કમોસમી વરસાદે રાજ્યભરના 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગતરોજ સાંજે (8 નવેમ્બર) આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂત નો શું વાંક?’ કહી સરકાર પર સીધુ નિશાન તાક્યું હતું. કૃષિમંત્રી જીતુ વાઘાણીને આડેહાથ લેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, કૃષિમંત્રી ભાવનગરના પનોતા પુત્ર છે, જો તેઓ ભાવનગરની પીડા ન સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે! આ સભામાં પાલભાઈ આંબલિયા, પ્રતાપ દુધાત, લલિત વસાવા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતાં. ખેડૂતોના દેવા માફ અને સહાયને લઈ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાક નુકસાની ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, જેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ. એટલે કે સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતોના પણ દેણા માફ કરવા જોઈએ. ખાસ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષ 2020થી બંધ કરેલો ખેડૂત પાક નુકસાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકસાનીનું પૂરતું વળતર ખેડૂતોને મળ્યું હોત. ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. અનેક ખેડૂતો અત્યારે પાક નુકસાની મામલે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ આવું પગલું ન ભરવા અપીલ પણ કરી છે. તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને રૂપિયા 25 લાખનું વળતર સરકાર આપવા માગ કરી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના પનોતા પુત્ર છે. જો કૃષિમંત્રી ભાવનગરની પીડા ના સમજતા હોય તો પછી રાજ્યની પીડા કેવી રીતના સમજી શકે? આ સાથે જ ખેડૂતોને હાકલ કરતા જેનીબેને કહ્યું હતું કે, મંત્રીના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે તમે ભાવનગરના પુત્ર છો, પહેલા ભાવનગરને ન્યાય આપજો. આ કાર્યક્રમમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ હાજર હતા તેમને પણ સરકારની પાક વીમા પોલિસી ઉપર સવાલો ઉઠાવ્યા હતાં. સાથે સરકાર દ્વારા ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈ પણ કટાક્ષ કર્યો હતો. ખેડૂતોને પોતાના માટે અવાજ ઉઠાવવા અને સરકાર સામે મોરચો માંડવા પણ હાકલ કરી હતી. પ્રતાપ દુધાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2027 સુધીમાં ભાજપ સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જ પડશે, આની માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમ પણ આપે તે પ્રકારની રણનીતિ જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર તેમજ બોટાદ, અમરેલી અને ભાવનગરના વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતોના મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે, તેની માટે સભા યોજાઈ હતી. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાક વીમા પોલિસી તેમજ કૃષિ રાહત પેકેજને સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ મેદાનમાં ઊતરશે અને ભાજપ સરકારને ધેરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ વિવિધ જિલ્લાઓમાંથી પહોંચ્યા હતા. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનો કૃષિ રાહત પેકેટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતોને મામુલી રકમ જ મળવા પાત્ર છે, જેના કારણે ખેડૂત પગભર પણ થઈ શકે તેવું આ કૃષિ રાહત પેકેજ નથી. આ ઐતિહાસિક નહિ લોલીપોપ વાળું રાહત પેકેજ છે.
લખપતમાં 14 વર્ષના બાળકના ખિસ્સામાં ફોન ફાટ્યો:ભાડરામાં મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ બે ધડાકા થયા
કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષના બાળક રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં સ્માર્ટફોન ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ હતી. બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવાયા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને વધુ બે ધડાકા થયા હતા. ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે જણાવ્યું હતું કે, રાજવીરના ખિસ્સામાં રહેલો મોટોરોલા કંપનીનો સ્માર્ટ મોબાઈલ કોઈ કારણોસર ફાટ્યો હતો. આ બનાવમાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
બોડેલીમાં દારૂ ભરેલી i20 ગાડી ઈકો સાથે ટકરાઈ:પોલીસ પીછો કરતાં એક ફરાર, એક ઝડપાયો
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો ચાલક હાલોલ રોડ તરફ જઈ રહ્યો હતો. ખોડિયાર માતાના મંદિર સામે તેણે આગળ ઉભેલી ઈકો ગાડીને ટક્કર મારી હતી, જેના કારણે i20 ગાડી ત્યાં જ અટકી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ગાડીમાંથી એક વ્યક્તિ ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય એકને પોલીસે પકડી પાડ્યો હતો. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. બોડેલીમાં એક જ દિવસમાં દારૂ ભરેલી ગાડી અથડાવાની આ બીજી ઘટના છે. આ પહેલા વહેલી સવારે આંબા લોઢણ પાસે પણ આવી જ એક ઘટના બની હતી. આવી ઘટનાઓ દર્શાવે છે કે બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમ છતાં દારૂની આટલી મોટી માત્રામાં ઘુસણખોરી જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ, રાજકોટમાં આગમન થશે અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરશે. હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવાયાહોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવશે. આ હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ઇન્ડિયા-એ ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ સાઉથ આફ્રિકા-એ ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
પાટણમાં પદ્મનાભજી રાત્રીમેળો:હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મેળાની રંગત જામી
પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રી મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં મેળાની રંગત જામી છે. કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં છઠ્ઠા દિવસે ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણી રહ્યા છે. પાટણ શહેર અને આજુબાજુના ગામોમાંથી આવેલા લોકોએ ચકડોળ, ચકરડી સહિતની વિવિધ રાઇડ્સમાં મનોરંજન મેળવ્યું હતું. આખો મેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પર પણ લોકોએ વિવિધ વાનગીઓની મજા માણી હતી.
રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે બ્રાહ્મણ સમાજમાં પણ સંગઠનાત્મક ચળવળ શરૂ થઈ છે. ગુજરાતમાં આશરે 70 લાખની વસ્તી ધરાવતો આ સમાજ રાજકીય અવગણનાનો ભોગ બનતો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે. ભાજપના શાસનકાળ દરમિયાન બ્રાહ્મણ સમાજના આગેવાનોને રાજકીય રીતે અવગણવામાં આવી રહ્યા હોવાના આરોપો વચ્ચે સમાજે સંગઠિત થવાનો નિર્ધાર કર્યો છે. આ સંદર્ભે સોમનાથ બ્રહ્મપુરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષાર પંડ્યા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ જયપ્રકાશ જાની, સુજલ પાઠક અને મિલન જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે રાજકીય ક્ષેત્રે સમાજની અવગણના અંગે ચર્ચા થઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે રાજ્યના 95 ટકા બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં, મંત્રીમંડળ કે સંગઠન સ્તરે બ્રાહ્મણ નેતાઓને પૂરતું સ્થાન મળતું નથી. આ પરિસ્થિતિમાં બ્રહ્મ સમાજે સંગઠિત થઈને પોતાના રાજકીય હક્કો માટે આંદોલનાત્મક રીતે માંગણી કરવાનો સંકલ્પ લીધો છે. આ માંગણીઓને વાચા આપવા માટે રાજ્યભરના બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા 7 ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે એક વિશાળ બ્રહ્મ સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ પરિવારોને જોડવા માટે વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજાઈ રહી છે. ગીર સોમનાથની બેઠકમાં સ્થાનિક આગેવાનોએ સમાજને આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી. રાજકીય નિષ્ણાતોના મતે, બ્રાહ્મણ સમાજનું આ સંગઠન રાજ્યના રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. હાલ રાજકીય પક્ષોની નજર પણ બ્રહ્મ સમાજની આ ગતિવિધિઓ અને આગામી મહાસંમેલન પર કેન્દ્રિત છે.
વલસાડમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે ₹1.30 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે વલસાડ શહેર પોલીસ મથકે મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા વિરુદ્ધ BNSની કલમ 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પ્રવિણ પટેલ ડ્રાઇવર તરીકે કાર્યરત છે. આશરે એક વર્ષ પહેલા તેઓ વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છતા હતા. તેમના મિત્ર મુકેશ ભગુ પટેલ મારફતે તેમની ઓળખ વલસાડ સ્ટેશન રોડ પર આવેલી મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા સાથે થઈ હતી. ઈશ્વરભાઈએ પ્રવિણભાઈને મંગોલિયા ખાતેની “Respected Mega Engineering Infrastructures Ltd.” કંપનીમાં હેવી ડ્રાઇવર તરીકે નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આ માટે તેમણે કુલ ₹1.30 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રવિણભાઈએ ઈશ્વરભાઈ ભરૂચાના બેંક ખાતામાં કુલ ₹1.30 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. જેમાં 29 નવેમ્બર 2024ના રોજ ₹50 હજાર અને 12 ડિસેમ્બર 2024ના રોજ ₹80 હજારનો સમાવેશ થાય છે. આ રકમ મળ્યા બાદ, ઈશ્વરભાઈએ વોટ્સએપ દ્વારા ઓફર લેટર, વિઝા અને એરટિકિટ મોકલ્યા હતા. જોકે, મુસાફરીના નિર્ધારિત સમય પહેલાં ઈશ્વરભાઈએ 'ટિકિટ કન્ફર્મ નથી' તેમ કહી પ્રવાસ રદ કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રવિણભાઈને નોકરી કે પૈસા પરત આપ્યા નહોતા. પાસપોર્ટ પરત મળ્યા છતાં પૈસા પરત ન મળતા, પ્રવિણભાઈ પટેલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ શહેર પોલીસે આ છેતરપિંડીના મામલે ઈશ્વરભાઈ ભરૂચા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા અમરેલીના જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગરખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોની જેમ જ રાહત પેકેજ આપવાની માંગ કરી છે. જાફરાબાદ બંદર પર મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે સૂકવેલી માછલીઓમાં જીવાત પડી જતાં તેને ફેંકી દેવાની ફરજ પડી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ધરતીપુત્રોની સાથે સાગરખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. જાફરાબાદના માછીમાર આગેવાન કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, સરકાર દ્વારા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. માછીમારો ત્રણ દિવસ સુધી માછલી સૂકવીને વેચે છે, પરંતુ વરસાદને કારણે જીવાત પડતાં તેને ફેંકી દેવી પડે છે. એક એક માછીમારને ઓછામાં ઓછું 1 લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે, અને જાફરાબાદમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. સોલંકીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે અમને 'સાગર ખેડૂત' બનાવ્યા છે, તો ગુજરાત સરકારે પણ ખેડૂતોની જેમ સાગર ખેડૂતોને 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન રાહત આપવી જોઈએ. જ્યારે સરકાર દરિયામાંથી પરત બોલાવે ત્યારે અમે તરત જ બોટ પરત લાવીએ છીએ, જેમાં અમારું ડીઝલ બળે છે. માછીમારોને જીવતા રાખવા માટે સરકારે કોઈક પેકેજ આપવું અત્યંત જરૂરી છે. અન્ય માછીમાર આગેવાન બશીરભાઈએ સરકારને વિનંતી કરતા જણાવ્યું કે, અમે વીસ વીસ વર્ષથી ભાજપ સરકારને મતદાન કરીએ છીએ અને તેમની સાથે છીએ. ડીઝલ માટે ચાર-પાંચ વખત ટોકન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અમને ૩૦૦ થી ૪૦૦ લિટર ડીઝલની જરૂર પડે છે. જાફરાબાદ એક જ ટોકનનું પાલન કરે છે. સાગરખેડૂતોને પણ 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન સહાય મળવી જોઈએ.
વલસાડ જિલ્લામાં ₹5.29 કરોડથી વધુ કિંમતનો 1.99 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂ 1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર, 2025 દરમિયાન પ્રોહીબિશન એક્ટ હેઠળ ઝડપાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કડક ચેકિંગ અભિયાન ચલાવીને આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે નિયમ મુજબ SOP પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. સંબંધિત કોર્ટના હુકમો મેળવી પ્રાંત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. મંજૂરી હુકમો મળ્યા બાદ ભીલાડ RTO ચેક પોસ્ટ ખાતે પારડી, ધરમપુર અને વલસાડ વિભાગના પ્રાંત અધિકારીઓ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ તમામ થાણા અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ કરવામાં આવેલી આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આધેડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે રાત્રિ દરમિયાન એન્ટ્રી કર્યા વગર એક ડિલિવરી બોય ફ્લેટ અંદર પ્રવેશતા તેને અટકાવતા રોષે ભરાયો. બોલાચાલી બાદ ડિલિવરી બોય અને બહારથી આવેલા તેના પિતાએ મળીને ગાર્ડને માર માર્યો અને મેઈન ગેટનું બેરિયર પણ તોડી નાખ્યું હતું. ડિલિવરી બોયે તેના મિત્રોને બોલાવ્યા હતા અને એક વ્યક્તિએ છરી વડે આધેડને હાથ અને આંખ પાસે ઈજા પણ પહોંચાડી હતી. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ હતી. સરખેજ પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. ડિલિવરી બોય એન્ટ્રી વગર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડે ટોક્યોસરખેજમાં રહેતા 52 વર્ષીય મહમંદ સમીર શેખ સરખેજ ફતેવાડીમાં આયમન 52માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ રાતના સમયે નોકરી પર હાજર હતા, ત્યારે ફ્લેટ બહાર દુકાનની લાઇટ બંધ કરવા ગયા હતા ત્યારે એક ઝેપટો કંપનીનો ડિલિવરી બોય મેઈન ગેટ તરફ આવતો હતો. જેને સમીરભાઇએ ઊભો રાખ્યો હતો અને કહ્યું કે એન્ટ્રી કર્યા વિના અંદર કેમ ગયો. ડિલિવરી બોયે કહ્યું કે, તમે હાજર નહોતા તો ડિલિવરી કરવા નહીં જવાનું. જેથી સમીરભાઈએ કહ્યું કે, હવે પછી એન્ટ્રી કર્યા વગર ગેટમાં પ્રવેશ કરવો નહીં. ડિલિવરી બોયના પિતાએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યોબાદમાં ડિલિવરી બોય સિક્યુરિટી ગાર્ડ સમીરભાઈ સાથે બોલાચાલી કરી મારામારી કરવા લાગ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ બહારથી આવ્યો અને કહેવા લાગ્યો કે, કેમ મારા દીકરા સાથે બોલાચાલી કરે છે. કહી મેન ગેટનું બેરિયર તોડીને આવ્યો અને સમીરભાઈ સાથે મારામારી કરી લોખંડની પાઇપ દ્વારા સમીરભાઈને માર મારવા લાગ્યો હતો. જે દરમિયા આસપાસના લોકો ભેગા થઈ જતાં સમીરભાઈને વધુ માર મારવાથી છોડાવ્યા હતા. આરોપીએ અન્ય સાગરીતોને બોલાવી લાવી ફરી માર માર્યોસમીરભાઈ એ-બ્લોકની સીડી તરફ જતા રહ્યા ત્યારે ડિલિવરી બોય તેના અન્ય સાગરીતો સાથે ફરી આવ્યો અને સમીર ભાઈને માર મારવા લાગ્યો હતો. એક વ્યક્તિ છરી લઈને આવ્યો હતો જેણે સમીરભાઈને હાથ ઉપર અને આંખ પાસે છરી પણ મારી હતી. મારામારી દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા જેમણે સમીરભાઈને છોડાવ્યા હતા. સમીરભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ડિલિવરી બોય અને અન્ય પાંચ સામે ગુનો નોંધ્યોસમીરભાઈએ ડિલિવરી બોય અને અન્ય પાંચ વ્યક્તિઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મારામારી અને તોડફોડની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પગલાં લેવા માંગણી:પાલનપુરના ગોબરી રોડ પર જાહેરમાં નાખી, બાળીને પ્રદૂષણ ફેલાવાય છે
પાલનપુર થી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે જોકે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહિશો રોજ અહીં કચરો બાળીને પ્રદુષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્તિ કરતાં જણાવ્યું કે અવારનવાર અહીં કચરો સળગાવવામાં આવે છે ક્યારેક ક્યારેક તો ટાયર પણ સળગાવવામાં આવે છે. શિયાળામાં સાંજના સમયે ધુમાડો ઉપર જતો નથી અને હવામાં નીચેજ ફરતો રહે છે અને રોજ રોજ આ રીતે કચરો બળવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. સેનીટેશન શાખા દ્વારા જાહેરમાં કચરો સળગાવવાની કામગીરી કરતા તત્વો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
ખાતર ડેપો પર કતારો:અમીરગઢમાં શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર છતાં ખાતરની અછત
અમીરગઢ તાલુકામાં શિયાળુ પાકની વાવણી જોરશોરથી ચાલી રહી છે. ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાક માટે યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો થયો છે. પરંતુ હાલ તાલુકાના વિવિધ ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને ખાતર મેળવવા મથામણ કરી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં હાલ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. શિયાળુ પાકનું મોટાપાયે વાવેતર શરૂ થતાં ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.આ તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે તેમજ વાવણી પછી પણ યુરિયા ખાતર જરૂરી રહે છે. હાલ પુરવઠાની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,સારા વરસાદને કારણે આ વર્ષે યુરિયા ખાતરની થોડી શોર્ટેજ જોવા મળી રહી છે. સરકારને વિનંતી છે કે અગાઉના વર્ષોની જેમ તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે.
કામગીરી:પાલનપુર મીરા દરવાજા બગીચો તોડી હવેઅંડર ગ્રાઉન્ડ સંપ અને ટાંકી બનાવવાનું શરૂ
પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઇ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ પાલિકાની સાધારણ સભામાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે નવા ટાંકા અને સંપ મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ કામગીરી ચાલી રહી છે. સંગ્રહ ક્ષમતા વધતા પીવાના પાણીની જે જરૂરિયાતો છે તે આવનારા સમયમાં પહોંચી વળાશે.
કાર્યવાહી:5 કરોડની નશીલી દવાઓ વેચી દેનાર કંપનીનું આરોપી દંપતી ઝબ્બે
બનાસકાંઠામાં નશીલા પદાર્થોના કાળા વેપાર મામલે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (CNB)ની નિમચ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર દવાઓના ઉત્પાદન અને વિતરણના કેસમાં વધુ બે આરોપીઓ અમદાવાદની એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક પત્ની સમીક્ષા મોદી અને તેના પતિ માર્કેટિંગ ડાયરેકટર સુનિલ મોદીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. 3.80 લાખ રોકડા અને દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુનિલ મોદી અને સમીક્ષા મોદીએ નશીલી દવાઓના વેચાણ માટે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓના યુવકોનો સંપર્ક કર્યો હતો. ધાનેરા અને થરાદથી અગાઉ જે બે યુવકો ઝડપાયા હતા તે હાલ પાલનપુર ની જેલમાં છે. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 5 કરોડ રૂપિયાની પ્રતિબંધિત દવાઓ જપ્ત કર્યો હતો. તે પછીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓએ અમદાવાદની એન.ડી. ફાર્માસ્યુટિકલ કંપની ખોલી NDPS એક્ટ હેઠળની દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન અને સપ્લાય કર્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે નશીલી અને ગર્ભપાત માટે પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓના ઘરો અને ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓ સહિત 3.80 લાખ રૂપિયાની રોકડ રકમ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી. પોલીસ તપાસ મુજબ અત્યાર સુધી આરોપીઓએ પાંચ કરોડની 42.51 લાખ ટેબ્લેટ માર્કેટમાં વેચાણ કરી દીધી છે. ઉપરાંત 15500 કોડીન દવા પણ માર્કેટમાં સપ્લાય કરી છે. સમગ્ર કાર્યવાહી બાદ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમ અમદાવાદથી દંપતીની ધરપકડ કરીને પાલનપુરની કોર્ટમાં રજૂ કરી 7 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોના અધિકારી પ્રવીણ ધૂલે જણાવ્યું કે અમે જ્યારે થરાદ અને ધાનેરાથી આરોપીઓને પકડ્યા એના પછી જે દવાઓ મળી હતી તે લેબમાં પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં પ્રતિબંધિત ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. અમે ત્યારથી જ દવાઓનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેને લઈ આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. આખરે અમને સફળતા મળી છે. નશીલા પદાર્થોના નેટવર્કમાં જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે. અમદાવાદના ગોતામાં 2017માં ફાર્મા કંપનીની ઓફિસ ખોલી, ત્રણ વર્ષથી NDPS ડ્રગનું વેચાણ ચાલુ કર્યું હતું જુલાઈ 2017 માં સમીક્ષા સુનિલકુમાર મોદીએ રિટેલ બિઝનેસ અને હોલસેલ બિઝનેસમાં કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું. વાર્ષિક 10 કરોડના ટર્ન ઓવરની એનડી ફાર્માસ્યુટિકલ્સ કંપની ગોતામાં શરૂ કરીને શરૂઆતના વર્ષોમાં ફાર્મા કંપનીની દવાઓ સપ્લાય કરતા પરંતુ પાછલા ત્રણ વર્ષથી માર્કેટમાં પ્રતિબંધિત દવાઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી પાંચ કરોડ ની 42.51 લાખ ટેબલેટ માર્કેટમાં સપ્લાય કરી વેચી હોવાનો ખુલાસો નાર્કોટિક્સ બ્યુરો એ કર્યો છે.
ચાર શખ્સો પકડાયા:રાધનપુર પંથકમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરેલા કેબલના જથ્થા સાથે ચાર શખ્સો પકડાયા
રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી રૂ.35,000નો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરી રાધનપુરમાં ભંગારના વાડામાં આપી દીધો હતો. રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સોલાર પ્લાન્ટ માંથી કેબલ વાયરની ચોરી કરી રાધનપુર બજાજ શોરૂમની બાજુમાં આવેલા રામદેવ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં ચોરી કરેલો કેબલ વેચ્યો છે જેને પગલે પોલીસે તે ભંગારના વાડામાં તપાસ કરતા ભરત જેઠાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા કેબલ નો જથ્થો ભાડીયાના વિપુલ વિનોદભાઈ ઠાકોર શ્રવણ વીરચંદભાઈ ઠાકોર પરેશ અમરતભાઈ ઠાકોર આપી ગયા હોવાનું જણાવતા પોલીસે તે ત્રણેય શખ્સો સાથે રાધનપુરના ભરત જેઠાભાઇ મકવાણાની અટકાયત કરી હતી અને રાધનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કોંગ્રેસની માગ:પાટણ પાલિકાનું જેટિંગ મશીન અન્ય જિલ્લાના ગામે મોકલતા હોવાની રાવ
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટેનું પાલિકાનું જેટીંગ મશીન શહેરમાં ઉપયોગ કરવાના બદલે શહેરથી દૂર અન્ય જિલ્લાનાં ગામે મોકલાતા હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસે નિયમ વિરુદ્ધ મશીન મોકલવા બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યા હતા કે શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી હોય છતાં કામગીરી કરવામાં આવી રહી નથી પરંતુ પાલિકા દ્વારા 6 નવેમ્બરના રોજ દિવસભર ઊંઝા તાલુકાના વિશોળ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઇ માટે પાટણ નગરપાલિકાનું જેટીંગ મશીન મોકલ્યું હતું. આ સમયે શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વધી હોય નાગરિકોને વારંવાર રજૂઆત કરવા છતાં જેટીંગ મશીન ઉભરાતી ગટરોની ચેમ્બરમાં ઉપયોગમાં આવ્યું નહોતું. પરતું અન્ય જિલ્લાના ગામોમાં કામ માટે મોકલાઈ રહ્યું છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું કે પાટણની જનતા દ્વારા માંગણી કરાતી હોવા છતાં જેટીંગ મશીન અપાતું નથી. નગરપાલિકામાંથી જેટીંગ મશીનને બહારગામ મોકલવા માટે કોઇપણ જાતનો ઠરાવ કરાયો નથી અને બહારગામ મોકલવા માટેની કોઇપણ કિંમત નક્કી કરી નથી.તેમ છતાં પાટણ નગરપાલિકાનાં વહીવટી તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાફ સફાઇ કરવાનું જેટીંગ મશીન ઊંઝાના વિશોળ ગામે કોના દ્વારા મૌખિક-લેખિત હુકમ કર્યો તે બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ.
