SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

કોન્સ્ટેબલ પર હુમલો કરનાર બુટલેગર સહિત ત્રણનું રિકન્સ્ટ્રક્શન:'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે?' કહીને મજૂર ગામ પાસે પોલીસ કર્મચારીને લાકડીથી મારમાર્યો'તો

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુર ગામ પાસે બુટલેગર દ્વારા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાની ગંભીર ઘટના બની હતી. 'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે?' કહી પોલીસ કર્મચારી ઉપર બુટલેગરે હુમલો કર્યો હતો. કાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને દોરડા વડે બાંધી પોલીસકર્મી પર હુમલો કરવા જેવી ઘટનાને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે ત્રણેય આરોપીઓ પોલીસ પર હુમલો કરવાની ઘટના બાદ શાંતિથી ચાલતા ચાલતા તેમના દ્વારા કરાયેલા હુમલા અંગે રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા જોવા મળ્યા હતાં. કોન્સ્ટેબલ ઘરેથી જમીને નીકળ્યાને બૂટલેગરે રોક્યામળતી માહિતી અનુસાર, મજૂર ગામમાં બાલમુકુંદ સોસાયટીમાં રહેતા અને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જયવર્ધન પરમાર 2 માર્ચના રોજ તેઓ નોકરી ઉપર ગયા હતા અને બપોરે 2 વાગ્યે રિસેસના સમયમાં ઘરે જમવા માટે આવ્યા હતાં. ત્યારે બપોરે પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ નોકરી પર પરત જવા માટે નીકળ્યા હતાં. ત્યારબાદ મજૂર ગામ એકતા નગરની ચાલી પાસેથી પસાર થતાં હતા ત્યારે એકતા નગરની ચાલીમાં રહેતો ભાવેશ રાઠોડે તેના ઉભા રાખ્યા હતાં. ત્રણેયે મળીને કોન્સ્ટેબલને લાકડી વડે મારમાર્યો'તું અમારા ધંધાની બાતમી કેમ આપે છે, તું જો હું મારા ભાઈ પેપ્સી રાઠોડ તથા મારો મિત્ર દિવ્યાંગને બોલાવી લાવું છું.' જેથી જયવર્ધને કહ્યું હતું કે, તારા ધંધા બાબતે મને કંઈ ખબર નથી મેં કોઈ બાતમી આપી નથી. જેથી ભાવેશે ઉસ્કેરાઈ અને ગંદી ગાળો આપી હતી. ગાળો ના બોલવા સમજાવતા ત્રણેય જણાએ ભેગા મળી કોન્સ્ટેબલને લાકડાના ડંડા વડે અને ગડદા પાટુનો માર માર્યો હતો. લોકોના ટોળા ભેગું થતાં ત્રણેય ફરાર થયા'તાથોડી જ વારમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. જેથી ત્રણેય ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણેય આરોપીઓની ધરપકડ બુટલેગર દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરવાની ઘટના બાદ કાગડાપીઠ પોલીસ પોતાની નિષ્ક્રિયતાને ઉજાગર થતી બચાવવા માટે તાત્કાલિક ધોરણે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદેશી દારૂની બોટલો નો ગુનો નોંધાયો ને બીજા દિવસે હુમલોઅમદાવાદના કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ અગાઉ છ જેટલા પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે. મારામારીનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ભાવેશ રાઠોડ વિરુદ્ધ પણ પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. આ બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ એક માર્ચના રોજ ચાર જેટલી વિદેશી દારૂની બોટલો રાખવા અંગેનો દારૂનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બની હતી. કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડીશું - ACPપોલીસ કર્મચારી ઉપર બુટલેગર દ્વારા હુમલો કર્યા બાદ એસીપીએ કહ્યું હતું કે, પોલીસ કર્મચારી ઉપર કોઈ હાથ ઉગામે કે ઇજા પહોંચાડે નહીં એવું કડકમાં કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડીશું. જોકે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો તેમાં 'તું અમારા ધંધાની બાતમી આપે છે' તેમાં ક્યાંય પણ દારૂના ધંધા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. દોરડા વડે બાંધી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયુંકાગડાપીઠ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણે આરોપીઓને પોલીસ દ્વારા દોરડા વડે બાંધી અને ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં આરોપીઓ દ્વારા શાંતિથી ચાલી અને જે ઘટના બની હતી તે અંગે જણાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડીપોલીસ દ્વારા પોતાના જ પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવાની ઘટના બાદ જાહેરમાં ત્રણે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા કેટલાય સમયથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરા મજૂર ગામ અને કાંકરિયા વિસ્તારમાં હત્યા મારામારી જેવા બનાવો બન્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળતા જોવા મળી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 10:27 am

લૂંટેરી દુલ્હન ટોળકીનો સાગરિત ઝડપાયો:શંખેશ્વરના પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ

પાટણ પોલીસે શંખેશ્વરના એક પ્રૌઢ સાથે રૂ. 1.50 લાખની છેતરપિંડી કરવાના કેસમાં લૂંટેરી દુલ્હન ટોળકીના એક સાગરિતની ધરપકડ કરી છે. આરોપી હરેશભાઈ કરશનભાઈ ભરવાડ (રહે. રઢુ, તા. ખેડા) છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શંખેશ્વર ગામના 40 વર્ષીય યુવક સાથે ધોળકાના આંબેઠી ગામની રેખા તખાભાઈ ઠાકોરના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ પેટે યુવાન પાસેથી રૂ. 1.50 લાખની રકમ લેવામાં આવી હતી. લગ્નના એક મહિના બાદ રેખા બીમાર માસીને મળવાના બહાને ઘરેથી નીકળી ગયા હતા અને પરત ફર્યા ન હતા. આ ઘટના બાદ યુવકે લૂંટેરી દુલ્હન સહિત લગ્ન કરાવનારા પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર હરેશભાઈ ભરવાડને પાટણ બી-ડિવિઝન પોલીસના ડી-સ્ટાફે સિદ્ધપુર હાઈવે પર આવેલા એલ.પી. ભવન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 10:22 am

બોટાદ પોલીસ પરિવારે ધુળેટી પર્વની ઉજવણી કરી:જિલ્લા હેડક્વાર્ટર ખાતે અધિકારીઓ અને પરિવારો રંગે રમ્યા

બોટાદ જિલ્લા પોલીસ પરિવારે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલા જિલ્લા પોલીસ વડાની કચેરી હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ પરિવાર એકત્રિત થયો હતો. આ ઉજવણીમાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો જોડાયા હતા. પોલીસ પરિવારે ડીજેના તાલે ઝૂમીને એકબીજા પર રંગો ઉડાડ્યા હતા અને પિચકારીઓથી રંગોળી સર્જી હતી. આ રીતે પરંપરાગત ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 10:17 am

ભારતીયોની સુરક્ષિત વાપસી માટે સુરતના સાંસદે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો:દુબઈ કોન્સ્યુલેટ જનરલનો પોઝિટિવ પ્રતિસાદ, ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સુરતીઓ મુકાયા મુશ્કેલીમાં

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વણસેલી સ્થિતિને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. આ ભયાનક સ્થિતિની સીધી અસર લાખો ભારતીયો પર પડી છે, જેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના અનેક લોકો ત્યાં અટવાયા છે. સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા વિદેશ મંત્રાલયમાં કરવામાં આવેલી રજૂઆત બાદ હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને ફસાયેલા લોકોની વહારે આવી છે. યુદ્ધના ભરડામાં મિડલ ઈસ્ટ, ગુજરાતીઓના જીવ અધ્ધરઈરાન અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષે ખાડી દેશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. દુબઈ અને જ્યોર્જિયા જેવા દેશોમાં વ્યવસાય અને નોકરી અર્થે ગયેલા હજારો ગુજરાતીઓ અત્યારે સુરક્ષિત આશરા માટે ફાંફા મારી રહ્યા છે. બોમ્બમારો અને એરસ્પેસ બંધ થવાની ઘટનાઓ વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાતના પરિવારો અહીં ચિંતામાં ડૂબ્યા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા અને ફોન દ્વારા સુરતના પ્રતિનિધિઓ પાસે મદદની ગુહાર લગાવી હતી. સાંસદ મુકેશ દલાલનો વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્રસુરત અને ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક અસરથી વિદેશ મંત્રી એસ. જયશંકરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સુરત અને ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા છે. આ લોકો પોતાની સલામતીને લઈને ખૂબ જ ચિંતિત છે. મુકેશ દલાલે ભારત સરકારને આ બાબતમાં તાકીદે હસ્તક્ષેપ કરવા અને ત્યાંની એમ્બેસીને સક્રિય કરવા વિનંતી કરી હતી. દુબઈ કોન્સ્યુલેટ જનરલનો હકારાત્મક પ્રતિસાદમુકેશ દલાલની રજૂઆતને પગલે વિદેશ મંત્રાલય સતર્ક થયું છે. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા (દુબઈ)તરફથી સત્તાવાર ઈમેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે તેમની ઓફિસ તમામ ફસાયેલા ભારતીયોનો વ્યક્તિગત સંપર્ક કરશે અને તેમને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવશે. આ માટે સ્થાનિક ભારતીય સંગઠનો અને કોમ્યુનિટી લીડર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરતીઓની સલામત વાપસી માટે કવાયતયુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરતીઓ અને ગુજરાતીઓને હેમખેમ ભારત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય એમ્બેસી ત્યાંના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે. જે લોકો ભારત પરત આવવા માંગે છે તેમના માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને મુસાફરીની વ્યવસ્થા કરવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વિષમ પરિસ્થિતિમાં પણ નાગરિકો સુરક્ષિત રહી શકે. ઈમરજન્સી હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેરફસાયેલા લોકો અને તેમના પરિવારજનોની સુવિધા માટે વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક હેલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે. દુબઈમાં ફસાયેલા લોકો નીચે મુજબના સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરી શકશે: પરિવારજનોમાં આશાનું કિરણસુરતના સાંસદની સક્રિયતા અને વિદેશ મંત્રાલયના ત્વરિત જવાબને કારણે ફસાયેલા લોકોના પરિવારજનોમાં થોડી રાહત જોવા મળી રહી છે. મુકેશ દલાલે જણાવ્યું છે કે, જ્યાં સુધી છેલ્લો ગુજરાતી સલામત રીતે વતન પરત નહીં આવે ત્યાં સુધી તેઓ સતત ફોલોઅપ લેતા રહેશે. યુદ્ધની આ કપરી સ્થિતિમાં ભારત સરકાર પોતાના નાગરિકોની રક્ષા માટે કટિબદ્ધ છે તેવો સંદેશ આ કાર્યવાહીથી મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:47 am

SP યુનિવર્સિટીના 5 સ્ટાર્ટઅપને ₹5.97 લાખ સહાય:ખેતી, સુરક્ષા, આરોગ્ય ક્ષેત્રના પ્રોજેક્ટ્સ; 5 IPR અરજીઓ મંજૂર

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) હેઠળ કાર્યરત એસ.પી.યુ.–એસ.એસ.આઈ.પી. નવાધારા એકમ દ્વારા યુવા ઈનોવેટર્સને સહાય પૂરી પાડવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી માસિક સમિતિની બેઠકમાં રજૂ થયેલા 8 પ્રોજેક્ટ્સમાંથી 5 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સને કુલ ₹5.97 લાખની આર્થિક સહાય મંજૂર કરાઈ છે. આ સાથે 5 બૌદ્ધિક સંપત્તિ અધિકાર (IPR) સંબંધિત અરજીઓને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે. આ પહેલનો મુખ્ય હેતુ યુવા સંશોધકોમાં ઉદ્યમશીલતા વધારી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. મંજૂર કરાયેલા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો છે. સ્નેહા નાયરની ટીમે કૃષિ ઉત્પાદનોને સુકવવા માટે AI-આધારિત હાઇબ્રિડ સોલર ડ્રાયર વિકસાવ્યું છે. ધ્રુવ શાહના 'કિસાન પ્લસ' પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સીધું બજાર અને જમીન સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળશે. સુરક્ષા ક્ષેત્રે, BVMના એક વિદ્યાર્થીએ સામાન્ય સીસીટીવીને સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિ રજૂ કરી છે. આરોગ્ય ક્ષેત્રે, આણંદ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ 'કવચ હેલ્થ ગાર્ડિયન' નામની ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ વ્યક્તિના બાયો-સિગ્નલ ટ્રેક કરી કટોકટીમાં ઓટોમેટિક કોલ અને SMS મોકલશે. પર્યાવરણના જતન માટે, આણંદની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની વિદ્યાર્થીનીઓએ ખનિજ-પ્રબલિત 'બાયો-લેધર'નો વિકલ્પ રજૂ કર્યો છે, જે પરંપરાગત ચામડાના સ્થાને વાપરી શકાશે. આ ઉપરાંત, સમિતિએ અગાઉ રજૂ થયેલા સેન્સરી ગ્લોબ, બાળકો માટે કુદરતી ક્રેયોન અને પર્સનલ હેલ્થ ગાઈડ જેવા 5 પ્રોજેક્ટ્સની IPR અરજીઓને પણ મંજૂરી આપી છે. શૈક્ષણિક અને તકનીકી ક્ષેત્રના નિષ્ણાતોની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી વિદ્યાનગરના યુવા સંશોધકોમાં નવીન સંશોધનો પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:42 am

છારાનગરમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી વૃદ્ધાની હત્યા કરી:સોનુ અને રોકડ સહિતની લૂંટ કરીને ફરાર, અમદાવાદના સરદારનગરમાં ગુનેગારો બેફામ

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. છારાનગરના ફ્રી કોલોનીમાં રહેતા વૃદ્ધા ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવી અને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક વ્યક્તિને જાણ થતા તેમણે પરિવારજનોને પોલીસને જાણ કરી હતી સરદાર નગર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ઘરમાં ઘૂસી લૂંટ કરીને વૃદ્ધાની હત્યા કરીમહિલાના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છારાનગર ફ્રી કોલોની ખાતે ભારતીબેન બજરંગી છેલ્લા કેટલાય સમયથી એકલા રહેતાં હતાં. મોડી રાત્રે તેઓ જમી પરવારીને સુઈ ગયા હતાં. સ્થાનિક વ્યક્તિે વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતાદરમિયાનમાં વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ સ્થાનિક વ્યક્તિ જ્યારે ત્યાંથી પસાર થયો ત્યારે તેમને વૃદ્ધાના ઘરમાં જોયું તો વૃદ્ધા નીચે પડેલી હાલતમાં હતા અને કઈ અજુબતું બન્યું હોવાનું જાણ થઈ હતી.જેથી તેમણે તાત્કાલિક ધોરણે મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી ખુલ્લીસરદારનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં જ્યારે જઈને જોયું તો મહિલાની નીચે પડેલી હાલતમાં હતા તેમના શરીર પર રહેલા દાગીના ગાયબ હતા અને ઘરની તિજોરી અને રોકડ રકમ સહિતની વસ્તુઓ પણ ગાયબ જોવા મળી હતી. ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું તેથી હત્યાનું જણાયુંમહિલાના શરીર પર ઇજાના નિશાન અને મોઢે વાગેલું હતું જેથી તેમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઘરમાં મહિલાની હત્યા કરી અને લૂંટ કરી હતી. સરદાર નગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 9:07 am

મહિલા બુમો પાડતી રહી ને લુખ્ખાઓ ઘેરીને મારતા રહ્યા:એટલી હદે માર્યા કે મહિલાના હાથ સૂજી ગયા, હોળીના તહેવારમાં ગુંડાઓ બેફામ ને અમદાવાદ પોલીસની હદ વિવાદની ‘હૈયાહોળી’

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. લાકડીઓ, દંડા અને તલવાર જેવા ઘાતક હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ જાહેર રોડ ઉપર મારામારીના બનાવો ઘટી રહ્યા નથી. જેની વચ્ચે ગઈકાલે(3 માર્ચ) રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ધ્રુજારી કંપાવી દે એવી ઘટના સામે આવી છે. ચાર શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા હતા. બાઈકો ઉપર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો હતો જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી છતાં પણ ચારેય યુવકો દ્વારા બેફામ લાકડીઓ વરસાવવામાં આવી હતી. નિર્દયી રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. એટલી ખરાબ રીતે મહિલાને માર મારવામાં આવ્યો હતો કે તેનો હાથ સુજી ગયો હતો. લોકોના ટોળા ભેગા થઈ જતા ચારે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. બાઇક પર આવેલા ચાર શખ્સો લાકડીઓ લઈ તૂટી પડ્યાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 માર્ચના રોજ રાત્રે 11થી 11:30ની આસપાસ શહેરના નોબલનગર ટર્નિંગ પાસે મહિલા અને પુરુષ ઉપર બેફામ રીતે ચાર લોકો લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. બાઇક પર આવેલા ચાર જેટલા શખ્સો દ્વારા યુવકને માર મારવામાં આવી રહ્યો હતો. જેને બચાવવા માટે મહિલા વચ્ચે પડી હતી છતાં પણ ચારેય લોકો લાકડીઓ વડે માર મારી રહ્યા હતા. લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા ચારે શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મહિલા અને પુરુષને માર મારવામાં આવ્યો હતો તેમને અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ‘અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ’મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બીજા વીડિયોમાં પણ મહિલાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ અને સરદારનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચે ત્યારે પીડિત પરિવારજનો કહી રહ્યા છે કે કેવી રીતે માર માર્યો છે. અમે પોલીસ ચોકીમાં જ જઈશું અને ભલે ત્યાં મરી જઈએ પણ અમારે પોલીસ ચોકી જવું છે એવું કહેવા લાગ્યા હતા. મહિલાઓ પણ ખૂબ રડવા લાગી હતી અને અમને કેવો માર માર્યો છે જુઓ એમ કહીને જે ગંભીર રીતે મારામારી થઈ હતી તેના નિશાન બતાવ્યા હતા. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે રાત્રે જાહેર રોડ પર ગુંડાગર્દીથોડા દિવસો પહેલા પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી છે. શહેરમાં ગુનેગારોને જાણે કોઈ ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાની વાત કરવામાં આવી હતી. જોકે શહેરમાં જાહેર રોડ ઉપર લાકડી અને ડંડા વડે મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે પોલીસ રોડ ઉપર જો ફરતી હોય તો આવા બનાવો બને નહીં. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથીશહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના જાહેરનામાનું અમલીકરણ થતું નથી. લાકડી અને ડંડા જેવા હથિયારો લઇને લોકો બેફામ ફરતા હોય છે. શહેરમાં પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ, ઝોન એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો હોવા છતાં પણ કાયદો-વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથી. 2 દિવસ પહેલાં શાહપુરમાં દારૂના અડ્ડા પર જનતા રેડછેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓની સાથે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને પોલીસ ખૂબ જ નિષ્ક્રિયતા દાખવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહપુર વિસ્તારમાં પણ બે દિવસ પહેલા લોકોએ દરોડો પાડ્યો હતો અને ત્યારે દારૂ વેચાતો હોવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં ફૂટ-નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળકાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બુટલેગરો દ્વારા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી ત્યારે કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરે તો પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો નથી તો કેટલાક પોલીસ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. તહેવારોના સમયમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન પેટ્રોલિંગના દાવાની વચ્ચે જાહેરમાં મારામારીનો બનાવ બનતા પોલીસની નિષ્ફળતા જોવા મળી છે. જાહેરમાં મારામારી અને પોલીસની હદ વિવાદની હૈયાહોળીઘટના મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એન. બી. કલાસરિયાને દિવ્ય ભાસ્કરએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે જેથી એરપોર્ટ પોલીસમાં નોંધ કરવામાં આવી રહી છે જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.ડી.નકુમને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની હદ નક્કી કરવામાં આવી રહી છે જે જગ્યા ઉપર મારામારી થઈ છે તે જગ્યા હજી વેરીફાઈ કરવાની બાકી છે જેથી સરદારનગર પોલીસને પણ અમે કહ્યું છે. જાહેર રોડ ઉપર બેફામ પણે મહિલા અને પુરુષને માર મારવાની ઘટનામાં એરપોર્ટ અને સરદારનગર પોલીસ હદના વિવાદમાં હજી સુધી ફરિયાદ નોંધી નથી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:56 am

સુરતની જાણીતી સ્કૂલના સંચાલકને વલસાડની પરિણીતાએ ફસાવ્યા:પ્રેગ્નેન્ટ હોવાનું કહી 35 હજાર પડાવ્યા, કોલ રેર્કોડિંગ વાયરલ કરીને પરીવારમાં અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને પુણા વિસ્તારની નામાંકિત શાળાના સંચાલક સાથે વલસાડની મહિલાએ પ્રેમસંબંધ બાંધી તેમના કોલ રેકોડિંગ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી તેમજ અવારનવાર પૈસાની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા આખરે ભોગ બનનાર શાળા સંચાલકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલા ઇન્ટરવ્યૂ માટે આવીને સંપર્ક થયોપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના અને વરાછા વિસ્તારમાં રહેતા દર્શનભાઈ (નામ બદલ્યું છે) પુણા વિસ્તારમાં પ્રખ્યાત એવી શાળાનું સંચાલન કરે છે. એક વર્ષ પહેલા વલસાડમાં હાઈટ હાઉસ પાસે રહેતા મહિલા સુરત ખાતે પુણા વિસ્તારમાં આવેલ શાળામાં શાખા-2માં નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે આવતા દર્શનભાઈના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે વાતચીત થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. સ્કૂલ સંચાલક દર મહિને 10થી 15 હજાર ગૂગલ-પે પર ટ્રાન્સફર કરતામહિલાએ કહ્યું, મારા પતિની બંને કિડની ખરાબ થઈ ગયેલ હોવાથી દર મહિને 10 હજારથી 15 હજાર સુધીનો દવાનો ખર્ચ થાય છે અને હું એકલી કમાવાવાળી છું કહેતા દર્શનભાઈ તેની ઉપર દયા કરીને દર મહિને દવાના ખર્ચ પેટે પૈસા મહિલાના ગૂગલ-પે પર ટ્રાન્સફર કરતા હતાં. મળવા માટે બોલાવીને શારીરિક સંબંધની વાત કરતી ત્યારબાદ મહિલા સુરત ખાતે અવારનવાર આવી સ્કૂલ સંચાલકને મળવા માટે બોલાવીને શારીરિક સંબંધની વાત કરતી હતી. બાદમાં દર્શનભાઈને મહિલાએ અગાઉ પણ અનેક પુરુષોને પ્રેમ સંબંધમાં ફસાવી તેઓ પાસેથી પૈસા પડાવતી હોવાનો ખ્યાલ આવતા દર્શનભાઈએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પ્રેગનન્સી કીટનો ફોટો મોકલી એબોશન કરાવવા માટે 35 હજાર માંગ્યામહિલા દર્શનભાઈને વોટ્સઅપ કોલ કરી હેરાન પરેશાન કરી પૈસાની માંગણી કરતી હતી. એક દીવસ મહિલાએ દર્શનભાઈને વોટસએપ કોલ કરી, હું પ્રેગનેટ છું અને આ પ્રેગ્રન્સી મને તમારા થકી થયેલ છે. અને વોટસએપમાં પ્રેગનન્સી કીટનો ફોટો મોકલી એબોશન કરાવવા માટે 35 હજારની માંગણી કરી હતી. સ્કૂલ સંચાલકે તેની સાથે કોઈ શારીરીક સંબંધ બાધેલ ન હોય જેથી પૈસા આપવાની ના પાડી દીધી હતી. 'પૈસા નહી આપો તો, હું તમારા થકી પ્રેગનેટ છું તેવુ તમારા પરિવારને કહીશ'તો મહિલાએ કહ્યું હતું કે, તમે પૈસા નહી આપો તો આ હું તમારા થકી પ્રેગનેટ છું અને આ પ્રેગ્રન્સી મને તમારા થકી થયેલ છે. તેવુ તમારા ઘરના સભ્યોને જણાવીશ તેવી ધમકી આપી હતી. જેથી સ્કૂલ સંચાલક અસમંજસમાં પડી ગયેલ અને બદનામીનાં ડરથી કશું વિચાર્યા વગર 35 હજાર GPAY કરી દીધા હતા. પરીવારમાં અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતીમહિલાએ સ્કૂલ સંચાલકને જણાવ્યું હતું કે, મેં એબોર્શન કરાવેલ નથી જો તુ મારી સાથે વાત ચાલુ નહી રાખે તો હવે આ પ્રેગનન્સીની વાત હું તારા પરીવારને જણાવી દઈશ. એવું જણાવી દર્શનભાઈને ઇમોશનલ બ્લેકમેઈલ કરતી હતી અને ફોન પર વાતચીત ચાલુ રાખવા અને મળવા આવવા મજબુર કરતા હતાં. પરીવારમાં અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી વારંવાર નાણાંકીય માંગણીઓ કરતા હતા. મહિલાએ કોલ રેર્કોડિંગ વાયરલ કરવાની ધમકી આપીસ્કૂલ સંચાલકે પૈસાની ના પાડી ફોન નહી કરતી એવું કહેતા મહિલાએ કોલ રેર્કોડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ જો તું પૈસા નહી આપે તો સમાજમાં બદનામ કરી નાખવાની પણ ધમકીઓ આપતી હતી. સ્કૂલ સંચાલકે મહિલા સામે ફરિયાદ નોંધાવીઆમ, મહિલાએ સ્કૂલ સંચાલકને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી. જેથી અંતે કંટાળી સ્કૂલ સંચાલકે આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વલસાડની મહિલા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:54 am

ગોધરા સિવિલમાં 24 કલાકમાં 35 મારામારીના કેસ:હોળી પૂર્વે ઇમરજન્સી વોર્ડ ઇજાગ્રસ્તોથી ઉભરાયો

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં હોળીના તહેવાર પૂર્વે હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં મારામારીના કુલ 35 કેસ નોંધાયા છે, જેના કારણે ઇમરજન્સી વોર્ડ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ ગયો હતો. આ ઘટનાઓ પાછળ જૂની અદાવત, પારિવારિક ઝઘડા અને નાની બાબતોમાં થયેલી અથડામણો મુખ્ય કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર, આ 35 કેસ ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવ્યા છે. એકસાથે મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તો દાખલ થતાં હોસ્પિટલના મેડિકલ સ્ટાફ પર કાર્યભાર વધ્યો હતો. તેમ છતાં, તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. યુ.કે. વર્માએ જણાવ્યું કે, સામાન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપી રજા આપવામાં આવી છે, જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને દાખલ કરીને સારવાર અપાઈ રહી છે. હોસ્પિટલ ચોકી દ્વારા આ તમામ કેસોની નોંધણી કરીને સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા શાંતિ જાળવવા અને નશાબંધીના કડક અમલ માટે ઠેર-ઠેર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:45 am

લુણાવાડામાં બે બાઇક અથડાઈ, એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત:કંતાર ગામે અકસ્માત, યુવક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

મહિસાગર જિલ્લાના લુણાવાડાના કંતાર ગામે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કંતાર ગામના રહેવાસી શૈલેષભાઈ ખાટ પોતાની બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં શૈલેષભાઈને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઇજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવકના પગમાં ફ્રેક્ચર થયું છે. હાલમાં શૈલેષભાઈ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:36 am

ગીર સોમનાથમાં ટ્રેક્ટર રોટાવેટરમાં ફસાઈ યુવાનનું મોત:કોડીનારના નગડલા ગામે દીપા મેરનું ઘટનાસ્થળે અવસાન, પોલીસ તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નગડલા ગામે એક યુવાનનું ટ્રેક્ટરના રોટાવેટરમાં ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં ભુપતભાઈ મેરના પુત્ર દીપાનું અવસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, છાછર ગામે એક ખેડૂતના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવતી વખતે દીપા અચાનક મશીનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને જીવલેણ ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં દીપાનો જીવ જતો રહ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ ઘટના એટલી ઝડપથી બની કે કોઈને કંઈ સમજવાનો મોકો મળ્યો ન હતો. આ દુર્ઘટનાથી દીપાના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને સગાસંબંધીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. સમગ્ર નગડલા અને આસપાસના વિસ્તારોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ પરિવારને સાંત્વના પાઠવી છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહ્યા છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, તાત્કાલિક પોલીસ દળ સ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને અકસ્માતની સંપૂર્ણ હકીકત જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 8:30 am

ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં! ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર

US Israel Iran War: ઈરાન પર અમેરિકા અને ઈરાઝરાયલના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીથી ખાડીના દેશો યુદ્ધની આગમાં ભડકે બળી રહ્યા છે. ભારત પાસે માત્ર 50 દિવસ સુધી ચાલે તેટલો જ કાચા તેલ અને પેટ્રોલિયમનો જથ્થો ઉપલબ્ધ છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને ક્રૂડ સંકટનો સામનો કરવો પડી શકે તેમ છે. તેવામાં સૌથી જૂનો દોસ્ત દેશ રશિયા ભારતની પડખે આવ્યો છે. રશિયાએ કહ્યું, ભારતની મદદ માટે તૈયાર

ગુજરાત સમાચાર 4 Mar 2026 7:26 am

યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકા-ઈઝરાયલને આપ્યો ઝટકો, ખામેનેઈના મોત બાદ નવા સુપ્રીમ લીડર પસંદગી

વાઈરલ તસવીર US Israel Iran War: અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલાઓ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોત વચ્ચે ઈરાનની સૌથી શક્તિશાળી સંસ્થા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ એ ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એટલે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હોવાનો દાવો છે.

