SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

હવે સરકાર ચલાવશે સેવન્થ ડે સ્કૂલ:અમદાવાદ DEOની વહીવટદાર તરીકે નિમણૂક, વિદ્યાર્થી નયનની હત્યા બાદ તપાસમાં 12 ખામી સામે આવતા નિર્ણય લેવાયો

સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરી દીધો છે. તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ DEOની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નયનની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં આવી હતી. અલગ અલગ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી હતી. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમના હિતને ધ્યાનમાં રાખીને સરકાર સ્કૂલને પોતાના હસ્તક લઈ લે તેવી તપાસ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ જ અન્ય વિદ્યાર્થીની હત્યા કરીમણિનગરમાં આવેલી ICSE બોર્ડ સંલગ્ન સેવન્થ ડે સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી હતી. સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી. જે બાદ શિક્ષણ વિભાગ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. સ્કૂલ પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં તેને તપાસ કરવામાં આવી હતી. કમિટીએ શાળાનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો હતોશિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતાના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહીં. જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકારને લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો સરકારને પણ સોંપવામાં આવ્યો હતો. શાળાએ યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરાવ્યા નહોતાતેમજ AMC ભાડા પટ્ટા કરારના શરતોનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી શાળા પાસે યોગ્ય માન્યતા ના હોવાનું સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. છતાં પણ શાળા દ્વારા યોગ્ય ડોક્યુમેન્ટ જમા કરવામાં આવ્યા નહતા. સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયોજેથી હવે આખરે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 12 પ્રકારની ખામીઓને ધ્યાનમાં રાખીને આખરે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શાળામાં અત્યારના ભણતા 10 હજારથી વધુ વિદ્યાર્થીઓના હિતમાં શાળામાં કોઈપણ વિદ્યાર્થીને નવું એડમિશન ન આપવાની શરતે સરકાર હસ્તક લેવામાં આવી છે. શાળાઓનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ DEOને શાળાના વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમજ શિક્ષણ વિભાગ વિગતવાર સૂચનો આગામી સમય જાહેર કરશે. તપાસમાં કમિટીએ રાજ્ય સરકારને આપેલા રિપોર્ટમાં 12 પ્રકારની ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શું હતી ઘટના?અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 16 Dec 2025 12:05 am

અમદાવાદ એરપોર્ટથી 18 લાખની બે રોલેક્સ ઘડિયાળ ઝડપાઈ:દુબઇથી સ્પાઇસ જેટની ફ્લાઈટમાં આવતા મુસાફર પાસેથી બે રોલેક્સ ઘડિયાળ મળી આવી

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી થઇ રહી છે. જેને લઇ એજન્સીઓએ વોચ વધારી દીધી છે. આ વોચના ભાગરૂપે જ કસ્ટમ્સના અધિકારીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ એરપોર્ટ પર કેટલાક મુસાફરોને અલગ તારવ્યાં હતા. ત્યારે જ દુબઇથી અમદાવાદ આવેલી સ્પાઇસ જેટ ફ્લાઇટ નંબર SG016 માંથી એક ભારતીય પ્રવાસી ઉતર્યો હતો. જે કસ્ટમ ક્લિયરન્સ માટે આવ્યો હતો. ત્યારે જ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો. તપાસ કરતાં તેના જીન્સના પેકેટમાંથી બે રોલેક્સ ઘડિયાળો મળી આવી હતી. જેની કિંમત 18 લાખ રૂપિયા થાય છે. અગાઉ પણ દુબઇથી આવેલી એક ફલાઇટમાંથી 13 કરોડથી વધુ કિંમતની મોંઘીદાટ ઘડિયાળ સાથે દંપતી પકડાયું હતું. દુબઇથી અમદાવાદ આવતા મુસાફરને કસ્ટમ્સ વિભાગે અટકાવ્યોપેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અમદાવાદના અધિકારીઓએ 14મી ડિસેમ્બરના રોજ સ્પાઇસજેટ ફ્લાઇટ નં. SG016 દ્વારા દુબઈથી અમદાવાદ આવતા એક ભારતીય મુસાફરને સફળતાપૂર્વક અટકાવ્યો હતો. મુસાફરની તપાસમાં તેના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી છુપાયેલી 2 રોલેક્સ ઘડિયાળો મળી આવી હતી. જ્યારે તેની ટ્રોલી બેગમાં આંતરરાષ્ટ્રીય ગેરંટી કાર્ડ અને વસ્તુઓનું સાહિત્ય ધરાવતી ઘડિયાળોના કેસ (બોક્સ) રાખવામાં આવ્યા હતા. બંને ઘડિયાળો કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ અનુસાર જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે. અગાઉ 13 કરોડની મોંઘીદાટ ઘડિયાળ સાથે દંપતી પકડાયું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે, અબુધાબીથી આવેલા દંપતી પાસેથી બ્રાન્ડેડ મોંઘીદાટ ઘડીયાળો સાથે કસ્ટમ વિભાગે કબ્જે કરી છે. આ મોંઘીદાટ ઘડિયાળની બજાર કિંમત અંદાજે રૂ. 13 કરોડથી વધારેની થવા જાય છે. હાલમાં આ દંપતી કોના માટે ઘડિયાળ લાવ્યા તેની ઝીણવટભરી તપાસ કસ્ટમ વિભાગે હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 11:20 pm

વડાપ્રધાનની ડિગ્રી અંગે કરેલા નિવેદન મામલે રાહત નહીં:અમદાવાદ સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજીઓ નામંજૂર કરી

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં માગેલી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટએ તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ. કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરીસંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની PIL નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી. માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યોકોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વીડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી. યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 11:15 pm

ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’નો ભવ્ય પ્રારંભ:રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના સંકલ્પ સાથે આયોજન, 17 ડિસેમ્બર સુધીમાં અનેક મહાનુભાવો આવશે

'જળ એ જ જીવન છે'ના મંત્રને સાર્થક કરવા અને જળ સંચયની પ્રવૃત્તિને લોક આંદોલન બનાવવાની નેમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. તત્વચિંતક, વિશ્લેષક અને દેશના પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસના મુખેથી રેસકોર્સના કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર ખાતે જલકથા: અપને અપને શ્યામ કીનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કથા માત્ર ધાર્મિક પ્રસંગ નહીં, પરંતુ સૌરાષ્ટ્રને પાણીવંતુ બનાવવાના એક મહાયજ્ઞ સમાન બની રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ આ તકે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર માટે પાણીએ માત્ર જરૂરિયાત નથી, પણ પ્રગતિનો મુખ્ય આધાર છે. ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછતને કાયમી ધોરણે નિવારવા માટે 1,11,111 જળ સ્ટ્રક્ચરો તૈયાર કરવાનો ભગીરથ સંકલ્પ લેવામાં આવ્યો છે. માત્ર ચેકડેમ કે બોર રિચાર્જ કરવાથી જળક્રાંતિ નહીં આવે, પણ જ્યારે દરેક નાગરિકના હૃદયમાં જળ પ્રત્યે આદર જાગશે ત્યારે જ સાચું પરિવર્તન આવશે. આ જલકથાનો મુખ્ય ઉદ્દેશ્ય જન-જન સુધી જળ સંરક્ષણની ભાવના પહોંચાડવાનો છે. આ કથા માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે, જેથી આપણે આવનારી નવી પેઢીને જળમગ્ન ધરતી વારસામાં આપી શકીએ. ભવ્ય મહા જલકળશ યાત્રા અને શાસ્ત્રોક્ત પૂજનકથાના પ્રારંભ પૂર્વે 14 ડિસેમ્બર, રવિવારના રોજ રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં એક દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. બહુમાળી ભવન ચોકથી કથા સ્થળ સુધી એક ભવ્ય 'મહા જલકળશ યાત્રા' કાઢવામાં આવી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરિત વરણા ગામની બેન્ડ ટીમના સુમધુર સૂર અને ભક્તિમય માહોલમાં 700થી વધુ જલપ્રેમીઓ આ યાત્રામાં જોડાયા હતા. રાજ્યના ખૂણે ખૂણેથી લાવવામાં આવેલા 2100 જેટલા જલકળશનું કથા મંડપમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવીનો જલ લોકડાયરો અને સેવાકીય જાહેરાતરવિવારે રાત્રે કથાના પૂર્વાધમાં જ લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ 'જલ લોકડાયરા'માં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના 'બ્રાન્ડ એમ્બેસેડર' બનવાની જાહેરાત કરી હતી અને ખાતરી આપી હતી કે તે દેશ-વિદેશના પોતાના દરેક કાર્યક્રમોમાં જળસંચયનો સંદેશ ગુંજતો કરશે. દાતાઓની ઉદારતા: ચેકડેમ માટે આર્થિક સહયોગનો ધોધજળસંચયના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ બ્રિટન અને અમેરિકાથી પણ દાતાઓ ઉમટી પડ્યા હતા. ટર્બો બેરિંગવાળા પ્રતાપભાઈ પટેલ, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધનસુખભાઈ નંદાણીયા (રવિ ઓઇલ મિલ), અને પંકજભાઈ સહિતના અગ્રણીઓએ મોટી આર્થિક સહાયની જાહેરાત કરી હતી. અનેક દાતાઓએ વ્યક્તિગત રીતે એક-એક ચેકડેમ બનાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી હતી, જે સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે એક મહત્વનું કદમ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આજે સોમવાર સાંજે 7 કલાકથી ડો. કુમાર વિશ્વાસની જલકથાનો પ્રારંભ થયો છે. આ કથા આગામી 17 ડિસેમ્બર સુધી ચાલશે. કથા શ્રવણ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રાજકોટમાં પડાવ નાખી ચૂક્યા છે. ડો. કુમાર વિશ્વાસ પોતાની આગવી શૈલીમાં જળ અને જીવનના સંબંધને કૃષ્ણ ભક્તિના માધ્યમથી રજૂ કરી રહ્યા છે, જે લોકોમાં પર્યાવરણ અને જળ જાળવણી પ્રત્યે નવી ચેતના જગાડશે. સમગ્ર રાજકોટ અત્યારે જળસંચયના ઉત્સાહ અને કથાના શ્રવણમાં ભક્તિમય બન્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 11:10 pm

થલતેજની હોટલ ગ્રાન્ડ કેમ્બેમાં બબાલ:ડાન્સ એકેડેમીની યુવતીઓ પર હુમલો, દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી હોટલ ગ્રાન્ડ કેમ્બેમાં ડાન્સ એકેડેમી સાથે જોડાયેલા વિવાદ દરમિયાન બબાલ અને મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ડાન્સ એકેડેમીમાં કામ કરતી યુવતીઓને ઇજા પહોંચી છે. વસ્ત્રાપુર પોલીસે દંપતી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોટલ ગ્રાન્ડ કેમ્બેમાં આવેલી ડાન્સ એકેડેમીનો ત્રણ વર્ષનો ભાડા કરાર પૂરો થઈ ગયો હતો. કરાર રીન્યુ કરવા માટે એકેડેમીના માલિક અને જગ્યાના માલિક વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન ગત 4 ડિસેમ્બરે ડાન્સ એકેડેમીમાં સ્ટાફ હાજર હતો. બંનેએ યુવતીઓ સાથે ધક્કામુક્કી કરી હતીત્યારે ઉપરના માળે સ્કાય ઇમ્પિરિયલ હોટલ ચલાવતા હર્ષ અમીન અને અજય પવાર ત્યાં પહોંચ્યા હતા. તેમણે ડાન્સ એકેડેમીના સ્ટાફને જગ્યા ગેરકાયદે કબજામાં રાખી હોવાનો આરોપ લગાવી તાત્કાલિક ખાલી કરવાની માગ કરી હતી. આ દરમિયાન બંનેએ યુવતીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. આ ઘટનામાં ભાવનગરની રહેવાસી અને હાલ ઘાટલોડિયામાં રહેતી ભુમિકાબેન રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ધક્કો મારવામાં આવતા ભુમિકાબેન ટેબલ સાથે અથડાઈ ગયા હતા. બાદમાં હર્ષ અમીનની પત્ની અંકિતા અમીન પણ ત્યાં આવીને ઝગડો કર્યો હતો અને યુવતીઓ સાથે લાફા-ઝીકા અને વાળ પકડીને મારામારી કરી હતી. દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયોમારામારી દરમિયાન એકેડેમીમાં કામ કરતી અન્ય યુવતીઓને પણ ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા વસ્ત્રાપુર પોલીસે હર્ષ અમીન, તેમની પત્ની અંકિતા અમીન અને અજય પવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:48 pm

તબેલામાં ગાય સાથે દુષ્કર્મ આચરતો નરાધમ ઝડપાયો:ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલાં નરાધમને તબેલાના માલિકે જોઈ જતાં આરોપી ભાગ્યો, માલિકે પીછો કરી પોલીસને સોંપ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા આ નરાધમને તબેલાના માલિકે જોઈ જતાં, આરોપી ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. અડાજણ એલ.પી. સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અડાજણ ચોસઠ જોગાણી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે, જ્યાં 25 જેટલી ગાયો છે. રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં, હનીપાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્ર યાદવ (રહે. બિહાર) તબેલામાં ચોરીછૂપીથી ઘૂસ્યો હતો. તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીએ આ શંકાસ્પદ હલચલ જોઈ જતાં તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો હતો. બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. બ્રિજમોહન એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. પોલીસ અને જનતાએ ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યોમાલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો હતો. બળદેવભાઈ અને તેમના સાથીએ મોપેડ પર તેનો પીછો શરૂ કર્યો. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસને મદદ માટે બૂમ પાડી હતી. પોલીસે સમયસૂચકતા વાપરી પીછો કર્યો અને જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસેથી આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. આરોપી એક બાળકીનો પિતા છેપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી બ્રિજમોહન છેલ્લા એકાદ વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. તે પરિણીત છે અને તેને એક-બે વર્ષની નાની બાળકી પણ છે, જેઓ વતનમાં રહે છે. પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલ પશુને પણ નિશાન બનાવ્યું હતું. 'બેસ્ટીયાલીટી': એક ગંભીર માનસિક બીમારી અને ગુનોમનોચિકિત્સકોના મતે, પશુઓ સાથે સંભોગ કરવાની આવી વિકૃતિને 'બેસ્ટીયાલીટી' કહેવામાં આવે છે. આ એક પ્રકારની ગંભીર માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ માનસિક રીતે મેચ્યોર હોતી નથી અને તેની હવસ સંતોષવા માટે પશુઓનો સહારો લે છે. કાયદાકીય રીતે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણાય છે, જેમાં લાંબી કેદની સજાની જોગવાઈ છે. અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:47 pm

લગ્ન માટે કરાયેલું સ્વૈચ્છિક ધર્માંતરણ ગેરકાયદેસર નથી: હાઈકોર્ટ:મુસ્લિમ પિતાએ કહ્યું પુત્રીનું ધર્માંતરણ કરાયું, પોલીસ ગુનો દાખલ કરે; હાઈકોર્ટે અરજી ફગાવી

ધર્માંતરણ મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઈકોર્ટે એક પિતાની અરજી ફગાવી કાઢી છે. જેમાં પિતાએ એવી દાદ માગી હતી કે, તેની પુત્રીનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાયું હોવાથી આ મામલે ઓથોરિટીને FIR નોંધવા આદેશ કરવામાં આવે. જોકે, હાઈકોર્ટે આ અરજી રદ કરતા એવું તારણ રજૂ કર્યું કે, અરજદારની પુત્રી દ્વારા આ સમગ્ર મામલે કોઈપણ આક્ષેપ કે આરોપ લગાવવામાં આવ્યો નથી. તેણે કોઈ અવાજ ઉઠાવ્યો નથી, પરંતુ તેનાથી વિપરીત તેણે સ્વેચ્છાએ ધર્માંતરણ કરીને લગ્ન કર્યા છે. તેથી આ કિસ્સામાં ઓથોરિટીને કોઈપણ દિશાનિર્દેશ આપવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પિતાનો હાઈકોર્ટમાં દાવો પુત્રીનું ધર્માંતરણ કરાયુંઆણંદ જિલ્લાનો આ કિસ્સો છે. જેમાં એક મુસ્લીમ વ્યક્તિએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને એવો દાવો કર્યો હતો કે, તેની પુત્રીનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. જે ગેરકાયદેસર હોવાથી પોલીસ વિભાગને આ મામલે ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવે. અરજદારની દલીલ હતી કે, અરજદારે રજૂઆત કરી છે કે, તેની પુત્રીએ ધર્માંતરણ કરીને જે લગ્ન કર્યા છે તેની સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે. આરોપીઓ સાથે મળીને તેનું ગેરકાયદેસર ધર્માંતરણ કરીને લગ્નની નોંધણી કરવામાં આવી હોવાથી ગુનો બનતો હોઇ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવે. અરજદારની પુત્રીએ સ્વેચ્છાએ લગ્ન કર્યાબીજી તરફ રાજ્ય સરકાર તરફથી અરજીનો વિરોધ કરતાં રજૂઆત કરવામાં આવી હતી કે, કથિત ધર્માંતરણ રાજસ્થાનમાં થયો હતો અને અરજદારની પુત્રીએ જેતે સમયે કોઈ ફરિયાદ કરી નથી. તેણે સ્વેચ્છાએ લગ્ન કર્યા છે. તેથી અરજદારના આક્ષેપ મુજબ કોઈપણ ગુનો સાબિત થતો નથી. આવી પરિસ્થિતિઓમાં હાલની અરજી રદ થવાને પાત્ર છે. અરજદારની પુત્રી દ્વારા કોઈપણ આરોપ લગાવ્યો નથીહાઇકોર્ટે કેસના તથ્યો અને બંને પક્ષોની રજૂઆત બાદ આદેશમાં નોંધ્યું હતું કે, ‘અરજદારની મુખ્ય ફરિયાદ એ છે કે તેની પુત્રીએ ધર્માંતરણ કર્યું છે. જે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 2003ની જોગવાઈઓથી વિપરીત અને વિરુદ્ધ છે. કાયદાની કલમ 3A હેઠળ અરજદારને પિતા હોવાના કારણે ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. પરંતુ ધર્માંતરણનું કથિત કૃત્ય રાજસ્થાનમાં થયું હતું અને અરજદારની પુખ્ત પુત્રીએ એના આધારે લગ્ન કર્યા હતા. જે લગ્નની નોંધણી સક્ષમ અધિકારી સમક્ષ થઇ છે. ઉપરોક્ત કાયદા હેઠળ, છેતરપિંડી, લાલચ અથવા ખોટી રજૂઆત અથવા અન્ય કોઈપણ રીતે છેતરપિંડી દ્વારા ધર્માંતરણ કરવામાં આવે તો જ ગુનો નોંધવો જોઈએ. પંરતુ પ્રસ્તુત કિસ્સામાં અરજદારની પુત્રી દ્વારા કોઈપણ આરોપ લગાવ્યો નથી કે કોઇ અવાજ ઉઠાવ્યો નથી. તેનાથી વિપરીત તેણે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા છે. પરિણામે તંત્રને કોઈ પણ દિશાનિર્દેશ આપવાનો પ્રશ્ન ઉભો થતો નથી. લગ્ન માટે ધર્માંતરણ થયું હોઇ તેને ગેરકાયદેસર ગણી શકાય નહીંહાઇકોર્ટે આદેશમાં કાયદાની જોગવાઇઓની વધુ સ્પષ્ટતા કરતાં નોંધ્યું હતું કે,અરજદારની પુત્રી પુખ્ત વયની છે અને તેણે કોઈપણ કથિત ધર્માંતરણ અથવા ગેરકાયદેસર લગ્ન અંગે અવાજ ઉઠાવ્યો નથી. ભારતના બંધારણના અનુચ્છેદ 226 હેઠળ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 નો અભિન્ન ભાગ છે. તે જ જીવનનો અધિકાર પણ પ્રદાન કરે છે. જે અધિકારનો ઉપયોગ પ્રક્રિયાગત, ન્યાયી અને વાજબી રીતે થયો હોય તો તેને છીનવી શકાતો નથી. ફક્ત લગ્ન માટે ધર્માંતરણ થયો હોઇ તેને ગેરકાયદેસર અથવા ગેરકાયદેસર ધર્માંતરણના હેતુથી કરવામાં આવેલા લગ્ન ગણી શકાય નહીં. તેથી આ કોર્ટ કોઈપણ ફરિયાદ નોંધવા માટે આદેશ કરી શકે નહીં.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:44 pm

સુરત મનપા અને જિલ્લા વહીવટી તંત્રના 3 મહત્ત્વના નિર્ણય:સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોસ્ટેલ માટે સરકારનો એફએસઆઈ માફીનો ઇનકાર, 11.80 લાખ મતદારોને નોટિસ આપશે અને મહિલાઓ માટે હાઇટેક 'શી-બ્લોક'નું આયોજન

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને વ્યવસ્થાપનને લગતા ત્રણ મહત્ત્વના નિર્ણયો અને પ્રક્રિયાઓ સામે આવી છે. જેમાં એક તરફ સામાજિક શૈક્ષણિક હેતુ માટેની એફએસઆઈ માફીનો રાજ્ય સરકારે છેદ ઉડાડી દીધો છે, બીજી તરફ ચૂંટણી કાર્ડમાં ક્ષતિઓ બદલ લાખો લોકોને નોટિસ ફટકારવાની તૈયારી થઈ છે, અને સાથે જ મહિલાઓની સુવિધા માટે 'શી-બ્લોક'ના સંચાલનને નવો આયામ આપવાનું નક્કી કરાયું છે. શાસકોના ઠરાવ પર રાજ્ય સરકારની 'બ્રેક': હોસ્ટેલ માટે 3.78 કરોડ ભરવા પડશેસુરતના સરથાણા-પાસોદરા અને વાલક વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશાળ હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે હોવાથી, સંસ્થાએ પેઇડ એફએસઆઈ પેટે ભરવાની થતી 3,78,71,730 ની રકમ માફ કરવા રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકાના શાસકોએ વર્ષ 2022માં સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં આ રકમ માફ કરવાનો ઠરાવ પસાર કરીને મંજૂરી અર્થે રાજ્ય સરકારને મોકલ્યો હતો. જોકે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે બીપીએમસી એક્ટ1949ની કલમ 451 હેઠળ આ ઠરાવને અમાન્ય રાખતા રદ કરી દીધો છે.સંસ્થાએ અત્યાર સુધીમાં પ્રથમ હપ્તા પેટે 47.33 લાખ જમા કરાવ્યા છે. હવે બાકીની કરોડોની રકમ સંસ્થાએ ભરવી પડશે. સંસ્થાએ જણાવ્યું હતું કે,આ બિલ્ડિંગનો હેતુ સંપૂર્ણ શૈક્ષણિક છે અને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને વાજબી દરે રહેવાની સુવિધા આપવા માટે છે, કોઈ વ્યવસાયિક લાભ માટે નથી. છતાં, સરકારે નિયમોને આધીન રહીને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. મતદાર યાદી સુધારણા: 11.80 લાખ મતદારોના પુરાવા અધૂરા, 21મીથી નોટિસનો દોરસુરત જિલ્લામાં ચાલી રહેલા 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમ અંતર્ગત ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લામાં અંદાજે 11.89 લાખ મતદારો એવા છે જેમણે ફોર્મ તો ભર્યા છે, પરંતુ તેમના ડોક્યુમેન્ટ્સ અથવા વિગતો અધૂરી છે.તંત્ર દ્વારા આ પ્રક્રિયાને પારદર્શક અને સચોટ બનાવવા માટે યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું છે:અધૂરી વિગતો ધરાવતા મતદારોને 21મી સપ્ટેમ્બર સુધીમાં નોટિસ ફટકારવામાં આવશે. ત્યારબાદ ૨૭મી ડિસેમ્બરથી પ્રત્યક્ષ હિયરિંગની પ્રક્રિયા હાથ ધરાશે. હિયરિંગ માટે 935 મદદનીશ ચૂંટણીઅધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ સામેલ છે. રોજનું 50 હિયરિંગ કરવાનો ટાર્ગેટ છે અને આ સમગ્ર કામગીરી 35 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.જિલ્લા પ્રભારી સચિવ ડો. રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ રાજકીય પક્ષોને આ પ્રક્રિયામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી મતદાર યાદીમાં કોઈ ક્ષતિ ન રહે. મહિલાઓ માટે 'શી-બ્લોક': બ્રેસ્ટ ફિડિંગ સહિતની સુવિધાઓ મફત મળશેશહેરની મહિલાઓની સલામતી અને સુવિધા માટે પાલિકાએ બનાવેલા 'શી-બ્લોક'ના સંચાલનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વરાછા ઝોનના ઉમરવાડામાં બોમ્બે માર્કેટ પાસે બની રહેલા રિફ્રેશિંગ સ્ટેશનને હવે PPP મોડલ પર ચલાવવાની દરખાસ્ત મુકાઈ છે. ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ કો-ઓપરેટિવ સોસાયટીએ આ બ્લોકના સંચાલન માટે રસ દાખવ્યો છે. તેઓ 10 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 51 હજાર (કુલ 5.10 લાખ) પાલિકાને ચૂકવશે. મહિલાઓ માટે શું ફાયદો?બ્રેસ્ટ ફિડિંગ માટે આવતી મહિલાઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.સ્ટેશનની જાળવણી અને સિક્યુરિટી એજન્સીના ખર્ચે રહેશે.મહિલાઓને ગોપનીયતા અને પાયાની સુવિધાઓ સરળતાથી મળશે. જાળવણીના બદલામાં એજન્સીને ત્યાં જાહેરાતના હકો આપવામાં આવશે. આ અંગેનો અંતિમ નિર્ણય હવે સ્થાયી સમિતિ લેશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:41 pm

SMCએ કોન્ટ્રાક્ટરને 3 કરોડની પેનલ્ટી અને બ્લેક લિસ્ટની નોટિસ ફટકારી:ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વિલંબ થતાં સુરત મહાનગરપાલિકા લાલઘૂમ

સુરતનું ઘરેણું ગણાતા ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઇજારદારની લાપરવાહી હવે તેને ભારે પડી રહી છે. 15મી ડિસેમ્બરની સમયમર્યાદા વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતા અને શાસકોએ શરમજનક સ્થિતિમાં મુકાવું પડતા, સુરત મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા છે. મનપાએ ઇજારદાર એમ.પી. બાબરિયાને 3.32 કરોડની પેનલ્ટી ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસો ન મળે તો બ્લેકલિસ્ટ કરવાની ચીમકી આપી છે. કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિને કારણે SMCની પ્રતિષ્ઠાને નુકસાનડુમસ સી-ફેસ પ્રોજેક્ટ શાસકો માટે અત્યંત મહત્વકાંક્ષી છે. કન્સલ્ટન્સીની બાંહેધરી પર વિશ્વાસ રાખીને શાસકોએ લોકાર્પણની જાહેરાતો પણ કરી દીધી હતી. જોકે, ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરી હજુ અધૂરી છે. પાલિકાએ ફટકારેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ઇજારદાર અને કન્સલ્ટન્સી વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ દેખાય છે, જે ગંભીર બાબત છે. આ ઢીલી નીતિને કારણે મહાપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. પેકેજ-1 અને 2ના આ કામો હજુ પણ લટકેલાકરોડોના ખર્ચે બની રહેલા આ પ્રોજેક્ટમાં નીચે મુજબની મહત્વની કામગીરીઓ હજુ પૂર્ણ થઈ શકી નથી જેમાં પ્રરોમીનાડ એરિયા અને ઈવેન્ટ ગ્રાઉન્ડ, સ્કલ્પચર અને હોર્ટિકલ્ચર (બાગાયતી કામ), MLCP (મલ્ટી લેવલ કાર પાર્કિંગ), એમેનિટીસ, સિવિલ વર્ક અને ફિનિશિંગ વર્ક શામેલ છે. આ સમગ્ર પ્રોજેક્ટ એમ.પી. બાબરિયાનો છે અને તેમની સાથે જોઈન્ટ વેન્ચરમાં યુનિક કન્સ્ટ્રકશન પણ સામેલ છે. અગાઉ પ્રદૂષણ બદલ પણ દંડાયા હતાઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મનપા કમિશનર શાલિની અગ્રવાલે જ્યારે સાઇટની મુલાકાત લીધી હતી, ત્યારે ત્યાં ધૂળ ઉડતી જોવા મળી હતી અને ગ્રીન નેટ જેવા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન જણાયું હતું. તે સમયે પણ તંત્ર દ્વારા 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે કામમાં વિલંબ થતા સીધો 3 કરોડથી વધુનો ફટકો પડ્યો છે. 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશમહાપાલિકાએ કન્સલ્ટન્ટ એમ.પી. બાબરિયાના જયેશ દલાલને નોટિસ આપીને તાકીદ કરી છે કે, શા માટે તેમને બ્લેક લિસ્ટમાં ન મૂકવા? તેનો લેખિત ખુલાસો આગામી 3 દિવસમાં રજૂ કરવો. જો સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:23 pm

ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સનો ઉત્સાહ:મહાનગરપાલિકા દ્વારા 21 ડિસેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં 'જલસા સ્ટ્રીટ' કલ્ચરલ પર્ફોર્મન્સનું આયોજન

આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે એક અનોખા સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ 'જલસા સ્ટ્રીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. 21 ડિસેમ્બરને રવિવારના રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ઘ-4 પાસે યોજાનાર આ કાર્યક્રમમાં ફિટનેસની સાથે કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. 21 ડિસેમ્બરે 'જલસા સ્ટ્રીટ'નું આયોજનઆગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે 21 ડિસેમ્બરે એક અનોખા સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ 'જલસા સ્ટ્રીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. સૂર્ય નમસ્કાર જેવી 'હાઈ એનર્જી ફિટનેસ ચેલેન્જ'આ કાર્યક્રમને બે ભાગમાં વિભાજિત કરાયો છે. પ્રથમ સત્રમાં બાળકો માટે ટ્રેમ્પોલીન જમ્પિંગ અને સ્કેટિંગ જેવી રમતો સાથે 'કિડ્સ એન્ડ ફન ઝોન' હશે. સાથે જ 'નોસ્ટાલ્જીયા ફિટનેસ' વિભાગમાં રસ્સા ખેંચ, સાતોલિયું અને ભમરડા જેવી દેશી રમતો રમાડવામાં આવશે. યુવાનો માટે પ્લેન્ક ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર જેવી 'હાઈ એનર્જી ફિટનેસ ચેલેન્જ' પણ યોજાશે. 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્કજ્યારે સાંજે 7 વાગ્યાથી શરૂ થતા બીજા સત્રમાં મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાગરિકો ઝુમ્બા, વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ, ગરબા અને અન્ય કલ્ચરલ પર્ફોર્મન્સનો ભરપૂર આનંદ માણી શકશે, જે કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના ઉત્સાહમાં વધારો કરશે. નાગરિકોના લાભાર્થે સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા દ્વારા જાહેર કરાયું છે કે આ 'જલસા સ્ટ્રીટ' કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્ક છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:13 pm

વડોદરા જિલ્લા પંચાયતની સભા ઉગ્ર બની:વિપક્ષે આરોગ્ય-શિક્ષણના મુદ્દે સત્તાપક્ષને આડેહાથ લીધા, સત્તાપક્ષે વિપક્ષને ચાર સભ્યો એકજ વાહનમાં સમાઇ જશોનો ટોણો માર્યો

વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિપક્ષે આરોગ્ય અને શિક્ષણના મુદ્દે સત્તા પક્ષને આડેહાથ લેતા જ સત્તાપક્ષે વિપક્ષના સભ્યોને એકજ વાહનમાં સમાઇ જશો તેવો ટોણો મારતાં સભામાં ગરમાવો આવી ગયો હતો. ગ્રાન્ટ સરખા ભાગે સભ્યોને ફાળવવા માટે રજૂઆત કરીજિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા મળી હતી. એજન્ડા ઉપર 18 કામો લેવામાં આવ્યા હતા. સભાની શરૂઆતમાં વિપક્ષના નેતા મુબારક પટેલે સમગ્ર જિલ્લાના વિકાસ માટે ગ્રાન્ટની રૂપિયા 7 કરોડ રકમ અને રૂપિયા 2 કરોડની રકમ જે જમા છે તે રકમ સરખા ભાગે સભ્યોને ફાળવવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે બે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હોવા છતાં પંચાયતનાજ બે સભ્યો દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચાર સભ્યો એકજ વાહનમાં સમાઇ જશો તેવો ટોણો માર્યોવિપક્ષી નેતાએ જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ કથળી ગયું હોવાનો આક્ષેપ કરતા સત્તાપક્ષે વળતો જવાબ આપતાં જણાવ્યું કે, ચાર સભ્યો એકજ વાહનમાં સમાઇ જશો તેવો ટોણો મારતાં સભામાં ગરમાવો આવી ગયો હતો. વિપક્ષે સામે પ્રહાર કરતા જણાવ્યું કે, આંગણવાડીઓમાં બાળકો માટે કોઇ સુવિધાઓ નથી. શાળાઓના ઓરડા ખખડધજ બની ગયા છે. જોકે, વિપક્ષના આક્ષેપોના સત્તાપક્ષના સભ્યોએ ફગાવી બચાવનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી નેતા મુબારક પટેલે સત્તાપક્ષ ભાજપાના બે સભ્યો બ્લેકલિસ્ટ કરાયેલા બે કોન્ટ્રાક્ટરોને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 10:05 pm

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટના જાણીતા ઇમિટેશન વેપારી દેવરાજભાઈ ગઢિયાનો ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઈ આપઘાત

રાજકોટના સામાકાંઠા વિસ્તારના જાણીતા ઇમિટેશન વેપારી અને અગ્રણી દેવરાજભાઈ ખોડાભાઈ ગઢિયા (ઉ.વ.60) એ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા વેપારી આલમમાં ભારે શોક વ્યાપી ગયો છે. રણછોડનગર વિસ્તારમાં રહેતા અને સંતકબીર રોડ પર શિંગાર સેલ્સ નામે શો-રૂમ ધરાવતા દેવરાજભાઈ અવારનવાર સાયપર સ્થિત ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કરતા હતા. સવારે પુત્ર અંકિતે ફોન કરતા પિતાએ પ્રતિસાદ ન આપતા તે રૂબરૂ ફાર્મ હાઉસ પહોંચ્યો હતો, જ્યાં પિતાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ઇમિટેશન એસોસિએશનના સક્રિય સભ્ય હતા અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા હતા. ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના રાજકીય અને વેપારી અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. દેવરાજભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આપઘાતનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગરો બેફામ, કુવાડવા પાસે સ્વીફ્ટ કારમાંથી 720 બોટલ દારૂ ઝડપાયો રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતા શહેરમાં દારૂ ઘુસાડવા સક્રિય થયેલા બુટલેગરોના મનસૂબા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું છે. પોલીની ટીમે બાતમીના આધારે કુવાડવા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ સામેથી એક શંકાસ્પદ સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 720 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 57,600 નો દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી ચાલક રજાક ગુલાબભાઈ નોતીયારની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજસ્થાનના સાતુરથી દારૂનો જથ્થો લાવ્યો હતો અને નવાગામના હુસેન નામના શખ્સને પહોંચાડવાનો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આરોપી રજાક હજુ 3 દિવસ પહેલા જ દારૂના ગુનામાં જેલમાંથી છૂટ્યો હતો, અને જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરી દારૂની હેરાફેરી શરૂ કરી દીધી હતી. હાલ પોલીસે ફરાર હુસેનની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. અયોધ્યા ચોક પાસે વેપારની અદાવતમાં યુવાન પર હુમલો કરનાર 6 શખ્સોની ધરપકડ રાજકોટના અયોધ્યા ચોક પાસે સિનર્જી હોસ્પિટલ નજીક એક મહિના પહેલા બનેલી મારામારીની ગંભીર ઘટનામાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રૈયા રોડ પર રહેતા અને રેતી-કપચીનો વેપાર કરતા 21 વર્ષીય પાર્થ ઉર્ફે સોનુ ફિચડીયા પર તેના જ મિત્ર પ્રણવ અને તેના પિતા મયુર દેવાયતકા સહિતની ટોળકીએ ધંધાકીય અદાવતમાં હુમલો કર્યો હતો. ઘટનાની વિગતો મુજબ, 16/11ના રોજ મયુર દેવાયતકાએ પાર્થને બોલાવી 'તું અમારી પાસેથી ધંધો શીખી અમારા ગ્રાહકોને માલ કેમ આપે છે?' તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ પ્રણવ, શની બારોટ, હિતેષ મોઢવાડીયા, કાના ઓડેદરા અને સાગર ક્રિષ્નાતરે એકસંપ કરી પાર્થ પર ધોકા અને બેટથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવાનને પછાડી દઈ છાતી પર બેસી બેફામ માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધીકા ભારાઈની સૂચનાથી પીઆઈ ટી. ડી. જાડેજા અને ટીમે તમામ 6 આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરવાની તજવીજ પણ હાથ ધરી છે. વાંકાનેર રેલ્વે સ્ટેશને ભીડનો લાભ લઈ શ્રમિકના ખિસ્સામાંથી રૂ. 80,000ની ચોરી વાંકાનેરથી વિરમગામ જવા માટે ટ્રેનમાં ચડી રહેલા એક શ્રમિકના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ. 80,000ની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે હરિયાણાના વતની રામચંદ્ર ફુલચંદ્ર વાસી (ઉ.વ. 44) એ રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રામચંદ્ર પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ગુજરાતમાં ખેત મજૂરી અર્થે આવ્યા હતા. સપ્ટેમ્બર 2025માં તેઓ કચ્છના રાધનપુર ગામે કપાસ વીણવાની મજૂરી કરવા ગયા હતા, જ્યાં તેમને મજૂરી પેટે કુલ રૂ. 80,000 મળ્યા હતા. ગત તારીખ 6 નવેમ્બરના રોજ તેઓ મજૂરી કામ ન મળતા વાંકાનેરથી વિરમગામ જવા માટે બપોરની ટ્રેનમાં બેસવા જઈ રહ્યા હતા. આ દરમિયાન જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરે તેમના ઝભ્ભાના ખિસ્સામાંથી મજૂરીના રૂ. 80,000 સેરવી લીધા હતા. ટ્રેન ચાલતી થયા બાદ તપાસ કરતા નાણાં ગાયબ હોવાનું જણાયું હતું. આ બનાવ સંદર્ભે રેલ્વે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 9:56 pm

પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડીની ગોળી મારીને હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી

Firing During Kabaddi Tournament in Punjab: પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન આજે (15 ડિસેમ્બર) અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર 15 Dec 2025 9:41 pm

ખેડૂતના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું:બોચડવા ગામના વૃદ્ધ ખેડૂતના બંધ મકાનમાંથી રૂ.42,000ની મત્તાની ચોરી

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બોચડવા ગામમાં રહેતા એક વૃદ્ધ ખેડૂત પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયો હતો, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ.42,000ની કિંમતનો સોના-ચાંદીનો દાગીના અને રોકડ રકમ ચોરી ગયા ફરિયાદ ઉમરાળા પોલીસ મથકે નોંધાવી હતી, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ના ​બોચડવા ગામમાં ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા રવજીભાઇ ઝવેરભાઇ ગોરશીયા ઉ.વ.68 એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્ની ગત તારીખ 27/11/2025 ના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે રામપરા તા. બરવાળા ખાતે લગ્નમાં ગયા હતા. જતા પહેલા તેમણે ઘરના બંને રૂમને આગળીયા મારી અને મેઈન દરવાજે તાળું મારી દીધું હતું.​તારીખ 29/11/2025 ના રોજ સવારે અગિયાર વાગ્યે રવજીભાઈએ તેમના ગામના મુનાભાઈ દીનેશભાઈ ભટ્ટને ફોન કરીને બંધ મકાન પર એક આંટો મારવાનું કહેલું. મુનાભાઈએ ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરનું તાળું તૂટેલું છે. આ સાંભળી રવજીભાઈ અને તેમના પત્ની તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા. ​ ઘરે આવીને જોતા મેઈન દરવાજાનો નકુચો તૂટેલો હતો. અંદર જઈને તપાસ કરતા એક રૂમમાં રાખેલો લોખંડનો કબાટ ખુલ્લો હતો અને તેનું લોક પણ તોડી નાખવામાં આવ્યું હતું. કબાટમાં તપાસ કરતા સોનાનો હાર આશરે 6 તોલા, 30 વર્ષ જૂનો કિં.રૂ.30,000, ચાંદીના બે જોડ છડા કિં.રૂ.2,000, સોનાની ચીપ લગાવેલ પ્લાસ્ટિકની ચૂડી કિંમત રૂપિયા 3,000 તથા રોકડા રૂપિયા 7,000 મળી કુલ રૂપિયા 42,000 નો મુદામાલાની ચોરી થવા પામી હતી, પરિવાર દ્વારા આ અંગે પોતાની રીતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ ભાળ ન મળતા આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ​પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:51 pm

જલકથામાં જનકલ્યાણ ટ્રસ્ટનો રક્તદાન કેમ્પ, અંગદાન સંકલ્પ:17 ડિસેમ્બર સુધી રેસકોર્સ ખાતે ચક્ષુદાન, દેહદાનના સંકલ્પ પત્રો ભરાશે

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે આયોજિત જલકથામાં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત, અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન અને દેહદાનના સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવશે. સંકલ્પ પત્રો ભરવાનો સમય સાંજે 6:00 વાગ્યાથી રાત્રીના 12:00 કલાક સુધીનો રહેશે. ભરાયેલા કાર્ડને તુરંત લેમિનેશન કરીને આપવામાં આવશે. જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશ મહેતાએ વિવિધ સમાજના આગેવાનો અને સેવાભાવીઓને આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 783 ચક્ષુદાન, 61 દેહદાન અને 44 સ્કીન ડોનેશન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા છે. તબીબી વિજ્ઞાનમાં અંગદાનને 'Deceased Organ Transplant' એટલે કે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું પ્રત્યારોપણ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા માનવજાત માટે આ એક અદ્ભુત સુવિધા છે, જે મૃત્યુ સામે લડવાની એક રીત પૂરી પાડે છે. આ માટે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન અત્યંત આવશ્યક છે. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ અને ફેફસાં જેવા અંગો કુદરત દ્વારા માનવીને મળેલી અમૂલ્ય ભેટ છે. સેંકડો વ્યક્તિઓના અંગો અંતિમ ક્રિયા દરમિયાન નાશ પામે છે, જ્યારે તે ઘણા લોકોને નવું જીવન આપી શકે છે. સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ જેટલી વધશે, તેટલા વધુ અંગદાન થશે અને વધુ લોકોનું જીવન બચી શકશે અથવા નવપલ્લવિત થઈ શકશે. ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગે વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો. 94285 06011) નો સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:42 pm

વાપીમાં સાયબર ફ્રોડ મામલે મોટી કાર્યવાહી:મ્યુલ બેંક એકાઉન્ટ આપનાર સામે ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ગંભીર મામલે વાપી ટાઉન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ફરહાન સલીમ ઘાંચી નામના આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપ મુજબ, ફરહાને વોન્ટેડ આરોપી ઝેદ ઉર્ફે સાનુ હનીફ શેખના કહેવાથી પોતાનું કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ સાયબર ઠગાઈ માટે ઉપયોગમાં આપ્યું હતું. તેણે આ એકાઉન્ટમાં આવેલા નાણાં ઉપાડી ઝેદને પહોંચાડ્યા હતા. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રવિન્દ્ર દનુભાઈ પાટીલની ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ હતી. સાયબર ક્રાઇમ સેલના સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતી મુજબ, વાપી ખાતે ખુલેલું કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ શંકાસ્પદ જણાયું હતું. તપાસમાં સામે આવ્યું કે, આ એકાઉન્ટમાં 8 એપ્રિલ 2025 થી 9 એપ્રિલ 2025 દરમિયાન કુલ 5,15,000 રૂપિયા જમા થયા હતા. આ રકમમાં 3,15,000 રૂપિયા અને 2,00,000 રૂપિયાનો સમાવેશ થાય છે, જે તમામ રોકડ સ્વરૂપે ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ફરહાન સલીમ ઘાંચીએ કબૂલ્યું કે, 1 ટકા કમિશનની લાલચમાં તેણે પોતાનું બેંક એકાઉન્ટ ઝેદ ઉર્ફે સાનુ હનીફ શેખને આપ્યું હતું. તેણે સાયબર ફ્રોડથી આવેલા રૂપિયા ઉપાડીને ઝેદને પહોંચાડ્યા હતા. આ મામલે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 313(4), 318(4), 61(2), 3(5) તથા આઈ.ટી. એક્ટ 2008ની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:41 pm

શિક્ષણ ખાતાના પેન્શનરોનું સ્નેહ મિલન યોજાયું:કોલવડાની કે.કે. વિદ્યાલય ખાતે મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત.

શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો સ્નેહ મિલન કાર્યક્રમ કે.કે. પટેલ હાઈસ્કુલ, કોલવડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ એમ.કે. રાવલ, નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિવિધ જિલ્લાના શિક્ષણ ખાતાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સમાચારના સંપાદક કેતનભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકા વોર્ડ નં. 7ના કોર્પોરેટર સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા, ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ મનુભા વાઘેલા, કે.કે. પટેલ વિદ્યાલય, કોલવડાના આચાર્ય ભાવનાબા વાઘેલા તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મહેસાણાના નિવૃત્ત અધિક્ષક રમણભાઈ પટણી ઉપસ્થિત રહ્યા હતા. હોલના પ્રવેશ દ્વારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા મંડળના સભ્યોનું ચંદન તિલક અને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ કે.કે. પટેલ વિદ્યાલયની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહિપતસિંહ વાઘેલાએ કર્યું હતું. આ પ્રસંગે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના મંડળના સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ-2025માં મંડળના સભ્યો પૈકી જે સભ્યના સંતાનોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેનું પણ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત નાટ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર મંડળના મહામંત્રી જી.કે. પરમારની દીકરી દીપલ પરમાર, ગાંધીનગરથી લેહ-લદાખ સુધીની બાઇક રાઇડ કરનાર મંડળના ખજાનચી ભૂપેન્દ્ર ગજ્જરની દીકરી નિયતિ ગજ્જર તથા ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં સહાયક સંગીતકાર તરીકે સંગીત આપનાર મંડળના સભ્ય રતિલાલ વાઘેલાના દીકરા ગિટારિસ્ટ વિરાજ વાઘેલાનું શીલ્ડ અને શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ, કેન્સર તથા સ્વદેશી અપનાવો અંગે જન જાગૃતિની કામગીરી કરવા બદલ મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયાના દીકરા અર્પિત ધોળકિયાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. મંડળના સભ્ય રમણભાઈ પટણીએ આર્થિક સહયોગ રૂપે મંડળને ₹51,000નો ચેક મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ તથા મહામંત્રી જી.કે. પરમારને અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમના ભોજનદાતા તરીકે સોનલબા વાઘેલાએ યોગદાન આપ્યું હતું. મંડળના સભ્યો મલય વૈષ્ણવ, શ્રવણ પરમાર તથા આમંત્રિત કલાકાર ભરત વાણીયાએ ફિલ્મી ગીતો રજૂ કરીને મનોરંજન કર્યું હતું. ગિટારિસ્ટ વિરાજ વાઘેલાએ પણ ગિટાર સાથે ગીત ગાઈને વિશેષ પ્રસ્તુતિ કરી હતી. ઉપસ્થિત સભ્યોએ નોકરી દરમિયાનના સંસ્મરણો તાજા કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા સભ્યોને તાંબાના જગની આકર્ષક ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપલ પરમાર તથા સહમંત્રી અમૃતલાલ સુથારે કર્યું હતું. આભાર વિધિ મલય વૈષ્ણવે કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:41 pm

નારણપુરામાં નશા મુક્તિ સત્સંગ યોજાયો:જ્યોતિબેનના નિવાસસ્થાને મહિલાઓએ શપથ લીધા

કર્ણાવતી મહાનગર પશ્ચિમના ભાગવત વિભાગ અંતર્ગત નારણપુરા જિલ્લામાં એક સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા જ્યોતિબેનના નિવાસસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રાંત સહ-સંયોજિકા ચંદ્રિકાબેન, ભાગવત વિભાગ સંયોજિકા રંજનબેન અને નારણપુર જિલ્લા સંયોજિકા હેતલબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સત્સંગની સાથે સાથે નશા મુક્તિનો વિષય પણ ચર્ચા માટે મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌને નશા મુક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નજીકના ગાર્ડનમાં યોગ કરતા ભાઈઓ અને બહેનો સાથે પણ પરિષદની વાતચીત કરવામાં આવી હતી અને તેમને નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:40 pm

PGVCL દ્વારા સુખનાથ ચોક શાળામાં સ્પર્ધા યોજાઈ:ઊર્જા બચત જાગૃતિ માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા

જૂનાગઢના સુખનાથ ચોક સ્થિત મારી પ્રાથમિક શાળામાં આજે PGVCL દ્વારા ઊર્જા જાગૃતિ અંગે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. PGVCL શહેર વિભાગીય કચેરી, જૂનાગઢના કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ સોનીની ઉપસ્થિતિમાં આ સ્પર્ધા યોજાઈ હતી. શાળાના પ્રિન્સિપાલ જયભાઈ વસવેલીયા દ્વારા 100 વિદ્યાર્થીઓની આ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં ઊર્જા બચત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની સુષુપ્ત કલા શક્તિઓને બહાર લાવવાનો હતો. ચિત્ર સ્પર્ધામાં ધોરણ 7ના પરમાર ચિરાગ વિનોદભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ધોરણ 7ની ચૌધરી ક્રિષ્ના રાજેશભાઈ દ્વિતીય અને ધોરણ 6ના મકવાણા રાણા રાજાભાઈ તૃતીય ક્રમે રહ્યા હતા. નિબંધ સ્પર્ધામાં ધોરણ 8ના રાજ સુમરા મમદઅલી અસતારભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ચાવડા વિનોદ વજુભાઈ દ્વિતીય અને ધોરણ 6ના ઘરસેંડા યુવરાજ વિનોદભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને શીલ્ડ, પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. PGVCL દ્વારા સ્પર્ધા માટે જરૂરી તમામ સામગ્રી શાળાને પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે PGVCLના વાસવેલીયા સાહેબે જણાવ્યું હતું કે, બાળકોમાં ઊર્જા બચાવની ભાવના કેળવાય તે અત્યંત જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને ઘર વપરાશના વીજ ઉપકરણોમાં વીજળીનો બચાવ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ જયભાઈ વસવેલીયા, ભાવિનભાઈ વાઘેલા અને મુકેશગીરી એસ મેઘનાથી સહિત સમગ્ર શાળા પરિવારે ઉપસ્થિત PGVCL કર્મચારીઓનું સન્માન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:39 pm

નેત્રંગમાં મોબાઈલ ટાવરના કોમ્પોનન્ટ બોક્સની ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ રૂ. 5.65 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપ્યા

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેત્રંગ તાલુકાના બીલાઠા ગામની સીમમાં થયેલી મોબાઈલ ટાવરના કિંમતી કોમ્પોનન્ટ બોક્સની ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી વેગનઆર કાર સહિત કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપી હજુ ફરાર છે. LCB દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, 14 ડિસેમ્બર 2025 ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન LCB ને ખાનગી રાહે માહિતી મળી હતી કે, સફેદ રંગની વેગનઆર કારમાં બે ઇસમો મોબાઈલ ટાવરના ચારથી પાંચ કોમ્પોનન્ટ બોક્સ લઈને નર્મદા બંગ્લોઝ પાસે ઊભા છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરી દિલીપ રમાયણ તીવારી અને નરેશ કાંસીરામ વસાવા નામના બે શંકાસ્પદોને વેગનઆર કારમાંથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોબાઈલ ટાવરના પાંચ કોમ્પોનન્ટ બોક્સ મળી આવ્યા હતા. આધાર પુરાવા રજૂ ન કરી શકતા બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપી દિલીપ તીવારી વોડાફોન કંપનીમાં ટાવર મેઈન્ટેનન્સ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તેણે તેની સાથે નોકરી કરતા નીતિન પટેલ સાથે મળીને ટાવરમાંથી કોમ્પોનન્ટ બોક્સની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2.50 લાખની કિંમતના કોમ્પોનન્ટ બોક્સ, રૂ. 3 લાખની કિંમતની વેગનઆર કાર અને રૂ. 15 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની લાગુ કલમો હેઠળ ગુનો નોંધી ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. ફરાર આરોપી નીતિન રામપ્રસાદ પટેલની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:38 pm

ગદાપુરાની શાળામાં સાંસદ ખેલ મહોત્સવ 2025 યોજાયો:200 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત માઁ સરસ્વતી પ્રાથમિક શાળા (સવાર), શાળા નંબર 24, ગદાપુરા ખાતે સાંસદ ખેલ મહોત્સવ- 2025 ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણ સમિતિ વડોદરાના સભ્ય કિરણભાઈ સાલુંકે, સીઆરસી કોઓર્ડિનેટર ચંપાબેન, એસએમસીના સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ તુલસીના છોડ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ કુછ કરીએ.. કૂછ કરીએ...... ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા ફ્લેગ આપી વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ધોરણ 1 થી 8 ના કુલ 200 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડ સ્પર્ધામાં 200 વિદ્યાર્થીઓમાંથી 80 વિદ્યાર્થીઓને (દરેક ધોરણમાંથી 5 કુમાર અને 5 કન્યા) ભાગ લેવા દેવામાં આવ્યો હતો, જેમાં ધોરણ દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ 1 થી 8 ના 27 વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા હતા. ધોરણ 6 થી 8 ના 14 વિદ્યાર્થીઓની બે ટીમો વચ્ચે કબડ્ડી રમાડવામાં આવી હતી, જ્યારે 18 વિદ્યાર્થીનીઓની બે ટીમો વચ્ચે ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. વ્યક્તિગત રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમને પ્રથમ ક્રમાંક આપી, તમામ બાળકોને રમતમાં ભાગ લીધા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:37 pm

વિસલપુર હાઈસ્કૂલને કૌશલ્યોત્સવમાં દ્વિતીય સ્થાન:અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 'બાયો ચારકોલ' પ્રોજેક્ટ માટે

અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવ (સ્કિલ કોમ્પિટિશન) 2025-26માં વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ કૌશલ્યોત્સવમાં કુલ 44 શાળાઓના 140 વિદ્યાર્થીઓ અને 80 વોકેશનલ ટ્રેનર્સ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું.તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલ (તા. દસ્ક્રોઈ) માંથી એગ્રીકલ્ચર અને બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડના બે ટ્રેનર્સ અને ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાએ એગ્રીકલ્ચર ટ્રેડમાં 'બાયો ચારકોલ' પ્રોજેક્ટ માટે સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે વોકેશનલ ટ્રેનર્સ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:36 pm

દસાડા-શંખેશ્વર રોડ પર ચાર ગાડીઓ અથડાઈ:અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા, જાનહાનિ ટળી

પાટડી તાલુકાના દસાડા-શંખેશ્વર રોડ પર ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું છે. વડોદરાના સંજય સોલંકી બે સિનિયર સિટીઝનો સાથે સુરેન્દ્રનગરથી શંખેશ્વર જઈ રહ્યા હતા. દસાડા-શંખેશ્વર રોડ પર આવેલા 1008 જૈન મંદિર પાસે સામેથી શંખેશ્વર તરફથી પુરઝડપે આવતી અશરફખાન હબીબખાન સિપાઈની કાર સાથે તેમની કાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલી વિરમગામના દેવાંગ વર્ધમાનભાઈ શાહની ગાડી અને તેની પાછળ આવતી હિતેન્દ્રસિંહ જીલુભા વાઘેલાની સ્કોર્પિયો ગાડી પણ અથડાઈ હતી. આમ કુલ ચાર ગાડીઓ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે દસાડા-શંખેશ્વર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. આ અકસ્માતમાં ચારેય ગાડીઓને નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ નહોતી. આ બનાવ અંગે વડોદરાના સંજયભાઈ સોલંકીએ પાટણ-સમીના ગોચનાદ ગામના અશરફખાન હબીબખાન સિપાઈ વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરાવ્યો છે. દસાડા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના ડી.કે. ઉમરાણીયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:34 pm

BDSV કલાઉત્સવ સંગીતમાં પ્રથમ ક્રમે વિજેતા:મોદી વિધિશા દિલીપભાઈએ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી

પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલયના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના કલાઉત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જી.સી.ઈ.આર.ટી. દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ દ્વારા યોજાયેલા આ કલાઉત્સવમાં સંગીત અને વાદન સ્પર્ધા યોજાઈ હતી. સંગીત સ્પર્ધામાં વિધાલયની મોદી વિધિશા દિલીપભાઈએ પ્રથમ ક્રમે વિજય પ્રાપ્ત કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, વાદન સ્પર્ધામાં સોલંકી યોગેશ દ્વિતીય સ્થાને રહ્યો હતો. કલાઉત્સવમાં વિદ્યાર્થીઓએ તેમની મધુર સંગીત પ્રસ્તુતિ અને સુમેળભર્યા વાદન દ્વારા નિષ્ણાત ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓની કલાત્મક કુશળતા, તાલમેલ અને આત્મવિશ્વાસ પ્રશંસનીય રહ્યો હતો. આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપનાર ડૉ. ઓ. બી. દેસાઈ, કે. આઈ. દેસાઈ અને પૂજાબેન રાજગોર જેવા શિક્ષકોના માર્ગદર્શન તથા સંસ્થાના સહયોગનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આ વિજયથી સંસ્થાનું નામ જિલ્લા સ્તરે ઉજળું બન્યું છે. સંસ્થાના આચાર્ય ડૉ. બી. આર. દેસાઈએ તથા શાળાના તમામ સ્ટાફે વિજયી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:34 pm

બી ડી સાર્વજનિક વિદ્યાલયે ખેલ મહાકુંભમાં પ્રથમ સ્થાન મેળવ્યું:મધ્ય ઝોન બાસ્કેટબોલ સ્પર્ધામાં DLSS ટીમને વિજય

પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિદ્યાલયની SAG, DLSS U-17 ભાઈઓ-બહેનોની ટીમે ખેલ મહાકુંભની મધ્ય ઝોન કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા 12 ડિસેમ્બર 2025 થી 15 ડિસેમ્બર 2025 દરમિયાન સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે યોજાઈ હતી. વિધાલયની ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓએ શિસ્તબદ્ધ રમત, મજબૂત ટીમવર્ક અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે રમતા તમામ મેચોમાં પ્રભાવશાળી જીત નોંધાવી હતી. ફાઇનલ મુકાબલામાં ટીમે વિરોધી ટીમને સખત ટક્કર આપી સ્પષ્ટ વિજય મેળવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ ટીમના તમામ ખેલાડીઓ, કોચ અને માર્ગદર્શક શિક્ષકોના સતત પ્રયત્નો અને સખત મહેનતનું પરિણામ છે. તેમના સમર્પણ અને તાલીમને કારણે જ આ સફળતા શક્ય બની છે. આ વિજયથી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલયનું નામ મધ્ય ઝોન સ્તરે ઉજ્જવળ બન્યું છે. શ્રી પાટણ જૈન મંડળના હોદ્દેદારો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળા પરિવારના સભ્યો અને રમતપ્રેમીઓએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. બી. આર. દેસાઈએ તમામ ખેલાડીઓ, કોચ અને વ્યાયામ શિક્ષકોને આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:33 pm

વડોદરામાં કાયસ્થ કુલગુરુ સ્નેહ મિલન સમારોહ યોજાયો:યુવાનોને સમાજ સેવા માટે જવાબદારી સોંપાઈ, એકતા પર ભાર

વડોદરા ખાતે તારીખ13 ડિસેમ્બર, શનિવારે કાયસ્થ કુલગુરુ રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ શ્રીવાસ્તવ, કૃષ્ણા કુમાર શ્રીવાસ્તવ, વિજય સક્સેના અને ABKM ની ટીમ દ્વારા સંયુક્ત સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા શક્તિના પૂનમ ભટનાગર, રીટા શ્રીવાસ્તવ અને મંજુ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય તટ રક્ષક દળના કમાન્ડર ગૌરવ શ્રીવાસ્તવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.આ સ્નેહમિલન સમારોહમાં યુવાનોને સમાજ સેવાના કાર્યો માટે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પહેલનો હેતુ યુવાનોને સામાજિક કાર્યોમાં સક્રિયપણે જોડવાનો હતો. આયોજકોએ જ્ઞાતિમાં પરસ્પર સ્નેહ, એકતા અને એકજૂટતાની ભાવના પ્રબળ બને તે માટે આશા વ્યક્ત કરી હતી. સમાજ સમૃદ્ધ બને અને સૌનો સહયોગ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે સર્વે ઉપસ્થિતો છૂટા પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:32 pm

મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી વર્કશોપનું આયોજન:એક્સપિરિયન્શિયલ પેડાગોજી દ્વારા શિક્ષણ સુધારવા પર ભાર

મારવાડી યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (FMS) દ્વારા Experiential Pedagogy through the Case Method વિષય પર એક વિશેષ ફેકલ્ટી વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષણ પદ્ધતિઓને વધુ અસરકારક, પ્રયોગાત્મક અને વ્યવહારુ બનાવવાનો હતો. આ વર્કશોપમાં યુનિવર્સિટી ઓફ ડેનવરના પ્રોફેસર અને બેરોન હિલ્ટન ચેર ઇન લોજિંગ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન ડૉ. એચ. જી. પારસાએ સંબોધન કર્યું હતું. તેમણે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, વ્યૂહરચના અને જવાબદાર નેતૃત્વ સંબંધિત તેમના અનુભવ અને સંશોધન આધારિત જ્ઞાન ફેકલ્ટી સભ્યો સાથે વહેંચ્યું. ડૉ. પારસાએ તેમના પ્રખ્યાત સંશોધન Why Restaurants Failના ઉદાહરણો દ્વારા કેસ મેથડ આધારિત શિક્ષણની વ્યવહારુ પદ્ધતિઓ પર પ્રકાશ પાડ્યો. આ પદ્ધતિઓ ફેકલ્ટી સભ્યો માટે વર્ગખંડમાં અમલ કરવા અત્યંત ઉપયોગી સાબિત થઈ. કાર્યક્રમની શરૂઆત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડૉ. કીર્તિ દત્તાના સંબોધન સાથે થઈ હતી. સમગ્ર સત્ર દરમિયાન, ફેકલ્ટી સભ્યોને અનુભવ આધારિત શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, વિશ્લેષણ અને નિર્ણયક્ષમતા કેવી રીતે વિકસાવવી તે અંગે માર્ગદર્શન મળ્યું. FMS દ્વારા આ વ્યાવસાયિક વિકાસ પહેલ માટે યુનિવર્સિટીના નેતૃત્વના સમર્થન બદલ આભાર વ્યક્ત કરાયો હતો. સહ-સ્થાપક અને વાઇસ ચેરમેન શ્રી જીતુભાઈ ચંદારાણા, પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહ, પ્રોવોસ્ટ ડૉ. આર. બી. જાડેજા અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી નરેશ જાડેજાનો આ ઉચ્ચ સ્તરીય સત્રને શક્ય બનાવવા બદલ આભાર માનવામાં આવ્યો. મારવાડી યુનિવર્સિટી તેના શિક્ષકોને વિશ્વ-સ્તરીય સંસાધનો, વૈશ્વિક નિષ્ણાતો સાથેની ક્રિયાપ્રતિક્રિયા અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવા માટે સતત પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:30 pm

વસ્ત્રાલની શંકર વિદ્યાલયમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન:વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા ફેસ્ટિવલ-2025 યોજાયો

વસ્ત્રાલની શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં 'ફૂડ ફેસ્ટિવલ-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જનાત્મક શક્તિઓને જાગૃત કરવાનો, નવી કલા શીખવવાનો અને સૌહાર્દપૂર્ણ સ્પર્ધાનો અનુભવ કરાવવાનો હતો. આ કાર્યક્રમ માત્ર એક રસોઈ સ્પર્ધા નહોતી, પરંતુ વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભા, સૌંદર્ય દૃષ્ટિ અને ટીમ ભાવનાને વ્યક્ત કરવા માટેનું એક સુંદર મંચ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ વાનગીઓ માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ તેમાં રહેલા પ્રેમ, કલ્પના અને પરિશ્રમની ગાથા પણ રજૂ કરતી હતી. આ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને રસોઈ કલામાં તેમની કલાને પ્રોત્સાહન મળ્યું. તેઓએ નવા આયામો અને નવીન વિચારોને ઉત્સાહપૂર્વક અપનાવ્યા. એકબીજાની રચનાઓની કદર કરતા શીખ્યા અને 'તમે કરી શકો છો' તેવા વિશ્વાસ સાથે પોતાની શક્તિઓને ઓળખી. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે મળીને રસભર્યા વાતાવરણમાં પોતાની શક્તિઓનું પ્રદર્શન કર્યું.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:29 pm

અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હંટ:ચાર આરોપીઓ ઝડપાયા, 40થી વધુ એકાઉન્ટ ભાડે લઈ 9.5 લાખનું સાયબર સ્કેમ

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ૪૦થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ રૂ.9.50 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં અરવલ્લીના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેવા માટે રૂ.2000 થી રૂ.40,000 સુધીની લાલચ આપતા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને નિશાન બનાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતા હતા. આ રીતે મેળવેલા એકાઉન્ટ્સ દ્વારા સાયબર ઠગાઈથી મળેલા પૈસા એકથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ ગેંગ અમદાવાદ અને ભાવનગર સુધીના લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈને કામ કરતી હતી. આરોપીઓએ APK ફાઇલ્સ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને છેતર્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં અંદાજે રૂ.9.50 લાખની ઠગાઈ થઈ છે. હાલ ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પોતાનું બેંક એકાઉન્ટ કોઈને પણ ભાડે ન આપે અને અજાણી લિંક્સ, એપ્સ અથવા ઓનલાઈન ઓફરો પ્રત્યે સાવચેત રહે. સાયબર ગુનામાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યે એકાઉન્ટ ધારકો સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ઝડપાયેલા આરોપીઓમાં સચિનભાઈ ધીરજભાઈ બામણા (રહે. રાંજેડી, તા. મેઘરજ, જિ. અરવલ્લી), જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા (રહે. અરવલ્લી સોસાયટી, મોડાસા), ખીલવ મહેશભાઈ રાઠોડ (રહે. ગુરુકુળ સોસાયટી, મોડાસા) અને વિશાલ રણજીતભાઈ રાવળ (રહે. સાયરા, તા. મોડાસા, જિ. અરવલ્લી) નો સમાવેશ થાય છે. સચિનભાઈ બામણા સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં કુલ ૬ ગુના નોંધાયેલા છે, જ્યારે વિશાલ રાવળ સામે મોડાસા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો દાખલ થયેલો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:29 pm

વેરાવળમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ:ગીર સોમનાથના વિકાસ માટે ₹271 કરોડના MOU થયા

વેરાવળની આસોપાલવ લૉન્સ ખાતે જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા આયોજિત આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે કુલ ₹271 કરોડના સમજૂતી કરારો (MOU) કરવામાં આવ્યા હતા. આ સમિટ કચ્છ-સૌરાષ્ટ્ર રિજિયોનની મુખ્ય ઇવેન્ટ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વાઈબ્રન્ટ સમિટ આજે વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવાનું એક મહત્વનું મંચ બની છે. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' હેઠળ માછલી અને કેસર કેરીના મુખ્ય ઉત્પાદનનો ઉલ્લેખ કર્યો હતો. મંજૂલાબહેન મૂછારે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં નાળિયેર અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં પણ વિકાસની વિશાળ તકો રહેલી છે. ધોલેરા SIRના સી.ઈ.ઓ. કુલદીપ આર્યાએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ સમિટની શ્રુંખલાને કારણે ગુજરાત ઉદ્યોગો માટે પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે. તેમણે માહિતી આપી કે આ વર્ષથી સમિટ રાજ્યના ચાર ઝોનમાં યોજાઈ રહી છે. કુલદીપ આર્યાએ ઉમેર્યું કે, આગામી 10 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે રિજિયોનલ કોન્ફરન્સ યોજાશે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આશા વ્યક્ત કરી કે, જિલ્લાકક્ષાની આ સમિટ ગીર સોમનાથ જિલ્લામાં કેરી, મત્સ્યોદ્યોગ અને કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના કૃષિ અને દરિયાઈ સંસાધનોની વિશેષતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે આનાથી સ્થાનિક લોકોને વધુ રોજગારીની તકો મળશે. કોન્ફરન્સ દરમિયાન થયેલા મુખ્ય MOUમાં ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ₹250 કરોડ, રાઈચુરા એનર્જી દ્વારા ₹10 કરોડ અને અલ ફૈઝલ ડ્રાય ફિશ દ્વારા ₹11 કરોડના કરારોનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે વિવિધ વિષયો પર સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હાર્દિકસિંહ વાઘેલાએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:25 pm

સાળંગપુર કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યોનો દિવ્ય શણગાર કરાયો:એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે વિશેષ દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર એકાદશી અને 224મા સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને સંગીતનાં વિવિધ વાદ્યો અર્પણ કરાયા હતા. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ દિવ્ય શણગાર તૈયાર કરાયો હતો. કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનિયમ, વીણા, બેંજો, મંજીરા, સિતાર, ગિટાર અને ઢોલ જેવાં સંગીતનાં વાદ્યોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ શણગાર આરતી સોમવાર, 15-12-2025ના રોજ સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી આ અનેરા દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:24 pm

ગાંધીનગરના યુવાને 'વર્ક ફ્રોમ હોમ' ટાસ્કમાં લાખો ગુમાવ્યા:બેંક ખાતામાં પ્રોફિટ મળતાં વિશ્વાસ બેઠો, 10 અલગ-અલગ બેંકમાં 16 લાખ ટ્રાન્સફર કરી દીધા

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવાનને ઓનલાઈન પાર્ટ-ટાઇમ જોબ વર્ક ફ્રોમ હોમની લાલચ ભારે પડી છે. સાયબર ઠગોએ ટાસ્ક પૂરો કરવા બદલ પ્રથમ નાની રકમ પરત કરીને વિશ્વાસ કેળવી પ્રિ પેઇડ ટાસ્કના બહાને વિવિધ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે 16 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અજાણ્યા નંબરથી 'વર્ક ફ્રોમ હોમ' માટેનો મેસેજ મળ્યોગાંધીનગર જિલ્લાના સાંતેજ ટાટા હાઉસિંગ વિસ્તારમાં ન્યૂ હેવન ફ્લેટમાં રહેતો અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા 29 વર્ષીય રવિકાંત બ્રિજનંદન વર્માને ગત તા. 14 ઓગસ્ટ 2025ના રોજ વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી 'વર્ક ફ્રોમ હોમ' માટેનો મેસેજ મળ્યો હતો. આરોપીઓએ શરૂઆતમાં પ્રોફિટ બેંક ખાતામાં જમા કરાવ્યોઆથી રવિકાંતે વર્ક ફ્રોમ હોમ કામ કરી પૈસા કમાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સામેવાળી વ્યક્તિએ તેને www.kartraonlineplatform.com નામની વેબસાઇટ આપીને નાના ટાસ્ક કરાવ્યા હતા. શરૂઆતમાં તેને રૂ. 800 અને રૂ. 4000 જેટલો પ્રોફિટ એસબીઆઈ ખાતામાં જમા થયો હતો. જેથી રવિકાંતને વધુ પડ્યો વિશ્વાસ બેસી ગયો હતો. 10 અલગ-અલગ બેંકમાં 16 લાખ ટ્રાન્સફર કરાવ્યાબાદમાં તેને 'પેઇડ ટાસ્ક' અને વધુ પ્રોફિટ મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે તેને ટેલિગ્રામ પર એક ગ્રુપમાં જોડીને જુદા-જુદા દિવસોમાં અલગ અલગ બેંકોના ખાતાઓમાં રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જેથી રવિકાંતે વધુ નફાની આશાએ તા. 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2025 દરમિયાન કુલ રૂ. 16,52,807 યુકો બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક, યુનિયન બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. ઠગબાજોએ કહ્યું પ્રોફિટના 50 ટકા વધુ ભરવા પડશેજોકે તેના એકાઉન્ટમાં રૂ. 22 લાખથી વધુનો પ્રોફિટ બતાવ્યા છતાં જ્યારે તેણે રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શકય બન્યું ન હતું. જેના પગલે તેણે ટેલિગ્રામ આઈડી પર વાત કરતા ઠગ બાજોએ રકમ વિડ્રો કરવા માટે 'પ્રોફિટના 50% વધુ ભરવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે જઈને રવિકાંતને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. સાયબર ક્રાઈમમાં 16 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયોઠગબાજોએ કુલ ટ્રાન્સફર કરેલી રકમમાંથી માત્ર રૂ. 48,734 જ પરત કરતા સમગ્ર મામલે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી. જેના પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 16,04,073 ની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:04 pm

Editor’s View: USમાં આઈફોન કરતાં બંદૂક સસ્તી:ખતરનાક ગન કલ્ચરે દુનિયાને બાનમાં લીધી; ઓસ્ટ્રેલિયામાં ફાયરિંગના છેડા પાકિસ્તાન નીકળ્યા; મોદીની વાત સાચી પડી

તારીખ હતી 1 ઓક્ટોબર, 2017. અમેરિકાનું લાસ વેગાસ શહેર રોશનીથી ઝળહળતું હતું. પણ કોઈને ખબર નહોતી કે હોટલના 32મા માળે સ્ટીફન પેડક નામનો 64 વર્ષનો કરોડપતિ મોતનો સામાન લઈને બેઠો છે. નીચે 22 હજાર લોકો સંગીતની મજા માણી રહ્યા હતા અને અચાનક... આકાશમાંથી ગોળીઓનો વરસાદ શરૂ થયો. સ્ટીફન પેડકે 1 સેકન્ડમાં 9 ગોળી છૂટે એવી ઓટોમેટિક રાઈફલથી 1 હજારથી વધુ રાઉન્ડ ફાયર કર્યા. પરિણામ? 60 લોકોના જીવ ગયા, 400 લોકોને ગોળી વાગી અને 800થી વધુ લોકો લોહીલુહાણ થયા. જ્યારે FBI તેના રૂમમાં પહોંચી ત્યારે તેમને કોઈ 'સ્યુસાઈડ નોટ' ન મળી, પણ મળ્યો એક કાગળ જેમાં હતું ગણિત. સ્ટીફને ગોળીનું ટ્રેજેક્ટરી ડિસ્ટન્સ અને હવાના દબાણની વિગતો લખી હતી! એક મિલિયોનર રાતોરાત મોન્સ્ટર કેમ બની ગયો તેનો જવાબ FBIને આજેય મળ્યો નથી, પણ એ રાતની ભયાનકતા આજે ફરી યાદ કરવી પડે. કારણ કે છેલ્લા બે દિવસમાં દુનિયાના બે છેડા એટલે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ગોળીબારના કારણે જ રક્તરંજિત થયા છે. નમસ્કાર, આ ઘટનાઓ કોઈ સામાન્ય ક્રાઈમ ન્યૂઝ નથી, પણ એક 'ગ્લોબલ વોર્નિંગ' છે. દુનિયા જાણે છે કે કોઈપણ આતંકી ઘટનાના મૂળ પાકિસ્તાનમાં નીકળે છે, ઓસ્ટ્રેલિયાની ઘટનામાં એવું જ થયું. પાકિસ્તાન ફરી દુનિયા સામે ઉઘાડું પડી ગયું. અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર 13 ડિસેમ્બર 2025, શનિવારની બપોર હતી. અમેરિકાની પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ પેપરમાં ભવિષ્ય લખી રહ્યા હતા ત્યાં જ ગોળીબાર થયો. આ દુર્ઘટનામાં 2 વિદ્યાર્થીઓના જીવ ગયા અને 9થી વધુ ઘાયલ થયા છે. 16 હજાર કિલોમીટર દૂર બીજો બનાવ હજુ તો દુનિયા આ આઘાતમાંથી બહાર આવે ત્યાં જ બીજા દિવસે 14 ડિસેમ્બરે સાંજે 6 વાગીને 47 મિનિટે ઓસ્ટ્રેલિયાના સિડનીના ફેમસ બોન્ડી બીચ પર ગોળીઓ વરસી. અહીં 45થી વધુ લોકો ઘાયલ થયા અને 16 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો કરનાર સાજિદ અને નવીદ નામના બે શખસો હતા, બંને બાપ-દીકરો છે અને તેમણે જાણી જોઈને યહૂદી તહેવારની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, બંનેનો ઈતિહાસ બંદૂકની લોહીથી ખરડાયેલો છે, પણ બંનેએ રસ્તા અલગ પસંદ કર્યા. અમેરિકાએ બંદૂક પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાએ શાંતિ. 30 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં આવો જ બનાવ બન્યો હતો આજથી બરાબર 30 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના ટાસ્માનિયામાં પોર્ટ આર્થરમાં ભયાનક ગોળીબાર થયો હતો. 28 વર્ષના માર્ટિન બ્રાયન્ટે 35 લોકોની ઠંડા કલેજે હત્યા કરી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાના તત્કાલિન વડાપ્રધાન જોન હોવર્ડ પાસે બે રસ્તા હતા: અમેરિકાની જેમ 'પ્રાર્થના' કરવી અથવા કડક નિર્ણય લેવો. ઓસ્ટ્રેલિયા સરકારે લોકો પાસેથી બંદૂકો ખરીદી જોન હોવર્ડે સત્તા પર આવ્યાના માત્ર 6 અઠવાડિયામાં જ નેશનલ ફાયરઆર્મ્સ એગ્રીમેન્ટ લાગૂ કર્યો. સરકાર લોકોના ઘરે ગઈ, તેમની પાસેથી બાયબેક પ્રોગ્રામ ચાલુ કરીને બંદૂકો પાછી ખરીદી અને સાડા છ લાખ હથિયારોનો નાશ કર્યો. ત્યારપછી ઓસ્ટ્રેલિયામાં માસ શૂટિંગની ઘટનાઓ લગભગ નહિવત થઈ ગઈ હતી. અમેરિકાનો ઈતિહાસ રક્તરંજીત એક રિપોર્ટ મુજબ 2002થી 2011 વચ્ચે અમેરિકામાં ગન કલ્ચરના કારણે દર વર્ષે લગભગ 11 હજાર લોકોના જીવ જાય છે. અમેરિકામાં ખાલી સ્કૂલ્સમાં જ થયેલા ગોળીબારની વાત કરીએ તો અમેરિકાની શાળાઓમાં ગોળીબાર 21 વર્ષે બિયર અને 18 વર્ષે ગન અમેરિકાનો તો GCA નામનો કાયદો જ કહે છે કે તમે 18 વર્ષે રાઈફલ ખરીદી શકો છો. હેન્ડ ગ્રેનેડ જેને આપણે બોમ્બ કહીએ છીએ તે 21 વર્ષની ઉંમર થઈ જાય તો અમેરિકામાં ખરીદી શકીએ છીએ. વક્રોક્તિ તો જુઓ, બીયર પીવા માટે 21 વર્ષ અને ગન ખરીદવી હોય તો 18 વર્ષની છૂટ. સરકારની આ નીતિઓ જ ગન કલ્ચરને પ્રોત્સાહન આપે છે. સામેની બાજુએ શાળાઓમાં મેટલ ડિટેક્ટર અમેરિકામાં સામાન્ય વાત છે. ઓસ્ટ્રેલિયામાં હુમલો કરનાર પિતા-પુત્ર નીકળ્યા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એક્સપર્ટ્સ આ દુર્ઘટનાને ઈનસાઈડર થ્રેટ ગણાવે છે. 24 વર્ષનો નવીદ અકરમ અને તેનો 50 વર્ષનો પિતા સાજિદ અકરમ બંને ઓસ્ટ્રેલિયામાં જ રહેતા હતા. સાજીદ અકરમ પાસે એબી કેટેગરીના લાયસન્સવાળા 6 હથિયાર હતા. આ ઓસ્ટ્રેલિયાના કડક ગન કાયદાની પોલ ખોલે છે. દુનિયામાં બંદૂકની બોલબાલા અમેરિકામાં બંદૂક iPhoneથી સસ્તી અમેરિકામાં બંદૂકો આટલી સહેલાઈથી કેમ મળે છે? કારણ છે બંદૂકના ભાવ. ભારતીય આર્મી લશ્કરમાં વાપરે છે એવી એસોલ્ટ રાયફલ અમેરિકામાં આઈફોન કરતા પણ સસ્તી મળી રહે છે. આપણે ત્યાં જેમ શાકભાજી વેચાય છે તેમ ત્યાં દુકાનમાં બંદૂકો વેચાય છે. અમેરિકાની ગન ઈન્ડસ્ટ્રી વર્ષે અંદાજે 2.3 લાખ કરોડ રૂપિયાનો ધંધો કરે છે. ટૂંકમાં જ્યાં સુધી વેચાણમાં નફો છે ત્યાં સુધી બંદૂક લોબી હોય કે નેતા બંને ચૂપ રહેશે. ટ્રંપના અને ગન કલ્ચરના સમર્થકને જ ઠાર મરાયા હમણાના જ બનાવની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિના અત્યંત નજીકના મનાતા અને ગન કલ્ચરના પ્રખર સમર્થક ચાર્લી કર્કની સપ્ટેમ્બરમાં હત્યા થઈ હતી. વિચારો, જે માણસ એમ કહેતો હતો કે બંદૂક જ સુરક્ષા છે, તે જ બંદૂક તેનો જીવ લઈ ગઈ. આંકડાઓ જોઈએ તો ખબર પડે છે કે દુનિયામાં ગનથી થતી હત્યાઓમાં અમેરિકા સૌથી આગળ છે. એક દેશમાં મર્ડર થાય એમાં બંદૂક કેટલા ટકા જવાબદાર છે તેનો આંકડો જુઓ. મર્ડરમાં બંદૂક કેટલા ટકા જવાબદાર? યુનાઈટેડ નેશન્સનો 2019નો રિપોર્ટ જુઓ. એમાં કહેવામાં આવ્યું છે દુનિયામાં બંદૂકથી સૌથી વધુ આત્મહત્યા કયા દેશમાં કરાઈ છે. બંદૂકથી આત્મહત્યાના બનાવો અહીં એક એવો એંગલ છે જેના પર લોકોનું ધ્યાન ઓછું જાય છે અથવા ઓછો ચર્ચાય છે. આપણે વાત ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની કરીએ છીએ, પણ તેના તાર તો પાકિસ્તાન અને વૈશ્વિક આતંકવાદ સાથે જોડાયેલા છે. કટ્ટરપંથી વિચારધારા જે હજારો કિલોમીટર દૂર બેસીને પણ સ્લીપર સેલ એક્ટિવેટ કરી શકે છે. બોન્ડી બીચની ઘટના સાબિત કરે છે કે તમે ભલે ગન કલ્ચર પર કંટ્રોલ લાવો, પણ જો હેટ કલ્ચર પર કંટ્રોલ નહીં હોય, તો હથિયારો ગમે ત્યાંથી મળી આવશે. આવી દુર્ઘટના બને ત્યારે ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી જાય આપણને એક સવાલ થાય કે સાત સમુંદર પાર ગોળીબાર થાય તો આપણે અત્યારે અહીં તેની ચર્ચા કેમ કરીએ છીએ. તો આ જરૂરી એટલા માટે છે કારણ કે આપણા જ ગુજરાત અને ભારતના દીકરા દીકરીઓ ડોલર કમાવા કે ભણવા માટે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જાય છે. ત્યારે એક સવાલ થાય કે વિદેશમાં ડોલર તો છે જ પણ સામેની બાજુ માથે લટકતી તલવાર પણ છે. જેને નજર અંદાજ કરવી અતિ મુશ્કેલ છે. આવી ઘટના બને ત્યારે વડોદરાના માંજલપુર કે અમદાવાદના બોપલમાં બેઠેલા મા-બાપના જીવ તાળવે ચોંટી જાય છે. અને છેલ્લે.... પ્રધાનમંત્રી મોદી જ્યારે જ્યારે વર્લ્ડ પ્લેટફોર્મ પર વાત કરે છે ત્યારે એક વાત ભાર સાથે ચોક્કસ કહે છે કે, આતંકવાદને કોઈ સીમાડા નથી હોતા અને તેની ફેક્ટરી ક્યાં છે તે આખી દુનિયા જાણે છે. ઓસ્ટ્રેલિયામાં જે બાપ દીકરાએ ખુલ્લેઆમ યહુદીઓ પર ગોળીબાર કર્યો તે કટ્ટર માનસિકતાવાળા આતંકવાદીઓ પાકિસ્તાનના જ નીકળ્યા. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 8:00 pm

ITIના શિક્ષકે વિદ્યાર્થીઓને પટ્ટેને પટ્ટે ફટકાર્યા: VIDEO:ક્લાસમાં ગેરહાજર રહેવા બદલ માર માર્યો, ABVPનું અલ્ટીમેટમ-શિક્ષક સામે કાર્યવાહી કરો નહીં તો આંદોલન કરીશું

બનાસકાંઠાના પાલનપુર સ્થિત આઈ.ટી.આઈ. કોલેજમાં વિદ્યાર્થીઓને માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પટ્ટેને પટ્ટે ફટકાર્યા હોવાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જેને પગલે ABVPએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ સાથે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ચાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યોઆ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં કુલ ચાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ એટીએન ટ્રેડમાં અભ્યાસ કરે છે. વીડિયોમાં શિક્ષક બોલી રહ્યો છે કે, કેમ આટલા દિવસ ગેરહાજર રહ્યા છો, છેલ્લે ક્યારે લેક્ચર ભર્યા હતા તેમ કહીને વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. ABVP એ આંદોલનની ચીમકી ઉચ્ચારીઆ વીડિયો વાયરલ થયા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ સહિત વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર સુપરત કરીને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ABVPએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. શિક્ષક સામે કાર્યવાહી કરો નહીં તો આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. સમગ્ર મામલે આચાર્યએ શું કહ્યું?બીજી તરફ આ સમગ્ર મામલે આચાર્ય અલ્પેશ પટેલે જણાવ્યું કે, આ ઘટના બાબતે મને અત્યારે જ જાણ થઈ છે. અમારી સંસ્થામાં રેગ્યુલર ફોર્મેન, પ્રિન્સિપાલ વિઝિટ કરતા હોય છે. તાલીમાર્થીઓને પણ અમે જાણ કરી છે કે, તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની માટે ફેસિલિટી અવેલેબલ છે. અમારી ત્યાં સૂચન પેટી બી મૂકેલી છે. તાલીમાર્થીઓને કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો પણ ફોર્મેનને મળી શકે છે, પ્રિન્સિપાલને પણ ડાયરેક્ટ મળી શકે છે. આ તમામ વ્યવસ્થા ઊભી કરેલી છે. વધુમાં જણાવ્યું કે, ઇન્સ્ટ્રક્ટર દ્વારા જે આ તાલીમાર્થીઓ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે, તે બાબતની કાર્યવાહી અમે અમારી વડી કચેરીમાં જાણ કરીશું અને એના દ્વારા જે કાર્યવાહી કરવાની થશે, એ અમે એના ઉપર કાર્યવાહી કરીશું. વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે તે બાબતની મને અત્યારે જ જાણ થઈ છે, તો તેના આધારે અમે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરીશું. આ ઘટના બની તે વ્યાજબી નથી, પણ એના માટે જે કાર્યવાહી થશે એ તો અમે સંપૂર્ણ કરીશું. વિદ્યાર્થીઓને માર મારવાનું સાચુ કારણ તપાસ બાદ સામે આવશેઉલ્લેખનીય છે કે, એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે, વિદ્યાર્થીઓને માર મારવાનું કારણ પુસ્તક ચોરી પણ હોઈ શકે છે. જોકે, આ અંગેનું સાચુ કારણ તો તપાસ બાદ જ સામે આવશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:53 pm

