જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં આજે બપોર પછી એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને છત્તીસગઢના ધારાસભ્ય દેવેન્દ્રસિંહ યાદવ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 15ના કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખ અને કાર્યકર દીપક મકવાણાએ અચાનક પોતાના થેલામાંથી ફિનાઇલની બોટલ કાઢી અને પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર કોંગ્રેસ ભવનમાં ચકચાર મચી ગઈ હતી અને હાજર સૌરાષ્ટ્ર પ્રભારી સહિતના આગેવાનો દોડતા થઈ ગયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતા હોવાના આક્ષેપોફિનાઇલ ગટગટાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને પોતાની ગાડીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયેલા દીપક મકવાણાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા કોંગ્રેસમાં જ્ઞાતિવાદ ચલાવવામાં આવે છે. તેમણે 2019 અને 2022ની મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટની માગણી કરી હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ અન્યાય અને શોષણથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરીને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. દીપક મકવાણાને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા: શહેર પ્રમુખઆ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, ઘટના બન્યા બાદ તેઓએ જ દીપક મકવાણાને તુરંત પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આપઘાતના પ્રયાસના મુદ્દે તેમણે કહ્યું કે, દીપક મકવાણા 1029ની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. આજે જ્યારે સૌરાષ્ટ્રના નવા પ્રભારી દેવેન્દ્ર યાદવ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, ત્યારે દીપક મકવાણા પણ ત્યાં આવ્યા હતા અને ગત મનપા ચૂંટણીમાં ટિકિટની ફાળવણી બાબતે ચર્ચા કરી અચાનક ફિનાઇલની બોટલ કાઢી હતી. ટિકિટની ફાળવણીના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છેમનોજ જોશીએ સવાલ ઉઠાવ્યો કે, તેમના વોર્ડમાં અનામત સીટ અને મતદારોની સંખ્યાના આધારે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટની ફાળવણીના નિર્ણયો પ્રદેશ કક્ષાએથી થતા હોય છે. જો તેમને ટિકિટ નહોતી મળી તો ત્યારે કશું ના બોલ્યા અને આજે છેક બે વર્ષ પછી આ મુદ્દો ઉછાળ્યો તે અયોગ્ય છે. કાર્યકરની તબિયત સ્થિર થતા પોલીસની તપાસ શરૂહાલમાં ફિનાઇલ પીનાર કોંગ્રેસ કાર્યકર દીપક મકવાણાની તબિયત સ્થિર હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે અને મામલતદાર દ્વારા તેમનું નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષના કાર્યાલયમાં આ પ્રકારે આપઘાતનો પ્રયાસ થતાં સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.
ગાંધીનગરના પેથાપુર ગામમાં રહેતા અને બજાજ શો રૂમમાં નોકરી કરતા એક યુવક સાથે નિકાહ કરી થોડા જ દિવસોમાં નવવધૂ મહારાષ્ટ્ર ખાતે ભાઈના એક્સિડન્ટનું બહાનું બતાવીને નાસી જઈ એક લાખની ઠગાઈ આચરવામાં આવતા પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. છોકરીવાળા લગ્નના ખર્ચામાં સક્ષમ નથીગાંધીનગરના પેથાપુરમાં રહેતા 35 વર્ષીય યુવકે આજથી આશરે આઠેક મહિના પહેલા તેના કુટુંબી બનેવી દ્વારા ઇરફાનખાન અબરારખાન પઠાણ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે લગ્ન કરાવવા માટે છોકરીઓ બતાવતો હતો. બાદમાં ઇરફાનખાન સાથે વાતચીત થતાં તેણે એક છોકરી રોશની પરવીન શેખનો ફોટો મોકલી આપ્યો હતો. છોકરીનો ફોટો પસંદ આવતાં બંને પરિવારો વચ્ચે લગ્ન કરવાનું નક્કી થયું હતું. એ વખતે ઇરફાને જણાવ્યું કે છોકરીવાળા લગ્નના ખર્ચામાં સક્ષમ નથી. જેથી યુવકે તેની મદદ કરવી પડશે. સમાજના રીતિ-રિવાજ મુજબ નિકાહ કરવામાં આવ્યાજેથી આ લગ્ન માટે રૂ .1 લાખ આપવાનું નક્કી થયું હતું. બાદમાં ઇરફાને છોકરીપક્ષ મહારાષ્ટ્રથી આવે તે માટે ભાડા પેટે 5 હજારની માંગણી કરી હતી. એટલે યુવકે Paytm દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં 14 એપ્રિલ 2025 ના રોજ છોકરી બતાવનાર ઇરફાનખાન અને છોકરીની માસી રુક્શાના તથા મામા રાજીક ખાન પેથાપુર ખાતે યુવકના ઘરે આવ્યા હતા. બીજા દિવસે યુવકના ઘરે સમાજના રીતિ-રિવાજ મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા. નિકાહ બાદ નક્કી થયા મુજબ 1 લાખ ઇરફાને આપવામાં આવ્યા હતા. ભાઈનો એક્સિડન્ટ થયો છે મારે બે-ચાર દિવસ રોકાવું પડશેઆ લગ્નના ચારેક દિવસ પછી રોશનીની માસી રુક્શાનાએ જણાવ્યું કે પિયરમાં લગ્નના રીવાજ કરવાના હોવાથી પતિ-પત્નીએ આકોલા મહારાષ્ટ્ર જવું પડશે. જેથી તા. 20 એપ્રિલના રોજ શાહીદ તેની પત્ની રોશની અને તેના માસી રુક્શાના આકોલા ગયા હતા. ત્યાં પહોંચીને રોશનીએ મારા ભાઈનો એક્સિડન્ટ થયો છે, મારે બે-ચાર દિવસ રોકાવું પડશે તમે ઘરે જાઓ હું આવી જઈશ તેવું કહીને યુવકને પાછો મોકલી દીધો હતો. પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરીબાદમાં યુવક ઘરે પરત આવીને ઇરફાને આ બાબતે જાણ કરી તો તેણે પણ બે-ચાર દિવસમાં રોશનીને મૂકી જવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ એકાદ અઠવાડિયા સુધી ફોન પર વાતચીત થયા બાદ રોશનીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને તે આજદિન સુધી ઘરે પરત આવી નથી. જ્યારે લગ્ન કરાવનાર ઇરફાન પણ આ બાબતે કોઈ સંપર્ક કરાવી આપતો નથી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
એસજી હાઈવે પર બેફામ ગાડી હંકાવી 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીઓ કોર્ટમાં જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃત હાલતમાં પડ્યા હતા. જો હું ગાડીના પાછળના ટાયરે ન ફાસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઇ ગયા હોત. જો કે, હવે આગામી દિવસોમાં તથ્ય પટેલ અકસ્માત કેસમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. હું કારના પાછળના ટાયરમાં ફસાયો હતોઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં ઇજા થયેલા સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ તેની જુબાની લીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં થાર ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે મારા સહિતના મિત્રો અને લોકો અમે અકસ્માત જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર પુરઝડપે આવી હતી. આ ગાડીએ લોકોને કચડી નાંખ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી અને હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફસાઇ ગયો હતો. ત્યારે મેં બચવા માટે બૂમાબૂમ કરતા મારા મિત્ર ત્યાં આવ્યા હતા. અકસ્માતના સમયે બહુ લોકોને ત્યાં આસપાસ પડેલા જોયા હતા. મને ડાબા પગમાં ત્રણ અને જમણા પગમાં એક સર્જરી કરીવધુમાં જણાવ્યું હતું કે, ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાની મને જાણ થઇ હતી. તથ્યને લોકોએ ઝડપી લીધો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારા પિતા આવે છે, આ સમયે બહુ લોકો ગાડી નીચે મૃત હાલતમાં પડેલા હતા. પછી મને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં મારા પરિવારના સભ્યો આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મને ડાબા પગમાં ત્રણ સર્જરી અને જમણા પગમાં એક સર્જરી કરવામાં આવી હતી. હજુ એક સર્જરી કરવી પડે તેમ છે. ઇજાગ્રસ્ત થયા બાદ હજુ પણ બેસવા ઉઠવામાં તકલીફ પડી રહી છે. વીડિયો કોન્ફરન્સમાં સાક્ષીએ ઓળખી બતાવ્યો હતોતથ્ય તરફે એડવોકેટ રોહિત વર્માએ ઉલટ તપાસ લીધી હતી. જેમાં સાક્ષીએ જણાવ્યું હતું કે, રજા કયારે મળી તે યાદ નથી, અકસ્માત વખતે તથ્ય ગાડીમાં હતો અને તેના પિતા આવ્યા હતા તે હકીકત પોલીસ નિવેદનમાં લખાવી નથી. પોલીસ નિવેદનમાં લખાવેલી ઘટના બાદ બેભાન થઇ ગયો હતો તે વાત ખોટી છે. પોલીસે લખાવ્યા મુજબનું નિવેદન લખ્યું નથી તે અંગે ક્યાંય ફરિયાદ કરી નથી. બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે, વીડિયો કોન્ફરન્સમાં સાક્ષીએ ઓળખી બતાવ્યો હતો. માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છેકોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે તથ્ય પટેલને ઓળખો છો તેવો સવાલ સાક્ષીને કર્યો હતો. ત્યારે તેણે હા પાડી હતી. ત્યારે કોર્ટે પુચ્છા કરી હતી કે, આ કોર્ટમાં તથ્ય પટેલ હાજર છે. ત્યારે સાક્ષીએ આમ તેમ જોયું હતુ અને ત્યારબાદ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી હાજર તથ્યને સાક્ષીઓ ઓળખી જણાવ્યું હતું કે, માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે. 108 પણ અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જણાવ્યુંપોલીસે તથ્યને પકડ્યો હતો તો કેમ જવા દીધો તેને લઈને સાક્ષીએ જુબાની દરમિયાન જણાવ્યું કે, ઘટના સમયે તથ્ય હાજર હતો અને તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા. પોલીસે તથ્યને ઝડપી લીધો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે, ઘટનાના દિવસે રાત્રે પોલીસે તથ્યને ઝડપી લીધો હતો તો પ્રજ્ઞેશ પટેલ કેવી રીતે તથ્યને લઇ હોસ્પિટલ પહોંચી ગયો. પોલીસે જ તથ્યને કેમ જવા દીધો તેવા ઘણા મુદ્દા જુબાની દરમિયાન ચર્ચાનો વિષય બન્યા છે. મહત્વું છે કે, 108 પણ ગણતરીની મિનિટોમાં આવતી હોય છે ત્યારે તે દિવસે 108 પણ ઘટનાના અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જુબાનીમાં કોર્ટમાં જણાવ્યું હતું.
ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનિંગની કચેરીમાં સિનિયર એસોસિએટ આર્કિટેક તરીકે નોકરી કરતા અધિકારીને ઓનલાઈન લોન અપાવવાના બહાને ઠગબાજોએ કુલ રૂ .1.77 લાખથી વધુનોનો ચૂનો ચોપડ્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર અધિકારીએ સાયબર સેલ હેલ્પલાઇન દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતુંઅમદાવાદના ખોડિયાર ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર-10માં ફરજ બજાવતા શ્વેત પ્રવીણકુમાર પટેલને અંગત કામ અર્થે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી ગત તા. 10 જૂન 2025ના રોજ તેમણે પોતાના મોબાઈલમાં ગૂગલ પર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લોન માટે સર્ચ કર્યું હતું અને વેબસાઇટ પર 20 લાખની લોન માટે પોતાની અંગત વિગતો ભરીને એપ્લિકેશન કરી હતી. 20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવીઆ પ્રક્રિયા કર્યાના થોડા વખતમાં જ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. બાદમાં ફોન કરનારે પોતે PMEGPનો અધિકારી હોવાનું જણાવી 20 લાખની લોન મંજૂર કરાવવાના બહાને કાર્યવાહી શરૂ કરાવી હતી. જે અન્વયે ઠગબાજે એપ્લિકેશન ફી પેટે 3 હજાર, ત્યારબાદ ફાઇલ ચાર્જ પેટે રૂ. 25,726 અને લોન ખાતામાં જમા થાય તે પહેલાં ત્રણ એડવાન્સ હપ્તા પેટે રૂ. 47,730 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ડિમાન્ડ ડ્રાફ્ટ ચાર્જ પેટે બીજા રૂ.39,500 પણ પડાવી લીધા હતાબાદમાં લોન ડીકલાઇન થઈ હોવાનું કારણ આપી ઇન્સ્યોરન્સ પેટે રૂ. 51,900 અને લોન ડિમાન્ડ ડ્રાફ્ટ ચાર્જ પેટે બીજા રૂ.39,500 પણ પડાવી લીધા હતા. જોકે કુલ રૂ. 1,67,856 ભર્યા બાદ શ્વેત પટેલને શંકા જતાં તેમણે લોન રદ કરવાની અને પૈસા રિફંડ કરવાની માંગણી કરી હતી. જોકે ઠગબાજે રિફંડ આપવાના બહાને વધુ એક ચાલબાજી કરીને રિફંડ ચાર્જ પેટે 10 હજાર પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. શ્વેત પટેલ છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતા ફરિયાદ નોંધાવીબાદમાં સાત દિવસમાં પૈસા રિફંડ ન આવતાં અને ઠગબાજનો ફોન બંધ આવતાં આખરે શ્વેત પટેલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ઓનલાઈન અરજી કરી હતી. જે અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
17 વર્ષની પુત્રીનું ઊંઝા ખાતે રહસ્યમય સંજોગોમાં રેપ બાદ મોત થયું હોવાના આક્ષેપ સાથે પિતાએ હાઇકોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે કરેલી અરજીમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. આ સમયગાળા દરમિયાન તપાસ નાયબ પોલીસ અધિક્ષક, એસડીપીઓ મહેસાણાને સોંપવામાં આવી છે અને આગામી તારીખ સુધી પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) દ્વારા તપાસનું નિરીક્ષણ કરવામાં આવશે. તપાસ અધિકારી આવતીકાલે હાઇકોર્ટમાં તપાસ અહેવાલ રજૂ કરશે. આ અરજીમાં એસપી પોતાનું સોગંદનામું પણ દાખલ કરશે. 17 વર્ષની દીકરી મહેસાણાના ઊંઝામાં રહસ્યમય રીતે મોતને ભેટીરાજસ્થાનના ઉદયપુરના એક પરપ્રાંતિય વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરતા CID ક્રાઇમ દ્વારા તપાસ કરવાની માગ કરી છે. તેમનો આક્ષેપ છે કે, તેમની 17 વર્ષની દીકરી મહેસાણા જિલ્લાના ઊંઝામાં રહસ્યમય રીતે મોતને ભેટી હતી. પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ તેમને દીકરીને ગેંગરેપ બાદ મારી નાખવામાં આવી હોવાની શંકા છે. દીકરી ઉદયપુરથી કોન્ટ્રાક્ટર સાથે મજૂરી માટે ઊંઝા આવી હતીઆ અરજીમાં પિતાએ જણાવ્યું છે કે, 16 નવેમ્બરે તેમની દીકરી અન્ય છોકરીઓ સાથે ઉદયપુરથી કોન્ટ્રાક્ટર સાથે મજૂરી માટે ઊંઝા આવી હતી. છોકરીઓ એક રૂમમાં રહેતી હતી. તે દરમિયાન 26 નવેમ્બરની સાંજે પિતાને સંદેશો મળ્યો કે, દીકરીની તબિયત બગડી છે. જ્યારે છોકરીના કાકા ઊંઝામાં પહોંચ્યા હતા, ત્યારે કોન્ટ્રાક્ટર અને અન્ય લોકોએ કહ્યું હતું કે, દીકરીને ભૂત વળગ્યું છે અને તેને ગામ લઈ જવા દબાણ કર્યું હતું. ત્યારબાદ કાકા અને કોન્ટ્રાક્ટર છોકરીને ગામ લઈ ગયા હતા, જ્યાં તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. પોલીસે FIR ન નોંધી અને મૃતદેહ રાજસ્થાન લઈ જવા કહ્યુંપરિવારજનો અને ગામલોકોએ આગ્રહ કર્યો હતો કે, ઊંઝામાં જ પોસ્ટમોર્ટમ કરાવવું જોઈએ. 27મી જૂને મૃતદેહ ઊંઝા લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અરજીકર્તાએ ઊંઝા પોલીસની અસંવેદનશીલતા અંગે આક્ષેપ કર્યો છે કે પોલીસે FIR નોંધી નહોતી અને મૃતદેહ રાજસ્થાન લઈ જવા કહ્યું. મહેસાણા SPને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી થઈ. બાદમાં લોકોના દબાણવશ ઉદયપુર પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધીને કેસ ઊંઝા પોલીસને સોંપ્યો છે. અરજદારે ફરી એકવાર પોસ્ટમોર્ટમની નિર્દેશ માંગતી અરજી કરી હતીહાઈકોર્ટમાં અરજદારે ઉદયપુર પોલીસને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વાર પોસ્ટમોર્ટમ કરાવવાની નિર્દેશ માંગતી અરજી કરી હતી. પોલીસ શુક્રવારે સવારે મૃતદેહને અમદાવાદ લાવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અરજદાર તરફથી દલીલ કરતી વખતે એડવોકેટે હાઈકોર્ટને જણાવ્યું કે, બીજીવારનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, તેથી તપાસ CID ક્રાઇમને સોંપવી જોઈએ. ઊંઝા પોલીસના વર્તનને કારણે પરિવારનો ભરોસો રહ્યો નથી. તેમણે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચીને જણાવ્યું હતું કે, છોકરી સાથે જબરજસ્તી કરાઈ છે અને તેને મારી નાખવામાં આવી હોવાની શક્યતા છે. છતાં ઊંઝા પોલીસ FIR નોંધતી નહોતી.
ઝાંપા બજાર વિસ્તારમાં આવેલો દેવડી રોડનો વિવાદ હવે વધુ વકર્યો છે. ટ્રાફિકની ગીચતાવાળા આ વિસ્તારમાં વર્ષોથી વાહન વ્યવહાર માટે ચાલુ રહેલો આ રસ્તો બંધ કરી દેવાના મનપાના ઠરાવ બાદથી સ્થાનિક લોકોમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં આ રસ્તા પર ગેટ મૂકીને રાહદારીઓ માટે પણ બંધ કરી દેવાયો હતો, જે ઠરાવનું ઉલ્લંઘન હતું. વિવાદ બાદ દેવડીના વિવાદી રસ્તા પર મનપા દ્વારા બોલાર્ડ નંખાયા છે. વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત વિસ્તારના નોટિસ બોર્ડ પર કાળો કલર લગાવી દીધોમેયરના આદેશ બાદ આ ગેટ તો દૂર કરાયો હતો, પરંતુ સ્થાનિકોએ હવે આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મંગળવારે સ્થાનિક યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે માગ કરી હતી કે, માત્ર ગેટ દૂર કરવાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ વાહન વ્યવહાર માટે આ રસ્તાને અગાઉની જેમ પૂર્વવત કરવામાં આવે. સ્થાનિકોએ વિરોધ દર્શાવવા માટે રસ્તા પર લગાડવામાં આવેલા વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત વિસ્તારના નોટિસ બોર્ડ પર કાળો કલર લગાવી દીધો હતો. વિવાદિત રસ્તા પર મનપા દ્વારા બોલાર્ડ પણ નાખવામાં આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર વધુ મુશ્કેલ બન્યો છે. ટ્રાફિકમાં આશિર્વાદરૂપ રસ્તો શરૂ કરો, ઠરાવ રદ્દ કરાવોવિરોધ કરી રહેલા સ્થાનિક યુવાનોએ જણાવ્યું હતું કે, દેવડીથી ઝાંપાબજારને જોડતો આ રસ્તો ઘણો મહત્વપૂર્ણ છે. જ્યારે પણ ટ્રાફિક વધુ હોય છે, ત્યારે આ રસ્તો આશિર્વાદરૂપ સાબિત થાય છે અને વર્ષોથી સ્થાનિકો તેનો ઉપયોગ કરે છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, માત્ર ગેટ દૂર કરવાથી ઉકેલ નહીં આવે, રસ્તો પૂર્વવત કરાવો જોઈએ અને આ રસ્તાને કોઈ સંસ્થાને સોંપી દેવાનો ગેરવાજબી અને અન્યાયકર્તા ઠરાવ તાત્કાલિક રદ્દ કરાવો જોઈએ. સ્થાનિકોની માંગણી છે કે જ્યાં સુધી રસ્તો પૂર્વવત કરવામાં નહીં આવે અને વિવાદાસ્પદ ઠરાવ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.
રાજકોટના મંગળા રોડ ઉપર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે પેંડા અને મુર્ગા ગેંગ સામે ગુજસીટોકનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં ગેંગ વોરના લીધે જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી પોલીસે પોતાની ધાક બેસાડવા માટે બંને ગેંગ સામે ગુજસીટોકનો ગંભીર ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પેંડા અને મુર્ગા ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. યુવાનને ઝાડા-ઉલ્ટી થયા બાદ સારવારમાં મોતઝાડા ઉલ્ટી થયા બાદ લાંબી સારવારમાં યુવકનું મોત નીપજ્યું હતું. ગોપાલભાઈ નારણભાઈ જાદવ (ઉં.વ. 20, રહે. માંડા ડુંગર ભીમરાવનગર શેરી નંબર 1, રાજકોટ) ગત તા. 30 ના રોજ તાવ અને ઝાડા ઉલટી થઈ જતા ગુંદાવાડી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ હતા. જ્યાંથી રજા લઈને ઘરે ગયા બાદ તા.2 ના રોજ ફરી ગુંદાવાડી હોસ્પિટલમાંથી સારવાર લીધી હતી. ત્યારબાદ તા. 4 ના રોજ હાથમાં ગ્લુકોઝ બોટલ ચડાવ્યાની સોઈ રહી જતા ફરી ગુંદાવાડી હોસ્પિટલમાં જતા તેનું ઓપરેશન કરાવવા માટે જણાવતા ઓપરેશન કરેલ હતું. બાદમાં રજા લઈને ઘરે જતા રહ્યા હતા બાદમાં તા.7 ના રોજ સવારે 8:30 વાગ્યા આસપાસ ગુંદાવાડી હોસ્પિટલમાં ગયેલ બાદ અને સવારે 10:00 વાગ્યા આસપાસ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં રીફર કરેલ.જેનું ચાલુ સારવાર દરમિયાન તા.8 ના રોજ 13:30 વાગ્યે મૃત્યુ નીપજ્યું હતું. કુખ્યાત આરોપી પાસામાં અમદાવાદ જેલહવાલેમારામારી, દારૂ, જુગાર, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ફાળદંગ ગામે રહેતા શખ્સને પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલહવાલે કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર દ્વારા અવારનવાર ગુના આચરતા શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ જેલમાં ધકેલવાની આપેલ સૂચનાથી ફાળદંગ ગામે હનુમાન મંદિરની બાજુમાં પીપળાવાળી શેરીમાં રહેતા શિવરાજ ધીરૂ વાળા (ઉ.વ.24) વિરુદ્ધ અગાઉ એકથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા હોય તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી પીસીબી દ્વારા આ શખસ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્ત પોલીસ કમિશનરે મંજૂર કરી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. આરોપી શિવરાજ વાળા સામે શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં દારૂ, જુગાર, મારામારી, એટ્રોસિટી, આર્મ્સ એકટ સહિત છ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ભાડલા પોલીસ સ્ટેશનમાં પણ જુગારનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. આઇસર પાસેથી દૂર જવાનું કહેતા ડ્રાઈવરને માર મારવામાં આવ્યોઆઇસરની બાજુમાં ઉભેલા માણસોને ત્યાંથી જવાનું કહેતા યુવાનને લાકડીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરેશભાઈ રાણાભાઈ મીર (ઉ.વ.45, રહે. જીવંતીકાનગર શેરી નં.02, ગાંધીગ્રામ) એ ફરિયાદમાં જણાવ્યું કે, નાના ભાઈ ખોડાભાઈ (ઉ.વ. 40) જે હાલ ગાંધીગ્રામમાં રહે છે. તેની પાસે તેના માલીકીનું આઈસર વાહન છે. ગઈકાલે સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ સાળા નિલેશ સોહલાનો ફોન આવ્યો કે, તમારા નાના ભાઈને રૈયા ચોકડી બ્રીજ નીચે માથાકુટ થયેલ છે. તેને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જઈએ છીએ. જેથી હું તાત્કાલીક હોસ્પિટલ પહોંચ્યો. મારા ભાઈની સારવાર ચાલુ હતી. તે અર્ધ બેભાન હાલતમાં હતો. આ બાબતે મારાં કૌટુંબિક ભાઈ રઘુભાઈએ જણાવ્યું કે, ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ હું તથા ખોડાભાઈ બન્ને રૈયા ચોકડી બ્રીજ નીચે ઉભા હતા ત્યારે ત્યાં ખોડાભાઈનું આઈસર પડેલ હોય જે આઇસરની બાજુમાં કોઇ અજાણ્યા માણસો ઉભા હોય તેને ત્યાથી જવાનુ કહ્યું હતું. તેમા એક અજાણ્યો લાંબા વાળ વાળો વ્યકિત બોલાચાલી કરવા લાગ્યો હતો. જોકે બાદમાં અમે ત્યાંથી જતા રહ્યા હતા. જે પછી સાંજના 5 વાગ્યાની આસપાસ અમે વચ્છરાજ હોટલથી ચા પી ને પરત આવતા હતા, ત્યારે રૈયા ચોકડી બ્રીજ નીચે રોડ ઉપર હતા ત્યારે બપોરે જેની સાથે બોલાચાલી થઈ હતી તે વ્યકિતએ ખોડાભાઇને માથામા લાકડી વડે ઘા મારી દીધો હતો. માર મારનારનું નામ કમલકિશોર પુરણચંદ હોવાનું જાણવા મળ્યું હતું.