ઉ.ગુ.માં ઠંડીનો દબદબો:ધ્રુજાવતી સવાર અને ઠંડકભર્યો દિવસ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ સતત ઘેરાતો જાય છે. રાત્રીના તાપમાનમાં રોજબરોજ ઘટાડો નોંધાતાં લોકો હવે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે. શનિવારે પણ અડધા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે મુખ્ય પાંચ શહેરોમાં રાત્રીનું તાપમાન સરેરાશ 15.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શુક્રવારના સૂર્યાસ્ત સાથે જ ઠંડકભર્યું વાતાવરણ છવાયું હતું, જે રાતભર યથાવત રહેતાં શનિવારની સવાર ધ્રુજાવતી ઠંડી સાથે શરૂ થઇ હતી. બીજી બાજુ, દિવસના તાપમાનમાં પણ પોણા ડિગ્રીનો ઘટાડો નોંધાતાં પારો 32.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઉત્તર-પૂર્વ દિશાથી સરેરાશ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનના કારણે અનુભવાતું તાપમાન 29.5 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. પરિણામે દિવસ દરમિયાન પણ ઠંડકનો અહેસાસ રહ્યો હતો. દિવસ-રાતના તાપમાનમાં થયેલા આ તફાવતને કારણે હવે લોકો એસી અને પંખા બંધ કરી ગરમ કપડાંનો સહારો લેવા લાગ્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી એક સપ્તાહ સુધી રાત્રીના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો દબદબો યથાવત રહેશે.
ભાસ્કર ઈનસાઈડ:પાટણમાં નવા બસ સ્ટેન્ડ પાસે ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું મોત થયું
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામહોડા ગામના વતની અને પાટણનાં ધારપુર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં યુવક 25 વર્ષીય આકાશભાઈ પંકજભાઈ સોલંકી 6 નવેમ્બર, 2025ના રોજ સાંજે 6:00નાં સુમારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક નવા બસસ્ટેન્ડ પાસેથી તેમના મિત્રનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતાં તે વખતે ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે આકાશભાઈને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર માટે તેમને મહેસાણા રીફર કરાયા હતા, જ્યાં મહેસાણાની ભગવતી ICUમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આકાશ સોલંકીએ અકસ્માત થયાની જાણ તેમના બનેવી પ્રવીણભાઈ તરાલને ફોન કરીને કરી હતી. પ્રવીણભાઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવે છે અને આકાશ તેમની સાથે જ ધારપુર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા. પ્રવીણભાઈ મૂળ ખેડબ્રહ્માના મોટાબાવળ ગામના વતની છે. આ બનાવ અંગે પાટણ બી ડિવિઝન પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બેફામ દોડતાં ડમ્પરોથી થતાં અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે છતાં તંત્ર દરકાર લેતું નથી બનાસ નદીમાંથી રેતી ભરી ઊંઝા, મહેસાણા, અમદાવાદ સુધી બેફામ દોડતાં ડમ્પરોના કારણે પાટણ અને સરસ્વતી પંથકમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. પાટણમાં જ સિદ્ધપુર ચોકડી, ઊંઝા ત્રણ રસ્તા, ધારપુર સિવિલ હોસ્પિટલ, શિહોરી ત્રણ રસ્તા, લીલીવાડી સહિતના વિસ્તારમાં ડમ્પરોનાં અકસ્માતોની ઘટના બની ચુકી છે. ડમ્પર સાથે થતાં અકસ્માતમાં લોકોના મોત થવાની ઘટનાઓ વધારે બને છે. અકસ્માતો ઘટે તે માટે તંત્ર દ્વારા કોઈ ગંભીરતા પૂર્વકનાં પગલાં લેવાતાં નથી.
આમને-સામને:પાટણ પાલિકામાં ભાજપના સભ્યોના બે જૂથો પ્રદેશકક્ષાએ સામસામે રજૂઆત કરતાં વિવાદ વધુ વકર્યો
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભામાં એજન્ડા ઉપર કામોના લેવાના મુદ્દે સત્તા પક્ષ ભાજપની બોડીમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે હવે બે જૂથમાં આમને સામને આવી એકબીજા ઉપર ગંભીર આરોપો મૂકી બન્ને જૂથ અલગ અલગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કાર્યવાહી અંગે રજૂઆત કરતા વિવાદ વધુ વકર્યો છે. જેમાં જાહેરમાં સભ્યો વિકાસના કામના બદલે અંગત કામો સૌને રસ હોવાના એકબીજા સામે નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થતા લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.જેમાં ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળીને વિકાસના કામો અટકાવી રહ્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે. સામે પક્ષે ભાજપના સભ્યો દ્વારા વળતા પ્રહાર રૂપે પાલિકા પ્રમુખ દ્વારા પોતાના અંગત કામો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ જ તેમના ગ્રુપના સભ્યો પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેના પુરાવા પણ હોવાના રાવ સાથે તેમની સામે કાર્યવાહી કરવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા પ્રમુખ સામે કાર્યવાહી કરવા શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ મનોજ કે.પટેલ, હિના શાહ, બિપીન પરમાર, નરેશ દવે, સ્મિતા પટેલ, આશા ઠાકોર, રાજેન્દ્ર હિરવાણી, રમેશ પટેલ,ધર્મેશ પ્રજાપતિ,અનિલા મોદી 12 કોર્પોરેટરો સહીઓ કરી છે. ભાજપના 6 સભ્યો કોંગ્રેસ સાથે મળી કામો અટકાવી રહ્યા છે : નગર પાલિકા પ્રમુખપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ભાજપના જ 6 નગરસેવકો વિકાસ વિરોધી ટોળકી બની વિરોધ કરી રહી છે.જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું તે દિવસથી ભાજપના આ 6 નગરસેવકો વિકાસનાં કામોમાં રોડા નાખતાં આવ્યા છે.જે કોંગ્રેસના 5 સભ્યોની મદદ લઈને બહુમતિ સાથે વિકાસના કામો નામંજૂર કરાવે છે.જેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પ્રમુખે ભ્રષ્ટાચાર કર્યો છે તેના પુરાવા હોય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે : સભ્યો પાટણ નગરપાલિકાના સભ્યોના ગૃપ પૈકીના કોર્પોરેટર મનોજ પટેલે જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ તેમના ગુરુજી કહે તે પ્રમાણે નિવેદન બાજી કરી રહ્યા છે. આ પ્રમુખ પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. અગાઉ પણ તેમણે પાલિકાના 10 કર્મચારીઓની બદલી કરી હતી. તેમાંથી 8 પાટીદાર હતા.પ્રમુખ મોટા ભ્રષ્ટાચાર કર્યા છે.જેના પુરાવા ફોટા સ્વરૂપે અને વીડિયો સ્વરૂપે છે.તેમની સામે પગલાં ભરવા માટે અમો 20 જેટલા સભ્યોએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરી છે પાલિકા પ્રમુખની વિરોધમાં ભાજપના આ 6 સભ્યોકોર્પોરેટર શૈલેષ પટેલ,મનોજ પટેલ,મુકેશ પટેલ,મનોજ એન.પટેલ,બિપીનભાઈ નરેશ દવે
ટ્રાફિક જામ:બલોલ રોડ પર ખાડો કરવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં ટ્રાફિક
હાલ પાલાવાસણા-કાલરી હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મીઠાથી કાલરી સુધીના રોડ પર ગણ્યે ગણાય નહીં તેટલા ખાડા પડેલા છે. જેને કારણે એસટી સહિતનાં વાહનોને સર્પાકાર ચલાવવા પડે તેવી જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં શનિવારે બપોરે બલોલ પાસે રોડ પર પાઇપલાઇન માટે ખાડો ખોદવા જેસીબી રોડ પર ઊભું કરી દેતાં બંને બાજુ અડધો કિમી જેટલી વાહનોની લાઇન લાગી હતી. અડધા કલાક સુધી ટ્રાફિક બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું.
મુસાફરો મુશ્કેલીમાં:મહેસાણા રેલવે સ્ટેશનના શૌચાલય બંધ
મહેસાણા રેલવે સ્ટેશન પર આવેલા મહિલા અને પુરુષ શૌચાલય છેલ્લા 10 દિવસથી તાળાબંધ હોવાથી મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે આ સ્થિતિ વધુ તકલીફજનક બની છે. સ્ટેશન પર આવનારા મુસાફરોને સ્વચ્છતા અને આરામની સુવિધાનો અભાવ અનુભવાઈ રહ્યો છે. મુસાફરોએ રેલવે અધિકા રીઓને શૌચાલય ખુલ્લા કરવા માંગ કરી હતી.
મહેસાણાના મુખ્ય હાઇવે પર બની રહેલા બ્રિજના કામને લઇ નાગલપુર પાટિયા પાસે વાહન વ્યવહારમાં ફેરફાર કરાયો છે. શનિવારે નાગલપુર પાટિયાની બીજી બાજુ પણ નવું ડાયવર્ઝન શરૂ કરાયું છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતાં વાહનોને હવે મોઢેરા અંડરપાસથી નીકળ્યા બાદ પસાભાઇ પેટ્રોલપંપથી સર્વિસ રોડ થઇ વિકાસનગર પાટિયા સુધી જવાનું રહેશે. જ્યારે અમદાવાદ તરફથી આવતાં વાહનોને વિકાસનગર પાટિયાની સામેથી પકવાન હોટલ સુધી સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, નાગલપુર પાટિયા પર સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રહેશે, જેથી હાઇવેની બંને બાજુથી આવતાં વાહનો નાગલપુર તથા બાયપાસ સુધી અવરજવર કરી શકશે. હજુ નાગલપુર પાટિયા નજીકનો રોડ અગાઉથી જ ખરાબ હાલતમાં હોઇ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. તેવામાં હવે ડાયવર્ઝન લંબાતાં રોંગ સાઇડથી આવતાં વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
કમોસમી વરસાદે મહેસાણા જિલ્લાની 68907 હેક્ટરના પાકને અસરગ્રસ્ત કર્યો છે. જ્યારે 27686 હેક્ટરના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. પાક નુકસાનીના સર્વે બાદ શુક્રવારે સરકારે રૂ.10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ચાર મહિનાની માવજત બાદ છેલ્લી ઘડીએ ખેડૂતોના મોંનો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે. પાકની સાથે તેમાંથી નીકળતો ઘાસચારો પણ નથી બચ્યો. આ સ્થિતિમાં આર્થિક નુકસાનની સાથોસાથ હવે પશુઓને પૂરતો ઘાસચારાનું ગણિત પણ ખોટકાયું છે. એક બાજુ સિઝન બગડવાનું દુ:ખ અને બીજી બાજુ પશુઓની ઘાસચારાની ચિંતા કરતાં ખેડૂતો સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સહાયને લઇ વાતચીત કરી હતી. જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.22 હજારની સહાય ઓછી લાગી છે અને ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાનું દેવું માફ કરવા કે સહાયની આ રકમમાં વધારો કરવા કહી રહ્યા છે. આ સહાય નહીં ખેડૂતોની મશ્કરી છેસરકારે જાહેર કરેલ રકમ બિલકુલ યોગ્ય નથી. કારણ આ સહાય નહીં પણ ખેડૂતોની મશ્કરી કરી છે. હાલ ખેડૂતોની સ્થિતિ માવઠું પડ્યા પછી બહુ જ ગંભીર છે. પાક બગડવાની સાથે ભાવ પણ મળતા નથી, પાકનો યોગ્ય ભાવ અને પૂરેપૂરું વળતર મળે તો જ સહાય મળી કહેવાય>. અલ્પેશભાઇ સાંકળચંદ પટેલ, ફતેહ દરવાજા, વિસનગર ખેતી ખર્ચ સામે સહાય બહુ જ ઓછીસરકારે જાહેર કરેલી સહાય ખેતી કરવામાં થતાં ખર્ચ સામે બહુ જ ઓછી છે. કમોસમી વરસાદથી કપાસ, તલ અને ગવારના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી છે. સરકાર દ્વારા દવાઓ, ખાતર સબસિડી વધારવી જોઇએ અને વીજળીમાં હોર્સપાવરનો ભાવ ઘટાડવો જોઇએ.> પટેલ ગાંડાભાઇ ત્રિભોવનભાઇ, કુવાસણા, તા. વિસનગર ખેડૂતોને વ્યાજ સહાય કરવી જોઈએ કોઈ સરકારે દેવું માફ કરાય જ નહીં. સબસિડી, બિયારણ, વ્યાજ સહાય કરવી જોઈએ. સરકાર સહાય આપવાનું આયોજન કેવી રીતે કરશે એ સમજાતું જ નથી. જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને સહાય આપે જ છે તો એ પ્રમાણે રાજ્ય સરકાર સીધી ખેડૂતને સહાય બેન્ક ખાતામાં આપી શકે છે.> વિષ્ણુભાઈ પટેલ, કોલાદ, ઘાસચારો ખરીદવા પૈસા નથી બોરતવાડાનાં ખેડૂત મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે માવઠું થતાં ઘાસચારો સહિત મુખ્યત્વે અડદ મગ ગવાર જેવા પાક નિષ્ફળ ગયા છે.તેમાંય ખાસ કરીને પશુઓ માટે ખેતરોમાં કાપણી કરેલો તૈયાર ઘાસચારો પલડી જતાં ખરાબ થઈ ગયો છે. સહાય આભને થીગડું માર્યા બરાબરસરકારે કરેલી સહાય આભને થીગડું માર્યા બરાબરછે. ખેડૂતોના ખર્ચાની સામે આ કંઇ જ નથી. ખેડૂતોજે દવા, ખાતર અને બિયારણ ઉપર જીએસટી લે છેતે પ્રમાણે વળતર મળતું નથી. કમોસમી વરસાદથીચોમાસુ પાકો બગડ્યા છે અને નવા પાકના વાવેતરમાટે સમય રહ્યો નથી. સરકાર ખેડૂતોની મંડળીઓ કેબેન્કોની લોન માફ કરે તો જ સાચી સહાય ગણાય.> તુષારભાઇમોહનભાઇ પટેલ, વાલમ, તા.વિસનગર આટલી સહાયથી વાવેતર ખર્ચેય ન નીકળેમગફળીનો પાક નિષ્ફળ ગયો છે, ઘાસચારો પણ નથી બચ્યો. કોઇ પણ સરકાર ખેડૂતને ક્યારેય પૂરતું વળતર આપી ન શકે. સરકાર જે વળતર આપશે તે ઘાસચારાની ખરીદીમાં ટેકો સાબિત થશે. આટલી સહાયથી ખેડૂતોનો વાવેતરનો ખર્ચ પણ ન નીકળે. સરકાર જે આપે તે ખરું. > ચૌધરી ડાહ્યાભાઇ મોતીભાઇ, મેઉ, તા.મહેસાણા ગઈ સિઝનનું નુકસાન હજુ મળ્યું નથીકડી તાલુકામાં ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું છે. 10 હજાર કરોડના સહાય પેકેજમાં કડી તાલુકાના ખેડૂતોને શું મળશે. ગઈ સિઝનમાં નુકસાન થયેલું એ પણ હજુ ચુકવ્યું નથી.> પ્રવિણ પટેલ, માણેકલાલ પટેલ, કડી ખેતરમાં બટાટાનું વાવેતર ફેલ થયુંદાંતીવાડા તાલુકાના રતનપુર ગામના મિથુનજી ઠાકોરે જણાવ્યું હતું કે ખેડૂતો માટે જે સહાય મંજૂર કરાઇ છે, તે પૂરતી નથી. પુર અને બાદમાં કમોસમી વરસાદથી વાવેતર નિષ્ફળ ગયા ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેના લીધે આર્થિક વ્યવહારો સચવાઈ શકે તેમ નથી. વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું હતું, તે પણ કમોસમી વરસાદથી ફેલ ગયું છે.હવે ફરી ખર્ચ કરી ખેતી કરવી પડશે.સરકાર હેકટર દીઠ સહાયની રકમ વધારે એવી અમારી માંગ છે. ઘાસચારો ખરીદવા પૈસા નથી : ખેડૂત
ગૌરવની વાત:ડૉ. મેહુલ જાનીનું સ્પેન ખાતે ભાવનગરનું ગૌરવ વધારતું આમંત્રણ
ડૉ.મેહુલ જાનીને ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે ઓરલ રિહેબિલિટેશનમાં ક્રાંતિ લાવી રહેલી આધુનિક કોર્ટિકોબેસલ (KOS) ઇમ્પ્લાન્ટ્સ ટેક્નોલોજી પર એક વિશેષ કોર્સ લેવા માટે સ્પેન ખાતે વક્તા અને ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય આમંત્રણ ખરેખર ભાવનગર માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ડૉ. જાનીને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક જગતની મુખ્ય વ્યક્તિઓ, જેમ કે સેવિલા યુનિ.ના ચાન્સેલર, કોલેજના ડીન અને સ્પેનિશ સોસાયટી ઑફ ઇમ્પ્લાન્ટોલોજીના પ્રમુખ, સાથે વાતચીત કરવાની અદ્ભુત તક મળી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે તબીબી અને ડેન્ટલ તાલીમના ભવિષ્યની દિશા તેમજ નવીનતમ વલણો વિશે ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. વધુમાં, ડૉ. જાનીને એક ખૂબ જ વરિષ્ઠ ડૉક્ટર સાથે વાત કરવાનો સન્માન મળ્યું હતું, જેઓ ડૉ. પેર-ઇન્ગવાર બ્રાનમાર્ક (આધુનિક ઇમ્પ્લાન્ટોલોજીના પિતા)ના સીધા વિદ્યાર્થી હતા. આ અંગે ડૉ. જાનીએ જણાવ્યું કે, જેમણે ઇમ્પ્લાન્ટોલોજીના ઉદ્ભવનો જાતે અનુભવ કર્યો હોય, તેમની સાથે ચર્ચા કરવી એક ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. કોર્સમાં હાજરી આપનાર ડૉક્ટરોનો સમૂહ અસાધારણ હતો, ખાસ કરીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટર્સ કરી રહેલા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, ઉત્સાહ અને ચર્ચાનું સ્તર ઉત્કૃષ્ટ હતું. તેઓએ કોર્ટિકોબેસલ ઇમ્પ્લાન્ટોલોજી (KOS)ના સિદ્ધાંતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. સ્પેનમાં આપેલ તેમના સફળ લેક્ચર બાદ, ડૉ. મેહુલ જાનીને પ્રતિષ્ઠિત સેવિલા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી અને ટ્રેનર તરીકે જોડાવા માટે આમંત્રિત કર્યા છે. ડૉ. જાનીનું આ આંતરરાષ્ટ્રીય સન્માન તેમની નિપુણતાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે અને ભાવનગરનું ગૌરવ વધારે છે.
ધમકી આપી:આડાસંબંધની શંકાએ દંપતિને ધમકી આપી
ભાવનગર જિલ્લામાં આડાસંબંધની શંકાએ ધાક ધમકીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી દાંમ્પત્ય જીવનમાં પણ ખલેલ સર્જાઈ છે. આવો જ એક કિસ્સો તળાજામાં તાજેતરમાં નોંધાયો હતો. તળાજા પંથકમાં રહેતા એક મહિલાને તેના ખેતર માલિક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી કઠવા ગામે રહેતો ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમાએ મહિલાને ખેતરના માલિક સાથે સંબંધ નહીં રાખવાનું જણાવી, મહિલા તેમજ તેના પતિને ધારીયાથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મહિલાના યુવક સાથેના આડાસંબંધના ફોટો તેમજ વિડીયો કુટુંબીઓને દેખાડવાનું કહી, ચારીર્ત્રય ઉપર જેમતેમ બોલતા મહિલાએ કઠવા ગામના ઘનશ્યામ મથુરભાઇ ચુડાસમા વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બિસ્માર માર્ગ:સિહોરમાં અત્યંત બિસ્માર થયેલા રોડથી રહીશો ત્રસ્ત
સિહોર નગરપાલિકા પાછળના ભાગમાંથી ભાવનગર રાજકોટ રોડનો ડાયવર્જન અહીં કાઢવામાં આવેલ ત્યારે પણ ખૂબ મરામત કર્યા બાદ વાહનો ચાલતા થયા હતા તેમજ પાણી લાઇન,ગટર લાઇન વગેરેના ખોદકામ બાદ હાલ આ રોડ અત્યંત ખરાબ થઈ ચૂક્યો છે નાના વાહન ચાલકો વારંવાર વાહનો પરથી ગબડી રહ્યા છે એક બાજુ ગટરના પાણી વહેતા થઈ ગયા છે છતાં કોર્પોરેટરોના પેટના પાણી હાલતા નથી. આ વોર્ડમાં આવતી સોસાયટીઓ પુનિત નગર,શિવશક્તિ, આંજનેય પાર્ક,વૃંદાવન,કૈલાસનગર,શ્રીજી નગર,કેશવ પાર્ક સહિત અનેક સોસાયટીઓના રહીશોમાં કચવાટ છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ તાત્કાલિક રિપેરિંગ કરાવવા માંગ ઉઠી છે નવો રોડ બનતા પહેલા ગટર તથા પાણીની તૂટેલી લાઇનો પણ રિપેરિંગ કરવી જરૂરી છે.