ગુજરાત સમાચાર 4 Mar 2026 7:22 am

ધુળેટીના રંગે રંગાશે ગુજરાતીઓ:પ્રાઇવેટ પૂલ ને વોટર ટેન્કર સાથે રંગોની છોળો ઉડશે, ડીજેના તાલે યુવાધન હિલોળે ચડશે

ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવશે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામશે. હોળી પાર્ટી માટે દેશ-વિદેશના DJ ગુજરાતના મહેમાન બનશે અને આ પાર્ટીમાં હોળી રમવા માટે રંગરસિયાઓ 50 હજાર સુધી ખર્ચી નાખશે. અહીં પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડશે. તો કેટલીક હાઇફાઇ પાર્ટીમાં તો ગુજ્જુઓ ધૂળેટીમાં બેલી ડાન્સર્સ સાથે ભીંજાશે. આવો જાણીએ અમદાવાદ-સુરત-વડોદરાના ટોપ પાર્ટી વેન્યૂ અને પાસની કિંમત વિશે…

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 7:00 am

ઉમરવાડામા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનના ડ્રાઈવરોને નોકરીમાંથી છૂટા કરતા હોબાળો:કોન્ટ્રાક્ટરના કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન, અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આજે ઉમરવાડા ખાતે આવેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ડ્રાઈવરોએ એકાએક વિરોધ પ્રદર્શન અને હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે એક તબક્કે સ્થાનિક કર્મચારીઓમાં ફાળ પડી હતી, જોકે ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી વિવાદોમાં!મળતી માહિતી અનુસાર, વરાછા ઝોનમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં હતી. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી હતી કે કચરો લેવા આવતા ટેમ્પોના ડ્રાઈવરો અનિયમિત છે અને કામગીરીમાં ભારે બેદરકારી દાખવી રહ્યા છે. ડ્રાઈવરોની મનમાની અને લાલિયાવાડીને કારણે સફાઈ અભિયાન પર માઠી અસર પડી રહી હતી. ડ્રાઈવરોને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરાતા હોબાળોઆ ફરિયાદોને ગંભીરતાથી લઈને સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા શિસ્તભંગના પગલાં ભરવામાં આવ્યા હતા. જે ડ્રાઈવરો વારંવાર સૂચના આપવા છતાં સુધર્યા ન હતા, તેવા લાપરવાહ ડ્રાઈવરોને નોકરી પરથી તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને નવા ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવી હતી. પોતાની નોકરી જતી રહેતા રોષે ભરાયેલા જૂના ડ્રાઈવરોએ આજે સવારે ઉમરવાડા પ્લાન્ટ પર મોરચો માંડ્યો હતો. ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કરીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યોઆજે સવારે જ્યારે કચરાના ટેમ્પો ખાલી કરવા અને નવા રૂટ પર નીકળવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ છૂટા કરાયેલા ડ્રાઈવરોએ પ્લાન્ટના પ્રવેશદ્વાર પાસે હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આકસ્મિક વિરોધને કારણે પ્લાન્ટમાં ફરજ બજાવતા સેનેટરી ઈન્સ્પેક્ટર અને અન્ય નાના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે ગરમાટો આવી ગયો હતો. અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યોઘટનાની જાણ થતા જ વરાછા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલાકોની જહેમત અને સમજાવટ બાદ આખરે મામલો શાંત પડ્યો હતો. અધિકારીઓએ મોરચો સંભાળીને વિરોધ કરી રહેલા ટોળાને વિખેર્યું હતું અને ફરી એકવાર ગાર્બેજ કલેકશનની કામગીરી પૂર્વવત કરી હતી. મામલો થાળે પડતા પ્લાન્ટના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:05 am

‘મિસાઈલનું 5 મિનિટ પહેલાં સાયરન વાગે, આ રહ્યું અમારું બંકર’:હવામાં જ રોકેટો નષ્ટ કરી દેવાઇ, માણાવદરના યુવાને વર્ણવી ઈઝરાયેલથી યુદ્ધની સ્થિતિ

હાલમાં ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. મિસાઈલના હુમલા અને વળતા પ્રહારો વચ્ચે વિશ્વભરની નજર ઈઝરાયલ પર છે. આ તણાવભરી સ્થિતિ વચ્ચે ઘણાં ગુજરાતીઓ ત્યાં રોજગાર અર્થે વસી રહ્યા છે. મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના વતની અને છેલ્લા દોઢ મહિનાથી ઈઝરાયલમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત રમેશભાઈ ડાયાલાલ ચુડાસમા (જેઓ મુન્ના ડાયા તરીકે ઓળખાય છે) તેમણે 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ઈઝરાયલની વર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા વિશે ચોંકાવનારી અને હિંમત આપનારી વિગતો શેર કરી છે. ‘માહોલ હાલ શાંત છે, હજુ પણ મિસાઈલો આવે છે’ મુન્ના ડાયાએ જણાવ્યું હતું કે, ગત શુક્રવાર અને શનિવાર ઈઝરાયલ માટે અત્યંત ગંભીર રહ્યા હતા. ઈરાન તરફથી મિસાઈલોનો મારો ચલાવવામાં આવતા વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. જોકે, રવિવારથી સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને માહોલ હાલ શાંત છે. તેમ છતાં, અચાનક વાગતી સાયરનો અને આકાશમાં દેખાતી મિસાઈલો હજુ પણ યુદ્ધની ગંભીરતાનો અહેસાસ કરાવે છે. અમે અહીં જેરૂસલેમના ગીલો ગામમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરીએ છીએ, જ્યાં ઘણી વખત હુમલાની ચેતવણી રૂપે સાયરનો સંભળાય છે. ‘મિસાઈલ આવે તેની 5 મિનિટ પહેલા મોબાઈલમાં એલર્ટ આવે’ઈઝરાયેલની સંરક્ષણ ટેકનોલોજી વિશે વાત કરતા મુન્ના ડાયાએ જણાવ્યું કે, અહીંની સુરક્ષા વ્યવસ્થા વિશ્વમાં શ્રેષ્ઠ છે. જ્યારે પણ કોઈ મિસાઈલ કે રોકેટ હુમલાની શક્યતા હોય, ત્યારે તેના 5 મિનિટ પહેલા જ દરેક વ્યક્તિના મોબાઈલમાં એક વિશેષ મેસેજ આવે છે અને જોરદાર સાયરન વાગે છે. જ્યાં સુધી વ્યક્તિ તે સાયરનને મેન્યુઅલી બંધ ન કરે ત્યાં સુધી તે વાગતી રહે છે. આ સાયરનનો અર્થ એ છે કે વ્યક્તિએ વહેલી તકે નજીકના બંકરમાં આશરો લઈ લેવો. ‘દરેક બિલ્ડિંગમાં આધુનિક બંકરોની સુવિધા’ઈઝરાયેલ સરકારના કડક નિયમો વિશે માહિતી આપતા રમેશભાઈએ જણાવ્યું કે, અહીં કોઈ પણ નવું બાંધકામ શરૂ થાય ત્યારે પાયામાં જ સૌથી પહેલા 'બંકર' બનાવવામાં આવે છે. તે ગમે તેટલા માળની બિલ્ડિંગ હોય, નીચે મોટું બંકર હોવું ફરજિયાત છે. હાલ તેઓ પાંચ માળની બિલ્ડિંગમાં કામ કરી રહ્યા છે, જ્યાં 100 લોકો એકસાથે રહી શકે તેવું વિશાળ બંકર છે. આ બંકરો માત્ર ખાડા નથી, પરંતુ તેમાં ગરમ હીટરથી લઈ જીવનજરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જ્યારે પણ સાયરન વાગે, ત્યારે તમામ શ્રમિકો કામ છોડીને સલામતી માટે બંકરમાં ઉતરી જાય છે. ઈઝરાયેલી કમાન્ડો ‘પત્તા હિલને સે પહેલે પેડ કાટ ડાલતે હૈ’ઈઝરાયેલી સેનાના સાહસ વિશે વાત કરતા મુન્ના ડાયાએ એક ફિલ્મી ડાયલોગ ટાંકીને કહ્યું કે, અહીંના કમાન્ડો એટલા ખતરનાક અને સજ્જ છે કે દુશ્મનનું મિસાઈલ ઈઝરાયલની ધરતીને સ્પર્શે તે પહેલા જ તેને હવામાં નષ્ટ કરી નાખે છે. ઈઝરાયેલની 'આયર્ન ડોમ' જેવી ટેકનોલોજી મિસાઈલોને આકાશમાં જ ફૂંકી મારે છે, જે દૃશ્યો ઘણીવાર નરી આંખે દૂર આકાશમાં જોઈ શકાય છે. ઈઝરાયલ સરકારને મોદી સરકાર પર અતૂટ ભરોસોઈઝરાયેલમાં વસતા તમામ ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂરો વિશ્વાસ છે. મુન્ના ડાયાએ જણાવ્યું કે, ગત 25-26 ફેબ્રુઆરીએ જ્યારે મોદી સાહેબ અહીં આવ્યા હતા, ત્યારથી અહીંની સરકાર પણ ભારતીયોની સુરક્ષા માટે વધુ સતર્ક બની છે. ઈઝરાયેલ સરકાર ઈચ્છે છે કે ભારતીય લોકોનો વાળ પણ વાંકો ન થાય. અહીંના કમાન્ડો અને તંત્ર અમને પૂરેપૂરી સુરક્ષા પૂરી પાડે છે. તેમણે ભારતમાં રહેતા વાલીઓને અપીલ કરી છે કે, તેઓ ગભરાય નહીં, કારણ કે તેમના સંતાનો અહીં સુરક્ષિત છે. જંગલ વિસ્તારમાં બિન્દાસ કામકાજ અને શુક્રવારની રજાહાલ ઈઝરાયેલના જંગલ વિસ્તારોમાં મોટા પાયે બાંધકામ ચાલી રહ્યું છે. મુન્ના ડાયાએ જણાવ્યું કે અહીંના લોકો અને ભારતીય શ્રમિકો બિન્દાસ રીતે કામ કરી રહ્યા છે. શુક્રવારે અહીં જાહેર રજા હોય છે અને વાહનોની અવરજવર ઓછી હોય છે, જેથી લોકોને આરામ મળે. રજાના દિવસે શ્રમિકો ખરીદી કરવા નીકળે છે અને સામાન્ય જીવન જીવે છે. જે લોકો વૃદ્ધોની સેવા (Caretaking) માટે કે ખાનગી નોકરી માટે આવે છે, તેમને પણ તેમના રહેઠાણની નીચે જ બંકરની સુવિધા આપવામાં આવે છે. આકસ્મિક સુરક્ષાની તાલીમ ફરજિયાતઈઝરાયેલમાં પગ મૂકતાની સાથે જ કોઈ પણ વ્યક્તિને સૌથી પહેલા સુરક્ષાની તાલીમ આપવામાં આવે છે. સાયરન વાગે ત્યારે કેટલા સમયમાં બંકર પહોંચવું, કેવી રીતે પોતાની સલામતી જાળવવી અને કઈ તકેદારી રાખવી તેની સંપૂર્ણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ વ્યવસ્થિત આયોજનને કારણે જ ગુજરાતીઓમાં ડરનો માહોલ નથી. તેલેવીવ અને જેરૂસલેમ જેવા શહેરોમાં અત્યારે પણ સાયરનો વાગી રહી છે અને એટેક શરૂ છે, પરંતુ ઈઝરાયેલની ટેકનોલોજી અને સૈન્યની તાકાત સામે દુશ્મનોના મનસૂબા હવામાં જ ઓગળી રહ્યા છે. મુન્ના ડાયાના જણાવ્યા મુજબ, શુક્ર-શનિ જેવી તીવ્ર પરિસ્થિતિ હાલ નથી, અને જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. ઈરાનમાં 742નાં મોત, 750 ઘાયલઅલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ દરમિયાન શરૂઆતના 30 કલાકમાં 2000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આમાં અત્યાર સુધીમાં 742 લોકોનાં મોત થયા છે, જેમાં 176 બાળકો છે. 750થી વધુ લોકો ઘાયલ થયા છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ લડાઈના પહેલા દિવસે થયેલા બોમ્બમારામાં ઈરાની સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેની માર્યા ગયા હતા. આ ઉપરાંત રવિવારે 3 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:00 am

રાજકોટના મેયરે કોનું નામ લેવાનું ટાળ્યું?:વિરોધને ‘ષડયંત્ર’ ગણાવી સાંકેતિક ઈશારો કર્યો; બાપુએ કિર્તી પટેલને ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપ્યા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:00 am

નોકરીએ જતી પત્ની પર પતિએ પેટ્રોલ રેડ્યું:કુદરતે બે વાર લાઇટર બુઝાવ્યું છતાં ન અટક્યો, સવારે રસ્તા વચ્ચે મોતનું તાંડવ શરૂ થયું

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના મંગળવારના એપિસોડમાં તમે જાણ્યું કે કામિનીને દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેની સારવાર ચાલુ હતી. 14મી ફેબ્રુઆરીએ જ્યારે દુનિયા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી ત્યારે કામિનીનું મોત નિપજ્યું હતું. પોતાના મરણોન્મુખ નિવેદનમાં કામિનીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ ચોંકાવનારો ખુલાસો શું હતો તે જાણો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં. પ્રેમના દિવસે આ દુનિયા છોડનારી કામિનીના મોત પાછળ પણ પ્રેમ જ જવાબદાર હતો. કામિનીને જીગ્નેશ રાજપૂત નામના એક યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્નેએ એકબીજાને 7 જન્મો સુધી સાથ આપવાના કોલ આપ્યા હતા. જીજ્ઞેશની આંખોમાં ત્યારે પ્રેમ હતો અને કામિનીના સપનામાં એક સુખી સંસાર. અંદાજે બારેક વર્ષ પહેલાં બન્નેએ પોતાના પ્રેમને સામાજિક ઓળખ આપવાનું નક્કી કર્યું અને દુનિયા શું કહેશે તેની ચિંતા કર્યા વગર પ્રેમ લગ્ન કરી લીધા. પ્રેમ જૂનો હતો પણ લગ્ન તો નવા-નવા હતા ને? બન્નેએ સુખ-શાંતિ ભરેલા લગ્નજીવનની કલ્પના કરી હતી. લગ્નજીવનથી કામિની અને જીગ્નેશને ત્યાં 2 બાળકીઓનો જન્મ પણ થયો હતો. શરૂઆતમાં તો બધું સરખું રહ્યું પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ પરિસ્થિતિ બદલાવા લાગી. નાનું-મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવનારા જીગ્નેશને દારૂની લત લાગી ગઇ. હવે તેને કામ મળતું પણ બંધ થઇ ગયું અને તે બેકાર રહેવા લાગ્યો હતો. ઘણીવાર કામિની પાસેથી પૈસા લઇને દારૂ પીતો હતો. જ્યારે કામિની પાસે પૈસા ન હોય ત્યારે જીગ્નેશ તેની સાથે ઝઘડો કરતો. ધીરે-ધીરે આ વાત ફક્ત ઝઘડા પૂરતી સિમિત ન રહી. હવે શાબ્દિક પ્રહારે શારીરિક પ્રહારનું રૂપ લઇ લીધું હતું. વર્ષો પહેલાંનો પ્રેમ ભૂલાઇ ગયો હતો અને દારૂ પીવાની લ્હાયમાં જીગ્નેશ કામિની પર હાથ ઉગામવા લાગ્યો હતો. બે બાળકીઓની સામે જ કામિની મારઝૂડનો ભોગ બનતી રહી. માસૂમ દીકરીઓ ખૂણામાં ભરાઇને પોતાની માને માર ખાતી જોતી રહેતી અને રડતી રહેતી. એક દિવસ કામિનીના ધૈર્યએ જવાબ દઇ દીધો. રોજ-રોજના ઝઘડા અને મારકૂટથી કંટાળીને કામિની બન્ને બાળકીઓને સાથે લઇને પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી. કામિનીને મનમાં હતું કે પિયરમાં રહેવા આવી જવાથી જીગ્નેશ તેને હેરાન નહીં કરે પણ તેની આ ધારણા ખોટી પડી. જીગ્નેશ ઘણીવાર કામિનીના ઘરે જઇને તેની સાથે બોલાચાલી કરતો. પિયરમાં રહેતી કામિની પોતાના પરિવાર પર બોજ બનવા નહોતી માંગતી. તેણે પોતાની સહેલીઓને કહીને નોકરી શોધવાનું શરૂ કર્યું હતું. જાણે કે નસીબ પણ તેને સાથ આપતું હોય તેમ કામિનીને સફળતા મળી. કામિનીને ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી મળી ગઇ. હવે તે કમાવા લાગી હતી. ઘરમાં આવક થતાં તે ખુશ હતી. સવારે 8:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નોકરી કરતી અને સાંજે ઘરે પરત ફરીને ઘરકામમાં પણ મદદ કરતી. કામિનીને આનંદ હતો કે તે હવે સ્વતંત્ર છે પણ જીજ્ઞેશ તેનો પીછો છોડવા તૈયાર નહોતો. તે ઘણીવાર રસ્તામાં ઊભો રહી જતો, ઝઘડા કરતો અને પૈસા માંગતો. ક્યારેક તો તે કામિનીની કંપનીએ જઇને તેની સાથે ઝઘડો કરતો. આમને આમ દિવસો વિતતા જતા હતા પણ એક દિવસ એવો આવવાનો હતો જે કામિનીના શાંત અને સુખી જીવનમાં તોફાન લાવવાનો હતો. કોઇએ કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના એ દિવસે બનવાની હતી. આ દિવસ પછી કામિનીનું જીવન હંમેશને માટે બદલાઇ જવાનું હતું. તારીખઃ 25 ઓક્ટોબર,2021 કામિની ઉઠીને દરરોજની જેમ આજેપણ તૈયાર થઇ રહી હતી. તૈયાર થતી વખતે તેણે પોતાની મનપસંદ સફેદ કલરની કુર્તી, પોપટી કલરની લેગીસ, બ્લુ-કેસરી-મરૂન અને લીલા કલરના પટ્ટાવાળો દુપટ્ટો અને આછા ગુલાબી રંગના ચપ્પલ પહેર્યાં હતા. તેની કુર્તી પર દિલની જુદી-જુદી ડિઝાઇન હતી. આ ડિઝાઇન જાણે કે એ વાતનો સંકેત આપતી હતી કે આજે આ દિલ પર જ ઘા થવાનો છે. સવારે આઠેક વાગ્યા આસપાસ કામિની તૈયાર થઇને કંપનીમાં તેની સાથે કામ કરતી 2 સહેલીઓ નિકીતા અને દિવ્યા સાથે નોકરી પર જવા નીકળી હતી. ઉમરગામ ટાઉન કન્યાશાળાની સામે આવેલા રસ્તા પર માછી મંદિરની ગલી પાસે ત્રણેય સહેલીઓ ઊભી રહી ગઇ અને કંપનીમાં જવા માટે રિક્ષાની રાહ જોવા લાગી. હજુ તેમને રિક્ષા નહોતી મળી. આવામાં એક અજુગતી ઘટના બની. ગ્રે કલરના ટી-શર્ટ અને બર્મુડામાં જીજ્ઞેશ ત્યાં ધસી આવ્યો. તેની આંખો લાલચોળ હતી. તેણે કામિની પાસે આવીને રૂપિયાની માગણી કરી. જીજ્ઞેશે જોરથી કહ્યું, મને 300 રૂપિયા આપ.કામિનીએ હિંમત ભેગી કરીને કહ્યું, મારી પાસે પૈસા નથી જીજ્ઞેશ, તું અહીંથી જતો રહે. આ જવાબ પછી જીજ્ઞેશ ઉશ્કેરાઇ ગયો. તે કામિનીને ધમકાવવા લાગ્યો પણ આ વખતનો ઝઘડો જુદો હતો. જીજ્ઞેશના મનમાં કંઇક પ્લાન પહેલેથી બનેલો હતો. તે પોતાની સાથે લીલા કલરની પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લાવ્યો હતો. કામિની સાથેનો ઝઘડો વધી જતાં તેણે બોટલનું સફેદ કલરનું ઢાંકણું ખોલીને તેમાં રહેલું પેટ્રોલ કામિનીના માથા પર રેડી દીધું. કામિની અને તેની 2 સહેલીઓને કંઇ ખબર જ ન પડી કે પળવારમાં શું બની ગયું પણ પેટ્રોલની તીવ્ર વાસે એટલું તો સ્પષ્ટ કરી દીધું કે જીજ્ઞેશના ઇરાદા ખતરનાક હતા. કામિની પર પેટ્રોલ રેડ્યા બાદ જીજ્ઞેશે પોતાની પાસે રહેલું પીળા કલરનું લાઇટર કાઢ્યું. લાઇટરમાં અડધો ગેસ ભરેલો હતો. ટિક....એવા અવાજ સાથે જીજ્ઞેશે લાઇટર ચાલુ કર્યું. આગની જ્વાળા પ્રગટી પણ પવને તેને ઓલવી નાખી. જીજ્ઞેશે બીજો પ્રયાસ કર્યો. ફરી લાઇટર સળગ્યું પણ ફરી જ્વાળા ઓલવાઇ ગઇ. જાણે કુદરત જીજ્ઞેશને કહી રહી હતી કે હજુ પણ રોકાઇ જા, આવું પાપ ન કર. લાઇટરની જ્વાળા ઓલવાઇ ગઇ એટલે જીજ્ઞેશના મનમાં ગુસ્સો વધી ગયો. હવે કામિનીને પતિના ઇરાદાની ખબર પડી ગઇ હતી. તે જાણી ગઇ હતી કે જીજ્ઞેશ તેને સળગાવવાની કોશિષ કરી રહ્યો છે એટલે તેણે ત્યાંથી ભાગવાનું નક્કી કર્યું. 25-30 સેકન્ડના સમયમાં જ આખો ઘટનાક્રમ બની ગયો. કામિનીએ જીજ્ઞેશને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી. જીજ્ઞેશ તેની પાછળ દોડ્યો. કામિની હજુ તો માંડ 10 ડગલાં ભાગી હશે ત્યાં જીજ્ઞેશે તેને પકડી લીધી અને લાઇટરથી આગ ચાંપી દીધી. એક તો કામિનીના શરીર પર પેટ્રોલ ઢોળાયેલું હતું અને આગની જ્વાળા અડી જતાં તે રસ્તા પર જ ભડભડ સળગી ઉઠી. તેના મોઢામાંથી બચાવો... બચાવો...ની બૂમ નીકળવા લાગી. ક્ષણવારમાં કામિનીની સફેદ કુર્તી પરના દિલ આગની જ્વાળાઓમાં ફેરવાઇ ગયા. કામિનીની 2 સહેલીઓ નિકીતા અને દિવ્યા આ દૃશ્ય જોઇને સ્તબ્ધ બની ગઇ. નિકીતા પાસે પાણીની 1 લીટરની સફેદ કલરની બોટલ હતી. તેણે તરત જ બોટલનું ઢાંકણું ખોલ્યું અને સળગી રહેલી કામિની પર ધ્રૂજતા હાથે પાણી રેડી દીધું. એક લીટર પેટ્રોલથી લાગેલી આગ એક લીટર પાણીથી ક્યાં બુજાવાની હતી? કામિની સળગતી રહી. તેની કુર્તી અને લેગીસ અડધા બળી ગયા. તે તડપતી રહી. તેની આસપાસ 4 ફૂટના ઘેરાવામાં બધું બળવા લાગ્યું હતું. કામિનીના વાળ, માથામાં પહેરેલું બક્કલ સળગી ગયા અને નીચે જમીન પર પડ્યા. જાહેર રસ્તા પર એક સ્ત્રીને સળગતી જોઇ ચારેકોર હોહા મચી ગઇ. એટલી વારમાં કામિનીના સાસુ સુનિતાબેન પણ ત્યાં દોડીને આવી ગયા. બધાએ સાથે મળીને આગ ઓલવવાની કોશિષ કરી. થોડીવારમાં આગ તો ઓલવાઇ ગઇ પણ કામિનીનું શરીર 42 થી 45% જેટલું બળી ગયું હતું. તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ. એમ્બ્યુલન્સ પહોંચી અને કામિનીને સૌથી પહેલાં મમતા હોસ્પિટલ લઇ ગઇ. આમ કામિનીએ જેના પ્રેમ માટે દુનિયા સામે બાથ ભીડી હતી તે જ પતિએ તેને જીવતી સળગાવી દીધી. દમણની મરવડ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આપેલા મરણોન્મુખ નિવેદનમાં કામિનીએ પોતાના પતિનું નામ આપ્યું હતું. આ નિવેદન જ જીજ્ઞેશને જેલમાં પહોંચાડવા માટે પૂરતું હતું. આ કેસમાં પોલીસે કામિનીના પતિ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્ટે કામિનીના પતિને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. હાલ જીજ્ઞેશ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે. નોકરીએ જતી પત્ની પર પતિએ પેટ્રોલ રેડ્યું, વાંચો પાર્ટ-1

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 6:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત પાસે માત્ર 25 દિવસનું ઓઈલ બચ્યું, મશહદમાં દફનાવવામાં આવશે ખામેની, દિવસ-તારીખ અનિશ્ચિત; મોદી-શાહને ટાર્ગેટ કરી સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો ઝડપાયો