નવાપુર પોલો ગ્રાઉન્ડ પાસે પોલીસની રેડ, 11 જુગારી ઝડપાયા:વડોદરામાં બાઈકચાલકની અડફેટે વૃદ્ધાનું મોત, 18 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા પોલો ગ્રાઉન્ડની સામે જુગાર રમતા 11 વ્યક્તિઓને નવાપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 33 હજાર રૂપિયાની રોકડ રકમ અને 8 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 72 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, નવાપુરા પોલો ગ્રાઉન્ડની સામે મટન પેલેસની બાજુમાં આશરે 12 વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે નવાપુરા પોલીસની ટીમે તુરંત રેડ કરી હતી. પોલીસે આરોપીઓની અંગઝડતી કરી 26 હજાર રૂપિયાની રોકડ, 7 હજારની જમીન દાવની રકમ તેમજ 8 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓના નામ અને સરનામાં બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધાનું મોતવડોદરા શહેરમાં લગ્ન પ્રસંગનું આયોજન કરતી વાડીમાં વાસણ ધોવા માટે આવી રહેલી ત્રણ મહિલાઓને સામેથી ઘસી આવેલા મોટર સાયકલ અડફેટમાં લેતા ઘાયલ વૃધ્ધાનું મોત થતાં જરોદ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના છેલ્લા કરમસીયા ગામે રહેતા લક્ષ્મીબેન બુધાભાઈ રાઠોડીયા (ઉં.વ.65) ગામની અન્ય મહિલાઓ સાથે વડોદરા શહેરની વાડીમાં યોજતા લગ્ન પ્રસંગમાં વાસણ ધોવાની મજુરી કરવા માટે નીકળ્યા હતા. ગામની મહિલાઓ ગામના બસસ્ટેન્ડ તરફ જતી હતી, ત્યારે સામેથી ધસી આવેલા બાઈકે 3 મહિલાને અડકેટમાં લેતા તેમને 108ની મદદથી સારવાર માટે જરોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. લક્ષ્મીબેન રાઠોડીયાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર આપી રજા આપી દેવાતા તેઓ ઘર પરત કર્યા હતા પરંતુ વહેલી સવારે તેમનું મોત થતાં તેમના પુત્ર લાલજીભાઇ રાઠોડિયાની કરિયાદના આધારે જરોદ પોલીસે બાઇક ચાલક વિક્રમભાઈ પરમાર(રહે.છેલ્લા કરમસીયા, તા.વાઘોડીયા) વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયોવડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 2007માં નોંધાયેલી મિલ્કત સંબંધિત ચોરીના ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી. પ્રગટસિંગ દર્શનસિંગ જાટ(રહે.અમૃતસર)ને એસ.ઓ.જી. અને છાણી પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. એક ટીમ પંજાબમાં તપાસ કરી આવી હતી, પરંતુ ત્યાં આરોપી ન મળતાં વધુ તપાસમાં તે વડોદરા પાસેના પદમલા ગામ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું. નેશનલ હાઈવે-48 પાસે ટાટા શોરૂમની સામે ઊભેલા ટ્રક ટેન્કર (નં. GJ-06-BT-3370)માંથી આરોપીને ઓળખાણપત્રના આધારે પકડવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:50 pm

મોરબીમાં દારૂની રેડમાં 106 બોટલ સાથે એક ઝડપાયો:રાજપર રોડ પરથી દારૂ જપ્ત, રાજસ્થાની સપ્લાયરની શોધખોળ શરૂ

મોરબીના રાજપર રોડ પર પોલીસે દારૂની રેડ કરી 106 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ રેડમાં રૂ. 1,17,342 નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક રાજસ્થાની સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હિતેશભાઈ ચાવડા અને રવિભાઈ ચૌધરીને બાતમી મળી હતી. બાતમી મુજબ, રાજપર રોડ પર પટેલ સમાજ વાડી સામે આવેલા પિન્ટુ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલાના વાડામાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે આ વાડામાં રેડ કરતા આરોપી પિન્ટુભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ ખાંભલા (ઉં.વ. 29, રહે. રાજપર રોડ, પટેલ સમાજ વાડી સામે, શનાળા, મોરબી) સ્થળ પરથી મળી આવ્યો હતો. ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી હતી. આરોપી પિન્ટુ ઉર્ફે કાનોની પૂછપરછ કરતા દારૂનો માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ (રહે. બિયાવર, રાજસ્થાન)નું નામ સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, રાજસ્થાની સપ્લાયર દેવેન્દ્રસિંહને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:28 pm

કલેક્ટરના અધ્યસ્થાને જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટ અંગે બેઠક:ડો. મનીષકુમાર વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું

રાજકોટ ખાતે આગામી તા. 10થી 12 જાન્યુઆરીના રોજ યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના અનુસંધાને ભાવનગર ખાતે તા. 19 ડિસેમ્બરના રોજ ઇસ્કોન ક્લબ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલનો કાર્યક્રમ યોજાશે. જેને લઈ આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર ડો. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટરના અધ્યસ્થાને જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટ અંગે બેઠકઆ બેઠકમાં કલેકટર મનીષકુમાર બંસલએ કાયદો અને વ્યવસ્થા, સ્ટેજ અને સ્ટોલ બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો જાળવવા, આરોગ્ય, સ્ટોલ ફાળવણી, સેમિનાર એક્ઝિબિશન સુપરવિઝનની કામગીરી, ક્રેડીટ સેમિનાર, ટ્રાન્સપોર્ટેશની કામગીરી સહિત 14 જેટલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ ઉપરાંત B2B અને B2G જેવી મહત્વની બેઠકો, એમઓયુ, સ્ટોલ પ્રદર્શન ચર્ચા કરી હતી, તેમજ ભાવનગર જિલ્લામાં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થાય તે દિશામાં કામ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા રજૂ કરીઆ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સતીષ ભાટીયાએ જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટના કાર્યક્રમની સમગ્ર રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ સમિટના આયોજન અંગે બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિના નિયામક જયશ્રીબેન જરુ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:27 pm

ગાંધીનગર મનપાની તિજોરી છલકાઈ:12 હજાર નવી મિલકતોની આકારણીથી 7 કરોડનો ફાયદો, પ્રોપર્ટી ટેક્સનું વાર્ષિક માંગણું 85 કરોડને પાર

ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં શહેરમાં કુલ 11,966 નવી મિલકતોની આકારણી કરવામાં આવતા મિલકતવેરાની આવકમાં રૂ. 7.05 કરોડ જેટલો વધારો થયો છે. આમ પ્રોપર્ટી ટેક્સનું વાર્ષિક માંગણું રૂ. 85 કરોડને પાર થયું છે. જેમાં રહેણાંક ક્ષેત્રે 6% વૃદ્ધિ નોંધાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં શહેરમાં કુલ 11,966 નવી મિલકતોની આકારણી કરવામાં આવતા મિલકતવેરાની આવકમાં રૂ. 7.05 કરોડ જેટલો વધારો થયો છે. મનપાના સત્તાવાર આંકડા મુજબ ગત નાણાકીય વર્ષ 2024-25ની સરખામણીએ ચાલુ વર્ષે મિલકતોની કુલ સંખ્યા 2,00,377 થી વધીને 2,12,343 પર પહોંચી છે. 10,151 નવી મિલકતો ઉમેરાઈજે અન્વયે રહેણાંકની કેટેગરીમાં 10,151 નવી મિલકતો ઉમેરાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 6.08 % ની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે કોમર્શિયલ અને અન્ય બિન-રહેણાંક મિલકતોમાં પણ 1815નો વધારો નોંધાયો છે, જે 5.42%નો વધારો સૂચવે છે.મિલકતોની આ નવી અને વિસ્તૃત આકારણી પ્રક્રિયાના કારણે મનપામાં મિલકતવેરાનું કુલ વાર્ષિક માંગણું પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકતવેરાનું કુલ માંગણું વધીને રૂ. 85,09,34,583 પર પહોંચ્યું છે.નવી આકારણી થકી કોર્પોરેશનની આવકમાં અંદાજિત રૂ. 7,05,12,024 નો વધારો થવા જઈ રહ્યો છે, જે ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓને વધુ વેગ આપવા માટે ઉપયોગી બનશે. તંત્રએ આ માંગણા સામે અત્યાર સુધીમાં રૂ. 64,05,91,747 ની વસૂલાત પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:26 pm

સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને 75 વર્ષ પૂર્ણ:સોમનાથ ખાતે પુષ્પાંજલિ અને મધ્યાહન મહાપૂજન કરાયું

સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણદિન નિમિત્તે 15 ડિસેમ્બર, 2025ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પુષ્પાંજલિ અને મધ્યાહન મહાપૂજનનું આયોજન કરાયું હતું. સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. આ અવસરે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું. સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાહન મહાપૂજનનું આયોજન થયું. આ પૂજન સરદાર વલ્લભભાઈ પટેલના આત્માની શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ માટે કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સોમનાથના પુનઃનિર્માણના પ્રણેતા કનૈયાલાલ મુનશીના ઐતિહાસિક શબ્દો યાદ કરાયા: જો સરદાર પટેલ ના હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા પામી ના હોત. સરદાર પટેલની સોમનાથ પુનઃનિર્માણની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય મંદિર ઊભું છે. સાંજે, સોમનાથ મહાદેવને વિશેષ સાયં શૃંગાર કરવામાં આવશે અને દીપમાલા કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:19 pm

રાજકોટમાં હવાઈ સેવાને અસર:દિલ્હીમાં ગાઢ ધુમ્મસનાં કારણે આજે સવારે દિલ્હીની બે ફલાઈટ 3 થી 4 કલાક ડીલે, ઈન્ડિગોની સાંજની દિલ્હી ફલાઈટ કેન્સલ

શિયાળાની ઋતુમાં દિલ્હી ખાતે આજે વહેલી પરોઢથી ગાઢ ઘુમ્મસ સાથે એરપોર્ટની વિઝીબીલીટી ખોરવાતા હવાઈ સેવામાં મોટો અવરોધ ઉભો થતાં અસંખ્ય ડોમેસ્ટીક/ઈન્ટરનેશનલ ફલાઈટ 1 થી 4 કલાક સુધી ડીલે થતા તેની અસર રાજકોટનાં ઈન્ટરનેશનલની હવાઈ સેવામાં જોવા મળી હતી. સવારની બે ફલાઈટ 3 થી 4 કલાક ડીલે થઈ હતી. સાથે આજે સાંજની ઈન્ડિગોની રાજકોટ-દિલ્હી ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે. આજે સવારે એર ઈન્ડિયાની AIC 885/886 રાજકોટ-દિલ્હી-રાજકોટ સવારના 9.25 કલાકનાં બદલે 12-15 કલાકે આવી પરત દિલ્હી જવા ટેક ઓફ થઈ હતી. જયારે ઈન્ડિગોની AGO 6557/6558 સવારના 8 કલાકનાં બદલે બપોરે 12.30 કલાકે લેન્ડીંગ થયા બાદ પરત દિલ્હી જવા ટેક ઓફ થઈ હતી. દિલ્હી એરપોર્ટમાં વહેલી સવારે નિર્ધારીત સમયે ફલાઈટમાં રાજકોટ આવવા બેસેલા મુસાફરોને 3 થી 4 કલાક ફલાઈટમાં બેસી રહેવુ પડયુ હતું. જોકે આ મુસાફરો માટે ત્યાં નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજની આ બન્ને ફલાઈટોમાં આગમન-પ્રસ્થાનનાં મુસાફરોની સંખ્યા ફુલ રહી હતી. દરમ્યાન આજે ઈન્ડીગોની રાતની IGO 6881/6862 રાજકોટ-દિલ્હી રાજકોટ ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે તેની અગાઉથી મુસાફરોને જાણ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરો તેમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે અથવા પોતાની મુસાફરી મુલતવી રાખી શકે. જોકે કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા માંગતા મુસાફરોને આ ફ્લાઇટ કેન્સલ થતા હલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:15 pm

હિંમતનગરમાં 66 KV બળવંતપુરા સબસ્ટેશનનો વીજ પુરવઠો બંધ:સમારકામને કારણે આવતીકાલે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી નહીં મળે

હિંમતનગરમાં 66 KV બળવંતપુરા વીજ સબસ્ટેશનના સમારકામને કારણે આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મંગળવાર, 16 ડિસેમ્બર, 2025 ના રોજ બળવંતપુરા સબસ્ટેશનમાંથી નીકળતા ઝરણેશ્વર, શ્રીનગર, જનકપુરી, અને હાથમતી સહિતના તમામ ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. આના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા ગામ, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ, ધાણધા GIDC અને આસપાસના વિસ્તારોમાં વીજળી નહીં મળે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે. UGVCL વર્તુળ કચેરી, હિંમતનગર દ્વારા મળેલી માહિતી મુજબ, 16 ડિસેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 4 વાગ્યા દરમિયાન સાબરકાંઠા જિલ્લાના પાનોલ, બળવંતપુરા અને અરવલ્લી જિલ્લાના વડાગામ, મેઘરજ ખાતેના 66 KV સબસ્ટેશનોમાં પણ સમારકામ હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:14 pm

ઈમ્પેક્ટ ફી ભરવા મનપાની તાકીદ:ગાંધીનગરમાં 1331 અરજીઓ દસ્તાવેજોના અભાવે અટવાઈ, 3160 બાંધકામો નિયમિત કરાયા

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત બાંધકામોને નિયમિત કરવાના ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના કાયદા-2022 એટલે કે ઈમ્પેક્ટ ફી હેઠળ કામગીરી ચાલી રહી છે. પરંતુ મનપાને મળેલી 1331 અરજીઓ ફક્ત અરજદારો દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ ન કરવાને કારણે અટવાઈ પડી છે. જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે 3160 બાંધકામો નિયમિત હોવાની મંજૂરી આપી બાકી અરજદારોને પેન્ડિંગ દસ્તાવેજો જમા કરાવવા તાકીદ કરાઈ છે. 231 અરજીઓ નિયમોની પાત્રતા ન ધરાવતા હોવાથી નામંજૂર ગાંધીનગર મનપા વિસ્તારમાં ઈમ્પેક્ટ ફી હેઠળ કામગીરી ચાલી રહી છે. મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં કુલ 5176 અરજીઓ મળી છે. જેમાંથી ટાઉન પ્લાનિંગ વિભાગે 3160 અરજીઓને મંજૂરી આપી દીધી છે. જ્યારે 231 અરજીઓ નિયમોની પાત્રતા ન ધરાવતા હોવાથી નામંજૂર થઈ છે. 1313 અરજદારો સત્વરે તમામ ખૂટતા દસ્તાવેજો રજૂ કરેજોકે કુલ અરજીઓમાંથી 1313 જેટલી અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. કારણ કે અરજદારોએ પોતાના કેસને મંજૂર કરાવવા માટેના આવશ્યક પુરાવા કે દસ્તાવેજો હજુ સુધી જમા કરાવ્યા નથી. ગાંધીનગર મહાનગરપાલિકાએ હવે આ 1313 અરજદારોને સ્પષ્ટ તાકીદ કરી છે કે તેઓ સત્વરે તમામ ખૂટતા દસ્તાવેજો રજૂ કરે, જેથી તેમની અરજીઓ પર તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરીને નિકાલ લાવી શકાય. પેન્ડિંગ દસ્તાવેજોના અભાવે આ અરજીઓનો નિકાલ થઈ શકતો નથી અને કાયદાનો હેતુ પૂરો થવામાં વિલંબ થઈ રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા અન્ય 454 અરજીઓની મંજૂરી અંગેની વહીવટી પ્રક્રિયા જારી છે અને ટૂંક સમયમાં આ અરજીઓનો પણ નિર્ણય લેવામાં આવશે. ઇમ્પેક્ટ ફી એટલે શું?આપને જણાવી દઈએ કે ઇમ્પેક્ટ ફી એટલે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો કાયદો હેઠળ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે સરકાર અથવા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતી ફી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તેમના જુના અને બિન મંજૂર બાંધકામોને તોડી પાડ્યા વિના ચોક્કસ નિયમો અને ફી ભરીને કાયદેસર બનાવવાની તક આપવાનો છે.આ કાયદો રાજ્યમાં 1 ઓક્ટોબર 2022 પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોને લાગુ પડે છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:13 pm

ગીર સોમનાથમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન:જિલ્લા-તાલુકા કક્ષાએ 'અમૃત આહાર કેન્દ્ર' શરૂ, પ્રાકૃતિક ખેતી અને સ્થાનિક ખેડૂતોને સીધા બજાર સાથે જોડતી મહત્વપૂર્ણ પહેલ

ગીર સોમનાથ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ-સોમનાથ ખાતે આસોપાલવ લોન્સમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીની પેદાશોના વેચાણ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ 'અમૃત આહાર કેન્દ્ર'નો ઔપચારિક પ્રારંભ કરાયો. આ પહેલનો મુખ્ય હેતુ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમની ખેત પેદાશોના પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. હવેથી દર રવિવારે સવારે 9 વાગ્યાથી જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આ અમૃત આહાર કેન્દ્રો કાર્યરત રહેશે. અહીં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી ખેત પેદાશો અને ગૌ આધારિત ઉત્પાદનોનું વેચાણ થશે. આનાથી ખેડૂતોને યોગ્ય બજાર મળશે અને ગ્રાહકોને શુદ્ધ તથા સ્વસ્થ ખોરાક ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રભારી સચિવ જેનુ દેવાન, CEO (સ્પેશિયલ પ્રોજેક્ટ) ડૉ. કુલદીપ આર્યા, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, પ્રાંત અધિકારી વેરાવળ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોડીનાર-સુત્રાપાડા SPNF ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPO)ના પ્રતિનિધિઓ અને જિલ્લાના વિવિધ તાલુકાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી અને સ્થાનિક ખેડૂતોને સીધા બજાર સાથે જોડતી આ મહત્વપૂર્ણ પહેલને ઉપસ્થિત સૌએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:08 pm

રાજ ટેક્સટાઇલ માર્કેટના 7માં માળે ફરી આગ:કામદારે સળગતી સિગારેટ કાપડ પર ફેંકતા કાપડના પોટલા સળગ્યા, મોટી હોનારત ટળી

સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ માર્કેટના સાતમા માળે અગાઉ આગ લાગી હોવાથી નુકસાન પામેલા અને બાકી રહેલા માલ-સામાનને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે રાખવામાં આવેલા કામદારો જ્યારે માલની હેરાફેરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કામદારે સિગરેટ પીધા બાદ તે સળગતી હાલતમાં જ કાપડના પોટલા પર ફેંકીઆ ઘટના પાછળ એક કામદારની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. માલ સામાન ખસેડતી વખતે એક કામદારે સિગરેટ પીધા બાદ તે સળગતી હાલતમાં જ કાપડના પોટલા પર ફેંકી દીધી હતી. કાપડ અત્યંત જ્વલનશીલ હોવાથી સિગરેટના તણખલાએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગાઉ લાગેલી આગના આઘાતમાંથી હજુ વેપારીઓ બહાર આવ્યા નહોતા ત્યાં આ માનવસર્જિત ભૂલને કારણે ફરીથી મિલકતને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. ઘટનાની જાણ થતા જ ડુંભાલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સાતમા માળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવી હતી, જેથી મોટી જાનહાનિ કે હોનારત ટળી હતી. એક કામદારની બેદરકારીએ ફાયર ફાઈટરોને ફરીથી દોડતા કરી દીધા હતા, જેને પગલે માર્કેટમાં સુરક્ષાના નિયમોના પાલન અંગે ફરી સવાલો ઉઠી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:05 pm

સ્વચ્છતા મિશનને નવી ગતિ:પશ્ચિમ ઝોનના ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની 10 વર્ષની કામગીરીનો શુભારંભ, નવા વાહનોનું ફ્લેગ-ઓફ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પ સાથે પશ્ચિમ ઝોનમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશનની 10 વર્ષની કામગીરીનો આજે વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 8, 9, 10, 11 અને 12માં દૈનિક કચરા સંગ્રહની જવાબદારી સંભાળશેપશ્ચિમ ઝોન કચેરી અકોટા ખાતે ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ (બાળુ શુક્લ) અને મેયર પિન્કી સોનીની ઉપસ્થિતિમાં નવા વાહનોનું ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ઓમ સ્વચ્છતા કોર્પોરેશન પ્રા. લિ.ને સોંપવામાં આવી છે, જે પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 8, 9, 10, 11 અને 12માં દૈનિક કચરા સંગ્રહની જવાબદારી સંભાળશે. આ પ્રોજેક્ટ હેઠળ કચરાનું સેગ્રિગેશન, ટ્રાન્સફર, પ્રોસેસિંગ અને નિકાલની તમામ પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે. આજના કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડે.મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ, વી.એમ.રાજપૂત તેમજ સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 22 સપ્ટેમ્બરે POI આધારિત સર્વેની કામગીરી એજન્સી દ્વારા 29 મે 2025થી શરૂ થયેલા POI આધારિત સર્વેની કામગીરી 22 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ હતી. ત્રણ તબક્કામાં હાથ ધરાયેલા આ સર્વેમાં રહેણાંક અને વ્યાપારી મિલકતોના પ્રવેશદ્વારના ફોટા સાથે GPS ટેગિંગ કરવામાં આવ્યું હતું. આ પાંચ વોર્ડમાં કુલ 3,01,351 મિલકતો છે, જેમાં 2,69,722 રેસિડેન્શિયલ અને 31,632 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે. ઝોનમાં કુલ 4,799 POI નિયત કરવામાં આવ્યા છે.કચરા સંગ્રહ માટે 266 રેસિડેન્શિયલ-કોમર્શિયલ વાહનો,5 કિચન વેસ્ટ વાહનો, 5 જેસીબી અને 5 હાઈવા (ગાર્ડન વેસ્ટ માટે), 1 ધાર્મિક વેસ્ટ વાહન તેમજ સાંકડી ગલીઓ માટે 45 ઈ-રિક્ષા કાર્યરત કરવામાં આવશે. 35 સ્પેર વાહનો સહિત કુલ 367 વાહનોનો કાફલો તૈયાર છે. વાહનોમાંથી 20 ટકા ઇલેક્ટ્રિક વાહનો હશે. કચરાનું પાંચ પ્રકારમાં સેગ્રિગેશન કરવામાં આવશે – ભીનો, સૂકો, સેનેટરી, ઘરેલું જોખમી અને ઈ-વેસ્ટ. GPS/VTS/RFID આધારિત ટ્રેકિંગ અને કમાન્ડ સેન્ટર દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગથી વેસ્ટ મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે. આનાથી રિસાયકલ કરી શકાય તેવા કચરાની પુનઃપ્રાપ્તિ વધશે, સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને લેન્ડફિલ પરનો ભાર ઘટશે. આ પહેલ વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 7:02 pm

અશ્વિનીકુમાર મહીસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર નિમાયા:ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ અશ્વિનીકુમારને મહીસાગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની અધ્યક્ષતામાં હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) કાર્યક્રમની સઘન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગૂગલ મીટ દ્વારા ઓનલાઈન યોજાઈ હતી, જેમાં શ્રી અશ્વિનીકુમાર જોડાયા હતા. તેમના સેક્રેટરી આઇ.આર.વાલા કલેક્ટર કચેરી, લુણાવાડાના સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અર્પિત સાગર, જિલ્લાના તમામ મતદાન નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓ, વધારાના મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, SIR સંબંધિત પ્રશ્નોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિતોને SIRના આગામી તબક્કા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મતદારોને જાણ કરવામાં આવી હતી કે Absent, Shifted અને Death (ASD)ની યાદી મહીસાગર જિલ્લાની સત્તાવાર વેબસાઇટ mahisagar.nic.in પર ઉપલબ્ધ રહેશે. રોલ ઓબ્ઝર્વર અશ્વિનીકુમારે ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો, જેથી કોઈ પણ લાયક મતદાર મતદારયાદીમાંથી બાકાત ન રહી જાય. આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે, તેમણે રાજકીય પક્ષોને બાકી રહેલા બૂથ લેવલ એજન્ટ (BLA)ની તાત્કાલિક નિમણૂક કરી ચૂંટણી તંત્રને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:58 pm

મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે અપહરણ:યુવાનને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપી ઝડપાયા, કુલ 5ની ધરપકડ

મોરબીમાં 5 કરોડ રૂપિયાની ઉઘરાણી માટે એક યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે. 5 કરોડ ઉઘરાણી માટે યુવાનનું અપહરણઆ ઘટના મોરબીના પીપળી રોડ પર બની હતી, જ્યાં પાંચ જેટલા શખ્સોએ યુવાનને માર મારી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને એક વાડીએ લઈ જઈ ફરી માર મારવામાં આવ્યો હતો. ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાડીએ લઈ જઈને માર માર્યોરવિનગરમાં રહેતા 25 વર્ષીય અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢાએ પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પિયુષભાઈ પટેલને ફરિયાદીના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 5 કરોડ રૂપિયા લેવાના હતા. આરોપીઓ મોરબીના પીપળી રોડ પર કોયો સિરામિક પાસે આવેલી ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાને આવ્યા હતા. ત્યાં ફરિયાદીને માર માર્યા બાદ એક કાળી કારમાં તેનું અપહરણ કરીને ભરતનગર પાસે આવેલી વાડીએ લઈ ગયા હતા. વાડીએ લઈ જઈને ફરિયાદીને લાકડી, ઢીકાપાટુ અને પટ્ટા વડે માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવી હતી, અને ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કુલ 5 આરોપીઓની ધરપકડપોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અગાઉ પોલીસે જેતપરના નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ સોઢા, બગથળાના ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા અને લુટાવદરના પિયુષભાઈ હસમુખભાઈ લોરીયાની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન એક ફોર્ચ્યુનર ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એસ.તિવારી અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી બગથળાના 33 વર્ષીય હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા અને મોરબીના મહેન્દ્રનગર સામે ગાયત્રી સોસાયટીના 30 વર્ષીય હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક બેઝ કાર પણ જપ્ત કરવામાં આવી છે. અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:48 pm