મોરબી મહાપાલિકાએ નહેરુ ગેટ ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 60થી વધુ લારી, ગલ્લા અને પાથરણા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની ટીમે મંગળવારે મોડી સાંજે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દબાણ હટાવવાની સાથે, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી ₹20,000થી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરીથી લારી-ગલ્લા સહિતના દબાણો ગોઠવાઈ ગયા હતા. આ બાબત મહાપાલિકાના અધિકારીઓના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહીનો નિર્ણય લેવાયો હતો. ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતનો મહાપાલિકાનો કાફલો નહેરુ ગેટ ચોક ખાતે પહોંચ્યો હતો અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, નહેરુ ગેટ ચોક અને લોહાણાપરા વિસ્તારમાંથી દબાણો કાયમી ધોરણે દૂર થાય તે માટે આગામી આઠ દિવસ સુધી મહાપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ વિસ્તારને કાયમી દબાણમુક્ત કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
પોરબંદરની જર્જરિત MD સાયન્સ કોલેજ સીલ:સંચાલકોએ વિદ્યાર્થીઓના શિફ્ટિંગ માટે મનપા પાસે સમય માંગ્યો
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરની જર્જરિત એમ.ડી. સાયન્સ કોલેજને સોમવારે બપોરે ૩ વાગ્યે સીલ કરી દીધી છે. કાર્યવાહી સમયે કોલેજમાં અભ્યાસ ચાલુ હોવાથી, મનપાની ટીમે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ઇમારતનો મુખ્ય દરવાજો સીલ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, સંચાલક ટ્રસ્ટ દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોલેજ દ્વારા શિફ્ટિંગ માટે સમય અને સીલ ખોલવાની મંજૂરી આપવા માટે પણ મહાનગરપાલિકાને વિનંતી કરાશે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર આકાશ શાહે માહિતી આપતા જણાવ્યું કે, કોલેજને પ્રથમ નોટિસ 30 ઓક્ટોબર, 2025ના રોજ અપાઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટ પાસેથી ઇમારતની સ્થિતિ અંગેનો રિપોર્ટ મંગાવાયો હતો, જે 15 નવેમ્બર, 2025ના રોજ મળ્યો હતો. રિપોર્ટમાં ઇમારતની સ્થિરતા અપૂર્ણ અને જોખમી હોવાનું સ્પષ્ટ થતાં, મહાનગરપાલિકા દ્વારા ઇમારતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કોલેજમાં કુલ 217 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રિન્સિપાલના મતે, વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળતાથી ચાલુ રહી શકે તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. પોરબંદર મહાનગરપાલિકાની આ કાર્યવાહી બાદ હવે કોલેજના સ્થાનાંતરણ અને 217 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
રાજકોટ સમાચાર:રાજકોટના સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલ ગોકુલ પાન વાળી શેરીમાં આવેલા એક બંગડીના કારખાનામાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ધુમાડાના મોટા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. બનાવ બનતાની સાથે આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ દોઢ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુપણ અકબંધ છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં નુકસાન અંગેનો અંદાજ મેળવવાની કામગીરી ચાલુ છે. મનપાનાં ફૂડ વિભાગે લાંબા સમય બાદ નોનવેજ ફૂડનું ચેકીંગ કર્યું, પાન-મસાલાનાં પણ નમુના લેવાયા રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા સરકારની સુચનાથી જુદી જુદી કંપનીને પાન-મસાલાના નમુના એજન્સીઓમાંથી લેવાનું ચાલુ રાખવામાં આવ્યું છે તો ફરી લાંબા સમય બાદ શિયાળામાં નોનવેજના નમુના લેવાનું પણ શરૂ કરાયું છે. જેમાં જામનગર રોડ, માધાપર ઇન્ડ. એરીયામાં આવેલ મા એજન્સીમાંથી રજનીગંધા કેસર પાન મસાલા, પુષ્કર ધામ સામે ગીરીરાજ કોમ્પ્લેક્ષમાં આવેલ ગીરીરાજ એજન્સીમાંથી મહેક સિલ્વર અને સિગ્નેચર ફાઇનેસ્ટ પાન મસાલાના નમુના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. આ ઉપરાંત મા એજન્સીમાંથી જ તુલસી રોયલ ખજુર સિલ્વર કોટેડ ડેટસ, કુવાડવા રોડ પર 12 લાતીપ્લોટમાં સાંઇ સોના સિંગમાંથી હળદર દાળીયાના નમુના લેવાયા હતા. આ સાથે રૈયા રોડ, નહેરૂનગર-5માં આવેલ રઝાનગર-3માં મહોબ્બત ખપે એગ ઝોનમાંથી ઇંડા કરી સબ્જી અને ઇંડા મોગલાઇ સબ્જીના નમુના પણ લઇને પરીક્ષણમાં મોકલાયા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના 80 ફૂટ રોડ વાવડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓને ત્યાં 21 નમુનાની ચકાસણી કરાઇ હતી. જેમાં 6 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના અપાઇ હતી. રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ 2025 તિનકા તિનકા જેલ સુધારણાના સ્થાપક ડો. વર્તિકા નંદા દ્વારા બંદીવાનોના કૌશલ્યો ખીલવવા અને જેલ સુધારણા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી દર વર્ષે તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચિત્રકામની થીમ જેલમાં સંગીત રાખવામાં આવી હતી, જેમાં રાજકોટ મધ્યસ્થ જેલના કુલ 23 બંદીવાનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજકોટ જેલના બંદીવાન રોહીત રમેશભાઈ લોણકર દ્વારા બનાવાયેલા ચિત્રને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ- 2025થી સન્માનિત કરવામાં આવ્યું છે. રોહિતની આ ઉત્કૃષ્ટ કલા બદલ જેલ અધિક્ષક વાગીશા જોશીએ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં, ગુજરાતની જેલોના વડા ડો. કે.એલ.એન. રાવે પણ ટેલિફોનિક શુભેચ્છા પાઠવીને રોહિત લોણકરની કામગીરીને બિરદાવી હતી. 11 ડિસેમ્બરની પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચાલશે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર–મદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને પગલે 11 ડિસેમ્બર, 2025 ના રોજ પોરબંદર સ્ટેશનેથી પ્રસ્થાન કરતી ટ્રેન ક્રમાંક 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેની નિર્ધારિત રૂટ વાયા અજમેરની જગ્યાએ આંશિક બદલાયેલા રૂટ વાયા દોરાઈ–મદાર જંકશન બાયપાસ લાઇનથી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે દોરાઈ અને મદાર જંકશન સ્ટેશનો પર આ ટ્રેનને વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. 4 અને 11 ફેબ્રુઆરીની ઓખા-પુરી ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં 4 અને 11 ફેબ્રુઆરી, 2026નાં ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ તથા 1 અને 8 ફેબ્રુઆરી, 2026નાં રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ટિટિલાગઢ, વિજયનગરમ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી, વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. રાજકોટ મનપા 40 હજાર ચો.મી.ના કુલ 7 ટીપી પ્લોટ વેચશે, રૂ. 350 કરોડની આવકનો લક્ષ્યાંક રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાંકીય વર્ષના અંતે થતી આર્થિક ખેંચાખેંચી હળવી કરવા અને આવકના સ્ત્રોતને મજબૂત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષોથી મનપાએ ટીપીના પ્લોટ વેચ્યા ન હોવાથી આવકનો મોટો સ્રોત બંધ થઈ ગયો હતો. જોકે, હવે ગત વર્ષે સરકારે જમીન વેચાણ માટે મંજૂરી આપ્યા બાદ શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલા 7 ટીપી પ્લોટ વેચવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ લગભગ 40,000 ચો.મી. જેટલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની અપસેટ કિંમત આશરે રૂ. 350 કરોડ નક્કી કરવામાં આવી છે. ચાર વર્ષ બાદ કોર્પોરેશન દ્વારા જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમર્શિયલ પ્લોટનું વેચાણ મનપાની તિજોરી માટે ઓક્સિજન સમાન છે. કોર્પોરેશનમાં પગાર સહિતના મહેસૂલી ખર્ચ વધતા પોતાની આવક વધારવા માટે પ્લોટનું વેચાણ અનિવાર્ય બન્યું છે. રિંગરોડ, રૈયા રોડ અને મોરબી રોડ પરના કિંમતી ટીપી પ્લોટ વેચાણ માટે પસંદ કરાયા છે. અને ચાલુ નાણાંકીય વર્ષમાં જ રૂ. 350 કરોડની આવક જમીન વેચાણથી મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ માં 42 કર્મચારીઓની ભરતી કાનુની વિવાદ સર્જાતાં અટકાવાઈ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગમાં જુદા-જુદા હોદ્દાની થનારી 42 અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી ઉપર અચાનક બ્રેક લાગી ગઈ છે. ભરતી મુદ્દે કાનુની વિવાદ સર્જાતાં આ નિર્ણય લેવાયો છે. મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ફાયર ઓફિસર સહિત 42 જગ્યાની ભરતી થવાની હતી. આ માટે અરજી મંગાવી જરૂરી ફી પણ લઈ લેવામાં આવી હતી. દરમિયાન ભરતી સમયે જે નિયમો હતાં તેમાં સરકારે સુધારો કરી કેટલાક નવા નિયમો લાગુ કરતાં કેટલાંક ઉમેદવારો દ્વારા સરકારનાં આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. આવાં સંજોગોમાં કોઈ વધુ વિવાદ ન થાય તે માટે મનપા દ્વારા ભરતીઓ રદ કરી દેવામાં આવી છે. અને ઉમેદવારોને તેમણે ભરેલી ફી ઓનલાઇન મેળવી લેવા જણાવાયું છે.
સુરત ક્રાઇમ બ્રાંચે જહાંગીરપુરા વિસ્તારમાં દરોડો પાડીને 137 ગ્રામ ચરસ સાથે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે, જેમણે હિમાચલ પ્રદેશના કસોલથી બાયરોડ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં વેસુમાં રહેતા કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મયંક પટેલ અને જીગર વાંકાવાલા અન્ય આરોપીઓ છે. આ ધરપકડથી સુરતના પોશ વિસ્તારોમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેનો તાર સીધો હિમાચલના ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલો છે. દર મહિને 7-8 લાખની કમાણીનો ખુલાસોમુખ્ય સૂત્રધાર અનુપ બિષ્ટની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે છેલ્લા 2-3 વર્ષથી ડ્રગ્સના આ ગેરકાયદેસર ધંધામાં સક્રિય હતો. તેની મોડસ ઓપરેન્ડી મુજબ, તે દર મહિને તેના પેડલરો મારફતે અથવા પોતે જ હિમાચલ પ્રદેશના કસોલ જઈને ડ્રગ્સ માફિયાઓ પાસેથી 1થી 2 કિલો જેટલું ચરસ લાવતો હતો. હિમાચલ પ્રદેશનું આ ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ 'મલાલા ક્રિમ' તરીકે ઓળખાય છે, જેને સુરતના બજારમાં ઉંચા ભાવે વેચીને અનુપ દર મહિને 7 થી 8 લાખની જંગી કમાણી કરતો હતો. આ રીતે તે એક નિયમિત માસિક સપ્લાય ચેઈન ચલાવી રહ્યો હતો. પોશ વિસ્તારના નબીરાઓ નિશાન પરઅનુપ બિષ્ટ કસોલથી લાવેલા ચરસને સુરતમાં ગણતરીના કલાકોમાં જ તેના પેડલરોને વહેંચી દેતો હતો. આ પેડલરો પછી આ ડ્રગ્સના પડીકા બનાવીને શહેરના પોશ અને વિકસિત વિસ્તારોને નિશાન બનાવતા હતા. મુખ્યત્વે વેસુ, સિટીલાઇટ, પિપલોદ, અલથાણ, વીઆઇપી રોડ, પાર્લે પોઇન્ટ, મગદલ્લા, આભવા, પાલ, અડાજણ અને ડુમસ રોડ જેવા વિસ્તારોમાં રહેતા સારા ઘરના યુવાનો અને નબીરાઓને ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું. આ ઝડપાયેલા સૂત્રધાર પાસેથી પોલીસે 50થી વધુ પેડલરોના નામોની યાદી મેળવી છે, જે આગામી દિવસોમાં પોલીસની સઘન પૂછપરછના કેન્દ્રમાં રહેશે. અન્ય ધંધામાં ખોટ અને યુવતીઓની સંડોવણીની શંકાડ્રગ્સના વેપાર પહેલા, અનુપ બિષ્ટે ઝીંગાના તળાવમાં પણ રોકાણ કર્યું હતું. જોકે, તેમાં ખોટ જતાં તેણે આ ધંધો છોડી દીધો હતો અને સંપૂર્ણપણે ડ્રગ્સના ગેરકાયદે વેપલા તરફ વળ્યો હતો. બીજી તરફ, પોલીસ અનુપના મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ તપાસમાં પેડલરો ઉપરાંત પોશ વિસ્તારની કેટલીક સારા ઘરની યુવતીઓના નંબરો પણ મળી શકે તેવી સંભાવના છે, જેમને ડ્રગ્સની લત લાગી હોય અને આ રેકેટમાં તેમની સંડોવણી હોવાની શક્યતા છે. આ અંગે ગહન તપાસ હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે. હાઇબ્રીડ ગાંજાના કનેક્શન પર પણ કાર્યવાહીઆ ચરસ રેકેટની સાથે જ સુરતમાં હાઇબ્રીડ ગાંજાના સપ્લાય નેટવર્ક પર પણ એસઓજીએ કાર્યવાહી કરી છે. અડાજણના આગમ પટેલની 13 લાખના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે, જેને સૌરભ ચૌહાણ સપ્લાય કરવા આવ્યો હતો. આગમ પટેલ છેલ્લા 3-4 વર્ષથી નશો કરે છે અને કોલેજો તથા સ્કૂલોની બહાર તેના મિત્રોને ગાંજો વેચીને પોતાનો ખર્ચ કાઢતો હતો. આ કેસમાં થાઇલેન્ડથી હાઇબ્રીડ ગાંજો મંગાવતો મુખ્ય સપ્લાયર રીષભ નવરતનમલ મહનોત હજુ વોન્ટેડ છે. સુરતમાં ડ્રગ્સના આ સમાંતર નેટવર્ક્સ યુવા પેઢી માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે, જેના પર પોલીસની કાર્યવાહી સઘન બની છે.
રાજકોટનો કુખ્યાત તસ્કર ભાદો સોલંકી ત્રણ વર્ષ બાદ ફરીવાર સક્રિય થયો છે. તરઘડીયાની રૂ. 6.47 લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગત 3 ડિસેમ્બરના રોજ ધોળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં જમાઈ અને પરપ્રાંતીય શખ્સ સાથે ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સસરા અને જમાઈને ઝડપી પાડી રૂ. 6.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે હજુ એક યુપીના શખ્સની શોધખોળ હાથ ધરી છે. કુખ્યાત તસ્કર વિરુદ્ધ રાજકોટ અને જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષમાં ચોરી સહિતના 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અગાઉ તે પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો છે. પરિવાર ઘર બંધ કરી બહાર ગયો અને ચોરી થઈબનાવ અંગે તરઘડીયા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રઘુભાઈ જગાભાઈ ઝાપડા (ઉ.વ. 52) દ્વારા કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓ પરિવારના તમામ સભ્યો ઘરમાં લોખંડની જાળીને તાળું મારી સાયપર ગામે બનેવી ભીમાભાઇ ટોળીયાનું અવસાન થયું હોવાથી પાણીઢોળ વિધિ માટે ગયા હતા. બપોરના 2.30 વાગ્યે વિધિ પૂરી થયા બાદ પુત્રવધુ રાધાબેન તથા અન્ય સ્ત્રીઓ ગામે જવા માટે રવાના થયા હતા. જે પછી 3 વાગ્યા આસપાસ પુત્રવધુ રાધાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ઘરની ઓસરીની લોખંડની જાળીનું તાળુ તૂટેલું છે અને સામાન વેરવિખેર છે, ચોરી થઈ છે. 6.74 લાખની મત્તા કબાટમાંથી ચોરી થઈ ગઈ હતીજાણ થતાં જ ખેડૂત તૂરંત સાયપરથી ઘરે પહોંચ્યા હતા અને જોયું તો ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. જે બાદ ઘરમાં તપાસ કરતા પુત્રવધુ રાધાબેનના સોનાના દાગીના અને કબાટમાં રાખેલા રોકડ રૂપિયા 1.35 લાખ સહિત કુલ રૂપિયા 6.74 લાખની મત્તા કબાટમાંથી ચોરી થઈ ગઈ હતી. જેથી કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તસ્કર બેલડીને ઝડપી પાડીવધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અહીં ગામમાં ગઈકાલે સવારે 3 શંકાસ્પદ શખ્સો ઢોર ખરીદવાના બહાને શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા હોવાનું માલુમ પડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમને સીસીટીવી ફૂટેજના આધારે તરઘડીયા ગામ ખાતે થયેલી ઘરફોડ ચોરીના આરોપી ભાદા દુલા સોલંકી (ઉ.વ. 45 રહે.નારાયણનગર, ઢેબર રોડ) અને હીરેન અશોક ભટ્ટ (ઉ.વ.21, રહે. પી.ડી.માલવીયા કોલેજની બાજુમાં નારાયણ નગર મફતીયાપરા)ને પકડી પાડ્યા હતા અને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 6.41 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરુદ્ધ 2014થી 2024 સુધીમાં ચોરી સહિતના 15 ગુના નોંધાયેલાપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાદો સોલંકી કુખ્યાત તસ્કર છે અને તેને તેના જમાઈ હિરેન તેમજ અન્ય એક પરપ્રાંતીય શખ્સ સાથે મળી ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપતાં ત્રીજા શખ્સની શોધખોળ હાથ ધરી છે. કુખ્યાત તસ્કર ભાદો સોલંકી વિરુદ્ધ વર્ષ 2014થી 2024 સુધીમાં ચોરી સહિતના 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢમાં પણ તેના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ તે પાસામાં જઈ આવેલો છે.
વલસાડ તાલુકાના પારનેરા ગામમાં આવેલા મહેન્દ્રાના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના પારનેરા અંબાજી માતાના મંદિર નજીક બની હતી. વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે શોરૂમના POPનો ભાગ તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોરૂમમાં સિલિંગના ભાગે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. POPમાં કરવામાં આવેલા વાયરિંગમાં આગ પ્રસરી ગઈ હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગ લાગવાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગ અને વલસાડ વીજ કંપનીની ટીમને જાણ કરવામાં આવી હતી. બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે શોરૂમના POPનો કેટલોક ભાગ તોડવો પડ્યો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોએ સાવચેતીના ભાગરૂપે 112ની ટીમને પણ જાણ કરી હતી. 112ની ટીમ પણ ફાયર ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં મદદ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે સોશિયલ મીડિયા પર આ મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ખબર અંતર પૂછ્યા હતા. વડનગરમાં તેમના માતૃશ્રીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને 'એક પેડ માં એક નામ' પ્રોજેક્ટને વિશ્વ સ્તરે લઈ જવા બદલ વડાપ્રધાને સંતોષ વ્યક્ત કર્યો હતો. ડેરે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનની યાદશક્તિનો ફરી એકવાર અનુભવ થયો, જ્યારે તેમણે તેમના રાજુલા નગરપાલિકાના કાર્યકાળ અને યુવા ભાજપના કાર્યકર તરીકેની સફરને યાદ કરી હતી. વડાપ્રધાને અર્જુન મોઢવાડીયા સાથે પણ વાતચીત કરી અને અંબરીષ ડેરને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે અર્જુન મોઢવાડીયા અને અંબરીષ ડેર જેવા નેતાઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. વડાપ્રધાન સાથેની તેમની આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શિયાળાની શરૂઆત થતા જ મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. મહેસાણા નજીક આવેલા કુક્સ ગામ પાસે આવેલી શ્રી રામ નગર સોસાયટીમાં બે મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ 58 હજાર 400 રૂપિયાના મત્તાની ચોરી કરી ફરાર થયા છે.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે. બંધ મકાનના તાળા તોડી ચોરીમહેસાણાની દૂધસાગર ડેરી પાછળ આવેલા સંકરપૂરા ખાતે રહેતા પ્રિયકાન્ત ચૌહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે. ફરિયાદી 7 ડિસેમ્બરના રોજ કુક્સ રોડ પર આવેલા શ્રી રામ સોસાયટીમાં આવેલા મકાનમાં સાફ સફાઈ કરી પોતાના બીજા ઘરે ગયા હતા.એ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડ્યા હતા.ચોરી અંગેની જાણ પાડોશી એ ફરિયાદીને કરતા ફરિયાદી શ્રી રામ સોસાયટીમાં દોડી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતા સરસમાન વેરવિખેર જોવા મળ્યો હતો.તેમજ તિજોરીના તાળા તૂટેલી હાલતમાં હતા.જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો ચાંદી નું પેન્ડલ કિંમત 3500,સોનાનો ઓમ કિંમત 3200,ચાંદી નો જુડો કિંમત 4500,ચાંદી ની ત્રણ જોડી પાયલ કિંમત 15000,ચાંદી ના નાના બાળકના કંડલા કિંમત 2200, તેમજ બાજુમાં આવેલા મકાનના તાળા તોડી સૂર્યા બેન ના ઘરમાં તિજોરી તોડી ચાંદીની 30 હજાર કિંમતની પાયલ ચોરી ગયા હતા.આમ તસ્કરો એ કુકસ રોડ પર આવેલા શ્રી રામ નગર સોસાયટીમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડ્યા હતા.સમગ્ર ચોરીના તસ્કરો કુલ 58 હજાર 400 ના મત્તાની ચોરી કરી ફરાર થતા મહેસાણા તાલુકા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મારું ગામ, મારો તાલુકો અને મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત'ની નેમ સાથે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાંથી બાળ લગ્નના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને તેના ગંભીર ગેરફાયદાઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો છે. નાગરિકોને બાળ લગ્ન ન કરવા અંગે જાગૃત કરી, સમાજના તમામ વર્ગોના સક્રિય સહયોગથી આ સામાજિક દૂષણને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા અપીલ કરવામાં આવી છે. બાળ લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પરંતુ તે એક ગંભીર કાયદાકીય ગુનો છે. 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006' મુજબ, છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા સંજોગોમાં કરવામાં આવતા લગ્નો ગેરકાયદેસર ગણાય છે. આ કાયદાની જોગવાઈઓ સ્પષ્ટ છે કે, જો કોઈ વ્યક્તિ આવા બાળ લગ્ન કરાવે, તેનું સંચાલન કરે અથવા તેમાં મદદગારી કરે, તો તે વ્યક્તિને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની સજા થઈ શકે છે. આ ગુનો બિન-જામીનપાત્ર છે, જે તેની કાયદાકીય ગંભીરતા દર્શાવે છે. સામાન્ય રીતે કાયદાની અજાણતા, શિક્ષણનો અભાવ અને દીકરીઓની જવાબદારીમાંથી વહેલા મુક્ત થવાની વિચારસરણી જેવા કારણોસર સમાજમાં બાળ લગ્ન થતા હોય છે. જોકે, હવે કાયદાનું કડક પાલન અનિવાર્ય છે. બાળ લગ્નના કારણે યુગલોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક અસરો થાય છે. નાની ઉંમરમાં લગ્ન થવાથી સગીર વયની બાળાઓમાં ગર્ભવતી થવાનું પ્રમાણ વધે છે, જેના પરિણામે અપરિપક્વ પ્રસુતિ, સગીર માતાના મૃત્યુનો ઊંચો દર, ગર્ભપાત કે મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુઓમાં માંદગી, અશક્તિ, મૃત્યુ તેમજ મંદબુદ્ધિના બાળકોનું પ્રમાણ પણ વધવાની શક્યતા રહે છે, જે સમગ્ર પેઢીના વિકાસને અવરોધે છે. વધુમાં, બાળ લગ્ન બાળકની, ખાસ કરીને બાળકીની, સ્વતંત્રતાને રૂંધે છે અને નાની ઉંમરમાં જ તેમના પર કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ આવી પડે છે, જે સ્ત્રીઓ ઉપર ત્રાસ અને અત્યાચારને પણ વેગ આપે છે. બાળ લગ્ન સંપૂર્ણ રીતે નાબૂદ થાય તે માટે જાગૃતિ અને સક્રિય સહયોગ આપવાની અપીલ કરતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અજય મોટકાએ જણાવ્યું હતું કે, જો તમારા ધ્યાનમાં ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય કે થવાની તૈયારી હોય, તો નાગરિકોએ તાત્કાલિક તેની જાણ કરવી. જાણ કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર અથવા જે તે જિલ્લાનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત, નજીકના પોલીસ સ્ટેશન, ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર 1098 અથવા 112 અને મહિલા હેલ્પ લાઇન નંબર 182નો પણ સંપર્ક કરી શકાય છે. દરેક ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનોને પણ આ દૂષણ અટકાવવામાં મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે,જેથી ભારતના બાળકોનું બાળપણ સુરક્ષિત રહે અને 2030 સુધીમાં બાળ લગ્ન મુક્ત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.
છેલ્લાં એક સપ્તાહમાં ઇન્ડિગોની સંખ્યાબધ્ધ ફલાઇટો રદ થવાના કારણે અનેક મુસાફરોને ન કલ્પી શકાય અને ન સહી શકાય તે પ્રકારનું ભારે નુકસાન થઇ રહ્યું છે. અને હજુ આ ફલાઇટો રદ થવાનું ચાલુ છે. ત્યારે આ ફલાઇટોના મુસાફરોને ટિકિટોનું ભાડું રિફંડ કરવામાં આવે છે. પરંતુ તેમને જે યાતના ભોગવી છે તે અંગેનું વળતર મળતું નથી. તેવા સમયે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જાહેરાત કરતાં જણાવ્યું છે કે, એરલાઈન્સના પેસેન્જરો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પુરતા પુરાવાઓ અને હકીકતલક્ષી વિગતો સાથે અમને ફરિયાદ આપશે તો અસરગ્રસ્ત ગ્રાહકોને યોગ્ય વળતર અપાવવા નિઃશૂલ્ક કાનુની માર્ગદર્શન આપીને મદદરૂપ થઇશું. દેશભરની ગ્રાહક કોર્ટોમાં ઈન્ડિગો એરલાઈન્સ સામે વધુને વધુ કેસો દાખલ થાય તે માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરી ઝુંબેશ ચલાવશે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ સતત રદ્ થતા પેસેન્જર ગ્રાહકોમાં કંપનીના મેનેજમેન્ટ સામે અસંતોષ અને આક્રોશની લાગણી ભભૂકી રહી છે. ઈન્ડીગો એરલાઈન્સ મેનેજમેન્ટની સેવામાં ખામી, બે જવાબદારી અને બેદરકારીના કારણે લાખો પેસેન્જર ગ્રાહકો અતિશય હેરાન – પરેશાન થઈ માનસિક ત્રાસ અને આઘાત વેઠી રહ્યા છે. લાખો અસરગ્રસ્ત ગ્રાહકોના જરૂરી કામો થઈ શક્યા નથી અને રખડી પડ્યા છે. ગ્રાહકોની મુશ્કેલીઓ, વેદના અને વ્યથાનો પાર નથી. 'મુસાફરોને રિફંડ નહીં પણ સાથે માનસિક આઘાતનું વળતર આપવું જરુરી'તેમણે કહ્યું કે, છેલ્લા એક અઠવાડીયામાં ઈન્ડિગો એરલાઈન્સની 5000 થી વધુ ફ્લાઈટો રદ્ થઈ છે અને કંપનીએ કુલ રૂ. 827 કરોડના રીફંડનો પ્રોસેસ કર્યો હોવાનો દાવો કરેલ છે પરંતુ ગ્રાહક સુરક્ષાની ઉગ્ર માંગણી છે કે ગ્રાહકોને ટિકીટના પૈસા પરત આપવાથી સમસ્યાનો ઉકેલ નહિં આવે તમામ અસરગ્રસ્ત ગ્રાહકોને ઈન્ડિગો મેનેજમેન્ટે ઓછામાં ઓછું રૂ. 50,000/- નું માનસિક ત્રાસ અને આઘાતનું વળતર આપવું જરૂરી છે. ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઈન્ડીગો એરલાઈન્સ કંપનીની સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારી સબબ જો ગ્રાહકો કાયદેસર ફરિયાદ દાખલ કરી દાદ માંગે તો વિવિધ જનરલ ડેમેજીસ સબબ યોગ્ય વળતર મળી શકે અને માનસિક ત્રાસ તથા આઘાતનો વળતર મેળવી ન્યાય પ્રાપ્તિ શક્ય છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, એરલાઈન્સ કંપનીઓ નફાખોરી આચરવા મનસ્વી અને મનફાવે તેટલાં ભાડાં વધારે છે અને પેસેન્જર ગ્રાહકો સાથે ઉઘાડી લુંટ ચલાવે છે પરંતુ ડી.જી.સી.એ અને કેન્દ્ર સરકાર કોઈ નિયમનકારી પગલાં ભરતા નથી અને બેફામ તથા બેરોકટોક હવાઈ ભાડા પર અંકુશો અને નિયંત્રણો નથી ત્યારે સરકારે ભાડા નિયમન માટે વટહુકમ બહાર પાડવો તે સમયની માંગ છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ડી.જી.સી.એ. દ્વારા પેસેન્જર ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે અને જે મુશ્કેલીઓ પડી છે તેના વળતર માટે દરમ્યાનગીરી કરવાનો સમય પાકી ગયો છે. ઈન્ડીગોનું સંકટ અસાધારણ છે અને સંપૂર્ણ અંધાધુધી અને અરાજકતા એરલાઈન્સ ક્ષેત્રે પ્રવર્તી રહી છે ત્યારે સરકારે અને ડી.જી.સી.એ. એ એરલાઈન્સ કંપનીઓનું નિયમન વધુ અસરકારક બનાવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવવામાં આવશે. પેસેન્જરને નિઃશૂલ્ક કાનુની માર્ગદર્શન આપી મદદ કરાશેતેમણે એરલાઈન્સના પેસેન્જરો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પુરતા પુરાવાઓ અને હકીકતલક્ષી વિગતો સાથે ફરિયાદ આપશે તો અસરગ્રસ્ત ગ્રાહકોને યોગ્ય વળતર અપાવવા નિઃશૂલ્ક કાનુની માર્ગદર્શન આપીને મદદરૂપ થવાની જાહેરાત કરી છે. દેશભરની ગ્રાહક કોર્ટોમાં ઈન્ડિગો એરલાઈન્સ સામે વધુને વધુ કેસો દાખલ થાય તે માટે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરી ઝુંબેશ ચલાવશે.
અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા ન્યાય કર્મચારી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ઇતિહાસમાં પહેલીવાર લોકશાહી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા હોદ્દેદારોની ચૂંટણી તા. 07/12/2025ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં સભ્યોએ નોંધપાત્ર ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને અભૂતપૂર્વ 65 %થી વધુ મતદાન થયું. મતદાતાઓએ નિયત સમયગાળામાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવી હતી. ચૂંટાયેલાં હોદ્દેદારો પર કર્મચારીઓએ અભિનંદનની વર્ષા કરીમતગણતરી પ્રક્રિયા પૂર્ણ પારદર્શકતા સાથે હાથ ધરાઈ હતી. જેમાં ચેરમેન પદે અલ્પેશ જી. ડોડીયા, મેનેજિંગ ડિરેક્ટર તરીકે અજયપાલસિંહ જી. બારડ, અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુનિલ બી. લબાનાની વિજેતા જાહેર થયા હતા. આ હોદ્દેદારોએ બાકીના હોદ્દેદારો તથા કારોબારીની પોતાની પસંદગી મુજબ નિમણૂંક કરશે. આ ચૂંટાયેલાં હોદ્દેદારોને કર્મચારીઓએ તેમને અભિનંદનની વર્ષા કરી હતી. સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યોચૂંટણી કમિશનરે ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, લોકશાહી પ્રક્રિયા અનુસાર ચૂંટણી પૂર્ણ થવાથી સોસાયટી વધુ કાર્યક્ષમ અને જવાબદાર વહીવટ તરફ આગળ વધશે. હવે નવા ચૂંટાયેલા હોદ્દેદારોનો કાર્યભાર નિયમ અનુસાર સંસ્થાના રેકોર્ડમાં દાખલ કરવામાં આવશે અને વહીવટી કાર્યો કાનૂની જોગવાઈઓ મુજબ આગળ વધશે.