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનું ક્રૂડ ઓઈલ બચ્યું હોવા અંગેના રહ્યા. જ્યારે બીજા સમાચાર ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે એ અંગેના રહ્યા, જો કે હજુ એની તારીખ કે સમય હજુ નક્કી નથી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં આજે હોળીનો તહેવાર મનાવવામાં આવશે. 2. વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. કાલના મોટા સમાચારો 1. ભારત પાસે માત્ર 25 દિવસનું ઓઈલ બચ્યું:સરકાર નવા સપ્લાયર્સની શોધમાં, રશિયા બન્યું આશાનું કિરણ; હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનો કોઈ પ્લાન નથી પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનો ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલ અને રિફાઈન્ડ ઓઈલનો સ્ટોક બચ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ દેશની એનર્જી સિક્યોરિટીને લઈને આ અપડેટ સરકારી સૂત્રો અનુસાર આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને કાચા તેલ, LPG અને LNG માટે વૈકલ્પિક દેશો સાથે વાતચીત કરી રહી છે, જેથી સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ ન આવે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મશહદમાં દફનાવવામાં આવશે ખામેની, દિવસ-તારીખ નક્કી નથી:સુપ્રીમ લીડરની જાહેરાત આવતા સપ્તાહે શક્ય; ઈઝરાયેલનો દાવો- 4 દિવસમાં ઈરાનના 300 મિસાઈલ લોન્ચર નષ્ટ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે. જોકે દિવસ-તારીખ નક્કી નથી. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી 'ફાર્સ' મુજબ ખામેનીને ઈમામ રઝા (અલૈહિસ્સલામ)ની દરગાહ પાસે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ખામેનીનો જન્મ પણ 1939માં મશહદમાં જ થયો હતો. ઈરાનના આગામી સુપ્રીમ લીડરની જાહેરાત ખામેનીને દફનાવ્યા પછી જ કરવામાં આવશે. મંગળવારે સમાચાર આવ્યા હતા કે કોમમાં 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા સુપ્રીમ લીડરની પસંદગી માટે વોટિંગ કરવામાં આવ્યું છે. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સમાં 88 સભ્યો હોય છે, જે દેશના સુપ્રીમ લીડરને પસંદ કરે છે. ખરેખર, 28 ફેબ્રુઆરીએ US-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત થયું હતું. ત્યારથી આ પદ ખાલી છે. જોકે ઈરાની વિપક્ષ સાથે જોડાયેલા ઈરાન ઈન્ટરનેશનલનો દાવો છે કે એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે IRGC ના દબાણમાં ખામેનીના પુત્ર મોજતબાને આગામી સુપ્રીમ લીડર તરીકે પસંદ કરી લીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇઝરાયલ-ઇરાન યુદ્ધઃ દિલ્હી-મુંબઈ સહિત 4 એરપોર્ટ પર 250+ ફ્લાઇટ્સ રદ:દુબઈથી 149 મુસાફરો દિલ્હી અને 217 ચેન્નાઈ પરત ફર્યા આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે, મંગળવારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ એરપોર્ટ પર 250થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાં દિલ્હીથી 80+, મુંબઈથી 107, બેંગ્લોરથી 42 અને ચેન્નાઈથી 30 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આજે ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત સામે આજે જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા. બાંદીપોરાના શાદીપોરામાં, શિયા સમુદાયે ખામેનીના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું. શ્રીનગર સતત બીજા દિવસે બંધ રહ્યું. ભારત સરકારે તમામ રાજ્યોને ઉશ્કેરણીજનક ભાષણો માટે એલર્ટ રહેવા જણાવ્યું છે. આજે સતત ચોથા દિવસે દિલ્હી એરપોર્ટ પર 80થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જોકે, આજે સવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI916D 149 મુસાફરો અને 8 કેબિન ક્રૂ સાથે દિલ્હી પહોંચી હતી. દુબઈમાં ફસાયેલી ભારતીય શટલર પીવી સિંધુ પણ પરત ફરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચાંદી ₹20 હજાર, સોનું ₹7 હજાર સસ્તું:1 કિલો ચાંદી ₹2.68 લાખ, 10 ગ્રામ સોનું ₹1.58 લાખ થયું; વાયદા બજારમાં પ્રોફિટ બુકિંગથી ભાવ ઘટ્યા વાયદા બજાર (MCX)માં પ્રોફિટ બુકિંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 3 માર્ચે વાયદા બજારમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા (7%) ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2.58 લાખ રૂપિયા પર આવી ગયો છે. સોમવારે તે 2.78 લાખ રૂપિયા પર હતી. જ્યારે, સોનામાં પણ લગભગ 7 હજાર રૂપિયા (4%)નો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનું 1.59 લાખ રૂપિયા પર આવી ગયું છે. સોમવારે તે 1.66 લાખ રૂપિયા પર હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન રાજ્યસભા જશે:6 રાજ્યોમાંથી 9 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર; 37 બેઠકો પર 16 માર્ચે ચૂંટણી ભાજપે મંગળવારે રાજ્યસભા માટે 9 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન બિહારથી રાજ્યસભા જશે. તેમના સિવાય યાદીમાં શિવેશ કુમારનું પણ નામ છે. છત્તીસગઢથી ભાજપે લક્ષ્મી વર્માને ઉમેદવાર બનાવ્યા છે. આસામથી તેરાશ ગોવાલા, જોગન મોહન, હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સામલ, સુજીત કુમાર અને પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહા ઉમેદવાર છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. મોદી-શાહને ટાર્ગેટ કરી સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો ઝડપાયો:ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની ધમકી આપી હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ.બંગાળથી દબોચ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બની ધમકીભર્યા ઇમેલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે.બોમ્બની ધમકીના મેસેજ કરનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે.બોમ્બની ધમકીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પ્રથમ વખત આરોપીની ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલો અને નીચલી અદાલતને ખાલિસ્તાનના નામે ઇમેલ કરનાર બિશ્વાસ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. ઇ-મેલ કરનાર કોઈ એક આરોપી નથી,હાલ એક આરોપી ઝડપાયો છે,બાકીના આરોપીઓની તપાસ ચાલી રહી છે.ક્રાઈમ દ્વારા હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.પકડાયેલા આરોપી હાઈકોર્ટને મળેલા ઇ-મેલ કર્યા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય ફૂલ ડોલોત્સવ:દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પાવન ભૂમિ પર ઉમટ્યાં; શામળાજીમાં આસ્થા સાથે અબીલ-ગુલાલની છોળો ઊડી યાત્રાધામ દ્વારકામાં આજે હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ અને ‘દ્વારકાધીશ કી જય’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર નગરી કૃષ્ણમય બની હતી. જગતમંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે શામળાજીના શામળાજી મંદિરમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ હતી. બંને મંદિરો ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને અબીલ-ગુલાલની છોળો ઊડી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઉત્તરાખંડમાં હોળી પછી વરસાદ અને હિમવર્ષાની સંભાવના:MPના 11 જિલ્લાઓમાં તાપમાન 33Cથી વધુ, રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 23C વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારત ફરી વધારશે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી:95 લાખ બેરલ તેલ પર નજર; ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સપ્લાય અટકી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મથુરામાં સળગતી હોળીમાંથી નીકળ્યો યુવક, VIDEO:25 ફૂટ ઊંચી ધગધગતી જ્વાળાઓ, સહેજ પણ દાઝ્યો નહીં; વિદેશીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલે ટ્રાફિક કેમેરા હેક કરીને ખામેની પર હુમલો કર્યો:વર્ષો સુધી નજર રાખી, ઓફિસ પર 30 મિસાઈલો છોડી, 40 અધિકારીઓ પણ માર્યા ગયા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : એપલનો સસ્તો સ્માર્ટફોન આઈફોન 17e ભારતમાં લોન્ચ:48MP ફ્યુઝન કેમેરા અને A19 ચિપસેટ, M4 પ્રોસેસર સાથેનો અપડેટેડ આઈપેડ એર પણ રિવીલ કરાયો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : 'ખેલાડીઓને બલિનો બકરો ન બનાવો':મોહમ્મદ આમિરે PCBના એક્શન પર ઝાટકણી કાઢી; ચેરમેન મોહસિન નકવીને પણ ચેતવણી આપી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 19 માર્ચથી શરૂ થશે ચૈત્ર માસ:નવરાત્રિ, ગુડી પડવો, રામ નવમી અને હનુમાન જન્મોત્સવ જેવા મોટા વ્રત-પર્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ મહિલાએ એકસાથે બે પુરુષો સાથે લગ્ન કર્યા થાઈલેન્ડની 37 વર્ષીય ડુઆંગડુઆન કેતસારોએ એકસાથે બે વરરાજાઓ સાથે લગ્ન કર્યા છે. બંને વરરાજા ઓસ્ટ્રિયાના રહેવાસી છે. પરસ્પર સંમતિ અને સમજદારી બાદ ત્રણેયે લગ્નનો નિર્ણય લીધો હતો. મહિલા અગાઉ પરિણીત રહી ચૂકી છે અને તેમને ત્રણ બાળકો તથા બે દૌહિત્રી-પૌત્રો પણ છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : જોઈ લો, જય-વીરૂની જમાવટ:કોણ બનશે હોળીનું નારિયેળ?; પૂર્ણેશ મોદીએ સુરતમાં પગ મુક્યો ને મ્યાનમાંથી તલવાર કાઢી, જુઓ VIDEO 2. ભાસ્કર એક્સપ્લેનર : ખામેનીને રાત્રે મારવાના હતા, તો સવારે કેમ માર્યા?:અમેરિકાએ ખામેનીને મારવા ગજબની જાળ બિછાવી; ખામેનીએ કહેલું કે- હું ભાગી જઈશ તો કાયર ગણાઈશ 3. શું મેરઠમાં મળેલી લાશ પર યુપી પોલીસ જૂઠું બોલી?:મરનાર અર્ચિતા કે તુર્કમેનિસ્તાનની મુહબ્બત; માતાએ કહ્યું- જાણ કર્યા વગર જ મૃતદેહ સળગાવી દીધો 4. નેપાળનું થામેલ, સેક્સ વર્કર્સની નાઈટ લાઈફ ઠપ:રાત્રે 10 વાગતાં જ માર્કેટ બંધ ને એજન્ટો એક્ટિવ, અત્યારે ચૂંટણીના કારણે સ્પા સેન્ટરને તાળાં લાગી ગયાં છે 5. દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવી જૈન સંસ્થા:હોટલના મોંઘા ભાડા વચ્ચે સસ્તામાં રહેવા-જમવાની સુવિધા શરૂ કરી, દર્દીઓને દવા પૂરી પાડી 6. અંતે મોતે કામિનીનું સરનામું શોધી જ લીધું!:ટ્રાફિકને ચીરીને દોડી રહેલી એમ્બ્યુલન્સમાં 32 વર્ષની કાયા કણસી રહી હતી, એક ઘટનાએ બધા સપનાં ખાખ કરી દીધા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન જાતકોના સંબંધોમાં આવશે મીઠાશ, ધન-મકર જાતકો માટે ભાગ્યશાળી રહેશે ધુળેટી; જાણો અન્ય રાશિ માટે આજનો દિવસ કેટલો 'રંગીન' (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 5:00 am

તપાસ:મેમણવાડા વિસ્તારમાં 2 યુવાનોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા 2 યુવાનોએ મેમણવાડા વિસ્તારમાં જાહેરમાં ફીનાઇલ પી.આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ યુવાનોને અમુક સખ્સો ત્રાસ આપતા હોવાથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની મળતી વિગતો અનુસાર ખારવાવાડ વિસ્તારમાં રહેતા જુલાયા સમીર યુસુફ અને કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંધી મુશરફ મુર્તુજા નામના બે યુવાનોએ સોમવારે રાત્રીના ફિનાઈલ પી લેતા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટના બાદ બંને યુવાનોને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવાનોએ એવા આક્ષેપો કર્યા હતા કે સમીર કાદરી, અજીમબાપુ કાદરી અવાર નવાર ધાક ધમકીઓ આપતા હતા અને અગાઉ અમને બે વાર માર પણ મરાયો છે સોમવારે પણ જકાતનાકા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે જુબેર,સમીર યુનુસ કાદરીએ રોકી અને ધાકધમકી આપી હતી. જેથી બંને યુવાનોએ મેમણવાડા વિસ્તારમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધમકી આપી મારમાર્યો તેમજ ખોટી ફરિયાદ કરાવતા આ પગલું ભર્યું હું અને મારો મિત્ર બંને બેઠા હતા ત્યારે આ શખ્સો ત્યાં આવ્યા હતા અને મારા મિત્રને મારવા લાગ્યા હતા.આગાઉ આ શખ્સો દ્વારા મારી ઉપર ખોટી ફરિયાદો પણ કરાવી હતી.જે બાબતે આગેવાનોને પણ કરી હતી પણ કોઈનું હાલતું નથી જેથી અમે અમારી રીતે જ મરી જવા આ પગલું ભર્યું હતું-સમીર યુસુફ

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

વસૂલાત ઝુંબેશ:મનપાએ 11 ટીમો મેદાનમાં ઉતારી‎57.23 લાખની વેરા વસૂલાત કરી‎

પોરબંદર શહેરમાં હાઉસ ટેક્સ વસૂલાત વધારવા માટે પોરબંદર મનપા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીની સૂચના મુજબ હાઉસ ટેક્સ વિભાગ દ્વારા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર મિતેષ કોટેચાની સૂચનાથી કુલ 11 ટીમો બનાવવામાં આવી છે, આ ટીમ સવારથી સાંજ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લાંબા સમયથી વેરો ન ભરનાર બાકીદારો પાસેથી વસૂલાત કરવાની કામગીરી કરી રહી છે.મનપા વિસ્તારમાં હાઉસ ટેક્સનું કુલ માંગણું અંદાજે રૂ.40 કરોડ જેટલું છે. તેમાં ચાલુ વર્ષનું અંદાજિત રૂ.18 કરોડ જેટલું બાકી માંગણું છે. આ બાકી રકમ વસૂલવા માટે વિભાગે ખાસ આયોજન કર્યું છે અને ટીમોને અલગ-અલગ ઝોનમાં વહેંચીને કામગીરી તેજ કરવામાં આવી છે. ખાસ કરીને કેટલીક ફેક્ટરીઓ લાંબા સમયથી બંધ હોવાથી તેમજ મિલ્કતો અંગે કોર્ટ કેસ ચાલી રહ્યા હોવાથી તેમાંથી માતબર રકમનો ટેક્સ વસૂલાત પ્રક્રિયા અટવાઈ છે. ગત ફેબ્રુઆરી માસમાં 57,23,648 રૂપિયાની હાઉસ ટેક્સ વેરાની વસૂલાત થઈ છે. શહેરના વિકાસ કાર્યો માટે હાઉસ ટેક્સ મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત છે, જેથી લાંબા સમયથી બાકી રહેતા વેરા વહેલી તકે ભરપાઈ કરી દેવા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ અપીલ કરી છે. અત્રે નોંધનીય છેકે, પોરબંદર મનપા વેરા વસૂલાત માટે કમર કસી રહી છે . શહેરીજનોએ સ્વૈચ્છિક રીતે હાઉસ ટેક્સ ચૂકવી શહેરી વિકાસ માટે મદદરૂપ થવું જોઇએ.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ:મેંદરડા પાસે વાઈલ્ડ વાડી કોટેજ રિસોર્ટના સંચાલક સામે કાર્યવાહી

મેંદરડા પાસે આવેલા 'વાઈલ્ડ વાડી કોટેજ' રિસોર્ટના સંચાલક વિરુદ્ધ પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. મંગળવાર બપોરે મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા નતાડીયા ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન 'વાઈલ્ડ વાડી કોટેજ' રિસોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.​તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે રિસોર્ટ સંચાલક લાલજીભાઈ વિનુભાઈ મકવાણા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. નિયમ મુજબ હોટલ કે રિસોર્ટમાં આવતા મુસાફરોની સંપૂર્ણ વિગત મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટરમાં નોંધવી અને તેમના અસલ આઈડી પ્રૂફની નકલ મેળવવી ફરજિયાત છે. જોકે, આ રિસોર્ટમાં ગેસ્ટ ઇન-આઉટનો સમય, મુસાફરોની સહી કે આઈડી. પ્રૂફની નકલો રાખવામાં આવી નહોતી.​આ ઉપરાંત, સીસીટીવી કેમેરાના બેકઅપ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક વિગતો મળી ન હતી. આ બેદરકારી બદલ મૂળ વિસાવદર તાલુકાના ખાંભા ગીર ગામના લાલજી મકવાણા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ મેંદરડા પાસે રિસોર્ટના સંચાલક વિરૂદ્ધ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

કાર્યવાહી:NCTEના નકલી લેટરમાં સહી કરી બીએડ કોલેજ ચલાવનાર 3 સામે ગુનો

ઊના તાલુકાના ભાચા ગામે એનસીટીઇનો નકલી લેટર, સહી કરી બીએડ કોલેજ ચલાવનાર 3 સામે શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ફરિયાદ આધારે જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ઊના તાલુકાના ભાચા ગામે કાર્યરત બી. એમ. નાંડોળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનીતાબેન બચુભાઈ નાંડોળા બી. એડ કોલેજને દિલ્હી સ્થિત એનસીટીઈની માન્યતા ન હોવા છતાં કોલેજ શરૂ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આથી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશચંદ્ર ગેલાભાઈ પરમારે સોમવારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રજીસ્ટ્રારની ફરિયાદ અનુસાર શ્રીમતી વનીતાબેન બચુભાઈ નાંડોળા બી. એડ કોલેજના મેનેજમેન્ટના કર્તાહર્તા તથા તે સમયના પ્રિન્સિપાલે પોતાની બી. એડ કોલેજને એનસીટીઇ દિલ્હીની માન્યતા ન હોવા છતાં તેના ખોટા લેટરપેડમાં પોતાની કોલેજને માન્યતા મળી હોવાનો એનસીટીઇના રિજીયોનલ ડાયરેક્ટરની ખોટી સહી વાળો લેટર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. એટલું જ નહીં કોલેજમાં બી.એડનો અભ્યાસક્રમ શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી છાત્રોની શૈક્ષણિક કારકિર્દીને નુકસાન કરી તેમજ કોલેજને મળેલ માન્યતાનો લેટર બનાવટી હોવાનું યુનિ.ના રજીસ્ટ્રારને ધ્યાન પર આવ્યું હતું. આથી લેટરનું વેરિફિકેશન દિલ્હી ખાતે કરાવવામાં આવતા લેટર પણ બનાવટી હોવાનું જણાયું હતું. અને બનાવટી વેરિફિકેશનનો પ્રત્યુતર લેટર એનસીટીઈ દિલ્હીના નામેથી મોકલનાર શખ્સે પણ યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરી હતી. આ ફરિયાદ આધારે તાલુકા પોલીસે શ્રીમતી વનીતાબેન બચુભાઈ નાંડોળા બી. એડ કોલેજના મેનેજમેન્ટના કર્તાહર્તા, તે સમયના પ્રિન્સિપાલ અને બનાવટી પ્રત્યુતર લેટર મોકલનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

આયોજન:કેમેરાની મદદથી સૌથી વધુ ગુના ઉકેલનાર નેત્રમ શાખાને 18મી વખત એવોર્ડ એનાયત

સીસીટીવી કેમેરાની મદદથી સૌથી વધુ ગુના ઉકેલવા બદલ જૂનાગઢ નેત્રમ શાખાને 18મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે એનાયત કર્યો હતો. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી ’પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સુત્રને સાર્થક કરવા એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી નેત્રમ શાખાના પીએસઆઇ એચ. પી. મકવાણા સહિત 25 પોલીસ ફરજ બજાવે છે. ડીજીપી કચેરી ખાતે નિયુક્ત કમીટી દ્વારા રાજ્યના તમામ જીલ્લાની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવતા ઓક્ટોબરથી ડિસેમ્બર 2025ના 3 મહિનામાં 3156 કેસનો ઉકેલ લાવી રૂપિયા 23.80 કરોડનો મુદ્દામાલ રિકવર કરવા સબબ જૂનાગઢ નેત્રમ શાખાને બનાવ ભેદ ઉકેલવાની કેટેગરીમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો. જેને લઇ મહિલા પોલીસ કર્મી દક્ષાબેન પરમાર તથા પ્રજ્ઞાબેન જોરાને ગાંધીનગર ખાતે ડીજીપી ડો. કે. એલ. એન. રાવે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. આ સન્માન બદલ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતનાએ નેત્રમ શાખાને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ચકચાર:મજાકમાં ગાળાગાળી બાદ જામકાના યુવકની હત્યા‎

મજાકમાં ગાળાગાળી બાદ ઉશ્કેરાઈ જઈને જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં જામકા ગામના 19 વર્ષીય રાશીશ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીને મિત્ર રોનક ચૌધરીએ છરી મારી પતાવી દીધો હતો. પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો. જામકા ગામે રહેતા રાશીશ ઉર્ફે ભયુ લાઈટ ડેકોરેશનના કામ માટે બોટાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. સોમવારે વહેલી સવારે જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાયો હતો. જ્યાં સોમવારે બપોરે સારવાર દરમ્યાન રાશીશ ઉર્ફે ભયુનું મૃત્યુ નિપજ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મૃતક યુવક તેના ઘરેથી બોટાદ જવા માટે વિસાવદર રવિ સોલંકીને ત્યાં ગયો હતો બાદમાં રવિનો પિતરાઈ હર્ષદ સોલંકી ઈકો લઈને જૂનાગઢ આવતો હોય તેની સાથે શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવ્યો હતો. અહીં અમિત સોલંકી, રોનક ચૌધરી વગેરે ભેગા થયા હતા અને આ પછી કડીયાવાડમાં રહેતા મિત સોલંકીના ઘરે ગયા હતા. જ્યાં એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા ત્યારે રોનક અને રાશીશ ઉર્ફે ભયુ મશ્કરી કરતા હતા તે દરમિયાન રોનક ચૌધરીએ ઉશ્કેરાઈ જઈને પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઘા યુવકને થાપાના ભાગે ઝીંકી દેતા લોહીલોહાણ થઈ ગયો હતો. આથી તેને ઈકોમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી તેને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવતા સારવાર દરમિયાન રાશીશ ઉર્ફે ભયુનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે મૃતકની બહેન નેહાબેનની ફરિયાદ લઈ આરોપી રોનક ચૌધરીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની સ્ટોરી ઉભી કરી હતીઆરોપી રોનકે રાશીશને ટુ-વ્હીલર પરથી પડી જવાથી ઇજા થયાનું જણાવી અકસ્માતની સ્ટોરી ઉભી કરી હતી. રાજકોટ સિવિલમાં રીફર કરાતા જ્યાં સારવારમાં મૃત્યુ થતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાયુ હતું જેમાં તિક્ષણ હથિયાર લાગવાથી ઇજા થઇ હોવાનું સામે આવતા રાશીશ ઉર્ફ ભયુની રોનકે હત્યા કર્યાનો ભંડાફોડ થયો હતો. > હિતેશ ધાંધલ્યા, ડીવાયએસપી

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

વિશેષ વોચ:ધુળેટીના દિવસે ચાલુ બાઈકમાં રંગ ઉડાડશો તો લોકઅપમાં ધકેલાશો

રંગોનું પર્વ ધુળેટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ તહેવારની ઉલ્લાસ સાથે ઉજવણી માટે લોકો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે ધૂળેટી દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને ધૂળેટીના દિવસે ચાલુ બાઈકમાં રંગ ઉડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સીટી ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, શહેરમાં ધુળેટીનું પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ સહિતના વિસ્તાર, માર્ગો પર ચાલુ ટુ-વ્હીલર પરથી રંગ ઉડાવનાર શખ્સો પર વિશેષ વોચ રાખવામાં આવશે. આ માટે ઝાંઝરડા રોડ પર ચેકપોસ્ટ શરૂ કરાશે ઉપરાંત સીસીટીવી કેમેરાના માધ્યમથી મોનિટરિંગ કરી નજર રાખવામાં આવશે. આટલો બંદોબસ્ત રહેશેધુળેટી પર્વ પર શહેરમાં એ, બી, સી ડિવિઝન અને ભવનાથ વિસ્તારમાં 4 પોલીસ ઇન્સ્પેક્ટર, 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 127 પોલીસ કર્મીઓ અને 59 હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

સુંદરતા પર ગ્રહણ:નરસિંહ મહેતા સરોવરના કાંઠે વેલનું સામ્રાજ્ય વધ્યું, વેલ દૂર કરવામાં માંગ

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠે ઘણા સમયથી જંગલી વેલનું સામ્રાજ્ય સતત વધી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં રસ્તા પહોળા કરવા, લાઈટિંગ અને સુશોભન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં મનપા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ​સરોવરના પાણી પર વેલ પથરાઈ જવાથી જળચર જીવો સામે જોખમ ઊભું થયું છે અને બ્યુટીફિકેશનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જણાય છે. સરોવર કિનારે ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે, છતાં સફાઈ અભિયાન હાથ ધરવામાં ન આવતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર વહેલી તકે વેલ દૂર કરે તેવી લોકમાંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

આયોજન:ઉપરકોટમાં પાર્કિંગ, પ્રવાસી સેન્ટર બનશે‎

સરકાર દ્વારા જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા અને હર્ષદ માતાના મંદિર માટે કરોડોના ખર્ચની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ આ આંકડાઓની માયાજાળ પાછળ અનેક સવાલો ઉભા થયા છે. ઉપરકોટ કિલ્લો જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, ત્યાં મજવેડી ગેટ પાસે ફેસિલિટી સેન્ટર અને પાર્કિંગ માટે માત્ર 1.07 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શું આટલી નજીવી રકમમાં પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળશે કે પછી આ માત્ર કાગળ પરના જ ઘોડા છે?બીજી તરફ, હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે સીધા 20.09 કરોડ રૂપિયાના કામોનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે. એકતરફ ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઠાગાઠૈયા અને બીજી તરફ ધાર્મિક સ્થળોએ કરોડોની લહાણી પાછળ તંત્રની કઈ નીતિ કામ કરી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરકોટમાં લિફ્ટની વાતો માત્ર ભવિષ્યના ભાણા જેવી છે, જ્યારે વાસ્તવિકતામાં અત્યારે પ્રવાસીઓએ સુવિધાઓના અભાવે હેરાન થવું પડી રહ્યું છે.તંત્રના આ ભેદભાવભર્યા વલણથી જૂનાગઢના સ્થાનિકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિરાસતને સાચવવાના નામે માત્ર 'ટીચકી' ભરી રકમ ફાળવીને સરકાર જૂનાગઢ શહેરનો કયો વિકાસ કરવા માંગે છે તે સમજાતું નથી. ઉપરકોટ કિલ્લો : 1.07 કરોડ - પાર્કિંગ - ફેસિલિટી, કામ અધૂરું રહેવાની ભીતિ. હર્ષદ માતા મંદિર : 20.09 કરોડ - સર્વગ્રાહી વિકાસ | જંગી રકમ સામે ભ્રષ્ટાચારની આશંકા | લિફ્ટની સુવિધા| માત્ર જાહેરાત, નક્કર અમલ નહીં.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

વિશિષ્ટ કાર્યક્રમ:કર્મચારીઓને ESICના શું લાખો મળે ?

