વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 16 જેટલા લોકો પાસેથી 40.17 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ છે. ઠગ ઓફીસ તાળું મારીને ફરાર થઈ ગયો છે અને ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ઠગ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં સમતા રોડ ઉપર આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હરીશ જશુભાઈ ચૌહાણે મકાન અપાવવાના બહાને વિશ્વાસ જીત્યો હતો. પોતાની ઓફિસ મારફતે તેમણે પોતે વડોદરા મહાનગરપાલિકામાં એજન્ટ હોવાનો દાવો કરીને પ્રોસેસિંગ માટે રૂપિયાની માંગણી કરી હતી. જાન્યુઆરી 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન આરોપીએ અલગ-અલગ તારીખે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 1.83 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આરોપીએ મકાન ફાળવણીના ખોટા કાગળો અને પાવતી આપી વધુ વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ ડિસેમ્બર 2025 સુધીમાં મકાન આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ સમય પસાર થયા છતાં મકાનનો કબજો ઠગ દ્વારા આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ તેમણે અને તેમના પતિ સાથે ઠગની ઓફિસ પર પહોંચતા ઓફિસ બંધ હતી અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી તેમણે તપાસ કરી હતી. આ હરીશ ચૌહાણે અન્ય 15 લોકોને સાથે રૂપિયા લઇ લીધા હતા પરંતુ મકાન અપાવ્યું ન હતું. હરીશ ચૌહાણે 16 લોકોને આવાસ યોજનામાં મકાન અપાવવાનો ખોટો વાયદો કરીને તેમની પાસેથી રૂ. 40.17 પડાવી લીધી હતું અને મકાન ખરીદનારને ખોટા દસ્તાવેજો બનાવી પધરાવી દીધા હતા. વર્ષાબેન સહિત અન્ય 15 લોકોએ આરોપી હરીશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતો જતો હોવાથી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલે હીટસ્ટ્રોક અને તેનાથી સંબંધિત ઇમર્જન્સીના દર્દીઓ માટે વિશેષ વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 20 બેડનો વોર્ડ તાત્કાલિક શરૂહોસ્પિટલના તંત્ર દ્વારા ઇમર્જન્સી મેડિસિન વિભાગના ઉપરના માળે હીટસ્ટ્રોક દર્દીઓ માટે અલગ 20 બેડનો વોર્ડ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે. જરૂર પડે તો આ બેડની સંખ્યા વધારવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે તેવું હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાઆ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં ઝડપી વધારો થયો છે. આ કારણે ડિહાઇડ્રેશન, ચક્કર, બેહોશી જેવા લક્ષણો સાથે હીટ સંબંધિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ વિશેષ વોર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે. બપોરના સમયે ખુલ્લામાં ન જવાની સલાહહાલમાં આ વોર્ડમાં એક પણ દર્દી દાખલ નથી પરંતુ તબીબની સલાહ છે કે લોકોને અતિશય ગરમીમાં બહાર નીકળતી વખતે પૂરતું પાણી પીવું, હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે ખુલ્લામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે.
ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ગાંધીનગરના નિવૃત સચિવના મહાઠગ પુત્ર નીરવ અને પુત્રવધુ મીરા દવેના કૌભાંડનો આંકડો ઇન્ફોસિટી પોલીસના ચોપડે 33 કરોડે પહોંચી ચૂક્યો છે. આ ઠગાઈમાં હજી પણ નામાંકિત બિલ્ડરો, ડોકટરો અને વેપારી સહિત ભોગ બનનાર 17 જેટલા લોકો સામે આવે તો ઠગાઇનો આંકડો 80 કરોડ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. એવામાં હવે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ પણ ઝંપલાવતા સમગ્ર કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. કરોડોની ઠગાઈના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવ્યા અથવા હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે. EDએ ભોગ બનનાર વેપારીઓને ઇન્વેસ્ટમેન્ટ માટેના નાણાંના સ્ત્રોતનો હિસાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારીને એક મહિનાનું અલ્ટીમેટમ આપતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર શાતિર મહાઠગ નીરવ દવે સહિત તેના નિવૃત નાયબ સચિવ પિતા અને પુત્ર જેલની હવા ખાતા ખાતા જામીન પર છૂટવા માટેના હવાતિયા મારી રહ્યાં છે. મહાઠગની પત્ની ભૂર્ગભમાં ઉતરી ગઈ!બીજી તરફ શરૂઆતથી જ મહાઠગની પત્ની મીરા દવે રહસ્યમય રીતે પોલીસને હાથતાળી આપી ભૂર્ગભમાં ઉતરી ગઈ છે. જેથી ભોગ બનનાર વેપારીઓની પૈસા પરત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. પિતા અને પુત્ર સાથે મહાઠગ નીરવ જેલમાંગાંધીનગરના સેક્ટર-23માં રહેતા મહાઠગ દંપતિએ રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો બનાવી અનેક વેપારીઓને કરોડોનો ચુનો લગાવવામાં આવ્યો છે. આ પ્રકરણમાં મહાઠગ નીરવ તેના નિવૃત નાયબ સચિવ પિતા મહેન્દ્ર અને પુત્ર યજત સેન્ટ્રલ જેલમાં રહી જામીન મેળવવા હવાતિયા મારી રહ્યાં છે. 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો આ સમગ્ર ઠગાઈની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી.અમદાવાદના વેપારી ભાવિકભાઈ પટેલ સાથે નીરવ દવેનો પરિચય વર્ષ 2004માં થયો હતો. એ વખતે નીરવ ઇન્ફોસિટીમાં એરટેલની એજન્સી ચલાવતો હતો. આ પરિચયના વિશ્વાસે વર્ષ 2023માં નીરવે વડનગરના શર્મિષ્ઠા તળાવના મેન્ટેનન્સનું નકલી ટેન્ડર બતાવી ભાવિકભાઈ અને તેમના મિત્રો પાસેથી 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો હતો. સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કરીને 20.70 કરોડ પડાવ્યાત્યારબાદ આ સિલસિલો અટક્યો ન હતો. નીરવે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં રોકાણના નામે તેણે ભાવિક પટેલના સાળા અને અન્ય સંબંધીઓ પાસેથી કુલ 20.70 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ બનાવ્યોઆ સિવાય મહાઠગ દંપતીએ ઇન્ફોસિટીમાં ગેસ એજન્સી ચલાવતા દર્શનભાઈ રામીને પણ શિકાર બનાવ્યા હતા. નીરવ અને તેની પત્ની મીરાએ સુરત મહાનગર પાલિકાના 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ બનાવી વર્ક ઓર્ડર બતાવી દર્શનભાઈ પાસેથી 1.12 કરોડથી વધુની રકમ પડાવી હતી. તો નીરવની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ પણ પોતાના મકાન વેચાણના 24 લાખ રૂપિયા આ ઠગાઈમાં ગુમાવ્યા છે. નિરવ દવેનો પુત્રએ ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતોઆ મામલે પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત દવે ડિજિટલ એડિટિંગનો ઉપયોગ કરતો હતો. યજત અસલી સરકારી પત્રો મેળવી લેપટોપમાં તેમાં ફેરફાર કરી પોતાની પેઢીનું નામ લખી ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો હતો. જેને જોઈને રોકાણકારો વિશ્વાસમાં આવી જતા હતા. ઇન્વેસ્ટમેન્ટના નામે 33 કરોડ ખંખેર્યાજ્યારે નીરવના પિતા મહેન્દ્ર દવે નાયબ સચિવ તરીકે નિવૃત થયા હોવાના વિશ્વાસે રોકાણકારો પણ સરકારી પ્રોજેક્ટમાં તગડો નફો લેવાની ફિરાકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા હતા. આમ વર્ષ 2016થી 2025 દરમિયાન આ આખા પરિવારે મળીને ટુકડે-ટુકડે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. જેનો પોલીસ ચોપડે આંકડો 33 કરોડ પહોંચી ગયો છે. EDએ રોકાણકારોને નોટિસો ફટકારી આ ઠગ દંપતીની ઠગાઈનો આંકડો કરોડો રૂપિયા હોવાનું શરૂઆતથી જ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. હવે ઠગાઈ આંકડો 33 કરોડ પહોંચતા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. EDએ હવે રોકાણકારોને નોટિસો પાઠવી એક મહિનાનું એલ્ટિમેટ આપી કરોડો રૂપિયાના હિસાબો રજૂ કરવા આદેશ આપ્યો છે. આમ હવે ભોગ બનનાર રોકાણકારો ડુબેલા પૈસા પરત મેળવાના ચક્કરમાં ઇડીના રડારમાં આવી ગયાં છે. શહેરના એક જાણીતા બિલ્ડરે 9 કરોડ રોક્યા હતાજેના પગલે રોકાણકારો ઇડીને શું જવાબ આપવો એની મુઝવણમાં આવી ગયા છે. આ પ્રકરણમાં હજી પણ 17 જેટલા રોકાણકારો કરોડો ડૂબ્યા હોવા છતાં ખુલીને સામે આવ્યા નથી. કેમકે આ એવા રોકાણકારો છે જે સરકારી ટેન્ડરની લાલચ માં બ્લેકના કરોડો રૂપિયા રોકાણ કરી ચુક્યા છે. જેમાં શહેરના એક જાણીતા બિલ્ડરે 9 કરોડ રોક્યા હતા. ઠગાઇનો આંકડો સત્તાવાર રીતે 80 કરોડ પહોંચી જાય એમઆ બિલ્ડરની સ્કીમમાં નીરવ દસથી બાર પૈસાનો ભાગીદાર હતો. બાદમાં નિરવે સરકારી ટેન્ડરોની લાલચ આપી હતી. જેના વિશ્વાસે બિલ્ડરે બ્લેકની એન્ટ્રીના રૂપિયા નીરવને રોકાણ માટે આપી દીધા હતાં. તો નિરવે આ રકમ વ્હાઇટ એન્ટ્રીમાં કન્વર્ટ કરી દીધી હતી. એટલે બિલ્ડર કરોડો ગુમાવીને પણ ચુપ છે. આવી જ હાલત ડોક્ટરો અને અન્ય વેપારીઓની થઈ છે. જો આ ભોગ બનનાર પણ સામે આવેતો ઠગાઇનો આંકડો સત્તાવાર રીતે 80 કરોડ પહોંચી જાય એમ છે. કરોડો રૂપિયા ક્યાં છે એજ નક્કર રીતે બહાર આવ્યું નથીબીજી તરફ નીરવની પત્ની મીરાની પણ માયાજાળમાં ફસાયેલા ભોગ બનનાર વેપારીઓ પૈસા પરત મેળવાના ચક્કરમાં ઇડીના રડારમાં આવી ગયા છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં દવે પરિવારના બેંકના આર્થિક વ્યવહારો પણ ચકાસી લેવાયા છે પણ કરોડો રૂપિયા ક્યાં છે એજ નક્કર રીતે બહાર આવ્યું નથી. મીરા દવે નાટ્યાત્મક રીતે પોલીસને હંફાવી રહી છેઆ અંગે ભોગ બનનાર વેપારીઓનું કહેવું છે કે, નીરવ ગાંધીનગર કોર્ટ મુદ્દતે આવે ત્યારે પત્ની મીરાને સાઈડમાં રાખશો તો જ બહાર આવીને રૂપિયા પરત કરશે તેવી શરતો મુકી રહ્યો છે. નિરવ અને તેની પત્નીએ ઠગાઇના રૂપિયા ક્રિપ્ટો અને વિદેશમાં રહેતા પરિચિતોને હવાલા મારફતે મોકલી દીધા છે. જો મીરા હાથમાં આવે તો આ કરોડો રૂપિયાના સગળ મળી જાય એમ છે. પરંતુ આટલો સમય વિત્યા પછી પણ એકમાત્ર મીરા દવે નાટ્યાત્મક રીતે પોલીસને હંફાવી રહી છે.
રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 IAS અધિકારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ કારણે વિવિધ વિભાગોમાં કામગીરી અવિરત રહે તે માટે અધિકારીઓના ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ તાત્કાલિક વ્યવસ્થા અમલમાં રહેશે. સુરત મ્યુ. કમિશનરની જવાબદારી સુરત કલેક્ટર સંભાળશેપરિપત્ર મુજબ, રૂપવંત સિંહ (MD, GMDC)નો વધારાનો ચાર્જ ડૉ. ટી. નટરાજન (ACS, નાણાં વિભાગ) સંભાળશે, જ્યારે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપનો કાર્યભાર આરોગ્ય કમિશનર સંધ્યા ભુલ્લરને સોંપાયો છે. GNFCના MD રાજકુમાર બેનીવાલનો ચાર્જ ડૉ. અંજુ શર્માને આપવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન એમ.ની જવાબદારી સુરત કલેક્ટર ડૉ. પાર્ધી સૌરભ જામસિંહ સંભાળશે. રાજેશ માંઝુનો ચાર્જ ડૉ. જયંતિ એસ. રવિ સંભાળશેઆ ઉપરાંત અશ્વિની કુમારે ઉર્જા વિભાગ સાથે સ્પોર્ટ્સ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો વધારાનો ચાર્જ સંભાળ્યો છે, જ્યારે અવંતિકા સિંહ કૌલખને GSPC સાથે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના CEO તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. મહેસૂલ તપાસણી કમિશનર રાજેશ માંઝુનો ચાર્જ ડૉ. જયંતિ એસ. રવિ સંભાળશે. રમ્યા મોહનનો ચાર્જ પ્રશાંત જિલોવા સંભાળશેજેનુ દેવન અને મહેશ આઈ. પટેલના ચાર્જ સંદીપ કુમારને સોંપાયા છે, જ્યારે રમ્યા મોહનનો ચાર્જ અમદાવાદના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પ્રશાંત જિલોવા સંભાળશે. દિલીપકુમાર રાણા, ધવલકુમાર પટેલ અને રણજીત કુમાર સિંહના ચાર્જ અનુક્રમે બી.એચ. તલાટી, કે.સી. સંપત અને કે.જે. રાઠોડને સોંપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી દરમિયાન શાસનવ્યવસ્થા અને વિકાસકાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આ તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. સેલિબ્રિટી અને ક્રિકેટરો પણ 'Komo by Kaffa' આવ્યા'તા‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે. અમદાવાદમાં આવતા મોટાભાગના સેલિબ્રિટી અહીંયા એક વખત મુલાકાત લેતા જ હોય છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયા જ્યારે અમદાવાદ મેચ રમવા આવી ત્યારે ટીમના પ્લેયર પણ આ કેફેમાં ગયા હતા. સામાન્ય દિવસમાં પણ આ કેફેમાં 20થી 30 મિનિટનું લાંબુ વેઈટીંગ હોય છે. ત્યારે આટલા મોંઘા અને જાણીતા કેફેની આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ગાર્લિક બ્રેડમાં મરેલી માખી જોઈ યુવક ચોંકી ગયોમળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો ધ્રુવિલ પટેલ નામનો યુવક પત્ની સાથે જમવા માટે જાણીતા 'Komo by Kaffa' માં ગયો હતો. ધ્રુવિલે કોમોમાંથી પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ, રાઈસ વિથ કરી અને આઈસ કોફી મંગાવી હતી. ધ્રુવિલના ટેબલ પર આઈસ કોફી અને પાસ્તા આવ્યા હતાં. જમવાની શરૂઆત કર્યાના થોડા સમયમાં જ ધ્રુવિલ અચાનક ટેબલ પરથી ઉભો થઈ ગયો હતો. સ્ટાફે માફી માંગીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરીધ્રુવિલે મંગાવેલા પાસ્તામાં આવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી. ધ્રુવિલે જમવાનું ટેબલ છોડીને હોબાળો કર્યો હતો, જેથી સ્ટાફ ભેગો થયો હતો. ધ્રુવિલે આટલી મોટી બેદરકારી અંગે ફરિયાદ કરી તો કેફેના સ્ટાફે માફી માગી લીધી હતી. કેફેના સ્ટાફે બિલ માફ કરીને ધ્રુવિલને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી હતી. ધ્રુવિલે આ અંગે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે. 'જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે'ધ્રુવિલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જમવા ગયા ત્યારે વેઈટિંગ હતું, અમે રાહ જોઈને અંદર ગયા હતા. જે પાસ્તાનો ઓર્ડર આપ્યો તેની કિંમત 850 રૂપિયા હતી. કહેવાતા હાઈફાઈ કેફેમાં આટલી મોટી રકમ લઈને પણ ફૂડમાં ધ્યાન રાખવામાં આવતું ન હોય તો બંધ કરી દેવું જોઈએ. અમારી માંગ છે કે આ કેફે જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે. અગાઉ ક્રિકેટર 'Komo by Kaffa' આવ્યા'તા ઉલેખ્ખનીય છે કે, 7 માર્ચ, 2026ના ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ અને ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા 'Komo by Kaffa' માં મોડી રાતે જોવા મળ્યા હતાં. આ પણ વાંચોઅમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
ભાવનગર જિલ્લા જેલની બહારથી અજાણ્યા શખસે પ્રતિબંધિત વસ્તુ ધરાવતો દડો જેલની અંદર ફેક્તા દડો હવાલદારના હાથમાં આવ્યો હતો. જે દડાની તપાસ કરતા તેમાંથી સિગારેટનું પેકેટ, મસાલો, તમાકુ, મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જે મામલે જિલ્લા જેલના જેલરે નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ગુનો નોંધાવ્યો હતો. જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળીઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લા જેલના જેલર ગ્રુપ-2 રણજીતસિંહ તેજમાલસિંહ સોલંકી એ ફરિયાદ નોંધાવી હતી કે, આજરોજ સવારના સમયે જેલની અંદર રેડીયો પ્રિઝન રૂમની સામેની બાજુ આવેલ છોડની પાસે કાળા કલરની સેલોટેપ વિંટેલ દડો જેલના હવાલદાર પ્રવિણભાઈ ભૌપાભાઈ બારૈયાને મળી આવ્યો હતો. જે દડો ખોલી ને તપાસ કરતા, તેમાંથી 138 બાગબાન તમાકુની પડીકી વાળો મસાલો, સીગારેટનું 1 પેકેટ, બુધાલાલ તમાકુની પડીકી 5 નંગ, ચુનાની ટોટી 4 નંગ, ચાર્જર, કીપેડ વાળો બેટરી સાથે સિમકાર્ડ વગરનો મોબાઇલ મળી આવ્યો હતો. જે મળી આવેલી જેલ પ્રતિબંધિત વસ્તુ ધરાવતા દડાને અજણાયા શખસે જેલની મુખ્ય દિવાલ કુદાવીને બહારના ભાગેથી ફેંકવામાં આવ્યો હતો, જે ફરિયાદના અનુસંધાને નિલમબાગ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ BNS કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45(12) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈફ્તારમાં ધર્મેશ ગામીની કુરેશી સમાજને અપીલ:ગુજરાતના ગૌ સંરક્ષણ કાયદાનું પાલન કરવા ભાર મૂક્યો
રમઝાન મહિના નિમિત્તે આયોજિત એક ઈફ્તાર કાર્યક્રમમાં ભારતીય ગૌ રક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ કુરેશી સમાજને સંબોધિત કર્યા હતા. તેમણે સમાજમાં એકતા, ભાઈચારો અને કાયદાના પાલન પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને, તેમણે ગુજરાતના ગૌ સંરક્ષણ કાયદાઓનું પાલન કરવા અપીલ કરી હતી. ગામીએ જણાવ્યું કે વિશ્વભરમાં ખાદ્ય આદતો અંગે ચર્ચાઓ થાય છે અને મોટાભાગના લોકો માંસાહારી ખોરાક લે છે. તેમ છતાં, ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ પ્રાણીઓના સંરક્ષણ માટે કાયદા ઘડ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક રાજ્યમાં કયા પ્રાણીની કતલ કરી શકાય અને કયા પ્રાણીની નહીં તેના સ્પષ્ટ નિયમો છે. આ નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે ફરજિયાત છે. તેમણે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ગાયના સંરક્ષણ અંગેના કડક કાયદાઓનો ઉલ્લેખ કર્યો. ગામીએ કુરેશી સમાજના લોકોને આ કાયદાનું પાલન કરવા અને કાયદાકીય મુશ્કેલીઓથી દૂર રહેવા સૂચન કર્યું હતું. ધર્મેશ ગામીએ સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો જાળવી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે મજીદભાઈ, ઈકબાલભાઈ અને અન્ય વડીલો દ્વારા આઠથી દસ વર્ષ પહેલાં સમાજને જાગૃત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રયાસોથી કુરેશી સમાજને ઘણો ફાયદો થયો છે. અંતમાં, તેમણે સમાજને એકતા જાળવી રાખીને કાયદાનું પાલન કરવા અને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.
મોરબીમાં ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા દીકરીઓ અને યુવતીઓ માટે 'કેરાલા સ્ટોરી-2' ફિલ્મનું નિશુલ્ક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે યુવતીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું. આયોજકોએ શરૂઆતમાં 6 સ્ક્રીન બુક કરી હતી, પરંતુ મોટી સંખ્યામાં યુવતીઓ ફિલ્મ જોવા આવતા કુલ 9 સ્ક્રીનમાં મૂવી બતાવવામાં આવી હતી. આ શો ખાસ કરીને 25 વર્ષથી નાની દીકરીઓ અને યુવતીઓ માટે નિશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ આયોજનમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયા, તેમજ આર્યવ્રત કોલેજ મોરબીનો આર્થિક સહયોગ મળ્યો હતો. આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા, વર્તમાન સમયમાં ઊભા થઈ રહેલા સામાજિક પ્રશ્નોની વાસ્તવિકતાઓ દર્શાવે છે. દીકરીઓ અને યુવતીઓ ગેરમાર્ગે દોરાતી અટકે અને વાસ્તવિકતાને સમજે તે માટે આ વિશેષ શોનું આયોજન કરાયું હતું. આ મૂવી દ્વારા દીકરીઓમાં લવજેહાદ જેવી બાબતોથી બચવા માટે જાગૃતિ આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદના વંટોળમાં સંપડાઇ છે. નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં સાત દિવસથી વધુ સમય એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારની સર્જરી મોડી થતા દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરના એસીમાં ટેકનિક્લ ખામી સર્જાઈમળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજિત ત્રણ હજારથી વધુ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ વિવિધ ક્લીફોની સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં એક અઠવાડિયાથી એસીમાં ટેકનિક્લ ખામી સર્જાઈ છે. જેના લીધે બે ટેબલમાં ઓપરેશન થતા નથી અને હાલમાં માત્ર એક ટેબલ પર અસ્માત અને તત્કાલ દર્દીઓની સર્જરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. એક ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઇ શકે છેનવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર દરરોજ નાનીમોટી થઈને 20થી વધુ તબીબ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી. પણ હાલમાં એક ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઇ શકે છે. જયારે એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. એવા સંજોગોમાં આ ખામીના કારણે ઓપરેશન ઓછા થતા અન્ય દર્દીઓના ઓપરેશન ડીલે થઈ રહ્યા છે. દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારોસિવિલમાં એસી ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી અને પોતાની રીતે કામગીરી કરતા હોવાના લીધે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. 'ઓપરેશન થિયેટરમાં એસી રીપેરિંગની કામગીરી ચાલુ'આ બાબતે સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાં એસી રીપેરિંગની કામગીરી ચાલુ છે અને તે ઝડપથી રીપેરીંગ થઈ જશે. હાલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થો. ઓપરેશન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે બૌદ્ધિક સંપત્તિ જાગૃતિ માટે IP યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ (CGPDTM) ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ગૌરવ સમાન ‘સોમપુરા શિલ્પ સ્થાપત્ય કલા’ અને ‘ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ’ પથ્થર કોતરણીને ભૌગોલિક સંકેતક (GI Tag) અપાવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. EDIIના માર્ગદર્શન હેઠળ આ બંને પ્રાચીન કળાઓ માટે GI ટેગિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં જ આરંભવામાં આવશે, જેના પરિણામે સ્થાનિક કારીગરોની કળાને કાયદાકીય રક્ષણ મળશે અને વૈશ્વિક બજારમાં એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ પ્રસંગે સોમપુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ સોમપુરાનું ડૉ. ઉન્નત પંડિત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે, ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વંશપરંપરાગત ચાલી આવતી કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. તેમણે ઉમેર્યું હતું કે, GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ આ સમગ્ર પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનીકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના સંરક્ષણ માટે પણ આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થયો હતો. ડૉ. પંડિત દ્વારા ટાંગલિયા શાલના વ્યવસાય સાથે જોડાયેલા 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ કારીગરોને મળેલી આ માન્યતા તેમની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ 'માતાની પછેડી' કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનને ‘સુરત કટ’ માટે GI સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું, જે હીરા ઉદ્યોગની કુશળતાને વૈશ્વિક માન્યતા આપે છે.
વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી:સૂતેલા યુવકનો ફોન ચોરનાર તસ્કર કલાકોમાં ઝડપાયો
વાપી રેલવે સ્ટેશન પર 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત રેલવે સુરક્ષા બળ (RPF) એ મોબાઈલ ચોરીના એક બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. સ્ટેશનના વેઈટિંગ એરિયામાં સૂતેલા એક યુવકનો મોબાઈલ ચોરી કરી ફરાર થયેલો શખ્સ CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પકડાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા સંદીપ ઘનશ્યામ તિવારી ગત 16 માર્ચના રોજ બપોરના સમયે વાપી રેલવે સ્ટેશનના મેન હોલમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમની જેબમાંથી આશરે ₹11,000ની કિંમતનો 'Realme' કંપનીનો મોબાઈલ ચોરી લીધો હતો. ભોગ બનનાર યુવકે તાત્કાલિક RPF ઓફિસે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ ASI નીતિન કુમાર ટંડેલ અને તેમની ટીમે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરાની તપાસ શરૂ કરી. ફૂટેજમાં લાલ ટી-શર્ટ પહેરેલો એક શખ્સ યુવકના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન RPF ટીમે વાપી રિઝર્વેશન સેન્ટર પાસે લાલ ટી-શર્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને જોયો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતર્ક જવાનોએ તેને ઝડપી લીધો. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ સની સિંહ (ઉંમર 31, રહે. દમણ) હોવાનું જણાવ્યું. તેણે ચોરીની કબૂલાત કરી અને જણાવ્યું કે ચોરી કરેલો મોબાઈલ તેણે પોતાના મિત્રના ઘરે છુપાવ્યો હતો. RPF ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ચોરી થયેલો મોબાઈલ પણ રિકવર કર્યો. ચોરીનો મુદ્દામાલ મળી આવતા RPFએ આરોપી અને જપ્ત કરેલો મોબાઈલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાપી GRPને સોંપ્યા. GRP પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને સાવચેત રહેવાની અને ખાસ કરીને આરામ કરતી વખતે પોતાના સામાનની સુરક્ષા રાખવા અપીલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ધ્રાંગધ્રા ચોકડી પાસે પોલીસે રેતીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 40.47 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે એક ડમ્પર અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 61.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી કરતા કેટલાક આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા મુદ્દામાલમાં 10,068 નાની-મોટી બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 40,47,600 છે. આ ઉપરાંત, રૂ. 15 લાખનું ડમ્પર, રૂ. 5 લાખની સ્વિફ્ટ કાર, રૂ. 35,000ના 6 મોબાઇલ ફોન અને રૂ. 50,000 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા જીજ્ઞેશગીરી ભરતગીરી ગોસ્વામી, ગણપતપરી કાલપરી ગોસ્વામી, દિનેશગીરી રૂપગીરી ગોસ્વામી, એક કિશોર, કાળા કલરની સ્વિફ્ટ ગાડીનો માલિક, ટાટા કંપનીના ડમ્પરનો માલિક, દારૂનો જથ્થો મોકલનાર ભરતગીરી જીવગીરી ગોસ્વામી અને મંગાવનાર બળવંતસિંહ જીલુભા ઝાલા સહિતના આરોપીઓ સામે મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા અને સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામમાં એક 17 વર્ષીય સગીરાએ યુવકની પજવણીથી કંટાળી પોતાના ઘરમાં એસિડ પી આપઘાત કર્યો હતો. 15 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં સગીરાનું મોત નીપજ્યું હતું. નાનાપોંઢા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, મોટાપોંઢા ગામના ગામતળ ફળિયામાં રહેતી 17 વર્ષ અને 9 માસની સગીરાને ગામમાં સોના-ચાંદીની દુકાન ચલાવતો મૂળ રાજસ્થાનનો ખુશાલ દયારામ માલી નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. આરોપી યુવકે સગીરાને ગુપ્ત રીતે મોબાઈલ ફોન અને સિમકાર્ડ આપી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ગત 15 માર્ચના રોજ સગીરાએ એસિડ પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સગીરાના મૃત્યુ બાદ ઘરની તપાસ કરતા તેના પલંગ નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં સગીરાએ લખ્યું હતું કે, આ છોકરો મને બ્લેકમેલ કરતો હતો અને મને જીવવા દેતો ન હતો. સગીરાના પિતા સાવલારામ માલીએ આ અંગે નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી ખુશાલ માલીએ સગીરાને લલચાવી-ફોસલાવી મોબાઈલ આપી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા વારંવાર દબાણ કરીને માનસિક ત્રાસ આપ્યો હતો, જેના કારણે સગીરાએ આ અંતિમ પગલું ભર્યું હતું. નાનાપોંઢા પોલીસે બી.એન.એસ. (B.N.S.S.) કલમ 107 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ભીમશી રાજસીભાઈ બેરા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીના એક જ દિવસમાં PGVCLને રૂ. 88.41 લાખની વસુલાત થઈ હતી અને 458 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ડ્રાઇવથી બાકીદારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ મેગા ડ્રાઇવ માટે વેરાવળ ડિવિઝન હેઠળના 7 સબ ડિવિઝનમાં કુલ 94 ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમોએ સવારથી સાંજ સુધી ગામડાંથી શહેર સુધીના વિસ્તારોમાં બાકીદારો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના પરિણામે, કુલ રૂ. 88.41 લાખની વસુલાત થઈ હતી. ડ્રાઇવ દરમિયાન 458 બાકી વીજ ગ્રાહકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના ભયથી 1156 ગ્રાહકોએ ડિસ્કનેક્શન પહેલાં જ તેમની બાકી રકમ ભરી દીધી હતી. આ ઉપરાંત, PGVCLને રીકનેક્શન પેનલ્ટી પેટે રૂ. 28,600 ની વધારાની આવક પણ થઈ હતી. PGVCLના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે આ મેગા ડ્રાઇવનો મુખ્ય હેતુ બાકીદારોને કડક સંદેશ આપવાનો અને નિયમિત ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે આવી કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને બાકીદારો સામે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ ડ્રાઇવને કારણે જિલ્લામાં વીજચોરી અને બાકીદારી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નિયમિત બિલ ભરતા ગ્રાહકોમાં પણ આ કાર્યવાહીથી સંતોષ જોવા મળી રહ્યો છે. PGVCLની આ કામગીરી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે બાકી બિલો મામલે હવે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20 લોકોનું ટોળું જોઈને પોલીસ ભાગી
Patan News: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ગત 15 માર્ચની રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગામના એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા હથિયારધારી શખસોએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો? પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને લોલમલોલની પરંપરાના આક્ષેપોના ફરિયાદોના વિવાદ વચ્ચે તંત્રને પોતાના જ કર્મચારીઓ અને એન્જિનિયરો પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ માહોલ ઊભો થયો છે. કેમ કે શહેરની ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ક્વોલિટી કંટ્રોલ માટે અલગથી લાખો રૂપિયાનો ખર્ચ કરવાની નવી આશ્ચર્યજનક પરંપરા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે એન્જિનિયરિંગ શાખાની એ જવાબદારી હોય છે કે કામગીરી ટેન્ડરની શરતો મુજબ થાય છે કે નહીં તે જોવું પરંતુ આ શાખાની છબી એટલી હદે ખરડાયેલી છે કે હવે ગુણવત્તા ચકાસવા માટે પણ વધારાનું આર્થિક ભારણ વહીવટી તંત્ર પર નાખવામાં આવ્યું છે. ગુણવત્તા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન, છતાં ટેન્ડર મંજૂર કરી દીધુંઆ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ડ્રેનેજ ડિસિલ્ટીંગની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 4.11 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે એક એજન્સીએ અંદાજિત ભાવ કરતા 23.23 ટકા નીચા ભાવ ભરીને કામ રાખ્યું છે. આટલા નીચા ભાવે કામ રાખ્યા બાદ ગુણવત્તા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છતાં સ્થાયી સમિતિએ રૂ. 3.16 કરોડમાં આ ટેન્ડર મંજૂર કરી દીધું છે. નીચા ભાવે ટેન્ડર મેળવીને બાદમાં ખર્ચના બહાને બિલની રકમ બમણીત્યારે મનપા તંત્રમાં એ પણ પ્રશ્ર ઉઠી રહ્યો છે કે, એસઓઆર મુજબ અંદાજ ગણવામાં એવો તો કેવો ઉત્સાહ કે એજન્સી નીચા ભાવે કામ કરવા તૈયાર થઈ છે. ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નીચા ભાવે ટેન્ડર મેળવીને બાદમાં એક્સેસ ખર્ચના બહાને બિલની રકમ બમણી કરી દેવાના અનેક કિસ્સા ગાજ્યા છે. 94 લાખથી વધુની રકમની જોગવાઈ ત્યારે મનપા તંત્રમાં એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, એસઓઆર મુજબ અંદાજ ગણવામાં એવો તો કેવો ઉત્સાહ કે એજન્સી નીચા ભાવે કામ કરવા તૈયાર થઈ છે.ભૂતકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નીચા ભાવે ટેન્ડર મેળવીને બાદમાં એક્સેસ ખર્ચના બહાને બિલની રકમ બમણી કરી દેવાના અનેક કિસ્સા ગાજ્યા છે. આ વખતે પણ એ જ રમત રમાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 23 ટકા નીચા ભાવે ટેન્ડર મંજૂર કર્યા પછી જીએસટીના 18 ટકા અલગ ચૂકવવાનો અને કન્ટિજન્સી અને ક્વોલિટી કંટ્રોલ માટે ત્રણ ટકા અલગ ખર્ચની જોગવાઈ કરી છે. જેના પરિણામે મંજૂર થયેલા ટેન્ડરમાં કુલ 94 લાખથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. 23 ટકા નીચા ભાવે ટેન્ડર મંજૂર કર્યા પછી પણ કન્ટિજન્સી અને ક્વોલિટી કંટ્રોલના નામે કુલ 94 લાખથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે. ક્વોલિટી કંટ્રોલના નામે નવો ગતકડું ઉભું કરાયાની ચર્ચારાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ચૂંટણી નજીક હોવાથી એન્જિનિયરિંગ શાખાના ભરોસે રહેવાને બદલે ક્વોલિટી કંટ્રોલના નામે નવો ગતકડું ઉભું કરાયું છે. જેથી ભવિષ્યમાં કામમાં લોટપાણીને લાકડા થાય તો કોઈની જવાબદારી નક્કી ન કરી શકાય. આમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શિતાના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે અને અંતે તો પ્રજાના ટેક્સના નાણાંનો જ વેડફાટ થવાનો છે.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં રસ્તાના અભાવે ફરી એકવાર પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉચકીને ૧ કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પડી હતી. ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુકરદા ગામના દુક્તા ફળિયામાં રહેતી અનિતાબેન સેવજીભાઈ ભીલને રાત્રિ દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડી હતી. રાતનો સમય હોવાથી પરિવારજનોએ સવાર થવાની રાહ જોઈ હતી. સવારે અનિયાબેનને ઝોળીમાં ઉચકીને કાચા રસ્તા સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઊભી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનિયાબેનને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં ઉચકીને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે પ્રસૂતિને દસ દિવસની વાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો તેમને ઘરે પરત લાવ્યા હતા અને ફરી રાત્રિના સમયે દુખાવો શરૂ થયો હતો. નસવાડી તાલુકામાં છેલ્લા દસ દિવસમાં આ ત્રીજી ઘટના છે જેમાં પ્રસૂતાને ઝોળીમાં ઉચકીને લઈ જવામાં આવી છે. આ તમામ ઘટનાઓ મીડિયામાં પણ પ્રકાશિત થઈ છે, તેમ છતાં જિલ્લાનું તંત્ર આ મામલે મૌન સેવી રહ્યું છે. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં પાકા રસ્તા બનાવવાની તાતી જરૂરિયાત છે.
સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજીત ભટ્ટને આખરે ફરજ પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. કમિશનર એમ. નાગરાજનના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેવા બદલ સસ્પેન્ડ થયેલા ડૉ. ભટ્ટને હવે સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે ખાલી પડેલી જગ્યા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિશનરે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતોજ્યારે સુરત મનપા કમિશનર એમ. નાગરાજન શહેરના ભાગળ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચ્યા હતાં. તે સમયે સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. અજીત ભટ્ટને હાજર રહેવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ ફરજ પર ગેરહાજર જણાયા હતાં. શિસ્તબદ્ધ વહીવટના આગ્રહી કમિશનરે આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સસ્પેન્શનના પગલે મનપાના આરોગ્ય વિભાગમાં સોંપો પડી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. સમીક્ષા સમિતિનો નિર્ણય, નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાની ભલામણમનપા દ્વારા ફરજ મોકૂફી હેઠળ મુકાયેલા અધિકારીઓના કેસોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની બેઠક તારીખ 11 માર્ચ, 2026ના રોજ મળી હતી. જેમાં ડૉ. અજીત ભટ્ટના કેસની સમીક્ષા કરવામાં આવી અને તેમને શરતી રીતે નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ, 17 માર્ચ 2026ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બીમાં મુકાયાહુકમમાં જણાવ્યા અનુસાર, ડૉ. અજીત ભટ્ટને સેન્ટ્રલ ઝોનને બદલે હવે સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે નાયબ આરોગ્ય અધિકારીની ખાલી જગ્યા પર બદલી સાથે મુકવામાં આવ્યા છે. જોકે, આ પુનઃ સ્થાપના કેટલીક મહત્વની શરતોને આધીન છે જેમાં સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેઓ જે પગાર ધોરણમાં પગાર મેળવતા હતા, તે જ ધોરણ મુજબ તેમને હાલ પગાર ચૂકવવામાં આવશે. સેન્ટ્રલ ઝોનની જવાબદારી અમિત પટેલને સોંપાઈડૉ. અજીત ભટ્ટની બદલી થતા, સેન્ટ્રલ ઝોનની જવાબદારી હવે ડૉ. અમીતકુમાર ચંપકલાલ પટેલને સોંપવામાં આવી છે. ડૉ. પટેલ હાલ સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે ફરજ બજાવતા હતા, પરંતુ હવે તેઓ સેન્ટ્રલ ઝોન ખાતે નાયબ આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સંભાળશે.
પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સુધારણા માટે મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 11.5 કિલોમીટર લંબાઈના રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જેના પર અંદાજે 57 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મંજૂર કરાયેલા 11.5 કિલોમીટરના રસ્તામાંથી 1300 મીટરના વિસ્તારમાં સીસી વર્ક (કોંક્રિટ રોડ) કરવામાં આવશે. રસ્તાની બંને બાજુ સાઈડ કર્બિંગ, ફૂટપાથ અને ગટર (સાઈડ ડ્રેઈન) જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટેનું પ્રી-ક્વોલિફિકેશન મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ટેન્ડર મંજૂર થયા બાદ તુરંત જ રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. આ નવા રસ્તાના નિર્માણથી સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓને મોટી સુવિધા પ્રાપ્ત થશે.
ગોધરા નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે, પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દુકાનોને સીલ કરી છે અને 4 મિલકતોના પાણીના જોડાણો કાપી નાખ્યા છે. લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલકતો સામે પાલિકાના વસૂલાત વિભાગે કડક કાર્યવાહી કરી છે. વેરા વસૂલાત ટીમે અનેક વખત નોટિસ આપવા છતાં વેરો ભરપાઈ કરવામાં આળસ દાખવતા મિલકતધારકો સામે આ પગલાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તાર અને GIDC વિસ્તારમાં આવેલી દુકાનો અને મિલકતો પર કરવામાં આવી હતી. કુલ 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે 4 મિલકતોના પાણીના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ કડક ઝુંબેશ દરમિયાન, પાલિકાના વસૂલાત વિભાગે સ્થળ પર જ ₹2 લાખથી વધુની વેરા વસૂલાત કરી હતી. પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ બાકીદારો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે. નાગરિકોને વધુ શિક્ષાત્મક પગલાંથી બચવા માટે સમયસર વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની મુદત પૂર્ણ થઈ છે, જેના પગલે આવતીકાલથી જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને એક નગરપાલિકામાં વહીવટદાર શાસન લાગુ પડશે. આજે બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયત તેમજ બરવાળા નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ છે. બોટાદ નગરપાલિકાની મુદત આવતીકાલે પૂર્ણ થશે. જિલ્લા પંચાયત માટે બોટાદ કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગઢડા અને બોટાદ તાલુકા માટે બોટાદ પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે, જ્યારે રાણપુર અને બરવાળામાં બરવાળા પ્રાંત અધિકારી વહીવટ સંભાળશે. આ વહીવટદાર શાસન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં આગામી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ચાલુ રહેશે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી થઈ છે. ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કૃષ્ણા શાંતિ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ રામમનોહર તિવારીએ નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ સિવિલ કામ કરે છે. ગત. 13 માર્ચ 2026ના રોજ પ્રતિકભાઈ તથા તેમના ભાઈ સાથે કામકાજ અર્થે ભરૂચ ગયા હતા. દરમિયાન સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ તેમની પત્ની દિવ્યાબેનનો ફોન આવ્યો હતો. ફોનમાં તેમણે જણાવ્યું કે તેઓ ઘરે આવેલા મંદિરમાં પૂજા કરવા ગયા હતા, ત્યારે મંદિરમાં રાખેલી ચાંદીની મૂર્તિઓ ગાયબ જોવા મળી હતી. પ્રતિકભાઈ અને તેમના ભાઈ તાત્કાલિક ઘરે પરત ફર્યા અને તપાસ કરતા મંદિરની બંને ચાંદીની મૂર્તિઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયેલી મૂર્તિઓમાં લક્ષ્મીમાતાજીની મૂર્તિ, ગણેશજીની બેઠેલી મૂર્તિનો સમાવેશ થાય છે.બન્ને મૂર્તિઓનું કુલ વજન આશરે 800 ગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂપિયા 1.30 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. ખાસ વાત એ છે કે, ઘરના તાળા તૂટેલા નથી, જેના કારણે ચોરી કેવી રીતે થઈ તે અંગે રહસ્ય ઊભું થયું છે. અજાણ્યા ચોર દ્વારા તા. 13 માર્ચના બપોરે 3વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે મંદિરેથી મૂર્તિઓ ચોરી કરવામાં આવી છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બેજૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું બન્ને પક્ષે સામસામે પથ્થરમારો સર્જાતા બે લોકોને ઇજાઓ પહોંચી હતી, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા એલસીબી ઘોઘારોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. ક્રિકેટ રમવા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણભાવનગર શહેરના આડોડિયા વિસ્તારમા આજરોજ સાંજના સમયે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરો મારો કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથના લોકો એ સામસામી પથ્થરમારો થતા વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. સામસામે પથ્થર મારો થતા યુવતી અને મહિલાને ઈજારોડ પર લોકોના ટોળા ઊમટતા સમગ્ર બનાવની જાણ થતા ઘોઘારોડ પોલીસ, એલસીબી સહિતનો મસમોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો. જેમાં સામસામે પથ્થર મારો થતા એક યુવતી અને એક મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકના PI દેસાઈ સાથે દિવ્યભાસ્કરની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર ઘટના ક્રિકેટ રમવા બાબતે સર્જાઈ હતી જેમાં બે લોકોને ઈજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બનાવના પગલે પોલીસ તે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર વિરુદ્ધ ગુનો નોંધાવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
19 માર્ચ મુખ્યમંત્રી પોરબંદરની મુલાકાતે:રૂ. 241 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે
પોરબંદરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચના રોજ પોરબંદરની મુલાકાત લેશે. આ પ્રસંગે તાજાવાલા હોલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં અંદાજે ₹241 કરોડથી વધુના ખર્ચના 23 વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કુલ ₹241.47 કરોડના પ્રોજેક્ટ્સમાં ₹229.33 કરોડના 16 નવા કામોનું ખાતમુહૂર્ત અને ₹12.14 કરોડના 7 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા પર કેન્દ્રિત છે. ખાતમુહૂર્ત થનારા મુખ્ય કામોમાં અમૃત 2.0 અને 'નલ સે જલ' યોજના હેઠળના પાણી પુરવઠા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાવર, દિગ્વિજયગઢ, વનાણા અને રતનપર જેવા નવા ભળેલા વિસ્તારોમાં નવી પાઇપલાઇન અને પાણીની ટાંકીઓનું નિર્માણ કરાશે. શહેરના મુખ્ય માર્ગો પર આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ અને ખાપટ-જનકપુરી વિસ્તારમાં નવા રસ્તાઓ પણ બનશે. શહેરના સૌંદર્યીકરણ માટે અસ્માવતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ ફાઉન્ટેન, હેરીટેજ સ્ટેટ લાઇબ્રેરીનું નવીનીકરણ, કમલાબાગ ગાર્ડન અને પેરેડાઈઝ સર્કલનો વિકાસ પણ આ કામોનો ભાગ છે. અન્ય સુવિધાઓમાં એમ.ઈ.એમ. સ્કૂલનું નિર્માણ, નરસંગ ટેકરી પાસે વેજીટેબલ માર્કેટ અને વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનારા ₹12.14 કરોડના કામોમાં ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન, મહાનગરપાલિકા બિલ્ડિંગ અપગ્રેડેશન, ગધાઈવાડા ખાતે કોમ્યુનિટી હોલ, કનકાઈ મંદિર ગાર્ડન અને બંદર રોડ પર નવી સ્ટ્રીટ લાઇટની સુવિધાનો સમાવેશ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટો પૂર્ણ થવાથી પોરબંદરના નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે અને શહેર સ્વચ્છ, સુવ્યવસ્થિત તથા 'સ્માર્ટ સિટી' તરફ આગળ વધશે. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા 19 માર્ચે યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા વ્યાપક આયોજન કરાયું છે.
પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના ભાવોમાં અસહ્ય વધારાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાણીબાગ ખાતે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સ્થાનિક નેતાએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી નરેન્દ્ર મોદીના નીતિવિષયક નિર્ણયોને કારણે દેશમાં બેહાલીનો માહોલ છે અને મોંઘવારીએ માજા મૂકી છે. નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાને બહેનોને ધુમાડો નહીં લાગવા દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે બહેનોને ધુમાડો તો ઠીક, પૈસા ખર્ચવા છતાં ગેસનો બાટલો મળતો નથી. તેમણે ગેસના બાટલા માટે 24-25 દિવસના ગાળા અને ઓનલાઇન બુકિંગમાં પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. કોંગ્રેસ નેતાએ એક ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા હોય તેવું લાગે છે. તેઓ કયા દબાણમાં નિર્ણયો લઈ રહ્યા છે તે સમજાતું નથી. તેમણે જનતાને જાગૃત કરવા પર ભાર મૂક્યો કે આ સરકાર સામાન્ય લોકોના હિતમાં નથી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાણીબાગ અને આસપાસના ચાર રસ્તાઓ પર થયેલા આ વિરોધ પ્રદર્શનને શાંત પાડવા પોલીસે સમયસર દરમિયાનગીરી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.
પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ મનપાની લાલ આંખ:ગંગાજળિયા તળાવ માર્કેટમાંથી 35 કિલો પ્લાસ્ટિક જપ્ત
શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે એક સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, મનપાની ટીમે શહેરના પીરછલ્લા વોર્ડમાં આવેલા મુખ્ય વેપારી મથકો પર દરોડા પાડી મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડ્યો છે, મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગંગાજળિયા તળાવ વેજીટેબલ માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ વિસ્તાર, લારી-ગલ્લા, દુકાનદારો અને પાથરણા વાળાઓ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી કુલ 28 જેટલા આસામીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઝડપાયા હતા, આ કામગીરી દરમિયાન આશરે 35.250 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, આ કામગીરી અંગે નોડલ ઓફિસર (સ્વચ્છ ભારત મિશન) અને કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે, શહેરની સ્વચ્છતા જાળવવીએ દરેક નાગરિકની ફરજ છે મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, પ્રતિબંધિત પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, ઇકો-ફ્રેન્ડલી અથવા બાયોડિગ્રેડેબલ બેગનો આગ્રહ રાખવો, કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે માત્ર ડસ્ટબિન અથવા ઘરે આવતા ટેમ્પલ બેલમાં જ નાખવો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક મુક્ત શહેર માટે આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
ગોધરા શહેરમાં સિટી મામલતદારની ટીમે કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને કુલ 8 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા સિલિન્ડરોમાં 3 ભરેલા અને 5 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે. નિયમ વિરુદ્ધ ઘરેલું ગેસનો ઉપયોગ કરવા બદલ સંબંધિત હોટલ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદારની ટીમે કુલ પાંચ એકમોમાંથી આ સિલિન્ડરો જપ્ત કર્યા હતા. જેમાં અમદાવાદી તવા ફ્રાયમાંથી 3, ફેજે આમ અલ્લા રખ્ખામાંથી 1, યાદગાર હોટલમાંથી 1, અલીફ ચાઈનીઝમાંથી 2 અને બર્ગન ખાનમાંથી 1 સિલિન્ડરનો સમાવેશ થાય છે.
પોરબંદર PGVCL વર્તુળ કચેરી હેઠળના ચાર સર્કલમાં વીજ કનેક્શન કાપવાની મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં કુલ 1188 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને સ્થળ પર રૂ. 55.49 લાખની ઉઘરાણી કરવામાં આવી હતી. આ કામગીરી માટે 280 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોરબંદર PGVCL હેઠળના ડિવિઝનમાં એક હજારથી વધુ ગ્રાહકોના વીજ બિલ બાકી હતા, જેમના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન, ₹5 લાખનું વીજ બિલ બાકી હોવાને કારણે જિલ્લા સેવા સદન 2 નું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. જેના કારણે સેવા સદનની કામગીરી ખોરવાઈ હતી. PGVCL દ્વારા આ મેગા ડ્રાઈવ મંગળવારે આયોજિત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ PGVCL ના કુલ ₹14 કરોડના વીજ બિલની ઉઘરાણી બાકી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં લીલેશરા સબ સ્ટેશન નજીક વીજ કેબલ બદલવાની કામગીરી દરમિયાન એક શ્રમિકને હાઈવોલ્ટેજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં શ્રમિક ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેટકોના 220 KV સબ સ્ટેશન પાસે આ દુર્ઘટના બની હતી. શ્રમિક થાંભલા પર વીજ કેબલ બદલી રહ્યો હતો ત્યારે તેને જીવંત લાઈનનો કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકનું નામ શાંતિલાલ ડામોર છે, જે શહેરા તાલુકાના બામરોલી ગામનો રહેવાસી છે. આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી હતી, જેમાં લગભગ 30 જેટલા કામદારો કાર્યરત હતા. કરંટ લાગીને શ્રમિક નીચે પટકાયા બાદ પોલ નજીક રહેલા સૂકા ઝાડી-ઝાંખરામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. શાંતિલાલ ડામોરને ગંભીર હાલતમાં ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે.
નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી RMC ક્વાર્ટરની સામે રહેતો આફતાબ અનિશભાઈ મેમણ (ઉં.વ.22) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ નાણાવટી ચોકમાં પરમેશ્વર સોસાયટી પાસે ખોડીયાર હોટલ નજીક હતો ત્યારે બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણ અને તેની સાથેના માણસે ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે માર મારતા યુવકને માથામાં, હાથમાં અને શરીરે ઇજા પહોંચી હતી.જેથી અફતાબને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે નાણાવટી ચોક RMC ક્વાર્ટરમાં તેમના માસી મુમતાઝ બેન રહે છે તે પોતાના માસી ના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત આવીને હોટલ પાસે ઊભો હતો ત્યારે આરોપીઓ આવી અને અમારો દારૂનો ધંધો ચાલુ હોય ત્યારે અહીંથી કેમ તું વારંવાર નીકળશ કહીં હુમલો કર્યો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધુંરાજકોટમાં રહેતી પરિણીતાએ દોઢ વર્ષ પૂર્વે ધવલ બ્રહ્માણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના છ મહિના બધું બરાબર ચાલ્યા બાદ પરિણીતા ખાનગી નોકરી શરૂ કરતા વિવાદના વંટોળ શરૂ થયા હતા. નોકરીને કારણે ઘરકામમાં સમય ન આપી શકતી હોવાથી સસરા હિતેશભાઈ અને દાદા સસરા વિઠ્ઠલભાઈ નાની-નાની વાતોમાં ટોકટોક કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જ્યારે પરિણીતાએ આ બાબતે પતિ ધવલને વાત કરી, ત્યારે તેણે સાથ આપવાને બદલે ઘરના વડીલોનું સહન કરવું પડશે તેમ કહી પત્ની સાથે મારપીટ કરી હતી. પરિણીતા માનસિક રીતે ભાંગી પડ્યા હતાસાસુ ગીતાબેન પણ પતિને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા હોવાથી ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ 20 ફેબ્રુઆરીના રોજ પોતાનું સાસરું છોડીને બહેનના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. બહેનના ઘરે ગયા બાદ 20 દિવસ સુધી સાસરી પક્ષમાંથી કોઈ તેડવા કે ફોન કરવા ન આવતા પરિણીતા માનસિક રીતે ભાંગી પડ્યા હતા. પત્નીએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઆ આઘાતમાં તેમણે ગત 16 માર્ચના રોજ બપોરે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, પરિણીતાએ ફરીથી સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિએ તેને સ્વીકારવાની ના પાડી દેતા અંતે પરિણીતાએ પતિ ધવલ, સસરા હિતેશભાઈ, સાસુ ગીતાબેન અને દાદાજી સસરા વિઠ્ઠલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેલનાથપરાની પરિણીતાએ કલેશને લીધે ફિનાઇલ પીધુંરાજકોટ શહેરના વેલનાથપરામાં રહેતાં માયાબેન નયનભાઇ જેઠવા (ઉ.વ.30)એ ગઇકાલે રાત્રે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશને લીધે કંટાળીને તેમણે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. આપઘાતનો પ્રયાસ કરનાર માયાબેન પરિણિત છે અને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ સફાઇ કામ કરી, ઘરનું ગુજરાન ચલાવે છે.
