SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

વિરોધ:યંગ ઇન્ડિયા કેસમાં ઈડીની કાર્યવાહી સામે ભાજપ કાર્યાલયે કોંગ્રેસનો વિરોધ

ભાવનગર | મોદી સરકારના મલિન ઈરાદા અને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ સામે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલી રાજકીય બદઈરાદાયુક્ત નીતિને કારણે કાર્યવાહીનો પર્દાફાશ થતાં કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. અદાલત દ્વારા ‘યંગ ઈન્ડિયા’ કેસમાં કોંગ્રેસના નેતૃત્વ કરનાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને બદઈરાદાપૂર્વક હોવાનું સ્પષ્ટ કરતાં, ઈડીને આ કેસમાં કોઈ અધિકારક્ષેત્ર નથી તેમજ કોઈ એફઆઈઆર પણ નોંધાયેલી નથી એવું અવલોકન કરવામાં આવ્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર તા.19 ડિસેમ્બરને શુક્રવારના રોજ બપોરે 12:15 કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય સામે “સત્યમેવ જયતે” ના નારા સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર તથા જિલ્લાના કોંગ્રેસના તમામ હોદેદારો, કાર્યકરો, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુવા કોંગ્રેસ, એનએસયુઆઈ તેમજ વિવિધ સેલ અને વિભાગોના કોંગ્રેસી કાર્યકરોને હાજર રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ (લાલભા) તથા ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા જણાવ્યું છે. લોહાણા સમાજની વાડી સામેનો ગેટ, પીલ ગાર્ડન ભેગા થઈ ત્યાંથી શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ માટે જશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:27 am

સાવધાન:વલભીપુર કલ્યાણપુર ચોકડી અકસ્માત ઝોન બની

વલભીપુરથી 1 કિ.મી.દુર ભાવનગર અમદાવાદ હાઇવે પર કલ્યાણપુર ચોકડીથી ભાવનગર,માઢીયા, સવાઇ નગર તરફ હાઇવે ડાયવર્ટ થાય છે. વલભીપુરથી ભાવનગરનો હાઇવે હાલ ફોરલેન બનતો હોવાથી મોટા ભાગના ખાનગી વાહનો હાલ કલ્યાણપુર ચોકડી પરથી માઢીયા થઇને ભાવનગર જવા માટે ઉપયોગ કરે છે અને આ રૂટનો ભાવનગરથી વલભીપુર તરફ આવવા માટે ઉપયોગ થતો હોવાથી વધુ ટ્રાફિક રહે છે. આ ચોકડીથી આગળ બરવાળા તરફથી આવતા હાઇવે ફોરલેન છે અને તેના કારણે બરવાળા બાજુથી આવતા વાહનો પુરપાટ ઝડપે આવતા હોય છે અને એકાએક કલ્યાણપુર ચોકડીથી માંડ 10-15 મીટરના અંતરથી ટુ લેન હાઇવે થઇ જતો હોવાથી બરવાળા તરફથી આવતા વાહનોને ચાલકો કંન્ટ્રોલ કરી શકતા નથી અને તેના કારણે ચોકડી વલભીપુર અને બરવાળા તરફ ટર્ન મારતા વાહનો સાથે અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ઘણીવાર રાહદારીઓ પણ પુરપાટ ઝડપે આવતા વાહનો દ્વારા હડફેટે લેતા હોવાથી કલ્યાણપુર ચોકડી સામાન્યથી લઇ ગંભીર પ્રકારના અકસ્માત ઝોન બનતો જાય છે. ગઇકાલે તાલુકા નવાણીયા ગામના ઋષીરાજસિંહ હાલુભા ગોહિલ નામના યુવાન ચાલીને જતા હતા તે દરમ્યાન પીકઅપ વાહન ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઈજાના કારણે આ આશાસ્પદ યુવાનનું મૃત્યુ નિપજેલ હતું. અત્યાર સુધીમાં 17 થી 18 અકસ્માતની ઘટનાકલ્યાણપુર ચોકડી પાસે હાલ અત્યાર સુધીમાં સામાન્યથી લઇ ગંભીર પ્રકારના અકસ્માતો અંદાજે 17 થી 18 જેટલા થયા હશે અને વાહનોને માત્ર નુકશાન થયું હોય પરંતુ કોઇને ઇજા ન પહોંચી હોય તેવા બનાવ તો રોજના બે થી ત્રણ જેટલા બને છે.અકસ્માતતો થવાનું કારણ માઢીયાથી વલભીપુર તરફ જવા વળાંક લેવો પડે છે અને બરવાળા તરફથી આવતા વાહનો સ્પીડમાં આવતા હોવાથી ચાલકો સ્પીડ કંટ્રોલ કરી શકતા નથી

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:26 am

દારૂના કટીંગમાં ભંગાણ:નેસવડ ભાણવડ રોડ પરથી 47.80લાખનો દારૂ બિયર જબ્બે

થર્ટી ફર્સ્ટ હવે દરવાજે ટકોરા દઈ રહી છે ત્યારે ભાવનગર શહેર જિલ્લાના બૂટલેગરો જાણે સ્થાનિક પોલીસ ની રહેમરાહે દારૂ અને બીયર નો મસમોટો જથ્થો ઘુસાડવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ભાવનગર એલ.સી.બી.ની ટીમને ચોક્કસ બાતમી મળતા મહુવાના ભાણવડ પાસે વહેલી સવારે થઇ રહેલા દારૂના કટીંગ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન બુટલેગર સહિત છ જેટલા આરોપીઓ ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. અને કન્ટેનરમાં રહેલો દારૂ તેમજ બિયર કિ.રૂા. 47.80 લાખ ઉપરાંતનો જથ્થો કબ્જે કરી, આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વધુ એક કન્ટેનર ભરેલ દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં એલ.સી.બી. પોલીસને સફળતા હાથે લાગી છે. જો કે, મહુવા ટાઉન પોલીસ બુટલેગરોના દારૂના કટીંગથી અજાણ રહી હતી. મહુવાના નેસવડ-ભાણવડ નજીક આવેલ કોઠાવાળી ખોડિયાર મંદિર પાસે મહુવાનો મોટો બુટલેગર ભરત છગનભાઇ કનક દારૂનું કન્ટેનર મંગાવી કટીંગ કરતો હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે વહેલી સવારના સુમારે સ્ટાફ સાથે દરોડો પાડતા, પોલીસ આવતી હોવાની બુટલેગરોને ગંધ આવી જતા બુટલેગર ભરત છગનભાઇ જનક, મુર્તુજા અજગરઅલી ચોકવાલા (રહે. મહુવા), ટ્રકનો ચાલક સહિત છ શખ્સો બાવળની કાંટમાંથી ફરાર થવામાં સફળ થયા હતા. જે બાદ પોલીસ કન્ટેનર પાસે પહોંચી કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની જુદી જુદી કંપનીની બોટલો નંગ 6552, બિયરના ટીન નંગ 3096 કિ.રૂા.47,80,320નો મસમટો જથ્થો કબ્જે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે. હ્યુમન અને ટેકનીકલ સોર્સ આધારે શોધખોળભાવનગર એલ.સી.બી. દ્વારા સ્થાનિક બાતમીદારોને કામે લગાડ્યા છે.તેમજ ઘટના સ્થળેથી સી.ડી.આર. ની પણ વિગતો ટેકનીકલ સોર્સીસ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. જેની મદદથી આરોપી સુધી પોલીસને પહોંચવામાં ઝડપથી સફળતા મળશે. આરોપીઓ દમણથી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો લાવ્યા હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. સપ્તાહમાં બીજી વખત દારૂ તેમજ બિયર ઝડપાયોએક સપ્તાહ અગાઉ સિહોર પોલીસ દ્વારા કંતાનની આડમાં લવાતા મોટી માત્રામાં દારૂ તેમજ બિયર સાથે ડ્રાઇવરને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જે બાદ ફરી મોટી માત્રામાં પોલીસને દારૂ તેમજ બિયરનો જથ્થો હાથે લાગ્યો છે. આગામી થર્ટી ફર્સ્ટને લઇને ભાવનગર પોલીસે તમામ ચેકપોસ્ટ ઉપર ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:26 am

અકસ્માત:ભડી નજીક ગાય આડી ઉતરતા યુવકનું મોત તેમજ વલભીપુર નજીક ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં જુદા જુદા બે અકસ્માતની ઘટના બનતા બે લોકોના કરૂણ મોત નિપજવા પામ્યા છે. જિલ્લામાં થતાં છાશવારે થતા અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજે છે. ભંડારીયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર બાઇક લઇને બાઇક લઇને પસાર થતા યુવકના બાઇક આડે ગાય આવી જતાં, ગાય સાથે બાઇકનો અક્સમાત થતાં યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે વલભીપુરની કલ્યાણપુર ચોકડી પાસે રાહદારી યુવકને પીકઅપ વાહન ચાલકે અડફેટે લેતા યુવકનું કચડાઇ જવાથી કરૂણ મોત થતાં બે આશાસ્પદ યુવકોના કરૂણ મોતથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે. ભાવનગર જિલ્લામાં એકી સાથે બે આશાસ્પદ યુવકોના અકસ્માતમાં કરૂણ મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે રહેતા અને મંડપનો વ્યવસાય કરતી ગુજરાન ચલાવતા ચેતનસિંહ મહિપતસિંહ ગોહિલના એકના એક પુત્ર વિશ્વરાજસિંહ ઉર્ફે ભોલુ ગોહિલ (ઉ.વ.22) જે ભાવનગર ખાતે મેડીકલ સ્ટોરમાં પ્રાઇવેટ નોકરી કરે છે. જે ગત રાત્રિના રોજ પોતાનું બાઇક લઇ નોકરી ઉપરથી ઘર તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં ત્યારે ભડી ગામ નજીક એકાએક તેમના બાઇક આડે ગાય આવી જતાં તેમના બાઇકનો ગાય સાથે ધડાકાભેર અક્સમાત થતાં ગાય અને વિશ્વારાજસિંહને ગંભીર ઇજા થતાં વિશ્વરાજસિંહ ગોહિલનું કરૂણ મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં વલભીપુર પાસે આવેલ કલ્યાણપુર ચોકડી જ્યાં આ ચોકડી સતત ટ્રાફીકથી ધમધમે છે ત્યારે ગઇકાલે ઋષીરાજસિંહ હાલુભા ગોહિલ નામનો આશાસ્પદ યુવક ચાલીને રોડ ઉપર જઇ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી આવેલા કાળમુખા પીકઅપ વાહનના ચાલકે ઋષીરાજસિંહને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બંન્ને ઘટનામાં પોલીસે તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:25 am

રોગચાળાની ભીતિ:સિહોર શહેરમાં દુષિત પાણી વિતરણ કરીને નગરજનોના આરોગ્ય સાથે કરાતા ચેડા

સિહોરમાં એક તો સાતથી દસ દિવસે પાણી વિતરણ થાય છે. અને જે પાણી વિતરણ થાય છે એ પાણી પણ પેય કે શુદ્ધ હોતુ નથી. આથી નગરજનોને પાણીજન્ય રોગો થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. આ અંગે સિહોર શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વિપક્ષ દ્વારા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લેતા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. કે. ગોહિલ (એડવોકેટ), ઈશ્વરભાઈ નમસા, સુરેશભાઈ ચૌહાણ, લલિતભાઈ ચૌહાણ, કિરીટભાઇ મોરી, ડી પી આંચલ દ્વારા સિહોર શહેરની જનતાને દૂષિત પાણીનું વિતરણ થતું હોય ત્યારે આરોગ્ય અધિકારી, અર્બન શાખા સિહોરને લેખિત રજૂઆત કરતા સબંધિત વિભાગના અધિકારી દ્વારા સિહોર ગૌતમેશ્વર તળાવ ખાતે આવેલ વોટરવર્ક્સની રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આથી જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને પ્રજાના ટેક્સના પૈસા દુરુપયોગ કરી બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ જોવા મળ્યું હતું અને સિહોર નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. શહેરની જનતાના આરોગ્ય સાથે છેડછાડ થાય છે તેમજ દુષિત પાણીને લીધે જનતાને પાણીજન્ય બીમારી થવાની પૂરી શક્યતાઓ વધે છે.સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દુષિત પાણી વિતરણ મુદ્દે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:24 am

ફાળવણી:રાષ્ટ્રીય તબીબી આયોગની મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા ભાવનગર મેડિકલ કોલેજમાં 13 બેઠકો વધી

રાષ્ટ્રીય તબીબી આયોગની MARB (મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ) દ્વારા વર્ષ-2025માં ભાવનગર સહિત રાજ્ય અને દેશની સરકારી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની સીટોમાં બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ સમયાંતરે પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની સીટોમાં વધારો કરે છે. મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ તાજેતરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (એમ.ડી.-એમ.એસ.)ની ગત ઓક્ટોબરમાં 9 બેઠક વધાર્યા બાદ વધુ 13 બેઠકની ફાળવણી કરી છે. મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે ઓક્ટોબર-2025માં હાલની સીટો સામે એમ.ડી. ફોરેન્સિક દવા/ફોરેન્સિક દવા અને વિષ વિજ્ઞાનમાં 3, એમ.ડી. કોમ્યુનિટી મેડિસિનમાં 3, એમ.એસ. પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિજ્ઞાનમાં 2 અને એમ.એસ. ઓપ્થેલ્મોલોજીમાં 1 સીટ એમ કુલ મળી 9 સીટનો વધારો મંજૂર કર્યો હતો. 9 સીટના વધારાથી ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએશન (MD-MS)ની બેઠક 133 પહોંચી હતી. ત્યારે મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે એમ.ડી. પેથોલોજીમાં 2 સીટ, એમ.ડી. માઇક્રોબાયોલોજીમાં 4 સીટ, એમ.ડી. જનરલ મેડિસિનમાં 4 સીટ, એમ.ડી. બાળરોગમાં 2 સીટ અને એમ.એસ. નેત્રરોગમાં 1 સીટનો વધારો કર્યો છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન (MD-MS)ની કુલ 21 બેઠકોનો વધારો થયો છે. જે ભાવનગર મેડિકલ ક્ષેત્રે પ્રથમવાર આટલી માત્રામાં વધેલી બેઠકો હોવાથી સ્થાનિક કક્ષાએ ભાવનગરથી એમ.ડી. અને એમ.એસ.નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. 2025માં MARBએ ક્યાં અને કેટલી સીટ વધારી ? કોલેજનું નામ વધેલી બેઠક સરકારી મેડિકલ કોલેજ-ભાવનગર 22 ◾BJMC કોલેજ-અમદાવાદ 21 ◾GMERS કોલેજ-હિંમતનગર 13 ◾GMERS કોલેજ-ગાંધીનગર 10 ◾GMERS કોલેજ-સોલા,અમદાવાદ 10 ◾GMERS કોલેજ-ગોત્રી, વડોદરા 10 ◾GMERS કોલેજ-જૂનાગઢ 07 ◾સરકારી મેડિકલ કોલેજ-જામનગર 19 ◾PDU કોલેજ-રાજકોટ 02

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:24 am

2.25 લાખ મતદારને 30 દિવસની તક:SIR બાદ તૈયાર થયેલ મતદારયાદી પ્રસિદ્ધ, હવે વાંધા-સૂચનો સાંભળશે

રાજકોટ સહિત રાજ્યભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત મતદારયાદીની સઘન સુધારણા કામગીરી પૂર્ણ થતા લોક કરવામાં આવેલ નવી મતદારયાદીની આજે શુક્રવારે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. SIR બાદ તૈયાર થયેલ આ નવી મતદારયાદીમાંથી મૃત, ગેરહાજર અને સ્થળાંતરિત 3,35,670 મતદારના નામ રદ કરી દેવામાં આવ્યા છે. સાથે જ નવી મતદારયાદીમાં જે મતદારોનું મેપિંગ નથી થઇ શક્યું તેવા 2,25,329 મતદારના નામ સામેલ કરવામાં આવ્યા છે. જો આવા મતદાર આગામી 30 દિવસમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરતા પુરાવા રજૂ નહીં કરે તો મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સમયે આવા મતદારોના નામ પણ નવી મતદારયાદીમાંથી હટી જશે.કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અન્વયે ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં તા.4 નવેમ્બર 2025થી બીએલઓ મારફતે ડોર ટુ ડોર એન્યુમરેશન ફોર્મ વિતરણ સાથે એસઆરઆઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની સ્થિતિ જોઈએ તો SIR પૂર્વે રાજકોટ જિલ્લામાં 23,91,027 મતદાર નોંધાયેલ હતા. જે તમામને ગણતરી ફોર્મ વિતરણ બાદ ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવતા 20,55,357 મતદારનું વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપિંગ થઇ શક્યું હતું. જ્યારે 2,25,329 મતદાર વર્ષ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને હાલમાં મતદારયાદીના પ્રાથમિક મુસદ્દામાં સમાવી લઇ આજે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જોકે SIR બાદ તૈયાર થયેલ મતદારયાદીમાંથી રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાંથી મૃત, ગેરહાજર અને સ્થળાંતરિત થયેલા કુલ 3,35,670 મતદારના નામ હટાવી દેવામાં આવ્યા છે. અનમેપ મતદારોને બીએલઓ ઘેર-ઘેર જઈ નોટિસ આપશેSIR કામગીરી દરમિયાન રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 23,91,027 મતદાર પૈકી 2,25,329 મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત થઇ શકે તેવા પુરાવા રજૂ કરી શક્યા ન હોવાથી આવા મતદારોને એક તક આપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ 2,25,329 મતદારને બીએલઓ મારફતે નોટિસ આપી બાદમાં જિલ્લાની આઠ વિધાનસભા વિસ્તારમાં નિમવામાં આવેલ ખાસ મતદાર નોંધણી અધિકારી સમક્ષ સુનાવણી દરમિયાન પંચે નક્કી કરેલ પુરાવા રજૂ કરવા પડશે. આવા પુરાવા રજૂ નહીં કરી શકનાર મતદારોનું નામ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સમયે નામ કમી થશે. નો-મેપિંગ થયેલા મતદારોએ આપવા પડશે આ પુરાવા SIRની પ્રક્રિયા મુજબ 2002ની યાદીમાં જેના નામ મળી આવેલ નથી, તેવા મતદારોનો સમાવેશ નો-મેપિંગની યાદીમાં કરવામાં આવ્યો છે. આવા મતદારોએ નીચે મુજબના પુરાવા બીએલઓને આપવાના રહેશે. 1 01-07-1987 પહેલાં જન્મેલાને ફકત પોતાના પુરાવા આપવાના. 2 01-07-1987થી 02-12-2004 વચ્ચે જન્મેલા હોય તો પોતાના અને પિતા અથવા માતાના પુરાવા આપવાના રહેશે. 3 02-12-2004 પછી જન્મેલા હોય તો પોતાના, પિતાના અને માતાના ત્રણેયના પુરાવા આપવાના રહેશે. મતદારયાદીમાં નામ ઉમેરવા (ફોર્મ નં-6) 1. જન્મ તારીખનો પુરાવો 2.રહેઠાણનો પુરાવો 3. પાસપોર્ટ સાઇઝનો ફોટો 4. કુટુંબના કોઇપણ સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઇ સભ્યના ચૂંટણીકાર્ડની ઝેરોક્સ સ્થળાંતર અથવા સુધારા માટે (ફોર્મ નં-8) 1. જૂના એપિક કાર્ડની ઝેરોક્સ 2. રહેઠાણનો પુરાવો 3. કુટુંબના એક સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઇપણ એક સભ્યની ચૂંટણી કાર્ડની ઝેરોક્સ 4. જો સુધારો કરવાનો હોય તો જે પ્રમાણે સુધારો કરવાનો હોય તેનો આધાર પુરાવો

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:21 am

ભાસ્કર બ્રેકિંગ:લો કોલેજોમાં વધુ 4-4 પ્રોફેસરની ભરતી માટેપરિપત્ર કરાયો, પણ તમામ કરાર આધારિત હશે

રાજ્ય સરકાર હવે પોતાની પર કોઇ જાતનો બોજો પડવા દેવા માગતી ન હોય તેમ હવે શિક્ષણમાં અધ્યાપકોની ભરતી પણ GEM પોર્ટલ મારફત કરવાનો નવતર ખેલ નાખ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની બિનસરકારી અને સરકારી લો કોલેજોમાં સ્ટાફની અછતના મુદ્દે એડમિશન પ્રક્રિયા અટકાવી દેવાયા બાદ રાજ્ય સરકારે પૂરતો સ્ટાફ ભરવાની ખાતરી આપી હતી, જેના ભાગરૂપે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના જોઇન્ટ સીઇઓને લેખિતમાં મહેકમ પૂરું પાડવા પત્ર લખ્યો છે. રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજમાં વન પ્લસ ફોરનો કાયમી સ્ટાફ અને બાકીના 4 અધ્યાપકની ભરતી રૂ.50 હજારના ફિક્સ પગારે GEM પોર્ટલ મારફત કરશે તેના માટે પણ હવે કેસીજીને જવાબદારી સોંપી દીધી છે. કેસીજી કચેરી દ્વારા આ માટેની જવાબદારી એજન્સીને સોંપી દેવાશે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામકે કેસીજીના જોઇન્ટ સીઇઓને લેખિત પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજો પૈકીની 28 લો કોલેજના મહેકમ બાબતે બીસીઆઇના નિયમો મુજબ શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી હતી. જે મુજબ હાલની સ્થિતિએ લો કોલેજોમાં 1 આચાર્ય અને 4 પ્રાધ્યાપકનું મહેકમ છે, પરંતુ બીસીઆઇના વર્ષ 2008ના નિયમો મુજબ 1 આચાર્ય અને 8 અધ્યાપકનું મહેકમ જરૂરી છે અને તે મુજબનું મહેકમ ન હોવાથી બીસીઆઇ દ્વારા અનુદાનિત લો કોલેજોને માન્યતા આપવામાં આવતી નથી, પરંતુ શૈક્ષણિક વર્ષ 2025-26માં બીસીઆઇના નિયમોનું પાલન કરવાની શરતે હાલ પૂરતી મંજૂરી આપેલી છે. જે અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા લો કોલેજના મહેકમની ઘટ પૂરતી માટે એક લો કોલેજ દીઠ વધુ 4 અધ્યાપકની સેવા GEM પોર્ટલ મારફતે માસિક રૂ.50,000ના મહેનતાણાથી મેળવવાની રહેશે અને આ સેવાઓ માટે થનાર ખર્ચ નિભાવ ગ્રાન્ટમાં ચૂકવવાની મંજૂરી આપેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા લો કોલેજના મહેકમની ઘટ માટે લો કોલેજ દીઠ વધુ 4 અધ્યાપકની સેવા GEM પોર્ટલ મારફત લેવાની થતી હોય આપને GEM પોર્ટલ દ્વારા કરવાની થતી પ્રક્રિયા કરી નિયમાનુસાર એજન્સી નક્કી કરી સંસ્થાઓને કરાર આધારિત અધ્યાપકો ફાળવવાના રહેશે. સરકારે બીસીઆઇના નિયમોનો કર્યો ભંગ, અધ્યાપક બનવા માગતા ઉમેદવારોમાં કચવાટલો ફેકલ્ટીમાં કારકિર્દી ઘડવા માગતાં બેરોજગાર ઉમેદવારોમાં સરકારના આ પરિપત્રથી ભારે રોષ ફેલાયો છે અને સરકારના પરિપત્રને બેરોજગારોની મશ્કરી સમાન ગણાવી આ પરિપત્રથી બીસીઆઇ રેગ્યુલેશનનો ભંગ થતો હોવાનું પણ જણાવાયું છે. બીસીઆઇના રૂલ્સ ઓફ લીગલ એજયુકેશનમાં ફુલ ટાઇમ ફેકલ્ટી લેવાની સ્પષ્ટ સૂચના છે અને તેમાં પાર્ટ ટાઇમ કે વિઝિટિંગ લેક્ચરર નહી ચાલે તેવી જોગવાઇ કરી છે ત્યારે સરકારે આમાં છટકબારી ગોતી કરાર આધારિત અધ્યાપકોને એજન્સી મારફત ભરતી કરવાનું ગોઠવી પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાખ્યા છે. હકીકતમાં બીસીઆઇના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં કરાર આધારિત જેવો કોઇ શબ્દ નહીં હોવાનું કહેવાય છે ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે કાનૂની લડત છેડાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. ગ્રાન્ટ ઈન એઈડ કોલેજના ઈતિહાસમાં પ્રથમવાર કરાર આધારિત અધ્યાપકોને હાજરી પ્રમાણે પગાર ચૂકવાશેઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અનુદાનિત લો કોલેજો માટે અન્ય એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં કેસીજી દ્વારા કોઇ એજન્સી નક્કી કરાયા બાદ કેસીજી સાથે પરામર્શ કરી મહેકમ ભરવાની કાર્યવાહી કરવાની રહેશે અને મહેકમ ભરાયા બાદ અધ્યાપકની માસિક હાજરી પ્રમાણે નક્કી થયેલી એજન્સી પાસેથી બિલ મેળવી કચેરીની ગ્રાન્ટ શાખામાં બિલ રજૂ કરવાનું રહેશે અને ગ્રાન્ટ શાખાએ ગ્રાન્ટ મળ્યેથી નિયમોનુસાર ચૂકવણું કોલેજ કક્ષાએથી માન્ય એજન્સીને કરવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:16 am

કામગીરી:રૈયા-મવડીમાં 28.40 કરોડની 3800 ચો.મી. જમીન ખુલ્લી

રાજકોટ શહેરમાં સરકારી ખરાબાની અને યુએલસી ફાજલ જમીનો પર વ્યાપક પ્રમાણમાં દબાણો ખડકાઈ ગયા છે ત્યારે ગરુવારે રાજકોટ શહેરમાં પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સરવે નંબર 318માં અલગ અલગ ત્રણ સ્થળે સરકારી જમીન પર ઊભા થયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા. રૈયા સ્મશાન નજીક સરકારી જમીનમાં લકી ડોગ હોસ્ટેલ, શીતલ પાર્ક નજીક શાસ્ત્રીનગરમાં બાલાજી ગૃહ ઉદ્યોગ નામનું ખજૂરનું કારખાનું તેમજ રૈયા રોડ પર ઓમ રેસિડેન્સી પાસે અગાઉ હાથ ધરવામાં આવેલ ઓપરેશન ડિમોલિશન બાદ પણ અહીં પશુ બાંધવા માટેનો શેડ બનાવી લેવાયો હોય ત્રણેય સ્થળે મળી કુલ રૂ.20 કરોડની કિંમતની 2400 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. લકી ડોગ હોસ્ટેલ મામલે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ થઇ હતી. બીજી તરફ રાજકોટ દક્ષિણ મામલતદાર દ્વારા પણ મવડી રેવન્યુ સરવે નંબર 194 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ભલાભાઈ અમરાભાઇ નામના આસામીએ 600 ચોરસમીટરમાં પાકું બાંધકામ કરી દબાણ કરી નજીકમાં જ અન્ય કાચા ઝૂંપડાંના 800 ચોરસમીટર જેટલા દબાણો હટાવી 1400 ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. દક્ષિણ મામલતદારના જણાવ્યા મુજબ અહીં પ્રતિ ચો.મી. જમીનના અંદાજે 60 હજાર ગણતા ઓપરેશન ડિમોલિશન બાદ રૂ.8.40 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:13 am

