લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે 'સરદાર@150 યુનિટી માર્ચ'ના પ્રથમ તબક્કાની પદયાત્રાનું સોમનાથ ખાતે સમાપન થયું હતું. આ પદયાત્રા સવનીથી શરૂ થઈ ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા અને કાજલીમાંથી પસાર થઈ હતી. આશરે 150 જેટલા પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને 'ભારત માતા કી જય'ના રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે સવનીથી સોમનાથ સુધીની પદયાત્રા પૂર્ણ કરી હતી. પદયાત્રાના સમાપન પ્રસંગે પૂર્વ મંત્રી આર.સી. ફળદુએ સોમનાથના પુન:નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભગવાન સોમનાથના પવિત્ર પ્રાંગણમાં સરદારના જીવનના ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારની પ્રેરણા લઈને આ પદયાત્રા સંપન્ન થઈ છે. સરદારની અડગ ઈચ્છાશક્તિના પરિણામે જ સોમનાથ મંદિરની ભવ્યતા પુન:સ્થાપિત થઈ છે. ફળદુએ વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતી પર એકતાની વિભાવના સાકાર કરવા અને દેશવાસીઓને એકસૂત્રે બાંધીને ભાઈચારાથી જીવવા તથા શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ કરવાના સરદારના સ્વપ્નને સાકાર કરવું એ આ પદયાત્રાનો મુખ્ય હેતુ છે. તેમણે ઉમેર્યું કે, સ્વતંત્રતા પછી ભારતના ભાગલા થયા ત્યારે સરદારની એક હાકલથી જ દેશના રજવાડાઓએ પોતાના રાજ્યો ભારતમાતાના ચરણે ધરી દીધા હતા. આ રજવાડાઓની એકતા જ દેશની પ્રગતિનો આધારસ્તંભ બની હતી. સરદારે સેવેલા સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા કલમ 370ની નાબૂદી, સશક્ત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓના યોગદાનને મજબૂત બનાવવા મહિલા ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવા સહિતના પગલાં લેવામાં આવ્યાં છે. જિલ્લાકક્ષાની પદયાત્રા પૂર્વે સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને પદયાત્રાની પૂર્ણાહૂતિ દરમિયાન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની દ્વારા હસ્તકલા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોગ સ્ટોલ, ગોપી ગૌવિજ્ઞાન કેન્દ્રનો પ્રાકૃતિક સ્ટોલ સહિત વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાના પૂર્ણાહુતિ કાર્યક્રમ સમયે ચિત્ર, નિબંધ સહિતની સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. આજે (17 નવેમ્બર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....
પાટણ જિલ્લાના ચારૂપ ખાતે '10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ 2025-26'નો પ્રારંભ થયો છે. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોજબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ 40 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ ભારતમાં ડોજબોલ રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી છે. 40 ટીમોની ભાગીદારી સ્પર્ધાની ભવ્યતા અને રાષ્ટ્રીય સ્તરની પ્રતિસ્પર્ધાને દર્શાવે છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મેદાનમાં યુવા ખેલાડીઓનો ઉત્સાહ, શિસ્ત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી. આવા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો માત્ર ગુજરાતનું ગૌરવ વધારતા નથી, પરંતુ યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આ પ્રસંગે બી.સી. સોલંકી, વી.સી. બોડાણા, સરગરાજી, બલદેવભાઈ દેસાઈ, દિલીપસિંહ રાજપૂત, ગિરીશભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, પ્રહલાદજી ઠાકોર, ડૉ. કેતનભાઈ, ટીમના કોચ, રાજ્યમાંથી પધારેલા ખેલાડીઓ, સરપંચ રાજેન્દ્રસિંહ અને ચેરમેન મહિપતસિંહ સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જાફરાબાદ ચોરીનો ભેદ ઉકેલાયો:અમરેલી LCBએ વાહન અને ₹3.08 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપ્યા
અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCB ટીમે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલું વાહન મળી કુલ ₹3,08,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના બાદ LCB PI વી.એમ. કોલાદરાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સના આધારે LCB ટીમે ચાર શંકાસ્પદ ઇસમોને ફોર વ્હીલ વાહનમાં મગફળી સાથે પકડી પાડ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન, આરોપીઓએ લોઠપુર ગામે મગફળીના પાકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ચાર આરોપીઓમાં રાહુલભાઈ ઉર્ફે ગઢીયો પાંચાભાઈ વાઘેલા (ઉં.વ. 25, રહે. બર્બટાણા, રાજુલા), મુનાભાઈ કનુભાઈ પરમાર (ઉં.વ. 21, હાલ રહે. પોરબંદર, મૂળ રહે. લોઠપુર, જાફરાબાદ), સાગરભાઈ રામભાઈ પરમાર (ઉં.વ. 30, રહે. લોઠપુર, જાફરાબાદ) અને ગોપાલભાઈ રામભાઈ પરમાર (ઉં.વ. 20, રહે. લોઠપુર, જાફરાબાદ) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 8 મણ મગફળી, જેની કિંમત ₹8,000/- છે, અને ચોરીમાં વપરાયેલું મારુતિ સુઝુકી કંપનીનું ઇકો ફોરવ્હીલ (રજી. નં. GJ-27-TT-3033), જેની કિંમત ₹3,00,000/- છે, તે મળી કુલ ₹3,08,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરી આશરે 20 દિવસ પહેલા રાત્રિના એક વાગ્યાના અરસામાં લોઠપુર ગામે થઈ હતી. આરોપીઓ ઇકો ફોરવ્હીલ સાથે આવીને એક ઓરડીનું તાળું તોડી આશરે 30 ગુણી મગફળીના પાકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં LCB PI વી.એમ. કોલાદરા, PSI કે.ડી. હડીયા, PSI એમ.ડી. ગોહિલ, PSI આર.એચ. રતન તેમજ જયેન્દ્રભાઈ બસિયા, ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસિયા, તુષારભાઈ પાંચાણી, યુવરાજસિંહ વાળા અને પરેશભાઈ દાફડા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વલસાડ LCBએ પારડી તાલુકાના ખડકી વિસ્તારમાં થયેલા અપહરણ અને લૂંટકાંડના મુખ્ય આરોપી અંકુશ મદન પાલ (37) ને રાજસ્થાનના જયપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી નવી દિલ્હીના સચિન નગરનો રહેવાસી છે. LCBએ ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજની તપાસ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અંકુશ પાલ અનેક રાજ્યોમાં ગુનાઓ આચરતો હતો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ફરીયાદી BLABLA કાર-પૂલિંગ દ્વારા સફારી કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને ખડકીની એક હોટલમાં નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને મહારાષ્ટ્રના ગોરેગાંવ લઈ જઈ તેમનો મોબાઈલ, લેપટોપ, દસ્તાવેજો અને કાર્ડ્સ ચોરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમની પાસેથી રૂ. 3.49 લાખની આર્થિક છેતરપિંડી પણ કરવામાં આવી હતી. વલસાડ LCBએ આરોપીને પારડી પોલીસને સોંપ્યો છે. પારડી કોર્ટે તેને 19 નવેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે.
સાયલા તાલુકાના ધાધલપુર ચોકડી પાસે સાંજના સમયે એક પિકઅપ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કપાસ ભરવા માટે મજૂરોને લઈ જતી યુટિલિટી પિકઅપમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત બાદ પિકઅપ નીચે દબાઈ જવાથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પિકઅપમાં સવાર અન્ય ચારથી પાંચ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે પલટી ગયેલી ગાડીને ઊભી કરીને નીચે દબાઈ ગયેલા શ્રમિકને બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોકળ ગાયની ગતિએ કામગીરી:બગોદરા-ધંધુકા રોડ મુખ્ય માર્ગોનું 153 કરોડના ખર્ચે મરામત
અમદાવાદ જિલ્લાના 153 કરોડના ખર્ચેબગોદરા, ફેદરા ધંધુકા રોડ 82/30 થી117/50 કિલોમીટર રોડનું કામ ચાલી રહ્યુંછે, જેમાં રોડનું ફેદરાથી તગડી સુધી પરચાર માર્ગીયકરણની કામગીરી આખરીતબક્કામાં છે. ધંધુકાથી તગડી અને 4બરવાળા વચ્ચે આ રોડનું કામગોકળગાયની ગતિએ ચાલતું હોવાથીઅને વારંવાર આ રોડમાં ડ્રાયવર્ઝનઆપવામાં આવતાં આ ડ્રાયવર્ઝનમાં રોડવચ્ચે ડીવાઇડર તુટેલા હોવાથી ઓચિંતાવાહનો એકબીજા રોડ ઉપર ક્રોસ કરતાહોવાથી અકસ્માતો સર્જાય છે. આઅકસ્માતોમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યાછે ત્યારે વહેલી તકે આ રોડનું કામ પુર્ણકરવામા આવે તેવું વાહનચાલકો ઈચ્છીરહ્યા છે. આ કામ પુર્ણ થયા પછીઅમદાવાદથી બોટાદ તથા ભાવનગરજિલ્લા મુસાફરી કરતા વાહનચાલકોનીસગવડતામા વધારો થશે અને મુસાફરીનોસમય અને ઈંધણનો પણ બચાવ થશે. વારંવાર ડ્રાયવર્ઝનથી અકસ્માતો સર્જાય છે,અગાઉ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છેધંધુકા બરવાળા રોડનું કામ ગોકળ ગાયની ગતિએ છેલ્લા ઘણા સમયથીચાલી રહ્યુ છે. આ રોડમાં વારંવાર ડાયવર્ઝન આપવામાં આવતું હોવાથીઅને વારેઘડીએ ડાયવર્ઝન હટાવી દેવામાં આવતું હોવાથી ડાયવર્ઝનઆપવા માટે નાખેલ માટીના ઢગલા હટાવવામાં ન આવતા તેના લીધેવારંવાર અકસ્માત થયા છે. અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ત્યારે વહેલી તકે આ રોડનું કામ પુર્ણ કરવામા આવે એવી અમારી માંગછે. > ક્રિપાલસિંહ સોલંકી, વાહનચાલક 30 કિ.મી.ના રોડમાં વારંવાર અકસ્માતધંધુકાથી બરવાળા 30 કિ.મી.નું અંતર છે, આ રોડનું કામ છેલ્લા ઘણાસમયથી ચાલી રહ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા આ રોડનું કામ ધીમી ગતિએકરતા હોવાથી બોટાદ જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળોએ દર્શન માટેઆવતા વાહનો ભારે ભીડના લીધે આ રોડ ઉપર આપવામાં આવેલાડ્રાયવર્ઝનના લીધે વારવાર અકસ્માત સર્જાય છે. ફેદરા ધંધુકા રોડ ભારે વાહન માટે બંધ છે ત્યારેરોડનું કામ વહેલા પુર્ણ કરાવોધંધુકા પાસે હાઈવે રોડ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના નબળા પુલનાલીધે ભારે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ છે, ત્યારે ફેદરા ધંધુકા વચ્ચેહાઈવે રોડનું કામ ઘણી જગ્યાએ બાકી છે ત્યારે હાલમા આ રોડ ઉપરભારે વાહનો માટે બંધ કરવામા આવ્યો છે, તો આ ફેદરા ધંધુકા વચ્ચે બંધપડેલ રોડનું કામ તાત્કાલીક ધોરણે શરૂ કરી વહેલી તકે પુર્ણ કરવામા આવેજેથી કરી આ સમયે રોડનું કામ ચાલુ હોય તો રોડનું કામ કરતા ભારેમશીનરી ચલાવવા માટે ડાયવર્ઝન આપવું ન પડે અને આ ડ્રાયવર્ઝનનાલીધે અકસ્માતો ન સર્જાય. > મહાવીરસિંહ ગોહિલ, વાહનચાલક
તમાકુ વિરોધી કાયદ “COTPA-2003”નું કડક અમલીકરણને લઈ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના વડપણ હેઠળ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા બોટાદ જિલ્લાના ઢાંકણીયા, ખસ અને સુંદરિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકિંગ દરમિયાન તમાકુ કે તેની બનાવટનું બિનઅધિકૃત વેચાણ કરતા કુલ 31 વેપારીઓના પાનગલ્લા દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 20 દુકાનદારો પાસેથી રૂ. 1,170 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, તાલુકા સુપરવાઇઝર, એમ.પી. એચ.ડબલ્યુ., શિક્ષણ વિભાગના આચાર્ય તથા પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બોટાદ જિલ્લામાં 2700 શિક્ષકના મહેકમમાંથી 50 ટકા શિક્ષકો SIRની કામગીરીમાં જોડાયા છે. બાળકોના શિક્ષણના ભોગે ચૂંટણીપંચની કામગીરી કરી રહેલાં 70 શિક્ષકોને કામગીરી સંદર્ભે નોટિસ અપાતાં બોટાદ જિલ્લા કલેકટરને વિવિધ મુદ્દાઓને લઈ 15 નવેમ્બરના પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ બોટાદ જિલ્લા અધ્યક્ષ જનકભાઈ સાબવા, મહામંત્રી મનોજ ભાઈ વ્યાસ, સંગઠનમંત્રી બિપિનભાઈ ખંભાળિયા તથા તમામ તાલુકા અધ્યક્ષ-મહામંત્રી ઓ સાથે મોટી સંખ્યામાં કાર્યરત BLO એ અધિક કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી, બોટાદને આવેદનપત્ર આપ્યુ હતુ. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ બોટાદના પ્રમુખ જનકભાઈ સાબવાએ જણાવ્યું હતું કે, હાલમાં SIR મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત બોટાદ જિલ્લાના 2600થી 2700 શિક્ષકના મહેકમમાંથી 50 ટકા શિક્ષકો બાળકોના શિક્ષણના ભોગે ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે તેમ છતાં બોટાદ જિલ્લાના 70 જેટલા શિક્ષકોને ચૂંટણીની કામગીરી સંદર્ભે નોટિસો આપવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું. ધો- 10 11- 12 ના શિક્ષકો પણ આ કામગીરીમાં જોડાતા આગામી ફેબ્રુઆરીમાં પરીક્ષા આવી રહી છે. માટે ચૂંટણી પંચ દ્વારા અલગ કેડર ઊભી કરવામા આવે તેવી માંગ કરાઈ છે. વધારાનું ભારણ ઘટાડી, મૂળ કામગીરી સુનિશ્વિત કરો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ બોટાદના પ્રમુખ જનકભાઈ સાબવાએ જણાવ્યું હતું કે, BLO કામગીરીનું વધારાનું ભારણ ઘટાડવું અને શિક્ષકને મૂળ શૈક્ષણિક કામગીરી માટે સમય મળે તેની સુનિશ્ચિતતા કરવી, િશક્ષકો પર ધાક-ધમકી, અપમાનજનક વર્તન અને ધરપકડ જેવી કાર્યવાહી પર તાત્કાલિક રોક મુકવી, તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવે કે શિસ્તબદ્ધ, માનસભર અને સહકારી વર્તન જાળવવું ફરજિયાત છે.
એક ચલેન્જે ગામને આંતરાષ્ટ્રીયકક્ષાએ ઝળહતું કરી દીધું. વાત છે ધંધુકાના હડાળાની. વર્ષ 2011માં તાલુકાકક્ષાએ ખો-ખોમાં લીંબડીની ટીમે હરાવવાની ચેલેન્જ ફેંકતા શિક્ષકે 2 વર્ષ વિદ્યાર્થિઓ પાછળ કોચ તરીકે મહેનત કરી. હાલ 11 વિદ્યાર્થિનીએ નેશનલ, સ્ટેટ લેવલે મેડલ જીત્યા છે. તો 2 ગત વર્ષે ઇન્ડોનેશીયા ખાતે સાઉથ એશીયન ગેમ્સમાં આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઝળકી છે. રાજયની અંડર-14, અંડર-17 અને અંડર-19માં કેપ્ટન સહિત મોટાભાગના મહિલા ખેલાડીઓ હડાળા ગામના વતની છે. ગુજરાત અન્ડર 17 (ગર્લ્સ)ની ટીમ મણીપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગઈ હતી. આ ટીમમા નવ ખેલાડીમાંથી 6 ખેલાડીઓમાં કેપ્ટન નિખીતા સોલંકી સહિત તમામ હડાળા ગામની હતી. જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ખેલાડીને મળેલ મેડલ, નેશનલ - સ્ટેટ
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલની સુંદરતા અને અહીંના વન્યજીવ સૃષ્ટિને માણવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પ્રવાસીઓને ક્યારેક જંગલની નજીકમાં જ સિંહ દર્શનનો લહાવો મળી જાય છે, જેના વીડિયો પણ અનેક સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. તાજેતરમાં સાસણના ભાલછેલ નજીક આવેલા એક રિસોર્ટમાં એકસાથે બે દીપડાએ રાત્રિના સમયે પ્રવેશ કર્યો હતો. કોઈ પણ જાતના ડર વિના બન્ને દીપડા રિસોર્ટના પટાંગણમાં આંટાફેરા મારી રહ્યા હતા. આ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રિસોર્ટમાં રોકાયેલા લોકોની સુરક્ષા જોખમાઈ શકેરિસોર્ટમાં એકસાથે બે દીપડાના આટાફેરાથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. કારણ કે, રિસોર્ટમાં રોકાયેલા લોકોની સુરક્ષા જોખમાઈ શકે છે. એક તરફ વન વિભાગ લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ સતત કામગીરી કરી રહ્યા હોવાનો દાવો કરે છે, પરંતુ રિસોર્ટમાં દીપડાઓની સીધી એન્ટ્રી પરથી જણાય છે કે જંગલની સીમાડે સુરક્ષાની વ્યવસ્થામાં મોટી ખામી છે. પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, વન વિભાગે રિસોર્ટ એરિયાની આસપાસ સુરક્ષાના પગલાં વધુ સઘન બનાવવા, જંગલની સીમાઓને મજબૂત કરવી અને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવું આવશ્યક છે. સિંહ કરતાં દીપડો વધુ ચપળ પ્રાણીદીપડો એ ગીરના જંગલનું એક અત્યંત ચપળ અને શક્તિશાળી શિકારી પ્રાણી છે, જે સિંહ કરતાં પણ વધુ ચપળતાથી છુપાઈને શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ દીપડાઓ માનવ વસવાટની નજીક આવતા, ખાસ કરીને બાળકો અને એકલા રહેતા લોકો માટે જોખમ ઊભું થાય છે. આ હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં રિસોર્ટ સુધી પહોંચી જતા હોય છે.
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોહપુરુષ સરદાર પટેલની 150 મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સોજિત્રા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ એકતા યાત્રા તારાપુરથી નિકળી પલોલ સ્થિત માધવાનંદ આશ્રમ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ મિતેશભાઈ પટેલ, સોજિત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પ્રાંત અધિકારી પેટલાદ- ખંભાત, ડીવાયએસપી ખંભાત એસબી કુંપાવત સોજિત્રા- તારાપુર મામલતદાર, ટીડીઓ સહિત સંગઠન હોદ્દેદારો અને પદયાત્રિઓની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી ત્યારબાર રૂણજ ગામે સામાજીક વનીકરણ વિભાગના પ્રયત્ન થકી તૈયાર કરાયેલ સરદાર વન-સ્મૃતિ નામક સ્થળે 562 વૃક્ષોનું વાવેતર કરીને સરદાર સાહેબને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. દેશના રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કરવાના સરદાર પટેલના ઐતિહાસિક કાર્યને સાર્થક કરવા વૃક્ષ વાવેતર અભિયાનમાં ફળાઉ, જંગલી અને ઈમારતી જેવી 36 જાતિના 562 વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર વન-સ્મૃતિ આવનારી પેઢીને સરદાર સાહેબના મહાન યોગદાનની યાદ અપાવતું રહેશે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવશે. સરદાર સાહેબની સ્મૃતિમાં એક જીવંત અને હરિયાળું સ્મારક ઊભું થયું છે ત્યારે ગામના સરપંચ પ્રવિણભાઈ પરમારે જતન કરવાની નેમ લીધી હતી. આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ સાર્થક બનાવનારો સાબિત થયો હતો
અકસ્માતની ભીતિ:કોઠીયાલાના દવાખાના પાસે ગટરનું ઢાંકણ તૂટી જતાં અકસ્માતનો ભય
આણંદ શહેર સ્ટેશન રોડ અજય કોઠિયાલા દવાખાના તરફ જવાના માર્ગ ગટરનું ઢાંકણુ તુટી ગયું છે. તેની માત્ર બેરીકેટ મુકીને ગટર ઢાંકવામાં આવી છે. ગટર ઢાંકમું બે દિવસથી તુટી ગયું છે. રાત્રિના સમયે કોઇ ચાલીને જાય તેને ન દેખાયતો ખાડામાં પડવાનો ભય સત્તાવી રહ્યો છે. જો કે મનપા સ્થાનિક દુકાનદારો રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ જ પગલાં લેવાયા નથી. દિવસે દિવસે ગટર ખાડો મોટો થઇ રહ્યો છે.જેના કારણે રોડ પણ બેસી જવાની સંભાવના સેવાઈ રહી છે. તો કરમસદ આણંદ મહાનગરપાલિકાના લાગતા વળગતા સત્તાધીશો ત્વરીત ગટરનું ઢાંકણ નાખે તેવી લોકોની માગ છે.
અરજદારોમાં રોષે ભરાયા:મહુધા મામલતદાર કચેરીની મંદ ગતિની ટપાલ સેવાને લઈ અરજદારોમાં રોષ
મહુધા મામલતદાર કચેરી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની અરજીની મુદતમાં પક્ષકારોને બજાવવામાં આવેલ નોટીસ મુદતની તારીખ બાદ ટપાલ દ્વારા મળતા પક્ષકારોમાં ભારે રોષ ફેલાયો છે. મહુધા વડથલ ખાતેની સર્વે બ્લોક નંબર વાળી જામીનમાં ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં વડથલ મલેકવાડમાં રહેતાં 12 જેટલાં પ્રતિવાદીઓને કેશને લઈ મુદતની તારીખની નોટીસ બજાવવામાં આવી હતી. જેમાં ઈરફાનમિયાં યાકુબમિયા મલેકે જણાવ્યું હતું કે ગત 4 નવેમ્બરના રોજની વ.ના.મા ની સહી કરેલ નોટિસ જાવક નંબર વ.ના.મા./વડથલ/એસ.આર. નં.40/25 થી તૈયાર કરવામાં આવી હતી.જેમાં 10 નવેમ્બરના રોજની મુદ્ત રાખી હોવાથી પ્રતિવાદીઓએ હાજર રહેવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ મુદતમાં હાજર રહેવાની ચૂક કરશો તો આપે કઈ કહેવું નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જ્યારે મુદતમાં હાજર રહેવાની ટપાલ ઈરફાન મલેકને 14 નવેમ્બરના રોજ ટપાલી દ્વારા આપવામાં આવી હતી. જેનાં પગલે મુદતમાં હાજર ન રહી શકતાં પક્ષકારોમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે શું પોસ્ટ વિભાગની બેદરકારીના પગલે ટપાલ મોડી પહોંચી છે કે પછી એક તરફી કાર્યવાહી કરવાં માટે સામેનાં પક્ષકારોને સમયસર ટપાલ ન કરવામાં આવી હોવાનો પણ ગણગણાટ ઉઠ્યો છે.
ગામ ગામની વાત:વડેલીમાં પીવાના પાણી સહિત તમામ વિસ્તાર બ્લોકપેવીંગથી સજ્જ
બોરસદ તાલુકાના વડેલી ગામ વર્ષો પૂર્વે વડનગરીથી ઓળખાતું હતું. અગાઉના વર્ષોમાં ગામના મોટાભાગના વિસ્તારોમાં ઘટાઘોર વડલાઓના મોટા વૃક્ષોની હારમાળાઓ હતી. આ પ્રાચીન ગામમાં વડલાના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં હતાં. તેના કારણે આ ગામનું નામ વડનગરી પ્રચલિત હતું. સમય જતાં વડનગરી શબ્દ અપભ્રંશ થતા વડેલી નામ અસ્તિત્વમા આવેલું છે.આ ગામમાં રજપૂત, સોલંકી, ઠાકોર, પટેલ, બ્રાહ્મણ, મોચી સુથાર, લુહાણા, પ્રજાપતિ , વાળંદ, વણકર, રોહિત, વાલ્મિકી, ગોસાઈ, બામણિયા અને ચુનારા વગેરે જ્ઞાતિના લોકો રહે છે. ગામના લોકોને સરળતાથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ગામમાં જ ઉપલબ્ધ થાય તેવું નાનું બજાર છે. ગામની વિશાળ ભાગોળે જ નાના મોટા દુકાનદારો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનુ વેચાણ કરે છે. વડેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બન્ને વ્યવસાય સ્થાનિક રહીશો માટે આર્થિક સમૃદ્ધિ અને જીવન નિર્વાહ માટે અગત્યના છે. આઝાદી બાદ સ્થાનિક લોકો દ્વારા ખેતી સાથે સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનને મહત્વનું ગણ્યું છે વડેલી ગામમા પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધા પૂરતા પ્રમાણમાં છે. શાળામાં શિક્ષણ માટે સ્માર્ટક્લાસ તેમજ કોમ્પ્યુટરનો અલાયદો રૂમ પણ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે મળીને ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, તેમજ રમત-ગમતમાં પણ શાળાનું નામ રોશન કરેલ છે. શાળામાં હાલ કુલ 7 શિક્ષકો કાર્યરત છે.વડેલી ગામમાં સ્થાનિક કક્ષાએથી જીલ્લા કે તાલુકાનુ નેતૃત્વ મળતું થયું નથી.
નવી બસો રસ્તા પર ખોટકાઇ જતા મુસાફરોમાં રોષ:બોરસદ ડેપોની બસ એક કિલોમીટર પણ ન ચાલી, તંત્રની પોલ ખોલી!
બોરસદ ડેપોથી વડોદરા તરફ જવા નીકળેલી નવી નક્કોર લોકલ બસ દોઢ વાગ્યે ઉપડતાની સાથે જ માત્ર એક કિલોમીટર દૂર જ ખોટકાઈ ગઈ. પરિણામે બસમાં સવાર 35 કરતાં વધુ મુસાફરો ને રસ્તા પર રઝળવુ પડ્યું હતું બસ ખોટકાતાં મુસાફરો ની હાલત કફોડી થઈ હતી ડ્રાઈવરે તાત્કાળ ડેપોને જાણ કરતાં અન્ય બસ મોકલી વૈકલ્પિક વ્યવસ્થા તો થઈ ગઈ, પરંતુ મુસાફરોમાં ડેપોના સંચાલન અંગે ભારે આક્રોશ ફાટી નીકળ્યો. મુસાફરોનું કહેવું હતું કે નવી બસો જો આ રીતે રસ્તા પર જ દમ તોડી દે, તો તંત્રની સર્વિસ નામની વસ્તુ માત્ર કાગળ પર જ ચાલે છે! સૂત્રો મુજબ બોરસદ બસ ડેપોના મેનેજરના મનસ્વીપણે રૂટ સંચાલનની ગાડીને પહેલેથી જ ડગમગાવી નાખી છે. બસ કર્મચારીઓએ પણ અગાઉ અનેકવાર રજુઆત કરી હોવા છતાં તંત્રએ “બધું સારી રીતે ચાલી રહ્યું છે” ની ઔપચારિક લાયકાતથી જ કામ ચલાવ્યું હોવાનું જણાવાય છે.નવી બસના નામે જૂની મુશ્કેલીઓ ફરી જીવંત થતા બોરસદ ડેપો સંચાલનની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ છે.
આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સોલર રુફટોપ સિસ્ટમ લગાવવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લાની 174 ગ્રામ પંચાયત ખાતે સોલાર સિસ્ટમ લગાવવા માટે કુલ રૂ2,72,37,098/- ફાળવવામાં આવ્યા છે, આમ દરેક ગ્રામ પંચાયત ખાતે 03 કિલો વોટની ક્ષમતાની સોલાર પેનલ લગાવવામાં આવશે. જે માટે પ્રત્યેક ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા 1,56,535/- ફાળવવામાં આવશે. સોલાર રૂફટોપ લગાવવાથી એક પંચાયતનું સરેરાશ માસિક 5 હજાર વીજબીલ બચત થાય વર્ષે 60 હજારની બચત થતાં અન્ય પંચાયતના કામો વાપરી શકાશે. તેમજ વીજબીલ ભરી શકતી ન હોય તેવી પંચાયતનો ફાયદો થશે જેડા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરે એટલે કે પ્રતિ કિલો વોટ રૂ.47,914/- અને જીએસટી રૂ.4264-35 મળીને કુલ 52,188ના ખર્ચથી પ્રતિ કિલોવોટ સોલર પેનલ ગ્રામ પંચાયતો ઉપર લગાવવામાં આવશે. આણંદ તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતો ઉપર રૂપિયા 32 લાખથી વધુના ખર્ચે, ઉમરેઠ તાલુકાની 22 ગ્રામ પંચાયતોમાં રૂ.34 લાખથી વધુના ખર્ચે, બોરસદ તાલુકાની 25 ગ્રામ પંચાયતોમાં રૂ.39 લાખથી વધુના ખર્ચે, આકલાવ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં રૂ 31 લાખથી વધુના ખર્ચે સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. પેટલાદ તાલુકાની 29 ગ્રામ પંચાયતો ખાતે રૂ. 45 લાખ કરતા વધુના ખર્ચે, સોજીત્રા તાલુકાની12 ગ્રામ પંચાયતો ખાતે રૂ.18 લાખથી વધુના ખર્ચે, ખંભાત તાલુકાની 27 ગ્રામ પંચાયતો ખાતે રૂ.42 લાખથી વધુના ખર્ચે અને તારાપુર તાલુકાની18 પંચાયતો ખાતે રૂ28 લાખથી વધુના ખર્ચની મળીને સમગ્ર જિલ્લાની કુલ 174 ગ્રામ પંચાયત ખાતે2.72 કરોડથી વધુના ખર્ચે સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડવીજ બીલ ન ભરી શકતી ગ્રામ પંચાયતને ફાયદો થશે આણંદ જિલ્લાની સોલર રૂફટોપ સિસ્ટમકરોડના ખર્ચે રૂ 2.72 કરોડના ખર્ચે 174 ગ્રામ પંચાયતો બેસાડવામાં આવશે. જેથી તમામ પંચાયતો મળીને માસિક 8 લાખ ઉપરાંતની બચત થશે. એક પંચાયતને સરેરાશ 5 હજારની બચત થશે. જેના કારણે ઓછી આવક ધરાવતી ગ્રામ પંચાયત વીજ બીલ ન ભરી શકતા વીજ કનેક્શન કપાઇ જતાં હતા.તેમાંથી મુકિત મળશે તેમજ કેટલીક વખત લાઇટ બીલ ન ભરતા વીજ પુરવઠો કપાઇ જતો હતો. તેમજ વીજ બીલ બચેલ રકમમાંતી પંચાયતના નાના મોટા ખર્ચમાં વાપરી શકાશે.
અક્સ્માત સર્જાયો:વટામણ પાસે પર ટ્રકે બાઈક અને ટેમ્પીને ટક્કર મારતા ત્રણને ઈજા
માતર તાલુકાના ભલાડા ગામે રહેતા ધીરૂભાઈ ગોતાભાઈ પરમાર બુધવારે બપોરે દેથલી ગામે રહેતા તેમના મિત્ર ભગાભાઈ ઉર્ફે પીન્ટુ ભયજી રાઠોડ અને સંજય ઉર્ફે નવઘણ આશા રાઠોડનું બાઈક લઈને તેમના ઘરે આવ્યા હતા. ધીરૂભાઈને ટ્રેક્ટર લેવું હોય ઈસરવાડા સીમમાં આવેલા ટ્રેક્ટરના શો રૂમે તેઓ ત્રણેય જણાં જવા માટે નીકળ્યા હતા. બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ ઈસરવાડા ગામે શો રૂમ પર ગયા હતા. ભગાભાઈ અને સંજયભાઈ રોડ પર બાઈક સાથે ઉભા હતા. એ સમયે તારાપુર તરફથી ટ્રક આવી પહોંચી હતી. અને બાઈક સાથે ઉભેલા બંનેને અડફેટે લીધા હતા. જેને પગલે તેઓ રોડ પર પટકાયા હતા અને ઘટનામાં બાઈકનો કચ્ચરધાણ વળી ગયો હતો. બીજી તરફ અકસ્માત બાદ ટ્રકનો ચાલક વટામણ તરફ ભાગી ગયો હતો. જ્યાં ટોલ ગામની સીમમાં બ્રિજ ઉતરતાં ત્યાં પસાર થતી ટેમ્પીને અડફેટે લીધી હતી. જેને પગલે ટેમ્પી પલટી ખાઈ ગઈ હતી. જેમાં ટેમ્પીમાં સવાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા મહિયારી પાસે ગટરમાં ઉતરી ગઈ હતી. આ બનાવ અંગે તારાપુર પોલીસે ટ્રકના ચાલક વિરૂદ્ધ અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી ગુમ થઈ:બોરસદના કઠાણાની યુવતી ગુમ થતા ફરિયાદ
આણંદ | બોરસદના કઠાણા ગામે રહેતી 19 વર્ષીય યુવતી ગુમ થતા પોલીસે જાણવાજોગ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કઠાણા સ્થિત દિલ્હી ચકલા સુરાવગામાં રહેતી હિરલબેન જીકાભાઈ સોલંકી ગત 24મી ઓક્ટોબરના રોજ તેના ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગઈ હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે સગા-સંબંધી અને મિત્ર વર્તુળમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેણીનો કોઈ પતો લાગ્યો નહોતો. આ મામલે પરિવારે વિરસદ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેના ફોટા અને વર્ણન સાથેની માહિતી અન્ય તાલુકા અને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં મોકલી આપી તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોઝારા અકસ્માત સર્જાયા:તારાપુર-વાસદ હાઈવે અને ટીંબામાં ત્રણ અકસ્માતમાં ત્રણ જણના મોત
આણંદ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન ત્રણ અકસ્માતમાં એક આશાસ્પદ યુવક સહિત ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. પેટલાદના લક્કપુરા સ્થિત ઈન્દિરા કોલોનીમાં હિતેશભાઈ છોટુભાઈ ઠાકોર રહે છે. તેમના પિતા છોટુભાઈ પરસોત્તમભાઈ ઠાકોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે રાત્રે તેઓ રીક્ષા લઈને લક્કડપુરાથી શેખડી પેટલાદ રોડ સ્થિત સુહાના હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે કારના ચાલકે તેમની રીક્ષાને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં છોટુભાઈનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ જ રીતે બીજી તરફ અકસ્માતના બીજા બનાવમાં બોરસદના દાવોલ હરિપુરા ખાતે રહેતો 20 વર્ષીય ગૌરવ વિમલકુમાર ગોહેલ ખંભાતની કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. શનિવારે સેકન્ડ શીફ્ટ પૂરી કર્યા બાદ રાત્રિના બાર વાગ્યે તે પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન, તારાપુર-વાસદ હોઈવે રોડ સ્થિત ધર્મજ ગામ સ્થિત જલારામ મંદિર બ્રિજ ઉતરતાં મહારાષ્ટ્ર પાર્સીંગના ટેમ્પાએ તેને ટક્કર મારી હતી. ટેમ્પાનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું, જે અંગે પિતાએ પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતના ત્રીજા બનાવમાં ટીંબા ખાતે બહેનના ઘરે માતાજીના માંડવામાં શનિવારે સાંજે 7 કલાકે હાજરી આપવા જઈ રહેલા ઘનશ્યામભાઈ મોહનભાઈ રાવળને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે વડોદરા એસએસજીમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પત્નીની ફરિયાદના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જી ફરાર થનારા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રખડતાં ઢોરના કારણે વાહનચાલકો પરેશાન:મનપામાં સ્ટાફનો અભાવ હોવાથી ઢોર પકડવાની કામગીરી કરાતી નથી
કરમસદ આણંદ મનપા દ્વારા રખડતાં પશુઓ પકડવાની કામગીરી દિવાળી બાદ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે માર્ગો પર રખડતાં પશુઓ અડીંગો જમાવી બેસી જતાં હોય છે. આણંદ શહેર વિદ્યાનગર રોડ, ટાઉન હોલમા, લોટિયા ભાગોળ , મંગળપુરા સહિતના વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. મનપા પાસે રખડતાં ઢોર પકડવા સ્ટાફ નહીં હોવાથી દેખાવ પુરતી કામગીરી કરીને પડતી મુકવામાં આવે છે. પ્રાપ્તમ માહિતી અનુસાર આણંદ મનપા પાસે ઢોર ડબ્બામાં પશુઓ ક્ષમતા ઓછી છે. તેમજ પશુઓ પકડવા માટે સ્ટાફ નહીં હોવાથી કામગીરી થઇ શકતી નહીં હોવાથી નગરજનો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. મનપા બન્યા બાદ પણ હજુ સુધી રખડતા ઢોરનું પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. તેમજ મનપા બન્યા બાદ વ્યાય વધ્યો હોવા છતાં પણ સ્ટાફની ભરતી કરવામાં આવતું નથી. અગામી દિવસો રખડતા પશુઓ પકડવા માટે કાર્યવાહી કરવામાં નહી આવે તો મુખ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરવાની ચીમકી સ્થાનિક રહીશોએ ઉચ્ચારી છે. આણંદ મનપા દ્વારા છેલ્લા કેટલાય સમયથી પાંજરા પોળ બનાવવાની માત્ર વાતો કરે છે. પરંતુ પાંજરાપોળ નહીં હોવાથી બહાર પશુઓને મોકલવા પડતાં હોવાથી તેનો ખર્ચ વધી જાય છે. માલિકો ઢોર છોડાવવા માટે આવતાં નથી. જેના કારણે ઢોર પકડવામાં આવતાં નથી.જેને લઇને ઢોર પકડવા માટે કામગીરી પડતી મુકવામાં આવે છે. ત્યારે મનપા દ્વારા રખડતાં ઢોરના પ્રશ્ન કાયમી ઉકેલ લાવવામાં આવે તેમ નગજરનો ઇચ્છે છે.
