વડોદરામાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા EWSના મકાનો અંગે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં સયાજી નગર ગૃહ ખાતે મોકૂકૂ રખાયેલ ડ્રો અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી બોલાવાયા હતા પરંતુ છેલ્લી ઘડીએ અચાનક ડ્રો કેન્સલ કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે યોજાયો હતો. સયાજીનગર ગૃહનો ડ્રો કેન્સલ કરવા અંગે કોઈ નેતા ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેન્સલ કરાયો હોવાનો ચોકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગરીબ લોકો જે પોતાની મહેનતના રૂપિયાથી પોતાના સપનાના મકાન માટે બચત કરી હોય અને એક-એક પૈસો ભેગો કરીને કોર્પોરેશનને 2022માં આ યોજનામાં લોકોએ 20,000 ભર્યા હતા. ત્રણ વર્ષ થઈ ગયા છે, તોપણ મકાનો મળ્યા નથી, 3 વર્ષ પછી ડ્રો થયો, પરંતુ તેમાં પણ કેવું કર્યું? પશ્ચિમ વિસ્તારના લોકોને અજવા રોડ પર કેમ બોલાવ્યા, કારણ કે શહેરના મેયર, ધારાસભ્યો અને સાંસદોને ફોટો સેશન કરાવવું હતું. તમે 700થી 800 લોકોને અહીંથી દૂર ત્યાં લઈ ગયા? જ્યારે સર સયાજીરાવ ગૃહમાં ડ્રો હતો, ત્યારે નેતાઓ આવ્યા નહીં, તેમને સમય નહીં હોય. ત્યારે નેતાઓ માટે સ્પેશિયલ પબ્લિકને ત્યાં બોલાવે છે. આવો વહીવટ ચાલી રહ્યો છે. ડ્રો જે જગ્યાનો કર્યો, જ્યાં 1900 મકાનો હજુ બનીને તૈયાર જ નથી. બીજા ટાવરમાં તો પાયો પણ નખાયો નથી, ત્યારે 6 મહિનામાં મકાન મળી જશે એવી લોલીપોપ આપે છે. ગપ્પા મારવાનું બંધ કરો આ ભાજપના નેતાઓ. શરમ કરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમે આ ગરીબોની હાય લઈને ક્યાં જશો? ગરીબોના સપનાના મકાનના નામે આ લોકોએ ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ તેમની મજાક ઉડાવી રહ્યા છે. પેલા EWS વિભાગના જે સિંગલ સાહેબ છે, તે એસી કેબિનમાં બેસીને શું કરે છે? તે સૌથી વધુ જવાબદાર છે. કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે તે અધિકારીને તાત્કાલિક તે જગ્યા પરથી હટાવો, કારણ કે તે વર્ષોથી ત્યાં બેઠા છે. ભૂતકાળમાં આવાસ યોજનાઓમાં ભાજપના કોર્પોરેટરોના નામ નીકળ્યા છે. તો ગરીબોને મકાન આપો. સયાજીપુરામાં ટાવરો 10-10 વર્ષથી તૈયાર છે અને ખખડધજ થઈ ગયા છે. જ્યાં મકાન તૈયાર હતા ત્યાં ગરીબોને આપ્યા નહીં, અને જ્યાં મકાન તૈયાર થયા નથી તેના ડ્રો કરી રહ્યા છે. આવો અનઘડ વહીવટ ભાજપના રાજમાં ચાલી રહ્યો છે.
મહેસાણાના માલ ગોડાઉન નજીકના છાપરા વિસ્તારમાં આજે પરોઢિયે 108 ઈમરજન્સી સેવાના સ્ટાફે સમયસૂચકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવ આશ્રમ લોકેશનની 108 ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થળ પર જ મહિલાની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. વહેલી સવારે અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતીમળતી માહિતી મુજબ મહેસાણાના માલ ગોડાઉન નજીક છાપરા વિસ્તારમાં રહેતા વેજનતાબેન ગોવિંદભાઈને આજે સવારે 05:04 કલાકે અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. તેમના પતિ ગોવિંદભાઈએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો કોલ કર્યો હતો.આ કોલ માનવ આશ્રમ લોકેશનની 108 એમ્બ્યુલન્સને મળતા જ EMT આનંદ પ્રજાપતિ અને પાયલોટ કિરણ દેસાઈની ટીમ તુરંત ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. 108 ટીમે મહિલાની નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરાવીલોકેશન પર પહોંચતા ટીમને રેલવે પાટો ક્રોસ કરીને છાપરા નજીક પહોંચવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બંને સ્ટાફે સમયની ગંભીરતા સમજીને મુશ્કેલ લોકેશન અને છાપરાની અંદર જ વેજનતાબેનની નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી. ડિલિવરી બાદ ટીમે તાત્કાલિક અમદાવાદ ખાતેના ERCP ડોક્ટર વિપુલનું ઓનલાઇન માર્ગદર્શન મેળવી માતા અને બાળકને જરૂરી ઇન્જેક્શન અને RL ટ્રીટમેન્ટ આપી હતી. માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાત્યારબાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતાં. 108 ઈમરજન્સી સેવાના EMT આનંદ પ્રજાપતિ અને પાયલોટ કિરણ દેસાઈની આ સમયસર અને પ્રેરણાદાયી કામગીરી બદલ તેમની પરિવાર જનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલમાં આજે વિવિધ 13 વિદ્યાશાખાઓમાં PHD માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ ટેસ્ટ (PET) 2025-26નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉના પ્રથમ રાઉન્ડમાં નેટ (NET) અને જીસેટ (GSET) પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ ખાલી રહેલી બેઠકો ભરવા માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ વિશેષ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સંપૂર્ણપણે કોમ્પ્યુટર બેઇઝ્ડ (CBT) પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં પારદર્શિતા જાળવવા માટે ખાસ નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના કો-ઓર્ડિનેટર શૈલેષ પરમારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પીએચ.ડી. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડના અંતે જે વિષયોમાં બેઠકો ખાલી રહી હતી, તેવા 13 વિષયો માટે આ પરીક્ષા યોજાઈ હતી. આ પ્રવેશ પરીક્ષા માટે કુલ 179 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. પરીક્ષાના પ્રથમ સત્રમાં કુલ 58 વિદ્યાર્થીઓમાંથી 55 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષાનું આયોજન યુનિવર્સિટીના આધુનિક કોમ્પ્યુટર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. પારદર્શક પદ્ધતિ અને ત્વરિત પરિણામ આ વખતની પરીક્ષાની ખાસિયત તેની ડિજિટલ પદ્ધતિ રહી હતી. શૈલેષ પરમારે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે 100 ગુણનું MCQ આધારિત પેપર રાખવામાં આવ્યું હતું, જેના માટે 120 મિનિટનો સમય ફાળવાયો હતો. કોમ્પ્યુટર બેઇઝ્ડ પરીક્ષા હોવાને કારણે જેવો વિદ્યાર્થી પોતાનું લોગિન પૂર્ણ કરે અથવા પરીક્ષાનો સમય પૂરો થાય, તેની સાથે જ તેને પોતાના ગુણ કોમ્પ્યુટર સ્ક્રીન પર ત્વરિત જોવા મળી રહ્યા છે. આ પદ્ધતિથી પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય છે અને વિદ્યાર્થીઓને પરિણામ માટે લાંબો સમય રાહ જોવી પડતી નથી. ગુજરાત યુનિવર્સિટીના ઓબ્ઝર્વરની દેખરેખ પરીક્ષા પ્રક્રિયાની શુદ્ધતા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કુલપતિ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાના નિરીક્ષણ માટે ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર કિરણસિંહ રાજપૂતની એક્સટર્નલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ પરીક્ષાના સંચાલન અંગેનો પોતાનો વિગતવાર રિપોર્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને સુપરત કરશે. હવે પછીની પ્રક્રિયા: DRC અને એડમિશન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આગળની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સામાન્ય કેટેગરીમાં જે કોઈપણ વિદ્યાર્થીઓ 50 કે તેથી વધુ ગુણ મેળવશે તેઓ લાયક ગણાશે. જ્યારે અનામત કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ 45 કે તેથી વધુ ગુણ મેળવશે તેઓ આગળના રાઉન્ડ માટે પાત્ર ઠરશે. લાયક ઠરેલા વિદ્યાર્થીઓની યાદી જે-તે વિભાગના હેડ (HOD) ને મોકલી આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. 16 થી 19 ડિસેમ્બર દરમિયાન પોતાના જરૂરી દસ્તાવેજો અને 'રિસર્ચ પ્રપોઝલ' સંબંધિત વિભાગમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ, તા. 20 થી 24 ડિસેમ્બર દરમિયાન દરેક વિભાગ દ્વારા ડીઆરસી (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી)નું આયોજન કરવામાં આવશે. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સફળ થનાર વિદ્યાર્થીઓને પીએચ.ડી.માં પ્રવેશ માટે અંતિમ મંજૂરી આપવામાં આવશે. Ph.d. પ્રવેશ પરીક્ષા બાદ ભરવાપાત્ર સીટોવિષય - સીટએપ્લાઇડ ફિઝિક્સ - 06 બોટની - 02 કેમેસ્ટ્રી - 03 કોમ્પ્યુટર સાયન્સ - 10હિન્દી - 08 માઇક્રોબાયોલોજી - 06 ફિઝિક્સ - 07 મેથેમેટિક્સ - 01 આંકડાશાસ્ત્ર - 04 ઝૂ લોજી - 05 ફાર્મસી - 09 ફિઝિયોથેરાપી - 02 ભૂગોળ - 02 કુલ - 65 પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી જગ્યા પર મેરીટના આધારે પ્રવેશ વિષય - સીટ કોમર્સ - 01 અર્થશાસ્ત્ર - 02 એજ્યુકેશન - 13 અંગ્રેજી - 02 મનોવિજ્ઞાન - 01 તત્વજ્ઞાન - 01 કુલ - 20
વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો રૂપિયા 79.17 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂની હેરાફેરી માટે વપરાયેલ કન્ટેનર અને બે ઢોલી બંધુઓની કરજણ પોલીસે ધરપકડ કરી છે. કન્ટેનરમાં સોયાવડીની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતીઆ કાર્યવાહીમાં કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ભરવાડ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, NE-48 પર માંગલેજ ચોકડી પાસે સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં કન્ટેનર પાર્ક કરેલું છે અને તેમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો છે. જેના આધારે ટીમ પહોંચી કન્ટેનરના પાછળના દરવાજાની સીલ તોડી તપાસ કરતાં પહેલા નજરે સોયા વડીના કટ્ટા પડેલા હતા. કન્ટેનરમાંથઈ રૂ,. 79 લાખની કિંમતની 21 હજારથી વધુ બોટલ મળી આવીબાદમાં પોલીસે સઘન તપાસ કરતા કટ્ટાની પાછળ ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 21,264 બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 79,17,504 છે. આ ઉપરાંત બે મોબાઇલ ફોન, કન્ટેનર સહિત કુલ રૂપિયા 89,42,504નો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કરજણ પોલીસે ઝડપેલા આરોપી બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલી (ઉ.વ. 28, રહે. વોર્ડ નં.6, સુનારોકી ગલી, ચાપાનેરી, તા. ભીનાય, જિ. અજમેર રાજસ્થાન), રવિ સુરેશચંદ્ર ઢોલી કે જેઓ બન્ને આરોપીઓ સગાં ભાઈઓ છે અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. કરજણ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જુનાગઢ શહેર પોલીસ દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે શહેરના મધ્ય વિસ્તારમાં એક મહિલા સંચાલિત જુગારધામ પર સફળ દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં જુગાર રમતી અને રમાડતી કુલ 9 મહિલાઓને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવી છે. વણઝારી ચોક નજીક મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુંજુનાગઢના મધ્યમાં આવેલ વણઝારી ચોક, રોનક એપાર્ટમેન્ટના બ્લોક નંબર 404માં ગેરકાયદેસર રીતે જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ધોરણે રેડનું આયોજન કર્યું હતું. પોલીસની ટુકડી સાંજે 7:30 વાગ્યાના અરસામાં બાતમીવાળા સ્થળે ત્રાટકી હતી અને જુગારની પ્રવૃત્તિ રંગેહાથ પકડી પાડી હતી. આ જુગારધામનું સંચાલન મકાન માલિક 34 વર્ષીય નીતાબેન વિજયભાઈ ઝાંઝમેરીયા દ્વારા કરવામાં આવતું હતું. નીતાબેન બહારથી અન્ય મહિલાઓને પોતાના અંગત ફાયદા સારુ બોલાવી, ગેરકાયદેસર રીતે નાલના રૂપિયા ઉઘરાવીને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાડતા હતા. પોલીસે જુગાર રમતી 9 મહિલાઓને ઝડપીપોલીસે રેડ દરમિયાન જુગાર રમતી મહિલાઓમાં નીતાબેન વિજયભાઈ ઝાંઝમેરીયા, નિશાબેન ચેતનભાઈ લુકા, કાન્તાબેન વ્રજલાલ રાજા, ઉષાબેન છોટાલાલ ઝાંઝમેરીયા, પૂજાબેન મહેકભાઈ લુકા, પારૂલબેન સુરેશભાઈ સોલંકી, શારદાબેન નાથાલાલ પાટડીયા સરોજબેન રાજેશભાઈ રાધનપરા, અને ભાવનાબેન ધીરૂભાઇ ઝાંઝમેરીયાનો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય છે. ગુનો દાખલબી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રાજાભાઈની ફરિયાદના આધારે પોલીસે જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ તમામ 9 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ બાળ સંરક્ષણ ગૃહમાંથી બિહારની 17 વર્ષીય કિશોરી ગાયબ થઈ ગઈ છે. આ કિશોરી અપહરણના ગુનાનો ભોગ બની હતી અને વાઘોડિયા પોલીસની કાર્યવાહી બાદ તેને 24 જુલાઈ 20245ની રાત્રે આ સંસ્થામાં સુરક્ષા અને સંભાળ માટે મૂકવામાં આવી હતી. સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ હેતાશ્રી બ્રહ્મભટ્ટે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સ્ટાફની નજર ચૂકવીને આ કિશોરીએ સંસ્થાની દીવાલ ઉપર ચડી ગઈ હતી અને ત્યાંથી ઝાડ પર જઈ કૂદકો મારીને બહાર નીક્કી થઈ હતી. સ્ટાફને જાણ થતાં તુરત જ સંસ્થાની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બે દિવસ વીતી ગયા છતાં કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સંસ્થા ફક્ત ગુનાહિત કેસોનો ભોગ બનેલી અથવા અનાથ બાળકીઓને જ જિલ્લા બાળ કલ્યાણ સમિતીના આદેશ મુજબ રાખવામાં આવે છે અને તે ગાંધીનગરના નિયામક, સમાજ સુરક્ષા ખાતાના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે આસપાસના વિસ્તારમાં પણ શોધખોળ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કિશોરીનું કોઈ અત્તોપત્તો મળ્યો નથી.
મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય આર.સી. મહેતા 37 વર્ષની શૈક્ષણિક સેવા બાદ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. અરવલ્લી જિલ્લાના ગાબટ ગામના વતની આર.સી. મહેતાને માન-સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં તેમનો વિદાય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં ગુજરાત રાજ્ય સંચાલક મંડળના પ્રમુખ શંકરસિંહ રાણા, મહામંત્રી ડૉ. જે.વી. પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામિત, દાતા રાજેશ અરુણ શાહ, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી. પટેલ, રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ઝાયકા ગ્રુપ, મોર્નિંગ વોક ગ્રુપ તેમજ મોડાસા કેળવણી મંડળની તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આર.સી. મહેતાના 37 વર્ષના શૈક્ષણિક સેવાકાળ દરમિયાનના યોગદાનની સરાહના કરી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર, પ્રતિબદ્ધતા અને કર્મનિષ્ઠાના ગુણોનું સિંચન કર્યું હતું. આર.સી. મહેતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાંથી થઈ હતી. સર્વોદય સ્કૂલના આચાર્ય તરીકે તેમણે નિસ્વાર્થ ભાવે શૈક્ષણિક સંસ્થાઓની સેવા આપી હતી. વક્તાઓએ મોડાસા કેળવણી મંડળને મજબૂત બનાવવામાં તેમના અમૂલ્ય ફાળા અને રાજકીય ક્ષેત્રમાં પણ તેમની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. આર.સી. મહેતાના અભિવાદન સમારોહમાં મોડાસા કેળવણી મંડળ, સર્વોદય, બી. કનઈ, કલરવ સ્કૂલના આચાર્ય, શિક્ષક સ્ટાફ, મોડાસાની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને શુભેચ્છકોએ તેમને મોમેન્ટો, ફૂલછડી, પ્રશસ્તિપત્ર, શ્રીફળ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. તેમને નિવૃત્તિ બાદના જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આર.સી. મહેતાની 37 વર્ષની દીર્ઘ સેવા અને શૈક્ષણિક યોગદાન અરવલ્લી સહિત સમગ્ર સમાજ અને આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
31 ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં પીસીબીએ દરોડો પાડી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. સંતરાની આડમાં લાવવામાં આવેલો 78 લાખનો દારૂ ઝડપાયો છે. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી અને પીસીબીએ દરોડો પાડ્યો હતો. પોલીસે પૂછ્યું તો વાહનમાં સંતરા ભર્યાની માહિતી આપીમળતી માહિતી મુજબ પીસીબી સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસપુર સફલ 10ની સામે આવેલા રામકુમાર મીલ કમ્પાઉન્ડના ગોડાઉનમાં એક ટ્રક છે. જેમાં જયેશભાઈ અને રામુભાઈ નામના વ્યક્તિ વિદેશી દારૂનું કટીંગ કરવાના છે. જેથી પીસીબીની ટીમ જગ્યા ઉપર પહોંચી ગઈ હતી જ્યાં બે શખ્સ ઉભા હતા બંને શખ્સને પોલીસે ઝડપી અને તેમની પૂછપરછ કરતાં એક શખસે પોતાનું નામ રમેશચંદ્ર ઝુલાહા (રહે. હિમાલચલ પ્રદેશ) અને બીજા શખ્સે ફિરોજ ઉર્ફે સલીમ શેખ (રહે. ગોમતીપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા આ ટ્રકમાં સંતરા ભરેલા હોવાનું કહ્યું હતું અને સી ચાર નંબરના ગોડાઉનમાં મૂકવાના છે જેના માટે ફિરોઝ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્લાસ્ટિકના કેરેટમાં ચેક કર્યું તો નીચે દારૂ છુપાવેલો મળ્યોપોલીસે ટ્રકમાં તપાસ કરતાં અલગ અલગ પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા હતા જેને હટાવીને જોતા અંદર મોટા બોક્સ મળી આવ્યા હતા અને બીજા પુઠાના બોક્સ પણ મળી આવ્યા હતા જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે આ બાબતે પૂછપરછ કરતા ગોડાઉનમાં પણ જ્યારે તપાસ કરી તો પુઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ગોડાઉન અંગે તપાસ કરતા શિયા રોડલાઇન્સનું ગોડાઉન હતું જેના માલિક જયેશભાઈ પરમાર છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિદેશી દારૂની તમામ પેટીઓ રાખીને અલગ અલગ જગ્યાએ મોકલવાની હતી. ચંદીગઢથી દારૂ ભરવામાં આવ્યો હતોકેટલીક વિદેશી દારૂની પેટીઓ રાશીદ ઉર્ફે રાનુ રાઈને (રહે. સૈયદવાડી વટવા)ને આપવાનો અને બાકીનો જથ્થો ક્યાં આપવાનો હતો તેની જયેશભાઈ પરમાર અને તેમની સાથે કામ કરતો મોનુને જાણ છે. ટ્રક ડ્રાઇવર રમેશચંદ્રને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી ડ્રાઇવિંગ નો વ્યવસાય કરે છે છેલ્લા દોઢ વર્ષથી હિમાચલ પ્રદેશના પંકજ ઠાકોરના ત્યાં ડ્રાઇવરની નોકરી કરે છે પંકજ ઠાકોરની ટ્રક ચલાવે છે. 10 ડિસેમ્બરના રોજ બપોરે અમદાવાદથી પંડિતજી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ટ્રક ચંદીગઢ ટ્રાન્સપોર્ટ એરીયા સેક્ટર 26 ના ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં લઈને આવવાનું કહ્યું હતું. જેથી તેઓ ટ્રક લઈને ત્યાં ગયા હતા અને તે ટ્રક લોડેડ કરીને લઈને આપવામાં આવ્યા હતા. આ ટ્રક અમદાવાદમાં સરસપુર રામ મિલ કમ્પાઉન્ડમાં રોડલાઇન્સ માં આપવાનું કહ્યું હતું. 15 દિવસ પહેલા પણ અહીં દારૂ લાવવામાં આવ્યો હતોજ્યારે પણ ચંદીગઢ થી અમદાવાદ આવવા નીકળે ત્યારે લોકેશન મળતા રહેશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ ચંદીગઢ થી જયપુર થઈ ઉદેપુર થી શામળાજી થી હિંમતનગર થઈને મોટા ચિલોડા અને નાના ચિલોડા સુધી આવ્યા હતા. નાના ચિલોડા ખાતે પહોંચીને પંડિતજીને ફોન કર્યો હતો ત્યારે તેમણે બબ્બર નામના વ્યક્તિએ મોકલ્યો હતો જે છોટા હાથી જેવું વાહન લઈને આવ્યો હતો ને ટ્રકનું પાઈલોટીંગ કરીને સરસપુર ખાતે લઈને આવ્યો હતો. જ્યારે સરસપુર ખાતે પહોંચ્યા ત્યારે બબ્બર નામના વ્યક્તિએ પંડિતજીને કરેલા તમામ ફોન નંબર ડીલીટ કરી નાખ્યા હતા અને ફોન પરત આપી દીધો હતો. બે મહિના પહેલા પણ નાની ગાડીમાં 14 પેટી દારૂ લઈને આ જ ગોડાઉનમાં ખાલી કરવા આવ્યો હતો અને 15 દિવસ પહેલા પણ આ જ ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. પોલીસને ટ્રકમાંથી અલગ અલગ પુઠાના બોક્સમાં કુલ 15,996 દારૂની પેટી રૂ.78 લાખની મળી આવી હતી આ ઉપરાંત સંતરા પણ મળી આવ્યા હતા તમામ મુદ્દામાલને પોલીસે કબજે કરી લીધો હતો. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને પીસીબીએ દરોડો પાડ્યોશહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરસપુર રામકુમાર મીલ કમ્પાઉન્ડમાં આવેલા ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટીંગ થતું હતું છતાં પણ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. 15 દિવસ પહેલા પણ ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો ત્યારે પણ શહેર કોટડા પોલીસને જાણ ન થઈ અને 11 ડિસેમ્બરના રોજ પણ મોટા પ્રમાણમાં આખી ટ્રક ભરીને દારૂ આવ્યો છતાં પણ શહેર કોટડા પોલીસ ઊંઘતી ઝડપાઈ અને પીસીબી ની ટીમ દ્વારા દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે ત્યારે દારૂનો જથ્થો શહેરમાં ક્યાંય પણ ન મળવો જોઈએ તેવી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ પણ શહેરકોટડા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.
જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને શિયાળો ગાળવા જામનગર પહોંચ્યા છે. જામનગરને વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની માનવામાં આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને રણમલ તળાવ આસપાસના વિસ્તારો આ પક્ષીઓના મનપસંદ સ્થળો છે. રણમલ તળાવમાં 'મલાર્ડ' નામનું પક્ષી પણ જોવા મળ્યું છે, જે પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લીલા માથા અને પીળી ચાંચ ધરાવતું બતક જેવું દેખાતું 'મલાર્ડ' પક્ષી ઇકોસિસ્ટમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પક્ષીને નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે, ઘણા નાગરિકો આ પક્ષીઓને ચણની સાથે ગાંઠિયા પણ ખવડાવે છે, જે પક્ષીઓ માટે અત્યંત હાનિકારક છે. ગત વર્ષે ખોરાકી ઝેરને કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. આથી, નિષ્ણાતો, પક્ષીપ્રેમીઓ અને તંત્ર દ્વારા નાગરિકોને પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા સતત અનુરોધ કરવામાં આવે છે. વિદેશી પક્ષીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આ પગલું જરૂરી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઓપરેશન કારાવાસ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લા 3 વર્ષથી પેરોલ રજા પરથી ફરાર થયેલો પાકા કામનો કેદી રાજકુમાર કાકડે આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વેશપલટો કરી ખેતરોમાં મજૂરી કામ કરતો હતો, જ્યાંથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો છે. આરોપી વેશપલટો કરી શેરડીના ખેતરમાં છુપાયો હતોસુરત ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે, પાકા કામનો કેદી નંબર 2270 રાજકુમાર ઉર્ફે રાજા સુભાષભાઈ કાકડે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મજરથ ગામમાં દરોડો પાડ્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે રાજકુમાર વેશપલટો કરી એક મજૂર તરીકે શેરડીના ખેતરમાં કામ કરી રહ્યો હતો અને ખેતરમાં જ ઝૂંપડું બાંધીને રહેતો હતો. પોલીસે તેને ઘેરી લઈને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. 2020માં સગીરાને મહારાષ્ટ્ર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતુંઆ કેસની વિગત એવી છે કે, વર્ષ 2020માં સુરતના ભટાર વિસ્તારમાંથી આરોપી રાજકુમારે એક 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી 12 જૂન, 2020ના રોજ અપહરણ કર્યું હતું. સગીરાને મહારાષ્ટ્ર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 20 વર્ષની કેદની સજા અને 5 દિવસના પેરોલ પરથી ફરારડી.પી. ગોહીલએ 30 જુલાઈ, 2022ના રોજ આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા રાજકુમાર કાકડેને 20 વર્ષની સખત કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સજા પડ્યા બાદ આરોપીએ 2022ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટમાંથી 5 દિવસના પેરોલ મેળવ્યા હતા. તેને 23 ઓક્ટોબર 2022ના રોજ પરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. છેલ્લા 3 વર્ષથી તે પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. ફરાર થયા બાદ તે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં મુકુંદવાડી ખાતે ભાડે રૂમ રાખી મિસ્ત્રી અને કડીયાકામ કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પોકસોના ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી દબોચ્યોછેલ્લા 2 મહિનાથી તે પકડાઈ જવાના ડરથી પોતાના ગામથી આશરે 200 કિલોમીટર દૂર મજરથ ગામમાં શેરડી કાપવાની મજૂરી કરતો હતો.સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આ રીઢા ગુનેગારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વડોદરા જિલ્લાના પોર ગામ નજીક કાયાવરોહણથી પોર તરફ જતા રસ્તા પર આજે વહેલી સવારે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં 27 વર્ષીય યુવાન યોગેશ અરવિંદભાઈ તડવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમની ઇકો કાર અને એક ડમ્પર ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. ઈકો કાર ચાલક યોગેશ ફસાઈ જતા કરજણ ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો, જો કે ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. યોગેશ તડવીનું મોત થતા 6 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવીઆ ઘટનામાં મૃતક યોગેશ પોર ગામમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને પોર જીઆઈડીસીમાં નોકરી કરતા હતા. તેઓને 6 વર્ષનો પુત્ર છે. તેમના પિતા અરવિંદભાઈ રમણભાઈ તડવી જેઓ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ ગામમાં ખેતી કરીને જીવન ગુજારે છે, તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ યોગેશ તેમના મિત્ર પંકજભાઈ કાનજીભાઈ પરમારના પરિવારને તેમની ઇકો કારમાં બેસાડી વડોદરા શહેરની કર્ણાવટીમાં લગ્ન પ્રસંગમાં લઈ ગયા હતા. લગ્ન પૂરા થયા બાદ તેઓ મિત્રના પરિવારને ટીમ્બરવા ગામે તેમના ઘરે મૂકીને પોર તરફ પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના સુમારે અણખી ગામની સીમમાં ખેતર પાસે તેમની કારને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા (ડમ્પર) ટ્રક પુરઝડપે અને બેદરકારીથી અથડાવી હતી. અકસ્માત પછી ટ્રક ચાલક વાહનને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પરિવારને કરતા પિતા ગામના અન્ય લોકો સાથે પોર પોલીસ ચોકી પહોંચ્યા અને ત્યાંથી પોર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં યોગેશની લાશ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હતી. ફાયરબ્રિગેડે કારના પતરા કાપવાની ફરજ પડીઅકસ્માતમાં યોગેશને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી યોગેશને કારના ક્ષતિગ્રસ્ત ભાગમાંથી બહાર કાઢ્યા હતા. કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકને ઈકો કારમાંથી પતરા કાપી બહાર કાઢ્યો હતો. બાદમાં તેને પોર હોસ્પિટલમાં ખસેડ્યો હતો જો કે યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ મામલે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના રાતાભેર ગામેથી ચોરાયેલી 3 ભેંસ, 1 પાડી મળી:1 આરોપી ઝડપાયો, CCTV ફૂટેજ આધારે અન્યની શોધખોળ
હળવદના રાતાભેર ગામમાંથી ₹1 લાખની કિંમતની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી થઈ હતી. આ ગુનામાં પોલીસે ચોરાયેલા પશુઓ સાથે એક આરોપી, જયંતિભાઈ છગનભાઈ સોનગઢી,ની ધરપકડ કરી છે. આ અંગે મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુકેશભાઈ ઇન્દરિયા (ઉંમર 37) એ પોલીસને જણાવ્યું હતું કે, રાતાભેર ગામની સીમમાં જીઇબી પાસે આવેલી તેમની વાડીએથી તેમની એક ભેંસ અને એક પાડી, જેની કિંમત ₹40,000 છે, તેની ચોરી થઈ હતી. આ ઉપરાંત, અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસની પણ ચોરી થઈ હતી. કુલ મળીને ₹1 લાખના ચાર પશુઓની ચોરી થઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ હળવદ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, હરવિજયસિંહ ઝાલા અને સાગરભાઈ કુરિયાને મળેલી બાતમીના આધારે પોલીસે વાંકીયા ગામની સીમમાંથી જયંતિભાઈ છગનભાઈ સોનગઢી (ઉંમર 42) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલી ત્રણ ભેંસ અને એક પાડી મળી આવી હતી. આરોપી જયંતિભાઈ, જે ધરમપુર ટિંબડી (મૂળ રહે રાલેજ, તાલુકો ખંભાત)નો રહેવાસી છે, તેણે પૂછપરછ દરમિયાન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીની આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેના આધારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોક ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીઆ ચૂંટણી પ્રક્રિયા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં સંપન્ન થઈ હતી.અશોક ચૌધરીના પુનરાવર્તનથી ડેરીમાં તેમના નેતૃત્વ પર ફરી વિશ્વાસ વ્યક્ત કરાયો છે,જ્યારે દશરથભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક બાદ ડેરીના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિનિધિઓને મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના સમયગાળામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. હવે રાજ્યમાં ગણતરી તબક્કો 14 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશનની તારીખ પણ બદલવામાં આવી છે. અગાઉ 16 ડિસેમ્બરે પ્રકાશિત થનાર યાદી હવે 19 ડિસેમ્બરે પ્રકાશિત થશે. બેઠકમાં કમી થતા મતદારોની યાદી (ASD લિસ્ટ) પર પણ ચર્ચા થઈ હતી. જિલ્લાના દરેક મતદાન મથકવાર ASD યાદી તૈયાર કરીને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવી છે. તેમાં કોઈ ભૂલ કે સુધારા-વધારાની જરૂર જણાય તો તાત્કાલિક ચૂંટણી તંત્રને જાણ કરવા વિનંતી કરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLA–1 અને BLA–2ની નિયુક્તિ તેમજ પોલિંગ સ્ટેશનોના રેશનલાઇઝેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2026 માટે જિલ્લાના તમામ પોલિંગ સ્ટેશનોની સુધારેલી યાદી 30 ઓક્ટોબર, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. CEO અને ECI દ્વારા જારી કરાયેલા પરિપત્રો અને માર્ગદર્શિકાઓ વિશે પણ માહિતી અપાઈ હતી. આ પ્રક્રિયાનો હેતુ આગામી ચૂંટણી કાર્યક્રમને સુગમ, પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નિનામા સહિત ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડા મોકલવાના બહાને યુવક સાથે છેતરપિંડી:વાહન બુકિંગના નામે પૈસા પડાવી લેવામાં આવ્યા, ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેરમાં કેનેડા મોકલવાના બહાને અને વાહન અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નવા વાડજ વિસ્તારમાં રહેતા મહિલાને તેમના દીકરાને કેનેડા મોકલવાના બહાને એક લાખ રૂપિયા આપી દીધા હતાં. બાદમાં ઓફિસ બંધ હતી જેથી છેતરાયા હોવાની જાણ થઈ હતી. વાસણા વિસ્તારમાં વાહન બુકિંગના નામે પૈસા લઈને વાહનની ડિલિવરી ન આપીને પણ છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. માઈગ્રેટ ટુ કેનેડા વિથ વર્ક વિઝા નામની સ્કીમમાં ફસાયાઆ અંગેની વિગત એવી છે કે શહેરના નવા વાડજ વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા અને ઘરકામ કરનાર શિલ્પાબેન ઉપાધ્યાય અને રાણીપ વિસ્તારમાં આવેલા આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે હોમ કેર પ્રોડક્ટ બાબતે તેમની મિત્ર કાશ્મીરાબેન થકી અરમાન જોશી નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. અરમાન જોશી સાથે હોમ કેર પ્રોડક્ટ બાબતે અવારનવાર મળવાનું થતું હતું. ત્યારબાદ અરમાન જોશીએ પોતે એમ પી એફ ફ્યુચર કંપની છે જે માઈગ્રેટ ટુ કેનેડા વિથ વર્ક વિઝા નામની સ્કીમ ખોલી છે. વ્યક્તિની લાયકાત પ્રમાણે તેઓ કેનેડામાં નોકરી અપાવે છે. વર્ષ 2023માં મે મહિનામાં શિલ્પાબેનને તેના પુત્ર તનિષ ઉપાધ્યાયને કેનેડા મોકલવા માટેની વાત કરી હતી. જેથી અરમાન જોશીએ 8 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. કેનેડાની ફાઈલ બનાવવા માટે તેઓએ મિત્ર કાશ્મીરાબેનની હાજરીમાં એક લાખ રૂપિયા આપ્યા હતા જેમાં 50,000 રૂપિયાની પહોંચ આપી હતી અને બાકીના 50000 રૂપિયાની પહોંચ પછી આપીશું એવી વાત કરી હતી. કંપની બંધ, છેતરાયાની જાણ થતાં ફરિયાદ નોંધાઈઅરમાન જોશી એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા હતા અને બાદમાં ફાઈલની પ્રોસેસ ચાલુ છે વર્ક પ્રોસેસ ચાલુ છે દુબઈમાં વર્ક પરમીટની પ્રોસેસ ચાલુ છે વગેરે કહી અને તેઓ દ્વારા ગલ્લા કલ્લા કરવામાં આવ્યા હતા ત્યારબાદ કંપનીએ તપાસ કરવામાં આવતા કંપની બંધ હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીલ પણ મારેલું હતું જેથી પોતે છેતરાયાની જાણ થતાં આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાહનના બુકિંગ પેટે પૈસા લઈને છેતરપિંડી કરીઅમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતા પ્રતાપભાઈ પઢારને બર્ગમેન વાહન લેવું હતું જેના કારણે થઈને તેઓ બાવળા અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ ત્યાં વાહન મળતું નહોતું જેથી અમદાવાદના વાસણા વિસ્તારમાં ગુપ્તાનગરમાં સિદ્ધિવિનાયક આર્કેડ ખાતે આવેલા SAMS ફોટો નામના શોરૂમમાં માનસી અને સંજય સોનીને મળ્યા હતાં. બર્ગમેન વાહનનું બુકિંગ કરાવ્યું હતું. જે પેટે 1.16 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા ત્યારબાદ તેઓને બે દિવસ પછી વાહનની ડિલિવરી આપવા માટે કહ્યું હતું. જોકે વાહનની ડિલિવરી આપવામાં આવી નહોતી ત્યારબાદ ફરીથી ફોન કરતા 15 દિવસ બાદ તેમને ડિલિવરી આપવા માટે કહ્યું હતું. આ બાબતે બે થી ત્રણ વખત વાહનની ડિલિવરી કરવામાં ગલ્લા તલ્લા કરતા તેઓ શોરૂમ ઉપર ગયા ત્યારે શોરૂમ બંધ હતો. અનેક લોકો પાસેથી આ રીતે વાહનના બુકિંગ પેટે પૈસા લઈને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આમ તો વડોદરા શહેરમાં પીક અવર્સ સમયમાં ભારદારી વાહનો સામે પ્રવેશ બંધી અંગેનું પોલીસ કમિશ્નરનુ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. છતાં પણ માતેલા સાંઢની જેમ ભારદારી વાહનો શહેરમાં યમરાજ બની ફરી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ શહેરના LT સર્કલ પાસે બસ ચાલકે દંપતીને અડફેટે લીધું હતું જેમાં મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ ઘોર નિદ્રામાંથી જાગેલ ટ્રાફિક પોલીસ અચાનક જ ભારદારી વાહનો પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું હોય તેમ ઘટના બાદ જાગી ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાના મોત બાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ!ગુજરાતીમાં કહેવત છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ વડોદરા ટ્રાફિક પોલીસે સર્જ્યો છે. શહેરમાં માતેલા સાંઢની જેમ ફરતા ભારદારી વાહનો સામે અંકુશ લાવવામાં નિષ્ફળ રહેલ ટ્રાફિક પોલીસે આખરે એક મહિલાના મોત બાદ પોલીસ ડ્રાઈવ શરૂ કરી છે. શહેરના LT સર્કલ ખાતે નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક પૂર્વ તેમજ ટ્રાફિક શાખા પૂર્વ ઝોનના સેક્ટર પોલીસ ઈન્સ્પેક્ટરો અને રોયલ ઈનચાર્જની અલગ-અલગ ટીમો બનાવી ટ્રાવેલ્સોની લકઝરી બસો તેમજ ભારદારી વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 23 ભારદારી વાહનો ડિટેઈન આ કાર્યવાહીમાં શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અંતર્ગત સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4થી 9 વાગ્યા દરમ્યાન પરમીશન વગર શહેર વિસ્તારમાં પ્રવેશ કરતાં ભારદારી વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 21 બસો અને 2 મિલર એમ કુલ-23 ભારદારી વાહનો ડિટેઈન કરી કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર વડોદરા શહેરમાં અકસ્માતો સામે આવી રહ્યા છે. ત્યારે આવા ભારદારી વાહનોના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોગમાઈ રહ્યા છે ત્યારે અવિરત પણે આ જ પ્રકારે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
ભરૂચના મકતમપુર રોડ સ્થિત જ્ઞાનસાધન આશ્રમ મેદાનમાં ભરૂચ-નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા 18 થી 24 ડિસેમ્બર દરમિયાન શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ઓમકારેશ્વર મંદિર નજીક આવેલા અંધજન કાર્યાલયના મેદાનમાં દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન યોજાશે. ગુરુવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં NAB ગુજરાત શાખાના મંત્રી તારક લુહાર, ભરૂચ-નર્મદા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા, ફંડ રેઝિંગ કમિટી ચેરમેન કૌશિક પંડ્યા, નરેશ ઠક્કર, સંજીવ શ્રોફ, ભરત પારેખ, કનુ પરમાર અને ગોપાલ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ આયોજન અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. દેશ-વિદેશમાં 400 થી વધુ કથાઓ કરનાર અને શ્રીમદ્ ભાગવત પર પી.એચ.ડી.ની પદવી ધરાવતા યુવા પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી શિવ મહાપુરાણનું કથાવિસ્તાર કરશે. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ-નર્મદા જિલ્લા શાખા છેલ્લા ત્રણ દાયકાથી અંધજનો અને અન્ય દિવ્યાંગજનો માટે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે શિક્ષણ અને તાલીમની સ્થાનિક સુવિધાઓનો અભાવ હોવાથી, સંસ્થા તેની સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. આ અંતર્ગત, સમાજમાં જાગૃતિ અને સેવાભાવ વધારવાના હેતુથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે.
ACF શૈલેષ ખાંભલા દ્વારા પત્ની અને બે સંતાનોની હત્યા બાદ પોલીસે ઝડપી તપાસ કરી આરોપીને પકડી લીધો છે. આ ઘટનાના પગલે ભાવનગર બાર અને ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ આ આરોપીનો બચાવ ન કરવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. અન્ય જિલ્લાનાં વકીલોને પણ બચાવથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. બાર અને ક્રિમિનલ બાર એસોસિએશન આ જઘન્ય અપરાધને સખત શબ્દોમાં વખોડ્યો છે. 'પોલીસને શૈલેષે ગેરમાર્ગે દોરવવા ઘણો પ્રયત્ન કર્યો'આ અંગે 12 એસોસિએશનના પ્રમુખ હિમાંશુ બાલકૃષ્ણ જોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં થોડા સમય અગાઉ શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ પોતાના પત્ની અને બે સંતાનો, દીકરો અને દીકરીની હત્યા કરી એવી ફરિયાદ થઈ છે. પોલીસે આ અંગે તપાસ કરી, પોલીસને એને(શૈલેષ) ગેરમાર્ગે દોરવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ફાઇનલી પોલીસની જે કડીઓ મળતા એના આરોપીને પકડી લીધો છે અને એની સામે અત્યારે કાર્યવાહી ચાલુ છે. ચાર્જસીટ પછી થશે. પોલીસ તપાસ અત્યારે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. પોલીસને અમે બિરદાવીએ છીએ. 'શૈલેષ ખાંભલાની બચાવ કરવા વકીલો રોકાશે નહીં'બાલકૃષ્ણ જોશીએ જણાવ્યું હતું કે, અમે ભાવનગર બાર એસોસિએશન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ સ્વૈચ્છિક એવો નિર્ણય લીધેલ છે. આ વ્યક્તિ શૈલેષ ખાંભલાની બચાવ કરવા વકીલો રોકાશે નહીં. અને બીજા જિલ્લાના વકીલોને અમે વિનંતી કરીએ છીએ, શક્ય હોય ત્યાં સુધી તમે તમારી રીતે તમારા આત્માનો અવાજ સાંભળો. જે વ્યક્તિએ પોતાના પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી એવી પોલીસ ફરિયાદ લીધી છે, પોલીસે ખુદે કરી છે, ત્યારે એનો બચાવ કરવો ના જોઈએ. તો તમે પણ તમારી રીતે એનો બચાવ કરવા રોકાવ નહીં એવી અમારી વિનંતી છે. 'આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ'તેને વધુમાં કહ્યું કે, આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કૌટુંબિક ઝઘડો કે કૌટુંબિક વાતાવરણને કોઈપણ રીતે આવું ઉગ્ર સ્વરૂપ આપીને કોઈ વ્યક્તિએ પોતાના પરિવાર સાથે આવો જઘન્ય કૃત્ય કરાય જ નહીં. એવું શાસ્ત્રમાં ઉપરાંત આપણા સમાજમાં વર્ષોથી આવે છે. પણ અને બહુ જ ખરાબ કૃત્ય કર્યું છે. અમે એને પણ વખોડી રહ્યા છીએ.
