વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર કઈ રીતે કરવો અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કઈ રીતે લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વોર રિસ્ક સરચાર્જમાં 50 ટકા રિમ્બર્સમેન્ટ સહિતના સારા સમાચાર ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી (રાજકોટ), એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના સંયુક્ત ઉપક્રમે 17 એપ્રિલે આ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની, ECGC બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી, એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્મા અને મેનેજર પીયૂષ પલ્લવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, આ સેમિનાર ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. નિકાસકારોને ક્યા લાભ મળશે?નિકાસ દરમિયાન વસૂલવામાં આવતા ‘વોર રિસ્ક સરચાર્જ’ પર 50 ટકા રિમ્બર્સમેન્ટ કેવી રીતે મેળવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ECGC અને DGFTના અધિકારીઓએ નિકાસકારોને સરકાર દ્વારા જાહેર કરાયેલી રિલીફ સ્કીમ અને ECGC દ્વારા મળતા વીમા કવચની વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, નિકાસકારોએ કોઈપણ કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક (જેમ કે દેશો વચ્ચે તણાવ) સામે રક્ષણ મેળવવા ECGC ની સેવાઓનો અચૂક લાભ લેવો જોઈએ. આ પ્રસંગે ECGCના એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્માએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા દ્વારા નિકાસકારોને વિકટ પરિસ્થિતિઓમાં થતી નુકસાની સામે સીધી વીમા સુરક્ષા આપવામાં આવે છે. ’ આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘રિઝિલિયન્સ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન’ પેકેજના ત્રણ મુખ્ય ઘટકો અંગે પણ વ્યાપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં મુક્યો હતો. આ કાયદા હેઠળ રાજકોટમાં હજારો આસામીઓએ વધારાના બાંધકામોને ફી ભરીને કાયદેસર કરાવી લીધા, પરંતુ હવે આ જ મિલકતદારો માટે ‘ફાયર સેફ્ટી’ ગળાફાંસો બની છે. મનપાના ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, રાજકોટમાં 1304 એવા એકમ છે જેમના ઇમ્પેક્ટ પ્લાન તો મંજૂર થઈ ગયા છે, પરંતુ તેઓ ફાયર NOC મેળવવા માટે લાયક ઠર્યા નથી. તંત્રએ આવા તમામ એકમોની અરજીઓ નામંજૂર કરી વધારાનું બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી છે. જો આ બાંધકામો દૂર નહીં કરાય તો આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. ફાયર એનઓસી માટે આવેલી વોર્ડ વાઈઝ અરજીઓ એક્ઝિટ ગેટ, ડબલ સીડીના નિયમો નડ્યારાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર ફાયર સેફ્ટીના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂર થયેલા બાંધકામોમાં સૌથી મોટી સમસ્યા એક્ઝિટ ગેટ, ડબલ સીડી અને બિલ્ડિંગની ચારેતરફ રાખવાની થતી ફરજિયાત જગ્યાની છે. ઘણા કિસ્સાઓમાં આસામીઓએ માર્જિનની જગ્યામાં જ બાંધકામ કરી લીધું છે, જેના કારણે ઇમર્જન્સી સમયે ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ અંદર જઈ શકે તેમ નથી. આવા જોખમી બાંધકામોને કારણે 1300થી વધુ એકમોને અત્યારે ફાયર વિભાગે લાલબત્તી ધરી દીધી છે. ઇમ્પેક્ટ બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી કરવી ફરજિયાત, ઓનલાઈન પોર્ટલ બંધઇમ્પેક્ટ ફી હેઠળના કેસોમાં ઘણી ટેક્નિકલ વિસંગતતાઓ સામે આવી છે. વધારાના બાંધકામો બાદ બિલ્ટઅપ એરિયાની માપણી અને વાસ્તવિક બાંધકામમાં તફાવત આવતા ઓનલાઇન અરજીઓ ઇન્વર્ડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આથી, ફાયર વિભાગે નિર્ણય લીધો છે કે, ઇમ્પેક્ટના નિયમો હેઠળ થયેલા તમામ વધારાના બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. રહેણાકમાંથી કોમર્શિયલનો ખેલ ઊંધો પડ્યોઅનેક મિલકતધારકોએ રહેણાકના એકમોમાં ફેરફાર કરી તેને કોમર્શિયલ બાંધકામો તરીકે દર્શાવ્યા હતા. વધારાનું બાંધકામ કર્યા બાદ જ્યારે ફાયર NOC માટે અરજી કરવામાં આવી, ત્યારે ફાયર અને ટીપી વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના બાંધકામો ફાયર સેફ્ટીના પાયાના નિયમોનું પણ પાલન કરતા નથી. આવું પણ થયું : ગેરકાયદે બાંધકામ કર્યું, ઈમ્પેક્ટમાં મંજૂર થયું બાદમાં ફરી બાંધકામ કર્યું!ગેરકાયદે બાંધકામ કરવા માટે અમુક તત્ત્વો કેવા નિયમભંગ કરે છે તેના પણ દાખલા જોવા મળ્યા છે. સૌથી પહેલા તો ગેરકાયદે બાંધકામ કર્યું ત્યારબાદ તેને રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરી દીધી. ટી.પી. શાખાએ આવા બાંધકામની વિઝિટ કરીને રેગ્યુલરાઈઝ કરવાની પ્રક્રિયા કરી ત્યાં તો તે સ્થળે ફરીથી બાંધકામ કરી દેવાયું એટલે કે બે વખત ગેરકાયદે બાંધકામ કર્યું. અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે જેનો ફરીથી સરવે કરાશે.He/
એમ્બરગ્રીસ ઝડપાયું:ભરૂચથી ડિંડોલી આવેલું એક કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું
SOGએ ડિંડોલીમાંથી 1 કરોડ રૂપિયાનું અંદાજે 1.071 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે ડિંડોલીમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે કેટલાક લોકો પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ લઈને ગ્રાહક શોધી રહ્યા છે. ટીમે વોચ રાખી 3 શંકાસ્પદ યુવકોની તપાસ કરતાં બેગમાંથી 1.071 કિલો પદાર્થ મળી આવ્યો હતો, જેને FSL અને નિષ્ણાતોએ એમ્બરગ્રીસ જણાવ્યું હતું. પોલીસે અમરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. ત્રણેય યૂપી- જૌનપુરના રહેવાસી છે. આ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય કિંમત 1.07 કરોડ થાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે એમ્બરગ્રીસ ભરૂચના કાવી કંબોઈના માછીમારો પાસેથી મળ્યું હતું. વોન્ટેડ આરોપી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને આ પદાર્થ દરિયામાંથી મળ્યો હતો. અમરીશ, ધીરુનો સંબંધી છે. 3 મહિનાથી તે ગ્રાહક શોધી રહ્યો હતો.
ઉધના સ્ટેશન પર રવિવારે મુસાફરોની ભીડ અનિયંત્રિત થઈ સ્થિતિ બગડ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. ઘટનાના બીજા જ દિવસે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે ટીમ સાથે ઉધના સ્ટેશને પહોંચી નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન DRM પંકજ સિંહ સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમણે પેસેન્જર મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓનું બારીકાઈથી આકલન કર્યું. તેમણે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે વીકેન્ડ અને પીક સીઝન દરમિયાન મુસાફરોની સંખ્યાનું અગાઉથી આકલન કરી નક્કર રણનીતિ બનાવવામાં આવે, જેથી કોઈ પણ સ્થિતિમાં ગેરવ્યવસ્થા ન ફેલાય. તેમણે કહ્યું કે, મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. ઘટના બાબતે ચેમ્બરની રેલવે કમિટીના ચેરમેન રાકેશ શાહે જીએમને વિવિધ રજૂઆતો કરી હતી. સીધીવાત - રામાશ્રય પાંડે, જનરલ મેનેજરસવાલ: રવિવારે સ્થિતિ અનિયંત્રિત કેવી રીતે થઈ?જવાબ: 28 હજાર લોકો સ્ટેશન પર આવી ગયા હતા. તેમની વચ્ચે એક ભ્રમ ફેલાઈ ગયો કે સવારે 11.30 વાગ્યા વાળી સ્પેશિયલ ટ્રેન પછી કોઈ સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે, જેથી એક જ ટ્રેનમાં ચઢવા માટે લાઇન તોડીને ભાગવા લાગ્યા હતા. સવાલ: પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો?જવાબ: સુરક્ષા કર્મીઓએ ફેન્સિંગ પર ડંડા માર્યા હતા, જેથી લોકો પાછળ હટે, અનિયંત્રિત હાલત ન થાય, કોઈ પણ પેસેન્જરને ક્યાંય પણ ઈજા થઈ નથી. સવાલ: આવી ભીડ ન ઉમટે તે માટે શું કરાશે? જવાબ: રોજ વધારાની ટ્રેનો દોડે છે, પરંતુ હવે એક-બે દિવસ પહેલાં જ ટ્રેનોની જાહેરાત કરીશું જેથી એડવાન્સમાં જાણકારી મળે. જેને કારણે મુસાફરો પોતાની યાત્રા અગાઉથી સુનિશ્ચિત કરી શકશે. સવાલ: કાળઝાળ તડકામાં પણ ઊભા હતા જેનાથી આવી સ્થિતિ થઈ તેના માટે શું યોજના છે? જવાબ: અમે એવી તૈયારી કરી રહ્યા છીએ કે હવે મોટાભાગની સ્પેશિયલ ટ્રેનોને વહેલી સવારે અથવા આકરો તડકો થાય તે પહેલા જ ચલાવવામાં આવે. જેનાથી લોકો વધુમાં વધુ નીકળી જશે. આ સિવાય હોલ્ડિંગ એરિયા હવે આવનારા 3 મહિનામાં પૂરી રીતે અપગ્રેડ થઈ જશે. સવાલ: ઘણા મુસાફરો ટિકિટ હોવા છતાં ન જઈ શક્યા, તેમને રિફંડ પણ ન મળ્યું? શું કહેશો? જવાબ: અત્યાર સુધીમાં અમને આવી કોઈ જાણકારી મળી નથી કે ન તો આવી કોઈ ફરિયાદ મળી છે. 11.30 પછી સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે તેવી અફવા ફેલાતાં સ્થિતિ કથળી‘વોટર્સ સ્પેશિયલ ટ્રેન’માં 1300 લોકો બંગાળ ગયાઉધના સ્ટેશન પર રાત્રે અલગ જ નજારો જોવા મળ્યો હતો. અંદાજે 1300થી વધુ બંગાળી શ્રમિક મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન દ્વારા વતન રવાના થયા હતા. પ્લેટફોર્મ 5 પર મુસાફરોના હાથમાં તિરંગો અને આખું સ્ટેશન ‘વંદે માતરમ્’ તેમજ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ વ્યવસ્થા સુરત ભાજપ અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા કરવામાં આવી હતી. કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 મતદારોને ફ્રીમાં કોલકાતા પહોંચાડાશે. પ્રથમ ટ્રેન રવાના થઈ ચૂકી છે. હવે બીજી ટ્રેન 24 એપ્રિલે રવાના કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ:દિલ્હીથી 4 મહિનામાં રોકડા સવા કરોડ ટ્રાન્સફર થયા
સુરતમાં પોલીસે આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ બહાર પાડ્યું છે. આંગડિયા પેઢી પર વોચ ગોઠવી આકાશ મિશ્રા નામની વ્યક્તિને પોલીસે પકડી લેતાં તે આમ આદમી પાર્ટી માટે અન્ય સ્થળેથી આવતા રૂપિયાનો વહીવટ કરતો હોવાનું અને છેલ્લાં ચાર મહિનામાં ગુજરાતમાં આપને પ્રચાર કરવા માટે હવાલા થકી સવા કરોડ રૂપિયા મોકલાયા હોવાનું ખૂલ્યું હતું. મિશ્રા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચુક્યો છે. આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન માહિતી આવી છે કે તે ગુજરાત સહિત અન્ય રાજ્યોના આપ નેતાઓ સાથે સતત સંપર્કમાં હતો, પોલીસે સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગને પત્ર લખીને આ વિષયમાં જાણકારી આપી હતી, આ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે. હિમાંશુ પોતે આપનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ ‘પનીર વેપારી’ તરીકે આપતો હતો. તેણે મોકલેલી રકમ આકાશ સુરતની ઓફિસમાંથી લઇ લેતો, જેના CCTV પુરાવા પોલીસ પાસે છે. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે ખુલાસો કર્યો હતો કે, દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો. રકમનો અસલી ઉદ્દેશ્ય શંકાસ્પદ હતો. આ રોકડ લેવા માટે આકાશ મિશ્રા દર મહિને આવતા હતા. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આશરે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા હતા, જેની છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હતી. પનીરની ફેક્ટરી-દુકાન હોવાનું કહી પૈસા મોકલતો હતોઆ પોલિટિકલ હવાલા કેસમાં હાલમાં પોલીસ રેકોર્ડ, એન્ટ્રી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીનો નિયમિત ગ્રાહક હતો. પેઢીના સંચાલકના જણાવ્યા મુજબ, તેણે ભરોસો અપાવ્યો હતો કે તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ બહાને તે નિયમિત સુરત પૈસા મોકલતો રહ્યો, જ્યારે હકીકત કંઈક અલગ જ હતી. આશંકા છે કે આ રકમ ચૂંટણી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતી હતી.
ઉધનાની ઘટના:જમવા મામલે ઝઘડો થતાં પુત્રે 70 વર્ષીય માતાની હત્યા કરી
ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ગત રાત્રે પોતાના માટે અને તેની પુત્રી હિયા માટે “જમવાનું કેમ નથી બનાવ્યું” તેમ કહી પોતાની 70 વર્ષીય માતા પ્રતિક્ષા અને પિતા હર્ષદ શાહ સાથે ઝઘડો કર્યો હતો. આવેશમાં મેહુલે પોતાના પિતા હર્ષદનું ગળું દબાવવા જત માતા પ્રતિક્ષા તેમને છોડાવવા માટે પહોંચી ત્યારે મેહુલે માતા સાથે ઝપાઝપી કરી જોરથી ધક્કો મારી દીધો, જેથી તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા.108 આવી ત્યાં સુધીમાં પ્રતિક્ષાબેનનું અવસાન થઈ ગયું હતું. ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રતિક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે આરોપી 33 વર્ષીય મેહુલ ઉર્ફે મોન્ટુ વિરુદ્ધ પોતાની માતાની હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. પાંચ વર્ષ પહેલા પત્ની છોડીને જતી રહી હતીઉધના પીઆઇ આર.એમ. રાઠોડે જણાવ્યું કે આરોપીની પત્ની 5 વર્ષ પહેલા તેના વર્તનથી કંટાળીને તેને છોડીને જતી રહી હતી. તેને 8 વર્ષની દીકરી છે અને તે બેરોજગાર છે. આરોપી દરરોજ આ જ રીતે ઘરમાં હોબાળો કરીને ઝઘડો કરતો હતો. પિતાએ અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો5 વર્ષ પહેલા આરોપીના પિતા પ્રાઈવેટ નોકરી કરતા હતા. આ દરમિયાન એક અકસ્માતમાં તેમનો પગ કાપવો પડ્યો હતો. ત્યારથી તેઓ પણ કામ પર જઈ શકતા નહોતા. દીકરીના લગ્ન થઈ ગયા છે અને તે પરિવારને મદદરૂપ થતી હતી.
રવિવારે યોજાયેલી પીએસઆઇની પરીક્ષામાં ઉમેદવાર મોબાઇલથી ચોરી કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ બેંચ સાથે ચોંટાડેલો ફોન સેલો ટેપ ઢીલી પડતા પડી ગયો હતો. જેથી અંકલેશ્વરના રહેવાસી PSI પરીક્ષાના ઉમેદવાર રિષભ યાદવનો પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીનું નામ રિષભ રાજકુમાર યાદવ (22, ઘર નંબર A-19, કુંભણી રેસીડેન્સી, અંકલેશ્વર) છે. તે 19 એપ્રિલ 2026 ના રોજ અમરોલી સ્થિત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ (સેન્ટર નંબર 101) માં PSI ની પરીક્ષા આપવા આવ્યો હતો. તેણે અગાઉથી જ ગેરરીતિનું મોટું ષડયંત્ર રચ્યું હતું. પરીક્ષાના સમયે રિષભ સવારે 07:30 વાગ્યે ગેટ ખુલવાની રાહ જોવાને બદલે સવારે 06:30 વાગ્યે જ સ્કૂલની પાછળ પહોંચી ગયો હતો. તે પાછળનો દરવાજો કૂદીને પાર્કિંગમાં દાખલ થયો અને ત્યાંથી અંદાજે 8 થી 10 ફૂટ ઊંચો બેઝમેન્ટનો દરવાજો કૂદીને અંદર ઘૂસી ગયો. કોઈ ગાર્ડની નજરમાં આવ્યા વિના તે ચોથા માળે પહોંચીને પોતાના પરીક્ષા ખંડમાં બેસી ગયો હતો. ફોનનું વજન વધારે હોવાથી ટેપ નીકળી ગઇપોતાની બેંચ પાસે પહોંચીને રિષભે સ્માર્ટફોન સેલોટેપથી બેંચની નીચે છુપાવી દીધો હતો. પરીક્ષા દરમિયાન તે ગુગલ કે સોશિયલ મીડિયાની મદદથી જવાબ લખશે. પરંતુ મોબાઈલનું વજન વધારે હોવાથી ટેપ નીકળી ફોન ધડામ કરતાં નીચે પડી ગયો. સ્ટાફની નજર આના પર પડતા જ રિષભનો પ્લાન ફેલ થઈ ગયો.પોલીસે રિષભ વિરુદ્ધ ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ-2023 ની કલમ 3 અને 12(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત બીએનએસની કલમ 329(3) અને 223 પણ ઉમેરવામાં આવી છે.
આપનું હવાલા કાંડ:આકાશ મિશ્રા ગુજરાતના આપના તમામ મોટા નેતાઓના સંપર્કમાં હતો
આપના હવાલા કાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સોમવારે આકાશ મિશ્રાના છેલ્લા 6 મહિનાના કોલ ડિટેલ્સની તપાસ માટે ડેટા મંગાવાયો છે. આ સાથે જ શંકાના આધારે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ અને વોટ્સએપ કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગને પત્ર લખીને આ વિષયમાં જાણકારી આપી હતી, જેનો અર્થ છે કે આગામી સમયમાં આ કેસની તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ સામેલ થશે. મહિધરપુરાની અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીએ છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા દિલ્હીથી સુરત મોકલ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ પોલિટિકલ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે, હિમાંશુ પોતે આપનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ ‘પનીર વેપારી’ તરીકે આપતો હતો. આ રકમ સુરતમાં પૂર્વ મંત્રીના પીએ રહી ચૂકેલા આકાશ મિશ્રા દ્વારા લેવામાં આવતી હતી, જેના CCTV પુરાવા પોલીસ પાસે છે. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલે વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, દિલ્હીથી હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે નાણાં મોકલતો હતો. હિમાંશુ પોતાને પનીરનો મોટો વેપારી ગણાવતો હતો, પરંતુ રકમનો અસલી ઉદ્દેશ્ય શંકાસ્પદ હતો. આ રોકડ લેવા માટે પૂર્વ મંત્રીના પીએ આકાશ મિશ્રા દર મહિને આવતા હતા. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આશરે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા હતા, જેની છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હતી. હવાલા કાંડની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાશે દિલ્હીથી કરોડો રૂપિયા સુરતની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આંગડિયા મારફત હવાલાથી મોકલવાનું રેકેટ સુરત પોલીસે પકડી પાડ્યું હતું. આકાશ મિશ્રાને ક્રાઇમ બ્રાંચની પૂછપરછ પણ કરી હતી તેમાં તે રૂપિયા બાબતે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યો ન હતો. બીજીતરફ, તે ગુજરાતના ટોચના આપના નેતાઓ સાથે સંપર્કમાં હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચને શંકા છે કે દિલ્હીથી જે રૂપિયા ગુજરાતમાં આવ્યા છે તેવી જ રીત હરિયાણા, એમપી, યુપી સહિતના રાજ્યોમાં પણ મોકલવામાં આવ્યા છે કે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણીઓ છે. આ કેસની ગંભીરતા જોઈને તટસ્થ અને યોગ્ય તપાસ થાય તે માટે સુરત ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. પનીરની ફેક્ટરી-દુકાન હોવાનું કહી પૈસા મોકલતો હતોઆ પોલિટિકલ હવાલા કેસમાં હાલમાં પોલીસ રેકોર્ડ, એન્ટ્રી અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા અરવિંદભાઈ હીરેનભાઈ આંગડિયા પેઢીનો નિયમિત ગ્રાહક હતો. પેઢીના સંચાલકના જણાવ્યા મુજબ, તેણે ભરોસો અપાવ્યો હતો કે તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ બહાને તે નિયમિત સુરત પૈસા મોકલતો રહ્યો, જ્યારે હકીકત કંઈક અલગ જ હતી. આશંકા છે કે આ રકમ ચૂંટણી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતી હતી.
બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં વાયરિંગ ડક્ટને અસર:પુણા પોલારીસ મોલમાં આગ 4 માળનું વાયરિંગ બળી ગયું
પુણાના પોલારીસ મોલના બેઝમેન્ટમાં શોર્ટસર્કિટ થતાં 4 માળનું વાયરિંગ સળગી ગયું હતું. ફાયરબ્રિગેડે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બેઝમેન્ટની આગ જોતજોતામાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. વાયરિંગ ભડકે બળતાં તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનો બીએ સેટ સાથે અંદર પહોંચ્યા હતા અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. દુકાનમાં ઈન્વર્ટર ચાલુ થતાં જવાનો ફરી દોડ્યાફાયરની ટીમ પરત ફર્યા બાદ એક દુકાનદારે ઈન્વર્ટર શરૂ કરતાં ફરી વાયરિંગમાં આગ પકડાઈ ગઈ હતી. દુકાનની બહારના પેસેજમાં પીઓપીમાંથી ધુમાડો નીકળતાં ફરી ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં મોલનું વાયરિંગ સંપૂર્ણપણે બળી ગયું હતું. જો કે, વાયરિંગમાં લાગેલી આગ દુકાનો સુધી પહોંચી ન હતી, જેથી કોઈ નુકશાન કે કોઈને ઈજા થઈ ન હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:ખાડીપૂરના હલ માટે વૈજ્ઞાનિકો સર્વે કરી મોડલ બનાવશે
શહેરમાં છેલ્લાં 4 ચોમાસાથી મીઠી ખાડી ઓવરફ્લો થવાની સમસ્યાનો ઉકેલ મેળવવા સફાઈ અને એક્રોચમેન્ટ દૂર કર્યા બાદ પણ પૂરનું સંકટ ટળતું નથી, જેથી કાયમી ઉકેલ માટે પાલિકાએ હવે દેશની પ્રખ્યાત IIT અને NIH (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇડ્રોલોજી)ના નિષ્ણાતોને સુરત બોલાવ્યા છે. આંધ્રપ્રદેશ અને રૂરકી (ઉત્તરાખંડ)ના વૈજ્ઞાનિકોની ટીમે કામરેજથી હજીરા સુધીના ડેટા એકત્ર કર્યા હતા. હવે ખાડીનો ટોપોગ્રાફી સર્વે કરી કોમ્પ્યુટર પર આધુનિક હાઇડ્રોલોજિકલ મોડલ રન કરાશે, જેથી પાણીના વહેણ અને તેના નિકાલની ક્ષમતાનો ચોક્કસ ખ્યાલ આવશે. અંતે ક્યાં માળખાગત ફેરફારો કરવા પડશે તેનો રિપોર્ટ કમિશનરને સોંપશે, જેના આધારે ખાડીના અવરોધો દૂર કરવા, સાંકડા વિસ્તારને પહોળા કરવા તથા ડ્રેજિંગ વગેરે કામગીરી કરાશે. 3D નકશા સાથે આભાસી પૂરનો અભ્યાસ દબાણ અને ગેરકાયદે જોડાણોથી ક્ષમતા ઘટીખાડીમાં બેફામ સીવેજ વોટર ઠલવાતાં ઢોળાવ અને વહન ક્ષમતા ઘટી છે. મોટાપાયે થયેલું પુરાણ દૂર કરવું શક્ય નથી. માળખાગત ખામીઓ દૂર થવાથી દર વર્ષે થતો સફાઈ ખર્ચ બચશે અને ખાડીની ડ્રેનેજ સિસ્ટમની લાઈફ વધશે. - ડો. પંકજ ગાંધી, PhD (SVNIT), MURP (અર્બન પ્લાનર, CEPT અમદાવાદ) ફાયદા: આડેધડ ખર્ચને બદલે સચોટ કામગીરી 1. પાણી ક્યાં અને કેમ અટકે છે તેનું સચોટ લોકેશન પકડાશે.2. આખી ખાડીમાં આડેધડ ખર્ચ કરવાના બદલે માત્ર જરૂરી જગ્યાએ જ દીવાલ કે વહેણ પહોળું કરવાનું કામ કરાશે.3. ભવિષ્યના ભારે વરસાદ સામે ખાડી કેટલી ટકાઉ બની છે તેની અગાઉથી જાણ થઈ જશે. 5 વર્ષમાં ડીસિલ્ટિંગ પાછળ જ 20 કરોડ ખર્ચ્યાકાર્યપાલક ઇજનેર રાકેશ મોદીએ કહ્યું કે, ‘ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સપાટી વધી ખાડી ઓવરફ્લો થાય છે. એટલે હવે ટીમના રિપોર્ટ મુજબ અમલીકરણ કરાશે.’ ઉલ્લેખનીય છે કે, 40 કિમી લાંબી મીઠી ખાડીમાં 5 વર્ષમાં માત્ર પ્રી-મોન્સૂન ડી-સિલ્ટિંગ પાછળ જ 20 કરોડ ઉપરાંતનો ખર્ચ કરાયો છે.
