ઐતિહાસિક દાંડીના દરિયાકિનારે તાજેતરમાં 8મા સ્ટેટ લેવલ વન-ડે માર્શલ આર્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારના દીકરીઓ તેમજ યુવાનોમાં સ્વરક્ષણની ભાવના મજબૂત કરવાના અભિયાન હેઠળ 'બુદ્ધિષ્ઠ કૂંગ ફુ એસોસિએશન ઓફ ગુજરાત' દ્વારા આ તાલીમ કેમ્પ યોજાયો હતો. વિવિધ જિલ્લાના 100 તાલીમાર્થીઓની સહભાગિતાઆ એક દિવસીય કેમ્પમાં સુરત, અમદાવાદ, નવસારી, સચિન અને વલસાડ સહિતના શહેરોમાંથી આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દાંડીના કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક મજબૂતી પૂરી પાડવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં સમાવિષ્ટ વિવિધ કળાઓકેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા તાલીમાર્થીઓને વિવિધ માર્શલ આર્ટ્સ કળાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં યોગ અને પ્રાણાયામ: માનસિક એકાગ્રતા વધારવા માટે. કરાટે: આક્રમણ અને બચાવના દાવપેચ માટે. નાનચાકુ: શસ્ત્ર ચલાવવાની ટેકનિક. જીમ્નાસ્ટિક: શરીરની લવચીકતા (ફ્લેક્સિબિલિટી) વધારવા માટે. સેલ્ફ ડિફેન્સ: અચાનક થતા હુમલા સમયે સ્વરક્ષણ માટેની ખાસ ટિપ્સ. મહાનુભાવો અને ઇન્સ્ટ્રક્ટર્સની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં બુદ્ધિષ્ઠ કૂંગ ફુ ફેડરેશનના પ્રેસિડેન્ટ ભરત બિશનોઈ, સેક્રેટરી પ્રશાંત ત્રિપાઠી અને ટેકનિકલ ડાયરેક્ટર જીતુ સહાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ ગીરીશ સાપકર, દાંડીના સરપંચ નિકિતાબેન રાઠોડ અને હોમગાર્ડ ઓફિસર ગણેશ પાટીલે હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને ગોકુંજ જોશી, જયમીન શર્મા, ઓમ, ભવાની બેંદડી, અમન અને સુસ્મિતા બિશનોઈ જેવા અનુભવી ઇન્સ્ટ્રક્ટર્સે માર્ગદર્શન આપ્યું હતું. સત્યાગ્રહ સ્મારકની મુલાકાત સાથે સમાપનતાલીમ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ દાંડી સ્થિત 'રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક'ની મુલાકાત લઈને ઐતિહાસિક વારસાની જાણકારી મેળવી હતી. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પંચમહાલ પોલીસ ટેકનોલોજીથી સજ્જ બનશે:43 ડિજિટલ પોર્ટલ અને મોડ્યુલ્સની પોલીસકર્મીઓને અપાઈ તાલીમ
પંચમહાલ પોલીસ વિભાગના કાર્યોને વધુ અસરકારક, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા 43 જેટલા વિવિધ ડિજિટલ પોર્ટલ અને મોડ્યુલ્સ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દૂધતના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ શાળામાં યોજાયો હતો. તાલીમમાં નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક - ગોધરા), નાયબ પોલીસ અધિક્ષક (હાલોલ ડિવિઝન), જિલ્લાની તમામ શાખાના અધિકારીઓ, તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ તેમજ IT એક્સપર્ટ સહિતના મહત્ત્વના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પોલીસની કામગીરીને વધુ ઝડપી બનાવવાનો, ડેટા એન્ટ્રીમાં ચોકસાઈ લાવવાનો, રિપોર્ટ સમયસર તૈયાર કરવાનો અને વહીવટને સંપૂર્ણપણે પેપરલેસ બનાવવાનો છે. આધુનિક સમયમાં ગુનાખોરીને ડામવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પંચમહાલ પોલીસ દ્વારા લેવાયેલું આ પગલું અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત આજે અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી..નવા માળખામાં દર્શક ઠાકર, ગૌતમ કથીરિયા અને જશુ ઠાકોરને મહામંત્રીનું પદ મળ્યું. સંગઠનમાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લવ ગાર્ડનમાં પહોંચ્યા વિહિપના કાર્યકર્તાઓ વેલેન્ટાઈન ડે પર બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ યુવક-યુવતીઓને પરેશાન કર્યા હતા. રાજકોટના રેસકોર્ષ સ્થિત 'લવ ગાર્ડન'માં પહોંચેલા કાર્યકર્તાઓન જોઈને યુવક-યુવતીઓમાં નાસભાગ મચી ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈરફાન પઠાણની BCA ચૂંટણી પહેલા યોર્કર બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા ઈરફાન પઠાણે બીસીએના વર્તમાન વહીવટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા..જે લોકોએ માત્ર 6-7 રણજી મેચ રમી છે તેમને સિલેક્ટર બનાવવામાં આવે છે જેથી તેઓ કોઈના પ્રભાવ હેઠળ કામ કરે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીકરાની લાલચમાં યુવતી સાથે અત્યાચાર કેનેડામાં રહેતા પતિએ દીકરાની લાલચમાં મોરબીની યુવતી પર કર્યો અત્યાચાર.. બે-બે વાર ગર્ભપાત કરી થાઈલેન્ડના IVF સેન્ટર લઈ ગયો..દીકરીની હાજરીમાં મારતો હતો. આખરે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 વર્ષીય યુવતીએ થારથી યુવકને ઉડાવ્યો વડોદરામાં 19 વર્ષીય યુવતીએ થારથી યુવકને ઉડાવ્યો..મૃતક યુવક ડિલીવરી બોય હતો અને પાર્સલ આપવા જઈ રહ્યો હતો.ત્યારે લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતીએ ટક્કર મારી..ટક્કરમાં એક્ટિવા દૂર સુધી ઢસડાયું અને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકોના એલસી માગતા મહિલાને હોટલમાં બોલાવી નડિયાદમાં બાળકોના એલસી માગતી મહિલાને આચાર્યએ હોટલમાં બોલાવી. મહિલા પરિવારને લઈને હોટલમાં પહોંચી, જ્યાં પરિવારે આચાર્યને ઠમઠોરી હોબાળો મચાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાડાના ઘરમાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભાડાના મકાનમાથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી..ફાર્મા કંપનીના કર્મચારીએ બાથરૂમમાં લેબ તૈયાર કરી. અને ગુગલ પર જોઈ MD ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે રો મટિરીયલ સાથે આરોપીની ધરપકડ કરી છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના ધજાગરા સુરતમાં નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના ધજાગરા..જાગનાથ મહાદેવ પાસે માઝૂમ મસ્જિદ હોવાનો રિપોર્ટ બતાવી તંત્રએ લઘુમતીને મિલકત ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મંદિરમાં આરતી પૂજા કરી વિરોધ નોંધાવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીને લેવા જતા યુવકને મોત મળ્યું અમદાવાદના વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા યુવકનું મોત.. યુવક પત્નીને લેવા સાસરીમાં જતો હતો. 3 વર્ષ પહેલાં જ બંનેના લગ્ન થયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગિરનાર તળેટીમાં ધમધમ્યા રસોડા જૂનાગઢની ગિરનાર તળેટીમાં અત્યારે મિની કુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં ધમધમ્યા રસોડા..350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહી શ્રધ્ધાળુઓને જમાડે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મોરબીમાં 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે:જિલ્લા પરીક્ષા સમિતિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી
મોરબીમાં બોર્ડની પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષપદે યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અગાઉ, શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝા અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેટલાક જિલ્લાઓની સમીક્ષા કરી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ માહિતી આપી હતી કે કુલ 22,870 વિદ્યાર્થીઓ 17 કેન્દ્રો પર, 85 બિલ્ડિંગ અને 803 બ્લોકમાં પરીક્ષા આપશે. ધોરણ 12ના ઝોનલ અધિકારી ભાવેશ ભાલોડિયા અને ધોરણ 10ના શૈલેષ મેરઝાએ જણાવ્યું હતું કે સીસીટીવી સહિતની તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે. કલેક્ટર કે. બી. ઝવેરીએ પાડા પુલના રિપેરિંગને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર પહોંચવા માટે વહેલા નીકળવા સૂચન કર્યું હતું. બસ દ્વારા આવતા વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા પણ જણાવાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ટ્રાફિકમાં મુશ્કેલી પડે તો ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી. આર. એ. સી. ખાચર સરે માળિયાના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. તંત્રને બસ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. તેમણે વીજ તંત્રને પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા પણ નિર્દેશ આપ્યો હતો. આયોજન વ્યવસ્થા ઈ. આઈ. ધર્મિષ્ઠાબેન કડીવાર અને હિતેશ સરડવા દ્વારા સંભાળવામાં આવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પીરસવામાં આવતા હલકી ગુણવત્તાના ભોજન અને મેસ ફીમાં કરવામાં આવેલા તોતિંગ વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રજીસ્ટ્રાર ઓફિસ બહાર ધરણાં યોજ્યા હતા. મેસ ફીમાં ધરખમ વધારો છતાં ભોજનમાં 'જીવાત'વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ નવા ટેન્ડર પ્રક્રિયા બાદ હોસ્ટેલની મેસ ફીમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસની ફી 2000 રૂપિયા હતી, જે વધારીને 2400 રૂપિયા કરી દેવામાં આવી છે. એવી જ રીતે, ગર્લ્સ હોસ્ટેલમાં જે ફી 1700 રૂપિયા હતી તેમાં પણ વધારો કરીને 2400 રૂપિયા કરી દેવાઈ છે. આમ, ફીમાં આટલો મોટો વધારો કરવા છતાં ભોજનની ગુણવત્તા સુધરવાને બદલે વધુ કથળી હોવાના આક્ષેપ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે. ભોજનમાં ઈયળો નીકળતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ખતરોABVPના કાર્યકરો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીરસવામાં આવતા ભોજનમાંથી ઈયળો અને અન્ય જીવાતો નીકળી રહી છે. આ પ્રકારનું અખાદ્ય ભોજન આરોગવાને કારણે અનેક વિદ્યાર્થીઓ સાંજે બીમાર પડી રહ્યા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મોંઘી ફી વસૂલવા છતાં તેમને તદ્દન સાવ નીચી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવે છે, જે તેમના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા સમાન છે. 10 દિવસ અગાઉ રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાંVNSGU ABVPના અધ્યક્ષ કૌટિલ પટેલે જણાવ્યું હતું કે, અમે 10 દિવસ અગાઉ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની ભોજન સંબંધિત સમસ્યાઓ અંગે રજીસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલર (VC) સાહેબને લેખિતમાં ફરિયાદ કરી હતી તેમછતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીઓની આ નિષ્ક્રિયતા સામે આજે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે. રજીસ્ટ્રાર ઓફિસ બહાર રામધૂન અને ધરણાંયુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા રોષે ભરાયેલા સેંકડો વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો આજે યુનિવર્સિટી કેમ્પસમાં એકઠા થયા હતા. રજીસ્ટ્રાર ઓફિસની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બેસીને ધરણાં કર્યા હતા અને તંત્રને જગાડવા માટે 'રામધૂન' બોલાવી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, જ્યાં સુધી ભોજનની ગુણવત્તામાં સુધારો ન થાય અને દોષિત કોન્ટ્રાક્ટર સામે પગલાં ન લેવાય ત્યાં સુધી તેઓ હટશે નહીં. કોન્ટ્રાક્ટરો પ્રત્યે કૂણી લાગણી રાખવાનો આક્ષેપઆ આંદોલન દરમિયાન વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી પ્રશાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, યુનિવર્સિટી સત્તાધીશોને માત્ર કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓની જ ચિંતા છે. જે વિદ્યાર્થીઓના જોરે યુનિવર્સિટી ચાલે છે, તેમના સ્વાસ્થ્ય કે સુવિધાની પ્રશાસનને જરાય પરવા નથી. આથી, જ વારંવારની રજૂઆતો છતાં મેસનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની દિશામાં કોઈ તજવીજ હાથ ધરવામાં આવતી નથી. ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકીવિદ્યાર્થીઓએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે, આજે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ યુનિવર્સિટી કેમ્પસ છોડશે નહીં. ABVP દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી સમયમાં કોન્ટ્રાક્ટ રદ્દ કરી ભોજનની ગુણવત્તા સુધારવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલમાં સમગ્ર કેમ્પસમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘બજેટ ટોક @ કેમ્પસ–2026’ કાર્યક્રમ યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગરના નિર્દેશ અનુસાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ અને કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંગલાચરણ અને દીપ પ્રાગટ્યથી થયો. ત્યારબાદ સમૂહમાં ‘વંદે માતરમ’ ગાન કરવામાં આવ્યું. સંસ્કૃત કોલેજના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ચોકસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વેરાવળના આચાર્ય ડૉ. જીગરભાઈ રાવલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. પોતાના વક્તવ્યમાં ડૉ. જીગરભાઈ રાવલે જણાવ્યું કે, બજેટ માત્ર આવક-જાવકનો હિસાબ નથી, પરંતુ દેશના ભાવિ વિકાસનું દ્રષ્ટિપત્ર છે. તેમણે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બજેટનો ઇતિહાસ, બજેટ–2026ના મુખ્ય હેતુઓ અને ‘વિકસિત ભારત–2047’ના વિઝન મિશનનો રોડમેપ સરળ ભાષામાં સમજાવ્યો. તેમણે યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટેની જોગવાઈઓ, રક્ષા ક્ષેત્રે વધારાયેલી ફાળવણી, આયુર્વેદ અને આરોગ્ય ક્ષેત્રે નવી તકો તેમજ મહત્વપૂર્ણ આંકડાકીય માહિતી રસપ્રદ રીતે રજૂ કરી. કાર્યક્રમનું સંચાલન નોડલ અધિકારી ડૉ. અમિષા દવેએ કર્યું હતું. અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝાએ આભારવિધિ વ્યક્ત કરી. ઇન્ચાર્જ ઓફિસર તરીકે ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ કાર્ય સંભાળ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહી બજેટ અંગે વિસ્તૃત સમજ મેળવી. આ પ્રયાસ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય આર્થિક દ્રષ્ટિકોણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ થયો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. યુનિવર્સિટી માટે આ સિદ્ધિ પ્રથમવાર પ્રાપ્ત થતા એક નવો ઇતિહાસ રચાયો છે. ત્રીજા નંબર માટેની રેસ માટે આજે 14 ફેબ્રુઆરીએ ગત વર્ષની ઓલ ઈન્ડિયા ચેમ્પિયન રાજસ્થાનની કોટા યુનિવર્સિટીને હરાવી. જે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમના ખેલાડી દીક્ષિત વેકરીયાએ 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. આજે સ્પર્ધાના અંતિમ દિવસે ગત વર્ષની ઓલ ઇન્ડિયા ચેમ્પિયન કોટા યુનિવર્સિટી સામે મહત્વપૂર્ણ મુકાબલો રમ્યો હતો. પ્રથમ ઇનિંગમાં કોટા યુનિવર્સિટીએ 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરીને 20મી ઓવરમાં 152 રનનો ટાર્ગેટ પૂર્ણ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ મેચમાં દીક્ષિત વેકરીયાએ ઉત્તમ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે 51 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને જીત સુધી પહોંચાડીને મેન ઓફ ધ મેચ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રથમ ત્રણ લીગ મેચમાં દિલ્હી યુનિવર્સિટી અને કર્ણાટકની બેલગાવ યુનિવર્સિટી સામેની મેચ જીતી. જ્યારે ઉતરાંચલ યુનિવર્સિટી સામે હાર થઈ. જે બાદ ક્વાટર ફાઇનલમાં વડોદરા ની એમએસ યુનિવર્સિટીને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. જે બાદ દિલ્હી યુનિવર્સિટી સામે હાર થઈ. જોકે તે પછી ત્રીજા નંબરના સ્થાન માટે રાજસ્થાનની કોટા યુનિવર્સિટી સામે મેચ રમ્યો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી જીત હાંસલ કરી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર ડો. મનીષ ધામેચા, શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.
મોડાસામાં ખેડૂત-શ્રમિક સંમેલન યોજાયું:વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન હેઠળ જાગૃતિ કાર્યક્રમ
મોડાસામાં એપીએમસી અને જિલ્લા સંઘ દ્વારા વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને શ્રમિકોને જી રામજી યોજના વિશે વિસ્તૃત માહિતી આપવાનો હતો. સંમેલનના મુખ્ય વક્તા મહામંત્રી રણધીર ચુડગરે ઉપસ્થિત ખેડૂતો અને શ્રમિકોને જી રામજી યોજનાની ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના શ્રમિકો માટે રોજગારીની દ્રષ્ટિએ આશીર્વાદરૂપ છે અને તેનાથી વર્ષમાં આશરે 180 દિવસ જેટલી રોજગારી મળી શકે છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી દીપક પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, સહકારી અગ્રણી અને તાલુકા સંઘના ચેરમેન પંકજ પટેલ, જીનના ચેરમેન વિમલ પટેલ અને રાજુ સહિત એપીએમસીના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના પ્રમુખ મહિપાલસિંહ રાઠોડે સૌને આવકાર્યા હતા, જ્યારે અંતમાં તાલુકા મહામંત્રી વસંત પટેલે આભાર દર્શન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના 11 કેન્દ્રો પૈકી 5 કેન્દ્રો પર બે સેશનમાં કુલ 521 વિદ્યાર્થીઓમાંથી 516 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. આ પરીક્ષા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના કુલ 11 કેન્દ્રો પર શરૂ થઈ છે. શનિવારે, પરીક્ષાના નવમા દિવસે, 5 કેન્દ્રો પર સવાર અને બપોરના એમ બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી. વિષયવાર હાજરી જોઈએ તો, રસાયણ વિજ્ઞાનમાં 201 માંથી 201 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભૌતિક વિજ્ઞાનમાં 200 માંથી 195 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાનમાં 120 માંથી 120 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું ઘડનારો સાંસદ બન્યો! બાંગ્લાદેશની ચૂંટણીમાં 3 કલંકિત નેતાઓની જીત
Criminal MP in Bangladesh : બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં દિવંગત પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ ભવ્ય જીત મેળવી છે. આ ચૂંટણી પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબતમાં એ ત્રણ નેતાઓનો વિજય છે, જેમને ગંભીર ગુનાઓમાં સજા મળી હતી, પરંતુ મોહમ્મદ યુનુસ દ્વારા માફી મળ્યા બાદ તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગંભીર આરોપમાં સજા પામેલા ત્રણ નેતાઓને માફી ડિસેમ્બર-2024માં બાંગ્લાદેશ હાઈકોર્ટે તારિક રહેમાન સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મોહમ્મદ યુનુસે ગંભીર આરોપો હેઠળ સજા પામેલા ત્રણ મુખ્ય નેતાઓને માફી આપી હતી.
રણાસણમાં બે સોનીની દુકાનમાં ચોરી:1.90 લાખની મત્તાની ફરિયાદ, CCTV આધારે તપાસ શરૂ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ બજારમાં ગત રાત્રિએ બે સોનીની દુકાનોમાં ચોરી થઈ હતી. તસ્કરોએ કુલ 1.90 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ અંગે વિક્રાંત સોનીએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિક્રાંતભાઈ કોદરલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રણાસણમાં તેમની 'વાઘેશ્વરી જ્વેલર્સ' નામની દુકાનનું શટર તોડી અજાણ્યા ચોરો અંદર પ્રવેશ્યા હતા. તેઓ ચાંદીના નાના-મોટા આશરે 950 ગ્રામ દાગીના, જેની કિંમત આશરે 1,30,000 રૂપિયા છે, તે ચોરી ગયા હતા. આ ઉપરાંત, સોનાની પેંચ અને સોનાની ચૂની મળી કુલ 4 ગ્રામ સોનું, જેની કિંમત 25,000 રૂપિયા છે, અને 10,000 રૂપિયાના અન્ય દાગીના પણ ચોરાયા હતા. ચોરોએ જયેશભાઈની 'દિપાંજલી જ્વેલર્સ'માંથી પણ આશરે 25,000 રૂપિયાના દાગીના ચોર્યા હતા. કુલ મળીને 1,90,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં આજે વેલેન્ટાઈન ડેના દિવસે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણના નામે યુવક-યુવતીઓને પરેશાન કર્યા હતા. રાજકોટના રેસકોર્ષ સ્થિત 'લવ ગાર્ડન'માં બપોરના સમયે યુવક-યુવતીએ બેઠા હતા ત્યારે બજરંગદળ અને વિહિપના કાર્યકર્તાઓએ પહોંચી જયશ્રી રામના નારા લગાવતા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. વિહિપના આગેવાને જણાવ્યું હતું કે, યુવક-યુવતીએ ઘરેથી ખોટું બોલી અહીં આવે છે. વેલેન્ટાઈન ડે, રોઝ ડે , પ્રોમિસ ડે ન ઉજવવા જોઈએ આજના દિવસે ઘરે માતાપિતાનું પૂજન કરવું જોઈએ. રાજકોટના 'લવ ગાર્ડન'માં 'જયશ્રી રામ'ના નારા લાગતા નાસભાગ મચીઆજે વેલેન્ટાઈન ડે હોય રાજકોટના રેસકોર્ષ પાસે આવેલા 'લવ ગાર્ડન'માં યુવક-યુવતીઓ આવ્યા હતા અને બેસ્યા હતા. ત્યારે જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અહીં પહોંચી જયશ્રી રામના સૂત્રોચ્ચાર કરતા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી હતી. આજના દિવસે ઘરે માતાપિતાનું પૂજન કરવું જોઈએ- પરેશ રાવલપરેશ રાવલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે પુલવામાં હુમલાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી ગઈ છે. વેલેન્ટાઈન ડે અને રોઝ ડે ની ઉજવણી કરી રહી છે. આજના દિવસે માતૃ પિતૃ પૂજન સહિતના કાર્યક્રમો કરવા જોઈએ. યુવક યુવતીઓ ઘરેથી ખોટું કહીને અહીં ગાર્ડનમાં આવે છે અને ખોટા કામ કરે છે. તેને અટકાવવા માટે અમે આવ્યા છીએ. તેમણે જણાવ્યું કે, વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે વિદ્યાર્થીઓ ઘરેથી સ્કૂલ અને કોલેજનું કહી નીકળતા હોય છે અને ત્યારબાદ રેસ્ટોરન્ટ કે ગાર્ડનમાં જતા હોય છે અને અંગત પળો માણતા હોય છે.આ સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ છે. જેથી અમે અહીં રેસકોર્સ મેદાનમાં એકત્ર થયા છીએ. આ દરમિયાન જયશ્રી રામ અને પશ્ચિમી સંસ્કૃતિનો નાશ કરોના નારા લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન
PM Modi In Assam: આસામમાં ચાલુ વર્ષ વિધાનસભાની ચૂંટણી આવશે તે પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ચૂંટણી રણમાં રાજનૈતિક પાર્ટીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટથી પહોંચ્યા હતા. મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર લેન્ડિંગ કર્યું હતું. જે બાદ 3,030 કરોડના ખર્ચે બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભાસ્કર વર્મા સેતુ અને IIM ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે એક છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી. બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં બનેલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડો રીક્ષા ચાલક લીલાપરથી જોધપર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પુલના વળાંક પાસે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી વાહન આવતા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ રીક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત મચ્છુ નદી પરના પુલના લીલાપર તરફના છેડે આવેલા વળાંક પર બન્યો હતો. આ વળાંક એવો છે કે સામેથી આવતા વાહનો દેખાતા નથી, જેના કારણે આ સ્થળે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. અકસ્માત સમયે પાછળથી એક ટ્રક ટ્રેલર પણ આવી રહ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. નજીકના કારખાનાના સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે વ્યાપકપણે શેર થઈ રહ્યા છે.