પ્રજાજન પરેશાન:મહુવામાં ડ્રેનેજ લાઇન, કચરો સહિતની સમસ્યાથી જનતા ત્રસ્ત
મહુવા શહેરના વોર્ડ નં.1-2-3 માં ડ્રેનેજ લાઇન તથા કચરો ઉપાડવા તથા વિવિધ પ્રશ્ને આપ દ્વારા મહુવાના ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે. મહુવા શહેરના વોર્ડ નં.1 માં ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ લાઇનનો તથા પાણીની લાઇનોનું ખોદકામ કરેલ છે પરંતુ તેનું પુરાણ કે આવી જગ્યાઓ ઉપર ગારો ન થાય, વોર્ડ નં.2માં ગટરના પાણી રોડ ઉપર ન વહે તેની વ્યવસ્થા કરવામાં આવે તથા સુકો કચરો અને ભીંના કચરાની ડોલો મુકવા, ગટરની લાઇનો સાફ કરવી તેમજ વોર્ડ નં.3માં ખરેડીયા મહોલ્લામાં પીવાના પાણીમાં ગટરનું પાણી વારંવાર ભળી જાય છે. કચરાની ગાડીઓ અંદર સુધી પહોચે અને તરવાડી કબ્રસ્તાનથી લઇ અને ભાદ્રોડના ઝાંપા સુધીના વિસ્તારમાં સાઇડના બ્લોક નાખવા તથા નીચાણવાળા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને હજુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલો હોય જેના નિકાલ કરવો વગેરે વિવિધ પ્રશ્નોનુ વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
મારમાર્યો:વલભીપુર પાલિકામાં મુકાદમને મારમાર્યો
વલભીપુર નગર પાલિકામાં અરૂણાબેન અશોકભાઇ વેગડ નોકરી કરતા હોય અને જે નગરાપાલિકામાં ટાઇમસર નોકરીમાં હાજર થતાં ન હોય જેથી નગરપાલિકાના મુકાદમ સુનીલભાઇ રાજેશભાઇ વેગડે નોકરીમાં સમય મુજબ આવવાનું કહેતા, અરૂણાબેનના પતિ અશોકભાઇ ઉર્ફે વીલીયમ બાલાભાઇ વેગડ અને તેમના પુત્ર પારસ અશોકભાઇ વેગડે એક સંપ કરી, વલભીપુર નગરપાલિકાના દાદરમાં જ સુનીલભાઇ વેગડ ઉપર જીવલેણ હુમલો કરી, ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થતાં સુનીલભાઇ વેગડે પિતા-પુત્ર વિરૂદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સંતવાણી સન્માન સમારોહ:ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. મોરારિબાપુએ કહ્યું કે ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી - ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ 2025 માટે મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં. મોરારિબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાતમાં ગેમલજીબાપુની રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી હતી. આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાં ભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણીનો લાભ મળ્યો હતો.
નાની રાજસ્થળીની સરદાર ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત બની:ખેડૂતોની મગફળી 75 ટકા વળતર સાથે ખરીદાશે
પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવા દ્વારા ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી, ખરાબ થઈ ગયેલી, પલળી ગયેલી હોય તેવી મગફળી ખરીદવા માટે નાની રાજસ્થળી ગામે આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીમાં 75 ટકાના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. સરદાર ઇન્ડસ્ટ્રીઝના માલિક યુનુસભાઈ મતવાએ જણાવેલ કે ગુજરાત ભરના ખેડૂતોને જે નુકસાની થઈ છે. તેના અનુસંધાને ખેડૂતોના પ્રેરણા સ્તોત્ર બની ખેડૂતોને પૂરતો ભાવ મળે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઉભો કરવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમજ ગમે તેવી પલળી ગયેલી, ઉગી ગયેલી,ગોગડા થઈ ગયેલી અને ખરાબ થઈ ગયેલી મગફળી આખા ગુજરાતમાંથી વિના સંકોચે ખેડૂતોના હિતમાં 75 ટકા સાથે ખરીદવામાં આવશે અને પૂરતો ભાવ આપવા પ્રયાસ કરાશે. સવારના 8 કલાકથી રાત્રિના 10 કલાક સુધી અમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકશે તેમ યુનુસભાઇ મતવા દ્વારા જણાવવામાં આવેલ છે. તેમનો મોબાઈલ નંબર અને 90 99 91 91 91 તેમજ 98 98 75 65 80 છે તેના ઉપર ખેડૂતો ફોન કરી સંપર્ક કરી શકશે. આમ પાલિતાણાની નાની રાજસ્થળી ગામની સરદાર ઈન્ડ્રસ્ટ્રીઝ ખેડૂતો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે.
મહુવા શહેરમાં ભારે વરસાદ પડતા શહેર અને તાલુકામાં પાણીનું સ્તર જમીનના તળ ઉંચા આવેલ છે. શહેરમાં છેલ્લા એકાદ માસથી કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી ભરાતા મોટર દ્વારા પાણી રોડ રસ્તાઓ ઉપર વહેતુ મુકવામાં આવે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે અને રોગચાળો ઉભો થાય તેવી શહેરીજનોમાં દહેશત ઉભી થવા પામી છે. શહેરના મોટાભાગના કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી નિકળતા ગોઠણ કરતા પણ વધારે પાણી ભરાય છે અને ભારે મોટુ નુકશાન પણ થવા પામેલ છે. આવા દુકાનધારકો દ્વારા પાણી બહાર કાઢવા માટે મોટર મુકી રોડ રસ્તાઓ ઉપર છોડવામાં આવે છે. જે પાણી રસ્તાઓ ઉપર એકથી બે કીમી સુધી વહેતુ હોય છે. જેના કારણે વાહનચાલકો રાહદારીઓને આવન-જાવન કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે અને આ પાણી રોડ ઉપર ખાડાઓમાં દિવસો સુધી પડી રહેવાથી મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. પાણી રોડ ઉપર છોડવાના બદલે આસ પાસમાં આવેલ ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે તો રોડ ઉપર પાણી વહેતુ બંધ થાય જે અંગે નગરપાલિકા સત્તાધીશો દ્વારા ત્વરિત દંડનાત્મક કાર્યવાહી કરી યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યાં છે. રોડના પાણી સાથે ગટરનું પાણી ભળતા ગંદકી શહેરમાં રસ્તાઓ ઉપર પાણી વહેતુ હોય જેની સાથે ગટરનું પણ પાણી ભળતુ હોય છે. જેથી વહેલી સવારે મંદિરે દર્શન માટે જતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રસ્તાઓ ઉપર પાણી રહેવાથી ગંદકી ફેલાઇ રહી હોય નગરપાલિકા દ્વારા સાફ સફાઇ કરી ડી.ડી.ટી., દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.
2.03 કરોડની ઠગાઈ:મેનેજર, દલાલ, ટ્રાન્સપોર્ટરે 350 ટન લોખંડ સેરવી લીધુ
ભાવનગર જિલ્લાના સિહોર જી.આઇ.ડી.સીમાં આવેલ નવભારત રોલીંગ મીલના મેનેજરે ત્રણ વેપારી દલાલ, ટ્રાન્સપોર્ટર સાથે મળી કંપનીમાંથી બીલ મુજબના વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવાને બદલે તેના કરતા વધારે વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવી, ઉપરના વજનનું લોખંડ બારોબાર વેચાણ કરી, કંપનીના માલિક સાથે બે કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરતા, કંપની દ્વારા મેનેજર, ટ્રાન્સપોર્ટર તેમજ ત્રણ વેપારી દલાલ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરના સિહોર જી.આઇ.ડી.સી.માં આવેલ નવભારત રોલીંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એક દિવસ તેમની ફેક્ટરીએ ગયા તે વેળાએ તેમના કંપની મેનેજર અમોલ ગીરીશભાઇ ગુજરાથી (રહે. કાળિયાબીડ) કંપનીમાંથી દસ ટન બીલ મુજબની લોખંડનું સેક્શન ભરાવી રહ્યા હતા. પરંતુ મુળરાજસિંહે ટ્રકમાં જોતા દસ ટન કરતા વધુ વજનનું લોખંડ ભરાવ્યું હોવાની શંકા જતાં ટ્રકને વે બ્રિજ ઉપર ચડાવાયો હતો. જેમાં દસ ટનની બદલે ટ્રકમાં 21 ટન જેટલું વજન જોવામાં આવતા અમોલભાઇને કંપનીના માલિક વગેરે દ્વાર પુછપરછ હાથ ધરી હતી જેમાં અમોલ ગુજરાથીએ ટ્રાન્સપોર્ટર કરદેજ ગામનો વિશાલ સાટિયા, ત્રણ વેપારી દલાલો ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર અને મેહુલ પંડ્યા સાથે મળીને બીલના વજન કરતા વધુ વજનનું લોખંડ ભરાવી, ઉપરના વજનનું લોખંડનું બારોબાર વેચાણ કરી, દોઢ વર્ષમાં 350 ટન લોખંડ સેરવી લઇ, કંપનીના માલિક સાથે રૂા.2.03 કરોડની છેતરપિંડી આચર્યાની કબુલાત આપતા કંપનીના મેનેજર દ્વારા ચારેય શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બે શખ્સોની ધરપકડ કરી, ત્રણની શોધખોળ શરૂ કરી છે. છેતરપિંડી કરી ચારેય શખ્સોએ રૂપિયા વહેંચી લીધાટ્રાન્સપોર્ટર અને ત્રણ વેપારી દલાલ તેમજ મેનેજર સહિતે દોઢેક વર્ષમાં 350 ટન લોખંડનું બારોબાર વેચાણ કરી રૂા. 2.03 કરોડની કંપનીના માલિક સાથે ઠગાઇ આચરી હતી. જેમાં મેનેજરને રૂા. 90 લાખ, ભાવેશ ચૌહાણ રૂા. 25 લાખ, ટ્રાન્સપોર્ટર વિશાલ સાટિયા રૂા. 28 લાખ, યોગેશ પરમારને રૂા. 25 લાખ તેમજ મેહુલ પંડ્યાએ રૂા. 35 લાખ ભાગમાં આવ્યા હતા. બે કર્મીએ નોકરી કરતા ટ્રેડર્સની દુકાન ખોલી નાંખીછેતરપિંડી કરનાર ભાવેશ ચૌહાણ અને યોગેશ પરમાર બંન્ને નવભારત રોલીંગ મીલમાં જ નોકરી કરતા હતા પરંતુ ટુંકાગાળામાં રૂપિયાની કમાણી કરવા માટે મેનેજર સાથે મળીને લોખંડ સેરવી લેવાની ભુમિકામાં ભાગ ભજવ્યો હતો અને જે બાદ ભાવેશ અને યોગેશે એક ચામુંડા ટ્રેડર્સ નામે દુકાન ખોલી ચોરી કરેલ લોખંડની દુકાનમાંથી વેચાણ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ભાસ્કર સૂચન:ઊંઝાની ઐઠોર ચોકડી નજીક ગાય સાથે બાઈક અથડાતાં પત્નીનું મોત, પિતા અને પુત્રને ઇજા
ગાંધીનગરથી બાઇક ઉપર બનાસકાંઠાના કીડોતર ગામે વતન જવા નીકળેલા પરિવારનું બાઈક ઐઠોર ચોકડી નજીક ગાય સાથે અથડાઈને સ્લીપ ખાઈ જતાં સવાર પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા, પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે ઉનાવા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. અમીરગઢ તાલુકાના કીડોતર ગામના કિસ્મતસિંહ ડાભી હાલ ગાંધીનગરના સરગાસણ ખાતે કેશવ પરિસરમાં રહે છે. 5 નવેમ્બરના રોજ બપોરે કિસ્મતસિંહ તેમની પત્ની આનંદબા અને પુત્ર ભદ્રવીરસિંહ સાથે બાઇક પર ગાંધીનગરથી કીડોતર જવા નીકળ્યા હતા. તેઓ મહેસાણા- ઊંઝા હાઇવે પર ઐઠોર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ગાય અચાનક રોડ પર આવતાં તેમણે બાઇકની બ્રેક મારી હતી. પરંતુ સ્પીડના કારણે બાઈક ગાય સાથે ભટકાઈને સ્લીપ મારી જતાં કિસ્મતસિંહ સહિત ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. ત્રણેયને 108માં ઉનાવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમની પત્ની આનંદબાનું મોત નીપજ્યું હતું. ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં હોય તો બચાવ થઇ શકેમુસાફરી દરમિયાન અચાનક બ્રેક મારતાં કાર સહિતનું ચાર પૈડાંવાળું વાહન કાબૂમાં આવી શકે. પરંતુ, વધુ સ્પીડમાં બાઇક સહિત ટુ વ્હીલર સ્લીપ ખાઈ જાય છે. હાઇવે પર ટુવ્હીલરની સ્પીડ 50ની મર્યાદામાં ચલાવવામાં આવે તો અચાનક બ્રેક મારતાં કાબૂમાં આવી શકે છે.
મકાનને આગચંપી દેવાઈ:બોરડીગેટમાં મકાન સળગાવાયું
બોરડીગેટ વિસ્તારમાં મેલડી માતાના મંદિરવાળા ખાંચામાં રહેતા મહેશભાઇ બચુભાઇ રાઠોડની માલિકીના મકાને જુની અદાવતની દાઝ રાખી સુનિલ, નિતો, હાર્દિક અને અમન તેમજ અજાણ્યા શખ્સો ધસી આવી, ઘર ખાલી કરવાનું કહી, મકાનને આગચાંપી દેતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. મકાનમાં આગ લાગતા આગની ભયાવળ જ્વાળાઓ ઉઠવા પામતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જે મામલે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે ધસી જઈ, પાણીનો મારો ચલાવી આગને બુઝાવતા, જાનહાની ટળી હતી.
સિંહ દેખાયા:પાલિતાણા શેત્રુંજય ડુંગર પર બે સિંહોએ દેખા દીધા
પાલિતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલિતાણા રાઉન્ડ હેઠળ શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાતા અને તેની આજુ-બાજુના આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. સિંહ, દીપડા, ઝરખ તેમજ અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. શેત્રુંજય ડુંગર પર કુલ અલગ-અલગ ધાર્મિક સ્થાનો આવેલા છે. ડુંગર ઉપર તથા આજુ-બાજુમાં કુલ 18 સિંહો પરિવાર વસવાટ કરે છે જે દરરોજ પોતાના લોકેશન બદલતા રહે છે ત્યારે આજે શેત્રુંજય ગીરીરાજ ઉપર આજે સવારના આઠ વાગ્યા આસપાસના સમયે કુમાર કુંડ પાસે સિંહ જોવા મળ્યો હતો જ્યારે સાંજના અરસામાં પદ્માવતી ટુંક આગળથી ચાલવાના રસ્તા ઉપર પણ જોવા મળેલ હતો. સિંહને જોતા યાત્રિકો અને ડોળીવાળાઓ થંભી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ મનીષભાઈ કનાડીયાએ પણ સમર્થન આપેલ છે.
પાણી નહીં છોડાય:રૂપેણ નદીમાં ચેકડેમના કામને લઇ સિંચાઇ માટે પાણી નહીં છોડાય
સિરીઝ ઓફ ચેકડેમ અંતર્ગત રૂપેણ નદી ઉપર મહેસાણા તાલુકાના મોટીદાઉ તથા પાલોદર ગામે ચેકડેમનું કામ એકાદ મહિનામાં હાથ ધરાનાર છે. જેથી કામ શરૂ થયેથી પૂર્ણ ન થાય ત્યાં સુધી રૂપેણ નદીમાં સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આ વે તેવી જાહેરાત સુજલામ સુફલામ પેટા વિભાગ-6 મહેસાણા દ્વારા કરાઇ છે. અને તે અંગેની લેખિત જાણ નદીકાંઠાના 50થી વધુ ગામોના સરપંચોને કરાઇ છે. રવિ સિઝનના આરંભે જ તંત્રના આ નિર્ણયથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું હોઇ, રવિ સિઝન માટે સિંચાઈનું પાણી ચાલું રાખવા અને ચેકડેમનું કામ રવિ સિઝન પૂરી થયા બાદ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિભાગને લેખિત રજૂઆત કરી છે.
પોલીસ કાર્યવાહી:ઘરફોડ ચોરી કરનાર સિક્યુરીટી જબ્બે
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટમાં એકી સાથે બે ફ્લેટના તાંળા તોડી કોઇ અજાણ્યો શખ્સ સાડા ચાર લાખથી વધુની મત્તાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના બનતા જેની નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે પગલે પોલીસે તપાસ હાથ ધરતા રચના ફ્લેટના સિક્યુરીટી તરીકે ફરજ બજાવતો હર્ષદિપ ભુપતભાઇ ડાભી જ તસ્કર હોવાનું ખુલતા પોલીસે સિક્યુરીટી ગાર્ડની ધરપકડ કરી, તસ્કરીમાં ગયેલા ઘરેણાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર વિશેષ:યાદી સુધારણા માટે પહેલીવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત BLO તેમના ઘરની મુલાકાત લેશે
જિલ્લામાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) મતદાર યાદી સુધારણા ઝુંબેશ મંગળવારથી શરૂ થઈ છે. જે 4 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈ સુધારણાની કામગીરી કરશે. 6 તબક્કાની કામગીરી બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી પ્રકાશિત કરાશે. યાદી સુધારણા માટે પ્રથમવાર મતદાર નહીં મળે તો વધુ બે વખત મતદારની મુલાકાત લેશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પરમારે જણાવ્યું કે, એક મહિના દરમિયાન BLO પાસેથી મતદારે એન્યુમરેશન ફોર્મ ભરી આપવાનું રહેશે. ડ્રાફ્ટ યાદી બને ત્યાં સુધીમાં ફોર્મ નહીં ભરે તો નામ નીકળી જશે
ગુજકેટની પરીક્ષા:29 માર્ચે રાજ્યમાં જિલ્લા કક્ષાએ પરીક્ષા સેન્ટરમાં લેવાશે ગુજકેટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આગામી વર્ષે બોર્ડની પરીક્ષા લેવાયા બાદ ગુજકેટ તા. 29 માર્ચને રવિવારે લેવામાં આવશે. સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે. ગુજકેટના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજકેટ તા. 29 માર્ચને રવિવારે ભાવનગર સહિતના સેન્ટરો પર લેવામાં આવશે આ પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજના 4 દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવાનું આયોજન કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થયો છે અને ncert આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલા પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ ગુજકેટ પરીક્ષા લેવાશે. ત્રણ માધ્યમમાં ગુજકટે લેવામાં આવશેભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ફીઝિક્સ અને 40 પ્રશ્નો કેમેસ્ટ્રીના હશે ઓએમઆર શીટમાં પણ 80 પ્રત્યુતર આપી શકો તે મુજબની રહેશે અને તે માટે બે કલાક ફાળવાશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે તે માટેની OMR આન્સરશીટ અલગ અલગ અપાશે. OMR શીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતરની રહેશે. ગુજકેટ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમોમાં અપાશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્તગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત લેવામાં આવશે આ બંને માટે 120 મિનિટ ફાળવાશે અને ભૌતિક વિજ્ઞાનના 40 અને રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નો પૂછાશે. એવી જ રીતે આ બંનેના 40-40 મળીને 80 ગુણ રહેશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 પ્રશ્નો માટે 40 ગુણ હશે અને તેના માટે 60 મિનિટ અપાશે અને ગણિતના પ્રશ્નપત્રમાં પણ 40 ગુણ હશે અને તેના 40 પ્રશ્નોના જવાબ લખવા માટે 60 મિનિટ અપાશે.
આયોજન:મહેસાણામાં ટીબી રોડ પર 19 કરોડના ખર્ચે વધુ એક સ્પોર્ટસ સંકુલ તૈયાર થશે
મહેસાણા-1ની જેમ -2માં પણ ટીબી રોડ પર આવેલા નવરંગ ગ્રાઉન્ડ ખાતે રૂ.19 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બીજું વધુ એક સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેને મનપાના વહીવટદાર એવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી છે. નવરંગ ગ્રાઉન્ડમાં જ્યાં પહેલા નવરાત્રી થતી હતી, ત્યાં મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક શહેરીજનો માટે સ્પોર્ટસ સંકુલ ઊભું કરવામાં આવનાર છે. પિંકલ કોર્ટ, સ્વિમિંગ પુલ, બેડમિન્ટન કોર્ટ, જીમ્નેશિયમ અને મલ્ટી ઉપયોગી એવા આ સ્પોર્ટસ સંકુલને રૂ.19 કરોડના ખર્ચે બનાવવા માટે શનિવારે કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિએ મનપાને મંજૂરી આપી હતી. આ સિવાય, શહેરના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં શહેરમાં પ્રવેશતા માર્ગ ઉપર રૂ.6 થી 7 કરોડના ખર્ચે એક આકર્ષક અને ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાનું આયોજન કરાયું છે.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે શનિવારે વર્ષ 2082ની પ્રથમ સંકટ ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા.ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતિ દાદાને ભકતો દ્વારા લાડુ ધરવામાં આવ્યા હતા., પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરી 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવી હતી. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તેવી શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. શનિવારે હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિદ્ધિ માટે ચોથ રાખવી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.