શહેરના લિયો રિસોર્ટ ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને તેમના કાયદેસરના હકો અને ઇ.એસ.આઈ.સી દ્વારા મળવા પાત્ર વિવિધ લાભોથી માહિતગાર કરવાનો હતો. આ પ્રસંગે યતીન કોટેચા તેમજ અધિકારી અમરભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે, ESIC એ માત્ર એક વીમો નથી પરંતુ કર્મચારીઓ માટે મુશ્કેલ સમયનું મજબૂત સુરક્ષા કવચ છે. જે કંપનીઓ પોતાના કર્મચારીઓનું પ્રીમિયમ ભરે છે, તેમના કર્મચારીઓને માંદગી કે અકસ્માત જેવી કટોકટીના સમયે સરકાર તરફથી વ્યાપક સુરક્ષા મળે છે. આ યોજના હેઠળ કર્મચારીને માત્ર મફત સારવાર જ નથી મળતી, પરંતુ સરકાર વળતર ચુકવે છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

આરોગ્ય તંત્રમાં દોડધામ:ગ્રામ્યમાં કોલેરાનો કોઈ કેસ નહીં, 5563 ઘરનો સર્વે

જામનગર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં કોલેરાએ પગપેસારો કર્યો હતો જેમાં લાલપુર સહિત પંથકમાં અડધો ડઝન કેસોના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જે દરમિયાન મંગળવારે કોલેરાનો કોઇ નવો કેસ સામે આવ્યો ન હતો.જયારે જિલ્લામાં કુલ આઠ પૈકી સાત દર્દી અગાઉ જ ડીસ્ચાર્જ થયા હતા જયારે હજુ એક દર્દી સારવાર હેઠળ હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. લાલપુરમાં પાંચ સહિત પંથકમાં છ કોલેરાના કેસોએ આરોગ્ય તંત્રને દોડતુ કર્યુ હતુ. જે દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે પણ કામગીરીનો અવિરત ધમધમાટ હાથ ધરાયો હતો.આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા 5,563 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 25,658ની વસ્તીને આવરી લેવાઇ હતી.જય સાથે અત્યાર સુધીમાં કુલ 37,271 કલોરીન ટેબલેટનુ વિતરણ કરાયુ હતુ તદુપરા઼ત 633 ઓઆરએસ પેકેટસનુ વિતરણ પણ કરાયુ હતુ.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સંબંધિત ગ્રામ્ય પંથકમાં ડોર ટુ ડોર સર્વે સહિતની આરોગ્ય વિષયક કામગીરી વેગવંતી બનાવાઇ છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ:હોળીના પર્વને લઈને સ્પેશિયલ ડ્રાઈવ 1325 વાહનો ચેક, 276 સામે પગલા

શહેર-જિલ્લામાં હોળી- ધુળેટીના પર્વની શાંતિપુર્ણ માહોલમાં લોકો ઉજવણી કરે, તેમજ નશો કરી જાહેરમાં ઘુમનારાઓ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે હોળીના તહેવારમાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 1325 વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં એક વાહન ડીટેઈન કરવામાં આવ્યું છે. તેમજ 185 હેઠળ 1, હથિયારભંગના 6 તેમજ 281 અને 285 હેઠળ એક-એક કેસ કરવામાં આવ્યો છે. તેમજ ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનના કેસ, ફ્રેન્સી નંબર પ્લેટવાળા મળીને કુલ 45 કેસ કરવામાં આવ્યા છે. તેમજ 221 વાહન ચાલકો પાસેથી રૂ.98,700 હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત VOC તથા ઈ-ચલણ દંડની 67,800ની પાવતીઓ આપવામાં આવી છે. આ સ્પેશ્યલ ટ્રાફીક ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારા શંકાસ્પદ વાહન ચાલકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના આ ચેકીંગથી વાહન ચાલકો ગલીઓમાં પકડી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

પરંપરા:જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની ઝાર પરથી વરસાદનો વરતારો : આગામી વર્ષ સવાયું રહેશે

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જુની વડવાઓની ચાલતી આવતા પરંપરાઓ અમુક ગામોમાં હજુ જાળવી રાખી છે. હોળીના દિવસે જુની પરંપરા મુજબ વરસાદના વરતારો નક્કી કરવામાં આવે છે. ત્યારે લીંબુડા ગામના લોકોએ હોળીની ઝાર પરથી આગામી વર્ષ સવાયું રહેવાનો વરતારો કરવામાં આવ્યો હતો. જોડીયા તાલુકાના લીંબુડા ગામમાં વર્ષો જુની વડવાઓની અમુક પરંપરાઓ જાળવી રાખી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકોનો આખો મદાર વરસાદ પર હોય છે. જેથી હોળીના તહેવારથી જ આગામી વર્ષે કેવો વરસાદ થશે તે અંગેનો વરતારો જોવાનું શરૂ કરે છે. જેથી લીંબુડા ગામમાં હોળીના દિવસે આખું ગામ પાદરે ભેગા થાય છે. જેમાં ગામના વડવાઓ ઉપરાંત યુવાનો, મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં એકઠા થાય છે. જે બાદ હોળી પ્રગટાવીને પવિત્ર દિવસે હોળી માતાના પરંપરાગત દર્શન કરે છે. દિશા સૂચક બનાવીને ધુમાડો કઈ દિશામાં જાય છે, તેના પરથી વરસાદનો વરતારો નક્કી કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે લીંબુડા ગામના ખેડુતોએ આ વર્ષે ધુમાડો ચંદ્રની નીચે પુર્વ દિશામાં ગયો હતો, સવાયું જેવું વર્ષ થશે અને આવતું વર્ષ સારૂં જવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

વરણી:જામનગર શહેર અને વોર્ડ ભાજપ પ્રભારીઓની નિમણૂંક

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર પ્રભારી અને વોર્ડ પ્રભારીઓની નવનિયુક્તિ કરવામાં આવી છે, અને નવા હોદેદારોને ભાજપ સંગઠન દ્વારા આવકારવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના ૧૬ વોર્ડના સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. 1 - સંજય મકવાણા, વોર્ડ 2- વિજયસિંહ ગોહિલ, વોર્ડ 3- દિનેશ ગજરા, વોર્ડ નં.4 - ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ નં.5-મિલન વજાણી, વોર્ડ 6- સંજય દાઉદિયા, વોર્ડ 7- પ્રજ્ઞેશ ભટ્ટ, વોર્ડ નં.8- પરસોત્તમ કકનાણી, વોર્ડ નં.9- મેઘાભાઈ કાંબરિયા, વોર્ડ 10- નીતિન સોલાણી, વોર્ડ નં.11- ભરતસિંહ જાડેજા, વોર્ડ નં.12- ભાવેશ કોઠારી, વોર્ડ નં.13- હિરેન તખ્તાણી, વોર્ડ નં.14- મુકેશ વસોયા, વોર્ડ નં.15- મનિષ કનખરા, વોર્ડ નં.16- નરભેરામ ડાકાની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકને સતાધારી પક્ષના રાજકિય નેતા તેમજ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ, કોર્પોરેટરો સહિતનાઓને શહેર સંગઠન પ્રભારી તથા વોર્ડ પ્રભારીઓની નિમણુંકને આવકારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

વાતાવરણ:મહત્તમ તાપમાનમાં વધારા સાથે 31.5 ડિગ્રી

જામનગરમાં છેલ્લા એકાદ માસથી તાપમાનમાં વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે મહત્તમ તાપમાન એક ડિગ્રીના વધારા સાથે 31.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો લઘુત્તમ તાપમાનનો પારો 20.4 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેમ તાપમાનમાં વધ-ઘટ થઈ રહી છે. ત્યારે મંગળવારે સવારે પુરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું. તો ભેજમાં એક જ દિવસમાં 4 ટકાના ઘટાડા સાથે 77 ટકા રહ્યો હતો. તો પવનની ગતિ પ્રતિ કલાકના 5 થી 10 કિ.મી.ની ઝડપે ફુંકાયો હતો. તાપમાનના વધ-ઘટના કારણે રાત્રિના ઠંડી અને દિવસના ગરમી રહે છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. વાયરલ ફીવરના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભુજવાસીઓને પૂરતું પાણી મળે તેવા પ્રયાસ:પાણીની તંગી ટાળવા 10 જૂના બોરવેલ જીવંત કરાશે

છેલ્લા બે દાયકામાં ભુજમાં પાણી વિતરણનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ નજીક આવે ત્યારે પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે નગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ શહેર માટેનો મુખ્ય સ્ત્રોત નર્મદાનું પાણી છે, પરંતુ જરૂરિયાતની સરખામણીએ આશરે 80 ટકા જેટલું જ પાણી પ્રાપ્ત થતું હોવાથી બાકીનું પાણી સ્થાનિક સ્ત્રોતોમાંથી મેળવવું પડે છે અથવા તો વિતરણમાં બેથી ત્રણ દિવસનું અંતર રાખવું પડે છે. આગામી ઉનાળાને ધ્યાનમાં રાખીને ભુજ નગરપાલિકાનું શું આયોજન છે તે અંગે ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલને પૂછતા જણાવ્યું કે, ટૂંક સમયમાં ભુજ નજીક આવેલા 10 જૂના બોરવેલને ફરી કાર્યરત કરવામાં આવશે. હાલ આ બોરવેલ ઉપયોગમાં નથી, પરંતુ તેમને ફંક્શનલ કરવાની કામગીરી શરૂ થવાની છે. ગત વર્ષે પણ 10 બોરવેલ જીવંત કરાયા હતા, જેમાંથી એક નિષ્ફળ ગયું હતું, જ્યારે બાકીના નવ બોરવેલમાંથી દૈનિક અંદાજે 9 એમએલડી પાણી મળતું રહ્યું છે. હવે નવા 10 બોરવેલ શરૂ થતાં આશરે 8 થી 10 એમએલડી દૈનિક વધારાનું પાણી ઉપલબ્ધ થવાની શક્યતા છે. હાલ નર્મદાનું સપ્લાય છેલ્લા એક અઠવાડિયાથી નિયમિત છે, છતાં શહેરની કુલ જરૂરિયાતની સરખામણીએ તે ઓછું જ ગણાય. ભુજ શહેરની દૈનિક સરેરાશ પાણીની જરૂરિયાત 42 થી 45 એમએલડી છે, જ્યારે જીડબલ્યુઆઈએલ હેઠળ પાણી પુરવઠા દ્વારા માત્ર 27 થી 28 એમએલડી પાણી મળે છે. પરિણામે નગરપાલિકાને એકાંતરે પાણી વિતરણ કરવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલા ઓવરહેડ ટેન્ક જો તાત્કાલિક ઉપયોગ માટે સ્વીકારવામાં આવે તો વધારાની સ્ટોરેજ ક્ષમતા ઉપલબ્ધ થઈ શકે, પરંતુ કોઈ કારણસર નગરપાલિકા દ્વારા હજુ સુધી તેને સત્તાવાર સ્વીકાર્યો નથી. નગરપાલિકા તરફથી હાથ ધરાતી 10 બોરવેલ પુનર્જીવન યોજના સફળ થાય અને પૂરતું પાણી ઉપલબ્ધ રહે તો ભુજ શહેર માટે આ વ્યવસ્થા હાલ ‘સંજીવની’ સમાન સાબિત થઈ શકે છે. આગામી ઉનાળામાં પાણીની ખેંચ ટાળવા માટે આ પ્રયાસ કેટલો અસરકારક સાબિત થાય છે. આ 56 બોરવેલમાંથી દસ નિર્ધારિત કરીને જીવંત થશેભુજ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા સુધારણા માટે વિવિધ વિસ્તારોમાં બોરવેલ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નર્મદા–9, નર્મદા-4 અને નર્મદા-5, ઉપરાંત ગાયત્રી-8 અને ગાયત્રી-9, જ્યારે ભુજોડી વિસ્તારમાં 11, ધોરાવા-9 અને ધોરાવા-10 વિસ્તારમાં જૂના બોરવેલ કે જ્યાં પાણીનો સ્ત્રોત વધુ મળે તેવી શક્યતા હશે તે દસને જીવંત કરવાની કામગીરી કરવામાં આવશે. બોરવેલ દુરસ્તી માટે અંદાજિત રૂ. 122 લાખનો ખર્ચ નિર્ધારિત કરાયો છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ 900 મીમી જીઆઈ પાઈપ નાખવાની કામગીરી થઈ ગઈ છે, જેથી ઉનાળામાં પાણી સમસ્યા હળવી બને તેવી આશા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ગઢશીશા સેન્ટર ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ:કચ્છ યુનિ.ના 5 એક્સ્ટેનશન સેન્ટરમાં 450 દીકરીઓ કરે છે કોલેજનો અભ્યાસ

કચ્છ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટર ગઢશીશા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વાચિકમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના સંયોજક નીલભાઈ કનૈયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું.સંચાલક કાંતિભાઈ વિગોરાએ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટરનો પરિચય આપતા કુલપતિ ડૉ. મોહન પટેલે કચ્છના છેવાડાના દૂર દૂરના વિસ્તારોની દીકરીઓ માટે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા કરી આપવા માટેની સગવડો ઊભી કરી તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા ગઢસીસા ઉપરાંત પાનધ્રો, ખાવડા, ધોળાવીરા અને આડેસર એમ પાંચ જગ્યાએ એક્સટેન્શન સેન્ટરો કાર્યરત છે અને તેમાં 450 વિદ્યાર્થીનિઓ કોલેજનો અભ્યાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું. મુખ્ય અતિથિ રેખાબેન દવેએ જીવનમાં માતૃભાષાનું મહત્વ કોને કહેવાય એ બાબતે વિચારો વ્યક્ત કર્યા હતા.સાથે તેમણે ગઢસીસા હાઈસ્કૂલમાં ધોરણ 12 ના પરીક્ષા કેન્દ્રની મંજૂરી મળવાની ખુશી વહેંચી હતી એક્સટેન્સન સેન્ટર કો ઓર્ડીનેટર ડૉ.રામ સોંદરવાએ માતૃભાષા દિવસની ઉજવણીનો ઇતિહાસ જણાવ્યો હતો. વક્તા તરીકે કચ્છી યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા નયનાબેન ચારણીયા નેત્રમ અને વિશ્વા ગોસ્વામી વિશ્વ રહ્યા હતા. તેમણે પોતાની સ્વરચિત વાર્તાઓનું વાચીકમ કર્યું હતું.આભારવિધિ અધ્યાપક માનસીબેન શર્મા દ્વારા કરાઈ હતી.સેન્ટરના અધ્યાપક સુમેરાબેન, જ્યોત્સનાબેન અને હીનાબેને વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન કોલેજની વિદ્યાર્થીનીઓ સિંધી રાયમા અક્ષાબાનું અને ચાવડા વૈશાલીએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:રાતના 12થી સવારના 4 વચ્ચે લાકડાની ગેરકાયદે હેરાફેરી : ખાંભામાંથી 3 માસમાં 12મોં ટ્રક ઝડપાયો

અમરેલી જિલ્લામાં વૃક્ષોનું ગેરકાયદે નિકંદન નીકળી રહ્યું છે. અહીં દિવસ રાત મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને ગેરકાયદે લાકડાનું વહન કરતા ટ્રકો મોટેભાગે રાતના 12 થી 4 વચ્ચે હેરાફેરી કરે છે. ખાંભામાં વન વિભાગે ત્રણ માસમાં આવા 12 ટ્રક ઝડપી લીધા છે પરંતુ લીલીયા પંથકમાંથી તો કોઈ જ રોકટોક વગર ગેરકાયદે કપાયેલું લાકડું મહુવા પહોંચી રહ્યું છે. આ બધું તંત્રના નાક નીચે ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યું છે આમ છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ રેન્જ હેઠળના રબારીકા રાઉન્ડમાં વનવિભાગની પેટ્રોલિંગ ટીમે રાત્રિના સમયે સઘન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. મોડી રાત્રે વન વિભાગે પાડેલા દરોડામાં પ્રતિબંધિત લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તુલસીશ્યામ રેન્જના રાયડીપાટી બીટમાં રાત્રિના સમયે પરવાનગી વગર વન્ય સંપત્તિની ચોરી થતી હોવાની આશંકાને પગલે પેટ્રોલિંગ ટીમ સતર્ક હતી. રાત્રિના 12 વાગ્યા પછી, વનવિભાગની ટીમે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી તાજા કાપેલા લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં લીંબડો, આવળ તથા અન્ય સ્થાનિક વૃક્ષોના તાજા લાકડા જેની અંદાજે ₹18,000ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. 3 મહિનામાં આ 12મી ગાડી ઝડપાઈ છે. સ્થાનિક આરએફઓ નિકુલ નકુમ અને તેની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. આ વિસ્તારમાં લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રકો મોટાભાગે રાત્રિના 12થી વહેલી સવારના 4 વાગ્યા દરમિયાન દોડતા હોય છે. અહીં ઉના પંથકમાંથી પણ લાકડું આવી રહ્યું છે. વૃક્ષોનું ગેરકાયદે કટીંગ સૌથી વધુ લીલીયા પંથકમાં થઈ રહ્યું છે. ભોરિંગડા પંથકમાં દેશી બાવળનો કચ્ચરઘાણ બોલાવી દેવાયો છે. ગૌચરની સફાઈના નામે દેશી કુળના વૃક્ષો કાપી નાખી રાત્રિના સમયે તેની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવે છે. આ વિસ્તારમાં સાંજના સાત વાગ્યાથી વહેલી સવારના 03:00 વાગ્યા સુધીના સમય ગાળામાં ગેરકાયદે લાકડા ભરેલા ટ્રકો પસાર થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ ચોકી અને વન વિભાગની ચોકીઓની સામેથી જ આ ટ્રકો પસાર થતા હોવા છતાં તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક લોકોએ ગૂગલ મેપમાં હાલમાં ભોરિંગડા અને આસપાસના ગામોની સીમમાં જંગલની તસવીરો કેપ્ચર કરી છે. જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું કટીંગ થયું છે. આવનારા માર્ચ માસ બાદ ગુગલ મેપમાં અપડેટ આવશે. અને ત્યારે કેટલો જંગલ વિસ્તાર હટી ગયો છે તે સ્પષ્ટ થશે. અને બાદમાં આ અંગે ઉપર કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. ડીઝલ જનરેટર અને ચેન શો મશીનનો ઉપયોગલાકડાનું ગેરકાયદે કટીંગ એટલી હદે ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે કટીંગ કરતા તત્વો સીમમાં ડીઝલ જનરેટર ચલાવે છે અને ચેન શો મશીનનો ઉપયોગ કરી લાકડા કાપે છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લાકડાની હેરાફેરી તંત્રના સીસીટીવીમાં પણ... રાત્રિના સમયે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રકો જુદી-જુદી ચેકપોસ્ટ પરથી પસાર થાય છે અને આ ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. આ ગેરકાયદે હેરાફેરી સીસીટીવીમાં પણ કેદ થઈ રહી છે છતાં કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ઓનલાઇન છેતરપિંડી:વીજપડીમાં ફ્રી ડિવાઈસની લાલચ‎આપી યુવાન સાથે 1 લાખની ઠગાઈ‎

સાવરકુંડલાના વિજપડી ગામે 19/12/2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર moneyon5014 નામની આઈડી પરથી Free Device Offer ની જાહેરાત જોઈ ભાવીનભાઈ લલચાયા હતા. જેમાં સ્વાઇપ મશીન અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સ્કેનર જેવા સાધનો મફત આપવાની ઓફર કરવામાં આવી હતી. આ દરમિયાન અલગ-અલગ મોબાઈલ નંબર પરથી સંપર્ક કરી અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ Naveepy કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી. જેમાં મોહિત નામના વ્યક્તિ અને તેના સાથીદારોએ ભાવીભાઈને વિશ્વાસમાં લઈ એવી લાલચ આપી હતી કે નવા આધાર કાર્ડ અને પાનકાર્ડ કાઢી આપવામાં આવશે, કાર્ડમાં સુધારા-વધારા કરી આપવામાં આવશે તેમજ વિવિધ બેંકોમાં ખાતા ખોલવા માટે આઈડી આપવામાં આવશે, આ સુવિધાઓ અને ફ્રી ડિવાઈસના બહાને મોહિત તથા અન્ય ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ તેની પાસેથી અલગ-અલગ સમયે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવી કુલ 1 લાખ પડાવી લીધા હતાં . આ બાબતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે ગઈ કાલે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે મોહિત અને અન્ય ત્રણ મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

સમસ્યા:સાવરકુંડલા તાલુકામાં પરચૂરણની ભારે અછતથી વેપારીઓ મુંઝવણમાં

સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂપીયા 10 અને 20ની નોટો તેમજ 1, 2 અને 5 અને 10 રૂપીયાના પરચૂરણની અછત હોવાથી નાના વેપારીઓ ગ્રાહકો સાથે લેતી દેતીમાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વેપારીઓ પહેલેથી જ મંદીની અસર અનુભવી રહ્યા છે. આવા સમયમાં છૂટ્ટા નાણાં પરચુરણની અછત હોવાથી વેપારીઓની હાલત વધુ કફોડી સ્થિતિમાં મૂક્યા છે. વેપારીઓએ રૂપિયા 10 અને 20ની નોટો ફાટેલી આવતી હોવાથી ગ્રાહકો સ્વીકારતા નથી. સાથે જ રૂપીયા 2, 5 અને 10ના સિક્કાઓથી મુશ્કેલીમાં મુકાયા છે. પરચૂરણ પૂરતું ઉપલબ્ધ ન હોવાને કારણે રિટેલ વેપાર પર સીધી અસર પડી રહી છે. હાલ બજારમાં પરચૂરણ મળે છે. પરંતુ તેમાં કમિશન આપવું પડે છે. રૂપિયા એક હજારના પરચુરણ માટે રૂપિયા 100 થી 150 સુધી વધારાનું કમિશન ચૂકવવું પડે છે. ઉપરાંત નવી રૂપિયા 10 અને 20ની નોટોના બંડલ બજારમાં લેવા માટે રૂપિયા 50 થી 100 વધારાની રકમ આપવી પડતી હોવાના પણ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા. સાવરકુંડલામાં પરચૂરણની સમસ્યાનો તાત્કાલીક ઉકેલ આવે તેવી વેપારીઓમાં માંગણી ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:લીલીયાના જ્યોતિષની 20 વર્ષ જૂની અમેરિકા- ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધની આગાહી સાચી ઠરી

અમરેલી જિલ્લાના લીલીયામાં રહેતા અને જાણીતા જ્યોતિષ આચાર્ય જયપ્રકાશ માઢકે 20 વર્ષ પહેલાં જ ભાખ્યું હતું કે ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ જંગ ખેલાશે. હાલમાં છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા, ઈઝરાયેલને ઈરાન વચ્ચે શરૂ થયેલું ઘમસાણ યુદ્ધ આ આગાહીની સાક્ષી પૂરી રહ્યું છે. હાલ જ્યોતિષી માઢકના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં ચાલી રહેલું આ યુદ્ધ આગામી સમયમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે અને તે પરમાણુ યુદ્ધમાં પરિણમે તેવી પ્રબળ શક્યતાઓ છે. તેઓની આગાહી મુજબ આ યુદ્ધ માત્ર પશ્ચિમ એશિયા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર યુરોપ ખંડને પણ પોતાના લપેટામાં લઈ લેશે. તેઓએ ભારતને લઈને પણ મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને જોતા ભારતે પણ પોતાની સરહદો પર અત્યંત સતર્ક અને સાવધ રહેવાની જરૂરિયાત છે. જો કે, એક તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે તેમણે ભારત માટે આશાનું કિરણ પણ બતાવ્યું છે. ભવિષ્યમાં ભારતનો સુવર્ણ યુગ શરૂ થશે અને ખરા અર્થમાં વિશ્વ ગુરુ તરીકે ઉભરી આવશે. માઢકે કહ્યું, ભારત માટે ગૌરવ શાળી દિવસમેં 2006માં ગ્રહોની ચાલ અને જ્યોતિષીય ગણતરીના આધારે આ આગાહી કરી હતી. જે રીતે અત્યારે સ્થિતિ સર્જાઈ છે તે જોતા આવનારો સમય વિશ્વ માટે પડકારજનક પણ ભારત માટે ગૌરવશાળી રહેશે. અગાઉ પણ આ જ્યોતિષ આચાર્યની કચ્છના ભૂકંપની આગાહીઓ સાચી પડી ચૂકી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

નાજાપુરના અગ્રણીની રાજ્યમંત્રીને રજૂઆત:સરકારી કચેરીઓમાં કામકાજ અને રીસેસ સમય જાહેર કરો

નાજાપુરના કૌશિકભાઈ પાનસુરીયાએ રાજ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં કામકાજનો સમય અને રીસેસ સમય સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતો નથી. જેની અનેક ફરિયાદો સામે આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોને ઘણી વખત કચેરીએ જઈને પણ યોગ્ય માહિતી મળતી નથી અને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર કચેરીની અંદર કામકાજનો સમય અને રીસેસ સમય સ્પષ્ટ રીતે લખીને લગાડવા તેમણે માંગણી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો દૂર દૂરના ગામડાંમાંથી કામ માટે કચેરીએ આવે છે. પરંતુ સમયની જાણ ન હોવાને કારણે તેમને વારંવાર આવવું પડે છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું:જિલ્લાભરમાં 8 માર્ચ સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ

જિલ્લામાં રમઝાન અને ધૂળેટીને લઈને કાયદો, વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ કરતું જાહેરનામુ 8 માર્ચ સુધી અમલી રહેશે. અમરેલી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ કે ઇજા પહોંચાડવામાં ઉપયોગી હોય તેવી ચીજવસ્તુ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવા કે ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ દેખાડવા, કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. તેમજ વ્યક્તિઓના પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે. જિલ્લામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી સિવાય કોઈ સભા અ્ને મંડળી ભરી શકાશે નહી.ત તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

જાણકારી:કોટડી ગામમાં ખેડૂતોને કહ્યું, નવી ટેક્નોલોજી અને આધુનિક પદ્ધતિઓથી ખેતી ખર્ચ ઘટે છે

કોટડી ગામે ખેતીવાડી અંગેના એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના જાણીતા વેપારી અનિલભાઈ પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ધાતરવડી FPOના મંગળુભાઈ વાળાની વાડીએ યોજાયો હતો. રાજુલા તાલુકાના કોટડી ગામે વૈજ્ઞાનિક ખેતી માર્ગદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વકની સમજણ આપવામાં આવી હતી વૈજ્ઞાનિક ખેતીએ પરંપરાગત પદ્ધતિ છોડી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. માટે પાક ઉત્પાદન વધારવા માટે ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી કરવી, ટપક સિંચાઈ પદ્ધતિ અને જૈવિક ખાતરનો સચોટ ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવી હતી. ઓરિએન્ટ ફાર્મના હાર્દિક વસોયા દ્વારા ખેડૂતો માટે સ્થળ પર જ જમીન પરીક્ષણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી, આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન વધે છે, જે ખેડૂતની આર્થિક ઉન્નતિનો સાચો માર્ગ છે. કાર્યક્રમના અંતે એક વિશેષ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ખેડૂતોએ પોતાની મુંઝવણો રજૂ કરી હતી અને નિષ્ણાતોએ તેનું સચોટ સમાધાન આપ્યું હતું. ઉપસ્થિત તમામ ખેડૂતોએ ખેતીમાં નવી દિશા અને આધુનિક અભિગમ અપનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લાની અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી બાગાયત વિભાગના અધિકારીઓ અને વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ ઘાખડા હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

નવીનીકરણ:સાવરકુંડલામાં 500 મીટર લંબાઇ‎11 મીટરનો પહોળો રસ્તો બનાવાશે‎

સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતો નાવલી નદી પર નો માર્ગ 1.14 કરોડના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે જેનું ગઈકાલે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું સાવરકુંડલા શહેરનો મુખ્યમાર્ગ નાવલી નદીના બ્રીજથી સ્ટેશન રોડ સુધીના માર્ગ પર સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત યુ.ડી.પી. 88 અંતર્ગત અંદાજિત ખર્ચ રૂપિયા 114 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે. પોલીસ સ્ટેશનથી જુના બસ સ્ટેન્ડથી નાવલી બ્રિજ સુધીનો સી.સી. રોડ 500 મીટર લંબાઈ 11 મીટરનો પહોળો બનશે. આ રોડની બંને સાઈડ પેવીંગ બ્લોક નખાશે. રોડનું ખાતમુહૂર્ત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે થયું હતું. આ તકે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, ચીફ ઓફિસર સાવનભાઈ રતાણી, જીલ્લા ભાજપ અગ્રણી લલિતભાઈ મારૂ, સહિત નગરપાલિકાનો સ્ટાફ, રાજકીય, સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભુજ, નખત્રાણા સહિતના તાલુકાઓમાં નવા અધિકારી નિમાયા:કચ્છના મહેસૂલી વિભાગના 14 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ

જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલી કરાઈ છે. જેમાં વી. એમ. ગઢવી જે અગાઉ ભુજ શહેરના ના. મામલતદાર (પુરવઠા) હતા, તેમની બદલી મેજીસ્ટ્રીયલ શાખા, કલેક્ટર કચેરી ખાતે કરાઈ છે. જે. એન. ઝાલા જેઓ સર્કલ ઓફિસર તરીકે બળદિયા (ભુજ ગ્રામ્ય)માં હતા તેમની બદલી અપીલ શાખા, એ. એમ. પરમાર જેઓ ખાવડા ખાતે સીનીયર નાયબ મામલતદાર હતા તેમને હવે સર્કલ ઓફિસર બળદિયા, જ્યારે તેમની ખાલી જગ્યાએ વી. ડી. અમીનને (અગાઉ નાયબ મામલતદાર મ.ભો.યો. ભુજ ગ્રામ્ય) જવાબદારી સોંપાઈ છે. એચ. આઈ. ચૌહાણ જે અગાઉ વિથોણ ખાતે સર્કલ ઓફિસર હતા તેમની બદલી ના. મામલતદાર મ.ભો.યો. ભુજ (ગ્રામ્ય) ખાતે થઈ છે. એન. એચ. ટાંક અબડાસામાં નાયબ મામલતદાર (પુરવઠા) હતા તેમની બદલી હવે નાયબ મામલતદાર પ્રોટોકોલ, કલેક્ટર કચેરીમાં કરાઇ છે. એ. કે. વાવીયા જે અંજારમાં સામાજિક સુરક્ષા શાખામાં હતા તેમની બદલી વસુલાત અધિકારી તરીકે કે.ડી.સી.સી. બેંક ભુજ ખાતે થઈ છે. તેમની જગ્યાએ એમ. પી. અંદરપા (અગાઉ સંકલન બેઠક શાખા ભુજ) ની નિમણૂક થઈ છે. પી. ડી. જોષી જેઓ નખત્રાણામાં ના. મામલતદાર (મ.ભો.યો.-૨) હતા તેમની બદલી હવે સંકલન બેઠક શાખા, કલેક્ટર કચેરીમાં કરાઈ છે. એસ. બી. ધાસુરા જેઓ ફતેહગઢમાં સર્કલ ઓફિસર હતા તેમને હવે ગાંધીધામ ખાતે નાયબ મામલતદાર (પુરવઠા) તરીકે મૂકાયા છે, જ્યારે તેમની અગાઉની જગ્યાએ એટલે કે ફતેહગઢ ખાતે વી. કે. ચૌધરી (અગાઉ નાયબ મામલતદાર પુરવઠા) ની બદલી થઈ છે. આર. જે. બુકોલીયા જેઓ લખપતમાં મતદાર યાદીના નાયબ મામલતદાર હતા તેમને હવે તે જ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે જવાબદારી અપાઈ છે. આર. વી. રાજપુત જે અગાઉ સામાજિક સુરક્ષા શાખા ભુજમાં હતા તેમની બદલી હવે નાયબ મામલતદાર મહેસૂલ નખત્રાણા ખાતે કરાઈ છે અને તેમની ભુજ ખાતેની ખાલી પડેલી જગ્યાએ એ. જી. ઝાલા (અગાઉ નાયબ મામલતદાર હક્કપત્રક ભુજ) ને નિયુક્ત કરાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