અમદાવાદના ફતેહવાડીમાં મોડીરાતે બે રાઉન્ડ ફાયરીંગની ઘટના ઘટ્યા બાદ ગઈકાલે(13 ફેબ્રુઆરી) મોડીરાતે બાપુનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે કાકા ભત્રીજાએ બે યુવક પર છરીઓના ઘા ઝીંકી દીધા છે. ઈજાગ્રસ્ત બંને યુવકોની હાલત નાજુક છે, જ્યારે પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. સિગારેટ પીવા જેવી બાબતને લઈને કાકા ભત્રીજાએ મોડીરાતે ખુની ખેલ ખેલ્યો હતો. કાકા-ભત્રીજાએ બે યુવક પર છરીના ઘા ઝીંક્યાનિકોલ વિસ્તારમાં આવેલા ઉત્તમનગર ખાતે રહેતા જીતેન્દ્રસિંહ વિશ્વનાથસિંહ ચૌહાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં શીવકુમાર ઉર્ફે લલ્લુ રાજપુત અને દેવ રાજપુત (બંને રહે. ઈન્દિરાનગરના છાપરા, બાપુનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. જીતેન્દ્રસિંહ સંયુક્ત પરિવારમાં રહે છે અને વિરાનગર ખાતે આવેલી શિવાલીક હોસ્પિટલની બાજુમાં પાર્વતી એસ્ટેટમાં કાવ્યાઆર્યુહ નામથી સાબુ બનાવવાનું કામ કરે છે. જીતેન્દ્રસિંહ વર્ષોથી વિરાટનગર રહેતો હોવાથી તે અવારનવાર બાપુનગર જતો હતો. બાપુનગરમાં જીતેન્દ્રસિંહ શિવકુમાર અને તેના ભત્રીજા દેવ રાજપુતને સારી રીતે ઓળખે છે. ગઈકાલે(13 ફેબ્રુઆરી) રાતે આઠ વાગ્યાની આસપાસ જીતેન્દ્રસિંહ તેના મિત્ર રવિ રાજપુત તથા રોહન સાથે કાર લઈને બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ગયો હતો. જ્યાં તેણે ગલ્લેથી સિગારેટ ખરીદીને જાહેરમાં પીતા હતાં. તે સમયે શીવકુમાર અને દેવ રાજપુત આવ્યા હતાં. આગળ જઈને સિગારેટ પીવાનું કહ્યું ને બબાલકાકા ભત્રીજાએ આવતાની સાથે જ જીતેન્દ્રને કહ્યું હતું આગળ જઈને સિગારેટ પીવો. બંનેની વાત સાંભળીને જીતેન્દ્રએ જવાબ આપ્યો હતો કે, હું અહીયા જાહેરમાં સીગારેટ પીવુ છું તો તમને શુ તકલીફ છે. જીતેન્દ્રનો જવાબ સાંભળીને શિવકુમાર અને દેવ ઉશ્કેરાયા હતા અને ગાળો આપવા લાગ્યા હતાં. જીતેન્દ્રએ બંનેને ગાળો બોલવાની ના પાડી હતી અને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું. છરી કાઢી ને છાતીમાં મારી દીધીબંને એટલા આવેશમાં આવી ગયા કે જીતેન્દ્રને ગાળદાપાટુનો મારમારવા લાગ્યા હતાં. આ સામે જીતેન્દ્રના બંને મિત્રો રોહન અને રવી તેને બચવાવવા માટે વચ્ચે પડ્યા હતા. દરમિયાનમાં દેવ રાજપુતે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને રોહનની છાતીમાં મારી દીધી હતી. બંને લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાતો બીજી તરફ શીવકુમારે પણ છરી કાઢી હતી અને રોહનના માથામાં તેમજ સાંથળના ભાગે મારી દીધી હતી. શિવકુમારે જીતેન્દ્રના બીજા મિત્ર રવિના માથામાં પણ છરી મારી દીધી હતી. રવિ અને રોહન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા, જેથી જીતેન્દ્રએ બુમાબુમ કરી દીધી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરારબન્ને કાકા ભત્રીજાએ મચાવેલા આંતક બાદ તે જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતાં. જીતેન્દ્રએ તરતજ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. રોહન અને રવિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યા તેમની હાલત નાજુક છે. સિગારેટ પીવા જેવી બાબતે જીવલેણ હુમલોઘટનાની જાણ બાપુનગર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને જીતેન્દ્રના નિવેદનના આધારે શિવકુમાર અને દેવ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતને લઈને આ હુમલો કરાયો છે કે પછી હકીકત કઈક અલગજ છે તે પોલીસની તપાસ બાદ સામે આવશે.
તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. સોનગઢના ઓટા ગામેથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹7.83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે, સોનગઢના ઓટા ગામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ રંગની જીપ કમ્પાસ કાર (નંબર: MH-15-JX-0369) ને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસને જોઈને ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડીમાંથી બે ઈસમો ઉતરીને ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમાંથી અનિલ રતિલાલ ગામીત (રહે. રાણીઆંબા) ને દબોચી લીધો હતો, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. વાહન તલાશી દરમિયાન, પોલીસે જીપ કમ્પાસની વચ્ચેની સીટો કાઢીને બનાવેલા ગુપ્ત ખાનાઓ અને ડેકીમાંથી વિદેશી દારૂની કુલ 1642 નંગ નાની-મોટી બોટલો શોધી કાઢી હતી. પોલીસે આ કાર્યવાહીમાં ₹2,53,860/- ની કિંમતનો વિદેશી દારૂ, ₹5,00,000/- ની જીપ કમ્પાસ કાર અને ₹30,000/- ની કિંમતના 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹7,83,860/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો સોનગઢનો કુખ્યાત બુટલેગર જયેશ શંકર રાઠોડ મહારાષ્ટ્રથી ઓટા ગામ થઈને મંગાવી રહ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, મુખ્ય બુટલેગર જયેશ રાઠોડ સહિત અન્ય ચાર ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કેસની વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં અસંતોષ ઉગ્ર બન્યો છે. જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ સહિતના હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પોતાના રાજીનામા સુપરત કર્યા છે. મહામંત્રી પદની અપેક્ષા પૂર્ણ ન થતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રાજીનામા સાથે અત્યાર સુધીમાં કુલ 22 હોદ્દેદારોએ પક્ષના હોદ્દા પરથી મુક્તિ માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આગામી સમયમાં સંગઠન દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો 100થી વધુ સક્રિય કાર્યકરો અને હોદ્દેદારો પણ રાજીનામા આપી શકે છે. આજે રાજીનામા આપનારા મુખ્ય હોદ્દેદારોમાં જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ ડાહ્યાભાઈ પટેલ, કોષાધ્યક્ષ રણજીત સિંહ વાસિયા અને જલાલપોર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપના નવા સંગઠન માળખામાં મહામંત્રી જેવા મહત્વના પદ પર જલાલપોર તાલુકાના પ્રતિનિધિને સ્થાન ન મળતા કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેના પરિણામે આ રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લાના નવા સંગઠનમાં જલાલપોર તાલુકાને અન્યાય : હિતેશ પટેલજલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલે કહ્યું કે આજે મારી સાથે મારી ટીમમાંથી કોષાધ્યક્ષ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ પણ રાજીનમું આપ્યું છે. આ ઉપરાંત તાલુકા ભાજપ ઉપપ્રમુખ પણ રાજીનામું આપવાના છે. આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે જલાલપોરને કાયમ માટે અન્યાય થઈ રહ્યો છે. અમારી ભલામણ હતી કે જિલ્લા સંગઠનમાં જલાલપોરમાંથી એક મહામંત્રીપદ આપો. આવું ન થયું એટલે હોદ્દેદારો-કાર્યકરોમાં નારાજગી છે અને વારાફરતી રાજીનામાં આપી રહ્યા છે. અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કાર્ય કામ કરવાના જ છીએ અમે ભાજપને છોડીને કોઈ બીજા પક્ષમાં જવાનો કોઈ પ્લાનિંગ છે જ નહીં. અમે કાર્યકર્તા તરીકે કંટીન્યુસ ભાજપ જોડે ઊભા રહીશું. અમે રાજીનામા આપવા બાબતે જિલ્લા પ્રમુખ ભુરાભાઈને ફોન કર્યો હતો, કદાચ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત હશે એટલે વાત થઈ શકી નથી. અમે અમારા રાજીનામા તેમના ટેબલ પર મૂકી દીધા છે.
પાટણ સિટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં તેણે મોટરસાયકલ, પર્સ અને મોબાઈલની ચોરી કબૂલી હતી. પોલીસે કુલ ₹25,000નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ટીમ ખાન સરોવર પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ગુપ્ત બાતમીના આધારે નંબર પ્લેટ વગરના કાળા કલરના બજાજ પ્લેટિના મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ શખ્સને અટકાવવામાં આવ્યો હતો. મોટરસાયકલના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતા તે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આરોપીની ઓળખ રંગુજી પ્રવીણજી અરજણજી ઠાકોર (ઉંમર ૨૫, રહે. બાલીસણા, વાળીનાથપરૂ, પાટણ) તરીકે થઈ છે. તેની અંગઝડતી લેતા એક લેડીઝ પાકીટ મળી આવ્યું હતું, જેમાં મૂળ દસ્તાવેજો, સોનાની ચુક અને ₹૫,૫૦૦ રોકડા હતા. આરોપીએ કબૂલ્યું કે તેણે આ પર્સ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પાટણ રામજી મંદિરની વાડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ટેબલ પરથી ચોર્યું હતું. તેના ખિસ્સામાંથી વીવો કંપનીનો મોબાઈલ પણ મળ્યો હતો, જે તેણે પાટણ સિટી પોઈન્ટ પાછળની બાંધકામ સાઈટ પરથી ચોર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹૧૫,૦૦૦નું મોટરસાયકલ, ₹૨,૦૦૦ની સોનાની ચુક, ₹૫,૫૦૦ રોકડા અને ₹૨,૫૦૦નો મોબાઈલ મળી કુલ ₹૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, પકડાયેલ આરોપી અગાઉ પણ વિસનગર, બાલીસણા અને પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.
બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં માનસિક દબાણ વધતું જોવા મળી રહ્યું છે. પાટણની પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસ મુજબ, પાટણ અને સિદ્ધપુર તાલુકાના 84% વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ભારે ચિંતા અને ભય અનુભવી રહ્યા છે. મનોવિજ્ઞાન વિભાગના એમ.એ. સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓ પંચાલ લાલજી અને કડીવાલા હમેદાફાતેમાએ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ આ સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં સામે આવેલા આંકડા વિદ્યાર્થીઓની કથળતી માનસિક સ્થિતિ તરફ આંગળી ચીંધે છે: 78% વિદ્યાર્થીઓને સતત નાપાસ થવાનો ડર સતાવી રહ્યો છે. 67% વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ માતા-પિતાના દબાણ હેઠળ તૈયારી કરે છે. 81% વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવને કારણે શારીરિક રીતે બીમાર પડે છે. 92% વિદ્યાર્થીઓએ ઊંઘ ન આવવી અને ખોરાક પ્રત્યે અરુચિ જેવી સમસ્યાઓ સ્વીકારી છે. 68% વિદ્યાર્થીઓ વાંચતી વખતે એકાગ્રતાનો અભાવ અને વારંવાર મોબાઈલ વાપરવાની ઈચ્છા અનુભવે છે. શારીરિક અને માનસિક અસરોસર્વે દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેક ગંભીર લક્ષણો નોંધાયા હતા, જેમાં માથાનો દુખાવો, યાદશક્તિમાં ઘટાડો, બેચેની, ઉબકા, ચક્કર અને પાચન સંબંધિત તકલીફો મુખ્ય છે. આશરે 67% વિદ્યાર્થીઓ તો પરીક્ષાનું નામ સાંભળતા જ એટલી ગભરાહટ અનુભવે છે કે તેઓ વાંચેલું પણ ભૂલી જાય છે. આત્મવિશ્વાસમાં ઘટાડો અને નકારાત્મક વિચારો પણ વિદ્યાર્થીઓને સતત ઘેરી વળ્યા છે. તણાવમુક્તિ માટે નિષ્ણાતોની માર્ગદર્શિકાસર્વેક્ષણના અંતે વિદ્યાર્થીઓને આ સ્થિતિમાંથી બહાર લાવવા માટે ચોક્કસ સૂચનો આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક અભિગમ: પરીક્ષા સમયે વર્ગખંડમાં શાંતિ જાળવવી અને પેપર લખતા પહેલા 5 મિનિટ આંખો બંધ કરીને ધ્યાન (Meditation) ધરવું. જીવનશૈલીમાં સુધારો: દૈનિક આયોજનમાં પૂરતી ઊંઘ, સંતુલિત આહાર અને નિયમિત કસરત કે યોગનો સમાવેશ કરવો. લેખન અને પુનરાવર્તન: માત્ર વાંચવાને બદલે લખવાની આદત રાખવી અને વારંવાર રિવિઝન કરવું. મદદ મેળવો: જો ગભરામણ વધુ હોય તો સંકોચ રાખ્યા વિના મિત્રો, વાલી કે પ્રોફેશનલ કાઉન્સેલરની મદદ લેવી. આ સમગ્ર સર્વેક્ષણને કોલેજના પ્રિન્સિપાલ રીટાબેન પારેખ અને એનજીઈએસના સીડીઓ જય ધ્રુવ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મતે, વાલીઓએ પણ બાળકો પર અપેક્ષાઓનું ભારણ ઘટાડી તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
રાજપુરમાં NSSનો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન:યુવાઓએ સ્વચ્છતા, આરોગ્ય અને સેવા દ્વારા ગામમાં છોડી છાપ
મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન થયો છે. આ યુવા શિબિર ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાઈ હતી. કેમ્પના સમાપન સમારોહમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ મુખ્ય મહેમાન હતા. સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ સહિત ગામજનો અને રામદેવ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાત દિવસીય કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી હતી. તેમણે યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોલેજના આચાર્ય અજયભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરીને કેમ્પની રૂપરેખા અને અહેવાલ રજૂ કર્યો હતો. અધ્યક્ષ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે એનએસએસ વિદ્યાર્થીઓમાં સેવા સાથે નેતૃત્વ, ટીમવર્ક, જવાબદારી અને માનવતા જેવા ગુણો વિકસાવે છે. તેમણે ઉમેર્યું કે મોટા બદલાવની શરૂઆત હંમેશા નાના પગલાથી થાય છે. પ્રભુદાસ પટેલે સેવાના અવસરને રામદેવજીની કૃપા ગણાવ્યો અને માતા-પિતાને ભગવાન સમાન માની તેમની સેવા કરવાની ભાવના રાખવા જણાવ્યું. સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવનાને દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ ગણાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવગ્રામના સરપંચ પંકજસિંહ રાઠોડ અને ગામજનોએ આર્ટસ કોલેજ શામળાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલી મણિનગર સોસાયટીમાં મોડી રાત્રે એક ભેંસના તબેલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તબેલામાં બાંધેલા મૂંગા પશુઓ ગંભીર રીતે દાઝી ગયા છે, જ્યારે હજારો રૂપિયાનો ઘાસચારો મળીને ખાક થઈ ગયો છે. તબેલા માલિક દ્વારા આ આગ અકસ્માત નહીં પરંતુ, કોઈના દ્વારા જાણી જોઇને આ આગ લગાવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક જાગી જઈને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યામળતી માહિતી મુજબ પાંડેસરાના મણિનગર વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકનો ગાય-ભેંસનો તબેલો આવેલો છે. વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ જ્યારે બધા સૂતા હતા ત્યારે અચાનક તબેલામાં અચાનક આગની લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક જાગી જઈને આગ ઠારવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. મૂંગા પશુઓ બન્યા ભોગઆ કમકમાટીભરી ઘટનામાં બે થી ત્રણ ભેંસો ગંભીર રીતે દાઝી ગઈ છે. પશુઓના કરુણ આક્રંદથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પશુપાલકના જણાવ્યા અનુસાર, આ આગમાં ઘાસચારો, સાધન-સામગ્રી અને પશુઓની ઈજા મળીને અંદાજે 70થી 80 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. એક મધ્યમવર્ગીય પશુપાલક માટે આ આર્થિક ફટકો ખૂબ જ મોટો છે. 20 વર્ષથી તબેલો ચલાવીએ છીએ પહેલીવાર આવી ઘટના બનીતબેલા માલિકે રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે, અમે અહીં છેલ્લા 20 વર્ષથી તબેલો ચલાવીએ છીએ, પરંતુ આજ દિન સુધી ક્યારેય આવી કોઈ ઘટના બની નથી. આ કોઈ અકસ્માત નથી, પરંતુ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈરાદાપૂર્વક લગાડવામાં આવેલી આગ છે. રાત્રિના અંધકારનો લાભ લઈ કોઈ અસામાજિક તત્વોએ પશુઓને નુકસાન પહોંચાડવાના આશયથી આ કૃત્ય કર્યું હોવાનું અમને લાગી રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. તબેલા માલિકે પોલીસ અને વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જે પણ અસામાજિક તત્વોએ મૂંગા પશુઓના જીવ જોખમમાં મૂક્યા છે અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તેમને વહેલી તકે શોધી કાઢીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં એક દંપતી ચાલતું જઈ રહ્યું હતું, ત્યારે બાઈક પર બે શખ્સ આવીને મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચવા જતા હતાં. જેમાંથી પાછળ બેઠેલો શખ્સ બાઇક પરથી નીચે પડી ગયો હતો. જેને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. જ્યારે બાઇક ચાલકને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધો છે. બે શખ્સે સોનાનો દોરો લૂંટ કરવાની કોશિશ કરીવસ્ત્રાપુરમાં રહેતા દિનેશભાઈ ગેહલોત તેમના પત્ની સરોજબેન સાથે 13 ફેબ્રુઆરીને રાત્રે 9 વાગ્યાની આસપાસ જમીને ચાલવા નીકળ્યા હતાં.જજીસ બંગલો રોડથી માનસી સર્કલ બાજુ પતિ-પત્ની ચાલતા જતા હતાં. આ દરમિયાન પકવાન તરફથી એક બાઈક પર અચાનક બે શખ્સ આવ્યા હતા, જેમણે સરોજબેનના ગળામાં રહેલો સોનાનો દોરો લૂંટ કરવાની કોશિશ કરી હતી. એક શખ્સ ચેઈન ખેંચવા જતા પડ્યોજો કે દોરો તૂટ્યો ન હતો અને સરોજબેન નીચે પડી ગયા હતાં. દોરો તોડવાનો પ્રયાસ કરનાર બાઈકની પાછળ બેઠેલો વ્યક્તિ પણ નીચે પડી ગયો હતો. જ્યારે બાઈકચાલક નાસી ગયો હતો. શખ્સને લોકોએ પકડીને પોલીસને સોંપ્યોદંપતિએ બૂમાબૂમ કરતા આસપાસના માણસો ભેગા થયા હતા અને દોરી તોડવાનો કરવાનો પ્રયાસ કરનાર વિજય બોડાણાને ઝડપી લીધો હતો. સ્થાનિકોએ વિજય બોડાણાને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. બંને શખ્સની ધરપકડવસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને વિજય બોડાણાની પૂછપરછ કરીને તેના સાથી બાઇકચાલક હાર્દિક ચૌહાણની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બંને બેરોજગાર છે અને પૈસા માટે આ રીતે ચોરી કરતા હતા. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. વસ્ત્રાપુર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિકસિત કેરલમ કાર્યક્રમ અંતર્ગત કેરલાના ભાજપના જનપ્રતિનિધિઓ મુલાકાત આવી પહોચ્યા હતા. તેઓએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી તેમજ બજેટ અંગેની તેઓને માહિતી આપવામાં આવી હતી. ભાજપના પ્રતિનિધિઓનું મંડળ વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યુંભાજપાના વિકસિત કેરલમ પ્રોજેક્ટ અંતર્ગત કેરેલાના ભાજપના પ્રતિનિધિઓનું એક મંડળ વડોદરાની બે દિવસની મુલાકાતે આવ્યું છે. આજે સવારે તેઓનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલતા પ્રોજેક્ટ તેમજ મહાનગરપાલિકાની કાર્યશૈલી અંગે તેઓને માહિતી આપવામાં આવી હતી. મેયર પિંકી સોની દ્વારા મહાનગરપાલિકા અંગેની માહિતી આપવામાં આવી હતી. આવતીકાલે યોજાનારી શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ જોડાશેમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ કેરલાના જનપ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રિવેન્દ્રમ મહાનગરપાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે ત્યાર બાદ ત્યાંનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની મુલાકાત લેશે જેના ભાગરૂપે તેઓ વડોદરા ખાતે બે દિવસ આવ્યા છે. તેઓ આવતીકાલે યોજાનારી શિવજી કી સવારી કાર્યક્રમમાં પણ જોડાશે. ઘણા પ્રોજેક્ટ્સ ખૂબ સારા છે જેને અમે અમલી કરવાના પ્રયાસો કરીશુંમ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ પ્રતિનિધિ મંડળ વડોદરા, સુરત જેવી મહાનગરપાલિકાઓની મુલાકાત લેશે અને અહીંની કાર્યપ્રણાલી તેમજ વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવશે. ત્રિવેન્દ્રમ મહાનગરપાલિકાના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ આભાર. અમે અહીંના પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી છે અને અમારા વિસ્તારમાં તેને કેવી રીતે લાગુ કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરી છે. ઘણા પ્રોજેક્ટ્સ ખૂબ સારા છે જેને અમે અમલી કરવાના પ્રયાસો કરીશું
છોટા ઉદેપુર: રૂ. 5.44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:રંગપુર નાકા પાસેથી બોલેરો ગાડીમાંથી એક આરોપીની ધરપકડ
છોટા ઉદેપુર ટાઉન પોલીસે રંગપુર નાકા પાસેથી રૂ. 5,44,944/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા રંગપુર નાકા પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન MP 46 ZE 0396 નંબરની એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1944 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. 5,44,944/- આંકવામાં આવી છે. પોલીસે બોલેરો ગાડીના ચાલક કમલેશભાઈ રૂમાલભાઈ અજનાર (રહે. અજનાર ફળિયા, ચિખલકુઇ, તા.જી. અલીરાજપુર) ની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, બોલેરો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 12,56,044/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા સતત સક્રિય રહે છે.