ચિન્તેષ વ્યાસ, પ્રમોદ શાહ મહેસાણા મહાનગર પાલિકાની હદમાંથી પસાર થતી લગભગ 12 કિલોમીટર લાંબી ખારી નદીના અસ્તિત્વ, પ્રદૂષણ અને દબાણ અંગે મહેસાણાના આરટીઆઇ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી. જળસંપતિ નિગમ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકા ત્રણેય સરકારી વિભાગોએ નિરાશાજનક જવાબો આપ્યા બાદ નદીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા લગભગ 12 કિલોમીટરના પટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નદીમાં પ્રદૂષણ અને ગેરકાયદે જોડાણો જોવા મળ્યા હતા. નાગલપુર સ્થિતિ કોઝ-વે દુર્ગંધ મારતાં ગંદા પાણીથી ખદબદતો જોવા મળ્યો હતો. નાગલપુર સ્નેહ કુટીર પાછળ, આરટીઓ નજીક ખારી નદીના ડાયવર્ઝન રોડની બાજુમાં, બ્રહ્માણીનગર, કસ્બા, રોહિતવાસ, કુકસ રોડ, પરા-સાંઇબાબા રોડ અને ગાંધીનગર લીંક રોડ સહિત 8 જેટલા સ્થળોએ પાઇપોના જોડાણ સાથે ગંદુ પાણી નદીમાં ઠલવાઇ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપોમાં પણ ગંદા પાણીનું જોડાણ આપીને નદીને દૂષિત કરાઇ રહી છે. આ ઉપરાંત, નદીના પટમાં ઠેર-ઠેર કચરો પણ જોવા મળ્યો હતો. જેને લઇ નદીમાં રહેલું પાણી દુર્ગંધ મારી રહ્યું છે. સાંજના સમયે નદીના પટ નજીક જવું પણ મુશ્કેલ બન્યું છે. 3 સરકારી વિભાગોનાબેજવાબદાર જવાબો
GSEB:26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ધો.10-12ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.29 ફેબ્રુઆરીથી ધો.10, સંસ્કૃત પ્રથમા અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષા 16 માર્ચ સુધી લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે. ધો.10માં વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. તે માટે સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1.15 કલાક દરમિયાન રહેશે. જેમાં પ્રથમ 15 મિનિટ પેપર વાંચવા માટે રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે સેન્ટર પર 30 મિનિટ વહેલા પહોંચી જવાનુ઼ રહેશે. બાકીના દિવસોમાં 20 મિનિટ વહેલા પહોંચવાનું રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં બહુવૈકલ્પિય એટલે કે ઓએમઆર પદ્ધતિથી 50 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 50 અને સમયગાળો 60 મિનિટ રહેશે. બીજા ભાગમાં 50 ગુણના વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો હશે. કમ્પ્યૂટર અધ્યયન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત ઓએમઆર પદ્ધતિએ લેવાશે અને તેમાં બહુવૈકલ્પિય પ્રકારના 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે. તે માટે 120 મિનિટનો સમય મળશે. ઓએમઆર શીટમાં ફક્ત કાળી કે ભુરી શાહીવાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા તા.5 ફેબ્રુઆરીથી કમ્પ્યૂટર અધ્યયન (પ્રાયોગિક) વિષયની પ્રાયોગિક પરીક્ષા જે તે શાળા દ્વારા જ લેવાની રહેશે જેના ગુણ શાળાએ બોર્ડને તા.20 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન મોકલવાના રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ? ધો.12 સા.પ્ર.માં ક્યા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી સહકાર પંચાયત, અર્થશાસ્ત્ર, 27 ફેબ્રુઆરી કૃષિ વિદ્યા, ગૃહ જીવન, તત્વ જ્ઞાન, 28 ફેબ્રુઆરી વાણિજ્ય વ્યવસ્થા 4 માર્ચ ઇતિહાસ, નામાના મૂળ તત્વો, 5 માર્ચ મનો વિજ્ઞાન, 6 માર્ચ સમાજશાસ્ત્ર, 7 માર્ચ ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષા, 9 માર્ચ રાજ્ય શાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, 10 માર્ચ ગુજરાતી, હિન્દી સહિતની પ્રથમ ભાષા, 11 માર્ચ હિન્દી દ્વિતીય ભાષા, 12 માર્ચ એસપી અને વાણિજ્ય પત્ર વ્યવહાર, 13 માર્ચ ભૂગોળ, 14 માર્ચ ચિત્રકામ, કમ્પ્યૂટર અધ્યયન સહિતના વિષય, 16 માર્ચ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત ભાસ્કર નોલેજપરીક્ષામાં કોઇ પણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિઝિટલ ઘડિયાળ જેવા ઇલે. સાધનો પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં લઇ જવા પર મનાઇ છે. પરંતુ ધો.12 સાયન્સની પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર લઇ જવાની છૂટ રહેશે. કોઇ પણ સાહિત્ય મળશે તો જરૂરી શિક્ષા કરવામાં આવશે. પ્રવેશિકા સિવાય કોઇ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવામાં આવશે. ધો.10માં ક્યા વિયષની પરીક્ષા ક્યારે લેવાશે ?26 ફેબ્રુઆરી ગુજરાતી, 28 ફેબ્રુઆરી વિજ્ઞાન, 4 માર્ચ સામાજિક વિજ્ઞાન, 6 માર્ચ બેઝિક ગણિત, 9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચ અંગ્રેજી, 13 માર્ચ ગુજરાતી દ્વિતીય ભાષા, 14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ સહિતના વિષયો, 16 માર્ચ હિન્દી, સંસ્કૃત સહિતની દ્વિતીય ભાષા નોંધ : સમય સવારે 10થી બપોરના 1.15 સુધી રહેશે
હુમલો:કેવડિયામાં ગોડબોલે ગેટની સફાઇ કરતાં કર્મચારી પર મગરે બે વખત હુમલો કર્યો
સરદાર સરોવર નર્મદા ડેમ નજીક ગોડબોલે ગેટની સફાઈ કરનાર કર્મચારી પર અચાનક મગરે હૂમલો કરી દેતા કર્મચારી ઘાયલ થયો હતો.તેને સારવાર અર્થે એકતાનગરના ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. નર્મદા ડેમ ખાતે કામ કરતો રમેશ ધના તડવી (ઉ.43 વર્ષ) ગત રોજ ડેમથી ત્રણ કિમી દૂર આવેલો ગોડબોલે ગેટની સફાઈ કરી રહ્યો હતો.રમેશે એક પછી એક 4 ગેટની સફાઈ તો કરી લીધી હતી અને 5 માં ગેટની સફાઈ કરી રહ્યો હતો એ દરમિયાન મગરે અચાનક પાછળથી હુમલો કરી દીધો હતો. એ દરમિયાન રમેશે સમય સૂચકતા વાપરી ગેટની જાળી પકડી લેતા મગર એને પાણીમાં ખેંચી શક્યો ન્હોતો.જો કે ગેટની ઉપર ઊભેલા અન્ય કર્મચારીઓએ પથ્થરો મારતા મગર રમેશને છોડી દીધો હતો. જે બાદ પાછો બીજી વાર પણ મગરે હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ મોટા મોટા પથ્થરો મારતા અંતે મગર પાણીમાં જતો રહ્યો હતો.આ ઘટનામાં રમેશને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.આ ઘટના બાદ રમેશને તાત્કાલિક એકતાનગર સ્થિતિ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો.હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રમેશની સારવાર ચાલી રહી છે.
રોષ:ભરૂચના સિંધી સમાજે છત્તીસગઢના નેતા માફી માગે તેવી માગણી સાથે રેલી યોજી
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે.29 ઓક્ટોબરના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી સિંધી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.આ ઘટનાના વિરોધમાં ભરૂચના સિંધી સમાજના અગ્રણીઓ, મહિલા સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે જો અમિત બધેલ તાત્કાલિક જાહેર માફી નહીં માંગે તો તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન જય ઝુલેલાલના નારા લગાવવામાં આવ્યા હતા. સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી.
એક રાતમાં તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો:શહેરમાં રાતે ઠંડીનો પારો ગગડીને 19.2 ડિગ્રી થઇ ગયો
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ઘટવાથી વાતાવરણમાં ભાવનગર શહેરમાં હવે ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને સૂકા તેમજ ઉત્તરના ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડીનો પારો એક દિવસમાં વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાતના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારોનો અનુભવ થયો છે. આગામી દિવસોમાં શહેરમાં ઠંડીનો પારો વધુ ગગડતા ઠંડીની તીવ્રતામાં વધારો થશે. ઉત્તર-પૂર્વથી પૂર્વના સૂકા ઠંડા પવનો શરૂ થતાં રાતના સમયે 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીનો ચમકારાનો આરંભ થયો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં ઠંડા પવન સાથે શિયાળાનો આરંભ થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું જ્યારે સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 43 ટકા થઇ ગયું હતુ. સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 12 કિ.મી. થઇ ગઇ હતી.
રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બૂક કર્યા વિના માલસામાનની હેરફેર કરી રહેલા લોકો સામે ઓક્ટોબર માસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને 7075 કેસ કરવામાં આવ્યા છે. રેલ્વે પર તમામ વાસ્તવિક નાગરિકોને મુશ્કેલીમાં મુક્તિ, મુસાફરી અને શ્રેષ્ઠ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે ભાવનગર મંડલ દ્વારા સતત સઘન ટ્રેનની તપાસ અભિયાન ચલાવવામાં આવે છે. ભાવનગર મંડલના ઉચ્ચ વ્યાપારી તંત્રની દેખરેખમાં ટિકિટ તપાસ દળો દ્વારા એપ્રિલથી ઑક્ટોબર 2025ના સમયગાળામાં વિવિધ ટિકિટ તપાસ અભિયાનના માધ્યમથી કુલ રૂપિયા 4 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે, જે ગત વર્ષની તુલનામાં 73% થી વધુ છે, સાથે જ રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્ય થી 34% થી વધુ છે. ભાવનગર મંડલના ઉચ્ચ મંડલના વાણીજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2025ના સમયગાળામાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બુક કર્યા વિના માલસામાનની હેરફેર કરવાના 7075 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 83.05 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે ઓક્ટોબરના આંકડાની સરખામણીમાં 136% થી વધુ છે. ગત વર્ષની તુલનામાં ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે, અને ચેકિંગ સ્ટાફ સતત ચાલુ ટ્રેનમાં, પ્લેટફોર્મ પર કાર્યરત હોય છે અને ચેકિંગ કરવામાં આવે છે. ઉપરાંત અનુમતિ હોય તેનાથી વધુ વજનના જથ્થામાં સામાન લઇ જતા-આવતા મુસાફરો સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાણી કાપ:ભરતનગર, સિંધુનગરમાં પાણી કાપ
ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ સારો એવો વરસાદ વરસતા જળાશયો પણ છલોછલ થઈ ગયા છે ત્યારે પાણીની કોઈ મુશ્કેલી રહી નથી. પરંતુ ગઈકાલે રાત્રે તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પર પંપ ઇન્સ્ટોલ કરવા રાત્રે 12 થી સવારે 6 કલાક સુધી શટડાઉન કરતા તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ પરથી પાણી વિતરણ થતાં વિસ્તારો ભરતનગર અને સિંધુનગરમાં આજે સવારે પાણી વિતરણ થઈ શક્યું ન હતું. આજે નગરજનોને કોઈપણ પ્રકારની આગોતરી જાણ નહીં હોવાને કારણે વહેલી સવારે લોકો પાણીની કાગડોળે રાહ જોતા રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત:લાંબા સમયથી ભાવનગર હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. વિમાની સેવાના અભાવે હાલ લાંબા સમયથી ભાવનગર જાણે હવાઇ માર્ગે મેઇન શહેરોથી છુટુ પડી ગયું હોય તેવી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે સતત અને સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય અને ભારત સરકારના વિવિધ વિભાગોને ચેમ્બર અનુરોધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મમતા વર્મા, પર્યટન વિભાગના સેક્રેટરીશ્રી રાજેન્દ્રકુમાર, ધોલેરા-સરના મેનેજીંગ ડાયરેક્ટર કુલદીપ આર્યા અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને સી.ઈ.ઓ. રાજકુમાર બેનીવાલ તથા કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયના સેક્રેટરી એસ.સી.એલ. દાસ, સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી વિવેક અગ્રવાલ તથા પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઈઝ મંત્રાલયનાં સેક્રેટરી વિજયકુમારને પત્ર પાઠવવામાં આવેલ છે. પાઠવવામાં આવેલ દરેક પત્રોમાં ભાવનગરની એર કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થાય તે માટે પ્રયત્નો કરવા અને તે અંગે તેમના તરફથી ભલામણ પત્રો ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. શું ભાવનગરને એર કનેક્ટિવિટી જરૂરી ?ભાવનગર ખાતે એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, ડાયમંડ, સોલ્ટ જેવા અનેક ઉદ્યોગો આવેલા છે. નજીકના ભવિષ્યમાં CNG અને કન્ટેનર ટર્મિનલનું નિર્માણ થનાર છે, જયારે વડાપ્રધાનનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ધોલેરા-સર તથા લોથલ હેરીટેજ પ્રોજેક્ટ ભાવનગરથી નજીકના અંતરે આવેલા છે. આ ઉપરાંત પાલિતાણા, નિષ્કલંક મહાદેવ, ગોપનાથ, સાળંગપુર જેવા યાત્રાધામોનું ભાવનગર પ્રવેશદ્વાર છે તેથી ભાવનગર ખાતેથી એર કનેક્ટિવિટી સત્વરે પુનઃ સ્થાપિત થવી જોઈએ. હવાઈ સેવાની અન-ઉપલબ્ધીના કારણે વેપાર, મૂડીરોકાણ અને પર્યટન પ્રવૃત્તિઓને વિપરીત અસર પડેલ છે.
ભાસ્કર ગાઈડ:દેવ અગ્રવાલ સીએ ઇન્ટરમીડીએટની પરીક્ષામાં ઉર્તિણ
ભરૂચના માત્ર 20 વર્ષીય દેવ અગ્રવાલે સીએની ઇન્ટરમીડીએટ પરીક્ષામાં દેશમાં 33મો ક્રમ મેળવ્યો છે. તેેણે 600માંથી 443 ગુણ પ્રાપ્ત કર્યા છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં દેવે તેની સફળતાના રહસ્યોને ઉજાગર કર્યા હતાં. દેવે જણાવ્યું હતું કે, તેઓ માત્ર 20 જ વર્ષ ના છે અને ધોરણ- 10માં અભ્યાસ વખતે જ નકકી કરી લીધું હતું કે, વિજ્ઞાન પ્રવાહમાં જવાના બદલે તેઓ ચાર્ટડ એકાઉટન્ટ બનવા માગે છે. સીએ બનાવવા લક્ષ્ય સાથે તેમણે મહેનત શરૂ કરી હતી અને ધોરણ-12માં આવતાની સાથે સીએના કલાસીસ શરૂ કરી દીધાં હતાં.તેઓના માતા અને પિતા તરફથી ઘણો સહયોગ રહ્યો છે. તેઓ દિવસમાં 10થી 12 કલાક માત્ર સીએના અભ્યાસ માટે ફાળવતાં હતાં. ચાર્ટડ એકાઉટન્ટ બનવા માટે પહેલાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવાની હતી. જેમાં સપ્ટેમ્બર 2024માં પહેલા પ્રયાસમાં જ 400માંથી 314 ગુણ મેળવ્યા હતા. જે બાદ સીએ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં ઉતીર્ણ થવાની મહેનત કરવાનું શરુ કરી દીધું હતું. હાલ પરિણામ આવ્યું છે તેમાં તેણે 600માંથી 443 ગુણ મેળવી દેશમાં 33 મો ક્રમ મેળવ્યો છે. વધુમાં દેવે જણાવ્યું કે, આપણને જે વિષયમાં રસ હોય તે વિષયમાં જ આગળ વધવું જોઇએ. મને રીટર્ન ઓફ વેલ્યુ વાળો વિષય ઘણો જ રસપ્રદ લાગે છે અને ઘણો સંઘર્ષ ભર્યો વિષય હોવાથી આ વિષય પસંદ કર્યો છે. સીએની પરીક્ષા માટે આ રીતે તૈયારી કરો કોરોના કાળમાં દરેક વસ્તુ ઓનલાઇન થઇ ગઈ હતી તેમ હાલ સીએ માટેના કોચિંગ ઓનલાઇન શરૂ થઇ ગયા છે. ભરૂચ શહેરમાં હાલ સીએ માટે કોઈ પણ કોચિંગ કલાસ નથી પણ ઓનલાઇન શિક્ષણ મેળવી શકાય તેમ છે. વિદ્યાર્થીઓએ આઇસીએઆઇની બોર્ડ ઓફ સ્ટડીઝની વિનામુલ્યે ઉપલબ્ધ ઇ- લર્નિંગ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ. દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 કલાક નિયમિત અભ્યાસ કરવો. છેલ્લાં ત્રણ મહિના ફક્ત પુનરાવર્તન માટે ફાળવવા અને મૉક ટેસ્ટ પેપર્સ લખવાનો મહાવરો અત્યંત જરૂરી છે. સીએની એક્ઝામ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે - ફાઉન્ડેશન- એન્ટ્રેન્સ, ઇન્ટર અને ફાઇનલ. પરીક્ષામાં પાસ થવા ટોટલના 50% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% માર્ક ફરજીયાત લાવવાના હોય છે. આ ગુણ મેળવવા માટે સ્માર્ટ વર્ક કરવું ખૂબ જરૂરી છે. ખાસ પેપર લખવાનો મહાવરો કરવામાં આવે તો આ ગુણનો રેસિયો જળવાઈ રહે છે. > વ્રિન્દા વખારીયા, અધ્યક્ષ,ભરુચ બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએ
શહેરના વિકાસની અવળીગતિ:ટનાટન રોડને સિલકોટ અને 2 મહિના પહેલા બનાવે રોડમાં ગાબડા
ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખી વિકાસ કામોને આંધળો વેગ આપી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લાંબા સમયથી રોડ બન્યા નથી અથવા તો અતિશય બિસ્માર હાલતમાં છે. ત્યારે બીજી તરફ જ્યાં જરૂર જ નથી તેવા ટનાટન રોડને નવા બનાવવામાં આવી રહ્યા છે. ચોમાસા પૂર્વે ગત જુન માસના અંતમાં શહેરનો સત્યનારાયણ રોડ અને કમિશનરના બંગલાની બાજુમાં અશોક દવે માર્ગ બનાવવામાં આવ્યો હતો. ચોમાસાના વરસાદ બાદ પણ રોડની સ્થિતિ સારી હતી. ત્યારે હવે બંને રોડને સીલકોટ કરતા હાલત બગાડી નાખી છે. રોડ ધૂળધાણી થઈ ગયા છે. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ થી રૂપાણી સર્કલ સુધીના રોડ ટનાટન બનાવ્યા હતા. પરંતુ ઉતાવળે આંબા ન પાકે તેની જેમ રાતો રાત બનાવેલા રોડની ગુણવત્તા પણ જળવાઈ ન હતી. અને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં મહિલા કોલેજ સર્કલ પાસેના રોડની અંદરથી નબળી ગુણવત્તા રોડ ફાડીને બહાર આવી છે. ડાયવર્ઝનને કારણે હેવી વાહનોના વાહન વ્યવહારને કારણે પણ રોડ તૂટવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 486 કરોડના રોડ અને બ્લોકના કામ થયા છે. તે પૈકી અનેક રોડના હાલ બેહાલ થઈ ગયા છે.
ભાસ્કર નોલેજ:આમોદ તાલુકાના 15 ગામમાં વીજ કંપનીનાદરોડા, 25 લાખની વીજચોરી બહાર આવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 10 થી15 જેટલા ગામમાં ડીજીવીસીએલની વીજીલન્સની 41 ટીમે દરોડો પાડી વીજ ચોરી કરનાર 44 ને 25 લાખનો દંડ ફટકાર્યો. આમોદ તાલુકાના 15 જેટલા ગામમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે આમોદ તાલુકાના આછોદ, મછાસરા, રોઝા ટંકારીયા, નાહિયેર, ઇંટોલા, બુવા, નવાવાડીયા, માતર, તેગવા, નિણમ, રોધ, શ્રીકોઠી જેવા ગામોમાં દરોડા પાડી લંગર નાંખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા 44 કેસ ઝડપી પાડ્યા હતા. જેમાં વીજ ચોરોને કુલ 25.4 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 41 વીજીલન્સ ટીમે પોલીસ સાથે રાખીને દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વીજચોરી કેવી રીતે પકડવામાં આવે છેદર મહિને ફીડરના લોસીસ થતાં હોય છે એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા વીજચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. આવા ફીડરો અને તેમાં સમાવેશ કરાયેલાં ગામોને શોધી દરોડાઓ પાડવામાં આવે છે.તપાસ દરમિયાન વીજ વિભાગના કાયદાની કલમ 135 મુજબ ચોરી કરે છે તે સાબિત થઇ જાય તો મીટર અને સર્વિસ વાયર જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ કોર્ટે રીકવરી માટે જણાવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. વીજ ચોરી કરનાર આપેલો દંડ ભરી દેવાથી ફરી મીટર લગાવી આપવામાં આવે છે.
વીજળીનું ડિજીટલાઈઝેશન:વીજળીના 623 ફિડરોનું ‘સ્કાડા’થી થશે મોનિટરીંગ
ભારત સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના સ્કાડાના પાયલોટ પ્રોજેક્ટને લઈ પસંદ કરાયેલા ભાવનગરમાં 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોના પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. સ્કાડા દ્વારા વીજ વ્યવસ્થાપનના ડીજીટલાઇઝેશન સાથે ભાવનગર જિલ્લા સહિતના બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર શહેરના ગ્રાહકોને વીજળી પુરી પાડતા 11 કે.વી.ના 623 ઇલેક્ટ્રિક ફિડરોનું મોનિટરીંગ કરાશે . સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તેમજ જામનગરમાં પાર્ટ-1 અને પાર્ટ-2માં હયાત વીજ વ્યવસ્થાપન તંત્રને અપગ્રેડ કરવા, આર.એમ.યુ. યુનિટ લગાવવા અને વીજળીના સ્માર્ટ મીટરો લગાવવા સહિતની અનેક મૂળભૂત કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે ત્યારે સંભવતઃ વર્ષ-2026ના અંત સુધીમાં સ્કાડા પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત બનશે. પીજીવીસીએલના ‘સ્કાડા’ પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ 4 સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણપી.જી.વી.સી.એલ.ના સૌરાષ્ટ્ર ઝોનમાં પસંદ કરાયેલ ભાવનગર શહેરમાં સ્કાડા પ્રોજેક્ટની પ્રારંભિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભાવનગર જિલ્લાના સિટી સબ સ્ટેશન, વરતેજ સબ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના બે મળી કુલ ચાર સબ સ્ટેશનોનું પ્રારંભિક તબક્કાનું પરીક્ષણ શરૂ છે. > યશપાલસિંહ જાડેજા અધિક્ષક ઈજનેર, PGVCL ભાવનગર વર્તુળ કચેરી, ભાવનગર
સમારંભ:કેવડિયામાં તા. 13મીએ ગૌરવ યાત્રાઓનો સમાપન સમારંભ
ભગવાન બિરસા મુંડાની150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત તા.7મી નવેમ્બરે અંબાજીથી મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલની ઉપસ્થતિમાં પ્રારંથ થયો હતો. તેવી જ રીતેઉમરગામથી પણ આ ગૌરવ રથનો પ્રારંભ થયો છે. બે રૂટ પરથી પસાર થઈ રહેલી આ ગૌરવ યાત્રાનું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા.13મી નવેમ્બરે સમાપન થશે.અંબાજી અને ઉમરગામથી પ્રારંભ થયેલી ગૌરવ યાત્રા વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રા પૈકી રૂટ નંબર-01ની યાત્રા હાલ વલસાડ-નવસારી જિલ્લામાંથી પસાર થઈ રહી છે. આ ગૌરવયાત્રા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જાવલી ખાતે તા. 11મી નવેમ્બરે પ્રવેશ કરશે. ત્યારબાદ પુનઃસુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાંથી ભ્રમણ તા.12મી તારીખે નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે પહોંચશે. આ યાત્રા તા.13મી નવેમ્બરે ધારીખેડાથી નીકળી એકતાનગર ખાતે પહોંચશે. તેવી જ રીતે રૂટ નંબર-2ની અંબાજીથી નીકળી વિવિધ જિલ્લામાં ભ્રમણ કરી રહેલી ગૌરવ યાત્રા છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથીતા. 13મી નવેમ્બરે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. આદિવાસી વિસ્તારોમાં બન્ને યાત્રાઓ ભ્રમણ કરી રહી છે. જેનું ઠેર-ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાઓની સાથે મહાનુભવો પણ જોડાઇ રહ્યા છે.