આજે વિશ્વ સ્થૂળતા દિવસ પૂર્વે તબીબોએ આપી ઉપયોગી સલાહ:સ્થૂળતાથી હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીની સંભાવના

વિશ્વ અને ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે જેથી WHO અને વિવિધ આરોગ્ય સંસ્થાઓ તેના નિવારણ માટે કામે લાગી છે. આજે 4 માર્ચે ઉજવાનારા વિશ્વ સ્થૂળતા દિવસ પૂર્વે ભુજની જનરલ હોસ્પિટલોના તબીબોએ લાલ બત્તી ધરતાં જણાવ્યું હતું કે, સ્થૂળતા વધવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીની સંભાવના રહે છે. વિશ્વની 8 અબજ વસ્તી સામે દુનિયામાં એક અબજ અને ભારતમાં ૮ કરોડ લોકો સ્થૂળતાથી પીડિત છે. શરીરમાં ચરબી અર્થાત્ મેદસ્વિતા વધવાનું મુખ્ય કારણ પ્રથમ તો બિનઆરોગ્યપ્રદ ખોરાક અને નિષ્ક્રિય જીવનશૈલી ઉપરાંત આનુવંશિક, હોર્મોનમાં ફેરફાર, ચયાપચયમાં ઘટાડો, ખરાબ ઊંઘ, દવાની અસર વિગેરે મુખ્ય કારણ છે તેમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટ્ટે જણાવ્યું હતું. જો સ્થૂળતા વધે તો હૃદયરોગ,કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ,સાંધાના રોગો અને ચોક્કસ પ્રકારના કેન્સર થવાની સંભાવના રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું. તબીબો કહે છે ખાવા પીવાનું મહત્વ વ્યાયામથી ઓછું નથી.ધીરે ધીરે વજન ઓછું કરવામાં જ ફાયદો છે.તબીબો કહે છે રોજ જેટલી કેલેરી લેવાય છે તેની માત્રામાં ૫૦૦ કેલેરી ખોરાક ઓછો લેવો જોઈએ. તબીબના જણાવ્યા મુજબ વજન ઘટાડવા ખાનપાન અને જીવનશૈલી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ‘કોઇપણ રીતે વજન ઘટાડવું’ જોખમીસમગ્ર વિશ્વમાં એક મોટી જનસંખ્યા વજન ઉતારવાના કામમાં જોતરાયેલી છે. તેઓ કોઈપણ રીતે વજન ઉતારવા ઈચ્છે છે, તબીબો કહે છે વજન ચોક્કસ ઘટાડવું જોઈએ પણ આરોગ્ય નહીં. કોઈપણ રીતે વજન ઉતારવાની વિચારસરણી યોગ્ય નથી. માત્ર વ્યાયામ જ નહીં પણ ખોરાક સંતુલન, યોગ અને આસન એટલાજ જરૂરી છે. બિલકુલ ન ખાવું અને કસરત જ કરે રાખવાથી ખતરો ઉત્પન્ન થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:વલસાડના ઘડોઈ ઘાટકેશ્વર મંદિરે 1.80 કરોડ રિવરફ્રન્ટ ઘાટ સહિતના કાર્યો કરાશે

વલસાડના ઘડોઈ સ્થિત શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા માટે 1.80 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનો મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્યના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંગળવારે એક જ દિવસમાં વિવિધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે અંદાજે 28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઘડોઈ ખાતે આવેલા શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવા કામો માટે 1.8ડ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ તમામ વિકાસલક્ષી કામો આગામી સમયમાં ગુજરાતના પ્રવાસન નકશાને વધુ સુદ્રઢ બનાવશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓના નવા દ્વાર ખોલશે. મંદિરનો ઇતિહાસ રસપ્રદ વલસાડ જિલ્લાના ઘડોઇ ગામે આવેલું પ્રાચીન શિવ મંદિર સ્થાનિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. લોકકથાઓ મુજબ આ સ્થળે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતા હતા અને ત્યારથી અહીં શિવલિંગ પ્રસ્થાપિત થયું હોવાનું કહેવાય છે. “ઘાટકેશ્વર” નામ વિશે માન્યતા છે કે નજીકના ઘાટ (ટેકરા) વિસ્તારમાં પ્રગટ થયેલા શિવલિંગને આધારે મંદિરનું નામ પડ્યું. સમયાંતરે ગામજનો અને દાતાઓના સહકારથી મંદિરનું પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

UIA ચૂંટણીમાં વળાંક:પૂર્વ પ્રમુખે ઉમેદવારી નોંધાવી

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ની આગામી ચૂંટણીમાં આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. UIA ના માજી પ્રમુખ અને લોકપ્રિય ઉદ્યોગપતિ નરેશ બાંથીયાએ આખરે ટીમ સિટિઝનના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે તેમણે પોતાનું ઉમેદવારી પત્રક ભરી દીધું છે. સોમવારે ઉમરગામના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓના જૂથે નરેશ બાંથીયાની તેમના સંજાણ સ્થિત કંપની કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન, ઉદ્યોગપતિઓએ તેમને UIA ચૂંટણીમાં ભાગ લેવા અને ફરીથી ઉદ્યોગજગતની આગેવાની લેવા માટે ભાવુક અનુરોધ કર્યો હતો. નરેશ બાંથીયાએ UIA ના પ્રમુખ પદે રહીને ટૂંકા ગાળામાં જ ઔદ્યોગિક વિસ્તારના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સફળતા મેળવી હતી અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો જેવા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. તેમની અચાનક રાજીનામા બાદ ફરીથી તેઓ ચૂંટણીમાં ઉતરશે કે કેમ તે અંગે અટકળો તેજ બની હતી.મંગળવારે ઉમેદવારી સાથે ઉમરગામના ઉદ્યોગ જગતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

સ્વદેશી મેળો:વલસાડમાં 7 દિવસમાં 9 લાખથી વધુનો વેપાર, મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો

વલસાડ નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો 2026’ ની સફળ પૂર્ણાહુતિ સાથે સ્થાનિક મહિલાશક્તિનું પ્રેરણાદાયી પ્રદર્શન જોવા મળ્યું હતું. 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલેલા આ 7 દિવસીય મેળામાં મહિલાઓએ 9 લાખથી વધુનો વેપાર કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ” ના મંત્રને સાકાર થયો છે. આશરે 50 જેટલા સ્ટોલ્સ પર સખીમંડળની બહેનોએ ઘરેલું અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કર્યું હતું, જેને લોકોએ ઉત્સાહપૂર્વક ખરીદી સમર્થન આપ્યું હતું. ધરમપુરની યોગીતાબેને નાગલીના બિસ્કિટ અને લસણની ચટણી વેચી અંદાજે રૂ. 12 હજારની આવક મેળવી હતી, જે દર્શાવે છે કે પરંપરાગત અને પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વલસાડના અબ્રામા વિસ્તારની કિંજલ રાવલ અને ઉર્વશી પટેલે હેન્ડમેડ બંગડીઓ, સેટ અને એરિંગ્સ જેવી હસ્તકલા વસ્તુઓ વેચી અંદાજે રૂ. 10 હજાર જેટલી આવક કરી હતી. વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ જાગૃતિનો સંદેશસીબી સ્કૂલ ગ્રાઉન્ડ પાસે યોજાયેલા મેળામાં લસણની ચટણી, અથાણાં, મિલેટ્સ મીઠાઈઓ અને નાગલીના પાપડ જેવી ચીજવસ્તુઓ ખાસ લોકપ્રિય રહી હતી. મિલેટ આધારિત વાનગીઓએ સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃતિને ધ્યાનમાં રાખી વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત, લીમડા, કેસુડા અને ચંદનથી બનેલા કેમિકલમુક્ત કોસ્મેટિક્સ તેમજ વાંસમાંથી તૈયાર કરાયેલી ઘર સજાવટની વસ્તુઓએ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

આંગણામાં ખાડો કરી જથ્થો છુપાવ્યો હતો:સુખપરના મકાનમાંથી 6 લાખનો દારૂ પકડાયો, આરોપી ન મળ્યો

તાલુકાના સુખપર ગામમાં આવેલ સુથાર સમાજવાડીની પાછળના ભાગે આવેલા આરોપીના રહેણાંક મકાનમાં વેચાણ માટે રાખેલો રૂપિયા 6.15 લાખની કિંમતનો દારૂ સ્થાનિક પોલીસને મળી આવ્યો હતો,જોકે રેઇડ દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી જયદીપ વિજય ચુડાસમાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખેલો છે.બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી અને આરોપીના ઘરના આંગણામાં તપાસ કરતા તાજુ ખોદકામ થયેલો હોવાનું દેખાયું હતું.જથી પોલીસે પાવડાથી માટી હટાવતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરની પાછળના ભાગેથી પણ દારૂ મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 6.15 લાખની કિંમતની 994 દારૂની બોટલ અને બીયરના ટીન સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જોકે આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો.સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:સુરખાઇ ગામમાં ‘જે.એસ.ડી-2'' શોપિંગ‎સેન્ટરનું ગેરકાયદે બાંધકામ ફરી વિવાદમાં‎

ચીખલી તાલુકાના સુરખાઇ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જે.એસ.ડી-2 નામનું શોપિંગ સેન્ટર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલા આ બાંધકામ પર હાલ શરતભંગની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગેનો રિપોર્ટ હાલ કલેક્ટર કચેરીમાં નિર્ણયની રાહ પર છે,તેમ છતાં નિર્ભય બનીને ફરી બાંધકામ શરૂ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. સુરખાઈ ગામના બ્લોક સર્વે નંબર-287 વાળી જમીન પર ગેરકાયદે બાંધકામની તપાસ ચાલુ હોવા છતાં,કોઈ પણ પ્રકારની પરવાનગી વગર નવી દુકાનોનું બાંધકામ ધમધમી રહ્યું છે. આ મામલે સમગ્ર પંથકમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે ? શું આવા માલેતુજારોને સરકારના નીતિ-નિયમો લાગુ પડતા નથી ? વિવાદ વકરતા ગ્રામ પંચાયતે માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હોય તેમ જણાય છે. હવે સુરખાઈ ગ્રામ પંચાયત ક્યારે પોતાના કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી આ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવશે, તેની જનતા રાહ જોઈ રહી છે. બાંધકામ કરનાર બિલ્ડરના એક રાજકીય નેતા સાથે ગાઢ સંબંધો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્ર આ વગ ધરાવતા ઈસમો સામે કડક પગલાં લેવાની હિંમત બતાવશે કે કેમ? આ બાબતે જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર પૂછતાં એક જ રટણ રટવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં નિર્ણય આપી દેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે. બાંધકામ બાબતના પુરાવા રજૂ કરવા નોટિસ આપી છેઅમારી ઓફિસમાં કોઇ ડોકયુમેન્ટ હાલમાં રજુ કરાયા નથી. જ્યારે મારી ગેરહાજરીમાં રજૂ કર્યા હોય અને પટાવાળાને આપ્યા હોય તો મને ખબર નથી. અમોએ તો બાંધકામ બાબતના પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે. > પ્રીતિબેન પટેલ, તલાટી કમ મંત્રી, સુરખાઈ

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

‘જશન’ વિધિ:જમશેદજી તાતાની જન્મ જયંતી નિમિત્તે નવસારીમાં ‘જશન’ વિધિ

ભારતીય ઉદ્યોગ જગતના પ્રણેતા અને જેમના હૃદયમાં હંમેશા માનવ કલ્યાણ મોખરે રહ્યું છે એવા મહાન વિભૂતિ જમશેદજી નુસરવાનજી તાતાની મંગળવારે 187મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારીના દસ્તુરવાડ સ્થિત તેમના જન્મસ્થળે ગરિમાપૂર્ણ ‘જશન' વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ એરવદ ફ્રેડી નોઝર પાલિયાના નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનોએ જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમશેદજી તાતાએ માત્ર ઉદ્યોગોની સ્થાપના જ નથી કરી, પરંતુ ‘ટાટા ગ્રુપ'' દ્વારા નૈતિકતા અને સમાજ ઉત્થાનનો જે પાયો નાખ્યો છે તે આજે પણ અડીખમ છે. નવસારીની ભૂમિ પર જન્મેલા આ મહાન રત્ને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ મહાન આત્માને વંદન અને ટાટા ગ્રુપની એ ઉમદા ભાવનાને સલામ, જ્યાં નફા કરતા માનવતા અને લોકકલ્યાણને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:રિયલ એસ્ટેટ ગ્રુપોના 400 કરોડના બેનામી વ્યવહારો બહાર આવ્યા

સુરત અને નવસારીના રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલું પાંચ દિવસીય ‘સર્ચ ઓપરેશન' આખરે પૂર્ણ થયું છે. આ મેગા ઓપરેશનમાં ઓપેરા ગ્રુપ, મિરિખ ઈન્ફ્રાટેક અને જાણીતા બ્રોકર વિશાલ રાવ સહિત કુલ 22 સ્થળોએ સઘન તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ તપાસમાં અંદાજે ₹350થી ₹400 કરોડના બેનામી નાણાકીય વ્યવહારો મળી આવતા ફફડાટ ફેલાયો છે. અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે કે જમીન દલાલોની મધ્યસ્થી દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો રોકડમાં કરીને કેપિટલ ગેઈન ટેક્સની મોટાપાયે ચોરી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ખેડૂતોની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે, જેમણે જમીન વેચાણની રોકડ રકમ સત્તાવાર રીતે ક્યાંય દર્શાવી ન હતી. આઈટી અધિકારીઓએ સુરત, નવસારી, અમદાવાદ અને ભાવનગરથી વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યો છે. કોઈપણ મૂડી રોકાણ વગર માત્ર કમિશન અને રોકડની હેરફેર દ્વારા જંગી કમાણીના પુરાવા મળ્યા છે. જપ્ત કરવામાં આવેલી ડાયરીઓના આધારે સંકળાયેલા બ્રોકરોને કરોડોની પેનલ્ટી થઈ શકે છે. નવસારીમાં અધિકારીને લાંચની ઓફર થઈ હતી નવસારીમાં જમીન વિષયક દસ્તાવેજો ઉપર તપાસ દરમિયાન એક અગ્રણી દ્વારા અધિકારીઓને લાંચ આપવાની કોશિશ કરી પણ અધિકારીઓએ સ્પષ્ટ ના પાડી હતી અને દસ્તાવેજો સીઝ કરી દીધા હોવાનું નવસારી જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. જોકે આ વ્યક્તિ કોણ હતો તે અંગેની પણ ચર્ચા થઈ રહી છે. આગામી દિવસોમાં અધિકારીઓને લાંચ આપવાની કોશિશ કરનાર અને સબંધ ધરાવનારા પણ તપાસ થવાની શકયતા વધી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

જાનહાનિ ટળી:વેસ્મા હાઈવે પર ટેન્કર ડિવાઈડર કૂદી મકાનો પાસે ધસી ગયું

નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામની સીમમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર ડિવાઈડર તોડીને સીધું સર્વિસ રોડ ક્રોસ કરી રહેણાંક મકાનો તરફ ધસી ગયું હતું. સદનસીબે ટેન્કર મકાનોની દીવાલ પાસે અટકી જતા મોટી હોનારત ટળી હતી. ​મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલું ટેન્કર (નં. GJ-21-W-9690) પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું ત્યારે વેસ્મા ગામ નજીક અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલું ટેન્કર જોરદાર ધડાકા સાથે મુખ્ય માર્ગના ડિવાઈડર તોડીને સર્વિસ રોડ પર ફંટાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કર સર્વિસ રોડ પણ ઓળંગી ગયું હતું અને રોડની બાજુમાં આવેલા મકાનો તરફ ધસી ગયું હતું. ઘટનાની જાણ થતા જ વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ક્રેન મારફતે ટેન્કરને હટાવવાની અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટાયર ફાટતા ઘટના બની હોવાનું ચર્ચાય રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

આજથી ૩ દિવસ જિલ્લામાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે:માર્ચના પ્રથમ સપ્તાહમાં ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની સંભાવના

કચ્છમાં આજથી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં તાપમાનમાં વધારો નોંધાશે. ૩ દિવસ સુધી જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. ખાસ કરીને આજથી 6 માર્ચ દરમિયાન કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની સંભાવના છે. આ ગરમ અને ભેજવાળા પવનના કારણે લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે. ભેજના પ્રમાણમાં વધારો થવાને કારણે ગરમીનો અસરકારક પ્રભાવ વધુ જણાઈ શકે છે. દિવસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 4-6 ડીગ્રી વધારે રહેવાની શક્યતા છે, જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં ખાસ ફેરફાર નહીં જોવા મળે. ખાસ કરીને ભુજ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચવાનું અનુમાન છે. તાપમાન વધતા લોકોને બપોરના સમયે બહાર નીકળતાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. IMD અમદાવાદ અનુસાર આજથી કચ્છમાં ગરમીનો પારો ઉંચકાવાની સંભાવના હોવાથી નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. કચ્છ સહીત રાજ્યમાં માર્ચની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ ભારે થવા લાગ્યો છે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ માસની શરૂઆતથી જ સમગ્ર કચ્છમાં ગરમીનો પારો 35 ડીગ્રીની આસપાસ સ્થિર થયો છે. જેના કારણે બપોરના ભાગે આકરી ગરમી પડી રહી છે. તેની વચ્ચે તાપમાનમાં વધારો થવાથી લોકોને હાલાકી ભોગવવી પડશે. કચ્છમાં મંગળવારે નોંધાયેલ તાપમાનના આંકડાશહેર તાપમાન

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ફ્લાઈંગ સ્કવોર્ડે કાર્યવાહી કરી:બોરાણા નદીના પટ્ટમાં ચાલતી રેતીચોરી પકડાઇ, બે જેસીબી અને બે ડમ્પર પકડાયા

મુન્દ્રા તાલુકાના બોરાણા ગામે નદીના પટ્ટમાં ચાલતી રેતીચોરી પકડાઇ હતી.આ કાર્યવાહીમાં બે જેસીબી અને બે ડમ્પર પકડાયા હતા.ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા કુલ 84.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ, 3 માર્ચના ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક મેહુલકુમાર શાહની તપાસ ટીમે મુન્દ્રા તાલુકાના બોરાણા સીમ વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અહીં નદીના પટ્ટમાં કોઈ પણ જાતની મંજૂરી વગર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી બે ડમ્પર અને બે લોડર મશીન ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ વાહનોને સીઝ કરીને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે અને હવે આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે. દરમ્યાન અંજાર વિસ્તારમાં રોયલ્ટી પાસ વગર સિલિકા ખનિજ ભરીને જતું ડમ્પર તપાસ દરમિયાન પકડાયું હતું. આ વાહનને તાત્કાલિક અસરથી સીઝ કરી અંજારમાં વીએનએસ લીઝ ખાતે કસ્ટડીમાં મુકવામાં આવ્યું છે. ખનિજ ચોરીના દૂષણને ડામવા માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

‘સિક્સ હિલ્સ અ ડે’:યુવાનોએ 6 ડુંગર, 21 કિ.મી.નું આરોહણ 19 કલાકમાં પૂર્ણ કર્યું

કચ્છની પ્રકૃતિને નજીકથી માણતા અને સાહસિકતા સાથે શારીરિક-માનસિક ક્ષમતા અજમાવતા ‘સિક્સ હિલ્સ અ ડે’ કાર્યક્રમનું આ વર્ષે આઠમી વખત સફળ આયોજન થયું. ભુજ રનર્સ દ્વારા છેલ્લા સાત વર્ષથી યોજાતો આ વિશિષ્ટ સાહસિક પ્રવાસ હવે કચ્છના પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન બનાવી રહ્યો છે કચ્છમાં રણ, દરિયો અને જંગલો જેવી વૈવિધ્યસભર પ્રાકૃતિક વિશેષતાઓ વચ્ચે મધ્યમ કદના અનેક સુંદર ડુંગરો આવેલા છે. આ ડુંગરોના પરિભ્રમણમાં જ્યારે સાહસનો તત્વ ઉમેરાય ત્યારે ‘સિક્સ હિલ્સ અ ડે’ જેવા કાર્યક્રમનું સર્જન થાય છે. ભુજના ડો. આલાપ અંતાણી અને કુશાગ્ર રાવલ દ્વારા વર્ષ 2016માં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે એક જ દિવસે કચ્છના છ જાણીતા-અજાણીતા ડુંગરોનું આરોહણ-અવરોહણ કરીને આ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે 22 ફેબ્રુઆરી, રવિવારે યોજાયેલા અભિયાનમાં રાજકોટ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી સાહસવીરોએ ભાગ લીધો હતો. પરોઢે 3:30 વાગ્યે શરૂઆત કરીને રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન આશરે 250 કિ.મી.નો બસ પ્રવાસ અને કુલ 21 કિલોમીટર જેટલું આરોહણ-અવરોહણ પૂર્ણ કરવામાં આવ્યું. ભાગ લેનારોએ ભુજીઓ, કીરીયો, ધીરણોધર, સાયરો, નનામો અને ચંદ્રુઆ જેવા ડુંગરો સર કર્યા. પરોઢ અને રાત્રિના અંધકારથી લઈને બપોર સુધી ચાલતા આ ટ્રેક દરમિયાન શારીરિક તેમજ માનસિક કસોટી લેવાય છે. તેથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિયમિત વ્યાયામ, મેરેથોન, ટેનિસ, જીમ અથવા ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવું જરૂરી માનવામાં આવે છે. ‘સિક્સ હિલ્સ અ ડે’ દ્વારા ભુજ રનર્સ કચ્છના વૈવિધ્યસભર સૌંદર્યને નવા દૃષ્ટિકોણથી અનુભવવાની તક પણ મળે છે. આ આયોજનને સફળ બનાવવા રાજ ઠક્કર, હિતેશ બિજલાણી, પાર્થ ગુંસાઈ, કપિલ ભવાની, પ્રિયાંક દાવડા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

વાગરા તાલુકાના પીપલીયા ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો‎:પૌત્રને બચાવવા ગયેલા દાદાની ત્રણ યુવાનોએ ભેગા મળી હત્યા કરી નાંખી

વાગરા તાલુકાના પીપલીયા ગામમાં પૌત્રના વિવાદમાં દાદાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાં છે. પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા દાદાની હત્યા કરી દેવામાં આવી હતી. 24મી ફેબ્રુઆરીના રોજરાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં પીપલીયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી થઇ હતી. ફરિયાદી સોમા રાઠોડનો પૌત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ગામના જ ત્રણ શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પૌત્રને મુશ્કેલીમાં જોઈ 60 વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા. અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે, તમે મારા પૌત્રને કેમ ગાળો બોલીને મારો છો? આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાએ પાઇપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે શરૂઆતમાં ગામમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતાં. પરંતુ બીજા દિવસે તેમને અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા ડોક્ટરોએ તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કર્યા હતાં. વડોદરામાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. વાગરા પોલીસે ત્રણે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડયાં હતાં. નજીવી બાબતે થયેલા ઝઘડામાં વૃદ્ધનો જીવ ગયોવાગરા તાલુકાના પીપલીયા ગામમાં ચાર યુવાનો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં પોતાના પૌત્રને બચાવવા માટે દાદા ગયાં હતાં. ઉશ્કેરાયેલા ત્રણેયે વૃધ્ધને ઢોર માર માર્યો હતો. જેમાં આખરે વૃધ્ધને જીવ ગુમાવવો પડયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:વ્યાજખોરોએ પ્રભુ સોલંકીની પત્નીને 49 લાખ આપી 90 લાખ વસૂલ્યા, ~3 કરોડની જમીન, 5 કિલો સોનું પડાવ્યું

વ્યાજખોર ટોળકીએ ~49 લાખ સામે 90 લાખ વસુલી 5 કિલો સોનુ અને 3 કરોડની જમીન પચાવ્યાની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે મૂળ અરજીમાં દર્શાવાયેલા 3 પૈકી એક આરોપીનું નામ એફઆઈઆરમાં નહીં નોંધ્યું હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે. આજવારોડ રહેતા પાર્વતીબેન પ્રભુભાઈ સોલંકીએ ફરિયાદ અગાઉ ગૃહ મંત્રી, મહિલા આયોગ, કલેક્ટર, પોલીસ કમિશનર, સહિતને ફરિયાદ કરી હતી. જેમાં સમીર અરવિંદભાઈ પટેલ, રહે ન્યૂ વીઆઇપી રોડ, અરવિંદ શનાભાઈ પટેલ, રહે ગોરવા તેમજ દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહને આરોપી દર્શાવી જણાવ્યું કે, પતિએ ~49 લાખ 2021માં વ્યાજે સમીર પટેલ પાસે લીધા હતા. સામે સોનાની 20 બંગડી, હીરાનો હાર, 2 મંગળ સૂત્ર, સોનાનું કડુ મળી 5 કિલો સોનુ કેટલાંક બિલ સાથે આપ્યું હતું. બાદમાં વ્યાજ વધારી દીધું હતું. બાપોદ ગામ ટીપી 43 ફાઇનલ પ્લોટ 99/3ની જમીનનું રજીસ્ટર બાનાખત કરાવી ~3 કરોડ કિંમત દર્શાવી હતી. આજવારોડ પરિતોષ નગરની દુકાન પણ 20 લાખ વ્યાજ પેટે લખાવી હતી. બાપોદની જમીનના 3 કરોડ આપવાનું જણાવ્યું હતું. જેમાં મૂડીનો પણ સમાવેશ થશે કહી અરવિંદ પટેલે જમીન દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહને 2022માં વેચી નીલકંઠ એવન્યુમાં દુકાન આપવાનું નક્કી કર્યું હતુ અને 2.35 કરોડના ચેક આપ્યા હતા. દર્શિત ભૂપેન્દ્ર શાહના રૂપિયા આવશે ત્યારે આપીશ કહી સમીરે પાર્વતીબેન પાસેથી ચેક લીધા હતા. બાદમાં કોર્ટમાં ફસાવી દેવાની ધમકી આપી વ્યાજની માંગણી કરી હતી. બાપોદ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધ શરૂ કરી છે. એક વર્ષ ઇકો સેલે અરજી દબાવી રાખીપાર્વતીબેને 1 વર્ષ પૂર્વે વ્યાજખોરો સામે ઈકો સેલમાં ફરિયાદ કરી હતી.જેમાં 11-3-25એ પીઆઇ આર.એસ.ઠાકર સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં 3 કરોડની જમીન અને 5 કિલો સોનુ વ્યાજખોરોએ પચાવ્યું હોવાનું નોંધાવ્યું હતું. ફરિયાદ વર્ષ બાદ બાપોદ પોલીસ મથકે થઇ જેમાં સમીર પટેલ, અરવિંદ પટેલ અને દર્શિત શાહ પૈકી દર્શિત શાહનું નામ બાકાત કરી દેવાયું છે. દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાનું નામ ફરિયાદમાંથી બાકાત કરી દીધુંવ્યાજખોર ટોળકીએ 3 કરોડની જમીન અને 5 કિલો સોનુ પડાવી લીધું છે. ફરિયાદી બહેને મને વકીલ તરીકે રોક્યો હતો. ગૃહ મંત્રીથી માંડી પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં સમીર પટેલ, અરવિંદભાઈ પટેલ અને દર્શિત ભૂપેન્દ્ર ઉર્ફે ટીનો શાહ આરોપી હતા. પ્રથમ ઈકો સેલ અને બાદમાં બાપોદ પોલીસમાં પહોચેલી ફરિયાદમાં ભેદી રીતે એક આરોપી દર્શિત ભૂપેન્દ્ર શાહનું નામ બાદ કરી દેવાયું છે. આ અંગે ગૃહ મંત્રી અને પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવશે અને જમીન લખાવનાર અને લેનાર સમીર પટેલ અને દર્શિત શાહ સામે લેન્ડ ગ્રેબિંગ અંગે પણ કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવશે. > ધર્મેશ દુબે, એડવોકેટ બાપોદ પોલીસ ઉપર વિશ્વાસ નથી, ક્રાઇમ બ્રાન્ચને સોંપોઅગાઉ ગૃહ મંત્રીથી માંડી પોલીસ કમિશનર સુધી લેખિત ફરિયાદ કરી હતી. જેમાં ઊંચું વ્યાજ વસૂલવામાં આવ્યું હતું. જ્યારે અમારી 3 કરોડની જમીન અને 5 કિલો સોનુ પડાવી લીધું છે. આ ફરિયાદમાં 3 આરોપી હતા. ત્યારે બાપોદ પોલીસે એક આરોપીનું નામ બારોબાર કમી કરી માત્ર બે આરોપીને જ ફરિયાદમાં દર્શાવ્યા છે. મને બાપોદ પોલીસ ઉપર વિશ્વાસ નથી. અમારી ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાન્ચ અથવા સીઆઇડી ક્રાઇમને સોંપવાની માંગ કરી છે. > પાર્વતી સોલંકી, ફરિયાદી આ જમીન દર્શિત ભૂપેન્દ્ર શાહને વેચી હતીઆ મામલામાં આરોપી સમીર પટેલના વકીલ પ્રકાશ માંડવીયાએ જણાવ્યું છે, કે ફરિયાદીએ ખોટા આરોપ લગાવ્યા છે. 5 કિલો સોનાના બિલ ફરિયાદીએ રજૂ કર્યા નથી. અવેજની રકમ લીધા બાદ બાપોદની જમીન સમીર પટેલે લીધી હતી. જે દર્શિત ભૂપેન્દ્ર શાહને વેચવામાં આવી હતી. અમે આ અંગે અદાલતમાં પણ કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 4:00 am

