રાજ્યના માર્ગો, ધોરીમાર્ગો અને શહેરોના રોડ-રસ્તાની ગુણવત્તા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં દિશાનિર્દેશ આપ્યો કે, “ક્વોલિટીમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહીં.” શહેરોના રોડ-રસ્તાની હાલત વિશે માહિતી આપીગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના મેયરો, મ્યુનિસિપલ કમિશનરો અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા અને તેમના શહેરોના રોડ-રસ્તાની હાલત વિશે માહિતી આપી હતી. 30 નવેમ્બર સુધીમાં રોડની સ્થિતિનો વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચનામુખ્યમંત્રીએ જણાવ્યું કે માર્ગો પરના ખાડા (પોથોલ્સ) ભરવાના કામોને તાત્કાલિક અગ્રતા આપવામાં આવે અને તમામ અધિકારીઓ નિયમિત ફિલ્ડ વિઝિટ કરી ગુણવત્તા ચકાસે. તેમણે સૂચના આપી કે, 30 નવેમ્બર સુધીમાં તમામ શહેરો અને મહાનગરો પોતાના વિસ્તારોની રોડ સ્થિતિનો વિગતવાર અહેવાલ રજૂ કરે. રસ્તાઓ ગેરંટી દરમિયાન તૂટી જાય તો કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરોવધુમાં કહ્યું કે, જે રસ્તાઓ ગેરંટી પિરિયડ દરમિયાન તૂટી જાય, તેમના કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા છે, જ્યારે હલકી ગુણવત્તાના કામો બદલ 13થી વધુ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થઈ છે. રસ્તા રિપેરિંગના કામો લોકોને અનુભૂતિ થાય તે રીતે પૂરાં થવા જોઈએનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, શહેરોમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને માર્કેટ જેવા વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં રસ્તા રિપેરિંગના કામો લોકોને અનુભૂતિ થાય તે રીતે પૂરાં થવા જોઈએ. ફરિયાદોનું સત્વરે નિવારણ થાય અને નવી કામગીરી પણ સમયસર હાથ ધરાય તે જરૂરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠૌર, શહેરી વિકાસ અગ્ર સચિવ એમ. થેન્નારસન, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રેમ્યા મોહન, માર્ગ-મકાન સચિવ પ્રભાત પટેલિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવનું વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓએ સ્વાગત થઈ રહ્યું છે. રાધા યાદવ આજે એલેમ્બિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “રાધા યાદવ આજે એ તમામ યુવતીઓ માટે જીવંત પ્રેરણા છે જેઓ ક્રિકેટમાં કરિયર બનાવવા માગે છે. ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ વિજયથી દેશભરની છોકરીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અને રાધા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે.” તેમણે વધુમાં ખાસ ભાર મૂકતાં કહ્યું, “કોઈ પણ ટેલેન્ટેડ યુવતી કે દીકરીને ક્રિકેટમાં આગળ વધવા માટે જો સપોર્ટની જરૂર હોય તો બીસીએ અને હું વ્યક્તિગત રીતે હંમેશા તેમની પડખે ઊભા રહીશું.” રાધા યાદવે પણ આ મુલાકાતમાં પોતાની શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મારી ક્રિકેટ યાત્રા એલેમ્બિક ગ્રાઉન્ડથી જ શરૂ થઈ હતી. પિતાજી મને મુંબઈથી વડોદરા લાવ્યા અને અહીં મને પ્રથમ તક મળી. કોચ ગીતા ગાયકવાડ મેડમ અને એલેમ્બિકના તમામ સ્ટાફે મને એટલો સપોર્ટ અને પ્રોત્સાહન આપ્યું કે આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છું. વડોદરામાં એલેમ્બિક ગ્રાઉન્ડ મારા માટે સૌથી સુરક્ષિત અને સપોર્ટિવ જગ્યા રહ્યું છે. મુલાકાત દરમિયાન બીસીએ દ્વારા વડોદરામાં મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આગામી દિવસોમાં ખાસ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતથી વડોદરાની અનેક નવી પેઢીની યુવતી ખેલાડીઓમાં નવો જોશ ભરાયો છે અને રાધા યાદવ જેવી સફળતાની વાર્તા હવે વધુ નજીકથી દેખાઈ રહી છે.
ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત સ્કાય લાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બપોર બાદ ભીષણ આગ લાગતાં વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ કોમ્પ્લેક્સમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલની ઓફિસ પણ આવેલી છે. જેના કારણે ઘટનાસ્થળે તુરંત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમા લઈ લીધી હતી. ફાયરની બે ગાડી અને 15થી વધુ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાગાંધીનગરના સેક્ટર 11 સ્થિત સ્કાય લાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બપોર બાદ ભીષણ આગ લાગતાં જોતજોતામાં જ્વાળાઓ અને ધુમાડો પહેલા માળ સુધી પહોંચી ગયો હતો, જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને 15થી વધુ ફાયર કર્મીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે તુરંત પાણીનો મારો ચલાવીને બેઝમેન્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યોફાયર બ્રિગેડના જવાનોની સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને થોડા સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આગ લાગવાના કારણ અંગે સ્થાનિક વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. કેટલાક વેપારીઓ ચર્ચા કરતા હતા કે, જ્યારે રીટાબેન પટેલ મહાનગરપાલિકાના મેયર હતા તે સમયની પ્લાસ્ટિકની ખુરશીઓ બેઝમેન્ટમાં પડી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સળગતી સિગારેટ કે બીડી કચરામાં ફેંકતાં આગ લાગી: ફાયર ઓફિસરગાંધીનગર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે આ દાવાને રદિયો આપ્યો હતો. ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, સ્કાય લાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં મુખ્યત્વે કચરો અને બેનરો પડ્યા હતા. ત્યાં કોઈ ખુરશીઓ નહોતી. પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ કોઈ વ્યક્તિએ સળગતી સિગારેટ કે બીડી કચરામાં ફેંકી દીધી હોવાથી આ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. અમારી ટીમે સ્થળ પર પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરીને આગને કાબૂમાં લઈ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ફાયર ટીમે આગને ઝડપથી નિયંત્રિત કરીને કોમ્પ્લેક્સમાં મોટું નુકસાન થતું ટાળ્યું હતું. જોકે આ ઘટનાથી સેક્ટર-11 વિસ્તારના અન્ય કોમ્પ્લેક્સના વેપારીઓમાં પણ તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા જરૂર વ્યાપી ગઈ છે.
પોરબંદરમાં માધવપુના દરિયાકાંઠે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો - ભારતીય નૌસેના, ભારતીય થલસેના અને ભારતીય વાયુસેના દ્વારા શરૂઆતમાં સંયુક્ત રીતે 'ટ્રાઇ-સર્વિસીસ કવાયત (TSE-2025) - ત્રિશૂળ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય નૌસેનાએ મુખ્ય સેવા તરીકેનું નેતૃત્વ કર્યું હતું. TSE-2025નું નેતૃત્વ ભારતીય નૌસેનાના પશ્ચિમી નેવલ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય થલસેનાના સધર્ન કમાન્ડ અને ભારતીય વાયુસેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ મુખ્ય સહભાગી રચનાઓ તરીકે જોડાયા હતા. આ કવાયત રાજસ્થાન અને ગુજરાતના ક્રીક (ખાડી) અને રણ પ્રદેશોની સાથે ઉત્તર અરબી સમુદ્રમાં મલ્ટીલેવલ ઓપરેશન્સ સહિતના દરિયાઈ ક્ષેત્રમાં મોટા પાયે આયોજિત કરવામાં આવી હતી. આમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, સીમા સુરક્ષા દળ (BSF) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ હતી, જેણે આંતર-એજન્સી સંકલન અને સંકલિત ઓપરેશન્સને મજબૂત બનાવ્યું હતું. આ કવાયતનું મુખ્ય કેન્દ્રબિંદુ સશસ્ત્ર દળો વચ્ચેની તાલમેલ વધારવા, તેમજ ત્રણેય સેવાઓમાં બહુ-ક્ષેત્રીય સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સુમેળ સાધવા પર હતું. આનાથી સંયુક્ત અસર-આધારિત ઓપરેશન્સ શક્ય બન્યા. મુખ્ય ઉદ્દેશ્યોમાં પ્લેટફોર્મ્સ અને માળખાકીય સુવિધાઓની આંતર-કાર્યક્ષમતા વધારવા, સેવાઓમાં નેટવર્કના એકીકરણને મજબૂત કરવા અને ઓપરેશન્સમાં સંયુક્તતાને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કવાયતમાં સંયુક્ત ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી પ્રક્રિયાઓ, ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) અને સાયબર વોરફેયર યોજનાઓને પણ માન્ય કરવામાં આવી હતી. ભારતીય નૌસેનાના કેરિયર ઓપરેશન્સને ભારતીય વાયુસેનાની કિનારા-આધારિત સંપત્તિઓ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યા હતા, જેથી શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન થઈ શકે અને હવાઈ કામગીરી માટે સંયુક્ત SOPs (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ) માન્ય થઈ શકે. કવાયત 'ત્રિશૂળ'માં સ્વદેશી પ્રણાલીઓના અસરકારક ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોના સમાવેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઉભરતા જોખમો અને સમકાલીન તેમજ ભવિષ્યના યુદ્ધની વિકસતી પ્રકૃતિને સંબોધવા માટે અનુકૂળ પ્રક્રિયાઓ અને તકનીકોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટ્રાઇ-સર્વિસીસ કવાયત-૨૦૨૫ ના સફળ આયોજને ભારતીય સશસ્ત્ર દળોના સંપૂર્ણપણે સંકલિત રીતે કાર્ય કરવાના સામૂહિક સંકલ્પને રેખાંકિત કર્યો છે, જેનાથી સંયુક્ત ઓપરેશનલ સજ્જતા અને રાષ્ટ્રીય સુરક્ષાની તૈયારીમાં વધારો થયો છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે લોકોને એટલો રસ નથી હોતો, જેટલો આ વખતે છે. આ વખતે રસ હોવાનાં ત્રણ કારણો છે.નીતિશ કુમારની ભૂલવાની બિમારીના કારણે તે 10મી વાર CM બનશે કે નહિરાહુલ-તેજસ્વીએ સાથે મળીને મહાગઠબંધનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છેપ્રશાંત કિશોરની નવી પાર્ટીનું શું થશે… જોકે બંને તબક્કામાં ઐતિહાસિક મતદાન થયું છે એટલે રાજકીય પક્ષોના જીવ તાળવે ચોંટ્યા છે. બીજું, 12 જેટલા એક્ઝિટ પોલમાં NDAની સરકાર બહુમતીથી આવશે, તેવું વલણ છે. પણ બિહારના અગાઉના એક્ઝિટ પોલ ક્યારેય સાચા પડ્યા નથી. નમસ્કાર, બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કા પૂરા થયા છે. દેશ આઝાદ થયો ત્યારથી એટલે 75 વર્ષમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી વધારે મતદાન થયું છે. પહેલા તબક્કામાં 65.09% અને બીજા તબક્કામાં 68.52% જંગી મતદાન થયું છે. NDA માટે પડકાર એ છે કે મુસ્લિમ વિસ્તારોમાં 77 ટકા જેટલું વોટિંગ થયું છે.બિહાર માટે એવું કહેવાય છે કે વોટિંગમાં 5 ટકાથી વધારેનો ઉલટફેર થાય ત્યારે સત્તા પરિવર્તન થાય છે. જોકે આમાં અપવાદ પણ છે. સાચું ચિત્ર તો 14 નવેમ્બરે રિઝલ્ટ આવે ત્યારે જ સામે આવશે પણ એક વાત તો નક્કી છે કે આ વખતે બિહારની ચૂંટણીમાં ધાર્યા કરતાં કાંઈક નવાજૂની થવાની છે. એક્ઝિટ પોલમાં ફીર એકબાર NDA સરકારઅલગ અલગ એજન્સીઓએ એક્ઝિટ પોલ બહાર પાડ્યા અને તમામ એક્ઝિટ પોલમાં NDA સરકારને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે. મહાગઠબંધનને ખાસ સીટો મળી નથી અને પ્રશાંત કિશોરની મહેનત પર પાણી ફરી વળ્યું છે તેવું એક્ઝિટ પોલના વલણમાં દેખાય છે. વલણો શું કહે છે? મહાગઠબંધનમાં અંદરના ડખા નડ્યા? જો NDA સત્તામાં આવે તો મુખ્યમંત્રી માટે પેચ ફસાઈ શકેબિહારની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે ભાજપે સ્પષ્ટ કહ્યું હતું કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, NDA જીતે તો નીતિશ જ CM બનશે? ત્યારે શાહે જવાબ આપ્યો હતો કે એ ચૂંટણી પરિણામો આવી જાય પછી વિચારીશું. આનો અર્થ એ થયો કે જો એક્ઝિટ પોલ સાચા પડ્યા ને NDA સત્તામાં આવે છે તો ભાજપ અને નીતિશ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પેચ ફસાઈ શકે છે. પ્રશાંત કિશોરને કિંગ મેકર નહિ, કિંગ બનવું છેપ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે. ચૂંટણી વખતે પાસાં ગોઠવવામાં એ માહિર છે. અત્યાર સુધી પ્રશાંત કિશોર કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા હતા પણ આ વખતે બિહારની ચૂંટણીની તમામ સીટોમાં પોતાના ઉમેદવારોને લડાવીને કિંગ બનવું છે. મુખ્ય લડાઈ NDA અને મહાગઠબંધન વચ્ચે રહી છે પણ આ વખતે પ્રશાંત કિશોરની ત્રીજી પાર્ટી જનસુરાજ પણ ચિત્રમાં છે એટલે રસાકસી સારી થશે. બિહારમાં બમ્પર મતદાન થયું છે. આનાથી કોનો ફાયદો થશે? બિહારમાં આ વખતે પહેલા તબક્કામાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓએ 7.5 ટકા મતદાન વધારે કર્યું છે. મહિલાઓનું મતદાન ઘણા સવાલો ઊભા કરે છે. શું નીતિશ સરકારે મહિલાઓના ખાતામાં 10-10 હજાર નાખ્યા તેના કારણે મતદાન થયું છે કે મહાગઠબંધને 'વોટ ચોરી'ની વાતો ચાલુ રાખી તેના કારણે મહિલાઓનું મતદાન થયું હતું? આ સવાલનો જવાબ મતપેટીમાં પૂરાઈ ગયો છે. બિહારની વસ્તી 13 કરોડ છે પણ મતદારો 7 કરોડ 40 લાખ છે. તેમાંથી 50% મતદારો યુવા મતદારો છે. આઝાદી પછી પણ સૌથી પછાત રાજ્ય બિહારએવું ભલે કહેવાય કે આઝાદી પછી બિહારમાં સૌથી વધારે મતદાન થયું છે પણ આઝાદી પછી ભારતમાં સૌથી પછાત રાજ્ય પણ બિહાર જ રહ્યું છે. કહી શકાય એવો સાચો અને સારો વિકાસ થયો નથી. દેશના બીજા રાજ્યોની સરખામણીમાં બિહારમાં પરકેપિટા ઈન્કમ એટલે માથાંદીઠ આવક સૌથી ઓછી છે. બંને તબક્કામાં સારું મતદાન, બિહારમાં નવાજૂની થશે?બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. પહેલા તબક્કામાં 18 જિલ્લામાં 121 સીટ પર મતદાન થયું. એ મતદાનની ટકાવારી 65.09% થઈ છે. 20 જિલ્લાની 122 બેઠકો માટે 11મી તારીખે મતદાન થયું. જેમાં મતદાનની ટકાવારી 68.52% થઈ છે. ભાજપ એવો દાવો કરી રહ્યો છે કે અમે એટલે કે NDA 243માંથી 160 બેઠકો મેળવીશું. બીજી તરફ રાહુલ અને તેજસ્વી પણ દાવો કરી રહ્યા છે કે અમે સ્પષ્ટ બહુમતી મેળવીશું. આ વખતે બિહારમાં કાંઈ નવાજૂની થાય તો નવાઈ નહિ. કારણ કે જ્યારે જ્યારે મતદાનની ટકાવારીમાં મોટો ઊલટફેર થયો છે ત્યારે ત્યારે સત્તા પરિવર્તન થયું છે. બિહારમાં નીતિશ કુમારની છાપ પલટુરામ તરીકેની છે. 9 વાર મુખ્યમંત્રી રહ્યા છે. ભાજપે એવો માહોલ બનાવ્યો કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડીશું. પણ એવું નથી કહ્યું કે NDAના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે. ભાજપને નીતિશ કુમારના ચહેરા પર ચૂંટણી જીતવામાં રસ છે, ભાજપને નીતિશનું નેતૃત્વ જોઈતું નથી. આવું ઘણા પોલિટિકલ એક્સપર્ટ પણ કહી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં એવી હવા બંધાઈ હતી કે ભાજપ અને નીતિશ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ભાજપે ચિરાગ પાસવાનને 29 સીટ આપી દીધી તેનાથી નીતિશને પેટમાં દુખ્યું. તેણે ચિરાગને ફાળવેલી પાંચ સીટ પર પોતાના 5 સ્વતંત્ર્ય ઉમેદવારો ઊભા રાખ્યા. આ ચાર ચૂંટણીમાં મતદાનમાં ઊલટફેર થયો ને સત્તા પરિવર્તન પણ થયું1967 : રાજ્યમાં પહેલીવાર બિન-કોંગ્રેસી સરકારઆ ચૂંટણીમાં મતદાન 7% વધ્યું હતું. તેના કારણે પહેલીવાર બિન-કોંગ્રેસી સરકાર રચાઈ હતી, જોકે સરકાર અસ્થિર રહી. મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા. જન ક્રાંતિ દળ અને શોષિત દળે કોંગ્રેસનું વર્ચસ્વ તોડ્યું, પરંતુ તેમની એકતા જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. આ ચૂંટણીથી કોંગ્રેસ નબળી પડતી ગઈ.1980 : મહામહેનતે કોંગ્રેસે ફરી સત્તા મેળવીઆ સાલમાં મતદાન 6.8% વધુ હતું. કોંગ્રેસ પોતાના દમ પર સત્તામાં પાછી આવી, જગન્નાથ મિશ્રા મુખ્યમંત્રી બન્યા. એ સમયે આંતરિક સંઘર્ષોને કારણે કોંગ્રેસે જનતા પાર્ટીને સત્તામાંથી છીનવી લીધી. જોકે કોંગ્રેસ પાર્ટીની આંતરિક રાજનીતિએ 10 વર્ષમાં જ તેના શાસનનો અંત લાવી દીધો.1990 : કોંગ્રેસ શાસનનો અંત, લાલુ યાદવ મુખ્યમંત્રી બન્યાએ વર્ષની ચૂંટણીના મતદાનમાં 5.8%નો વધારો થયો, જેના કારણે કોંગ્રેસ સત્તા પરથી દૂર થઈ ગઈ. જનતા દળ-યુનાઈટેડ (JDU)એ સરકાર બનાવી અને લાલુ યાદવ મુખ્યમંત્રી બન્યા. એ પછી એ પછી બિહારના રાજકારણાં કોંગ્રેસ ક્યારેય સત્તામાં આવી શકી નહિ. લાલુ યાદવે બિહારના રાજકારણની ધરીને બદલી નાખી ને 15 વર્ષ શાસન કર્યું.2005 : લાલુ શાસનનો અંત, નીતિશ મુખ્યમંત્રી બન્યાઆ વર્ષમાં મતદાન મતદારો નિ:રસ રહ્યા. વોટિંગ 16.1% ઓછું હતું. આ ચૂંટણીમાં લાલુ-રાબડી શાસનનો અંત આવ્યો. નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા. આ વખતે ઓછા મતદાનને કારણે સત્તા પરિવર્તન થયું. નીતિશ કુમારે સુશાસનની છબિ કેળવી અને 20 વર્ષથી બિહારમાં સત્તા સંભાળી છે. ગુજરાતમાં આમઆદમી પાર્ટી ને બિહારમાં જનસુરાજ પાર્ટીગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં હતી ત્યારે ત્રિપાંખિયો જંગ હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. આ ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના મત કાપી ગયા એટલે કોંગ્રેસ ત્યાંની ત્યાં રહી ગઈ. ભાજપે 156 સીટ સાથે જંગી બહુમતી મેળવી. બિહારમાં NDA, મહાગઠબંધનની સાથે ત્રીજો મોરચો જનસુરાજ પાર્ટીનો છે. જો બિહારમાં ગુજરાત પેટર્નથી મતદાન થયું હશે તો ફાયદો NDAને થવાનો છે અને મહાગઠબંધન હતું ત્યાં ને ત્યાં રહી જશે. પણ બિહારમાં આ વખતે ઐતિહાસિક વોટિંગ થયું છે એટલે પ્રશાંત કિશોરે કોના મત કાપ્યા તે કળી શકાય એવું નથી. ભાજપ 'મોટાભાઈ'ને સાઈડ લાઈન કરવાની ફિરાકમાંઅત્યાર સુધી નીતિશ કુમાર મોટાભાઈ ગણાતા હતા. તેમની પાર્ટીને વધારે બેઠકો ફાળવાતી હતી. નીતિશ કુમારને 125 બેઠકો ફાળવાય તો ભાજપને 75 ફાળવાતી હતી. આ વખતે એવું નથી. આ વખતે નીતિશ કુમારને 101 અને ભાજપને 101 બેઠકો ફાળવાઈ છે. બંનેએ સરખાભાગે સીટો વહેંચી છે, જે નીતિશને પસંદ આવ્યું નથી. બીજું, કેન્દ્રીયમંત્રી ચિરાગ પાસવાનની પાર્ટી લોજપાને આ વખતે 29 બેઠકો આપી છે. ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝીની પણ દાળ નહિ ગળે એવું મનાય રહ્યું છે. બિહારની ચૂંટણીમાં ભાજપે એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ, 100થી વધારે સાંસદોને કામે લગાડ્યા હતા. ભાજપે 300 જેટલી જાહેરસભાઓ કરી છે. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેના આગલા બે દિવસથી અમિત શાહે બિહારમાં ધામા નાખ્યા હતા. એટલે નક્કી કાંઈક ગરબડ છે એવું દેખાય છે. નીતિશ કુમાર જીતી જાય ને પલટી મારી જાય તો નવાઈ નહિદિલ્હીમાં ભલે મોદી-શાહ ચેકમેટ કરતા હોય પણ બિહારમાં એ જ દાવ ચાલે છે જે નીતિશ રમે છે. નીતિશની છાપ ભલે પલટુરામની હોય પણ તેને કોઈ ખુરશી પરથી હટાવી શક્યું નથી. આ વખતે એવો ભય છે કે માનો કે NDA જીતે છે પણ નીતિશને બદલે બીજા કોઈને CM બનાવવા ભાજપ દાવપેચ કરે તો નીતિશ કુમાર ખુરશી જાળવવા પલટી મારી જશે અને NDAની મહેનત પર પાણી ફરી વળશે. નીતિશ કુમાર જીતી ગયા પછી પણ પલટી મારી શકે છે. આ જ વાતનો ભય ભાજપને પણ છે. ચૂંટણી પછી બિહારની રાજનીતિ 3 રીતે બદલાશે આ પોઈન્ટ પણ સમજવા જેવા છે છેલ્લે,પ્રશાંત કિશોરે પોતાની જ પાર્ટી માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે. PKએ કહેલું કે પરિણામોમાં જનસુરાજ પાર્ટી કાં તો અર્શ પર હશે અથવા ફર્શ પર હશે. એટલે કાં તો 100 સીટ મળશે ને કાં તો 10 સીટ પણ નહિ મળે. એક્ઝિટ પોલ જોતાં એવું લાગે છે કે પીકે અર્શ પર નહિ પણ ફર્શ પર જ રહશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
સુરેન્દ્રનગર જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી GOG-Robust યોજના (અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક) અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે અંદાજિત રૂ. 60 કરોડના ખર્ચે થનારા આ અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર થયો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના નાગરિકોને વીજળી સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવાનો છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, આ યોજના સુરેન્દ્રનગર જિલ્લાનું લાંબા સમયથી જોવાયેલું સ્વપ્ન છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સુરેન્દ્રનગર શહેરને 'વાયર મુક્ત' અને 'થાંભલા મુક્ત' બનાવવાનો છે, જેનાથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાવરહાઉસ ફીડર અને હાટકેશ્વર ફીડર એમ બે ફીડરમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મકવાણાએ શહેરના અન્ય વિસ્તારોને પણ આવરી લેવાની સરકારની યોજના વિશે માહિતી આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાકીના 10 નવા ફીડરો માટે પણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, અને તેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ સહિત સુરેન્દ્રનગર સિટીના સમગ્ર વિસ્તારને આગામી ચાર વર્ષમાં વાયર મુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગના સીધા ફાયદાઓ ગણાવતા નાયબ મુખ્ય દંડક મકવાણાએ કહ્યું કે, GOG-Robust યોજના ગુજરાતના વીજળી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માળખાગત સુધારાનું પગલું છે. આ વિકાસ કામ થકી નાગરિકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે. ભૂગર્ભમાં લાઈનો જવાથી ચોમાસામાં વાવાઝોડા કે બે તાર ભેગા થવાથી વીજળી ડૂલ થવાના બનાવો હવે નહીં બને, જેનાથી લાખો વીજ ગ્રાહકોને વિશ્વસનીય અને અવિરત વીજળીનો લાભ મળશે. સાથે જ, મકરસંક્રાંતિ દરમિયાન પતંગના દોરા કે વાયરથી થતા શોર્ટ સર્કિટના જોખમી બનાવો પણ દૂર થશે. થાંભલાઓ દૂર થવાથી રસ્તાઓ પહોળા દેખાશે, દબાણની સમસ્યા હળવી થશે, અને શહેર ખરા અર્થમાં સુંદર અને રળિયામણું લાગશે. આ પ્રસંગે રાજ્ય સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજનાના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને હવે દિવસે સિંચાઈ માટે વીજળી મળી રહી છે. વધુમાં, લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર એ સરકારની યોજના છે. ખોટી અફવાઓમાં ના આવી દરેકે સ્માર્ટ મીટર લગાવવુ જોઈએ. હાલ જિલ્લામાં 40,000 સ્માર્ટ મીટર લાગી ગયા છે અને કામગીરી ચાલુ જ છે. કાર્યક્રમની શરૂઆતમાં પીજીવીસીએલ, વર્તુળ કચેરી, સુરેન્દ્રનગરના કાર્યપાલક ઈજનેર એન.એન.અમીનએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, દેવાંગભાઈ રાવલ સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. હેબતપુર, મકરબા અને સતાધાર એમ ત્રણ જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. ત્રણેય ઓવરબ્રિજમાં 75 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં ત્રણેય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જતા પશ્ચિમના ચાર લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતા હેબતપુરથી થલતેજ, મકરબાથી કોર્પોરેટ રોડ અને ઘાટલોડીયાથી સતાધાર તરફ જવાના રોડ પર મુખ્ય ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જેથી હવે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થતા નાગરિકો માટે ખુલ્લા મુકવામાં આવશે અને વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે. મકરબા રેલવે બ્રિજમાં યુટીલીટીને લઈને પ્રોબ્લેમ સામે આવ્યો હતો જે દૂર કર્યા બાદ હવે ઝડપી કામગીરી થશે. જે પણ ઓવરબ્રિજની કામગીરી બાકી છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના અધિકારીઓને આપી છે. મકરબા વિસ્તારમાં 80 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ / એસ જી હાઈવે કનેક્ટ થતા 40 મીટરના રસ્તા ઉપર ફોર લેન રેલ્વે ઓવરબ્રિજ રૂ. 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ આશરે 640 મીટર થાય છે તથા 4 લેન બ્રિજ મુજબ આશરે કુલ 16.40 મીટર પહોળાઈ રાખવામાં આવી છે. બ્રિજની કામગીરીમાં એપ્રોચ પોર્શનની તમામ સુપરસ્ટ્રકચર સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે તેમજ રેલ્વે સ્પાનમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રકચર તેમજ પીયરકેપ સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં એપ્રોચ પોર્શનનો ફીજીકલ પ્રોગ્રેસ આશરે 93 ટકા જેટલો તેમજ રેલ્વે પોર્શનનો ફીજીકલ પ્રોગ્રેસ આશરે 65 ટકા જેટલો થયેલો છે. આ બ્રિજ બનાવથી મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ તથા એસ.જી. હાઇવેની કનેકટીવીટી મળશે, જેના કારણે મકરબા, સરખેજ વોર્ડ તેમજ કોર્પોરેટ રોડ વગેરે વિસ્તારને લાભ મળશે તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે. હેબતપુરમાં ઓવરબ્રિજ બનતા દોઢ લાખ વાહનચાલકોને ફાયદો થશેહેબતપુર ખાતે થલતેજ થી હેબતપુર સોલા સાયન્સ સીટી વિસ્તારને જોડતા રેલ્વે ઓવરબ્રિજ રૂ. 74.15 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ આશરે 979 મીટર થાય છે તથા 4 લેન બ્રીજ મુજબ આશરે કુલ 19.50 મીટર પહોળાઇ રાખવામાં આવેલી છે. બ્રિજની કામગીરીમાં એપ્રોચ પોર્શનની તમામ સુપરસ્ટ્રકચર સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે તેમજ રેલ્વે સ્પાનમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રકચર તેમજ પીયરકેપ સુધીની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં એપ્રોચ પોર્શનને ફિઝિકલ પ્રોગ્રેસ આશરે 85 જેટલો તેમજ રેલ્વે પોર્શનનો ફિઝિકલ પ્રોગ્રેસ આશરે 73 ટકા જેટલો થયો છે. બ્રિજ બનવાથી પશ્ચિમ વિસ્તારમાં થલતેજ થી હેબતપુર સોલા સાયન્સ સીટી વિસ્તારને કનેકટીવીટી મળશે.જેના કારણે થલતેજ, હેબતપુર, સાયન્સસીટી વગેરે વિસ્તારને લાભ મળશે તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે. સત્તાધાર વિસ્તારમાં ફ્લાયઓવર બનતા દોઢ લાખ વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળશેસત્તાધાર જંકશન પર ફોર લેન ફલાય ઓવરબ્રિજ રૂ . 103 કરોડમાં બની રહ્યો છે. આ ઓવરબ્રિજ 975 મીટર છે તથા 4 લેન બ્રીજ મુજબ આશરે કુલ 16.50 મીટર પહોળાઇ રાખવામાં આવી છે. બ્રિજની કામગીરીમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રકચર તેમજ સાલબાજુના ભાગમાં તમામ બ્રીજ સુપરસ્ટ્રકક્ચરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે તેમજ ચાણકયપુરી ભાજુના ભાગમાં હાલમાં ડેક સ્લેબ તથા સુપરસ્ટ્રક્ચરની કામગીરી પ્રગતિમાં છે. સદર કામગીરીમાં આશરે 85 ટકા જેટલો ફીજીકલ પ્રોગ્રેસ થયો છે. બ્રિજ બનવાથી સત્તાધાર જંકશન પરનો ટ્રાફિકનો હલ આવશે.જેના કારણે ઘાટલોડિયા, સોલા, થલતેજ, ચાણક્યપુરી જેવા વિસ્તારને લાભ મળશે તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહનચાલકોને તેનો લાભ મળશે.