''2018માં 26 ઓક્ટોબરે અમેરિકામાં અમારી 12 જેટલી ડેન્ટલ ઑફિસમાં FBIના 180 એજન્ટ કૂતરાઓ સાથે દરોડા પાડવા ધસી આવ્યા હતા. તેમણે ગન પોઇન્ટ પર ડૉક્ટર્સને હેન્ડ્સ અપ કરાવીને પેશન્ટ્સને બહાર કાઢી મૂક્યા. 40 ફૂટના કન્ટેન્ટરમાં ઑફિસમાંથી તમામ ડોક્યુમેન્ટ્સ ને કમ્પ્યુટર- લેપટોપનો સામાન લઈ ગયા ને હજી સુધી અમને ડોકુયમેન્ટ્સ પાછા આપ્યા નથી. લેપટોપ ને કમ્પ્યુટર તો સાત દિવસ બાદ આપી દીધા. આ ઘટનાને કારણે ડૉક્ટર્સ ઘણા ડરી ગયા ને ઘણાએ અમારી સાથે કામ કરવાનું બંધ કરી દીધું. અમેરિકામાં રહેતી વ્યક્તિ FBIના નામ માત્રથી ડરી જાય છે, પરંતુ અમે તેમની સામે પડ્યા ને લડ્યા એટલે તેઓ અમારી પર છંછેડ્યા તે વાત નક્કી છે. તેઓ યેનકેન પ્રકારે અમારી વિરુદ્ધ પુરાવા ભેગા કરવા માગતી હતી ને છેલ્લે તેમણે અમારી પર રેકેટિંગનો માફિયાધારો લગાવ્યો.....'' આ શબ્દો છે ડૉ. ભાસ્કર સવાણીના. થોડા દિવસો પહેલા જ ભાસ્કર સવાણી ને અરુણ સવાણીને અમેરિકામાં 400 વર્ષથી વધુની સજા થશે તેવી વાતો થઈ રહી છે. બંને ભાઈઓને વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ સહિત ફૂડ, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું ઉલ્લંઘન, રેકેટિંગ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરે તાજેતરમાં જ ભાસ્કર સવાણી સાથે વાત કરીને તેમનો પક્ષ જાણ્યો હતો. વાતની શરૂઆત કરતા મૂળ અમરેલીના ભાસ્કર સવાણી કહે છે, 'અમદાવાદમાંથી B.Sc ને વડોદરામાં માસ્ટર કર્યું ને સાથે સાથે વર્લ્ડ વાઇડ લાઇફમાં એજ્યુકેશન ઑફિસરની નોકરી કરી. મલેશિયામાં મામાની રબરની ફેક્ટરીમાં કામ કર્યું. આ દરમિયાન 1988માં પરિવાર અમેરિકા આવીને વસ્યો ને હું 1990માં અમેરિકાના પેન્સિલવેનિયામાં આવ્યો. હું 20 ડૉલર લઈને નીકળ્યો હતો, પરંતુ ઇટલીમાં છ ડૉલર પિત્ઝા ને કોલ્ડ ડ્રિંકમાં વપરાયા. અમેરિકાના ન્યૂ યોર્ક એરપોર્ટ પર ઊતર્યો ત્યારે ખિસ્સામાં માત્ર 14 ડૉલર હતા. ડેન્ટિસ્ટ બનવાની ઈચ્છા હતી તો ત્યાંની જાણીતી ટેમ્પલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું ને 1995માં ડેન્ટિસ્ટ થયો ને તરત જ બે ડૉક્ટર્સના ત્યાં કામ કરવા લાગ્યો. 1996માં ફ્રેન્ડે ઑનર ફાઇનાન્સિંગ કરતા ફિલાડેલ્ફિયામાં મારું પોતાનું દવાખાનું શરૂ કર્યું.' '1999માં ત્રણેય ભાઈઓ ડેન્ટલ બિઝનેસમાં જોડાયા'વાતને આગળ વધારતા ભાસ્કર સવાણી જણાવે છે, 'મારો નાનો ભાઈ નિરંજન ડેન્ટિસ્ટ ને બીજા નંબરનો ભાઈ અરુણ એન્જિનિયર છે. અમે ત્રણેય ડેન્ટલ બિઝનેસમાં સાથે કામ કરવાનું નક્કી કર્યું. ચીન ને ભારતથી ડેન્ટલ મટિરિયલ આઉટ સોર્સ કરાવતા એટલે અમને કોસ્ટ ઘણી જ ઓછી પડતાં સેવિંગના પૈસાથી બિઝનેસ એક્સપાન કર્યો. અમે ડેન્ટલ લેબ, ડેન્ટલ સોફ્ટવેરનો બિઝનેસ શરૂ કર્યો. અમદાવાદ- વડોદરામાં પણ ઑફિસ છે. ધીમે ધીમે અમેરિકાના છ રાજ્યો પેન્સિલવેનિયા, ન્યૂ જર્સી, સાઉથ કેરોલીના, મિશિગન, ટેક્સાસ તથા આયોવામાં અમારી ડેન્ટલ ઑફિસ શરૂ કરી અને એક સમયે અમારી 76 ડેન્ટલ ઑફિસ હતી. પ્રાઇવેટ સેક્ટરમાં અમારો ફેમિલી બિઝનેસ લાર્જેસ્ટ હતો. અમે ડેન્ટલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન (DSO) તરીકે કામ કર્યું એટલે કે અમે ડૉક્ટર્સને હાયર કરીએ અને તેમને તમામ પ્રકારની સર્વિસ જેમ કે આસિસ્ટન્ટ, ડેન્ટલ ચેર મેઇન્ટેનન્સ, બ્રેસિસ, ડેન્ટલના સાધનો આપતા. 2012માં અમારા બિઝનેસને અમેરિકન ડેન્ટલ મેનેજમેન્ટના નામથી રી-ઓર્ગેનાઇઝ કર્યો.' 'વાર્ષિક 50-60 મિલિયન ડૉલરની કમાણી હતી'ભાસ્કર સવાણી વધુમાં કહે છે, 'અમારી વાર્ષિક કમાણી 50-60 મિલિયન ડૉલરની હતી ને આ કમાણી સતત વધતી હતી અને અચાનક કોરોનામાં આવક ઘટી પણ પાછી આવક વધવા લાગી. અમે 150 ડેન્ટલ ઑફિસ કરવાના ધ્યેય સાથે રાત-દિવસ કામ કરતા.' 'સરકારી વીમાનું કામ પણ કરતા''અમેરિકામાં ડેન્ટિસ્ટ મોટાભાગે સરકારી વીમાનું કામ પસંદ કરે નહીં. ત્યાં ઓછી આવક ધરાવતા લોકોને સરકાર મેડિકેડ ને 65થી વધુ ઉંમરના લોકોને મેડિકેર મળે. સામાન્ય રીતે સરકારી વીમો ધરાવતા દર્દીમાં 100 ડૉલરનું બિલ બને ત્યારે 25 ડૉલર ડૉક્ટરને મળે અને વારંવાર ઑડિટની મગજમારી પણ રહેતી તેમ છતાં અમે કમ્યુનિટી સર્વિસ માટે આ કામ લેવાનું શરૂ કર્યું. જ્યાં સામાન્ય રીતે ડેન્ટિસ્ટના ત્યાં બે કે પાંચ ચેર હોય, પરંતુ અમારી મોટાભાગની ઑફિસમાં 25થી 45 જેટલી ચેર રહેતી અને તમામ પ્રકારના લોકો માટે દરેક રીતની સારવાર મળી રહેતી. સામાન્ય રીતે અમેરિકામાં ડેન્ટલની અલગ-અલગ ટ્રીટમેન્ટ માટે સ્પેશિયલ ડૉક્ટરની મોનોપોલી રહેતી, પરંતુ મેં આ મોનોપોલી તોડીને એક જ છત નીચે તમામ સારવાર ઉપલબ્ધ કરાવતાં ત્યાંના લોકોને આ ગમ્યું નહીં. પેન્સિલવેનિયામાં જ મારી 54 ઑફિસ હતી.' '2014થી FBI મારી પાછળ પડી છે'ભાસ્કર સવાણીએ પોતાને દોષિત કેવી રીતે જાહેર કરવામાં આવ્યા તેના મૂળમાં જતાં કહે છે, 'FBI (ફેડરલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન) 2014થી મારી પાછળ પડી છે. તે વર્ષે અમારી વિરુદ્ધ ફરિયાદ થઈ. વડોદરામાં એમ. એસ યુનિવર્સિટીમાં મારો રૂમ પાર્ટનર હતો તેણે આજીજી કરતાં મેં H1B વિઝા આપ્યા ને નાના ભાઈની જેમ રાખ્યો. અમે ભારતમાં ડેન્ટલ લેબ કરીને વિવિધ ડેન્ટલ સાધનો 14 દેશોમાં વેચતા. અમારી વેલ્યૂએશન વધારે આવતી. ખબર નહીં તે રૂમ પાર્ટનરના મનમાં લાલચ જાગી અને તેણે મુંબઈ સ્થિત અમારા પાર્ટનર સાથે સાંઠગાંઠ કરીને અમારા અકાઉન્ટ્સ ચોર્યા. 2012માં તે રૂમ પાર્ટનરે હાર્ટ પ્રોબ્લમ્સને કારણે રિઝાઇન આપીને ફ્લોરિડા સેટલ થવાની વાત કરી પણ તે સીધો સુરત ને પછી મુંબઈ ગયો. આ સમયે અમારે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ રિન્યૂ કરવાનો હતો, પરંતુ તેણે ઓછા પૈસામાં કામ કરવાની વાત કરીને એગ્રીમેન્ટ પોતાના નામે કર્યો ને ન્યૂ જર્સીમાં પોતાની લેબ બનાવી. તેણે પીઠ પાછળ ઘા કર્યો એટલે અમે તેની પર કેસ કરતાં તે હારી ગયો પણ તેણે અમને ત્યારે એવી ધમકી આપી હતી કે તે અમને ગમે તેમ રીતે ફસાવીને જ રહેશે. અમે ત્યારે તેને ખાસ ગંભીરતાથી લીધી નહીં' 'રૂમ પાર્ટનરે પીઠ પાછળ ખંજર ભોંક્યું''કેસ હાર્યા પછી તેણે ખોટા આક્ષેપો શરૂ કર્યા. FBIને કહ્યું કે અમારી પાસે બિલિયન્સ ડૉલર્સ છે, અમે ભારતમાં બધું છુપાવ્યું છે ને જમીનો લીધી છે. તેણે એવું પણ કહ્યું કે અમે કેરીના વેચાણના માફિયા છીએ. હકીકતમાં અમે તમામ ટ્રાન્ઝેક્શન બેંક મારફતે કરતા અને થર્ડ પાર્ટી ઑડિટિંગ હોવાથી અમને વિશ્વાસ હતો. અમે 2000થી વધુ લોકોને રોજગાર આપ્યો અને એજ્યુકેશન સેન્ટર પણ ચલાવ્યું. અમને અમેરિકન સરકાર પર વિશ્વાસ હતો કે તે આટલી મૂર્ખ નહીં હોય કે કોઈના ખોટા આક્ષેપોને સાચા માનીને અમારી વિરુદ્ધ ફરિયાદ કરશે.' ભાસ્કર સવાણી કહે છે, 'મારા ભાઈ અરુણે વેબસાઇટ બનાવી, જેમાં ગુજરાતના બિલ્ડર્સની સ્કિમની માહિતી હતી, જેથી NRI ગુજરાતમાં રોકાણ કરી શકે. રૂમ પાર્ટનરે FBIના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસને કહ્યું કે આ તમામ સ્કિમ સવાણી બ્રધર્સની છે.' 'અમને માફિયા જાહેર કર્યા'‘જૂન 2015 પછી તપાસમાં વેગ આવ્યો. ઇન્ટરપોલમાં પણ અમે ક્રિમિનલ નથી તે જોવામાં આવ્યું. અમારા ફેમિલી બિઝનેસને માફિયા બિઝનેસ જાહેર કર્યો ને રેકેટિંગ અને મોનોપોલીના આરોપ લગાવ્યા. FBIએ 2015-16માં ભારતમાં ડિટેક્ટિવ રાખીને વેબસાઇટની સ્કિમ્સ અમારી છે કે નહીં તેની તપાસ કરી, જ્યારે એમ્બેસી મારફતે સરળતાથી આ વાત જાણી શકાઈ હોત. અમદાવાદમાં જાસૂસો અલગ-અલગ સાઇટ પર જઈ ત્યાંના ચોકીદારને પૂછતા કે આ પ્રોપર્ટી સવાણી બ્રધર્સની છે? હવે ચોકીદાર શું જવાબ આપે? પછી હાથથી કાગળમાં નોંધ લખતા. છેલ્લે તેઓ અમદાવાદમાં મારી ઑફિસ આવ્યા અને મેનેજરને સવાલો કરતાં તેને શંકા ગઈ ને તેણે જાસૂસોના હાથમાંથી કાગળો છીનવીને ફોટા પાડ્યા, જેમાં એક કાગળમાં FBIનો મેઇલ મળતાં ખ્યાલ આવ્યો કે આ લોકો આ રીતે તપાસ કરે છે. પછી તો તેમણે ચીનમાં પણ તપાસ કરી. ગામડે પપ્પાના બેંક અકાઉન્ટ્સ ચેક કર્યા. આટલું જ નહીં, અમારા ફાઇનાન્સમાં મદદ કરતી મૂળ પોલેન્ડની ઓલાના અકાઉન્ટ્સ પણ ચેક કર્યા. અમે જે દેશમાં બિઝનેસ કરતા ત્યાં પણ તપાસ કરી. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચરની એક મહિલા 2017માં અમારું ખેતર જોવા ખાસ અમરેલી આવી. આ બધું જ અમારી આંખ સામે થતું હતું, પરંતુ અમને એમ હતું કે ખોટું કર્યું નથી તો ચિંતા શેની?’ '12 વર્ષની કમાણી 500 મિલિયન ડૉલર્સની હતી'ભાસ્કર સવાણી કહે છે, 'છેલ્લા 12 વર્ષમાં 500 મિલિયન ડૉલર કમાયા. FBIએ H1B વિઝા ફ્રોડનો કેસ કર્યો. અમારી 76 ઑફિસમાં 2200 કર્મચારીઓમાં માત્ર 48 H1B ધરાવતા, જેમાં 20 ભારતીય અને તેમાંથી 18 ગુજરાતી હતા, એટલે અમે H1B પર નિર્ભર નહોતા. અમે તેમને પૂરો પગાર અને ટેક્સ ચૂકવ્યો, પરંતુ છ લોકો પાસેથી વિઝા ફી પરત લીધી, જેના સ્પષ્ટ નિયમો ન હોવાથી અમે ફસાયા. આ ફી ગ્રીન કાર્ડ સ્પોન્સર પેટે લીધી હતી. ઉપરાંત, આ છ લોકોને જોબ ડિસ્ક્રિપ્શન મુજબ કામ ન આપવાના આરોપ લાગ્યા. મારી ઇઝી બાયોટેક કેમિકલ કંપની પણ હતી અને તેમાં કેમિસ્ટ તરીકે આ છ લોકોને રાખ્યા હતા. કેમિસ્ટ ત્યાં આખો દિવસ રિસર્ચ ના કરે એટલે અમને ડેન્ટલ મેનેજમેન્ટમાં પણ મદદ કરે. એકવાર એવું થયું કે FBIવાળા મારા ત્યાં આવ્યા ને મારી કઝિન સિસ્ટરના હસબન્ડ એટલે કે મારા બનેવી ઑફિસના કંઈક માળિયે ચઢ્યા હતા. તેઓ ડિસઇન્ફેક્ટના ઇનચાર્જ હતા. માળિયે ચઢવું એ જોબ ડિસ્ક્રિપ્શન સિવાયનું કામ કહેવાય અને તે જ કારણે FBIએ મારી પર હ્યુમન ટ્રાફિકિંગનો પણ આક્ષેપ કર્યો. છ લોકોના જોબ ડિસ્ક્રિપ્શનમાં વાંધો કાઢ્યો તે તમામ ગુજરાતી ને તેમાંથી ત્રણ તો મારા રૂમ પાર્ટનરના જ સગાં છે.' 'FBIથી ડરીને ગુજરાતીઓએ અમારી વિરુદ્ધ જુબાની આપી'વાતને આગળ વધારતા ભાસ્કર સવાણીએ જણાવ્યું, 'FBIએ આ છ લોકોને ધાકધમકી આપી કે તમે કોર્ટમાં સવાણી વિરુદ્ધ નહીં બોલો તો તમારું ગ્રીન કાર્ડ રદ કરી દઈશું. મારા બનેવીને પણ આ રીતની ધમકી આપી હતી એટલે અમને આ વાતની જાણ થઈ. આ છ લોકોએ એવું કહ્યું કે અમારી પાસે જોબ ડિસ્ક્રિપ્શન ઉપરાંતનું કામ કરાવતા. અમારી વિરુદ્ધ બોલ્યા તે તમામને ગ્રીન કાર્ડ આપ્યા ને છમાંથી એકના તો વિઝા કેન્સલ થયા હતા તો તેને S વિઝા આપ્યા. (S વિઝા અમેરિકાની લો એજન્સીને મદદરૂપ થયા હોય તે વ્યક્તિને આપવામાં આવે છે) FBIએ અમારી વિરુદ્ધ બોલનારને મદદ કરી. તે લોકો બસ એટલું જ ઈચ્છતા કે સવાણીનું ગ્રુપ મોટું છે તો તેને તોડીને મોટી પેનલ્ટી વસૂલ કરીએ.' 'અમારો કેસ એડમિનિસ્ટ્રેટિવ કેસ છતાં FBI હેરાન કરે છે''અમેરિકામાં ઘણાના ત્યાં ગેરકાયદેસર રીતે લોકો કામ કરે છે અને તેઓ પકડાય ત્યારે FBI 5-10 હજારનો દંડ ફટકારી છોડી મૂકે છે. ખરી રીતે તો અમારી વિરુદ્ધ જે પણ છે તે માત્ર એડમિનિસ્ટ્રેટિવ બાબત છે અને તે સહજતાથી સોલ્વ થઈ જાય એમ છે, પરંતુ FBIએ જાણી જોઈને અમારી પર કેસ કરીને દોષિત જાહેર કર્યા. FBIએ જાતે જ નક્કી કર્યું કે અમે 4.1 મિલિયન ડૉલર્સનો ટેક્સ ભર્યો નથી, પરંતુ છેલ્લે મારી પર 48 હજારનો ટેક્સ બાકી હોવાનું સાબિત થઈ. આ કેસમાં એવું છે કે H1B વિઝા ધારકોને મેં પગાર ઉપરાંત બોનસ આપ્યું હતું. હવે આ બોનસ પર જે-તે કર્મચારીએ ટેક્સ ચૂકવવાનો હોય, પરંતુ કર્મચારીએ તે આવક બતાવી નહીં ને તેમાં મારો વાંક કાઢ્યો ને મેં ટેક્સ ભર્યો નથી તેવું સાબિત કર્યું. અમેરિકામાં તેને એક્સપેન્સ રિએમ્બર્સમેન્ટ કહેવાય. મને હવે એમ કહેવામાં આવ્યું કે તમારે પગાર કરીને ટેક્સ ચૂકવ્યા બાદ બોનસ આપવાની જરૂર હતી. અમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એમ કહે છે કે તમે એક્સપેન્સ રિએમ્બર્સમેન્ટ નિર્ધારિત માપદંડ પ્રમાણે આપી શકો. FBI આ વાતને ટેક્નિકલ મેટર પર લઈ ગયા. આ છ લોકોએ જ બોનસ ડિક્લેર ના કર્યું અને તે અંદાજે એકાદ લાખ ડૉલરની આસપાસ છે. ' 'સૌથી મોટો ગુનો 32 મિલિયન ડૉલરનો નોંધ્યો છે'ભાસ્કર સવાણી જણાવે છે, 'અમારી પર 32 મિલિયન ડૉલર્સનો મેડિકેડના કોન્ટ્રાક્ટ્સનો ગુનો સૌથી મોટો છે. અમે પણ મેડિકેડના કોન્ટ્રાક્ટ્સ લેતા હતા. સરકારે અમારી પર કોઈ જાતનો પ્રતિબંધ મૂક્યો નહોતો. અમારા જ એક પાર્ટનરે મેડિકેડનો કોન્ટ્રાક્ટ લીધો પણ તેની પાસે કોઈ સુવિધા નહોતી એટલે તેણે સબ કોન્ટ્રાક્ટ અમને આપ્યો. અમે પેશન્ટ્સની સંખ્યા વધારે દેખાય અને જ્યારે આ પેશન્ટ્સ મેડિકેડમાંથી બહાર આવે તો અમારી પાસે જ સારવાર લેવાનું ચાલુ રાખે એટલે આ કામ સ્વીકાર્યું. અમેરિકામાં દરેક DSO આ રીતે જ ચાલે છે. અમારા પાર્ટનર ડૉક્ટર્સે છ વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ્ લીધો હતો અને તેમાંથી અમને 32 મિલિયનની કમાણી થઈ. અમે પૈસા ઇન્ટર સ્ટેટ બેંક ટ્રાન્સફર કર્યા હોવાનું કહીને વાયર ફ્રોડ એટલે કે મની લોન્ડરિંગનો કેસ કર્યો. જો અમે ફ્રોડ કર્યું હોય તો થોડા વર્ષ પછી પાછો મેડિકેડનો કોન્ટ્રાક્ટ અમને કેમ મળ્યો? છ વર્ષ અમને એટલા માટે કોન્ટ્રાક્ટ ના મળ્યો, કારણ કે ઇન્શ્યોરન્સના યહૂદી અધિકારીએ ભૂતકાળમાં મારી પાસે જૉબ માગી ને મેં નહોતી આપી. આ જ વ્યક્તિએ મારો ઇન્શ્યોરન્સનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કર્યો ને મારા જ પાર્ટનરને આપ્યો. અમે સર્વિસ પ્રમાણે જ બિલ બનાવ્યું છે. પેશન્ટ્સને સહેજ પણ નુકસાન થયું નથી. આ ઉપરાંત અમને એક કેસમાં એવું કહ્યું કે અમે લાઇસન્સ ધરાવતા ડેન્ટિસ્ટ પાસે ક્રેડેન્શિયલ (અમેરિકામાં ડૉક્ટરે લેવું પડતું એક સર્ટિફિકેટ) નહોતું છતાં નોકરીએ રાખ્યા. સાચું કહું તો અમેરિકામાં ક્રેડેન્શિયલ આવતા આઠ-દસ મહિના થઈ જાય છે અને ડૉક્ટર પાસે લાઇસન્સ તો હોય જ છે તો સામે એમ કહેવામાં આવ્યું કે અમારે આ ડૉક્ટર્સને પેશન્ટ્સ આપવના નહોતા, કારણ કે તેમની પાસે ક્રેડેન્શિયલ નહોતું.' 'FDAએ કોર્ટમાં જુબાની આપી છતાં દોષિત માન્યા''મારી પાસે FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) લિસ્ટેડ કંપની છે. આ કેસ સાબિત થયો નથી છતાં જ્યુરીએ દોષિત ઠેરવ્યા. અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના સ્ક્રૂમાં સહેજ ફેરફાર કર્યો હતો. FDAના અધિકારીએ કોર્ટમાં કહ્યું કે મટિરિયલ ચેન્જ નથી એટલે નવો નંબર જરૂરી નથી. માર્કેટમાં પહેલેથી એક પ્રોડક્ટ હતી, તેથી પ્રોડક્ટ એકબીજા સાથે મિક્સ ના થાય એટલે તેના પર નોટ ફોર હ્યુમન યુઝ લખ્યું હતું. એક કન્સલ્ટન્ટે આ ઇમ્પ્લાન્ટ્સ પેશન્ટ્સમાં ફિટ કર્યા, પરંતુ મેં લેખિત કે મૌખિક રીતે આનો ઉપયોગ કરવાનું કહ્યું નહોતું. 25 પેશન્ટ્સમાં ઇમ્પ્લાન્ટ્સ નખાયા, જેમાં એક મારા ભાઈ નિરંજને કર્યું હતું. નિરંજનના પેશન્ટે કોર્ટમાં કહ્યું કે નિરંજન બેસ્ટ ડૉક્ટર છે અને ઇમ્પ્લાન્ટથી કોઈ તકલીફ નથી. તેની પરમિશન લઈને જ ઇમ્પ્લાન્ટ્સ મૂકાયા હોવાથી નિરંજનને નિર્દોષ જાહેર કર્યો.' 'કડકડતી ઠંડીમાં FBI મારા ઘરનો દરવાજો તોડતી હોય તેમ લાગ્યું'ભાસ્કર સવાણી જણાવે છે, '2018માં FBIએ ઘરે-ઑફિસે દરોડા પાડ્યા, પરંતુ કંઈ મળ્યું નહીં. અમેરિકામાં વ્યક્તિદીઠ 10 હજાર ડૉલર ઘરમાં રાખી શકાય છે, જ્યારે મારા ઘરમાં ચાર વ્યક્તિ હોવા છતાં 10-12 હજાર ડૉલર જ હતા. 20 જાન્યુઆરી, 2023ની વહેલી કડકડતી ઠંડીમાં FBI દરવાજો તોડતી હોય તેવા અવાજથી અમે જાગી ગયા. 12 પાર્ટનરના ઘરે પણ દરોડા પાડીને અમારી ધરપકડ કરીને ડિટેન્શન સેન્ટર લઈ ગયા, જ્યાં ફિંગરપ્રિન્ટ અને ફોટો લેવામાં આવ્યા. ભાગી ન જઈએ તે માટે મારા અને ભાઈના પગે GPS મોનિટરિંગ ડિવાઇસ લગાવાયા. બાદમાં વકીલે એક-એક મિલિયનના બોન્ડ પર જામીન અપાવ્યા અને અમારી વિરુદ્ધ 108 પાનાંની ચાર્જશીટ દાખલ થઈ. મારી સામે પહેલા 42, પછી 33 કાઉન્ટ અને ભાઈ પર 32 તેમજ પોલેન્ડની વતની ઓલા પર 5 કાઉન્ટ મૂકાયા. કાઉન્ટ એટલે કે મેં જે અલગ-અલગ ગુના કર્યા છે તે. બેંક અકાઉન્ટ સીલ થયા અને 2023થી ધંધો તૂટી ગયો. 76માંથી માત્ર 20 ઑફિસ ચાલે છે. ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ્સ મળતા બંધ થયા. 9 માર્ચ, 2026એ જ્યુરીએ દોષિત જાહેર કર્યા અને જુલાઈ, 2026માં સજા સંભળાવાશે. હજી લાઇસન્સ રદ થયું નથી, તે ચુકાદા સુધી હોલ્ડ પર છે. બધા ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવાયા.ઘણી પ્રોપર્ટી ફ્રોઝન છે. કેટલીક પ્રોપર્ટી વેચીને ગુજરાન ચલાવવાનો પ્રયાસ છે. ભાડું ચૂકવી શકતા ન હોવાથી ભાડે લીધેલી પ્રોપર્ટી બંધ કરી છે.' '400 વર્ષની સજા થવાની નથી''9 માર્ચ પછી એવી વાતો વહેતી થઈ કે મને 420 અને મારા ભાઈને 415 વર્ષની સજા થશે, પરંતુ આ ખોટું છે. કાઉન્ટ પર સજા મળે છે, પણ તેમાં પોઇન્ટ સિસ્ટમથી સજા નક્કી થાય. FBIએ સરકારને કેટલું નાણાકીય નુકસાન થયું તે સાબિત કરવું પડશે. અમારા કેસમાં સરકારી લોસ શૂન્ય છે, તેથી જેલ સજા શક્ય નથી. હોમ અરેસ્ટ અથવા 10-12 મહિનાની સજા થઈ શકે છે. સજા મળશે તો અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. હાલમાં કેસ ઇસ્ટન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છે અને ફેડરલ લેવલનો છે. ત્યાંથી સર્કિટ કોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. સુપ્રીમ સુધી પહોંચવામાં મહિનાઓ લાગી શકે, છતાં અમે લડીશું. ત્યાં પણ હારીએ તો કોર્ટની સજા સ્વીકારવી પડશે. સુપ્રીમમાં હાર્યા છતાં 400 વર્ષની સજા નહીં થાય. ફાઇનાન્સિયલ પેનલ્ટી થશે તો નેગોશિયેટ કરીશું. અમે સત્ય માટે અંત સુધી લડીશું.' મોનિટરિંગ ડિવાઇસ પગમાં હોય તો શુ્ં કરી શકાય ને શું નહીં?ભાસ્કર સવાણી જણાવે છે, 'જાન્યુઆરી, 2023થી 9 માર્ચ, 2026 સુધી હું પેન્સિલવેનિયાની 9 કાઉન્ટી (જિલ્લા)માં સવારના સાતથી રાતના 10 વાગ્યા સુધી છૂટથી જઈ શકતો હતો. ઘરે આવનારા દરેક વ્યક્તિની યાદી દર અઠવાડિયે પોલીસને આપવી પડતી. મોનિટરિંગ ડિવાઇસ હોવાથી મંદિરે જવા અગાઉથી પરમિશન લેવી પડતી. 9 માર્ચે દોષિત જાહેર થયા પછી હવે હું ઘર બહાર મારી પોતાની મેડિકલ ઇમર્જન્સી સિવાય નીકળી શકતો નથી. રિલેક્સેશન માટે અપીલ કરવાની છે. ઓક્ટોબર, 2026માં દીકરીના લગ્ન હોવાથી કોર્ટને હિયરિંગ અને સજા ઓક્ટોબર પછી રાખવાની અપીલ કરી છે.' 'અમેરિકામાં DSO આ જ રીતે કામ કરે છે'ભાસ્કર સવાણી કહે છે, 'કોર્ટે કેસ લૉ આધારે મને દોષિત જાહેર કર્યો. સુપ્રીમમાં થોડા સમય પહેલા કુસીસીસ (Kousisis) વિરુદ્ધ કેસ થયો હતો. કુસીસીસ પેઇન્ટર હતો અને બ્રીજ-રસ્તાઓને પેઇન્ટ કરવાના કોન્ટ્રાક્ટ લેતો. તે માઇનોરિટી કમ્યુનિટીમાંથી હોવાથી તેને ઘણા કોન્ટ્રાક્ટ મળ્યા. એક બ્રીજ પેઇન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ અન્ય માઇનોરિટી વ્યક્તિને મળ્યો, પરંતુ તેની પાસે સાધનો ન હોવાથી સબ કોન્ટ્રાક્ટ કુસીસીસને આપ્યો. સુપ્રીમમાં સાબિત થયું કે કુસીસીસે હક વગર કોન્ટ્રાક્ટ લીધો, જે ફ્રોડ ગણાયો અને તેને સજા મળી. આ ચુકાદો હવે અમેરિકામાં કેસ લૉ છે, એટલે આવું કરનારને સજા થાય છે. આ જ આધારે અમારી સામે છ વર્ષ સુધી અન્યના નામે કોન્ટ્રાક્ટ લીધા હોવાનું સાબિત કરાયું, પરંતુ અમે આવું કર્યું નથી અને લીગલી કામ કર્યું છે. અમેરિકામાં દરેક DSO આ જ સ્ટ્રક્ચરથી કામ કરે છે.' 'પોલિટિકલ ટાર્ગેટ પણ કર્યો છે'ભાસ્કર સવાણી કહે છે, 'અમેરિકામાં બિઝનેસમેન બનતા લોકો સામાન્ય રીતે રિપબ્લિક પાર્ટી (ડોનાલ્ડ ટ્રમ્પ)ને વોટ આપે. મેં શરૂઆતમાં બિલ ક્લિન્ટનને મત આપ્યો, પરંતુ ભારત પર બૅન મૂકતા વૉટ આપવાનું બંધ કર્યુ. કમલા હેરિસ પોતાને ભારતીય માનતી નથી અને કાશ્મીર મુદ્દે મેં તેમનો વિરોધ કર્યો હતો. મેં તુલસી ગબાર્ડને સપોર્ટ કર્યો હતો. FBIએ મારું કમ્પ્યુટર-લેપટોપ જપ્ત કર્યું ત્યારે 1300 ડોક્યુમેન્ટ્સમાં તેની સાથેના ફોટા પણ હતા. તે મારા ઘરે આવી ચૂકી છે અને મેં તેના માટે ફંડ રાઇઝિંગ કર્યું હતું. તેના સપોર્ટ બદલ મને હેરાન કરવામાં આવ્યો. 2022માં કમલા હેરિસે ઇસ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જેકલીન રમેરોની નિમણૂક કરી. જેકલીનના હાથમાં જ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ છે. 2014માં કેસ થયો અને 2023માં પગમાં બેડીઓ બાંધવામાં આવી. હું દેશ છોડીને ક્યાંય નાસી જવાનો નથી. આટલું જ નહીં, તુલસી ગબાર્ડનું નામ લીધા વગર મારા પોલિટિકલ કનેક્શનનો પણ ઉલ્લેખ થયો, પરંતુ તેને કેસ સાથે શું સંબંધ?' 