રાજકોટના મેટોડા GIDCમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત:ટ્રકે રિક્ષાને અડફેટે લેતા બે સગા ભાઈઓ સહીત રીક્ષા ચાલક અને શ્રમિક મળી કુલ 4 લોકોના મોત નિપજ્યા, ટ્રક ચાલકની ધરપકડ

• SP સહિતના અધિકરીઓ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલક યુવાન તેમજ બે સગા ભાઈઓ અને એક શ્રમિક મુસાફર મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલ મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રીના 10 વાગ્યા આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રીક્ષાને અડફેટે લેતા જીજે.03.બીએક્સ.5656 નંબરની રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા જે તમામ અને રીક્ષા ચાલક મળી કુલ ચાર લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓટો રીક્ષા શ્રી રામ હોસ્પિટલ પાસેથી પસાર થઇ ગેઇટ નંબર 3માં જતી હતી દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ.28) જે પોતે મેટોડા GIDC વિસ્તારમાં આવેલ મચ્છોનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રીક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. જયારે આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા તેમના પણ મોત નિપજ્યા છે જેમાં વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજયસવસીભાઇ ગાંગડિયાનો સમાવેશ થાય છે જેઓ પણ મેટોડા GIDC વિસ્તારમાં જ આવેલ રોટરી ક્લ્બ નજીક રહેતા હોવાનું સામે આવ્યું છે મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને અહીંયા પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલ અન્ય એક શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, DYSP કે જી ઝાલા સહીત મેટોડા પોલીસ તેમજ LCB ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ મેટોડા પોલીસે ચારેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 1:46 am

અધેવાડાના યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો:ભાવનગર LCBને બાઈકની કડી મળીને હત્યારા સુધી પહોંચી, મહિલા સાથે અડપલા કર્યા ને પતાવી દીધો

ભાવનગર નજીકના અધેવાડા ગામે 5 દિવસ પૂર્વે અવાવરું જગ્યામાં આવેલ બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતકના શરીરના ભાગે અને માથાના ભાગે ઈજા જોવા મળતા હત્યાની આશંકા જાગી હતી. ત્યારબાદ યુવાનના પીએમ રીપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા હત્યાની ક્લમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે મામલે એલસીબીએ તપાસ હાથ ધરી આજરોજ ચિત્રા વિસ્તારમાં રહેતા શખસને ઝડપી પાડ્યો હતો. બાવળની કાંટમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોઆ બનાવ અંગેની ભરતનગર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભાવનગરના અધેવાડા ગામ નજીક અને શહેરના શિવમ અમ્રુત સોસાયટી, ડી-માર્ટ વાળા જવાના રસ્તા વિસ્તારની અવાવરુ જગ્યામાં બાવળની કાંટમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા ડીવાયએસપી સહિતો પોલીસ સ્ટાફ ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મૃતક યુવાનનો કબજો લઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં યુવાનને માથાના ભાગે થયેલી ઈજાઓ જોવા મળતા યુવાનની હત્યા થયાની આશંકા ઉભી થવા પામી હતી. LCB બાઈકના આધારે હત્યારા સુધી પહોંચીપોલીસની તપાસ દરમિયાન મૃતક યુવાન અધેવાડા ગામના દેવિપુજક વાસમાં રહેતા મથુરભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.40) હોવાનું ખુલવા પામ્યુ હતું. જ્યારે બનાવ સ્થળથી થોડે દુર એક શંકાસ્પદ બાઈક મળી આવતા પોલીસે કબજે લીધું હતું. જે દરમિયાન મૃતક યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા મૃતકની પત્નીએ ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં હત્યાની કબુલાત કરીઆ બનાવને લઈ એલસીબી પીઆઈ વાળા સહિતના સ્ટાફ વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસમાં જોડાય ગયેલ હતાં. જે દરમિયાન આ હત્યામાં હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર- GJ. 04.EB - 9045 ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળી આવી હતી. જે મોટરસાયકલ ચાલક રાજેન્દ્ર ગોબરભાઈ સોલંકી ઉ.વ.40 રહે.પટેલનગર, ચિત્રા, ભાવનગરને એલસીબી ઓફિસે બોલાવી પુછપરછ કરતાં તેણે મથુરભાઈની હત્યા કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે શખ્સને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યો હતો. કોઈ કપલ સ્કૂટર લઈ અહીંથી પસાર થયુંની બાતમી ને શખ્સ દબોચાયોસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે આ બનાવમાં અલગ-અલગ બે ટીમો બનાવી તપાસમાં કામે લાગી હતી. જેમાં પોલીસે 26થી 2 માર્ચ સુધી બનાવ સ્થળની આજુબાજુના તમામ ખેતરોની તપાસ કરવામા આવી હતી. જેમાં પોલીસને બનાવ સ્થળ નજીક દુકાન ધારકની પૂછપરછ કરવામાં આવતા ત્યાંથી પોલીસને કળી મળી હતી કે કોઈ કપલ સ્કૂટર લઈ અહીંથી પસાર થયું હતું. જે પોલીસે ટેક્નિકલ ટીમ બનાવી સ્કુટરના નંબરથી ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતો રાજેન્દ્ર સોલંકીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. મહિલા સાથે આડાસબંધ ને અડપલા કર્યા ને પતાવી દીધોરાજેન્દ્ર સોલંકીની પોલીસ પૂછપરછ દરમિયાન તેને કોઈ મહિલા સાથે આડાસબંધ હોઈ તે બન્ને અધેવાડાની અવાવરું જગ્યાના બાવળની કાંટમાં બેઠા હતાં, તે દરમિયાન મૃતક યુવક આવી રાજન્દ્રે સાથે રહેલ મહિલા સાથે મૃતક યુવક મથુરભાઈએ અડપલા કર્યા હતાં. જેમાં રાજેન્દ્ર અને મહિલા સાથે મૃતક યુવકે અગાવ પણ 4થી 5 વખત હેરાન પરેશાન કર્યા હતાં. જેને લઈ રાજન્દ્રે સોલંકી ઉશ્કેરાઈને પ્રથમ મથુરભાઈનું ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ તેને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી. મૃતક યુવક અવાવરુ જગ્યામાં બેસવા આવતોપોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક યુવક મથુરભાઈ અધેવાડાની અવાવરુ જગ્યામાં બેસવા આવતા અંદાજિત 25થી વધુ લોકો પાસેથી પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે પોલીસે રાજેન્દ્ર સોલંકીની સાથે આ બનાવમાં અન્ય જે મહિલા કોણ છે એનો શુ રોલ હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ આદરીને ભાંડો ફૂટ્યોભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અધેવાડા ખાતે બાવળની કાટમાંથી મળી આવેલી મથુરભાઈ પરમારની લાશ અંગે ભેદ ઉકેલતા સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી મૃતકની કોઈ પણ ચીજવસ્તુઓ ન મળતા અને ડોગ સ્ક્વોડની તપાસમાં શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:05 am

સુરત મનપાની ટર્મ પૂર્ણ થયાના આગલા દિવસે સામાન્ય સભા:16 કરોડના ખર્ચે હવે નવી 45 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ લગાવાશે, અનેક વિકાસના કામો પર વાગશે મહોર

સુરત મહાનગરપાલિકાની આગામી 11 માર્ચે ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સૌની નજર ટર્મ પૂરી થવાના આગલા દિવસે મળનાર સાધારણ સભા પર છે. આ સભા 10 માર્ચ, 2026ના રોજ સાંજે 4 કલાકે પાલિકા કચેરીના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ ખાતે મળવાની છે. આ સભામાં સ્થાયી સમિતિ અને બીજી 5 સમિતિના વિવિધ મહત્વના કામો પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. સ્થાયી સમિતિના કામોસભામાં લિંબાયત વિસ્તારમાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ માટે જમીનની પરસ્પર ફેરબદલી અને ફાળવણી અંગે મહત્વનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત, ગોડાદરા-ડિંડોલીની નગર રચના યોજના હેઠળના કામો પણ એજન્ડા પર છે. અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના ભાડા અને અન્ય સેવાઓના દરોને બહાલી આપવા અંગે પણ ચર્ચા થશે. શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા માટેના સુધારા અંગે ચર્ચા થશે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ગટર લાઈન નિયમબદ્ધ કરવા વિચારણા કરાશે જેને ₹500 ભરી કાયદેસર કરાશે. જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિના કામોસુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિ અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થાપન માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. શહેરના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે નવી જગ્યાએ કુલ 45 નવા ટ્રાફિક સિગ્નલ લગાવવાની યોજના છે. આ પ્રોજેક્ટમાં સિગ્નલ ઇન્સ્ટોલેશન અને તેના લાંબા ગાળાના મેઈન્ટેનન્સ માટે અંદાજે 16,11,00,000ના ગ્રોસ અંદાજને મંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે. જાહેર બાંધકામ સમિતિના કામોશહેરના વિવિધ વિસ્તારો જેવા કે પુણા, કરંજ, ઉધના, લિંબાયત અને અડાજણ વગેરેમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે સોસાયટીઓના આંતરિક રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટ બનાવવા, ડામર રસ્તાઓનું રિ-કાર્પેટિંગ કરવું, નવા વેજીટેબલ માર્કેટના શેડનું સમારકામ અને વહીવટી ભવનો કે ઓડિટોરિયમ પાછળ થનારા ખર્ચના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. પાણી સમિતિના કામોશહેરના વિવિધ વિસ્તારો જેવા કે કપોદ્રા, મગોબ, ડિંડોલી, અને ભેસ્તાન ખાતે આવેલા જળ વિતરણ મથકો અને વરાછા વોટર વર્ક્સના પંપ સેટ્સ તેમજ ઇલેક્ટ્રિકલ-મિકેનિકલ મશીનરીના સમારકામ અને નિભાવણી માટેના લાખો રૂપિયાના અંદાજોને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, નવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ બનાવવા, પાઇપલાઇન નેટવર્કની જાળવણી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના આધુનિકીકરણ જેવા મહત્વના કામોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. 11 માર્ચે આ ટર્મની પૂરી થવા જઈ રહી છે, ત્યારે 10 માર્ચે છેલ્લી સામાન્ય સભામાં અનેક વિકાસલક્ષી કામોની ચર્ચા કરવામાં આવશે અને વિકાસના કામોને વેગ કાપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:05 am

નરોડાથી નારોલ હાઇવેને આઇકોનિક રોડ બનાવાશે:AMC 250 કરોડના ખર્ચે 13.70 કિમીનો રોડ ડેવલોપ કરશે; રાહદારીઓ માટે ફૂટપાથ, અન્ડર પાસ, ટ્રાફિક સાઈનેજીસ સહિતની સુવિધાઓ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી વ્યસ્ત ગણાતાં એવા નરોડા-નારોલ હાઇવેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવશે. 13.70 કિલોમીટર લાંબા રોડ પર રાહદારીઓ માટે ફૂટપાથ, અન્ડર પાસ, ટ્રાફિક સાઈનેજીસ સહિત વગેરેની સુવિધાઓ સાથે રૂ. 250 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મુખ્ય કેરેજ વે પણ બનાવવામાં આવશે. નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડ ડેવલોપ કરાશેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બ્યુટિફિકેશન અને રોડને ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. એરપોર્ટ સર્કલથી લઈને ડફનાળા સુધીનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડને ડેવલોપ કરવામાં આવશે. 250 કરોડના ખર્ચે 13.70 કિમીનો રોડ વિકસાવાશેરોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધીનો કુલ 13.70 કિલોમીટર લંબાઈનો માર્ગ રૂ. 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ માર્ગની કુલ પહોળાઈ 60 મીટર રહેશે. જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે. મુખ્ય કેરેજ વે હાલની 10.50 મીટર પહોળાઈ મુજબ બંને બાજુ વિકસાવવામાં આવશે. ઉપરાંત, 10.50 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવાશે, જેથી સ્થાનિક ટ્રાફિકને અલગ સુવિધા મળી રહેશે. પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડનાગરિકોની સુવિધા માટે માર્ગની બંને બાજુ 2 મીટર પહોળા ફૂટપાથ બનાવાશે, જેથી પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડ મળશે. સાથે સાથે નાગરિકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ વચ્ચે 1 મીટર પહોળાઈનું નવું મીડિયન તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં મલ્ટી યુટિલિટી ઝોનમાં પ્લાન્ટેશન, સાઇનેજ સુવિધા, વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરશેપેડેસ્ટ્રિયન ક્રોસિંગ પર રેફ્યુજ આઇલેન્ડ્સ બનાવાશે, જેથી રસ્તો પાર કરવો વધુ સુરક્ષિત બનશે. યુટિલિટી માટે અંડરગ્રાઉન્ડ રોડ ક્રોસિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નારોલથી નરોડા પાટિયા સુધીનો માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરાશે અને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારના નાગરિકો માટે મહત્વનો બની રહેશે. એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ જેમ ડેવલપ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:05 am

માત્ર 10 હજાર કમાતા રેપિડો ચાલકના ખાતામાં 300 કરોડના ટ્રાન્જેક્શન:25 હજારમાં બેક એકાઉન્ટ ભાડે આપ્યું, અમદાવાદમાં 550 કરોડના હવાલા-સટ્ટાબેટિંગ રેકેટનો EDએ ભાંડો ફોડ્યો

અમદાવાદમાં ચાલતા ક્રિકેટ સટ્ટાબેટિંગ અને શેરબજારના ગેરકાયદે ખેલનો મોટો પર્દાફાશ થયો છે. EDની ટીમે 550 કરોડના હવાલા અને બોગસ બેંક ટ્રાન્ઝેક્શનના રેકેટનો ભાંડો ફોડતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિને માત્ર 10થી 12 હજાર રૂપિયા કમાતા રેપિડો ચાલક પ્રદીપ ઓડના બેંક ખાતામાં 300 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં. ખાતા ભાડે લઈ ક્રિકેટ સટ્ટાબેટિંગ કેસના અને શેરબજારના રૂપિયાના મલ્ટી ટ્રાન્ઝેક્શન કરાયા હતાં. ચેક પર સહી કરવા બદલ રૂ.400 લેતોપૂછપરછ દરમિયાન પ્રદીપે કબૂલ્યું કે, તેણે પોતાનું બેંક એકાઉન્ટ 25 હજાર રૂપિયામાં કિરણ પરમાર ઉર્ફે લાલાને ભાડે આપ્યું હતું. ચેક પર સહી કરવા બદલ તેને 400 રૂપિયા આપવામાં આવતા હતાં. ત્રણ પેઢી ને 550 કરોડના ટ્રાન્જેકશનપ્રદીપના પાનકાર્ડ અને આધાર કાર્ડના આધારે પ્રદીપ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ઉભી કરવામાં આવી હતી. તેમજ કમલેશ ટ્રેડિંગ અને રોનક ટ્રેડર્સ નામની બે અન્ય કંપનીઓ પણ કાગળ પર જ શરૂ કરાઈ હતી. 2024માં ખોલાયેલા આ ખાતાઓમાં કુલ 550 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે હકીકતમાં કંપનીઓ કોઈ વેપાર કરતી નહોતી. આવી રીતે ભાડે લીધેલા એકાઉન્ટના આધારે બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા. ક્રિકેટ સટ્ટાબેટિંગથી આવક ખાતાઓ મારફતે ફેરવવામાં આવતીEDની ટીમે બોગસ કંપનીઓની તપાસ કરી 550 કરોડના હવાલાની વિગતો શોધી કાઢી છે. મહિને 10થી 12 હજાર રૂપિયા કમાતા વ્યક્તિના ખાતામાં 300 કરોડના ટ્રાન્ઝેક્શન થતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીઓના રજીસ્ટ્રેશન માટે જે બેંક એકાઉન્ટની વિગતો આપવામાં આવી હતી, તે ખરેખર શેખ મોઇન મોહમ્મદ શફીનું હતું. ત્રણેય કંપનીઓ એક રૂપિયાનો પણ વેપાર કરતી નહોતીવર્ષ 2024માં ઓપન કરાયેલા આ ત્રણેય ખાતામાં કુલ 550 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ થઈ ગઈ હતી. જો કે ત્રણેય કંપનીઓ એક રૂપિયાનો પણ વેપાર કરતી નહોતી. છતાં આટલા ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયા હતા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. EDની તપાસમાં ખુલ્યું કે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબેટિંગથી આવક ખાતાઓ મારફતે ફેરવવામાં આવતી હતી. બિઝનેસમેન આદિત્ય ઝુલાના ખર્ચાઓનો પણ સમાવેશશેરબજારમાં સર્ક્યુલર ટ્રેડિંગ દ્વારા ખોટું વોલ્યુમ ઉભું કરી ભાવમાં અસામાન્ય વધારો કરાતો હતો. તપાસમાં ગાંધીધામના બિઝનેસમેન આદિત્ય ઝુલાના લગ્ન ખર્ચ સહિત વ્યક્તિગત ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ઈમ્પેક્ટ ગુરુને ડોનેશન અને પેની સ્ટોક્સમાં હેરાફેરી કરવામાં આવી હતી. EDની ટીમે ઝીણવટભરી તપાસ કરતાં જુદી જુદી ત્રણ કંપનીમાં 80.50 કરોડ, 52.11 કરોડ તથા 22.86 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું. ટર્નઓવરનો વધારો કરીને શેરના ભાવમાં ઉછાળો લાવતાતેમજ શેરબજારમાં સિન્ડિકેટ બનાવી ભાવનો ખેલ કરતી હોવાનું પણ તપાસના સામે આવ્યું છે. જેમાં અચાનક ટર્નઓવરનો વધારો કરવામાં આવતો હતો જેથી શેરના ભાવમાં ઉછાળો લાવવામાં આવતો હતો. શેરમાં એક વર્ષમાં 10 હજાર ટકાનો વધારો કર્યોતપાસમાં બહાર આવ્યું કે, એક કંપનીના શેરમાં માત્ર 12 મહિનામાં 10 હજાર ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેથી SEBIએ ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધું છે અને સર્વેલન્સ તપાસ પણ શરૂ કરી છે. ED દ્વારા કિરણ પરમાર ઉર્ફે લાલા, મહાદેવ, જુગલ, રવિ, જીવરાજ સામે ગુનો નોંધવાની ભલામણ પણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:05 am

અમદાવાદમાં 72 વર્ષીય વૃદ્ધાએ પોતાની જાતને સળગાવી, LIVE CCTV:ઘોડાસરમાં એકલવાયું જીવન અને બીમારીથી કંટાળીને વૃદ્ધાનો આપઘાત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઘોડાસરમાં સામે 72 વર્ષીય વૃદ્ધાએ બીમારીથી કંટાળીને પોતાની જાતને સળગાવી આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધા દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વટવા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને તેમને બીમારી હતી જેથી તેનાથી કંટાળી અને તેમણે આત્મહત્યા કરી લીધી છે. વટવા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. વૃદ્ધાએ જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાની જાતને સળગાવીમળતી માહિતી મુજબ શહેરના ઘોડાસર કેડીલા બ્રિજ પાસે આવેલા ઘરવિહોણા પ્લોટમાં ગૌરીબેન પટેલ નામના 72 વર્ષીય વૃદ્ધા એકલા રહેતા હતા. છેલ્લા કેટલાય સમયથી તેઓ એકલા રહેતા હતા અને તેમની દીકરી અલગ રહેતી હતી. 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ ગૌરીબેને તેમના ઘરની નજીક કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને પોતાની જાતને સળગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં વૃદ્ધાનું મોતવહેલી સવારનો સમય હોવાના કારણે આસપાસના વિસ્તારમાં કોઈ હાજર નહોતું. સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ આ મામલે તેમના પરિવારજનોને જાણ કરી હતી. ગૌરીબેનના પરિવારજનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. વટવા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી, ત્યારે વૃદ્ધાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. એકલવાયું જીવન અને બીમારીથી કંટાળીને આપઘાત કર્યોપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગૌરીબેન છેલ્લા કેટલાય સમયથી એકલા રહેતા હતા અને તેમને બીમારી હતી જેથી તેનાથી કંટાળી અને તેમના દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોઈ શકે છે. હાલ અકસ્માતે મોત નોંધી અને વધુ તપાસ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Mar 2026 12:05 am

વલાદર નજીક દુર્લભ શેઢાળી દેખાઈ:ગીર બોર્ડર પર રાત્રે રસ્તો ક્રોસ કરતી કેમેરામાં કેદ

ગીર જંગલ બોર્ડર પર આવેલા સુત્રાપાડા તાલુકાના વલાદર ગામ નજીક એક દુર્લભ શેઢાળી (શાહુળી) જોવા મળી હતી. રાત્રિના સમયે વાડી વિસ્તારના માર્ગ પરથી પસાર થતી આ શેઢાળીને એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. વલાદર ગામની સીમમાં આવેલા સીદ્ધાશ્રમ આશ્રમ નજીક શેઢાળી રસ્તો ક્રોસ કરતી નજરે પડતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય રીતે ગાઢ જંગલ વિસ્તારોમાં જોવા મળતું આ પ્રાણી માનવ વસાહત નજીક દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. શેઢાળી એક રાત્રિચર અને અત્યંત સાવચેત વન્યજીવ છે. તેના શરીર પર કઠોર અને કાંટાળું કવચ હોય છે, જે તેને શિકારીઓથી રક્ષણ આપે છે. જોખમની સ્થિતિમાં તે પોતાના કાંટા ઊભા કરી પ્રતિકાર કરે છે. પર્યાવરણ માટે શેઢાળી અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. તે જમીનમાં રહેલી જીવાતો, દીંડકીઓ અને કેટલીક વનસ્પતિઓનું ભક્ષણ કરીને પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પર્યાવરણવિદોના મતે, ગીર અને આસપાસના વિસ્તારોમાં શેઢાળીની હાજરી જૈવવિવિધતા માટે સકારાત્મક સંકેત છે. ગીર વિસ્તાર, જે એશિયાટિક સિંહો માટે વિશ્વપ્રસિદ્ધ છે, ત્યાં આવી દુર્લભ પ્રજાતિઓનું દર્શન સૂચવે છે કે કુદરતી આવાસ હજુ પણ સમૃદ્ધ છે. વલાદર ગામે દેખાયેલી આ શેઢાળી દર્શાવે છે કે ગીર માત્ર સિંહોનું જ નહીં, પરંતુ અનેક દુર્લભ પ્રાણીઓનું પણ આશ્રયસ્થાન છે. આવા વન્યજીવોની સુરક્ષા માટે જાગૃતિ અને સંવેદનશીલતા જાળવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 10:28 pm

ઈરાનમાં ભયાનક સ્થિતિ, નવા સંરક્ષણ મંત્રીનું પણ મોત, ઈઝરાયલે કર્યો દાવો

US-Iran War : અમેરિકા અને ઈઝરાયલે ડ્રોન અને મિસાઈલોથી સતત હુમલાઓ કરીને ઈરાનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે હાલ ઈરાનમાં વધુ એક મોટા મંત્રીનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાનમાં એક દિવસ પહેલા નવા સંરક્ષણ મંત્રી બનેલા સૈયદ માજિદ અબ અલ-રેજાનું મોત થયું છે. રેજાના મોત પહેલા રવિવારે એક એર સ્ટ્રાઈકમાં જૂના સંરક્ષણ મંત્રી અજીજ નાસિરજાદેહનું પણ મોત થયું હતું. રવિવારે જૂના સંરક્ષણ મંત્રીનું મોત થયું હતું.