RSSની શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે, જેનો આજે ત્રીજો દિવસ છે. RSSની 100 વર્ષની ભૂમિકા પર પ્રદર્શની અને મલ્ટિમિડીયા શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંત્રી રીવાબા જાડેજા અને અર્જુન મોઢવાડિયા RSSની શતાબ્દી વર્ષની ઉજવણી નિહાળવા માટે પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ RSSની ભૂમિકા પર બનાવવામાં આવેલી પ્રદર્શની નિહાળી હતી તેમજ મલ્ટીમીડિયા શોમાં ડોક્યુમેન્ટરી પણ નિહાળી હતી. સંઘના 100 વર્ષની પ્રદર્શની પણ નિહાળી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા. સંઘના 100 વર્ષની પ્રદર્શની પણ નિહાળી છે. સંઘમાં જે મહાનુભાવોનું અનન્ય પ્રદાન હતું તેની માહિતી પણ મેળવી તેમજ સંઘ પરનો જે અભિપ્રાય છે, તે મહાત્મા ગાંધીજીનો હોય, સરદાર પટેલનો હોય જે બીજા મહાનુભાવને હોય. આજે પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ સંવાદ કરી જાણકારી મેળવી છે. ભારત ક્યારે ભૂલી ન શકે એવું સંઘનું 100 વર્ષનું પ્રદાન છે. કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સંઘમાં કાર્યકર્તાઓએ હિન્દુ સમાજને જોડવા માટે કામ કરે છે. એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું કામ કર્યું છે તે અભિનંદનને પાત્ર છે. ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું રાજ્ય સરકારના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મને અને ભારત વર્ષને ગૌરવ થાય એવી કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરી છે. 4 દિવસની વ્યાખ્યાનમાળા અને પ્રદર્શની તેમજ મલ્ટીમીડિયા શો રાખવામાં આવ્યો છે. જેમાં પૂજનીય હેડગેવારથી લઈ મોહન ભાગવતજી સુધીની આખી જીવની અને તેમના જીવન ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત અને તેનો ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે. જેથી તે પરંપરા અને પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં હાજર રહેવા મળ્યું છે.
પાટણ જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાટણ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉજવણીના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં પદયાત્રા માટે વિગતવાર સૂચનો અપાયા. આ ઉજવણી અંતર્ગત તા. 17 થી 20 નવેમ્બર દરમિયાન ચાણસ્મા, રાધનપુર, પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સવારે 8 વાગ્યે શરૂ થશે. દરેક સ્થળે સરદાર પટેલના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા માટે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકજાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ પદયાત્રામાં સામાજિક અને ધાર્મિક આગેવાનો, સાધુ સંતો, સ્વયંસેવકો અને સ્થાનિક લોકો જોડાશે. જિલ્લા સ્તરે ઉજવણી કાર્યક્રમની વિગતો જોઈએ તો તા. 17 નવેમ્બરે ચાણસ્મા વિધાનસભા અંતર્ગત ગંગેટ ખાતે, તા. 18 નવેમ્બરે રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ અલ્હાબાદ ખાતે, તા. 19 નવેમ્બરે પાટણ વિધાનસભાનો કાર્યક્રમ નોરતા તળપદ ખાતે યોજાશે. તા. 20 નવેમ્બરે સિદ્ધપુર વિધાનસભાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાગલાસણ ખાતેથી પદયાત્રા શરૂ કરી ગોકુળ યુનિવર્સિટી ખાતે સમાપ્ત થશે. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ બેઠકમાં જિલ્લાના લોકોની સમસ્યાઓના સમયસર નિરાકરણ માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. તેમણે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોના કામ સંતોષજનક રીતે થાય તે માટે જવાબદારીપૂર્વક વર્તવા અધિકારીઓને જણાવ્યું. આ બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)એ કેન્દ્ર સરકારના 'હાઉસિંગ ફોર ઓલ'ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાએ 'PM આવાસ યોજના (શહેરી) 2.0'નો અમલ શરૂ કર્યો છે. આ યોજના તા. 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ આગામી વર્ષમાં 20,000 આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ આવક (MIG) ધરાવતા પરિવારોને વિવિધ સહાય દ્વારા પોતાનું પાકું અને માળખાગત સુવિધાઓવાળું આવાસ પૂરું પાડવાનો છે. 20,000 પરિવારોનું ઘરનું સપનું સાકાર થશેગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના 'હાઉસિંગ ફોર ઓલ'ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. જેના પગલે ગાંધીનગરના 20,000 પરિવારોનું ઘરનું સપનું સાકાર થવાનું છે. મહાનગરપાલિકાએ 'પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0' (PMAY-U 2.0)નો અમલ શરૂ કર્યો છે. વ્યાજબી કિંમતે પાયાની સુવિધાઓ સાથેનું આવાસ મળશેઆ યોજના હેઠળ ગાંધીનગર મનપાએ શહેરી વિસ્તારમાં વસતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને વ્યાજબી કિંમતે પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ ઉપલબ્ધ કરાવવા માટે તેના ત્રણ મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌથી મહત્ત્વનો ઘટક છે 'બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન (BLC)', જેનો હેતુ લાભાર્થીઓને તેમના પોતાના બાંધકામ માટે સીધી આર્થિક મદદ પૂરી પાડવાનો છે. DBT થી પરિવારોને 4 લાખની સહાય મળશેઆ ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીની જમીન અથવા કાચું કે અધૂરું મકાન ધરાવતા અને જેમની વાર્ષિક આવક 3 લાખ સુધી છે તેવા પરિવારોને પાકું આવાસ બનાવવા માટે રૂપિયા 4 લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આનાથી લાભાર્થીઓ ગુણવત્તાસભર બાંધકામ ઝડપથી કરાવી શકશે. પરિવારની વ્યાખ્યામાં પતિ, પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અન્ય બે ઘટકો પણ સક્રિય રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં પ્રથમ છે 'અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP). જેના હેઠળ વાર્ષિક 3 લાખ સુધીની આવક ધરાવતા ઘર વિહોણા પરિવારો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસોનું બાંધકામ કરીને તેમને પોષાય તેવા દરે ફાળવણી કરવામાં આવશે. આ ઘટક મોટાપાયે હાઉસિંગ પ્રોજેક્ટ્સ દ્વારા આવાસની અછતને દૂર કરવામાં મદદરૂપ થશે. લાભાર્થીઓને મહત્તમ 1.80 લાખ સુધીની વ્યાજ સહાયએજ રીતે ત્રીજો અને કેન્દ્રીય ક્ષેત્રીય ઘટક છે. ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ (ISS). આ યોજના EWS, LIG અને MIG કેટેગરીના પરિવારોને તેમનું પ્રથમ આવાસ ખરીદવા માટે લીધેલી હોમ લોન પર વ્યાજમાં રાહત પૂરી પાડે છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને મહત્તમ 1.80 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જેનાથી આવાસ ખરીદવું વધુ આર્થિક રીતે પોસાય તેમ બનશે. લાભાર્થીઓ મનપા કચેરીએ રજીસ્ટ્રેશન કરાવી શકે છેગાંધીનગર મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, આ ત્રણેય યોજનાઓ મારફતે ગુણવત્તાસભર આવાસ સુનિશ્ચિત કરવા અને વ્યાજબી કિંમતે પાકી સુવિધાઓ આપવા તેઓ પ્રતિબદ્ધ છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્ર લાભાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાભાર્થીઓ મહાનગરપાલિકાની કચેરીની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે અથવા સત્તાવાર લિંક દ્વારા પોતાની જાતે પણ સરળતાથી અરજી કરી શકે છે. આ પહેલ ગાંધીનગર શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના 'ઘરનું ઘર' મેળવવાના સ્વપ્નને પૂર્ણ કરશે.
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ કાર્યાલય પર આયોગી કર (IT) વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. સવારે 5 વાગ્યાથી શરૂ થયેલી આ તપાસમાં ITની ટીમના 10 જેટલા અધિકારીઓ અને પોલીસ ટીમ હાજર છે, જે તમામ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને બેંક એકાઉન્ટ વિગતોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પૈસાની લેવડદેવડ, ચૂંટણી ખર્ચ અને બોગસ ડોનેશનના આરોપોને લઈને ચાલી રહી છે, જેમાં NCPના નેતાઓ અને કોર્પોરેટરોના ઘરો પર પણ રેડ પડી છે. ચૂંટણી ખર્ચના રેકોર્ડ અને ડોનેશનના દસ્તાવેજોની તપાસ IT વિભાગના સૂત્રો મુજબ આ રેડ 50થી વધુ સ્થળો પર ચાલી રહ્યા છે, જેમાં પુણે, મુંબઈ અને અન્ય શહેરોના NCP કાર્યાલયો અને નેતાઓના ઘરોનો સમાવેશ થાય છે. પુણેમાં NCPના શહેર એકમના પ્રમુખ ડીપક મંકર અને અન્ય કોર્પોરેટરોના ઘરો પર પણ તપાસ ચાલી રહી છે, જ્યાં ચૂંટણી ખર્ચના રેકોર્ડ અને ડોનેશનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં બેંક એકાઉન્ટની વિગતો, ડિજિટલ રેકોર્ડ અને બોગસ ટ્રાન્ઝેક્શનના પુરાવા જપ્ત કરાયા છે. NCPના કોર્પોરેટર અને અન્ય નેતાઓના ઘરો પર પણ તપાસ NCPના નેતાઓએ આ કાર્યવાહીને રાજકીય બદલાવ ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે, પરંતુ IT વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ તપાસ ગેરકાયદેસર પૈસાની લેવડદેવડ અને ચૂંટણી કાયદાના ઉલ્લંઘન પર આધારિત છે. આ રેડ્સમાં NCPના કોર્પોરેટર બાબુરાવ ચંદેર અને અન્ય નેતાઓના ઘરો પર પણ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી NCPમાં ઉથલપાથલ વધી ગઈ છે અને પાર્ટી નેતાઓએ કહ્યું છે કે, આ રાજકીય દબાણ છે. IT વિભાગે જણાવ્યું કે, તપાસ પારદર્શક અને કાયદા અનુસાર ચાલી રહી છે અને વધુ પુરાવા મળવા પર કાર્યવાહી વધુ કડક થશે.
ભરૂચમાં મતદારયાદી શુદ્ધિકરણ કાર્યક્રમ શરૂ:કલેક્ટરે નાગરિકોને સહભાગી થવા અપીલ કરી
ભરૂચ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત મતદારયાદી શુદ્ધિકરણની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ઘરઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં મતદારોના નામ, સરનામા અને અન્ય વિગતોનું પ્રમાણિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે નાગરિકોએ આ ચાલુ સુધારણા પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી બની પોતાના મતદારહકને સુનિશ્ચિત કરવો જોઈએ. કલેક્ટર મકવાણાએ વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પોમાં નવી મતદાર નોંધણી, મતદારયાદીમાં સુધારણા, નામ કમી કરવા અથવા સ્થાનાંતરણ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક લાયક નાગરિક માટે મતદારયાદીમાં નામ હોવું એ લોકશાહીનો આધારસ્તંભ છે. આથી, તમામે સમયસર પોતાની વિગતો ચકાસીને આ સુધારણા અભિયાનનો લાભ લેવો અત્યંત જરૂરી છે.
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ આણંદની મુલાકાતે આવ્યાં છે. જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ વલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં અને ત્યારબાદ આણંદ શહેરમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી, આશીર્વાદ મેળવ્યાં હતાં. જે બાદ તેઓ નાવલી સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ કાર્યાલય 'કમલમ' થી ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં. આ બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને અક્ષરફાર્મ ખાતે પહોંચી હતી. અક્ષરફાર્મ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહમાં આણંદના સાંસદ મિતેષ પટેલ, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, ધારાસભ્યો, સંતો-મહંતો ઉપરાંત આણંદ સહિત સમગ્ર જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. સામાન્ય રીતે કોઈપણ મહેમાનનું બુકે અથવા તો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે. પરંતુ, જગદીશ વિશ્વકર્માએ બુકે ને બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ શરૂ કર્યો છે. જે અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા 75 હજાર જેટલા ફુલસ્કેપ ચોપડા આપી, જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ચોપડા આણંદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન અંતર્ગત ફૂડની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આજે આંબલિયાસણ સ્ટેશનમાં પણ ખાણીપીણીની દુકાનો અને પાણીપુરીની લારી પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ચટણી અને બટાકાના જથ્થાનો સ્થળ નાશ કરવામાં આવ્યો હતો. ચટણી અને બટાકાના જથ્થાનો સ્થળ પર નાશ કરાયો આંબલિયાસણ સ્ટેશનમાં ગુરુવારના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણાના ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન કિચન ક્લીન અંતર્ગત FSW વાનના કેમિસ્ટ સુખીબેન દ્વારા નાસ્તા હાઉસ, પાણીપુરીની લારીઓ, સ્વીટ માર્ટ, ફરસાણની દુકાન સહિત 21 પેઢી દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન જયદીપ નાસ્તા હાઉસમાંથી 3 કિલો લાલ ચટણી, જય અંબે પાણીપુરીમાંથી 5 લિટર લાલ ચટણી, બોમ્બે ચોળાફળી સેન્ટરમાંથી પાંચ કિલો બટાકા, શિવ શંકર પકોડી સેન્ટરમાંથી 3 કિલો બટાકાનો જથ્થો અયોગ્ય જણાઈ આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટનાં કાલાવડ રોડ પર જડુસ ચોક નજીક આવેલી પાનની દુકાન પાસે આજે મીની ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં વૃદ્ધ દંપતી સહિત 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ બનાવમાં ખુદ દુકાનદાર પણ ઘાયલ થયો છે. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યારે દુકાનદારની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, દુકાન પર ગેરકાયદેસર રીતે નાના ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હતું, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને દેશી દારૂની પોટલીઓ અને 2 બિયરના ટીન પણ મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેસ સિલિન્ડરનો ચૂલો અચાનક ધડાકાભેર ફાટ્યો હતોપ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જડુસ હોટલ સામેના વિસ્તારમાં એક પાનની દુકાન પર આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ એક મોટો અકસ્માત થયો હતો. દુકાનની બહાર રાખેલો મીની ગેસ સિલિન્ડરનો ચૂલો અચાનક ધડાકાભેર ફાટ્યો હતો, જેના કારણે 3 લોકોને ઈજા થઈ હતી આ ભયાનક બનાવમાં ઘવાયેલા લોકોમાં દુકાનદાર રવિ અશોકભાઈ ગમારા તેમજ ત્યાંથી એક્ટિવા ઉપર પસાર થઈ રહેલા રાજેન્દ્રભાઈ કાંતિલાલ તકવાણી અને તેમના પત્ની શ્રદ્ધાબેનનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ થતા સિલિન્ડરના ટુકડા ઉડવાથી એક્ટિવા પરથી પછડાયાઆ ઘટના બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વૃદ્ધ દંપતી રાજેન્દ્રભાઈ અને શ્રદ્ધાબેનને વધુ સારી સારવાર માટે સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. રાજેન્દ્રભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ નિત્યક્રમ મુજબ હવેલીએ ઠાકોરજીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. બ્લાસ્ટ થતા સિલિન્ડરના ટુકડા ઉડવાથી તેઓ એક્ટિવા પરથી ફસડાઈ પડ્યા હતા અને તેમને મોઢાના ભાગે ઈજા થઈ હતી. દુકાનદારે દુકાન બહાર ટેબલ પર ગેસ સિલિન્ડર ચૂલો રાખ્યો હતોબીજી તરફ, દુકાનદાર રવિની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે. તેને છાતીમાં અને કમરના ભાગે ગેસના બાટલાના ટુકડા વાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ ઉપરાંત નજરે જોનારા લોકોના કહેવા મુજબ, બનાવ સવારે આશરે 10 વાગ્યા આસપાસ જડુસ હોટલથી ભીમરાવ સર્કલ વચ્ચે થયો હતો. દુકાનદાર દ્વારા દુકાન બહાર આગળના ભાગે ટેબલ પર આશરે 5 કિલો વજનનો ગેસ સિલિન્ડર ચૂલો રાખવામાં આવ્યો હતો. આ આગની ઝપેટમાં રસ્તા પરથી પસાર થતું વૃદ્ધ દંપતી પણ આવી ગયું હતુંઆ મીની સિલિન્ડરમાં અચાનક લીકેજ થતાં આગ લાગી હતી. સિલિન્ડરમાં ભડકો થવા લાગતા દુકાનદાર સહિત કેટલાક લોકોએ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ પર કાબૂ નહીં મેળવી શકાતા અને દુકાનદાર પ્રયત્ન કરી રહ્યો હતો, તે જ સમયે અચાનક આ મીની સિલિન્ડર મોટા ધડાકા સાથે ફાટ્યો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે તેના ટુકડા આસપાસ ઉડ્યા હતા, જેની ઝપેટમાં રસ્તા પરથી પસાર થઈ રહેલું વૃદ્ધ દંપતી આવી ગયું હતું. ગેરકાયદેસર વેચાણની ચર્ચા, દુકાનમાંથી દારૂ પણ મળ્યોઆ બનાવ અંગે એક ચોંકાવનારી વિગત એ છે કે, આ વિસ્તારમાં આ પાનની દુકાન પર 4 લીટરવાળા ગેસના ચૂલા સહિતના ગેસ સિલિન્ડર ગેરકાયદેસર વેચવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની માહિતી મળતા જ રાજકોટ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર અને દુકાનમાં તપાસ હાથ ધરતા દુકાનમાંથી દેશી દારૂની 2 પોટલીઓ પણ મળી આવી હતી. ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હતું કે નહીં, તે અંગે પોલીસે જાણવા જોગ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે દેશી દારૂ અંગે અલગથી ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. દુકાનદારના નિવેદનના તથ્યોને ચકાસવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરીદુકાનદાર રવિ અને તેના પરિવારજનોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, તેઓ સિલિન્ડર વેચતા નથી. તેમને પાનની દુકાન છે અને અગાઉ ચાનો થડો પણ રાખ્યો હતો, જે હવે બંધ કરી દીધો છે. આજે રવિ પોતાના માટે ચા બનાવવા ગયો ત્યારે ગેસ ચાલુ કરતા લીકેજ થવાથી આગ લાગી અને પછી બ્લાસ્ટ થયો હતો. સૂત્રોમાંથી જાણવા મળેલી માહિતી અને દુકાનદારના નિવેદનના તથ્યોને ચકાસવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી શહેરના વેપારીઓ પાસે રોકાણ કરાવી મોટાપાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીમાં નિવૃત નાયબ સચિવના પુત્ર-પુત્રવધૂએ વેપારીઓને ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના વિવિધ ટેન્ડરો લાગ્યા હોવાનો કારસો રચી કરોડોનું કરી નાખવામાં આવ્યું છે. આ મહાઠગ દંપતીએ ગુજરાત વોડાફોનના પૂર્વ હેડને પણ લોભામણી સ્કીમો આપીને 72.91 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા ઠગાઈનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યો છે. ધોરણ-12ના ટ્યુશન ક્લાસ સમયથી મિત્ર હતાગાંધીનગરના સેક્ટર-6બીમાં રહેતા અને ગુજરાત રાજ્ય ખાતે વોડાફોન તથા આઇડિયા કંપનીના પૂર્વ હેડ રહી ચૂકેલા મુનીર રજાકભાઈ પઢીયાર અને નિરવ દવે વર્ષ 1994માં ધોરણ-12ના ટ્યુશન ક્લાસ સમયથી મિત્ર હોવાથી પારિવારિક સંબંધો પણ હતા. જ્યારે મુનીરભાઈ વોડાફોન-આઇડિયાના હેડ હતા ત્યારે નિરવ દવે એરટેલ ટેલિકોમ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર હતો. જેથી, તેમનો વ્યવહાર વધુ ગાઢ બન્યો હતો. નિરવ દવેએ ગાંધીનગરના ઇન્ફોસિટી અને કુડાસણ (શ્રીધર ઓરમ) ખાતે 'ઓમ એન્ટરપ્રાઇઝ' નામની બે ઓફિસો ચાલુ કરી હતી, જ્યાં નિરવ અને તેની પત્ની મીરા બંને બેસતા હતા. 2015થી મે-2024 સુધીનો હિસાબ કરતા 72.91 લાખ આપવાના નીકળતા હતામુનીર પઢીયાર અને નિરવ દવે વચ્ચે વર્ષ 2015થી નાણાંકીય વ્યવહારો ચાલુ હતા. મે-2024માં નિરવ અને મીરા દવેએ મુનીરભાઈને કુડાસણની ઓફિસે બોલાવીને જણાવ્યું હતું કે, તેમની કંપનીને સરકારના અલગ-અલગ મોટા ટેન્ડરો પાસ થયા છે અને તેમાં રોકાણની જરૂર છે. તે સમયે 2015થી મે-2024 સુધીના બેંક એકાઉન્ટના વ્યવહારોનો હિસાબ કરતાં નિરવ દવે અને મીરા દવેએ મુનીર પઢીયારને રૂ. 72.91 લાખ આપવાના નીકળતા હતા ત્યારે ઠગ દંપતીએ મુનીરભાઈને જણાવ્યું હતું કે, તેઓ આ બાકી રકમને જ પાસ થયેલા ટેન્ડરોમાં રોકાણ કરશે અને ડિસેમ્બર-2024માં સારા વળતર સાથે પૈસા પરત આપી દેશે. અન્ય વેપારીઓ પાસેથી પણ આ જ રીતે ખોટા ટેન્ડરો બતાવીને કરોડો રૂપિયા લીધાઆથી, બાળપણની મિત્રતા અને જૂના સંબંધોના વિશ્વાસ પર મુનીર પઢીયારે આ રકમ રોકાણ માટે સંમતી આપી હતી. જોકે, ડિસેમ્બર-2024 બાદ જ્યારે મુનીર પઢીયારે પોતાના પૈસા અને વળતરની માંગણી કરી ત્યારે નિરવ અને મીરા દવેએ હજુ પૈસા આવ્યા નથી, આવશે ત્યારે આપી દઈશું તેમ કહી વાયદાઓ કર્યા હતા. આ દરમિયાન મુનીરભાઈને તેમના ઓળખીતા ભાવિકકુમાર પટેલ પાસેથી જાણવા મળ્યું કે, નિરવ દવે અને મીરા દવેએ અન્ય વેપારીઓ પાસેથી પણ આ જ રીતે ખોટા ટેન્ડરો બતાવીને કરોડો રૂપિયા લીધા છે અને હકીકતમાં કોઈ ટેન્ડર પાસ થયા નથી. અન્ય લોકોએ પણ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે મુનીરભાઈએ પણ રૂ.71.91 લાખની ઠગાઈ નોંધાવી છે. ઠગાઇનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યોઆ અગાઉ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કુલ 22 કરોડથી વધુનું ફુલેકું ફેરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જે પછી બીજા વેપારીઓ સાથે પણ ઠગાઈ થયાનું સામે આવતા વેપારી આલમમાં ઠગાઇનો આંકડો 40 કરોડ સુધી પહોંચી ચૂક્યો હતો. એવામાં ગુજરાત વોડાફોનના પૂર્વ હેડ મુનીર પઢિયાર ઉપરાંત અમદાવાદના એક વેપારી સાથે પણ આશરે 54 લાખની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આમ ઠગાઈનો આંકડો 41 કરોડ સુધી પહોંચ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી. આર. ખેરે જણાવ્યું કે, પ્રથમ ગુનો દાખલ થયો એ વખતે દંપતીએ આગોતરા જામીન મૂકી હતી. જે રિજેક્ટ થઈ છે. એટલે દંપતીએ ફરી આગોતરા મૂકી છે. જેનું આવતીકાલે હાઈકોર્ટમાં હેરિંગ છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં શીલજ, હેબતપુર, ભાડજ સહિતના વિસ્તારોમાં મૃતક ની અંતિમ વિધિ માટે થલતેજ સ્મશાન સુધી લોકોને આવવું પડતું હતું. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શીલજ વિસ્તારમાં રૂ.16.17 કરોડના ખર્ચે શીલજ સ્મશાન બનાવ્યું છે. આગામી એક અઠવાડિયામાં સ્મશાન મૃતકો ની અંતિમ વિધિ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. આ સ્મશાન બનવાના કારણે થલતેજ, શીલજ, હેબતપુર, ઘુમા સહિતના વિસ્તારોમાં મૃતકોની અંતિમ વિધિ માટે થલતેજ સ્મશાન સુધી જવું પડશે નહીં. 