દસ્તાવેજની ચોરી કરી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ ભાવનગર શહેરના સિદસર-ચિત્રા રોડ મીરાનગર ખાતે રહેતા અને ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈના પત્નીએ પોતાના જ દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પિતા એ આજીવન કમાણીથી બનાવેલ ઘર પુત્રએ પોતાના નામે કરાવવા મકાનનો કબજો લઈ, મકાન ખાલી કરાવવા માતા-પિતાને માર મારી, દસ્તાવેજ ચોરી કરી હોવાનો અને જાનથી મારી નાખવા ની ધમકી સહિતની ફરિયાદ માતાએ પુત્ર વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે નોંધાવી હતી. આજીવનની કમાણીમાંથી બનાવેલું મકાન આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી ગંગાબેન દેવજીભાઈ સોલંકી ઉ.વ.69, રહે.ઉમરાળા, મુળ રહે.મીરાનગર ભાવનગર વાળા ફરિયાદમાં તેમના પતિ દેવજીભાઈ સોલંકી ગુજરાત પોલીસમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હતા અને પંદરેક વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમણે તેમની આજીવનની કમાણીમાંથી સિદસર-ચિત્રા રોડ પર મીરાનગરમાં પ્લોટ નં. 69-બી પર આશરે 232 ચોરસ વારનો પ્લોટ ખરીદી મકાન બનાવ્યું હતું, જેનો દસ્તાવેજ પતિ દેવજીભાઈના નામે છે. બંને આ મકાનમાં નિવૃત્ત જીવન પસાર કરતા હતા. પેરાલિસિસગ્રસ્ત પિતા અને વૃદ્ધ માતા પર પુત્રનો અત્યાચાર બે વર્ષથી પતિ દેવજીભાઈને પેરાલિસિસની બીમારી છે. આ સમય દરમિયાન, તેમનો દીકરો ધીરજ દેવજીભાઈ સોલંકી ઉ.વ.50 જે પત્ની અને બાળકો સાથે અલગ ભાડે રહે છે, તે અવારનવાર ઘરે આવી માતા-પિતાને મકાન ખાલી કરવા અને દસ્તાવેજ પોતાના નામે કરી આપવા માટે ગાળો આપી ઢીકા-પાટુનો માર મારતો હતો. દીકરાના ત્રાસથી કંટાળી ગંગાબેન અને તેમના પતિ, મકાનનો અસલ દસ્તાવેજ પતરાના કબાટના લોકરમાં સંતાડી, મકાનને તાળું મારી છેલ્લા છ મહિનાથી તેમની દીકરી નિર્મળાબેનના ઘરે ઉમરાળા રહેવા ચાલ્યા ગયા હતા. તાળું તોડી ઘરમાં પ્રવેશી દસ્તાવેજની ચોરી કરી ગઈ તા.18/11/2025 ના રોજ સવારના આશરે અગિયાર વાગ્યે ગંગાબેન પોતાની દીકરી પારૂલબેન રહે.રાજકોટ સાથે મીરાનગર સ્થિત પોતાના ઘરે ચીજ-વસ્તુ લેવા માટે ગયા હતા. ત્યારે તેમણે જોયું કે, દીકરા ધીરજે તેમના મકાનનું મેઇન ગેઇટનું તાળું તોડી નાખ્યું હતું અને તે પોતે મકાનમાં રહેતો હતો.ઘરમાં જઈ કબાટનું લોકર તપાસતા તેનો લોક પણ તૂટેલો હતો અને લોકરમાં સંતાડેલો આશરે રૂ.20,00,000 ની કિંમતના મકાનનો અસલ દસ્તાવેજ ગુમ થઈ ગયો હતો, 'આ દસ્તાવેજ મેં લીધો છે, તું અહીંથી જતી રહે, નહીંતર જીવતી નહીં રહેવા દઉં' ગંગાબેને દીકરા ધીરજને દસ્તાવેજ બાબતે પૂછતાં તેણે કહ્યું કે, આ દસ્તાવેજ મેં લીધેલ છે અને આ મકાન મારા નામે કરવાનું છે. તું ડોશી અહીંથી જતી રહે, નહીંતર તને જીવતી નહીં રહેવા દઉં. તેમ કહી ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારી માતા અને બહેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. દીકરો હોવાથી ગંગાબેને ઘરમેળે સમાધાન થાય અને દસ્તાવેજ પરત મળી જાય તે આશાએ તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ આજદિન સુધી દસ્તાવેજ પરત ન મળતા આખરે તેમને પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ગંગાબેનના પતિએ ફરિયાદમાં ઉમેર્યું કે, ધીરજ અગાઉ પણ બે-ત્રણ વાર તેમને બળજબરીથી દસ્તાવેજ પોતાના નામે કરી લેવા માટે મામલતદાર ઓફિસમાં લઈ ગયો હતો. પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ આખરે ગંગાબેન તેમની દીકરીઓ પારૂલબેન અને નીતાબેન સાથે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. ગંગાબેનની ફરિયાદના આધારે, તેમના દીકરા ધીરજ દેવજીભાઈ સોલંકી વિરુદ્ધ તા.18/11/2025 ના સવારના અગિયાર વાગ્યા પહેલાના કોઈ પણ સમયે મકાનનું તાળું તોડી ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ, કબાટનું તાળું તોડી અસલ દસ્તાવેજની ચોરી કરવા બદલ, ગાળો આપી માર મારવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આયુષ મંત્રાલયના સહયોગથી બીજી WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારત 2023માં ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાયેલી પ્રથમ સમિટ પછી બીજી વખત આ વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરશે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ આરોગ્ય અને સુખાકારી માટે પરંપરાગત દવાને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે, જે ભારતના સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ ના વિઝન સાથે સુસંગત છે. આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું કે, આ વર્ષની સમિટની થીમ સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર (Restoring balance: The science and practice of health and well-being) છે. આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોના મંત્રીઓ, નીતિ ઘડવૈયાઓ, વૈશ્વિક આરોગ્ય નેતાઓ, સંશોધકો, નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેશે. આયુષ મંત્રાલય અશ્વગંધા પર એક સમર્પિત સાઇડ ઇવેન્ટનું પણ આયોજન કરશે. અશ્વગંધા ભારતના સૌથી જાણીતા અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરાયેલા ઔષધીય છોડમાંથી એક છે, જે પરંપરાગત અને સમકાલીન આરોગ્ય પ્રથાઓમાં તેના મહત્વને પ્રકાશિત કરશે. પરંપરાગત દવાઓમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ નોંધનીય છે. આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી જેવી આયુષ પ્રણાલીઓ સદીઓથી લોકોની સેવા કરી રહી છે અને આજે તે સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે વિશ્વભરમાં વિશ્વસનીય ઉકેલો તરીકે માન્યતા પ્રાપ્ત છે. ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના ભારતના પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓમાં વધી રહેલા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે. આગામી સમિટના આયોજનમાં આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રયાસો પ્રશંસનીય છે. પરંપરાગત દવામાં જાગૃતિ વધારવા અને જાહેર વિશ્વાસને મજબૂત કરવામાં મીડિયાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. ભારતના પ્રધાનમંત્રી સમિટના સમાપન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. સમિટમાંથી ઉદ્ભવતા વિચાર-વિમર્શ અને સહયોગ વિશ્વને આરોગ્ય સંભાળના વધુ સર્વગ્રાહી,સમાવેશી અને ટકાઉ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપશે. પરંપરાગત દવા પરની વૈશ્વિક નિર્ભરતાને ધ્યાનમાં રાખીને, સંશોધન, નવીનતા અને નિયમનકારી મજબૂતીકરણ દ્વારા પુરાવાના અંતરને દૂર કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સમિટના વિચાર-વિમર્શના ભાગરૂપે,અશ્વગંધા: પરંપરાગત જ્ઞાનથી વૈશ્વિક અસર સુધી–અગ્રણી વૈશ્વિક નિષ્ણાતોના પરિપ્રેક્ષ્યોશીર્ષકવાળી એક કેન્દ્રિત સાઇડ ઇવેન્ટ 17–19 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. WHO-GTMC દ્વારા આયુષ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સત્ર અશ્વગંધાની વૈજ્ઞાનિક સમજને વધુ ગાઢ બનાવવા માટે અગ્રણી સંશોધકો, નીતિ ઘડવૈયાઓ અને ક્લિનિશિયનોને એકસાથે લાવશે. ચર્ચાઓ પરંપરાગત જ્ઞાનની સમજ સાથે જોડાયેલા તેના અનુકૂલનશીલ, ન્યુરોપ્રોટેક્ટિવ અને ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણધર્મો પરના સમકાલીન પુરાવાઓને પ્રકાશિત કરશે. સલામતી મૂલ્યાંકન પર ભાર મૂકતા, આ સત્રનો હેતુ ઉચ્ચ-ગુણવત્તાવાળા, પુરાવા-આધારિત અશ્વગંધા ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિને વધુ આગળ વધારવાનો છે. ITRAની વ્યૂહાત્મક ભૂમિકાઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર, આયુર્વેદ ક્ષેત્રે ભારતની મુખ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થા, સમ્મેલનમાં રાષ્ટ્રીય શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને તકનીકી ભાગીદાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ITRAના યોગદાનમાં સમાવેશ છે:પ્રો. તનુજા નેસરી, ડિરેક્ટર, ITRA — કાર્યક્રમ માટેની મુખ્ય કારોબારી કમિટીના સભ્ય છે અને વિવિધ કાર્યક્રમોનું સંકલન સંભાળી રહ્યાં છે. પ્રો.(ડૉ.) તનુજા નેસરી સમ્મેલનમાં મહત્વપૂર્ણ નેતૃત્વ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં તેઓ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે એક્સપો અને સાંસ્કૃતિક પ્રસ્તુતી સમિતિમાં તેમજ સહ-અધ્યક્ષ તરીકે ડિજિટલ હેલ્થ અને ઇનોવેશન સમિતિમાં કાર્યરત રહેશે. નવા WHO GTMC કેમ્પસ તૈયાર થાય ત્યાં સુધી WHO GTMCનું કામચલાઉ કાર્યાલય ITRA કેમ્પસમાં સ્થિત છે. પુરાવા સંકલન, ફાર્માકોવિજિલન્સ, ડિજિટલ દસ્તાવેજીકરણ, શિક્ષણ, નૈતિકતા, જૈવવિધતા અને એકીકરણ ફ્રેમવર્ક માટે સમ્મેલનના ટ્રૅક્સ માટે પૃષ્ઠભૂમિ સંશોધન પેપરો, ટેક્નિકલ બ્રીફ્સ અને સંકલ્પ નોંધો પ્રદાન કરવી. જ્ઞાન સંચાલન, નિષ્ણાતોની ભલામણો, ક્ષમતા-વિકાસ મોડ્યુલ્સ, WHO ફેલોશિપ ફોર્મેટ્સ અને આંતરરાષ્ટ્રીય સહકાર ફ્રેમવર્ક સુગમ કરવું. ITRAના સહયોગથી સંકૃતિ અને સંગિતના માધ્યમથી થશે વિશેષ પ્રસ્તુતી:આઇ.ટી.આર.એ. જામનગરના પ્રયાસો અને વિચારબિંદુથી સ્વરૂપવંત થયેલા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આ વૈશ્વિક સમ્મેલનમાં મંચન થવા જઇ રહ્યું છે. જેમાં પદ્મશ્રી અને ત્રણ વાર સંગિત વિશ્વનો ગ્રેમી એવોર્ડ વિજેતા “વિકિ કેજ” દ્વારા 'રિસ્ટોરિંગ ધ બેલેન્સ' થીમ પર શબ્દ-સંગિતના માધ્યમથી સમ્મેલનમાં ઉપસ્થિત વિશ્વભરના લોકો વચ્ચે પ્રસ્તુતી કરશે જેમાં દૂનિયાભરના છેવાડાના અને પરંપરાગત ચિકિત્સા કરતા લોકોની વાતને કેન્દ્રવર્તી બનાવી રજૂ કરવામાં આવશે તેમજ પરંપરાગત ચિકિત્સાના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરાશે. ત્યારે જામનગર માટે એક ગૌરવવંતિ ક્ષણ બની રહેશે. સમ્મેલનમાં એક પ્રદર્શ વિસ્તાર હશે — જેમાં આયુષ મંત્રાલય માટે વિશેષ વિભાગ રહેશે, જેમાં આયુર્વેદ ક્ષેત્રે ભારતના નેતૃત્વને ક્યુરેટેડ પ્રદર્શન, ક્લિનિકલ અને ફાર્માસ્યુટિકલ ડેટા, ઇન્ટિગ્રેટિવ હેલ્થકેર મોડલ્સ, સમુદાય આધારિત ઉપયોગ, આયુર્વેદ શિક્ષણ અને નવીન ટેક્નોલોજીના પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના 11 ગામોમાં 'હુડા' (હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના કારણે શહેરના બજારો, શાકમાર્કેટ અને માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. આ એલાન 11 ગામોની હુડા વિરોધ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. હિંમતનગરની આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને હુડાની રચના કરવામાં આવી છે. તેનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદથી જ આ 11 ગામોના લોકો દ્વારા હુડા રદ કરવાની માંગ સાથે છેલ્લા 95 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હુડા સંકલન સમિતિ દ્વારા 12 ડિસેમ્બર, શુક્રવારે હિંમતનગર બંધનું એલાન જાહેર કરાયું હતું. શુક્રવારે સવારથી જ હિંમતનગરના સહકારી જીન, મહાવીરનગર, ખેડ તસિયા રોડ, ટાવર ચોક, નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, હાજીપુરા ન્યાય મંદિર, મહેતાપુરા, RTO, મોતીપુરા સહિતના વિસ્તારોના બજારો બંધ રહ્યા હતા. ટાવર ચોક ખાતેનું શાકમાર્કેટ પણ બંધ રહ્યું હતું. આ ઉપરાંત, હિંમતનગરનું માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ પણ બંધ રહીને ખેડૂતોને સમર્થન પૂરું પાડ્યું હતું. હિંમતનગર બંધના એલાનને ધ્યાનમાં રાખીને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
મોરબીમાં ડીલક્ષ પાનમાંથી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું:દુકાનદારની ધરપકડ, સપ્લાયરની શોધખોળ શરૂ
મોરબી-માળિયા હાઈવે પર આવેલી ડીલક્ષ પાન નામની દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 1,01,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસને શિવસાગર કોમ્પ્લેક્સમાં આવેલી આ દુકાનમાં ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી. રેડ દરમિયાન, સ્થળ પરથી રૂ. 42,000ની કિંમતનું 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રૂ. 30,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ડ્રગ્સના વેચાણમાંથી મળેલા રૂ. 29,600 રોકડા મળી આવ્યા હતા. આરોપી નવઘણભાઈ કિશોરભાઈ છીપરીયા (ઉં.વ. 25, રહે. કુબેરનાથ સોસાયટી, મોરબી, મૂળ રહે. નવાગામ ઘેડ, જામનગર)ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે ધાંગધ્રાના કલ્પેશ પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર કલ્પેશને પકડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ભરણપોષણના કેસમાં દંપતી અલગ રહેતા જોવા મળતા હોય છે, પરંતુ અહીં એક જ ઘરમાં સાથે રહેતી પત્નીએ પતિ પાસે ભરણપોષણની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પત્નીની અરજી ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય અને પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય તો ભરણપોષણનો હક મળવાપાત્ર નથી. શું હતો સમગ્ર મામલો?આ કેસની વિગત એવી છે કે, એક દંપતી લાંબા સમયથી ઘરેલુ ઝઘડાઓને કારણે કાયદાકીય લડત લડી રહ્યું છે. નવાઈની વાત એ છે કે, બંને હજુ પણ એક જ છત નીચે રહે છે. પત્ની નજીકની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને માસિક 20,000 રૂપિયા પગાર મેળવે છે, તેમ છતાં તેણીએ કોર્ટમાં અરજી કરી પતિ પાસે દર મહિને 50,000 રૂપિયા ભરણપોષણની માગ કરી હતી. પતિના પગાર કરતા વધુ રકમ ભરણપોષણ માટે માગીપત્નીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, તેના પતિની આવક 80,000 રૂપિયા છે. જોકે, હકીકતમાં પતિની માસિક આવક માત્ર 35,000 રૂપિયા હતી. પતિ તરફે હાજર રહેલા એડવોકેટ શિવાની ચાહવાલાએ દલીલ કરી હતી કે, પત્ની પોતાની આવક કરતા પણ વધુ રકમની માંગણી કરી રહી છે જે અતાર્કિક છે. વધુમાં, દંપતીને કોઈ સંતાન પણ નથી, જેથી આટલી મોટી રકમની જરૂરિયાત ઊભી થતી નથી. પત્ની પાસે આવક છે, ભૂખે મરવાનો વારો આવે તેવી સ્થિતિ નથીઃ કોર્ટકોર્ટે આ કેસમાં પત્નીની બેવડી નીતિની આકરી નોંધ લીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે, પત્નીએ પોતાની અરજીમાં પોતે 'ગૃહિણી' હોવાનું જણાવ્યું હતું, જ્યારે હકીકતમાં તે નોકરી કરી રહી હતી. બેંક સ્ટેટમેન્ટ દ્વારા તેની આવક સાબિત થઈ હતી. દંપતી એક જ ઘરમાં રહે છે અને ઘરનો તમામ પાયાનો ખર્ચ જેમાં ખોરાક, વીજળી વગેરે પતિ જ ઉઠાવી રહ્યો છે. પત્ની પાસે પોતાની આવક છે અને તેની સ્થિતિ એવી નથી કે તેણે ભૂખે મરવાનો વારો આવે. જ્યારે પત્ની શિક્ષિત હોય, કમાતી હોય અને પતિ સાથે એક જ ઘરમાં રહેતી હોય ત્યારે ભરણપોષણની આવી માંગણી કાયદાકીય રીતે ટકી શકે નહીં. કોર્ટે પત્નીની તમામ માગણી ના મંજૂર કરીપત્નીએ માત્ર ભરણપોષણ જ નહીં, પરંતુ આ કેસ લડવા માટેના કાનૂની ખર્ચ પેટે પણ 50,000 રૂપિયાની માગ કરી હતી. કોર્ટે પત્નીના વર્તન અને તેની આર્થિક સદ્ધરતાને ધ્યાનમાં રાખીને આ માંગણી પણ નામંજૂર કરી દીધી હતી. હાલમાં પતિએ પત્ની વિરુદ્ધ ડિવોર્સનો કેસ પણ દાખલ કર્યો છે.
અમરેલી જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિકી ભનુભાઈ વારવડિયા (ઉં.વ. 20, રહે. અમરેલી) ને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળ કાર્યવાહી કરીને કચ્છ-ભુજની પાલરા સ્પેશિયલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સંજય ખરાતે અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અને શરીર સંબંધિત ગુનાઓની ટેવવાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આવા તત્વો ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરિકોને ધાકધમકી આપી ઇજા પહોંચાડી જાહેર વ્યવસ્થા ખોરવી ભયનું સામ્રાજ્ય ફેલાવતા હોય છે. આ સૂચનાના આધારે, અમરેલી શહેરમાં શરીર સંબંધિત ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક ઇસમ વિકી ભનુભાઈ વારવડિયા વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી. ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે ઇસમ વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા અને તેમની ટીમે વિકી ભનુભાઈ વારવડિયાને પાસા વોરંટની બજવણી કરી હતી. ત્યારબાદ તેને પાલરા સ્પેશિયલ જેલ, કચ્છ – ભુજ ખાતે અટકાયતમાં મોકલવામાં આવ્યો હતો. પાસા હેઠળ અટકાયત કરાયેલા વિકી વારવડિયા વિરુદ્ધ અમરેલી શહેર સહિત કુલ 3 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. આ કાર્યવાહી દ્વારા ગુનાઓ આચરતા ઇસમો સામે કાયદાનું ભાન કરાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને ચેતવણી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા, અમરેલી સિટી પો.સ્ટે. પો.ઇન્સ. ડી.કે. વાઘેલા, એલ.સી.બી.ના પો.કોન્સ. રમેશભાઈ સિસારા, વુ.પો.કોન્સ. ધ્રુવિનાબેન સુરાણી, રીનાબેન ધોળકીયા તથા અમરેલી સિટી પો.સ્ટે.ના એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌહાણ, પો.કોન્સ. સોયેબભાઈ જુણેજા અને વૈભવકુમાર વઢેળ દ્વારા કરવામાં આવી હતી.
મોરબીમાં પોલીસ ભરતીના ઉમેદવારનું નિધન:દોડ્યા બાદ હાર્ટએટેક આવતાં યુવાનનું મોત
મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવાનનું દોડ્યા બાદ હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. આ ઘટના મોરબીના એલ.ઇ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે બની હતી. મૃતક યુવાનનું નામ રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા (ઉંમર 25) હતું, જે વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગર વિસ્તારનો રહેવાસી હતો. ગઈકાલે રાત્રે આશરે 8:45 વાગ્યે રાજેશ એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે દોડવાની પ્રેક્ટિસ કરવા ગયો હતો. દોડ્યા બાદ તેને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગી હતી અને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજેશના મૃતદેહને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે તપાસ કરી રહેલા એ.એમ. જાપડીયાએ જણાવ્યું હતું કે, યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને દોડવા ગયો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે.
મુળી તાલુકામાં યુરિયા ખાતરની તંગી:રવિ પાક માટે ખાતર લેવા ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
મુળી તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિ પાકની સિઝનમાં ખાતરની ખાસ જરૂરિયાત હોવા છતાં, સરકાર દ્વારા ફાળવવામાં આવતું યુરિયા પૂરતું નથી. ખેડૂતોને દર સાત દિવસે માત્ર એક ગાડી યુરિયા ખાતર મળે છે, જે તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે અપૂરતું છે. આના કારણે ખેડૂતોને પાક વાવવામાં અને તેની જાળવણીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ખાતરી આપી છે કે, રાજ્યમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ સરકારી ખાતરી છતાં, મુળી તાલુકાના ખેડૂતો હજુ પણ ખાતરની અછતનો અનુભવ કરી રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમરેલીમાં PGVCLની નવી ગ્રામીણ-2 કચેરી મંજૂર:ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ 44 જગ્યાઓ સાથે મંજૂરી આપી
અમરેલીમાં PGVCL હસ્તકની નવી ગ્રામીણ-2 પેટા વિભાગ કચેરીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ખાસ કિસ્સામાં આ કચેરીની રચનાને 44 જગ્યાઓ સાથે મંજૂરી આપી છે. લાંબા સમયથી અમરેલી ગ્રામીણ પેટા વિભાગ કચેરીનું વિભાજન કરીને નવી કચેરી બનાવવાની માંગણી હતી. સ્થાનિકો દ્વારા વહીવટી સુગમતા માટે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પ્રજાની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય મંત્રીએ સત્તા સંભાળ્યાના માત્ર દોઢ માસમાં જ આ કચેરીની રચનાને મંજૂરી આપવા ઊર્જા વિભાગને નિર્દેશ આપ્યા હતા. તેના અનુસંધાને ઊર્જા વિભાગ દ્વારા 10મી ડિસેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડી કચેરીના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલી કુલ 44 જગ્યાઓમાંથી, 35 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જ્યારે 9 જગ્યાઓ હાલના અમરેલી ગ્રામીણ પેટા વિભાગમાંથી સ્થાનાંતરિત કરવામાં આવશે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં કોલેજ રોડ પર આવેલા શક્તિ કોમ્પલેક્ષની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગેલેરી તૂટીને કોમ્પલેક્ષની નીચે આવેલા એક ટી સ્ટોલના શેડ પર પડી હતી. જે સમયે આ દુર્ઘટના બની, તે સમયે ટી સ્ટોલ પર કેટલાક લોકો ચા પી રહ્યા હતા. ગેલેરી ધડાકાભેર તૂટી પડતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ધરાશાયી થયેલા કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સ્વાવલંબી બનાવવાના હેતુથી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર અને જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરાયું હતું. આ સ્વરોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રની 6 પ્રતિષ્ઠિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહી હતી. કુલ 250 જેટલા ઉત્સાહી મહિલા ઉમેદવારોએ આ મેળામાં ભાગ લીધો હતો, જેમાંથી સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. નોકરીદાતા કંપનીઓમાં પીપલ ટ્રી ફાઉન્ડેશન – સુરેન્દ્રનગર, ડ્રીમ વ્હીક્લસ પ્રા. લી. – વઢવાણ, નીલ એન્જીનીયરીંગ – સુરેન્દ્રનગર, ઇન્ડીયાના ઓપ્થાલ્મીક – વઢવાણ, એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ અને એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા – સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર નીતિનભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને રોજગારલક્ષી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી એન.એચ. સોઢા અને એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડી.આર. વજાણીએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. વક્તાઓએ દીકરીઓને સાચા અર્થમાં સ્વાવલંબી બનાવવા માટે પ્રેરણાત્મક અને રોજગાર વિષયક માહિતીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે મહિલાઓ આર્થિક ઉપાર્જનમાં વધુમાં વધુ સહભાગી બને અને મહિલા થકી વિકાસ થાય તે બાબતને પરિપૂર્ણ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર અને એમ.પી. શાહ કોમર્સ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન ફરી વધીને 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે શિયાળાની અસર ઓછી અનુભવાશે. ખેડૂતો માટે હવામાન આધારિત સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. જેમાં વાવણી કરેલા પાકમાં સારી વૃદ્ધિ માટે સમયસર આંતરખેડ અને નિંદામણ કરવાની સલાહ અપાઈ છે. વહેલી સવારે કપાસના પાકની વીણી કરવા માટે આ સમય અનુકૂળ માનવામાં આવ્યો છે. વધુમાં, પવનની ગતિને ધ્યાનમાં રાખીને દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી દવાની અસરકારકતામાં ઘટાડો ન થાય. ભરૂચમાં આગામી દિવસોમાં હવામાન નરમ રહેવાની શક્યતા છે, જે ખેડૂતોને સમયસર કૃષિ કામગીરી કરવામાં મદદરૂપ થશે.
હિંમતનગરમાં ગેસ લીકેજથી મકાનમાં આગ:આંબાવાડી પોલીસ લાઈનમાં રસોડાનો સામાન બળી ગયો
હિંમતનગરની આંબાવાડી પોલીસ લાઈનમાં ગેસ લીકેજ થતાં એક મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં રસોડાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના શુક્રવારે સવારે મહાવીરનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલી આંબાવાડી પોલીસ લાઈનના બ્લોક નંબર 10, મકાન નંબર 120માં બની હતી. આ મકાન પ્રવીણસિંહ બાલુસિંહ રાઠોડનું છે. પ્રાથમિક તપાસમાં એલપીજી ગેસ બોટલ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આગને કારણે રસોડામાં રાખેલો મોટાભાગનો સામાન બળી ગયો હતો. પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. હિંમતનગર ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, કોલ મળતા જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી.
કચ્છના નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે નોંધાયેલું 8.8 ડિગ્રી તાપમાન આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી નલિયામાં તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું છે. નલિયા ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ વધ્યો છે. જિલ્લા મથક ભુજ સહિત અન્ય વિસ્તારોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ડિપ્રેશનમાં આવી ઘણી વખત આત્મહત્યા સુધીનાં પગલાં ભરતા હોય છે. ત્યારે આગામી સમયમાં આવનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ આવું કોઈ પગલું ન ભરે તે માટે રાજ્ય સરકારના આદેશને પગલે મહેસાણા જિલ્લામાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓના માનસિક હીતોના રક્ષણ માટે એક સમિતિ બનાવાઈ છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં આ કમિટીની સૌપ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાઉન્સિલિંગ હેલ્પલાઈન શરૂ કરવા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારીઓને સૂચના અપાઈ હતી. વિદ્યાર્થીઓની મદદ માટે બે નંબર જાહેર કરીશુંઃ કલેક્ટરઆ મામલે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે, આગામી ફેબ્રુઆરી મહિનાથી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આવવાની છે. આપણે જે દર વર્ષે કરીએ છીએ એ જ રીતે પરીક્ષાઓના ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો એના થોડા સમય અગાઉ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવા માટેનું એક વિદ્યાર્થી મિત્ર કરીને એક સ્કીમ આપણે શરૂ કરીએ છીએ, જેમાં શિક્ષકોની ટીમ હોય. દરેક શાળામાં અને આરોગ્ય વિભાગની ટીમ સાથે એમને સંકલન કરાવી શિક્ષકોને પણ આપણે એ રીતે અમુક લેવલ સુધી ટ્રેન કરીએ કે જે લોકો આ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરે. ટૂંકમાં કોઈ એવું ડિપ્રેશન કે એવું કોઈ વિષય ન હોય પણ આપણે સમજીએ કે ધોરણ 10 અને 12ની એક્ઝામનો જે છોકરાઓમાં ડર હોય એ કાઉન્સેલિંગથી ઓછો થાય, એટલે એ આપણે કરવાના છીએ. એના માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરીશું. બે નંબર પણ આપીશું. એક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો નંબર રહેશે અને એક જનરલ નંબર રહેશે. 15 દિવસ પછી આપણે આ શરૂ કરવાના છીએ. રેગિંગની ફરિયાદ માટે શાળા-કોલેજે રજિસ્ટર નિભાવવું પડશેજિલ્લા ક્લેક્ટર શૈલેષ પ્રજાપતિ ( સમિતિના અધ્યક્ષ) અને તે સિવાય જિલ્લામાં આવેલી તમામ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, આરોગ્ય અધિકારી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી સહિત 10 સભ્યોની મળેલી કમિટીની બેઠકમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન સતાવતો હોય તો તેના નિરાકરણ કરવા માટે તાકીદ કરાઈ હતી. સાથે કોલેજ અને શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં જો કોઈ રેગિંગની ઘટના બને તો તેના માટે ફરિયાદ રજિસ્ટર હવેથી નિભાવવું પડશે. વિદ્યાર્થીઓની મુશ્કેલી સાંભળવા દરેક ક્લાસમાં વિદ્યાર્થી મિત્રની નિમણૂક દરેક વર્ગમાં વિદ્યાર્થી પોતાની મૂંઝવણ અને સમસ્યા મિત્ર તરીકે કહી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાના દરેક ક્લાસમાં વિદ્યાર્થી મિત્રની નિમણૂક કરવી પડશે. સાથે દરેક શૈક્ષણિક સંસ્થામાં આત્મહત્યા હેલ્પલાઈન નંબરો ટેલીમાનસ 14416 દરેક સંસ્થામાં અને તેની હોસ્ટેલોમાં નોટિસ બોર્ડ પર ફરજિયાત લગાવવો પડશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી મિત્ર સિવાય એક શિક્ષક કે પ્રોફેસરની કાઉન્સિલર તરીકે નિમણૂક પણ કરવી પડશે. ડોક્ટર સહિતના ઈમરજન્સી નંબર નોટિસ બોર્ટ પર લગાવવા સૂચનાકોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી દ્વારા જો આવું પગલું ભરાય તે દરમિયાન નજીકની રેફરલ હોસ્પિટલનો સંપર્ક કરી મનોવૈજ્ઞાનિક કે કાઉન્સિલરનો સંપર્ક કરી શકાય તે માટે તેમના પણ સંપર્ક નંબર સંસ્થાનમાં નોટિસ બોર્ડ ઉપર લગાવવા તાકીદ કરાઈ હતી. આ સાથે જ ઈમરજન્સી સમયે કયા ડોક્ટરનો સંપર્ક કરવો તેની પણ માહિતી આપવાની રહેશે. ત્યાર બાદની જિલ્લામાં પ્રથમવાર આ બેઠક બેઠકોમાં આ સમિતિ તેમજ શૈક્ષણિક સંસ્થામાં મળેલી ફરિયાદો અને તેના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં આવશે.