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી યોજાઈ હતી. આરોપી કાર્તિક પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ કરેલી ડિસ્ચાર્જ અરજીની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 12 ડિસેમ્બરના હુકમ માટે રાખી છે. આ તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી દરમિયાન સરકારે પણ પોતાની દલીલ રજૂ કરી હતી. જેમાં સરકારે એવી રજૂઆત કરી હતી કે તમામ આરોપીઓ સામે તૈયાર થયેલી ચાર્જશીટમાં 130 સાક્ષીઓ જેથી તેમને ડિસ્ચાર્જ ન કરવા જોઈએ. અમાનવિય અભિગમથી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતોખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ કેસમાંથી ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટએ કોર્ટને જણાવ્યું હતું કે, કાર્તિક પટેલ, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર્સ હોય આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની મેડિકલ સેવાઓ અંતર્ગત યોજનાઓના બહાના હેઠળ અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોના ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ગેરકાયદેસર લાવવા માટેના મુખ્ય સૂત્રધાર છે. દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીની વિગતોમાં ફેરફાર કરી યોજના અંતર્ગત વધુ નાણાં મળે તેવા સ્વાર્થ સાથે યોજનાના અલગ અલગ હેડમાં રોકાણ કરતા આવકનું પ્રમાણ વધુ હોય તેવી સારવાર આપી અમાનવિય અભિગમથી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતો. આરોપીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની જગ્યાએ અરજી ફગાવી દેવાઈતેમણે વધુમાં દલીલ કરી હતી કે, ખ્યાતિ હોસ્પિટલમાંથી 19 ઈલેકટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી 36 ફાઈલો કબ્જે કરાઈ અને 11 રજિસ્ટ્રરો કબ્જે કરવામાં આવ્યા હતા. ઈન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજો સામેલ કર્યા છે. સરકાર દ્વારા રચના કરેલ કમિટી પાસેથી તપાસના દસ્તાવેજો મેળવીને પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ઓડીટ રિપોર્ટ, આરઓસીમાંથી માહિતી મેળવવામાં આવી હતી. આમ આરોપીઓ સામે પુરતા પુરાવા હોવાથી કેસમાંથી ડિસ્ચાર્જ કરવાના બદલે અરજી ફગાવી દેવામાં આવે.
કોડીનાર તાલુકાના સિંધાજ ગામે આજે સાંજે એક યુવક પર બે સિંહોએ હુમલો કર્યો હતો. ગામના રહેવાસી રમેશભાઈ લાખાભાઈ વાઢેર તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સિંહના હુમલામાં રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સિંધાજ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ સિંહોને તાત્કાલિક જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે હુમલો કરનાર સિંહોને શોધી કાઢવા અને ટ્રેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના હુમલાના વધતા બનાવોને કારણે લોકોના જીવ પર જોખમ વધી રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ મામલે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
બોટાદના તાજપર ગામના ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ યુવકની પત્ની અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક ભરતના લગ્ન રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે દસ મહિના પહેલા થયા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ પુનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટ્યા હતા. મૃતક યુવકના પિતા કનુભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, પુનમબેનના પિતા હરેશભાઈ મકવાણાએ લગ્ન માટે ૫ લાખ રૂપિયા લીધા હતા. આ બાબતે મૃતક ભરતે અગાઉ પોલીસમાં અરજી પણ આપી હતી. મૃતક ભરતને તેના સસરા હરેશભાઈ અને પત્ની પુનમબેન દ્વારા સતત ધમકીઓ આપી ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને ભરતે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતક ભરતના પિતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ પુનમબેન હરેશભાઈ મકવાણા અને પુત્રના સસરા હરેશભાઈ કરશનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ ૧૦૮, ૩૫૧(૩), અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા પોલીસકર્મીઓને અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી લાંચખોરોને ઝબ્બે કરાવનારા 4 હિંમતવાન નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ વકતૃત્વ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા 12 વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા. 'ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું કરવું જ નહીં'મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે, “હક્ક બહારનું લેવાય જ નહીં એ આપણી સંસ્કૃતિનો સંસ્કાર છે”. તેમણે ઉમેર્યું કે, જે કાર્ય કરીએ તેનાથી આત્મસંતોષ મળે તે જ સાચી ફરજનિષ્ઠા છે. એસીબીની છાપ એવી ઉભી થવી જોઈએ કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું કરવું જ નહીં, એમ તેમણે જણાવ્યું. વિકસિત ગુજરાત માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જરૂરીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રનો ઉલ્લેખ કરતાં CMએ કહ્યું કે વિકસિત ગુજરાત માટે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જરૂરી છે. ઝીરો-ટોલરન્સની ભાવનાથી ACB વધુ સખત અને સતર્ક બની રહે તે જરૂરી હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા CMના આક્રમક અભિગમનો પુરાવોનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એસીબીએ માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સામે પણ કડક પગલાં લીધા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 34 ક્લાસ-1 અને 98 ક્લાસ-2 અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવી કેસો નોંધાયા, જ્યારે આ વર્ષે 194 કેસમાં 277 આરોપીઓની ધરપકડ થઈ છે. ફરજિયાત રિટાયરમેન્ટના ઐતિહાસિક આંકડા મુખ્યમંત્રીના આક્રમક અભિગમનો પુરાવો છે, એમ તેમણે ઉમેર્યું. જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાACBના નિયામક પીયૂષ પટેલે જણાવ્યું કે, સતર્કતા જાગૃતિ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં નિબંધ-વકતૃત્વ સ્પર્ધા, શેરી નાટકો, મેરેથોન સહિતના જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા, તેમજ હેલ્પલાઈન 1064ને વ્યાપક પ્રચારિત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ કે દાસ, DGP ડો. કે એલ એન રાવ, NFSU VC ડો. જે એમ વ્યાસ સહિત અનેક અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કચેરી દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં ઊંઝા ઉમિયા માતા મંદિર, બહુચરાજી બહુચર માતા મંદિર, મોઢેરા સૂર્યમંદિર તેમજ વડનગર લટેરી વાવ ખાતે દીવા પ્રજ્વલન, રોશની સજાવટ, રંગોળી, અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલય ભારત સરકારના જણાવ્યા મુજબ 7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2025 દરમિયાન ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજની આંતર સરકારી સમિતિના 20માં સત્રનું આયોજન થનાર છે. ભારત દ્વારા 2024-25 વર્ષ માટે યુનેસ્કોની અમૃત યાદીમાં સમાવેશ માટે દીપાવલીનું નામાંકન મોકલવામાં આવ્યું છે. તેના અનુસંધાને યુનેસ્કો અમૃત યાદીમાં ધરોહર યાદીમાં દિપાવલીના અપેક્ષિત સમાવેશની સંભાવનાને ધ્યાને લઈને આવતી કલર રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ દીવા પ્રગટાવવા, રોશની તેમજ રંગોળીનું આયોજન કરવામાં આવશે.
ડાંગમાં 50મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શરૂ:કોટબા પ્રાથમિક શાળામાં STEM થીમ પર 70 કૃતિઓ રજૂ
ડાંગ જિલ્લાના કોટબા પ્રાથમિક શાળામાં 50મા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા કોટબા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ 10 ડિસેમ્બર સુધી ચાલશે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનની થીમ “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” રાખવામાં આવી છે. તેમાં પ્રાથમિક શાળાની 45 અને માધ્યમિક શાળાની 25 મળી કુલ 70 કૃતિઓ રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા સંચય, નવીન ટેકનોલોજી અને કૃષિ સુધારણા જેવા ક્ષેત્રોમાં પોતાના મોડલ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા. ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું કે આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે. તેમણે STEM આધારિત પ્રવૃત્તિઓને નવીન વિચારોને પ્રોત્સાહન આપવા માટે આવશ્યક ગણાવી. મહેમાનોએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગ સાથે તાલ મિલાવીને આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. જિલ્લા તંત્રના અધિકારીઓએ પણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને બાળકોના સર્જનાત્મક વિચારોને વાસ્તવિકતામાં બદલવા અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અસરકારક માર્ગ ગણાવ્યો. આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં સંશોધનની ભાવના વિકસાવે છે અને ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે પાયો નાખે છે. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયતના વડા, શિક્ષણ સમિતિના સભ્યો, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, તાલીમ ભવનના પ્રાચાર્ય અને વિવિધ શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા. આ 50મો જિલ્લા કક્ષાનો વૈજ્ઞાનિક મહોત્સવ ડાંગ જિલ્લાના શૈક્ષણિક વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો પ્રદર્શનની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના મિલકતવેરાની બાકી વસૂલાત માટે આક્રમક રીતે એક્શન મોડમાં આવી આવી ગઈ છે. જે અન્વયે રિબેટ યોજના હોવા છતાં મિલકત વેરો ન ભરનાર 926 મોટા બાકીદારો સામે જપ્તી વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. સમયસર વેરો ભરપાઈ નહીં કરનાર 50 હજારથી વધુની રકમના બાકીદારોની મિલકતો સીલ મારવા સુધીના પગલા લેવાની મનપાએ ચેતવણી આપી છે. મિલકતવેરો ભરનાર નાગરિકોને 10% રિબેટનો લાભ આપ્યોમહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગે વર્ષની શરૂઆતમાં કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે 1 એપ્રિલથી 30 જુલાઈ સુધી મિલકતવેરો ભરનાર નાગરિકોને 10% રિબેટનો લાભ આપ્યો હતો. આ યોજનાના કારણે કુલ 50 કરોડની વસૂલાત કરવામાં મનપા સફળ રહી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં તા. 1/4/2025થી આજ દિન સુધીમાં કુલ 1,20,555 કરદાતાઓ દ્વારા કુલ રૂ. 62.22 કરોડનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવી છે. 926 બાકીદારોને મિલકતવેરા વિભાગે પ્રથમ અને આખરી નોટિસ ફટકારીજો કે, આ રિબેટ યોજનાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ બાકીદારોએ વેરો ભરપાઈ નહોતો કર્યો, તેવા 1 લાખથી વધુ રકમના કુલ 926 બાકીદારોને મિલકતવેરા વિભાગ દ્વારા પ્રથમ અને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ બાદ મનપાએ વધારાના 2 કરોડ જેટલો વેરો વસૂલ્યો હતો, પરંતુ આખરી નોટિસ આપ્યા છતાં વેરો ન ભરનાર બાકીદારો સામે હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરીને તેમની મિલકતોને સીલ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં ટાંચ અને જપ્તી વોરંટ ઈસ્યયુ કરી મિલકત સીલ કરાશેમહત્વનું છે કે, મનપા હવે વસૂલાતનું અભિયાન વધુ સઘન કરી રહી છે. હાલમાં 50 હજારથી વધુ રકમના બાકીદારોને આખરી નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જે બાકીદારો દ્વારા નિયત સમયમાં મિલકતવેરો ભરપાઈ કરવામાં નહીં આવે તેવા બાકીદારોને આગામી સમયમાં ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી મિલકતો સીલ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. સત્વરે પોતાનો બાકી મિલકતવેરો ભરપાઈ કરી દેવા માટે તાકીદગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે મિલકતોનો વેરો ભરવાનો બાકી હોય તેવા તમામ બાકીદારોને સત્વરે પોતાનો બાકી મિલકતવેરો ભરપાઈ કરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે. મનપાના આ સખ્ત વલણને પગલે હવે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
ખેડૂત માટે ખેતી કરવી એ હવે માત્ર મહેનત નહીં પણ એક કપરી લડાઈ બની ગઈ છે. એક તરફ કોમોસમી વરસાદ અને માવઠાનો માર સહન કરવો પડે છે, તો બીજી તરફ રાત-દિવસના ઉજાગરા કરીને, મોંઘાદાટ બિયારણ અને દવાઓનો છંટકાવ કરીને તૈયાર કરેલા પાકને જંગલી પશુઓનો ત્રાસ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને જંગલ વિસ્તારની નજીક આવેલા ખેતરોમાં ભૂંડ અને રોઝડાના ઝુંડ ખોરાકની શોધમાં ખેતરમાં પ્રવેશીને ઊભા પાકને ખેદાન-મેદાન કરી જાય છે. આ પરિસ્થિતિ ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવા મજબૂર કરે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના એક ખેડૂતે પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરીને નજીવા ખર્ચમાં એક અનોખી શોધ કરી છે. જૂનાગઢના ખેડૂતની અનોખી 'દીવાદાંડી'ની કમાલ આ અનોખી શોધ કરનાર ખેડૂતનું નામ છે હરિભાઈ પાસાભાઈ ઠુમર. હરિભાઈના ખેતર નજીક ખરાબો અને પડતર જમીન આવેલી છે, જ્યાં રોઝડા, ભૂંડ, સિંહ અને દીપડા જેવા જનાવરો કાયમને માટે બેઠા હોય છે. હરિભાઈએ જણાવ્યું કે, 2018 માં નબળું વર્ષ હતું અને તેમણે કપાસ વાવેલો હતો. ફૂટ-ફૂટનો કપાસ તૈયાર થઈ ગયો હોય અને રોઝડા તેને ખાઈ જાય. જેના કારણે તેમને આખી રાત વાવેલા પાકનું રખોપું કરવામાં જ સવાર પડી જતી હતી. દિવસનું કામ કર્યા પછી આખી રાત જાગવું એ ખૂબ જ મુશ્કેલ બની જતાં, તેમને રાતના ઉજાગરામાંથી મુક્તિ મેળવવા માટે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો, અને તેમાંથી જ આ 'દેશી દીવાદાંડી'નો જન્મ થયો. જૂના વેસ્ટમાંથી તૈયાર થયેલ દેશી 'દીવાદાંડી'ની શોધ હરિભાઈએ બનાવેલી આ દેશી દીવાદાંડી તૈયાર કરવા માટે કોઈ મોંઘા સાધનોની જરૂર પડતી નથી. આ 'દીવાદાંડી' બનાવવા માટે એક ખાલી, વેસ્ટમાં પડેલો તેલનો ડબ્બો, એક નીકળી ગયેલું પંખાનું બેરિંગ, ટોર્ચ અને લાકડાના બે ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે ડબ્બાને બંને બાજુથી તોડી નાખીને પાંખડા બનાવ્યા. આ પાંખડામાંથી એક ખીલો પસાર કર્યો અને ઉપરના ભાગે નીકળી ગયેલું પંખાનું બેરિંગ નાખી દીધું. આ બેરિંગને કારણે દોરી ઉપર રાખેલ ડબ્બો પવનના કારણે આસાનીથી ફરતો રહે છે. ડબ્બાની અંદર ટોર્ચ મૂકી દેવામાં આવે છે, જે રાત્રિના સમયે પવનથી ડબ્બો ફરવાથી સમગ્ર ખેતરમાં પ્રકાશના પુંજને ફેરવતી રહે છે. દૂર સુધી ફેલાતા પ્રકાશથી પશુઓ ભયભીત થાય આ દીવાદાંડી લગાવવાથી છેલ્લા ત્રણ વર્ષથી ભૂંડ કે રોઝડા તેમના ખેતરમાં આવ્યા નથી. હરિભાઈ ઠુમરના જણાવ્યા મુજબ, જ્યારે અંજવાળું રોઝડા કે ભૂંડણા ઉપર જાય છે, ત્યારે રાતનું ગમે તે જનાવર હોય, તે અચાનક પ્રકાશ જોતાં જ ડરીને હાલતું થઈ જાય છે. જો માત્ર એક જ જગ્યાએ લેમ્પ ચાલુ હોય, તો તેના અંજવાળે જનાવર આંટા માર્યા રાખે છે, પરંતુ આ અંજવાળું અચાનક અને સતત ફરતું રહે છે, જેના કારણે પશુઓને એવું જ લાગે છે કે ગમે ત્યાં કોઈ માણસ હાજર છે અને તેથી તેઓ ખેતરમાં પ્રવેશ કરતા નથી. હરિભાઈના 28 વીઘા ખેતરમાં આ દીવાદાંડીનો પ્રકાશ 750 ફૂટના ચાંસમાં ફરતો રહે છે. ખેડૂતો માટે લાખો રૂપિયાના પાકનું રક્ષક બની 'દીવાદાંડી' આ નાનકડી અને નજીવા ખર્ચથી બનાવેલી 'દીવાદાંડી' ખેડૂતોના લાખો રૂપિયાના પાકનું વન્ય પ્રાણીઓ અને અન્ય પશુઓથી રક્ષણ કરે છે. ખેડૂતને હવે રાતભર જાગવાની જરૂર પડતી નથી. હરિભાઈ ઠુંમર દ્વારા બનાવેલ આ દીવાદાંડી આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઘણા ખેડૂતો વિનામૂલ્યે આવી જ દીવાદાંડી પોતાના ખેતરમાં લગાવવા માટે હરિભાઈ પાસે આવે છે. આ શોધ એ વાતનો ઉત્તમ દાખલો છે કે ખેડૂત પોતાની કોઠાસૂઝથી કેવી રીતે મોટી સમસ્યાનો આસાન અને સસ્તો ઉકેલ લાવી શકે છે.
વાપીમાં હત્યાના પ્રયાસના આરોપીની જામીન અરજી નામંજૂર:એડિશનલ સેશન્સ જજે જામીન અરજી ફગાવી દીધી
વાપીમાં હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અમરૂદ્દીન હૈસિયતધાર ખાનની રેગ્યુલર જામીન અરજીને એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે જામીન માટે અરજી દાખલ કરી હતી. જોકે, ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા કરાયેલી મજબૂત દલીલોને આધારે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. મામલા મુજબ, આ ઘટના 23 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે લગભગ 7 વાગ્યે બની હતી. વાપી તાલુકાના છીરી મહાદેવનગર વિસ્તારમાં કમાલભાઈના ભંગારના ગોડાઉન સામે ફરિયાદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ત્રણ આરોપીઓ – અમરૂદ્દીન નઈમ ખાન, મહેબુબદીન નઈમ ખાન અને ગુલામ મહેબુબદીન ખાન (તમામ છીરી, વાપીના રહેવાસીઓ) – એ ફરિયાદીની મોટરસાયકલને લાત મારી નીચે પાડી દીધી હતી. આરોપીઓએ ફરિયાદીને ગાળો ભાંડી ઢીકા-મુક્કા, ગડદા-પાટુ તેમજ લોખંડના સળિયા વડે માર માર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના જમણા હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ઉપરાંત, માથા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ તમામ પરિસ્થિતિ અને રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી અમરૂદ્દીનની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે આ કેસમાં કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
બોડેલી હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ સામે ફરિયાદ દાખલ:કોર્ટના આદેશ બાદ પોલીસે એક અજાણ્યા સહિત ગુનો નોંધ્યો
બોડેલી ઢોકળીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બોડેલી પોલીસે ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે. નિતિન શાંતિલાલ ચોકસી નામના અરજદારે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી. અરજદાર નિતિન શાંતિલાલ ચોકસીએ બોડેલી કોર્ટમાં પાંચ ટ્રસ્ટીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ, કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે બોડેલી પોલીસે ગુનો દાખલ કર્યો છે. અરજદારની અરજી મુજબ, બોડેલી ઢોકળીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં હાલ 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા છે. તેમાંથી 13 ટ્રસ્ટીઓ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે, અને એક ટ્રસ્ટીએ ભારતનું નાગરિકત્વ છોડી વિદેશી નાગરિકત્વ મેળવ્યું છે, તેમ છતાં તેમને હજુ પણ ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવાયું છે કે, મૃતક અને ગેરહાજર ટ્રસ્ટીઓની ખોટી સહીઓ કરીને ઠરાવો કરવામાં આવ્યા હતા. ખોટા હિસાબોને મંજૂરી આપી, દાન અને આવકમાં ગેરરીતિ આચરી, હોસ્પિટલ માટે ખરીદવામાં આવતી દવાઓ, મશીનરી અને સ્ટાફના પગારમાં ચેડાં કરવામાં આવ્યા હતા. વધુમાં, ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદેસર વેચાણ અને ભાડાઓ સંબંધિત ઠરાવોમાં પણ ખોટી સહીઓ કરીને મોટા પાયે નાણાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. કંચનભાઈ મણિભાઈ પટેલે ખોટી રીતે ટ્રસ્ટીઓ ઊભા કરી, તેમની સાથે મળીને રજનીકાંત રસિકલાલ ગાંધીને ઉપપ્રમુખ, ઈશ્વરભાઈ મણિભાઈ ઠક્કરને મંત્રી અને બાબુલાલ ચીમનલાલ પટેલ (કંસારા)ને સહમંત્રી જેવા હોદ્દાઓ ગેરકાયદેસર રીતે અપાવ્યા હોવાનો પણ આક્ષેપ છે. અરજદારે 11 જૂન 2025ના રોજ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. ત્યારબાદ નિતિન શાંતિલાલ ચોકસીએ કંચનભાઈ મણિભાઈ પટેલ, રજનીકાંત રસિકલાલ ચોકસી, ઈશ્વરભાઈ મણિલાલ ઠક્કર, બાબુલાલ મણિલાલ પટેલ, શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશ બાદ બોડેલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાટડીના ખારાઘોડા વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ કેસમાં પાટડી પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી હતી. પોલીસે મૃત બાળક અને આરોપીના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યા છે. આ ઘટનામાં સગીરાએ અધૂરા માસે મૃત બાળકને જન્મ આપ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામની 14 વર્ષ, 6 માસ અને 12 દિવસની સગીરાને 5 ડિસેમ્બર, 2025ના રોજ પેટમાં દુખાવો થતાં પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં તેને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ રિફર કરાઈ હતી, જ્યાં તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. પરિવારજનોએ પૂછપરછ કરતાં સગીરાએ જણાવ્યું કે, ગામમાં દુકાન ચલાવતા અજીતે તેને પડીકા લેવા ગઈ ત્યારે હાથ પકડી ઘરમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરાના પિતાએ અજીત ઠાકોર વિરુદ્ધ પાટડી પોલીસ મથકે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી હતી. પીઆઈ બી.સી. છત્રાલિયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ડાંગમાં ખેડૂતોને કૃષિ સાધનોનું વિતરણ:ન્યુ ગુજરાત પેટર્ન અને NFSM હેઠળ દ્વિ-કાર્યક્રમ યોજાયો
ડાંગના આહવા ખાતે સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના અને નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) હેઠળ દ્વિ-કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખેતીવાડી સાધનોની કીટનું વિતરણ કરાયું અને ક્રોપિંગ સિસ્ટમ આધારિત તાલીમ પણ આપવામાં આવી. રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતો સુધી યોજનાઓના લાભ પારદર્શક રીતે પહોંચાડવા પ્રતિબદ્ધ છે, તેમ કાર્યક્રમમાં જણાવાયું. ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ડાંગ જિલ્લામાં આ પેકેજ હેઠળ કુલ ૧૦,૪૭૯ અરજીઓ મળી છે, જેના માટે અંદાજે રૂ. ૩૬.૨૦ કરોડની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય ખેડૂતોને પાક પુનઃસ્થાપન અને આગામી સિઝનમાં વધુ સારા ઉત્પાદન માટે મદદરૂપ થશે. ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિના ખેડૂતોને આધુનિક ખેતી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. દવા છાંટવાના પંપ માટે ૭૫% સહાય હેઠળ ૧૩૩ લાભાર્થીઓને સાધનો અપાયા. પાવરથી ચાલતા અનાજ ઉણપવાના પંખા માટે ૫૦% સહાય મુજબ ૧૨૦ ખેડૂતોને લાભ મળ્યો. ખેતીવાડી સાધનોની કીટ માટે ૯૦% સહાય મેળવતાં ૪૦ ખેડૂતોને લાભ અપાયો. આ તમામ સાધનોનું કુલ મૂલ્ય આશરે રૂ. ૧૨.૫૭ લાખ છે. આ વિતરણથી આદિજાતિ વિસ્તારોમાં કૃષિ વિકાસને નવી દિશા મળશે. કાર્યક્રમ સાથે યોજાયેલા NFSM તાલીમ સત્રમાં રવી પાકો જેવા કે ચણા અને જુવારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન અપાયું. પ્રાકૃતિક ખેતીની ટેકનિક, તૃણધાન્યો અને કઠોળ પાકોમાં ઉત્પાદન વૃદ્ધિ માટે ગ્રુપ વાવેતર પદ્ધતિ, તેમજ બજાર સુધીની વેચાણ વ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી. આ તાલીમથી ખેડૂતોને નવી પદ્ધતિઓ અપનાવી વધુ ઉપજ મેળવવાની પ્રેરણા મળી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ સરકારી યોજનાઓના લાભો અને નવીન ખેતી માર્ગદર્શન અંગે સંતોષ વ્યક્ત કર્યો.