'ગુજરાતી હોવાને કારણે ટાર્ગેટ કર્યો'ભાસ્કર સવાણી માને છે, 'મને ગુજરાતી હોવાને કારણે ટાર્ગેટ કરવામાં આવ્યો. એક ગુજરાતીએ મારી પીઠ પાછળ ઘા કર્યો. આપણામાં હજી પણ અન્યનો ધંધો કબજે કરવાની માનસિકતા છે. ડૉક્ટર તરીકે મેં ક્યારેય વંશીય ભેદભાવનો સામનો કર્યો નથી અને દરેક કમ્યુનિટીને રોજગાર આપ્યો છે. પરંતુ અમેરિકાના લોઅર લેવલના અધિકારીઓમાં હજુ પણ ભેદભાવ છે અને તેઓ ભારતીય-ગુજરાતીઓને આગળ વધતા કેવી રીતે રોકવા તેનો સતત પ્રયત્ન કરે છે. હોટલ-મોટલ બિઝનેસમાં ઘણા ગુજરાતીઓને ટાર્ગેટ કરીને હેરાન કર્યા છે, કેટલાક સેટલમેન્ટ કરે છે, તો કેટલાકને જેલમાં ધકેલે છે. ઇન્ડિયન ડૉક્ટર્સને પણ હેરાન કરવામાં આવે છે. 'ડૉ. બોથરા' મૂવી સત્ય ઘટના પર આધારિત છે. ડૉ. નીલ આનંદને જેલમાં નાખ્યો. શિવા અકુલા ગંભીર દર્દીઓની સારવાર કરે છે તો તેને એમ કહીને જેલમાં પૂર્યો કે તે ખોટા બિલ બનાવે છે. જો ભારતીય ડૉક્ટર પેઇન કિલર દવા વધારે લખે તો તેને અંદર કરી દે છે. અમેરિકામાં પણ જજ નિષ્પક્ષ રહીને કામ કરતા નથી.' 'ગુજરાતીઓમાં એકતા નથી'ભાસ્કર સવાણી કહે છે, 'વ્યક્તિગત રીતે અમે મજબૂત છીએ, પરંતુ ગુજરાતી-ભારતીયોમાં એકતા નથી. સમાજમાં ઇર્ષ્યા, જ્ઞાતિવાદ અને જાતિવાદ હજુ પણ છે. કોઈ મુશ્કેલીમાં આવે ત્યારે આપણે સાથે ઊભા રહેતા નથી, જ્યારે યહૂદીઓ એકતા સાથે લડે છે. મારા કેસમાં લોકો FBIના ડરથી મદદ કરતા નથી, કારણ કે ગ્રીન કાર્ડ અને વિઝા રદ કરવાની ધમકી મળે છે. આપણે ડરપોક બનીને વિવાદથી દૂર રહેવામાં માનનારા છીએ. કેટલાક ગુજરાતીઓ મારી સ્થિતિ જોઈને ખુશ થાય છે અથવા માને છે કે મેં કંઈ ખોટું કર્યું હશે. અમે ટૂંક સમયમાં માસ કમ્યુનિટી પિટિશન કરીશું અને આશા છે કે ભારતીયો-ગુજરાતીઓ સાથ આપશે.' આ કેસને કારણે પરિવારની સ્થિતિ અંગે વાત કરતાં ભાવુક થઈ ગયેલા ભાસ્કર સવાણી કહે છે, 'પપ્પા 84 ને માતા 83 વર્ષના છે અને તેઓ ભાંગી પડ્યા છે. અમારી નાણાકીય સ્થિતિ સારી નથી. અમે તો કફન લઈને નીકળેલા ગુજરાતીઓ છીએ અને લડીશું એ નક્કી છે. બંને દીકરીઓ હચમચી ગઈ છે. બંને જમાઈઓ અમેરિકન છે, એક જમાઈ ડૉક્ટર ને એક ડિફેન્સ કંપનીમાં કામ કરે છે. સાચું કહું તો હાલમાં મેં બધું જ ભગવાન પર છોડ્યું છે. 14 ડૉલર લઈને આવ્યો ત્યારે મારી પાસે શું હતું?' 'બ્રાઉન પીપલ હેરાન થાય જ છે''અમેરિકન મીડિયા હવે ગુજરાતી કમ્યુનિટીને ઓળખતી થઈ છે. તેમને ખ્યાલ આવ્યો કે આ કમ્યુનિટી સફળ ને પૈસાદાર છે. આ જ કારણે હવે સફળ ગુજરાતી કે ભારતીયને ટાર્ગેટ કરવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકામાં બ્રાઉન કે બ્લેક પીપલને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. વ્હાઇટ પીપલને વાંધો આવતો નથી. ઇમિગ્રન્ટ્સનો દેશ હોવા છતાં અધિકારીઓ હવે ઇમિગ્રન્ટ્સને જોઈ મોં ચઢાવે છે. અમારી નાની મેટરને વિકરાળ સ્વરૂપ આપી અમને માફિયા જાહેર કર્યા.' 'જીવનનો અભિગમ બદલાયો'ભાસ્કર સવાણી કહે છે, 'આ મુશ્કેલીએ જીવન પ્રત્યેનો અભિગમ બદલ્યો અને પેરેન્ટ્સની વધુ ચિંતા થાય છે. હવે હું જે પણ કરીશ તે ભારતમાં જ કરીશ. જીવનનું ચેપ્ટર 2 ભારતમાં શરૂ થશે. કોર્ટમાંથી છૂટ્યા પછી પાસપોર્ટ રિન્યૂ કરીને તરત જ પેરેન્ટ્સને મળવા આવીશ.' 'ભારતમાં અડધી રોટલી મળે તો ત્યાં જ રહો'‘અમેરિકામાં સરકાર બદલાય ત્યારે નીતિઓ પણ ચેન્જ થાય અને અમેરિકનના મનમાં ભારતીયો પ્રત્યે ઇર્ષ્યા છે. ભારતમાં રહીને પણ વિદેશમાં બિઝનેસ કરી શકાય છે. સારું ભણતર હોય તો ભારતમાં અડધી રોટલી ખાઈને પણ સુખી રહેવું વધારે સારું. આવતી સદી એ ભારતની છે.’ 'કાશ પટેલ-ટ્રમ્પ સાથે કનેક્શન છે'FBIના વડા કાશ પટેલ બન્યા ત્યારે ભાસ્કર સવાણીએ તેમની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. તેઓ કહે છે, 'અમે કાશ પટેલને લાંબા સમયથી ઓળખીએ છીએ અને ટ્રમ્પ સાથે પણ કનેક્શન છે. ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર ને મારા કઝિનના છોકરાઓ ક્લાસમેટ હતા અને તેના ગ્રેજ્યુએશનમાં હું હાજર હતો. હાઇ લેવલ પર અમારી સારી ઓળખાણ છે. કાશ પટેલ સાથેની તસવીર જોયા બાદ ઘણા લોકો એવું કહે છે કે ઓળખાણ હોવા છતાં FBIએ કાર્યવાહી કરી. અમને તો કાશ પટેલ પણ બચાવી શકતો નથી. ટ્રમ્પ શાસનના લૉઅર લેવલના અધિકારીઓમાં ઇર્ષ્યા છે. મેં ડોનાલ્ડ ટ્રમ્પને પણ પત્ર લખ્યો છે. હું હવે કાશ પટેલને પણ લેટર લખીને મારી વિરુદ્ધ થયેલી તપાસની તપાસ કરવામાં આવે તેમ કહેવાનો છું. એ વાત નક્કી છે કે હું શાંતિથી બેસીશ નહીં. મેં કંઈ જ ખોટું કર્યું નથી કે મારે દબાઈને રહેવાની જરૂર પડે.' '6 મિલિયન ડૉલરનો ખર્ચ થયો'ભાસ્કર સવાણી કહે છે. 'અમે 2018થી લડી રહ્યા છીએ ને અત્યાર સુધી અમે અંદાજે છ મિલિયન ડૉલર (ભારતીય રૂપિયા પ્રમાણે અંદાજે 50-55 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે અને હજી પણ વધશે. અમારે લડવા પ્રોપર્ટી વેચવી પડશે તે નક્કી છે. અમારા ત્યાં વકીલ કલાકના 1800 ડૉલર ચાર્જ કરે છે. ' હાલમાં કેવી રીતે સમય પસાર કરે છે'આ મુશ્કેલ ઘડી કેવી રીતે પસાર કરે છે તે અંગે ભાસ્કર સવાણી કહે છે, 'સ્ટ્રેન્થ માટે મોટિવેશનલ બુક્સ વાંચુ ને આધ્યાત્મિક હોવાથી પૂજા પાઠ કરું. છેલ્લા 30 વર્ષથી સતત દોડધામ કરતો એટલે લાગે છે કે ભગવાને શાંતિનો સમય શોધ્યો. મેડિટેશન પણ કરું. હવે તો હનુમાન ચાલીસા મોઢે આવડી ગયા. ગીતા પાઠ તો નાનપણથી કરતો આવ્યો છું. કર્મનો સિદ્ધાંત ને લૉ ઑફ એનર્જીમાં માનું છું.' નિરાશા સાથે ભાસ્કર સવાણી કહે છે, 'વકીલોએ ખાસ પગલાં લીધા નહીં, તેથી 2023માં આખી ટીમ બદલવી પડી. તેઓ કહેતા કે તમે કંઈ ખોટું કર્યું નથી, એટલે સજા નહીં થાય. અર્નેસ્ટ એન્ડ યંગ પાસેથી ફાઇનાન્સિયલ રિવ્યૂ કરાવ્યો ને ક્લિન રિપોર્ટ મળ્યો, તેથી મને પણ વિશ્વાસ રહ્યો. પરંતુ વકીલોએ મને જ્યુરી સામે બોલવા દીધો નહીં, કારણ કે ક્રોસ એક્ઝામિનેશનમાં ફસાઈ જવાનો ડર વકીલને હતો.' 'આર્થિક સ્થિતિ નબળી હોવાથી કોલેજની સાથે જૉબ કરી'ભાસ્કર સવાણીના પેરેન્ટ્સ માધવરાય અને નર્મદાબેન અમરેલીના દામનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા. માતા દિવ્યાંગ હોવા છતાં નોકરી અને ઘર સંભાળતા. આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં ત્રણેય સંતાનોના શિક્ષણ પર ભાર મૂક્યો અને જરૂરિયાતમંદો બાળકોને મફતમાં ભણાવતા. '1990માં અમેરિકામાં હું પિત્ઝા ડિલિવરી બોય તરીકે કામ કરતો. ત્રણેય ભાઈઓને પિતા સાથે મળીને ન્યૂઝ પેપર નાખવા જતા. વીકએન્ડમાં ગેસ સ્ટેશનમાં નાઇટ જૉબમાં જાગીને ડેન્ટલ એક્ઝામની તૈયારી કરતો. કોલેજની સાથે સાથે ડેન્ટલ આસિસ્ટન્ટ પણ હતો. તે સમયે વીકમાં 40-42 કલાક કામ કરતો. ડેન્ચર બનાવતા શીખ્યો. મામા અમને લઈ અમેરિકા આવ્યા એટલે પિતાએ તેમની પાસે કોઈ આર્થિક મદદ માગી નહીં. પપ્પા એમ જ કહેતા કે અડધી રોટલી ખાઈને જીવીશું પણ કોઈની પાસે હાથ લાંબો કરીશું નહીં. અમે ભાડાના મકાનમાં રહી લોન લઈને અભ્યાસ પૂરો કર્યો.' અમેરિકામાં કેરીનો પ્રતિબંધ ભાસ્કર સવાણીને કારણે ઉઠાવવામાં આવ્યોબહુ ઓછાને ખ્યાલ હશે કે 2006માં અમેરિકાએ ભારતીય કેરી પરનો બૅન ઊઠાવ્યો તેમાં ભાસ્કર સવાણીનો મહત્ત્વનો ફાળો છે. તેમણે છ વર્ષ સુધી આ અંગે કામ કર્યું ને 2006માં પ્રેસિડન્ટ બુશે કેરી પરનો પ્રતિબંધ ઉઠાવ્યો. આ જ કારણે 27 એપ્રિલ, 2007માં અમેરિકામાં ભારતની કેરી આવી. તે સમયે ગુજરાતની કેસરને કોઈ ઓળખતું નહોતું તો ભાસ્કર સવાણીએ તેને ત્યાં લોકપ્રિય કરી. તેમણે ક્વીન કેસર ને કિંગ આલ્ફાન્ઝા નામકરણ કર્યું છે.
સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે વિવાદ વધુ વકર્યો છે. ગઈકાલે 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે. કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે. મળતી વિગત અનુસાર, બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા, તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. જેમાં મેરેજ સર્ટિફિકેટ મુજબ 10 ઓકટોબર, 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતાં. જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યાં હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા છે. 'ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં'કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા મારફતે વીડિયોમાં જણાવ્યું છે કે, મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સેરથા ગામમાં ગયા હતાં. હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી, ત્યાં ગયા એટલે અમે કહ્યું કે ભાઈ મારી છોકરી અમને સોંપી દો એટલે અમને અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતાં. ‘અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો’શારદાબેન મહેરિયાએ કહ્યું કે, મારી સમાજને અને મારી અઢારે આલમને મારી એટલી જ નમ્ર વિનંતી કે મારી છોકરી એક સિંગર છે. હવે કઈ રીતે આ બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. આ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહ્યો છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમને અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ વિજાપુર ખાતે છેઆ અંગે ગાંધીનગરમાં સૂત્રોએ જણાવ્યું કે, ચારેક દિવસ પછી કાજલનો પ્રોગ્રામ મહેસાણાના વિજાપુર ખાતે યોજાશે. ત્યારબાદ આવતા મહિને કાજલ ઓસ્ટ્રેલિયા જવાની છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ.જી.દેસાઈએ જણાવ્યું કે, કાજલ મહેરિયાના લગ્નનું સર્ટિફિકેટ 20 એપ્રિલે મળી ગયું છે. સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજનો વિવાદ વધુ વકર્યોગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 19 એપ્રિલે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા- સંદિપ મહેરિયાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે. જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. 'તમારી છોકરી પાછી આવતી હોય તો લઈ જાઓ'અલ્પેશ ઠાકોરના માતા તારાબેન ઠાકોરે ગઈકાલે(20 એપ્રિલે) એક પ્રાઈવેટ મીડિયાને જણાવ્યું હતું કે, '20-25 લોકો આવ્યા હતા, ને કહ્યું છોકરાને પાછો વાળી લો'કાજલ મહેરિયાના જેની સાથે લગ્ન થયા એ અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે 20 એપ્રિલે જણાવ્યું હતું કે, કાલે(19 એપ્રિલ) 20-25 લોકો આવ્યા હતા. તમારા છોકરાને બોલાવો અને પાછો વાળી લો અને અમારી છોકરી ભલે મરી જતી. અમે ફરિયાદ નોંધાવી છે. 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) હાલ આ મામલે કાજલ-અલ્પેશનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથીઉલ્લેખનીય છેકે,કિંજલ દવે અને ગીતા રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. હાલ કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોણ છે કાજલ મહેરિયા? કાજલ મહેરિયા વિસનગરના ગોઠવા ગામની વતની કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ મહેરિયા છે. કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતમાં લોકગાયિકા તરીકે સારી એવી ખ્યાતિ ધરાવે છે. તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તે લોકગીતો, ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવા ગુજરાતી ગીતોને તેનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યાર બાદ કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
11મી એપ્રિલની એ સવાર એક ઘરના બંધ દરવાજા પાછળ ધરબાયેલી હત્યાનો પર્દાફાશ કરવાની હતી. બહેને ખાટલામાં સૂતેલા ભાઇને જોયો પણ તેને ખબર નહોતી કે વ્હાલો વીરો કાયમ માટે પોઢી ગયો છે. શરીરે કોઇ ઇજા નહોતી. લોહીના કોઇ ડાઘ નહોતા તો પછી એ યુવાન કેવી રીતે મૃત્યુ પામ્યો હતો? પોલીસની એન્ટ્રી થયા બાદ આ કેસ અકસ્માતે મોતમાંથી હત્યાના ગુનામાં ફેરવાઇ ગયો. અત્યારના સમયમાં પતિ, પત્ની ઓર વોના કિસ્સા સૌથી વધુ બની રહ્યાં છે. આડા સબંધોને કારણે ઘણીવાર પતિ કે પત્નીનું મર્ડર થાય છે અને આખા પરિવાર પર અસર થાય છે. આ કિસ્સો પણ આવો જ છે. દોઢ વર્ષના આડા સંબંધો, રાતે થયેલો કકળાટ અને આવેશમાં આવીને ભરાયેલા એક પગલાંએ 3 માસૂમ બાળકોની છત્રછાયા છીનવી લીધી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત કાતિલ પ્રેમ કહાનીની. જેનો અંતે જેલના સળિયા પાછળ આવ્યો છે. સવારે સાતેક વાગ્યાનો સમય હશે. સાણંદના પરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસમાં પણ સામાન્ય રીતે જ દિવસ શરૂ થયો હતો. એક યુવતી એના ઘરેથી નીકળીને ચાલતી ચાલતી જતી હતી. રસ્તામાં તેના ભાઇ સંજયનું ઘર આવ્યું. બહારથી આંકડી મારેલી હતી. તેણે મનોમન વિચાર્યું કે આટલી વહેલી સવારે આંકડી? ભાઇ સંજય અને પાયલ ભાભી ક્યાં ગયા? લાવ, ઘરમાં જઇને જોવા દે.. આ યુવતીના લગ્ન સાટા પદ્ધતિથી થયા હતા પરંતુ તેને પતિ સાથે બનતું ન હોવાથી એ છેલ્લા કેટલાય સમયથી માતા પિતા સાથે રહેતી હતી. જેના ઘરની બહાર આંકડી મારેલી હતી તે સંજયના લગ્ન પાયલ સાથે થયા હતા. તેને સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર હતા. સંજયની 2 પુત્રીઓ દાદા-દાદી સાથે જ રહેતી હતી. આમ તો સંજય દરરોજ સવારે કામ પર નીકળી જતો એટલે ઘર પર તાળું હોય પણ આ વખતે ફક્ત આંકડી મારેલી હતી. જે શંકાસ્પદ લાગતા એ યુવતી દરવાજો ખોલીને અંદર ગઇ. સંજય હજી ખાટલામાં સૂતો હતો. જે જોઇને યુવતીને આશ્ચર્ય થયું અને મનમાં સવાલ- અત્યારમાં પાયલ ભાભી ક્યાં ગયા હશે? મનમાં ચાલતા વિચારો અને સવાલોને એકબાજુ મૂકીને તે સંજયની નજીક ગઇ અને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગ્યો નહીં. સંજય... સંજય... બૂમ પાડીને 2-3 વાર હલબલાવ્યો પણ ફરીથી નિષ્ફળતા મળી. હવે તે ગભરાઇ ગઇ. તરત જ પિતાને ફોન કર્યો અને સંજયની સ્થિતિ વિશે વાત કરી. તેના માતા-પિતા પણ નજીકમાં જ રહેતા હતા. દીકરાની હાલત વિશે જાણીને તે હાંફળા-ફાંફળા થતા તરત ત્યાં પહોંચી ગયા. માતા-પિતાએ પણ સંજયને જગાડવાનો પ્રયાસ કર્યો પણ તે ન જાગ્યો. આગલી રાતે તો ઘરે બનાવેલાં ભજિયાં લઇને સંજય પિતાના ઘરે આપવા ગયો હતો. ત્યારે તેને કશું નહોતું પણ બીજા દિવસની સવારે તેની આ હાલત જોઇને પરિવારને ફાળ પડી. સૌએ બૂમાબૂમ કરી મૂકી. જે સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા. હવે એક જ ઉપાય હતો સંજયને જેમ બને તેમ જલ્દી દવાખાને લઇ જવો કેમ કે ત્યાં પહોંચ્યા પછી જ કંઇક ખબર પડે તેમ હતું એટલે બધા ભેગા મળીને સંજયને CHC સેન્ટર લઇ ગયા. જો કે કોઇને ખબર નહોતી કે તે ક્યારનોય મૃત્યુ પામ્યો છે. CHC સેન્ટરમાં ફરજ પરના ડૉક્ટરે તપાસ કરીને જાહેર કર્યું કે સંજય તો મૃત્યુ પામ્યો છે. સૌથી મોટો સવાલ એ હતો કે તેના શરીરે ઇજાના કોઇ નિશાન નહોતા તો મોત થયું કેવી રીતે? ડૉક્ટરને આ કેસ શંકાસ્પદ લાગતા રૂટિન કાર્યવાહી પ્રમાણે પોલીસને જાણ કરી અને FSL દ્વારા તપાસ કરવાનું પણ સૂચવ્યું. ડૉક્ટર તરફથી જાણ થયા બાદ સાણંદ પોલીસનાં કેટલાક જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોલીસ અને પરિવાર વચ્ચે કંઇક આ રીતનો સંવાદ થયો.‘કોણ છે આ’‘અમારો દીકરો છે,સાહેબ.’‘શું નામ છે?’ ‘સંજય’‘શું થયું છે?’ ‘અમને ખબર નથી.’ જેમ જેમ પોલીસ પોતાની સ્ટાઇલમાં પરિવારને સવાલો પૂછતી ગઇ તેમ તેમ ઘટના સ્પષ્ટ થતી ગઇ. હોસ્પિટલમાં હાજર પોલીસ જવાનોએ તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે PI સહિત પોલીસ સ્ટેશનનો વધારાનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. આખો મામલો જાણી લીધો. FSL રિપોર્ટ કરવાનો આદેશ અપાયો અને પોલીસે અકસ્માતે મોત થયાનો ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ થયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસની એક ટીમ સંજયના ઘરે પહોંચી. સૌથી પહેલા સંજયને જોનાર બહેનની પૂછપરછ કરી. જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા. ઘરનો દરવાજો બહારથી બંધ હતો જેથી એટલું તો સ્પષ્ટ થયું કે મરનાર કોઇ દિવસ ઘરનો દરવાજો બહારથી બંધ ન કરે. બીજું, મૃતકની પત્ની પાયલ દેખાતી નહોતી. પોલીસે પાડોશમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પાયલનું બાજુમાં જ રહેતા રાહુલ નામના યુવાન સાથે અફેર ચાલતું હતું. આ માહિતીએ રાહુલને પોલીસના રડાર પર લાવી દીધો. હવે પોલીસને રાહુલની શોધ હતી. તપાસ કરી તો રાહુલ ઘરે નહોતો. આ તપાસ ચાલતી જ હતી ત્યાં એક નવો જ ટ્વીસ્ટ આવ્યો. પાયલની માતાએ કડીના બાવલુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે મારી દીકરીને તેનો પતિ અને સસરા બન્ને હેરાન કરે છે. બીજીતરફ સાણંદ પોલીસે ફટાફટ 4 ટીમ બનાવી દીધી. એક ટીમ પાયલ અને રાહુલને શોધવામાં લાગી હતી. બીજી ટીમ બાવલુ પોલીસ સ્ટેશનમાં મોકલી આપી. ત્રીજી ટીમને CCTVની તપાસમાં લગાવી હતી. ચોથી ટીમ ટેકનિકલ સોર્સિસ માટે હતી. આમ સાણંદ પોલીસના તમામ 50 જવાનોનો સ્ટાફ આ કેસનું કોકડું ઉકેલવામાં લાગી ગયો હતો. પોલીસ કોઇ જોખમ લેવા માગતી નહોતી કેમ કે મોટાભાગે કેસમાં એવું બનતું હોય છે કે આરોપીને પકડવામાં જેટલું મોડું થાય એટલો જ આરોપી પોલીસની પકડથી દૂર થતો જાય છે. સૌથી મોટી વાત એ હતી કે સંજય અને પાયલને 2 છોકરી અને એક છોકરા સહિત 3 નાના સંતાનો હતા. ડર એ વાતનો હતો કે જો પાયલ નહીં મળે તો એ સંતાનોનું શું થશે? પોલીસે FSLની ટીમ અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. ડોગને સંજયના ઘરે લઇ ગયા. જ્યાંથી તે સીધો રાહુલના ઘરે ગયો. રાહુલના ઘરમાં થઇને પાછળના રસ્તેથી બહાર નીકળીને પીપળ પાટિયા તરફ ગયો પણ આગળ કંઇ પગેરૂં ન મળ્યું. આ કેસમાં પ્રાથમિક તથ્યોના આધારે પાયલ અને રાહુલ બન્ને શંકાના ઘેરામાં હતા પરંતુ ચોક્કસ કારણ જાણવા ન મળે ત્યાં સુધી કોઇના તરફ આંગળી ચિંધી શકાય તેમ નહોતી કારણ કે સામાન્ય ઝઘડામાં પણ ક્યારેક કોઇને ડરના માર્યા એટેક આવી જાય તો બાકીના ગભરાઇને ભાગી જતાં હોય છે. સાણંદ PI ગોહિલ બોપલમાં હતા એ સમયે આવો જ એક બનાવ બન્યો હતો. બધા મિત્રો વોલીબોલ રમવા ગયા હતા, ત્યાં CCTV હતા. એક યુવાનને વોલીબોલ રમતા-રમતા એટેક આવી ગયો. જોકે અન્ય લોકો હાજર હતા. જેમની સામે આ ઘટના બની હતી. આવી ઘટનામાં કોઇ સાક્ષી ન હોય તો તરત ખબર ન પડે કે માણસ કેવી રીતે મર્યો. ફોરેન્સિક રિપોર્ટ ન આવે ત્યાં સુધી એવું ચોક્કસ ન કહી શકાય કે મર્ડર જ છે. જો કે સંજયના મોતનું કારણ સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ ગયું. FSLને તપાસ આપ્યા બાદ એક ટીમ સતત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખડેપગે હતી ત્યાંથી સાંજે રિપોર્ટ પણ આવી ગયો. જેમાં સંજયના મોતનું કારણ સ્પષ્ટ હતું કે ગળું દબાવવાથી આ મોત થયું છે. પાયલ અને રાહુલ ગાયબ હતા એટલે પોલીસે કોલ ડિટેલ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એ તમામના ફોન નંબર બંધ આવતા હતા. જેથી કઇ દિશામાં ગયા હશે એની ખબર પડી શકે એમ નહોતી. મૂંઝવણમાં મૂકાયેલી પોલીસ હવે શું કરવું તેનો વિચાર કરતી હતી તેવામાં જ CCTVની તપાસ કરતી ટીમને પહેલી સફળતા મળી. બાવળા તરફ જતાં માર્ગ પર લાગેલા એક CCTVમાં પાયલ, રાહુલ દેખાઇ ગયા ત્યાંથી આગળ તેમને ટ્રેક કરવામાં આવ્યા. CCTVમાં બન્ને ક્યારેક રિક્ષા, ક્યારેક ડમ્પર તો ક્યારેક ચાલીને જતાં દેખાયા. એમની સાથે 3 વર્ષનો છોકરો હતો. પોલીસની ટીમે બન્નેને ટ્રેક કરવાનું ચાલુ જ રાખ્યું. આમ કરતા કરતા પોલીસ થાનગઢ સુધી પહોંચી ગઇ. થાનગઢ અને રાહુલને એક કનેક્શન ખૂલ્યું. અહીં તેના મામાનું ઘર હતું. પોલીસ રાહુલના મામાના ઘરે પહોંચી તો ત્યાં પાયલ, રાહુલ અને રાહુલના માતા-પિતા, ભાઇ, દાદા સહિત આખો પરિવાર ત્યાંથી મળી આવ્યો. અચાનક પહોંચેલી પોલીસને જોઇને સૌ સ્તબ્ધ થઇ ગયા. તેમના ચહેરાએ પોલીસને એ વાતની સાબિતી આપી દીધી કે હવે કેસ સોલ્વ થઇ ગયો છે. પોલીસ તમામને પકડીને સાણંદ લઇ આવી. અહીં પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં પાયલ અને રાહુલ કહેતા રહ્યાં કે અમને કંઇ ખબર નથી પણ જ્યારે પોલીસે તેમને અમૂક પુરાવા બતાવ્યા તો બન્ને ભાંગી પડ્યા. બન્નેએ પોલીસ સામે જે કબૂલાત કરી તે ચોંકાવનારી હતી. તેમણે કહ્યું, હા, સાહેબ અમે જ સંજયને મારી નાખ્યો છે. અમારે રોજનો કકળાટ થતો હતો. પોલીસ જે કેસને સવારથી ચેઝ કરી રહી હતી તેનો અંત આ શબ્દોએ લાવી દીધો. અકસ્માતે મોતનો દાખલ થયેલો ગુનો હવે મર્ડરના ગુનામાં ફેરવાઇ ગયો હતો. બન્નેના મોં પર પસ્તાવાનો ભાવ હતો. તેમને ખબર હતી કે પોતાના કારણે 3 કુટુંબ વિખેરાઇ ગયા છે પણ હવે પોલીસે એ ઉકેલવાનું હતું કે આખરે ઘટના કેવી રીતે ઘટી. એવું તો શું બની ગયું કે પાયલે પોતાના જ પતિની હત્યા કરી નાખી? આવા સવાલોના જવાબ પરથી પડદો ઊંચકાશે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં.