નવસારીમાં બુટલેગર અને LCB પોલીસ વચ્ચે ફિલ્મી દૃશ્યો સર્જાયા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. પોલીસે દારૂ ભરેલી એક ક્રેટા કારનો પીછો કરતા બુટલેગરે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસે ટ્રકો સહિતના વાહનોની આડસ મુકીને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં બુટલેગર એક ઇકો કારને ટક્કર મારીને ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે વાહનોની આડસ મૂકી નાકાબંધી કરી હતીઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારી LCBને બાતમી મળી હતી કે, એક સફેદ ક્રેટા કાર (રજી.નં. GJ-01-WA-0972, સાચો રજી.નં. RJ-19-CM-8614) સેલવાસથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ભરી ધરમપુર, રૂમલા થઈને રાનકુવા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે LCBના હેડકોન્ટેબલ ગણેશભાઈ અને કોન્ટેબલ કિરણભાઈ ની ટીમે સ્ટેટ હાઇવે નં. 177 પર રાનકુવા પોલીસ ચોકી આગળ ટ્રક સહિતના વાહનોની આડસ મૂકીને નાકાબંધી કરી હતી. ઇકો અને ટ્રકને ટક્કર મારી બુટલેગર ભાગી ગયોઆ દરિયાન શંકાસ્પદ ક્રેટા કાર દેખાતા પોલીસે રોડ પર તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને સ્પીડ વધારી હતી અને પોલીસથી બચવા માટે રાહદારીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર રોડ પર ઉભેલી એક ટ્રક અને ઇકો કાર સાથે જોરદાર ભટકાઈ હતી, હોવા છતાં ફરાર થઇ ગયો હતો. પોલીસે પીછો કરતાં અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુંજે બાદ પોલીસે ક્રેટા કારનો સતત પીછો કરતાં સ્ટેટ હાઇવે નં. 15 પર રાનકુવાથી ચીખલી તરફ જતા માણેકપોર ગામ પાસે આરોપીઓએ વધુ સ્પીડમાં ગાડી હંકારીને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અંતે, આરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે દારૂ ભરેલી ક્રેટા કાર જાહેર રોડ પર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. ક્રેટા સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે ઘટના સ્થળેથી ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની વ્હીસ્કી અને રમની કુલ 1488 બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 4 લાખ 69 હજાર 200 રુપિયાઅને ક્રેટા કારની કિંમત 8 લાખ આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ 12 લાખ 69 હજાર 200 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. FIRમાં પ્રોહિબિશન તેમજ અકસ્માતની કલમો ઉમેરાઇનવસારી LCBએ સમગ્ર મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની કલમો તેમજ અકસ્માતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ક્રેટા કારના અજાણ્યા ચાલક, ક્લિનર, દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ બુટલેગરોની શોધખોળ ચાલુ છે: PIઆ મામલે પી.આઈ સાગર આહીરે જણાવ્યું હતુ કે, પોલીસને દારૂ ભરેલી કાર હાઇવે ઉપરથી પસાર થવાની અંગેની માહિતી મળી હતી જેને લઈને વાહનોની આડસ મૂકી નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ બહારના બુટલેગરોએ ગાડી ભગાવી મૂકી હતી. હાલ બુટલેગરોની શોધખોળ ચાલુ છે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025:સ્વામીનારાયણ યુનિવર્સિટી, કલોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 – ફાઈનલ રાઉન્ડ નો ઉદ્ઘાટન 08 ડિસેમ્બર 2025 ની સવારે 8:૦૦ કલાકે મેડીકાલ હોલ,સ્વામીનારાયણ યુનિવર્સિટી,કલોલ,ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સ્વામી ડૉ.પ્રેમસ્વરુપદાસજી, વાઈસ પ્રેસિડેન્ટ સ્વામી ભક્તવત્સલ સ્વામીજી અને સ્વામી ભકિતનંદન દાસજી તેમજ સંતવૃંદ , યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર ડૉ રૂપેશ વસાણી, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર , વિભાગના ડીન તથા આમંત્રિત ઉદ્યોગ નિષ્ણાતોની સાથે નોડલ ઓફીસરઓ શ્યામ સુંદર સનાથાન તેમજ મનીષ પાટીલ તથા પ્રીતીબેન વ્યાસની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર દેશમાંથી પસંદગી પ્રાપ્ત કરેલી ટીમોના વિદ્યાર્થીઓ, મેન્ટર્સ, જજેસ તથા ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્વાગત ભાષણમાં યુનિવર્સિટીના કુલપતિ એ હેકાથોનના રાષ્ટ્રીય મહત્વ, નવીનતા-આધારિત શિક્ષણ અને Problem-Solving Culture અંગે પ્રકાશ પાડ્યો. મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન, ટેક્નોલોજીકલ એક્સલન્સ અને સ્ટાર્ટઅપ-ઓરિએન્ટેડ વિચારસરણી તરફ પ્રેરિત કર્યા તથા રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા પર ભાર મુક્યો. ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના આયોજન, ટેક્નિકલ સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરની હોસ્ટિંગ ક્ષમતા માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. સમારોહ બાદ તમામ ટીમોને તેમની સમસ્યા-નિવેદન સમજાવતું સત્ર તથા મેન્ટર ઇંટરએકશન સાથે હેકાથોનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી. આ ઉદ્ઘાટન સમારોહે સમગ્ર કાર્યક્રમ માટે ઊર્જા સભર, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી માહોલનું નિર્માણ કર્યું. સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સ્વામી ડૉ.પ્રેમસ્વરુપદાસજીના આશીર્વચન સાથે ઉદઘાટન સત્રનું સમાપન કરવામાં આવ્યું . આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 38 છોકરીઓ અને 82 છોકરાઓ ઉપસ્થિત હતા જેમણે સરકાર અને ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી સમસ્યાઓ માટે નવીન અને પ્રાયોગિક સોલ્યુશન તૈયાર કર્યા. 36 કલાકના સતત હેકિંગ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના ટેક્નિકલ કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. ઉદ્યોગ નિષ્ણાતો અને મેન્ટર્સે ટીમોને સતત માર્ગદર્શન આપ્યું, જ્યારે અંતિમ દિવસે પ્રેઝેન્ટેશન અને મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ ટીમોને સન્માનિત કરવામાં આવી. સ્વામીનારાયણ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ વિકાસની દિશામાં આગળ વધતા “ઝિરો વેસ્ટ હેકેથોન”નું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી વિકસાવવી, પર્યાવરણમૈત્રી ઉકેલો શોધવા, અને કેમ્પસ તેમજ સામાજિક સ્તરે કચરામુક્ત જીવનશૈલી નિર્માણ કરવા માટે ટેક્નોલોજી આધારિત પ્રયોગાત્મક કાર્યને પ્રોત્સાહન આપવાનો હતો. આ હેકેથોનમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આંતરવિષયક દૃષ્ટિકોણ સાથે ગ્રીન મેનેજમેન્ટ, રિસાયક્લિંગ-અપસાયક્લિંગ ટેકનિક્સ, ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ ડિઝાઇન, કચરો વિભાજન સિસ્ટમ્સ, સ્માર્ટ ડસ્ટબિન મોડ્યુલ, અને ઝિરો-વેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતના વિષયો પર પ્રોજેક્ટ રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓને પર્યાવરણ નિષ્ણાતો, ઉદ્યોગજગતના માર્ગદર્શકો અને ફેકલ્ટી મેન્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે તેઓ સમસ્યાઓને હોલિસ્ટિક રીતે સમજી શક્યા અને ન માત્ર ટેક્નિકલ પરંતુ સામાજિક જવાબદારી ધરાવતા ઉકેલોની રચના કરી શક્યા. હેકેથોને વિદ્યાર્થીઓમાં સર્જનશીલતા, ટીમવર્ક, સમસ્યા-ઉકેલવાની ક્ષમતા, અને ગ્રીન ટેક્નોલોજી પ્રત્યેની જાગૃતિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણ જાગૃતિ (Environmental Consciousness), સામાજિક જવાબદારી (Social Responsibility), નવીનતા અને રીસર્ચ અભિગમ (Innovation Research Orientation) તેમજ સમગ્ર વિદ્યાર્થી વિકાસ (Holistic Development) જેવા મહત્વના સૂચકોને મજબૂત બનાવ્યા. હેકેથોનના અંતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સનું સન્માન કરવામાં આવ્યું અને વિજેતા ટીમોને યુનિવર્સિટી સ્તરે તેમની કલ્પનાઓને સ્ટાર્ટઅપ અથવા કેમ્પસ–ઈમ્પેક્ટ મોડેલ તરીકે વિકસાવવા માર્ગદર્શન આપવા વિશેષ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કુલ મળીને આ “ઝિરો વેસ્ટ હેકેથોન”એ વિદ્યાર્થીઓમાં ગ્રીન ફ્યુચર પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારી અને યુનિવર્સિટી કેમ્પસને વધુ ટકાઉ અને પર્યાવરણમૈત્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025નો ફાઈનલ રાઉન્ડ 08–09 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીનારાયણ યુનિવર્સિટી, ગુજરાત ખાતે રાષ્ટ્રીય સ્તરની ભવ્યતા અને શૈક્ષણિક ગૌરવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત હેકાથોનમાં સમગ્ર દેશમાંથી પસંદ થયેલ પ્રતિભાશાળી વિદ્યાર્થી ટીમોએ ભાગ લીધો, જેમાં ટેક્નોલોજી, ઈનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ સહિતના ક્ષેત્રોને આવરી લેતા સમસ્યા-નિવેદનો પર સતત 36 કલાક સુધી કાર્ય intense problem-solving mode માં કાર્ય કર્યું. યુનિવર્સિટી દ્વારા અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-એન્ડ ઇન્ટરનેટ સુવિધા, ટેક્નિકલ લેબ સપોર્ટ, આરામદાયક કાર્યસ્થળ, ફૂડ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી, જેના કારણે તમામ ટીમો ઉચ્ચ ઊર્જા અને ઉત્સાહ સાથે હેકિંગ સત્રમાં નિરંતર જોડાયેલી રહી. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં વાઈસ ચાન્સેલર, પ્રો-વાઈસ ચાન્સેલર, રેજિસ્ટ્રાર, ડીન, વિભાગાધ્યક્ષો, ઉદ્યોગ નિષ્ણાતો તથા વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેતા સમગ્ર કાર્યક્રમનું શૈક્ષણિક મૂલ્ય વધ્યું. દરમ્યાન ટેક્નિકલ મેન્ટર્સ, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને જજેસે દરેક ટીમને ઉચ્ચ સ્તરના માર્ગદર્શન અને પ્રાયોગિક સૂચનો આપ્યા, જેના કારણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વધુ સુદૃઢ અને ઇમ્પેક્ટ-ડ્રિવન બન્યા. હેકાથોનના અંતિમ દિવસે તમામ ટીમોએ તેમના પ્રોજેક્ટ્સનો પ્રોટોટાઇપ, ડેમો અને પ્રેઝન્ટેશન જજિંગ પેનલ સમક્ષ રજૂ કર્યા, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટેક્નિકલ કૌશલ્ય અને ઇનોવેટિવ વિચારોનું અનોખું સંયોજન જોવા મળ્યું. નિષ્ણાત સમિતિએ મૂલ્યાંકન માપદંડો અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને વિશેષ પ્રશંસા, સર્ટિફિકેટ અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી સન્માનિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટી માટે ગૌરવમય ક્ષણ તરીકે સાબિત થયો, કેમ કે આ આયોજન દ્વારા યુનિવર્સિટીએ નેશનલ લેવલ ઇનોવેશન ઇવેન્ટનું સફળ હોસ્ટિંગ કરીને પોતાની શૈક્ષણિક ક્ષમતા, આયોજનાત્મક મજબૂતાઈ અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. હેકાથોન દ્વારા વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજીકલ ઇનોવેશન, ટીમવર્ક, સમસ્યા વિશ્લેષણ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને વ્યવહારૂ અમલીકરણની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઈ, જે તેમને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ અને પ્રોફેશનલ કરિયરમાં મજબૂત પાયો પૂરું પાડશે. સ્વામીનારાયણ યુનિવર્સિટીએ આ સફળ આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક, ટેક્નિકલ અને સંસ્થાકીય પ્રતિષ્ઠામાં વધુ એક સોનેરી પાનું ઉમેર્યું.
અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની 22મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રદર્શન 13 અને 14 ડિસેમ્બરના રોજ હોટલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાશે. આજના ઝડપથી બદલાતા સમયમાં વાલીઓ તેમના બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કરવામાં પડકારોનો સામનો કરે છે. સમયના અભાવ અને માહિતીના અભાવને કારણે તેઓ ઘણીવાર આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પૂરતી જાણકારી મેળવી શકતા નથી. વાલીઓને આ પ્રક્રિયામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી 22 વર્ષ પહેલા પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર અમલમાં આવ્યો હતો. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર અને સીઈઓ વિવેક શુક્લાએ જણાવ્યું કે, બાળકને શાળાએ, ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાનો નિર્ણય ભાવનાત્મક રીતે મુશ્કેલ હોય છે. અમારો પ્રયાસ છે કે વાલીઓને શ્રેષ્ઠ ભારતીય ડે, રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે એક જ છત નીચે માહિતી આપીને તેમનું કાર્ય સરળ બનાવીએ. આ પ્રદર્શનમાં અમદાવાદ સહિત દેહરાદૂન, બેંગલોર, હૈદરાબાદ, મસૂરી, નાસિક, રાજકોટ, રાજસ્થાન, કોઈમ્બતુર, ગ્વાલિયર, રાયપુર, ગાંધીનગર અને ભારતના અન્ય જાણીતા રાજ્યોમાંથી 30થી વધુ પ્રતિષ્ઠિત શાળાઓ ભાગ લેશે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં ભાગ લેનારી શાળાઓ બોર્ડિંગ સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. વાલીઓ પાસે IB, કેમ્બ્રિજ, CBSE, ICSE અને ગુજરાત બોર્ડ જેવા વિવિધ શૈક્ષણિક બોર્ડમાંથી પસંદગી કરવાનો વ્યાપક વિકલ્પ ઉપલબ્ધ રહેશે. પ્રદર્શનમાં સામેલ કેટલીક અગ્રણી શાળાઓમાં યુનિસન વર્લ્ડ સ્કૂલ-દેહરાદૂન, આગા ખાન એકેડેમી-હૈદરાબાદ, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ-બેંગલુરુ, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ-અમદાવાદ, જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ-અમદાવાદ, જિનેવા લિબરલ સ્કૂલ-અમદાવાદ, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ-ઓગણજ અમદાવાદ, ગ્રીન વેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન-ગાંધીનગર, એશિયા ઇંગ્લિશ સ્કૂલ-અમદાવાદ, બિરલા પબ્લિક સ્કૂ-કિશનગઢ (અજમેર), સિંધિયા કન્યા વિદ્યાલય-ગ્વાલિયર, દિલ્હી પબ્લિક સ્કૂલ-નાશિક, ધ પેસ્ટલ વીડ સ્કૂલ-દેવભૂમિ દેહરાદૂન, વેંકટેશ્વર સિગ્નેચર સ્કૂલ-રાયપુર, અને એસ.એસ.વી.એમ. રેસિડેન્શિયલ સ્કૂલ-કોયમ્બતુરનો સમાવેશ થાય છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ઇ-સેવાઓ પહોંચાડતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE) માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે વી.સી.ઈ.ને યુનિટદીઠ ન્યૂનતમ ₹20 ચૂકવવાનું ફરજિયાત રહેશે. અરજી દીઠ 5 રૂપિયાના બદલે 20 રૂપિયા કમિશન પેટે ચૂકવાશેપહેલા અરજી દીઠ 5 રૂપિયા ચૂકવતા હતા હવે 20 રૂપિયા કમિશન પેટે ચૂકવાશે. ઉદાહરણ તરીકે જેમ કે કોઈ અરજદારને 7/12 કઢાવવા છે તો એ એક 7/12નું કમિશન 5 રૂપિયા ચૂકવાતુ હતું. હવે એક 7/12 એ 20 રૂપિયા ચુકવાશે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જુદી જુદી સેવાઓમાં અલગ અલગ દરને કારણે મહેનતાણામાં અસમાનતા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સમન્વિત અને ન્યાયસંગત ચુકવણી માટે તરત જ માર્ગદર્શન આપ્યું હતું. VCE દ્વારા ગામડાંમાં આ સેવાઓઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી ગામડાંમાં શહેરી જેવી ઇ-સેવાઓ મળી રહે છે. 7/12, 8-A, હકકપત્રના દાખલા, આવક-જન્મ-મરણના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં સુધારા, ખેડૂત રજીસ્ટ્રેશનથી લઈ ડેટા એન્ટ્રી સુધીની અનેક સેવાઓ VCE દ્વારા આપવામાં આવે છે. VCEની કામગીરીરાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.)ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.)ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. પંચાયત વિભાગનો પરિપત્ર, 20નું મહેનતાણું ચૂકવાશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી. પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
સુરત મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરીને બ્રિજ નીચેના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલા સરદાર બ્રિજ નીચે લાંબા સમયથી વસવાટ કરતા લોકોને હટાવી દેવાયા છે. લાંબા સમયથી બ્રિજ નીચે પોતાનું ઘર બનાવીને રહેતા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે શહેરના જાહેર માર્ગો અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સુરતનો 'પુષ્પા' આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જે દબાણ શાખાની ટીમનો હતો. તમામ લોકોની નજર ટેમ્પો પર ઊભેલા યુવક પર અટકીદબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સૌની નજર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના ટેમ્પો પર ઊભેલા એક શખ્સ પર અટકી ગઈ હતી. અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને બદલે લોકોની નજર આ શખ્સ પર રોકાઈ જવાનું કારણ તેનું અનોખું રૂપ હતું. તે વ્યક્તિ ફિલ્મ 'પુષ્પા'ના અભિનેતા અલ્લુ અર્જુનના લુકમાં જોવા મળ્યો હતો. જે પણ દબાણની વસ્તુઓ હટાવવામાં આવી રહી હતી, તેને ટેમ્પા પર ચડાવવાનું કામ આ ‘સુરતના પુષ્પા' દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેની આ અલ્લુ અર્જુન જેવી સ્ટાઇલને કારણે દબાણની ગંભીર કાર્યવાહી વચ્ચે પણ લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું હતું. બ્રિજ નીચેના દબાણો હટાવાયાશહેરના અન્ય વિસ્તારો જેમ કે વરાછા અને કાપોદ્રામાં બ્રિજ નીચેના દબાણો હટાવ્યા બાદ, સુરત મનપા અને પોલીસ વિભાગે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો. બ્રિજ નીચે વસવાટ કરીને અને દબાણ કરીને રહેતા લોકોની વધતી જતી સંખ્યાને કારણે જાહેર સુવિધાઓ અને સ્વચ્છતા પર નકારાત્મક અસર પડી રહી હતી. આ સંયુક્ત કામગીરીનો હેતુ માત્ર દબાણ દૂર કરવાનો જ નહીં, પરંતુ આવા જાહેર સ્થળોનો દુરુપયોગ અટકાવવાનો પણ છે. ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનને વેગઆ કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના શહેરને દબાણમુક્ત કરવાના ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનનો એક ભાગ છે. બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટને કારણે ટ્રાફિક, સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હતી. અડાજણમાં કરવામાં આવેલી આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ બ્રિજ નીચે વસવાટ કરતા દબાણકારો માટે ચેતવણીરૂપ છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય બ્રિજ નીચેના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
ગણિત ઘણીવાર બાળકો માટે કઠિન વિષય ગણાય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ બાળકોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડી શકે છે. તેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં SEU University, Tbilisi ખાતે 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી યુસીમાસ ઇન્ટરનેશનલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા છે, જેમાં વિશ્વના 80 દેશના 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા સ્પર્ધકો વચ્ચે પણ ગણિત પ્રત્યેનો ઉમળકો અને પ્રતિભા દરેક વિદ્યાર્થીને એક સમાન ધોરણ પર જોડતી દેખાઈ. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારત તરફથી યુસીમાસ સમા સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું. મૃણ્મયી દીવાટે પ્રથમ, ત્વીશા પટેલ દ્વિતીય, જ્યારે નિહિત રાજસિંહ પરમાર અને હિરવા પટેલે તૃતીય સ્થાન મેળવી ભારત તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું. અનેક દેશોના તેજસ્વી પ્રતિસ્પર્ધકો વચ્ચે સ્પર્ધા કરીને પ્રાપ્ત આ સિદ્ધિઓ, તેમની ક્ષમતા અને તૈયારીની ઊંચાઈ દર્શાવે છે. આ સ્પર્ધાનો સૌથી કઠિન ભાગ માત્ર એટલો હતો કે, વિદ્યાર્થીઓએ મગજની જ ગણતરી દ્વારા આઠ મિનિટમાં કુલ 200 ગણિતીય દાખલા ઉકેલવાના—જેમા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મિક્સ્ડ ઓપરેશન્સ અને લાંબી ચેઇન–સમ્સનો સમાવેશ થતો હતો. અહીં વિદ્યાર્થીઓ UCMASની મેન્ટલ ઍબેકસ ટેકનિકનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના મનમાં ઍબેકસના મણકા કલ્પે છે અને મગજમાં જ મણકાઓને સરકાવીને ગણતરી કરે છે. આ અનોખી પ્રક્રિયા વિઝ્યુઅલાઇઝેશન, સ્પીડ મેમરી, ન્યુરલ કોઓર્ડિનેશન અને બે હેમિસ્ફિયર્સના સમન્વયનો સુમેળ છે. ડાબું મગજ તર્ક અને ચોકસાઈનું આયોજન કરે છે જ્યારે જમણું મગજ મણકાઓની માનસિક ચળવળ અને કલ્પનાત્મક ચિત્ર રચવામાં સહાય કરે છે. આ ટેકનિક એટલી ઝડપી અને ચોક્કસ છે કે વિશ્વસ્તરે તેને “brain–machine precision without the machine” તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ સ્તર સુધી તૈયાર કરવા માટે યુસીમાસ સમા સેન્ટરના માર્ગદર્શકો સૌરભ સર અને બિનલ મૅમ છેલ્લા 21 વર્ષથી કાર્યરત છે. તેમણે તિબિલિસી સુધી વિદ્યાર્થીઓ સાથે રહીને સ્પર્ધાત્મક દબાણ, માનસિક સંતુલન, ઝડપ–ચોક્સાઈ અને સમય વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર સતત માર્ગદર્શન આપ્યું. બાળકો સાથે રહેલા માતા–પિતાએ પણ તેમના ઉત્સાહ અને મનોબળને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આવો વૈશ્વિક અનુભવ માત્ર ગણિતીય પ્રગતિ પૂરતો મર્યાદિત નથી રહેતો; પરંતુ બાળકોમાં તર્કશક્તિ, એકાગ્રતા, સર્જનાત્મકતા, સંસ્કૃતિ-સમજ, આત્મવિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ જેવા જીવનકૌશલ્યોનો વિકાસ કરે છે. ગણિત હવે માત્ર શૈક્ષણિક વિષય નહીં, પરંતુ જીવનમાં સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા અને નિર્ણયશક્તિનો આધારસ્તંભ બની ગયું છે. તિબિલિસીમાં પ્રાપ્ત થયેલી આ સફળતાઓ સ્પષ્ટ પુરાવો આપે છે કે યોગ્ય તાલીમ, અનુશાસન અને સતત પ્રયત્નોથી દરેક બાળકની આંતર શક્તિ વિશ્વમંચ સુધી પહોંચાડી શકાય છે. યુસીમાસ સમા સેન્ટરના આ ચાર વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ગણિત માત્ર અંકોની રમત નથી—પણ એક વૈશ્વિક ભાષા છે, જેને તેઓ આત્મવિશ્વાસપૂર્વક અને ગૌરવપૂર્વક પ્રદર્શિત કરી રહ્યા છે.