16.17 કરોડના ખર્ચે અધ્યતન સુવિધા સાથેનું નવું સ્મશાન ગૃહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, થલતેજ વિસ્તારમાં એક જ સ્મશાન ગૃહ હોવાથી એસ.જી હાઇવે પર થલતેજ, શીલજ, બોપલ, ઘુમા, ભાડજ સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોના કોઈપણ પરિવારમાંથી કોઇનું નિધન થાય તો તેમના અંતિમવિધિ માટે થલતેજ સ્મશાન ગૃહ ખાતે જવું પડતું હતું, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શીલજ ખાતે નવું સ્મશાન ગૃહ બનાવવાનો નિર્ણય લીધો હતો. રૂ. 16.17 કરોડના ખર્ચે અધ્યતન સુવિધા સાથેનું નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું છે. શકરી તળાવનું લોકાર્પણ થાય તે પહેલા કામગીરીનો રિવ્યુમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે જે અંગે બે દિવસ પહેલા ટૂંક સમયમાં લોકાર્પણ થાય તેના માટે તમામ કામગીરીનો રીવ્યુ પણ લેવામાં આવ્યો હતો. વર્ષો જૂના આ તળાવને ડેવલોપમેન્ટ કરી લોકો ત્યાં હરી ફરી શકે તે પ્રકારે આ તળાવનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. જેથી તેનું ટૂંક જ સમયમાં લોકાર્પણ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલા 12 જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક વિભાગ અને સંપૂર્ણપણે એક મહિનામાં વાતાનુકુલીત કરી દેવામાં આવશે. જેથી લોકોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો સુધી ડિલિવરી માટે જવું પડશે નહીં. કાલુપુર સ્ટેશન આસપાસથી દબાણો દૂર કરવા સૂચનાશહેરના કાલુપુર રેલવે સ્ટેશનની બહારના ભાગે કેટલીક લારીઓનું દબાણ હોવા અંગેની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશનના 100 મીટરના પટ્ટામાં અનેક લારીઓ રોડ ઉપર ઉભી રહે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. જેથી એસ્ટેટ વિભાગની ટીમને કમિટીમાં સૂચના આપવામાં આવી હતી કે, કાલુપુર રેલવે સ્ટેશનની બહાર જેટલી પણ લારીઓ છે તેના દબાણો અને ત્યાંથી દૂર કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા સહિતના મધ્ય ઝોનના જેટલા પણ દબાણ છે તે રોડ પરના દબાણોને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 16થી 22 નવેમ્બર દરમિયાન એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 16થી 19 નવેમ્બર દરમિયાન એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા દીઠ પદયાત્રા કરવામાં આવશે. જેમાં શિબિરો, સ્પર્ધાઓ, શપથ ગ્રહણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાશે. 16મીએ જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં થશે. જેમાં બહુમાળી ભવન ચોકથી પદયાત્રા નીકળવાની છે જેમાં 5000થી વધુ લોકો જોડાશે. જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં થશેરાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં થશે. જેમાં સવારે 10 વાગ્યે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ અલગ-અલગ વિસ્તારોમાં ફરી બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. આ જ રીતે રાજકોટ પૂર્વ, ગ્રામ્ય, ધોરાજી, ઉપલેટા, જસદણ, ગોંડલ અને જેતપુરમાં આ યાત્રા નીકળશે. 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશેરાજકોટ શહેર તથા જિલ્લામાં 10 કિલોમીટરની પદયાત્રા યોજાશે. જેમાં યંગ લીડર્સ સ્પર્ધા, ક્વિઝ-નિબંધ-વકતૃત્વ-પોસ્ટર સ્પર્ધા, NSSના વાર્ષિક કેમ્પ, શહેર તથા ગ્રામ્ય વિસ્તારોની જાહેર પ્રતિમાઓની સફાઈ, જળ સ્ત્રોતોની સફાઈ, નશામૂક્તિ તથા યોગ શિબિર, શેરી નાટક, એકતા અંગેના શપથ વગેરે કાર્યક્રમો યોજાશે. 'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરવાની સાથે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. પદયાત્રા અંગેના રૂટ પણ બેઠકમાં નક્કી કરાયા હતાઆઠ વિધાનસભા બેઠકોના વિસ્તારમાં યોજાનારી પદયાત્રા અંગેના રૂટ પણ આ બેઠકમાં નિયત કરાયા હતા. રાજકોટ શહેર તથા જિલ્લામાં યોજાનારી પદયાત્રામાં મહત્તમ લોકો સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા કલેક્ટર ઓમ પ્રકાશે સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીએ લડી લેવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં રાજ્યમાં વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 23 નવેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે મહાપંયાયત યોજાશેઆમ આદમી પાર્ટીએ વધુ 5 ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી 23 નવેમ્બરે વ્યારા બારડોલી લોકસભા ખાતે, 29 નવેમ્બરે આણંદ ખાતે, 30 નવેમ્બરે બનાસકાંઠા ખાતે, 7 ડિસેમ્બરે અમરેલી ખાતે, 14 ડિસેમ્બરે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયત યોજાશે. 16 ડિસેમ્બરે ખેડૂતોનું માંગ પત્ર રજૂ કરશે16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ખેડૂતોનું માંગ પત્ર રજૂ કરશે. પંજાબમાં AAP સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજારનું વળતર ચૂકવ્યું છે તો એટલું જ વળતર ગુજરાત સરકાર પણ ખેડૂતોને ચૂકવે તેવી મુખ્યમંત્રી પાસે માંગ કરશે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરન બારોટે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસની મિલીભગતમાં કારણે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કડદાનો ભોગ બની રહ્યા હતા. ખેડુતોના તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલન કર્યું તો તેમણે જેલમાં મોકલી દીધા છે. આજે ખેડૂતો મજબૂત થઈને બહાર આવી રહ્યા છે. સરકારે જે પેકેજ જાહેર કર્યું તે ખેડૂતો માટે લોલીપોપ સમાન છે. ભાજપ યોગ્ય વળતર નહીં આપી શકે તે દુઃખમાં અને પરિવારની ચિંતામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જો આમ આદમી પાર્ટીની તમામ માંગ સરકાર નહીં સ્વીકારે 16 ડિસેમ્બરે મુખ્યમંત્રી પાસે જઈને માંગ પત્રક રજૂ કરશે.
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 13મા 'ઇનોવેશન વિથ ઇમ્પેક્ટ એવોર્ડ્સ' સમારંભમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ - DGVCLને એકસાથે ચાર પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. દેશભરની ખાનગી તેમજ સરકારી વીજ વિતરણ કંપનીઓ વચ્ચેની સખત સ્પર્ધામાં DGVCL દ્વારા આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન મેળવવું હતું. આ પુરસ્કારો DGVCLની કાર્યક્ષમતા, ગ્રાહકલક્ષી સેવાઓ અને સંચાલનમાં અપનાવવામાં આવેલી નવીનતમ પદ્ધતિઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. કંપનીએ ખાસ કરીને 'ક્વોલિટી ઓફ સર્વિસિસ એન્ડ કસ્ટમર એમ્પાવરમેન્ટ' કેટેગરીમાં ચેમ્પિયન એવોર્ડ સહિત બે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને પ્રદર્શન કર્યું છે. DGVCL દ્વારા પ્રાપ્ત થયેલા ચાર રાષ્ટ્રીય પુરસ્કારોની વિગતઇનોવેશન વિથ ઇમ્પેક્ટ – જનરલ: પ્રથમ ક્રમઆ પુરસ્કાર DGVCL દ્વારા અપનાવવામાં આવેલી આધુનિક ટેક્નોલોજી અને કાર્યપદ્ધતિઓમાં નવતર અભિગમને માન્યતા આપે છે. આ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવવું એ દર્શાવે છે કે, કંપનીએ વીજ વિતરણના પડકારોનો સામનો કરવા માટે કેવી રીતે નવીનતાનો ઉપયોગ કર્યો છે. સ્માર્ટ ગ્રીડ ટેક્નોલોજીનો અમલ, ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ફોલ્ટ રિડક્શન, અને વીજળીની ચોરી અટકાવવા માટેના ડિજિટલ પગલાં જેવા ક્ષેત્રોમાં DGVCLનું યોગદાન નોંધનીય રહ્યું છે. ક્વોલિટી ઓફ સર્વિસિસ એન્ડ કસ્ટમર એમ્પાવરમેન્ટ: પ્રથમ ક્રમઆ સન્માન ગ્રાહકોની સંતુષ્ટિ અને સશક્તિકરણ માટે DGVCL દ્વારા પ્રદાન કરવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓને બિરદાવે છે. ઓનલાઈન બિલ પેમેન્ટ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા સેવા વિનંતીઓનું ત્વરિત નિવારણ અને પારદર્શક બિલિંગ પ્રક્રિયાઓ જેવા પગલાં દ્વારા DGVCLએ ગ્રાહકોને માત્ર સેવાઓ જ નહીં પણ તેમના નિર્ણયો લેવાની શક્તિ પણ આપી છે. ક્વોલિટી ઓફ સર્વિસિસ એન્ડ કસ્ટમર એમ્પાવરમેન્ટ: ચેમ્પિયન એવોર્ડ આ કેટેગરીમાં પ્રથમ ક્રમ ઉપરાંત ચેમ્પિયન એવોર્ડ મેળવવો એ વીજ વિતરણ ક્ષેત્રમાં ગ્રાહક સેવા પ્રત્યેની DGVCLની સર્વોચ્ચ પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરે છે. આ એવોર્ડ ભારપૂર્વક જણાવે છે કે, DGVCL ગ્રાહકલક્ષી સુધારાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે, જે અન્ય કંપનીઓ માટે એક માર્ગદર્શક ઉદાહરણ પૂરું પાડે છે. એફિશિયન્ટ ઓપરેશન્સ: તૃતીય ક્રમઆ પુરસ્કાર કંપનીના સંચાલનની કાર્યક્ષમતા અને ખર્ચ અસરકારકતાને ઓળખે છે. વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાનને ઘટાડવા, મેન્ટેનન્સ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે DGVCL દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસો આ સન્માન તરફ દોરી ગયા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી મુખ્ય એન્જિનિયર એમ. જી. સુરતી અને વિશેષ મુખ્ય એન્જિનિયર એન. જી. પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. DGVCLના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ કંપનીના લાઇન સ્ટાફથી લઈને ચીફ એન્જિનિયર સુધી તેમજ ફિલ્ડ અને વહીવટી વિભાગોના તમામ કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક કંપનીના માનવંતા વીજગ્રાહકોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય પ્રશંસા અમને વધુ ઉત્સાહ અને પ્રેરણા આપે છે કે અમે અમારી કામગીરીમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ અને ગ્રાહકોને સર્વોત્તમ સેવા પૂરી પાડીએ.” તેમણે ઉમેર્યું હતું કે ગ્રાહકોનો સહકાર અને વિશ્વાસ જ કંપનીને આટલી મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગરમાં AMC સ્લમ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતાં બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 10 થી 15 લોકો ક્વાર્ટર્સમાં ઘરમાં ફસાયેલા હોવાના પગલે ફાયરની ટીમ દ્વારા તેઓને ફાયર વિભાગની સીડી વડે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વર્ષો જુના જર્જરીત મકાન હતા જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી છતાં પણ નાગરિકો તેમાં રહેતા હતાં. ગેલેરીનો સ્લેબ ધરાશાયીમળતી માહિતી મુજબ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સંત વિનોબાનગર પાસેના સુખરામનગર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે. જેમાં આજે 13 નવેમ્બરના રોજ સાંજના સમયે બ્લોક નંબર 17ની ગેલેરી ધરાશાયી થઈ હતી. ત્રણ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયાજેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં સ્થાનિક લોકો દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગેલેરીનો ભાગ તૂટી પડવાના કારણે કેટલાક લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફસાયેલા 10થી 15 લોકોનું સીડી વડે રેસ્ક્યુ કરાયુંબ્લોક નંબર 17ના 8 મકાનના આશરે 10થી 15 લોકો ફસાયેલા હતા જેના કારણે તેઓને રેસ્ક્યુ કરવા માટે ફાયરબ્રિગેડની સીડીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. તમામ લોકોને રેસક્યું કરી બહાર કાઢવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ક્વાર્ટર્સમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ તેઓ રહેતા હતા.
સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની કબડ્ડી ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન બની છે. આ પહેલા થોડા દિવસો પૂર્વે આ જ શાળાના વિદ્યાર્થીઓએ ખોખો સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહ, શિસ્ત અને સ્પોર્ટ્સમેનશિપનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજેતા કબડ્ડી ટીમમાં પરમાર મૌલેશ ગોરધનભાઈ, કોળીપટેલ પૃથ્વીભાઈ બાબુભાઈ, કોળી જયપાલ વિપુલભાઈ, ડાંગર ગૌતમ ઈશ્વરભાઈ, ધરજીયા કૌશલભાઈ ભરતભાઈ, સુતરસાંઢિયા દીપ અજીતભાઈ, મકવાણા કિશનજી પ્રધાનજી, વેલાણી પાર્થ ભરતભાઈ, તડવી વિશાલભાઈ કિશનભાઈ અને કઠેકિયા મહાવીર મનોજભાઈનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ગુરુકુલના સંચાલક આનંદપ્રિયસ્વામીજી, આચાર્ય સાવલિયા પિયુષભાઈ અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓએ મહેનત, નિયમિતતા અને ટીમભાવના દ્વારા આ વિજય મેળવ્યો છે. આ સફળતા સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે. આ વિજય સાથે જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાના વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાઓ માટે પસંદગી પામ્યા છે. આ સિદ્ધિથી સમગ્ર શાળામાં આનંદ અને ગૌરવનું વાતાવરણ છવાયું છે.
કાશ્મીરથી આવેલા 5 શંકાસ્પદને SOGએ ઝડપ્યા ગત 10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે આજે જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને ઝડપ્યાં છે. માંગરોળની ખાનગી હોસ્પિટલમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓને પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પૂછપરછ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટે જરૂર વગર સારવારના નામે પૈસા પડાવ્યા જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસીજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે. આ મામલે જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડો. પાર્શ્વ વોરા (G-28538) ને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે. સાથે જ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ ફટકારાયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સહાય માટે કાલથી ખેડૂતો અરજી કરી શકશે ગત 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે. હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર(શુક્રવાર)ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતો અરજી કરી શકશે. આ અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025' શરુ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી (13 નવેમ્બર) ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયૂક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને હાજર લોકોએ સ્વદેશી ચીજ-વસ્તુઓના ઉપયોગને લઈને સંકલ્પ લીધો હતો. બાદમાં રાજ્યના મુખ્યમંત્રીએ બુક ફેરના અલગ-અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ અહીં CM, રીવાબા સહિત તમામ નેતાઓએ સ્વાદીષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પિતા-પુત્રીની એકસાથે અંતિમયાત્રા નીકળી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કદોડ ગામ માટે આજની સવાર અત્યંત શોકાતુર અને કરુણામય રહી. ગત ઓક્ટોબર માસમાં નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયેલા કદોડના વતની જીગ્નેશ પટેલ અને તેમની પર્વતારોહક પુત્રી પ્રિયાંસી પટેલ ભારે હિમવર્ષામાં લાપતા થયા બાદ, આજે (13 નવેમ્બર) ચાર દિવસ બાદ તેમના પાર્થિવદેહો વતન લાવવામાં આવ્યા હતા. વહેલી સવારે પિતા-પુત્રીની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું અને મોટી સંખ્યામાં સ્વજનો તથા ગ્રામજનો અશ્રુભીની આંખે તેમાં જોડાયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રેલિંગ કૂદી કાર હાઈવેની સાઈડમાં ફંગોળાઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક દાહોદ હાઈવે પર આવેલા ભથવાડા ટોલનાકા પાસે આજે (13 નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ ખાતે લગ્નપ્રસંગમાં જઈ રહેલા વડોદરાના એક પરિવારની કાર અચાનક બેકાબૂ બની રેલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ હતી.કસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર પાંચેય વ્યક્તિ ઉછળીને બહાર ખેતરમાં પડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખારાઘોડામાં બાર બોરની બંદૂકથી ફાયરિંગ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના સ્ટેશન ખાતે એક યુવાન પર ફાયરિંગની ઘટના બની છે. બાર બોરની બંદૂકથી ફાયરિંગ થતાં યુવાનને પેટ અને સાથળના ભાગે ગોળી વાગતાં તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. 8 મહિના પહેલાં આરોપીની પ્રેમિકા સાથે આ ઘાયલ યુવકની માતા અને બહેનનો ઝગડો થયો હતો. જેનું મનદુઃખ રાખીને આરોપીએ આજે ફાયરિંગ કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શિક્ષકોને SIRની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય પર અસર ગુજરાતમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી માટે શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસ ચાલવાનું છે. જેની સામે શિક્ષકોને 90 દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે. એમાં પણ જો શિક્ષકો BLOની કામગીરીમાં હાજર ના થાય તો ધરપકડના વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનો શૈક્ષિક મહાસંઘ દાવો કરે છે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું છોડી SIRની કામગીરીમાં લાગી ગયા છે. શાળાઓમાં ભાર વગરનું ભણતર કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કોણ કરાવશે તો મોટો સવાલ ઊભો થયો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મૂર્ઘાને મૂર્ઘાની ચાલ ચલાવતી રાજકોટ પોલીસ રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મૂર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ ગઈકાલે સમીર ઉર્ફે મૂર્ઘા સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આજે(13 નવેમ્બર) સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને ઘટનાસ્થળ પર લઇ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. આ દરમિયાન બંને આરોપીએ હાથ જોડી માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે મૂર્ઘા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના સાગરીત સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મૂર્ઘાની ચાલ ચલાવવામાં આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઇકો ગુલાંટી ખાઈ પલટી, એકનું મોત-4 ઘાયલ બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ઉમરેઠની બંધન બેંકમાં ચોરીનો પ્રયાસ:લોકર ન તૂટતા તસ્કરો ખાલી હાથે પરત ફર્યા, પોલીસ તપાસ શરૂ
આણંદ જિલ્લાના ઉમરેઠમાં રતનપુરા ચોકડી પાસે આવેલી બંધન બેંકમાં ચોરીનો પ્રયાસ થયો છે. તસ્કરો બેંકનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા, પરંતુ લોકર ન તૂટતાં તેઓ ચોરી કર્યા વિના જ ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, તસ્કરોએ બેંકમાં પ્રવેશ કર્યા બાદ કબાટ અને તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ત્યારબાદ તેમણે બેંકના લોકરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓ ખાલી હાથે પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઉમરેઠ પોલીસ મથકના PI સેફાલી બુલાનના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે, લોકર ન તૂટતાં બેંકમાંથી કોઈ વસ્તુની ચોરી થઈ નથી. પોલીસે બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લીધા છે અને તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ઉમરેઠ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું 13થી 25 નવેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય દ્વારા પુસ્તકાલયના સભાસદોની સંખ્યામાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના પ્રારંભથી 12 ડિસેમ્બર સુધી આજીવન સભ્યપદ ફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મહિનામાં સભ્યપદ માટે અરજી કરે તો 1500 રૂપિયાશેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયની આજીવન સભ્ય ફી 3000 રૂપિયા છે જેની જગ્યાએ જો આ એક મહિનામાં સભ્યપદ માટે અરજી કરશે તો 1500 રૂપિયામાં તેઓને આજીવન સભ્યપદ મળશે. મુલાકાતીઓને સભ્યપદ મેળવવામાં સરળતા રહે તે માટે માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય તરફથી સ્થળ પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં લોકો પુસ્તકાલયમાં ઉપલબ્ધ સાહિત્ય સંગ્રહ અને સેવાઓથી વાકેફ થાય તે માટે તેની વિગત દર્શાવતા સ્ટેન્ડી મૂકવામાં આવેલી છે. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય ઈ-પુસ્તકાલય વેબસાઈટ ઉપર 23 ભાષાના 5000 કરતાં વધુ ઈ-બુક્સ ઉપલબ્ધ છે. જેની લિંક પુસ્તકાલયની વેબસાઈટ પર મૂકવામાં આવેલી હોવાથી પુસ્તકાલયના સભાસદો પણ તેનો લાભ લઈ શકશે. પુસ્તકાલયમાં આવતા વાચકો બહોળા પ્રમાણમાં પુસ્તક મેળાનો લાભ લે તે માટે બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘ગ્રંથાલય સંવાદ' કાર્યક્રમમાં વાચકોની સંખ્યામાં 30 ટકા વધારો થાય તેવું સૂચનઆજની ભાગદોડવાળી જીંદગીમાં લોકોનું વાંચન ઘટ્યું છે. લોકો પુસ્તકને બદલે ઓનલાઈન વાંચન કરતા થયા છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના અતિરેકને કારણે વાચકોની સંખ્યામાં આંશિક ઘટાડો થતો જોવા મળે છે. આજના યુવાનોમાં વાંચનથી રાષ્ટ્ર ગૌરવ, આત્મનિર્ભરતા, નૈતિકતા અને સંસ્કૃતિ સિંચનના મૂલ્યો સંવર્ધિત થાય તે માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ-2010માં 'વાંચે ગુજરાત' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા ‘ગ્રંથાલય સંવાદ' કાર્યક્રમમાં વાચકોની સંખ્યામાં 30 ટકા વધારો થાય તેવું સૂચન કરેલું હતું.