ક્રેઈન્સ થયા ગાયબ:હવામાનના વિક્ષેપથી છેલ્લા 8 વર્ષથી કુંજડાનો કલરવ ભાવનગરમાં ગાયબ
ભાવનગરના આકાશમાં સપ્ટેમ્બરના અંત અને ઓકટોબરની શરૂઆતમાં અંગ્રેજી વી આકારમા ઉડતા અને વિશિષ્ટ રીતે અવાજ કરતા પક્ષીઓ શિયાળાની છડી પુકારતા કુંજ ( ક્રેઈન્સ ) આવી ગયાનો અહેસાસ ધરના ડ્રોઈંગ રૂમમાં થઈ જતો. કુંજડાનો આ કલરવ ભાવનગરમાં હવે છેલ્લા 8 થી 10 વર્ષથી ગાયબ થઈ ગયો છે. આ ભવ્ય રાખોડી રંગનુ કાળી ગર્દન વાળુ તથા આંખો પાછળ સફેદ પીંછા ધરાવતુ 2 થી 3 ફૂટની લંબાઈ વાળુ કુંજ જાતિની સૌથી નાની પ્રજાતિ છે અને જોરથી ઊંચો તેનો અવાજ ટ્રમ્પેટ જેવો લાગે છે આકાશમાં માથુ અને ગર્દન સીધા તથા પગ પાછળ લંબાવીને ઉંડે છે. નદી કે તળાવ પાસે આવેલા ધાસના મેદાનમા કે રેતાળ રણમાં રહે છે અને બીજ, અનાજ કે જંતુઓનો ખોરાક લે છે. ભાવનગરના નિયમિત પક્ષી નિરીક્ષણ કરતા રાજ વાળાએ ઘોઘા અને અવાણીયામા તેઓની હાજરી નોંધી હોવાનુ જણાવ્યું હતુ. કારણ : છીછરા ભીના મેદાનો, ખેતરો કે ઘાસના મેદાનોનો અભાવભાવનગરમાં રહેઠાણની યોગ્યતા કે છીછરા ભીના મેદાનો , ખેતરો કે ઘાસના મેદાનોનો અભાવ અને માનવીય ખલેલ કુંજને ભગાડી શકે છે સાથે સાથે એવિયન ફલૂ પણ તેના સ્થળાંતર વિક્ષેપ પાડી શકે છે. જે કોઈ કારણ હોય કુંજડા ભાવનગરથી રીસાઈ ગયા હોય તેવુ લાગે છે તેમ પર્યાવરણવિદ ડો.બી.આર.પંડિતે જણાવ્યું છે.
ગર્વની વાત:ડો.પંકજ જોષીની દાઉદભાઈ ઘાંચી જ્ઞાન પ્રતિષ્ઠા એવોર્ડ માટે પસંદગી
વિશ્વના ટોચના ખગોળ વિજ્ઞાનનીમાં જેની ગણના થાય છે તેવા ડો. પંકજ જોશીની શિક્ષણવિદ દાઉદભાઈ ઘાંચી જ્ઞાન પ્રતિષ્ઠા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ભાવનગરના વતની ડો. પંકજ જોશી હાલ અમદાવાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર છે. તેઓને આગામી તારીખ 21 નવેમ્બરને શુક્રવારે બપોરે સાડા ત્રણ કલાકે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે અમદાવાદના ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે આ પ્રતિષ્ઠિત જ્ઞાન પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવશે .આ અવસરે પ્રવીણ લહેરી અને કુમારપાળ દેસાઈ પ્રાસંગિક વક્તવ્ય આપશે. ડો. પંકજ જોશી એ બ્લેક હોલ અને ગ્રેવિટેશન થીયરીમાં વૈશ્વિક સ્તરે નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમણે બ્લેક હોલ વિશે રજૂ કરેલી નેકેડ સિંગ્યુલારીટી થીયરીનો વૈશ્વિક સ્થળે સ્વીકાર પણ થયો છે બ્લેક હોલ અને તારા ના મૃત્યુ પછીની સ્થિતિ અંગે તેઓએ કરેલું સંશોધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ થયું છે જે બ્લેક હોલ ફિઝિક્સ અને કોસ્મોલોજીના વિજ્ઞાનમાં નવી જ દિશા આપી જાય છે. એટલું જ નહીં એસ્ટ્રોનોમી કોસ્મોલોજી અને એસ્ટ્રો ફિઝિક્સ જેવા જટિલ વિષયોને એકદમ સરળ ભાષામાં સમજાવતા તેઓના પુસ્તકો શિક્ષકો સંશોધકો જ નહીં વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન રસીકોમાં લોકપ્રિય થયા છે તેઓએ સાયન્સ અને કોસ્મોલોજી પર 15થી વધારે પુસ્તકો લખ્યા છે અને તેની અઢી લાખથી વધુ નકલો વેચાય છે તેમના પુસ્તકો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં સંશોધન:યુવાનોમાં મૂળભૂત અધિકારોની જાણ પણ આર.ટી.આઇ.ની સમજ પ્રત્યે ઉદાસીનતા
યુવા નાગરિકોમાં કાયદાકીય જાગૃતિ અને સમજણ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા, અને શોષણ તેમજ અન્યાય સામે સુરક્ષા પ્રદાન કરવા માટે સૌથી અનિવાર્ય બાબત છે. આ સંદર્ભે ભાવનગર જિલ્લાના યુવાનોમાં કાયદાકીય અને બંધારણીય અધિકારોની સમજણના સ્તર અંગે સંશોધન કાર્ય કરાયું જેમાં તારણ મુજબ 78 % યુવાનો તેમના બંધારણીય મૂળભૂત અધિકારો વિશે જાણે છે. પણ 2005થી અમલમાં આવેલ અને નાગરિકો માટે બ્રહ્માસ્ત્ર ગણાતો માહિતી અધિકાર કાયદા (RTI)નો ઉપયોગ સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા માટે કરી શકાય છે તેવું 55% યુવાનો સમજે છે. 68 % યુવાનો પોલીસમાં ફરિયાદ નોંધાવવાની (FIR) અને તાજેતરમાં શરૂ થયેલી ।।Rની પ્રક્રિયાથી પણ પરિચિત છે. આ અંગે ભાવનગર જિલ્લાના ગ્રામીણ-શહેરી વિસ્તારોમાંથી પસંદ કરાયેલા 18થી 25 વર્ષની વયજૂથના યુવાનો સાથે જૂથ ચર્ચા અને મહિતી એકત્રીકરણ કરી સમાજ કાર્ય સંશોધક ડૉ. નેહલ ત્રિવેદી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં તેમની કાયદાકીય અને બંધારણીય સમજણનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે આગામી પેઢીમાં જાગૃત નાગરિત્વ અંગે સંભાવનાઓને ઉજાગર કરે છે. 78 % યુવાનો તેમના બંધારણીય મૂળભૂત અધિકારો વિશે જાણે છે. આ જાગૃતિના મૂળમાં NEPના અમલ પછી શિક્ષણમાં બંધારણીય મૂલ્યોના સમાવેશની અસર દેખાઈ રહી છે. સૌથી વધુ જાગૃતિ સાયબર ક્રાઇમ અને સુરક્ષા કાયદા અંગે 90 % જોવા મળી રહી છે. આ પ્રકારની જાગૃતિનો મુખ્ય સ્ત્રોત સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો છે, જે કાયદાકીય માહિતી માટેના પરંપરાગત માધ્યમોથી વિપરીત છે. અને આજે પણ સોશ્યલ મીડિયાને નકારાત્મક અભિગમથી જોવાઈ રહ્યું છે. પ્રસ્તુત સર્વેક્ષણનો એક મહત્વપૂર્ણ હિસ્સો યુવાનોની શોષણ સામે રક્ષણ મેળવવાની અને ન્યાયપ્રાપ્તિની પ્રક્રિયાની સમજણ માપવાનો હતો. જેમાં 75 % યુવાનો મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ અને ઘરેલું હિંસા પ્રતિબંધક કાયદાઓથી માહિતગાર છે. સરકારે ભૌતિક જાગૃતિ કાર્યક્રમોને વધુ સઘન બનાવવા પડશેકેટલાક પડકારો હજુ પણ યથાવત છે. જેમકે માહિતી અધિકાર અને ગ્રાહક સુરક્ષા કાયદાની જાગૃતિ 65 % થી નીચે છે, જે દર્શાવે છે કે સરકારી પારદર્શિતા અને નાગરિકોના ગ્રાહક તરીકેના હકો વિશે હજુ વધુ ઊંડાણપૂર્વક જાગૃતિ લાવવાની જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સાધનો અને ઇન્ટરનેટની મર્યાદિત પહોંચ પણ એક અવરોધ છે, જેને દૂર કરવા માટે સરકારે ભૌતિક જાગૃતિ કાર્યક્રમોને વધુ સઘન બનાવવા પડશે. અંતમાં ડૉ. નેહલ ત્રિવેદી જણાવે છે કે, જ્યારે યુવાનોને તેમના અધિકારો વિશે જાગૃત અને માહિતગાર કરવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર પોતાના માટે જ નહીં પણ નબળા વર્ગના શોષણ સામે પણ અવાજ ઉઠાવવા સક્ષમ બને છે.'
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ખરીદ કરેલ મગફળી ઈ-ટેન્ડરથી વેચાણ કરવામાં આવે છે જેમાં તમામ જાતની મગફળીનાં વક્કલ એક સાથે હોવાના કારણે ફકત ઓઈલ મીલરના વેપારીઓ જ ભાગ લઈ શકે છે. જાડી અને જીણી મગફળી મગફળી તેમાં આવતી મુખ્ય જાતો જાડી જી-20, જી-22, 39 નંબર, 45 નંબર, જીણી ગીરનાર, મગડી, 5 નંબર, 28 નંબર, 32 નંબર, 66 નંબર, ટી.જે 24, ટી.જે. 37 વિગેરે અલગ વક્કલ કરવામાં આવે અને તેનું અલગ અલગ વેચાણ કરવામાં આવે તો દાણાવાળા, બીયારણવાળા ત્થા ઓઈલ મીલરોને જોઈતી મગફળી જ મળે તો ખરીદ કરનાર વેપારીઓ તે મુજબ વધુ ભાગ લઈ શકે અને ભાવો સારા મળી શકે છે. જેનાથી સરકારને ખુબજ મોટો ફાયદો થઈ શકે તેમ છે.અત્યારે જે ટેકાના ભાવે ખરીદી થઈને વેરહાઉસમાં મગફળી સ્ટોરેજ માટે જાય છે ત્યાં જીણી મગફળી તેમજ જાડી મગફળી અલગ અલગ લોટમાં સ્ટોરેજ કરવા લગત અધિકારી તથા તંત્રને જરૂરી સુચના આપવા કૃષિમંત્રીને મહુવા યાર્ડના ચેરેમન ગભરૂભાઇ કામળીયાએ રજુઆત કરી છે.
ખેડૂતોની આશા પર નિરાશા:સિહોર પંથકમાં કુદરતે ડુંગળી કાપવાનો મોકો આપ્યા વિના જ આંસુ લાવી દીધા
દિવાળી બાદ કમોસમી વરસાદે જે કાળો કેર વર્તાવ્યો એનાથી જગતનો તાત ધ્રુજી ગયો છે. શું કરવું અને શું ન કરવું એ જગતના તાતને કંઇ સૂઝતુ જ નથી.અત્યારે ખરીફ પાક લગભગ સંપૂર્ણપણે નામશેષ થઇ જતાં જગતના તાતને ધોળા દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ વરસે સિહોરમાં તાલુકામાં 340થી 350 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું.એમાં ડુંગળીના ભાવ સાવ તળિયે જતા અમુક ખેડૂતોએ ડુંગળીના પાકમાં કટર ફેરવી દીધું કેટલાકે કાઢીને તેમાં ઘઉં વાવી દીધા. વિક્રમ સંવત 2082નું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ કપરું શરૂ થયું છે. એકાદ સપ્તાહ સુધી પડેલા કમોસમી વરસાદે જગતના તાતને આંસુ સારતો કરી દીધો છે. મગફળી,કપાસ,સરગવો અને હવે પછી ડુંગળીએ ખેડૂતોની આશા પર નિરાશાનું પાણી ફેરવી દીધું છે. કપાસ અને ડુંગળીએ ખેડૂતની આર્થિક સંકટતા દૂર કરી શકે છે પરંતુ આ વરસે આ બંને પાક નિષ્ફળ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે.કપાસ બગડી જતાં ખેંચી નાખવાની નોબત આવી.હવે ડુંગળીનો રોપ પણ બગડી જતા ખેડૂતોએ ડુંગળીના પાકમાં પાવડી મરાવી દીધી. પછી વીણાય એટલી ડુંગળી વીણી ઘઉંનું વાવેતર કરી દીધું. આ વરસે ત્રણ-ત્રણ ખરીફ પાક સમૂળગા નિષ્ફળ જતાં જગતનો તાત નિ:સહાય અને લાચાર બની ગયો છે.મગફળી,કપાસ અને સરગવામાં જેટલું નુકસાન થયું એટલું જ નુકસાન ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીમાં પણ થયું છે. હવે નાણાકીય ભીડ આવી જતા જગતનો તાત નવા પાકના બિયારણ, દવાઓ અને ખાતર ક્યાંથી અને કઇ રીતે લાવવું એની ચિંતામાં ગરકાવ થઇ ગયો છે અને હજી તો વરસની શરૂઆત છે. 340થી 350 હે.માં ડુંગળીનું વાવેતરસિહોરમાં તાલુકામાં 340થી 350 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. ભાંખલ, પીપરલા, અગિયાળી, બુઢણા, લવરડા,થાળા, બેકડી, થોરાળી, દેવગાણા, રબારિકા, ભડલી, સર, સાગવાડી, ધ્રુપકા,ખાંભા, વરલ,ટાણા, ગુંદાળા(ટા), જૂના જાળિયા,મઢડા, સરકડિયા (ટાણા), વાવડી (ટાણા) ,રાજપરા (ટાણા),થાળા,પાલડી સહિતના ગામાોમાં વાવેતર કર્યું છે. કાપતી વખતે રડાવે એવા જ રડાવ્યા સામાન્ય રીતે ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ આવતા હોય છે. પરંતુ આ વરસે કુદરત ડુંગળી કાપવાનો મોકો આપ્યા વિના જ આંસુ લાવી દીધા. હવે રવી પાકમાં તો ઘઉં અને ચણા જેવા પાક થાય. પણ એનાથી ખાસ કંઇ આર્થિક ઉપાર્જન ન થાય. આ વરસે ખેતીમાં બહુ મોટી ખોટ આવી છે. દસ વીઘાની ડુંગળીમાં કટર મારી દીધું છે.> અતુલભાઇ જાની, રબારિકા, સિહોર ડુંગળી અને કપાસ પર ઘણો આધાર હતો આ વરસે ધરતીપુત્રોની હાલત જાયે તો કહાં જાયે જેવી થઇ છે જેના પર ખેડૂતોની આર્થિકતાનો આધાર હોય છે તેવા તમામ પાકો લગભગ નિષ્ફળ ગયા છે. આથી આ વરસ કેમ કરીને પસાર કરવું એવી ચિંતા ખેડૂતોને કોરી ખાય છે. ડુંગળી અને કપાસ પર ઘણો આધાર હતો પણ આ બંનેએ અમને રોવડાવ્યા.> દિલીપભાઇ જસાણી, સણોસરા,સિહોર
આગ લાગી:સિહોરમાં બંધ ગોડાઉનમાં પ્લાસ્ટિકના ઢગલામાં આગ ભભુકી
સિહોરના ભાવનગર રાજકોટ રોડ દાદાની વાવ અર્જુન પેટ્રોલ પંપની પાછળની સાઈડમાં આવેલ પ્રિતમભાઈ રાજાઈના માલિકના બંધ ગોડાઉનમાં કચરા અને પ્લાસ્ટિકના વેસ્ટેજ ઢગલામાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી જેના કારણે આજુબાજુના એક કિલોમીટરના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતાં. આ બનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ કોઈ મોટુ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં એક કલાકની ભારે જહેમત બાદ 2500 લિટર પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવેલ.આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી આ બનાવમા કોઈ જાનહાની થયેલ નથી તસવીર સિહોર બ્યુરો
ગૌરવની વાત:ન્યૂઝીલેન્ડની યુથ ફૂટબોલ ટીમના હેડ કોચ બન્યા ક્ષિતિજ ગોહેલ
ન્યૂઝીલેન્ડમાં ભારતીય એક માત્ર ફૂટબોલ કોચ,ઇન્ટર નેશનલ લેવલે ફ્રાન્સમાં રમી ચૂકેલા અને ન્યૂઝીલેન્ડમાં ફૂટબોલમાં યુથ હેડ કોચ અને 1st ટીમ હેડ કોચની બેવડી જવાબદારી નિભાવી ભારતને ગૌરવ પ્રદાન કરતો ક્ષિતિજ ગોહેલને ત્રણ મેજર ક્લબમાં કોચિંગનો અનુભવ છે. તેમજ હાલમાં યુથ હેડ કોચ અને ફર્સ્ટ ટીમ અન્ડર-23ના હેડ કોચ છે. બેચલર ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (Unitek university New Zealand)નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ક્ષિતિજ ગોહેલે ફૂટબોલમાં કોચ બનવાની લાયકાત જે 45 વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય તે માત્ર 25 વર્ષની ઉંમરે મેળવી, ન્યૂઝીલેન્ડમાં કોચ બનવા માટેની વિવિધ પરીક્ષા ઓ પાસ કરી પોતાની ક્ષમતા પુરવાર કરી, નીચેની પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા મેળવી જુદા જુદા લેવલની પરીક્ષાઓ પાસ કરીને અપેહલા તે અન્ડર-14નો કોચ હતો પણ હવે તે ન્યૂઝીલેન્ડની મેઇન અન્ડર 23 ટીમનો હેડ કોચ બન્યો છે. ભારતમાંથી ન્યૂઝીલેન્ડમાં આવું ગૌરવ મેળવનારો તે એક માત્ર ભારતીય કોચ છે. લાયસન્સ એ પાસ કરે એટલે તે ન્યૂઝીલેન્ડ દેશની ટીમનું પણ કોચિંગ કરી શકશે. આ રીતે તેણે ભાવનગર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
બીજોરું લીંબુના કુળનું ફળ છે જેનું વૈજ્ઞાનિક નામ Citrus medica L.(સીટ્રસ મેડીકા) છે. લીંબુની જ એક જાત હોવાના કારણે ઘણા લોકો તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખાય છે. મોટા અને લગભગ એકાદ કિલો વજન ધરાવતા આ ફળની છાલ ખુબ જ ખરબચડી, જાડી અને ચીટકેલી હોય છે. ખાસ કરીને તેની અંત:છાલ જાડી, સફેદ હોય છે જ્યારે બાહ્ય છાલ એકસરખી જાડાઈ ધરાવતી અને સુગંધી હોય છે. ફળમાં ગરનું પ્રમાણ ઓછુ હોય છે. તેનો ગર મોટે ભાગે ખાટો હોય છે ક્યારેક મીઠો પણ હોય છે. બીજોરાની ગર વગરને પ્રજાતિઓ પણ જોવા મળે છે. ભાવનગરના શાકમાર્કેટમાં હમણા મળતુ બીજોરુ ખૂબ ઉપયોગી છે. બીજોરું પરંપરાગત ઉપચાર પદ્ધતિ સાથે સંકળાયેલ ઔષધીય પાવરહાઉસ છે. તેનાં પાન, ફળ, ફૂલ, છાલ એમ બધા જ ભાગો દવામાં વપરાય છે. બિજોરુ પોતાનાં વિશિષ્ટ ગુણોથી પાચક ઔષધ તરીકે પાચન તથા પેટનાં વિવિધ રોગોમાં તે ઉત્તમ છે ડો. કાશ્મીર સુતરીયા(આચાર્યા, બી. એન. વિરાણી) જણાવે છે કે ઓછી કેલરીવાળા આ ફળો સ્વાસ્થ્યવર્ધક સંયોજનોથી ભરપુર હોય છે. તેની જાડી સફેદ અંત:છાલમાં પેક્ટીન જેવા ફાઈબર્સ ભરપુર માત્રામાં રહેલું પેક્ટીન દવામાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખુબ જ માંગ છે. આ ફળમાં ભરપુર માત્રામાં વિટામીન સી ઉપરાંત પોટેશ્યમ, કેલશ્યમ, મૅગ્નેશિયમ આયર્ન જેવા મિનરલ્સ, થાયમીન, નીઆસીન અને રીબોફ્લેવીન પ્રકારના વિટામીન બી તથા કેટલાક જરૂરી એમીનો એસિડ હોય છે. છાલમાં રહેલ સુગંધિત તેલમાં સાઈટ્રિન, સાઈટ્રોલ, સાઈમીન, સાઈટ્રોનેલાલ વગેરે તત્વો હોય છે. આ ફળોના રસમાં રહેલ ફ્લેવેનોઈડસ અને એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડો. કાશ્મીરા વધુમાં ઉમેરે છે કે બીજોરાનો ગર ઓછો અને સૂકો હોવાથી તેને છોલી રસ વાપરવામાં આવતો નથી. બીજોરાનાં રસ કરતાં તેની જાડી છાલનો ખાવામાં વધું ઉપયોગ થાય છે. બીજોરાની છાલ અને ગરને સાકરમાં પકવીને કૅન્ડી પણ બનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી મહત્વનો ભાગ છાલ અને અંત:છાલ છે. જેનો ઉપયોગ સક્કેડ નામની કેન્ડી બનાવવા માટે થાય છે. ફળ પીળું થયા પછી જ ઉપયોગમાં લેવું જોઈએપાકું બિજોરું સ્વાદમાં મધુર અને ખાટું, ગરમ, પચવામાં હળવું, સ્વાદિષ્ટ, પાચક, રુચિકર, જીભ, કંઠ અને હૃદયને શુદ્ધ કરનાર તથા બળપ્રદ છે. તે અજીર્ણ, કબજિયાત, દમ, વાયુ, કફ, ઉધરસ, અરુચિ અને પેટના દુખાવામાં અકસીર છે. કાચું બિજોરું ત્રિદોષવર્ધક અને રક્તને દૂષિત કરનાર છે. ફળ પીળું થયા પછી જ ઉપયોગમાં લેવું જોઈએ. એની છાલ ખુબ જ મીઠી હોય છે અને ગર ખુબ જ ખાટો હોય છે. ઉત્તમ પિત્તશામક ઔષધ તરીકે અનેક રોગમાં ઉપયોગીઉત્તમ પિત્તશામક ઔષધ તરીકે પિત્તનાં બધા રોગોમાં અક્સીર છે. શરીરમાં પિત વધતા આખા શરીરમાં થતી દાહ-બળતરામાં પાકા બિજોરાનાં રસનું શરબત પીવાથી પિત્ત અને તેને લીધે થતી બળતરા શાંત થાય છે. પાકા બીજોરાનું શરબત અમ્લપિત્ત-એસિડિટીમાં પણ ઘણો ફાયદો આપે છે. અરુચી, ઉબકા, ઉલટી, મોળ આવવી વગેરેમાં બીજોરાના ફળની કળીઓનું સેવન ફાયદાકારક છે.
સન્માન સમારોહ:નેશનલ સિલ્વર મેડલ વિજેતા ગર્લ્સ બાસ્કેટબોલ ટીમનો સન્માન સમારોહ
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશન તથા ભાવનગર ડિસ્ટ્રીક બાસ્કેટબોલ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે ભાવનગરના બાસિલ પાર્ક હોટલ ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા અંડર-18 ગર્લ્સ બાસ્કેટબોલ ટીમનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમણે કહ્યું કે, ખેલ મહાકુંભ અને ખેલો ઈન્ડિયા જેવી રમતો આજે અનેક ખેલાડીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળવા માટેનું માધ્યમ બની છે. આત્મવિશ્વાસ સાથે તમે ખેલજગતને આગળ લઈ જશો તો દેશ રમતક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સાધશે. ભવિષ્યમાં પણ મહેનત ચાલુ રાખી ગુજરાત અને ભારતનું ગૌરવ વધારવા તેમણે પ્રોત્સાહિત કર્યાં હતાં. જેમાં મંત્રીના હસ્તે તમામ ખેલાડીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયાં હતાં તેમજ ટીમને રૂ.3.75 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે ગુજરાત રાજ્યના બાસ્કેટબોલ એસોસિયેશનના સેક્રેટરી શફીક શેખે ચેમ્પિયનશિપનો અહેવાલ રજૂ કર્યો હતો પ્રારંભમાં ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિયેશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:માધવ દર્શનના સિગ્નલે બેદરકારીથી વાહનોના અકસ્માત થવાની દહેશત
ભાવનગરનાં માધવદર્શન ચોક ખાતે આવેલી શહેરની સૌથી વ્યસ્ત ટ્રાફિક લાઈટે છેલ્લા ઘણા સમયથી વાહનચાલકોને મૂંઝવણમાં મૂક્યા છે, કારણ કે સિગ્નલ ઉપર મૂકાયેલો સેકન્ડ કાઉન્ટર બંધ રહી જતા લાઈટ અચાનક બદલી જાય છે અને વાહનોને ઉભા રહેવા કે ઝડપથી આગળ વધવા માટે યોગ્ય અંદાજ મળી શકતો નથી, જેથી અકસ્માતજન્ય પરિસ્થિતિ સર્જાવાનો ભય વધ્યો છે. શહેરના મુખ્ય ચોરાહા પર જ ચાલકોને સૌથી વધુ વ્યવસ્થા જોઈએ ત્યાં જ આ બેદરકારી થતાં નાગરિકોમાં રોષ ફેલાયો છે. માધવદર્શન ચોકની અતિવ્યસ્ત લાઈટ પર થોડો પણ સમયગાળો ખોરવાઈ જાય તો ટ્રાફિકની લાઇન અગણિત મીટર સુધી ખેંચાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સેકન્ડ કાઉન્ટર મીટર બંધ રહી જવાથી ચાલકોને બ્રેક મારવામાં મોડું થાય છે, પાછળથી આવતા વાહનોને અચાનક રોકાવું પડે છે અને સમગ્ર ચોરાહે અશાંત પર્યાવરણ ઉભું થઈ રહ્યું છે. નાગરિકોની માંગ છે કે તંત્ર અને ટ્રાફિક વિભાગે તાત્કાલિક ધોરણે સેકન્ડ કાઉન્ટર મીટર સુધારીને વ્યવસ્થિત સિગ્નલ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરે. સિગ્નલ પાસે આવેલા ઝેબ્રા ક્રોસિંગ પર વાહનો ઉભા ન રાખોભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ સહિત ટ્રાફિક સીગ્નલો છે ત્યાં ઝેબ્રા ક્રોસીંગ પણ છે. જ્યાં નગરજનો સમજણના અભાવે નિયમનો ભંગ કરતા હોય છે તો વાહનચાલકો રેડ લાઇટ હોય ત્યારે તેની પટ્ટી ઓળંગને ઝેબ્રા ક્રોસીંગમાં વાહનો ઉભા રાખતા હોય છે. સામાન્ય રીતે લોકો રોડ ક્રોસ કરવા માટે જે વ્હાઈટ પટ્ટાનો ઉપયોગ કરે છે તેને ઝેબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. શહેરમાં આવેલા દરેક ચાર રસ્તા પર લાલ લાઇટ સમયે વાહન ચાલકોને ઉભા રહેવા માટેની સ્ટોપ લાઇન અને ત્યાર બાદ રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટે થઇને ઝેબ્રા ક્રોસીંગના તંત્ર દ્વારા પટ્ટા પાડવામાં આવ્યાં છે. આમ છતાં વાહન ચાલકો સ્ટોપ લાઇન ક્રોસ કરી ઝેબ્રા ક્રોસીંગ પર વાહનો થોભાવીને ઉભા રહે છે. આ કાયદાનું પાલન કરવું એ દરેક વાહન ચાલકની પોતાની જવાબદારી છે.
કુટણખાનું ઝડપાયુ:કાળાનાળામાં સિટી સ્પા પર દરોડામાં કુટણખાનું ઝડપાયુ
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્પા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાતમીની પુષ્ટિ કરવા માટે પોલીસે ગુપ્ત રીતે એક વ્યક્તિને ગ્રાહક બનાવી સ્પામાં મોકલી રૂ. 3,000 લઈ અપાતી ગેરકાયદે સર્વિસની હકીકત બહાર કાઢી હતી, જેને આધારે તાત્કાલિક રેડ કરી સ્પામાંથી ત્રણ મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી, જે તમામ ભાવનગર બહારની હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે સિટી સ્પા વેલનેસનું સંચાલન સરીફાબેન અબ્બાસભાઈ સૈયદ અને તેનો પુત્ર સમીર અબ્બાસભાઈ સૈયદ મળીને કરતા હતાં. સરીફાબેન ચિત્રા માર્કેટિંગ યાર્ડ ગેટ નં. 2 સામે મકાન ભાડે લઈ રહેતી અને મૂળ સિહોરના મોંઘીબા વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. સ્પામાં કોઈપણ ગ્રાહકના પુરાવા અથવા ઓળખ મેળવવામાં આવતી ન હતી, માત્ર નામની એન્ટ્રી કરીને ગેરકાયદે ધંધો ચાલુ રાખવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી લેવાતા મોટા ભાગના પૈસા માતા-પુત્ર રાખતાની પણ પોલીસ તપાસમાં ચકાસણી થઈ હતી.