વડોદરા અને અકસ્માત જાણે એક બીજાના પર્યાય હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. 10 ડિસેમ્બરે આજવા રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે યુવકને ફંગોળ્યો હતો. ત્યારે ગત રોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના માણેજા વિસ્તારમાં ગઈકાલે સાંજે રોડ અકસ્માતમાં 56 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. અકસ્માતમાં કારના ચાલક સામે ગુનો નોંધી મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રોડ ક્રોસ કરતા સમયે કાર ચાલકે ટક્કર મારીઆ અકસ્માતમાં ભોગ બનેલાના પુત્ર જયરાજ નયનભાઈ મરાઠે કે જેઓ અભ્યાસ કરે છે. ફરિયાદમાં તેઓએ નોંધાવ્યું છે કે તેઓના પિતા નયનભાઈ વામનરાવ મરાઠે (ઉંમર 56 વર્ષ) શિવાભી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે સાંજના અંદાજે પોણા આઠ વાગ્યે તેઓ જીજી માતાના મંદિર સામેના રોડ પરથી માણેજા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીજી હોસ્પિટલ સામેના રોડને ક્રોસ કરતી વખતે કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી. માથા અને શરીરમાં ગંભીર ઈજાઓ થતાં મોતફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માત બાદ મૃતકને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન રાત્રે મૃત જાહેર કર્યા હતા. કાર ચાલકની અટકાયતઆ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા નયનભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ 'ભારત કુલ'નું ગુજરાત યુનિવર્સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે. 12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં 'ભારત કુલ' કાર્યક્રમ ચાલવાનો છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્રણ દિવસ સુધી અલગ અલગ કવિ સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિલ્પકલા, ચિત્રકલા પર કાર્યક્રમ યોજાશે. ઉદ્ઘાટન બાદ BAPSના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચનગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ 'ભારત કુલ'ના અધ્યાય 2નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ભાવ, રંગ અને તાલ એમ ત્રણ પ્રકારે અલગ અલગ કાર્યક્રમ થવાના છે. ઉદ્ઘાટન બાદ ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનીયસ કાર્યક્રમ અંતર્ગત BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાશે. ભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં અલગ અલગ વક્તા લોકોને સંબોધન કરશે. તાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશનતાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાશે. આ કાર્યક્રમોમાં જાણીતા ચિત્રકાર, જાણીતા એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ IPS અજય ચૌધરી, જાણીતા શિલ્પકાર, એક્ઝિબિશન ડિઝાઇનર, જાણીતા કાર્ટૂનિસ્ટ, જાણીતા કવિ ઉપસ્થિત રહેવાના છે. જે અલગ અલગ કલાને લઈને હાજર લોકો સાથે સંવાદ કરશે. રાગમાં કવિ સંમેલન યોજાશેતેમજ ભારતકુલમાં રાગના પણ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં કવિ સંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી, તેજસ દવે ઉપસ્થિત રહેવાના છે. લાલો ફિલ્મના કલાકારો, સંગીતના ખમીર એવા ઓસમાણ મીર અને આમિર મીર પણ ઉપસ્થિત રહેવાના છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગતઉદ્ઘાટન સમારોહ પહેલા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. 'ભારત કુલ'ના અધ્યાય 2માં જાણીતા ચિત્રકારોએ દોરેલા પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં 0.2 ડિગ્રીનો ઘટાડો થઈને આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 0.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરની યુવા પેરા શૂટર મિલી મનિષકુમાર શાહે રમતગમત ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠી રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં મિલી શાહે 10 મી. એર રાઇફલ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે જ મિલી શાહ પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ દીકરી બની ગઈ છે. મિલી શાહ કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છેગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતી મિલી શાહે કડી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છે. ચેરમેન ગજેન્દ્રસિંહ બારડ અને કોચ વિમલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિલી પ્રેક્ટિસ કરી રહી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યુંદિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મિલીએ R3 મિક્સ 10 મી. એર રાઇફલ પ્રોન SH1 ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. મિલીએ 631.9નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં મિલીએ સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યોમિલીએ ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને સ્પર્ધામાં પ્રભુત્વ જમાવી આખરે ગોલ્ડ મેડલ જીત્યો છે. મિલીની આ ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતમાં પેરા શૂટિંગના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી તરીકે મિલીએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ સહિતના મહાનુભાવોએ મિલીને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ટક્કર બાદ આગ ભભૂકી, એક મહિલા જીવતી ભૂંજાઇપ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને તે જીવતી ભૂંજાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક મુસાફર હિતેશ કુમારે જણાવ્યું હતું કે, રીક્ષાને બ્રેક મારતાં તે પલટી ખાઇ ગઇ. આ ટક્કરમાં એક બાઇક અને રીક્ષા બળી ગઇ. અમે બે માસીને બચાવ્યા અને એક માસી અંદર જ બળીને મરી ગયા. ત્રણ જણા બચી ગયા તેને હોસ્પિટલ લાવ્યા છે. 4 લોકો ગંભીર રીતે દાઝ્યા, ટ્રાફિકજામઆ ભયાનક અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પેટ્રોલપંપ કર્મચારી ફેરનસિંહ પરમારે જણાવ્યું હતું કે, બાઇકે ટર્ન માર્યા એ સમયે સામેથી એક મોટી ગાડી આવી એ જ વખતે એક રીક્ષાએ પણ ટર્ન માર્યો. જેને કારણે અચાનક આગ લાગી. મેં મારા ફાયરનો સામાન લઇને ત્રણ લોકોને ખેંચીને બચાવ્યા ને આગને કંટ્રોલ કરી. જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરીઅકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને વાહનો ધડાકાભેર ભટકાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની તસવીરો...
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયાકૈલાશ રોડ ઉપર નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એક શ્રમિકની શોધખોળ ચાલુ છે. છેલ્લા બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર તૂટી પડ્યોપારડી-સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ભોલાભાઈ પટેલે જણાવ્યું કે, બ્રિજના છેલ્લા બે પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાના હતા, પરંતું કંઇક ટેકો ખસી જતા આજે ધડાકાભેર તૂટી પડ્યો છે. ચાર લોકોને હોસ્પિટલ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એકની શોધખોળ કરી રહ્યા હોવાનું મને જાણવા મળ્યું છે. અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગર પાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. CM 600 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત, રાંદેર વિસ્તારની એક ખાનગી હોટલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં સહભાગી થવું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટોના મુખ્ય લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્થળો પરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે. આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના 10 કિમીના કામનું ખાતમુહૂર્તઆ વિકાસ પ્રકલ્પોમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ સુરતની ફરતે સાકાર થઈ રહેલા 66 કિલોમીટર લાંબા આઉટર રિંગરોડનો બાકી રહેલો સેગમેન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના અંદાજિત 10 કિલોમીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં રોડનું બાંધકામ અને ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે. વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરાશેઆ સચીન-કડોદરા સેગમેન્ટનું કામ પૂર્ણ થવાથી 66 કિલોમીટરની આઉટર રિંગરોડની આખી રીંગ સાકાર થઈ જશે. આ પ્રકલ્પ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રિંગરોડ પૂર્ણ થવાથી શહેરના અંદરના ભાગમાં આવતા હેવી વાહનોનો ટ્રાફિક હળવો થશે અને આજુબાજુના વિસ્તારોને સીધું જોડાણ મળી રહેતાં લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. સુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તસુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં 250 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે 248 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ડ્રેનેજ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ડ્રેનેજના આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થશે. 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરાશેજ્યારે, બાકીના 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્તના કામોમાં કનકપુર, ઉધના અને લિંબાયત ઝોન જેવા મહત્ત્વના વિસ્તારોના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની આ મુલાકાત સુરત શહેરના વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે અને નાગરિકો માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મજબૂત કદમ બની રહેશે.
અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકસિત ગુજરાત@2047 માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 'વિકસિત ભારત@2027' ના સ્વપ્નને સાકાર કરવા માટે 'વિકસિત ગુજરાત@2047' એક ગ્રોથ એન્જિન સાબિત થશે. રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, આંતરમાળખાકીય સુવિધાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ સહિતના ક્ષેત્રોમાં ઝડપથી કામ કરી રહી છે. બેઠક પૂર્વે, પ્રભારી સચિવ સંદીપકુમારે લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નંદઘર-આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે અધિકારીઓને 'વિકસિત ગુજરાત' ના લક્ષ્યને હાંસલ કરવા માટે ચોક્કસ દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લા સંકલનના અધિકારીઓને પૂર્વ આયોજન સાથે આગળ વધવા અને કુલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં અમરેલી જિલ્લો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નિર્ધારિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પ્રાપ્ત કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારમાં નીતિ આયોગ એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. નીતિ આયોગ દ્વારા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (MPI) જાહેર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ સૂચકાંકોમાં પ્રદર્શનનું માપન કરે છે. પ્રભારી સચિવે અમરેલી જિલ્લામાં પણ આ ઇન્ડેક્સના વિવિધ સૂચકાંકોમાં લક્ષ્યાંક મુજબ પ્રગતિલક્ષી કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વદેશી સાયક્લોથોનનું આયોજન:આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા 'સ્વદેશી સાઇકલોથોન'નું આયોજન
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આજરોજ શહેરમાં 'સ્વદેશી સાઇકલોથોન'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવી અને ફિટનેસ તથા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા રેલી દરમિયાન સહભાગીઓએ ભારતીય બનાવટના માલસામાનનો ઉપયોગ કરવાનો અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો, આ સાઇકલોથોનમાં વધુ ઉત્સાહી નાગરિકો, યુવાનો અને વરિષ્ઠોએ ભાગ લીધો હતો. આજરોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાયકોલોથન શહેરના આતાભાઈ ચોક ખાતેથી મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી, જે શહેરના આતાભાઇ ચોકથી ગુલિસ્તા મેદાન, સેન્ટ્રલ સોલ્ટ, પાણીની ટાંકી, જ્વેલર્સ સર્કલ, મીણબત્તી સર્કલ થઈ નીલમબાગ ત્યાંથી જેલ રોડ, દાદા સાહેબ જૈન દેરાસર, રાધા મંદિર ટ્રાફિક સિગ્નલ પાસેથી સેન્ટ્રલ સોલ્ટ થઈ આતાભાઈ ચોક પરત ફરી હતી, આ રૂટ પર સાઇકલિસ્ટોએ રાષ્ટ્રભક્તિના ગીતો અને સ્વદેશીના નારા સાથે વાતાવરણને ગુંજાવી દીધું હતું. આ પ્રસંગે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, કમિશનર મીના સહિતના મહાનુભાવો સાઇકલોથોનને લીલી ઝંડી આપી હતી, અને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્વદેશી માત્ર એક આર્થિક નીતિ નથી, પરંતુ તે રાષ્ટ્રીય ગૌરવ અને આત્મનિર્ભરતાની ભાવના છે. સાઇકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને લાભ થાય છે, જે આત્મનિર્ભર અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે જરૂરી છે. ભવિષ્યમાં પણ સ્વદેશીના વિચારને વેગ આપવા માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સ્વદેશી સાયક્લેથોન ના રૂટના દરેક પોઇન્ટ ઉપર ભાગ લેનાર લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા સાથે એનર્જી ડ્રિંક્સ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, આ સાયોકોલોથનમાં દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું,
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર) આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વાઘજી શીવાભાઈ પરમાર (રહે. રત્નાજીના મુવાડા, તા. બાલાસિનોર, જિ. મહીસાગર) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50) પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે રાત્રિના બનાવ બન્યો હતો. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. એસઆરપી જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટડીના નાવીયાણી ગામ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં એરવાડાના બે સગાભાઇ સહિત ત્રણ યુવકોના મોત થયા હતા. મૃતક ત્રણેય યુવકોના બુધવારે જ ઇન્ટવ્યૂ થયા હતા અને બીજા દિવસે વહેલી સવારે નવા સપનાઓ સાથે નોકરીએ જવા નીકળ્યાને અધવચ્ચે જ કાળ ભરખી ગયો. આ અકસ્માતમાં બે સગાભાઇઓના મોતથી પરિવારના નવ સભ્યો નોંધારા થઇ ગયા છે. જ્યારે અન્ય યુવકવી માતા તો જૈન સાધ્વીને લઇને જૂનાગઢ ગયા હતા, ત્યાં પુત્રના મોતના સમાચાર મળતા પરત આવ્યા હતા. પાટડીના એરવાડા ગામના 30 વર્ષીય ભરતભાઇ નરશીભાઈ દેવીપૂજક, 28 વર્ષીય મહેશભાઇ નરશીભાઈ દેવીપૂજક અને 20 વર્ષીય સંજયભાઈ ભાથીભાઈ ઠાકોરના ગઇકાલે નાવીયાણી પાસે અકસ્માતમાં મોત થયા હતા. આ ગોઝારી ઘટનાના સમાચાર મળતાં જ ભાસ્કરની ટીમ ગઇકાલે જ એરવાડા ગામમાં પહોંચી ગઇ હતી, ત્યાંના દૃશ્યો સૌ કોઇની આંખોના ખૂણા ભીના કરી દે એવા હતા. નોકરીની વાત પાકી થઇને યુવકો હરખે હરખે ઘરે આવ્યાદિવ્ય ભાસ્કરને ગ્રામજનોએ જણાવ્યું કે, મૃતક ત્રણેય યુવકોના બુધવારે જ બેચરાજીની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ થયા હતા. દૈનિક 400 રુપિયા લેખે વાત નક્કી થઇ અને કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે આવતીકાલથી જ નોકરીએ આવી જજો. નોકરીની વાત પાક્કી થઇ જતા ત્રણેય યુવકો હરખે હરખે ઘરે આવ્યા હતા અને નોકરી મળ્યાનો ખુશી એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. અનેક આશાઓ સાથે વહેલી સવારે ઘરેથી નીકળ્યા ને...નોકરીથી પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને પરિવાર સુખેથી રોટલો ખાઇ શકશે એવી આશા અને નવા સપનાઓ સાથે બંને ભાઇ અને ત્રીજો યુવક વહેલી સવારે ઘરેથી એક જ બાઇક પર સવાર થઇને નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવીયાણી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ત્રણેય યુવકો મોતને ભેટતા પરિવાર માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ત્રણેય મૃતકોને નાના-નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતાદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મૃતક બે ભાઇઓમાં ભરત દેવીપૂજકને સંતાનમાં બે બાળકો છે. જ્યારે નાનાભાઇ મહેશને સંતાનમાં ત્રણ બાળકીઓ છે. આમ પાંચ બાળકો, બહેનો અને માતા-પિતા મળીને પરિવારના નવ લોકો સાવ નોંધારા થઇ ગયા છે. બંને ભાઇઓ પહેલાં ઘેટા-બકરા ચારવાની સાથે જૂના કપડાની લે-વેચ કરીને ઘરની ગુજરાત ચલાવતા હતા. જ્યારે મૃતક સંજય ઠાકોરને એક નાની બાળકી છે. જે છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. બે ભાઇને માતા-પિતાને તો હાર્ટની સર્જરી કરાવેલી છેઆ બંને ભાઈઓના માતા-પિતા બંનેને અગાઉ હાર્ટ-એટેક આવેલો છે અને બંનેની બાયપાસ સર્જરી થયેલી છે. ત્યારે ચોંધાર આંસુએ રડતા રડતા લાચાર પિતા નરશીભાઈએ વલોપાત કરતા જણાવ્યું કે, મારા બંને દીકરા ઘરની પરિસ્થિતિ જોઈને નોકરીએ જવા નીકળ્યા ને પ્રથમ દિવસે જ મોત મળ્યું..આટલું બોલતા જ તેઓ રડવા લાગ્યા હતા. જે બાદ ફરી આખમાં આંસુ સાથે કહ્યું કે, મારા બે-બે દિકરા મરી ગયા છે હવે મારે શું કરવું? સંજયની માતા તો જૂનાગઢ હતા ને પુત્રના મોતના સમાચાર મળ્યાબીજી તરફ મૃતક સંજય ભાથીભાઈ ઠાકોરની માતા તો જૈન સાધ્વીજીને લઈને જૂનાગઢ વિહારમાં ગયા હતા અને પાછળથી દીકરાના મોતના સમાચાર મળતા પરત આવવા નીકળ્યા હતા. આમ ત્રણેય યુવકોની અંતિમયાત્રામાં આખુ ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારના હૈયાફાટ રુદનથી હાજર સૌ કોઈના આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. કયા વાહને યુવકોનો જીવ લીધો એ હજી ક્લીયર નહીંઆ ત્રણેય યુવકોને કયુ વાહન કચડીને ફરાર થઇ ગયું એની જાણકારી હજી પોલીસને નથી મળી. દસાડા પોલીસ સ્ટેશનના પીઆઇવી.જે.માલવીયાએ જણાવ્યું કે, વિવિધ સીસીટીવી ફૂટેજ જોયા બાદ બે વાહનો શંકાસ્પદ દેખાય છે અને સીસીટીવી ફૂટેજમાં બાઈક એ વાહનની પાછળ દેખાય છે, પણ માત્ર એની લાઈટનો ફોક્સ જ દેખાય છે. કયા વાહનથી અકસ્માત થયો એ હજી ક્લીયર થતું નથી, પણ આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરની અડફેટે થયો હોવાનું જણાય છે, પોલીસ તપાસ કરી રહી છે. દસાડા-બેચરાજી વચ્ચે અઢી વર્ષમાં આઠ લોકોના મોત થયાબેચરાજી આજુબાજુ મારૂતિ અને હોન્ડા સહિતની અનેક કંપનીઓ આવેલી છે અને બાજુમાં વણોદ GIDCમાં પણ આજુબાજુના ગામોના અનેક લોકો નોકરી માટે રોજ દિવસ અને રાતપાલીમાં નોકરી માટે બાઈક લઈને અપડાઉન કરે છે, ત્યારે કાયમ મોટા વાહનોના ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર દસાડાથી બેચરાજી વચ્ચે છેલ્લા બે અઢી વર્ષમાં આઠ જેટલા યુવાનો મોતને ભેટ્યાના ગોઝારા બનાવો બનેલા છે. આ પણ વાંચો: માથું ધડથી અલગ, શરીરના ટુકડેટુકડા; પાટડીનાં ખૌફનાક દૃશ્યો
દારૂ ઝડપાયો:લખુપરા ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
મહુવા તાલુકાના લખુપરા ગામે રહેતા ચંપુભાઈ વલકુભાઈ ઝાઝડા ના ગોરસ રોડ વાડી વિસ્તારમાં આવેલ વાડીના રહેણાકી મકાનમાં રાખેલ વિદેશી દારૂની રૂપિયા 55400 ની કિંમતની 48 નંગ બોટલો ભાવનગર એલસીબીએ ઝડપી લીધી હતી. જ્યારે ઘરે હાજર નહીં મળી આવેલ આરોપી ચંપુભાઈ ને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વિવાદનો આવ્યો અંત:સિહોરની ઢાંકણકુંડાની પ્રાથમિક શાળાનો વિવાદ આખરે થાળે પડ્યો
સિહોરના ઢાંકણકુંડા ગામે ગામ લોકો શાળાના પ્રશ્નો બાબતે રોષે ભરાયાં હતાં. આચાર્યની બદલી પ્રશ્ને શાળાને તાળાબંધી કરાઇ હતી જેથી બાળકોના અભ્યાસને અસર થઇ રહી હતી. સિહોર તાલુકાની ઢાંકણકુંડા પ્રાથમિક શાળાનો વિવાદ ત્રણ દિવસ પછી માંડ-માંડ પત્યો. ચાર અધિકારીઓએ એક સાથે ઢાંકણકુંડા ગામની મુલાકાત લઇ, ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. અને ગામ લોકોને સમજાવી બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે, શાળા શરૂ કરાવી દીધી હતી. આખરે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આચાર્યા હીરુબેન વાજાને એકાદ માસની રજા પર ઉતારી દેવાયા. એકાદ માસમાં તેની બદલી કરવાની પણ લેખિત બાહેંધરી આપવામાં આવી. ઉપરાંત શાળાના સિનિયર શિક્ષક વિમલભાઇ પંડ્યાને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવેલ.અધિકારીઓ દ્વારા લેખિત બાંહેધરી અપાયા બાદ ગ્રામજનો શાળા શરૂ કરવા માટે સહમત થયા હતા.આમ, ત્રણ-ત્રણ દિવસ સુધી શાળા બંધ રહ્યા પછી, આખરે શાળા શરૂ થતા પ્રશ્નનો અંત આવ્યો હતો. ચાર અધિકારીઓએ ગામ લોકોને સમજાવ્યાઢાંકણકુંડા ગામની પ્રાથમિક શાળાનો વિવાદ આખરે થાળે પડ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઢાંકણકુંડા ગામની મુલાકાતે ગયા હતા. જ્યાં ગ્રામલોકો અને એસ.એમ.સી. સાથે મુલાકાત કરવામાં આવી હતી.
દારૂનો મોટો જથ્થો પકડાયો:સિહોરથી બોટાદ જતો 46.66 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ભાવનગરના સિહોરના નેસડા ગામથી આગળ દારૂ - બિયરના મસમોટા જથ્થો લઇ શંકાસ્પદ ટ્રક પસાર થવાનો હોવાની સિહોર પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે નેસડા ગામ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન નેસડા ગામ થી બોટાદ જઇ રહેલા કંતાનના બારદાન ભરેલો શંકાસ્પદ ટ્રક જોવા મળતા પોલીસે ઉભો રાખવાની કોશીશ કરી હતી પરંતુ ડ્રાઇવરે પોલીસને જોઇ ટ્રકને કનીવાવ ગામ તરફ ટ્રક ભગાડી મુકતા પોલીસે ફિલ્મી સ્ટાઇલે ટ્રકનો પીછો કરી, ડ્રાઇવરને ઝડપી લઇ, ટ્રકમાં તલાશી કરતા ટ્રકમાંથી રૂા. 46 લાખથી ઉપરાંતનો મસમોટો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ કરી, દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ શરૂ કરી છે. આગામી 31 ડિસેમ્બરને લઇને ભાવનગર શહેર અને જિલ્લાના બુટલેગરો સક્રિય થયા છે. અને મસમોટા દારૂ મંગાવી, યુવકોને નશાના રવાડે ચડાવે છે.ત્યારે પોલીસે આવા બુટલેગરોને શોધી કાઢવા માટે સખત વોચ ગોઠવી છે. ત્યારે સિહોર પોલીસને નેસડા ગામ નજીકથી એક શંકાસ્પદ ટ્રકમાં દારૂ તેમજ બિયરની મોટા જથ્થામાં હેરાફેરી થવાની હોવાની ચોકક્સ બાતમી મળી હતી. જે આધારે પોલીસે નેસડા ગામ પાસે વોચ ગોઠવી રાખી હતી. જે દરમિયાન કંતાનના બારદાન ભરેલો એક શંકાસ્પદ ટ્રક પસાર થતાં તેના ડ્રાઇવરને ટ્રક ઉભો રાખવાનો ઇશોરા કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે પોલીસને જોઇ તેનો ટ્રક કનીવાવ ગામ તરફ ભગાડી મુક્યો હતો. જે બાદ પોલીસના કર્મચારીઓએ ફિલ્મી સ્ટાઇલે પીછો કરી કનીવાવ ગામ નજીકથી ટ્રકને ચારેબાજુથી કોર્ડન કરી, ડ્રાઇવર દિનેશકુમાર રૂગનાથરામ ખીલેરીની ધરપકડ કરી, ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની તેમજ બિયરની બોટલો નંગ 11,676 કિ.રૂા. 46,66,560નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જે બાદ રાજસ્થાનથી દારૂ મંગાવનાર સુરેશરામ ભાકરારામ જાટની તેમજ બોટાદના બુટલેગરની શોધખોળ શરૂ કરાઇ છે. પોલીસને ગુમરાહ કરવા હવે બુટલેગરો ટ્રકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરફેર કરી રહ્યાં છે. નારી ચોકડીથી બુટલેગરે બોટાદ તરફ ટ્રક વળાવ્યોનારી ચોકડી પાસેથી ટ્રક પહોંચતા ટ્રકના ડ્રાઇવરને બુટલેગરે ફોન કર્યો હતો અને ડ્રાઇવરને દારૂ ભરેલા ટ્રકને બોટાદ તરફ વાળવાની સુચના આપ્યા બાદ ડ્રાઇવરે સિહોરના નેસડા ગામથી બોટાદ તરફ જઇ રહ્યો હતો. જે દરમિયાન પોલીસે વોચ ગોઠવી ટ્રકની અટક કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.બુટલેગર બોટાદનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સફળ સર્જરી:સાત વર્ષની બાળકી સિક્કો ગળી જતા કરાયું જટિલ ઓપરેશન
માનવ સેવા એ જ પ્રભુ સેવા ઉક્તિને ચરિતાર્થ કરતી ઉમરાળા તાલુકાના ટીંબી ખાતેની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં રોંજીદા હજારો દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના આંખ-નાક-ગળાના વિભાગમાં સાત વર્ષની બાળકી બે રૂપિયાનો સિક્કો ગળી જતા સારવાર્થે લવાઈ હતી. ગળાના અંદરના ભાગમાં ફસાયેલો બેનો સિક્કો શ્વાસનળીમાં જવાની સંભાવના વચ્ચે ઈ.એન.ટી. વિભાગના તબીબોની ટીમે સફળતાપૂર્વકના ઓપરેશનથી બાળકીને નવજીવન આપ્યું છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં બે રૂપિયાનો સિક્કો ગળી જતા સાત વર્ષની બાળકી સારવાર્થે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના ઈ.એન.ટી. સર્જન ડો. ગવેન્દ્ર દવે સાહેબ, મહિલા તબીબ ડો.રાજી દેસાઈ અને એનેસ્થેટીક ડો. મિહિર પટેલની ટીમે સફળ ઓપરેશન કરી બાળકીના ગળામાં ફસાયેલા સિક્કાને બહાર કાઢી બાળકીને મૃત્યુંના ખતરાથી ઉગારી લીધી હતી. ગળામાં ફસાયેલા સિક્કાની ખાનગી હોસ્પિટલ જેવી સ્થાનિક કક્ષાએ નિઃશુલ્ક સારવાર મળતા બાળકીના પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં ભેદભાવ વિના નિઃશુલ્ક સારવાર !ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી ! એટલું જ નહીં અહીં ધર્મ-જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરાઇ છે. વર્ષ-2011માં 5 કરોડના ખર્ચે બન્યા બાદ માનવ સેવા હોસ્પિટલ બનાવીને ટ્રસ્ટને સોંપ્યું હતું. આ હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર અને ઓપરેશન થાય છે સર્જરી થાય છે ત્યારે દેશભરમાંથી આવતા દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે.