બાર એસો.નું જનરલ બોર્ડ:વકીલોનોદેકારો, પ્રમુખ સહિતના બેઠક છોડી ગયા

રાજકોટ બાર એસોસિએશનની શુક્રવારે ચૂંટણી યોજાનાર છે ત્યારે વર્તમાન બોડીની છેલ્લી જનરલ બોર્ડની મિટિંગ ગુરુવારે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગત વર્ષના હિસાબો મંજૂર કરવાના મુદ્દે અને વર્તમાન બોડીના સેક્રેટરી પદેથી રાજીનામું આપનાર સંદીપ વેકરિયાના મુદ્દે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. જનરલ બોર્ડની બેઠક તોફાની બનતા અને ભ્રષ્ટાચારના મુદ્દે વાતાવરણ ગરમાતા વર્તમાન પ્રમુખ પરેશ મારૂ બે વખત બોર્ડની બેઠક છોડીને ચાલ્યા ગયા હતા અને અંતે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આગામી ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર એડવોકેટ નિરવ પંડ્યાને અધ્યક્ષ બનાવી બેઠક પૂરી કરવામાં આવી હતી. સામાન્ય રીતે જનરલ બોર્ડની બેઠક સેક્રેટરી દ્વારા પ્રમુખની મંજૂરીથી બોલાવવામાં આવતી હોય છે અને જો સેક્રેટરી ન હોય તો ઉપપ્રમુખ અથવા જોઇન્ટ સેક્રેટરી આ કામગીરી કરતા હોય છે અને સભાનો પ્રારંભ પણ તેઓ કરાવતા હોય છે જેના બદલે વર્તમાન બોડીની છેલ્લી જનરલ બોર્ડની બેઠકની કાર્યવાહી સંજય ડાંગર નામના સભ્ય દ્વારા શરૂ કરાતા હોબાળો મચી ગયો હતો અને વકીલોમાંથી ઉગ્ર વિરોધ ઉઠયો હતો. આ બાબતે ખૂબ જ વિરોધ થતાં અંતે ઉપપ્રમુખે સભાનું સંચાલન કરવાની ફરજ પડી હતી. જનરલ બોર્ડની બેઠકમાં નેશનલ સેમિનારના ખર્ચના મુદ્દે પણ ભારે ઊહાપોહ બોલી ગયો હતો. આ બેઠકમાં પ્રમુખ પરેશ મારૂ તરફથી બાર એસોસિએશનની એફ.ડી., સભ્યપદની આવકનો હિસાબ તેમજ વેલ્ફેર ટિકિટોનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ સેમિનારના આયોજનમાં જે રકમ જુદી-જુદી કોર્ટ, કોલેજ અને યુનિવર્સિટીઓ પાસેથી ડોનેશન પેટે મળી હતી અને સેમિનારમાં ભાગ લેનાર વકીલો પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે જે રકમ લેવામાં આવી હતી તેના કોઇ હિસાબો રજૂ ન થતાં વકીલોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ધીમંત જોશી, અર્જુન પટેલ સહિતના સિનિયર ધારાશાસ્ત્રીઓએ પારદર્શક વહીવટ કરવા અને ચોખ્ખો હિસાબ રજૂ કરવા દેકારો બોલાવતા એક તબક્કે પ્રમુખ પરેશ મારૂ સહિતના સભ્યો બોર્ડની બેઠક પૂરીની જાહેરાત કરી ચાલ્યા ગયા હતા. બાદમાં તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ફરી હિસાબોની ઉઘરાણી થતા પ્રમુખ સહિતના ફરી બેઠક છોડી ગયા હતા. આમ છતાં અન્ય વકીલોએ બોર્ડની કાર્યવાહી ચાલુ રાખી હતી અને બેઠક આગળ ધપાવવા અને પૂરી કરવા આગામી ચૂંટણીના પ્રમુખ પદના ઉમેદવાર નિરવ પંડ્યાની અધ્યક્ષ તરીકે નિમણૂક કરી ઠરાવો મંજૂર કરાયા હતા. બોર્ડ દરમિયાન મિનિટ્સ બુક ચોરી જવામાં આવ્યાના આક્ષેપ સાથેની અરજી ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરાતા ભારે વિવાદના મંડાણ થયા છે. બાદમાં આ મિનિટ્સ બુક અધ્યક્ષ નિરવ પંડ્યાએ બાર એસોસિએશનમાં ફરી જમા કરાવ્યું હતું. કોર્ટના કર્મચારીએ પોલીસમાં અરજી કરી, બીજીબાજુ મિનિટ્સ બુક કોર્ટમાં હોવાનો દાવોજનરલ બોર્ડમાં ભારે બઘડાટી બોલ્યા બાદ રાજકોટ બાર એસોસિએશનના ઓફિસ કર્મચારી તુષાર ચૌહાણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મેહુલ મહેતાએ મિનિટ્સ બુક છીનવી લીધી છે અને પરત આપવા વિનંતી કરવા છતાં પરત આપેલ નથી તેવી ફરિયાદ કરી હતી. દરમિયાનમાં બીજીબાજુ મિનિટ્સ બુક કોર્ટના કર્મચારી પાસે જ હોવાની અને તેની બાજુમાં વર્તમાન બોડીના એક કારોબારી સભ્ય ઊભા હોવાનો વીડિયો હરીફ જૂથે વાઇરલ કરતા આખો દિવસ આ વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપોની સત્યતા ચકાસવા પાંચ વકીલની નામ આપવા માગણીજનરલ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમાયેલા નિરવ પંડ્યાએ 3 ઠરાવ કર્યા હતા. જેમાં ઠરાવ નં.1માં લીગલ સેમિનારમાં જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયાના અહેવાલ છે તેના માટે તટસ્થ પાંચ વકીલના નામો જાહેર કરવાનું માગણી કરનારને જણાવેલ છે. ઠરાવ નં.2માં જે વકીલોને બોર્ડમાં સાંભળેલ નથી તેમની પાસે લેખિતમાં રજૂઆતો માગી, ઠરાવ નં.3માં સને-2025ના હોદ્દેદારોએ જે રીતે મનમાની કરી બંધારણ વિરુદ્ધ બે વાર બોર્ડ ચલાવેલી છે તેને વખોડી કાઢે છે. મિનિટ્સ બુકની ફરિયાદ આપવાની હતી અને તે પોલીસ સ્ટેશન પહોંચી ગઇબાર એસોસિએશનના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તુષાર જે.ચૌહાણે પ્રમુખને ઉદ્દેશીને મેહુલભાઇ મહેતાએ મિનિટ્સ બુક છીનવી લીધાનો પત્ર લખ્યો હતો. જેમાં વિનંતી કરવા છતાં મિનિટ્સ બુક પરત ન આપ્યાનું પણ જણાવ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવા અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માગ કરી હતી. આ પત્ર પ્રમુખને ઉદ્દેશીને લખાયો હતો, પરંતુ આમાં પણ કોઇ તકસાધુ રાજકારણ ખેલી જતા પત્ર સીધો ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં પહોંચીને જમા થઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:13 am

થર્ટી ફર્સ્ટનો ટ્રાફિક:ગોવા, દિલ્હી, મુંબઈની ટ્રેન હાઉસફુલ, હવેતત્કાલ ટિકિટનો જ વિકલ્પ મળશે: ફ્લાઈટના ભાડા પણ ઊંચકાયા

વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને આવકારવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે લોકોએ અત્યારથી જ ગોવા, મુંબઈ અને દિલ્હી જેવા પ્રવાસન સ્થળો પર પસંદગી ઉતારી છે. જોકે, છેલ્લી ઘડીએ આયોજન કરનારા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે, રાજકોટથી ઉપડતી મોટાભાગની લાંબા અંતરની ટ્રેન અત્યારથી જ ‘’હાઉસફુલ’’ થઈ ગઈ છે. ટ્રેનમાં જગ્યા ન મળતા લોકો હવાઈ મુસાફરી તરફ વળ્યા છે, પરંતુ ત્યાં પણ ખિસ્સા ખાલી કરવા પડે તેવી સ્થિતિ છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતાં જ રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટના ભાડામાં બેથી ત્રણ ગણો વધારો નોંધાયો છે. ગોવા જતી ફ્લાઈટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. ટ્રેનો હાઉસફુલ હોવાને કારણે હવે મુસાફરો પાસે માત્ર ‘તત્કાલ ટિકિટ’ જ એકમાત્ર આખરી વિકલ્પ બચ્યો છે. જોકે, તત્કાલ બુકિંગમાં પણ ભારે ધસારો રહેવાની શક્યતાને જોતા મુસાફરો ચિંતામાં મુકાયા છે. થર્ટી ફર્સ્ટ મનાવવા ગોવા ફ્લાઈટમાં જવું પણ મોંઘું પડશેરાજકોટથી ગોવા જતી ફ્લાઈટના ભાડામાં સામાન્ય દિવસોની સરખામણીએ થર્ટી ફર્સ્ટ પર વધારો જોવા મળે છે. ટ્રેનમાં લાંબુ વેટિંગ હોવાથી જે પ્રવાસીઓ છેલ્લી ઘડીએ હવાઈ માર્ગે જવાનું વિચારી રહ્યા છે તેમને ફ્લાઈટના ઉંચા ભાડાનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગોવા જેવા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન માટે વિમાનની ટિકિટના ભાવ વધુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો 4થી 5 હજાર ટિકિટ હોય છે, પરંતુ થર્ટી ફર્સ્ટ સુધીમાં 8થી 10 હજાર સુધી પહોંચી જાય છે. મુંબઈ જતી આટલી ટ્રેનમાં વેઈટિંગ ટ્રેન વેઈટિંગ દુરંતો એક્સપ્રેસ (રીગ્રેટ) ટિકિટ જ નહીં મળે જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ 69 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 114 સૌરાષ્ટ્ર મેલ 45 વેરાવળ-પુણે એક્સપ્રેસ ટિકિટ જ નહીં મળે સૌરાષ્ટ્ર જનતા (રીગ્રેટ) ટિકિટ જ નહીં મળે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 52 રાજકોટથી ગોવા જતી ટ્રેનમાં વેઈટિંગ ટ્રેનનું નામ વેઈટિંગ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 114 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ 69

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:12 am

શ્રી હનુમાન ચાલીસા યુવા કથા:યુવા વર્ગને ધાર્મિક રસ્તે વાળવા 31 ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાશે

શહેરમાં ફરી એક વખત કળિયુગના હાજરાહજુર દેવ શ્રીહનુમાનજી મહારાજની “શ્રીહનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શહેરના રેસકોર્સ મેદાન ખાતે તા.27 ડિસેમ્બરથી 2025થી તા.2 જાન્યુઆરી 2026 સુધી સાંજે 8:30 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી યોજાશે. જેમાં વ્યાસપીઠે સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ પૂર્વે વિરાણી હાઇસ્કૂલ મેદાનથી તા.27 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થશે. આ ભવ્ય પોથીયાત્રામાં હાથી, ઊંટગાડી, બળદગાડી, બુલેટ-બાઇક, બગી, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ દરેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત કથામાં યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત ગાઇને કરવામાં આવશે અને પૂર્ણાહુતિમાં વંદે માતરમ ગાવામાં આવશે. આ કથામાં દરરોજ 50,000થી પણ વધારે ભક્તો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દરેક ભક્તો માટે દરરોજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાની વિશેષતા એ છેકે, સ્થળ પર વિશાળ મેઇન સ્ટેજ, સ્ટેજ પર બે વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન લગાવાશે. ઉપરાંત ભક્તો માટે 12x20 ફૂટની 8 વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવશે. સ્ટેજની એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે. કથા સ્થળ ઉપરાંત મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની અભિભૂતી કરાવતું મંદિર બનાવાશે. ગુંદીની ગદા બનાવી પ્રસાદનું વિતરણ, દુબઇથી 2 હજાર કિલો ચોકલેટ મંગવાશે31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ હોય છે આ દિવસને લોકો જૂના વર્ષને વિદાય આપવાનો અને નવા વર્ષનું સ્વાગત કરવાનો દિવસ તરીકે યુવા વર્ગ મોડી રાત સુધી ઉજવણી કરે છે, પરંતુ હકીકતમાં આપણા હિન્દુ નવા વર્ષ તરીકે દિવાળી બાદ બેસતા વર્ષને માનવામાં આવે છે. તેથી યુવા વર્ગની આ માનસિકતા બદલી ધાર્મિક રસ્તે વાળવા માટે આ યુવા કથામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાશે. જેમાં ગુંદીની ગદા બનાવી તે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત દુબઇથી 2000 કિલો ચોકલેટ મંશાવાશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:10 am

ફરિયાદ:દોઢ વર્ષથી સાથે રહેતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો યુવતીના ભાઈ-માતા પર હુમલો

શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા અને કોરિયોગ્રાફરનું કામ કરતાં સોયબ નામના શખ્સે બે વર્ષ પહેલાં ગંજીવાડાની યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા બાદ બંને સાથે રહેતા હોય જેથી યુવતીની માતા અને ભાઈએ તેને ઘરે રોકાવા બોલાવતા આ શખ્સે આવી પહોંચી યુવતી, તેના ભાઈ અને માતા સાથે ઝઘડો કરી માર મારતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં શહેરના ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં.24 બજરંગ ચોકમાં રહેતા હર્ષદભાઈ શૈલેષભાઈ વાડોદરા(ઉં.વ.18) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોયબ અબ્દુલભાઈ ભાવર અને મુસ્કાનનું નામ આપ્યું હતું. હર્ષદભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બુધવારે સાંજના છએક વાગ્યે પોતે પોતાની માતા અને ફઈના દીકરા અનુભાઈ સોઢાને લઈને માધાપર ચોકડીથી આગળ રાધે હોટેલની સામે રહેતી તેની મોટી બહેન છેલ્લા એક વર્ષથી સોયબ સાથે રહેતી હોય તેણે મળવા માટે સોયબના ઘરે ગયા હતા ત્યારે બહેન મુસ્કાને સોયબને તેમના આવ્યા અંગેની જાણ કરી દેતા સોયબ આવી પહોંચ્યો હતો. જે દરમિયાન તેના માતા પાયલબેનને ઘરે રોકાવા માટે બોલાવી રહ્યા હોય જેની આ સોયબે ના કહી દેતા ઉશ્કેરાઈ જઈ તેના સમાજ વિશે બોલવા લાગતા તેનું માથું દીવાલમાં ભટકાડી દઈ તેની બહેન અને માતાને માર મારવા લાગ્યો હતો. બીજા પક્ષે યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ મનહરપુર 1માં રહેતા સોયબ અબ્દુલભાઈ ભાવર(ઉં.વ.27)એ ગંજીવાડા શેરી નં.24માં રહેતા હર્ષદ શૈલેષભાઈ વાડોદરા અને અનુભાઈ વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે કોરિયોગ્રાફર તરીકે નોકરી કરે છે. બે વર્ષ પૂર્વે પાયલ શૈલેષભાઈ વાલ્મીકિ સાથે તેને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થતા બંને છેલ્લા દોઢેક વર્ષથી સાથે રહે છે. અઠવાડિયું રોકાવાનું કહેતા પાયલનો ભાઈ બોલવા લાગ્યો કે, પાયલ સોયબથી ડરે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ તેને દીવાલ તરફ ધક્કો મારી સાણસી માથાના ભાગે મારતા સિવિલમાં દાખલ થયો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:09 am

સવારે અને બપોરે બે સેશનમાં પરીક્ષા લેવાશે:31 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી દરમિયાન યુજીસી નેટની પરીક્ષા લેવાશે, વિષયવાર કાર્યક્રમ જાહેર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)-NET ડિસેમ્બર 2025 ની પરીક્ષા માટેનું સત્તાવાર વિષયવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં મદદનીશ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) માટેની આ પ્રતિષ્ઠિત પરીક્ષા આગામી 31 ડિસેમ્બર 2025 થી 07 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. NTA એ સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારોને તેમના પરીક્ષાના શહેર વિશેની માહિતી પરીક્ષાના 10 દિવસ પહેલાં સત્તાવાર વેબસાઇટ પર આપી દેવામાં આવશે. ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ્સ માટે નિયમિતપણે NTA ની વેબસાઇટ https://ugcnet.nta.nic.in/ જોતા રહેવું. કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કે મૂંઝવણ માટે ઉમેદવારો NTAના હેલ્પલાઈન નંબર 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા ugcnet@nta.ac.in પર ઇ-મેલ મોકલી શકે છે. ટાઈમટેબલ | પહેલા દિવસે લો, સોશિયલ વર્ક સહિતના વિષયોની પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે 31 ડિસેમ્બર 2025 | પ્રથમ દિવસે લો (Law), તેલુગુ, સોશિયલ વર્ક અને ટૂરિઝમ એડમિનિસ્ટ્રેશન જેવા વિષયોની પરીક્ષા યોજાશે. 02 જાન્યુઆરી 2026 | આ દિવસે કમ્પ્યૂટર સાયન્સ, સાઇકોલોજી, લાઇબ્રેરી સાયન્સના વિષયોનો સમાવેશ થાય છે. 03 જાન્યુઆરી 2026 | કોમર્સ, જીઓગ્રાફી (ભૂગોળ), એજ્યુકેશન અને સંસ્કૃત વિષયના ઉમેદવારોની પરીક્ષા લેવાશે. 05 જાન્યુઆરી 2026 | ઇંગ્લિશ, હિસ્ટ્રી, પોલિટિક્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિષયોની પરીક્ષા નિર્ધારિત છે. 06 અને 07 જાન્યુઆરી 2026 | અંતિમ દિવસોમાં પોલિટિકલ સાયન્સ, હિન્દી, ઈકોનોમિક્સ અને બાકીના વિષયોની પરીક્ષા. શિફ્ટ-1 : સવારે 09:00થી બપોરે 12:00 વાગ્યા સુધી. શિફ્ટ-2 : બપોરે 03:00થી સાંજે 06:00 વાગ્યા સુધી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:08 am

ફરિયાદ:રાજકોટના પોલીસમેનના પિતાની દોઢ કરોડની જમીન પર કબજો કરી લેવાયો

રાજકોટની ભાગોળે કુવાડવા તાબેના રાજગઢ ગામમાં આવેલી રાજકોટના પોલીસમેનના પિતાની રૂ.1.5 કરોડની જમીન તેના ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા શખ્સે પચાવી પાડતા આ મામલે કુવાડવા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં શહેરની ભાગોળે રાજગઢ ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા ઘનશ્યામસિંહ લખુભા જાડેજા(ઉં.વ.63) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજગઢ ગામે જ રહેતા દેવાયતભાઈ દેહાભાઈ લાવડિયાનું નામ જણાવ્યું હતું. ઘનશ્યામસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલમાં પોતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેમની વારસાગત જમીન કે જે રાજકોટ તાલુકાના રાજગઢ ગામના ખેતીની જમીન સરવે નં.95 પૈકી 1 પૈકીની જમીન હે.આ.ચો.મી. 1-82-11ની જમીન ઉપર બાજુમાં જ જમીન ધરાવતા સરવે નં.89ના કબજેદાર દેવાયતભાઈ લાવડિયાનો કબજો જણાઇ આવતા જમીન ખાલી કરવા બાબતે જણાવતા તેમણે જમીન માપ્યા બાદ તમારી જમીન તમને આપી દઇશ એમ કહી હજુ સુધી પોતાની જમીનની માપણી કરી ન હતી અને તેમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડેલ જે જમીનની કિંમત હાલમાં રૂ.1.5 કરોડ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:06 am

આજે ચૂંટણી:આજે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી, સમરસ V/s.આરબીએ વચ્ચે થશે કાંટે કી ટક્કર

રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાનાર છે અને તેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ વર્સિસ આરબીએ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર થશે. સમગ્ર રાજ્યના તમામ બાર એસોસિએશનમાં આજે ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકોટ બાર એસોસિએશન એકમાત્ર એવું એસોસિએશન છે કે જેમાં ચૂંટણી પહેલાં જ ચાર કાનૂની જંગ ખેલાઇ ચૂક્યા છે. રાજકોટના જામનગર રોડ પર બનેલા નવા કોર્ટ બિલ્ડિંગમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે જેમાં ભાજપ સમર્થિત બે વકીલની પેનલો આમને-સામને ટકરાશે. આ ચૂંટણીમાં એકબાજુ ભાજપ લીગલ સેલ પ્રેરિત સુરેશભાઇ ફળદુની પેનલ મેદાનમાં ઉતરી છે તો બીજીબાજુ બીસીઆઇના સભ્ય દિલીપ પટેલના સમર્થનવાળી આરબીએ પેનલ મેદાનમાં ઉતરી છે. આજે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ બપોરે 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી જંગ જીતવા સમરસ અને આરબીએ બન્ને પેનલોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે 4, ઉપપ્રમુખ પદ માટે 2, સેક્રેટરી પદ માટે 4, જોઇન્ટ સેક્રેટરીમાં 3, ટ્રેઝરર (મહિલા અનામત)માં 2 અને લાઇબ્રેરી સેક્રેટરીમાં 4 ઉમેદવાર છે. જ્યારે કારોબારીમાં મહિલા અનામતમાં 8 અને જનરલ કેટેગરીમાં 15 ઉમેદવાર મેદાનમાં છે. આ ચૂંટણી પૂર્વે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક ખૂબ જ તોફાની રહી હોય તેની અસર પણ ચૂંટણીમાં જોવા મળશે. 60 ટકા મતદાન થવાનો અંદાજઆ ચૂંટણીમાં કુલ 4300 જેટલા મતદાર છે. જેમાંથી 60 ટકા મતદાર મતદાન કરે તેવો અંદાજ છે એટલે કે લગભગ 2500થી 2600 મત પડે તેવી શક્યતા છે. 620 મતદાર સાબિત થશે નિર્ણાયકઆ ચૂંટણી જંગમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે. 2020 બાદ લગભગ 1500 જેટલા નવા મતદાર નોંધાયા છે અને છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા અંદાજે 620 જેટલા મતદાર જેના તરફે મતદાન કરશે તે ઉમેદવારની જીતની વધુ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:05 am

કમિશનર કચેરીએ લોકોનો વિરોધ પ્રદર્શન:બેડીમાં આતંક મચાવનાર નામચીન ભૂપતનો ભત્રીજો ફરાર થઇ ગયો: તપાસ DCBને સોંપાઇ

રાજકોટના નામચીન અને અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભૂપત બાબુતરના ભત્રીજા સહિતના શખ્સોએ ખાણીપીણીના ધંધાર્થી અને તેના કારીગર પર હુમલો કરી વેપારીનો હાથ ભાંગી નાખ્યો હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ બનાવમાં બેડી ગામની ચામુંડા સોસાયટીમાં રહેતા અને બેડીમાં દાળ પકવાનની દુકાન ચલાવતા વિપુલ રાણાભાઇ વડેચા(ઉ.વ.32)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દેવશી બાબુતર અને તેની સાથેના પાંચ અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરતા આરોપી હજુએ પોલીસ પકડથી દૂર હોય આ મામલે વધુ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. વધુમાં આ મામલે કમિશનર કચેરી ખાતે લોકો દ્વારા આરોપી સામે કડક પગલાં લેવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:03 am

તપાસ:પડધરીના સરપદડમાં ડિમોલિશનની નોટિસ મળતા દંપતીનો ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ

પડધરીના સરપદડમાં સરકારી ખરાબામાં ઊભા કરેલા મકાન-દુકાન પર ડિમોલિશન કરવા તંત્રએ ગામના 71 લોકોને નોટિસ આપી હોવા છતાં સરપંચ સહિતના 7 લોકો માત્ર એક ઉપર જ માનસિક દબાણ કરી ચાની દુકાન પડાવી નાખવા ધમકી આપતા હોવાથી દંપતીને લાગી આવતા ઝેરી પી લીધું હોવાથી તબિયત લથડતાં તાકીદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પડધરીના સરપદડ ગામે રહેતાં રાજેશભાઇ છગનભાઇ સનુરા અને તેના પત્ની દક્ષાબેન રાજેશભાઈ સનુરાએ રાતે દસેક વાગ્યે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. દંપતીએ આક્ષેપ કર્યો હતો કે, ગામના બસ સ્ટેશન પાસે આવેલી તેની ચાની હોટેલ-દુકાનનું અગાઉ ડિમોલિશન કરાવી પડાવી નખાઇ હતી. હવે ફરીથી તેના સહિત બીજા લોકોએ દુકાનો-હોટેલ ચાલુ કર્યા છે, પરંતુ તેમાંથી માત્ર તેમને જ તંત્ર તરફથી નોટિસ મળે છે. તંત્રવાહકો નોટિસ લઈને ઘરે પહોંચી જાય છે. અંતે કંટાળી જઈ તેમણે આ પગલુ ભર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સરપદડ ગામના બસ સ્ટેશન પાસે આવેલા મકાન અને હોટેલના ડિમોલિશનની 71 લોકોને નોટિસ મળી હતી અને પાંચ માસ પૂર્વે ડિમોલિશન કરવામાં આવ્યું હોય જેથી રાજેશભાઈ બસ સ્ટેશન પાસે કેબિન રાખીને હોટેલ ચલાવતા હતા. અગાઉ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હોવાથી રાજેશભાઈને નુકસાન થયું હતું, પરંતુ સમાજે સપોર્ટ કરતા ફરી તેમણે કેબિન શરૂ કરી હતી. 71 લોકોને નોટિસ આપવામાં આવી છે. રાજેશભાઈ એક ઉપર જ ગામના સરપંચ સહિત 7 લોકો કેબીન ખાલી કરાવવા ધમકી આપતા હોય જો ખાલી ન કરે તો ઘર પણ પડાવી નાખવાનું અવાર-નવાર કહેતા હોવાથી દંપતીએ કંટાળી જઈ પગલું ભર્યું હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ યથાવત્ રાખી છે. ચિઠ્ઠીમાં સરપંચ બાબુભાઈ, પૂર્વ સરપંચ પરસોત્તમ પટેલ, બિપીનભાઈ ધ્રાંગિયા, અલ્પેશ રૂપારેલિયા, રજની રૂપારેલિયા, નિલેશ ધ્રાંગિયા, બેચર રાતડિયા સહિતના 7 લોકોના નામનો ઉલ્લેખ કરી ઝેર પી લેતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:02 am

આજે SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે:પાંચ સ્ટેપમાં સમજો, યાદીમાં તમારું નામ છે કે નહીં?, નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી વાંધો રજૂ કરી શકાશે

ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે. પાંચ સ્ટેપમાં નામની ચકાસણી થઈ શકશે. જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી તો ચિંતા કરવાની જરુર નથી. નામ નહીં હોય તેની સામે કારણ પણ આપેલું હશે. જે કારણને લઈ તમે 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશો. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ તમે કઈ રીતે ઓનલાઈન નામ ચેક કરશો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં સમજાવીશું. આજે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી તમારી માહિતી મેળવી શકશો. સ્ટેપ 1સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat - Gujarat State Portal) જોવા મળશે. જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે. સ્ટેપ 2આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લીંક્સ હેડિંગ લખેલું જોવા મળશે. જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 : List of Absent/Shifted/Deleted Electors લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે. સ્ટેપ 3નવા વેબ પેજમાં વાદળી લીટીમાં List of Absent/Shifted/Dead Voters નામનું હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાના નામ હશે. અહીંયા ડિસ્ટ્રીક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને Show એમ ત્રણ કોલમ હશે. તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા Show નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ આપવા માટે કચ્છ જિલ્લો લીધો છે.) સ્ટેપ 4તમે Show બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે.આ મતવિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભા મતવિસ્તાર લીધો છે.) સ્ટેપ 5હવે તમે જે વિધાનસભા મતવિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઇવ ખૂલી જશે. જેમાં ઘણી બધી PDF ફાઈલ જોવા મળશે. કોઇ PDF ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઇ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે. તેના પરથી તમે આ PDF ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઇ શકશો. અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે. SIRની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો. જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા BLO અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો. સ્ટેપ 6તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને BLOનું નામ, હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે. રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે. આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે. માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે. જેમાં જે-તે વ્યક્તિનું નામ, તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે. સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે. (અહીં ઉદાહરણ આપવા માટે અંજાર વિધાનસભામાં આવતા નાગોર મતવિસ્તાર લીધો છે.) આમ આ રીતે તમે અત્યારે જ 2 મિનિટમાં ગુજરાતના કોઇપણ જિલ્લા, મતવિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાર્ડકોપી અને સોફ્ટકોપી અપાશેમુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થવાના દિવસે રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. સાથે જ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની હાર્ડકોપી અને સોફ્ટકોપી આપવામાં આવશે. સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી સુપરત કરાઈભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર્સ (BLO) અને બુથ લેવલ એજન્ટોની બેઠક પૂર્ણ કરવામાં આવી છે અને તેમને ASD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી પણ સુપરત કરાઈ છે. 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશેચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર SIR પ્રક્રિયા દરમિયાન માન્ય રાજકીય પક્ષો સાથે સતત સંવાદ રાખીને તેમના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું છે. આ હકારાત્મક અને પારદર્શક પ્રક્રિયા બાદ હવે આજે મુસદ્દા મતદારયાદી જાહેર થવા જઈ રહી છે. મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પછી આજે 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી મતદારયાદી સંબંધિત વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે. મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે આ રીતે ચેક કરી શકસોમતદારો પોતાનું નામ મુસદ્દા મતદારયાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે CEO ગુજરાતની વેબસાઇટ, વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET એપ, પોતાના વિસ્તારના BLO પાસેથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી, ERO તથા AERO કચેરીમાંથી માહિતી મેળવી શકશે. પોતાની વિગતો ચોક્કસ રીતે ચકાસી લેજોચૂંટણી તંત્રએ તમામ પાત્ર મતદારોને અપીલ કરી છે કે તેઓ સમયમર્યાદામાં પોતાની વિગતો ચોક્કસ રીતે ચકાસી લે અને જરૂરી હોય તો સુધારાની કાર્યવાહી કરે, જેથી લોકશાહીના આ મહત્ત્વના દસ્તાવેજમાં કોઈ પાત્ર મતદાર રહી ન જાય અને કોઈ અપાત્ર મતદાર સામેલ ન થાય.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:00 am

ઓફિસ બોયના ખાતામાં 254 કરોડ જમા થયા:કાળા નાણાંને ધોળા કરવાના કૌભાંડની માયાજાળ; અમદાવાદના છેડા લાઠી યાર્ડમાં નીકળ્યા

