SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

મતદાર યાદી, નામ કમી કરવા સુનાવણી ફરજિયાત:નાયબ ચૂંટણી અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવાય છે. આથી, નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ચૂંટણી વિભાગ દ્વારા દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પરથી નામ કમી કરવા માટે કુલ ૨૪,૨૭૮ ફોર્મ-૭ અને નામ ઉમેરવા માટે ૧૪,૪૯૦ ફોર્મ-૬ અને ૬-એ અરજીઓ મળી છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી ૨૦ હજારથી વધુ નામ કમી કરવાના ફોર્મ એક જ વિધાનસભામાં મળ્યા હોવાની અફવા પાયાવિહોણી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 8:42 am

મેલડી ધામ ખાતે 51 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા:સિયારામ ફાઉન્ડેશન દ્વારા વલાસણ મેલડી માતાજી મંદિરે ત્રીજા સમૂહ લગ્ન

આણંદના વલાસણ ખાતે આવેલા મેલડી માતાજી મંદિરમાં સિયારામ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિના 51 યુગલો માટે ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવ 24 જાન્યુઆરી, 2025ના રોજ સંપન્ન થયો હતો. સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઇનામદારે 2023માં આણંદ જિલ્લાની સર્વજ્ઞાતિની 101 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ અંતર્ગત એપ્રિલ 2024માં 51 દીકરીઓના પ્રથમ સમૂહ લગ્ન થયા હતા, જ્યારે ફેબ્રુઆરી 2025માં બીજા 51 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. આ ત્રીજા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને નવા જીવન માટે જરૂરી ઘરગથ્થુ સામગ્રી, જેમાં ફર્નિચર, વાસણો અને આભૂષણનો સમાવેશ થાય છે, તે સિયારામ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 51 નવદંપતીને એક વિશેષ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યું છે, જેનાથી તેઓ એક વર્ષ સુધી મફત તબીબી સારવાર મેળવી શકશે. દિપાલીબેન ઇનામદારના પતિ વિશાલભાઈ ઇનામદાર આ સેવાકાર્યમાં હંમેશા સહયોગ આપે છે. વિશાલભાઈએ જણાવ્યું કે, આ મેલડી માતાના ધામમાં અમે આ ત્રીજા સમૂહ લગ્ન કરાવ્યા છે. માનવ તરીકે અમે અમારી બધી શક્તિઓ લગાવીએ છીએ, પણ સૌથી મોટી શક્તિ તો વલાસણની માં મેલડી છે, જે અમને આ સેવાના કાર્યમાં સતત આગળ વધારે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજય ગોહિલ અને વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા ઉપસ્થિત રહી 51 યુગલોને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતના ખ્યાતનામ કલાકારો જીગ્નેશ કવિરાજ, હકાભા ગઢવી અને સાગર પટેલ પણ હાજર રહી લગ્નગીતો રજૂ કર્યા હતા. આ સમૂહ લગ્નમાં 9000 લોકોના જમણવારનો સંપૂર્ણ ખર્ચ સિયારામ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 8:26 am

વલસાડના દુલસાડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:પોલીસે ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો, બે વોન્ટેડ

વલસાડના દુલસાડ ગામમાં પોલીસે જુગાર પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ તાલુકાના દુલસાડ ગામના વાધ્યા ફળીયામાં આવેલ ખુલ્લી જગ્યામાં તીનપતિનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ દરોડામાં વિકીકુમાર સુરેશભાઈ પટેલ (ઉ.વ. 32), કયુમ નઝીર શેખ (ઉ.વ. 33) અને નિલેશભાઈ આનંદભાઈ પટેલ (ઉ.વ. 32)ને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી જુગારના ગંજીપાના, દાવ પરની રોકડ રકમ, મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ સહિત કુલ ₹61,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન મયુરભાઈ અમરતલાલ પટેલ, જુબેર કુરેશી અને મેહુલ ઉર્ફે લાલો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે પકડાયેલા અને ફરાર થયેલા ઈસમોએ કોઈ આધાર પુરાવા વગર ગંજીપાના દ્વારા તીનપતિનો જુગાર રમી કાયદાનો ભંગ કર્યો હતો. આ મામલે સંબંધિત પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:47 am

કોઈપણ મતદારનું સુનાવણી વગર નામ કમી નહીં થાય:પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના ભરાયેલા ફોર્મ નં-7 મુદ્દે વહીવટી તંત્રની સ્પષ્ટતા, મતદાર યાદી સુધારણા અંગે અફવાઓથી દૂર રહેવા અપીલ

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. નામ કમી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. નાયબ ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સત્તાવાર આંકડાઓચૂંટણી વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર નામ કમી કરવા 24,278 અને નામ ઉમેરવા 14,490 અરજીઓ કરાઈ છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવા કે 'કોઈ એક જ વિધાનસભામાં 20,000થી વધુ નામ કમી કરવાના ફોર્મ મળ્યા છે,' તેને તંત્રએ તદ્દન પાયાવિહોણી ગણાવી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:40 am

શંકરાચાર્ય VS તંત્ર: સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે હોબાળો, 'બુલડોઝર બાબા'ના નારા લાગ્યા

Shankaracharya Camp Seeks FIR After Late-Night Uproar : ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તથા સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. માઘ મેળામાં પાલખી સાથે સ્નાન મુદ્દે સંતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદથી શંકરાચાર્ય સતત રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. એવામાં ગઇકાલે રાત્રે ફરીથી પ્રયાગરાજમાં ભારે હોબાળો સર્જાયો હતો. શંકરાચાર્યના શિબિરની બહાર ભારે હોબાળો પ્રયાગરાજમાં માઘ મેળાના સેક્ટર-4માં શંકરાચાર્યના શિબિરની બહાર શનિવારે રાત્રિના સમયે અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો.

ગુજરાત સમાચાર 25 Jan 2026 7:34 am

પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ‎ કરાયો:97 શહેરી ફેરિયાઓને લોન સહાયના ચેક એનાયત કરાયા

સુરેન્દ્રનગરમાં પીએમ સ્વનિધિ યોજના 2.0 યોજના હેઠળ 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ કડીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 97 લાભાર્થીઓને લોન સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. નાના વેપારીઓને આર્થિક પીઠબળકેરળના તિરુવનંતપુરમથી પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ લાભાર્થીઓને સંબોધતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ યોજના કોરોના થી પ્રભાવિત શેરી ફેરિયાઓને આજીવિકા માટે વર્કિંગ કેપિટલ લોન આપી આર્થિક રીતે સશક્ત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવે છે. તેમણે લાભાર્થીઓને વ્યવસાયની સાથે શહેરને સ્વચ્છ રાખવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા અપીલ કરી હતી. આ યોજનાને રોજ કમાઈને રોજ ખાનારા પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણાએ લાભાર્થીઓને સન્માનભર્યું જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા હતા. બેંક ઓફ બરોડાના પ્રતિનિધિઓએ યોજનાના લાભો અને ક્રેડિટ કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિકસિત ભારત થીમ પર લઘુફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:33 am

કેરમ ટુર્નામેન્ટ યોજાઈ:કેરમ ટૂર્નામેન્ટમાં 300 સ્પર્ધકે જોડાઇ વિસરાતી રમતને જીવંત કરી

આજકાલ મોબાઈલ ટેકનોલોજીના કારણે જૂની રમતો વિસરાઇ રહી છે. કેરમ રમવામાં અનેરી મજા રહેલી છે. કેરમ રસિકો કલાકો સુધી કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. આ રમત આવનારી પેઢી માટે દંતકથા બની જાય એવી વરવી હાંકી વચ્ચે આ કેરમની રમત જીવંત કરવા માટે ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી મહાપાલિકા દ્વારા મણિમંદિર સામે આવેલ રાણીબાગ ખાતે કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરાયું , જેમાં વિદ્યાર્થીઓ અને કેરમ રસિકો સહિત 300 થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લઈ કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:23 am

અભયમની ટીમની સુંદર કામગીરી:મોરબીમાં શ્રમિક પરિવારની પુત્રી ઘરેથી નીકળ્યા બાદ રસ્તો ભૂલી, અભયમ ટીમે જિંદગી રોળાતા બચાવી

મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલો શ્રમજીવી પરિવાર મજૂરી કામમાં વ્યસ્ત હતો એ દરમિયાન આ કંપનીના તેમના ક્વાર્ટરમાં એકલી રહેલી 12 વર્ષની પુત્રી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. જો કે ઘરેથી નીકળ્યા બાદ બાળકીને પોતાની ભૂલ તો સમજઇ ગઇ હતી પરંતુ ઘરનો રસ્તો મળતો ન હતો. આ બાળકીનો ભેટો એક સજ્જન વ્યક્તિ સાથે થઈ ગયો હતો. જેણે બાળકીને 181 અભયમ ટીમને સોંપી દીધી હતી અને અભયમ ટીમે દીકરીના માતા પિતાની શોધખોળ કરી બાળકીને પરિવારને સોંપી દીધી હતી. જેથી બાળકીની જિંદગી રોળાતા બચી ગઇ હતી. મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિએ કોલ કરીને એક આશરે બાર વર્ષની દીકરી ઘરેથી નીકળ્યા બાદ રસ્તો ભૂલી જતાં પરિવારથી વિખૂટી પડી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે બાળકી પાસે પહોંચી ગયા હતા અને હકીકત જાણવા પ્રયાસો કર્યા હતા.બાળકી રસ્તા પર એકલી અને ગભરાયેલી હોવાથી અભયમ ટીમે બાળકીને સાંત્વના આપી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકી ડરી ગઈ હોવાથી કશું બોલતી ન હતી. અભયમ ટીમે સંવેદનશીલતા અને માનવતા દાખવી કામગીરી કરી હતી. સમયસર મદદ મળતાં બાળકી સુરક્ષિત પરિવાર સુધી પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકીને આજુબાજુના વિસ્તારમાં‎લઇ જવાઇ, જેથી ઘરની ભાળ મળે‎ગભરાયેલી બાળકી કશું બોલતી ન હોઇ, ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ (1098) જનરક્ષક (112) ટીમ સાથે સંકલનમાં રહી 181 ટીમે બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ તેના ઘરનું સરનામું અને વાલીવારસોની શોધખોળ આદરી હતી. ઘણા પ્રયત્નોના અંતે આ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઓડિસાના છે અને મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા છે. બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગઈ અને રસ્તો ભૂલી ગઈ હતી. પરિવારજનો પુત્રીની ભારે શોધખોળ છતાં ન મળતાં ચિંતિત હતા. 181 ટીમ અને સજ્જનના પ્રયાસોથી પુત્રી હેમખેમ મળી આવતા તેના પરિવારજનોએ રાહત અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:17 am

ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં રિક્ષાચાલકે બ્રેક મારતા લોકલ પાછળ એક્સપ્રેસ બસ ટકરાઈ

મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસિડેન્સી સામેના ભાગમાં આગળ જઈ રહેલી રીક્ષાના ચાલકે બ્રેક મારતા લોકલ એસટી બસના ચાલકે પણ અચાનક બ્રેક મારી દીધી હતી જેના પગલે તેની પાછળ આવતી એક્સપ્રેસ બસ લોકલ પાછળ ધડામ દઇને ટકરાઇ હતી જેમાં 10થી વધુ મુસાફરને ઇજા પહોંચી હતી. મોરબીથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર મહેન્દ્રનગર ગામથી ઘુટું ગામ વચ્ચે આવેલા મુખ્ય રસ્તા ઉપર બે એસટી બસ અને એક રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં આ રોડ ઉપર આગળ જઈ રહેલી રિક્ષાની પાછળના ભાગમાં મોરબી જિકિયારી રૂટની લોકલ બસ આવી રહી હતી તેના ડ્રાઇવરે બસને રોકવા માટે બ્રેક મારી હતી જેથી આ બસની પાછળના ભાગમાં મોરબી ધંધુકાની એસટીની બસ આવી રહી હતી, જે બસ લોકલ બસની પાછળના ભાગમાં અથડાઇ હતી. જેથી આ અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:14 am

દબાણો કરાયા દૂર:મોરબીમાં ટ્રાફિકને અડચણરૂપ 22 દબાણોનો ‘રસ્તો’ કરી દેવાયો, માર્ગો વધુ પહોળા બન્યા

મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી કરાઇ હતી. જેમાં મોરબી મનપામાં સમાવિષ્ટ શહેરના હાર્દ સમાન સરદારબાગથી ઉમિયા સર્કલ, ગેંડા સર્કલથી મહેન્દ્રનગર ગામ, નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મનપાની એસ્ટેટ અને દબાણ શાખાએ 22 દબાણ દૂર કરી સમગ્ર માર્ગોને ખુલ્લો કર્યો હતો. રોડ પર દબાણ કરતાં લોકો સમક્ષ દંડ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મનપાએ અંદાજિત 8700 જેટલી રકમ દબાણકારો પાસેથી વસૂલી હતી. ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી માર્ગોને પહોળા કરતા ટ્રાફિક સમસ્યા હળવી બનશે. તેમજ દબાણ શાખાએ રવાપર રોડથી લીલાપર ચોકડી, GIDC રોડ તેમજ સ્વાગત ચોકડીથી રવાપર ગામ તરફ ખડકેલા 60 કીઓસ્ક અને 10 હોડિંગ્સ દૂર કર્યા હતા. હોસ્પિટલ ઝોનમાં દબાણોને હાથ પણ ન લગાડ્યો!‎કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની કામગીરી અણઘડ રીતે કરવામાં આવતી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણો દૂર તો કર્યા જ છે. પણ જ્યાં દબાણો દૂર કરવાની ખાસ જરૂરત છે એવા હોસ્પિટલ ઝોન એટલે સાવસર પ્લોટ વિસ્તારમાં દબાણોને હાથ પણ લગાડવામાં આવ્યો નથી. આ હોસ્પિટલ ઝોનમાં ગીચતા એટલી બધી વધી ગઈ છે કે,એમ્બ્યુલન્સને ઇમરજન્સી દર્દીને લઈને હોસ્પિટલ ઝોનમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ દબાણો દૂર કરવા તાજેતરમાં સામાજિક કાર્યકરોએ મનપાને રજૂઆત કરી હતી. પણ મનપાએ એ રજૂઆતને ગણકારી જ નથી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:13 am

સન્ડે ફોટો સ્ટોરી:હેરિટેજ વે : મોરબીના દરબારગઢથી દેખાતા નેહરુગેટની આછેરી ઝલક

મોરબી | સિરામિક સીટી મોરબી આજે અનેક પણ ઐતિહાસિક ઇમારતો અને તેનો ભવ્ય ઇતિહાસ સંઘરીને શ્વસી રહ્યું છે. આૈદ્યોગિક ક્ષેત્રે અકલ્પનીય ઉડાન ભરનારા શહેરની ઓળખ આઝાદી પહેલાં પણ આધુનિક સ્ટેટ તરીકે થતી હતી . યુરોપિયન શૈલીમાં થયેલા બાંધકામ તેમજ રાજસ્થાનના જયપુરી શૈલીમાં મોરબીના મુખ્ય બજારની સંરચના કરવામાં આવી હતી. દરબારગઢથી છેક નહેરુગેટ નજરે પડે તે રીતે સીધી હરોળમાં જ બજાર બનાવાઇ હતી, જો કે હવે આડેધડ થતા બાંધકામ પર તંત્રનો કોઇ અંકુશ નથી. આ તસવીર થકી દરબારગઢથી દેખાતા નહેરુ ગેટ ચોકના રસ્તા અને ઇમારતની ભવ્યતાની આછેરી ઝલક પ્રસ્તુત કરવાનો પ્રયાસ છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:11 am

અકસ્માતની ભીતિ સર્જાઈ:વોર્ડ-10માં જર્જરિત ઇમારત ગમે ત્યારે ખાબકી શકે છે

ગાંધીધામના વોર્ડ- એ-એ, ગુરુકુલ વિસ્તારમાં આવેલું પાંચ માળનું ‘અંબિકા એપાર્ટમેન્ટ’ હાલમાં સ્થાનિકો માટે લટકતી તલવાર સમાન બન્યું છે. વર્ષ-2001ના ભૂકંપ પહેલાં બનેલું આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પ્લોટ નં. 14 અને16ના રહીશો સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. સ્થાનિક રહીશોએ કરેલી વેધક રજૂઆત મુજબ, તાજેતરમાં આવેલા 4.2ની તીવ્રતાના ભૂકંપ વખતે આખું બિલ્ડિંગ ડોલતું જોઈને આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. રહીશોનો આરોપ છે કે મકાન માલિકો રિપેરિંગનો ખર્ચ કરતા નથી અને 80% ભાડુઆતો જોખમ વચ્ચે રહી રહ્યા છે.જાનહાનિ થશે તો જવાબદાર કોણ? રહીશોએ ચીફ ઓફિસરને છે, પરંતુ હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. જો આ એપાર્ટમેન્ટ તૂટી પડશે અને જાનહાનિ કે માલ-મિલકતનું નુકસાન થશે, તો તેની તમામ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે તેવી રહીશોએ ચીમકી ઉચ્ચારી છે.ન્યાય નહીં મળે તો ધરણાં અને ઉપવાસ કરાશે “અમે મોતના મુખમાં જીવી રહ્યા છીએ. આર્થિક મજબૂરીને કારણે ઘર છોડી શકતા નથી અને જર્જરિત બિલ્ડિંગના લીધે અમારું ઘર કોઈ ખરીદવા તૈયાર નથી. જો તંત્ર તાત્કાલિક ડિમોલિશન નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ રહેવાસીઓ જણાવી રહ્યા છે. શહેરમાં અનેક જોખમી ઇમારત અકસ્માતો સર્જી ચુકી છેતા.26 જાન્યુઆરી 2001 ના વિનાશક ભુકંપને આજે 25 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે, ગાંધીધામ અને આદિપુરમાં 350 થી વધુ જોખમી ઇમારતો દુર કરવા માટે અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો થઇ છતાં આ ઇમારતો તોડાતી નથી, આદિપુરમાં છજું પડતા ચોકિદાર પરિવારની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ બની છે તો નાના મોટા અકસ્માતો થયા હોવાનું પણ સામે આવી ચુક્યું છે. છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ કરાતી નથી એ મુંજવતો સવાલ છે. મનપાએ નોટિસ આપી છે , તો શું કામ કાર્યવાહી નહીં ?પ્લોટ નં.14 તથા 16 ના રહેવાસીઓની તા. 13 ફેબ્રુઆરી 2025 ના કરાયેલી ફરિયાદના આધારે ગાંધીધામ ખાતે વોર્ડ-10/એ-એ ના પ્લોટ નં.15 ઉપર બનેલા અંબીકા અપાર્ટમેન્ટ વાળી ઈમારતની તપાસ કરાવતા માલુમ પડ્યું છે કે, બિલ્ડીંગ વર્ષ: 2001 માં આવેલા ભુકંપમાં મોટા પાયે ક્ષતિગ્રસ્ત થયેલી છે અને ધંધાકીય હેતુ માટે પુર્ણતઃ અસુરક્ષીત અને જોખમ રૂપ છે. જેના કારણે ઉપરોકત ઈમારત કોઈ પણ સમયે જોખમ ઉભું કરે અને આકસ્મીક દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી તાત્કાલીક અસર થી સદરહુ ઈમારત તોડવા પાત્ર રહે છે. જેથી આપની માલિકી કે ભોગવટાવાળી અંબીકા અપાર્ટમેન્ટ નામની ઈમારત જે પ્લોટ નં.15 ઉપર બનેલી છે, તે ઈમારત ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૩ અને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ની કલમ-264 હેઠળ આ નોટીસ મળ્યેથી જર્જરીત ભાગ દિવસ-07 ની અંદર તોડી અથવા ઉતારી પાડવા સુચના આપવામાં આવે છે. આ નોટિસ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા અપાઇ હોવા છતા કોઇ કાર્યવાહી શા માટે કરાઇ નથી? આ સવાલો રહેવાસી કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:03 am

એજન્સીઓ સતર્ક બની:જમ્મુ કાશ્મીરના બે ઇસમ લક્કીનાળા પહોચ્યા

સરહદી કચ્છ જિલ્લાના પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના બે ઈસમોએ પરવાનગી વગર પ્રવેશ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ટ્રસ્ટ માટે અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓને કોઠારા પોલીસ અને એસઓજી દ્વારા બોર્ડર વિસ્તારમાં ફરવા મામલે પરવાનગી લેવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપીઓ લાલા ગામથી લક્કીનાળા વિસ્તારમાં આવેલી મસ્જીદ સુધી પહોંચી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીના પીએસઆઈ પી.સી.શીંગરખીયાએ નારાયણ સરોવર પોલીસ મથકે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના અતોલી ગામના આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખ અને મહોંમદમુસ્તાક હસનદીન રેસી સામે ગુનો નોંધાવ્યો છે. બન્ને આરોપી અલગ-અલગ ટ્રસ્ટોમાં નોકરી કરે છે અને આ ટ્રસ્ટો બાળકોના શિક્ષણની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ગત 17 જાન્યુઆરીના બન્ને આરોપી ટ્રસ્ટ માટે ચંદો માંગવા ગાંધીધામ આવ્યા હતા. જ્યાંથી માંડવી જઈ અલગ-અલગ મસ્જિદોમાં ચંદો ઉઘરાવી 18 જાન્યુઆરીના નલિયા પહોંચ્યા હતા અને 19 જાન્યુઆરીના નલિયાની મસ્જીદમાં ચંદો ઉઘરાવતા સમયે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કચ્છ જિલ્લો બોર્ડરનો જિલ્લો હોવાથી પૂર્વ પરવાનગી મેળવવા માટે સમજ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ 20 જાન્યુઆરીના લાલા ગામની મસ્જીદમાં અને 21 જાન્યુઆરીના કોઠારા વિસ્તારની મસ્જીદમાં ચંદો ઉઘરાવી રાત્રે જય અંબે ગેસ્ટ હાઉસમાં રોકાયેલા હતા. એ દરમિયાન કોઠારા પોલીસ બન્ને આરોપીને પૂછપરછ માટે ઉઠાવી ગઈ હતી અને એસઓજીને સોપવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવેલી વિગતમાં શંકા દેખાતા એસઓજીએ વધારે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ પોતે 20 જાન્યુઆરીના લાલા ગામથી વાયોર વાળા રસ્તે લક્કીનાળા વિસ્તારમાં ગયા હોવાનું જણાવ્યું હતું. અને તે વિસ્તારમાં આવેલી મસ્જીદ બાબતે તપાસ કરી હતી પરંતુ ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોવાથી પરત લાલા ગામે આવી ગયા હોવાની કબુલાત આપી હતી. બન્ને આરોપીઓએ પરવાનગી વગર સરહદી વિસ્તારમાં પ્રવેશ કરતા નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોનમાં પાકિસ્તાની નંબર મળતા શંકાસ્પદશૈક્ષણિક ટ્રસ્ટ માટે સરહદી વિસ્તારની અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાતા એસઓજીએ વધુ તપાસ કરી હતી. એ દરમિયાન આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખનો ફોન તપાસતા તેમાંથી પાકિસ્તાની મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જે બાબતે આરોપીએ કોઈ સંતોષકારક જવાબ ન આપી ગોળગોળ વાતો કરી હતી. આ મામલે એસઓજીના પીઆઈ એ.ડી.પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીની પૂછપરછ કરતા પાકિસ્તાની મોબાઈલ નંબર કોઈ મૌલાનાના હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસે ફોનને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 7:01 am

પાકિસ્તાની ઘુસણખોર પોલીસના સંકજામાં:ખાવડા વિસ્તારની સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

સરહદી કચ્છ જિલ્લામાંથી અવાર નવાર પાકિસ્તાની ઘુસણખોર ઝડપાઈ ચુક્યા છે તેવામાં હવે ખાવડા વિસ્તારની સરહદેથી બીએસએફે પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો છે.જે પ્રાથમિક તપાસમાં માનસિક હોવાનું સામે આવ્યું છે જેને જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં અવાર નવાર ઘુસણખોરીના બનાવી સામે આવી રહ્યા છે.ખાવડા વિસ્તારની સરહદે પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોને પીલર નંબર 1076 અને 1077 પાસે ગતિવિધિ દેખાઈ હતી.જેથી સ્થળ પર તપાસ કરતા એક પાકિસ્તાની ઘુસણખોર તેમને હાથ લાગ્યો હતો. સમગ્ર મામલે ખાવડા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ પાકિસ્તાની શખ્સ માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જેની પાસેથી કોઈ આધાર પુરાવા પણ મળ્યા નથી.જોકે હાલ તેને જેઆઈસી ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને એજન્સીઓ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:59 am

લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય:દેશલપર (વાં)માં લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનનો ત્રિદશાબ્દિ મહોત્સવ ધર્મોલ્લાસ સાથે ઉજવાશે

તાજેતરમાં દેશલપર વાંઢાય ખાતે મળેલી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સામાન્ય સભામાં સંસ્થાનો ત્રિદશાબ્દિ મહોત્સવ આગામી એપ્રિલ માસમાં ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકના અધ્યક્ષ સંસ્થાના પ્રમુખ ગંગારામ રામાણીએ અતિથિગૃહના નવનિર્માણની કામગીરી પૂર્ણતાને આરે છે. તેમણે ટહેલ નાખતાં પચાસ લાખનું દાન નોંધાયુ હતું. ટ્રસ્ટી રતિભાઈ પોકારે ત્રિદશાબ્દિ મહોત્સવની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેને સભાએ હર્ષભેર વધાવી લીધો હતો અને આગામી તા.25થી 27 એપ્રિલના મહોત્સવ ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીએ મહોત્સવની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે પ્રથમ દિવસે ઉમિયા માતાજી સંસ્થાનથી સંસ્કારધામ સુધી શોભાયાત્રા કાઢી અને અતિથિગૃહનું લોકાર્પણ, સંતોની ધર્મ સભા, બીજા દિવસે અતિથિગૃહ નિર્માણમાં દાન આપનાર દાતાઓનું સન્માન, અંતિમ દિવસે સામાજીક સભા, વિષ્ણુયાગ, પાટોત્સવ, સ્વયંસેવકોનું સન્માન, બન્ને રાત્રી દરમ્યાન મહારાસ ગોઠવવા સૂચવ્યું હતું. રામબાઈ લધા ચોપડા વિદ્યાલયના ચેરમેન પ્રો. કે.વી. પાટીદારે વિદ્યાલયમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી આપી હતી. સંસ્કાર સંવર્ધન સમિતિના ચેરમેન રતિભાઈ પોકારે સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં 475 જેટલા બાળ સંસ્કાર કેન્દ્રો તેમજ 275 જેટલા સત્સંગ કેન્દ્રો ચલાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલ ભાવાણીએ ત્રિદશાબ્દિ મહોત્સવ ઉજવવાના વિચારને આવકાર્યો હતો. મંત્રી કીરિટ ભગતે આભાર દર્શન કર્યું હતું. સંચાલન મહામંત્રી ઇશ્વરભાઈ ભાવાણીએ કર્યું હતું. આ સભામાં કેન્દ્રીય સમાજના મહામંત્રી અશોક ભાવાણી, પૂર્વઝોન પ્રમુખ વિરજી રૂડાણી, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મહામંત્રી બાબુભાઈ ચોપડા, ખજાનચી ગંગારામ ચૌહાણ, લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના ઉપ પ્રમુખ મોહનભાઈ ચોપડા, શાંતિભાઈ રૂડાણી, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, શાંતિલાલ નાકરાણી, ખજાનચી બાબુભાઈ રૂડાણી, ટ્રસ્ટીઓ છગનભાઈ પોકાર, પુંજાભાઈ શીરવી, ડો. પ્રેમજી ગોગારી, પ્રેમજી ભાવાણી, નારણભાઈ ચોપડા, મોહન રામજીયાણી, ઈશ્વર માવાણી, કંઠી વિસ્તાર સનાતન સમાજના પ્રમુખ મગનભાઈ પોકાર, કચ્છ પૂર્વ ને પશ્ચિમ રિઝિયનના યુવા સંઘના હોદેદારો, ધર્મ પ્રચાર સમિતિના કન્વીનર રવિલાલ વાલાણી ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:51 am

27 નિષ્ણાતોએ કચ્છ યુનિ.ના છાત્રોને માર્ગદર્શન આપ્યું:સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પ્રેક્ટિકલ તાલીમ સાથે નેશનલ વર્કશોપનું સમાપન

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા તારીખ 19થી 24 જાન્યુઆરી દરમિયાન “એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન” વિષય પર એક સપ્તાહના રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સમાપન સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને એનર્જી ડિસ્પર્સિવ એક્સ-રે જેવા અત્યાધુનિક સાધનોની પ્રાયોગિક તાલીમ સાથે થયું હતું. કલકત્તાથી આનંદ ગુંજોટીકર અને જાપાનની JEOL કંપનીના પ્રમોદભાઈ દ્વારા SEM-EDS સાધનની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ સાધન કચ્છ વિસ્તારમાં ફક્ત કચ્છ યુનિવર્સિટીમાં જ ઉપલબ્ધ છે, જે ઉચ્ચ સ્તરીય સંશોધન માટે ખૂબ ઉપયોગી છે. વર્કશોપ દરમિયાન મેહર ટેક્નોલોજીના CEO કૃષ્ણદાસ પાટીલ દ્વારા અલ્ટ્રા પ્યોર વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ અને પ્રોસેસ ઇક્વિપમેન્ટ્સ જેવા કે બાયોરિએક્ટર્સ, લાયોફિલાઇઝર વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્કશોપના સમાપન સમારોહમાં ગાઇડ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. વી. વિજયકુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને કુલસચિવ ડો. અનિલ ગોરે આ સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ડો. વિજયકુમાર રામે જણાવ્યું હતું કે આ વર્કશોપમાં Shimadzu, Rigaku, Agilent, Waters, Metrohm, Jeol જેવી જાપાન, સ્વિટ્ઝર્લૅન્ડ, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને સિંગાપોર સહિતના દેશોની જાણીતી કંપનીઓના કુલ 27 અનુભવી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ નિષ્ણાતો દ્વારા રામન સ્પેક્ટ્રોસ્કોપી, આયર્ન ક્રોમેટોગ્રાફી અને નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી જેવી તકનીકો પર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેટ્રોમ કંપની, સ્વિટ્ઝર્લૅન્ડના ઇન્ડિયા હેડ ભાવસાહેબે રામન સ્પેક્ટ્રોસ્કોપી અને આયર્ન ક્રોમેટોગ્રાફીનું મહત્વ સમજાવ્યું હતું, ખાસ કરીને પાણીમાં ફ્લોરાઈડ જેવા આયનોની માનવ સ્વાસ્થ્ય પર થતી અસર અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત બાયોસેન્સર્સ, ટાઈટ્રેશન અને ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 30થી વધુ સંસ્થાઓ અને કંપનીઓમાંથી આવેલા સહભાગીઓને એક જ પ્લેટફોર્મ પર વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓના નિષ્ણાતોનું માર્ગદર્શન મળ્યું, જે કચ્છ પ્રદેશના સંશોધન અને વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:49 am