મહેસાણા જિલ્લામાં શિયાળુ વાવેતરનો ધમધમાટ:ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં મોટો ઉછાળો
ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં શિયાળુ રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત ચોમાસાની અંતિમ વિદાય વેળાએ થયેલા વિપુલ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું છે.જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર દર વર્ષની સરેરાશની સરખામણીએ આ વર્ષે વાવેતરના આંકડામાં મોટો વધારો નોંધાયો છે. આગામી સમયમાં શિયાળુ પાકનું બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી સંભાવનાસામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકોનું સરેરાશ વાવેતર 1,80,476 હેક્ટર જેટલું થતું હોય છે પરંતુ, આ વર્ષે કુદરતી કૃપા અને અનુકૂળ વાતાવરણને લીધે કુલ 1,88,906 હેક્ટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે. આ આંકડા દર્શાવે છે કે, જિલ્લામાં ખેતી હેઠળનો વિસ્તાર વધતા આગામી સમયમાં શિયાળુ પાકનું બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી સંભાવના છે. જીરું, વરિયાળી અને શાકભાજી જેવા રોકડિયા પાકોનું પણ મોટાપાયે વાવેતરપાકવાર વિગતો પર નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થયું છે.કુલ 68,178 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરીને ખેડૂતોએ આ પાક પર સૌથી વધુ પસંદગી ઉતારી છે. આ ઉપરાંત અન્ય મુખ્ય પાકોમાં રાઈનું 23,765 હેક્ટર,તમાકુનું 23,885 હેક્ટર અને પશુઓના ઘાસચારા માટે 41,931 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય જીરું, વરિયાળી અને શાકભાજી જેવા રોકડિયા પાકોનું પણ મોટા પાયે વાવેતર થયું છે. આ વર્ષે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહીમહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી અનિષ ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોમાસાના અંતમાં મોડે મોડે પડેલા સારા વરસાદને કારણે શિયાળુ ખેતી માટે પૂરતું પાણી અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે જિલ્લામાં વાવેતરનો વ્યાપ વધ્યો છે. હાલના તબક્કે પાકની સ્થિતિ જોતા આ વર્ષે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.
અમદાવાદ શહેરના અસારવા વિધાનસભા વિસ્તારમાં આજે વિકાસકાર્યોની શરૂઆત કરવામાં આવી. રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા વિવિધ જનહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં યોજાયો હતો. ગાર્ડનમાં નવા ગજેબોનું, સર્કલનું અને કમળના શિલ્પનું લોકાર્પણઆ દરમિયાન ઇદગાહ સર્કલ ખાતે નવા બનાવેલા ચબૂતરા અને સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે ઉપરાંત શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીક હાજીપુરા ગાર્ડનમાં નવા ગજેબોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ડફનાળા જંક્શન ખાતે આકર્ષક કમળનું શિલ્પ પણ જાહેર માટે ખુલ્લું મુકાયું. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, સ્થાનિક કાઉન્સિલરો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજપુરમાં NSSનો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન:યુવાઓએ સ્વચ્છતા, આરોગ્ય અને સેવા દ્વારા જાગૃતિ ફેલાવી
મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાયેલા આ યુવા શિબિરમાં વિદ્યાર્થીઓએ ગામમાં અનોખી છાપ છોડી હતી. આ સેવા કેમ્પના સમાપન સમારોહમાં વિવિધ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ, મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ તથા ગામજનો અને રામદેવ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી હતી. તેમણે યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોલેજના આચાર્ય અજય પટેલે મહેમાનોનું સ્વાગત કરતા કેમ્પની રૂપરેખા અને અહેવાલ રજૂ કર્યો હતો. અધ્યક્ષ અરુણ પટેલે પોતાના સંબોધનમાં યુવાઓને વ્યસનમુક્ત રહી દેશના વિકાસ માટે સેવાકીય કાર્યમાં જોડાવા પ્રેરણા આપી હતી. પ્રભુદાસ પટેલે જણાવ્યું હતું કે જે પવિત્ર સ્થાને સેવા કરવાનો અવસર મળ્યો છે તે રામદેવજીની કૃપા છે, અને જીવનમાં જન્મદાતા માતા-પિતાને પણ ભગવાન સમાન માન આપી સેવા કરવાની ભાવના રાખવી જોઈએ. સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવના દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવ ગામના સરપંચ અને ગ્રામજનોએ આર્ટસ કોલેજ, શામળાજીનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે વિદાય આપી હતી.
આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળવા રવાના થયું હતું, પરંતુ રાજ્યપાલ તરફથી સમય ફાળવવામાં આવ્યો ન હોવાનું AAPએ જણાવ્યું છે. આ મુદ્દે AAPએ ભાજપ સરકાર અને રાજ્યપાલની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલેપ્રેસ કોન્ફરન્સમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, AAP રાષ્ટ્રીય પાર્ટી છે અને ગુજરાતમાં પાંચ ધારાસભ્યો સાથે સક્રિય રીતે લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે છતાં રાજ્યપાલ તરફથી મુલાકાત માટે સમય આપવામાં આવતો નથી. અગાઉ રાજકોટ ગેમ ઝોન સહિત વિવિધ જાહેર મુદ્દાઓ પર પત્ર આપવામાં આવ્યા હોવા છતાં મુલાકાત ન મળતાં આજે પાર્ટી દ્વારા સત્તાવાર આવેદનપત્ર રાજ્યપાલના કાર્યાલયે સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. “રાજ્યપાલ પોતે ન મળી શકે તો એમના પ્રતિનિધિને આવેદનપત્ર સ્વીકારવા મોકલે,” એવી માંગ પણ તેમણે કરી. અમેરિકા-ભારત ટ્રેડ ડીલ મુદ્દે ચિંતાઇસુદાન ગઢવીએ અમેરિકા-ભારત વચ્ચે થનારી સંભવિત ટ્રેડ ડીલ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે જો અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનોને શૂન્ય ડ્યુટી સાથે ભારતમાં પ્રવેશ આપવામાં આવશે તો સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થશે. “અમેરિકામાં ખેડૂતોને અંદાજે 54 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે, જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે. આવી સબસિડીયુક્ત પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં આવશે તો ગુજરાતના ખેડૂતો કેવી રીતે ટકી શકશે?” એમ તેમણે પ્રશ્ન કર્યો. પશુપાલન ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે, હાલ દુધના ભાવમાં અસ્થિરતા છે અને નકલી દુધના કેસો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશી ડેરી પ્રોડક્ટ્સને છૂટછાટ આપવામાં આવશે તો સ્થાનિક પશુપાલકો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. “જો ગુજરાતમાં AAPની સરકાર હોત તો હાલના ભાવ કરતાં ₹15 પ્રતિ લીટર વધારે ભાવ પશુપાલકોને મળતા,” એવો દાવો પણ તેમણે કર્યો. ‘ખેડૂત વિરોધી નિર્ણય’નો આક્ષેપઇસુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ખેડૂત વિરોધી નિર્ણય લેવાનો આક્ષેપ કર્યો. “ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારો બરબાદ થઈ જાય એવા સોદા કરવા માટે પ્રધાનમંત્રી બનાવ્યા નથી,” એમ કહી તેમણે સરકારને સ્પષ્ટતા કરવા માંગ કરી કે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ભારતમાં કેમ મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર જેટલો સમય સત્તામાં રહેશે, તેટલો ખેડૂતો અને નાના ઉદ્યોગો પતન તરફ ધકેલાશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારોને મુદ્દા આધારિત રાજનીતિને મત આપવા અપીલ પણ તેમણે કરી. AAPના પ્રતિનિધિમંડળમાં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, સામત ગઢવી, ડો. જ્વેલ વસરા, ગૌરી દેસાઈ અને ડો. કરન બારોટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
અમદાવાદમાં સોલા રોડ પર ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી સાધના વિનય મંદિર શાળામાં આજે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય ‘ફૂડ ફીએસ્ટા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર ઉત્સાહ જ નહીં, પણ પોતાની રાંધણકળાનું કૌશલ્ય પણ પ્રદર્શિત કર્યું હતું. વાનગીઓનો ખજાનો અને ગેમ ઝોન વિદ્યાર્થીઓએ સેવ ખમણી, પાસ્તા, પાણીપુરી, ખીચું, વડાપાઉં, ભાજીપાવ, ભુગળા બટેકા અને વિવિધ પ્રકારની ચાટ જેવી વાનગીઓ જાતે તૈયાર કરી હતી. આ ઉપરાંત પેસ્ટ્રી, કેક, કોલ્ડ કોફી અને ફ્રુટ ડીશ જેવા કુલ 20 થી વધુ આઈટમોના સ્ટોલ લગાવી વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓને પીરસ્યા હતા. ખાણી-પીણીની સાથે મનોરંજન માટે ખાસ ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વ્યવસાયિક શિક્ષણની અનોખી પહેલ આ આયોજન પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યના શેફ, હોટલ મેનેજમેન્ટ અને રેસ્ટોરન્ટ સંચાલન જેવી વ્યવસાયિક ક્ષમતાઓની તાલીમ આપવાનો હતો. નાના ભૂલકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓએ આર્થિક વ્યવહારો અને ટીમ વર્કનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના દંતાલી ગામની સીમમાં આવેલી શરત ભંગ થયેલી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનને પચાવી પાડવા માટે કાયદાકીય ગૂંચ ઊભી કરી અમદાવાદના જમીન દલાલ સાથે મેળાપીપણું કરી ઠગાઈ આચરવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા જીગરકુમાર રામભાઈ પટેલે આ ફરિયાદ નોંધાવી છે. અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતીફરિયાદ મુજબ દંતાલી ગામના સર્વે નંબર 231માં આવેલી આશરે 8600 ચોરસ મીટર જમીન અગાઉ શરત ભંગ થવાને કારણે સરકારી જમીન બની હતી. આ જમીન નિયમિત કરાવવા માટે મૂળ ખેડૂતોએ વર્ષ 2016માં જયંતિભાઈ અંબાલાલ પટેલ (રહે. કલોલ) અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ (રહે. ભાદોલ, તા. કલોલ)ને પાવર ઓફ એટર્ની આપી હતી, પરંતુ તેઓએ કોઈ કામગીરી કરી ન હતી. જાન્યુઆરી-2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો ત્યારબાદ વર્ષ 2019માં ખેડૂતોએ જીગરકુમાર પટેલનો સંપર્ક કરતા તેમણે કલેક્ટર કચેરીમાં જરૂરી કાર્યવાહી કરી જમીન નિયમિત કરાવી હતી અને ખેડૂતોને નક્કી કરેલ 1.55 કરોડ રૂપિયાનો અવેજ ચૂકવી જાન્યુઆરી, 2022માં કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો જોકે, આ જમીન કિંમતી બની ગઈ હોવાનું જાણી આરોપીઓએ મેળાપીપણું કરી વર્ષ 2020માં જૂના પાવરના આધારે ખેડૂતોની જાણ બહાર 88.15 લાખની કિંમતનું એક કબ્જા વગરનું બાનાખત ઊભું કર્યું હતું. ત્યારબાદ જીગરે જમીન ખરીદી લીધી હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓએ ફેબ્રુઆરી 2022માં તે જ પાવરના આધારે એકબીજાના નામે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આ બાબતે પોલીસે જયંતિભાઈ અંબાલાલ પટેલ અને મયુરભાઈ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના રાજ્યમાં શરત ભંગની જમીનોના દુરુપયોગ અને જમીન દલાલીના વધતા કેસો તરફ ધ્યાન દોરી રહી છે. પોલીસે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને જમીનના રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા તાજેતરમાં 'RCMC 2024' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દીપક નાઈટ્રેટના CFO સંજય ઉપાધ્યાય ખાસ હાજર રહ્યા હતા. ICMAI - WIRCના ચેરમેન મિહિર વ્યાસે જણાવ્યું હતું કે આ સંકલિત પ્રયાસનો હેતુ વ્યવસાયિક સભ્યોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે. AI અને ભાવિ પડકારો પર વિશેષ મંથન સંમેલનમાં કુલ 3 મહત્વપૂર્ણ સેશન રાખવામાં આવ્યા હતા, જેમાં Environment, Social, and Governance (ESG), Artificial Intelligence (AI) અને નેક્સ્ટ જનરેશન લીડર જેવા વિષયો પર ગહન ચર્ચા થઈ હતી. અદાણી, રિલાયન્સ, GSCL અને GNFC જેવી દિગ્ગજ કંપનીઓના CFO અને ઉચ્ચ અધિકારીઓએ આ સેશન્સમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું કે AI ના કારણે નોકરીઓ ઓછી થવાની શક્યતા નહિવત છે, પરંતુ જે લોકો AI માં માસ્ટરી મેળવશે તેમની આવક અને પ્રગતિમાં ચોક્કસ વધારો થશે. કોસ્ટ એકાઉન્ટિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ સંસ્થાના સભ્યો દ્વારા કોસ્ટિંગ, પ્રાઈસિંગ ડેવલપમેન્ટ અને ઓડિટની પ્રક્રિયામાં AI નો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાર્લામેન્ટના એક્ટ દ્વારા સ્થાપિત આ સરકારી સંસ્થાના સભ્યો 35 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓમાં કોસ્ટ ઓડિટ, GST ઓડિટ અને ઇન્ટરનલ ઓડિટ જેવી જવાબદારીઓ સંભાળે છે. જે સભ્યો સમય સાથે બદલાશે અને AI ની ટ્રેનિંગ લેશે, તેમના માટે પ્રોફેશનલ ક્ષેત્રે નવી અને ઉજ્જવળ તકો ઉભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂ. 12,34,650 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા સોનાસણના ભુરીવાસમાં રહેતા દર્શનાબેન સુનીલભાઈ પટેલના બંધ મકાનમાંથી અજાણ્યા ઇસમે ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રૂ. 14,75,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા LCBએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી. LCBના ઇન્ચાર્જ PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI આર.કે. જોષી અને એસ.જે. ચાવડાની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, સોનાસણના ભુરીવાસમાં રહેતા 30 વર્ષીય રાજ ભૂપેન્દ્ર ઈશ્વરભાઈ પટેલની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. રાજે ચોરીની કબૂલાત કરતા જણાવ્યું કે, 10 ફેબ્રુઆરી 2026 ના રોજ તેમના સગા-સંબંધીઓના સમૂહ લગ્ન હોવાથી ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા. તે સમયે તેણે પાડોશી સુનીલભાઈના ઘરે કોઈ હાજર ન હોવાથી ચાવી વડે તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી દાગીના ચોરી લીધા હતા. ચોરી કર્યા બાદ રાજ ફરી સમૂહ લગ્નમાં જતો રહ્યો હતો અને સાંજે તેણે ચોરી કરેલા દાગીના તેના ફોઈના દીકરા પ્રતિકકુમાર દિલીપભાઈ પટેલને સાચવવા આપ્યા હતા. LCBએ રાજ પટેલની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂ. 12,34,650નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં સોનાના દોરા, મંગળસૂત્ર, વીંટીઓ, બુટ્ટીઓ, ડોકિયું, મગમાળા અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. વધુ તપાસ માટે આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાવાનું છે. તે પહેલા જ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલઆઉન્ડર ઈરફાન પઠાણે ચૂંટણી મેદાનમાં યોર્કર ફેંકી જંગને રસપ્રદ બનાવી દીધો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પૂર્વ વિકેટ કિપર કિરણ મોરે અને દર્શન બેંકરના ગ્રુપ વચ્ચે ટક્કર થઈ રહી છે. ત્યારે ઈરફાન પઠાણે કિરણ મોરે અને તેના ગ્રુપ સામે સવાલો ઉઠાવ્યા હતા. બરોડા ક્રિકેટનું સ્તર નીચું જઈ રહ્યું હોવાની વાત કરી ઈરફાન પઠાણે કહ્યું કે, બરોડા ક્રિકેટના કોચ અફઘાનિસ્તન જઈ કોચિંગ કરી રહ્યા છે પણ અહીં તેમને રિસ્પેક્ટ મળતી નથી. બરોડા ક્રિકેટમાં હામાં હા કરનારાઓને જ જોબ મળે છે. ઈરફાન પઠાણનો આ વીડિયો રોયલ સત્યમેવ જયતેના ગ્રુપમાં શેર કરાતા ક્રિકેટ પોલિટિક્સમાં ગરમાવો આવ્યો છે. બરોડાના ક્રિકેટના નીચે જઈ રહેલા સ્તરને લઈ ચિંતા વ્યકત કરીઈરફાન પઠાણે જણાવ્યું હતું કે. હાલમાં બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર હાલમાં નીચે જઈ રહ્યું છે. બરોડા ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ મોટો અને ગૌરવપૂર્ણ છે. અહીંથી ઘણા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ કમાયું છે. તેઓ પોતે પણ બરોડા ક્રિકેટના કારણે જ તેઓને માન-સન્માન મળ્યા છે. તેમણે કહ્યું કે જો BCA ન હોત તો તેઓ પણ આજે જે સ્થાને છે તે સ્થાને ન હોત. સિલેક્ટરની પસંદગીને લઈ ઈરફાને સવાલ ઉઠાવ્યોવધુમાં કહ્યું કે, CIC કમિટીના સભ્ય તરીકે તેમણે કોઈ આર્થિક અપેક્ષા વિના સેવા આપી હતી. કલાકો સુધી કોચના ઇન્ટરવ્યુ લીધા અને ઈમેલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું કારણ કે તેઓ ઈચ્છતા હતા કે બરોડા ક્રિકેટ વધુ સારું બને. આવનારા સમયમાં ક્રિકેટનું સ્તર સુધરે તે માટે સારા સભ્યો અને હોદ્દેદારોની જરૂર છે. હાલમાં ટીમ ક્વોલિફાય પણ નથી કરી શકતી અને ખેલાડીઓ આગળ વધી રહ્યા નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે જે ખેલાડી માત્ર 6-7 રણજી મેચ રમ્યો હોય અને તે ચેરમેન બને તો તે કોઈના પ્રભાવ હેઠળ કામ કરી શકે છે. પરંતુ વધુ અનુભવી ખેલાડી સિલેક્ટર બને તો તે સ્વતંત્ર રીતે વિચારી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી BCAમાં આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે દુઃખદ છે. બરોડાના કોચ અફઘાનિસ્તમાં કોચિંગ આપે છે પણ અહીં સન્માન મળતું નથી- ઈરફાન પઠાણવધુમાં કહ્યું કે, વર્ષ 2018-19માં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ માટે કરેલા કામનો ઉલ્લેખ કર્યો હતો. જેના પરિણામે આજે તેમના ખેલાડીઓ સેમીફાઈનલ રમે છે, IPLમાં પસંદ થાય છે અને સારું પ્રદર્શન કરે છે. તેઓ બરોડામાં પણ આવું જ કરવા માંગતા હતા. વડોદરાના ઘણા કોચ અફઘાનિસ્તાન જેવી ટીમો સાથે કામ કરે છે, પરંતુ અહીં તેમને પૂરતું સન્માન મળતું નથી. અહીં એવું વાતાવરણ છે કે ભલે 100 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યા હોય, પણ 'હા માં હા' કહેવા વાળાને જ નોકરી મળે છે. આ સ્થિતિ બદલવાની જરૂર છે અને તેની જવાબદારી મતદારો તથા સભ્યોની છે. મતદારોને રવિવારે યોજાનારી ચૂંટણીમાં સૂઝબૂઝથી મતદાન કરવા અપીલઅંતમાં તેમણે કહ્યું કે બરોડા ક્રિકેટ તેમના હૃદયની ખૂબ નજીક છે અને તેઓ ઈચ્છે છે કે તે પ્રગતિ કરે. આગામી ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં મતદારોએ ખૂબ જ સમજદારી અને સૂઝબૂઝથી મતદાન કરવું જોઈએ, કારણ કે તેમના પર મોટી જવાબદારી છે. BCAના ચૂંટણી જંગમાં રિવાઈવલ ગ્રુપ વર્સિસ RSJMનો જંગવડોદરામાં આવતીકાલે BCAની ચૂંટણી આવતી કાલે યોજવા જઈ રહી છે, ત્યારે રિવાઇલગ્રુપ સામે હાલમાં રોયલ અને સત્યની ગ્રુપ એકસાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. રિવાઇવલ અને રોયલ ગ્રુપ અગાઉ એકસાથે ભેગા થઈ ચૂંટણી લડ્યા હતા પરંતુ આ વખતે નવો પક્ષ આવતા સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કર અને રોયલ ગ્રુપ માં મહારાજા સત્યજીતસિંહ ગાયકવાડ મળી હવે તેઓ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને હાલના બીસીએ પ્રમુખ પ્રણવ અમીન સામે લડી રહ્યા છે. ત્યારે આ મામલે ઈરફાેન પઠાણે નિવેદન આપતા ચૂંટણી પૂર્વે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સમાચાર પણ વાંચોઃBCAની ચૂંટણી પહેલા બંને જૂથ વચ્ચે આક્ષેપબાજીઆગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને લઈને સૌ કોઈની નજર તેના પર જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થશે. વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે બંને ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આક્ષેપબાજી કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
મોડાસા તાલુકાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના કેળવવાનો હતો, ખાસ કરીને આધુનિક યુગમાં મોબાઇલના વધતા પ્રભાવ વચ્ચે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને કંકુ તિલક કરી વંદન કર્યા અને ચરણસ્પર્શ દ્વારા આદર વ્યક્ત કર્યો. આ ભાવુક ક્ષણોએ ઘણા વાલીઓની આંખોમાં ગર્વ અને આનંદના આંસુ લાવી દીધા હતા. વિદ્યાર્થીઓએ માતા-પિતાને સમર્પિત ગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું. ઉપસ્થિત સૌએ આ પ્રદર્શનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા માતા-પિતા અને સંતાન વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મોબાઇલના અતિશય ઉપયોગથી દૂર રહી અભ્યાસ, રમતગમત અને પરિવાર સાથે સમય વિતાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શાળા શિક્ષણની સાથે સંસ્કારના મૂલ્યોનું સિંચન કરવા સતત પ્રયત્નશીલ છે તે આ કાર્યક્રમથી સ્પષ્ટ થયું. કાર્યક્રમના સમાપ્તિએ વાલીઓએ શાળાના આચાર્ય મિનેશ પંચાલ અને સમગ્ર શિક્ષકગણની પ્રશંસા કરી હતી. તેમણે આવી મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ યોજવા બદલ શાળાનો આભાર માન્યો હતો. મોડાસાની પીએમ શ્રી સાકરીયા પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ સંસ્કાર, સંવેદના અને પારિવારિક મૂલ્યોને પ્રોત્સાહન આપતો એક મહત્વપૂર્ણ સંદેશ બની રહ્યો.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખા દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે વેલેન્ટાઈન ડેની ઉજવણી એક અત્યંત અનોખી અને માનવીય રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ દિવસ સામાન્ય રીતે અંગત પ્રેમની અભિવ્યક્તિનો હોય છે, પરંતુ રેડ ક્રોસ દ્વારા તેને સામાજિક જવાબદારી સાથે જોડીને શહેરીજનોને એક નવી રાહ ચીંધવામાં આવી છે. થેલેસીમિયા પીડિત બાળકો માટે વિશેષ ભેટ રેડ ક્રોસ દ્વારા અમદાવાદના શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ વેલેન્ટાઈન ડેના પવિત્ર દિવસે રક્તદાન કરે, જેથી તેમનું રક્ત થેલેસીમિયા મેજરની ગંભીર બીમારીથી પીડાતા બાળકોને ગિફ્ટ તરીકે મળી શકે. સામાન્ય રીતે આ દિવસે લોકો પોતાના પ્રિય પાત્રોને રોઝ, ચોકલેટ કે રિંગ જેવી મોંઘી ભેટ આપતા હોય છે, પરંતુ તેના બદલે રક્તનું દાન કરીને કોઈનું જીવન બચાવવાની આ પહેલને લોકોએ દિલથી સ્વીકારી છે.અમદાવાદની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ રેડ ક્રોસ અમદાવાદના આ અનોખા પ્રયાસને શહેરની જનતાએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અત્યાર સુધીમાં 100 થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક આગળ આવીને રક્તદાન કરવાની તૈયારી બતાવી છે. આ રક્તદાતાઓએ થેલેસીમિયા પીડિત બાળકોને બ્લડ યુનિટ વેલેન્ટાઈન ડેની ગિફ્ટ તરીકે આપવાની સુંદર શરૂઆત કરી છે. રક્તદાતાઓનો આભાર અને સન્માન રેડ ક્રોસ અમદાવાદ દ્વારા આ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના અંગત સુખને બાજુ પર રાખીને આ માનવીય અભિયાનમાં જોડાવા બદલ અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોના જીવનમાં નવી આશા જગાડવા બદલ સંસ્થાએ રક્તદાતાઓની આ અનોખી ભેટની સરાહના કરી છે.