રસપ્રદ શિક્ષણ:મ્યુ. પ્રાથમિક શાળાઓમાં કલાત્મક ચિત્રોથી બોલતી થઇ દિવાલો
ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મ્યુ. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આનંદમય શિક્ષણ માટે અનેક નવીન કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને “બોલતી દિવાલ” (Talking Wall) તરીકે વિકસાવવાની યોજના અમલમાં મૂકી છે. શાળાની લોબી, વર્ગખંડો અને અન્ય જગ્યાઓ પર શૈક્ષણિક વિષયો પર આધારિત પેઇન્ટિંગ અને માહિતીપ્રદ દિવાલ લેખન કરાતા શિક્ષણ વધુ રસપ્રદ બન્યુ છે. શિક્ષણ સમિતિ હેઠળ આવતી 58 શાળાઓના 1060 વિદ્યાર્થીઓને સ્કાઉટ ગાઇડનો ડ્રેસ આપવામાં આવશે, જેથી સ્કાઉટ-ગાઇડની પ્રવૃત્તિને વેગ મળશે. પ્રથમવાર શહેરની તમામ 58 શાળાઓમાં સ્કાઉટ-ગાઇડની પ્રવૃત્તિ શરૂ કરાઈ છે, જે બાળકોમાં શિસ્ત, સહકાર અને નેતૃત્વના ગુણો વિકસાવવામાં મદદરૂપ થશે. તે ઉપરાંત, 69 શાળાઓમાં દરેક શાળાની ટીમને રમતગમતના ડ્રેસો આપવામાં આવશે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધશે તેમજ રમતગમત ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે પ્રોત્સાહન મળશે. સમિતિ દ્વારા 61 શાળાઓમાં વ્યવસાયલક્ષી તાલીમ કીટો પણ આપવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ્ડ શિક્ષણ અને વ્યવસાયલક્ષી કુશળતા મેળવવાનો મોકો મળશે. આ પગલાથી બાળકોનો વિકાસ થશે. શાળાઓમાં મનોરંજનદાયી સુવિધાઓ વિકસાવાશેબાળકોના આનંદ અને શારીરિક વિકાસ માટે દરેક શાળામાં હીચકા, લપસણી અને ચગડોળ (બાળ ક્રીડાંગણ) જેવી મનોરંજન આપતી સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી બાળકો શાળા પ્રત્યે વધુ આકર્ષિત થાય અને આનંદમય વાતાવરણમાં શિક્ષણ મેળવી શકે. > નિકુંજ મહેતા, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
ઘરફોડ ચોરી:હાજીપર ગામે બંધ મકાનમાંથી 1.63 લાખના મુદ્દામાલની ચોરી
તળાજા તાલુકાના હાજીપર ગામના વતની અને હાલ સુરત ખાતે કડિયા કામનો વ્યવસાય કરતા ગોબરભાઇ બાલાભાઈ ગેડીયા એ તળાજા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે. તા. 12/11 ના રોજ તેમના કાકાના દીકરા જતીનભાઈએ ફોનમાં જણાવ્યું હતું કે તમારા મકાનના દરવાજા ખુલ્લા અને નકુચા તૂટેલા છે. તે જાણ થતા ગોબરભાઇ હાજીપર પોતાના વતન આવી પોતાના મકાનને જોતા દરવાજા ખુલ્લા અંદરના તથા બહારના દરવાજાના નકુચા તૂટેલા હોય અને ઘરનો બધો સામાન વેરવિખેર હાલતમાં હોય તે જોતા તેણે પોતાના બંધ મકાનમાં જમીન ફાર્મના અને જમીન આવકના તથા કડિયા કામની આવક ના કુલ રૂ. 1,57,000 રોકડ અને સોનાનો દાણો અને બે જોડ ચાંદીના છડા કુલ રૂ.1,63,500 નવરાત્રીમાં મૂકીને ગયા હોય. જેની પોતાના બંધ મકાનમાંથી ચોરી થતા તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
શ્રમિકની દીકરીની સફળતા:શ્રમિકની દીકરીએ મદ્રાસ CISFના દીક્ષાંત સમારોહમાં કેપ્ટનની ભૂમિકા ભજવી
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ આર્યકુળ કન્યા વિદ્યાલય ખાતે ચોકીદાર તરીકે વરસોથી રહેતા કેશુભાઈ સાખંટની દીકરી સંગીતા સીઆઇએસએફ(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)માં પસંદગી પામી હતી. અગિયાર મહિનાની તલીમ પુર્ણ થઇ ચેન્નાઇ ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો જેમાં ટીમના કેપ્ટનની ભુમિકા અદા કરી હતી એક સામાન્ય પરિવારની દીકરી સંગીતાએ ભાવનગરનુ નામ રોશન કર્યું છે આર્ય કુળ કન્યા વિદ્યાલયના સંચાલક નરેન્દ્ર સિંહ જાડેજાના કહેવાથી સ્કૂલમાં ભરતભાઇ મોણપરા વર્ષોથી નાળિયેરી રેસા વર્ગ ચલાવે છે અને આ સંગીતાએ પણ મારી દીકરી સાથે અભ્યાસ કર્યો અને નાળિયેરી રેસા વર્ગની તાલીમ મારા વર્ગમાં લીધી હતી એટલે પરિવાર જેવો સંબંધ છે. લાઈવ દીક્ષાંત સમારોહ મે જોયો ત્યારે સંગીતાએ કેપ્ટનની ભુમિકા ભજવી એ નિહાળતા મારુ હૈયું ભરાઈ ગયુ તેમ માહિતી આપતા ભરતભાઇ મોણપરાએ જણાવ્યું હતુ. સંગીતાબેનનો પરિવાર ભરતનગર વિસ્તારમાં આવેલી આર્ય કુળ કન્યા વિદ્યાલય ખાતે ચોકીદાર તરીકે રહે છે તેના મમ્મી મજુરી કામ કરે છે અને પિતા ચોકીદાર છે સાથે ફોર વ્હિલ ધોવાનુ કામ કરે છે દેશની દીકરીઓ આજના સમયમાં વિવિધ ક્ષેત્રની પ્રગતિમાં સિંહફાળો નોંધાવી રહી છે. પછી તે મોટા મોટા ઉદ્યોગ સંભાળવાના હોય કે પછી વ્યવસાયલક્ષી સેવાઓ હોય તેઓ સર્વેમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. ત્યારે વાત કરીએ ભાવનગરમાં વસતી એક એવી જ દીકરી સંગીતા સાંખટની જે હાલ પોતાની CISFની ટ્રેનિંગ પૂરી કરી રહી છે, અને તે દરમિયાન પણ હમણાં ઉજવાયેલ CISF દિવસ દરમિયાનની પરેડમાં ભાગ લઈ ભાવેણાનું નામ રોશન કર્યું છે.
હેરિયર્સ બન્યા ભાવનગરના મહેમાન:હેરિયર પક્ષી વેળાવદરના મહેમાન અને કપાસના સફાઇ કામદાર
વેળાવદર રાષ્ટ્રીય ઉધાન હેરિયર્સ માટે એક આદર્શ પરિસર તંત્ર પૂરું પાડે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં હેરિયર્સ અહીં આવે છે. રાત્રિ વિશ્રામ કરે છે. આ હેરિયર નામક પક્ષી અંદાજે 7,000 કિલોમીટરનુ અંતર કાપીને છેક કજાકિસ્તાનથી ઉડીને વેળાવદરના મહેમાન બનવા આવે છે. આ પક્ષીઓ ત્રણ પ્રકારના હોય છે. તેઓ મહત્તમ સંખ્યામાં ઉડીને ભારતમાં આવે છે. પેડ હેરિયર, મોન્ટેગૂસ હેરિયર અને ત્રીજો પ્રકાર યુરેસિયન માર્ચ હેરિયર વધારે પ્રમાણમાં જોવા મળે છે. એક ચોથા પ્રકારનું હેન હેરિયર જૂજ જ જોવા મળે છે. કપાસના પાકને નુકસાન કરતા જીવાત હેરિયર નો ખોરાક હોવાથી ખેડૂત માટે આશીર્વાદરૂપ હોય છે. શિયાળા દરમિયાન વિશાળ સંખ્યામાં ઉડીને આવે છે. વર્ષ 2003 એવું હતું કે હાઈએસ્ટ એટલે કે 2270 હેરિયર નોંધાયા હતા અને સૌથી ઓછા વર્ષ 2000ની સાલમાં ફક્ત 164 નોંધાયા હતા. તીડની જીવાત થાય છે તે કપાસના પાકને નુકસાનકારક છે તે હેરિયરનો મુખ્ય ખોરાક છે તેમ જયસિંહજી ગોહિલે જણાવ્યું હતુ.
મંડે પોઝિટીવ:છલોછલ સીદસર તળાવ અને આજુબાજુના વિસ્તારમાં રહેણાંકો વચ્ચે છવાયેલી હરિયાળી
ભાવનગર શહેરના પ્રવેશ દ્વાર સમાન સીદસરમાં આવેલું તળાવ આ વર્ષે મેઘકૃપાાથી છલોછલ ભરાયેલું અને આખુ ચોમાસુ સારા વરસાદને લીધે આજુબાજુના રહેણાંકો વચ્ચે પણ વૃક્ષો અને લીલોતરી છવાઇ ગયેલી છે. આ સીદસરના તળાવ અને તેની આજુબાજુ રહેણાંકો તેમજ વચ્ચે વચ્ચેની લીલોતરીની ડ્રોન તસવીરમાં તળાવની ડિઝાઈનની કલાત્મકતા પણ જોવા મળે છે.
સિટી એન્કર:5.76 % શિશુ મૃત્યુ દર સાથે ભાવનગર રાજયમાં પ્રથમ
દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે આવતા ભારતમાં દર મિનિટે લગભગ 48થી 54 બાળકો જન્મે છે. જેમાં જન્મ બાદ અનેક કિસ્સામાં નવજાત શિશુને તબીબી સારવારની જરૂરિયાત પડતી હોય છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના વર્ષ-2025માં 10 મહિનામાં 1496 બાળકો અને 1284 બાળકીઓ મળી કુલ 1496 નવજાત શિશુની સારવાર કરવામાં આવી છે ત્યારે રાજયમાં સરકારી હોસ્પિટલોના 58 એન.આઈ.સી.યુ. વિભાગમાં શિશુના 5.76 %ના ઓછા મૃત્યુ દર સાથે શિશુ સંભાળમાં ભાવનગરે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારતમાં વર્ષ-2025માં સલામતી, ગુણવત્તા અને ઉછેર સંભાળ દરેક નવજાત શિશુનો જન્મસિદ્ધ અધિકારની થીમ સાથે રાષ્ટ્રીય શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી થવાની છે. સર ટી. હોસ્પિટલમાં રાષ્ટ્રીય શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી અંતર્ગત .15મી નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન બાળરોગ વિભાગમાં તબીબો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે. જેમાં બાળરોગ વિભાગમાં તબીબો નવજાત સંભાળ એન્ટ્રી પ્રોટોકોલ, રૂમીંગ માં, ડિસ્ચાર્જ અંગે સલાહ, સમુદાય સ્તર પર નવજાત શિશુ સંભાળ અંગેના માર્ગદર્શન આપશે. વર્ષ-2025 બાળરોગ વિભાગમાં નોંધાયેલ કેસ સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટશિશુના જન્મ બાદના પ્રથમ 28 દિવસ કાળજી જરૂરીપ્રસુતિ બાદના શરૂઆતના તબક્કામાં નવજાત શિશુની રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ ઓછી હોય છે. આથી શિશુના જન્મ બાદના પ્રથમ 28 દિવસ કાળજી જરૂરી બની જાય છે. શિશુની સારવારના અનેક કિસ્સામાં શિશુ સંભાળની બેદરકારી જોવા મળતી હોય છે. > ડો.મેહુલ ગોસાઈ, વડા, બાળરોગ વિભાગ, સર ટી.
સાપનું રેસ્ક્યૂ:સરકારી વાણિજ્ય કોલેજમાંથી 6 ફૂટ લાંબા સાપને પકડી લેવાયો
ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત સુધી વરસાદ પડતા ખુલ્લી જગ્યામાં જંગલી ઘાસ દુર થયું નથી. ત્યારે બીજી તરફ બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે નગરના સેક્ટર-15ની સરકારી વાણિજ્ય કોલેજમાં ઉગી ગયેલા જંગલી ઘાસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફાઇ કામદારો દ્વારા જંગલી ઘાસને દુર કરતી વખતે સાપ નજરે પડ્યો હતો. આથી કોલેજના વિદ્યાર્થીઓ અને સફાઇ કર્મચારીઓને સલામત રીતે દુર ખસેડીને સાપ પકડનાર રાધે અને મહેશ ઠાકોરનો સંપર્ક કરાયો હતો. સાપ પકનાર બન્ને સર્પપ્રેમીએ સાપને પકડીને સલામત રીતે દુર લઇને છોડી મુકવામાં આવ્યો હતો.
વાહનચોર ઝડપાયો:કલેક્ટર કચેરી પાસેથી રિક્ષા ચોરનારા આરોપીએ 5 વર્ષમાં 16 ગુના આચર્યા
ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવો વધારે સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવા છતા ચોર દ્વારા વાહન ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કલેક્ટર કચેરી પાસેથી રીક્ષા ચોરી કરનાર આરોપીને સેક્ટર 21 પોલીસે સેક્ટર 23 પાસેથી પકડી લીધો હતો. આરોપી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 16 ગુના આચરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર કલેક્ટર કચેરી સામે પાર્ક કરવામાં આવેલી એક રીક્ષા નંબર જીજે 18 એયુ 1676 પાર્ક કરવામાં આવી હતી અને બાદમાં તેનો માલિક કામ અર્થે ગયો હતો. જ્યારે કામ પુરી કર્યા પછી રીક્ષા લેવા જતા ગાયબ જોવા મળી હતી. જેથી રીક્ષાની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મળી નહિ આવતા તેને સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે રીક્ષાની શોધખોળ હાથ ધરી હતી. સેક્ટર 21 પોલીસ મથકની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં ચોરી થયેલા વાહનોની શોધખોળ કરી રહી હતી. તે સમયે હેડ કોન્સ્ટેબલ બેચરભાઇ ગેબાભાઇ અને કોન્સ્ટેબલ બાબુજી મહોતજીને બાતમી મળી હતી કે, સેક્ટર 23 સર્વિસ રોડ પાસે એક રીક્ષા લઇને ચાલક ઉભો છે, પરંતુ તે વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યો છે. જેથી પોલીસની ટીમ બાતમી મુજબ પહોંચી હતી અને રીક્ષા સાથે ઉભા રહેલા વ્યક્તિ પાસે વાહનના દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા, પરંતુ આપી શક્યો ન હતો. જ્યારે પોલીસે તેનુ નામ પૂછતા રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઇ ઉર્ફે ગણેશભાઇ પટણી (રહે, ગ-5 પાસેના છાપરા, મૂળ રહે, ગદોસણ, પાટણ)ની ધરપકડ કરી હતી અને તેની તપાસ કરતા વર્ષ 2021થી અત્યાર સુધી આરોપી સામે સેક્ટર 7, સેક્ટર 21, ઇન્ફોસિટી અને પાટણ એ ડીવીઝન પોલીસ મથકમાં અલગ અલગ 16 ગુના ચોરીના નોંધાઇ ચૂક્યા છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા હોવાથી પોલીસે તસ્કરોને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.
હુમલો:ટીંટોડામાં જૂની અદાવતમાં યુવક અને તેના પરિવાર પર 4નો હુમલો
ગાંધીનગરના ટીંટોડા ગામમાં અગાઉની અદાવતમાં યુવક અને તેના પરિવાર ઉપર 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે યુવકની કારની તોડફોડ કરી નુકશાન કરવામાં આવ્યુ હતુ. આ બનાવ બાદ યુવકને ધમકી આપી હતી કે, તારો ભાઇ હવે ફરીથી ગામમાં આવશે તો જાનથી મારી નાખીશુ. જેથી યુવકે પેથાપુર પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગરના ટીંટોડાના બાપુપુરા ગામમાં ખેતરમાં રહેતા અમિત જીવણજી ઠાકોર ખેતી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. જ્યારે તેનો ભાઇ અલ્પેશ શિહોલી ગામમાં રહે છે. ત્યારે બે દિવસ પહેલા ભાઇઓની માતાની તબિયત ખરાબ થઇ જતા શિહોલીમાં રહેતા ભાઇને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જ્યારે શિહોલીથી અલ્પેશ તેના બે મિત્રો સાથે વતનમાં માતાના ખબર જાણવા કાર લઇને આવ્યો હતો. તે સમયે બે ભાઇઓ, તેમના પિતા અને માતા સાથે ઘરમાં બેઠા હતા. તે દરમિયાન બાજુમાં રહેતા મનિષ ત્રિકમજી ઠાકોર, મહેશ કેશાજી ઠાકોર, કિર્તિજી ભલાજી ઠાકોર અને ત્રિકમજી ભલાજી ઠાકોર ઘર આગળ આવી ગયા હતા. તે સમયે ઘરની બહાર મુકામાં આવેલી ગાડી ઉપર ધોકા અને પાઇપના ફટકા મારી તોડફોડ કરવામાં આવી હતી. તે સમયે કિર્તિજી ઠાકોરની પત્ની કહેવા લાગી હતી કે, તારો જેઠ મારી છોકરીને ભગાડી ગયો છે, જેને ઘરે આવવાની ના પાડી છે, છતા કેમ ઘરે આવ્યો છે ? કહીને ગાળો બોલવા લાગી હતી. જેથી ઘરમાં બીમાર માતા સાથે બેઠેલા ભાઇઓ બહાર આવ્યા હતા. તે સમયે ચારેય લોકો ગાળાગાળી કરી બોલાચાલી કરતા ઉશ્કેરાઇ ગયા હતા અને બાદમાં મનિષ તેના હાથમાં લાકડી, મહેશ તેના હાથમાં લોખંડની પાઇપ અને કિર્તિ તેના હાથમાં લાકડાનો ધોકો લાવી યુવક ઉપર મારી દીધો હતો. જ્યારે ત્રિકમજી તેના હાથમાં લોખંડની કોસ લાવી વિંઝતા આવ્યા હતા અને કપાળના ભાગે ઘસરકાર થઇ ગયા હતા. મારામારી થતા આસપાસથી લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ મારામારી કરનાર આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ભમરા કરડ્યા:અડાલજ કેનાલ પાસે ભમરા ઉડ્યા, ઇંંટના ભઠ્ઠા પર કામ કરતા એક મજૂરને કરડ્યા
અડાલજ કેનાલ પાસેના ઇંટવાડા ભઠ્ઠાની આસપાસના વિસ્તારમાં ભમરા ઉડતા મજુરી કામ કરતો યુવાનને કરડ્યા હતા. યુવાનના આખા શરીરે ભમરા કરડતા યુવાન મજુર બેભાન થઇને ઢળી પડ્યો હતો. ત્યારે સ્થાનિક અન્ય મજુરોએ ઇમરજન્સી સેવા 108માં ફોન કરતા ચાંદખેડાની એમ્બ્યુલન્સ આવતા બેભાન યુવાનને પ્રાથમિક સારવાર કરતા ભાનમાં આવતા વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ઇમરજન્સી આરોગ્ય સેવાનો લાભ ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના મારફતે લોકોને મળી રહ્યો છે. ત્યારે એનીટાઇમ દોડી આવતી ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સથી ભોગ બનનારને નિદાન અને સારવાર મળી રહે છે. ત્યારે અડાલજ નર્મદા કેનાલની પાસે આવેલા ઇંટવાડાના ભઠ્ઠામાં મજુરી કામ કરતા યુવાનને ભમરા કરડ્યા હતા. આ અંગે ચાંદખેડાના ઇમરજન્સી સેવા 108ના સુપરવાઇઝર મીલન જોષીને પુછતાં જણાવ્યું છે કે અડાલજ નર્મદા કેનાલની પાસે આવેલા ઇંટવાડા ભઠ્ઠાની આસપાસના વિસ્તારમાં બેસેલું ભમરીયું મધ ઉઠ્યું હતું. ભમરા ઉડતા ઇંટવાડામાં મજુરી કામ કરતો યુવાન દોડીને જાય તે પહેલાં ભમરાએ તેની ઉપર હુમલો કરતા આખા શરીરે સેંકડો ડંખ મારતા યુવાન મજુર બેભાન થઇને ઢળી પડ્યો હતો. યુવાન ઉપર ભમરાના હુમલાથી આસપાસના લોકોને તાત્કાલિક ઇમરજન્સી સેવા 108ને ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના ચાંદખેડા ખાતે ફરજ બજાવતા ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના ઇએમટી મયુર પરમાર અને પાયલોટ ઇલિયાસ શેખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ભમરા કરડતા હોવાથી સલામતીના ભાગરૂપે પીપીઇ કીટ પહેરીને બેભાન યુવાની પાસે ગયા હતા. યુવાનને આખા શરીરે ભમરા કરડ્યા હોવાથી ભમરાના ડંખના કાંટાને શરીર ઉપરથી દુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવાનને 108માં લઇને ડોક્ટરના માર્ગદર્શન મુજબ યુવાનને પ્રાથમિક સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. ભમરાના ડંખનો ભોગ બનેલા યુવાને પ્રાથમિક સારવાર મળતા 108માં જ ભાનમાં આવી ગયો હતો.
વિકાસના કામોને વહિવટી મંજુરી નહી મળતા જિલ્લા પંચાયતના સદસ્યો લાલઘૂમ બન્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્વભંડોળ, રેતી-કાંકરી, સ્ટેમ્પ ડ્યુટી, નાણાંપંચની ગ્રાન્ટમાંથી સુચવેલા વિકાસના કામોનો હિસાબ લીધો હતો. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર, એસઓ સહિતની સાથે બેઠક કરીને કેટલા કામો હાલમાં બાકી છે. કામો કેમ બાકી છે. કામો ક્યારે પુરા થશે સહિતની માહિતી મેળવીને તાકિદે કામગીરી પૂર્ણ કરવાની સુચના જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી. જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થવાને માંડ ચારેક માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પોતાના મત વિસ્તારમાં લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને સદસ્યો દ્વારા વિવિધ વિકાસના કામો સુચવવામાં આવ્યા હતા. વિકાસના કામો સુચવ્યા બાદ તેની પ્રાથમિક અને વહિવટી મંજુરી નહીં મળવાથી સદસ્યોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો. ત્યારે વિકાસના કામોના મામલે વહિવટી તંત્ર અને સદસ્યો વચ્ચે નારાજગીના સૂર કારોબારી સમિતિની બેઠકમાં ઉઠવા પામ્યા હતા. આથી જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ દ્વારા વિકાસના કામો સત્વરે પૂર્ણ થાય તેના માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દર શુક્રવારે વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર અને એસઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમાં વિકાસના કામો કેટલા હાલમાં પેન્ડિંગ છે. તેમાંથી કેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. નહી કરાયેલા કામોની પાછળ કારણ શું છે સહિતની માહિતી મંગાવવામાં આવી રહી છે. તેમાં નાણાંપંચની ગ્રાન્ટ, રેતી-કાંકરીની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાથી કેટલા કામો આવ્યા છે. કામોનો નિયત કરેલો હેતુ જળવાય છે કે નહી સહિતના પાસાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કામોની પ્રાથમિક મંજુરી આપ્યા બાદ તેની તાંત્રિક મંજુરી આપવામાં આવી છે કે નહી. વહિવટી મંજુરી આપેલ કામોમાં થયેલી પ્રગતિનો રિપોર્ટ લેવામાં આવશે. પૂર્ણ થયેલા વિકાસના કામોના બિલો સમયસર રજુ કરવામાં આવ્યા છે કે નહી સહિતના પાસાઓની ચર્ચા કરી માહિતી લેવામાં આવશે. જોકે આગામી સામાન્ય સભામાં વિકાસના કામોને લઇને સદસ્યોમાં વિરોધના સૂર ઉઠવાથી સભામાં ગરમાવો રહેવાની શક્યતા રહેલી છે. ત્યારે તેના સાવચેતીના ભાગરૂપે ડીડીઓએ બેઠક કરીને વિકાસના કામોની માહિતી માંગવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર, ટીડીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર અને એસઓ સાથે મીટિંગ યોજાઇ ભાસ્કર ઇનસાઇડસ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગરમાવોઆગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિકાસના કામોને સત્વરે પૂર્ણ કરવાની માંગણી સદસ્યો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ તંત્રની ઉપર પણ રાજ્ય સરકારમાંથી પ્રજાલક્ષી કામોને પ્રાથમિક્તા આપીને તાત્કાલિક મંજુર કરીને કામગીરી શરૂ કરવાની સુચના આપવામાં આવી હોય તેવી ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.
ખાલી જગા પર જ્ઞાન સહાયકની ભરતી કરાશેે:પ્રા. સ્કૂલોમાં વિદ્યાસહાયકની ભરતી પર પૂર્ણ વિરામ મુકાયું
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતીની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેના માટે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવી છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવાનું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું સ્વપ્ન રોળાઇ જશે તેમ લાગી રહ્યું છે. જોકે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતીને 18મી, નવેમ્બર સુધીમાં મોકલવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર દેશમાં શિક્ષણમાં રાજ્યનું સ્થાન 9માં ક્રમે આવ્યું છે. તેમ છતાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી. તેને બદલે કરાર આધારીત માસિક ફિક્સ વેતનવાળા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની વાતો વચ્ચે હવે જ્ઞાન સહાયકની ભરતીની તૈયારીઓ રાજ્યના શિક્ષણ વિભાગે હાથ ધરી છે. તેમાં રાજ્યના શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો મંગાવવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતીના આધારે આગામી સમયમાં માસિક ફિક્સ વેતન ઉપર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરાશેે.
કાર્યવાહી:કુડાસણમાં મોબાઇલ ખરીદ- વેચાણનો ડેટા ન રાખતાં વેપારી સામે ગુુનો દાખલ
દિલ્હીમાં આતંકી હુમલા બાદ રાજ્યના પાટનગરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. અલગ અલગ ટીમો દ્વારા જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા કુડાસણમાં આવેલી એક દુકાનના માલિક દ્વારા ખરીદ-વેચાણનુ રજીસ્ટર રાખવામાં આવતુ ન હતુ. જેથી પોલીસે દુકાનદાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેશમાં આતંકીઓ સક્રિય બની ગયા છે, નિર્દોશ લોકોને શિકાર બનાવી દહેશત ફેલાવવા કાવતરા કરી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી ખાતે બોમ્બ ધડાકાની ઘટના સામે આવી છે. આતંકીઓ દ્વારા મોટા ભાગે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાંધીનગર પોલીસ દ્વારા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરી મોબાઇલ ફોનનો ઉપયોગ થયો હોવાથી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેથી મોબાઇલ અને સીમકાર્ડનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટરો,રીટેલરો,દુકાનદારો,ફેરીયાઓ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરે અને યોગ્ય રજીસ્ટર નિભાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પાટનગરના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ન્યૂ ગાંધીનગરના કુડાસણ ખાતે રાધે સ્ક્વેર નામના કોમ્પ્લેક્સમાં ફોન કેસીસ નામની મોબાઇલની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં હાજર કર્મચારીને પૂછતા તેમના દ્વારા મોબાઈલ ખરીદ કે વેચાણ અંગે કોઈ રજીસ્ટર નહીં નિભાવવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી ત્યાં હાજર કર્મચારીની પૂછપરછ કરવામાં આવતા તે અમદાવાદ ચાંદખેડા ખાતે રહેતો રાહુલ મુકેશભાઈ સુથાર હોવાનું જણાવ્યું હતું તે તેના માલિક મૃદુલભાઈ મહેન્દ્રભાઈ જૈનના કહેવાથી આ દુકાન ચલાવે છે. હાલ પોલીસ દ્વારા આ કર્મચારી સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરતીની જાહેરાત:હિસાબ અને તિજોરી કચેરીમાં સબ ઓડિટર અને અધિક્ષકની 426 જગ્યા ભરવામાં આવશે
રાજ્યની હિસાબ અને તિજોરી કચેરીઓમાં ખાલી પડેલી સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર વર્ગ-3ની કુલ-426 જગ્યાઓ ભરવાની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચાલુ માસની 30મી, નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરની હિસાબ અને તિજોરી કચેરી ખાતેની કચેરીઓમાં વર્ગ-3ની ખાલી પડેલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. તેમાં પેટા હિસાબીશ, સબ ઓડિટરની કુલ-321 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. જ્યારે હિસાબનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી, અધિક્ષક સંવર્ગની કુલ-105 જગ્યાની પણ ભરતી કરાશે. આ માટે શૈક્ષણિક લાયકાતમાં બીબીએ, બીસીએ અને બીકોમ મેથેમેટીક્સ કે સ્ટેટસ્ટીકમાં સ્નાતકની લાયકાત નિયત કરાઇ છે. જ્યારે ઇકોનોમી, મેથેમેટીક્સ, સ્ટેટસ્ટિક વિષયમાંથી બીએની લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતીમાં પાંચ વર્ષ માટે માસિક રૂપિયા 26000થી રૂપિયા 49600 સુધીનો પગાર આપવામાં આવશે. વધુમાં સરકારના નિયમોનુસાર ભરતીમાં મહિલા અને અનામત ઉમેદવારો માટે ઉંમરમાં છુટછાટ અપાઇ છે. ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે છુટછાટ અપાઇ છે.