વલસાડમાં ઇનોવા કારમાંથી ₹2.50 લાખનો દારૂ ઝડપાયો:એક મહિલાની ધરપકડ, ચાલક ફરાર; ખોટી નંબર પ્લેટનો ઉપયોગ
વલસાડ રૂરલ પોલીસે વશિયર ગામ નજીકથી એક ઇનોવા કારમાંથી ₹2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે દમણની એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે કાર ચાલક સહિત બે ઇસમો ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ ₹8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રૂરલ પોલીસને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઇનોવા કાર (નંબર GJ-15-CB-8499) માં દારૂનો મોટો જથ્થો ભરીને દમણથી સુરત તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે વશિયર ડી-માર્ટ બ્રિજ પાસે નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ ઇનોવા કાર આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઈને કાર ચાલકે ગાડી દૂર ઉભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ચાલક 'બાબુ' અને તેની સાથેનો અન્ય એક ઇસમ ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની ક્લીનર સીટ પર બેઠેલી દમણની ખુશીબેન જય રણા નામની મહિલાને ઝડપી પાડી હતી. તેની પાસેથી AIMA MEDIA નું આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસે કુલ 816 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹2,50,450), સિલ્વર કલરની ઇનોવા કાર (કિંમત ₹5,00,000), બે મોબાઈલ ફોન અને અન્ય કાગળો સહિત કુલ ₹8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. ગાડીનો અસલી નંબર એન્જિન અને ચેસિસ નંબર પરથી અલગ હોવાનું બહાર આવ્યું છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરાર થઈ ગયેલા કાર ચાલક બાબુ અને અન્ય અજાણ્યા ઇસમને પકડવા માટે પી.આઈ. એસ.એન. ગડ્ડુંના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. મીનાબેન અને તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વઢવાણ હાઇવે પર 97.74 લાખનો દારૂ ઝડપાયો:પશુ આહારની આડમાં લઈ જવાતો હતો જથ્થો, એક આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને તેમની ટીમે જિલ્લામાં પસાર થતા હાઇવે અને સીમ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, વઢવાણના બલદાણા ગામના પાટિયા પાસે આવેલી ગેલોપ્સ હોટલ નજીક રાજકોટ હાઇવે પરથી એક આઇસર ગાડીને રોકવામાં આવી હતી. આ ગાડીમાં પશુ આહારની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 87,44,640ની કિંમતનો દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 97,74,640નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂ. 10,00,000ની આઇસર ગાડી, રૂ. 10,000નો મોબાઇલ ફોન અને રૂ. 20,000ની કિંમતના 200 પ્લાસ્ટિકના કટ્ટા (પશુ આહાર)નો સમાવેશ થાય છે. પોલીસે ગાડીના ચાલક અચલારામ આસુરામ સિયગ જાટ (રહે. આરવા ગામ, તા. ચીતલવાના, જિ. જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં દારૂ મોકલનાર બાબજી (રહે. ચોહટન, રાજસ્થાન), દારૂ ભરેલી ગાડી આપનાર અજાણ્યો માણસ, ટ્રક રજી.નં. GJ-15-AV-7102નો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા માણસ સહિત અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ કોલા, પો.કોન્સ. કુણાલસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઇ સભાડ, પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા અને પો.કોન્સ. મેહુલભાઇ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રિજ બનાવવા આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી લગભગ 95 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી 1 એપ્રિલથી બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ નહીં મુખ્યમંત્રીના અથવા મંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવી શકે છે. બ્રિજ શરૂ થતા રોજના 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. બ્રિજ શરૂ થતાં પશ્ચિમ વિસ્તારના નાગરિકોને રાહત મળશેસતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી 95 ટકા સુધી પૂર્ણ થઇ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ શકે તેમ છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. હાલમાં આ વિસ્તારોમાં ડાયવર્ઝન અને ટ્રાફિકજામને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજ શરૂ થયા બાદ પ્રતિદિન અંદાજે 1.5 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. ટૂંક સમયમાં બ્રિજ ખુલ્લો મુકાઈ શકેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સાથે પેવમેન્ટ, મિડિયન, સ્ટ્રીટલાઇટ અને અન્ય આધારભૂત સુવિધાઓનું કામ પણ હાથ ધરાયું છે. બાકી રહેલાં કામમાં ફિનિશિંગ અને સલામતી સંબંધિત કામગીરી પણ કરવામાં આવી છે. એક અઠવાડિયાથી દસ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં જ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
સાબરકાંઠામાં 16 પોલીસકર્મીઓની બદલી:જિલ્લા પોલીસવડાએ વહીવટી અનુકૂળતા માટે બદલીનો આદેશ કર્યો
સાબરકાંઠા જિલ્લામાં 16 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીમાં હેડક્વાર્ટર, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર, ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (આહેકો), કોન્સ્ટેબલ અને વુમન પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
ગગનચૂંબી બિલ્ડીંગ્સ, આસપાસ અફાટ રણ, બ્લૂ દરિયા કિનારા, લક્ઝૂરિયસ લાઈફ, વિશ્વની મોટી મોટી કંપનીઓનું હબ... સેઈફ અને સ્માર્ટ દેશ દુબઈ. આ દુબઈની હાલત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા. પણ ઈરાને યુદ્ધમાં પણ એવી ગુગલી નાખી કે અમેરિકા જોતું રહી ગયું. ઈરાને UAEને નિશાન બનાવ્યું. તેમાં ય દુબઈ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તો ત્રણ-ત્રણ એટેક થયા. પણ આ યુદ્ધમાં દુબઈ પિક્ચરમાં ય નહોતું તો અચાનક ઈરાનની હડફેટે કેમ ચડી ગયું? આનો જવાબ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ આપી દીધો. ઈરાનની આ સેનાએ કહ્યું કે, મિડલ ઈસ્ટના જે દેશ અમેરિકાને પોતાની જમીન આપશે કે મદદ કરશે તેના પર હુમલો થશે. દુબઈ પર અમે હુમલો કરીશું તો આખી દુનિયાનું ધ્યાન ખેંચાશે. નમસ્કાર, જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે UAEની સરકારે એવી જાહેરાત કરી હતી કે UAE પર ઈરાનના ડ્રોન કે મિસાઈલ આવે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવો નહિ. છતાં આ સૂચનાને કેટલાક લોકોએ નજરઅંદાજ કરી. UAEના અબુધાબી, દુબઈ જેવા દેશો પર હુમલા થયા તેના વીડિયો અને હુમલા ન થયા હોય તેવા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. UAEના એટોર્ની જનરલ ડો. હમદ સૈફ અલશમ્સે આદેશ આપ્યો કે આવા વીડિયો પોસ્ટ કરનારાની ધરપકડ કરો. UAE પોલીસે 35 લોકોની દુબઈમાંથી જ ધરપકડ કરી. તેમાં 19 ભારતીય છે. UAEના 7 દેશોમાંથી ટાર્ગેટ દુબઈ, ઈરાનની સ્ટ્રેટેજી શું છે? ઈરાન UAE પર હુમલા કરે છે. ઘણા એવું માને છે કે UAE એટલે દુબઈ. પણ એવું નથી. UAE એટલે યુનાઈટેડ આરબ અમિરાત્સ. આ 7 નાનકડા દેશોનું ઝૂમખું છે. અબુધાબી, દુબઈ, શારજહા, અજમાન, ઉમ્મ અલ કુવૈન, રસ અલ ખૈમાહ અને ફુજૈરાહ. આ બધા દેશોમાં દુબઈ આર્થિક સદ્ધર છે, દુનિયાના 200 દેશોના લોકો દુબઈમાં રહે છે. ત્યાં જ બિઝનેસ કરે છે. જો ઈરાન દુબઈ પર હુમલા કરે તો 200 દેશોનું ધ્યાન ખેંચાય ને અમેરિકા પર દબાણ આવે. ઈરાનની આ સ્ટ્રેટેજીએ અમેરિકાને કારમો ઘા આપ્યો છે. પણ યુદ્ધ લાંબુ ચાલશે તો દુબઈનું શું થશે અને યુદ્ધ પૂરું થઈ જશે તો દુબઈનું શું થશે, તે ચર્ચાનો વિષય છે. યુદ્ધના બીજા દિવસથી જ દુબઈ ઈરાનની મિસાઈલ્સ અને ડ્રોન્સની રેન્જમાં આવી ગયું છે. સૌથી મોટો સવાલ એ છે કે ઈરાન દુબઈ પર હુમલા કેમ કરી રહ્યું છે? ઈરાનનો મેસેજ સ્પષ્ટ હતો કે તમે દુશ્મન દેશોને જમીન અને સપોર્ટ આપશો તો તમને પણ છોડીશું નહિ. આ જ લોજિક સાથે દુબઈને ટાર્ગેટ બનાવવામાં આવ્યું. પણ દુબઈ જ કેમ? તેના 5 કારણો છે. આ યુદ્ધની સૌથી ખરાબ અસર દુબઈમાં માઈગ્રેટ થઈને આવેલા લાખો કારીગરો પર અસર પડી છે. દુબઈની વર્કફોર્સના 90 ટકા સાઉથ એશિયન માઈગ્રેન્ટ છે. સૌથી વધારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી કામદારો ત્યાં પહોંચે છે. UAEએ 19 ભારતીયોની ધરપકડ કેમ કરી? UAEમાં કેટલાક લોકોને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા ભારે પડી ગયા છે. ત્યાંની સરકારે 35 લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આમાં 19 ભારતીય પણ છે. UAEના એટોર્ની જનરલ ડો. હમદ સૈફ અલશમ્સે મીડિયા સામે કહ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાક ખોટા વીડિયો જોવા મળ્યા જેના કારણે ખોટી માહિતી પ્રસરતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વીડિયોનો હેતુ લોકોમાં ભય અને અફવા ફેલાવવાનો હતો. UAE વિરૂદ્ધ આ પ્રકારનું ષડયંત્ર ચલાવી લેવાશે નહિ. UAE સરકારે યુદ્ધના બીજા દિવસથી જ સ્પષ્ટ સૂચના આપી હતી કે ઈરાન UAE પર મિસાઈલ કે ડ્રોન હુમલો કરે તેવા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાના નથી. કેટલાક લોકોએ સૂચના માની નહીં અને કેટલાકના ધ્યાન બહાર રહી ગયું. પરિણામ એ આવ્યું કે તેમણે હવે કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 માર્ચે UAE સરકારે 10 નામ જાહેર કર્યા. તેમાં બે ભારતીય સામેલ હતા. એ પછી 15 માર્ચે બીજા 25 લોકોનું લિસ્ટ આવ્યું જેમાં 17 ભારતીયો છે. આ પ્રકરણમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ફિલિપિન્સ અને ઈજિપ્તના નાગરિકો પણ સામેલ છે. સરકારે આરોપોના આધારે ત્રણ અલગ અલગ ગ્રુપોમાં વહેંચ્યા છે યુદ્ધ પછી દુબઈમાં શું સ્થિતિ છે? વિશ્વની મોટી મોટી કંપનીઓ અને વિશ્વની મોટી બેન્કો દુબઈમાંથી ઉચાળા ભરી રહી છે. દુબઈ દુનિયાનું સૌથી મોટું ફાયનાન્સિયલ સેન્ટર છે. ઈરાનના હુમલાના કારણે દુબઈની ઈમેજને નુકસાન પહોંચ્યું છે. દુબઈને મિડલ ઈસ્ટની વોલ સ્ટ્રીટ પણ કહે છે. કારણ કે અહિયા દુનિયાની મોટી 5500 જેટલી ઈન્ટરનેશનલ કંપનીઓની ઓફિસો છે. આ કંપનીઓમાં હવે ઈરાન તરફથી થઈ રહેલા હુમલાનો ભય વધી ગયો છે. દુબઈ અત્યારે ખાલી જેવું લાગે છે, તેનું સૌથી મોટું કારણ એ છે કે ટુરિસ્ટો નથી આવતા. જે લોકો દુબઈમાં રહીને બિઝનેસ, નોકરી કરે છે તે મોટાભાગે વર્ક ફ્રોમ હોમ છે. દુબઈની સ્કૂલોમાં બે મહિનાનું વેકેશન હોય છે એટલે એ રીતે પણ ચહલ પહલ નથી. બાકી જે લોકો રહે છે તે નોર્મલ લાઈફ જ જીવે છે. માર્કેટમાં દુકાનો ખુલી હોય છે. થોડા વાહનોની અવર જવર દેખાય છે. એક રીતે અત્યારે દુબઈમાં રહેતા લોકોને કોઈ તકલીફ નથી. મોટાભાગના લોકો દુબઈ છોડી રહ્યા છે. સિટી બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને HSBC જેવી બેન્કોએ પોતાની ઓફિસો બંધ કરી દીધી છે. ઘણી ફાયનાન્શિયલ કન્સલટિંગ કંપનીઓ છે. જેમ કે ડેલોઈટ, પ્રાઈઝ વોટર હાઉસ કૂપર (PWC) તેમણે પણ દુબઈની ઓફિસો બંધ કરી દીધી છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની ગોલ્ડમેન સેચ અને મોર્ગન સ્ટેનલીએ પણ અસ્થાયી રૂપે ઓફિસો બંધ કરી છે. આ કંપનીઓએ તેના કર્મચારીને કહ્યું છે કે તે વર્ક ફ્રોમ હોમ કરે અથવા બીજા દેશોમાં જઈને પણ કામ કરી શકે છે. ઈરાને કહી દીધું છે કે અમે દુબઈમાં બેન્કો, ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન પર પણ હુમલા કરીશું. ટેક્સ ફ્રી દેશ હોવાના કારણે દુબઈમાં દુનિયાભરમાંથી ઈન્વેસ્ટમેન્ટ આવે છે ગ્લોબલ ફાયનાન્શિયલ સેન્ટર ઈન્ડેક્સમાં દુબઈ દુનિયામાં 11મા નંબરે છે. આ જ ઈન્ડેક્સમાં મિડલ ઈસ્ટમાં દુબઈ પહેલા નંબરે છે. દુબઈ દુનિયાના ચાર મોટા ફાયનાન્શિયલ હબમાં સામેલ છે. દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર એટલે DIFC મિડલ ઈસ્ટ, આફ્રિકા અને દક્ષિણ એશિયાનું સૌથી મોટું ફાયનાન્શિયલ સેન્ટર છે. દુનિયાભરના આંતરરાષ્ટ્રીય બેન્ક, ફાયનાન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને કન્સલ્ટિંગ કંપની અને મોટી મોટી લૉ ફર્મના રિજિયોનલ હેડક્વાર્ટર દુબઈમાં છે. DIFCમાં 8 હજાર કંપની રજીસ્ટર્ડ છે. અહિયા 48 હજાર પ્રોફેશનલ્સ કામ કરે છે. જે અલગ અલગ દેશોમાંથી આવ્યા છે. દુબઈ ટેક્સ ફ્રી દેશ છે. મોટી મોટી જાયન્ટ કંપનીઓ દુબઈમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે કારણ કે અહિયા ટેક્સમાં છૂટ મળે છે. ઈન્વેસ્ટમેન્ટ સેઈફ છે, દેશ પણ સુરક્ષિત છે. કંપનીએ કે લોકોએ ટેક્સ આપવાનો નથી. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ન તો જીવન સુરક્ષિત છે ન તો ઈન્વેસ્ટમેન્ટ. દુબઈએ પોતાનું જે બ્રાન્ડિંગ કર્યું હતું તે ઈમેજને મોટો ફટકો લાગ્યો છે. યુદ્ધ લાંબુ ચાલશે તો હજી ઘણી મોટી મોટી કંપનીઓ બીજા દેશોમાં શિફ્ટ થઈ જશે અને અરબો ડોલરનું રોકાણ UAEથી બહાર ચાલ્યું જશે. આ કંપનીઓ સિંગાપોર, લંડન કે હોંગકોંગમાં શિફ્ટ થઈ શકે છે. દુબઈની મોંઘી મોંઘી પ્રોપર્ટી ખરીદનારા લોકોમાં વિદેશીઓ વધારે છે. આ લોકો દુબઈ છોડી દેશે તો દુબઈના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. ઈરાને ત્રણવાર દુબઈ એરપોર્ટ પર હુમલા કેમ કર્યા? ઈરાન UAEમાં સંખ્યાબંધ ડ્રોન્સ મોકલીને હુમલા કરે છે. UAEમાં અબુધાબીમાં ઓઈલ રિફાઈનરી, ફુજૈરાહમાં ઓઈલ સ્ટોરેજ ફેસેલિટી અને દુબઈમાં સમુદ્ર કિનારે આવેલી બુર્જ અલ અરબ હોટેલ પાસે ડ્રોન મોકલ્યું હતું. દુબઈમાં પામ જુમેરાહ, જબલ અલી પોર્ટ, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, બુર્જ ખલીફા નજીક ઈરાને હુમલા કર્યા છે. દુબઈની આર્થિક ધરી સમાન પોઈન્ટ પર ઈરાન ઘા મારી રહ્યું છે. યુદ્ધ શરૂ ત્યારથી અત્યાર સુધી દુબઈ એરપોર્ટ પર ત્રણવાર હુમલા થઈ ચૂક્યા છે. દુબઈ એરપોર્ટ પર દર વર્ષે 90 લાખ પેસેન્જરોની અવર જવર રહે છે. રોજની 1200 ફ્લાઈટના ઓપરેશનન્સ હોય છે. 15 માર્ચની સવારથી 16 માર્ચની સાંજ સુધી તમામ ફ્લાઈટ સસ્પેન્ડ રખાઈ હતી. દુબઈ એરપોર્ટના ઓપરેશન બંધ રહે તો 24 કલાકમાં 1 અબજ ડોલર એટલે 12 હજાર કરોડથી 15 હજાર કરોડનું નુકસાન UAEને થઈ રહ્યું છે. આ વિશ્વનું સૌથી બિઝી એરપોર્ટ છે. દુબઈથી નજીક UAEનો ફુજૈરાહ દેશ છે. ત્યાં ઓઈલ સ્ટોરેજ ફેસેલિટી છે. તેના પર ઈરાને ડ્રોન હુમલો કર્યો છે. દુનિયાની જરૂરિયાતનું 1 ટકા ઓઈલ ફુજૈરાહ પોર્ટ પર સ્ટોરેજ કરાય છે. હવે હુમલો થતાં સ્ટોરેજ કેપેસિટી ઘટીને અડધી થઈ ગઈ છે. યુદ્ધ લાંબુ ચાલશે તો 1970-80ના દાયકામાં લેબનોનના બૈરૂતમાં જે સ્થિતિ થઈ હતી તેવી સ્થિતિ દુબઈની થઈ શકે છે. એ વખતે યુદ્ધના કારણે બૈરૂતનું બેન્કિંગ હબ ખતમ થઈ ગયું હતું. એ વખતે બૈરૂત પશ્ચિમ એશિયાનું પેરિસ કહેવાતું હતું. ઈરાન મોટા હુમલા નથી કરતું, નાનાં-નાનાં ઘા મારીને આર્થિક નુકસાન કરે છે ઈરાન એવી રીતે હુમલો કરે છે કે જાનહાનિ ન થાય પણ આર્થિક નુકસાન વધારે થાય. ઈરાન જાણે છે કે દુબઈમાં નાનાં નાનાં ડ્રોન હુમલાથી દુબઈને બહુ નુકસાન નહિ થાય. દુબઈમાં એટલા પૈસા છે કે રાતોરાત બેઠું થઈ શકે તેમ છે. પણ ડ્રોન હુમલા પછી આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડાના વીડિયો વાયરલ થાય ત્યારે દુબઈની ઈમેજ દુનિયામાં ખરાબ થાય છે. એટલે જ દુબઈએ આવા વીડિયો વાયરલ કરનાર સામે પગલાં લીધાં છે. ઈરાન નાનાં નાનાં ઘા મારે છે. ઈરાન માત્ર હથિયારોથી યુદ્ધ નથી લડતું, તે ડરનો ઉપયોગ કરે છે. ઈરાન આ યુદ્ધમાં આર્થિક ફટકો આપવા માગે છે. ન માત્ર અમેરિકાનું, પણ મિડલ ઈસ્ટના સહયોગી દેશોનું પણ આર્થિક નુકસાન કરવા ઈરાને સ્ટ્રેટેજી બનાવી છે. એક સમયે દુબઈ ભારતનો ભાગ હતું!! બહુ ઓછા લોકો જાણતા હશે કે ઓમાન, દુબઈથી લઈ એડન (અત્યારનું યમન) સુધીના આરબ દેશો ભારતનો જ ભાગ હતા. આરબ દેશોમાં જ્યાં જ્યાં બ્રિટીશ સામ્રાજ્ય હતું તે તમામ રાજ્યોનો કંટ્રોલ દિલ્હી પાસે હતો. આ અરબ દેશો પર ઈન્ડિયન પોલિટિકલ સર્વિસ હેઠળ શાસન થતું હતું. ઈન્ટરપ્રિટેશન એક્ટ 1889 હેઠળ આ દરેક સંરક્ષિત દેશ કાયદેસર રીતે ભારતનો ભાગ ગણાતા હતા. એ વખતે ભારત શાસિત રાજ્યોની યાદી અંગ્રેજી આલ્ફાબેટિકલ રીતે શરૂ થતી હતી અને તેમાં સૌથી પહેલું નામ લખાતું- અબુધાબી... વાઈસરોય લોર્ડ કર્ઝને એ વખતે કહેલું કે ઓમાનને પણ ભારતનું રજવાડું ગણવામાં આવે. એક સમયનું એડન આજે યમન તરીકે ઓળખાય છે. યમન સુધીના અરબ દેશોમાં ભારતીય પાસપોર્ટ આપવામાં આવતા હતા. એ વખતે પણ બહુ ઓછા લોકોને ખબર હતી કે બ્રિટીશ રાજ માત્ર ભારતમાં નહોતું, તે આરબ દેશો સુધી ફેલાયેલું હતું. અ વખતે જાહેર કરાયેલા નકશામાં ભારતની સાથે આરબ દેશોને બતાવાતા નહોતા, નહિતર આરબો ઉશ્કેરાઈ જાય તેવું હતું. રોયલ એશિયાટિક સોસાયટીના પ્રોફેસરે એવું કહ્યું હતું કે, જે રીતે કોઈ ઈર્ષાળુ શેખ પોતાની પ્રિય પત્નીને પડદા પાછળ જ રાખે છે તેમ બ્રિટીશ અધિકારી અરબ રાજ્યોની સ્થિતિને રહસ્ય બનાવીને રાખતા હતા. બ્રિટીશ પત્રકારને આરબ દેશોમાં ભારતનું કલ્ચર જોવા મળ્યું 1960માં બ્રિટીશ અખબાર ધ ટાઈમ્સના રિપોર્ટર ડેવિડ હોલ્ડન બેહરિન પહોંચ્યા. એ વખતે બેહરિન બ્રિટનની રક્ષા હેઠળ હતું. ત્યારે અરબ દેશોમાં એક સમારોહ ચાલતો હતો. બ્રિટનના રાણી વિક્ટોરિયા ભારતના મહારાણી બન્યા તેનું સેલિબ્રેશન ચાલતું હતું. આ પત્રકાર ખાડી દેશોમાં દુબઈ, અબુધાબી, ઓમાન ગયા તો તેમને ત્યાં બ્રિટીશ ભારતના કેટલાક સંકેત જોવા મળ્યા. હોલ્ડને નોંધ્યું છે કે, એ વખતે આરબ દેશોમાં કપડાં ધોનારને 'ધોબી' અને વોચમેન માટે 'ચોકીદાર' જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. ઓમાનના સુલતાન રાજસ્થાનમાં ભણ્યા હતા તે કડકડાટ ઉર્દૂ બોલતા હતા. કુવૈતની સેનાના સિપાઈ હૈદરાબાદના સિપાઈના યુનિફોર્મમાં માર્ચ કરતા જોવા મળ્યા હતા. બ્રિટીશરોએ ભારતને ઓઈલ કન્ટ્રી બનાવતાં અટકાવ્યું!! ભારત મજબૂત રીતે ઊભરી રહ્યું હતું તે વાત બ્રિટીશરો જાણી ગયા એટલે ભારતને નબળું પાડવા 1 એપ્રિલ 1937એ ભારતથી યમન (એ વખતનું એડન)ને અલગ કરી નાખ્યું. જ્યારે આઝાદીનો સમય નજીક આવ્યો ત્યારે અંગ્રેજોએ વિચાર કર્યો કે શું ભારત કે પાકિસ્તાનને ફારસની ખાડીની જવાબદારી આપી શકાય? પણ બ્રિટનના રાજનાયિક મિશનના અધિકારીએ એ મિટિંગમાં એવું કહ્યું કે, દિલ્હીના અધિકારીઓ સાથે વાત થઈ છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારને ફારસની ખાડીમાં કોઈ રસ નથી. એટલે ફારસની ખાડીની જવાબદારી આરબ દેશો પાસે જ રાખવી જોઈએ. ભારતની આઝાદી પહેલાં 1 એપ્રિલ 1947ના દિવસે દુબઈથી લઈને કુવૈત સુધીના ખાડી પ્રદેશો ભારતથી અલગ કરી દેવાયા. પછી ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા. ભારતને આઝાદી મળી. ભારત અને પાકિસ્તાનમાં ક્યા-ક્યા પ્રાંતો અને રજવાડાંનો સમાવેશ થશે તેની યાદી અંગ્રેજોએ તૈયાર કરી. આ યાદીમાંથી ખાડી દેશોના નામ ગાયબ હતા. આજે 75 વર્ષ પછી પણ ભારત અને ખાડી દેશોના લોકો જાણતા નથી કે એ વખતે કેટલી મોટી ઐતિહાસિક ઘટના હતી. બ્રિટીશરોએ પોતાની રીતે નિર્ણય ન લીધો હોત તો આજે ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ દેશો ભારતનો જ ભાગ હોત. બ્રિટીશરોને ક્રૂડ ઓઈલની લાલચ જાગી ને ભારતથી આરબ દેશો અલગ કરી દીધા બ્રિટીશરોએ ભારત પાસેથી અરબ દેશોનો હક્ક કેમ છીનવી લીધો? તેને ભારતથી અલગ કેમ કરી દીધા? એ વખતના બ્રિટીશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ અધિકારીઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણે ભારત અને આરબ દેશો પરનો અધિકાર નથી જોઈતો. તેમને આઝાદ કરી દો. ત્યારે બ્રિટીશ અધિકારીઓએ જ એટલીને ચૂપ કરાવી દીધા. આરબ દેશો હવે ભારતના વાઈસરોયને નહિ પણ વ્હાઈટહોલ (બ્રિટનની સંસદ)ને રિપોર્ટ કરતા હતા. એક્સપર્ટ પોલ રિચે લખ્યું છે કે આરબ દેશો બ્રિટનના ભારતીય સામ્રાજ્યનો અંતિમ કિલ્લો હતો. જેમ ગોવા પોર્ટુગીઝો માટે છેલ્લો કિલ્લો હતો અને પોંડીચેરી ફ્રાન્સનો છેલ્લો કિલ્લો હતો. ભારતથી આરબ દેશો અલગ થયા પછી પણ ત્યાંની કરંસી રૂપિયા જ હતી. ભારતમાંથી અંગ્રેજો ગયા પણ ખાડી દેશોમાં લાંબો સમય રહ્યા. ખાડી દેશોમાં લાંબો સમય રહેવાનું કારણ ત્યાંનો ક્રૂડ ઓઈલનો ખજાનો હતું. અંગ્રેજોનો જીવ ક્રૂડ ઓઈલમાં હતો. અંતે 1971માં બ્રિટીશરોએ ગલ્ફ દેશો છોડી દીધા. હવે ઈસ્ટ ઈન્ડિયા કંપની પછી પહેલીવાર ખાડી દેશો બ્રિટીશ હસ્તક્ષેપ વગર પોતાની રીતે સ્વતંત્ર્ય નિર્ણય લઈ શકે તેમ હતા. આજે દુબઈથી માંડીને યમન સુધીના આરબ દેશો બ્રિટીશરોને યાદ કરે છે પણ એ ભૂલી ગયા છે કે એક સમય એવો હતો કે આ દેશો પર દિલ્હીનું શાસન હતું. આજનું દુબઈ આલિશાન કેવી રીતે બન્યું? 1980ના દાયકામાં જે વિસ્તારમાં રણની ધૂળ ઊડતી હતી તે દેશમાં અત્યારે ગગનચૂંબી ઈમારાતો, હાઈફાઈ મોલ, પહોળા રસ્તા અને લક્ઝૂરિયસ લાઈફ સ્ટાઈલ છે. દુબઈમાં આજે 200 દેશોના લોકો રહે છે. દુબઈ અને અબુધાબીના શાસકોએ અંગ્રેજો ગયા પછી તરત નક્કી કરી લીધું કે આપણે આપણા દેશને કઈ દિશામાં લઈ જવો છે. દુબઈને 'દુબઈ' બનાવવાનું વિઝન શેખ રાશીદ અલમકતુમનું હતું. જેને તેના દીકરા શેખ મોહમ્મદ અલમકતુમે પૂરું કર્યું. બીજા એક હતા શેખ ઝાયદ. તેમણે સાત દેશોને ભેગા કરીને UAEના નિર્માણનો કન્સેપ્ટ આપ્યો. બધા દેશોને એક કર્યા એટલે UAE દુનિયાના નકશામાં ઊભરી આવ્યું. દુબઈના રાજાના વંશજોએ દુબઈને ઓઈલ નિર્ભર રહેવાના બદલે બિઝનેસ હબ બનાવી દીધું. શેખ રાશીદ અલમકતુમના વિઝનના કારણે જ આપણે અત્યારના દુબઈને આટલું સમૃદ્ધ જોઈએ છીએ. તેમણે વિચાર્યું કે હું દુનિયાના વેપારીઓને સુવિધા આપીશ તો એ લોકો અહીં આવીને રોકાણ કરશે ને દેશને ફાયદો થશે. દુબઈમાં કન્સ્ટ્રક્શન ઝડપથી વધતું ગયું. એક સમય એવો આવ્યો કે દુનિયામાં સૌથી વધારે લેબર અને ક્રેન દુબઈમાં હતા. દુબઈના ઝડપી વિકાસને જોઈને સંખ્યાબંધ દેશોના લોકો UAE અને દુબઈ કામ માટે પહોંચ્યા. આજે પણ UAEમાં 43 લાખ ભારતીયો રહે છે અને તેમાંથી એકલા દુબઈમાં 20 લાખ ભારતીયો રહે છે. દુબઈની મજબૂત ઈકોનોમીનો આધારસ્તંભ- ટુરિઝમ દુબઈની જાહોજલાલી જોવા લોકો જવા લાગ્યા. અત્યારના દુબઈના રાજા શેખ મોહમ્મદે એવું વિચાર્યું કે જે ક્યાંય ન હોય એ દુબઈમાં હોય. એવું ઈન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપ કર્યું. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બનાવી, રણની સુકી ધરતી પર મિરેકલ ગાર્ડન બનાવીને લાખો ફૂલ ખિલવ્યા. દુબઈ ફ્રેમ, મ્યુઝીયમ ઓફ ફ્યૂચર બનાવીને દુબઈને નવી ઓળખ આપી. મ્યુઝીયમ ઓફ ફ્યૂચર બનાવ્યું. તેમાં તો 2050માં દુબઈ કેવું હશે, તેની અદ્દભૂત કલ્પના બતાવતા 7 માળ બનાવાયા છે. આ બધું ટુરિઝમને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. ડેઝર્ટ સફારી, ડોલ્ફીન શો પણ આકર્ષણનું કેન્દ્ર છે. ટુરિઝમ સિવાય પણ અલ બુર્જ અરબ હોટેલ દરિયામાં ટાપુ પર બનાવી છે. વહાણના શઢ આકારની આ હોટેલ પાસે જઈને ટુરિસ્ટો ફોટા પડાવે છે. વાહ... બોલી ઉઠે છે. 2026માં આ હોટેલ લોકોને આકર્ષે છે પણ દુબઈના શેખે તેને 1999માં જ બનાવી લીધી હતી. કેટલું દૂરંદેશી વિઝન હશે. પામ જુમેરાહ બંગલાની કોલોની છે. દરિયામાં પાંદડાના આકારમાં બનાવાઈ છે. આ કૃત્રિમ ટાપુ બનાવવા લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ નથી થયો. સમુદ્રના તળિયેથી 120 બિલિયન ક્યૂબિક મીટર રેતી કાઢીને ટાપુ બનાવાયો છે. દુબઈના અખબાર ખલીજ ટાઈમ્સના બિઝનેસ એડિટર મુઝકર રિઝવી કહે છે કે દુબઈએ છેલ્લા 18 વર્ષોમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે જે દુબઈને અલગ બનાવે છે. 2005, 2006માં બુર્જ ખલીફા, દુબઈ મોલ અને દુબઈ મેટ્રો જેવા મેગા ડેવલપમેન્ટની જાહેરાત કરી અને 2008માં વૈશ્વિક મંદી વચ્ચે પણ આ પ્રોજેક્ટ પૂરા કર્યા. દુબઈની બે મુખ્ય ઈન્કમ છે. એક, ઈન્ટવેસ્ટમેન્ટ અને બીજું, ટુરિઝમ. અત્યારે બંને પર જોખમ છે. ટુરિસ્ટોને દુબઈ ચૂંબકની જેમ આકર્ષે છે. રેકોર્ડ એ રહ્યો છે કે 2024ના એક જ વર્ષમાં દુબઈમાં 2 કરોડ ટુરિસ્ટ પહોંચ્યા હતા. છેલ્લે, દુબઈના રાજા શેખ મોહમ્મદે તેના ઉત્તરાધિકારી તરીકે સાત દીકરામાંથી એકની પસંદગી કરી લીધી છે. તેનું નામ છે શેખ હમદાન. ભવિષ્યમાં તે દુબઈના રાજા બનશે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર ફિગર છે. તેમણે બુર્જ ખલીફાની ટોચ પરના ટાવર પર બેસીને કોફી પીધી છે. તેની પાસે શુદ્ધ સોનામાંથી બનેલી મર્સિડીસ કાર છે. હોર્સ રાઈડીંગ, ટ્રેકિંગ, ડ્રાઈવિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સનો જબરો શોખ છે. તેના ફાર્મ હાઉસમાં 1 હજાર ઘોડા અને 120 ઊંટ છે. શેખ હમદાન ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેણે તેની ચોથી દીકરીનું નામ હિન્દ રાખ્યું હતું. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
વઢવાણ હવામહેલ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ:21-22 માર્ચે આયોજન, 30 હજાર મુલાકાતીઓ અપેક્ષિત
સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક વઢવાણ હવામહેલ ખાતે 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ્સ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના સુચારુ સંચાલન અને પૂર્વતૈયારીઓ માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કમિશનરે કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન ન બની રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનવો જોઈએ. મહોત્સવનો મુખ્ય હેતુ 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ'ની સાતત્યતા જાળવી ખેડૂતોને જાડા ધાન (મિલેટ) અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવાયું હતું. આ મહોત્સવમાં અંદાજે 25,000 થી 30,000 જેટલા મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કમિશનરે હવામહેલ ખાતે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ સાથે સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત 'રેડી ટુ ઈટ' વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિત જુદાજુદા 20 જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે. આ ઉપરાંત, સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે. આ મહોત્સવ થકી આજની ભાગદોડભરી જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે મિલેટ્સ અત્યંત ઉપયોગી છે, તેવો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું આયોજન છે. સમીક્ષા બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. શિરોયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સિણોજીયા સહિત સમિતિના સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ખાસ કરીને ઈરાન સહિતના ગલ્ફ દેશોની તંગદિલીની સીધી અસર હવે સ્થાનિક બજારો પર વર્તાવા લાગી છે. દમણમાં દૈનિક વ્યવહારમાં વપરાતી પ્લાસ્ટિકની નાની થેલીઓ અને પ્લાસ્ટિકના પેકેજિંગના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્લાસ્ટિકનો માલસામાન તૈયાર કરવા માટેનું મુખ્ય રો-મટીરીયલ, એટલે કે પ્લાસ્ટિકના દાણા, ગલ્ફના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાને કારણે આ પ્લાસ્ટિકના દાણાનો ભાવ અગાઉના 110 રૂપિયા પ્રતિ કિલોથી વધીને સીધો 180 રૂપિયા પર પહોંચી ગયો છે. કાચા માલના ભાવમાં થયેલા આ વધારાને પગલે પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં ઉછાળો આવ્યો છે. બજારમાં મળતી પ્લાસ્ટિકની નાની થેલીનો ભાવ, જે પહેલા ૧૨૦ રૂપિયા હતો, તે હવે 160 થી 180 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. આ ઉપરાંત, પ્લાસ્ટિકની બોટલોમાં આવતા સીલ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ભાવમાં પણ બોક્સ દીઠ 20 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. દમણ પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે 120 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક દુકાનદારો સરકારી નિયમોનું પાલન કરીને 200 માઇક્રોનની જાડી થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, આ જાડી થેલીઓ પાછળ થતો ખર્ચ હવે અસહ્ય બની રહ્યો છે. ટામેટાં કે શિંગદાણા જેવી રોજિંદી વસ્તુઓ આપવા માટે પણ આ મોંઘી થેલીઓ વાપરવી પડતી હોવાથી દમણના નાના વેપારીઓ, લારી ધારકો અને શાકભાજી વેચતા વિક્રેતાઓ ભારે આર્થિક ભીંસમાં મુકાયા છે. તેમને ગ્રાહકોને સામાન આપવા માટે વપરાતી થેલીઓ પાછળ 60 થી 80 રૂપિયા વધારે ચૂકવવા પડી રહ્યા છે, જે તેમના રોજના નજીવા નફા પર મોટો ફટકો મારી રહી છે.