લિંબાયત વિસ્તારમાં સતત વધી રહેલી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે બાતમીદારોની મદદથી ઘરફોડના બે મહત્વના ગુનાઓ ઉકેલી નાખ્યા છે. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના એક રીઢા તસ્કરને કુલ રૂપિયા 10,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો. શું છે સમગ્ર ઘટના?લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓને શોધવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પી.આઈ. એન.કે. કામળીયા અને સેકન્ડ પી.આઈ. સી.એસ. ઘોકડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોના 50થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લિંબાયતના શાહપુરા સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા માવીયા ઉર્ફે મુસ્તાક શાહ (ઉં.વ. 29) ને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છેDCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોના ચાંદી અને અન્ય વસ્તુ આશરે 10 લાખ જેટલી મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હોય ત્યારે આરોપીએ રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસની ટીમ તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે. ઝડપાયેલો આરોપી માવીયા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ (ધુલિયા) જિલ્લાના ઈસ્લામપુરાનો રહેવાસી છે અને હાલ લિંબાયતમાં રહેતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ લિંબાયત પોલીસ મથકમાં તેમજ વલસાડના વાપી રેલ્વે પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કરોડોના દાગીના અને મુદ્દામાલ જપ્તપોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાં સોનાના દાગીના 165.25 ગ્રામ કિંમત આશરે 9,94,000 જેમાં 24 કેરેટ સોનાના બિસ્કિટ, સોનાની વીંટી, હાર, નથણી, બુટ્ટી અને ટીકાનો સમાવેશ થાય છે. આ સાથે 126.00 ગ્રામ ચાંદીના ઝાંઝર અને OPPO કંપનીનો સ્માર્ટફોન રિકવર કરવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટના 8 ટ્રસ્ટીઓ અને મહેતા, વોરા તથા શાહ પરિવારના પ્રતિનિધિઓએ ટ્રસ્ટ પર લાગેલા આરોપોનો સચોટ જવાબ આપ્યો હતો. ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, અંકિત શ્રેણિકભાઈ મહેતા (જેઓ પાસા હેઠળ 19 માસની સજા ભોગવી ચૂક્યા છે) અને જયેશભાઈ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસને કારણે ગત વર્ષે જ સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓ હવે ખોટી ઓળખ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સોનાની ચોરીના આરોપો પાયાવિહોણા ટ્રસ્ટ પર લગાવવામાં આવેલા 65 કિલો સોનાની હેરાફેરીના આરોપને ફગાવતા ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, મંદિરના સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના કાયદેસરના ટેક્સપેઇડ બિલો ઉપલબ્ધ છે. વર્ષ 2017 થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટમાં આ તમામ વિગતો નોંધાયેલી છે. લેબોરેટરી ટેસ્ટિંગ અંગે સ્પષ્ટતા કરી કે લેબ રિપોર્ટ સોનાની શુદ્ધતા નક્કી કરે છે, વજન નહીં. વધુમાં, લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓની ચાવીઓ અનિવાર્ય હોવાથી કોઈ એક વ્યક્તિ દ્વારા દાગીનાની ચોરી શક્ય જ નથી. ભૂતકાળની ગેરરીતિઓનો ઘટસ્ફોટ પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે વર્ષ 2012માં પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતા કમિશન લેતા પકડાતા તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ, તેમના સંબંધી સુનિલભાઈ મહેતાએ વેરભાવમાં 65 કિલો સોનાની ચોરીની ખોટી અરજી માણસા પોલીસમાં કરી હતી, જે તપાસ બાદ રદ થઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2023માં નિલેશ મહેતા અને સુનિલ મહેતા (અંકિત અને જયેશ મહેતાના કુટુંબીઓ) મંદિરના ભંડારમાંથી ચોરી કરતા CCTVમાં કેદ થયા હતા, જેમને તાત્કાલિક અસરથી દૂર કરાયા હતા. આ કાર્યવાહીનો બદલો લેવા જ હાલમાં પાયાવિહોણા આરોપો થઈ રહ્યા છે. ટ્રસ્ટીઓની નિયુક્તિ અને મિલકતો અંગે ખુલાસો હાલના ટ્રસ્ટીઓની નિમણૂક ગેરકાયદે હોવાના દાવા સામે વર્ષ 2002 થી 2020 સુધીના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં ખુદ અંકિત અને જયેશ મહેતાની સમર્થનરૂપ સહીઓ છે. અમદાવાદમાં ખરીદાયેલી પ્રોપર્ટી અંગે ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું કે, આ મિલકતો જૈન સાધુ-સાધ્વીજીઓના વિહાર અને આરામ માટે ટ્રસ્ટના નામે જ ખરીદાઈ છે. તેનો ઉપયોગ કોઈ ટ્રસ્ટીના અંગત ફાયદા માટે થતો નથી. ટ્રસ્ટનો જાહેર પડકાર અંતમાં, ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ વિશ્વાસ અપાવ્યો કે ટ્રસ્ટ પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધ છે. તેમણે જાહેર પડકાર ફેંક્યો કે જો ટ્રસ્ટ દ્વારા 1 ગ્રામ સોનાની પણ ઉચાપત સાબિત થશે, તો તમામ ટ્રસ્ટીઓ સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે. મહુડી તીર્થ અને ઘંટકર્ણ મહાવીર પ્રભુ પ્રત્યેની ભક્તોની શ્રદ્ધા અડગ રહે તે માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે.
ભરૂચના પાંચબત્તી સર્કલનું લોકાર્પણ:₹32 લાખના ખર્ચે તૈયાર, મંત્રી ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન
ભરૂચ શહેરમાં પાંચબત્તી સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પી.પી. સાવાણી યુનિવર્સિટીના સહયોગથી આ સર્કલ અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે. રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું હતું. આ સર્કલને પાંચ ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંકી માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી છે. આનાથી નાગરિકો અને પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્ત્વ વિશે જાણકારી મળશે. ઇતિહાસ મુજબ, અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા. તે સમયથી આ સ્થળ પંચબત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું. હવે ભરૂચ નગરપાલિકા અને પી.પી. સાવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સર્કલમાં ચંદ્રયાન અને વિદ્યાર્થીઓ માટે પ્રતીકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પી.પી. સાવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી. આવનારા સમયમાં શહેરના અન્ય સર્કલો પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે. તેમજ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે.
બોટાદમાં શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી લોકોને ઓનલાઈન છેતરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. બોટાદ ટાઉન પોલીસે ગઢડા રોડ પરથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી ઠાકોર, વિશાલજી સરદારજી ઠાકોર, રણજીતજી અરવિંદજી ઠાકોર અને કિરણજી ઉમેદજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તેમને અર્ટીગા કારમાં બેઠેલા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ 'માર્કેટ પલ્સ' નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ શરૂઆતમાં રોકાણકારોને નફો બતાવી વિશ્વાસ જીતતા હતા. બાદમાં, ખોટી પીડીએફ મોકલી રોકાણમાં નુકસાન થયું હોવાનું દર્શાવી સંપર્ક તોડી નાખતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વીવો, સેમસંગ, રીઅલમી અને લાવા કંપનીના મોબાઈલ ફોન તેમજ ડમી સિમકાર્ડ જપ્ત કર્યા છે. બોટાદ ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ LCB PI એમ. એમ. જાડેજાને સોંપી છે. LCB પોલીસે આ ઠગાઈ કેટલા સમયથી ચાલતી હતી, કેટલા લોકો ભોગ બન્યા છે અને 'માર્કેટ પલ્સ' એપની સંપૂર્ણ કાર્યપ્રણાલી શું હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હિંમતનગરના કલાકારે સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરે રંગોળી દ્વારા શિવજીની ભવ્ય પ્રતિમા બનાવી છે. હાથમતી નદી કિનારે આવેલા આ મંદિરમાં આવતીકાલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન દર્શનાર્થીઓ આ રંગોળી નિહાળી શકશે. હિંમતનગરના રામનગરમાં રહેતા કલાકાર હિતેશ પંચાલે આ રંગોળી તૈયાર કરી છે. તેમણે મંદિર પરિસરમાં 8 ફૂટ પહોળાઈ અને 10 ફૂટ લંબાઈમાં માટીનું લીપણ કરીને ચિત્રની આઉટલાઈન બનાવી હતી. આ રંગોળીમાં શિવલિંગ પાછળ મહાદેવના પ્રાગટ્યનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. હિતેશ પંચાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રંગોળી બનાવવામાં તેમને બે દિવસમાં 10 કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમણે લાલ, વાદળી, પીળો, નારંગી, કથ્થાઈ, કાળો, સફેદ અને લીલો સહિત આઠ અલગ-અલગ રંગોના 14 કિલોથી વધુ જથ્થાનો ઉપયોગ કર્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ હિરાભાઈ ગોકળભાઈ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મોટા સખપર ગામના મકવાણાએ પ્રમુખ તેમજ ડાયરેક્ટર બંને પદ છોડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિરાભાઈ મકવાણાએ પોતાનું રાજીનામું ખરીદ વેચાણ સંઘના મેનેજરને સુપરત કર્યું હતું. રાજીનામા પત્રમાં અને ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે નાદુરસ્ત તબિયતને રાજીનામાનું કારણ જણાવ્યું છે. નોંધનીય છે કે પ્રમુખ તરીકે તેમની મુદત પૂર્ણ થવામાં હજુ આશરે ૧૦ મહિનાનો સમય બાકી હતો. આ સંજોગોમાં અચાનક રાજીનામું આપવાથી સહકાર ક્ષેત્રના રાજકારણમાં અનેક તર્કવિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ છે. સહકાર વિભાગ સાથે સંકળાયેલા વર્તુળોમાં આ નિર્ણય પાછળ અન્ય કોઈ આંતરિક કારણો હોવાની શક્યતા અંગે ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક સહકારી રાજકારણમાં આ ઘટનાને એક મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આગામી સમયમાં સંઘના નવા પ્રમુખની પસંદગી કઈ રીતે અને ક્યારે થશે, તે અંગે સભ્યો અને ખેડૂત વર્ગમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
ગોધરામાં MGVCL 70 લાખના બાકી વીજ બિલ વસૂલશે:પશ્ચિમ વિસ્તારમાં 47 ટીમો દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં બાકી વીજ બિલની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ સામૂહિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગોધરા પશ્ચિમ સબ-ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં કુલ ₹70 લાખનું વીજ બિલ બાકી છે. આ મોટી રકમની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે MGVCL દ્વારા 47 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ઘરે-ઘરે અને વ્યાપારી એકમો પર જઈને બાકી વીજ બિલની વસૂલાત કરી રહી છે. આ ઝુંબેશમાં મુસ્લિમ A અને B સોસાયટી, ગેની પ્લોટ, સિંગલ ફળિયા, ચેતનદાસ પ્લોટ, મેદા પ્લોટ, વ્હોરવાડ વિસ્તાર, ગોંદરા, નદીપાર, હિલપાર્ક અને મન્સુરી સોસાયટી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
14 ફેબ્રઆરી…આ તારીખ લગભગ દરેક લોકોને યાદ હશે. કારણ કે આજે છે પ્રેમનો દિવસ અને વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કે વેલેન્ટાઇ ડે…આજે પણ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું. અમે અમદાવાદીઓને પૂછ્યું કે આખુ વીક અને ખાસ કરીને વેલન્ટાઇન ડે કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો. સવાલ સાંભળતા જ કેટલાક શરમાયા તો કેટલાક હરખાયા તો કેટલાક તો બિન્દાસ્ત રિલેશનશીપ વિશે મન ખોલીને બોલ્યા. વેલન્ટાઇન ડે પર અમદાવાદીઓ કેવી રીતે શરમાયા જોવા માટે તસવીર પર ક્લિક કરો.
જામનગરમાં શહેરના પ્રથમ સિક્સ લેન રોડનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું. આ રોડ ઓશવાળ સેન્ટર (પાયલોટ બંગલો) થી દિગ્જામ સર્કલ સુધી રૂ. 15.02 કરોડના ખર્ચે બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખોડીયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર અને ફરજ પરના અધિકારીઓને ગુણવત્તામાં કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શહેરી વિકાસ માટે આટલું મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે કામ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે થવું જોઈએ. મંત્રી જાડેજાએ ઉલ્લેખ કર્યો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુણવત્તામાં કોઈ સમાધાન ન કરવા માટે કડક સૂચનાઓ આપી છે. ચોમાસા દરમિયાન રોડની સ્થિતિ અંગેની સામાન્ય જાણકારીને ધ્યાનમાં રાખીને, તેમણે સમયસર અને મજબૂત બાંધકામ પર ભાર મૂક્યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, અન્ય નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત, પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીના હાલના ફોરલેન રોડની પહોળાઈ બંને બાજુ 7.50 મીટરથી વધારીને 11.50 મીટર કરવામાં આવશે. આનાથી ભારે વાહનો, મધ્યમ અને નાના ટુ-વ્હીલર વાહનોને તેમની સમર્પિત લેન મળશે, જેનાથી પરિવહન સરળ બનશે. રાહદારીઓની સલામતી માટે બંને બાજુ અલગથી ફૂટપાથની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં પાઈપલાઈન, કેબલ અને ગેસ જેવી અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝ માટે બંને બાજુ યુટિલિટી ડક્ટ (આર.સી.સી.) નું આયોજન કરાયું છે, જેથી રોડને વારંવાર થતું નુકસાન અટકાવી શકાય. વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવવામાં આવશે. સિક્સ લેન રોડમાં સમાવિષ્ટ મુખ્ય સુવિધાઓમાં 11.50 મીટરનો મેઈન કેરેજ-વે (બંને બાજુ), 1.00 મીટર પહોળો સેન્ટ્રલ લાઈટિંગ ડિવાઈડર, 1.50 મીટરના યુટિલિટી ડક્ટ (બંને બાજુ), યુટિલિટી ડક્ટ ઉપર 1.50 મીટરના ફૂટપાથ (રાહદારીઓ માટે), 4.50 મીટરના સર્વિસ રોડ/પાર્કિંગ (બંને બાજુ), આઈલેન્ડ ડેવલપમેન્ટ, રોડ માર્કિંગ, સાઈનેજીસ, રોડ ફર્નિચર અને સેન્ટ્રલ લાઈટિંગનો સમાવેશ થાય છે.
હિંમતનગરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે યોજાયેલી આ રેલી નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ પેરામિલેટ્રી સંગઠન દ્વારા યોજાઈ હતી. આ રેલી શહેરના બસ સ્ટેન્ડથી શરૂ થઈ ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલના પરિસરમાં સભામાં પરિવર્તિત થઈ હતી. આ રેલી 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પેરામિલેટ્રી ફોર્સના જવાનોને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન દેશભક્તિના ગીતો અને નારા ગુંજી ઉઠ્યા હતા. રેલીના માર્ગ પર આવતી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને ટાવર ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા પૂર્વ જવાનો અને તેમના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પેરામિલેટ્રી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, શહીદ જવાનોને યોગ્ય દરજ્જો આપવા અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ ઉઠાવવામાં આવી હતી.
સોલામાં કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા નોકરી મેળો:41 કંપનીઓ જોડાઈ, 400થી વધુ યુવાનોએ નોંધણી કરાવી
શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સોલા ખાતે નોકરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોલા સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ ખાતે યોજાયો હતો. આ નોકરી મેળામાં 41થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. રોજગારની શોધમાં રહેલા 400થી વધુ યુવાનોએ આ મેળામાં નોંધણી કરાવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો અને તેમને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. યુવા સંગઠન દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સમાજના વડીલો અને સભ્યો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
હત્યા કેસનો દોઢ વર્ષથી ફરાર આરોપી પકડાયો:અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતથી ઝડપી ભાવનગર જેલ મોકલ્યો
અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર કાચા કામના કેદી મુકેશ અરજણભાઈ પરમારને સુરતથી ઝડપી પાડ્યો છે. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ભાવનગર જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવશે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 અને 326 હેઠળ નોંધાયેલા હત્યાના ગુનામાં 43 વર્ષીય મુકેશ પરમાર ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશથી તેને 28 જૂન 2024 થી 16 જુલાઈ 2024 સુધી વચગાળાની જામીન રજા મળી હતી. રજા પૂર્ણ થયા બાદ તે સમયસર જેલ ખાતે હાજર ન થતાં 16 જુલાઈ 2024 થી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પેરોલ ફર્લો ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની હરકતો પર સતત નજર રાખી હતી. તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે તેની પત્ની અને સંતાનો સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. કેદી પરિવારને મળવા આવવાનો હોવાની ખાનગી માહિતી મળતાં ટીમ તાત્કાલિક સુરત રવાના થઈ હતી. પુણાગામ, બાપા સીતારામ સોસાયટી, શાક માર્કેટ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી મુકેશ અરજણભાઈ પરમાર (હાલ રહેવાસી ગીરીરાજ વ્રજભૂમિ, સેક્ટર-2, વરાછા જકાતનાકા, સુરત) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પીઆઇ એ.ડી. ચાવડા એલ.સી.બી. અમરેલીના માર્ગદર્શન હેઠળ PSI એન.જી. સાપરા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ, એ.એસ.આઇ. એ.એમ. સોલંકી તથા સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. દોઢ વર્ષથી ફરાર રહેલા હત્યાના ગુનાના કેદીની ધરપકડ અમરેલી પેરોલ ફર્લો ટીમ માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે.
ઝીંઝુવાડા ગામની કન્યાશાળા અને પે. સે. શાળામાં શિક્ષકોની ભારે ઘટને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ અંગે વિદ્યાર્થીઓએ ગામના સરપંચ હરીભા ઝાલાને રૂબરૂ રજૂઆત કરી હતી. સરપંચે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી છે. ઝીંઝુવાડા કન્યાશાળામાં બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીમાં કુલ 373 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિલ્લા આંતરિક બદલી કેમ્પના કારણે આ શાળામાંથી ચાર શિક્ષકોની બદલી થઈ હતી, જેનાથી ચાર જગ્યાઓ ખાલી પડી હતી. 3 ફેબ્રુઆરી, 2026ના રોજ બે નવા જ્ઞાન સહાયક આવ્યા હોવા છતાં, હજુ પણ બે શિક્ષકોની જગ્યા ખાલી છે. વધુમાં, હાજર ચાર શિક્ષકોમાંથી એક શિક્ષક રણમાં ભણાવવા જાય છે. શાળામાં HTAT આચાર્ય પણ ન હોવાથી, વિષય શિક્ષકને આચાર્યનો ચાર્જ સંભાળવો પડે છે, જેનાથી શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર થાય છે. ગ્રામજનો પણ શિક્ષકોની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શ્રી કન્યાશાળા ઝીંઝુવાડામાં ખાલી રહેલી બે જગ્યાઓ પર તાત્કાલિક જ્ઞાન સહાયકની ભરતી કરવા અને HTAT આચાર્યની નિમણૂક કરવા માટે SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, શ્રી પે. સે. શાળા ઝીંઝુવાડામાં બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીમાં કુલ 379 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ 1 થી 5 માંથી જિલ્લા આંતરિક બદલી કેમ્પના કારણે બે શિક્ષકોની બદલી થઈ હતી અને એક જ્ઞાન સહાયકે રાજીનામું આપ્યું હતું, જેના પરિણામે કુલ ત્રણ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ શિક્ષકોની ઘટને કારણે શાળામાં બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શ્રી પે. સે. શાળા, ઝીંઝુવાડામાં ખાલી રહેલી ત્રણ જગ્યાઓ પર તાત્કાલિક જ્ઞાન સહાયકની ભરતી કરવાની જરૂર છે. આ માટે પણ SMCની બેઠક બોલાવીને ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ, ઝીંઝુવાડાના સરપંચ હરીભા ઝાલા તાત્કાલિક કન્યાશાળા પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સરપંચ હરીભા ઝાલાએ જણાવ્યું હતું કે, ઝીંઝુવાડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવશે.