ઉદ્યોગપતિ અને આઈપીએસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો સમીર શાહ દારૂ પીને ઘરેથી મિત્રની કાર પોતે ચલાવી જન્મદિવસની પાર્ટીમાં હોટેલમાં આવવા જતા પોલીસના સકંજામાં ભેરવાયો છે. અલથાણ પોલીસે સીસીટીવી કેમેરા અને તેની પત્ની સહિત 5 જણાના નિવેદનો લઈને સમીર મહેન્દ્ર શાહ (49) (રહે,એલીજીયમ એવન્યુ, પિપલોદ)ની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવની એમવી એક્ટની કલમ 185નો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી કરી છે, સાથે સીયાઝ કાર પણ જપ્ત કરી છે. શરૂઆતમાં સમીર શાહે પોલીસને ઉલ્ટા ચશ્મા પહેરાવવાની કોશિશ કરી હતી. જોકે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરાવતા તેનો ભાંડો ફુટી ગયો હતો. અલથાણ પોલીસે સમીર શાહની ધરપકડ કરી ત્યારે તેણે પોલીસને કહ્યું કે સીયાઝ કાર લઈ પીપલોદ ઝીંઝર હોટેલ પાસે પહેલા મિત્રને મળવા ગયો પછી ત્યાંથી વેસુ કેનાલ રોડ પર અંતરવન રેસ્ટોરન્ટમાં પોતાની બર્થડે પાર્ટીમાં ગયો હોવાની વાત કરી હતી. પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઇવની કલમ ઉમેરવા માટે પહેલા તેની પત્ની હેતલ શાહ, કુક, મિત્ર યતીન ભક્તા તેમજ વોલેટ પાર્કિગના કર્મીના નિવેદનો લીધા હતા. જેમાં પણ સમીર શાહ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. પછી ફૂટેજમાં સમીર શાહ કાર ચલાવતો દેખાયો હતો. પુત્રની હરકતથી વિવાદની શરૂઆત થઈ હતી16મી ઓકટોબરે સમીર શાહનો જન્મદિવસ હતો. આ દિવસે તેમણે વેસુ કેનાલ રોડના અંતરવન રેસ્ટોરન્ટમાં બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું. તેમની પાર્ટીમાં શહેરના મોટા ઉઘોગપતિઓ સહિત 200 મહેમાનો પાર્ટીમાં આવ્યા હતા. મોડીરાત સુધી ચાલતી પાર્ટીમાં બહાર પાર્ક કરેલી એક કારમાં થર્મોકોલોના બોક્સમાં ઠંડા કરવા માટે મુકેલા બિયર મળી આવ્યા હતા. જેને લઈને મામલો પોલીસમાં ગયો હતો. પછી સમીર શાહના પુત્રએ પીએસઆઈ સાથે ઝપાઝપી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો, જેનો વીડિયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભાસ્કર એક્સપર્ટ6 માસની કેદ થઈ શકેમોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ પહેલીવાર ગુનો પુરવાર થાય તો આરોપીને 6 મહિના સુધીની કેદ અથવા 10 હજાર સુધીનો દંડ, અથવા બંનેની સજાની જોગવાઈ છે. > જય દેસાઈ, એડવોકેટ
અડાજણ પોલીસમાં કાકા સસરાને બ્લેકમેલ કરીને રૂ.10 કરોડની ખંડણી માંગવાના ગુનામાં જેલમાં ગયેલા સ્મિત, જય અને પ્રશાંતના પરિવારને જેલરના નામે ફોન કરીને વીઆઇપી સુવિધા આપવાના બહાને રૂ.15 હજારની માંગણી કર્યાનો ઓડિયો વાયરલ થતા લાજપોર જેલના જેલરે સચિન પોલીસમાં ફોન કરનાર ગઠીયા નોંધાવી છે. કાકા સસરાને બ્લેકમેલ કરીને રૂ.10 કરોડની ખંડણી માંગવાના ગુનામાં અડાજણ પોલીસે સ્મિત મનુભાઇ ધોળકીયા, પ્રશાંત કાનજી કાછડીયા અને જય કરશનભાઇ ડાંગરની ધરપકડ કરી હતી. તા.8મી નવેમ્બરે પોલીસે તેમને કોર્ટમાં રજુ કરી કોર્ટે જેલમાં મોકલી આપ્યા હતા. તમામ પ્રક્રિયા પતાવીને તેમને રાત્રે 10.30 વાગ્યે જેલમાં મોકલ્યા હતા. આ પહેલા એટલે આરોપી કોર્ટમાં હતા ત્યારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં સ્મિતની પત્ની સ્વિટીબેન પર ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ જેલર તરીકે આપી અને સુવિધા આપવા 15 હજાર માગ્યા હતા. જેલરના નામે ફોન કરનારી વ્યક્તિએ કરેલી વાતો વ્યક્તિ : સ્વિટી બેન સુરત લાજપોર જેલમાંથી જેલર સાહેબ બોલું છું, આ તમારો સ્મિત આવ્યોને તેણે તમારો નંબર આપ્યો હતો. હું જેલર સાહેબ બોલું છું એમના મિસીસ બોલો છો ને?સ્વિટી : હા હા વ્યક્તિ : હા તેણે કિધુ હતું મીસીસને કહેજો કે કોઇ ચિંતા કરે નહીં, એમને વીઆઇપીમાં રાઇખા છે.જમવાનું ટીફીન ચાલુ કરી દીધું છે સ્વિટીબેન.સ્વિટી : બરાબર વ્યકિત : મારી વાત સંભળાય છે બેન,એમને ટીફીન ચાલુ કરી દીધું છે. ગાદલુ ગોદડુ બહારથી મંગાવી આપું છું. વીઆઇપીમાં રાઇખા છે સ્મિતભાઇને. વ્યક્તિ : હાલો ગુગલ પે કરો સ્વિટીબેન નંબર લખો 9974927095 વ્યક્તિ : શું નામ આવ્યું બેન એમા નાખો 15000 સ્વિટી : એક મિનીટ ચાલુ રાખો (બાદમાં ફરીવાર નંબર લીધો) ચેક કરતા વંદેમાત્રમ આવ્યું વ્યક્તિ : વંદેમાત્રમ આવ્યું ને હવે નાખો એમ પૈસા 15000 જ્યાં સુધી રહશે ત્યાં સુધીનો બધો ચાર્જ આવી ગયો સ્વિટી : બરાબર. વ્યક્તિ : રાત્રે 9 વાગ્યા પછી કોકના ફોનમાંથી વાત કરાવીશ. આ મારો સરકારી ફોન છે. સ્વિટી : એક મિનીટ ચાલુ રાખજો નેટવર્ક... મારા જેઠ આવે એટલે ટ્રાન્સફર કરાવાનું કહું મારામાં 15000 નાખવાનું બેલન્સ નથી. વ્યક્તિ : બેન આ જેલ છે જેલ સત્ય બોલો મે એને બહાર ઉભો રાખ્યો છે. સ્વિટી : પણ સાહેબ અત્યારે નથી ટાઇમ આપો વ્યક્તિ : હૈ સ્વિટી : થોડો ટાઇમ આપોને અત્યારે નથી હવે ઉભા રહો ને મારા જેઠે ફોન કરૂ, વ્યક્તિ : એ કરવાના છે તો જ કહેજો ખોટુ બોલશો તો અમે મારવાનું ચાલુ કરૂ છું, ખોટુ બોલવાનું જેલમાં નો હાલે. સ્વિટી : ખોટુ બોલવાનું એવુ નથી.પણ મારી પાસે હોવા જોઇ ને મારો ઘરવાળો ત્યાં આવાનો છે. વ્યક્તિ : શું કહો છો? સ્વિટી : મારો ઘરવાળો ત્યાં આવાનો છે મારે બીજા પાસે લેવાના છે.થોડી શાંતિ તો રાખો તમે ખોટુ બોલો કહ્યા કરો છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં 16 મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 17મી નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આંબલી ગામ ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ થશે. ખોડીયાર માતાના મંદિરથી પદયાત્રાને CM શરૂ કરાવશેઘાટલોડીયા વિધાનસભામાં આવતા બોપલ ઓવર બ્રિજ પાસેના આંબલી ગામ નજીક ખોડીયાર માતાના મંદિરથી આ યુનિટી માર્ગ પદયાત્રાનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભારંભ કરાવશે. મુખ્યમંત્રીની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિતના તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. બે કિલોમીટરથી વધુ લાંબી પદયાત્રાસરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. બે કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા રહેશે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરી પૂર્ણ થશે. અમરાઈવાડીમાં સાંજે યુનિટી માર્ચ પદયાત્રા સાંજે અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે જેમાં અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલની આગેવાનીમાં વિધાનસભાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અમદાવાદમાં યુનિટી માર્ચ:સરદાર પટેલનો ટેબ્લો અને 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. જેમાં આજે અમદાવાદના વિરાટનગર વોર્ડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશને પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. જે મુજબ આજરોજ મેગા ડિમોલિશન કરાય એવી તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ ચરેડી ફાટકથી GEB તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાંના દબાણો તોડી પાડ્યા બાદ હવે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી માટે 150 પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. 1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતીપાટનગર યોજના વિભાગ હસ્તકની જમીનો પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ અંતર્ગત 1થી 30 સેક્ટર વિસ્તારમાં ઊભાં થઈ ગયેલાં 1400થી વધુ ઘર-ઝૂંપડાંના દબાણોને નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે રહેવાસીઓ વર્ષોથી એક જ જગ્યાએ વસવાટ કરતા હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ નોટિસ છતાં દબાણકર્તાઓ તરફથી કોઈ જવાબ ન મળતાં હવે તંત્રનું બુલડોઝર આજે ગમે ત્યારે ફરી શકે છે. નોટિસોનો જવાબ ન મળતા દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢ્યોઆ સિવાય તંત્ર દ્વારા અન્ય બે મુખ્ય વિસ્તારોમાં પણ મેગા ડિમોલિશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘ- 7સર્કલ પાસે અંદાજે 400 જેટલા ઝૂંપડાં આવેલા છે, જેમાંથી ઘણા લોકોને 1999ના સર્વે બાદ સેક્ટર-25 ખાતે આવાસો મળેલા હોવાનું કહેવાય છે. જ્યારે પ્રેસ સર્કલ પાસેના વિસ્તારમાં પણ અંદાજે 100 જેટલા ઝૂંપડાં તોડી પાડવાની તૈયારી છે.આ બંને વિસ્તારના અંદાજે 500 જેટલા ઝૂંપડાં છે. એ જ રીતે સેકટર-24 ખાતે પણ 300 જેટલા ગેરકાયદેસર દબાણો છે.જ્યારે રાંધેજા વિસ્તામાં પણ ધાર્મિક દબાણ સહિતના કાચા પાકા દબાણો ઉભા થઈ ગયાં છે.દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતાં તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથીવિશ્વસનીય પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ મેગા ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જેના પગલે આજરોજ પેથાપુર અને સેક્ટર-21 પોલીસ મથકની હદ વિસ્તારમાં કાર્યવાહી કરવાના ભાગરૂપે કુલ દોઢસો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જોકે, તંત્ર દ્વારા મોડી રાત સુધી આ મેગા દબાણ હટાવ ઝુંબેશ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ, પોલીસ બંદોબસ્તની ફાળવણી જોતાં ગત વખતની માફક આજરોજ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ત્રાટકે એવી પ્રબળ સંભાવના છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... નેતા-અધિકારીઓ વંદે ભારતમાં સવાર થઈ વલસાડ ચિંતન શિબિરમાં જશેઆગામી 27,28 અને 29મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક આવેલા ધરમપુરમાં સરકારની ચિંતન શિબિર યોજાવાની છે. ત્યાં પહોંચવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તમામ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના તમામ IAS અધિકારીઓ તેમજ રાજયના પોલીસ વડા વિકાસ સહાય પણ ટ્રેનમાં જશે. સવારે અમદાવાદથી ઉપડતી વંદે ભારતમાં તમામ મહાનુભાવોની ટિકિટનુ બુકીંગ થઈ ગયુ છે. આ ટ્રેન બપોરે 12 વાગ્યા પહેલા વલસાડ પહોંચી જશે. ત્યાં જઈને બપોરનુ ભોજન કરશે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે ચિંતન શિબરનો આરંભ થશે. તમામ મહાનુભાવોની રહેવા માટે પણ આ આશ્રમમા જ વ્યવસ્થા કરાઈ છે. આશ્રમના રસોઈયાઓ દ્રારા તૈયાર કરાયેલુ ભોજન પીરસાશે. તમામ મહાનુભાવો 29મીની સાંજે વલસાડથી જ તેજસ ટ્રેન દ્રારા અમદાવાદ પરત ફરશે. આ તમામ આયોજનની જવાબદારી GADના એઆરટીડી-એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મસ એન્ડ ટ્રેનિંગ ડીવિઝનના આઈએએસ અધિકારી હારિત શુક્લાને સોંપાઈ છે. સતત બીજી ચિંતન શિબિરની જવાબદારી તેમના શિરે છે. સરકારી બોર્ડ નિગમોમાં હવે ગમે તે ક્ષણે રાજકીય નિમણૂકો કરાશેછેલ્લા ઘણા સમયથી સરકારી બોર્ડ-નિગમોમાં રાજકીય નિમણૂકો કરાશે એવી વાતો ચાલી રહી છે.આ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવાઈ હતી. ત્યારબાદ મંત્રીમંડળનુ વિસ્તરણ પણ કરી દેવાયુ છે. હવે બોર્ડ નિગમોની નિમણૂકોની રાહ જોવાઈ રહી છે. સચિવાલયમાં ચર્ચા છે કે, બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂક માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં એક ડઝનથી વધુ નિમણૂકો થઈ શકે છે. જેની નિમણૂકો થવાની છે તેમને હજુ સુધી કશુ કહેવાયુ નથી પરંતુ અનેક આગેવાનો નેતાઓ પાસેથી બાયોડેટા મંગાવાયા છે. નવા પ્રદેશ પ્રમુખ અને વિસ્તરણમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે બોર્ડ નિગમોમાં પણ ધીરજના ફળ કેટલાક લોકો માટે મીઠા સાબિત થશે. બિહારની ચૂંટણીની ભાજપની જીતમાં ગુજરાતના નેતાઓ અને નાના કાર્યકરોનો ફાળો પણ મહત્વનોબિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-એનડીએની ભવ્ય જીત થઈ છે તેમાં ગુજરાતના ભાજપના નાના મોટા નેતાઓ,સાંસદો,ધારસભ્યો અને કાર્યકરોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. કારણ કે, ગુજરાતના કેટલાય નેતાઓને બિહારની જવાબદારી સોંપાઈ હતી. આથી તેઓ નિયમિત રીતે બિહારની મુલાકાતો લેતા હતા. દિવાળીના પ્રસંગે પણ માત્ર બે દિવસ ઘર પરત આવ્યા હતા. ત્યારબાદ તુરંત જ પાછા જતા રહ્યા હતા. આવા નેતાઓ-આગેવાનોની સાથે સમયાંતરે જૂદા જૂદા વિસ્તારોના કાર્યકરો પણ સાથે જતા હતા. બિહારના વિવિધ વિસ્તારોમાં જઈ ત્યાંના કાર્યકરો-આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા હતા. તેમજ જાહેર સભાઓમાં પણ પ્રવચન કરતા હતા. તેઓએ પણ ખરેખર કરવા ખાતર નહી પણ સખત મહેનત કરી હતી. ભાજપના પૂર્વ ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને હજુ પણ રાજકારણમાં રહેવાના અભરખાભાજપના એક સમયના દબંગ ગણાતા પૂર્વ ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને છેલ્લી ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહી આપીને તેમને હવે નિવૃત્ત કરી દીધા છે. તેઓ 60 વર્ષથી ઉપરના છે. જો કે ટિકિટ ફાળવણીના મુદ્દે તેઓએ એ સમયે ભાજપનુ નાક દબાવવાના પણ પુરતા પ્રયાસો કર્યા હતા પણ ભાજપ હાઈકમાન્ડે તેમને હવે ફરીથી ટિકિટ નહી આપવાનુ મન બનાવી લીધી હતુ જેમાં તેઓ અડગ રહ્યા હતા. છેલ્લા બે દાયકાથી ભાજપના દબંગ નેતાની નામના મેળવેલા મધુ શ્રીવાસ્તવ હવે સાવ કોરાણે મુકાઈ ગયા છે. તેમની પાસે કોઈ પ્રકારનો રાજકીય પાવર રહ્યો નથી. જેથી તેઓ હવે કોઈપણ હિસાબે કોઈ પોસ્ટ મેળવવા માગે છે. માટે જ તેઓએ ફરીથી રાજકીય ચળવળ શરુ કરી છી. તેઓએ વડોદરામાં તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચતીમાં કહ્યુ હતુ કે, મારે હજુ ત્રણથી ચાર પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે. અગાઉ બેફામ બોલનારા મધુ શ્રીવાસ્તવ હવે શાંત થઈ ગયા છે. તેઓ કોઈ નવા રાજકીય પક્ષ સાથે ચૂંટણી મેદાનમાં આવવાની તૈયારી કરતા હોય એવુ લાગી રહ્યુ છે. આ મહિનાના અંતે ACS સુનયના તોમર નિવૃત્ત, કેટલાક IAS અધિકારીઓની બદલીઓ થશેએડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર 30મી નવેમ્બરે વય નિવૃત્ થવાના છે.તેમની પાસે હાયર એજ્યુકેશન અને જીએડીનો વધારાનો હવાલો છે. બન્ને ખાતા મોટા અને મહત્વના છે. ઉપરાંત મુખ્ય સચિવ બન્યા પછી પણ એમ.કે. દાસ પાસે હોમ ડીપાર્ટમેન્ટનો વધારાનો હવાલો છે. મુખ્ય સચિવ પાસે વધારાના ડીપાર્ટમેન્ટનો હવાલો હોય એવુ પણ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યુ છે. માટે તેમનો વધારાનો હવાલો પણ કોઈને આપવાનો થાય છે. ઉપરાંત CMOમાં પણ એક આઈએએસ અધિકારીની જગ્યા ખાલી છે. ડિસેમ્બરના અંતે એસ.જે. હૈદર નિવૃત્ત થવાના હોઈ, તેમનો ચાર્જ પણ કોઈ અન્ય અધિકારીને સોંપવો પડશે. માટે આગામી દિવસોમાં કેટલાક આઈએએસ અધિકારીઓની બદલીઓ થશે તેમજ અમુકને વધારાના હવાલા પણ સોંપાઈ શકે છે. આગામી જાન્યુઆરીમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીઓને એડિશનલ ચીફ સેક્રેટીરી તરીકેનુ પ્રમોશન મળ્યા બાદ મોટાપાયે બદલીઓ થશે. જે પાંચને એસીએનુ પ્રમોશન મળવાનુ છે તેમાં મોના ખંધાર,ટી.નટરાજન,મમતા વર્મા,રાજીવ ટોપનો અને મુકેશકુમારનો સમાવેશ થાય છે. SIRના ફોર્મ વિતરણની ખુબ જ ઝડપી કામગીરીથી ભારતીય ચૂંટણી પંચ ખુશગુજરાતમાં એસઆઈઆર-સ્પેશિયલ ઈન્ટેન્સીવ રીવિઝનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતના મુખ્ય નિર્વાચીન અઘિકારી દ્રારા ઝડપ કરાઈ છે. બીએલઓ દ્રારા ફોર્મ વિતરણ કરાઈ રહ્યુ છે. જો કે, શનિવાર સુધીમાં જ સમગ્ર ગુજરાતમાં ફોર્મ વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ હતી. હવે સોમવારથી બીએલઓ ઘરે ઘરે જઈને ભરેલા ફોર્મ પરત લેવાનુ શરુ કરશે.એવી ધારણા કરાઈ રહી છે કે, ગુજરાતના મુખ્ય નિર્વાચીન અધિકારીના કાર્યાલય દ્રારા પ્રચાર પ્રસાર પણ ખુબ જ સારી રીતે કરાઈ રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયોનો પણ ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. મતદારોએ કઈ રીતે ફોર્મ ભરવુ, તેમાં શું ધ્યાન રાખવુ વગેરે જવી તમામ વિગતોની ખુબ જ સારી રીતે સમજાવટ કરાઈ હતી. જેને પગલે મોટાભાગના મતદારોને ફોર્મ ભરવામાં કોઈ જ મુશ્કેલીઓ થઈ નહોતી. હવે બીએલઓ ઘરે આવશે ફોર્મ તપાસશે જો કંઈ અધુરી વિગતો હશે તો મતદારોને મદદ કરીને ફોર્મ ભરાવીને પરત લઈ લેશે. ગુજરાતના ચૂંટણી અધિકારીઓની ઝડપી કામગીરીથી કેન્દ્રીય ચૂંટણી પંચ ખુશ છે. નેશનલ બુકફેરમાં કેન્દ્રીય મંત્રી-સીએમ આવ્યા પણ કોઈએ પ્રવચન કેમ ન કર્યુ તેની ચર્ચાઅમદાવાદના રિવરફ્રન્ટ પર નેશનલ બુક ફેર ચાલુ થયો છે.જેનુ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અન્ય મંત્રી દર્શનાબેન વાઘેલા,રિવાબા જાડેજા સહીતના નેતાઓ હાજર રહ્યા હતા. પુસ્તક મેળામાં સ્કુલના પાંચ હજારથી વધુ બાળકોને પણ ખાસ હાજર રખાયા હતા.જો કે, તેઓને દર વખતની જેમ આ વખતે પણ તડકામાં જ બેસવુ પડ્યુ હતુ.બુકફેરને ખુલ્લો મુકાયા બાદ મહાનુભાવો પ્રવચન આપતા હોય છે. ત્યાં હાજર રહેલા બાળકો અને લોકો નેતાઓ શું બોલશે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે નેતાઓએ મંચ પરથી ચાલતી પકડી હતી. શા માટે નેતાઓએ પ્રવચન ન આપ્યુ તેની ચર્ચા ચાલી હતી.બાળકોએ તડકામાં સમય વિતાવ્યો હતો બીજી બાજુ ઓડિશાના જગન્નાથપુરી મંદિરના ખાસ રસોઈયા દ્રારા પ્રસાદ-ભોજન તૈયાર કરાયુ હતુ.પ્રતિ ડીશનો ભાવ રુ.2100નો હતો. જો કે, મહાનુભાવો આ ખાસ ભોજનનો આસ્વાદ માણવાનુ ચૂક્યા નહોતા. અમદાવાદ મનપાની વિવિધ કમિટીની બેઠકોમાં ડે. કમિશનરો ગેરહાજર રહેતા હોવાની ચર્ચાઅમદાવાદના IAS અધિકારી મ્યુ. કોર્પોરેશનમાં પ્રજાના કામો માટે નીમવામાં આવેલી કમિટીઓમાં જે તે વિભાગના ડેપ્યુટી મ્યુ. કમિશનરની હાજરી માટે ગંભીર ન હોય તેમ ગમે ત્યારે મિટિંગમાં બોલાવી લેતા હોવાને લઈ ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારોમાં ચર્ચા જાગી છે. 15 દિવસમાં એક વાર મળતી કમિટીમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને જે તે વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ વડા હાજર હોય છે. જોકે કમિટીની તારીખ અને સમય નક્કી હોવા છતાં પણ હાજર રહેવામાં ઠાગાઠૈયા કરતા હોય છે જેની પાછળનું કારણ IAS અધિકારી મિટિંગમાં બોલાવી લે છે. આ મામલે એક કમિટી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર ન રહેતા તમામ કામોને આગળની કમિટી માટે બાકી રાખવા પડ્યા હતા. એક કમિટી હોવા છતાં પણ IAS અધિકારીએ મીટીંગ રાખી દીધી હતી જેને અધવચ્ચેથી છોડીને કમિટીમાં આવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉચ્ચ અધિકારીઓના રાઉન્ડ બાદ પણ કાલુપુર રેલવે સ્ટેશન બહાર લારીઓનું દબાણરાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુ મુસાફરોની સુરક્ષાને લઈ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે ચિંતા કરવામાં આવી હતી, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી એવી કહેવતને સાબિત કરી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ લારીઓ અને રીક્ષાઓના દબાણને લઈને ભાજપના કોર્પોરેટરે રજૂઆત કરવી પડી છે. મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે ત્યારે એ રેલવે સ્ટેશનની એકદમ બહાર જ લારીઓ રોડ ઉપર ઉભી રહે છે જેના કારણે અવરજવરમાં તકલીફ પડે છે આવી લારીઓ કાયમી હટાવી તેનો ઉકેલ લાવવામાં આવતો નથી જેને લઇને કમિશનર સુધી ભાજપના કોર્પોરેટરે મિટિંગમાં કહેવું પડ્યું હતું. IPS અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ રાઉન્ડ લે છે પરંતુ માત્ર જોઈ અને સૂચના આપી જતા રહેશે પાછળથી અમલ ન થતા કોર્પોરેટરોએ ધ્યાન દોરવું પડે છે. અનામત સીટોની જાહેરાત બાદ અનેક કોર્પોરેટરો આવનારી ચૂંટણીને લઈ ચિંતિતગુજરાતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે અમદાવાદના ભાજપના કોર્પોરેટરોમાં ભારે ચર્ચાનો વિષય અનામત સીટોને લઈને થઈ રહ્યો છે. ચૂંટણીમાં સીટ અનામત આવતાની સાથે જ કેટલાક કોર્પોરેટરોની સીટ કપાઈ ગઈ છે અને કેટલાક કોર્પોરેટરોને પોતાની સીટ બદલવી પડી રહી હોવાના પગલે આગામી ચૂંટણી લડી શકશે કે કેમ તેને લઈને અસમંજસમાં છે. ગુજરાત ભાજપનું પ્રદેશ સંગઠનનું માળખું હજી જાહેર નથી થયું ત્યારે કોર્પોરેટરો અસમંજસમાં છે. ગત ટર્મમાં ભાજપના ત્રણ સિનિયર મંત્રીઓનું વધારે ચાલ્યું હતું ત્યારે હવે ચાલુ વર્ષે મંત્રીઓ ચાલશે કે પછી પ્રદેશ પ્રમુખ નક્કી કરશે તેને લઈને ચર્ચા છે. યુનિટ માર્ચમાં આવેલા લોકોએ બબ્બે કિલોમીટર ચાલવું પડ્યુંગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતીને લઈને યુનિટી માર્ચ યોજાઈ હતી. આ યુનિટી માર્ચમાં ભાગ લેવા માટે આવનારા લોકોને બસમાં લાવવામાં આવ્યા હતા. જોકે બસમાં આવનારા લોકોને સવારે એકથી બે કિલોમીટર જેટલું ચાલવું પડ્યું હતું. વિરાટનગર પૂર્વ ઝોન ઓફિસથી લઈને ફુવારા સર્કલ સુધી લોકોને ચાલીને આવવું પડ્યું હતું. રોડ ઉપર બહાર ઉતારી દેવામાં આવ્યા હતા કોઈપણ વાહનો અને સોસાયટીના કેટલાક લોકોને પણ જવા દેવામાં આવ્યા નહોતા જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સભા સ્થળ દૂર અને વચ્ચેથી જઈ શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ રોડ બંધ કરી દેવામાં આવતા સભામાં આવનારા લોકોને સ્થાનિકોને હાલાકી પણ ભોગવવી પડી હતી.
ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલીંક ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાઇબર ફ્રોડનું કૌભાંડ પકડી પડ્યું છે. આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાઈબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણી (રહે જય હિન્દ સિંધી સોસાયટી પાર્લે પોઇન્ટ સુરત) દ્વારા સુઆયોજિત રીતના પર્સનલ લોનના બહાને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપર પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી. જ્યારે ગ્રાહક તેમની પાસે લોન માટેની ઇન્કવાયરી કરે તો તેની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા હતા. તેના આધારે ગ્રાહકની જાણ બહાર ACH મેન્ડેડ તૈયાર કરી લેવામાં આવતું હતું અને જેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી 13500થી લઈ ₹25,000 સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી હતી આ રકમ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની કાર્ડમાં લેવામાં આવતી હતી. પોલીસ તપાસમાં નિતેશે તેની બીજી શાખા પાલનપુર ગામ સ્થિત રોયલ ટેટીનિયમમાં હોવાનું કહેતા પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી. અહીં લોકોને જોબ આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવતી હતી. ઓનલાઇન જોબ ના બહાને નોકરી ઈચ્છુક વ્યક્તિને bytesolver કંપનીમાં જોબ આપવાના બહાને કરાર કરાવતો હતો અને બાદમાં કરાર ભંગ કર્યો હોવાનું કહીને પૈસા પડાવવામાં આવતા હતા. આ બ્રાન્ચ સંભાળતા મોહમ્મદ જાવેદ (રહે, સોયેબા રેસીડેન્સી, મહિધરપુરા)ની પોલીસે ધરપકડ કરી હતી. આ બંને ઓફિસમાંથી પોલીસે બે લેપટોપ, છ મોબાઇલ ફોન અને અનેક દસ્તાવેજો સહિત ૧.૩૦ લાખની મત્તા કબજે લીધી છે.’’ગ્લોબલિંક ટેક સર્વિસીસ પ્રા. લિ.’’ તરીકે ચાલતી કંપનીનું દુબઈમાં રજિસ્ટ્રેશન હાઈ અને તેના ડિરેક્ટર તરીકે સતીન્દરપાલ સિંઘ અને અભિષેક ગોસ્વામીના નામ સામે આવ્યા છે. ભાસ્કર ઇનસાઇટ નોકરી આપતી વખતે 15 પેજના ડિજિટલ કોન્ટ્રાક્ટમાં શરત ભંગનો છુપોનિયમ રાખતાપાલનપુર ગામ ખાતે આવેલી કંપનીની અન્ય શાખામાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વર્ક ઇન્ડિયા વેબસાઇટ મારફતે નોકરી શોધતા લોકોનો ડેટા મેળવી તેમની સાથે સંપર્ક કરતા. તેઓ Bytesolver નામની ટાયઅપ કંપનીમાં ઘરે બેઠા કામ કરી કમાણી કરી શકાશે એવું કહી જોબ પ્લેસમેન્ટનું પ્રલોભન આપતા. જોબ શોધનાર પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી કંપનીની CAI એપ્લિકેશન દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું, જેમાં ટર્મ્સ-એન્ડ-કન્ડિશનમાં એક ડિજિટલ 15 પેજનો કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવતો જેમાં ડિજિટલ સહી પણ કરાવી લેતા.આ કોન્ટ્રાક્ટ મુજબ ઉમેદવારને ₹10,000 + GST તરીકે ફી ચૂકવવાની શરત છુપાવવામાં આવતી હતી. દસ દિવસ બાદ જે તે વ્યક્તિને શરત ભંગ કરી હોવાનું કહી પૈસા પડાવવામાં આવતા હતા. અને પૈસા ન આપે તો વકીલની નોટિસ આપતા હતા. સુરત ઉપરાંત મુંબઈ, ફરીદાબાદ , પુના, ગોવા સહિત વિવિધ રાજ્યોના લોકો પણ ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. ACH Mandate એગ્રીમેન્ટ કરી ઠગાઈસાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો, જેમાં ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાઈબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણી (રહે જય હિન્દ સિંધી સોસાયટી પાર્લે પોઇન્ટ સુરત) દ્વારા સુઆયોજિત રીતના પર્સનલ લોનના બહાને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપર પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી. જ્યારે ગ્રાહક તેમની પાસે લોન માટેની ઇન્કવાયરી કરે તો તેની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા હતા. તેના આધારે ગ્રાહકની જાણ બહાર ACH મેન્ડેડ તૈયાર કરી લેવામાં આવતું હતું અને જેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી 13500થી લઈ ₹25,000 સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી હતી આ રકમ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની કાર્ડમાં લેવામાં આવતી હતી. ભાસ્કર ઈનસાઈટઆરોપી નિતેશે જણાવ્યું હતું કે Globelink Tech Services Pvt. Ltd.કંપની ઝોમેટો જેવી અન્ય એજન્સી સાથે જોડાયેલા હોવાનું કહી પ્રોમો કૂપન આપવાનું કહેતા. જેમાં તેઓ CAI એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કૂપન મળશે જે કૂપન મારફતે તેમને 25થી 50 ટકા સુધીનું કમિશનની લાલચ આપતા.પ્રોમો કુપન વેચાણનો બહાનો બનાવી સોશિયલ મીડિયા દ્વારા પર્સનલ લોન અપાવવાની ખોટી જાહેરાત કરવામાં આવતી હતી. કસ્ટમર ઇન્કવાયરી કરતાની સાથે જ ટીમના સભ્યો તેમની સાથે સંપર્ક કરી વિવિધ લોન અપાવવાના બહાને તેમના આધાર સહિતના જરૂરી દસ્તાવેજ મેળવતા. ત્યારબાદ ગ્રાહકને જાણ કર્યા વગર ACH Mandateનાં ખોટાં દસ્તાવેજ તૈયાર કરી બેંકને ઇમેઇલ મોકલી ગ્રાહકોના એકાઉન્ટમાંથી જુદી જુદી રકમ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઇન છેતરપીંડી કરતા.
બમરોલી-વડોદ રોડના મિલન પોઇન્ટ પાસે પાણીની ટાંકીથી માંડ 600 મીટ દૂર આવેલી 6 સોસાયટીમાં જ લો-પ્રેસરથી પાણી મળતાં 7 હજાર લોકો 2 વર્ષથી ત્રાસી રહ્યા છે. વિભાગે વસાહત વધતા પાણી નવેસરથી જોડાણ લેવાનો આગ્રહ દર્શાવ્યો છે પરંતુ સોસાયટીઓ બની, મકાન વેચાયા અને રહેણાક ગીચ થયાનાં 7 વર્ષે પણ રહીશો લાચાર છે. 24X7 મીટર હોવા છતાં લોકો વલખાં મારે છે. શ્રી ઉમિયા રેસિડેન્સીના 120 પરિવારોની દશા દયનીય છે, આસ્થા રેસિડેન્સી, શ્લોક આર્કેડ, ઓમ કોમ્પ્લેક્સ, ગજાનંદ સંકુલ અને અમીઝરા રેસિડેન્સીએ 2 વર્ષમાં અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ મળતો નથી. ઉમિયા રેસિડેન્સીના રહીશોએ તો મકાન વેચી દેવા માટે તૈયારીઓ દર્શાવી હોવાની લાચારી છે. પીવાનું પાણી GIDCમાં ઠલવાય છે અમારું પાણી GIDCને અપાય છે. ત્યાં રજા હોય ત્યારે પૂરતું પ્રેશર મળે છે. 2 વર્ષમાં 13થી વધુ ફરિયાદ કરી છે. લાઈનનું વિસ્તૃતિકરણ ખુબ જરૂરી બન્યું છે. > દીક્ષિત પટેલ, રહીશ માથાકૂટ થતાં પોલીસ બોલાવાઈ હતી કરકસરથી પાણી વારવા મુદ્દે માથાકૂટ થતાં બિલ્ડિંગમાં ઝઘડા થાય છે. શરૂઆતથી જ સાંકડી લાઇન છે. > હસુમતી પટેલ, ગૃહિણી ઉમિયામાં લો-પ્રેશરની સમસ્યા વધુ છે, પરંતુ જે તે પરિસરમાં જ સ્ટોરેજ ક્ષમતા વધારવાની જરૂર છે. સોસાયટીનું લીગલ કનેક્શન ઇન્ડસ્ટ્રિયલ લાઇનમાંથી લેવાયું હતું. જો કે, એકમોને માપસર જ એટલે વધારે પાણી આપતાં ન હોવાથી સર્જાયેલી આ સમસ્યાનો વારંવાર ઉકેલ પણ લાવવામાં આવે છે. > વિકાસ પટેલ, ઇજનેર, હાઇડ્રોલિક વિભાગ
આપઘાતનો મામલો:FSLના કોન્ટ્રાક્ટ કર્મચારીએ આર્થિક તંગીની આપઘાત કર્યો
બે દિવસથી ગુમ થયેલા એફએસએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનો નાનપુરા નાવડી ઓવારા નજીક તાપીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવાન કર્મચારીએ આર્થીંક ભીંસના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બેગમપુરા ચીડીયાકુંઈ નળવાળા મહોલ્લામાં રહેતા 29 વર્ષીય સાજન ચંપકલાલ પારનેરીયા ફાલસાવાડી ખાતે આવેલી એફએસએલની ઓફિસમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. શુક્રવારે સવારે તેઓ ઘરેથી નોકરી પર જવાનું કહી પગપાળા નીકળ્યા હતા. જોકે તેઓ નોકરી પર પહોંચ્યા ન હતા અને સાંજે ઘરે પરત પણ ફર્યા ન હતા. જેથી પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમના ગુમ થવાની ફરીયાદ પણ આપી હતી. દરમ્યાન રવિવારે સવારે નાવડી ઓવારા પાસે તાપીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આર્થીક ભીંસના કારણે તેમણે તાપીમાં પડતું મુકી આપઘાતનું પગલું ભર્યું હોવાની પરિવારે શક્યતા વ્યકત કરી હતી. બનાવ સંદર્ભે અડાજણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમને અન્ય બે ભાઈ અને બે બહેન છે.
પૂર્વ સૈનિકો દ્વારા 35 મહાવિદ્યાલયોમાં શૌર્ય–ઉર્જા અર્પણ કાર્યક્રમ ભારત ભારતી દ્વારા દેશભક્તિના અલૌકિક સંદેશ સાથે આજે બીજા દિવસે વિશાળ શૌર્ય ઉર્જા અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત, બારડોલી અને નવસારી જિલ્લામાં આવેલી 35 જેટલી સ્કૂલ અને કોલેજોમાં પૂર્વ સૈનિકોએ વિદ્યાર્થીઓ સાથે શૌર્ય, દેશસેવા અને રાષ્ટ્રનિર્માણ વિષયક પ્રેરક સંવાદ યોજ્યો હતો. દરેક સંગોષ્ઠિ સ્થળે કચ્છ કડવા પાટીદાર યુથ દ્વારા શૌર્ય થિમ યુક્ત સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી. શૌર્ય ખુશી અને સૈનિકોના આગમને દરેક સ્કૂલ–કોલેજો દ્વારા અનોખું સ્વાગત થયુ વિદ્યાર્થીઓની દેશભક્તિ પ્રેરિત પ્રતિસાદ વિશેષ નોંધપાત્ર રહ્યો.સાંજનું આધ્યાત્મિક અને વિચાર મંચના સત્ર માં વિશેષ ઉપસ્થિત વ્યકિતઓ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. સત્યમ રાવે ગુજરાતમાં ઘર વાપસી પ્રોજેક્ટને સકારાત્મક દિશામાં આગવી વ્યાખ્યા આપી, સેનામાં ફરજમાં પતિ અને પરિવારની ચિંતા ન કરવાનો વિશ્વાસ આપનાર ઉપસ્થિત વીરાંગનાઓના કાર્યની પ્રશંસા કરી તેઓનું આ પ્રસંગે ખાસ સમ્માન કરવામાં આવ્યું હતું.
ભાસ્કર એક્સક્લુસિવ:જેના જીવનમાં ભાવ છે તે આનંદથી જીવી શકે, ભાવવિહીન વ્યક્તિ જીવનમાં સુખી નથી: સતશ્રી
સ્વામિનારાયણ સતધામ ખાતે શાકોત્સવનું રવિવારે સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તા સતશ્રીએ જણાવ્યું હતું કે જેના જીવનમાં ભાવ છે તેના જીવનમાં આનંદ છે ભાવવિહીન વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી થઈ શકતો નથી જેના જીવનમાં ભાવ છે તેનામાં રાષ્ટ્રભક્તિ, પ્રભુભક્તિ અને સમાજ પ્રત્યે ઉદારતા જેવા અને ગુણો ખીલે છે. ભાવવિહીન હૃદયથી કોઈપણ સારું કાર્ય થઈ શકતું નથી તેની અંદર અનેક પ્રકારની થાય છે વિક્ષેપ અને અવરોધ આવી જાય છે પરંતુ ભાવ હ્રદયથી આપણે ધારેલા તમામ સારા કાર્ય થાય છે. તેથી હંમેશા આપણું હૃદય ભાવભીનું રાખવું ભાવ નહીં હોય તો માણસ લાગણી અને અને નકારાત્મક વલણનો બની જાય છે સામાજિક જીવનમાં કોઈની સાથે સંબંધો પારિવારિક જીવન વ્યવહાર વગેરે માં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. હૃદય બનાવવા માટે ભાવનાવાળા લોકો સાથે રહેવું જોઈએ કારણકે તેઓની વાણી,વર્તન અને વ્યવહારમાં ત્યાગ હોય, દરેક ક્ષણે ભાવ વ્યક્ત થતો હોય છે તેના થકી આપણામાં રહેલા દુર્ગુણો દૂર થાય છે જો ક્રોધી વ્યક્તિ સાથે સંગત હોય તો માણસ ક્રોધી બને લોભી સાથે અથવા કામીસાથે રહેતા હોય તો તેના જેવું જીવન બને છે. બાલકૃષ્ણ સ્વામી, નિર્ગુણ સ્વામી વગેરે સંતો પ્રસંગિક કર્યું હતું. 5000થી વધારે લોકોએ ભોજન પ્રસાદ લીધોસ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ મહત્વ છે વર્ષો પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથે 60 મણ રીંગણાના શાકનો વઘાર કરી ભક્તોને ભોજન પીરસ્યું હતું ત્યારથી આ પથ્થરની પરંપરા શરૂ થઈ છે. આ વર્ષનો પ્રથમ શાકોત્સવ સતધામ ખાતે યોજાયો હતો જેમાં 5000થી વધારે લોકોએ ભોજન પ્રસાદ અને સત્સંગનો લાભ લીધો હતો.