ઈ-રિક્ષાનું કરાયું લોકાર્પણ:ના. સરોવર તેમજ જુમારા ગ્રામ પંચાયતને બે બે ઈ-રિક્ષા અપાઇ

લખપત તાલુકા પંચાયત કચેરી દ્વારા વી.વી.પી-2 હેઠળ ખરીદાયેલી આવેલ 9.91 લાખની ચાર પૈકીની બે ઈ-રિક્ષા નારાયણ સરોવર તથા બે જુમારા ગામને આપવામાં આવી હતી. તાલુકા પંચાયત લખપત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, ઉપપ્રમુખ રજુભાઈ સરદાર, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરેમેન અશોકભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી વસંતભાઈ ચંદે, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દલપતસિંહ રાણા, નાયબ હિસાબનીશ નિમેષ પટેલ, સિનિયર કલાર્ક એસ.બિહોલા, જુનિયર કલાર્ક નકુલદાન ગઢવી તેમજ તાલુકા પંચાયત સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:45 am

GMDC અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો:લિગ્નાઈટ પ્રોજેક્ટની 90% જમીન સમથળ : GMDC ; વાત ખોટી માત્ર 10% જ કામગીરી થઇ : ગ્રામ પંચાયત

પાનધ્રો લિગ્નાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ખાણ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીને લઈને જીએમડીસી (GMDC) અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. સંકલન સહ ફરિયાદ સમિતિમાં GMDC દ્વારા રજૂ કરાયેલા અહેવાલો અને જમીની હકીકત વચ્ચે આભ-જમીનનો તફાવત હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. જીએમડીસી પાનધ્રો લિગ્નાઈટ પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં સંકલન સહ ફરિયાદ સમિતિ સમક્ષ માહિતી રજૂ કરવામાં આવી હતી કે, હાલ ફ્લાય એશ દ્વારા બેક ફિલિંગ કરી જમીન સમતલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્રને અપાયેલી માહિતી મુજબ, અંદાજિત 90% ખાડા પૂરીને જમીન સમતલ કરી દેવામાં આવી છે અને વૃક્ષારોપણની કામગીરી પણ ચાલુ છે. GMDCના આ દાવાની ખરાઈ કરવા માટે પાનધ્રો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ રાયમા દરિયાખાન ઇશાક અને અન્ય આગેવાનોએ સ્થળ તપાસ હાથ ધરી હતી. આ ટીમમાં અગ્રણીઓ જવારા મહારાજ, ગણપતભાઈ હેડાઉ, દિનેશભાઈ રાજગોર, ખલીફા ઇસ્માઇલ અલી તથા મેમણ આમદ હાજી રમજૂ જોડાયા હતા. આગેવાનોએ માઈનની અંદર જઈને તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, “GMDCનો 90% કામગીરી પૂર્ણ થયાનો દાવો તદ્દન ખોટો અને ભ્રામક છે. હકીકતમાં સ્થળ પર માત્ર 10% જેટલું જ સમતલીકરણ થયું છે, જ્યારે 90% કામગીરી હજી બાકી છે.” ગ્રામ પંચાયતે આક્ષેપ કર્યો છે કે જીએમડીસી દ્વારા ખોટી માહિતી આપીને સંકલન સમિતિ, તંત્ર અને લોકપ્રતિનિધિઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. આ બાબત પર્યાવરણ અને ગ્રામજનોની સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી પંચાયતે આકરું વલણ અપનાવ્યું છે. પંચાયત દ્વારા જીએમડીસીને નોટિસ અપાશેગ્રામ પંચાયત દ્વારા જીએમડીસીનેનોટિસ આપવામાં આવશે. જો આ બાબતે તાત્કાલિક સંતોષકારક નિરાકરણ નહીં આવે અને ખોટી માહિતી આપનારા સામે જવાબદારી નક્કી નહીં થાય, તો ગ્રામ પંચાયત આ મુદ્દો માનનીય હાઈકોર્ટ સુધી લઈ જશે. આ સમગ્ર પ્રકરણમાં હવે જીએમડીસી પ્રશાસન શું ખુલાસો કરે છે અને તંત્ર આ ગંભીર બેદરકારી સામે શું પગલાં લે છે, તેના પર ગ્રામજનોની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:43 am

માર્ગનું ખાતમુહૂર્ત કરાયું:કોટડા-જુણાંગીયા તેમજ મુધાન-સિયોત માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

લખપત તાલુકાના કોટડા,સાંભડાથી જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર નિર્માણ પામનારા ચેકડેમ સાથે મુધાન-સિયોતના રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂ.350 લાખના ખર્ચે બનનાર કોટડા-જુણાંગીયા માર્ગ તેમજ દોલારુંકોઠી નદી પર રૂ. 74.68 લાખના ખર્ચે બનનાર બીગ ચેક ડેમનું સાંભડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાતમુહૂર્ત કર્યું હતું. મુધાનમાં 160 લાખના ખર્ચે નિર્માણ પામનારા મુધાન-સિયોત માર્ગના કામનો આરંભ કરાવ્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા,ગણપત રાજગોર, જેતમાલજી જાડેજા, હઠુભા સોઢા, જવારા મારાજ, નવીન જોશી, ખેંગારજી જાડેજા, લાલુભા સોઢા, કુલદીપસિંહ ચાવડા, અશોક સોલંકી, માર્ગ મકાન વિભાગના રામજીભાઈ આર ગાગલ તેમજ રાહુલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:42 am

રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી કરાઈ:રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે તેજસ્વી દીકરીઓનું સન્માન. બાળલગ્ન નાબૂદ કરવા હાકલ કરાઇ

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વર્ષ 2026ની ઉજવણી અંતર્ગત એક સન્માન સમારોહનું આયોજન જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008થી શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત દર વર્ષે 24 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે, જેના મુખ્ય ઉદ્દેશ દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવો, બાળલગ્ન નાબૂદ કરવો, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ, આરોગ્ય અને સન્માન સુનિશ્ચિત કરવો તથા સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ધોરણ 8 અને 12માં A+ ગ્રેડ મેળવનાર તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કિટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત વ્હાલી દીકરી યોજના અંતર્ગત કુલ ₹5.50 લાખના મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ યોજનાના પાંચ અરજદાર દીકરીઓને દીકરી વધામણા કિટ આપી સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે દીકરીઓ સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે દરેક દિવસ દીકરીઓનો દિવસ છે અને ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે. તેમણે દીકરીઓને માત્ર ડિગ્રી પૂરતી સીમિત ન રહી કોઈને કોઈ કુશળતા વિકસાવવાની સલાહ આપી હતી, જેથી જીવનના પડકારો સામે મજબૂતીથી ઉભી રહી શકે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરી જ્ઞાન મેળવવા અને સમાજ માટે ઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો. સમાજમાં ચાલતા કૂરીવાજો સામે અવાજ ઉઠાવવાની અપીલ સાથે તેમણે દીકરીઓને શિક્ષિત બનો, સુરક્ષિત રહો અને આગળ વધો તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલે હેતુ સમજાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાટવાડી શાળાના આચાર્ય રાજેશભાઈ ગોરે કર્યું હતું, જ્યારે મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ અને તેમની ટીમે સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં સન્માનિત દીકરીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:40 am

વિન્ટર ફેસ્ટિવલમાં અદ્ભુત પ્રસ્તુતિ:LLDC અજરખપુરમાં કળા, સંસ્કૃતિ અને સંગીતનો રચાયો ત્રિવેણી સંગમ

કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાને જીવંત રાખતી સંસ્થા ‘શ્રુજન’ દ્વારા આયોજિત LLDC વિન્ટર ફેસ્ટિવલ - 2026 ના ચોથા દિવસે કળા અને સંગીતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. 24 જાન્યુઆરી, 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોથી લઈને રાષ્ટ્રીય સ્તરના સંગીતકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગાર્ડન સ્ટેજ ખાતે સાંજે ‘રેયાણ’ કાર્યક્રમ અંતર્ગત લોકસંગીત અને સાહિત્યની સરવાણી વહી હતી, જેમાં લીડ સિંગર દેવલ ગઢવી અને જીગ્નેશ ગઢવીએ પોતાના સ્વરોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. હિમાંશુ રાસ્તે દ્વારા સાહિત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગાયિકા જાનકી પંડ્યા, કીબોર્ડ પર નિખિલ ગોસ્વામી, વિપુલ મહેતા, સ્વર માંકડ અને રિધમ ગોર જેવા કુશળ વાદકોએ સંગીતની મહેફિલ જમાવી હતી. આ ઉપરાંત વિવિધ ડાન્સ એકેડમીઓ દ્વારા મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને ગાંધીધામની નાટ્યાલય સ્કૂલ ઓફ ડાન્સ, મધ્યપ્રદેશનું લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ, માર્ગમ ડાન્સ એકેડમી અને અદ્વાયા ડાન્સ એન્ડ વેલનેસ સ્ટુડિયોના કલાકારોએ કળા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. વિન્ટર ફેસ્ટિવલના મુખ્ય સ્ટેજ પર ‘ધ કોંકણ કલેક્ટિવ’ દ્વારા મહારાષ્ટ્રની કળા અને સંસ્કૃતિ દર્શાવતું વિશેષ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આ સંગીત પ્રસ્તુતિમાં પરંપરાગત અને આધુનિક સંગીતનો સમન્વય જોવા મળ્યો હતો, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. આ ફેસ્ટિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ ભારતની વિસ્તરેલી કળા અને સંસ્કૃતિને એક મંચ પર લાવીને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે. મોટી સંખ્યામાં કલાપ્રેમીઓએ ઉપસ્થિત રહીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં કચ્છી અને ગુજરાતના પ્રસિદ્ધ ગીતો પ્રસ્તુત કરાયા હતા. 8 રાજ્યોના કારીગરો વચ્ચે સંવાદ થયો સંવાદ કાર્યક્રમમાં આઠ રાજ્યો, જેમાં આસામ, મેઘાલય, ઓડિશા, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરાખંડ તેમજ કચ્છ અને ગુજરાતની પારંપરિક હસ્તકળાઓંના અંદાજિત ૬૦ જેટલા વિવિધ કારીગરો વચ્ચે સંવાદ યોજાયો હતો. હસ્તકળાના નિષ્ણાત જુહી પાંડેએ સંચાલન કર્યું હતું. જેમાં, કળાના ભવિષ્ય, ટકાઉ વિકાસ, સંયુક્ત પ્રયાસો, જી.આઈ ટેગનું મહત્વ અને તેની ચર્ચા, હાલની બજારમાં પારંપરિક હસ્તકળાના મહત્વના પ્રદાન, કળાના પ્રચાર-પ્રસાર અને જાળવણીમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને મહત્તાની ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ હતી. સન્માનમાં સંસ્થાના મેનેજીંગ અમીબેન શ્રોફ, સી.ઈ.ઓ રાજીવભાઈ ભટ્ટ તેમજ માસ્ટર આર્ટિસન શામજીભાઈ વણકર દ્વારા તમામ કારીગરોનું અભિવાદન કરાયું હતું. વિન્ટર ફેસ્ટિવલના ચોથા દિવસે સંગીતકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:34 am

છેલ્લા 20 વર્ષમાં 100થી વધુ દુકાનોનું થયું નિર્માણ:માધાપર મુખ્ય માર્ગની બંને બાજુ એક સમયના શાંત રહેણાંકો બે દાયકામાં બન્યા કોમર્શિયલ હબ

જિલ્લા મથક ભુજના સર્વાંગી વિકાસ સાથે તેની આસપાસ આવેલા ગામડાઓમાં પણ ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માધાપર જેવા ભુજના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં વિકાસની ગતિ અત્યંત તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં પ્રોપર્ટી માર્કેટમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આર્થિક લાભને ધ્યાનમાં રાખી માધાપરના મુખ્ય માર્ગો પર આવેલા મોટા ભાગના રહેણાંક મકાનો હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઈ રહ્યા છે. માધાપરના મુખ્ય માર્ગ પર જુનાવાસ અને નવાવાસ વિસ્તારમાં રોડને અડીને આવેલા મકાનો તોડી નાખી ત્યાં દુકાનો, ઓફિસો, શોરૂમ અને વ્યવસાયિક સંકુલો ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ ચોકીથી લઈને ગાંધી સર્કલ સુધીના માર્ગની બંને બાજુ આજે 90 ટકા કરતાં વધુ મકાનો કોમર્શિયલ સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. જેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ અહીં રોજગાર માટે આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દાયકામાં માધાપરની વસ્તી બમણીથી વધુ થઈ ગઈ છે. વસ્તી વધારો, વધતી આવક અને સારા વેપારની શક્યતાઓને કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્સની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે માધાપર વિસ્તાર મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર બનતો જઈ રહ્યો છે. જો કે, વિકાસની સાથે સાથે ટ્રાફિક, પાર્કિંગ અને આધારભૂત સુવિધાઓ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે. ભૂકંપ પ્રુફ બાંધકામના ધોરણ સચવાય છે કે નહીં ?ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ભુજમાં વ્યવસાયિક કે રહેણાક મંજુરી આપવામાં આવે છે. માધાપરના ગાંધી સર્કલ સુધીના વિસ્તારમાં ભાડાની હદ છે ત્યારબાદ બંને ગ્રામપંચાયતની હદ લાગુ પડે છેલ્લા બે દાયકામાં રોડ ટચ કરવામાં આવેલ બાંધકામમાં ભૂકંપ પ્રુફ બાંધકામના ધોરણ સચવાય છે કે નહીં તે પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:33 am

કચ્છ પ્રવાસ માટે લોકો ઉમટી પડ્યા:મિની વેકેશનમાં કચ્છને માણવા પ્રવાસીઓ ઉમટ્યા

નવરાત્રીના સમયથી યાત્રાળુ પદયાત્રીઓના સ્વરૂપે કચ્છમાં પ્રવાસીઓનો ધસારો શરૂ થાય છે. ત્યારબાદ દિવાળી વેકેશન અને ક્રિસમસ વેકેશન દરમિયાન હજારોની સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છના વિવિધ ફરવાના સ્થળોએ મુલાકાત લે છે. સામાન્ય રીતે મકરસંક્રાત બાદ પ્રવાસીઓની સંખ્યા ઘટી જતી હોય છે અને કચ્છમાં પર્યટન પ્રવૃત્તિ લગભગ નહીંવત બની જાય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે. આ વર્ષે 26 જાન્યુઆરી સોમવારે પ્રજાસત્તાક દિનની જાહેર રજા હોવાના કારણે અનેક નોકરીયાત વર્ગે શનિવારે એક રજા લઈને સતત ત્રણ દિવસની રજાનો લાભ લીધો છે. પરિણામે ફરી એકવાર કચ્છ પ્રવાસ માટે લોકો ઉમટી પડ્યા છે. શુક્રવારની સાંજથી જ જિલ્લા મથક ભુજ તેમજ ધોરડો, માંડવી, માતાનાં મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના પર્યટન સ્થળોએ કચ્છ બહારની ગાડીઓનો ધસારો જોવા મળ્યો હતો. અનેક વાહનોમાં કેરિયર પર સામાન બાંધીને પ્રવાસીઓ પહોંચતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સફેદ રણની નિયત જગ્યાઓ પર નમકનું સ્તર ઓછું અને દલદલ વધુ જોવા મળ્યું હતું. રણોત્સવ વિસ્તાર તેમજ ‘રોડ ટુ હેવન’ પર પણ બંને બાજુ પાણી ભરાયેલું છે, જ્યારે સામાન્ય રીતે આ વિસ્તાર સફેદ નમકથી આચ્છાદિત રહે છે. તેમ છતાં કચ્છની કુદરતી સુંદરતા, સંસ્કૃતિ અને શાંતિભર્યા વાતાવરણને માણવા પ્રવાસીઓમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. હોટલ એસોસિયેશનના હોદ્દેદારો મુજબ મકરસંક્રાત બાદ સામાન્ય રીતે કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી જાય છે, પરંતુ આ વખતે પ્રજાસત્તાક દિનની લાંબી રજાના કારણે ત્રણેય દિવસ માટે લગભગ તમામ હોટલો ફૂલ બુક રહી છે. પર્યટન સાથે સંકળાયેલા વેપારીઓ, ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ અને ગાઈડો માટે પણ આ વધેલો પ્રવાસી પ્રવાહ ફાયદારૂપ સાબિત થયો છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:30 am

સન્ડે બિગ સ્ટોરી:ટ્રેન આવાગમન સમયે રિંગરોડની મરંમત માથાનો દુખાવો

ભુજ રેલ્વે સ્ટેશનને એરપોર્ટ અને બસપોર્ટની જેમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવા માટે છેલ્લા દોઢ વર્ષથી વિકાસકાર્ય ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા બાદ ભુજને એક નવું આધુનિક રેલ્વે પોર્ટ મળશે, પરંતુ હાલ ચાલી રહેલી કામગીરીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મુંબઈ, દિલ્હી સહિતની એક થી ચાર નંબરના પ્લેટફોર્મ વચ્ચે આવતી-જતી ટ્રેનો માટે કોચ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. મુસાફરોને ટ્રેન ઉપડે ત્યાં સુધી પોતાના સામાન સાથે લાંબો રસ્તો પસાર કરવો પડે છે. શુક્રવારે સાંજે રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે ગંદા પાણીના ખાબોચિયાઓ મુસાફરોનું સ્વાગત કરતા હતા. સાથે જ ત્રિભેટે રિંગ રોડનું કામ ચાલુ હોવાથી જૂનો રસ્તો ભારે મશીનો દ્વારા તોડવામાં આવી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો અને મુસાફરો સામાન સાથે પસાર થઈ શકતા નહોતા. પ્લેટફોર્મ નંબર એક પર કામ ચાલુ હોવાથી હાલ ટ્રેનો પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પરથી આવ–જા કરે છે. જોકે લિફ્ટની સુવિધા કાયમી મળતી ન હોવાથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મુસાફરોને સીડી ચડીને પ્લેટફોર્મ સુધી જવું પડે છે. બહારનું પાર્કિંગ પણ 100 મીટર દૂર ખસેડવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. મુંબઈ પ્રવાસ માટે આવેલા કચ્છના વતની ધીરજભાઈ શાહે જણાવ્યું કે વિકાસકાર્ય આવકાર્ય છે, પરંતુ ધોરીમાર્ગના કામ દરમિયાન જેમ ડાયવર્ઝન હોય તેમ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા હોવી જરૂરી છે. 80 વર્ષના વડીલને ટ્રેન સુધી પહોંચાડવી કેમ શક્ય બને તે પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો. અન્ય મુસાફર સવિતાબેન ચાવડાએ જણાવ્યું કે પ્લેટફોર્મ પર રેલ્વે કે આરપીએફનો કોઈ સ્ટાફ હાજર ન હોવાથી માર્ગદર્શન મળતું નથી. સ્થાનિક મુસાફરોનું માનવું છે કે નવી સુવિધાઓનો વિરોધ નથી, પરંતુ હાલ જે તકલીફો છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે, કારણ કે નવું રેલ્વે પોર્ટ બને ત્યાં સુધી રોજ હજારો મુસાફરો ભુજ સ્ટેશનનો ઉપયોગ કરે છે જે હાડમારી ભોગવે છે. આ અંગે રેલવે સ્ટેશન મેનેજર કે.કે. શર્માએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનની બહાર માર્ગનું કામ ચાલુ છે જે વાસ્તવમાં મુસાફરો માટે તકલીફરૂપ છે. જ્યારે અંદર પ્લેટફોર્મ ઉપર કઈ ટ્રેન ઉપડશે તેના દિશાસૂચક બોર્ડ લગાવવા માટે તાત્કાલિક નિર્ણય લેવાશે તેવું કહ્યું હતું. અડધા કલાકના અંતરે ભુજ–બાંદ્રા ટ્રેનના સમયે મુસાફરોની અફરાતફરીરેલવે વિભાગ દ્વારા મુંબઈ તરફ જતી કાયમી બે ટ્રેન ઉપરાંત હોલીડે સ્પેશિયલ બપોરે શરૂ કરી છે. એક 5:40 વાગે અને બીજી 6:00 વાગ્યે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપરથી ઉપડે છે. બંનેના કોચ પર ભુજ બાંદ્રા ભુજ લખેલું હોવાથી ટ્રેન નંબર જો ખ્યાલ ન હોય અથવા એક ટ્રેન જોઈને કોચમાં બેસી જાય તો જે ટ્રેનમાં જવાનું હોય તે ડાયરેક્ટ મુંબઈ જવાને બદલે પાલનપુર થઈને જતી ટ્રેનમાં ચડી જતા મુશ્કેલી બની જાય. શુક્રવારે સાંજે અનેક પરિવારને ટ્રેન નંબર શોધતા જોવા મળ્યા. કોચ પર ટ્રેન નંબર પણ એટલા નાના હતા કે તે શોધવામાં જ ટ્રેન ઉપડી જાય. પ્લેટફોર્મ પર કોઈ માર્ગદર્શક ન હોવાથી આમથી તેમ અથડાતા હતા. આ બાબતે પણ રેલ્વે પ્રશાસનને કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:28 am

બાઇક ચોર ઝડપાયો:ફતેગંજમાંથી બાઇક ચોરનાર પાણીગેટથી બાઇક સાથે ઝબ્બે

ફતેગંજ ખાતેથી સપ્ટેમ્બર મહિનામાં ચોરાયેલી બાઇકને ક્રાઈમ બ્રાન્ચે શનિવારે પાણીગેટ નજીકથી પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ જીઈબી ઓફિસ નજીકથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બાઇક સાથે ગીરીશકુમાર ગોરધનભાઈ મોચી (રહે, ગીરીરાજનગર એપાર્ટમેન્ટ, બાજવા તળાવ)ને પકડી પાડ્યો હતો. ગીરીશકુમાર પાસેથી બાઇકના દસ્તાવેજ ન મળતાં પોલીસે બાઇક અંગે પૂછપરછ કરતા ગીરીશકુમારે જણાવ્યું હતું કે, બાઇક ફતેગંજ ભગીરથ સોયાયટી સામેથી ચોરી કરી હતી. આણંદ લીમડી ચોક ખાતે રહેતા રાહુલકુમાર અશ્વિન ઠાકોર હાલોલ સીએટ કંપનીમાં નોકરી કરે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં બાઇક ફતેગંજ ભગીરથ સોસાયટી પાસે પાર્ક કરી હતી. ત્યારબાદ તે કંપનીની બસમાં બેસી નોકરીએ ગયા હતા. બીજા દિવસે પરત આવતા બાઇક જણાઈ આવી નહોતી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:00 am

સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરીનો ક્રેઝ:જુઓ એટલે અસલ સોનાની લાગે, ગોલ્ડ-સિલ્વરની જેમ કોપર બારની ડીમાન્ડ પણ વધી

અલગ અલગ વૈશ્વિક કારણોસર છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સવાર પડતા જ સોના-ચાંદીના ભાવ નવી ટોંચે પહોચી રહ્યા છે. સોના-ચાંદીની સાથે હવે અન્ય ધાતુના ભાવ પણ સળગવા લાગ્યા છે ત્યારે લોકોને તેમાં પણ રોકાણનો રસ પડ્યો છે. સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા તેની સૌથી મોટી અસર જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો, અહીં લોકો ઓછા કેરેટના દાગીના માગતા થયા છે. જેના કારણે જ્વેલર્સ ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરી બનાવવા લાગ્યા છે. જે દેખાવમાં અસલ સોના જેવી લાગે છે અને ભાવમાં સસ્તી પડી રહી છે. અત્યાર સુધી લોકો કોપરની બોટલ, પાણીની ટાંકી કે વાસણો લેતા હતા. પરંતુ, હવે કોપરમાં રોકાણની તક દેખાતા બારમાં ખરીદી થવા લાગી છે. સુરતમાં જ દરરોજનું હજારો કિલો કોપર વેચાઈ રહ્યું છે. સોના-ચાંદીના ભાવ વધતા લોકો ગોલ્ડ પ્લેટેડ કોપર જ્વેલરી તરફ વળ્યાહાલમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે દાગીના ખરીદવા મુશ્કેલ બન્યા છે. આ પરિસ્થિતિમાં સુરતના જ્વેલરી માર્કેટમાં કોપરની જ્વેલરીની માંગમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને કોપર પર ગોલ્ડ પ્લેટિંગ કરેલા દાગીના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે તે દેખાવમાં અદ્દલ સોના જેવા લાગે છે અને તેની કિંમત પણ ઘણી ઓછી હોય છે. લગ્નસરાની સીઝનમાં હવે લોકો મોંઘા સોનાને બદલે બજેટમાં રહેતા કોપરના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે. સુરતમાં તાંબાનું રેકોર્ડબ્રેક વેચાણ અને રોકાણસુરત હંમેશા નવીનતા માટે જાણીતું છે, હવે અહીંના લોકોએ તાંબાને રોકાણના એક મજબૂત વિકલ્પ તરીકે અપનાવ્યું છે.જે મધ્યમ વર્ગના લોકો સોનું કે ચાંદી ખરીદવામાં અસમર્થ છે તેઓ હવે ભવિષ્યના રોકાણ માટે તાંબાના બિસ્કિટ અને લગડી ખરીદવા તરફ વળ્યા છે. રોકાણકારો હવે પ્લેટિનમ અને કોપરને સુરક્ષિત એસેટ તરીકે જોઈ રહ્યા છે. તાંબાના સ્ટોરેજ અને ડિલિવરીમાં જોવા મળતી નવી પદ્ધતિસોના અને ચાંદીની સરખામણીએ તાંબું વજનમાં ઘણું ભારે અને કદમાં મોટું હોય છે.જેના કારણે તેની ભૌતિક જાળવણી એક પડકાર સમાન છે. જ્યારે ગ્રાહકો મોટી માત્રામાં તાંબાના બાર કે લગડીઓ ખરીદે છે. ત્યારે તેને ઘરે લઈ જઈને સુરક્ષિત રાખવાને બદલે જ્વેલર્સ પાસે જ સ્ટોર કરાવવાનું પસંદ કરે છે. આ પદ્ધતિથી ગ્રાહકોને સ્ટોરેજની ચિંતા રહેતી નથી અને જ્યારે ભાવ વધે ત્યારે તેઓ સરળતાથી તેનો નિકાલ કરી શકે છે. તાંબાની આ ઊંચી માંગે જ્વેલરી ઉદ્યોગમાં સંગ્રહ કરવાની નવી વ્યવસ્થા ઉભી કરી છે. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થવાને કારણે હવે લોકોનો ઝુકાવ કોપર તરફ નોંધપાત્ર રીતે વધ્યો છે. સુરતના જ્વેલરી માર્કેટના જણાવ્યા અનુસાર, મધ્યમ વર્ગના ગ્રાહકો હવે સોનાના વિકલ્પ તરીકે કોપરના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને કોપર પર ગોલ્ડ પ્લેટિંગ ચડાવેલા દાગીના દેખાવમાં અદ્દલ સોના જેવા જ લાગે છે અને કિંમતમાં પણ ઘણા પરવડે તેવા હોય છે, જેના કારણે બજારમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે. સુરતમાં દરરોજ હજારો કિલો કોપર બારનું વેચાણ- દીપક ચોક્સીકોપર માત્ર દાગીના તરીકે જ નહીં પણ રોકાણ માટે પણ કોપર એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. સુરતના જ્વેલર્સ દીપક ચોકસીના જણાવ્યા મુજબ, માત્ર તેમની જ પાસે દરરોજ અંદાજે 2,000 થી 2,500 કિલો કોપરનું વેચાણ કે બુકિંગ થઈ રહ્યું છે. જે લોકો સોના કે ચાંદીના બિસ્કિટ ખરીદી શકતા નથી, તેઓ હવે કોપરના બિસ્કિટ કે લગડીમાં રોકાણ કરી રહ્યા છે. કોપર વજનમાં ભારે હોવાથી લોકો ઘણીવાર તેની ફિઝિકલ ડિલિવરી લેવાને બદલે જ્વેલર્સ પાસે જ રાખવાનું પસંદ કરે છે. આમ, વર્તમાન સમયમાં કોપર એ માત્ર એક ધાતુ મટીને સોના-ચાંદી જેવું જ લોકપ્રિય ઇન્વેસ્ટમેન્ટ સાધન બની રહ્યું છે. 2025માં સોના-ચાંદીના ભાવમાં રોકેટગતિએ થયેલો વધારો

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:00 am

'અમને તો સ્કૂલે જતા પણ ભય લાગે છે':બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ શું થાય છે સ્કૂલમાં? સાઇકોલોજિસ્ટે આ ગંભીર ચેતવણી આપી

અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની 36 દિવસમાં જ બીજીવાર ધમકી મળતા સ્કૂલ સંચાલક, વાલીઓ અને પોલીસની ચિંતા વધી છે. કારણ કે, બોમ્બની ધમકી મળતા જ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે અને વાલીઓમાં પણ દોડધામ મચી જતી હોય છે. જો કે, આ પ્રકારની ધમકીઓની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ પર થતી હોવાનું સામે આવ્યું છે. જાણીતા સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણીએ આ પ્રકારની ધમકીઓના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર થતી અસરને લઈ વાલીઓને ચેતવ્યા છે. સાથે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે શાળા સંચાલકોને કેટલીક ટીપ્સ પણ આપી છે. આ પ્રકારની ધમકીઓના કારણે કેવી અસર થાય છે તે જાણવા ભાસ્કરે વિદ્યાર્થી, વાલી, શાળા સંચાલક અને સાયકોલોજીસ્ટ સાથે વાતચીત કરી હતી. વારંવારની ધમકીના કારણે વાલી-સ્કૂલ સંચાલકો ચિંતિત બન્યાઅમદાવાદની સ્કૂલોને ગત મહિને બોમ્બ બ્લાસથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ 23 જાન્યુઆરીએ ફરી એકવાર ધમકી મળી હતી.શહેરની 15 સ્કૂલને ધમકી મળતા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું પરંતુ કઈ મળી આવ્યું નહોતું.ધમકી ભર્યા કોલ સતત વધી રહ્યા છે જેને લઈને વિધાર્થીઓના અભ્યાસ અને માનસિકતા પર પણ અસર પડી રહી છે.અત્યાર સુધી ત્રણ અલગ અલગ પેટર્નથી બોમ્બની ધમકી મળી ચૂકી છે જેને લઈને સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીના કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયનિયમ મુજબ સ્કૂલને બોમ્બની ધમકી મળતા સૌ પ્રથમ તમામ બાળકોને સલામત રીતે ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવે છે.સ્કૂલ દ્વારા જ પોલીસ અને DEO કચેરીને જાણ કરવામાં આવે છે જે બાદ વાલીઓને જાણ કરવામાં આવે છે.આ પ્રકારની ઘટનામાં સ્કૂલ કોઈ પણ વિદ્યાર્થીઓને જબરજસ્તી સ્કૂલમાં રોકી શકતી નથી. વાલી બાળકને ઘરે લઈ જવા ઈચ્છે તો તે લઈ જઈ શકે છે.સ્થિતિ સામાન્ય હોય તો બીજા દિવસથી નિયમિત સ્કૂલ ચાલુ હોવાની વાલીઓને જાણ કરવાનું હોય છે. બોમ્બ અંગે મેસેજ મળતા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે.સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને ટીમ સ્કુલે જઈને તમામને સલામત જગ્યાએ લઈ જઈને બિલ્ડિંગ ખાલી કરાવે છે.બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે રહીને સ્કૂલમાં તપાસ કરાવવામાં આવે છે. સ્કૂલમાં કઈ શંકાસ્પદ મળી આવે તો તેની પણ તપાસ કરવામાં આવે છે.સ્કૂલમાં સંપૂર્ણ તપાસ થયા બાદ જ થોડીવાર બાદ સ્કૂલમાં અવરજવર શરૂ કરાવવામાં આવે છે.સ્થાનિક પોલીસ દ્વારા ઇમેલ અંગેની માહિતી સાયબર ક્રાઈમમાં આપવામાં આવે છે.સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવે છે. DEO કચેરીને સ્કૂલમાં બોમ્બ અંગેની જાણ થતા DEO કચેરીના અધિકારી દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવે છે. સ્કૂલની સ્થિતિ અંગે DEOને જાણ કરવામાં આવે છે.DEO દ્વારા સ્કૂલનો રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગ ગાંધીનગરને મોકલવામાં આવે છે.DEO દ્વારા સ્કૂલને લેખિતમાં જ સૂચનો આપવામાં આવે છે. શિક્ષણ કાર્યની સાથે સાથે વિદ્યાર્થીઓની માનસિકતા પર અસરશાળાઓમાં વારંવાર બોમ્બની ધમકી મળતી હોવાના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર થઈ રહી છે. શ્રી વિદ્યાનગર સ્કૂલના સંચાલક વિવેક કપાસીએ જણાવ્યું હતું કે, વારંવાર આ પ્રકારની ધમકીઓ મળવાને કારણે પેનિક સિચ્યુએશન ઊભી થઈ જતી હોય છે. કારણ કે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે કેમ તેમને તરત જ કરે મોકલી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓના ભણતર પર પણ ઘણી અસર પડતી હોય છે. શાળામાં આવતાં સમયે તેમને અહીંયા ઘર જેવો માહોલ મળતો હોય છે. પરંતુ વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ થવાને કારણે ઘણી તકલીફ પડતી હોય છે. સ્કૂલ સેફટી નિયમના અનુસાર જેવો જ ધમકી ભર્યો મેઇલ મળે ત્યારે તરત જ વિદ્યાર્થીઓને તાત્કાલિક મેદાનમાં ભેગા કરી દેવામાં આવે છે. પોલીસને પણ તરત જ જાણ કરવામાં આવે છે. DEO ઓફિસને પણ જાણ કરવામાં આવતી હોય છે. જે બાદ તમામ વાલીઓને મેસેજ પહોંચાડીને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવે છે. શિક્ષકો પણ પેનિક થઈ જતા હોય છે. વધુમાં વિવેક કપાસીએ જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે એ પણ બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે કે કોઈ દોડાદોડી દરમિયાન બીજી કોઈ અકસ્માતનો બનાવ ન બની જાય. કારણ કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનો વાલીઓને મેસેજ મળતા જ તમામ વાલીઓ એક સાથે શાળા પર પહોંચી જતા હોય છે. એક સાથે વાલીઓ શાળા પર આવી જવાના કારણે શાળાની બહાર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે બાબતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. સ્વાભાવિક છે કે કોઈ વાલીનો બાળક શાળામાં ભણતો હોય અને આ પ્રકારનો મેસેજ મળે તો તેમનામાં ડર થતો હોય છે. તેમજ વાલીઓના ગ્રુપમાં પણ ચર્ચાનો વિષય બની જતો હોય છે. ખૂબ જ ટેન્શન વાળો માહોલ ઉભો થઈ જતો હોય છે. આવી ધમકીઓના કારણે બીજા દિવસે શાળાએ આવતા ડર લાગે છે- વિદ્યાર્થિનીવિદ્યાર્થીની તૃષા સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે ત્યારે બધા પેનિક થઈ જતા હોય છે. જે બાદ શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક મેદાનમાં ભેગા કરી દેવામાં આવે છે. જેથી મેસેજ મળ્યા બાદ વાલી પણ અમને તરત જ શાળાએ લેવા માટે આવી જતા હોય છે. પરંતુ અવારનવાર શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોવાથી તેની ખૂબ ખરાબ અસર થતી હોય છે. અમારી ફાઇનલ પરીક્ષા આવી રહી છે જેનો અભ્યાસ શાળામાં ચાલતો હોય છે તે પણ તૂટી જાય છે. અભ્યાસ બગડી જાય છે. માતા પિતા પણ અમને શાળાએ લેવા માટે આવી જાય છે ઘરે ગયા પછી અમને ખબર પડે છે કે આ અફવા છે. બીજા દિવસે શાળાએ આવતા સમયે પણ ડર લાગતો હોય છે. માતા પિતા પણ શાળાએ મોકલતા પહેલા ડર અનુભવતા હોય છે. અમારી ચિંતાના કારણે તે લોકોને પણ ડર લાગતો હોય છે, કે મારા છોકરાને કંઈ થઈ જશે તો? અમુક વિદ્યાર્થીઓ તો બીજા દિવસે શાળાએ પણ આવતા નથી. શાળામાં રજા આપી દેવાથી રિવિઝન પણ રહી જતું હોય છે જેના કારણે પરીક્ષામાં તેની અસર થતી હોય છે. અભ્યાસ દરમિયાન આ પ્રકારની ધમકી મળે તો કોઈને પણ ડર લાગતા હોય છે. ભયના વાતાવરણના કારણે બાળકો એન્ગઝાઈટીનો શિકાર થઈ શકે- પ્રશાંત ભીમાણીપ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ધમકી મળે ત્યારે ડર ઉભો થાય છે.નાના બાળકોને ખબર નથી પડતી કે કેમ નીકળી જવાનું.બાળકોમાં ભયનું વાતાવરણ રહેવાને કારણે ભવિષ્યમાં એન્ગઝાઈટી,ફીયર ,ઇન્સિકયુરિટી થઈ શકે છે.સાથે સાથે સ્કૂલે ન જવાનું વર્તન આવે છે.માં બાપ પણ સતત ચિંતામાં રહે છે.માબાપને પણ એન્ગઝાઈટી થઈ શકે છે.બાળક ચીડિયો થઈ શકે, ભણવામાં રસ ઓછો થઈ શકે,સૂઈ ન શકે. વાલીઓએ સંચાલકો સાથે મળીને મોકડ્રીલ નિયમિત કરવી જોઈએ.અફવા કે પેનિકમાં આવ્યા વિના શીખવું જોઈએ.ભૂકંપ બાદ જેમ કર્યું હતું તેમ ડીલ કરવું જોઈએ.બાળકોને ખોટી વાત વિશે સમજાવવું,અજાણી વસ્તુઓને અડકવું નહીં.બાળકોને વાર્તા કહીને આ પ્રકારનો ડર દૂર કરવો જોઈએ.રમત તરફ વળવા મેડિટેશન કરાવી શકાય છે.જરૂર પડે તો કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.જરૂર પડે તો થોડા આધાર માટે કાઉન્સેલિંગ કરાવવાથી મનોબળ મજબૂત બનાવવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:00 am

નારોલ-નરોડા હાઈવે પર ટ્રાફિકના કારણે 2 લાખ વાહનચાલકો પરેશાન:સર્વિસ રોડ પર દબાણ અને વાહન પાર્કિંગ, AMC અને ટ્રાફિક પોલીસની ગેરહાજરી

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ઘેરી બની રહી છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા નારોલ-નરોડા હાઈવે પર સર્વિસ રોડ પર થયેલા આડેધડ દબાણો અને ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની ગેરહાજરીના કારણે દરરોજ ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી આ વિસ્તારની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતા રસ્તા પર ઠેર ઠેર દબાણો જોવા મળ્યા હતા. જ્યારે આ દબાણો દૂર કરવા માટે અને ટ્રાફિક નિયંત્રણ માટે AMC અને પોલીસનો સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. 2 લાખથી વધુ વાહનચાલકો ટ્રાફિક સમસ્યાથી પરેશાનશહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રોજના બે લાખથી વધારે વાહનો પસાર થતા હોય એવા નારોલ- નરોડા હાઇવે ઉપર દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે, નારોલથી લઈને સીટીએમ ચાર રસ્તા સુધી રોડની બંને તરફ આવેલા સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારીઓના દબાણ શાકમાર્કેટ અને અન્ય પાથરણા વાળાઓ જોવા મળ્યા હતા. કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે દુકાનો હોય તેના વાહનો સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા હતા. સીટીએમ એક્સપ્રેસવે પાસે દિવસ દરમિયાન પણ લક્ઝરી બસો જોવા મળી હતી. સીટીએમ પોલીસ ચોકી પાસે ટ્રાફિકનો નિયમ પાલન કરનાર લોકોને પકડવા પોલીસ ઉભી રહી ગઈ હતી પરંતુ મોટાભાગના ચાર રસ્તા, ટ્રાફિક હતો અને બ્રિજ પાસે બસ સ્ટેન્ડ નજીક લક્ઝરી બસો અને ખાનગી ગાડીઓ વાળા ઊભા રહે છે ત્યાં ટ્રાફિક પોલીસ ગેરહાજર જોવા મળી હતી. ભાસ્કર રિપોર્ટરે કયા વિસ્તારમાં શું જોયું?સૌપ્રથમ નરોડા પાટિયા ચાર રસ્તા પાસે જ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા જોવા મળી હતી ઠેર ઠેર રીક્ષાચાલકો ગમે તેમ ઊભા રહી ગયા હતા અને લક્ઝરી બસ ચાલક પણ દિવસ દરમિયાન ત્યાંથી પસાર કરી પેસેન્જર ભરવા માટે ઉભા રહી ગયા હતા ત્યાંથી કૃષ્ણનગર તરફ આગળ જતા સર્વિસ રોડની બંને બાજુ લારીઓનું દબાણ જોવા મળ્યું હતું. શાક માર્કેટ સર્વિસ રોડ ઉપર જ ભરાતી હોય તેની લારીઓ જોવા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરેલા ખોદકામના કારણે સર્વિસ રોડ યોગ્ય જોવા મળ્યો નહોતો. કૃષ્ણનગરથી હીરાવાડી તરફ જવાના રોડ સુધી બંને તરફ સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરેલા હતા અને ક્યાંક લારીઓનું દબાણ હતું. બાપુનગર લીલા નગર બ્રિજ ઉતરતાની સાથે જ સર્વિસ રોડ ઉપર કપડાના વેચાણના પાથરણાઓ અને વાહનોથી રોડ ભરેલો જોવા મળ્યો હતો જ્યારે ઠક્કરબાપા નગર ચાર રસ્તા ઉપર પણ વાહનોનું પાર્કિંગ અને લારીઓનું દબાણ જોવા મળ્યું હતું ઠક્કરબાપા નગર બ્રિજથી વિરાટનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનની ઓફિસ તરફ થઈને રબારી કોલોની ચાર રસ્તા પાસે પણ સર્વિસ રોડ ઉપર પાર્કિંગ અને દબાણ જોવા મળ્યું હતું. વન્ડર પોઈન્ટ ચાર રસ્તા પર ટ્રાફિક જામરબારી કોલોનીથી સીટીએમ તરફ જતા વન્ડર પોઇન્ટ ચાર રસ્તા ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મચારી રબારી કોલોની કે વન્ડર પોઇન્ટ ચાર રસ્તા ઉપર જોવા મળ્યો નહોતો ત્યાં બપોરના સમયે સ્કૂલ છૂટવાનો સમય અને લોકોની અવરજવર ખૂબ જ હતી જેના કારણે થઈ અને ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો રોજના ત્યાંથી અનેક વાહન ચાલકો પસાર થાય છે છતાં પણ ટ્રાફિક પોલીસ ત્યાં હાજર નહોતી. 112 નંબરની પોલીસની ગાડી પણ ત્યાં હતી અને પોલીસ પોતે ગાડી લઈને નીકળ્યા તે છતાં પણ તેમણે ટ્રાફિક દૂર કરાવ્યો નહીં અને સ્થાનિક લોકોએ ત્યાંથી ટ્રાફિક દૂર કરવો પડ્યો હતો. બીજી તરફ દિવસ દરમિયાન લક્ઝરી બસોને પ્રવેશ ન હોવા છતાં પણ સીટીએમ વન્ડર પોઇન્ટ ચાર રસ્તા પાસે લક્ઝરી બસ એક પસાર થઈ હતી. એક બાઈક ચાલક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લક્ઝરી બસના ચાલકે તેને ટક્કર મારી હતી જેથી તે પડી ગયો હતો.જોકે સદનસીબે સહેજ માટે બચી ગયો હતો. લક્ઝરી બસના ચાલક સાથે ઝઘડો પણ કર્યો હતો. સીટીએમ ઓવરબ્રિજ પાસે ટ્રાફિક પોલીસ ચોકી આવી છે એની આગળના ભાગે ટીઆરપી જવાન અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહન ચાલકને પકડવા માટે ઉભા રહી ગયા હતા જોકે તેનાથી 50 મીટર આગળ જ બ્રિજની નીચેના ભાગે ટ્રાફિક જોવા મળ્યો હતો ત્યાં ટ્રાફિકમાં લોકો ફસાયા હતા પરંતુ આ પોલીસ કર્મચારીઓ લોકોને પકડીને દંડ આપવામાં વ્યસ્ત રહ્યા હતા પરંતુ ટ્રાફિક દૂર કરાવ્યો ન હતો. સીટીએમ પાસે બસોના કારણે ટ્રાફિક સમસ્યાસીટીએમ ઓવર બ્રિજથી આગળ એક્સપ્રેસ- વેથી દક્ષિણ ગુજરાત તરફ જવા માટે એસટી બસ સ્ટેન્ડ આવેલું છે જે એસટી બસ સ્ટેન્ડ પાસે મોટી સંખ્યામાં મુસાફરો ઉભા હતા. એક્સપ્રેસવે ચાર રસ્તા પહેલા એસ.ટી બસ સ્ટેન્ડ પર લક્ઝરી બસો જોવા મળી હતી દિવસ દરમિયાન લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશ નથી છતાં પણ શહેરમાંથી પ્રવેશ કરી લક્ઝરી બસો સીટીએમ ખાતે આવતી હોય છે ત્યાં કોઈપણ ટ્રાફિક પોલીસ હાજર જોવા મળ્યો નહોતો માત્ર લક્ઝરી બસો જ નહીં પરંતુ ખાનગી ગાડીઓ વાળા પણ હાજર હોય છે જેના કારણે થઈને ટ્રાફિક સમસ્યા થાય છે. સીટીએમ એક્સપ્રેસ વે ચાર રસ્તા પાસે લક્ઝરી બસોના કારણે પણ ટ્રાફિક થતી હોવાની અવારનવાર ફરિયાદો સામે આવી છે પરંતુ ટ્રાફિક પોલીસને ત્યાં ટ્રાફિક દૂર કરવામાં રસ નથી. સીટીએમ એક્સપ્રેસ વે પાસે લારીઓના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્કિંગ કરેલું હોય છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવાની હોય છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 15 દિવસ પહેલા જે રીતે દિવસ રાત ટ્રાફિકની સમસ્યાને લઈને ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને કામગીરી કરવામાં આવી હતી તે હવે ક્યાંય પણ જોવા મળી નથી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર અને પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની દબાણની ગાડીઓ કે ટ્રાફિક પોલીસ જોવા ન મળતા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં તંત્રને રસ નથી માત્ર લોકોને પકડીને દંડ કરવા અને હપ્તા લેવામાં રસ છે. નારોલ- નરોડા હાઇવે પર નરોડાથી સીટીએમ એક્સપ્રેસવે સુધી ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બંને તરફના સર્વિસ રોડ ખુલ્લા હોવા જોઈએ અને લારીઓ તેમજ ગેરકાયદેસર દબાણો ન હોવા જોઈએ છતાં પણ આવા દબાણો જોવા મળી રહ્યા છે. સીટીએમ એક્સપ્રેસવે પાસે એસટી બસ સ્ટેન્ડ પર એસટી બસ સિવાય લક્ઝરી બસો અને ખાનગી ગાડીઓ દ્વારા પેસેન્જરો ભરવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિય કામગીરી જોવા મળી રહી છે. લક્ઝરી બસોના દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ શા માટે સીટીએમ ખાતે લક્ઝરી બસો દિવસ દરમિયાન જી, એચ અને આઈ ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ લક્ઝરી બસો દિવસ દરમિયાન નરોડાથી લઈ નારોલ રોડ ઉપર જોવા મળે છે. રેગ્યુલર ડ્રાઈવ થાય છે તો પછી રસ્તા પર દબાણ કેમ?ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે નારોલ - નરોડા હાઇવે ઉપર અમારા ઝોનમાં જેટલો વિસ્તાર આવે છે તેમાં અમે ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને રેગ્યુલર કામગીરી થતી હોય છે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી અને કામગીરી કરીએ છીએ. જો ટ્રાફિક પોલીસ સાથે નથી આવતી તો કોર્પોરેશનની ટીમ દ્વારા રોડ પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે જ છે. જ્યારે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ અઠવાડિયામાં ડ્રાઇવ કરે છે. સીટીએમ પાસે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેના માટે દબાણની ગાડી હાજર હોય છે. લક્ઝરી બસોનું વધારે પ્રમાણમાં ન્યુસન્સ છે. આગામી દિવસોમાં ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ સાથે આ વિસ્તારમાં રાઉન્ડ લઈ ટ્રાફિકની સમસ્યા દૂર કરાશે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:00 am

'મેં કમસેકમ 140 લાશ કાઢી હતી':રામજી મંદિર ઊભું રહ્યું પણ ભગવાનનું સિંહાસન ફરી ગયું, ભરચક બજાર મેદાન થઈ ગઈ, ભૂકંપના કેન્દ્રબિંદુ ચોબારીમાં કુદરતે વિનાશ વેર્યો