ગોધરા શહેરમાં ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાના નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શહેરના જાફરાબાદ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનનારા બોક્ષ કલવર્ટના કામનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું. જાફરાબાદ સ્થિત આનંદ નગરથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની અને અવરજવરની મુશ્કેલીઓ હતી. આ સમસ્યાના નિરાકરણ માટે નવું બોક્ષ કલવર્ટ બનાવવાનું આયોજન કરાયું છે. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ શ્રીફળ વધેરી આ કામગીરીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિક રહીશોને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉપરાંત, વાહનવ્યવહાર પણ વધુ સરળ બનશે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ આ તકે સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
મોરબીમાં વેલેન્ટાઈન ડે પર માતા-પિતા પૂજન:ભારતીય સંસ્કૃતિના જતન માટે સાર્થક વિદ્યામંદિરનો પ્રયાસ
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના રોજ માતા-પિતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવાના પ્રયાસરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે 50 જેટલા વાલીઓ, શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને માતા-પિતા પૂજનનું મહત્વ સમજાવી ભારતીય સંસ્કૃતિનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી 25 ડિસેમ્બર, નાતાલના દિવસે તુલસી પૂજનનો કાર્યક્રમ પણ યોજાય છે. સાર્થક વિદ્યામંદિરની આ પહેલથી પ્રેરણા લઈને મોરબીની અન્ય ઘણી શાળાઓમાં પણ નાતાલના દિવસે તુલસી પૂજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, આવા નાના પ્રયાસો બાળકોને પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રાખી ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ આપી શકે છે.
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગાગડીયા નદી પરના બ્રિજ અને માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં વિપક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ ગોયાણીએ ભાજપના સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયાનું વિકાસના કાર્યોને બિરદાવી સન્માન કર્યું હતું. લાઠી શહેરમાં વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રૂ. 7 કરોડના ખર્ચે માર્ગો અને રૂ. 1.41 કરોડના ખર્ચે બ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા અને સ્થાનિક હોદ્દેદારો સહિત ભાજપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ ગોયાણીની હાજરી પણ સૂચક રહી હતી. ભાજપના પ્રતિનિધિઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે વિપક્ષમાંથી કોંગ્રેસના પ્રમુખ સુરેશ ગોયાણીએ જાહેરમાં ધારાસભ્ય જનક તળાવિયાનું સન્માન કરતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી હતી. આ સન્માન અંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે, લાગશે વાર પણ આવશે મજા. તેમણે ઉમેર્યું કે, લાઠી શહેરમાં વર્ષોથી બ્રિજની જરૂરિયાત હતી. આજે બ્રિજનું ખાતમુહૂર્ત થતા લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખે મારું સન્માન કર્યું છે, કદાચ તેમને પણ વિકાસના કાર્યની ખુશી થઈ હશે, જે પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમને દેખાયું ન હતું.
રાજકોટ જિલ્લામાં 10 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ જિલ્લાના 1 થી 19 વર્ષની વયના કુલ 4,63,968 બાળકોના લક્ષ્યાંક સામે 4,56,852 બાળકોને સફળતાપૂર્વક કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી છે. જિલ્લાના 12 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 12 અર્બન હેલ્થ સેન્ટરો અને 348 સબસેન્ટરો હેઠળના 605 ગામોમાં આ કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ યોજાશે મોપ-અપ રાઉન્ડ જે બાળકો પ્રથમ તબક્કામાં ગોળી લેવાથી વંચિત રહી ગયા છે, તેમના માટે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મોપ-અપ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે આરોગ્યની ટીમો દરેક ગામમાં ઘરે-ઘરે જઈને ખાતરી કરશે કે કોઈ બાળક બાકી ન રહી જાય. જો કોઈ બાળક બાકી જણાશે, તો તેને સ્થળ પર જ કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવશે. સામાન્ય બીમાર હોય કે અગાઉ ગોળી લીધી હોય તેવા બાળકોને પણ આ દિવસે ગોળી લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લામાં પત્રિકા વિતરણ, પોસ્ટર અને બેનર ડિસ્પ્લે દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ ગ્રુપ મીટિંગ, રોલ પ્લે, કાઉન્સેલિંગ સેશન અને શોર્ટ ફિલ્મો બતાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંતરિયાળ અને વાડી વિસ્તારો માટે ખાસ મોબાઈલ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. કૃમિનાશક ગોળીનું મહત્વ બાળકોમાં કૃમિના ચેપને કારણે લોહીની ઉણપ, કુપોષણ, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો અને વજન ઘટવા જેવી હાનિકારક અસરો જોવા મળે છે. આ સમસ્યા સામે રક્ષણ આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષમાં બે વખત કૃમિનાશક ટેબલેટ આપવામાં આવે છે. આ સમગ્ર કામગીરી જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે
નવસારીના વાંસદામાં ભાજપ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમ પૂર્વે એક વિશાળ રેલી નીકળી હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ રેલીને કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદામાં ભાજપના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. રેલીનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અરવિંદ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 'જય જોહાર'ના નાદ સાથે વાંસદા ગુંજી ઉઠ્યું હતું. વાંસદાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી ગાંધી મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં તે એક વિશાળ જનસભામાં પરિવર્તિત થઈ. આ સંમેલનમાં નવનિયુક્ત ત્રણ આદિવાસી નેતાઓનું સમાજ અને પક્ષ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સંમેલનના સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત આદિવાસી વાનગીઓ, પહેરવેશ અને લોકનૃત્યોની પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. રેલી દરમિયાન પણ પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારા અને ડીજેની ધૂન પર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને કાર્યકરો જોડાયા હતા.
દીકરાની લાલચમાં કેનેડાના PR ધરાવતા ગુજરાતી યુવકે પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજકોટના ગોંડલ પંથકની મહિલાના લગ્ન વર્ષ 2010માં મોરબી રહેતા યુવક સાથે થયા હતા. આ પછી સંતાનમાં એક દીકરી આવ્યા બાદ બીજા સંતાનમાં દીકરાની લાલચમાં પત્નીને ગર્ભમાં દીકરી છે કે દીકરો તેના માટે વર્ષ 2018માં ગર્ભપરીક્ષણ કરાવી અને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત પણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે જેમાં એક વખત વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ઝબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2025માં IVF કરાવવા માટે થાઈલેન્ડ બે વખત લઇ જવામાં આવી અને ત્યાં પણ મારકૂટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જો કે અંતે કંટાળી હિંમત દાખવી મહિલાએ બનાવ અંગે પરિવારને જાણ કરી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હર્ષદ કડીવાર, સાસુ ચંપાબેન કડીવાર, અને જેઠ જીજ્ઞેશ કડીવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આજ દિવસ સુધી સમાજમાં આબરૂ જવાના ડરથી અને દીકરીના ભવિષ્યનું વિચારી 13 વર્ષ સુધી દુઃખ ત્રાસ સહન કર્યો હોવાનું જણાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી પતિ વિરુધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે બેટી બચાવોની વાતો થાય છે પણ પૈસા લઇ ગર્ભપાત કરતા તબીબો સામે કડક કાર્યવાહી અને કડક કાયદા બનાવવામાં આવે તેવી પણ માંગ ભોગબનનાર મહિલા દ્વારા કરવામાં આવી છે. ફરિયાદી અભિલાષાબેન હર્ષદભાઈ કડીવારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલ મારા માવતરના ઘરે ગોંડલ રહુ છુ. મારે સંતાનમાં એક 12 વર્ષની દીકરી છે. મારા લગ્ન ગઇ તા.29.05.20210ના રોજ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર સાથે થયા છે. અમારા લગ્ન બાદ હું મારા સસરાના ઘરે સંયુક્ત પરીવારમાં રાજકોટ તથા મોરબી રહેતા હતી. અમારા લગ્ન જીવન બાદ આશરે બે વર્ષ સુધી અમારો ઘરસંસાર બરાબર ચાલેલ હતો ત્યારબાદ મારી દિકરીના જન્મ પછી મારા પતિ હર્ષદભાઈ તથા સાસુ ચંપાબેન મનજીભાઇ કડીવાર તથા મારા જેઠ જીજ્ઞેશભાઇ મનજીભાઈ કડીવાર મને અવાર નવાર કહેતા કે અમારા મોભા મુજબ તુ તારા બાપના ઘરેથી કરીયાવર લાવેલ નથી કહી મને મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપી મને મારા માતા પિતા સાથે ફોન ઉપર વાત ક રવા દેતા નહી અને મારા માતા-પિતા સાથે સંપર્ક રાખવા દેતા નહી. મારા સાસુ મને રસોઇ બાબતે તેમજ ઘરકામ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હતા તેમજ આ ત્રણે જણા મને અવાર નવાર ઘરકામ બાબતે મારો ખોટો વાંક કાઢી મને મારકુટ કરતા હતા. અમારા લગ્ન જીવન દરમિયાન મારે બે વખત ગર્ભ રહેલ હોય ત્યારે મારા પતિ તથા સાસુ અને જેઠ મળી મને ગર્ભપાત કરવાનુ કહેતા હું વિરોધ્ધ કરતી હતી તેમ છતા ત્રણેય જણાએ બે વખત ગર્ભપાત કરાવવા મજબુર કરી હતી. 2018માં ગર્ભપરીક્ષણ કરાવી અને ઝબરદસ્તી બે-બે વખત ગર્ભપાત પણ કરાવ્યું જેમાં એક વખત વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં ઝબરદસ્તી ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું. મારે સંતાનમાં દિકરી હોય અને મારો ઘરસંસાર તોડવો ન હોય અને મારા માતા પિતાની આબરૂ બચાવવા ત્રાસ સહન કરતી હતી. હું મારા પતિ હર્ષદભાઈ તથા મારી દિકરી એપ્રીલ 2022માં કેનેડા મારા પતિના ધંધા માટે જતા રહ્યા હતા. અને અમે કેનેડા રહેતા હતા ત્યારે મારા પતિ હર્ષદભાઇને નોનવેજ ખાવાની તથા દારૂ પીવાની કુટેવ હોય જેથી હું તેમને નોનવેઝ ખાવાની તથા દારૂ પવાની ના પાડતી તો પતિ મને કહેતા કે હું તારા બાપના પૈસાનો દારૂ નથી પીતો તેમ કહી મને મારકુટ કરતા હતા. દરમ્યાન મારા સસરાના શ્રાદ્વ વિધી માટે સપ્ટેમ્બર 2025માં અમે કેનેડાથી ભારત આવ્યા હતા અને એકાદ અઠવાડીયા પછી હું મારા પતિ તથા મારી દિકરી બધા બેંગકોક ગયા હતા ત્યાં પણ મારા પતિએ મને માર માર્યો હતો જેથી મે મારા મામાને મેસેજ કરી મદદ માંગી હતી. બીજા દિવસે અમે ફલાઇટમાં અમદાવાદ આવ્યા ત્યાં મારા મામા મને તથા દિકરીને તેના ઘરે લઇ ગયા હતા ત્યારે મે મારા ઉપર લોકોએ કરેલ ત્રાસની વાત કરી હતી અને ત્યાંથી હું તથા મારી દિકરી મારા માવતરના ઘરે આવતા રહ્યા છીએ ત્યારથી હું મારી દિકરી સાથે મારા માવતર ના ઘરે ગોંડલ રહુ છુ મારા ડોકયુમેન્ટ તથા મારા સોનાના તમામ દાગીના મારા પતિ પાસે છે જે મે મને આપવા વિનંતિ કરવા છતા મને આપ્યા નથી. હાલ મોરબી મહિલા પોલીસે પતિ સાસુ અને જેઠ વિરુધ્ધ BNS કલમ 85, 115(2), 54 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીકથી પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક રીક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે રીક્ષા અને દારૂ સહિત કુલ 3.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ફલ્લા હાઈવે રોડ પરથી એક રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના મનીષ યોગેશભાઈ મીનામા નામનો રીક્ષાચાલક GJ-11 U-2595 નંબરની રીક્ષા લઈને પસાર થતાં તેને અટકાવવામાં આવ્યો હતો. રીક્ષાની તલાશી લેતા તેમાંથી કુલ 144 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 3 લાખ રૂપિયાની કિંમતની CNG રીક્ષા અને 77,000 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મળી કુલ 3,77,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રીક્ષાચાલક મનીષ મીનામાની વધુ પૂછપરછ ચાલી રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે યોજાનાર લઘુ રુદ્રી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલા આ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે યજ્ઞ માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શિવરાત્રીના પાવન દિવસે લઘુ રુદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આવતીકાલે સવારે ૭ વાગ્યાથી સાંજ સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ યોજાશે. આ યજ્ઞમાં સ્થાનિક તેમજ બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે તેવી અપેક્ષા છે. મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક પ્રવચનો અને ભજન કાર્યક્રમ યોજાશે. મંદિર પરિસરમાં સજાવટ, યજ્ઞવેદીની ગોઠવણી, બેસવાની વ્યવસ્થા અને પ્રસાદ વિતરણ સહિતની તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. શિવરાત્રીના આ પાવન અવસરે ગઢડામાં ફરી એકવાર ધાર્મિક ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાયજ્ઞ અંગેની માહિતી મૌલિક ભગતે આપી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ આજે 14 ફેબ્રુઆરીના રોજ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે યુવા નેતા દર્શક ઠાકર, પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ કથીરિયા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. બ્રાહ્મણ, લેઉવા પાટીદાર અને ઓબીસી સમાજને મહામંત્રી પદરાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓના સંગઠનની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે આજે 14 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેર ભાજપ સંગઠન ટીમની જાહેરાત પ્રમુખ પ્રેરક શાહ દ્વારા કરવામાં આવી છે. સંગઠનની જાહેરાતમાં તમામ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રમુખ બાદ મુખ્ય હોદ્દામાં મહામંત્રી પદ આવે છે, જેમાં બ્રાહ્મણ, લેઉવા પાટીદાર અને ઓબીસી સમાજના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભામાંથી યુવા નેતા તરીકે દર્શક ઠાકરને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ લોકસભામાંથી અનુભવી તરીકે ગૌતમ કથીરિયા અને પશ્ચિમ લોકસભામાંથી જશુભાઈ ઠાકોરને જવાબદારી સોંપાઈ છે. બે મહિલા સહિત 8 ઉપપ્રમુખની નિમણૂકસંગઠનમાં 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. 8 મંત્રીઓમાં પાંચ જેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા મોરચાના પ્રમુખ તરીકે નંદિનીબેન પંડ્યા, મહામંત્રી તરીકે ચંદાબેન પટેલ અને નીકીબેન શાહના જવાબદારી આપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે કેતુ પટેલ અને મહામંત્રી તરીકે આકાશ ગેહલોત તેમજ મહર્ષિ પાઠકને જવાબદારી સોંપવામાં આવી છે. ગૌરાંગ પ્રજાપતિને બક્ષીપંચ મોરચાના પ્રમુખની જવાબદારીબક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે ફરજ બજાવતા ગૌરાંગ પ્રજાપતિને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે નીરજ ગજ્જર અને જીગર બારૈયાને નિમણૂક આપવામાં આવી છે. SC મોરચાના પ્રમુખ પજે ઉમંગ સરવૈયાઅનુસૂચિત મોરચાના પ્રમુખ તરીકે ઉમંગ સરવૈયા અને મહામંત્રી તરીકે બ્રિજેશ પરમાર અને સરજુ વાઘેલાને મૂકવામાં આવ્યા છે જ્યારે અનુસૂચિત જનજાતિના પ્રમુખ તરીકે સાબરમતી વોર્ડના કોર્પોરેટર રમેશ રાણા અને મહામંત્રી તરીકે રાજેશ ગટાર અને જયેશ પારધીની નિમણૂક કરાઈ છે પ્રવીણ જોગાણીને કિસાન મોરચાના પ્રમુખની જવાબદારી સોંપાઈકોષાધ્યક્ષ તરીકે તેજસ દેસાઈ કાર્યાલય મંત્રી તરીકે જીગ્નેશ જોરે અને સહ કાર્યાલય મંત્રી તરીકે અભય વ્યાસની નિમણુક કરાઇ છે. કિસાન મોરચાના પ્રમુખ તરીકે પ્રવીણ જોગાણી અને મહામંત્રી તરીકે ચંદ્ર દીપ સિંહ વાઘેલા તેમજ પોરસ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. નિલય શુકલની નિમણૂકસોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે ઝલકિત પટેલ અને સહ ઇનચાર્જ તરીકે યશ રાવલની નિમણૂક કરવામાં આવી છે. મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. નિલય શુકલ અને સહ ઇન્ચાર્જ તરીકે લીલાધર ખડકેને નિમણુક આપી છે.
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે ઓનલાઈન ટાસ્ક આપી લોકો સાથે 7.56 લાખની છેતરપિંડીની જાળમાં ફસાવતી ગેંગના એક મુખ્ય ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલ આરોપી સંજય મહેન્દ્રભાઈ પટેલ, બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હોવાનું બહાર આવ્યું છે. વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી લોકોને ફસાવતોમળતી માહિતી મુજબ મુજબ, વર્ષ 2023માં એક ફરિયાદીને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી 'દિલ્હી કિકસ્ટાર્ટર લિમિટેડ' અને 'અલીબાબા સબ્સ્ક્રિપ્શન બેનિફિટ્સ ગ્રુપ'ના નામે લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબ વીડિયો લાઈક કરવા, હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ આપવા જેવા સરળ ટાસ્ક આપી વિશ્વાસ જીત્યો હતો. 7.56 લાખની છેતરપિંડી કરીશરૂઆતમાં વળતર આપીને બાદમાં પ્રીમિયમ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 7,67,000 ભરાવ્યા હતાં. જેમાંથી માત્ર રૂ. 10,150 પરત કરી, બાકીના રૂ. 7,56,850 હડપ કરી લેતા સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદના નવા નરોડથી સંજય પટેલ ઝડપાયોસાયબર સેલની ટીમ ટેકનિકલ તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન અગાઉ 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા હતાં. જ્યારે સંજય પટેલ પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. પી.આઈ. એ.એમ. પરમાર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને નવા નરોડા, અમદાવાદ ખાતેથી 33 વર્ષીય સંજય મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 5.5% કમિશન મેળવતો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સંજય પટેલ એમ.કોમ. સુધી ભણેલો છે અને દલાલીનો વ્યવસાય કરે છે. તેણે અગાઉ પકડાયેલા આરોપી જયેશ કોરીનું એક્સિસ બેંકનું કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન માટે મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન પર તે 5.5% કમિશન મેળવતો હતો અને તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો.
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં અત્યારે મિની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો જામ્યો છે. ‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ની ભાવના સાથે ભવનાથના ખૂણે ખૂણેથી અત્યારે એક જ સાદ સંભળાય છે, ‘આવો બાપા, હરિહર કરતા જાઓ.’ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા બંધ રહેતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે તળેટીમાં અનેક અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે, જેમાં 'શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ' છેલ્લા છ દાયકાથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. છ જણાનું ભોજન હોવા છતાં સાધુના આશીર્વાદથી બાર જણા તૃપ્ત થયા: પ્રમુખઆ અન્નક્ષેત્રની શરૂઆત પાછળ એક પ્રેરણાદાયી ઇતિહાસ છુપાયેલો છે. ટ્રસ્ટના પ્રમુખ જાદવભાઈ કાકડીયા જણાવે છે કે, વર્ષ 1960માં જ્યારે તેમના વડીલો પ્રથમ વખત ગિરનારની પરિક્રમામાં આવ્યા હતા, ત્યારે એક સાધુના આશ્રમે ભોજન લીધું હતું. તે સમયે છ જણાનું ભોજન હોવા છતાં સાધુના આશીર્વાદથી બાર જણા તૃપ્ત થયા હતા. તે સાધુએ વડીલોને શીખ આપી હતી કે પરિક્રમામાં આવતા ભાવિકોની આંતરડી ઠારવી એ જ સાચી ભક્તિ છે. આ વાત હૈયે ધરીને વર્ષ 1961માં પરિક્રમામાં પ્રથમવાર અન્નક્ષેત્ર શરૂ કરાયું અને 1965થી આ સેવા અવિરત પણે શિવરાત્રી મેળામાં પણ શરૂ કરવામાં આવી. ‘350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહે છે’શરૂઆતમાં માત્ર રવો-ખીચડી જેવી સાદી વાનગીઓથી શરૂ થયેલો આ પ્રવાસ આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે અહીં 350થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં હાજર રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્વયંસેવકોમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ પણ છે, જેઓ પોતાના હોદ્દાને બાજુ પર મૂકીને ભાવિકોની થાળી પીરસવામાં અને વાસણ સાફ કરવામાં પણ ગર્વ અનુભવે છે. જાદવભાઈ કહે છે કે, હું જ્યારે માત્ર બે રૂપિયા કમાતો હતો ત્યારથી આ સેવામાં જોડાયેલો છું, આજે આ સેવાથી જ પરિવારમાં સુખ-શાંતિ છે. ‘ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ પીરસાય છે’ભોજનની ગુણવત્તા એવી છે કે ભક્તો તેને ફાઈવ સ્ટાર હોટલ સાથે સરખાવે છે. અહીં વપરાતો કાચો માલ સીધો દાતાઓ પાસેથી આવે છે. શુદ્ધ ઘીમાં બનેલા મિષ્ટાન અને સીંગતેલમાં બનેલા ફરસાણની સોડમ આખા મેળામાં પ્રસરેલી હોય છે. દરરોજ અલગ-અલગ વાનગીઓ પીરસાય છે, જેમાં લાડવા, મોહનથાળ, બુંદી, શિરો, ભજીયા, દાળ-ભાત, કઢી-ખીચડી, સંભારો અને રોટલીનો સમાવેશ થાય છે. ભોજનમાં દરરોજ 8થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે. ‘ઓટોમેટિક રોટલી મશીન એક કલાકમાં 6,000થી વધુ ગરમાગરમ રોટલીઓ તૈયાર કરે છે’પીરસવાની ક્ષમતા વધારવા માટે અહીં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. અન્નક્ષેત્રમાં કાર્યરત ઓટોમેટિક રોટલી મશીન એક કલાકમાં 6,000થી વધુ ગરમાગરમ રોટલીઓ તૈયાર કરે છે. તેમજ માત્ર અડધા કલાકમાં 100 કિલો નાયલોન ખમણ તૈયાર થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, દાળ-ભાત અને શાક જેવી પરંપરાગત વાનગીઓ તો આજે પણ મોટા ચુલાઓ પર જ રાંધવામાં આવે છે, જેથી તેનો સોડમ અને સ્વાદ જળવાઈ રહે. ‘અમે છેલ્લા 25 વર્ષથી અહીં જમવા આવીએ છીએ’મેળામાં આવતા મુલાકાતીઓ પણ આ સેવાથી અભિભૂત છે. ખાગેશ્રી ગામના રમાબેન મકવાણા અને ઉપલેટાના કંચનબેન જણાવે છે કે, અમે છેલ્લા 25 વર્ષથી અહીં જમવા આવીએ છીએ. ઘરે પાંચ મહેમાન આવે તો પણ આપણે થાકી જઈએ છીએ, પરંતુ આ લોકો લાખો ભાવિકોને કોઈ પણ જાતની અગવડ વગર અને હસતા મુખે ભોજન પીરસે છે તે ખરેખર વંદનીય છે. વહેલી સવારે નાસ્તામાં ગાંઠિયા, પૌવા, જલેબી અને ગરમાગરમ ચાથી શરૂ થતી આ સેવા મોડી રાત સુધી ચાલુ રહે છે. ‘શિવરાત્રીના પાંચ દિવસમાં અઢી લાખથી વધુ લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે’શ્રી આઈ ખોડીયાર રાસ મંડળ ટ્રસ્ટ દ્વારા માત્ર અન્ન જ નથી પીરસવામાં આવતું, પરંતુ સેવા, સમર્પણ અને સાચા માનવધર્મનો સંદેશ પણ ફેલાવવામાં આવે છે. શિવરાત્રીના પાંચ દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકો અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ પર ચાલતો આ અન્નકૂટ ભક્તિ અને સેવાના અનોખા ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો છે.