CMને આવેદન:રોડ-પાણી-ડ્રેનેજ-લાઇટનાં કામ માટેના આસિસ્ટન્ટની અધધ 422 પોસ્ટ ખાલી
પાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ (ટીએ)ની ભરતીમાં ઢીલી નીતિને પગલે છેલ્લાં 2 વર્ષથી પ્રતીક્ષા યાદી બનાવી હોવા છતાં 422 ઉમેદવાર બાકી જ રહી ગયાં છે. વળી આ યાદીની અવધિ પણ આગામી દિવસોમાં પૂર્ણ થશે. આ મુદ્દે મંડળે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. 359 ટીએને નિમણૂક અપાઈ હતી સાથે 547ની પ્રતીક્ષા યાદી બનાવી હતી પરંતુ હજી માત્ર 125 ની જ પસંદગી થઈ છે. પાલિકાની મહત્વની ગણાતી આ જગ્યા કે જે દરેક ટેક્નિકલ કામગીરીમાં સ્થળ પર સુપરવિઝન માટે મહત્ત્વની છે. ટીએની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 2018માં થઈ હતી ત્યાર બાદ 2023માં તે જાહેરાતની પરીક્ષા પણ લેવામાં આવી હતી. હજુ પણ પાલિકામાં દરેક વિભાગો, ઝોનમાં આ જગ્યાઓ ખાલી છે, જેથી રોડ-પાણી-ડ્રેનેજ-લાઇટની કામગીરી પર અસર પડી રહી છે. વિસ્તાર વધવા સાથે કામગીરી પણ વધી છે પરંતુ ભરતીમાં વધારો કરાયો નથી. પ્રતીક્ષા યાદીમાં હજુ અડધાથી વધુ નિમણૂંકની રાહ જોઈ રહ્યા છે. ભાસ્કર ઇનસાઇટમેઇન્ટેનન્સ પાછળ દર વર્ષે કરોડોનું આંધણ થાય છેઆ પોસ્ટની કામગીરી સ્થળ પર સુપરવિઝનની છે ત્યારે રસ્તા, પાણી, હાઇડ્રોલિક, ડ્રેનેજ, લાઇટ, ગાર્ડનના રિપેરિંગ પર સુપરવિઝન માટે સ્ટાફ જ ન હોવાથી છાસવારે મેઇન્ટેનન્સ પાછળ પાલિકાને દર વર્ષે કરોડોનું આંધણ થાય છે. શહેરની હદ પણ વધી છે છતાં ટેક્નિકલ આસિસ્ટન્ટની ભરતી કરી સુપરવિઝન સુદ્ગઢ કરવામાં તંત્ર વાહનકોને રસ નથી.
આગ લાગી:પરવટ ગામ નજીક મકાનમાં ગેસ લીકેજના કારણે આગ
પરવટ ગામ સંતોષ નગરમાં એક મકાનમાં ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પરવટ ગામ સંતોષ નગર સોસાયટીમાં એક મકાનમાં પહેલા માળે બનાવેલી રૂમમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાના કારણે આગ ભભૂકી ઉઠતા રૂમમાં હાજર પરિવારના સભ્યો બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
BLOને હેરાનગતિ:2.57 લાખ મતદારે ફોર્મ ભર્યાં, ઘણાં બૂથ 1 કલાક વહેલા બંધ થયાની બૂમ
મતદાર યાદી સુધારણા અંતર્ગત 15 અને 16 નવેમ્બરે તમામ મતદાન મથકો પર કેમ્પ યોજાયા હતા, જેમાં 15મીએ 1.17 લાખ તથા 16મીએ 1.40 લાખ મળી બે દિવસમાં 2.57 લાખ મતદારે ફોર્મ ભરીને જમા કરાવ્યાં હતાં. લોકો સરળતાથી ફોર્મ ભરી શકે, માહિતી મેળવી શકે તે માટે આ કેમ્પ યોજાયા હતા. જોકે અમુક બૂથ પર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફોર્મ સ્વિકારવાનો સમય સવારે 9થી બપોરે 1 સુધીનો હતો, પરંતુ ઘણાં બૂથ પર બપોરે 12 વાગ્યાથી 12:30 વાગ્યા પછી ફોર્મ સ્વિકારવાનું બંધ કરી દીધું હતું. અમુક બૂથ પર વધારે ભીડ હોવાથી બીએલઓ સરખી માહિતી આપી શક્યા ન હતા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બીએલઓને ફોર્મ સબમીટ કરવા જે એપ્લિકેશનમાં કામ કરવાનું હોય છે તે એપ્લિકેશનનું સર્વર સતત ડાઉન રહેવાને કારણે બીએલઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. 22-23 નવેમ્બરે પણ બૂથ પર વિશેષ કેમ્પ યોજાશે22 અને 23 નવેમ્બરે પણ તમામ બી.એલ.ઓ. સંબંધિત બૂથ પર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બૂથ પર હાજર રહેલા બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLOની મદદથી મેપિંગ, લિન્કિંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે.
ધારાસભ્ય કાનાણીએ અગાઉ ભેળસેળનો મુદ્દો ઉઠાવીને કાયદાને કડક બનાવવા, ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી, જેથી આરોગ્ય વિભાગે દુકાનોના કારીગરોના મેડિકલ સર્ટિ, શારીરિક સ્વચ્છતાની ચકાસણી, હાઇજિન અંગે ઝુંબેશ શરૂ કરી 86 સંસ્થાને નોટિસ ફટકારી છે. 5 દિવસમાં 41 સંસ્થામાંથી 28 નમૂના લઈ 797 કિલોનો જથ્થો સીઝ, 54 કિલો પનીરનો નાશ કરાયો છે. ભાસ્કર ઇનસાઈટલારી-રેસ્ટોરાંનો 120 કિલો જથ્થો નાશ કરાયોપાણી, ગ્રીસ ચેમ્બર્સ, કર્મચારીઓના મેડિકલ સર્ટિ, શારીરિક સ્વચ્છતા, ટોપી-હાથમોજાં-એપ્રન, કચરાની વ્યવસ્થા કરવા જાગૃતિના પાઠ ભણાવાયા હતા. પાણી-પૂરી, ચાઇનીઝ, પાંઉ-ભાજી સહિતની દુકાનો, રેસ્ટોરાં જેવી 375 સંસ્થાની તપાસ કરી ખાદ્ય પદાર્થોના 79 નમૂના લેવાયા હતા તેમજ 86 સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતાં નોટિસ ફટકારાઈ હતી. 120 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 1.31 લાખનો ખર્ચ વસૂલાયો હતો. દુકાનોમાં પનીર, ચીઝ એનાલોગ, ઘી જેવી દૂધની બનાવટોમાં મિલાવટ વધુ10થી 15 નવેમ્બર સુધીમાં પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરી-મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી કુલ 41 સંસ્થાની સ્થળ તપાસ કરી પનીરના 16, ચીઝ એનાલોગના 3, ઘીના 10, મરી-મસાલાના 28 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લૅબોરેટરી મોકલી અપાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એકટ-2006 મુજબ કાર્યવાહી કરાશે. જ્યારે દૂધની બનાવટોમાં પનીર, ચીઝ એનાલોગ, ઘીનો કુલ 797 કિલોનો જથ્થો જેની કિંમત આશરે 2 લાખથી વધુનો શંકાસ્પદ જણાતો જથ્થો સીઝ કરી 54 કિલો અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરાયો છે.
GSTમાં નોટિસો આપવામાં સુધારા વધારા કરાયા છે, જેમાં હવે સુપ્રિન્ટેન્ડન્ટ રૂપિયા 20 લાખ સુધીની નોટિસો ફટકારી શકશે. બોગસ બિલિંગ સામે કડક કાર્યવાહીના સંદર્ભમાં આ ફેરફાર કરાયા છે. સૌથી મોટો ફેરફર પેનલ્ટીની લિમિટ અંગેનો છે જે પહેલીવાર નક્કી કરી દેવામા આવી છે જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ પહેલવાર નોટિસ આપશે. નવા સુધારા મુજબ 122ની પેનલ્ટી વધી જાય તો ઓફિસર અલગ નોટિસ આપી શકે છે. જેમાં બે અલગ-અલગ ટેક્સ 74-એ અને પેનલ્ટી 122ની નોટિસ ઇશ્યુ ખરી શકશે. જે અગાઉ એક જ નોટિસમાં કલમ 74માં ટેક્સ અને 122 આપવામાં આવતી હતી. જે રુલ 142 મુજબ હતુ. અલબત્ત, અગાઉ જે નોટિસો ઇશ્યુ થઈ ગઈ છે તેમાં ફેરફાર આવશે કે કેમ એ અંગે હાલ શંકા-કુશંકા છે. ઉપરાંત એવુ પણ બને કે એક જ કેસમા બે અધિકારીઓ જુદી-જુદી નોટિસ આપશે. જેમાં એક ડિમાન્ડ અને બીજી પેનલ્ટીની હશે. આકારણી-ડિમાન્ડમાં ફેરફારવર્ષ 2024-25થી આકારણી નોટિસો અને ડિમાન્ડ ઓર્ડર માટે કલમ-74એ લાગુ પડશે. જે અગાઉ વર્ષ 2023-24 સુધી કલમ 73-74ની કલમ લાગુ થતી હતી, જે અન્વયે CBICએ કલમ 74-એના ટેક્સ અને 122ની પેનલ્ટી પ્રોપર ઓફિસરને નક્કી કરી છે. 122 માટે પેનલ્ટીની લિમિટ ન હતી. > કૃણાલ આઇસ્ક્રીવાલા, એડવોકેટ નોટિસ આ રીતે અપાશે
સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે. ટેક્સટાઇલ, ડાયમંડ, ઇજનેરિંગ જેવા સેક્ટરમાં ઉદ્યોગોએ પોતાની ખાલી જમીન પર ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પેનલ સ્થાપિત કરી વિજળી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હાલ એક યુનિટ સોલાર વિજળીનો ખર્ચ પરંપરાગત વિજળીની તુલનાએ એક તૃતિયાંશ જેટલો ઓછો પડે છે, જેના કારણે સોલાર પ્રોજેક્ટની માંગ સતત વધી રહી છે. પરંતુ ડિસેમ્બર મહિના બાદ આ માંગ અચાનક ઘટી શકે તેવી સંભાવના ઊભી થઈ છે. કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ 1 જૂન 2026 પછી ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ બનાવવા માટે માત્ર દેશમાં બનેલા સોલાર સેલથી બનેલી પેનલ જ ઉપયોગ કરી શકાશે. આ નિયમ ઉદ્યોગ પર સીધી અસર કરે એવી સ્થિતિ છે. હાલના બજાર ભાવ મુજબ ભારતમાં બનેલા સેલ ધરાવતી 1 મેગાવોટ સોલાર પેનલની કિંમત લગભગ 2.40 કરોડ રૂપિયાની આવે છે, જ્યારે આયાત થતી પેનલ 1.40 કરોડમાં મળી આવે છે. એટલે કે દર મેગાવોટ પર સીધો 80 લાખ રૂપિયાનોનો ખર્ચ વધે છે. ઉદ્યોગકારો માટે આ વધારાનો ખર્ચ ખુબજ મોટો ગણાય છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે ઉત્પાદન ખર્ચ ઘટાડવું તેમની મુખ્ય જરૂરિયાત છે. આટલો મોટો ભાવ તફાવત ઉદ્યોગકારોને નવા પ્રોજેક્ટ શરૂ કરવા પ્રોત્સાહિત નહીં કરે. તેથી આવતા ડિસેમ્બરથી જ ઉદ્યોગકારો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ નાંખવાનું બંધ કરી દે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા ઉદ્યોગોમાં ચાલી રહેલી પ્લાનિંગ પણ હાલ હાલત મુજબ અટકવાની શક્યતા છે. ખાનગી એજન્સીઓને પણ છૂટ આપવા માટે રજૂઆતસરકારી કોન્ટ્રાક્ટરોને એવી છૂટ આપવામાં આવી છે કે, 1 જૂન પહેલાં કોન્ટ્રાક્ટ થઈ ગયો હશે તો તેઓ 1 જૂન બાદ આયાતી સોલાર પેનલથી ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પેનલ નાંખી શકશે. જ્યારે ખાનગી એજન્સીઓને આવી છૂટ આપાવમાં આવી નથી. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય રિન્યુએબલ એનર્જી સેક્રેટરીને રજૂઆત કરી ખાનગી એજન્સીઓને પણ છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. દેશમાં સોલાર સેલનું ઉત્પાદન ઓછું ને ભાવ ખુબ જ ઊંચાચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે કહ્યું હતું કે, ‘સોલાર વીજળીનો વપરાશ વધારીને જ ચીને પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડ્યો જેથી કરીને આખા વિશ્વના બજારોમાં પોતાને ત્યાં બનતો માલ સસ્તા ભાવે વેચી શકાય. આપણે આવું કરવાને બદલે ઉત્પાદન ખર્ચ નહીં ઘટે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. એક તો દેશમાં સોલાર સેલનું ઉત્પાદન ઓછું છે અને ઉપરથી કંપનીઓના ભાવ ખુબ જ ઊંચા હોય છે, જેથી સ્થાનિક પેનલો હાલમાં મેગાવોટ દીઠ 80 લાખથી વધારે મોંઘી પડે છે.
અસમાજીક તત્વો બન્યા બેફામ:ધંધાકીય હરીફાઇને કારણે યુવાન પર શખ્સો ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા
રાજકોટ શહેરમાં પોલીસની ધાક ઓસરતી જાય છે અને તેના કારણે દરરોજ એવરેજ એકથી બે સરાજાહેર મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રવિવારે સાંજે પણ યુવાનને અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ પાસે બોલાવ્યા બાદ ધંધાકીય ખારને કારણે 10થી 12 શખ્સ સરાજાહેર બેઝબોલના ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા અને યુવાન પર હિચકારો હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ઇજાગ્રસ્ત યુવાનને પરિવારજનોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધવા અને ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના નાણાવટી ચોકમાં રુક્મિણી પાર્કમાં સિદ્ધિવિનાયક ખાતે રહેતા પાર્થ નીતિનભાઇ ફિચડિયા નામના 23 વર્ષના યુવાનને મયૂર બારોટ નામના શખ્સે અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ 10થી 12 શખ્સ તેના પેટ પર બેસીને બેઝબોલના ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાનના પિતા નીતિનભાઇ રમણીકલાલ ફિચડિયા અને માતા પૂજાબેને જણાવ્યું હતું કે, અમારો પુત્ર અગાઉ મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો ત્યારે મયૂર બારોટનો છોકરો તેને ધંધો કરવા માટે પોતાની સાથે લઇ ગયો હતો અને બન્ને રેતીનો ધંધો સાથે કરતા હતા. ત્યારબાદ મયૂર બારોટના છોકરાએ રેતીનો ધંધો કરવાની ના પાડી પાર્થને તેના પિતા સાથે ધંધો કરવા કહ્યું હતું. જેની પાર્થે ના પાડતા છેલ્લા દોઢેક વર્ષથી માથાકૂટ ચાલતી હતી અને મયૂર બારોટ અવારનવાર ‘તારા છોકરાને ધંધો નહીં કરવા દઉં, તારા ટાંટિયા ભાંગી નાખીશ’ તેવી ધમકી આપતો હતો અને તેનો પુત્ર અમારા વિસ્તારમાં ગાડી લઇને નીકળી ભય ફેલાવતો હતો અને આજે બોલાવીને સરાજાહેર તેના પર હુમલો કર્યો હતો.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગની ટીમનો દરોડો:જીવરાજ પાર્કમાં કેન્વાસ સ્પામાં દરોડો, 4 ઝડપાયા
રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં સિટી ક્લાસિક કોમ્પ્લેક્સના બીજા માળે કેન્વાસ સ્પામાં છોકરીઓ રાખી સ્પા મસાજના નામે દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સને ઝડપી લીધા હતા. કેન્વાસ સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ.1000 લઇ ભોગ બનનાર ગ્રાહકો પાસેથી શરીરસંબંધના રૂ.2000થી 5000 સુધી લેતા હતા અને તેમાંથી રૂ.1000 સ્પા સંચાલકને આપતા હતા. એક ગ્રાહકે રૂ.5000 આપી શરીરસંબંધ બાંધ્યો હતો અને બીજા ગ્રાહકને શરીરસંબંધની હા પાડી એક્સ્ટ્રા સર્વિસ માટે રૂ.2000 નક્કી કર્યા હતા. પોલીસે સ્પામાંથી મિલન દેવેન્દ્ર દવે (રે. પિતૃકૃપા, અજય ટેનામેન્ટ, બ્લોક નં.બી /16, યશ કોમ્પ્લેક્સ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ, અનિશા જય સોલંકી(રે.રાષ્ટ્રીય શાળા, યાજ્ઞિક રોડ), ગિરીશકુમાર મીણા(રે.મોહનલાલ મીણા ઇન્ટાલી ખેડા, પારોડા, ઉદયપુર, રાજસ્થાન) અને નિખિલ જમીન રાબડિયાની ધરપકડ કરી હતી. પોલીસે સ્પામાંથી ચાર મોબાઇલ સહિત રૂ.33350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્પાના માલિક વિજય નાજા ભૂંડિયા અને થાનકી પાર્થ કિશોર (રે.સિદ્ધિ,-5 એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.B/204 શેઠનગર પાછળ, જામનગર રોડ) હાથ ન લાગતા તેમની શોધખોળ આદરી છે. આ સ્પામાંથી પંજાબ રાજ્યની એક, દિલ્હીની એક, હરિયાણાની એક, ગુજરાતની એક ભોગ બનનાર મળી આવતા તેમને દેહવ્યાપારની પ્રવૃત્તિ ન કરવા સમજાવી હતી.
રાજકોટમાં આપઘાતના બે બનાવ:વૃદ્ધે એસિડ ગટગટાવીને, યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરમાં શનિવારે આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતી યુવતીએ સાંઇબાબા સર્કલ પાસે ગળાફાંસો ખાઇ અને ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા વૃદ્ધે એસિડ ગટગટાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. નાનામવા રોડ પર ન્યૂ ગાંધી સોસાયટી શેરી નં.8માં રહેતા કિશોરભાઇ ભૂરાભાઇ પાંભર નામના 62 વર્ષના ઉદ્યોગપતિ વૃદ્ધે શનિવારે પોતાના ઘેર અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમના પુત્રે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી બ્લડપ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાતા હોવાથી આપઘાત કર્યો છે. જોકે પોલીસે કારણ ગળે ન ઉતરતા વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતી ડોલીબેન આચાર્ય નામની 24 વર્ષની યુવતીએ સાંઇબાબા સર્કલ પાસે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોલીબેનના લગ્ન અમિત અગ્રાવત નામના યુવાન સાથે થયા હતા અને બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી છૂટાછેડાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ડોલીબેન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હાલમાં તેમના પરિવારજનો આવી ગયા છે અને તેઓ અંતિમક્રિયામાં હોય તેમની પૂછપરછ બાદ આત્મહત્યાનું કારણ બહાર આવશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:હનુમાનમઢી ચોકમાં જાહેર શૌચાલય પાસે ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ્
શહેરના ટ્રાફિકથી ધમધમતા હનુમાનમઢી ચોકમાં મહાનગરપાલિકાએ બનાવેલું જાહેર શૌચાલય આવેલું છે. ત્યાં પૂરતી સફાઇના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છવાતું હોય અને અસહ્ય દુર્ગંધ ફેલાતી હોય આસપાસના વેપારીઓ અને ત્યાંથી પસાર થતાં લોકો ત્રાહિમામ્ પોકારી જાય છે. તેમજ આ ગંદકી અને દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હનુમાનમઢી ચોકમાંથી દરરોજ 50થી 60 હજાર વાહચાલકો પસાર થતા હોય છે અને ચાર ચોક હોવાથી સાઇડ બંધ હોય ત્યારે શૌચાલય પાસે ઊભા રહેતા વાહનચાલકોની હાલત ભારે કફોડી બની જાય છે. વેપારીઓએ જણાવ્યા પ્રમાણે હનુમાનમઢી ચોક પાસે આવેલા આ શૌચાલયની યોગ્ય સફાઇ થતી ન હોવાથી માથાં ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતી હોય છે. શૌચાલય પાસેથી પસાર થતાં વાહનચાલકો બે મિનિટ પણ નથી ઊભા રહી શકતા ત્યારે અમારે તો આખો દિવસ અહીં વેપાર કરવાનો હોય છે. આ શૌચાલયના કારણે ગ્રાહકો પણ શક્ય હોય ત્યાં સુધી અમારે ત્યાં ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યા છે અને તેના પરિણામે ધંધામાં પણ ફટકો પડી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ અહીંયા દારૂડિયાઓ દારૂ પીને કોથળી ફેંકીને ચાલ્યા જાય છે. તેમજ અમુક બહારથી આવતા લોકો કચરા પણ અહીં ફેંકી ચાલ્યા જાય છે. શૌચાલયના કારણે રોગચાળો ફેલાવાની પૂરતી ભીતિ રહી છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે અમુક લોકો ઊભા રહ્યા બાદ શૌચાલયની ગંદકી અને દુર્ગંધના કારણે સિગ્નલ બંધ હોવા છતાં પણ વાહન લઇને ચાલ્યા જતા હોવાનું જોવા મળી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે ખોડલધામ, કાગવડ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા. મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા તેમણે ભાવપૂર્વક પૂજન–અર્ચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મા ખોડલના આ ધામ ખાતે રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એકસાથે અનુભવી શકાય છે. ધર્મશક્તિના ધામમાં રાષ્ટ્રશક્તિને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ માટે વૈદિક લગ્ન શરૂ કરવામાં આવ્યા છે તે માટે નરેશભાઈ અને તેમની ટીમે કરેલા પ્રયાસો સરાહનીય છે. વૈદિક પદ્ધતિ ખોટા ખર્ચ અને દેખાડા વગરની હોવાથી અને આર્થિક રીતે પરવડે તેવી હોવાથી દરેક સમાજે અપનાવવી જોઈએ. મા ખોડલ સૌ ખેડૂતોને ફરી બેઠા થવાની હિંમત અને શક્તિ આપે, સૌનું કલ્યાણ થાય, સૌ નાગરિકોની મનોકામના અને સૌ યુવાનોના સપના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરું છું. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મા ખોડલના દર્શન કરીને રાજ્યના પ્રજાજનો અને ખાસ તો કમોસમી વરસાદના કારણે હેરાન થયેલા ખેડૂતોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. આ ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. મુલાકાતના આરંભે નાયબ મુખ્યમંત્રી ખોડલધામ ખાતે પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોતાના સરળ અને મિલનસાર સ્વભાવનો અનુભવ કરાવતા સંઘવીએ મંદિર પરિસરની મુલાકાત લેતા દર્શનાર્થીઓને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે ધારાસભ્ય રમેશ ટીલાળા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શીતલહેરનો પ્રારંભ:કચ્છનું નલિયા 12.4 °C સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ
હવામાન વિભાગના બુલેટિન મુજબ, ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલમાં સૂકું હવામાન પ્રવર્તી રહ્યું છે. રાજ્યના નીચલા સ્તરે ઉત્તરપૂર્વીયથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે, જેમાં કચ્છ પ્રદેશના નલિયા શહેરે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસો સૂકું હવામાન રહેવાની સંભાવના છે. ન્યૂનતમ તાપમાનના અવલોકનોના આધારે, નલિયા સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન (12.4 C) નોંધાવીને ઠંડીમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. જ્યારે કચ્છનું બીજું મુખ્ય શહેર ભુજનું ન્યૂનતમ તાપમાન 16.2 C નોંધાયું હતું. આ દર્શાવે છે કે કચ્છ પ્રદેશમાં પણ ઠંડીની તીવ્રતામાં ઘણો તફાવત જોવા મળ્યો હતો, જ્યાં નલિયા, ભુજ કરતાં લગભગ ૪ ડિગ્રી વધુ ઠંડું રહ્યું હતું. કંડલા એરપોર્ટ 13.5 C ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યમાં ઠંડીની દ્રષ્ટિએ બીજું મહત્વનું સ્થળ રહ્યું હતું. ભુજ અને નલિયા બંનેમાં મહત્તમ તાપમાન 32.0 C નોંધાયું હતું. દમણ 32.6 C સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતું સ્થળ રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસો સૂકું હવામાન રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસો દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
ભાસ્કર એક્સક્લુસિવ:ગ્રાન્ટેડ લો કોલેજોમાં વન પ્લસ એઇટ અધ્યાપકો માટે ટૂંક સમયમાં જ મંજૂરી
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લો કોલેજોમાં વન પ્લસ એઇટનો સ્ટાફ ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રમાણે શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડવામાં આવે તે માટે ગ્રાન્ટેડ લો કોલેજોના આચાર્યો દ્વારા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે વન પ્લસ એઇટનો પરિપત્ર કરવા માગણી કરાઇ હતી. રાજ્યની વિવિધ ગ્રાન્ટેડ લો કોલેજોના આચાર્ય ગત 11મીને મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતા અને તમામ લો કોલેજોમાં 1+8 ના પરિપત્રને તાત્કાલિક મંજૂરી આપવા રજૂઆત કરી હતી. જેના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક આ બાબતે નાણાં વિભાગ અને અન્ય સંબંધિત વિભાગના સચિવો પાસેથી માહિતી માગી તુરંત પગલાં લેવા ખાતરી આપી હતી અને નાણાં વિભાગના અધિકારીઓને રૂબરૂ મળવા આચાર્યોને સૂચન કર્યું હતું. જેના પગલે આચાર્યો નાણાં વિભાગના નાયબ સચિવ નિર્મલ જોશીને મળ્યા હતા અને તેઓએ આ બાબતે તાત્કાલિક સચિવ સાથે મિટિંગ કરી નિર્ણયની ખાતરી આપી હતી. ત્યારબાદ આ સંદર્ભે આચાર્યો દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનર સાથે બેઠક યોજવામાં આવતા તેઓએ પણ ટૂંક સમયમાં 1+8નો પરિપત્ર કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ટેડ લો કોલેજોમાં ઓછા સ્ટાફના મુદ્દે બીસીઆઇ દ્વારા આકરા એક્શન લેવામાં આવ્યા હતા અને બે વર્ષ સુધી વિદ્યાર્થીઓના એડમિશન પણ અટકાવ્યા હતા. રાજ્યની 24 લો કોલેજ પ્રિન્સિપાલ વિહોણીરાજ્યમાં 31 જેટલી ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજ આવેલી છે. જેમાં 1 સરકારી લો કોલેજ અને 6 ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રિન્સિપાલની કાયમી જગ્યા ભરેલી છે જ્યારે 24 કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલથી ચલાવવામાં આવી રહી છે. જેમાં 2 સરકારી અને 22 ગ્રાન્ટેડ લો કોલેજનો સમાવેશ થાય છે.
ભુજની આર. આર. લાલન કોલેજમાં વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, વિઆરટીઆઈ, માંડવી તથા લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પુસ્તકાલયોના ગ્રંથપાલોના સેમિનારનું કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આયોજન કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે આયોજનની વિગતો આપી હતી. કચ્છ યુનિ. કુલપતિ ડો.મોહન પટેલે ગ્રંથપાલની ભૂમિકાને સમજાવતા દરેક શિક્ષક પાસે પોતાનું સમૃદ્ધ ગ્રંથાલય હોવું જોઈએ. બાદમાં રાજ્યના ગ્રંથાલય વિભાગના નાયબ નિયામક અને મુખ્ય મહેમાન એલ.એન.મોઢે રાજ્ય સરકાર દ્વારા ગ્રંથાલયોના વિકાસ માટે હાથ ધરાતી યોજનાઓની માહિતી આપતા કહ્યું કે, રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયોને દર વર્ષે આપવામાં આવતો મોતીભાઈ અમીન એવોર્ડ ચાલુ વર્ષે વિકલાંક ગ્રંથાલયોની શ્રેણીમાં માધાપરના અંધજન મંડળના પુસ્તકાલય, ગ્રામ્ય ગ્રંથાલયની શ્રેણીમાં બિદડાના ગ્રંથાલયને તથા તેના ગ્રંથપાલને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. વિઆરટીઆઈના પ્રકાશન અધિકારી ગાોરધન પટેલે આયોજક ત્રણેય સંસ્થાઓના ઉપક્રમે શ્રેષ્ઠ વાચક સ્પર્ધાની જાહેરાત કરી હતી. લાલન કોલેજના પ્રાચાર્ય ડો.છત્રપાલસિંહ ઝાલાએ કોલેજને આ સેમિનારમાં સહભાગી બનાવવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે ભવિષ્યમાં આવા એકથી વધારે દિવસોના સેમિનાર તથા કાર્યશાળાના આયોજનની ખાત્રી આપી હતી. એકસત્ર દરમ્યાન ઉપસ્થિત ગ્રંથપાલોએ લાલન કોલેજના ગ્રંથાલયની મુલાકાત લઈ તેના વિવિધ વિભાગો, પુસ્તક ગોઠવણી, ડીઝીટલાઈજેશન અને તેની વ્યવસ્થાથી માહિતગાર થયા હતા. આ અવસરે લેખક હરેશ ધોળકિયા તથા કોલેજના ગ્રંથપાલ વિજય બારોટે તજજ્ઞ તરીકે વકતવ્યો આપી ગંથપાલોનું માર્ગદર્શન કર્યું હતું. સમારંભ તથા સેમિનારનું સંચાલન મનન ઠકકરે કર્યું હતું. અંતિમ સત્રમાં પ્રશ્નોતરીમાં વિવિધ ગ્રંથપાલોએ ભાગ લીધો હતો. આભારવિધિ મંત્રી નરેશ અંતાણીએ કરી હતી. પુસ્તકાલયના પીયુષ પટ્ટણી, રેશમાબેન ઝવેરી, મલ્હાર બૂચ, ઝવેરીલાલ સોનેજી, મહેમાનો તથા વકતાઓના સન્માનમાં જોડાયા હતા. આ અવસરે જોરાવસિંહ રાઠોડ, અજિત માનસતા, રમિલાબેન મહેતા, નવીન વ્યાસ, ગૌતમ જોષી, ડો. મહેન્દ્ર ઠક્કર સહિત રસિકો તથા જિલ્લાના છેવાડાના વિસ્તારો સહિતના ગ્રંથપાલ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આયોજનમાં ડૉ.મિહીર વોરા, જાગૃતિ વકીલ, પુસ્તકાલયના ગ્રંથપાલ અવની ગેડીયા વગેરે સહયોગી બન્યા હતા.
બેઠક:કચ્છમાં વિધાનસભા વિસ્તાર વાઈઝ 17થી 22 નવેમ્બર સુધી ‘એકતા યાત્રા’ યોજાશે
ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત “યુનિટી માર્ચ” એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવઓ, પદાધિકારીઓ, રમતવીરો, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NCC, NSS કોલેજના સંયુક્ત સહકારથી યોજાશે. તા. 17 નવેમ્બરના અબડાસા વિધાનસભા વિસ્તારમાં સાંજે 4 કલાકે વિથોણથી નખત્રાણા સુધી એકતા યાત્રા યોજાશે. આ ઉપરાંત, 18ના ભુજ વિધાનસભા વિસ્તારની યાત્રા સવારે 9 કલાકેથી એમ.એસ.વી હાઈસ્કૂલ માધાપરથી જ્યૂબિલી સર્કલ સુધી યોજાશે. 19 ના ગાંધીધામ વિસ્તારની એકતા યાત્રા બપોરે 3 કલાકે ઝંડાચોક આદિપુરથી નીકળીને સરદાર પટેલની પ્રતીમા, ગાંધીધામ સુધી યોજાશે. 20ના માંડવી વિધાનસભાની બપોરે 3 કલાકે આશાપુર મંદિર પ્રાગપરથી નીકળીને ન્યૂ મુંદરા ખાતે પહોંચશે. 20ના અંજાર વિધાનસભાની સવારે 9 કલાકે નાની નાગલપરથી નીકળી અંજાર ટાઉનહોલ પહોંચશે. તા. 22ના રાપર વિસ્તારની સવારે 9 કલાકે કલ્યાણપરથી સ્વામીનારાયણ મંદિર રાપર પહોંચશે. યાત્રા દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત, યોગ શિબિર, શાળાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. કચ્છમાં ઉજવણી સંદર્ભે એક રથનું આગમન થશે. પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી મંડળીઓ, વિવિધ રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે. કલેક્ટરએ પદયાત્રા આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ ભાગીદારી સાથે યાત્રા યોજવા અને સરકારની તથા સામાજિક સંસ્થાઓને સક્રિય રીતે ભાગ લેવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનીલ ગોર, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, સહિત તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લાના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સહિત રાજ્યભરમાં SIRની કામગીરી ચાલી રહી છે અને તેમાં રાજકોટ જિલ્લામાં કુલ 6000થી વધુ સરકારી કર્મચારીઓના ઓર્ડર કરાયા છે જેમાં સૌથી મોટી સંખ્યા શિક્ષકોની છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના 60 ટકાથી વધુ શિક્ષકોને મતદારયાદી સુધારણાની કામગીરીમાં જોતરી દેતા ધો.10 અને 12ના 20 હજાર જેટલા ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની તૈયારી ગંભીર પડકાર બની ગઇ છે. બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઇ રહી છે ત્યારે આ 20 હજાર વિદ્યાર્થીઓનો બાકીનો 40 ટકા અભ્યાસક્રમ પૂર્ણ કોણ કરાવશે, રિવિઝન કોણ કરાવશે અનેપ્રેક્ટિસ પરીક્ષા કોણ લેશે તેવો સળગતો સવાલ ઉઠ્યો છે. રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ ડો.શૈલેષ સોજીત્રાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.10 અને 12ના 60 ટકા શિક્ષકોને મતદારયાદી સુધારણાની કામગીરીમાં સરકારે લઇ લીધા છે જેમાં ગણિત, વિજ્ઞાન, એકાઉન્ટ, અંગ્રેજી જેવા વિષયોના શિક્ષકોનો સમાવેશ થાય છે. જે મુદ્દે અમે અનેક વખત રજૂઆતો કરી છે છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. અમે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સવારે અભ્યાસ કાર્ય કરાવવા અને બપોર બાદ શિક્ષકો પાસે મતદારયાદીની કામગીરી કરાવવા પણ રજૂઆતો કરી છે, પરંતુ તે બાબતે કોઇ નિર્ણય આવ્યો નથી. રાજકોટ જિલ્લાની 225 જેટલી માધ્યમિક અને 70 જેટલી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ધો.10 અને 12ના અંદાજે 10-10 હજાર વિદ્યાર્થીઓ મળી કુલ 20 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના બીજા સત્રનો સંપૂર્ણ કોર્સ હજુ બાકી છે. જો શિક્ષકો બીએલઓની કામગીરી કરશે તો આ કોર્સ પૂરો કોણ કરાવશે. મતદારયાદી સુધારણાની કામગીરીનું જેટલુ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ વિદ્યાર્થીઓના શિક્ષણનું છે, પરંતુ હાલમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હોય ત્યારે શિક્ષકોને આ જવાબદારીમાંથી મુક્ત કરવા જોઇએ અને જરૂર પડ્યે વેકેશનમાં આ કામગીરી કરાવવી જોઇએ. પરિણામ બગડશે તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એડમિશન ઘટશે, આગામી વર્ષમાં શિક્ષકો ફાજલ થશેરાજકોટ જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો જ બેસ્ટ ઓપ્શન છે. હવે જો તેનું પરિણામ નબળું આવશે તો વાલીઓ સરકારને નહીં, પરંતુ શિક્ષકોને પૂછશે અને તેના પરિણામે આવતા વર્ષે સ્કૂલના નબળા પરિણામો જોઇને વાલીઓ તે સ્કૂલમાં પોતાના બાળકો અભ્યાસ માટે નહીં મોકલે તો સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે અને તેના પરિણામે આગામી વર્ષે શિક્ષકો પણ મોટી સંખ્યામાં ફાજલ થવાની ભીતિ રહેલી છે. કોર્સ પૂર્ણ ન થવાથી વિદ્યાર્થી નાપાસ થયો તો જવાબદાર કોણ?રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલમાંથી મતદારયાદી સુધારણા માટે 60 ટકા શિક્ષકો લઇ લેવામાં આવ્યા છે જેના પરિણામે તમામ સ્કૂલોમાં બીજી ટર્મમાં કરાવવામાં આવનાર 40 ટકા સિલેબસ હજુ બાકી છે તેમજ રિવિઝન અને પ્રેક્ટિસ પરીક્ષા પણ બાકી છે ત્યારે પૂરતી તૈયારીના અભાવે પરિવારના ભવિષ્યના આધારસ્તંભ સમાન ધો.10 અને 12ના ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ નાપાસ થશે તો જવાબદારી કોની રહેશે શિક્ષકની કે મતદારયાદીની કામગીરી સોંપનાર અધિકારીની કે પછી રાજ્ય સરકારની તેવા સવાલો ઊઠી રહ્યા છે. આ નિયમનો કરાયો છે ઉલાળિયોઅગાઉ રાજ્ય સરકારે જ પરિપત્ર કર્યો હતો કે, ધો.10 અને 12માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય અને મહત્ત્વના વિષયો ભણાવતા શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવી નહીં તે નિર્ણયનો આ વખતે ઉલાળિયો કરાયો છે. તેમજ જે શિક્ષકે 3 વર્ષ સુધી બીએલઓ તરીકે સેવા આપી હોય તેને ફરી બીએલઓની જવાબદારી ન સોંપવાના નિર્ણયનું પાલન ન કરાયાની પણ રાવ ઊઠી છે. આ નવો ફતવો : હાજરી પત્રકમાં બીએલઓની કામગીરી લખવુંબીએલઓની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોએ હાજરી પત્રકમાં બીએલઓની કામગીરીમાં રોકાયેલા તેમ લખવાનો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે અને તે મુજબની સૂચના કેળવણી નિરીક્ષકોએ શાળાઓને આપી છે.