રમત ગમતમાં સિદ્ધિ:રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં જ્ઞાનગુરુ એકેડેમીના છાત્રો ઝળક્યા
જૂનાગઢ ખાતે યોજાયેલ 8મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ કોમ્પિટિશનમાં શ્રી જ્ઞાનગુરુ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ જ્વલંત સફળતા મેળવી છે. આ સ્પર્ધામાં લાયન સ્કેટિંગ ક્લબ, શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગરના 6 બાળકોએ અલગ અલગ વય જૂથમાં ભાગ લીધો હતો, જેમાં આ બાળકોએ ટોટલ 9 ગોલ્ડ સિલ્વર અને બ્રોન્સ મેડલ મેળવી ઓલ ઓવર ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી, આ બાળકોના કોચ વત્સલ બારડે કોચિંગ આપ્યું હતું તથા સંસ્થાના સંચાલક મનહરભાઈ રાઠોડે બાળકોને બિરદાવ્યા છે.
પૂજ્ય આચાર્ય સુનિલસાગરજી ગુરુદેવ સંઘના વિશેષ વિસ્તાર, રત્નદ્વીપ-ઘોઘા ખાતે હજારો વર્ષ જૂના સહસ્ત્રકૂટ મંદિરમાં આયોજિત શ્રીમજિનેન્દ્ર પંચકલ્યાણક મહામહોત્સવ શરૂ થયો. અતિશય ક્ષેત્ર ઘોંઘા (ભાવનગર) ખાતે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્યશ્રીએ આત્મસંયમ, દીક્ષા અને જીવનમૂલ્યો અંગે અત્યંત પ્રભાવશાળી ઉદ્દબોધન આપ્યું. ગુરુદેવે જણાવ્યું કે, પ્રત્યેક પળે ઇચ્છા જન્મે છે, અને જે ઈચ્છાઓને જીતે છે તે જ દીક્ષાનો અધિકારી બને છે. સંયમ દુનિયાની સૌથી કિંમતી સાધના છે, તેથી પ્રભુ આદિનાથએ અગણિત વૈભવ છોડીને દીક્ષા સ્વીકારી. ગુરુદેવે ઋષભદેવ ભગવાનના જીવનચરિત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેવી રીતે સૌધર્મ ઇન્દ્ર પણ તેમની સેવા માટે ઉપસ્થિત રહેતા, ભરત–બાહુબલી જેવા પ્રતિભાશાળી પુત્રો હતા, અગણિત રાજવૈભવ હતું — છતાં તેમણે ક્રોધના પ્રસંગે સમતા અપનાવીને સંસારમાંથી નિવૃત્તિ લીધી અને દિગંબર દીક્ષા ધારણ કરી. સભામાં સમુદ્રકિનારે સ્થિત પ્રાચીન રત્નદ્વીપ ક્ષેત્રના ઇતિહાસનો પણ ઉલ્લેખ થયો. ગુરુજીએ જણાવ્યું કે ક્યારેક અરબ સાગર મંદિરની બાજુ સુધી હતો અને ‘ખજૂરિયા ચૌક’ નામના સ્થળે અરબ દેશોમાંથી આવેલા ખજુર ઉતારવામાં આવતાં. આજે સમુદ્ર થોડું પાછળ ખસી ગયો છે, પરંતુ સમયપ્રભાવવશ ત્યાં ફરી આગળ વધવાની શક્યતા જણાવવામાં આવે છે. ગુરુદેવે આચાર્ય સમદરભદ્ર સ્વામીકૃત સ્તુતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ધરા રૂપિ સ્ત્રીએ સમુદ્રરૂપ સાડી ધારણ કરી છે અને ઋષભદેવે રાગનો ક્ષય થતાં તેને પણ ત્યજ્યું. આ સંયમ અને વૈરાગ્યનું અદ્વિતીય ઉદાહરણ છે.ઉદ્દબોધનમાં ગુરુદેવે દ્રવ્યો લિંગ અને ભાવ લિંગના તફાવત પર પ્રકાશ પાડતા કુન્દકુન્દાચાર્યની વાણીને યાદ કરી. તેમણે કહ્યું કે માત્ર ચર્ચા કરવાથી નહીં, પરંતુ ચર્યા ઉતારવાથી મમુક્ષુત્વ સિદ્ધ થાય છે. પ્રાચીન સમયમાં ઘોઘામાં વિશાળ જિનાલય હશેપ્રાચીન સમયમાં ઘોઘા પ્રદેશમાં વિશાળ જિનાલય રહ્યા હશે. સમય અનુસાર સ્વરૂપ બદલાયું, પરંતુ પવિત્રતાનો મૂળ ભાવ આજે પણ અવિચલ છે. શ્રીપાલ મહારાજના આગમન, નિર્વાણસ્થળ અને પ્રાચીન ઇતિહાસ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો અને એવું શક્ય ગણાવાયું કે તેમનું નિર્વાણ સાંછી (વિદિશા) આસપાસ જ થયું હોઈ શકે
ગૌરવની વાત:ભાવનગરના ક્રિષ્ના જોષીએ કેબીસીમાં જીત્યા રૂ. 7.50 લાખ
ભાવનગરના ક્રિષ્ના હરેશભાઇ જોષી જેઓ ભાવનગર મહાનગરપાલિકા સેક્રેટરી વિભાગના પૂર્વ કર્મચારી અને હાલ ગુજરાત હાઇકોર્ટમાં ડી.વાય.એસ.ઓ. તરીકે ફરજ બજાવે છે. તેઓએ કોન બનેગા કરોડપતિ પ્રતિયોગિતામાં ભીમ એપ્લિકેશનની સ્પર્ધામાં ભાગ લઈને પસંદગી પામી પ્રથમ દિવસે જ પહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી ઓછા સમયમાં સાચો જવાબ આપી હોટ સીટ ઉપર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિ ગેમ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી સમગ્ર દેશના કરોડો દર્શકો સમક્ષ ભાવનગરને ગૌરવ અપાવ્યું છે. તેઓનો એપિસોડ ગત તા.8 ડિસેમ્બરે ટીવીમાં રિલીઝ થયો હતો. 60 મિનિટના એપિસોડમાં બચ્ચન બાબુ સાથે ઘણી બધી વાતો અને પરિવાર અને વ્યક્તિગત જીવનના સંવાદો કર્યા હતા. ક્રિષ્નાએ કૌન બનેગા કરોડપતિમાં બે પડાવ સફળતાપૂર્વક પાસ કર્યા હતા અને રૂ. 7.50 લાખની ઇનામી રકમ જીતી હતી. અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળતા તેમના જીવનનું સ્વપ્ન સાકાર થયું હતુ. આ જીતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે અને તેઓ ભવિષ્યમાં આ રકમનો સદુપયોગ કરીને આગળ વધવા ઈચ્છે છે.. કેબીસીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાન્યુ-માર્ચની વચ્ચે થતી હોય છે અને સોની પર રોજ એક સવાલનો જવાબ આપવાનો હોય છે. આ રીતે સાતેક જવાબો આપવાના થતા હોય છે. ત્યાર બાદ એપ્રિલના લાસ્ટ વીક કે મેની શરૂઆતમાં KBCમાંથી ફોન આવે અને ત્રણ સવાલો પૂછે. જો સિલેક્ટ થાવ તો ગ્રાઉન્ડ ઓડિશન એટલે કે મુંબઈ જવા મળે અને એ સામાન્ય રીતે મેના એન્ડ કે જૂનની શરૂઆતમાં હોય છે. દિલ્હી, ભોપાલ, લખનઉ અને મુંબઈ જેવા શહેરોમાં પ્રક્રિયા થતી હોય છે. ફાસ્ટેસ્ટ ફિંગરમાં સિલેક્ટ થયાનો ફોન આવે. ટીવી પર આ સરળ લાગે, પરંતુ વાસ્તવમાં આ જર્ની ઘણી જ એટલી ઘણી જ અઘરી હોય છે. સ્પર્ધક પાસેથી KBCની ટીમ સિલેક્ટ કરીને આપે એ કપડાં પહેરવાનાં હોય છે.દરેક સ્પર્ધકનો મેકઅપ રૂમ હોય છે. સેટ પર ટીમ નાની-નાની બાબતોનું ધ્યાન રાખે. સ્ટુડિયો જ એટલો મોટો છે કે તમને ભુલભુલૈયા જેવો લાગે.
17મીથી દબાણ હટાવની કામગીરી શરૂ કરાશે:અલંગ-મણારની સરકારી, ગૌચરના દબાણો હટાવાશે
ભાવનગર જિલ્લાના અલંગ ગામ નજીકની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે તખ્તો ઘડાઇ ચૂક્યો છે. ત્રાપજથી અલંગ સુધીના ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી દબાણોને કારણે અટકેલી હતી, જે હવે આગળ ધપશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની સામેની બાજુએ આવેલા હંગામી આવાસ, અને મણાર ગામની સરકારી, ગૌચર જમીનો પર દબાણો ખડકાયેલા હતા. લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તળાજા મામલતદાર કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર 459 લોકો દ્વારા 63 હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા 17મી ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે. 17મીથી દબાણ હટાવની કામગીરી માટે પોલીસ બંદોબસ્તથી લઇ અને તમામ સરકારી પ્રક્રિયાઓ પણ આટોપી લેવામાં આવી છે. આમ, સરકારી પડતર અને ગોચરની જમીન પર દબાણો દૂર કરવા તખ્તો ઘડાઈ ગયો છે.
શક્તિસિંહ ગોહીલની રજૂઆત:આસમાને આંબેલું મેઘાણી હોલનું ભાડું ઘટાડો :
કલાનગરી તરીકે વિખ્યાત ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ- હૉલનું ભાડું સ્થાનિક એન. જી.ઓ./ટ્રસ્ટ માટે આકાશને આંબી ગયું છે. BMC એ બિનવ્યાવસાયિક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ ટોકન દર રાખવા જોઈએ. ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલમાં તૂટેલી લાઈટો, કોઈ પ્રશિક્ષિત સાઉન્ડ ઓપરેટર નથી. દુર્ગંધયુક્ત શૌચાલયો છે, સફાઈ યોગ્ય રીતે થતી નથી ત્યારે આ મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સબંધિતને સુચના આપવા અનુરોધ કર્યો છે. ભાવનગરમાં આર્કિટેક્ટ રજનીભાઈ મચ્છરે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ અને હૉલ બનાવ્યો છે.જેમાં રજનીભાઈ મચ્છર દ્વારા સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે . ભાવનગર કલા અને સંગીત ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે . ભાવનગરમાંથી નામાકિંત કલાકારો સમાજને મળ્યા છે . ભાવનગરની પરંપરા રહી છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નજીવી રકમે હૉલ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને, NGO ને તથા વગર ટિકિટના કાર્યક્રમોના માટે મળતા હતા. ત્યારે હવે આ હોલમાં ભાડું ઘટાડી, સાઉન્ડ, લાઇટ, સફાઇ સહિતની સુવિધા નિયમિત થાય તે જરૂરી છે. આ હોલમાં ભાડુ વધુ લેવામાં આવતુ હોવા છતા પાયાની સુવિધાઓ મળતી ન હોય આ રજુઆત મુખ્યમંત્રીને કરીને તત્કાલ યોગ્ય કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
તબીબે કર્યો આપઘાતનો પ્રયાસ:સિહોરના જાણીતા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો
ભાવનગર જિલ્લાના સિહોર ગામે રહેતા અને સિહોર જીઆઈડીસીમાં ક્લિનીક ચલાવતા જાણીતા આધેડ તબીબે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે ભાવનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલી જી.આઇ.ડી.સી.માં ક્લીનીક ધરાવતા જાણીતા તબિબે કોઇ કારણોસર ઝેરી દવા પી, આપઘાતનો પ્રયાસ કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. સિહોરમાં રહેતા અને જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ક્લીનીક ચલાવતા મનદિપભાઇ પ્રજાપતિએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે ગંભીર હાલતે ડો. મનદીપભાઇ પ્રજાપતિને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણીતા તબીબ મનદીપભાઈ પ્રજાપતિએ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે સિહોર પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.
રત્નકલાકારે જીવાદોરી કાપી:હીરાની મંદીથી રત્નકલાકારે ફ્લેટ ઉપરથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું
ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક યુવક હિરામાં મંદી પ્રસરી જતાં આર્થિક સંકડામણ ભોગવી રહ્યા હતા. જેને લઇને યુવકને તેમની બે પુત્રીઓ અને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે તેની ચિંતા સતાવી રહી હતી જે મામલે થોડાક દિવસથી ડિપ્રેશનમાં રહેલા યુવકે આજે વહેલી સવારના સુમારે ફ્લેટની અગાશી ઉપર જઇ, હાથની નસ કાપી હતી અને બાદમાં ફ્લેટની અગાશી ઉપરથી નીચે ઝંપલાવતા યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. યુવક નીચે પટકાયાનો મોટો અવાજ આવતા ફ્લેટમાંથી સૌ કોઇ દોડી આવ્યા હતા. જે બાદ નિલમબાગ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ભાવનગર શહેરના વિજયરાજનગરમાં આવેલા જિનદર્શન ફ્લેટમાં રહેતા અજયભાઇ ચત્રભુજભાઇ સંઘવી (ઉ.વ.40) આજે વહેલી સવારના છ વાગ્યાના સુમારે તેમના ઘરેથી ફ્લેટની અગાશી ઉપર ગયા હતા અને હાથની નસ કાપી, ફ્લેટની અગાશીમાંથી નીચે ઝંપલાવી, જીવન ટુંકાવી લેતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અજયભાઇ છેલ્લા ઘણા વર્ષોથી હિરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને આ વ્યવસાયમાં મંદીની લહેર છવાતા અજયભાઇ આર્થિક સંકડામણ ભોગવી રહ્યા હતા અને તેમને સંતાનમાં બે પુત્રીઓ અને પરિવારના સભ્યોનું ભરણ પોષણ કેવી રીતે કરશે તેની સતત ચિંતા સતાવી રહી હતી. ત્યારે આજે અજયભાઇએ આર્થિક સંકડામણથી મોતને વ્હાલુ કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. યુવકની કાપડની દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હતુંઅજયભાઇએ હિરાની ઓફિસમાંથી નિકળી ગયા બાદ તેઓ ઘણા સમયથી ઘરે હતા. જે દરમિયાન તેમને કાપડનો વ્યવસાય કરવાની ઇચ્છા થતાં તેઓએ વિજયરાજનગરમાં કાપડની દુકાન શરૂ કરવાનું વિચાર કર્યો હતો. ત્યારે તેમની કાપડની દુકાનનું ગુરૂવારે ઉદ્ધઘાટન હતું અને તે જ દિવસે અજયભાઇએ આપઘાત વ્હોરી લીધો હતો.
શહેરના એસ્ટ્રોન ચોકમાં ગેરકાયદે પાર્ક કરાયેલી કારને ટ્રાફિક પોલીસના ટોઇંગવાનના કર્મચારીએ લોક મારી દીધું હતું. થોડીવાર બાદ કાર ચાલક પરત આવ્યો તો કારના ટાયરમાં લોક જોતા તેણે દેકારો મચાવ્યો હતો, કારચાલકે ટોઇંગવાનના કર્મચારીને ફોન કરીને બોલાવ્યા બાદ આક્ષેપ કર્યો હતો કે, લોક લગાવતી વખતે બેદરકારી દાખવતાં કારનું બમ્પર તોડી નાખ્યું છે, ટ્રાફિક પોલીસના કર્મચારી સાથે પણ કાર ચાલકે ઉદ્ધતાઇ કરી કાર સળગાવી નાખવાની ચીમકી આપી હતી અને કારને થયેલા નુકસાન મુદ્દે પોતે જોઇ લેશે તેવી ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો કારચાલક કાર પાસે આવ્યો ત્યારે લોક જોતા તેણે ટ્રાફિક પોલીસ કર્મચારીને ફસાવવા માટે જાતે જ કારનું બમ્પર તોડ્યું હોય તે ઘટના ફૂટેજમાં સ્પષ્ટ દેખાતી હતી. કારચાલકના કાવતરાનો ભાંડાફોડ થયો હતો.
શહેર પોલીસે વધુ એક સ્પામાં ચાલતા કૂટણખાનાનો ભાંડોફોડ કરી રિસેપ્શનિસ્ટ યુવતી સહિત બેની ધરપકડ કરી હતી, પરપ્રાંતની યુવતીઓ પાસે લોહીનો વેપાર કરી સ્પા સંચાલક કમાણી કરતા હતા. યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા રિઅલ વેલનેસ સ્પામાં સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું હોવાની માહિતી મળતાં પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો, ડમી ગ્રાહક ત્યાં પહોંચતા રિસેપ્શનિસ્ટ કૃપાલી રમેશ ધડુકે ગ્રાહક પાસેથી એન્ટ્રીના રૂ.1 હજાર વસૂલ્યા હતા, ત્યારબાદ ગ્રાહકને રૂમમાં મોકલી દેવાયો હતો, રૂમમાં પહોંચેલી યુવતીએ ગ્રાહક પાસેથી શરીરસંબંધ બાંધવાના રૂ.3 હજાર વસૂલ્યા હતા, કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ ટીમના પીઆઇ બી.એમ. ઝણકાટ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે રિસેપ્શનિસ્ટ કૃપાલી ધડુક અને મેનેજર સાધુ વાસવાણી રોડ પરના આરએમસી ક્વાર્ટર્સમાં રહેતા ભાવિન દિલીપ ગોહિલની ધરપકડ કરી છ મોબાઇલ સહિત39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્પામાંથી નેપાળ અને પંજાબની યુવતી મળી આવી હતી, બંનેએ કબૂલાત આપી હતી કે, તે ગ્રાહકો પાસેથી અલગ અલગ રકમ વસૂલતી હતી, સ્પા સંચાલક અમરેલીનો યોગેશ રમણીક જીકાદ્રા જસદણના ગઢાળાનો ભરત હરસુર પાડા હોવાનું ખૂલતા પોલીસે તે બંનેની શોધખોળ શરૂ કરી હતી.
તંત્ર હરકતમાં આવ્યું:હિરાસર એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી હાઈવે પર ખડકાયેલા તમામ દબાણો હટાવાશે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તર્જ પર રાજ્યના ચાર અલગ-અલગ ઝોનમાં વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સના આયોજન અંતર્ગત આગામી તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેમાં વડાપ્રધાન મોદી તેમજ વિદેશી મહેમાનો આવનાર હોવાથી હિરાસર એરપોર્ટથી મોરબી હાઇવે પર આવેલ આયોજન સ્થળ સુધીના તમામ દબાણો હટાવાશે. રાજકોટ ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા.10,11 અને 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ યોજાશે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી ઉદ્યોગકારો જોડાશે. હાલમાં વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સને લઇ વિવિધ કમિટીઓ બનાવી છે. કમિટી દ્વારા આયોજન સ્થળ, એક્ઝિબિશન સ્થળ, કોન્ફરન્સમાં આવનાર મહેમાનો માટે હોટેલ બુકિંગ સહિતની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના આગમનને લઈ કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સની તારીખમાં ફેરફાર થયો છે ત્યારે જિલ્લા કલેક્ટરે વડાપ્રધાનના આગમન અંગે સત્તાવાર સૂચના ન મળી હોવાનું જણાવી વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં થનાર એમઓયુનો આંકડો જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું. બીજીતરફ દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં આવી રહ્યા હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિરાસર એરપોર્ટથી લઈ મારવાડી યુનિવર્સિટી સુધીના માર્ગ પરના તમામ દબાણો હટાવી વાઇબ્રન્ટ કોરિડોર માટે કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો પણ સત્તાવાર સૂત્રોએ આપ્યા હતા.
ખુદ સરકારને પણ B ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિ.માં રસ નથી!:વાઈબ્રન્ટ સમિટ માટે A+ ગ્રેડ ખાનગી યુનિ.ની પસંદગી
રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી મહત્ત્વપૂર્ણ રીજનલ વાઇબ્રન્ટ સમિટના સ્થળની પસંદગીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફગાવી દેવાતા અને એક A+ ગ્રેડની ખાનગી યુનિવર્સિટીમાં આયોજન નક્કી થતાં, રાજ્યની આ સ્ટેટ યુનિવર્સિટીના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાંચ હજારથી વધુ ઉદ્યોગપતિઓની હાજરીવાળી આટલી મોટી પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ખુદ સરકાર જ B ગ્રેડ યુનિવર્સિટીમાં મોટી ઇવેન્ટ યોજવામાં રસ નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. વાઈબ્રન્ટ સમિટ માટે અગાઉ ઉચ્ચ અધિકારીઓની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત જુદી જુદી જગ્યાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને સૌરાષ્ટ્ર-કચ્છના ઉચ્ચસ્તરના કાર્યક્રમ માટે જરૂરી ભૌતિક સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), આધુનિક ટેક્નોલોજિકલ સપોર્ટ અને વિશાળ, સુસજ્જ હોલ/વેન્યુનો અભાવ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિવર્સિટી પાસે ભલે મોટું સંકુલ હોય, પરંતુ તેમાં પાંચ હજાર લોકોને એકસાથે સમાવી શકે તેવી સુવિધા-વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, સેમિનાર હોલ, કોન્ફરન્સ હોલ, ઉદ્યોગકારો માટેની વ્યવસ્થા સહિતની બાબતોમાં આયોજનનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. વહીવટી તંત્રને સ્પષ્ટ થયું કે, જો આ સ્થળે સમિટ યોજાય તો મહેમાનોને સગવડને બદલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મેનેજમેન્ટ માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ કેમ્પસની જાળવણી અને આધુનિકીકરણના મુદ્દે પણ નિષ્ફળ ગયું છે તેવું આ ઘટનાથી સાબિત થાય છે. આ નિર્ણયથી સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે, જાહેર સંસ્થા કરતા ખાનગી સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તમ છે. ખાનગી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય, સરકારી યુનિવર્સિટીમાં સુવિધાઓની અછત દર્શાવે છે. સેક્ટર–સ્પેસિફિક સેશન્સ, હાઈ-ટેક પ્રેઝન્ટેશન્સ, સ્ટાર્ટઅપ ઝોન્સ અને CEO મીટ જેવી પ્રવૃત્તિઓ માટે પણ જરૂરી આધુનિક સુવિધાઓનો અભાવ દર્શાયો. આ બધાને ધ્યાને લઈને અંતે A+ ગ્રેડ ધરાવતી ખાનગી યુનિવર્સિટીને સમિટ માટે યોગ્ય ગણાઈ. સત્તાધીશો માટે હવે આત્મનિરીક્ષણનો સમયઆ ઘટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્ર માટે એક આત્મનિરીક્ષણનો સમય છે. જો યુનિવર્સિટી રાજ્યના વિકાસના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પણ ન કરી શકે, તો તેની શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડી શકે છે. સમિટનું સ્થળ બદલાતા B ગ્રેડ યુનિવર્સિટીની બધી ‘પોલ’ ખુલ્લી પડી છે, અને હવે આગામી સમયમાં સુવિધાઓની ગુણવત્તા સુધારવા માટે ત્વરિત પગલાં લેવા અનિવાર્ય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 5 હજારથી વધુ ઉદ્યોગકારો જોડાશેરાજકોટમાં 10થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાનારી સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે. 5000થી વધુ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોની હાજરી સાથે યોજાનાર આ મેગા બિઝનેસ ઇવેન્ટ અંગે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે શરૂ કરાયેલું ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS-જીકાસ) એક મોટો વિવાદનો મધપૂડો બન્યું છે. પોર્ટલના કારણે સર્જાયેલા ભારે વિખવાદ, વિદ્યાર્થીઓની હેરાનગતિ અને પ્રવેશ પ્રક્રિયાના ધબડકાને પગલે હવે રાજ્યભરમાંથી તમામ વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપકોની હજારો ફરિયાદ, કોલેજોમાં પણ અસંતોષ ફેલાયો છે. જોકે આ વ્યાપક વિરોધ અને માગણીઓને ધ્યાનમાં લેવાના બદલે સરકારે પોર્ટલને ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. જીકાસ પોર્ટલને કેવી રીતે વધુ સારી રીતે ચલાવી શકાય તે અંગે સલાહ આપવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. આ કવાયત સ્પષ્ટપણે દર્શાવે છે કે, સરકાર પોર્ટલ દૂર કરવાના બદલે તેને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. આ કમિટીમાં બે કુલપતિઓ અને એક વિદ્યાર્થી પ્રતિનિધિની નિયુક્તિ કરીને કુલ પાંચ આમંત્રિત સભ્યો સાથે પણ જીકાસ પોર્ટલ ચાલુ રાખવાની કવાયત હાથ ધરી છે. આ કમિટીમાં સ્થાન પામેલા બે કુલપતિ પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોષીને સ્થાન અપાયું છે. જોકે આ કમિટીની રચના પર પણ વિવાદ ઊભો થયો છે. સૂત્રોના મતે, સમિતિમાં માત્ર તે જ અધિકારી અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે, જેઓ સરકાર કહે તે પ્રમાણે કામગીરી કરવા તૈયાર હોય. સૌથી મોટી વાત એ છે કે, રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આ મહત્ત્વપૂર્ણ સમિતિમાં સ્થાન ન આપતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. GCAS પોર્ટલના માધ્યમથી ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં 32થી વધારે રાઉન્ડ કરવા છતાં મોટાભાગની કોલેજોમાં ગત વર્ષની સરખામણીએ ઓછી બેઠકો ભરાઈ હતી. આ લાંબી અને અવ્યવસ્થિત પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ભારે હેરાનગતિ ભોગવી હતી.
