાસે પૈસાની સગવડ નથી. મારું મકાન વેચવા માટે કાઢ્યું છે. જે વેચાઈ જશે એટલે હું પૈસા આપી દઈશ. નિકુંજ આટલું કહેતા જ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બેથી ત્રણ લાફા મારી દીધા હતા. જે સમયે હર્ષલ ઉર્ફે જેકસનને ફોન કરીને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, મેં નિકુંજને પકડી લીધો છે. જેથી હર્ષલ અને તેનો મિત્ર ઉમંગ પટેલ અન્ય વ્યક્તિ સાથે ત્યાં આવ્યા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. 'તું પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ'નિકુંજને માર મારવા લાગ્યા હતા. જે સમયે બાજુમાં બહારના ભાગે પ્લાસ્ટિકના ટેબલના ફાઇબરના પાયા લઈને ચારે જણાએ માર્યો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ જતા તેમણે મારમાંથી છોડાવ્યો હતો. જયમીન ભરવાડએ કહ્યું હતું કે, તું પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ. મારા મારી બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદકૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઠક્કરબાપાનગર ખાતે આવેલા માધવ મોલમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાન દ્વારા હુમલા કરવાના કિસ્સા સામે આવતાં હોય છે ત્યારે નારોલમાં અમદાવાદ ગ્રામ્યની ડિસ્ટ્રીકટ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ ચાલતા જતાં હતા ત્યારે તેમની પાડોશીનું પાલતું શ્વાન (જર્મન શેફર્ડ) અચાનક ભસીને તેમની પર હુમલો કરી દીધો હતો. શ્વાન માલિકે સુપ્રિટેન્ડન્ટ સામે માથાકૂટ કરીને માર માર્યો હતો. પોલીસ ફરિયાદ કરવા જતાં હતા ત્યારે પણ જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે નારોલ પોલીસે શ્વાન માલિક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. બુમાબુમ થતા શ્વાનના માલિક વિજયભાઈએ શ્વાનને પકડી લીધુંનારોલના શાહવાડી વિસ્તારમાં રહેતા સુનિલભાઇ લબાના અમદાવાદ ગ્રામ્ય ડીસ્ટ્રીકટ કોર્ટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. ગત 1 માર્ચે સાંજે તેઓ તેમના ઘરેથી નીકળીને ચાલતા ચાલતા જતા હતા. આ દરમ્યાન તેમની સોસાયટીમાં રહેતા વિજયભાઈ પારેખના પાલતું શ્વાન જર્મન શેફર્ડે સુનીલભાઈને જોતા જ ભસવા લાગ્યો અને અચાનક જ તેમની પર કુદકો મારીને સુનીલભાઈ પર ચઢી જતા તેઓ નીચે જમીન પર પડી ગયા હતા. આ સમયે બુમાબુમ થતા શ્વાનના માલિક વિજયભાઈ આવ્યા અને શ્વાનને પકડી લીધું હતું. જો તું મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશગભરાઈ ગયેલા સુનીલભાઈએ શ્વાનના માલિકને શ્વાનને કેમ છુટ્ટો મૂકો છો કહીને ઠપકો આપ્યો હતો. જેથી વિજયે ઉશ્કેરાઇને સુનીલભાઈને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા. આ સમયે સોસાયટીના અન્ય રહીશો એકઠા થઇ જતા મામલો થાળે પડાવ્યો હતો. ત્યારબાદ પીડિત સુનીલભાઈ પોલીસ ફરિયાદ કરવા સારું જતા હતા તે સમયે પણ વિજયે એકટીવા પર આવ્યા અને સુનીલભાઈને ગાળો બોલીને કહ્યું કે કે, જો તું મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે સુનિલભાઇએ નારોલ પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ પારેખ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજ્યની મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ વર્ષે આગામી 1 થી 2 મહિનામાં યોજવાની છે, ત્યારે 10 માર્ચના રોજ ટર્મ પૂરી થવાના ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ ઐતિહાસિક રૂ. 2500 કરોડના વિકાસકામોને મંજૂરી આપી હતી. શહેરમાં નવા રોડ, બ્રિજ, ડ્રેનેજ પાણી સહિતની અલગ અલગ સુવિધાઓના 215થી વધુ કામોને મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી સુધીમાં આ તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી શકે છે. ભાવનગર મનપાનું ચાલુ વર્ષ 2026-27નું 1900 કરોડનું બજેટ રજૂ કરાયું હતું જેના કરતાં 600 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં 2500 કરોડના વિકાસના કામોને મંજૂરીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10 માર્ચે હવે હાલની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થવા જઇ રહી છે, ત્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરના રૂ.2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડના રોડ પ્રોજેક્ટના કામો છે, આ સિવાય ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અલગ-અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે, તેના પરિણામે અમદાવાદનો વિકાસ રોકેટગતિએ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે. આગામી સમયમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપી થાય તે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ અપાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે. સુભાષ બ્રિજના રિનોવેશન માટે રૂ. 240 કરોડના કામને મંજૂરીનરોડાથી નારોલ સુધી આઈકોનિક રોડની મંજૂરી આપવામાં આવી છે. સુભાષબ્રિજને ક્ષતિના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. હવે તેની ટેકનિકલ પ્રોસેસ પૂરી થતા સ્ટેન્ડિંગ કમિટીની અંદર સુભાષ બ્રિજના રિનોવેશન માટે રૂ. 240 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય, ગુજરાત યુનિવર્સિટી તેમજ એલ.ડી એન્જિનિયરીંગ સહિતના વિવિધ ભવનો, હેરિટેજ ઈમારત, મંદિરને વધુ સારી રીતે વિકસાવવા રૂ.250 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં કાંકરિયા અને વસ્ત્રાપુર લેક છે, એવી રીતે સાઉથ બોપલની અંદર લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. જેમાં ભારતના દરેક રાજ્યના ફૂલોની પ્રતિકૃતિ જોવા મળશે. આમ, લોકોનો હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે એ રીતે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. અમદાવાદ દેશની પહેલી મનપા બનશે જેની AI આધારિત હશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે CCRS કમ્પલેઈન્ટ સેવા એપ છે, જેની ઉપર નગરજનો 155303 નંબર દ્વારા ફરિયાદ કરતા હોય છે. તેને આધુનિક રીતે વિકસિત કરવામાં આવશે, અમદાવાદ દેશની પહેલી મહાનગરપાલિકા બનશે જેની એપ AI આધારિત હશે. પહેલાના સમયમાં કમ્પલેઈન ક્લોઝ થઈ જતી હતી, તેના બદલે પહેલા અને પછી એટલે કે, કામ થયા પહેલા અને પછીનો ફોટો અપલોડ થશે. સ્ટેન્ડિંગ કમિટીમાં AI આધારિત CCRSના કામને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં 100 જંક્શનના કામને મંજૂરી આપવામાં આવી હતી અને બીજા 25 જંક્શનને ડેવલોપ કરવામાં આવશે. અલગ-અલગ વોર્ડમાં હોલ, યુએચસી, બ્રિજ, ફૂટપાથ સહિતના વિવિધ રૂ.2500 કરોડ કરતા વધુ કામોને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. તેના પરિણામે, શહેરની વિકાસની ગતિશીલતમાં વધારો થશે. 'એક જ દિવસમાં ભાજપના નેતાઓને વિકાસ કાર્યો યાદ આવ્યા'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઐતિહાસિક 2400 કરોડથી વધુના કામોને એક જ દિવસમાં મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ટર્મ પૂરી થવાને માત્ર ત્રણ દિવસ બાકી છે એની પહેલા એક જ દિવસમાં ભાજપના નેતાઓને વિકાસ કાર્યો યાદ આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય સ્ટેન્ડિંગ કમિટીમાં એક સાથે 215 થી વધુ કામોને મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે એક સાથે 2400 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવતા ક્યાંકને ક્યાંક શંકા થઈ રહી છે. 'કોના ફાયદા માટે આટલા બધા કામોને મંજૂરી'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ક્યારે એક સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં આટલા બધા કામો આવ્યા નથી અને હવે અચાનક જ તેમને કામો યાદ આવી ગયા છે અને કરોડોના કામો મંજૂર કરવામાં આવ્યા. જે શંકા ઉપજાવી રહી છે કે કોના ફાયદા માટે આટલા બધા કામોને મંજૂરી આપવામાં આવી છે. જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પૂરા કરી શકી નથી. ચૂંટણી પહેલા કામગીરી પુરી નથી થવાની માત્ર અત્યારે મંજૂરી આપશે જેનાથી વર્ક ઓર્ડર આપી શકાશે જેથી આ માત્ર વાયદાઓ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઠોયાણા ગામમાં જુગાર પર પોલીસનો દરોડો:6 ઇસમો રૂ. 17,200 ના મુદામાલ સાથે ઝડપાયા
રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં જાહેરમાં તીનપતી રોનપોલીસનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઠોયાણા ગામ પંચાયત ઓફિસ પાસે જાહેર સ્થળે ચાલતા જુગાર પર છાપો મારી 6 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા 17,200 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ઝડપાયેલા આરોપીઓમાં એભા અરશીભાઇ ઓડેદરા, નાથા ઉર્ફે ભીમા લીલાભાઇ ભુતીયા, પરબત જખરાભાઇ ભુતીયા, દીલીપ લીલાભાઇ ઓડેદરા, રાજેશ માલદેભાઇ મકવાણા અને ભોજા સુકાભાઇ ઓડેદરાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જાહેર સ્થળે જુગાર રમતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
રાજકોટમાં રહેતી મહિલાને તેની સાથે મૈત્રી કરાર કરી રહેતા ધર્મેશપરી અશ્વિનપરી ગોસ્વામીએ હાથ ઉછીની રોકડ અને લોન લઈ રૂ.10.70 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હોવાનું અને મહિલાને આરોપીએ પૈસાની જરૂરિયાત હોવાથી બાદમાં પાછા આપી દઈશ કહી કટકે-કટકે ત્રણ લાખ લઈ ગયો હતો. એટલું જ નહીં આરોપીએ મહિલાને અત્યારે તમારા દાગીના આપો તેના ઉપર બેંકમાંથી લોન લઈશ બાદમાં હું પૈસા ભરીને દાગીના છોડાવી પાછા આપી દઇશ તેમ કહીં 1.70 લાખ અને 6 લાખની ગોલ્ડ લોન લઈ રૂ.10.70 લાખ લઇ જઈ પરત આપ્યા ન હતા. હાલ તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી ધર્મેશપરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. શ્રમિક યુવતીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા કારખાનેદારે ઝેર પીધું રાજકોટના વિશ્વનગરમાં રહેતા અને શાપર વેરાવળમાં માં ખોડલ નામનું ડ્રિલનું કારખાનું ધરાવતા કલ્પેશભાઈ જેન્તીભાઈ રૂપારેલીયા (ઉ.વ 32)એ ગઈકાલે કોરાટ ચોક પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. કલ્પેશભાઈને સંતાનમાં એક દીકરો અને પોતે એક ભાઈ એક બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે. કલ્પેશભાઈએ હોસ્પિટલમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, તેમના કારખાનામાં છેલ્લા એકાદ મહિનાથી કામ પર આવતી બિહારી યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતા તેઓ કંટાળી ગયા હતા અને ઝેરી દવા પી લીધી હતી અને તેમજ તેઓ દવા પીધા બાદ શાપર વેરાવળ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં પોલીસે તેમને સારવાર પર ખસેડી અને તેમનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે. ફાયનાન્સ કંપનીના રિકવરી એજન્ટ અને તેના મિત્રને 'તારે બહુ ઉતાવળ છે' કહીં ચાર શખસોએ માર માર્યો દિવ્યરાજસિંહ કિશોરસિંહ રાયજાદા (ઉ.વ.23)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અને મારા મિત્ર દક્ષરાજસિંહ ઝાલા બંન્ને મારા મોટા બાપુના ઘરેથી એકટીવામા જતા હતા દરમ્યાન બજરંગવાડી મેઈન રોડ પર આવેલ શક્તિ હોટલ સામે પહોંચતા સમીર દલ તથા તેના એક્સેસમા પાછળ બેઠેલ સાહીલ પિંજારા અમારા અકેટીવા આગળ આવી અને મને સમીર દલે કહ્યું, તારે કેમ બહુ ઉતાવળ છે તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેની પાછળ બેઠેલ સાહીલએ પણ પણ મારી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ થોડી વાર પછી બીજા બે વ્યક્તિઓને સમીરે બોલાવતા તમામ મારી સાથે ઝઘડો કર્યો હતો. સમીર દલે કહ્યું કે તારે આ રેલનગર શેરી નં.3 ના ખુણો કોઈ દીવસ બેસવુ નહીં અને હવે કોઈ દિવસ અહી રેલનગરના ખુણે ચોકમા બેસતા જોઈશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સોખડામાં વાડીની ઓરડીમાં જુગાર રમતા 6 ઝડપાયા રાજકોટ તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 6 શખ્સોને પકડી રૂ.1,03 લાખની રોકડ રકમ કબજે કરી છે. બાતમીના આધારે પોલીસે સાંજના સમયે વાડીમાં ઓચિંતો દરોડો પાડતા, વાડીના મકાન પાસે જુગાર રમતા 6 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેમાં પોલીસે વાડી માલિક ઘનશ્યામ ભીખુભાઈ પડાયા, સજુભા ભાવુભા પરમાર, ભૂપત દેવશીભાઈ મેઘાણી, રવજી જાદવભાઈ ગોરીયા, સંજય રમેશભાઇ રાઠોડ અને દેવજી ગાંડુભાઇ મેઘાણીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા તાલુકાના કુરંગા ગામે યોજાયેલા ધાર્મિક પ્રસંગે અનુસુચિત જ્ઞાતિજનો દ્વારા સમાજ માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો હતો. મહાકાળી માતાજીના પવિત્ર સાનિધ્યમાં સ્થાનિક જ્ઞાતિના આગેવાનો તેમજ ધારાસભ્ય પબુભા માણેક અને દ્વારકા સ્વામિનારાયણ મંદિરના માધવપ્રિયદાસ સ્વામીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓના નામે ચાલતી વર્ષો જૂની પશુબલિ પ્રથાને સંપૂર્ણ રીતે બંધ કરવાનો સર્વસંમતિથી સંકલ્પ લેવાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના પ્રેરક માર્ગદર્શન સાથે સંતો-મહંતો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જીવદયાની ભાવના પ્રગટ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના ભૂવા તથા અગ્રણીઓએ સ્વૈચ્છિક રીતે પશુબલિ જેવી હાનિકારક પરંપરાને તિલાંજલિ આપવાની જાહેર જાહેરાત કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં માનવતાવાદી મૂલ્યો અને કરુણાભાવને મહત્વ આપવાની જરૂર છે. ધર્મના નામે થતી જીવહિંસા સમાજની સંસ્કૃતિ સાથે સુસંગત નથી. જીવમાત્ર પ્રત્યે દયા અને કરુણા રાખવી એ સાચો ધર્મ છે. આ વિચારધારાને સ્વીકારી સમાજે એકમતથી નવો માર્ગ અપનાવ્યો છે. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા દેશભરના અન્ય સમાજોને પણ આ દિશામાં વિચાર કરવા અને જીવદયા આધારિત પરંપરાઓ અપનાવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો. કુરંગા ગામે લેવાયેલો આ સંકલ્પ સમાજ સુધારણા અને માનવતાવાદી મૂલ્યો તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર રહેતા અને નવાગામ આણંદપર પાસે ચાંદીનું કારખાનું ધરાવતા પટેલ વેપારી સાથે લેબર કોન્ટ્રાક્ટનું કામ સંભાળનારા મેહુલનગરના શખ્સે રૂ.55.46 લાખની છેતરપિંડી કરી છે. લેબર કોન્ટ્રાક્ટ તરીકે કામ શરૂ કરનાર શખ્સે શરૂઆતમાં પ્રમાણીકતાથી કામ કરી વેપારીનો વિશ્વાસ જીતી લીધા બાદ લાખો રૂપિયાના ચાંદીના દાગીના મેળવી લઇ અડધા કરોડની ઠગાઇ કરી છે હાલ કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઋષિકેશ એક્ઝોટિકામાં રહેતાં અને નવાગામ આણંદપરમાં સાગર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બી.ડી.ગજેરા નામે બે વર્ષથી ચાંદીનું કારખાનુ ચલાવતાં ભરતભાઇ દિનેશભાઇ ગજેરા (ઉ.વ.45)ની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે કોઠારીયા રોડ સોરઠીયાવાડી સર્કલ મેહુલનગર 10માં રહેતાં લેબર કોન્ટ્રાકટ્ર સંજય બારોટ વિરૂધ્ધ રૂ.55,46,540ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરતભાઇ ગજેરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આઠ મહિના પહેલા તેમના જૂના કારીગર નીરજ બંગાળી મારફતે મેહુલનગરના સંજય બારોટ સાથે મુલાકાત થઈ હતી. સંજયએ કારખાનામાં લેબર પુરા પાડવાનું કામ સાંભળ્યું હતું તેનું મુખ્ય કામ કારખાનામાં કામ કરતાં માણસોને જે કાચુ ચાંદી આપવામાં આવે તેમાં લેબર દ્વારા સંજય ચાંદીના દાગીના બનાવડાવી ફાઇલીંગ અને બફ કામ કરાવી તૈયાર દાગીના કારખાનામાં જમા કરાવવાનું હતું એ પછી દાગીના પેક કરી ઓલ ઇન્ડિયામાં માર્કેટીંગ સેલ કરવામાં આવતાં હતાં. શરૂઆતમાં સંજયએ આ કામ પ્રમાણીકતાથી કરીને ભરતભાઇનો વિશ્વાસ જીતી લીધો હતો. સંજય બારોટની નિયમિતતા જોઈને ભરતભાઇએ તેને તૈયાર દાગીનાના ટ્રેડિંગનું કામ પણ સોંપ્યું હતું. જૂન 2025 દરમિયાન સંજયે 34 કિલો તૈયાર દાગીનાનું વેચાણ કરી તેનું પેમેન્ટ રોકડમાં ચૂકવી દીધું હતું પરંતુ ત્યારબાદ નવેમ્બર મહિનામાં ખેલ શરૂ થયો હતો સંજયે 15થી 24 નવેમ્બર 2025 દરમિયાન કટકે-કટકે આશરે 38 કિલો 131 ગ્રામ તૈયાર ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 71,66,540 હતી તે વેચાણ કરવા માટે લીધા હતા આ માલના બદલામાં સંજયે ડિસેમ્બર સુધીમાં માત્ર 16.20 લાખ રૂપિયા ચુકવ્યા હતા અને બાકી નીકળતા રૂપિયા 55,46,540 આપવાને બદલે સંજય ઉલટો વધુ માલ માંગવા લાગ્યો હતો. વેપારીએ બાકી રકમની કડક ઉઘરાણી કરતા સંજયે સંતોષકારક જવાબ આપવાનું બંધ કરી દીધું હતું અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભરતભાઈએ કુવાડવા પોલીસમાં સંજયને ચાંદીના દાગીના આપ્યા હતાં તેનું સ્ટેટમેન્ટ અને બિલના પુરાવા સાથે ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર એસ.ઓ.જીએ મોતીબાગ ટાઉનહોલ પાસે સબ-રજીસ્ટાર કચેરી પાછળ આવેલી કેન્ટીન નજીકથી બે શખસોને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. બંને શખસો પાસેથી અંદાજે 400 ગ્રામ સુકો ગાંજો તથા મોબાઇલ મળી કુલ રૂ. 22,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વધુ બે શખસોનું નામ ખુલવા પામતા આ મામલે પોલીસે ચાર શખસો સામે NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે એસઓજી કચેરીથી મળતી માહિતી અનુસાર ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે સબ-રજીસ્ટાર કચેરી પાછળ જય ભવાની કેન્ટીન નજીક બે શખસો ગાંજો લઈને ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ચેકિંગ હાથ ધર્યું હતું. એસઓજી પોલીસે કરચલિયા પરા, રાણીકા ઘંટી પાસે રહેતા વિજયભાઈ રણજીતભાઈ જાદવ ઉ.વ 30 અને મામાકોઠા, ધાણીવાળો ડેલો, દિવાનપરા રોડ પર રહેતા મુકેશભાઈ કાવાભાઈ બારૈયા ઉ.વ 32 ને ઝડપી પાડ્યા હતા. બંનેની તલાસી પોલીસ દ્વારા લેવામાં આવતા તપાસ દરમિયાન તેના કબ્જામાંથી 400 ગ્રામ સુકો ગાંજો મળ્યો હતો. જેની કિંમત રૂ. 20,050 અને એક મોબાઈલ કિ.2000 નો કબ્જે કરી કુલ રૂ. 22,050 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા બંને શખસોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા મહેશ રાઠોડ અને અન્ય એક અજાણ્યા શખસનું નામ ખુલવા પામ્યું હતું. જે અંગે પોલીસે ચારેય શખસો સામે NDPS સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં એક યુવાન સાથે ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરવાના બહાને રૂ. 2.24 લાખની સાયબર છેતરપિંડી થઈ છે. શંકરટેકરી વિસ્તારમાં રહેતા આ યુવાને ઓનલાઈન એપ પરથી વસ્તુ મંગાવી હતી, જે બાદ તેને ઠગાઈનો ભોગ બનવું પડ્યું. ફરિયાદી કિશન અમૃતલાલ ગોંડલીયા (ઉંમર 29 વર્ષ) મજૂરી કામ કરે છે. તેમણે પોતાના ઘર માટે પ્લાસ્ટિકનું ટેબલ ડ્રોઅર ખરીદવા માટે ઓનલાઈન એપ્લિકેશન પર ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યાના લાંબા સમય સુધી વસ્તુ ન મળતા, કિશનભાઈએ ઓર્ડર સંબંધિત નંબર પર ફોન કર્યો હતો. ફોન પર વાત કરનાર આરોપી કુનાલકુમાર નામના વ્યક્તિએ કિશનભાઈને જણાવ્યું કે તેમનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે અને તેને ફરી પ્રક્રિયામાં લાવવા માટે OTP આપવો પડશે. વિશ્વાસમાં આવીને ફરિયાદીએ OTP આપી દીધો હતો. આ પછી, આરોપીએ ફરિયાદીના ફોન પે એપ્લિકેશનમાં 8472028098-2@nyes નામની આઈડી બનાવડાવી હતી. આરોપીએ ફરિયાદીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹2,24,624 ઉપાડી લીધા હતા. પૈસા પાછા ન મળતા, ફરિયાદીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 7 જાન્યુઆરી, 2026 અને 9 જાન્યુઆરી, 2016ના રોજ બની હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 317(2), 318(4), 319 (2) તથા આઈ.ટી. એક્ટની કલમ 67(સી) અને 66(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી કરી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ ડિજિટલ વ્યવહારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. અજાણી વ્યક્તિને OTP, બેંક વિગતો અથવા એપ્લિકેશન એક્સેસ આપવો અત્યંત જોખમી બની શકે છે. લોકોએ ડિજિટલ સુરક્ષા વિશે જાગૃત રહેવું અને કોઈપણ શંકાસ્પદ કોલ અથવા સંદેશાથી સાવચેત રહેવું હિતાવહ છે.
પાટડીના પીપળીના એક શખસને તેની પત્નીનો ખરાબ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 50,000 પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બે શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. એકવાર બદનામીના ડરે રૂ. 50,000 આપ્યા બાદ વધુ રૂ. 50,000ની માંગણી કરવામાં આવી હતી. પાટડી તાલુકાના પીપળી ગામના શખસે બિસ્મીલાખાન ભાણજીખાન મલેક અને મોહબતખાન દાદુખાન મલેક વિરુદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આ બંને શખશોએ પત્નીનો અગાઉનો કોઈ ખરાબ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પીપળી ગામના શખસે સમાજમાં બદનામી થવાના ડરે બે વખતમાં રૂ. 25000-25000 મળી કુલ રૂ. 50,000 આપ્યા હતા. જે બાદ આ બંને શખશોએ ફરી રૂ. 50,000ની માંગણી કરી હતી. અને જો નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી પીપળીનો આ શખસ ગામ મૂકીને જતા રહ્યાં હતા. બાદમાં એમણે ગામમાં આવીને પોતાના પરિવારજનો સાથે આ બંને શખશો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા ચલાવી રહ્યાં છે.