બોટાદ શહેરમાં SOG પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન નવનાળા વિસ્તાર અને સાળંગપુર રોડ પરના વિવિધ ફૂડ પોઈન્ટ્સ પરથી પાંચ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ અને મીયા સમોસા જેવા ફૂડ પોઈન્ટ્સ પર ઘર વપરાશ માટેના ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો વ્યાપારીક ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે નિયમોનું ઉલ્લંઘન છે. SOG પોલીસે કુલ પાંચ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર જપ્ત કરીને મામલતદારને સોંપ્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રીતે ગેસનો ઉપયોગ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉનામાં 2016ના ચકચારી હત્યા કેસમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારો અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી. આ ઘટના 2016માં ઉનાના મોટા સમઢીયાળા ગામમાં બની હતી. ગાયના મૃતદેહને લઈને બનેલા આ બનાવમાં કથિત ગૌરક્ષકોએ બાલુભાઈ સરવૈયા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો. તેમને ગાડી સાથે બાંધીને ઉના બજારમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પીડિતોની મુલાકાત લીધી હતી. દસ વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં 42 આરોપીઓમાંથી 37ને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે, જ્યારે માત્ર પાંચ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. પીડિત પરિવારો અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી છે. પીડિતોના મતે, તેમના જીવને હજુ પણ જોખમ છે અને તેઓ ચુકાદાથી હતાશ થયા છે. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે, વશરામભાઈ અને બાલુભાઈ સરવૈયાએ તમામ આરોપીઓને ઓળખી કાઢ્યા હોવા છતાં, માત્ર પાંચ આરોપીઓને પાંચ વર્ષની સજા થવાથી પીડિત પરિવારોમાં રોષ છે. તેમણે સરકાર પર પીડિત પરિવારોને આત્મસન્માનપૂર્વક જીવવા માટે સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો. તેમણે ઉમેર્યું કે, 2018 અને 2023માં જામીન પર છૂટેલા કેટલાક આરોપીઓએ ફરીથી હુમલો કર્યો હતો, જેમાં એક કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા અને એક કેસ હજુ પેન્ડિંગ છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, આ ચુકાદાને સરકાર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવે. તેમણે પીડિત પરિવારોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા, તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અપાયેલા વચન મુજબ ખેતીની જમીન અને સરકારી નોકરી આપવા તથા ફરીથી ઉના કાંડ ન બને તે માટે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
સુરતના ડિંડોલીમાં ફાઇનાન્સર આશિષ સિંગની કરપીણ હત્યા કરનારા આરોપીઓને પોલીસે કાયદાના શાનદાર દર્શન કરાવ્યા છે. જે ગુંડાઓ થોડા દિવસ પહેલા હથિયારો સાથે એક નિઃસહાય વ્યક્તિ પર તૂટી પડ્યા હતા. આજે તેમની હાલત એવી દયનીય હતી કે તેઓ પોતાના પગ પર વ્યવસ્થિત ઉભા પણ રહી શકતા નહોતા. ભાજપના સક્રિય કાર્યકર પવનસિંગના પુત્ર અભિષેક સિંગ ઉર્ફે અંશુ સહિતના તમામ ચાર આરોપીઓનું મુંડન થયેલું જોવા મળ્યું હતું. ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ માથાભારે તત્વો રીતસરના ધ્રૂજતા હતા અને રસ્તા પર ચાલતી વખતે લથડિયાં ખાતા નજરે પડ્યા હતા. પોલીસના સકંજામાં આવેલા આ શખસોની શાન ઠેકાણે આવી ગઈ છે. હત્યાના સ્થળે જ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શનડિંડોલી પોલીસે આશિષ સિંગની હત્યાના ચાર આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનની કડક કામગીરી હાથ ધરી હતી. ક્રિષ્ના એસી મોલ પાસે, જ્યાં ધોળા દિવસે આ કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં જ જ્યારે આરોપીઓને લાવવામાં આવ્યા, ત્યારે સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. જે ગુનેગારોનો આખા વિસ્તારમાં ભારે ભય અને આતંક હતો, તેમને આટલી લાચાર હાલતમાં જોઈને લોકોમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જાગી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ફેરવ્યા હતા, જેથી ગુનાની કડીઓ જોડી શકાય અને ન્યાયિક પ્રક્રિયામાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. ભાજપ અગ્રણીનો પુત્ર અને સાથીદારોનું મુંડનઆ સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની અને ચર્ચાસ્પદ વાત એ હતી કે પકડાયેલા તમામ આરોપીઓના માથા પર એક પણ વાળ નહોતો. અભિષેક આ વિસ્તારમાં માથાભારે છવી ધરાવે છે, તે આજે સાવ ફિક્કો અને લાચાર દેખાતો હતો. તમામ આરોપીઓનું મુંડન થયેલી હાલતમાં જોઈને પોલીસનો ડર અને કાયદાનો પ્રતાપ સ્પષ્ટપણે તેમના ચહેરા પર દેખાઈ આવતો હતો. રાજકીય વગ હોવા છતાં પોલીસે કોઈ પણ શેહશરમ રાખ્યા વગર કાયદેસરનું ભાન કરાવ્યું હતું. લંગડાતી ચાલે આરોપીઓએ હાથ જોડીને માફી માંગીગત તા. 15 માર્ચ 2026ના રોજ આશિષ સિંગ પર જીવલેણ હુમલો કરીને આ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. તેઓ રિકન્સ્ટ્રક્શન દરમિયાન રીતસરના હાથ જોડીને માફી માંગતા કેમેરામાં કેદ થયા હતા. સાહેબ મોટી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરીએ તેવા આજીજીભર્યા સૂર સાથે આ માથાભારે તત્વોની તમામ હેબત ઓગળી ગઈ હતી. જાહેર જનતાની હાજરીમાં પોલીસે તેમને કાયદાનું કડક ભાન કરાવ્યું હતું, જેનાથી સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ગુંડાગીરી કરીને સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો માટે આ એક મોટો સબક સાબિત થયો છે અને તેમની શાન ઠેકાણે આવી છે. જૂની અદાવતમાં ફાઇનાન્સરની નિર્મમ હત્યાપોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી અર્પિત ઉર્ફે મન્નુના મોટાભાઈ આશિષ સિંગ (ઉ.વ. 40) સાથે આરોપીઓને અગાઉ કોઈ બાબતે ઝગડો થયો હતો. આ જૂની અદાવત મનમાં રાખીને આરોપી અભિષેક પવનસિંગ રાજપુત, ગોપાલ, સતીશ મરાઠા, ગણેશ પાંડે અને અન્ય સાથીદારોએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચી હતી. તેમણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આશિષ સિંગ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આશિષના ખભા, પીઠ અને પગના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે રક્તસ્ત્રાવ થતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આ અત્યંત ઘાતકી કૃત્યથી સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પકડાયેલા આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસપોલીસની તપાસમાં એ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, મુખ્ય આરોપી અભિષેક સિંગ અને ગૌરવ ઉર્ફે ગોપાલ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. અભિષેક વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં લૂંટ, રાયોટિંગ અને ઘરમાં ઘૂસીને ધમકી આપવાના ગુના નોંધાયેલા છે. બીજી તરફ, ગૌરવ ઉર્ફે ગોપાલ વિરુદ્ધ હત્યાની કોશિશ (307), મારામારી, ગાળાગાળી અને પ્રોહિબિશનના અડધો ડઝનથી વધુ ગુનાઓ ડિંડોલી, ગોડાદરા અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. આ શખસો રીઢા ગુનેગાર છે અને વારંવાર કાયદો હાથમાં લેવાની આદત ધરાવે છે, જેના કારણે પોલીસે આ વખતે વધુ કડક વલણ અપનાવ્યું છે. સગીરની સંડોવણી અને પોલીસની કડક કાર્યવાહીઆ ભયાનક હત્યાકાંડમાં માત્ર પુખ્ત વયના આરોપીઓ જ નહીં, પરંતુ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ સક્રિય સંડોવણી સામે આવી છે. પોલીસે આ કિશોરને પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ તાબામાં લીધો છે. રાજકીય વગ અને પૈસાના જોરે ગુંડાગીરી કરનારા આ યુવાનોની ધરપકડ બાદ જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેને જોવા લોકો એકત્ર થયા હતા.
પાલનપુર કોંગ્રેસમાં શહેર પ્રમુખની નિમણૂક સામે વિરોધ:સાંસદ ગેનીબેન પર પેરાશૂટ ઉમેદવાર ઉતારવાનો આરોપ
બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિરોધ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રી સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવા પ્રમુખની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે. આ આગેવાનોએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પર સીધા આરોપો લગાવ્યા છે. તેમનો મુખ્ય વાંધો કૌશલ પટેલની નિમણૂક સામે છે, જેઓ પાર્ટીના સભ્ય ન હોવા છતાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લગભગ 70 જેટલા સભ્યો અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ આ નિમણૂકનો વિરોધ કર્યો છે જેઓ આગેવાન નેતા ઓ લેટર માં સહી કરાવી ને પ્રેસ કોન્ફરન્સ માં રજુ કર્યું હતું . તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિમણૂક રદ કરવામાં નહીં આવે, તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામા આપશે અને કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરશે. આ વિરોધ કરનારા કોંગ્રેસી આગેવાનોનો આરોપ છે કે સાંસદ ગેનીબેન ઠાકોરે 'પેરાશૂટ ઉમેદવાર' ઉતાર્યો છે, જે પાર્ટીના નિયમો અને કાર્યકરોની ભાવના વિરુદ્ધ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે પશુ આહારની આડમાં લઈ જવાતો રૂ. 97.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના બલદાણા ગામના પાટિયા નજીકથી આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આઈસર ગાડીમાંથી કુલ રૂ. 97,74,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 87,24,400ની કિંમતની 7781 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને રૂ. 20,240ના 92 બીયર ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. 10 લાખની આઈસર ગાડી (નંબર GJ-15-AV-7102), રૂ. 10,000નો એક મોબાઈલ ફોન અને રૂ. 20,000ના 200 પ્લાસ્ટિકના પશુ આહારના કટ્ટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે બલદાણા ગામના પાટિયા નજીક આવેલી ગેલોપ્સ હોટલ પાસે હાઇવે રોડ પરથી આઈસર ગાડીના ચાલક અચલારામ આસુરામ સિયાગ જાટને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર બાબજી , દારૂ ભરેલી ગાડી આપી જનાર અજાણ્યો માણસ, ટ્રક માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો માણસ સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નવનિર્મિત 'જન સંપર્ક કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું. આ 'જન સંપર્ક કેન્દ્ર' નાગરિકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેના કાર્યરત થવાથી સામાન્ય નાગરિકો માટે પોલીસનો સંપર્ક કરવો વધુ સરળ બનશે અને તેમની રજૂઆતોનું ઝડપથી નિરાકરણ લાવી શકાશે. મુલાકાતના ભાગરૂપે, ડીઆઈજીએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી. તેમણે પોલીસ હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી. પોલીસની રોજિંદી કામગીરીને વધુ સુદ્રઢ, પારદર્શક અને પ્રજાલક્ષી બનાવવા માટે તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી જ નહીં, પરંતુ ભવિષ્યના આધુનિક અને હાઈ સ્પીડ કનેક્ટિવિટી ધરાવતા ગ્લોબલ ઇકોનોમિક હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સાયન્સ સેન્ટર ખાતે સુરત ઇકોનોમિક રિજન કનેક્ટ ધ સ્માર્ટ હાઈ સ્પીડ ઓપોર્ચ્યુનિટીઝ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતના ભવિષ્યલક્ષી વિકાસ અને ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટીથી સર્જાનારી તકો વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી વિકાસની નવી તકો સર્જશેઃ એમ. નાગરાજનકાર્યક્રમની શરૂઆતમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર અને સુડાના અધ્યક્ષ એમ. નાગરાજન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરત શહેર અને સમગ્ર સુરત ઇકોનોમિક રીજનના ભવિષ્યલક્ષી વિકાસ માટે એક મજબૂત મંચ પૂરો પાડવાનો છે. હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી દ્વારા જે વિકાસની નવી તકો સર્જાશે, તે માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ તે સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ અને પ્રાદેશિક આર્થિક મજબૂતીકરણમાં પણ ક્રાંતિકારી ફેરફારો લાવશે. સુરતને એક આયોજનબદ્ધ અને ઇન્ટિગ્રેટેડ અર્બન હબ તરીકે વિકસાવવા માટે પ્લાન્ડ અર્બન ડેવલપમેન્ટ અનિવાર્ય છે. નિષ્ણાતો દ્વારા સુરતના સર્વાંગી વિકાસ માટે રજૂઆતકાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સુરતના સર્વાંગી વિકાસ અંગે પોતાની રજૂઆતો કરી હતી, જેમાં ગુજરાત સરકારના નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગના અધિક મુખ્ય નગર નિયોજક દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રાન્સફોર્મેટિવ ઇમ્પેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી લોન્ગ-ટર્મ ડેવલપમેન્ટ પોટેન્શિયલ અને કનેક્ટિવિટીના અદભૂત ફાયદા થશે. સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ વિશે ખાસ ચર્ચાNHSRCLના ચીફ આર્કિટેક્ટ એમ.એસ. કામિની શર્માએ પ્રોજેક્ટની પ્રગતિ અને ખાસ કરીને સ્ટેશન એરિયા ડેવલપમેન્ટના ભવિષ્યના પરિપ્રેક્ષ્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્ટેશનની આસપાસના વિસ્તારોને કેવી રીતે સ્માર્ટ અને સુવિધાજનક બનાવવામાં આવશે તેની બ્લુપ્રિન્ટ રજૂ કરાઈ હતી. નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર એમ.એસ. અન્ના રોયે રીજનલ અર્બનાઇઝેશન અને પોલિસી પર્સ્પેક્ટિવ પર ભાર મૂકતા જણાવ્યું કે, ટ્રાન્ઝિટ લિંક્ડ ગ્રોથથી શહેરી વિસ્તરણ વધુ ટકાઉ અને વ્યવસ્થિત બનશે. ડોરિયન સ્કેલના સ્થાપક અને CEO ડો. પૂર્ણિમા ડોરે પ્રાદેશિક આર્થિક વિકાસ અને રોકાણની તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સુરતની પ્રાદેશિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આર્થિક સ્ટ્રક્ચરિંગ પર ભાર મૂક્યો હતો. રોડ નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન પર ભાર મુકાશેઆ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ સુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી અને IAS અધિકારી રાજ સુથારે તેમના સંબોધનમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના H-Node Area Development વિશે મહત્વની માહિતી આપી હતી. સુડા વિસ્તારમાં સૂચિત ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ (TP Schemes)ના માધ્યમથી આ વિસ્તારને સુઆયોજિત અને ભવિષ્યલક્ષી બનાવવા માટે રોડ નેટવર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન પર કામ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, નવા NHSRCL સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવવો જરૂરી છે. જેમાં લેન્ડ યુઝ પ્લાનિંગ, રોજગારીની તકોનું સર્જન, રોકાણની સંભાવનાઓ અને ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ જેવા વિષયો કેન્દ્રસ્થાને રહેશે. આ મંચ દ્વારા સુરતને વધુ ગતિશીલ, આર્થિક રીતે પ્રગતિશીલ અને ભવિષ્ય માટે તૈયાર કરવા માટેના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત શહેરી વિકાસ સત્તામંડળનો આ પ્રયાસ આવનારા સમયમાં સુરતને વૈશ્વિક નકશા પર એક સુનિયોજિત અને સ્ટ્રેટેજિકલી પ્લાન્ડ અર્બન રીજન તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પાટણ ગ્રાહક કોર્ટે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ને પાટણના એક પ્રોફેસરને તેમની 24 વીમા પોલિસીઓની પાકતી રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. LIC દ્વારા ઉત્તરાધિકાર પ્રમાણપત્રના બહાને રકમ ચૂકવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હતો. પાટણ શહેરની કલાનગર સોસાયટીમાં રહેતા પ્રોફેસર મયુરકુમાર બાબુલાલ પ્રજાપતિએ 27 માર્ચ, 2005થી જીવન વીમાની 'જીવન આનંદ' નફા અને અકસ્માત બેનિફિટ સાથેની 24 પોલિસીઓ લીધી હતી. આ પોલિસીઓનું પ્રીમિયમ દર છ મહિને ₹35,526 ચૂકવવામાં આવતું હતું. 25 સપ્ટેમ્બર, 2012 ના રોજ, મયુરકુમારે આ તમામ પોલિસીઓ તેમના પિતાને તેમની નિવૃત્તિ બાદ પાકતી રકમ મળે તે હેતુથી એસાઇન કરી હતી. જોકે, પોલિસીઓની પાકતી મુદત પહેલા 25 ડિસેમ્બર, 2020 ના રોજ તેમના પિતાનું અવસાન થયું. પાકતી મુદતે આશરે ₹24 લાખની રકમ મેળવવા માટે, મયુરકુમાર પ્રજાપતિએ પેઢીનામું, મરણનો દાખલો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને KYC ના દસ્તાવેજો જમા કરાવ્યા હતા. પરંતુ, LIC દ્વારા આ દસ્તાવેજો પરત કરીને મૃતકના એક કરતાં વધારે વારસદાર હોવાથી ઉત્તરાધિકાર પ્રમાણપત્રની માંગણી કરવામાં આવી હતી. આથી, મયુરકુમાર પ્રજાપતિ, તેમના માતા શારદાબેન અને બહેન દિગિશાબેને LIC ઓફ ઈન્ડિયા, પાટણ બ્રાન્ચ સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી. તેમના વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ દલીલ કરી કે અરજદાર દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મૃતકના કાયદેસરના વારસદારોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો LIC ની પાકતી રકમ મૂળ વીમાધારક મયુરભાઈ પ્રજાપતિને આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. આ સંજોગોમાં ઉત્તરાધિકાર પ્રમાણપત્રની કોઈ જરૂર રહેતી નથી. જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને જીવન વીમા નિગમની દલીલને ફગાવી દીધી. કમિશને અરજદાર મયુરભાઈને વીમા પોલિસીઓની પાકતી રકમ અરજી કર્યા તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9% ના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત, ખર્ચ અને માનસિક ત્રાસ બદલ અલગથી ₹4000 ચૂકવી કમિશનને જાણ કરવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં જિલ્લા ગ્રાહક કમિશનના સભ્ય વી.એમ. સ્વામીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) દ્વારા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના સહયોગથી અમદાવાદમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની વૈશ્વિક થીમ સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસપૂર્ણ ગ્રાહકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2026 ની આ થીમ ગ્રાહકોના રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓની ગુણવત્તા અને સુરક્ષાના મહત્વને રેખાંકિત કરે છે. કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ (CRI) નો પ્રસ્તાવકાર્યક્રમમાં ખાસ સંબોધન કરતા CERC ના ચેરમેન ડૉ. સુનિલ પારેખે આધુનિક બજારની જટિલતાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉદ્યોગો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) એક મહત્વનું માધ્યમ બનશે. આ પ્રોજેક્ટ હેઠળ કંપનીઓને ઉત્પાદન સલામતી, ફરિયાદ નિવારણ અને પારદર્શક માર્કેટિંગ જેવા સ્તંભો પર રેટિંગ આપવામાં આવશે, જે નૈતિક વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહન આપશે. ઉત્પાદન પરીક્ષણમાં CERC ની અગ્રેસર ભૂમિકાCERC ના CEO અને ઉપપ્રમુખ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ, અનિંદિતા મહેતાએ સંસ્થાની કામગીરીની ઝાંખી કરાવી હતી. CERC એશિયાની એવી ગણીગાંઠી સંસ્થાઓમાંની એક છે જે ખાદ્ય પદાર્થો અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે પોતાની ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી ધરાવે છે. સંસ્થા સતત અસુરક્ષિત ઉત્પાદનોને ઓળખીને તેને નિયમનકારો અને જનતા સમક્ષ લાવવાનું કાર્ય કરે છે. BIS પ્રમાણપત્ર અને ગ્રાહક સુરક્ષાBIS અમદાવાદના ડિરેક્ટર અને વડા સુમિત સેંગરે ગ્રાહકોના રક્ષણમાં માપદંડોના ફાળા વિશે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે BIS પ્રમાણપત્ર એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ ઉત્પાદન બજારમાં મુકાય તે પહેલા સુરક્ષા અને ગુણવત્તાના નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. આ પ્રસંગે ઉત્પાદન સલામતી પરના સર્વેક્ષણ અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દર વર્ષે 15 માર્ચે મનાવવામાં આવતો આ દિવસ વિશ્વના 100 થી વધુ દેશોના 200 થી વધુ ગ્રાહક સંગઠનોને એક મંચ પર લાવે છે, જેથી અન્યાયી વેપાર પ્રથાઓ સામે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરી શકાય.
ભાવનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ‘મિલેટ એક્સ્પો-2026’ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.21 અને 22 માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય ‘મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે, આ ઉપરાંત મિલેટના પોષણમૂલ્ય અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતાં. ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળ, નાયબ ખેતી નિયામક એસ.બી. વાઘમશી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન. પરમાર, નાયબ પશુપાલન નિયામક તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આવાસ યોજનાના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોટેશ્વરમાં આવેલી મધુરમિલન આવાસ યોજનામાં ઔડાની ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં શરતોનો ભંગ કરી ભાડે આપેલા 33 મકાનોને મકાનો સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ મકાન માલિકોને નોટિસ આપી દેવામાં આવી છે અને મકાનોને ખાલી કરી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. EWS આવાસમાં 266 મકાનોની ફાળવણી કરાઈ હતીઅમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ મોટેરા નજીક આવેલા કોટેશ્વર ખાતે 'મધુરમિલન આવાસ યોજના'નું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ 266 મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના વિકસિત વિસ્તારમાં આવેલી આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં સૌથી વધારે સારી રહેવાની સગવડો મધ્યમ વર્ગીય પરિવાર માટે કરવામાં આવી છે. કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધાઔડા દ્વારા બનાવવામાં આવેલી મધુર મિલન આવાસ યોજનામાં મકાનોની ફાળવણી બાદ કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા હોવાનું ઔડાના એસ્ટેટ એન્ડ હાઉસિંગ સેલના ધ્યાને આવ્યું હતું. જેથી વિવિધ તપાસ ટીમો બનાવીને સવારથી જ વાગ્યાથી મધુરમિલન આવાસના કુલ 8 બ્લોકના 266 મકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યુંઆ તપાસ દરમિયાન કુલ 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યું હતું. ઔડાની તપાસ ટીમ દ્વારા આ તમામ 33 મકાન માલિકોને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં મકાનોમાં સીલ લાગી શકે છેમકાનો ખાલી થયા બાદ આ આવાસોને સીલ કરવાની આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પણ ઔડા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રાહત દરે ફાળવવામાં આવેલા મકાનોમાં આ પ્રકારે આકસ્મિક તપાસ કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે રહેતા અને આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરનારાઓ સામે સત્તામંડળ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહેસાણા શહેરના નાગલપુર ચાર રસ્તા પાસે આવેલી એક હોટેલમાંથી રાજસ્થાનના શ્રમિકના 6.60 લાખ રૂપિયાની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. વતનમાં સામાજિક પ્રસંગ હોવાથી મજૂરીના એકઠા કરેલા નાણાં લઈને જઈ રહેલા શ્રમિકનો થેલો હોટેલ સંચાલકને ભરોસે મૂકવો ભારે પડ્યો છે. આ મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વતનમાં પ્રસંગ હોવાથી પૈસા લઈને નિકળ્યો હતોમૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના પાદુકલા ગામના વતની અને હાલ જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામે ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા તારાચંદ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ, તે છેલ્લા ચાર વર્ષથી અહીં ઠેકેદાર તરીકે મજૂરો લાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 30 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના વતનમાં સામાજિક પ્રસંગ હોવાથી જવા નીકળ્યા હતા. તેમની પાસે ખેતર માલિકો પાસેથી મેળવેલી મજૂરીના કુલ 6.60 લાખ રૂપિયા રોકડા હતા. જે તેમણે એક કાળા રંગની થેલીમાં ભરી પોતાના થેલામાં મૂક્યા હતા. પરત આવી થેલાની તપાસ કરતા હોશ ઊડી ગયાંરાત્રિના સમયે લક્ઝરી બસની રાહ જોતા તેઓ નાગલપુર ચાર રસ્તા પાસે આવેલી બાબા રામદેવ હોટેલ પર જમવા ગયો હતો. આ હોટેલના માલિકો સાથે અગાઉના પરિચયને કારણે જ્યારે હોટેલ સંચાલક નિકુલ પ્રજાપતિએ તેમને ચા પીવા જવા કહ્યું ત્યારે તારાચંદ પોતાનો નાણાં ભરેલો થેલો બીજા સંચાલક પ્રકાશ પ્રજાપતિને સોંપી ચા પીવા ગયા હતા. અડધા કલાક બાદ પરત આવી, જ્યારે તેઓ લક્ઝરી બસમાં બેઠા ત્યારે તેમને થેલાનું વજન ઓછું લાગતા તપાસ કરી હતી. જોતા જ તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે થેલામાંથી 6.60 લાખ રૂપિયા ગાયબ હતા. પતનમાંથી પરત ફરી પોલીસ ફરિયાદ નોંધાવીતેઓ તુરંત બસમાંથી ઉતરી હોટેલ પર પરત ફર્યા હતા અને સંચાલકોને પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. વતનમાં પ્રસંગ હોવાથી તેઓ તે સમયે રાજસ્થાન જતા રહ્યા હતા અને દોઢ મહિના બાદ પરત આવીને હવે આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આજે સરકારી જમીન ખુલ્લી કરાવવા ગયેલી મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમને ભારે ફિયાસ્કાનો સામનો કરવો પડ્યો છે. જંગલ ખાતાની કિંમતી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા જેસીબી અને સાધન સામગ્રી સાથે ત્રાટકેલી ટીમ પર સ્થાનિકોએ રીતસરનો હલ્લો બોલાવતા કામગીરી અધવચ્ચે જ પડતી મૂકવાની ફરજ પડી હતી. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે હુમલો થવાની ભીતિ વચ્ચે મનપાની ટીમે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, જેના કારણે સરકારી તંત્રના વટના લીરેલીરા ઉડ્યા છે. જંગલ ખાતાની જગ્યા પર લાંબા સમયથી દબાણઘટનાની વિગત મુજબ કુડાસણ વિસ્તારમાં જંગલ ખાતાની આરક્ષિત જગ્યા પર કેટલાક તત્વો દ્વારા લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદે ત્યાં ગેરકાયદેસર રીતે ફેન્સિંગ કરી દેવામાં આવ્યું હતું અને અંદરના ભાગે પ્લાન્ટેશન કરીને જમીન પોતાની હોવાનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો. આ લેન્ડ ગ્રેબિંગ સમાન પ્રવૃત્તિ પર બુલડોઝર ફેરવવા માટે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો એકઠા થઈ હોબાળો મચાવ્યોએજ ઘડીએ કેટલાક સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી હોબાળો મચાવ્યો હતો. જોતજોતામાં મામલો ગરમાયો હતો અને લોકોએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓ પર હુમલોની શક્યતાથી કામગીરી અટકાવીએક તબક્કે ટોળું આક્રમક બનતા અને અધિકારીઓ પર હુમલો થવાની શક્યતા જણાતા સુરક્ષાના કારણોસર દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જે દબાણો દૂર કરવા માટે તંત્રએ આખી વ્યુહરચના ઘડી હતી તે દબાણો યથાવત રાખીને જ ટીમ રવાના થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર કુડાસણ પંથકમાં ભારે ચર્ચા જાગી છે કે શું તંત્ર દબાણકારો સામે નતમસ્તક થઈ ગયું છે? ઉચ્ચ અધિકારીઓ હવે આ મામલે કેવા કડક પગલાં ભરે છે અને જંગલ ખાતાની આ જમીન ક્યારે મુક્ત થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
વિધાનસભામાં રોડ-રસ્તાના વિકાસ કામોને લઈને ચર્ચા દરમિયાન રાજકીય ટકરાવ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના વિસ્તારમાં થયેલા રોડના કામો માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના મંત્રીઓ તરફ ઈશારો કરતા ટિપ્પણી કરી કે “હવે તેમને તમારી સાથે લઈ જાઓ.” આ ટિપ્પણી બાદ ગૃહમાં થોડો સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ગૃહમાં પટોળા સાડીનું ‘મેચિંગ’,મહિલા ધારાસભ્યો વચ્ચે ફેશનની ચર્ચાવિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિરામ મળતા ગૃહમાં રાજકારણથી અલગ જ દૃશ્ય જોવા મળ્યું. મંત્રી દર્શના વાઘેલા અને સંગીતા પાટીલ, માલતીબેન મહેશ્વરી, મનીષાબેન વકીલ, નિમિષાબેન સુથાર સહિતના મહિલા ધારાસભ્યો પટોળા સાડી અંગે ચર્ચા કરતા જોવા મળ્યા. કોણે કઈ ડિઝાઇન પહેરી, રંગ અને મેચિંગ વિશેની ચર્ચા ગૃહની અંદર થોડા સમય માટે ચર્ચાનો વિષય બની. રાજકીય ચર્ચાઓ વચ્ચે આ ફેશન ટોક ગૃહના વાતાવરણને હળવું બનાવતી જોવા મળી. વાંચ્યા વગર જવાબ આપતા મંત્રી દર્શના વાઘેલા, અધ્યક્ષે જાહેરમાં અભિનંદન આપ્યાગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબ દરમિયાન મંત્રી દર્શના વાઘેલાએ કોઈ નોંધ વાંચ્યા વગર જ આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપી દીધો. તેમના આ આત્મવિશ્વાસથી અધ્યક્ષ પણ પ્રભાવિત થયા અને ગૃહમાં તેમને અભિનંદન પાઠવ્યા. ભાજપના વરિષ્ઠ નેતા રમણલાલ વોરાએ પણ ચિઠ્ઠી મોકલી તેમને અભિનંદન આપ્યા હોવાનું જાણવા મળ્યું. આ ઘટના બાદ ગૃહમાં થોડો સમય માટે હળવો માહોલ સર્જાયો હતો. બે હાથ ખીસ્સામાં રાખીને પ્રશ્ન: ભાજપના રમેશ ટીલાળાની ‘અદા’ ગૃહમાં ચર્ચાનો વિષયભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા પ્રશ્ન પૂછવા ઊભા થયા ત્યારે તેમની અનોખી અદા ગૃહમાં ચર્ચાનો વિષય બની. તેઓ બે હાથ ખીસ્સામાં રાખીને શાંતિથી ઊભા રહ્યા અને મૌલિક અંદાજમાં પોતાનો પ્રશ્ન વાંચ્યો. તેમની આ સ્ટાઇલને લઈને ગૃહમાં હળવું સ્મિત ફેલાયું અને કેટલાક સભ્યો વચ્ચે મજાક પણ ચાલતી જોવા મળી. પ્રશ્ન પૂછવા ઊભા થયા, પરંતુ ‘મંત્રી’ જેવી ભાષા બોલી ગયા: C.K. રાઉલજીની ભૂલથી ગૃહમાં હાસ્યભાજપના ધારાસભ્ય C.K. રાઉલજી પ્રશ્ન પૂછવા ઊભા થયા, પરંતુ પ્રશ્ન પૂછવાની જગ્યાએ તેમણે મંત્રી જેવો જવાબ આપવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ હસતા હસતા કહ્યું કે “હું પહેલા મંત્રી રહી ચૂક્યો છું એટલે મંત્રી જેવી ભાષા આવી ગઈ.” તેમની આ ટિપ્પણી બાદ ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું. પોતાના જ મંત્રીને ભાજપના ધારાસભ્યનો સવાલ: ‘મંત્રી પાસે કોઈ જવાબ નહતો તો અટવાયા'ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે દવાઓના લેબલમાં વધુ ભાવ લખીને વેચાણ થતું હોવાની ફરિયાદ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પરંતુ સંબંધિત મંત્રી રમણભાઈ સોલંકી પાસે તે સમયે સ્પષ્ટ જવાબ ઉપલબ્ધ નહતો. તેમણે જવાબ અધ્યક્ષ મારફત મોકલી આપવાની વાત કરી. આ સાંભળીને યોગેશ પટેલ હળવી સ્મિત સાથે ઈશારો કરતા જોવા મળ્યા કે “જવાબ જ નથી.” સત્તાપક્ષના ધારાસભ્ય દ્વારા જ મંત્રીને ઘેરવામાં આવતા ગૃહમાં થોડો સમય ચર્ચા ચાલી. બજેટ ચર્ચા દરમિયાન ખાલી ખુરશીઓ,ગૃહમાં નીરસ માહોલવિધાનસભામાં બજેટ માંગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન હાજરી નબળી જોવા મળી. કોંગ્રેસ તરફથી માત્ર એક ધારાસભ્ય હાજર હતા, જ્યારે સત્તારૂઢ ભાજપના સભ્યોમાં પણ પાંખી હાજરી જોવા મળી. મહત્વપૂર્ણ બજેટ ચર્ચા વચ્ચે ખાલી ખુરશીઓ ગૃહમાં નીરસ વાતાવરણ સર્જતી જોવા મળી. શિક્ષણ સેવા વર્ગ-1 અને 2માં 913 જગ્યાઓ ખાલી: સરકારે સ્વીકાર્યુંરાજ્યમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2માં કુલ 913 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિ મુજબ વર્ગ-1માં 54 અને વર્ગ-2માં 859 જગ્યાઓ ખાલી છે. નિવૃત્તિ, રાજીનામા અને અન્ય કારણોસર આ જગ્યાઓ ખાલી પડી હોવાનું જણાવાયું છે. સરકારે જણાવ્યું કે ભરતી અને બદલીની પ્રક્રિયા દ્વારા આ જગ્યાઓ તબક્કાવાર ભરવામાં આવશે. જામનગર-દેવભૂમિ દ્વારકામાં 1565 શિક્ષકોની ઘટજામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ સામે આવી છે. 31 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ જામનગર જિલ્લામાં 610 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 955 શિક્ષકોની ઘટ હોવાનું સરકારે સ્વીકાર્યું છે. નિવૃત્તિ, બદલી, સ્વૈચ્છિક નિવૃત્તિ અને અવસાન જેવા કારણોસર આ ખાલી જગ્યાઓ ઊભી થઈ હોવાનું જણાવાયું છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસહાયકોની મદદથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભરૂચ-નર્મદા જિલ્લામાં 1053 ઔદ્યોગિક એકમો પાસેથી ₹4035 કરોડથી વધુ GST બાકીભરૂચ અને નર્મદા જિલ્લામાં કુલ 1053 ઔદ્યોગિક એકમો પાસેથી લગભગ ₹4035 કરોડથી વધુ GST વસૂલવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા રજૂ થયેલા આંકડાઓ મુજબ અનેક ઉદ્યોગો દ્વારા સમયસર કરચુકવણી ન થતાં બાકી રકમનો ઢગલો વધ્યો છે. આ રકમ વસૂલવા માટે કર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. પેટ્રોલ-ડીઝલ સહિત ઇંધણ પર રાજ્યની કમાણી ₹41,593 કરોડરાજ્ય વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ પેટ્રોલ, ડીઝલ, PNG અને CNG પર વસુલાતા વેટ અને સેસથી રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષમાં કુલ ₹41,593 કરોડની આવક થઈ છે. હાલ પેટ્રોલ પર 13.7% અને ડીઝલ પર 14.9% વેટ વસુલવામાં આવે છે, જ્યારે PNG અને CNG પર પણ લગભગ 15% સુધીના વેટના દર લાગુ છે. સરકારે જણાવ્યું કે રાજ્યની આવકમાં આ કર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. રાજ્યમાં 8586 પ્રાથમિક અને 856 માધ્યમિક શાળાઓમાં ઓરડાઓની ઘટરાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ઓરડાઓની નોંધપાત્ર ઘટ સામે આવી છે. જિલ્લાવાર આંકડા મુજબ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા જિલ્લાઓમાં પણ વર્ગખંડોની અછત સ્પષ્ટ જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભીડભાડમાં અભ્યાસ કરવો પડે છે. કેટલાક સ્થળોએ એક જ ઓરડામાં બે-ત્રણ વર્ગોને ભણાવવાની સ્થિતિ સર્જાઈ છે. ઓરડાઓના અભાવે શિક્ષણની ગુણવત્તા પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતો માને છે કે તાત્કાલિક નવા વર્ગખંડોની વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પગલાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. ખનીજ નીતિમાં પારદર્શિતા અને ‘ડાયરેક્ટ એલોટમેન્ટ’થી નાના ખેડૂતોને રાહતરાજ્ય સરકારે ખનિજ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા ઈ-હરાજી પદ્ધતિ સાથે ‘ડાયરેક્ટ એલોટમેન્ટ’ની નવી વ્યવસ્થા અમલમાં મૂકી નાના ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત આપી છે. ૪ હેક્ટર સુધી સીધી અરજીથી ક્વોરી લીઝ મળતી થતાં ૭૩૮ અરજીઓને મંજૂરી અપાઈ છે, જ્યારે ખનિજ ચોરી સામે કડક કાર્યવાહીથી વસૂલાત ૧.૭૧ કરોડથી વધીને ૨૫૨ કરોડ સુધી પહોંચી છે. સાથે જ નવા ખનિજ સંશોધન, કોર લાઇબ્રેરી અને REE પ્રોજેક્ટ્સથી રાજ્યના ખનિજ ક્ષેત્રને આધુનિક દિશા મળી રહી છે. મહિલાઓ માટે ‘પિંક ટોઇલેટ’ યોજના: શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને સુરક્ષાનો નવો ધોરણનિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્ય સરકારે મહિલાઓ માટે આધુનિક ‘પિંક ટોઇલેટ’ બનાવવા ₹59.14 કરોડની જોગવાઈ કરી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં બનનારા આ ટોઇલેટમાં ચેન્જિંગ રૂમ, બેબી ફીડિંગ રૂમ અને દિવ્યાંગ સુવિધા જેવી વ્યવસ્થા હશે. આ પહેલ સ્વચ્છતા સાથે મહિલાઓની સુરક્ષા અને સન્માનને પ્રાથમિકતા આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. જિલ્લા આયોજનમાં ₹500 કરોડનો વધારો, 10 વર્ષમાં 2 લાખ સરકારી ભરતીનો રોડમેપ તૈયારરાજ્ય સરકારે જિલ્લા આયોજન માટે ₹500 કરોડનો વધારો કરી કુલ ₹2102 કરોડ ફાળવ્યા છે, સાથે જ 2024-2033 માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરીને 2 લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ 6.5 લાખ કર્મચારીઓને ₹10 લાખ સુધીની સારવાર અને SPIPA મારફતે UPSCમાં સફળતા પણ રાજ્યના સુશાસનના પ્રયાસોને દર્શાવે છે. પેકિંગ પરની કિંમતથી વધુ વસૂલતા વેપારીઓ સામે કડક કાર્યવાહી, 58 વેપારીઓ પકડાયાગ્રાહક હિત માટે રાજ્ય સરકારે કડક વલણ અપનાવી પેકિંગવાળી વસ્તુઓ પર છાપેલી કિંમત કરતાં વધુ વસૂલતા વેપારીઓ સામે કાર્યવાહી તેજ કરી છે. છેલ્લા એક વર્ષમાં વડોદરા, પંચમહાલ અને કચ્છમાં કુલ 58 વેપારીઓ સામે કેસ નોંધાઈ ₹74 હજારથી વધુ દંડ વસૂલાયો છે, જ્યારે પુનરાવર્તન થાય તો સીધી કોર્ટ કાર્યવાહીનો પણ પ્રાવધાન રાખવામાં આવ્યો છે. ‘વોકલ ફોર લોકલ’ને વેગ: કુટીર અને ગ્રામોદ્યોગ માટે ₹979 કરોડનું બજેટરાજ્ય સરકારે સ્થાનિક કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડવા માટે ₹979 કરોડનું બજેટ ફાળવી ‘વોકલ ફોર લોકલ’ને મજબૂતી આપી છે. ODOP, ઈ-કોમર્સ સહાય, NIFT-NID સાથે તાલીમ અને સ્વદેશી મોલ જેવી પહેલો દ્વારા કારીગરોને રોજગાર અને બજાર બંને ઉપલબ્ધ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મેગા પ્લાન: 3100 નવી ભરતી અને હાઈસ્પીડ કોરિડોરનો વિકાસરાજ્યમાં રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવા 3100 નવી જગ્યાઓ ભરવાની જાહેરાત સાથે હાઈસ્પીડ કોરિડોર, કોસ્ટલ હાઈવે અને એક્સપ્રેસ-વે જેવા મેગા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. OPRC પદ્ધતિથી રસ્તાની ગુણવત્તા સુધારવા અને મુસાફરી સમય ઘટાડવા સરકારનો ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર કેન્દ્રિત રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે ₹2017 કરોડનો વધારો: મેડિસિટી અને IVF સેન્ટરથી આરોગ્યસેવામાં ક્રાંતિરાજ્યના આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો કરી ₹25,403 કરોડ ફાળવાયા છે, જેમાં મેડિસિટી, IVF સેન્ટર, નવી એમ્બ્યુલન્સ અને ‘નમોશ્રી યોજના’ જેવી પહેલો સામેલ છે. PMJAY હેઠળ 2.73 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે, જ્યારે માતા-બાળ આરોગ્ય અને ગ્રામ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો ફોકસ રહ્યો છે. ગુજરાતના બંદરોનો દબદબો: દેશના 40% દરિયાઈ વેપારનો ભાર સંભાળે છે રાજ્યગુજરાતે બંદર વિકાસમાં આગવું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યાંથી દેશના 40% દરિયાઈ વેપારનું સંચાલન થાય છે. ₹322 કરોડના બજેટ સાથે શિપબિલ્ડિંગ, LNG હેન્ડલિંગ અને અલંગ યાર્ડ જેવા પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક મેરીટાઇમ હબ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. દિવ્યાંગ લગ્ન સહાયમાં વધારો: હવે ₹75 હજાર સુધી સહાય, અરજી પ્રક્રિયા સરળદિવ્યાંગ નાગરિકોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે લગ્ન સહાય ₹50 હજારથી વધારી ₹75 હજાર કરી છે. DBT મારફતે સીધી સહાય સાથે અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેના કારણે લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક સહાય મળી રહી છે.
રાજ્યભરમાં જ્યારે ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વન્યપ્રાણીઓની સુરક્ષા માટે ઝૂ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉનાળાની ઋતુ દરમિયાન વધતા જતા તાપમાન અને તીવ્ર ગરમીના મોજાથી વન્યપ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક અને પરંપરાગત ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. સક્કરબાગના ડી.એફ.ઓ. રાજદીપસિંહ ઝાલાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને માર્ચના મધ્યથી જૂન મહિના સુધી જ્યારે ગરમી પરાકાષ્ઠાએ હોય છે, ત્યારે પ્રાણીઓની અનુકૂળતા અને પ્રવાસીઓની સુગમતા માટે તંત્ર દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.તાપમાનના નિયંત્રણ માટે લેવામાં આવેલા ઉપાયોમાં મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવા કે એશિયાટિક સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે તેમના પાંજરાઓમાં અત્યાધુનિક વોટર સ્પ્રિંકલર્સ અને ફોગર્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ આકરો હોય છે, ત્યારે આ ફુવારાઓ સતત ચાલુ રાખવામાં આવે છે જેથી પાંજરાની અંદરનું તાપમાન જળવાઈ રહે અને પ્રાણીઓને લૂ ન લાગે. આ ઉપરાંત જે પાંજરાઓમાં કુદરતી છાંયો ઓછો છે ત્યાં ખાસ પ્રકારની ગ્રીન નેટ લગાવીને કૃત્રિમ છાંયડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી સૂર્યના સીધા કિરણો પ્રાણીઓ પર ન પડે. વન્યપ્રાણીઓને પૂરતો આરામ મળી રહે તે માટે વૃક્ષોના કુદરતી છાંયામાં પણ અનુકૂળ વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે. પ્રાણીઓના સ્વાસ્થ્ય અને હાઇડ્રેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કે વન્યપ્રાણીઓને હંમેશા સ્વચ્છ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના કુંડની દૈનિક ધોરણે સાફ-સફાઈ કરવામાં આવે છે. આ કુંડાઓમાં નિયમિતપણે ચૂનો કરવામાં આવે છે જેથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે. ગરમીના કારણે પ્રાણીઓના શરીરમાં પાણીનું સ્તર ઘટી ન જાય તે માટે પીવાના પાણીમાં ઓ.આર.એસ. એટલે કે ઇલેક્ટ્રોલાઇટ સપ્લિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. વાઘ અને રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે પાણીના હોજમાં બરફની મોટી પાટો મૂકવામાં આવે છે, જેનાથી તેઓ પાણીમાં બેસીને ઠંડક મેળવી શકે છે. ખોરાકની વાત કરીએ તો, રીંછ, મર્મોસેટ અને વાંદરાઓ માટે ફળોને પાણીમાં થીજવીને બનાવવામાં આવેલી 'ફ્રોઝન ફ્રૂટ આઈસ કેન્ડી' આપવામાં આવે છે, જે તેઓ ખૂબ જ હોંશથી ખાય છે અને તેમના શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે. પક્ષીઓ અને સરીસૃપ વર્ગના જીવો માટે પણ સક્કરબાગ તંત્રએ વિશેષ કાળજી લીધી છે. પક્ષીઘરોમાં વિવિધ પ્રકારના ફુવારા અને ગ્રીન નેટની સુવિધા સાથે તેમના ખોરાકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પક્ષીઓને અત્યારે વધુ પાણી ધરાવતા તરબૂચ અને ટેટી જેવા ફળો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે. પક્ષીઓને ગરમીથી બચાવવા માટે કુદરતી વાતાવરણ જેવા આર્ટિફિશિયલ નેસ્ટ એટલે કે કૃત્રિમ માળાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે સાપ અને અન્ય સરીસૃપો માટે આખો દિવસ છાંયો રહે તેવી જગ્યાઓ અને પાણીના નાના કુંડ બનાવવામાં આવ્યા છે. તૃણાહારી પ્રાણીઓ માટે તાજા લીલા ઘાસચારાની સાથે પાણીના પોઈન્ટ નજીક ભીના કંતાન રાખવામાં આવે છે, જેથી વન્યજીવોની સાથે સાથે મધમાખી જેવા જીવજંતુઓને પણ સરળતાથી ભેજ અને પાણી મળી રહે. સક્કરબાગના સફારી વિસ્તાર અને ફ્રી રેન્જિંગ એરિયામાં મુક્ત રીતે વિહરતા વાંદરા, મોર, હરણ અને સાહુડી જેવા પ્રાણીઓ માટે પણ ઠેકઠેકાણે પાણીની કુંડીઓ ભરેલી રાખવામાં આવે છે. ઝૂના નિષ્ણાત સ્ટાફ દ્વારા તમામ વન્યપ્રાણીઓનું સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ૨૪ કલાક હેલ્થ મોનીટરીંગ કરવામાં આવે છે. જો કોઈ પ્રાણી બીમાર કે અશક્ત જણાય અથવા નાના બચ્ચા હોય જે ગરમી સહન ન કરી શકતા હોય, તો તેમના માટે વિશેષ શેલ્ટર રૂમમાં કુલરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ, ઉનાળાની આ અસહ્ય ગરમીમાં પણ વન્યજીવોની તંદુરસ્તી જળવાઈ રહે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સક્કરબાગ પ્રશાસન દ્વારા તમામ સ્તરે તકેદારી રાખવામાં આવી રહી છે.