દારુના અડ્ડાઓ ખુલ્લા કરનારા નાગરીકને હવે પોલીસના ખોટા કેસનો ડર:મુખ્યમંત્રીને તેમજ રાજ્યના પોલીસ વડાને પત્ર લખ્યો, યોગ્ય કાર્યવાહીની માગણી કરી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારુ જુગારના અડ્ડા તેમજ ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસ દ્રારા સરકાર પર પ્રહારો કરાઈ રહ્યા છે. જેમાં કેટલાક નાગરીકો પણ આવા તત્વોને ખુલ્લા પાડી રહ્યા છે. પણ હવે તે પૈકમાંથી કેટલાકને પોલીસને તેમજ અસામાજીક તત્વોનો ડર લાગી રહ્યા છે. જેમાં સુરતના અડાજણના પાલ રોડ પર આવેલી લેકવ્યુ રો-હાઉસમાં રહેતા 49 વર્ષના જાગૃત નાગરીક સંજય ઈઝાવાએ મુખ્યમંત્રીને તેમજ રાજ્યના પોલીસ વડાને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયુ છે કે, તેઓએ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ચાલતા દારુના કેટલાક અડ્ડાઓને તેમજ નશીલા પદાર્થો વેચનારા લોકો ખુલ્લા પાડ્યા છે. તેમજ આ સંદર્ભના તમામ જાણકારી પોલીસ અધિકારીઓને આપી દેવાઈ છે. જેને લઈને હવે તેમને ડર છે કે, હવે ગમે ત્યારે પોલીસ તંત્ર જ તેમને કોઈ ખોટા કેસમાં ફસાવી શકે તેમ છે. માટે આવુ ન થાય તે માટેની કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે. મુખ્યમંત્રી-ડીજીપીને લખેલા પત્રમાં જણાવાયુ છે કે, હું સુરતનો એક જાગૃત નાગરીક છું, અને સમાજ સેવા લક્ષી કામો વર્ષોથી કરતો આવું છું. મારા દ્વારા જાહેર હિતના સંખ્યાબંધ PIL તથા અન્ય ફરિયાદો ઉચ્ચ ન્યાયાલય અને અન્ય યોગ્ય સ્થળે કરવામાં આવેલ છે. કાયદાના દાયરામાં રહીને સમાજમાં થઇ રહેલ ગેર કાયદેસર અને દુષણ એવા ઘણા કામો સામે અવાજ ઉઠાવવાનું અને યોગ્ય સ્થળે ફરિયાદ કરવાનું એક જાગૃત નાગરિકની ફરજ સમજીને જાતે અને ટીમ વર્કથી પણ કરતો આવ્યો છું. ગુજરાતમાં કાયદાથી પ્રતિબંધિત દેશી અને વિદેશી દારુનું સંગ્રહણ અને વેચાણ કરી સમાજમાં દુષણ ફેલાવનાર અસામાજિક તત્વોના અડ્ડાઓ પર લાઇવ કેમેરાની મદદથી વિડીઓ શૂટ કરીને સમાંતર રીતે આ ઘટના અંગેની જાણકારી સંબંધિત પોલીસ અધિકારીઓને પણ આપીને આવી જગ્યા પર તાત્કાલિક રેડ પાડવા માંગ કરતા હોય છે. આવા કેટલાક લાઇવ કેમેરા રેડ દરમિયાન અમોને ખબર પડેલ છે કે આવા અડ્ડા ચલાવનાર અસામાજિક તત્વો અને ઘણા પોલીસના અધિકારીઓ વચ્ચે સાથ ગાંઠ થયેલ હોવાથી રેડ પાડવા આવે તે પહેલા જ આવી માહીતી લીક થતી હોય છે. આ પ્રકારની ઘણા ઘટનાઓ પછી અમોને એવી શંકા છે કે, આ પ્રકારે સમાજમાં દુષણ ફેલાવનાર અસામાજિક તત્વોના અડ્ડાઓ પર લાઇવ રેડ પાડું તે પોલીસ ખાતાના ઘણા અધિકારીઓ માટે અપ્રિય કામ છે. અમોને મળતી માહિતી મુજબ આવા અડ્ડાઓ ચલાવનાર અસામાજિક તત્વો દ્વારા જે-તે વિસ્તારના પોલીસ અધિકારીઓને સેક્શન (માસિક હપ્તા) આપતા હોય છે. જેથી આ ગેર કાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ તંત્રને કોઈ રસ નથી. પોલીસ મજબુરીમાં આવીને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની ફરજ પડે તો પણ થોડાક દિવસ માં એ જ જગ્યા પર અથવા નજીકના ૫૦ મીટરમાં દેશી અને વિદેશી દારૂનો અડ્ડા ફરીથી શરુ થઇ જાય છે. આ તમામ કિસ્સાઓ જોતા અમોને નીચે મુજબના શંકાઓ છે કે, ભવિષ્યમાં અમારી ઉપર પોલીસ દ્વારા દારુ કબજામા રાખવા અને ઉપયોગ કરવા બદલ ખોટી ફરિયાદો દાખલ કરી ટ્રાયલ એ જ સજાના ભાગરૂપે બદનામ કરી હેરાન પરેશાન કરવાની કોશિશ કરી શકે છે. 1.પોલીસ અથવા અસામાજિક તત્વોના મદદથી નશીલા પદાર્થ જેમ કે દારુ /ડ્રગ્સ /અમારી ઓફીસ / ઘર / વાહનમાં ગેર કાયદેસર રીતે મુકાવી તે અંગે ખોટી ફરિયાદો દાખલ કરી બદનામ કરી હેરાન પરેશાન કરવાની કોશિશ કરી શકે છે.2.કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિ પાસેથી ખંડણી માંગવાની ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે.3.કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિને ધમકી આપ્યાની ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે.4.ભવિષ્યમાં પોલીસ અથવા અસામાજીક તત્વો દ્વારા અમારી ઉપર જાનલેવા હુમલો કરવા/કરાવવાની સંભાવના છે.5.જાણી જોઇને ખોટા વાહન અકસ્માત કરાવી અમોને નુકશાન પોહચાડવાની સંભાવના છે.6.કોઈ જાણીતા / અજાણ્યા વ્યક્તિ પાસેથી ખોટી ઉશ્કેરણી કરાવી મારી સામે કાયદાકીય કાર્યવાહી કરાવાની સંભાવના છે.7.શાંતિ ભંગ, સરકારી આદેશનો ભંગ, સરકારી કર્મચારીને ફરજમાં અવરોધ, જાહેર આરોગ્યને જોખમ, ખોટું હથિયાર બતાવવું, Atrocities Act (SC/ST Act), IT Act / Cyber Crime જેવા ખોટી 8.ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે.9.બળાત્કાર / જાતીય શોષણ, સ્ત્રીની લાજ ભંગ, સ્ત્રી પર અશ્લીલ ટિપ્પણી / હેરાનગતિ, સ્ટોકિંગ (પીછો કરવો), POCSO Act, અશ્લીલ મેસેજ / ફોટા જેવા ખોટી ફરિયાદ ઉભી કરીને પોલીસ દ્વારા ખોટી રીતે અમારી સામે કાર્યવાહી કરવાની કોશિશ કરી શકે છે. ઉપરોક્ત તમામ હકીકતો ધ્યાને લઈને આ વિષયમાં તાત્કાલીક વિચાર વિમર્શ કરવા અને સંભવિત ખોટા કેસો અને હુમલાઓ અટકાવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:46 pm

સુરેન્દ્રનગરમાં રવિ સિઝન માટે ખાતરનો પૂરતો જથ્થો:3300 ટન યુરિયા અને NPKનો તેમજ 1900 ટન DAPનો જથ્થો ઉપલબ્ધ, ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખરીદવા અપીલ

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે ખાતરની કોઈ તંગી નથી. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવ્યા અનુસાર, જિલ્લામાં યુરિયા, ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા અપીલ કરવામાં આવી છે. વર્તમાન સ્થિતિએ જિલ્લામાં 3300 મેટ્રિક ટન યુરિયા, 1900 મેટ્રિક ટન ડી.એ.પી. ખાતર અને 3300 મેટ્રિક ટન એન.પી.કે. ખાતરનો જથ્થો વિવિધ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 2400 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો સ્ટોરેજ તરીકે પણ રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોડ અને રેક મારફત યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની સપ્લાય સતત ચાલુ છે. વિવિધ રાસાયણિક ખાતર કંપનીઓ પણ જિલ્લામાં યુરિયા ખાતર પૂરી પાડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, રાઈ, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી અને ઘાસચારો જેવા પાકોનું વાવેતર થયું છે. નાયબ ખેતી નિયામકે ખેડૂતોને જરૂર પૂરતા જ રાસાયણિક ખાતરની ખરીદી કરવા અને આગામી સિઝન માટે બિનજરૂરી સ્ટોક ન કરવા અનુરોધ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક સિઝનમાં વાવેતરને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે છે. આ સંદર્ભે, હાલમાં પાટડી દસાડા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને ખાતરનું વેચાણ ચાલુ છે. સંઘના ચેરમેન રામ રથવી અને ઇન્ચાર્જ મેનેજર પ્રફુલ દવેએ આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:44 pm

400 કરોડના રોકાણ કૌભાંડમાં સસ્પેન્ડેડ આચાર્યની સંડોવણી:ક્રેડિટ સોસાયટીમાં ડ્રાઈવર અને તેની પત્નીના નામે બોગસ ખાતા ખોલાવ્યા, નાણાકીય વ્યવહારો કર્યાની ફરિયાદ

સુરતમાં ગોલ્ડ, બુલિયન અને એરલાઈન્સ ટિકિટના જથ્થાબંધ વેપારમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં બમણો નફો મેળવવાની લાલચ આપી રોકાણકારો પાસેથી અંદાજે 400 કરોડ રૂપિયા પડાવવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ આર્થિક છેતરપિંડીના કેસમાં ભીમરાડની એક ક્રેડિટ સોસાયટીમાં ડ્રાઈવર અને તેની પત્નીના નામે બોગસ ખાતા ખોલાવી નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ તપાસ દરમિયાન સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કોસાડની શાળાના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલનું નામ ખુલતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. સસ્પેન્ડેડ આચાર્ય અગાઉ પણ વિદેશ પ્રવાસને લઈ વિવાદમાંઆચાર્ય સંજય પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે, કારણ કે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ પૂર્વ મંજૂરી લીધા વિના અસંખ્ય વખત વિદેશ પ્રવાસે ગયા હતા. આ શિસ્તભંગ બદલ શિક્ષણ સમિતિએ તેમને અગાઉ જ સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ તપાસ દરમિયાન તેઓ પોતાનો પાસપોર્ટ જમા ન કરાવીને તપાસમાં અવરોધ ઊભો કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. વિદેશ પ્રવાસના આ વિવાદની સાથે હવે 400 કરોડના રોકાણ કૌભાંડમાં પણ તેમની ભૂમિકા શંકાના દાયરામાં આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. શાળાના વિકાસની લાખો રૂપિયાની ગ્રાન્ટનો અંગત ઉપયોગ કર્યોસસ્પેન્શન બાદ થયેલી તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આચાર્ય સંજય પટેલે સરકારની ‘સર્વ શિક્ષા અભિયાન’ હેઠળ શાળાના વિકાસ માટે ફાળવવામાં આવેલી લાખો રૂપિયાની ગ્રાન્ટનો અંગત ઉપયોગ કર્યો હતો. સરકારી નાણાંની ઉચાપત ગંભીર ગુનાહિત બેદરકારીસમિતિ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, અંદાજે 8 લાખ રૂપિયાની સરકારી ગ્રાન્ટ તેમણે બારોબાર વાપરી નાખી હતી. જોકે, શિક્ષણ સમિતિ આકરા પગલાં ભરે તે પહેલા જ તેમણે આ નાણાં પરત જમા કરાવી દીધા હતા, પરંતુ સરકારી નાણાંની આ પ્રકારની ઉચાપત એ ગંભીર ગુનાહિત બેદરકારી સૂચવે છે. માત્ર વ્યાજ વસૂલી મામલો થાળે પાડવાનો પ્રયાસઆટલી ગંભીર ગેરરીતિઓ છતાં શિક્ષણ સમિતિની કાર્યપદ્ધતિ અત્યારે સવાલોના ઘેરામાં છે, કારણ કે સમિતિએ આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. સમિતિના સત્તાધીશો માત્ર 8 મહિના સુધી ગ્રાન્ટના નાણાં વગર મંજૂરીએ વાપરવા બદલ વ્યાજ વસૂલવાની કવાયત કરી રહ્યા છે. જે આચાર્ય સામે ગંભીર નાણાકીય ઉચાપત અને છેતરપિંડીના આક્ષેપો હોય, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાને બદલે માત્ર વ્યાજ વસૂલીને મામલો થાળે પાડવાની કોશિશ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સંજય પટેલને હજુ પણ 70 ટકા પગાર ચૂકવાય છેબીજી તરફ અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સસ્પેન્ડ કરાયેલા આચાર્ય સંજય પટેલને નિયમ મુજબ હજુ પણ 70 ટકા પગાર ચૂકવવામાં આવી રહ્યો છે, જેની સામે રોકાણકારો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 400 કરોડના આ રોકાણ કૌભાંડના છેડા ક્યાં સુધી પહોંચે છે અને શિક્ષણ સમિતિ આખરે આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:41 pm

VIDEO: 'આ શું છે હટાવો...', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ

Nitish Kumar Allegedly Pulls Hijab of Muslim Woman | બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વધુ એક વાઈરલ વીડિયોના કારણે વિવાદમાં સપડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક મુસ્લિમ મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા દેખાઈ રહ્યા છે. બિહારના વિપક્ષ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. RJDએ વીડિયો શેર કર્યો લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળે વીડિયો એક્સ પર પોસ્ટ કરી કહ્યું, કે નીતિશજીને આ શું થઈ ગયું છે? માનસિક સ્થિતિ હવે દયનીય સ્થિતિ પર પહોંચી ચૂકી છે કે પછી નીતિશ બાબુ 100 ટકા સંઘી થઈ ગયા છે?

ગુજરાત સમાચાર 15 Dec 2025 6:41 pm

ડુંગરા પોલીસે 3 કિલો ગાંજા સાથે એકને ઝડપ્યો:આરોપી મંગળવાર સુધી રિમાન્ડ પર, રૂ. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસે રાતા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 3 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને મંગળવાર સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 1.50 લાખ અંદાજવામાં આવી છે. વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને DySP બી.એન. દવેની સૂચનાઓ હેઠળ વાપી ઔદ્યોગિક નગરીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસ.પી. ગોહિલના નેતૃત્વમાં પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે રાતાના રહેવાસી પપ્પુ શિવશંકર મંડલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 3 કિલો ગાંજો અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં બિહારના મૂળ વતની અભિષેક ઉપેન્દ્ર મંડલની પણ સંડોવણી સામે આવી છે, જે વોન્ટેડ આરોપી છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ, 1985ની કલમ 8(c), 20(b)(ii)(B) અને 29 હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:37 pm

ભિક્ષુક વૃદ્ધાના કપડાં ખેંચ્યા, હાથ પકડીને રસ્તા પર ઢસડી, CCTV:સુરતમાં મહિલા કર્મીનું અમાનવીય વર્તન, વિવાદ થતાં માફી માંગી કહ્યું- તેમના ભલા માટે કડક થવું પડ્યું

સુરત શહેર જે તેની દાનવીરતા અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં આજે(15 ડિસેમ્બર) એક માનવતાને લજવતી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે, ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે જે અમાનવીય વર્તન કર્યું છે, તેના CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મહિલા કર્મચારીએ પહેલા વૃદ્ધ ભિક્ષુક મહિલાના કપડાં ખેંચ્યા બાદમાં હાથ પકડીને રસ્તા પર ઢસડી. સાથે જ તેને અન્ય એક વૃદ્ધ ભિક્ષુક મહિલાને પણ ધક્કો મારી માર મારી પોલીસ વેનમાં બેસાડી હતી. મહિલા કર્મચારીના અમાનવીય વર્તનનો વીડિયો વાઇરલ થતાં તેને માફી માંગી કહ્યું કે મારે તેમના ભલા માટે કડક થવું પડ્યું. મંદિરની બહાર બેસેલી બે વૃદ્ધ મહિલાઓને ભિક્ષુક ગૃહ લઈ જવા ટીમ પહોંચીઘટના સોમવારની છે, જ્યારે અડાજણ વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મહાદેવ સાઈનાથ પાવનધામ શનિદેવ મંદિરની બહાર ભિક્ષુકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી હતી. ભિક્ષુક ગૃહના કર્મચારીઓની એક ટીમ, જેમાં અડાજણ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, તે મંદિરની બહાર બેસેલી બે વૃદ્ધ મહિલાઓને ભિક્ષુક ગૃહ લઈ જવા માટે પહોંચી હતી. સામાન્ય રીતે આ કામગીરી સમજાવટ અને કાયદાકીય પ્રક્રિયા મુજબ થવી જોઈએ, પરંતુ અહીં દ્રશ્ય કંઈક અલગ જ હતું. મહિલા કર્મચારીએ વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચીસામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભિક્ષુક ગૃહની ટીમમાં સામેલ એક મહિલા કર્મચારીનો પિત્તો આસમાને હતો. તેણે સૌ પ્રથમ એક વૃદ્ધ મહિલાને અત્યંત નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચી હતી. આટલેથી ન અટકતા, આ કર્મચારીએ વૃદ્ધાને જોરથી હાથ મારીને તેને ધક્કો માર્યો હતો અને બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધી હતી. એક વૃદ્ધ અને અશક્ત મહિલા પર હાથ ઉપાડતી વખતે આ કર્મચારીએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. વૃદ્ધાના કપડાં ખેંચ્યા, હાથ પકડીને રસ્તા પર ઢસડીત્યારબાદ, આ મહિલા કર્મચારીનો રોષ મંદિર નજીક બેસેલી બીજી વૃદ્ધ મહિલા પર ઉતર્યો હતો. ફૂટેજમાં સંભળાય છે કે તે કર્મચારી વૃદ્ધાને ઉઠ યહાં સે કહીને બૂમો પાડી રહી હતી. બીજી વૃદ્ધ મહિલા ડરના માર્યે પ્રતિકાર કરી રહી હતી, ત્યારે કર્મચારીએ તેને પણ માર માર્યો હતો. તેણે વૃદ્ધાના કપડાં ખેંચ્યા હતા અને હાથ પકડીને તેને રસ્તા પર ઢસડીને પોલીસ વાન સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, બીજી મહિલા એટલી ડરી ગઈ હતી કે માર ખાવા છતાં તે પોલીસ વાનમાં બેસવા તૈયાર થઈ ન હતી. વીડિયો વાઇરલ થતાં તંત્રમાં દોડધામઆ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરત રામનગર ખાતે આવેલા ભિક્ષુક ગૃહના ઓફિસર ઇન્ચાર્જ જીગ્નેશ ચૌધરીએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. તપાસના આદેશ, સંબંધિત કર્મચારી પાસે લેખિત ખુલાસો મંગાયોજીગ્નેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે વાઇરલ થયેલો વીડિયો જોયો છે. વીડિયોમાં જે રીતે કર્મચારી વર્તન કરી રહ્યા છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને નિયમોની વિરુદ્ધ છે. ભિક્ષુકો સાથે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં. મેં તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે અને સંબંધિત કર્મચારી પાસે આ કૃત્ય શા માટે કરવામાં આવ્યું તે અંગે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. મહિલા કર્મચારીએ માફી માંગીતપાસ દરમિયાન સામે આવ્યું કે વીડિયોમાં દેખાતી મહિલા કર્મચારીનું નામ દિવ્યાબેન સોનવણે છે, જે ભિક્ષુક ગૃહમાં કોન્ટ્રેક્ટ બેઝ પર નોકરી કરે છે. વીડિયો વાઇરલ થયા બાદ અને અધિકારીઓના ઠપકા બાદ દિવ્યાબેને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ સાથે સાથે તેમણે પોતાના બચાવમાં કેટલાક તર્ક પણ રજૂ કર્યા હતા. ‘અમારો ઉદ્દેશ્ય માત્ર તેમનો જીવ બચાવવાનો’દિવ્યાબેને જણાવ્યું હતું કે, વીડિયોમાં જે દેખાય છે તે સિક્કાની એક જ બાજુ છે. વાસ્તવિકતા એ છે કે ભિક્ષુકો સરળતાથી ભિક્ષુક ગૃહમાં આવવા તૈયાર થતા નથી. હાલ શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વૃદ્ધ મહિલાઓ ખુલ્લા રસ્તા પર રહે છે, જેના કારણે ઠંડીમાં તેમનું મોત થવાનો ભય રહે છે. વળી, રસ્તા વચ્ચે બેસવાથી અકસ્માત થવાની પણ શક્યતા હોય છે. ભિક્ષુક ગૃહમાં દિવ્યાબેન વૃદ્ધાની સંભાળ લેતા જોવા મળ્યાઆ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત ભિક્ષુક ગૃહની અંદર જોવા મળી હતી. જે વૃદ્ધ મહિલાને રસ્તા પર માર મારવામાં આવ્યો હતો, તે જ મહિલા ભિક્ષુક ગૃહમાં પહોંચ્યા બાદ દિવ્યાબેન સાથે હળવાશથી વાત કરતી નજરે પડી હતી. આશ્ચર્યજનક રીતે, દિવ્યાબેન પણ ત્યાં તે વૃદ્ધાને વહાલ કરતા અને તેમની સંભાળ લેતા જોવા મળ્યા હતા. બહાર ખૂબ ઠંડી છે અને જો અમે રસ્તા પર હોત તો ઠંડીમાં ઠુંઠવાઈ જાતજ્યારે તે વૃદ્ધ મહિલાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે, બહેન પોતાની જગ્યાએ સાચા છે. બહાર ખૂબ ઠંડી છે અને જો અમે રસ્તા પર હોત તો ઠંડીમાં ઠુંઠવાઈ જાત અથવા બીમાર પડત. અહીં અમે સુરક્ષિત છીએ. આ નિવેદન દર્શાવે છે કે ભલે પદ્ધતિ ખોટી હતી, પરંતુ વૃદ્ધાને હવે સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:37 pm

'પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા', શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે બોલ્યા CJI

Shri Banke Bihari Temple Darshan Timings Case: ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં યમુના નદીના કિનારે આવેલા વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં VIP દર્શન-પૂજા પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મંદિરોમાં પૈસા આપીને કરાતી વિશેષ પૂજાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર (15 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'દેવતાને આરામ નથી કરવા દેવામાં આવતો. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન નથી કરી શકતા, તે સમયે મોટી ફી આપનારા લોકો માટે વિશેષ પૂજાનું આયોજન થાય છે. દર્શન કરવાનો હાલનો સમય ભગવાનનું શોષણ કરવા જેવો છે. 'સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને તેના અધિકારીઓને નોટિસ પાઠવી છે.

ગુજરાત સમાચાર 15 Dec 2025 6:33 pm

'ગોગો પેપર'ના બહાને ગાંજાનું વેચાણ:SOGની નરોડાના પાન પાર્લર પર રેડ, ગાંજો વેચતા ગ્રેજ્યુએટ સહિત બે શખસો ઝડપાયા

અમદાવાદમાં એસઓજીએ નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર રેડ કરી ગાંજાનું વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા છે. આરોપીઓ 'ગોગો પેપર'ના નામે ગ્રાહકોને ગાંજો વેચતા હતા. પોલીસે સ્થળ પરથી આશરે 92,000ની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોગો પેપરના નામે ગાંજાનું વેચાણઅમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણની બાતમીના આધારે નરોડામાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી વિજયસિંહ ઉદયસિંહ બલાત અને પિયુષ પ્રફુલભાઈ નામના બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પાનની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે ગોગો પેપરના નામે ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસને સ્થળ પરથી 1 કિલો 650 ગ્રામ ગાંજો મળ્યોપોલીસે જ્યારે પાનની દુકાનના ગલ્લાની તપાસ કરી ત્યારે 1 કિલો અને 650 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 92,000 ગણવામાં આવી છે, જે પોલીસે કબજે કરી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંજો વેચતા ગ્રેજ્યુએટ શખસને પોલીસે ઝડપી પાડ્યોઆ કેસનો મુખ્ય આરોપી વિજયસિંહ ઉદયસિંહ બલાત મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી તે તેના મામાના ઘરે રહીને આ પાનનો ગલ્લો ચલાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વિજયસિંહ પોતે ગ્રેજ્યુએટ છે અને તેણે રાજસ્થાનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે આ ગાંજો રાજસ્થાનના ઝાલોરના સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ પાસેથી ખરીદીને લાવતો હતો. બીજો આરોપી પિયુષ પ્રફુલભાઈ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે. આર્થિક લાભ મેળવવાના ઈરાદે ગાંજાનું વેચાણ કરતા હોવાનું કબુલ્યુંપિયુષ મુખ્યત્વે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એસટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જોકે, ફાજલ સમયમાં તે તેના મિત્ર વિજયસિંહના પાનના ગલ્લા પર બેસીને ગાંજાના વેચાણમાં મદદરૂપ થતો હતો. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ ઝડપી આર્થિક લાભ મેળવવાના ઈરાદે 'ગોગો પેપર'ની આડમાં ગાંજો વેચવાની કબૂલાત કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:31 pm

અમરેલી પોલીસે કતલખાને લઈ જવાતાં 268 ઘેટા-બકરાને છોડાવ્યાં:ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરી અમદાવાદ લઈ જવાતા હતા, 6 શખસો સામે ગુનો નોંધાયો

અમરેલી તાલુકા પોલીસે કતલખાને લઈ જવાઈ રહેલા 268 ઘેટા-બકરા ભરેલા એક ટ્રકને ઝડપી પાડ્યો છે. સાવરકુંડલા શહેરથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકને પોલીસે ઝડપ્યો હતો. તેમજ 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ફાળકા વચ્ચે પાર્ટીશન કરીને ઉપર-નીચે ઘેટા-બકરાને એવી રીતે ભરવામાં આવ્યા હતા કે તેઓ ગૂંગળાઈને મરી જાય. પશુઓ માટે પૂરતા પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર કે પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે આ પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે કુલ 268 ઘેટા-બકરા, જેની કિંમત રૂ. 13,40,000 છે, તે જપ્ત કર્યા છે. આ ઉપરાંત, રૂ. 23,00,000ની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ. 36,40,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી તાલુકા પોલીસે આ મામલે શાહિદ સુલેમાન કાલવા, સોહિલ ઈસુબ બાવનકા, જુબેર હાસમ બાવનકા, શાહનવાજ રજાક બાવનકા, જુનેદ ફારૂક બાવનકા અને રફીક જમાલ તરકવાડીયા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ આરોપીઓની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:31 pm

સરસપુરમાંથી 77 લાખનો દારૂ પકડવા મામલે PI ચંદ્રવાડીયા સસ્પેન્ડ:શહેરકોટડા પોલીસ સ્ટે.ના PIની બેદરકારી સામે આવતા પોલીસ કમિશનરની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.થોડા દિવસ અગાઉ સરસપુર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાની બેદરકારી સામે આવી હતી જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મહત્વનું છે અગાઉ પણ એક વખત દારૂ ભરેલી ટ્રક સરસપુરમાં ઉતરી હતી. PCBએ સરસપુરમાંથી 11 ડિસેમ્બરે સંતરાની આડમાં ટ્રકમાં આવેલો 77 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.આ દારૂનો જથ્થો સરસપુરમાં ઉતરવાનો હતો તે અગાઉ જ PCBએ દારૂ સાથે બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા. આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી.તપાસ દરમિયાન સ્થાનિક પીઆઇને બેદરકારી સામે આવી હતી.પોલીસ કમિશનર દ્વારા બેદરકારી મામલે પીઆઇ એમ.ડી ચંદ્રવાડીયાને સસ્પેન્ડ કર્યા છે. શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો હતો: પોલીસ કમિ.પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું કે શહેરકોટડામાંથી 2 વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં પીઆઇની બેદરકારી સામે આવી હતી, જેથી પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું છે મામલોશહેરકોટડા પોલીસને બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સ ગોડાઉનમાં સંતરાની આડમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. ગોડાઉનથી રૂ.77.54 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂની 15,996 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક વાહન, 2 મોબાઇલ ફોન, રોકડા સહિત કુલ રૂ.1 કરોડ 2 લાખ 75 હજાર 314નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:26 pm

મહેસાણા LCBની વિજાપુર નજીક રેઈડ:પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક શખસ ઝડપાયો

મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચનાના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલોનો વેપાર કરતા શખસો પર વોચ રાખતી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળ રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે વિજાપુર તાલુકાના ગવાડા પામોલ ગામ નજીક આવેલા ખેતરની ઓરડીમાં ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરતા શખસને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે બોક્સ ભરેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળીLCB પોલીસ ટીમ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન અ.હેડ.કો. મહેન્દ્રકુમાર અને અ.પો.કો. મૌલિકકુમારને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે વિજાપુર તાલુકાના ગવાડા (પામોલ) ખાતે રહેતા ઠાકોર પરેશજી રજુજીના કહેવાતા આંટાવાળા ખેતરમાં આવેલા ઘરે પંચો સાથે રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન આરોપીના ઘરની આગળ આવેલા પતરાના ઢાળીયામાંથી બે બોક્સ ભરેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી ગુનો નોંધ્યોતપાસમાં આ બોક્સમાંથી કુલ 85 ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા જેની એક રીલની કિંમત 500 લેખે કુલ કિંમત 42,500 LCBએ મુદ્દામાલ સાથે આરોપીને સ્થળ પરથી પકડી પાડી તેના વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી અર્થે ગુનો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:25 pm

એન્જિનિયરિંગ-ફાર્મસીમાં એડમિશન માટેની GUJCET પરીક્ષાની જાહેરાત:16થી 30 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે, 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ-ફાર્મસીમાં એડમિશન માટે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અથવા ફાર્મસી કોર્સમાં એડમિશન માટે ગુજકેટ (GUJCET)-2026ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 16થી 30 ડિસેમ્બર સુધીમાં આ ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની તારીખ 16 ડિસેમ્બર 2025થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન આ ફોર્મ ભરી શકાશે. www.gseb.org અને gujcet.gseb.org. વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે. પરીક્ષાની તમામ માહિતી અને ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે. ગુજકેટ પરીક્ષાની ફી રૂ. 305 છે. ફી તમે ઓનલાઈન (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) દ્વારા ભરી શકો છો અથવા, SBI બેન્કની કોઈપણ બ્રાન્ચમાં પણ જમા કરાવી શકો છો. વિદ્યાર્થીઓએ ફી ભર્યા પછી આખું ફોર્મ ફરજિયાતપણે ભરી દેવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:22 pm

ચોટીલામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:SMC એ 6550 બોટલો સાથે ટ્રક ડ્રાઈવરને પકડ્યો, રૂ. 87.83 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ 6550 બોટલ વિદેશી દારૂ, એક ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 87,83,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા દારૂમાં 6550 બોટલ બેગપાઇપર ફાઇન વ્હિસ્કીનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 72,05,000 આંકવામાં આવી છે. આ દારૂ બત્રા બ્રુઅરીઝ એન્ડ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ, પુરખાલી, રોપર, પંજાબ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યો હતો અને બોટલ પર 'ફક્ત પંજાબમાં વેચાણ માટે' એમ લખેલું હતું. આ દરોડામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અજય દેવરાખીભાઈ જીવાભાઈ ભારાઈ (રહે. ભગવતીપરા સોસાયટી, જામજોધપુર, જામનગર)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂના મુખ્ય પ્રાપ્તકર્તા ભાયાભાઈ માયાભાઈ મોરી (રહે. ફુલાજર નેશ, ખંભાલા, પોરબંદર), મુખ્ય આરોપીના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરી (રહે. બખરાલા, પોરબંદર) અને દારૂ સપ્લાય કરનાર સહિત ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 15,00,000ની કિંમતનો એક ટ્રક, રૂ. 5000નો એક મોબાઈલ ફોન, દારૂ ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલી રૂ. 72,500ની 250 ઢોરની ફીડ બેગ, રૂ. 60 રોકડા અને અન્ય રૂ.1000નો મુદ્દામાલ પણ સામેલ છે. આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમો 65(A)(E), 81, 83, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો 111(2)(b), 111(3)(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડો SMCના PSI આર.બી. વનારા દ્વારા પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અને મુદ્દામાલને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:21 pm

બેંક ઓફ બરોડાના નિવૃત્ત AGM સાથે 75 લાખની ઠગાઈ:સાયબર ઠગોએ શેરબજાર-IPOમાં રોકાણ કરવા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, રૂપિયા પરત માગતા વધુ 21 લાખની માગ કરી

અમદાવાદમાં ફરી એકવાર વૃદ્ધ સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે. શેરબજારમાં રોકાણ કરાવીને ઊંચા વળતરની લાલચ આપીને એક નિવૃત્ત બેંક અધિકારી પાસેથી રૂપિયા 75 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. સાયબર ઠગે ફેસબુક અને વોટ્સએપ દ્વારા વિશ્વાસ કેળવીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરી છે. જ્યારે નિવૃત્ત અધિકારીએ પોતાના નફાના રૂપિયા પાછા માંગ્યા, ત્યારે આરોપીઓએ તેમને 21 લાખથી વધુની સર્વિસ ફીની માંગણી કરી હતી. જે બાદ છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વૃદ્ધે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધને અપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરવા લાલચ આપીઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય શ્રેણીક શાહ બેંક ઓફ બરોડાની ભદ્ર બ્રાન્ચમાંથી એ.જી.એમ. તરીકે નિવૃત્ત થયા છે. વૃદ્ધના ફેસબુક પર એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમને શેરબજારમાં સલાહ મુજબ રોકાણ કરવાથી મોટો ફાયદો થવાની લાલચ આપવામાં આવી હતી. વાતચીતમાં વિશ્વાસમાં રાખી વૃદ્ધને NHNI(plus) નામના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેની એડમિન આરોહી નાબુંદરી નામની વ્યક્તિ હતી. ત્યાર બાદ તેમને RARCII નામના બીજા ગ્રુપમાં એડ કરીને અદવીકા શર્મા દ્વારા NHNI(plus) અને RARCII એપ્લિકેશનો ડાઉનલોડ કરાવીને શેર માર્કેટ અને IPOમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ વૃદ્ધ પાસે કુલ 75 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતાસાયબર ઠગોએ શરૂઆતમાં વૃદ્ધને નાનો નફો કરાવીને વિશ્વાસ જીત્યો હતો. જેમાં પહેલાં રોકાણ પર તેમને રૂપિયા 2,227.50નો નફો થયો હતો. આ પછી 29 ઓક્ટોબર 2025 સુધીમાં 24 જેટલા શેર ખરીદ-વેચાણ કરવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગે નફો બતાવવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા તેમના ખાતામાં જમા પણ કરવામાં આવ્યા હતા. જેથી વૃદ્ધને સાયબર ઠગ પર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો હતો. આમ વિશ્વાસ વધ્યા બાદ વૃદ્ધે સાયબર ઠગ દ્વારા અપાયેલા જુદા જુદા બેંક ખાતાઓમાં પોતાના ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી રૂપિયા 75,18,000 ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ઠગોએ સર્વિસ ફી પેટે 21 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું હતુંઆ પછી 17 ઓક્ટોબર 2025ના રોજ વૃદ્ધે એપ્લિકેશનમાં બતાવેલા નફા સહિતના 15,00,000 પાછા ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાયબર ઠગે રૂપિયા પાછા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ દરમિયાન સાયબર ઠગે કહ્યું હતું કે, આ રકમ IPO સામે એડજસ્ટ કરવામાં આવી છે અને જો રોકાયેલા રૂપિયા પાછા લેવા હોય તો સર્વિસ ફી પેટે રૂપિયા 21,01,740.44 ની રકમ ચૂકવવી પડશે. જે બાદ વૃદ્ધને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જેથી વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:18 pm

રોજગાર ભરતી મેળો યોજાશે:વડોદરામાં આવતીકાલે મહિલાઓ માટે વિશેષ એપ્રેન્ટીસ અને રોજગાર મેળો, 25 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવાશે, સ્નાતક મહિલાઓ માટે રોજગારીની ઉત્તમ તક

મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને રીલાયન્સ નિપ્પોન લાઇફ ઈન્સ્યુરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા 2 શાખાના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા.16/12/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે 302-એટલાન્ટીસ હાઈટ્સ, સારાભાઈ કંપાઉન્ડ, ગેંડા સર્કલ, વડોદરા ખાતે 21થી 45 વર્ષની મહિલા ઉમેદવારો માટે વીમા ક્ષેત્ર માટે એપ્રેન્ટીસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 21થી 30 વર્ષની સ્નાતક મહિલાઓને ભારત સરકારની એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટીસ તરીકે જોડાવા તેમજ 30થી 45 વર્ષની મહીલા સ્નાતકને વીમા ક્ષેત્રમાં રોજગારી માટે તક આપવામા આવશે. આ ભરતી મેળામાં લાઈફ પ્લાનિંગ ઓફિસર સેલ્સ અને માર્કેટિંગની કુલ 25 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ માટે ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારો કે જેમની ઉંમર 21થી 45 વર્ષની વચ્ચે હોય તેઓને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામા આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:13 pm

પંડિત ઓમકારનાથ કલા ભવન જર્જરિત હાલતમાં હોવાથી દોઢ વર્ષથી બંધ:સાંસ્કૃતિક સંસ્થાઓ અને કલા પ્રેમીઓને કાર્યક્રમો યોજવામાં ભારે મુશ્કેલી, તંત્રએ કહ્યું- 'ટેન્ડર બાદ કામ શરૂ થશે'

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પંડિત ઓમકારનાથ કલા ભવન છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી જર્જરિત હાલતમાં હોવાથી બંધ છે. શહેરનો એકમાત્ર ટાઉનહોલ બંધ હોવાને કારણે સાંસ્કૃતિક સંસ્થાઓ અને કલા પ્રેમીઓને કાર્યક્રમો યોજવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સંગીત ક્ષેત્રે ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુરના નામ પરથી આ ટાઉનહોલ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2014માં આરએનબી વિભાગ દ્વારા અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે 672 બેઠકો અને આધુનિક સ્ટેજ સાથે તેનું નવીનીકરણ કરાયું હતું. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. શરૂઆતના વર્ષોમાં અનેક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજાતા હતા. જોકે, થોડા જ વર્ષોમાં હોલની અંદર અને બહારની છત પર તિરાડો પડી ગઈ હતી અને સીલિંગ તૂટી પડતા વરસાદી પાણી સ્ટેજ અને ખુરશીઓ પર પડવા લાગ્યું હતું. સલામતીના કારણોસર નગરપાલિકાએ હોલ બંધ કરવાનો અને સમારકામ કરવાનો નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષ 2025ના માર્ચ મહિનામાં મળેલી બજેટ સભામાં નવીનીકરણનો નિર્ણય લેવાયો હોવા છતાં આજદિન સુધી કામગીરી શરૂ ન થતાં કલા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. તેઓ વહેલી તકે નવીનીકરણની માંગ કરી રહ્યા છે. આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજે દોઢથી બે મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 6:07 pm

10 કરોડના ખર્ચે બનેલા સરદાર બાગના શૌચાયલમાં ગંદકીના થર:પિલ ગાર્ડનની નિયમિત સફાઈ કરવાવા સ્થાનિકોની માગ, અધિકારીએ કહ્યું- સિવિલ વર્કનું કામ પૂર્ણ થતા વ્યવસ્થિત કરી આપીશું

ભાવનગર શહેરમાં પાનવાડી નજીક મનપા દ્વારા 9થી 10 કરોડના ખર્ચે સરદાર બાગ (પિલગાર્ડન) બનાવવામાં આવ્યો છે, ત્યારે ગાર્ડનની અંદર બે શૌચાલયોની નિયમિત સફાઈ ન થતા બગીચામાં આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોની માગ છે કે, આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગાર્ડનની નિયમિત સફાઈ કરવામાં આવે. જોકે, ગાર્ડનના શૌચાલયમાં સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત કરી આપવામાં આવશે તેમ ગાર્ડન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. શૌચાલયોની નિયમિત સફાઈ ન થતાં ગંદકીના જોવા મળીભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા સરદાર બાગને અંદાજિત 9થી 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પણ ગાર્ડનમાં અનેક રમતગમતના સાધનો ખંડેર હાલતમાં પડ્યા છે. સાથે ગાર્ડનમાં બે શૌચાલયો આવેલા છે જેની નિયમિત સફાઈ થતી નથી અને ગંદકી જોવા મળી રહી છે, ત્યારે આ ગાર્ડનમાં આવતા લોકો શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ગાર્ડનમાં નિયમિત સફાઈ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે. આ ગાર્ડનનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવામાં આવે: આશિષ બલદાણીયાસ્થાનિક આશિષ બલદાણીયાએ જણાવ્યું હતું કે, અમે અહીં ગાર્ડનમાં અવારનવાર ચાલવા અને બેસવા આવીએ છીએ. પિલ ગાર્ડનમાં નિયમિત શૌચાલયની સફાઈ થતી નથી. મહાનગરપાલિકાને વિનંતી છે કે, આ ગાર્ડનમાં નિયમિત શૌચાલયની સાફ-સફાઈ કરવામાં આવે અને ગાર્ડનમાં ઘણો ગંદકીવાળો થાય છે. એની પણ કોઈ સફાઈ કરવામાં આવતી નથી. આશિષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સફાઈવાળા આવે છે પણ બહારતી સાફ કરી ફોટા પાડીને જતા રહે છે. અંદરનું જે મેન્ટેનન્સ થવું જોઇએ એ થતું નથી. અમારી મહાનગરપાલિકાને વિનંતી છે કે, આ ગાર્ડનમાં રેગ્યુલર મેન્ટેનન્સ કરવામાં આવે. સિવિલ વર્કનું કામ પૂર્ણ થતાં વ્યવસ્થિત કરી આપીશું: બી.એમ. અડવાણીગાર્ડનના શૌચાયલોમાં અનિયમિત સફાઈ બાબતે ગાર્ડન વિભાગના અધિકારી બી.એમ. અડવાણીએ જણાવ્યું હતું કે, પિલ ગાર્ડનમાં શૌચાલય આવેલા છે તેની નિયમિતપણે સાફ સફાઈ કરતા રહીએ છીએ અને સૂચનાઓ પણ આપવામાં આવી છે. અમે પણ મુલાકાત કરીએ છીએ અને જે એક શૌચાયલમાં રિપેરિંગની સિવિલ વર્કની જરૂરિયાત હતી જેનું બિલ્ડિંગ વિભાગ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, શૌચાલયમાં સિવિલ વર્ક પૂર્ણ કરી તેને વ્યવસ્થિત કરી લોકો તેનો સારી રીતે ઉપયોગ કરી શકશે. ગાર્ડનમાં કોઈપણ જગ્યાએ કચરો જોવા મળે તો ત્યાંથી તરત જ સફાઈ કરવાની સૂચનાઓ સફાઈ કામદારોને આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:58 pm

ધરમપુરમાં મફત સોલાર પંપની જાહેરાત બાદ 40% રકમ ભરવા નોટિસ:રોષ સાથે ખેડૂતોએ કહ્યું- PM KUSUM યોજનામાં મફત સોલાર આપવાની વાત કરાઈ હતી; પ્રતિનિધિમંડળની તંત્રને રજૂઆત

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM KUSUM) યોજનાના અમલને લઈને ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોને મફત સોલાર પંપ આપવાની જાહેરાત બાદ હવે 40 ટકા રકમ ભરવાની નોટિસ મળતા તેમણે વિરોધ નોંધાવ્યો છે. યોજના હેઠળ શરૂઆતમાં ખેડૂતોને મફત સોલાર પંપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના આધારે હનમતમાળ, હતનબારી, બોપી, ખામદહાડ, મનાઈચોંઢી, ગડી બિલધા, વણખાસ, ખાંડા, શિશુમાળ અને ભવાડા સહિતના ગામોના ખેડૂતોએ અરજીઓ કરી હતી. ત્યારબાદ ધરમપુર GEB વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. હાલમાં ધરમપુર GEB વિભાગ દ્વારા ખેડૂતોને નોટિસ પાઠવી સોલાર પંપની કિંમતના 40 ટકા રકમ ભરવાની શરત મૂકવામાં આવી છે, આના કારણે ખેડૂતોમાં ભારે ગેરસમજ અને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, અરજી સમયે તેમને મફત સોલાર આપવાની સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી, જ્યારે હવે રકમ ભરવાની શરત મૂકવી અન્યાયપૂર્ણ છે. આ બાબતે હનમતમાળ ગામના સરપંચ વિજયભાઈ, બોપી ગામના સરપંચ બાલુભાઈ, સામાજિક આગેવાન ચેતનભાઈ તથા ખેડૂતોના પ્રતિનિધિમંડળે નાયબ કાર્યપાલક ઈજનેર (ધરમપુર ડિવિઝન-2), કલેક્ટર વલસાડ અને પ્રાંત અધિકારી ધરમપુરને રજૂઆત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વિસ્તારનો કોઈપણ ખેડૂત 40 ટકા રકમ ભરવા સક્ષમ નથી અને તેમને યોજનામાં છેતરપિંડી થઈ હોવાની ભીતિ છે. તેમણે માંગણી કરી છે કે, PM KUSUM યોજનામાં જે રીતે મફત સોલાર આપવાની વાત કરવામાં આવી હતી, તે મુજબ તમામ અરજી કરનાર ખેડૂતોને મફત સોલાર પંપ આપવામાં આવે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:56 pm

સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:રાજકોટ સિવિલનું જન ઔષધી કેન્દ્ર અચાનક બંધ રહેતા દર્દીઓને હાલાકી, તંત્રની બેદરકારી સામે રોષ, આરએમઓનો લુલો બચાવ

રાજકોટની જીવાદોરી સમાન અને સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે હોસ્પિટલની અંદર કાર્યરત પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાં છેલ્લા 2 દિવસથી તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. કોઈપણ સૂચના કે નોટિસ વિના અચાનક આ મેડિકલ સ્ટોર બંધ કરવામાં આવતા દૂર-દૂરથી સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ જનઔષધિ કેન્દ્ર સિવિલ હોસ્પિટલમાં નહીં પણ રેડક્રોસ હેઠળ આવતું હોવાનું આરએમઓ દ્વારા જણાવાયું છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જનઔષધિ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં લોકોને મોંઘાભાવની દવાઓ પ્રધાનમંત્રી યોજના હેઠળ રાહત દરે આપવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી આ કેન્દ્રના અચાનક બંધ થવાથી ગરીબ દર્દીઓને હવે બહારનાં ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવે દવાઓ લેવાની ખરીદવાની ફરજ પડી રહી છે. જેને લઈ દર્દીઓ અને તેના પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના દામનગરથી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશનની સારવાર માટે આવેલા ધવલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, મારે ઓપરેશન કરવાનું હોવાથી ડોક્ટરે દવા લખી આપી હતી. આ દવા લેવા માટે હું ગઈકાલ સાંજનો ધક્કા ખાઈ રહ્યો છું. ગઈકાલે સાંજે પણ મેડિકલ સ્ટોર બંધ હતો અને આજે સવારના પણ મેં 3 થી 4 ધક્કા ખાધા છે છતાં આ કેન્દ્ર ખુલ્યું નથી. અહીં તપાસ કરતા ખબર પડી કે એક બીજું મેડિકલ સ્ટોર છે જે અહીંથી ઘણું દૂર છે. તંત્ર દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નથી કે આ સ્ટોર ક્યારે ખુલશે. ત્યારે દર્દીઓને પડતી તકલીફ દૂર કરવા માટે આ કેન્દ્ર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અન્ય એક મહિલા દર્દીના સંબંધી રસીદાબેને જણાવ્યું હતું કે, તેઓ ગામડેથી તેમના પતિ માટે દવા લેવા આવ્યા છે. મવડી ચોકડી પાસે દવા લેવા ગયા તો ત્યાં દવામાં ફેરફાર હોવાનું જણાવી અહીં સિવિલના જન ઔષધી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ અહીં આવ્યા તો કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યું. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, હોસ્પિટલની અંદરથી અમુક જ દવાઓ મળે છે, બાકીની દવાઓ અમારે ફરજિયાત બહારથી લેવી પડે છે. જો અહીંનું જન ઔષધી કેન્દ્ર જ બંધ હોય અને બહાર બીજી કંપનીની દવાઓ મળતી હોય તો અમારે ક્યાં જવું? તંત્ર દ્વારા અહીં કોઈ લખાણ કે બોર્ડ પણ મારવામાં આવ્યું નથી કે આ કેન્દ્ર કેમ બંધ છે અને ક્યારે ખુલશે. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલનાં આરએમઓ ડોક્ટર હર્ષદ દૂસરાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જનઔષધિ કેન્દ્ર સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં છે. પરંતુ તેનું સંચાલન રેડક્રોસ નામની સંસ્થાને સોંપવામાં આવ્યું છે. જેને લઈને કેન્દ્ર ક્યાં કારણોસર બંધ છે તે જાણી શકાયું નથી. આ છતાં સંસ્થાને કારણ પૂછવામાં આવશે. અને શક્ય તેટલું વહેલું આ જન ઔષધિ કેન્દ્ર ખુલે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે જન ઔષધી કેન્દ્ર આશીર્વાદ સમાન હોય છે. કારણ કે અહીં રાહત દરે દવાઓ મળે છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે છેલ્લા 2 દિવસથી કેન્દ્ર બંધ હોવાથી દર્દીઓના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. સિવિલ તંત્ર અને જન ઔષધી કેન્દ્રના વચ્ચેના સંકલનના અભાવે ગરીબ દર્દીઓ પીસાઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક આ મામલે પગલાં લઈ જનઔષધિ કેન્દ્ર કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:54 pm

ગાંધીનગરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ:સમાજના આગેવાનો અને ટ્રોલર્સને કિંજલ દવેનો જવાબ, ગાંજો પીવાના ગોગો પેપર્સની ઓનલાઈન ડિલિવરી

પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ રાજ્યમાં વધુ એક બાળકી દુષ્કર્મનો ભોગ બની.ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ.. પોલીસે બાળકીના મામા સહિત ચાર શકમંદોની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ ભૂલ્યુ સરદાર પટેલની પુણ્યતિથિ વડોદરામાં કોંગ્રેસે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પુણ્યતિથિ ઉજવી. જીવના જોખમે પુષ્પાંજલિ અર્પણ કરી.જો કે ભાજપ પુણ્યતિથિ ભૂલી જતા કોંગ્રેસે તેના પર પ્રહાર પણ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 40 વર્ષ પહેલા બનાવાયેલા મકાનો તોડી પાડવામાં આવશે અમદાવાદના થલતેજમાં સ્નેહાંજલિ સોસાયટીના મકાનોને 40 વર્ષે ગેરકાયદેસર ઠેરવી તોડી પાડવામાં આવશે. રહીશોએ પોતાના ઘર બચાવવા આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 40 વર્ષ પહેલા બનેલી સોસાયટીમાં હવે જમીન માલિક કોઈ બીજો નીકળતા આ સ્થિતિ થઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્રોસરી એપ્સ ઘરે પહોંચાડી રહી છે ગોગો પેપર્સ સુરતમાં ઓનલાઈન ગ્રોસરી એપ ડિલિવર કરી રહી છે ગાંજો પીવા માટે વપરાતા ગોગો પેપર્સ.ગાંજા પર પ્રતિબંધ છે પણ ગોગો પેપર્સ બેરોકટોક મળી રહ્યા છે.ભાસ્કરના રિયાલીટી ચેકમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટિરોઈડથી મળેલી રાહતને ઈસુનો ચમત્કાર કહેતો સુરતમાંથી સામે આવ્યું ધર્માંતરણ કૌભાંડ. આયુર્વેદિક ડોક્ટર આદિવાસી દર્દીઓને સ્ટિરોઈડથી ટેમ્પરરી રાહત અપાવતો. અને આને ઈસુનો ચમત્કાર ગણાવી ધર્મપરિવર્તન કરાવતો. કૌભાંડમાં સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ અને 2-3 શિક્ષકો મુખ્ય સુત્રધાર હોવાનો પોલીસે ખુલાસો કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોત રાજસ્થાનના ઉદયપુરમાં થયેલા રોડ એક્સિડેન્ટમાં વાવ-થરાદના ત્રણ યુવકોના મોત નીપજ્યા. નેશનલ હાઈવે પર પિંડવાડા નજીક ટ્રકમાંથી માર્બલ બ્લોક ફોર્ચ્યુનર પર પડતા દૂર્ઘટના સર્જાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિવારને નાત બહાર મુકતા કિંજલે બળાપો ઠાલવ્યો બ્રહ્મ સમાજે પરિવારને નાત બહાર મુકતા કિંજલ દવેએ દીકરીઓના અધિકારો પર પોતાનો પક્ષ મુક્યો. સાથે જ જો પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ કરાશે તો કાયદેસર કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દબાણ હટાવવાની કામગીરી પહેલા જ વિરોધ ભાવનગરમાં 17 ડિસેમ્બરથી ખરાબાની સરકારી જમીન અને ગૌચર પર કરાયેલા દબાણો દૂર કરાશે. જો કે ડિમોલિશન પહેલા જ 20થી વધુ આઇસરમાં 4 હજારથી વધુ લોકો તળાજા મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપી ગરીબોના ઘર ન તોડવા આજીજી કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લવ જેહાદના આક્ષેપ સાથે યુવક સાથે મારામારી સુરતમાં એબીવીપીના કાર્યકરોએ જાહેરમાં એક યુવકને મેથીપાક ચખાડ્યો. યુવક છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીનો પીછો કરી તેને હેરાન કરતો હોવાનો કાર્યકરોનો આક્ષેપ છે. અનેક વાર સમજાવવા છતાં ન માનતા યુવકને આ રીતે સમજાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો2-3 ડિગ્રી વધ્યા બાદ પણ ઠંડી યથાવત રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રીના વધારા બાદ પણ ઠંડીનો અનુભવ યથાવત.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા આ સ્થિતિ ઉભી થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:51 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી:રૂણજમાં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું

આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બીજા દિવસે સવારે સોજીત્રાના પલોલ ગામમાં પ્રાકૃતિક કૃષિ કરતા અમિતભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજ્યપાલશ્રીએ જાતે હળ ચલાવીને ખેતરમાં ખેડાણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના ફાયદા અને પદ્ધતિઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિ દ્વારા વધુ ઉપજ કેવી રીતે મેળવી શકાય તે અંગેના વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. ખેડૂતોના પ્રશ્નોના જવાબો આપીને તેમને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધા બાદ રાજ્યપાલ રૂણજ ગામમાં સરદાર સ્મૃતિ વન પહોંચ્યા હતા. ત્યાં તેમણે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલે વડના છોડનું વાવેતર કરીને અધિકારીઓને ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવાની સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:42 pm

નવસારીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ:ઢોરને રાખવા માટેની કામચલાઉ વ્યવસ્થા સામે ગૌરક્ષકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા, તંત્રની નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને રખડતા ઢોરમુક્ત કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જોકે, આ કામગીરીના ભાગરૂપે પકડાયેલા ઢોરને રાખવા માટે કરાયેલી કામચલાઉ વ્યવસ્થા સામે ગૌરક્ષકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે તંત્રની નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ગૌરક્ષક સાજન ભરવાડના જણાવ્યા અનુસાર, હાલમાં દૂધિયા તળાવ પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં આશરે 150 થી 200 ગાયોને રાખવામાં આવી છે. ગૌરક્ષકોનો મુખ્ય વાંધો આ વ્યવસ્થાની અપૂરતીતા પર છે. ગૌરક્ષકોના મતે, 150 થી 200 ગાયો માટે આ જગ્યા અત્યંત નાની છે. ઢોરોને પૂરતો ઘાસચારો અને પાણી આપવામાં આવતું નથી. તેમણે આક્ષેપ કર્યો કે, ચાર દિવસમાં માત્ર 200 ગુણી ચિમણીના મળે છે. વધુમાં, સ્થળ પર કાયમી ધોરણે કોઈ વેટરનરી ડૉક્ટર હાજર નથી. ગૌરક્ષકોએ સવારે ફોન કર્યા બાદ ડૉક્ટરોએ આવીને ઓછામાં ઓછી છ ગાયોની સારવાર કરી હતી. મૃત થયેલી ત્રણ ગાયોને ડમ્પિંગ સાઇટ પર ખુલ્લી નાખી દેવાઈ હતી. ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો કે, કોર્પોરેશન પાસે કરોડોના સાધનો હોવા છતાં ખાડો ખોદીને ઢોરને દાટવામાં આવતા નથી. ગૌરક્ષકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું છે કે, આ ગાયો પકડવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ ગાયો જ્યાં દુઃખી થાશે ત્યાં ગૌરક્ષકો કદાપિ ચલાવી લેશે નહીં. તેમણે તંત્રની નીતિ સામે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, મંત્રીઓના પ્રવાસ દરમિયાન રૂ. 2000ની ડીશનું બિલ બનાવાય છે, જ્યારે ઢોર પાછળ માત્ર રૂ. 200નો ખર્ચ કરાય છે. આ અંગે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણીએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ છે. હાલમાં આશરે 100 કરતાં વધુ ઢોરોને દુધિયા તળાવ પાસેના ખાલી પ્લોટમાં કામચલાઉ ધોરણે રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ આક્ષેપો અંગે ખુલાસો આપવામાં આવ્યો છે કે, કોર્પોરેશન દ્વારા કલેક્ટર પાસેથી કાયમી પાંજરાપોળ માટે જમીનની માંગણી કરવામાં આવી હતી. કલેક્ટરે ખાંભલાઓમાં જગ્યા ફાળવી છે અને ત્યાં પાંજરાપોળ બનાવવાની કામગીરી શરૂ છે. આ પાંજરાપોળ આશરે ત્રણથી ચાર મહિનામાં બની જશે, ત્યારબાદ પકડેલા ઢોરને ત્યાં શિફ્ટ કરવામાં આવશે. હાલમાં જિલ્લાના વેટરનરી ઓફિસર સાથે વાતચીત ચાલુ છે. ઉપરાંત, જરૂર પડ્યે છ મહિના માટે આઉટસોર્સથી નવા વેટરનરી અધિકારીની કોન્ટ્રાકચ્યુઅલ નિમણૂક કરવામાં આવશે, જેથી બીમાર ઢોરોની સમસ્યાનું સમાધાન થઈ શકે. હાલમાં જિલ્લા પંચાયતના વેટરનરી ઓફિસર દ્વારા ઢોરોને ત્રણથી ચાર અલગ-અલગ જગ્યાએ સારવાર માટે લઈ જવામાં આવે છે. તેમજ મૃત ઢોરને નજીકના પાંજરાપોળની વ્યવસ્થા મુજબ વ્યવસ્થિત વિધિ પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે. કોર્પોરેશનનું કહેવું છે કે, ગૌરક્ષકો સાથે તેઓ સહયોગમાં છે અને કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હાલની કામચલાઉ વ્યવસ્થામાં પૂરતી કાળજી લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:36 pm

આરોપીને મળવા માટે ટોકતા મામલો બિચક્યો:નિકોલ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓએ તોફાન મચાવીને ચાર પોલીસ કર્મચારી પર હુમલો કર્યો