વેરાવળ ખાતે સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા શિક્ષણ જાગૃતિ અને વિદ્યાર્થી પ્રોત્સાહન માટે સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે આધુનિક પટણી કોમ્પ્યુટર સેન્ટર અને મોડર્ન લાઈબ્રેરીનો પણ પ્રારંભ કરાયો. સમારોહમાં ડીવાયએસપી કેડર સહિત વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા યુવાનોને સન્માનિત કરાયા. ધોરણ 9 થી પીએચડી સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન થયું. સમાજના પ્રમુખ અફઝલ પંજાએ એક રોટી ઓછી ખાઓ, પણ બાળકોને ભણાવો નો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષણને વર્તમાન સમયની સર્વોચ્ચ શક્તિ ગણાવી, વિદ્યાર્થીઓને મહેનત અને સંકલ્પથી આગળ વધવા પ્રેરણા આપી. નવું કોમ્પ્યુટર સેન્ટર યુવાનોને ડિજિટલ યુગ માટે તાલીમ આપશે. લાઈબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનશે. આ પ્રસંગે સમાજના આગેવાનો, નગરસેવકો, વેપારીઓ અને શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા. આ આયોજન દ્વારા સમાજની પ્રગતિ માટે શિક્ષણના મહત્વનો સંદેશ અપાયો. સન્માનિત વિદ્યાર્થીઓ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આ નવી પહેલ ભવિષ્યમાં વધુ અધિકારીઓ અને વિદ્વાનો તૈયાર કરશે તેવી આશા વ્યક્ત કરાઈ.
અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે ગાડી લઈને આવી રહેલા યુવકે કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી.ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત થયો હતો. સાસરીમાં પત્નીને લેવા જતો હતોગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી નામનો યુવક ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આકાશની પત્ની બારેજડી ખાતે પિયરમાં ગઈ હતી. 12 ફેબ્રુઆરીના રોજ આકાશ તેના ઘરેથી પિયર પત્નીને લેવા જઈ રહ્યો હતો. આકાશ પૂર ઝડપે એસન્ટ કાર લઈને વટવા જીઆઇડીસી રોડ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોતગાડી ઝાડ સાથે અથડાતા ગણતરીની સેકન્ડોમાં જ આકાશને ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર મોત થયું હતું. આકાશના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ધર્મ મુજબ આકાશને વેડા ગામ ખાતે ગઈકાલે સમાધિ આપવામાં આવી હતી. અકસ્માતમાં પરિવારે 24 વર્ષનો યુવાન દીકરો ગુમાવ્યો છે. સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં વેલેન્ટાઈન ડેના દિવસે 'વાત્સલ્ય દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે જોય રાઈડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઓડી, બીએમડબ્લ્યુ, ફોર્ચ્યુનાર અને રેન્જ રોવર જેવી વૈભવી કારમાં બાળકોને શહેરભરમાં સફર કરાવવામાં આવી હતી. આ જોય રાઈડનો મુખ્ય હેતુ સામાન્ય પરિવારના બાળકોના વૈભવી કારમાં સફર કરવાના સપના પૂરા કરવાનો હતો. ઉદ્યોગકારોના સહયોગથી આયોજિત આ રાઈડમાં બાળકોએ કારના સનરૂફમાંથી બહાર ઊભા રહીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. માધાપર વાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ આ અંગે માહિતી આપી હતી. આ જોય રાઈડ શહેરના શનાળા રોડ પર આવેલા સ્કાઈ મોલ પાસેથી શરૂ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, દિનેશભાઈ વડસોલા, ભાનુબેન નગવાડિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી, નિર્શિવ ફાઉન્ડેશનના રોહનભાઈ રાંકજા અને આર્ટિબેન રાંકજા સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી આપીને તેને પ્રસ્થાન કરાવ્યું હતું. વૈભવી કારમાં બેસીને બાળકોએ ખૂબ મજા કરી હતી. જ્યારે આ કારો શહેરના માર્ગો પરથી પસાર થઈ ત્યારે બાળકોની કિલકારીઓથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા. જોય રાઈડ પૂર્ણ થયા બાદ બંને સંસ્થા દ્વારા બાળકોને મોરબીની એક સારી હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
આંખો આંજી દેતી LED-લાઈટો લગાવતા વાહનચાલકો સામે RTOની લાલ આંખ:મહેસાણામાં બે માસમાં 3 લાખથી વધુનો દંડ
મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે પ્રાદેશિક પરિવહન કચેરી RTO દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાહનોમાં નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ LED લાઈટો સામે RTO ઇન્સ્પેક્ટરોએ તડાપીટ બોલાવી છે. છેલ્લા બે મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 3,08,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 228 કેસો નોંધાયા ને 3 લાખથી વધુનો દંડ RTO ના આંકડા મુજબ જાન્યુઆરી માસમાં તપાસ દરમિયાન કુલ 132 કેસો નોંધાયા હતા.જેમાં વાહનચાલકો પાસેથી 2,12,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જ્યારે ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં 96 કેસો નોંધી 96,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની ફિટેડ લાઈટોના બદલે વધુ તીવ્રતાવાળી LED લાઈટો હશે તો દંડાશોવાહનચાલકો દ્વારા કંપની ફિટેડ લાઈટોના બદલે બહારથી વધુ તીવ્રતાવાળી LED લાઈટો લગાડવામાં આવે છે. જે રાત્રિના સમયે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખોમાં આંજી દેતી હોય છે. આ પ્રકારની લાઈટો અકસ્માત માટે મુખ્ય કારણ બનતી હોવાથી RTO દ્વારા રૂટિન ચેકિંગ દરમિયાન આવી લાઈટો દૂર કરાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંખો આંજી દેતી એલઈડી લાઈટો લગાવી તો દંડાશોઆ અંગે મહેસાણા RTOના આસિસ્ટન્ટ ઓફિસર જી.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, વાહનકંપનીઓ દ્વારા જે લાઈટો ફિટ કરવામાં આવે છે તેના કરતા વધુ તીવ્રતા ધરાવતી લાઈટો લગાવવી એ નિયમ વિરુદ્ધ છે. આવી લાઈટો અન્ય ચાલકો માટે જોખમી સાબિત થતી હોવાથી જિલ્લામાં સતત ચેકિંગ હાથ ધરી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.
કાણોદરમાં 'પોષણ સંગમ' કાર્યક્રમ યોજાયો:13 આંગણવાડીના બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-1 ઘટક અંતર્ગત કાણોદર ગામ ખાતે 'પોષણ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 13 આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાઈ હતી. સનસાઈન હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડો. અંજુમ એ. હસન દ્વારા બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. ડીમ્પલ કે. પંચાલ, સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી અને આશા વર્કર બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના કુપોષિત (SAM), મધ્યમ કુપોષિત (MAM) અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકોનું વિશેષ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું. તમામ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. પોષણ સ્તર સુધારવાના હેતુથી, 'મહિલા કલ્યાણ-નિધિ ટ્રસ્ટ, કાણોદર'ના સહયોગ અને 'પરીખ ફાઉન્ડેશન, મુંબઈ'ના સૌજન્યથી તમામ કુપોષિત બાળકોને પ્રોટીન પાવડર, મલ્ટી-વિટામિન, કેલ્શિયમ અને આયર્ન સીરપ જેવી પોષક તત્વોની કિટનું વિતરણ કરાયું હતું. આરોગ્ય તપાસની સાથે સાથે ઉપસ્થિત વાલીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગની સમસ્યા ધરાવતા બાળકોને સરકારની યોજનાઓ હેઠળ મળતી નિઃશુલ્ક સારવારની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત, આરોગ્ય પોષણ શિક્ષણ (HNE) અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા, જેમણે વહીવટી તંત્ર અને સહયોગી સંસ્થાઓના આ પ્રયાસને આવકાર્યો હતો.
જામનગરના દિગ્જામ સર્કલ નજીક આવેલા હનુમાન ટેકરી અને આસપાસના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ અપાઈ છે. આ નોટિસ બાદ સ્થાનિકોમાં ડિમોલેશનનો ભય વ્યાપી ગયો હતો. ગઈકાલે દિવસભર અનેક લોકો મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ, જેઓ લોકસભા સત્ર પૂર્ણ કરીને દિલ્હીથી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા, તેમણે મોડી રાત્રે પોતાના કાર્યાલય પર સ્થાનિકોને સાંભળ્યા હતા. સાંસદે તમામ પ્રશ્નકર્તાઓને યોગ્ય ઉકેલ લાવવા માટે હૈયાધારણા આપી હતી. સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી પણ જોડાયા હતા. બીનાબેન કોઠારીએ જામનગર શહેરમાં ગઈકાલે દિવસભર બનેલી ઘટનાઓ અને સમગ્ર ઘટનાક્રમ અંગે સાંસદને માહિતી આપી હતી. સાંસદે આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મોડી રાત્રે જ તમામ સ્થાનિકો સાથે બેઠકોનો દોર યોજી યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી થઈ રહી છે, ત્યારે તેઓ રેલવે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. સાંસદે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા અને પુનર્વસન માટે પૂરતો સમય મળી રહે તે દિશામાં કાર્યવાહી થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. આગામી સોમવારે રેલવે વિભાગના ડીઆરએમ, જામનગરના જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સંયુક્ત બેઠક યોજી વોર્ડ નંબર ૬ના રહેવાસીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા ચર્ચા કરાશે. આ બેઠકમાં રેલવે વિભાગની જમીનમાં વસવાટ કરતા તમામને પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા માટે પૂરતો સમય મળે તે દિશામાં કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવશે. સાંસદે એ પણ ઉલ્લેખ કર્યો કે, રેલવે તંત્ર દ્વારા જે લોકોને નોટિસ પાઠવાઈ છે, તેમાં કેટલાક મહાનગરપાલિકાની જગ્યામાં વસવાટ કરે છે, જ્યારે કેટલાક નાગરિકોને ભૂતકાળમાં સનદ પણ મળી ચૂકી છે. જેથી રેલવે વિભાગ દ્વારા જે નોટિશ અપાઈ છે, તેમાં ફરીથી આ વિસ્તારનો સર્વે કરી તેમજ તમામ નાગરિકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનો પૂરતો સમય મળી રહે, તે દિશામાં જ સમગ્ર કાર્યવાહી કરવા માટેના પોતાના સંપૂર્ણ પ્રયાસો રહેશે, તેવી આ તકે ખાતરી આપી હતી. જેથી સર્વે સ્થાનિક રહેવાસીઓમાં રાહત પહોંચી છે.
વલસાડમાં 11,273 મતદારો ગેરલાયક ઠર્યા:17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. વલસાડ જિલ્લામાં આગામી 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન, પુરાવાના અભાવે અથવા સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે કુલ 11,273 મતદારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં મતદાર યાદીમાં જોવા મળતી લોજિકલ વિસંગતતા (Logical Discrepancy) અને નો-મેપિંગ જેવા કિસ્સાઓમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આવા કુલ 2,85,966 મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, 11,273 મતદારો કોઈપણ પ્રકારના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા અથવા હાજર રહ્યા નહોતા. પરિણામે, તેમના નામ હાલની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં મતદારોના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ધરમપુરમાં 15,960, વલસાડમાં 40,010, પારડીમાં 75,950, કપરાડામાં 27,174 અને ઉમરગામમાં 78,576 મતદારોના નામોમાં ફેરફાર અથવા કમી નોંધાઈ છે. કુલ મળીને 2,37,670 મતદારોના નામોમાં ફેરફાર/કમી થઈ છે. આંકડાકીય સ્થિતિ પર નજર કરીએ તો, ડ્રાફ્ટ પૂર્વેની યાદીમાં કુલ 13,85,507 મતદારો હતા, જે ડ્રાફ્ટ મતદાર યાદી પછી 11,59,110 થયા. ગેરલાયક ઠરેલા 11,273 મતદારો બાદ હાલના પાત્ર મતદારોની સંખ્યા 11,47,837 છે. આ આંકડાઓ દર્શાવે છે કે જિલ્લામાં મતદાર યાદી વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે વિશાળ અભિયાન હાથ ધરાયું હતું. ચૂંટણી તંત્રએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે 17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થનારી આખરી યાદીમાં પોતાનું નામ જરૂર ચકાસી લેવું. જો કોઈ મતદારનું નામ ભૂલથી કે અન્ય ક્ષતિને કારણે કમી થઈ ગયું હોય, તો તેઓ પોતાના વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર), મામલતદાર કચેરી અથવા મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરી શકે છે. ફોર્મ નંબર 6 ભરી જરૂરી દસ્તાવેજો સાથે ફરીથી નોંધણી માટે અરજી પણ કરી શકાય છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, 17મી ફેબ્રુઆરીએ આખરી યાદી પ્રસિદ્ધ થશે. તમામ મતદારોને વિનંતી છે કે તેઓ પોતાનું નામ યાદીમાં ચકાસી લે અને જો કોઈ ભૂલ હોય તો ત્વરિત સંપર્ક કરે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે આ સુધારણા અભિયાન મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે. આ પ્રમોશન અને બદલીઓમાં સાબરકાંઠા જિલ્લામાંથી 11 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાંથી પ્રમોશન મેળવી અન્ય જિલ્લાઓમાં બદલી પામેલા 11 નાયબ મામલતદારોના નામ અને તેમની નવી નિમણૂક નીચે મુજબ છે: હરેશકુમાર બી. પટેલ (હડાદ, બનાસકાંઠા), મીનલબેન વી. પટેલ (કલેક્ટર ઓફિસ, અરવલ્લી), યોગેશકુમાર એમ. પટેલ (રાહ, વાવ-થરાદ), તકદીરકુમાર યુ. સોલંકી (કલેક્ટર ઓફિસ, અરવલ્લી), સંકેતકુમાર એ. શાહ (વડગામ, બનાસકાંઠા), પ્રિયંકકુમાર બી. પટેલ (મહેસૂલ નિરીક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર), જૈમીનીબહેન કે. ગોસ્વામી (ચિટનીસ-કમિશનરશ્રી મધ્યાહન ભોજન, ગાંધીનગર), ધવલકુમાર કે. પરમાર (મામલતદાર-PSO-iORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર), ભાવિકા કે. મોદી (આસિસ્ટન્ટ મેનેજર, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ., ગાંધીનગર), હર્ષદકુમાર વી. ચાવડા (ચિટનીસ, અધિક કલેક્ટર સિંચાઈ (ઉત્તર-મધ્ય ગુજરાત), ગાંધીનગર) અને ભાવેશકુમાર ડી. પટેલ (સાઠંબા, અરવલ્લી). આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાંથી પ્રમોશન મેળવી સાબરકાંઠા જિલ્લામાં બદલી પામેલા ત્રણ નાયબ મામલતદારો મામલતદાર બન્યા છે. જેમાં સંગીતાબેન એમ. દેસાઈ (અમરેલીથી વિજયનગર), હિતેન્દ્રકુમાર એમ. ચૌધરી (મહેસાણાથી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર-TASP-ખેડબ્રહ્મા), અને કિરણસિંહ એ. વિહોલ (મહેસાણાથી પોશીના)નો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાંથી એક મામલતદારની પણ બદલી કરવામાં આવી છે. ચિટનીસ નિલેશ એ. પટેલની બદલી પંચમહાલ જિલ્લામાં ચિટનીસ (મામલતદાર) તરીકે કરવામાં આવી છે.
દેશના ન્યાયાલયોમાં સમાધાનકારી માર્ગે કેસના ઉકેલ માટે વૈકલ્પિક વિવાદ નિરાકરણ મહત્વપૂર્ણ સાબિત થયો છે ત્યારે વર્ષ 2023 માં આ એક્ટ આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટ ખાતે આર્બિટેશન, મીડિયેશન અને કાન્સિલિએશન એટલે કે લવાદ, મધ્યસ્થિ અને સમાધાન વિષયક કાર્યવાહી પર રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત અને દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સહિતનાએ વિચાર ગોષ્ઠિ કરી હતી. રાજકોટ લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેર પર્સન અને પ્રોફેસર ડો.કમલેશ જોષીપુરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મુંબઈ સેન્ટર ફોર આર્બિટેશનના સહયોગથી અને ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન, નિરમા યુનિવર્સિટી અને ચેન્નઈની સીમો યુનિવર્સિટીના પ્રયત્નોથી રાજકોટમાં આર્બિટેશન, મીડિયેશન અને કાન્સિલિએશન પર રાષ્ટ્રીય કક્ષામાં વર્કશોપ આયોજિત કરાયો છે. લવાદ, મધ્યસ્થિ અને સમાધાન વિષયક કાર્યવાહી પર યોજાયેલા સેમિનારમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ દોશી અને વાછાણી, દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કારિયા, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પ્રશાંત કુમાર તેમજ સૌરાષ્ટ્રના અગ્રણી એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સંશોધકો સહિતના ઉપસ્થિત રહ્યા છે. ભવિષ્યમાં રાજકોટ લવાદ, મધ્યસ્થિ અને સમાધાન વિષયક કાર્યવાહીનું કેન્દ્ર બને તેવા પ્રયત્નો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023 માં Alternative Dispute Resolution એક્ટ અમલમાં મૂક્યો છે ત્યારે તે બાદનો ગુજરાતમાં આ પ્રથમ કાર્યક્રમ છે કે જ્યાં સર્વગ્રાહી વિચાર થશે. વૈકલ્પિક વિવાદ નિરાકરણ (Alternative Dispute Resolution - ADR) એ કોર્ટની ઔપચારિક કાર્યવાહી બહાર સમાધાનકારી માર્ગે વિવાદો ઉકેલવાની પદ્ધતિ છે. તે સમય અને પૈસાની બચત કરે છે વધુ સુગમતા પૂરી પાડે છે અને ઝડપી, સકારાત્મક સમાધાન (જેમ કે મધ્યસ્થી, લવાદ, સમાધાન) લાવે છે.
ઉદયપુર સિટીથી અસારવા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરીથી નિયમિતપણે શરૂ થશે. આ ટ્રેનનું ઉદ્ઘાટન ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉદયપુરથી કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર સમયપત્રક સાથે જાહેર કરવામાં આવી છે. રેલવે વિભાગના સૂત્રો અને NWR દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ૧૬ ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ઉદ્ઘાટન ટ્રેન ઉદયપુરથી બપોરે ૧૨:૨૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે ૫:૧૫ વાગ્યે અસારવા પહોંચશે. હિંમતનગર રેલવે સ્ટેશન પર આ ટ્રેન બપોરે ૩:૫૦ વાગ્યે આવશે અને ૩:૫૨ વાગ્યે આગળ રવાના થશે. ટ્રેન નંબર ૨૬૯૬૩ અને ૨૬૯૬૪, ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા ૧૮ ફેબ્રુઆરી, બુધવારથી શરૂ થશે. આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહના છ દિવસ ચાલશે. તે ઉદયપુર સિટીથી જાવર, ડુંગરપુર, હિંમતનગર થઈને અસારવા પહોંચશે. ઉદયપુરથી અસારવા તરફની સવારની સેવા સવારે ૬:૧૦ વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે ૧૦:૨૫ વાગ્યે અસારવા પહોંચશે. આ રૂટ પર હિંમતનગર સ્ટેશન પર ટ્રેન સવારે ૯:૦૫ વાગ્યે આવશે અને ૯:૦૭ વાગ્યે ઉપડશે. જ્યારે, અસારવાથી ઉદયપુર તરફની સાંજની સેવા સાંજે ૫:૪૫ વાગ્યે અસારવાથી ઉપડશે અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન સાંજે ૬:૫૩ વાગ્યે હિંમતનગર પહોંચશે અને ૬:૫૫ વાગ્યે ઉદયપુર જવા રવાના થશે. આ વંદે ભારત એક્સપ્રેસમાં કુલ ૮ કોચ હશે, જેમાં ૭ એસી કોચ અને ૧ એક્ઝિક્યુટિવ એસી કોચનો સમાવેશ થાય છે.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રુંગટા ઑસ્ટ્રિયા નામની બિલ્ડીંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સુરતના ઉન જીલાની નગર વિસ્તારમાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી હતી. જોતજોતામાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે આ યુવતી બાળક ચોરી કરવા માટે વિસ્તારમાં આવી છે. આ અફવા ફેલાતા જ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોએ સત્ય જાણ્યા વગર જ યુવતીને પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાઓ અને બાળકોએ યુવતીને માર માર્યોઆ ઘટનાનો એક ચોંકાવનારો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જેમાં ભીડનો ઉગ્ર મિજાજ સ્પષ્ટપણે જોવા મળે છે. માનવતા ત્યારે નેવે મુકાઈ જ્યારે મહિલાઓ પણ જોડાઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક મહિલાઓ આ યુવતીને પકડીને બેરહેમીથી મારી રહી છે. એટલું જ નહીં, ત્યાં હાજર નાના બાળકો પણ હાથથી યુવતીને માર મારતા નજરે પડ્યા હતા. જાહેરમાં થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે ત્યાં હાજર લોકો યુવતીને ન મારવા કહેતા પણ નજરે આવે છે. ભેસ્તાન પોલીસને લોકોથી યુવતીને છોડાવીઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે યુવતીને સુરક્ષિત રીતે પોલીસ વાનમાં બેસાડી ભેસ્તાન પોલીસ મથકે ખસેડી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું ચોંકાવનારું સત્યભેસ્તાન પીઆઈ અલ્પેશ ગાબાણીએ આ મામલે તપાસ કરતા હકીકત કંઈક અલગ જ બહાર આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે જે યુવતીને લોકો 'બાળક ચોર' સમજીને મારી રહ્યા હતા, તે હકીકતમાં અત્યંત ગરીબ પરિવારની છે. આ યુવતી પોતાની માતા સાથે ફૂટપાથ પર રહે છે અને ભિક્ષુક તરીકે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે સોસાયટીમાં માત્ર ભીખ માંગવા માટે જ ગઈ હતી, પરંતુ એક મહિલાને ખોટી શંકા ગઈ કે તે તેના બાળકને ચોરવા આવી છે. અફવાઓથી દૂર રહેવા પોલીસની કડક અપીલપોલીસે યુવતીની માતાને બોલાવીને નિવેદન લેતા પુષ્ટિ થઈ છે કે તેઓ ભિક્ષુક છે અને કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી. ભેસ્તાન પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ પર વિશ્વાસ ન કરવો. શંકાના આધારે નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરવો એ કાયદાકીય ગુનો છે.
ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ આવતી 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થવાનું છે. આ વખતે રાજ્યનું બજેટ કદાચ ઐતિહાસિક કદ ધારણ કરી શકે છે. આર્થિક સૂત્રોના અનુમાન મુજબ બજેટનો આકાર ₹3.90 લાખ કરોડથી વધીને ₹4 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં 7-10 ટકાનો વધારો થવાની શક્યતાગત વર્ષ 2025-26માં રાજ્ય સરકારે ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જી.એસ.ટી. વસુલાત, સ્ટેમ્પ ડ્યૂટી અને ઉદ્યોગ ક્ષેત્રની આવકમાં થયેલા વૃદ્ધિને ધ્યાનમાં લેતા આ વખતે 7થી 10 ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અંદાજે ₹20 હજાર કરોડથી ₹30 હજાર કરોડ સુધીનો વધારો થવાની ચર્ચા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય-શિક્ષણમાં વધુ ફાળવણીની સંભાવનાઆવતા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ-મકાન, પાણી પુરવઠા, આરોગ્ય અને શિક્ષણ જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની સંભાવના છે. સાથે જ કૃષિ, ઉદ્યોગ અને યુવા રોજગારને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓની જાહેરાત પણ થઈ શકે છે. રાજ્ય સરકાર મૂડી ખર્ચમાં વધારો કરીને વિકાસની ગતિને વધુ વેગ આપે તેવી અપેક્ષા છે. જો બજેટનો આકાર ₹4 લાખ કરોડને અડી જાય અથવા પાર કરે, તો તે રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાશે. હવે 18 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થનારા સત્તાવાર આંકડાઓ પર સૌની નજર ટકેલી છે.
રાજ્યમાં વધતી અને રૂપ બદલતી સંગઠિત ગુનાખોરી પર લગામ કસવા રાજ્ય સરકાર આતંકવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે કડક સુધારા લાવવા તૈયારીમાં છે. ગૃહ વિભાગ દ્વારા ‘આતંકવાદ-સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક’ આવનારી વિધાનસભા બેઠકમાં રજૂ થવાની સંભાવના છે. સુધારા વિધેયકનો હેતુ ગેંગોના નાણાકીય નેટવર્કને તોડી પાડવાનો સૂત્રોના જણાવ્યા મુજબ, ગુનાખોરીના નવા નેટવર્ક, સાયબર માધ્યમ અને ગેંગ આધારિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સંગઠિત ગુનાની વ્યાખ્યા વધુ સ્પષ્ટ અને વ્યાપક બનાવવામાં આવશે. ખાસ કરીને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટને કાનૂની રીતે ઝડપી રીતે કાબૂમાં લેવા માટે જેલવાસની જોગવાઈઓ અને ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવાની કલમો વધુ કડક બનાવવામાં આવશે.સુધારા વિધેયકનો હેતુ માત્ર દંડાત્મક જ નહીં, પરંતુ નાણાકીય નેટવર્કને તોડી પાડવાનો છે, જેથી ગુનાખોરીના માળખાને મૂળથી નાબૂદ કરી શકાય. ગૃહ વિભાગના અધિકારીઓ માને છે કે કડક જોગવાઈઓથી સંગઠિત ગુનાખોરીના ગેંગ પર અસરકારક નિયંત્રણ શક્ય બનશે. ગેરકાયદે જમીન વ્યવહાર સામે પણ સરકાર સખ્ત, ગુજરાત સુધારા વિધેયક-2026 આવશે મુખ્ય જોગવાઈઓ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે શનિવારે ભાવનગર જિલ્લાના એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે, સૌપ્રથમ પાલીતાણામાં ધાર્મિક જીર્ણોદ્ધાર, ત્યારબાદ શહીદ જવાનના પરિવારની પણ મુલાકાત લેશે, ત્યારે બાદ પીએમ ઈ સેવા 50 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરશે, રતનકલાકારોના બાળકો ને સહાય વિતરણ તથા ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત સહિત ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી વિવિધ પાંચ જેટલા મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપી જિલ્લાને નવી ભેટ ધરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજરોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેમાં પ્રથમ સવારે 10:30 કલાકે પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરના જીર્ણોદ્ધાર સમારોહ, બપોરે 12:15 કલાકે સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે શહીદ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત અને આર્થિક સહાય ચેક અર્પણ કરશે, બપોરે 1 કલાકે ભાવનગર અધેવાડા બસ ડેપો, અધેવાડા ખાતે “PM e-Bus Sewa” યોજના અંતર્ગત ઈકો-ફ્રેન્ડલી 50 ઈલેક્ટ્રિક બસો દ્વારા પરિવહન સેવાના લોકાર્પણ કાર્યક્રમ, બપોરે 2 કલાકે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ, કાળીયાબીડ ખાતે રત્નકલાકારોના બાળકોને સહાય વિતરણ કાર્યક્રમ તેમજ બપોરે 2:40 કલાકે વરતેજ–બુધેલ રોડ, અમર હોટેલની બાજુમાં, સીદસર, ભાવનગર ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી તથા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર “ચેરિટી ભવન”નું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ માટે બસ ડેપો 14 ફેબ્રુઆરીએ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી લીલી જંડી ફરકાવીને બસ સેવાનું લોકાર્પણ કરનાર છે તે માટે સમગ્ર કાર્યક્રમનો તખ્તો તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ લોકાર્પણને લઈને મનપા ના 16 જેટલા અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે આમ લાંબા સમય બાદ લોક આતુરતાનો અંત આવ્યો છે ત્યારેે આવતીકાલે શનિવારે બપોરે 12:30 કલાકે અધેવાડા સીટી બસ ડેપો ખાતે પ્રથમ ફેઝનુ લોકાર્પણ યોજાશે, જે માટે શહેરના અધેવાડા નજીક આવેલ ડી-માર્ટ ની સામે અંદાજિત 24 કરોડના ખર્ચે 100 બસો માટે પાર્કિગ, વર્કશોપ બિલ્ડીંગ, એડીમીનીસ્ટ્રેટિવ બિલ્ડીંગ અને ચાર્જીગ HT/LT પેનલ રૂમ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. બસનું 5 રૂપિયા થી લઈ 20 સુધીનું ભાડું પ્રથમ ફેઝમાં આઠ રૂટ પર સીટી બસ શરૂ કરવામાં આવશે, આ બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે રૂપિયા 5 થી લઈને 20 રૂપિયા સુધીનાં ટીકીટ દર રાખવામાં આવ્યા છે, 0 થી 3 કિલોમીટર સુધી રૂપિયા 5, 3 થી 5 કિલોમીટર સુધી રૂપિયા 10, 5 થી 8 કિલોમીટર સુધીમાં રૂપિયા 15 તથા 8 કિલોમીટર સુધીમાં 20 રૂપિયા નું ભાડું રાખવામાં આવ્યું છે, આગામી 12 વર્ષ સુધી બીએમસી દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવશે એવું કમિશનરે જણાવ્યું છે આઠ રૂટ પર સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ થયા બાદ રૂટની સંખ્યામાં વધારો કરવામાં આવશે ઉપરાંત અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. બસની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓ આ નવી ઈલેક્ટ્રિક બસો મુસાફરો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે, સંપૂર્ણ એસી અને હાઈટેક તમામ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે બસમાં કેપેસિટી 25 મુસાફરોની બેસવાની ક્ષમતા, સુરક્ષા માટે બસમાં 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા, ઓટોમેટિક દરવાજા અને મુસાફરો માટે સ્પેશિયલ હેન્ડલ્સ, આ બસ મહત્તમ 75 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. રૂટ અને આયોજન શહેર 13 વોર્ડમાં ના અલગ-અલગ 8 રૂટ પર આ બસો દોડાવવાનું આયોજન છે, અંદાજે 8 કિમીની પેરીફેરીમાં આ સેવાનો લાભ મળશે, મુસાફરોની સુવિધા માટે શહેરમાં 150 જેટલા નવા પીકઅપ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે, મેયર એ જણાવ્યું હતું કે, આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું,ભાવનગરના લોકોને આ બસ સેવાથી રિક્ષા ભાડામાંથી મુક્તિ મળશે, તેનો મને ખૂબ જ આનંદ છે. ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર આ સાથે ભાવનગરમાં જે બસ ડેપો બનાવવામાં આવ્યો છે તે 24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરી, આજે અમને ગૌરવ છે કે મેયરના નેતૃત્વમાં આ પહેલો ડેપો અને બસ ડિલિવરી મેળવવાની તક મળી છે, સાથે સાથે 14 કરોડના ખર્ચે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે, ડ્રાઈવર-કંડક્ટરો માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભાવનગરને 8 રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાથમિક ધોરણે રૂટો નક્કી કર્યા છે, લોકોને 8 કિલોમીટરની પેરીફેરીમાં આ બસની સુવિધાઓ મળવાની છે, રુટ પરથી નડતરરૂપ દબાણો હટાવ્યા 14 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે તેના ભાગરૂપે આગામી સમયમાં અંદાજે 50 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, અને આજુબાજુ લોકો હોય તેઓ તેને ધ્યાનમાં રાખી ને જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમજ રુટ પર આવતા તમામ રિક્ષાઓ કે અન્ય વાહનો કે દબાણો અડચણરૂપ હટાવી લેવામાં આવ્યા છે, મહાનગરપાલિકાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરાશે આગામી 14 ફેબ્રુઆરી એ પીએમ ઈ-સીટી બસ લોકાર્પણ સમારોહ સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકા માંથી મહાનગરપાલિકાના માં સ્થાપના થયાના 45 માં સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે જે અંતર્ગત લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લોકનૃત્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આવતીકાલે શનિવારે રાત્રે 8 કલાકે કૈલાસ વાટીકા-બોરતળાવ ખાતે યોજાનાર કોન્સર્ટ માં લેડી સિંગર સાંત્વની ત્રિવેદી અને ખ્યાતનામ ગુજ્જુ અભિનેત્રી મમતા સોની આ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ કરશે, બસ સેવા લોકાર્પણ તથા 45 માં સ્થાપના રાજકીય, સામાજિક, અગ્રણીઓ, કલાકારો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આગામી દિવસોમાં શરૂ થનાર સીટી બસના 17 રૂટ નક્કી કરાયા. ગંગાજળિયા સ્ટેશનથી ટોપથ્રી સિનેમા સુધી ( ગંગાજળિયા તળાવ, માધવ દર્શન, આતાભાઈ ચોક, ડી-માર્ટ, ટોપથ્રી સિનેમા) - 7.15 કિમિ. ઇનર સરર્ક્યુલર ( ગંગાજળિયા તળાવ, ક્રેસન્ટ, વાલકેટ ગેટ, ટેકરી ચોક, બોરડી ગેટ, દિપક ચોક, મહિલા કોલેજ, રવેચી, મંત્રેશ, શિવાજી સર્કલ, દુઃખી શ્યામ, રામમંત્ર, પાણીની ટાંકી, આર.ટી.ઓ, કુંભારવાડા પાણીની ટાંકી, અલકા ટોકીઝ, ચાવડી ગેટ, પાનવાડી, ગંગાજળિયા તળાવ)-17.79 કિમિ. સીદસર સીટીથી રુવાપરી ( સીદસર ગામ ચોક, આર.ટી.ઓ સર્કલ, કલેકટર ઓફીસ, કાળાનાળા સર્કલ, ગંગાજળિયા તળાવ, રૂવાપરી) - 15.79 કિમિ. ગંગાજળિયા તળાવથી અધેવાડા ( ગંગાજળિયા તળાવ, હલુરીયા ચોક, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, રીંગરોડ, અધેવાડા ગામ) - 8.14 કિમિ. ગંગાજળિયા તળાવથી માલણકા ( ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, ઘોઘા સર્કલ, ભરત નગર ચોકડી, તરસમિયા, માલણકા ગામ) - 8.67 કિમિ. ગંગાજળિયા તળાવથી અકવાડા (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, રિલાયન્સ માર્ટ, રેલ્વે સ્ટેડિયમ, શિવાજી સર્કલ, અકવાડાગામ) - 8.13 કિમિ. ગંગાજળિયા તળાવથી ફુલસર (ગંગાજળિયા તળાવ, એસ.ટી સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, આર.ટી.ઓ. સર્કલ, રામદેવનગર, ફુલસર) - 8.70 કિમિ. ગંગાજળિયા તળાવથી ઓઝ સ્કૂલ (ગંગાજળિયા તળાવ, જશોનાથ સર્કલ, શામળદાસ કોલેજ, સરદાર પટેલ ઇન્સ્ટટ્યૂટ, ઓ.એ.જે કોલેજ) - 10.87 કિમિ. ભંડારીયાથી રેલ્વે સ્ટેશન ( ભંડારીયા, અધેવાડા, ટોપથ્રિ સર્કલ, ભરતનગર ચોકડી, જશોનાથ સર્કલ, રેલ્વે ટર્મિનસ) - 25.10 કિમિ. ગંગાજળિયા તળાવથી કમળેજ (ગંગાજળિયા તળાવ, એસ.ટી.સ્ટેન્ડ, વિશ્વકર્મા સર્કલ, નારી ચોકડી, કમળેજ ગામ) - 14.57 કિમિ. સિહોરથી ગંગાજળિયા તળાવ (સિહોર, રંગોળી ચોકડી, નાની ખોડિયાર, નારી ચોકડી, આર.ટી.ઓ. સર્કલ, એસ.ટી.સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 20.70 કિમિ. દેવગાણાથી એસ.ટી.સ્ટેન્ડ ( દેવગાણા, વાળુંકડ હાઈસ્કૂલ, સીદસર, ઇસ્કોન કલબ, એસ.ટી સ્ટેન્ડ, ગંગાજળિયા તળાવ) - 28.34 કિમિ. રેલ્વે સ્ટેશનથી ઘોઘા/મલેકવદર (રેલ્વે સ્ટેશન, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, સહજાનંદ સ્કૂલ બાયપાસ, ઘોઘા, મલેકવદર) - 19.93 કિમિ. કાળાતળાવથી એસ.ટી.સ્ટેન્ડ (કાળાતળાવ, કામધેનુ ગૌશાળા, ભાવનગર ટર્મિનસ, આર.ટી.ઓ સર્કલ, ભાવનગર પરા) - 12.80 કિમિ. ગંગાજળિયા તળાવથી નેસડા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, કરદેજ ગામ, નેસડા ગામ) - 18.92 કિમિ. ગંગાજળિયા તળાવથી સોડવદરા ( ગંગાજળિયા તળાવ, આર.ટી.ઓ સર્કલ, નારી ચોકડી, વરતેજ સીદસર ચોકડી, સોડવદરા) - 14.77 કિમિ. આનંદનગરથી સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ( આનંદનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, હિલપાર્ક ચોકડી, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ) - 9.21 કિમિ. આ તમામ ઈ-બસ જે તે રૂટ અને ગંતવ્ય સ્થાન સુધી જઈ એજ રૂટ પરથી ગંગાજળિયા પરત ફરશે.
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સુરતનું કાપડ બજાર લાંબા સમયથી મંદીના માહોલનો સામનો કરી રહ્યું હતું. ઉત્પાદનથી લઈને ડિસ્પેચ સુધીની તમામ પ્રક્રિયાઓ ધીમી પડી ગઈ હતી. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ બજારના સમીકરણો બદલાયા છે. આગામી સમયમાં આવી રહેલી ઈદ અને લગ્નસરાની સિઝનને કારણે અચાનક દેશભરની મંડીઓમાંથી ઓર્ડરનો ધોધ છૂટ્યો છે. આ માગને કારણે સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં લાંબા સમય બાદ એક નવો ઉત્સાહ અને પ્રાણ ફૂંકાયા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ટ્રકોની સંખ્યામાં ધરખમ વધારોબજારમાં આવેલી તેજીનું સૌથી મોટું પ્રમાણ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. માત્ર એક મહિના પહેલા જ્યાં સુરતથી દરરોજ માંડ 150 જેટલી ટ્રકો કાપડનો માલ લઈને રવાના થતી હતી, ત્યાં આજે આ આંકડો વધીને 350થી 400 ટ્રકો સુધી પહોંચી ગયો છે. માલની હેરફેર માટે ટ્રકોની સંખ્યામાં થયેલો આ અચાનક વધારો સૂચવે છે કે છૂટક મંડીઓમાં સુરતના કાપડની માગ કેટલી સારી છે. નજીકના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં એર્ડર મળ્યાંઆ તેજી પાછળનું મુખ્ય કારણ ઈદનો પવિત્ર તહેવાર અને તે જ સમયે શરૂ થઈ રહેલી લગ્નસરાની સીઝન છે. સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ખાસ કરીને સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને સૂટ-દુપટ્ટા માટે જાણીતું છે. ઈદમાં નવા વસ્ત્રોની ખરીદી અને લગ્ન પ્રસંગોમાં સાડીઓની ભારે માગને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે. આ ડબલ સિઝનને કારણે વેપારીઓ પાસે અત્યારે શ્વાસ લેવાનો પણ સમય નથી. ટ્રાન્સપોર્ટરોને નવા બુકિંગ બંધ કરવાની નોબતમાલના ડિસ્પેચમાં અચાનક થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પર ભારે દબાણ ઊભું થયું છે. ઘણી ટ્રાન્સપોર્ટ કંપનીઓ પાસે મર્યાદિત સંસાધનો અને ટ્રકો હોવાને કારણે, તેઓ વધારાનો માલ સ્વીકારી શકતા નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક મોટી ટ્રાન્સપોર્ટ એજન્સીઓએ કામચલાઉ ધોરણે નવા બુકિંગ લેવાનું બંધ કરવું પડ્યું છે. આ અગાઉ ક્યારેય ન જોયેલું દબાણ છે, જે સ્પષ્ટ કરે છે કે બજારમાં ખરીદીનું જોર અપેક્ષા કરતા અનેકગણું વધારે છે. સુરતનું આર્થિક કદ અને સીઝનલ વેપારસુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વાર્ષિક અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. વેપારીઓના મતે, ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો સમયગાળો ઉદ્યોગ માટે સૌથી મહત્વનો હોય છે. આ પાંચ મહિનામાં વર્ષના કુલ વેપારના લગભગ 40% જેટલો હિસ્સો પૂર્ણ થાય છે. આ વખતે ઈદ અને લગ્નસરા સાથે હોવાથી ખૂબ સારા વેપારની આશા છે અને આખું માર્કેટ આ તકને ઝડપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. માર્કેટ ક્લસ્ટર અને વેપારીઓનો ઉત્સાહસુરતમાં અત્યારે 240 થી વધુ ટેક્સટાઇલ માર્કેટ્સનું એક વિશાળ ક્લસ્ટર છે, જેમાં અંદાજે 70,000 જેટલી દુકાનો કાર્યરત છે. આજે તમે દરેક દુકાન અને માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ જોઈ શકો છો. ટેમ્પો અને ટ્રકો દ્વારા આખા વિસ્તારમાં માલસામાનની અવરજવર સતત ચાલુ છે. રિંગ રોડ વિસ્તારમાં કાપડના ગાસડાઓની થતી હેરફેર સુરતની આર્થિક રફ્તારની સાક્ષી પૂરી રહી છે. વૈકલ્પિક લોજિસ્ટિક્સનો વધતો ઉપયોગમાત્ર ટ્રકો જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સના અન્ય માધ્યમો પણ અત્યારે ફૂલ કેપેસિટી પર ચાલી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાં માલ ઝડપથી પહોંચાડવા માટે વેપારીઓ હવે ખાનગી વાહનો અને લક્ઝરી બસોના પાર્સલ વિભાગનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જે વિસ્તારોમાં ટ્રકો પહોંચતા સમય લાગે તેમ હોય, ત્યાં નાના વાહનો દ્વારા માલ રવાના કરવામાં આવી રહ્યો છે જેથી સિઝન દરમિયાન ગ્રાહકોને સમયસર માલ મળી રહે. આ વખતે ખૂબ સારા વેપારની આશા છેઃ કૈલાશ હકીમફેડરેશન ઓફ ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના ડિરેક્ટર કૈલાશ હકીમએ જણાવ્યું હતું કે,સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે 1.5 લાખ કરોડ રૂપિયા છે. ડિસેમ્બરથી એપ્રિલ સુધીની સીઝન, જેમાં તહેવારો અને લગ્નસરા બંનેનો સમાવેશ થાય છે, તે આપણા વાર્ષિક ટર્નઓવરમાં લગભગ 40% હિસ્સો ધરાવે છે. આ વખતે ખૂબ સારા વેપારની આશા છે અને આપણે તેના માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવું જોઈએ. આજે તમે દરેક દુકાન અને માર્કેટમાં એક અલગ જ ઉત્સાહ જોશો. આપણી પાસે 240 માર્કેટ્સનું ક્લસ્ટર છે, જેમાં લગભગ 70,000 જેટલી દુકાનો આવેલી છે. તમે અહીંની ચહલ-પહલ જોઈ શકો છો, જ્યાં ટેમ્પો અને ટ્રકો દ્વારા આખા વિસ્તારમાં માલસામાનની અવરજવર થઈ રહી છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં નડિયાદમાં પોતાના બે બાળકોના LC લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ LC લેવા માટે અમદાવાદની હાથીજણની એક હોટલમાં બોલાવી. હેબતાઈ ગયેલી મહિલા હોટલમાં તો પહોંચી, પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો. ત્યાં લંપટ આચાર્ય પહેલાંથી જ હોટલના રૂમમાં હાજર હતો. બસ પછી શું?, મહિલા અને પરિવારે હોટલમાં ભારે હોબાળો મચાવ્યો. હાલ તો સમગ્ર મામલે વટવા GIDC પોલીસે ગુનો નોંધી શરૂ કરી છે. ‘બાળકોના LC લેવા હોટલમાં આવવું પડશે’નડિયાદ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 37 વર્ષના મહિલાના બે બાળકો અભ્યાસ કરતા હતા. મહિલાએ બાળકોની સ્કૂલ બદલવી હોવાથી બંને બાળકોના LC માટેની અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાને મળ્યા ત્યારે લંપટ આચાર્યએ મહિલાને કહ્યું હતું કે બાળકોના LC લેવા હોટલમાં આવવું પડશે. હોટલ રૂમમાંથી LC બુક મળીમહિલા આચાર્યના કહ્યા મુજબ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રોયલ ઇન હોટલમાં પહોંચી હતી. હોટલના રૂમ નંબર 304માં આચાર્ય પહેલાથી જ હાજર હતો. મહિલા જ્યારે હોટલના રૂમમાં પહોંચી તેની ગણતરીની મિનિટોમાં જ મહિલાના પરિવારના સભ્યો પણ હોટલના રૂમમાં પહોંચ્યા હતા. આ તમામ લોકોએ હોટલમાં હોબાળો કર્યો હતો. આચાર્ય પાસેથી હોટલ રૂમમાંથી જ LC બુક પણ મળી આવી હતી. પરિવારે હોબાળો કરી વીડિયો બનાવ્યોપરિવારે હોબાળો કરીને વીડિયો ઉતારતા આચાર્ય વીડિયોમાં પોતાનું મોઢું ઢાંકતા નજરે પડ્યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં આચાર્ય કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આચાર્યને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે આદેશ કર્યો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ સુધીમાં બે વખત બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યા બાદ આગામી દિવસોમાં હવે નવો પબ્લિક ઈશ્યુ બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લ્યુ બોન્ડનો આ પબ્લિક ઈશ્યુ 200 કરોડનો હશે, જેમાં નાના રોકાણકારો પણ ભાગ લઈ શકે તેવું આયોજન છે. શું છે મ્યુનિસિપલ બોન્ડ અને તેનો ઉપયોગ?મ્યુનિસિપલ બોન્ડ એક પ્રકારનું એવું સાધન છે જે સ્થાનિક સરકારી સંસ્થાઓ, જેમ કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અથવા અન્ય સ્થાનિક સત્તાવાળાઓ, દ્વારા જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ ઇશ્યુ કરીને, મહાનગરપાલિકા રોકાણકારો પાસેથી પૈસા ઉધાર લે છે અને તેના બદલામાં રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દરે સમયાંતરે વ્યાજ ચૂકવવાનું વચન આપે છે. બોન્ડની પાકતી મુદત પૂરી થતા, મહાનગરપાલિકા રોકાણકારોને મૂળ રકમ પાછી ચૂકવે છે. આ બોન્ડનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તાઓનું નિર્માણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સુધારવી, પૂલ બાંધવા, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવી, બગીચાઓ બનાવવું અથવા અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે થાય છે. એજન્સીની નિમણૂકને સ્ટેન્ડિગમાં મંજૂરી વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ બે બોન્ડ બહાર પાડયા હતા. હવે બ્લુ બોન્ડ ના પબ્લિક ઈશ્યુ બહાર પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આ બ્લુ બોન્ડ થકી જનભાગીદારીથી શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. બજેટમાં બ્લુ બોન્ડ ઈશ્યુ જાહેર કરવા માટેની જાહેરાત બાદ સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ અંગે એજન્સીની નિમણૂક સહિતના કામો મંજૂર કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે અને તે અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. બોન્ડથી રોકાણકારોને શું ફાયદો?