નાનાં માણસોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી મોટા માણસોનું કાળું નાણું સફેદ કરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ આખો ખેલ કેવી રીતે ખેલાય છે, તેની વિગતો ભાસ્કરે પુરાવા સાથે મેળવી છે. સૌથી પહેલાં અમે કિશન બથવાર નામની વ્યક્તિને મળ્યા. અમદાવાદમાં નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા અભિરાજ કોમ્પલેક્સમાં એક ઓફિસમાં કિશન બથવાર ઓફિસબોય તરીકે કામ કરતો હતો. ઝેરોક્ષ કરાવવાની, ચા-પાણી બનાવવાના. કિશનનો મહિને 12 હજાર પગાર નક્કી થયો હતો. કિશનનો મિત્ર સ્વપ્નીલ પંચાલ આ ઓફિસ સંભાળતો હતો એટલે મિત્રતાના નાતે તેણે કામ આપ્યું. પણ કિશનને પછીથી ખબર પડી કે તેનો મિત્ર સ્વપ્નીલ પંચાલ જે ઓફિસમાં કામ કરે છે અને પોતાને જ્યાં કામ પર રખાવ્યો છે ત્યાં મસમોટા કાળા કામ થઈ રહ્યા છે. સ્વપ્નીલ પંચાલે કિશન બથવારને કહ્યું કે, તારો પગાર તારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. એ પણ અમારી નક્કી કરેલી બેન્કમાં. માટે તારા ડોક્યુમેન્ટ આપી દે. તારા નામથી બેન્ક એકાઉન્ટ ખુલશે. કિશન બથવારે મિત્ર પર વિશ્વાસ કરીને ડોક્યુમેન્ટ આપી દીધા. હવે થાય છે એવું કે જે ઓફિસ ચલાવતા હતા ત્યાં સ્વપ્નીલ મીડિયેટર હતો, મધ્યસ્થી હતો. કિશનનો આરોપ છે કે સ્વપ્નીલ બધા કાળા કામો સંભાળતો હતો. સ્વપ્નીલે કિશન બથવારના ડોક્યુમેન્ટ લઈ લીધા. ઈન્કમટેક્સ સર્કલ પાસે આવેલી ધનલક્ષ્મી બેન્કમાં ભવાની એન્ટરપ્રાઈઝ નામથી ખાતું ખુલે છે. આ ભવાની એન્ટરપ્રાઈઝનો પ્રોપરાઈટર બનાવી દેવાયો કિશન બથવારને. શું ચાલી રહ્યું છે તે તેને ખબર ન પડી પણ તેની ઓફિસમાંથી જે સૂચના મળતી ગઈ તેમ કરતો ગયો અને સહીઓ કરતો ગયો. તપાસ કરતાં ખબર પડી કે પોતાના ખાતામાં 250 કરોડ કરતાં વધારેની રકમના ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યાં છે !! કિશનને ઓન પેપર ભવાની એન્ટરપ્રાઈઝ નામની કંપનીનો માલિક બનાવી દેવાયો. બેન્કમાં ખાતુ્ં ખોલાવી દેવાયું. હવે હેરાફેરીનો ખેલ શરૂ થાય છે. રોકડા રૂપિયા જમા થાય છે. રોકડા રૂપિયા ઉપડે છે. બહુ ભાગ્યે જ ચેકથી રકમ જમા થાય છે ને ચેકથી વિડ્રો થઈ છે. અમે કિશન બથવારને મળીને ભવાની એન્ટરપ્રાઈઝની જાન્યુઆરી-2024થી ઓગસ્ટ-2025 સુધીની એટલે કે 19 મહિનાની ટ્રાન્ઝેક્શનની એન્ટ્રીઓ મેળવી. ભાસ્કરે આ એન્ટ્રીઓનો અભ્યાસ કર્યો તો ખ્યાલ આવ્યો કે તેમાં 18 લાખ, 23 લાખ, 29 લાખ મળીને બે રાજકીય પાર્ટીઓના કેશ જમા થયા છે. આમ જનમત પાર્ટી અને ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી. આ કેશ જમા તો થયા પણ પછી ભવાની એન્ટરપ્રાઈઝે જ તેને વ્હાઈટમાં ચેકથી ટ્રાન્સફર કરી દીધા હોય. આ રીતે કાળા નાણાંમાંથી ધોળાનો ખેલ આગળ વધ્યો. ભાસ્કરે ભવાની એન્ટરપ્રાઈઝ કંપનીના ધનલક્ષ્મી બેન્ક એકાઉન્ટની જાન્યુઆરી-2024થી ઓગસ્ટ-2025 સુધીની તમામ એન્ટ્રીઓ ચેક કરી. 139 પાનાંની 1400 જેટલી એન્ટ્રીઓ ચેક કરતાં જાણવા મળ્યું કે, આમાં ભવાની એન્ટરપ્રાઈઝની 138, અંબાજી એન્ટરપ્રાઈઝની 33, શિવખોડલ કન્સ્ટ્રક્શન્સની 75 અને મહેશ દેસાઈના નામની 82 એન્ટ્રી છે, જે સૌથી વધારે છે. બીજી ખાસ વાત ધ્યાને એ આવી કે ભવાની એન્ટરપ્રાઈઝમાંથી અંબાજી એન્ટરપ્રાઈઝમાં એક જ દિવસમાં બે વખત રોકડા જમા થયા છે. 7 ઓક્ટોબર 2024ના દિવસે 7 લાખ અને એ જ દિવસે 8 લાખ જમા થયા છે. એટલે એક જ દિવસમાં 15 લાખ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર થયા છે. ટ્વિસ્ટ એ છે કે જે રીતે ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવારના નામથી ભવાની એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવાઈ છે તેવી રીતે તેના મિત્ર સ્વપ્નીલ પંચાલના નામથી અંબાજી એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવાઈ છે. ધનલક્ષ્મી બેન્કની એન્ટ્રીઓ ચેક કરતાં સ્વપ્નીલ પંચાલના નામે સમયાંતરે પાંચ વખત રોકડ રકમ જમા થઈ છે. જેમાં 22 એપ્રિલ 2024એ 4,99,900 રૂપિયા, 29 એપ્રિલ 2024એ 4 લાખ રૂપિયા, 15 મે 2024એ 5 લાખ રૂપિયા અને 20 જુલાઈ 2024એ 1 લાખ રૂપિયા જમા થયા છે. સરખેજ પાસે રહેતા કિશન બથવારે બધી માહિતી તો ભાસ્કરને આપી પણ ભાસ્કરે ઓન કેમેરા બોલવાનું કહ્યું તો તેણે પહેલાં ના પાડી. પછી ભાસ્કરે ખાતરી આપી કે કેમેરામાં ચહેરો નહિ આવે ત્યારે કિશન બથવારે ઓન કેમેરા થોડી વાત કરી. કિશન બથવારે ભાસ્કર સાથે શું વાત કરી? મારું નામ કિશન ડાયાભાઈ બથવાર છે. મારો મિત્ર હતો સ્વપ્નીલ પંચાલ. તે મને નોકરી માટે ઓફિસમાં લઈ ગયો હતો. ઓફિસ બોય તરીકે મને કામ સોંપ્યું હતું. ઝેરોક્ષ કરાવવા જવું, ચા-પાણી આપવા એ બધાં કામ કરવાના. મારો પગાર 12 હજાર નક્કી કર્યો હતો. મને માર્ચ 2025 પછી બેન્કે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મારા નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું છે. એણે મારું ખાતું ખોલાવ્યું ત્યારે એવું કહેલું કે તમારી સેલેરી માટે ખોલાવવાનું છે. મેં મારી પાસબુકમાં જોયું તો ભવાની એન્ટરપ્રાઈઝ લખેલું હતું અને મોટી મોટી રકમ જમા થઈ હતી. મેં બેન્કમાં કોન્ટેક્ટ કર્યો, કસ્ટમર સર્વિસમાં ફોન કર્યા ત્યારે ખબર પડી કે મારા ખાતામાં જ મોટી રકમો જમા થઈ છે. એકવાર ઓફિસમાં કોઈએ રેડ કરી હતી. બધો સામાન લઈ ગયા હતા. બે દિવસ રેડ ચાલી હતી. મારી પણ પૂછપરછ કરી. મેં તો કહ્યું કે હું તો ઓફિસ બોયનું કામ કરું છું. પછી તો ઓફિસ બંધ થઈ ગઈ ને હું પણ મજૂરી કામે લાગી ગયો. હું મારા એકાઉન્ટની તપાસ કરવા જાઉં તો એમ કહે છે કે તમારું એકાઉન્ટ ક્લોઝ થઈ શકે. બીજું કાંઈ નહિ થાય. જેટલી રકમ જમા કરી હતી તે બધી એ લોકોએ ઊપાડી લીધી ને મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વપ્નીલ પંચાલ મુંબઈ બાજુ ભાગી ગયો. બીજા લોકો ક્યાં ગયા તેની ખબર નથી. અત્યારે 300 રૂપિયા આસપાસ બેલેન્સ છે. કિશન બથવારના એકાઉન્ટમાં 254 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન દિવ્ય ભાસ્કરે જાન્યુઆરી 2024થી ઓગસ્ટ 2025 સુધીના દોઢ વર્ષની એન્ટ્રી ચેક કરી તો ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવારના એકાઉન્ટમાંથી 254 કરોડ 45 લાખ 26 હજાર 966 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. કિશન બથવારે જે સરનામું આપ્યું હતું તે અભિરાજ કોમ્પલેક્સ ખાતે ભાસ્કરની ટીમ પહોંચી હતી. નવરંગપુરામાં આવેલા આ કોમ્પલેક્સમાં તપાસ કરી તો 205 નંબરની ઓફિસ હતી. આ ઓફિસ ખખડધજ ને બંધ હાલતમાં હતી. પણ કોમ્પલેક્સમાં નીચે નેમ પ્લેટમાં 205 નંબરની ઓફિસમાં આર્યવર્ત ડેવલપર્સ લખેલું હતું. અમે ઓફિસનો ભાડાં કરાર મેળવ્યો તો એક મહિલાના નામે ઓફિસ નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું. આ ઈન્વેસ્ટિગેશન દરમિયાન ભાસ્કરને ચોંકાવનારી માહિતી હાથ લાગી. માહિતી એવી હતી કે કિશન બથવાર અને તેના જેવા ‘શિકાર’ બનેલા લોકોના નામે માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ખોલવામાં આવી હતી. આમના નામના યાર્ડના લાયસન્સ પણ નીકળી ગયાં. આ એવા લોકો છે જે APMCના વેપારી પણ નથી. ભાસ્કરની તપાસમાં આ કૌભાંડના તાર અમદાવાદથી સીધા અમરેલી જિલ્લાના લાઠીમાં નીકળ્યા. આગળની તપાસ કરવા માટે ભાસ્કરની ટીમ લાઠીના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી…. આટલા ટ્રાન્ઝેક્શન એકસાથે થઈ શકે? સામાન્ય રીતે નોકરી કરનાર કે બિઝનેસ કરનાર વ્યક્તિ કરંટ એકાઉન્ટ ખોલાવે, GST નંબર હોય તો પણ કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે. પણ કોઈપણ માર્કેટિંગ યાર્ડનું લાયસન્સ હોય, ત્યાં તમારા નામની દુકાન હોય તો વર્ષમાં ગમે તેટલું કેશ ટ્રાન્ઝેક્શન કરો તો પણ ટેક્સ લાગે નહિ. માર્કેટિંગ યાર્ડમાં તમારા નામનું લાયસન્સ હોય, તમારા નામની દુકાન હોય તો કેશ ટ્રાન્ઝેક્શનમાં લિમિટ નથી અને તેના પર કોઈ ટેક્સ પણ નથી. આનો ગેરલાભ લઈને માર્કેટિંગ યાર્ડમાં દુકાનો ખોલીને અનલિમિટેડ કેશ ટ્રાન્ઝેક્શનનો ખેલ ચાલતો હતો. લાઠીના માર્કેટિંગ યાર્ડમાં કિશન અને સ્વપ્નીલના નામથી દુકાનો સવાલ એ થાય કે શું કિશન બથવારને ભવાની એન્ટરપ્રાઈઝ કંપનીનો માલિક બનાવી દેવાયો તો તેના નામની દુકાન પણ માર્કેટિંગ યાર્ડમાં ખોલી હશે? તો આ સવાલનો જવાબ છે- હા. ઈન્વેસ્ટિગેશનમાં ભાસ્કરને એવો પુરાવો હાથ લાગ્યો કે એ સાબિત થઈ ગયું કે અમદાવાદમાં કાળાં નાણાંને ધોળા કરવાનું કાળું કામ કરનારા લોકોએ અમરેલી જિલ્લાના લાઠીના માર્કેટિંગ યાર્ડમાં બે દુકાનો ખોલી હતી. ક્યાંથી ક્યાં છેડા નીકળ્યા? કિશન બથવારના નામે ભવાની એન્ટરપ્રાઈઝ નામથી અને સ્વપ્નીલ પંચાલના નામે અંબાજી એન્ટરપ્રાઈઝ નામથી લાઠીના યાર્ડમાં દુકાનો છે. આ તે કેવું? અમદાવાદમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કિશન બથવારના નામથી છેક 230 કિલોમીટર દૂર લાઠીના યાર્ડમાં દુકાન ખુલી ગઈ. લાઠી યાર્ડમાં દુકાન એમનેમ ન ખુલે. યાર્ડનું લાયસન્સ મેળવવું પડે. લાયસન્સ મેળવ્યા પછી દુકાન ખુલી શકે. કિશનના નામનું લાયસન્સ પણ નીકળી ગયું ને લાઠીમાં તેના નામની દુકાન પણ ખુલી ગઈ. લાઠી યાર્ડમાં પાછળના ભાગે અવાવરૂ દુકાનો ઘણી છે. જે કાટ ખાઈ ગયેલી ને ખંઢેર જેવી અવસ્થામાં છે. તેમાંથી બે દુકાનમાં શટરને રંગરોગાન કરાવી બોર્ડ મારી દીધાં. એક દુકાન પર લખ્યું છે- ભવાની એન્ટરપ્રાઈઝ. અનાજ-કઠોળના હોલસેલના વેપારી. દુકાન નંબર 17. માર્કેટિંગ યાર્ડ, લાઠી, તા. લાઠી, જિ. અમરેલી. બોર્ડમાં ઉપરના ભાગે માત્ર કિશનભાઈ લખ્યું છે. અટક બથવાર લખી નથી. એવી જ રીતે યાર્ડમાં 13 નંબરની દુકાન પર અંબાજી એન્ટરપ્રાઈઝ લખ્યું છે. તેના પર સ્વપ્નીલભાઈ લખ્યું છે. અટક લખી નથી. ભાસ્કર લાઠી યાર્ડમાં પહોંચ્યું તો આ બે જ દુકાનો નવી નક્કોર જોવા મળી. જો કે બહારથી માત્ર કલર કામ કરેલું હતું. આસપાસ ઘાસ ઊગી નીકળ્યાં છે અને આજુબાજુની દુકાનો અવાવરૂ પડી છે. લાઠી યાર્ડ ઘણા સમયથી બંધ છે એટલે કોઈ તપાસ કરવા જતું નથી અમરેલી જિલ્લાનું લાઠી યાર્ડ એક સમયે જણસોથી ધમધમતું હતું પણ અમરેલીનું યાર્ડ વિસ્તર્યું અને લાઠીથી માત્ર 33 કિલોમીટર જ દૂર છે એટલે લાઠી APMCમાં કામકાજ બંધ થયું ને ખેડૂતો અમરેલી જવા લાગ્યા. લાઠી માર્કેટિંગ યાર્ડ બંધ પડ્યું છે એટલે ત્યાં કોઈ તપાસ કરવા જતું નથી, દુકાનો અવાવરુ છે. યાર્ડ આખું રેઢાં પડ જેવું છે. દુકાનોના શટર કટાઈ ગયાં છે. આસપાસ ઝાડી ઝાંખરાં ઊગી નીકળ્યા છે. આ અવાવરૂ જેવી જગ્યામાં કોઈ બંધ દુકાનના શટરને રંગરોગાન કરીને ફોટો પડાવીને લાયસન્સ કઢાવી લે તે નવાઈ છે. બીજું, સરકારી બાબુઓ જાણે છે કે લાઠી યાર્ડની કાર્યવાહી બંધ છે તો પછી લાયસન્સ કેમ કાઢી આપે છે? લાઠી યાર્ડ બંધ છે છતાં તેના ચેરમેન તો કાર્યરત છે. ભાસ્કરની ટીમ લાઠી યાર્ડના ચેરમેન દકુભાઈ પડસાળા પણ મળ્યા. અમે તેમની સાથે ઔપચારિક વાતચીત કરી. દકુભાઈએ કહ્યું કે, લાઠી યાર્ડમાં અત્યારે કોઈ જણસની ખરીદી કે વેચાણ થતા નથી. જો સરકાર ટેકાના ભાવની ખરીદી માટે સેન્ટર ફાળવે તો જ અહિયા કામગીરી થાય છે. કોઈ વેપારીએ લાયસન્સ કઢાવ્યું હોય તો તે એક વર્ષ સુધી માન્ય રહે છે. લાઠી યાર્ડમાં 45 જેવી દુકાનો એક્ટિવ છે, જેના લાયસન્સ હોય. લાયસન્સ કાઢી આપવાની સત્તા અમરેલી જિલ્લા રજીસ્ટ્રારની હોય છે. લાયસન્સ કાઢવા માટેની અરજી અમારી પાસે આવે છે. અમે ડોક્યુમેન્ટને અમરેલી જીલ્લા રજીસ્ટ્રારને મોકલીએ છીએ. તે લાયસન્સ ઈશ્યૂ કરે છે. લાયસન્સ ચાલુ રાખવું કે રદ્દ કરવું તે સત્તા માત્ર ને માત્ર અમરેલી જિલ્લા રજીસ્ટ્રારની છે. કિશન બથવારનું APMC લાયસન્સ નીકળ્યું કેવી રીતે? યાર્ડના ચેરમેન દકુભાઈ પડસાળાએ કહ્યું કે, યાર્ડમાં વેપારી તરીકેનું લાયસન્સ લેવાનું હોય તો અમે પહેલાં તેના તમામ ડોક્યુમેન્ટ મેળવીએ છીએ. યાર્ડમાં ખરાઈ કર્યા પછી અમરેલી DR (ડિસ્ટ્રીક્ટ રજીસ્ટ્રાર) પાસે જાય છે અને તે મંજૂરી આપે તો એ જ લાયસન્સ નીકળે છે. ચેરમેને નિયમ તો કહી દીધા પણ બીજો ફોડ પાડ્યો નહિ. આનો મતલબ એવો થયો કે કિશન અને સ્વપ્નીલના નામના લાયસન્સ નીકળી ગયા. તેમાં લાઠીની APMC પણ સંડોવાયેલી છે અને અમરેલી જિલ્લા રજીસ્ટ્રારે પણ ખરાઈ કરી નથી. યાર્ડમાં વેપારી તરીકે લાયસન્સ મળી જાય પછી મન પડે તેટલા ટ્રાન્ઝેક્શન કરો. કોઈ રોકનારું નથી. આખા ઈન્વેસ્ટિગેશનમાં નવું પાત્ર આવ્યું, ટ્રક ડ્રાઈવર દીપક શર્મા કિશન બથવારે એક નંબર આપ્યો. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગરમાં દીપક શર્મા નામના વ્યક્તિ રહે છે. તેમના નામથી પણ લાઠી યાર્ડમાં શોપ છે. તેમના નામથી કંપની પણ ખોલી છે અને તેમના નામે મારા ખાતામાં રકમ પણ જમા થઈ છે. અમે દીપક શર્માને ફોન કર્યો. દીપક શર્માએ ભાસ્કર ટીમને સુરેન્દ્રનગર મળવા બોલાવી. તેમણે થોડા પુરાવા આપ્યા કે જુઓ, હું તો સામાન્ય ટ્રક ડ્રાઈવર છું. મારા નામથી 'સરસ્વતી એન્ટરપ્રાઈઝ' નામથી કંપની ખોલી, બેન્ક ખાતું ખોલી નાખ્યું છે. મને ફસાવવામાં આવી રહ્યો છે. દીપક શર્માએ અમને લાઠી યાર્ડમાં પોતાના નામથી જે દુકાન ખોલી છે તેની કોપી પણ આપી. જ્યારે અમે ધનલક્ષ્મી બેન્કની એન્ટ્રી તપાસી તો તેમાં દીપક શર્માના નામથી ત્રણ એન્ટ્રી બોલતી હતી. જેમાં 30 જુલાઈ 2024માં 5 લાખ રોકડા જમા થયા. 5 ઓગસ્ટ 2024એ એક જ દિવસમાં ત્રણ ભાગમાં 5 લાખ જમા થયા. 19 સપ્ટેમ્બર 2024એ દીપક શર્માના નામથી 4 લાખ રૂપિયા ઊપડી ગયા. જે રીતે ઓફિસ બોય કિશન બથવારના નામથી ભવાની એન્ટરપ્રાઈઝ કંપની ખોલી તે જ રીતે દીપક શર્માના નામથી સરસ્વતી એન્ટરપ્રાઈઝ નામની કંપની ખોલી. તેના નામથી લાઠી યાર્ડમાં દુકાન પણ ખોલી. આવા બે- ત્રણ વ્યક્તિ જ અમારા ધ્યાનમાં આવ્યા, બની શકે કે યાર્ડના નકલી લાયસન્સ મેળવીને કાળાં નાણાંની હેરાફેરીના બીજા કૌભાંડ પણ હોય. બ્લેકના પૈસા વ્હાઈટમાં... મહેશ દેસાઈના નામે સૌથી વધારે ચેક ઈશ્યૂ થયા ધનલક્ષ્મી બેન્કની એન્ટ્રીમાં 82 વખત ચેકની એન્ટ્રી છે મહેશ દેસાઈના નામની. અલગ અલગ લોકોએ રોકડા જમા કરાવ્યા પણ ચેક મહેશ દેસાઈના નામના ફાટ્યા. એટલે વ્હાઈટ થઈને મહેશ દેસાઈના ખાતામાં ગયા. બધી રકમ તેના ખાતમાં નથી ગઈ પણ ચેકથી અલગ અલગ ખાતામાં ગઈ છે. મહેશ દેસાઈના નામે પહેલો ચેક 30 માર્ચ 2024એ અપાયો હતો. એ પછી મસમોટી રકમના ચેક મહેશ દેસાઈના નામે ઈશ્યૂ થયા છે. 18 મે 2024ના દિવસે 1 કરોડની રકમનો ચેક ઈશ્યૂ થયો. 25 જૂન 2024એ 1 કરોડ 25 લાખનો ચેક ઈશ્યૂ થયો. એ પછી 5 વખત 90 લાખ, 6 વખત 95 લાખ, અનેક વખત 80, 70, 62, 60 લાખના ચેક ઈશ્યૂ થયા. 25 લાખના ચેક તો 20 વાર ઈશ્યૂ થયા. ટૂંકમાં રોકડા જમા થયા તેને ચેકમાં વટાવી વ્હાઈટ બનાવી લેવાતા હતા. ઈન્કમટેક્સ વિભાગ આ તમામ એન્ટ્રીઓની બારીક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:00 am

ઇસરોના આદિત્ય L-1 પ્રોજેક્ટે વિશ્વભરના વૈજ્ઞાનિકોને અચંબામાં મૂક્યા:40 વર્ષ જૂની કાગળ પર રહેલી ધારણાના પુરાવા આપ્યા, અમદાવાદમાં બનેલા પેલોડનો મહત્વનો રોલ