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ જિલ્લામાં માવઠાને કારણે ડાંગર સહિતના પાકને નુકશાન પહોચ્યું છે. જેમાં ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ત્યાર બાદ ગત રોજ સરકારે માવઠાને કારણે જે ખેડૂતોને ખેતી પાકમાં નુકશાન થયું છે. તેના માટે સરકારે રૂપિયા 10 હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે ખેડૂતો સાથે વાતચીત કરી હતી તેમાં તેઓએ જણાવ્યું હતું છે. કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં અંદાજે 1 લાખથી વધુ ખેડૂતોએ તેમનો મહામૂલી પાકમાં નુકસાન થતાં તેમના પર આર્થિક ભારણ વધ્યું છે. આ નુકશાની માટે તેઓ લાંબા સમયથી સરકાર પાસે પૂરતી સહાયની માગ કરી રહ્યા છે પણ સરકારે કરેલી સહાય ની જાહેરાત ખેડૂતોના કરેલા ખર્ચ કરતાં પણ અડધી છે.સહાયની રકમમાં વધારો કરીને એકર દીઠ રૂપિયા 50 થી 60 હજાર તેમજ પિયત ખેતી કરતાં ખેડૂતોનો ખર્ચ વધુ હોવાના કારણે એક હેકટરે 1 લાખ જેટલું આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આમ ખેડૂતોને માવઠાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે ખેડૂતોનું ધિરાણ માફ કરવું, પિયત વિસ્તારમાં વળતર ડબલ કરવામાં તેવી માગ કરી રહ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતો વરસાદ પર આધાર રાખતા હોય છે. જેથી ઓછા ખર્ચ અને ઓછો લાભ થતો હોય છે. જ્યારે પિયત ખેતી કરતાં ખેડૂતો બારે માસ ખેતી પાક કરે છે. જે પાણી માટે મોટર સહિતના મશીનો તેમજ ખેતર તૈયાર કરવા સહિત કાપણી કરવા માટે વધુ મજૂરો પહેલેથી જ રોકવા પડે છે જેવા કારણોથી પિયત ખેતી કરતાં ખેડૂતોને વધુ ખર્ચ થાય છે. જેથી સહાયની રકમ ની માગણી પણ ડબલ આપવા માટે કરી રહ્યા છે. પિયત ખેતી કરતાં ખેડૂતો ડબલ વળતરની માગ કેમ કરી રહ્યા છેવરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતો વરસાદ પર આધારરાખતા હોય છે. જેથી ઓછા ખર્ચ અને ઓછો લાભ થતોહોય છે. જ્યારે પિયત ખેતી કરતાં ખેડૂતો બારે માસ ખેતીપાક કરે છે. જે પાણી માટે મોટર સહિતના મશીનો તેમજખેતર તૈયાર કરવા સહિત કાપણી કરવા માટે વધુ મજૂરોપહેલેથી જ રોકવા પડે છે જેવા કારણોથી પિયત ખેતી કરતાંખેડૂતોને વધુ ખર્ચ થાય છે. જેથી સહાયની રકમ ની માગણીપણ ડબલ આપવા માટે કરી રહ્યા છે. સરકારે હેકટરે 60 હજાર ઓછામાંઓછી સહાય આપવી જોઈએસરકારે જાહેર કરેલી સહાય અમારા છોકરા ની ફી ભરવા જેટલી સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂતને કેટલું નુકસાન થયું છે તે કોઈને ખબર નથી. ડાંગરના પાકમાં 75 હજાર જેટલો ખર્ચ થાય છે. તેની સામે 22 હજાર સહાય આપે એતો રોપણી અને કાપણી માં ખર્ચ થઈ જાય જેથી સરકાર હેકટરે રૂપિયા 60 હજાર ઓછામાં ઓછા આપવું જોઈએ જેથી ખેડૂતોને થોડી રાહત થાય. > હરેશ પટેલ, મોટવાણ ખેડૂત પાકને નુકસાન થતાં ઘરચલાવવું મુશ્કેલ બન્યુંખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે ઘણું ઓછું છે. મોટાભાગના ખેડૂતોએ વ્યાજે પૈસા લઈને ખેતી પાક ઉગાડયો હતો પણ માવઠાને કારણે પાકને નુકસાન થતાં ખેડૂતોને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બનશે. તેમજ વ્યાજે પૈસા લીધા છે તે ની ભરપાઈ હવે કેવી રીતે કરશે તેવા મુઝવણમાં ખેડૂત મુકાયો છે. > બિપિન વસાવા, ખેડૂત પિયત ખેતી કરતા ખેડૂતોને હેક્ટરે 1 લાખ સહાય આપોમારે 4 હેક્ટરમાં ડાંગરના પાકમાં નુકસાન થયું છે. અને અમારા ગામમાં મોટા ભાગના ડાંગરના પાકમાં નુકસાન થયું છે. તેની સામે સરકારે કરેલી હેકટરે 22 હજાર સહાયની જાહેરાત ખૂબ જ ઓછી છે. તેમાં પણ પિયત ખેતી કરતા ખેડતોને ખેતી માટે ખર્ચ પણ વધુ થાય છે. જેથી સરકારે પિયત ખેતી કરતા ખેડૂતોને હેકટરે 1 લાખ સહાય આપવી જોઈએ. > હનીફ ભાઈ, ખેડૂત
વિકાસનું આયોજન:વિઝન 2041- IT ઝોન, ટ્રાન્સપોર્ટેશન ઝોન સહિતનું આયોજન
કોઈપણ શહેરના વિકાસ માટે ડેવલોપમેન્ટ પ્લાન અતિ મહત્વનો હોય છે. ત્યારે ભાવનગર થર્ડ રિવાઇસ ડેવલપમેન્ટ પ્લાન વિઝન 2041 અંતર્ગત ભાવનગરના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સરપંચો સહિતની એક મંચ પર ઉપસ્થિતિ સાથે પ્રેઝન્ટેશન અને સૂચનો આપવાનો જાહેર કાર્યક્રમ થયો હતો. જેમાં જુદા જુદા 30 જેટલા સૂચનો પણ આવ્યા હતા. ખાસ કરીને ડેવલપમેન્ટ પ્લાનમાં આઈટી ઝોન, લોજિસ્ટિક હબ અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન ઝોન સહિતના આવકારદાયક સૂચનો પણ મૂકવામાં આવ્યા છે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા ભાવનગરની વિકાસ યોજના માટે વિચાર વિમર્શ સંદર્ભે ભાવનગરના થર્ડ રીવાઇઝ ડેવલોપમેન્ટ પ્લાન વિઝન- 2041 કાર્યક્રમ ઇસ્કોન ક્લબ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભાવનગર સૌરાષ્ટ્ર પૂર્વનો વિસ્તાર ધોલેરા/અલંગ ઓથોરીટી, ઘોઘા, પીપાવાવ પોર્ટ વિગેરે સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં મેન્યુફેક્ચરીંગ, ફીશરીઝ, ઈમ્પોર્ટ એક્સપોર્ટની રીતે રોજગારીની અનેક તકો ઉભી કરી ઔધોગીક વિકાસ પામી રહી છે. ત્યારે ભાવનગરના આગામી વિકાસ નકશા માટે પણ વિકસિત પૂર્વ આયોજન જરૂરી બન્યું છે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના દ્વારા ભાવનગરના થર્ડ રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન વિઝન-2041 માં એક મંચ પરથી સંબંધિત અધિકારી અને પદાધિકારીઓના સૂચનો લઈ શકાય તે માટેનું આયોજન કર્યું હતું. અને અધિકારી પદાધિકારીઓ ઉપરાંત સંસ્થાના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સરપંચો અને અગ્રણી આગેવાનો સહિત 200 થી વધુ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાનમાં વિઝન 2041માં ઉપસ્થિતો એ નવા વિચારો ઉપરાંત ડીપી રોડ વધારવા, જાહેર ઉપયોગિતાના સ્થળ વધારવા, આઇટી ઝોન, લોજિસ્ટિક્સ હબ, મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન ઝોન, આવાસ યોજનાઓ, બાડા વિસ્તારમાં ટીપી સ્કીમમાં વધારો કરવો, રહેણાંકી અને કોમર્શિયલ ઝોન વધારવા સહિતના 30થી વધુ સૂચનો આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ભાસ્કર ઈનસાઈડ:ગોધરામાં શહેરા ભાગોળ પાસેના રેલવે અંડરપાસમાં શ્રમિકોની જોખમી કામગીરી
ગોધરા શહેરના શહેરા ભાગોળ નિર્માણાધિન રેલવે અંડરપાસ ખાતે વરસાદી પાણીને બહાર કાઢવા માટે ચાલી રહેલી કામગીરીમાં શ્રમિકોના જીવ સાથે જોખમી ખેલ ખેલાઈ રહ્યો છે. સુરક્ષાના તમામ ધારાધોરણોને નેવે મૂકીને, શ્રમિકો દ્વારા જે રીતે પાણીના ઊંડા ભરાવમાં ઊતરીને જોખમી કામગીરી કરવામાં આવી રહી છે, તે જોતાં કોઈ પણ ક્ષણે મોટી હોનારત સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. ગોધરા શહેરા ભાગોળ ખાતે નિર્માણાધિન રેલવે અંડર પાસમાં કામગીરી દરમિયાન બેદરકારી ભરેલા દૃશ્યો સામે આવ્યા છે. શ્રમિકો ઊંચાઈ પરથી ઊંડા પાણીમાં ઊતરવા માટે માત્ર દોરડાનો સહારો લઈ રહ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે તેમના જીવની કિંમત શૂન્ય આંકવામાં આવી રહી છે. પાણીમાં ઇલેક્ટ્રિકલ કે અન્ય કોઈ જોખમ ઊભું થાય તો, શ્રમિકોનો જીવ બચાવવો લગભગ અશક્ય બની જાય તેમ છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકો આ બેદરકારી ભરેલા દૃશ્યને નિહાળીને વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જો આ જીવલેણ કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય અને કોઈ શ્રમિક જાન ગુમાવે, તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? સ્થાનિક સત્તાધીશો અને રેલવે વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈ શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો પૂરા પાડે અને નિયમ અનુસાર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યાં સુધી આ જોખમી પ્રથા બંધ ન થાય, ત્યાં સુધી આ અંડરપાસ મોતનો કૂવો સાબિત થઈ શકે છે. શ્રમિકોને પુરતા સાધનો પુરા નહિ પડાય તો મોતનો કૂવો સાબિત થઇ શકે છેસ્થાનિક સત્તાધીશો અને રેલવે વિભાગે તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈને, શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને નિયમ અનુસાર કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જ્યાં સુધી આ જોખમી પ્રથા બંધ ન થાય, ત્યાં સુધી આ અંડરપાસ મોતનો કૂવો સાબિત થઈ શકે છે.
સફળ પ્રસૂતિ:રેંટિયા PHCમાં 1 જ દિવસમાં 4 બાળકી અને 1 બાળકનો જન્મ
દાહોદ તાલુકાના રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી સ્ટાફની ઉત્કૃષ્ટ સેવા અને તત્પરતાના કારણે આરોગ્ય વિભાગે એક જ દિવસમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. રેંટિયા PHCમાં એક જ દિવસે કુલ પાંચ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રની ટીમે સમયસર તબીબી સહાય અને જરૂરી સંભાળ પૂરી પાડતા આ તમામ પ્રસવો દરમિયાન ચાર બાળકી અને એક બાળકનો જન્મ થયો છે. સૌથી આનંદની વાત એ છે કે, આ તમામ માતાઓ અને નવજાત બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ, નર્સો અને સહાયક સ્ટાફે દિવસભર સતત સેવા આપીને તમામ પ્રસવોને સુરક્ષિત રીતે પૂર્ણ કર્યા હતા. પરિવારજનોએ આરોગ્ય ટીમના કાર્ય અને સમર્પણની પ્રશંસા કરતાં આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરી માટે રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમને તબીબી તંત્ર તરફથી અભિનંદન અને પ્રશંસા મળી રહી છે. મહિલા અને બાળકના આરોગ્ય માટે ગ્રામ્ય સ્તરે કાર્યરત આરોગ્ય સેવાઓના આવા સફળ પ્રયત્નો ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે અને સામાન્ય જનતામાં સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધારી રહ્યા છે.
નકલી ઘડિયાળ વેચનાર પોલીસના સકંજામાં:બ્રાન્ડેડના નામે મુંબઇથી લવાયેલી નકલી ઘડિયાળ વેચનાર ઝડપાયો
મહિધરપુરામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળોનું વેચાણ કરતા 22 વર્ષીય જતીન હરીશ ચોપરા( રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડ)ને એસઓજીએ પકડી 3.93 લાખની નકલી ઘડિયાળો જપ્ત કરી છે. આરોપી પાસેથી ટાઇટન કંપનીની ફાસ્ટ્રેક બ્રાન્ડેડની નકલી 875 ઘડિયાળો મળી છે. આ નકલી ઘડિયાળો આરોપી મુંબઈના મનીષ માર્કેટ અને આલ્ફા શોપમાંથી લાવ્યો હતો. ટાઇટનના લીગલ એડવાઇઝર ગૌરવ તિવારીની ફરિયાદ પર મહિધરપુરા પોલીસે જતીનની ધરપકડ કરી છે. 3.93 લાખની 875 ઘડિયાળો કબજે કરાઈબ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ બાબતે કંપનીના લીગલ એડવાઇઝરે જણાવ્યું કે ઓરિજનલ કંપનીની બ્રાન્ડેડ ઘડિયાળમાં 6 નંબરના આંકડાની નીચે મોડલ નંબર લખેલો હોય છે એટલું જ નહિ ઘડિયાળના પટ્ટા પર કંપનીનો લોગો હોય છે, નકલી ઘડિયાળ વજનમાં હલકી હોય છે. જ્યારે બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વજનમાં ભારે હોય છે. બ્રાન્ડેડ કંપનીની નકલી ઘડિયાળના મશીન ચીનમાં બને છે. જ્યાંથી લાવી અહિંયા તેને ફિટ કરવામાં આવે છે.
અમરેલીના બાબરાના ફૂલઝર ગામે 5 નવેમ્બરરાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં થયેલી બબાલમાં એકની હત્યા થઇ હતી, અને 10ને ઇજાઓ પહોંચી હતી. સામસામે 50થી વધુ સામે ફરિયાદ થઇ હતી. એમાં 29 પાટીદાર સામે ફરિયાદ થઈ છે. બે એવા લોકોનાં નામ છે, જેમાંથી એક હોટલમાં અને એક હોસ્પિટલમાં દાખલ હતા. આ જૂથઅથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. આ મામલે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરાઇ છે. આ બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, લુખ્ખા સામે લુખ્ખા જ પેદા કરો, હવે ફરિયાદી નહીં આરોપી બનો. આ વખતની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ 75 વર્ષની ચૂંટણી કરતાં અલગ હશે. આ વખતે 27 ટકા રિઝર્વેશન સાથે ચૂંટણી લડાશે. મારી સૌને વિનંતી છે કે તૈયાર રહેવું. તમારે સિસ્ટમમાં અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. બંને મોરચે આગળ વધવાનું છે. આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ કહ્યું કે ફૂલઝરની ઘટના સીસીટીવીમાં કેદ છે. જો એના આધારે ગુનો નોંધાયો હોય તો પાટીદાર યુવાનો નિર્દોષ સાબિત થાય છે. ‘સૌરાષ્ટ્રના હજારો ગામમાં આ જ સ્થિતિ છે’બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે પરિસ્થિતિ સુધારવા દિવાળીમાં ગામ જઈએ ન ચાલે. ગામ કમિટીની રચના કરવી પડશે. મહિને 10-10 યુવાનોએ ગામડે જવાનું, સૌરાષ્ટ્રનાં 10,000થી વધુ ગામમાં 500 ગામને બાદ કરો તો બધે આ જ પરિસ્થિતિ છે. અમદાવાદની ચિંતન શિબિર બાદ માંગ મૂકી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 68 જેટલા સમાજથી પણ વધારે સમાજ જ્ઞાતિજનોનો ઈડબલ્યુએસમાં લાભ મળી રહ્યો છે, તો એમને પણ આ ચૂંટણીઓમાં લાભ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક મોરચે આગળ આવવાનું છે. આ રાજકારણનો કે કોઈ પાર્ટીનો વિષય નથી. પક્ષ કોઈપણ હોય, પણ આપણો માણસ હોવો જોઈએ.
શહેરમાં લારી ગલ્લા તો ઠીક હવે આમલેટની દુકાન અને પંકચરની દુકાનો પર પણ ગાંજો વેચાઇ રહ્યો છે. ડિંડોલીમાં પંકચરની દુકાન પરથી અને ઉત્રાણમાં આમલેટની લારી પરથી ગાંજો પકડાયો છે. ઉત્રાણ પોલીસને બાતમી મળી હતીકે, ઉત્રાણ વીઆઇપી સર્કલ એલીટા સ્કવેર પાસે પતરાના શેડમાં આમલેટની લારી પર ગાંજો વેચાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડી લારી ચલાવતા મોહિત નાગેશ્વર મહાજન (દિવ્યલોક એપાર્ટમેન્ટ રાજપુત ફળિયા ઉત્રાણ) અને ચિરાગ સાગર સોલંકી (કિર્તીનગર ઉત્રાણ)પાસેથી 66.62 ગ્રામ ગાંજો મળ્યો હતો. બંને જણા ભાગીદારીમાં આમલેટની લારીની આડમાં ગાંજો વેચતા હતા. નવાગામ ડિંડોલી મણીનગર રેલવે ટ્રેક પાસે સાયકલ રિપેરીંગ અને પંકચરની દુકાન પર ગાંજો વેચાઇ છે. પોલીસે દરોડા પાડી દુકાન ચલાવનાર રાધાકાંત ભોલા પ્રસાદ પાસેથી રૂ.40,200ની કિંમતનો 804 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો અને મોબાઇલ ફોન મળીને કૂલ રૂ.45,880ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ કતારગામ ઉત્કલનગર રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યા હોવાનું અને છુટક વેચતા હોવાની કબુલાત કરી હતા. ઉત્રાણ, ડિંડોલી સહિત 3.20 લાખનો ગાંજો જપ્તશહેર પોલીસમાં દ્વારા એક જ દિવસમાં 3.20 લાખની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે. જેમાં ડિંડોલી પોલીસે રૂ.40,200, ઉત્રાણ પોલીસે રૂ.3,351નો, વરાછા પોલીસે પાટીચાલમાંથી રૂ.2.76 લાખનો અને ભેસ્તાન પોલીસે રૂ.10,600ની કિમતનો ગાંજો પકડી પાડ્યો હતો.
સેવાકાર્ય:પથવિજય ભગવાન ધર્મચક્ર ટ્રસ્ટે નવાપુર પંથકના ગામોમાં ચીજ-વસ્તુ વિતરણ કરી
પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કાર્યો અવિરત પણે ચાલતા જ રહે છે. પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી નિમિત્તે મહારાષ્ટ્રમા બલસાણા ડોનડાઈચા, વીસારવાડી, નવાપુર તથા સોનગઢ માં બાળકોને રમકડા, કપડા, નોટબુક તેમજ ગ્લાસ અને મીઠાઈનું વિતરણ પ્રમુખ વજુભાઈ પારેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બલસાણામાં ગૌશાળામાં ગાયોને ઔષધી યુક્ત લાડુ ખવડાવવામાં આવ્યા હતા. લમપી ગાયોની ઔષધીથી સારવાર કરવામાં આવી તેમજ સ્ટાફના માણસોને રોકડ રકમ તથા બક્ષીસ આપવામાં આવી. આ સેવા યજ્ઞ 6થી 21 નવેમ્બર 2025 સુધી અલઞ અલઞ વિસ્તારોમાં ચાલશે. 21 નવેમ્બરના રોજ પન્યાસ પદ્મબોધિ વિજયજી મહારાજની આચાર્ય પદવી નિમિતે પ્રભુજીની સુંદર અંગ રચના પણ કરવામા આવશે.
દેહદાન:લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી 25થી વધારે મેડિકલ કોલેજોને 1432 દેહદાન પ્રાપ્ત થયા
લોકદ્રષ્ટિ આઇબેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક અને લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટને દેહદાન તેમજ ચક્ષુદાન દેસાઇ પરિવાર દ્વારા દેહદાન નેત્રદાન અર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ મેડિકલ કોલેજની અર્પણ કરાવ્યું અને ચક્ષુદાન લોકસિદ્ધિ સ્વીકાર્યું હતું. મુળ વતન સુરનગર તાલુકો ગારીયાધાર, જીલ્લો ભાવનગર, હાલ ડી 1102 ગ્લોરી હિલ્સ, અબ્રામા રોડ, મોટા વરાછામાં રહેતા સ્વ.લીલાબેન રવજીભાઈ દેસાઈનુ અવસાન થતા પતિ રવજીભાઈ હિરજીભાઈ દેસાઈ અને પરીવારની ઉપસ્થિતિમાં દેહદાન કરાયું હતું. અજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મારા માતાનું અવસાન થતા પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો ચક્ષુદાન કર્યા પછી તુરંત મારા પિતા રવજીભાઈ દેસાઈ અને અમારા પરિવારે દેહને અગ્નિ સંસ્કાર આપવા કરતાં મેડિકલ કોલેજમાં દેહદાન કરી તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી બને એવું વિચારીને દેહદાન કરી સમાજને પ્રેરણા આપી હતી. નેત્રદાન, દેહદાન, અંગદાન માટેની લોકોને સમજ આપોડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કાળી કીકીને લીધે જેમને અંધાપો છે એવા લોકોની જિંદગીમાં ફરીથી ઉજાસ લાવવા માટે આપણે દરેકે કોઈપણ દુઃખદ પ્રસંગે જવાનું થાય તો નેત્રદાન, દેહદાન અને અંગદાન માટેની સમજ જરૂરૂ આપવી જોઈએ. ભાસ્કર એનાલિસિસતબીબી વિદ્યાર્થીઓને ઉપયોગીદેહદાન કરવાથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાઓનો અભ્યાસ કરવામાં ઉપયોગી થાય છે. લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને તેમની સાથી સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1432 દેહદાન અર્પણ કરવામાં આવ્યા છે. સુરત ઉપરાંત વડોદરાથી વલસાડ સુધી દક્ષિણ ગુજરાતની લગભગ 25થી વધારે સરકારી મેડિકલ કોલેજ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથીક, આયુર્વેદિક વગેરે કોલેજોના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓને માનવ શરીરની આંતરિક રચનાઓના અભ્યાસમાં આ દેહદાન ઉપયોગી સાબિત થયા છે.
એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન:10મીએ મજૂરાગેટ ITI ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત ITI મજુરા ગેટ, સુરત ખાતે તા. 10-11-2025ના રોજ સવારે10:30 કલાકથી જિલ્લા કક્ષાનો નેશનલ એપ્રેન્ટિસશીપ ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે. આ ઇવેન્ટ આચાર્ય ITI મજુરા ગેટ, સુરત દ્વારા આયોજિત છે. અને વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્ય સાથે રોજગારના તકો પ્રદાન કરશે.
SIRની પ્રક્રિયા:મતદાર સુધારણા અંતિમ તબક્કામાં જિલ્લામાં 15 લાખ ફોર્મનું વિતરણ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લામાં 15 લાખ ફોર્મનું વિતરણ કરાયું છે. આગામી 3 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. બૂથ-લેવલ અધિકારીઓ ઘરે ઘરે જઈને ફોર્મ એકત્રિત કરી રહ્યા છે. આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે ત્યારબાદ 9 ડિસેમ્બરે મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ પ્રકાશિત કરાશે. જેના નામ કે વિગતોમાં ભૂલ હશે તેઓ 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા કરી શકશે કે વાંધા રજૂ કરી શકશે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોઈપણ સમસ્યા ટાળવા માટે દરેક પાત્ર નાગરિકે ખાતરી કરવી જોઈએ કે તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે દાખલ થયેલ છે. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
અડાજણના લોનધારકે હોમ લોનના 9 લાખ બાકી હતા ત્યારે હપ્તા બંધ કરતા બેંકે ફ્લેટનો કબજો લીધો હતો. બાદમાં અરજદારે ફ્લેટ વેચવાનો છે કહી બેંક પાસે ડોકયુમેન્ટ માંગ્યા હતા. બેંકે થોડા દિવસ કાઢી નાંખતા તેણે અરજી કરીને લોન માફ કરી 25 લાખનું વળતર અપાવવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે, દલીલો બાદ કોર્ટે અરજી ફગાવી હતી. બેંકમાં ધક્કા ખાતા અરજદારને આપઘાતનો વિચાર આવ્યો હતો. આમ, સેવામાં ખામી કહી અરજી કરી દીધી હતી. ભાસ્કર એક્સપર્ટસરફેસી એક્ટ બાદ કાર્યવાહી કરવાની હકૂમત રહેતી નથીએડવોકેટ શ્રેયસ દેસાઈએ કહ્યું કે, સરફેસી એક્ટની કલમ-34ની જોગવાઈ તેમજ સુપ્રીમ કોર્ટ અને નેશનલ કમિશનના ચુકાદાથી પ્રસિધ્ધ થતા કાનૂની સિદ્ધાંતો મુજબ સરફેસી એક્ટની કાર્યવાહી થઈ ગયા બાદ કોઈ પણ કોર્ટને કાનૂની કાર્યવાહી સાંભળવાની હકૂમત રહેતી નથી. આ સંજોગોમાં ફરિયાદ સાંભળવાની પણ જિલ્લા કમિશનને હકૂમત નથી તેથી જ ફરિયાદ પ્રાથમિક તબક્કે રદ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં માંગ:‘હીરામંદી હોવાથી 5મા વર્ષે પણ વેરાબિલમાં વ્યાજ માફી આપો’
કોરોનામાં ધંધા-રોજગાર ઠપ્પ થતાં શાસકોએ પ્રથમ વર્ષે જ સુઓમોટો દરખાસ્ત લાવી વર્ષ-2021-22માં વ્યાજ માફી યોજના જાહેર કરી શહેરીજનોને 25 કરોડ રૂપિયાની રાહત આપી હતી. તે પછી પણ સતત વર્ષ-2022-23, 2023-24 અને 2024-25માં પણ મિલકત વેરા પર વ્યાજ માફીની પ્રોત્સાહક યોજનાનો લાભ આપ્યા બાદ શાસકોએ હવે સામી ચૂંટણીએ વધુ એક વખત મિલકત વેરા પર વ્યાજ માફી યોજના જાહેર કરવા બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાના ડેટા ઉથલાવવાનું શરૂ કરી દીધું છે. વ્યાજ પેટે 80 કરોડ રૂપિયાની રાહત 400 કરોડની રિકવરી4 વર્ષ વ્યાજ પેટે 80 કરોડની રાહત અપાઈ છે. તેની સામે વર્ષોથી જમા ન થઇ રહેલો વેરો આ યોજનાને પગલે 399.11 કરોડ રૂપિયાની રિકવરી પણ થઇ હતી. 2.76 લાખ લોકોએ સીધો લાભ લીધો હતો. માફી યોજના જાહેર કરી બાકી વ્યાજના ડેટા મેળવવા જોઈએસ્ટેન્ડિંગની બેઠકમાં સભ્ય નરેશ ધામેલિયાએ કહ્યું હતું કે, વ્યાજ માફી જાહેર કરી બાકી વ્યાજના ડેટા પણ ઉપસ્થિત કરવા અને લોકોને કેટલો લાભ થશે તે મુદ્દે ચર્ચા કરાઇ હતી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સુરત-ખારેલ વચ્ચેનો 55 કિમીનો રોડ ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મૂકાશે, જેથી સુરતથી સાપુતારા, દમણ, વલસાડ, મુંબઈ તરફ જવા સમયની બચત થશે. હાલમાં ખારેલ પહોંચતા 66 મિનિટ લાગે છે. નવા રૂટ પર 43 મિનિટમાં પહોંચી શકાશે. ખારેલ પાસે બાંધકામ માટે માટી ઉલેચતાં ખાડો પડ્યો હતો, જેને બ્યુટિફિકેશન માટે તળાવમાં તબદિલ કરાયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રાજ્યમાં આ પહેલું સ્થળ છે જ્યાં તળાવ પણ બનાવવામાં આવ્યું છે. ખારેલને NH 48 સાથે જોડતા સર્વિસ રોડને પહોળો કરવાની કામગીરી અંતિમ તબક્કામાંએનાથી ખારેલ સુધીનું બાંધકામ, ટોલ પ્લાઝા તૈયાર થઈ ગયા છે. ઉપરાંત ખારેલને NH 48 સાથે જોડતા સર્વિસ રોડને પહોળો કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ માર્ગ અંડરપાસમાંથી પસાર થતો હોવાથી ટેકનિકલી જટિલ છે. ભરૂચથી ખારેલ સુધીનો રસ્તો 40 દિવસમાં ખુલ્લો મુકાશે. જેથી અમદાવાદ-નવસારી વચ્ચે ખુલ્લો, સીધો અને સરળ પ્રવાસ શક્ય બનશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વળતર વધારો અથવા દેવુ માફ કરો
વર્ષે ચોમાસું મુસીબત લઈને આવ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગર, સોયાબીનના ઊભા અને કાપીને ખેતરમાં રાખી મુકેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. મબલખ પાકની આશા રાખીને બેઠેલા ખેડૂતોને હવે રવિપાક માટે બીયારણના પૈસા પણ ભેગા થાય તેવી પરિસ્થિતિ રહી નથી. રાજ્ય સરકારે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં પ્રતિ હેક્ટર રૂ. 22,000 નું વળતરની જાહેરાત કરી છે. પરંતુ મોટા ભાગના ખેડૂતોને આ વળતર અપૂરતું જણાઈ રહ્યું છે. કેટલાંક ખેડુતોના મતે રૂ. 22,000નું વળતર તેમની ખેતીની મજૂરી અને મજૂરોના પૈસા પણ પૂરા પાડે તેમ નથી. આ માત્ર આંશિક રાહત આપી શકે તેમ છે. ખેડૂતો હવે સરકાર પાસે પ્રતિ હેક્ટર રૂ. 50,000 નું વળતર ચૂકવવાની ઇચ્છા રાખી રહ્યા છે. જો સરકાર વળતરની રકમમાં વધારો ન કરી શકે તો ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે. રવિપાક માટે બિયારણનાપૈસા પણ ભેગા થાય તેવીપરિસ્થિતિ નથીહમણાં તમામ ખેડૂતોની પરિસ્થિતિનબળી છે. મકાઈ ડાંગર સોયાબીન ,પાકને નુકસાનની, પશુને ખાવા માટેઘાંચ ચારો બગડી ગયો છે. સડી ગયોછે. વાસ મારે છે. જે ઢોર ઢાકર ખાતાનથી. જોઈએ એટલી અનાજમાંઉપજની આવી અને જે પાક થયો છે તેપણ ખરાબ થઈ ગયો છે.જે માર્કેટમાંવેપારી લેવા તૈયાર નથી અને અનાજલેતો એનો પૂરો ભાવ આપતા નથી.જેથી રવિપાક માટે બીયારણના પૈસાપણ ભેગા થાય તેવી પરિસ્થિતિ નથી.સરકાર જલ્દી જલ્દી સર્વે કરી ખાતામાંપૈસા જમા કરાવે એવી માગ છે.અશોકભાઈ તેરસિગભાઈ મુનિયા, ગાંગરડા પરાળ વેચાતું લાવવાની નોબત આવી છેસરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે તનો ખરેખરઅમને સંતોષ નથી અને સરકારે જે વળતર જાહેર કર્યું છેતે પણ યોગ્ય નથી. હાલ અમે વાર્ષિક ખેતી ઉપર આધારરાખીએ છીએ. જે વરસાદના કમોસમી માવઠા કારણેખરાબ થઈ છે.સોયાબીનનો પાક ખરાબ થતા અમારેખારિયુ તેમજ ડાંગર પાક ખરાબ થતા પરાળ વેચાતુંલાવવાની નોબત આવી છે. સરકાર દ્વારા ખેડૂતને પૂરતુંવળતર મળે અને યોગ્ય વળતર મળે તેવી માંગ છે.પંકજભાઈ અભેસિંગ રાઠોડ, નવાગામ 50 હજાર આપવા જોઇએ કેદેવુ માફ કરવું જોઇએસરકારે પ્રતિ હેક્ટર 22000 રૂપિયા વળતર ચૂકવવાનીજાહેરાત જે કરી છે. તેમાં મારે દોઢ હેક્ટર જમીનમાંડાંગરની ખેતી કરેલ છે. જેમાં મારી મજૂરી અનેદાળિયાના પૈસા પણ નીકળે એવા નથી. તો સરકારને 50હજાર રૂપિયા આપવા જોઈએ નહી તો દેવુ માફ કરવુંજોઈએ લખમણભાઇ લબાના, બલૈયા ખેડૂત લોન નથી લીધીતેવા ખેડૂતોને100% વળતરચુકવોસરકારે જાહેર કરેલ સહાયપાકના નુકશાન સામે યોગ્યતો નથી અંશત: યોગ્યકહેવાય. ચોમાસાનો પાકફેલ ગયો હતો. ત્યાર બાદડાંગરનો પાક પણ કમોસમીવરસાદથી ફેલ ગયો છે.એટલે લોન લીધી હોય તેવાખેડુતોની લોન 100 ટકામાફ કરવી જોઇએ અને જેખેડુતે લોન નથી લીધી તેવાખેડુતોને 100 ટકા વળતરસરકારે ચુકવવુ જોઇએ -અરવિંદસિંહ પરમાર, વડેલાવ. ખેડૂત અને પશુ બંને ઉપવાસ કરી રહ્યા છેસરકારે વિધા દીઠ રૂા.20000 ચુકવવા જોઇએ, સરકારની સહાય મુજબ ફક્ત રૂા.5000 થાય છે. ખેતરમાં તૈયાર થયેલ પાકને નુકશાન થવાથી ખેડુતના મોંમા કોળીયો ઉતરતો નથી . પશુ ભીનુ ધાસ ખાતા નથી. જેથી અત્યારે તો ખેડુત અને પશુ બંને ઉપાવાસ કરી રહ્યા છે. - અમૃતભાઇ કાંકણપુર સરકારની સહાય ભાઇમાં વિખવાદ કરાવે તેવી છે સરકારની સહાયની જાહેરાત સમગ્ર ખેડુતોને આવરીલે તેવી નથી. જે ખેડુતોએ લોન લીધી હોય તેવા ખેડુતોની લોન માફ કરવી જોઇએ અને લોન નથી લીધી તેવા ખેડુતોને 1 હેક્ટર દીઠ વિમા પેટે રૂા.1 લાખ આપવા જોઇએ. સરકારની સહાય ભાઇમાં વિખવાદ કરાવે તેવી છે. - હસમુખભાઇ પટેલ, ભારતીય કિસાન સંધ મહામંત્રી, હરકુંડી
ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી કરવા તથા કાયદો કડક બનાવવા આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કર્યા બાદ પાલિકાની ઊંઘ ઊડી છે અને અઠવાડિયાથી તપાસ અભિયાન શરૂ કરાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગ અને ઝોનના સેનિટેશન સ્ટાફે 3થી 8 નવેમ્બર દરમિયાન કુલ 238 સંસ્થાની તપાસ કરી 6 સંસ્થા સામે પગલાં લીધાં છે. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખોરાકની ગુણવત્તા જાળવવા આરોગ્ય અધિકારીઓ અને ઇજનેરોની ટીમોએ વિવિધ ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરાં, બેકરી તથા ફૂડ પ્રોડક્શન યુનિટોની ચકાસણી કરી હતી. આ અભિયાન દરમિયાન કુલ 138 કિલોગ્રામ ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રીનો નાશ કરાયો હતો. વિવિધ સંસ્થાઓ પાસેથી કુલ 1.65 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. ભાસ્કર નોલેજઅસલી પનીર નરમ હોય છે, ચીઝ ઓગળી જાય છેફૂડ વિભાગના અધિકારીના જમાવ્યા મુજબ, પનીરને ગરમ પાણીમાં થોડી વાર ઉકાળી ઠંડુ પાડી આયોડીન ટીંચરનાં ટીંપાં નાંખતા જો વાદળી રંગ થાય તો તે નકલી પનીર છે. રબર જેવું કડક જણાય, કેમિકલની વાસ આવે તો પણ નકલી છે. ઓરિજનલ પનીર નરમ અને દૂધની ગંઘ આવે છે. સ્વાદમાં મલાઇ જેવું લાગે છે. જ્યારે નકલી ચીઝ સખત અને રબર જેવું બને છે. અસલી ચીઝ મોંમાં નાંખતાં જ ઓગળી જાય છે. પનીર, ચીઝ, ઘી, મરી-મસાલાના 43 નમૂના લેબમાં મોકલાયા, 427 કિલો સીઝઆરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરી-મસાલાનું બનાવતી તથા વેચતી કુલ 31 સંસ્થાની તપાસ કરી પનીરના 14, ચીઝ એનાલોગના 7, ઘીના 17, મરી-મસાલાના 3, ચીઝના 2 નમૂના લઇ પૃથ્થ્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરટરી ખાતે મોકલી અપાયા હતા, જેના રિપોર્ટ બાદ ફૂડ સેફટી એકટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે. પનીર, ચીઝ એનાલોગ, ઘી મળી કુલ 426.9 કિલો જેની કિંમત આશરે 1.44 લાખનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો હતો અને 138 કિલોગ્રામ અખાઘ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
કરુણાંતિકા સર્જાઈ:ઝોલાછાપ તબીબ પાસે 4 દિવસ સારવાર લેવામાં પરિવારે 4 વર્ષની બાળકી ગુમાવી
પાંડેસરામાં ઝોલાછાપ તબીબ પાસે ચાર દિવસ તાવનની સારવાર લીધા બાદ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી ચાર વર્ષની બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જો કે, સિવિલમાં તબીબની બેદકારીના કારણે બાળકીનું મોત થયું હોવાની માતાએ આશંકા વ્યક્ત કરી હતી. સચિન રહેતા અને ડાઈંગ મિલમાં નોકરી કરતા પંકજ કુમારની 4 વર્ષીય પુત્રી અંજલિને 5 દિવસથી તાવ આવતો હોવાથી ઘર નજીકના ક્લિનિકમાં સારવાર ચાલતી હતી. શુક્રવારે તબિયત લથડતા તેને સચિનની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, ખર્ચ વધુ જણાતાં રાત્રે સિવિલ લવાઈ હજી. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પંકજ કુમારે કહ્યું કે ઝોલાછાપ ડોક્ટર પાસે સારવાર લઈ રહ્યા હતા. જો કે, માતા રોશનીએ કહ્યું કે 11 વાગ્યા પહેલાં તે વાત કરતી હતી અને રાત્રે 1 વાગ્યે મોતની જાણ કરવામાં આવી હતી, જેથી તબીબની જ સ્પષ્ટ બેદરકારી છે. લાવ્યા ત્યારથી જ તબીયત એકદમ ક્રિટિકલ હતીપીડિયાટ્રિક તબીબે જણાવ્યું કે, બાળકીને લાવ્યા ત્યારે જ ધબકારા વધુ હતા. હાથ-પગ ઠંડા પડી ગયા હતા. ઓક્સિજન લેવલ 85થી 90 ટકા વચ્ચે હતું. શ્વાસનળીમાં લોહી આવી રહ્યું હતું. ફેફસાંમાં ભારે ન્યૂમોનિયા અને કિડનીમાં સોજો હતો. ધબકારા બંધ થઈ જતાં CPR આપી બચાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. શંકાનું સમાધાન થયા બાદ મૃતદેહ સોંપાયો હતો.
આજીવન કેદની સજા:પ્રેમિકાની હત્યા બાદ લાશ સળગાવનાર પ્રેમીને આજીવન કેદ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરના જંગલમાંથી વર્ષ 2021માં યુવતીની સળગેલી લાશ મળી હતી. આ ચકચારી હત્યા કેસમાં દાહોદની નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કરી આરોપી પ્રેમી મેહુલ પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદના વાંદરીયા ગામના મેહુલ પરમારને દાહોદ શહેરની 19 વર્ષની કૃતિકા બંરડા સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધમાં મનદુઃખ થતાં મેહુલે બે સગીર મિત્રો સાથે ગુનાહિત કાવતરું રચ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ મેહુલે કૃતિકાને દાહોદના પરેલ વિસ્તારમાં બોલાવી જાનથી મારી નાખવાના ઇરાદે બંને હાથમાં છરીના ઘા મારી અને ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપીઓએ યુવતીના મૃતદેહને ટુ વ્હીલર પર ભાણપુરના જંગલમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. 23 નવેમ્બર 2021ના રોજ કૃતિકાની સળગેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી મેહુલ પરમારની સંડોવણી બહાર આવી હતી. નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આરોપી મેહુલ પરમારને આજીવન કેદની સજાની સાથે રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમ મૃતક કૃતિકાબેનના માતા-પિતાને ચૂકવવામાં આવે તેવો કોર્ટે ખાસ હુકમ કર્યો હતો.
ભાસ્કર એક્સક્લુસિવ:RFOના 4 વર્ષના પુત્રએ કહ્યું વાગ્યું એ પહેલા ફટાકડા જેવો અવાજ આવ્યો હતો
કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં હજુ પણ તેના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી પોલીસ પકડથી ભાગી રહ્યા છે. બીજી તરફ આરએફઓ સોનલ સોલંકીના ચાર વર્ષના પુત્રએ ચાઇલ્ડ વેલફેર અધિકારીની હાજરીમાં પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘મને ફટાકડા જેવો અવાજ આપ્યો હતો અને પછી મારી મમ્મી અને મને બંનેને વાગ્યું હતું. ’ 6 તારીખે સવારે જ્યારે ઘટના બની ત્યારે કારમાં સોનલ સોલંકી સાથે તેમનો ચાર વર્ષનો પુત્ર હતો. તેને સ્કૂલે મુકવા જ તેઓ નીકળ્યા હતા અને ફાયરિંગ થયું હતું. આ દિવસે સવારે જ 9 વાગ્યાના અરસામાં તેમના પતિ નિકુંજ પણ ઘરેથી નીકળી ગયા હતા. તેના બંને મોબાઇલનું છેલ્લું લોકેશન ઘરનું જ બતાવે છે અને પછી ફોન સ્વીચઓફ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગ કેસમાં RTO અધિકારી પતિ ફરાર, પત્ની કોમામાં6 તારીખે સવારે ઘટના બન્યા પછીથી સોનલ સોલંકીના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગૌસ્વામી ઘરેથી નીકળી ગયા હતા. હજુ સુધી તેમનો કોઈ પતો મળ્યો નથી. ફરિયાદમાં સોનલ સોલંકીના ભાઈએ સ્પષ્ટ લખાવ્યું છે કે તેમના પતિએ જ ગોળી મરાવી દીધી છે. બીજી તરફ ઘટનાને 72 કલાક વીતિ ગયા છતાં સોનલ સોલંકી હજુ કોમામાં જ છે. તેમને માથામાં ગોળીવાગી હતી.
કાર્યવાહી:નાની સારસીથી દેશી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો
દાહોદ એસઓજીની ટીમે નાની સારસી ગામ નજીક રેડ ચલાવી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. દાહોદ એસઓજીની ટીમ મેળેલી ચોક્કસ બાતમીના આધારે નાની સારસી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચકાસણી માટે પહોંચી હતી. બાતમી મુજબ, મુવાલીયા તળાવ તરફ જતા રસ્તા પર એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બેઠેલો હતો. ટીમે વ્યુહાત્મક રીતે દરોડો પાડી તેને પકડી પાડ્યો હતો. પકડાયેલ બદુભાઇ છગનભાઇ ડામોર ઉંમર 47 રહે. મુવાલીયાની અંગઝડતી દરમ્યાન તેના પાસેથી એક દેશી હાથ બનાવટનો 5 હજારનો તમંચો મળ્યો હતો. આ હથિયાર ગેરકાયદે રાખવામાં આવ્યું હોવાનું જણાતા પોલીસએ તાત્કાલિક તેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેની વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો:ઠંડીએ જમાવટ કરી, મધરાતે પારો 12 ડિગ્રીએ પહોંચ્યો
દાહોદ શહેરમાં શિયાળાની ઋતુનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. શહેરના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે દિવસના અંતે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દાહોદ શહેર સાહિત જિલ્લામા રાતના સમયે પારો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ નીચું તાપમાન દાહોદના રહેવાસીઓને ગરમીમાંથી રાહત આપી રહ્યું છે અને શિયાળાના આગમનની અનુભૂતિ કરાવી રહ્યું છે. હાલમાં પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી 7કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.જે ઠંડીની અસરને વધારી રહ્યો છે. આ ઉપરાંત પવન 13 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. જેનાથી શીતલહેર જેવો અહેસાસ થઈ રહ્યો છે. હવાની ગુણવત્તા અને ભેજ ઠંડા હવામાનની સાથે જ દાહોદમાં હવાની ગુણવત્તા ચિંતાનો વિષય બની છે. હવામાં પ્રદૂષણનું સ્તર ઊંચું છે. જે શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો માટે અને સામાન્ય નાગરિકો માટે પણ સ્વાસ્થ્યને લગતા જોખમો ઊભા કરી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 35% નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળામાં ભેજ ઓછો થતો હોય છે, જે આંકડો ઠંડીની તીવ્રતા સાથે સુસંગત છે. દાહોદમાં અચાનક વધેલી ઠંડી અને પ્રદૂષિત હવાને ધ્યાનમાં રાખીને નાગરિકોને ગરમ કપડાં પહેરવા, રાત્રે ઠંડીથી બચવા માટે જરૂરી પગલાં લેવા અને હવાની ગુણવત્તાને કારણે સવારે વહેલા બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી શિયાળાની મોસમમાં વરસાદી માહોલ રહ્યો હતો. ત્યારે અચાનક જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીએ પગપેસારો કર્યો હતો.