બહિયલ વિવાદ કેસમાં આરોપી મોહમ્મદ આદિલ કુરેશી અને અહમદ હસન કુરેશી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ પહેલા જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દેવાનું વલણ ધરાવતા આ અરજી પરત ખેંચવામાં આવી હતી. કેસને વિગતે જોતા તાજેતરમાં ગાંધીનગરના બહિયલ ગામમાં બહુમતી કોમના એક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં આઈ લવ મહાદેવ લખીને મૂક્યું હતું. જેથી લઘુમતિ કોમના સભ્યોને લાગ્યું હતું કે, બહુમતી કોમના સભ્યો તેમના આઈ લવ મોહમ્મદ કાર્યક્રમની નકલ કરી રહ્યા છે. જેથી તેઓએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું ટોળાએ ગામના ચોકમાં આવીને દુકાનોમાં આગ લગાડી હતીહથિયારો સાથે 200 જેટલા લઘુમતી કોમના ટોળાએ ગામના ચોકમાં આવીને દુકાનોમાં આગ લગાડી હતી. વાહનોને નુકસાન કર્યું હતું અને બહુમતી કોમના લોકોને ઈજા પહોંચાડીને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસ આવતા પોલીસ ઉપર પણ પથ્થર મારો કર્યો હતો, પોલીસના વાહનોને નુકસાન કર્યું હતું. આગ બુઝાવવા આવેલી ફાયર ફાઇટર્સની ગાડીઓને રોકવા પ્રયત્ન કર્યો હતો. સરકારી વકીલે આ જામીન અરજીની વિરોધ કર્યોગુજરાત હાઇકોર્ટ અગાઉ ગાંધીનગરની કોર્ટમાં અરજદારોએ જામીન મૂક્યા હતા. જેમાં જણાવ્યું હતું કે તેમની સામે દ્વેષ ભાવનાથી ફરિયાદ કરવામાં આવી છે. ઘટનાના કોઈ CCTV ફૂટેજ નથી. તેમની પાસેથી કોઈ જવલનશીલ પદાર્થ મળ્યો નથી. તેઓ ગરીબ અને કુટુંબવાળા વ્યક્તિ છે. જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. જો કે સરકારી વકીલે આ જામીન અરજીની વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ બહિયલ ગામને બાનમાં લીધું હતું. તેઓએ ખાનગી અને સરકારે મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં પોણા કરોડનું નુકસાન થયું છે. જો તેમને જામીન આપવામાં આવે તો બહિયલ ફરીથી અશાંત બને તેમ છે. સોશિયલ મીડિયા સ્ટેટ્સથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતાઆરોપીઓ જામીન ઉપર છૂટીને સાક્ષીઓને ધમકી આપી શકે તેમ છે. ફક્ત એક સોશિયલ મીડિયા સ્ટેટ્સથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નજીવી બાબતને મોટો મુદ્દો બનાવી દીધો હતો. ગાંધીનગરની કોર્ટે અરજદારોની જામીન અરજી નકારતા નોંધ્યું હતું કે, એકમ સત વિપ્રાહ: બહુધા વદન્તિ અર્થાત પરમેશ્વર એક જ છે. જુદા જુદા લોકોની ઉપાસના પદ્ધતિ અલગ અલગ હોઈ શકે. સંપ્રદાયના નામ ઉપર ઝેર ફેલાવી શકાય નહીં. એક સાથે ઉઠતા બેસતા લોકો વચ્ચે ઝેર ફેલાવવાનું કામ થયું છે. જેની દેશવ્યાપી અસર પડી શકે તેમ હતી. તપાસ અત્યારે નાજુક તબક્કામાં છે. ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહીં.
બે મહિલા કોન્સ્ટેબલ તથા એક ભાગેડુ આરોપી મળી ત્રણ વ્યક્તિની ધરપકડ, સમગ્ર બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર ભાવનગર પોલીસ સ્ટેશનમાં તળાજા તાલુકાના રોયલ ગામના એક શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હોય આ ફરિયાદીને મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની માહિતી આધારે એસસી એસટીસેલ ની ટીમ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સાથે રાખી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ના ઘરે રેડ કરતા વોન્ટેડ આરોપી સાથે મહિલાના ઘરમાંથી ઈંગ્લીશ દારૂ પણ મળી આવતા પોલીસે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપી મળી કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં આવેલ પીપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંધલ્યા વિરુદ્ધ એટ્રોસિટી અંગે ફરિયાદ દાખલ થઈ હતી આ ગુનો નોંધાયા બાદ આરોપી વોન્ટેડ હોય આરોપીને ભાવનગર શહેરના ટોપથી પાછળ આવેલ રોયલ પાર્ક પ્લોટ નંબર.18 માં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નયના નાનજીભાઈ બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની બાતમી એસસી એસટી સેલ ની ટીમને મળતા એસસી એસટી સેલ ની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી રોયલ પાર્ક માં રહેતી મહિલા કોન્સ્ટેબલના ઘરે રેડ કરતા ભાગેડુ આરોપી પાર્થ દિનેશ ધાંધલીયા ઉંમર વર્ષ 26 હાજર મળી આવ્યો હતો અને ઘરની તલાસી લેતા ઘરમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ રૂ.1300 ની કિંમતની અને એક બિયર નું ટીન ખાલી મળી આવ્યું હતું. ઉપરાંત મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ઉ.વ.34 તથા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની ઉં.વ.29 રહે.વિદ્યાનગર નવી પોલીસ લાઈન વાળી પણ હાજર મળી આવેલ આથી એસસી એસસી એસટી સેલની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતનો મીઠા ઉદ્યોગ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને કારણે મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનમાં અંદાજે 25% જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જે મીઠા ઉત્પાદકો અને અગરિયાઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રણની જમીનમાં બ્રાઇનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, જે ઉત્પાદન પર નકારાત્મક અસર કરી રહ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠે ઉત્પન્ન થતા મીઠાની સરખામણીમાં રણમાં મીઠાનું ઉત્પાદન ખર્ચાળ હોવાથી અગરિયાઓ માટે આ વ્યવસાયમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતોના મતે, આગામી બે વર્ષમાં ગાંગડાવાળું મીઠું ભૂતકાળ બની શકે છે. ભારતના કુલ 3 કરોડ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનમાંથી લગભગ 75% એટલે કે 2.25 કરોડ મેટ્રિક ટન મીઠું ગુજરાતમાં પાકે છે. આમાંથી, સુરેન્દ્રનગર જિલ્લાનો ફાળો 25 લાખ મેટ્રિક ટન જેટલો છે. ગત વર્ષે પણ કચ્છના નાના રણમાં મીઠું ખેંચવાની સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે મોટાભાગનું મીઠું રણમાં જ રહી ગયું હતું અને વેપારીઓ તેમજ અગરિયાઓને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે પણ અગરિયા પરિવારોએ એક મહિનાની સખત મહેનત બાદ મીઠું પકવ્યું હતું, પરંતુ ફરી વરસાદ ખાબકતા તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. કચ્છના નાના રણમાં અગરિયાઓ પરંપરાગત રીતે ઓર્ગેનિક મીઠાની ખેતી કરે છે, જેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા કુદરતી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જોકે, ગ્લોબલ વોર્મિંગ અને અન્ય પડકારોને કારણે એક સમયનો ગુજરાતનો ગૌરવ સમાન આ ઉદ્યોગ હવે તેના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે. વડાગરુ (ગાંગડાવાળુ) મીઠું બંધ થવાના મુખ્ય કારણો સરકાર દ્વારા મીઠું પકવતા અગરિયાઓને અપાતી સુવિધાઓ મીઠાના ઉત્પાદનના આંકડા સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાના નિકાસના આંકડા મીઠા ઉદ્યોગથી રોજગારી- 30,000 અગરિયાઓ, 50,000 મીઠા કામદારો અને વેપારીઓ તેમજ મીઠા ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા લોકોની સંખ્યા 5 લાખ.
પોરબંદરના યુવાન શિવમ ગોહેલે અમદાવાદ ખાતે વર્લ્ડ પાવરલિફ્ટિંગ ઈન્ડિયા એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત અન્ડર-૧૮ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 'ચેમ્પિયન ઓફ ચેમ્પિયન'નું બિરુદ મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ પોરબંદર ખારવા સમાજ દ્વારા શિવમ ગોહેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ ખારવા સમાજ ખાતે યોજાયો હતો. જેમાં વાણોટ/પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, તેમજ પંચપટેલ/ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિવમ ગોહેલને ખારવા સમાજ ગૌરવ સર્ટીફીકેટ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ખારવા સમાજે શિવમ ગોહેલ ભવિષ્યમાં વેઈટલિફ્ટિંગ ક્ષેત્રે વધુ પ્રગતિ કરી પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાતના સ્ટાર પેડલર 25 વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરાય છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ-35માં સ્થાન મેળવી વિશ્વ ફલક પર દેશ-રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ-35માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી અને પાંચમો ભારતીય પેડલર બન્યો છે. ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન(ITTF)ના 2025ના 46મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા 35મા ક્રમ સાથે ત્રણ ક્રમની આગેકૂચ કરી છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓએ.શરથ કમાલ, જી. સાથિયાન, શ્રીજા અકુલા અને મનિકા બત્રાની હરોળમાં આવી ગયો છે. વિશ્વ રેન્કિંગમાં 150મા ક્રમથી શરુઆત કરી હતીસુરતના ટેનિસ પ્લેયર માનવે જણાવ્યું હતું કે, મેં દરેક તબક્કે મારી રમતના દરેક પાસાઓમાં સુધારો કરવાનું જ ધ્યેય રાખ્યું છે. એ જ રીતે વર્ષ 2021માં વિશ્વ રેન્કિંગમાં 150મા ક્રમથી કરેલી શરૂઆત બાદ આજે ટોપ-35માં સ્થાન મેળવી શકયો છું. હાલ જ વાયરલમાંથી સ્વસ્થ થયા બાદ હું આવનારી ઓમાન WTT સ્ટાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આશાવાદી છું. માનવે વર્ષ 2025માં વિશ્વના ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં ચેન્નાઈ ખાતેની WTT સ્ટાર કન્ટેન્ડરમાં ભૂતપૂર્વ 15મા ક્રમાંકિત કોરિયન ખેલાડી લિમ જોંગહૂન, યુરોપિયન સ્મેશમાં જાપાનના વિશ્વના 23મા ક્રમાંકિત શિન્ઝોઉકા હિરોટો, વિશ્વના ચોથા ક્રમના ટોમુકાઝુ હારિમોટો તથા 16મા ક્રમના એન જેહ્યુન(કોરિયા) સામેની વિવિધ મેચોનો સમાવેશ થાય છે.
ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા જયેશ પ્રજાપતિની ધરપકડ કરી છે, જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ 10, 12 તેમજ ITIની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી રૂ.15 હજારની રકમ લેવામાં આવતી હતી, જેમાંથી રૂ.7,500 દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચુકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી. SOG ટીમને આ બાબતે બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ 21 નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પોલીસે કોમ્પ્યુટર, સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો. અત્યાર સુધી કેટલાં લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે, તે અંગેની વધુ તપાસ SOG દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભરૂચ SOG દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે.
ટાવરમાંથી કાર્ડ ચોરી થયું:વાસણાના JIOના ટાવરમાંથી 5Gનું કાર્ડ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા JIOના મોબાઈલ ટાવરમાંથી અજાણ્યો વ્યક્તિ 5Gનું કાર્ડ કાઢી ગયો હતો જેના કારણે ટાવર બંધ થઈ ગયું હતું. એસ્ટેટ મેનેજરે આ અંગે તપાસ કરતા કાર્ડ ગાયબ હતું જેથી અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જુહાપુરામાં રહેતા મોહમંદકલીમ શેખે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ JIO કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ JIOના ટાવરમાં લીગલ ઇસ્યૂ અને ફોલ્ટ હોય તો પણ તેઓ કામ કરે છે. 7 નવેમ્બરે તેમને કંપનીના સુપરવાઈઝરનો ફોન આવ્યો હતો કે જીવરાજ મહેતા હોસ્પિટલની પાસે આવેલા ટાવર બંધ થવાનો એલાર્મ વાગવા લાગ્યો છે જેથી તેમણે સ્થળ પર જઈને તપાસ કરી તો JIO કંપનીના ટાવરમાંથી 5Gનું કાર્ડ ચોરી થયું છે. ટાવરમાંથી અજાણ્યો વ્યક્તિ 5G કાર્ડ જેની કિંમત 25 હજાર છે તે ચોરી થયું છે. આ અંગે વાસણા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહિત 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ 4 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ 11 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર હોય જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગેંગ વોરમાં સરાજાહેર ફાયરિંગ થયા બાદ પેંડા ગેંગનો સાગરીત સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ પિસ્તોલ સાથે પકડાયો હતો આ આર્મ્સ એક્ટના ગુનામાં તેના જામીન મંજૂર થયા છે. જોકે, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુની પણ પોલીસે આજે ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. 17 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં 71 ગુના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહિત 17 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં 71 ગુના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ઉપરાંત જામનગર અને મહેસાણામાં નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા અને હત્યાની કોશિશના 7, મારામારી અને રાયોટિંગના 29, છેડતી અને બળાત્કારના 7, આર્મ્સ એક્ટ હેઠળ 5, ઉપરાંત NDPS, લૂંટ, અપહરણ તેમજ મિલ્કત સંબંધિત ગુના નોંધાઈ ચુક્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ આરોપી રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા અને સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલાનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફત કબ્જો મેળવી તેની ધરપકડ કરી ગુજસીટોકની કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામા આવ્યા છે. આરોપીઓની મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશેઆ અગાઉ પોલીસે ચાર દિવસ પહેલા દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, અને ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસીયા ચલાવી રહ્યા છે. જેના સુપરવિઝન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સમયસર ચાર્જશીટ રજૂ થાય તે માટે ઝડપી અને કડક કાર્યવાહી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન પેંડા ગેંગના લોકો પાસેથી ગેંગ ક્યારે અને કેવી રીતે બની, ગેંગ બનાવવાનો આઈડિયા કોનો હતો, ગેંગમાં કોણ ક્યારે જોડાયું, ગુનામાં વપરાતાં છરી, પિસ્તોલ, તમંચા સહિતના હથિયાર ક્યાંથી આવ્યા, ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત આ તપાસ દરમિયાન આરોપીઓની મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશે અને ખાસ મિલકતો ટાંચમાં લેવા પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જામીન પર છુટેલા આરોપીની આજે ફરી ગુજસીટોક હેઠળ ધરપકડમંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે અંધાધૂંધ ફાયરીંગ કેસમાં પેંડા ગેંગના આરોપી જીજ્ઞેશ ઉર્ફે ભયલો દિનેશભાઈ રાબાને હથિયાર પૂરું પાડનાર અને અગાઉ પોલીસ ચોપડે રાજકોટમાં વ્યાજંકવાદના બનાવ સંબંધે એક જ પરિવારના ત્રણ લોકોએ કરેલા આપધાત, હથિયાર સંબંધી તેમજ શરીર સંબંધી અને દારૂ, પાસા સહિતના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુનું નામ ખુલતા પોલીસે આરોપી સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુને રેલનગરમાંથી પકડી પાડ્યો હતો. આ સમયે તેની પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવ્યું હતું, જે ગુનામાં પોલીસ ખુદ જ ફરિયાદી બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો હતો. જે બાદ આરોપીએ પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલી જતાં બન્ને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઈ કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી હતી. જો કે આજે ફરી પોલીસે તેની ગુજસીટોક કેસમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદકુલ 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. જેમાં આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. જયારે હજુ બે આરોપીઓ ફરાર હોવાથી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ વિરુદ્ધ કુલ 10 ગુના, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ વિરુદ્ધ કુલ 9 ગુના, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા વિરુદ્ધ કુલ 8 ગુના, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ વિરુદ્ધ કુલ 3 ગુના, રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ વિરુદ્ધ કુલ 10 ગુના, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા વિરુદ્ધ કુલ 7 ગુના, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા વિરુદ્ધ કુલ 7 ગુના, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા વિરુદ્ધ કુલ 11 ગુના, હર્ષદીપસિંહ ઝાલા વિરુદ્ધ કુલ 7 ગુના, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા વિરુદ્ધ કુલ 11 ગુના, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી વિરુદ્ધ કુલ 4 ગુના, દિનેશ ઉર્ફે કાંચો ટમટા વિરુદ્ધ કુલ 7 ગુના, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા વિરુદ્ધ કુલ 4 ગુના, કમલેશ મેતા વિરુદ્ધ કુલ 3 ગુના, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ કુલ 6 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.
પાટણ જિલ્લામાં નવીન કલેક્ટર કચેરીના બાંધકામ માટે સરકારે વર્ષ 2023-24 ની નવી બાબતની જોગવાઈ હેઠળ રૂ. 2269.66લાખની વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી 15 મે, 2023ના પત્ર દ્વારા આપવામાં આવી હતી. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ દ્વારા 2 એપ્રિલ, ૨૦૨૫ના રોજ મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીને 18 મહિનાની સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે વર્ક ઓર્ડર અપાયો છે. આ નવી કચેરીનું બાંધકામ 29 ઓક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ નવીન કલેક્ટર કચેરી G+2 પ્રકારનું ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર હશે. તેનો કુલ બાંધકામ વિસ્તાર 6231.00ચોરસ મીટર રહેશે. જેમાં 310.00ચોરસ મીટર પાર્કિંગ, 2156.00 ચોરસ મીટર ગ્રાઉન્ડ ફ્લોર, 2363.00 ચોરસ મીટર પ્રથમ માળ, 1162.00 ચોરસ મીટર બીજો માળ અને 240.0 ચોરસ મીટર સ્ટેર કેબિનનો સમાવેશ થાય છે. આ કચેરીમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે સમ્પ, પાર્કિંગ શેડ, ગાર્ડન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, આર.ઓ. સિસ્ટમ, ફર્નિચર, રેકોર્ડ રૂમ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઉપલબ્ધ થશે. બાંધકામની વર્તમાન સ્થિતિ મુજબ, ઇજારદાર દ્વારા એ અને બી બ્લોકમાં પ્લીંથ સ્લેબ સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સી બ્લોકમાં ફાઉન્ડેશનની કામગીરી પ્રગતિમાં છે, જ્યારે ડી બ્લોકમાં ટાઈ બીમની કામગીરી ચાલી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે. નવીન કલેક્ટર કચેરીના બાંધકામથી અનેક લાભો થશે. આધુનિક સુવિધાઓ જેવી કે વાતાનુકૂલિત કોન્ફરન્સ હોલ, ફાયર સેફ્ટી, આર.ઓ. સિસ્ટમ, ફર્નિચર અને રેકોર્ડ રૂમ નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડશે. સુવિધાસભર ઇમારતને કારણે શાસનકાર્ય વધુ અસરકારક અને ઝડપી બનશે, જેનાથી નાગરિકોને મળતી સેવાઓની ગુણવત્તા સુધરશે. આ પ્રોજેક્ટથી આર્થિક વિકાસને પણ વેગ મળશે, કારણ કે તેના બાંધકામથી રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં પણ સુધારો થશે, જે સ્થાનિક વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે.
ભચાઉના વાંઢિયા નજીક ઘાસ ભરેલું ટ્રેલર સળગ્યું:વીજ લાઇનના સંપર્કમાં આવતા આગ લાગી, ફાયર ટીમ ઘટનાસ્થળે
ભચાઉ તાલુકાના વાંઢીયા ગામ નજીક ઘાસચારો ભરેલું એક ટ્રેલર વીજ લાઇનના સંપર્કમાં આવતા ભડભડ સળગી ઉઠ્યું હતું. આ ઘટના ગુરુવારે બપોરે ચાર વાગ્યાના અરસામાં બની હતી. આગને કારણે આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેલર પંજાબથી સૂકો ઘાસચારો ભરીને વાંઢીયા તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનના સંપર્કમાં ઘાસચારો આવતા તેમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાના ટ્રેલર અને ઘાસચારાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે. આગની જાણ થતા 112 નંબર પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યાના 30 મિનિટના સમયગાળામાં ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ કામગીરીમાં ફાયરના પ્રવીણ દાફડા સહિતના કર્મચારીઓ જોડાયા છે.
વલસાડ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ:ઉમરગામના નારગોલમાં માછીમારોને માર્ગદર્શન અપાયું
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઉમરગામના નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ), ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષ, મરીન સેક્ટર કમાન્ડર, હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા આ કાર્યક્રમ તા. 13 નવેમ્બર, 2025ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક એ. એમ. કુગસીયા, મરીન ટીમ લીડર PSI એસ. એસ. પઠાણ, PSI કે. સી. પટેલ, સ્ટેટ આઈ.બી. PI કેતનભાઈ એમ. રાઠોડ, PSI કનૈયાલાલ ભાનુસાલી, એસ.ઓ.જી. PSI વાય.બી. હળિયા અને મરીન કમાન્ડો ટીમની ઉપસ્થિતિમાં થયું હતું. સ્થાનિક આગેવાનો સંજયભાઈ એલ. માંગેલા, અનિલભાઈ એચ. માંગેલા, ગ્રામજનો અને માછીમાર ભાઈઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશ અને પ્રજાની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. દરિયાઈ માર્ગેથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો. ઉપસ્થિત લોકોને અપીલ કરવામાં આવી કે જો દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી વસ્તુ, પેકેટ, ડ્રગ્સ, બેગ, બોટ અથવા ડ્રોન જોવા મળે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો અને માછીમાર ભાઈઓમાં સતત જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગિતાનો ભાવ વિકસાવવાનો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક રૂ. 5.12 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સરકારી કુમાર છાત્રાલયનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અધ્યતન છાત્રાલય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડશે. આ છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે. તેને અધ્યતન સુવિધાઓ જેવી કે વિશાળ અને હવાઉજાસવાળા રૂમ, સ્વચ્છ ભોજનકક્ષ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ અને શાંત અભ્યાસ વાતાવરણથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત રહેઠાણ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનો છે. નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સરકારી કુમાર છાત્રાલય લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થશે. શહેરના કેન્દ્રીય સ્થળે રહીને, વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રીતે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આવી સુવિધાની ઉપલબ્ધતાથી શિક્ષણનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મદદ મળશે.
કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં તાજેતરમાં જિલ્લા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધાક ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરી ભૂમાફિયાઓએ રેતી ખાલી કરીને ડમ્પર છોડાવી ફરાર થઈ જવાની ઘટનાના પગલે હવે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રે ગેરકાયદેસર ખનિજ વહન પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવી દીધી છે. ટીમ દ્વારા છેલ્લા 24 કલાકમાં પાંચ અલગ-અલગ વિસ્તારોમાંથી 3.30 કરોડની કિંમતના કુલ 11 ડમ્પર વાહનો જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: ફોર્ચ્યુનર-ક્રેટામાં સવાર માફીયાઓએ મહિલા અધિકારી દેવયાનીબાને ઘેર્યા:ગાળો ભાંડી રેતીનું ડમ્પર છોડાવી ગયા, ગાંધીનગર-કલોલ હાઇવે પર શ્વાસ થંભાવતી ચેઝ ડમ્પરો રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી લઈ જતા હોવાનું બહાર આવ્યુંસૌથી વધુ કલોલ તાલુકામાંથી 8 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વગર કે પછી રોયલ્ટી પાસ કરતાં ઓવરલોડ રેતી લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. રોયલ્ટી પાસ વગર વહન કરતા આ વાહનો વિક્રમસિંહ પરમાર, રામભાઈ ખંભાલીયા , મિલનભાઈ પંચાલ, અરવિંદભાઈ , ઉમંગભાઈ કુંડારિયા, અશ્વિનભાઈ રાઠોડ, વિકાસ ઠાકુર, નરેન્દ્રભાઈ પટેલ , મુન્નાભાઈ ભરવાડ, અલ્કેશભાઈ જોશી અને ચિરાગભાઈ બલુચીયાના હોવાનું સામે આવ્યું છે. કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનિજ વહન ચલાવી લેવા દઈશું નહીંઆ તમામ વાહનોની કુલ કિંમત ₹3.30 કરોડ આંકવામાં આવી છે. ભૂસ્તર તંત્રના અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટના બાદ અમે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનિજ વહન ચલાવી લેવા દઈશું નહીં. આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.” ભૂમાફિયાઓની દાદાગીરી સામે હવે સરકારી તંત્રએ સઘન કાર્યવાહી શરુ કરીઉલ્લેખનીય છે કે, મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધમકી આપવાની ઘટનામાં કલોલ પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભૂમાફિયાઓની આ દાદાગીરી સામે હવે સરકારી તંત્રએ સઘન કાર્યવાહી શરુ કરી છે.