પૃથ્વી અને સૂર્યની વચ્ચે લેગ્રેન્જ પોઇન્ટ 1 (L-1) પરથી આદિત્ય L1એ સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરીને એવો ડેટા આપ્યો છે જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. છેલ્લા 4 દાયકાથી એવું મનાતું હતું કે સૂર્યમાંથી આવતા ઊર્જા કણો દરેક દિશામાંથી સમાન રીતે આવે છે. દુનિયાએ તેને પુરાવા વગરનો સિદ્ધાંત માની લીધો હતો પણ આદિત્ય L1એ પહેલીવાર તેનો પુરાવો આપ્યો છે અને તેની પુષ્ટિ કરી છે. જેમાં અમદાવાદમાં બનેલા પેલોડે મહત્વની ભૂમિકા ભજવી છે. દિવ્ય ભાસ્કરે PRLના પ્રોફેસર અને વૈજ્ઞાનિક દિવ્યેન્દુ ચક્રવર્તી સાથે ખાસ વાતચીત કરીને આ વિશે વધુ માહિતી મેળવી હતી. વિજ્ઞાનની ભાષામાં વપરાતા શબ્દો ઘણીવાર આપણને ભારે ભરખમ લાગે. તેનો અર્થ સમજવો મુશ્કેલ થઇ જાય માટે અહીં સૌથી પહેલાં કેટલાક વૈજ્ઞાનિક શબ્દોની સરળ ભાષામાં સમજ આપી છે. આદિત્ય L-1નો ડેટા કેમ જરૂરી છે?આદિત્ય L-1 સૂર્યનું વર્તન સમજવાનું કામ કરે છે. સૂર્યની જ્વાળા અને સૂર્ય પર આવતાં તોફાન પૃથ્વીને કેવી રીતે અસર કરશે? તે ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થશે? સૂર્ય પવનમાં કયા પદાર્થો હશે? સૂર્ય પવનનું વર્તન કેવું હશે? સૂર્ય તોફાન જો પૃથ્વી તરફ આવ્યું તો તેની કેટલી અસર થશે? આ બધા સવાલોના જવાબ માટે આદિત્ય L1 ના ડેટાની જરુર પડે છે. આદિત્ય L1 અત્યારે સૌર તોફાનના એવા ડેટા આપી રહ્યું છે જેનાથી તકેદારી લઇ શકાય છે. આવો ડેટા ભારતમાં પહેલીવાર મળી રહ્યો છે. આ ડેટાથી જાણી શકાય છે કે સૂર્ય વિસ્ફોટ આપણી પૃથ્વીના સેટેલાઇટ્સ, GPS અને પાવર ગ્રીડને પ્રભાવિત કરે છે કે નહીં? આદિત્ય L1 સાથે નીચે પ્રમાણેના 7 પેલોડ્સ મોકલાયા હતા. આ પેલોડ્સનું કામ શું હતું તે જાણો. પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રવર્તીએ આ પેલોડ્સે આપેલા ડેટાની માહિતી આપી હતી. સૂર્યમાંથી 2 પ્રકારના કણો નીકળે છેતેઓ કહે છે કે,ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી (PRL) એ આદિત્ય L1માં આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ(ASPEX) નામનું એક પેલોડ મૂક્યું છે. જે સૂર્યના પવનોમાં આવી રહેલા કણોની એનર્જી, સ્પીડ, તાપમાન, ઘનતા માપે છે અને તેનો અભ્યાસ કરે છે. અમે લાંબાગાળે આ કણો અને તેની અસરો અંગે પહેલેથી આગાહી કરી શકીએ એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. 'સૂર્યમાંથી નીકળતા કણો બે પ્રકારના હોય છે. એક તો એવા કણ હોય છે કે જે બંદૂકની ગોળી કરતાં પણ 300 થી 400 ઘણી ઝડપે આવે છે. આવા કણો સૂર્યની સપાટી પરના ચૂંબકીય ક્ષેત્રને ચીરીને આવે છે.' 'જ્યારે બીજા પ્રકારના કણો સામાન્ય હોય છે. જે ધીમી ઝડપે આવે છે અને પોતાની સાથે ચૂંબકીય ક્ષેત્ર પણ લઇને આવે છે. આદિત્ય L1 આ બન્ને પ્રકારના કણોને સમજવાનો પ્રયાસ કરે છે. જેથી તેની દિશા, ઝડપ, ઊર્જા અને પૃથ્વી પર શું પ્રભાવ પડે છે તે જાણી શકાય.' 'સૂર્યમાં નીચી, મધ્યમ અને અતિ ઉચ્ચ ઊર્જાવાળા વિવિધ કણો બને છે. મધ્યમ ઊર્જાના કણો નીચી ઊર્જાથી બને છે અને અત્યંત ઉચ્ચ ઊર્જાના કણો મધ્યમ ઊર્જાથી બને છે, આ રીતે તેમની ઊર્જા સતત વધતી જાય છે. અમે મધ્યમ અને ઉચ્ચ ઊર્જાના કણોનું વિશ્લેષણ કર્યું હતું.' 40 વર્ષ જૂના સિદ્ધાંતના પુરાવા આપ્યા'વિશ્લેષણમાં જાણવા મળ્યું કે જ્યારે સૂર્ય શાંત હોય ત્યારે L1 બિંદુએ દરેક દિશાથી આવતા મધ્યમ ઊર્જાવાળા કણો દરેક દિશામાં એક સમાન (દિશાત્મક રીતે સમાન) જોવા મળ્યા હતા.' 'આ માહિતી ખૂબ મહત્વની છે કેમ કે મધ્યમ ઊર્જાવાળા કણોથી બનેલા ઉચ્ચ ઊર્જાવાળા કણો સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે અથવા અવકાશયાત્રીઓ માટે જોખમ ઊભું કરી શકે છે.' 'દિશાત્મક સમાનતાને અત્યાર સુધી ફક્ત સિદ્ધાંત રૂપે માનવામાં આવતો વિચાર હતો પણ આદિત્ય L1એ પહેલીવાર તેનો પ્રાયોગિક પુરાવો આપ્યો છે. જે મહત્વની સિદ્ધિ છે એટલે કે પાર્કર ટ્રાન્સપોર્ટ ઇક્વેશન લગભગ 40 વર્ષથી થિયેરેટિકલી સોલ્વ કરેલું હતું પરંતુ PRLએ પ્રયોગ કરીને પહેલી વખત તેને પ્રેક્ટિકલી સાચું પાડીને તેની પુષ્ટિ પણ કરી.' 'સૂર્યની જ્વાળા અથવા કોરોનલ માસ ઇજેક્શન (CME) દરમિયાન દિશાત્મક સમાનતા બદલાઇ શકે છે. ASPEX ટીમ હાલમાં તેના બીજા તબક્કા પર કામ કરી રહી છે.' અન્ય એક પેલોડ VELC ને IIA, બેંગાલુરૂએ બનાવ્યું છે. જેના દ્વારા VELC એ સૂર્યની સપાટી નજીક જ જન્મતા CMEનું વિઝીબલ વેવલેન્થ (દેખાઇ શકે તેવી તરંગલંબાઇ)માં પ્રથમવાર નિરીક્ષણ કર્યું હતું. પહેલીવાર સૂર્યના તમામ સ્તરોની ડિસ્ક સાથેની તસવીર મળીઅન્ય પેલોડ SUITને IUCAA-પુણેએ બનાવ્યું છે. SUITથી પારજાંબલી તરંગલંબાઇમાં 11 જેટલા ફિલ્ટરનો ઉપયોગ કરી પ્રથમવાર સૂર્યના આ તમામ સ્તરોની સંપૂર્ણ ડિસ્ક સાથે તસવીર મળી છે. જેમાં જોવા મળ્યું કે ફ્લેરના કેન્દ્ર સૂર્યની સપાટીની એકદમ નજીક છે અને તેને અનુરૂપ કોરોનાના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. પ્રો. ચક્રવર્તી આદિત્ય L1ના પેલોડ્સને ઘણી રીતે અનોખા ગણાવે છે. તેઓ કહે છે કે, આદિત્ય L1 એક ઓબ્ઝર્વેટરી ક્લાસ મિશન છે કારણ કે અમે સૂર્યના બહુવિધ તરંગ લંબાઇ કિરણો, વિવિધ ઊર્જાના કણો અને ચૂંબકીય ક્ષેત્રને એક જ સેટેલાઇટથી માપી રહ્યાં છીએ. એવું કહી શકાય કે જાણે પૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગશાળા જ અવકાશમાં મોકલી હોય. આદિત્ય L1ના ડેટા ફક્ત ભારતના જ નહીં પરંતુ વિશ્વના વૈજ્ઞાનિકોને પણ ઉપયોગી થઇ રહ્યા છે. પ્રો. ચક્રવર્તીએ કહ્યું, વિશ્વના વૈજ્ઞાનિકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યાં છે. ASPEX ડેટાને ભારતના અને વિદેશના વૈજ્ઞાનિક ખૂબ ડાઉનલોડ કરીને ઉપયોગ કરી રહ્યાં છે. ડેટા સૌથી વધુ ડાઉનલોડ થયો'ભારતમાં એવું પહેલીવાર બન્યું છે કે સૂર્ય પવનના ગુણધર્મોના વેગ, ઘનતા, તાપમાન જેવા ડેટા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે મુક્ત રીતે આપવામાં આવ્યા હોય. જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ઇસરોની સાઇટ પર આદિત્ય-L1ના તમામ ડેટામાંથી સૌથી વધુ ડાઉનલોડ ASPEXના ડેટાનું થયું છે.' સૌર તોફાનથી શું નુકસાન થઇ શકે?સૌર તોફાનના કણોથી કેવું નુકસાન થઇ શકે તેના વિશે તેમણે કહ્યું, પૃથ્વીની આસપાસ એક ચૂંબકીય આવરણ (મેગ્નેટિક ફિલ્ડ) હોય છે. જે સૌર તોફાનના કણોને પૃથ્વીની અંદર આવવા નથી દેતું પરંતુ સૂર્ય બહુ એક્ટિવ હોય ત્યારે ઘણી વખત કણો સૂર્યના મેગ્નેટિક ફિલ્ડ સાથે લઇને આવે છે.જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડને તોડી નાખે છે. જો આવી કોઇ મોટી ઘટનાની જાણ પહેલેથી ન હોય તો GPS, નાવિક અને કોમ્યુનિકેશન સહિતના બીજા ઘણા સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે છે.' ....તો દુનિયા ઠપ્પ થઇ જાય'જો સેટેલાઇટ ડેમેજ થાય તો ઘણી વ્યવસ્થાઓ અટકી પડે. ડેમેજ થયેલા સેટેલાઇટના બદલે બીજો સેટેલાઇટ મોકલવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય. જેથી આદિત્ય L1 મિશન ફક્ત સાયન્સ માટે જ નહીં પરંતુ સામાન્ય જીવનમાં પ્રેક્ટિકલ કામો માટે પણ ઘણું મહત્વનું છે. લાંબા ગાળે અમે સૂરજના વર્તનને અને ત્યાં શું થઇ રહ્યું છે તેમજ તેની શું અસર થઇ શકે એ સમજવા માંગીએ છીએ.' 'આદિત્ય L1એ મોકલેલી માહિતી સાચી છે કે નહીં તેની પરખ કરવી જરૂરી હતી. જેની પ્રક્રિયા લગભગ 6 મહિના સુધી ચાલી હતી. આ કામ ગયા વર્ષે મે-જૂન મહિના દરમિયાન પૂર્ણ થયું ત્યારબાદ તમામ માહિતી સૌ માટે ખુલ્લી મૂકાઇ હતી.' સૂર્ય પર સતત ધડાકા થતાં રહેતાં હોય છે. આ વિશે તેમણે કહ્યું કે, એમ સમજો કે સૂર્ય પર સતત મિલિયન્સ એટમ બોમ્બ ફૂટતા રહે છે. અમૂક ધડાકા એટલા મોટા હોય છે કે સૂર્યના કણોને અંતરિક્ષમાં ફેલાવી દે છે. જેને સોલાર ફ્લેર અને કોરોનલ માસ ઇજેક્શન કહેવાય છે. 'ઘણા વિસ્ફોટ પૃથ્વીની દિશામાં થાય છે અને અતિ વેગથી સૂર્ય કણોને ધરતી તરફ મોકલે છે. સૂર્યની સક્રિયતાની 11 વર્ષની સાયકલ હોય છે. સૂર્ય 5.5 વર્ષ ખૂબ જ એક્ટિવ રહે છે. એ દરમિયાન દર મહિને એક બે સોલાર ફલેર જોવા મળે છે પછી ફરી સૂર્ય 5.5 વર્ષ માટે શાંત થઇ જાય છે.' આદિત્ય L1ની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષની છે. તેની હેલ્થ, ફ્યૂલ વગેરે ફેક્ટર્સને ધ્યાને લઇએ તો ઉંમર હજુ વધી શકે છે. આદિત્ય L1ની ઉંમર પૂરી થઇ જશે પછી તેને સૂર્ય તરફ ધક્કો આપીને છોડી મૂકાશે. જેથી તે સૂર્ય તરફ જાય અને તેમાં જ નાશ પામે. વિનસ ઓર્બિટર મિશનતેમણે કહ્યું કે, વર્ષ 2028 આસપાસ ઇસરોનું એક વિનસ ઓર્બિટર મિશન લોન્ચ થવાનું છે. જેમાં PRLનું એક ઇન્સ્ટ્રુમેન્ટ સામેલ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ વિનસની કક્ષામાં આવતા ઊર્જાવાળા કણો અને તે વિનસના વાતાવરણમાં શું ફેરફાર કરે છે તેનું માપ કાઢશે. 'આ મિશન ખૂબ પડકારજનક છે.યાનને શુક્ર સુધી પહોંચવામાં 117 દિવસ લાગશે. શુક્ર સૂર્યથી નજીક છે તેથી આ યાન પરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ક્યારેય ન અનુભવ્યું હોય એટલા નજીક પહોંચશે અને તાપમાન અનુભવશે.' 'આગામી ચંન્દ્રયાન મિશનમાં પણ PRL સક્રિય ભાગીદાર છે. તે સિવાય PRLખગોળ વિજ્ઞાન અને સૂર્ય મંડળની બહારના ગ્રહો પર સંશોધનો માટેના મિશનમાં પણ ભાગ લઇ રહ્યું છે.' DISHA મિશન પૃથ્વીના ઉચ્ચ વાયુમંડળ પર સૂર્ય બદલાવની અસર માપવાનું મિશન છે. આ મિશનમાં 2 સેટલાઇટને પૃથ્વીથી 400 કિલોમટીરથી 450 કિલોમીટરની કક્ષામાં મૂકાશે. એક સેટોલાઇટ ધ્રુવીય દિશામાં પરિક્રમા કરશે, જ્યારે બીજો સેટેલાઇટ ધ્રુવીય દિશા અને વિષુવૃતિય દિશાની વચ્ચેની કક્ષામાં ભ્રમણ કરશે. DISHA મિશનથી સ્પેસ વેધરની પૃથ્વી પર થતી અસરનો અભ્યાસ કરવામાં મદદ મળશે. DISHA અને આદિત્ય L1 મિશનના ડેટાના એકસાથે ઉપયોગથી સ્પેસ વેધરની પૃથ્વી પર અસર અને કારણના સંબંધનો સીધો અભ્યાસ શક્ય બનશે. ધીમે ધીમે અમે એ દિશામાં આગળ વધી રહ્યાં છીએ કે સૂર્ય પર થતાં ફેરફારો જોઇને કહી શકીએ કે તેની પૃથ્વી પર શું અસર થશે. DISHA મિશનને પણ 2028માં લોન્ચ કરવાની યોજના બની રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:00 am

રિવરફ્રન્ટ ફેઝ-2ની એક ઝલક:સાબરમતીથી સીધા મોદી સ્ટેડિયમ, રબર બ્રિજ ચાંદખેડા અને શાહીબાગને જોડશે, અમદાવાદને સાત નવાં નજરાણાં મળશે

અમદાવાદની શાન એટલે સાબરમતી રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટનો વિસ્તાર થઈ રહ્યો છે. હાલ અહીં ફેઝ-2નું પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. નવો રિવરફ્રન્ટ કેવો હશે? કયાં-કયાં આકર્ષણો હશે? તેનાથી અમદાવાદીઓની લાઇફમાં શું ચેન્જ આવશે? આ બધાની સાથે સાથે દિવ્ય ભાસ્કર આપને સાબરમતીનો તમે ક્યારેય ના જોયો હોય એવો ડ્રોન વ્યૂ પણ બતાવશે. શનિવારે સવારે 6 વાગ્યાથી સ્પેશિયલ સિરીઝ 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં. રિવરફ્રન્ટ ફેઝ-2ની એક ઝલક જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 6:00 am

લોકોને ગંદા પાણી વચ્ચે રહેવાની નોબત:ડ્રેનેજ લાઇનને નુકસાન થતાં કાદરશા નાળમાં ગટરિયા પૂર

કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ગટરીયા પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકાના ડ્રેનેજ વિભાગના જણાવ્યા મુજબ ભટાર પંપીગ સ્ટેશનના વિસ્તૃતિકરણને લઇ લાઇન બંધ કરાતા લો લાઇન કાદરશાની નાળ વિસ્તારમાં ડ્રેનેજના પાણી ઉભરાયા હતા. ગટરના પાણી આસપાસની ગલીઓ તેમજ મકાનોમાં ઘુસી ગયા છે. રસ્તાઓ પર ગંદા પાણી ભરાતા અવરજવર પણ બંધ જેવી થઈ ગઈ છે. ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે. સાથે જ મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરીસ્થાનિકો સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી ઘરમાં કેદ છીએ. મેટ્રોના ખોદકામ પછી આ સમસ્યા વકરી છે. તંત્ર માત્ર મશીનો મૂકીને સંતોષ માને છે, પણ પાણીનો નિકાલ થતો નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને પમ્પિંગ કરી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:59 am

કાર્યવાહી:રાંદેરમાં 6.77 લાખના ગાંજા સાથે એન્જિનિયર ઝડપાયો

નોકરીની આડમાં ગાંજાનો વેપલો કરતા યુવકને રાંદેર પોલીસે પાલનપુર પાટીયા મશાલ સર્કલ પાસેથી 6.77 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. રમેશ વેલાભાઇને બાતમી મળી હતીકે, પાલનપુર પાટીયા મશાલ સર્કલ પાસેથી એક શખ્સ ગાંજો લઇને પસાર થવાનો છે. બાતમીના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી હતી. આ સમય દરમિયાન ત્યાંથી મોપેડ પર સવાર થઇને ચાર્વાક જનક ભટ્ટ (રહે, તિરૂમાલા એપાર્ટમેન્ટ મણિયાર શેરી મહિધરપુરા)ને અટકાવી તપાસ કરી હતી. આરોપી ચાર્વાક ભટ્ટ પાસેથી રૂ.6.77 લાખની કિંમતનો 225.87 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોપેડ તથા મોબાઇલ ફોન મળીને કુલ રૂ.7.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ ગાંજો નિહાલ નામને શખ્સ પાસેથી લાવ્યો હતો અને છુટક વેચતો હતો. ચાર્વાક ભટ્ટ માતા સાથે રહે છે. અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ પર નોકરી કરે છે. જોકે, આર્થિક તંગી હોવાથી તે આ ધંધામાં આવ્યો હતો અને બે મહિનાથી જથ્થાબંધ ગાંજો લાવીને છુટકમાં વેચતો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:58 am

આજે બાર ચૂંટણી:યુવા વકીલોમાં ભારે ઉત્સાહ, મોડી રાત સુધી તોડ-જોડ ચાલી

શુક્રવારના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિશનની ચૂંટણી માટે મતદાન થનાર છે. દર વર્ષના સમય કરતા આ વખતે વોટિંગ અડધો કલાક વહેલું એટલે કે સાડા આઠ વાગ્યેથી જ શરૂ થઈ જશે અને એવો અંદાજ છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી તમામ પરિણામો જાહેર પણ થઈ જશે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રમુખ પદની મુખ્ય રેસ બે ઉમેદવારો વચ્ચે હોય બંનેએ છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવ્યુ હતુ. મોડી રાત સુધી સ્નેહ મિલન સમારોહ યોજાયા હતા તો તોડ અને જોડની રણનીતિ પણ અમલમાં મૂકાઈ હતી. સૌરાષ્ટ્ર લોબી, મૂળ સુરતીઓ, મહિલાઓ અને મુસ્લિમ વકીલોના મત પોતાની તરફ કરવા માટેના તમામ પ્રયાસો ઉમેદવારોએ કર્યા હતા. પ્રમુખ પદમાં સૌરાષ્ટ્રના વતની એવા એકેય વકીલે દાવેદારી ન કરી હોવાથી બે હજાર મત પૈકી સૌથી વધુ મત કોણ ખેંચી જશે એ જ પ્રમુખ પદની રેસમાં આગળ નિકળી જશે. આથી જ શનિવારની સવાર કોનો ‘ ઉદય ’ થાય અને કોની ‘ ચ્હા ’ નો ટેક્સ વધશે. એ તો સમય જ બતાવશે. સંઘર્ષનું વર્ષ, નવી જગ્યા આ વર્ષે નક્કીઆ વખતનું વર્ષ નવી કોર્ટ બિલ્ડિંગ મુદ્દે નિર્ણયાક રહેશે. સંભવત: હાલની કોર્ટની સામેની મરઘાં કેન્દ્રની જગ્યા આપવામા આવશે અથવા તો નવી કોઈ જગ્યા નક્કી કરવામા આવશે. દિલ્હીમાં પોલ્યુશન લેવલ વધવાને લીધે જે અસર થઈ છે તેના લીધે જીઆવ-બુડિયાની જગ્યા પર હવે કાયમ માટે આમ તો ચોકડી લાગી ગઈ છે પરંતુ જો વકીલો પોલિટિકલ લોબીને સમજાવવામા નિષ્ફળ રહ્યા તો આખરે જીઆવ-બુડિયા પર પણ મંજૂરી મ્હોર લાગી શકે છે. આથી જ નવા પ્રમુખનુ માત્ર હઇશો-હઇશો કરવુ જ નહીં પરંતુ કામ કરીને દેખાડવાની તાકાત નહીં હશે તો તંત્ર જ્યા જગ્યા આપે ત્યા જવુ પડશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:57 am

ધરપકડ:ઓસ્કાર મેનેજમેન્ટના નામે રોકાણ કરાવી 1 હજાર કરોડ પડાવનાર 10 વર્ષે ઝડપાયો

2015માં ઉધનામાં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસના નામે કંપની ખોલી લોકો પાસે રોકાણ કરાવીને દેશભરમાં રૂ.1 હજાર કરોડનું કૌભાંડ કરાયું હતું. આ ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે ઓરિસ્સાના ગંજામથી પકડી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વર્ષ 2015માં ઉધના બસ સ્ટેન્ડ પાસે એમ્યુનીટી બિલ્ડીંગમાં ઓફિસ ખોલીને અલગ અલગ સ્કિમ તથા ડેઇલી સ્કીમ મૂકીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જેમાં વર્ષ પ્રમાણે 10 ટકા, 16 ટકા અને 25 ટકા જેટલું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. બાદમાં પકતી મુદતે પૈસા પરત આવવાનો વારો આવતા ગઠીયોઓ ઓફિસ બંધ કરીને નાસી ગયા હતા. ઉધના પોલીસ સ્ટેશનમાં રૂ.6.85 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. જે આંકડો વધીને રૂ.32 કરોડ સુધી પહોંચ્યું હતું. આ ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતો આરોપી રવિન્દ્રપ્રસાદ પાનુચરણ સ્વાઇ (ઉવ.51, રહેત રાધાકાંટા શેરી ઓલ્ડ બ્રહ્મપુરા, ગંજામ ઓડીસ્સા) પોતાના વતનમાં હોવાની બાતમી મળતા ઉઘના પોલીસની એક ટીમ ઓરિસ્સા થઇ હતી અને રવિન્દ્રને પકડી પાડ્યો હતો. પીઆઇ એસ.એન. દેસાઇએ જણાવ્યું હતુંકે, આરોપી રવિન્દ્રપ્રસાદ ધ ઓસ્કાર મેનેજમેન્ટ કંપનીમાં ગુજરાત બ્રાંચનો ચેરમેન હતો અને 46 જેટલા બ્રાંચો ખોલીને છેતરપિંડી કરી હતી. જેમાં સુરતના ઉધનાની બ્રાંચમાં રોકાણ કરાવીને રૂ.32 કરોડ તથા દક્ષિણ ગુજરાતમાં કુલ 250 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. રવિન્દ્ર પ્રસાદ 3 વર્ષની જેલ કાપી ચૂક્યો છેરવિન્દ્ર પ્રસાદની છેતરપિંડીના ગુનામાં ભુવનેશ્વર પોલીસે ધરપકડ કરી હતી અને તેને સજા થઇ હતી. 3 વર્ષ અને 20 દિવસની સજા કાપ્યા બાદ રવિન્દ્રપ્રસાદ બહાર આવ્યો હતો અને હાલ એક ટેક્ટરની કંપનીમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતો હતો. સાઉથના કલાકારો બ્રાન્ડ એમ્બેસેડર હતાઠગ ટોળકીએ ગુજરાતમાં બ્રાંચ ખોલીને ખાસ કરીને સાઉથ તથા ઓરિસ્સાના લોકોને ટાર્ગેટ કર્યા હતા. જ્યારે લોકોને આકર્ષવા માટે સાઉથના હીરો ઉત્તમ મોહન તથા ઓરિસ્સાના કોમેડિયન પપ્પુ પમ્પમને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા હતા. ગુજરાતમાં આરોપી સામે ચાર ગુના વોન્ટેડ રવિન્દ્ર વિરૂદ્ધ ઉધના પોલીસ ઉપરાંત વડોદરા સયાજીગંજ, સીઆઇડી ક્રાઇમ વડોદરા, સોનગઢ પોલીસમાં અને હાંસોટ પોલીસમાં વોન્ટેડ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:57 am

CBT મોડમાં NET લેવાશે:જવાબ આપ્યા પછી સ્ક્રીન પર લીલો રંગ એટલે સેવ, પેન્ડિંગ તો લાલ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET-2025 પરીક્ષાનું વિષયવાર સમયપત્રક જાહેર કરાયું છે. પરીક્ષા 31 ડિસેમ્બર, 2025થી 7 જાન્યુઆરી, 2026 સુધી સુરત સહિત સમગ્ર દેશમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.જાહેર થયેલા શિડ્યૂલ મુજબ પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં યોજાશે. જેમાં પ્રથમ શિફ્ટ સવારના 9:00થી 12:00 અને બીજી શિફ્ટ બપોરના 3:00થી સાંજના 6:00 કલાક સુધી ચાલશે. જોકે, 31 ડિસેમ્બરે માત્ર પ્રથમ શિફ્ટમાં જ પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રના શહેરની વિગત પરીક્ષાના 10 દિવસ અગાઉ વેબસાઇટ પર મૂકાશે. પોર્ટલ પરથી પોતાના વિષય મુજબનો ચોક્કસ સમય અને તારીખ ચકાસી શકશે. ઉમેદવારોની સુવિધા માટે સ્ક્રીન પર વિવિધ કલર કોડ રખાયા છે. લીલો રંગ એ સંકેત છે કે પ્રશ્નનો જવાબ આપી દીધો છે અને તે સેવ થઈ ગયો છે. લાલ રંગ દર્શાવે છે કે પ્રશ્ન વાંચ્યો છે પણ તેનો જવાબ આપવાનું બાકી છે. જો પ્રશ્નને ફરીથી તપાસવા બાકી રાખ્યો હોય તો તે જાંબલી રંગ (Mark for Review)માં દેખાશે, સફેદ રંગનો અર્થ એ છે કે તમે હજુ સુધી એ પ્રશ્ન ને ખોલ્યો નથી. સ્માર્ટ વોચ, ગેઝેટ પર પ્રતિબંધ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:55 am

કટ્ટર રાજકીય હરીફ 'ઈટાલિયા-સંઘવી' ગાંધીનગરમાં મળ્યા:બહાર આવી ગોપાલભાઈએ વિશ્વાસ ના આવે એવી વાત કહી; જુના મંત્રીના સચિવાલયમાં આંટાફેરાથી શું સંકેત?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:55 am

માર્ગદર્શન:ફોસ્ટા કાર્યાલયમાં અગ્નિ સલામતી તેમજ નિવારણ માટે બેઠક યોજાઇ

ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના કાર્યાલયમાં અગ્નિ સલામતી અને અગ્નિ નિવારણ સંબંધિત ટેકનિકલ વિષયો પર એક મહત્વપૂર્ણ અને ઉપયોગી બેઠક યોજાઈ હતી. અગ્નિ સલામતી ક્ષેત્રના અનુભવી અને તકનીકી નિષ્ણાત નિવૃત્ત વિભાગીય ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રા અને તેમના ફાયર બ્રિગેડના વડા હાજર રહ્યા હતા. તેમણે કાપડ બજારો, વેરહાઉસ અને વાણિજ્યિક પરિસરમાં આગ નિવારણ, સલામતી ધોરણો, આધુનિક અગ્નિ સલામતી પ્રણાલીઓ અને જરૂરી સાવચેતીઓ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આગની ઘટનાઓને રોકવા માટે વ્યવહારુ સૂચનો પણ શેર કર્યા. બેઠકમાં હાજર તમામ ડિરેક્ટરો અને અધિકારીઓએ અગ્નિ સલામતી અંગે ગંભીરતાથી ચર્ચા કરી અને ભવિષ્યમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. હાજર રહેલા એક ઉદ્યોગપતિએ સૂચન કર્યું કે ફાયર વિભાગે વર્ષમાં બે વાર બજારોમાં પંપ અને સમગ્ર અગ્નિ પ્રણાલીઓનું નિરીક્ષણ કરવું જોઈએ, તેનું ફિલ્માંકન કરવું જોઈએ અને તેને મહાપાલિકાને સુપરત કરવું જોઈએ. ફોસ્ટા સુરતના કાપડ વેપાર ક્ષેત્રમાં સલામતી, જાગૃતિ અને સુરક્ષિત વ્યવસાયિક વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:54 am

રખડતાં કૂતરાંઓએ આતંક મચાવ્યો:વેસુમાં લસરપટ્ટીથી બાળકને કૂતરું ખેંચી ગયું, બચકાં ભર્યાં

વેસુમાં ગુરુવારે બપોરે સોસાયટીના ગાર્ડનમાં રમી રહેલા 8 વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. રત્ન જ્યોત એપાર્ટમેન્ટમાં બપોરે 12.30ના અરસામાં એક 8 વર્ષીય બાળક ગાર્ડનમાં રમી રહ્યો હતો. તે લસરપટ્ટી ખાઈને જેવો ઊભો થયો કે તરત જ એક રખડતું કૂતરું ધસી આવ્યું હતું અને તેના ડાબા હાથ પર બચકું ભરી લીધું હતું. કૂતરું બાળકનો હાથ ખેંચી રહ્યો હતો ત્યારે રહીશો દોડી આવ્યા હતા. લોકોએ બૂમાબૂમ કરી કૂતરાને ભગાવી દીધો હતો અને બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલા પછી 1 કૂતરાને પકડાયોરહીશોનો આક્ષેપ છે કે, સોસાયટી આસપાસ 5થી 6 કૂતરાંઓનો ત્રાસ છે. આ અંગે અગાઉ 2-3 ફરિયાદ કરી હતી, પરંતુ પાલિકાએ પગલાં લીધા ન હતાં. આખરે આ ઘટના બાદ પાલિકાની ટીમ એક કૂતરાને પકડી ગઈ હતી. જોકે, તમામ કૂતરાંઓને પકડવા જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:51 am

મ્યુનિની યોજના:રહેણાકને 85, બિન રહેણાકને 65 % વેરામુક્તિ, જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી લાભ મળશે

આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજ માફીની સ્કીમ જાહેર કરી છે. નવી ફોર્મ્યુલા એટલે કે 2001 પછીથી જે લોકોના ટેક્સ બાકી હશે તેઓને રહેણાક મકાનો પર 85 ટકા અને બિન રહેણાક મકાનો પર 65 ટકા વ્યાજ માફી મળશે. આ સ્કીમનો લાભ લોકો જાન્યુઆરી, 2026થી માર્ચ, 2026 સુધીમાં લઈ શકશે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં 5 ટકા ઘટાડો થશે. ચાલુ નાણા વર્ષ 2025 - 26 પહેલાના તમામ બાકી ટેક્સધારકો માટે યોજના જાહેર કરાઈ છે જ્યારે જૂની ફોર્મ્યુલા એટલે કે 2001 પહેલાંથી જે લોકોનો ટેક્સ બાકી હશે તેઓને 100 ટકા વ્યાજ માફીનો લાભ મળશે. મહત્ત્વનું છે કે મ્યુનિ.ની ટેક્સની બાકી રકમ 3300 કરોડ રૂપિયા થાય છે. આ નાણા વર્ષમાં અત્યાર સુધીમાં મ્યુનિ.ને 1710 કરોડની આવક થઈ છે, જેમાં પ્રોપર્ટી ટેક્સની 1334.70 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ, TSF ચાર્જની રૂ. 17.84 કરોડ અને વિહિકલ ટેક્સની 166.32 કરોડની આવક થઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:42 am

દુર્ઘટના:ટ્રકમાંથી પડેલા આરસ નીચે દબાઈ જતાં 2 શ્રમિકનાં મોત

જીએમડીસી બિલ્ડિંગની બાજુમાં બની રહેલી ગોદરેજ નામની નવી કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી આરસ ઉતારતાં દબાઈ જવાથી 2 શ્રમિકનાં મૃત્યુ થયાં હતાં. વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધ્યો છે. રાજસ્થાનના મુકેશચંદ લક્ષ્મણલાલ નીનામા (19) અને કપુરચંદ કાળુજી પારઘી (30) જીએમડીસી બિલ્ડિંગની બાજુમાં સાઈટ ઉપર ટ્રકમાંથી આરસ ઉતારવાનું કામ મળ્યું હતું. બપોરે 1 વાગ્યે આરસ મજૂરો ઉપર પડ્યા હતા. આથી અન્ય મજૂરો ટ્રકમાંથી કુદીને બહાર નીકળી ગયા જ્યારે મુકેશચંદ અને કપૂરચંદ પર પથ્થરો પડવાથી બંને દબાઈ ગયા હતા. પથ્થરો બંનેની છાતીના ભાગે પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી 108 માં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:42 am

શિક્ષણાધિકારીની ચીમકી:નિયત સમયમાં BUP નહીં લે તો 6 સ્કૂલોની માન્યતા રદ કરાશે: DEO

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની બીયુ પરમિશન ના મેળવ્યું હોવાથી સીલ મારવામાં આવેલી ખાનગી શાળાઓને બીયુ પરમિશન મેળવવા માટેની તાત્કાલિક તાકીદ કરવામાં આવી છે. જો આ સ્કૂલો બીયુ પરમિશન નહીં મેળવે તો તેની માન્યતા રદ કરવાની પણ કચેરીએ ચીમકી ઉચ્ચારી છે. શહેર ડીઈઓએ પાંચથી વધુ પ્રાથમિક સ્કૂલોના ટ્રસ્ટી અને આચાર્યોને સંબોધીને મોકલેલા પરીપત્રમાં જણાવ્યું છે કે, શહેર ડીઈઓ કચેરી હસ્તકની શાળાઓ પાસે બીયુ પરમિશન ના હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ છે. આપના દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં લઈને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરાઈ હશે, પરંતુ તાત્કાલિક આપની શાળાના બીયુ પરમિશન મેળવવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. આપના દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બીયુ પરમિશન મેળવવાની કાર્યવાહી કરવામાં નહી આવે તો તમારી શાળાની માન્યતા રદ કરાશે, સાથે જ આગળની કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી સ્કૂલોને લેખિત આદેશ કરાયો‘વિદ્યાર્થીઓને શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને સ્કૂલોને માટે લેખિતમાં આદેશ અપાયો છે. પ્રાથમિક શાળાઓ પાસે બીયુ પરમિશન ના હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડંગ સીલ કરાયુ હતુ. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. પરિણામે સીલ કરાયેલી શાળાઓનો હાલ ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ લાંબા ગાળા માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવાની, બીયુ પરમિશન અને ફાયર સેફ્ટ મેળવી લેવા માટેની સૂચના અપાઈ છે. સ્કૂલોને આવશ્યક ફાયર એનઓસી લેવા માટે પણ જણાવાયું છે.’ - રોહિત ચૌઘરી, શહેર ડીઈઓ આ સ્કૂલોને આદેશ આપવામાં આવ્યોબ્રિગ્ટન પબ્લિક સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), ફારુકે આઝમ પ્રાઈમરી સ્કૂલ, ધ ન્યુ એજ સ્કૂલ, કુવેસ પ્રાઈમરી સ્કૂલ, ક્લાસિક પ્રાઈમરી સ્કૂલ, નેશનલ પ્રાઈમરી સ્કૂલ, ફોરચ્યુન સ્કૂલ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:41 am

ભાડું વધશે:ગાંધીધામ, જોધપુરથી બેંગલુરુ જતી ટ્રેનો હવે સુપરફાસ્ટ બની, મુસાફરોએ ભાડાં સાથે30-75 વધુ ચૂકવવા પડશે