ફરિયાદ:નખત્રાણાની સગીરા પર દુષ્કર્મ આચરી ફોટો વાયરલ કરવાની ધમકી અપાઈ
નખત્રાણા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા સાથે ઇન્સ્ટાગ્રામથી મિત્રતા કેળવ્યા બાદ સુરેન્દ્રનગરના શખ્સે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો જે બાદ આરોપીએ પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રૂપિયા 4 હજાર પડાવી લીધા હતા અને સગીરાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયા 1.98 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર સગીરાના પિતાએ નખત્રાણા પોલીસ મથકે સુરેન્દ્રનગરના મોરજીધર ગામના આરોપી દીપ વાડીલાલ સોલંકી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ બે વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રીક્વેસ્ટ મોકલી ફરિયાદીની સગીરવયની દીકરી સાથે મિત્રતા કેળવી હતી.જે બાદ વાતચીત કરી લગ્ન કરવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન આરોપીએ નખત્રાણા વિસ્તારમાં આવી ફરિયાદીની દીકરી સાથે મરજી વિરુદ્ધ વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. આરોપીએ ફરિયાદીની દીકરીના લગ્ન પોતાની સાથે કરાવી આપવા પડશે તેવું કહી સગીરાના પોતાની સાથે પાળેલા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ આરોપીએ ફરિયાદીના દીકરા સાથે પણ ધાક ધમકી કરી હતી અને સગીરા પાસેથી રૂપિયા 4 હજાર પડાવી લીધા હતા.આરોપીએ વધુ રૂપિયા પડાવવા ફરિયાદીના ભાણેજને સગીરાના બીભત્સ ફોટા મોકલાવ્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાનું કહી રૂપિયા 1.98 લાખની માંગણી કરી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપીએ સુરેન્દ્રનગરથી આવી અવાવરૂ જગ્યા પર સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો.જે મામલે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ભાસ્કર બ્રેકિંગ:અધ્યાપકોના ફિક્સ પગારનો સમય ગણી CASનો લાભ આપવા આદેશ
રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા શનિવારે એક પરિપત્ર કરી બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકોનો પાંચ વર્ષની ફિકસ પગારની સેવાઓનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે ગણતરીમાં લેવા આદેશ કર્યો છે. જેના પરિણામે રાજ્યની વિવિધ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીએડ, લો સહિતની ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા 3000થી વધુ અધ્યાપકને સીધો ફાયદો થવાનો અંદાજ સેવાઇરહ્યો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ તા.15મીએ જારી કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકોને પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે ગણતરીમાં લેવા માટે દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં દરખાસ્ત રજૂ કરવા અંગેની ગાઇડલાઇન સામેલ છે. જે કોલેજો દ્વારા હજુસુધી દરખાસ્ત થયેલી નથી તેવી કોલેજોને તાત્કાલિક વિગતવાર દરખાસ્ત રજૂ કરવા જણાવીએ છીએ. જો કોઇ અધ્યાપકની દરખાસ્ત કોલેજ દ્વાર રજૂ ન થવાના કારણે ફરિયાદ કે રજૂઆત થશે તો તે ફરિયાદ કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાના આચાર્યની રહેશે તેમ અંતમાં જણાવ્યું છે.
સિટી એન્કર:દર શુક્રવારે જરૂરિયાતમંદોને ગાંઠિયા-જલેબીનો ફ્રી નાસ્તો
સામાન્ય રીતે ગાંઠિયાની એક ડિશ આરોગવી હોય તો 50 રૂપિયાથી વધુ ખર્ચ થઈ જાય છે ત્યારે રાજકોટમાં માનવીય અભિગમ ધરાવી દર શુક્રવારે સવારના સમયે શહેરના રૈયા સર્કલ પાસે આવેલા મીરાનગર ખાતેના બગીચામાં 150થી વધુ લોકોને ગરમાગરમ ગાંઠિયા, જલેબી, સંભારો, મરચાં અને ખાખરાની સાથે ચા પણ આપે છે. આમ તો વિનામૂલ્યે આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિએ 10 રૂપિયા આપવા હોય તેની પાસેથી સ્વૈચ્છિક રીતે મેળવે છે. નાણા આપવા ફરજિયાત નથી. લોકો પ્રેમથી દસ રૂપિયા મૂકીને જાય છે અને હસતા મોઢે નાસ્તો આરોગે છે. આ સેવાકીય કાર્ય કરતાં રૂપેશભાઈ પારેખ એ જણાવ્યું હતું કે, આવું જ એક કાર્ય શહેરના નાનામવા રોડ પર થતું હતું. જ્યાં તેઓ સેવા આપવા જતા હતા. ત્યારબાદ તેઓને પણ પ્રેરણા મળી કે, આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ. અહીં બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકોને નાસ્તો આપવામાં આવે છે. જેમાં આ કાર્ય કરવા પાછળનો હેતુ છે કે જરૂરિયાતમંદ લોકો કે વડીલો આવો નાસ્તો આરોગી નથી શકતા તેથી દરેક લોકો માટે આ સેવા પ્રવૃત્તિ કરાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દરેક લોકોને ગમે તેટલા ગાંઠિયા આરોગવા હોય તેઓ ત્યાં આરોગી શકશે, પરંતુ પાર્સલ કે ઘરે લઈ જવામાં આવતા નથી. વધુમાં ઉમેર્યું હતું કે, લોકોનો પણ સારો સાથ સહકાર મળી રહે છે તથા અહીંના પ્રમુખ રાજેન્દ્રસિંહ હાડાએ પોતાની જગ્યા આપી છે. એક શુક્રવારમાં 5500થી પણ વધુનો ખર્ચો થતો હોય છે જેમાં 10 કિલો ચણાનો લોટ, 6 કિલો જલેબી, અડધો ડબ્બો સિંગતેલ, 150 કપ ચા, મરચાં તથા ગાજર, પપૈયા કે બીટનો સંભારો સહિતની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં ત્યાં સ્થળ ઉપર લાઈવ ગરમાગરમ ગાંઠિયા, સંભારો બનાવવામાં આવે છે, શુદ્ધ ઘીની ડ્રાયફ્રૂટ જલેબી ફરસાણની દુકાનમાંથી લેવામાં આવે છે. આ કાર્યમાં 15થી 20 લોકો કાર્યરત છે. સ્વચ્છતા અને વ્યવસ્થા પણ જળવાઈ છેગરમાગરમ નાસ્તાનો આસ્વાદ માણ્યો હોય તેવા યોગેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, અહીં માત્ર 10 રૂપિયામાં ગુણવત્તાસભર નાસ્તો મળે છે. તેમજ ગાંઠિયા તાજા અને કરકરા હોય છે જ્યારે જલેબી પણ શુદ્ધ ઘીની ડ્રાયફ્રૂટવાળી હોય છે. ચાનો સ્વાદ પણ લોકો ખાસ પસંદ કરે છે. સેવા કરતાં લોકો નાસ્તાની જગ્યાએ સ્વચ્છતા અને વ્યવસ્થા પણ જાળવે છે.
આર્થિક નુકસાની:માપર ગામના ખેડૂતની તૈયાર મગફળી અજાણ્યા ઇસમ દ્વારા સળગાવી દેવાઈ
માંડવી તાલુકાના માપર ગામની સીમમાં આવેલ ખેતરમાં તૈયાર થયેલો મગફળીનો પાક કોઈ અજાણ્યા ઇસમે રાત્રી દરમિયાન સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે.અસામાજિક તત્વની કરતુતથી ખેડૂતને નુકસાની થતા ગઢશીશા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માપર ગામના રાહુલભાઈ માવજીભાઈ ડુંગરખીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ કરી છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 નવેમ્બરણા રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.માપર સીમમાં આવેલ સર્વે નંબર 90 અને 91 વાળી જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું.જેને થ્રેસરથી કાઢવા માટે ખેતરની વચ્ચે ઢગલો કરીને રાખેલ હતી. એ દરમિયાન આરોપીએ ફરિયાદીના ખેતરમાં રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તૈયાર થયેલી મગફળીના ઢગલાને આગ ચાંપી દીધી હતી.જેના કારણે મગફળી બળીને ખાખ થઇ ગઈ હતી.અસામાજિક તત્વની હરકતને કારણે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.હાલ સમગ્ર મામલે ગઢશીશા પોલીસે ગુનો દાખલ કરવા સહીત આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
માંગણી:ભુજમાં સિટી બસ સેવા પુનઃ શરૂ કરી નાગરિકોની હાલાકી દૂર કરો
2001ના વિનાશક ભૂકંપ પછી ભુજ શહેરે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. આજે શહેર માત્ર જૂના ભુજ પૂરતું સીમિત નથી રહ્યું. નવા વિસ્તારો જેવા કે માધાપર, મિરઝાપર, ભારાપર સુધી હજારો આવાસ અને વ્યવસાયિક સંકુલો બની ગયા છે. આ નવા વિસ્તારોમાં લાખો લોકો વસવાટ કરે છે, પરંતુ તેમની પાસે અવરજવર માટે જાહેર પરિવહનની કોઈ સગવડ નથી. પરિણામે, સામાન્ય નાગરિકો, ખાસ કરીને સમાજના નબળા વર્ગો, ખાનગી ઓટો-રિક્ષાઓની મનસ્વી લૂંટનો ભોગ બની રહ્યા છે. રિક્ષાચાલકો દ્વારા લેવાતા ઊંચા અને અનિયંત્રિત ભાડાં મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટને ખોરવી નાખે છે. દૈનિક મજૂરી કરતા લોકો, હોસ્પિટલ જતા સિનિયર સિટીજનો અને કોલેજ જતી વિદ્યાર્થિનીઓ માટે આ સ્થિતિ સૌથી વધુ પીડાદાયક છે. સિનિયર સિટીજનો માટે મુસાફરી કરવી મોંઘી અને જોખમી બની ગઈ છે. જ્યારે મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે સસ્તી, સુરક્ષિત અને નિયમિત બસ સેવા જીવન જરૂરિયાત છે. આટલું મોટું શહેર હોવા છતાં, ભુજમાં તેનું અસ્તિત્વ ન હોવું શરમજનક છે. અમારી ભુજ નગરપાલિકા અને કલેક્ટર કચેરીને નમ્ર અરજ છે કે, તાત્કાલિક ધોરણે બસોની વ્યવસ્થા કરવામાં આવે. તંત્ર દ્વારા નવા વિકાસ પામેલા વિસ્તારોને આવરી લેતા પૂરતા રૂટ નક્કી કરીને આ સેવા જનતા માટે શરૂ કરવી જોઈએ. આ નિર્ણય માત્ર નાગરિકોને આર્થિક રાહત જ નહીં આપે, પણ શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટાડશે.
રાજ્યના ઊર્જા વિભાગે ભવિષ્યના વીજ આયોજનને વૈજ્ઞાનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવાની દિશામાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. ઊર્જામંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘ઊર્જા સંવર્ધનમ’ નામના અદ્યતન વેબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પીજીવીસીએલ સહિત ગુજરાતની સરકારી વીજકંપનીઓના 1.95 કરોડ ગ્રાહકોના વીજ વપરાશનું મોનિટરિંગ કરીને આગામી પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરેક તાલુકા, પ્રદેશોમાં વીજમાંગમાં કેટલો વધારો થશે, તેનું ચોક્કસ અનુમાન (ફોરકાસ્ટ) લગાવી શકશે. આ પોર્ટલથી સૌરાષ્ટ્રના આશરે 67.72 લાખ વીજગ્રાહકના વીજ વપરાશનું સતત મોનિટરિંગ શક્ય બનશે. અત્યાર સુધી વીજમાંગના અંદાજો પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવતા હતા, પરંતુ હવે દરેક સબસ્ટેશન, ફીડર, વીજલાઇન અને સબ ડિવિઝનનો ડેટા આ પોર્ટલમાં સંકલિત થતાં આયોજન વધુ વૈજ્ઞાનિક અને ચોક્સાઈભર્યું બનશે. આ પ્રોજેક્ટ દ્વારા, સરકારી વીજકંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ભારતની પ્રથમ સરકારી વીજકંપની બની છે જેણે આ પ્રકારનું ડેટા-આધારિત ફોરકાસ્ટિંગ પોર્ટલ તૈયાર કર્યું છે. ‘ઊર્જા સંવર્ધનમ’ પોર્ટલ લોન્ચ થવાથી વીજ ક્ષેત્રમાં પારદર્શિતા વધશે, સાથે જ ભવિષ્યમાં સંભવિત વીજ સંકટો ટાળવા માટે આયોજન વધુ અસરકારક બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે પોર્ટલ પાવર મેનેજમેન્ટ માટે મદદરૂપ થશેઆગામી વર્ષમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટરોથી માંડીને સંખ્યાબંધ નવા ઉદ્યોગો આવશે. તેમને જે તે વિસ્તારમાં કેટલી વીજળીની જરૂર પડશે. આ વર્ષો દરમિયાન સમયની બચત થાય, ઉત્પાદન ઝડપી બને તે માટે ઉદ્યોગોને ઝડપથી કનેક્શનો અને તે માટે ક્યાં વિસ્તારમાં કેટલા સબસ્ટેશન મૂકવા પડશે તેની સટિક પૂર્વ તૈયારીથી વીજ વિભાગે સજ્જ રહેવું પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ પોર્ટલનું લોન્ચિંગ દેશમાં નવું સીમાચિહ્ન છે. ઉનાળામાં 7 હજાર મેગાવોટ વીજળીની ખપતસૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળામાં એટલે કે એપ્રિલથી મે મહિના દરમિયાન વીજમાંગ સૌથી વધુ રહે છે જે 6થી 7 હજાર મેગાવોટ પર પહોંચે છે. જ્યારે શિયાળામાં અને ચોમાસા દરમિયાન આ વીજમાંગ ઘટીને 4 હજાર મેગાવોટ આસપાસ રહે છે. કૃષિ પ્રવૃત્તિઓ પ્રમાણે વધારો-ઘટાડો જોવા મળે છે. નવું ‘ઊર્જા સંવર્ધનમ’ પોર્ટલ આ તમામ ડેટાનું અવલોકન કરશે જેથી સમયસર યોગ્ય આયોજન કરી શકાશે. સમય અને વિસ્તાર પ્રમાણે પણ વીજ વપરાશ જાણી શકાશે, પ્લાનિંગમાં મદદ મળશે ફાયદા
અનેરી સિદ્ધિ:ફીઝિયોથેરાપી અધિવેશનમાં ભુજનો યુવક રાજ્યમાં દ્વિતીય
પાવર લિફ્ટર અને ફીઝિયોથેરાપીના ત્રીજા વરસમાં અભ્યાસ કરતો 21 વર્ષીય વત્સલ મહેશ્વરીએ સંશોધન કાર્યમાં પણ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.14 અને 15મી એ વડોદરાની યુનિવર્સીટી ખાતે ગુજરાતની ફીઝિયોથેરાપી કોલેજો દ્વારા યોજાયેલ અધિવેશનમાં સ્પોર્ટ્સ અને ફીઝિયોથેરાપી વચ્ચેના સબંધ અંગેની વાત સમજાવી હતી. જેમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં તેમને વિશેષ ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. તેના પ્રકારના એક માત્ર સંશોધન પત્રમા ઘૂંટણ અને તેના સ્નાયુઓ પર પડતી કસરતની અસરની સમજ આપી હતી. વત્સલ તેના ડિગ્રી અભ્યાસમાં હજુ ત્રીજા વરસમાં છે ત્યારે તેમને અભ્યાસ સાથે જોડી તૈયાર કર્યો છે.
કાર્યવાહી:અપહરણ,લુંટ અને હત્યાની કોશિશના ગુનામાં આરોપી જબ્બે
હોસ્પિટલ રોડ પર આવેલ આઈસીઆઈસીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સમાં નોકરી કરતા યુવાનનું કારમાં અપહરણ કરી લુંટ બાદ હત્યાની કોશિશ કરવાના બનાવમાં મુળ તેરા ગામના આરોપીને એલસીબીએ રોહા(સુમરી) સીમમાંથી દબોચી લીધો છે. એલસીબીને બાતમી મળી હતી કે, બી ડીવીઝનના અપહરણ, લુંટ અને હત્યાની કોશિશના ગુનામાં જલારામનગરમાં રહેતો આરોપી મયુરસિંહ દેવુભા જાડેજા રોહા(સુમરી)ની સીમમાં છે. બાતમીને આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો.ગત 13 ઓગષ્ટના યુવાનનું કારમાં અપહરણ કર્યા બાદ મિરજાપર ખાતે વાડામાં લઇ જઇ મોબાઈલની લુંટ કરી ઢોર માર માર્યો હતો.
મંડે પોઝિટીવ:માધાપરની બ્રેલ લાઇબ્રેરીની 3 હજારથી વધુ ઓડિઓ બુક
માધાપરની જ્ઞાન જ્યોત બ્રેલ લાઇબ્રેરીને ગુજરાત સરકાર દ્વારા અંધજન ગ્રંથાલય કેટેગરીમાં ઉત્તમ ગ્રંથાલય અને તેમના ગ્રંથપાલ ભારતીબેન નરેન્દ્ર ચાવડાને ઉત્તમ ગ્રંથપાલ તરીકેની જાહેરાત કરવામાં આવી છે. માધાપર સ્થિત આ નવચેતન અંધજન મંડળ દ્વારા સંચાલિત લાઇબ્રેરીમાં બનતા પુસ્તકો, ઈ બુકો તથા ઓડિઓ બુક દ્વારા દેશભરમાં વસતા ગુજરાતી દિવ્યાંગોને લાભ મળે છે તેની નોંધ સરકાર દ્વારા લેવામાં આવી છે. લાઇબ્રેરીની શરૂઆત 1981માં ભચાઉ ખાતે કરાઇ હતી, પરંતુ ભૂકંપના લીધે તે જમીનદોસ્ત થઈ હતી. જે બાદ 2003ની સાલમાં માધાપર ખાતે લાઇબ્રેરીની નવી શરૂઆત કરાઇ હતી. અને તેમનું આધુનિકરણ કરવામાં આવ્યું છે હતું. જ્યાં બ્રેલ, ઓડિયો, મલ્ટિમેડિયા અને ઈ - બુક લાઇબ્રેરી માત્ર સંસ્થાની શાળાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાત બાર વસતા પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને અનુરૂપ હોય તેવા માધ્યમ જેમકે બ્રેલ, લાર્જ પ્રિન્ટ, ઓડિયો વિડીયો અને ઈ- બૂક ફોર્મેટમાં વાંચન સામગ્રી પૂરી પડે છે. ગ્રંથપાલ તરીકે કાર્ય કરતાં ભારતીબેને સંસ્થા દ્વારા જે 3000 થી વધુ ઓડિયો બૂકો બનવામાં આવી છે તેમાંથી 600 થી વધુ બૂકોનું રેકોર્ડીંગ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. તથા પોતે આગળ આવીને ખુદ ઈ-બુક બનાવતા શીખ્યા અને બાદમાં ટીમ સાથે મળીને હાલમાં ડિસેબલ વાંચકો માટે ઈ-બૂકો બનાવી રહ્યા છે. ઓડિયો બૂક સિવાય લાઇબ્રેરીમાં પાઠયપુસ્તક, નવલકથાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, ઈ- બૂકો પણ બનાવમાં આવે છે. જે સુગમ્ય પુસ્તકાલય પ્લેટફોર્મ પર બધી લાઇબ્રેરીઓ રેજિસ્ટર્ડ હોય છે જેમાં વાંચકોને આઈડી પાસવર્ડ દ્વારા એકસેસ આપવામાં આવે છે. લાઇબ્રેરી સિવાય પણ દિવ્યાંગોને અનેક સુવિધાનવચેતન અંધજન મંડળ દ્વારા લાઇબ્રેરી સિવાય પણ દિવ્યાંગ શાળાઓ, છાત્રાલયો,દિવ્યાંગ કન્યા કુંજ, ફિઝિયોથેરાપી સેન્ટર, ઔધયોગીક ટ્રેનિંગ સેન્ટર, દિવ્યાંગ પુનઃવસન કેન્દ્ર, બ્રેલ પ્રેસ, ઓડિયો રેકોર્ડીંગ યુનિટ, ડિજિટલ બૂકો માટે ઈલેક્ટ્રોનિક પબ્લિકેશન જેવા કર્યો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ભવિષ્યનો રોડમેપ તૈયાર કરાયોસંસ્થાના ઘણા બાળકો રમત ગમત ક્ષેત્ર પર આગળ આવી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા ગ્રાઉંડ બનાવમાં આવે જેથી બને તેટલા વધુ બાળકો આ ક્ષેત્રમાં આગળ વધી શકે.
વર્કશોપ:ગુજરાતના વિકાસમાં કચ્છનું યોગદાન સહિતના વિષયો પર વર્કશોપ યોજાશે
ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રીસર્ચને વધુ મહત્વ આપવામાં આવે છે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોને સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ યોજવા માટે પીએમ ઉષા અંતર્ગત 126 કાર્યક્રમ યોજવાની મંજુરી આપવામાં આવી છે.જેમાં કુલ 2.89 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ છે.કચ્છમાં યુનિવર્સિટીને 7 અને તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને 3 કાર્યક્રમોની મંજૂરી અપાઈ છે. રિસર્ચ અને ફેસીલીટીને પ્રોત્સાહન આપવા ઉચ્ચ શિક્ષણની તમામ સરકારી યુનિવર્સિટી અને સરકારી અને અનુદાનિત કોલેજોમાં રિસર્ચ વર્કશોપ સેમિનાર યોજવા 30 જુન 2025 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી હતી.આ અરજીનું 12 અને 13 ઓગસ્ટના ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ખાતે સ્ક્રિનિંગ કરાયું અને બાદમાં 25 ઓગસ્ટના કેસીજી ખાતે સ્ક્રિનિંગ કરાયું જેમાં અરજી મંજૂર કરવા સાથે 50માંથી કેટલા માર્ક્સ મળશે અને પ્રસ્તાવિત ગ્રાન્ટ સામે કેટલા મંજૂર કરવામાં આવ્યા છે તે નક્કી કરાયું છે. રાજ્યમાં 126 કાર્યક્રમ માટે 2.89 કરોડની ગ્રાન્ટ મંજૂર અપાઈ છે.આ નાણાકીય સહાયનો મુખ્ય ઉદ્દેશ ફેકલ્ટી અને સ્ટાફ ટ્રેનિંગ સાથે નવા પુસ્તકોની ખરીદી અને રિસોર્સને વધારવાનો છે.કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાતના વિકાસમાં કચ્છનું યોગદાન, સરદાર વલ્લભભાઈ પટેલ, કોમર્સ અને સોશિયલ સાયન્સમાં રિસર્ચ, ઉદ્યોગોમાં આધુનિકરણ, ઉદ્યોગોમાં આવતા બદલાવ, ઉચ્ચ એજ્યુકેશનમાં ઇન્ડસ્ટ્રીનું મહત્વ, યોગા અને આરોગ્ય સહિતના વિષયો પર 7 વર્કશોપ સેમિનાર-કોન્ફરન્સનું આયોજન કરાશે. જ્યારે ગ્રાન્ટ ઇન એઇડમાં સ્થાન ધરાવતી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને પેપર અને થીસીસ નવી એજ્યુકેશન પોલીસી મુજબ કઈ રીતે લખવા, કન્ટેન્ટ ક્રિએશન ટીચિંગ અને રિસર્ચ માટે તથા સાયન્સ અને ટેકનોલોજીમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર વર્કશોપ સેમિનાર યોજવામાં આવશે.કુલ 10 કાર્યક્રમ માટે 70 લાખની ગ્રાન્ટની દરખાસ્ત સામે 27 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન,રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવાયું છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એચ.આર.ડી.સી વિભાગ મારફતે ચૂકવણા થશે.
તાલીમ:કચ્છમાં બાળમરણ ઘટાડવા માટે કવાયત શરૂ કરાઇ
જી.કે.જનરલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવા અને બાળકોને ત્વરિત સારવાર આપવા સંકલિત આયોજન ઘડી કાઢવા માટે જિલ્લાના ડોક્ટર્સ અને નર્સિસ બહેનો માટે જી.કે.માં 3 તબક્કામાં તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં 100 જેટલા ડોક્ટર્સ અને નર્સિસ બહેનોને તાલીમબદ્ધ કરાયા હતાં. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સુધારેલી માર્ગદર્શિકા IMNCI અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીતેશ ભંડેરી, ગેઈમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈ, અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ટ્રેનિંગમાં આરોગ્ય વિભાગના તમામ તાલીમ સજ્જ ડોક્ટર્સ અને કર્મીઓ આગામી દિવસોમાં જિલ્લાના લગભગ 800 પાયાના આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપશે.જે બાળ મરણનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બનશે. આ તાલીમમાં જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી આર.સી.એચ.ઓ. ડો. દિનેશ પટેલ, સિનિયર મેડિકલ ઓફિસર ડો. કીર્તિકુમાર સીજુ, ગેઈમ્સના બાળરોગ વિભાગના પ્રો.અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. રેખાબેન થડાની, આસિ. પ્રો. ડો. યશ્વી દતાણી, કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રો.અને હેડ ડો.શ્રેયસ મહેતા અને આસિ.પ્રો.ડો. ધારા ચૌધરીએ પ્રશિક્ષક તરીકે સેવા આપી હતી. IMNCI: નવજાત અને બાળરોગ સામે સંકલિત પ્રબંધન5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુ દર અને બીમારી ઘટાડવા ડબલ્યુ એચ.ઓ. અને યુનિસેફ દ્વારા એક રણનીતિ તૈયાર કરાઈ છે. જેમાં બાળકોનું સ્વાસ્થ્ય સંવર્ધન કરી રોગને આગળ વધતો અટકાવવા, ગંભીર બીમારીની ત્વરિત પહેચાન કરી પ્રભાવી ઉપચાર માટે સંકલિત પ્રયાસો કરવા,જે IMNCI ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ નિયોનેટલ ચાઇલ્ડ હુડ ઈલનેસ)તરીકે ઓળખાય છે. જેમાં પોષણ અને રસીકરણ સામેલ છે. જેની કામગીરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.
ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શૈલેષ ખાંભલાએ સાતમી તારીખે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાદો કરી દાટી દેવાયેલા ત્રણેયના મૃતદેહ મળતા પતિ જ શંકાના દાયરામાં આવી ગયો છે. તેને જ ત્રણેયની હત્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે. ભાવનગર પોલીસે આજે આ કેસને લઈ સિલસિલાબંધ વિગત જાહેર કરી શકે છે. મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે ઘરમાંથી અહીં સુધી લાશો લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે તેને જોતા સ્પષ્ટ છે કે, આ બનાવમાં એક કરતા વધુ લોકો સંડોવાયેલા છે. જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓને ફાંસીની સજા થવી જોઈએ. લાશનો પથ્થરો બાંધી દાટી દેવી, આ એક વ્યકિતનું કામ નથી- મૃતકના ભાઈનયનાબેનના પિતરાઈ ભાઈ હરેશભાઈ જોટાણા 'દિવ્ય ભાસ્કર'ને જણાવેલ કે,અમારા બહેને પાંચમી નવેમ્બરે ભાવનગરથી બંને સંતાનો સાથે ગુમ થઈ ગયા છે તેવી જાણ બનેવી દ્વારા છઠ્ઠી તારીખે પરિવારને કરી હતી. જેથી અમે પરિવાર સાથે ભાવનગર આવ્યા હતા. બહેન અને બનેવીના લગ્નને 15 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. તેઓને કોઈ તકલીફ ન હતી. બનેવીની અલગ અલગ જગ્યાએ બદલીઓ થતી હોય બહેન બંને સંતાનો સાથે સુરત રહેતા હતા. જ્યારે બનેલી જ્યાં પણ નોકરી હોય ત્યાં ક્વાર્ટરમાં રહેતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે,જે રીતે મૃતદેહો મળ્યા છે તે એક વ્યકિતનું કામ નથી. કારણ કે ત્રણ વ્યક્તિના મૃતદેહ દાટ્યા છે અને તમે જોઈ શકો છો જેવી રીતે અમને માહિતી મળે છે સાચું ખોટું તો અત્યારે અમને નથી ખબર પણ વાત મળી છે કે, અમારી બેનની જોડે જે પથ્થરો બાંધ્યા છે તો એ એકલા વ્યક્તિનું કામ નથી. ત્રણ ત્રણ મૃતદેહને અંદરના રૂમમાંથી ખાડા સુધી લાવવા એની માથે પાણી નાખવું, રેત નાખવી એ બધું કોઈ એક વ્યક્તિનું કામ નથી આની સાથે અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે જ તે અમને પ્રબળ શંકા છે. પોલીસ દ્વારા હાલ તમારા બનેવીને શંકાના દાયરામાં જોવે છે તે અંગે પૂછતા જણાવેલ કે એમાં પોલીસ તપાસ ચાલુ છે. અમારા બહેન તરફથી અમને પહેલા લગ્નજીવનમાં કાંઈ ફરિયાદ કરવામાં નથી આવી પણ બંને અલગ રહેતા એમના કામકાજના હિસાબે બાકી બહેનને કોઈ તકલીફ ન હતી પણ હવે પોલીસ તપાસ કરી રહી છે તો પોલીસને કોઈ યોગ્ય માહિતી મળી હશે તો જ એમાં પોલીસ કરી રહી હશે. રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા આપવામાં આવે- હરેશભાઈવધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે અમે ન્યાયની માંગણી કરીએ છીએ. રાક્ષસ હોય એ પોતાના પરિવારને છોડી દે જ્યારે આ વ્યક્તિએ તો અત્યારે પોલીસ કહી રહી છે કે, શૈલેષ ખાંભલા પોતે જ આરોપી છે એને પોતાની પત્નીને તો છોડો પણ એને પોતાના બાળકોને પણ નથી છોડ્યા. તો સરકાર પાસે એ જ માંગણી કરીએ છીએ કે, આ વ્યક્તિને ફાંસીની સજા સિવાય બીજી કોઈ ઓછી સજા હોય જ ના શકે. આજે અમારો આખો પરિવાર વિખાઈ ગયો છે. તો અમે સરકાર પાસે એ જ માંગણી કરીએ છીએ કે, આ વ્યક્તિને ફાંસીની સજા કરવામાં આવે. નોકરીના સમયગાળાની અંદર એને જે જે પણ કરપ્શન કર્યું હશે જે ભી કંઈ હશે એની મિલકતથી લઈને એની બધી તપાસ કરવામાં આવે અમે સરકારને આ બધી માંગણી કરીએ છીએ. સાથે જે લોકો મદદગારીમાં હોય એમને પણ ફાંસીની સજા આપવામાં આવે અને અમને અમારા પરિવારને ન્યાય આપવામાં આવે એવી સરકારને વિનંતી છે. 5મી તારીખે ગુમ માતા અને બંને સંતાનોના 16મીએ મૃતદેહો મળી આવ્યા ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. જ્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોય નયનાબેન બંને સંતાનોને લઈ ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા. 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પતિ દ્વારા નયનાબેનના પિયરપક્ષના લોકોને પણ જાણ કરતા તેઓ પણ ભાવનગર આવ્યા હતા અને સમાજના અન્ય લોકો સાથે મળી પોલીસને રજૂઆત કરી હતી. ભાવનગર પોલીસને એક બાતમી મળ્યા બાદ ત્રણેય લાશ મળી આવીભાવનગર પોલીસની ટીમ ત્રણેય મૃતકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસને 15મી નવેમ્બરે એક બાતમી મળી હતી કે, જે ત્રણ લોકો ગુમ થયા છે તેના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલા શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો છે. સવાર પડતા જ પોલીસ જેસીબી, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ખાડો ખોદતા નયનાબેન અને તેના બંને સંતાનોના મૃતદેહો મળી આવ્યાભાવનગર પોલીસે ખોદકામ કરતા ત્રણેયના કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જે નયનાબેન, પૃથા અને ભવ્યના હોવાની પરિવારજનોએ ઓળખ કરી હતી. જે ત્રણ લોકો ગુમ હતા તેઓના તેના ઘરની નજીકથી જ દાટેલી હાલતમાં મૃતદેહો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભાવનગર એસપીએ કહ્યું- 'આ મામલામાં પતિ શંકાના દાયરામાં'આ સમગ્ર મામલે ભાવનગર પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એસપી નીતેશ પાંડેએ જણાવ્યું હતું કે, પતિ શંકાના દાયરામાં છે. સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. એક વર્ષ પહેલાં શૈલેષ ખાંભલાનું પ્રમોશન સાથે ભાવનગર બદલી થઈ હતીભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યાર બાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે બાદ એક વર્ષ પહેલા ACFના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.