કેટલાક રોકાણકારો સલામત રોકાણ કરવા ઉપર ભાર મુકતા હોય છે. કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડમાં ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવે છે જે દર છ મહિને તેઓને મળી જાય છે. જ્યારે મુદત પાકે ત્યારે તેઓએ રોકાણ કરેલી રકમ પરત મળી જાય છે. રોકાણકારોને બોન્ડમાં રોકાણ કરવામાં સલામતી એટલા માટે અનુભવાય છે, કારણ કે સરકારી સંસ્થા ક્યારેય ડૂબવાની નથી. આ ઉપરાંત અન્યત્ર ઈન્વેસ્ટ કરવા કરતા સારું અને સલામત વળતર મળે છે. બોન્ડથી કોર્પોરેશનને શું ફાયદો?બોન્ડથી પાલિકાને શું ફાયદો થયો તે અંગે વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જો વિકાસના કામો માટે કોઈ બેન્ક પાસે લોન મેળવવા માટે જાય તો પાલિકાએ તેની સામે બમણી સિક્યુરિટી આપવી પડે છે. જ્યારે સામે બોન્ડના કારણે તે વ્યાજદર પણ ઓછું થાય છે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાએ સફળતા પૂર્વક બોન્ડ પાર પાડ્યા, જેના કારણે ભારત સરકારે પાલિકાને રૂ.13 કરોડ ઈન્સેન્ટિવ આપ્યું, જેથી આ વ્યાજમાં પણ બે ટકા ઘટાડો થઇ ગયો. સરળ ભાષામાં સમજીએ તો પાલિકાએ પ્રથમ બોન્ડ 7.15 ટકાએ બહાર પાડ્યો હતો, જેની સામે ભારત સરકારે 13 કરોડ આપ્યા હતાં, જેથી પાલિકાને વ્યાજમાં બે ટકા ઘટાડો થઇ ગયો. આ ઉપરાંત કોર્પોરેશન દર મહિને પાલિકા દ્વારા વ્યાજદરની રકમ અને મુદ્દલની રકમ સાઈડમાં મુકવામાં આવી હતી. વ્યાજ દર છ મહિને ચુકવવામાં આવે છે તે રકમ સિવાયની રકમ ફિક્સ ડિપોઝિટમાં મુકવામાં આવે છે, જેથી પાંચ વર્ષને અંતે તેઓએ મેળવેલા બોન્ડ પેટે તેઓને માત્ર 2થી 2.5 ટકા જ રકમ વ્યાજ ચૂકવવું પડે છે. જે બેંક લોન કરતા ખુબ ઓછું હોય છે. વીએમસી પ્રથમ કોર્પોરેશન જેને ગ્રીન બોન્ડ અંગે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું કોર્પોરેશને અગાઉ ગ્રીન બોન્ડ બહાર પાડયા હતા. આ બોન્ડ થકી જે પ્રોજેક્ટ ઉભા કરાયા તેના આધારે પ્રદુષણમાં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરાયો. અગાઉ ઉંડેરા અને શેરખી એસટીપી બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ ડ્રેનેજ માટે હતો. જો આ પ્રોજેક્ટ ન થાય તો પ્રદુષણ કેટલું થશે તે અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ઉપર ઇન્ટરનેશનલ એજન્સીના માન્ય ઓડિટરોએ ચકાસ્યું અને પેરામીટરમાં બેઠા બાદ વીએમસીને પ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું હતું. જે એશિયામાં પ્રથમ મહાનગરપાલિકા છે. વડોદરાના નાગરિકો પણ બોન્ડ ખરીદી શકશે વડોદરાના સામાન્ય નાગરિકો પણ આગામી સમયમાં પાડનાર ઈશ્યુ ખરીદી શકશે. પાલિકા અંદાજે 10,000ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. જેનું ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવશે અને તે બાદ ઈશ્યુ જાહેર કરવામાં આવશે. વડોદરાના નાગરિકો પણ કોર્પોરેશન સાથે એટેચ થાય અને તેની કામગીરીમાં પોતાની જનભાગીદારી છે તેવું સમાજે તેવો આની પાછળ આશય છે. VMCનો બોન્ડ થોડા સમયમાં જ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો 1 માર્ચ, 2024ના રોજ જ્યારે બોન્ડ ઇસ્યુ માટે બીએસઇના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન થયું ત્યારે માત્ર થોડા સમયમાં જ બોન્ડ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો. કુલ 44 બિડરો દ્વારા રૂ.1460 કરોડની બીડ મેળવી, જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન ધરાવતું ઇસ્યુ બની રહ્યું છે, જે વડોદરા કોર્પોરેશન પ્રત્યે રોકાણકારોના પ્રચંડ વિશ્વાસને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા જૂની સિદ્ધિ ટકાવી રાખવા માટે ગત વર્ષે પણ રૂપિયા 100 કરોડના બોન્ડ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. બોન્ડથી થતા ફાયદા
ભરૂચ મહિલા પોલીસે એક વર્ષના બાળકને માતાને પરત અપાવ્યું:સંવેદનશીલ કામગીરીથી માતા-બાળકનો મિલાપ કરાવ્યો
ભરૂચ મહિલા પોલીસે સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે એક વર્ષના બાળકને તેની માતાને સુરક્ષિત રીતે પરત અપાવવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર અને તેમની ટીમ મહિલા સંબંધિત પ્રશ્નોમાં મદદરૂપ થવા સતત કાર્યરત છે. આ કેસમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર મહિલાને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાએ રજૂઆત કરી હતી કે તેના પતિ અને સાસુ તેમના એક વર્ષના બાળકને પોતાની સાથે લઈ ગયા હતા અને તેને પરત આપવાનો ઇનકાર કરતા હતા. ન્યાય મેળવવા માટે તેણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે, પીએસઆઈ વૈશાલી આહિરે હેડ કોન્સ્ટેબલ શીતલબેનની મદદથી સામા પક્ષને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. સમજાવટ અને માર્ગદર્શન બાદ, સામા પક્ષ બાળકને તેની માતાને પરત આપવા સંમત થયો હતો. ત્યારબાદ, બાળકને તેની માતાને સુપરત કરવામાં આવ્યું હતું, જેનાથી માતા-બાળકનો મિલાપ થયો હતો.
પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રાહુલ ગણપતભાઈ પ્રજાપતિ (ઉ.વ. 24) ને 20 વર્ષની સખ્ત કેદ અને ₹55,000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણથી એક માસની કેદની સજા ભોગવવી પડશે. જજ બી.કે. બારોટે આરોપીને બીએનએસ કલમ 137(2) તથા 87 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને ₹5,000 નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદ અને ₹50,000 નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી. કોર્ટે દુષ્કર્મ પીડિતાને ₹1 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ પણ કરી છે. આ કેસની વિગત એવી છે કે, પાટણમાં રહેતી એક સગીરા 8 નવેમ્બર, 2024 ના રોજ ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવ્યા હતા. તેમના નિવેદનોના આધારે કેસમાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી અને સગીરા પાટણથી ભાગીને અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા અને દ્વારકા જઈને લગ્ન કર્યા હોવાનું સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું. સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેની સંમતિથી સંબંધ બાંધ્યો હતો. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાથી તેણે આપેલી સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં. સગીર સાથે કરવામાં આવેલા લગ્ન પણ કાયદેસરના ગણી શકાય નહીં. આથી, ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો હોવાનું કોર્ટે જણાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.
શહેરની જૈન સ્મશાન ભૂમિમાં અભ્યાસ કરતા 95 જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમની સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં આ સેવાકીય કાર્ય કરાયું હતું. બાળકોને નોટબુક, પેન્સિલ અને કંપાસ બોક્સ જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. જૈન સ્મશાન ભૂમિમાં શોભનાબેન યાદવ સિનિયર કેજીથી ધોરણ 12 સુધીના અંદાજે 95 છોકરા-છોકરીઓને ટ્યુશન આપી ભણાવે છે. આ બાળકો ખુલ્લા વાતાવરણમાં ચાદરા પાથરીને અભ્યાસ કરે છે. દસ દિવસ પહેલા ધર્મેશ પટવાના માતાનું અવસાન થતા તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અહીં આવ્યો હતો. તે સમયે તેમણે આ બાળકોને ભણતા જોયા અને તેમની અભ્યાસ પ્રત્યેની રુચિથી પ્રભાવિત થયા. આ દ્રશ્ય જોઈને ધર્મેશ પટવાએ શિક્ષિકા શોભનાબેન યાદવની મુલાકાત લીધી હતી. શિક્ષિકાએ બાળકો માટે ચોપડા, નોટબુક, પેન્સિલ, કંપાસ અને પાઉચ જેવી શૈક્ષણિક વસ્તુઓની જરૂરિયાત જણાવી હતી. ધર્મેશ પટવાએ જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપી હતી. આજે ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમણે આપેલું વચન પૂર્ણ કરવામાં આવ્યું. તમામ 95 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મેશ પટવા, પ્રિયાબેન, એક્ટિવ દિલીપ પટેલ, ગ્રુપના સભ્યો, કોર્પોરેટર મનોજભાઈ અને વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્મશાન જેવી જગ્યાએ શિક્ષણ મેળવતા બાળકોને જરૂરી સાધનો મળતા તેમના અભ્યાસમાં સરળતા રહેશે.
37 મામલતદારની બદલી:165 નાયબ મામલતદારને મામલતદાર તરીકેનું પ્રમોશન, જુઓ લિસ્ટ
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં રાજ્યભરમાં 37 મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે સચિવાલય, ગાંધીનગરથી સત્તાવાર આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 37 મામલતદારોની બદલીમાહિતી અનુસાર, બદલાતા વહીવટી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લાઓમાં કામગીરી વધુ અસરકારક બને તે હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોને અન્ય તાલુકા તથા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. ખાસ કરીને વહીવટી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ સંબંધિત કચેરીઓમાં પણ નિયુક્તિઓ કરવામાં આવી છે. 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતીઆ સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. બઢતી બાદ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે. કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો હેતુસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના વહીવટી ફેરફારોનો હેતુ કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો છે. જિલ્લા સ્તરે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી તથા અન્ય શાખાઓમાં કાર્યક્ષમતા વધારવા આ પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, મામલતદાર અને નાયબ મામલતદાર સ્તરે થયેલા આ મોટા ફેરફારોને કારણે રાજ્યના વહીવટી તંત્રમાં નવી ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો:બોટાદ LCB એ સબિહા હોસ્પિટલ પાસેથી પકડ્યો
બોટાદ LCB પોલીસે ગુજસીટોકના ગુનામાં જામીન શરત ભંગ કરી ફરાર થયેલા આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન રજાકભાઇ જાંગડની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે તેને સબિહા હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. આરોપી જાવેદ ઉર્ફે ટકો ડોન હાઈકોર્ટમાંથી શરતી જામીન પર છૂટ્યો હતો, પરંતુ તેણે જામીનની શરતોનો ભંગ કર્યો હતો. આથી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેના જામીન રદ કરીને પકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટના આધારે LCB પોલીસે તેની ધરપકડ કરી છે.
માળીયા પાસે 1.38 કરોડથી વધુનો દારૂ ઝડપાયો:SMCએ 19,068 બોટલ ભરેલા ટ્રક સાથે 2 પકડ્યા, 9 સામે ગુનો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાની ભીમાસર ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા એક ટ્રકમાંથી દારૂ અને બિયરની કુલ 19,068 બોટલો મળી આવી હતી. આ જથ્થાની બજાર કિંમત 1.38 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ-બિયર ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.63 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય સપ્લાયર સહિત કુલ નવ શખ્સો સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. SMCના પી.એસ.આઇ. વી.એન. જાડેજા અને તેમની ટીમે અમદાવાદ-કચ્છ હાઈવે પર ભીમાસર ચોકડી પાસે ટ્રક નંબર RJ 7 JD 2852ને રોકીને તપાસ કરી હતી. આ ટ્રકમાંથી 1,38,04,080 રૂપિયાની કિંમતની 19,068 દારૂ-બિયરની બોટલો મળી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના વિક્રમસિંહ નારણસિંહ ચૌહાણ અને કમલકિશોર પ્રેમરામ મારુનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 25 લાખ રૂપિયાનો ટ્રક, 10,000 રૂપિયાના બે મોબાઈલ ફોન અને 23,580 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આમ, કુલ 1,63,51,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત, મુખ્ય સપ્લાયર રમેશ લખમરામ જાટ (ચંડી રામસર, બાડમેર), બલવીર સોહનદાસ જાટ (લોહર ગામ, હનુમાનગઢ), જબ્બર બીશ્નોઈ (સાચોર, રાજસ્થાન) સામે પણ ગુનો નોંધાયો છે. સામખિયાળી ખાતે દારૂનો જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ, પંજાબના ભટિંડા ખાતે ટ્રક છીનવી લેનાર અજાણ્યો શખ્સ, દારૂનો જથ્થો લોડ કરીને વાહન આપી ગયેલ અજાણ્યો શખ્સ અને ટ્રકના માલિકનો પણ આ ગુનામાં સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી રાજસ્થાન થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે અને ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના તમામ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.
મહિલા થારચાલકે યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત:અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જતાં રસ્તે અકસ્માત
સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત છે. ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર જીપની ચાલક મહિલાએ યુવકને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી. મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાના રસ્તે જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ ગાડી પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે અને અકસ્માત સમયે મહિલા નશામાં હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોકનું મોજુંજુવાનજોધ દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી PM શ્રી મોડેલ સ્કૂલમાં ભગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયો હતો. બે દિવસ ચાલેલા આ કેમ્પમાં કુલ 709 બાળકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યાપક આરોગ્ય તપાસ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત, જનરલ મેડિસિન, આંખના નિષ્ણાત અને ચર્મરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, NCD સ્ક્રીનિંગ, સિકલ સેલ અને એનિમિયા ટેસ્ટિંગ જેવી મહત્વપૂર્ણ તપાસ પણ કરવામાં આવી હતી. કિશોરીઓને આરોગ્ય માર્ગદર્શન અને સિકલ સેલ કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ભાગ લેનાર તમામ લાભાર્થીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંખની તકલીફ ધરાવતા 45 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નંબરના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પ્રકારના આરોગ્ય કેન્દ્રીય કાર્યક્રમો કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા, સમયસર રોગોનું નિદાન કરવા અને તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વલસાડ હાઈવે પર SMCનો સપાટો:19.19 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 6 વોન્ટેડ
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારમાંથી 3208 બોટલ વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ. 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છ અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારીને મળેલી બાતમીના આધારે શુક્રવારે વહેલી સવારે હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દમણ તરફથી આવતી ઇનોવા કાર (GJ-18-ED-4949) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ચિરાગકુમાર નાનુભાઈ પટેલ (રહે. નાની દમણ), જે કારનો ડ્રાઈવર હતો, અને જીગ્નેશભાઈ નારણભાઈ પટેલ (રહે. નાની દમણ), જે હેલ્પર હતો, તેમનો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય છ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં દારૂ મોકલનાર ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડા (રહે. નાની દમણ), પાયલોટિંગ કરનાર કિરણ ઉર્ફે છનીયો અને નિલેશ ઉર્ફે નિલીયો ઘોડો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરતના સની ઉર્ફે સોહન સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 9,08,456/- ની કિંમતની 3208 બોટલ વિદેશી દારૂ, રૂ. 10,00,000/- ની ઇનોવા કાર, રૂ. 10,000/- ના બે મોબાઈલ ફોન અને રૂ. 830/- રોકડ રકમ તથા ફાસ્ટેગનો સમાવેશ થાય છે. કુલ રૂ. 19,19,286/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે.
અમેરિકાની કોર્ટમાં ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ નિખિલ ગુપ્તાએ સ્વીકાર્યો
Khalistani Pannu News : ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું. અગાઉ જૂન 2024માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સમગ્ર કાવતરું વર્ષ 2023માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે
Donald Trump Threat Iran : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું. ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે.
રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં વસ્તી ગણતરી ને ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્શનરાજકોટ મનપાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાનગરપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. એક કર્મચારી પર કામનું ભારણ વધી શકેઆમ, જરૂરિયાત કરતા 50 ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારી શકેમનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા 2,500 કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત હાલ વસ્તી ગણતરી માટે ઘટતા સ્ટાફની પૂર્તિ કરવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવી તમામ મહાનગરપાલિકાઓમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીઓ અને CGST જેવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. જો આ તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત રહેશે, તો સેન્સસ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળાઓના શિક્ષકો અને ક્લાર્કની સેવાઓ લેવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. હાલ પૂરતી પ્રાથમિકતા સરકારી સ્ટાફને જ આપવામાં આવી રહી છે, પરંતુ જરૂર પડ્યે ખાનગી સ્ટાફની મદદ લેવા માટે ઉપરથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી 19મે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો રહેશે. જેમાં કર્મચારીઓ તમામ લોકોના ઘરે જશે. આ વખતે વસ્તી ગણતરી દરમિયાન ગણતરીદારો જ્યારે લોકોના ઘરે જશે, ત્યારે તેમને અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પરિવારની સુખ-સુવિધાઓ, વાહનો, શૌચાલયની સુવિધા, પીવાનું પાણી અને ડિજિટલ સાધનોના વપરાશ અંગેની માહિતીનો સમાવેશ થશે. આ તમામ ડેટા સીધો મોબાઈલ એપ કે ડિજિટલ ટેબ્લેટમાં એન્ટર કરવામાં આવશે, જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે. રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશેરાજકોટની વસ્તીના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1981માં શહેરની વસ્તી 4.44 લાખ હતી. 1991માં તે વધીને 5.50 લાખ થઈ. 2001માં આ આંકડો 10.00 લાખ પર પહોંચ્યો. 2011માં છેલ્લી સત્તાવાર ગણતરી મુજબ વસ્તી 13.46 લાખ હતી. જોકે છેલ્લા 15 વર્ષમાં રાજકોટમાં માધાપર, મુંજકા, મોટામૌવા, ઘંટેશ્વર જેવા અનેક નવા વિસ્તારો ભળ્યા છે. શહેરનો વિસ્તાર જે 2011માં મર્યાદિત હતો તે હવે વધીને 161.86 ચોરસ કિલોમીટર થયો છે. આ ભૌગોલિક વિસ્તારના વધારા અને શહેરીકરણની ઝડપને જોતા, તંત્રનો અંદાજ છે કે આ વખતે રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશે. તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ અને તાલીમસ્ટાફની અછત હોવા છતાં, મનપા તંત્ર દ્વારા હાલમાં ઉપલબ્ધ 2,500 કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને માહિતીની ગોપનીયતા કેવી રીતે જાળવવી તે અંગે તમામને માર્ગદર્શન આપવામાં આવશે. વસ્તી ગણતરી એ માત્ર માથાની ગણતરી નથી, પરંતુ આગામી 10 વર્ષ માટેની સરકારી યોજનાઓ અને શહેરના વિકાસના રોડમેપ તૈયાર કરવા માટેનો પાયાનો ડેટા છે. તેથી, મનપાએ યુદ્ધના ધોરણે બાકીના 2,500 વ્યક્તિના સ્ટાફની વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદથી 100 કિમી અને ધોલેરા સ્માર્ટ સિટીથી માત્ર 20 કિમીનાં અંતરે નવગામ ખાતે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ હશે. અહીં એક નહીં ચાર-ચાર રનવે હશે. અત્યારે અહીં 3 કિમી લાબો એક રનવે બનીને તૈયાર થઈ ગયો છે. ભાસ્કરની ખાસ સિરીઝ 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં જુઓ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો તમે ક્યારેય ના જોયેલો ડ્રોન વ્યૂ. આ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

33 C