રેલવેએ મુસાફરી સમય ઘટાડવાના ઉદ્દેશથી ગાંધીધામ તથા જોધપુરથી વાયા અમદાવાદ થઈ બેંગલુરુ જતી ટ્રેનોને સુપરફાસ્ટ શ્રેણીમાં અપગ્રેડ કરતા મુસાફરોએ ટિકિટ ભાડાંની સાથે સરચાર્જ પણ ચૂકવવો પડશે. જેમાં સ્લીપર ક્લાસમાં રૂ.30, થર્ડ અને સેકન્ડ એસીમાં રૂ.45, ફર્સ્ટ એસીમાં રૂ.75 સરચાર્જ ચૂકવવો પડશે. ટ્રેનોનાં સ્ટોપેજ ન ઘટાડતાં ભાડું વધુ પણ મુસાફરીનો સમય યથાવત્ રહેશે. સુપરફાસ્ટ જાહેર કરેલી ટ્રેનોનાં નવા નંબર -24 ફેબ્રુ.થી ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ એક્સ- 16505 નવા નં.20685 સાથે દોડશે. -21 ફેબ્રુ.થી કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ એક્સ-16506 નવા નં.20686 સાથે દોડશે. -26 ફેબ્રુ.થી જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સ-16507 નવા નં.20693 સાથે દોડશે. -23 ફેબ્રુઆરીથી કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સ-16508 નવા નં.20694 સાથે દોડશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:40 am

ભાસ્કર વિશેષ:રાજ્યસ્તરની શાસ્ત્રીય સ્પરધામાં નડિયાદની બ્રહ્મર્ષી વિદ્યાલયને 29 ચન્દ્રક, SGVP છારોડી દ્વિતીય ક્રમે

અંબાજીમાં 13થી 17 ડિસેમ્બર સુધી 34મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી. અમદાવાદના ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી સંસ્કૃત મહાવિદ્યાલય અને શિક્ષણ નિયામક કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામા રાજ્યની 46 જેટલી પાઠશાળાના 700 જેટલા ઋષિકુમારો-ઋષિકુમારીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ 9 સુવર્ણપદક, 7 રજતપદક, 12 કાંસ્યપદક મેળવી ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અવસરે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના ટ્રસ્ટી દેવેન્દ્ર દવે, પ્રધાનાચાર્ય ડૉ. અમૃતલાલ ભોગાયતા તથા અધ્યાપકોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા અંગે સંયોજક ડૉ. અમૃતલાલ ભોગાયતાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સમિતિ સ્પર્ધાના 8 મહિના પહેલાં સમગ્ર દેશની સંસ્કૃત યુનિવર્સિટીને વિષયો મોકલતી હોય છે. સાથેસાથે જે ગ્રંથોમાંથી પ્રશ્નો પુછાવાના હોય તે ગ્રંથોનાં નામ પણ આપતી હોય છે. એ પછી યુનિવર્સિટીઓ 39 વિદ્યાર્થીની ટુકડી બનાવીને આ ગ્રંથોની વિશિષ્ટ તૈયારી કરાવાય છે. આ માટે શિક્ષકોને જવાબદારી સોંપાય છે. સતત 8 મહિના સુધી વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ ઉપરાંત સ્પર્ધાની વિશેષ તૈયારી કરે છે. એ પછી સમયાંતરે પાઠશાળા કક્ષાએ સ્પર્ધાની તૈયારી ચકાસવામાં આવે છે. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ગ્રંથોના કંઠસ્થ પાઠ કરે, એ પછી નિર્ણાયકો પ્રશ્નો પૂછો એના ઉત્તરો આપવાના હોય છે. એ સિવાય પ્રતિસ્પર્ધકો પણ પ્રશ્નો પૂછતા હોય છે. સ્પર્ધકો પ્રશ્ન પૂછે એના પણ ગુણ ગણવામાં આવતા હોય છે. આ રીતે સ્પર્ધા અડધા કલાકથી 4 કલાક સુધી પણ ચાલતી હોય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:39 am

હોદ્દેદારોની નિમણૂક:વડીલોની સમસ્યા જાણવા, સાઇબર ફ્રોડથી બચાવવા શહેરમાં પ્રથમ વાર ફેડરેશન રચાયું

શહેરના વરિષ્ઠ નાગરિકોની સમસ્યા, મુંઝવણ સમજીને તેનો ઉકેલ લાવવા સાથે સાઇબર ફ્રોડથી બચાવવા માટે પ્રથમ વાર સિનિયર સિટીઝન ફેડરેશન રચાયું છે. ગુરુવારે સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં શહેરના 48 વોર્ડમાં સિનિયર સિટીઝન માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. સંસ્થા પ્રમુખ રાજેન્દ્ર વ્યાસના કહેવા પ્રમાણે શહેરમાં 60 વર્ષથી વધુ વયના વડીલોને તકલીફ વધી રહી છે. સંગઠનમાં 10 હજારથી વધુ વડીલો નોંધાયેલા છે. આ વડીલો માટે 24 કલાક નિ:શુલ્ક સેવા પૂરી પડાશે. ગુજરાતમાં વડીલોને તકલીફ છે. જો હવે સિનિયર સિટીઝન સાથે સાઇબર ફ્રોડ થશે તો સંગઠન તેમને મદદ કરશે. થોડા સમય બાદ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાશે. સાઇબર ફ્રોડ અટકાવવા પોલીસને વડીલોની વિગતો અપાશે, સમિતિની રચના કરાશે તાજેતરમાં શહેરમાં વરિષ્ઠ નાગરિકો સાથે સાઇબર ઠગાઈની ઘટનાઓ બની રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં 48 વોર્ડના તમામ પોલીસ સ્ટેશનમાં સિનિયર સિટીઝન ફેડરેશન દ્વારા નોંધાયેલા વડીલોની વિગતો અપાશે. ત્યાર બાદ પોલીસ ટીમ સાથે સંસ્થાની કમિટી સભ્યો યોગ્ય સપોર્ટ કરશે. થોડા સમયના સિનિયર સિટીઝન ફેડરેશન એક કમિટીની રચના કરશે. ફેડરેશનની માગણીઓ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:38 am

18 લાખ લોકોને રાહત થશે:વૈષ્ણોદેવીથી શાંતિપુરા સુધી ટ્રંકલાઈન નખાઈ, વરસાદી પાણી ન ભરાવાનો દાવો

વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ સુધી 372 કરોડના ખર્ચે 27.304 કિમીની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈન નાખવામાં આવી છે. મ્યુનિ.નો દાવો છે કે, હવે બોપલ, આંબલી, શીલજ, ઘુમા, એસજી હાઈવે તેમજ એસપી રિંગ રોડને જોતાં વિસ્તારમાં હવે વરસાદી પાણી નહીં ભરાય તેમજ ગટરો ઊભરાવાની સમસ્યા નહીં સર્જાય. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું આ મહિનાના અંતમાં લોકાર્પણ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, વૈષ્ણોદેવીથી શાંતિપુરા સર્કલ થઈ સાબરમતી નદી સુધીની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનનું કામ પાંચ તબક્કામાં પૂર્ણ કરાયું છે. સાબરમતી નદી સુધી 2400 મી. વ્યાસની નવી ડ્રેનેજ ટ્રંક લાઈન ઓપન એક્સકેવેશન પદ્ધતિથી બિછાવવામાં આવી છે. આ લાઈનને મુખ્ય ધોરી લાઈન તરીકે વિકસાવાઈપશ્ચિમ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોમાં ઝડપી વધારો થયો છે. આ વિસ્તારોમાં ગટર અને વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનને મુખ્ય ધોરી લાઈન તરીકે વિકસાવાઈ છે. પ્રોજેક્ટ કાર્યરત થતાં સાબરમતી નદી સુધી પાણીનો સીધો નિકાલ શક્ય બનશે અને ચોમાસામાં ગટર બેક નહીં મારે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:35 am

સુખદ સમાધાન:38 વર્ષની પ્રેમિકાના હાથમાં હાથ પરોવી 72 વર્ષના પ્રેમી પતિને પત્નીએ રંગેહાથ પકડ્યા, મોર્નિંગ વોક અને નોકરીથી છૂટ્યા બાદ પ્રેમિકાને મળવા જતા હતા

72 વર્ષીય વૃદ્ધ પ્રેમિકાના રવાડે ચઢતા, રોજ મોડી રાત સુધી મોબાઈલમાં ચેટિંગ કરતા, મોર્નિંગ વોકના બહાને તેમજ નોકરીથી છૂટીને મળતાં હતાં. વૃદ્ધની પત્નીને શંકા જતા તેમણે પીછો કરી પતિને પ્રેમિકાના હાથમાં હાથ નાખી ફરતાં રંગેહાથ પકડી પાડ્યાં હતાં. જે પછી ઝઘડો થતાં અભયમને બોલાવતા ટીમે વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. પોશ વિસ્તારમાં રહેતું 72-68 વર્ષીય વૃદ્ધ દંપતી પૈકી પતિ બેન્કમાંથી નિવૃત્તિ બાદ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. પતિ છેલ્લા કેટલાક દિવસથી મોડી રાત સુધી મોબાઈલમાં કોઈકની સાથે વાતો કરતા હતા. જેથી પત્નીને શંકા જતા તેણે મોબાઈલ ચેક કર્યો, તો કંઈ મળ્યું નહીં. એક દિવસ વૃદ્ધ મોર્નિંગ વોક પર નીકળ્યા ત્યારે વૃદ્ધાએ તેમનો પીછો કર્યો તો પતિ ગાર્ડનમાં જઈ તેમની 38 વર્ષીય પ્રેમિકાની સાથે ફરતા હતા. 181ની ટીમને બોલાવવી પડી હતી. અભયમ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા, વૃદ્ધને 2 વર્ષથી પ્રેમસંબંધ હતો. અભયની ટીમે વૃદ્ધ અને પ્રેમિકાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભૂલ સમજાતા ફરી આવું ન કરવાની બાંયધરી આપી હતી. અગાઉ 42 વર્ષની મહિલા સાથેય વૃદ્ધને અફેર હતુંકાઉન્સેલિંગમાં વધુ એક વિગત એ સામે આવી કે, આ વૃદ્ધનો આ બીજો કિસ્સો હતો. ત્રણ વર્ષ પહેલાં પણ તેમને એક 42 વર્ષીય મહિલા સાથે પ્રેમસંબંધ હતો, જે એક વર્ષ ચાલ્યો હતો. તે સમયે પણ પત્નીને શંકા જતાં, વૃદ્ધે ચેટ ક્લિયર કરતાં શીખી લીધું હતું અને સંબંધ તોડી નાખ્યો હતો. પણ, આ વખતે રંગેહાથ પકડાયા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 5:34 am

રોગચાળાની ભીતિ:ખેડાના ભેરાઇ તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડાતાં હજારો માછલીઓના મોત

ખેડા તાલુકાના ભેરાઈથી નવાગામ જવાના રોડ ઉપર આવેલ ભેરાઈના તળાવમાં કોઈ અસામાજિક તત્વો કે પછી ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા તળાવમાં રહેલી હજારો માછલીઓ મૃત્યુ પામી છે. ભેરાઇ તળાવમાં ખારીકટ કેનાલનું પાણી આવતું હોવાથી કોઈ અસામાજિક તત્વો દ્વારા ખારી કટ કેનાલમાં કેમિકલ છોડવામાં આવ્યું હોય કે પછી તળાવમાં ટેન્કર મારફતે કેમિકલ ઠાલવવામાં આવ્યું હોય તેવી આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તળાવમાં મોટી માત્રામાં રહેલી માછલીઓ હાલમાં કિનારે મૃત પડેલી જોવા મળી રહે છે. આટલી મોટી માત્રામાં એકસાથે માછલીઓ મૃત્યુ પામતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ છે. આ તળાવમાંથી કેટલાક ખેડૂતો પણ પોતાના પાક માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે કેમિકલયુક્ત પાણીને કારણે માછલીઓ મૃત્યુ પામી હોવાથી ખેડૂતોને પણ આ પાણીનો ખેતીમાં ઉપયોગ કરતાં પહેલાં ચકાસવું જોઇએ. સ્થાનિક તંત્ર દ્વારા મૃત્યુ પામેલ માછલીઓને તળાવમાંથી દૂર કરવામાં નહીં આવે તો આજુબાજુ વિસ્તારોમાં દુર્ગંધ ફેલાવાની સાથે બિમારી ફેલાય તેવી પણ ભિતી જોવા મળી રહી છે. અસંખ્ય માછલીઓના મૃત્યુની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા હજીસુધી કોઇ તપાસ કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

રજૂઆત:મહુધાના ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચારના પૂર્વ ધારાસભ્યના આક્ષેપ

ખેડા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહુધામાં પંથકમાં બનાવાયેલ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના અમલમાં મોટાપાયે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં વપરાયેલા પાણી (ગ્રે વોટર)ને શુદ્ધ કરીને પુનઃઉપયોગ માટે તૈયાર કરવાનો હતો.જેમાં પંથકના ભુમસ,અલીણા, નંદગામ, વડથલ અને મહિસા સહિતના ગામોમાં વર્ષ 2022/23 દરમિયાન આ પ્લાન્ટ્સનું આયોજન કરાયું હતું.પૂર્વ ધારાસભ્યનું જણાવવું છે કે લાખો રૂપિયાના ખર્ચ છતાં આ પાઈલોટ પ્રોજેક્ટ્સનો કોઈ વ્યવહારુ ઉપયોગ થઈ રહ્યો નથી. તાલુકાના પાંચમાંથી ચાર ગામોમાં પ્લાન્ટ્સ બિનકાર્યરત જણાયા છે.એટલું જ નહીં પરંતુ અલીણા,વડથલ,ભુમસ અને મહિસા ગામોમાં આ પ્લાન્ટ્સ માત્ર માળખાકીય સ્વરૂપમાં ઊભા છે.તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએથી સમગ્ર યોજનાના અમલ અને દેખરેખમાં ગંભીર ખામી દર્શાવે છે.સમગ્ર જિલ્લામાં કુલ 16 ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ્સ બનાવાયા હતા. જેમાં એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં 14 જેટલા પ્લાન્ટ્સ અધૂરા અથવા સંપૂર્ણપણે બિનકાર્યરત હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.જેમાં મહુધા તાલુકાના ફક્ત નંદગામમાં એક પ્લાન્ટ ચાલુ હોવાની સામે આવ્યું છે.જોકે દરેક પ્લાન્ટ પાછળ અંદાજે ₹7 થી ₹8 લાખનો ખર્ચ કરાયો હોવા છતાં તેની ભૌતિક સ્થિતિ નબળી છે.અનેક સ્થળોએ પ્લાન્ટ ચાલુ કરવા માટે જરૂરી મોટર કે વીજ કનેક્શન પણ લગાવાયા નથી. જ્યારે કેટલાક પ્લાન્ટ્સમાં વીજ કનેક્શન હોવા છતાં ટેકનિકલ કારણોસર કે યોગ્ય સંચાલનના અભાવે તે ચાલુ ન થતા તે હવે શોભાના ગાઠીયા સમાન બન્યાં છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

રજુઆત:પોરબંદરના ટાઉન પ્લાનિંગની દશા બગાડી

પોરબંદરમાં ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ જે રીતે હતું ત્યારે નિયમો વિરુધ્ધ બાંધકામના કારણે શહેરની દશા બગાડી છે. મનપા દ્વારા નવું ટાઉન પ્લાન્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરી છે. એક દિવસ પોરબંદરનો ટાઉન પ્લાનિંગ કયા પ્રકારનો હતો એની આજે જે દશા કરી છે, એની પાછળ કોઈ જવાબદાર હોય તે 80 ટકા બિલ્ડરો છે, જેઓએ વધુ કમાવાની લાલચમાં ગામની દશા બગાડી છે, આડેધડ નિયમ વિરુધ્ધ બાંધકામો કરેલા છે એની મંજૂરી આપી દીધી હતી. કોમર્શિયલ બાંધકામોના પાર્કિગની સુવિધા નથી અને મંજૂરી વખતે પાયાની સુવિધા પાર્કિંગના સ્થાને દુકાનો બનાવી વેંચી દીધી છે. બિલ્ડરોએ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં નિયમ વિરુધ્ધ બાંધકામ કરી ગામની સો ટકા ટાઉન પ્લાનિંગની પરિસ્થિતિ બગાડી છે હાલમાં જે ટ્રાફિકને નડતર રૂપ બિલ્ડીંગ છે, એમાં પાર્કિંગ બતાવવામાં આવેલ છે પણ પાર્કિંગ નથી. અને આ જવાબદારી મનપાની છે ત્યારે ખાસ ઝુંબેશની જરૂર છે. ગામમાં કદાચ એક બાગ બગીચો ઓછો હશે તો ચાલશે પરંતુ જે ગામની જરૂરિયાત છે તે પૂરી કરવી જરૂરી છે. ભવિષ્યમાં બિલ્ડીંગોના બાંધકામ, શોપિંગ સેન્ટરો, મોલના ટાઉન પ્લાનિંગ નિયમ મુજબના હોય એને જ મંજૂરી મળવી જોઈએ. નવા ટાઉન પ્લાનિંગમાં નવા વિકસિત એરિયામાં રેસિડન્ટ સાથે અન્ય કોમર્શિયલ દુકાનો જેવીકે, પાન, ચા જેવી દુકાનોને સ્થાન મળવું ન જોઈએ. નવા ટાઉન પ્લાનિંગનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે અને ટ્રાફિક સમસ્યા દૂર કરવાનું આયોજન કરવામાં આવે તેવી પાલિકાના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભૂતકાળમાં થયેલ મિટિંગમાં સવાલ સામે કોઇપાસે જવાબ ન હતો ભૂતકાળમાં ગેરકાયદેસર બિલ્ડીંગ પાડવામાં આવતા હતા, ત્યારે એક મિટિંગની આયોજન થયું હતું, જેમાં સુનિલ ગોહેલે જણાવ્યું હતુકે, પોરબંદર આપણું છે અહીંયા રાજકોટ, જામનગર, જૂનાગઢ કે આજુબાજુના ગામ પોરબંદરને સુધારવા માટે નથી આવવાના, ત્યારે મિટિંગમાં આવેલ બિલ્ડરો અને ગામના આગેવાનોની વચ્ચે કોઈ પાસે આ બાબતનો જવાબ નહતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

હાલાકી:શહેરની સરકારી ફાર્મસી કોલેજમાં 11 પ્રોફેસરની ઘટ, પ્રિન્સિપાલ પણ ચાર્જમાં

ગાંધીનગરમાં ચાલતી સરકારી ફાર્મસી કોલેજમાં ફેકલ્ટીની તીવ્ર અછત વચ્ચે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે. અહીં 11 જેટલા ફેકલ્ટીઝ ઓછા છે સાથે અન્ય સુવિધાઓની પણ ઉણપ છે. ગાંધીનગર પોલિટેકનિક ખાતે આવેલી ફાર્મસી કોલેજ યુજી ફાર્મસી કોર્સ માટે જે વ્યવસ્થા હોવી જોઈએ, તે પ્રમાણે હાલ નથી. નિયમો કહે છે કે આવા કોર્સ માટે આશરે 17 ફેકલ્ટી હોવા જોઈએ. પરંતુ કોલેજમાં હાલ માત્ર 6 ફેકલ્ટી છે. તેમાંમાંથી પણ બે ફેકલ્ટી વિઝિટિંગ છે, અને કેટલાક લેકચર ઓનલાઈન લેવાય છે. પ્રિન્સિપાલની જગ્યા પણ ચાર્જમાં ચાલે છે. અહીં 250થી વધુ વિદ્યાર્થીઓ બીફાર્મનો અભ્યાસ કરી રહ્યા છે જેમના અભ્યાસ પર વિપરિત અસર પડી રહી છે. સરકારી કોલેજ હોવા છતાં આ સ્થિતિ છે. જ્યારે ઓછા લોકો પર વધારે જવાબદારી આવે છે, ત્યારે અભ્યાસક્રમ પર અસર થાય છે. લેબોરેટરીની સ્થિતિ પણ કફોડી છે, જ્યાં 12 લેબોરેટરીઓ હોવી જોઈએ, ત્યાં હાલમાં માત્ર 4 લેબોરેટરીઓ છે. એટલે કે, જરૂરી સંખ્યાની સરખામણીમાં લેબ ઘણી ઓછી છે. ગાંધીનગર જેવી રાજધાનીમાં આવેલી સંસ્થા અંગે આવી વિગતો સામે આવવી સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બને છે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો તેના પરિણામો વધુ ગંભીર બની શકે છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર નોલેજ:બાર એસોસિએશનમાં 876 મતદારો‎50 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી કરશે‎

ભરૂચમાં બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 થી બપોરના 3.15 વાગ્યા સુધી યોજાશે. ચાલુ વર્ષે ભાજપના આગેવાનોની બે પેનલની સામે સહકાર પેનલનો મુકાબલો થશે. પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન, સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થશે. અત્યાર સુધીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે મુકાબલો થતો હતો પણ ચાલુ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાને પણ સમરસતા પેનલ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પરિવર્તન અને સમરસતા પેનલ ભાજપના આગેવાનોની છે. બાર એસોસીએશનમાં 876 મતદારો નોંધાયેલાં છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે. મતદાન બપોરના 3.15 વાગ્યા સુધી ચાલશે. મતદાન બાદ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટી સભ્યો મળી કુલ 50 ઉમેદવારો મેદાનમાં છે. આજે શુક્રવારના રોજ મતદારો ઉમેદવારોનું ભાવિ નકકી કરશે. દરેક મતદારે 16 મત આપવાના રહેશેભરૂચ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ માટે 3 ઉમેદવારમાંથી એકને, ઉપપ્રમુખમાં 4 ઉમેદવારમાંથી એકને, સેક્રેટરીમાં 6 માંથી 2ને, ટ્રેઝરરમાં 4માંથી એકને, પુરૂષ કમિટી સભ્યોમાં 24માંથી 8ને તથા મહિલા સભ્યોમાં 9માંથી 3 ઉમેદવારને મત આપવાનો રહેશે. આમ બાર એસોસીએશનની ચૂંટણીમાં દરેક મતદારે 16 મત આપવાના રહેશે. સહકારી સંસ્થા બાદ હવે ન્યાયાલયોમાં પણ ભાજપ આમને સામને ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન ઘનશ્યામ પટેલની સામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પેનલ ઉતારી હતી. સહકારી સંસ્થાઓ બાદ હવે ન્યાયાલયમાં પણ ભાજપ વિરૂધ્ધ ભાજપનો જંગ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં બે પેનલ ભાજપના આગેવાનોની છે. એક આગેવાન તો ભાજપના લીગલ સેલના અગ્રણી પણ છે. આજે થનારા મતદાનમાં કઇ પેનલ કઇ પેનલના મતો તોડે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભરૂચ જિલ્લામાં 340 શિક્ષકોને મનોચિકિત્સકે તાલીમ આપી:બોર્ડ પરીક્ષા પહેલાં શિક્ષકો છાત્રોનો આત્મવિશ્વાસ વધારશે‎

ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 ના છાત્રોને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાનું સમાધાન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલુ છે. હવે પહેલી વખત આ વર્ષે દરેક શાળાના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકોને વિદ્યાર્થી મિત્ર બનાવવામાં આવ્યા છે. જે 340 જેલા મનોવિજ્ઞાન શિક્ષકને બાળકોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું તેની એક દિવશ્ય તાલીમ જે.પી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રાખવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ, દેખરેખ અને તેમના હિતો જાળવવા માટે શિક્ષકોને સજ્જ કરવાનો હતો. શિક્ષકોને સિવિલ હોસ્પિટલના સાયકોલોજિસ્ટ અનિતા મકવાણાએ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને તેના લક્ષણો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. મનોચિકિત્સક ડો. પ્રશાંત બામણિયાએ બાળકોમાં જોવા મળતી માનસિક તાણ અને ચિંતાના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્ર શિક્ષકની મનોવૈજ્ઞાનિક ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે બાળકોની સલામતી બાબતે સરકાર ની અપેક્ષાઓ અને કાર્યરીતિ વિશે સમજ આપી હતી. સાથે સિનિયર સિવિલ જજ પી.પી. મોકાસીએ બાળલગ્ન અટકાયત, બાળકોના અધિકારો અને રક્ષણ માટેની કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. કિસ્સો : શિક્ષકની તાલીમે છાત્રાનો જીવ બચાવ્યોતાલીમ લીધેલા એક શિક્ષકને તેમની શાળાની એક વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચાર આવતા તેનું કાઉન્સલિંગ કર્યું હતું. વિદ્યાર્થીની રોજ માથામાં દુખાવાની દવા લેવા માટે આવતી હતી. શિક્ષકે તેને પૂછ્યું તો તેને ઘરની પરિસ્થિતિને લઈને આત્મહત્યાના વિચારની વાત કરી હતી. તાલીમ લીધેલા શિક્ષકે તેનું કાઉન્સલિંગ કરતાં તેની સમસ્યા જાણી અને કોઈપણ સમસ્યા હોઇ તો અમે દૂર કરશું તેવું જણાવતાં વિદ્યાર્થીનીનો આત્મ વિશ્વાસ વધ્યો છે. શિક્ષક થોડા થોડા દિવસમાં કાઉન્સલિંગ કરતાં રહેશે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ, દેખરેખ જાળવવા માટે શિક્ષકોને સજ્જ કરાયા

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર નોલેજ:ભરૂચમાં કોંગી આગેવાનો પદયાત્રા કરે‎તે પહેલાં પોલીસે અટકાયત કરી લીધી‎

ભરૂચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પદયાત્રા શરૂ કરે તે પહેલાં પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને કલીનચીટ મળતાં પદયાત્રાનું આયોજન કરાયું હતું પણ સવારથી જ સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ખડકી દેવામાં આવી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ કાર્યવાહી રાજકીય બદલા રૂપે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત હેઠળ લીધા હતા. પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રિય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જીત થશે એવો સંદેશ આપવાના હેતુથી આ પદયાત્રાનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, યુવા નેતા શેરખાન પઠાણ સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ હેરાલ્ડ શું છે?નેશનલ હેરાલ્ડએ એક વર્તમાનપત્ર છે અને તેની શરૂઆત 1938માં પંડિત જવાહરલાલ નહેરૂએ કરી હતી. તેના સંચાલનની જવાબદારી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની હતી. આ કંપનીમાં શરૂઆતથી જ કોંગ્રેસ અને ગાંધી પરિવારનું વર્ચસ્વ હતું. 2008 માં આ ન્યૂઝપેપરને નુકસાનને કારણે બંધ કરવું પડ્યું. ત્યારબાદ કોંગ્રેસે પાર્ટી ફંડમાંથી કંપનીને વ્યાજ વગર 90 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. ત્યારબાદ સોનિયા અને રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયાનામની નવી કંપની બનાવી હતી. એસોસિએટેડ જર્નલ્સને આપવામાં આવેલી લોનના બદલામાં યંગ ઈન્ડિયાને કંપનીમાં 99 ટકા હિસ્સો મળ્યો હતો. સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયા કંપનીમાં 38-38 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીના ભાગીદાર મોતીલાલ બોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ખડકી દેવામાં આવી

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ખાસ ઝુંબેશ:ભરૂચમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બેની અટકાયત કરાઇ

ભરૂચમાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બેની અટકાયત કરવામાં આવી છે. સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મૂકવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી બે અલગ-અલગ કેસ નોંધાવી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબ્જે કર્યા છે. એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા બે કેસો ઝડપી પાડ્યા હતા. જેમાં એક કેસમાં રૂપિયા 1,790 અને બીજા કેસમાં રૂપિયા 1,360 કિંમત નો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓને પકડીને તેમની સામે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના સેવન માટે ઉપયોગમાં લેવામાં આવે છે ગોગો સ્મોકિંગ કોન સામાન્ય રીતે બજારમાં મળતું એક તૈયાર પેપર કોન હોય છે. જેમાં તમાકુ તેમજ ગાંજા ચરસ જેવા ગેરકાયદેસર પદાર્થને ભરીને ધુમ્રપાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો તેને ગોગો નામે ઓળખે છે પરંતુ હકીકતમાં તે સ્મોકિંગ માટેનું સાધન છે. જેનો ઉપયોગ કરીને નશે બાજો નશો કરતાં હોય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

શિક્ષણ:યુપીએસસી ડિફેન્સ, નેવેલ એકેડેમીની 394 પોસ્ટ માટે 12 એપ્રિલે પરીક્ષા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યૂપીએસસી)દ્વારા લેફ્ટેનન્ટની કુલ 394 પોસ્ટ પર પ્રવેશ માટેની નેશનલ ડીફેન્સ એકેડમી એન્ડ નેવેલ એકેડમી એક્ઝામ માટે અરજી માટેની 12 એપ્રિલ 2026માં યોજાનારી પરીક્ષા માટે ઉમેદવારો 30 ડીસેમ્બર સુધીમાં અરજી કરી શકશે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો upsc.gov.in, upsconli ne.nic.in વેબસાઈટ ની ચકાસણી કરી લેવા જણાવ્યુ છે. જનરલ, ઓબીસી, ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને માટે રૂપિયા 100 એપ્લિકેશન ફી રખાઈ છે. આર્મી વિંગ એનડીએ માટે કોઈ પણ બોર્ડમાં ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ શૈક્ષણિક સંસ્થાની ડીગ્રી, એનડીએની એરફોર્સ અને નેવેલ વિંગ માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. જણાવ્યુ છે. આ પોસ્ટમાં આટલી જગ્યા માટે અરજી થશે આર્મી - 208 પોસ્ટ ( 10 મહિલા ઉમેદવાર સહિત) નેવી - 42 પોસ્ટ ( પાંચ મહિલા ઉમેદવાર સહિત) એરફોર્સ - 92 પોસ્ટ ( બે મહિલા ઉમેદવાર સહિત)ગ્રાઉન્ડ ડયુટીસ(ટેક) - 18 પોસ્ટ ( બે મહિલા ઉમેદવાર સહિત) ગ્રાઉન્ડ ડયુટીસ (નોનટેક) - 10 પોસ્ટ (બે મહિલા ઉમેદવાર સહિત)નેવેલ એકેડમી - 24 પોસ્ટ ( ત્રણ મહિલા ઉમેદવાર સહિત) પોસ્ટ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર વિશેષ:પાક નુકસાન મુદ્દે જૂનાગઢ જિલ્લામાં રૂપિયા 1.21 લાખ ખેડૂતોને સહાય મળી, સૌથી વધુ વિસાવદરના 17,911