ગુજરાતીઓએ શેરમાર્કેટના રોકાણને હવે સાઇડ ઇન્કમનો સોર્સ બનાવી દીધો છે. એટલે કે પોતાના કામ-ધંધા, નોકરીની સાથે હવે લોકો શેરબજારમાંથી પણ કમાણી કરવાના નામે રૂપિયા રોકે છે. પણ શેરબજારમાં અત્યારે શું ચાલી રહ્યું છે? ગુજરાતી રોકાણકારોની સ્થિતિ શું છે? કયા સેક્ટરમાં રોકાણ કરવું ફાયદાકારક છે? અને SIPએ કેવું માર્કેટ બનાવ્યું છે? એવા મુદ્દા પર તાજેતરમાં જ NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જનો એક રિપોર્ટ સામે આવ્યો છે. દિવ્ય ભાસ્કરે આ મુદ્દે માર્કેટ એક્સપર્ટ અને ઇન્વેસ્ટર પોઇન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા સાથે વાતચીત કરી અને તેનું સરળ ભાષામાં વિશ્લેષણ સમજવાનો પ્રયાસ કર્યો હતો. જયદેવસિંહ ચુડાસમાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું, સામાન્ય રીતે NSE સમયાંતરે વિવિધ વિષયો પર રિપોર્ટ બહાર પાડે છે. આ વખતનો રિપોર્ટ ડિમેટ એકાઉન્ટની સંખ્યાને લઈને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 1 કરોડ કરતા વધારે છે. ગુજરાતની વસતિની સરખામણીએ આ ખૂબ જ સારી બાબત કહી શકાય. કેમ કે આનો અર્થ થાય છે કે દર 4 વ્યક્તિએ એક વ્યક્તિ પાસે ડિમેટ એકાઉન્ટ છે. આ આંકડો સમગ્ર ભારતની તુલનામાં ઘણો સારો કહી શકાય. ભારતમાં માત્ર 6 રાજ્યો પાસે 50%થી વધુ ડિમેટ એકાઉન્ટ છે, જેમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર, બીજા ક્રમે ઉત્તરપ્રદેશ અને ત્રીજા ક્રમે ગુજરાત આવે છે. છેલ્લા બે વર્ષમાં મહિલા રોકાણકારોની સંખ્યા વધીઆ ટ્રેન્ડ પાછળના કારણો વિશે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, છેલ્લાં થોડા વર્ષોથી મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા એટલે કે ફાયનાન્સિયલ લિટરસી અંગે ખૂબ જ સારી જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાકાળમાં ઘણા પરિવારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. એ પછી મહિલાઓ પરિવારને મદદ કરવા માટે કમાણીના અન્ય સાધનો પર ધ્યાન આપવા લાગી છે. તેમણે ધીમે-ધીમે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓની ટકાવારીમાં થયેલો વધારો ખૂબ જ સકારાત્મક બાબત છે. બીજી તરફ, છેલ્લા બે દાયકામાં મહિલાઓએ ઉદ્યોગસાહસિક તરીકે પણ ખૂબ જ સારી પ્રગતિ કરી છે. આવનારા સમયમાં આ આંકડો હજી વધે તેવા પ્રબળ સંકેતો છે. છેલ્લાં પાંચ વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો ડિમેટ હોલ્ડરની સંખ્યામાં પ્રતિ વર્ષ 20%નો વધારો થઈ રહ્યો છે, જ્યારે મહિલાઓના ડિમેટ એકાઉન્ટ પ્રતિ વર્ષ 26%ના દરેથી વધી રહ્યાં છે. જયદેવસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું, એક સમય હતો જ્યારે મહિલાઓ જોખમ લેવા મુદ્દે ખૂબ મુંઝવણમાં રહેતી હતી. પરંતુ નાણાકીય સાક્ષરતામાં વધારો થવાને કારણે હવે મહિલાઓ પોતાની સમજણ સાથે જોખમ લઈને રોકાણ કરી રહી છે. જેમ-જેમ માર્કેટ બાબતે તેમની સમજણ વધતી જાય છે, તેમ-તેમ તેઓ સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા થયા છે. બીજું, મહિલા રોકાણકારોની એક ખાસિયત છે કે એકવાર તેઓ રોકાણ કરવાનું નક્કી કરે તો પુરુષોની તુલનામાં તેઓ રોકાણને લાંબા સમય સુધી જાળવી રાખે છે. પુરુષો વચગાળાના સમયમાં રોકાણમાં બિનજરૂરી ફેરફારો કરતા જોવા મળે છે, જ્યારે મહિલાઓ તેમના ધ્યેયને વળગી રહીને રોકાણને મધ્યમથી લાંબાગાળા સુધી જાળવી રાખવામાં આગળ હોય છે. ગુજરાતના નાના શહેરોમાંથી રોકાણકારો વધ્યાગુજરાતમાં પુરુષ રોકાણકારોની ટકાવારી 2023માં 73.4% હતી, જેમાં ઘટાડો થઈને 72% જેટલી થઈ છે. આ પાછળના કારણો વિશે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ એક સ્વાભાવિક પ્રક્રિયા ગણી શકાય. કેમ કે પુરુષોના ડિમેટ એકાઉન્ટની સંખ્યા ખૂબ જ વધારે હતી, જેની સામે મહિલાઓના ડિમેટ એકાઉન્ટ ખૂબ ઓછા હતા. પરંતુ છેલ્લાં 5થી 10 વર્ષમાં મહિલાઓમાં જાગૃતિ વધી છે, તેનું પરિણામ આ આંકડાઓમાં દેખાય છે. અત્યારે 10 નવા ડિમેટ એકાઉન્ટમાંથી મહિલાઓના ડિમેટ એકાઉન્ટ 6થી 7 હોય છે. જ્યારે માત્ર 3થી 4 એકાઉન્ટ પુરુષોના ખુલી રહ્યાં છે. ધીમે-ધીમે પુરુષોના એકાઉન્ટનો હિસ્સો ઘટતા ક્રમે જોવા મળી રહ્યો છે, જેને સ્વાભાવિક પ્રક્રિયા કહી શકાય. બીજું કારણ એ પણ છે કે પુરુષોના એકાઉન્ટ પહેલેથી જ ઘણાં પહેલાં ખુલી ચૂક્યા હતા, તેથી તેમાં એકાઉન્ટ ખુલવાનો દર ઓછો હોય છે, જ્યારે મહિલાઓમાં હાલમાં આ પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણે તેમનો દર વધારે ઝડપથી વધતો હોય તેમ લાગે છે. જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, ગુજરાતમાં સૌથી વધુ ડિમેટ હોલ્ડરોની સંખ્યા અમદાવાદ અને સુરતમાં હતી. છેલ્લા એકાદ દાયકામાં નાના જિલ્લાઓમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં જામનગર, રાજકોટ અને વડોદરાને પણ અગ્રેસર છે. એટલે કે મેટ્રો સિટીઝ કરતા હવે નાના-નાના જિલ્લાઓમાંથી પણ ટકાવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ઉંઝા, જેતપુર, ગાંધીધામ, વાપી, નવસારી અને પોરબંદર જેવા સેન્ટરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કયા સેક્ટરમાંથી સારા રિટર્નની સંભાવના?જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, સેક્ટર પ્રમાણે જોઈએ તો 4થી 5 સેક્ટરમાં છેલ્લા 2થી 4 વર્ષમાં સારો એવો ફાયદો મળ્યો છે. તેમાં સૌથી સારું પ્રદર્શન કરનારું સેક્ટર હોય તો તે ડિફેન્સ સેક્ટર છે. ત્યાર પછી PSU સેક્ટરની બેંક, એ પછી હેવી એન્જિનિયરિંગ કંપનીઓ, સોલારની પ્રોડક્ટ સાથે જોડાયેલી કંપનીઓમાં ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળ્યું. પણ ખરાબ પર્ફોર્મન્સ આપનારા સેક્ટરની વાત કરીએ તો, ટ્રમ્પના ટેરિફ પછી IT સેક્ટર અને ફાર્મા સેક્ટરને ખૂબ જ અસર થઈ છે, જેના કારણે રોકાણકારોને અસર થઈ છે. જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, છેલ્લા 13 મહિના દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને પાર કરવામાં નિષ્ફળ રહ્યાં છે. પણ બની શકે કે આવનારા એકથી બે વર્ષમાં ભારતીય શેરબજાર ઉત્તરોત્તર સારો દેખાવ કરે તેવી શક્યતાઓ છે. જો રોકાણકારોએ સારું રિટર્ન મેળવવું હોય તો, પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ. સાથે જ ક્વોલિટી કંપનીઓને ઓળખીને, જ્યારે પણ શેરબજારમાં ઘટાડો આવે, ત્યારે તેને એક અવસરના રૂપમાં લઈને રોકાણ વધારવું જોઈએ. જેને ડાયરેક્ટ ઇક્વિટી બજારની સમજ ન હોય, તેમણે SIP થકી રોકાણ કરવું જોઈએ. અન્ય રાજ્યોની સાપેક્ષમાં ગુજરાતના રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે. તે પાછળના કારણો વિશે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, સ્ટોક માર્કેટમાં ગુજરાત હંમેશા અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે. આજથી બે દાયકા પહેલાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે આવતું હતું, પણ વસતિના આધારે એવા ઘણા રાજ્યો હતા જ્યાં ડિમેટ હોલ્ડરોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. પરંતુ જેમ-જેમ નાણાકીય સાક્ષરતા વધી અને ડિજિટલ ક્રાંતિ આવી તેના કારણે દેશના ઘણા યુવાન રોકાણકારો અન્ય રાજ્યોમાંથી ઉમેરાતા ગયા. ગુજરાતમાં તો એક પ્રકારે સિનિયોરિટી હતી જ. કેમ કે રોકાણકારો ખૂબ જ પહેલાંથી જોડાઈ ગયા હતા. કોરોના પછી ડિજિટલ ક્રાંતિ થઈ તેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત કરતા બાકીના રાજ્યોમાંથી વધારે રોકાણકારો જોડાઈ રહ્યા છે. શરૂઆતના દાયકામાં 4 વર્ષ સતત યુવા રોકાણકારોની સંખ્યામાં વધારો થયા બાદ 3 વર્ષથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ અંગે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, કોરોના પછી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ શેરમાર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન હર્ષદ મહેતાની એક પ્રચલિત સિરીઝ પણ આવી હતી, એટલે તેના પરથી પ્રેરણા લઈને પણ યુવા રોકાણકારોએ રોકાણ કરવાની શરૂઆત કરી હતી. જો કે યુવા રોકાણકારોમાં મેચ્યોરિટીના અભાવના કારણે તેઓ આ પ્રવૃત્તિને સટ્ટાકીય રીતે જોતા હોય છે. એટલે આ પ્રકારનો વર્ગ સટ્ટાકીય પ્રવૃત્તિ તરીકે લઈને સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે તેની પણ અસર જોવા મળી રહી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે છેલ્લા 6 મહિના રોકાણકારો માટે ઉથલપાથલવાળા રહ્યા છે. આ અંગે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું, આ બિલકુલ સાચી વાત છે, કેમ કે ભારતીય શેર બજારમાં નિફ્ટી અને સેન્સેક્સનું લાઇફટાઇમ હાઈ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ હતું. એ પછી આજદિન સુધી ભારતીય શેરબજારે તેના ઉચ્ચતમ સ્તરને વટાવ્યું નથી. નિફ્ટી 26000ને પાર નીકળી હતી પણ લાઇફટાઇમ હાઈ વટાવવામાં સફળ રહી નહોતી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી તેની અસર વિશ્વભરના બજારોની સાથે-સાથે ભારતીય શેરબજાર પર પણ થઈ હતી. એપ્રિલ પછી ટ્રમ્પે સમય જતા ભારત પર 50% ટેરિફ નાંખવાની વાત કરી હતી. એ પછી ભારતીય શેર બજારમાં હળવો પ્રોફિટ-બુકિંગ અને વેચવાલી જોવા મળી હતી. આવા નકારાત્મક સમયમાં પણ ભારતીય શેર બજાર તેની સર્વોચ્ચ સપાટીથી માત્ર 3થી 4 ટકા જ નીચે આવ્યા હતા. કેન્દ્રીય બજેટમાં 12 લાખ રૂપિયાની આવક સુધી ઇન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. એ પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 100 બેઝિસ પોઇન્ટનો વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ પણ એક ખૂબ જ મોટી વાત હતી. તાજેતરમાં જે રીતે સરકારે GST દરમાં ઘટાડો કર્યો એ પણ એક સારી અને સૂચક બાબત ગણી શકાય. અન્ય આર્થિક આંકડાઓ જોઈએ તો ઘણા બધા આંકડાઓ આર્થિક રીતે ભારતીય શેર બજારને ટેકો આપતા આવી રહ્યાં છે. તેનું એક ઉદાહરણ આપું તો હાલમાં ઓટો સેલ્સના આંકડાઓ આવ્યા છે તેમાં મોટા ભાગની કંપનીઓએ તેની સ્થાપનાના સૌથી વધુ વેચાણના આંકડાઓ નોંધાવ્યા છે, જે પણ ખૂબ જ સારી બાબત ગણી શકાય. ચાલુ વર્ષમાં GSTના આંકડા પણ ખૂબ જ ઉત્સાહજનક આવ્યા છે. ઉદાહરણ તરીકે ચાલુ વર્ષે એક પણ મહિનો એવો નથી જેમાં GST કલેક્શન 1 લાખ 70 હજાર કરોડ કરતાં ઓછું આવ્યું હોય. આ પણ એક સકારાત્મક બાબત ગણી શકાય. આવામાં ટ્રમ્પના ટેરિફ વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ચેતનવંતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ભારતનું અર્થતંત્ર ઘરેલુ વપરાશ પર આધારિત છે, નહીં કે નિકાસ પર. ભારતના અર્થતંત્રમાં 82% હિસ્સો ઘરેલુ વપરાશનો જ્યારે 18% નિકાસનો છે. જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું, ભારતમાં GST કલેક્શનના આંકડાઓ દર્શાવે છે કે તેમાં 4થી 5 રાજ્યોનો સૌથી વધુ ફાળો છે. GST કલેક્શનના આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુનું કલેક્શન લગભગ 50% જેટલું છે. જ્યારે આ આવકનું પુન:વિતરણ સમગ્ર દેશમાં થાય છે. ઉદ્યોગોમાં પણ ચાર રાજ્યો હંમેશા આગળ રહે છે. રિપોર્ટ પ્રમાણે નવા પ્રોજેક્ટ્સમાં રાજ્યવાર વાર્ષિક સરેરાશ રોકાણ નાણાકીય વર્ષ 2015થી 2018માં દોઢ લાખ કરોડ રૂપિયા હતું, જે વધીને નાણાકીય વર્ષ 2019થી 2025 દરમિયાન 3.1 લાખ કરોડ રૂપિયા થયું છે. આ વધારા પાછળનું કારણ શું છે તે અંગે પૂછતાં જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું કે જે રીતે ફુગાવાનો દર વધી રહ્યો છે તે જોતાં ચોક્કસ કહી શકાય કે કોઈ પ્રોજેક્ટની 2019માં જે કિંમત હોય તે 2025માં 15%થી 20%ના દરથી વધતી હોય છે. બીજી તરફ મોંઘવારી વધે છે, જેની અસર પ્રોજેક્ટ કોસ્ટ પર આવે છે. આ વાતની અસર આ આંકડાઓમાં જોવા મળતી હોય તેવું લાગે છે.
અમદાવાદ ને ઉદ્યોગપતિઓની વાત આવે ને અંબાલાલ સારાભાઈનું નામ ના આવે તે શક્ય જ નથી. અંબાલાલ સારાભાઈ તે સમયમાં આધુનિક વિચારો ધરાવતા હતા. અંબાલાલ સારાભાઈને આજની પેઢી તો કદાચ ઓળખતી પણ નહીં હોય, પરંતુ જૂની પેઢી ક્યારેય આ નામ ભૂલશે નહીં. આજની પેઢીને ડૉ. વિક્રમ સારાભાઈ વિશે તો ખ્યાલ જ હશે તો ડૉ. વિક્રમ સારાભાઈના પપ્પા એટલે અંબાલાલ સારાભાઈ. દિવ્ય ભાસ્કર છ એપિસોડની ગુજરાતના જાણીતા બિઝનેસમેનની સિરીઝ 'લક્ષાધિપતિ' આજથી શરૂ કરી રહ્યું છે, જેમાં સૌ પહેલાં અમદાવાદના અંબાલાલ સારાભાઈના પરિવારની વાત કરીશું. સારાભાઈ પરિવારને કારણે આજે અમદાવાદમાં અનેક જાણીતી સંસ્થાઓ છે. અંબાલાલ સારાભાઈનાં સંતાનો, પૌત્ર-પૌત્રીઓ આજે શું કરે છે તે અંગે પણ વાત કરીશું. મગનભાઈ શેઠે ભત્રીજીના દીકરાને દત્તક લીધોઅંબાલાલ સારાભાઈ અંગે વાત કરીએ તે પહેલાં આપણે તેમના પૂર્વજો અંગે થોડું જાણી લઈએ. 1880નો સમય હતો. અમદાવાદ શહેરના શ્રીમંતો અલગ-અલગ બગી ને ઘોડા રાખતા. અમદાવાદના તે સમયના જાણીતા મગનભાઈ શેઠના ઘરમાં જાહોજલાલી હતી ને તેમનો પરિવાર ચીન-ભારતના વચ્ચેના અફીણ ને રેશમના વેપારમાં ચિક્કાર કમાણી કરી હતી. અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો. તેઓ રાયપુરની હવેલીમાં રહેતા હતા. તેઓ નિઃસંતાન હોવાથી તેમણે ભત્રીજી ચંચળબહેનના આઠેક મહિનાના દીકરા સારાભાઈને દત્તક લીધા. દત્તક લીધાના થોડા સમયમાં જ મગનશેઠનું અવસાન થયું ને તમામ સંપત્તિનો વારસો સારાભાઈને મળ્યો. સારાભાઈનાં લગ્ન ગોદાવરી બહેન સાથે થયાં. સારાભાઈનો પરિવાર પહેલેથી જ આધુનિક વિચારસરણી ધરાવતો. તે સમયે ગોદાવરી બહેન અંગ્રેજી સાહિત્ય વાંચતાં ને તેમના પલંગ પર શેક્સપિયરનું ‘હેમ્લેટ’ જોવા મળતું. તેઓ અંબાજીનાં દર્શને નિયમિત જતાં અને તેમણે માનતા માની હતી કે જો દીકરો જન્મશે તો અંબાલાલ નામ રાખશે ને તેમની માનતા ફળીભૂત થતાં જ તેમણે દીકરાનું નામ અંબાલાલ રાખ્યું. સારાભાઈ શેઠનું માત્ર 28 વર્ષની ઉંમરે અવસાનકરમની કઠણાઈ એવી કે સારાભાઈ શેઠનું માત્ર 28 વર્ષની ભરયુવાન ઉંમરે અવસાન થયું. પતિના મોતનો એ હદે આઘાત લાગ્યો કે ગોદાવરી બહેન પણ છ મહિના બાદ જ મૃત્યુ પામ્યાં. આ સમયે અંબાલાલની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. અંબાલાલને પોતાનાથી ચાર વર્ષ મોટાં બહેન અનસૂયા પણ હતાં. અંબાલાલ અઢળક સંપત્તિના માલિક હતા, પરંતુ ઉંમર સાવ નાની હતી. અંબાલાલ ને અનસૂયાને કાકા ચીમનભાઈ નગીનદાસે જીવની જેમ સાચવ્યા. એક આડ વાત કે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી સી.એન. વિદ્યાવિહાર સ્કૂલ એટલે ચીમનભાઈ નગીનદાસના નામ પરથી બનાવવામાં આવી છે. અંબાલાલ ત્રીજા પ્રયાસે મેટ્રિક પાસ થયાઅંબાલાલને ભણવાને બદલે પશુ-પક્ષી, વૃક્ષોમાં વધારે રસ હતો આ જ કારણે મેટ્રિક માંડ માંડ ત્રીજા પ્રયાસે પાસ થયા. પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણ્યા. અંબાલાલના પરિવારની મહિલાઓ તે સમયે ઘોડેસવારી કરતી. તેમને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે પારસી ને યુરોપિયન બાનુઓ આવતી. અંબાલાલ પહેલા રાયપુર હવેલી રહ્યા, પછી ઘીકાંટા વાડી ને પછી ખાનપુરના ચાંદા સૂરજ મહેલમાં રહેતા. ત્યારબાદ મિર્ઝાપુરમાં ‘શાંતિસદન’ નામના આલીશાન બંગલામાં ને છેલ્લા શાહીબાગમાં આવેલા ‘રિટ્રીટ’ બંગલામાં રહ્યા. 18 વર્ષે રાજકોટના વકીલની દીકરી સાથે લગ્ન કર્યાંગર્ભશ્રીમંત એવા અંબાલાલ રૂપાળા હતા. 18 વર્ષની ઉંમરે તેઓ ‘કેલિકો’ ને ‘જ્યુબિલી’ મિલના માલિક હતા. અનેક હવેલી, વાડી, બાગ-બગીચા હતા. ઘરમાં ઘોડાગાડી ને બગીઓની લાઇન લાગેલી હતી. 1918માં કાકા ચીમનલાલે ભત્રીજા અંબાલાલ માટે સારી કન્યા શોધવાનું કામ મિલ મેનેજર જમનાદાસને સોંપ્યું. અંબાલાલનો પરિવાર દશા શ્રીમાળી જૈન હતો. તે સમયે અમદાવાદના શાહપુરમાં મૂળ રાજકોટના એડવોકેટ હરિલાલ ગોસલિયા રહેતા અને તેમને પાંચ દીકરી, તેમાંથી એક રેવા. રેવા આમ રંગે શ્યામ પણ તેના વાળ ખાસ્સા લાંબા હતા. કોઈની ભલામણથી જમાનદાસ આ એડવોકેટના ઘરે કન્યા માટે આવ્યા. ઘરમાં રેવા ને તારા એમ બે કન્યાઓ હતી. ઘરમાં જરી ભરેલી એક જ ભારે સાડી હતી તો બંને બહેનોએ વારાફરતી પહેરીને ફોટા પડાવ્યા. મેનેજરે આ ફોટા અંબાલાલ ને ચીમનલાલને આપ્યા. બંનેને રેવા વધારે ગમી. તે સમયે અંબાલાલ કન્યા જોવા માટે ઘરે ગયા. ત્યાં તેમણે રેવાને સવાલ કર્યો કે તમારી મરજીથી આ સંબંધ કરવા માગો છે કે કોઈના દબાણથી? નાનકડી રેવાએ સહજ ભાવે જવાબ આપ્યોઃ 'મારી ઈચ્છાથી.' લગ્ન નક્કી થયાં, પરંતુ કાકાનું 45 વર્ષની વયે અવસાન થતાં અંબાલાલ શેઠ પર તમામ જવાબદારી આવી ગઈ. તેમની મિલોમાં બનતું કાપડ મુંબઈ સુધી વખણાયું. અંબાલાલ કામમાં એવા વ્યસ્ત થયા કે લગ્નની વાત જ ભૂલી ગયા.આ સમયે રેવાએ કાગળ લખીને અંબાલાલને સવાલ કર્યો કે તમે શું વિચાર કર્યો? અંબાલાલે લગ્ન માટે હા પાડી. તેમણે સસરાને ત્યાં મુંબઈથી દરજી મોકલ્યા. રેવા માટે નવી ફેશનની સાડીઓ તથા બ્લાઉઝ બનાવવામાં આવ્યા. અંબાલાલનો વરઘોડો વર્ષો સુધી અમદાવાદીઓના દિલોદિમાગ પર છવાયેલો રહ્યો. રેવા પરણીને સાસરે તો આવ્યાં, પણ તેમની પાસે ઘરમાં પહેરવાનાં એક પણ સાદા કપડાં નહોતાં. તેમણે નણંદ પાસેથી કપડાં લીધાં. લગ્ન બાદ અંબાલાલે પત્નીનું નામ રેવામાંથી સરલાદેવી કર્યું. 18 વર્ષના અંબાલાલ શેઠને લોકો શેઠ સાહેબ ને 14 વર્ષનાં સરલાદેવીને ‘બાઈસાહેબ’ કહીને બોલાવવા લાગ્યા. અંબાલાલે પછી પિતાના નામને જ અટક બનાવી દીધી ને તેઓ અંબાલાલ સારાભાઈ તરીકે ઓળખાવા લાગ્યા. સરલાદેવીએ ભણવાનું ચાલુ રાખ્યુંલગ્ન બાદ તે સમયે સરલાદેવીએ અભ્યાસ બંધ કર્યો નહોતો. તેઓ મિસ ચબ દ્વારા ચાલતી મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં ભણતાં. તેમને અંગ્રેજી વાંચતાં-બોલતાં ને લખતાં આવડી ગયું હતું. સાહિત્ય ને ફિલોસોફી માટે ઘરે જ પ્રોફેસર આવતા. આધુનિક વિચારસરણી ધરાવતો આ પરિવાર સમાજ સુધારામાં પણ ઘણો જ આગળ રહ્યો છે. તે સમયે જાહેર પ્રસંગોમાં પુરુષોની સાથે સ્ત્રીઓ જોવા ના મળે. અંબાલાલ આ રિવાજની વિરુદ્ધમાં હતા. અંબાલાલ હંમેશાં પત્ની સરલાદેવીને લઈને જ જતાં. તે સમયે અંબાલાલ-સરલાદેવી ને રમણભાઈ નીલકંઠ-વિદ્યાગૌરી નીલકંઠ અચૂકથી જોવા મળે. અંબાલાલ શેઠ અમદાવાદના પહેલા ક્લીન શેવ્ડ પુરુષએવું નહોતું કે અમદાવાદ શહેરમાં માત્ર અંબાલાલ એક જ ગર્ભશ્રીમંત પરિવાર હતો, પરંતુ લૅવિશ લાઇફસ્ટાલની શરૂઆત અંબાલાલે જ કરી હતી તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ સાથે જ તેઓ સમાજ સુધારક વિચારોવાળા પણ હતા. સરલાદેવી ફૂલેલી પફ બાંયો સાથે લેસની ઝૂલોવાળા બ્લાઉઝ, સોનાની પાતળી ચેનવાળું લોકેટ, હીરાજડિત બુટ્ટી, શિફોનની સાડી તથા ઊંચી એડીનાં બૂટ સાથે લેટેસ્ટ હેરસ્ટાઇલથી સજ્જ જોવા મળતાં તો અંબાલાલ લીલા મખમલના ઇજાર (પેન્ટ),લોંગ કોટ, માથા પર જરી ભરત ભરેલી મખમલી ટોપી પહેરતાં. તેમના વસ્ત્રો અંગ્રેજી દરજીઓ તૈયાર કરતા. આ સાથે જ ગામા નીલમ હીરાની કંઠી તો હોય જ. 1912 પછી તેમણે કોટ-પાટલૂન તથા ઊંચી કાળી ટોપી પોશાક તરીકે અપનાવ્યા હતા, થોડા સમય બાદ તેમણે ટોપીનો પણ ત્યાગ કર્યો હતો. વાચકોને જાણીને નવાઈ લાગશે તે સમયે ગુજરાતના દરેક પુરુષોએ મૂછો રાખવી ફરજિયાત હતી, પરંતુ અંબાલાલે મૂછો કઢાવી ને તે અમદાવાદના પહેલા ક્લીન શેવ્ડ પુરુષ બન્યા. આ એક આંચકાજનક સુધારો હતો. ખરી રીતે, અંબાલાલ જે રિવાજ બુદ્ધિથી સમજાય તેવો ના હોય તે કોઈ રિવાજ પાળતા નહી જૈન હોવા છતાં તેઓ સૂર્યાસ્ત પછી જમતા. ઘરના ડાઇનિંગ ટેબલ પર ટમેટાં, ગાજર-મૂળા, બટેટા જોવા મળે. પતિ-પત્ની એકબીજાને નામથી બોલાવતાંઆજે પણ ગામડાંમાં પત્ની પોતાના પતિને નામથી બોલાવતી નથી. તે સમયે અંબાલાલ પત્નીને સરલાદેવી ને સરલાદેવી અંબાલાલ કહીને બોલાવતા. આટલું જ નહીં. તેઓ એકબીજાને ડિયર કે ડાર્લિંગ પણ કહેતા. તે સમયે લોકો જ્યારે આ શબ્દો સાંભળતા ત્યારે તેમની આંખો પહોળી થઈ જતી. ભારતમાં બ્રિટિશ રાજ હતું, પરંતુ અંબાલાલ શેઠના ઘરમાં યુરોપિયન બટલર તથા યુરોપિયન મહિલાઓ ગવર્નેસ તરીકે રહેતી. ઘરની સ્ત્રીઓ માથે ઓઢતી નહીઆ સમયે એવો હતો કે મહિલાઓ માટે અનેક બંધનો રહેતાં, પરંતુ અંબાલાલ સારાભાઈના ઘરમાં મહિલા કે પુરુષ એવો કોઈ ભેદભાવ જોવા મળતો નહીં. તેમના એક બહેન કાંતાબેનનું અવસાન થયું ત્યારે અનુસૂયા બહેન ઇંગ્લેન્ડમાં હતાં અને તેઓ અધવચ્ચે એક્ઝામ અધૂરી મૂકીને અમદાવાદ આવ્યાં. તેઓ અમદાવાદમાં ખુલ્લા માથે ને ખુલ્લી બગીમાં ફરતા. આટલું જ નહીં, તેઓ ક્યારેક સિગારેટ પણ પીતાં. જૈન હોવા છતાં જીવ હત્યા કરીસમાજ સુધારક હોવાથી સમાજમાં સતત સંઘર્ષનો ભોગ બનતા. કેલિકો મિલમાં કેટલાક કૂતરાં હડકાયાં થયાં હતાં. મજૂરોને કરડી જતાં. આથી આ કૂતરાંને ગોળીએ મારી નાખવામાં આવ્યાં. ‘વીરશાસન’ નામની પત્રિકામાં આ વાતનો વિરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત સત્યાગ્રહ આશ્રમમાં વાછરડું બીમાર પડ્યું અને તેને શીતળા નીકળ્યા. તેને દર્દમાંથી મુક્ત કરાવવા ગાંધીજીએ અંબાલાલને વાત કરી. તેમણે ડૉ. ટેકારિયાને બોલાવીને ગાંધીજીની મરજીથી વાછરડાંને દર્દનું ઇન્જેક્શન આપીને મુક્ત કર્યું. આ વાતનો પણ ઘણાએ વિરોધ કર્યો હતો. અમદાવાદમાં પહેલી મોટરકાર અંબાલાલ સારાભાઈ લાવ્યાઆ સમયે ગર્ભશ્રીમંત પરિવારો ઘોડાથી ખેંચાતી ખુલ્લી કે બંધ બગીમાં જ ફરતાં. કોઈની પાસે મોટરકાર નહોતી. 1910માં અંબાલાલ સારાભાઈ અમદાવાદમાં પહેલી મોટરકાર લઈને આવ્યા, પરંતુ કોઈને ગાડી ચલાવતા આવડતું નહોતું. ગાડી ચલાવવા માટે મુંબઈથી મૂછોવાળો એક શોફર ખાસ બોલાવવામાં આવ્યો હતો અને પછીથી તો અંબાલાલ પણ મોટરકાર ચલાવતા શીખી ગયા હતા. એ મોટર ચાલે એટલે અડધા માઇલ દૂરથી સરલાદેવીને ખબર પડે કે મોટર આવી, તેવો ધડાકાબંધ અવાજ આવતો. આજે તો આપણે પેરેન્ટ્સને મમ્મી-પપ્પા, મમ્મા-ડેડ કહીએ છીએ, પરંતુ અમદાવાદમાં આ શરૂઆત કોણે કરી તેનો ક્યારેય વિચાર આવ્યો છે? તે સમયમાં ગુજરાતમાં બાળકો પિતાને મોટાભાઈ ને માતાને મોટી બહેન કહેતા, પરંતુ અંબાલાલના પરિવારમાં મમ્મી-પપ્પા કહેવાનું શરૂ કર્યું. પરિવારમાં જ્યારે બાળકો તોફાન કરે તો ક્યારેય હાથ ઉપાડવાનો કે ગુસ્સે થવાનું અંબાલાલના ઘરમાં બને નહીં. સરલાદેવી જે બાળક તોફાન કરે તેને લઈને જાતે જ બાથરૂમમાં પુરાઈ જતાં. ઇંગ્લેન્ડમાં ગોરા નોકરો રાખ્યા, વિદેશથી ગવર્નેસ લઈ આવ્યા6 મે, 1912ના રોજ સરલાદેવીએ દીકરી મૃદુલાને જન્મ આપ્યો. 