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે(14 ડિસેમ્બર) બે મહિલાઓએ ત્રણ પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ પર હુમલો કરીને તોફાન મચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ એક મહિલા પોલીસ કર્મચારી સહિત ચાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને પોલીસ સ્ટેશન સળગાવી દેવાનું પણ કહ્યુ હતું. બે મહિલાઓ પોલીસ સ્ટેશન ઓફિસર (PSO)ને પૂછ્યા વગર લોકઅપમાં બંધ આરોપીને મળવા માટે પહોચી ગઈ હતી. જેને લઈને મામલો બીચક્યો હતો. મહિલા પોલીસ કર્મચારી સહિતના કર્મીઓએ મહિલાઓને ટોકતા બબાલ થઈ હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીમહિલા પોલીસ કોન્સ્ટેબલ દેવલબેને નિકોલ પોલીસ સ્ટેશનમાં હિનલ હિતેન્દ્ર સીંગોલીયા તેમજ વિશાખા વિનોદ મકવાણા (બન્ને રહે, કે.જે.કડીયાની ચાલી, અસારવા) વિરૂદ્ધ હુમલાની તેમજ સરકારી કામમાં અડચળ ઉભી કરવાની ફરિયાદ કરી છે. દેવલ નિકોલ પોલીસ સ્ટેશનમાં PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) તરીકે ફરજ નીભાવે છે. PSOમાં દેવલની સાથે ASI ચંદ્રવદન તેમજ પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ ભરત પણ કામ કરે છે. આરોપીની પત્નીએ ગઈકાલે પણ માહોલ તંગ કરી દીધો હતોનિકોલ પોલીસે ચોરીના કેસમાં હિતેન્દ્ર ઉર્ફે ટશન સીંગોલીયાની ધરપકડ કરી છે. હાલ હિતેન્દ્ર નિકોલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે અને તેની પત્ની હિનલે ગઈકાલે માહોલ તંગ કરી દીધો હતો. પીએસઓની પરમીશન વગર ગઈકાલે હિતેન્દ્નને મળવા માટે બે મહિલા લોકઅપ પાસે પહોચી ગઈ હતી. મહિલાઓને જોતાની સાથે જ એએસઆઈ ચંદ્રવદને કહેવા લાગ્યા હતા કે તમે કેમ એકદમ પૂછ્યા વગર લોકઅપ પાસે આવીને આરોપી સાથે વાત કરી રહ્યા છો. ચંદ્રવદને વધુમાં જણાવ્યુ હતું કે તમે ગઈકાલે પણ આરોપી સાથે લોકઅપ પાસે આવીને વાત કરી હતી, તમે કોઈનું ગણકારતા નથી. બન્ને મહિલાઓ PSO ટેબલ પાસે આવીને બબાલ કરવા લાગી હતીચંદ્રવદનની વાત સાંભળીને મહિલાઓ એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અનેં જોરજોરથી બુમો પાડીને બબાલ કરવા લાગી હતી. દેવલબેને મહિલાઓને રોકી હતી અને બહાર નીકળી જવાનું કહ્યુ હતું જેથી મામલો વધુ બીચક્યો હતો. મહિલાઓએ દેવલબેનને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી. બંને મહિલાઓ તરત જ PSO ટેબલ પાસે આવીને બબાલ કરવા લાગી હતી. બંને મહિલાઓએ દેવલબેનને જાહેરમાં લાફા મારી દીધામહિલાઓએ તરજ ત દેવલબેન પર હુમલો કરી દીધો હતો. જેના કારણે માહોલ તંગ થઈ ગયો હતો. દેવલબેન સહિતના પોલીસ કર્મચારીઓ બળ વાપરીને બંને મહિલાઓને PSO ટેબલની બહાર લાવી દીધી હતી. બહાર આવતાની સાથે જ બંને મહિલાઓએ દેવલબેનને જાહેરમાં લાફા મારી દીધા હતા. બંને મહિલાઓએ પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડને લાફા મારી દીધામહિલાઓએ દેવલબેન સહિતના પોલીસ કર્મચારીઓને જણાવ્યુ હતું કે આજે તો તમારૂ પોલીસ સ્ટેશન સળગાવી દઈશુ અને તમને બધાને જાનથી મારી નાખીશું. મહિલાઓએ બુમાબુમ કરતા બીજા પોલીસ કર્મચારી તેમજ હોમગાર્ડ પણ દોડી આવ્યા હતા. બીજા પોલીસ કર્મચારીઓએ પણ મહિલાઓને શાંતિથી વાત કરવાનું કહેતા મામલો વધુ બીચક્યો હતો. બંને મહિલાઓએ પોલીસ કોન્સ્ટેબલ ભરત અને હોમગાર્ડ સોહનને લાફા મારી દીધા હતા. મહિલાઓએ ધમકી આપી હતી કે તમે બધા પોલીસ સ્ટેશનની બહાર આવો તો તમને જાનથી મારી નાખીશ. મહિલાઓ માથાકુટ કરીને ત્યાથી જતી રહી હતી. દેવલે આ મામલે બંને મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:27 pm

જૂનાગઢના મહંતેનો સાગરિતો સાથે મળી અડધી રાત્રે છેતરપિંડીનો ખેલ:કલ્યાણગીરીએ સ્વીકાર્યું-મેં જ બેંક કીટ આપી હતી, છ મહિના એકબીજાને મળતા નહીં, નંબર ટ્રેકમાં', ભાસ્કરને મળ્યો વીડિયો

ધાર્મિક સ્થળ તરીકેની પવિત્ર ઓળખ ધરાવતા જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં, ગૌ સેવાના પવિત્ર કાર્યની આડમાં ચાલી રહેલા એક મોટા સાઈબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા કેરાળા ગામમમાં અવધૂત આશ્રમની ગૌશાળા આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર બની હતી. આ ગૌશાળામાં રહેતા અને ધર્મગુરુ તરીકેની ઓળખ ધરાવતા કલ્યાણગીરીને આ સમગ્ર સાયબર ફ્રોડનું મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે. SOG દ્વારા કલ્યાણગીરી સામે પૂરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે(14 ડિસેમ્બર, 2025) SOGએ પૂછપરછ કરતા અડધી રાત્રે સાગરિતો કલ્યાણગીરીને મળવા માટે પહોંચ્યા હતા. મહંત કલ્યાણગીરી અને સાગરિતો વચ્ચે રાત્રે થયેલી આ વાતચીતનો વીડિયો ભાસ્કરને પણ મળ્યો છે. જેમાં તેમણે સ્વીકાર્યું છે કે, સાયબર ફ્રોડ માટે બેંક કીટ આપી હોવાનું સ્વીકાર્યું છે. અવધૂત આશ્રમના ભાગરૂપે કેરાળા નજીક આવેલી ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કના સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગત 12 ડિસેમ્બરના રોજ SOGના હાથે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરીને છેતરપિંડી આચરનાર અભય પરસાણિયાની ધરપકડ થતાં, સમગ્ર કોભાંડમાં બાપુનો ખેલ ઉઘાડો પડ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો, કલ્યાણગીરીના ખાતામાં લાખો રૂપિયા જમા થયા​કલ્યાણગીરી બાપુની સંડોવણી સામે આવતા જુનાગઢ SOGએ તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યું છે. આ ફંડ સાયબર ફ્રોડનું છે કે અન્ય કોઈ રીતે આવ્યું છે, તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આટલું થવા છતાં પણ કલ્યાણગીરી જેના શિષ્ય છે તેવા ભવનાથ ક્ષેત્રમાં અવધૂત આશ્રમનો વહીવટ કરતા મહાદેવ ગીરીએ કહ્યું કે મને આ મામલે કંઈ ખબર જ નથી. પરંતુ ગૌશાળામાં કે આશ્રમમાં જે દાન આવે છે તેનો હિસાબ રાખવો સરકારી નિયમો મુજબ જરૂરી હોય છે. કલ્યાણગીરી મહંત તરીકેની ઓળખ ધરાવે છે અને તેમને આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનું મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ મુજબ, કલ્યાણગીરી બાપુ યુવાનોને સરળતાથી રૂપિયા કમાવવાની લાલચ આપીને પોતાના વિશ્વાસમાં લેતા હતા. યુવાનોને ધાર્મિક ઉપદેશની સાથેસાથે રૂપિયા કમાવવાની લાલચ આપતા​ગૌશાળાના હિંચકા ઉપર બેસીને યુવાનોને ધાર્મિક ઉપદેશની સાથેસાથે રૂપિયા કમાવવાની લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વાળતા હતા. આ વિશ્વાસનો લાભ લઈને તે યુવાનો પાસેથી તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી માટે 'મ્યુલ એકાઉન્ટ્સ' તરીકે થતો હતો. બાપુ હંમેશા યુવાનોને ડર્યા વગર આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. બાપુ યુવાનો સાથે મળી બેંક કીટ તૈયાર કરતા​બેંકમાંથી ફ્રોડના પૈસા કાઢી આવ્યા બાદ આ યુવાનોને ટકાવારી (કમિશન) મળતી હતી. આ રકમ જમા થયા બાદ એક કહેવાતા બાપુનો માણસ જેનું પણ બેંક એકાઉન્ટ હોય તેની સાથે હાજર રહેતો હતો. આ પ્રકારે બાપુ યુવાનોના બેંક એકાઉન્ટ અને તેની અન્ય વિગતો મળીને કીટ તૈયાર કરતા હતા, અને જેનો ઉપયોગ રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડમાં થતો હતો. ​આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર પાસે કલ્યાણગીરી બાપુનો એક વીડિયો આવ્યો છે. આ વીડિયોમાં અડધી રાતે આ છેતરપિંડી આચરતા અને કલ્યાણગીરી સાથે સંકળાયેલા યુવકો બાપુની ગૌશાળાએ પહોંચે છે અને બાપુને કહી રહ્યા છે કે બાપુ હવે કંઈક કરો. આ વીડિયોમાં SOGના હાથે ઝડપાયેલા અભય અને ભાર્ગવ વિશે ચર્ચા થઈ રહી છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલું ઊંડું છે. કલ્યાણગીરીની સાગરિતો સાથે અડધી રાત્રે શું શું વાત થઈ? યુવક: બાપુ, ગુજરાતમાં લાખો રૂપિયાની ફરિયાદ નોંધાઈ છે, અને અભય ચુડાસમા અને અન્ય એક યુવક SOGના હાથે ઝડપાઈ ગયા છે. તેના નામની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. બાપુ, આપણે કોઈ સેટિંગ કરેલું છે કે પછી...?બાપુ: સેટિંગમાં એવું છે કે ભાર્ગવને તો મોકલી દઈશું, પણ આ અભયનું કઈ રીતે થયું તે ખબર નથી પડતી. યુવક: આ અભિને કેવી રીતે બેસાડયો ?બાપુ: એ જ ખબર નથી પડતી કે અભિને શા માટે બેસાડ્યો છે. અભિ અલગથી હાજર થયો છે. મેં ભાર્ગવને ના પાડી હતી. યુવક: બાપુ, તમે કેવી રીતે હાથમાં આવ્યા?બાપુ: હું અહીંથી જવાની તૈયારી કરતો હતો અને પોલીસની ગાડી સામે આવી ગઈ. મને એવું લાગ્યું કે હું મારો ફોન વડાલની દુકાને મૂકી દઉં. મને ફોન આવ્યો અને હું અહીં કહેવાનો હતો કે હું સાબલપુર સુધી જઈને આવું, કારણ કે આવું તો અહીં કહેવાય નહીં કે આમ થયું છે. પરંતુ મેં જોયું તો ગાડી સામે આવી ગઈ હતી અને મને ખબર પડી કે કંઈક લોચે ચડ્યું છે. યુવક: ફરિયાદ નોંધાઈ ગઈ છે. હવે તેના જામીનનું શું થશે?બાપુ: તેને કોર્ટમાં હાજર કરવો પડશે. યુવક: બાપુ, 14 લાખની એન્ટ્રી થઈ છે તેનું શું છે?બાપુ: અમે કંઈ છૂટ્યા નથી. મારે સવારે 10 વાગે જવાનું છે. યુવક: બાપુ, તમને કેમ પોલીસે ઉપાડ્યા?બાપુ: મૂળ તો 3 લાખની જ મેટર હતી. પરંતુ પ્રિયાંકે ભાર્ગવનું નામ દીધું. પણ ભાર્ગવે મારું નામ દીધું ન હતું. મારું નામ તો પ્રિયાંકે દીધું, ભાર્ગવ થોડું મારું નામ આપે. યુવક: હાલ સાગરો ફરાર છે. મેં એને કહ્યું છે કે તું બહાર જ રહેજે.બાપુ: તું બે દિવસ ખમી જા, કારણ કે આ બે દિવસની હાર (લાઈન) હતી, હર્ષ સંઘવીની. આમાં જે ઝપટે ચડી ગયા તે છૂટે તેમ ન હતા. કાલે હજુ અમારા પર ગુનો દાખલ થશે કે નહીં થાય તે કેમ ખબર. યુવક: બાપુ, આમાં બીજા કોઈના નામ આવ્યા કે નથી આવ્યા? સાગરનું તો આવી ગયું ચાલો. બાપુ: (ગુસ્સામાં) તારો મારામાં કોલ આવ્યો તે ખોટું થયું, તારે મને ફોન કરવાની જરૂર નથ. મને પોલીસે પૂછ્યું કે સમીપનો ફોન અમારામાં કેમ આવ્યો? મેં પોલીસને કહ્યું કે આશ્રમે વસ્તુ લેવા-દેવા જવાનું હોય તો સમીર આવતો. એમ તો અમે તમને બધાને બહાર જ રાખ્યા છે. હવે અભયના જામીન સિવાય કંઈ ન થાય. અમારા પર ગુનો થશે તો પણ એ જ થશે. અમને આશ્રમ પાછા આવવા દીધા તો તે બાપુના હિસાબે આવવા દીધા છે. હમણાં પરિક્રમા સાથે કરી એટલે બાપુ અને પોલીસ અધિકારીઓ સાથે હતા, એટલા માટે અમને અહીં આવવા દીધા છે. અભીને કહ્યું હતું કે તું નીકળી જા, કારણ કે મારા ફોન તો પોલીસે રાખી દીધા હતા અને મારી પાસે તેના નંબર પણ ન હતા. યુવક: ભાર્ગવનો કોલ આવ્યો એટલે મેં કહ્યું કે બાપુને સીધો કોલ કર અને મેં તમને કીધું કે બાપુ તમે તમારો કોલ બંધ કરો અને આડાઅવળા થઈ જાવ, અમારા કોન્ટેક્ટમાં ન રહેજો.બાપુ: આડાઅવળા ક્યાં થાય, તો તો પોલીસ સામે આવી ગઈ હતી. બાપુ: (ચેતવણી આપતાં) હમણાં છ મહિના કોઈ એકબીજાને મળતા નહીં, કારણકે ખાસ વાત એ છે કે મુન્ના બધા નંબર ટ્રેકિંગ પર નાખ્યા છે. આ ધંધો હવે કરતા જ નહીં. ઉપાધિ હવે કરોમાં, અભયના જામીનનું કરો. એટલે તો મેં ભાર્ગવને કહ્યું હતું કે સમીરને કહેજે કે આવે જ નહીં બે-ત્રણ દિવસ. આપણું પતી જાય પછી કંઈ ન થાય. યુવક: એક એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા નાખ્યા છે, અને અજિતને એટલા માટે ઉપાડ્યો છે કે તેના એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન ત્રણ વાર થયા છે.બાપુ: મેં તેને કીટ જ આખી આપી હતી. એક કીટનું બહાર આવ્યું છે મહારાષ્ટ્રમાંથી, 15 લાખની તો માત્ર ફરિયાદ છે, તેને આખી કીટ આપેલી છે. ચાર જણાના નામ તો કાલે જ આવ્યા હતા. મને, આનંદને અને પ્રિયાંકને ત્રણ જણાને જ SOGએ બોલાવ્યા હતા. એક બીજો છોકરો હતો તેને જવા દીધો હતો. તું હમણાં દીદી આખો પાછો રહેજે. યુવક: બાપુ, મોબાઇલ તો ચાલુ રાખો.બાપુ: મોબાઇલ ચાલુ ન રાખતો. સીધું લોકેશન કાઢશે. નંબર ફેરવી નાંખ, બીજો લઈ લે. એવું લાગે તો બે-ત્રણ દી બહાર જ ચાલ્યો જા, કચ્છ ચાલ્યો જા. બીજું કંઈ નહીં થાય. આખું નવેસરથી ખુલશે. આ પતી ગયું છે, પરંતુ ઓલું નવેસરથી ખુલશે. હવે કોઈને ઓટવાડવાના નથી. મેં ભાર્ગવને કાલે તે જ કહ્યું હતું કે પીને હાજર ન કરાવતા. યુવક: તમારું નામ ભાર્ગવે દીધું છે, અને બે ફડાકામાં જ તમારું નામ આપ્યું છે.બાપુ: વાંધો નહીં, હવે જે થયું છે તે પતાવવાની વાત છે. FIR થઈ જાય, ગુન્હો નોંધાઈ જાય એટલે વાત પતી જાય. બીજું ન થાય તારા પર.​ અભયની ધરપકડ થઈ અને કલ્યાણગીરીનો ખેલ ખૂલ્યો ​મ્યુલ એકાઉન્ટ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં કલ્યાણગીરી બાપુના બેંક એકાઉન્ટની વિગતો સામે આવી હતી. આ તપાસમાં અન્ય યુવકોની સંડોવણી પણ ખુલી હતી.પોલીસે અભય પરસાણિયા અને અજીત ગરેજા નામના બે યુવકો વિરુદ્ધ 24 લાખથી વધુની છેતરપિંડી આચરવા બદલ વંથલી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાપુએ યુવાનોને ઉપદેશ આપીને બેંક એકાઉન્ટ આપી દેવા માટે પ્રેર્યા હતાઅભયની ધરપકડ બાદ, આ સમગ્ર મામલાના તાર કેરાળા નજીક આવેલ ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સુધી પહોંચ્યા હતા, અને છેલ્લા ત્રણ દિવસથી SOG દ્વારા તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પૂછપરછમાં બાપુએ યુવાનોને ઉપદેશ આપીને બેંક એકાઉન્ટ આપી દેવા માટે પ્રેર્યા હતા, તે હકીકત સામે આવી છે. ​ત્રણ દિવસ પહેલા અભય પરસાણિયાની ધરપકડ થઈ છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જુનાગઢના બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને વંથલી પોલીસ સ્ટેશનમાં પણ કલ્યાણગીરી બાપુ વિરુદ્ધ નવી ફરિયાદો નોંધાય તેવી પ્રબળ શક્યતા છે. ​બીજી તરફ, ધરપકડ કરાયેલા યુવક અભય ચુડાસમાના માતાનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારે આક્રંદ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારો દીકરો અભય ચુડાસમા કલ્યાણગીરી બાપુને ત્યાં અવધૂત આશ્રમમાં નોકરીએ જતો હતો. બાપુએ તેને કામ માટે બોલાવ્યો હતો. મારો દીકરો હાલ જેલમાં છે અને અમને મા-દીકરાને કંઈ થશે તો તેની જવાબદારી કલ્યાણગીરી બાપુની રહેશે. અમને ન્યાય અપાવો. કલ્યાણગીરીનું મૂળ વતન સાવરકુંડલા, 5 વર્ષથી ગૌશાળા સંભાળે છે: મહાદેવગીરી​આ વિવાદમાં ભવનાથ અવધૂત આશ્રમનો વહીવટ સંભાળતા મહાદેવગીરી બાપુએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મને બીજી કોઈ ખબર નથી. કલ્યાણગીરી મૂળ સાવરકુંડલાના છે અને સંન્યાસ ધારણ કર્યા પહેલા તેનું નામ કેતન હતું. તે કેરાળા નજીક આવેલી ગૌશાળાનો વહીવટ સંભાળતા હતા અને છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા.તેમણે વાઇરલ વીડિયો મામલે પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. ​પોલીસ હાલમાં માત્ર સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટની જ નહીં, પરંતુ બાપુના બેંક ખાતામાં જમા થયેલા લાખો રૂપિયા સાયબર ફ્રોડના છે કે ટ્રસ્ટ અને સેવાકીય સંસ્થાઓમાં આવતા કરોડો રૂપિયાના ફંડમાંથી આવ્યા છે, તે મામલે પણ વધુ તપાસ કરી રહી છે. ભગવાની આડમાં ચાલતા આ મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો સંપૂર્ણ પર્દાફાશ થાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:19 pm

સુરતમાં ટેમ્પો ચાલકે ફ્રુટની લારી-3 વાહનને ટક્કર મારી, CCTV:વૃદ્ધા ઉછળીને વાહન સાથે અથડાઈ, ઉભી થઈ પૌત્રને બચાવવા દોટ મૂકી, 3 મોપેડ ચાલકને 8 ફૂટ ઢસડ્યા

સુરતના સિંગણપોર વિસ્તારમાં એક હચમતાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ટેમ્પાચાલકે પોતાની ગભલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ટેમ્પોચાલક ફ્રૂટની લારી લઈની જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલાચાલક સહિત ત્રણ વાહનોને અડફેટે લેતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ટેમ્પોચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછડીને 5 ફૂટ દૂર સુધી પટકાય છે. ત્યાર બાદ ટેમ્પાચાલકે અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલા ચાલક સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડે છે. આ દરમિયાન પૌત્રને બચાવવા વૃદ્ધા દોટ મુકતા પણ જોવા મળે છે. ટેમ્પાચાલકે ફ્રૂટની લારી લઈ જતા વૃદ્ધાને ટક્કર મારીપ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલાં એક 55 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના 4 વર્ષના પૌત્રને ફ્રૂટની લારી પર બેસાડીને રસ્તો પસાર કરી રહ્યા હતા. તેઓ પોતાની રોજિંદી જરૂરિયાત પુરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે સામેથી આવતા ટેમ્પો (GJ 05 BZ 9280) ચાલકે તેમને અને ફ્રૂટની લારીને જોદરાર ટક્કર મારી હતી. વૃદ્ધ મહિલા 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈ હતી. બીજી તરફ તેમનો પૌત્ર પણ રસ્તા ફર ફેંકાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો. જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. મહિલા ચાલક સહિત ત્રણ વાહનોને 8 ફૂટ સુધી ઢસડ્યાવૃદ્ધાને અડફેટે લીધા બાદ બેફામ ટેમ્પાચાલકે આગળ આવતા ત્રણ વાહનચાલકોને પણ ટક્કર મારી હતી. જેમાં એક મહિલા મોપેડચાલક સહિત ત્રણ વાહનોને 8 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જોકે, આ સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઇજા થઈ હતીઅકસ્માત થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. બે વ્યક્તિઓને માથાના બાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વૃદ્ધા અને બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:18 pm

84 વર્ષના વૃદ્ધની 20 વર્ષ જૂની પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યાનો અંત:બાનાસ સિવિલ હોસ્પિટલમાં તબિબોએ 183 ગ્રામની ગાંઠ દૂર કરી

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રૂપાલ ગામના 84 વર્ષીય વૃદ્ધની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. તેમને છેલ્લા 20 વર્ષથી પ્રોસ્ટેટ ગ્રંથિની ગંભીર સમસ્યા હતી, જેનો હવે અંત આવ્યો છે. વૃદ્ધને છેલ્લા બે દાયકાથી પ્રોસ્ટેટની તકલીફ હતી. લાંબા સમય સુધી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધા છતાં કોઈ નિશ્ચિત પરિણામ મળ્યું ન હતું. તાજેતરમાં અચાનક પેશાબ સંપૂર્ણપણે બંધ થઈ જતાં તેમને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જરૂરી રિપોર્ટ્સ બાદ જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટ ગ્રંથિ 183 ગ્રામ જેટલી વધી ગઈ હતી, જેને કારણે તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. ખાનગી હોસ્પિટલના તબીબોએ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની સલાહ આપી હતી. જોકે, તેમના પરિચિત અને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીનો સંપર્ક કરતાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા સૂચવવામાં આવ્યું. ગત 20 નવેમ્બરના રોજ દર્દીને દાખલ કરવામાં આવ્યા બાદ તમામ રિપોર્ટ્સનું પુનઃપરીક્ષણ કરીને નિષ્ણાત ટીમ દ્વારા ઓપરેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. યુરોલોજિસ્ટ ડો. સુનિલ જોશી, ડો. ફોરમ મોઢ તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. દીપક મંગલ, ડો. રિદ્ધિ અને ડો. વંદના સહિતની તબીબી ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ બે સ્ટેજમાં 'ટૂર પ્રોસ્ટેટ' પદ્ધતિથી 183 ગ્રામની ગાંઠ દુરબીનની મદદથી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી. શસ્ત્રક્રિયા બાદ દર્દીની પેશાબની નળી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ દુખાવો કે તકલીફ વગર દર્દીને સહજ રીતે પેશાબ થઈ શક્યો. 20 વર્ષથી ચાલતી તકલીફ દૂર થવાથી વૃદ્ધે સિવિલ હોસ્પિટલની તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 5:17 pm

16,963 વિદ્યાર્થીઓને પદવી, 103 સુવર્ણચંદ્રક એનાયત:સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલે 'સરદાર યુનિટી ક્વિઝ'નું ડિજિટલી અનાવરણ કર્યું

સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ આજે વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 16,963 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 75 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે 103 સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યા હતા. રાજ્યપાલના હસ્તે પદવીધારકોને ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેમણે 22 ભારતીય અને 30 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર થનાર 'સરદાર યુનિટી ક્વિઝ'નું ડિજિટલી અનાવરણ પણ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ભાઈકાકા લાયબ્રેરી ખાતે એન.સી.સી કેડેટ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે સૌનો આવકાર કર્યો હતો અને યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું ડિજિટલી વાંચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 4,07,729 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત કરાવે તે જ સાચી વિદ્યા છે. રાજ્યપાલે શુદ્ધ અને પવિત્ર ભાવ સાથે સમાજમાં સામાજિક પરંપરાઓ સાથે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા શીખ આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનના આ સ્વપ્નને સાકાર કરવા યુવાનો સહિત તમામ નાગરિકોને પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ આધુનિક યુગમાં માનવીને માનવતાવાદી, પરોપકાર, રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર, ધાર્મિક પરંપરાઓ સાથે સત્ય, ઈમાનદારી, પ્રેમ, કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતર આત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત કરી હતી. દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું હતું કે, આજે અનેક પડકારો વચ્ચે દુનિયા નવાચાર સાથે આગળ વધી રહી છે. તેમણે વિશ્વવિદ્યાલયમાંથી મેળવેલા જ્ઞાનનો સમાજ, રાષ્ટ્ર અને સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે ઉપયોગ કરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા હાકલ કરી હતી. યોગી જોષીએ પોતાને મળેલા મેડલ મા ભારતીની રક્ષા કરતા સૈનિકોને સમર્પિત કર્યાં સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર કચ્છ ભુજની દીકરી યોગી જોષીએ એમ.એસ.સી ગણિત વિષય સાથે પૂર્ણ કર્યું છે અને તેને ગણિત વિષયમાં પાંચ ગોલ્ડ મેડલ રાજ્યપાલ આચાર્ય દેવવતજીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. યોગી જોષીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યા મુજબ હું મારા અભ્યાસના માધ્યમથી સમાજમાંથી અજ્ઞાન, અભાવ અને અંધકાર દૂર કરવા પ્રતિબદ્ધ બનીશ. આ ઉપરાંત તેણે તેને મળેલા પાંચ ગોલ્ડ મેડલ મા ભારતીની રક્ષા કરતા સૈનિકોને સમર્પિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગી રાહુલભાઈ જોષીએ એમ.એસ.સી ના ચોથા સેમિસ્ટર દરમિયાન જ CSIR-NET (Phd), JAM, GATE અને GSET ની પરીક્ષા પાસ કરી ચૂકી છે. આ ઉપરાંત તેને પી.એચ.ડી નો અભ્યાસ કરવો છે, તે માટે તેણે TATA ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાતે પીએચડીની પ્રવેશ પરીક્ષા પણ આપી દીધી છે. ડોક્ટરેટની ઉપાધિ મેળવી દેશ માટે કામ કરીશ- રિયા પંચાલમૂળ નડિયાદની અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમ.સી.એ નો અભ્યાસ પૂર્ણ કરનાર રિયા પંચાલ પાંચ ગોલ્ડ મેડલ મેળવીને ગોલ્ડન ગર્લ બની ગઈ છે. રિયા પંચાલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે મેં કરેલી મહેનત રંગ લાવી છે અને રાજ્યપાલે મને પાંચ ગોલ્ડ મેડલ પહેરાવીને મારું સન્માન કર્યું તે મારા માટે ખૂબ જ આનંદ ની ક્ષણ છે. હું ભવિષ્યમાં ડોક્ટરેટની પદવી મેળવીને દેશને સમર્પિત થવા માટે કામ કરતી રહીશ.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:52 pm

અમૂલ ડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી:સાંભેસિંહ પરમાર ચેરમેન, વિજયભાઈ પટેલ વાઇસ ચેરમેન બન્યા

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી)ના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી છે. વીરપુર બ્લોકના ડિરેક્ટર સાંભેસિંહ પરમારને ચેરમેન પદ સોંપાયું છે, જ્યારે ડાકોરના વિજયભાઈ પટેલ વાઇસ ચેરમેન બન્યા છે. તેમની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. બે મહિના અગાઉ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. કુલ 13 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 11 બેઠકો પર વિજય મેળવ્યો હતો.અમૂલ ડેરીના સભાખંડ ખાતે તમામ ડિરેક્ટરો બપોરે 12 કલાકે પહોંચ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી ડૉ. મયૂર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12:30 કલાકે ભાજપ પ્રદેશ કક્ષાએથી મેન્ડેટના નામો લઈને નિરીક્ષક સભાખંડમાં આવ્યા હતા. આ બેઠકમાં વીરપુર બ્લોકમાંથી ડિરેક્ટર સાંભેસિંહ પરમારની ચેરમેન પદે અને વ્યક્તિગત બેઠક પર વિજેતા થયેલા ડાકોરના વિજયભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે પસંદગીની જાહેરાત કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:47 pm