ભુજથી ચોબારી ગામ બરાબર 100 કિલોમીટર દૂર થાય. ચોબારી આમ તો ભચાઉ તાલુકાનું ગામ છે. ભચાઉથી માત્ર 31 કિલોમીટરનું અંતર છે. ચોબારી ગામ કચ્છનું છેવાડાનું ગામ કહી શકાય. ચોબારીથી કચ્છના સુકા પવન પૂરા થાય ને ચોબારી પછી ભીના પવન શરૂ થાય. કચ્છના ઈતિહાસમાં ચોબારીનું મહત્વ ઘણું. 400 વર્ષ પહેલાંના ધિંગાણા પછી 752 પાળિયા આજેય ઊભા છે. પણ 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપે ચોબારીને કચ્છના ઈતિહાસમાં જ નહિ, વિશ્વના ઈતિહાસમાં અંકિત કરી દીધું. જી હા, આ એ જ ચોબારી છે જ્યાં 2001ના પ્રજાસત્તાક દિવસની સવારે 8:46 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી. ચોબારી એટલે મોટા ભૂકંપનું કેન્દ્રબિંદુ. ભયાનક ભૂકંપને 25 વર્ષ પૂરાં થઈ રહ્યા છે ત્યારે દિવ્ય ભાસ્કરની ખાસ સિરિઝ ‘ભૂકંપ @25’ ચાલી રહી છે. તેના ભાગરૂપે ભાસ્કરની ટીમ ચોબારી ગામ પહોંચી હતી. કેન્દ્રબિંદુ હોવાના કારણે અહિના લોકોએ જે ભૂંકપનો અનુભવ કર્યો હતો, તે ખતરનાક હતો. 25 વર્ષ પહેલાંના અનુભવો જાણવા અમે ચોબારીના લોકોને મળ્યા. ગામના લોકોએ શું કહ્યું, કેવો અનુભવ હતો, તે વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં… અમે ચોબારી પહોંચ્યા તો એવા લોકો અમને મળ્યા, જેના મનમાંથી કે જીવનમાંથી ભૂકંપ ગયો નથી, જવાનો પણ નથી. એ વખતના લોકોને દરેક દ્રશ્યો યાદ છે, ભૂકંપની ભયાવહતા યાદ છે. સૌથી પહેલાં અમે શિવમંદિરના પૂજારી ગોસ્વામી ભાણગર બાવાજીને મળ્યા. તે કહે છે કે એ સમયે માહોલ ઘણો ગમગીન હતો. પરિસ્થિતિ બહુ વિકટ હતી. પચ્ચીસ વર્ષ થયા પણ યાદ કરતાં શરીરમાં કંપન છૂટે છે. ત્યારે મારી ઉંમર નાની હતી. પણ સરપંચ અને ગામ આગેવાન વાત કરતા હતા કે, ભૂકંપ પછીની દિવાળી મનાવવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હતા. ત્યારે એમને જોવાનો હરખ હતો. મેં વિચાર્યું કે નરેન્દ્રભાઈને જોવાનો મોકો મળશે. ચોબારીમાં સભા ભરી ત્યારે ભરચક્ક મેદની હતી. વડીલો, આગેવાનો મહિલાઓ, બાળકો યુવાનો એમ ઘણા લોકો સભામાં હાજર હતા. આખું પરિસર માણસોથી ભરાઇ ગયું હતું. એ વખતે એમણે લોકોને સાંત્વના આપી હતી. લોકોને હૈયાધારણ આપતાં કહ્યું હતું કે તમારી પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર લાવવા એ અભ્યાસ કરીશું અને નવું ડેવલપમેન્ટ કરીશ. આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી ને વિકાસના પંથે લઈ જઈશ. મોદીજી અહીંથી ગામના અમુક વિસ્તારોમાં પણ ગયા હતા. ગામમાં અમુક લોકોને ત્યાં જમ્યા હતા. એમની સાથે વાતચીત કરી હતી. એ પછી અમે ચોબારીના જ નાગરિક વેલજીભાઈ મેરિયાને મળ્યા. વેલજીભાઈને અમે પૂછ્યું કે, 25 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો ત્યારે તમારા પરિવારમાં શું થયું હતું? જવાબમાં વેલજીભાઈ કહે છે, અમારા પરિવારમાં સાત લોકો હતા. ચાર ભાઈ-બહેન, મમ્મી, દાદી કાકા, મારી પત્ની અને છ મહિનાની દીકરી હતી. ત્યારે ઘરમાં મારી પત્ની, નાની દીકરી, મમ્મી અને દાદી હતાં. હું બહાર હતો. મારા ત્રણ ભાઈ-બહેન ખેતરે ગયા હતા. હું જ્યારે પાછો આવ્યો ત્યારે ઘર આખું ધ્વસ્ત થઈ ગયું હતું. મકાન જેવુ કંઈ દેખાતું જ નહોતું. આખી જમીન જેવું થઈ ગયું હતું. હું અહિયાં આવ્યો ત્યારે બધા અંદર દબાયેલા જ હતા. થોડીવાર તો કઈ સૂઝ્યું જ નહીં કે શું કરવું. દબાયેલા બધાને બહાર કાઢ્યા. આસપાસમાંથી લોકો આવ્યા. બધાએ સાથે મળીને કાઢવાની કોશિશ કરી. મારા મમ્મીને માથામાં લાગ્યું હતું. મારી પત્નીને પણ માથામાં લાગ્યું હતું. દીકરી ઘોડિયાંમાં હતી. એ એમાં જ દબાઈ ગઈ હતી. મારા દાદીમા પણ દબાઈ ગયાં હતાં. મારા ઘરમાંથી બે વ્યક્તિનાં મોત થયાં હતાં. મારી છ મહિનાની દીકરી એટલે પરિવારનું સૌથી નાનું સભ્ય અને મારાં દાદી એટલે પરિવારના સૌથી મોટા સભ્ય ચાલ્યા ગયા. જ્યારે આખા ફળિયામાંથી 54 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. હવે દર 26 જાન્યુઆરીએ એ યાદ આવે કે મારી દીકરી હયાત હોત તો અત્યારે તેના પણ લગ્ન થઈ ગયા હોત. તેનો પણ પરિવાર હોત. દાદીમાની પણ યાદ તો આવે જ. એમને પણ આજે 25 વર્ષ થઈ ગયા. દીકરી માટે સપનાં તો ઘણા હતા પણ કુદરતની મરજી આગળ આપણું કાંઈ ન ચાલે. અત્યારે મારા બે દીકરા અને એક દીકરી છે. એક દીકરાના લગ્ન થઈ ગયા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનીને ગામમાં આવ્યા ત્યારે ગ્રામજનો સાથે વાત કરી હતી. ભાસ્કરે એમાંના એક મહિલા મજીબેન સાથે વાત કરી. મજીબેને કહ્યું કે બધું પડી ગયું હતું. કંઈ બચ્યું નહોતું. ચોબારીમાં મોદી મળવા આવ્યા ત્યારે અમે છાપરાંમાં બેઠા હતા. અમે મોદીને કહ્યું કે કંઈ સહાય આપજો. અમે પગે પડીને બે વાત કરી. એમણે કહ્યું કે બધું સારું કરી દઇશું. એ ફોટામાં મારી સાથે બીજી મહિલાઓ હતી. એ બધી રામના ઘરે સિધાવી ગઈ. હું એક જ રહી. એ પછી તો મોદીએ અમને ઘર બનાવીને આપ્યા. મજીબેન કહે છે કે ભૂકંપ આવ્યો એ દિવસે અમે ઘરે હતા. કાચા મકાન હતા. અમે પણ દટાઈ ગયા હતા. પણ અમારી ઉપર બાજરીના ઢગ હતા એટલે બચી ગયા. પણ પગમાં ઘણું વાગ્યું હતું. પગ તૂટી ગયો હતો. એમાં ટાંકા આવ્યા હતા. બીજા ગયા એ ગયા. પ્રભુને પ્યારા થઈ ગયા. એ પછી અમે રામજી બાપાની વાડીએ જતાં રહ્યા હતા. ત્યારે અમને સહાય ખૂબ આપી હતી. છાપરા બનાવીને રહ્યા હતા. પછી ફરી મકાન બનાવીને અમે અહિયાં રહેવા આવ્યા. મારા જેઠનો એકનો એક દીકરો પણ ભૂકંપમાં જતો રહ્યો. અહીંથી અમે લાલજીભાઈ ઠક્કરને મળવા માટે રવાના થયા. ભાસ્કરની ટીમને વાતવાતમાં એ જાણવા મળ્યું કે, આજની તારીખે પણ ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે અને લોડાઈ ગામને ભૂકંપનું એપીસેન્ટર ગણે છે. જોકે એની પાછળની ઘટના એવી છે કે ભુજ એ કચ્છનું મુખ્ય સેન્ટર છે. લોડાઈ ગામ ભુજની નજીક આવેલું હતું. એટલે શરૂઆતના ઘણા દિવસો સુધી બધા લોડાઈ ગામને જ એપીસેન્ટર ગણતાં હતા. પરંતુ પછી અધિકારીઓ અને વૈજ્ઞાનિકોની ટીમો આવી ત્યારે સાબિત થયું કે એપીસેન્ટર લોડાઈ નહીં પરંતુ ભચાઉ તાલુકાનું ચોબારી ગામ હતું. ગામના લોકો પાસેથી આવી વાતો જાણતાં જાણતાં અમે લાલજીભાઈ ઠક્કરને ત્યાં પહોંચ્યા. લાલજીભાઈ 26 જાન્યુઆરી, 2001ના દિવસને વાળોગતાં કહે છે કે ભૂકંપ આવ્યો એ દિવસે અમે મુંબઈ હતા. મારા મમ્મી, કાકા અને બહેન અહિયાં ચોબારીમાં હતા. અમને મુંબઇમાં બીજા દિવસે ખબર પડી કે આવી ઘટના બની છે. ત્યારે હ્રદય હચમચી ઉઠ્યું. મારા પપ્પા મુંબઈથી કચ્છ આવવા માટે નીકળી ગયા. બે ત્રણ દિવસે ભચાઉ પહોંચ્યા હતા. ત્યાંથી ચોબારી ગયા હતા. લાલજીભાઈ હાથેથી ઈશારો કરીને બતાવે છે કે જુઓ, આપણે ઊભા છીએ ત્યાં એક સમયે ભરચક બજાર હતી. અત્યારે મેદાન છે. બજારનું અસ્તિત્વ મટી ગયું. હવે અહિયાં જૂના મંદિર જ છે. લાલજીભાઈના પિતા વિનોદભાઈ ઉર્ફે બબાભાઈ પણ હાજર હતા. તે કહે છે કે હું મુંબઈથી અહી આવ્યો પછી ખબર પડી કે મારો ભાઈ અને પત્ની બંને ભૂકંપમાં મૃત્યુ પામ્યા છે. મારી પત્ની અહિયાં આટલામાં જ મૃત્યુ પામી હતી. આ બાજુ બધી દુકાનો એની પાછળ મકાન હતા. બધે કાટમાળના ઢગલા થઈ ગયા હતા. બજારમાં મારી દુકાન હતી. મારો ભાઈ એ જ દુકાન નીચે દબાઈ ગયો હતો. ભૂકંપ આવ્યો એ પછી અમે બધા ચોબારીની બહાર જ નીકળી ગયા. એ પછી અહિયાં કંઈ ન બનાવ્યું. ચોબારીમાંથી નીકળી ગયા છતાં બધું યાદ તો આવે જ. ઘર હતું, દુકાન હતી. અમે ચોબારીથી દૂર રહીએ છીએ પણ ચોબારીમાં અમારા દેવ સ્થાને પગે લાગવા આવીએ છીએ. લાલજીભાઈને મળીને અમે ચોબારી ગામના રામજી મંદિરના પૂજારી હરિરામને મળ્યા. પૂજારી કહે છે કે ભૂકંપ આવ્યો ત્યારે મંદિર થોડું ખંડિત થયું હતું. એ એમને એમ ઊભું હતું પણ અંદર ભગવાનનું સિંહાસન ફરી ગયું હતું. બજારની વચ્ચો વચ્ચ મંદિર હતું. બજારનું અસ્તિત્વ નથી રહ્યું પણ મંદિર ઊભું છે. અને મંદિરની બાજુમાં જ મેઇન બજાર હતી. બંને બાજુ દુકાનો હતી. એ સમયે એક મંદિર સિવાય બાકી બધુ પડી ગયું હતું. કંઈ જ નહોતું બચ્યું. પછી અહિયાંથી કાટમાળ હટાવ્યો નહોતો. અમુક લોકોના સ્વજન મળતા નહોતા. કોઈ અંદર રહી ગયું હોય તો એટલે કોઈએ અહિયાં ફરીથી બાંધકામ ન કર્યું. બધા બહારની તરફ રહેવા જતા રહ્યા. અમને શિવગરભાઈ બાવાજી મળ્યા. શિવગરભાઈએ કહ્યું કે, ભૂકંપના છ મહિના પછી અમારી હોટેલના કાટમાળમાંથી લાશો મળી હતી. એક મારો ભત્રીજો હતો અને બીજો એક સબંધીનો સાળો હતો. એમની અહિયાં હોટલ હતી. ત્યારે કાટમાળ જ એટલો બધો હતો કે કંઈ ખબર જ નહોતી કે કાટમાળની નીચે પણ કોઈ છે. પછી આસ્તે આસ્તે ખબર પડી. જ્યારે કાટમાળ સાફ થવા લાગ્યો ત્યારે એ બંનેની લાશ નીકળી. કપડાં પરથી એ બંને ઓળખાયા. છ મહિના સુધી એમને શોધતા હતા પણ નક્કી નહોતું થતું કે કયાં છે? જ્યારે લાશ મળી ત્યારે હાડપિંજર જ હતું. અમારે હવે ભચુભાઈ આહિરને મળવાનું હતું. પણ તેમને મળવા ગયા તે પહેલાં ચોબારી ગામ વિશે વાત જાણવા મળી. હકીકતે અહિયાં એક પુરાતન વાવ છે. સામાન્ય રીતે વાવમાં ઉતરવા માટે એક દિશામાં પગથિયાં હોય ને ચારેય બાજુ દીવાલ હોય. પણ અહીં જે વાવ છે તેનો વચ્ચેનો પાણીનો ભાગ નાનો છે. ચારેય દિશામાંથી ઉતરવા માટે પગથિયાં બનાવાયા છે. પગથિયાંનો ભાગ સાંકડો હોવાથી તેને વાવમાં ઉતરવાની બારી કહે છે. ચાર બારી હોવાથી ગામનું નામ ચોબારી પડ્યું હોવાનું મનાય છે. આમ તો આ વાવને ‘પાંડવી વાવ’ અથવા ચોમુખી ધામની વાવ કહે છે. અમે એ વખતના ભૂકંપના સાક્ષી એવા ભચુભાઈ આહિરને મળ્યા. ભચુભાઈએ કહ્યું કે એવો જબરો ભૂકંપ હતો કે ચોબારીની સ્કૂલના બાળકો દટાઈ ગયા હતા. બાળકો ઉપર પાછળથી દીવાલ પડી ને એમાં દટાઈ ગયા. ગામમાંથી કમસેકમ 140 લાશ મેં કાઢી હતી. રેતી, માટી, ઈંટ, બેલાંના કાટમાળ પડ્યા હતા. પણ ભગવાને એ વખતે શક્તિ આપી કે એક પિલરને ફક્ત ત્રણ જણા ભેગા થઈને ઊભો કરી શકતા હતા. બાકી આપણાથી દસ વીસ કિલો વજન પણ ન ઉપડે. મારા બે સગા ભાણેજ પણ ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા. એ અમને 14 દિવસ પછી કાટમાળમાંથી મળ્યા હતા. કાટમાળ ઊપડતાં ઉપાડતાં વાર લાગી. પછી એમને શોધવામાં પણ વાર લાગી. એમના ચહેરા ઓળખતા નહોતા. પછી કપડાં પરથી ઓળખાયા કે આ મારા ભાણેજ છે. ભચુભાઈ વાત આગળ વધારતાં કહે છે કે, અમારે કરિયાણાની દુકાન હતી. દુકાનમાં ભગવાનને અમે પ્રસાદ ધરતા. અમારી સામે એક સ્કૂલ હતી. સ્કૂલના એક સાહેબ અમારી પાસે પ્રસાદ લેવા આવ્યા હતા. એમને મેં કહ્યું કે હમણાં તમે જાઓ. હું આપવા આવું છું. એ સ્કૂલમાં ગયા બાદ મારા નાનાભાઈ પ્રસાદ માટે મીઠાઇ કાઢતા હતા ત્યાં પ્રચંડ અવાજ આવ્યો. બધું હલવા લાગ્યું. મેં ભાઈને કહ્યું તમે બધા બહાર નીકળી જાઓ. ત્યારે રામાભાઇ નામના કાકા હતા. એ બોલ્યા કે પાકિસ્તાનવાળા તોપમારો કરે છે. મેં કહ્યું આ તોપ નથી... આ ધરતીકંપ છે. ભગવાનનું નામ લો. મારી દુકાનની પાછળ ગોડાઉન હતું. ત્યાં મારી પત્ની પણ હતી. એ પણ એમાં દબાઈ ગઈ હતી. ડીઝલ ભરવાના બેરલમાં તેનું માથું ફસાઈ ગયું હતું. એના બે હાથ ભાંગી ગયા હતા. પછી એમના હાથનો મિલિટરીના કેમ્પમાં ઈલાજ કરાવ્યો. પહેલા અહિયાં જ ગામ હતું. હવે લોકો અલગ અલગ જગ્યાએ કેટલાક એરિયામાં વહેંચાઈ ગયા છે. ભૂકંપ પહેલા અહિયાં પોલીસ સ્ટેશન - આઉટ પોસ્ટ હતું. પણ ભુકંપ પછી જમીન પરથી ને કાગળ પરથી ગાયબ થઈ ગયું છે. હવે પોલીસ સ્ટેશન મંજૂર થયું છે પણ હજી સુધી કાગળ પર છે. પંચાયત ઘર જે રીતે હોવું જોઈએ એવું નથી. માત્ર એક નાનકડું ઘર છે. બે મિનિટના ધરતીકંપે ચોબારીનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા. ભૂકંપનું અનુમાન, પ્રિડિક્શન થઈ શકે નહિ; ડો. દેવાંશુ પંડિત આ તો થઈ ચોબારીની વાત… અમે સેપ્ટના સ્ટ્રક્ચરલ એન્જિનીયર અને સહાયક પ્રોફેસર ડો. દેવાંશુ પંડિત સાથે વાતચીત કરી. તેમણે એ વખતે ટેકનિકલી શું બન્યું હતું, તેમનો સંશોધનનો અનુભવ કેવો કહ્યો તેના વિશે વાત કરી. સેપ્ટ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં સહાયક પ્રોફેસર ડૉ. દેવાંશુ પંડિતે દિવ્ય ભાસ્કરને કહ્યું, 2001માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો તેના બીજા જ દિવસે સરકારી પ્રસાશનની સાથે સાથે સેપ્ટના સ્ટ્રક્ચરલ એન્જિનિયર પણ કાર્યરત થઈ ગયા હતા. એ સમયે એ ટીમનો હું એક ભાગ હતો. ઘટનાના બીજા જ દિવસે એક જોઈન્ટ મિટિંગ થઈ હતી. આ દરમિયાન ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી વાત આવી કે, હાલની પરિસ્થિતિ એવી છે કે, કેટલાક બિલ્ડિંગ સેફ દેખાઈ રહ્યાં હતા પણ તેમાં જવાથી લોકો ડરતાં હતા. રાત્રે લોકો કારમાં અને ટેન્ટો બનાવીને રહેવાનું શરૂ કર્યું હતું. આવી પરિસ્થિતિમાં દેશ અને વિદેશના એક્સપર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ એક્સપર્ટ અને સેપ્ટે સાથે મળીને ડેમેજ એસેસમેન્ટ મેથેડોલોજી ડેવલપ કરી હતી. સિનિયર પ્રોફેસર આર. જે. શાહે બધાને ટ્રેનિંગ આપી હતી. એ પછી ટીમો બનાવીને બિલ્ડીંગનું નિરિક્ષણ કરવામાં આવતું હતું. જેમાં અમે બિલ્ડીંગને G-0 થી G-5 સુધીની કેટેગરીમાં ડિવાઈડ કરી હતી. આ કામગીરી અમે લગભગ દોઢ થી બે મહિના સુધી કરી હતી, આ મોડલ એટલું સફળ રહ્યું કે તેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું હતું. જેના આધારે પોલિસી ડિસિશન્સ થયા હતા. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, 2001માં જે ભૂકંપ આવ્યો હતો ત્યારે જમીનની સંરચનામાં જે સર્ટન ફોલ્ટ હતો એ હિડન હતો. જે બહાર આવી ગયો હતો. એના વિશે આપણે એટલું બધું જાણતા નહોતા, પણ તે ખૂબ જ એક્ટિવ છે તેવી ખબર પડી હતી. આજ કારણોસર કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડનું લેવલ વધી ગયું હતું. જ્યાં રણ વિસ્તાર આવેલો છે ત્યાં માટીનું લિક્વીફેક્શન થયું હતું. આ કારણે બિલ્ડીંગને નુકસાન થતું હોય છે તેવી વાત સામે આવી. એ પછી એ એક્ટિવ ફોલ્ટને શોધી શકાયો અને તેનું મેપિંગ થઈ શક્યું. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, કચ્છ રિજિયનની જે પ્લેટ અને ફોલ્સ છે તે સ્ટેબલ છે. અહીં ભૂગર્ભ રચના પ્રમાણે પ્રેશર તો બની જ રહ્યું છે. પણ હજી સુધી એવો કોઈ બદલાવ નથી થયો કે અહીં પહેલીવાર બન્યું હોય તેવું થઈ રહ્યું છે. પણ એટલું કહી શકાય કે નિરંતર પ્રેશર બનવાની પ્રક્રિયા હાલમાં ચાલું જ છે. આ પ્રક્રિયાના કારણે જ આપણે ભૂકંપના નાના મોટા ઝટકાઓ અનુભવી રહ્યાં છીએ. જેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, જ્યારે ભૂકંપ આવે છે તેનું અમે મોનિટરીંગ કરીએ છે જે બાદ અમે તેની ડિટેલ ચેક કરીએ છીએ. જેમાં તેનું એપી સેન્ટર ક્યાં હતું, તે કેટલા મેગ્નિટ્યુટનો હતો. આની ઈમ્પેક્ટ ક્યાં સુધી અનુભવાઈ. આ કારણોસર અંડરસ્ટેન્ડિંગ ઓફ જિયોલોજી વધી છે. પણ આપણી પાસે કોઈ કમ્પલિટ કંટ્રોલ ઓફ વિઝન હોય તેવું હજી સુધી નથી. હાલમાં ટેકટોનીક પ્લેટની સ્થિતિ કેવી છે? એ અંગે પૂછતાં ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, કચ્છથી લઈને હિમાલયની એક જ જેવી પરિસ્થિતિ છે. આપણી જે પ્લેટ છે એ યુરેશિયા કે પછી ચાઈનિઝ લાઈટની જ પ્લેટ છે. હાલમાં અહીં દબાણ વધી રહ્યું છે. આ જ કારણે મેજર અર્થ રિલેટેડ એક્ટિવિટી ચાલુ છે. ડૉ.દેવાંશુ પંડિતે કહ્યું, ભૂકંપનું અનુમાન કરવું એ ખૂબ જ અઘરું છે. કેમ કે ભૂકંપની મૂવમેન્ટ માત્ર સેકન્ડોની જ હોય છે. એટલે એમાં એવું ન કહી શકાય કે આજથી બે મહિના પછી કે એક વર્ષ પછી આ જગ્યાએ આટલી તિવ્રતાનો ભૂકંપ આવશે. જો કચ્છ રિજિયનની વાત કરવામાં આવે તો, અહીંની એક હજાર વર્ષની હિસ્ટ્રી છે. પણ જોવામાં આવે તો 1819ના વર્ષની આસપાસ જે ભૂકંપ આવ્યો હતો એ 2001ના ભૂકંપને મળતો આવે છે. આના પરથી એવું માની શકાય કે 200 વર્ષે આવી ઈવેન્ટ થતી હોય છે. પણ આ કોન્ફિડન્સ સાથે કે ચોક્કસપણે કહી શકાય નહીં. થોડા સમયથી જે રીતે કચ્છ અને રાજકોટમાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે આ જોતા એવું માની શકાય કે આવનારા સમયમાં કચ્છમાં પણ જાપાનની જેમ ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે ? આ અંગે પૂછતાં ડૉ.દેવાંશુ પંડિતે કહ્યું આવું માનવું તો ખોટું જ છે. પણ જાપાન, સાઉથ અમેરિકા, ન્યૂઝીલેન્ડ આ બધા જ દેશો રિંગ્સ ઓફ ફાયરમાં આવેલા છે. એક હોર્સ સ્યૂ સેપ્સની 40,000 કિલોમીટર લેન્થની એક રિંગ છે જેના ઉપર સૌથી વધારે એટલે કે 75 ટકા વોલ્કેનોઝ છે તે અહીં લોકેટ થયેલા છે. એટલા માટે જ સૌથી મોટા ભૂંકપ પણ અહીં આવે છે. આની તુલનામાં આપણે ખૂબ જ સેફ છીએ. ડૉ. દેવાંશુ પંડિતે કહ્યું, 2001ની તુલનામાં તો આજે આપણી પાસે આ બાબતે ટેક્નોલોજી ખૂબ જ સારી છે. આ બાબતે આપણે વધારે ને વધારે સ્ટ્રોંગ બની રહ્યા છીએ. બીજું કે ત્યારની તુલનામાં આપણું જે કવરેજ છે તેની ક્ષમતા ખૂબ જ વધારે થઈ ગઈ છે. જેના થકી સિસ્મિક એક્ટિવિટીનો રોજ-બરોજનો ડેટા આવી રહ્યો છે. જેના થકી માઈક્રો ઝોનેશન કરી શકીએ છીએ. આના પરથી એ જાણી શકાય છે કે ભૂકંપ આવે તો કેટલો તેના કારણે બિલ્ડિંગ પર કેવી અસર થશે. ભલે આપણે ભૂંકપ અંગે પ્રિડિક્શન નથી કરી શકતાં પણ તે આવવાથી કેવું નુકસાન થઈ શકે છે તેનું ચોકક્સથી અનુમાન કરી શકીએ છીએ. (સ્ટોરી ઇનપુટઃ કમલ પરમાર) --------------------- ભૂકંપ સિરિઝના આ અહેવાલ પણ વાંચો…. કચ્છનો ભૂકંપ રબારી:8 મહિનાનું માસૂમ બાળક 84 કલાકે કાટમાળમાંથી જીવિત નીકળ્યું, મગજ બહાર નીકળી ગયું, દરગાહે દુઆ કર્યાના અડધી કલાકમાં ચમત્કાર અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ની સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રૂજી ગયા હતા. તેઓ ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય બાજુ દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથી 123 લોકોનાં મોત થયાં છે. સદનસીબે અસગરઅલીના ઘરને ખાસ નુકસાન થયું નહોતું. તેનો પરિવાર પણ બચી ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- મોદીએ કહ્યું, આપણે ભુજ જવાનું છે:તારાજી જોઈને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોનાં મોત થયાં એનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે, પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે, જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. આવા જ અમુક ચહેરાની વાત કરીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં. વાંચો સંપૂર્ણ અહેવાલ

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:00 am

આવતીકાલથી નવી સિરીઝ ‘ડિજિટલ ડાકુ’:એક ક્લિકમાં એકાઉન્ટ સફાચટ કરતા સાયબર ચોરટાઓનાં કારસ્તાનના થશે પર્દાફાશ

આજના યુગમાં તમારો સ્માર્ટફોન માત્ર એક ડિવાઇસ નથી, તે તમારી બેંક, તમારું વોલેટ અને તમારી આખી જિંદગી છે. પણ શું તમે જાણો છો કે આ જ સ્માર્ટફોન કેવી રીતે તમારા માટે સૌથી મોટો ખતરો બની શકે છે? દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થતી નવી સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ તમને કહેશે સાયબર ફ્રોડની ચોંકાવનારી સત્યકથાઓ. ક્યાંક મોબાઇલ વૉલેટના નામે લોકો પાસેથી લાખો રૂપિયા લૂંટવામાં, તો કોઇકને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા. અરે, કોઇકને તો વિદેશમાં લઇ જઇને કિડનેપ પણ કરી દેવામાં આવ્યાના દાખલા આપણી આસપાસ જ છેલ્લા થોડા સમયમાં બન્યા છે. આપણા ગુજરાતમાં જ ગયા વર્ષે 1.75 લાખથી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં લોકોએ ₹1,334 કરોડથી પણ વધુ રકમ ગુમાવી હતી. દિવસે ને દિવસે વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાઓ સામે લડવા માટે આપણી સાવચેતી એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. બીજાની ભૂલમાંથી શીખીએ અને આપણે સાવચેત રહીએ તેમાં જ આપણી સલામતી છે. દિવ્ય ભાસ્કરની આ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’માં તમને આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ એક નવા ફ્રોડની શૉકિંગ સત્યકથા કહેવામાં આવશે. જેમાં ભોગ બનનાર ખુદ પોતાની આપવીતી કહેશે અને પોલીસ અધિકારીઓ આવા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી જણાવશે. એટલું જ નહીં, ન કરે નારાયણ અને આપણી સાથે આવો કોઈ ફ્રોડ થઈ જાય, તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી અને તેમાં ગુમાવેલાં નાણાં પરત મળે કે કેમ તેની માહિતી પણ આ સિરીઝમાં આપવામાં આવશે. આ માત્ર એક સિરીઝ નથી, આપણા અને આપણા પ્રિયજનોની સુરક્ષા માટેનું જરૂરી એજ્યુકેશન છે. કારણ કે, આગામી ભોગ બનનાર તમે પણ બની શકો છો! સાવધાન રહો, સુરક્ષિત રહો. જુઓ ‘ડિજિટલ ડાકુ’, જેની દરેક સ્ટોરી તમને સાવચેત બનાવશે!આવતીકાલથી વાંચવાનું ચૂકશો નહીં.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 6:00 am

ગર્વની વાત:મ.સ.યુનિ.ના વીસી પ્રો.ભણગેને 2025નો આઇએસએએસ પુરસ્કાર એનાયત કરાયો

ઇન્ડિયન સોસાયટી ઑફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ દ્વારા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મ.સ.યુનિ.ના વીસીને આઇએસએએસ શૈક્ષણિક પુરસ્કાર–2025 એનાયત કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી, સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ વિજ્ઞાન જેવા ક્ષેત્રો માટે એવોર્ડ એનાયત કરાયો છે. ઇન્ડિયન સોસાયટી ઑફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ્સ દ્વારા ભારતીય વિજ્ઞાન, ટેકનોલોજી અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી પ્રો. ભાલચંદ્ર ભણગેને પ્રતિષ્ઠિત આઇએસએએસ શાસ્ત્ર શૈક્ષણિક પુરસ્કાર–2025 એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર કર્ણાટકના બેલગાવી ખાતે 22થી 24 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલા ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસના ઉદ્ઘાટન સમારંભમાં અર્પણ કરવામાં આવ્યો હતો. વીસીની કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયમાં સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવીવીસી પ્રો.ભણગેને તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કન્ટ્રોલર જનરલ ઑફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ કાર્યાલય દ્વારા વૈજ્ઞાનિક સલાહકારોની રોલમાં નિમણૂક દ્વારા રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. આ રોલમાં રસાયણશાસ્ત્ર, બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોના નિષ્ણાતો સામેલ હોય છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:59 am

ચોરીનો મામલો આવ્યો સામે:મોતીબાગ ગ્રાઉન્ડના સુપરવાઇઝરે નોકરીમાંથી કાઢતા ગાર્ડે બાઇક ચોરી

મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિકયુરિટી સુપરવાઈઝર અને જવાન સાથે બાબતે વિવાદ થયો હતો.પરિણામે સિકયુરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેનો રોષ રાખી સુપરવાઈઝરની બાઇક ચોરી કરનાર ગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ગત 22 તારીખે મોતી નગર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી મોટર સાયકલ ચોરી થઈ હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે નોંધાઈ હતી.જેમાં સિક્યુરિટી સુપરવાઈઝર રમેશભાઈ સુકાજી બારાએ જણાવ્યું હતું કે મારી હોન્ડા મોટર સાયકલ લઈને 22મીએ ફરજ ઉપર ગયો હતો અને પાર્ક કર્યું હતું એ જગ્યાએ બાઇક મળી ન હતી. આ અંગે રાવપુરા પોલીસે બાઇક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે અજબડી મિલ પાસેથી પસાર થતા મોટરસાયકલ ચાલકને અટકાવ્યો હતો. જેને પોતાનું નામ હિતેન્દ્ર પરમાર હોવાનું જણાવ્યું હતું. એની પાસે બાઇકના કાગળો માંગતા એ રજૂ કરી શક્યો ન હતો. વધુ પૂછપરછમાં એને આ બાઇક મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી સિક્યુરિટી સુપરવાઈઝરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હિતેન્દ્ર પરમારે પોલીસને જણાવ્યું હતું કે મને નોકરીમાંથી કાઢી મૂકતા મને ગુસ્સો આવ્યો હતો અને સિકયુરિટી સુપરવાઇઝર સામે બદલો લેવા મેં ચોરી કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે માસથી પગાર ન મળતા બાઈક ચોરીના રવાડે ચઢ્યોસિક્યુરિટી સુપરવાઈઝર રમેશ બારાની બાઇક ચોરી કરનાર સિકયુરિટી જવાન હિતેન્દ્રને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડની નોકરી માંથી બે મહિના પહેલા કાઢી મૂક્યો હતો. નજીવી બાબતે ગેરસમજ થઈ હતી.જે અંગે હિતેન્દ્રે માફી માંગી હતી.તેમ છતાં નોકરી ઉપર પરત લેવાયો ન હતો.બીજી તરફ બે મહિનાથી પગાર નહીં મળતા આર્થિક હાલત પણ કફોડી થઈ હતી.પરિણામે બાઇક ચોરી કરી હિતેન્દ્રએ જિંદગીનો પ્રથમ ગુનો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:57 am

વોર્ડ 16માં ડો. હેમાંગ જોષીએ કાર્યકરોના વખાણ કર્યા:ભાજપના કાર્યકર લોકોની ગાળો ખાઈને કામ માટે અધિકારી સાથે લડે છે : સાંસદ

વડોદરામાં એક તરફ અધિકારીઓ કામ નહીં કરતા હોવાની 5 ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. તેવામાં સાંસદે કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેઓએ વોર્ડ 16ના પેવર બ્લોકના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો લોકોની ગાળો ખાઈ, લોકોના કામ માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી લે છે સંબોધન કર્યું હતું. વડોદરા જિલ્લામાં વિકાસના કામો નહીં થતા હોવાની ફરિયાદ સાથે 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખતા ભારે વિવાદ સર્જાયો હતો. જેના કારણે સાવલીના ધારાસભ્ય સિવાય બાકીના ધારાસભ્યોનો સૂર બદલાયો છે. તેવામાં ધારાસભ્યોની ફરિયાદથી વિપરીત સાંસદે કાર્યકર્તાઓ અધિકારીઓ પાસે કામ કરાવી શકતા હોવાનું સંબોધન કર્યું છે. વોર્ડ 16માં પેવર બ્લોક નાખવાના કામના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, હંમેશાં પાર્ટીના કાર્યકરો લોકો વચ્ચે રહી, લોકોની ગાળો ખાઈને પણ લોકોના કામ કરવા માટે અધિકારીઓ સાથે ગાળાગાળી કરી લે છે. પરંતુ આ તમામ પાછળ લોકોનું હિત જળવાયેલું છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:56 am

‘રાગાનંદમ્’ શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાયો:‘સુન સખી સાજન ઘર આયો ને’ ગીત પર મનહર સંઘવી અને જયમીન સંઘવી પિતા-પુત્રની જુગલબંધી

ગોરવા ખાતે રાજપીપળાના લક્ષ્ય ટ્રસ્ટ અને વડોદરાના આલાપ ધ સ્કૂલ ઓફ મ્યૂઝિકના સંયુક્ત ઉપક્રમે પં.પુરૂષોત્તમ વાલાવલકર સંગીત પર્વ નિમિત્તે ‘રાગાનંદમ્’ શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્વાગત પ્રવચનમાં પં.મનહર સંઘવીએ જણાવ્યું હતુ કે, કલાકાર કદી વૃધ્ધ થતો નથી. તેમજ તે સાથે શરૂઆતમાં ગાયક વિકાસ પરીખે પુરિયા ધનાશ્રી રાગની પ્રસ્તુતિ કરી હતી. વિજયકુમાર સંત અને ડૉ. વિશ્વાસ સંતે રાગ બિહાગમાં સિતાર વાદન કર્યુ હતુ. લક્ષ્ય ટ્રસ્ટના અધ્યક્ષ માનવેન્દ્રસિંહ ગોહિલ અને જયમીન સંઘવીએ રાગ ચારૂકેશીમાં હારર્મોનિયમ પર જુગલબંધી કરી હતી. જયારે મનહર સંઘવી અને જયમીન સંઘવી પિતા પુત્રની જુગલબંધીમાં ગીત સુન સખી સાજન ઘર આયો ને રાગ ખમાજ અને કલાવતીથી નવો તૈયાર થયેલ રાગ ખેમકલીની પ્રસ્તુતિ આપી હતી. મહોત્સવના અંતમાં આલાપ મ્યુઝિક સ્કુલના બાર સાધકોએ ભૈરવી રાગમાં સ્વર માલિકા સરગમ ગીત રજુ કરી સંગીતમય વાતાવરણ બનાવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:55 am

મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રસ્તુતિ:લિથુએનિયાની ‘રાસોસ’માં શબનમની નાજુકતાથી લઈ જળના વિનાશક સ્વરૂપ સુધીની યાત્રા દર્શાવી

11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ‘રાસોસ ધ ડ્યુડ્રોપ ઑફ એક્સપિરિયન્સ’ નામની પ્રસ્તુતિ કરાઇ હતી. જેમાં ઇન્ડો લિથુએનિયન નૃત્ય પ્રસ્તુતિએ ભારતીય અને લિથુએનિયન સંસ્કૃતિને એક સૂત્રમાં બાંધી હતી. લિથુએનિયાની ‘રાસોસ’ ઉજવણી અને ભારતીય ‘રસ’ની ભાવનાત્મક સંકલ્પનાને કેન્દ્રમાં રાખે છે.લિથુએનિયામાં ઉજવાતી રાસોસ ઉત્સવમાં શબનમ, અગ્નિ, જળ અને લોકકથાઓનું વિશેષ મહત્ત્વ છે. શબનમની નાજુકતાથી લઈ જળના વિનાશક સ્વરૂપ સુધીની યાત્રા આ પ્રસ્તુતિનો મુખ્ય વિષય રહ્યો.આ પ્રસ્તુતિ માત્ર નૃત્ય નહીં, પરંતુ સંસ્કૃતિ, પ્રકૃતિ અને માનવ અનુભવ વચ્ચેનો એક સંવેદનશીલ સંવાદ બની રહી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:53 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:આર્કિટેક્ટની છાત્રા પ્રિન્સી અને બ્રિન્દાએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવ્યા

તાપી જિલ્લાના વ્યારા ખાતે ખેલ મહાકુંભ રાજ્યકક્ષા 2025-2026 બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં વુમન્સ ડબલ્સ ઓપન કેટેગરી સહિતની વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં નવરચના યુનિવર્સિટીની આર્કિટેક્ટમાં અભ્યાસ કરતી પ્રિન્સી પટેલ અને બ્રિન્દા સિંદેની જોડીએ વુમન્સ ડબલ ઓપન કેટેગરીમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:51 am

ચિત્રકાર શ્વાનોની અદ્ભૂત કલાકારી:શ્વાોએ જીભ અને પંજાને પીંછી બનાવી એક્રેલિક ઓન કેનવાસમાં એબ્ટ્રેક્ટ બનાવ્યા