સુરત સાયબર ક્રાઈમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યો, ત્યારે દ્રશ્ય ચોંકાવનારૂ હતું. એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ અંદર પ્રવેશી ત્યારે બે આરોપીઓ તો નિરાંતે સુતા હતા, જ્યારે અન્ય લેપટોપ અને મોબાઈલ પર મશગૂલ હતા. આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 8 લાખ રૂપિયા પળવારમાં સેરવી લીધા હતા. નિવૃત્તિના પાંચ જ દિવસમાં લૂંટસુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટર ગ્રેડ-1 ના અધિકારી ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેમને પ્રોવિડન્ટ ફંડ પેટે 28 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી તેમણે 20 લાખની એફડી કરાવી હતી. બાકીના 8 લાખ રૂપિયા પોતાના ખર્ચ માટે રાખ્યા હતા. જોકે, પાંચમી ડિસેમ્બરે ગઠિયાઓએ રેલવે DRM ઓફિસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પેન્શન એક્ટિવેટ કરવાના નામે ફોન કર્યો હતો. લિંક મોકલી અને ઓટીપી માંગીને વૃદ્ધના ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ડિજિટલ લિંકનું ભેજાબાજ નેટવર્કઆ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે, કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા. ઓછું ભણતર છતાં હાઈટેક ઠગાઈપકડાયેલા નવ આરોપીઓની શૈક્ષણિક વિગતો તપાસતા પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. ગેંગમાં મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર અને આદિત્ય જેવા શખ્સો સામેલ હતા જે માત્ર 10 કે 12 પાસ હતા. કોઈ ડીજે ઓપરેટર હતો તો કોઈ હેર કટિંગ કે વેલ્ડિંગનું કામ કરતો હતો. માત્ર પ્રિયાંશુ પાઠક બી.એ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ ઓછા ભણેલા યુવાનોએ ટેકનોલોજીના સહારે દેશભરના સેંકડો લોકોને લાખોનો ચુનો લગાવ્યો હતો અને સુરત પોલીસની રડારમાં આવી ગયા હતા. બેટબુક 247 અને ગેમિંગનું જોડાણતપાસમાં જાણવા મળ્યું છે કે, આ આરોપીઓ માત્ર બેંક ફ્રોડ જ નહોતા કરતા, પરંતુ BetBook247.com નામની ગેમિંગ વેબસાઈટના માધ્યમથી મોટું રેકેટ ચલાવતા હતા. તેઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકોની જીતેલી રકમ ચૂકવવા માટે અથવા નવા લોકોને આઈડી પૂરા પાડવા માટે કરતા હતા. લૂંટના નાણાં વ્હાઈટ કરવા માટે તેઓ ગેમિંગ વેબસાઈટને એક મજબૂત કવર તરીકે વાપરતા હતા. આ રીતે તેઓ ગુનાહિત નાણાંની હેરફેર કરીને પોલીસને હાથતાળી આપતા હતા. કુરિયર દ્વારા બેંક કિટ્સની હેરાફેરીસાયબર માફિયાઓ અત્યંત ચાલાકીથી ભાડાના ફ્લેટના એડ્રેસ પર અલગ-અલગ બેંક ખાતાઓની કિટ્સ કુરિયર મારફતે મંગાવતા હતા. એકવાર કિટ મળી જાય એટલે તેઓ મોબાઈલમાં એકાઉન્ટ લોગઈન કરી ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. એટીએમથી રોકડા રૂપિયા ઉપાડીને મુખ્ય આરોપી ચેતન અને શુભ ઉર્ફે બજરંગબલી સુધી પહોંચાડતા હતા. તેઓ 'ડિપોઝિટ' અને 'વિડ્રોઅલ' નામના બે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતા હતા, જેમાં ફ્રોડના રૂપિયાના સ્ક્રીનશોટ અને સ્લિપો અપલોડ કરીને હિસાબ રાખવામાં આવતો હતો. 19 કરોડનું દેશવ્યાપી કૌભાંડસુરત પોલીસની આ કામગીરીમાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા બેંક ખાતાઓની વિગતો મેળવી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 19 કરોડ 24 લાખ રૂપિયાથી વધુનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ટોળકી સામે દેશભરમાંથી કુલ 119 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. સુરત પોલીસ હવે આ તમામ ફરિયાદોના તાર જોડીને તપાસ આગળ ધપાવી રહી છે. મુદ્દામાલ અને ધરપકડની કાર્યવાહીપોલીસ ટીમે દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટમાંથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ તેમજ પાસબુક જપ્ત કરી છે. આ ટોળકી છેલ્લા પાંચ મહિનાથી માસિક 15,000 રૂપિયાના ભાડાના ફ્લેટમાં રહીને આ રેકેટ ચલાવતી હતી. મુખ્ય આરોપી પ્રિયાંશુને મિર્ઝાપુરથી અને બાકીના આઠ શખ્સોને રીવાથી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે. નાનકડા ફ્લેટમાં 9 શખસોનું આખું રેકેટડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે, સુરતના એક નિવૃત્ત રેલવે ફિટરના પ્રોવિડન્ટ ફંડના ₹8.12 લાખ પેન્શન એક્ટિવેટ કરવાના બહાને સેરવી લેનાર સાયબર માફિયાઓને પકડવા સુરત પોલીસ જ્યારે મધ્યપ્રદેશના રીવા પહોંચી, ત્યારે દ્રશ્ય કોઈ ક્રાઈમ થ્રિલર જેવું હતું. ₹15,000ના ભાડાના એક નાના ફ્લેટમાં જમીન પર ગાદલા નાખીને 9 શખસો આખું રેકેટ ચલાવતા હતા, જેમાં પોલીસ ત્રાટકી ત્યારે બે આરોપીઓ તો નસકોરાં બોલાવી સુતા હતા અને તેમની ઊંઘ પૂરી થાય તે પહેલાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા. 27 મોબાઈલ, 3 લેપટોપ અને 391 બેંક ખાતાઓની વિગતો કબજે કરીઆશ્ચર્યની વાત એ છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના માત્ર 9 કે 10 પાસ હતા અને કોઈ વેલ્ડર તો કોઈ ડીજે ઓપરેટર તરીકે કામ કરતું હતું, છતાં તેમણે ટેકનોલોજીના સહારે ₹19.24 કરોડનું રાષ્ટ્રીય કૌભાંડ આચર્યું હતું. પોલીસે તેમની પાસેથી 27 મોબાઈલ, 3 લેપટોપ અને 391 બેંક ખાતાઓની વિગતો કબજે કરી છે, જેમાં દેશભરના 119 ભોગ બનનારાઓની ફરિયાદો જોડાયેલી છે.
દ્વારકામાં ફુલડોલ ઉત્સવ નિમિત્તે દર્શનાર્થે આવેલા બે પદયાત્રી શ્રદ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક પ્રવાહી ભેળવી તેમને બેભાન કર્યા બાદ દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના રૂડાભાઈ હાજાભાઈ મુંધવા (ઉં.વ. 60) તેમના કુટુંબીજનો સાથે 26 ફેબ્રુઆરીએ તરસાઈથી પગપાળા દ્વારકા જવા નીકળ્યા હતા. તેઓ 28 ફેબ્રુઆરીની રાત્રે દ્વારકા પહોંચ્યા હતા. 1 માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતાજીના દર્શન કર્યા બાદ ગોમતી ઘાટ પર સ્નાન કરીને સવારે દરિયાકાંઠા પાસે ચોપાટી વિસ્તારમાં બેઠા હતા. આ દરમિયાન આશરે 25 થી 30 વર્ષની વયના બે અજાણ્યા યુવાનો તેમની પાસે આવ્યા અને વાતચીત શરૂ કરી. તેઓએ પોતાને ભરવાડ જ્ઞાતિના જણાવી વિશ્વાસ કેળવ્યો. ત્યારબાદ દીવાદાંડી નજીક આવેલા નવા ગણપતિ મંદિરે દર્શન કરવા જવાનું કહી બંને વડીલોને સાથે લઈ ગયા. ત્યાં એક યુવાને શેરડીનો રસ લાવી બંનેને પીવડાવ્યો હતો. રસ પીધાના થોડા સમયમાં જ બંને વડીલો બેભાન થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે રૂડાભાઈ મુંધવા જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને તેમના કાકા ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું. અજાણ્યા શખ્સોએ તેમના કાનમાં પહેરેલા આશરે રૂપિયા 80,000ના સોનાના ઠોરીયા અને રૂપિયા 35,000 જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી, તેમ ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે દ્વારકા પોલીસે બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરી છે. પોલીસે યાત્રાળુઓને અજાણ્યા વ્યક્તિઓ પાસેથી ખાદ્યપદાર્થ કે પીણાં સ્વીકારતી વખતે સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના સભાખંડ ખાતે વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસર, ટેકનિકલ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સીધો સંવાદ કરી શહેરના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને જનસુવિધાના કામોની ઝીણવટભરી સમીક્ષા કરી. બેઠક દરમિયાન, પ્રભારી મંત્રીએ ધ્રાંગધ્રા શહેરમાં માર્ગોના નવીનીકરણ, પીવાના પાણીની પુરવઠા યોજનાઓ અને ડ્રેનેજ સિસ્ટમ જેવા પાયાના માળખાકીય કામોની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે, સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો મહત્તમ અને પારદર્શી રીતે ઉપયોગ થવો જોઈએ. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને તમામ પ્રોજેક્ટ્સ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું વહીવટી તંત્રની જવાબદારી છે. મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી કે, છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા એ લોકશાહીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે નગરપાલિકાના સભ્યો દ્વારા રજૂ કરાયેલા સ્થાનિક પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી, તેના ઝડપી અને કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું. મંત્રીએ ખાસ કરીને શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા પર ભાર મૂક્યો. આ પ્રસંગે, મંત્રીએ તમામ નગરપાલિકા સભ્યો સાથે સંવાદ સાધી તેમના વોર્ડના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજ્ય સરકારના સતત સહયોગ અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી ધ્રાંગધ્રા શહેરના વિકાસને નવી ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો અને સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આવતીકાલે 6 માર્ચ, 2026ના રોજ મળવાની છે. આ બેઠકમાં પાલિકાની વિવિધ મિલકતો અને અસ્કયામતોની સુરક્ષા માટે ખાનગી સિક્યોરિટી એજન્સીઓની નિમણૂક, ટેન્ડર પ્રક્રિયામાં એજન્સીઓના નામમાં ફેરફાર જેવી મહત્વની દરખાસ્તોને મંજૂરી અપાશે. ખાસ કરીને જે એજન્સીઓના લેબર લાયસન્સ રદ થયા હતા અને ત્યારબાદ અપીલમાં તેમને રાહત મળી છે, તેમને ફરીથી ક્વોલિફાઇડ ગણવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, વોચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા સુરત મનપાની મિલકતોની સુરક્ષા માટે ઓનલાઇન ટેન્ડર ID No. 126934 બહાર પાડવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન 'શિવ સિક્યુરીટી સર્વિસ' નામની એજન્સીનું લેબર લાયસન્સ મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા રદ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને ડિસક્વોલિફાઇડ કરવામાં આવી હતી. ડિસક્વોલિફાઇડ એજન્સીઓ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરવા દરખાસ્તઆ એજન્સીએ શ્રમ નિયામક ગાંધીનગર સમક્ષ અપીલ કરી હતી. અપીલ અધિકારીએ ઓગસ્ટ 2025માં લાયસન્સ રદ કરવાનો હુકમ રદ કરીને 1 માર્ચ 2022થી 28 ફેબ્રુઆરી 2025 સુધીના સમયગાળા માટે લાયસન્સ મંજૂર રાખવાનો આદેશ કર્યો છે. આ જ રીતે 'શક્તિ સિક્યુરીટી', 'એમ.કે. સિક્યુરીટાસ' અને 'શક્તિ પ્રોટેક્શન ફોર્સ લિમિટેડ' જેવી એજન્સીઓના કિસ્સામાં પણ ભૂતકાળની લાયસન્સ અનિયમિતતાઓ સુધારી દેવામાં આવી છે. કમિશનર દ્વારા આ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયામાં ફરી સામેલ કરવા અને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના નામ અને બંધારણમાં ફેરફારઆગામી સભામાં કેટલીક એજન્સીઓના નામ બદલવાની દરખાસ્તો પણ મંજૂરી માટે રજૂ કરાશે છે જેમાં શક્તિ પ્રોટેક્શન ફોર્સ આ એજન્સી પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત થતા હવે 'શક્તિ પ્રોટેક્શન ફોર્સ લિમિટેડ' તરીકે ઓળખાશે. તેમજ સૈનિક ઇન્ટેલિજન્સ ભારત સરકારના ગૃહ મંત્રાલયના પરિપત્ર મુજબ ખાનગી સુરક્ષા એજન્સીઓ Intelligence શબ્દનો ઉપયોગ કરી શકતી નથી. તેથી 'સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરીટી પ્રા.લિ.' એ પોતાનું નામ બદલીને 'સૈનિક ઇન્ટીગ્રેટેડ એન્ડ સિક્યુરીટી પ્રા.લિ.' કર્યું છે, જેને દફતરે નોંધવા વિનંતી કરાઈ છે. બ્લેક લિસ્ટમાં ન હોવા અંગેનું સોગંદનામું લેવાશેદસ્તાવેજો અનુસાર, હાઈકોર્ટના પેનલ એડવોકેટ પાસેથી પણ કાયદાકીય અભિપ્રાય લેવામાં આવ્યો છે. એજન્સીઓને વર્ક ઓર્ડર આપતા પહેલા તેમની પાસેથી અગાઉના લાયસન્સની પ્રમાણિત નકલો, ફોજદારી ગુના કે બ્લેક લિસ્ટમાં ન હોવા અંગેનું સોગંદનામું લેવામાં આવશે. જો ભવિષ્યમાં કોઈ પ્રતિકૂળ કિસ્સો બને તો મહાનગરપાલિકા સુરક્ષિત રહે તે માટે કરારમાં યોગ્ય વળતર અને સમાપ્તિની કલમોનો ઉલ્લેખ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. લાયસન્સ રદ થયા બાદ ફરીથી એ જ એજન્સીઓને કામ સોંપવાની હિલચાલને લઈ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. વિપક્ષ આ મુદ્દે શાસક પક્ષને ઘેરી શકે છે કે શા માટે વિવાદિત એજન્સીઓ પર આટલી મહેરબાની કરવામાં આવી રહી છે.
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ગત 1 માર્ચની રાત્રિએ એક એવી ઘટના બની હતી જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો. વર્ષોની મિત્રતા ક્ષણવારના આવેશમાં લોહીથી ખરડાઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો આપતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જામકા ગામના 19 વર્ષીય આશાસ્પદ યુવાન રાશિશ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીની તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ અંતે ખૂની ખેલનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મૃતક રાશિશ સોલંકી પોતાની બહેનને બોટાદ ખાતે લાઈવ ડેકોરેશનના કામ અર્થે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે વિસાવદર ખાતે રહેતા તેના નજીકના સગા રવિ સોલંકીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં રાત્રિભોજન કર્યા બાદ, રાશિશ અને રવિ ઇકો ગાડી લઈને જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢમાં તેઓ તેમના અન્ય ત્રણ મિત્રો—મીત સોલંકી, રોનક ચૌધરી અને હર્ષદ સોલંકીને ઇસ્કોન ચોકડી પાસે મળ્યા હતા. ત્યારબાદ આ પાંચેય મિત્રો કાળવા ચોક થઈને કડિયાવાડ વિસ્તારમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા. કોઈને અંદાજ નહોતો કે આ મુલાકાત રાશિશના જીવનની છેલ્લી મુલાકાત સાબિત થશે. કડિયાવાડમાં બેઠા હતા તે દરમિયાન, રાશિશ અને આરોપી રોનક ચૌધરી વચ્ચે સામાન્ય મજાક-મસ્તી શરૂ થઈ હતી. જોકે, આ મજાક જોતજોતામાં ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાટમાં આવી ગયેલા રોનક ચૌધરીએ ભાન ગુમાવ્યું હતું અને પોતાના પેન્ટના નેફામાં છુપાવી રાખેલી છરી કાઢી રાશિશ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ રોનકે હાજર અન્ય મિત્રોને પણ ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કહેશો તો તમામને તકલીફ પડશે. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં રાશિશને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, ગુનો આચર્યા બાદ આરોપી રોનક પોતે પણ અન્ય મિત્રો સાથે તેને હોસ્પિટલ લઈ ગયો હતો. મૃતકના પરિવારને શરૂઆતમાં માત્ર એટલી જ જાણ કરવામાં આવી હતી કે રાશિશને 'ક્યાંક લાગી ગયું' છે. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી જૂનાગઢના તબીબોએ તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ આ ૧૯ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી રોનક ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ આરોપીને કડિયાવાડમાં હત્યાના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. લંગડાતી હાલતમાં આરોપી રોનકે પોલીસ સમક્ષ પોતે આચરેલા પાપની કબૂલાત કરી હતી અને ઘટનાનું વર્ણન કર્યું હતું. આ દ્રશ્ય જોવા માટે કડિયાવાડમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રોનક મજૂરી કામ કરતો હતો. માત્ર સામાન્ય બોલાચાલીમાં એક મિત્રએ બીજા મિત્રના જીવનનો અંત આણી દીધો હતો.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) – TAT-HS 2026ની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ પરીક્ષા 29 માર્ચ 2026ના રોજ યોજાનારી હતી, પરંતુ હવે નવી તારીખ મુજબ આ પ્રાથમિક કસોટી 12 એપ્રિલ 2026ના રોજ યોજાશે. TAT-HS પરીક્ષા 29 માર્ચે યોજાવાની હતીરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ 5 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા જાહેરાત અનુસાર TAT-HS પરીક્ષાનું આયોજન 29 માર્ચે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે એ જ દિવસે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) યોજાનાર હોવાથી બંને પરીક્ષાઓ વચ્ચે સમય અને વ્યવસ્થાપન સંબંધિત અડચણો ઊભી ન થાય તે માટે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. TAT-HS 2026ની પ્રાથમિક કસોટી 12 એપ્રિલ લેવાશેપરિપત્રમાં જણાવાયું છે કે, પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે અને બંને પરીક્ષાઓ સુચારૂ રીતે યોજાઈ શકે તે હેતુથી રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS 2026ની પ્રાથમિક કસોટી હવે 12 એપ્રિલ 2026ના રોજ યોજવાનું નક્કી કર્યું છે. આ અંગેની તમામ સંબંધિત શાળાઓ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ તથા સંસ્થાઓને પણ જાણ કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે વધુમાં જણાવ્યું છે કે અગાઉ જાહેર કરાયેલા અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત નવીનતમ માહિતી, માર્ગદર્શિકા તથા અન્ય અપડેટ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
મોરબીમાં કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 પકડાયા:6.15 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસ કાર્યવાહી શરૂ
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા કબીર ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં ઘરધણી સહિત કુલ 18 શખ્સો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા. પોલીસે રોકડ અને વાહનો સહિત કુલ રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન કબીર ટેકરી શેરી નંબર 5 માં રહેતા કિશનભાઈ નરસીભાઈ અગેચાણિયાના મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી જુગાર રમતા પકડાયેલા શખ્સોમાં કિશનભાઈ નરસીભાઈ અગેચાણિયા (34), મિલનભાઈ નરસીભાઈ અગેચાણિયા (27), સુનિલભાઈ જગદીશભાઈ સનારીયા (32), જીગરભાઈ વ્રજલાલભાઈ દસાડિયા (37), પરાગભાઈ ભાગવતભાઈ પંચાસરા (44), આકાશભાઈ સુરેશભાઈ માંડવીયા (33), દિલીપભાઈ રજનીકાંતભાઈ મહેતા (63), વિશાલભાઈ પ્રફુલભાઈ મહેતા (31), વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ (32), રવિરાજભાઈ દિનેશભાઈ પારેખ (33), જીતેન્દ્રભાઈ રમેશભાઈ વાળા (35), અજયભાઈ શામળદાસ કાગડા (45), કૌશલભાઈ પ્રફુલભાઈ ખીલોશીયા (29), કલ્પેશભાઈ જગદીશભાઈ સોલંકી (30), દેવાંગભાઈ મહેન્દ્રભાઈ મહેતા (50), મૌલિકભાઈ વિજયભાઈ રાણપરા (32) અને ધીમલભાઈ હર્ષદભાઈ ગોસાઈ (36) (તમામ રહે. મોરબી) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2,15,250 રોકડા અને રૂ. 4 લાખના વાહનો સહિત કુલ રૂ. 6,15,250 નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
IND vs ENG Semi-Final LIVE : ભારતની ચોથી વિકેટ પડી, સૂર્યકુમાર આઉટ, સ્કોર 200 રનને પાર
T20 World Cup 2nd Semi-Final at Mumbai, India vs England Match LIVE : ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં પહોંચવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના સુકાની હેરી બ્રુક વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ભારત પહેલા બેટિંગ કરશે. અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ઈંગ્લેન્ડ સામે ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ પહેલા ગઈકાલે (4 માર્ચ) રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