પશ્ચિમ બંગાળમાં 23, 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મતદારોને પોતાના વતન સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નં. 09421 સાબરમતી-દુર્ગાપુર સ્પેશિયલ 21, 26 એપ્રિલે સવારે 10.35 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરી ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે દુર્ગાપુર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09422 દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ 23, 28 એપ્રિલે સવારે 4 વાગ્યે દુર્ગાપુરથી નીકળી બીજા દિવસે સાંજે 7.30 વાગ્યે સાબરમતી પહોંચશે. અગાઉ વટવાથી હાવડા અને સાબરમતીથી આસનસોલ માટે ટ્રેનો જાહેર કર્યા બાદ હવે વધુ એક ટ્રેન દુર્ગાપુર માટે જાહેર કરાઈ છે.
મ્યુનિ. ચૂંટણીમાં એકતરફ ભાજપ ઠેર ઠેર વિકાસની વાતો કરી રહ્યો છે તો તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટ મુદ્દે આંતરિક કલહ છે. મકતમપુરા વોર્ડમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જુહાપુરા અને મકતમપુરાના વિકાસની વાત કરતા જણાવ્યું કે વિસ્તારમાં ખૂબ જ ખાલી જગ્યા છે. અમે અહીં ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું, પણ બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ, જેને વિકાસ જોઈએ એ ભાજપને મત આપે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ બુટલેગરો સાથે સેટિંગ કરીને મતો મેળવવામાં માનતી નથી. ધારાસભ્યે દાવો કર્યો હતો કે ભાજપે મકતમપુરામાં કરોડોના ખર્ચે પાર્ટી પ્લોટ અને ડ્રેનેજ લાઈનો નાખી છે, જે કામ વિપક્ષો કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે સર્જાયેલો આંતરિક અસંતોષ સપાટી પર જોવા મળી રહ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ વિરોધના કારણે કાર્યક્રમ સ્થળ બદલવો પડ્યું હતું અને તેમની સાથે પેનલના ફક્ત એક જ ઉમેદવાર સુબોધ કુમુદ જ હાજર રહ્યાં હતાં. ત્યારે હવે રખિયાલ- સરસપુર વોર્ડમાં પણ કાળા વાવટા બતાવીને મેવાણીનો વિરોધ કરાયો છે. રખિયાલ-સરસપુર વોર્ડમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો સ્થાનિક કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયથી નારાજ કાર્યકર્તાઓએ રેલી દરમિયાન કાળા ઝંડા ફરકાવ્યા હતા અને નારા લગાવ્યા હતા. સિનિયર નેતાઓની જદના કારણે સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવતા હવે કોંગ્રેસના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને જનતા વચ્ચે જવા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. અસારવાના ઉમેદવારે 100 રિક્ષા સાથે રેલી યોજીભાજપે અસારવા વોર્ડમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. ભાજપે અહીં રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, જેમના સમર્થનમાં સોમવારે 100 જેટલી રિક્ષાઓની રેલી યોજવામાં આવી હતી. ભાજપના ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસીને રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી જનસંપર્ક કર્યો હતો.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2011થી 2025 સુધીમાં ઈજનેરી-મેનેજમેન્ટ-ફાર્મસી, એમસીએમાં ભણતા આશરે 2521 વિદ્યાર્થીઓએ અમેરિકા,કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, રશિયા, બલ્ગેરીયા સહિતના દેશોની 9 યુનિ.માં આઈઈપી હેઠળ 1 મહીનાની શૈક્ષણિક ટ્રેનિગનો લાભ લીધો છે. વર્ષ 2026માં પણ ઈજનેરી,મેનેજમેન્ટ, ફાર્મસી, એમસીએ સહિતની વિદ્યાશાખામાં ફાઈનલ યરમાં ભણતાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા,વિયેટનામ, મલેશિયા જેવા દેશોની આઈઈપી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશનનો આંકડો 250 સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે. ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા, સહિતના દેશોની શિક્ષણ સંસ્થાઓમાં જુલાઈ,ઓગષ્ટ મહીનામાં 2 મુખ્ય વિષયોનો અભ્યાસ કરવાની અને સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ આ વૈશ્વિક યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હેઠળ જશે IPP પ્રોગ્રામથી નોકરી-વ્યવસાય માટેની સ્કિલ ડેવલપ થાય છેફ્યૂચર ઓફ જોબ રીપોર્ટ 2025 પ્રમાણે લીડરશીપ અને સોશિયલ ઈન્ફ્લુએન્સ,ક્રિટિકલ થિન્કિંગ,ફ્લેક્સિબિલીટી સહિતની સ્કિલ્સને 2030ની સાલ સુધીની સૌથી મહત્વની સ્કિલ તરીકે જોવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ વૈશ્વિક યુનિવર્સિટીઓમાં એક મહીના માટે રહેશે તેથી ઉપરોકત વિવિધ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાની તક મળે છે.> કે એન ખેર, રજીસ્ટ્રાર, GTU
અમદાવાદમાં હાલમાં 28 જગ્યાઓ પર બ્લેક સ્પોટ આવેલ છે, જ્યાં 2022થી 24 દરમિયાન કુલ 100થી વધુ અકસ્માતમાં 144 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે યોજાનારી રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં બ્લેકસ્પોટ ઘટાડવા અને તેના પર થતા અકસ્માત ઘટાડવા માટે કામગીરી શરૂ કરાશે. શહેરમાં બ્લેકસ્પોટની સંખ્યા ઘટાડીને 25થી પણ ઓછી કરવામા આવે તેવા પ્રયત્નો કરવામા આવશે. જે વિસ્તારોમાં સૌથી વધુ અકસ્માત થાય છે, ત્યાં એન્જિનિયરિંગમાં ફેરફાર કરવા અને ટ્રાફિક સિગ્નલ કે સાઈન બોર્ડ જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર ભાર મૂકાશે. જે જગ્યાએ અકસ્માતની સૌથી વધુ ઘટનાઓ બનતી હોય છે તે તમામ જગ્યાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા કટને બંધ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ બ્લેકસ્પોટ પર સૌથી વધુ અકસ્માત ત્રણ વર્ષમાં 3969 અકસ્માતમાં 1280 લોકોએ જીવ ગુમાવ્યો
GSTમાં પોર્ટલમાં ખામીથી કરદાતા હેરાન:વ્યાજની ગણતરીમાં ભૂૂલ થતાં 3B રિટર્ન ચેક કરવા એડવાઈઝરી
જીએસટી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે ફેબ્રુઆરી અને માર્ચ 2026ના રિટર્નમાં વ્યાજની ગણતરી ખોટી થઈ રહી છે. કરદાતાઓને વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે GSTN દ્વારા રિટર્ન ફરી ચેક કરી સુધારવા માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. પોર્ટલ પર ડેટા પ્રોસેસિંગની એરરને કારણે GSTR-3Bમાં વિલંબિત ફાઈલિંગ પરનું વ્યાજ આપોઆપ વધી ગયું હોવાનું સામે આવ્યું છે. કરદાતાઓને વાસ્તવિક રકમ કરતા અનેકગણું વ્યાજ પોર્ટલ પર દેખાય છે. ગંભીર છબરડા બાદ જીએસટીએનએ સ્પષ્ટતા કરી છે કે કરદાતા માટે પોર્ટલ પર કોષ્ટક 5.1 હેઠળ ‘વ્યાજની પુનઃ ગણતરી’નો વિકલ્પ અપાયો છે. વ્યાજની રકમ ખોટી હોય તો સુધરવાની તક મળશેકરદાતાઓ હવે અપડેટેડ સિસ્ટમ મુજબ વ્યાજની નવેસરથી ગણતરી કરી શકશે. જો સિસ્ટમ-જનરેટેડ વ્યાજ હજુ પણ ખોટું જણાય, તો કરદાતાઓ તેને મેન્યુઅલી એડિટ કરીને સુધારી શકે છે.
છેલ્લાં 5 વર્ષમાં નાગરિકોએ લોકોએ કુલ 1003 કરોડ અને છેલ્લા વર્ષમાં 293 કરોડ પાણી વેરો ભર્યો છે, એટલે કે એક દિવસમાં અમદાવાદીઓ સરેરાશ 55 લાખ રૂપિયા પાણી વેરો ભરે છે. ઉપરાંત મ્યુનિ.ના બજેટમાં પાણી સંબંધિત કામો માટે કુલ 795 કરોડ ફાળવાયા છે છતાં વટવા જેવા ઘણા વિસ્તારોમાં મોટરો ચાલુ કર્યા વિના પાણી ઘરના નળ સુધી ખેંચાતું નથી. વટવામાં આજે પણ નાગરિકો મૂળભૂત સુવિધા એવી પીવાનાં પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. સવિતાનગરમાં આશરે એક હજાર મકાનો છે, જેમાંથી લગભગ 250 મકાનમાં પાંચ વર્ષથી નિયમિત પાણી પહોંચતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોજ સવારે પાણી આવવાના સમયે મોટર લગાવવી પડે છે, ત્યારે જ ઘરમાં પીવાનું પાણી ભરી શકાય છે. જો સમયસર મોટર ન લગાડાય તો દિવસભર પાણી વગર રહેવાની ફરજ પડે છે. નિયમિત ટેક્સ ચૂકવવા છતાં પીવાનું પાણી મળી રહ્યું નથી. 1 હજારમાંથી 250 મકાન પાંચ વર્ષથી પાણી માટે સંઘર્ષ કરે છે, મોટર વિના માટલુંય ભરાતું નથી ગટરોનાં પાણી ભળતાં નવી પાઇપલાઇન નખાઈ હતીવર્ષ 2020 પહેલાં જૂની પાણીની લાઇનમાં ગટરનાં પાણી ભળવાની ફરિયાદો આવતી હતી. ત્યાર બાદ નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ પાણી મળવાનું જ બંધ થઈ ગયું છે. પરિણામે દરરોજ સવારના સમયે પાણી માટે પડોશીઓ વચ્ચે ઝઘડા સર્જાય છે. આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં પરિણામ મળ્યું નથી. વટવામાં અન્ય ઘણા વિસ્તારોમાં પણ પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રિત પાણી આવે છે. નવા જોડાયેલા વિસ્તારોમાં હજુ પણ ગટર કનેક્શન ઉપલબ્ધ નથી. વટવા સહિત 26 વિસ્તાર પાણીજન્ય રોગના હોટ સ્પોટમ્યુનિ.એ થોડા સમય પહેલાં વટવા, દાણીલીમડા, લાંભા, ગોમતીપુર, બાપુનગર, ખાડિયા, શાહપુર, બહેરામપુરા, રામોલ, જમાલપુર, અમરાઈવાડી, મણિનગરમાં આવતા 26 વિસ્તારોને પાણીજન્ય રોગોના હોટસ્પોટ તરીકે જાહેર કર્યા હતા. જૂની અથવા લિકેજ હોય તેવી પાણીની લાઇનો, ગટરનાં પાણી પીવાના પાણીમાં ભળવાને કારણે તથા ખુલ્લી નાળીઓને કારણે પાણીજન્ય રોગ વધુ હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આથી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રોજ સવારે પાણી પુરવઠા વખતે સેમ્પલ ચેકિંગ, ક્લોરિન ટેસ્ટિંગ, ગાર્બેજ ક્લિનિંગ અને સ્વચ્છતા કામગીરી વધુ સઘન બનાવાઈ છે. શહેરમાં એક દિવસમાં 171 કરોડ લિટર પાણી સપ્લાયજાસપુર, રાસ્કા, કોતરપુરમાં આવેલા મ્યુનિ.ના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા 175 કરોડ લિટર છે, જ્યારે શહેરનો દૈનિક વપરાશ 171 કરોડ લિટર છે.
ઉંદરોનો ત્રાસ:1200 બેડમાં ફોલ્સ સીલિંગ લગાવાતાં ફરી ઉંદરો આવ્યા
સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસને કારણે લાખોના ખર્ચે લાગેલી ફોલ્સ સીલિંગ તોડી પડાઈ હતી, જેથી ઉંદરોને છુપાવાની જગ્યા ન મળે, પરંતુ સિવિલના ટ્રોમા સેન્ટર, લોબી, ત્રીજા-ચોથા માળે આવેતી ઓટીમાં તાજેતરમાં નવી ફોલ્સ સીલિંગ બનાવાઈ છે, જેથી અત્યારે ટ્રોમા સેન્ટરના સર્જન રૂમ, લોબી અને વોર્ડમાં ઉંદરો દોડાદોડ કરી રહ્યા છે. ફોલ્સ સીલિંગનો પ્રત્યેક સ્કેવર મીટર અંદાજિત ખર્ચ 1200 છે, તે પ્રમાણે ટ્રોમા સેન્ટરની લોબી, વોર્ડ અને સર્જન રૂમમાં ફોલ્સ સીલિંગનો ખર્ચ અંદાજે રૂ.30થી 40 લાખની આસપાસ થયાનો અંદાજ છે. પીઆઈયુના એન્જિનિયર રોમેશ રાવલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જૂની સિવિલ બિલ્ડિંગ અને ટ્રોમા સેન્ટરમાં તાજેતરમાં ફોલ્સ સીલિંગ બનાવાઈ તેની કોઇ માહિતી મારી પાસે નથી. જ્યારે એડિ. સુપરિન્ટેન્ડન્ટ ડો. જસ્મીન દીવાનનો સંપર્ક થઈ શક્યો નહોતો. અગાઉ ઉંદરોને ભગાડવા હટાવી દેવાઈ હતી હોસ્પિટલમાં ફોલ્સ સીલિંગ કેમ રાખવી જોઈએ નહિ?ફોલ્સ સીલિંગ અને મૂળ છત વચ્ચે ખાલી જગ્યા રહેતી હોવાથી ઉંદરો માટે છુપાવાની જગ્યા બની જા છે. એસી ડક્ટ, વાયરિંગને કારણે ઉંદરને અહીં હુંફાળું વાતાવરણ મળે છે અને પાઇપલાઇન માટે બનાવેલા છીદ્રો જો સારી રીતે સીલ ન થાય તો ઉંદરોનો રસ્તો બની જાય છે. રોગનું જોખમ: ઉંદરોના પેશાબ અને મળથી દર્દીને લિપ્ટોસ્પાયરોસિસ જેવો જીવલેણ રોગ થઈ શકે છે.
હથિયાર સાથે ઇસમની ધરપકડ:કુતિયાણામાંથી જામગરી સાથે શખ્સ ઝડપાયો
કુતિયાણા પોલીસે બાતમી આધારે એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાએ હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે કુતિયાણા પોલીસ મથકના પીઆઈ એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન મળેલ ચોકકસ હકિકત આધારે ડૈયર ગામના આરોપી સીદિ ઉર્ફે રાજેશ ગગુભાઈ સોલંકીને કુતિયાણા મહોબતપરા રોડ,કેશુપરા પ્રાથમિક શાળા સામેથી ઝડપી લઇ તલાસી લેતા શખ્સના કબ્જા માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવતા આ શખ્સ સામે હથીયાર ધારા કલમ સહિતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધમકી આપી:પોરબંદરના પૂર્વ સુધરાઇ સભ્ય અને તેની દીકરીને આરોપીએ ફોન પર ધાક ધમકી આપી
પોરબંદરના મીલપરા શેરી નંબર 1માં રહેતા ભરત ઉર્ફે ભલો મુળુભાઇ મૈયારીયા નામના પૂર્વ સુધરાઇ સભ્યની દીકરી ભૂમિના ફોનમાં ગઇ તા.19/4ના રોજ રાત્રીના આશરે એકાદ વાગ્યાના સમયે મયુર હરદાસ ઓડેદરાએ કોલ કરી અને જણાવેલ કે હુ તારા પિતાનો મિત્ર મયુર ઓડેદરા બોલુ છુ તારા પિતા મારો ફોન ઉપાડતા નથી. જેથી તુ મને તારા પિતા સાથે કોન્ફરન્સમા વાત કરાવ જેથી ભુમીએ કહેલ કે મારા પિતા ચુંટણીના કામમા છે. અને હું અહી અમદાવાદ અભ્યાસ કરવા આવેલ છે, એટલે તમે મને મોડી રાત્રીના ખોટા વારંવાર ફોન ના કરો, હવે તમે મને વારંવાર ફોન કરી હેરાન કરશો તો પોરબંદરના એસપી અને અમદાવાદના કમીશ્નરને ફોન કરીશ. ફરીયાદ આપીશ જેથી મયુર ઓડેદરા ઉશ્કેરાઇ જઇ બેફામ ભૂંડી ગાળો આપી જેમફાવે તેમ બોલી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડેલ અને બાદ રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે ભલાભાઈ મૈયારિયાને આરોપીએ ફોન કરી ભુંડી ગાળો બોલેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભલાભાઈ મૈયારિયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વધુમાં જણાવ્યું છેકે, મયુર હરદાસભાઈ ઓડેદરા ઇરાદાપૂર્વક મારા પરિવારને હેરાન કરે છે. હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મયુર ગમે ત્યારે મારા પર હુમલો કરી શકે છે તેવું ફરિયાદમાં દર્શાવ્યું છે.પોલીસે મયુર હરદાસ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર જિલ્લામાં દારૂબંધી હોય અને જિલ્લામાં લીકર શોપ ન હોવાછતાં પોરબંદરમાં મતદાન અને મતગણતરીના દિવસોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડ્રાય ડે અંગે જાહેરનામું જાહેર કર્યું છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્યપેટા ચુંટણીઓ એપ્રિલ- ૨૦૨૬ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. મતદારો નિર્ભયપણે મતદાનકરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આજુબાજુના વિસ્તારોમાંથી પણ એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ચોરી છુપીથી ગેરકાયદેસર હેરાફેરી ન થઇ શકે તે માટે જરૂરી પગલા ભરવાના રહે છે. તેમજ મતગણતરીના દિવસને પણ ડ્રાય ડે તરીકે જાહેર કરવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં નિયત દિવસોને ડ્રાય ડે જાહેર કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
પોલીસ કાર્યવાહી:રાણાવાવમાં જમીન પચાવી પાડવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુજબના ગુન્હામાં વધુ એક આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં રહેતા ઐબાણી મુહમ્મદ હનીફ અબ્દુર રહેમાન નામના વૃધ્ધની માલીકીની રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અંદાજીત જંત્રી મુજબ કીમત રૂપીયા 20 લાખની જમીન પર ખીમા પોલા ગરચર અને મહિલાઓ સહિત 11 આરોપીઓએ જમીન પર અનઅધિકૃત રીતે કબ્જો કરી ગેરકાયદેસર જમીન પચાવી પાડી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓ સહિત 11 શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા ચલાવી રહ્યા છે, ત્યારે આરોપીને ઝડપી લેવા આપેલ સુચના અન્વયે રાણાવાવના પીઆઇ બી.જી.ડાંગર સહિતનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી આધારે પોલીસે આરોપી દેવા ગોગન ગરચરને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુન્હામાં અગાઉ કયો આરોપી ઝડપાયો હતો ? રાણાવાવ શહેરમાં આવેલ જમીન જેની અંદાજીત જંત્રી મુજબ કીમત રૂપીયા 20 લાખની જમીન પર મહિલાઓ સહિત 11 આરોપીઓએ અનઅધિકૃત રીતે કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ અંગેના ગુન્હામાં પોલીસે અગાઉ કારા પોલા ગરચરને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
યાર્ડમાં કેરીની આવકમાં થયો વધારો:એક જ દિવસમાં 1400 બોક્સ કેરીની આવક નોંધાઈ
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1400 બોક્સ કેરીની આવક નોંધાઈ છે. યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.1300 થી 1750 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં સોમવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચામાંથી 1400 બોક્સ એટલે કે 14000 કિલો કેસર કેરીની આવક થઈ હતી.જેનો પ્રતિબોક્સના રૂ.1300 થી 1750 ભાવ બોલાયા હતા. પ્રતિબોકસે રૂ.100 થી 300 ભાવ ઘટયા પોરબંદરના યાર્ડમાં અગાઉ કેરીના બોક્સના રૂ.1300 થી 2000 ભાવ બોલાતા હતા ત્યારે હાલ રૂ.1300 થી 1750 પ્રતિબોકસે ભાવ બોલાયા છે ત્યારે હાલ પ્રતિબોકસે રૂ.100 થી 300 ભાવ ઘટયા હતા.
ગર્વની વાત:વી.જે. મોઢા કોલેજના વિદ્યાર્થીને માય ભારત બજેટ ક્વિઝ 2026ના ફાઇનલિસ્ટમાં સ્થાન
પોરબંદરની વી. જે. મોઢા કોલેજના એમ.એસસી. (આઈ.ટી.) સેમેસ્ટર-4ના વિદ્યાર્થી ઉત્સવ ગૌતમભાઈ ભટ્ટે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ‘માય ભારત બજેટ ક્વિઝ – 2026’માં ભાગ લીધો હતો. તા. 12 અને 13 એપ્રિલે યોજાયેલી સ્પર્ધામાં તેઓ અંતિમ તબક્કા સુધી પહોંચીને દેશના 600 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં દેશભરમાંથી અંદાજે 12 લાખ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દ્વિતીય તબક્કામાંથી 50 હજાર સ્પર્ધકો પસંદ થયા હતા. અંતિમ તબક્કામાં 600 સ્પર્ધકોની પસંદગી થઈ હતી. અંતિમ તબક્કામાં ફાઇનલિસ્ટોએ વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ સંવાદમાં ભાગ લીધો હતો, જેમાં બજેટ અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. છાત્રની સિધ્ધિ બદલ કોલેજના પ્રમુખ, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર ડો. વિશાલભાઈ પંડયા, એકેડમિક હેડ ડો. ઝલકભાઈ ઠકરાર તથા સ્ટાફ દ્વારા નોંધ લેવામાં આવી હતી.
મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ:પોરબંદરમાં ફળથી લઈને ફ્યુઅલ પંપ સુધી મતદાર જાગૃતિનો અનોખો મેસેજ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. શહેરના જાહેર સ્થળોથી લઈને રોજિંદા જીવનમાં વપરાતા ફળો સુધી મતદાનનો સંદેશો પહોંચાડવા માટે સ્ટીકરો લગાવવામાં આવતા લોકોમાં વિશેષ આકર્ષણ ઉભું થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વેપ ટીમ દ્વારા સતત મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્વેપ નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી વી. કે. પરમારની ટીમ દ્વારા શાળાઓ, કોલેજો, મહિલા મંડળો અને વિવિધ એન.જી.ઓ.ના સહકારથી લોકજાગૃતિનું અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વહેલી સવારથી જ સુદામા ચોક સહિત શહેરના અનેક વિસ્તારોમાં નવતર રીતે મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સિટી બસ, રિક્ષા, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ અને વિવિધ વાહનો પર સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, લીલા નાળિયેર, કેરી, પપૈયા અને ખાસ કરીને તરબૂચ જેવા ફળો પર પણ મતદાન જાગૃતિના સ્ટીકરો લગાવી લોકો સુધી સીધો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોરબંદર સિવાય રાણાવાવમાં પણ આ પહેલ જોવા મળી હતી, જ્યાં સ્વેપ ટીમના કિશોરભાઈ રામ દ્વારા તરબૂચની લારીઓ પર સ્ટીકરો લગાવી મતદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રકારના નવતર પ્રયાસને કારણે બજારો અને જાહેર સ્થળો પર લોકોનું ધ્યાન આકર્ષાયું હતું અને મતદાન અંગે ચર્ચા પણ જોવા મળી હતી. શહેરના મુખ્ય સ્થળોએ લગાવવામાં આવેલા હોર્ડિંગો સાથે આ સ્ટીકરો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે.આ કામગીરીને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડલ અધિકારી સંદીપ સોની, ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી અને કિશોર રામ સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન:જિલ્લાના 10 વિભાગ દ્વારા 156 જળસંચયના કામો થશે
પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લાના વિવિધ 10 સરકારી વિભાગ દ્વારા તળાવ,નદી, ડેમ,વૉકળા ઊંડા કરવાના કામો ખેડૂતોએ સ્વખર્ચે પ્રારંભ કર્યો છે.જિલ્લામાં હાલ 156 કામોને મજૂરી આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં આ કામોમાં પણ વધારો થવાની શક્તયા જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે ઉનાળાના પ્રારંભે જ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં આવેલ તળાવ,નદી,વૉકળા,કેનાલ સહિતના પાણીના સ્ત્રોતને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ઉનાળાના પ્રારંભે જ ક્ષાર અંકુશ વિભાગ, પંચાયત, જળ સંપત્તિ વિભાગ, મનરેગા, વૉટર શેડ, પાણી પુરવઠા વિભાગ,વન વિભાગ, પોરબંદર મહાનગરપાલિકા, રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા સહિત 10 વિભાગ દ્વારા નદી, તળાવ, વૉકળા,ડેમ સહિત 156 સ્થાનિક જળ સ્ત્રોતને ઊંડા ઉતારવાની કામગીરી ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચે શરૂ કરવામાં આવી છે. જોકે આ તમામ કામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મજૂર થઈ જતા હાલ કામગીરી ચાલુ છે.આ કામગીરી બાદ ચોમાસામાં પડતા વરસાદી પાણીનો સંગ્રહમાં વધારો થશે. કામોમાં વધારો થશે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસહિતને લીધે કામોને મજૂરી આપવામાં આવી નથી ત્યારે ચૂંટણીની આચારસહીતા પૂર્ણ થયે હજુ પણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કામોમાં વધારો થશે.જોકે હાલ જે કામો ચાલી રહ્યા છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મજૂરી મળી ગઈ હતી.
આપમાં પડ્યું ભંગાણ:જિલ્લાના મહિલા વિંગના આપના ઉપપ્રમુખ ભાજપ પક્ષમાં જોડાયા
પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગ ના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી ભાજપમાં જોડાયા છે.પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે મહિલા આગેવાનને ખેસ પહેરાવી આવકાર્ય છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તોડજોડની રાજનીતિ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં શહેરમાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે સોમવારે પોરબંદર જીલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા વિંગના ઉપ્રમુખ અને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં વિસાવાડા જિલ્લા પંચાયત અને વિસાવાડા તાલૂકા પંચાયત સીટ ના પ્રભારી નીતાબેન સદીયા ( એડવોકટ ) ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા. આ આગેવાનોને પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ ભાજપમાં આવકારી ખેસ પહેરાવ્યો હતો.
યાર્ડમાં વિવિધ જણસીઓની આવક:યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ
પોરબંદરના યાર્ડમાં રજા બાદ જણસીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં સૌથી વધુ ઘઉંની 17,100 અને ધાણાની 16,900 કિલોની આવક નોંધાઈ છે.તેમજ યાર્ડમાં મગફળી, ચણા, જીરું,અડદની આવક પણ નોંધાઈ હતી. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદર જિલ્લામાં વાવેતર થયેલ રવીપાક તૈયાર થઈ જતા માર્કેટયાર્ડ હાલ વિવિધ પાકની જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં સોમવારે મગફળીની 3000 કિલો,મગની 100 કિલો,ચણાની 7000 કિલો અને જીરુની 2000 કિલો,ઘાણાની 16,900 કિલો,ઘઉંની 17,100 કિલો,જુવારની 400 કિલો તેમજ અડદની 800 કિલો આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1155 થી 1450 ભાવ,મગના રૂ.1910 ભાવ,જીરુના રૂ.3450 થી 4100 ભાવ,ધાણાના પ્રતિમણે રૂ.1500 થી 2550 ભાવ અને ચણાના રૂ.975 થી 1375 ભાવ બોલાયા હતા.પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં વધારોજોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા પંથકમાંથી 1100 કિલો સૂકા મરચાની આવક થઈ પોરબંદરના યાર્ડમાં દેવભૂમિ દ્વારકા પંથકના ગામોમાંથી સોમવારે 1100 કિલો લાલ સૂકા મરચાની આવક નોંધાઈ હતી.આ મરચાનો પ્રતિમણે રૂ.1200 થી 6300 ના ભાવ બોલાયા હતા.જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાની આવકમાં ઘટાડો નોંધાયો છે.