સિટીના 150 શ્વાન દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં તેઓએ બનાવેલા એબ્સ્ટ્રેક્ટ ડ્રોઇંગનું પ્રદર્શન યોજવામાં આવશે. માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ શ્વાનના આરોગ્ય અને સંભાળને પણ મહત્વ આપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ફ્રી ડોગ મેડિકલ ચેકઅપ કેમ્પ, બેસિક ગ્રૂમિં, ડોગ ફોટોગ્રાફી અને આર્ટ ઝોન જેવી પ્રવૃત્તિ યોજાઇ હતી. શ્વાન પ્રત્યે પ્રેમ, સંવેદના અને જવાબદારીના ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ફ્રી ડોગ મેડિકલ ચેક-અપ કેમ્પ, બેસિક ગ્રૂમિંગ, ફોટોગ્રાફીના સ્ટોલ્સમાં પેટ ડોગ્સે ભાગ લીધો પોલીસ ડોગ સ્ક્વોડનું સન્માન કરાયુંઝી કેર ફાઉન્ડેશન તેમજ સંલગ્ન પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા આયોજિત ‘ડોગ્સ ઓફ વડોદરા’ કાર્યક્રમમાં શહેર પોલીસ ડોગ સ્ક્વોડનું સન્માન કરાયું હતું. ડોગ સ્ક્વોડનાં બોસ્કો, એશ્લી અને રોઝર નામના શ્વાનો નું સન્માન કરાયું હતું. વડોદરા. સિટીમાં ઝી કેર ફાઉન્ડેશન દ્વારા વાસણા બલ્ક બોક્સ ખાતે ‘ડોગ્સ ઓફ વડોદરા’શ્વાન પ્રતિભાના અનોખા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશની પ્રથમ શ્વાન ચિત્ર સ્પર્ધા છે તેમ સંસ્થાના ફાઉન્ડર ઝી અભિએ જણાવ્યું હતું. શ્વાનની ચિત્ર સ્પર્ધામાં 150થી પણ વધારે પેટ અને સ્ટ્રીટ ડોગ સાથે તેમના પેરેન્ટ્સે ભાગ લીધા હતો. પેટ ડોગ્સે કલાકાર બની કેનવાસ પર કલરથી પંજા-જીભથી એબ્સ્ટ્રેક્ટ ડ્રોઇંગ બનાવ્યા હતા. ઉમ્મીદ કી દીવાલ બનાવી ડોગ અડોપ્શન સ્ટોલ મુકાયોપેટ ડોગ અને સ્ટ્રીટ ડોગ વચ્ચેનો મતભેદ હટાવવા માટે એક ઉમ્મીદ કી દીવાલ કરીને દિવાલ બનાવવામાં આવી હતી. ત્યા જે પણ શ્વાન પ્રેમીને અડોપ્શન કરવું હોય તે ત્યાથી એડોપ્ટ કરી પોતાનું નામ નોંધાવી શકતા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:51 am

સિદ્ધિ:કાતા અને કુમિતમાં સિટીના 74 ફાઇટર્સે 27 ગોલ્ડ સહિત 80 મેડલ હાંસલ કર્યા

આણંદની ચારુસત યુનિવર્સિટી ચાંગા ખાતે નિહોન શોટોકાન 15મી નેશનલ સોટોકન કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગોઆ, કેરાલા, તામિલનાડુ , કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યમાંથી 1200થી પણ વધુ ફાઇટર્સે ભાગ લીધો હતો. જેમાં વડોદરાના તરસાલીની પ્રતીક કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ કાતા અને કુમિતમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું હતું. એકેડમીના 74 જેટલા ફાઇટર્સે વિવિધ કેટેગરીમાં કાતા અને કુમિતમાં ભાગ લઇ 27 ગોલ્ડ, 22 સિલ્વર અને 31 બ્રૉન્ઝ સહિત કુલ 80 મેડલથી વિજેતા થયા. તેમ એકેડમીના કોચ પ્રતીક સિંઘાનિયાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:49 am

સાયબર ફ્રોડ:100થી વધુ ખાતાના અનધિકૃત ટ્રાન્જેક્શનોની વિગતો બેંક પાસેથી મેળવાશે

આજવા રોડના યુવકે ભરૂચના માસ્ટમાઇનના કહ્યા મુજબ બોગસ કંપની ઉભી કરી 100થી વધુ લોકોના બેંક ખાતા મેળવી તેમાં સાયબર ફ્રોડના રૂપિયા મેળવવાનું શરૂ કર્યું હતું. જે.પી રોડ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે પોલીસે ભરૂચના માસ્ટરમાઇન્ડ અને 3 એજન્ટોને પકડી પાડવા 3 વિવિધ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. આ સાથે જ બેંક પાસે લોકોના બેંક ખાતામાં કેટલા રૂપિયાના અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયા હતા અને કેટલા રૂપિયાની ઠગાઈમાં તે સંડોવાયેલા હતા, જે જાણવા વિગત માગી હતી. જે.પી રોડ પોલીસે મૂળ આજવા રોડના એજાજ ફિરોજમીયા અરબને તાંદલજામાંથી શંકાસ્પદ અલગ અલગ 23 પાસબુક, 26 ડેબિટ કાર્ડ, 10 ચેકબુક, 5 સિમકાર્ડ સાથે પકડી પાડ્યો હતો. તપાસ કરતા એજાજ, તેના એજન્ટો ગામડાના ઓછા શિક્ષિત લોકોને ટાર્ગેટ કરી તેમને રૂ.5થી 15 હજાર આપી બેંક ખાતા મેળવી લેતા હતા અને તેમાં સાયબર ઠગાઈના રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા હતા. આ આખુ નેટવર્ક ભરૂચનો અનીશ કાની ચલાવતો હતો. જે.પી રોડ પોલીસ અનીશને પકડી પાડવા કામગીરી કરી રહી છે. તે પકડાયા તો ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. ત્યારે આ નેટવર્કમાં વિદેશી લીંક પણ મળી શકે છે તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જો દેશ બહાર અથવા મોટી રકમની ઠગાઈની માહિતી મળશે તો પોલીસ દ્વારા અન્ય એજન્સની પણ મદદ લેવામાં આવશે. ત્યારે હાલ એજાજ અરજ જે.પી. રોડ પોલીસના 4 દિવસના રિમાન્ડ પર છે. સાથે જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પાસે પણ વિગત મેળવી બેંક એકાઉન્ટ પર કેટલી ફરિયાદ અને કેટલા રૂપિયાની ઠગાઈમાં સંડોવણી છે તેની વિગત માગવામાં આવશે. એજાજના બેંક ખાતાનો 8.95 કરોડની સાયબર ઠગાઈ માટે ઉપયોગ કરાયો હતોઆજવા રોડ ખાતે રહેતા એજાજ ફિરોજમીયા અરબે વાસણા રોડની એસબીઆઈ બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. પોલીસે તેના ખાતાની તપાસ કરતા બે મહિનામાં રૂ.21.48 લાખના અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયા હતા. ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન દ્વારા ખાતા વિરુદ્ધ 6 ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરિયાદમાં કુલ રૂ.8.95 કરોડની સાયબર ઠગાઈના કેસમાં એજાજનું ખાતુ ઉપયોગ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:40 am

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા સામાન્ય સભા યોજાઈ:ચેમ્બરના બંધારણમાં સુધારો સૂચવાયો, સભાસદોએ સર્વાનુમતે બહાલી આપી

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા 21 જાન્યુઆરીએ સયાજીગંજ સ્થિત વાકળ સેવા કેન્દ્ર ખાતે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સભા ચેરમેન કોલેજિયમ ભરત સ્વામીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભાનું સંચાલન ચેમ્બર સચિવ વિજય શાહ દ્વારા કરાયું હતું. ચેરમેન ભરત સ્વામી દ્વારા ચેમ્બરના બંધારણમાં સૂચિત સુધારા સભાસદો સમક્ષ રજૂ કરાયા હતા. સભ્યોનાં સૂચનો તથા અભિપ્રાયો ધ્યાનમાં લઈ સુધારેલ બંધારણને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. આ સભામાં પ્રેસિડેન્ટ એમેરિટ્સ ભાસ્કર પટેલ, ચેમ્બરના વરિષ્ઠ સભ્યો, વર્તમાન પ્રમુખ દીપક અમીન, ચેમ્બર સચિવ ધર્મેશ ગાંધી, કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાસ્કર ઇનસાઇડસભ્યની સંખ્યા વધારાશે, સંસ્થામાં મહત્ત્વની પોસ્ટ માટે તમામ પદનો અનુભવ પણ જોઇશેસેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટમાં સભ્ય સંખ્યા વધારવામાં આવશે. સભ્યોને ત્યાં નોકરી કરતા કર્મચારીને પણ મતદાન નહીં કરવાની શરતે સભ્ય બનાવાશે. ઉપરાંત પ્રમુખ, ટ્રેઝરર અને સેક્રેટરી માટે તમામ પદનો અનુભવ ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:38 am

વીજકાપથી 40 હજાર લોકોને થશે અસર:માંડવી સહિત 16 ફીડરમાં સમારકામ,2 ફેબ્રુઆરી સુધી 4 કલાકનો વીજકાપ મૂકાશે

શહેરના પાણીગેટ, કારેલીબગ, માંડવી સહિતના સબડિવિઝનના 16 ફીડરનું 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સમારકામ કરાશે. જેને ગલે 40 હજારથી વધુ લોકોને વીજ કાપથી હેરાન થવું પડશે. શહેરના વિવિધ 16 ફીડર પર અલગ-અલગ તારીખે વીજ કાપ કરીને ટીમો દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સવારે 7થી 11 વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં વીજ પુરવઠો બંધ રહેશે તેમ એમજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો શરૂ કરી દેવાશે. વીજ ગ્રાહકને કોઈ ફરિયાદ કરવી હોય તો તે ટોલ ફ્રી નંબર 18002332670 પર કરી શકશે. આગામી દિવસમાં શહેરના જવાહરનગર, ગોરવા, તરસાલી, વાડી, લાલબાગ સહિતના વિસ્તારોમાં પણ વીજકાપ કરવામાં આવશે. એમજીવીસીએલ દ્વારા જુદી-જુદી તારીખ નક્કી કરીને સમારકામ કરવાની કામગીરી કરાશે. વિવિધ ટીમો બનાવીને આખા શહેરમાં કામગીરી કરાશે, તેમ એમજીવીસીએના અધિકારીએ જણાવ્યું હતું. જે દરમિયાન વીજ કાપને કારણે લોકોને હેરાન થવાનો વારો આપશે. વાયર-ફીડરમાંથી પતંગ-દોરા કાઢવાની ડ્રાઈવ શરૂતાજેતરમાં જ ઉત્તરાયણ પૂર્ણ થઈ છે. વિવિધ સ્થળે વાયરો, ફીડર પર પતંગ અને દોરા ફસાઈ ગયાં છે. જેને દૂર કરવા એમજીવીસીએલ દ્વારા કામગીરી કરાશે. હાલ ઠંડી હોવાથી વીજ માગ ઓછી છે ત્યારે વિવિધ વિસ્તારના ફીડર પર વીજકાપ મૂકીને સમારકામ કરાશે. એમજીવીસીએલ દ્વારા ખાસ ટીમો બનાવી દેવાઈ છે. આયોજન કરી વધુ લોકોને એક સાથે અસર ન થાય તેવી રીતે સમારકામ કરવામાં આવશે. કયા સબડિવિઝનમાં ક્યારે કામગીરી કરાશે?

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:30 am

વન વિભાગ દ્વારા શિયાળનું રેસ્ક્યૂ:સમામાંથી પકડાયેલા શિયાળનું 24 કલાક માટે નિરીક્ષણ હેઠળ રખાયું, વન્ય ક્ષેત્રમાં મુક્ત કરાશે

શહેરના સમામાં શુક્રવારે ભારે દડમજલ બાદ વન વિભાગને હાથ લાગેલા શિયાળને 24 કલાક કમાટીબાગના રેસ્ક્યૂ સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રખાયું હતું. વન વિભાગે શિયાળનો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો હતો. જો વન્ય જીવમાં કોઈ રોગ હોય તો અન્યને પણ લાગી શકે છે. તેના મુક્ત વિચરણ દરમિયાન કૂતરાથી લઈ અન્ય પ્રાણીઓ પણ તેનો ભોગ બની શકે છે, તે માટે શિયાળના તમામ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. વડોદરા આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યા મુજબ શિયાળ મેડિકલ ટેસ્ટમાં ફિટ જણાયું હતું. તેના બિહેવિયરનું ઓબ્ઝર્વેશન કરી 24 કલાક બાદ વન્ય ક્ષેત્રમાં છોડી મૂકાશે. વન્ય જીવને નુકસાન ન પહોંચે તેની પ્રાથમિકતાવન્ય જીવને રેસ્ક્યૂ કરતી વખતે તેને નુકસાન ન પહોંચે અને વન્યજીવ દ્વારા નાગરિકને પણ નુકસાન ન પહોંચે તેની ખાસ કાળજી રખાય છે. વન વિભાગ દ્વારા આ વિષયોને ધ્યાનમાં રાખી શિયાળને રેસ્ક્યૂ કરાયું હતું. > કરણસિંહ રાજપૂત, આરએફઓ

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:29 am

વેધર રિપોર્ટ:પહાડી વિસ્તારોની બરફ વર્ષાની અસર,પારો 50 ઘટી 12.80 થયો, આકરી ઠંડીનો અનુભવ

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઠંડીમાં વધારો થયો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે એક જ દિવસમાં પારો 5 ડિગ્રી ઘટ્યો હતો. લઘુતમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. શહેરમાં 7 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, જેને પગલે શહેરમાં ઠંડીની અસર વર્તાઇ રહી છે. એક જ દિવસે વડોદરામાં 5 ડિગ્રીમાં ઘટાડો થતાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારે લઘુતમ તાપમાનનો પારો 17.8 ડિગ્રી નોંધાયો હતો. જેમાં એક જ રાત્રમાં 5 ડિગ્રી ઘટીને પારો 12.8 ડિગ્રી પર પહોંચી જતાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. શનિવારે મહત્તમ તાપમાનનો પારો 25.8 ડિગ્રી નોંધાયો હતો. દિવસના તાપમાનમાં પણ 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં દિવસભર હૂૂંફાળું વાતાવરણ રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 70 ટકા નોંધાયું હતું, જ્યારે સાંજે ભેજનું પ્રમાણ 46 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ 1016.3 મિલિબાર્સ નોંધાયું હતું. પવનની ઝડપ 7 કિમી રહી હતી. જેના પગલે ઠંડા પવનો દિવસભર ફૂંકાતા ઠંડી અનુભવાઇ હતી. ભાસ્કર એક્સપર્ટ20મીએ પારો 12.2 ડિગ્રી નોંધાયો હતોઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અને દક્ષિણના ભેજવાળા પવનોને કારણે અગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થશે. લઘુતમ તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી પર પહોંચી જશે. ત્યારબાદ ફરી એકવાર ઠંડીમાં વધારો થશે અને લઘુતમ તાપમાન 12 થી 13 ડિગ્રી પર આવશે. જે જાન્યુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધી જળવાઇ રહશે. ફેબ્રુઆરી મહિનામાં ઠંડીમાં ઘટાડો શરૂ થશે. - મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:27 am

સન્ડે બિગ સ્ટોરી:કચરા-સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું 320 કરોડનું ભારણ,ચૂંટણીને કારણે સીધો વેરો નહિ, આડકતરા યુઝર ચાર્જની વિચારણા

રાજ્યમાં આ વર્ષે મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની છે. જેને ધ્યાનમાં રાખી પાલિકા આગામી 29 જાન્યુઆરીએ વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ રજૂ કરશે. ગત વર્ષે 6200 કરોડના બજેટ મુકાયું હતું, આ વર્ષે તેમાં 900 કરોડનો અંદાજિત વધારો કરવાનું નક્કી કરાયું છે. ડ્રાફ્ટ બજેટ રૂા. 7100 કરોડની આસપાસ રજૂ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જોકે કચરાની સફાઇ પાછળ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના નિભાવણી સાહિતનું અંદાજિત 320 કરોડનું ભારણ વધ્યું હોવા છતાં ચૂંટણીના કારણે વેરામાં વધારો નહિ કરાય. પાલિકાની આ વર્ષે ચૂંટણી યોજવાની છે, જેને ધ્યાનમાં રાખી પાલિકાનું કર દર વિનાનું બજેટ આપશે. વર્ષ 2024માં શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ પણ ગત વર્ષે મ્યુનિ. કમિશનરે 50 કરોડનો સફાઇ વેરો ઝીંક્યો હતો. જોકે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી 50 કરોડનો વેરો ફગાવ્યો હતો. જોકે આ વર્ષે પરિસ્થિતિ અલગ છે. પાલિકાએ છેલ્લાં 2 વર્ષમાં રૂા.4800 કરોડના વિકાસનાં કામોને મંજૂરી આપી છે. જેમાં મોટાભાગનાં કામો થતાં 2 થી 3 વર્ષ થશે અને ચુકવણાં થતાં 3 વર્ષ થશે. નવી કોઈ આવક ઊભી કરાઈ નથી અને સફાઇ અને સ્માર્ટ સિટીનાં કામોના નિભાવણીનો ખર્ચ મળીને રૂા.320 કરોડ ઉપરાંતનું ભારણ વધ્યું છે. જોકે પાલિકાની ચૂંટણીને કારણે વેરામાં વધારો કરવાનું પાલિકાનું કોઈ આયોજન નથી. વેરો તો નહીં વધે પરંતુ એન્વાયર્ન્મેન્ટ ઇમ્પ્રુમેન્ટ ચાર્જની જેમ યુઝર ચાર્જ નાખવાની વિચારણા ચાલી રહી છે અને લાગતોના દર વધારીને આવક વધારશે તેવી માહિતી મળી છે. પાલિકા પર વાર્ષિક 320 કરોડનું ભારણ વધ્યું1. વિકાસનાં કામોના ટેન્ડરના અંદાજિત ભાવ કરતાં 10 થી 30 ટકા ઊંચા આવતાં રૂા. 120 કરોડનું ભારણ વધ્યું2. સાતમું પગાર પંચ લાગુ થતાં તેનો 34 કરોડનો બોજો પાલિકા પર3. સફાઇના ડોર ટુ ડોરના વાહનનું નવું ટેન્ડર થતાં પાલિકાના માથે વાર્ષિક 150 કરોડનું ભારણ વધશે4. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના નિભવાણીનો 20 કરોડ ખર્ચ પણ પાલિકા ભોગવશે ચૂંટાયેલી પાંખે વેરામાં વધારો કરવા સૂચન કર્યુંબજેટની બેઠકોમાં અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખે કામો-આવક વધારવા અને વેરો વધારવો જોઈએ કે કેમ તે અંગે ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ ચૂંટાયેલી પાંખે વેરો વધારવા સૂચન કર્યું છે. વહીવટી તંત્ર વેરો વધારવાના મૂડમાં નથી. યુઝર ચાર્જ એટલે શું : નાગરિકોને ઘર સુધી પાણી સહિતની સેવા પહોંચાડવાનો ચાર્જવીજ-ટેલિફોન કંપનીને યુઝર ચાર્જ લે છે તેમ પાલિકાની પણ યૂઝર ચાર્જ લેવાની વિચારણા છે. જેમાં પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઘર કે વિસ્તાર સુધી પહોંચાડાય છે તેનો ચાર્જ લેવાશે. વેરો અને યુઝર ચાર્જ અલગ-અલગ છે. વર્ષ 2023માં રૂા.80 કરોડનો વેરો વધાર્યો હતો2021માં પાલિકાની ચૂંટણી બાદ 2023માં વેરો વધાર્યો છે. 4700 કરોડના બજેટમાં 80 કરોડનો વેરા વધારો કર્યો હતો. એન્વાયર્ન્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જના 5 કરોડ વસૂલે છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:24 am

સિટી એન્કર:કિશોર યુપીએસસીની તૈયારી કરતી બહેનની ફી સહિત 3 લાખ લઈ કેબમાં મુંબઈ ગયો, પોલીસને ગોવાના બીચ પરથી મળ્યો, કહ્યું, ડિપ્રેશનમાં હતો

સમાનો 17 વર્ષનો કિશોર ધો.11ની પરીક્ષાને લઈ ડિપ્રેશનમાં આવી જતાં ઘરેથી 3 લાખ લઈ નીકળી ગયો હતો. સમા પોલીસે 2 દિવસ બાદ તેને ગોવાના બિચ પર આરામ કરતાં શોધી કાઢ્યો હતો. સમા-સાવલી રોડનો કિશોર ધો.11માં છે, તેની બહેન યુપીએસસીની તૈયારી કરે છે. મંગળવારે રાતે 12 વાગ્યે તે બહેન-માતાને ગુડ-નાઇટ કહી સૂવા જતો રહ્યો હતો. જોકે સવારે 9-30 વાગે કામ માટે મહિલા આવી તો દરવાજો ખુલ્લો હતો. જેથી જાણ કરતાં બહેન-માતાએ તપાસ કરી હતી, પણ કિશોર ન મળ્યો, જ્યારે તિજોરીમાં મૂકેલા બહેનના યુપીએસસીના ક્લાસની ફી સહિત 3 લાખ ગાયબ હતા. કિશોરનો ફોન બંધ હતો. સ્કૂલના શિક્ષકને તેણે આજે આવું નહીં તેવો મેસેજ કર્યો હતો. જેથી પરિવારે સમા પોલીસને જાણ કરતાં શોધખોળ શરૂ કરી હતી. આખરે કિશોર શનિવારે ગોવાના આરામ બોલના બાઘા બીચ પરથી મળ્યો હતો. પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. CCTVમાં કિશોર ઘરે નીકળતો દેખાયો હતોકિશોર ઘરેથી નીકળી જતાં પોલીસે જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ કરી હતી. તે ઘરેથી બેગ લઈને નીકળતો સીસીટીવીમાં દેખાયો હતો. ત્યારબાદ ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે કિશોરને શોધ્યો હતો.> બી.બી.કોડિયાતર, પીઆઈ, સમા પોલીસ સ્ટેશન મુંબઈથી મિત્રને લઈ ગોવા જતો રહ્યો હતોકિશોર ઘરેથી રાત્રે પોણા એક વાગે નીકળી કેબ મારફતે મુંબઈ પહોંચી ગયો હતો. તેણે મુંબઈથી બીજા એક મિત્રને સાથે લીધો હતો અને તેઓ બીજી કેબમાં ગોવા પહોંચી ગયા હતા. બંને મિત્રો બીચના રિસોર્ટ પર રોકાયા હતા. પોલીસ પહોંચી ત્યારે મિત્રો બીચ પર બિન્ધાસ્ત રીતે બેસેલા જોવા મળ્યા હતા. ભાસ્કર ઇનસાઇડલોકેશન ન મળે એટલે જૂનું સિમ નાખ્યું 2 દિવસમાં રૂા. 50 હજાર વાપરી દીધાકિશોરે પોતાનું સિમકાર્ડ ફોનમાંથી કાઢી નાખ્યું હતું. કોઈ તેનો સંપર્ક ન કરી શકે એટલે તેને ઘણા સમયથી પડી રહેલું જૂનું સિમકાર્ડ ચાલુ કરી દીધું હતું. પોલીસે ફોનમાં એક્ટિવ થયેલા સિમકાર્ડના લોકેશનને આધારે તેને શોધી કાઢ્યો હતો. પોલીસના અંદાજ મુજબ તેણે 2 દિવસમાં 50 હજાર વાપરી નાખ્યા હતા. તે પોલીસને કહેતો કે, હું અઠવાડિયા બાદ ઘરે પરત આવી જવાનો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 5:21 am

લોકદરબારમાં રજૂઆત:રણાસણમાં 3 તાલુકા, બે જિલ્લાની સરહદ હોઇ પોલીસ સ્ટેશન બનાવો

તલોદ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને કાયદા અને વ્યવસ્થા માટેના પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તલોદ પીઆઇ ચેતનસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ સરપંચો અને આગેવાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહિયલના નાગરિકે તલોદ મોડાસા રેલવે પર નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજની કામગીરી સંદર્ભે ભારે વાહનો માટે કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા અપીલ કરાઇ હતી. કાબોદરા ગામના આગેવાન માવજીભાઈ સુતરિયાએ રણાસણમાં ત્રણ તાલુકા અને બે જિલ્લાની સરહદ છે તો રણાસણમાં પોલીસ સ્ટેશન બનાવવા માંગણી કરી હતી. હરસોલના અશોકભાઈ પટેલે અમદાવાદ મોડાસા હાઇવે પર આવેલ હરસોલ ચાર રસ્તાથી લઈને હરસોલ બસ સ્ટેશન સુધી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સીસીટીવી નાખવા માંગણી કરી હતી. લોક દરબારમાં આગેવાનો તરફથી રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા તલોદ પોલીસને ખાસ સૂચન કર્યું હતું તેમણે વધુમાં જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુના અને ડિજિટલ એરેસ્ટના બનાવોમાં લોક જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપી તલોદ પીઆઇની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:44 am

પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતે કર્યા ધનના ઢગલાં:પ્રાંતિજના પલ્લાચરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લાખોની આવક મેળવી

પ્રાંતિજના પલ્લાચરના ખેડૂત વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રાસાયણિક ખેતીના ચક્ર વ્યૂહમાંથી બહાર નીકળી સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વિષ્ણુભાઈ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં દવાઓ અને ખાતરના વધુ પડતાં ઉપયોગથી ખર્ચ વધતો હતો અને જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હતી. આ પરિસ્થિતિમાં તેમણે આત્મા પ્રોજેક્ટ અને સુભાષ પાલેકરજીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી. વર્ષ 2014માં નાના પાયે શરૂ કરેલી પ્રાકૃતિક ખેતી આજે તેમના સમગ્ર ખેતરમાં વિસ્તરી છે. તેમણે પોતાના ફાર્મ પર એક ગૌશાળા બનાવી છે જેમાં 35 દેશી ગાયો છે. આ ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ જીવામૃત, ઘનજીવામૃત અને રોગ-જીવાત નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને નીમાસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ જાતે બનાવે છે. જીવામૃતના ઉપયોગથી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ વધ્યા છે, જેનાથી જમીન પોચી અને ફળદ્રુપ બની છે. કાર્બનનું પ્રમાણ વધતા પાકમાં રોગનું પ્રમાણ નહિવત થઈ ગયું છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:40 am

ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા:અરવલ્લીમાં ઠંડા પવન શરૂ થતાં ઘઉં પર ખતરો

અરવલ્લી જિલ્લામાં શનિવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ઠંડા પવનો શરૂ થતાં ખેડૂતોના તૈયાર થઈ રહેલા ઘઉંના પાકનો સોંથ વળવાનો શરૂ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જિલ્લામાં અચાનક વાતાવરણમાં થયેલા ફેરફાર અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે 81,549 હેક્ટરમાં વાવણી કરેલ ખેડૂતોના ઘઉંના પાક ઉપર ખતરો મંડરાયો છે અને આવા વાતાવરણના કારણે પાકમાં ઉત્પાદન ઘટવાની પણ ખેડૂતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. અરવલ્લીમાં 209979 હેક્ટર ખેડાણ લાયક પિયત જમીન વિસ્તાર આવેલો છે આ વર્ષે ખેડૂતોએ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ખેડૂતોએ 81549 હેક્ટર જમીનમાં ઘઉંના પાકની વાવણી કરી હોવાનું નોંધાયું હતું. ચોમાસુ ઋતુમાં પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ઘઉંની વાવણીમાં પંદર દિવસ મોડા પડ્યા હતા તેમ છતાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2500 થી 3,000 હેક્ટરમાં ઘઉંની વાવણીનો વધારો થયો છે. જિલ્લામાં સૌથી વધુ ઘઉંની વાવણી ભિલોડા તાલુકામાં 19078 હેક્ટરમાં, મોડાસા તાલુકામાં 16166 હેક્ટરમાં થઈ છે. બીજી બાજુ ધનસુરા તાલુકામાં બટાકાની વાવણી વધુ થતાં આ વર્ષે ધનસુરા તાલુકામાં ઘઉંનું સૌથી ઓછું 6187 હેક્ટરમાં વાવેતર થયું છે. ઘઉંના પાકમાં હાલ સિંચન કરવાનું ટાળો જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે અને પવનો ફૂંકાતા ઘઉંના પાકો નુકસાની તરફ ધકેલાઈ રહ્યા છે. આ અંગે બીએસસી એગ્રી અશોકસિંહ ચૌહાણ અને તજજ્ઞ ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલના વાતાવરણ વચ્ચે ઘઉંના પાકને ઉભો અને સુરક્ષિત રાખવા પાકમાં હાલ સિંચન કરવાનું ટાળવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:38 am

પોલીસ કાર્યવાહી:બલોલ સ્કૂલ પાસે 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાયા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સોને સાંથલ પોલીસે બલોલ ગામની સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડીને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે દરોડો સાંથલ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે બલોલ સ્કૂલ પાસે બે શખ્સો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચનું લાઈવ પ્રસારણ જોઈ પોતાના મોબાઈલ ફોન પર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડી રહ્યા છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા ચાલતો હતો સટ્ટો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા શખ્સો સિલ્વર ભાઈ (Silver Bhai) અને ફેર પ્લે (Fair Play) નામની મોબાઈલ એપ્લિકેશનની મદદથી લાઈવ સ્કોર જોઈને તેના પર ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી બે મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા શખ્સોની વિગત 1. પટેલ ચંદ્રકાંત ભાઈ ઉર્ફે જાડો ભીખાભાઈ: મૂળ રહે. બલોલ, હાલ રહે. કૃણાલ રેસીડેન્સી, રાધનપુર રોડ, મહેસાણા. 2. પટેલ વિશાલકુમાર જયંતીભાઈ: રહે. ત્રીજી ઓળ પરામાં, બલોલ

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:36 am

હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ:દૂધારામપુરામાં કટર મશીનમાં યુવકનો પગ અંદર આવતા કપાઈ ગયો

પાટણના દુધારામપુરા ગામ નજીક કાળજું કંપાવતી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.લાકડા કાપવાના કટર મશીન પર કામ કરી રહેલા મહેમદપુરના આશાસ્પદ યુવકનો પગ મશીનમાં આવી જતાં ઢીંચણથી નીચેનો ભાગ કપાઈને અલગ થઈ ગયો હતો. માત્ર 18 વર્ષની ઉંમરે યુવકે પોતાનો પગ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ​પાટણ તાલુકાના મહેમદપુર ગામનો 18 વર્ષીય યુવક સંદીપ બદસંગજી ઠાકોર દુધારામપુરા પાસે લાકડાં કાપવાનું કામ કરી રહ્યો હતો.ત્યારે લાકડાં કાપતી વખતે એક લાકડું કટર મશીનમાં બરાબર બેસતું ન હોવાથી સંદીપે તેને પગથી ધક્કો મારી અંદર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે મશીનની ગતિ તેજ હોવાથી સંદીપનો પગ લપસીને સીધો ચાલતા મશીનમાં આવી ગયો હતો. જોતજોતામાં મશીનમાં યુવકનો પગ ઢીંચણથી નીચેના ભાગેથી કાપીએ કચડાઈ ગયો હતો.​યુવકે ચીસ પાડતાં તે સાંભળી તેના પિતા અને ભાઈ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તડપતા સંદીપને જોઈને તાત્કાલિક 108ને જાણ કરતા યુવકને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ધારપુર સિવિલ લઈ જવાયો હતો.જોકે ઈજા અતિ ગંભીર હોવાથી અને વધુ લોહી વહી ગયું હોવાના કારણે વધુ સારવાર માટે મહેસાણા રીફર કર્યો છે. ફર્સ્ટ પર્સનકટર મશીનમાં પગ કપાતા‎લોહી લુહાણ દીકરો પડ્યો હતો : પિતાપિતા બદસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે‎દુધરામપુરા ગામે અમે લાકડાં કાપી રહ્યા‎હતા.ત્યારે કટર મશીનમાં સંદીપનો પગ‎આવી જતો તે જોરજોર ચીસો પડતા હું અને‎મારો મોટો દીકરો દોડી ગયા હતા.જ્યાં કટર‎મશીન પગ કપાઈને છૂદાઈ ગયો હતો.અને‎અસહ્ય લોહી વહી ગયું હતું.તાત્કાલિક‎સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.‎‎