1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 15 વડાપ્રધાન આવ્યા તો પાકિસ્તાનમાં 24 વડાપ્રધાનોએ રાજ કર્યુ. આનો મતલબ એવો થયો કે ભારતમાં સ્થિર રાજકારણ છે. વડાપ્રધાનો લાંબા કાર્યકાળ માટે સત્તામાં રહે છે. જવાહરલાલ નહેરૂ 17 વર્ષ, ઈન્દિરા ગાંધી 11 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા. નરેન્દ્ર મોદી 11 વર્ષથી વડાપ્રધાન છે. પણ પાકિસ્તાનમાં એકપણ વડાપ્રધાન પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. સામે પક્ષે, પાકિસ્તાનમાં અત્યાર સુધી 11 આર્મી ચીફ આવ્યા છે. જેમાંથી ત્રણ જનરલોએ તો (ઝિયા-ઉલ-હક, પરવેઝ મુશર્રફ અને અયૂબ ખાન) 28 વર્ષ સુધી એકહથ્થુ શાસન કર્યું છે. અને હવે? હવે વારો છે 12મા અને ઈતિહાસના સૌથી ખતરનાક સેના પ્રમુખ જે નવા ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બન્યા છે. જી હા, વાત છે અસીમ મુનીરની. મુનીર હવે CDF એટલે ચીફ ઑફ ડિફેન્સ ફોર્સીસ બની ગયા છે. ત્રણેય પાંખના વડા. CDF બન્યા પછી મુનીરે ભારતને ધમકી આપી છે અને તેમને આ ભૂલ ભારે પડવાની છે. કારણ કે ભારત તમામ પ્રકારે ઓપરેશન સિંદૂર-2 માટે સજ્જ છે. મુનીરે કહ્યું, ભારત ભ્રમમાં ન રહે! ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી અને કઠોર હશે. અમે હવે કોઈને એકપણ તક આપીશું નહીં. નમસ્કાર, આજે 8 ડિસેમ્બર 2025ના રોજ રાવલપિંડીના જનરલ હેડ ક્વોર્ટર્સમાં પદગ્રહણ સમારોહ હતો. જ્યાં મુનીરે 6 મહિનામાં સતત ત્રીજી વાર ભારત વિરોધી ઝેર ઓક્યું છે. મુનીરે અયૂબ ખાન કે મુશર્રફની જેમ બંધારણને નજર અંદાજ નથી કર્યું, પણ સંસદ પાસે જ 27મો સુધારો કરાવીને બંધારણને જ 'વર્દી' પહેરાવી દીધી છે. ત્યારબાદ જ તેમણે આ બફાટ કર્યો છે. ઓપરેશન સિંદૂર પછી મુનીરનો સિતારો ચમક્યોમુનીરના શબ્દોને ભારત સામાન્ય ધમકી ગણવાની ભૂલ નહીં કરે, કારણ કે તેનો સીધો સંદર્ભ મે-2025માં થયેલા 'ઓપરેશન સિંદૂર' નો હતો. અને ત્યારથી જ મુનીરનો સિતારો ચમકવા લાગ્યો છે. ઓપરેશન સિંદૂરમાં જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ચોક્કસ ઠેકાણા ઉડાવી દીધા હતા, ત્યારે પાકિસ્તાની સેનાનો રિસ્પોન્સ ધીમો અને વિખરાયેલો હતો. ત્રણેય પાકિસ્તાની સેનામાં પ્રોપર કોમ્યુનિકેશન નહોતું. દુનિયા સામે પાક સેનાનો નમાલો ચહેરો ઉઘાડો પડી ગયો હતો. એવા સમયે હવે સેનાની ઈમેજ સુધારવાની હતી અને બંધારણમાં સુધારો કરીને મુનીરને બેસાડી દીધા સર્વૌચ્ચ પદ પર. મુનીર હવે એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે ભવિષ્યમાં તેઓ ભારતને વિચારવાનો પણ સમય નહીં આપે. અને આ નિવેદન એમનેમ નથી આપ્યું. 6 ડિસેમ્બરે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર ટિકા કરી તેનો આ જવાબ હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં આજે જે થઈ રહ્યું છે તે તેના 80 વર્ષના ઈતિહાસનું પ્રતિબિંબ છે. પાકિસ્તાનમાં કોઈને કોઈ રીતે સેનાનું જ સાશન રહે છે. ક્યારેક સેના દુનિયા સામે આવીને કામ કરે છે તો ક્યારેક પડદા પાછળ જ્યારે જ્યારે ભારતના મોટા નેતા પાકિસ્તાન વિશે કંઈ નિવેદન આપે ત્યારે પાકિસ્તાનના કોઈ નેતા બોલે કે ન બોલે પણ અસીમ મુનીર બોલે જ છે અને એસ જયશંકરના નિવેદન પછી જ તેમનું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનનો અઘોષિત 'બાદશાહ' મુનીરપાક.ના પહેલા ‘હાફિઝ-એ-કુરાન’આર્મી ચીફ ISI અને MIના વડા રહી ચૂક્યાઈમરાન ખાને ISI ચીફના પદેથી હટાવ્યા હતાભારત સામે ઘર્ષણ પછી ફિલ્ડ માર્શલ બન્યાબંધારણમાં સુધારો કરાવીને CDF બની ગયા મુનીર પાકિસ્તાનની ઈલાઈટ PMA લોંગ કોર્સથી નથી આવતા, તેઓ ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ્સમાંથી આવે છે. અત્યારે તે ભલે CDF બન્યા પણ અમુક ઉચ્ચ હોદ્દાના આર્મી જવાનો તેને આર્મી આઉટસાઈડર અને ઉતરતી કક્ષાના જ માને છે. પણ હોય ન હોય આજે પાકિસ્તાનના પરમાણું હથિયારનું બટન તેમના હાથમાં છે. 4 ઓક્ટોબરે પણ મુનીરે ભારતને ધમકી આપી હતીબીજી ઓક્ટોબરે રાજનાથ સિંહ કચ્છ ગયા હતા અને ત્યાંથી પાકિસ્તાનને ધમકી આપી હતી. એ પછીના બે દિવસે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરને પણ સનેપાત ઊપડ્યો હતો અને જેમ ફાવે તેમ બોલ્યા હતા. અસીમ મુનીરે કહ્યું હતું કે જો દુશ્મનીનો નવો દોર શરૂ થશે તો પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં. અમે ખચકાટ વિના કડક જવાબ આપીશું. પાકિસ્તાન હવે લડી લેવાના મૂડમાં છે. હવે વિનાશકારી લડાઈ હશે. અમે ભારતની સીમાની અંદર ઘૂસીને વાર કરીશું. પાક. પરમાણુ ટ્રિગર પર મુનીરની આંગળી ને 5 સ્ટ્રેટેજીCDF મુનીરના હાથમાં આવેલી તાકાતને સમજવી ભારત માટે અત્યંત જરૂરી છે. 27મા બંધારણીય સુધારા પહેલા પાકિસ્તાનમાં આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સત્તાનું થોડું વિકેન્દ્રીકરણ હતું. 'ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી' (CJCSC) માત્ર એક શોભાના ગાંઠિયા સમાન પદ હતું. પણ હવે તેમાં પાવર વધારીને પદને બનાવી દીધું છે CDF. હવે પાકિસ્તાનના જલ, થલ અને નેવીના ચીફ સીધા CDF મુનીરને ને રિપોર્ટ કરશે, અને તેમની વાત માનવા બંધાયેલા રહેશે. જ્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફ તો માત્ર ફાઈલો પર સહી કરવા પૂરતા મર્યાદિત રહેશે.પરમાણુ હથિયારો: આ મામલે સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની કમાન હવે કાયદેસર રીતે અને સીધી રીતે મુનીરના હાથમાં છે. એક હતાશ જનરલ જ્યારે સંપૂર્ણ સત્તા ભોગવે, ત્યારે આ સ્થિતિ દક્ષિણ એશિયા માટે અતિ જોખમી બની શકે છે.મુનીર બે હાથમાં લાડું રાખવા માગે છે : મુનીરને ચીનની પડખે પણ રહેવું છે અને ટ્રમ્પના ખોળામાં પણ બેસવું છે. જેથી બંનેના જોરે ભારતનું નાક દબાવી શકાય. મુનીર ચીન જઈ આવ્યા છે ને અમેરિકામાં ટ્રમ્પનું લંચ કરી આવ્યા છે. જ્યુડિશિયલ ઈમ્યુનિટી: નવા કાયદા મુજબ, CDF દ્વારા લેવાયેલા કોઈપણ નિર્ણયને પાકિસ્તાની કોર્ટમાં પડકારી શકાશે નહીં. મતલબ કે, પાકિસ્તાનમાં હવે 'વર્દી' એ જ કાયદો છે.'હાઈ-ટેક' સપનાં પણ તિજોરી ખાલી : પોતાના સંબોધનમાં મુનીરે AI, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, સાયબર સ્પેસ અને સ્પેસ વોરફેર જેવા ભારેખમ શબ્દોનો પ્રયોગ કર્યો. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન હવે પરંપરાગત યુદ્ધથી આગળ વધીને 'હાઈબ્રિડ વોર' લડશે.ફંડિંગનું ગણિત: મુનીર જે તૈયારીની વાતો કરે છે તેના પર એક મોટો પ્રશ્ન ચિહ્ન લાગે કે આધુનિક યુદ્ધ માટે પૈસા ક્યાંથી આવશે? મુનીરના પાછલા 3 વર્ષના કાર્યકાળ પર નજર કરીએ તો તેમણે સૌથી વધુ મુલાકાત નીચેના 5 દેશોની લીધી છે, જ્યાંથી પાકિસ્તાનને પૈસા રૂપી 'ઓક્સિજન' મળી રહ્યો છે પાકિસ્તાન એક જ કામ કરે છે, ભારતને ભ્રમમાં રાખવુંઅહીં એક મોટી વિડંબના છે. જે દેશમાં સામાન્ય પ્રજા માટે લોટ, વીજળી અને ગેસની અછત છે, જે દેશનું વિદેશી મુદ્રા ભંડાર માત્ર અમુક અઠવાડિયા ચાલે તેટલું જ છે, તે દેશનો સેનાપતિ 'ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ'ની વાતો કરે છે. વાસ્તવમાં, આ નિવેદન બે ઉદ્દેશ્યો પૂરા કરે છે: એક, ભારતને ભ્રમિત કરવું અને બે, પાકિસ્તાનની ભોળી પ્રજાને 'વિકાસ'નું નવું સપનું બતાવવું. ઉદાહરણ તરીકે જમીની સ્તરે પાકિસ્તાનમાં વારંવાર ઈન્ટરનેટ ઠપ્પ થઈ જાય છે. ઈન્ટરનેટ ફાયરવોલ માટે પાકિસ્તાનને ચીનની મદદ લેવી પડે છે, એવામાં ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની વાતો એ થોડી અતિશયોક્તિ કહેવાય. પાકિસ્તાન ક્યાંથી ભીખ માગે છે?ચીન: મિલિટરી હાર્ડવેર (J-10C જેટ્સ, સબમરીન) અને સાયબર ટેકનોલોજી માટે.સાઉદી અરેબિયા: આર્થિક બેલઆઉટ પેકેજ અને તેલ માટે.UAE: લોન રોલઓવર અને રોકાણ માટે.કતાર: LNG (ગેસ) અને તાત્કાલિક ફંડિંગ માટે.તુર્કી: આધુનિક ડ્રોન ટેકનોલોજી (Bayraktar TB2) માટે. હાસ્યાસ્પદ વાત એ છે કે મુનીરનું આખું 'વોર મોડલ' આ પાંચ દેશોની ભીખ અને ઉધારી પર ટકેલું છે. પણ ચાણક્ય નીતિ મુજબ દુશ્મને ક્યારેય ઓછો આંકવાની ભૂલ કરવી ન જોઈએ. 'ઓપરેશન સિંદૂર'નો બોધપાઠ મુનીરના આક્રમક વલણ પાછળનું મુખ્ય કારણ મે-2025નું 'ઓપરેશન સિંદૂર' છે. જ્યારે ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પંજાબ પ્રાંતમાં આતંકી લોન્ચ પેડ્સ પર ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઈક કરી, ત્યારે પાકિસ્તાની એરફોર્સ સમયસર જવાબ આપી શકી નહોતી. આ નિષ્ફળતાને ઢાંકવા માટે મુનીરે સેનાની તમામ તાકાત પોતાના હાથમાં લઈ લીધી છે. આ વિગતે વાત કરતા હોઈએ ત્યારે બંને દેશના મિલિટરી પાવર પર પણ નજર કરવી જરૂરી બની જાય છે. 2025ના ડિફેન્સ ડેટા મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીન આસમાનનો ફરક છે: બંને દેશની સૈન્ય તાકાતમિલિટરી પાવરમાં રેન્કિંગભારત : 4પાકિસ્તાન : 12વાર્ષિક ડિફેન્સ બજેટભારત : 83.6 બિલિયન ડોલરપાકિસ્તાન : 8.5 બિલિયન ડોલરએક્ટિવ આર્મી જવાનોભારત : 14.55 લાખપાકિસ્તાન : 6.54 લાખરિઝર્વ આર્મી જવાનોભારત : 11.55 લાખપાકિસ્તાન : 5.50 લાખપેરામિલિટરી ફોર્સભારત : 25.27 લાખપાકિસ્તાન : 5 લાખટેન્કભારત : 4,201પાકિસ્તાન : 2,627એરક્રાફ્ટભારત : 1,716પાકિસ્તાન : 1,071ફાઈટર જેટભારત : 513પાકિસ્તાન : 328એટેક જેટભારત : 130પાકિસ્તાન : 90હેલિકોપ્ટરભારત : 899પાકિસ્તાન : 373એટેક હેલિકોપ્ટરભારત : 80પાકિસ્તાન : 57ન્યૂક્લિયર વેપનભારત : 172પાકિસ્તાન : 170બખ્તરબંધ ગાડીભારત : 1.48 લાખપાકિસ્તાન : 17 હજારલોન્ચ રોકેટ સિસ્ટમભારત : 264પાકિસ્તાન : 600 વોર શિપભારત : 293પાકિસ્તાન : 121સબમરીનભારત : 18પાકિસ્તાન : 8એરક્રાફ્ટ કેરિયરભારત : 2પાકિસ્તાન : 0પેટ્રોલિંગ વેસલ્સભારત : 135પાકિસ્તાન : 69 મુનીર આક્રામકતાની વાતો કરે છે પણ આંકડાઓ તો કહે છે આ મુનીરની ધમકી કમ સ્ટ્રેટેજીક બ્લફ વધારે લાગી રહ્યો છે. 'બિન લાદેન ઇન સૂટ' અને ટ્રમ્પ કાર્ડપેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને અસીમ મુનીરને સૂટમાં સજ્જ બિન લાદેન કહ્યા હતા; જે મુનીરની માનસિકતા છતી કરે છે. મુનીર ભલે પશ્ચિમી જગતમાં સોફ્ટ ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે, પણ અંદરખાને તેઓ કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. આમ પણ મુનીર 'હાફિઝ-એ-કુરાન' છે. તેમને આખું કુરાન મોઢે છે. આ મુદ્દાનો થોડો પાછળ લઈ જઈએ તો મુનીરે ટ્રમ્પ સાથે ડિલ કરી હતી. ચીન હવે પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિથી કંટાળ્યું છે, તેથી મુનીરે અમેરિકા તરફ નજર દોડાવી હતી. અહેવાલો મુજબ, મુનીરે બલૂચિસ્તાનના દુર્લભ ખનીજોને અમેરિકાને આપવાના બદલામાં આર્થિક અને લશ્કરી મદદની માંગ કરી હતી. અને આને આજની પરિસ્થિતિ સાથે તુલના કરીએ તો CDF તરીકે તેમને બલૂચિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી કરવાની છૂટ છે, જેનો ઉપયોગ તેઓ આ 'ડીલ' પાર પાડવા માટે કરશે એ નક્કી છે. ઘરઆંગણે યુદ્ધ: TTP અને 'ફિતના' મુનીર માટે સૌથી મોટો પડકાર ભારત નહીં, પણ તેમનું પોતાનું સર્જન TTP એટલે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન છે. આ ભાષણમાં મુનીરે TTPને 'ફિતના અલ-ખવારિજ' એટલે કે ઇસ્લામથી ભટકેલા ઉપદ્રવીઓ નામ આપીને અફઘાનિસ્તાનને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે. મુનીરે કહ્યું કે, અફઘાન સરકાર પાસે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને પાકિસ્તાનમાંથી કોઈ એકને પસંદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી . બીટવીન ધ લાઈન્સ અહીં એવું સમજી શકાય કે પાકિસ્તાન હવે પશ્ચિમી સરહદે એટલે કે અફઘાનિસ્તાનમાં પણ યુદ્ધ જેવી આક્રામક સ્થિતિમાં છે. એક જનરલ તરીકે મુનીર એકસાથે બે મોરચે લડવાની ક્ષમતા ધરાવતા નથી, છતાં સત્તા ટકાવી રાખવા તેઓ આ જોખમ ઉઠાવી રહ્યા છે. ભારતનું વલણ: સ્ટ્રેટેજીક સાયલન્સમુનીરના આટલા આક્રમક નિવેદન છતાં નવી દિલ્હીએ કોઈ સત્તાવાર અને ઉગ્ર પ્રતિક્રિયા આપી નથી. ભારતની આ રણનીતિને સ્ટ્રેટેજીક સાયલન્સ એન્ડ ઓપરેશનલ રેડીનેસ કહી શકાય. ભારત જાણે છે કે મુનીરના આ નિવેદનો અડધા તેમના ઘરેલુ પ્રેક્ષકો માટે છે અને અડધા ઇમરાન ખાનના સમર્થકોને ડરાવવા માટે છે. ભારતનું ફોકસ મુનીરના શબ્દો પર નહીં, પણ સરહદ પરની તેમની હરકતો પર વધારે છે. અને છેલ્લે…. 14 ફેબ્રુઆરી, 2019એ પુલવામામાં આર્મીની બસ પર એટેક થયો ને 40 જવાન શહીદ થઈ ગયા. એ વખતે મુનીર ISI ચીફ હતા. 22 એપ્રિલ 2025એ પહેલગામની બૈસરન વેલીમાં હુમલો થયો ત્યારે મુનીર આર્મી ચીફ હતા. અને 10 નવેમ્બર 2025એ પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહમાં અસીમ મુનીરને સર્વ સત્તાધીશ બનાવવા વોટિંગ થયું. મત મુનીરની તરફેણમાં પડ્યા. સાંસદોએ મુનીરનું અભિવાદન કરવા તાળીઓ પાડી ને એ જ સમયે ભારતના દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો… હવે CDF તરીકે મુનીરે ભારત સામે લાલ આંખ કરી છે પણ પાકિસ્તાનનો આ પડકાર તેને જ ભારે પડવાનો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટનાના એક કલાક સુધી પોલીસ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે આવતીકાલે આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી દંપતી દવાખાને જઈ રહ્યું હતું.
લગ્નજીવનના ઝઘડામાં પત્નીને હેરાન કરવા માટે એક પતિએ પોલીસને દોડતી કરી દેતો ગંભીર ગુનો આચર્યો હોવાનો બનાવ જૂનાગઢમાં સામે આવ્યો છે. જેમાં પત્નીની હેરાન કરવાના બહાને મુંબઈથી કોલ કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે.ગત 4 ડિસેમ્બરના બપોરે 12:00 વાગ્યાની આસપાસ જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં મુંબઈથી એક કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું હતું કે, જૂનાગઢ-રાજકોટ હાઇવે પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક શિક્ષક તેની સાથે સંવેદનશીલ પદાર્થ લાવેલ છે, અને જો 2:00 વાગ્યા સુધીમાં સ્કૂલના બાળકોને બચાવી નહીં લેવામાં આવે તો ગંભીર જાનહાનિ થશે. આ કોલથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. સંવેદનશીલ માહિતી પર પોલીસ તંત્ર દોડતું થયું આ કોલની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ જિલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાની સૂચનાથી તુરંત જ પોલીસ તંત્ર સક્રિય થઈ ગયું હતું. LCB, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્કૉડ અને ડોગ સ્કૉડની અલગ અલગ ટીમો તાત્કાલિક પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રવાના કરવામાં આવી હતી. સ્કૂલ ખાતે પહોંચીને તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા. પોદાર સ્કૂલના તમામ બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા બાદ સ્કૂલનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની સઘન તપાસ છતાં સ્કૂલના પરિસરમાંથી કોઈપણ પ્રકારની નુકસાનકારક કે સંવેદનશીલ વસ્તુઓ મળી આવી નહોતી, જેનાથી સ્પષ્ટ થયું કે આ કોલ ફેક હતો. પત્નીને હેરાન કરવા પતિએ રચ્યું કાવતરું, મુંબઈથી ઝડપાયો ચેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસે કોલમાં જે શિક્ષિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમને મળીને પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ ફેક કોલ શિક્ષિકાના પતિ રાજુ હેમારામ જાંગીડે જ કર્યો હતો. પત્નીના નિવેદનના આધારે પોલીસે તુરંત જ શિક્ષિકાના પતિ રાજુ જાંગીડ વિરુદ્ધ BNSની કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા અને કોલ કરનાર આરોપી પતિ રાજુ જાંગીડને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. લગ્નજીવનના ઝઘડાને કારણે ગુનો કબૂલ્યો પકડાયેલા આરોપી રાજુ જાંગીડની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. આરોપી રાજુએ કબૂલ્યું કે તેની પત્ની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમના લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ અને ઝઘડાઓ ચાલતા હતા. રાજુ તેની પત્નીથી દૂર મહારાષ્ટ્ર ખાતે રહેતો હતો. આરોપીનો ઇરાદો એવો હતો કે જો તે આવા ફેક કોલ કરે તો તેની પત્નીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે. પત્ની નોકરી ગુમાવે તો આર્થિક રીતે નબળી પડીને ફરજિયાતપણે ફરીથી રાજુ સાથે રહેવા માટે તૈયાર થઈ જાય, આ બદઇરાદાથી તેણે આ કૃત્ય કર્યાનું કબૂલ્યું હતું. હાલમાં પોલીસે રાજુ જાંગીડના રિમાન્ડ મેળવીને આ ગુના પાછળના અન્ય હેતુઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લા પોલીસે પ્રોહીબિશનના કડક અમલના ભાગરૂપે પકડેલા ₹૪.૧૭ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ૯ ડિસેમ્બરે જાહેરમાં નાશ કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. આ દારૂનો જથ્થો જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયેલા કુલ ૨૭૩ ગુનાઓમાં કબજે કરવામાં આવ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા તત્વો સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પોલીસે જાહેર જનતાને પણ આવી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવા અપીલ કરી છે. આ કાર્યવાહીમાં જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
શહેરમાં થોડાં દિવસ પહેલા જાહેરમાં રૈયારોડ પર એકાઉન્ટન્ટ યુવતીને જાહેરમાં બેફામ ફટકારી બંને પગ ભાંગી નાંખનાર શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. રૈયા રોડ પર રહેતા હિરેન ધોળકિયા નામના શખ્સે એકાઉન્ટન્ટ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિરેન પોતે પરિણીત હોવાનું સામે આવતા યુવતીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે જેલ હવાલે થયેલા આરોપીનો કબજો મેળવ્યો છે. બનાવ અંગે 150 ફૂટ રીંગ રોડ નજીક રહેતી 25 વર્ષીય યુવતીએ ફરિયાદમાં રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક રહેતા હિરેન ઉર્ફે કાના રાજા ધોળકિયાનું નામ આપતાં યુનિવર્સીટી પોલીસની ટીમે બેએનએસની કલમ 69 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પિતાનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું છે. તેણી હાલ તેની માતા અને ભાઈ સાથે રહે છે અને પોતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઈ તા. 31/07/2024 ના રોજ તેમની માતાનું એક્સિડન્ટ થયેલ હોય જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતા ત્યારે તેમના ભાઈ સાથે આવેલ હિરેન ધોળકિયા સાથે પરિચય થયેલ હતો.જે બાદ એક અઠવાડિયા સુધી હિરેન માતા પાસે હોસ્પિટલ ખાતે આવતો હોય તેની સાથે મોબાઈલ ફોનમાં વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંને અવાર નવાર અલગ અલગ જગ્યાએ મળતા અને વાતચીત કરતા હતા. આ દરમિયાન હિરેન ઉર્ફે કાના રાજા ધોળકિયાએ જણાવેલ કે, હું તારી સાથે લગ્ન કરીશ, હું કુંવારો છું, તેવી વાતચીત કરી લગ્નનું વચન આપી અવાર નવાર કેકેવી હોલ પાસે આવેલ સાગર હોટલમાં તેમજ જામનગર રોડ ઉપર આવેલ પ્રયાગરાજ રિસોર્ટ ખાતે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.બાદમાં તેણીને જાણવા મળ્યું હતું કે, હિરેન ભરવાડ જ્ઞાતિના હોય જેના લગ્ન તથા સગાઈ નાનપણથી જ થઈ જતાં હોય અને હિરેનના પણ લગ્ન થઈ ગયા છે. જે વાત તેણીથી છુપાવી અંધારામાં રાખી શરીર સંબંધ બાંધનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુનિવર્સીટી પોલીસે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ બીએનએસની કલમ 69 હેઠળ ગુનો નોંધ્યો હતો. જો કે, આ મામલે વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, અગાઉ આરોપીએ યુવતી પાસેથી લાખો રૂપિયા પણ પડાવ્યાં હતા અને થોડાં દિવસ પહેલાં યુવતીને રૈયા રોડ પર જાહેરમાં બેફામ મારમારી બંને પગ ભાંગી નાંખ્યા હતા. જે બનાવ મામલે પણ ગુનો નોંધાયો હતો અને હાલ આરોપી જેલ હવાલે હોવાથી તેનો કબ્જો મેળવવા પોલીસે તજવીજ આદરી છે.
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં થયેલા કમૌસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી ખેતમજૂરી કરતા ભાગીયા મજૂરોને પણ વળતર મળે, તે અંગે રાજકોટમાં રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી પરિવાર મજૂર સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં મજૂરો બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ કરી હતી. આ અંગે આદિવાસી પરિવાર મજૂર સંઘના હોદ્દેદાર ઉત્તમ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા સમાજના લોકો જે મજૂરી કામે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાંથી અહીં આવતા હોય છે. હાલમાં જે કમૌસમી વરસાદ પડ્યો અને ખેડૂતોને નુકસાની થઈ, એ નુકસાનીની અંદર સરકારે જે વળતર ખેડૂતોને આપ્યું છે, તેની અંદર ભાગીયા તરીકે અમારા સમાજના ભાઈઓ ખેતમજૂરીનું કામ કરતા હોય, તેમને તેમનો ભાગ મળ્યો નથી. સરકારે જે કોઈ ખાતેદાર હોય એને આપ્યું છે, પણ અમારા ભાઈઓને તેનો ભાગ મળ્યો નથી. તો ખરેખર મહેનત તો આ લોકો કરે છે, તો હકદાર તો આ લોકો પણ છે. એટલે જે કોઈ જિલ્લાઓમાં અમારા ભાઈઓ જે મજૂરી કામ કરે છે, તેમને આ વળતર આપવા માટે કલેક્ટરને રજુઆત કરી છે. આદિવાસી પરિવાર મજૂર સંઘના અન્ય એક પ્રતિનિધિ દિનેશ મીનામાએ જણાવ્યું હતું કે, અહીં આદિવાસી જે મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના લોકો આવે છે, તો અહીં તેમને ભાગીયા તરીકે હજી સુધી વળતર મળતું નથી. રાજ્યમાં આશરે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા અપાયું છે. ખેડૂતોનાં જે ભાગીયા છે, સૌથી વધારે મહેનત કરે છે, અન્નદાતા કહેવાય છે. અનાજ ઉગાડે છે, બધું કરીને તેમને આપી દે છે, પરંતુ તેમને આજ સુધી વળતર મળ્યું નથી. તેમજ શૌચાલય અને શિક્ષણ સહિત અનેક મુદ્દાઓ છે, જેને લઈને રજુઆત કરી છે. જો અહીં અમારી વાત નહીં સાંભળવામાં આવે, તો અમે અહીંથી પગપાળા ગાંધીનગર જઈશું. જો ત્યાં પણ અમારી માંગણીઓ નહીં સાંભળવામાં આવે, તો અમે આમરણ ઉપવાસ પર બેસીશું.
ડાંગમાં ₹3.05 કરોડના ખર્ચે 3 માર્ગોનું ખાતમુહૂર્ત:બિલમાળ, આહવા, ધવલીદોડ ગામોને મળશે નવી કનેક્ટિવિટી
ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સંચાર સુવિધાઓ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. બિલમાળ, આહવા અને ધવલીદોડ ગામોને જોડતા કુલ ₹3.05 કરોડના ખર્ચે ત્રણ ગ્રામ્ય માર્ગોના નિર્માણનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડાંગ જેવા પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક માર્ગોનું નિર્માણ અને નવીનીકરણ હાથ ધરાયું છે, અને બાકી રહેલા માર્ગોને પણ અગ્રતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. આ માર્ગો સ્થાનિક લોકો માટે રોજિંદા વાહનવ્યવહાર, આરોગ્ય, શિક્ષણ અને જીવન જરૂરી સેવાઓ સુધી સરળ પહોંચ માટે અત્યંત મહત્વના છે. સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી માંગણીઓ અને સરકારને કરાયેલી રજૂઆતોના આધારે આ લોકઉપયોગી રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. નવા રસ્તાઓ ઉચ્ચ ગુણવત્તાવાળા, મજબૂત અને સુરક્ષિત બને તે માટે ઇજારદારો તથા સ્થાનિક આગેવાનોને કામગીરીની દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક ખાતમુહૂર્ત કરાયેલા ત્રણ માર્ગોની વિગતો નીચે મુજબ છે: બિલમાળ–ખોખરચોંડ ફળીયા રોડ: ₹148 લાખ આહવા કોલોની રોડ: ₹120 લાખ ધવલીદોડ ભગતફળીયા રોડ: ₹37 લાખ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના સભ્યો, આહવા તાલુકા પંચાયત પ્રતિનિધિઓ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી, વિભાગીય અધિકારીઓ તથા અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડાંગ જિલ્લાના વિકાસની દિશામાં સરકારના સક્રિય અભિગમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ડાંગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કુલ 311 ગામોમાં આશરે ₹700 કરોડથી વધુના માર્ગો મંજૂર થયા છે. આ ઉપરાંત, પાણીની સમસ્યાના નિરાકરણ માટે 271 ગામોને આવરી લેતી ₹866 કરોડની તાપી આધારિત યોજના તથા ઘોઘલી ઘાટ માર્ગ પર ૫ ડેમો મંજૂર થવાથી જિલ્લાનો સર્વાંગી વિકાસ વધુ ઝડપે આગળ વધશે. નવા માર્ગો બનવાથી મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સમય બચાવનાર માર્ગ વ્યવહાર મળશે. આનાથી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે.
પાટણ નગરપાલિકાની GJ 24 GA 0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી પાંચ દિવસથી ગુમ હોવાનો મામલો સામે આવ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આ સરકારી વાહનનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, અધિકારીઓ ગાડી સર્વિસમાં હોવાનું જણાવી રહ્યા હતા. બીજી તરફ આ મામલે દિવ્ય ભાસ્કરે વાહન શાખાના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ અધિકારી હાલ કઈ કહેવા તૈયાર નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, નગરપાલિકાની ગાડીનો વર્ધીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે તપાસ કરતા વાહન શાખાના સુપરવાઇઝરે લોગબુક બતાવવાનો ઇનકાર કર્યો હતો. ગાડી વિશે પૂછપરછ કરતા, સુપરવાઇઝરે પહેલા પાટણના મહેન્દ્રા શોરૂમમાં અને પછી મહેસાણાના મહેન્દ્રા શોરૂમમાં ગાડી સર્વિસમાં મૂકેલી હોવાનું જણાવ્યું હતું. જોકે, બંને સ્થળે ગાડી ન હોવાનું સ્પષ્ટ થતાં, વાહન શાખાના અધિકારી પાલભાઈને બોલાવવામાં આવ્યા હતા. પાલભાઈએ પણ લોગબુક બતાવવાનો ઇનકાર કર્યો અને લેખિતમાં માંગણી કરવા જણાવ્યું. તેમણે ગાડીની લોગબુક ત્યાં ન હોવા અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. વધુ તપાસમાં સામે આવ્યું કે, કર્મચારી પાર્થભાઈએ ગાડી 04/12/2025ના રોજ સર્વિસમાં મૂકી હોવાનું જણાવ્યું હતું. પરંતુ મહેન્દ્રા શોરૂમના કર્મચારીના જણાવ્યા મુજબ, ગાડી 04/12/2025ના રોજ શોરૂમ ખાતે આવી હતી, પણ 05/12/2025ના રોજ સવારે પરત લઈ જવામાં આવી હતી. ગાડી સર્વિસમાં મૂકવામાં ન આવી હોવાથી જોબકાર્ડ પણ બન્યું ન હતું. આ હકીકત સૂચવે છે કે 05/12/2025 થી 09/12/2025 સુધી ગાડી પાલિકા ખાતે આવેલ ન હતી. આ સમયગાળા દરમિયાન ગાડીના દુરુપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અંતે, 09/12/2025ના રોજ રાત્રે આશરે 3 વાગ્યે આ બોલેરો કેમ્પર ગાડી મહિન્દ્રા શોરૂમના ગેટ પાસે મૂકવામાં આવી હતી. આ ગાડીને શોરૂમ સુધી મૂકવા માટે ચીફ ઓફિસરની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શોરૂમ બંધ હોવાથી ગેટમેનને ચાવી આપીને કર્મચારીઓ ચીફ ઓફિસરની ગાડીમાં પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે 8:30 કલાકે કથ્થઈ કલરનું કેમ્પર લઈને ત્રણ કર્મચારીઓ શોરૂમ પર પહોંચ્યા હતા અને રાત્રે મૂકેલી ગાડી પાછી લઈ આવ્યા હતા. 09/12/2025ના રોજ સવારે 11 વાગ્યા સુધી પણ ગાડી નગરપાલિકા ખાતે જોવા મળી ન હતી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે જનતાના ટેક્સના પૈસાથી ચાલતી સરકારી ગાડીનો દુરુપયોગ કરવા બદલ અને ડીઝલનો વ્યય કરવા બદલ જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરી પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. આ મામલે વાહન શાખાના અધિકારીઓ હાલમાં કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી–2024 હેઠળ મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ન થયેલા ઉમેદવારો તથા 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો હવે ફરીથી શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો માટે આ ઓનલાઇન શાળા પસંદગીની પ્રક્રિયા 10થી 12 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પસંદગી સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર ઉમેદવારો વેબસાઈટ gserc.in પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાંથી અમર્યાદિત સંખ્યામાં શાળાની પસંદગી આપી શકશે. સપ્ટેમ્બરમાં વેઇટિંગ લિસ્ટ વેબસાઈટ પર મુકવામાં આવ્યું હતુંસમિતિએ વધુમાં જણાવ્યું કે, PMl-2માં સમાવિષ્ટ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અગાઉની ઓનલાઇન પસંદગી બાદ 27 જૂન, 2025ના રોજ મેરિટ-કમ-પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલી રહેલી જગ્યાઓ માટે 23 સપ્ટેમ્બર, 2025ના રોજ વેઇટિંગ લિસ્ટ વેબસાઈટ પર મુકવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં દાખલ SCA No.13456/2025ના સંદર્ભે 13 નવેમ્બર, 2025ની સમિતિની બેઠકમાં મર્યાદિત પસંદગીના કારણે શાળા મેળવી ન શકેલા ઉમેદવારોને ફરી તક આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ અનુસંધાને List-A વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે.
સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ છે. જ્યારે પિતાનો વિરોધ હોય દંપતી વચ્ચે વિવાદ સર્જાયો છે. માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી અલગ રહેવા લાગી છે અને 7 વર્ષીય દીકરીને આગામી 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામુહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે. જે રોકવા માટે પિતાએ સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કોર્ટે આ મામલે 22મી ડીસેમ્બરે વધુ સુનાવણી રાખી છે. નોંધનીય છે કે, 7 મહિના પહેલા આ પ્રકારનો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. જેમાં 12 વર્ષીય કિશોરની દીક્ષાને લઈ દંપતી વચ્ચે વિવાદ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દીકરીની દીક્ષા રોકવા માટે પિતાની ફેમિલી કોર્ટમાં અરજીદીકરીની દીક્ષા રોકવા માટે ફેમિલી કોર્ટમાં પહોંચેલા પિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મને પરિચિત લોકોએ જણાવ્યું કે તમારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે ત્યારે મને આ વાતની ખબર પડી. પરિવારની સંમતિથી મેં કેસ દાખલ કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે પહેલા પત્ની સાથે વિચાર-વિમર્શ કર્યો હતો કે, જ્યારે દીકરી મોટી થઈ જશે ત્યારે દીક્ષા લેશે તો કોઈ સમસ્યા નથી, પરંતુ નાની છે. જોકે, તેમની પત્ની નાની ઉંમરે દીક્ષા લેવા માટે જીદ કરતી હતી અને ઝઘડો કરીને પિયર ચાલી ગઈ હતી. પિતાએ આક્ષેપ કર્યો કે પત્નીએ કહ્યું હતું કે, જ્યાં સુધી તમે દીક્ષા માટે તૈયાર નહીં થાવ ત્યાં સુધી હું ઘરે નહીં આવું. આ કારણોસર તેમણે ન્યાય માટે કોર્ટનો સહારો લીધો છે. આ મામલે કોર્ટમાં 22મી ડીસેમ્બરે વધુ સુનાવણી યોજાશેપિતા વતી કેસ લડી રહેલા વકીલ સ્વાતિ મહેતાએ માહિતી આપી હતી કે, મુંબઈ ખાતે દીક્ષાનો કાર્યક્રમ છે જે અંગે અમારા અસીલને ખબર પડી અને તેઓ અમારી સંપર્કમાં આવ્યા. વકીલે જણાવ્યું કે તેમની તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેના પગલે કોર્ટ કાલે નોટિસ કાઢશે અને ફરિયાદીની પત્નીને 22 તારીખે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નાની ઉંમરની દીક્ષા પર મનાઈ હુકમની માગણીવકીલ સ્વાતિ મહેતાએ કોર્ટમાં રજૂ કરવામાં આવનારી તેમની મુખ્ય દલીલો વિશે જણાવ્યું હતું કે, નાની ઉંમરની બાળકીના દીક્ષા ન થાય તે માટે અમે દલીલો કરીશું અને મનાઈ હુકમ મળે તે માટે તજવીશ કરશું. વકીલનું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના અધિકારો પર કેન્દ્રિત છે, કારણ કે આટલી નાની ઉંમરે સંયમ માર્ગ પર જવાનો નિર્ણય બાળકી જાતે લઈ શકે તેમ નથી. કાયદાકીય માળખામાં બાળકના હિતનું રક્ષણ થાય તે માટે કોર્ટ સમક્ષ પ્રયત્ન કરવામાં આવશે. 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં સામુહિક દીક્ષા મહોત્સવનું આયોજનમહારાષ્ટ્રમાં આ પ્રથમ વખત છે જ્યારે 59 મુમુક્ષુઓ એકસાથે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. આ પાંચ દિવસીય મહોત્સવ ચોથી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના બોરીવલી ખાતે આચાર્ય સૌમસુંદર સૂરીશ્વરજી સહિત અનેક મહારાજ સાહેબના સાંનિધ્યમાં યોજાશે. આ 59 મુમુક્ષુઓમાં 18 પુરુષો અને 41 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં 71 વર્ષના સૌથી વરિષ્ઠ મુમુક્ષુથી લઈને સુરતની આ સાત વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ છે. હવે કોર્ટના નિર્ણય પર સૌની નજર ટકેલી છે કે શું આ બાળકી દીક્ષા ગ્રહણ કરી શકશે કે પછી પિતાની અરજી સ્વીકારાશે. 7 મહિના પહેલા 12 વર્ષીય કિશોરની દીક્ષા પર સુરત કોર્ટે સ્ટે આપ્યો હતો સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવ્યો છે. 12 વર્ષનો બાળક દીક્ષા લેવાનો હતો, તે પહેલા જ તેના પિતા દ્વારા કોર્ટમાં દીક્ષા ન થાય તે માટે અરજી કરી હતી. બાળકના માતા-પિતા છેલ્લા ઘણા વર્ષોથી અલગ રહેતા હતા અને બાળક માતા સાથે રહેતો હતો. માતા અને તેના પિયર પક્ષના લોકો દ્વારા બાળકના દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા સુરત ફેમિલી કોર્ટ દ્વારા દીક્ષા પર સ્ટે લગાવી કસ્ટડી માતા પાસે જ રાખવાનો નિર્ણય કરાયો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આઠેક વર્ષ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ અને ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. જે કેસ કલોલ સ્પેશિયલ કોર્ટે માં ચાલી જતા પાંચમાં સેશન્સ જજ બી.આર.રાજપૂતે મુખ્ય ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા તેમજ પીડિતાને પાંચ લાખનું વળતર ચૂકવવાનો ઐતિહાસિક હુકમ ફરમાવ્યો છે. અંધારાનો લાભ ઉઠાવી વિપુલે સગીરા પર દુષ્કર્મ આચર્યુંકલોલના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને સ્કૂલ અભ્યાસ દરમિયાન મૂળ કરશન પુરા ગામના વતની અને શેરીસામાં રહેતા વિપુલ સેંધાજી ઠાકોર સાથે ગાઢ સંબંધો હતો. આથી અગાઉથી નક્કી થયા મુજબ વિપુલ તા.11 જુલાઈ 2018ના રોજ સગીરાને બાઈક ઉપર બેસાડી સઈજ ગામે તેના મિત્ર રમેશજી ઠાકોર ખેતરમાં લઈ ગયો હતો. જોકે એ વખતે રમેશ ત્યાં હાજર ન હતો. આથી બંને જણા ખેતરમાં તેની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અંધારાનો લાભ ઉઠાવી વિપુલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કણસતી હાલતમાં એકલી પડી ગયેલી સગીરા રડવા માંડી હતીઆ ઘટનાથી ગભરાઈ ગયેલી સગીરા રડવા લાગતા વિપુલે ધાક ધમકીઓ આપી સગીરાને ચૂપ કરાવી દીધી હતી. બાદમાં સગીરાને શેરીસા મોટી કેનાલ ઉતારીને વિપુલ મોટી ભોયણ જવાનું કહીને રવાના થઈ ગયો હતો. એ વખતે વિપુલે સગીરાનો મોબાઇલ અને દુપટ્ટો પણ લઈ લીધો હતો. આથી સુમસાન વિસ્તારમાં કણસતી હાલતમાં એકલી પડી ગયેલી સગીરા રડવા માંડી હતી. એ સમયે એક ફોરવ્હીલ કારને હાથથી ઈશારો કરીને સગીરાએ ઉભી રખાવી હતી. કારમાં સવાર કાકાને પોતાની કહાની વર્ણવી રહી હતી. એ દરમિયાન બે બાઇક ઉપર કુલ પાંચ ઇસમો ત્યાં પહોંચ્યા હતા અને કાર માં સવાર કાકાને જવાનું કહી સગીરાને દવાખાને લઈ જવાની વાત કરી હતી. પાંચ બાઈક સવારો સગીરાને એક નાળિયામાં લઈ ગયા જેથી કાર લઈને કાકા ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પાંચેય જણા સગીરાને બાઈક ઉપર બેસાડી એક નાળિયામાં લઈ ગયા હતા. જ્યાં શેરીસા ગામના અરવિંદ મેલાજી ઠાકોર(ઉં 24), બળદેવ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો રમણજી ઠાકોર(ઉં 24) તેમજ એક બાળ આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ જોઈ સાથેના અન્ય બે યુવકોએ વિરોધ કરી કહેલું કે, આવું કરાય નહીં આ આપણી બહેન કહેવાય. જેથી ત્રણેય ઈસમોએ એ બંને જણાંને ગાળો બોલીને ભગાડી મૂક્યા હતા. બાદમાં સગીરાના વારાફરતી હાથ પકડી રાખી અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોરે ફિલ્મી સ્ટાઇલમાં દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સાથેના બાળ આરોપીએ મદદગારી કરી હતી. આ દરમિયાન સગીરાનો ડ્રેસ પણ ફાટી ગયો હતો. એ સમયે એક મોટી ગાડીની લાઇટ પડતા ત્રણેય ઇસમો ત્યાંથી ભાગી ગયા હતા. સગીરા ગેંગરેપના કારણે બેભાન થઈ અને ભાન આવતા મંદિરે પહોંચીએ વખતે ધોધમાર વરસાદમાં વરસી રહ્યો હતો અને સગીરા ગેંગરેપના લીધે બેભાન થઈ ગઈ હતી. થોડીવાર પછી ભાન આવતા સગીરા કણસતી કણસતી નજીકના એક મંદિરે પહોંચી હતી. જ્યાં જઈને તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે સગીરા સિવિલ હોસ્પિટલમાં હતી. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં વિપુલ સેંધાજી ઠાકોર, અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોર અને બાળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપડક કરી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. કોર્ટે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારીજે કેસ કલોલ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગ્નેશ જોશીએ આ હેવાનિયત ભર્યા કૃત્ય બદલ સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરવાની કોર્ટમાં દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કલોલ કોર્ટના પાંચમાં સેશન્સ જજ બી. આર. રાજપૂતે વિપુલ ઠાકોર, અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોર છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે પીડિત સગીરાને 5 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ ઠાકોર અને બળદેવ ઉર્ફે પપ્પુ ઠાકોર પેરોલ જંપ કરીને નાસતા ફરી રહ્યા છે. જ્યારે બાળ આરોપીને જુવેનાઈલ કોર્ટે જેતે સમયે ગુનાને અનુરૂપ સજા કરી હતી.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં મુકાયેલ કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અંતર્ગત લક્ષ્યાંકની મર્યાદામાં સામાન્ય તેમજ અનુસૂચિત જનજાતિના ખેડુતોને સહાયકીય લાભ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ મિની ટ્રેક્ટર (20 PTO HP સુધી), મિની રોટાવેટર, મિની કલ્ટીવેટર, મિની ટ્રેલર તથા પાણીનું મિની ટેન્કર જેવા સાધનોની ખરીદી માટે સહાય મેળવી શકાય છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડુતો માટે નવીન આઈ-ખેડુત પોર્ટલ 2.0 ખુલ્લું મુકવામાં આવ્યું છે. અરજદારે પહેલાં પોતાની ખેડૂત નોંધણી કરાવી બાદ જ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. અરજદાર દ્વારા કરાતી અરજીમાં જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવી રહેશે અને અરજીની પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. યોજનાની મંજુરી પ્રાપ્ત થયા પછી ક્લેમ પ્રક્રિયા માટે અરજીની પ્રિન્ટ પર અરજદારની સહી અથવા અંગુઠાનો નિશાન સાથે તમામ જરૂરી સાધનિક કાગળો જોડીને નાયબ બાગાયત નિયામક કચેરી, વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, કોઠી કંપાઉન્ડના સરનામે આપવાના રહેશે. કચેરીનો સંપર્ક નંબર 265–2429153 છે. હાલમાં આ વેબપોર્ટલ પર ઉપરોક્ત ઘટકો માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા તા. 1 ડિસેમ્બર 2025 થી તા. 10 ડિસેમ્બર 2025 સુધી, કુલ દસ દિવસ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. લાભ લેવા માંગતા ખેડુતભાઇઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી ઘટક મુજબ ઓનલાઈન અરજી કરી સહાયનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદનકુમાર પ્રભાકર પાંડેને ભરૂચ SOGએ દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. ભરૂચ SOGની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા સક્રિય છે. આ અંતર્ગત, પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયાએ ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર સૂત્રો દ્વારા માહિતી એકત્રિત કરવા સૂચના આપી હતી. 13 નવેમ્બરના રોજ SOG ટીમે અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી 'રોયલ એકેડેમી કમ્પ્યુટર ક્લાસીસ' પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી ધોરણ 10, 12 અને ITIના નકલી સર્ટિફિકેટ બનાવવાનો ગેરકાયદેસર ધંધો ચલાવતા જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી મોબાઇલ ફોન, કમ્પ્યુટર સેટ, કલર પ્રિન્ટર અને 21 નકલી પ્રમાણપત્રો સહિત કુલ 45,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારની ટેકનિકલ તપાસ કરતાં તેનો મોબાઇલ નંબર બંધ આવ્યો હતો. જોકે, માનવ અને ટેકનિકલ ઇનપુટના આધારે SOG ટીમને માહિતી મળી કે આરોપી દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ઝૂંપડીમાં છુપાયો છે. આ માહિતીના આધારે SOG ટીમ દિલ્હી પહોંચી અને ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપી પાડ્યો. આરોપીની ઝૂંપડીની તલાશી લેતા 42 નકલી સર્ટિફિકેટ, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો નકલી સ્ટેમ્પ, એક મોબાઇલ ફોન અને એક લેપટોપ મળી આવ્યા હતા. કુલ 20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવવામાં આવ્યો છે અને આ સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા નજીક આવેલ દાદા ભગવાન મંદિર કેલનપુર ખાતે શાશ્વત હિન્દુ જાગૃતિ ગુજરાત પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સાંખાણી ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ.પૂ. સૂર્યસાગરજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહેશે. મહાનુભાવોને સમારોહમાં સન્માનિત કરાશેશાશ્વત હિન્દુ જાગૃતિ દ્વારા સમાજ સેવા, રાષ્ટ્રઘડતર તથા સાંસ્કૃતિક જાગૃતિના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને આ સમારોહ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ સમારોહ સમાજમાં સકારાત્મક ચેતના ફેલાવવા તથા રાષ્ટ્રીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વિધર્મીઓએ આપણને ક્યારે એક નથી સમજ્યાઆ કાર્યક્રમ અંગે રાષ્ટ્રીય સંયોજક રાજીવ લોચન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શાશ્વત હિન્દુ જાગૃતિ કાર્યક્રમ દેશભરમાં ભુલાઈ ગયેલા સનાતન હિન્દુ યોદ્ધાઓને જોડાવા, સૂઈ ગયેલા હિન્દુઓને જગાડવા અને જાગેલા હિન્દુને બતાવવા માટે કે તમારે શું કરવું જોઈએ. આખી દુનિયાએ આપણને ષડયંત્ર રચી તોડવાનો પ્રયાસ કર્યો છે. વિધર્મીઓએ આપણને ક્યારે એક નથી સમજ્યા અને તેઓએ એક શક્તિ માની કે તેઓ હિન્દુ છે. અમે સુષુપ્ત હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કર્યોવધુમાં કહ્યું કે, આપણે જ ભૂલી ગયા છીએ કે આપણે હિન્દુ એક છીએ. અમે સુષુપ્ત હિન્દુઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે કે આપણે પ્રબળ છીએ અને એક સાથે આવનાર સમયમાં એક નહીં રહીએ તો અમારા માટે ભવિષ્ય કઠિન રહેશે. આ કાર્યક્રમમાં અલગ અલગ વિધાઓ અંતર્ગત સન્માનિત કરવામાં આવશે. દેશના સમાજ અને સરકાર ભૂલી ગઈવધુમાં કહ્યું કે, દેશભરના એવા લોકોને સન્માનિત કરીશું કે જેઓ કર્યા ખૂબ સારું કરે છે, પરંતુ સમાજમાં કોઈ પહેચાન નથી. તો અમારા ધર્મમાં એવા લોકોએ આગળ આવવું જોઈએ કે ખ્યાલ આવે કે આપણા ધર્મ માટે કેટલું કામ કરે છે. કાલે એવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે કે જેમાં દેશના સમાજ અને સરકાર ભૂલી ગઈ છે. મુંબઈમાં 26/11 ઘટનામાં કસાબને સજા આપવામાં આવી હતી, તેની સાક્ષી દીકરીનું પણ સન્માન કરવામાં આવશે. સાથે કેરાલા ફિલ્મમાં જે સ્ટોરી છે તેની સાથે જોડાયેલ લોકો પણ ઉપસ્થિત રહેશે.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ રેસીડેન્સી વિસ્તારમાં રોડની હાલત વર્ષોથી બિસ્માર છે. આ કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેઓ તાત્કાલિક નવા રોડના નિર્માણની માંગ કરી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સોસાયટીના નિર્માણ સમયે બનેલા પ્રાથમિક રોડ બાદ છેલ્લા લગભગ 15 વર્ષથી અહીં કોઈ નવો રોડ બન્યો નથી. હાલ રોડ અત્યંત ખરાબ હાલતમાં છે. ઉબડ-ખાબડ માર્ગ, મોટા ખાડાઓ અને વરસાદી સિઝનમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થાય છે. રોજિંદા અવરજવર કરતા રહિશો ઉપરાંત, સ્કૂલ વાહનો, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં, હજુ સુધી રોડના કામ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્થાનિક હરેશ દરજીએ આ માહિતી આપતા તાત્કાલિક રોડ બનાવવા માટે ફરી માંગ કરી છે.
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, માત્ર 9 દિવસમાં 123 લોકો શ્વાન અને અન્ય પ્રાણીઓના હુમલાનો ભોગ બન્યા છે. આ ઘટનાઓને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સિવિલ હોસ્પિટલના સત્તાવાર અહેવાલ અનુસાર, 1 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધીના ટૂંકા ગાળામાં શ્વાન કરડવાના 114 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અન્ય પ્રાણીઓ કરડવાના 9 કેસ પણ સામે આવ્યા છે, જે કુલ આંકડો 123 પર પહોંચાડે છે. સરેરાશ દરરોજ 12થી વધુ લોકો શ્વાન કરડવાથી સારવાર માટે પહોંચી રહ્યા છે. કેસની વધતી સંખ્યા અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના ડૉ. આશિષ ખરાદીએ જણાવ્યું હતું કે, શ્વાન કરડવાના તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા જરૂરી હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. હોસ્પિટલમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શહેરમાં ઠેર ઠેર રખડતા શ્વાનોના ટોળા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશો, વૃદ્ધો અને ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. લોકોમાં શ્વાન હુમલાનો ભય વ્યાપી ગયો છે. નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવ્યા હોવા છતાં, શ્વાનોને પકડવા કે તેમના ખસીકરણ માટે કોઈ નક્કર અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, શ્વાન પકડવા માટેની કામગીરી હાથ ધરવા જાહેરાત આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ શહેરમાં રખડતા શ્વાનોને પકડી લેવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ડ્રાઈવને કાગળ પર જ સીમિત રાખે છે કે પછી ખરેખર નગરજનોને રખડતા શ્વાનોના આતંકમાંથી મુક્તિ અપાવે છે.
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 5 જેટલી શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની 5 શાળાઓને બે હજારથી લઈને 5 હજાર સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. તમામ શાળાઓને ફી વધારા માટે FRCમાં દરખાસ્ત કરી હતી. જે બાદ અમદાવાદ ઝોન FRCએ તમામ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓના હિતમાં FRC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાઓને 5000થી લઈને 25000 હજાર સુધીના ફી વધારા માટે દરખાસ્ત કરી હતી. પરંતુ FRC દ્વારા તેને નકારી માત્ર 2000થી લઈને 5000 સુધીનો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી-વાલીઓ પાસે લૂંટ ન ચલાવે તેથી FRCની રચના કરાઈહાલમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાઈવેટ સંસ્થાઓની મનમાની અને શિક્ષણ એટલી હદે મોંઘું થયું છે કે, સામાન્ય માણસ આ ફી ભરી પોતાના બાળકને ભણાવવા બિલકુલ સક્ષમ નથી. જેથી શાળાઓ પોતાની મનમાની ચાલુ ન કરી દે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી લૂંટ ન ચલાવે તે માટે FRCની રચના કરવામાં આવી હતી. જેથી શાળાઓએ જો ફી વધારો કરવો હોય તો FRCમાં દરખાસ્ત કરવી પડે અને FRC જેટલી ફી મંજૂર કરે તેટલી જ ફી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી લઈ શકે છે. FRCએ 5 શાળાઓને ફી વધારો કરવાની મંજુરી આપીઆ વર્ષે પણ અનેક શાળાઓએ પોતાની ફીમાં વધારો કરવા માટે FRCમાં દરખાસ્ત કરી હતી. જે બાદ અમદાવાદ ઝોન FRCએ શાળાઓને માગેલો ફી વધારો આપવો કે નહીં તે માટે દરખાસ્તમાં રજૂ કરતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી. જેના આધારે FRCએ 5 શાળાઓને ફીમાં વધારો કરવાની મંજુરી આપી છે. પરંતુ શાળાઓએ જે ફી વધારો માંગ્યો હતો તેના કરતાં ઘણો ઓછો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. એટલે શાળાઓએ 5000થી લઈને 25000 સુધીનો ફી વધારો માંગ્યો હતો પરંતુ FRC એ માત્ર 2000થી લઈને 5000 સુધીનો જ ફી વધારો મંજૂર કર્યો છે. સોનલ પ્રાથમિક શાળાની દરખાસ્ત FRCએ નકારીનરોડામાં આવેલી અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ, સૈજપુરમાં આવેલી ડોન બોસ્કો અંગ્રેજી સ્કૂલ, નરોડામાં આવેલી એ વન ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલ, નિર્ણયનગરમાં આવેલી નેસ્ટ પબ્લિક સ્કૂલ, રાણીપમાં આવેલી ન્યૂ ડી.પી. કેમ્પસ સ્કૂલ દ્વાર FRCમાં ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને આ તમામ શાળાઓની ફીમાં FRC દ્વારા વધારો કરવામાં આવ્યો છે. તો નવા વાડજ વિસ્તારમાં આવેલી સોનલ પ્રાથમિક શાળાના સંચાલકોએ ફીમાં વધારા માટે FRCમાં દરખાસ્ત કરી હતી પરંતુ FRC તે દરખાસ્ત નકારી દીધી છે અને કોઈ પણ પ્રકારનો ફી વધારો મંજૂર કર્યો નથી. નવા વાડજની સોનલ પ્રાથમિક શાળાની દરખાસ્ત નકારી કાઢવામાં આવી
એક તરફ જ્યાં અમદાવાદમાં સુભાષ બ્રિજ જેવી સામાન્ય તિરાડને કારણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે, ત્યાં જૂનાગઢ-વંથલી રોડ પર વાડલા ફાટક નજીક કાળવા નદી પર આવેલો પુલ અને નાળું અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં દરરોજ મોટી સંખ્યામાં વાહનોના પસાર થવાના કારણે લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. પુલની ઉપરથી જોતા તે સલામત દેખાય છે, પરંતુ નીચે નજર નાખતા જ તેની વાસ્તવિક અને ભયજનક સ્થિતિ સ્પષ્ટ થાય છે. પુલના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે. સોમનાથ તરફ જતો મુખ્ય રસ્તો હોવાને કારણે તેમજ આસપાસના તાલુકાની અવરજવરને લીધે આ પુલ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. છેલ્લા 40 થી 45 વર્ષ જૂનો આ જર્જરિત પુલ ગમે ત્યારે ધરાશાયી થાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પ્રબળ સંભાવના છે. હાઈવે ઓથોરિટીની બેદરકારી: પુલનું કોઈ ધણીધોરી નથી જૂનાગઢથી વંથલી તરફ જતો આ રસ્તો અંદાજે ૨૦ વર્ષ પહેલાં નેશનલ હાઈવે હસ્તક અને ત્યારબાદ હાઈવે ઓથોરિટી હસ્તક આવ્યો હતો. શહેરી વિસ્તાર વધતાં હાઈવે ઓથોરિટીએ થોડા સમય પહેલાં નવો બાયપાસ બનાવ્યો. નિયમ મુજબ, નવો બાયપાસ કાર્યરત થતાં જ જૂનો બાયપાસ હાઈવે ઓથોરિટી હસ્તક રહેતો નથી, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તે રોડ ફરી સંબંધિત વિભાગને સોંપવાનો હોય છે. જોકે, આ પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી. જ્યારે આ પુલ હાઈવે ઓથોરિટી હસ્તક હતો ત્યારે પણ તેમાં કોઈ ધ્યાન આપવામાં ન આવતાં આજે પુલ જર્જરિત બની ગયો છે. નવો બાયપાસ બન્યા બાદ જૂના બાયપાસનું કોઈ ધણીધોરી રહ્યું નથી, પરિણામે આ જર્જરિત પુલના રીપેરીંગની જવાબદારી હાલ કોઈ લેવા તૈયાર નથી. જુડા દ્વારા વારંવાર પત્ર વ્યવહાર છતાં હાઈવે ઓથોરિટી મૌન આ પુલનો વિસ્તાર હાલમાં જુડા (JUDA) હદ હેઠળ આવે છે. પુલની જર્જરિત સ્થિતિ જોતાં જુડા દ્વારા માનવતાના ધોરણે કાર્યવાહી શરૂ કરાઈ હતી. જુડાના સીઓ કે.વી. બાટીએ જણાવ્યું હતું કે, મામાદેવ મંદિરથી વાડલા ફાટક સુધીનો રસ્તો જુડાના હદ વિસ્તારમાં આવે છે અને આ રોડ PIU રાજકોટ હેઠળ છે. આ વિસ્તારમાં આવતા એક મોટો બ્રિજ અને એક નાનું નાળું અત્યંત જર્જરિત હાલતમાં છે. જેને લઈને જુડા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ને ચારથી પાંચ વખત પત્રો લખીને જાણ કરવામાં આવી છે અને તેને વહેલી તકે રીપેર કરવા વિનંતી કરાઈ છે. જુડાએ ઇલેક્ટ્રિક લાઇનો, ROW ની વિગતો અને ફેસ લાઇનોની વિગતો પણ પૂરી પાડી હતી. સરકારી વિભાગોને પણ ન ગાંઠતી હાઈવે ઓથોરિટી જુડા દ્વારા વારંવાર પત્ર વ્યવહાર કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જાણે તેમના પેટનું પાણી પણ હલતું ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાઈવે ઓથોરિટી સરકારી વિભાગોને પણ ગાંઠતી નથી. જ્યાં સુધી NHAI દ્વારા આ જૂના રોડની સોંપણી સંબંધિત વિભાગને (જુડા કે અન્ય) કરવામાં ન આવે ત્યાં સુધી અન્ય કોઈ વિભાગ રીપેરીંગનું કામ શરૂ કરી શકે તેમ નથી. જેથી હાલ જુડા દ્વારા પુલ પાસે સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં 'રસ્તો ભયજનક અને સાંકડો છે, વાહન ધીમે ચલાવવું' તેવું લખવામાં આવ્યું છે. સ્થાનિકોની માગણી: પુલને નવો બનાવો અથવા બંધ કરો છેલ્લા 40 વર્ષથી પુલની નજીકની સોસાયટીમાં રહેતા રમેશભાઈ તેમજ આકાશગંગામાં રહેતા વેજાભાઈ કરમટાએ સરકારને વિનંતી કરી છે કે આ 45 વર્ષ જૂના પુલને વહેલી તકે નવો બનાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે રસ્તો પણ સાંકડો હોવાથી અહીં અવારનવાર અકસ્માતના બનાવો બને છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે કાં તો આ જર્જરિત પુલનું રીપેરીંગ થાય અથવા તો મોટી દુર્ઘટના ટાળવા માટે હાલ પૂરતો તેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવે. હાલ તો લોકો જીવના જોખમે આ જોખમી પુલ પરથી પસાર થઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે હાઈવે ઓથોરિટી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે.
ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આગામી 5 જાન્યુઆરીએ 74મો પદવીદાન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ 74માં પદવીદાન સમારોહમાં ISROના ચેરમેન ડૉ. વી. નારાયણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના છે. તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા પણ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. ગયા વર્ષે મુખ્ય અતિથિ તરીકે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતાગયા વર્ષે એટલે કે 73માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાજર રહ્યા હતા. તેમજ 46,131 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેથી આ 5 જાન્યુઆરીએ 74માં પદવીદાન સમારોહમાં ISROના ચેરમેન ડૉ. વી. નારાયણનના હસ્તે વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસે ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમમાંથી દારૂ ભરેલી બિનવારસી બોલેરો ગાડી ઝડપી પાડી છે. પોલીસે વાહન અને વિદેશી દારૂ મળી કુલ 6.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી 31મી ડિસેમ્બર અને નૂતન વર્ષની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટે કરવામાં આવી છે. આગામી 31મી ડિસેમ્બર અને નૂતન વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લામાં દારૂની બદીને ડામવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. કાંકણપુર પોલીસે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે આગોતરી કામગીરી હાથ ધરી હતી. કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એલ. કામોળને ખાનગી બાતમી મળી હતી કે, ગોઠડા ગામની હદમાં સુખપુરી તરફ જતા રસ્તા પર આવેલી ઝાડીઓમાં એક બોલેરો ગાડી દારૂ ભરીને કટિંગ કરવા આવવાની છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તે વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, ગોઠડા ગામની સીમમાં સુખપુરી નજીક ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાંથી સફેદ કલરની બોલેરો ગાડી (રજીસ્ટ્રેશન નંબર GJ-05-RD-1937) બંધ હાલતમાં મળી આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં કોઈ ચાલક હાજર મળ્યો ન હતો. પંચોની રૂબરૂમાં ગાડીના દરવાજા ખોલી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોવા વ્હિસ્કીના 180 એમ.એલ.ના 960 ક્વાર્ટર અને 6000 બિયરના 432 ટીન મળી કુલ 1,72,560 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂના જથ્થા ઉપરાંત, ગુનામાં વપરાયેલી 5 લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડી પણ કબજે કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ 6,72,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોલેરો ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, કાંકણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ મહાપાલિકામાં ઘણા સમયથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની કામગીરી આવી ગઇ છે ત્યારે એક સાથે ત્રણ-ત્રણ પોર્ટલ પર કામ કરવાના કારણે વિભાગ અને નાગરિકો બંને હેરાન થઇ ગયા છે. જેમાં નવા પોર્ટલમાં સુધારા વધારા થતા નથી. અવારનવાર સર્વર ડાઉન થાય છે. ત્યારે હવે તો એક ગંભીર ભૂલ થયાનું સામે આવ્યું છે. જેમાં મૃતકના દાખલાની તારીખ 5-11-25ને બદલે 4-11-25 આવી હતી. એટલે કે જે દિવસે નાગરિક જીવિત હતા તે તારીખનો મરણનો દાખલો આવ્યો હતો. બાદમાં અધિકારીઓએ આ ટેક્નિકલ ભૂલ હોવાનું જણાવી સુધારો કરવા તજવીજ હાથ ધરી છે. 5 નવેમ્બરે મૃત્યુ થયું, ડેથ સર્ટિફિકેટ 4 નવેમ્બરનું ઈસ્યુ કરાયુંપ્રાપ્ત વિગત મુજબ ગોહિલ મનીષભાઈ અમરાભાઈ નામના નાગરિકનું તા. 5-11-2025નાં રોજ અવસાન થયું હતું. જેને લઈને પરિવારે તેના મરણનો દાખલો લેવા કાર્યવાહી કરી હતી. ડોકટરના મૃત્યુના પ્રમાણપત્રમાં તા.05-11-25, સમય 3:00નો ઉલ્લેખ હતો. આ ડેટા પોર્ટલ પર ચડાવવામાં આવ્યો હતો. હવે અરજદારને જે દાખલો મળ્યો તેની પ્રિન્ટમાં મરણની તા. 4-11-25 અને સમય 3:00 વાગ્યાનો લખાઇને આવ્યો હતો. કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવેલા મેસેજમાં તા.5-11-25નો ઉલ્લેખ હતો અને લીંક આપવામાં આવી હતી. પરિવારજને જ્યારે આ બાબતે રજૂઆત કરી તો ટેક્નિકલ ભૂલ ગણાવવામાં આવીજોકે મરણનાં દાખલામાં 4-11-25 લખાઈને આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જે દિવસે નાગરિકનું અવસાન થયું તેના એક દિવસ અગાઉનો મરણનો દાખલો મળતા પરિવારને આંચકો લાગ્યો હતો. અને તુરંત રજુઆત કરતા પોર્ટલની ક્ષતિ હોવાનો જવાબ સ્ટાફે આપ્યો હતો. અને આ અંગે મનપા કચેરી ખાતે સંપર્ક કરવામાં આવતા આ ટેક્નિકલ એરર હોવાનું કહી અધિકારીઓએ સુધારો કરવા માટેની ખાતરી આપી આ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંગે જન્મ-મરણ વિભાગનો હવાલો સંભાળતા અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવેલ CRS પોર્ટલની અંદર જન્મ કે મરણના દાખલામાં તારીખ કે નામ સુધારવાની કોઈ સતા અમને નથી. જોકે તાજેતરમાં મનીષ અમરાભાઈ ગોહિલ નામના વ્યક્તિના મરણનાં દાખલામાં તારીખ 5/11 ના બદલે 4/11 થઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે, જે ટેક્નિકલ એરર છે. આ અંગે તેમણે પોતાના ઉપરી અધિકારીઓ (ગાંધીનગર હેડ)ને મેલ કરીને જાણ કરી છે. ભૂલ કોઈ અન્ય કારણથી નહીં, પરંતુ સિસ્ટમમાં આવેલા એક બગ (Bug) ના કારણે થઈ છે. આ ભૂલ સુધારવા અને ભવિષ્યમાં આવી ભૂલ થાય નહીં તેના માટે CRSની ટીમ આ બગને દૂર કરવા માટે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણનાં દાખલા માટે અલગ અલગ પોર્ટલમાં કામ થતું હોવાથી ઘણા મહિનાઓથી જન્મ-મરણ વિભાગમાં હજારો લોકો હેરાન થઇ રહ્યા છે. સુધારા વધારા માટે રોજ ધકકા થાય છે. આ પોર્ટલનો મામલો ભલે સરકારનો હોય નવા ફેરફારો સાથે સમય વધુ જતો હોવાથી સ્ટાફ વધારવાની જરૂર પણ છે. આ સાથે જ પોર્ટલમાં થતી આ પ્રકારની ગંભીર ભૂલો થાય નહીં તેના માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
વડોદરા ચેઈન સ્નેચિંગનો રીઢો આરોપી આણંદથી ઝડપાયો:એક મહિના બાદ પોલીસે તેને રેલવે સ્ટેશન નજીકથી પકડ્યો
આણંદ એલ.સી.બી. પોલીસે વડોદરા ચેઈન સ્નેચિંગ કેસના એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. ભૌમીક ઉર્ફે લાલો ત્રિવેદી નામનો આ આરોપી એક મહિનાથી પોલીસ પકડથી દૂર હતો. તેને આણંદ રેલવે સ્ટેશન નજીકથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભૌમીક ત્રિવેદીએ કબૂલ્યું કે, તેણે એકાદ મહિના અગાઉ વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સંતરામ પાર્ક સોસાયટી નજીકથી એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન તોડી હતી. આ ઘટના સાંજના આશરે ચારથી પાંચ વાગ્યાના અરસામાં બની હતી. તે સમયે તે તેના એક સાગરિત સાથે હતો. આ ઉપરાંત, આરોપીએ તારીખ 3 નવેમ્બર, 2025ના રોજ નડિયાદના મધુરમ એપાર્ટમેન્ટ ખાતે પાર્ક કરેલી એક્ટિવાની ચોરી કર્યાની પણ કબૂલાત કરી છે. વધુમાં, તે રાજસ્થાનના ચોપાસણી હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનના એક ગુનામાં પણ નાસતો-ફરતો હોવાનું ખુલ્યું છે. ભૌમીક ત્રિવેદી મૂળ ખેડા જિલ્લાના નડિયાદનો વતની છે અને હાલ દસક્રોઈ તાલુકાના વાંછ ગામમાં રહે છે. આણંદ એલ.સી.બી. પોલીસે તેને વધુ તપાસ અર્થે વડોદરા શહેરના વારસિયા પોલીસ મથકે સોંપ્યો છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસપકડાયેલ આરોપી ભૌમીક ઉર્ફે લાલો ભુપેંદ્રભાઈ ત્રિવેદી વિરૂદ્ધ નડિયાદ, શહેરા, જુનાગઢ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતના વિવિધ પોલીસમથકોમાં કુલ 29 ગુના નોંધાયેલા છે.
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. એક જમીન માફિયાએ આભવા ગામની તેમની જમીનનો 59.61 કરોડમાં સોદો કર્યો, સાટાખત અને કબજા કરાર બનાવી માત્ર 21,000 ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ન ચૂકવી જમીન પચાવી પાડી હોવાની ઘટના સામે આવી છે. આભવામાં આવેલી જમીન પર નજર પડ્યા બાદ આરોપીએ વૃદ્ધાનો સંપર્ક કર્યોકરુણા સાગર સોસાયટી, ઉત્તર ગુજરાત પટેલ નગર, સિટીલાઇટ ખાતે રહેતા 70 વર્ષીય અંજનાબેન કાંતિલાલ શાહની સુરત જિલ્લાના ચોર્યાસી સબ-ડિસ્ટ્રિક્ટ, મોજે આભવા, રે.સ.નં-506 હિસ્સા નં-12 નંબરની જમીન આવેલી છે. આ જમીન પર પાંડેસરા, તુલસીધામ ટેરેસમાં રહેતા સંજયકુમાર વિઠ્ઠલ અધેરાની નજર પડી હતી. જમીન પચાવી પાડવાના ઇરાદે સંજયકુમારે મે મહિનામાં અંજનાબેન શાહનો સંપર્ક કર્યો હતો. બંધ ચલણી નોટો વટાવવાની લાલચસંજયકુમારે, અંજનાબેનને જણાવ્યું હતું કે, તેની પાસે 745 કરોડની જૂની 500ની બંધ ચલણી નોટો છે, જે વટાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.તેણે લોભામણી વાત કરી કે, તેમાંથી જમીનની કિંમત પેટે 150 કરોડની નોટો 35 ટકાના ધોરણે જે કંઈ પેમેન્ટ આવશે તે આપશે, અને તે જ દિવસે જમીનનો રજિસ્ટર દસ્તાવેજ પણ કરાવી આપશે. આ લાલચ આપીને તેણે જમીનનો 59,61,00,000માં વેચાણ સોદો કર્યો હતો. કબજા કરાર અને છેતરપિંડી1 મે 2025ના રોજ સંજયકુમારે અંજનાબેન પાસે 7.11 લાખનો સાટાખત અને કબજા કરાર બનાવી લીધો હતો.જમીન પેટે, અંજનાબેન શાહના બેન્ક ખાતામાં માત્ર 21,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીની રકમ રોકડમાં આપવાની ખાતરી આપવામાં આવી હતી.કરાર થયા બાદ આરોપી સંજયકુમારે પોતાનો ફોન બંધ કરી દીધો અને ગાયબ થઈ ગયો હતો. બાદમાં સંપર્ક થતા તે નવી-નવી બહાનાબાજી કરીને સમય પસાર કરતો રહ્યો. સાટાખત રદ કરવા કહ્યું તો આરોપીએ ધમકી આપીનક્કી કરેલ 52.50 કરોડનું પેમેન્ટ ન આપવા ઉપરાંત,જ્યારે અંજનાબેને સાટાખત રદ કરવાની વિનંતી કરી, ત્યારે આરોપી સંજયકુમારે તેમને ધમકી આપી હતી કે, પૈસા નહીં મળે, જમીન સોદાના બહાને સાટાખત રદ પણ નહીં કરીએ, જે થાય તે કરી લો. આખરે, અંજનાબેન શાહને તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો ખ્યાલ આવતા તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Rajkot assault case: જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના બનતા ચકચાર મચી છે. એક શ્રમિક પરિવાર છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું છે. હેવાનિયતની હદ વટાવતા ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી છે. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતાં ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
કેજરીવાલે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ ગણાવી અરવિંદ કેજરીવાલને રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને આપના કાર્યકર્તાઓને ન મળવા દેવાતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કહ્યુ્ં શું હું આતંકવાદી છું? કેમ મને ખેડૂતોને મળવા ન દેવામાં આવ્યો?તેમણે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ કહી. આંગણવાડી- આશાવર્કર બહેનોએ કર્યા ધરણાં અમદાવાદ કલેક્ટર ઓફિસે રાજ્યભરની આંગણવાડી અને આશાવર્કર બહેનોએ ધરણાં કર્યા.હાઇકોર્ટના ચુકાદા બાદ પણ લઘુતમ વેતન ન મળતા અને અન્ય પડતર માગો પૂરી કરવા માટે તેમણે વિરોધ કર્યો.. 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે સુભાષબ્રિજ અમદાવાદનો સુભાષબ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. IIT મુંબઈ અને IIT રુરકીની ટીમ ઈન્સ્પેક્શન કરશે,..સંપૂર્ણ તપાસ કરાયા બાદ બ્રિજ અંગે અંતિમ નિર્ણય કરાશે ગુજરાતમાં પહેલી વાર યોજાઈ રહી છે TPL અમદાવાદમાં આજથી TPLનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે 9 થી 13 ડિસેમ્બર સુધી પાંચ લીગ મેચ રમાશે.. લસણ-ડુંગળીએ તોડાવ્યો ઘર સંસાર અમદાવાદમાં એક દંપતીએ લસણ-ડુંગળી ખાવાના કારણે છૂટાછેડા લીધા.માત્ર પત્ની જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતી હતી, જેથી બધા માટે અલગ અલગ જમવાનું બનાવવાના ઝઘડાઓએ 11 વર્ષના દાંપત્યજીવનનો અંત આવ્યો.. ફ્લાઈટ કેન્સલેશન વચ્ચે ભારતીય રેલવે વ્હારે આવી ઈન્ડિગો ક્રાઈસીસમાં એરપોર્ટ પર રઝળતા મુસાફરોની મદદે આવી ભારતીય રેલવે.. નજીવા ભાડા વધારા સાથે 9 સ્પેશિયલ ટ્રેનની 40 ટ્રિપ્સ દોડાવાઈ રહી છે. એરપોર્ટ પર રેલવેએ કાઉન્ટર ખોલતા મુસાફરોને રાહત મળી છે. 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ બોટાદમાં 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.. કોંગ્રેસે ઘટના બાદ રીવાબા જાડેજાને ગુજરાતમાં મહિલા સુરક્ષા મુદ્દે સવાલ કર્યો..હકીકતમાં થોડા સમય પહેલા રીવાબાએ ગુજરાત મહિલાઓની સુરક્ષામાં નં.1 હોવાની પોસ્ટ કરી હતી.. મજાક મજાકના ફાયરિંગમાં સગીરને ગોળી વાગી અમદાવાદના લાંભામાં દેશી તમંચા સાથે મજાક કરતા મિસફાયર થયું અને સગીરને ગોળી વાગી....સગીરની હાલત ગંભીર છે. બે મિત્રોએ ગભરાટમાં તમંચો ફેંકી દીધો.. પોલીસે બે મિત્રોની અટકાયત કરી છે. કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત જસદણમાં કાર-ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત ...પગપાળા જતી સાધ્વીઓ ભોગ બની, અન્ય 6 ઇજાગ્રસ્ત..કટરથી કાર કાપીને ફસયેલા લોકોને બહાર કઢાયા દાહોદ-નલિયા 10 ડિગ્રી સાથે ઠંડાગાર રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી.. દાહોદ- નલિયામાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું.. અન્ય શહેરોમાં પણ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો.
આણંદ LCBએ બાકરોલના હરિઓમનગર વિસ્તારમાં દરોડો પાડી ₹7.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મણીલાલ વસાવા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 1595 બોટલો અને બિયરના 864 ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કુલ કિંમત ₹7,53,560 આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં, ઝડપાયેલા મણીલાલ વસાવાએ કબૂલ્યું હતું કે તેના ઘરની નજીક રહેતા હરીશ ઉર્ફે પપ્પુ વિક્રમભાઈ પઢીયારે બે દિવસ અગાઉ આ દારૂનો જથ્થો સાચવવા માટે મૂક્યો હતો. આ કબૂલાતના આધારે પોલીસે હરીશ ઉર્ફે પપ્પુ પઢીયાર અને મણીલાલ વસાવા બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય યુવક 6 દિવસ અગાઉ ગુમ થયો હતો. જે યુવકની શોધખોળ દરમિયાન પોલીસે શકમંદને ઉઠાવી પૂછપરછ કરી હતી. જેમાં સહ આરોપી સાથે મળીને લાપતા યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આટલું જ નહીં હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે શરીરના અંગો કાપી નાખ્યા હતા અને તેને બોરવેલમાં નાખી દીધા હતા. જ્યારે ધડને જમીનમાં દાટી દીધું હતું. આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. યુવકના મિત્રએ જ મહિલા સાથેના આડા સંબંધના મનદુઃખમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ ઘટના અંગે પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાએ સમગ્ર વિગત જણાવી હતી.... યુવક ગુમ થતાં પોલીસે તમામ જગ્યાએ શોધખોળ હાથ ધરીSP વિકાસ સુંડાએ જણાવ્યું કે, 6 દિવસ અગાઉ નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય રમેશ મહેશ્વરી નામનો યુવક ગુમ થયો હતો. જેને પગલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રમેશના મિત્રો તેમજ અન્ય લોકો સાથે તેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રમેશના મિત્ર પાસેથી રમેશનો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યો હતો. મહિલા સાથે સંબંધ રાખવાની બાબતે બન્ને મિત્રો વચ્ચે બબાલ થઈઆ ઘટના અંગે એસપીએ જણાવ્યું કે, રમેશ અને તેનો મિત્ર કિશોર મહેશ્વરી વચ્ચે એક મહિલા સાથેના સંબંધને લઈ વારંવાર ઝગડો થતો હતો. રમેશને એક મહિલા સાથે સંબંધ હતો તેની જાણ કિશોરને થઈ હતી. રમેશ મહેશ્વરીની મહિલા મિત્ર સાથે તેના જ મિત્ર કિશોરે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી તેની સાથે પણ સંબંધ રાખવાનું કહ્યું હતું, જે બાદ મહિલાએ રમેશને તેનો મિત્ર સંબંધ રાખવાનું દબાણ કરતો હોવાની વાત જણાવી હતી, જે બાબતે રમેશ અને કિશોર વચ્ચે બબાલ થઇ હતી. કિશોરે રમેશને જમવા બોલાવી ત્યાં જ પતાવી દીધોઆ વાતનું મનદુઃખ રાખી કિશોરે રમેશની હત્યા નીપજાવાનું નક્કી કર્યું હતું. હત્યાના પ્લાન મુજબ કિશોરે રમેશને પોતાની વાડી પર જમવા માટે બોલાવ્યો હતો, જ્યાં મહિલા બાબતની બંને વચ્ચે બબાલ શરૂ થઇ હતી ત્યારબાદ કિશોર મહેશ્વરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરવયના આરોપીએ કોઈ હથિયારથી વારંવાર ઘા મારી હત્યા રમેશની નીપજાવી હતી. 2 ડિસેમ્બરના યુવક ગુમ થઇ જતા નખત્રાણા પોલીસે ગુમનોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી, એ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા નખત્રાણા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા શરીરના અંગો કાપી નાખ્યાંપોલીસ સમક્ષ કિશોરે હત્યા કર્યા બાદ લાશને ક્યા સગેવગે કરી તે અંગે વિગતો આપતા જણાવ્યું કે, રમેશની હત્યા કર્યા બાદ પોલીસને લાશ અને કોઈ પૂરાવા ન મળે તે માટે સૌથી પહેલા કુહાડી અને ધારિયાની મદદથી રમેશનું માથું અલગ કરી નાખ્યું હતું. જે બાદ માથાને ખેતરના બોરવેલમાં નાખી દીધું હતું અને તેના પર પથ્થર નાખી દીધો હતો. જે બાદ રમેશના બન્ને હાથ અને પગ કાપી નાખ્યા હતા અને હાથ-પગને બીજા એક બોરવેલમાં નાખ્યા હતા. તેમજ રમેશના ચપ્પલને પણ તે બોરવેલમાં નાખી દીધા હતા. અઢી ફૂટનો ખાડો ખોદી તેમાં ધડને દાટી દીધુંઆ ઉપરાંત અન્ય એક બોરવેલમાં કુહાડી અને ધારિયું નાખ્યું હતું. ત્યા માટીમાં લોહી વહ્યુ હતું તે લોહી વાળી માટીને એક કૂવામાં નાખી દીધી હતી. આ ઉપરાંત ધડને પ્લાસ્ટીકમાં વિંટીને જમીનમાં અઢી ફૂટનો ખાડો ખોદીને તેમાં દાટી દીધું હતું. પોલીસ જ્યારે રમેશની શોધખોળ કરી રહી હતી, ત્યારે કિશોરે જ રમેશનો મોબાઈલ પોલીસને સોંપ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરીપોલીસે કિશોરની કબૂલાત બાદ તમામ બોરવેલમાંથી શરિરના અંગોને જપ્ત કર્યા છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
ડીસાના રહેવાસી જીતુભાઈ પંચાલને લાંબા સમયથી સતાવતી પેશાબની નળી સંકોચાઈ જવાની જટિલ સમસ્યાનું નિદાન અને નિ:શુલ્ક ઓપરેશન મહેસાણાની જનરલ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉ. કેતુલભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ સફળતાએ ખાનગી હોસ્પિટલોમાં નિરાકરણ ન પામેલી સમસ્યાનો સરકારી હોસ્પિટલમાં ઉકેલ લાવી જાણ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતીડીસાના મૂળ રહેવાસી અને હાલ મહેસાણામાં રહેતા જીતુભાઈ પંચાલને આશરે 10 મહિના પહેલા પેશાબની નળીમાં ગંભીર ઇન્ફેક્શન થયું હતું, જેના પરિણામે નળી સંકોચાઈ ગઈ હતી. સમય જતાં પેશાબનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે જીતુભાઈએ અગાઉ બહારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તેમને પેટના રસ્તેથી પેશાબ કરવા માટે એક નવી નળી નાખી આપવામાં આવી હતી. જોકે આ વ્યવસ્થાથી તેમને સતત અગવડતા અને હેરાનગતિ થતી હતી. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ નિરાકરણ ન મળતાં તેઓ નિરાશ થઈ ગયા હતા. જનરલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યુંસતત પરેશાની ભોગવી રહેલા જીતુભાઈએ અંતે જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે નિદાન કરાવ્યું. અહીં ફરજ બજાવતા નિષ્ણાત ડૉ. કેતુલભાઈ પટેલ યુરોલોજિસ્ટ દ્વારા તેમની સમસ્યાનું સચોટ અને વિગતવાર નિદાન કરવામાં આવ્યું. હોસ્પિટલના મુખ્ય વહીવટી અધિકારી સી.ડી.એમ.ઓ. ડૉ. ગોપીબેન પટેલના માર્ગદર્શન હેઠળ, જીતુભાઈ પંચાલનું ઓપરેશન તારીખ 8 ડિસેમ્બર 2025 ના રોજ જનરલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યું. ડૉ. કેતુલભાઈ પટેલે જટિલ સર્જરી દ્વારા અગાઉ થયેલું ઇન્ફેક્શન સંપૂર્ણપણે દૂર કર્યું અને સંકોચાઈ ગયેલી પેશાબની નળીને તેના મૂળ માર્ગ પર ફરીથી સ્થાપિત કરી આપી. આ ઓપરેશનથી જીતુભાઈને પેટના રસ્તે નાખવામાં આવેલી નળીની કાયમી અગવડતામાંથી મુક્તિ મળી છે.
અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી સરકારી કિડની હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. મધ્યપ્રદેશથી આવેલી 21 વર્ષની પૂજા નામની યુવતીની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ છે. ગરીબ પરિવારની આ દીકરી સારવાર કરાવવા અમદાવાદમાં આવી છે. જો કે, તેમની પાસે મા કાર્ડ કે આયુષમાન કાર્ડ નહી હોવાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. કીડની હોસ્પિટલમાં છ મહિનાથી ડાયાલીસીસ કરાવતી આ યુવતીનુ છેલ્લા ત્રણેક દિવસથી ડાયાલીસીસ થઈ શક્યુ નથી. કેમકે પગ અને ગળાની નસમાંથી કરાતુ ડાયાલીસીસ હવે થઈ શકતુ નથી. 7 કલાક રાહ જોવા છત્તા ડોકટર યુવતીને મળ્યા જ નહીપાંચ મહિનાથી આ યુવતી ડાયાલીસીસ કરાવી રહી છે. શરુઆતમાં ગળાની નસમાંથી અને બાદમાં પગની નસમાંથી ડાયાલીસીસ કરાતુ હતુ. પણ હવે આ બન્ને જગ્યાની નસો કામ કરતી નથી જ્યારે ગળાની એક નવી નસમાંથી ડાયાલીસીસ કરી શકાય તેમ છે. એ સિવાય હાથમાં ફીસ્યુલા નાખીને ડાયાલીસીસ કરી શકાય છે. જો કે ફીસ્યુલા નાખવા માટે નાની સર્જરી કરવી પડે જેના ખર્ચ માટેના પૈસા આ યુવતી પાસે નથી. આથી, આ પૈસા માફ કરવવા તેમજ પોતાનુ બંધ થયેલુ ડાયાલીસીસ ઝડપથી ચાલુ થાય તે માટે પૂજા બે દિવસથી ડો.પ્રાંજલ મોદીને મળવા જઈ રહી છે પણ તેઓ મળતા જ નથી. ગઈકાલે આ દર્દી યુવતી ડોક્ટરની ચેમ્બરની બહાર સાતેક કલાક બેઠી હતી. ડોક્ટર આવ્યા પરંતુ મીટીંગો અને અન્ય કામમા વ્યસ્ત હોવાનુ જણાવીને તેઓ યુવતીને મળ્યા નહોતા. સિવિલ કેમ્પસના શેડ નીચે ત્રણ વર્ષની પુત્રી સાથે રહે છેસિવિલ કેમ્પસમાં જ શેડ નીચે પોતાનુ ઘર બનાવીને રહેતી આ યુવતીને આસપાસના લોકો જમવાનુ આપીને માનવતા બતાવી રહ્યા છે.તેમનો પિત પણ અભણ છે અને ગુજરાતમાં કોઈને ઓળખતા નથી.કીડની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે રજૂઆતો કરતા અને તેમને તમામ પ્રકારની મદદ કરી રહેલા મહેશ દેવાની જણાવે છે કે, પૂજા એ એકમાત્ર દર્દી નથી કે જેમની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થતા પૈકીના અનેક દર્દીઓ આ યાતનામાંથી પસાર થઈ રહ્યાં છે. યુવતીના ડાયાલીસીસ માટેની વ્યવસ્થા કરવા માટે ડોક્ટર મળવા માટે પણ તૈયાર નથી એ ખુબ જ ગંભીર બાબત છે. સરકારી સંસ્થાના સર્વોચ્ચ પદે બેઠેલા અધિકારીની બેદરકારીથી દર્દીઓના જીવ પર ખતરો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના મુદ્દે અવારનવાર રજૂઆતો કરી રહેલા લોકો કહે છે કે, કીડની હોસ્પિટલ જાણે પૈસાવાળા લોકો અને જેમની પાસે આયુષમાન કાર્ડ છે તેમના માટે જ હોય એવો માહોલ ઉભો થયો છે. ડાયાલિસિસમાં વિલંબથી શરીરના અન્ય મહત્વના અંગોને નુકસાન થઈ શકે છે. તેમજ ઓર્ગન ફેલ્યોરની શક્યાતો વધી જાય છે.ઘણીવાર કામચલાઉ વીનોસ કેથેટર જ જીવન બચાવવાનો એકમાત્ર ઉપાય હોય છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારોની માગણી શું છે?પૂજા અહિરવારને વેનોસ કેથેટર તાત્કાલિક અને નિઃશુલ્ક મૂકી આપવામાં આવે. પૂજાનુ બંધ થયેલુ ડાયાલીસીસ તાત્કાલિક શરૂ કરવામાં આવે. પૂજા સાથે શા માટે અમાનવીય વ્યવહાર થયો તેની ઉચ્ચ સ્તરે તાત્કાલિક તપાસ કરવામાં આવે.ગરીબ દર્દીઓની અવગણના ન થાય તે માટેની ચોક્કસ નીતિ ઘડવામાં આવે. દર્દીઓની સારવાર અટકાવાય તો જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દર્દીઓની મદદ માટે સરકાર, કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલયને તાત્કાલીક હસ્તક્ષેપ કરવાનો આદેશ કરે.