પહેલી પત્નીને અંધારામાં રાખીને બીજા લગ્ન કરી પહેલી પત્નીના બે બાળકોનો કાયમી અને વચગાળાનો કબજા માટે પતિએ કરેલી અરજી ફેમિલી કોર્ટે નામંજૂર કરી હતી અને પત્નીની દલીલો બાદ રૂપિયા 15 હજાર ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ કરાયો હતો. આ કેસમાં પતિએ પત્ની પાસે છુટાછેડાના કાગળો પર એમ કહીને સહિઓ કરાવી લીધી હતી કે આપણે વિદેશ ફરવા જવાનું છે અને કાગળો પર સહી કરવી જરુરી છે. ઉપરાંત આ કેસ જ્યારે કોર્ટમાં ગયો ત્યારે પતિએ બાળકોનો કબજો માગ્યો હતો અને પરંતુ પત્નીએ પોતે બાળકોની સારસંભાળ માટે સક્ષમ છે એમ કહી બંને પ્રથમ શ્રેણીમા પાસ થવાના પરિણામ પણ બતાવ્યા હતા. પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલો કરી હતી. બીજી ડિલિવરી વખતે પતિ ગર્લફ્રેન્ડને હાથમાં હાથ નાંખીને હોસ્પિટલ આવ્યો હતોકતારગામના યુવક અને નાનપુરાની યુવતીના લગ્ન થયા બાદ પેહલું બાળક અવતર્યું હતું ત્યાં સુધી બધુ સમૂસુતરુ હતું. જો કે, બીજી ડિલિવરી વખતે પતિ એક સ્ત્રીમિત્રના હાથમાં હાથ નાંખીને હોસ્પિટલ આવ્યો હતો. પત્નીએ પૂછયું કે આ મહિલા કોણ છે તો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. બાદમાં પરિણીતા પર ત્રાસ ગુજારી યેનકેન પ્રકારે હેરાન કરતો હતો. આ દરમિયાન અન્ય સ્ત્રી સાથેની મોબાઇલ ચેટિંગ પણ પત્નીએ જોઈ હતી. દિવાળી દરમિયાન પત્ની પિયર ગઈ તો પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તેને ઘરે લઈ આવ્યો હતો. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું અને પતિએ બાંયધરી આપી હતી કે તે બીજી પત્નીને છુટાછેડા આપી દેશે, પરંતુ તેણે તેવું કર્યું ન હતું અને આખરે પહેલી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્ની મા-બાપની જવાબદારી નિભાવતીકબજા અરજીના નિકાલમાં કોર્ટ માતા કે પિતાનો બાળકો સાથેનો વ્યવહાર પણ જુએ છે. આ કેસમાં બાળકોનું ભરણપોષણ, લાલનપાલન, ભણતર, ઇત્તરપ્રવૃત્તિઓ પત્ની જ કરતી હતી. તે માતા-પિતા તરીકે બેવડી જવાબદારીઓ અદા કરતી હતી. બાળકોનાં ભણતર પર પણ કોઈ અસર નથી થતી એ સાબતિ કરવા તેણે તેમના શ્રેષ્ઠ રિઝલ્ટ પણ લાવી બતાવ્યા હતા. ઘણીવાર કટોકટીની સ્થિતિ હોય, ટેકનિકલ મેટર હોય ત્યારે 7-8 વર્ષથી વધુના સમજદાર બાળકોને પણ કોર્ટ પૂે છે. > પ્રીતિ જોષી, એડવોકેટ
નામ રદ કરાયા:પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજ લેતા શંકાસ્પદ 3322ના નામ રદ કરાયા
પંચમહાલ જિલ્લામાં ગરીબી રેખા હેઠળના પરિવારો માટે ચાલતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) યોજનાનો લાભ સારા લાભાર્થીઓ લઇ રહ્યા છે કે નહિ તેની હાલ તપાસ ચાલી રહી છે. જિલ્લામાં વિવિધ યોજનાઓનો લાભ તથા ઇન્કમટેકસ ભરતા હોય, જમીન ધરાવતા હોય સહીતમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરેલા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર મારફતે નિયત આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવી સરકારી અનાજ મેળવતા વ્યક્તિઓની યાદી જિલ્લા પુરવઠા વિભાગને સોંપી છે. જિલ્લામાં નિયત કરેલ આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા અને નેશનલ ફૂડ સિક્યુરિટી કાયદા હેઠળ મફત અનાજ મેળવતા 2,33,708 વ્યક્તિઓ મળી આવ્યા હતા. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ લેતા આવ વ્યક્તિઓને નોટિસ તેમજ વેરીફીકેશનની કામગીરી હાથ ધરી હતી. નોટીસમાં સાચા લાભાર્થી હોય તો પુરાવા રજૂ કરવા જણાવ્યું હતુ. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા યાદી મુજબના વ્યક્તિઓનું વેરિફિકેશન કરી નિયત આવક કરતા વધુ આવક મેળવતા વ્યક્તિઓને એનએફએસએ લાભાર્થીની યાદી માંથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા 3322 લાભાર્થીઓના નામ રદ કરાયા છે. જેમા આધાર લીંક ન હોય તેવા 1, છેલ્લા એક વર્ષથી કોઇ ખરીદી ન કરી હોય તેવા 1190, ડુપ્લીકેટ રેશનકાર્ડ હોય તેવા 30, અઢી એકર જમીન હોય તેવા 1556, 6 લાખથી વધુ આવક ધરાવાતા હોય તેવા 323 સહિતના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. વિભાગ દ્વારા દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે, હવે ગરીબોના હક્કનું અનાજ વાસ્તવિક અને જરૂરીયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. તાલુકો - શંકાસ્પદ - 2.47 એકર - 6 લાખથી - લાભાર્થી - જમીન ધરાવતા - વધુ આવક
કુદરતની અજીબ ઘટના : 1.11 લાખ કરોળિયા ગુફામાં હળીમળીને રહે છે
- કરોળિયાનું વિશ્વનું સૌથી મહાકાય જાળું મળ્યું - ગુફામાં સલ્ફર, એસિડ, ટોક્સિકની વરાળનું અતિ ઝેરી વાતાવરણ હોવા છતાં વિશિષ્ટ પ્રજાતિના કરોળિયા વિશાળ સંખ્યામાં જીવે છે મુંબઈ: કુદરતની અજીબોગરીબ ઘટનાઓ માનવજાત માટે પ્રેરણાદાયક બની શકે છે. આવી જ ઘટના બની છે આલ્બેનિયા અને ગ્રીસ વચ્ચે આવેલી એક ગુફામાં. ફોડ પાડીને કહીએ તો ૧૦૬ ચોરસ મીટરની આ વિશાળ ગુફામાં એક સાથે ૧૧૧,૦૦૦ કરોળિયા રહે છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં રહેતા કરોળિયાનું જાળું વિશ્વનું સૌથી મોટું છે.
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન એકવાર વિવાદમાં આવ્યા છે.ગુજરાત યુનિવર્સિટીમાં રાયફલ શૂટિંગ રેન્જ માટે આશિષ અમીને રાયફલ એસોસિએશનમાં રાજીનામું તો આપ્યું છે પરંતુ કોંગ્રેસનો આક્ષેપ છે કે, પડદા પાછળ આશિષ અમીન જ રાયફલ શૂટિંગ રેન્જ ચલાવશે જેથી વિધાર્થીઓના હક માટે કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. આશિષ અમીને સરકાર અને યુનિ.ને ફક્ત બતાવવા રાજીનામું આપ્યું- ઈન્દ્રવિજયસિંહ ગોહિલકોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે અગાઉ આશિષ અમીને પોતાની જ સંસ્થાને ફાયદો કરાવવા રાયફલ શૂટિંગ રેન્જ મેળવી હતી જોકે વિવાદ બાદ રાયફલ એસોસિએશનમાં નામ માત્રનું રાજીનામું આપ્યું છે.આશિષ અમીને વિધાર્થીઓના હિત કોઈ નિર્ણય કર્યો નથી.સરકાર અને યુનિવર્સિટીને માત્ર બતાવવા માટે જ રાજીનામું આપ્યું છે. પરંતુ યુનિવર્સિટીમાં શરૂ થનાર રાયફલ શૂટિંગ રેન્જ તો પડદા પાછળથી આશિષ અમીન ચલાવશે.આ કોન્ટ્રાક્ટ રદ કરીને રાયફલ એસોસિએશનને હટાવવામાં આવે.યુનિવર્સિટી ટૂંક સમયમાં નિર્ણય નહીં કરે તો ગુજરાત યુનિવર્સિટીના ઘેરાવ કરી કોંગ્રેસ,યુથ કોંગ્રેસ અને NSUI ઉગ્ર આંદોલન કરશે. રાયફલ એસોસિએશન દ્વારા રાયફલ શૂટિંગ રેન્જ ચલાવાશેગુજરાત યુનિવર્સિટીમાં રાયફલ શૂટિંગ રેન્જ તૈયાર થઈ રહી છે.જે રાઇફલ એસોસિએશન દ્વારા ચલાવવામાં આવશે.ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને રાયફલ એસોસિએશનના પ્રેસિડેન્ટ આશિષ જમીન બંને હોદ્દા ઉપર હોવાથી અગાઉ તેમણે રાયફલ શૂટિંગ રેન્જ મેળવી હતી.પરંતુ યુનિવર્સિટીએ બંનેમાંથી એક હોદ્દા પર રાજીનામાની માંગણી કરતા આશિષ અમીને રાઇફલ એસોસિએશનમાં રાજીનામું આપ્યું હતું.જે બાદ યુનિવર્સિટી દ્વારા રાયફલ એસોસિએશનને રાઇફલ શૂટિંગ રેન્જ ચલાવવા માટે આપવામાં આવનારી છે. રાયફલ શૂટિંગ રેન્જમાં ગુજરાત યુનિ. પોતે જ લોકોને નિમણૂંક કરે એવી માગઅગાઉ કોંગ્રેસના ઉગ્ર વિરોધ બાદ જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આશિષ અમીનનું બંનેમાંથી કોઈ એક હોદ્દા પર રાજીનામું માંગવામાં આવ્યું હતું.જોકે રાજીનામાં બાદ પણ પડદા પાછળથી જ આશિષ અમીન જ રાઈફલ શૂટિંગ રેન્જ ચલાવશે તેઓ કોંગ્રેસનો આક્ષેપ છે.તેથી કોંગ્રેસે આ રાયફલ શૂટિંગ રેન્જ ગુજરાત યુનિવર્સિટી સ્વતંત્ર રીતે પોતે જ લોકોની નિમણૂક કરીને ચલાવે તેવી માંગણી કરી છે.મહત્વનું છે કે રાયફલ શૂટિંગ રેન્જ માટેની જે પ્રોપર્ટી છે તે 400 થી 500 કરોડ રૂપિયાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અંગે લાંબા સમય સુધી સિન્ડિકેટ સભ્ય રહેલા અને ધારાસભ્યએ કુલપતિને રજુઆત કરી હતી.કુલપતિને રજુઆત કરીને રાયફલ શૂટ રેન્જનું ફરીથી ટેન્ડર કરવા જણાવ્યું હતું.
છૂટાછેડા, ડિવોર્સ, તલ્લાક... આ શબ્દો હજુ થોડા સમય પહેલાં સુધી આપણા સમાજમાં સૂગ, કલંક અને ઘૃણાની નજરે જોવામાં આવતા. પરંતુ હવે આપણા આધુનિક ગણાતા ગુજરાતમાં છૂટાછેડાના કેસો એ હદે વધ્યા છે કે ફેમિલી કોર્ટો તેનાથી ઊભરાઈ રહી છે. આંકડા કહે છે કે ગયા વર્ષે ગુજરાતમાં 62 હજારથી વધુ છૂટાછેડાના કેસ નોંધાયા હતા. શૉકિંગ વાત તો એ હતી કે આ કેસો એક વર્ષમાં જ ડબલ થઈ ગયા છે! આવું શા માટે થાય છે? શું કામ દંપતીઓ અલગ પડી રહ્યાં છે? શું ગુજરાતમાં લગ્નસંસ્થાના પાયા નબળા પડી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કર એપ પર 10 નવેમ્બર, સોમવારથી શરૂ થઈ રહી છે એક નવી ડેઇલી સિરીઝ ‘છૂટાછેડા’. આ સિરીઝમાં આપણે ગુજરાતના જાણીતા, સિનિયર ડિવોર્સ લૉયર્સને મળીને જાણીશું કે તેમની પાસે કેવા કેવા કારણો લઇને લોકો ડિવોર્સ માગવા આવે છે. આમાં જાતીય અસંતોષ, એક્સ્ટ્રા મેરિટલ અફેર, ડોમેસ્ટિક વાયોલન્સ જેવા જાણીતાં કારણોથી લઇને લિવ ઇન, કોન્ટ્રાક્ટ અને ઓપન મેરેજ ઉપરાંત દાદા-દાદીની ઉંમરે લેવાતા ‘ગ્રે ડિવોર્સ’ સુદ્ધાંની વાતો હશે. પ્લસ, આવું શા માટે થઈ રહ્યું છે, લોકોનાં માનસમાં એવાં તે કયા બદલાવ આવી રહ્યા છે, તે જાણવા માટે મનોચિકિત્સકને પણ પૂછીશું. રોજેરોજ ભારે ઇન્ટરેસ્ટિંગ એવો એકેએક એપિસોડ વાંચવાનું ચૂકશો નહીં. 10 નવેમ્બર, સોમવારે સવારે 6 વાગ્યાથી દિવ્ય ભાસ્કર એપ પર વાંચો નવી સિરીઝ ‘છૂટાછેડા’. દરરોજ નવો એપિસોડ પ્રકાશિત થશે.
થોડા દિવસો પહેલાં ગુજરાતમાં એવું વાતાવરણ હતું કે લોકો ઘરેથી બહાર નીકળતી વખતે પોતાની સાથે રેઇનકોટ રાખવો કે સ્વેટર તેની મૂંઝવણ અનુભવતા હતા. રાજ્યમાં આ વખતે શિયાળાની ગુલાબી ઠંડીના હજી તો શ્રી ગણેશ જ થયાં હતા ને બે-બે વાવાઝોડાની અસરના કારણે જાણે ચોમાસું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી પણ આ સ્થિતિની અસર શિયાળા ઉપર થશે અને શિયાળાના દિવસોમાં ચોંકાવનારો ઘટાડો થશે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં જાણો કે આ વખતે શિયાળાના 4 મહિના કેવા રહેશે? શરૂઆતના દિવસોમાં ઠંડી શરૂ થયા પછી અચાનક વાવાઝોડા આવવાનું કારણ શું રહ્યું? 5 વર્ષ પહેલાં અને આ વર્ષના શિયાળાના દિવસોમાં કેવો ફેરફાર જોવા મળ્યો? સૌથી ઠંડા શહેરની યાદીમાં શું હવે નલિયા કરતાં બીજું કોઇ સ્થળ સામેલ થઇ રહ્યું છે? આ વખતે ગુજરાતના શિયાળામાં અલનીનો કે લાનીનાની અસર જોવા મળી રહી છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે સ્કાયમેટ વેધરના વાઇસ-પ્રેસિડન્ટ મહેશ પલાવત સાથે ખાસ વાતચીત કરી હતી. સામાન્ય રીતે એવું થતું હોય છે કે નવરાત્રિ પૂરી થાય પછીના થોડા સમયમાં ઠંડીની શરૂઆત થાય છે. દિવાળી આસપાસ ફૂલ ગુલાબી ઠંડી અનુભવાય છે પણ છેલ્લા કેટલાક સમયથી આમાં ફેરફાર થયો છે. ઉત્તરાયણ પછીના થોડા જ દિવસોમાં એસી કરવું પડે છે. જે છેક ચોમાસા સુધી ચાલુ રહે છે. ગઇ 3 તારીખે તો ગુજરાતના 4 શહેરમાં ગરમ રાતનો 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. ચોમાસાં પછી તડકો અને તડકા પછી માવઠુંઆ વખતે તો ચોમાસું પૂરૂં થયા પછી ગુજરાતીઓને આકરા તાપનો અનુભવ થયો. દિવાળી ગઇ અને તરત જ માવઠાંની એન્ટ્રી થઇ. જેની અસર શિયાળાની સિઝન પર થઇ છે. જે ઠંડી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અને નવેમ્બરની શરૂઆતમાં અનુભવાતી હતી તે આ વખતે નથી અનુભવાઇ. માવઠાના કારણે ઠંડી રોકાઇ ગઇસ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલાવતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સામાન્ય રીતે ગુજરાતમાં ઓક્ટોબરમાં ખૂબ જ ઊંચુ ટેમ્પરેચર રહે છે. જેના કારણે તેને બીજો ઉનાળો પણ કહેતાં હોઇએ છીએ. બીજી તરફ આ વખતે 6 ઓક્ટોબરથી જ પહાડોમાં બરફ વર્ષા થવાની સારી શરૂઆત થઇ હતી. વચ્ચે વચ્ચે આ બરફ વર્ષાની અસર મધ્ય ભારત અને ગુજરાત સુધી જોવા મળી હતી. નવેમ્બરના અંતે ઠૂંઠવાતી ઠંડી પડશે'હાલમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલના ઊંચા પહાડો પર બરફ વર્ષા જોવા મળી છે. હવે રોકાયેલા શિયાળાની ફરી એકવાર શરૂઆત થઇ ગઇ છે.આવનારા 10 દિવસ સુધી બરફ વર્ષા થવાની સંભાવના ખૂબ જ નહીંવત છે. આના પરથી કહી શકાય કે નવેમ્બરના અંતમાં જ ઠૂંઠવાતી ઠંડીની અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ટેમ્પરેચરનો પારો ઉપર નીચે જોવા મળશે.' 30 દિવસ જ ઠંડી અનુભવાશે'અત્યારના સમયગાળામાં ભારે શિયાળો ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. જેના કારણે શિયાળાની સિઝનના સમયમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જોઇએ તો ક્લાયમેટ ચેન્જના કારણે શિયાળાની ઋતુ પ્રભાવિત થઇ છે. જેથી ઠંડીના દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે જાન્યુઆરી મીડથી જ ટેમ્પરેચરમાં વધારો જોવા મળે છે. આવામાં શિયાળો મોડો શરૂ થાય છે અને વહેલો પૂરો પણ થઇ જાય છે. જેથી શિયાળાનો પીક સમયગાળો મીડ ડિસેમ્બરથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી રહે છે. જો દિવસોની વાત કરીએ તો માત્ર 30 દિવસ જ ઠંડીનો અનુભવ થશે.' શિયાળાની સિઝન ઘટીને 60 દિવસની થઇ ગઇપહેલાં ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી જ ઠંડીની શરૂઆત થઇ જતી હતી તેમ જણાવતા મહેશ પલાવતે ઉમેર્યું, ગુજરાતમાં શિયાળો પહોંચવામાં થોડો સમય લાગી જતો હતો છતાં ઠંડીનો અનુભવ શરૂ થઇ જતો હતો.ઠંડી જાન્યુઆરીના એન્ડ સુધી રહેતી હતી એટલે કે શિયાળાની ઠંડીનો અનુભવ 90 દિવસ સુધી થતો હતો. આવામાં સિવિયર ઠંડી હવે માત્ર 30 દિવસની થઇ ગઇ છે. શિયાળો 20 દિવસ પાછળ ધકેલાયો'જો ઉત્તર ભારતની વાત કરીએ તો પહેલાં 5 નવેમ્બરથી દિલ્હી NCR અને તેની આસપાસના રાજ્યોની સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓ વિન્ટર યુનિફોર્મ પહેરવાનું શરૂ કરી દેતા હતા પણ હવે તેમાં ખૂબ જ શોકિંગ બદલાવ જોવા મળ્યો છે. આજની તારીખે નવેમ્બર એન્ડ સુધી સ્કૂલ્સમાં વિન્ટર યુનિફોર્મ જોવા નથી મળતો કે લોકો પણ સ્વેટર પહેરતાં નજરે નથી પડતાં. આના પરથી કહી શકાય કે શિયાળાની ઠંડી ઓછામાં ઓછા 20 દિવસ પાછળ જતી રહી છે.' 4-5 વર્ષથી ગુજરાતના વાતાવરણમાં વધારોછેલ્લાં 5 વર્ષમાં શિયાળાની ઋતુમાં જોવા મળેલા બદલાવ અંગે તેમણે જણાવ્યું, અત્યાર સુધીમાં વાત કરીએ તો પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ એરા પછી ટેમ્પરેચર અને ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થઇ રહ્યો છે. પહેલા 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં ટેમ્પરેચર 0.7 ડિગ્રી વધતું હતું તે 1975થી ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જો છેલ્લા 4-5 વર્ષની વાત કરીએ તો ભારત અને ગુજરાતના ટેમ્પરેચરમાં સતત વધારો થઇ રહ્યો છે. છતાં કેટલાક વિસ્તારોમાં ઘટાડો જોવા મળે છે. એવું નથી કે સમગ્ર ગુજરાતમાં ટેમ્પરેચર વધી રહ્યું છે. કેટલોક એવો વિસ્તાર પણ છે જ્યાં ક્યારેક ઠંડી વધુ પડે છે તો કેટલીક જગ્યાએ ગરમી વધુ પડે છે. 'ગુજરાતમાં બે રિજિયન છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને બીજું ગુજરાત રિજિયન. જો આ બન્નેમાં આ વખતે ઠંડીનું અનુમાન જોઇએ તો સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન અપેક્ષા કરતાં થોડું ઓછું ઠંડુ રહેશે. જ્યારે ગુજરાત રિજિયનમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે પણ નલિયા એક એવી જગ્યા છે જ્યાં ઠંડીનો પારો વધારે ગગડે છે.' અરબ સાગરમાં લો પ્રેશર બનવાનું પ્રમાણ વધ્યુંશિયાળા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વિશે તેમણે કહ્યું, હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતોને મગફળી અને ડુંગળીના પાકોમાં નુકસાની આવી છે. આ બાબતને આપણે ક્લાયમેટ ચેન્જ સાથે ન જોડી શકીએ પરંતુ એક ઇમ્પેક્ટ દેખાઇ રહી છે કે પહેલાં અરબ સાગરમાં સમુદ્રી તોફાનો ખૂબ જ ઓછા બનતા હતા અને બંગાળની ખાડીમાં વધુ બનતા હતા. આનું પ્રમાણ 7:3નું હતું. તેમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. હાલમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે ટેમ્પરેચરનો પારો નીચો જતા અટકી ગયો હતો. 'ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં એકાદવાર લો પ્રેશર એરિયા બનતો હોય છે. અગાઉ કહ્યું તેમ બંગાળની ખાડી કરતાં અરબી સમુદ્રનું લો પ્રેશર ખૂબ જ ઓછું હતું. જ્યારે હવે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર પર વરસાદ રૂપે તેની અસર જોવા મળે છે. આમાં ક્લાયમેટ ચેન્જની અસર જોવા મળે છે. જેના આધારે કહી શકાય કે ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે.' તેમણે કહ્યું, ઉત્તર તરફથી જે હવા આવે છે તેની પણ શરૂઆત થઇ ચૂકી છે. મેં જોયું કે સોશિયલ મીડિયામાં લાનીના મુદ્દે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે આ વખતે લાનીનાની અસરના કારણે કડક ઠંડી પડશે. જોકે આવું કંઇ થવાનું નથી. એટલે સોશિયલ મીડિયા પર ચાલતી આ વાત પર ધ્યાન આપવું નહીં. બહુ કડકડતી ઠંડી નહીં પડે'2021 થી 2023 સુધી સતત સ્ટ્રોંગ લાનીના રહ્યું હતું છતાં એટલી ઠંડી નહોતી પડી. હાલમાં જે લાનીના સિસ્ટમ છે તે ખૂબ જ નબળી છે. જે નવેમ્બરથી જાન્યુઆરી સુધી રહેશે એ પછી ફરીથી ન્યૂટ્રલ પોઝિશન પર આવી જશે. આપણે એવું કહી શકીએ કે ઠંડીની શરૂઆત થઇ છે પણ બહુ વધારે કડકડતી નહીં પડે.' ગુજરાતમાં વર્ષોથી નલિયા જ ઠંડુગાર રહે છે. શું આ બદલાતી પરિસ્થિતિમાં કોઇ નવો જિલ્લો કે સ્થળ ઠંડાગાર બનવાની રેસમાં આગળ આવ્યું છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, હાલમાં આ લિસ્ટમાં કોઇ એવો જોરદાર બદલાવ નથી, આજે પણ સૌથી ઠંડુગાર તો નલિયા જ રહે છે. બીજી તરફ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ઇડરમાં ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળે છે. આવામાં ટેમ્પરેચરમાં કોઇ મોટો ફેરફાર જોવા નથી મળ્યો. મહેશ પલાવતે લોકોને ચેતવણી આપતાં કહ્યું, ઓક્ટોબર મહિનાથી વાતાવરણમાં એકદમ બદલાવ જોવા મળે છે. લોકો ગરમીનો અનુભવ કરતા હોય છે. દિવસ દરમિયાન ટેમ્પરેચર ખૂબ જ વધી જાય છે અને રાત્રિ દરમિયાન ગગડે છે. આવી પરિસ્થિતિમાં બીમારીનું પ્રમાણ વધી જાય છે. લોકોએ રાત્રે સૂતી વખતે પોતાના શરીરને કવર કરીને સૂવું જોઇએ. જેથી મચ્છર કરડવાથી બચી શકાય. હવામાનના અનુમાન માટે AIનો ઉપયોગહવામાનના અનુમાન માટે હવે AIનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે,અત્યાર સુધી હવામાનનું અનુમાન લગાવવા માટે અમે ગ્લોબલ મોડલનો ઉપયોગ કરતા હતા. તેમાં અમે લોકલ ડેટા પણ નાંખતા હતા. જેના પરથી કોમ્પ્યુટરાઇઝ થઇને તેમાંથી પરિણામ આવતું હતું. જો કે હવે નવી નવી ટેક્નોલોજી આવી રહી છે એમાં પણ AI આવ્યું છે એટલે અમે તેનો ઉપયોગ પણ કરી રહ્યાં છીએ. જેનાથી એનાલિસિસ કરવામાં પણ ખૂબ જ સારા પરિણામો મળે છે. આમ જો મહેશ પલાવતનું માનીએ વાતાવરણમાં ફેરફારની અસરના કારણે શિયાળાના દિવસો ઘટી રહ્યાં છે એટલે હવે શિયાળામાં સ્વેટર અને ધાબળા તો કાઢજો પણ ફક્ત 30 દિવસ માટે.