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:35 am

ભાસ્કર એક્સક્લુસિવ:ઉ.ગુ.યુનિ.એ કેમિસ્ટ્રીના મહિલા પ્રોફેસરને અંગ્રેજીના HOD બનાવ્યા, હાઈકોર્ટે ઝાટકણી કાઢતા નિર્ણય બદલવો પડ્યો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં વિભાગ વડા (HOD) ડો.આદેશપાલ નિવૃત થતા કુલપતિ દ્વારા જુલાઈ 2025માં કેમેસ્ટ્રી વિભાગના સિનિયર પ્રોફેસર ડો.કોકીલાબેન પરમારને ઇન્ચાર્જ વિભાગના વડા તરીકે ચાર્જ આપ્યો હતો. અંગ્રેજી વિભાગમાં સિનિયર પ્રોફેસર તરીકે નોકરી કરતા ડો.હેતલ પટેલ દ્વારા તેના વિરોધમાં ટ્રિબ્યુનલ કોર્ટમાં પિટિશન કરી હતી. ટ્રિબ્યુનલે આ નિમણૂક પર સ્ટે આપતા જેની સામે ઇન્ચાર્જ વિભાગ વડા પ્રો.કોકિલા પરમાર હાઈકોર્ટમાં દાદ માંગી હતી. જેની તાજેતરમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ યુનિવર્સિટીના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે વેધક સવાલ પૂછ્યો હતો કે, કેમિસ્ટ્રીના પ્રોફેસર અંગ્રેજી સાહિત્ય ભણતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક મૂંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકે?. યુનિવર્સિટીએ આ બાબતને માત્ર કામચલાઉ વહીવટી વ્યવસ્થા ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ વિષયની નિષ્ણાત નથી, તે વિદ્યાર્થીઓના હિત સાથે ન્યાય કરી શકે નહીં. કોર્ટના આકરા વલણ અને સવાલો સામે યુનિવર્સિટી પાસે કોઈ જવાબ ન હોવાથી આખરે તેમણે શરણાગતિ સ્વીકારી યુનિવર્સિટીએ કોર્ટમાં નવો ડ્રાફ્ટ ઓર્ડર રજૂ કરી ખાતરી આપી છે કે હવે અંગ્રેજી વિભાગના જ પ્રોફેસરને HOD બનાવાશે. માન્ય રાખતા આ સુધારા બાદ પિટિશનનો અંત આવ્યો છે. જોકે કોર્ટે અરજદાર ડો.હેતલ પટેલને નવી નિમણૂક સામે પણ જો કોઈ વાંધો હોય તો ફરીથી કાયદેસરની કાર્યવાહી કરવા છૂટ આપી છે. આમને સામનેહું સિનિયર પ્રોફેસર વિભાગના વડાનો ચાર્જ મને મળવો જોઈએ : ડો.હેતલ પટેલ અંગ્રેજી વિભાગના સિનિયર મહિલા પ્રોફેસર હેતલ પટેલે જણાવ્યું હતું કે ડો.આદેશપાલ નિવૃત્ત થતાં વિભાગના વડાની ખાલી પડેલી જગ્યા ઉપર નવા એક્ટ મુજબ 132 સ્ટેચ્યુટ નંબરની જોગવાઈ અન્વયે વિભાગમાં એક કરતાં વધુ પ્રોફેસર હોય તો સિનિયર પ્રોફેસરને વિભાગના વડા તરીકે નિમણૂક કરાય છે. આ કેસમાં વિભાગમાં હું સિનિયર પ્રોફેસર છું સ્ટેચ્યુટ 143 મુજબ મારી વિભાગના વડા તરીકે નિમણૂક કરવાની થાય છે છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ અંગત કારણોસર મારી નિમણૂક કરવાની જગ્યાએ કેમેસ્ટ્રી વિભાગના મહિલા પ્રોફેસરની નિમણૂક કરીને મારી સાથે અન્યાય કર્યો છે. યુનિ.એ ચાર્જ આપ્યો, મેં ચાર્જ છોડવાનું પણ કહીં દીધું છે : ડો.કોકિલા પરમારકેમેસ્ટ્રી વિભાગના મહિલા પ્રોફેસર ડો.કોકીલાબેન પરમારે જણાવ્યું હતું કે વિભાગના વડાએ વહીવટી પોસ્ટ છે યુનિવર્સિટી કેમ્પસમાં અનેક વિભાગોમાં વિષયના હોવા છતાં અન્ય વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. હું કેમ્પસમાં સૌથી સિનિયર મહિલા પ્રોફેસર છું. મને તો જાણ પણ ન હતી યુનિવર્સિટીએ મારી નિમણૂક કરી હતી. મેં જાતે જ કુલપતિને કહ્યું છે કે મારે વિભાગમાં વડા તરીકે જવાબદારીમાં રહેવું નથી. જાતિવાદને લઈ મારો વિરોધ થયો હોય એવું મને લાગે છે જે યોગ્ય નથી. યુનિ. કોર્ટમાં ગયેલ સિનિયર મહિલા પ્રોફેસરને બદલે જુનિયરને ચાર્જ આપશેયુનિવર્સિટીએ અંગ્રેજી વિભાગના મહિલા પ્રોફેસર દ્વારા વિષય તજજ્ઞ સિવાયના પ્રોફેસરને વિભાગના વડા બનાયા હોવાના કેસ મામલે કોર્ટે વિષયના તજજ્ઞોને વિભાગના વડાનો ચાર્જ આપવા ટકોર કરતા યુનિવર્સિટી દ્વારા પિટિશન કરનાર મહિલા પ્રોફેસર હેતલ પટેલને વિભાગના વડા બનાવવાના બદલે તેમના વિભાગના જુનિયર ગણાતા ડો.તપસ ચક્રવર્તીને ચાર્જ આપવાનો ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. જે મુજબ તેમને ચાર્જ આપશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:34 am

ભાસ્કર એક્સક્લુસિવ:બહુચરાજીમાં ભોજનપ્રસાદની થાળી પરનો સર્વિસ ચાર્જ કલેકટરે દૂર કર્યો, 60ની થાળી હવે રૂ. 52માં મળશે

યાત્રાધામ બહુચરાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેકટર દ્વારા શ્રી અન્નપૂર્ણા ભોજનાલયમાં અપાતી ભોજન પ્રસાદની થાળી પર ટેન્ડરની શરત મુજબ લેવામાં આવતો 5 ટકા સર્વિસ ચાર્જ રદ કરવામાં આવ્યો છે. કલેકટરનો યાત્રિકોના હિતમાં નિર્ણય શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ હસ્તકના ભોજનાલયનું સંચાલન વાર્ષિક ટેન્ડર દ્વારા ખાનગી એજન્સીને સોંપવામાં આવે છે. અત્યાર સુધીની શરતો મુજબ, એજન્સીએ તેની કુલ આવકના 5 ટકા રકમ સર્વિસ ચાર્જ તરીકે ટ્રસ્ટમાં જમા કરાવવાની રહેતી હતી. તાજેતરમાં જિલ્લા કલેકટર શૈલેષભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યાત્રિકોના હિતને ધ્યાને રાખીને આ ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે. થાળીના ભાવમાં થશે ઘટાડો સર્વિસ ચાર્જ રદ થવાને કારણે હવે યાત્રિકોને ભોજન પ્રસાદની થાળી અંદાજે 5 રૂપિયા સસ્તી પડશે. હાલમાં બપોરની થાળીનો ભાવ 60 રૂપિયા છે, જે નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે 52થી 55 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એજન્સીની વાર્ષિક અંદાજે 2.62 કરોડની આવક પર 5 ટકા લેખે થતી 13.10 લાખ રૂપિયાની રકમ ટ્રસ્ટ દ્વારા જતી કરવામાં આવી છે, ભોજનાલયની સુવિધાઓ • બપોરનું ભોજન: લાડુ, બે શાક, પુરી, દાળ-ભાત, ફરસાણ અને પાપડ (હાલનો ભાવ: ₹60). • સાંજનું ભોજન: ખીચડી, કઢી, શાક અને ભાખરી (અનલિમિટેડ, ભાવ: ₹37). • વિશેષ પ્રસંગ: ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ચૈત્રી પૂનમે વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે, જેનો ગત વર્ષે 25,000 ભક્તોએ લાભ લીધો હતો. આ ફેરફાર નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમલમાં આવશે, જેનાથી લાખો યાત્રાળુઓને આર્થિક રાહત મળશે

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:31 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:ઓઢવા નજીક ટ્રેક્ટરે ઇંટોના ઢગલાને ટક્કર મારતાં યુવક પટકાતાં ટાયર ફરી વળતાં મોત

ખારા ગામથી પાંથાવાડા પરત ફરી રહેલું ટ્રેક્ટર ઓઢવા-માલપુરીયા રોડ ઉપર અચાનક ઇંટોના ઢગલાને ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલો યુવક નીચે પટકાતાં ટાયર ફરી વળતાં યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાંથાવાડા મફતપુરા ગામના 30 વર્ષીય ભરતભાઈ નરસિંહભાઈ પુંજાણી (ઠાકોર) સાત દિવસથી આરખી ગામના ઉકાભાઈ કેવાજી કાળમાના સ્વરાજ ટ્રેક્ટર પર ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. બુધવારે રાત્રે 10 થી 12 વાગ્યાના સમયગાળા ભરતભાઈ રેતીનો ફેરો ઉતારી માલપુરિયા તરફથી ઓઢવા રોડ પરથી પાંથાવાડા પરત જઈ રહ્યા હતા. તે સમયે શેરગઢ ગામની સીમમાં ચેનજીજી ખુમાજી ટાયાણીના ખેતર પાસે રોડ પર પડેલા ઇંટોના ઢગલાઓને ટ્રેક્ટરે ટક્કર મારતા ટ્રેક્ટર રોડ પરથી ખેતરમાં ઉતરી ગયું હતું. ત્યારે ભરતભાઈ ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયા હતા અને ટ્રેક્ટર તેમજ ટ્રોલીનું ટાયર તેમના મોઢા ઉપરથી પસાર થતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી ભરતભાઈનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતકના મોટાભાઈ એ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:27 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:ઈડરના મોટાકોટડા ગામ નજીક ગાડીની ટક્કરે બાઈક સવાર મહિલાનું મોત, પિતા-પુત્રીગંભીર

પાંચેક દિવસ અગાઉ દીકરીને પેટમાં દુ:ખતું હોઈ બાઈક લઈને નીકળેલા માતા-પિતાને ઈડરના મોટા કોટડાથી બીજલ માતાના મંદિરે જતાં રોડ પર ખેડ બાજુથી આવી રહેલ ગાડીના મહિલા ચાલકે ટક્કર મારતાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં માતાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પિતા- પુત્રીને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ છે. મોટાકોટડાના વિક્રમસિંહ કાળુસિંહ પરમાર તેમની દીકરીને પેટમાં દુખતું હોઈ તા.20-01-26 ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના સુમારે તેમની પત્ની રેખાબેનને પણ સાથે લઈ બાઈક ઉપર હિંમતનગર આવવા નીકળ્યા હતા અને મોટાકોટડાથી બીજલ માતાના મંદિર તરફ જતાં રોડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખેડ બાજુથી આવી રહેલ ગાડી નં જીજે-બીબી- 5409ના ચાલકે બાઈક નં જીજે-09-એઆર -2783 ને ટક્કર મારતાં બાઈક ઉપર સવાર માતા પિતા અને દીકરી નીચે પટકાયા હતા તથા ગાડી રોડ સાઈડમાં નીચે ઉતરી પડી ઝાડ સાથે ટકરાઈ હતી. વિક્રમસિંહે નજરે જોયા મુજબ મહિલા કાર મૂકીને ફરાર થઈ ગઈ હતી. દોડી આવેલા લોકોએ 108 બોલાવી ત્રણેય ઈજાગ્રસ્ત વિક્રમસિંહ કાળુસિંહ પરમાર તેમની પત્ની રેખાબેન અને દીકરી નેહાબેનને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં રેખાબેનનુ સાંજે ચારેક વાગ્યા સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના દિયર ની ની ફરિયાદ આધારે જાદર પોલીસે ફરાર મહિલા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:24 am

સાબરકાંઠા બેંક ભરતી કૌભાંડ:હાઇકોર્ટની જિલ્લા રજિસ્ટ્રારને અહેવાલ સોંપવા તાકીદ

સાબરકાંઠા બેંકમાં એજન્સીના માધ્યમથી કલાર્ક અને વર્ક આસિસ્ટન્ટની હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં દાખલ થયેલ પિટિશન અનુસંધાને જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત માંગ અનુસંધાને તપાસ અહેવાલ રજૂ કરવાને બદલે બેંકે આપેલ જવાબ જ પિટિશનરને ફોરવર્ડ કરી દેતાં હાઇકોર્ટે જિલ્લા રજિસ્ટ્રારને 15 દિવસમાં અરજદારના તમામ આક્ષેપોની તપાસ કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં એજન્સીના માધ્યમથી 65 કલાર્ક અને 30 ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનાથી હાથ ધરાઇ હતી. જેમાં સા.કાં. બેન્કના નામનો ઉલ્લેખ કરાયો ન હતો. બાયડની વાસણા દૂધ મંડળી દ્વારા એજન્સીમાં વાતચીત કરાયા બાદ સા.કાં. બેંકની ભરતી હોવાનો ખૂલાસો થયો હતો. સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાંથી સ્પષ્ટ જવાબ ન મળતાં વાસણા દૂધ મંડળીના ચેરમેન નિલેશભાઇ બહેચરભાઇ પટેલ અને અન્યએ હાઇકોર્ટમાં તા.9-1-26ના રોજ આર/સ્પે. સી. એપ્લિ નં.128 દાખલ કરતાં જસ્ટીસ અનિરુદ્ધ પી.માયીએ તા.16-1-26ના રોજ સ્પષ્ટતા કરવા જિલ્લા રજિસ્ટ્રારને નોટિસ પાઠવી હતી. જેને પગલે જિલ્લા રજિસ્ટ્રારે સાબરકાંઠા બેંકમાંથી વિગતો મંગાવી બેંકે આપેલ જવાબને જ મંડળીને ફોરવર્ડ કરી દેતાં જિલ્લા રજિસ્ટ્રારે જાણી જોઈને કોઈ તપાસ કરી ન હોવા અંગે અને માત્ર પોસ્ટ ઓફિસ જેવું કામ કર્યું હોવા અંગે મંડળીના વકીલે રજૂઆત કરતાં હાઇકોર્ટે પિટિશનર દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોની તપાસનો અહેવાલ બે સપ્તાહમાં રજૂ કરવા સૂચના આપી હતી. આ અંગે પિટિશનર ધી વાસણા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન નિલેશભાઇ બહેચરભાઇ પટેલે જણાવ્યું કે હાઇકોર્ટનો હુકમ છતાં‎જિલ્લા રજિસ્ટ્રારે ચીલાચાલુ‎જવાબ આપી બેંકે આપેલ જવાબ‎જ મોકલી દીધો છે. બેંકમાં‎કર્મચારીઓની ભરતી પહેલા‎એટલે કે ઇન્ટરવ્યૂ વગેરે પહેલા‎હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઇ‎ગઇ હતી જેમાં જે નામ લખવામાં‎આવ્યાં છે તેમને જ ઓર્ડર આપ્યા‎છે. જાહેરાતમાં બેંકનું નામ પણ‎નથી. સહકારી કાયદાની કલમ‎86 મુજબ તપાસની માંગ કરી છે‎પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર તપાસ‎કરતા નથી. એટલા માટે હાઇકોર્ટે‎પિટિશનમાં કરેલ તમામ‎આક્ષેપોની તપાસ કરી 15‎દિવસમાં તપાસ અહેવાલ રજૂ‎કરવા સૂચના આપી છે.‎

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:22 am

પંચાયતોની બેઠકોના ‎‎અનામતનું ગેઝેટ પ્રસિદ્ધ કરાયું:બ.કાં. જિલ્લા પંચાયતની સીટો 48 બેઠકો,સામાન્ય 23 એસસી 5,એસટી 7 અને પછાત વર્ગ માટે 13 બેઠકો

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં જાહેર થનાર છે. રાજ્યના વિકાસ કમિશનર દ્વારા 2026ની આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીઓ માટે પંચાયતોની બેઠકોના અનામતનું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા જાહેરનામા મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 23 બેઠકો સામાન્ય રહેશે. 24 બેઠકો મહિલાઓ માટે અનામત, અનુસૂચિત જાતિ (SC) માટે 5, અનુસૂચિત જનજાતિ (ST) માટે 7 અને સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) માટે 13 બેઠકો અનામત રાખવામાં આવી છે. મહિલા સશક્તિકરણને વેગ આપતા 48 બેઠકોમાંથી 50% એટલે કે 24 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જેમાં સામાન્ય વર્ગની 11 મહિલા બેઠકોનો પણ સમાવેશ થાય છે. 10 તાલુકા પંચાયતોની કુલ 240 બેઠકોનું વિભાજન પણ જાહેર કરાયું છે. સૌથી વધુ 38 બેઠકો ડીસા તાલુકા પંચાયતમાં છે, જ્યારે હડાદમાં સૌથી ઓછી 16 બેઠકો છે. તમામ તાલુકાઓમાં SC, ST અને SEBC બેઠકો નક્કી કરવામાં આવી છે. 50 ટકા મહિલા અનામત, બનાસકાંઠા જિ.પંની 48, નવા રચાયેલા વાવ–થરાદ ની 30 મળી 78 બેઠક થાય તો 2018માં 65 બેઠક હતી, 2023 બાદ વહીવટદાર શાસન આ સમયમાં નવી વસતી ગણતરી થઈ નથી તો 65 થી વધી 78 બેઠક કઈ રીતે થઈ તે મામલે ગુંચવાળો ઉભો થયો છે. તાલુકા વાઈઝ બેઠકોનું સમીકરણ ભાસ્કર ઈન્સાઈડ: વિસ્તાર નથી વધ્યો તો બેઠકો કેવી રીતે વધી? બનાસકાંઠા જિલ્લાની પંચાયતની કુલ બેઠકો હવે 48 નક્કી કરવામાં આવી છે, જ્યારે નવા રચાયેલા વાવ–થરાદ જિલ્લાની પંચાયતની કુલ બેઠકો 30 કરવામાં આવી છે. આ પ્રમાણે બંને જિલ્લાઓને મળીને કુલ 78 બેઠકો થાય છે. અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જિલ્લાનું વિભાજન જરૂર થયું છે, પરંતુ એક ઇંચ પણ નવો વિસ્તાર ઉમેરાયો નથી. વર્ષ 2011ની વસતીના આધારે વર્ષ 2018માં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, તે સમયે કુલ 65 બેઠકો હતી. ત્યારબાદ માર્ચ 2023થી અત્યાર સુધી સમગ્ર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે માત્ર વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. આ સમયગાળામાં નવી વસતી ગણતરી પણ થઈ નથી, તો પછી એ જ વસતીના આધાર પર જિલ્લા પંચાયતની કુલ બેઠકો 65માંથી વધીને 78 કેવી રીતે થઈ શકે એ સમજાતું નથી. - પ્રદીપ મહેતા, રાજકીય વિશ્લેષક મહિલા અનામતની સ્થિતિ સામાન્ય બેઠકો કરતા અનામતનું પલ્લું ભારેજિલ્લાના ગ્રામીણ રાજકારણમાં બેઠકોનું માળખું હવે સંપૂર્ણપણે બદલાયું છે. આ વખતે મહિલાઓ અને પછાત વર્ગોનું વર્ચસ્વ નિર્ણાયક રહેશે. જિલ્લા પંચાયતના બેઠકોની સ્થિતિ જોઈએ તો સામાન્ય બેઠકો કરતા અનામતનું પલ્લું ભારે છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી 25 બેઠકો (SC: 5, ST: 7, SEBC: 13) અનામત શ્રેણીમાં છે. કુલ બેઠકોના 52% થી વધુ બેઠકો અનામત છે, જ્યારે 23 બેઠકો સામાન્ય વર્ગ માટે છે. તાલુકા પંચાયતોની સ્થિતિ જોઈએતો આદિવાસી વિસ્તારમાં અમીરગઢની 20 માંથી 12 બેઠકો ST માટે અનામત છે. જ્યારે હડાદમાં 16 માંથી 14 બેઠકો ST માટે અનામત છે અને ત્યાં સામાન્ય (General) વર્ગ માટે એકપણ બેઠક નથી. સામાજિક પછાત વર્ગની વાત કરીએ તો ડીસા તાલુકામાં સૌથી વધુ 10 બેઠકો અનામત રખાઈ છે. પાલનપુર (9 બેઠકો) અને વડગામ (8 બેઠકો) માં પણ ઓબીસી મતોની ભૂમિકા મહત્વની રહેશે. અનુસૂચિત જાતિ (SC) ની સ્થિતિ મુજબ વડગામ તાલુકો 5 બેઠકો સાથે જિલ્લામાં SC અનામતનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:14 am

એસપી દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરાયું:સાફો પહેરાવી સન્માન કરવાને બદલે હેલ્મેટ દ્વારા સન્માન કરો :એસપી

બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે એસપી પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે સરપંચો દ્વારા સા ફો પહેરાવી સન્માન કરવાને બદલે હેલ્મેટ દ્વારા સન્માન કરવામાં આવે તો તે હેલ્મેટ જરૂરિયાતમંદ નાગરિકોને આપવામાં આવશે જે ટ્રાફિક સુરક્ષા માટે એક પ્રેરણાદાયક સંદેશ છે. એસપી દ્વારા વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઈમ રજિસ્ટર, મુદામાલ રજિસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી. સાથે જ પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો અને દારૂગોળાની જાળવણી, સજ્જતા અને સુરક્ષા વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી હતી. નિરીક્ષણના ભાગરૂપે એસપી પ્રશાંત સુબેએ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની કામગીરી અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, ગામોના આગેવાનો, સરપંચો અને નાગરિકો સાથે કાયદો-વ્યવસ્થા અંગે ચર્ચા કરી મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:09 am

ઠંડીએ 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો:8.4 ડિગ્રી સાથે ડીસા‎સૌથી ઠંડુ, લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો‎

ઉત્તર ગુજરાતમાં સતત બીજા‎દિવસે પ્રતિ કલાકે સરેરાશ 10 ‎‎કિલોમીટરથી વધુની ઝડપે ઉત્તર ‎‎દિશાના ઠંડા પવન ફૂંકાયા હતા.‎આ દરમિયાન લઘુત્તમ‎તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો ‎‎નોંધાયો હતો. મુખ્ય પાંચ‎શહેરોમાં ઠંડીનો પારો 8.4થી‎9.8 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.‎8.4 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ‎‎ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું‎હતું અને સાથે જ છેલ્લા બે વર્ષનો ‎‎જાન્યુઆરીનો ઠંડીનો રેકોર્ડ‎તોડ્યો હતો. મહેસાણામાં ગત‎વર્ષે 8 જાન્યુઆરીએ 8.8 ડિગ્રી‎અને 2024ની 14 જાન્યુઆરીએ‎9.6 ડિગ્રી સૌથી નીચું તાપમાન‎નોંધાયું હતું. કાતિલ ઠંડીના‎કારણે દિવસભર ગરમ કપડાંની‎ઓથમાં રહેવાની ફરજ પડી‎હતી. સવારના સમયે હાથ-પગ‎થીંજી ગયા હોય તેવી આકરી‎ઠંડીનો અનુભવ થયો હતો.‎ 3 દિવસ બાદ વાદળાં સાથે ઠંડુ વાતાવરણ‎હવામાન વિભાગની મુજબ આજથી ઠંડા પવન નબળા પડી‎શકે છે. જેને લઈ 27 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે‎વાતાવરણમાં પલટો આવી શકે છે. આ દરમિયાન વાદળછાયા‎વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. બીજી તરફ 28‎જાન્યુઆરીથી ફરી ઠંડા પવન શરૂ થતાં ઠંડી 3થી 5 ડિગ્રી વધી શકે છે.‎એટલે કે જાન્યુઆરી અંતે ફરી એક વાર તાપમાન 8થી 12 ડિગ્રીની‎વચ્ચે રહેવાની શક્યતા છે.‎ ઠંડીના દિવસો લંબાતા રવિ પાકોને ફાયદો‎‎‎‎‎આ શિયાળુ ઋતુમાં ડિસેમ્બરની જગ્યાએ જાન્યુઆરીથી ઠંડીની‎શરૂઆત થઈ હતી. ફેબ્રુઆરીમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની‎શક્યતા છે, એટલે કે શિયાળો લંબાશે. આ સ્થિતિમાં રવી સિઝનના‎કેટલાક પાકોને ફાયદો થવાની સાથે ઉનાળુ વાવેતરની પેટર્નમાં‎બદલાવ જોવા મળશે તે નક્કી છે. ઠંડી મોડી શરૂ થઈ અને વહેલી પૂરી‎થાય તો રવી પાકોના ઉતારાને માઠી અસર થઈ શકે તેમ હતી, પરંતુ હવે‎ઠંડીના દિવસો લંબાવાની શક્યતા હોઈ ઘઉં અને જીરૂ જેવા પાકોને‎ફાયદો થશે. આ સાથે કાપણી 7 થી 10 દિવસ લંબાઈ શકે છે, જેને લઈ‎ઉનાળુ વાવેતર સિઝન પણ મોડી શરૂ થશે. સામાન્ય રીતે રાત્રીનું‎તાપમાન 20 ડિગ્રીથી વધુ અને દિવસનું તાપમાન 27 ડિગ્રીથી વધુ થાય‎ત્યારે ઉનાળુ વાવેતર કરવું જોઈએ.‎

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:03 am

ચૂંટણી કાર્ડના વિતરણમાં આવ્યું વિઘ્ન:મહેસાણા મામલતદાર કચેરીમાં 100 ચૂંટણી કાર્ડ અટવાયા, મતદારોને સંપર્ક કરવા અપીલ

મહેસાણા મામલતદાર કચેરીની મતદાર યાદી શાખામાં વર્ષ 2025 દરમિયાન નવા નોંધાયેલા, નામ કે સરનામામાં સુધારો કરાવેલા આશરે 100 જેટલા ચૂંટણી ઓળખકાર્ડ (એપીક કાર્ડ) હાલ વિતરણ વગર પડી રહ્યા છે. કચેરી દ્વારા આ કાર્ડ મતદારોના ફોર્મમાં દર્શાવેલ સરનામે પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ કવર પરત આવ્યા છે. મતદારો કચેરીએથી કાર્ડ મેળવી શકશે જે મતદારોએ ગત વર્ષે ફોર્મ ભર્યું હોય અને હજુ સુધી કાર્ડ ન મળ્યું હોય, તેઓ મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને પોતાનું કાર્ડ મેળવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પોસ્ટમેન કાર્ડ આપવા જાય છે ત્યારે ઘણા કિસ્સાઓમાં મતદારો તે સરનામે રહેતા નથી અથવા તેમનું રહેઠાણ બદલાઈ ગયું હોય છે. વધુમાં, એપીક કવર પર દર્શાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કેટલાક નંબર લાગતા નથી, તો કેટલાક નંબર સાયબર કાફેના હોવાનું બહાર આવ્યું છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓટીપી (OTP) માટે સાયબર કાફેના નંબર દર્શાવ્યા હોવાથી મતદારોનો સીધો સંપર્ક થઈ શકતો નથી. BLO દ્વારા તપાસ છતાં પરિણામ શૂન્ય પરત આવેલા આ કાર્ડ જે તે વિસ્તારના બીએલઓ (BLO)ને મોકલીને ફરીથી સરનામે તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ આ જ સ્થિતિ જોવા મળતા કાર્ડ ફરીથી કચેરીએ પરત આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

ઠગાઇ:લિબર્ટી રોડ પરની મણપ્પુરમ ફાયનાન્સ કંપની સાથે 2 શખ્સે રૂ.7.46 લાખની છેતરપિંડી કરી

પોરબંદરના 2 શખ્સે લિબર્ટી રોડ પર મણપ્પુરમ ફાયનાન્સ કંપની ખાતે પહોંચી અને અલગ અલગ ફાઈનાન્સ કંપનીના પોતે મૂકેલ સોનાની વેલ્યુ ઓછી અને વ્યાજ વધુ હોવાથી મણપ્પુરમ ફાયનાન્સ કંપની ખાતે લોન ટ્રાન્સફર કરાવી હતી અને સોનાની ખોટી વેલ્યુ બતાવી કંપની સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. છાંયા બિરલા કોલોની પાસે નરશીનગરમાં રહેતો મહેન્દ્રસિંહ કેશુ વાઢેર અને ઇન્દિરાનગર ડેરી ફાર્મહાઉસ પાછળ રહેતો વિનેશ બાલુ મોઢવાડીયા નામના બંને આરોપીએ પોરબંદરના લિબર્ટી રોડ પર આવેલ મણપ્પુરમ ફાયનાન્સ કંપની ખાતે પહોંચી અને કંપનીને એવું જણાવ્યું હતુ કે, તેઓએ અલગ અલગ અન્ય ફાયનાન્સ કંપનીના સોનુ ગીરવે મૂક્યું છે અને એ કંપની ખાતે તેઓએ મુકેલ સોનાના દાગીનાની વેલ્યુ ઓછી અને વ્યાજ વધુ હોવાથી લોન મણપ્પુરમ ફાયનાન્સ કંપની ખાતે લોન ટ્રાન્સફર કરાવવી છે જેથી આ કંપની દ્વારા ડોક્યુમેન્ટ ચેક કરી લોન કરાવી હતી. આ કંપનીના ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવતા આ બંને આરોપીએ સોનાના દાગીનાના ખોટી વેલ્યુ બતાવી આ ફાયનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત કર્યાનું સામે આવ્યું હતું જેમાં મહેન્દ્રસિંહ દ્વારા રૂ. 5,37,995 અને વિનેશ દ્વારા રૂ 2,09,332 એમ બંને આરોપી દ્વારા અલગ અલગ તારીખે કુલ રૂ. 7,46,927નું આર્થિક નુકશાન કરી મણપ્પુરમ ફાયનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવા અંગે કંપનીના નિખિલ કમલેશ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી સામે ગુન્હો નોંધી તપાસ પોલીસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