બનાસકાંઠા LCB એ દારૂની હેરાફેરી ઝડપી:દાંતીવાડા વિસ્તારમાંથી ₹5.75 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો
બનાસકાંઠા LCB એ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓઢવા ગામ પાસેથી એક સ્વીફ્ટ કારમાંથી કુલ ₹5,75,302 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત, LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, LCB સ્ટાફને બાતમી મળી હતી. બાતમીના આધારે ઓઢવા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને જોઈને સ્વીફ્ટ કાર નંબર GJ-31-N-2418 ના ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને ઓઢવા ગામ પાસે કારને રોકી હતી અને ચાલક જેસલસિંહ વાહતસિંહ વાઘેલા (ઉં.વ. 35, રહે. રામનગર, તા. દાંતીવાડા) ને પકડી પાડ્યો હતો. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 812 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2,68,302 અને સ્વીફ્ટ કારની કિંમત ₹3,07,000 મળીને કુલ ₹5,75,302 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક અને દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચમાં મતદાર યાદી સુધારણાનો અંતિમ તબક્કો:બીએલઓ નગર સેવા સદનમાં યુદ્ધના ધોરણે કામગીરીમાં
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. 11 ડિસેમ્બરની સમયમર્યાદા નજીક આવતા, સમગ્ર વહીવટી તંત્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય બન્યું છે. નગર સેવા સદનની કચેરી ખાતે, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને તેમના સહાયકો ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. પાલિકાના સેક્રેટરીનો રૂમ, ઉપપ્રમુખ, વિપક્ષી નેતાની કચેરી અને સભાખંડ સહિત જ્યાં પણ જગ્યા મળે ત્યાં કર્મચારીઓ જમીન પર બેસીને ફોર્મ અપલોડ કરી રહ્યા છે. એમ્યુરેશન ફોર્મ અપલોડ કરતી વખતે 2002ની મતદાર યાદીમાં મતદારનું નામ શોધવામાં મુશ્કેલી પડે છે. જો નામ મળી જાય તો એક ફોર્મ અપલોડ કરવામાં 7 થી 8 મિનિટ લાગે છે, જ્યારે નામ ન મળે તો પ્રક્રિયા વધુ સમય લે છે. એક કર્મચારી સરેરાશ દરરોજ 100 જેટલા ફોર્મ અપલોડ કરી રહ્યો છે.આ અંગે ભરૂચના નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13,10,600 મતદારો પૈકી 13,08,077 એટલે કે 99.81ટકા
અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીતાને સંતાન ન થતા સાસરિયાઓ અવારનવાર મહેણા-ટોણાં મારીને ત્રાસ આપતા હતા. પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પિયર જતી રહી હતીમૂળ રાજસ્થાનની 19 વર્ષીય રીના ઉર્ફે રેણુકા રોતે ડુગરપુરના પગાર ગામના રાજેશ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના બાદ રીનાએ સાસુ અને સસરા માનસિક ત્રાસ આપતા હતા. ઘરકામ બાબતે અને સંતાન ન થવા બાબતે પતિ તથા સાસુ સસરા સહિતના લોકો મહેણા મારતા હતા. જેથી કંટાળેલી રીના તેના માતા-પિતા પાસે રહેવા જતી રહી હતી. પતિ ઘરખર્ચના નાણાં ન આપીને બોલાચાલી કરતોતે સમયે પણ રીનાના સાસરિયાઓએ આવીને વેવાઈ પક્ષના લોકો સાથે ઝઘડા કર્યો હતો. રીના અને તેના પતિ રાજેશ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા બાદ પણ રીનાનો પતિ ઘરખર્ચના નાણાં ન આપીને બોલાચાલી કરતો હતો. પતિ નોકરીથી પરત આવતા પત્નીએ આઘાત કર્યો હતો7 ડિસેમ્બરે સવારે રીનાને પતિ સાથે બોલાચાલી ઝગડો થયો હતો. જે બાદ રાજેશ નોકરીએ ગયો હતો અને સાંજે પરત આવ્યો ત્યારે પત્ની રીના ગળેફાંસો ખાધેલી મળી આવી હતી. રાજેશે પરિવારના સભ્યોને આ મામલે જાણ કરી હતી. જે બાદ વસ્ત્રાપુર પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતા પતિ રાજેશ, સાસુ મંજુ તથા સસરા બળદેવભાઇએ અગાઉ અનેક બાબતોને લઇને ત્રાસ ગુજાર્યો હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કના પર્દાફાશ સાથે નવસારી અને સુરતના પાંચ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો વિદેશમાં બેઠેલા ઠગબાજો માટે 'મ્યુલ એકાઉન્ટ' ચલાવી દેશભરમાં ₹7.36 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. આ ઠગબાજો ખાસ કરીને દુબઈ, કંબોડિયા, થાઇલેન્ડ અને ચાઈનામાં બેસીને ભારતના યુવાનોનો ઉપયોગ કરતા હતા. આ યુવાનો નાની કમિશનની લાલચમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં મદદ કરતા હતા. છેતરપિંડીની રકમને ક્રિપ્ટો કરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવતી હતી. ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો ઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા હાથ ધરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મ્યુલ બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. તપાસ દરમિયાન, ઇન્ડસઇન્ડ બેંકના એક મ્યુલ એકાઉન્ટમાં ₹1.80 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થઈ હોવાનું અને દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી 7 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઇન્ડસઇન્ડ બેંક એકાઉન્ટ નવસારીના વિજલપોરમાં RO પ્લાન્ટ રિપેરિંગનું કામ કરતા રાહુલ કુમાવતનું હતું. રાહુલ કુમાવતની ધરપકડ બાદ અન્ય ત્રણ મ્યુલ એકાઉન્ટ મારફતે ₹28 લાખની વધુ છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે વધુ ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા. પોલીસે અન્ય આરોપીઓ આનંદ રૂડાણી, મિલન સતાણી, નિમેષ પડવે અને સુમિત મોરડિયાની પણ ધરપકડ કરી હતી. મિલન સતાણીને મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) તરીકે ઓળખવામાં આવ્યો છે, જે એકાઉન્ટ ખોલાવવા/ભાડે લેવા અને પૈસા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની રકમને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈમાં બેઠેલા આકાઓને મોકલતો હતો. રાહુલ કુમાવત અને આનંદ રૂડાણી મ્યુલ એકાઉન્ટ ધારક હતા, જ્યારે નિમેષ પડવે અને સુમિત મોરડિયા હેન્ડલર તરીકે કામ કરતા હતા. નોંધનીય છે કે, આરોપી મિલન સતાણી દુબઈ પણ જઈ આવ્યો હતો અને ત્યાં ATMમાંથી રોકડ પણ ઉપાડી હતી. તમામ આરોપીઓને આ કામગીરી બદલ કમિશન મળતું હતું. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ ₹15.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં ₹4.32 લાખ રોકડા, 7 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, 12 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 12 પાનકાર્ડ અને 1 કારનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામા મુજબ, હવેથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિકો કે મેનેજરો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝરને નોકરી પર રાખી શકશે નહીં. આ જાહેરનામા અંતર્ગત, કોઈપણ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીએ ભરતી કરાયેલા સિક્યુરિટી ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરના બાયોડેટા તૈયાર કરવા પડશે. આ ઉપરાંત, તેમનું વિગતવાર વેરિફિકેશન ફોર્મ ભરવું પડશે અને વતનના પુરાવા તરીકે આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સામેલ કરવી પડશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને પોલીસ વેરિફિકેશન કરાવ્યા પછી જ ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરને કોઈપણ કંપની, મોટા ઉદ્યોગો, ટોલટેક્સ, સોસાયટીઓ, રહેણાક વિસ્તારો, હોટલ, બેંક, એ.ટી.એમ., રિસોર્ટ, ફરવાના સ્થળો, ધાર્મિક સ્થળો, મેળાઓ, શોપિંગ-મોલ, સ્કૂલો, કોલેજો, સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ વગેરે સ્થળોએ સપ્લાય કરી શકાશે. જે તે કંપનીઓ, ઉદ્યોગો, સંસ્થાઓ વગેરેએ પણ ગાર્ડ, ગનમેન અને સુપરવાઈઝરને નોકરી પર રાખતા પહેલાં તેમનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નહીં તે સુનિશ્ચિત કરવું પડશે. વેરિફિકેશન વગરના કર્મચારીઓને નોકરી પર રાખી શકાશે નહીં. જો કોઈ સંસ્થા વેરિફિકેશન વગરના ગાર્ડ, ગનમેન કે સુપરવાઈઝરને નોકરી પર રાખશે, તો તેમની સામે અને સપ્લાય કરનાર પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો છે.
અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારથી આવતા શ્રમિકોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પગલાથી ગુનાશોધન પ્રક્રિયામાં મદદ મળશે અને બહારથી આવતા શ્રમિકો સાથે કોઈ અઘટિત બનાવ બને તો તેમને તાત્કાલિક પ્રશાસનિક મદદ મળી શકશે. આ જાહેરનામા મુજબ, અમરેલી જિલ્લામાં કડિયાકામ, ઈંટોના ભઠ્ઠા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ પર તથા કલરકામ કરતા કારીગરો, ઔદ્યોગિક એકમમાં કામ કરતા કારીગરો અને ખેત-મજૂરોને કામદાર તરીકે રાખનાર માલિકો, એજન્ટો, દલાલો કે લેબર કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોની વિગતો આપવી પડશે. આ વિગતોમાં કામદાર તરીકે રાખનાર વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તેમજ કામદારનું હાલનું અને મૂળ સરનામું, મોબાઈલ નંબર, કામદારના પરિચિત વ્યક્તિના નામ-સરનામાં અને કામદારને લાવનાર એજન્ટ, દલાલ કે મકાદમનું નામ-સરનામું સામેલ છે. આ તમામ વિગતો નિયત ફોર્મમાં ભરી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી નોંધણી કરાવવાની રહેશે. આ હુકમ તા. 29 જાન્યુઆરી, 2025 સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વેસ્મા ગામે ટ્રકે વીજ ટ્રાન્સફોર્મર તોડ્યું:રોડ મટીરીયલ ભરેલી ટ્રકથી આખા ગામનો વીજ પુરવઠો ખોરવાયો
સુરત જિલ્લાના વેસ્મા ગામે રોડ મટીરીયલ ભરેલી એક ટ્રકે વીજળીનું ટ્રાન્સફોર્મર અને પોલ તોડી પાડ્યા હતા. આ ઘટનાને કારણે આખા ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટના નેશનલ હાઇવેથી ટેકરા ફળિયા તરફ ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની હતી. રોડ મટીરીયલ લઈને જઈ રહેલી GJ 21 Z 7664 નંબરની એક ભારે ટ્રકે આ દુર્ઘટના સર્જી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રિવર્સ આવી રહેલી ટ્રક રોડની બાજુમાં આવેલા મુખ્ય વીજ ટ્રાન્સફોર્મર અને તેના સપોર્ટિંગ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વીજ ટ્રાન્સફોર્મર અને પોલ જમીનમાંથી ઉખડી ગયા હતા. જેના કારણે વીજળીના તાર તૂટીને રસ્તા પર પડ્યા હતા અને વીજળીના ધડાકા પણ થયા હતા. ઘટનાની જાણ થતા વેસ્મા ગામના તલાટી કમ મંત્રી જિંદલ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાટણ પદ્મનાભ ચોકડી પર ઓવરબ્રિજની માંગ:સાંસદે મુખ્યમંત્રીને ટ્રાફિક-અકસ્માત નિવારવા રજૂઆત કરી
પાટણ શહેરની અત્યંત વ્યસ્ત પદ્મનાભ ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સાંસદે પાટણ–ચાણસ્મા–ડીસા સ્ટેટ હાઇવે પર આવેલી આ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવાની તાત્કાલિક માંગ કરી છે. આ પદ્મનાભ ચોકડી વિસ્તારમાં સતત ટ્રાફિકનું ભારે ભારણ રહે છે અને અકસ્માતોનો ભય સતાવે છે. સાંસદની રજૂઆત મુજબ, આ વિસ્તારમાં પદ્મનાભ મંદિર, સ્વામિનારાયણ મંદિર, અનેક શાળાઓ, 100થી વધુ રહેણાંક સોસાયટીઓ તેમજ મહત્વના ધાર્મિક અને વાણિજ્યિક વિસ્તારો આવેલા છે. આ તમામ કારણોસર ચોકડી પર વાહનોની સતત અવરજવર રહે છે. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, જો આ વ્યસ્ત સ્થળે ઓવરબ્રિજનું નિર્માણ થાય તો સ્થાનિક નાગરિકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળી શકે છે. આ ઓવરબ્રિજના નિર્માણથી નાગરિકોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે, જેનાથી આ વિસ્તારમાં થતા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટાડી શકાશે.
વડોદરા જિલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત આઠ તાલુકાની કુલ 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર શિક્ષા, વડોદરા દ્વારા “કૌશલ્ય ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના પ્રથમ તબક્કામાં શાળા કક્ષાએ કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શાળાએ એક કૃતિ રજૂ કરી હતી. એક કૃતિ માટે ચાર વિદ્યાર્થીઓ અને એક વોકેશનલ શિક્ષકની ટીમે સંબંધિત પ્રોજેક્ટનું અનુદર્શન આપ્યું હતું. ત્યારબાદ જિલ્લાના સમા પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાની કૌશલ્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી તથા પ્રોજેક્ટ સંકલનકર્તા મહેશભાઈ પાંડેના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વોકેશનલ શિક્ષકોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે બેઠક તથા ભોજનની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જિલ્લા સંકલનકર્તા પ્રજ્ઞેશભાઈ પટેલે રજૂ થયેલી તમામ કૃતિઓ ઉત્તમ હોવાનું જણાવ્યું હતું. કુલ પૈસઠ કૃતિઓનું મૂલ્યાંકન નિર્ણાયક મંડળે આખો દિવસ સ્થળ પર જઈને કર્યું હતું. રજૂ થયેલી કૃતિઓનું ગુણાત્મક નિરીક્ષણ કરી સરકારની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું અને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન નક્કી કરવામાં આવ્યા હતા. પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા લાયકાત પ્રાપ્ત કરી હતી, જે વડોદરા જિલ્લામાં ગૌરવ લાવનાર વિષય રહેલો. તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને તથા વોકેશનલ શિક્ષકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સમગ્ર શિક્ષા હેઠળની આ પહેલનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને સાકાર કરવાનો તથા રાજ્યના યુવાનોને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા સુલભ મંચ ઉપલબ્ધ કરાવવાનો રહેલો. આ સંદર્ભે સમગ્ર શિક્ષા સંકલનકર્તા મુકેશભાઈ શર્માએ જણાવેલું કે આ પ્રોજેક્ટનું મહત્વ વિશેષ રહેલું છે અને આવનારા દિવસોમાં ધોરણ નવથી બારની વધુ હાઈસ્કૂલોને વોકેશનલ પ્રવાહ સાથે જોડવામાં આવનાર છે, જેથી વિદ્યાર્થીઓ હસ્તગત કરેલ કૌશલ્યો વિવિધ નવા વ્યવસાયક્ષેત્રોમાં પ્રદર્શિત કરી શકશે. કાર્યક્રમની આભાર વિધિ બાજવાના CRC સંકલનકર્તા પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. આમ વડોદરા જિલ્લા કૌશલ્ય સ્પર્ધાનું આયોજન ઉત્સાહપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
થરાદમાં જિજ્ઞેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ છે. તેની સામે કાર્યવાહી નહી થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી. જોકે, લોકોએ તેને બચાવી લીધી હતી. પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપો કરી યુવતીએ આ પગલું ભર્યું હતું. ત્યારે હોસ્પિટલે યુવતીના આરોપો નકાર્યા હતા. કાંકરેજ તાલુકાના વડાગામના જી. આર. ડી.માં ફરજ બજાવતાં તેજલબા ચંદુભા વાઘેલાએ થરાદમાં જિજ્ઞેશ મેવાણીની જાહેર સભામાં મંચ ઉપરથી કહ્યું હતું કે, પાટણના તબીબે ગાંઠનું ઓપરેશન કરવાને બદલે ગર્ભાશય કાઢી નાંખ્યું હતું. તેની સામે કાર્યવાહી કરવા માટે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ કાર્યવાહી થતી નથી. ન્યાય નહીં મળે તો કેનાલમાં પડી આપઘાત કરીશ. દરમિયાન યુવતી સોમવારે ખાખી વર્દીમાં વડાગામ નજીક કેનાલમાં આપઘાત કરવા માટે ગઇ હતી. જ્યાં સ્થાનિક લોકોએ બચાવી હતી. પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાખ્યું હોવાના આક્ષેપ કરી યુવતી વડાનજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી, લોકોએ બચાવી લીધી હતી આધાર વુમન્સ હોસ્પિટલે આરોપ ફગાવ્યાઆ મામલે આધાર વુમન્સ હોસ્પિટલના ડૉ. કલ્પેશ વાઢરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, દર્દી 26/10/25ના રોજ હોસ્પિટલમાં આવ્યા હતા અને તપાસ દરમિયાન ગર્ભાશયમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. દર્દી અને તેમના સગા-સંબંધીઓની સહી અને મંજૂરી મેળવ્યા બાદ જ ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમણે યુવતી દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને નિયમાનુસાર કાર્યવાહી કર્યાનું જણાવ્યું છે. યુવતીએ ડોક્ટર વિરુદ્ધ અરજી કરી છે, જેના જવાબમાં હોસ્પિટલ દ્વારા પાટણ શહેર બી ડિવિઝન પોલીસમાં તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા છે. આંબેડકર પરિનિર્વાણ દિને સભામાં શું કહ્યું હતું?મારું ગામ વડા અને મારું પાટણમાં ઓપરેશન કરાયું હતું. એટલે કહેવાનો મતલબ છે કે નાની ગાંઠ હતી મારે,પછી ડોક્ટરે મારું ગર્ભાશયનું ઓપરેશન કરી નાંખ્યું છે. હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી, મારા લગ્ન હજી બાકી છે. મારા જોડે કોણ લગ્ન કરશે? મારી જિંદગી બરબાદ થઈ ગઈ ને? મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં જઈ, હું ખુદ પોલીસ સ્ટાફ, એલઆરડીમાં નોકરી કરું, મને ન્યાય મળતો નથી. હું કોના જોડે જઉં? કોની જોડે ન્યાય માંગું? મારી તો બે હાથ જોડીને જિજ્ઞેશ સાહેબને વિનંતી કરું કે મારે ન્યાય જોવે જોવે ને જોવે. નહીં હું આજે કેનાલમાં જઈને આત્મહત્યા કરીશ. હું આત્મહત્યા કરીશ સાહેબ. મારી જિંદગી બરબાદ કરી નાંખી ડોક્ટરે.
અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. બ્રિજના નુકસાનની શંકા 4 ડિસેમ્બર 2025ના રોજ સામે આવી હતી, જેના પગલે સલામતીના કારણોસર તેને તરત જ બંધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના આર એન્ડ બી ડિઝાઇન સર્કલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના M પેનલમાં રજિસ્ટર્ડ સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની મદદથી વિગતવાર ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી પણ નિષ્ણાતો દ્વારા ટેસ્ટિંગની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત, બ્રિજની વધુ તપાસ માટે IIT મુંબઈ, IIT રૂરકી અને અન્ય બ્રિજ નિષ્ણાતોને સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજને ફરીથી ખોલવાનું નક્કી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જનતાને અપીલ કરી છે કે, તેઓ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે. આ ઘટનાએ અમદાવાદના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું દબાણ વધારી દીધું છે, જેના કારણે નાગરિકોને અસુવિધા પડી રહી છે. વહીવટીતંત્રે ટ્રાફિક પોલીસને વધુ કડક બનાવવાની સૂચના આપી છે જેથી વૈકલ્પિક રૂટ પર વાહનવ્યવહાર સરળ રહે. આ બ્રિજ અમદાવાદના મુખ્ય વિસ્તારોને જોડતો હોવાથી તેના બંધ રહેવાથી દૈનિક કામગીરી પર અસર પડી રહી છે. આગામી દિવસોમાં બ્રિજની તપાસ અને રિપેર કામગીરીની પ્રગતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી જલ્દીથી તેને ફરીથી ખોલી શકાય. જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ માહિતીની નોંધ લઈને સહયોગ આપે.
વલસાડની મગોદ ડુંગરી શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન:બીઆરસી કક્ષાનું પ્રદર્શન યોજાયું, 85 કૃતિઓ રજૂ થઈ
વલસાડ તાલુકાની મગોદ ડુંગરી પ્રાથમિક શાળામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 85 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ વર્ષના પ્રદર્શનનો મુખ્ય વિષય 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)' રાખવામાં આવ્યો હતો. ઉદ્ઘાટક જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારતનો પાયો વિકસિત ગામ અને વિકસિત ગુજરાતથી શરૂ થશે. તેમણે સાયન્સ પાવર અને શિક્ષકની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. તેમણે બાળકો અને ગ્રામજનોને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પર ભાર મૂકવા પણ માર્ગદર્શન આપ્યું હતું. વાલીમંડળ મગોદ ડુંગરીના સુરેશભાઈ ટંડેલે યજમાનીનો આનંદ વ્યક્ત કરતાં તમામ સહયોગની ખાતરી આપી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડી.બી. વસાવાએ બાળ વૈજ્ઞાનિકોને સમાજોપયોગી સ્ટાર્ટઅપ માટે તૈયાર કરનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરવકુમાર ગમાણસે સોલંકીએ જણાવ્યું કે, આ પ્રદર્શનનો ઉદ્દેશ બાળકોમાં જિજ્ઞાસા અને સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહન આપી તેમને વિજ્ઞાન તરફ પ્રેરિત કરવાનો છે. આ પ્રદર્શનને યાદગાર બનાવવા માટે વેલસ્પન કંપની અને વલસાડ તીથલ રોડ લાયન્સ ક્લબ ઑફ વલસાડનો સહકાર મળ્યો હતો. આ પ્રદર્શનમાંથી પસંદ કરાયેલી શ્રેષ્ઠ કૃતિઓને આગામી 12મી તારીખે યોજાનાર જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવા મોકલવામાં આવશે.
હિંમતનગર-ઇડર રોડ પર આવેલું ધાંણધા રેલવે ફાટક (ક્રોસિંગ નં-86/A) આજે રાત્રે 9 વાગ્યા પછી વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવશે. નવીનીકરણ અને સમારકામના કામને કારણે આ ફાટક બંધ કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગ દ્વારા ફાટક પર રેલવે લાઇન વચ્ચે અને તેની આસપાસ રબર પેડ લગાવવામાં આવ્યા છે. આ રબર પેડ લગાવવાથી ભવિષ્યમાં ખાડા પડવાની સમસ્યા ટળશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે. મહેતાપુરા ધાંણધા રેલવે ફાટક 8 ડિસેમ્બર, સોમવારે સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવ્યું હતું. આ ફાટક 9 ડિસેમ્બર, મંગળવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું હતું. ફાટક બંધ હોવાને કારણે વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બંધ ફાટક વચ્ચે રેલવે વિભાગ દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી.
બનાસકાંઠાના ઓગડ તાલુકાના વડા ગામની એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપો કરી યુવતીએ આ પગલું ભર્યું હતું. જોકે, સ્થાનિકોએ સમયસર દરમિયાનગીરી કરીને યુવતીને ચાંગા નર્મદા કેનાલમાં ઝંપલાવતા પહેલા બચાવી લીધી હતી. થરામાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) તરીકે ફરજ બજાવતી પીડિત યુવતીએ પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો છે. યુવતીનો દાવો છે કે, ગાંઠના ઓપરેશનને બદલે તેનું ગર્ભાશયનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. આ મામલે આધાર વુમન્સ હોસ્પિટલના ડૉ. કલ્પેશ વાઢરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, દર્દી 26/10/25ના રોજ હોસ્પિટલમાં આવ્યા હતા અને તપાસ દરમિયાન ગર્ભાશયમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ડૉ. વાઢેરના મતે, દર્દી અને તેમના સગા-સંબંધીઓની સહી અને મંજૂરી મેળવ્યા બાદ જ ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમણે યુવતી દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને નિયમાનુસાર કાર્યવાહી કર્યાનું જણાવ્યું છે. યુવતીએ ડોક્ટર વિરુદ્ધ અરજી કરી છે, જેના જવાબમાં હોસ્પિટલ દ્વારા પાટણ શહેર બી ડિવિઝન પોલીસમાં તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા છે.
કાંકણોલમાં શ્રીમદ ભાગવત્ કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ:સંતો-મહંતોની હાજરીમાં કળશ સાથે પોથીયાત્રા યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ગામના શ્રી પુરાણા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો શુભારંભ 9 ડિસેમ્બર, મંગળવારથી કળશ સાથેની પોથીયાત્રાથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ગ્રામજનો જોડાયા હતા. આ કથા મહોત્સવનો પ્રારંભ કાંકણોલ ગામના સરપંચ અને ભાગવત કથાના મુખ્ય યજમાન બીરેનભાઈ નલીનભાઈ પટેલના નિવાસસ્થાનેથી થયો હતો. પોથીયાત્રા ગામમાં ફરીને કથા મંડપ સુધી પહોંચી હતી. પોથીયાત્રામાં ખુશાલ ભારતી મહારાજ (રાષ્ટ્રીય મહાકાલ સેના અધ્યક્ષ), મહંત દિનેશ ગીરી મહારાજ (મહાકાલી મંદિર, બેરણા તથા કુબેર ભંડારી કરનાલીના મહંત) અને ઝરણેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણભારતી મહારાજ સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો પણ જોડાયા હતા. આ શ્રીમદ ભાગવત સપ્તાહ રામદરબાર, બ્રહ્મલીન મહંત સત્યાનંદ ગીરીજી મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ અને ગૌશાળાના લાભાર્થે આયોજિત કરવામાં આવ્યો છે. સમગ્ર કથાનું આયોજન પુરાણા હનુમાનજી મંદિરના મહંત નાગેશ્વરગીરી મહારાજ, સમસ્ત કાંકણોલ ગ્રામજનો અને સાબરકાંઠા જિલ્લાના ભક્ત મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહમાં રમેશભાઈ ઓઝાના શિષ્ય હાર્દિકભાઈ જોશી કથાનું રસપાન કરાવશે. કથા 9 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી દરરોજ બપોરે 2 થી 5 કલાક દરમિયાન યોજાશે. કથા પૂર્ણ થયા બાદ ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કથા પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો નિરંજ પંડ્યા, રીયાબેન પટેલ, જયદીપભાઈ ગઢવી અને સાગર નાયક દ્વારા લોકડાયરો યોજાશે. આ ઉપરાંત, 13 ડિસેમ્બર, શનિવારે રાત્રે દુષ્યંતભાઈ પંડ્યા (સોનાસણવાળા) દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના અંતિમ ચરણમાં 14 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ત્રણ દિવસીય મૂર્તિપ્રતિષ્ઠા અને મારુતિયજ્ઞ યોજાશે. 14 ડિસેમ્બર, રવિવારે સવારે 9 કલાકે મારુતિયજ્ઞનો પ્રારંભ થશે. 15 ડિસેમ્બર, સોમવારે સવારે 9 કલાકે મૂર્તિ નગરયાત્રા નીકળશે અને 16 ડિસેમ્બર, મંગળવારે બપોરે 12.39 કલાકે રામદરબાર અને સત્યાનંદગીરી બાવજીની મૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે પાલનપુરને 1000 કરોડના વિકાસના કામોની ભેટ આપશે. જેમાં 560 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા એરોમાં સર્કલ પરના 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે. જેથી લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે. ટ્રાફિક સમસ્યા વાહનચાલકો માટે માથાનો દુખાવો બની હતીબનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનું એરોમા સર્કલ દિલ્હી-કંડલા નેશનલ હાઈવે પર આવેલું છે. આ જંકશન ભારતના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક બન્યું હતું. અહીંની ટ્રાફિક સમસ્યા શહેરીજનો તેમજ હાઈવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો માટે માથાનો દુખાવો બની હતી. દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી હતીઆ ટ્રાફિક સમસ્યા માત્ર અગવડતા જ નહોતી, પરંતુ તે પાલનપુરવાસીઓ માટે મોતના જંકશન સમાન પણ બની હતી. એરોમા સર્કલ પર નાના-મોટા અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે શહેરના જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક સ્તરથી લઈને ગાંધીનગર અને દિલ્હી સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવે. નાગરિકોની સતત માંગણીઓ અને રોષને ધ્યાનમાં રાખીને સરકારે પાલનપુરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ બાયપાસના નિર્માણથી એરોમા સર્કલ ટ્રાફિક મુક્ત બનશે અને વાહનવ્યવહાર સરળ બનશે. એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા, એક મોટો પેચીદો પ્રશ્ન હતોપાલનપુર ટ્રાફિક સમસ્યા સ્થાપક જસવંતસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા, એક મોટો પેચીદો પ્રશ્ન હતો. તેથી અમે પાલનપુર શહેર ટ્રાફિક નિવારણ સમિતિની સમિતિ બનાવી હતી અને તેના માધ્યમથી સીએમથી માંડીને પીએમ સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી હત અને તેના પરિણામે અહીંયા 11 તારીખે સીએમ અહીંયા બાયપાસનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. તે એક આવકારદાયક પગલું છે. બાયપાસનું કામ ઝડપી પૂરું કરવામાં આવે એવી માંગજસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અમારી માંગ એ છે કે, આ ખાતમુહૂર્ત પૂરતું સીમિત ના હોવું જોઈએ, કારણ કે અહીંયા છાસવારે અકસ્માતો થાય છે અને કેટલાય હજારો લોકોના મોત પણ થયેલા છે. તેથી અત્યારે બાયપાસની તાતી જરૂરિયાત છે.બાયપાસનું કામ ઝડપી પૂરું કરવામાં આવે, તો એ પ્રજાના હિતમાં રહેશે અને પ્રજાના આશીર્વાદ મળશે, તેવું ચોક્કસ મારું માનવું છે. 24.5 કિંમી લાંબો બાયપાસ બનશેઆ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનામુખ્યમંત્રી દ્વારા આવતા ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના 1000 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થવાનું છે. જેમાં ખાસ કરીને એરોમા સર્કલ છે, કે જે ભારતના વધુ ટ્રાફિક ધરાવતા મોટા જંકશનોમાં પણ જેનો સમાવેશ થાય છે. તેના ઉપર ટ્રાફિકની વર્ષો જૂની જે સમસ્યા છે, તેના નિવારણ માટે અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 કિલોમીટર લંબાઈ ધરાવતા જે બાયપાસનું નિર્માણ થવાનું છે. તે બાયપાસનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, આ સાથે કુવરજીભાઈ બાવળિયા તથા અન્ય મંત્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત જે સશક્ત નારી મેળો, એટલે કે જે સરસ મેળો આગામી 11મી તારીખથી પાલનપુર ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. તેનું શુભારંભ પણ રામલીલા મેદાન ખાતેથી માનનીય મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવશે.