AMCની ઇજનેર ખાતાની સહાયક ટેક્નિકલની ભરતી કૌભાંડમાં AMC હેડક્લાર્ક પુલકિત સથવારાનું નામ ખુલતા AMCએ અગાઉ યોજાયેલી ભરતીઓ માટે તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં 8 લાયકાત વગરના ઉમેદવારો પસંદ થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પુલકિત સથવારા સામે બીજી ફરિયાદ AMCએ કારંજ પોલીસ મથકે નોધાઇ હતી. જેમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે તેને આગોતરા જામીન આપવા ઇનકાર કર્યા બાદ હાઇકોર્ટે પણ આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે. પુલકીત સથવારા સામે ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધાયો હતોઅમદાવાદના કારંજ પોલીસ મથકે અમદાવાદ મહાનગરપાલિકાની ઇન્ટરવ્યૂ બ્રાન્ચમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પુલકીત સથવારા સામે ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર ખાતામાં સહાયક ટેકનીકલ 93 જગ્યા ઉપર માર્ચ 2024 માં ભરતી જાહેર કરવામાં આવી હતી. જેનું ગુજરાત યુનિવર્સિટી મારફતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક ઉમેદવારે OMR, ફાઇનલ આન્સર કી અને ખરેખર માર્કના તફાવતને લઈને ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. જેમાં 4 ડિસેમ્બરના રોજ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તમન્ના કુમારી પટેલ, મોનલ લીમ્બાચીયા અને જય પટેલને અનુક્રમે 77, 85 અને 85.25 ગુણ મળ્યા હતા. જ્યારે પરીક્ષા બોડી ગુજરાત યુનિવર્સિટી પાસેથી માર્ક્સ મંગાવતા તેમના માર્ક અનુક્રમે 18.50, 18.25 અને 19.25 હતા. ખરેખરમાં આરોપી હેડ ક્લાર્કને ગુજરાત યુનિવર્સિટી સાથે આ પરીક્ષા સંદર્ભે સંકલનમાં રહેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મેરીટ લીસ્ટ જાહેર થાય તે પહેલા ઉપરોક્ત ત્રણેય ઉમેદવારોનું નામ મેરીટ લીસ્ટમાં નહીં હોવા છતાં તેમનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું અને ગુણ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આથી AMC દ્વારા 2019-20 થી લઈને 2023- 24 દરમિયાન થયેલ ભરતી પ્રક્રિયાની તપાસ કરવામાં આવી હતી. જેની તપાસમાં 8 ઉમેદવારો ગેરલાયકાત ધરાવતા હોવાનું સામે આવતા તેમને દૂર કરવા ભલામણ કરવામાં આવી છે. આ આઠ કર્મચારીઓના પરીક્ષાના માર્કમાં પણ ચેડા કર્યા હતા 1. મોહમ્મદ આસિફ, હિંમતનગર, સહાયક સર્વેયરની ભરતીમાં અસલમાં 35 માર્ક્સ આવ્યા અને વધીને 65 થયા. 2. અમદાવાદના જય પરમારના સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ/TDOની પરીક્ષામાં અસલમાં 34 માર્ક્સ આવ્યા, જે વધીને 60 થયા. 3. ઉજાસકુમાર ઘૂઘડિયા સિદ્ધપુરના સહાયક સેનેટરી ઇન્સ્પેકટરની ભરતીમાં 50.25 માર્ક્સ આવ્યા, જે વધીને 57.75 થયા. 4. ભાવનગરના પંકજ મેરિયા પાસે સહાયક સેનેટરી ઇન્સ્પેકટરનું સર્ટિફિકેટ ડિસ્ટન્સ લર્નિંગથી મેળવાયું હતું, જે માન્ય ન હોવા છત્તા નોકરી મળી. 5. સાબરકાંઠાના યુવરાજસિંહ ઝાલા પાસે પણ સહાયક સેનેટરી ઇન્સ્પેકેટરનું પ્રમાણપત્ર ડિસ્ટન્સ લર્નિંગથી મેળવાયું હતું, જે અમાન્ય હોવા છત્તા સિલેક્ટ થયા. 6. સાબરકાંઠાના આસિફ ખાનુસિયાને ફાર્મસિસ્ટની ભરતીમાં માત્ર 3.50 ગુણ મળ્યા હતા, જેને વધારીને 34.75 કરાયા હતા. 7. જામનગરની સાક્ષી સોઢાને મહિલા હેલ્થ વર્કરની ભરતીમાં 37.75 ગુણ આવ્યા હતા, જેને વધારીને 63 કરવામાં આવ્યા હતા. 8. સાબરકાંઠાની રેખા પટેલના મહિલા હેલ્થ વર્કરની ભરતીમાં 32.50 ગુણ આવ્યા હતા, જેને વધારીને 59.25 માર્ક્સ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત પરીક્ષાર્થીઓના માર્ક્સ એવી રીતે વધારાયા હતા. જેથી તેમનું નામ કટ ઓફ માર્કસથી ઉપર, સિલેક્શન લિસ્ટમાં આવે. આ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. જેના પરિણામમાં પુલકિત સથવારાએ છેડછાડ કરી હતી. AMC ના સહાયક ટેક્નિકલ ઈજનેર ભરતી કૌભાંડ બાદ પુલકિત સથવારા ઉપર આ બીજી ફરિયાદ નોધાઇ હતી. તેને આર્થિક લાભ મેળવવા ખોટા કાગળિયા બનાવ્યા અને રેકર્ડમાં છેડછાડ કરી હતી. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે પણ પુલકિતને લેટેસ્ટ ફરિયાદમાં આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે.
સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતી જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસે કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડીરાતે 'VIPની દારૂ મહેફિલ' શરૂ થાય એ પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતાં માહોલ ગરમાયો હતો. ત્યારે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી છે. અલથાણ પોલીસ દ્વારા લેવામાં આવેલા બ્લડ સેમ્પલનો ગાંધીનગર FSL રિપોર્ટ સામે આવ્યો છે, જેણે આ સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ દ્વારા સાબિત થયું છે કે, માત્ર સમીર શાહે જ નહીં, પરંતુ તેમના પુત્ર અને પરિવારની એક મહિલાએ પણ દારૂનું સેવન કર્યું હતું. પતિ-પુત્ર કરતાં પરિવારની મહિલાના બ્લડમાં વધુ આલ્કોહોલ મળ્યો છે. સૌથી વધારે આલ્કોહોલની માત્રા એક મહિલાના બ્લડમાંગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ વિભાગના કેમિકલ નિષ્ણાંતના રિપોર્ટ અનુસાર, સમીર શાહ, પરિવારની એક મહિલા અને પુત્ર જૈનમ શાહ ત્રણેયના બ્લડમાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા મળી આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે રિપોર્ટ મુજબ, ત્રણેયમાં સૌથી વધારે આલ્કોહોલની માત્રા એક મહિલાના બ્લડમાં હતી. આ પણ વાંચો: 'VIPની દારૂ મહેફિલ' પહેલાં રેડ, પોલીસ સાથે મારામારી: VIDEO રિપોર્ટમાં નોંધાયેલા આલ્કોહોલની માત્રા આ FSL રિપોર્ટે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના પ્રાથમિક અહેવાલને સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો છે, જેમાં જૈનમ શાહ અને એક મહિલાએ દારૂ પીધો ન હોવાનું અને માત્ર સમીર શાહે જ દારૂ પીધો હોવાનું જણાવાયું હતું. પોલીસ સાથે ઝપાઝપી અને ગુનો દાખલ ન થવા પર શંકાબાતમી મળતાં અલથાણ પોલીસની ટીમ હોટલ પર પહોંચી ત્યારે જૈનમ શાહ કારમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને બહાર નીકળવાનું કહેતાં માથા ફરેલા જૈનમ શાહે પોલીસ સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. આ સમયે એક મહિલાએ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી, જેનો વીડિયો પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે. સૌથી વધુ દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં અને વીડિયોમાં માથાકૂટ સ્પષ્ટ દેખાતી હોવા છતાં, અલથાણ પોલીસે મહિલા સામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે કરેલી ઝપાઝપી સંદર્ભનો કોઈ ગુનો દાખલ કર્યો નથી. આનાથી અલથાણ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સગવડિયા નીતિ અને કેસને દબાવવાના પ્રયાસો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસને સમીર શાહ અને એક મહિલાએ લિકર પરમિટ હોવાનું જણાવ્યું છે. જોકે, પીઆઈ દિવ્યરાજ ચૌહાણે કહ્યું કે, તેઓ હાલમાં પરમિટની ચકાસણી કરી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને પરિવાર ઘરેથી ક્યારે નીકળ્યો અને હોટલ ક્યારે પહોંચ્યો તેની તપાસ કરી રહ્યા છે.
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા બોરીયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 20 વિઘા જમીનમાં ડેરીના સ્થાપક મોતીભાઈ આર. ચૌધરીના નામથી સાગર સૈનિક સ્કૂલ બનાવવામાં આવી છે અને આ મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલમાં 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. આ સાથે મહેસાણા દૂધસાગર ડેરીએ ખેરાલુ ખાતે નવા સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાઈને ઉદ્ઘાટન પ્રસંગે ઉદબોધન કર્યું હતું. આ નવીન સૈનિક સ્કૂલ શરૂ થતાં જ અનેક વિદ્યાર્થીઓ રાષ્ટ્ર સેવા માટે સૈનિક તરીકે જોડાવવા માટે પ્રથમ પગથિયું છે. તેમજ ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ થતાં ઓર્ગેનિક ખેત પેદાશોને પ્રોત્સાહન મળશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં એક સૈનિક સ્કૂલ શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ગણપત વિદ્યાનગરમાં અગાઉ કન્યા સૈનિક શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ, બે વર્ષ અગાઉ દૂધસાગર ડેરી કેમ્પસમાં જ સાગર સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. બોરીયાવી ખાતે આવેલા સાગર દાણના પ્લાન્ટમાં હોસ્ટેલ તેમજ રમત-ગમતના મેદાન સાથેની સગવડ ધરાવતા આ સૈનિક શાળા માટે નવું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સાગર સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, સહકાર મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે મોટી સંખ્યામાં પશુપાલકોની અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર જિલ્લામાં બે દિવસીય એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા પોરબંદર અને કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અનુક્રમે 15 અને 16 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વદેશીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે. જિલ્લા કલેક્ટરે નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં શનિવાર, તા.15 નવેમ્બર, 2025ના રોજ સાંજે યોજાશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ મનસુખભાઈ માંડવીયા આ પદયાત્રામાં જોડાશે. નાગરિકો, આગેવાનો અને હોદ્દેદારોને બપોરે 3:30 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટી ખાતે એકત્ર થવા જણાવાયું છે. આ એકતા પદયાત્રા સાંજે 4:00 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટીથી શરૂ થશે અને અંદાજિત ૭ થી ૮ કિલોમીટરનું અંતર કાપશે. તે કલેક્ટર બંગલો, પેરેડાઈઝ સર્કલ, હાર્મની સર્કલ, એમજી રોડ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોક, કીર્તિ મંદિર થઈ શીતળા ચોક પહોંચશે. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભાવના ડેરી, અંબિકા સ્વીટ, હનુમાન ગુફા, બ્રહ્મ સમાજની વાળી થઈને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે સમાપ્ત થશે. પદયાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાંદિપની વિદ્યાનિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, JCI પોરબંદર, સંસ્કાર ભારતી, રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ખારવા સમાજ, અંજુમન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઈ લાખાણી (ટિફિન સેવા) સહિતની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ સ્થળોએ પદયાત્રાનું સ્વાગત કરશે. બીજી પદયાત્રા કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર માટે રવિવાર, તા.16 નવેમ્બર,2025ના રોજ સાંજે 4:00 કલાકે યોજાશે. આ પદયાત્રા મૂળ માધવપુરથી શરૂ થશે અને તેની આસપાસના ગામો તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકાના ગ્રામજનો તેમાં જોડાશે. આ બંને પદયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓને 15 અને 16 નવેમ્બરના કાર્યક્રમ માટે જરૂરી તૈયારીઓ કરવા માર્ગદર્શન પણ આપ્યું છે.
જામનગરની જાણીતી પ્રણામી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ વચ્ચે દિવાળી વેકેશન દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 30-30 ઓવરની આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો વચ્ચે લીગ સિસ્ટમથી મેચ રમવામાં આવ્યા હતા, જેમાં 'પ્રણામી રેડ' અને 'પ્રણામી બ્લુ' ટીમ વચ્ચે ફાઇનલ રમાયો હતો. ફાઇનલ મેચના આરંભમાં ટોસ ઉછાળવા માટે જાણીતી શિપિંગ કંપની વેલજી પી. એન્ડ સન્સના માલિક અશ્વિન સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની નિશ્રામાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જામનગર રાજવી પરિવારના નિતાકુમારીબા જાડેજા, બીસીસીઆઈની એપેક્સ બોડીમાં વરણી પામેલા ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્ર જાડેજા, અન્ય ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી કશ્યપ મહેતા અને પ્રણામી ગ્લોબલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર તનેજા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ બાર મેચ રમાયા હતા અને દરેક મેચના મેન ઓફ ધ મેચના ઈનામો આપવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો, જેમાં છેલ્લી ઓવરમાં પ્રણામી બ્લુ ટીમે વિજય મેળવી ચેમ્પિયન બની હતી. જ્યારે પ્રણામી રેડ ટીમ રનર્સ અપ રહી હતી. કૃષ્ણમણિજી મહારાજના હસ્તે ચેમ્પિયન્સ ટ્રોફી પ્રણામી બ્લુના કેપ્ટન રણજીત બારૈયાને અને રનર્સ અપ ટ્રોફી પ્રણામી રેડના કેપ્ટન વિરાટ આંબલીયાને એનાયત કરવામાં આવી હતી. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ ધૈર્ય કટારમલ બન્યા હતા. ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન મનન જોશી અને બેસ્ટ બોલર તરીકે પરીન કણજારીયા જાહેર થયા હતા. આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર વિરાટ આંબલીયા 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યા હતા. આ પ્રસંગે કૃષ્ણમણિજી મહારાજે પોતાના વક્તવ્યમાં વિજેતાઓને બિરદાવ્યા અને આશીર્વચન પાઠવ્યાં હતા. તેમણે આ આયોજન બદલ એકેડેમીના કોચ નરેન્દ્ર રાયઠઠા, જયપાલસિંહ જાડેજા તેમજ પંકજ વાણીયાને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે મીલનભાઈ અકબરી અને જયેશભાઈ જેઠવાએ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે કુ. હીરવા રાયઠઠાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીગણ અને એકેડેમીના જુનિયર અને સિનિયર ખેલાડીઓએ હાજર રહીને તમામ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેઇન સ્નેચિંગ, ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતાવડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આજબડી મીલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 3 બાઇક પર આવતા 4 શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લક્ષ્મી માતાની આકૃતિવાળા 15 ચાંદીના સિક્કા, 10 હજાર રૂપિયા રોકડા અને 3 બાઇક મળી આવી હતી. આરોપીઓ આ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા અને તેઓ અગાઉ પણ મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ દંતેશ્વરમાં વહેલી સવારે મહિલાની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો, પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો, સમા ગામમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નીચેથી બાઈક ચોરીના ગુનાઓ કબૂલ કર્યા હતા. ચોરીના સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને વેચાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ ગુનાઓ મકરપુરા, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસચારેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ ચોરી, ઘરફોડ, જુગાર સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અજય મારવાડી એક વખત પાસા હેઠળ પણ ગયો છે. પકડાયેલ આરોપીઓ સચીનસિંગ શિવાસિંગ ટાંક(ઉં.વ. 25), વારસીયા, વિમા દવાખાના પાછળ, ખારી તળાવડી, વડોદરા. અજય રમેશભાઈ મારવાડી (ઉં.વ. 26), એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા. સન્નીસિંગ ઉર્ફે ટોન દર્શનસિંગ દુધાણી (ઉં.વ. ૨૪), વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી (ઉં.વ. ૨૬), વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. વોન્ટેડ આરોપી: અજય દર્શનસિંગ દુધાણી, વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. કબજે કરાયેલ મુદ્દામાલ ચાંદીના સિક્કા: 15 રોકડ: 10 હજાર 3 બાઈક, રૂ. 1,20,000
જૂનાગઢ જિલ્લા જેલમાં ગુજસીટોક હેઠળ કેદ કુખ્યાત બુટલેગર ભગુ ઉકાભાઈ જાદવ દ્વારા ઉનાના ધારાસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડને સંબોધીને એક પત્ર લખવામાં આવતા રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવ્યો છે. દારૂના ધંધાના હિસાબ સ્પષ્ટ કરવાના વિષય સાથે લખાયેલા આ પત્રમાં ધારાસભ્ય પર ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધામાં ભાગીદારીના આક્ષેપો કરાયા છે. આ પત્રમાં ભગા જાદવે દાવો કર્યો છે કે, ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્વાસ પર તેણે આ ધંધો કર્યો હતો, જેમાં ધારાસભ્ય તેના બરાબરના ભાગીદાર હતા. હાલમાં આ લેટર કોણે અને ક્યારે લખ્યો તે સહિતની બાબતે જૂનાગઢ જેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીને બોલાવી તેનું નિવેદન લેવામાં આવશેઃ જૂનાગઢ જેલરજૂનાગઢ જેલના અધિકારી ડી.એમ. ગોહેલે તાત્કાલિક તપાસના આદેશ આપતા જણાવ્યું કે, આ લેટર મીડિયા મારફત જાણવા મળ્યો હતો. આ લેટર બે-ત્રણ મહિના પહેલાંનો હોઈ શકે છે. પત્ર જેલમાંથી લખાયો છે કે નહીં? તે અંગે તપાસ ચાલુ છે. જે લેટર સંબંધિત છે, એમાં લેટર કેવી રીતના ગયો છે? કોને લખ્યો છે? અને કેવી રીતના બહાર ગયો? જેલમાંથી લખેલો છે કે નથી લખેલો? કે પછી બહારથી લખેલો છે? કે કોના મારફત લખેલો છે? કે જેલને બદનામ કરવા માટે કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે? તે સંપૂર્ણ તપાસ હવે આગળ કરવામાં આવશે. તપાસના ભાગરૂપે આરોપી ભગા જાદવને બોલાવવામાં આવશે અને તેનું નિવેદન લેવામાં આવશે. આરોપી જે કહેશે તેના સ્ટેટમેન્ટ ઉપર આગળ વધવામાં આવશે અને સંપૂર્ણ અહેવાલ વડી કચેરી ખાતે મોકલવામાં આવશે. દારૂના ધંધાના બાકી હિસાબ સ્પષ્ટ કરવા લેટરમાં ઉલ્લેખપત્રમાં ભગુ જાદવે ધારાસભ્યને સંબોધીને સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ હાલ જૂનાગઢ જેલમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા ગીર ગઢડાના બેડીયા ગામે પાડવામાં આવેલી રેડના ગુનામાં કેદ છે. ભગા જાદવે દાવો કર્યો કે, દારૂના આ ધંધામાં યોગેશ કરણાભાઈ રાઠોડ (સનખડા ગામના રહેવાસી અને હાલ જૂનાગઢ જેલમાં) અને સનખડા ગામના સરપંચ રવિ રાઠોડ પણ ભાગીદાર હતા. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દમણથી મંગાવેલા દારૂના આ ધંધાનો હિસાબ ધારાસભ્ય સાથે સમજવાનો બાકી છે. ભગા જાદવે જણાવ્યું કે, તેઓ લોકોએ સાથે મળીને 13થી વધારે દારૂના કેસ દમણથી મંગાવ્યા હતા. ₹.29 લાખ બાકી હોવાનો પત્રમાં દાવોભગુ જાદવે ધારાસભ્યને વિગતો આપતા જણાવ્યું કે, આ હિસાબમાંથી યોગેશભાઈ કરણાભાઈ રાઠોડને સરપંચની ચૂંટણી દરમિયાન દોઢથી બે લાખનો દારૂ આપેલ અને સરપંચ રવિ રાઠોડ પાસેથી ₹29,00,000 (29 લાખ) લેવાના પણ બાકી છે. પત્રમાં બાંયધરી આપવામાં આવી છે કે જ્યારે તેઓ આ કેસમાંથી જામીન પર છૂટશે, ત્યારે તે પોતે યોગેશભાઈ રાઠોડ અને સરપંચ રવિ રાઠોડ સાથે મળીને ધારાસભ્ય પાસે આવીને ઉપરનો બધો હિસાબ પરત આપી દેશે. પત્ર લખનાર ભગુ જાદવે આ મોડું થવાનું કારણ તેમના માતાનું દુઃખદ અવસાન થતાં થોડો સમય મોડું થયેલું હોવાનું જણાવ્યું છે. દરિયાઈ માર્ગે દારૂ ઉતારવાના ગંભીર આક્ષેપોપત્રમાં માત્ર બેડીયા ગામની રેડ જ નહીં, પરંતુ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ચાલતા દારૂના ધંધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યની ભાગીદારી હોવાનો દાવો છે. ભગા જાદવે જણાવ્યું કે આ બનાવ પહેલાં દારૂ દરિયાઈ માર્ગથી દમણથી આવતો હતો અને ઉના તાલુકાના રાજપરા બંદર, નવા બંદર અને ફિગરબંદર ઉપર ઉતારવામાં આવતો હતો. આ ધંધામાં ખાણ અંજાર ગામના વિજયભાઈ ડેગણ પરમાર પણ ભાગીદાર હતા. પત્ર મુજબ, આ દારૂના ધંધાનો હિસાબ વિજયભાઈ સાથે સમજી લેવામાં આવ્યો હતો અને હોળીના ₹1,00,000 પણ આપેલ હતા. ગુજસીટોકમાં ફસાવવા અને પત્નીને હેરાન કરવાનો આરોપપત્રના અંતે ભગુભાઈ જાદવે ધારાસભ્ય પર વિશ્વાસઘાતનો સૌથી મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે લખ્યું છે કે, આપ ધારાસભ્યોને નિવેદન કે તમે અમને લોકોને આવા ગંભીર ગુનામાં ફસાવી (ગુજસીટોક) દીધેલ છે. અમે લોકોએ તમારા ઉપર ખૂબ જ વિશ્વાસ રાખ્યો હતો પણ તમે તો મને અને મારા ભાઈઓને આ ગંભીર ગુનામાં ફસાવી દીધા છે. આ ઉપરાંત, ભગા જાદવે કોડીનારમાં તેની પત્નીનું નામ પણ કેસમાં લખાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ ઘરે ન આવે ત્યાં સુધી તેમના પરિવારના લોકોને હેરાન ન કરવામાં આવે. તેમણે મિલકત અને ઘરેણાં વેચીને પણ હિસાબ પૂરો કરી દેવાની અને ઉના ગામ મૂકીને ચાલ્યા જવાની તૈયારી દર્શાવી છે, પરંતુ ત્યાં સુધી જેલમાં શાંતિથી રહેવા દેવાની વિનંતી કરી છે.
સરદાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ:સોમનાથ મંદિરના પુનઃનિર્માણ દિનની ભક્તિમય ઉજવણી
સોમનાથમાં આજે 13 નવેમ્બર 1947ના ઐતિહાસિક દિવસની યાદ તાજી કરવામાં આવી હતી. આ દિવસે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ પધાર્યા હતા. તેમણે મંદિરના જીર્ણ અવશેષો જોઈ સમુદ્રજળ હાથમાં લઈને સોમનાથ ધામના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને આજે 79 વર્ષ પૂર્ણ થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી. સંકલ્પ દિન નિમિત્તે, ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, ટ્રસ્ટ પરિવાર, પુરોહિતો અને સેવાર્થીઓએ સોમનાથ તીર્થ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું. આ પછી શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરમાં મહાદેવની મહાપૂજા પવિત્ર દ્રવ્યો દ્વારા કરવામાં આવી. પુરોહિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક, પૂજન અને વિશેષ વિધિઓ સંપન્ન કરી. આ પૂજનવિધિમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આજના સંકલ્પ દિન નિમિત્તે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર ધારણ કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં દીપમાળાનો ઝળહળાટ પણ કરવામાં આવશે. આ દિવસ સોમનાથ ધામમાં ભક્તિ, ઇતિહાસ અને આસ્થાના વાતાવરણથી ભરેલો રહ્યો હતો.