ધરપકડ:અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી શખ્સોએ કરેલી મારામારીના ગુન્હામાં આરોપી ઝડપાયો

પોરબંદરના રામ હાઉસિંગ સોસાયટી છાયામાં રહેતો અર્જુન હરદાસ કડછા નામના યુવાને ફરિયાદ કરી જણાવ્યું હતુકે, અગાઉના ઝઘડાને લઈ આરોપી આલય રાજશી જાડેજાએ આઇમા નામની પાનની દુકાને જઈ યુવાનની ગેરહાજરીમાં ગાળો આપી હતી. આ બાબતે યુવાને ફોન પર પૂછપરછ કરતા આરોપીએ તેને વાડી પ્લોટ બોલાવ્યો હતો, જ્યાં સમાધાન થયું હોવાનું જણાવાયું હતું. બાદમાં યુવાનનો મિત્ર આરોપીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે આરોપીએ યુવાનને ખીજડી પ્લોટ મામાદેવના મંદિર પાસે બોલાવ્યો હતો અને ત્યાં આરોપીએ હજી તારી કંઈ ઇચ્છા હોય તો કહી દે તેમ કહી યુવાનને ઝાપટ મારી, જમીન પર પડેલા પથ્થરથી ડાબા ખભા પાસે ઘા કર્યો હતો તેમજ છરી વડે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. બીજીતરફ આલય રાજશી જાડેજાએ પણ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયાએ પણ અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી આલયને મામાદેવના મંદિર પાસે બોલાવી ભુંડી ગાળો આપી હતી. સમાધાન માટે વાડી પ્લોટ શાક માર્કેટ પાસે જતા આરોપી અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયા સહિતના આરોપીઓ સાથે બોલાચાલી બાદમાં ફરીથી મામાદેવના મંદિર પાસે પહોંચતા આરોપીએ ઝાપટ મારી પોતાની પાસે રહેલી બંધ છરીના હાથા વડે ડાબા કાનની પાછળ ઇજા કરી હતી, જ્યારે બીજા આરોપીએ હાથમાં પહેરેલા પંચ વડે જમણા ખભા તથા ડાબી બાજુ પડખાના ભાગે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી કુલ 4 શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે. આ ગુન્હામાં પોલીસે આરોપી આલય જાડેજાને ઝડપી લઇ આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિ કન્સ્ટ્રક્શન પંચનામુ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:બાઈક સ્લીપ થઈ વીજપોલ સાથે અથડાતા ઘવાયેલા યુવાનનું મોત

વ્યારા તાલુકાના ઉમરકુઇ ગામે ડુંગરી ફળીયામાંથી પસાર થતા જાહેર રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વ્યારા પોલીસ મથકે કરશનભાઈ રમેશભાઈ ચૌધરી (ઉ.વ. 30, ધંધો: મજૂરી), હાલ રહે. અંતાપુર ગામ પડાવ, તા. ડોલવણ, જિ. તાપી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ગત તા. 15/12/2025ના રોજ અંદાજે 04:00 કલાકના અરસામાં આ અકસ્માત બન્યો હતો. મરણજનાર રતનભાઈ રમેશભાઈ ચૌધરી (ઉ.વ. 35), રહે. લાહણકડ, માણી શાળા પાસે, તા. સુબિર, જિ. ડાંગ, પોતાના કબ્જાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ-15-AF-6279) પર પુરઝડપે અને બેદરકારીપૂર્વક જઈ રહ્યા હતા. વ્યારા તાલુકાના ઉમરકુઇ ગામે લાઇટના થાંભલા પાસે પહોંચતા અચાનક મોટરસાયકલ સ્લીપ થઈ જતા રોડ સાઇડમાં આવેલા લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રતનભાઈ રોડ પર પટકાતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને પહેલા વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સુરત જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તા. 26/12/2025ના રોજ તેમનું મોત થયું હતું.આ મામલે વ્યારા પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

કામગીરી:પોરબંદર શહેર વિકાસની ભવિષ્યની યોજના માટે વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા સૂચનો અપાયા

પોરબંદર શહેરની ભૌગોલિક પરિસ્થિતીના કારણે આજસુધી મર્યાદિત ક્ષેત્રફળમાં જ વિકાસ અને ડેવલપમેન્ટ શકય બનેલ છે, જુનું ગામતળ કે જુનું પોરબંદર કહી શકાય તેમાં જે સ્થિતિ છે તેમાં કોઈ જ ફેરફારનો અવકાશ દેખાતો નથી, સુદામાચોક થી ખારવાવાડ નો તમામ વિસ્તાર એટલો ગીંચ અને ભરચકક છે, તેમાં ટ્રાફીક, પાર્કીંગ અને નવા બાંધકામો માટે અનેક સમસ્યાઓ જોવા મળે છે. નવા વિકસતાં વિસ્તારો એટલે કે કર્લી જળાશય પછીનો વિસ્તાર તેમજ ખાપટ બોખીરાનો ડેવલપ થતાં વિસ્તારોમાં મોટા પહોળા રસ્તાઓ, બગીચાઓ, ડ્રેનેજ સીસ્ટમ, મનોરંજન અને શૈક્ષણિક સુવિધાઓ કરી શકાય એમ છે, દરેક બીનખેતી થયેલ પ્લોટીંગમાં ખુલ્લા રહેલ સાર્વજનિક પ્લોટસ જયાં મંદીર કે બગીચા નથી બનેલા તેમાં મનપા વિકાસના આયોજન કરી લેન્ડ યુઝ કરી શકે એમ છે, આ શહેરમાં શહેરની મધ્યે આવેલ રેલ્વે ફાટક ભદ્રકાલી રોડ તથા કડીયા પ્લોટ પર દિવસ દરમ્યાન અનેક વખત ફાટક બંધ થવાના કારણે ટ્રાફીક સમસ્યા અને સમયનો વ્યય થાય છે તેમજ મુખ્ય બજારોમાં થતાં ટ્રાફીક સમસ્યાના કાયમી નિરાકણ માટે યોગ્ય આયોજન વિચારવાની જરૂરીયાત જણાય છે. શહેરની મધ્યે આવેલ ભાવસિંહજી પાર્ક હાલ બહુ ઉપયોગ થતો નથી અને તેની આસપાસ સુદામા મંદીર તથા મુખ્ય બજાર હોવાના કારણે ખાણી-પાણી ની લારીઓ અને ગીરદી થાય છે જેથી આ ભાવસિંહજી પાર્કના અંદરના ભાગમાં ફુડઝોન, રાત્રીબજાર કે મનોરંજન માટેની સુવિધા ઉપલબ્ધ કરી શકાય એવું સુચન ધ્યાને લેવા વ્યાપાર ઉદ્યોગ જગતના નલીનભાઇ કાનાણી દ્વારા મનપાને સૂચનો કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

સિદ્ધિ:વાંટાના શિવદત્તસિહ ઘરીયાને એમ.ઇમાં ગોલ્ડ મેડલ એનાયત

બોડેલી તાલુકાના વાંટા ગામના રાજપૂત સમાજના યુવાન અને બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરીયાના ભત્રીજા શિવદત્તસિહ ઘરીયાએ કેમિકલ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ પૂર્ણ કરી સમગ્ર ગુજરાતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વાંટા ગામ સહિત રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમા અમદાવાદ ખાતે યોજાયેલ સમારંભ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિવદત્તસિહને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. તેમજ શિવદત્તસિહ દ્વારા કરવામાં આવેલા પ્રોજેક્ટ / ડીસટ્રેશન વકૅ ગુજરાત રાજ્યમાં ટોપ -3 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કરેલ છે. આ ગોલ્ડ મેડલ તેમણે GTU ના કુલપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે શિવદત્તસિહ ઘરીયાની આ સિધ્ધિ બદલ સમગ્ર રાજપૂત સમાજ તેમજ ગ્રામજનો દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

બજારોમાં ભારે ભીડ:યાત્રાધામ દ્વારકામાં તિવ્ર ઠંડીના મૂકામ વચ્ચે યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યું

યાત્રાધામ દ્વારકામાં શુક્રવારથી તિવ્ર ઠંડીના શરૂ થયેલા મોજા વચ્ચે પણ શનિવાર વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકો સહિતના સહેલાણીઓ ઉમટીપ ડતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.સંભવત ચાલુ સિઝનની પ્રથમ કડકડતી ઠંડીમાં પારો 12 ડિગ્રી સુધી ગગડી જવા છતા અભુતપુર્વ સંખ્યામાં માનવમેદની જોવા મળી હતી. હાલાર સહિત દેવભૂમિમાં છેલ્લા બે દિવસથી ઠંડી બોકાસો બોલાવી રહી છે ત્યારે ફરી ત્રિ દિવસીય મીની વેકેશનના પગલે શુક્રવાર રાત્રીથી જ યાત્રિકોનો મોટો પ્રવાહ ફરી દ્વારકા ભણી ઉમટયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે.જગતમંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. શનિવારે દ્વારકામાં ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડીનો અહેસાસ સ્થાનિક લોકોએ કર્યો હતો.સુસવાટા મારતા પવન સાથે હાડ ધ્રુજાવતી ઠંડીથી ખાસ કરી બાળકો અને બુર્ઝગો મુશ્કેલીમાં મુકાયા હતા. યાત્રાધામમાં શુક્રવારથી શરૂ થયેલો યાત્રાળુઓનો પ્રવાહ શનિવારે પણ યથાવત રહયો હતો.સ્થાનિક બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.જયારે બેટ દ્વારકા, શિવરાજપુર, સનસેટ પોઇન્ટ,ગોમતી ઘાટ સહિતના આજુબાજુના મોટા ભાગના સ્થળો પર સહેલાણીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. શનિ રવિવાર સહીત સોમવાર સહિત રજાઓના કારણે ત્રિ દિવસીય મીની વેકેશનમાં દ્વારકાધીશ મંદિર તેમજ નજીકના સ્થળો પર લોકો ઉમટી પડ્યો છે. દ્વારકામાં સંભવત સિઝનની સૌથી વધુ ઠંડી શનિવારે દ્વારકામાં ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડીનો અહેસાસ સ્થાનિક લોકોએ કર્યો હતો.સુસવાટા મારતા પવન સાથે હાડ ધ્રુજાવતી ઠંડીથી ખાસ કરી બાળકો અને બુર્ઝગો મુશ્કેલીમાં મુકાયા હતા.બે દિવસથી એકાએક ઠંડીનો પારો ગગડી જતા તિવ્ર ઠંડીનો સ્થાનિક લોકોએ અનુભવ કર્યો હતો. જે સાથે કડકડતી ટાઢના કારણે શનિવારે સાવરે બજારો પણ થોડી મોડી ખુલી હતી.જોકે,માર્કટમાં રાત્રી સુધી ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

ફરિયાદ:ઊના શહેરમાં દુધ લેવા નિકળેલી સગીરાના અપહરણનો પ્રયાસ

ઊનામાં દૂધ લેવા નીકળેલી સગીરાના અપહરણનો પ્રયાસ થતા ચકચાર મચી ગઇ છે.અને પોલીસે તપાસ શરૂ કરી છે.ઊનાની એક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી સગીરા વહેલી સવારે શાળાએ જવા માટે તૈયાર થઈ હતી. શાળાએ જતાં પહેલાં તેની માતાએ તેને ઘર નજીક દૂધ લેવા માટે મોકલી હતી. સગીરા જ્યારે લાયબ્રેરી ચોક પાસેથી પસાર થઈ રહી હતી,તેનો એકલતા નો લાભ ઉઠાવી પાછળથી આવેલા એક માથાભારે શખ્સે તેને પાછળ થી પકડી લઇ ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.યુવતીએ ગભરાવાના બદલે હિંમત પૂર્વક પ્રતિકાર કર્યો ભરબજારમાં બનેલી આ ઘટનાથી સગીરા હેબતાઈ ગઈ હતી, પરંતુ તેણે ગજબની હિંમત દાખવી બૂમાબૂમ અને રાડારાડ શરૂ કરી હતી. સગીરાનો પ્રતિકાર અને લોકો એકઠા થઈ જવાની બીકે શખ્સ સગીરાને પડતી મૂકીને તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી અને ધટના સ્થળે મુલાકાત લઈ ને સીસી કેમેરા ફુટેજ જોતા સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે શખ્સ યુવતી પર હુમલો કરી રહ્યો છે. બાળા સાથે બનેલી ધટના એ ઉના શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને પોલીસે સગીરાના પરિવારજનો ને સામે થી ફોન કરી પોલીસ મથકે બોલાવી નરાધમ શખ્સ સામે ફરીયાદ નોંધી ગુના ની ગંભીરતા જોઈને સ્વયંભૂ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવીમાં દેખાતા શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે.અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી દીધા છે.આ ઘટનાને પગલે ઉના અને ગીર ગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન એ ભારે આધાત વ્યક્ત કર્યો હતો શાળાએ જતી આવતી દીકરી ઓની સુરક્ષા વધારવા અને આવા શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જયારે પોલીસ અધિકારી એન.એમ.ચૌહાણે કહ્યું હતું કે, સગીરાના પિતાને પોલીસ મથકે બોલાવી ફરીયાદ લીધી છે અને આરોપીની ઓળખ કરતા મુનિરશા મહેબુબશા બેલીમ હોવાનું જાણવા મળ્યુ હતું. જયારે આરોપીએ તેની પત્નીને પણ માર મારી હોવાની અરજી પોલીસમાં થઇ છે. આરોપી

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

સમસ્યા:પકડેલાં રખડતાં કૂતરાંને રાખવા મ્યુનિ. પાસે યોગ્ય શેલ્ટર નથી

શહેરમાં કરડતાં કૂતરાઓની ફરિયાદો વધતા મ્યુનિ. હવે વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં કૂતરાઓ માટે વિશેષ શેલ્ટર ઉભા કરશે. બંને સ્થળે 150-150 પાંજરાં બનાવાશે, જેમાં 300થી વધુ કૂતરાઓ રાખી શકાશે. માત્ર કેજ બનાવવા માટે રૂ. 30 લાખથી વધુ ખર્ચ થશે. શહેરમાં રોજ 10થી વધુ કૂતરા કરડવાની ફરિયાદો મળતી હોવાથી મ્યુનિ. દ્વારા કૂતરાં પકડવામાં આવે છે, પરંતુ હાલ પૂરતા પાંજરાની સુવિધા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા શેલ્ટર તૈયાર કરાઈ રહ્યા છે. કરડતાં કૂતરાઓને અન્ય કૂતરાઓથી અલગ રાખવા માટે ખાસ પાંજરાં બનાવાશે. કેજમાં કૂતરાઓને ફરવા માટે પૂરતી જગ્યા મળશે. શેરીના દેશી કૂતરાંને દૂધ-ભાત, દહીં-રોટી જેવા ખોરાક આપવામાં આવશે, જ્યારે વિદેશી નસ્લના કૂતરાંને પશુ તબીબની સલાહ મુજબ પેડિગ્રી સહિત ખાસ ફૂડ આપવામાં આવશે. એક પાંજરાંમાં 10 શેરીનાં કૂતરાં રાખી શકાશેશેરીમાં રખડતાં કૂતરાંઓ સામાન્ય રીતે એકબીજા સાથે રહી શકે છે, તેથી મ્યુનિ. દ્વારા આવા 10 કૂતરા એક સાથે રાખી શકાય તેવા મોટા પાંજરાં બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

વાતાવરણ:આજથી ઠંડી વધશે, સોમવાર સુધી પવન રહેશે : નિષ્ણાંત

જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારથી વધી રહેલા તાપમાન પર શનિવારે બ્રેક લાગી હતી. સવારે તાપમાન 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી હતી અને ઠંડો પવન ફૂંકાતા શીતલહેર દોડી ગઈ હતી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનનું જોર વધ્યું હતું. શનિવારની સવારથી જુનાગઢમાં પાંચ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુકાતા શહેરી જનજીવન પ્રભાવિત થયું હતું. ઠંડા પવનના કારણે 24 કલાકમાં લઘુતમ તાપમાન 2.1 ડિગ્રી ઘટીને શહેરમાં 12 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 7 ડિગ્રી નોંધાયું હતુ. પરંતુ જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 34 ટકા ઠંડીની અસર બેવડાઈ હતી. દરમિયાન મહત્તમ તાપમાન 25 ટકા ભેજ સાથે 28.3 ડીગ્રી નોંધાયું હતું. સવારથી બરફીલો પવન અને ઠંડી વધતા આખો દિવસ લોકોને ગરમ વસ્ત્રોના આશરે રહેવું પડ્યું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું કે સોમવાર સુધી પવન રહેશે અને તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હોવાથી ઠંડી વધનાર છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

કાર્યવાહી:5 વર્ષ પહેલા અજાણ્યા આધેડની હત્યા નિપજાવનાર આરોપી જેલ હવાલે કરાયો

ગઈ તા. 16/6/2021ના રોજ ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા આધેડની મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ બાદ જાણવા મળેલ કે આધેડની હત્યા થઈ છે જેથી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો. પોરબંદર એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયા ટીમ સાથે મરણજનારની ઓળખ કરવા બનાવ વખતે મેળવેલ સીસીટીવી ફુટેજ તથા તપાસના કામે થયેલ કેસ કાગળોનો વધુ અભ્યાસ કરી મોત નિપજાવનાર અજાણ્યા શખ્સને શોધી કાઢવા તપાસ કરી રહેલ હતા, તે દરમ્યાન મળેલ હકીકત સાથે અગાઉ થી મેળવેલ સીસીટીવી કેમેરા તથા કોલ ડીટેઇલ રેકોર્ડ્સ સુસંગત જણાતા બનાવ વખતે મોત નિપજાવનાર કુતિયાણાના મેવાસાનેશનો આરોપી અરજણ ઉર્ફે બીડી પરબત કરમટા હોવાનું સામે આવ્યું હતું. આ આરોપી તેની સાથેના શખ્સો સાથે કાર મારફત જુનાગઢ થી રાત્રે પરત આવતી વખતે દડવા ગામના પાટીયા પાસેથી અજાણ્યા આધેડને ગાડીમાં બેસાડી ઘરે લઇ ગયો હતો. અને અરજન ઉર્ફે બીડીએ દારૂના નશામાં આધેડને પણ દારૂ પીવડાવ્યો હતો. નશાની હાલતમાં આરોપીએ અજાણ્યા આધેડને દોરી વડે ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા વડે માર મારી સવાર સુધી બાંધી રાખી જમવાનું કે પાણી પણ ન આપીમાર મારતા અજાણ્યો આધેડ મૃત્યુ પામતા તેના મૃતદેહને પોતાના ઘરથી દુર પોતાની ગાડીમાં પાછળની સીટ પર સુવડાવી ધ્રુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં ફેકી દીધેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થતા આરોપી અરજણ ઉર્ફે બીડી પરબત કરમટાની અટક કરી વધુ પુછપરછ કરવા કોર્ટ માંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 4:00 am

પલંગ પર બેસીને આરામથી કરી ચોરી, બેડરૂમના CCTVમાં કેદ:ભગવાન કૃષ્ણનું ચિત્ર ફાડ્યું, સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને ખોલી પોલ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની એક અજીબ ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણેખૂણામાં, છેક બેડરૂમ સુધી CCTV કેમેરા લગાવેલા છે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી. ચોરે પોતાનું ઘર હોય તેમ પલંગ પર જમાવી બેઠકCCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, ચોર જ્યારે બેડરૂમમાં પ્રવેશ્યો ત્યારે તે બિલકુલ ડર્યા વગર, જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો હતો. બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની ફંફોસણ કરી હતી. તેની આ તમામ હરકતો હાઈ-ડેફિનેશન કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે પાછળથી તેને પકડવા માટે મુખ્ય પુરાવો સાબિત થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના સ્કેચનું અપમાનચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા ચોરે એક ગંભીર ભૂલ કરી હતી. તેણે બેડરૂમમાં મુકેલા ભગવાન શ્રીકૃષ્ણના સુંદર સ્કેચને ફાડી નાખ્યું હતું. કદાચ ચોરને એમ હશે કે ભગવાનની તસ્વીર હટાવી દેવાથી તે બચી જશે, પરંતુ તે ભૂલી ગયો કે ટેકનોલોજીના જમાનામાં કેમેરાની નજર તેની દરેક હિલચાલ નોંધી રહી છે. આ કૃત્ય તેના માટે નસીબના દરવાજા બંધ કરનારું સાબિત થયું. સ્માર્ટફોન ચોરતાં પોલ ખુલી ચોરે ઘરમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે 1 મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી. આ તેની સૌથી મોટી ભૂલ હતી. સ્માર્ટફોન ચોરવો એ પોલીસ માટે લોકેશન ટ્રેક કરવાનું સૌથી સરળ સાધન બની જાય છે. વરાછા પોલીસે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને તેને છુપાઈ જવાની તક જ ન આપી. પોલીસે 3 કલાકમાં આરોપીને દબોચ્યોઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8:00 વાગ્યે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવ્યા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી. આશ્ચર્યની વાત એ છે કે સવારે 11:00 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે રૂ. 1,40,000 નો મુદ્દામાલ રિકવર કર્યોપોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ સામાન, જેમાં મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ સામેલ હતી, તે જપ્ત કરી લીધી છે. આશરે 1,40,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે સુરક્ષિત રીતે પરત મેળવ્યો છે. આટલી ઝડપી કામગીરીના કારણે ઉદ્યોગપતિના પરિવારમાં રાહત અને પોલીસ પ્રત્યે વિશ્વાસ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Jan 2026 12:01 am

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી ચોરાયેલી બાઈક મળી:પાટડીના શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર પોલીસે ST બસ સ્ટેન્ડ પરથી ચોરાયેલી મોટરસાઈકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પાટડીના પદિવાળા ગામનો મુનાભાઈ જાનુભાઈ ફતેપરા છે. પોલીસે ચોરાયેલું સ્કૂટર પણ કબજે કર્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે વાહન ચોરી જેવા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને ઝડપથી પકડવા એલ.સી.બી.ને નિર્દેશ આપ્યો હતો. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના આઈ/સી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ, દેવરાજભાઈ અને કોન્સ્ટેબલ અશ્વિનભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પોલીસે મુનાભાઈ જાનુભાઈ ફતેપરા (રહે. પદિવાળા ગામ, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર) ને ચોરી કરેલી મોટરસાઈકલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે હિરો કંપનીનું સફેદ કલરનું પ્લેઝર સ્કૂટર (રજી.નં. GJ-13-PP-8744) જેની કિંમત આશરે ₹15,000 છે, તે કબજે કર્યું હતું. આરોપી અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:33 pm

પોરબંદરમાં VISWAS અને નેત્રમ ટીમે ખોવાયેલું બાઈક શોધી કાઢ્યું:માલિકને પરત અપાઈ, CCTVના આધારે હાથ ધરાઈ હતી તપાસ

પોરબંદરમાં VISWAS પ્રોજેક્ટ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સતર્કતાથી એક નાગરિકનું ખોવાયેલું મોટરસાયકલ ઝડપથી શોધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને કારણે ચોરી જેવી ઘટના ટળી હતી અને મોટરસાયકલ તેના માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું. ઘટનાની વિગત મુજબ, તા. 24 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે આશરે 12:00 વાગ્યે રામધામ સોસાયટી, છાયા, પોરબંદરના રહેવાસી મહેશ રમણીકલાલ વાધેલાએ પોતાનું રૂ. 80,000/- ની કિંમતનું મોટરસાયકલ પૂજા મેડિકલ પાસે પાર્ક કર્યું હતું. આશરે 1:30 વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે તેમનું મોટરસાયકલ ત્યાં હાજર નહોતું.આ અંગે અરજદારે તાત્કાલિક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રૂબરૂ અરજી કરી હતી. નેત્રમ સ્ટાફે ANPR સિસ્ટમ અને VISWAS પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન, ઉપરોક્ત મોટરસાયકલ હનુમાન ગુફા તરફથી પસાર થતું જોવા મળ્યું હતું. તે સ્થળે અન્ય એક મોટરસાયકલ પણ પડેલું જોવા મળ્યું. આ બીજા મોટરસાયકલના માલિક, રાજીવનગરના રહેવાસી અલ્કેશભાઈ રાજેશભાઈ ચામડીયાનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે ભૂલથી અરજદારનું મોટરસાયકલ લઈ લીધું હોવાનું જણાવ્યું. ત્યારબાદ બંને પક્ષોને નેત્રમ કચેરી ખાતે બોલાવી ચકાસણી કર્યા બાદ મહેશભાઈ વાધેલાનું મોટરસાયકલ તેમને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું.આ ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ અરજદાર મહેશભાઈ વાધેલાએ નેત્રમ ટીમ અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના શહેરમાં સીસીટીવી આધારિત દેખરેખ અને ટેક્નોલોજીના સદુપયોગથી નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બની રહી હોવાનું સ્પષ્ટ દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:32 pm

બોલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા ભારતમાં પરત ફરી:કહ્યું- ત્યાં પરિસ્થિતિ ખુબ ખરાબ હતી, ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નહતી; એજન્ટ પાસે 7 લાખ પરત માંગ્યા

નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. જે આખરે ભારત પરત ફરી છે. વડોદરાના એક એજન્ટે તેમને ફ્રૂટ પેકિંગની ‎‎નોકરી અપાવવાની લાલચ આપી વિદેશ મોકલી તબેલાનું કામ કરાવ્યું હતું. મીના જોશી નામની આ મહિલાએ બેલારૂસમાં પોતાના શોષણ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી મદદ માંગી હતી. આ વીડિયો વાયરલ થતાં તંત્ર અને બ્રહ્મસમાજ સહિતના સંગઠનો તેમની મદદ માટે સક્રિય થયા હતા. સર્વત્રથી દબાણ આવતા, જે એજન્ટે તેમને વિદેશ મોકલ્યા હતા, તેણે મીના જોશીને બેલારૂસથી ભારત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. મહિલા ઘરે પરત ફરતા તેમના પરિવારે ભાવુક થઈને તેમનું સ્વાગત કર્યું હતું. મીના જોશીએ વિદેશ જવા માટે ખર્ચાયેલા કુલ સાત લાખ રૂપિયા એજન્ટ પાસેથી પરત કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો એજન્ટ આ પૈસા પરત નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહિલા મીના જોશીએ જણાવ્યું કે, મને એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં સારી જોબ છે અને પગાર પણ 70-80 હજાર છે. મારે સ્ટ્રોબેરી પેકિંગમાં કામ કરવાનું રહેશે. પરંતુ ત્યાં ગયા પછી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે, શું વાત કરું. મને મીંક્સ (બેલારૂસની રાજધાની)થી 300-400 કિલોમીટર દૂર એક સાવ પછાત ગામડામાં મોકલી દીધી હતી. મારા સાથીદારો તો બે-ત્રણ દિવસમાં જ ત્યાંથી ભાગી ગયા હતા, પણ મેં ઘણું દેવું કર્યું હોવાથી હું ત્યાં જ રોકાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે, હું અહીં જોબ કરીશ, પણ જ્યારે કંઈ થઈ શક્યું નહીં ત્યારે હું પાછી મીંક્સ આવી ગઈ. ત્યાં મેં છૂટક કામ કરીને રહેવા-ખાવાનો ખર્ચ કાઢ્યો, પણ છેવટે મેં પાછા આવવાનું નક્કી કર્યું હતું. ખાવા-પીવાની કોઈ ખાસ વ્યવસ્થા નહોતી, માત્ર રહેવા માટે હોસ્ટેલ આપવામાં આવી હતી. મેં મીંક્સ આવ્યા પછી તે વીડિયો બનાવ્યો હતો. ત્યાંના સ્થાનિક લોકો અને ભારતીય ભાઈઓએ મારી ઘણી મદદ કરી હતી. હવે હું પાછી આવી ગઈ છું અને મારે મારા પૈસા પાછા જોઈએ છે. મારે મારા બાળકોનું ધ્યાન રાખવાનું છે. હું એકલી જ બધું કરું છું. મેં 7-8 લાખ રૂપિયાનું દેવું કર્યું છે, એટલે મને મારા પૈસા મળવા જ જોઈએ. મેં એજન્ટને કોઈ ખોટા પૈસા તો નથી આપ્યા ને? હવે જાણો કે બેલારુસમાં ફસાયેલી મહિલાનો સમગ્ર મામલો શું હતો… નવસારીનાં મીનાબેન જોષી વડોદરાના એજન્ટોના ‎સંપર્કમાં આવતાં તેમને બેલારુસમાં ફ્રૂટ‎પેકિંગના કામમાં દર મહિને 90 હજાર ‎રૂપિયાના માતબર પગારની વાત કરતાં તેમણે પોતાની જિંદગીની જમા પૂંજી અને ‎લોન કરીને કુલ 5.50 લાખ રૂપિયા ‎એજન્ટોને ચૂકવી દીધા હતા. બેલારુસ‎ પહોંચ્યાં બાદ મીનાબેનને ખબર પડી કે ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ફ્રૂટ‎પેકિંગને બદલે એક તબેલામાં પશુઓની‎ સારસંભાળ રાખવાના કામમાં ધકેલી દેવામાં ‎આવ્યાં હતાં. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)5,000 કિમી દૂર ફસાયેલી માતાની યાદમાં દીકરીની રોકકળ નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતાં અને ‎‎ત્રણ બાળકની માતા અને વિધવા મહિલા ‎‎મીનાબેન જોષીને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની ‎‎નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ ‎‎લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ તેમને ત્યાં ‎‎નિઃસહાય હાલતમાં છોડી દીધાં હતા. 5 હજાર કિ.મી. દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી એેમાંનું કશું પણ તેને બેલારુસમાં નથી મળ્યું. બીજી તરફ, તેના એજન્ટે મહિલા પર કામમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે નવસારીમાં રહેતાં મીનાબેન જોષીના પરિવારની મુલાકાત લીધી હતી. અને પરિવાર સાથે વાતચીતમાં સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:14 pm