1912માં અંબાલાલ પરિવાર સાથે વિદેશ ગયાં ને ઇંગ્લેન્ડમાં સરલાદેવીએ દીકરી ભારતીને જન્મ આપ્યો. પછી દીકરા સુહૃદનો જન્મ થયો. ત્યારબાદ દીકરી લીના, દીકરો ગૌતમ, વિક્રમ ને પછી બે સંતાનોનો જન્મ થયો. અંબાલાલ જ્યારે ઇંગ્લેન્ડથી ભારત આવે તો થોડા દિવસ મુંબઈ રહે, ત્યાં તેમણે કફ પરેડ તથા મરીન લાઇન્સમાં ભવ્ય માલ્ડન હાઉસ બનાવ્યાં. ઘરમાં શાળા શરૂ કરવામાં આવી અને પછી બધાં સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ ગયાં. તેમણે સાથે નર્સ તથા શિક્ષક કરુણાશંકરને પણ સાથે લીધા લંડનના હેમસ્ટેડ સબર્બમાં બાળકોને રહેવા અંબાલાલે ત્રણ માળનું ઘર ખરીદ્યું ને ઇંગ્લેન્ડમાં ગોરાઓને નોકર તરીકે રાખવામાં આવ્યા. ડેસ્લર તથા ઓસ્ટિન જેવી બે લક્ઝુરિયસ કાર પણ લીધી. બે યુરોપિયન શોફર સાથે પરિવારમાં કુલ 30 વ્યક્તિઓ હતાં. ભોજન માટે ચાંદીનું ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યું. ઇંગ્લેન્ડમાં તે સમયે સ્કૂલના ભોજનમાં માંસ મળતું અને અંબાલાલનો પરિવાર નોન-વેજ ખાતો નહોતો એટલે બાળકો ભૂખ્યાં રહેતાં. આ જ કારણે અંબાલાલે ઇંગ્લેન્ડમાં બીજું ઘર ખરીદીને ત્યાં બાળકો માટે ખાનગી શાળા શરૂ કરી. કલ્પના પણ ના થઈ શકે કે સરલાદેવીએ બાળકોને ભણવવા માટે એક અંગ્રેજ ગ્રેજ્યુએટને શિક્ષણની તાલીમ માટે ખાસ ઇટલી મોકલ્યો. 1921ના સમયાળામાં બહુ ઓછા ભારતીયો ઇંગ્લેન્ડમાં રહેતા. બાળકો માટે મિસ વિલિયમ્સ ટીચર રોકવામાં આવી. એ જ્યારે બાળકો સાથે બહાર નીકળે ત્યારે ગોરાઓ પણ મોંમાં આંગળાં નાખીને વિચારતા કે આ ભારતીય બાળકો સાથે કેમ છે? બાળકોને ઇંગ્લેન્ડમાં બહુ ફાવ્યું નહીં એટલે આખો પરિવાર ભારત આવી ગયો. બાળકોની સંભાળ માટે સરલાદેવી ઇંગ્લેન્ડથી યુરોપિયન ગવર્નેસોને લઈ અમદાવાદ આવ્યાં. ઇંગ્લેન્ડમાં અંબાલાલે પહેલી કંપની શરૂ કરીજે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યું હતું, તે અંગ્રેજોના દેશમાં પહેલી ભારતીય કંપની શરૂ કરનારા અંબાલાલ સારાભાઈ હતાં. તેમણે લંડનમાં બકુભાઈ અંબાલાલ નામથી કંપની શરૂ કરી. માન્ચેસ્ટરમાં રહીને કાપડ ઉદ્યોગનો અભ્યાસ કર્યો ને પછી યુગાન્ડા, પૂર્વ આફ્રિકામાં મિલ નાખી ને ચરોતરના પટેલને ભાગીદાર બનાવ્યા. અમદાવાદની કેલિકો ને જ્યુબિલી મિલમાં નવા મશીનો આવ્યાં. ફાઇન કાઉન્ટ નામના કાપડનો નવો પ્રકાર શરૂ કરીને કાપડ ઉદ્યોગમાં ફેરફાર લાવ્યા. ત્યારબાદ કાચ, સાકર, તેલ, સાબુના માર્કેટમાં પણ ઝંપલાવ્યું. મુંબઈમાં સ્વસ્તિક ઓઇલ મિલ શરૂ કરી. બિહારમાં શુગર ફેક્ટરીમાં થોડો સમય રહ્યા. બનેવી બકુભાઈ ગુજરી ગયા તો વિધવા બહેન નિર્મળાબહેનને વેપારમાં સામેલ કર્યાં. તે સમયે મહિલાઓ વેપાર-ધંધામાં કામ કરતી નહોતી. દીકરીનાં લગ્ન કન્યાદાનની વિધિ વગર કરાવ્યાં1937માં અંબાલાલના દીકરી લીનાબહેને મદનમોહન સાથે પહેલા સિવિલ ને પછી વૈદિક રીતે લગ્ન કર્યાં. જોકે, તેમનો આગ્રહ હતો કે દીકરી કોઈ ચીજ-વસ્તુ નથી કે દાનમાં આપી શકાય. લગ્ન કન્યાદાનની વિધિ વગર કરવામાં આવે. તે સમયે આ એક ક્રાંતિ હતી. આખા ગુજરાતમાંથી એક પણ બ્રાહ્મણ આ રીતે લગ્ન કરાવવા તૈયાર ના થયો. અંતે પુનાના એક વિદ્વાન શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. દીકરીના ઘરનું પાણી પણ પીવાય નહીં તેવી રૂઢિ હતી, પરંતુ અંબાલાલે આ રૂઢિ પણ તોડી નાખી. ઘરમાં જ્યોતિષને પ્રવેશ અપાતો નહીંઘરમાં ધાગા-દોરા, ભૂવા-જ્યોતિષ, તાંત્રિકોને પ્રવેશ આપવામાં આવતો નહીં. જન્માક્ષર બનાવવામાં આવ્યા નહોતા ને કોઈ પણ પ્રસંગ તિથિ કે મુહૂર્ત જોયા વગર જ કરવામાં આવતો. તેમનો નિયમ હતો કે કોઈ સગા કે જ્ઞાતિવાળાને નોકરીએ રાખવા નહીં આ જ કારણે સગાઓ સાથે કડવાશભર્યા સંબંધો પણ રહ્યા. તેઓ જાહેરખબર છપાવીને ઉચ્ચ લાયકાતવાળી વ્યક્તિને જ નોકરીએ રાખતા. રિટ્રીટ બંગલા આગળ ભવ્ય શબ્દ પણ ટૂંકો પડે!અંબાલાલે અમદાવાદમાં ભવ્ય ઘર બનાવવાનું નક્કી કર્યું અને આ માટે શાહીબાગ વિસ્તાર પસંદ કર્યો. હાલ જ્યાં શાહીબાગ અંડર પાસ છે તેની બાજુમાં 21 એકર થોરની વાડ હતી ને અંદર જૂનો બંગલો હતો. તે સમયે ત્યાં ચોરોનો ત્રાસ રહેતો. અંબાલાલે આ વિસ્તારમાં પોતાનું ભવ્ય ઘર બનાવ્યું. બંગલાની ડિઝાઇનનું કામ કવિ રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ કરને આપવામાં આવ્યું. સુરેન્દ્રનાથે જ રવીન્દ્રનાથનાં ઘર ‘ઉત્તરાયણ’ તથા ટાગોરની વિખ્યાત માટીની કોટેજ ‘શ્યામોલી’ બનાવી હતી. 1937-38ના સમયગાળા દરમિયાન 60થી પણ વધુ રૂમવાળો બંગલો તૈયાર થયો. માર્બલ દેશ-વિદેશથી મગાવવામાં આવ્યાં. ધાબે ભોજન કરવું હોય તો ગરમાગરમ વાનગીઓ માટે અલગ લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી. રિટ્રીટ બંગલામાં અનેક જગ્યાએ પાણીના હોજ બનાવવામાં આવ્યા, તેમાં અલગ-અલગ કમળ, પોયણીઓ ઉગાડવામાં આવી. અમદાવાદમાં તે સમયે આટલો ભવ્યાતિભવ્ય બંગલો હતો જ નહીં. બંગલાની આગળ ખાસ ઇંગ્લેન્ડથી ગ્રીસની પ્રતિકૃતિવાળા વિનસનાં પૂતળાં મંગાવવામાં આવ્યાં. ઇટલીથી ખાસ ઝુમ્મરો આવ્યાં ને રિટ્રીટના ગાર્ડનમાં વિશ્વના તમામ પ્રકારના ગુલાબના છોડ વાવવામાં આવ્યા. ઊંચા વાસ ને અલગ-અલગ પામથી બંગલો આખો ઢંકાઈ ગયો. આ ઉપરાંત બંગલાની અંદર જ સંતરાની આખી વાડી બનાવવામાં આવી. અંબાલાલ સારાભાઈ વિશ્વની અલગ-અલગ વનસ્પતિઓ અંગે વાંચતા અને મંગાવતા. વનસ્પતિ પર બોટનિકલ નામ લખવામાં આવતાં. આટલું જ નહીં, પૂનાથી ખાસ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ બોલાવવામાં આવ્યા ને આખા બગીચાની સારસંભાળ માટે 30 જેટલા માળીઓ ને તેટલા જ સિક્યોરિટી ગાર્ડ હતા. સ્વિમિંગ પુલથી લઈને અનેક સુવિધાઓ રિટ્રીટમાં તો હતી જ. બગીચામાં અનેક પશુ-પંખીઓ હતાંબગીચામાં કાળિયાર મૃગ, હરણા, માઉસ ડિયર, નીલ ગાય, માંકડાં, સસલા, ઇરાની બિલાડીઓ, કૂતરાં, અલગ-અલગ કબૂતરો, સારસ-સારસી, જર્મની-ઇજિપ્તથી મોર લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા દ. અમેરિકાથી અનેક જાતના પશુ-પંખીઓ લાવવામાં આવ્યાં હતાં. બગીચામાં એટલા બધા પોપટો હતા કે રિટ્રીટ બંગલો તે સમયે ભારતમાં બેસ્ટ પોપટ સંગ્રહ માટે લોકપ્રિય થયો હતો. દૂધ દોહવા રબારીઓ, ઘોડાવાળા, વીસ જેટલા મજૂરો, ક્લીનર, શોફર્સ, વીસ જેટલા મજૂરો, દસ જેટલા શિક્ષકો પણ રહેતાં. આ બધાને સાચવવાનું કામ સરલાદેવી કરતાં. દેશ-દુનિયાના જાણીતા લોકો મહેમાન બનતાંએક દિવસ રવીન્દ્રનાથ ટાગોર રિટ્રીટ બંગલે રહેવા આવ્યા અને તેમણે અંબાલાલના દીકરા વિક્રમનું માથું ને કપાળ જોઈને કહ્યું હતું કે કેવો અસાધારણ મેધાસંપન્ન આ બાળક છે. રિટ્રીટમાં બાળ ગંગાધર ટિળક, ગોખલે, મોતીલાલ નેહરુ પત્ની ને દીકરા જવાહર સાથે આવ્યા હતા. આ ઉપરાંત વિજયાલક્ષ્મી, મિસિસ બેસેન્ટ, નાટ્યકલાકારો પણ મહેમાન બનીને રોકાયા હતા. સ્વિમિંગ પૂલમાં અંગ્રેજ અમલદારો આવતા. ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકે ગ્રાઉન્ડ, ક્રિકેટનું મેદાન પણ હતું. ઘોડેસવારી માટે પણ અલગથી ટ્રેક હતો. બાઇસિકલ ટ્રેક ને બાળકો માટે ટ્રાઇસિકલ ટ્રેક પણ હતો. બપોરનું ભોજન પાટલા-બાજઠ પર ને રાત્રે ડાઇનિંગ ટેબલ પર યુરોપિયન ભોજન પીરસાતું. દેશ-વિદેશના મહેમાનો આ બંગલો જોઈને નવાઈ પામી જતા. લાઇબ્રેરીમાં 50 હજારથી વધુ પુસ્તકોઅંબાલાલ, સરલાદેવી તથા આઠ સંતાનોને વાંચનનો ઘણો જ શોખ હતો અને આ જ કારણે બંગલામાં બનાવવામાં આવેલી લાઇબ્રેરીમાં 50 હજારથી વધુ પુસ્તકો વસાવવામાં આવ્યાં હતાં. દુનિયાભરનાં અલગ-અલગ ભાષા ને અલગ-અલગ વિષય પરનાં પુસ્તકો હતાં. અંબાલાલ આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેમનો એક પણ દિવસ વાંચન વગર પસાર થતો નહીં. રિટ્રીટમાં બાળકો પોતાનો ખર્ચ જાતે ઉઠાવતાંઅંબાલાલે દરેક બાળકના જન્મ પછી પૈસાનો અમુક ભાગ આપ્યો હતો. કોની પાસે કેટલા રૂપિયા છે તેની વાત ક્યારેય ચર્ચાતી નહીં. બાળકોને કોઈ પણ પ્રસંગે રોકડા કે ભેટ આપવામાં આવતી નહીં. દરેક બાળકનું બેંકમાં અકાઉન્ટ રહેતું. ચેકબુક પર સહી કરીને દરેક બાળકે પોતાનું બિલ ચૂકવવાનું રહેતું. સાબુ કે જીવનજરૂરિયાતની વસ્તુઓનો ઓર્ડર જાતે કરીને તેનું બિલ જ્યારે આવે ત્યારે જે-તે બાળકે ચેકથી પેમેન્ટ કરવાનું રહેતું. દરેક બાળકના ખાતા પર સામાન્ય નજર રાખવામાં આવતી, પરંતુ પૈસા ખર્ચ કરવા માટે તેમણે ક્યારેય પિતાની મંજૂરી લેવી પડતી નહીં. અંબાલાલે આયોજન કરીને સંપત્તિનું વિભાજન કર્યું હતું. તે સમયે એવું કહેવાતું કે આવકવેરા ખાતાએ અંબાલાલ પરિવારના એસેસમેન્ટ માટે અલગથી એક ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. દીકરી લીનાને યુનિવર્સિટીમાં નહીં પણ સાહિત્ય, ફિલોસોફી ને ઇતિહાસમાં રસ હતો. અંબાલાલે દીકરી માટે ઉત્તમ પ્રોફેસરો રોક્યા. લીનાબહેનને પ્રવાસનો શોખ હતો તેઓ એકલાં ભારતભરમાં ફર્યાં. વેકેશનોમાં ફરવા જાય ત્યારે પશુઓથી લઈ રસોડાનો સામાન સાથે લઈ જતાંઅંબાલાલ પરિવાર સાથે દર વર્ષે બહાર ફરવા જતાં. તેઓ માથેરાન અવાર-નવાર જતાં. ત્યાં તેમનો ‘બોમ્બે વ્યૂ’ નામનો બંગલો હતો. તેઓ જ્યારે માથેરાન ફરવા જતાં ત્યારે દૂધ માટે ભેંસો, ઘોડેસવારી માટે 10 જેટલા ઘોડા, ધોબી, ટાઇપિસ્ટને લઈને જતાં. એ સમયે માથેરાનમાં વીજળી કે નળ ના હોવાથી મશાલચી તથા પાણી લાવવા માટે ભિસ્તીની સ્થાનિક લેવલે વ્યવસ્થા થતી. રિટ્રીટ સ્કૂલના શિક્ષકો, લખવાનાં ઢાળિયાં, પાટિયાં, ચોપડી, ખડિયા, ચિત્રનો સામાન, સંગીતનાં સાધનો, વજનકાંટા, પાળેલાં પશુ-પંખીઓ, સાત ગલુડિયાં પણ સાથે જ હોય. એકવાર અંબાલાલ પરિવાર શિલોંગ ફરવા ગયો ત્યારે સુભાષચંદ્ર બોઝ ભાઈ-ભાભી સાથે મળ્યાં હતાં. ટ્રેનમાં જવાનું હોય તો રાંધવાનાં તપેલાં, શાકભાજી, રસોઈયા પણ આવતા. ટ્રેનમાં જ બધી રસોઈ કરવામાં આવતી. ઉનાળામાં તો બરફની પાટો પણ મૂકવામાં આવતી. એકવાર અંબાલાલ દીકરી ભારતીની દીકરી અનારને ડિપ્થેરિયા થયો તો તેઓ સ્પેશિયલ ચાર્ટર પ્લેન કરીને દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે માન સન્માન મળતુંકોઈ ચૂંટણી લડ્યા ના હોવા છતાંય અંબાલાલ સારાભાઈને અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે માન-સન્માન મળતું. 1915માં પહેલી જ વાર ગાંધીજી સાથે મુલાકાત1915માં ગાંધીજી અમદાવાદમાં અંબાલાલ સારાભાઈને મળ્યા અને ત્યારબાદથી તેમણે ગુપ્તદાન શરૂ કર્યું. સરલાદેવી ગાંધીજીની સાદગીથી પ્રભાવિત થયા. બાપુ પણ જ્યારે જરૂર હોય ત્યારે સરલાદેવી પાસેથી મદદ મગાવામાં શરમ કે સંકોચ અનુભવતા નહીં. ગાંધીજી હરિજનવાસમાં જમવા જતા ત્યારે અંબાલાલા-સરલાદેવી પણ જતાં. આ પરિવારે આભડછેટને તિલાંજલિ આપી દીધી હતી. ધીમે ધીમે આઝાદીની લડત દેશભરમાં વેગ પકડતી હતી. અંબાલાલ સારાભાઈ મિલ મંડળના પ્રમુખ હતા. તેમના બહેન અનસૂયા મિલ મજૂરોની સ્થિતિ જોઈને વ્યથિત થઈ ગયાં. અનસૂયાબહેને મિલ મજૂરો જે ચાલીમાં રહેતા ત્યાં જઈને તેમનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. અનસૂયાબહેન રિટ્રીટ બંગલો છોડીને સાબરમતી નદીના કિનારે તંબૂ બાંધીને રહેવા લાગ્યાં. ગાંધીજીની સલાહથી મજૂરોના પ્રશ્નો ઉઠાવ્યા ને મજૂરોએ હડતાળ પાડી. ગાંધીજીએ ઉપવાસ કર્યા અને તેમાંથી મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ અને પ્રમુખ તરીકે અનસૂયાબહેન નિમાયાં ને આજીવન રહ્યાં. મિર્ઝાપુરનો બંગલો ને આઉટહાઉસ મજૂરોના કામ માટે અનસૂયાબહેનને આપવામાં આવ્યો અને એની બાજુમાં અનસૂયા બહેનને અલગથી બંગલો ને એક મોટર આપવામાં આવી. આ ઉપરાંત અંબાલાલે બહેનના નામે એક બેંક ખાતું પણ ખોલાવ્યું ને તેમાં પૈસા આપતા. જોકે, તેઓ ક્યારેય બહેન પાસે પૈસાનો હિસાબ માગતા નહીં. અંબાલાલ સારાભાઈ કલ્પના બહારનું વિશાળ હૃદય ધરાવતા હતા. 1930માં અસહકારના આંદોલન વખતે અંગ્રેજોએ જ્યારે ગાંધીબાપુની ધરપકડ કરી ત્યારે અંબાલાલે અંગ્રેજોએ આપેલો ખિતાબ ‘કૈસરે હિંદ’ પાછો આપી દીધો હતો. 1942માં પરિવારના છ-છ સભ્યો જેલમાં હતાંઅંબાલાલનાં મોટા દીકરી મૃદુલાને હીરા-મોતી ને રેશમી વસ્ત્રોનો શોખ હતો. ગાંધીબાપુના સંપર્કમાં આવ્યા બાદ તેઓ સાદગીથી રહેવા લાગ્યાં. 14 વર્ષની ઉંમરે તેઓ આઝાદીની ચળવળમાં જોડાયાં. અબજોપતિનાં દીકરી હોવા છતાં સાબરમતી આશ્રમના બાંધકામમાં મજૂરી કરી, તગારાં ઊંચક્યાં. અંબાલાલે સ્વાતંત્ર્યસેનાનીઓ માટે મિર્ઝાપુર બંગલામાં હૉસ્પિટલ શરૂ કરી. અંબાલાલના ઘરમાં વિદેશી કાપડને બદલે ઘણા સભ્યો ખાદી પહેરવા લાગ્યા. મૃદુલાબહેન, ભારતીબહેન પિકેટિંગમાં જોડાયાં. ધોળકામાં ભાષણ આપતી વખતે સરલાદેવીને પકડવામાં આવ્યાં. મૃદુલાબહેનને ઘણા લોકો બોશી કે પઠાણ તરીકે ઓળખતાં. ગાંધીજી પાલડીમાં કોચરબ આશ્રમ બનાવી રહ્યા હતા ત્યારે મંગળદાસ ગિરધરદાસે પૈસા આપવાની ના પાડી, કારણ કે તેઓ આભડછેટમાં માનતા હતા અને તે આશ્રમમાં દલિતોને રાખવાના હતા. આ સમયે અંબાલાલે ગાંધીજીને 13 હજાર રૂપિયા આપ્યા હતા. 1932માં મૃદુલાબહેનની ધરપકડ થઈ ત્યારે અંબાલાલ-સરલાદેવી ભાંગી પડ્યાં અને તેમણે સંગીત સાંભળવાનું બંધ કરી દીધું. મૃદુલાબહેનને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં. દીકરીની નજીક રહેવા માટે અંબાલાલ પુણે રહેવા જતા રહ્યા. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન અંબાલાલના પરિવારના મૃદુલાબહેન, નીમાબહેન, ઇન્દુબહેન, ગિરાબહેન, ભારતીબહેન તથા ગીતાબહેન એમ છ સભ્યો જેલમાં હતાં. ચાંદીનું ફાનસ તૂટી ગયું...1967માં અંબાલાલ સારાભાઈનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું. સરલાદેવીએ નર્મદાના કિનારે વ્યાસતીર્થ ખાતે પુત્ર ને પતિના અસ્થિને દૂધથી ધોઈને નર્મદાના પ્રવાહમાં વિસર્જન કર્યું, પરંતુ તેમની સાથે એક પણ બ્રાહ્મણ નહોતો. રણોલીના અતિથિગૃહના બાજઠ પર સરલાદેવીએ ચાંદીના મઢેલા કાચના ફાનસમાં અખંડ દીવો પ્રગટાવ્યો હતો. તડાક કરતાં અવાજ સાથે ફાનસ ફાટી ગયું ને દીવો ઓલવાઈ જતાં એક યુગનો અંત આવ્યાનો અહેસાસ થયો. આઠ વર્ષ બાદ 1975માં સરલાદેવીનું અવસાન થયું. સંતાનો શું કરે છે... રેફરન્સ બુક્સઃએરિસ્ટોક્રેટઆધુનિક ગુજરાતના પથદર્શક ઉદ્યોગપતિઃ અંબાલાલ સારાભાઈ (આવતીકાલે, લક્ષાધિપતિના બીજા એપિસોડમાં વાંચો, ધીરુભાઈ અંબાણી અંગે. કેવી રીતે અંબાણી પરિવારે આ સામ્રાજ્ય ઊભું કર્યું. પરિવારની ત્રીજી પેઢી આજે શું કરે છે અને ધીરુભાઈએ નાનપણમાં કેવા કેવા સંઘર્ષો કર્યા હતા?)
ઠરાવ:કચ્છની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 156 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવાયા
ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 15મી નવેમ્બરે અનુદાનિત હાઈસ્કૂલના 156 શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવાયાના હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ રખાયો હતો. લાભ પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્ત ગાંધીનગરમાં કરાઈ હતી, જેમાંથી 156ના આદેશ આવી ગયા છે. ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીના કમિશનરને 2005ની 1લી એપ્રિલ પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા ઠરાવ થયો હતો. લાભ પાત્ર તમામ શિક્ષકોની દરખાસ્ત ગાંધીનગરમાં કરાઈ હતી, જેમાંથી 156ના આદેશ આવી ગયા છે, જેથી કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને એન.પી.એસ. ટુ ઓ.પી.એસ. આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં બીપીનભાઈ વકીલે સાૈને આવકાર્યા હતા. જી.પી.એફ. ખાતા ખોલાવવા જરૂરી સૂચના આપી હતી. પ્રક્રિયા નોડ અધિકારી દ્વારા સંપન્ન કરાઈ હતી. જે પ્રસંગે સિનિયર ક્લાર્ક બીપીન નાગુનું સન્માન કરાયું હતું. આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, શિક્ષક સંઘના પ્રમુખ મનીષ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પંકજ દહીસરિયા, બોર્ડ મેમ્બર દિવ્યરાજસિંહ જાડેજા, શૈક્ષિક સંઘના મુરજી મિંઢાણીએ બાકી રહેલાને ઓ.પી.એસ. અપાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જૂની પેન્શન યોજનાનો લાભ લેનારા શિક્ષકોમાં શશીકાંત તેજવાણી, રેખાબા જાડેજા વગેરેનો સમાવેશ થયો છે. કાર્યક્રમમાં ઈનચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, એન.એ. મનસુરી, વનીતાબેન મહિડા, સુહાસિનીબેન તન્ના હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન ચોકસીએ કર્યું હતું. અમિત ધોળકિયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશ અબોટી, પોરબાઈ માંકડ, અબ્દુલ સુમરા, નીલ કનૈયાએ જહેમત ઉઠાવી હતી.
મંડે મેગા સ્ટોરી:નર્મદાની લાઈનમાં 12 મહિનામાં 23 વખત વિતરણ ઠપ્પ
બુધવારે બપોરે અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈનમાં ફરીથી ભંગાણ પડતા ભુજને નર્મદાના નીર પહોંચાડતું સરકારી નિગમ જી.ડબલ્યુ.આઈ.એલ. પાણી વિતરણમાં નિષ્ફળ રહ્યું હતું. નર્મદા નિગમે 2003માં ટપ્પરથી કુકમા સુધી 1200 ડાયામીટરની પાઇપલાઇન નાખી હતી. જેમાં છેલ્લા 12 મહિનામાં વીજ વિક્ષેપ, વિતરણ શટ ડાઉન અને પાઇપમાં લીકેજને કારણે 23 વખત વિતરણ ઠપ્પ થયું છે. છેલા એક મહિનામાં જ પાંચ વખત સપ્લાય શટ ડાઉન કરવામાં આવ્યું છે. બુધવારે બપોરે નર્મદાની મુખ્ય લાઈનમાં બે જગ્યાએ ખોટીપો સર્જાયો હતો. એક સાપેડા પાસે જેને કારણે ભુજ અને ખાવડા વિસ્તારમાં નર્મદાનું પાણી સપ્લાય બંધ થયું અને બીજું સુખપર થી ખીરસરા વચ્ચે લીકેજ થયું હતું. જે ગુરુવારે બપોર સુધી મરમ્મત થઈને વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ભુજ અને ખાવડા તરફ જતી પાઇપલાઇનનું કામ સંપૂર્ણ થતા વિતરણ શરૂ થઈ જશે તેવું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું. કુકમા ગામ પાસે 75 લાખના બે સ્ટોરેજ છે. જ્યાંથી એક પેટા લાઇન લાખોંદ થઈને બન્ની જૂથ યોજનામાં ખાવડા તરફ જાય છે જે 700 ડાયા મીટરની અને આગળ જઈને 500 ડાયા મીટરની થઈ જાય છે. સાપેડા પાસેના લીકેજથી બન્ની ખાવડા વિસ્તાર પણ તરસ્યો રહ્યો હતો. ભુજ તરફ આવતું પાણી વિતરણ ઠપ્પ થયું હતું. નગરપાલિકા કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આપણી પાસે સ્ટોરેજ વ્યવસ્થા સંપૂર્ણ છે પરંતુ વિતરણ માગના પ્રમાણમાં હંમેશા ઓછું રહ્યું છે. ગત મહિના દરમિયાન પણ 34 MLD ની માંગની સામે દૈનિક સરેરાશ 32 એમએલડી પણ નથી અપાયું. પાઇપમાં સતત થતા લીકેજને કારણે સમગ્ર ભુજને પાણી પહોંચાડવું મુશ્કેલ પડે છે. બીજી લાઈન નાખવામાં આવે તો જ કાયમી શાંતિ થાય. GWIL ના કાર્યપાલક ઇજનેર મુકેશ એન્ટ્રેલીઓએ જણાવ્યું હતું કે, 24 કલાકમાં જ સાપેડા પાસે મુખ્ય લાઇનમાં ફોલ્ટ સર્જાયો હતો તે રીપેર થઇ ગયો છે. જમીનની ખારાશથી એમ.એસ.પાઇપને કાટ લગતા લીકેજ થાય છેઅંજાર થી ભુજ વચ્ચે નર્મદાની મુખ્ય લાઈનમાં વારંવાર લીકેજ થવાના કારણ અંગે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કૌશિક વાઘેલા જણાવે છે કે, રતનાલ થી સાપેડા વિસ્તારમાં જમીનમાં ખારાશ છે. માઈલ્ડ સ્ટીલના પાઇપને કાટ લાગવાથી નબળા પડે છે, અને જોઇન્ટમાં લીકેજનું કારણ બને છે. આ ઉપરાંત ઉનાળો અને શિયાળો બે ઋતુ દરમિયાન પાઇપમાં સંકોચન અને વિકોચનની પ્રક્રિયા થતા લીકેજની સંભવના ઊભી થાય છે. જોકે 23 વર્ષ જૂની પાઇપલાઇન પણ કારણભૂત કહી શકાય.
મિત્ર સાથે ઠગાઈ:રાજ્યપાલની સહીવાળો એપોઇન્ટમેન્ટ લેટર આપી રૂ.7.50 લાખ પડાવ્યા
ઠગ દંપતીએ 15 વર્ષ જૂના મિત્ર અને સંબંધીને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી હોવાનું કહી સરકારી નોકરી અપાવાના બહાને રૂ. 7.50 લાખ પડાવ્યા હતા. પછી ગુજરાત સરકારના સિક્કા અને રાજ્યપાલની સહીવાળો એપોઇન્મેન્ટ લેટર અને આઈકાર્ડ આપ્યા હતા. 10 મહિને પણ પોસ્ટિંગ ન મળતાં વેપારીએ ગાંધીનગર જઈ ખરાઈ કરતાં બંને ખોટા હોવાનું જણાયું હતું. નવા નરોડા રહેતા અને નવરંગપુરામાં ફુરાયતો ટ્રેડલિંક કરન્સી મૅનેજમેન્ટનું કામ કરતા મયૂર જોશી (37)ને નવેમ્બર, 2024માં કોમલબેન અને તેના પતિ આનંદ ત્રિવેદી (સુભાષનગર, ભાવનગર) સાથે મુલાકાત થઈ હતી. કોમલબેન મયૂરના 15 વર્ષ જૂના મિત્ર અને કુટુંબી હતા. તેમણે, બંને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી છે તેવું કહી રૂ. 25 લાખમાં સરકારી નોકરી અપાવાનું મયૂરભાઈને કહ્યું હતું. સાથે જ સારી પોસ્ટ પર સારી જગાએ પોસ્ટિંગની વાત કરતાં મયૂરે 7.50 લાખ ચૂકવ્યા હતા. પછી કોમલે 16 જાન્યુઆરી, 2025એ એપોઈન્મેન્ટ લેટર મોકલ્યો હતો. તે લેટર પર ગુજરાત સરકારનો સિક્કો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી હતી. તે લેટર પર કોન્ફિડેન્શિયલ તથા ગુજરાત સરકારના પત્ર ક્રમાંક નંબર જેવી વિગતો લખેલી હતી. જોઇનિંગ વિશે પૂછતાં બંનેએ ગલ્લાં-તલ્લાં કરતાં મયૂરે ગાંધીનગર જઈ ખરાઈ કરતાં લેટર અને આઈકાર્ડ ખોટા હોવાનું જણાતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઠગ ઝડપાયા:25 કરોડનું કાપડ લઈને ભાગેેલા 3 ગઠિયાને વેપારીઓએ જ પકડ્યા
શહેરનાં વિવિધ માર્કેટના વેપારીઓ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો પાસેથી કાપડ મગાવી, 20થી 25 કરોડનો જથ્થો લઈ ચુકવણી કર્યા વગર શનિ સુખિયાની, અજય સુખિયાની અને મહેશ સુખવાણી ફરાર થઈ ગયા હતા. 45 વેપારીના રૂપિયા ડૂબતાં વેપારીઓએ મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનો સંપર્ક કર્યો હતો. મસ્કતી કાપડ મહાજનની દોડધામ અને ક્રાઇમ બ્રાંચની તપાસને અંતે આરોપીઓ નાટકીય ઢબે બૅંગલુરુથી પકડાયા હતા. વેપારીઓની ટીમ લઈને ગૌરાંગ ભગત પોલીસ કમિશનર પાસે ગયા હતા અને EOW ક્રાઇમ બ્રાંચ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. વેપારીઓએ પણ તપાસ ચલાવી હતી અને આરોપીઓની હિલચાલ વિશે માહિતી એકત્ર કરી EOWને આપી હતી. દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેય સસ્તામાં કાપડ વેચીને સોનું ખરીદી રહ્યા હતા અને બૅન્કોમાંથી મોટી રકમ ઉપાડી ચુક્યા હતા. વધુમાં, આધાર કાર્ડનું એડ્રેસ બદલી નવા પાસપોર્ટ માટે અરજી કરવાની કોશિશ પણ કરી હતી. આધારમાં એડ્રેસ બદલવાની જાણકારી વેપારીઓને મળી જતા આ અંગેની માહિતી ક્રાઇમ બ્રાંચને આપતા સતર્ક થઈ ગયા. આ માહિતીના આધારે EOWની ખાસ ટીમ અને વેપારીઓનું ગ્રુપ પ્લેનમાં જ બૅંગલુરુ પહોંચ્યા અને આરોપીઓના સરનામે દરોડો પાડતાં ત્રણે ઝડપાઇ ગયા હતા. ધરપકડ બાદ વેપારીઓએ ઍરપોર્ટ પર ભગતનું સન્માન કર્યું હતું. કારણ કે તેમની ચુસ્ત કામગીરીથી આરોપીઓ સુધી પહોંચી શકાયું. ગોરાંગ ભગતે જણાવ્યું કે, આ સમગ્ર ઓપરેશન શહેરની ટેક્સટાઇલ માર્કેટ માટે મોટો સંદેશ છે, છેતરપિંડી કરનાર કેટલું પણ દૂર ભાગે, વેપારીઓ એકતા અને સતર્કતા રાખે તો કાયદો તેમને પકડી જ લે છે. આરોપીઓનું સરઘસ કાઢવા માગણી કરાઈમોહન સાડી, જયશ્રી ક્રિએશન અને રિદ્ધિ ટેક્સટાઇલના માલિકો શનિ, અજય અને મહેશ બૅંગલુરુ ભાગી ગયા હતા. છેતરપિંડી કરનારાઓને કડક સંદેશ મળે અને ભવિષ્યમાં કોઈ વેપારી સાથે ઠગાઈ કરવાની હિંમત ન કરે તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે એવી વેપારીઓ અને મસ્કતી મહાજને માગણી કરી છે.

25 C