સાવરકુંડલામાં ચાલું બાઈકમાં આગ લાગી:બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એક ચાલતા બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ઘટના સાધના સોસાયટી વિસ્તારમાં બની હતી, જ્યાં બાઈક ભડભડ સળગી ઉઠ્યું હતું. સદનસીબે, બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક ચાલક સાધના સોસાયટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્પાર્કિંગ થવા લાગ્યું. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે થયેલા સ્પાર્કિંગથી આગ પેટ્રોલની પાઇપ સુધી ફેલાઈ ગઈ, જેના પરિણામે બાઈકે ગણતરીની પળોમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે પાણીની ડોલ વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. ભારે જહેમત બાદ આગને નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી. જોકે, આગ પર કાબૂ મેળવવામાં આવ્યો ત્યાં સુધીમાં બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગેલું બાઈક હોન્ડા કંપનીનું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા જૈન પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગત 15 માર્ચના રોજ થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં મહેસાણા બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી બે રીઢા તત્વોને ઝડપી પાડી કુલ 3.72 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અજાણ્યા તસ્કરો સોનાની વીંટી, મોબાઈલ લઈને ફરારફરિયાદી જૈન પ્લાઝા કોમ્પ્લેક્સમાં પોતાની ઓફિસ ધરાવે છે. 15 માર્ચની રાત્રે ઓફિસ બંધ કરીને ઘરે જતી વખતે તેઓને બી.પી.ની તકલીફના કારણે અચાનક ચક્કર આવતા તેઓ ગેલેરીમાં આરામ કરવા બેઠા હતા અને ત્યાં જ ઊંઘી ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમના હાથમાંથી આશરે દોઢ તોલાની સોનાની વીંટી, અન્ય એક 6 ગ્રામની સોનાની વીંટી અને કિંમતી સેમસંગ એસ-26 અલ્ટ્રા મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ યુવકો નજરે પડ્યાઆ બનાવ અંગે ફરિયાદ નોંધાતા જ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડ એક્શનમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા બે શંકાસ્પદ યુવકો નજરે પડ્યા હતા. મોઢેરા રોડ પાસેથી બંનેને દબોચી લીધાતપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે બે શંકાસ્પદ શખ્સો બેઠેલા છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ધ્રુવકુમાર કાન્તીલાલ ભોજક (ઉ.વ. 24) અને અભિજીતકુમાર શકુમાર મૈત્રી (ઉ.વ. 23) નામના બે શખ્સોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. સૂતેલા જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાતપોલીસે આરોપીઓની અંગઝડતી લેતા તેમની પાસેથી ચોરીમાં ગયેલો સેમસંગ એસ-26 અલ્ટ્રા મોબાઈલ અને બંને સોનાની વીંટીઓ મળી આવી હતી. આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ કોમ્પ્લેક્સમાં ચા પીવા આવ્યા હતા અને સીડી ચડીને ઉપર જતા એક વ્યક્તિને સૂતેલા જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે કુલ 3,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(ઉં) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગરમાવો જોવા મળ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે પાયાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શનઆ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખો તેમજ પ્રભારીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યોએ પણ મંથન કર્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોને યોગ્ય દિશા-નિર્દેશ આપવાનો હતો. તમામ પાંખના વડાઓ સાથે આગામી દિવસોના કાર્યક્રમો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. સંગઠનાત્મક આયોજન પર ભારબેઠક દરમિયાન આગામી ચૂંટણી જીતવા માટેના સંગઠનાત્મક આયોજન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. દરેક સ્તરે જવાબદારીઓની સોંપણી અને જનસંપર્ક અભિયાનને વેગ આપવા પર ભાર મુકાયો હતો. ભાજપે 01 પણ કચાસ ન રહે તે રીતે પાયાના કાર્યકરો સુધી પહોંચવાની રણનીતિ તૈયાર કરી છે. આ બેઠક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના વિજય રથને આગળ ધપાવવા માટે નિર્ણાયક સાબિત થશે.
આજના આધુનિક યુગમાં વિસરાતા જતા પૌષ્ટિક આહારને ફરી લોકોની થાળી સુધી પહોંચાડવા માટે જૂનાગઢ તૈયાર છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી 21 અને 22 માર્ચના રોજ શહેરના સરદાર બાગ સ્થિત ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી હવેલી વાડીના ગ્રાઉન્ડમાં ભવ્ય 'મિલેટ એક્ષ્પો'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવનારો એક ઉત્સવ બની રહેશે. તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકઆ મિલેટ એક્ષ્પોના સુચારું આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં એક્ષ્પોની વ્યવસ્થા, સ્ટોલ્સનું વિતરણ અને લોકો સુધી આ માહિતી પહોંચાડવા સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિપક રાઠોડ અને પ્રોગ્રામ ઓફિસર ચેતન સોજીત્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાણી-પીણી અને કલાનો સંગમબે દિવસીય આ મેળામાં કુલ 50 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવશે. અહીં મુલાકાતીઓને બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા જાડા ધાન્યમાંથી બનતી 'રેડી ટુ ઇટ' પ્રોડક્ટ્સ અને લાઈવ ફૂડ આઈટમ્સ માણવા મળશે. આ ઉપરાંત, સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ., આયુર્વેદ અને કૃષિ યુનિવર્સિટી જેવા વિભાગો પણ જોડાશે. તંદુરસ્ત જીવનનો સંકલ્પઆંતરરાષ્ટ્રીય મિલેટ યર-2023 અને મિલેટ ડેવલપમેન્ટ યોજનાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં આવા એક્ષ્પો યોજાઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ લોકોને કુદરતી ખેતી અને પૌષ્ટિક આહાર તરફ વાળવાનો છે. જૂનાગઢના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે જ્યાં તેઓ સ્વાદની સાથે સ્વાસ્થ્યનો મંત્ર પણ મેળવી શકશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લામાં યોગનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલી આ પરીક્ષામાં 45 જેટલા નવા યોગ ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના પ્રત્યેક ઘર સુધી યોગને પહોંચાડી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકનઆ સમગ્ર પ્રક્રિયા ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, મનપા કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા તેમજ જિલ્લા કોઓર્ડિનેટર જયંતિ કાછડીયા અને સોનલબેન બગડાના સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. પરીક્ષા દરમિયાન ટ્રેનરોના સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે તેમની પ્રયોગાત્મક કુશળતાનું પણ ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં તેઓ ગુણવત્તાસભર યોગ શિક્ષણ આપી શકે. સમાજમાં જાગૃતિ લાવવા અનુરોધજિલ્લા યોગ કોઓર્ડિનેટર દ્વારા સફળ થયેલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ પરીક્ષાથી ટ્રેનરોની નિપુણતા વધશે. વધુમાં, તમામ ટ્રેનરોને સમાજમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેના શારીરિક-માનસિક ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
ભારતના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે દેશનું પ્રથમ હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન આકાર લઈ ચૂક્યું છે. માર્ચ 2026ના તાજા અહેવાલ મુજબ, સ્ટેશનની છતનું કામ પૂર્ણ કરી હવે ઈન્ટિરિયર, ફિનિશિંગ અને સિસ્ટમ ઈન્સ્ટોલેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કોરિડોર પર ઓગસ્ટ 2027 સુધીમાં ભારત-નિર્મિત 'B28' બુલેટ ટ્રેન દોડતી થાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે વાપી બુલેટ સ્ટેશનના ડ્રોન વીડિયોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નજારો જુઓ. એરપોર્ટ જેવી સુવિધાઓ અને 'ગતિ' પર આધારિત ડિઝાઇનવાપીના ડુંગરા વિસ્તારમાં ચણોદ કોલોની પાસે આશરે 28,917 સ્ક્વેર મીટરમાં આ ભવ્ય સ્ટેશન ફેલાયેલું છે. ડિઝાઇન: સ્ટેશનનો બાહ્ય દેખાવ 'ગતિ' (સ્પીડ)ના કોન્સેપ્ટ પર તૈયાર કરાયો છે. સુવિધાઓ: મુસાફરો માટે બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, અત્યાધુનિક લિફ્ટ અને એસ્કેલેટર જેવી એરપોર્ટ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આર્થિક મહત્વ: સુરત અને બિલીમોરા પછી વાપી એક મહત્વનું સ્ટોપેજ બનશે, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મુંબઈ અને અમદાવાદ સાથે સીધું જોડી આર્થિક ગતિવિધિઓને વેગ આપશે. જાપાનીઝ ટેકનોલોજી અને 'મેડ ઇન ઇન્ડિયા'નો સમન્વયસંસદમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટમાં જાપાનીઝ 'શિંકાન્સેન' ટેકનોલોજીના ટ્રેક અને સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ટ્રેન 'મેડ ઇન ઇન્ડિયા' હશે. ભારત-નિર્મિત 'B28' બુલેટ ટ્રેન શરૂઆતમાં 250થી 280 કિમી/કલાકની ઝડપે દોડશે. એન્જિનિયરિંગ કૌશલ્ય: 10 મહિનામાં પહાડ ચીરી ટનલ તૈયારવલસાડ સેક્શનમાં ઇજનેરી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે: ટનલ નિર્માણ: ઉમરગામના ઝરોલી ગામ પાસે પહાડો કાપીને માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં ટનલનું કામ પૂર્ણ કરાયું છે. વાયડક્ટ અને બ્રિજ: NH-48 પરના મેજર બ્રિજ અને વાયડક્ટની કામગીરી પણ હવે અંતિમ ચરણમાં છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર ઘટવાની સાથે પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2026ને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને જંકશન મેઈન રોડ પર રૂબરૂ ચાલીને સફાઈ કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરવા અને જાહેર સ્થળોને સુવ્યવસ્થિત રાખવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. બાદમાં કમિશનર દ્વારા જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કેન્દ્રના મેડિકલ ઓફિસર પાસેથી દૈનિક OPD, દવાની ઉપલબ્ધતા અને સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતીઓ મેળવી હતી. આ ઉપરાંત, આયુષ્યમાન ભારત કાર્ડની નોંધણી પ્રક્રિયા અને ટી.બી. નિયંત્રણ અભિયાન હેઠળ થતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. અગાઉ તેમણે જ્યુબિલી ગાર્ડનમાં વર્ષ 2018થી 1024 સ્ક્વેર મીટર વિસ્તારમાં કાર્યરત કંપોસ્ટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં શાક માર્કેટના ભીના કચરામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી વેસ્ટ ટુ વેલ્યુના અભિગમને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું. અને તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ હીટવેવ સામે સંપૂર્ણપણે સજ્જ, ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો રાજકોટમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન ઊંચું જતાં લોકો ગરમીથી પરેશાન છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10 ખાતેના બિલ્ડિંગમાં 20 બેડની સુવિધા સાથેનો આ સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો છે. જેમાં સારવાર માટે 5 ડોક્ટર્સ અને 10 નર્સિંગ સ્ટાફ સહિત પેરા મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખી સિવિલમાં દર્દીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેનાં માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. તબીબી અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં દૂર-દૂરથી દર્દીઓ આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખી ઈમરજન્સી વિભાગ ઉપરાંત આ ખાસ વોર્ડમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. વધતા તાપમાન વચ્ચે તબીબોએ લોકોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ પૂરતું પાણી અને પ્રવાહી લેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓએ ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે. જો ચક્કર આવે, ઉબકા થાય કે આંખે અંધારા આવે તેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. મજૂર વર્ગને પણ બપોરે 12 થી 4 ના સમયગાળામાં સખત તડકાથી બચવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં વહિવટદાર તરીકે ચાર્જ સંભાળતા કલેક્ટર રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પાંચ વર્ષની મુદ્ત પૂર્ણ થતાં આજથી વહિવટદારનું શાસન લાગુ થયું છે. રાજ્ય સરકારે ગઇ મોડી રાત્રે પંચાયતો માટે વહિવટદારોની નિયુક્તિ કરી હતી. 31 પંચાયતોમાં જે-તે જિલ્લાના કલેક્ટર તથા તાલુકા પંચાયતોમાં પ્રાંતને જવાબદારી સોંપતો આદેશ જારી કર્યો હતો. આજે બપોરે રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે કલેક્ટર ડો. ઓમપ્રકાશે ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ રુરેશ ગોવિંદ તથા ડેપ્યુટી ડીડીઓ (પંચાયત) જય ગોસ્વામીએ બુકેથી સ્વાગત કર્યું હતું અને ઔપચારિક ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતની નવી ચૂંટણી ન થાય અને નવી ચૂંટાયેલી બોડી ચાર્જ ન લ્યે ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે. સામાન્ય રીતે કોઇ નીતિ વિષયક નિર્ણયો થતા નથી છતાં અસામાન્ય સ્થિતિમાં કોઇ નિર્ણય અનિવાર્ય થાય ત્યારે તે લેવાતા હોય છે. જિલ્લા કલેક્ટરને પ્રમુખ જ્યાં બેસતા તે ચેમ્બર ફાળવવામાં આવી છે. હાલમાં ચૂંટાયેલી બોડીનું શાસન ખત્મ થયું હોવાથી તમામ 36 સભ્યો ભૂતપૂર્વ બની ગયા છે. આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ઉપરાંત બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સહકાર-સિંચાઇ સહિતની સમિતિની ચેમ્બરમાંથી ચેરમેનોના બોર્ડ અને રાજકીય નેતાઓના ફોટાઓ પણ ઉતારી લેવાયા હતા. રાજકોટમાં અશાંતધારાના નવા નોટિફિકેશનમાં છબરડાથી અરજદારો પરેશાન, નાયબ કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેરમાં વર્ષ 2021થી અમલી બનેલા અશાંત ધારાની મુદત જાન્યુઆરી 2026માં પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ નવા નોટિફિકેશનમાં અગાઉના અનેક રેવન્યુ સર્વે નંબર અને સીટી સર્વે નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અથવા રહી ગયા છે. આ ટેકનિકલ ખામીને કારણે હાલમાં અશાંત ધારા હેઠળ પરવાનગી મેળવવામાં વકીલો અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલની સ્થિતિએ અંદાજે 150 થી 200 જેટલી અરજીઓ ઓર્ડર વગર પેન્ડિંગ પડી છે. સરકાર તરફથી જૂના અને નવા નોટિફિકેશનના સર્વે નંબરો અંગે કોઈ સ્પષ્ટતા ન આવતા પ્રાંત કચેરીમાં અરજીઓ અટવાઈ પડી છે. 17/12/2025 અને 31/12/2025ના રોજ કરેલી અરજીઓ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને રજાઓના કારણે પણ ઓર્ડર પ્રક્રિયામાં વિલંબ થયો છે. આ મામલે એન.જે.પટેલ, જી.એલ.રામાણી, સી.એચ. પટેલ સહિતના વકીલોએ નાયબ કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સહયોગથી વયોવૃદ્ધો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત ALIMCO દ્વારા 60 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ નાગરિકોને સહાયક ઉપકરણો પૂરા પાડવા માટે રાજકોટમાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ધારાસભ્ય રમેશ ટીલાળા અને પૂજાબેન પટેલના વિશેષ સહયોગથી યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વયસ્ક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાતોની ટીમ દ્વારા વૃદ્ધોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેથી તેમને ભવિષ્યમાં કોમોડ ખુરશી, કમરના પટ્ટા અને કાનના મશીન જેવા સાધનો વિનામૂલ્યે મળી શકે. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ વિધાનસભા 70 ના તમામ વોર્ડના પ્રમુખ, કોર્પોરેટર, મહામંત્રી અને પ્રભારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓના સહકારથી સિનિયર સિટીઝનોને કેમ્પ સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટમાં 181 અભયમ ટીમની સમયસૂચકતા, ઘર છોડીને આવેલી 16 વર્ષની સગીરાને અપાવ્યું રક્ષણ રાજકોટ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર સરાહનીય કામગીરી કરી માનવતા મહેકાવી છે. ભાવનગરથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક 16 વર્ષની સગીરા રાત્રિના સમયે રાજકોટમાં એકલી મળી આવતા ટીમ તેની વહારે આવી હતી. એક જાગૃત નાગરિક દ્વારા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવતા અભયમની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરાનું આત્મીયતાપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, પિતાના અવસાન બાદ સગીરા તેના પિતાના પરિવાર સાથે રહેતી હતી, જ્યાં તેને અભ્યાસ છોડાવી સતત ઘરકામ કરાવી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સ્થિતિથી કંટાળી તે ઘરેથી નીકળી ગઈ હતી. 181 ટીમે તાત્કાલિક તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. સગીરાએ તેના પિતાના ઘરે જવાને બદલે પોતાની બહેન - બનેવી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના સભ્યો રાજકોટ આવવા રવાના થયા હોવાથી, રાત્રિના સમયે સગીરાની સુરક્ષાને અગ્રતા આપી તેને નજીકના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. અભયમની આ તત્પરતા બદલ પરિવારે ટીમનો આભાર માન્યો હતો.
ગાંધીનગરના હાર્દ સમાન અને યુવાનોના હોટ ફેવરિટ એવા PDPU આઇકોનિક રોડ પર જોખમી કરતબો અને કાન ફાડી નાખતા સાયલેન્સરના અવાજોથી આખા વિસ્તારને બાનમાં લેતા ધૂમ બાઇકર્સ સામે પોલીસ કાફલાએ મિડનાઈટ ઓપરેશન હાથ ધરી મોડિફાઈડ સાયલેન્સર ધરાવતી 12થી વધુ બાઇકો ડિટેન કરી કાયદાનો કોરડો વીંઝતા નબીરાઓમાં ફફડતા વ્યાપી ગયો છે. સ્ટંટબાજ નબીરાઓ વિરુદ્ધ મેગા ઓપરેશનગાંધીનગર શહેરના સૌથી ચર્ચિત અને યુવાનોમાં લોકપ્રિય એવા PDPU આઇકોનિક રોડ પર મોડી રાત્રે પોલીસે આક્રમક તેવર બતાવીને જોખમી સ્ટંટબાજો અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા નબીરાઓ વિરુદ્ધ મેગા ઓપરેશન પાર પાડ્યું છે. છેલ્લા લાંબા સમયથી રાયસણ અને આસપાસના રહેણાંક વિસ્તારોના રહીશો માટે આ રોડ રાત્રિના સમયે માથાના દુખાવા સમાન બની ગયો હતો. અસામાજિક તત્વોને કારણે સ્થાનિકોની ઊંઘ હરામમોડી રાત્રે ઊંચા અવાજે મોડિફાઈડ સાયલેન્સર સાથે નીકળતી બાઇકર્સ ગેંગ દ્વારા જીવના જોખમે કરાતા સ્ટન્ટ્સને કારણે સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બાબતની ગંભીર ફરિયાદો ઉચ્ચ સ્તરે પહોંચતા મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકના સંયુક્ત આદેશ અને માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો એક્શન મોડમાં આવ્યો હતો અને આઇકોનિક રોડ પર શિસ્તનો કોરડો વીંઝ્યો હતો. પોલીસની ઓચિંતી એન્ટ્રીથી સ્ટંટબાજોમાં દોડધામગઈકાલે રાત્રિના 9થી 12 કલાકના સમયગાળા દરમિયાન આ માર્ગ પર ટ્રાફિક અને યુવાનોની ભીડ વધુ હોય છે, ત્યારે પોલીસની વિવિધ ટીમોએ આખા રોડને કોર્ડન કરી વોચ ગોઠવી હતી. પોલીસની આ ઓચિંતી એન્ટ્રીથી સ્ટંટબાજોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, અનેક બાઇકર્સ દ્વારા RTOના નિયમોને નેવે મૂકીને વાહનોમાં ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા હતા. 12 વાહનો ડિટેન કરી દંડ ફટકાર્યોખાસ કરીને સ્પોર્ટ્સ બાઇકમાં કંપની ફિટેડ સાયલેન્સર દૂર કરી તેની જગ્યાએ ગેરકાયદેસર સાયલેન્સર લગાવાયા હતા, જેમાંથી ફટાકડા જેવા અવાજો નીકળતા હતા. પોલીસે આવા 10થી 12 જેટલા વાહનોને સ્થળ પર જ જપ્ત કરી ડિટેન દંડ ફટકાર્યો હતો. ઇન્ફોસિટી વિસ્તારમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરાશેઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વાહનોમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ફેરફાર કે અવાજ કરતા સાયલેન્સર લગાવનારને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ ઝુંબેશ માત્ર આઇકોનિક રોડ પૂરતી મર્યાદિત ન રહેતા શહેરના અન્ય મુખ્ય માર્ગો જેવા કે ચ, ઘ રોડ અને ઇન્ફોસિટી વિસ્તારમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ સ્વરૂપે ચાલુ રાખવામાં આવશે.
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને અનેક સ્થળોએ LPG ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, ત્યારે વડોદરા ગેસ કંપની (VGL) દ્વારા 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાખવામાં આવ્યા છે. વડોદરા ગેસ કંપની પાસે પૂરતો પુરવઠો હોવાનું ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. 'જ્યાં ગેસ લાઇન છે ત્યાં અમે ત્વરિત કનેક્શન આપી રહ્યા છે'વડોદરા ગેસ કંપનીના એમડી વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલમાં LPG ગેસ સિલિન્ડરો મેળવવામાં કેટલાક લોકોને તકલીફ પડી રહી છે, જેની સામે વડોદરા ગેસ લિમિટેડ કંપનીમાં રોજેરોજ નવી ઇન્કવાયરી આવી રહી છે. અમે જ્યાં ગેસ લાઇન છે ત્યાં ત્વરિત ગેસ કનેક્શન આપી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેસ કનેક્શન નાખવામાં આવી રહ્યા છે. જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ અમારી ટીમ તેઓને પણ ગેસ મળે તે દિશામાં કાર્યરત છે. ડોમેસ્ટિકમાં રોજની 1.61 લાખ ક્યુબિક મીટર ગેસની ખપતએમડી વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વડોદરા ગેસ કંપની દ્વારા શહેરમાં પુરતો જથ્થો પૂરો પાડવા સક્ષમ છે. હાલમાં ડોમેસ્ટિકમાં 1.61 લાખ ક્યુબિક મીટર અને સીએનજીમાં 2.5 લાખ ક્યુબિક મીટર સપ્લાય આપવામાં આવી રહ્યો છે. કુલ 4.70 લાખ ક્યુબિક મીટર જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. હાલમાં ઈન્ડસ્ટ્રીઝમાં 80 ટકા જથ્થો આપવામાં આવી રહ્યો છે. અમારી પ્રાથમિકતા ઘરેલું ગેસ પૂરો પાડવાની છે. દોઢ મહિનો ચાલે તેટલો જથ્થો છેવડોદરા ગેસ લિમિટેડ ગેઈલ ઈન્ડિયા પાસેથી ગેસ પુરવઠો મેળવે છે. વડોદરા ગેસના અધિકારી શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલમાં દોઢ મહિનો કોઈ પણ મુશ્કેલી આવી શકે તેમ નથી. પૂરતો જથ્થો છે. જેથી શહેરીજનોએ કોઈપણ પ્રકારની અફવામાં આવવાની જરૂર નથી. અમે હાલમાં કોઈ સપ્લાય બંધ કરવાના નથી. કોમર્શિયલમાં વધુ માંગ છેવીજીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની બુકિંગ બંધ કરી દેવામાં આવી છે, જેથી ગેસ કનેક્શન મેળવવા કોમર્શિયલમાં પણ માંગ વધી છે. હાલ સુધીમાં 100 જેટલી ઇન્કવાયરી છે જેમાંથી અમે 65 ચેક કરી ચૂક્યા છે. અમારી એવી કોશિશ છે કે રોજ 5-10 કનેક્શન આપી શકીએ. કોમર્શિયલમાં અમારી પ્રાથમિકતા હોસ્પિટલની રહી છે.
હિંમતનગરમાં ખેતરના રસ્તાના વિવાદમાં યુવાનની હત્યા:10 આરોપી ઝડપાયા, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે
હિંમતનગર તાલુકાના કઠવાડીયા ગામે ખેતરના રસ્તાના વિવાદમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 15 આરોપીઓ પૈકી 10ની ધરપકડ કરી છે. જે તમામ આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI એચ.આર. હેરભાના જણાવ્યા અનુસાર, રવિવારે કઠવાડીયા ગામે ખેતરમાં જવાના રસ્તા બાબતે ગામના ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા સાથે કેટલાક લોકોએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. 15થી વધુ લોકોના ટોળાએ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો પીછો કર્યો હતો. ત્યારબાદ લાકડીઓ, પથ્થરો અને છરીઓ વડે તેમના પર હુમલો કરી ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી. આ ઘટના અંગે કઠવાડીયા ગામના સુરપાલસિંહ માનસિંહ ઝાલાએ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગ્રામ્ય પોલીસે હત્યાના 15 આરોપીઓમાંથી 10ની ધરપકડ કરી છે. તેમને બુધવારે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે. પકડાયેલા આરોપીઓમાં મૂળસિંહ જગતસિંહ ઝાલા, ભારતસિંહ મૂળસિંહ ઝાલા, બટુસિંહ પૃથ્વીસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ખોડસિંહ ઝાલા, કમલેશસિંહ વિજયસિંહ ઝાલા, કિસ્મતસિંહ દેવુસિંહ ઝાલા, યશપાલસિંહ મણુસિંહ ઝાલા, અનસૂયાબા કનકસિંહ ઝાલા, શ્રીપાલસિંહ કાળુસિંહ ઝાલા અને રાજવીરસિંહ કાળુસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.
ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મુળી તાલુકાના ખાખરાળા ગામે સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન ચાઇના ક્લે અને રેતીનું વહન કરતા 8 વાહનો જપ્ત કરી કુલ 1.78 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ ફરજમાં બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવાશે. સરકારી જમીન પર ખનન થતુંચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકામાં દરોડો કર્યો હતો. તેમણે ખાખરાળા ગામમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ખનન પર આકસ્મિક દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. ખાનગી વાહનમાં આવેલી તપાસ ટીમે ધાવડી માતા મંદિર પાસે સર્વે નંબર 52ની સરકારી જમીન પરથી સફેદ માટી (ચાઇના ક્લે)નું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું. જપ્ત કરાયેલા વાહનો અને સંડોવાયેલા શખ્સોદરોડા દરમિયાન ખનન સ્થળેથી એક JCB મશીન (ચેસીસ નં. RAJ3DXX5J03305502) અને ટ્રોલી સાથેના 3 ટ્રેક્ટર (રજી. નં. GJ 13 EE 5409, GJ 13 AH 2921, GJ 13 AH 5637) જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિમાં ખાખરાળાના હરી જોગરાણાની સંડોવણી ખુલી છે. આ ઉપરાંત, સબ-ડિવિઝનના અન્ય વિસ્તારોમાં તપાસ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે વહન કરતા 2 ડમ્પર (નં. GJ 10 TX 7551 અને GJ 24 X 7250) પણ ઝડપાયા હતા. આ ડમ્પરના માલિકોમાં પ્રવીણ મનુભાઈ ગોવાળિયા (રહે. રાયપર, ગઢડા) અને તરકટા ગોપાલ વેરશી (રહે. ઉંમરડા, મુળી) નો સમાવેશ થાય છે. કુલ 1,78,60,000નો મુદ્દામાલ જપ્તતંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ 8 વાહનોની અંદાજિત કિંમત 1,78,60,000 (એક કરોડ અઠ્યોતેર લાખ સાઠ હજાર) આંકવામાં આવી છે. તમામ મુદ્દામાલ હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. કડક કાયદાકીય કાર્યવાહીપકડાયેલા તમામ વાહન માલિકો અને ખનન કરનારાઓ વિરુદ્ધ 'ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017' હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગંભીર નોંધ લેતા, ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ ફરજમાં બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતના હીરા ઉદ્યોગ માટે 13 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સુરત અને સમગ્ર ગુજરાતમાં તૈયાર થતા હીરાને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી છે. સુરત ડાયમંડ એસોસિએશનના લાંબા સમયના પ્રયત્નો અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (EDII) ના સહયોગથી ગુજરાતમાં તૈયાર થતા હીરાને 'સુરત કટ ડાયમંડ' નામે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI)ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના કાર્યક્રમમાં પ્રમાણપત્ર એનાયત કરાયુંઅમદાવાદ ખાતે EDII દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારત સરકારના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDTM) પ્રો. ડો. ઉન્નત પંડિત અને EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાના હસ્તે આ ઐતિહાસિક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટએ આ સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ ગૌરવ સેઠી, દામજીભાઈ માવાણી અને ભુપતભાઈ કનાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શું છે GI ટેગ અને હીરા ઉદ્યોગ માટે તેનું મહત્વ?GI એટલે કે 'જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન' (ભૌગોલિક સંકેત). આ ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ બને છે અને તેની ગુણવત્તા તે વિસ્તારની વિશેષતા હોય છે. જેમ પાટણના પટોળા અને જામનગરની બાંધણી પ્રખ્યાત છે, તેમ હવે 'સુરત કટ' હીરાની વિશ્વસનીયતાનું પ્રતીક બનશે. સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પોલિશ થતા હીરાની ચમક અને કટિંગ શૈલી વિશ્વમાં અજોડ છે, જેને હવે કાનૂની મહોર મળી ગઈ છે. બેલ્જિયમ કટના નામે થતું વેચાણ હવે બંધ થશે, સુરતની બ્રાન્ડ ચમકશેસુરત ડાયમંડ એસોસિએશનના બોર્ડ મેમ્બર ગૌરવ સેઠીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે સુરતમાં તૈયાર થયેલા હીરાને યુરોપના દેશોમાં 'બેલ્જિયમ કટ' કહીને વેચવામાં આવતા હતાં. હીરા અહીંના રત્નકલાકારોની મહેનતથી તૈયાર થતા હોવા છતાં સુરતને તેની યોગ્ય ક્રેડિટ મળતી નહોતી. હવે GI ટેગ મળવાથી કોઈ પણ જ્વેલર જો સુરતમાં પોલિશ થયેલા હીરા વાપરે છે, તો તે ગર્વ સાથે 'સુરત કટ ડાયમંડ' લખી શકશે. આનાથી સુરત એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઉભરી આવશે. રત્નકલાકારોની કુશળતાને મળી વૈશ્વિક કાનૂની સુરક્ષાવિશ્વના કુલ હીરાના ઉત્પાદનમાંથી આશરે 90% હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે. આ ટેગ મળવાથી અહીંના હજારો રત્નકલાકારોની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે રક્ષણ મળશે. GI ટેગ માત્ર ઓળખ જ નહીં પણ કાનૂની સુરક્ષા પણ પૂરી પાડે છે. હવે કોઈ અન્ય દેશ કે વિસ્તાર 'સુરત કટ'ના નામનો દુરુપયોગ કરી શકશે નહીં. આનાથી સ્થાનિક ઉત્પાદકોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની અપેક્ષા છે. વેચાણમાં વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગGI ટેગ પ્રાપ્ત થતા જ વસ્તુની યુનિકનેસ સાબિત થઈ જાય છે. આગામી સમયમાં જ્યારે હીરા અને જ્વેલરીના પેકિંગ પર અધિકૃત GI લોગો અને 'સુરત કટ ડાયમંડ' લખેલું હશે, ત્યારે વિદેશી ગ્રાહકોમાં પણ વિશ્વાસ વધશે. આનાથી હીરાની માંગ વધશે અને નિકાસના નવા રસ્તાઓ ખુલશે. ખાસ કરીને લક્ઝરી માર્કેટમાં 'સુરત કટ' એક પ્રીમિયમ સ્ટેટસ સિમ્બોલ બનશે. ગુજરાતની આર્થિક પ્રગતિમાં ડાયમંડ ઉદ્યોગનું નવું સોપાનગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના DPIIT વિભાગના સહયોગથી મળેલી આ સફળતા ગુજરાતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. હીરા ઉદ્યોગ પહેલેથી જ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, ત્યારે આ બ્રાન્ડિંગથી આવનારા દિવસોમાં નવા રોકાણો આવવાની અને બિઝનેસ એક્સપાન્સનની શક્યતાઓ વધી ગઈ છે. સુરત હવે માત્ર ડાયમંડ હબ જ નહીં, પણ 'બ્રાન્ડેડ ડાયમંડ હબ' તરીકે ઓળખાશે.