મહિલાનો સોનાના દાગીના ભરેલો થેલો રીક્ષામાં ભુલાયો:બી ડિવિઝન પોલીસે CCTVની મદદથી શોધીને પરત કર્યો

વઢવાણ તાલુકાના કેરાળા ગામના ગીતાબેન મદારસંગભાઈ ચાવડાનો ત્રણ તોલા સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ભરેલો થેલો રીક્ષામાં ભૂલાઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ થેલો મૂળ માલિકને પરત કર્યો છે. ગીતાબેન સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી રીક્ષામાં બેસી મેગામોલ નજીક બસ પકડવા જઈ રહ્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાનો સામાન ભરેલો થેલો રીક્ષામાં જ ભૂલી ગયા હતા. આ થેલામાં ત્રણ તોલા સોનાના દાગીના ઉપરાંત અન્ય કિંમતી ચીજવસ્તુઓ હતી. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા, પોલીસે તાત્કાલિક સુરેન્દ્રનગર નેત્રમની મદદ લીધી હતી. સીસીટીવી કેમેરાની તપાસ કરીને રીક્ષા અને તેના ચાલક વિશે માહિતી મેળવવામાં આવી હતી. પોલીસની સઘન તપાસ બાદ સોનાના દાગીના સહિતનો થેલો શોધી કાઢવામાં આવ્યો હતો અને ગીતાબેનને હેમખેમ પરત સોંપવામાં આવ્યો હતો. આ સરાહનીય કામગીરીમાં બી ડિવિઝન પોલીસ મથકના બળદેવસિંહ પઢિયાર, ધવલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ મોરી, મુકેશભાઈ ઉતેરીયા અને અજીતસિંહ જાદવ સહિતની ટીમ જોડાઈ હતી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 10:03 pm

ગાંજા અને અફીણના દૂષણને ડામવા પોલીસ તંત્ર સક્રિય:સ્ટેટ મોનિટરિંગ સેલ, LCB, SOG એલર્ટ: નશાનું નેટવર્ક તોડવા આદેશ

નવસારી જિલ્લામાં વકરી રહેલા ગાંજા અને અફીણના દૂષણને ડામવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઉચ્ચ અધિકારીઓએ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા બહારના શખ્સો નવસારીમાં આવી નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરી રહ્યા છે. આવા તત્વોને ઝડપી પાડવા પોલીસે ખાસ વોચ ગોઠવી છે. યુવાધન વ્યસનની જાળમાં ફસાઈ રહ્યું હોવાથી પોલીસ 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. નશા વિરોધી અભિયાન અંતર્ગત, ગત 13 જાન્યુઆરીએ LSD અને ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ જ ગુનામાં નાસતા ફરતા વિજલપોરના વોન્ટેડ આરોપી વાસુદેવ પાટીલને SOGએ ઝડપી પાડ્યો છે. અગાઉ, નવસારી SOGએ મોટી માત્રામાં હાઈબ્રીડ ગાંજો (બિબાકુશ) ઝડપી પાડીને આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જિલ્લામાં નશાના નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે SMC અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે. નવસારી જિલ્લા પોલીસ હવે હાઈવે અને શંકાસ્પદ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરી રહી છે. આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય નશાના કારોબાર પર કાયમી રોક લગાવવાનો અને યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:19 pm

શ્રીજીધામ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ:26 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજના 13મા દિવ્ય પાટોત્સવ સાથે 26 જાન્યુઆરી સુધી યોજાશે. શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. શિક્ષાપત્રી એક દિવ્ય ગ્રંથ છે, જે સમાજના ધાર્મિક, સામાજિક અને આર્થિક પાસાઓને સ્પર્શે છે. તે માનવ જીવનને ઉત્તમ અને મૂલ્યનિષ્ઠ બનાવવાનો સંદેશ આપે છે. મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા, કથા-વાર્તા, શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું પ્રદર્શન, બાળનગરી, શિક્ષાપત્રી પૂજન અને શાકોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ભાગ લેશે. શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ હરિભક્તો અને શ્રદ્ધાળુઓને આ પાવન મહોત્સવમાં ભાગ લઈ આધ્યાત્મિક લાભ લેવા આમંત્રણ અપાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:18 pm

બેંકના નિવૃત અધિકારી સાથે સાયબર ફ્રોડ:ગઠિયાએ પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવાનું કહીં 15.99 લાખની છેતરપિંડી આચરી

રાજકોટમાં બેંકના નિવૃત્ત અધિકારી સાથે 15.99 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું કહીં છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે દેનાબેંક અને હાલ બેંક ઓફ બરોડાના નિવૃત ક્લાસ વન ઓફિસર હસમુખભાઈ ભગવાનજીભાઈ ગણાત્રા (ઉ.વ.72) એ ફેસબૂકની આઇડીના એક ધારક, ઇન્ડસલેન્ડ બેંકના ખાતાધારક અને અન્ય એક રેઝરપે એકાઉન્ટના ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેંક ઓફ બરોડાના પેઇજની યુઆરએલ પર ક્લિક કર્યું હતુંહસમુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 6 નવેમ્બર 2025ના રોજ હું ફેસબુક ઉપર સર્ફીંગ કરી રહ્યો હતો, ત્યારે ફેસબુક પર બેંક ઓફ બરોડાના નામથી એક પેઇજ જોવા મળતાં તેની યુઆરએલ લિંક ઓપન કરતા તેમાં બેંક ઓફ બરોડા-પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું ફોર્મ જોવા મળ્યું હતું. અગાઉ હું દેના બેંકમાં નોકરી કરી નીવૃત થયો એ પછી દેનાબેંક બેંક ઓફ બરોડા બેંકમાં મર્જ થઇ હોવાથી મેં તેમાં એપ્લાઇ બટન પર ક્લિક કર્યું હતું. બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાંએકાદ કલાક પછી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. જે મેં રિસીવ કર્યો હતો. જો કે આ વીડિયો કોલમાં સામેવાળાનો માત્ર બેંક ઓફ બરોડોનો લોગો જ દેખાતો હતો. આ દરમિયાન મને એપ્લાય કર્યું હોવાથી મારી વિગતો આપવાનું કહેતાં મેં મારું પેન્શન જે બેંકમાં જમા થાય છે તે બેંકના એકાઉન્ટ નંબર, તે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાં. તેમજ મારું એડ્રેસ વેરીફાય કરાવ્યું હતું. હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતોલગભગ અડધો કલાક જેટલો સમય સુધી વીડિયો કોલ ચાલુ રહ્યો હતો. આ પછી મને કહ્યું કે કાર્ડ જનરેટ થઇ રહ્યું છે. ત્યાર બાદ ફોન કટ થઇ ગયો હતો. મેં મારો ફોન ચેક કરતા તે લોક થઇ ગયો હતો અને ઓપન થતો ન હતો. આથી હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતો અને ફોન ફોર્મેટ કરાવ્યો હતો જેથી અન્ય તમામ માહીતી મારા ફોનમાંથી ડીલીટ થઇ ગઇ હતી. સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરીમને બીજા દિવસે જાણવા મળ્યું કે, મારા બે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્જેકશન થઇ ગયા છે. જેમા એક રૂપિયા 1,99,008નું અને અન્ય બે ટ્રાન્ઝેકશન 10 લાખ તથા 4 લાખના રેઝર-પે મારફતે થયા હતા જે મળી કુલ રૂ. 15,99,008 બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા. હાલ બનાવ અંગે ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:16 pm

ગોધરા કોમર્સ કોલેજની સાત દિવસીય શિબિર સંપન્ન:કુલપતિ હરિભાઈ કાતરીયાએ વિદ્યાર્થીઓને સંબોધ્યા, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સન્માનિત

ગોધરા તાલુકાના છારીયા ગામ ખાતે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરાની સાત દિવસીય શિબિર સંપન્ન થઈ. આ સમાપન સમારોહમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સેક્રેટરી કુ. કામિનીબેન સોલંકી, બ્રહ્માકુમારીઝ સેન્ટરના પંચમહાલ-દાહોદ અને મહીસાગર જિલ્લાના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. સુરેખા દીદી, યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર ડો. સંજયભાઈ જોશી અને કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. શિબિરના સમાપન પ્રસંગે કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિબિર એ શીખવાની પ્રક્રિયા છે. તેમણે અનુભવના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, વાંચેલી, લખેલી કે જોયેલી વાત કરતાં અનુભવેલી વાત જીવનમાં કાયમ યાદ રહે છે. તેમણે વિદ્યાર્થીઓને શિબિર દરમિયાન કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એનએસએસ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, કુ. હર્ષિતા ચતવાણીને શ્રેષ્ઠ લીડર તરીકે વિશેષ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. શિબિરાર્થીઓને તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં કરેલી કામગીરી બદલ 70 ટ્રોફી અને તમામને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડો. શૈલેન્દ્ર પાંડે, એનએસએસના કોઓર્ડિનેટર ડો. સંજય જોશી, મુખ્ય મહેમાન કુ. કામિનીબેન ગોપાલસિંહજી સોલંકી અને અતિથિ વિશેષ બ્ર.કુ. સુરેખા દીદીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા. આ સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી કેન્દ્ર, છારીયા દ્વારા નોંધપાત્ર સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે અંજલી સાકુનિયાએ આભાર વિધિ કરી હતી, જ્યારે વિદ્યાર્થીની કુ. માનસી ખરાદીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 9:01 pm

બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ આવેલા નેપાળી યુવાનનું મોત:લગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધો, પરિવારમાં કલ્પાંત છવાયો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા રાજેશભાઇ નિમાવતની 6 માસની પુત્રી દેવાંશી આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ જરૂરી કાર્યવાહી હાટ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશભાઇ રિક્ષા ચાલક છે તેમને લગ્નના 10 વર્ષ બાદ દીકરી દેવાંશીનો જન્મ થયો હતો. જો કે માત્ર 6 મહિનામાં પરિવારની ખુશી માતમમાં ફરી ગઈ છે. બે દિવસ પહેલા બાળકીને શરદી થતા ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. દરમિયાન આજે સવારે તેણી બેભાન થઇ જતા હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકની એક પુત્રીનો શરદીએ ભોગ લેતા પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઇ જવા પામ્યો છે. બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટમાં ભાઇના ઘરે યુવકનું મોતબેંગ્લોરની હોટલમાં કામ કરતા પવન દાનીશિંગ નેપાળી (ઉ.વ.18) નામના યુવાને ગત તા. 19 જાન્યુઆરી 2026ના રોજ બેંગ્લોરમાં ઝેરી દવા પી લીધી હતી. બાદમાં બેંગ્લોરમાં સારવાર દીધા બાદ રાજકોટ માધાપર ચોક પાસે હરીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા તેના મોટાભાઇ વિરેન્દ્રના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે પવનની તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોતગુરુવારે સાંજે 5 વાગ્યાં આસપાસ હનુમાન મઢી ચોકથી આગળ એરપોર્ટ રોડ પર છોટુનગર પાસે નિલ દા ઢાબા હોટલ પાસે બાઈક અને એક્ટિવા સામસામે અથડાયા હતા. જેમાં રેશમ નરબહાદુર થાપા (ઉં.વ.40)ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજ રોજ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન નિર્મલા રોડ પર લોન્ડ્રીની દુકાનમાં કામ કરતો હતો અને બનાવના દિવસે દુકાનેથી ઘરે બાઈક પર જતો હતો. રેશમ થાપા મૂળ નેપાળનો વતની છે અને તેને સંતાનમાં 3 દીકરા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સામા પક્ષે ડબલ સવારીમાં એક્ટિવા પર જઈ રહેલા હર્ષ સુભાષભાઈ ગોરણીયા (ઉં.વ.32) અને વિરલ મહેશભાઈ પરમાર (ઉં.વ.25) બંને ફાયર સેફટીનું કામ કરે છે. ધંધામાં પાર્ટનર છે. તેઓ સાઈટ પર કામ જોઈ ઘરે જતા હતા. બંનેને ઇજા થતા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલની લેબમાં સફાઈ કરતી મહિલાકર્મીને વીજ કરંટ લાગ્યોસુનિતાબેન કાંતિભાઈ મકવાણા (ઉં.વ.40) આજરોજ બપોરના 12.30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગમાં 12 નંબરની લેબમાં હતા, ત્યારે કોઈ કારણોસર વીજ કરંટ લાગતા સિવિલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુનિતાબેન લેબમાં સફાઈ કરતા હતા ત્યારે પોતું મારતી વખતે ત્યાં આર.ઓ. પાણી માટેનો ફ્રીઝ પ્લાન્ટ હોય ત્યાં ભીનું પોતું અડી જતા અથવા કોઈ અન્ય કારણસર વીજ ઝાટકો લાગતા ઢળી પડ્યા હતા. હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:51 pm

પ્રેમિકાના દાગીના છોડાવવા ભાઈએ બહેનના ઘરે ચોરી કરી:પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, દેવું ભરપાઈ કરવા પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા હતા

મહીસાગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાની બહેનના ઘરેથી દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી તેણે પોતાની પ્રેમિકા પાસેથી લીધેલા પૈસા પરત કરવા માટે કરી હતી. મહીસાગર એસઓજીએ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે અને ચોરાયેલા દાગીના પણ પાછા મેળવ્યા છે. આ ઘટના અંગે 15 જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. લાખોની આ ચોરીનો ભેદ ઉકેલવા માટે મહીસાગર એસઓજીએ તપાસ હાથ ધરી હતી. એસ.ઓ.જી. પીઆઇ વી.ડી. ધોરડાને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો આરોપી ચોરીના દાગીના વેચવા વીરપુર આવવાનો છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે વીરપુર બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં ખભે થેલો ભરાવીને આવતા આરોપી સુરપાલ બાબુભાઈ ખાંટને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તેની ઝડતી લેતા થેલામાંથી ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી સુરપાલ બાબુભાઈ ખાંટે પોલીસની સઘન પૂછપરછમાં કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, તે અગાઉ અમદાવાદ, ગાંધીધામ અને હાલોલમાં શ્રીજી લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હતો, જેમાં તેને આશરે બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું ભરપાઈ કરવા તેણે પોતાની પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા હતા. પ્રેમિકા તેના ગીરવે મૂકેલા દાગીના પાછા માંગતી હોવાથી અને તેની પાસે પૈસા ન હોવાથી, તેણે 14 જાન્યુઆરી, 2026ની રાત્રીએ પોતાની બહેનના ઘરેથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, કારણ કે તેને બહેનના દાગીના તિજોરીમાં હોવાની જાણ હતી. આ ચોરી કરનાર શખ્સ હવે જેલના સળિયા પાછળ છે. એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડા અને તેમની ટીમે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખીને સફળતાપૂર્વક કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:36 pm

હિંમતનગર નજીકથી 6.129 કિલો અફીણ સાથે બે ઝડપાયા:6 દિવસના રિમાન્ડ મંજૂર, પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો

હિંમતનગર તાલુકાના આડાહાથરોલ ત્રણ રસ્તા નજીકથી ગાંભોઈ પોલીસે 6.129 કિલોગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ જથ્થાની કિંમત આશરે રૂ. 30,64,500 આંકવામાં આવી છે. પોલીસે અફીણ આપનાર અને લેનાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. SC/ST સેલના DYSP કુલદીપ નાયીએ આ અંગે માહિતી આપી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામી, PSI પીએસ. ચૌહાણ, પી.એચ. ડોડીયા અને સ્ટાફને મળેલી બાતમીના આધારે ગાંભોઈથી ભિલોડા રોડ પર આવેલા આડાહાથરોલ ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ શરૂ કરાયું હતું. બાતમી મુજબ આવી રહેલી એક બાઈક પર સવાર બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ વ્યક્તિઓની તલાશી લેતા તેમના કાળા રંગના થેલામાંથી 6.129 કિલોગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અફીણ ઉપરાંત રૂ. 20,000ના બે મોબાઈલ ફોન અને રૂ. 50,000ની બાઈક સહિત કુલ રૂ. 31,34,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બે આરોપીઓ અને અફીણ સપ્લાય કરનાર બે તથા ખરીદનાર એક એમ કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 17(C), 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસની વધુ તપાસ SOG દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ પૂછપરછ દરમિયાન, ઝડપાયેલા આરોપીઓએ અફીણનો જથ્થો મોકલવામાં મહેસાણા જિલ્લાના એક અને રાજસ્થાનના બે વ્યક્તિઓ સહિત કુલ ત્રણ જણાના નામ કબૂલ્યા છે. ઝડપાયેલા આરોપીઓના નામ 1. મુકેશ ચંપાલાલજી મીણા (ઉંમર 30, રહે. ઉકાલા, કમલેશ્વર મંદિરની બાજુમાં, પોસ્ટ-નાગદી, થાના-સાલમગઢ, તા. અરનૌદ, જિ. પ્રતાપગઢ, રાજસ્થાન) 2. પપ્પુ મોતીલાલ થોરી (ઉંમર 22, રહે. દુધિયા તલાવ, પો. સેવન, જિ. પ્રતાપગઢ, રાજસ્થાન) પકડવાના બાકી આરોપીઓમાં સુરજ ગૌતમ થોરી (રહે. ઉકાલા, કમલેશ્વર મંદિરની બાજુમાં, પોસ્ટ-નાગદી, થાના-સાલમગઢ, તા. અરનૌદ, જિ. પ્રતાપગઢ), ગુફુ મીણા (રહે. ઘોડા ઘાટ, તા. અરનૌદ, જિ. પ્રતાપગઢ) અને લાલજી પટેલ (રહે. ઉમરેચા, તા. સતલાસણા, જિ. મહેસાણા)નો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:24 pm

સ્લીપર બસ સુરક્ષા નિયમો: સમયમર્યાદા વધારવા ટ્રાવેલ્સ એસોસિએશનની રજૂઆત:વલસાડ સાંસદને મળી સંચાલકોએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખવા વિનંતી કરી

વલસાડ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને સાંસદ ધવલ પટેલને મળીને સ્લીપર બસો માટેના નવા સુરક્ષા નિયમોના અમલીકરણની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. સરકારે જાહેર કરેલા આ નિયમોના પાલન માટે અપાયેલી 30 દિવસની ટૂંકી મુદતને કારણે ટ્રાવેલ્સ સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. તાજેતરમાં સરકારે લક્ઝરી સ્લીપર બસો માટે ફાયર સેફ્ટી અને ઈમરજન્સી એક્ઝિટ વિન્ડો જેવા નવા સુરક્ષા નિયમો જાહેર કર્યા છે. આ ફેરફારો કરવા માટે સંચાલકોને માત્ર 30 દિવસનો સમય અપાયો છે. ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં બસો હોવાથી અને બોડી બિલ્ડરોની અછતને કારણે આટલા ટૂંકા સમયમાં તમામ ફેરફારો કરવા શક્ય નથી. તેથી, એસોસિએશને આ મુદત વધારીને 6 મહિના કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, 8-10 વર્ષ જૂની બસોના પાર્સિંગ સમયે આરટીઓ દ્વારા બોડી બિલ્ડિંગના જૂના બિલો માંગવામાં આવે છે, જે હાલમાં ઉપલબ્ધ કરાવવા મુશ્કેલ છે. આ પ્રક્રિયામાં છૂટછાટ આપવા પણ વિનંતી કરવામાં આવી હતી. જૂની બસોમાં રહેલી 3X2 બર્થ વ્યવસ્થામાં ટેકનિકલ મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરાઈ હતી. ટ્રાવેલ્સ સંચાલકોની રજૂઆત સાંભળ્યા બાદ, સાંસદ ધવલ પટેલે આશ્વાસન આપ્યું હતું કે, તેઓ આ ગંભીર મુદ્દે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને રજૂઆત કરશે. તેમણે ટ્રાવેલ્સ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે જવહર દેસાઈ અને જયેશભાઈ સહિતના ટ્રાવેલ્સ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:19 pm

વલસાડમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અશ્વ રેલીનું આયોજન:સાયબર ક્રાઈમ, ડ્રગ્સ સામે જાગૃતિનો સંદેશ અપાશે

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે એક અનોખી જાગૃતિ રેલીનું આયોજન કરાયું છે. આવતીકાલે, 25મી જાન્યુઆરીના રોજ સવારે 7:30 કલાકે ભવ્ય અશ્વ રેલી યોજાશે. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવાનો છે, તેમ વલસાડ જિલ્લા પોલીસ વડા (એસ.પી.)એ જણાવ્યું હતું. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ સ્વામિનારાયણ મંદિર સુધી જશે. વલસાડ જિલ્લા, વલસાડ શહેર અને વાપી વિસ્તારના અશ્વપ્રેમીઓ પોતાના અશ્વ સાથે આ રેલીમાં જોડાશે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. 26મી જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ યોજાતી આ રેલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ સામાજિક સંદેશાઓ પણ અપાશે. આવતીકાલે રાષ્ટ્રીય મતદાતા દિવસ હોવાથી મતદાર જાગૃતિનો સંદેશ પણ પ્રસરાવાશે. આ સાથે, વધતા જતા સાયબર ગુનાઓ સામે સાવચેતી અને યુવાનોને નશાથી દૂર રાખવા માટે ડ્રગ્સ ફ્રી અભિયાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. વલસાડ એસ.પી.એ તમામ નાગરિકોને આ જાગૃતિ રેલીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ આયોજનથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ અને સહકાર વધુ મજબૂત બનશે, તેમજ સમાજમાં સકારાત્મક સંદેશ જશે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:17 pm

માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પર દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:બટાકાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 74 લાખનો દારૂ સહિત રૂ. 95 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ માલવણ-ધ્રાંગધ્રા હાઇવે પરથી બટાકાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹74.60 લાખથી વધુ છે, જ્યારે કુલ ₹95.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ ટીમો બનાવી હતી. આ ટીમોને જિલ્લામાંથી પસાર થતા હાઇવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા વાહનોને પકડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ LCB ટીમે જનેતા રામદેવ હોટલ સામે હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન RJ.04.GB.1983 નંબરના ટ્રકને રોક્યો હતો. ટ્રકની તપાસ કરતા, બટાકા ભરેલા શણના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા દારૂમાં કુલ 12,564 નંગ બોટલ અને બીયર ટીનનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹74,60,208 છે. આ ઉપરાંત, ₹20,00,000ની કિંમતનો ટ્રક, ₹15,000ના બે મોબાઈલ ફોન અને ₹52,500ના 175 બટાકાના કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ ₹95,27,708નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રતારાસર ડેર ગામના પુખરાજ માલારામ સવ (જાટ) નામના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ટ્રકના માલિક જેસારામ (બાડમેર, રાજસ્થાન), લુધિયાણા કૃષિ મંડી પર દારૂ ભરેલો ટ્રક આપનાર અજાણ્યો ઇસમ અને ગાંધીધામમાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 8:12 pm

વલસાડ પોલીસે ભાડે વાહન લઈ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો:5 આરોપીઓ રૂ. 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વલસાડ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વાહનો ભાડે લઈ છેતરપિંડી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી આશરે રૂ. 25.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ વાહન માલિકોને ઊંચા ભાડાની લાલચ આપી વાહનો ભાડે લેતી અને પછી તેને ગીરો મૂકી કે વેચી દેતી હતી. આ મામલે 22 જાન્યુઆરી 2026ના રોજ વાપી ટાઉન પોલીસ મથકે દીપકભાઈ ઉત્તમભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, આરોપીઓએ પોતાને મોટી કંપનીઓના દલાલ તરીકે ઓળખાવી મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન ભાડે લીધું હતું. જોકે, તેમણે ન તો નક્કી કરેલું ભાડું ચૂકવ્યું કે ન તો વાહન પરત કર્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે અન્ય છ જેટલા લોકો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી હતી. વલસાડ એસ.પી. યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંદીપ વસંતભાઈ પ્રજાપતિ, મનિષકુમાર બાબુભાઈ ચાંપાનેરી, અરવિંદકુમાર ઉર્ફે વિકાસ રામસુંદર સિંગ, મુસ્તાકઅલી અહેમદભાઈ ગૌરી અને પરશ મુરઘન પાલતેવરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹25.30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં એક હ્યુન્ડાઈ વેન્યુ કાર, બે મારુતિ ઈકો કાર, એક હોન્ડા અમેઝ કાર અને પાંચ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી મુસ્તાકઅલી ગૌરી અને મનિષકુમાર ચાંપાનેરી સામે અગાઉ વાપી, નવસારી અને બિલિમોરા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, દારૂબંધી અને મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. એસ.પી. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ગેંગ દ્વારા અન્ય ઘણા લોકો સાથે પણ છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે. તેમણે આવા કોઈ પણ પીડિત નાગરિકોને તાત્કાલિક વલસાડ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:59 pm

મોરબી નમો વન મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:40 હેક્ટરમાં લીલાછમ બનેલા વન જોઈ રાજીપો વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના રફાળીયા સ્થિત નમો વનની મુલાકાત લીધી હતી. તેમણે નમો વનના ઝડપી વિકાસ અને લીલાછમ વાતાવરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેના વધુ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ અને હરિયાળા વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. આ નમો વન, જે 40 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને દસ લાખ વૃક્ષોનું વનકવચ ધરાવે છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કર્યું હતું. તેનું સંચાલન શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ચાર મહિનાના ટૂંકા ગાળામાં નમો વન વૃક્ષોના વિસ્તારથી લીલુંછમ બનતા મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાષ્ટ્રના વિકાસ સાથે પર્યાવરણનું જતન કરવાની વડાપ્રધાનની નેમને સુપેરે સાકાર કરી રહી છે. રાજ્ય સરકાર પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વૃક્ષો વાવી તેની માવજત કરવા કટિબદ્ધ છે. મોરબી ખાતે વિકસતું આ નમો વન શહેરની શોભા વધારવાની સાથે ઓક્સિજનમાં વધારો કરશે અને લોકોને પર્યટન સ્થળ પણ પૂરું પાડશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:55 pm

1 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલાની ધરપકડ:સુરત રેલવે સ્ટેશન પર DRIનું ઓપરેશન, 50 ગ્રામ કોકેઈન અને 950 ગ્રામ મેથામ્ફેટાઈમાન ઝડપાયું

સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક વિદેશી મહિલા પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહી હતીDRIના અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે ટ્રેન સંખ્યા 12904 ના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે સુરત સ્ટેશન પર ટ્રેન આવતા જ કોચ H-1 ની સીટ નંબર A-2 પર તપાસ હાથ ધરી હતી. ત્યાં મુસાફરી કરી રહેલી નાઇજીરિયન મૂળની મહિલા અગ્ફેડો ઓસાટાહેમવેન જોયની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેની બેગની તલાશી લેતા તેમાંથી શંકાસ્પદ પદાર્થો મળી આવ્યા હતા. તલાશી દરમિયાન 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યુંમહિલાની તલાશી દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 50 ગ્રામ કિંમતી કોકેઈન અને આશરે 900 ગ્રામથી વધુ મેથામ્ફેટામાઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. જેમાં કોકેઈનની કિંમત 10 લાખ અને મેથામ્ફેટામાઈનની કિંમત આશરે 90 લાખ રૂપિયા જેટલી થાય છે. DRI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલો માત્ર એક મહિલા પૂરતો મર્યાદિત નથી પરંતુ તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. આ નશીલા પદાર્થોનો જથ્થો દેશના વિવિધ મોટા શહેરોમાં સપ્લાય કરવાનો હતો. હાલમાં આ નાઇજીરિયન મહિલાને હિરાસતમાં લઈને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્થાનિક અને વિદેશી પેડલરોની વિગતો મેળવી શકાય.આ હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યા બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. એસી ફર્સ્ટ ક્લાસ જેવા પ્રીમિયમ કોચમાં વિદેશી નાગરિક દ્વારા થતી આ પ્રકારની તસ્કરીએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. સુરત સહિતના મુખ્ય રેલવે જંકશનો પર હવે બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ તપાસના તાર વધુ ઊંડા ઉતરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:43 pm

ઘોઘંબાના ચાઠી ગામે વિકસિત ભારત યોજના કાર્યક્રમ:સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગ્રામજનોને લાભો સમજાવ્યા

ઘોઘંબા તાલુકાના ચાઠી ગામે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'વિકસિત ભારત જી.રામ.જી યોજના' (VB-GRAMG) અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રોના ઉત્થાન અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ ગ્રામજનોને 'વિકસિત ભારત જી.રામ.જી યોજના'ના મુખ્ય ઉદ્દેશ્યો વિશે માહિતગાર કર્યા હતા. યોજના હેઠળ મળતા વિવિધ લાભો, રોજગારીની તકો અને તેના અમલીકરણ પ્રક્રિયા અંગે સરળ ભાષામાં વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ સમજણનો હેતુ વધુમાં વધુ ગ્રામજનો આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બની શકે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો અને સામાજિક કાર્યકરો પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ નાગરિકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામીણ વિકાસ અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક યોજનાની વિગતો જાણી હતી અને સરકારના આ લોકકલ્યાણકારી અભિગમને બિરદાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:41 pm

મહીસાગર નદીમાં એક વ્યક્તિ ડૂબ્યો:લુણાવાડા નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ, હજુ ભાળ નથી મળી

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરાના મુવાડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને આજે સવારે આ અંગેની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, આ વ્યક્તિ ગઈકાલે માછીમારી કરવા ગયો હતો તે દરમિયાન નદીમાં ડૂબી ગયો હતો. તે મૂળ બિહારનો વતની હોવાનું અને અહીં રહીને માછીમારીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદીમાં ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, નદીમાં પાણી ઊંડું હોવાને કારણે હજુ સુધી વ્યક્તિની કોઈ ભાળ મળી શકી નથી.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:29 pm

સુરતમાં લોખંડની ભારે પ્લેટ નીચે દબાતા પિતા-પુત્રીનું મોત:કઠોળ ગામે બુલેટ ટ્રેનના બ્રિજના કામ સમયે દુર્ઘટના, તાપી નદીમાં પિતા-પુત્રી માછીમારી કરતા હતા

સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડ્યો હતો. આ પ્લેટ નીચે માછીમારી કરી રહેલા પિતા અને પુત્રી દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરતની ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરી રહી છે, જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 24 Jan 2026 7:27 pm