ગુજરાત સમાચાર 3 Mar 2026 10:04 pm

હત્યા, લૂંટ અને ડ્રગ્સના 14 કેસ:ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગનો રીઢો સાગરીત ઈમરાન ગડ્ડી જલગાંવથી ઝડપાયો

સુરત શહેરના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ગેંગ સામે સુરત પોલીસની લાલ આંખ યથાવત છે. છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ગેંગના રીઢા સાગરીત ઈમરાન ગડ્ડીને સુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્કોડે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી ડ્રગ્સ હેરાફેરી, લૂંટ અને હથિયાર રાખવા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. શિવા ઝાલા માટે ડ્રગ્સ મંગાવવામાં આરોપીની મુખ્ય ભૂમિકાસલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ મુજબના ગુનામાં ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. ઓગસ્ટ 2025માં જ્યારે સુરત એસ.ઓ.જી.એ ડ્રગ્સ માફિયા શિવરાજ સિંહ ઝાલા ઉર્ફે શિવા ઝાલાને 12 લાખના એમ.ડી. ડ્રગ્સ અને પિસ્તોલ સાથે પકડ્યો હતો, ત્યારે તપાસમાં ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો જથ્થો ઈમરાન ગડ્ડીએ જ મંગાવ્યો હતો. શિવા ઝાલાની ધરપકડ બાદ ઈમરાન ધરપકડ ટાળવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો અને મહારાષ્ટ્રમાં છુપાઈને રહેતો હતો. અપહરણ અને લૂંટના ગુનામાં પણ સંડોવણીમાત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ ઈમરાન ગડ્ડી હિંસક ગુનાઓમાં પણ સક્રિય હતો. મે 2025માં ઉમરા પોલીસ મથકની હદમાં ગેંગ લીડર શિવા ઝાલા અને ઈમરાન સહિતના 10 સાગરીતોએ મળીને એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું. આ ગેંગે ફરિયાદીને ઢીક મુક્કીનો માર મારી તેની પાસેથી સોનાની ચેન, વીંટી અને રોકડ મળી કુલ 13,000ની લૂંટ ચલાવી હતી. આ લૂંટ બાદ આરોપી સુરત પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો અને સતત લોકેશન બદલી રહ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે જલગાંવમાં કરી વોચનાસતા ફરતા સ્કોડને ખાનગી બાતમી મળી હતી કે ઈમરાન ગડ્ડી હાલ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ગામમાં પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. સતત વોચ રાખ્યા બાદ ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખ (ઉ.વ. 35) ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપી પાસેથી ડ્રગ્સ કેસમાં ઉપયોગમાં લેવાયેલા વોકી-ટોકી અને હથિયારો અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 14થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસઈમરાન ગડ્ડીનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. તેના વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 14 જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં ખટોદરા હત્યા (302) અને હત્યાની કોશિશ (307), સલાબતપુરા માં ડ્રગ્સ (NDPS), આર્મ્સ એક્ટ અને હુમલો, સચીન GIDC માં હત્યા અને રાયોટિંગ, લીંબાયત તથા ઉધના માં મારામારી અને ધાક-ધમકી સહિતનો ગુના નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:55 pm

30 લાખથી વધુ વેરા બાકી, મિલકતો સીલ:સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાએ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરના બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત વેરાની વસૂલાત માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત, નોટિસ છતાં વેરો ન ભરનારાઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ગૌરાંગભાઈની રૂ. 4,13,800ના બાકી વેરાવાળી મિલકત સીલ કરાઈ છે. અનિલભાઈ ડાયાભાઈ પરમારની રૂ. 2,33,717ના બાકી વેરાવાળી મિલકત પર પણ સીલ લગાવવામાં આવ્યું છે. સૌથી મોટી કાર્યવાહી ભારત જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી સામે થઈ છે, જ્યાં રૂ. 30 લાખથી વધુના બાકી વેરાને કારણે મિલકત સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકીદારો સામે આ પ્રકારની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે. આ પગલાંનો ઉદ્દેશ્ય શહેરના વિકાસ કાર્યો અને નાગરિક સેવાઓ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાનો છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને તેમનો બાકી મિલકત વેરો તાત્કાલિક ભરી દેવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા અપીલ કરી છે. વેરો ભરવા માટે વેરા વિભાગની કચેરીનો સંપર્ક કરી શકાય છે અથવા ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:41 pm

સુરતમાં રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષને હાર્ટ એટેક:વિક્રમસિંહ શેખાવતનું ઘરે જ બેભાન થયા બાદ મોત, પાટીલ સહિતના નેતાઓએ સિવિલ પહોંચી પરિવારને સાંત્વના આપી

સુરતમાં રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ તેમજ કાપડ ઉધોગના જાણીતા વેપારી વિક્રમસિંહ શેખાવતનું આજે હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. વિક્રમસિંહે ગોડાદરા ખાતે ત્રણ દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું. દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી, પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ નહીં તૂટે તે માટે તેઓએ કોઈને કહ્યું ન હતું અને સારવાર પણ લીધી ન હતી. તેઓના મોત બાદ રાજસ્થાની સમાજ સહિતના લોકોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ વિક્રમસિંહના અવસાનની જાણ થતા સીઆર પાટીલ સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી. વિક્રમસિંહની તબિયત લથડતા બેભાન થઈ ઢળી પડ્યામળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાન અને વેસુ VIP રોડ પર આવેલ પુણ્યભૂમિ સોસાયટીમાં 42 વર્ષીય વિક્રમસિંહ રાજપાલસિંહ શેખાવત પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હતા. વિક્રમસિંહ ખટોદરા વિસ્તારમાં કાપડનું હાઉસ ધરાવતા હતા અને સોલાર અને સિક્યુરિટી ગાર્ડની એજન્સીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આજે વિક્રમસિંહ ઘરે હતા. ત્યારે તેઓની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાંથી તબીબની ટીમને પણ ઘરે બોલાવી દીધા હતા. તબીબોએ વિક્રમસિંહને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકબેભાન વિક્રમસિંહને CPR સહિતની સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેઓ બચી શક્યા ન હતા. તબીબની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા અલથાણ પોલીસ સ્થળ પર પહોંચીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજસ્થાની પરંપરા મુજબની ફાગોત્સવનું આયોજન કર્યું હતુંવિક્રમસિંહે ગોડાદરા વિસ્તારમાં આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસ માટેના રાજસ્થાની પરંપરા મુજબની ફાગોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો જોડાયા હતા. તેઓ દર વર્ષે આવા પ્રોગ્રામ કરતા હતા. તેમજ વિક્રમસિંહ VHPના પૂર્વ ઉપાધ્યક્ષ, લઘુ ઉધોગ ભારતીના ઉપપ્રમુખ તરીકે પણ સેવાપ્રવૃત્તિ કરી છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા કાર્ય કરતા હતા. તેમના પિતા આર્મીમાં હતા અને હાલમાં તેઓ નિવૃત છે. સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપીવિક્રમસિંહે ગોડાદરા ખાતે ત્રણ દિવસ માટે ફાગોત્સવનું આયોજન કર્યું હતું. દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હતી. પરંતુ કાર્યકર્તાઓનો મનોબળ નહી તૂટે તે માટે તેઓએ કોઈને કહ્યું ન હતું અને સારવાર પણ લીધી ન હતી. દરમિયાન આજે તેમની તબિયત લથડી હતી અને બેભાન થયા બાદ મોત નિપજ્યું હતું. વિક્રમસિંહના અવસાનની જાણ થતા ભાજપના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:33 pm

સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો AAPએ આક્ષેપ કર્યો:'વરાછાના સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઈજારદાર પર અધિકારીઓની મહેરબાની?', કમિશનરને પત્ર લખ્યો

સ્માર્ટ સિટી સુરતના વહીવટી તંત્રમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે વરાછા ઝોન-એ માંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીતાનગર બ્રિજ નીચે કાર્યરત 'પે એન્ડ પાર્ક'ના ઈજારદારે છેલ્લા 4 મહિનાથી પાલિકાની તિજોરીમાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી, છતાં અધિકારીઓએ ભેદી મૌન સેવી રાખતા અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે. ‘વરાછાના સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કના ઈજારદાર પર અધિકારીઓની મહેરબાની?’મળતી માહિતી અનુસાર, વરાછા ઝોન-એ અંતર્ગત આવતા સીતાનગર બ્રિજ નીચે પે એન્ડ પાર્ક ચલાવવાનો ઈજારો 17 ઓક્ટોબર 2025ના રોજ એક ખાનગી ઈજારદારને ફાળવવામાં આવ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ, વર્ક ઓર્ડર મળ્યાના 15 દિવસની અંદર ઈજારદારે સિક્યોરીટી ડિપોઝીટ અને લાયસન્સ ફી પેટે કુલ રુ. 3,95,620 સુરત મહાનગરપાલિકામાં જમા કરાવવાના હતા. પરંતુ, નવાઈની વાત એ છે કે કોન્ટ્રાક્ટ મળ્યાને 4 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં અને 2 માર્ચ સુધીમાં ઈજારદારે પાલિકાના ખાતામાં એક પણ રૂપિયો જમા કરાવ્યો નથી. આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઈજારદાર બેરોકટોક પાર્કિંગ ચલાવી રહ્યો છે અને જનતા પાસેથી ઉઘરાણું કરી રહ્યો છે. ‘વરાછા ઝોનના અધિકારીઓની કાર્યશૈલી પર શંકા’સામાન્ય રીતે જો કોઈ નાનો વેપારી કે નાગરિક પાલિકાનો વેરો ભરવામાં વિલંબ કરે તો તંત્ર તાત્કાલિક સીલિંગ કે દંડની કાર્યવાહી કરે છે. પરંતુ, આ કિસ્સામાં વરાછા ઝોનના અધિકારીઓની કાર્યશૈલી શંકા ઉપજાવે તેવી છે. ‘શું અધિકારીઓ જાણીજોઈને ઈજારદારને છાવરી રહ્યા છે?’કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે ઈજારદારે નવેમ્બર મહિનામાં જ રકમ જમા કરાવી દેવાની હતી, ત્યારે તંત્રએ છેક સાડા ત્રણ મહિના પછી એટલે કે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રથમ નોટિસ આપી હતી. આટલો લાંબો સમય કેમ રાહ જોવામાં આવી? શું અધિકારીઓ જાણીજોઈને ઈજારદારને છાવરી રહ્યા છે? અધિકારીઓની આ છત્રછાયાને કારણે પાલિકાની તિજોરીને સીધું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે. ‘જે ભાડું બાકી નીકળે છે, તે વ્યાજ દર સાથે તાત્કાલિક વસૂલવામાં આવે’આ મામલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કમિશનરને લખેલા પત્રમાં ત્રણ મુખ્ય માંગણીઓ પર ભાર મૂક્યો છે જેમાં ઈજારદાર પાસેથી ઓક્ટોબર-2025થી આજ દિન સુધીનું જે પણ ભાડું બાકી નીકળે છે, તે પ્રવર્તમાન વ્યાજ દર સાથે તાત્કાલિક વસૂલવામાં આવે. જે અધિકારીઓએ સમયસર નોટિસ ન આપીને ઈજારદારને ફાયદો કરાવવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરી કડક પગલાં લેવામાં આવે.અને જો ઈજારદાર નિર્ધારિત સમયમાં રકમ જમા ન કરાવે, તો તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા તત્વો પાલિકાના કામો ન મેળવી શકે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:29 pm

હાઇવે પર સાઈડમાં ઉભેલા ટેન્કર પાછળ વાહન અથડાતા પ્રૌઢનું મોત:રાજકોટના નવલનગરમાં રહેતી મુકબધીર પરિણીતાએ સંતાન પ્રાપ્તી ન થતા ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં રહેતા ચાંદનીબેન મુન્નાભાઇ શર્મા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.26 ફેબ્રુઆરીના રોજ વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. બનાવ અંગેની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવતા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ચાંદનીબેન અને તેમના પતિ મુકબધરી છે તેઓને સંતાન પ્રાપ્તિ ન થતા વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે પર સાઈડમાં ઉભેલા ટેન્કર પાછળ વાહન અથડાતા પ્રૌઢનું મોત સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ દિનેશભાઈ શિંગાળા (ઉ.વ.55) નામના પ્રૌઢ એકટીવા લઈને 12.45 વાગ્યા આસપાસ પટેલ વિહાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાના રસ્તે જતા હતા. ત્યારે ઓડીના શોરૂમ પાસે પહોંચતા ટેન્કર નંબર જીજે.12.એડબલ્યુ.1599 રોડની સાઇડમાં પાર્ક કરેલું પડયું હોય તેમાં એકટીવા ઘૂસી જતા પ્રૌઢ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા જેમાં કોઈએ 108માં જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી પ્રૌઢના પરિવારને જાણ કરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર દિલીપભાઈ શિંગાળાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું અને દિલીપભાઈ ચાંદીકામનું મજૂરી કામ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરસ્ત્રીને મળવા પહોંચેલા યુવકને મહિલાના પુત્ર-પરિજનોએ બેફામ માર માર્યો રાજકોટના પોપટપરામાં અડધી રાતે પરસ્ત્રીને મળવા પહોંચેલા યુવકને મહિલાના પુત્ર સહીત પરિજનોએ બેફામ ફટકારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતો યુવક ઢોલ વગાડવા માટે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આવ્યો હતો. અગાઉ તેને એક મહિલા સાથે પરિચય થતાં તેણીએ યુવકને મળવા બોલાવ્યો હતો. જેને મળવા જતા બંનેને મહિલાનો પુત્ર જોઈ જતાં ઝડપી લીધા હતા અને પરિવારજનો સાથે મળી માર માર્યો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે પોલીસને જણાવ્યું હતું કે આશરે પાંચેક મહિના પહેલા એક મરણ પ્રસંગે ઉત્તર ક્રિયાની વિધિ દરમિયાન તેનો પરિચય આ મહિલા સાથે થયો હતો પછી મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને બંને ફોન ઉપર વાતચીત કરતા હતા દરમિયાન તે મહિલાને મળવા આવ્યો ત્યારે જોઈ જતા પરિવારજનોએ માર માર્યો છે હાલ પોલીસે આ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાનો ભાઈ અને તેની પત્ની મકાન બાબતે અવારનવાર ઝઘડો કરે છે મેપાભાઇ ગોવાભાઇ મેવાડા (ઉં.વ.55) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ રામવન પાસે હતા ત્યારે હાર્પિક લીકવીડ પી ગયા હતા જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરટીઓ પાછળ તેમનું વારસાઈ મકાન છે. જે તેમના માતાએ, તેમના નામે કરી આપ્યું હતું પરંતુ નાનો ભાઈ જીજ્ઞેશ અને જીજ્ઞેશના પત્ની જ્યોતિબેન મકાન બાબતે અવારનવાર ઝઘડો કરે છે જેથી કંટાળી આ પગલું ભર્યું છે. મેપાભાઇને સંતાનમાં 2 દીકરા છે. પોતે 2 ભાઈ અને 1 બહેનમાં મોટા છે. પોતે ખેતી અને મજૂરી કામ કરે છે. મેપાભાઇ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે જેનું નિવેદન નોંધી પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઝેરી જીવજંતુ કરડી જતા આરએમસીની ટીપરવાનમાં કામ કરતા યુવકનું મોત સૂરજ રામજીભાઈ સોલંકી (ઉં.વ.29) ગઈ તા.28.02.2026ના રોજ સાંજે 7.30 વાગ્યાં આસપાસ ઘર પાસે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તા.1ના રોજ તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં સારવાર દરમ્યાન આજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમા સૂરજ રાજકોટ મહાનગરપાલિકાની ટીપરવાનમાં નોકરી કરતો હોવાનું અને એક ભાઈ અને એક બહેનમાં નાનો તેમજ અપરણિત હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ પહેલા તે ઘર પાસે બેઠો હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું અને પછી તબિયત બગડી હતી. યુવકના આકસ્મિક મોતથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે. શ્વાન બચકું ભર્યા બાદ થોરાળાના વૃદ્ધને હડકવા ઉપડ્યો, હાલત ગંભીર થોરાળાના રામનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ આશરે 15 દિવસ પહેલા શહેરના ઢેબર રોડ ઉપર હતા ત્યારે ત્યાં રખડતા શ્વાનએ પગમાં બચકું ભરી લીધું હતું જે પછી આ વૃદ્ધએ સારવાર લીધી હતી. જોકે તેમ છતાં તેમની તબિયત બગડતી જતી હતી જેથી અંતે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબી નિદાનમાં વૃદ્ધને શ્વાન કરડતા હડકવાની અસર થઈ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા જેથી ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરીને એમએલસી નોંધ કરાવી હતી. હાલ આ વૃદ્ધ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:28 pm

ભાવનગરમાં હોલિકાદહન:ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

ભાવનગર શહેરમાં 2 માર્ચ, 2026ના રોજ વિવિધ વિસ્તારોમાં પાવનપર્વ હોલિકાદહન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) સહિત મેયર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ કુમાર શાહે વિવિધ સ્થળોએ હાજરી આપી હોલિકા માતાના દર્શન કર્યા હતા. તેમણે શહેરના નાગરિકો સાથે શુભેચ્છા વિનિમય પણ કર્યો હતો.આ પ્રસંગે તેમણે હોળીના પાવન પર્વે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમોમાં ભાવનગર મહાનગરના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના સભ્યો, કાર્યકર્તાઓ તેમજ ભાવનગરના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:21 pm

હત્યારાએ પોલીસથી બચવા ચહેરો બદલ્યો:સુરત પોલીસને બે વર્ષથી થાપ આપનાર મહારાષ્ટ્રથી ઝડપાયો, લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર હતો

વર્ષ 2020માં સચિન GIDC વિસ્તારમાં થયેલા ચકચારી મર્ડર કેસનો આરોપી જે લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પકડાયેલો આરોપી સોયેબ ઉર્ફે સોનુ રીયાજુદ્દીન શેખે ધરપકડથી બચવા માટે અનોખો કીમિયો અપનાવ્યો હતો. પોલીસ માણસો તેને ઓળખી ન શકે તે માટે તેણે પોતાનો ચહેરો અને દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેણે લાંબી દાઢી અને મૂછો વધારી દીધી હતી જેથી જૂના રેકોર્ડ મુજબના ફોટા સાથે તેનો ચહેરો મેચ ન થાય. જોકે, ક્રાઈમ બ્રાન્ચની બાતમીદારોની જાળમાં તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ જેલમાં હાજર ન થયોઘટનાની વિગત એવી છે કે, આરોપી સોયેબ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કલમ 302 (હત્યા) ના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો. એપ્રિલ 2024માં પરિવારને આર્થિક મદદ કરવાના બહાને તેણે 10 દિવસની વચગાળાની રજા મેળવી હતી. 29 એપ્રિલ 2024ના રોજ તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસ તેને શોધી રહી હતી. મહારાષ્ટ્રના ધુલિયામાં છુપાયો હતો આરોપીક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના દેવપુર વિસ્તારમાં ખાટકીવાડ સાઈબાબા મંદિર પાસે છુપાયેલો છે. આ માહિતીના આધારે સુરત પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડીને હવે ફરી લાજપોર મધ્યસ્થ જેલ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું હતો વર્ષ 2020નો હત્યાનો મામલો?આ કેસની ફ્લેશબેક તપાસતા જાણવા મળે છે કે, 7 ઓક્ટોબર 2020ના રોજ ઉન સનામીલ પાસે જૂની અદાવત રાખીને સોયેબ અને તેના સાગરીતોએ ફિરોજ ઉર્ફે બબ્બા નામના વ્યક્તિને આંતર્યો હતો. આરોપીઓએ ફિરોજ પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકીને જાહેરમાં તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ગંભીર ગુનામાં પકડાયા બાદ તે જેલમાં હતો, જ્યાંથી તે રજા પર આવીને ફરાર થયો હતો.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:17 pm

માળીયાના ચિખલીમાં 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત:દારૂની ભઠ્ઠી પર દરોડો, 200 લિટર દારૂ-2800 લિટર આથો મળ્યો, આરોપી ફરાર

માળીયા (મી) તાલુકાના ચિખલી ગામની સીમમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 200 લિટર દેશી દારૂ, 2800 લિટર આથો અને એક બોલેરો ગાડી સહિત કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચીખલી ગામના સીમમાં આવેલા કરાડિયા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પરથી 200 લિટર તૈયાર દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2800 લિટર આથો મળી આવ્યો હતો. આ ઉપરાંત, GJ 11 VV 5695 નંબરની એક બોલેરો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કાસમભાઇ અબ્દુલભાઈ સામતાણી (રહે. ચીખલી, તાલુકો માળીયા મીયાણા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:17 pm

5 મીએ મનપાની અંતિમ સ્ટેન્ડિંગમાં હોઇએસ્ટ 115 દરખાસ્તો:રાજકોટમાં પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન, આરોગ્ય કેન્દ્ર, લાયબ્રેરી, એનિમલ હોસ્પિટલ, નવા રોડના કામો મંજૂર થશે

રાજકોટ મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની ટર્મ 11 માર્ચે પૂર્ણ થાય તે પહેલા જ 5 માર્ચે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક ચેરમેન જયમીન ઠાકર દ્વારા બોલાવવામાં આવી છે. જેમાં હાઇએસ્ટ 115 દરખાસ્તો મુકવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાના વિકાસ કામોની મંજૂરી આપવામાં આવશે. જેમાં વાવડીમાં શહેરનું પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન અને લાયબ્રેરી,રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી 18.58 કરોડના નવા રોડ, કોસ્મોપ્લેક્સથી રીંગરોડ તરફ નો નવો રોડ, વોર્ડ નંબર 1 અને 3 માં નવું આરોગ્ય કેન્દ્ર, વોર્ડ નંબર 4 માં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વોર્ડ નંબર 15 માં નવું ફાયર સ્ટેશન, શાળા નંબર 69 માં બાસ્કેટ બોલ કોર્ટ, ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં વોકિંગ ટ્રેક સહિતના કામો પર મંજૂરીની મહોર લગાવવામાં આવશે. રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી 18.58 કરોડના નવા રોડ, બ્રીજના ઇન્સ્પેકશન માટે સલાહકાર નિમવા, વોર્ડ નં.12 માં વાવડીમાં લાયબ્રેરી અને શહેરનો પ્રથમ સ્પોન્ઝ ગાર્ડન, વોર્ડ નં.7માં કનક રોડ ફાયર બ્રિગેડના નવા બિલ્ડીંગ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં ડામર રોડના ખર્ચમાં વધારો, મનહરપુરમાં દવાખાનુ, વોર્ડ નં.4 માં 50 ફુટના રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.9 માં કોસ્મોપ્લેકસથી 18 મીટરનો નવો રોડ, વેસ્ટ ઝોનમાં નવા ડામર કામ સહિતના કામોનો સમાવેશ થાય છે. તા.11 માર્ચના રોજ પાંચ વર્ષ માટે ચૂંટાયેલા 72 કોર્પોરેટરોની બોડીની મુદ્દત પૂરી થઇ રહી છે ત્યારે આજે સવારે ચેરમેને આ મીટીંગનો એજન્ડા બહાર પાડયો હતો. જેમાં વિક્રમી સંખ્યામાં દરખાસ્ત અને ખર્ચની રકમ સામેલ છે. જે અંગે ગુરૂવારે સવારે ભાજપ સંકલન અને તે બાદ સ્ટે.કમીટીમાં નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.12 ના વાવડી વિસ્તારમાં તપન હાઇટસ સામે સ્પોન્ઝ ગાર્ડન બનાવવા 26.98 કરોડનું એસ્ટીમેટ બનાવી ટેન્ડર બહાર પડાયુ હતું. 34800 ચો.મી.માં બનનારા ગાર્ડનમાં વોટર રીટેન્શન પોન્ડ, યોગા સ્પેસ, સોલાર એનર્જી, મલ્ટી સ્પોર્ટ ગેમ કોર્ટ, રેઇન ગાર્ડન, કોમ્યુનિટી ફાર્મીંગ, ફેસ્ટીવલ ગેધરીંગ, પબ્લીક પરફોર્મન્સ એરીયા, ઘાટ, મેડીકલ પ્લાનટેશન, આઉટડોર જીમ, સેલ્ફી પોઇન્ટ, વોટર મ્યુઝીયમ, ફલાવર ગાર્ડન, વોક-વે, ટોયલેટ બ્લોક જેવી સુવિધા છે. આ કામ માટે શ્રીજી કૃપા પ્રોજેકટ લી.ના 11 ટકા ઓછા ભાવ આવતા 24 કરોડની રકમ અને જીએસટી સહિત 28.33 કરોડનો ખર્ચ કરવાની કાર્યવાહી થઇ છે જે અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. આ જ વોર્ડમાં વાવડી વિસ્તારમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે 18.97 કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવવાની દરખાસ્ત આવી છે. 2591 ચો.મી.માં દુકાનો ઉપર આ લાયબ્રેરી બનાવવામાં આવશે. વોર્ડ નં.1માં રૈયા ગામથી રૈયા સ્માર્ટ સીટી સુધીનો 1.2 કિ.મી.નો રોડ, 2400 મીટરની ડીઆઇ પાઇપલાઇન, 7200 મીટર, 500 મીટરની અન્ય લાઇન, ફલાવર બેડ ડિવાઇડર, ફુટપાથ સહિતના કામ માટે 15.29 કરોડનું ટેન્ડર બહાર પડાતા ભવાની કંપનીએ 3 ટકા વધુ ઓનથી આ કામ કરવા તૈયારી દર્શાવી છે. જેમાં 18 ટકા જીએસટી સહિત 18.58 કરોડનો ખર્ચ થશે. વોર્ડ નં.9માં કોસ્મોપ્લેકસથી 150 ફુટ રીંગ રોડને જોડતા 18 મીટરના રોડનું કામ રાજ ચામુંડા કંપનીને 6.39 ટકા ઓછા ભાવે 3.15 કરોડમાં આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.11માં મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવવા ટેન્ડર બહાર પડાયું હતું જેમાં સનરાઇઝ એન્ટરપ્રાઇઝ 1.73 કરોડમાં પશુઓ માટેની હોસ્પિટલ બનાવવી આપવા તૈયારી દર્શાવી છે. વોર્ડ નં.7 કોર્પો. કચેરી પાછળ કનક રોડ પર દાયકાઓ જુના ફાયર સ્ટેશનને તોડીને નવું ફાયર સ્ટેશન બનાવવા રી-ટેન્ડર કરાયા બાદ રૂ.12.23 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવશે. આ સિવાય સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.2, 3, 7, 13, 14, 17માં ડિઝાઇન રોડ સોસાયટીના રોડ સહિતના રસ્તાના કામ માટે 44 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ગત એપ્રિલમાં 31.31 કરોડનો ખર્ચ મંજૂર થયો હોય, 12.67 કરોડના વધારાના ખર્ચ સહિતનું આ બજેટ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. વેસ્ટ ઝોનના છ વોર્ડમાં 1.36 કરોડના ખર્ચે રસ્તાના કામો મંજૂર કરવા દરખાસ્ત મુકવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.4 માં 50 ફુટ રોડ પર ડી માર્ટ પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવા ટેન્ડર પ્રક્રિયામાં સાત પાર્ટી કવોલીફાય થઇ હતી. જેમાં ચિત્રા કંપની દ્વારા અઢી ટકા ઓછા ભાવમાં કામ ઓફર આવતા 29.38 કરોડના ખર્ચે કામ આપવા દરખાસ્ત આવી છે. વોર્ડ નં.3ના મનહરપુરમાં બે કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા દરખાસ્ત આવી છે. તો વોર્ડ નં. 15 માં આજી ડેમ ટ્રાફિક પોલીસ સ્ટેશન પાછળના ખુલ્લા પ્લોટમાં નવું ફાયર સ્ટેશન બનાવવા 35.16 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કોર્પો.ને કુલ રૂ.515 કરોડની ગ્રાંટ મંજુર કરવામાં આવેલ છે. જેમાં આંતરમાળખાકીય વિકાસનાં કામો માટે રૂ.367 કરોડ, શહેરી સડક યોજના માટે રૂ. 68 કરોડ તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. 80 કરોડ એમ કુલ મળીને રૂ. 515 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવેલ છે. જે સામે સરકારની સુચના મુજબ બે ગણું આયોજન કરી મોકલવા જણાવેલ હતું, જે મુજબ ડબલ રકમની દરખાસ્ત મોકલાતા રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.515 કરોડ મંજુર કરી ફાળવી આપેલ છે. વર્ષ 2025-26ને રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ વર્ષ તરીકે જાહેર કરાયેલુ હોય કોર્પો. દ્વારા ઉપરોક્ત વિકાસ કામો હાથ ધરવા જરૂરી હતા. જે કામો હાથ પર લેતા મંજુર થયેલ રૂ.515 કરોડથી વધુ ખર્ચ થશે. જેને પહોચી વળવા રૂ.256.44 કરોડની વધારાની ગ્રાંટની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવેલ છે વેસ્ટ ઝોનના 150 ફુટ રીંગ રોડ-2 પર કાલાવડ રોડ અને જામનગર રોડ તરફના 150 ફુટ રીંગ રોડને જોડતા રસ્તા ફોર ટ્રેક બની રહ્યા છે. આ માટે ઓગષ્ટ માસમાં 120 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જામનગર રોડથી કટારીયા, કણકોટ રોડ સુધી સીવીલ વર્ક અને ગાર્ડનીંગ વર્ક તેમાં કરવાનું છે. હવે સ્ટેટ ટેકનીકલ કમીટી દ્વારા કરાયેલી સ્ક્રુટીનીનો રીપોર્ટ મળ્યો છે. જેમાં 45 મીટરનું કામ સુચવાયું હોય 220 કરોડનો ખર્ચ થાય તેમ છે. જેથી આ માટે વધારાની ગ્રાન્ટ માંગવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મુખ્ય દરખાસ્તો ♦ અમીન માર્ગ કોર્નરની જમીનની હરાજી અંગે નિર્ણય♦ વોર્ડ નં.4 ભગવતીપરા-5 પાસે બેઠુ નાલુ બનાવાશે♦ પૂર્વ ઝોન સહિતના વિસ્તારોમાં નવી આંગણવાડીના કામ♦ વોર્ડ નં.12 પુનિતનગરમાં સ્લેબ કલ્વર્ટ વાઇડનીંગ♦ વોર્ડ નં.16 જંગલેશ્ર્વરમાં શાળા નં.70 પાસે વોંકળા પર સ્લેબ કલ્વર્ટ♦ વોર્ડ નં.12 વાવડીમાં તપન હાઇટસ સામે સ્પોન્ઝ ગાર્ડન♦ વોર્ડ નં.12 માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.1 નાણાવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ♦ વોર્ડ નં.12 વાવડીમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે લાયબ્રેરી♦ વોર્ડ નં.13 અંબાજી કડવા પ્લોટ શાળા નં.69માં બાસ્કેટ બોલ કોર્ટ♦ વોર્ડ નં.1 રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધી નવો ડીપી રોડ♦ વોર્ડ નં.14 શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં વોકિંગ ટ્રેક♦ જુદા જુદા બ્રીજના ઇન્સ્પેકશન તથા રીપોર્ટીંગ માટે સલાહકાર♦ 2025-26ના વર્ષ માટે રસ્તા, ડ્રેનેજ, મેશનરી, વોટર વર્કસના ઝોનલ કોન્ટ્રાકટ♦ વોર્ડ નં.11 મોટા મવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પિટલ બનાવાશે♦ સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત અને ગ્રીન રોડ યોજના માટે સરકાર પાસે વધારાની ગ્રાન્ટ મંગાશે♦ વોર્ડ નં.15 ના સંસ્કાર અને આજી જીઆઇડીસીમાં ડામર કાર્પેટ♦ વોર્ડ નં.4 રાજલક્ષ્મી મેઇન રોડ પર અને ઓમ પાર્ક મેઇન રોડ પર બ્રીજનું કામ♦ વોર્ડ નં.7 સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડના ભાગે નવા ફાયર સ્ટેશનનું કામ♦ સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના મુખ્ય રોડ ડિઝાઇન રોડ, ડામર અને રી-કાર્પેટ કામ♦ રામવન ખાતે ફૂડ કોર્ટનું સંચાલન આપવા દરખાસ્ત♦ વોર્ડ નં.3ના મનહરપુરમાં નવું આરોગ્ય કેન્દ્ર♦ વોર્ડ નં.1 એસઆરપી કેમ્પસની સ્કુલ માટે છ રૂમ અને મધ્યાહન ભોજન ઇમારત♦ વોર્ડ નં.4 ડી માર્ટ રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવાશે♦ વોર્ડ નં.9 કોસ્મોપ્લેકસથી 150 ફુટ રીંગ રોડ તરફ 18 મીટરનો નવો રોડ♦ વોર્ડ નં.1ના દ્વારકેશ પાર્ક પાસે નવું આરોગ્ય કેન્દ્ર♦ અલગ અલગ વોર્ડમાં સફાઇ અને કચરા એકત્રીકરણ કામગીરી♦ કોઠારીયા રોડના વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલના નવા ભાડા♦ કર્મચારીઓ, અધિકારીઓના તબીબી સહાયની નીતિમાં સુધારો♦ મિલ્કત વેરા-વોટર ચાર્જ પર ચડત વ્યાજ માફીની દરખાસ્ત♦ સેન્ટ્રલ-ઇસ્ટ ઝોનમાં ગાર્ડન જાળવણી, ટ્રી અને ગ્રીન સ્પેસ મોનીટરીંગનું કામ♦ જુદા જુદા વિસ્તારમાં પે એન્ડ પાર્કની જગ્યા ફાળવવા♦ જયુબીલી શાક માર્કેટ નવીનીકરણનું કામ♦ વોર્ડ નં.8 લક્ષ્મીનગર વીજ ઓફિસ સામે વેજીટેબલ માર્કેટ♦ વોર્ડ નં.15 આજી ડેમ પાસેના પ્લોટમાં ફાયર સ્ટેશનનું કામ♦ વોર્ડ નં.8 કાલાવડ રોડ-નાના મવા રોડ વચ્ચે, નિર્મલા રૈયા રોડ પર ડીઆઇ પાઇપલાઇન