ખેલકૂદ મહોત્સવ:40 લાખના ખર્ચે યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ, 3 કોચ નિમાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું સમાપન થયું છે. જેમાં બે દિવસ દરમિયાન 26 ઇવેન્ટમાં 328થી વધુ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ મહોત્સવની સાથે જ યુનિવર્સિટીના કુલપતિએ રમતગમતની પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવા અને યુનિવર્સિટીના મેદાનોને જીવંત બનાવવા માટે મહત્ત્વની જાહેરાત કરી છે. યુનિવર્સિટી દ્વારા રૂ.40 લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે જિમ અને બેડમિન્ટન કોચ ઉપરાંત હવે હેન્ડબોલ, બાસ્કેટબોલ અને લોન ટેનિસ જેવી ત્રણ નવી રમત માટે પણ કોન્ટ્રાક્ટ આધારિત કોચની નિમણૂક કરવામાં આવશે. નવીનીકરણ માટે બોર્ડ ઓફ સ્પોર્ટ્સની દરખાસ્ત બાદ આ કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ ઓર્ડર આપવામાં આવશે, જેથી ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળી રહે. ભાઈઓમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતાં વનરાજ વાઘેલાએ 36.18 મિનિટમાં દોડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે બહેનોમાં સદગુરુ મહિલા કોલેજની વિદ્યાર્થિની આશા ચારોલાએ 48.46 મિનિટમાં 10,000 મીટર દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુનિવર્સિટીના આ પ્રયાસોથી સૌરાષ્ટ્રના યુવાનોમાં રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર થશે તેવી આશા છે.
હુમલો:અગાઉના ઝઘડામાં સમાધાનનો ઈનકાર કરતાં 9નો યુવક પર હુમલો
શહેરના 80 ફૂટ રોડ પરના વિસ્તારમાં રહેતા યુવકને રામનગર મેઈન રોડ પર આવેલા રેનબસેરા પાસે આંતરી અગાઉના ઝઘડામાં સમાધાન કરવાનું કહેલું જેથી યુવકે ઈનકાર કરતાં 3 મહિલા સહિત 9 શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આજી વસાહતના આંબેડકરનગર શેરી નં.14માં રહેતા પ્રકાશ વસંતભાઈ ચાવડા(ઉં.વ.35)એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલ મકવાણા, ગિરધર સોલંકી, ભાવેશ સુમેસરા, ધવલ મકવાણાની માતા, ધવલનો ભાઈ જયદીપ અને તેની પત્ની, અજયની પત્ની, એક અજાણ્યો અને હમીર મકવાણાનું નામ આપ્યું હતું. યુવકને રામનગર મેઈન રોડ પર આવેલા રેનબસેરા પાસે આંતરી અગાઉના ઝઘડામાં સમાધાન કરવાનું કહેતા યુવકે ઈનકાર કરતા 3 મહિલા સહીત 9 શખ્સ દ્વારા માર મારવામાં આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રામનગર મેઈન રોડ પર રેનબસેરા પાસેનો બનાવ
પશુપ્રેમીઓમાં રોષની લાગણી:આલાબાઈના ભઠ્ઠા પાસે અજાણ્યા શખ્સો પ્રાણીના અંગો ફેંકી ગયા
ન્યૂ જાગનાથ વિસ્તારમાં આલાબાઈના ભઠ્ઠા નજીક ફરી એક વખત અજાણ્યા શખ્સ દ્વારા બલિ ચડાવેલા પ્રાણીઓના કપાયેલા અંગો તેમજ ફૂલો ફેંકી જવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે દેકારો ફેલાયો છે. છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર આવી ઘટના બનતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ વખતે સ્થળ દેરાસર નજીક હોવાથી, સ્થાનિકોએ જણાવ્યું કે, આ પ્રકારની હરકતોથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ વારંવાર મહાનગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોમાંથી ઘણા લોકોનું માનવું છે કે, રાત્રિ અથવા વહેલી સવારના સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી હરકતો કરે છે, અને તંત્ર જો સમયસર કાર્યવાહી ન કરે તો ભવિષ્યમાં આ ઘટના વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
કાર્યક્રમમાં ગીતોએ લોકોને ડોલાવ્યા:‘એક અમર અવાજ મોહમ્મદ રફી’ ગીતોનો કાર્યક્રમ યોજાયો
શહેરના હેમુ ગઢવીના મિનિ હોલમાં તાજેતરમાં મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબના જન્મ શતાબ્દી વર્ષને અનુલક્ષીને એમણે ગાયેલા અણમોલ ગીતોનો કાર્યક્રમ “એક અમર અવાજ મોહમ્મદ રફી’ યોજાયો. કાર્યક્રમના એક એક ગીતને લોકોએ તાલીઓનાં ગડગડાટથી વધાવી લીધું હતું. રફી સાહેબના અમર ગીતોને અનવર હાજી, તૃપ્તિ દવે, રાજ પંજાબી અને દીપ્તિ બાલાસરાએ સુંદર રીતે રજૂ કર્યા હતાં. જ્યારે સંગીત નિયોજનમાં શૈલેષ પંડ્યા, અનુપસિંહ ચૌહાણ, નિલેશ પાઠક, દેવાંગ જાની, સાજીદખાન સાથ આપેલ કાર્યક્રમનું સંચાલન દિનેશ બાલાસરા દ્વારા કરવામાં આવ્યું હતું. બુધવારની રાત્રે રફીમય બની ગઈ હતી. આર.ડી. ઇવેન્ટ્સ અને પરેશ પોપટ દ્વારા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી જનતા માટે વિનામૂલ્યે યોજાયેલ કાર્યક્રમને ઉપસ્થિત જનતાએ મન ભરીને માણ્યો હતો.
જલકથા:દેશની 111 પવિત્ર નદીના 25 જળકળશનું પૂજન, આરતી કરાઇ
રાજકોટમાં છેલ્લા 10 દિવસથી ઘરે-ઘરે 111 પવિત્ર નદીના જળનું કળશ પૂજન થાય છે. આ તકે ટ્રસ્ટ દ્વારા એસ.વી. વિરાણી કોલેજ ખાતે 25 કળશનું 60 વિદ્યાર્થી, કોલેજના ટ્રસ્ટી, સ્ટાફ સહિત દરેકે પૂજન તથા આરતી કરી હતી. જેમાં ગીરગંગા ટ્રસ્ટમાંથી ગીતાબેન મકવાણા, વસંતભાઇ લીંબાસિયા તથા કોલેજના પ્રિન્સિપાલ બીનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી પ્રવીણાબેન ચોવટિયા, રસીલાબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા. શહેરના બહુમાળી ભવનથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીની ભવ્ય કળશયાત્રા 14મીએ રવિવારે સવારે 8 વાગ્યે પ્રારંભ થશે. જેમાં વાજતે-ગાજતે 111 નદીના જળના કળશ લઇ જઇ તેનું પૂજન અને મહાયજ્ઞ થશે. હાલ 13મી સુધી દરેક લોકોના ઘેર-ઘેર આ જળકળશનું પૂજન કરવામાં આવે છે.
SOG દ્વારા ચેકિંગ:રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું
તાજેતરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે જેને ધ્યાનમાં રાખી રાજ્યભરનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. દિલ્હીના બોમ્બ ધડાકાની ઘટના બાદ એલર્ટ બનેલી રાજકોટ એસઓજી પોલીસે ગુરુવારે નવા કોર્ટ બિલ્ડિંગમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. નવા કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્યુઆરટીની ટીમને સાથે રાખી એસઓજીની ટીમે તમામ વિભાગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. લગભગ એક કલાકથી વધુના સમયગાળા દરમિયાન કરેલી કાર્યવાહી બાદ કંઇ વાંધાજનક મળ્યું ન હતું.
સાયબર ગઠિયાઓ દેશના કોઇપણ ખૂણે રહેતા લોકોને પોતાની જાળમાં ફસાવી નાણાં પડાવી લે છે અને ફ્રોડની રકમ અન્ય રાજ્યના બેંક એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં જમા કરાવી લઇ ચેઇન મારફત તે રકમ વિદેશ બેઠા બેઠા હસ્તગત કરી લે છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુરુવારે છ ફરિયાદમાં 19 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટના રિક્ષાચાલક, શાકભાજીના ધંધાર્થી, ક્ષૌરકર્મ અને મજૂરી કરતાં લોકોના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા હતા અને તેમને પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા બદલ રૂ.1 હજારથી માંડી IT નોટિસ આપે ત્યાં સુધીમાં બધું સગેવગે થઈ જાય છેસાયબર ફ્રોડમાં જે વ્યક્તિની ‘કિટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ ગરીબ અથવા તો અત્યંત ગરીબ હોય છે. તેના નામે લાખો-કરોડો નહીં અમુક કિસ્સામાં અબજો રુપિયાના વહિવટ બેથી ત્રણ વર્ષમાં કરી નાખવામાં આવે છે. ત્યાં સુધી કોઈને પણ એટલે કે આખી સરકારી મશીનરીમાંથી કોઈને પણ જાણ નથી થતી. ત્યારબાદના બે કે ત્રણ વર્ષ પછી ઈન્કમટેક્સ જેના નામે નાણાંકિય વ્યવહાર થયા હોય તેને નોટિસ આપે છે. જો કે, ત્યાં સુધીમાં તો રૂપિયા વિદેશમાં અથવા તો અલગ-અલગ ગેંગના માફિયાઓ સુધી પહોંચી ગયા હોય છે. આ બે કિસ્સા પરથી સમજો તપાસના નામે કેવા-કેવા નાટક થાય છેરાજકોટ ઈન્કમટેક્સે ભગુ પાલા ટોયટાને 23 કરોડ જ્યારે વાલદાસ બળવંતરાય દેવમુરારીને 46 કરોડની નોટિસ અનુક્રમે 2021-22 અને 2018-19માં થયેલા વ્યવહારો સંદર્ભે 3 અને 6 વર્ષે નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે કે, તમે કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા તો ઈન્કમટેક્સ શા માટે નથી ભર્યો? આ બન્ને વ્યક્તિ અત્યંત ગરીબ છે અને આ બન્નેના ખાતા ભાડેથી મેળવીને કારસ્તાન કરાયું છે. હવે આ બન્ને પાસેથી રાતીપાઈ પણ વસૂલી શકાય તેમ નથી. ભાસ્કર ઈન્સાઈડસાયબર ફ્રોડના કિસ્સામાં રૂપિયા પરત મળવા મુશ્કેલસાયબર ગઠિયાઓ છેતરપિંડીના નાણાં અન્ય લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે અને નાની રકમના કમિશનની લહાયમાં શ્રમિકો પોતાના બેંક એકાઉન્ટની કિટ અન્યોને આપી દે છે. આવા ગુનાથી બચવા માટે લોકોએ પોતાની બેંક કિટ કોઇને આપવી જોઇએ નહીં, નાની રકમની લહાયમાં ન ફસાવવું.> જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઇમ
મૃતપ્રાય વહીવટ:વ્યક્તિ જીવિત હતો તે તારીખનું મૃત્યુનું પ્રમાણપત્ર આપી દીધું
રાજકોટ મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં સપ્ટેમ્બર-2025થી નવા સોફ્ટવેર પર કામ શરૂ કર્યા બાદ સતત ફરિયાદો ઊઠી રહી છે અને અરજદારો હેરાન થઇ રહ્યા છે અને હવે તો આ નવા સોફ્ટવેરે હદ કરી દીધી છે. થોડા સમય પહેલાં જન્મ-મરણ શાખાએ મૃત્યુ પામેલા વ્યક્તિ જીવિત હતા તે તારીખનું ડેથ સર્ટિફિકેટ કાઢતા મૃતકનો પરિવાર આઘાતથી સ્તબ્ધ બની ગયો હતો અને પરિવારના મોભી જીવતા હતા અને સારવારમાં હતા ત્યારે જન્મ-મરણ શાખાએ તેમને મૃત બતાવતા વિભાગમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ પણ આ મરણ પ્રમાણપત્રમાં સુધારો થયો ન હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટની મધુરમ હોસ્પિટલમાં 47 વર્ષના એક આધેડ સારવાર હેઠળ હતા અને ગત તા.5ના રોજ આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સંદર્ભે હોસ્પિટલ દ્વારા મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખાને જાણ કરવામાં આવ્યા બાદ બે દિવસ પહેલાં ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં મોટો છબરડો કરાતા આધેડના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. જન્મ-મરણ વિભાગે તા.5-12-2025ના રોજ નિધન પામનાર આધેડ જીવિત હતા તે તા.4-12-2025નું ડેથ સર્ટિફિકેટ બનાવી તેમના પરિવારજનોને આપતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા જન્મ-મરણ વિભાગમાં જવાબદાર અધિકારીઓને આ મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ આજદિન સુધી તેમને નવી સુધારેલી તારીખનું મરણ પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ ન મળ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. સુધારેલું ડેથ સર્ટિફિકેટ ન મળતા આધેડનો પરિવાર ચિંતામાં મુકાયો છે અને આવી ક્ષતિના અન્ય અરજદારો પણ ભોગ બન્યાનું મનપાના સૂત્રોએ જણાવ્યું છે. સોફ્ટવેરમાં બગ આવી જતા AM-PM અને તારીખમાં છબરડાં થતાં હોવાની કબૂલાતઆ મુદ્દે આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, જન્મ-મરણ શાખામાં વપરાતા કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં ટેક્નિકલ બગને કારણે મૃત્યુ તારીખ 5ને બદલે 4 થઇને આવી છે. આવા અનેક છબરડાં હાલમાં સોફ્ટવેરમાં બગ આવવાથી થઇ રહ્યા છે. જેમાં AM હોય તો PM થઇ જાય છે અને PM હોય તો AM થઇ જાય છે. તેમજ તારીખ આગળની અથવા પાછળની છપાઇ જાય છે. જેના પરિણામે અરજદારો હેરાન થઇ રહ્યા છે. મનપા પાસે 1942થી જન્મ-મરણના ડેટા છે, પરંતુ CRS પોર્ટલ પર ટ્રાન્સફર થતા નથીમનપા પાસે 1942ની સાલથી જન્મ-મરણના ડેટા ઉપલબ્ધ છે. અગાઉ મહાનગરપાલિકાના પોર્ટલમાંથી જન્મ-મરણના પ્રમાણપત્ર નીકળતા હતા.ત્યારબાદ 1 ઓક્ટોબર 2020થી રાજ્ય સરકારના ઇ-ઓળખ પોર્ટલ પર જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાનું શરૂ કરાયું હતું. ત્યારબાદ 1લી સપ્ટેમ્બર-2025થી કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પરથી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાના શરૂ કરાયા છે, પરંતુ હજુસુધી રાજ્ય સરકાર હસ્તકના પોર્ટલના ડેટા કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં ટ્રાન્સફર કરી શકાયા નથી. તેમજ કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં ડેટા સબમિટ કરવામાં લાંબી પ્રક્રિયા હોય અને અવારનવાર સર્વરની સમસ્યા સર્જાઇ છે. તેમજ મનપાના સબ રજિસ્ટ્રારને બાદ કરતા આરોગ્ય અધિકારી સહિતના કોઇને પણ હજુસુધી કેન્દ્ર સરકારે યુઝર આઇડી અને પાસવર્ડ આપ્યા નથી. જેથી 18 વોર્ડ ઓફિસમાં દાખલા કાઢવાની કામગીરી બંધ છે. મનપાએ ગુજરાત સરકારને ફરિયાદ કરી અને ગુજરાત સરકારે ભારત સરકારને રાવ કરીસીઆરએસ પોર્ટલમાં છબરડો થયા બાદ તેમાં સુધારો કરી શકાતો નથી. જેના પરિણામે અરજદારોની હાલત કફોડી બની રહી છે. આથી આ મુદ્દે ગાંધીનગર ટેક્નિકલ ક્ષતિ સુધારવા જાણ કરી છે અને ગાંધીનગર રજિસ્ટ્રાર દ્વારા ભારત સરકારના રજિસ્ટ્રારને આ મુદ્દે જાણ કરી સીઆરએસ પોર્ટલમાં થતા છબરડાં અટકાવવા રજૂઆત કરાઇ છે. > ડો.જયેશ વંકાણી, આરોગ્ય અધિકારી, મનપા
સિટી એન્કર:મનપાની મિલકતોની 39 કરોડના ખર્ચે સુરક્ષા નહીં થાય
રાજકોટ મહાનગરપાલિકાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં 24માંથી 4 દરખાસ્ત પેન્ડિંગ રાખવા નિર્ણય કરાયો હતો. જેમાં મહાનગરપાલિકાની મિલકતોની સુરક્ષા માટે ખાનગી એજન્સીઓ સાથે રૂ.39.84 કરોડના ખર્ચે દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ ઉપરાંત જુદી-જુદી શાખાઓના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવા અને ઓડિટ શાખામાં બઢતી આપવા અને રણછોડનગરની શાળાનું સંચાલન સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને સોંપવાની દરખાસ્તો વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગની બેઠકમાં રૂ.1.84 કરોડની આવક સામે રૂ.143.07 કરોડના ખર્ચે ન્યારી ડેમ આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સહિત કુલ 15 દરખાસ્ત મુજબ રૂ.162.84 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાની માલ મિલકતના રક્ષણ માટે બે વર્ષના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેરાત આપવામાં આવી હતી, જેમાં કુલ 25 એજન્સીએ બીડ રજૂ કર્યા હતા જેમાંથી પાંચ એજન્સીઓ ડિસક્વોલિફાઇ થઇ હતી. જ્યારે બાકીની 17 એજન્સી દ્વારા 0.01 ટકા કરતાં વધુ સર્વિસ ચાર્જ ભરપાઇ કરાયો હોય ટેન્ડર મૂલ્યાંકન કમિટી દ્વારા તે મંજૂર કરાતા કમિશનર દ્વારા દરખાસ્ત કરાઇ હતી. આ દરખાસ્ત મુજબ મનપાની 22 શાખાના 334 પોઇન્ટ પર 724 સિક્યોરિટી ગાર્ડની જરૂર બતાવી પ્રથમ વર્ષ માટે રૂ.20.12 કરોડ અને બીજા વર્ષ માટે રૂ.19.72 કરોડનો ખર્ચ મળી કુલ રૂ.39.84 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપરિન્ટેન્ડન્ટ, 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, લો ઓફિસર, 6 સેનિટેશન ઓફિસર, 37 સેનિટરી ઇન્સ્પેક્ટર, જન્મ-મરણ વિભાગના 3 સુપરિન્ટેન્ડન્ટ, 23 સફાઇ સુપરવાઇઝર સહિત કુલ 75 અધિકારી-કર્મચારીને સાતમા પગાર પંચના અલગ-અલગ લેવલ મુજબ પગારવધારો કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ બાબતે કર્મચારી યુનિયનની રજૂઆતના પગલે વધુ અભ્યાસ અર્થે દરખાસ્ત પેન્ડિંગ રખાઇ છે. જ્યારે ઓડિટ શાખામાં ખાલી પડેલી સબ ઓડિટરની ભરતી કરવા 3 કર્મચારીને બઢતી આપવા દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં કર્મચારી યુનિયન દ્વારા 11 કર્મચારી બઢતીને પાત્ર હોય તમામને લાભ આપવા રજૂઆત કરાતા આ બાબત મેયર સાથે ચર્ચા કરવા પેન્ડિંગ રાખવામાં આવી છે. ક્યાં કામ માટે કેટલા રૂપિયાનો ખર્ચ મંજૂર સંકલનમાં ભાજપના 20થી વધુ કોર્પોરેટર ગેરહાજર, ખુલાસા પૂછતાં શહેર પ્રમુખમનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક કોર્પોરેટરો છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ બહાના હેઠળ ગેરહાજર રહીને પદાધિકારીઓના નિર્ણયનો ભાગ બનવાનું ટાળી રહ્યા છે ત્યારે ગુરુવારે મળેલી સંકલનની બેઠકમાં ભાજપના 20થી વધુ કોર્પોરેટર ગેરહાજર રહેતા તમામના ખુલાસા પૂછાશે તેમ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું. અમુક કોર્પોરેટરોને ટેલિફોનિક ખુલાસા પૂછતા તેઓએ લગ્ન પ્રસંગોમાં હોવાનું કારણ આપ્યું હતું.