માર્ચ મહિનામાં મુસાફરોની વધતી જતી ભીડ અને પ્રવાસની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ઉધનાથી સુબેદારગંજ અને આગ્રા કેન્ટ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, આ સુવિધાથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે. ઉધના-સુબેદારગંજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલટ્રેન નંબર 04156 ઉધનાથી દર મંગળવાર અને શુક્રવારે 16:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:00 કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 10 માર્ચ, 2026 થી 31 માર્ચ, 2026 દરમિયાન કુલ 14 ટ્રિપ્સ કરશે. પરત દિશામાં, ટ્રેન નંબર 04155 સુબેદારગંજથી દર સોમવાર અને ગુરુવારે 11:40 કલાકે ઉપડી બીજા દિવસે 13:15 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન વ્યારા, નંદુરબાર, ભુસાવલ, ઇટારસી અને ઝાંસી જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. જેમાં એસી-3 ટાયર, સ્લીપર અને જનરલ કોચની સુવિધા રહેશે. ઉધના-આગ્રા કેન્ટ સાપ્તાહિક સ્પેશિયલપ્રવાસીઓની સુવિધા માટે ટ્રેન નંબર 01908 ઉધનાથી દર બુધવારે 15:25 કલાકે ઉપડી બીજા દિવસે 08:30 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. આ ટ્રેન 11 માર્ચ થી 1 એપ્રિલ, 2026 સુધી ચાલશે. સામા પક્ષે, ટ્રેન નંબર 01907 આગ્રા કેન્ટથી દર મંગળવારે 18:45 કલાકે ઉપડી બીજા દિવસે 13:25 કલાકે ઉધના પરત ફરશે. આ ટ્રેન વડોદરા, રતલામ અને કોટા થઈને પસાર થશે. બુકિંગ અને વધુ માહિતીટ્રેન નંબર 04156 અને 01908 માટે ટિકિટ બુકિંગ 06 માર્ચ, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો સ્ટોપેજ અને સમયની વિગતવાર માહિતી માટે રેલ્વેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બનતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારે ગઢડા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરાને પેટમાં દુખાવો થતા તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. સગીરાએ તેના પરિવારને જણાવ્યું કે એક શખ્સે તેને ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ ખુલાસા બાદ પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગઢડા પોલીસે આ મામલે પોક્સો એક્ટ અને દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સગીરાના ગર્ભના મહિના જાણવા માટે વધુ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે, જેના રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. હાલ ગઢડા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ શહેરમાં ધુળેટી પર્વ પહેલા જાહેરમાં લોકો પર કલર ન ઉડાડવા બાબતે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે ગઈકાલે રેસકોર્ષ રિંગ રોડ ફરતે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ઉલાળીયો જોવા મળ્યો હતો. જાહેર રસ્તે નીકળતા વ્યકતીઓની સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી કાર ચાલકે પોલીસ સામે પણ રૌફ જમાવી કાળા કાચ કાઢવાની ના પાડી કાર ભગાડી હતી. દરમિયાન પ્રદ્યુમનનગર પોલીસે પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી તેને દબોચી કાર ચાલક વિરાજ જાની વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગીરથસિંહ રાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિરાજ અશ્વિન જાનીનું નામ આપતા પ્રદ્યુમનનગર પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમની ફરજ ઈન્વે ઈન્ચાર્જ પીએસઆઇ એસ.ડી.કોઠીવાર સાથે રાઈટર તરીકે હતી. 4.15 વાગ્યે રેસકોર્ષે રિંગ રોડ મેયરના બંગલાની સામે પહોચતા એક ઈનોવા કાર નંબર જીજે.03.એનએફ.3022માં બે વ્યકતી જાહેરમાં રંગ ઉડાડતા હતા જેમાં ડ્રાઈવીંગ સીટ ઉપર પુરુષ અને તેની બાજુમાં મહીલા હતા. પીએસઆઇ કોઠીવાર દ્વારા કાર ચાલકને જાહેરમાં કોઈને નડતર રૂપ થાય તે રીતે કલર ઉડાવવાની અને જાહેર રસ્તે નીકળતા વ્યકતીઓને ત્રાસદાયક તથા શારીરિક સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી ધુળેટી રમવાની અને કલર ઉડાડવાની ના પાડતા કાર ચાલકે ઉશ્કેરાય કહ્યું કે, જાઈએ છીએ હો જેથી પીએસઆઈએ કહ્યું કે, તમે કેમ આવી રિતે તોછડી ભાષામા વાત કરો છો, તમને ખબર નથી કે, રાજકોટ પોલીસ કમિશ્નરનુ જાહેરનામું છે, તો આ ઈનોવા ચાલક કે કહ્યું કે, હા મને ખબર જ છે. PSIએ કહ્યું પોલીસ સ્ટેશન ચાલો જેથી ઈનોવા ચાલક પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બહાર પોતાની ગાડી ઉભી રાખી ગાડીમાં બેઠો હતો જે બાદ સ્ટાફ કાર ચાલક પાસે ગયો અને કહ્યું કે, ગાડી નીચે ઉતર જેથી તે કારમાંથી નીચે ઉતર્યો હતો જેથી PSIએ કહ્યું કે, ગાડીના કાળા કાચ છે, તે તમે કાઢી નાખો અને તમારી ફોરવ્હીલના કાગળો બતાવો તો આ ઈનોવા ચાલકે કહ્યું કે, હું કાળા કાચ કાઢીસ નહી અને હું ફોરવ્હીલના ડોક્યુમેન્ટ બતાવીસ નહી. પોલીસ સ્ટેશનની અંદ૨ આવવા કહેતા પોતાની ગાડીમા બેસી ઈનોવા કાર લઈને પુરપાટ ઝડપે બે ફિકરાઈથી કાર ચાલાવી ભાગી ગયો હતો. બાદમાં પોલીસ સ્ટાફ ઈનોવા ગાડી પાછળ ગયો અને રેસકોર્ષ રિંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટરના સર્કલ પાસેથી રોકીને ફરીથી પોલીસ સ્ટેશન ખાતે લાવી અને નામ પુછતા પોતે પોતાનુ નામ વિરાજ અશ્વિન જાની જણાવ્યું હતું જેથી પોલીસે રેસકોર્ષ રિંગ રોડ મેયરના બંગલાની સામે જાહેર રસ્તે નીકળતા વ્યકતીઓને ત્રાસદાયક તથા શારીરિક સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જે નવ મંદિરોનું નિર્માણ કર્યું તેમાંનું પાંચમું મંદિર જેતલપુર સ્વામિનારાયણ ધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારજની પ્રાણપ્રતિષ્ઠા કરી જેને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દ્વિશતાબ્દીના ભાગરૂપે નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યારે બપોર પછીના સેશનમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતાં. 'દરેકને ભગવાને જ બનાવ્યા છે તો નાત-જાત ઉંચ-નીચ ક્યાંથી આવી?'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે આ પ્રસંગે હરી-ભક્તોને સંબોધતા હળવી શૈલીમાં કહ્યું હતું કે, એક સિનિયરને મળીને જુનિયરને જે ખુશી થાય એવી ખુશી મને આજે થઇ રહી છે. કેમકે જે કામ કરતા અમને 100 વર્ષ થયા એજ કામ સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી કરી રહ્યું છે. ધર્મ દરેકને જોડે છે, વિખરાવા નથી દેતું તે જ રીતે આપણે પણ આપણા જીવનમાં જોડવાનું કામ કરવાનું છે અને લોકોમાં વિખરાવ ના આવે એવું કરવાનું છે. દરેક લોકોને ભગવાને જ બનાવેલા છે તેથી નાત-જાત ઉંચ-નીચ ક્યાંથી આવી? 'જે વ્યવસ્થામાં ભેદની ભાવનાં ઘુસે તે ધર્મ-સમાજનું નુકસાન કરે'જુનાં સમયમાં જાતી-વર્ણની વ્યવસ્થા હશે, ભેદ-ભાવ ક્યાંથી આવ્યો? વ્યવસ્થા ભેદ માટે નથી હોતી, જે વ્યવસ્થામાં ભેદની ભાવનાં ઘુસી જાય તે ધર્મ અને સમાજનું નુકસાન કરે છે. ધર્મની રક્ષા એની જાતે જ થાય છે. આજની પરિસ્થિતીમાં આખી દુનિયાને રસ્તો દેખાડવાનું કામ ભારતની પાસે જ આવવાનું છે, એનાથી આપણે છુટી નહિ શકિએ, આજ અથવા કાલે આપણે આ કાર્ય કરવાનું જ છે. દુનિયા જોડે સમસ્યાઓનાં ઉકેલ નથી, એ આપણે જ કરવું પડશે અને જો કરવું હસે તો આપણે તૈયાર થવું પડશે. '200 વર્ષ પહેલા સ્વામિનારાયણ મહારાજે આપણને શિક્ષા આપી'જેમ 100 વર્ષ પેહલાં સંઘનિર્માતા જેમ અમને શિખવાડ્યું અને પ્રેક્ટિસ કરાઇ એજ રીતે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ મહારાજે આપણને શિક્ષા આપી. કામ એક જ છે, બંને અલગ સ્વરુપમાં ચાલે છે કેમ કે મનુષ્યસમાજ વિવિધ છે. એક જ રસ્તે બધા ચાલે જ નહી કેમ કે બધાને પોતાની રૂચી અને પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ રસ્તા જોઇતાં હોય છે તો રસ્તા અલગ છે. જવાનું એક જ જગ્યાએ છે એ સમજ રાખીને પોતાના રસ્તાં પર શ્રદ્ધા મુજબ ચાલવું પડશે. એક-બીજાને પુરક થઇને ચાલવું પડશે. ગુજરાતમાં વ્યસન મુક્તિ છે અને સેવાની પ્રવૃત્તિ પણ સરાહનીય છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષનાં કાર્યોનાં લીધે છે. રાજ્યપાલનું પ્રાકૃતિક ખેતી અપનાવવા લોકોને આહ્વાનરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે કે સ્વામિનારાયણ મંદિર જેતલપુર કે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરી હતી, તેના દ્વિશતાબ્દિ મહોત્સવની ઉજવણી કરવા આપણે ઉપસ્થિત થયાં છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય જ્યાં આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યાં સામાજિક ક્ષેત્રમાં પણ કલ્યાણના ઘણાં કાર્યક્રમો આયોજિત કરે છે. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીની તેમની અનોખી પહેલ, આરોગ્ય ઉપર તેના સકારાત્મક પ્રભાવ વિશે પણ ઉપસ્થિત લોકોને જાણકારી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લોકોને આહ્વાન કર્યું હતું. 'લોકોમાં હિન્દુત્વની જાગૃકતા અને દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ'અવસર દ્વિશતાબ્દી મહોત્સવનાં સ્વાગત પ્રવચન આપતાં ભાવી આચાર્ય વજેન્દ્રપ્રસાદજીએ કહ્યું હતું કે, આજે જ્યારે સ્વામિનારાયણ જેતલપુર ધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ પુર્ણ થઇ રહ્યાં છે, ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 100 વર્ષ પુર્ણ થઇ રહ્યાં છે જે ખુબજ સૌભાગ્યની વાત છે. જેતલપુર મંદિર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હિન્દુત્વને લઇને દરેક લોકોમાં હિન્દુત્વ માટેની જાગૃકતા અને દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે તેને આપણે બધાએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. આ પ્રયાસ દરેક હરી-ભક્તો અને સંતોએ એકસાથે મળીને સફળ બનાવવાનો છે. જ્યાં સુધી આપણે બધા હિન્દુ સનાતન ધર્મને આગળ નહી લઇ જઇએ ત્યાં સુધી આ સનાતન ધર્મનું ભવિષ્ય સુરક્ષિત નહી રહે. છેલ્લા ઘણા દશકોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત આ માટે દેશ-વિદેશમાં દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કામ કરી રહ્યાં છે. 'અમારા લોકોની પરંપરા અખંડ ભારતનું સપનું નથી, અખંડ ભારત સત્ય છે'આ પ્રસંગે આભારવિધિ કરતાં નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય છે. જ્યારે સંઘ પરિવાર છે અને બંનેનાં કાર્ય એક જ છે. અમારા લોકોનાં સિધ્ધાંત, અમારા લોકોની પરંપરા અખંડ ભારતનું સપનું નથી, અખંડ ભારત સત્ય છે. આજથી 20-25 વર્ષ પહેલા વિદેશમાં લોકો ભારતીયને જોઇને દેશી આવ્યા એવું કહેતાં હતાં, જ્યારે આજે એક ભારતીય વિદેશ જાય છે અને એને જે સન્માન મળે છે એની પાછળ સૌથી વધુ બલીદાન અને જાગૃતિ ફેલાવવાનું કાર્ય ભાગવતજીએ કર્યું છે. ભાગવતજીના નેતૃત્વમાં જે અમારો સંઘ-પરિવાર છે એને જે કાર્યો કર્યાં છે એની અસર હવે દેખાઇ રહી છે. ત્રણ પેઢીથી આ કામ થતું આવ્યું છે, બધાએ પોત-પોતાનું કાર્ય કર્યું છે, બધાએ પોત-પોતાનું યોગદાન આપ્યું છે, બલીદાન આપ્યું છે, ત્યાગ આપ્યો છે, સમય આપ્યો છે, બુદ્ધિ-શરીર અને આ બધાનો ઉપયોગ અને ત્યાગ બહુ વધારે છે એવું મારૂ માનવું છે અને જેના લીધે આજે વિદેશમાં આપણને ગર્વ પ્રાપ્ત થયું છે. આ જે પરંપરા, આપણી સમરસતા, આપણો દેશ, આપણી ઉન્નતિ અને વિશ્વ શાંતી અને વિશ્વ શક્તિની રીતે જે ઉભા થયા છે એ ધર્મનાં લીધે જ શક્ય છે. આ કાર્યક્રમમાં આરએસએસના ક્ષેત્રિય પ્રચારક ચિંતન પરીખ, ક્ષેત્રિય પ્રચારક રમેશભાઇ બાપા, ગુજરાત સરકારના મંત્રી ઋષિકેષ પટેલ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગત વર્ષે અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની ઘાતક હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી. પોલીસે આ કાવતરા પાછળ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સોપારી આપનાર મૃતકના પાર્ટનર આરોપી બિલ્ડર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. મનસુખ લખાણી સિવાય ત્રણેય આરોપી રાજસ્થાનના છે. અમદાવાદ સેશન્સ કોર્ટમાં 30 દિવસના હંગામી જામીનની અરજી મૂકી હતીઆ વિવાદ નિકોલ ખાતે કેન્સ કોર્નર સાઇટના બાંધકામના હિસાબના વિવાદમાં થયો હતો. જેમાં આરોપી મનસુખ લાખાણીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં 30 દિવસના હંગામી જામીન માંગતી અરજી મૂકતા રજૂઆત કરી હતી કે તેની પત્નીને કેન્સર છે અને કીમો થેરાપીની સારવાર અપાઈ રહી છે. ત્યારે માનવતાના ધોરણે તેને હંગામી જામીન આપવા જોઈએ. અગાઉ 16 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતાસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, વર્તમાન અરજદાર આરોપીએ મૃતક આતે 1.20 કરોડની સોપારી આપી હતી અને ભાડુતી માણસો દ્વારા ખૂન કરાવ્યું હતું. તેની પત્નીની સાર સંભાળ રાખવા તેના પુત્ર અને પુત્રવધૂ છે. વળી અરજદારને અગાઉ આ જ ગ્રાઉન્ડ ઉપર 16 દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે બંને પક્ષોને સાંભળીને અરજદારની અરજી નકારી નાખી હતી.
અમેરિકાએ ઈસ્લામિક વર્લ્ડના લીડર બનાવાના સપના જોનાર ઈરાનને તો પટકાવી દીધું, હવે વાતો થઈ રહી છે કે અમેરિકાનો નેક્સ્ટ ટાર્ગેટ પાકિસ્તાનને ઠાર કરવાનો હોય શકે છે. અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાનને ભોંય ભેગું કરી દીધું છે. ત્યારે મધ્ય પૂર્વના સળગતા આકાશમાં ગુંજતી મિસાઈલોએ ખાલી જીઓગ્રાફિકલ બોર્ડર જ નથી તોડી, પણ ઈસ્લામિક ઉમ્મા કે ઈસ્લામિક એકતાના દાયકાઓ જૂના ભ્રમને પણ રાખ કરી દીધો છે. વિનાશક હુમલા અને આયાતુલ્લા ખમેનીના ખાત્મા બાદ અંતે સાબિત થઈ ગયું છે કે આજની દુનિયામાં ધર્મ નહીં, પણ નેશનલ ઈન્ટરેસ્ટ એટલે કે રાષ્ટ્રહિત જ સર્વોપરી છે. કારણ કે જ્યારે તેહરાન અસ્તિત્વની લડાઈ એકલું લડી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનનો ઈસ્લામિક ન્યૂક્લિયર બોમ્બ માત્ર કાગળનો વાઘ સાબિત થયો અને OIC એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓર્પોરેશન મુંગા મોઢે બધું જોઈ રહ્યું છે... મેઈન વાત આપણે પાકિસ્તાનની કરવી છે કારણ કે તે ઈતિહાસના સૌથી ભયાનક વળાંક પર છે, જ્યાં પશ્ચિમી સરહદ પર અફઘાનિસ્તાન સાથે ઓપન વોર છે અને ઘરઆંગણે ‘આસિમ મુનીર મુર્દાબાદ’ના નારા સાથે ગૃહયુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે. 5 મોરચે ઘેરાયેલું પાકિસ્તાન, અમેરિકન એજન્ડા અને આર્થિક પતન વચ્ચે શું પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? આજે આપણે તેની વાત કરવી છે. નમસ્કાર... વર્ષ 2026ની શરૂઆતનો સમયગાળો ઈતિહાસના પાના પર એવા વળાંક તરીકે લખાશે જ્યાં ઈસ્લામિક યુનિટીની આઈડિયોલોજી અને વર્લ્ડ પોલિટિક્સ વચ્ચેની ખાઈ દુનિયા સામે ખુલ્લી પડી ગઈ છે. ઈસ્લામિક વર્લ્ડે વર્ષોથી ઉમ્માહ એટલે કે એક અખંડ મુસ્લીમ સમુદાયનો એક ખ્લાય દુનિયા સામે મુક્યો હતો. જે ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધના ધુમાડામાં ગાયબ થઈ ગયો છે. કોમ્યુનિઝમની જેમ ઈસ્લામિક યુનિટી ખુબ જ સુંદર વિચાર લાગે પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં તે તાશના પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હોવાનું ઈરાન વોરમાં જોવા મળી રહ્યું છે. એ ઈરાન જ હતું જેણે 1979માં ઈસ્લામિક એકતાનો વિચાર દુનિયા સામે મૂક્યો હતો. પણ ઈસ્લામ માત્ર સાધન હતું, વિચાર હતો ઈરાનને ઈસ્લામિક વર્લ્ડનું લીડર બનાવવું. જ્યારે આપણે ઈસ્લામિક વર્લ્ડ કહીએ ત્યારે તેને ઈસ્લામિક કન્ટ્રીઝ સમજવું. ન તો શિયા, ન તો સુન્ની; બધાએ હાથ ઊંચા કર્યા આ જ ઈસ્લામિક કાર્ડથી ઈરાને પેલેસ્ટાઈન મુદ્દાને એક હથિયાર બનાવીને શિયા-સુન્ની મુસલમાન ભાઈઓને અલગ થતા બચાવવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે એ જ ઈરાનને બચાવવાની વાત આવી ત્યારે આરબ રાષ્ટ્રનો ન તો શિયા સમુદાય મેદાને આવ્યો ન તો સુન્ની સમુદાય. બધા જ ઈરાનનું પતન અત્યારે લાઈવ ટીવી પર કે મોબાઈલ પર જોઈ રહ્યા છે. OIC: 57 દેશોનો બિનઅસરકારી કાગળનો વાઘ હવે વાત કરીએ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓર્પોરેશનની. 57 દેશોનું આ ઓર્ગેનાઈઝેશન ફરી એકવાર કાગળનો વાઘ સાબિત થયું છે. કારણ કે જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈની પર અમેરિકાએ હુમલો કર્યો ત્યારે 57 દેશોમાંથી એક પણ દેશ કંઈ ન બોલ્યો. OIC ફક્ત આદર્શવાદી વાતો કરતું નજરે પડ્યું. આનાથી સાબિત થયું કે OICમાં વિદેશનીતિ કે ડિફેન્સ સ્ટ્રેટેજીની વાતો માત્ર વાતો જ રહી ગઈ. જેનું પણ કારણ છે કે ઈરાનની ઈસ્લામિક વર્લ્ડમાં વધતી ઈમેજ સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોને પસંદ નહોતી આવી રહી. આ લિબરલ ઈસ્લામિક દેશો કટ્ટરવાદી ઈરાનને ધાર્મિક ભાઈ તરીકે નહીં પણ ખતરા તરીકે જ જોતું હતું. ઈરાનનો પરાજય અને આંતરિક વિખવાદ ઈરાને પોતાની રક્ષા માટે જે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ઉભી કરી હતી, તે 2026માં નબળી સાબિત થઈ છે. ઈરાને ઉભા કરેલા હિઝબુલ્લાહ અને હુથી જેવા આતંકવાદી સંગઠનો કોઈ મોટું યુદ્ધ જીતી શકે તેમ નથી તે સાબિત થઈ ગયું. આ બધાની વચ્ચે સૌથી મોટો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ઈરાને પોતાના જ ઈસ્લામિક ભાઈઓના દેશો પર મિસાઈલ્સ દાગી. આ પગલાએ ઈરાનને ઉમ્માહના રક્ષક તરીકેની છબીનો કચ્ચરઘાણ વાળી દીધો. હવે આ યુદ્ધ ઈરાન વર્સિસ વેસ્ટની જગ્યાએ ઈરાન વર્સિસ આરબ જગત બની ગઈ છે. પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ: માત્ર ભારત માટે? અને જ્યારે વાત ઈસ્લામની આવે અને પાકિસ્તાનનું નામ ન આવે તો તે તેનું અપમાન કહેવાય. કારણ કે પાકિસ્તાને વર્ષોથી પોતાની ન્યુક્લિયર શક્તિને ઈસ્લામિક કન્ટ્રીના રક્ષક તરીકે ગણાવ્યું હતું. ઈરાની નેતા મોહસેન રઝાઈએ દાવો કર્યો કે પાકિસ્તાનની ન્યુક્લિયર શક્તિ ઈરાન માટે ઢાલ બનશે પણ પાકિસ્તાને તો પોતાના ઈસ્લામિક ભાઈ ઈરાનની મદદ કરવાની જગ્યાએ પોતાના નેશનલ ઈન્ટરેસ્ટને આગળ ધરીને હાથ ઉંચા કરી દીધા. એક્સપર્ટ આને બીટવિન ધ લાઈન્સ સમજી રહ્યા છે કે પાકિસ્તાન સેના અને સરકારનું આ પગલું સાબિત કરે છે તેના ન્યુક્લિયર હથિયાર આરબ જગતની રક્ષા માટે નહીં પણ ભારત વિરોધમાં ઉભા કરાયા છે. પાકિસ્તાન જાણે છે કે જો તે ઈરાનના સમર્થનમાં પરમાણું હથિયારો ખુલ્લા મુકશે તો તે વર્લ્ડ લેવલે ઈરાનની જેમ જ એકલું પડી જશે. ઉપરથી પાકિસ્તાનની એવી જરા પણ આર્થિક હાલત નથી કે પશ્ચિમી દેશો સામે કે ઈઝરાયલ સામે સીધો મોરચો માંડે. પાકિસ્તાન: ઘેરાયેલું સળગતું રાષ્ટ્ર પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કારણ કે પાકિસ્તાન અત્યારે અંદરથી બળી રહ્યું છે અને બહારથી ઘેરાયેલું છે. આપણે 3 મુદ્દાથી આ વાત સમજીએ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ અને તાલિબાની તરખટ ફેબ્રુઆરી 2026માં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓ કરી બંને દેશો વચ્ચેની ડ્યુરન્ડ લાઈનને ફરી સળગાવી દીધી. જે તાલિબાને પાકિસ્તાનને પોતાની શક્તિ ગણાવ્યું હતું તે એસેટ હવે લાયબલિટી બની ગયું છે. આંતરિક અંધાધૂંધી: BLA અને TTPનો પડકાર પાકિસ્તાન દેશમાં પણ આંતરિક અંધાધૂંધી છે. બલોચ લીબરેશન આર્મી અને આતંકવાદી સંગઠન તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સેનાનું નાક દબાવી રહ્યું છે. BLA અને TTPના પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા ખાલી આતંકવાદી ઘટનાઓ જ નથી પણ પાકિસ્તાનની સેનાને સીધો પડકાર છે. ઈરાની તેલની દાણચોરી બંધ, આર્થિક સંકટ પાકિસ્તાન અને ઈરાનના સંબંધો અત્યારે ડિપ્લોમસીના તળિયે છે. ઈરાનથી જે ગેરકાયદેસર તેલ આવે છે તે પાકિસ્તાન સરકારને દેશ ચલાવવા રૂપિયા આપે છે. પણ યુદ્ધના કારણે આ દાણચોરી પણ બંધ થઈ ગઈ છે જે પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો છે. હવે પાકિસ્તાનને વધુ એક મોરચે મોંઘવારીનો અજગર ભરડો લેશે. આસિમ મુનીર વિરુદ્ધ જનતાનો આક્રોશ અને રોષ આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનમાં સરકાર કરતાં સેના શક્તિશાળી રહી છે. પાકિસ્તાની સેનાના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર અત્યારે ઈસ્લામિક ભાઈ ઈરાન મામલે મૌન રહેવા બદલ જનતાના રોષનો સહન કરી રહ્યા છે. કરાચીથી લઈને PoKના ગિલગિટ અને બાલ્ટીસ્તાન સુધી આસિમ મુનીર મુર્દાબાદના નારા સોશિયલ મીડિયાના કારણે દુનિયા સાંભળી રહી છે. પાકિસ્તાનનો કોમન મેન માને છે કે તેમની સેના અમેરિકા અને