કચ્છના સરહદી ગામ વંધાય ખાતે આવેલા ઈશ્વર આશ્રમના સંચાલન મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટે સ્પષ્ટતા આપી છે. પોતાના ચુકાદામાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું મંતવ્ય સ્વીકાર્યું છે કે, મુખ્ય ઉત્તરાધિકારી તથા વ્યવસ્થાપન મુદ્દે અંતિમ નિર્ણય બાકી હોય ત્યારે આશ્રમની વહીવટી વ્યવસ્થામાં વારંવાર ફેરફાર થવો યોગ્ય નથી. તેથી કોર્ટે આદેશ કર્યો છે કે, છેલ્લા અનેક વર્ષોથી આશ્રમનું સંચાલન કરતા હાલના મહંત, આગામી અંતિમ નિર્ણય સુધી આશ્રમનો વહીવટ ચાલુ રાખશે. કચ્છના લાખો ભક્તો માટે આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર એટલે ઈશ્વર આશ્રમઈશ્વર આશ્રમ જેને વંધાય તીર્થધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, કચ્છના લાખો ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સામાજિક કેન્દ્ર છે. અહીંથી ઉમિયા માતાજી માઢનું સંચાલન થાય છે તથા વર્ષભર દેશમાં-વિદેશમાં આવેલા હજારો યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. સંત ઓધવરામ બાપ્પા અને સંત શાંતિરામજી મહારાજ જેવા સંતો દ્વારા આશ્રમના વિકાસ અને સામાજિક સેવા કાર્યને મજબૂતી મળેલી છે. 2012માં શાંતિરામજીના અવસાન બાદ વિવાદની શરૂઆત થઈવર્તમાન વિવાદની શરૂઆત વર્ષ 2012માં સાધુ કરસનદાસજીના ગુરુ શાંતિરામજીના અવસાન બાદ થઈ. એક જૂથનો દાવો હતો કે ગુરુએ ઉત્તરાધિકારી નિમ્યા નહોતા અને ભક્તોની કમિટી દ્વારા ટ્રસ્ટ ચલાવવું જોઈએ. બીજી તરફ હાલના મહંત સાધુ મોહનદાસજીનો દાવો હતો કે પરંપરાગત ચાદર વિધી દ્વારા તેમને જ યોગ્ય રીતે મહંત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સમય જતાં આરોપો-પ્રત્યારોપોની વચ્ચે ભક્તોમાં નેતૃત્વ અંગે મતભેદ વધ્યા હતા. વહીવટને લઈ વિવાદ થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતોવર્ષ 2025માં કેટલાક વ્યક્તિઓએ રાજકોટનાં ચેરીટી કમિશનરને તાત્કાલિક અરજી કરી હતી કે મહંતને હટાવી એડ-હોક કમિટી નિયુક્ત કરવામાં આવે. એકતરફી આદેશથી એક સમૂહ તથા એક સરકારી અધિકારીને વહીવટ સોંપાયો હતો. થોડાં જ દિવસોમાં આ આદેશમાં ફરી ફેરફાર કરીને આશ્રમનો વહીવટ બે સરકારી અધિકારીઓને સોંપાયો, જેના કારણે વધુ ગૂંચવણ અને પાછલા દરવાજે દખલના આક્ષેપ ઊભા થયા હતાં આ મુદ્દો હાઈકોર્ટ પહોંચતાં રાજ્ય સરકારના તરફથી હાજર થયેલા સરકારી વકીલ જી.એચ.વિર્કે કોર્ટને વિનંતી કરી હતી કે વર્ષોથી ચાલતું યથાવત્ સંચાલન જાળવવામાં આવે. રાજ્યનું મંતવ્ય હતું કે જ્યારે ઉત્તરાધિકારી અને ટ્રસ્ટના વહીવટ અંગેના મુખ્ય મુદ્દાઓ ચેરીટી સત્તાઓ સમક્ષ વિગતવાર તપાસ હેઠળ છે, ત્યારે વચગાળાના આદેશોથી વારંવાર સંચાલન બદલે તે યોગ્ય નથી. હાઇકોર્ટે રાજ્ય સરકારે રજૂ કરેલી આ દલીલને માનીને આશ્રમના વહીવટમાં કરાયેલા બંને સ્થળાંતર આદેશો રદ કર્યા છે. હાઈકોર્ટનું મહત્વનું અવલોકનકોર્ટે વધુમાં આદેશ કર્યો હતો કે ઉત્તરાધિકારી અને ભાવિ સંચાલન વ્યવસ્થા અંગેની મુખ્ય અરજીઓ ચેરીટી કમિશ્નર દ્વારા જલદીથી નિર્ણય કરાય. ત્યાં સુધી હાલના મહંત, જે વર્ષોથી આશ્રમનું સંચાલન અસરકારક રીતે કરતા આવ્યા છે, તેઓ જ આશ્રમનું વહીવટ સંભાળશે. વંધાય તથા આસપાસના સરહદી ગામોમાં રહેતા ભક્તો માટે આ ચુકાદો લાંબા સમયની અસ્થિરતા બાદ રાહત અને સ્થિરતા લઈને આવ્યો છે. હવે યાત્રાળુઓને ખાતરી મળી છે કે અંતિમ નિર્ણય સુધી આશ્રમનો વહીવટ યથાવત્ રહેશે. હાઇકોર્ટના મત મુજબ સંવેદનશીલ ધાર્મિક સંસ્થાઓમાં પરિવર્તન ઉતાવળે અથવા જૂથવાદથી નહીં પરંતુ ન્યાય, સાતત્યતા અને વિચારપૂર્વકની પ્રક્રિયા દ્વારા થવું જોઈએ.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ખોરવાયેલી છે. આજે 9 ડિસેમ્બરની રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે. રાજકોટથી ઈન્ડિગો એર લાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોસ છે. ગત શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8 માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9 માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો 8 ડિસેમ્બરના 8 માંથી 4 ફ્લાઇટ રદ થઈ હતી. જ્યારે આજે 9 ડિસેમ્બરના 9 માંથી 2 ફ્લાઈટ કેન્સલ જાહેર થઈ છે. ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 17.55 વાગ્યાની રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ છે ઉપરાંત 19.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે. આ સિવાયની સવારની 8.05 વાગ્યાની દિલ્હી, 9 વાગ્યાની મુંબઈ, 10.25 વાગ્યાની પુણે, 12 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગ્લોર અને 4.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આ 2 ફ્લાઈટ રદ 6E 5025/5009 - રાજકોટ - દિલ્હી - રાજકોટ6E 273/274 - રાજકોટ - મુંબઈ - રાજકોટ આ ફ્લાઈટ ચાલુ 6E -6557/6558 - રાજકોટ - દિલ્હી- રાજકોટ 6E - 6132/6133 - રાજકોટ - મુંબઈ- રાજકોટ6E - 6241/6245 - રાજકોટ - પુણે - રાજકોટ6E -6371/6372 - રાજકોટ - હૈદરાબાદ - રાજકોટ6E - 154/155 - રાજકોટ - ગોવા- રાજકોટ6E 6507/6508 - રાજકોટ - બેંગ્લોર - રાજકોટ6E 936/937 - રાજકોટ - મુંબઈ - રાજકોટ
એક તરફ કોમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ રવિ પાકની સિઝનમાં સમયસર ખાતર ન મળતાં ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. હાલ ખેડૂતોને શિયાળુ પાક માટે ખાસ કરીને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર છે, પરંતુ તેની પૂરતી અને સમયસર સપ્લાય ન થતાં ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અગાઉ ઘઉંના વાવેતર સમયે પણ ડીએપી ખાતરની અછત વર્તાઈ હતી. જો આ જ રીતે ખાતરની અછત રહેશે તો પાકમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે અને પોતાનો કીમતી સમય તેમજ વાહનોનું ભાડું વેડફી રહ્યા છે. વંથલી મંડળીમાં ભેજવાળું ખાતર માળતા ખેડૂતોનો હોબાળો તાજેતરમાં, વંથલી સહકારી મંડળીમાં ખેડૂતોને ભેજવાળું ખાતર પધરાવી દેવાના મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તેમને નકલી અને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવી રહ્યું છે. આ મામલે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઈ પટોળીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતો હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તેમને યુરિયા ખાતર સમયસર મળતું નથી. ઘણી જગ્યાએ માત્ર ચાર જ થેલી ખાતર આપવામાં આવે છે, તો વળી ક્યાંક ડુપ્લિકેટ ખાતર મળી રહ્યું છે. જ્યાં સુધી ક્યાં કેટલું ખાતર વેચાયું તેનું નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી કાળા બજાર અને બારોબાર વેચાણ અટકશે નહીં. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. ડુપ્લિકેટ ખાતરના આક્ષેપો પાયા વિહોણા: વિસ્તરણ અધિકારી વંથલી મંડળીના આક્ષેપો અને ખાતરની અછતના મામલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી એસ.એમ. ગધેસરિયાએ સત્તાવાર ખુલાસો કર્યો હતો. તેમણે ખેડૂતો દ્વારા કરાયેલા ડુપ્લિકેટ ખાતરના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રવિ સીઝન (ઓક્ટોબરથી માર્ચ) માટે જિલ્લામાં 36700 મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે, 5 ડિસેમ્બર સુધીમાં 16000 મેટ્રિક ટન ખાતર સપ્લાય કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પૂરતા ખાતરનો જથ્થો મંગાવાયો હોવાનો દાવો અધિકારી એસ.એમ. ગધેસરિયાએ ખાતરની સપ્લાય અંગેની વિગતો આપતા કહ્યું કે, બે દિવસ પહેલાં જ જીએસએફસીનું 2650 મેટ્રિક ટન યુરિયા ખાતર, ત્યારબાદ ઇફકો કંપનીનું 3150 મેટ્રિક ટન ખાતર આવ્યું છે અને હજી GNFCનું લગભગ 900 મેટ્રિક ટન યુરિયા ખાતર આવવાનું છે. આ તમામ સપ્લાય દર્શાવે છે કે ખેડૂતોને ખાતર સમયસર ન મળવાની વાત પાયા વિહોણી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે અત્યાર સુધીમાં જેટલું પણ ખાતર આવ્યું છે, તે સીધું જ ખેડૂતો સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભેજવાળું ખાતર ગુણવત્તામાં ફેરફાર, ડુપ્લિકેટ નહીં ખાતરની ગુણવત્તા અંગેના સવાલોના જવાબમાં એસ.એમ. ગધેસરિયાએ સમજાવ્યું કે તમામ ખાતર યોગ્ય ગુણવત્તાના જ હોય છે. પરંતુ જો કોઈ ડીલર પાસે જૂનું યુરિયા ખાતર પડ્યું હોય અને તેમાં ભેજ લાગવાથી તે ખાતર જામી જાય અને તેની ગુણવત્તામાં ફેર પડે, તો તે કદાચ કોઈ ડીલરને ત્યાંથી ખેડૂત સુધી પહોંચ્યું હોય, પરંતુ તેને ડુપ્લિકેટ ખાતર કહી શકાય નહીં. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર મામલે તેમને જે કોઈ ફરિયાદ મળશે, તે ખાતર ખેડૂતો પાસેથી લઈ, ડીલરને ત્યાંથી મોકલી યોગ્ય પદ્ધતિથી તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ માર્કેટ' તૈયાર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરંતુ, સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાકમાર્કેટ તૈયાર કરવામાં આવી છે. નવી એલિવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યોઆ માર્કેટની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઈન છે. અહીં એરપોર્ટની જેમ ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. પરંપરાગત માર્કેટમાં માલસામાન ઉતારવા અને ચડાવવામાં ખૂબ સમય બગડતો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી પરંતુ, આ નવી એલિવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રક અને ટેમ્પો જેવા હેવી વ્હીકલ્સ સીધા પહેલા માળે દુકાનની સામે જ જઈ શકે છે. આ સુવિધાને કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલસામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે, જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના કૃષિ માર્કેટ સેક્ટરમાં એક નવો ચીલો ચાતરશે. 108 હાઈટેક દુકાનો અને બિઝનેસ ફ્રેન્ડલી સુવિધાઓઆ એલિવેટેડ માર્કેટમાં કુલ 108 જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે. વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, દુકાનની બહાર પણ માલસામાન મૂકવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા રાખવામાં આવી છે, જેથી હરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે. શ્રમિકો અને ખેડૂતોને મફત સારવારની સુવિધા અપાશેમાત્ર વેપાર જ નહીં પરંતુ, સુરત APMCએ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્કેટમાં કામ કરતા હજારો શ્રમિકો અને માલ લઈને આવતા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં મેડિકલની સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે, જેથી ગરીબ શ્રમિકોને નાની-મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે. 15 રાજ્યો સાથે વ્યાપારિક જોડાણ અને 3700 કરોડનું ટર્નઓવરસુરત APMC માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું. અહીં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના શાકભાજી અને ફળો વેચવા માટે આવે છે. આ આંતરરાજ્ય વ્યાપારને કારણે સુરત એક મોટું ટ્રેડિંગ હબ બન્યું છે. રોજિંદા અંદાજે 15,000 જેટલા ખેડૂતો, ફેરિયાઓ અને વેપારીઓ અહીં મુલાકાત લે છે. આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો, સુરત APMC સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે. વાર્ષિક 3700 કરોડ રૂપિયાના તોતિંગ ટર્નઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે. બગડી ગયેલા શાકભાજી અને કચરામાંથી CNG ગેસ બનાવે છેપર્યાવરણ જાળવણીમાં પણ આ માર્કેટ પાછળ નથી. શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળવો સ્વાભાવિક છે પરંતુ, અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. બગડી ગયેલા શાકભાજી અને કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી CNG ગેસ બનાવવામાં આવે છે, જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે. એલિવેટેડ માર્કેટ દેશભરમાં એક મોડલ સમાન બની રહી સુરત APMCના ચેરમેન અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ પ્રોજેક્ટ વિશે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરત APMC માર્કેટ ગુજરાતમાં સૌથી વધારે ટર્નઓવર ધરાવતી માર્કેટ છે. હવે આ રાજ્યની એવી પ્રથમ માર્કેટ બની છે જે એલિવેટેડ છે. પહેલા માળે APMC માર્કેટ કાર્યરત થવાથી અને 100 ફૂટના રેમ્પ જેવી સુવિધાઓ મળવાથી વેપાર સરળ બનશે. અમે ખેડૂતો અને શ્રમિકો માટે મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. દેશના 15 રાજ્યોમાંથી લોકો અહીં વેપાર અર્થે આવે છે તે સુરત માટે ગૌરવની વાત છે. આમ, આધુનિક સુવિધાઓ, જંગી ટર્નઓવર અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે સુરતની આ એલિવેટેડ માર્કેટ દેશભરમાં એક મોડલ સમાન બની રહી છે.
વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે છાણી રોડ સ્થિત ભારત પેટ્રોલ પંપની સામેના ટેમ્પા-ટ્રક પાર્કિંગના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાત્રે દરોડો પાડી રૂપિયા 2.26 લાખના માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ રેડમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે તેનો સાગરીત ફરાર છે. હેરોઈનની પડીકીઓ સાથે 2.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે, છાણી ગામમાં રહેતો હરજીન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર નામનો શખ્સ દરરોજ આ જગ્યાએ બેસીને ટ્રક ડ્રાઇવરોને હેરોઇનની પડીકીઓ વેચે છે. આ માહિતીના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા અને ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી હરજીન્દરસિંહ પાસેથી નેટ વજન 11 ગ્રામ 320 મિલિગ્રામ હેરોઇન (બજારકિંમત રૂપિયા 2.26 લાખ ), એક મોબાઇલ, ડ્રગ વેચાણની રોકડ મળી કુલ રૂપિયા 2,34,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરાઈઆ કાર્યવાહીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપી હરજીન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર સંતોકસિંહ ઓલખ (હાલ રહે.: રુદ્રા એન્ક્લેવ, છાણી, વડોદરા, મૂળ વતની: ભલ્લા કોલોની, છેહરતા, અમૃતસર પંજાબ)ને ઝડપી લીધો છે. જ્યારે ફરાર આરોપી ગરદયાલસિંહ (રહે, જહાજગઢ, અમૃતસર પંજાબ) આરોપી વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 2025માં અત્યાર સુધીમાં 65 આરોપીઓ સામે કાર્યવાહીવડોદરા પોલીસ કમિશનરની સૂચનાથી નશામુક્તિ અભિયાન અંતર્ગત છેલ્લા 28 દિવસમાં વડોદરા પોલીસે NDPS એક્ટ હેઠળ 21 કેસ નોંધી કુલ રૂપિયા 44.10 લાખથી વધુનો માલ જપ્ત કર્યો છે અને 25 આરોપીઓની ધરપકડ કરી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 40 કેસમાં રૂપિયા 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 65 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનનો આ આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનું નામ રહીશ મો. રશીદ કુરેશી છે, જે જયપુર (રાજસ્થાન)ના પાડા મુડી વિસ્તારનો રહેવાસી છે. તે પશુ લે-વેચનો ધંધો કરે છે. તેની સામે ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુનાઓ નોંધાયેલા હતા. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, PSI એ.પી. માળી અને સ્ટાફ વોચમાં હતા. હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ દ્વારા વિપુલસિંહ અને રાકેશસિંહને માહિતી મળી હતી કે આરોપી જયપુરમાં પશુ લે-વેચનો ધંધો કરે છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા આરોપીનો સંપર્ક કર્યો હતો. પોલીસે ધંધાકીય વાતચીત કરીને આરોપીને પશુ લે-વેચ માટે અમદાવાદ બોલાવ્યો હતો. લોકેશન ટ્રેક કરીને તેને હિંમતનગરના મોતીપુરા બસ સ્ટેન્ડ ખાતેથી ડિટેઈન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને તેની સાથે જ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી, ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આ બદલાતા હવામાન અને વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી, તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનુપ ચંદાનીએ શહેરના નાગરિકોને કેટલીક મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી સલાહ આપી છે. 'હાલમાં ઠંડીના કારણે શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે'આ અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અનુપ ચંદાનીએ જણાવ્યું હતું કે, હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડીનો પ્રકોપ વધુ છે. હાલમાં ઠંડીના કારણે શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે. કોમન કોલ્ડ જે ઠંડીના કારણે લોકો પર તેની અસર દેખાઈ રહી છે. હાલમાં વાતાવરણમાં થતા પલટાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. 'યોગ્ય આહાર અને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ'વધુમાં કહ્યું કે, આ સિઝનમાં જવાબદાર નાગરિક તરીકે આપણે સ્વાસ્થયનું ખુબજ ધ્યાન રાખવું જોઈએ. શરદી-ઉધરસના કેસોથી બચવા માટે યોગ્ય આહાર અને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને આપણે રાત્રે સુતી વખતે ઘણા મોઢેથી શ્વાસ લેતા હોવાના કારણે ઠંડીના વાતાવરણમાં આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે ગળું પકડાઈ જતું હોય છે. પાણી ઠંડુ પીવાનું ટાળવું જોઈએ અને સામાન્ય ગરમ પાણી પીવુંવધુમાં કહ્યું કે, આવી સ્થિતિમાં ઊંઘવાની પોઝિશન યોગ્ય રાખવી જોઈએ. આ સાથે પાણી ઠંડુ પીવાનું ટાળવું જોઈએ અને સામાન્ય ગરમ હોય તેવું પીવું જોઈએ. આ સાથે સિનિયર સિટીઝન દર્દીઓ માટે ખુબજ સાવચેતી પૂર્વક ધ્યાન રાખે અને ગરમ કપડા અને ધ્યાન રાખવા જોઈએ. જેથી વાતાવરણમાં આવતા બદલવાથી બચી શકાય છે. આ સમયે આમળા, લીલી હળદરનું સેવનનું યોગ્ય રીતે સેવન થાય તો તે મદદરૂપ થઈ શકે છે.
મહેશ્વરી સમાજે 'હેલ ટુ રન' મેરેથોનનું આયોજન કર્યું:ડૉ. પ્રતીશ શારદા 161 કિમીની દોડમાં વિજેતા બન્યા
જેસલમેરથી લોંગેવાલા સુધીની 161 કિલોમીટરની 'હેલ ટુ રન' મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા યોજવામાં આવી હતી.આ મેરેથોનમાં મહેશ્વરી સમાજના ડૉ. પ્રતીશ શારદા વિજેતા બન્યા હતા.
વંદે માતરમ્ રાષ્ટ્રીય ગાનના 150 વર્ષ પૂર્ણ થયા:અનમોલ મોતી સ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો
ખોડિયારનગર સ્થિત અનમોલ મોતી સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્રીય ગાનના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ધર્મ જાગૃતિ કેન્દ્ર અને રાહી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન, રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ અને અશોકભાઈ દલાલે બાળકોને વંદે માતરમ્ ગાનનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને સ્ટેશનરી કીટ અને બિસ્કિટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરીને કાર્યક્રમમાં ઉત્સાહ ભર્યો હતો. તેમની રજૂઆતોએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.અનમોલ મોતી સ્કૂલ દ્વારા કાર્યક્રમના અંતે બાળકો માટે મનભાવન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના સંચાલક પાયલબેને મહેમાનોનું સ્વાગત અને સન્માન કર્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંકલન પાયલબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયા પર નકલી સોનાનો વેપલો!:પશ્ચિમ કચ્છ LCBએ છેતરપિંડીનો પ્રયાસ કરતા બે આરોપીઓને ઝડપી લીધા
પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સોશિયલ મીડિયા પર નકલી ID બનાવી સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના ભુજ શહેર વિસ્તારમાં ડી-માર્ટ મોલ સામે ફાટક પાસે બની હતી. LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવની સૂચના મુજબ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા ભુજમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન રણજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, નવાબ જત (રહે. ગાંધીનગરી, ભુજ) તેની હ્યુન્ડાઇ આઇ-10 ગાડી (GJ-12-FE-4266) માં ડી-માર્ટ મોલ સામે ફાટક પાસે હાજર છે. તેની સાથે અલ્તાફ મંધરા (રહે. મદીનાનગર-2) અને મેહબુબ ટાંક (રહે. ગાંધીનગરી, ભુજ) પણ છે. આ ઇસમો સોશિયલ મીડિયા પર ખોટી ID બનાવી બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની જાહેરાતો પોસ્ટ કરીને લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ હાલમાં લોકોને બોલાવીને નકલી સોનાના બિસ્કિટ આપવાની પેરવીમાં હતા. બાતમીના આધારે તપાસ કરતા અલ્તાફ મંધરા અને મેહબુબ ટાંક મળી આવ્યા હતા. તેમના મોબાઈલ ફોનમાં Gourv Soni, Sultansoni Bhai અને Bhavin Patel નામની ફેસબુક પર ખોટી ID ચાલુ હતી, જેમાં છેતરપિંડીના ઇરાદે સસ્તા સોનાની અલગ-અલગ પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, એક નકલી સોનાનો બિસ્કિટ અને એક ટુ-વ્હીલર મોટરસાઇકલ જપ્ત કર્યા છે. આ મામલે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં અલ્તાફ જુમા મંધરા (ઉ.વ.૨૫, રહે. મદીનાનગર-2, ભુજ) અને મેહબુબ હુશેન ટાંક (ઉ.વ.22, રહે. ગાંધીનગરી, ભુજ) નો સમાવેશ થાય છે. જ્યારે નવાબ જત (રહે. ગાંધીનગરી, ભુજ) નાસી છૂટ્યો છે.
ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર 'વનતારા'ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા આ એવોર્ડ અપાયો છે. અનંત અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર સૌથી યુવા અને પ્રથમ એશિયન બન્યા છે. તેમને આ એવોર્ડ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરાયો હતો, જ્યાં વન્યજીવન સંરક્ષણના આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા. આ સન્માન એવી વ્યક્તિઓને અપાય છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને મનુષ્યો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી હોય.
IEEE ગુજરાત સેક્શન AGM 2025:સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સફળતાપૂર્વક યોજાઈ
IEEE ગુજરાત સેક્શન દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM) 2025નું સફળતાપૂર્વક આયોજન સિલ્વર ઓક યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IEEE ગુજરાત સેક્શનના સભ્યો, આમંત્રિત પ્રતિનિધિઓ તેમજ રાજ્યભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે, IEEE ગુજરાત સેક્શનના વરિષ્ઠ સભ્યો દ્વારા ટેકનિકલ પ્રવૃત્તિઓ, સ્ટુડન્ટ બ્રાન્ચ અને પ્રોફેશનલ ચેપ્ટર્સની કામગીરી, સભ્ય વિકાસ અને નવી પહેલોના અમલીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન સકારાત્મક ચર્ચાઓ અને ભવિષ્યલક્ષી આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેને સભ્યો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત, નોમિનેશન કમિટી દ્વારા 'સ્લેટ 2026'નું સત્તાવાર અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ 'સ્લેટ'માં IEEE ગુજરાત સેક્શન માટે પ્રસ્તાવિત નેતૃત્વ ટીમની દ્રષ્ટિ અને આયોજન રજૂ કરવામાં આવ્યા હતા.AGM 2025 એ ઉપસ્થિત સભ્યો અને આમંત્રિતોને નેટવર્કિંગ, વિચારોના આદાનપ્રદાન અને સહયોગી તકનીકો પર ચર્ચા કરવા માટે એક મૂલ્યવાન મંચ પૂરો પાડ્યો હતો. સિલ્વર ઓક યુનિવર્સિટીએ સુવ્યવસ્થિત આયોજન દ્વારા આ કાર્યક્રમની સફળતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ઇસનપુર ખાતે નિઃશુલ્ક એક્યુપ્રેશર કેમ્પ યોજાયો:સુહાની ફાઉન્ડેશનના સહયોગથી 39 દર્દીઓને સારવાર મળી
સુહાની ફાઉન્ડેશનના સહયોગથી ઇસનપુરની સમજુબા સ્કૂલ ખાતે તાજેતરમાં જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોથી પીડાતા 39 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી. સિનિયર થેરાપિસ્ટ જતિનભાઈ મહેતા અને પોરસભાઈ મજમુદાર સહિત કુલ 13 સ્વયંસેવકોએ આ નિઃશુલ્ક સારવાર કેમ્પમાં સેવા આપી હતી. સેવા આપનારાઓમાં સોનુભાઈ, જીગ્નેશભાઈ, રૂપચંદભાઈ, જ્હાન્વીબેન, દિનાબેન, અર્ચનાબેન, પ્રિયંકાબેન, ભાવનાબેન, ચંદાબેન, કશીષબેન અને અંજનાબેનનો સમાવેશ થાય છે.
ટંકારા પોલીસ સ્ટેશન સામે રાજકોટ-મોરબી હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારને પોલીસે રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી 50 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹4,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક અન્ય વ્યક્તિનું નામ ખુલ્યું છે. પોલીસે GJ 36 AJ 2958 નંબરની ઓરા કારની તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન ₹65,000 ની કિંમતનો 50 બોટલ વિદેશી દારૂ, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹4,00,000ની કિંમતની કાર સહિત કુલ ₹4,75,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંજયભાઈ દેવદાનભાઈ ડાંગર (ઉંમર 34, રહે. જસાપર, તા. માળીયા) અને જ્યોતિબેન સંદીપભાઈ ધરજીયા (ઉંમર 34, રહે. નવાગામ, આણંદપર રંગીલા મેઈન રોડ, રાજકોટ)નો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં રાજકોટના રામદેવસિંહ ગોહિલનું નામ પણ ખુલ્યું છે. ટંકારા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય જે કોઈના નામ ખુલશે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.
પરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફતરનો ભાર ન લાગે તે માટે દાતા કિરીટકુમાર બી. દેસાઈએ એક નવી પહેલ કરી છે. તેમણે શાળાને 12 રેક દાનમાં આપ્યા છે.આ રેકનો ઉપયોગ બાળકો તેમના દફતર શાળામાં જ રાખી શકે તે માટે કરવામાં આવશે. દાતા કિરીટકુમાર દેસાઈએ બાળકોને દફતર લાવવામાં પડતી મુશ્કેલી અને વજન ઊંચકવાની તકલીફ જોઈને આ નિર્ણય લીધો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓને દરરોજ ભારે દફતર લાવવાની જરૂર રહેશે નહીં, જેનાથી તેમનો શૈક્ષણિક ભાર હળવો થશે. શાળા પરિવારે દાતા કિરીટકુમાર બી. દેસાઈનો આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો છે.

26 C