ખાનગી વાહનચાલકોની લૂંટ:કમોસમી વરસાદમાં બંધ રહેતો સાધલી - કાયાવરોહણ માર્ગ આખરે શરૂ કરાયો
ગુજરાત મા કમૌસમી વરસાદ ના કારણે છેલ્લાં પંદર દિવસ થી નવીનીકરણ થઈ રહેલ પોર-સાધલી-કાયાવરોહણ- સાધલી રોડ વાહનવ્યવહાર માટે સપુર્ણ બંધ થઈ ગયો હતો. જેના કારણે સમગ્ર સાધલી પંથક ના મુસાફરો તથા વાહનચાલકો ને ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. કારણ, સાધલી રુટ ની તમામ બસો બંધ કરી દેવામાં આવી હતી. જે આજરોજ સાધલી-કાયાવરોહણ રોડ પર સપુર્ણ માટી હટાવીને સરખુ કરી રોડ ફરી ચાલુ કરવા મા આવતા વાહનવ્યવહારથી ધમધમી ઉઠયો છે. સાધલી-કાયાવરોહણ થઈને બસો ચાલુ થતા મુસાફરો તથા વિદ્યાર્થીઓઅને નોકરીયાત વર્ગ મા આનંદ ની લાગણી જોવા મળી રહી છે. વડોદરા જીલ્લા મા માગઁ અને મકાન વિભાગ દ્વારા સાધલી-કાયાવરોહણ-પોર સ્ટેટ હાઈવે રોડ ને દશ મિટર પહોળો કરવા માટે પ્રથમ નોરતે તેનુ ખાતે મુહૂર્ત કરજણ-ડભોઈ ના બન્ને ધારાસભ્ય ના હસ્તે કરવામા આવ્યુ હતુ.પરતુ સમગ્ર રાજયમાં કમૌસમી વરસાદ ના કારણે આ રોડ પર માટી નાખવા ના કારણે રોડ સપુણઁ બંધ થઈ ગયો હતો. જેના કારણે ખાનગી વાહનો વાળા મુસાફરો પાસે થી ત્રણ ગણુ ભાડુ વસુલ વા આવતુ હતુ. સાધલી થી વડોદરા નુ ભાડુ 70થી 80 રુપિયા એક જણ પાસે થી લેવા મા આવતુ હતુ.એમ જાણવા મળેલ છે. આવા કપરા સમય મા કોઈ નેતા જોવા નથી આવ્યા. આ બધા ને 9 કિમી ના અંતર ના બદલે 30 કિમી ફરી ને વડોદરા જવુ પડતુ હતુ. આખા રોડ પર માટી નાખવા ના કારણે રોડ પર કીચડ થઈ ગયુ હતુ. હાલ માં આ રોડ વાહનવ્યવહાર માટે ચાલુ કરવા મા આવતા સાધલી રુટ ની બસો ચાલુ કરી દેવામાં આવતા રાહત થઈ છે.
પદ યાત્રા:સરદાર પટેલના માનમાં દરેકવિધાનસભા ક્ષેત્રમાં પદ યાત્રા
છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતેયોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સાંસદજશુભાઈ રાઠવાએ જણાવ્યું કેઅખંડ ભારતના શિલ્પી સરદારવલ્લભભાઈ પટેલની 150મીજન્મજયંતિ વર્ષને ધામધૂમ પૂર્વકવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઉજવી રહ્યા છે. ત્યારેછોટાઉદેપુરમાં વિસ્તારમાં દરેકવિધાનસભામાં સરદાર પટેલનામાનમાં દરેક વિધાનસભામાં પદયાત્રા યોજાશે. જેમાં ગુજરાતસરકાર અને ભારત સરકારનામંત્રીઓ ઉપસ્થિત રહશે. જ્યારે આદિવાસીઓનું ગૌરવભગવાન બિરસા મુંડાની 150મીજન્મ જયંતિ ઉજવાઈ રહી છે.જેમાં 27 આદિવાસી વિસ્તારનીવિધાનસભામાં જનજાતિ ગૌરવયાત્રા 7 નવેમ્બરથી 13 નવેમ્બરસુધી યોજાશે. ભગવાન બિરસામુંડાની જન્મ જયંતિ નિમિતે 15મીનવેમ્બરે ગુજરાતમાં આદિવાસીદેવી દેવતાઓના પૂજન સાથેકાર્યક્રમો થશે. સરદાર પટેલજન્મજયંતિ નિમિતે વિવિધકાર્યક્રમો બાબતે સાંસદે વિવિધમુદ્દા ઉપર ચર્ચા કરી હતી.યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વરેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા,પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી,નગરપાલિકા સભ્યો, ભાજપનાકાર્યકર્તાઓ મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાંકમોસમી વરસાદને કારણેખેડૂતોને થયેલ નુકસાન બાબતેસર્વે થયું હોય જે અંગે ગુજરાતસરકાર દ્વારા ખેડૂતોમાં મદદરૂપથવા માટે 10 હજાર કરોડનું પેકેજજાહેર કરાયું જે અંગે સાંસદેસરકારનો આભાર માન્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે 19 દિવસ મોડી પરીક્ષા લેવાશે, ટાઈમટેબલ પણ ગયા વર્ષની સરખામણીમાં બોર્ડે 23 દી’ મોડું આપ્યું છે. ગયા વર્ષે બોર્ડે 15 ઓક્ટોબરે ટાઈમટેબલ આપી દીધું હતું જ્યારે આ વર્ષે 8 નવેમ્બરે એટલે કે 23 દિવસ મોડું આપ્યું છે. અને ગયા વર્ષે પરીક્ષા પણ 7 ફેબ્રુઆરીથી લેવાઈ હતી જ્યારે આ વર્ષે 26 ફેબ્રુઆરીથી એટલે કે 19 દિવસ મોડી લેવાનાર છે. આ વર્ષે પહેલીવાર ધો.10માં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનું પેપર અલગ અલગ લેવાશે, બંને પેપર વચ્ચે રજા અપાઈ છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12:00 કલાક સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર ફોર્મ ભરી શકશે. આ વખતે વાલી અને સંચાલકોના સૂચનોને ધ્યાનમાં રાખીને પરીક્ષા કાર્યક્રમમાં સુધારા કરાયા છે. વાલીઓની માંગ હતી કે, ધોરણ 10 અને 12 બંનેમાં મુખ્ય વિષયોની પરીક્ષા પહેલા ઓછામાં ઓછા એક દિવસની રજા આપવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોની તૈયારી અને પુનરાવર્તન માટે પૂરતો સમય મળે. જેના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડે પોતાના સમય પત્રકની પેટર્નમાં સુધારા કર્યા છે. ધોરણ 12 સાયન્સ | ભૌતિક વિજ્ઞાનથી પરીક્ષાનો પ્રારંભ થશે ધોરણ 12 કોમર્સ | પહેલું પેપર અર્થશાસ્ત્રનું લેવાશે ધો.10| 6 માર્ચે બેઝિક, 9નાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર 29 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષાગુજકેટ 2026ની પરીક્ષાનીપણ તારીખ જાહેર કરાઇ છે. 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 થી 4 સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ હવે જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આપી શકાશે.
મોત:પુણેની હોટેલમાં કચ્છી યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું
પુણે શહેરના સોમવારપેઠ વિસ્તારમાં હોટેલ ઓરિયન્ટમાં શુક્રવારે બપોરે લાગેલી આગમાં દૌંડના રહેવાસી અને 32 વર્ષના કચ્છી યુવાન મોહિત ભૂપેન્દ્ર મામણીયા (શાહ)નું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, આ આગ લગભગ સિગારેટના સળગતા ઠૂંઠાથી લાગી હોઈ શકે. મોહિત શાહે ગુરુવારે રાત્રે હોટેલમાં રૂમ બુક કર્યો હતો. શુક્રવારે સવારે તે રૂમમાંથી બહાર આવ્યો નહોતો. બપોરે લગભગ 12 વાગ્યાના સમયે હોટેલના સ્ટાફને રૂમમાંથી ધુમાડો નીકળતો દેખાયો. તરત જ પુણે શહેરના સમર્થ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ. ફાયર ઓફિસર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું કે, જ્યારે અમારા જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે સ્ટાફે આગને અંશતઃ બુઝાવી દીધી હતી. રૂમની અંદર એક પુરુષ બેભાન હાલતમાં મળ્યો, જેની ઓળખ મોહિત શાહ તરીકે થઈ. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સમર્થ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ઉમેશ ગિટ્ટેએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મોહિત દારૂના નશામાં હતો અને શક્ય છે કે નશામાં સિગારેટના સળગતા ઠૂંઠાથી રૂમમાં આગ લાગી હશે. રૂમમાં ખાટલાનો એક ભાગ બળી ગયો હતો, જેના કારણે ભારે ધુમાડો ફેલાયો અને મોહિતનો શ્વાસ રૂંધાઈ ગયો. તેના હાથ પર દાઝી જવાના નિશાન જોવા મળ્યા, પરંતુ મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવું હોવાનું અનુમાન છે. પોલીસે આ ઘટનાને આકસ્મિક તરીકે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ ગામ કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા અને હાલ પુણેથી 70 કિમી દૂર દૌડમાં રહેતા મોહિતના પિતા ભૂપેન્દ્રભાઈ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, મોહિત આર્કિટેક્ટ હતો અને પુણેમાં જોબ કરતો હતો. ઘટનાના દિવસે પણ તે કામ માટે પુણે રોકાયો હતો અને તેણે અમને તેની જાણ કરી હતી. તેના છૂટાછેડા થયા હતા.
દેવદિવાળી તથા તુલસીવિવાહ બાદ લગ્નના મુહૂર્તોની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે તા.16 નવેમ્બરથી લગ્ના મુહૂર્તોની શરૂઆત થવા જઇ રહી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન અનેક લગ્નો યોજાવાના છે. આ વખતે અનેક સમૂહલગ્નોનું પણ આયોજન થયું છે ત્યારે છેલ્લા 28 વર્ષથી શ્રી ગોપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. સમિતિ દ્વારા આગામી તા.12 ફેબ્રુઆરી 2026 ગુરુવારના રોજ પરસાણા ચોક, નવો 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે 28મા સમૂહલગ્ન યોજાશે. અત્યાર સુધીમાં 2600થી વધુ દીકરીઓના સમૂહલગ્નમાં જોડાઇને પોતાનો ગૃહસંસાર નિભાવી રહી છે. આ વખતે યોજાનારા સમૂહલગ્નમાં 100થી વધુ દીકરીઓના વિવાહ થશે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સમૂહલગ્ન યોજાશે જેમાં ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરીબાપુ સહિતના સંતો-મહંતો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વચન પાઠવશે. સમૂહલગ્નમાં આ વખતે 20,000થી વધુ ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહી ભોજનપ્રસાદ લાભ લેશે.આ ઉપરાંત દીકરીઓને સોના-ચાંદી તથા ઘરવપરાશની 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ હરિભાઇ માટિયા, ભીખાભાઇ પડસારિયા, હીરાભાઇ બાંભવા, રાજુભાઇ જુંજા સહિતના દરેક લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. ભાસ્કર ઈનસાઈડઇતિહાસને ભૂલવો ન જોઇએભરવાડ સમાજ દ્વારા તેનો ઇતિહાસ કે સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. હાલ પેઢીને ખબર જ નથી કે, 100 વર્ષ પૂર્વે ભરવાડનું જીવન કેવું હતું? જેમાં પહેલાના સમયમાં ઘેટાં-બકરાં, આખલાને લઇને ખેતરે રોકાણ કરે. ત્યાં ખાટલો, ઉતારો હોય, ત્યારબાદ ઘેટાંનું ઊન, ગાય-ભેંસના દૂધનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે. આ પરંપરા, સંસ્કૃતિ હાલની પેઢી સુધી પહોંચાડવા કે જીવંત રાખવા સમૂહલગ્નના સ્થળ પર જ આ જીવંત વાતાવરણ ઊભું કરાશે. જેમાં વાડામાં આખલો, ઘેટાં-બકરાં, ઊંટને રખાશે. આ ઉપરાંત 2થી 5 બહેનો જીમી-કાપડું-પછેડોના પહેરવેશમાં ચૂલા પર રોટલા ઘડશે, છાશ વલોવશે. ખાટલા પર ગોદડું પાથરી ભાઇઓ કેડિયું-ચોયણી-બંડીના પહેરવેશમાં હુકો ફૂંકે, વાતોના ગપાટા સહિતની સંસ્કૃતિ જીવંત કરાશે.
તેજસ્વી છાત્રોનું સન્માન:ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું
રાજકોટમાં ઝાલાવાડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ દ્વારા તાજેતરમાં છાત્ર સન્માન અને જ્ઞાતિ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં શહેરના બ્રહ્મઅગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ કમલેશભાઇ જોશીએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, યુવાનો સમાજ સેવામાં જોડાઇ સમય સાથે તાલ મિલાવે તે જરૂરી છે. આ ઉપરાંત જ્ઞાતિના કેજીથી પીજી સુધીના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું. બ્રહ્મ અગ્રણીઓએ બાળકોનું શિક્ષણ, સમાજની વિવિધ સેવા અને ધર્મ સંસ્કૃતિના સન્માનની હિમાયત કરી હતી.
સન્માન:મહિલાઓના કાર્યને બિરાદવવા, પ્રોત્સાહન પૂરું પાડવા 15 ક્ષેત્રની 30 નારીઓનું સન્માન
શહેરમાં છેલ્લા 5 વર્ષથી વિશ્વ માંગલ્ય સભા કાર્યરત છે. સંસ્થા દ્વારા મહિલાઓનો વિકાસ થાય તે માટે સદાચાર સભાનું યોજે છે. સંસ્થા દ્વારા તાજેતરમાં રાજકોટની નારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિઝનેસ, સેવા, સાહિત્ય, ગાયન, નૃત્ય, સુરક્ષા, શિક્ષણ, યોગ, આયુર્વેદ, ડોકટર, અભિનય, વકીલ, ધર્મ, રમત ગમત, કળા કૌશલ્ય એમ વિવિધ 15 ક્ષેત્રોની 2 નારીઓ એમ કુલ 30 નારીઓનું સન્માન રાજકોટ મેયર બંગલા ખાતે કરવામાં આવ્યું હતું. શહેરની આ 30 નારીઓનું સન્માન કરવાનો ઉદ્દેશ્ય કે, મહિલાઓની આગવી ઓળખ લોકો સુધી પહોંચે, તેઓને પ્રોત્સાહન પૂરું પાડવું, તેના કાર્યને બિરદાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2022માં માતૃ સંમેલનનું પણ આયોજન કરાયું હતું.
રાજકોટની આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને દૂધનો વેપાર કરતાં આધેડને તેમના ઘર નજીક રહેતા શખ્સે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઇ 60 લાખની છેતરપિંડી આચરી હતી. આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને દૂધનો વેપાર કરતાં અશ્વિનભાઇ વશરામભાઇ પાઘડાળએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રોહન રાકેશ વેકરિયાનું નામ આપ્યું હતું. અશ્વિનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ આસ્થા રેસિડેન્સીની બહાર બેસતા હતા ત્યારે ત્યાં જ રહેતો રોહન વેકરિયા બેસવા આવતા મિત્રતા કેળવાતા એક વખત રોહને કહ્યું હતું કે, શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન મૂક્યું છે, તેમાં પૈસા રોકો તો જે નફો થાય તેમાં 5 ટકા ભાગ આપીશ, જ્યારે પૈસા માગું ત્યારે જ પૈસા આપવાના રહેશે તેવી રોહને વાત કરી હતી. અશ્વિનભાઇએ હાલમાં પૈસા ન હોવાનું કહેતા રોહને મકાન પર લોન લઇ લો, જે પૈસા આવે તે મને આપો, મકાનનો હપ્તો હું ભરીશ, અશ્વિનભાઇએ મકાન પર 45 લાખની લોન લીધી હતી, અને તેમની પાસે રહેલા રોકડા 5 લાખ આપ્યા હતા. અશ્વિનભાઇએ લોન પૈકી તેમના ખાતામાં રૂ.33,29,541 જમાં થયા હતા, બાદ રોહને કટકે કટકે પૈસા મગાવવાનું શરૂ કર્યું હતું, ક્યારેક રકમ પરત આપતો જેથી અશ્વિનભાઇને વિશ્વાસ બેસતો ગયો હતો. અશ્વિનભાઇએ કુલ રૂ.1,02,00,000 રોહનના ખાતામાં જમા કરાવ્યા હતા, સામે રોહને અશ્વિનભાઇને રૂ.42 લાખ પરત આપ્યા હતા, બાકીના 60 લાખ માટે અશ્વિનભાઇએ ઉઘરાણી કરતા રોહન ઘર ખાલી કરીને કોઇ અન્ય સ્થળે જતો રહ્યો હતો.
હત્યાનો પ્રયાસ:કારખાનાની ઓરડીમાં દારૂ પીધા બાદ 2 શ્રમિક બાખડ્યા
રાજકોટના કાલાવડ રોડ પરની રાજવાટિકા સોસાયટીમાં રહેતા અને કુવાડવા જીઆઇડીસીમાં બ્રાયન ઇન્ટરનેશનલ નામની ડીઝલ એન્જિનના પાર્ટ બનાવાની કંપની ચલાવતા જયેશભાઇ અમૃતભાઇ વસોયા (ઉ.વ.48)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની જ કંપનીમાં કામ કરતાં અને ત્યાં જ ઓરડીમાં રહેતા બિહારના અવધેશ શિવકુમારનું નામ આપ્યું હતું. કારખાનેદાર જયેશભાઇ વસોયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રિના કારખાનામાં આવેલી ઓરડીમાં રહેતો અવધેશ અને વિશાલ વચ્ચે કોઇ મુદ્દે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા અવધેશે હિચકારો હુમલો કર્યો હતો અને વિશાલ લોહીલુહાણ થઇ ગયો હતો. હુમલામાં ઘવાયેલા વિશાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે બેભાન હાલતમાં છે. કોઇ મુદ્દે બોલાચાલી થતાં અવધેશે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું. જોકે ઓરડીમાં બંને દારૂ પીવા બેઠા હતા અને દારૂ પીતા પીતા કોઇ મુદ્દે માથાકૂટ થતાં મામલો હત્યાની કોશિશ સુધી પહોંચ્યો હતો. પોલીસે ખૂનની કોશિશનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.

26 C