સાઉદી અરેબિયાના ડોલર માટે ઈસ્લામિક ભાઈ ઈરાન મામલે મોઢામાં મગ ભરાવીને બેઠું છે. વોશિંગ્ટનથી ચાલતી પાકિસ્તાનની વિદેશી નીતિ યાદ હોય તો જૂન 2025માં વ્હાઈટ હાઉસની મીટિંગ પછી પાકિસ્તાને જે રીતે પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે એ બીટવીન ધ લાઈન્સ કહી જાય છે કે પાકિસ્તાનની વિદેશ નીતિ ઈસ્લામાબાદથી નહીં પણ વોશિંગ્ટનથી મેનેજ થઈ રહી છે. સાઉદી અરેબિયા સાથેનો સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ એ હકિકતે ઈરાનને અલગથલગ કરવાની એક મોટી ચાલ છે જેમાં પાકિસ્તાન સાઉદીનું પ્યાદું બની ગયું છે. શિયા-સુન્ની વિભાજન અને નાગરિકો પર દમન ફેબ્રુઆરી અને માર્ચમાં પાકિસ્તાનના રસ્તાઓ પર કોમન પાકિસ્તાની મેનનું લોહી વહ્યું તે વિરોધ ન હતો. તે આ બધી જ વાતનો પુરાવો હતો. ગિલ્ગિટ-બાલ્ટિસ્તાનમાં 17 લોકોના મોત અને કરાચીમાં અમેરિકન કોન્સ્યુલેટ પરનો હુમલો સાબિત કરે છે કે પાકિસ્તાનમાં શિયા-સુન્ની ડિવિઝન ચરમ સીમા પર છે. શિયા મુસ્લીમ ભાઈઓ ઈરાનના સમર્થનમાં રસ્તા પર છે જ્યારે પાકિસ્તાની સેના પોતાની સત્તા બચાવવા માટે એ બધુ જ કરી રહી છે જે ઈરાનના ઈસ્લામિક ભાઈ તરીકે તેમને ન કરવું જોઈએ. પાકે. કેમ ઈરાનને સપોર્ટ ન કર્યો? પણ લોકોના વિરોધ છતાં પાકિસ્તાન ઈરાનને કેમ સપોર્ટ નથી કરી રહ્યું? તો આ સવાલનો જવાબ છે પાકિસ્તાનનું ખરડાયેલું અર્થતંત્ર. તેમને ડિપ્લોમસી કરતા ડિફોલ્ટ થવાનો ડર છે. એક બાજુ પાકિસ્તાન સાઉદી અરેબિયા અને અમેરિકા પાસેથી દેવા માટે કરગરે છે તો બીજી બાજુ પાકિસ્તાની જનતા સસ્તા ઈરાની તેલ માટે જંખે છે. દેવું અને સાઉદી અરેબિયાની આર્થિક ગુલામી હવે પાકિસ્તાન ઈરાનનો કેવી રીતે ફાયદો ઉઠાવતું હતું તેની વાત કરીએ. દર વર્ષે પાકિસ્તાનમાં અંદાજે 1 બિલિયન ડોલરનું ઈરાની તેલ ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી રહ્યું હતું. આ એ જ તેલ છે જે પાકિસ્તાન સામે મોરચો માંડેલા બલૂચિસ્તાનના લોકોની આજીવિકા છે. હાલ ઈરાન યુદ્ધના કારણે બોર્ડર્સ બંધ થઈ ગઈ છે. ઈરાની આર્મીએ ઈરાન પાસેથી તેલ જાય છે તે સમુદ્રી માર્ગ હોમુર્ઝને બંધ કરી દીધું છે. બંનેના કારણે તેલની કિંમતો આસમાનને ચૂંબી રહી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયાને લાલ સમુદ્રથી તેલ આપવા ભીખ માગી છે, જે બીટવિન ધ લાઈન્સ કહી જાય છે કે ઈસ્લામાબાદ હવે પૂરી રીતે રિયાધનું આર્થિક ગુલામ બની ગયું છે. પાકિસ્તાન સાઉદી અરેબિયા સામે કરોડરજ્જું સીધી કરે તો ભૂખ ભેગું થાય એમ છે. જ્યારે પેટ ખાલી હોય ત્યારે ઉમ્માહ કે ઈસ્લામિક કાર્ડના પત્તા કાગળનો વાઘ બની જાય છે. પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ્સ અમેરિકાના નિશાને? હવે સૌથી મહત્વના વિષય પર વાત કરીએ કારણ કે આના જ કારણે કહેવામાં આવી રહ્યું છે કે જેવા હાલ આજે ઈરાનના થયા છે ભવિષ્યમાં તેવા જ હાલ અમેરિકા પાકિસ્તાનના પણ કરી શકે તેમ છે. વાત જાણે એમ છે કે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર અમેરિકા અને ઈઝરાયલે હુમલા કર્યા પછી ઈરાને પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ્સની માગ કરી. પાકિસ્તાને મદદ કરવાની ના પાડી દીધી પણ આ સ્થિતિ બીટવીન ધ લાઈન્સ કહી જાય છે કે પશ્ચિમી દેશો માટે પાકિસ્તાનનું ન્યુક્લિયર કન્ટ્રી હોવું ખતરનાક સાબિત થઈ શકે છે. પશ્ચિમમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે જો પાકિસ્તાન આંતરીક રીતે ભાંગી પડે અને પાકિસ્તાનમાં કોઈ કટ્ટરપંથી જૂથ દેશની ધુરા સંભાળી લે તો તેના 150થી વધુ ન્યુક્લિયર મિસાઈલ્સ આખી દુનિયા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે તેમ છે. ખુદ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફનો ડર વાજબી કહી શકાય કે ઈરાન પછી અમેરિકાનું નિશાન હવે પાકિસ્તાન હોય શકે છે. કારણ પાકિસ્તાનનું ઈસ્લામિક દેશ હોવું નહીં પણ ન્યુક્લિયર સ્ટેટ હોવું છે. ઈરાનની જેમ હવે પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સ તહેસનહેસ કરવા પશ્ચિમ પ્લાન ઘડી શકે છે. ઈરાને મિસાઈલ માગી અને પાક. ભરાયું પણ ફરી આના માટે આપણે સાઉદી અને પાકિસ્તાનનો આપણે જે વાત કરી તે ડિફેન્સ પ્લાન યાદ કરવો પડશે. બંને વચ્ચેના SMDA કરાર મુજબ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો ગણાશે. એટલે પાકિસ્તાન પર હુમલો એટલે સાઉદી પર હુમલો. અને સાઉદી પર હુમલો એટલે પાકિસ્તાને સેના અને ન્યુક્લિયર વેપન્સ આપવા પડશે. પણ થયું કંઈક ગજબ. હમણા જ્યારે ઈરાને સાઉદી પર મિસાઈલ્સ દાગી ત્યારે પાકિસ્તાન ધર્મ સંકટમાં મુકાયું. જો પાકિસ્તાન સાઉદી અરબને મદદ માટે પોતાની સેના મોકલે તો તેને ઈરાન સાથે સીધું યુદ્ધ ગણી શકાય અને જો સેના ન મોકલે તો સાઉદીથી મળતી ખૈરાત બંધ થઈ જાય. સાઉદી કરાર અને મુનીરની ડબલ ગેમ આ સિચ્યુએશનમાં મુનીર મિયાંએ એક સ્માર્ટ રમત રમી. અફઘાનિસ્તાન સામે સરહદ વિવાદ વધારી દીધો. જેથી સાઉદી મદદ માગે તો કહેવા થાય કે અમે જ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સામે જંગમાં છીએ મદદ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. પણ સવાલ છે કે આર્મી જનરલ આસિમ મુનીરની ડબલ ગેમ કેટલો સમય ચાલી શકશે. પાકિસ્તાનની આ બધી જ હાલત આપણને કહી જાય છે કે અત્યારે પાકિસ્તાન 1971 પછીની સૌથી મોટી કટોકટીમાં છે. સેના-સરકાર-જનતા વચ્ચે ખાઈ પાકિસ્તાની જનતા અત્યારે અમેરિકા અને ઈઝરાયલના વિરોધમાં અને ઈરાનના સમર્થનમાં છે. પાકિસ્તાન આર્મીએ બાળકો સહિત નાગરિકો પર ગોળીઓ વરસાવી છે તેણે લોકોને સેના સામે ભડકાવી દીધા છે. કરાચીના અમેરિકન દૂતાવાસ પરનો હુમલો એ ગવાહી આપી જાય છે કે પાકિસ્તાની લોકો હવે સરકાર કે આર્મીના કન્ટ્રોલમાં નથી. ભારત વિદેશ નીતિમાં ખરેખર ન્યુટ્રલ છે જ્યારે પાકિસ્તાન ન્યુટ્રલ હોવાનો ઢોંગ કરે છે. પાકિસ્તાની જનતાનો ઈરાન તરફી અને અમેરિકા અને ઈઝરાયલ વિરોધી માહોલ કહી જાય છે કે સેના, સરકાર અને લોકો વચ્ચે સમજણમાં મોટી ખાઈ ઉભી થઈ ગઈ છે. ઈરાનનું ક્રાંતિ કાર્ડ એક્સપાયર ઈરાન યુદ્ધે સાબિત કરી દીધું છે કે મુસ્લીમ વર્લ્ડ કલ્ચરલ યુનિટ હોય શકે છે પણ પોલિટિકલ કે ડિફેન્સ યુનિટ નથી. ઈરાન અત્યારે એકલું પડી ગયું છે કારણ કે નેશનલિઝમના જમાનામાં ધાર્મિક ક્રાંતિનું પ્રોડક્ટ વેચવા ગયું. બીજી બાજુ પાકિસ્તાન અત્યારે લકવાગ્રસ્ત થઈ ગયું છે કારણ કે તેણે જાતે જ પોતાની ઈકોનોમીને બીજા દેશના હાથોમાં ગીરવે સોંપી દીધી છે. પાકિસ્તાન કિલ્લો પણ અંદરથી ઘેરાયેલો પાકિસ્તાને હવે કાંતો અમેરિકાના વધેલા ઘટેલા સાથી તરીકે રહેવું પડશે અથવા આંતરિક ગૃહયુદ્ધનો સામનો કરવો પડશે. ઈઝરાયલ ઈરાન યુદ્ધે ઉમ્માના ખ્લાયને કાયમી દફનાવી દીધો છે. પાકિસ્તાને ભલે પોતાને કિલ્લો માને પણ હકિકતમાં તો તે અંદરથી ઘેરાયેલો કિલ્લો બની ગયું છે. નકશામાંથી ગાયબ થવા પાક.ની તૈયારી? જો પાકિસ્તાન આતંકવાદની સફાઈ કરીને પોતાનું ઘર ચકચકાટ ચમકાવવું પડશે; નહીં તો પોતાના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફના કહેવા મુજબ અમેરિકા હવે પાકિસ્તાન પર હુમલો કરે તો નકશામાંથી ગાયબ થવાની તૈયારી રાખવી પડશે. અને છેલ્લે... પાકિસ્તાની મીડિયામાંથી એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે ઈઝરાયલે ઈરાન સાથે જે કર્યું છે તે પ્રધાનમંત્રી મોદી અને ભારતની યોજના મુજબ કર્યું છે. પાકિસ્તાન અને તેનું નેરેટિવ બિલ્ડિંગ યુનિટ એવી અફવાઓ ફેલાવી રહ્યું છે કે ભારત ઈઝરાયલ સાથે મળીને પાકિસ્તાનને નકશા પરથી મીટાવવા મરણિયા પ્રયાસો કરે છે. પણ આ બધુ તે પોતાની કંગાળિયતને ઢાંકવા લોકોને મુર્ખ બનાવવાનો એક પ્રોપોગેંડા છે. હકિકત તો એ છે કે એ જ પ્રધાનમંત્રી મોદી અને એ જ ભારત આજે ઈઝરાયલ સાથે ડિફેન્સ ડિલ પણ કરે છે અને ઈરાન સાથે ચાબહાર પોર્ટ પણ બનાવવાની તાકાત રાખે છે. પાકિસ્તાન મિત્રો બનાવી નથી શકતું અને ભારતની વધતી ઈમેજને પચાવી પણ નથી શકતું સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
અમદાવાદ શહેરમાં ખાણીપીણીના એકમો અને હોટલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓમાંથી જીવાત અને અન્ય વસ્તુઓ નીકળવા અંગેની ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે શહેરના સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટમાં આવેલા Wah પીઝા એન્ડ ભેળ હાઉસમાં ગ્રાહકના ચણાપુરીમાંથી મૃત ગરોળી નીકળી હતી. ડીપ ફ્રીઝરમાં પણ જીવિત જીવાતો જોવા મળી હતીગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક દુકાન ઉપર પહોંચી હતી જ્યાં તપાસ કરતા અનહાઇજેનિક કન્ડિશન મળી આવી હતી તેમજ ડીપ ફ્રીઝરમાં પણ જીવિત જીવાતો જોવા મળી હતી. દુકાનમાં ગંદકી અને મૃત ગરોળી નીકળતા દુકાનને તાત્કાલિક ધોરણે સીલ કરવા ની કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રાહકને મળી તપાસ કરતા ચણાપુરીમાં મૃત ગરોળી જોવા મળી હતીમ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ આજે 5 માર્ચના રોજ બપોરે 12:30 વાગ્યાની આજુબાજુ એક વ્યક્તિએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેલિફોનિક ફરિયાદ કરી હતી કે, શહેરના સી.જી. રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટમાં Wah પીઝા એન્ડ ભેળ હાઉસમાં ચણાપુરીમાંથી મૃત ગરોળી નીકળી છે. જેના તેમણે ફોટોગ્રાફ્સ લઈ લીધા હતા. ફરિયાદ મળતાની સાથે જ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસર તાત્કાલિક દુકાન ખાતે પહોંચ્યા હતા. દુકાને પર પહોંચી અને ગ્રાહકને મળી તપાસ કરતા ચણાપુરીમાં મૃત ગરોળી જોવા મળી હતી, તેમાં ફોટોગ્રાફ્સ પણ બતાવવામાં આવ્યા હતા અને સ્થળ તપાસ કરતા વાત સાચી હોવાનું સામે આવ્યું હતું. AMC ફૂડ વિભાગે Wah પીઝા એન્ડ ભેળ હાઉસને સીલ કરીચણાપુરી જેવી ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુમાંથી મૃત ગરોળી નીકળી હતી, જેના આધારે ફૂડ વિભાગ દ્વારા દુકાનમાં તપાસ કરવામાં આવતા ખૂબ જ ગંદકી જોવા મળી હતી. દુકાનમાં જે ડીપ ફ્રીઝર રાખવામાં આવ્યું હતું તેમાં પણ તપાસ કરતા જીવિત જીવાતો ત્યાં ફરતી જોવા મળી હતી. પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને મૃત ગરોળી મળી આવી હતી જેથી અન હાઇકેજનિક કન્ડિશન હોવાને લઈને AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ચોક્કસ મુદ્દત માટે Wah પીઝા એન્ડ ભેળ હાઉસને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરીજનોના આરોગ્ય સાથે છેડા કરનાર ધંધાકીય એકમો સામે ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
સુરત શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવવા અને આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવા માટે કાર્યરત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને વધુ વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વની તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર-2 ભેસાણથી સારોલી અંતર્ગત જહાંગીરાબાદ વાયડક્ટ માટે જરૂરી જમીન ફાળવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. જહાંગીરાબાદમાં 537 ચોરસ મીટર જમીન ફાળવવાની હિલચાલગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કોરિડોર-2 પર જહાંગીરાબાદ ખાતે મેટ્રોના પિલર અને વાયડક્ટની કામગીરી માટે જમીનની માંગણી કરવામાં આવી હતી. દરખાસ્ત મુજબ, જહાંગીરાબાદના બ્લોક નં. 248 પૈકીની કુલ 537.20 ચોરસ મીટર જમીન મેટ્રો પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે. આ જમીન હાલમાં સુરત મહાનગરપાલિકાના હસ્તક છે અને તેનો ઉપયોગ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિતમાં કરવામાં આવશે. 99 વર્ષના ભાડાપટ્ટે જમીન અપાશેસરકારના મહેસૂલ વિભાગના ઠરાવ અને શહેર વિકાસ વિભાગની ગાઈડલાઈન્સ મુજબ આ જમીન GMRC ને 99 વર્ષના લાંબા ગાળાના ભાડાપટ્ટે આપવાનું આયોજન છે. મહત્વનું છે કે, આ જમીન માટે વર્તમાન જંત્રીના દર અંદાજે રૂ. 20,000 પ્રતિ ચો.મી. મુજબ વાર્ષિક ભાડું વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત, નિયમાનુસાર અન્ય વેરાઓ પણ લેવામાં આવશે. ભાડાપટ્ટાની શરત મુજબ 99 વર્ષનું વાર્ષિક ભાડુ એડવાન્સમાં વસૂલ કરવાની જોગવાઈ પણ દરખાસ્તમાં સામેલ છે. મેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મનપાના હાઈડ્રોલિક વિભાગ પાસેથી પણ અભિપ્રાય મેળવવામાં આવ્યો છે. જહાંગીરાબાદમાં જે સ્થળે મેટ્રોના પિલર આવવાના છે, ત્યાં અગાઉ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન હતું, પરંતુ જનહિતમાં મેટ્રોની કામગીરીને પ્રાથમિકતા આપી પ્લાન્ટના લે-આઉટમાં જરૂરી ફેરફાર કરીને મેટ્રો માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. રૂપાલી કેનાલ મેટ્રો સ્ટેશન માટે પણ જમીનનો પ્રશ્ન ઉકેલાશેમાત્ર જહાંગીરાબાદ જ નહીં, પરંતુ દરખાસ્તમાં જણાવ્યા મુજબ કોરિડોર-1 ના રૂપાલી કેનાલ મેટ્રો સ્ટેશન ના એન્ટ્રી-એક્ઝિટ અને સ્ટેશન બોક્સના કોલમ ફૂટિંગ માટે મજૂરા વિસ્તારની અંદાજે 66 ચોરસ મીટર જમીન પણ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ, શહેરના બંને મુખ્ય મેટ્રો કોરિડોર પર આવતી જમીન સંપાદનની અડચણો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત મેટ્રો એ કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંયુક્ત પ્રોજેક્ટ છે. દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેટ્રો પ્રોજેક્ટ જાહેર હિત માટે અત્યંત આવશ્યક હોવાથી જંત્રી ભાવે જમીન ફાળવવી અનિવાર્ય છે. આવતીકાલે સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત મંજૂર થયા બાદ તેને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ મોકલવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્ત પર આવતીકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સભ્યો ચર્ચા-વિચારણા કરીને મંજૂરીની મહોર મારશે.
આંબાવાડીના નિહારિકા બંગલોઝમાં રંગોત્સવની ઉજવણી:રહેવાસીઓએ એકબીજાને રંગો લગાવી તહેવારની મજા માણી
આંબાવાડી વિસ્તારમાં આવેલા નિહારિકા બંગલોઝના રહેવાસીઓ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના ગરબા ચોક ખાતે સવારે રહેવાસીઓ એકત્ર થયા હતા. પરંપરાગત રીતે એકબીજાને રંગો લગાવી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, યુવાનો અને વડીલો સૌએ સંગીતના તાલે નૃત્ય કરીને પ્રાકૃતિક રંગો સાથે આનંદ માણ્યો હતો. સોસાયટી સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે આવા સામૂહિક તહેવારો રહેવાસીઓ વચ્ચે એકતા, સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બનાવે છે. આ પ્રકારે નિહારિકા બંગલોઝ ખાતે ધૂળેટીનો તહેવાર સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આત્રેય એલિગન્સ સોસાયટીમાં ધૂળેટીની ઉજવણી:સમિતિના સભ્યો અને બાળકોએ રંગોત્સવનો આનંદ માણ્યો
નાના ચિલોડા સ્થિત આત્રેય એલિગન્સ સોસાયટીમાં હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આયોજન સોસાયટી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં સોસાયટીના સભ્યો, બાળકો અને સમિતિના હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ એકબીજાને રંગો લગાવી, ગુલાલ ઉડાડી રંગોત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ પ્રસંગે અખિલેશભાઈ, પ્રવીણભાઈ, જીતુભાઈ, મહિપતભાઈ, ધવલભાઈ, પ્રકાશભાઈ, સુનિલભાઈ, અર્પણભાઈ, મહારાજભાઈ, રામવીરભાઈ, ગબ્બરભાઈ, હિતેશભાઈ, સંજયભાઈ, અંકિતભાઈ, કમલેશભાઈ, સત્યમ અને માનવ સહિતના સમિતિના સભ્યો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓર્ચિડ એક્ઝોટીકા મકરબામાં ધુળેટીની ઉજવણી:સોસાયટીના સભ્યોએ ડીજેના તાલે રંગોત્સવ માણ્યો
અમદાવાદના મકરબા સ્થિત ઓર્ચિડ એક્ઝોટીકા સોસાયટીમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌએ ભાગ લીધો હતો. સોસાયટીના બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝનોએ સાથે મળીને આ રંગોના પર્વને માણ્યો હતો. સૌએ એકબીજાને રંગો લગાવી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી દરમિયાન ડીજેના તાલે સંગીતનો માહોલ જામ્યો હતો, જેના પર સૌ કોઈએ નૃત્ય કરી ધુળેટીની મજા માણી હતી. આ પ્રસંગે સોસાયટીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ કવરનું અનાવરણ કર્યું. આ ટિકિટ છોટાઉદેપુર જિલ્લાના પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ ‘કવાંટ ગેર મેળા’ની સાંસ્કૃતિક મહત્તાને ઉજાગર કરે છે. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટપાલ ટિકિટ અને કવરની પ્રથમ પ્રત ભેટ આપી હતી. આ ટપાલ ટિકિટ ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં મદદરૂપ થશે. આ પહેલ રાજ્યની આદિવાસી ધરોહરને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘કવાંટ ગેર મેળો’ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણનું પ્રતિક છે. તે પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. આ મેળો સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિને પણ ઉજાગર કરે છે.
રાજ્યની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સરકાર સામે મોરચો માંડતા ગાંધીનગરમાં ભારે હોબાળો મચ્યો છે. વર્ષ 2019માં આપવામાં આવેલા મોબાઈલ હવે તદ્દન બિનઉપયોગી અને 'ડબલા' થઈ ગયા હોવા છતાં નવી સુવિધા ન મળતા આજે ગાંધીનગરની સેંકડો બહેનોએ એકઠા થઈને CDPOને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ પાઠવવામાં આવેલા આ આવેદનમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, આગામી 6 માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. હજુ પણ જૂના હેન્ડસેટથી જ કામ ચલાવવું પડી રહ્યું છેઆંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પડતર માંગણી ઓ મુદે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વર્ષ 2022થી નવા મોબાઈલ આપવાના વચનો અપાયા છે પરંતુ, હજુ સુધી જૂના અને નકામા થઈ ગયેલા હેન્ડસેટથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે. આ જૂના મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરવી હવે અશક્ય બની ગઈ છે તેમ છતાં તંત્ર દ્વારા સંગમ અને કેવીટી જેવી એપ્લિકેશનો પર સો ટકા કામગીરી કરવાનું દબાણ કરવામાં આવે છે. ટેક્નિકલ ખામીઓની જાણ હોવા છતાં બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસરો મૌનઆવેદનમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે, એવીટી એપ્લિકેશન યોગ્ય રીતે કામ કરતી નથી અને આંગણવાડીમાં બાળકોની હાજરી વધુ હોવા છતાં એપ્લિકેશનમાં ઓછી સંખ્યા દેખાય છે, જેના કારણે ખોટી હાજરીની ગણતરી થાય છે. આ તમામ ટેક્નિકલ ખામીઓની જાણ હોવા છતાં બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસરો મૌન સેવી રહ્યા હોવાનો આક્રોશ બહેનોએ ઠાલવ્યો છે. બહેનોનો મોટાભાગનો સમય નવી-નવી એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ જાય છેકાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે આઈસીડીએસનો મુખ્ય હેતુ બાળકોનું પોષણ અને પૂર્વ શિક્ષણ છે પરંતુ, હાલમાં સ્થિતિ એવી છે કે બહેનોનો મોટાભાગનો સમય નવી-નવી એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થઈ જાય છે. આ સતત માનસિક ભારણને કારણે બાળકો પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. અલ્પ પગાર અને અન્ય 12 જેટલા જૂના પ્રશ્નોનો સરકાર વહેલી તકે ઉકેલ લાવે તેવી માંગ સાથે બહેનોએ હવે લડાયક મૂડ અપનાવ્યો છે. 6 કલાકની મર્યાદામાં કામ કરવું હવે મુશ્કેલ બન્યું છેજ્યાં સુધી નવા મોબાઈલ ન મળે ત્યાં સુધી ઓનલાઈન રિપોર્ટિંગ સંપૂર્ણ બંધ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. 6 કલાકની મર્યાદામાં કામ કરવું હવે મુશ્કેલ બન્યું છે અને આ શોષણ હવે સહન નહીં કરવાની રણનીતિ ઘડવામાં આવી છે તેમ વધુમાં બહેનોએ જણાવ્યું છે.
ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે એક દાયકા જૂના ખૂની હુમલાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સેકટર 24 માં મટન શોપ ચલાવતા પિતા પુત્રએ બકરી બાંધવા મુદ્દે પડોશમાં રહેતા બે ભાઈઓ પર છરી વડે કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો. જે કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે આરોપી પુત્રને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓને તેમના બકરા યોગ્ય રીતે બાંધવા માટે સમજાવ્યા હતાઆ કેસની વિગત એવી છે કે સેક્ટર-24, ઇન્દિરાનગરમાં રહેતા ફરિયાદી લાલાજી આદાજી માજીરાણા ભીલના મકાન પાસે આરોપી સદ્દામ કુરેશી અને તેના પિતા મોહમ્મદ શફી ઉર્ફે ભુરાભાઈ કુરેશી બિશમીલ્લા મટન શોપ આવેલી હતી. ગત તા.12 નવેમ્બર, 2014ના રોજ લાલાજી અને તેનો ભાઈ ભગેશે આરોપીઓને તેમના બકરા યોગ્ય રીતે બાંધવા માટે સમજાવ્યા હતા. આ મુદ્દે મામલો બિચકતા આરોપીઓ ફરિયાદીની જ્ઞાતિ વિશે જાણતા હોવા છતાં એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી સદ્દામ કુરેશીએ મોટી છરી વડે ફરિયાદીના ખભા પર અને ભગેશના પેટના ભાગે ગંભીર ઘા માર્યા હતા. જેના લીધે તેના પેટના આંતરડા બહાર આવી ગયા હતા.જ્યારે તેના પિતા મોહમ્મદ શફી ઉર્ફે ભુરાભાઈએ લાકડી વડે માર મારી જાહેરનામાનો ભંગ કર્યો હતો. 12 વર્ષની સખત કેદની સજા ફટકારીઆ ચકચારી કેસની સુનાવણી ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી. રાણાની કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા કુલ 22 સાક્ષીઓ અને ડોક્ટરોની તપાસ કરવામાં આવી હતી. સરકારી વકીલે ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે સમાજમાં વધતા જતા આવા હિંસક કિસ્સાઓને રોકવા માટે આરોપીઓને કડક સજા થવી અનિવાર્ય છે. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને મુખ્ય આરોપી સદ્દામ મહમંદસફી ઉર્ફે ભૂરાભાઈ કુરેશીને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરી 12 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
બનાસકાંઠામાં દિશા કમિટીની બેઠક યોજાઈ:સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં વિવિધ યોજનાઓની સમીક્ષા
બનાસકાંઠાના પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ તમામ નગરપાલિકાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના અધિકારીઓએ સાંસદ સમક્ષ તેમની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી. સમીક્ષા કરાયેલી મુખ્ય યોજનાઓમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈ.સી.ડી.એસ., માર્ગ અને મકાન (સ્ટેટ), ઈ-ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન અને ખેતીવાડી વિભાગ સહિતના અન્ય વિભાગોની કામગીરીનો અહેવાલ પણ રજૂ કરાયો હતો. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે પાયાની સુવિધાઓનો ઝડપી વિકાસ થવો જરૂરી છે. આ દિશામાં સૌએ સજાગતા અને સમન્વય સાથે કાર્ય કરવું જોઈએ. તેમણે વિકાસ કાર્યોમાં 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો, જેથી વિકાસ માટે વધારાની ગ્રાન્ટ મેળવવામાં પણ મદદ મળી શકે. વધુમાં, સાંસદે નગરપાલિકાઓમાં સીસીટીવી કેમેરા સ્થાપવા માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આનાથી ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે અને આ પ્રોજેક્ટ અન્ય નગરપાલિકાઓ માટે પણ ઉદાહરણરૂપ બની શકે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર સંયુક્ત ઓપરેશન કરીને પશ્ચિમ બંગાળથી સ્કૂલ અને કોર્ટને બોમની ધમકી આપવા મામલે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું કે, તે માત્ર જૂના મેઇલ આઈડીના પાસવોર્ડ બદલીને 100થી 200 રૂપિયામાં મુખ્ય આરોપીઓને વેચતો હતો. ઝડપાયેલા આરોપીની ઉપર પણ બે લેયરમાં અન્ય આરોપીઓ છે, જે હજુ પણ ફરાર છે. આ મુખ્ય આરોપીઓ વિદેશમાં હોવાની પૂરી શક્યતા છે. જ્યાં સુધી મુખ્ય આરોપીઓ નહિ પકડાઈ ત્યાં સુધી બોમ્બની ધમકી મળવાનું બંધ નહીં થાય તેવું સાયબર ક્રાઈમનું જ કહેવું છે. ધો.12 પાસ આરોપી બાંગ્લાદેશમાં સાયબર કેફે ચલાવતોઅમદાવાદ સહિત રાજ્યની સ્કૂલ અને નીચલી અદાલતોને છેલ્લા એક વર્ષથી ધમકી ભર્યા મેઇલ મળી રહ્યા હતાં, જે મામલે પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સૌરભ વિશ્વાસ નામના આરોપીની પકડ કરી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં રહેતો હતો. બાંગ્લાદેશમાં સાયબર કેફે ચલાવતો હતો, જ્યાં નાના-મોટા કોર્સ પણ લોકોને શીખવતો હતો. આરોપીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ આરોપીએ સાયબરને લગતા ઓનલાઇન કોર્ષ પણ કર્યા છે. જુના મેઇલના ID પાસવર્ડ બદલી વેચતો હતોઆરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી વર્ષો જૂના અને બંધ પડેલા મેઇલ આઇડી વેચવાનું કામ કરતો હતો. જુના આઇડીના પાસવર્ડ બદલીને આરોપી ટેલિગ્રામના ગ્રુપમાં બલ્કમાં વેચી દેતો હતો. આરોપીને મેઇલ આઈડી વેચવા બદલ પ્રતિ મેઇલ 100થી 200 રૂપિયા મળતા હતા. આરોપીએ અત્યાર સુધી મેઇલ આઇડી ટેલિગ્રામ મારફતે વેચ્યા છે. મેઇલ આઇડી ખરીદનાર કોણ હતા? તેની જાણ હજુ આરોપીને પણ નથી. આરોપી પાસેથી 150 અલગ-અલગ ID મળીઆરોપી પાસેથી મેઇલ આઇડી ખરીદનાર વ્યક્તિએ જ ધમકી ભર્યા મેઇલ કર્યા હતા. પકડાયેલા આરોપી પાસેથી 150 અલગ-અલગ મેઇલ ID મળી આવ્યા છે, જેમાંથી 7 મેઇલ દ્વારા ગુજરાતમાં સ્કૂલ અને કોર્ટને ઉડાવાની ધમકી મળી હતી. આ મેઇલ આઇડી ખાલિસ્તાનના નામે કરવામાં આવ્યા હતા. આરોપીને પકડવામાં સાયબર ક્રાઈમ સાથે પણ ફ્રોડક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવા સાયબર ક્રાઈમે ટ્રેપ ગોઠવી હતી. ડમી ગ્રાહક બનીને જે મેઇલ આઇડીથી મેઇલ આવ્યા હતા, તે મેઇલ આઇડી ખરીદવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ સાયબર ક્રાઈમ સાથે પણ ઠગાઈ થઈ હતી. 15 દિવસની મહેનત બાદ ટ્રેપ ગોઠવીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ સાયબર ટેરરિઝમના ગૂનો નોંધવામાં આવ્યો છે. આરોપીની અન્ય રાજ્યની એજન્સી પણ પૂછપરછ કરશેઆરોપી પાસેથી ઘણો બધો ડેટા મેળવવામાં આવ્યો છે, જેનાથી અન્ય રાજ્યોમાં પણ મેઇલ કરવામાં આવ્યા હતા. આરોપીની સેન્ટ્રલ એજન્સીઓ અને અન્ય રાજ્યોની એજન્સી દ્વાર પણ પૂછપરછ કરવામાં આવશે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસ્તરે વિવિધ કમિટીઓની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ આ કમિટીઓ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી હોવાનું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જાહેર કરેલા પ્રેસનોટમાં જણાવાયું છે. લાલજી દેસાઈને ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડાને કન્વીનર બનાવવામાં આવ્યાપાર્ટીએ ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવા માટે સ્ટ્રેટેજી, કેમ્પેઈન, ઇલેકશન મેનેજમેન્ટ, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મેનિફેસ્ટો, મીડિયા અને પબ્લિસિટી સહિત કુલ 7 મહત્વપૂર્ણ કમિટીઓ બનાવી છે. સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ તરીકે ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લાલજી દેસાઈને ઉપાધ્યક્ષ અને હેમંગ વસાવડાને કન્વીનર બનાવવામાં આવ્યા છે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે શૈલેશ પરમારને જવાબદારી સોંપાઈકેમ્પેઈન કમિટીના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ, ઇલેકશન મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે સિદ્ધાર્થ પટેલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ તરીકે શૈલેશ પરમારને જવાબદારી સોંપાઈ છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર, વ્યૂહરચના અને સંગઠનાત્મક કામગીરી મજબૂત બનાવવાનો પ્રયાસમીડિયા કમિટીના અધ્યક્ષ તરીકે ડૉ. અમી યાજ્ઞિક અને પબ્લિસિટી કમિટીના અધ્યક્ષ તરીકે કાદિરભાઈ પીરઝાદાની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસે આ કમિટીઓ મારફતે રાજ્યમાં ચૂંટણી પ્રચાર, વ્યૂહરચના અને સંગઠનાત્મક કામગીરી વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના સચિન GIDC વિસ્તારમાં વર્ષ 1998માં થયેલી એક ચકચારી હત્યાના ગુનામાં છેલ્લા 28 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપી વિજય ઉર્ફે બીજી સ્વાઈને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. 32 વર્ષનો જવાન લોહી ઉકાળે સામાન્ય ઝઘડામાં ખૂન કરી, મુંબઈથી સુરત ફરવા આવીને 'હત્યારો' બની ગયો હતો.60 વર્ષનો વૃદ્ધ, જેણે અડધી જિંદગી ભાગેડુ તરીકે વિતાવી, ઓળખ છુપાવી ઓરિસ્સામાં ખેતમજૂરી કરતો શાંત જીવન જીવતો હતો. સ્થાનિક વેશભૂષામાં રહી ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધોસુરત ક્રાઈમ બ્રાંચની 'ખૂન-ખૂનની કોશિશ તથા ધાડ-લૂંટ સ્કોડ' છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ ગુનાઓના આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે, સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વર્ષ 1998ના હત્યાના ગુનાનો આરોપી વિજય ઉર્ફે બીજી કૃષ્ણ સ્વાઈ (ઉ.વ. 60) ઓરિસ્સાના ગંજામ જિલ્લાના પુરુષોત્તમપુર તાલુકાના સીકુલા ગામમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની એક ટીમ તાત્કાલિક ઓરિસ્સા રવાના થઈ હતી અને સ્થાનિક વેશભૂષામાં રહી ઓપરેશન પાર પાડી આરોપીને દબોચી લીધો હતો. શું હતી 1998ની એ રાતની ઘટના?ઘટનાની વિગત મુજબ વર્ષ 1998માં સચિન જીઆઈડીસી રોડ નંબર-84 પર પ્લોટ નંબર-868માં રાજુભાઈ હરિલાલ ગાંધીનું કાપડ વણાટનું કારખાનું આવેલું હતું. આ કારખાનાના રૂમ નંબર-4ની બાજુમાં આરોપીઓએ એક અજાણ્યા ઈસમ સાથે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીઓએ તે અજાણ્યા વ્યક્તિને ગંભીર માર મારી તેની ક્રૂર હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે સચિન પોલીસમાં આઈપીસી કલમ 302, 114 મુજબ ગુનો નોંધાયો હતો. ત્રણ સાગરીતો પકડાયા પણ વિજય પોલીસને હાથતાળી આપતો રહ્યોઆ હત્યાના કેસમાં અગાઉ તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપીના સાગરીતો (1) સુજન ઉર્ફે શીવા બંસી સ્વાઈ, (2) બાબુલા ઉર્ફે વિકાસ અને (3) ફકીરા દંડાસી પ્રધાનની ધરપકડ કરી લીધી હતી. જોકે, વિજય ઉર્ફે બીજી સ્વાઈ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. તેની ધરપકડ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ 70 મુજબનું વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપીએ પોતાની ઓળખ અને રહેઠાણ સતત બદલીને પોલીસને 28 વર્ષ સુધી દોડતી રાખી હતી. મુંબઈથી સુરત ફરવા આવ્યો અને હત્યાના ગુનામાં સંડોવાયોઆરોપી વિજયની પૂછપરછમાં સામે આવ્યું કે, 1998માં તે મુંબઈના મુલુંદ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતો હતો. તેનો સગો ભાણેજ સુજન ઉર્ફે શીવા સચિનના પાલીગામમાં રહેતો હોવાથી તે તેને મળવા અને સુરત ફરવા માટે આવ્યો હતો. એક સાંજે વિજય, તેનો ભાણેજ અને અન્ય મિત્રો સચિન જીઆઈડીસીમાં ફરવા નીકળ્યા ત્યારે એક અજાણ્યા વ્યક્તિ સાથે સામાન્ય વાતમાં બોલાચાલી થઈ હતી. જે પરિણમી હત્યામાં અને વિજયનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું. પકડાઈ જવાના ડરે પશ્ચિમ બંગાળની કોલસાની ખાણમાં મજૂરી કરીહત્યાને અંજામ આપ્યા બાદ વિજયને અહેસાસ થયો હતો કે પોલીસ તેને શોધી લેશે. ધરપકડથી બચવા માટે તે તાત્કાલિક ગુજરાત છોડીને પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. ત્યાં તેણે લાંબો સમય સુધી કોલસાની ખાણોમાં મજૂરી કામ કર્યું હતું જેથી કોઈ તેને ઓળખી ન શકે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ થાળે પડી હોવાનું માની તે થોડા વર્ષો પહેલા પોતાના વતન ઓરિસ્સા પરત ફર્યો હતો અને ત્યાં ખેતમજૂરી કરવા લાગ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોએ ખેલ પાડી દીધોસુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ અંતર્ગત ક્રાઈમ બ્રાંચે જૂના રેકોર્ડ્સ તપાસ્યા હતા. આરોપીના વતનની વિગતો કઢાવી ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી. 28 વર્ષ પછી આરોપીને એમ હતું કે હવે તેને કોઈ ઓળખશે નહીં, પરંતુ ક્રાઈમ બ્રાંચની ટીમે સચોટ ઓપરેશન દ્વારા તેને તેના વતનમાંથી જ ઝડપી પાડ્યો છે. હાલ આરોપીનો કબજો મેળવી તેને સચિન પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સંતોએ અનાવાડા ગૌશાળાના આયોજકોનું સન્માન કર્યું:સનાતન ધર્મ રક્ષા અને લોકજાગૃતિ પર ચર્ચા થઈ
હારીજ તાલુકાના માલસુંદ ગામે બુધવારે સંત મિલન યોજાયું હતું. આ પ્રસંગે સંતો દ્વારા અનાવાડા ગૌશાળા ખાતે યોજાયેલ ગૌ ભક્તિ મહોત્સવના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંતોએ સનાતન ધર્મની રક્ષા અને લોકજાગૃતિ અંગે ચર્ચા કરી હતી. આ સંત મિલન માલસુંદ ગામના અગ્રણી નરેશભાઈ જોષીના ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું. પ્રકાશાનંદજી મહારાજ દ્વારા અનાવાડા ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોષી, મુખ્ય યજમાન ચેતનભાઇ વ્યાસ તેમજ અન્ય કાર્યકરોનું સાલ ઓઢાડી અને રુદ્રાક્ષની માળા પહેરાવી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં અડિયા દુધેશ્વર મહાદેવના મહંત ગજાનંદ ગીરીજી મહારાજ, અનાવાડા ગૌશાળાના મુકુન્દ પ્રકાશજી મહારાજ, કચ્છના આદિપુર સ્થિત પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશાનંદજી મહારાજ અને યુવા સંન્યાસી ધિરેનસ્વરૂપજી મહારાજ સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. સંતોએ સનાતન ધર્મની રક્ષા માટે આવશ્યક લોકજાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ગૌભક્તિના કાર્યને પણ બિરદાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ ઠાકર, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભરતભાઈ આર્ય, વિશ્વ હિન્દુ પરિષદના નીતિનભાઈ વ્યાસ, ચંદ્રુમાણાના અગ્રણી પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, મહેન્દ્રભાઈ દવે, પાટણવાડા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ સુમનભાઈ વ્યાસ, નિયડ બ્રહ્મ સમાજના જીતેન્દ્ર જોષી અને વિરેશ વ્યાસ સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ફેબ્રુઆરી મહિનામાં મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 'સેવા હી સંકલ્પ' અભિયાન હેઠળ આરપીએફની ટીમે વિવિધ ઓપરેશન્સ દ્વારા રેલવે મુસાફરોને મોટી રાહત પહોંચાડી છે. ફેબ્રુઆરી માસ દરમિયાન ડિવિઝનલ સુરક્ષા આયુક્ત કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ દ્વારા અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. જેમાં 1 મહિનામાં મુસાફરોનો ગુમ થયેલો રૂ. 2.35 લાખનો સામાન પરત અપાવ્યો હતો. જ્યારે 10 આરોપીઓની ધરપકડ અને 5 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આરપીએફ દ્વારા 'ઓપરેશન અમાનત' હેઠળ કુલ 27 મુસાફરોનો અંદાજે રૂ. 2,35,867ની કિંમતનો ગુમ થયેલો સામાન શોધીને તેમને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, 'ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ 5 બાળકોને રેસ્ક્યૂ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જ્યારે 'ઓપરેશન ડિગ્નિટી' અંતર્ગત પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને મદદ કરી હતી. સાથે રેલવે સંપત્તિની સુરક્ષાનાં 'ઓપરેશન રેલ સુરક્ષા' હેઠળ ચોરીના કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અકારણ ચેન પુલિંગના 28 કેસ નોંધી 21 વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રેન પર પથ્થરમારો કરનાર એક શખ્સને પણ ઝડપી લેવાયો હતો. વાહનોમાં પસંદગીનાં નંબર મેળવવાની તક રાજકોટ RTO દ્વારા ફેન્સી નંબર માટે રી-ઓક્શન કરાશે રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા હેવી ગુડઝ વ્હીકલ અને ત્રિચક્રી વાહનો માટે GJ-03-BZ તથા GJ-03-CUJ સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓક્શન 10 માર્ચથી શરૂ કરવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન ચાલકોએ 10 થી 14 માર્ચ દરમિયાન parivahan.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. ઓકશનમાં બિડિંગની પ્રક્રિયા 14 થી 16 માર્ચના સાંજના 04:00 કલાક સુધી ચાલશે, ત્યારબાદ 17 માર્ચના રોજ કચેરીમાં જરૂરી ફોર્મ જમા કરાવવાના રહેશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદી મુજબ, અરજદારે પોર્ટલ પર પબ્લિક યુઝર આઈડી બનાવી CNA ફોર્મ ભરી નિયત લઘુત્તમ ફી ભરવાની રહેશે. હરાજીમાં નંબર ફાળવાયા બાદ 05 દિવસમાં બાકીની રકમ ભરી RTO એપ્રુવલ મેળવવાનું રહેશે. વાહન ખરીદીના 07 દિવસમાં ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે અને સમયમર્યાદા બાદની કોઈ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા અને ધાણા સહિત વિવિધ જણસીઓની મબલખ આવક સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉનાળો વ્હેલો આવી ગયો હોય તેમ કેટલાંક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ જ ગયો છે. હવે હોળાષ્ટક પુરા થતા સાથે વાતાવરણ વધુ ગરમી પકડવા લાગશે. આ સાથે માર્કેટ યાર્ડોમાં શિયાળુ પાકની આવકોમાં મોટો વધારો થવા લાગ્યો છે. ધુળેટીની ગઈકાલની રજા બાદ આજે માર્કેટયાર્ડ ખુલતાની સાથે જ ઘઉંની 50,000 મણની આવક થઈ હતી. આવતા દિવસોમાં આવકમાં હજુ વધારો થવાની ગણતરીએ ભાવ નબળા હતા. આ જ રીતે ચણામાં 22000 મણ, તુવેરમાં 9000 મણ, રાયડાના 3000 મણ, મેથીમાં 4200 મણ, જીરૂમાં 17000 મણની આવક હતી. ધાણામાં જંગી માલ ઠલવાઈ ચુકયો હોય પ્રમાણમાં ઓછી આવક હતી. આ સિવાય મગફળી, સીંગદાણા, લસણ, તલની પણ નોંધપાત્ર આવક થઈ હતી.
કવાંટના રૂમડીયામાં ગોળ ફેરિયાનો મેળો યોજાયો:વિદેશી પર્યટકોએ આદિવાસી સંસ્કૃતિ પ્રત્યક્ષ નિહાળી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળી પર્વ નિમિત્તે અનોખા ગોળ ફેરિયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જ્યાં તેઓ હોળીના બીજા દિવસથી જ ઉત્સવની ઉજવણી શરૂ કરે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મેળો લગભગ 200 વર્ષથી યોજાઈ રહ્યો છે અને તેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડે છે. હોળીનો તહેવાર આદિવાસીઓ માટે એટલો મહત્વનો છે કે મજૂરી અર્થે દૂર ગયેલા લોકો પણ વતન પરત ફરે છે અને ધામધૂમથી ઉજવણીમાં ભાગ લે છે. મેળામાં આદિવાસી મહિલાઓ પોતાના ગામના પરંપરાગત રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરીને આવે છે. યુવાનો અને યુવતીઓ પણ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈને મેળાની શોભા વધારે છે. મોટાભાગના પુરુષો આદિવાસી સમાજનો પરંપરાગત ડ્રેસ અને લાલ પાઘડી પહેરીને આવે છે, જેને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ મેળામાં આદિવાસીઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે પણ આવે છે. ગોળ ફેરિયાનો મુખ્ય રીતિ-રિવાજ એક ખાસ માંચડા પર કરવામાં આવે છે. આ માંચડા પર સાગના લાકડાનું થડ રોપવામાં આવે છે, જેના પર 'પાગડી' નામનું ગોળ ફેરવવા માટેનું લાકડું ગોઠવાયેલું હોય છે. માનતા રાખેલા લોકો દોરડા વડે આ 'પાગડી'ને ગોળ ફેરવીને પોતાની માનતા પૂરી કરે છે. આ વિધિ ચોક્કસ ગોત્રના લોકો દ્વારા જ કરવામાં આવે છે. આ પરંપરાગત મેળામાં વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદિવાસી સંસ્કૃતિ, રીતિ-રિવાજો અને ઉત્સાહપૂર્ણ વાતાવરણનો આનંદ માણ્યો હતો, જે આ મેળાનું એક વિશેષ આકર્ષણ બન્યું હતું.
ભાવનગર શહેરની જનતાની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.7 ને શનિવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 87 ઠરાવોના અંદાજે રૂપિયા 114.20 કરોડના ખર્ચના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવશે. મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાની આ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, આ કામો માટે અમૃત ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને સરકારની અન્ય વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં બેઠકમાં સૌથી મોટો પ્રોજેક્ટ દક્ષિણ સરદારનગર-અધેવાડા અને ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડમાં મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપ-શ્રી સર્કલ સુધી રૂ.29.28 કરોડના ખર્ચે બનનારો આઇકોનિક રોડ છે, આ ઉપરાંત, તરસમિયા વિસ્તારમાં રૂ.15.95 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવશે, તેમજ વોર્ડ વાઈઝ વિકાસ કામોઓમાં કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડ આ વિસ્તારમાં સૌથી વધુ કામો હાથ ધરાશે, જેમાં સીદસર-અધેવાડા સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે RCC બોક્સ ડ્રેઇન રૂ.6.04 કરોડ, વિવિધ સોસાયટીઓમાં પેવર રોડ અને RCC રોડ રૂ.5.90 કરોડ અને રૂ.5.90, તેમજ હિલપાર્કથી ટબુડી તળાવ સુધી બિટૂમીન રોડના કામોનો સમાવેશ થાય છે, સરદારનગર-તરસમીયા વોર્ડ ટોપ-શ્રી સર્કલથી ડી-માર્ટ સુધીના રોડને 6-લેન વાઈડનીંગ રૂ.3.74 કરોડ, વિવિધ આંતરિક રસ્તાઓ પર મેટલ ગ્રાઉટીંગ અને પેવિંગ બ્લોકના કામો હાથ ધરાશે, ફુલસર અને હેમુ કાલાણી સર્કલ પાસે અંદાજે રૂ.9 કરોડથી વધુના ખર્ચે બે નવી લાઇબ્રેરી (રીડીંગ રૂમ) બનાવવામાં આવશે, ફુલસર ખાતે રૂ.6.07 કરોડના ખર્ચે નવા પાર્ટી પ્લોટનું નિર્માણ થશે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર બોક્સ કલવર્ટ રૂ.3.21 કરોડ, કુંભારવાડામાં રેલવે લાઈન પાસે RCC રોડ, અને ભરતનગર તથા કાળીયાબીડ વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાના કામોને બહાલી અપાશે.
વડોદરાના ચાંપાનેર દરવાજા, છીપવાડ ખાતે આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળામાં સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. CSR ઉપક્રમે આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન 5 માર્ચ, 2026ના રોજ થયું. આ પ્રસંગે FLUOR DENIEL INDIA PVT LIMITED ના જનરલ મેનેજર (ઇન્ડિયા ઓફિસ) સતીશ પિલ્લઇ, ઓપરેશનલ મેનેજર (વડોદરા ઓફિસ) ઋષિકેશ ત્રિવેદી, સપ્લાય ચેઇન ડિરેક્ટર (એશિયા સ્પેસિફિક) અજયસિંહ ઝાલા, CSR લીડ (વડોદરા) કેતન પટેલ, ઇવેન્ટ ચેમ્પિયન મિહિર દેસાઈ અને ઇવેન્ટ કો-ચેમ્પિયન શિલ્પી ચોરડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહેમાનોએ નવીનીકરણીય ઊર્જાના ઉપયોગનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા આપી હતી. શાળામાં સ્થાપિત આ સોલાર સિસ્ટમથી વીજળીની સુવિધા વધુ સુદ્રઢ બનશે અને શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને લાભ મળશે.
સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝિક્સ અને મટિરિયલ સાયન્સ વિભાગ દ્વારા 'નેશનલ કોન્ફરન્સ ઓન રિસન્ટ એડવાન્સિસ ઇન મટિરિયલ્સ' (NCRAM–2026) નું આયોજન કરાયું હતું. આ કોન્ફરન્સમાં દેશભરના 129 શિક્ષણવિદો, સંશોધકો અને ઉદ્યોગ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. તેમણે મટિરિયલ્સ સાયન્સના ભવિષ્ય અને તેમાં થઈ રહેલા આધુનિક ફેરફારો પર ચર્ચા કરી. ઉદ્ઘાટન પ્રસંગે કોન્ફરન્સના ચેરમેન પ્રો. એમ. પી. દેશપાંડેએ અદ્યતન મટિરિયલ્સમાં આંતરશાખાકીય સંશોધનના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. આર. વી. જસરાએ નવીનીકરણીય ઉર્જા તરફ સંક્રમણ અને નવા મટિરિયલ્સની જરૂરિયાત વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો. અન્ય સત્રોમાં SVNIT ના પ્રો. દેબેશ રોયે ઝેરી વાયુઓની ઓળખ માટે '2D મેટલ કાર્બાઇડ સેન્સર' વિશે માહિતી આપી હતી. પટિયાલાના પ્રો. ભૂપેન્દ્રકુમાર ચુડાસમાએ કેન્સરની સચોટ સારવાર માટે 'નેનોસ્ટ્રક્ચર્ડ મટિરિયલ્સ' ના ઉપયોગ વિશે વિશેષ રજૂઆત કરી હતી. બપોરના સત્રમાં ફિઝિક્સ વિભાગ ખાતે પોસ્ટર પ્રેઝન્ટેશન યોજાયું હતું, જેમાં કુલ 61 પોસ્ટર્સ રજૂ કરાયા. M.Sc.ના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સે પોતાના નવા સંશોધનો પ્રદર્શિત કર્યા. સમાપન વિધિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. કુલપતિ પ્રો. નિરંજન પટેલે કોન્ફરન્સની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. સમગ્ર આયોજનમાં કન્વીનર પ્રો. એસ. એચ. ચાકી, સહ-કન્વીનર પ્રો. જે. કે. વાળંદ, સેક્રેટરી પ્રો. એ. એન. પ્રજાપતિ અને ખજાનચી ડૉ. સ્વાતિ પંડ્યા સહિતની ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું.
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી અંબે અને જય અંબે વિદ્યાલય ખાતે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કે.જી. વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભૂલકાંઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણી પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ઇકો-ફ્રેન્ડલી રીતે કરવામાં આવી હતી. બાળકોની નાજુક ત્વચાને ધ્યાનમાં રાખીને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. તેના બદલે, સુગંધિત ફૂલોની પાંખડીઓથી હોળી રમવામાં આવી હતી અને પરંપરાગત રીતે ગુલાલના તિલક કરીને ભાઈચારાની ભાવના વ્યક્ત કરાઈ હતી. આ રંગોત્સવ ૨૦૨૬ની ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રહેતા, નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭માં પ્લે સેન્ટરમાં પ્રવેશ મેળવનારા બાળકો માટે એક યાદગાર સ્વાગત કાર્યક્રમ બની રહી હતી. શાળા સંચાલન દ્વારા નવા પ્રવેશિત બાળકો અને તેમના વાલીઓને પણ ખાસ આમંત્રિત કરાયા હતા, જેથી તેઓ શાળાના પારિવારિક વાતાવરણથી પરિચિત થઈ શકે. પ્રી-પ્રાયમરી વિભાગના આચાર્યા દર્શનાબેન શાહના માર્ગદર્શન હેઠળ શિક્ષકો, બાળકો અને વાલીઓએ સંગીતના તાલે આ પર્વની ઉજવણી કરી હતી. તેમણે જણાવ્યું કે, તહેવારો બાળકોમાં સંસ્કાર અને સામાજિક એકતાના બીજ રોપે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો સુરક્ષિત રીતે અને પ્રકૃતિની નજીક રહીને ભારતીય સંસ્કૃતિનો આનંદ માણે તે જ હતો. આ સમગ્ર આયોજન દ્વારા અંબે વિદ્યાલયે દર્શાવ્યું કે શિક્ષણની સાથે સાથે પરંપરાઓ અને માનવીય મૂલ્યોનું સિંચન પણ અનિવાર્ય છે. અંતે, સર્વે વાલીઓએ શાળાના આ સુંદર પ્રયાસની પ્રશંસા કરી હતી અને એકબીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.
જરાતના લોકપ્રિય પર્વ હોળી અને ધૂળેટી નિમિત્તે પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર નાગરિકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) આશીર્વાદરૂપ સાબિત થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડીને મુસાફરોને શ્રેષ્ઠ અને સુદ્રઢ પરિવહન સેવા પૂરી પાડી છે. 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2026 દરમિયાન આયોજિત આ વિશેષ કામગીરીમાં નિગમે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. વધારાની 7400 ટ્રીપ અને મુસાફરોનો અભૂતપૂર્વ પ્રતિસાદમુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે કુલ 7400 જેટલી વધારાની (એક્સ્ટ્રા) ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજનના ફળસ્વરૂપે રાજ્યના અંદાજે 3.14 લાખ મુસાફરોએ સલામત અને સમયસર મુસાફરીનો લાભ લીધો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આંકડાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે નિગમ દ્વારા 7100 ટ્રીપ દ્વારા 2.80 લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી, જેની સામે આ વર્ષે ટ્રીપ અને મુસાફરો એમ બંને ક્ષેત્રે નવા શિખરો સર થયા છે. ડાકોરના શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા હોળીના પર્વ પર ડાકોર સ્થિત રણછોડરાયજીના દર્શનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આ બાબતને ધ્યાને રાખી નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી મોટું સંચાલન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ 3600 ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના માધ્યમથી 1.32 લાખ દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન માટે સુવિધાજનક મુસાફરી કરી હતી. આ સફળ આયોજનને કારણે શ્રદ્ધાળુઓને ભારે ધસારા વચ્ચે પણ કોઈ અગવડ પડી નહોતી. મુખ્ય શહેરો અને કેન્દ્રો પરથી ખાસ બસોનું સંચાલનરાજ્યના મહાનગરો અને મહત્વના કેન્દ્રો પરથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે માઈક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં 687, હિમતનગરમાં 716, સુરતમાં 496, વડોદરામાં 255, જુનાગઢમાં 220, રાજકોટમાં 131 ટ્રીપ કરવામાં આવી આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર અને લુણાવાડા જેવા મહત્વના મથકો પરથી પણ પર્યાપ્ત સંખ્યામાં બસો દોડાવવામાં આવી હતી. કર્મચારીઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ આયોજન અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન બદલ એસ.ટી. નિગમના અધિકારીઓ, ડ્રાઈવર અને કંડક્ટર સહિતના સમગ્ર સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તહેવારોના સમયે નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે અને તેઓ સલામત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શકે તે માટે કટિબદ્ધ છે. એસ.ટી. નિગમની આ તત્પરતા અને સેવાભાવનાએ લાખો ગુજરાતીઓની દિવાળી જેવી જ હોળી સુધારી દીધી છે.