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના મેલાસણા ગામમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ-શર્ટ, સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનું સંચાલન રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કંડભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર વિતરણ કાર્યક્રમનું સંકલન ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ક્રિએટર્સ સંગા ઇન્ફ્લુએન્સર્સ મીટ સંપન્ન:અમદાવાદમાં ડિજિટલ ક્રિએટર્સે સકારાત્મક બદલાવ પર ચર્ચા કરી
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ ક્રિએટર્સ સંગા ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવાનો હતો. દેશભરના 50થી વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાકારો અને કન્ટેન્ટ મેકર્સ આ પ્રસંગે એકઠા થયા હતા. મીટ દરમિયાન, સહભાગીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી. કાર્યક્રમની શરૂઆત મંદિર ખાતે વિવિધ ઇમર્સિવ સેશનથી થઈ, જ્યાં ક્રિએટર્સે વ્યક્તિગત જવાબદારી, વિચારશીલ સર્જનાત્મકતા, યુવા સશક્તિકરણ અને સમાજમાં તેમના યોગદાન જેવા મુદ્દાઓ પર મનોમંથન કર્યું. ક્રિએટર્સ વિથ કોન્શિયસનેસ સેશન દ્વારા શ્રી રસા પારાયણ દાસ અને પર્પઝ-ડ્રિવન ક્રિએટિવિટી સેશન દ્વારા શ્રી વિરુપક્ષ દાસે ક્રિએટર્સને પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ પોતાની ઑનલાઇન પહોંચનો ઉપયોગ માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ દેશના હિત અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવા માટે પણ કરી શકે છે. બીજા દિવસે, ભાગ લેનારાઓને માધવાસ ઇકો વિલેજની મુલાકાત કરાવવામાં આવી. અહીં તેમણે વૃક્ષારોપણ, નેચર વૉક, ગૌશાળા દર્શન અને ઓર્ગેનિક ફાર્મિંગ જેવા પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રયોગોનો અનુભવ કર્યો. ક્રિએટર્સે ફાર્મ-ફ્રેશ સાત્વિક ભોજનનો સ્વાદ માણ્યો અને પર્યાવરણ સંરક્ષણ અંગે ઊંડાણપૂર્વક સમજણ મેળવી. આ ઉપરાંત, માધવાસ બેકરીમાં ક્રિએટર્સે નો-મૈદા અને નો-પામ તેલ જેવા સ્વસ્થ ઉત્પાદનો બનાવવાનો વ્યવહારિક અનુભવ મેળવ્યો. ત્યારબાદ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનની મેગા કિચનની મુલાકાત દરમિયાન, તેઓએ જોયું કે કેવી રીતે દિવસના બે લાખથી વધુ બાળકો માટે તાજું અને પૌષ્ટિક ભોજન માત્ર થોડા કલાકોમાં તૈયાર કરવામાં આવે છે. 12 નવેમ્બરની સાંજે દ્વારકા પેલેસ ખાતે યોજાયેલી ક્લોઝિંગ સેરેમનીમાં ક્રિએટર્સે પોતાના અનુભવો શેર કર્યા. આ પ્રસંગે, વિશિષ્ટ પ્રદર્શન કરનારા ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવ્યા. મંદિરના નેતાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે જાગૃતતા ધરાવતા ક્રિએટર્સ દેશમાં મૂલ્ય આધારિત ડિજિટલ સંસ્કૃતિ સર્જવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. કાર્યક્રમના એક સંચાલકે જણાવ્યું, ક્રિએટર્સ સંગા માત્ર એક ઇવેન્ટ નહોતું—એક ચળવળ હતી. સર્જનાત્મકતા જ્યારે જાગૃતતાથી જોડાય છે ત્યારે તે રાષ્ટ્રીય વિકાસ અને સાંસ્કૃતિક પુનર્જાગરણ માટે શક્તિશાળી સાધન બની જાય છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી, ઘણા ક્રિએટર્સે પર્યાવરણ રક્ષણ, દયા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓને કડક સજા ફટકારવામાં આવી હતી. 14 વિદ્યાર્થીઓ આ કમિટી સમક્ષ હાજર રહ્યા હતા, જેમાં ચિઠ્ઠી, કૌટિલ્યનું પેજ, ઘરેથી લાવેલા મટીરીયલમાંથી ચોરી કરતા 13 વિદ્યાર્થીઓને રૂ.4000નો તો ચાલુ પરીક્ષાએ મોબાઇલમાંથી ચોરી કરતી વિદ્યાર્થિનીને રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા 13 વિદ્યાર્થીઓને 1+1 પરીક્ષાની સજા એટલે કે તે વિદ્યાર્થી ચાલુ પરીક્ષા ઉપરાંત વધારાની એક પરીક્ષા નહીં આપી શકે જ્યારે અન્ય વિદ્યાર્થિની આગામી બે સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપી શકે. જોકે ગેરરીતિના આ કિસ્સાઓમાં 14 માંથી 11 દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓનું હિયરિંગ કરાયુંયુનિવર્સિટીમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુલાઈ અને ઓગસ્ટ- 2025 દરમિયાન લેવાયેલી પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટેની પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં એમ. એ. ગુજરાતી સેમેસ્ટર -2ની એક્સટર્નલ પરીક્ષા આપતી 2 વિદ્યાર્થિની, એમ. કોમ. સેમેસ્ટર-2ની 1 વિદ્યાર્થિની, બી. એડ. સેકન્ડ યર સેમેસ્ટર-2નો એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની, એમ. એ. સમાજશાસ્ત્ર સેમેસ્ટર-2ની એક વિદ્યાર્થિની પરીક્ષા ચોરી કરતા પકડાઈ જતા તેનું હિયરિંગ કરાયું હતુ. 7 વિદ્યાર્થીઓને આ કમિટી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતોઆ ઉપરાંત જુલાઈ 2025માં લેવાયેલી બેચલર ઓફ ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષના 2, બીજા વર્ષના 5 વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષનો 1 વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેમાંથી 7 વિદ્યાર્થીઓને આ કમિટી દ્વારા રૂ.4000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઘૂસી ગઈ હતી અને મોબાઈલમાંથી જોઈ જોઈને પેપર લખતી પકડાઈ ગઈ હતી. જેથી આ એક વિદ્યાર્થિનીને સૌથી વધુ રૂ.10000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વસ્ત્રાલ સ્થિત શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી હર્ષિલ પટેલે ખેલ મહાકુંભ 2025માં જિલ્લા કક્ષાની અંડર-17 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ હર્ષિલની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિના સન્માનમાં શાળામાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સિધ્ધાર્થ પ્રજાપતિએ હર્ષિલને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, શ્રી શંકર વિદ્યાલય શિક્ષણ અને રમત-ગમત, બંને ક્ષેત્રે વિદ્યાર્થીઓને સમર્થન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રિન્સિપાલે હર્ષિલની મહેનતની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે હર્ષિલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ સારું પ્રદર્શન કરશે અને વસ્ત્રાલનું નામ રોશન કરશે. આ સન્માન સમારોહમાં શાળાના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષિલ પટેલે પોતાની સફળતા માટે શાળા ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવાર હર્ષિલ પટેલને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે અને આશા રાખે છે કે તે રાષ્ટ્રીય સ્તર પર પણ પોતાની ઓળખ બનાવશે.
સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા 1 નવેમ્બર, 2025 થી 15 નવેમ્બર,2025 દરમિયાન આદિવાસી મહાનાયક બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે કોલેજમાં વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકળા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ બિરસા મુંડાજીના જીવન, દેશહિત માટેના કાર્યો, ઇતિહાસ અને આદિવાસી પ્રજા માટેના તેમના પ્રયાસો જેવા વિષયો પર કેન્દ્રિત હતી. નિબંધ સ્પર્ધામાં સેમ.2 ના સુથાર કૌશિકભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે સોલંકી હિતેશ દ્વિતીય અને કોડ દયા તૃતીય સ્થાને રહ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં આહીર માયા પ્રથમ અને સુથાર કૌશિક દ્વિતીય ક્રમે આવ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં કોડ દયા પ્રથમ, સુથાર કૌશિકભાઈ દ્વિતીય અને સોલંકી હિતેશ તૃતીય સ્થાન પર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા પ્રવૃત્તિના કો-ઓર્ડિનેટર પ્રો. સુદાભાઈ આર. કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. મુ. વ્યાખ્યાતા બહેનો આરતીબા, કલ્પના અને પ્રિયા વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી. આચાર્ય ડૉ. રાજા એન. આયરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ શ્વાનોના ખસીકરણ માટે કરવામાં આવશે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છ સહિત સમગ્ર દેશમાં રખડતા શ્વાનોની સમસ્યા પ્રજાજનો માટે મુશ્કેલીરૂપ બની રહી છે, જેની નોંધ દેશના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પણ લેવામાં આવી છે. ભુજ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાંથી શ્વાનોના ત્રાસ અંગેની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 10 લાખનો ખર્ચ શ્વાનોના ખસીકરણની કામગીરી પાછળ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરી દરમિયાન હાઈકોર્ટની અપીલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને કોઈ પણ શ્વાનને પરેશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. આ પ્રયાસમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સહયોગ આપવાની ખાતરી આપી છે. જો શ્વાન ખસીકરણની આ કામગીરી સચોટ રીતે થશે, તો ભવિષ્યમાં ભુજ શહેરને શ્વાન સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી રાહત મળવાની પૂરી સંભાવના છે. ખસીકરણ એટલે શું?જે પ્રક્રિયા વડે નર જાનવરોના વૃષણને અને માદા જાનવરોના અંડપિંડને બિનકાર્યક્ષમ (નિરુપયોગી) બનાવી દેવામાં આવે છે, તે પ્રક્રિયાને 'ખસી કરવું' કહે છે. ખસી કરવાથી નર જાનવરો મારકણા – ઉગ્ર ન થતાં નમ્ર બને છે.
રાજપૂત સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેમિનાર યોજાશે:i-Hub અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા 15 નવેમ્બરે
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ (i-Hub) અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે એક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ માહિતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર શનિવાર, 15 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 2:45 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, રોકાણકારો અને મહિલા ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સંબંધિત વિવિધ યોજનાઓ અને સહાય વિશે માહિતગાર કરવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, રોકાણકારો અને મહિલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.નિષ્ણાત સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ અને રોકાણકારો દ્વારા વિવિધ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સહાય યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી) યોજના અને i-Hub સેન્ટરની કામગીરી વિશે જાણકારી પૂરી પાડવામાં આવશે.આ સેમિનારમાં મુંબઈ, રાજસ્થાન, વડોદરા અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને રોકાણકારો હાજર રહેશે. તેઓ તેમના અનુભવો અને જ્ઞાન શેર કરશે.
સિલ્વર ઓક યુનિવર્સિટીના ફાર્મસી સ્કૂલમાં ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સહયોગથી ઇન્ટાસ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના અધિકારીઓ, યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સેન્ટર ઓફ એક્સલન્સનો મુખ્ય હેતુ શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. તે ફાર્મસીના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન, ઔદ્યોગિક તાલીમ અને સંશોધન ક્ષેત્રે વધુ તકો પૂરી પાડશે. આ સહયોગ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ, વર્કશોપ, ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ જેવી વિવિધ તકો મળશે. આનાથી તેમની રોજગાર યોગ્યતા અને વ્યાવસાયિક કુશળતામાં વધારો થશે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ સહકાર ફાર્મસી શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે. તે આગામી પેઢીને ઉદ્યોગ માટે સજ્જ બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમારંભનો સમાપન આભારવિધિ અને નવી સુવિધાઓની મુલાકાત સાથે થયો હતો.
વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની ખાસ મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમ મુલાકાતે આવી હતી. જ્યાં સગર્ભા માતાઓ અને બાળકોની હોસ્પિટલ તરફથી આપવામાં આવતી સેવા સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ટીમે પ્રથમ ઓપીડી અને ત્યારબાદ ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગમાં નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવશે. આ અંગે ડોક્ટર દર્શન કુકડિયાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈ પણ સર્વિસની ગુણવતા ચકાસવા માટે માપદંડની એક પદ્ધતિ હોય છે, જે અંતર્ગત લક્ષ્ય અને મુસ્કાન એમ બે પ્રોગ્રામ હોય છે. જેની અંદર સ્ટેટ લેવલ મૂલ્યાંકથી ક્લીયર કરેલ છે અને આજે નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર રૂપકુમાર બોયા અને સૌમ્યા મોહંતીએ એસેસમેન્ટ માટે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી છે. વધુમાં કહ્યું કે, એસએસજીમાં માતા અને બાળકોની ગુણવત્તાસભર સેવાનું આંકલન કરવા માટે આવ્યા છે. જેઓ એસેસમેન્ટ કરી બાદમાં તેમના દ્વારા ત્રુટીઓ ખામીઓ હશે તો જણાવશે અને ખૂબીઓ અંગે જણાવશે. જેના આધારે એસએસજીમાં આગામી ફેરફાર કરવાનો પ્રત્યન કરાશે. જેથી એસએસજી હોસ્પિટલમાં આવતી તમામ માતાઓ અને બાળકોની યોગ્ય સાર સંભાળ ઉપરાંત બાળ મરણ, માતા મરણ અને રોગ બધી બાબતોને ધ્યાને લઈ સારી રીતે નિભાવણી કરી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યું કે, મૂલ્યાંકનમાં સરકાર દ્વારા તૈયાર કરાયેલી એક ચેક લિસ્ટ હોય છે. તેના આધારે આઠ ડિવિઝન હોય છે. જેમાં સર્વિસ પ્રોવિઝનથી માંડીને આઉટકમ સુધીના આઠ ડિવિઝનને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આટલી વસ્તુ આમાં હોવી જોઈએ, તે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. એક ખાસ પ્રકારનું તૈયાર કરાયેલું આ ચેકલીસ્ટ હોય છે. જેના આધારે જ મૂલ્યાંકન થતું હોય છે. આ અંગે ડોક્ટર રૂપકુમારે જણાવ્યું હતું કે, આજે લક્ષ્ય અને મુસ્કાનનું એસેસમેન્ટ થવાનું છે. ભારત સરકાર તરફથી અમને મોકલવામાં આવ્યા છે અને અહીંય કયા પ્રકારની કામગીરી થાય છે તેની ચકાસણી કરી તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.
રાજકોટની હૃદય સમાન ગણાતી તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવાના હેતુસર આખરે સીલ કરવામાં આવી છે. અતિ જર્જરિત બનેલી આ માર્કેટનાં રિનોવેશન માટે તેને બંધ કરવા મનપા દ્વારા લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. વેપારીઓનાં ભારે વિરોધ બાદ મનપા તંત્રએ અંતે વેપારીઓને જ્યુબેલી માર્કેટમાં વૈકલ્પિક જગ્યા આપી લાખાજીરાજ માર્કેટ સીલ કરવામાં આવી છે. ગત સોમવારના રોજ કાર્યવાહી હાથ ધરીને સમગ્ર માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયના પગલે અહીં વર્ષોથી ધંધો કરતા વેપારીઓએ જગ્યા ફરવાથી વેપાર-ધંધા ભાંગી પડ્યા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. સાથે જ તાત્કાલિક આ માર્કેટનું રીનોવેશન શરૂ કરી તેને ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે. સમગ્ર માર્કેટ સીલ, 55 થડાધારકો અસરગ્રસ્ત પ્રાપ્ત ગિગત મુજબ, સર લાખાજીરાજ માર્કેટને સીલ કરવાની કામગીરી ગત સોમવારે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે માર્કેટમાં કાર્યરત તમામ થડાઓ અને દુકાનોને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ સમગ્ર માર્કેટના દરવાજાને સીલ મારી દેવામાં આવ્યું હતું. આ માર્કેટમાં લગભગ 50 થી 55 થડાધારકો પોતાનો વ્યવસાય કરતા હતા, જે તમામ વેપારીઓને કામકાજ ચાલુ રાખવા માટે જ્યુબેલી શાકમાર્કેટ ખાતે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે. વર્ષોથી વેપાર કરતા ધંધાર્થીઓને હાલાકી આ માર્કેટમાં ત્રીજી પેઢીથી છેલ્લા 70 વર્ષથી વેપાર કરતા હસમુખભાઈ પટેલના જણાવ્યા મુજબ, તંત્રના આ નિર્ણયથી હાલ વેપારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હસમુખભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે લગભગ 50 થી 55 થડા ચાલુ છે, અને અમને વૈકલ્પિક જગ્યા તરીકે જ્યુબેલી શાકમાર્કેટમાં જગ્યા આપવામાં આવી છે. પરંતુ ત્યાં કોઈ વેપાર ચાલુ થતો નથી અને ત્યાં કોઈ ગયું નથી. જુદી-જુદી જગ્યાએ વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈ ગયું નથી. વૈકલ્પિક જગ્યાએ ખસેડાવવાના કારણે વેપાર પર થતી અસર અંગે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 70 વર્ષ જૂની જગ્યા બદલાય તો ધંધામાં 80% જેટલો મોટો ફેર પડે છે, એટલે કે 20% પણ આવક થતી નથી. વેપાર બંધ થવાને કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાન વેપારીઓ માટે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે. ત્યારે મનપા દ્વારા તાત્કાલિક રીનોવેશન શરૂ કરી અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અમે માર્કેટને સોમવારની ખાલી કરીને આપી દીધી છે, પણ હજી સુધી કોઈ કામ ચાલુ કર્યું નથી. તેમણે તંત્રને અપીલ કરી છે કે, જપાટાભેર કામ ચાલુ કરવામાં આવે અને માર્કેટ વહેલી તકે વેપારીઓ માટે ફરીથી શરૂ કરી દેવામાં આવે, જેથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડી શકે. મનપાનાં સિટી એન્જીનીયર અતુલ રાવલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક માર્કેટને આધુનિક સુવિધાયુક્ત બનાવવા માટે રિનોવેશનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પૂર્ણ થયા બાદ ચોક્કસ ખર્ચ અને સમયગાળા અંગેની વિગતો જાહર કરવામાં આવશે. રિનોવેશન પૂર્ણ થયા બાદ રાજકોટના હૃદયમાં એક નવીન અને સુવિધાયુક્ત માર્કેટ ઉપલબ્ધ થશે, જે ઐતિહાસિક વારસાનું જતન કરવાની સાથે વેપારીઓ માટે પણ આધુનિક સુવિધાઓ પૂરી પાડશે.
કાંસાની વિદ્યાર્થીનીએ તાલુકા ચેસ સ્પર્ધા જીતી:પાટણ જિલ્લા માટે પસંદગી પામી, શાળાનું ગૌરવ વધાર્યું
પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ અંતર્ગત સરસ્વતી તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં કાંસાની શ્રી એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર કાજલબેન ઉદાજીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિજય સાથે તેણે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ સ્પર્ધા વાયડ ખાતે 12 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. કાજલબેને વાયડની પ્રતિસ્પર્ધી સામે ત્રણ રાઉન્ડમાં વિજય મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. કાંસા હાઈસ્કૂલના સંચાલક કેશાજી એસ. ઠાકોર, આચાર્ય, સ્ટાફગણ અને વ્યાયામ શિક્ષક પ્રવીણસિંહ એલ. સોલંકીએ કાજલબેનને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
દિલ્હીમાં થયેલા તાજેતરના બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, ભાડા કરાર વગર મકાન, દુકાન કે અન્ય એકમો ભાડે આપનારા મકાન-માલિકો વિરુદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે ઝોન-1 વિસ્તારમાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી છે. આ જાહેરનામું ખાસ કરીને આતંકવાદી/અસામાજિક તત્વો શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો ન મેળવી શકે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાના અમલ માટે ઝોન-1 વિસ્તારમાં આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 'ભાડુઆત ડ્રાઇવ' હાથ ધરવામાં આવી હતી. સુરત ઝોન-1 વિસ્તારમાં 100 લોકો સામે પગલાં લેવામાં આવ્યાઝોન 1 વિસ્તારન કાપોદ્રા, વરાછા, સરથાણા, લસકાણા અને પુણા વિસ્તારમાં જાહેરનામા ભંગ બદલ 100 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સઘન ડ્રાઇવ દરમિયાન, ઝોન-1 વિસ્તારમાં પોલીસે કુલ 100 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી મુખ્યત્વે મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના એવા માલિકો વિરુદ્ધ કરવામાં આવી છે જેમણે તેમના ભાડૂતોની વિગતો અને ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા નથી. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, આ કાર્યવાહીનો મુખ્ય આધાર ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો અને દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ છે. દેશની સુરક્ષા હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે જેથી બહારના રાજ્યોમાંથી કે દેશ બહારથી આવતા શંકાસ્પદ તત્વો રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો ન મેળવી શકે. આવા તત્વો શહેરમાં જાહેર સલામતી, શાંતિનો ભંગ, માનવજીવનની ખુવારી કે જાહેર/લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ ન કરે. ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા તાકીદભાડે આપનાર માલિકો પર નિયંત્રણો મૂકીને ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા તત્વોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. પોલીસ કમિશનરના જાહેરનામું ક્રમાંકઃએસ.બી/જાહેરનામુ/ મકાન, દુકાન, ઓફીસ, ઔધોગિક એકમો ભાડે આપવા214/2025 અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસે મકાન-માલિકોને અપીલ કરી છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તેમના તમામ ભાડૂઆતોની યોગ્ય વિગતો અને ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જમા કરાવે.
બોરસદ તાલુકામાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રાથમિક શાળાના આચાર્યએ 4.40 લાખ રૂપિયાની મુદ્દલ સામે 4.56 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, વ્યાજખોરે તેમને વધુ પૈસા માટે ધમકીઓ આપતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આણંદ જિલ્લાના બોરસદમાં ઓમ રેસીડેન્સીમાં રહેતા 46 વર્ષીય વિપુલભાઈ મોહનભાઈ વાળંદ પુરબીયાપુરાની પ્રાથમિક શાળામાં આચાર્ય છે. ત્રણ વર્ષ પહેલાં તેમને 1.50 લાખ રૂપિયાની જરૂર પડતાં, મિત્ર જીગ્નેશભાઈ પંડ્યા મારફતે તેઓ વિશ્વા ફાયનાન્સ ચલાવતા ગોવિંદ પોપટભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બાકરોલ, આણંદ)ના સંપર્કમાં આવ્યા હતા. ગોવિંદે સિક્યુરિટી પેટે બે ચેક લઈને માસિક 5 ટકા વ્યાજે વિપુલભાઈને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. વિપુલભાઈએ માત્ર બે મહિનામાં જ વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ ગોવિંદને પરત કરી દીધી હતી. ત્યારબાદ, માર્ચ-2023માં વિપુલભાઈએ હોમ લોનના હપ્તા માટે 2 લાખ, જાન્યુઆરી-2024માં પુત્રના લગ્ન માટે 1 લાખ, એપ્રિલ-2024માં ફરી હોમ લોનના હપ્તા માટે 1 લાખ, અને મે-2024માં અન્ય કામ માટે 40 હજાર રૂપિયા મળીને કુલ 4.40 લાખ રૂપિયા માસિક 5 ટકા વ્યાજે ગોવિંદ પાસેથી લીધા હતા. તેઓ દર મહિને નિયમિતપણે વ્યાજ ચૂકવતા હતા. વિપુલભાઈએ લીધેલા 4.40 લાખ રૂપિયાની મુદ્દલ સામે અત્યાર સુધીમાં 4.56 લાખ રૂપિયા જેટલું વ્યાજ ગોવિંદને ચૂકવી દીધું છે. તેમ છતાં, ગોવિંદે વિપુલભાઈના ઘરે જઈને બોલાચાલી કરી હતી અને ધમકી આપી હતી કે, જો તું મને વ્યાજ તથા મુદ્દલના પૈસા નહીં આપે તો તને નોકરીએ જતાં રસ્તામાંથી ઉપાડી લઈશ અને તારી કિડની વેચીને પણ હું પૈસા વસૂલ કરીશ. આ ઉપરાંત, ગોવિંદે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. વિપુલભાઈ મોહનભાઈ વાળંદની ફરિયાદના આધારે, બોરસદ સિટી પોલીસે વ્યાજખોર ગોવિંદભાઈ પોપટભાઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં SOG એ ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપ્યું:દરેડ વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ, સાધનો જપ્ત કર્યાં
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. SOG શાખાની ટીમે દરેડ વિસ્તારમાં આવેલા એક મકાનની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મસિતિયાના આસિફ સિદ્દીકભાઈ ખફી નામના શખ્સને ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આસિફ ખફી રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે પાઈપ અને નોઝલનો ઉપયોગ કરીને નાના સિલિન્ડરમાં ગેસ ભરી રહ્યો હતો. આ પ્રવૃત્તિ ગ્રાહકો અને જાહેર સલામતી માટે જોખમી હતી. પોલીસે તેની અટકાયત કરી રાંધણ ગેસના બે નાના-મોટા સિલિન્ડર, વજન કાંટો, નોઝલ અને પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આસિફ ખફી વિરુદ્ધ જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 289 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હિંમતનગરના પેથાપુર ગામે ઘરમાં ગેસ ગળતરથી બ્લાસ્ટ:સરસામાન વેરવિખેર, ઘર માલિક દાઝ્યા; પોલીસ તપાસ શરૂ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામના પટેલવાસમાં ગુરુવારે વહેલી સવારે એક ઘરમાં ગેસ ગળતરના કારણે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘરનો સરસામાન વેરવિખેર થઈ ગયો હતો અને ઘરના માલિક સામાન્ય રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ખેડૂત અનિલભાઈ મણીભાઈ પટેલના ઘરમાં આ બ્લાસ્ટ થયો હતો. સદનસીબે, ઘરના સભ્યો ઘરની બહાર સૂતા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરને મોટું નુકસાન થયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, રાત્રિ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું હશે, જેના કારણે ઘરમાં ગેસ ગળતર થયું હતું. વહેલી સવારે સ્પાર્ક મળતાં બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. FSL ટીમની તપાસ બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાશે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અનિલભાઈ પટેલે વહેલી સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો હતો. ગેસ ગળતરથી ભરાયેલા ગેસમાં આગ લાગી અને બ્લાસ્ટ થયો, જેમાં અનિલભાઈ સામાન્ય દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. FSL ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. FSL સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઠંડીના કારણે રાત્રિ દરમિયાન ગેસ ગળતર થયા બાદ લાઈટરથી ગેસ સળગાવતા આગ સાથે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે.