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે એક 14 ફૂટના મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મગરની ઉંમર અંદાજે 45 વર્ષ હતી. વડોદરા વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મગરોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 417 મગરો દેખાયા હતા. જોકે, છેલ્લા એક મહિનામાં 3 મગરના મોત થયા છે, ત્યારે 16 માર્ચ 2026ના રોજ 14 ફૂટના મગરના મોતને કારણે તેમના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થયા છે. ગઈકાલે સોમવાર 14 ફૂટ લાંબા મગરનો મૃતદેહ મળ્યોવડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસમાં 3 મગરો અને તે અગાઉ એક એમ કુલ 4 મગરોના મોત થયા છે. અત્યારે મગરોમાં પ્રજનનની સિઝન ચાલતી હોય છે, જેના કારણે તેમની વચ્ચે ટેરેટરીના વર્ચસ્વ માટે લડાઈ થતી હોય છે. આ લડાઈ દરમિયાન થયેલી ઇજાઓ અને વૃદ્ધાવસ્થા મગરના મૃત્યુ માટેના મુખ્ય કારણો હોઈ શકે છે. ગઈકાલે સોમવારે જે મગર મૃત્યુ પામ્યો હતો તેની લંબાઈ 14 ફૂટથી વધુ હતી અને તે પુખ્ત વયનો હતો. તેની ઉંમર પણ એક કારણ હોઈ શકે છે. ટેરિટોરિયલ ફાઈટ એ વન્યજીવોના વર્તનનો એક ભાગ છે. ખાસ કરીને જ્યારે પ્રજનનનો સમય હોય ત્યારે વન્ય પ્રાણીઓમાં અંદરોઅંદર સંઘર્ષ થતો હોય છે. મગરો પોતાના ચોક્કસ વિસ્તાર માટે લડતા હયો છે, જેમાં ઈજા થવાને કારણે ઘણીવાર મૃત્યુ પણ નિપજતું હોય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વન્યજીવ સંરક્ષણના નિયમ મુજબ, જ્યારે કોઈપણ મગર કે અન્ય જીવને રેસ્ક્યુ કરવામાં આવે, ત્યારે તેને તેના કુદરતી રહેઠાણમાં જ છોડવો પડે છે. વન વિભાગ દ્વારા મોટાભાગના કિસ્સામાં મગરોને જે તે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય ત્યાં જ અથવા તેના નજીકના કુદરતી રહેઠાણમાં ફરી મુક્ત કરવામાં આવે છે. આ અગાઉ 4 અને 5 ફૂટના બે મગર એક બાદ એક મૃત મળ્યાઆ પહેલાં 22 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના અકોટા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર એક મૃત મગર મળી આવ્યો હતો. કોઈ જાગૃત નાગરિકે બ્રિજ પરથી મગરને જોઈ વન વિભાગને જાણ કરી હતી. જેથી જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં નદીના કિનારા પર એક મગર પડ્યો હતો. તેની લંબાઈ આશરે સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી હતી. ત્યારબાદ એક 5 ફૂટનો મૃત મગર પણ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરેમગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે, ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?
મોરબીમાં મેન્ગ્રુવ સંરક્ષણ વર્કશોપ યોજાયો:દરિયાકાંઠાની સુરક્ષા અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકાયો
મોરબી વન વિભાગ દ્વારા 17 માર્ચના રોજ પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે એક વિશેષ મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. 'સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો' વિષય પર આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ લાવવાનો હતો. આ વર્કશોપમાં મોરબીના નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને 'વિશિષ્ટ વનસ્પતિ' ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે 'ગ્રીન બેલ્ટ' સમાન છે. ડૉ. બેરવાલે ભારત સરકારના 'મિસ્ટી' (MISHTI - Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes) પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. મેન્ગ્રુવ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ સ્થાનિક માછીમારો અને જૈવ-વિવિધતા માટે પણ સમૃદ્ધિનો સ્ત્રોત છે. આ અવસરે વૈદ્ય કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસર ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષક પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિના સંવર્ધન માટે કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપને સફળ બનાવવા ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના ન્યૂડ તસવીર વાઈરલ કરવાની ધમકી આપવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીએ લગ્ન કરવાની ના પાડતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલી સગીરાએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે વારાહીના શખસ વિરુદ્ધ BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના શું છે?પ્રાપ્ત વિગતો અનુસાર, રાધનપુરમાં રહેતી 14 વર્ષ અને 6 માસની સગીરાને ગત 02/01/2026ના રોજ બપોરે 13:30 કલાકે તેના ઘરની સામે આવેલી દુકાનોના પાછળના ભાગે બોલાવી આરોપી ગૌતમ રાજુભાઈ દેવીપુજક (રહે. વારાહી, તા. સાંતલપુર)એ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાના વાંધાજનક તસવીર પાડી લીધી હતી અને તેને વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીથી ડરી ગયેલી સગીરાએ લાંબા સમય સુધી આ બાબતે પરિવારમાં કોઈને જાણ કરી ન હતી. આપઘાતનો પ્રયાસ ત્યારબાદ સગીરાએ ગૌતમને લગ્ન કરવા માટે કહેતા આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ વાતનું મનમાં લાગી આવતા અને સામાજિક બદનામીના ડરે સગીરાએ ગત 12/03/2026ના રોજ બપોરે 13:00 કલાકે એસિડ પી લીધું હતું. હાલમાં પીડિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોક્સો અને BNS મુજબ ગુનો સારવાર દરમિયાન સગીરાએ 16/03/2026ના રોજ સાંજે 18:00 કલાકે પોલીસને આપેલા નિવેદન અને ફરિયાદના આધારે રાધનપુર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ: 65(1), પોક્સો (POCSO) એક્ટની કલમ: 3(એ) અને 4 મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત શહેરમાં ફરી એકવાર પ્રેમ સંબંધ અને શંકાના કારણે એક યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 2 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પૂજાકુમારીની તેના જ પતિ સરફરાઝે જાહેરમાં હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાંદેર વિસ્તારમાં આવેલા વોકવે પાસે શંકાના વમળમાં ફસાયેલા પતિએ આવેશમાં આવી પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રેમલગ્નનો લોહિયાળ અંત: સરફરાઝે પૂજાને મોતને ઘાટ ઉતારીસુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામનગર વોકવે પાસે આજે બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મળતી માહિતી મુજબ, બિહારના વતની એવા સરફરાઝ ખાન અને પૂજાકુમારી વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમ્યો હતો અને બંને સુખી જીવન જીવવાની આશા સાથે સુરત રહેવા આવ્યા હતા. જોકે, કોને ખબર હતી કે જે પ્રેમ માટે પૂજાએ સંસાર વસાવ્યો હતો, એ જ પ્રેમ તેના મૃત્યુનું કારણ બનશે. સરફરાઝે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પૂજાના છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. માનેલાભાઈ સાથે પત્ની વાત કરતી હોય સરફરાઝ ખાનને પસંદ નહોતુંપોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પૂજાકુમારી તેના એક માનેલા ભાઈ સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતી હતી. આ વાત તેના પતિ સરફરાઝ ખાનને જરાય પસંદ નહોતી. સરફરાઝ પોતાની પત્ની પર સતત શંકા કરતો હતો કે તેને અન્ય કોઈ સાથે આડા સંબંધો છે. આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિવારે પૂજા તેના તે મિત્ર સાથે ક્યાંક નીકળી ગઈ હતી, જેના કારણે સરફરાઝ એકદમ ગુસ્સામાં હતો અને તેને શોધતો હતો. જાહેરમાં બોલાચાલી અને કરપીણ હત્યાપોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પૂજા ગઈકાલથી ઘરેથી નીકળી ગઈ હતી. સરફરાઝ તેને આખી રાત શોધતો રહ્યો હતો. આજે જ્યારે તેણે પૂજાને પવિત્રા રેસીડેન્સી પાસે તેના મિત્ર સાથે જોઈ, ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. કોઈ પણ વિચાર કર્યા વગર તેણે તેની પત્નીના જીવનનો અંત લાવી દીધો. જે હાથોએ 2 વર્ષ પહેલા લગ્નની વિધિ કરી હતી, તે જ હાથોએ પત્નીનું લોહી વહેવડાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરીઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પૂજાકુમારીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ચપ્પુનો ઘા એટલો ઊંડો અને હૃદયની નજીક હતો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ પૂજાને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ પૂજાના પરિવારમાં અને હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલું હતું દંપતીપોલીસના જણાવ્યા અનુસાર, સરફરાઝ અને પૂજા બંને બિહારના વતની છે અને સુરતમાં કેટરિંગમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંનેની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. પૂજાના માતા-પિતા પણ વર્ષોથી સુરતમાં જ સ્થાયી થયા છે, પરંતુ હાલ તેઓ વતનમાં ગયા હોવાથી પોલીસ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ માત્ર અને માત્ર પત્નીના ચરિત્ર પરની શંકા જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યોબનાવની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યારા પતિ સરફરાઝ ખાનની અટકાયત કરી લીધી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. જાહેરમાં થયેલી આ હત્યાથી સ્થાનિક રહિશોમાં ફાળ પડી ગઈ છે.
અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAA) દ્વારા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ત્રીજા આર્ટિકલશિપ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યારે 34 જાણીતી CA ફર્મ્સ ઉપસ્થિત રહી હતી. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ વર્ષના સીએ વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબની ફર્મ સાથે જોડીને આર્ટિકલશિપની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો હતો. સ્માર્ટ ટેકનોલોજીથી મેચમેકિંગઆ મેળો પરંપરાગત જોબ ફેર કરતા અલગ હતો. અહીં ટેક-સક્ષમ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઓડિટ, ટેક્સેશન અને GST જેવા પોતાના રસના ક્ષેત્રો અગાઉથી જણાવ્યા હતા. બીજી તરફ, કંપનીઓએ પણ પોતાના માપદંડ આપ્યા હતા. સ્માર્ટ ડેશબોર્ડ દ્વારા બંને પક્ષોનું સચોટ મેપિંગ કરી શોર્ટલિસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થળ પર જ અર્થપૂર્ણ ઇન્ટરવ્યુ શક્ય બન્યા હતા. નિષ્ણાતોનો અભિપ્રાયCAAAના પ્રમુખ રૂષભ શાહે જણાવ્યું હતું કે, આ માળખાગત સુધારાથી પ્લેસમેન્ટમાં રહેલી અરાજકતા દૂર થઈ છે અને વિદ્યાર્થીઓને યોગ્ય તક મળી છે. મુખ્ય સંયોજક બિશન શાહે ઉમેર્યું કે, આ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને ફર્મની કાર્ય સંસ્કૃતિ અને શીખવાની તકો વિશે જાણવાનો મોકો મળ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સેક્રેટરી આશીષ શર્મા અને કો-ઓર્ડિનેટર મયુર મોઢાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 17 માર્ચ, 2026ના રોજ એક ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 5 અબજ (500 કરોડ) ભોજન પીરસવાની અદભૂત સિદ્ધિ અને સંસ્થાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સ્થાપકો મધુ પંડિત દાસા અને ચંચલપતિ દાસાની હાજરીમાં રાષ્ટ્રપતિએ પોતે બાળકોને ભોજન પીરસીને આ માઇલસ્ટોનને યાદગાર બનાવ્યો હતો. સુપોષિત અને સુશિક્ષિત ભારતનો સંકલ્પઆ વર્ષની ઉજવણીનો વિષય 'સુપોષિત અને સુશિક્ષિત ભારત વિકસિત ભારત માટે' રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અક્ષયપાત્ર કરુણા અને સામાજિક નવીનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ઇસ્કોનના સ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, બાળકો માત્ર લાભાર્થી નથી પરંતુ 2047 સુધીમાં ભારતને 30 ટ્રિલિયન યુ.એસ. ડોલરનું અર્થતંત્ર બનાવનારા ભાવિ ચાલકો છે. તેમણે સંસ્થાની 25 વર્ષની અવિરત સેવાને બિરદાવી હતી. 2.35 મિલિયન બાળકોને દરરોજ પૌષ્ટિક આહારપીએમ પોષણ પહેલના મુખ્ય ભાગીદાર તરીકે અક્ષયપાત્ર હાલમાં ભારતના 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 78 સ્થળોએ કાર્યરત છે. અત્યાધુનિક રસોડાઓ દ્વારા દરરોજ 2.35 મિલિયન (23,50,000) બાળકોને તાજું ભોજન પહોંચાડવામાં આવે છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યને એક 'જન આંદોલન' ગણાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે 2030 સુધીમાં સંસ્થા દરરોજ 3 મિલિયન (30,00,000) બાળકો સુધી પહોંચવાનું લક્ષ્ય પૂર્ણ કરશે. શૂન્યથી 500 કરોડ ભોજન સુધીની સફર અક્ષયપાત્રની સફર 25 વર્ષ પહેલા બેંગલુરુથી શરૂ થઈ હતી. સંસ્થાએ તેના પ્રથમ 100 કરોડ ભોજનનો આંકડો 12 વર્ષમાં પૂર્ણ કર્યો હતો, જે 2012 માં નારાયણ મૂર્તિ દ્વારા પીરસવામાં આવ્યું હતું. ત્યારબાદ: 200 કરોડમું ભોજન: 2016 માં પ્રણવ મુખર્જી દ્વારા. 300 કરોડમું ભોજન: 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૃંદાવનમાં. 400 કરોડમું ભોજન: 2024 માં સંયુક્ત રાષ્ટ્ર (UN) મુખ્યાલય, ન્યૂયોર્ક ખાતે. 500 કરોડમું ભોજન: 17 માર્ચ, 2026 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. વૈશ્વિક પ્રદાન અને ભવિષ્યનું લક્ષ્યમધુ પંડિત દાસા અને ચંચલપતિ દાસાએ ભારત સરકાર અને દાતાશ્રીઓનો આભાર માનતા જણાવ્યું કે 'વસુધૈવ કુટુમ્બકમ'ના આદર્શ સાથે આ મિશન હવે ભારતની બહાર પણ વિસ્તર્યું છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ દ્વારા સંસ્થાએ ટેકનોલોજી આધારિત રસોડાઓનું નેટવર્ક ઊભું કર્યું છે, જે શાળાઓમાં બાળકોની હાજરી વધારવા અને કુપોષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
બૌડાનું રૂ.203.86 કરોડનું બજેટ મંજૂર:ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં નિર્ણય
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા)ની બોર્ડ બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટે રૂ.203.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મંજૂર થયેલા બજેટ મુજબ, બૌડા વિસ્તારમાં રૂ.30.54 કરોડની મહેસુલી આવકનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત, અન્ય ફંડ દ્વારા રૂ.31 કરોડની આવકનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બજેટમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. રસ્તાઓના નવીનીકરણ માટે સૌથી વધુ રૂ.160.95 કરોડ ફાળવવામાં આવ્યા છે. તળાવોના વિકાસ માટે રૂ.19.45 કરોડની જોગવાઈ કરાઈ છે. વધુમાં, શહેરના મહત્વના જંકશનોને રોડ સેફ્ટીના ધોરણો મુજબ વિકસાવવા માટે રૂ.3.87 કરોડ ફાળવાયા છે. ટી.પી./ડી.પી. વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે રૂ.6.16 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. બૌડા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, આ બજેટથી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે. તેનાથી નગરજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે મોરબીના સ્થાનિક ઉદ્યોગો પર વર્તાઈ રહી છે. સિરામિક ઉદ્યોગમાં મંદી આવી છે. ગેસ સહિતના કારણોસર એક મહિનો સિરામિક ઉદ્યોગ બંધ કરાયો છે, ત્યારે હવે તેની સાથે સીધી રીતે જોડાયેલો પેકેજિંગ ઉદ્યોગ પણ ગંભીર સંકટમાં મુકાયો છે. સિરામિક એકમોમાંથી ઓર્ડર મળતા બંધ થતા મોટાભાગના પેકેજિંગ યુનિટો બંધ થવાના આરે છે, જેના કારણે હજારો શ્રમિકોની રોજગારી પર જોખમ ઊભું થયું છે. ઓર્ડરના અભાવે ઉત્પાદનમાં મોટો કાપમોરબી પેકેજિંગ એસોસિએશનના પ્રમુખ પાર્થ બારૈયાના જણાવ્યા અનુસાર, મોરબીની આસપાસ નાના-મોટા મળીને કુલ 192 પેકેજિંગ યુનિટો કાર્યરત છે. આ યુનિટો મુખ્યત્વે સિરામિક પ્રોડક્ટ્સના પેકિંગ માટે બોક્સ સપ્લાય કરે છે. અગાઉ જે કારખાના 24 કલાક અને મહિનાના 30 દિવસ ધમધમતા હતા, ત્યાં હવે અઠવાડિયામાં માંડ 3 થી 4 દિવસ અને તે પણ માત્ર 12 કલાક જ કામ મળી રહ્યું છે. 450 સિરામિક એકમો બંધ થતા સર્જાઈ સાંકળ અસરછેલ્લા 15 દિવસમાં ગેસના અભાવ અને અન્ય પ્રતિકૂળ પરિબળોને કારણે મોરબીના અંદાજે 450 જેટલા સિરામિક કારખાનાઓ ક્રમશઃ બંધ થયા છે. સિરામિક ઉત્પાદન અટકતા પેકેજિંગ બોક્સની માંગ તળિયે બેસી ગઈ છે. નવા ઓર્ડર મળતા બંધ થતા પેકેજિંગ ઉદ્યોગકારો માટે બેંક લોનના હપ્તા ભરવા અને એકમો ચલાવવા આર્થિક રીતે અશક્ય બની રહ્યા છે. કાચા માલના ભાવમાં વધારો અને રોજગારીનું સંકટઉદ્યોગપતિ જતીન પટેલના મતે, યુદ્ધના કારણે પેકેજિંગમાં વપરાતા પેપરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિમાં ઉદ્યોગકારોએ તૈયાર પ્રોડક્ટ પર 8% થી 10% ભાવ વધારો કરવાની ફરજ પડી છે. બીજી તરફ, ઉત્પાદન ઘટતા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબો સમય ચાલશે, તો મોરબીના અર્થતંત્રમાં મોટું ગાબડું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સિરામિક બાદ પેકેજિંગ ઉદ્યોગની આ પડતી સમગ્ર જિલ્લાના વેપાર-રોજગાર માટે ચિંતાનો વિષય બની છે.
દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા માટે તંત્રએ કડક પગલાં લીધા છે. સુરત પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી દ્વારા નવસારીની બિલીમોરા નગરપાલિકાના એક એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રસ્તાના કામોમાં હલકી ગુણવત્તા અને ગંભીર ક્ષતિઓ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા રસ્તાના કામો અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના આધારે સુરત પ્રાદેશિક કમિશનર દ્વારા રસ્તાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રસ્તાના કામોમાં નિર્ધારિત માપદંડોનું પાલન ન થયું હોવાનું અને ટેકનિકલ ખામીઓ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ગંભીર બેદરકારી બદલ બિલીમોરા નગરપાલિકામાં કાર્યરત એન્જિનિયર સંકેત પટેલને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એન્જિનિયર પર થયેલી આ સીધી કાર્યવાહીને કારણે સરકારી કામોમાં ગુણવત્તા જાળવવા માટે સત્તાધીશોને સ્પષ્ટ સંદેશ મળ્યો છે. આ કડક પગલાં ભવિષ્યમાં અન્ય પ્રોજેક્ટ્સની ગુણવત્તા ચકાસણી માટે પણ એક દાખલો બેસાડી શકે છે.
સુરેન્દ્રનગર શહેરમાં ટાવર ચોક પાસે ઘાંચીવાડ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એક કાર ચાલકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારી હતી, જેમાં બુલેટ, બાઈક, એક્ટિવા અને એક રિક્ષાનો સમાવેશ થાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાંચીવાડ પાસે આવેલી બિસ્મિલ્લાહ લોજના માલિક સાદિકભાઈએ તેમનું બુલેટ, બાઈક અને એક્ટિવા લોજ નજીક પાર્ક કર્યા હતા. જ્યારે નજીકની દૂધની દુકાને એક વ્યક્તિ રિક્ષામાં દૂધ આપવા આવ્યો હતો. આ સમયે ટાંકીચોકથી ટાવર તરફ પૂરઝડપે જતી કારે આ ચારેય વાહનોને અડફેટે લીધા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. બીટ જમાદાર વી.પી. રાઠોડ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ભાવનગરમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં ચાલતા બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો જેમાં જુદી જુદી કંપનીના ઓઈલ, સ્ટીકર, ઢાંકણા અને ઓઈલ ભરવાના મશીન સહિત 1.68.920 નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એલસીબી ની રેડ દરમિયાન બે શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યા હતા. આ અંગે એલસીબી કચેરીથી મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલી કે, અમિત બચુભાઈ દવે તથા નિકુંજ શાંતિભાઈ બારૈયા ભાવનગરમાં આવેલી પોતાના કબજા ભોગવટાના પ્લોટમાં ગેરકાયદેસર રીતે લુઝ ઓઈલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઈલ બનાવી વેચાણ કરતા હોવાની અને હાલ તેની પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં અમીતભાઈ દવે, નિકુંજભાઈ શાંતિલાલ બારૈયા હાજર મળી આવ્યા હતા. એલસીબીની તપાસ દરમિયાન બન્ને શખસો બહારથી લુઝ ઓઈલ મંગાવીને ઈલેક્ટ્રીક મશીન વડે મોટા ટીપણાંમાથી 900 ML લુઝ ઓઈલ બોટલમાં ભરી, કાઉન્ટર ટેબલ ઉપર ઢાંકણા ઉપર સીલ મારવાના મશીનથી સીલ મારી, બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના સ્ટીકર ચોંટાડી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલ તરીકે વેચાણ કરતા હોવાનુ જાણવા મળ્યુ હતું. જ્યારે બનાવ અંગે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં LCB પીઆઈ વાળાએ જણાવ્યુ હતું કે, હાલ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવામાં આવી છે. તમામ સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતું.
વાપીમાં રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સાંઈ મેઘપન સ્પોર્ટ્સ એકેડમી ખાતે STCL (સલૂટ તિરંગા ક્રિકેટ લીગ) દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોના 16 થી 28 વર્ષના યુવાનો ભાગ લેશે. સલૂટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને STCLના ચેરમેન રાજેશ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં આસામ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મુંબઈ, દિલ્હી અને યજમાન ગુજરાત સહિત 7 રાજ્યોની ટીમો ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દેશના ખૂણેખૂણેથી છુપાયેલી ક્રિકેટ પ્રતિભાઓને બહાર લાવવાનો છે.આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર ચેતન શર્મા ખાસ હાજરી આપશે. પૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલ પણ યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ કલાકારો અને મુંબઈના જાણીતા અભિનેતા-અભિનેત્રીઓ પણ ફાઈનલ મેચમાં હાજર રહેશે.આયોજકો દ્વારા બહારથી આવતા ખેલાડીઓ માટે રહેવા, જમવા, એસી બસ, સ્પોર્ટ્સ કિટ અને શૂઝ જેવી તમામ સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવશે. ટુર્નામેન્ટના અંતે વિજેતાઓને આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે.STCLના ચેરમેન રાજેશ ઝાએ જણાવ્યું હતું કે, આપણો ઉદ્દેશ્ય ચીન અને અમેરિકાની જેમ ઓલિમ્પિકમાં 90% મેડલ લાવવા જેવો છે. જો ક્રિકેટ પ્રત્યેનો આ જુસ્સો જળવાઈ રહેશે તો ભારત આગામી સમયમાં વિશ્વ સ્તરે 90% ફાઈનલ જીતશે.ટુર્નામેન્ટને વધુ વ્યાપક બનાવવા માટે આગામી સત્રમાં દરેક ટીમમાં 2 રણજી ટ્રોફીના ખેલાડીઓ અને 1 સેલિબ્રિટી ક્રિકેટરને સામેલ કરવાનું આયોજન છે. STCLની ટીમ વાપીની ધરતી પરથી રમતગમતની એક નવી ક્રાંતિ શરૂ કરવા માટે કટિબદ્ધ છે.
પાટણ તાલુકામાં ઉમિયા રથ પરિભ્રમણ સંપન્ન:હવે ચાણસ્મામાં પ્રારંભ, જાસપુરમાં મંદિર નિર્માણ પ્રગતિમાં
પાટણ તાલુકાના 16 ગામોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઉમિયા માતાજીના રથ પરિભ્રમણનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ ધાર્મિક પ્રવાસ બાદ હવે રથ આજથી ચાણસ્મા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. પાટણ તાલુકામાં અંતિમ દિવસે માંડોતરી, રૂની, હાજીપુર અને કમલીવાડા ખાતે આરતી અને પાલખી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં રથ પરિભ્રમણનો પ્રારંભ મીઠી વાવડી, ખીમીયાણા અને મેમદપુરથી થયો હતો, જે ગજા ગામે પહોંચ્યો હતો. બીજા દિવસે નોરતા, અંબાપુરા, રણુજ અને ડાભડી ગામમાં પરિભ્રમણ યોજાયું હતું. આ ઉપરાંત માતપુર, વિસલવાસણા, કણી અને ધારપુર ગામના ભક્તોએ પણ માતાજીના રથના દર્શન કર્યા હતા. પાટણ તાલુકાનું ભ્રમણ પૂર્ણ થયા બાદ આગામી સમયમાં પાટણ શહેરના પાટીદાર વિસ્તારોમાં પણ રથ પરિભ્રમણ કરશે. આ સમગ્ર આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના જાસપુર ખાતે આવેલી આ સામાજિક અને ધાર્મિક સંસ્થા કડવા પાટીદાર સમાજની એકતા માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા જાસપુર ખાતે 60 એકર જમીનમાં જગતજનની મા ઉમિયાનું 504 ફૂટ ઊંચું વિશ્વનું સૌથી ઊંચું મંદિર નિર્માણ પામી રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. જેમાં 'ઉમા શિક્ષણ સહાય યોજના' હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક મદદ, GPSC અને UPSCની તૈયારી માટે સિવિલ સર્વિસ ઇન્સ્ટિટ્યુટ, તેમજ 'ઉમા લગ્ન સંસ્કાર યોજના' હેઠળ રાહતદરે લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, સંસ્થા મહિલા સશક્તિકરણ, આરોગ્ય સહાય, રમતગમત અને રોજગારી લક્ષી અભિયાનો પણ ચલાવે છે. અમદાવાદના જાસપુર રોડ પર આવેલું મુખ્ય કાર્યાલય આ તમામ કાર્યોનું સંચાલન કરે છે.
રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા માટે મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના પ્રવાસનું આયોજન અને સમયની માંગણીરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 21 થી 23 માર્ચ દરમિયાન વિવિધ કાર્યક્રમો માટે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પાસે સમય માંગવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રો અને સ્થાનિક નિર્દેશો મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભવતઃ તા. 21 ના શનિવારે રાજકોટની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ કે ટેલિફોનિક માધ્યમથી મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે અને પ્રોટોકોલ મુજબની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, હજુ સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ તંત્ર શનિવારને ગ્રાઉન્ડ લેવલ પર ફાઇનલ માનીને કામ કરી રહ્યું છે. રૂ. 751 કરોડના વિકાસ કામોની ભેટ: લોકાર્પણ અને ખાતમુહુર્ત રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. 1. અંદાજે રૂ. 190 કરોડના કામોનું લોકાર્પણ:મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્ણ થયેલા 5 થી 6 મોટા પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મુકાશે. જેમાં સૌથી મહત્વનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત 1000 થી વધુ આવાસોનું લોકાર્પણ છે. આ સિવાય અન્ય જે કામો પૂર્ણતાના આરે છે તેનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે જેથી આચારસંહિતા પૂર્વે તેનો લાભ નાગરિકોને મળતો થઈ જાય. 2. રૂ. 561 કરોડના કામોના ખાતમુહુર્ત:તંત્ર દ્વારા અંદાજે 40 જેટલા નવા વિકાસ કામોના ખાતમુહુર્તની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કામોનો સમાવેશ થાય છે. * વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: ન્યારી ડેમ ખાતે શહેરની વધતી વસ્તીને ધ્યાને રાખીને 150 MLD ની ક્ષમતાનો વિશાળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થશે. * જ્યુબેલી શાકમાર્કેટ: શહેરની ઐતિહાસિક જ્યુબેલી શાકમાર્કેટનું રિનોવેશન અને આધુનિકીકરણ કરવામાં આવશે. * સ્પોર્ટ્સ અને ફાયર સુવિધા: વોર્ડ નં. 4 માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનક રોડ સ્થિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ અને વોર્ડ નં. 15 માં અંદાજે રૂ. 30 કરોડના ખર્ચે નવા ફાયર સ્ટેશનના કામનું ખાતમુહુર્ત કરાશે. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભારાજકીય વિશ્લેષકોના મતે, વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31 ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની આ મુલાકાત માટે મનપા કમિશ્નર દ્વારા સીએમઓમાંથી સમય માંગવામાં આવ્યો છે. જોકે હજુસુધી સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને શનિવારના સંભવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પસંદગી ઉપરાંત અન્ય વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 22 લોકોના નિવેદન વીડિયોગ્રાફી સાથે નોંધવામાં આવ્યા હતા. આ તપાસના અંતે તૈયાર થયેલા રિપોર્ટના આધારે આજે કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે. જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા એ જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ક્યાં અમુક ઈસોમો દ્વારા દારૂ નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી. આ ઘટના ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ યોગ્ય દિશામાં વહેલી તકે તપાસ કરવામાં આવે અને કસૂરવારને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી મુખ્યમંત્રી દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી. પૂજારી અભિષેક ચૌહાણ મુખ્ય આરોપી22 ઓક્ટોબર, 2025ના દિવસે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી અભિષેક ચૌહાણ પોતે પણ પૂજારી છે અને કિશોરસિંહ ચૌહાણનો દીકરો છે. કિશોરસિંહ પણ મંદિરના જ પૂજારી છે. જે એક અઠવાડિયા પહેલા જ અંબાજી મંદિર પર હાજર હતા. અને અન્ય લોકો અભિષેક ચૌહાણના મિત્ર તરીકેની ઓળખ આપી છે. તેમજ છગનભાઈ ડાભી નામનો વ્યક્તિ નોનવેજ અને દારૂ લઈ અંબાજી મંદિર ખાતે પહોંચ્યો હતો. મંદિર નજીક જ એક જગ્યા પર દારૂ પીધોઆ વીડિયોમાં દેખાતો અને આ ગુનામાં સંડોવાયેલો એક સગીર દસ વાગે અંબાજી મંદિર ખાતે પહોંચ્યો હતો અને અન્ય લોકો ગિરનાર સીડી મારફત ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે અંદાજે આઠ વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. આ તમામ લોકોએ મંદિર નજીક જ એક જગ્યા પર દારૂ પીધો હતો અને ત્યારબાદ મંદિરના ભંડારામાં નોનવેજ ખાધું હતું. આ લોકોને વહીવટદાર તરફથી કોઈપણ પ્રકારની મંદિરમાં જવાની કે ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની મંજૂરી કે પરવાનગી આપવામાં આવી ન હતી. આ તમામ લોકો અનઅધિકૃત રીતે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે જ આ તમામ લોકોએ અંબાજી મંદિર ખાતે 4 દિવસ રાત્રિ રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દાનનો અંગત ખર્ચ માટે વપરાશ કરતાઆ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતે વહીવટદારને સૂચના આપવામાં આવી છે કે આ તમામ લોકોની સામે વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવે. અંબાજી મંદિરની દાનપેટીમાંથી પૂજારીઓ દ્વારા રૂપિયા સેરવી લેવામાં આવતા હતા. પોતાના અંગત સ્વાર્થ માટે જેને લઇ પાંચ ઇસમો વિરુદ્ધ નોંધાશે પોલીસ ફરિયાદ. તેમજ એક અન્ય વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં અંબાજી મંદિરમાં જે શ્રદ્ધાળુ આવતા હોય તેમની પાસેથી દાન સ્વીકારી પોતાના અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરતા હોય તેવું જણાવ્યું છે. દાન પેટીમાં પૈસા સેરવવામાં માસ્ટરીવહીવટદાર શાસન દરમિયાન મંદિરમાં જે લોકોની નિમણૂક કરવામાં આવતી હોય તેવા પૂજારીઓ જ ત્યાં પૂજાપાઠ કરી શકે છે. પરંતુ ઘણા અંબાજી મંદિરના વિડીયો સામે આવ્યા છે. જેમાં પૂજારીઓ દાન પેટીમાં નાખવામાં આવતા રૂપિયા સીધા લઈ લે છે. દાન પેટી પર કપડું કે અન્ય કોઈ વાસણ રાખી શ્રદ્ધાળુઓ વાસણ કે આ કપડા પર જે દાન આપે છે તેને પૂજારીઓ પોતે લઈ લેતા હોય તેવો વીડિયોમાં દેખાઈ રહ્યું છે. દર મહિને દાનપેટી ખોલી બેંકમાં પૈસા જમા કરાવવામાં આવે છેવહીવટદાર શાસન દરમિયાન જે દાન પેટીમાં આવતું હોય તેમાં મંદિરમાં જે દાન પેટી રાખવામાં આવતી હોય છે તે મહિનામાં એકવાર કર્મચારીઓ પૂજારીઓની હાજરીમાં ખોલવામાં આવે છે અને જે દાનની રકમ આવે છે તેને બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ જે બેંકમાં રકમ જમા કરવામાં આવે છે તે રકમમાંથી જ મંદિરના પૂજારીઓનો પગાર અને અન્ય ખર્ચ માટે આ રકમ વાપરવામાં આવે છે. આ લોકો સામે નાણાંની અનિયમિતતાને લઈ ફરિયાદ થશેપરંતુ વીડિયોમાં દેખાતા વ્યક્તિઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના દ્વારા દાન પેટીમાં નખાતા રૂપિયા પોતે લઈ લે છે. જ્યારે આક્ષેપો લાગ્યા છે તે મામલે પુજારીઓ દ્વારા કોઈપણ પ્રકારના પુરાવાઓ હાલ રજૂ કરવામાં આવ્યા નથી. જ્યારે મંદિર ટ્રસ્ટમાં આવતી આવકની નાણાકીય અનિયમિતતાને ધ્યાને લઈ યોગેશગીરી, દુષ્યંત ગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરત ગીરી, ભરત રાજનાથ આ પાંચ વ્યક્તિઓ સામે પણ વહીવટદાર દ્વારા નાણાંની અનિયમિતતા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. મંદિરમાં વહીવટદાર શાસન લાગુ પડતા જ 9 પૂજારીની નિયુક્તિ થઈ હતીઆ સમગ્ર મામલે દારૂ નોનવેજની પાર્ટી કરનાર અને અન્ય એક વીડિયોમાં દેખાતા દાનપેટીમાંથી પોતાના અંગત ફાયદા માટે રૂપિયા લઈ લેતા ઈસમો મળી કુલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે. 29 નવેમ્બર 2024ના દિવસથી અંબાજી મંદિર પર વહીવટીદાર શાસન લગાવવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વહીવટદાર શાસન લાગુ પડતા જ 12 જેટલા લોકોને મંદિર માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. જેમાં 9 પુજારી, 1 PRO, 1 રસોઈયો અને 1 સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવી હતી. મોટા ભાગના લોકોએ કૃત્ય સ્વીકાર્યુંઆ તમામ લોકો પાસેથી જ્યારે નિવેદનો લેવામાં આવ્યા ત્યારે મોટાભાગના લોકો આ વસ્તુને સ્વીકારે છે કે અને આવી ઘટના બની છે. જેને લઈ સાથે જોડાયેલા 11 લોકો નિષ્ફળ નિવડ્યા છે. જેને લઈ આ તમામે તમામ 11 લોકોની અંબાજી મંદિર પર જવાને લઈ પ્રવેશબંધી કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટનાને લઇ મામલતદારને પણ નોટિસ પાઠવવામાં આવશે કારણ કે તે વહીવટદાર કે તેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે હાલ તો કલેક્ટર દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાના આદેશ અપાયા છે પરંતુ જોવાનું એ રહ્યું કે સગીરને જે દારૂ પીવડાવનાર અને બાદમાં વિડીયો બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ હેઠળ પોક્સોનો ગુનો નોંધવામાં આવે છે કે નહીં.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ રાખવાના અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરમાંથી નીકળતા તમામ પ્રકારના કચરાના નિકાલ માટે પોલિસી બનાવવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલ માટે કોઈ ચોક્કસ નીતિ ન હોવાને કારણે ઉદ્યોગપતિઓ ગમે ત્યાં કચરો ફેંકી રહ્યા છે, જેનાથી જમીન અને વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલ માટે મનપાએ કોઈ ગાઈડલાઈન બનાવી નહીં!સુરત મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાં ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટનો નિકાલ પાલિકા માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. હાલમાં પાલિકા પાસે આ પ્રકારના કચરાના નિકાલ માટે કોઈ ગાઈડલાઈન નથી. પરિણામે, ખાલી પ્લોટોમાં કચરો સળગાવી દેવામાં આવે છે અથવા ખાડીઓમાં ફેંકી દેવામાં આવે છે. ખાડીઓમાં કચરો નાખવાને કારણે પાણીના વહેણમાં અવરોધ આવે છે, જે ચોમાસા દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ સર્જવા માટે જવાબદાર બને છે. ટેક્સટાઇલ ઉદ્યોગ અને પ્રદૂષણનો ભરડોસુરતની જીઆઈડીસી વિસ્તારોમાંથી મોટા પાયે ટેક્સટાઇલ વેસ્ટ નીકળે છે. એક અંદાજ મુજબ, ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી પ્રતિદિન આશરે 250 ટન વેસ્ટ નીકળે છે. અગાઉના સર્વેમાં કુલ કચરામાં ટેક્સટાઇલ વેસ્ટનો હિસ્સો 11% હતો, જે ઉદ્યોગોના વિસ્તાર સાથે વધીને હવે 15% સુધી પહોંચી ગયો હોવાનું અનુમાન છે. ઔદ્યોગિક એકમો રાત્રિના અંધકારમાં ગમે ત્યાં કચરો ઠાલવી દે છેઉધના, ડિંડોલી, પાંડેસરા, પૂણા, કાપોદ્રા અને અમરોલી જેવા વિસ્તારોમાં હવે રેસિડેન્શિયલ સોસાયટીઓની વચ્ચે પણ ટેક્સટાઇલ સાથે જોડાયેલા પૂરક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો રહેણાંક વિસ્તારોમાં જ એમ્બ્રોઈડરીના કારખાના ચાલુ થઈ ગયા છે, જ્યાંથી નીકળતા વેસ્ટના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ડોર-ટુ-ડોર ગાર્બેજ ગાડીઓમાં માત્ર ડોમેસ્ટિક કચરો જ લેવામાં આવે છે, જેથી આ ઔદ્યોગિક એકમો રાત્રિના અંધકારમાં ગમે ત્યાં કચરો ઠાલવી દે છે.
ખેલે સાણંદ સીઝન 3:તેલાવ, કોડલિયા અને ગોરાજની ટીમો 24 માર્ચે પ્રતિષ્ઠિત ખિતાબ માટે ટકરાશે
સાણંદના પ્રતિષ્ઠિત સંસ્કારધામ કેમ્પસ ખાતે 'ખેલે સાણંદ' સીઝન 3 અંતર્ગત આયોજિત અંડર-14 ખો-ખો સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલ રાઉન્ડ અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયા છે. આ સ્પર્ધામાં મેદાન પર ઉતરેલા નવયુવાનોએ પોતાની સ્ફૂર્તિ અને રમત પ્રત્યેના અદમ્ય ઉત્સાહથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. મેદાન પર ખેલાયો રસાકસીભર્યો જંગઆ ટૂર્નામેન્ટમાં છોકરાઓની 8 અને છોકરીઓની 8 એમ કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ અદ્ભુત ટીમ વર્ક, ચપળતા અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું. તીવ્ર સ્પર્ધાના અંતે હવે ફાઈનલના દાવેદારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. અંડર-14 છોકરાઓની શ્રેણીમાં તેલાવ અને કોદાળીયા વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે, જ્યારે છોકરીઓની શ્રેણીમાં ગોરજ અને તેલાવની ટીમો ખિતાબ માટે આમને-સામને થશે. મહાનુભાવોએ વધાર્યો ખેલાડીઓનો ઉત્સાહઆ રમત મહોત્સવ દરમિયાન સંસ્કારધામના ચેરમેન ડૉ. આર. કે. શાહ અને એકેડેમિક ડાયરેક્ટર મનીષ ઝાલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સામાજિક અગ્રણી પ્રજ્ઞેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મહાનુભાવોએ સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાને બિરદાવી હતી. 24 માર્ચના રોજ યોજાશે મહાજંગવિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પરંપરાગત રમતોને પાયાના સ્તરેથી જીવંત રાખવાનો છે. હવે સૌની નજર સોમવાર, 24 માર્ચ, 2026 પર ટકેલી છે, જ્યારે આ વિજેતા ટીમો ફાઈનલ મેચમાં 'ખેલે સાણંદ'ના ગૌરવશાળી ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. આયોજકો દ્વારા તમામ રમતપ્રેમીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પંચમહાલમાં 40 નાયબ મામલતદારોની સામૂહિક બદલી:વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા કલેક્ટરનો આદેશ
પંચમહાલ જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના હેતુથી એક સાથે 40 નાયબ મામલતદારોની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીઓ વહીવટી કાર્યદક્ષતા વધારવા, સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવા અને પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે કરવામાં આવી છે. આ આદેશથી જિલ્લાની મહેસૂલી આલમમાં ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા 40 નાયબ મામલતદારોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આ બદલીઓમાં કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓ, તાલુકાની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓના નાયબ મામલતદારોનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાના કામો ઝડપથી થાય અને તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થાય તેવો છે. નવા અધિકારીઓ હવે કાર્યભાર સંભાળશે. આગામી દિવસોમાં આ બદલીઓને પગલે વહીવટી કામગીરીમાં કેવા સુધારા જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે.
ટાંગલિયા શાલના 57 કારીગરોને GI પ્રમાણપત્ર મળ્યા:સુરેન્દ્રનગરની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા મળી
અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે 16 માર્ચના રોજ IP યાત્રા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે મહત્વના નિર્ણયો લેવાયા. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ (CGPDTM) ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં આ કળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો એનાયત કરાયા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના 57 કુશળ કારીગરોને ડૉ. પંડિત દ્વારા 'GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર' આપવામાં આવ્યું. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ માન્યતા કારીગરોની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ 'માતા ની પછેડી' કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા. કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનને 'સુરત કટ' માટે GI સર્ટિફિકેટ પણ એનાયત કરાયું, જે હીરા ઉદ્યોગની કુશળતાને વૈશ્વિક માન્યતા આપે છે. ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓની વંશપરંપરાગત કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. તેમણે ઉમેર્યું કે GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ આ પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનિકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા માટે આ આયોજન બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે સ્થાનિક હસ્તકલા અને શિલ્પકલાને વિશ્વના નકશા પર અંકિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ જિલ્લાના પથ્થર કલાકારો અને વણકરોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્લેટફોર્મ મળશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ મેળવનાર સુરત મહાનગરપાલિકા માટે ગર્વ લેવા જેવી બાબત તો છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોની વાસ્તવિકતા આ નંબર વનના ટેગ સામે મોટા પ્રશ્નાર્થચિહ્ન ઉભા કરી રહી છે. સુરતના દક્ષિણ ઝોનમાં આવતા પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં રહેતા નાગરિકો આજે પણ ગંદકી, રોડના ગાબડા અને વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. અહીંની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સુરતનું સ્માર્ટ સિટી મિશન માત્ર પોશ વિસ્તારો પૂરતું જ મર્યાદિત રહી ગયું છે. કમિશનરને આ ગંદકી ના દેખાઈ! રોડની બંને તરફ 1-2 કિલોમીટર સુધી કચરાના ઢગલાપાંડેસરા અને ભેસ્તાનના રહેણાક વિસ્તારોમાં પ્રવેશતા જ નાક દબાવવું પડે તેવી સ્થિતિ છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ એકાદ ખૂણે નહીં, પરંતુ મુખ્ય રોડની બંને સાઈડ લગભગ 1થી 2 કિલોમીટર સુધી કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે. આ ઢગલામાં પ્લાસ્ટિક, ઘરગથ્થુ કચરો અને જોખમી વેસ્ટ પણ જોવા મળે છે. લાંબા સમયથી કચરો ઉઠાવાયો ન હોવાથી સડી રહ્યોસ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ડોર-ટુ-ડોર કચરો લેવાની ગાડીઓ ક્યારેક આવે છે અને ક્યારેક નથી આવતી. પરિણામે લોકો મજબૂર બનીને રોડ પર કચરો નાખે છે. લાંબા સમયથી આ કચરો ઉઠાવાયો ન હોવાથી તે સડી રહ્યો છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. કમિશનરને 2 કિમી લાંબા કચરાના ઢગલા કેમ દેખાતા નથી?સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સમયાંતરે શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે, શું અધિકારીઓને આ 2 કિમી લાંબા કચરાના ઢગલા કેમ દેખાતા નથી? શું આ સરપ્રાઈઝ વિઝિટ માત્ર વીઆઈપી રોડ કે અઠવા લાઈન્સ જેવા વિસ્તારો માટે જ છે? પાંડેસરા અને ભેસ્તાન જેવા શ્રમિક અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં અધિકારીઓ એસી ગાડીઓમાંથી નીચે કેમ નથી ઉતરતા? કેનાલના કિનારે અને કેનાલની અંદર પણ કચરાના ઢગલા ખડકાયેલાકરાવવા રોડ પર આવેલ કેનાલની હાલત પણ અત્યંત દયનીય છે. કેનાલના કિનારે અને કેનાલની અંદર પણ કચરાના ઢગલા ખડકાયેલા છે. કેનાલમાં કચરો ફેંકાવાના કારણે પાણીનો પ્રવાહ અટકે છે અને દુર્ગંધ ફેલાય છે. જે કેનાલ શહેરની સુંદરતા વધારવા માટે હોવી જોઈએ, તે આજે બીમારીઓનું કેન્દ્ર બની ગઈ છે. પાલિકા દ્વારા કેનાલની સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત શૂન્ય છે. ગાબડામાં સમારકામને બદલે મોટું લાકડું ખોસી દેવાયુંવહીવટી તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે કેનાલ રોડ પર પડેલા એક મોટા ગાબડામાં સમારકામ કરવાને બદલે તેમાં મોટું લાકડું ખોસી દેવામાં આવ્યું છે. આ માર્ગ પરથી હજારો વાહનચાલકો પસાર થાય છે. રાત્રિના સમયે અંધારામાં જો કોઈ વાહનચાલક આ લાકડા સાથે ભટકાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે તેમ છે.
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે અપહરણ અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓમાં વર્ષોથી ફરાર ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં બલિરામ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. તે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પેરોલ ફર્લો ટીમે બાતમીના આધારે તેને ગોધરા રેલ્વે સ્ટેશન નજીકથી પકડી પાડ્યો હતો. શૈલેષ ચીમન નાયક, જે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં વોન્ટેડ હતો, તેને ટીમે ટેકનિકલ સોર્સની મદદથી સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત, બિપિન ખરાડી પણ શહેરા પોલીસ સ્ટેશનના જ એક અન્ય અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. તેને પણ પેરોલ ફર્લો ટીમે સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડ્યો છે. પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓની અટકાયત કરીને, કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.
પાટડી તાલુકાની આંગણવાડી બહેનોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને 18 થી 20 માર્ચ સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવા બાબતે આવેદનપત્ર સુપરત કર્યું છે. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો લાંબા સમયથી તેમના પ્રશ્નોના નિરાકરણની રાહ જોઈ રહી છે. તેમની મુખ્ય માંગણીઓમાં કેન્દ્ર સરકારે 2018 પછી અને ગુજરાત સરકારે 2022 પછી પગાર વધારો ન કર્યો હોવાથી લઘુતમ વેતન જેટલો અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબનો વેતન વધારો કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડિજિટલ કામગીરી માટે 2022માં આપેલા વચન મુજબ તાત્કાલિક નવા મોબાઈલ ફોન આપવાની પણ માંગણી છે. અન્ય માંગણીઓમાં નિવૃત્તિ વયમર્યાદા તમામ રાજ્યોની જેમ 60 વર્ષ કરવાની, એક વખત જિલ્લા, તાલુકા તથા વોર્ડ ફેરબદલી માટેની તક આપવાની, એવી ટી એપ્લિકેશન તથા એફઆરએસ તાકીદે બંધ કરવાની અને અન્ય એપ્લિકેશનનો કામનો બોજ ઓછો કરવાની વાત પણ સામેલ છે. ઉનાળામાં વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોવાથી આંગણવાડી વર્કર અને હેલ્પરને પણ વેકેશન આપવાની માંગ કરાઈ છે. તમામ પ્રકારના બિલો, રજીસ્ટરના ખર્ચાઓ, ઉજવણીના ખર્ચાઓ તથા મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવાની પણ માંગણી છે. આંગણવાડી કાર્યકરો દ્વારા 10 માર્ચે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરાઈ હતી અને ત્યારબાદ પણ સરકાર સમક્ષ અનેક આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા છે, પરંતુ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારી કાર્યક્રમોમાં હંમેશા સહકાર આપતા રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેમની માંગણીઓનો ઉકેલ લાવે. બંધારણ અને લોકશાહી ધોરણે મળેલા અધિકારો મુજબ, તેઓ 18 માર્ચથી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ગણી કામથી અળગા રહેશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનના સભાખંડમાં યોજાઈ હતી. આ સભામાં શહેરના વિકાસ અને જનસુખાકારીને સ્પર્શતા પાંચ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા બાદ તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભામાં મુખ્યત્વે મિલકતવેરાના વ્યાજ માફીની યોજના અને ટી.પી. સ્કીમોમાં ફેરફાર જેવા જનહિતના નિર્ણયો લેવાયા હતાં. મિલકતવેરા વ્યાજ માફીની યોજનાને સર્વાનુમતે બહાલીમેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને વંદે માતરમ ગાન સાથે શરૂ થયેલી આ સભામા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને બિનરહેણાંક મિલકતો માટે તા. 1થી 31 માર્ચ સુધી અમલી મિલકતવેરા વ્યાજ માફીની યોજનાને કમિશનરની ભલામણ અનુસાર બહાલી અપાઈ હતી. લોકોને 33 કરોડની વ્યાજ રાહત મળશેઆ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા શહેરના નાગરિકોને અંદાજે 33 કરોડ જેટલી માતબર રકમની વ્યાજ રાહત મળશે. તેમણે બાકી વેરો ધરાવતા નાગરિકોને આ મર્યાદિત સમયગાળાનો લાભ લેવા અપીલ કરી હતી.જ્યારે મેયરે યોજનાની સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, યોજના જાહેર થયાના માત્ર 15 જ દિવસમાં 2389 જાગૃત નાગરિકોએ 1 કરોડ 87 લાખ 4 હજાર જેટલો વેરો ભરીને આ તકનો લાભ લીધો છે. જ્યારે અંકિતભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ યોજના દર્શાવે છે કે મનપા માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ મધ્યમ વર્ગની આર્થિક સુખાકારીની પણ ચિંતા કરે છે. સામાજિક માળખાકીય સુવિધા માટે પ્લોટના ઉપયોગના ફેરફારને મંજૂરીસભામાં અન્ય મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેમાં વાસણા હડમતીયા,સરગાસણ,ઉવારસદ,તારાપુરની ટી.પી. સ્કીમ નં. 9/એ માં સામાજિક માળખાકીય સુવિધા માટે પ્લોટના ઉપયોગના ફેરફારને મંજૂરી અપાઈ હતી. વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ઉભી કરવાની દરખાસ્તને મંજૂરીએજ રીતે આ સભામાં કોલવડા ટી.પી નં. 14 માં નગર રચના અધિકારી દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાના નિર્ણયોને બહાલી અપાઈ હતી. ઉપરાંત ઇજનેરી વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-3) ની જગ્યાઓ ઉભી કરવાની દરખાસ્તને પણ મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
387 યુવાનોને નોકરીની ઓફર અપાઈ:પાલનપુર જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં સફળતા
પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી હતી. આ મેળામાં કુલ 635 ઉમેદવારોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા નગરપાલિકા હોલ ખાતે આ ભરતીમેળો યોજાયો હતો. આ મેળામાં કુલ 15 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. આ ભરતીમેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી. (વિઠલાપુર), મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટિવ ઇન્ડિયા પ્રા.લી. (સાણંદ), ટાટા ઓટોકોમ્પ ગોટીન ગ્રીન એનર્જી પ્રા.લી. (સાણંદ), જે.બી.એમ. પ્રા.લી. (વિઠલાપુર), અરવિંદ મિલ્સ લિમિટેડ (ખાત્રેજ), વેલસ્પન લિવિંગ પ્રા.લી. (અંજાર), યુનો મિંડા લાઇટિંગ પ્રાઇવેટ લિમિટેડ (વિઠલાપુર) અને જે.એન.એસ. પ્રા.લી. (વિઠલાપુર) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભરતીમેળામાં ભાગ લેનાર 635 ઉમેદવારોમાંથી સઘન ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ 387 ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા નોકરી માટેની ઓફર લેટર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આવા રોજગાર ભરતીમેળા સ્થાનિક યુવાઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા આયોજનો સતત કરવામાં આવશે. પ્રજાપતિએ વધુમાં યુવાનોને સલાહ આપી હતી કે, નોકરી મેળવ્યા બાદ પણ આધુનિક યુગમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને અન્ય ટેકનિકલ કોર્સ શીખવા પર ભાર મૂકવો જોઈએ. આનાથી ભવિષ્યમાં પ્રમોશન અને કારકિર્દીના વિકાસમાં સરળતા રહેશે. આ ભરતીમેળાની એક વિશેષતા એ હતી કે, વર્ષ દરમિયાન સહયોગ આપનાર નોકરીદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ નવતર અભિગમ બદલ નોકરીદાતાઓએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના યુવાનો માટે રોજગારલક્ષી દિશામાં આ સમગ્ર આયોજન એક મહત્વનું કદમ બની રહ્યું છે, જે તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.

26 C