ર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર હાલ પ્લેટફોર્મ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ આધુનિકીકરણના કાર્ય માટે રેલવે તંત્ર દ્વારા 60 દિવસોનો મોટો બ્લૉક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરીની સીધી અસર ગુજરાતથી ઓડિશા જતી ટ્રેનો પર પડશે, જેના કારણે ગાંધીધામ-પુરી અઠવાડિક એક્સપ્રેસ ટ્રેનો આગામી માર્ચથી મે મહિના સુધી આંશિક રીતે રદ રહેશે. સાક્ષી ગોપાલ સ્ટેશને ટ્રેન અટકશેરેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, ગાંધીધામથી ઉપડતી પુરી એક્સપ્રેસ ટ્રેનોને પુરી સ્ટેશન સુધી જવાને બદલે 'સાક્ષી ગોપાલ' સ્ટેશન પર જ ટૂંકાવી દેવામાં આવશે (શોર્ટ ટર્મિનેટ). તેવી જ રીતે, પરતમાં આ ટ્રેનો પુરીને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશનથી જ ગાંધીધામ માટે રવાના થશે. ટ્રેન નંબર 12993/12994 ના ફેરફારો ગાંધીધામ-પુરી (12993): માર્ચ 13, 20, 27; એપ્રિલ 3, 10, 17, 24; મે 1, 8 (2026) ના રોજ સાક્ષી ગોપાલ પર શોર્ટ ટર્મિનેટ થશે. પુરી-ગાંધીધામ (12994): માર્ચ 16, 23, 30; એપ્રિલ 6, 13, 20, 27; મે 4, 11 (2026) ના રોજ સાક્ષી ગોપાલથી ઉપડશે. ટ્રેન નંબર 22973/22974 ના ફેરફારો ગાંધીધામ-પુરી (22973): માર્ચ 11, 18, 25; એપ્રિલ 1, 8, 15, 22, 29; મે 6, 13 (2026) ના રોજ સાક્ષી ગોપાલ સુધી જશે. પુરી-ગાંધીધામ (22974): માર્ચ 14, 21, 28; એપ્રિલ 4, 11, 18, 25; મે 2, 9, 16 (2026) ના રોજ સાક્ષી ગોપાલથી મુસાફરી શરૂ કરશે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની યાત્રા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આયોજિત કરે. વધુ વિગતો માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.
દુબઈથી 200 ભારતીય મુસાફરોનું રેસ્ક્યુ:નડિયાદના BAPS મંદિરે રોકાણની વ્યવસ્થા, વહેલી સવારે પહોંચશે
દુબઈમાં ફસાયેલા આશરે 200 ભારતીય મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. યોગી ઓવરસીઝ દ્વારા એર અરેબિયા સાથે સંકલન કરીને આ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યોગી ઓવરસીઝના નિશા ધનોચાએ આ માહિતી આપી હતી. આ મુસાફરો મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ, ખાનગી બસો દ્વારા તેમને નડિયાદના પીપલગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે લાવવામાં આવશે. આવતીકાલે વહેલી સવારે તેઓ મંદિરે પહોંચશે, જ્યાં તેમના રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિશા ધનોચા અને તેમની ટૂર મેનેજર્સની ટીમ તેમજ તેમના પતિ હજુ પણ દુબઈમાં જ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દરેક મુસાફર સુરક્ષિત રીતે ભારત પરત ન ફરે ત્યાં સુધી તેઓ દુબઈમાં રહીને સમગ્ર કામગીરીનું સંચાલન કરશે. પેસેન્જરોને મુંબઈ એરપોર્ટથી નડિયાદ લાવવા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહનોના ડ્રાઈવર ઈસ્માઈલ ભાઈ અને ઈઝહાર ભાઈ સતત સંપર્કમાં છે અને મુસાફરોને સુરક્ષિત રીતે પહોંચાડશે. નડિયાદના પીપલગ સ્વામિનારાયણ મંદિર ખાતે મુસાફરો આરામ કર્યા બાદ પોતપોતાના વતન જવા રવાના થશે. ખાનગી સંસ્થા અને એરલાઇન્સના સહયોગથી થયેલા આ સફળ ઇવેક્યુએશનને કારણે મુસાફરોના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. નડિયાદ અને આણંદ BAPS મંદિરના કોઠારી સ્વામીઓ તથા સંતોના આશીર્વાદથી યાત્રિકોને હિંમત મળી હતી. યુએઈ સરકાર, એર અરેબિયા એરલાઇન્સ અને સ્થાનિક હોટલ સ્ટાફે પણ આ કામગીરીમાં મહત્વનો સહકાર આપ્યો હતો.યોગી ઓવરસીઝની ટીમે દિવસ-રાત જોયા વગર યાત્રિકોની રહેવા-જમવાની સુવિધા જાળવી રાખી પરિવાર જેવી સંભાળ લીધી હતી. સંસ્થાના CEO કૌશલ ધામેચાએ જણાવ્યું હતું કે, આ સંજોગોમાં દરેક યાત્રિક સુરક્ષિત રહે તે તેમની પ્રાથમિકતા હતી.યાત્રિકોએ પણ અદ્ભુત શાંતિ અને એકતા દાખવી તંત્રને સહકાર આપ્યો હતો. સંસ્થાએ આ સફળ ઓપરેશન માટે મહંત સ્વામી મહારાજ, સંતો, ભારતીય દૂતાવાસ, યુએઈ સત્તાધીશો અને ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.
અમદાવાદના હયાત સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા અને નવી બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ થશે. આજે પાંચ માર્ચના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષબ્રિજના રીડેવલોપમેન્ટની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. હયાત સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવશે. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (રોડ એન્ડ બિલ્ડીંગ) મીરાંત પરીખે જણાવ્યું હતું કે, સુભાષબ્રિજના રીડેવલોપમેન્ટ અને નવા બે લેન સાથે નવો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત રકમ રૂ. 232 કરોડ હતી જેમાં 1.5 ટકા વધીને રૂ. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવી છે. સુભાષ બ્રિજ ને રી ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે, જેમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે. એપ્રિલ મહિનામાં નવો બ્રિજ બનાવવાનું કામ શરુ થઈ શકે હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં નવી બે લેન તૈયાર કરવામાં આવશે જે બેલેન્સ આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે. જોકે, હયાત બ્રિજના સ્ટ્રકચરને તોડી અને બ્રિજને નવો બનાવી દેવામાં આવશે, જે આગામી મહિનામાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ મહિનામાં કામને શરૂ કરવામાં આવી શકે છે, જેથી વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં સુભાષબ્રિજ ટુ વ્હીલર અને હળવા વાહનો માટે શરૂ કરવામાં આવશે નવો બ્રિજ બનાવ્યા બાદ તેનો લોર્ડ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં ભારે વાહનો અત્યારે ચલાવવા કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
આંગણવાડી બહેનોનો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર:નવા મોબાઈલની માંગ સાથે આંગણવાડી બહેનો આંદોલનમાં ઉતરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની આશરે 800 આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. બાળકોના હિતને ધ્યાનમાં રાખીને માત્ર બાળકોની હાજરી ઓનલાઈન નોંધવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જ્યારે અન્ય ચાર પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આંગણવાડી વર્કરો વર્ષ 2022થી ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ ફોનની માંગ કરી રહ્યા છે. સરકાર તરફથી આ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં વર્કરોમાં રોષ જોવા મળ્યો છે. આ પહેલા નેત્રંગ, ભરૂચ, ઝઘડીયા અને અંકલેશ્વર તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ સીડીપીઓ કચેરી ખાતે લેખિત રજૂઆત પણ કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, વર્ષ 2019માં આપવામાં આવેલા મોબાઈલ ફોન હવે જૂના અને બિનઉપયોગી બની ગયા છે. તેમ છતાં પોષણ ટ્રેકર, પોષણસંગમ અને એવીટી જેવી એપ્લિકેશનો પર નિયમિત કામગીરી કરવા દબાણ કરવામાં આવે છે. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં મોટી માત્રામાં માહિતી દાખલ કરવી પડે છે, જ્યારે ફેસ કેપ્ચર એપ્લિકેશન ઘણીવાર યોગ્ય રીતે કામ કરતી નથી. એવીટી એપ્લિકેશનમાં બાળકોની હાજરી વાસ્તવિક સંખ્યાથી ઓછી દર્શાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. આ સમસ્યાને કારણે ઘણીવાર બાળકોની ખોટી હાજરી નોંધાય છે. તેના આધારે જ આહાર અને નાસ્તાના બિલ બનાવવા સૂચના અપાય છે. આવી સ્થિતિમાં બાકીના બાળકોને ભોજન કોણ આપશે તેવો સવાલ પણ વર્કર બહેનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું છે કે, જ્યાં સુધી સરકાર દ્વારા નવા મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અનિશ્ચિત મુદત માટે ચાલુ રહેશે.
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય બરોડા ડેરીની ચૂંટણી માથે છે તેવામાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સામે રાજ્યના સહકારી વિભાગ દ્વારા કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી દૂધ ભરતી મંડળીઓની સંખ્યામાં સતત ઘટાડો થવા ઉપરાંત અન્ય દૂધ સંઘો પાસેથી દૂધ લેવામાં સતત વધારો થયો હોવાનું સહકારી વિભાગે નોંધ્યું છે. દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં સતત ઘટાડોસંઘના ઇટોલા ખાતે આવેલા દાણ ઉત્પાદન પ્લાન્ટની દૈનિક ક્ષમતા 300 મે. ટન છે. જ્યારે તેની સામે વર્ષ 2022 - 23માં 30.64 ટકા, 2024 - 25માં 28.85 ટકા અને વર્ષ 2025 - 26માં 26.88 ટકા ઉત્પાદન થયું હતું. આમ વર્ષો વર્ષ દાણ ઉત્પાદનમાં સતત ઘટાડો થયો છે જેના કારણે સંઘ દ્વારા કરવામાં આવેલા રોકાણ ઉપર પૂરતું વળતર મળ્યું નથી.ઉપરાંત પશુપાલકોને પણ પૂરતું દાણ ન મળતું હોવાનું વિભાગે નોંધ્યું હતું. જેના માટે સંઘના પ્રમુખ - ઉપપ્રમુખે યોગ્ય કાર્યવાહી કરી નથી. દૂધ ભરતી મંડળીઓની સંખ્યામાં સતત ઘટાડોસંઘ અંતર્ગત દૂધ ભરતી સહકારી મંડળીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત ઘટાડો થયો છે. આંકડા મુજબ વર્ષ 2022 - 23માં 1112, વર્ષ 2023-24માં 1103, અને વર્ષ 2024 - 25માં 1091 મંડળી રહી છે. દૂધ ભરતી મંડળીઓમાં સતત ઘટાડો થવાના કારણે અન્ય સંઘ પાસેથી દૂધની ખરીદીમાં અતિશય વધારો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદન મંડળીઓને પ્રોત્સાહન આપવામાં નિષ્ફળતારાજ્યના સહકારી વિભાગે નોટિસ પાઠવી છે તેમ જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સંઘ સાથે સંકળાયેલી દૂધ ભરતી મંડળીઓને પ્રોત્સાહન આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે અને તેના કારણે દૂધ ભરતી મંડળીઓ સંઘ સાથે જોડાતી નથી. સામી ચૂંટણીએ રાજકારણ ગરમાયુંબરોડા ડેરીની ચૂંટણીઓ નજીક છે. અને હાલમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે ત્યારે સામી ચૂંટણીએ સહકારી વિભાગની કારણદર્શક નોટીસથી રાજકારણ ગરમાયું છે. સહકારી વિભાગ દ્વારા 76 (બી)(1) હેઠળ નોટિસ આપવામાં આવી છે.ત્યારે હવે આગામી દિવસોમાં ડેરીનું રાજકારણ કેવો રંગ પકડે છે તે જોવું રહ્યું.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
પાટણના ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. જિલ્લા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પદાધિકારીઓ મશીન આપ્યા વગર જ રવાના થઈ ગયા હોવાના આક્ષેપો થયા છે. મશીનનું વિતરણ ન થતાં લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ પાટણ-ઊંઝા હાઇવે પર આવેલી ઓક્સફર્ડ સ્કૂલ પાસેના ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ જિલ્લા સામાજિક ન્યાય નિધિ અંતર્ગત સિલાઈ મશીનનું વિતરણ કરવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતાબેન મહેશકુમાર પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, લાભાર્થીઓના જણાવ્યા અનુસાર, સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તરત જ જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો અને સંબંધિત વિભાગના કર્મચારીઓ એક પણ સિલાઈ મશીનનું વિતરણ કર્યા વગર જ સ્થળ છોડીને જતા રહ્યા હતા. તંત્રની આ કાર્યવાહીથી મશીન મેળવવા આવેલા લાભાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી. મશીન ન મળતા અને અધિકારીઓ જતા રહેતા, તમામ લાભાર્થીઓ ડિવાઈન મર્સી સ્ટડી સેન્ટર ખાતે જ બેસી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ બેન ઠાકોર અને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતાબેન મહેશકુમાર પરમારનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
બિન હથિયારી ભરતીનું ફાઈનલ રિઝલ્ટ જાહેર બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું..472 ઉમેદવારોની પસંદગી કરાઈ. જ્યારે 95 ઉમેદવાર વેઇટિંગમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ‘શું અમારે પ્રજા વચ્ચે આવીને મત માગવા યોગ્ય છે? ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદમાં 97 કરોડના કામોનું લોકાર્પણ કર્યું..દરમિયાન તેમણે લોકો વચ્ચે જઈને મત માગવા પર સવાલ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 દિવસમાં બીજી વાર વડોદરા -મહેસાણા કોર્ટને બોમ્બ થ્રેટ 15 દિવસમાં બીજી વાર વડોદરા અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. મકરપુરા એરફોર્સ સ્ટેશનમાં કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બ થ્રેટ આપવામાં આવી..કોર્ટ પરિસરમાં બોમ્બ અને ડોગસ્ક્વોડે સઘન ચેકિંગ હાથ ધર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્રીન કોરિડોર બનાવી રાજકોટથી સુરત પહોંચાડ્યું લિવર રાજકોટના ખેડૂતનું લિવર સુરત પહોંચાડાયું.. ગ્રીન કોરિડોર બનાવી લીવર સુરત મોકલાવ્યું.. ખેડૂત અશોકભાઈ સાવલિયાએ 6 વર્ષથી કિડનીની બિમારીથી પીડાતા હતા. બ્રેઈન હેમરેજ થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 11 વર્ષની સગીરા પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ ભરુચમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. આરોપી તેનો પડોશી જ નીકળ્યો..પીડિતાએ ફરિયાદ કરતા આરોપીના બુટલેગર ભાઈએ પરિવારને ધાકધમકી આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલસ્પીડમાં આવતા બાઈક ચાલકે લીધો નિર્દોષનો ભોગ સુરતના મોટા વરાછા રોડ પર બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું મોત થયું.. ફૂલસ્પીડમાં આવતો બાઈક ચાલક શાંતિથી જઈ રહેલા બાઈક સાથે ભટકાયો, જેમાં નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી. મહિલા કોન્સ્ટેબલે PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા. આપઘાતનું કારણ અકબંધ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં આગ લાગી કાલુપુર બ્રિજ પાસે સેવ બનાવવાની 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગ લાગી..જીવ બચાવવા ધાબા પરથી કૂદતા બે યુવકો ઈજાગ્રસ્ત થયા.. ફાયર બ્રિગેડે 5 કલાકે આગ કાબૂમાં લીધી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હત્યાની બે ઘટનાઓએ સંબંધો લજવ્યા રાજ્યમાં હત્યાની બે ઘટનાઓ સામે આવી.. સુરતમાં રમઝાનમાં મામાના ઘરે ગયેલા યુવકની તેના પિતરાઈએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી.. તો ઉનામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ન્યુઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરનારી ન્યૂઝીલેન્ડની ટીમ આજે અમદાવાદ પહોંચી. ટીમ આઈટીસી નર્મદામાં રોકાશે. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો રમાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો માર્ચ મહિનાની શરુઆતમાં જ ગરમી શરુ. 39 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું.. આગામી સમયમાં તાપમાન 40 ડિગ્રીને આંબે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગુજરાત પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ખાતે રહેતા કૌશિક અશ્વિનભાઇ પેથાણી અને ધ્રુવ કનુભાઇ ડોબરીયા નામના બે શખસની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને નિર્દોષ યુવાનોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીની લાલચ આપી કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાં સાયબર ગુલામીમાં ધકેલી દેતા હતા. બન્ને ચાઈનીઝ સાયબર માફિયાઓ સાથે મળી નેટવર્ક ચલાવતાવિદેશમાં ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ ભારતીય યુવાનોને મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં બંધક બનાવી તેમની પાસે સાયબર ફ્રોડ કરાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગુનો દાખલ કરી પોલીસે બે એજન્ટોની ધરપકડ કરી છે. આ શખસો ચાઈનીઝ સાયબર માફિયાઓ સાથે મળીને આ નેટવર્ક ચલાવતા હતા. યુવાનોને કેદ કરી ફ્રોડ કરવા મજબૂર કરતાપકડાયેલા આરોપીઓ કૌશિક પેથાણી અને ધ્રુવ ડોબરીયા સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા યુવાનોનો સંપર્ક કરતા હતા. તેઓ ટેલિગ્રામ પર જ નકલી ઇન્ટરવ્યુ અને ટાઇપિંગ ટેસ્ટ લઈ યુવાનોને આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીની નોકરીનો વિશ્વાસ અપાવતા હતા. એકવાર યુવાનો કંબોડિયા કે મ્યાનમાર પહોંચે એટલે આરોપીઓ તેમના પાસપોર્ટ અને મોબાઈલ ફોન છીનવી લેતા હતા. તેમને કેમ્પસમાં કેદ કરી દિવસના લાંબા કલાકો સુધી ક્રિપ્ટોકરન્સી સ્કેમ અને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવતા હતા. જો કોઈ યુવાન કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યોર્જિયા અને સાઉથ આફ્રિકામાં નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતાંતપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ અગાઉ દુબઈ, લાઓસ, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોમાં પણ આવી પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. હાલમાં કંબોડિયામાં કડક કાર્યવાહી થતા તેઓ હવે જ્યોર્જિયા અને સાઉથ આફ્રિકામાં પોતાનું નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બે આઈફોન પણ કબજે કરવામાં આવ્યા છે, જેના થકી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શકયતા છે. નાગરિકોને 1930 પર સંપર્ક કરવા અપીલપોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, વિદેશમાં જોબ પ્લેસમેન્ટ મેળવતા પહેલા કંપનીની ખરાઈ કરવી અને વિઝાના પ્રકારની તપાસ કરવી અત્યંત આવશ્યક છે. જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાય તો તુરંત ભારતીય એમ્બેસી અથવા સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવા જણાવાયું છે.
રાજસ્થાન હત્યા કેસ: આરોપીઓને ફાંસી આપવા માંગ:ધાનેરા નાઈ સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠાના ધાનેરામાં નાઈ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રણજીતપુરા ગામમાં સેન સમાજની એક દીકરીની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી. રાજસ્થાનના બિકાનેરના રણજીતપુરા ગામમાં સેન સમાજની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતના ધાનેરા સુધી પડ્યા છે. ધાનેરા નાઈ સમાજે 'અપરાધીઓને ફાંસી આપો'ના નારા લગાવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. નાઈ સમાજે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. રાજસ્થાનમાં બનેલી આ ઘટનાના કારણે સેન સમાજમાં અને અન્ય સમાજોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
ગુજરાત સરકારની મહત્વકાંક્ષી PMJAY (આયુષ્માન ભારત) યોજના ગરીબોની સહાય માટે છે કે સરકારી બાબુઓના ખિસ્સા ભરવા માટે? કેશોદ સિવિલ હોસ્પિટલમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. સિવિલ હોસ્પિટલ એટલે કે જ્યાં મફત સારવાર મળવી જોઈએ, ત્યાં સામાન્ય તાવની સારવાર માટે ગયેલી એક નર્સિંગની વિદ્યાર્થિનીના PMJAY કાર્ડમાંથી તેની જાણ બહાર ₹1800 કાપી લેવામાં આવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે. સામાન્ય તાવની સારવાર અને ₹1800નો ક્લેઇમભોગ બનનાર અસ્મિતાબેન ચૌહાણ, જેઓ જૂનાગઢમાં નર્સિંગનો અભ્યાસ કરે છે, તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા સામાન્ય તાવ આવતા તેઓ કેશોદ સિવિલમાં ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને PMJAY કાર્ડ લાવવા જણાવ્યું અને ખાતરી આપી કે જો કાર્ડ અપડેટ ન હોય તો હોસ્પિટલ કરી આપશે. જ્યારે તેઓ કાર્ડ લઈને ગયા ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમના ફોટા લીધા અને કાર્ડ અપલોડ કર્યું. તેમને કહેવામાં આવ્યું કે 3-4 દિવસની સારવાર ચાલશે અને રજા વખતે ભાડા પેટે ₹300 તેમના ખાતામાં જમા થશે. જોકે, બીજા જ દિવસે અસ્મિતાબેનના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમના કાર્ડની લિમિટમાંથી ₹1800 કપાઈ ગયા છે. ‘સ્ટાફના પગાર અને ખુરશી માટે વપરાય છે પૈસા’જ્યારે અસ્મિતાબેને આ રકમ કપાવા બાબતે હોસ્પિટલના સત્તાધીશોને પૂછ્યું, ત્યારે તેમને મળેલા જવાબો ચોંકાવનારા હતા. ડોક્ટરે તેમને વળતો પ્રશ્ન કર્યો કે, તમારે ₹300 ભાડું નથી જોઈતું? તપાસ કરતા ડોક્ટરે કબૂલ્યું કે આ રકમ હોસ્પિટલના વર્કર્સના પગાર આપવા અને ટેબલ-ખુરશી જેવી સામગ્રી ખરીદવા માટે વાપરવામાં આવે છે. જ્યારે મામલો બિચક્યો ત્યારે ડોક્ટરે કાર્ડ કેન્સલ કરવાની અને પૈસા પરત જમા કરવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નાણાં પરત આવ્યા નથી. દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે કાર્ડમાંથી ક્લેઇમ કરવામાં આવે છે: સુપ્રિટેન્ડેટઆ સમગ્ર મામલે કેશોદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડેટ હાર્દિક રામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે PMJAY યોજના હેઠળની કામગીરી સરકારના ધારા ધોરણો મુજબ કરવામાં આવતી હોય છે. આ કામગીરી અંતર્ગત દર્દીને સારવાર આપવા માટે દર્દી પાસે PMJAY કાર્ડ હોય તો જ્યારે દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે કાર્ડમાંથી ક્લેઇમ કરવામાં આવે છે, પરંતુ હાલ આ કિસ્સામાં એવું બન્યું છે કે અસ્મિતાબેન ચૌહાણે તેમના PMJAY કાર્ડમાંથી રૂપિયા ન કપાય તેવી ઈચ્છા બતાવી, કારણ કે તેમની સારવાર માટેના 1800 રૂપિયા તેમના PMJAYના કાર્ડમાં કપાયા હોવાનો તેમને મેસેજ આવ્યો હતો. ‘અસ્મિતાબેનના PMJAYના ખાતામાં રૂપિયા જમા થઈ જશે’PMJAY યોજના અંતર્ગત જે 10 લાખ સારવાર માટેની લિમિટ હોય છે તેમાંથી આ રૂપિયા કપાતા હોય છે. PMJAY કાર્ડ માટે જ્યારે પણ ક્લેઇમ કરવામાં આવે છે ત્યારે દરેક દર્દીને હોસ્પિટલ આવવા જવાના ભાડા પેટે ₹300 તેના ખાતામાં ચૂકવવામાં આવે છે. હાલ અસ્મિતાબેન ચૌહાણે જે પ્રમાણે તેમના ખાતામાં રૂપિયા કપાવાની વાત કરી હતી જેને લઇ હવે તેમના ખાતામાં રૂપિયા પરત આવી જાય તે પ્રમાણેની પ્રોસેસ શરૂ કરી દીધી છે અને અસ્મિતાબેનના PMJAYના ખાતામાં રૂપિયા જમા થઈ જશે. ‘35% રકમ રોગ કલ્યાણ સમિતિમાંથી વાપરવાની સત્તા આપવામાં આવી છે’જે ક્લેઇમ પાસ થાય જેની ટોટલ રકમ હોય તેમાંથી 65થી 70 ટકા વિસ્તાર પ્રમાણે રોગી કલ્યાણ સમિતિમાં બધી રકમ જમા થાય છે. આ રોગ કલ્યાણ સમિતિમાં પ્રાંત અધિકારી , ધારાસભ્ય સભ્ય સચિવ, સિવિલ સર્જન સહિતની 11 લોકોની કમિટી બનાવવામાં આવી હોય છે. આ કમિટી દ્વારા PMJAY યોજનાના કાર્ડ અંતર્ગત જે રૂપિયા દર્દીના સારવાર માટે કપાયા હોય જેમાંથી 35% જેટલી રકમ આ સમિતિ દ્વારા રોગ કલ્યાણ સમિતિમાંથી વાપરવાની સત્તા આપવામાં આવી છે. ‘ઉપરથી કહેવામાં આવે છે કે દર મહિને ક્લેઇમ પાસ કરો’જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં 2601 ક્લેઇમ કરવામાં આવ્યા છે. જેમાં 87,96,324 લાખ રૂપિયા PMJAY યોજના હેઠળ પાસ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુમાં કેશોદ ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ હાર્દિક રામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ તમામ બાબત ઉપરથી કહેવામાં આવે છે કે દર મહિને ક્લેઇમ પાસ કરો અને દર મહિને આ મામલે મીટીંગ પણ યોજવામાં આવે છે. જેમાં મહિનાના કેટલા ક્લેઇમ પાસ કરવામાં આવ્યા છે તે વિશે પણ અમારે જાણકારી આપવાની હોય છે. કેશોદ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો દર મહિને 800થી 1100 જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે જેમાંથી 200થી 250 જેટલા દર્દીઓનો ક્લેઇમ પાસ કરાવવામાં આવે છે. ‘સિવિલમાં મફત સારવાર અપાતી હોય તો PMJAY કાર્ડ શા માટે માંગો છો?’જ્યારે આ મામલે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ હાર્દિક રામ સાથે વાત કરતા પૂછ્યું કે જો સિવિલ હોસ્પિટલ મફતમાં સારવાર આપતી હોય તો દર્દીઓને PMJAY યોજનાનો લાભ લેવા માટે તેનું PMJAY કાર્ડ શા માટે માગવામાં આવે છે ત્યારે તેમને પણ આ સમગ્ર મામલો ઉચ્ચ કક્ષાએથી જ ગોઠવણી કરી ફરજિયાત ક્લેઇમ પાસ કરાવવા માટે કહેવાયાનું કબૂલ્યું હતું. ‘દર્દીઓને PMJAY કાર્ડ હેઠળ સારવાર આપવા માટે એજન્ટો રાખ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ’ત્યારે હાલ તો સિવિલ હોસ્પિટલમાં મફત અપાતી સારવારમાં પણ ટકાવારી ગોઠવી દર્દીઓને PMJAY કાર્ડ હેઠળ સારવાર આપવા માટે કમિશન એજન્ટો જાણે કે રાખ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે જે ડોક્ટરો-સર્જનો અને હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારીઓને લાખો રૂપિયાના પગાર ચૂકવવામાં આવે છે, ઉપરાંત જે દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવે છે અને PMJAY કાર્ડ હેઠળ તેના ખાતામાંથી રૂપિયા કાપવામાં આવે છે તે પૈકી 35% રકમ દર્દીની સારવાર કરનાર ડોક્ટર, કર્મચારી અને હોસ્પિટલની અન્ય કામગીરીમાં આ રકમ વાપરવામાં આવે છે. ‘કમિશન એજન્ટોનું નેટવર્ક કાર્યરત’અજાબ ગામના રહીશ નિલેશભાઈ અધેરાએ આ મામલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, આ યોજના હવે ગરીબોની સેવાને બદલે એક વ્યવસાય બની ગઈ છે. હોસ્પિટલોમાં કાર્ડ લાવવા માટે કમિશન એજન્ટો રાખવામાં આવ્યા હોય તેવું લાગે છે. જો સરકારી હોસ્પિટલોમાં જ આવી લૂંટ ચાલતી હોય, તો ખાનગી હોસ્પિટલોની સ્થિતિ શું હશે? તેમણે સરકાર પાસે માગ કરી છે કે આ ભ્રષ્ટાચારના માસ્ટર માઇન્ડને શોધીને કડક સજા કરવામાં આવે. ‘સરકાર પાસેથી પગાર લેતા ડોક્ટરોને દર્દીના કાર્ડમાંથી 'પ્રોત્સાહન રકમ' કેમ જોઈએ?’જો સિવિલ હોસ્પિટલ મફત સારવાર માટે છે, તો સરકાર પાસેથી પગાર લેતા ડોક્ટરોને દર્દીના કાર્ડમાંથી 'પ્રોત્સાહન રકમ' કેમ જોઈએ? શું સરકારી હોસ્પિટલના ફર્નિચર માટે દર્દીની સારવારના નાણાં વાપરવા યોગ્ય છે? સામાન્ય તાવમાં ₹1800નો ક્લેઇમ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા અધિકારીઓ સામે તપાસ ક્યારે થશે? આ સમગ્ર પ્રકરણમાં હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ મસમોટા ક્લેઇમ કૌભાંડની તટસ્થ તપાસ કરાવે છે કે પછી 'સબ સલામત' કહીને મામલો રફેદફે કરી દેવામાં આવે છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરનારા અને શિસ્તભંગ કરનારા બે ડ્રાઈવરોને જૂનાગઢ વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી નિગમના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢથી વિસાવદર રૂટ પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર દિલીપ આર. કોટીલા (બેજ નંબર 498) સતત મોબાઈલ ફોન પર વાતચીત કરવામાં મશગૂલ હતા. એક હાથે સ્ટીયરિંગ અને બીજા હાથે મોબાઈલ પકડીને બસ ચલાવતા ડ્રાઈવરની આ જોખમી હરકત જોઈ મુસાફરો ફફડી ઉઠ્યા હતા. કોઈ જાગૃત મુસાફરે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના આધારે વિભાગીય નિયામકે તપાસ કરાવી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી પોરબંદર ડેપો ખાતે ખસેડી દીધા છે. બીજી તરફ, વેરાવળ ડેપોના ડ્રાઈવર રાજેશ જે. નિમાવત (બેજ નંબર 17427) સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ દરમિયાન ડેપો મેનેજર સાથે ગેરવર્તણૂક અને મિસબિહેવિયર કરવા બદલ તેમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને શિક્ષાત્મક પગલાં રૂપે વેરાવળથી ઉપલેટા ડેપો ખાતે મૂકી દેવામાં આવ્યા છે. આ બંને કેસમાં હવે નિગમ દ્વારા વધુ તપાસ કરી ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરે આ અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મુસાફરોની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. અધિકારી, સુપરવાઈઝર કે કર્મચારી દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં. તમામ કર્મચારીઓએ ફરજ દરમિયાન નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે.