દાહોદ કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જનજાતીય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ કાર્યક્રમના સુચારૂં આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટર યોગેશ નિરગુડેએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા યુનિટી માર્ચ અને જનજાતીય ગૌરવ દિવસની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. દાહોદ જિલ્લામાં પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટરે આ તમામ કાર્યક્રમો સુચારૂં રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરે જણાવ્યું હતું કે, જનજાગૃતિ વધારવા માટે સમગ્ર રાજ્યમાં વ્યાપક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે યુનિટી માર્ચ દરમિયાન નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્વયંસેવક સંસ્થાઓ અને યુવાનોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સમગ્ર જિલ્લામાં ઉજવણી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો સંદેશ પ્રસરે તે દિશામાં દરેક વિભાગે સંકલિત પ્રયાસો કરવાના રહેશે. આ બેઠકમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અને ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં દિવાળીના સમયે 15 લાખના દાગીના અને રોકડાની ચોરી કરનાર 3 ચોર ઝડપાયા છે. ચોર દિવસે ઝાડ કાપવાના બહાને આવતા હતા અને ટાર્ગેટ તૈયાર કરીને રાતે ઘરમાંથી લાખોની ચોરી કરતા હતા. નવરંગપુરા પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી 11 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. તસ્કરોને ઝડપવા 200થી વધુ CCTV તપાસ્યાનવરંગપુરામાં આવેલી કમલા સોસાયટીમાં આવેલા મકાનમાં દિવાળીના સમય દરમિયાન તસ્કરોએ ધાબાથી ઘરમાં ઘૂસીને 15 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ થેલામાં સમાન ભરીને ચોર નાસી ગયા હતા. સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચોરી થઈ તે મકાન દેખાતું ન્હોતું જેથી પોલીસે સોસાયટી બહારના સીસીટીવી તપાસ્યા હતા. નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબી સ્કોડે સાથે મળીને 200થી વધુ સીસીટીવી તપાસતા ચોર રીક્ષામાં બેસીને જતા દેખાયા હતા. 15 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરીપોલીસે રીક્ષા નંબરના આધારે રિક્ષાના માલિકને બોલાવ્યા હતા. રીક્ષા માલિકે જણાવ્યું હતું કે, તેમણે આ રીક્ષા અન્ય વ્યક્તિને ચલાવવા માટે ભાડે આપી હતી. જેથી રીક્ષા ભાડે લેનાર પરેશ દંતાણી નામના યુવકની પોલીસે ધરપકડ કરી. પરેશે તેની સાથે શૈલેષ રાવત અને સગીર વયના કિશોરે મળીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 9.57 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના, 1.18 લાખ રૂપિયા રોકડા અને ઓટો રીક્ષા સહિત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ ઝાડ કાપવાના બહાને આવી ચોરીને અંજામ આપતાઆરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી દિવાળી સમયે જે મકાન બે-ત્રણ દિવસથી વધુ સમયથી બંધ હોય તેવા મકાનને શોધી રહ્યા હતા. ઝાડ કાપવાના બહાને તેઓ કમલા સોસાયટીમાં આવ્યા ત્યારે એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું હતું. જેની બરોબરની રેકી કરી અને મોકો મળતા રાતના સમયે આવીને મકાનના ધાબેથી ઘરમાં જઈને ચોરી કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ પર રેલવે ટ્રેક નજીક ભરાયેલા પાણીના ખાડામાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. સ્થાનિક લોકો દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી કે નવલખી રોડ પર રેલવે ટ્રેકની બાજુમાં આવેલા પાણીના ખાડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પાણીના ખાડામાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મૃતક યુવાનની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. મૃતક યુવાનનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉજવણી 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી યશવંતરાય નાટ્યગૃહ ખાતે મેયર,કમિશનર, ડીડીઓ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. માટી મારી માતા છે અને તેનું રક્ષણ કરવું એ મારી ફરજ છેને સાકાર કરતા ભગવાન બિરસા મુંડાએ અંગેજો સામેની ગુલામી માંથી મુક્તિ અને શોષણ સામેની લડાઈમાં જળ,જમીન અને જંગલના રક્ષણ માટે લોકોને સંગઠિત કર્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતાની જાતને દેશ માટે કુરબાન કરનાર ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ભાવનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરના મેયર, કમિશ્નર, ડીડીઓ, ધારાસભ્ય સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ સમાજના લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા આદિજાતિ સમાજના લોકોને શિક્ષણ,આરોગ્ય, આજીવિકા અને પોષણ મળી રહે તે દિશામાં તમામ જરૂરી સુવિધાઓ પ્રાપ્ત થાય તેની તકેદારી રાખી છે.જેને પગલે આ સમાજના લોકો હવે સરકારી નોકરીઓમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાપિત પણ થયા છે.તો વિદ્યાર્થીઓ પણ આગળ વધી રહ્યા છે ત્યારે ભગવાન બિરસા મુંડાના જીવનમૂલ્યોને લોકોએ સાકાર કરી પોતાના જીવનમાં ઉતારવાની અપીલ કરતા મહાનુભવોએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ તકે મેયરના હસ્તે લાખો રૂ.ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ સમાજના વિદ્યાર્થીઓ અને સમાજની રાહબર બનેલા લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય
PM and VVIP Security: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 12મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ ઘટનાને લઈને કેબિનેટ બેઠક યુજી હતી. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે, સૌથી નોંધપાત્ર નિર્ણય ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ચીફ પરાગ જૈનની નિમણૂકનો હતો. IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વડોદરા નજીક આવેલ કુંઢેલા ગામ પાસે આવેલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી તારીખ 15 નવેમ્બરના રોજ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ હસમુખ અઢિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ દીક્ષાંત સમારોહમાં કુલ 662 વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં યોજાનાર આ કાર્યક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, એમ ફિલ અને પીએચડી મેળવનાર વિધાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં સ્નાતકના 110, અનુસ્નાતક 428, એમ ફિલ 04 અને પીએચડી ના 120 વિધાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 18 વિદ્યાર્થી અને 29 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ સાથે સ્નાતકના બી એ ચાઇનીઝમાં 32, જર્મન સ્ટડીઝમાં 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં 41 વિધાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. સાથે સ્નાતકોતરમાં કુલ 20 વિષયોના 428 ને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ અંગે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર રામા શંકર દુબેએ જણાવ્યું હતું કે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી તારીખ 15 નવેમ્બરના રોજ સાજે પાંચ વાગે કુંઢેલા ખાતે યોજાવાનો છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા આ વિધાલયના ચાન્સેલર ડૉ હસમુખ અઢિયા કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. વધુમાં કહ્યું કે, આ કાર્યક્રમમાં 662 વિધાર્થી અને વિધાર્થિનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ સાથે 47 વિધાર્થી વિધાર્થિનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. અહીંયા આખા દેશના અલગ અલગ રાજ્યના અહીંયા વિધાર્થીઓ એડમિશન લે છે. આ કેન્દ્રીય વિધાલયમાં તમામ વિધાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગરના સરદાસર નગર વિસ્તારમાં આવેલી વિધુત સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સોસાયટીમાં છેલ્લા બે માસથી રોડ રસ્તા ખોદી નાખ્યા છે, પાણી અનિયમિત આવી રહ્યું છે અને ડ્રેનેજની સમસ્યા જેવી અનેક સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે. જેને લઈ સ્થાનિકો આ તમામ પ્રશ્નનું વહેલીમાં વહેલી તકે નીરાકરણ લાવે તેવી માંગણી કરી રહ્યા છે. રહિશો બે મહિનાથી રોડ અને એક વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્તસરદારનગર સોસાયટીમાં આવેલા વિધુત સોસાયટીમાં છેલ્લા 2 માંસથી ડ્રેનેજની કામગીરીને લઈ રોડ રસ્તાઓ ખોદી નાખ્યા છે જેને લઈ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. મસમોટા ખાડાઓથી સોસાયટીમાં જવાનો રસ્તો બિસ્માર થયો છે. સાથે સોસાયટીમાં અનિયમિત પાણી આવી રહ્યું છે, સાથે સોસાયટીમાં ડ્રેનેજની સમસ્યા છે જેને લઈ સ્થાનિક રહેવાસીઓ આ તમામ પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે. આ સોસાયટીની તમામ સમસ્યાઓ દૂર કરવામાં આવે પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે સોસાયટીધારકો માંગણી કરી રહ્યા છે કે, રોડ રસ્તાઓ સરખા કરી આપો, નિયમિત પાણી આપો અને તમામ સમસ્યાઓ દૂર કરો. 'રોડ એવા થઈ ગયા છે કે પગ પણ મુકી શકાતો નથી'સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે સ્થાનિક મહિલા નામીબેન પંજવાણીએ જણાવ્યું કે, સરદાર નગર વિસ્તારમાં આવેલા વિદ્યુત સોસાયટીમાં અમે રહીએ છીએ. અમારા સોસાયટીમાં રોડની બહુ તકલીફ છે, વૃદ્ધ માણસો બહાર નીકળી શકતા નથી. મંદિરે જવું હોય, દવાખાને જવું હોય તો કેવી રીતે જવું રોડ ખરાબ હોવાથી પડવાની બીક લાગે છે. છેલ્લા બે મહિનાથી સમસ્યા છે, પાણી પણ છેલ્લા એક વર્ષથી અનિયમિત આવી રહ્યું છે. પાણી અને ગટરના પ્રશ્નનો નિકાલ લાવો બસ એ જ અમારી માગઆ અંગે સોસાયટીમાં રહેતા વૃદ્ધ પૂરીબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાંથી કોઈ વૃદ્ધ ઘરની બહાર નીકળી શકતા નથી, દવાખાનું આવ્યું હોય તો શું કરીએ. કાલે પડતા પડતા રહી ગયા. અત્યારે પાણીની તકલીફ, ગટરની તકલીફ છે તો રોડ તો સારો કરી આપો. વિદ્યુત સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી રહીએ છીએ હજી સુધી કોઈ દિવસ ફરિયાદ ન હતી. આજે પહેલી વાર તમને ફરિયાદ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ. અમારે ઘરની બહાર નથી નીકળાતું, મંદિરે નથી જવાતું, દિવાળી પછી અમે મંદિરે નથી ગયા. અમારી બસ એક જ માંગણી છે કે, અમારો રોડ સારો કરી દો. બીજું અમારે કંઈ જોતું નથી અને પાણીનો પ્રશ્ન અને ગટરનો પ્રશ્ન નિકાલ લાવો બસ એ જ અમારી માંગણી છે. કોર્પોરેટરોને અમે ફરિયાદો કરી પણ અમારું કોઈ સાંભળતું નથીઆ અંગે સ્થાનિક મહિલા સુનીતાબેને જણાવ્યું હતું કે, સરદાર નગર વિદ્યુત સોસાયટીમાં છેલ્લા કેટલાક સમય એટલે કે બે મહિનાથી રોડ ખોદેલો છે. પાણીની સમસ્યા સહિત બધું છેલ્લા બે મહિનાથી આમને આમ ચાલી રહ્યું છે પણ કોઈ ધ્યાનમાં આપતું નથી. છોકરાઓને સ્કૂલે જવું હોય, દવાખાને જવું હોય, હોસ્પિટલનું કામ હોય તો કેવી રીતે બધા જઈ શકીએ. કેટલી વખત તંત્ર અને કોર્પોરેટરોને અમે ફરિયાદો કરી પણ અમારું કોઈ સાંભળતું નથી. રોડ સારા થઈ જાય પાણી સાફ થઈ જાય એવી અમારી માંગણી છે.
ભચાઉ તાલુકાના નવાગામ પાસે આવેલા એક ખાનગી એકમ સામે સ્થાનિક શ્રમિકો અને કારીગરોએ પગાર વધારો તથા યોગ્ય મજૂરી ચૂકવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. આ એકમમાં છૂટક અને માસિક વેતન પર કામ કરતા આશરે 400 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. કામદારોએ જણાવ્યું કે, જ્યાં સુધી કંપની તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. તેમનો મુખ્ય મુદ્દો છેલ્લા સાત વર્ષથી પગાર વધારો ન મળવાનો અને કુશળ કારીગરોને પણ એકસરખી મજૂરી મળવાનો છે. શ્રમિકોના સમર્થનમાં આવેલા ભીમ આર્મીના સુરેશ કાંઠેચાએ જણાવ્યું કે, સેનેટરી વસ્તુઓ બનાવતી આ કંપનીમાં કામ કરતા શ્રમિકોને યોગ્ય વેતન મળતું નથી. તેમણે ઉમેર્યું કે, સામાન્ય ભૂલમાં પણ જૂના અને નિપુણ મજૂરોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવે છે, જેના કારણે 400 જેટલા કામદારોએ કામકાજથી અળગા રહી ધરણા શરૂ કર્યા છે. બીજી તરફ, ખાનગી કંપનીના સહદેવસિંહ જાડેજાએ શ્રમિકોના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે, અહીં કામદારોને માસિક 30 થી 50 હજાર રૂપિયા સુધીનો પગાર સીધો જ ચૂકવવામાં આવે છે. સહદેવસિંહ જાડેજાએ દાવો કર્યો કે, અન્ય ઉદ્યોગોની જેમ અહીં કોઈ ઠેકેદાર પદ્ધતિ અમલમાં નથી અને સમગ્ર ભચાઉ તાલુકામાં કોઈ પણ એકમ આટલો ઊંચો પગાર ચૂકવતું નથી. તેમણે સ્વીકાર્યું કે, સ્ટાફ સાથે ગેરશિસ્ત કરનારા શ્રમિકોને રજા આપવામાં આવે છે. જોકે, તેમણે જણાવ્યું કે વ્યસન કરતા કે ગંદકી ફેલાવતા કામદારોને તાકીદ કરી માફ કરી દેવામાં આવે છે. સહદેવસિંહ જાડેજાએ આ આંદોલનને માત્ર ખોટી રીતે નેતૃત્વ મેળવવા અને અંગત સ્વાર્થ માટે મજૂરોને ઉશ્કેરવામાં આવી રહ્યું હોવાનું ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે, પગાર વધારો જાન્યુઆરી માસમાં કરવામાં આવશે અને આ અંગેની જાણકારી અગાઉથી આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને શહેરમાં આવેલા અલગ અલગ જગ્યા પરના ટીપી રોડને ખોલવાની તેમજ રોડ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વોર્ડમાં આવેલા બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીના 18 મીટરના રોડને 30 મીટરના રોડ પહોળો કરવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધી અંદાજિત 85 જેટલા કોમર્શિયલ બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. 18 મીટરનો રોડ 30 મીટર પહોળો થશેસરસપુર વોર્ડમાં આવેલા ઈન્દુલાલ યાજ્ઞિક ઓલથી મંછાની મસ્જિદ સુધીના 370 મીટર લાંબો રોડ હયાત 18 મીટરનો છે જેને 30 મીટર સુધી પહોળો કરવાની જરૂરિયાત હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. 85 જેટલા કોમર્શિયલ બાંધકામોને દૂર કરાયાપોલીસ બંદોબસ્ત મેળવીને આજે 85 જેટલા કોમર્શિયલ બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ ઉપર બે મંદિર અને મંછાની મસ્જિદ આવેલી છે જેને હાલમાં દૂર કરવામાં આવી નથી એક અઠવાડિયા જેટલો સમય જાતે દૂર કરવા માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવશે. આ રોડ ઉપર સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેથી આ સમસ્યાને દૂર કરવા માટે રોડને બંને તરફથી તોડવામાં આવ્યો છે.
ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવવા માટે કરવામાં આવી હતી. તેમણે પંચમહાલ જિલ્લાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે કમોસમી વરસાદ અને કુદરતી આફતોથી થયેલા નુકસાન બાદ ખેડૂતોના હિતમાં 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ અને 15 હજાર કરોડની ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી શરૂ કરી છે. ધારાસભ્ય રાઉલજીએ આ પગલાંને આવકાર્યા હતા અને ખેડૂતો માટે વિશિષ્ટ સહાય પેકેજ અંગેની તેમની રજૂઆત સ્વીકારવા વિનંતી કરી હતી. ભારતીય કિસાન સંઘ, પંચમહાલ દ્વારા ધારાસભ્ય રાઉલજીને રજૂઆત કરવામાં આવી હતી કે સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં જિલ્લાના માત્ર ડાંગર અને સોયાબીનના પાકોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. જોકે, જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર ઉપરાંત દિવેલા, મકાઈ, સોયાબીન, તમાકુ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ પાકોમાં પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું છે, પરંતુ તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું નથી. ખેડૂતોની આ રજૂઆતને ધ્યાનમાં લઈને, ધારાસભ્ય રાઉલજીએ કૃષિમંત્રી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કૃષિમંત્રીએ જિલ્લા ખેતીવાડી અધિકારી અને સંબંધિત વિભાગને પંચમહાલના તમામ ખેતીના પાકોના નુકસાનનું પંચનામું કરવા અને સહાય આપવા સૂચના આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે પંચમહાલ જિલ્લાનો કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત રહેશે નહીં. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય સી.કે. રાઉલજી સાથે કિસાન મોરચાના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, એ.પી.એમ.સી. ચેરમેન પ્રવીણસિંહ રાઉલજી, પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ.ના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી, બજાર સમિતિના પૂર્વ ચેરમેન, ગોધરા બજાર સમિતિના ખેડૂત પ્રતિનિધિઓ, સહકારી અને ખેડૂત આગેવાનોનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું.
જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓની પૂછપરછ કરી છે. તેમને વધુ પૂછપરછ માટે જૂનાગઢ SOG ખાતે લાવવામાં આવ્યા છે. આ બંને કાશ્મીરી શખ્સ માંગરોળ શહેર તેમજ આસપાસની મદ્રેસામાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સની પૂછપરછ કરી છે. આ ઉપરંત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટના બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. જેબલિયા નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે જે 3 કાશ્મીરી શખ્સોની પૂછપરછ કરી છે તેમાંથી કોઈ બાબત હાલ શંકાસ્પદ જણાતી નથી.તેમ છતાં પણ હાલ આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને આ શંકાસ્પદ વ્યક્તિઓ અંગે જાણકારી આપી હતી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં તેમની કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી.
આવતીકાલે, એટલે કે 14 નવેમ્બર, વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે મનાવવામાં આવશે. રાજ્યમાં ડાયાબિટીસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં આ રોગ ચિંતાજનક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડાયાબિટીસની હાલની પરિસ્થિતિ વિશે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના એન્ડોક્રિનોલોજીસ્ટ ડૉ. રમેશ ગોયલ કહે છે કે સૌથી મોટી ચિંતા એ છે કે, આશરે 70 ટકા દર્દીઓમાં બ્લડ શુગર યોગ્ય રીતે નિયંત્રિત થતું નથી. 16% પુરુષો અને 14.8% મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચુંતેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું નોંધાયું છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર 10માંથી 7 લોકોમાં બ્લડ શુગર અનકન્ટ્રોલ્ડ રહે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ, રાજ્યના શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ ગ્રામિણ વિસ્તારો કરતાં ઘણું વધારે છે. બે દાયકામાં યુવાનોમાં ડાયાબિટીસના કેસોમાં વધારોડોક્ટરે વધુમાં જણાવ્યું કે, અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ હૃદયરોગ, સ્ટ્રોક, કિડનીની બિમારી અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો ડાયાબિટીસ પાંચ વર્ષ સુધી પણ કાબૂમાં ન રહે, તો તેની અસર જીવલેણ બની શકે છે. છેલ્લાં બે દાયકામાં યુવાનોમાં ડાયાબિટીસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સારવારની સરેરાશ ઉંમર હવે 40 વર્ષથી ઘટીને 30 વર્ષ થઈ ગઈ છે. બેઠાડું જીવન, વ્યવસાયિક તણાવ, અપૂરતી ઊંઘ, ફાસ્ટ ફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિતેને શારિરીક જીવનમાંની સમસ્યાને ટાંકતાં જણાવ્યું કે, બેઠાડું જીવન, વ્યવસાયિક તણાવ, અપૂરતી ઊંઘ, ફાસ્ટ ફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિ જેવા કારણો જવાબદાર માનવામાં આવે છે. યુવાનોમાં ડાયાબિટીસ માત્ર શારીરિક નહીં, પરંતુ માનસિક અને વ્યવસાયિક જીવન પર પણ અસર કરે છે. ડાયાબિટીસ સામેની લડાઈ નિયમિત કસરત, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને સમયસર હેલ્થ ચેક-અપ દ્વારા આ રોગને નિયંત્રિત કરી શકાય છે.
હિંમતનગરમાં કારમાંથી 27 લાખ રોકડની ચોરી:કેનાલ ફ્રન્ટ પરથી અજાણ્યા તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ
હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં એક કારમાંથી 27 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના બાયપાસ રોડ પર રહેતા રોડ કોન્ટ્રાક્ટર MHK બુધવારે મોડી સાંજે મહાવીરનગર કેનાલ ફ્રન્ટ ખાતે આવેલા શંભુ કોફી બારમાં કોફી પીવા ગયા હતા. તેમની ફોર્ચ્યુનર કારમાં 27 લાખ રૂપિયા રોકડા હતા, જે કાર પાર્ક કરેલી હતી. કોફી પીને પરત ફરતા MHKને જાણ થઈ કે તેમની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી અજાણ્યા તસ્કરો ૨૭ લાખ રૂપિયાની રોકડ ચોરી કરીને ભાગી ગયા હતા. આ ઘટના અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અજાણ્યા તસ્કરોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને કંટ્રોલ રૂમના સીસીટીવીની તપાસ શરૂ કરી છે. ઘટના બાદ કારને એલસીબી કાર્યાલય ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, આ ચોરી અંગે હજુ સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. તેમ છતાં, પોલીસની વિવિધ ટીમો તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી એક ગાંઠ મળી આવી છે. જેને પગલે તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા જાગી છે. પાટણ 'મેડિકલ નગરી' તરીકે જાણીતું છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલના કિસ્સાઓ સામે આવતા રહે છે. બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી, પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોની ગાંઠ હોવાનું અનુમાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં જ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશ સોહલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરી તેને વધુ તપાસ માટે પાટણ સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. સિવિલ હોસ્પિટલમાં થયેલી તપાસ બાદ, ડૉ. અલ્કેશ સોહલે આ શંકાસ્પદ ગાંઠ માનવસર્જિત હોવાની પુષ્ટિ કરી છે. ડૉ. સોહલે જણાવ્યું કે, આ ગાંઠ કયા અંગની છે તે જાણવા માટે તેને ઊંડાણપૂર્વકની તપાસ અર્થે ધારપુર ખાતે મોકલી આપવામાં આવી છે. બુદ્ધિજીવીઓ દ્વારા એવી માગ કરવામાં આવી છે કે, ઓપરેશન બાદ આ માનવસર્જિત ગાંઠને શહેરમાં છોડી દેનાર બેજવાબદારની CCTV ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ થવી જોઈએ. તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવાની પણ માગ ઉઠી છે. આ પ્રકારની બેદરકારી જાહેર આરોગ્ય અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાય છે.