જૂનાગઢ જિલ્લામાં પાક નુકશાન સહાયની કુલ 1,21,983 ખેડૂતોને રૂપિયા 377,06,53,287ની ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે વિસાવદરના કુલ 17,911 ખેડુતોને ચૂકવણી થઇ છે. જૂનાગઢ ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોને નુકસાન થયુ હોય તેનો સર્વે કરી યોગ્ય રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાયો હતો. બાદમાં પાક માટે સરકારે ખેડૂતોને હેક્ટર દીઠ 2 2 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી જેને માટે જૂનાગઢ જિલ્લામાંથી કુલ 1,60,433 ખેડૂતોએ અરજી કરી હતી. અરજી બાદ સરકાર દ્વારા સહાયની ચૂકવણી શરૂ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,21,983 ખેડૂતોને રુપિયા 377 કરોડની સહાય ચૂકવાઇ પણ ગઇ છે. બાકીના ખેડૂતોને આવનારા દિવસોમાં ચુકવણી થઇ જશે એમ જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 1,60,433 ખેડૂતોને સહાય માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. જેમાં અત્યાર સુધીમાં કુલ 1,21,983 ખેડૂતોને સહાય ચૂકવાઇ ગઇ છે એટલે કે હવે જિલ્લામાં માત્ર 38,450 ખેડૂતોને જ સહાય ચૂકવવાની બાકી રહી છે. આટલા ખેડૂતોને ચૂકવણી કરાઇ ભેંસાણ - 10,631 ખેડૂતો - 32,83,13,623 રૂપિયા ચૂકવાયા જૂનાગઢ - 12,681 ખેડૂતો - 40,41,76,792 રૂપિયા ચૂકવાયા જૂનાગઢ (સીટી) - 542 ખેડૂતો - 1,64,76,669 રૂપિયા ચૂકવાયા કેશોદ - 14,637 ખેડૂતો - 44,46,12,649 રૂપિયા ચૂકવાયા માળીયા હાટીના - 14,926 ખેડૂતો - 43,28,91,095 રૂપિયા ચૂકવાયા માણાવદર - 16,188 ખેડૂતો - 52,35,04,019 રૂપિયા ચૂકવાયા માંગરોળ - 14,439 ખેડૂતો - 40,67,14,038 રૂપિયા ચૂકવાયા મેંદરડા - 9288 ખેડૂતો - 28,93,29,763 રૂપિયા ચૂકવાયા વંથલી - 10,740 ખેડૂતો - 33,75,07,250 રૂપિયા ચૂકવાયા વિસાવદર - 17,911 ખેડૂતો - 58,71,27,389 રૂપિયા ચૂકવાયા કુલ - 1,21,983 ખેડૂતો - 377,06,53,287 રૂપિયા ચૂકવાયા

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

રેલવે જોડાણથી રાધનપુરથી મહેસાણા-અમદાવાદ સુધીનું અંતર ઘટશે : સાંસદ:ચાણસ્મા, હારિજ, રાધનપુર અને સમીને રેલવે સાથે જોડવા માંગ

ઉત્તર ગુજરાતના સરહદી અને આર્થિક દ્રષ્ટિએ મહત્વના એવા ચાણસ્મા, હારિજ,સમી અને રાધનપુર પંથકને રેલવે નકશા પર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવા માંગ ઉઠી છે. ​પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.ચાણસ્મા, હારિજ,સમી અને રાધનપુરને રેલવે સાથે જોડાવા માટે માંગ કરાઈ છે. પ્રસ્તાવિત રેલવે રૂટ માટે ટેકનિકલ સર્વેનું કામ અગાઉ પૂર્ણ કરી દેવાયું છે. જો આ લાઇન કાર્યરત થાય તો પાટણ જિલ્લાના પછાત ગણાતા સમી-હારિરીજ પંથકનો સીધો સંપર્ક દેશના અન્ય મોટા શહેરો સાથે થશે. ​આ પ્રોજેક્ટથી ​ખેડૂતોની કૃષિ પેદાશો અને જીરું-વરિયાળી જેવા રોકડિયા પાકોના પરિવહનનો ખર્ચ ઘટશે. શંખેશ્વર તીર્થધામ નજીક હોવાથી પર્યટન અને સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થશે. રાધનપુરથી છેક મહેસાણા-અમદાવાદ સુધીનું અંતર ઘટશે અને મુસાફરી સસ્તી બનશે. આમ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા લોકહિતને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર રેલવે બજેટમાં નાણાકીય જોગવાઈ કરી વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તે હેતુથી આ રજૂઆત કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

એન્જિનને 135 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી ચકાસણી થશે:વિજાપુર–આદરજ મોટી ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ, 20 ડિસેમ્બરે સ્પીડ ટ્રાયલ થશે

વિજાપુર–આંબલિયાસણ રેલ ખંડ બાદ હવે વિજાપુર–આદરજ મોટી વચ્ચે રૂ.296.54 કરોડના ખર્ચે 39.75 કિલોમીટર લાંબા ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે વિભાગ દ્વારા નવી બ્રૉડગેજ લાઇન પર ટ્રેક ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે 20 ડિસેમ્બરના રોજ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન રેલવેનું લાઈટ એન્જિન દોડાવી સ્પીડ ટ્રાયલ લેવામાં આવશે. ટ્રાયલ દરમિયાન એન્જિનને મહત્તમ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી નવીન ટ્રેકની ગુણવત્તા, સુરક્ષા અને સ્થિરતા ચકાસવામાં આવશે. આ દરમિયાન ટ્રેક પર ટેકનિકલ ટીમો પણ કાર્યરત રહેશે. સ્પીડ ટ્રાયલને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે નાગરિકોને ટ્રાયલ દરમ્યાન રેલવે ટ્રેકની નજીક ન જવા, કોઈપણ સંજોગોમાં ટ્રેક ઓળંગે નહીં તેમજ બાળકો અને પશુઓને ટ્રેકથી દૂર રાખવા અપીલ કરી છે. ટ્રાયલ સફળ થયા બાદ આ માર્ગ પર ટ્રેન સેવા શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિજાપુર, પિલવાઈ રોડ, લોદ્રા, મકાખાડ, લિમ્બોદ્રા, ઉનાવા–વાસણા, રાંધેજા, સોનીપુર રૂપાલ અને બ્રૉડગેજ મોટી રેલવે માર્ગે જોડાશે, જેના કારણે વિસ્તારની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર ઈન્સાઈડ:પ્રેમ લગ્નની અદાવતમાં કડીના યુવકની હત્યા કેસમાં સાત આરોપીને આજીવન કેદની સજા

કડીમાં છ વર્ષ પહેલાં થયેલા પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કેસમાં મહેસાણાની કોર્ટે 7 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો છે. કેસની વિગતો અનુસાર, કડીના ઘોરી શરીફ ખાનના નાસીરખાને ઘાંચી સમાજની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની અદાવત રાખી આરોપીઓએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 23 સપ્ટેમ્બર 2019ના રોજ શરીફ ખાન પોતાના મિત્ર મોઇન મિયાં ચિસ્તી સાથે મહેસાણાથી પરત ફરી રહ્યા હતા. સાંજે 5 વાગ્યે, દોલાણી તોફિક ઉર્ફે રબરે પીકઅપ ડાલાથી નક્કી કરેલા પ્લાન મુજબ તેમની કારને ટક્કર મારી હતી. કાર ઢસડાયા બાદ અન્ય આરોપીઓએ ક્રેટા કારમાંથી આવી તલવાર, લાકડી અને લોખંડની પાઈપ જેવા જીવલેણ હથિયારોથી શરીફ ખાન પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મિત્ર મોઇન ચિસ્તી નાસી છૂટ્યો હતો. આરોપીઓએ શરીફ ખાનને માર મારીને કારમાં નાખી કડીના ચબુતરા ચોકમાં પણ લાવ્યા હતા અને ત્યાં ફરીથી મૂઢ માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શરીફ ખાનનું બીજા દિવસે, 24 સપ્ટેમ્બરના રોજ, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સરકારી વકીલ અશોક મકવાણાની દલીલો અને 73 જેટલા સાક્ષીઓની તપાસ બાદ એડિશનલ સેશન્સ જજ આર.બી. ઇટાલીયાએ તમામ 7 આરોપીઓને હત્યાના ગુનામા (કલમ 302) દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં મૃતકના મિત્ર મોઈન ચિસ્તીની જુબાની મહત્ત્વની સાબિત થઈ હતી દોલાણી તોફિક ઉર્ફે રબર અબ્દુલ રસીદ રહે. ભાગતવાડા 2. ઘાંચી અશરફ ઉર્ફે અસલો ઈબ્રાહીમ ભાઈ રહે. અલમરિયમ રેસીડેન્સી કાજી અલ્ફાઝ ઉર્ફે મકો યુસુફભાઈ રહે. સિંધી વાડા મલેક અરબાઝ ઉર્ફે બાપજી સલીમભાઈ રહે. ઘુમ્મટીયા ચોક દોલાણી રઉફ રફલો અબ્દુલ રસીદ રહે. ભાદતવાડો મલેક ઇરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ રહે અઘારવાડો અને ઘાંચી રમીજભાઈ મહમદભાઈ રહે નાનો-મોચીવાસ તમામ કડીને સજા ફટકારી હતી. કારમાં જીપીએસ ટ્રેકર ફીટ કરી યુવક સુધી પહોંચ્યા હતાપ્રેમ લગ્ન કરનાર શરીફ ખાનની હત્યા કરવા માટે આરોપીઓ દ્વારા પ્રિ પ્લાનિંગ આયોજન કરાયું હોવાનું બહાર આવ્યું હતું જેમાં આરોપીઓ દ્વારા શરીરખાન ની મુવમેન્ટ તે ક્યાં જાય છે, આવે છે તે જાણવા માટે તેની સ્વિફ્ટ ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કર્યું હતું જેને આધારે તેમને ખબર પડી હતી કે શરીર ખાન પોતાના મિત્ર સાથે કાર લઈને કડી આવી રહ્યો છે અને તે જ સમયે તેના પર હુમલો કરીને તેની હત્યાને અંજામ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

મારા કામની વાત:ધંધો બદલી વ્યવસાય વેરો ના ભરતાં 395 દુકાનદારોને મનપાએ શોધ્યા

મહેસાણા શહેરમાં ઘણા વ્યવસાયકારોના સ્થળ પર પાટીયા બદલાયા પછી નવા વ્યવસાયના પાટીયા લાગી ગયા પરંતુ આ નવા વ્યવસાય શરૂ કર્યા પછી મનપામાં ગુમાસ્તા લાયસન્સ મેળવી વ્યવસાયવેરામાં નોધણી કરાવતા નથી. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા વ્યવસાયકારોને બજાર વિસ્તારમાં ટીમરાહે સર્ચ કરવામાં આવી રહ્યા છે અને રજિસ્ટ્રેશન હેઠળ આવરી લેવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. જેમાં 18 દિવસમાં જ ન નોધાયેલ 395 વ્યવસાયકારો શોધ્યા છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ શોપિંગ સેન્ટરોમાં વ્યવસાયકર્તા હોય પણ ગુમાસ્તા કે વ્યવસાય વેરા રજિસ્ટ્રેશન કરાવેલ ન હોય તેવા તા.1થી 18 ડિસેમ્બર દરમિયાન 395થી વધારે કરદાતાઓ શોધવામાં આવ્યા છે. બીજી તરફ ચાલુ વર્ષે મનપાએ વ્યવસાય વેરા પેટે 6.30 કરોડની આવક કરી છે. જ્યારે ડિસેમ્બરના 18 જ દિવસમાં 60 લાખથી વધારેની આવક નોંધાયેલ છે. મહેસાણા શહેર અને ભળેલા તમામ વિસ્તારોને આવરી લેવાશે. ઘરે બેઠા પણ વ્યવસાય વેરો ભરી શકાશે કરદાતાઓ ઘરે કે તેમની ઓફિસ બેઠા પણ મનપાની વેબસાઇટ mahesanacity.in ઉપર જઇને તરત ઉપર પ્રોફેશનલ ટેક્ષ લખેલુ આવશે. તે પસંદ કરીને પોતાનો પીઇએન 0610થી શરૂ થતો નંબર નાખીને કર પેમેન્ટ કરી શકશે.આ ઉપરાંત મોબાઇલ એપ્લિકેશન mahesana municipal corporationની એપ પ્લે સ્ટોરથી ડાઉન લોડ કરી મહેસાણા મનપાના લોગો સાથેની એપ્લીકેશન ખુલશે તે ડાઉનલોડ કરીને પણ ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે. મનપાની મુખ્ય કચેરી અને ઝોન કચેરી, સિવિક સેન્ટર પણ પેમેન્ટ ભરી શકે. મનપામાં ભળેલ પંચાયત કચેરીમાં પણ કર્મચારી હોઇ ત્યાં પણ પ્રોફેશનલ ટેક્ષ ભરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

2006થી કોઇક કારણોસર બંધ કરાયો હતો:નારગોલ ડેપો પુનઃ શરૂ કરવા માટે તજવીજ

તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણલાલ પાટકરે જાહેરમાં નારગોલ ડેપો પુનઃ શરૂ થવા જઈ રહ્યો હોવાનું જાહેર કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી નારગોલ વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તથા મુસાફરો દ્વારા ડેપો પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી રહી હતી. નારગોલ ડેપો પુનઃ શરૂ કરવા નારગોલના સરપંચ સ્વીટી ભંડારીએ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સ્થાનિક ધારાસભ્ય પાટકરને વારંવાર રજૂઆત કરી હતી. જેના પરિણામે હવે વર્ષ 2006થી બંધ પડેલો નારગોલ ST ડેપો ફરી શરૂ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.ગુજરાત ST નિગમનું ઉમરગામ પાલિકા વિસ્તારમાં કોસ્ટલ હાઈવેને અડીને નવા ST સ્ટેન્ડનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. ઉમરગામથી અંબાજી, સોમનાથ, દ્વારકા જેવા યાત્રાધામો સુધી તેમજ તાલુકાના ગામોને જિલ્લા મથક સાથે જોડતા લાંબા અંતરના રૂટો ઉમરગામ–નારગોલથી શરૂ થાય તે માટે બંધ પડેલ નારગોલ ડેપો ફરી શરૂ કરવો અનિવાર્ય બન્યો હતો. વલસાડ જિલ્લાનો નારગોલ બીચ હવે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સંજોગોમાં નારગોલની વધુમાં વધુ લોકો મુલાકાતે આવે તેવા પ્રયાસ પણ થઇ રહ્યા હતા જેમાં નારગોલ ડેપો શરૂ કરવાની તજવીજથી પર્યટનક્ષેત્રે પણ એક નવી દિશા મળશે અને લોકોને વધુ સુવિધા પ્રાપ્ત થશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર નોલેજ:વલસાડમાં ગોગો પેપર વેચાણ પર આકસ્મિક તપાસ, પાનના ગલ્લેથી જથ્થો મળતા કાર્યવાહી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા યુવાધનને નશાના ખપ્પરમાં હોમાઇ જતાં રોકવા માટે બજારોમાં નશાયુક્ત ગોગો પેપરના વેચાણ સામે પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે જિલ્લા પોલીસે વલસાડ શહેરમાં 8 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું.જેમાં વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ખાતે એક પાનના ગલ્લાં પરથી ગોગો પેપર મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર રાજ્યમાં ગૃહ ખાતા દ્વારા ગોગો પેપરના વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર થયેલો છે.તેના ગેરકાયદે વેચાણને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ પોલીસે વલસાડ શહેરમાં પોલીસની ટીમને આકસ્મિક ચેકિંગના આદેશ આપતાં પોલીસ સક્રિય થઇ ગઇ હતી.પોલીસ ટીમે પાનના ગલ્લાં,ઓનલાઇન ડિલિવરીના સ્ટોરેજ સ્થળે ચેકિંગનો સપાટો બોલાવતાં સંચાલકો, દૂકાનદારોમાં ભારે ફફટાડ પેસી ગયો હતો. પોલીસની ટીમે પાનના નાના મોટા ગલ્લાંઓ પર પહોંચી વેચાણની ચીજવસ્તુઓને ફંફોસી ગોગો પેપરની તપાસ હાથ ધરી હતી,જેમાં ધરમપુર ચોકડી પર આવેલા એક પાનના ગલ્લાં પરથી પ્રતિબંધિત ગોગો પેપર મળી આવતાં પોલીસે સંચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં 6 મહિના સુધીની કેદરાજ્ય સરકાર ગૃહ વિભાગ, ગાંધીનગરના જાહેરનામું ક્રમાંક જીજી/164/2025 તા. 16-12-2025 મુજબ ચરસ, ગાંજા જેવા નશીલા પદાર્થો માટે ઉપયોગમાં લેવાતા GOPRO અને સમાન સ્મોકિંગ રોલિંગ પેપર માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે. આ જાહેરનામાનો ભંગ કરવો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ ગુનો છે. જેમાં એક મહિના સુધીની કેદ અથવા દંડ, અને જાહેર સ્વાસ્થ્યને જોખમ થાય તો છ મહિના સુધીની કેદ અથવા દંડ થઈ શકે છે.સરકારે હાલમાં જ ગોગો પેપર પર વેચાણ પ્રતિબંધ મુક્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

સાંસદે ગૃહમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા:VBG રામજી બિલને વલસાડ સાંસદે લાભદાયી ગણાવ્યું

નવી દિલ્હી ખાતે સંસદના નીચલા ગૃહ લોકસભામાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મહત્વકાંક્ષી ‘વી બી જી રામ જી’ (VBGRG) બિલને વલસાડ સાંસદે સમર્થન આપી ચર્ચામાં ભાગ લીધો હતો. સાંસદે આદિવાસી સમાજ અને અન્ય તમામ સમાજો માટે લાભદાયી હોવાનો મત પોતાના વ્યક્તવ્યમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલ પરની ચર્ચામાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે બિલનું પુરજોશમાં સમર્થન કર્યું હતું આ ઐતિહાસિક કદમ બદલ વડાપ્રધાન તથા કૃષિ મંત્રીનો આભાર માની જણાવ્યું હતું કે, આ બિલ દેશના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ, દલિત સમાજ અને અન્ય પછાત વર્ગો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. તેમણે કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યું કે, આઝાદીના દાયકાઓ સુધી કોંગ્રેસે આદિવાસી સમાજની વર્ષો સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી.ધવલ પટેલના આ ધારદાર સંબોધનને સંસદમાં બહુમતી સભ્યોએ પાટલી થપથપાવી વધાવી લીધું હતું.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

લોકોમાં રોષ:જાળવણીના અભાવે ઉમરગામ શહેરમાં જાહેર શૌચાલયોને તાળાં, પાણીની પરબો બિનઉપયોગી

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલય તેમજ આરઓ પાણીની પરબ જાળવણીના અભાવે બિન ઉપયોગી બનતા પાલિકાએ જ તાળાં મારી રાખતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉમરગામ બીચ જેવા પર્યટન સ્થળે જાહેર શૌચાલયને તાળાં હોવાથી પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકો, ખાસ કરી મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેઓ ખુલ્લામાં લઘુ શંકા કરવા જવા મજબૂર બન્યા છે, જે સ્વચ્છતા અને સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર બાબત ગણાય છે.તે જ રીતે લાખોના ખર્ચે ઉભા કરાયેલા આરઓ પાણીના પરબો હાલ માત્ર શોભાના ગાંઠ્યા સમાન બની રહ્યા છે. પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુકાયેલી આ સુવિધાઓ બંધ હાલતમાં હોવાથી નગરજનોને કોઈ ફાયદો મળી રહ્યો નથી. આ બાબતે સ્થાનિક નેતાઓ તેમજ કોર્પોરેટરોની નિષ્ક્રિયતા પણ ચર્ચાનો વિષય બની છે. જનહિતના પ્રશ્નો અંગે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા નગરપાલિકાની કાર્ય પ્રણાલી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.નગરજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, નગરપાલિકા તાત્કાલિક આ લોકઉપયોગી સુવિધાઓ શરૂ કરી તેનું યોગ્ય સંચાલન અને નિયમિત જાળવણી સુ નિશ્ચિત કરે, જેથી જાહેર નાણાંનો સાચો ઉપયોગ થઈ શકે અને લોકોને રાહત મળે.પાલિકા દ્વારા સફાઈ માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં અનેક સ્થળે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.ભાજપ શાસિત ઉમરગામ પાલિકામાં કાયમ આયોજન અને સંકલનનો અભાવ જોવા મળે છે જેના કારણે ઉમરગામ શહેરમાં ખર્ચતા નાણાં સામે વિકાસ દેખાતો નથી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

સરપંચ પર હુમલો:ગુંદલાવના સરપંચને જૂની અદાવતે માર મારી કાર પર પત્થરથી હુમલો

વલસાડના ગુંદલાવ ગામના સરપંચ ઉપર ધોળે દિવસે બે ઇસમોએ તેમની કાર પર પત્થરમારો કરી નુકસાન પહોંચાડી સરપંચને માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં સરપંચને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સમગ્ર બનાવ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. વલસાડ તાલુકાના ગુંદલાવના સરપંચ નિતીનભાઇ પટેલ પોતાની દીકરીને દરરોજ સવારે ટ્યુશને મૂકવા માટે નિત્યક્રમ મુજબ કાર લઇને નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં ટ્રાફિક હોવાથી કાર ધીમી પાડતાં બે ઇસમોએ તેમની કાર પર પત્થર મારી કે પેવરબ્લોક મારી કાચ ફોડી નાંખ્યો હતો.જેને લઇ કારમાં બેઠેલા સરપંચે ઉતરીને તેની તરફ જતાં હતા ત્યારે હુમલો કરનારા બે ઇસમોએ તેમને ધક્કા મારી માર મારવાનું ચાલૂ કરી દેતાં અફરાતફરી મચી ગઇ હતી. અગ્રણીઓ અને આસપાસના લોકોએ દોડી આવતાં મામલો અટક્યો હતો. સરપંચ નિતીનભાઇને માથામાં ઇજા થતાં પારનેરાપારડી હાઇવે પર હીલ ફર્સ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી મીડિયા સમક્ષ નિતીન પટેલે આ મામલે જણાવ્યું હતું કે, હુમલો કરનાર પંચાયતમાં અરજીઓના દરેક જવાબો આપ્યા છતાં જૂદા જૂદા આક્ષેપો કરે છે. જેની જૂની અદાવત રાખી હુમલો કર્યો છે.ગુરૂવારે સવારે કાર લઇ દીકરીને સ્કુલે મૂકવા જતી વેળા ટ્રાફિકને લઇ કાર ઉભી રાખી ત્યારે હુમલો કરનારા ઇસમે કાર પર પત્થર મારતાં કારમાંથી નીચે ઉતરી બહાર નિકળતાં ઇસમોએ જૂની અદાવતમાં માર મારતાં માથામાં ઇચા પહોંચી હતી.આ ઘટનામાં ઇજા પામનાર સરપંચની સારવાર દરમિયાન ભાનમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક પંચાયત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં પીઆઇ એન.એસ.ગડ્ડુના જણાવ્યા મુજબ ગુંદલાવના સરપંચ અને બે શખ્સ વચ્ચે જૂની અદાવત ચાલતી આવી હતી.જેમાં ગુરૂવારે સવારે સરપંચ નિતીન પટેલ દીકરીને ટયુશને મુકવા જતાં હતા ત્યારે ઈસમોએ કાર પર પત્થર મારી તેમને માર માર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ફરિયાદ:ઘરકામ બાબતે મેણાટોણાં મારી પરિણીતાને માનસિક દુ:ખ આપ્યું

સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં સાસરીયાએ પરણિતાને ઘરકામ બાબતે મેણાટોણાં મારી માનસીક દુ:ખ ત્રાસ આપ્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પરણિતાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં રહેતા એકતાબેન પાર્થ બગસરીયા (ઉ.વ.24)એ તેના પતિ પાર્થ નરેન્દ્ર બગસરીયા, નરેન્દ્ર કાંતીભાઈ બગસરીયા અને આશાબેન નરેન્દ્ર બગસરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સાસરીયાએ ઘરકામ બાબતે મેણાટોણાં મારી માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પાર્થ બગસરીયાએ અવારનવાર ઝગડો કરી અપશબ્દો આપી ઘરેથી મહિલાને કાઢી મુકી હતી. મેણાટોણાં મારી માનસીક દુ:ખ આપવા બદલ અંતે મહિલાએ સાસરીયા વિરૂદ્ધ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ જીતેન્દ્ર રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ખાતમુહૂર્ત:ધારીના ખોખરા મહાદેવ મંદિર પાસે અઢી કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનશે

ધારી તાલુકાના ખોખરા મહાદેવ મંદિર પાસે વર્ષો જુનો પુલનો પ્રશ્ન ઉકેલાયો છે અને અહીં અઢી કરોડના ખર્ચે બનનારા પુલનું આજે ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું હતું. ધારીના ખોખરા મહાદેવ મંદિર પાસે લાંબા સમયથી પુલની જરૂરિયાત હતી. આ અંગે ધારાસભ્ય કાકડિયા સુધી રજૂઆત ગયા બાદ તેમણે સરકારમાં રજૂઆત કરતા રૂપિયા અઢી કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું. આજે ધારીના આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કાકડિયાએ પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે કાર્યક્રમમાં ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રીતેશભાઈ શિરોયા તથા મુકેશભાઈ રૂપારેલિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા, તાલુકા ભાજપ મંત્રી ઉમેશભાઈ ધાધલ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ હિરાણી, વિજયભાઈ સાવલીયા, ગોબરભાઈ નકુમ તેમજ આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

આયોજન:બગસરા તાલુકાના પીઠડીયા મુકામે સીસી રોડ તેમજ ગટર લાઈનનું ખાતમુહુર્ત કરાયું

બગસરા તાલુકાના નાના એવા ગામ પીઠડીયા ખાતે આજે ધારાસભ્ય અને ગામ લોકોની હાજરીમાં સીસી રોડ તથા ગટર લાઈનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આજે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, દેવરાજભાઈ રાંક, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઇ બકરાણીયા, બગસરા તાલુકા પંચાયત સદ્સ્ય ચંદુભાઈ નાકરાણી, બગસરા માર્કેટિંગ યાર્ડ ચરમેન કાંતિભાઈ વેકરીયા, પીઠડીયા ગામના સરપંચ અરવિંદભાઈ ચૌહાણ, રામભાઈ વાળા, ભીમભાઈ બોઘરા, હરેશભાઈ ખેતાણી, અશોકભાઈ ગઢીયા,રાજુભાઈ રાબડીયા ખાસ ઉપસ્થિત રહિયા હતા. ગામ લોકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પીઠડીયા ખાતે નવા બનનારા આરસીસી રોડ ઉપરાંત ગટર લાઈનના કામનું ખાતમુહૂર્ત કરી કામની શરૂઆત કરાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

આત્મહત્યા:રાજુલામાં 30 વર્ષીય યુવકે ફાંસો ખાતા મોત

રાજુલામાં લીપીરનીધાર વિસ્તારમાં 30 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. પત્નિ અને બાળકો અલગ રહેતા યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે રાજુલા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના લીપીરનીધાર વિસ્તારમાં રહેતા અમરાભાઈ કાળાભાઈ કવાડએ પોલીસને જણાવ્યું હતું કે અશોકભાઈ અમરાભાઈ કવાડ (ઉ.વ.30)ના પત્નિ અને બાળકો છેલ્લા બે વર્ષથી અલગ રહેતા હતા. જેના કારણે તેને મનમાં લાગી આવ્યું હતું અને 16 ડીસેમ્બરની રાતે ઘરે જ અશોકભાઈ કવાડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. પત્નિ અને બાળકો અલગ રહેતા અશોકભાઈ કવાડે અંતિ પગલું ભરી લીધું હતું. ગળાફાંસાની આ ઘટના અંગે રાજુલા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા એએસઆઈ બી.ડી.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ફરિયાદ:પાણીયામાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી યુવક પર હુમલો

અમરેલી તાલુકાના પાણીયામાં અગાઉના ઝગડાનું મનદુ:ખ રાખી યુવક પર એક શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે યુવકને ઈજા પહોંચી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. શીવરાજભાઈ વાળા એ વાસુર ભેડા સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને પંદર દિવસ પૂર્વે ઓઘડભાઈ વાસુર ભેડા સાથે બોલાચાલી થઈ હતી. જે વાતનું મનદુ:ખ રાખી 16 ડીસેમ્બરના રોજ સાંજના સાતેક વાગ્યે વાસુર ભેડાએ શીવરાજભાઈ વાળાને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જેના કારણે શીવરાજભાઈ વાળાને ઈજા પહોંચી હતી. તેમજ વાસુર ભેડાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એમ.ડી.જોષી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