ભાસ્કર એક્સક્લૂસિવ:રાજકોટ સહિત રાજ્યની 16 મહાપાલિકાની ચૂંટણી જૂની મતદારયાદી મુજબ જ યોજાશે
હિતેશ ઠાકર | રાજકોટ દેશના 12 રાજ્યમાં SIR કામગીરીમાં કેન્દ્ર અને રાજ્યનું ચૂંટણી પંચ ગોથે ચડ્યું છે અને બીજી વખત સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝનની મુદતમાં વધારો થયો છે ત્યારે રાજકોટ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓની ચૂંટણી જૂની મતદારયાદી મુજબ જ યોજાઈ તેવી પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. ટોચના રાજકીય સૂત્રોના મતે SIRની કામગીરી પૂર્ણ થવામાં માર્ચ મહિનો આવી જાય તેમ હોવાની સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ રહી હોય તમામ સંજોગો જોતા નવીને બદલે જૂની મતદારયાદી મુજબ જ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવાના સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં 4 નવેમ્બરથી SIRની કામગીરી શરૂ થયા બાદ મતદારયાદી લોક કરવાની મુદતમાં કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરુવારે વધુ એક મુદત લંબાવી 11 ડિસેમ્બરને બદલે 14 ડિસેમ્બર કરી 19 ડિસેમ્બરે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવા જાહેર કર્યું છે. જેના એક મહિના બાદ વાંધા સૂચનો સાંભળી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવે તો એ દિવસો દરમિયાન બોર્ડની પરીક્ષાઓ પણ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાઈ રહી હોય પરીક્ષા સમય દરમિયાન ચૂંટણી યોજી શકાય તેવા સંજોગો નથી. નોંધનીય છે કે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સહિતની જૂની સાત મહાનગરપાલિકાની મુદત માર્ચ માસમાં પૂર્ણ થતી હોય સત્તાધારીપક્ષ મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન આવે તેવું નહીં ઇચ્છતા જૂની મતદારયાદી મુજબ જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર સહિતની સાત મહાનગરપાલિકા તેમજ નવરચિત આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી મહાનગરપાલિકામાં ચૂંટણી યોજવા મન બનાવ્યું હોવાનું ટોચના સૂત્રોજણાવી રહ્યાં છે. SIR બાદ રાજ્યના 74.29 લાખ મતદારના નામ રદ : 53.96 લાખ પર લટકતી તલવારભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં SIRની કાર્યવાહી માટે વધુ એક વખત મુદતમાં વધારો કર્યો છે. અગાઉ 11 ડિસેમ્બરે મતદારયાદી લોક કરી 16 ડિસેમ્બરે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવા આદેશ કર્યા બાદ ગુરુવારે સાંજે દેશના છ રાજ્ય માટે SIR માટેની મુદતમાં ફેરફાર કર્યા છે જે અન્વયે હવે રાજ્યમાં 14મી ડિસેમ્બરે મતદારયાદી લોક કર્યા બાદ તા.19મીએ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. બીજીતરફ SIRની કાર્યવાહી અંતર્ગત રાજ્યમાં નોંધાયેલ 5,08,43,436 મતદાર પૈકી 74,29,285 મતદારના નામ રદ થયા છે. સાથે જ 2002ની તુલનાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત નહીં કરી શકનાર 53,96,391 મતદાર પર નામ રદ થવાની તલવાર લટકી રહી છે. મહત્ત્વનું છે કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે રાજ્યમાં 4.96 કરોડ મતદાર નોંધાયેલા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય તે હેતુથી ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝન અંતર્ગત મતદારયાદીની સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરી તા.4 નવેમ્બર 2025થી બીએલઓ મારફતે ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી મતદારો પાસે ગણતરી ફોર્મ ભરાવી SIR પ્રક્રિયા પૂર્ણ કરતા મુદત પૂર્ણ થતા સુધીમાં રાજ્યમાં તા.11 ડિસેમ્બર સુધીમાં 18,03,050 મતદારના મૃત્યુ થયાનું, 10,10,243 મતદાર ગેરહાજર હોવાનું અને સૌથી મોટો આંકડા રૂપે 40,37,187 મતદાર કાયમી સ્થળાંતરિત થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત રાજ્યભરમાં કુલ 3,75,478 મતદાર બબ્બે જગ્યાએ મતદારયાદીમાં નોંધાયેલ હોવાનું સામે આવતા SIR બાદ રાજ્યમાં કુલ મળી 74,29,285 મતદારના નામ નવી મતદારયાદીમાંથી રદ કરવામાં આવશે. સાથે જ રાજ્યભરમાં 53,96,391 મતદાર વર્ષ 2002ની તુલનાએ SIR દરમિયાન પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા ન હોવાથી આવા મતદારોને પુરાવા રજૂ કરવા એક તક આપી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ 30 દિવસની મુદતમાં સુનાવણી બાદ આવા મતદારો પુરાવા રજૂ નહીં કરે તો તેમના નામ રદ કરી દેવામાં આવશે. સૌરાષ્ટ્રમાં SIR બાદ મતદારોની સ્થિતિ
ભાસ્કર એક્સક્લૂસિવ:સિવિલમાં 26 સગર્ભાના પ્રસૂતિ સમયે મોત
ગુજરાતમાં “માતા મૃત્યુદર’માં ઘટાડો લાવવા માટે માત્ર રાજ્ય સરકાર જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માતા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે, જયારે સ્થિતિ એટલી ગંભીર છે કે, છેલ્લા આઠ મહિનાનો અહેવાલ ચકાસવામાં આવે તો ચાલુ વર્ષ દરમિયાન જ 6 મહિલાનાં પ્રસૂતિ દરમિયાન મોત થયા છે. તેમજ આરોગ્ય વિભાગના રેકોર્ડ મુજબ વર્ષ(2023થી 2025 સુધી) અર્થાત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 26 જેટલી સગર્ભા માત્ર ઝનાના હોસ્પિટલમાં મૃત્યુ પામી છે. જ્યારે ત્રણ વર્ષમાં માતા મૃત્યુઆંક સમગ્ર રાજકોટમાં ચકાસતા 42 મહિલાના મૃત્યુ થયા છે. આ મામલે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે થયેલી વાતચીતમાં અધિક્ષકે વારંવાર આંકડો ઉજાગર ન કરવાની વાત કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 26 મહિલા, ખાનગી હોસ્પિટલમાં કુલ 11 મહિલા જ્યારે ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચતા રસ્તામાં કુલ 5 મહિલા મળીને એમ કુલ 42 મહિલા પ્રસૂતિ સમયે મૃત્યુ પામેલ છે. સામાન્ય રીતે માતા મૃત્યુઆંક વધવા કે ઘટવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. માતા મૃત્યુદર વધવા પાછળના કારણોમાં મુખ્ય કારણ ગર્ભાવસ્થામાં વધુ રક્તસ્ત્રાવ, અનિયંત્રિત બ્લડપ્રેશર, ગર્ભાશયમાં ઇન્ફેક્શન, સમય ગુમાવ્યા બાદ રીફર પામવું, એનિમિયા તેમજ ડાયાબિટીસ,હાર્ટ ડિસીઝ જેવી હાઈરિસ્ક બીમારીઓ અને હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની અછત વગેરે સ્થિતિ જવાબદાર હોય છે. સિવિલના અધિક્ષક ડૉ.મોનાલીબેન માંકડિયાની આંકડા છુપાવવા કોશિશહોસ્પિટલના સત્તાધીશોએ માતા મૃત્યુઆંક કેટલો છે તેની વિગતો છૂપાવી હતી. આરોગ્ય વિભાગના રેકોર્ડ અનુસાર રાજકોટ સિવિલમાં પ્રસૂતિ વેળાએ મરણ પામેલી માતાની યાદી વધુ જણાતા આ બાબતે દિવ્ય ભાસ્કરે માતા મૃત્યુઆંક વધારે હોવાનું કારણ પૂછવામાં આવતા ડૉ.મોનાલીબેને સતત એક જ વાત પર ભાર મૂક્યો હોય કે, ‘માતા મૃત્યુઆંક ઉજાગર ન કરવો.’ રાજકોટમાં 3 વર્ષમાં ખાનગી સહિતની હોસ્પિટલમાં 42 સગર્ભાના મૃત્યુ થયા
પાટણ પાલિકા પ્રમુખે કરી રજૂઆત:જુનિયર ટાઉન પ્લાનરની નિયમિત નિમણૂક માટે શહેરી વિકાસ વિભાગને પત્ર
પાટણ નગરપાલિકાના પ્રમુખે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પૂર્ણકાલીન, નિયમિત જુનિયર નગર નિયોજક (Junior Town Planner) ફાળવવા માટે રજૂઆત કરી છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી, હાલમાં વિકાસ પરવાનગીઓ પડતર રહેતા અરજદારોને તકલીફ પડે છે. શહેરના વિકાસને વેગ આપવા અને આયોજન સુચારુ બનાવવા આ નિમણૂક જરૂરી હોવાનું જણાવાયું છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમારે સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરને પત્ર લખીને જુનિયર નગર નિયોજક વર્ગ-2ની પૂર્ણકાલીન નિયમિત નિમણૂક કરવા વિનંતી કરી છે. પ્રમુખ હિરલ પરમારની રજૂઆત અનુસાર, હાલમાં પાટણ નગરપાલિકા ખાતે ઊંઝા નગરપાલિકાના એમ.વી. પટેલ, જુનિયર નગર નિયોજક વર્ગ-2ને વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી, વિવિધ વિકાસ પરવાનગીઓ હાલમાં પડતર રહેલી છે. આને કારણે પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં વિવિધ વિકાસ પરવાનગીઓ મંજૂર કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે, જેના પરિણામે અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત, પાટણ શહેરનો ડી.પી. પ્લાન હાલમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં વિચારણા હેઠળ છે, જેમાં ઘણી પૂર્તતાઓ કરવાની બાકી છે. સાથે જ, નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો પણ મૂકવાની થતી હોવાથી, આ તમામ કામગીરી માટે પાટણ નગરપાલિકા ખાતે નિયમિત જુનિયર નગર નિયોજક મૂકવામાં આવે તો શહેરના વિકાસને વેગવંતો બનાવી શકાય અને સુચારુ શહેરનું પ્લાનિંગ થઈ શકે. આ હેતુથી પૂર્ણકાલીન જુનિયર નગર નિયોજક વર્ગ-2ને નિયમિત મુકવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન:વૈજ્ઞાનિક પદ્ધતિથી વધુ ગુણ મેળવવા માર્ગદર્શન અપાયું
કડીવાલા સ્કૂલ એલુમનાઈ એસોસિએશન દ્વારા 510 વિદ્યાર્થીઓ માટે ‘પરિણામ સુધારવાના સ્માર્ટ પ્રયાસો’ વિષય પર કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ અને એસોસિએશનના પ્રમુખ ડૉ. કિશોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધ્યાન, શ્રમ અને સંકલ્પના મહત્વ જણાવ્યું હતું. કોર્પોરેટ ટ્રેનર મૃણાલ શુક્લે ‘વૈજ્ઞાનિક અભિગમથી કેવી રીતે વધુ ગુણ મેળવવા’ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનું આયોજન શૈલેષ દેસાઈ, સેક્રેટરી કડીવાલા સ્કૂલ એલુમનાઈ એસોસિએશન, દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપ-પ્રમુખ અશોકભાઈ ભગવા વાલા અને પ્રિન્સિપલ સુરેન્દ્રભાઈ વાડીલે અને વાલી મંડળના પ્રમુખ રશ્મિકાંતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધોરણ-10ના વિદ્યાર્થીઓનો એક્ઝામ ફિવર દૂર કરીને બોર્ડની પરીક્ષામાં મિશન 100% સફળતા હાંસલ કરવા માટે મહત્વાકાંક્ષી આયોજન કર્યું છે. શહેરની 1700થી વધુ સ્કૂલના 92 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે 16 જાન્યુઆરીથી પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બોર્ડની પરીક્ષાનું ફાઇનલ રિહર્સલ સાબિત થશે. આ પરીક્ષા 22 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે અને તે બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ જ ગોઠવવામાં આવી છે. DEO કચેરી દ્વારા મુખ્ય વિષયો જેવા કે ગુજરાતી, અંગ્રેજી, ગણિત (સ્ટાન્ડર્ડ, બેઝિક), વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો કેન્દ્રીયકૃત રીતે આપવામાં આવશે. આ આયોજન ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી માધ્યમની શાળાઓ માટે કરવામાં આવ્યું છે. નબળા વિધાર્થીઓ માટે ઉપચારાત્મક વર્ગો યોજાશે મિશન સફળ કરવાનું દરેક સ્કૂલે રિઝલ્ટનું વિશ્લેષણ કરીને, નબળા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ઉપચારાત્મક વર્ગો શરૂ કરવા. અમારું લક્ષ્ય ફાઇનલ રિહર્સલ દ્વારા મિશન 100% સફળ બનાવવાનું છે. > ડો. ભગિરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, સુરત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં એક્ઝામ ફિવર દૂર કરવા બોર્ડની પહેલ,પરિણામના આધારે વિષયવાર બેઠક કરી પ્રશ્નપત્રની સમીક્ષા કરાશે એક્સપર્ટ વિદ્યાર્થીઓ માટે ભૂલો સુધારવાની તક, વાલીઓ સકારાત્મક વાતાવરણ પુરું પાડે પ્રિ-બોર્ડ પરીક્ષા માત્ર એક ટેસ્ટ નથી, પણ બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલાંની તમારી તૈયારીનું આત્મનિરીક્ષણ છે. રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓએ માર્ક્સ જોઈને નિરાશ થવાને બદલે તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જોઈએ. ખાસ કરીને કયા વિષયો કે પ્રકરણોમાં ગુણ ઓછા આવ્યા છે અથવા કયા પ્રશ્નોમાં સમય વધુ લાગ્યો, તેનું નિરીક્ષણ કરો. આ છેલ્લી અને સૌથી મોટી તક છે કે જ્યાં તમે ભૂલોને સુધારી શકો. આ ફાઇનલ રિહર્સલ માં થયેલી દરેક નાની-મોટી ખામીને દૂર કરવાથી જ આત્મવિશ્વાસ વધશે અને તમે મુખ્ય બોર્ડ પરીક્ષામાં મિશન 100% ને સફળ બનાવી શકશો. યાદ રાખો ભૂલો સુધારવાનો સમય હવે જ છે. વાલીઓએ આ સમય દરમિયાન બાળક પર માર્ક્સનું દબાણ કરવાને બદલે સકારાત્મક વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બાળકના આહાર અને ઊંઘનું ધ્યાન રાખવું અને પ્રિ-બોર્ડના પરિણામને હકારાત્મક રીતે લેવામાં મદદ કરવી જોઈએ. > ડો. અનિષા મહિડા, શિક્ષણવિદ-પ્રિન્સિપાલ
પાલિકા સંચાલિત 29 સુમન સ્કૂલોમાં સ્વચ્છતા જાળવવા હાઉસ કિપિંગનો કોન્ટ્રાક્ટ અપાશે. ગુરૂવારે સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો કોન્ટ્રાક્ટ કેવલા સિક્યુરિટી સર્વિસીસને સોંપવાનો નિર્ણય લેવાયો છે. હાઉસ કિપિંગનો વાર્ષિક કોન્ટ્રાક્ટ 39.75 લાખ ને ખર્ચે ફાળવવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, 39.75 લાખ રૂપિયાના વાર્ષિક ખર્ચે શહેરની તમામ 29 સુમન સ્કૂલોમાં હાઉસ કિપિંગ સ્ટાફ મુકવા માટે કોન્ટ્રાક્ટ સોંપાશે. આ સ્ટાફ રોજિંદી રીતે શાળાઓમાં વર્ગખંડોની સફાઈ, શૌચાલયોની યોગ્ય રીતે સફાઈ સહિતની જાળવણીનું કામ કરશે. બાયોમેટ્રિક ફરજિયાતઆ કોન્ટ્રાક્ટમાં નવી શરત ઉમેરવામાં આવી છે કે, એજન્સીએ તમામ શાળાઓમાં હાઉસ કીપીંગ સ્ટાફ માટે બાયોમેટ્રીક હાજરી સિસ્ટમ લગાવવી ફરજિયાત રહેશે. જો બાયોમેટ્રીક સિસ્ટમ નહીં લગાડશે તો કોન્ટ્રાક્ટ ફાળવાશે નહીં,
યુવકે કર્યો આપઘાત:ઈચ્છાપોરમાં થાંભલા પર ચડી વીજતાર પકડી યુવકનો આપઘાત
ઈચ્છાપોરમાં માનસીક બીમાર યુવકે વીજથાભલા પર ચડી જીવંત વાયર પકડીને આપઘાત કરી લીધો હતો. બીમારીના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. મોરાગામ પારસીવાડ ખાતે રહેતો પ્રકાશ વસાવા (29) મજૂરી કામ કરી માસી સાથે રહેતો હતો. ગુરૂવારે મળસ્કે પ્રકાશ સેવનસ્ટાર રેસિડન્સી સામે 8 ફૂટની દીવાલ પર ચડી ત્યાંથી વીજથાંભલા પર ચડી ગયો હતો અને જીવંત વાયર પકડી લેતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી પ્રકાશ માનસીક બીમાર હોવાનું અને બીમારીના કારણે તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
પીપલોદની કથામાં કૃષ્ણ જન્મ ઉજવાયો:ભાગવત આપણને જીવન જીવવા શક્તિ પૂરી પાડે છે : અખિલેશજી
પિપલોદ શ્રીહરિ એપાર્ટમેન્ટમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથામાં વ્યાસપીઠ પરથી વૃંદાવનના અખિલેશ મહારાજે ભાગવતનું વ્યાખ્યાન કર્યું હતું. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, બાળલીલા, રુક્મણી વિવાહ વગેરે પર વિસ્તૃત વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રસંગો પર સુંદર ઝાંખીઓ સજાવવામાં આવી હતી અને નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ પણ થઈ હતી. ભાગવત કથામાં મહારાજે જણાવ્યું કે ભાગવત કથા આપણને અનેક પ્રેરણાઓ આપીને જીવન જીવવાની શક્તિ પૂરી પાડે છે. કથા દરમિયાન ગાય માતા વિશે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું હતું. કૃષ્ણની લીલા વિશે જણાવતા તેમણે કહ્યું કે ભગવાનની પ્રત્યેક લીલા આપણને કોઈને કોઈ સંદેશ આપે છે.
એમડી ડ્રગ્સ ઝડપાયું:ઉમરવાડામાંથી 66 હજાર રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો,એક વોન્ટેડ
ઉમરવાડા ચીમની ટેકરા ઘર નંબર-424માંથી એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે દરોડા પાડી પહેલા માળે રહેતો મોહમદ આફરીદી ઉર્ફે રાજા બમ્બઇયા શેખને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.66,600ની કિંમતનું 6.640ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ, રોકડા રૂ.5000 તથા વજનકાંટા સહિત રૂ.81,600 નો મુદ્દામલ કબજે લઇને મો. આફરિદીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તે છેલ્લા ત્રણ વર્ષથી આ ડ્રગ્સ ઉમરવાડા ગોળ દવાખાના પાછળ આવેલા સલીમનગરમાં રહેતા શકીલ ઉર્ફે મામા પાસેથી લાવતો હોવાનું અને બાદમાં નાની પડીકી બનાવી છુટક વેચતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે શકીલ ઉર્ફે મામાને વોન્ટેડ જાહેર કર્યો છે.
સાઇબર ઠગાઈ:ફોન હેક કરી, OTP વિના એક કલાકમાં જ ટ્રાન્સપોર્ટરના 10 લાખ સેરવી લેવાયા
પુણા કુંભારીયા વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટરના મોબાઇલ ફોન હેક કરીને ગઠીયાએ એક જ કલાકમાં તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.10.65 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. પુણા કુંભારીયા નેચરવેલી સોસાયટીમાં રહેતા શિશરામ શેરસિંઘ ચૌધરી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા.2 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ડ્રાઇવરને ગુગલ પે મારફતે 20 હજાર ટ્રાન્સફર કરવા ગયા હતા. પણ બેંકમાંથી બેલન્સ ન હોવાનો મેસેજ આવ્યો હતો જ્યારે તપાસ કરતા તેમના ખાતામાં માત્ર રૂ.428 જમા હતા. જ્યારે તપાસ કરતા તા.2 નવેમ્બરના રોજ સવારે 11થી 12 વાગ્યા દરમિયાન 10 જેટલા ટ્રાન્જેકશન થકી રૂ.10,65,375 કોઇ ગઠીયાએ ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે શિશરામ ચૌધરીના મોબાઇલ ફોન પર કોઇ મેસેજ કે ઓટીપી પણ આવ્યા ન હતા. આખરે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે. ભાસ્કર એક્સપર્ટ*--# વાળા કોડ ટાઇપ કરી મોકલવા નહીંસ્કેમરો દ્વારા ફોન કરીને કે એસએમએસ દ્વારા *--# ટાઇપ કરીને પાછળ નંબર ટાઇપ કરવાનું કહેવામાં આવે છે. આવુ કોઇ ટાઇપ કરવું નહીં અન્યથા તમારા મોબાઇલના એક્સીસ તેની પાસે પહોંચી જાય છે અને તે તમારો મોબાઇલ ફોન હેક કરીને ફ્રોડ કરી શકે છે. > મીત શાહ, સાયબર એક્સપર્ટ
ભાસ્કર એક્સક્લુસિવ:શિવકથા એ જીવ માત્રના કલ્યાણની વાત સાથે 9 દિવસનું અનુષ્ઠાન છે : ગીરીબાપુ
વેસુ મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભે નીકળેલી શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. કથાના પ્રારંભે વક્તા ગીરીબાપુએ જણાવ્યું હતું દરેકના ભાગ્યમાં કથા નથી હોતી કારણ કે કથા પૂણ્યવાન લોકો માટે છે. કથા સાંભળ્યા પછી એકાંતમાં બેસીને ક્યારેય તે પણ વિચાર કરવો જોઈએ કે આ એવું વિશાળ જગત છે કેટલો ઈશ્વરનો મોટો વૈભવ છે તેનો સંચાલન કોણ કરે છે. જગતનો ઉદય કરે છે,રક્ષા કરે છેઅને પ્રલય કરે છે તે કોણ છે. તે કોણ પરમ સત્ય છે પરમ તત્વ છે જગતનો પ્રારંભ કરે છે સંચાલન કરે છે તેનો વ્યવહાર કેવો હશે તેનો સ્વભાવ કેવો હશે તેનું ગ્રુપ કેવું હશે તેનો પણ ક્યારેક વિચાર કરવો જોઈએ તો જ ઈશ્વરની શક્તિ શું છે તેની પ્રતિતી થાય છે જગતના જીવ માત્ર શિવનો જ અંશ છેકથાનું મંગલાચરણ કરતા વક્તા ગીરીબાપુએ જણાવ્યું હતું કે શિવ કથા જીવ માત્રના કલ્યાણ માટેની વાત છે મોટીવેશન છે અનુષ્ઠાન છે. આ જગતમાં દરેક જીવ ભગવાન શિવનો અંશ છે. જેમ દરેક કિરણ સૂર્યનો અંશ છે તેમ જીવમાત્ર શિવનો અંશ છે. દુનિયામાં 20,000થી વધારે સંપ્રદાયો છે પરંતુ દુનિયામાં સૌથી વધારે સંખ્યા મહાદેવના ભક્તોની છે.
આજે ક્ષેત્રપાળ દાદાની સાલગીરી:450 વર્ષ જૂના મંદિરમાં હનુમાનજી, કાળભૈરવ અને બટુકભૈરવ બિરાજમાન છે
સુરતના સગરામપુરા ક્ષેત્રમાં આવેલું ક્ષેત્રપાળ હનુમાનજીનું પ્રાચીન મંદિર છેલ્લા ચારસો પચાસ વર્ષથી ભક્તિ, પરંપરા અને દૈવી શક્તિનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. અનેક પેઢીઓથી ભક્તો અહીં માત્ર દર્શન માટે નહીં, પરંતુ અંતરાત્માની શાંતિ મેળવવા, આધ્યાત્મિક અનુભૂતિ કરવા અને દૈવી રક્ષણનો આશીર્વાદ મેળવવા આવે છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ સકારાત્મક ઊર્જા, શાંતિ અને શક્તિથી ભરેલું આધ્યાત્મિક વાતાવરણ અનુભવાય છે, જે દરેક ભાવિકના હૃદયને સ્પર્શી જાય છે. આ મંદિરની વિશેષતા છે ત્રિદેવરૂપે ક્ષેત્રપાળ હનુમાનજી, કાળભૈરવજી અને બટુક ભૈરવજીની અવિરત ઉપસ્થિતિ. આ ત્રિવિધી શક્તિ ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ આપે છે. વર્ષ દરમિયાન મંદિરમાં અનેક હવન, યજ્ઞ અને વૈદિકવિધિઓનું નિયમિત આયોજન કરવામાં આવે છે. દુર્ગા અષ્ટમીનો ચંડી હવન, અષ્ટમીનો ભૈરવ યજ્ઞોપવિત, તેમજ મહાશિવરાત્રી, હનુમાન જયંતિ અને ગુરુ પૂર્ણિમાની પવિત્ર ઉજવણીઓ મંદિરની પરંપરા અને પવિત્રતાને વધુ મજબૂત બનાવે છે. આ તમામ વિધિઓ ભક્તોને દૈવી આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે ક્ષેત્રપાળ હનુમાનજી મંદિર માત્ર એક પૂજા સ્થાન નથી, પરંતુ શ્રદ્ધા, શક્તિ અને રક્ષણનું સદા પ્રજ્વલિત થતું દિવ્ય દીપક છે. મંદિરના ભુગર્ભમાં ક્ષેત્રપાળ ભૈરવમંદિરની ભૂગર્ભ સ્થાને સ્થાપિત પ્રાચીન ક્ષેત્રપાળ ભૈરવજીની પ્રતિમા અહીંનું સૌથી ચમત્કારિક અને ઐતિહાસિક આકર્ષણ છે. આ પ્રતિમા વર્ષમાં માત્ર બે જ પ્રસંગે બહાર પ્રગટ કરવામાં આવે છે. ગુજરાતી નવા વર્ષની શરૂઆત એટલે કે સુદ એકમના દિવસે અને માર્ગશીર્ષ કૃષ્ણ અષ્ટમીના પાથ ઉત્સવ દરમિયાન. આ ક્ષણો ભક્તો માટે અત્યંત અલૌકિક બની રહે છે. ઉત્સવમાં લાખો ભક્તો જોડાશે
યાત્રિઓ આપે ધ્યાન:બાંદ્રા ટર્મિનસથી અજમેર, નિઝામુદ્દીન માટે બે સ્પેશિયલ ટ્રેન
અજમેર ઉર્સ દરમિયાન બે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવાશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે સ્પેશિયલ ટ્રેનના ફક્ત બે-બે ફેરા જ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09063 ની બુકિંગ શુક્રવારથી શરૂ થશે. ટ્રેન નંબર 04005/04006 બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ સ્પેશિયલના બે ફેરા ચાલશે. ટ્રેન નંબર 04005 બાંદ્રા ટર્મિનસથી 12 ડિસેમ્બરે બપોરે 14:40 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. ટ્રેન નંબર 04006 ગુરુવારે બપોરે 13:35 વાગ્યે હઝરત નિઝામુદ્દીનથી રવાના થશે. આ ટ્રેન શુક્રવારે સવારે 11 વાગ્યે બાંદ્રા પહોંચશે.
કરદાતાઓ આપે ધ્યાન:10 હજારથી વધુનો એડવાન્સ આવકવેરો ભરવા ત્રીજો હપ્તો, 15મી છેલ્લી તારીખ
આવકવેરા એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે અને સમગ્ર વર્ષ દરમિયાન થનાર કમાણીનું આંકલન લગાવીને કરદાતાઓ વર્ષમાં 4 હપ્તામાં તેની એડવાન્સમાં ચૂકવણી કરતા હોય છે. આ વખતે ત્રીજા હપ્તા સાથે અનેકનો 75 ટકા ટેક્સ ભરાઈ જશે. હાલ એઆઇ અને 370 ડિગ્રી સોફ્ટવેરની મદદથી વિભાગને જાણ થતી હોય છે કે કોણે વધુ ટેક્સ ભર્યો છે અને કોણે ગત વર્ષની સરખામણીમાં ઓછો કે વધુ ટેક્સ ભર્યો છે. સી.એ. મિહિર ઠક્કર કહે છે કે અગાઉ એડવાન્સ ટેક્સ અગાઉ કરદાતાઓને રિમાઇન્ડર કે નોટિસ પણ મોકલાતી હતી, ઉપરાંત વિભાગ પણ સેમિનાર કે મીટિંગ યોજતો હતો, પરંતુ હવે સિસ્ટમમાં આવેલા સુધારાના લીધે એડવાન્સ ટેકસની સિસ્ટમ વધુ સુધરી છે. ભાસ્કર એક્સપર્ટન ભરો તો વ્યાજનું ભારણજેમનું ભારણ 10 હજારથી વધુ હોય, આવક સતત બદલાતી હોય તેમણે જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચમાં એડવાન્સ ટેક્સ ભરવાનો થાય છે. આ ટેક્સ ન ભરવા પર વ્યાજનું ભારણ વધે છે. > નિતેશ અગ્રવાલ,સી.એ. 8 હજાર કરોડ સુધીનો ટેક્સસુરત-વડોદરા રેન્જનો અંદાજે 8-10 હજાર કરોડનો ટાર્ગેટ એડવાન્સ ટેક્સ મારફત જ એચિવ થાય છે. સુરતનો રેવન્યુ ટાર્ગેટ સતત વધે છે અને 10 હજાર કરોડથી વધીને 20 હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત ટીડીએસની એવરેજ પણ સતત વધતી રહી છે.

31 C