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી: ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ, શેખ હસીના અંગે આજે આવશે ચુકાદો
Bangladesh: બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓને કારણે તણાવનો માહોલ છે. આ હિંસા 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. ગુરુવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે, કારણ કે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 'ઢાકા લોકડાઉન' નું આહ્વાન કર્યું છે. શેખ હસીના વિરુદ્ધ હત્યા-ષડયંત્રના આરોપો પર કોર્ટ આપશે નિર્ણય
બોડેલી તાલુકાના જબુગામ પાસે ગત રાત્રે એક દારૂ ખેપિયાએ બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી હતી અને બાઈક પર ભરેલો દેશી દારૂ રોડ પર ઢોળાઈ ગયો હતો. માહિતી અનુસાર, જબુગામ પાસેથી એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યું હતું. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા દેશી દારૂ ભરેલા બાઈકના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે દંપતીને ઈજા થતાં તેમને તાત્કાલિક બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે દેશી દારૂની પોટલીઓ રસ્તા પર ઢોળાઈ જતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બોડેલી પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઢોળાયેલા દારૂની પોટલીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ મળી આવવાની અને અકસ્માતમાં દારૂ ઢોળાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલા સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ કંપનીમાં ગઈ રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ભયાનક બોઇલર બ્લાસ્ટ થતાં ઉદ્યોગ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે શ્રમિકોના મોત થયા છે, જ્યારે 24 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. એક શ્રમિક હજી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. લાપતા શ્રમિકની શોધખોળ ચાલુપ્રાપ્ત વિગતો મુજબ મૃતક શ્રમિકોની ઓળખ મનીષકુમાર અરવિંદકુમાર મંડલ (ઉ.વ. 22, મૂળ બિહાર) અને ધર્મેન્દ્ર નંદકિશોર મહોર (ઉ.વ. 32, રહે. અમદાવાદ) તરીકે થઈ છે. જ્યારે સુરજ રાજકુમાર નિશાદ (મૂળ ઉત્તર પ્રદેશ) નામનો ત્રીજો શ્રમિક હજી શોધખોળ હેઠળ છે. બ્લાસ્ટની તીવ્રતાના કારણે કંપનીનું માળખું ધરાશાયી થઈ જતાં બચાવદળોને કાટમાળ હટાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, છતાં ત્રીજા લાપતા શ્રમિકની શોધખોળ ફરી શરૂ કરવામાં આવી છે. અન્ય 4-5 કંપનીઓને નુકસાન થયુંઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે લગભગ ત્રણ ટન ટોલ્વીન કેમિકલની કામગીરી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આસપાસની 4થી 5 અન્ય યુનિટ્સ સુધી પહોંચી હતી અને અનેક કંપનીઓના માળખાને નુકસાન થયું હતું. કાટમાળ હટાવ્યા બાદ બ્લાસ્ટનું કારણ સામે આવશેઘટનાની જાણ થતા જ 4થી 5 ફાયર ટેન્ડરો તેમજ વહીવટી તંત્રની ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી. આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે અને કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળ હટાવ્યા બાદ જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા મળશે. કંપની કોઈ મંજૂરી વગર ધમધમી હતી: સરપંચઆ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, કંપની કોઈ મંજૂરી વગર ધમધમી રહી હતી છતાં સંબંધિત તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે GIDCમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા રહેણાંક બાંધકામ સામે પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરશે. બે મહિના અગાઉ પણ આગ લાગી હતીઉલ્લેખનીય છે કે, માત્ર બે મહિના અગાઉ પણ સાયખા GIDCની એક અન્ય કંપનીમાં આગ લાગી હતી અને તે વખતે પણ માર્ગવ્યવસ્થાની ખામીને કારણે ફાયર ટેન્ડરોને પહોંચવામાં વિલંબ થયો હતો. સતત બની રહેલી આવી દુર્ઘટનાઓ GIDC વિસ્તારમાં ઔદ્યોગિક સલામતી અને માળખાકીય બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ, ભીલાડ પોલીસે દસ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી વાપી DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવારના નેતૃત્વમાં કરવામાં આવી હતી. પોલીસ ટીમે બાતમીના આધારે વલવાડા બ્રિજ નજીકથી આરોપી વિજય સુરેશ નિકમ (ઉંમર 43, રહે. સમર્થ નગર, નાશિક, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી ગુનાઓમાંથી ફરાર હતો. વિજય સુરેશ નિકમ વિરુદ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015ના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો (કલમ 66(1)બી, 65એઇ, 116(ખ), 81) નોંધાયેલ હતો. આ ઉપરાંત, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017નો ઇપીકો હેઠળનો ગુનો (કલમ 465, 468, 471, 120બી) પણ નોંધાયેલો હતો. આરોપીની બંને ગુનાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભીલાડ પોલીસની આ કામગીરીથી જિલ્લામાં ફરાર આરોપીઓ સામેની કાર્યવાહીને વેગ મળશે.
દેશભરમાં SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં મતદારોની ગણતરી માટેના ફોર્મનું 98 ટકા વિતરણ થઈ ચૂક્યું છે. જિલ્લામાં 23.91 લાખમાંથી 23.35 લાખ મતદારો સુધી આ ફોર્મ પહોંચી ચૂક્યા છે. આ સાથે જ ગુજરાતના ચારેય મહાનગરોમાં રાજકોટ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. જેને લઈને 15, 16 અને 22, 23 એમ 4 દિવસ મતદાન મથક ઉપર ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવશે. જે દરમિયાન લોકો પોતાના વિસ્તારના મતદાનમાં મથકો પર જઈ SIR ને લગતા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે. 23.35 લાખ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણરાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ભાગરૂપે 2256 મતદાન મથકોમાં 23,91,027 મતદારો પૈકી 23,35,298 મતદારોને ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યું છે. 98 ટકા કામગીરી થઈ ચૂકી છે. આગામી દિવસોમાં ફેમિલી લિંકેજની કામગીરી કરવામાં આવશે. અગાઉ આ મતદારો ક્યાં હતા તે સહિતની વિગતો ભરવામાં આવશે. જિલ્લામાં 194 ક્લસ્ટર બન્યાઆ કામગીરાના ભાગરૂપે જિલ્લામાં 194 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં બુથ લેવલ ઓફિસર દ્વારા જે કોઈપણ ફોર્મ લાવવામાં આવશે તેને એક સાથે અપલોડ, સર્ચિંગ સહિતની કરવાની કામગીરી કરવામાં આવશે. જેથી ઝડપથી ખાસ મતદાર યાદી સુધારણા થઈ શકે. 4 દિવસ મતદાન મથકો પર ખાસ ઝૂંબેશઆગામી તા.15, 16, 22, 23 નવેમ્બરના BLO પોતાના મતદાન મથકો પર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે. આ ચાર દિવસો દરમિયાન મતદારોને જે કોઈપણ શંકા હોય, કોઈ મુશ્કેલી હોય આ ઉપરાંત પેરેન્ટ્સનું નામ શોધવાનું મુશ્કેલી થતી હોય ઉપરાંત ફોર્મ લેવાનું બાકી હોય તો તે લઈ શકે છે. આગામી 4 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ થશેજિલ્લા કલેકટર કહ્યું કે, જેથી મારી તમામ મતદારોને વિનંતી છે કે આ ચાર દિવસો દરમિયાન મતદારો પોતાના ફોર્મ ભરીને ત્યાં આપી દે. આ સમય બદ્ધ રીતે ચાલતી કામગીરી છે અને આગામી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે. ઈન્યુમરેશન ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મની ઉપર બુથ લેવલ ઓફિસરના જે નંબર હોય છે તેમાં ફોન કરી અને ઝડપથી ફોર્મ આપી દે. જેથી ઝડપથી આ કામગીરી થઈ શકે.
સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું. તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું. આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું. ભૂતકાળમાં 'સબ સ્ટાન્ડર્ડ' સેમ્પલ છતાં પગલાં લેવામાં વિલંબદિવ્યભાસ્કરની ટીમ દ્વારા આરોગ્ય અધિકારી એફ. આઈ. બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, અગાઉ પણ સુરભી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક સેમ્પલ 'સબ સ્ટાન્ડર્ડ' હોવાનું જણાયું હતું.જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો હતો કે, કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે. અધિકારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયાના લાંબા સમય પછી પણ કોઈ અંતિમ નિર્ણય કે સખત પગલું લેવાયું નહોતું. બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતોઆરોગ્ય વિભાગની ઢીલી નીતિઓને કારણે જ સુરભી ડેરી દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. વિભાગની ઢીલી કામગીરીના કારણે રોજેરોજ લગભગ 200 કિલોથી પણ વધુ નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ગંભીર ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અગાઉ પણ ડેરીના સેમ્પલ ફેલ નીવડ્યા હતા.નકલી પનીરના આ વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે. પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આઉટલેટ્સ સીઝ કરવામાં પણ વિલંબનકલી પનીરનો જથ્થો જપ્ત થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીએ પોતે જ જણાવ્યું હતું કે સુરભી ડેરીના ચાર આઉટલેટ છે. આટલી મોટી સંખ્યામાં નકલી પનીર જપ્ત થયા પછી સામાન્ય કાર્યવાહી મુજબ આ આઉટલેટ્સને તુરંત જ સીઝ કરવા જોઈતા હતા જેથી વેચાણની પ્રવૃત્તિઓ બંધ થઈ શકે. જોકે, શરૂઆતમાં આ આઉટલેટ્સ અંદરખાને ચાલુ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જે આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કરે છે. વિવાદ વધતા અને લોકોનો રોષ જોતા આખરે ત્રણ દિવસ બાદ વિભાગ દ્વારા આ આઉટલેટ્સને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી 'સુરભી ડેરી'ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતા. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મૂર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ ગઈકાલે સમીર ઉર્ફે મૂર્ઘા સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આજે(13 નવેમ્બર) સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને ઘટનાસ્થળ પર લઇ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. આ દરમિયાન બંને આરોપીએ હાથ જોડી માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે મૂર્ઘા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના સાગરીત સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મૂર્ઘાની ચાલ ચલાવવામાં આવી હતી. મૂર્ઘા અને ભાણાને પોલીસે મૂર્ઘાની ચાલ ચલાવી માફી મંગાવીગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપ સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ આજે રાજકોટ શહેર SOG પોલીસની ટીમે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મંગળા રોડ પર ઘટનાસ્થળ પર લઇ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીઓ કઈ બાજુથી આવી કેવી રીતે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કર્યા બાદ કઈ બાજુ નાસી છૂટ્યા હતા તેની નોંધ કરી હતી. હાલ આરોપીઓનું પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવી બાદમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તા ફરતા હતા, તેમને કોણે આશરો આપ્યો હતો અને ફાયરિંગમાં વપરાયેલ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કેસમાં કુલ 20 આરોપીની ધરપકડફાયરિંગ કેસમાં અત્યાર સુધી પેંડા ગેંગના 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મૂર્ઘા ગેંગના 7 આરોપી મળી કુલ 20 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે ઝડપાયેલા આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો તેના સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ રાજસ્થાન, યુપી, અને એમપી સહિત અલગ અલગ જગ્યાએ દરોડા પાડી શોધખોળ હાથ ધરી હતી. આરોપીઓ રાજકોટ તરફ આવતા હોવાની બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીક આરોપી મળી આવતા સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે, જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ બનાવ સમયે સ્થળ પર હાજર હતો અને ગુનામાં તેની મદદગારી પણ હોવાનું સામે આવ્યું છે. બન્ને ગેંગ વચ્ચે 10 મહિનાથી ચાલી રહી છે ગેંગવોરમકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર હુમલો કર્યો હતો. જે હુમલામાં સોહેલને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મૂર્ઘા ગેંગે તેના પર ફાયરિંગ કર્યુ હતું અને આ પછી પરેશ ઉર્ફે પરીયો ગઢવી દ્વારા 15 ઓગસ્ટના રોજ શાહનાવઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમ છેલ્લા 10 મહિનાથી બંને ગેંગ વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટના બની છે જેથી પોલીસે પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો અગાઉ રાજકોટ શહેર પોલીસમાં અલગ 12 જેટલા ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે, જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં બે તથા આરોપી સોહીલ ઉર્ફે ભાણા વિરુદ્ધ અલગ-અલગ ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે આવતા દિવસોમાં મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
માર્ગ અને મકાન વિભાગના પાલનપુર પેટા વિભાગ દ્વારા એમ.ડી.આર. કક્ષાના પાલનપુર–માલણ–હાથીદ્રા–વિરમપુર માર્ગના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહનવ્યવહાર અને વરસાદને કારણે ખાડા પડી ગયા હતા. જેના પરિણામે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ માર્ગ અંબાજી હાઈવે સાથે જોડતો એક મહત્વપૂર્ણ રસ્તો છે, જેનાથી પાલનપુર તાલુકાના આશરે 12થી વધુ ગામો સીધા જોડાય છે. માર્ગના નવીનીકરણથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા વેપારીઓને મુસાફરીમાં સરળતા થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
નવસારી LCBનું મહારાષ્ટ્રમાં ઓપરેશન:4 વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાંખતા ચોરીના આરોપીને પુણેથી ઉઠાવ્યો
નવસારી LCB એ ચાર વર્ષથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી વસંતભાઈ સદુભાઈ વર્માને ઝડપી પાડ્યો છે. આરોપીને મહારાષ્ટ્રના પુણેથી નવસારી લાવવામાં આવ્યો હતો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વસંત વર્મા છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. LCB નવસારી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફના અ.હે.કો. લાલુસિંહ ભરતસિંહ, અ.હે.કો. વિપુલભાઈ નાનુભાઈ અને અ.પો.કો. મનોજકુમાર સમાધાનભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, વોન્ટેડ આરોપી વસંતભાઈ વર્મા હાલમાં પુણે ખાતેની પી.એફ.સી. લોજીસ્ટીકની ટ્રક ચલાવે છે અને તે વડોદરાથી પુણે તરફ જવાનો હતો. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપી વસંત સદુભાઈ વર્માને નવસારી ગ્રીડ નજીક આવેલા ભાણા પેટ્રોલપંપ પાસે, સુરત-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ વસંત સદુભાઈ વર્મા છે. તેનું હાલનું સરનામું પ્રતિક્ષા ફ્રાઈટ કેરીયર, નાશિક-પુણે હાઈવે, બગડે વસ્તી, કુરુલી ચાકણ, તા. ખેડ, જિ. પુણે (મહારાષ્ટ્ર) અને અમરોલી પોલીસ સ્ટેશન પાછળ, પાણીની ટાંકી પાસે, સુરત છે. તે મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના શ્રીપુર કંધઈપુરનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે 13 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન અને માર્ગ બંધ રહેશે. પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર હાઈવે પર ગોધરા શહેરની હદમાં ચાલી રહેલા બ્રિજ નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), ગોધરાના પત્ર અનુસાર, અમુલ પાર્લરથી ચર્ચ ટ્રાફિક પોલીસ પોઈન્ટ સુધીના માર્ગ પર ગર્ડર લોન્ચિંગનું કામ 24 કલાક ચાલશે. ક્રેનની અવરજવર અને સલામતીના હેતુસર આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બસ સ્ટૅન્ડ તરફથી આવતા વાહનો શાંતિનિવાસ સોસાયટીના દરવાજા થઈ પ્રભાકુંજ સોસાયટી – શિશુપાલ બાલમંદિર માર્ગ મારફતે અમુલ પાર્લર તરફ જઈ શકશે. દાહોદ તરફથી આવતા વાહનો ઉમેશ દર્શન કોમ્પ્લેક્સ પાસે ડાબી તરફ વળી બામરોલી રોડ મારફતે ગોધરા શહેરમાં પ્રવેશી શકશે. જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે, અગાઉ 30 ઓક્ટોબરના જાહેરનામા મુજબ ભારે વાહનોના પ્રવેશ પર લગાવવામાં આવેલી પ્રતિબંધ સૂચનાઓ યથાવત રહેશે. પોલીસ વિભાગને આ જાહેરનામાની વ્યાપક જાણકારી જનતા સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ નાગરિકોને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ બંધના અમલમાં સહકાર આપવા વિનંતી કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.
પ્રભાસ પાટણના પાટચકલા વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન કાળભૈરવ મંદિરે કાળભૈરવ જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સવારથી જ દર્શનાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે સાંજે શરૂ થયેલા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞથી સમગ્ર વિસ્તાર વેદમંત્રોના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યો હતો. યજ્ઞવિધિમાં ભૂદેવોએ વેદોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. યજ્ઞકુંડની આસપાસ સજાવવામાં આવેલા વૈદિક મંડપમાં ભક્તોએ બેસી પવિત્ર યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 50 વર્ષથી પ્રભાસ પાટણના સોમપુરા બ્રહ્મ સમાજના શિરીષ રમણીકભાઈ પ્રચ્છક યજમાનપદે રહી આ પરંપરા જાળવી રહ્યા છે. તેમની આ અવિરત સેવાને કારણે સમાજમાં તેમને વિશેષ આદર મળ્યો છે. આ અવસરે સોમપુરા બ્રાહ્મણ સમાજના પંડિત ચેતન દવેએ જણાવ્યું હતું કે, “ભૈરવ અષ્ટમી પવિત્ર દિવસ છે. આજે કરવામાં આવેલા યજ્ઞમાં ભગવાન સોમનાથ અને ભગવાન કાળભૈરવ સર્વ જીવાત્માઓ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અહીં તમામ ભૂદેવો કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર ધાર્મિક ભાવથી અખંડ સેવા આપે છે.” મોડી રાત સુધી ચાલેલા દર્શન, યજ્ઞ, ભજન અને આરતી સાથે કાળભૈરવ જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી.
ગીર સોમનાથ રેડક્રોસને NABH સર્ટિફિકેટ મળ્યું:આરોગ્ય સેવાઓમાં ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય માન્યતા
ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સંસ્થાના ઉચ્ચ માપદંડોને પ્રમાણિત કરે છે. જિલ્લા કલેક્ટર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધ્યક્ષ એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ આરોગ્યક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા સાથે સેવા આપતી સંસ્થાઓને મળે છે. ગીર સોમનાથ જિલ્લા અને તેના નાગરિકો માટે આ એક આનંદનો અવસર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રેડક્રોસ સોસાયટીએ ટૂંકા ગાળામાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કલેક્ટર ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે, આસપાસના વિસ્તારમાં ફક્ત રાજકોટ અને ભાવનગરની સંસ્થાઓ જ આ પ્રકારનું પ્રમાણપત્ર ધરાવે છે, જે ગીર સોમનાથ માટે ગર્વની બાબત છે. NABH એ આરોગ્ય સેવાઓ પૂરી પાડતા પ્રદાતાઓ માટે ISO જેવી જ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માન્યતા છે. તે લેબોરેટરીઝ અને હોસ્પિટલ્સમાં દર્દીઓને અપાતી સુવિધાઓ, બ્લડ લેવામાં અને સ્ટોરેજમાં રાખવામાં આવતી ચોકસાઈ તેમજ આરોગ્ય સેવાઓની વિવિધ પ્રક્રિયાઓની ઝીણવટભરી ચકાસણી કરીને પ્રમાણપત્ર આપે છે. આ સિદ્ધિ રેડક્રોસના દાતાઓ, સોસાયટીના સભ્યો, કર્મચારીઓ અને વિવિધ સમાજના સહયોગથી શક્ય બની છે. કલેક્ટરે આગામી સમયમાં આ શાખા વધુ ગુણવત્તાપૂર્ણ સેવાઓ આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ગિરીશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના વિઝનનું એક મહત્વપૂર્ણ સોપાન છે, જે અંતર્ગત રાજ્યના તમામ બ્લડ સેન્ટરો NABH એક્રેડિટેડ બને. તેમણે ઉમેર્યું કે, સેન્ટરની સ્થાપના સમયે જ NABHની માર્ગદર્શિકા અનુસાર માળખું તૈયાર કરવાનું વિઝન હતું, જેના માટે એન્જિનિયર અને સભ્ય રાજેશ પટેલની દૂરદર્શિતા નોંધનીય છે. ઠક્કરે સ્થાપક ચેરમેન કિરીટ ઉનડકટ, ચેરમેન અતુલ કાનાબાર અને સમગ્ર રેડક્રોસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ડૉ. ખેવના સહિત રેડક્રોસ બ્લડ સેન્ટરની સમગ્ર ટીમ અને પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લામાં રખડતા ભૂંડના કારણે બે દિવસમાં બે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના આવતા રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બે લોકો મોપેડ સાથે પટકાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગતરોજ પાદરાના મહોમદપુરા ગામના વ્યક્તિ ડબકા ગામ પાસેથી મોપેડ લઈ પસાર થતા હતા ત્યારે ભુંડ વચ્ચે આવતા અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓનું સારવાર દરમ્યાન આજે મોત નીપજ્યું છે. બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોતવડોદરા શહેર જિલ્લામાં અકસ્માતના બનાવો રોજેરોજ સામે આવતા હોય છે. ત્યારે રખડતા ભુંડે વધુ એક વ્યક્તિને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોહમ્મદપુરા ગામના વતની ગણપત બુધર પરમાર (ઉંમર વર્ષ 38) પોતાનો ટુ વ્હીલર વાહન લઈને ડબ્બા ગામ તરફ જતા હતા તે દરમિયાન મોપેડ વચ્ચે ભૂંડ આવી જતા તેઓ સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગણપતભાઈને વડુ સીએસસી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલા ન્યૂ સર્જિકલ વિભાગના બી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો કરૂણ મોત નિપજ્યું છે. આ મામલે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ શહેરના જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર ( ઉં.વ.60) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.49) મોપેડ પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં દાજીભાઇને તથા દિનેશભાઇને કપાળ અને જમણા હાથે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દાજીભાઇ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કહી શકાય કે ને દિવસમાં બે વ્યક્તિના ભૂંડના કારણે અકસ્માતમાં મોત નિપજ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના સ્ટેશન ખાતે એક યુવાન પર ફાયરિંગની ઘટના બની છે. બાર બોરની બંદૂકથી ફાયરિંગ થતાં યુવાનને પેટ અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. શખ્સે બાર બોરની બંદૂક વડે ફાયરિંગ કર્યુંઆ ઘટના ખારાઘોડા સ્ટેશન નજીક દવાખાના પાસે બની હતી. દેગામના એક શખ્સે અગાઉના કોઈ મનદુઃખના કારણે ખારાઘોડાના સલાભાઈ નામના યુવાન પર બાર બોરની બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ફાયરિંગના કારણે સલાભાઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. યુવકને સારવાર અર્થે વિરમગામ ખસેડાયોઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 108ના ઈએમટી અને પાયલોટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર આપી પાટડી સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યાંથી ફરજ પરના તબીબે તેને વિરમગામ શિવ હોસ્પિટલ રીફર કર્યો હતો. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયોઆ ફાયરિંગની ઘટનાના પગલે ખારાઘોડામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટડી પીઆઇ બી.સી.છત્રાલીયા સહિતનો પોલીસ સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આટાફેરાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે હવે લેકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળતા વન વિભાગની ટીમ સઘન તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગાંધીનગરના બે જુદા જુદા વિસ્તારોમાં ઝરખ જોવા મળ્યો હોવાના બનાવોએ ચર્ચા જગાવી છે. બે દિવસ અગાઉ ઝરખ દેખાયો હોવાનો વીડિયો આવ્યો' તોગાંધીનગર સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી વિસ્તારના રહીશોએ સંતોષી માતાજીના મંદિર પાસે ઝરખ જોયાનો દાવો કર્યો હતો. જ્યારે બે દિવસ અગાઉ ઝરખ દેખાયો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દાવાઓને પગલે વન વિભાગની ટીમે સતત બે દિવસ સુધી રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આખી રાતની શોધખોળ બાદ પણ વન વિભાગને ઝરખની હાજરીના કોઈ નક્કર પુરાવા મળી શક્યા ન હતા. 11 નવેમ્બરે શિયાળ મૃત હાલતમાં મળ્યુંએક તરફ ઝરખની શોધખોળ ચાલી રહી હતી, ત્યારે મંગળવારે(11 નવેમ્બર) ચ-0થી ચ-1 વચ્ચેના રોડ પર શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે વનતંત્રની પ્રાથમિક તપાસમાં બહાર હતું કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી શિયાળનું મોત નીપજ્યું હતું. 11 નવેમ્બરે રાતે લેકાવાડામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટઆ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે મૃતદેહને GTS નર્સરી ખાતે લઇ જઇ અધિકારીઓની હાજરીમાં તેને અગ્નિદાહ આપીને અંતિમ વિદાય આપી હતી. એવામાં મંગળવાર(11 નવેમ્બર) રાતે લેકાવાડામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઝરખ અને શિયાળના બનાવ બાદ ગાંધીનગરના લેકાવાડા ગામમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. માનવ ચહલપહલ વધતા દીપડો એરંડાના ખેતરો તરફ નાસ્યોરાત્રિના સમયે એક ખેડૂત પોતાના ખેતરમાં હાજર હતા. તે દરમિયાન અચાનક જ ખૂંખાર દીપડો જોવા મળતા તેમને ડર લાગી ગયો હતો. ખેડૂતે અન્ય ગ્રામજનોને જાણ કરતા આસપાસના ખેડૂતો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જોકે માનવ ચહલપહલ વધતા દીપડો એરંડાના ખેતરો તરફ નાસી ગયો હતો. દીપડાની ભાળ મેળવવા માટે પગના નિશાનના પુરાવા એકઠાઆ ઘટનાની જાણ થતાં વન વિભાગની સ્થાનિક ટીમો તાત્કાલિક લેકાવાડા પહોંચી ગઈ હતી અને દીપડાની ભાળ મેળવવા માટે તેના પગના નિશાન સહિતના પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય સીમમાં એકસાથે ઝરખ, શિયાળ અને દીપડાની હાજરીથી ગાંધીનગરના રહેવાસીઓમાં ભારે દહેશત ફેલાઈ છે અને વન વિભાગ સતત સર્ચ ઓપરેશનમાં લાગી ગયું છે.

30 C