શ્રઘ્ઘાળુઓ અને ચાલકોની સુવિધા વધશે‎:લાઠી– ભુરખીયા– દામનગર રોડને 5.5 મીટરથી વધારી 10 મીટર પહોળો બનાવવા 46 કરોડ મંજૂર

અમરેલી જિલ્લામાં લાઠી– ભુરખીયા– દામનગર માર્ગને 5.5 મીટર પહોળાઈમાંથી વધારીને 10 મીટર પહોળો બનાવવા માટે રૂ. 46 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યને મંજૂરી અપાવવામાં સાંસદ ભરત સુતરીયા તથા લાઠી ધારાસભ્ય જનક તળાવીયાની સતત રજૂઆત હતી. મહત્વના યાત્રાધામ ભુરખીયાને જોડતો આ માર્ગ પાછલા ઘણા સમયથી બીચ મારા હાલતમાં હતો. લાંબા સમયથી આ માર્ગ સંકુચિત હોવાને કારણે વાહનવ્યવહાર માટે મુશ્કેલીઓ સર્જાતી હતી. ખાસ કરીને ભારે વાહનો, યાત્રિકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવર દરમિયાન અડચણોનો સામનો કરવો પડતો હતો. હવે રોડને 10 મીટર પહોળો બનાવવામાં આવશે જેથી ટ્રાફિક સમસ્યાઓ દૂર થશે. આ રોડ પર સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર આવેલ છે. જ્યાં રોજ તેમજ ખાસ તહેવારો અને મંગળવાર-શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. રોડ પહોળો થવાથી યાત્રિકોને સુગમ અને સલામત મુસાફરીની સુવિધા મળશે, જેના કારણે ધાર્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું કે, “વિસ્તારના વિકાસ માટે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું અત્યંત જરૂરી. મંજૂરીથી લોકોની વર્ષોથી રહેલી માંગ પૂર્ણ થઈ છે.” જ્યારે ધારાસભ્ય જનક તળાવીયા એ જણાવ્યું કે, “જનહિતને ધ્યાનમાં રાખી સરકાર સુધી અસરકારક રજૂઆત કરી હતી જેનું પરિણામ મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

દુર્ઘટના:નવા બનતા મકાનમાં પાણી છાંટતી વખતે વીજશોક લાગતા કિશોરનું મોત

જાફરાબાદના કેરાળા ગામે નવા બનતા મકાનમાં પાણી છાંટતી વખતે 12 વર્ષિય કિશોરને વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ સવાયો હતો. આ ઘટના અંગે જાફરાબાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. જાફરાબાદના કેરાળામાં રહેતા રમેશભાઈ ભીમાભાઈ સાખંટએ પોલીસને જણાવ્યું હતું કે તેનો દિકરો ચેતન સાંખટ (ઉ.વ.12) 16 ડીસેમ્બરના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે કેરાળામાં રણછોડભાઈના નવા બનતા મકાને પાણી છાંટી રહ્યો હતો. તે દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે સીંગલ ફેઝની ઈલેકટ્રીક મોટરમાંથી તેને વિજશોક લાગ્યો હતો. વિજશોક લાગતા કિશોરનું મોત નિપજ્યું હતું. કેરાળામાં નવા મકાનમાં પાણી છાંટતી વખતે વિજશોક લાગતા કિશોરનું મોત થતા પરિવારમાં શોક પ્રસર્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ફરિયાદ:વડિયા ગામમાં મારૂતિનગર વિસ્તારમાં રસ્તાની કામગીરી મુદ્દે આધેડ સહિતના લોકોને માર માર્યો

વડીયામાં મારૂતિનગરમાં રસ્તાની કામગીરી મુદ્દે બોલાચાલી થયા બાદ આધેડ સહિત અન્ય લોકોને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ અંગે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેતપુરમાં ખીરચરા રોડ પર રહેતા ડાયાભાઈ ઘેલાભાઈ પરમાર(ઉ.વ.51)એ વડીયાના મારૂતિનગરમાં રહેતા કનુ કહોરના દિકરા સહિત બે અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારૂતિનગરમાં આરસીસી રોડનું કામ કરતા હતા. ત્યારે કનુ કહોરનો દિકરાએ રસ્તાની કામગીરી સારી કરવા મુદ્દે મજુરો સાથે બોલાચાલી કરી હતી. તેને રસ્તાની કામગીરી અંગે દખલ અંદાજી ન કરવાનું કહેતા કનુ કહોરના દિકરા સહિત બે અજાણ્યા શખ્સોએ ડાયાભાઈ પરમાર, પ્રફુલભાઈ અને પ્રવિણભાઈને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. આ અંગે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ડીવાયએસપી પી.આર.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

આત્મહત્યા:પુત્ર બાજુના ગામની પરિણીતાને લઈ નાસી ગયો હોય પિતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

લાઠી તાલુકાના રાભડા ગામનો યુવાન એક પરણિતાને એક પુત્રી સાથે ભગાડી ગયો હોય આ યુવકના પિતાને લાગી આવતા તેમણે લીલીયાના હાથીગઢ નજીક ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, લાઠી તાલુકાના રાભડા ગામના અમરસિંહભાઈ નાગજીભાઈ પંચાસરા (ઉ.વ.55) નામના આઘેડે ગઈકાલે બપોરે લીલીયા તાલુકાના હાથીગઢ ગામની સીમમાં આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે અહીંથી પસાર થતી ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મૃતક અમરસિંહભાઈનો પુત્ર અક્ષય ધામેલ ગામની એક પરણિતાને તેની પુત્રી સાથે ભગાડી ગયો હતો. જે બાબતે પરણિતાના પતિએ લાઠી કોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે તેમને કોર્ટ મુદ્દતમાં જવુ પડ્યું હતું. મૃતક અમરસિંહભાઈ છેલ્લા ત્રણ દિવસથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા અને ઘરે પણ ગયા ન હતા. આ બનાવ અંગે લીલીયા પોલીસે ધોરણસરની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

જમીન તકરારનું નિરાકરણ:નાયબ કલેકટર દ્વારા રૂબરૂ રેકર્ડ મુજબ જમીન માપણી કરી ચારેબાજુ હદ નિશાન લગાવડાયા

ચોટીલાના ડાક વડલા ગામે ફોરેસ્ટ વિભાગ અને ખેડૂત વચ્ચે જમીન કબજા અંગે તકરાર તેના નિરાકરણ માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા રૂબરૂ ખેડૂત અને ફોરેસ્ટ અધિકારીને સ્થળ પર બોલાવી ડીએલઆર સાથે રાખી ખેડૂતની જમીન અને ફોરેસ્ટ વિભાગ જમીનના પ્રશ્નોનો નિરાકરણ લાવવામાં આવ્યો હતો. ચોટીલાના ડાક વડલા ગામના ખેડૂત કેશુભાઈ રત્નાભાઇની જમીન અને ફોરેસ્ટ વિભાગની જમીન બાજુમાં આવેલી હોવાથી તેમાં બંને તરફથી જમીન કબજા અંગે તકરાર ચાલતી હતી. તેમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને ધ્યાને આવતા અરજદાર કેશુભાઈ રત્નાભાઇ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને બોલાવીને બંનેની રજૂઆતો સાંભળી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા અરજદાર કેશુભાઈ રત્નાભાઇ અને ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓ અને મામલતદારની ટીમ સાથે ડાક વડલા ગામે પહોંચી ડીએલઆર ટીમ દ્વારા રેકર્ડની ચકાસણી કરી જમીન માપણી કરી અરજદાર કેશુભાઈ રત્નાભાઇ અને ફોરેસ્ટ વિભાગના હદ નિશાન, કબજા અંગે ચારે બાજુ ફરી હદ નિશાન લગાવવામાં આવ્યા હતા. તેમાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી મકવાણા અને તેમની ટીમ, ચોટીલા રેન્જ ફોરેસ્ટર નટવરભાઈ રોજાસરા, અરજદાર કેશુભાઈ રત્નાભાઇ, ડાક વડલા ગામના આગેવાનો સાથે રહી જમીન તકરારનું નિરાકરણ કરવામાં આવ્યું હતું

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:અંતે 118 દિવસ બાદ દૂધરેજ પુલ‎ચાલુ થયો, 20 મિનિટ બચશે‎

સુરેન્દ્રનગરની સાથે પાટડી, ધ્રાંગધ્રા, મોરબી, કચ્છ સુધી જવા માટેના એક માત્ર દૂધરેજના રસ્તા ઉપરનો પુલ જર્જરિત થતા પુલ બંધ કરીને રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. 15 હજારથી વધુ લોકોની અવાર જવાર ધરાવતો પુલ અંતે 118 દિવસ બાદ ગુરૂવારે ખુલ્લો મુકાયો છે. પુલ જર્જરિત રીપેરીંગ કામ હાથ ધરાયું હતું. આ કામ 90 દિવસમાં પૂરું કરવાનું હતુ. જેને 118 દિવસ થઇ ગયા. પુલના કામ દરમિયાન જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે અંદાજે 3 કિમીથી વધુનુ હતું. ત્યારે ગુરૂવારે સાંજે ધારાસભ્ય જગદીશ મકવાણાના હસ્તે આ પુલ ખુલ્લો મુકવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ લોકોની 20 મિનિટ બચી જશે. એફઆરસીટ બ્રિજને મજબૂત બનાવશે દુધરેજ કેનાલ બ્રીજ પાણીની ઉપર હોવાથી તેના કારણે સીમેન્ટ કોંક્રીટને નબળુ પડતું હતું. આથી આ પુલની આવદા વધારવા કાટ ન લાગે માટે આયોજન કરાયું છે. નર્મદા વિભાગના એન્જિનિયર વિજયભાઇએ જણાવ્યું કે નવા ટેન્ડરની આ મહિનામાં મંજૂરી આવી જાય એટલે પાણીનું લેવલ થોડુ ઓછુ કરી એફઆરસીટ નાંખાશે. જે કાર્બન ટાઇપની આવે જેથી પાણીથી નુકશાન ન થાય અને સ્ટ્રેન્થ વધે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર એનાલિસીસ:PUCના ભાવમાં રૂ. 10થી 50 સુધીનો વધારો, અમલ શરૂ

ચિંતન મહેતાવાહનોના પીયુસી પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ માટેની ફીમાં વધારો કરાયો છે. વાહનવ્યવહાર વિભાગ તરફથી નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. જે મુજબ ટુવ્હીલર, કાર અને ભારે વાહનોમાં પીયુસી માટે હવે નવા દર વસુલાશે. જેમાં ટુવ્હીલરના પહેલાં રૂ. 30 હતા દે હવેે 50 થયા અને કારના 80 હતા જેના 130 થયા. રાજ્યમાં સેન્ટરોમાં હવે નવા ભાવનો અમલ કરાશે. પીયુસી સેન્ટરના માલિકો નિયત ફ્રી સિવાય વધારાનો એક પણ રૂપિયા વસૂલી શકશે નહીં. વાહનવ્યવહાર વિભાગ દ્વારા અંદાજે આઠ વર્ષ પહેલા ભાવ વધારો કરાયો હતો. હવે 2025માં 50 ટકાથી લઈ 97 ટકા સુધીનો વધારો કરાયો હતો. રાજ્યના વિવિધ પીયુસી સેન્ટરોમાં તો નવા ભાવનો અમલ શરૂ કરી દેવાયો છે. રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ)ની ફીમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે.‎આ નવા ભાવ વધારાની સીધી‎અસર સુરેન્દ્રનગર જિલ્લાના ‎મધ્યમ વર્ગ અને ટ્રાન્સપોર્ટરો‎પર જોવા મળશે. જિલ્લામાં વર્ષે‎ સરેરાશ 1 લાખથી વધુ‎વાહનચાલકો પીયુસી કઢાવતા‎હોય છે, જેમના પર હવે વાર્ષિક‎લાખો રૂપિયાનો વધારાનો‎આર્થિક બોજો આવી પડશે.‎ સુરેન્દ્રનગર જિલ્લાની સ્થિતિ: રેવન્યુમાં થશે મોટો ઉછાળો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 50 જેટલા પીયુસી સેન્ટરો કાર્યરત છે. સરકારી આંકડા મુજબ, ચાલુ વર્ષે 18 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં 91,002 પીયુસી સર્ટિફિકેટ નોંધાયા છે, જેનાથી સરકારને 1,64,600ની રેવન્યુ પ્રાપ્ત થઈ છે. જોકે, હવે નવા ભાવ અમલી બનતા આ આંકડો બમણો થઈ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે 1 લાખથી વધુ વાહનચાલકો પીયુસી કઢાવતા હોય, જો સરેરાશ વધારો ગણવામાં આવે, તો સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ સામૂહિક રીતે વાર્ષિક રૂપિયા 13,000,000 વધુની વધારાની રકમ ચૂકવવી પડશે. વાહનની કેટેગરી પ્રમાણે નવા ભાવ ટુવ્હીલર જૂના ભાવ 30, નવા ભાવ 50, ભાવ વધારો 20, થ્રી વ્હીલર જૂના ભાવ - 50, નવા ભાવ - 60 ભાવ, વધારો - 10, કાર(સીએનજી, પીજી, પેટ્રોલ) જૂના ભાવ - 80, નવા ભાવ - 130, વધારો 50, ડીઝલ અને હેવીમોટર જૂના ભાવ - 100, નવા ભાવ - 150, વધારો - 50. આ વર્ષે 17567એ પીયુસી ન કઢાવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં પીયુસી ન કઢાવનાર વાહનચાલકોની વાત કરીએ તો 2024-25માં અત્યાર સુધીમાં 1,55,805 વ્હિકલ ડિફોલ્ટર ધ્યાને આવ્યા છે. જેની સરખામણી ગત વર્ષની સાથે કરીએ તો તો વર્ષ 2023-24માં 1,38,238 પીયુસી ડિફોલ્ટરો ધ્યાને આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

મહેસૂલી કર્મચારી મંડળમાં રોષ:પોલીસ સુરક્ષાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કર્મચારીઓ પર હુમલાઓના બનાવો વધતા જાય છે. જેને લઇ મહેસુલી કર્મચારી મંડળમાં રોષ ફેલાયો હતો. જેને લઇ કલેકટર કચેરીમાં આવેદન પાઠવી પોલીસ સુરક્ષા આપવા અને હુમલો કરનાર સામે કાર્યવાહીની માંગ કરાઇ હતી. સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા નાયબ મામલતદાર અને તેમની ટીમ પર અસામાજિક તત્વો દ્વારા આયોજનબદ્ધ રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ પ્રમુખ હરદેવસિંહ પઢીયાર, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ મસાણી, મહામંત્રી અનિરૂધ્ધસિંહ ચાવડા સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ગત તા. 15મીએ રાત્રિના સમયે પ્રાંત અધિકારી ચોટીલાની સૂચના મુજબ નાયબ મામલતદાર તરુણભાઈ દવે અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આવી ઘટનાઓ ચિંતાજનક છેફરજ પરના કર્મચારી પર હુમલો એ ગંભીર ગુનો છે. આ ઘટનાથી રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ હિંસક ઘટના શારીરિક નુકશાન થાય તે મુજબની છે જ પરંતુ મહેસુલી કર્મચારીના મનોબળને નકારાત્મક અસર કરે તે મુજબની છે. આથી મહેસુલી કર્મચારીને સુરક્ષા મળે ભવિષ્યમાં આવી દુર્ધઘટના ન થાય તે માટેહુમલો કરનારને તાત્કાલીક પકડી પાડી કડક કાર્યવાહીની માંગ કરી છે. > હરદેવસિંહ પરઢીયાર, પ્રમુખ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

વાતાવરણ:ઠંડીનું જોર ઘટ્યું, પારો અડધો ડિગ્રી ઉંચકાયો

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી સુધી ઊંચકાયને 16.5 ડીગ્રીએ પહોંચી ગયો હતો. પવનની ગતિ ઘટતા તથા તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીનું જોર ઘટી જવા પામ્યું છે. જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છેકે ગત 2 દિવસ ન્યુનત્તમ તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ 8 કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા ઘટાડા અને તાપમાનમાં વધારો થતા ઠંડીનું જોર ઘટી જવા પામ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો 30 ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 72 ટકા રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

જાનહાનિ ટળી:બંધ મકાનમાં આગમાં ફાયરની ટીમે રોકડ, દાગીના બચાવી લીધા

જામનગર શહેરના બાલાજી પાર્કમાં પરપ્રાંતિય પરિવારના બંધ રહેણાંક મકાનમાં આગ ભભુકી ઉઠતા ફાયરના જવાનોએ રોકડ અને દાગીના બચાવી લીધા હતા. જ્યારે મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શહેરના એરફોર્સ-2 રોડ પર બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અખિલભાઈ શર્મા નામના પરપ્રાંતિય આસામીના પત્ની બુધવારે સાંજે બજારમાં શાકભાજી ખરીદવા માટે ગયા હતા. આ દરમિયા થોડીવાર માટે બંધ રહેલા બંધ મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. પાડોશીઓએ મકાન માલિકને જાણ કરતા તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. આગ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરના જવાનોએ ઘરમાં રહેલા કબાટમાંથી રોકડ રુપિયા અંદાજે પંદરેક હજાર તેમજ સોના-ચાંદીના દાગીના બચાવી લીધા હતા. પરંતુ આગમાં ફર્નિચર, ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તો રોકડ અને દાગીના બચાવીને મકાન માલિકને સોંપી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને એક ગાડીના પાણીનો મારો ચલાવીને એકાદ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ ઘરવખરી બળી ગઈ હતી. પરંતુ ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને પ્રથમ રોકડ, સોના-ચાંદીના દાગીનાને બચાવી લીધા હતા. આ સમયે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આગ બુઝાવવા માટે મદદ કરી હતી. તમામ ઘરવખરી બળી જતા પરિવારને સંબંધિના ઘરે આશરો લેવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

બેઠક:જામ્યુકોની આજે સામાન્ય સભા વિપક્ષ પ્રશ્નોની પસ્તાળ પાડશે

જામનગર મહાનગરપાલીકાની દર બે માસે યોજાતી સામાન્ય સભા આજે તા.19ને શુક્રવારે પાલિકાના સભાગૃહમાં મેયરના અધ્યક્ષસ્થાને યોજાશે.જેમાં વિપક્ષી સભ્યો પ્રશ્નોની પસ્તાળ પાડે તેવા સંકેતો મળી રહયા છે. જેમાં વિપક્ષ રસ્તાની મરામત કામગીરી, ડોર ટુ ડોર કચરા એકત્રિકરણના નવા કામ, પીએમજેવાય કાંડ મુદદે મનપાના આરોગ્ય તંત્રે લીધેલા પગલાઓ સહિતના પ્રશ્નોની ઝડી વરસાવે તેવા સંકેત વચ્ચે તડાપીટની શકયતા જોવા મળી રહી છે. આજે યોજાનારી જનરલ બોર્ડની બેઠકમાં એમ્યુઝમેન્ટ પાર્કથી મેહુલનગરથી ખોડીયાર કોલોની રોડ તરફ જતા રોડ ઉપર મ્યુ. કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-2ના ફાઈનલ પ્લોટ નંબર 67 પૈકીની જગ્યામાં આવેલો 2121 ચોરસ મીટરનો પ્લોટ એક ભાગીદારી પેઢીને વેંચવા, મેહુલનગર રોડ ઉપરની સોસાયટીઓમાં ટીપી સ્કીમ નંબર-2માં બીજી વખત ફેરફાર કરીને સરકારને મોકલવા તેમજ વોટર વર્કસ વિભાગમાં 20ને બદલે 25 ઈન્સ્પેક્ટરોની ભરતી યોજવાના ઠરાવોનો એજન્ડામાં સમાવેશ થયો છે. જયારે પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષી સભ્યો દ્વારા પીએમ જેએવાય કાર્ડમાં થયેલા અપોરેશનો અંગે રાજ્ય સરકાર દ્વારા દંડાયેલી હોસ્પિટલો સામે મ્યુ. આરોગ્ય તંત્રએ કોઈ પગલા લીધા છે કે કેમ ? તે અંગે તેમજ આંગણવાડીને લગતી બાબતો તથા શહેરના માર્ગોના ખોદકામ અને પછી તેને પુરવા માટે મરાતા થીગડાઓની પોલીસી તેમજ પ્રશ્નો મુદ્દે તડાફડીભરી રજુઆતો થવા પણ શક્યતા છે. મનપાની ગત ચુંટણીમાં 64 પૈકી 50 સભ્યો ભાજપ, 11 સભ્યો કોંગ્રેસ અને ત્રણ બસપાના ચુંટાયા હતા. જે પૈકી વિપક્ષના કોંગ્રેસ જુથમાંથી ત્રણ સભ્યો છુટા પડી આપમાં જતા વિરોધ પક્ષ કોંગ્રેસનુ સંખ્યાબળ 8નુ થયુ છે. સામાન્ય સભામાં તડાપીટની શક્યતા જાણકારો વ્યકત કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:શહેરમાં હવા પ્રદુષણ ફેલાવતા 57 બાંધકામ સાઈટ્સના બિલ્ડરોને રૂા.5.70 લાખનો દંડ

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા બાંધકામની સાઈટ ઉપર જામ્યુકો તંત્રએ ચેકીંગ હાથ ધરીને હવા પ્રદુષણ અંગેના નિયમોની અમલવારી ન કરનારા 75 બાંધકામ સાઈટ ચેક કરવામાં આવી હતી. જેમાં નિમયોનો ભંગ કરનાર 57 બાંધકામ સાઈટસ સામે દંડાત્મક કાર્યવાહી કરીને રૂ.5.70 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. બાંધકામ સાઈટસને ગ્રીન નેટ કવરેડ કરાવવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારો તેમજ નવી બનતી સોસાયટીઓમાં અંદાજે 4000 જેટલા બાંધાકામો થઈ રહ્યા છે. જેમાં અમુક બાંધકામો સાઈટસ ઉપર હવા પ્રદુષણ અંગેના નિયમોનો ભંગ કરવામાં આવતો હોવાથી મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની ટીમ દ્વારા બાંધકામ સાઈટસનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં 75 બાંધકામોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલી બાંધકામોની સાઈટ ઉપર હવા પ્રદુષણ અંગેના નિયમોનો ભંગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી ટીપીઓ શાખાએ જે તે બાંધકામના બિલ્ડરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 57 બિલ્ડરો પાસેથી રૂ.5.70 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ બિલ્ડરો પાસેથી દંડ વસુલવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડરોને હવા પ્રદુષણ અને નિયમોની અમલવારી કરવાની સુચના આપીને બાંધકામ સાઈટસને ગ્રીન નેટથી આવરી લેવડાવામાં આવી છે. જેથી શહેરમાં ચાલતી બાંધકામની સાઈટો હવા, પ્રદુષણના નિયમોનો ભંગ કરનારા તમામ બાંધકામોને ગ્રીન નેટ કવરેડ કરાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં અનેક નવી સોસાયટીઓ બની છે. જેમાં મોટા પાયે બાંધકામો ચાલી રહ્યા છે. જેમાં અમુક બાંધકામ સાઈટસમાં બિલ્ડરો નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેથી તેની સામે ક્યારે..? પગલા લેવાશે, તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. નિયમોની અમલવારી કરાવાશે..! શહેરમાં બાંધકામ સાઈટ્સ ઉપર કડક હાથે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, જેમા રજાચીઠ્ઠીના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બાકી છે તે બાંધકામોનું પણ ચેકીંગ કરવામાં આવશે, જેમાં રજાચીઠ્ઠીના નિયમોનો અમલવારી કરાવવામાં આવશે, જે બિલ્ડરો દ્વારા નિયમોનો ભંગ કરશે તેની સામે દંડાત્મક સહિતના પગલા લેવામાં આવશે.) જામ્યુકોના ટીપીઓ શાખાના અધિકારી

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

આયોજન:જામનગરમાં લાલપુર-ખંભાળિયા રોડ પર બે આધુનિક સુવિધાસભર સિવિક સેન્ટર બનાવાશે

જામ્યુકોની હદ વિસ્તાર વધ્યા બાદ શહેરના નગરસીમ સહિત ખંભાળિયા હાઇવે રોડ ઉપર તેમજ લાલપુર રોડ ઉપર ખુબ જ વસ્તી સહિત વિસ્તારનો વ્યાપ થયો છે. અહીના શહેરીજનોને પણ મનપાની વિવિધ સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થાય માટે લાલપુર રોડ ઉપર સિવિક સેન્ટર તેમજ ખંભાળિયા હાઇવે રોડ ઉપર પણ રૂપિયા 5.20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. જામ્યુકોના કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.7માં ખંભાળિયા રોડ ઉપર તેમજ વોર્ડ નં.15 અને 16 ને જોડતા લાલપુર રોડ ઉપર આધુનિક સગવડતાઓ સાથેનું સિવિક સેન્ટરો બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ અંગે પ્રોજેક્ટ અને પ્લાનીંગ શાખાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લાલપુર રોડ ઉપર રૂા.2.60 કરોડના ખર્ચે સિવિક સેન્ટરનું નિર્માણ કરાશે. આ સિવિક સેન્ટર 16484 ચો.ફૂટમાં આકાર પામશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર મળીને કુલ 6717 ચો.ફૂટમાં બાંધકામ થશે. આ સિવિક સેન્ટર ઉપરાંત વોર્ડ નં.7 એટલે કે ખંભાળિયા રોડ ઉપર પણ રૂા.2.60 કરોડના ખર્ચે સિવિક સેન્ટર નિર્માણ થશે. જે સિવિક સેન્ટર 48321 ચો.ફૂટમાં હશે. બે માળના આ સિવિક સેન્ટરનું 6717 ચો.ફૂટમાં બાંધકામ થશે.શહેરના દૂરના વિસ્તારમાં વસતા શહેરીજનોને મહાનગરપાલિકાને લગતી દૈનિક ફરિયાદો અને જરૂરિયાતોને વધુ અસરકાર રીતે પહોંચી વળવા આ સિવિક સેન્ટર ખૂબ જ ઉપયોગી બનશે. આમ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ બે સિવિક સેન્ટરોની ભેટ પ્રાપ્ત થશે. ટેક્સ કલેકશન માટે ચાર રૂમ, ચાર ઓફિસ અને લીફ્ટ કેબીન સાથે આધુનિક ડિઝાઇન સાથેનું સ્ટ્રકચર ઉભું કરાશે. આ સિવિક સેન્ટરો સંબંધિત વિસ્તારોના રહેવાસીઓને હાઉસ ટેક્સનું ચુકવણું કરી શકશે. તેમજ તેમની ફરિયાદો અને તકલીફોના નિકાલ માટે પણ સિવિક સેન્ટર ઉપયોગ બનશે. આ બિલ્ડીંગમાં ઝોન ઓફિસ પણ કાર્યરત હશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

શાળાઓમાં શિક્ષણ ખોરવાયું:દીવાળી વેકેશન બાદ 40 દિવસે સરકારી શાળાઓમાં ભણતર શરૂ થયું

સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 1580થી વધુ બીએલઓ કાર્યરત હતા. જેમાંથી મોટાભાગના શિક્ષકો હોવાથી દીવાળી વેકેશન ખુલ્યા બાદ 40 દિવસથી શાળામાં જઈ શકતા નહોતા. ત્યારે હવે આ શિક્ષકોને સ્કૂલે જવા સૂચના અપાઈ છે. જિલ્લામાં દિવાળી પછી તા. 6-10-2025એ વેકેશન ખુલ્યું હતું. પછી તરત જ શિક્ષકોને એસઆઈઆરના ઓર્ડર આપી દેવાથી આ શિક્ષકો શાળાઓમાં શિક્ષણ ખોરવાયું હતું. ભણાવવા સિવાયના કામો ન સોંપાય તો શિક્ષણ સુધરી શકે એક શિક્ષકને શાળામાં જઈને ભણાવવા સિવાય અનેક કામો સોંપાય છે. જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે. અમે હવે સરકારને હાથ જોડીને વિનંતી કરીયે છીએ કે બાળકોના ભવિષ્યના ભોગે શિક્ષકો પાસે સરકારી કામગીરી કરાવવી બંધ કરે. જેથી અમે અમારું મુખ્ય કામ એટલે વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય કરી શકીએ. શિક્ષકોને ભણાવવા સિવાયના કામો ન સોંપાય તો જ શિક્ષણનું સ્તર સુધરી શકે. > પારૂલબેન ગોહિલ અનુસંધાન પાના નં. 3 ઉપર

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ધરપકડ:પોરબંદરમાં સાયબર ફ્રોડના ગુન્હામાં વધુ એક આરોપી અમરેલીથી ઝડપાયો

ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ છે, જેમાં મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI બેંક એકાઉન્ટ નં. 41482274761 વિરૂધ્ધમાં અલગ-અલગ રાજયોમાંથી કૂલ 6 કંપ્લેઇન દાખલ થયેલ હોય, અને રૂ. 7,50,000 જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક સહિત અન્ય માધ્યમ દ્વારા KYC ધારક અને સહઆરોપીઓ દ્વારા રૂપિયા ઉપાડી લીધેલ હોય, જેથી તા. 14/12ના રોજ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સાયબર ફ્રોડનો ગુન્હો દાખલ કરી, બેંક એકાઉન્ટ ધારક તથા તેને મદદકરનાર સહઆરોપીઓ વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની ગુન્હો નોંધી પીઆઇ એસ.આર. ચૌધરી દ્વારા તપાસ સંભાળી હતી અને ગણતરીના કલાકોમાં બેંક એકાઉન્ટ ધારક પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ શીતલપાર્કમાં રહેતો અક્ષય કુમારભાઇ ચુડાસમાને તથા સહઆરોપી વિસાવદર તાલુકાના વીરપુર ગામનો જીગર મધુભાઇ શિરોયા અને જૂનાગઢનો ચિન્ટુ ઉર્ફે કારો હરેશ ચુડાસમાને શોધી કાઢી આ ગુન્હામા અત્યાર સુધીમાં 3 આરોપીની અટક કરી કાર્યવાહી કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આ ત્રણેય આરોપીને કોર્ટમાં.રજૂ કરી જેલ હવાલે કર્યા છે.આ દરમ્યાન પીઆઇ એસ.આર. ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરી આ સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ ચોથો આરોપી જૂનાગઢના મંડલીકપુરનો જય ગોપાલ રામોલીયા ને અમરેલી ખાતેથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ સાયબર પોલીસ દ્વારા સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ ચોથો આરોપી જય ગોપાલ રામોલીયાને ઝડપી લઇ તપાસ કરતા આ આરોપી વિરુધ્ધ અમરેલી ખાતે સાયબર ફ્રોડનો ગુન્હો દાખલ થયેલ છે. ઉલ્લેખનીય છેકે, પોરબંદરના સાયબર ફ્રોડમાં રૂ. 7.50 લાખના આ ગુન્હામાં તપાસ દરમ્યાન મોટા માથાઓની સંડોવણી બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