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:15 pm

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વિશ્વ કર્ણ દિવસ ઉજવ્યો:18 સ્થળોએ OPD દ્વારા 1001 લાભાર્થીઓને કાનની સંભાળનો લાભ અપાયો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ કર્ણ દિવસ 2026ના અવસરે વિશેષ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ OPD તમામ 18 AAM UHSC અને AAM UHC કેન્દ્રો પર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ OEEE (Open Ear and Ear Infection and Others) અભિયાનનો એક ભાગ હતો. આ અભિયાન દરમિયાન જાહેર જનતાને કાનની સંભાળ, બહેરાશની રોકથામ, વહેલી ઓળખ, સમયસર સારવાર, તેમજ અતિશય અવાજ અને ચેપ જેવા કારણો વિશે વિસ્તૃત જાગૃતિ અને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પહેલથી કુલ 1001 લાભાર્થીઓને સીધો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આવા કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સુધી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો ચાલુ રાખશે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દર વર્ષે 3 માર્ચે વિશ્વ કર્ણ દિવસ (World Hearing Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બહેરાશ અને કાનની સમસ્યાઓની રોકથામ તેમજ કાન અને સાંભળવાની સંભાળને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2026 માટે વિશ્વ કર્ણ દિવસની થીમ From communities to classrooms: hearing care for all children (સમુદાયથી શાળા સુધી: બધા બાળકો માટે સાંભળવાની સંભાળ) છે. આ થીમ હેઠળ બાળકોમાં ટાળી શકાય તેવી બહેરાશની રોકથામ અને કાન/સાંભળવાની સમસ્યાઓની વહેલી ઓળખ તથા સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમુદાય અને શાળાઓને બાળકો, માતા-પિતા અને શિક્ષકો સુધી પહોંચવાના કુદરતી માધ્યમ તરીકે ઓળખીને, શાળા આરોગ્ય અને બાળ આરોગ્ય કાર્યક્રમોમાં સાંભળવાની સંભાળને સમાવેશ કરવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં 5 થી 19 વર્ષની વયના આશરે 90 મિલિયન બાળકો બહેરાશ સાથે જીવે છે, જેમાંથી 60% થી વધુ બાળકોની બહેરાશ સરળ અને ખર્ચ-અસરકારક જાહેર આરોગ્ય પગલાંઓ દ્વારા રોકી શકાય છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:15 pm

ગુજરાતમાં વારંવાર વીજડૂલના દિવસો હવે ભૂતકાળ બનશે:વીજળીની અછત લગભગ શૂન્ય, ઝીરો પાવર ડેફિસિટ રાજ્ય તરીકે ઊભર્યું

પહેલાં આપણે જોતાં હતા કે ગુજરાતના ગામડાંઓમાં તો ઠીક પરંતુ શહેરોમાં પણ વારંવાર વીજળી ડૂલ થઇ જવાના કિસ્સાંઓ બનતા હતા. તેનું કારણ એ હતું કે ગુજરાતની પ્રજાને જરૂરિયાત પ્રમાણેનો વીજ પુરવઠો ઉપલબ્ધ થતો ન હતો. પરંતુ તાજેતરમાં જ લોકસભામાં પાવર મંત્રી શ્રીપાદ નાઇકે રજૂ કરેલાં આકડાં જોઇએ તો ગુજરાતમાં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 2025ના વર્ષમાં જરૂરિયાત મુજબનો 1,18,066 MU વીજ પુરવઠો પૂરો પાડવામાં ગુજરાત 100% સફળ રાજ્ય બન્યું છે. જેના કારણે પ્રજાનો વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો થયો હતો. લોકોને વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો આમ તો દેશમાં આવા ઘણાં રાજ્યો હશે જ્યાં આ ઝંઝટમાંથી પ્રજાને મુક્તિ મળી છે પરંતુ પશ્ચિમના રાજ્યોમાં વસ્તીની દૃષ્ટિએ વાત કરીએ તો તેમાં ગુજરાત અને રાજસ્થાને પણ 100% વીજ પુરવઠો પૂરો પાડ્યો હોવાથી ત્યાં પણ પ્રજાને વીજળી ડૂલ થવાની સમસ્યાથી છૂટકારો થયો હતો. 2025ના વર્ષમાં ગુજરાતે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જનરેટ કર્યો આમ તો 2024નું વર્ષ તો ઠીક પરંતુ માર્ચ-2025 સુધી જરૂરિયાત પ્રમાણેનો વીજ પુરવઠો ઉપલબ્ધ નહીં થવાથી ગુજરાતમાં ક્યાંક ક્યાંક પાવર કટ થવાની સમસ્યા હતી. 2025ના વર્ષમાં ગુજરાતે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જનરેટ કર્યો હોવાથી સમસ્યાનો નિકાલ થયો હતો.ગુજરાત ભારતમાં વીજ ઉત્પાદન અને વપરાશમાં અગ્રેસર છે અને હવે ઝીરો પાવર ડેફિસિટ રાજ્ય તરીકે ઊભર્યું છે એટલે કે રાજ્યમાં વીજળીની અછત લગભગ શૂન્ય થઇ ગઇ છે. નવીનીકરણીય ઊર્જા હોય કે પરંપરાગત વીજ ઉત્પાદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો કર્યો છે. ટેક્નોલોજી અને સચોટ આયોજનથી વીજળીનું કાર્યક્ષમ સંચાલન રાજ્ય સરકારે સૌર અને આધુનિક ટેક્નોલોજી અને સચોટ આયોજન દ્વારા વીજળીનું કાર્યક્ષમ સંચાલનપવન ઊર્જા જેવા પ્રોજેક્ટ્સને વિશેષ પ્રોત્સાહન આપવાની સાથે નવા પાવર પ્લાન્ટ્સની સ્થાપના કરી છે અને ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વધુ સુદ્રઢ બનાવ્યું છે. કરવામાં આવ્યું છે, જેના પરિણામે નાગરિકો, ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રને અવિરત તથા વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહ્યો છે. તાજેતરના આંકડા વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું સુદ્રઢ આયોજન અને અસરકારક અમલીકરણ દર્શાવે છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન ગુજરાતની વીજ માંગ 1,39,043 મિલિયન યુનિટ (MU) હતી, જેની સામે 1,38,999 મિલિયન યુનિટ (MU) સપ્લાય પૂરો પાડવામાં આવ્યો હતો, જેમાં માત્ર 44 મિલિયન યુનિટનો નજીવો તફાવત હતો. ત્યારબાદ એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન વીજ માંગ વધીને 1,45,768 મિલિયન યુનિટ (MU) થઈ હતી, જેની સામે 1,45,740 મિલિયન યુનિટ (MU) સપ્લાય પૂરો પાડીને તફાવત ઘટાડી માત્ર 28 મિલિયન યુનિટ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો. આમ, વધતા જતાં વીજ વપરાશ સામે ગુજરાતે માંગ અને પુરવઠા વચ્ચે આદર્શ સંતુલન જાળવી રાખ્યું છે. એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 1,51,878 મિલિયન યુનિટ (MU) વીજ માંગ સામે રાજ્યમાં 1,51,875 મિલિયન યુનિટ (MU) વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવાયો હતો. વધુમાં, એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025ના ગાળામાં ગુજરાતે 1,18,066 મિલિયન યુનિટની વીજ માંગ સામે સંપૂર્ણ પુરવઠો પૂરો પાડીને 'શૂન્ય વીજ અછત'ની સ્થિતિ પ્રાપ્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં અગ્રેસર છે, ત્યારે ગુજરાત પણ મજબૂત માળખાગત સુવિધાઓ, સુચારુ આયોજન અને વીજ માંગ-પુરવઠાના સચોટ સંતુલન દ્વારા આ સિદ્ધિમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 9:15 pm

હોળીની 'ગોઠ' ન આપતા બે યુવકો પર હુમલો:શહેરાના તાડવા પાટીયા પાસે પથ્થર-લાકડી વડે ઘાયલ કર્યા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે હોળીની 'ગોઠ' ન આપવા બદલ બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 8 થી 10 અજાણ્યા શખ્સોના ટોળાએ પથ્થર અને લાકડી વડે હુમલો કરી યુવકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્ષય કુમાર વણઝારા નામના યુવક તેમના મિત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે માર્ગ પર ઉભેલા 8 થી 10 લોકોના ટોળાએ તેમનું બાઇક રોક્યું હતું અને હોળીની 'ગોઠ'ની માંગણી કરી હતી. યુવકોએ પોતાની પાસે છૂટા પૈસા ન હોવાનું જણાવતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ બળજબરીપૂર્વક બાઇકની ચાવી છીનવી લીધી હતી. ચાવી છીનવી લીધા બાદ ટોળાએ બંને યુવકો પર પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને યુવકોને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:48 pm

બોટાદ LCBએ રાજસ્થાનના યુવકને MD ડ્રગ્સ સાથે ઝડપ્યો:બરવાળામાંથી 2.93 લાખનું ડ્રગ્સ અને 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદ LCB પોલીસે બરવાળા નજીકથી રાજસ્થાનના એક યુવકને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 3.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB PI એમ. જી. જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે, બરવાળાના ધંધુકા-ભાવનગર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીદાર શખ્સ પ્રમોદસિંહ નાથુસિંહ ઇન્દા (ઉંમર 23, રહે. દિવાંદી ગામ, તા. રોહિત, જિ. પાલી, રાજસ્થાન)ને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. પોલીસે પ્રમોદસિંહ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ 97 ગ્રામ 97 મિલીગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 2,93,910 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 0.730 મિલીગ્રામ મેથાએમ્ફેટામાઇન પણ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 7,300 છે. ડ્રગ્સ ઉપરાંત, પોલીસે 5 ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ અને એક મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. આમ, કુલ રૂ. 3,36,210નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પ્રમોદસિંહ ઇન્દા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:26 pm

યુદ્ધના ફફડાટ વચ્ચે દુબઈમાં ફસાયેલા મહેસાણાના વેપારીની ઘરવાપસી માટે આજીજી:અલ્પેશ પટેલે કહ્યું, ભારત આવવાં ફલાઈટ ટિકિટના ભાવ 45 હજારથી 1 લાખ સુધી

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને દુબઈમાં વ્યાપાર અર્થે ગયેલા મહેસાણાના વેપારીઓ અત્યારે ત્યાં ફસાઈ ગયા છે અને સુરક્ષિત રીતે ભારત પરત આવવા માટે સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે. યુદ્ધના સંકટ વચ્ચે વિમાન સેવાઓ ખોરવાતા અને ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થતા વેપારીઓ અને તેમના પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે. 28 હજારની ટિકિટ હવે 1 લાખને પાર કરી ગઈસ્થિતિની ગંભીરતા જણાવતા વેપારીઓએ વીડિયો કોલ મારફતે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધ પહેલા દુબઈથી ભારત આવવા-જવાની જે ટિકિટ અંદાજે 14થી 28 હજાર રૂપિયામાં મળતી હતી. તેના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. કેટલીક એરલાઇન્સમાં ટિકિટનો દર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે. તેને વધુમાં કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે વેપારીઓ આટલો ઊંચો ભાવ ચૂકવવા તૈયાર હોવા છતાં ઓનલાઇન બુકિંગ કરતી વખતે ગણતરીની મિનિટોમાં જ 'સોલ્ડ આઉટ' બતાવે છે. જેના કારણે ટિકિટ મેળવવી અશક્ય બની ગઈ છે. 'દુબઈથી અમદાવાદ માત્ર એક તરફનું ભાડું 45 હજારથી 1 લાખ સુધી'મહેસાણાના વેપારી અલ્પેશ પટેલે ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે દુબઈમાં વિમાન સેવાઓ અનિશ્ચિત છે. ઓનલાઇન પોર્ટલ પર દુબઈથી અમદાવાદ આવવા માટે માત્ર એક તરફનું ભાડું 45 હજારથી 1 લાખ સુધી બતાવી રહ્યું છે. વળી, વૈકલ્પિક માર્ગ તરીકે ઓમાન (મસ્કત) થઈને ભારત આવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ત્યાં વિઝાની સમસ્યાઓ નડી રહી છે. રાત્રિના સમયે થતા હવાઈ હુમલાના ડર અને વધતા આર્થિક નુકસાન વચ્ચે વેપારીઓ સુરક્ષિત અનુભવી રહ્યાં નથી. એર ટિકિટના દરો પર નિયંત્રણ લાવવાની માંગવેપારીઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે, એર ટિકિટના દરો પર તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે અને ખાસ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરીને તેમને વહેલી તકે વતન પરત લાવવામાં આવે. હાલમાં મહેસાણામાં રહેતાં તેમના પરિવારો પણ ગભરાટના માહોલમાં છે અને સરકાર તરફથી કોઈ મક્કમ કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:25 pm

હિંમતનગર રાજપુર પાટિયા પાસે યુવાનનો મૃતદેહ:જાદરના રમેશ સોલંકી તરીકે ઓળખ થઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર પાટિયા નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે સાંજે આ ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર રાજપુર પાટિયાથી રાજપુર ગામ તરફ જતા માર્ગ પર ગરનાળા પાસે ભરાયેલા પાણીમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઈડર તાલુકાના જાદર ગામના રમેશભાઈ સોમાભાઈ સોલંકી (ઉંમર આશરે 35થી 40 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:25 pm

મહીસાગર નદીમાં બે યુવાનો ડૂબ્યા, એકનું મોત:લુણાવાડા નજીક હાડોડ ગામે બની દુર્ઘટના

લુણાવાડા નજીક હાડોડ ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલા બે યુવાનોમાંથી એકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બીજા યુવાનને બચાવી લેવાયો હતો. આ ઘટના જૂના બ્રિજ પાસે બની હતી. માહિતી અનુસાર, બંને યુવકો બપોરના સમયે નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. અચાનક પાણીના વહેણ અને ઊંડાણને કારણે તેઓ પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક પ્રયત્નો બાદ એક યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ અન્ય યુવક નદીના પાણીમાં લાપતા થયો હતો. લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લુણાવાડા મામલતદાર પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ સુરેશભાઈ સબૂર ચામઠા છે, જ્યારે બચાવી લેવાયેલા યુવકનું નામ અજયભાઈ મોંઘીભાઈ ચામઠા છે. બંને લીંબડીયા, તાલુકો ખાનપુર, મહીસાગરના રહેવાસી હતા અને તેમની ઉંમર આશરે 27 થી 28 વર્ષ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક પ્રશાસને નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જોખમી સ્થળોએ ન જવા માટે લોકોને અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:23 pm

CA દીપિકા ગુટગુટિયા વાપી ICAIના ચેરપર્સન બન્યા:સમારોહમાં શપથ ગ્રહણ, વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાનો પ્રારંભ

વલસાડ જિલ્લાના વાપીમાં ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની વાપી શાખાના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં વાપીના ભારતી બા વિલા એન્ડ રિસોર્ટ ખાતે યોજાયેલા એક સમારોહમાં CA દીપિકા ગુટગુટિયાએ નવા ચેરપર્સન તરીકે વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પ્રોફેશનલ જગતના નામાંકિત નેતાઓએ હાજરી આપી હતી. જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ના ચેરમેન સૌરભ અજમેરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર જય છૈરા અને રિજનલ કાઉન્સિલ મેમ્બર શ્વેતા જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વાપી શાખાના પૂર્વ ચેરપર્સન જીજ્ઞેશ વસાણી, ગગન ચતુર્વેદી, વિમલ દેસાઈ અને હરેન્દ્ર કુમારે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમારોહમાં 75 થી વધુ સભ્યોની હાજરીમાં નવી ટીમે વાપી રીજનમાં વ્યાવસાયિક કૌશલ્ય વધારવા, સભ્યો વચ્ચે નેટવર્કિંગ મજબૂત કરવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમનું વિઝન 'અમારું વિઝન, સૌની પ્રગતિ' છે. વાપી શાખાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મહાનુભાવો અને સભ્યોનો આભાર માન્યો હતો. આ નવી નિયુક્તિ આગામી સમયમાં સંસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:18 pm

ટંકારા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમ જપ્ત કર્યું:એક આરોપી પકડાયો, 9.29 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણની શોધખોળ

ટંકારા પોલીસે વીજ કંપનીના ચોરાઉ એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 9.29 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એલ્યુમિનિયમના વાયરની ચોરીના બનાવો વધી રહ્યા હતા. ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક અરણેશ્વર ફીડરમાંથી 1800 મીટર વીજ વાયરની ચોરી થઈ હતી. આ ઉપરાંત, મીતાણા, હીરાપર અને સરાયા ગામની સીમમાંથી પણ કુલ 7240 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી થઈ હતી, જેના કારણે વીજ વાયરોને નુકસાન થયું હતું. આ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદોના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. ટંકારા પોલીસે ભંગારના ડેલાઓ પર નજર રાખી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન, છત્તર અને વાછકપર રોડ પરથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી (નંબર GJ 3 BW 3157) ને રોકવામાં આવી હતી. ગાડીમાંથી એલ્યુમિનિયમના વાયર મળી આવતા, પોલીસે ચાલક પાસેથી આધાર પુરાવા માંગ્યા હતા, જે તેની પાસે ન હતા. વધુ પૂછપરછ કરતા બોલેરોના ચાલક કિશન મોહનલાલ ગુર્જર (ઉં.વ. 26, રહે. ડિડવાના, તા. આમેટ, રાજસ્થાન) એ સાવડી વિસ્તારમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં મીતાણા, હીરાપર અને સરાયા ગામમાંથી થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે ચોરાઉ વાયરોને ભઠ્ઠીમાં બાળીને તેના ઢાળિયા બનાવવામાં આવ્યા હતા અને છત્તર-રાજકોટ હાઇવે રોડ પર આવેલા એક ભંગારના ડેલામાં સંતાડવામાં આવ્યા હતા. પોલીસે હાલમાં પકડાયેલા આરોપી પાસેથી કુલ 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો, જેમાં વાયર અને ઢાળિયા બંનેનો સમાવેશ થાય છે, તે કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:15 pm

અરવલ્લીમાં હોળી-ધૂળેટી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:4 DYSP, 1067 જવાનો તૈનાત; સરહદો પર પેટ્રોલિંગ

અરવલ્લી જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 1067 સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. આ બંદોબસ્તમાં 4 નાયબ પોલીસ અધિક્ષક (DYSP), 14 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 435 પોલીસ કર્મીઓ, 300 હોમગાર્ડ અને 290 ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાનોનો સમાવેશ થાય છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. હોળી રમતી વખતે ગ્રામ્ય વિસ્તારોમાં અદાવત કે અન્ય કારણોસર થતી બબાલ રોકવા પોલીસ સતર્ક છે. આ ઉપરાંત, ચેકપોસ્ટ પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આંતરરાજ્ય સરહદો પર પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:09 pm

વલસાડમાં 'રેડ મૂન'નો અદભૂત નજારો દેખાયો:ખગોળીય ઘટના અને ધાર્મિક આસ્થાનો ત્રિવેણી સંગમ, ચંદ્રગ્રહણ સમયે ભક્તોએ ગ્રહણમુક્તિ માટે જપ-તપ કર્યા

વલસાડ જિલ્લામાં ચંદ્રગ્રહણની વ્યાપક અસર જોવા મળી હતી. આકાશી નજારાની સાથે ધાર્મિક આસ્થાનું પર્વ પણ શ્રદ્ધાપૂર્વક ઉજવાયું હતું. ગ્રહણ દરમિયાન આકાશમાં ચંદ્ર લાલાશ પડતો એટલે કે 'રેડ મૂન' તરીકે દેખાતા નાગરિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. એક તરફ ખગોળ પ્રેમીઓ માટે આ વિજ્ઞાનનો વિષય હતો, તો બીજી તરફ શ્રદ્ધાળુઓએ ગ્રહણની અશુભ અસરોમાંથી મુક્તિ મેળવવા મંત્રોચ્ચાર અને પ્રાર્થનાનો સહારો લીધો હતો. ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાયો, દરિયાકિનારે ભીડ જામીખગોળીય ઘટના મુજબ, ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવતા તે ઘટ્ટ લાલ રંગનો ભાસતો હતો. વલસાડના દરિયાકિનારે અને ઘરના ટેરેસ પરથી લોકોએ આ મનમોહક નજારાને નિહાળ્યો હતો. ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે આ એક અનોખો અને યાદગાર અનુભવ રહ્યો હતો. મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચનાથી વાતાવરણ ભક્તિમય બન્યુંચંદ્રના ઉદય સાથે જ વલસાડના શ્રદ્ધાળુઓએ પોતપોતાના નિવાસસ્થાને અને પવિત્ર સ્થળોએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી હતી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગ્રહણના સમયને સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે, વિશેષ પ્રાર્થના: ચંદ્ર ગ્રહણના પ્રભાવમાંથી જલ્દી મુક્ત થાય તે માટે ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી હતી. મંત્ર જાપ: શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓએ 'ૐ નમઃ શિવાય' અને ચંદ્રના બીજ મંત્રોના જાપ કર્યા હતા. સૂતક પાલન: સૂતક કાળને કારણે અનેક મંદિરોમાં પટ બંધ રહ્યા હતા, જોકે ભક્તોએ માનસિક જાપ અને સ્મરણ ચાલુ રાખ્યા હતા. દાન અને જપનું મહત્વસ્થાનિક શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર, ગ્રહણ સમયે કરેલા દાન અને જપનું અનેરું આધ્યાત્મિક મહત્વ હોય છે. ચંદ્ર જલ્દી ગ્રહણ મુક્ત બને અને સૃષ્ટિ પર શાંતિ જળવાય તે હેતુથી સમૂહમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ગ્રહણ પૂર્ણ થયા બાદ લોકોએ પરંપરાગત વિધિઓ કરી શુદ્ધિકરણ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:08 pm

મહેતા માર્કેટમાંથી 14,570 રોકડ જપ્ત:સુરેન્દ્રનગર પોલીસે 4 જુગારીઓને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર સીટી પોલીસે મહેતા માર્કેટમાં દરોડો પાડી જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹14,570 રોકડા જપ્ત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં રતનપરના હરજીભાઈ ગોકળભાઈ ગોલતર અને ચેલાભાઈ તેજાભાઈ બતાડા, સુરેન્દ્રનગરના જુના જંકશન રોડ પર રહેતા સલમાન મુસ્તાકભાઈ બેલીન અને ઘાંચીવાડના રમજાન ઉર્ફે મૂકો નૂર મહંમદભાઈ કટિયાનો સમાવેશ થાય છે.આ ચારેય ઈસમો વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:08 pm

વીજ કંપનીના ફ્યુઝ ચોરતો રિક્ષા ચાલક ઝડપાયો:પાટણમાં ₹1.09 લાખનો મુદ્દામાલ જપ્ત, ચોરીનો ભેદ ઉકેલાયો

પાટણ શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના FSP બોક્સમાંથી HRC ફ્યુઝની ચોરી કરનાર એક રિક્ષા ચાલકને પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1.09લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીની ઘટનાઓ પાટણ શહેરની દેવકૃપા સોસાયટી, ગાંધીબાગ, સ્ટર્લિંગપાર્ક સોસાયટી (કેનાલ રોડ) અને અવધૂતપાર્ક સોસાયટી (રેલવે નાળા પાસે) જેવા વિસ્તારોમાં 21 ફેબ્રુઆરી 2026 થી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન રાત્રીના સમયે બની હતી. આ અંગે પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૩), ૩૨૪(૪) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. માનવ સ્રોત દ્વારા મળેલી બાતમીના આધારે, પોલીસે પાટણ સુદામા ચોકડી પાસે આવેલી લેન્ડમાર્ક હોટલ નજીકથી ઈર્શાદ ઉર્ફે મલેક ઉર્ફે સમીર બડામીયા મહમદહુસેન શેખ (રહે. સૂર્યનગર પ્રાથમિક શાળા સામે, પાટણ) ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેણે શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ફ્યુઝની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે છેલ્લા છ મહિનામાં બળિયાપાડા, એકતાપાર્ક સોસાયટી, બગવાડા પ્રસુતિ ગૃહ, ફાટીપાળ દરવાજા, અંધારા દરવાજા, વેછુખાંટ, તપસ્વી કોમ્પ્લેક્સ, માખણીયા, ટાયરનગર, સુજનીપુર સબ જેલ અને મોહનનગર સોસાયટી જેવા વિસ્તારોમાં પણ વીજ કંપનીના બોક્સમાંથી ચોરીઓ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી અર્થિંગ માટેની ૯.૭૦૦ કિલોગ્રામ તાંબાની વાયર પ્લેટો (કિંમત રૂ. 10583), 22.550કિલોગ્રામ HRC ફ્યુઝનું તાંબુ (કિંમત રૂ.24579), 8.400 કિલોગ્રામ તાંબાની પ્લેટો (કિંમત રૂ. 9,156), આશરે 20 કિલો ચીનાઈ માટીના ફરમાં, ચોરી કરવા માટે વપરાતા સાધનો અને એક બજાજ કંપનીની રિક્ષા (નંબર GJ-૦૧-TF-૪૨૮૩) સહિત કુલ રૂ. 1,09,508નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.જી. મોરી અને બી. ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:02 pm

ગોધરાથી મહુડી, ડીસા માટે બે નવી બસ શરૂ:ગોધરા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાત વર્ગને વધુ સુવિધા મળશે

ગોધરા બસ સ્ટેન્ડ ખાતેથી આજે ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે બે નવી એસ.ટી. બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બસો ગોધરાથી મહુડી અને ગોધરાથી ડીસા રૂટ પર દોડશે. આ નવી બસ સેવાઓ શરૂ થવાથી ગોધરા અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા મળશે. ખાસ કરીને મહુડી અને ડીસા જતાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાત વર્ગને નિયમિત અને સગવડભરી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે ગોધરા એસ.ટી. વિભાગીય નિયામક, ભાજપના પદાધિકારીઓ, સ્થાનિક પાલિકા કાઉન્સિલરો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવી બસોને લીલી ઝંડી આપી રાજ્ય પરિવહન વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી હતી. નવી બસ સેવાઓ શરૂ થતા ગોધરા શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરોમાં પણ આનંદ અને ઉત્સાહ વ્યાપ્યો હતો. સ્થાનિક લોકોએ ભવિષ્યમાં આવી વધુ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની આશા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Mar 2026 8:00 pm