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર, સંદીપ સાગલે (IAS) એ ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) તરીકે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યાના પ્રથમ દિવસથી જ તેમણે અત્યંત સક્રિયતા દાખવી છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને વહીવટી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને તેમણે CEO કચેરીના તમામ વિભાગો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. વિવિધ શાખાઓની સર્વગ્રાહી સમીક્ષાનવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કાર્યભાર સંભાળતાની સાથે જ રાજ્યવ્યાપી ચૂંટણી તંત્રની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી સુધારણા, આઈ.ટી. વિભાગ, મીડિયા સેલ અને ફરિયાદ નિવારણ જેવી વિવિધ શાખાઓના અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. દરેક વિભાગની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ અને ટેકનોલોજી પર વિશેષ ભારસમીક્ષા બેઠક દરમિયાન સંદીપ સાગલેએ રાજ્યથી લઈને જિલ્લા સ્તર સુધીના તમામ કર્મચારીઓની તાલીમ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાલીમ પ્રક્રિયા માત્ર ઔપચારિક ન રહેતા વધુ અસરકારક બનવી જોઈએ. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા તેમણે તાકીદ કરી હતી. આગામી સમયમાં મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો અને અન્ય ચૂંટણીલક્ષી આયોજનો માટે સમગ્ર સ્ટાફ નવા નેતૃત્વ હેઠળ સજ્જ જોવા મળી રહ્યો છે.
ગોધરામાં પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ:સહજાનંદ સોસાયટીમાં 4 ઇજાગ્રસ્ત, 10 સામે ફરિયાદ નોંધાઈ
ગોધરાની સહજાનંદ સોસાયટીમાં એક પરિવાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘરની તોડફોડ થઈ હતી અને પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી હતી. પોલીસ સૂત્રો અનુસાર, દસથી વધુ અજાણ્યા ઈસમો પાઈપ અને લાકડીઓ જેવા હથિયારો સાથે બાઈક પર સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. તેમણે કાછિયા પટેલ પરિવારના મકાનને નિશાન બનાવ્યું હતું. હુમલાખોરોએ ઘરમાં પ્રવેશીને ઘરવખરીના સામાનની વ્યાપક તોડફોડ કરી હતી. ઘરની બહાર પાર્ક કરેલી બે બાઈકોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલામાં ત્રણ મહિલાઓ અને એક યુવક સહિત કુલ ચાર સભ્યોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ભોગ બનનાર પરિવારે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી છે. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી. વસૈયાએ માહિતી આપી હતી કે, આ ઘટનામાં ગોધરાના પાવર હાઉસ પાસે રહેતા મનીષાબેન પરમાર, મંજુબેન પરમાર, નયનાબેન પરમાર, પિંકી પરમાર, મહેન્દ્ર પરમાર, જયંતી, જીતેશ, કાર્તિક જગદીશ, પરમાર રાજ ચોહાણ સહિત ચાર મહિલા અને છ પુરુષ એમ કુલ દસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ICC ટ્રોફીના ફાઈનલમાં પ્રવેશ કરનારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી છે. સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોંચેલી કીવી ટીમ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પરથી સીધી ટીમ હોટલ ITC નર્મદા ખાતે પહોંચી, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન સહિત તમામ ખેલાડીઓ અને સ્ટાફનું એરપોર્ટ અને હોટલ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમના આગમન સાથે અમદાવાદમાં ફાઈનલનો ઉત્સાહ વધુ વધી ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે ટીમ આગામી દિવસોમાં નેટ પ્રેક્ટિસ અને તૈયારીઓ શરૂ કરશે. આ પહેલાં ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું, જેના કારણે ફાઈનલમાં તેમની એન્ટ્રી નિશ્ચિત થઈ હતી. હવે અમદાવાદમાં ફાઈનલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમના આગમન બાદ હોટલ ITC નર્મદા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાઈનલ મેચ પહેલાં ટીમની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ક્રિકેટ ચાહકો હવે ફાઈનલના દિવસની રાહ જોઈ રહ્યા છે, જ્યાં ન્યૂઝીલેન્ડ ટીમ ટ્રોફી જીતવા માટે પૂરજોશમાં છે. આગામી દિવસોમાં ટીમની પ્રેક્ટિસ સેશન અને મીડિયા ઇન્ટરેક્શન પણ યોજાશે, જેના દ્વારા ફાઈનલનો માહોલ વધુ ગરમાશે.
બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર:472 ઉમેદવારોની પસંદગી, 95 ઉમેદવાર વેઇટિંગમાં; જુઓ લિસ્ટ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 1 લાખ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતીઆ ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025 દરમિયાન શારીરિક કસોટી યોજાઈ હતી, જેમાંથી લગભગ 1 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા માટે લાયક ઠર્યા હતા. ત્યારબાદ 13 એપ્રિલ, 2025ના રોજ MCQ આધારિત 200 ગુણ અને સબજેક્ટિવ 100 ગુણ મળીને કુલ 300 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. PSI કેડરના પરીક્ષા નિયમો મુજબ, કુલ 1025 ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રોવિઝનલ પરિણામ જાહેર કરી ઉમેદવારો પાસેથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા હતા. યાદી જોવા ક્લિક કરો..... બિન હથિયારી PSI ફાઈનલ લિસ્ટ આગામી દિવસોમાં નિમણૂક પણ આપી દેવાશેવાંધા-સૂચનોની સમીક્ષા બાદ હવે ભરતી બોર્ડે અંતિમ પસંદગી યાદી જાહેર કરી છે, તેમાં કુલ 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક અંગેની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
Chhota Udaipur News: છોટાઉદેપુરમાં એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ નસવાડી તાલુકાના કુકરદા ગામે 'વિકાસની ગુલબાંગો'ની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કુપ્પા પાણી પુરવઠા યોજના માત્ર સરકારી ચોપડે જ સફળ દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિકતામાં દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. કુપ્પા પાણી પુરવઠા યોજના ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. યોજના કરોડોની, પણ નળ ખાલીખમ સરકારે કુપ્પા પાણી પુરવઠા યોજના અંતર્ગત 82 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી હતી.
હિંદ મહાસાગરમાં ઈરાનના વધુ એક જહાજ પર ખતરો! શ્રીલંકા પાસે માંગી મદદ
Iran-US Conflict : અમેરિકાની સબમરીને ચોથી માર્ચે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા પાસે ઈરાની યુદ્ધજહાજ પર ટોર્પિડોથી હુમલો કર્યો હતો, જેમાં જહાજ ડૂબી જવાની સાથે 80 લોકોના મોત થયા હતા, ત્યારે આ જ હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ પર ખતરો મંડરાઈ હોવાનું સામે આવ્યું છે. શ્રીલંકાએ કહ્યું કે, તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઈરાનનું વધુ એક જહાજ ઉભું છે અને તેમણે ઈમરજન્સી મદદ માંગી છે. શ્રીલંકન સરકારે વધુ એક ઈરાની જહાજ ફસાયું હોવાની માહિતી આપી શ્રીલંકાએ આજે (5 માર્ચ) કહ્યું છે કે, તેમને હિંદ મહાસાગરમાં એક ઈરાની જહાજે ઉભુ છે, જેઓ અમારા જળવિસ્તારમાં પ્રવેશ કરવા માટે મંજૂરી માંગી રહ્યા છે. શ્રીલંકન સરકારના પ્રવક્તા અને મંત્રી નલિંદા જયથિસાએ સંસદમાં કહ્યું છે કે, હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની જહાજ ફસાયું હોવાનું સરકારને માહિતી મળી છે અને સરકાર જહાજ પરના લોકોને સુરક્ષિત સુનિશ્ચિત કરતા પગલાઓ પર વિચારણા કરી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુખ્ય બજારમાં એક ચાલુ ઇલેક્ટ્રિક સ્કૂટીમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. આ ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂટી ચાલકે ધુમાડો નીકળતાની સાથે જ વાહન સાઈડમાં કરી દીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂટી ચાલક બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. ઇલેક્ટ્રિક સ્કૂટીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન છે. ધુમાડાની સાથે સ્કૂટીમાંથી તણખા પણ નીકળ્યા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. લોકોએ સમયસૂચકતા વાપરીને આગને વધુ ફેલાતી અટકાવી અને તેને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ધુમાડો નીકળતો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સુરત મહાનગરપાલિકાની ટર્મ 11 માર્ચ 2026ના રોજ પૂર્ણ થાય છે, ત્યારે તેના આગલા દિવસે એટલે કે, 10 માર્ચના રોજ યોજાનારી વર્તમાન ટીર્મની છેલ્લી સામાન્ય સભામાં શહેરના વિકાસ અને જાહેર સુખાકારીને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આ સભામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું કામ ગટર સમિતિ દ્વારા પોણા બે કરોડની કપૂર ગોટી ખરીદવા રજૂ કરવામાં આવ્યું છે. કારણ કે, 2000 જેટલા ડ્રેનેજ સફાઈ કામદારોના સ્વાસ્થ્ય અને કાર્યસ્થળની સ્થિતિમાં સુધારો કરવા આ મંજૂરી આપવામાં આવશે. ડ્રેનેજ સફાઈ કામદારો માટે 1.76 કરોડની કપૂર ગોટી ખરીદશેડ્રેનેજ વિભાગ હેઠળ ફરજ બજાવતા બે હજાર સફાઈ કામદારો માટે વહીવટી તંત્ર દ્વારા 1,76,50,000ના ગ્રોસ અંદાજને મંજૂરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ રકમનો ઉપયોગ સફાઈ પ્રક્રિયા દરમિયાન જરૂરી એવી કપૂર ગોટી પૂરી પાડવા માટે કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે આપવામાં આવ્યો છે. એટલે કે, એક વર્ષમાં ડ્રેનેજ સફાઈ કામદારો માટે પોણા બે કરોડની કપૂર ગોટી ખરીદવામાં આવશે. દરેક ઝોનવાળા પોતાના ટેન્ડર પ્રમાણે કીટ ખરીદતામેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ અંતર્ગત સફાઈ કામદારોની સુરક્ષા માટે બધી વસ્તુઓ ખરીદવી પડતી હોય છે. જેમાં કીટ હોય, હાથના મોજા સહિતની બધી વસ્તુ ખરીદવી પડતી હોય છે. અત્યાર સુધી આ વસ્તુ ખરીદતા જ હતા પણ દરેક ઝોનમાંથી અલગ અલગ ખરીદતા હતા. દરેક ઝોન ટેન્ડર પાડે અને દરેક ઝોનવાળા પોતાના ટેન્ડર પ્રમાણે ખરીદી કરતા હતા. હવે એક જ મેઇન રેન્જે બધું ખરીદી કરી લઈ અને પછી દરેક ઝોનની જરૂરિયાત પ્રમાણે એમાંથી વિતરણ થાય. આનાથી વહીવટી પ્રક્રિયામાં પણ સરળતા રહેશે. શા માટે કપૂર ગોટી ખરીદવામાં આવે છે?ગટર સફાઈનું કામ અત્યંત જટિલ અને જોખમી હોય છે. ડ્રેનેજ લાઈનોમાં એકઠા થતા ઝેરી ગેસ અને અસહ્ય દુર્ગંધને કારણે કામદારોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. કપૂર ગોટી કુદરતી રીતે જંતુનાશક અને સુગંધિત હોવાથી તે ગટરની અંદરની દુર્ગંધને ઘટાડવામાં મદદરૂપ થાય છે. હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. કામદારોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોને ઓછી કરે છે. ટર્મની છેલ્લી સામાન્ય સભાચૂંટણી પહેલા અને ટર્મ પૂરી થતી હોવાથી આ સભામાં અનેક અટકેલા કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગટર સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગાંધીનગર ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રીસ્ક ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનીટીઝ” પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક આધુનિક સમયના વધતા જતાં શહેરીકરણને સમસ્યા તરીકે નહીં, પરંતુ સસ્ટેનેબલ અને ઇનોવેટીવ અર્બનાઇઝેશનની એક ઉત્તમ તક તરીકે રજૂ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુસરીને, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલે આ પુસ્તકમાં વિશ્વભરના શહેરી વિકાસના મોડેલ્સનું સચોટ વિશ્લેષણ કર્યું છે. આ લેખન દ્વારા ભવિષ્યના શહેરો કેવા હોવા જોઈએ અને તે કેવી રીતે ક્લાયમેટ રીઝીલિયન્ટ બની શકે તેનું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. શહેરીકરણ: પડકારો અને આગોતરું આયોજનવર્તમાન સમયમાં શહેરીકરણ એ સૌથી મોટી પરિવર્તનકારી પ્રક્રિયા છે. આ પુસ્તકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધતા શહેરીકરણને કારણે આવનારા સમયમાં પર્યાવરણીય અને સામાજિક પડકારો ઉભા થશે. આ માટે અત્યારથી જ યોગ્ય નીતિ નિર્માણ અને આગોતરા આયોજનની આવશ્યકતા છે. ખાસ કરીને વધતી એનર્જી ડિમાન્ડ, સંસાધનોનો વપરાશ અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટેના અસરકારક ઉપાયો આ પુસ્તકમાં વણી લેવાયા છે. 2047 ના ભારત માટે શહેરોની ભૂમિકાભારતમાં શહેરીકરણની ગતિ અત્યંત તેજ છે અને વર્ષ 2047 સુધીમાં તેમાં અભૂતપૂર્વ વધારો થવાની ધારણા છે. આ આર્થિક વિકાસયાત્રામાં શહેરો કરોડરજ્જુ સમાન સાબિત થશે. જોકે, વધતી વસ્તીને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પર દબાણ વધશે. આ દબાણને ખાળવા માટે શહેરોનું સુવ્યવસ્થિત આયોજન અને ટકાઉ વિકાસ કેટલો અનિવાર્ય છે, તેની ઊંડી છણાવટ આ પુસ્તકમાં જોવા મળે છે. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાઇનાન્સિંગ મોડેલટકાઉ વિકાસ માટે માત્ર યોજનાઓ જ નહીં, પણ ભંડોળ પણ એટલું જ જરૂરી છે. આ પુસ્તક ક્લાયમેટ રીઝીલીયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણ મેળવવાના વિવિધ માર્ગો દર્શાવે છે. જેમાં ગ્રીન બોન્ડ, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP), કાર્બન માર્કેટ અને ક્લાઈમેટ ફાઈનાન્સ જેવા આધુનિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાકીય ક્ષમતા મજબૂત બનાવવા અને મ્યુનિસીપલ ફાયનાન્સ સિસ્ટમને સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરો: સમસ્યા નહીં, પણ ઉકેલનું કેન્દ્રપુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે શહેરો સમસ્યાઓનું મૂળ નથી, પરંતુ તે એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ મળી શકે છે. આધુનિક ટેકનોલોજી અને સસ્ટેનેબલ પોલિસીઝ દ્વારા શહેરોને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવી શકાય છે. આ પુસ્તક નીતિ નિર્ધારકો અને અર્બન પ્લાનર્સ માટે એક મહત્વના માર્ગદર્શક તરીકે સાબિત થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કથિત ભ્રષ્ટાચારના પ્રતીક સમાન હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજની જોખમી હાલતને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, રમીન્દ્રસિંહ બગ્ગા, યસ ચૌધરી અને દુરઇ સ્વામીએ એક સંયુક્ત નિવેદનમાં તંત્રની ઉદાસીનતા અને અક્ષમ્ય બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો આ મામલે ત્વરિત પગલાં નહીં લેવાય તો મોરબી જેવી જ મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. બ્રિજની નબળી ગુણવત્તાને કારણે ગણેશ કન્સ્ટ્રક્શન દ્વારા તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં બે મોટા અને અત્યંત વજનદાર સ્પાન માત્ર 3 ટેકા પર ટકેલા છે. IIT ગાંધીનગર દ્વારા આ સ્પાન તોડવાની મંજૂરી ન મળતા અને ડેપ્યુટી સીટી એન્જિનિયર દ્વારા સ્થાપિત હિતોને કારણે પેમેન્ટ અટકાવી દેવાતા કામ અધૂરું મૂકી દેવાયું છે. બ્રિજ તોડવાના વાઈબ્રેશનથી પિલરો નબળા પડ્યા છે અને સ્લેબમાં 6 થી 7 વખત ક્રશિંગ જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે આ વિશાળ સ્પાન ગમે ત્યારે તૂટી પડી શકે તેમ છે. આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. 40 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ ફક્ત 1 વર્ષ રાખવા સામે પ્રશ્નો ઉઠ્યા છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને કન્સલ્ટન્ટ દ્વારા આંખ આડા કાન કરી પેમેન્ટો રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપવાને બદલે દંડની ધમકીઓ અપાઈ રહી છે, જેની નાગરિકોએ સખત શબ્દોમાં નિંદા કરી છે. બ્રિજનો અડધો ભાગ બંધ હોવાને કારણે આસપાસના રહીશો, વેપારીઓ અને વાહનચાલકોને અસહ્ય હાલાકી ભોગવવી પડી રહી છે. ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. નાગરિકોના વિશાળ હિતમાં આ સ્પાન તાત્કાલિક ઉતારી લેવાની મંજૂરી આપવા અને અટકાવેલું પેમેન્ટ રિલીઝ કરવા માટે જ્યોર્જ ડાયસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જો કોઈ દુર્ઘટના સર્જાશે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે પડોશી આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષની સગીરા તેના માતા-પિતા સાથે તાડપત્રીથી બનેલા ઝૂંપડામાં રહે છે. આ ઝૂંપડામાં મુખ્ય દરવાજો કે પાછળની દીવાલ ન હોવાથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. ઘટનાની રાત્રે મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાથી ઘરમાં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેથી સગીરાના માતા-પિતા ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે અંદાજે એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન પડોશમાં રહેતો પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર અંધારાનો અને ઝૂંપડામાં દરવાજો તથા વીજળી ન હોવાનો લાભ લઈ ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટના અંગે સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર સામે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ નોંધાયા બાદ કેટલાક અસામાજિક તત્વો પીડિત પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરી ધમકી આપી હોવાની પણ ચર્ચા છે. જેને લઈને પીડિત પરિવારે રાત્રિના સમયે 112 પર ફોન કરીને પોલીસ પાસે મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેરના અક્ષર માર્ગ વિસ્તારમાં રહેતાં અને રજપુતપરા મેઈન રોડ પર રમત ગમતના સાધનોનો વેપાર કરતા વેપારી સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. વેપારીને અજાણ્યા શખ્સે વ્હોટ્સએપ પર ટ્રાફિક ચલણની લિંક મોકલી વેપારીનો મોબાઈલ હેક કરી અને તેમના બેંક એકાઉન્ટમાંથી 10.87 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેતાં સાબયર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે અક્ષર માર્ગ પર હરિહર સોસાયટીમાં રહેતાં અને રજપૂતપરા મેઇન રોડ પર હાઉઝેટ સ્પોર્ટ કોર્નર નામે રમત ગમતના સાધનોનો વેપાર કરતાં સંદિપભાઇ પ્રવિણચંદ્ર ગાંધી (ઉ.વ.62)ની ફરિયાદ પરથી અજાણ્યા વ્હોટ્સએપ નંબરના ધારક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સંદિપભાઇને તારીખ 26.12.2025ના રોજ અજાણ્યા વ્હોટ્સએપ નંબર પરથી એક ‘RTO ટ્રાફિક ચલાન' નામની એપીકે ફાઈલ આવી હતી. માટે પોતાના વાહનનું ચલણ છે કે કેમ તે જોવા ફાઈલ ઓપન કરી ડાઉનલોડ કરતા તેમાં કંઈ દેખાયું ન હતું અને ફોન હેંગ થઈ ગયો હતો. ફોન હેક થયો હોવાની શંકા જતા તેઓ તુરંત તે ફાઈલમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તા.06.01.2026ના રોજ સંદીપભાઇ પોતાની દુકાનેથી HDFC બેંકમાં રૂ.41,000નો ચેક જમા કરાવીને પરત આવતા હતા ત્યારે તેમના મોબાઈલ પર રૂપિયા વિથડ્રોલનો મેસેજ આવતા તેઓ ચોંકી ગયા હતા અને બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની જાણ બહાર જ તેમના બે અલગ-અલગ ખાતાઓમાંથી કુલ રૂપિયા 10,87,790 ટ્રાન્સફર થઈ ગયા હતા. જેમાં HDFC એકાઉન્ટમાંથી રૂપિયા 99,990 અને 50,000 તેમજ કરંટ એકાઉન્ટમાંથી 4,40,000 અને 4,98,000ના વ્યવહારો થયા હતા. આટલી મોટી રકમ ઉપડી જતા સંદીપભાઇએ તુરંત જ બંને ખાતાઓ સ્ટોપ કરાવી દીધા હતા અને બેંક મેનેજરની સલાહ મુજબ તેમણે 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કરી અરજી નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી થવા જઈ રહી છે. આગામી 8 માર્ચના રોજ શહેરમાં પ્રથમવાર વ્યાવસાયિક તમામ મહિલા સંગીતકારોના સમૂહની શરૂઆત સાથે “સ્વર શક્તિ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાનારો આ કાર્યક્રમ સંગીત પ્રેમી જનતા માટે તદ્દન નિઃશુલ્ક રહેશે. પરંપરા અને આધુનિકતાનો સમન્વયભારતીય સંગીત પરંપરામાં સ્ત્રીઓના પ્રદાનને બિરદાવવા માટે આ મંચ તૈયાર કરાયો છે. આ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયનથી લઈને ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત અને વાદ્ય સંગીતની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, હાર્મોનિયમ, તબલા, ઢોલ અને વાયોલિન જેવા પરંપરાગત વાદ્યોના સથવારે મહિલા કલાકારો પોતાની કળા પ્રદર્શિત કરશે. અશીતા અને સચિન લીમયેનું વિઝનઆ મહત્વપૂર્ણ પહેલનું નેતૃત્વ અશીતા અને સચિન લીમયે દ્વારા કરવામાં આવ્યું છે. આ સમૂહમાં 15 થી 50 વર્ષથી વધુ ઉંમરની પ્રતિભાશાળી યુવતીઓ અને મહિલાઓ જોડાઈ છે, જેમાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને નોકરીયાત મહિલાઓનો સમાવેશ થાય છે. અશીતા લીમયેના જણાવ્યા મુજબ, આ પહેલનો મુખ્ય હેતુ વડોદરાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવું એક વ્યાવસાયિક 'ઓલ-વુમન બેન્ડ' તૈયાર કરવાનો છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે. આ કાર્યમાં ChargeZone ના કિન્નરી હરીયાણી તરફથી પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. ઇન્ડિયન આઇડલ ફેમ કાવ્યા લીમયેનું આકર્ષણઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઇન્ડિયન આઇડલની ફાઇનલિસ્ટ કાવ્યા લીમયે રહેશે. વડોદરાની આ ઉભરતી પ્રતિભા પોતાની ખાસ પ્રસ્તુતિ દ્વારા નવોદિત કલાકારોને પ્રેરણા આપશે. આ કાર્યક્રમ માત્ર સંગીતનો જલસો નથી, પરંતુ મહિલાઓના અવાજને મજબૂત કરવાની અને તેમને વ્યાવસાયિક મંચ પૂરું પાડવાની એક સક્ષમ સાંસ્કૃતિક ચળવળ છે.