બેચરાજીમાં રૂપિયા 9,000ના વાયરોની ચોરી:ચડાસણા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં બાકોરૂં પાડી તસ્કરોએ ચોરી કરી ફરાર થયા

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચડાસણા ગામની સીમમાં આવેલા ખેતરમાં બોરડીમાં તસ્કરોએ બાકોરું પાડીને ઓરડીમાં પ્રવેશ કરી 40 ફૂટનો 35 MMનો કેબલ વાયર થતા બોરનું સ્ટાર્ટર અને કેપીસીટરનો વાયર મળી કુલ 9000 ના મત્તાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બેચરાજી તાલુકામાં આવેલા ચડાસણા ગામે રહેતા પટેલ પ્રહલાદભાઈએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ચડાસણા ગામની સીમમાં બોરીયું નામથી ઓળખાતા ખેતરમાં આવેલ ઓરડીમાં અજાણ્યા તસ્કરોએ ઓરડીના ઉપરના ભાગે બાકોરું પાડી ઓરડીમાં ઘુસ્યા હતા. આ તસ્કરોએ બોરડીમાં રહેલ સર સમાન વેરવિખેર કરી દીધો હતો. ઓરડીમાં ફરિયાદીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, તસ્કરો બોરની ઓરડીથી બોર સુધીનો 40 ફૂટનો 35 MMનો કેબલ કિંમત 6500 થતા કેપીસીટર થતા સ્ટાર્ટરનો કેબલ વાયર કિંમત 2500 મળી કુલ 9000 ના મતાની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સમગ્ર ચોરીની ફરિયાદ બેચરાજી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:45 pm

210 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર:જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાઈ

જામનગર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં જિલ્લાના સિક્કા અને સિંગચ ગામોમાં આયોજિત કેમ્પમાં કુલ 210 ઊંટને ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, જામનગર પશુપાલન વિભાગની ટીમે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સિક્કા ખાતે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે સારવાર કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં 130 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી, જ્યારે 4 બીમાર પશુઓની પણ સારવાર કરાઈ હતી. પશુ રોગ અન્વેષણ એકમ, જામનગર દ્વારા આ કેમ્પ દરમિયાન પશુઓમાંથી બ્લડ સ્મિયર, બ્લડ અને સ્કિન સ્ક્રેપિંગના વિવિધ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓ રોગના નિદાન અને વધુ તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ ઝુંબેશને આગળ વધારતા, પશુપાલન વિભાગ, જામનગર હસ્તકની લાલપુર પશુપાલન શાખાની ટીમે 15 ડિસેમ્બર, 2025ના રોજ લાલપુર તાલુકાના સિંગચ ખાતે પણ સમાન કેમ્પનું આયોજન કર્યું હતું. સિંગચ કેમ્પમાં લાલપુર પશુપાલન ટીમે 80 ઊંટને ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપી હતી, તેમજ 5 બીમાર ઊંટની સારવાર કરી હતી. અહીં પણ પશુઓની આંતરિક બીમારીઓ, ચામડીના રોગ અને સરાની તપાસ માટે પશુ રોગ અન્વેષણ એકમ દ્વારા બ્લડ સ્મિયર, બ્લડ અને સ્કિન સ્ક્રેપિંગના નમૂના લેવામાં આવ્યા હતા. આમ, બે દિવસમાં કુલ 210 ઊંટ વર્ગના પ્રાણીઓને નિદાન અને સારવારનો લાભ મળ્યો હતો, જે પશુપાલન વિભાગની ઊંટોના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:41 pm

HNGU દ્વારા MBBSના બીજા વર્ષનું પરિણામ આખરે જાહેર:760 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 89.12 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, પરિણામમાં થયેલા વિલંબ અંગે સુધારાત્મક પગલાં લેવાની ખાતરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા MBBSના બીજા વર્ષનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 760 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 89.12 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જોકે, પાંચ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 0 ટકા જાહેર કરાયું છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ જણાવ્યું કે, યુનિવર્સિટી સંલગ્ન જીએમઆરએસ કોલેજનું MBBSનું બીજા વર્ષનું પરિણામ 89.12 ટકા રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, પરિણામ જાહેર કરવામાં થયેલા વિલંબ અંગે યુનિવર્સિટી દ્વારા સુધારાત્મક પગલાં લેવામાં આવશે. MBBSના બીજા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઈ હતી, પરંતુ બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હતી. આગામી મંગળવારથી શરૂ થનારી ત્રીજા વર્ષની પરીક્ષા આપવી કે કેમ તે અંગે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. આ તણાવને કારણે એક MBBS વિદ્યાર્થીએ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર ન કરાય તો 'ખોટું પગલું ભરવા' માટે પરીક્ષા વિભાગ જવાબદાર રહેશે તેવી ગર્ભિત ધમકી સાથેનો પત્ર HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (HMSA)ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. HMSAએ આ બાબતને ગંભીરતાથી લઈ ઉત્તર ગુજરાતની તમામ મેડિકલ કોલેજના ડીનને તાત્કાલિક જાણ કરી હતી. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ અગાઉ ટેક્નિકલ ખામીને કારણે પરિણામ સોમવારે જાહેર કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આજે સવારે MBBSના બીજા વર્ષના વિદ્યાર્થીઓનું પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:33 pm

અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર ગંભિર અકસ્માત, બેના મોત:વડોદરા પાસે હાઈવે પર માસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાયા, પિતાના મોતથી પાંચ સંતાનો નોધારા બન્યા

અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મિત્રોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. જોકે, આ અકસ્માતમાં હાઈવે પર માસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાયા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહનની ટક્કરે બંને મિત્રો ફંગોળાઈને રોડ પર પટકાયામળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતા દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જોકે, દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એકનું ઘટનાસ્થળે તો એકનું સારવાર દરમિયાન મોતઅકસ્માતની ઘટના બનતાની સાથે જ સ્થળ પર લોકોની ભારે ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ગંભીરભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કપુરાઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિતાના મોતથી પાંચ સંતાનો નોંધારા બન્યાગંભીરભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. તેઓ આઇસર ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. જ્યારે દિલીપભાઈના છૂટાછેડા થયા હતા. તેઓ સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પિતા પણ તેમની સાથે નોકરી કરતા હતા. દિલીપભાઈને એક દીકરી પણ છે: વિનોદભાઈદિલીપભાઈના સંબંધી વિનોદભાઈએ જણાવ્યું હતું કે, દિલીપને અકસ્માત થયો હોવાનો મારા પર કોલ આવ્યો હતો જેથી હું દોડી ગયો હતો. જ્યાં જઇને જોતા તેનું મોત થયું હતું. જ્યારે અન્ય ગંભીરભાઈને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. દિલીપભાઈના લગ્ન થયા હતા પરંતુ થોડા સમય પહેલા જ છૂટાછેડા થયા હતા. તેમને એક દીકરી પણ છે. બંને મિત્રો ઘરેથી શાકભાજી લેવા નીકળ્યા હતા: કમલેશભાઈમૃતક ગંભીરભાઈના પાડોશી કમલેશભાઈએ જણાવ્યું હતું કે, બંને મિત્રો ઘરેથી શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બ્રિજ પર અકસ્માતમાં બંનેના મોત થયા છે. ગંભીરભાઈને તો પાંચ સંતાનો છે અને તેઓ નોધારા બની ગયા છે. મૃતકોના નામ

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:17 pm

સુમિટોમો કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર:સોમીટોમો કંપનીના 350 કર્મચારીઓ પગાર વધારા મુદ્દે રીસેસના સમયે કંપની બહાર સૂત્રોચ્ચાર કર્યા

લડતના 30 દિવસ પૂર્ણ થતા કંપની બહાર વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલ સુમીટોમો કંપનીના 350 કર્મચારીઓ પગાર વધારા મુદ્દે છેલ્લા એક માસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજરોજ કર્મચારીઓએ કંપની બહાર એકઠા થઈને કાળી રીબીન ધારણ કરી કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચાર કરી કંપનીના હોદ્દેદારોની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો છે. શહેરના રૂવાપરી રોડ પર છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી સુમિટોમો (એક્સેલ ) કંપની કાર્યરત છે આ ફેક્ટરીમાં જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે હાલમાં આ કંપનીનું સંચાલન જાપાનની મલ્ટીનેશનલ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ફેક્ટરીમાં લેબર અને સુપરવિઝન એમ બે વિભાગમાં 350 કર્મચારીઓ કામ કરી રહ્યા છે દર વર્ષે કંપનીના કર્મચારીઓને નિયમ મુજબ પગાર વધારો આપવામાં આવે છે પરંતુ છેલ્લા એક વર્ષથી કંપની દ્વારા પગાર વધારો ન કરવામાં આવતા કર્મચારીઓએ ત્રણ મહિના પહેલા કંપની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું, પગાર વધારાની માંગ સાથે છેલ્લા એક માસથી કર્મચારીઓ ફરજ સમયે પોતાની ફરજ સ્થળે બ્લેક રીબીન ધારણ કરી ઉપવાસ આંદોલન સાથે ફરજ બજાવી રહ્યા છે, આજરોજ લડતના 30 દિવસ પૂર્ણ થતા કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં કંપની બહાર એકઠા થયા હતા અને સુમિટોમો કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આ અંગે લેબર યુનિયનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએએ જણાવ્યું હતું કે, કંપની પાસે પગાર વધારા મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કંપનીએ અલગ અલગ બહાના બતાવીને પગાર વધારો ટાળ્યો છે આથી ના છૂટકે આંદોલનની ફરજ પડી છે જ્યાં સુધી પગાર વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ અહિંસક લડત ગાંધીજીઆ માર્ગે આંદોલન શરૂ રહેશે અને આગામી દિવસોમાં લડતને મજબૂત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું લેબર યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું. કર્મચારીઓ હકની માંગણી કરે છે ભિક્ષાની નહીં : લેબર યુનિયન લેબર યુનિયન ના પ્રેસિડન્ટ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સુમિટોમો કંપનીમાં જોખમી રસાયણો સાથે ત્રણ અલગ અલગ શિફ્ટમાં કર્મચારીઓ ફરજ બજાવે છે અહીં ફરજ બજાવતા સમયે જીવનું સતત જોખમ હોય છે ઉપરાંત ગંભીર અને અસાધ્ય બીમારી પણ થાય છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પગાર વધારો એ કર્મચારીઓનો હક છે અને અમે હક માટે લડાઈ લડી રહ્યા છીએ અમે કંપની પાસે કોઈ ભિક્ષા નથી માંગતા આથી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કાયદાની જોગવાઈ મુજબ જિલ્લા કલેકટરથી લઈને જવાબદાર તંત્રના અધિકારીઓ સુધી રજૂઆત કરીશું. કંપની પાસે હાલ પગાર વધારવા માટે ક્ષમતા નથી : કંપની અધિકારી ભાવનગર સુમીટોમો કંપની માં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા સંજય શર્માએ આંદોલન સંદર્ભે જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓ દ્વારા જે પગાર વધારાની માંગ કરવામાં આવી રહી છે તે માંગને લઈને હાલમાં પણ કંપનીના સત્તાધિશો વીચારાધીન છે અને વહેલી તકે કર્મચારીઓની માંગણી સંતોષાઈ જાય અને લડતનો અંત આવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કર્મચારીઓ જે પગાર વધારાની માંગ કરી રહ્યા છે તે હાલમાં શક્ય નથી. કારણ કે કંપની આર્થિક દ્રષ્ટિએ સક્ષમ ન હોવાના કારણે પગાર વધારો શક્ય નથી, આ ઉપરાંત સેફટી ને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો ન હોવાનું શર્માએ જણાવ્યું હતું, ફેક્ટરી ધારા ધોરણ મુજબ જ તમામ કર્મચારીઓને સુરક્ષા કવચ અને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:09 pm

પાટણમાં સ્મોકિંગ કોન, રોલ પેપર વેચતા 3 ઝડપાયા:SOGએ 'ગોગો સ્મોકિંગ કોન' સહિત રૂ. 2,214નો મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણમાં 'નશામુક્ત ગુજરાત અભિયાન' અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પાટણની ટીમે પ્રતિબંધીત સ્મોકિંગ કોન અને રોલ પેપર વેચતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 2,214/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરકાર દ્વારા નાગરિકોને નશીલા પદાર્થના સેવનથી દૂર રાખવા માટે કડક અમલવારી કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે, SOG પાટણના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમોએ પાટણ ટાઉન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન, પાટણ ટાઉન વિસ્તારના ત્રણ સ્થળોએથી પ્રતિબંધીત સામગ્રી મળી આવી હતી. જેમાં નાણાવટી સ્કૂલ સામે આવેલ સિંધવાઈ પાર્લર, તિરુપતિ માર્કેટમાં ઉમિયા પાર્લર અને લીલીવાડી ચાર રસ્તા પાસે આવેલ વિવેક પાનપાર્લરનો સમાવેશ થાય છે. SOG ટીમે રૂ. 1,900/-ની કિંમતના 'ગોગો સ્મોકિંગ કોન' અને રૂ. 314/-ની કિંમતની રોલ પેપરની પટ્ટીઓ મળી કુલ રૂ. 2,214/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 223 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં નરેશકુમાર ઈશ્વરલાલ ચિમનલાલ પ્રજાપતિ (રહે. મઠવાસ, ગુણવંતા હનુમાન, પાટણ), જીતુભા શાંતુજી ખેતાજી ઠાકોર (રહે. અઘાર રુપાણીપાટી, તા. સરસ્વતી, જિ. પાટણ) અને ભદ્રેશભાઇ બાબુભાઇ પટેલ (રહે. વ્રજધામ-01, ટી.બી. ત્રણ રસ્તા, પાટણ)નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 4:09 pm

જામનગરમાં PGVCL દ્વારા 'વીજ સલામતી સપ્તાહ'ની ઉજવણી:વીજ અકસ્માતો ઘટાડવા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

જામનગરમાં PGVCLની વર્તુળ કચેરી દ્વારા 'વીજ સલામતી સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને સામાન્ય જનતામાં વીજ સલામતી અંગે જાગૃતિ લાવવાનો તેમજ વીજ અકસ્માતોની શક્યતા ઘટાડવાનો હતો. આ અવસરે વિવિધ શાળાઓ અને અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા, નિબંધ લેખન, વક્તૃત્વ, ક્વિઝ અને કવિતા સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા તથા જ્ઞાન દ્વારા વીજ સલામતીના સંદેશા રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વીજ સલામતી માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ, વીજ તારોથી યોગ્ય અંતર જાળવવું, અકસ્માત નિવારણના ઉપાયો અને આપત્તિ સમયે લેવાની તકેદારી અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સ્પર્ધાઓના સમાપન બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો, PGVCLના અધિકારીઓ અને વાલીઓ પણ સક્રિયપણે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર PGVCLની વર્તુળ કચેરીએ આવા જાગૃતિલક્ષી કાર્યક્રમો દ્વારા ભવિષ્યમાં પણ વીજ સલામતી અંગે જનજાગૃતિ વધારવાનું કાર્ય સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 3:58 pm

SBI મેરેથોનમાં 6200 લોકો જોડાયા:રન ફોર ગ્રીનર ઈન્ડિયાની થીમ સાથે લોકો પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો

લખનઉથી લઈને ચંડીગઢ, ભોપાલ, વિશાખાપટ્ટણમ, બેંગલુરુ, ગુવાહાટી અને કોલકાતા સુધી દેશભરના શહેરોને પ્રેરણા આપ્યા બાદ, SBI ગ્રીન મેરાથોન સિઝન 6 ગુજરાતના હૃદયસ્થાન સમાન અમદાવાદ શહેરમાં પહોંચી. સાબરમતી રિવરફ્રન્ટ પર દોડવીરો, પરિવારો અને ફિટનેસ કમ્યુનિટીની હાજરીએ આ દોડને એક રંગબેરંગી ઉત્સવમાં પરિવર્તિત કરી દીધી. અહીં એકત્ર થયેલા સૌનો એક જ હેતુ હતો: ધરતી માટે દોડ. અમદાવાદની વારસાગત ઓળખ અને આધુનિક શહેરી હરિયાળી જગ્યાઓના સુમેળભર્યા સંયોજનની પૃષ્ઠભૂમિ એવા રિવરફ્રન્ટ પર યોજાયેલી આ મેરાથોને કાર્યક્રમના મૂળ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કર્યો: “હરિયાળા ભારત માટે દોડ — રન ફોર ગ્રીનર ઈન્ડિયા”. વેલનેસ, લોકભાગીદારી અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે શહેરની પ્રતિબદ્ધતાએ આ સવારને ખરેખર વિશેષ બનાવી. 6,200થી વધુ દોડવીરોએ આ મેરાથોનમાં ભાગ લીધો, જેમાં અનુભવી મેરાથોન દોડવીરો, વિદ્યાર્થીઓ, પરિવારો, રનિંગ ક્લબ્સ તેમજ ભારતીય સેના અને ડિફેન્સ ફોર્સિસના ઉત્સાહી ગ્રુપ જોડાયા હતા. તેઓ માત્ર પોતાના વ્યક્તિગત લક્ષ્યો હાંસલ કરવા માટે નહીં, પરંતુ વધુ સ્વચ્છ અને આરોગ્યદાયક કાલ માટે એકસાથે જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 3:48 pm

નિંગાળાનું અમૃત સરોવર બાવળના ઝૂડમાં ઢંકાયું:2023માં ખાતમુહૂર્ત બાદ કામગીરી અટકી, ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે 'અમૃત સરોવર' યોજના તંત્રની બેદરકારીનો ભોગ બની છે. 2023માં ધામધૂમથી ખાતમુહૂર્ત કરાયેલું આ સરોવર આજે બાવળના ઝૂડથી ભરાઈ ગયું છે, જેના કારણે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. ગ્રામજનો તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા 2023માં નિંગાળા ગામના આ તળાવને 'અમૃત સરોવર' તરીકે પસંદ કરવામાં આવ્યું હતું અને 10 ઓગસ્ટ, 2023ના રોજ તેનું ભવ્ય ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે, ખાતમુહૂર્ત બાદ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આજે પણ ત્યાં માત્ર ખાતમુહૂર્તની તખ્તી જ જોવા મળે છે, પરંતુ વિકાસનું કોઈ ચિહ્ન નથી. નિંગાળાના ગામલોકોનો આક્ષેપ છે કે તંત્ર માટે 'અમૃત સરોવર' યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ યોજનાને કાગળ પરથી જમીન પર ઉતારવામાં આવે અને તાત્કાલિક સરોવરને ઊંડું ઉતારી બાવળ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવે. નિંગાળાના સ્થાનિક રાજેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરાય, તો ગામલોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ અંગે નિંગાળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વી. ડી. ચૌહાણે જણાવ્યું હતું કે, આ ગામનું તળાવ રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ હસ્તક બનેલું છે. તેમને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થઈ છે અને તેઓ સિંચાઈ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, જો શક્ય હશે તો નિંગાળાગ્રામ પંચાયત પણ તળાવની સાફસફાઈ કરાવવા પૂરતા પ્રયત્નો કરશે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 3:48 pm

વેરાવળ-કોડીનાર રોડ પર ગંભીર અકસ્માત:ઉભેલા આઇસર સાથે બોલેરો અથડાઇ, ત્રણના મોત; એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

વેરાવળ-કોડીનાર રોડ પર પ્રાંસલી ગામ નજીક રાત્રિના લગભગ 11 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, વણાકબારાથી માછલી ભરીને વેરાવળ GIDC ખાતે આવેલી વનિતા કોલ્ડ સ્ટોરેજ નામની ફિશ કંપનીમાં જઈ રહેલી આઇસર ગાડી (નં. GJ-32-T-4405)માં પ્રાંસલી નજીક પંચર પડ્યું હતું. ગાડીના ચાલક હુસેન મહમદ મલેક (રહે. ગરીબ નવાજ કોલોની, વેરાવળ) વાહનને સાઈડમાં રાખી પંચર બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન, તે જ કંપનીની બીજી આઇસર ગાડી (નં. GJ-14-BT-9972) ત્યાંથી પસાર થઈ રહી હતી. તેના ચાલક રફિક ચાંદભાઈ ભાદરકાએ પંચર થયેલી ગાડી જોઈને મદદ કરવા માટે વાહન ઊભું રાખ્યું હતું. બંને ચાલકો સાથે ગોપાલભાઈ નામના એક વ્યક્તિ પણ પંચર બનાવવામાં મદદ કરી રહ્યા હતા. તે જ સમયે, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માછલી ભરેલી બોલેરો ગાડી (નં. GJ-32-T-8057)ના ચાલકે બેદરકારીપૂર્વક આઇસર ગાડી સાથે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અથડામણમાં બોલેરોના ચાલક રાજુભાઈ બાલુભાઈ પરમાર (ઉંમર 27, રહે. નાથડ ગામ), આઇસરના ચાલક હુસેન મહમદ મલેક (ઉંમર 51), અને મદદ માટે ઊભેલા રફિક ચાંદભાઈ ભાદરકા – આ ત્રણેયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ગોપાલભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સુત્રાપાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 3:29 pm

જીવન જોખમે કોંગ્રેસે પુષ્પાંજલિ આપી:ભાજપ પુણ્યતિથિ ભૂલ્યું, કોંગ્રેસે ફાયર વિભાગની મદદથી સીડી પર ચડી પુષ્પાંજલિ અર્પણ કરી, વિપક્ષે કહ્યું; સત્તા પર બેસેલા જયજયંતિ મનાવે છે તો પુણ્યતિથિ કેમ નહીં?

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ, પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે શહેરના ડેરી ડેન સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિ દરમ્યાન કોંગ્રેસ પક્ષ દ્વારા જીવન જોખમે ફાયર વિભાગની મદદથી પુષ્પાંજલિ અર્પણ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ પુણ્યતિથિ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તંત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામે મોટી રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે, પરંતુ તેમની પૂણ્યતિથિ જેવા મહત્વના દિવસે યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય છે. આજે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોને સીડી પક્ડી રાખવી પડી હતી અને જીવના જોખમે પુષ્પાંજલિ અર્પણ કરવી પડી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવી સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે ડેરી ડેન સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને કાયમી ધોરણે પુષ્પાંજલિ અર્પણ કરવા યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, દેશસેવા અને અખંડ ભારત માટેના યોગદાનના સંસ્મરણો વાગોળી તંત્રની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સત્તા પર બેસેલ લોકો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને લઈ આખા દેશમાં રાષ્ટ્રીય એકતા યાત્રા કાઢી હતી. ત્યારે કોંગ્રેસે સવાલો કર્યા છે કે આ સમયે આખા દેશમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પુણ્યતિથિ હોવા છતાં શા માટે કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી તે સૌથી મોટા સવાલ છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 3:27 pm

માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત:ડભોઇ ચોતરીયાપીર કેનાલ પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને ઉડાવતા લોહીનું ખાબોચિયું ભરાયુ, ડભોઇ પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વડોદરાના ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડભોઇ પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગે તિલકવાડા ડભોઇ રોડ ચોતરીયાપીર કેનાલ પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાઓ પામતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માતમાં વડોદરાના ડભોઇના ટાઉન ચોતરીયાપીર કેનાલ પાસે આવેલ શિવાભાઈ રબારીના કુવા ઉપર રહેતા અને મૂળ રહે કેલહરી, અલીરાજપુર (એમ.પી) ની મહિલા નુરલીબેન હબુરીયાઇ છગનભાઇ (ઉમર વર્ષે 55)ને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજતા મૃતક મહિલાના મૃતદેહને ડભોઇ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ડભોઇ પોલીસે મૃતક મહિલાને ટક્કર મારનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 3:22 pm

અમરેલીમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે 15 નવી ગાડીઓ શરૂ:નગરપાલિકાએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવા ફાળવી, શહેરીજનોને કચરાના નિકાલમાં રાહત મળશે

અમરેલી નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા સુધારવા માટે 15 નવી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું છે. આ પહેલથી શહેરીજનોને કચરાના નિકાલમાં નોંધપાત્ર રાહત મળશે. આ 15 કચરા સંગ્રહ ગાડીઓ શહેરના 11 વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થાથી નાગરિકોને કચરા નિવારણ બાબતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ ગાડીઓમાં ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો, ઈ-વેસ્ટ કચરો અને સેનેટરી નેપકીન સહિત કુલ પાંચ પ્રકારના કચરાનું અલગ-અલગ સંગ્રહ કરવામાં આવશે. સ્વચ્છતા સંબંધિત કોઈપણ ફરિયાદ કે સૂચન માટે નગરપાલિકા દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર અમરેલી શહેરના નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ પહેલ શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું કે, ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરી માટે ટેન્ડર ધારકને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમણે તમામ નાગરિકોને આ સેવાનો લાભ લેવા અને કોઈપણ ફરિયાદ માટે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 2:54 pm

પાટણમાં મહિલા સાથે 50 હજારની છેતરપિંડી:સર્પદોષ દૂર કરવાનું કહી વિધિ કરાવવાના બહાને બે અજાણી મહિલાઓ રોકડ લઈ ફરાર થઈ ગઈ

પાટણ શહેરમાં એક મહિલા સાથે સર્પદોષ દૂર કરવાના બહાને રૂ. 50,000ની છેતરપિંડી થઈ છે. બે અજાણી મહિલાઓએ આ ગુનો આચર્યો હતો. પાટણ સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ કાજલબેન અંકુરભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવી છે, જેઓ પાટણની બ્રહ્માણીનગર સોસાયટીમાં રહે છે. તેઓ ઘરકામની સાથે ઘરે બ્યુટીપાર્લર પણ ચલાવે છે. બે અજાણી મહિલાઓ કાજલબેનના ઘરે આવી હતી. તેમણે પાટણની નાણાવટી સ્કૂલ પાસેથી આવતી હોવાનું જણાવ્યું અને એક ગ્રાહક માટે શ્રીમંત પ્રસંગનો ઓર્ડર આપવા આવ્યા હોવાનું કહી વાતચીત શરૂ કરી હતી. વાતચીત દરમિયાન, આ મહિલાઓએ કાજલબેનને જણાવ્યું કે, તેમને 'સર્પકાળ દોષ' છે, જેના કારણે તેમના ઘરમાં પૈસાની બચત થતી નથી. કાજલબેને શરૂઆતમાં આ વાત માનવાનો ઇનકાર કર્યો હતો. આરોપી મહિલાઓએ સર્પદોષ દૂર કરવા માટે એક વિધિ કરવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે, દોષ દૂર કરવા માટે ઘરમાં જેટલા પૈસા હોય તે તેમને આપી દેવા, જેથી તેઓ બે કલાકમાં જોગણી માતાના મંદિરે વિધિ કરીને પૈસા પાછા આપી જશે. કાજલબેન તેમની વાતોમાં આવી ગયા અને ઘરમાં પડેલા રૂ. 50,000 રોકડા તેમને આપી દીધા હતા. પૈસા લીધા બાદ આ મહિલાઓ ધાર્મિક વિધિ કરવાના બહાને ત્યાંથી રવાના થઈ ગઈ હતી, પરંતુ આજદિન સુધી તેઓ પરત ફરી નથી. આખરે, કાજલબેને પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધાર્મિક વિધિના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 316(2) અને 54 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 2:47 pm

CID ક્રાઈમનો PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયો:ગાંધીનગરના સરગાસણમાં ACBની સફળ ટ્રેપ, કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે આજે ACBએ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા ફરિયાદી પાસે લાંચ માગીACBના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ CID ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. લાંચિયા પોલીસકર્મીઓને ઝડપી પાડવા ACBએ ટ્રેપ ગોઠવીજોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ACB અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર આવેલી ધી ઓફિસિસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઈટની સામે ગોઠવવામાં આવી હતી. ACBએ કોન્સ્ટેબલને 30 લાખ લાંચ લેતા ઝડપી પાડ્યોઆ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળ્યો હતો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ પણ આ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ લીધી હતી. એ જ ઘડીએ ACBએ લાંચિયા કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને દબોચી લીધો હતો. આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓની ACBએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક ડી.એન. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. PI અને કોન્સ્ટેબલે લાંચ લઈ ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યાઉલ્લેખનીય છે કે, CID ક્રાઈમ દ્વારા કોલ સેન્ટરના એક ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનામાં કાર્યવાહી ન કરવા પીઆઇ પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીને ગર્ભિત ધમકીઓ આપી તગડી રકમ લાંચ પેટે માગી હતી. હાલમાં તો CID ક્રાઈમના પીઆઇ અને કોન્સ્ટેબલના લીધે ખાખીની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

દિવ્ય ભાસ્કર 15 Dec 2025 2:40 pm