મનપાની લાલઆંખ:10થી વધુ વેપારીનો સામાન, લારી, કેબિન‎4 ટ્રેકટર ભરાય તેટલો સામાન જપ્ત કર્યો‎

પોરબંદરમાં મનપા દ્વારા લારી, કેબિનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને દુકાનો બહાર અડચણ રૂપ સામાન દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મનપા ટીમ દ્વારા ગુરુવારે સવારે બજારમાં ફરીને 10થી વધુ વેપારીના સામાન, લારી, બંધ કેબિન સહિતનો સામાન જપ્ત કર્યો હતો અને 6 વેપારીને રૂ. 3 હજારનો દંડ ફટકાર્યો હતો. પોરબંદર મનપાના કમિશનર પ્રજાપતિ દ્વારા શહેરના વેપારીઓને ખાસ સૂચના આપી હતી જેમાં દુકાન બહાર કચરો ન નાખવા તેમજ દુકાન બહાર ઓટલા અને રોડ પર સામાન ન રાખવા જણાવ્યું હતું તેમજ લારી કેબિન હટાવી લેવા જણાવ્યું હતું. તાજેતરમાં મનપા દ્વારા સ્વરછતા અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી છે અને મુખ્ય બજારમાંથી લારી કેબિનો દૂર કરાવવામાં આવી છે, ત્યારે કમિશનરની સુચના મુજબ મનપાના સેનીટેશન વિભાગના સબ ઇન્સ્પેક્ટર આશિષ સોલંકી, રૈયા મોરી, જયભાઈ, દીલસુખભાઈ, હેમાંશુ બામણીયા તેમજ માર્કેટ વિભાગના રમેશ વાંદરિયા સહિતની ટીમે સવારે પોરબંદરના હરીશ ટૉકીઝ થી મેમણવાળ સુધીના મુખ્ય રોડ, બંગડી બજાર, જૂની પોલીસ લાઇન રોડ પર ચેકીંગ કર્યું હતું અને દુકાનો બહાર રાખવામાં આવેલ સામાન જેમાં લારીઓ, બારી બારણાના બારસાખ, ભંગાર, ખુડશીઓ, ડેરી અને બ્યુટીપાર્લરના બોર્ડ સહિતનો સામાન જપ્ત કર્યો હતો. સામાન વધુ હોવાથી ટ્રેકટરના 4 ફેરા કર્યા હતા. બજારમાં આવેલ બંધ કેબિન સહિત સામાન પણ જપ્ત કર્યો હતો. આ દરમ્યાન એક વેપારી સાથે રકઝક થતા કીર્તિમંદિર પોલીસના પીઆઈ જે.જે. ચૌધરીને જાણ કરતા તેઓ સહિતની ટીમ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. મિડલ સ્કૂલ મુખ્ય રોડ પર અલ્ટીમેટમની અસર મનપા ટીમ દ્વારા ગઈકાલે બુધવારે સેનીટેશન વિભાગની ટીમ દ્વારા સાંજના સમયે એમજી રોડ પર નીકળી અને લારી ધારકો તથા મિડલ સ્કૂલ મુખ્ય રોડ પર ઉભેલા બેન્ડ પાર્ટીની લારી ધારકોને લારી હટાવી લેવા ખાસ સૂચના આપી 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારે સવારથી જ બેન્ડ પાર્ટીના ધારકોએ સ્વૈરિછક રીતે લારી હટાવી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 4:00 am

ગાંધીનગરની યુવતી પાસે બિઝનેસમેન પતિ-પાઇલટ સસરાએ 5 કરોડનું દહેજ માગ્યું:125 તોલા સોનું, 6 KG ચાંદી ને ટાટા હેરિયરની માગ કરતા પિતાએ 11 લાખ આપ્યા, સાસરિયા સામે ફરિયાદ

ગાંધીનગરમાં રહેતી યુવતીએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરિયા સામે દહેજ અને શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન ખાતે રહેતા અને હેલિકોપ્ટર પાઇલટ તરીકે ફરજ બજાવતા સસરા અને માઇન્સનો બિઝનેસ કરતા પતિએ પિયર પક્ષે લગ્ન સમયે 11 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના આપ્યા છતાં 5 કરોડનો ખર્ચ માગી શારીરિક માનસિક ત્રાસ આપી ટ્રકમાં સામાન ભરી યુવતીને પિયર તગેડી મૂકી હતી. સગાઈ વખતે 2 તોલા સોનું અને 5,100 રોકડ આપી હતીગાંધીનગરના પીંડારડા ગામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન 21 નવેમ્બર 2021ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના ડીગરના ગામના વતની અને હાલ પાઇલટ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ રાઠોડના પુત્ર રણશેરસિંહ સાથે થયા હતા. સગાઈ વખતે જ પિયર પક્ષ દ્વારા 2 તોલા સોનું અને 5,100 રોકડ આપવામાં આવી હતી. 125 તોલા સોનું, 6 કિલો ચાંદી અને ટાટા હેરિયર કારની માગ કરીલગ્ન પહેલાં સાસરી પક્ષે 125 તોલા સોનું, 6 કિલો ચાંદી અને ટાટા હેરિયર કારની માગણી કરી હતી. દીકરીનું ઘર ન બગડે તે હેતુથી પિતાએ લગ્ન પહેલાં જ 11 લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા અને મોંઘું ફર્નિચર પણ આપ્યું હતું. જોકે, લગ્ન બાદ સાસરી પહોંચતા જ સાસુએ અમારે તો 5 કરોડનો ખર્ચ થાય તેવું ઘર જોઇએ તેમ કહીં મેણાંટોણા મારવાનું શરૂ કર્યું હતું. પરિણીતા પિયર આવતા જ ટ્રક ભરી ઘરવખરી-કપડાં મોકલી દીધાજ્યારે પતિ રણશેરસિંહ અવારનવાર દારૂ પીને તેણીની સાથે મારઝૂડ કરી અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધો રાખતો હતો. ત્યારે ફેબ્રુઆરી 2023માં તબિયત ખરાબ હોવાથી પરિણીતા પિયર આવી હતી. ત્યાર બાદ સાસરી પક્ષે તેનો સંપર્ક તોડી નાખ્યો અને ત્રણ માસ બાદ ઘરવખરીનો સામાન અને કપડાં ટ્રકમાં ભરી પિયર મોકલી આપ્યા હતા. જ્યારે કરિયાવરમાં આપેલા સોનાના દાગીના પરત માંગતા સાસરીયાઓએ દાગીના ચોરી થઈ ગયા છે તેવું કહી હાથ અધ્ધર કરી લીધા હતાં. પરિણીતાએ પતિ તેમજ સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવીતેમ છતાં સમાજના આગેવાનો દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા તોય સાસરીયાઓએ માગણી મુજબનું કરિયાવર નહીં મળે ત્યાં સુધી પગ મુકવા દેવો નથી તેવી જીદ પકડી હતી. આખરે સાસરીયાઓના અસહ્ય ત્રાસ અને દહેજની ભૂખ સામે હારીને પરિણીતાએ પતિ રણશેરસિંહ રાઠોડ, સસરા વિક્રમસિંહ અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 12:05 am

સનરાઇઝ ટાવરમાં દેહવ્યાપારનો પર્દાફાશ:ગુપ્ત ભોંયરા અને સીડીથી ભાગતી મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા, બેની ધરપકડ, 11 યુવતીઓનું રેસ્ક્યુ કરાયું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઇઝ ટાવરમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. બે આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી મહિલા જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતીએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ એક મહિલા આર્થિક લાલચ આપીને પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતી હતી અને ઇચ્છુક ગ્રાહકો સાથે 1200થી 1500 રૂપિયા રોકડા રૂપિયાની લેવડ-દેવડ કરી અનૈતિક દેહવ્યાપાર કરાવતી હતી. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને છોડાવવામાં આવીદેહવેપાર ચાલતો હોવાની બાતમી મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને છોડાવવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજે તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી. ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતુંપોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતાં આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બેસાડવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું, ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી મકાનમાંથી નીચેના માળે આવેલ દુકાનમાં અવરજવર થઈ શકે. આ ઉપરાંત બાજુના ફ્લેટમાં ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોંયરું જેવી જગ્યા બનાવવામાં આવી હતી. આ ભોંયરું પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પાસે ખુલતું હતું. 44,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોફરાર આરોપીઓનો પહેલાં પણ દેહવ્યાપાર અને માનવ તસ્કરી સંબંધિત ગુનાઓમાં ઇતિહાસ છે, જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તેમજ POCSO એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. રેડમાંથી રોકડા રૂ. 4100, બે મોબાઇલ ફોન, નિરોધકો, એપલ લેપટોપ, વિવિધ નામના 11 લાઇટબિલ સહિત કુલ રૂ. 44,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ સી એચ આસુન્દ્રાએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે રેડ કરીને અમે 2 આરોપીની ધરપકડ કરી છે. આ સમયે 10 પશ્ચિમ બંગાળ અને 1 દાર્જિલિંગની યુવતીઓ પણ મળી આવી હતી. આ મામલે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ:1. સરોજકુમાર લક્ષ્મીપદા માલ (હાલ રાજ, વડોદરા, મૂળ રહે. પશ્ચિમ બંગાળ) 2. જીગરકુમાર રાજુભાઈ માછી (હાલ રહે, કિશનવાડી, વડોદરા, મૂળ રહે. રાજપીપળા)

દિવ્ય ભાસ્કર 19 Dec 2025 12:05 am

સુરતમાં ATM કાર્ડ બદલી લોકોના રૂપિયા સેરવી લેતી ગેંગ ઝડપાઈ:ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો AIMIM નેતાને પોલીસે ઝડપી પાડ્યો

સુરત શહેરના ઉધના વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી રૂપિયા સેરવી લેતી રીઢા ગુનેગારોની ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) પક્ષનો સદસ્ય છે. પોલીસે આંતરરાજ્ય તપાસ હાથ ધરી આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે. શું હતો સમગ્ર બનાવ?થોડા સમય પૂર્વે ઉધના રોડ નં.12 પર આવેલ SBI બેંકના એટીએમ સેન્ટરમાં એક નાગરિક સાથે છેતરપિંડીની ઘટના બની હતી. ભોગ બનનાર જ્યારે રૂપિયા ઉપાડવા ગયા હતા, ત્યારે ત્યાં હાજર આરોપીઓએ મદદ કરવાના બહાને કે નજર ચૂકવીને તેમનો ગુપ્ત પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ, આરોપીઓએ ખૂબ જ ચાલાકીથી અસલી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ભોગ બનનારને ડમી કાર્ડ પકડાવી દીધું હતું. ગણતરીની મિનિટોમાં જ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 25,000 ઉપાડી લેવામાં આવ્યા હતા. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી ઝડપાયોઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એટીએમ સેન્ટર અને આસપાસના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. ફુટેજમાં શંકાસ્પદ આરોપીઓની ઓળખ થયા બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસના તાર ઉત્તર પ્રદેશ સુધી લંબાતા, ઉધના પોલીસની એક ખાસ ટીમ યુપી રવાના થઈ હતી. સૌથી મહત્વની વાત છે કે જે આરોપીની ધરપકડ એટીએમ ફોર્ડ કેસમાં કરી છે તેની રાજકીય સભામાં કે રેલીમાં હજારોની સંખ્યામાં તેના સમર્થકો જોડાતા હોય છે. તેના વીડિયો પણ હાલ સામે આવ્યા છે. અનિલ સરોજની ચૂંટણી સભા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે AIMIM સદસ્યની ધરપકડપોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. અનિલકુમાર ભાગીરથી સરોજ જે યુપીના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સદસ્ય છે. તે AIMIM પક્ષ સાથે જોડાયેલો છે અને 72 ગામના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તે સતત બીજી ટર્મમાં ચૂંટાયો છે અને તેની હાલની ટર્મ મે-2026 માં પૂર્ણ થવાની છે. અનિલસિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશસિંહ ટ્રેનમાં ચા-નાસ્તો વેચવાનું કામ કરે છે અને તેની સામે અગાઉ ઉત્તર પ્રદેશમાં 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ તપાસની વિગતઆરોપીઓ મુખ્યત્વે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા જેમને એટીએમ વાપરવામાં મુશ્કેલી પડતી હોય. મદદના નામે કાર્ડ બદલીને તેઓ ગણતરીની સેકન્ડોમાં જ ખાતું સાફ કરી નાખતા હતા. ઉધના પોલીસની સફળ કામગીરીઉધના પોલીસની સતર્કતાને કારણે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે સુરત કે ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે ઠગાઈ આચરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અન્ય એટીએમ કાર્ડ્સ અને રોકડ રકમ કબજે કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:25 pm

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશનમાં ઘીના ઠામમાં ઘી ઢળ્યું:ચૂંટણી પૂર્વે જ ઉમેદવારો વચ્ચે સમાધાન થતા બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી, મત ન આપી શકવાનો મતદારોમાં ગણગણાટ

ગુજરાત રાજ્યના 280 જેટલા વકીલ મંડળોમાં આવતીકાલે 19 ડિસેમ્બરે ચૂંટણીનો જંગ ખેલાવાનો છે, ત્યારે ગાંધીનગર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026 અને 2027ની ટર્મ માટે યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારોએ પરસ્પર સમજૂતી સાધી લેતા હવે ચૂંટણી યોજવાની રહેશે નહીં. તમામ ઉમેદવારોએ 'એકતા અને ભાઈચારા'ના સંદેશ સાથે ડી.જે.ના તાલે ગુલાલ ઉડાડી ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું. આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવીગાંધીનગર ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનની વર્ષ 2026 અને 2027ની ટર્મ માટે આવતીકાલે યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઉમેદવારોએ પરસ્પર સમજૂતી સાધી લેતા હવે ચૂંટણી યોજવાની રહેશે નહીં. ઉમેદવારો વચ્ચે થયેલા સમાધાન મુજબ આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે અંતગર્ત વર્ષ 2026 માટે પ્રમુખ તરીકે રાયમલ વેરસીભાઈ દેસાઈ, સેક્રેટરી કૃણાલ અજીતસિંહ વાઘેલા, મહિલા પ્રતિનિધિ વૈશાલીબેન પરષોત્તમભાઈ વાઘેલા રહેશે. એજ રીતે વર્ષ 2027 માટે પ્રમુખ તરીકે ઇન્દ્રસિંહ પ્રતાપસિંહ વાઘેલા, સેક્રેટરી સંજય રામજીભાઈ પરમાર અને મહિલા પ્રતિનિધિ હેમલબેન કિશનભાઈ પરમાર રહેશે. ઉમેદવારોએ લેખિતમાં રજૂઆત કરી ચૂંટણી નહીં યોજવા વિનંતી કરી હતીમુખ્ય ચૂંટણી કમિશ્નર એડવોકેટ ધવલ એ. મહેતા એ આ અંગે જણાવ્યું કે, તમામ ઉમેદવારોએ લેખિતમાં રજૂઆત કરી ચૂંટણી નહીં યોજવા વિનંતી કરી હતી. નાણાં, સમય અને માનવ શક્તિનો વ્યય ટાળવા તેમજ વકીલો વચ્ચે સૌહાર્દ જળવાઈ રહે તેવા શુભ આશયથી આવતીકાલે યોજાનારી ચૂંટણી હવે યોજવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:22 pm

વસ્ત્રાપુર GMDC બિલ્ડિંગ પાસે માર્બલ પથ્થરો પડતા બે શ્રમિકના મોત:આઇસર ટ્રકમાંથી માર્બલ ઉતારતા બંને પથ્થર નીચે દબાયા, છાતીના ભાગે ગંભીર ઈજા થતા જીવ ગુમાવ્યો

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં GMDC બિલ્ડિંગની બાજુમાં ગોધરેજ નામની નવી બનતી સાઈટ પર દુર્ઘટના સર્જાઈ હતી. આઇસર ગાડીમાંથી માર્બલ પથ્થર ઉતારતા સમયે દુર્ઘટના બની હતી. અચાનક માર્બલ પથ્થર ઢળી પડતા બે શ્રમિકો દબાઈ ગયા હતા. જે બાદ અન્ય શ્રમિકોએ બંનેને બહાર કાઢ્યા હતા. બંને શ્રમિકોને છાતીના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તેની તપાસ હાથ ધરી છે. શ્રમિકો આઇસરમાંથી માર્બલ પથ્થર ઉતારતા હતાગઈકાલે સવારે 8 વાગ્યાની આસપાસ શ્રવિકો વસ્ત્રાપુર ગુરુકુળ મંદિરની બાજુમાં આવેલા કડિયાનાકા પર ઊભા હતા. ત્યારે સુપરવાઇઝર કડિયાનાકા પરથી કેટલાક શ્રમિકોને ગાડીમાંથી પથ્થર ઉતારવા માટે સાઇટ પર લઈ જવામાં આવ્યા હતા. તમામ શ્રમિકો બપોરના સમયે આઇસરમાંથી માર્બલ પથ્થર ઉતારતા હતા. સાઇટ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા શ્રમિકો આપવામાં આવી નહતી. ઘરનું ગુજરાન ચલાવવાનું હોવાથી શ્રમિકો જીવના જોખમે મજૂરી કરી રહ્યા હતા. માર્બલ પથ્થર નીચે દબાઈ જતાં બંને શ્રમિકોને ગંભીર ઈજાજીવના જોખમે શ્રમિકો માર્બલ ટ્રકમાંથી નીચે ઉતારતા હતા. ત્યારે અચાનક માર્બલ પથ્થરો તેમના પર ઢળી પડ્યા હતા. અન્ય શ્રમિકો જીવ બચાવવા માટે ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે મુકેશ નિનામા તથા કપુરચંદ પારગી પર માર્બલ પડી ગયો હતો. જેથી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ દુર્ઘટનામાં મોત થતા પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર દુર્ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:17 pm

ઈડર તાલુકા પંચાયતમાં ACBનું છટકું:બે ક્લસ્ટર કોઓર્ડિનેટર ₹1.25 લાખની લાંચ લેતા ઝડપાયા, ત્રણ સામે ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં અરવલ્લી ACBએ લાંચનું છટકું ગોઠવી બે ક્લસ્ટર કોઓર્ડિનેટરને ₹1.25 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે કુલ ત્રણ ક્લસ્ટર કોઓર્ડિનેટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના ગુરુવારે તાલુકા પંચાયત કચેરીમાં તલાટી-કમ-મંત્રીની બેઠક ચાલી રહી હતી ત્યારે બની હતી. ACBની ટીમે પૂર્વ આયોજિત છટકાના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી હતી અને પંચાયતની ગ્રામ વિકાસ શાખામાં ફરજ બજાવતા ક્લસ્ટર કોઓર્ડિનેટરોને લાંચ લેતા પકડી પાડ્યા હતા. ACB વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદીએ ચોરીવાડ, જાદર, વીરપુર, બોલુંદ્રા અને પાનોલ સહિતના ગામોમાં સેગ્રીગેશન શેડ અને ખારકુવાના બાંધકામનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આ કામના બિલ મંજૂર કરવા માટે બિલની કુલ રકમના 12% લેખે ₹1,25,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન ઈડર તાલુકા પંચાયતના કરાર આધારિત ક્લસ્ટર કોઓર્ડિનેટર કમલકુમાર નારાયણદાસ પટેલ અને ઈડર તાલુકા પંચાયતના ક્લસ્ટર કોઓર્ડિનેટર જીન્નતબેન રોનકકુમાર પટેલે રૂબરૂમાં ₹1,25,000ની લાંચ સ્વીકારી હતી અને તેઓ સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત, ઈડર તાલુકા પંચાયતના કરાર આધારિત ક્લસ્ટર કોઓર્ડિનેટર મેહુલકુમાર મુળાભાઈ રાઠોડે પણ ટેલિફોનિક વાતચીત દ્વારા લાંચની માંગણીમાં મદદ કરી હતી, પરંતુ તેઓ સ્થળ પરથી મળી આવ્યા ન હતા. આથી, કુલ ત્રણ ક્લસ્ટર કોઓર્ડિનેટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક ક્લસ્ટર ઓફિસર ઈડર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:14 pm

મોરબીમાં ખેતીવાડી કનેક્શન ઝડપી આપવા મંત્રીની ટકોર:પીજીવીસીએલ કચેરી ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની સમીક્ષા બેઠક

મોરબીમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મંત્રીએ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓને ખેતીવાડી કનેક્શન ઝડપથી આપવા સૂચન કર્યું હતું. બેઠક દરમિયાન, મંત્રીએ જિલ્લાના અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓના અમલીકરણમાં ૧૦૦ ટકા સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મંત્રીએ નીતિઓના અમલીકરણમાં યોગ્ય ઝડપ જાળવવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ ખાસ કરીને જિલ્લામાં ખેતીવાડી કનેક્શન એક જ અઠવાડિયામાં સ્થાપિત થાય તેવું વિઝન રાખીને કામગીરી કરવા સૂચન કર્યું હતું. તેમણે પીજીવીસીએલ અને જેટકો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા અને કોન્ટ્રાક્ટરોને કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી, મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર. ઘાડીઆ અને જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:11 pm

લુણાવાડામાં નિરાધાર મહિલાને મળ્યો સુરક્ષિત આશ્રય:એક વર્ષથી રસ્તા પર રહેતી માનસિક અસ્વસ્થ મહિલાને સામાજિક કાર્યકરે મદદ કરી

લુણાવાડામાં છેલ્લા એક વર્ષથી રસ્તા પર રહેતી એક અજાણી અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાના પ્રયાસોથી સુરક્ષિત આશ્રય મળ્યો છે. આ મહિલા લાંબા સમયથી શહેરના વખત બાગ વિસ્તારમાં જોવા મળતી હતી. સોનલબેન પંડ્યાના જણાવ્યા અનુસાર, આ મહિલા દરરોજ સવારે વખત બાગમાં સ્નાન કર્યા બાદ દિવસ દરમિયાન ભોજન માટે લોકો પાસે પૈસા માંગતી હતી. કોઈ નાસ્તો આપે તો તે સ્વીકારી લેતી અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવતી હતી. રાત્રિના સમયે તે લુણાવાડા બસ સ્ટેન્ડ પર ખુલ્લામાં સૂઈ જતી હતી. તેની માનસિક અસ્વસ્થતાને કારણે તે પોતાનું સરનામું કે પરિવાર વિશે કોઈ માહિતી આપી શકતી નહોતી, જેના કારણે તેની ઓળખ સ્થાપિત કરવી મુશ્કેલ હતી. એક જાગૃત નાગરિકે આ મહિલાની દયનીય સ્થિતિ વિશે સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાને જાણ કરી હતી. માહિતી મળતા જ સોનલબેન વખત બાગ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા સંપૂર્ણપણે નિરાધાર અને લાચાર હાલતમાં હતી.તે લોકો દ્વારા આપવામાં આવતા કપડાં અને અન્ય સામાન એક થેલીમાં ભરીને આખો દિવસ પોતાની સાથે રાખતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં લઈને સોનલબેન પંડ્યાએ મહિલાને યોગ્ય આશ્રય અને સુરક્ષા મળે તે માટે મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. ત્યારબાદ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવી. પોલીસ પ્રશાસનના સહયોગથી આગળની કાર્યવાહી હાથ ધરીને મહિલાને જય અંબે મંદબુદ્ધિ ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવી છે. ત્યાં તેને હવે યોગ્ય સંભાળ અને સારવાર મળી રહી છે. આ માનવતાભર્યા કાર્ય બદલ લુણાવાડાના નાગરિકોએ સોનલબેન પંડ્યાની પ્રશંસા કરી છે. આ ઘટના સમાજમાં માનવીયતા અને સહકારની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:10 pm

રેન્જ આઈજીએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું:વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્ણ, આવતીકાલે પરેડનું નિરીક્ષણ કરશે

રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે ગુરુવારે હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ બાદ તેમણે પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. શુક્રવારે તેઓ પોલીસ પરેડનું નિરીક્ષણ કરશે. ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવ વાર્ષિક નિરીક્ષણ માટે હિંમતનગર પહોંચતા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે ફુલછડી આપી તેમનું સ્વાગત કર્યું હતું. રેન્જ આઈજીને સન્માન ગાર્ડ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં નિરીક્ષણ પરેડ કરી, નોટ રીડિંગ કર્યું અને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ પૂર્ણ થયા બાદ, રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે શુક્રવારે તેઓ પરેડનું નિરીક્ષણ કરશે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:05 pm

મહીસાગર LCBએ મોબાઇલ ચોર ઝડપ્યો:બાલાસિનોર ચોરી ડીટેક્ટ, ₹10,000 ના મુદ્દામાલ સાથે આરોપી પકડાયો

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક અનડીટેક્ટ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં ચોરી થયેલો મોબાઇલ ફોન અને રોકડ ₹5,000 સહિત કુલ ₹10,000 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના અને LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી. ટેકનિકલ સોર્સના આધારે LCB સ્ટાફને માહિતી મળી હતી કે, બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો મોબાઇલ ફોન વસંત રામુભાઈ રોહિત, રહે. રોહિતવાસ, નવાપ્લોટ, બાલાસિનોર પાસે હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે LCB સ્ટાફે આરોપીના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલો ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન અને રોકડ ₹5,000 મળી આવ્યા હતા. આરોપીને મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ ₹10,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 11:01 pm

મોરબીમાં 2.47 કરોડના ખર્ચે બનેલા ચેરીટી ભવનનું લોકાર્પણ:કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે થયું ઉદ્ઘાટન

મોરબીના શનાળા ગામ પાસે રાજકોટ રોડ પર રૂ.2.47 કરોડના ખર્ચે નવનિર્મિત જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના ચેરીટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતના કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે શ્રમ, રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ જિલ્લાના દરેક ટ્રસ્ટને 100-100 વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું હતું. લોકાર્પણ બાદ મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે, સરકાર જન સુખાકારીના વિઝન સાથે કાર્ય કરી રહી છે. સરકારી કચેરીઓમાં આવતી દરેક વ્યક્તિ સંતોષ સાથે પરત ફરે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર મોરબી જિલ્લામાં 4.5 હજારથી વધુ ટ્રસ્ટ કાર્યરત છે, જે ગર્વની વાત છે. આ તમામ ટ્રસ્ટો 100-100 વૃક્ષો વાવે અને તેનું જતન કરે તેવી તેમણે અપીલ કરી હતી. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, મોરબીમાં પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે વધુ વૃક્ષારોપણની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જિલ્લાના તમામ ટ્રસ્ટોને નિષ્ઠાપૂર્વક કામ કરવા અનુરોધ કર્યો. પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ કહ્યું કે, સરકારની કલ્યાણ રાજની ભાવનાને સાકાર કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનું આ ભવન મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે નવા ટ્રસ્ટોને ટ્રસ્ટ નોંધણી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં સંતો-મહંતો, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, કલેકટર કે.બી. ઝવેરી, અમદાવાદના સંયુક્ત ચેરિટી કમિશનર યોગીની સિમ્પી અને રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનર ચિરાગ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 10:59 pm

ગોધરા-કાલોલમાંથી પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે ઝડપાયા:પંચમહાલ SOGએ પાન પાર્લરો પર કાર્યવાહી કરી

પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે ગોધરા અને કાલોલમાંથી પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન વેચતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નશાના સેવન માટે વપરાતા આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન પર પ્રતિબંધ લાદ્યા બાદ, પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ.હરેશ દૂધાતની સૂચના મુજબ, ગોધરા અને કાલોલ ડિવિઝનમાં પાન પાર્લરો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન, ગોધરાના અમદાવાદ રોડ પર આવેલા શિવમ પાન પાર્લરમાંથી 33 નંગ ગોગો સ્મોકિંગ કોન અને 30 નંગ રોલિંગ પેપર મળી આવ્યા હતા. કુલ 63 નંગનો આ જથ્થો, જેની કિંમત રૂપિયા 795 છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પાર્લર સંચાલક ઠાકોરલાલ ગેંદાલાલ ભોઈ વિરુદ્ધ ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેવી જ રીતે, કાલોલના અલિંદ્રા હાઈવે રોડ પર આવેલા ચામુંડા પાન સેન્ટરમાંથી 7 નંગ સ્મોકિંગ કોન અને 49 નંગ રોલિંગ પેપર મળી કુલ 56 નંગનો જથ્થો પકડાયો હતો. આ જથ્થાની કિંમત રૂપિયા 805 આંકવામાં આવી છે. પોલીસે સેન્ટર સંચાલક રાકેશકુમાર વિક્રમસિંહ ચાવડા વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Dec 2025 10:55 pm