પોરબંદરના છાયામાં સરકારી જમીન પરથી દબાણ દૂર:4 કરોડની કિંમતની 10 વીઘા જમીન ખુલ્લી કરાવાઈ
પોરબંદરના છાયા વિસ્તારમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા જેસીબી મશીનોની મદદથી આ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે 4 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, છાયા વિસ્તારના જૂના સર્વે નંબર 68 અને નવા સર્વે નંબર 75 માં આવેલી અંદાજે 10 વીઘા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી કરવામાં આવતી હતી. દબાણકર્તાઓએ આ જમીન પર મકાઈ અને જુવાર જેવા ઘાસચારાનું વાવેતર કરીને કબજો જમાવ્યો હતો. આ જમીન અંગે અગાઉ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેનો તાજેતરમાં નિકાલ આવતા જમીન સરકારી હોવાનું સાબિત થયું હતું. જંત્રી દર મુજબ આ જમીનની કિંમત આશરે 1 કરોડ 35 લાખ રૂપિયા થાય છે, જ્યારે બજાર ભાવ મુજબ તેની કિંમત 4 કરોડ રૂપિયા જેટલી અંદાજવામાં આવી છે. ખાલી કરાવવામાં આવેલી આ જમીનનો ઉપયોગ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે પ્લોટ ફાળવણી કરવા માટે કરવામાં આવશે. તંત્રએ વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ લોકોએ સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર દબાણો કર્યા હોય, તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર કરી દે. અન્યથા, આવનારા દિવસોમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી તમામ દબાણો દૂર કરવામાં આવશે.
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા હોળી પર રાશન કીટ વિતરણ:એકાંકી અને જરૂરિયાતમંદ વડીલોને કરાઈ મદદ
હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ અને એકાકી વડીલોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ આર્થિક રીતે નબળા વડીલોને તહેવારની ખુશીમાં સામેલ કરવાનો હતો. વિતરણ કરાયેલી રાશન કીટમાં રોજિંદા વપરાશની ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આનાથી વડીલોને થોડા દિવસો માટે અનાજની ચિંતામાંથી મુક્તિ મળે છે. ઘણા વડીલો એકલા રહે છે અથવા તેમના સંતાનો દૂર હોય છે, ત્યારે આવા સમયે સામાજિક સંસ્થાઓનો સહયોગ તેમને માનસિક આધાર પૂરો પાડે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય માત્ર ભૌતિક સહાય પૂરતું સીમિત નથી. તે સમાજમાં દયા, કરુણા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તહેવારોના સમયે વડીલોની મદદ કરીને, સંસ્થા સમાજને સંદેશ આપે છે કે સાચી ઉજવણી સૌની ખુશીમાં છે. આ પ્રકારના સેવાકાર્યોથી જરૂરિયાતમંદ વડીલોને સામાજિક આધાર મળે છે અને તેઓ એકલતા અનુભવતા નથી. હેલ્પ્સ ફાઉન્ડેશનની આ પહેલ માનવતા, સેવા અને સહાનુભૂતિના મૂલ્યોને મજબૂત બનાવે છે, જે સમાજ માટે પ્રેરણાદાયક છે.
વડોદરાના ચાંપાનેર દરવાજા, છીપવાડ ખાતે આવેલી નર્મદાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા (સવાર) માં FLOUR DENIEL INDIA PVT LIMITED કંપનીના CSR ઉપક્રમે સ્થાપિત સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે FLOUR DENIEL INDIA PVT LIMITED ના Satheesh Pillai (જનરલ મેનેજર – ઇન્ડિયા ઓફિસ), Rushikesh Trivedi (ઓપરેશનલ મેનેજર – વડોદરા ઓફિસ), Ajaysinh Zala (સપ્લાય ચેઇન ડિરેક્ટર – એશિયા સ્પેસિફિક), Ketan Patel (CSR લીડ – વડોદરા), Mihir Desai (ઇવેન્ટ ચેમ્પિયન) અને Shilpy Chordiya (ઇવેન્ટ કો-ચેમ્પિયન) ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ નવીનીકરણીય ઊર્જાના ઉપયોગનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા આપી હતી. શાળામાં સ્થાપિત આ સોલાર સિસ્ટમથી વીજળીની સુવિધા વધુ સુદ્રઢ બનશે, જેનાથી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓને સીધો લાભ મળશે. આ કાર્યક્રમના સફળ લોકાર્પણ માટે શાળા પરિવારે FLOUR DENIEL INDIA PVT LIMITED કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
એચ.એ. કોલેજમાં ત્રિદિવસીય બિઝનેસ ફેસ્ટ:વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ, માર્કેટિંગ સ્ટ્રેટેજી રજૂ કરી
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા, માર્કેટિંગ અને ફાઇનાન્સ વિશેની માહિતી આપવા તેમજ બિઝનેસ સ્ટાર્ટઅપ્સ અંગે જાગૃતિ લાવવા માટે ત્રિદિવસીય બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ ફેસ્ટ યોજાયો હતો. આ ફેસ્ટમાં કોલેજના વિદ્યાર્થીઓએ અલગ-અલગ ટીમો બનાવી હતી. તેમણે વિવિધ પ્રોડક્ટ્સની પસંદગી કરી હતી અને તેના પ્રચાર-પ્રસાર માટેની વ્યાપારિક વ્યૂહરચનાઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ બિઝનેસ સ્ટાર્ટઅપ્સ અંગેના પ્રેઝન્ટેશન પણ આપ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, કોમર્સના વિદ્યાર્થીઓને બિઝનેસ સ્ટ્રેટેજી, સ્ટાર્ટઅપ અને બેન્કિંગ સુવિધાઓ વિશેની વિસ્તૃત માહિતી હોવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વ્યાપારિક આયોજન સંદર્ભે પણ જાણકારી મળે છે. ત્રિદિવસીય ચાલેલા આ કાર્યક્રમમાં કોલેજના કુલ 135 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેમેન્ટો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન પ્રોફેસર મીનલ જોષીએ કર્યું હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા લાંભા સ્થિત જીવનધારા વૃદ્ધાશ્રમના 300થી વધુ વડીલોને સવારનો નાસ્તો અને નવા કપડાંની ભેટ આપવામાં આવી. આ કાર્યક્રમ કુણાલ જયેશ પરીખના સહયોગથી યોજાયો હતો. વડીલોને સવારના નાસ્તામાં મગ, ખાખરા, ચા, કોફી અને દૂધ પીરસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 150 ભાઈઓને નવા બ્રાન્ડેડ શર્ટ અને 150 બહેનોને નવી સાડીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ, શરદ જાદવ અને માર્કંડભાઈ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. રાહી ફાઉન્ડેશને જીવનધારા વૃદ્ધાશ્રમના સંચાલક મંડળનો વડીલોની સેવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ક્લબ 60 પ્લસના મિત્રોની 56 વર્ષથી હોળી ઉજવણી:અમદાવાદના પ્રીતમનગરમાં અનોખી પરંપરા જાળવી રાખી
અમદાવાદના પાલડી પાસે આવેલા પ્રીતમનગરમાં 'ક્લબ 60 પ્લસ' નામના મિત્રોના જૂથે હોળી-ધૂળેટીની અનોખી ઉજવણીની પરંપરા છેલ્લા ૫૬ વર્ષથી જાળવી રાખી છે. આ જૂથ1970થી સતત એક જ સ્થળે હોળીનો તહેવાર ઉજવી રહ્યું છે. પ્રશાંત દેસાઈ અને તેમના 12 દંપતી મિત્રોનું આ જૂથ, જેને 'ક્લબ 60' તરીકે ઓળખવામાં આવે છે, તેઓ દર વર્ષે પ્રીતમનગર સોસાયટીમાં આવેલા હોળી ચકલા પાસે ભેગા મળીને હોળી પ્રગટાવે છે. વર્ષ 1970થી 2026 સુધી, એટલે કે લગભગ ૫૬ વર્ષથી, આ મિત્રોએ એક પણ વર્ષ છોડ્યા વિના આ પરંપરાને જીવંત રાખી છે. આ ઉજવણી દરમિયાન, તેઓ હોળીની જ્યોતમાંથી ચા બનાવવાની એક વિશિષ્ટ પ્રવૃત્તિ પણ કરે છે. પ્રશાંત દેસાઈ અને તેમના 'ક્લબ ૬૦' જૂથે હોળીના તહેવારને આ વિશિષ્ટ અને અવિરત રીતે ઉજવવાનો લહાવો હજુ પણ ચાલુ રાખ્યો છે.
ઝાલાવાડી સઈ સુથાર સમાજ 35 વર્ષથી ધજા ચડાવે:ધૂળેટીએ સોલા ભાગવત મંદિરમાં પરંપરા જાળવી
ઝાલાવાડી સઈ સુથાર સમાજ પગપાળા સંઘ દ્વારા ધૂળેટીના દિવસે સોલા ભાગવત મંદિરમાં સતત 35 વર્ષથી ધજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. આ આયોજન દર વર્ષે સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોના સહયોગથી થાય છે. સંઘ વાડજથી ધજા લઈને પ્રસ્થાન કરે છે અને સોલા ભાગવત મંદિર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરે છે. આ યાત્રામાં નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સમાજના તમામ સભ્યો ઉત્સાહભેર જોડાય છે. ધજા ચડાવ્યા બાદ સમાજના સભ્યો એકત્રિત થઈ તહેવારની ઉજવણી કરે છે. આ પ્રસંગે સહભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જે સામાજિક એકતા દર્શાવે છે. ઝાલાવાડી સઈ સુથાર સમાજ પગપાળા સંઘ દ્વારા છેલ્લા 35 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે. આ આયોજન સમાજમાં એકતા અને સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
સરસપુરના બોમ્બે હાઉસિંગમાં ધુળેટીની ઉજવણી:રહેવાસીઓએ કુદરતી રંગોથી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા બોમ્બે હાઉસિંગ ખાતે ધુળેટી પર્વની આનંદમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિસ્તારના રહેવાસીઓએ એકતા અને ભાઈચારા સાથે રંગોત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન, રહેવાસીઓએ એકબીજાને કુદરતી રંગો લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પરંપરાગત સંગીતના તાલે નૃત્ય કરીને આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો, જે સામુદાયિક ભાવનાનું પ્રતિક બન્યો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા શાંતિ, સ્વચ્છતા અને સુરક્ષાનું ધ્યાન રાખીને તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને પાણીનો બગાડ ન કરવા અને પર્યાવરણમિત્ર રંગોનો ઉપયોગ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ રીતે, બોમ્બે હાઉસિંગ, સરસપુર ખાતે ધુળેટી પર્વની ઉજવણી સૌહાર્દ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વડોદરા સેન્ટ્રલ જેલના નારી સુધાર ગૃહ ખાતે નિ:સ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા હોળી ઉત્સવ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નારી સુધાર ગૃહની મહિલા કેદીઓએ રંગો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તેમની દૈનિક દિનચર્યામાં આનંદ અને ઉત્સાહના રંગો ભરવાનો હતો. આ ઉજવણીમાં નિ:સ્વાર્થ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શિલ્પા દવે અને નારી સુધાર ગૃહના જેલર ગીતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. નિ:સ્વાર્થ ફાઉન્ડેશનની ટીમે મહિલા કેદીઓના જીવનમાં આશા, ઉત્સાહ અને ખુશીના રંગો ભરી તેમને નવી શક્તિ આપવાનો પ્રયાસ કર્યો, જે સફળ રહ્યો હતો.
બધિર બાળકોએ ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવી:પાટણની બહેરા મૂંગા શાળામાં રંગોત્સવ ઉજવાયો
પાટણની શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાંડેસરા બહેરા મૂંગા શાળામાં વિશ્વ શ્રવણ દિવસ નિમિત્તે બધિર બાળકોએ ઓર્ગેનિક રંગોથી હોળીની ઉજવણી કરી. આચાર્ય ઘેમરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં, સ્પેશિયલ શિક્ષક વર્ષાબેન જોષીએ બાળકોને હોળી-ધુળેટી તહેવારનું સામાજિક અને ધાર્મિક મહત્વ સમજાવ્યું. ત્યારબાદ, બધિર બાળકોએ એકબીજાને ઓર્ગેનિક રંગો લગાવી, નાચગાન સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. પર્યાવરણની જાળવણી અને ભાઈચારાનો સંદેશ આપતા આ પર્વમાં બાળકોએ ધાણી અને ખજૂરનો સ્વાદ પણ માણ્યો હતો. શિક્ષકો પણ બાળકો સાથે આ ઉજવણીમાં જોડાયા અને એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે, 3 માર્ચ, વિશ્વ શ્રવણ દિવસ હોવાથી, શાળાના આચાર્ય દ્વારા શ્રવણશક્તિ ગુમાવનાર બાળકો માટે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમણે વહેલું નિદાન, સમાન તક, અવાજ પ્રદૂષણ, કાનની સંભાળ અને બહેરાશ નિવારણ વિશે માહિતી આપી. આચાર્યએ શ્રવણશક્તિ ગુમાવનાર બાળકો પ્રત્યેના પૂર્વગ્રહો છોડી, ટેકનોલોજી દ્વારા તેમને મુખ્ય પ્રવાહમાં જોડી શિક્ષણ અને રોજગારીમાં સમાન તકો આપવા પર ભાર મૂક્યો. આ ઉપરાંત, લાઉડસ્પીકર અને ડી.જે.ના મોટા અવાજથી થતા કાયમી નુકસાન, લાંબા સમય સુધી હેડફોન કે ઇયરબડ્સનો ઉપયોગ ટાળવા, તથા કાન સાફ કરવા માટે પીન, પેન્સિલ કે અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવા જેવી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું. વારંવાર વાતચીત સ્પષ્ટ ન સંભળાય તો તરત જ ઓડિયોલોજીસ્ટની સલાહ લેવાની જરૂરિયાત સમજાવવામાં આવી, જેથી વહેલું નિદાન કરાવીને આગળનું નુકસાન અટકાવી શકાય.
જૈન સોશ્યિલ ગ્રુપ ગાંધીનગર દ્વારા રંગોત્સવ ઉજવાયો:130 સભ્યોની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ સંપન્ન
જૈન સોશ્યિલ ગ્રુપ, ગાંધીનગર દ્વારા રંગોત્સવ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 130 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તે સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમની શરૂઆત તિલક હોળીથી થઈ હતી, જ્યાં સભ્યોએ એકબીજાને રંગોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ખજૂર, ધાણી, સિંગ અને ચણાનો સ્વાદ માણવામાં આવ્યો હતો. ત્યારબાદ નવકાર મંત્રના પઠન સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થયો. ગ્રુપના કારોબારી સભ્યો મનવેશભાઈ, ભાવિનાબહેન શાહ અને તેમના પરિવારે સુંદર ગ્રુપ ગેમ્સનું આયોજન કર્યું હતું. મ્યુઝિક, મસ્તી અને ધમાલ કમાલના રાઉન્ડમાં દરેક સભ્યે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની ટીમને વિજેતા બનાવવા પ્રયાસ કર્યો. મનોરંજનથી ભરપૂર રમતો માણ્યા બાદ, સભ્યો ભોજન માટે એકઠા થયા. ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ભોજનમાં પ્લેન/મસાલા ઢોસા, ઇડલી, મેંદુવડા, સંભાર, ચટણી અને દૂધીના હલવાનો સ્વાદ માણ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર દરેક કારોબારી સભ્યનો JSGના પ્રેસિડેન્ટ હિતેન્દ્રભાઈ અને સેક્રેટરી વીણાબહેને આભાર વ્યક્ત કર્યો હતો. JSGમાં વધુને વધુ જૈન સભ્યો જોડાય તેવા પ્રયત્નો કરવા ટીમ સભ્યોને જણાવવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક શંકાસ્પદ પનીર બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીંથી 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો અને મશીનરી સહિત કુલ 28,44,170 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તહેવારો ટાણે જ આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ પનીર પકડાતા ચકચાર મચી ગઈ છે. ગુપ્ત બાતમીના આધારે SOG અને ફૂડ વિભાગનો સપાટોસુરત S.O.G.ને બાતમી મળી હતી કે, પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ગાળા નંબર-278માં ગેરકાયદેસર રીતે અને આરોગ્ય સાથે ચેડાં થાય તે રીતે પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 28.44 લાખનો મુદ્દામાલ અને મશીનરી જપ્તકારખાનામાં તપાસ કરતા પોલીસને 1401 કિલો શંકાસ્પદ પનીર મળ્યું હતું, જેની કિંમત આશરે 3,08,220 થાય છે. આ ઉપરાંત પનીર બનાવવા માટે વપરાતી આધુનિક મશીનરી જેવી કે પેશ્ચરાઈઝ મશીન, હોમોનાઈઝર અને સ્ટોરેજ પ્લાન્ટ પણ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 25,00,000 આંકવામાં આવી છે. ફક્ત આટલું જ નહીં, ત્યાંથી પામોલીન તેલના 28 ખાલી ડબ્બા અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા. રાજસ્થાની સંચાલકની ધરપકડરેડ દરમિયાન કારખાનાના સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા (ઉંમર 40) હાજર મળી આવ્યો હતો. મહેશકુમાર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ અલથાણ વિસ્તારમાં A-303, કેશવ હાઈટ્સમાં રહે છે. તેની કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યો છે. તે દરરોજ આશરે 400 કિલો પનીર બનાવીને શહેરની અલગ-અલગ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો. ‘એનાલોગ પનીર’ના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાંતપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી પનીર બનાવીને તેના પર “NON BRAND LOOS ANALOGUE PANEER” ના સ્ટીકર લગાવતો હતો. સ્થળ પરથી આવા 3000 સ્ટીકરો મળી આવ્યા છે. આ પનીર તે માત્ર 220 પ્રતિ કિલોના ભાવે વેચતો હતો. સામાન્ય રીતે શુદ્ધ પનીરના ભાવ કરતા આ ભાવ ઓછા હોવાથી અનેક લોકો છેતરાતા હતા. પોલીસે સ્થળ પરથી 1000 જેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ પનીરના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં તમામ જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટમાં જો પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે, તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વૃંદાવન-6 બંગ્લોઝમાં હોળી પર્વની ઉજવણી:સોલા ભાગવત ખાતે સોસાયટીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો
અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં આવેલા વૃંદાવન-6 બંગ્લોઝ ખાતે હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં સોસાયટીના તમામ સભ્યો, જેમાં બાળકો, વડીલો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે, તેઓએ ભાગ લીધો હતો. સભ્યોએ ડાન્સ અને મસ્તી સાથે હોળીના રંગોનો આનંદ માણ્યો હતો. બાળકો, વડીલો, મહિલાઓ અને પુરુષોએ પોતપોતાના ગ્રુપમાં જોડાઈને એકબીજા સાથે વાતો કરી અને આ પર્વને યાદગાર બનાવ્યો હતો. હોળીના ઉત્સવની ઉજવણી બાદ સાંજે સોસાયટીના સભ્યો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમણવાર ન્યુ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી નેબેસા રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો.
નાજ ગામમાં દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી ઉજવાઈ:ઉદય ફાઉન્ડેશન દ્વારા પીરાણા પાસે આશ્રમમાં આયોજન કરાયું
અમદાવાદના પીરાણા નજીક આવેલા નાજ ગામના એક આશ્રમમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ઉદય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને માનસિક આનંદ અને ઉત્સાહ પ્રદાન કરવાનો હતો. ડીજેના સંગીતની ધૂન પર બાળકોએ રંગો અને ગુલાલથી ધૂળેટીનો તહેવાર મનાવ્યો હતો. આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ જોવા જેવો હતો. ઉદય ફાઉન્ડેશનની ટીમ અને બાળકોએ સાથે મળીને આ આનંદમય પળોની અનુભૂતિ કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓ લાવવામાં મદદરૂપ થાય છે.
પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ધુળેટી ઉજવાઈ:નાના ભૂલકાઓથી મોટા સભ્યોએ રંગોત્સવનો આનંદ માણ્યો
સુરતના પાલ વિસ્તારમાં આવેલી વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હોળીકા દહન ૨ માર્ચે કરાયું હતું, જ્યારે ૪ માર્ચે રંગોત્સવ મનાવાયો હતો. આ ઉજવણીમાં બિલ્ડિંગના નાના બાળકોથી લઈને મોટા સભ્યો અને મહિલાઓ સહિત સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. સવારથી બપોર સુધી સૌએ સાથે મળીને રંગોની હોળીનો ભરપૂર આનંદ માણ્યો હતો. રંગોત્સવની સાથે સાથે ખાણીપીણીનો પણ સ્વાદ માણવામાં આવ્યો હતો. સુરતીઓ કોઈપણ તહેવારની ઉજવણીમાં ખાણીપીણીની મજા માણવા માટે જાણીતા છે, અને આ પર્વમાં પણ તેની ઝલક જોવા મળી હતી.
ઘોડાસર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી:નાના-મોટા સૌએ રંગોત્સવનો આનંદ માણ્યો
મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ એકબીજાને રંગો લગાવી રંગોત્સવનો ભરપૂર આનંદ માણ્યો હતો.
નટરાજ કલાસંસ્થાનો 16મો હોળી રંગારંગ કાર્યક્રમ:કલાકારોએ સંગીત-નૃત્ય સાથે ધમાકેદાર ઉજવણી કરી
નટરાજ કલાસંસ્થાના કલાકારોએ સતત 16મા વર્ષે સપરિવાર હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં સાદા કલર, સંગીત અને નૃત્ય સાથે ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનું આયોજન કેતન આવસત્થી અને પિન્કીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, કાર્યક્રમની શરૂઆત તેમના ઘરેથી થાય છે. ત્યારબાદ, કલાકારો વારાફરતી એકબીજાના ઘરે જાય છે અને બધાને સાથે લઈ છેલ્લા ઘરે ભેગા થઈને આનંદ માણે છે. કલાકારો આ તહેવારની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે.
અમદાવાદના મકરબા સ્થિત ઓર્ચીડ એક્ઝોટીકામાં આ વર્ષે પણ ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ઓર્ચીડ એક્ઝોટીકા દ્વારા હોળીના રસિયાઓ માટે વિશેષ આયોજન કરાયું હતું. મેનેજમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઓર્ગેનિક કલર, ડીજે, રેઈન ડાન્સ અને બપોરના ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકોએ સુનિશ્ચિત કર્યું હતું કે તમામ મહેમાનો સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે.

29 C