મહત્વના દસ્તાવેજો રાખ થવાનો ખતરો:પાણી પૂરવઠા બોર્ડની કચેરીના 8 ફાયર સેફ્ટી બાટલાઓ 11 માસથી એક્સપાયર
પોરબંદર પાણી પૂરવઠા બોર્ડની કચેરીમાં ફાયર સેફ્ટી અંગે ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે વિવિધ વિભાગ આવેલા છે અને અહીં મૂકેલા તમામ 8 ફાયર સેફ્ટી બાટલાઓ તા. 31/05/2025થી એક્સપાયર થઈ ગયા હોવા છતાં હજુ સુધી તેને રિફિલિંગ કરવામાં આવ્યા નથી. છેલ્લા 11 મહિનાથી કચેરી સંપૂર્ણપણે ફાયર સેફ્ટી વગર ચાલી રહી છે. જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેર કચેરી પોરબંદર ખાતે આવેલ છે. આ કચેરીમાં વિભાગીય કાર્ય, બિલ ચેકિંગ, તાલુકા સ્તરની કામગીરી, વાર્ષિક એક્શન પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા તેમજ ત્રણેય સબ ડિવિઝનમાંથી આવતી માહિતી મર્જ કરી મોકલવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત સબ ડિવિઝન કચેરીઓમાં મહત્વપૂર્ણ ફાઈલો, એસ્ટીમેટ અને એકાઉન્ટ બ્રાન્ચની દસ્તાવેજી કામગીરી પણ અહીં સંભાળવામાં આવે છે. જ્યારે કચેરીના ઉપરના માળે વાસ્મો વિભાગ તેમજ મેકેનિકલ સબ ડિવિઝન અને નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ તેમજ જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ કચેરી કાર્યરત છે, જ્યાં દરરોજ અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર રહે છે. આવા સંજોગોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર સેફ્ટીના 4 બાટલા તેમજ ઉપરના માળે પણ ફાયર સેફ્ટીના 4 બાટલા મૂકવામાં આવ્યા છે. મહત્વની વાત એ છેકે, આ તમામ ફાયર સેફ્ટીના બાટલા તા. 31/5/2025 થી એક્સપાયરી થયા છે. અહીં અધિકારીઓ અને કર્મીઓ અવર જવર કરે છે પરંતુ 11 માસથી ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર થયા હોવા છતાં અધિકારીઓએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ 11 માસ જેટલો સમય વીતી ગયો છતાં હજુસુધી રિફિલિંગ કરાવ્યા નથી. વહેલી તકે રિફિલિંગકરાવવામાં આવશે - અધિકારીપાણી પૂરવઠા બોર્ડ કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પરઅને ઉપરના માળે એક્સપાયર થયેલ ફાયર સેફ્ટીનાબાટલા વહેલી તકે એજન્સીને કહીને રિફિલિંગકરાવવામાં આવશે. બાકી સંવેદનશીલ લેબોરેટરીવિભાગની અંદર ફાયર સેફ્ટી બાટલો ગત માસેરિફિલિંગ કરાવ્યો હતો. > વી.સી. રંજન, કાર્યપાલકઇજનેર, પાણી પૂરવઠા અધિકારી કચેરી, પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે જેમાં જે જ્ઞાતિના સૌથી વધુ છે તે જ્ઞાતિને ભાજપે 39 સીટ ફાળવી છે અને બાકીના જ્ઞાતિને 13 સીટ ફાળવી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ખારવા, મહેર ,લોહાણા અને બ્રાહ્મણને 39 સીટ,એસ.સી.ને 4,એસ.ટી.ને 2,જનરલને 10 અને લઘુમતીને 2 બેઠકો ફાળવી 52 બેઠકો કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી છે તો કોગ્રેસે 13 વૉર્ડમાં 31 અને આપે 29 ઉમેદવારો ઉતાર્યા છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ પ્રચાર તેજ બન્યો છે.પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપને 11 બેઠકો બિનહરીફ પોતાના ખાતામાં આવી ગઈ છે તો કૉંગ્રેસ અને આપના ઉમેદવારો તૂટી રહ્યા હોય તેમ ફોર્મ પરત ખેંચી લીધા હતા ત્યારે હાલ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને પ્રચાર પણ તેજ બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિગત ચૂંટણી સમીકરણ મુજબ જ ટીકીટ ફાળવણી કરવામાં આવી છે.પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે જ્ઞાતિના મત વધુ છે તે જ્ઞાતિના ભાજપે 39 ઉમેદવારોને ટીકીટ આપી છે તો બાકીના જ્ઞાતિના 13 ઉમેદવારોને ટીકીટ આપી છે. જેમાં ખારવા, મહેર,લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિના 39 ઉમેદવારો, એસ.સી.ના 4 ઉમેદવારો, એસ.ટી.ના 2 ઉમેદવારો, જનરલ કેટેગરીની જ્ઞાતિના 10 ઉમેદવારો તથા લઘુમતી સમાજના 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી 52 બેઠકો કબ્જે કરવા વ્યૂહરચના ગોઠવી છે તો કોગ્રેસે 13 વૉર્ડમાં 31 અને આપે 29 ઉમેદવારો ઉતાર્યા છે. વિધાનસભાની તૈયારી મુજબ ટિકીટ ફાળવણીપોરબંદર વિધાનસભા સૌથી વધુ મહેર સમાજના મતદારો રહેલ છે જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ મહેર સમાજના ઉમેદવારોને ટિકીટ ફાળવી આગામી 2027માં આવતી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. ભાજપે અનેક દિગ્ગજ આગેવાનની ટિકીટ કાપી તો કોંગ્રેસ અને આપને પૂરતા ઉમેદવારો ન મળ્યામનપાની ચૂંટણીમાં ભાજપે અનેક દિગજ્જ આગેવાનની ટિકીટ કાપી છે અને અમુક બેઠકમાં નવા ઉમેદવારોને ટીકીટ ફાળવી છે તો કોંગ્રેસે 52 બેઠકમાં માત્ર 31 અને આપે માત્ર 29 ઉમેદવારો ઉતાર્યા છે ભાજપે દિગજ્જ આગેવાનોની ટીકીટ કાપી છે તો આપ અને કોંગ્રેસને પૂરતા ઉમેદવારો મળ્યા ન હતા.
ફરાર આરોપી પકડાયો:ફેમિલી કોર્ટના કેસમાં સજા, ઝડકા ગામનો ફરાર આરોપી ઝડપાયો
ફેમિલી કોર્ટના કેસમાં સજા પામેલ ઝડકા ગામના ફરાર આરોપીને ચોરવાડ પોલીસે દબોચી લઈ જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો. કેશોદ ખાતે રહેતા મૂળ માળીયાહાટીના તાલુકાના ઝડકા ગામના સલીમ અલારખાભાઈ લાખા નામના શખ્સને કેશોદ ફેમિલી કોર્ટ દ્વારા કેસમાં 105 તથા 90 દિવસની સજા ફટકારવામાં આવી હતી. આ સજાથી બચવા માટે આરોપી છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. દરમ્યાન ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જી. આઈ. રાઠોડની ટીમે ટેકનિકલ સોર્સીસ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી કેશોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં છુપાયેલો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી રવિવારે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
પતિ બન્યો હિંસક:મોટા કાજલીયાળામાં સસરાના ઘરમાં ઘુસી પત્ની, સસરા-સાસુને જમાઈએ છરી ઝીંકી
વંથલીના મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુઃખ રાખી પતિ ગત તા. 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંક્યા હતા. દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા. વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહાદેવની પાલખીયાત્રાનું આયોજન:સાળાએ બહેન સાથે બોલાચાલી કરતા બનેવીનું માથું ફોડી નાખ્યું
જૂનાગઢમાં રહેતા 21 વર્ષીય પાર્થ સુરેશભાઈ સોલંકી નામનો ગત તા. 14 એપ્રિલના રોજ બપોરના પોતાના ઘરે હતો. તેને અને તેની પત્ની વચ્ચે ઘરમાં બોલાચાલી થતી હતી અને સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા હતા. તે દરમિયાન, પાર્થના સાળા જયેશ ભુપતભાઈ મકવાણા અને તેનો મિત્ર રોહિત ભુપતભાઈ જીલીયા ત્યાં આવી પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા સાળા જયેશે પથ્થર ઉપાડી પાર્થના માથામાં ઝીંકી દીધો હતો. હુમલા સમયે રોહિતે યુવકને પકડી રાખ્યા હતા અને ઢીકાપાટુનો પણ માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતા પાર્થને સારવારમાં ખસેડાયો હતો. યુવકની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી આદરી હતી.
કચરા કલેકશનની વધશે કેપેસીટી:કચરો વધુ સમાય તેવી 90 નવી CNG ગાડી દોડશે
જૂનાગઢ મહાનગર પાલિકા કચરા દ્વારા નવી 90 કચરા કલેકશન સીએનજી ગાડીની રવિવારે ફાળવણી કરવામાં આવી છે. હવે શહેરમાં પ્રદૂષણથી રાહત અને વધુમાં વધુ કચરો સમાય શકે તેવી કેપેસેટીવાળી ગાડી દોડશે. એજન્સીના જગદીશ બારડે જણાવ્યુ કે, જૂનાગઢ શહેરમાં સીએનજીવાળી કુલ 90 કચરા કલેકશન ગાડીની ફાળવણી કરવામાં આવી છે. સીએનજીવાળી ગાડીનો મુખ્ય હેતુ એ છે કે, ઇંધણની બચત થાય અને પ્રદૂષણ ઓછુ ફેલાય. ઉપરાંત નવી ગાડીમાં કચરાપેટીની કેપેસીટી પણ વધારી છે. અગાઉ જે 700 કિલોની હતી તે વધારીને 1250 કિલોની કચરા ટોપલી કરી નાખી છે. ઉપરાંત હવે લોકો બંને સાઇડ ભીનો અને સુકો કચરો નાખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:અડધો માસ વીતી ગયો છતા 3498 પ્રા. શિક્ષકોનો પગાર હજુ થયો નથી
જૂનાગઢ જિલ્લાના 3498 પ્રાથમિક શિક્ષકો એપ્રિલ માસ અડધો વિતી ગયો છતા માર્ચ મહિનાના પગારથી વંચિત બન્યા છે. દર મહિને તારીખ 1 થી 10માં પગાર થઇ જાય છે. શિક્ષકોએ જણાવ્યુ કે, શિક્ષણ વિભાગ દ્વારા દર મહિનાનો પગાર સમયસર તારીખ 1 થી 10ની અંદર જમા કરી દેવામાં આવે છે. પરંતુ આ મહિને એટલે કે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનો અડધો વીતી ગયો છતા હજુ થયો નથી. કચેરીમાં પુછતા ઉપરથી ગ્રાન્ટ આવી નથી એવો જવાબ આપવામાં આવ્યો છે. ઉલેખનીય બાબત એ છે કે, એસઆઇઆર, ચુંટણી કે વસ્તીગણતરી સહિતની તમામ કામગીરીમાં સરકારી કર્મચારીઓને સોંપવામાં આવતી હોય છે. પરંતુ આ કામગીરીમાં સરકારી અન્ય શાખાના કર્મચારી કરતા શિક્ષકોની ફાળવણી વધારે થતી હોય છે. બાળકોના શિક્ષણ ઉપરાંત અન્ય જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે પરંતુ માસિક પગારમાં શિક્ષકોને જ મોડો ફાળવાતા જિલ્લાભરના શિક્ષકોમાં રોષ છવાયો છે. ઉપરથી જ ગ્રાન્ટ મોડી આવી છે માર્ચ મહિનાના પગાર માટેની ગ્રાન્ટ ગાંધીનગરથી જ કોઇ કારણોસર મોડી આવી છે. બે દિવસ પહેલા ગ્રાન્ટ મળતા જ શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાલુકા મુજબ ફાળવણી કરી દેવામાં આવી છે. એક થી બે દિવસમાં શિક્ષકોને પગાર મળી જશે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી- જૂનાગઢ
સોરઠ પંથકમાં મગફળી, સોયાબીન, ચણા બાદ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે.પરંતુ તેમાં ચૂંટણીનું વિઘ્ન આવ્યું છે અને હાલ ખરીદી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ જણસની ખરીદી કરવામાં આવી રહી છે. અને ઘઉંની પણ ખરીદીના નિર્ણય બાદ ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં કેશોદ તાલુકામાં જ 4200 ખેડૂતોએ ઘઉં વેચવા માટે નોંધણી કરાવી હતી અને ખરીદી પણ થોડા દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી. જોકે બાદમાં સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો હોય ખરીદી બંધ કરવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને કેશોદ તાલુકામાં 4100 ખેડૂતોએ નોંધણી કરાવી હોય જેમાંથી 140 ને મેસેજ નાખી કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા અને 39ની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બજારમાં 450, ટેકામાં 517નો ભાવસોરઠ પંથકમાં ખુલ્લા બજારમાં 450 થી 70 આસપાસ ભાવ મળી રહ્યા છે.જે પણ ગુણવત્તા મુજબ પરંતુ ટેકામાં પ્રતિમણ 517 રૂપિયા ભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. રોજ 100નો તોલ થાય તો પણ 40 દિ’ લાગેહાલ તો ચૂંટણીના લીધે ખરીદી બંધ થઈ છે જો દરરોજ 100 ખેડૂતોને બોલાવી તોલ કરવામાં આવે તો પણ 40 દિવસનો સમય લાગી શકે છે જેથી તોલમાં શ્રમિકો કે કાંટા વધારી વેગ આપવામાં આવે તો સમયસર કામગીરી થઈ શકે તેમ છે. લાંબો સમય રહે તો જીવાત પડી જશેસોરઠ પંથકના ખેડૂતોએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખુલ્લામાં ઘઉંને લાંબો સમય સુધી સાચવી શકાય નહિ. જેમ જેમ ચોમાસુ નજીક આવતુ જશે તેમ ઘઉંમાં જીવાત પડી શકે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.
મોટા કાજલીયાળામાં હત્યાનો બનાવ:સસરાના ઘરમાં ઘુસી પત્ની, સસરા સાસુને જમાઈએ છરી ઝીંકી દીધી
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસે આરોપી સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુઃખ રાખી પતિ ગત તા. 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંક્યા હતા. દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભારે અરેરાટી:શેરડીનો રસ પીતા દંપતી અને પિતા-પુત્રને કારે ઠોકરે ચડાવ્યા, મહિલા-કિશોરના મોત, બે ગંભીર
કાલાવડની ભાગોળે નવા માર્કેટીંગ યાર્ડ પાસે સોમવારે બપોરે ગમખ્વાર અકસ્માતમાં બે મહામુલી માનવ જીંદગી ભરખાઇ જવા પામી છે. શેરડીના રસના ચિચોડે રસ પીતા દંપતિ ઉપરાંત પિતા-પુત્ર સહિત ચાર લોકોને કારે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ હતુ.જેમાં દંપતિ પૈકી મહિલાનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.જયારે પિતા-પુત્ર પૈકી તેર વર્ષીય કિશોરનુ પણ ગંભીર ઇજાથી મૃત્યુ નિપજયુ હતુ.અકસ્માતમાં મૃતક મહિલાના પતિ અને મૃતક કિશોરના પિતાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ અને જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે કાલાવડ સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસે અકસ્માત સર્જનારા કારચાલકને સકંજામાં લીઘો છે. સુમાહિતગાર સુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડની ભાગોળે નવા માર્કેટીંગ યાર્ડ પાસે શેરડીના રસતના ચિચોડે સોમવારે બપોરના સુમારે કાલાવડમાં રહેતુ મુળ દ્વારકાનુ એક દંપતિ તથા ડેરી ગામના પિતા-પુત્ર સહિત ચાર લોકો રસ પી રહયા હતા જે વેળાએ પુરપાટ દોડતી કારના ચાલકે સંભવત કાબુ ગુમાવતા ચારેય લોકોને ઠોકરે ચડાવ્યા હતા. જે ગોઝારા અકસ્માતના પગલે ગંભીર ઇજાગ્રસ્ત કિર્તીબેન હરીભાઇ ચાનપા (રે.કાલાવડ, મુળ મીઠાપુર, દ્વારકા) અને અયાન અશરફભાઇ ઠાસરીયા (ઉ.વ. 13)ના મૃત્યુ નિપજયા હતા.જયારે મૃતક મહિલાના પતિ હરીભાઇ ચાનપાને પણ ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.જયારે મૃતક કિશોરના પિતાને પણ ગંભીર હાલતમાં સધન સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં લઇ જવાયા છે. કારની ભયાનક ટકકરના પગલે સ્થળ પર ભારે દેકારા સાથે અફડા તફડી મચી જવા પામી હતી.જયારે બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો પણ ત્વરીત મદદઅર્થે દોડી આવ્યા હતા.જયારે સ્થાનિક પોલીસ ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી. આગળ જતી બસની સાઇડ કાપી ઓવર ટેઇક કરવા જતા કાર રોડ પરથી કાચા રસ્તે ઉતરી અકસ્માત સર્જયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ ગોઝારા અકસ્માતના પગલે ચાલક સ્થળ પર વાહન મુકી નાશી છુટયાનુ સામે આવ્યુ હતુ.જેમાં પોલીસે અકસ્માત સર્જનારા ચાલકને પણ સકંજામાં લીઘો હોવાનુ જાણવા મળ્યુ છે. દંપતી દવા લેવા જામનગર આવ્યું’તું, પરત જતા તા.. મૃતક મહિલા કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા,તેણીને પગમાં દુ:ખાવો થતો હોવાથી દંપતિ જામનગર દવા લેવા આવ્યુ હતુ.જાણવા મળ્યા મુજબ જે બાદ કાલાવડ પરત પહોચી યાર્ડ સામે ઉભા છીએ એમ કહી પુત્રને તેડી જવા માટે જાણ પણ કરી હતી.જે દરમિયાન જ જામનગર તરફથી આવતા કાળમુખી કારે દંપતિ સહિત ચારને ઠોકરે ચડાવતા મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. યાર્ડ આજુબાજુ ગેરકાયદે કેબીનોનો અડીંગો...કાલાવડ પંથકમાં રોડ સાઇડમાં રસપાન કરતા બે પરીવારના ચાર લોકોને કારે ઠોકરે ચડાવી બે લોકોનો ભોગ લીધો છે.માર્કેટીંગ યાર્ડ નજીક જ ગેરકાયદે મનાતી કેબીનો વગેરે કથિત દબાણોના કારણે પણ અકસ્માત સર્જાતા હોવાની બુમરાળ સ્થાનિકોમાં ઉઠી છે.અવાર નવાર અરજીઓ કરવા છતા તંત્ર દ્વારા નિકાલ કરાયો ન હોવાનો આક્રોશ પણ સ્થાનિકોમાં ઉઠયો હતો.
બદતર હાલત:ભાણવડ શહેર વચ્ચે પસાર થતી બે નદીમાં ગંદકીનું ચોમેર સામ્રાજ્ય, નાગરિકો ત્રાહિમામ્
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં એક તરફ જુદા જુદા વિકાસના કામો ઝડપથી ચાલી રહ્યા છે, તો બીજી તરફ શહેરના મધ્યમાંથી પસાર થતી ફલકું અને નકટી નદીમાં ફેલાયેલી ગંદકી સ્થાનિક લોકો માટે મોટી સમસ્યારૂપ બની રહી છે. નદીઓમાં જમા થયેલી ગંદકી અને કચરાના કારણે સ્થાનિક લોકોને તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હાલના વેકેશન સમયમાં બરડા અભ્યારણ્ય, હાથલા શનીદેવ મંદિર અને ત્રિવેણી સંગમ જેવા પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે શહેરની મધ્યમાં આવેલી નદીઓની આવી હાલત ભાણવડની છબીને અસર કરે છે. એક બાજુ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી બાજુ પાલિકા સ્તારમાંથી પસાર થતી નદીઓમાં ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.સ્થાનિક લોકો દ્વારા નદીઓની સફાઈ અને યોગ્ય વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
તંત્રની તૈયારી:મહાનગરપાલિકાના 5 વોર્ડમાં 14 કરતા વધુ ઉમેદવારો હોવાથી બે ઈવીએમ મશીન મુકાશે
જામનગર વહીવટી તંત્રએ સોમવારે ઉમેદવારોની જાહેરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જામ્યુકોના વોર્ડ વાઈઝ ફાઈનલ ઉમેદવારોની યાદી પણ મુકવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 64 સભ્યો પૈકીના 1 બિનહરીફ થતાં હવે 63 સભ્યો માટેની ચુંટણીમાં 206 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આગામી 26 એપ્રિલના રોજ થનાર મતદાન માટે ઈવીએમ મશીનની પણ ફાળવણી કરવામાં આવી છે. જેમાં જામ્યુકોના 16 વોર્ડમાં 14થી વધુ ઉમેદવારો હોય તેવા 10 વોર્ડ છે. જેમાં 2 ઈવીએમ મશીન મુકવામાં આવશે. જેમ કે વોર્ડનં-1માં 20, વોર્ડનં-2માં 8 તેમજ વોર્ડનં-3માં 9, વોર્ડનં-4માં 12, વોર્ડનં-5માં 11, વોર્ડનં-6માં 19, વોર્ડનં-7માં 12, વોર્ડનં-8માં 12, વોર્ડનં-9માં 14, વોર્ડનં-10માં 11, વોર્ડનં-11માં 11, વોર્ડનં-12માં 12, વોર્ડનં-13માં 13, વોર્ડનં-14માં 10, વોર્ડનં-15માં 17 અને વોર્ડનં-16માં 15 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડનં-1માં 20 અને સૌથી ઓછા ઉમેદવારો વોર્ડનં-2માં માત્ર 8ઉમેદવારો મેદાનમાં છે. હાલ 16 પૈકીના 5 વોર્ડમાં 2 ઈવીએમ અને 11 વોર્ડમાં 1 ઈવીએમ મશીન મુકવામાં આવશે. જે અંગેની વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ઈવીએમ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જામ્યુકોને 474 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી... જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગરૂમમાંથી કડક સુરક્ષા વ્યવસ્થામાં EVM મશીનો બહાર કાઢી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકો માટે કુલ 2137 મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં જામ્યુકોને 474 ઈવીએમ તેમજ જામનગર જિલ્લા પંચાયતના 808 તેમજ જામનગર તાલુકા પંચાયતના 824 ઈવીએમ અને સીક્કા નગરપાલિકાના 31 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે.
આત્મહત્યા:શેરબજારમાં રૂા. 25 લાખના નુકસાનથી યુવાનનો આપઘાત
જામનગર શહેરમાં શેર બજાર ટ્રેડીંગ કરતા યુવાનને રૂ.25 લાખનું નુકશાન થતાં પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવ અંગેની મૃતકના પત્નીએ પોલીસમાં જાહેર કર્યુ છે. શહેરના રાજપાર્ક ડિવાઈન હોસ્પિટલની પાછળ રહેતા દેવાંગભાઈ પ્રવિણભાઈ પોપટ (ઉ.વ.35) નામના યુવાન છેલ્લા છએક માસથી શેર બજારમાં ટ્રેડીંગ કરતા હતા. તેઓને આશરે પચ્ચીસેક લાખ જેટલુ નુકશાન થયું હતું. જેના કારણે ચિંતામાં રહેતા હતા અને ગત તા.7ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું લાંબી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પત્ની દિવયાબેન દેવાંગભાઈ પોપટએ પોલીસમાં જાહેર કર્યુ હતું. પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે.વાઘેલાએ મૃતદેહનો કબજો સ઼ંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવથી સમાજમાં તેમજ શહેરમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. વધુમાં જાણવા મળ્યું છે કે, યુવાન ખાનગી નોકરી કરતા હોય અને તેમના પિતાને નાસ્તાની લારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સમસ્યા:ઓનલાઈન ફુડ વેચાણ કરતી પેઢી નિયમોનો ભંગ કરતા વેંચાણ બંધ
જામનગર શહેરમાં આવેલી બ્લીનકીટ કોર્મશિયલ પ્રાઈવેટ લીમીટેડ ઓનલાઈન ફુડ સપ્લાય કરતી પેઢી લાયસન્સના નિયમોનું પાલન ન કરતા સોમવારે જામ્યુકોની ફુડ શાખાની ટીમે દરોડો પાડ્યો હતો અને ચેકીંગ કરીને હાલ ઓનલાઈન વેંચાણની સાઈટ બંધ કરવામાં આવી છે. નિયમોનું પાલન થયા બાદ જ વેચાણ અંગેની પરમીશનની છુટ અપાશે તેવી સુચના આપવામાં આવી છે. શહેરમાં વેજ અને નોનવેજ ઓનલાઈનનું વેચાણ કરતી બ્લીનકીટ હાઈઝેનીક પેઢીમાં શરતોનો ભંગ થતો હોવાની જામ્યુકોની ફુડ શાખાની ટીમને ફરિયાદ મળી હતી. જેના આધારે સોમવારે બપોર બાદ ફુડ શાખાની ટીમે દરોડો પાડીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સની શરતોનું પાલન કરવામાં આવતું ન હતું. જેથી ફુડ શાખાની ટીમે ઓનલાઈન વેંચાણની સાઈટ બંધ કરી દેવામાં આવી છે. પેઢીમાં પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ અને સફાઈ લાયસનસ મેળવીને જામ્યુકોની ફુડ શાખાની કચેરીએ રજુ કર્યાદ બાદ વેચાણ અંગેની પરમીશન આપવામાં આવશે, તેવી સુચના આપવામાં આવી છે. જેથી હાલ પેઢીમાં ઓનલાઈન ડીલેવરી કરતા માણસો પણ પહોંચી ગયા હતા. તમામ ઓનલાઈન વેંચાણની સાઈટ બંધ કરાવી દીધી છે.
હાલાકી:નાગમતી નદી પર દડિયા અને મોખાણાને જોડતો પુલ બન્યો ભયજનક, તંત્રના આંખ આડા કાન
જામનગર શહેરના ભાગોળે રણજીતસાગર ડેમની નીચે આવેલી નાગમતી નદી ઉપર આવેલા દડીયા અને મોખાણા ગામને જોડતા પુલ બે વર્ષથી ખખડધજ બની ગયો છે. પુલ બન્યાના બીજા જ વર્ષે તુટી જતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે. આ પુલનું મરામત પણ કરવામાં આવતું નથી. હાલ આ પુલ પરથી વાહન લઈને પસાર થવામાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રણજીતસાગર ડેમમાંથી પસાર થતી નાગમતી નદીમાં ચારેક વર્ષ પહેલા નવો પુલ બનાવવામાં આવ્યો છે. જે પુલ દડીયા-મોખાણા ગામના લોકોને આવન-જાવન માટે ઉપયોગી છે, તો ત્યાં આવેલા આશ્રમમાં જતાં લોકો માટે આ પુલ બહુ ઉપયોગી છે. આ પુલ બન્યાના બીજા જ વર્ષે આવેલા ભારે વરસાદના કારણે રણજીતસાગર ડેમ છલકાયો હતો અને પુલ ઉપરથી પાણી પસાર થયું હતું. જેથી પુલના પાછળના ભાગે મોટું બાકોરૂં પાડી નાંખવામાં આવ્યું છે. ઉપર પુલ એમને-એમ છે, પરંતુ નીચે ખોખલું બની ગયું છે. જેથી અડધા પુલ પરથી વાહન ચલાવવું જોખમી બની ગયું છે. આ અંગેની લોકોએ રજુઆત કરી છે, તો અધિકારીઓને પણ આ બાબતે જાણ છે, તેમ છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. તો પુલ બન્યાના બીજા ચોમાસામાં પુલ તુટી જાય તો બનાવનારની કોઈ જવાબદારી ન બને..? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. હાલ આ પુલ ખખડધજ બની ગયો છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. કોન્ટ્રાકટરને બચાવવામાં આવી રહ્યો છે કે, પછી ખુદ અધિકારીઓએ કડકી મેળવી લીધી હોવાથી પોતાનો બચાવ કરી રહ્યા છે.
જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની જુદી જુદી 6 ટીમોએ શહેરમાં આવેલી જર્જરિત અને ભયજનક ઈમારતોની સર્વેની કામગીરી હાથ ધરી છે અને આગામી ચોમાસા પહેલા તે ઈમારતો અથવા ઈમારતોનો જે તે જર્જરિત ભાગ દુર કરવા માટેની નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ગત વર્ષે શહેરમાં 225 જર્જરિત ઈમારતોને નોટિસો આપવામાં આવી હતી. જેમાં અમુક વ્યક્તિઓએ પોતાની ઇમારતોનું રીનોવેશન કરાવી તેમજ અમુક ભાગ દુર કરીને ભયમુક્ત કરી હતી. તેમ છતાં મોટા ભાગના વ્યક્તિઓએ પોતાની જર્જરિત ઈમારતો તેમજ અમુક હિસ્સો દુર કરવામાં આવ્યો ન હતો. જેથી તેવો ટીપીઓ શાખા દ્વારા 26 મિલ્કતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જર્જરિત ઈમારતો તેમજ ભયજનક હિસ્સો દુર કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષ 2026માં ટીપીઓ શાખાની 6 ટીમોએ આવી જર્જરિત અને ભયજનક ઈમારતોની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 જર્જરિત મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. તો ગત વર્ષની જર્જરિત ઈમારતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. નોટિસમાં વર્ષ 2026ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલીકાની હદ વિસ્તારમાં આવેલ ભયજનક, જર્જરિત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઈફ સ્ટેજે લાવી જામ્યુકોના માન્ય સ્ટ્રક્ચર એન્જીનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવું. અન્યથા કોઇપણ હોનારતને લીધે જાનહાનિ થશે તો તેની સંપુર્ણ જવાબદારી જે-તે ઈમારતનો ભોગવટો ધરાવનાર અથવા આસામીની રહેશે. વર્ષે જર્જરિત 6 ઈમારતોનો અમુક ભાગ તુટ્યો'તો જામનગર શહેરમાં ગત વર્ષ 2025માં 225 આસામીઓને જર્જરિત ઈમારતોના માલિકોને નોટિસો આપી હતી. તેમ છતાં જર્જરિત ઈમારતોના અમુક હિસ્સાઓ દુર ન કરાતા 6 જેટલી ઈમારતોમાં દુર્ઘટના સર્જાય હતી. પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય ન હતી. જેમાં મોટી જાનહાની થવા પામી ન હતી.
દરોડો:જાફરાબાદમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઈ
જાફરાબાદ ગઈ કાલે સાંજે આશરે 06:00 વાગ્યે પોલીસ કોન્સ્ટેબલ બરવીનભાઈ જયંતિભાઈ ચૌહાણ તેની ટીમે જાફરાબાદની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં બહાદુરભાઈ હસનાણીના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. જ્યાં ચાર મહિલાઓ જાહેરમાં ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતી હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી ફરીદાબેન અફજલભાઈ મંસુરી (ઉ.વ.55) રહે. નવઘરા બજાર, મીનાજબેન બહાદુરઅલી હસનાણી (ઉ.વ.50) રહે. સાંઇનાથ સોસાયટી, જુબીબેન જેઠવા (ઉ.વ.40) જાફરાબાદ તથા નુરબાનુબેન ઇસ્માઇલભાઈ પદમાણી (ઉ.વ.58) રહે. ઉના ખોજા સોસાયટી મળી કુલ ચાર મહિલાને રોકડ રૂપિયા 13720 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
હુમલો:માંડણ ગામમાં 3 શખ્સોનો પથ્થર વડે યુવાન પર હુમલો
રાજુલા તાલુકાના માંડણ ગામે દલીત યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. ગાળો આપી મારપીટ કરવા તથા પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડવાના મામલે ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માંડણ ગામે રામાપીર મંદિરવાળી શેરીમાં રહેતા લલીતભાઈ મોહનભાઈ વાળા (ઉં.વ.23) તા. 16 એપ્રિલના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે મચ્છુંદડા રોડ પર સરકારી પડતર જમીન પર સુજલમ સુફલમ યોજનાનું કામ ચાલતું હતું. ત્યારે ત્યાં JCB ડ્રાઈવરને માવો આપવા ગયા હતા. તે દરમિયાન છગન ઉકાભાઈ હડીયા ત્યાં આવી તેઓને ગાળો આપી અહીં આવવાનું નહીં કહી ધમકી આપી હતી. આ જ દિવસે રાત્રે આશરે 10:30 વાગ્યે લલીતભાઈ માંડણ ગામના શાક માર્કેટ પાસે બેઠા હતા ત્યારે છગન હડીયા ત્યાં આવી બોલાચાલી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ ગઈ કાલે રાત્રે આશરે 8:30 વાગ્યે ઉકા બોઘાભાઈ હડીયા અને બાબુ હડીયા સમાધાન માટે લલીતભાઈના મોટા બાપુ અને સરપંચ ગોવિંદભાઈ કાનાભાઈ વાળાના ઘરે આવ્યા હતા. ત્યારે ફરી બોલાચાલી થઈ હતી. લલીતભાઈ ઘરની બહાર ઉભા હતા ત્યારે આ શખ્સોએ પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડી હતી. જેને સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે છગન ઉકાભાઈ હડીયા, ઉકા બોઘાભાઈ હડીયા અને બાબુ બોઘાભાઈ હડીયા વિરુદ્ધ રાજુલા પોલીસમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે જેની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા ચલાવી રહ્યા છે.
પાટોત્સવ:1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રામજી મંદિરનો પાટોત્સવ
અમરેલીના લાપાળીયામાં 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નૂતન રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો વતનમાં ઉમટી પડ્યા હતા. ગામ સમસ્ત ધુમાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા વિવિધ રકમનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનવિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બે કલાક સુધી ગામના વિવિધ વિસ્તારોમાં કીડીયારૂં કરવામાં આવ્યું હતું. ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો. બપોરના સમયે લાપાળીયા ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ધાર્મિક ઝાંખીઓ, ભજન મંડળીઓ અને પરંપરાગત વાદ્યો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ગામ સમસ્ત દ્વારા ધુમાડા બંધ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ એકસાથે ભોજન લીધું હતું. સમસ્ત ગામ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.
ભૂમિપૂજન:રાજુલાના રામપરા ખાતે ગ્રામજનો દ્વારા પ્રવેશદ્વારનું મકરાયુ
રાજુલા તાલુકાના રામપરા ર ગામે સ્વ. જીકારભાઈ ભગવાનભાઈ વાઘના સ્મરણાર્થે ગામના પ્રવેશદ્વારના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. મુખ્ય પ્રવેશ સ્થાને બનનાર આ ગેટ આવનારા સમયમાં ગામની ઓળખરૂપ બની રહેશે. રાજુલાના રામપરા ગામે બનનાર આ પ્રવેશદ્વાર માટે ગામના દાતા લાલાભાઈ જીકારભાઈ વાઘ, તથા વિશાલભાઈ જીકારભાઈ વાઘ દ્વાર ભૂમિદાન કરવામાં આવ્યું છે. તેમજ ગેટના નિર્માણ માટે પણ સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પૂજન વિધિ નિર્મોહી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસ બાપુની હાજરીમાં યોજાઈ હતી. ઉપરાંત કળાઈના ગઢ વાઢ સુવાઈ માંના પુજારી પ્રકાશદાદાએ પણ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન સાવજભાઈ ભગવાનભાઈ વાઘ, દેસુરભાઈ વાઘ, બાબુભાઈ એ. વાઘ, લખમણભાઈ વાઘ, ઉપસરપંચ સાવજભાઈ વાઘ, ભગવાન ભાઈ વાઘ, જયેશભાઈ, તેમજ સેવક દુલાભાઈ વૃંદાવન બાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન:પોલીસે સાઈબર ક્રાઈમ અંગે છાત્રોને સમજણ આપી
ચલાલા ખાતે આવેલી રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સાઇબર ક્રાઇમ અંગે જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આધુનિક યુગમાં વધી રહેલા ઓનલાઈન ગુનાઓથી કેવી રીતે બચવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજાવવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઘટના બને ત્યારે તરત જ માતા-પિતા અથવા શિક્ષકોને જાણ કરવાની સલાહ આપી હતી. આ સાથે સાઇબર ક્રાઇમના વિવિધ પ્રકારો અને તેના નિવારણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાંથી મહત્વપૂર્ણ માહિતી મેળવી સાઇબર સુરક્ષા અંગે વધુ જાગૃત બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભેજ 76 ટકા રહેતા બફારો વધ્યો:ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો
ઉનાળાએ આજે જિલ્લામાં ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવતા મહત્તમ તાપમાનનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો હતો. જેના કારણે બપોરના સમયે આકરા તાપને લીધે રસ્તાઓ સુમસામ બન્યા હતા. માત્ર ગરમી જ નહીં પણ હવામાં ભેજનું ઊંચું પ્રમાણ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. આજે અમરેલીમાં હવામા ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાતા બફારાનું પ્રમાણ વધુ હતુ. પવનની ગતિ પણ માત્ર પ્રતિ કલાક 4.0 કિલોમીટર રહી હતી. જેના કારણે ગરમીમાં કોઈ ખાસ રાહત મળી ન હતી. બપોરે 12 થી 4 દરમિયાન તાપમાનમાં ઉછાળો આવતા શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. તબીબોએ આકરા તાપમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં ક્યાય વરસાદ પડ્યો ન હતો.
ગોધરા નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 4 બેઠકો બિનહરીફ જીતીને પ્રારંભિક લીડ મેળવી લીધી છે. જોકે, વોર્ડ 3,4 અને 10માં ઉમેદવારો બિનહરીફ જાહેર થતા 32,631 મતદારો પોતાના પ્રતિનિધિ પસંદ કરવાના અધિકારથી વંચિત રહ્યા છે. ગોધરા નગર પાલીકાની મુદત પૂર્ણ થતા ગુજરાતમાં જાહેર કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોધરા નગર પાલીકાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી હતી. ગોધરા નજીકની 6 ગ્રામ પંચાયતોનો ગોધરામાં સમાવેશ કરાતા પાલીકાના વોર્ડની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વોર્ડોના નવા સીમાંકન કરવામાં આવ્યા હતા. જેમા 13,699 મતદારો સાથે વોર્ડ નંબર 9 સૌથી મોટો તથા 7,838 મતદારો સાથે વોર્ડ નંબર 5 સૌથી નાનો બન્યો છે. ગોધરા નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 186 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 44 રદ થયા હતા. તથા 21 ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં વોર્ડ નંબર 3 માં 2 બેઠક, તેમજ વોર્ડ નંબર 4 અને 10 માં 1-1 બેઠક મળી કુલ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ હરીફ ઉમેદવાર ન રહેતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અપક્ષોના કારણે સમીકરણો ગૂંચવાયાગોધરા નગર પાલિકાના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 6,7,8 અને 9 માં ભાજપા તથા કોગ્રેસ પક્ષે એક પણ ઉમેદવારની પસંદગી કરી નથી. જેથી ચાર વોર્ડોમાં આપના 9, એસડીપીએલના 2,એમઆઇએમઆઇએમ 1 તથા 42 અપક્ષો મળી કુલ 54 ઉમેદવારો વચ્ચે ચૂટણી જંગ ખેલાશે. જેથી ચાર વોર્ડમાં અપક્ષોની સંખ્યાના કારણે પરિણામો ચોંકાવનારા આવી શકે છે. જેથી સૌથી મોટું ફેક્ટર અપક્ષ ઉમેદવારો બની રહ્યા છે.
રાજકોટનો વોર્ડ-15 છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત ચૂંટણીમાં આ એકમાત્ર એવો વોર્ડ હતો જ્યાં ભાજપના સૂપડા સાફ થયા હતા અને ચારેય બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. જોકે, આ વખતે સ્થિતિ બદલાયેલી છે. એક તરફ ભાજપ આ ગઢ તોડવા મથી રહ્યું છે, તો બીજી તરફ જનતા પાયાની સુવિધાઓના અભાવે રોષમાં છે. ત્યારે લોકોને શું સમસ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાયું છે, કેટલા વિકાસ કાર્યો થયા છે. આ તમામ સવાલોના જવાબ માટે ભાસ્કરની ટીમે વોર્ડ-15માં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. 'જર્જરિત આવાસ ગમે ત્યારે પડે તેનો ડર લાગે છે'આજી વસાહતમાં વાંબે આવાસ યોજનામાં 200 આવાસ આવેલા છે. ત્યાંના સ્થાનિક રહેવાસી કંચનબેને જણાવ્યું હતુ કે, 18 વર્ષથી અહીં રહીએ છીએ પણ કોઈ ધ્યાન આપતું નથી. ગટરની કુંડીઓ ખુલ્લી છે. ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તેવો ડર લાગે છે. જે કામ કરશે તેને જ મત આપીશું. 'ખાડા પડ્યા છે, રસ્તો રીપેર કરતા નથી'આજી GIDC મેઈન રોડ ઉપર ફેક્ટરી ધરાવતા મનીષ લાખાણીએ જણાવ્યુ હતું કે, છેલ્લા 3 વર્ષથી પાઇપલાઇન નાખ્યા રાખે છે, તેથી ખાડા પડી ગયા છતાં રસ્તો રીપેર કરતા નથી. અહીં GIDCમાં ગુજરાત સરકાર અને કોર્પોરેશન પણ ટેક્સ ઉઘરાવે છે. ડબલ ટેક્સ ભરીએ છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ. ગત વર્ષે માર્ચ માસમાં GIDCના હોદેદારો આવ્યા હતા અને આ રસ્તો બનાવવા રુપિયા 7 કરોડ મંજૂર થયા હોવાની વાત કરી હતી. જો કે હજુ સુધી રોડનું નામ નિશાન નથી. 'મત આપવા જવું કે નહીં તે વિચારવું પડે'અહીંથી પાવર ટ્રાન્સમિશન, હાર્ડવેર અને કિચનવેરની વસ્તુઓ આફ્રિકા અને યુરોપમાં એક્સપોર્ટ થાય છે.કોંગ્રેસના કોર્પોરેટરો અહી આવતા જ નથી જ્યારે ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા માટે આવે છે. જૂના કોર્પોરેટરોને રીપીટ કરવાથી કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી. જેથી હવે અમારે મત આપવા જવું કે નહીં તે પણ વિચારવું પડે તેમ છે. 'ઓવરબ્રિજ અને અંડર બ્રિજની જરૂરિયાત છે'શહેર કોંગ્રેસના માલધારી આગેવાન હરેશ ભારાઈએ જણાવ્યું હતુ કે, આજીડેમથી કોઠારીયા ચોકડી સુધી જવા અનેક વખત બ્રિજની માંગણી કરવામાં આવી અને માત્ર કાગળ ઉપર પાસ થયો છે. છેલ્લા બે વર્ષમાં જ સૌથી વધુ વાહન ચાલકોના મૃત્યુ થયેલા છે. જેનું નિવારણ લાવવા માટે હાઈવે ઉપર ઓવરબ્રિજ અને અંડર બ્રિજની જરૂરિયાત છે. આ રસ્તો 20 વર્ષમાં બન્યો નથી. જેથી તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે તો ઘણા બધા અકસ્માતો અટકી શકે છે. 'બધા ચૂંટણી વખતે આવે, પછી કોઈ ડોકાતું નથી'સ્થાનિક ભોલાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોટો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે તેમ છતાં પણ આ બ્રિજ પર રોંગ સાઈડમાં અવરજવર કરવી પડે છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે પરંતુ તેનું નિવારણ હજુ સુધી આવ્યું નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા ચૂંટણી વખતે આવે છે અને કહે છે કે આમ કરશું અને તેમ કરશું. બાકી કોઈ ડોકાતું નથી અને ચૂંટાઈ ગયા પછી કોઈ જવાબ દેવા પણ આવતું નથી. 'કોંગ્રેસના કોર્પોરેટરો ધ્યાન આપતા નથી'સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું હતુ કે, બાળકો માટે આંગણવાડી નથી. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધો માટે ગાર્ડનની સુવિધા નથી. છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને આ વિસ્તારમાં 4000 લોકો વસવાટ કરે છે. ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે. કોઈ સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવે તો તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાંભળવામાં આવે છે પરંતુ કોંગ્રેસના અહીંના કોર્પોરેટરો ધ્યાન આપતા નથી. 'સફાઈ થતી નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યા'સ્થાનિક પ્રીતિબેન ભાયાણીએ જણાવ્યું હતું કે, મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધારે છે. હું એટલું જ કહેવા માગીશ કે પહેલા તમે પબ્લિકને સારી વસ્તુ આપો ત્યારપછી વોટ માગવા માટે આવો. તો ચુનારવાડ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈએ જણાવ્યું હતુ કે, કોર્પોરેટર ચક્કર મારવા પણ આવ્યા નથી. સફાઈ થતી નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે. પીવાનું પાણી દૂષિત આવે છે અને રસ્તા પણ ખરાબ છે. ચોમાસામાં ઘર સુધી નદીનું પાણી આવી જાય છે. આ સોસાયટીમાંથી કોઈને મત આપવાનો થતો જ નથી. મારા વોર્ડમાં લોકોને કોઈ સમસ્યા નથી:વશરામ સાગઠીયામહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 116 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. હજુ અમારા વિસ્તારમાં DI પાઇપલાઇન નાખવાની કામગીરી બાકી છે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે તેવા આરાધના સોસાયટી, વિજયનગર સોસાયટી, આંબેડકર નગરમાં પાઈપલાઇન નાખવાની યોજના છે. ‘ભાજપનું કામ રોડા નાખવાનું છે’હાઈવે પર રોંગ સાઈડમાં જવાને કારણે અકસ્માતો થાય છે. ત્યારે આજી ડેમથી ગોંડલ ચોકડી સુધી ટ્રાફિક જામની સમસ્યા છે તે બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને અનેક વખત રજૂઆતો કરેલી છે. જો કે એક જ જવાબ મળે છે કે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે. જે પૂર્ણ થયા બાદ મુશ્કેલી દૂર થઈ જશે. ભાજપનું કામ રોડા નાખવાનું છે પરંતુ સરકારી અધિકારીઓને કઈ રીતે પ્રેશર અને વિનંતી કરવી જોઈએ તે આવડે છે અને તેના કારણે મારા વોર્ડમાં લોકોને કોઈ સમસ્યા નથી અને બાકીના વિકાસ કામો આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થઈ જશે. 'કોંગ્રેસ પાસેથી ભાજપ વોર્ડ છીનવી લેશે'ભાજપના સક્રિય કાર્યકર અને ઉમેદવાર નિલેશ હેરભાએ જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા ખરાબ રસ્તાઓની છે. 15 વર્ષથી અહીં કોંગ્રેસનું શાસન છે તેમ છતાં પણ લાઈટના પ્રશ્નો છે. TC બદલાવાની સાથે ઈલેક્ટ્રીક કામ કરાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મળે છે પરંતુ માધ્યમિક શાળા નથી. હાઈસ્કૂલ માટેની માંગણી પણ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી નથી. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી આ વોર્ડ છીનવી લેશે અને આગામી 5 વર્ષમાં આ વોર્ડની સકલ ફેરવી નાખીશું.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે. એ પહેલા દિવ્ય ભાસ્કરની ટીમ વિવિધ વોર્ડના ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે. જેમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી વોર્ડ-17મા. જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. લોકોનો શું છે મિજાજ છે તેની માહિતી મેળવી હતી. આ વોર્ડમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યાં કે હજી પણ ગંદુ પાણી, ગંદકી, ડ્રેનેજ, રસ્તાઓની સમસ્યાઓ સતાવી રહી છે. દંતેશ્વર ગામમાં ટેકરા ફળિયામાં તો સૌથી મોટી સમસ્યા પાણી અને શૌચાલયની છે. અહીં 275 મકાનમાં માત્ર 4 શૌચાલય છે અને એમાં પણ શૌચાલય ગંદકીથી ખદબદે છે. જ્યારે દંતેશ્વર તળાવ પાસેના નળમાંથી લોકો પાણી ભરવા મજબૂર છે. 'નેતાઓ હાથ જોડીને મત માંગવા આવે છે'દંતેશ્વર વિસ્તારના ટેકરા ફળિયામાં રહેતા ગુંજાબેને જણાવ્યું હતું કે, પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. પીવાનું પાણી એટલું ગંદુ આવે છે કે અમારે મજબૂરીમાં બહારથી 10 કે, 15નો પાણીનો જગ મંગાવવો પડે છે. અમે ઘણી વાર રજૂઆત કરી, પણ કોઈ સાંભળતું નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ સરકાર અને નેતાઓ હાથ જોડીને મત માંગવા આવી જાય છે. 'નેતાને અમારા ઘરના પગથિયા નહીં ચઢવા દઈએ'ગુંજાબેને વધુમાં જણાવ્યું હતું કે, અહીં તળાવ પણ ગંદુ થઈ ગયું છે. ત્યાં વોચમેન મૂકવામાં આવ્યા છે, છતાં લોકો કચરો નાખે છે. વોચમેન કંઈ બોલતા નથી, બસ સૂઈ જ રહે છે. આવી પરિસ્થિતિમાં અમારે જીવવું મુશ્કેલ બની ગયું છે. આ વખતે જો કોઈ નેતા અહીં આવશે તો અમે અમારા ઘરના પગથિયા ચઢવા પણ નહીં દઈએ. જ્યાં સુધી અમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે મત આપીશું નહીં. 'શૌચાલય ન હોવાથી શરમજનક સ્થિતિમાં મુકાવું પડે'દંતેશ્વર વિસ્તારના ટેકરા ફળિયામાં રહેતા સ્થાનિક જયશ્રીબેને જણાવ્યું હતું કે, અમારે સૌથી મોટી સમસ્યા શૌચાલયની છે. અહીં શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. અમારે અડધી રાત્રે પણ પાણીનો ડબ્બો ભરીને બહાર જવું પડે છે, અથવા તો તળાવના કિનારે બેસવું પડે છે. બીજું અમે શું કરીએ? અહીં કોઈ વ્યવસ્થા નથી અને આજુબાજુથી લોકો અવરજવર કરતા હોય ત્યારે અમારે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ‘ઓછી સુવિધા કેવી રીતે ચાલે’જયશ્રીબેને વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર વાતો તો કરે છે, પણ અમને હજુ સુધી કોઈ સુવિધા મળી નથી. અમે કહીએ છીએ કે જો સરકાર અમને તળાવમાંથી પાઈપ લાઈન નાખી આપે તો અમે જાતે મહેનત કરીને પણ ઘરે શૌચાલય બનાવી લઈએ. અહીં અંદાજે 275 જેટલા ઘરો છે. આખા વિસ્તારમાં માત્ર એક જ સાર્વજનિક શૌચાલય છે. જેમાં મહિલાઓ માટે બે અને પુરુષો માટે બે બ્લોક છે. એમાંથી પણ એક તો ભરાઈ ગયું છે, એટલે અત્યારે માત્ર એક જ ચાલુ છે. લોકો વધુ છે તો ઓછી સુવિધા કેવી રીતે ચાલે? 'ખુલ્લી કાંસનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી'તરસાલી વિસ્તારમાં દર્શનમ્ એન્ટીકામાં રહેતા રવિકાંતભાઈએ જણાવ્યું હતું કે, ખુલ્લી કાંસનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અમે નિયમિત રીતે ટેક્સ વગેરે તમામ ચૂકવણી કરીએ છીએ. તેમ છતાં આ પ્રશ્ન હજી પણ ત્યાંનો ત્યાં જ અટવાયેલો છે. હાલત એવી છે કે મકાનની અંદર પણ આ દુર્ગંધ ફેલાયેલી રહે છે. 'મકરપુરા મેઈન રોડ પર વારંવાર અકસ્માતો થાય છે'માંજલપુર વિસ્તારમાં રહેતા સ્થાનિક પરેશભાઈ પટનીએ જણાવ્યું હતું કે, આ મકરપુરા મેઈન રોડ છે. અહીં વારંવાર અકસ્માતો થાય છે, જેમાં કેટલાય લોકોના મોત થયા છે અને કેટલાય લોકો હોસ્પિટલ ભેગા થયા છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અહીં ઘણા લોકો મર્યાં છે અને ઘણાને ગંભીર ઈજાઓ પણ થઈ છે. 'સરકાર જાણે વધુ લોકોના ભોગ લેવાય તેની રાહમાં છે'પરેશભાઈ પટનીએ વધુમાં કહ્યું કે સરકાર જાણે હજુ વધુ લોકોના ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠી હોય તેમ લાગે છે! મેં સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી હતી કે અહીં સર્કલ બનાવવાની જરૂર છે અથવા સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર છે. પણ કઈ કામ થતા નથી. હવે ચૂંટણી આવી છે એટલે નેતાઓ ફરવા નીકળશે. 'કોઈ પણ કોર્પોરેટર અહીં જોવા મળ્યા નથી'અલવાનાકામાં આવેલા કમલેશ્વરનગર રહેતા પ્રવીણભાઈ પરમારએ જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા તો પાણીની છે. પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત આવતું નથી. બીજી બાબત એ છે કે અહીં સાફ-સફાઈ બિલકુલ થતી નથી, કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. આજ સુધી કોઈ પણ કોર્પોરેટર અહીં જોવા મળ્યા નથી કે મુલાકાત લીધી નથી. જે માણસ અમારા વિસ્તારમાં સારી રીતે કામ કરશે, વ્યવસ્થિત સુવિધાઓ આપશે, અમે તેને જ કોર્પોરેશનમાં લાવીશું. જે કામ નથી કરતા તેમને હવે કોઈ સ્થાન નથી. 'મચ્છરોનો ત્રાસ વધી જાય છે'અલવાનાકામાં આવેલા કમલેશ્વરનગરના સ્થાનિક રાહુલ માલીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં મેદાનનું બધું પાણી રોડ પર આવી જાય છે. આ પાણી ભરાઈને સીધું ગલીઓ સુધી પહોંચે છે. જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી જાય છે અને બાળકો વારંવાર બીમાર પડે છે. 'કામ થઈ જશે તેવી લાલચ આપે'રાહુલ માલી વધુમાં જણાવ્યું હતું કે, ખરાબ રસ્તાને કારણે ઘણીવાર ટ્રાફિક જામ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે ગણેશ ઉત્સવ જેવા તહેવારો હોય અને લોકો ગણપતિજીની મૂર્તિઓ લઈને નીકળે, ત્યારે આ ખાડાઓને કારણે મૂર્તિ ખંડિત થવાનો પણ ડર રહે છે. સામાન્ય દિવસોમાં તો અહીં નેતા આવતા નથી, પણ જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે બધા તપાસ કરવા આવે છે અને કામ થઈ જશે તેવી લાલચ આપે છે. પણ ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. નવી લાયબ્રેરીમાં 150 વિદ્યાર્થીઓ બેસી શકશેવોર્ડ નંબર 17માં આવતા માંજલપુર વિસ્તારમાં બનેલી નવી લાયબ્રેરીમાં 150 વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. એ આગામી પેઢી માટે ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. આ ઉપરાંત વિસ્તારના મુખ્ય રસ્તાઓ સારા છે. પરંતુ ઇન્ટર્નલ રસ્તાઓ ખૂબ ખરાબ છે. તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. 'તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચે'કોંગ્રેસના આગેવાન પાર્થ પટેલે જણાવ્યું હતું કે,'ટેકરાવાળા ફળિયા'માં પાણીની તંગી ખૂબ જ ગંભીર છે. બીજી મોટી સમસ્યા શૌચાલયની છે. અહીં માત્ર બે જ સામૂહિક શૌચાલય ફાળવવામાં આવ્યા છે. તળાવમાં કેટલી ગંદકી છે! સરકાર તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ અહીં જનતાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોય તેવું લાગે છે. પ્રજા ટેક્સ ભરે છે પણ બદલામાં પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી, જે ખરેખર શરમજનક બાબત છે. મુખ્ય રસ્તાઓ નવા બનાવી દીધા:શૈલેષ પાટીલવોર્ડ નંબર 17ના ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ પાટીલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી, તે બદલ હું તેમનો આભારી છું. મારું એક જ ધ્યેય હતું કે વોર્ડ નંબર 17માં એક પણ રોડ બાકી ન રહે. તે મુજબ અમે આશરે 50 કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય રસ્તાઓ નવા બનાવી દીધા છે. માંજલપુરમાં અદ્યતન લાઈબ્રેરી તૈયાર થઈ રહી છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. 'નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ લાવીશું'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બે નવા ગાર્ડન બનાવ્યા છે અને માંજલપુર નાકા પાસે 'વડીલ વિશામો' તૈયાર કરવામાં આવ્યો છે. રૂપારેલ કાંસ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે ફક્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થવાની રાહ જોવાય છે, ત્યારબાદ તે કામ પણ ઝડપથી શરૂ થઈ જશે. ડ્રેનેજના જે નાના-મોટા પ્રશ્નો છે, તે પણ આવનારા સમયમાં ઉકેલી દેવામાં આવશે. યુવાનો માટે અમે વોર્ડમાં 20 જેટલા ગણપતિ શેડ બનાવ્યા છે, જેથી યુવાનોને ઉત્સવ દરમિયાન સુવિધા રહે અને તેઓ પક્ષ સાથે જોડાયેલા રહે. આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસની ગતિ પકડાઈ છે, તે અવિરત ચાલુ રહેશે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ખેતલીયા દાદાની જગ્યાના મહંત રામાનંદ ગુરુ અખંડાનંદ સાધુની સનસનાટીભરી હત્યાના પ્રકરણમાં લાંબી કાયદાકીય લડત બાદ જૂનાગઢ સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ન્યાયાલયે પુરાવાઓની કડી જોડવામાં નિષ્ફળ રહેલા તપાસ પક્ષની ખામીઓને ધ્યાને રાખી, શંકાનો લાભ આપીને મુખ્ય આરોપી જુસબ અલારખા સહિત તમામ 6 જીવિત આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી જુસબ અલારખા સામે અન્ય ગંભીર ફોજદારી ગુનાઓ પડતર હોવાથી તેનો જેલવાસ હજુ ચાલુ રહેશે. જમીન વિવાદ અને હત્યાનું કાવતરુંઘટનાની વિગતો મુજબ, વર્ષ 2012 માં ઝાંઝરડા ગામના સર્વે નંબર 35 અને 37 ની 'જયનગર' તરીકે ઓળખાતી કિંમતી જમીનના વેચાણ અને કબજા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. આરોપીઓએ આ જમીન હડપવા અને માલિકો પાસેથી નાણાં પડાવવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો પોલીસનો દાવો હતો. આ વિવાદમાં મધ્યસ્થી અથવા અડચણરૂપ બનેલા મહંત રામાનંદ ગુરુની 21 ડિસેમ્બર 2012ના રોજ મંદિર પરિસરમાં જ અતિ નજીકથી ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર જૂનાગઢ અને સાધુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. કાયદાકીય કાર્યવાહી અને આરોપીઓન્યાયાલય સમક્ષ રજૂ કરાયેલા તહોમતનામા મુજબ, આ કેસમાં કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 147, 148, 149, 302 (હત્યા), 120-બી (ગુનાહિત કાવતરું) અને હથિયાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ 11 આરોપીઓમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે લાંબી ટ્રાયલ દરમિયાન 11 પૈકી 5 આરોપીઓના કુદરતી કારણોસર મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે બાકીના 6 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. તમામ 6 આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યાઆ કેસના આરોપી પક્ષના વકીલ દીપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા 69 સાક્ષીઓ અને 200થી વધુ દસ્તાવેજી પુરાવાઓ ગુનાની કડી જોડવા માટે અપૂરતા છે. ન્યાયાધીશ શ્રી ડી. જી. દવેએ બંને પક્ષોની દલીલો અને કાયદાકીય પાસાઓને તપાસ્યા બાદ ઠેરવ્યું હતું કે, સરકારી પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી. પરિણામે, 'બેનિફિટ ઓફ ડાઉટ' આપીને તમામ 6 આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.જોકે આ કેસમાં નિર્દોષ છૂટકારો થયો હોવા છતાં, આરોપી જુસબ અલારખા સામે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને પડતર કેસોને જોતા, મહંત હત્યાકેસમાં મુક્તિ મળવા છતાં તે હજુ પણ જેલના સળિયા પાછળ જ છે. બીજી તરફ, 14 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ખેતલીયા દાદાની જગ્યાના આ હત્યાકાંડના કેસમાં આખરે કોર્ટે પડદો પાડ્યો છે.
ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝનમાં પણ સ્ટેટ ફર્સ્ટ રહ્યો છે. જેને 100 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયામાં 16મો રેન્ક મેળવ્યો છે. જ્યારે સુરતના શૌર્ય ખેમકાએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો છે. તબીબ માતાપિતાના સંતાને એન્જિનિયરીંગ ક્ષેત્ર પસંદ કર્યુંવિદ્યાર્થી નિમય પુરોહિતના પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યાઆ મહત્વપૂર્ણ પરીક્ષામાં પ્રથમ ફેઝમાં જાન્યુઆરીમાં 13 લાખથી વધુ ઉમેદવારો સામેલ થયા હતા. જ્યારે બીજા ફેઝમાં આઠ લાખથી વધુ કોમન ઉમેદવાર સામેલ થયા હતા. દેશમાં કૂલ 26 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જેમાં પાંચ-પાંચ ઉમેદવારો તેલગાંણા અને આંધ્રપ્રદેશના , ચાર રાજસ્થાનના, ત્રણ દિલ્હીના અને બબ્બે ઉમેદવાર મહારાષ્ટ્ર અને હરિયાણાના છે. જ્યારે ચંડીગઢ, બિહાર, તમિલનાડુ, ઓડિશા અને ગુજરાતના એક એક ઉમેદવારે આ સિદ્ધિ મેળવી છે. સુરતના શૌર્યએ ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યોસુરતના શૌર્ય ખેમકાએ જેઈઈ મેઈન પરીક્ષામાં સમગ્ર દેશમાં 179મો ક્રમ હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે. આ સિદ્ધિ પાછળ તેની અથાગ મહેનત રહેલી છે; તેણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ 13 થી 14 કલાક સખત પરિશ્રમ કર્યો હતો. શૌર્યના જણાવ્યા અનુસાર, કોચિંગ સેન્ટરના શિક્ષકોએ તેના ડાઉટ્સ સોલ્વ કરવામાં ખૂબ મદદ કરી હતી અને તેણે સતત રિવિઝન કરવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના પરિણામે તે આ મુકામ સુધી પહોંચી શક્યો છે. સંપૂર્ણ રિઝલ્ટ જોવા આ લિંક પર ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર દુર્ઘટનાને પગલે કોંગ્રેસે તાત્કાલિક અસરથી આજની જાહેર સભા રદ કરવાનો નિર્ણય લીધો છે. લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યોમળતી માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાસે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની તૈયારીઓના ભાગરૂપે આરિફભાઈ નામનો સ્થાનિક યુવાન લાઈટિંગ ફિટિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યો ત્યારે અચાનક તેને જોરદાર વીજ કરંટ (ઈલેક્ટ્રિક શોક) લાગ્યો હતો. શોક લાગતાની સાથે જ તે થાંભલા પરથી સીધો નીચે પટકાયો હતો. યુવાન અકસ્માતે વીજ કરંટનો ભોગ બન્યો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને કાર્યકરો દોડી આવ્યા હતા. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સર્ટી (Sir T) હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિશોરભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે, આજરોજ કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન હતું. સભાના કામકાજ દરમિયાન સ્થાનિક યુવાન અકસ્માતે વીજ કરંટનો ભોગ બન્યો છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા આજની જાહેર સભા રદ કરવામાં આવી છે. ભાવનગરમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સભા સ્થળે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે કાર્યકરોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સભામાં એકઠા થયેલા લોકો પણ વિખેરાઈ ગયા હતા.
વરાછાવાસીઓને મોટી રાહત:વરાછાથી સ્ટેશન જવા માટે 'સબરસ ગરનાળુ' નાના વાહનો માટે ફરી ખુલ્લું મુકાયું
સુરત રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટ અને મોર્ડનાઇઝેશનની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. SITCO કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અને મેટ્રો રેલના પ્રોજેક્ટને કારણે શહેરના હાર્દ સમાન રેલ્વે સ્ટેશન વિસ્તારના અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતીસુરત રેલ્વે સ્ટેશન ખાતે મેટ્રો રેલની કામગીરી અને ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી લંબે હનુમાન રોડથી દિલ્હી ગેટ તરફ જતા માર્ગ પર આવેલું સબરસ ગરનાળુ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ ગરનાળુ બંધ થવાને કારણે વરાછા તરફથી આવતા વાહનોએ ફરજિયાતપણે આયુર્વેદિક ગરનાળાનો ઉપયોગ કરવો પડતો હતો. જેના કારણે આયુર્વેદિક ગરનાળા અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું હતું અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સેક્ટર-1ની કચેરીએ નિર્ણય લીધો છે કે, સબરસ ગરનાળાને ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. જોકે, હાલ આ ગરનાળાનો ઉપયોગ માત્ર નાના વાહનો જ કરી શકશે. કયા વાહનો પસાર થઈ શકશે? ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર (રિક્ષા) અને ફોર-વ્હિલર (કાર) જેવા નાના વાહનો આ ગરનાળામાંથી પસાર થઈ શકશે. સબરસ ગરનાળુ ખુલ્લું થવાથી શહેરના વરાછા તરફથી આવતા વાહનો હવે કોઈપણ અવરોધ વગર દિલ્હી ગેટ અને સુરત રેલ્વે સ્ટેશન તરફ જઈ શકશે. અત્યાર સુધી જે ટ્રાફિક આયુર્વેદિક ગરનાળા પર કેન્દ્રિત હતો, તે હવે વિભાજિત થશે, જેનાથી પોદ્દાર આર્કેડ અને સ્ટેશન મેઈન રોડ પરનું ભારણ ઘટશે. સહારા દરવાજાથી રેલ્વે સ્ટેશન તરફ આવતા વાહનચાલકો પણ હવે સબરસ ગરનાળાનો ઉપયોગ કરી શકશે, જેનાથી સહારા દરવાજા જંક્શન પર ટ્રાફિક જામ ઓછો થશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે પરંતુ, આ વખતે રાજકીય પક્ષો માટે રસ્તો આસાન દેખાઈ રહ્યો નથી. પ્રચાર માટે સોસાયટીઓમાં પહોંચી રહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોને જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ કંઈ ઉકાળી શક્યો નથી તો તમે 3 મહિનામાં શું કરી લેશો?પરવટ પાટિયાના માધવબાગમાં એક જાગૃત મહિલાએ કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેતા પૂછ્યું હતું કે, જો 35 વર્ષથી સત્તા ભોગવતો ભાજપ કંઈ ઉકાળી શક્યો નથી, તો તમે 3 મહિનામાં શું કરી લેશો? આ વેધક સવાલ સાંભળી નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. બીજી તરફ, કતારગામમાં ભાજપના ઉમેદવાર પણ યુવાનના પ્રશ્નોથી એટલા અકળાયા હતા કે તેમણે કેમેરો બંધ કરાવવા પ્રયાસ કરવો પડ્યો હતો. જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પણ ‘કામનો હિસાબ’ માંગી રહી છે. ખાડીપૂર અને સુવિધાઓના અભાવે માધવબાગમાં ભારે રોષસુરતના માધવબાગ વિસ્તારમાં વર્ષોથી ખાડીપૂરની સમસ્યા વિકરાળ બની છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારો મતોની આશાએ અહીં પ્રચાર કરવા પહોંચ્યા, ત્યારે સ્થાનિક રહીશોનો પારો સાતમા આસમાને જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે ચૂંટણી આવતા જ નેતાઓ હાથ જોડીને આવી જાય છે, પણ બાકીના પાંચ વર્ષ ગંદકી અને પૂરના પાણીમાં જીવતા લોકોની હાલત પૂછવા કોઈ આવતું નથી. રહીશોએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી કામની ખાતરી નહીં મળે ત્યાં સુધી વોટની આશા રાખવી વ્યર્થ છે. કોંગ્રેસના પરિવર્તનના વાયદા સામે મહિલાનો તીખો સવાલપ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ જ્યારે 'પરિવર્તન' લાવવાની વાતો કરી, ત્યારે એક મહિલાએ તેમની બોલતી બંધ કરી દીધી હતી. મહિલાએ સવાલ કર્યો કે ભાજપના શાસનમાં વર્ષોથી સમસ્યાઓ જસની તસ છે, તો વિપક્ષ તરીકે કોંગ્રેસ પાસે એવું કયું જાદુઈ લાકડું છે કે જે મહિનાઓમાં ઉકેલ લાવી દેશે? આ સવાલ પાછળ જનતાનો એ ડર હતો કે સત્તામાં આવ્યા પછી દરેક નેતા એક સરખા જ સાબિત થાય છે. નેતાઓ પાસે આ તર્કબદ્ધ સવાલનો કોઈ સચોટ જવાબ નહોતો. ‘લેખિત બાંહેધરી આપો તો જ વોટ’માધવબાગના રહીશો હવે મૌખિક વચનોથી છેતરાવા તૈયાર નથી. જ્યારે ઉમેદવારે ‘તમારા અધિકાર માટે લડીશું’ એવી ખાતરી આપી, ત્યારે જાગૃત મહિલાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, અમે વોટ આપીએ તો તમે કામ કરશો જ તેની લેખિત બાંહેધરી કોણ આપશે? આ સાંભળી ઉમેદવારો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ભૌગોલિક જટિલતા અને વાલક પાટિયાની ખાડીના બહાના હેઠળ નેતાઓએ બચાવ કરવાની કોશિશ કરી હતી, પરંતુ જનતા હવે નક્કર પરિણામ ઈચ્છી રહી છે. સુવિધાઓ વગર મિલકત પણ વેચાતી નથીસ્થાનિક મહિલાએ પોતાની આર્થિક અને સામાજિક વ્યથા ઠાલવતા જણાવ્યું કે, આ વિસ્તારમાં ગંદકી અને પાયાની સુવિધાઓ એટલી ખરાબ છે કે જો કોઈ પોતાનું મકાન વેચવા ઈચ્છે તો પણ તેને યોગ્ય બજાર ભાવ મળતા નથી. લોકોની જીંદગીની કમાણી જે મકાનમાં છે, તેની કિંમત પણ રાજકીય નિષ્ક્રિયતાને કારણે ઘટી રહી છે. નેતાઓ જીત્યા પછી ક્યારેય મોઢું બતાવતા નથી તેવી માન્યતા હવે લોકોના મનમાં ઘર કરી ગઈ છે. વોર્ડ-7માં ભાજપના ઉમેદવાર સોનુબેન આંબલીયાનો વિરોધમાત્ર વિપક્ષ જ નહીં, પણ સત્તાધારી પક્ષ ભાજપને પણ ઠેર-ઠેર વિરોધ નડી રહ્યો છે. કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 7 માં જ્યારે ભાજપના ઉમેદવાર સોનુબેન આંબલીયા પ્રચાર માટે નીકળ્યા, ત્યારે એક યુવકે તેમને સવાલ પૂછ્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં તમે વિસ્તારમાં શું કામ કર્યું છે? આ સાધારણ સવાલ પર ઉમેદવાર સંયમ ગુમાવી બેઠા હતા અને યુવક સાથે દલીલબાજી પર ઉતરી આવ્યા હતા. સવાલ પૂછતા જ ઉમેદવારે મોબાઈલ કેમેરા પર હાથ માર્યોજ્યારે યુવાન મતદારે પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખ્યું અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતારવાનું શરૂ કર્યું ત્યારે સોનુબેન આંબલીયા અકળાઈ ગયા હતા. તેમણે ચાલુ મોબાઈલ બંધ કરાવવા માટે ફોન પર હાથ લગાવી દીધો હતો. લોકશાહીમાં મતદારને સવાલ પૂછવાનો અધિકાર છે, પરંતુ જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવતા સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થયો છે અને લોકોમાં ચર્ચા જગાવી છે. વિરોધ વધતા ઉમેદવારે અધવચ્ચેથી પ્રચાર પડતો મૂક્યોવોર્ડ-7માં પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે યુવકના વારંવારના પ્રશ્નોના જવાબ ઉમેદવાર પાસે નહોતા. પોતાની કામગીરીનો હિસાબ આપવામાં નિષ્ફળ રહેલા સોનુબેન આખરે ત્યાંથી પ્રચાર પડતો મૂકીને રવાના થઈ ગયા હતા. કતારગામ જેવા ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં જનતાનો આવો મિજાજ જોઈને પક્ષના હાઈકમાન્ડમાં પણ ચિંતાના વાદળો છવાયા છે.
રવિવારની મજા આફતમાં ફેરવાઈ:ડુમસ ખાતે અચાનક આવેલી ભરતીમાં કાર અને રિક્ષા પાણીમાં ગરકાવ
સુરતનું ફેવરિટ પિકનિક ડેસ્ટિનેશન ગણાતા ડુમ્મસ ખાતે રવિવારની રજાની મજા માણવા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા સુરતીલાલાઓ માટે સાંજનો સમય કપરો સાબિત થયો હતો. દરિયામાં આવેલી અચાનક ભરતીને કારણે કિનારાની આસપાસ પાર્કિંગ કરેલા વાહન પાસે પાણી પહોંચી જતા અફરાતફરી મચી ગઈ હતી અને જોતજોતામાં અનેક વાહનો દરિયાના ખારા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકો વાહનો મૂકીને દરિયાની નજીક ગયા હતારવિવાર હોવાથી ડુમ્મસના સુલતાનાબાદ અને લંગરના કિનારે લોકો વાહન પાર્ક કરીને દરિયાની ઠંડી લહેરખીઓ માણવા અને ખાણીપીણીની લિજ્જત માણવા આવ્યા હતા. કિનારા પર રેતીના ભાગે જ્યાં સામાન્ય રીતે લોકો વાહનો પાર્ક કરતા હોય છે ત્યાં સેંકડો ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને પેસેન્જર રિક્ષાઓની પાર્ક કરી હતી. લોકો વાહનો મૂકીને દરિયાની નજીક ગયા હતા, પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે ભરતીનો સમય નજીક છે. લોકો વાહનો કાઢવા માટે મરણિયા પ્રયાસ કરતા જોવા મળ્યા અચાનક દરિયાના મોજાં કિનારાને આંબી ગયા હતા. જો જોતામાં પાણી જે વાહનો રેતીમાં પાર્ક હતા, તેની આસપાસ દરિયાના પાણીનો ઘેરાવો વધી ગયો હતો. પાણીનું સ્તર એટલું ઝડપથી વધ્યું કે લોકોને પોતાના વાહનો ત્યાંથી હટાવવાનો પણ સમય મળ્યો નહીં. સેંકડો લોકો દરિયાના પાણીની વચ્ચે પોતાના વાહનો કાઢવા માટે મરણિયા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ આખી ઘટનાનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાના પાણીમાં રિક્ષાઓ ફસાઈ હતી તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહી છે અને સાથે ફોરવીલ ચાલકોના ગાડીના ટાયર પણ ફરી જતા જોવા મળી રહ્યા છે અને અનેક મોટરસાયકલ પડી ગયેલી જોવા મળી રહી છે.
વાપી ચૂંટણી પ્રચારમાં 'બકાભાઈ'ની એન્ટ્રી:તારક મહેતા ફેમ કલાકારને જોવા લોકો ઉમટ્યા
વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને કારણે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રચારમાં ભાજપે ગ્લેમરનો ઉમેરો કર્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર બકાભાઈ, જેમનું મૂળ નામ કાંતિભાઈ જોશી છે, તેઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના કાર્યકરો અને ઉમેદવારો સાથે વાપીના વિવિધ વોર્ડમાં પદયાત્રા યોજી હતી. બકાભાઈને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે પોતાની આગવી શૈલીમાં લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. ભાજપ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને તેના ઉમેદવારો વિજયી બને તે માટે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો વિવિધ સોસાયટીઓમાં જઈને ઓટલા બેઠકો કરી રહ્યા છે અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી રહ્યા છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી સમગ્ર રાજ્યની નજર આ જંગ પર મંડાયેલી છે. સામા પક્ષે, કોંગ્રેસ પણ ડોર-ટુ-ડોર પ્રચાર દ્વારા ભાજપને જોરદાર ટક્કર આપી રહી છે. આ ચૂંટણીમાં ગ્લેમર અને વિકાસના મુદ્દાઓની મતદારો પર શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
ગાંધીનગરની સેક્ટર-15માં આવેલી અને વિદ્યાર્થીઓ માટે આશરો ગણાતી આંબેડકર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 21 વર્ષીય એન્જિનિયરિંગના વિધાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભવિષ્યમાં એન્જિનિયર બનીને પરિવારનું નામ રોશન કરવાના સપના જોનાર આશાસ્પદ યુવાને અચાનક આવું પગલું ભરી લેતા તેના મિત્ર વર્તુળ અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધોમળતી વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવનો રહેવાસી 21 વર્ષીય રાજન નરેશભાઈ ધાંધલ ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહેતો હતો. આ ઘટના સમયે રાજને પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. લાંબા સમય સુધી રાજનની રૂમમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા તેના સાથી મિત્રોને શંકા ગઈ હતી. જ્યારે મિત્રોએ રૂમમાં જઈને જોયું તો રાજન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેના પગલે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક હોસ્ટેલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. બાદમાં બેભાન અવસ્થામાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ પરિસરમાં રાજનના મિત્રો અને પરિચિતોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હોનહાર મિત્રને ગુમાવવાથી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈઆ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ત્યારબાદ હોસ્ટેલના રૂમ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શું અભ્યાસનું ભારણ હતું, કોઈ માનસિક તણાવ હતો કે અન્ય કોઈ અંગત કારણ તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા મૃતક યુવકના પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલીથી ગાંધીનગર અભ્યાસ માટે આવેલા યુવાને આપઘાત કરી લેતા તેના વતન કુકાવાવમાં પણ સન્નાટો વ્યાપી ગયો છે.
સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમવા જેવી બાબતમાં થયેલા ઝઘડા બાદ હત્યાસરતના ઉધના વિસ્તારમાં આવેલા હેડગેવાર પાસેના વાત્સલ્ય એવન્યુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ઘરમાં ખાવા જેવી ક્ષુલ્લક બાબતે હોબાળો મચાવ્યો હતો. મેહુલે તેની 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેની ફરિયાદ હતી કે તેના માટે અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું? આ નાની એવી વાત જોતજોતામાં હિંસક બની ગઈ હતી. આવેશમાં આવીને મેહુલે તેના પિતા હર્ષદભાઈ પર હુમલો કરી દીધો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે મેહુલ તેના વૃદ્ધ પિતાનું ગળું દબાવવા લાગ્યો હતો. પિતાને તરફડતા જોઈને 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન પોતાના પતિને બચાવવા વચ્ચે પડ્યા હતા. પુત્રનો ગુસ્સો એટલો સાતમા આસમાને હતો કે તેણે પોતાની સગી માતા સાથે પણ ઝપાઝપી કરી હતી. મેહુલે પ્રતીક્ષાબેનને એટલા જોરથી ધક્કો માર્યો કે તેઓ છાતીના ભાગે નીચે પટકાયા હતા. જમીન પર પટકાતાની સાથે જ પ્રતીક્ષાબેન બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ પેરામેડિકલ સ્ટાફે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ઉધના પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પ્રતીક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ (ઉંમર 33 વર્ષ) વિરુદ્ધ પોતાની જ માતાની હત્યાનો ગુનો દાખલ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીએ આવેશમાં આવીને કરેલા આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે અત્યારે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીની પત્ની પાંચ વર્ષ પહેલા છોડીને જતી રહી હતીઉધના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડે આ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી મેહુલનો સ્વભાવ અત્યંત ઝઘડાળુ હતો. તેના આવા વર્તનને કારણે જ પાંચ વર્ષ પહેલાં તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. મેહુલને 8 વર્ષની એક દીકરી છે. પત્નીના ગયા પછી પણ મેહુલના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તે અવારનવાર નાની નાની વાતોમાં ઘરમાં ક્લેશ કરતો હતો અને માતા-પિતાને હેરાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી મેહુલ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતો અને ઘરમાં કોઈ આર્થિક મદદ કરતો નહોતો. ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી મેહુલની મોટી બહેન અને સમાજના લોકો ઉપાડતા હતા. મેહુલ કામધંધો કરવાને બદલે આખો દિવસ ઘરમાં જ રહેતો અને રાત્રે દારૂના નશામાં કે અન્ય કોઈ કારણે હોબાળો કરતો હતો. આર્થિક તંગી અને બેરોજગારીને કારણે ઘરમાં માનસિક તણાવનું વાતાવરણ રહેતું હતું, જે અંતે હત્યામાં પરિણમ્યું. આ પરિવારની સ્થિતિ પહેલેથી જ દયનીય હતી. મેહુલના પિતા હર્ષદભાઈ અગાઉ પ્રાઈવેટ નોકરી કરતા હતા, પરંતુ પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં તેમણે પોતાનો પગ ગુમાવવો પડ્યો હતો. અપંગતાને કારણે તેઓ હવે નોકરી કરવા સક્ષમ નહોતા. એક તરફ અપંગ પિતા અને બીજી તરફ વૃદ્ધ માતા, આ બંનેની સેવા કરવાને બદલે મેહુલે તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે પિતાના સહારે પરિવાર ચાલતો હતો, તે જ પિતાનું ગળું દબાવવા મેહુલ ખચકાયો નહીં. દીકરીના લગ્ન બાદ માતા-પિતા એકલા પડી ગયા હતામૃતક પ્રતીક્ષાબેનની દીકરીના લગ્ન થઈ ગયા હતા અને તે સાસરે રહેતી હતી, જોકે તે અવારનવાર પિયર આવતી-જતી રહેતી હતી. ઘરમાં માત્ર વૃદ્ધ દંપતી, મેહુલ અને તેની 8 વર્ષની દીકરી રહેતા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, મેહુલ રોજ કોઈને કોઈ બહાને ઝઘડો કરતો જ રહેતો હતો. રવિવારની એ કાળી રાત્રે જમવાની બાબત માત્ર એક બહાનું બની અને મેહુલે પોતાની જ જનેતાનો જીવ લઈ લીધો. હાલમાં પોલીસે મેહુલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સુરત શહેરમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન ખાડીપૂરની સમસ્યા એક ગંભીર અને કાયમી સંકટ બની ગઈ છે. દર વર્ષે જ્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડે છે ત્યારે સુરતની ખાડીઓના જળસ્તરમાં અચાનક વધારો થતાં તટીય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાના કારણે લાખો નાગરિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. આ જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે રાષ્ટ્રીય સ્તરની નિષ્ણાત સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારના બે મુખ્ય વિભાગોસેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી (NIH)ના નિષ્ણાતોની એક ઉચ્ચ સ્તરીય એક ટીમ આજે સુરતની મુલાકાતે આવી પહોંચી છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ આ ટીમે શહેરની ભૌગોલિક સ્થિતિ, ખાડીઓના વહેણ અને પૂરના ડેટાનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ દરમિયાન ખાડી ક્ષેત્રની અવગણના કરાઈ હતીપર્યાવરણ સુરક્ષા સમિતિ અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, સુરતના વિકાસ માટે જે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ બનાવવામાં આવી, તેમાં ખાડી ક્ષેત્રની અવગણના કરવામાં આવી છે. ખાડીઓના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કરતા કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામો આ પૂરની સમસ્યા માટે મુખ્ય જવાબદાર ગણાયા છે. કુદરતી જળમાર્ગો પર થયેલા અતિક્રમણને કારણે વરસાદી પાણીના નિકાલની ક્ષમતા ઘટી ગઈ છે. ઈનવાઈટ ડિઝાસ્ટર જૂન 2024ના અહેવાલમાં પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જ્યાં સુધી ખાડીઓના પ્રવાહને અવરોધતા પરિબળો દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી સુરતને પૂરથી બચાવવું અશક્ય છે. ગેરકાયદેસર ઝીંગા તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવીખાડીપૂરના ઉકેલ માટે તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ખજોદ વિસ્તારમાં કાંકરા ખાડી પાસે ફેલાયેલા અંદાજે 41 ચોરસ કિ.મી. વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તળાવો ખાડીના પાણીના કુદરતી નિકાલમાં મોટો અવરોધ ઉભા કરતા હતા. ગુજરાત સરકારના ડ્રેનેજ વિભાગ દ્વારા આ આખું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તંત્રનું આયોજન છે કે, મે 2026 સુધીમાં મીંઢોળા નદીને મળતી તમામ ખાડીઓની સફાઈ અને અવરોધ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, જેથી આગામી ચોમાસામાં પૂરનું જોખમ ઘટાડી શકાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચૂંટણી પ્રચાર માટે વડોદરા જિલ્લાની મુલાકાત પહોંચ્યા હતા. અહીં કોયલીમાં વિજય સંકલ્પ સભાનો સંબોધી હતી. અમે લોકોની પ્રાથમિક જરુરિયાતો પૂરી કરવામાં સફળ રહ્યા- CMસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણીના માહોલમાં હું અનેક જિલ્લાઓમાં ફર્યો છું. બધે જ વાતાવરણ કમળમય બનેલું છે અને પ્રજા તરફથી સારું સમર્થન મળી રહ્યું છે. તેમણે ગુજરાતની પાછલી અને વર્તમાન પરિસ્થિતિની તુલના કરતા કહ્યું, ગુજરાતની કેવી પરિસ્થિતિ હતી અને આજે આપણે ક્યાં આવ્યા છીએ, તેનો વિચાર કરો. લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં અમે સફળ રહ્યા છીએ. વડોદરાના ગામડાઓને ક્લોરાઈડયુક્ત પાણીથી મુક્તિ અપાવીવડોદરા જિલ્લાના ઉદાહરણ આપતા તેમણે કહ્યું, પહેલાં વડોદરાના ગામોમાં ક્લોરાઇડયુક્ત પાણી આવતું હતું. અમે 559 ગામોમાં 800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાણીની વ્યવસ્થા કરી છે. જળસંચયના કામો પણ સારી રીતે થઈ રહ્યા છે. દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા જળસંચય માટે આપવામાં આવ્યા છે. રોડનું નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે અને અગાઉ કરતાં સારો વિકાસ થયો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું, દરેક ચૂંટણીમાં વિપક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ હાર્યા પછી કોઈ પાછા આવ્યા નથી. માત્ર ભાજપના ઉમેદવાર જ હારે કે જીતે તો પણ પ્રજા વચ્ચે રહે છે. વિકાસની રાજનીતિ પાછળ પૈસાનું આયોજન પણ જરૂરી છે. નરેન્દ્ર ભાઈ મોદીએ અહીં નાણાકીય મજબૂત પાયો નાખ્યો છે. કોયલીની સ્થાનિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, કોયલીમાં ડ્રેનેજની સમસ્યા છે. મને જે રજૂઆતો મળી છે તે કામો ઝડપથી મંજૂર કરીશું. ગુડ ગવર્નન્સના કારણે ખૂબ મોટા ફાયદા થયા છે. ખેડૂતો માટે ખેતીની જમીનલક્ષી સુવિધાઓ સરળ બનાવી છે. અંતમાં મુખ્યમંત્રીએ અપીલ કરી કે, 26 તારીખે મન મુકીને મતદાન કરજો.
ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ વિભાગની ગાડીનો ઉપયોગ ચોરી જેવા કૃત્યમાં થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા ગુડા આવાસની સોસાયટીના પાર્કિંગમાં પોલીસની લાલબત્તી વાળી બોલેરો જીપમાં આવેલા એક શખસે કારની વ્હીલ પ્લેટની ચોરી કરી સનસનાટી મચાવી દીધી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસની ગાડીમાં ચોરીની પ્લેટને લઈને બિન્દાસ બહાર રવાનામળતી વિગતો અનુસાર, કુડાસણ સ્થિત ગુડા દ્વારા તૈયાર કરાયેલા શ્યામા પ્રસાદ મુખરજી નગરના બેઝમેન્ટ પાર્કિંગમાં ગત રાત્રિના સમયે એક સફેદ રંગની કાર પાર્ક કરી હતી. આ દરમિયાન સોસાયટીના મેઈન ગેટથી પોલીસની લાલબત્તી અને સરકારી લખાણ ધરાવતી એક બોલેરો જીપ અંદર પ્રવેશે છે. CCTVમાં જોઈ શકાય છે કે, આ બોલેરો જીપનો ચાલક પહેલા પાર્કિંગમાં આંટાફેરા મારી મોકો શોધે છે. જેવો રસ્તો ક્લિયર દેખાય છે કે તરત જ તે સફેદ કારની બાજુમાં પોતાની જીપ ઉભી રાખે છે. ત્યારબાદ નિર્લજ્જતાની હદ વટાવતા આ શખસ પોલીસની ગાડીમાંથી નીચે ઉતરે છે અને ગણતરીની મિનિટોમાં સફેદ કારની વ્હીલ પ્લેટ કાઢી લે છે. ચોરી કરેલી આ પ્લેટ તે ફરી પોલીસની ગાડીમાં જ મૂકીને બિન્દાસ્ત રીતે સોસાયટીની બહાર રવાના થઈ જાય છે. ચોરીને અંજામ આપનાર શખ્સ ડ્રાઈવર નીકળ્યોસોસાયટીના એક જાગૃત નાગરિકના ધ્યાને આ બાબત આવતા તેમણે તુરંત સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં પોલીસની ગાડી જોઈ તેઓ પણ અચંબિત થઈ ગયા હતા. આ મામલે પુરાવા સાથે ઇન્ફોસિટી પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની ગંભીરતાને જોતા ઇન્ફોસિટી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. શાહ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીને અંજામ આપનાર શખ્સ કરાર આધારિત ડ્રાઇવર હોવાનું સામે આવ્યું છે. આરોપી ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાનઆ અંગે ઇન્ફોસિટી પીઆઈ શાહે કહ્યુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લાલબત્તી વાળી બોલેરો જીપ અન્ય જિલ્લાની છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રાઈવર કોણ છે અને કયા જિલ્લાના અધિકારી કે કચેરી સાથે સંકળાયેલો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ સરકારી વાહનોના દુરુપયોગ અને ડ્રાઈવરોની નિમણૂક પ્રક્રિયા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપી ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણમાં 42 લેઉવા પાટીદાર સમાજની જાહેર સભા યોજાઈ:ધારાસભ્ય કિરીટ પટેલે સામાજિક એકતા જાળવવા અપીલ કરી
પાટણના સિંધવાઈ માતાજી મંદિર ખાતે 42 લેઉવા પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સમાજમાં સામાજિક એકતા જાળવી રાખવા અને ચૂંટણી દરમિયાન કોઈ વિવાદ ન થાય તે માટે અપીલ કરી હતી. આ બેઠક પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવારો પટેલ વર્ષાબેન, પટેલ વિષ્ણુભાઈ, દરબાર વંદનાબેન અને વર્મા હર્ષદકુમારના સમર્થનમાં યોજાઈ હતી. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભલે 2 થી 5 વોટ ઓછા મળે, પરંતુ સમાજમાં કોઈ વિગ્રહ કે વિવાદ થવો જોઈએ નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે સામાજિક સંગઠન એ પાયાની જરૂરિયાત છે અને ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે, પરંતુ જો એકવાર સંગઠન તૂટશે તો સમાજને મોટું નુકસાન વેઠવું પડશે. તેમણે કાર્યકરોને સાવચેત કરતા કહ્યું કે, ચૂંટણીના છેલ્લા દિવસોમાં વિવિધ પ્રકારની લાલચો આપવામાં આવશે અને લોકોમાં ભ્રમ પેદા કરવાના પ્રયાસો થશે. તેમણે અફવાઓથી દૂર રહીને પેનલ ટુ પેનલ મતદાન કરવા પર ભાર મૂક્યો હતો. આ મીટિંગમાં પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ પણ વોર્ડ નંબર 4 ના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું. સભાના અંતે સામાજિક એકતા અને સંગઠિત મતદાન માટેનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર 50થી વધુ સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના 'મીઠાઈના પડીકા' વહેંચાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના ઉત્તર ઝોન પ્રભારી સુભાષીની યાદવે લાલેશ ઠક્કર અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. લાલેશ ઠક્કર અગાઉ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ પોતાના મૂળ પક્ષમાં પરત ફર્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે તેમના પુનઃપ્રવેશથી પાટણ શહેર અને જિલ્લામાં કોંગ્રેસ પક્ષને ફરી વેગ મળશે. કોંગ્રેસમાં પરત ફર્યા બાદ સભાને સંબોધતા લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 4 વર્ષ દરમિયાન ભાજપે તેમને પક્ષમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમની વિચારધારા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે. ઠક્કરે પાટણ નગરપાલિકાના કોંગ્રેસ શાસનને યાદ કરતા 'નગરપાલિકા આપના દ્વારે' જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક હતો કે ખુદ ભાજપના પ્રદેશ મહામંત્રીએ પાટણમાં 'નો રિપીટ થિયરી' લાગુ કરવી પડી અને 44માંથી એક પણ કોર્પોરેટરને ફરી ટિકિટ આપવામાં આવી ન હતી. લાલેશ ઠક્કરે ભાજપના કોર્પોરેટરો પર મીઠાઈના પેકેટમાં પૈસા ભરીને ભ્રષ્ટાચાર કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ઠક્કરે જનતાને સંબોધતા કહ્યું કે જો મીઠાઈના પેકેટમાં પૈસા આપીને કામ કરાવવું હોય તો ભાજપને મત આપો, પરંતુ જો પ્રજાના દ્વારે સેવા આપતું શાસન જોઈતું હોય તો કોંગ્રેસને મત આપો. આ સંકલ્પ સભામાં આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અને પક્ષના સંગઠનને મજબૂત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સભાના અંતે કોંગ્રેસની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો અને પૂર્વ શહેર પ્રમુખના પુનઃપ્રવેશથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ચોટીલાના આંગણે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ રચાયો હતો. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં લોક કલાકારોએ એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે કલાકારો પર ભારતીય ચલણની સાથે વિદેશી ડોલરનો પણ વરસાદ જોવા મળ્યો હતો. ભક્તિ અને શૌર્યની જમાવટનવા સુરજદેવળ ધામ ખાતે સૂર્યનારાયણ ભગવાનના ઉપવાસ પૂર્વે આ ખાસ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડે પોતાની કલા પીરસીને ડાયરાની રોનક વધારી હતી. કિર્તીદાન ગઢવીએ પોતાના મધુર કંઠે સૂર્યનારાયણ ભગવાનના રાસડા અને ભજનોની પ્રસ્તુતિ કરી સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો. તો દેવાયત ખવડે શૌર્યરસ અને લોક સાહિત્યની વાતો દ્વારા શ્રોતાઓમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો. નોટો અને ડોલરનો અવિરત વરસાદજ્યારે કલાકારોએ શૌર્ય ગીતો અને ભજનોની રમઝટ બોલાવી, ત્યારે ચાહકો અને શ્રદ્ધાળુઓએ મન મૂકીને નોટો ઉડાડી હતી. આ ડાયરામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર સોનાની વર્ક વાળી નોટો રહી હતી. આ ઉપરાંત રૂ.10થી લઈને રૂ.500 સુધીની ભારતીય નોટોનો વરસાદ થયો હતો. મોટા પ્રમાણમાં વિદેશી ચલણ ડોલર પણ કલાકારો પર ન્યોછાવર કરવામાં આવ્યા હતા. સમાજની એકતાનું પ્રતીકઆ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા કાઠી ક્ષત્રિય સમાજની એકતા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યો હતો. નવા સુરજદેવ ધામના પવિત્ર આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં ગુંજતા શૌર્ય ગીતોએ સમગ્ર વિસ્તારને ગજવી દીધો હતો.
ભાવનગરમાં આણંદ એસીબીની ટીમ સફળ ટ્રેપ કરી ભાવનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા 2 લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી કોન્ટ્રાક્ટરે સરકારી શાળાઓમાં ફીટ કરેલા ફાયર સેફ્ટીના સાધનોનું એનઓસી મેળવવા બદલ ઓનલાઈન અરજી કરી હતી. જે આપવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માગણી કરાતા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. આણંદ એસીબીની ટીમે છટકું ગોઠવી ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયાને રૂપિયા બે લાખની લાંચે લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. રૂપિયા 2 લાખની લાંચ લેતા ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટિયો ઝડપાયાભાવનગર જિલ્લામાં આવેલી અલગ અલગ સરકારી શાળાઓનાં બિલ્ડીંગોમા ફાયર સેફ્ટીને લગતાં સાધનો ઈન્સ્ટોલમેન્ટ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા એક કોન્ટ્રાક્ટરે જિલ્લાની 79 શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરી ઇન્સ્ટોલમેન્ટ કામ પૂર્ણ કરી ફાયરબ્રિગેડ વિભાગમાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર પાસેથી સેફ્ટી પ્લાન એપ્રુવલ તથા ફાયર સેફ્ટી સર્ટીફીકેટ એપ્રુવલ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી. જેમાં મંજૂર થયેલ અરજીઓ તથા મંજૂરી માટે બાકી અરજીઓના વ્યવહાર માટે ફાયરબ્રિગેડના ડેપ્યુટી રીઝનલ ઓફિસર ક્લાસ -2 મહેશ અમૃતલાલ પટેલએ અરજદાર પાસે રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. આ લાંચ અરજદાર આપવા માંગતા ન હોય આથી લાંચ પેટે પ્રથમ રૂપિયા 50 હજાર ડેપ્યુટી ઓફિસર મહેશના મળતીયા પ્રકાશ ગિરીશ ચૌહાણ વાળા હસ્તક લીધાં હતાં અને અરજદારે મહેશને જાણ કરી લાંચ પેટે આપવાના 4.50 લાખ પૈકી ૨ લાખની વ્યવસ્થા થઈ હોવાનું જણાવી આ લાંચ માટે સ્થળ જણાવવા જણાવ્યું હતું. દરમ્યાન અરજદારે આણંદ એસીબીની ટીમ ને જાણ કરી સરટી હોસ્પિટલના ગેટ નંબર ૨ પાસે છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન મહેશ રૂપિયા 2 લાખની લાંચ લેવા આવતા આણંદ એસીબીની ટીમે મહેશને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તેના મળતીયા ગિરીશ ચૌહાણને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને પગલે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક નજીક આવેલ સ્વસ્તિક સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ નાસી છુટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક માનવતા દાખવાના બદલે બાઈક ચાલક યુવકને સારવાર અર્થે ખસેડવા બદલે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જો કે સદનસીબે અકસ્માતના પગલે બાઈક ચાલકને કોઈ ગંભીર ઇજા થવા પામી ન હતી પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બપોરના 2 વાગ્યા આસપાસ બાઈક ચાલક શેરીમાંથી મુખ્ય રસ્તા તરફ વળાંક લઇ આગળ વધી રહ્યો છે અને અચાનક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પિતાએ ઠપકો આપતા યુવકનો આપઘાત રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક નજીક શિવાજીનગરમાં રહેતા કિશન ઓળકિયા નામના યુવકે ગઇકાલે સાંજના 6 વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલી તપાસમાં મૃતક યુવાન અપરિણીત હતો અને કોઈ કામધંધો ન કરતો હોવાથી પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા આધેડનું મોત ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા જીતેન્દ્રભાઈ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ રાઠોડ (ઉં.વ.49) ગત તા.18.04.2026ના રોજ પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળથી પડી જતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જી.ટી.શેઠ હોસ્પિટલમાં દાખલ થયા હતા અહીંયા સારવાર બાદ રજા લઈ પોતાના ઘરે સારવાર લેતા હતા દરમિયાન આજરોજ સવારે 6.45 વાગ્યે તબિયત લથડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. ગાંજાના જથ્થા સાથે પાન-બીડીનો ધંધાર્થી પકડાયો ગાંધીગ્રામ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસ.કે. ચોકની બાજુમા ગંગેશ્વર મહાદેવ મંદિર વાડી શેરીમા એક શખ્સ આવવાનો છે તેના કબ્જામાં ગાંજાનો જથ્થો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં રહેલ શખ્સને અટકાવી તેનું નામ પુછતા નરસિંહ નાગર (ઉ.વ.45) જણાવ્યું હતું. પોલીસે તલાસી લેતા તેની પાસેથી રૂ.16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજો મળી આવતા ધરપકડ કરી પુછપરછ કરતા રાજકોટમાં રહેતો એક સફાઈ કામદાર તેને ગાંજો સપ્લાય કરી ગયો હોવાનું અને તે પોતાની દુકાનેથી જ છૂટકમાં ગાંજો વેંચતો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે મોબાઈલ નંબરના આધારે સપ્લાયર શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સને અગાઉ પણ રેસકોર્ષ નજીકથી પ્રદ્યુમનનગર પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સગા ભત્રીજાએ વિરુધ્ધ વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતાં કાંતાબેન પ્રવિણભાઈ વિરોજા (ઉ.વ.80)ના માનસિક રીતે બિમાર પુત્રનાં નામની જમીનનો છળકપટ પૂર્વક સાટાખત કરાવી લઈ જમીનને વિવાદીત બનાવવા માટે કોર્ટમાં ખોટો દાવો દાખલ કરવા અંગે આરોપી પરસોતમ મૈયાભાઈ અકબરી અને અંકિત શૈલેષ ભાલોડી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી કાંતાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે. મોટો પુત્ર અલ્પેશ માનસિક રીતે અસ્વસ્થ છે અને નાનો પુત્ર મયુર પરિવાર સાથે અલગ રહે છે. તેમના પતિની કોટડાસાંગાણીના અરડોઈ ગામે વારસાઈ જમીન છે. જે પુત્ર અલ્પેશનાં નામે છે. ગત નવેમ્બર મહિનામાં ઘરે નોટીસ આવતા જાણવા મળ્યું હતું કે, આરોપી પરસોતમ અને તેના સગા ભાઈના પુત્ર અંકિતે ભેગા મળી તેનો પુત્ર અલ્પેશ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેનો ગેરલાભ લઈ તેને વાતોમાં ભોળવી બાલાજી હોલ નજીક આવેલી નોટરીની ઓફીસમાં લઈ જઈ સાટાખતમાં સહી કરાવી લીધી હતી. દસ્તાવેજ કરવા બાબતે નોટીસ મળી ત્યારે તેમને આ અંગે જાણ થઇ હતી જેથી કોટડાસાંગાણી પોલીસમાં અરજી કરી હતી. પરિણામે બંને આરોપીઓએ પૂર્વયોજીત કાવતરાનાં ભાગરૂપે તેમની જમીનને વિવાદીત બનાવવાનાં ઈરાદે તેમના વિરુદ્ધ કોર્ટમાં ખોટો દાવો દાખલ કર્યો હતો જે દાવો હાલ ચાલુ છે. આ અંગે તેમણે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હીરાસર એરપોર્ટ નજીક હાઈવે પર મોડી રાતે વાહનો ઉપર પથ્થરમારો માણાવદર રહેતાં કિશોરભાઈ મોહનભાઈ સુરેજા (ઉ.વ.56) પોતાના પરિવારજનો સાથે ટેમ્પો ટ્રાવેલ્સ ભાડે કરી નાથદ્વારા દર્શનાર્થે જઇ રહ્યા હતા. રાત્રે 11.30 આસપાસ હીરાસર એરપોર્ટ પાસે પહોંચ્યા ત્યારે અચાનક ટેમ્પો ઉપર પથ્થરના ઘા આવ્યા હતાં જેના કારણે કાચ ફુટી જતાં તેના ટૂકડા ઉડીને ટેમ્પોમાં બેઠેલા કિશોરભાઈને લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પત્થરમારો કરી નાસી જતા કોઇ ટીખળીનું આ કૃત્ય છે કે પછી વિકૃત આનંદ માણવા નશાખોરે આવુ કર્યુ તેને લઇ એરપોર્ટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહાનગરપાલિકાના સુપરવાઇઝર ઉપર પૈસાની લેતી-દેતી મામલે હુમલો થોરાળા વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટી 11માં રહેતો વિશાલ માવજીભાઈ પારઘી (ઉ.વ.37) રાત્રે 12.30 વાગ્યે ઘર નજીક હતો ત્યારે રોહિત નામના શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિશાલના ભાઈ સંજયએ પોલીસને જણાવ્યું હતું કે વિશાલ રાજકોટ મહાનગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. રોહિત સાથે રૂ.2100ની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હતી જેથી રોહિતે પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી છરીથી હુમલો કર્યો છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂના કેસમાં પકડાયેલ સંબંધીના સમાધાન માટે બોલાવી યુવક પર તલવાર અને ધારીયા વડે હુમલો રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરુડ ગરબી ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે લોહીયાળ અથડામણની ઘટના બની હતી. દારૂના જૂના કેસમાં સમાધાન કરવાના બહાને બોલાવીને ચાર શખ્સોએ એક યુવક પર તલવાર અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સાકીરખાન હમીદખાન યુસુફી (ઉં.વ.27) નામના યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં ડોક્ટરોએ તેને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું જાહેર કર્યું કરતા હાલ એ ડિવિઝન પોલીસે BNS કલમ 118(1), 117(2), 352, 351(3), 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉનાળા વેકેશન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ઉધના (સુરત) અને મધુબની વચ્ચે સાપ્તાહિક અનરિઝર્વ્ડ 'ટ્રેન ઓન ડિમાન્ડ' સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) કોચ સાથે દોડશે, જેનાથી યુપી-બિહાર તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે. આ સાથે અન્ય ત્રણ વલસાડ-દુર્ગાપુર, ઉધના-દુર્ગાપુર અને સાબરમતી-દુર્ગાપુર વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે 'ટ્રેન ઓન ડિમાન્ડ' દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેનનું સમયપત્રક અને ફેરા ટ્રેનનું સ્ટોપેજ અને રૂટઆ ટ્રેન તેના રૂટ દરમિયાન બંને દિશામાં નીચેના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે: આ ટ્રેનમાં કુલ 19 LHB કોચ હશે, જેમાં 17 અનરિઝર્વ્ડ જનરલ કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેન સ્પેશિયલ ફેર પર દોડશે. મુસાફરોની જાણકારી માટે સ્ટેશનો પર સતત જાહેરાત કરવામાં આવશે અને નોટિસ બોર્ડ પર સમયપત્રક પ્રદર્શિત કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળા દરમિયાન મુસાફરોનો વધારાનો ધસારો ઘટાડવા માટે વલસાડ, ઉધના અને સાબરમતીથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ખાસ સ્પેશિયલ ટ્રેનો ( દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ટ્રેક્શન પર ચલાવવામાં આવશે. રેલવે દ્વારા તમામ સ્ટેશન માસ્તરોને આ ટ્રેનોની સમયસારણી નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા અને સતત એનાઉન્સમેન્ટ કરવા સૂચના આપવામાં આવી છે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે. મુસાફરો આ ટ્રેનોનું રિઝર્વેશન રેલવે કાઉન્ટર અથવા IRCTCની વેબસાઈટ પરથી કરી શકશે. વલસાડ-દુર્ગાપુર, સ્પેશિયલ (09143 /09144 )આ ટ્રેન વલસાડ થી તારીખ 25 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:50 કલાકે ઉપડશે અને 27 એપ્રિલના રોજ વહેલી સવારે 04:20 કલાકે દુર્ગાપુર પહોંચશે. પરતમાં દુર્ગાપુરથી આ ટ્રેન 27 એપ્રિલના રોજ સવારે 07:00 કલાકે ઉપડીને બીજા દિવસે એટલે કે 28 એપ્રિલે સાંજે 17:30 કલાકે વલસાડ પરત ફરશે. આ ટ્રેન ભેતાણ, નંદુરબાર, ભુસાવળ, જબલપુર અને ગયા જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. ઉધના-દુર્ગાપુર-ઉધના સ્પેશિયલ (09175/09176):સુરત વિસ્તારના મુસાફરોની સુવિધા માટે ઉધનાથી દુર્ગાપુર વચ્ચે બે ટ્રીપનું આયોજન કરાયું છે. ટ્રેન નંબર 09175 ઉધનાથી તારીખ 26 અને 27 એપ્રિલના રોજ સવારે 08:35 કલાકે ઉપડશે. જ્યારે સામે પક્ષે ટ્રેન નંબર 09176 દુર્ગાપુરથી 27 અને 28 એપ્રિલના રોજ રાત્રે 23:50 કલાકે ઉપડશે. આ ટ્રેનમાં 17 એલએચબી કોચ હશે, જેમાં જનરલ અને સ્લીપર કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ (09413/09414):અમદાવાદના સાબરમતી સ્ટેશનથી તારીખ 24 એપ્રિલના રોજ સાંજે 18:25 કલાકે આ ટ્રેન ઉપડશે, જે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જયપુર અને કાનપુર થઈને 26 એપ્રિલે સવારે 09:15 કલાકે દુર્ગાપુર પહોંચશે. વળતી મુસાફરીમાં આ ટ્રેન દુર્ગાપુરથી 26 એપ્રિલે બપોરે 12:15 કલાકે ઉપડી 28 એપ્રિલે વહેલી સવારે 03:00 કલાકે સાબરમતી પરત આવશે.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનના દસ્તાવેજોમાં વારસાઈ હક દાખલ કરવાના બદલામાં લાંચની માંગણી કરનાર બંને આરોપીઓ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્યોના નામ દાખલ કરવા ફરિયાદી પાસે લાંચ માગીફરિયાદીના પિતાના અવસાન બાદ તેમના પરિવારના સભ્યોના નામ વડીલોપાર્જિત જમીનના ખાતામાં દાખલ કરવાના હતા. આ કામગીરી માટે હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઈ કિરીટભાઈ ચૌધરી અને VCE વિશાલકુમાર સેંધાજી ઠાકોરે ફરિયાદી પાસે પ્રતિ એકાઉન્ટ દીઠ 4000 લેખે કુલ 12000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ લાંચની રકમ રિકવર કરી કાર્યવાહી હાથ ધરીફરિયાદીની ફરિયાદને આધારે એસીબીએ આજના દિવસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી.રકઝકના અંતે લાંચની રકમ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જે સ્વીકારતા જ આરોપીઓ એસીબીના અધિકારીઓ દ્વારા હરસુંડલ ગ્રામ પંચાયત કચેરી ખાતે જ ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપીઓ પાસેથી લાંચની 10,000 રૂપિયાની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર સફળ ઓપરેશન મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રેપમાં ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે. પરમાર અને અમદાવાદ એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાનું સુપરવિઝન રહ્યું હતું.
ગોધરા નગરપાલિકા ચૂંટણી પ્રચાર તેજ બન્યો:આકરી ગરમી વચ્ચે ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારની રણનીતિમાં કોઈ કસર છોડી નથી. દિવસ દરમિયાન ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો આકરા તાપ વચ્ચે પણ મતદારોના ઘરે-ઘરે જઈને આશીર્વાદ અને મત માંગી રહ્યા છે. દિવસના તાપથી બચવા માટે ઉમેદવારો રાત્રિના સમયે શેરી સભાઓનું આયોજન કરી રહ્યા છે. આ સભાઓમાં તેઓ પોતાનો વિકાસલક્ષી એજન્ડા રજૂ કરે છે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપે છે. મતદારો પણ જાગૃત બનીને પોતાના વોર્ડના વિકાસની અપેક્ષા સાથે ઉમેદવારોની વાત સાંભળી રહ્યા છે. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, જેના માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ આકરી ગરમી વચ્ચે કરવામાં આવેલો પ્રચાર કોના માટે ફળદાયી નીવડે છે તે જોવું રસપ્રદ રહેશે.
સુરેન્દ્રનગરમાં રાત્રી દરમિયાન ઇકો કારના સાયલેન્સર ચોરતી સક્રિય ગેંગના ચાર સભ્યોને સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે દાળમીલ રોડ પર આવેલી રાંદલ પાર્ક સોસાયટીમાંથી આ આરોપીઓને ચોરી કરતા રંગેહાથ પકડ્યા હતા. આ ચોરીના અનડિટેક્ટેડ બનાવને ડિટેક્ટ કરવા માટે સુરેન્દ્રનગરની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નેત્રમ, કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કુલ 5,60,000/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4 નંગ સાયલેન્સરનો સમાવેશ થાય છે, જેની કિંમત 1,60,000/- રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી GJ 38 BC 6988 નંબરની સ્વીફ્ટ ફોર વ્હીલ કાર પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 4,00,000/- રૂપિયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો ચર્ચાના ચકડોળે ચઢ્યા છે. થોડા દિવસો પહેલા વોર્ડ નંબર 29 ના ઉમેદવાર સુધા પાંડેના 'પહેલા MA અને પછી BA' ના વિવાદ બાદ હવે વોર્ડ નંબર 27 ના ભાજપના રિપીટ ઉમેદવાર ભાઈદાસ પાટીલના એફિડેવિટમાં ગંભીર વિસંગતતા સામે આવી છે. વર્ષ 2021 માં પોતાની જાતને 'ધોરણ 10 પાસ' ગણાવનાર ઉમેદવાર હવે 2026 માં 'ધોરણ 10 નાપાસ' હોવાનું જાહેર કરતા સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શૈક્ષણિક લાયકાતમાં મોટો તફાવતગત વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે ભાઈદાસ પાટીલે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં પોતે ધોરણ 10 પાસ હોવાનું દર્શાવ્યું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2026ની વર્તમાન ચૂંટણીમાં તેમણે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાની શૈક્ષણિક લાયકાત બદલીને 'ધોરણ 10 નાપાસ' કરી દીધી છે. એક જ વ્યક્તિ દ્વારા પાંચ વર્ષના અંતરે રજૂ કરવામાં આવેલા બે અલગ-અલગ સત્તાવાર દસ્તાવેજોમાં ભણતરના આ આંકડાઓ જોઈને મતદારો પણ અસમંજસમાં મુકાયા છે. સુધા પાંડેના 'ડિગ્રી કાંડ' જેવી જ પેટર્નઆ ઘટનાક્રમે સુરત ભાજપના જ અન્ય એક ઉમેદવાર સુધા પાંડેની યાદ તાજી કરી દીધી છે. સુધા પાંડેએ પણ પોતાના સોગંદનામામાં અજીબોગરીબ દાવો કર્યો હતો કે તેમણે માસ્ટર ઓફ આર્ટસ (MA) પહેલા કર્યું અને બેચલર ઓફ આર્ટસ (BA) પછીથી કર્યું. જ્યારે આ મામલે હોબાળો મચ્યો ત્યારે તેમણે 'ટાઈપિંગ મિસ્ટેક' નો બચાવ કર્યો હતો. બરાબર એવી જ રીતે ભાઈદાસ પાટીલ પણ હવે પોતાના બચાવમાં ટાઈપિંગ એરરનું શરણું લઈ રહ્યા છે, જે ભાજપ માટે શરમજનક સ્થિતિ સાબિત થઈ શકે છે. ભાજપ ઉમેદવાર ભાઈદાસ પાટીલની સ્પષ્ટતાઆ વિવાદ વકરતા ભાઈદાસ પાટીલે મીડિયા સમક્ષ પોતાની સફાઈ રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ મારી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 નાપાસ જ હતી, પરંતુ તે સમયે સોગંદનામું તૈયાર કરનારની ટાઈપિંગ મિસ્ટેકને કારણે 'નાપાસ' ની જગ્યાએ 'પાસ' લખાઈ ગયું હતું. આ વખતે મેં સત્ય વિગતો ભરી છે અને પુરાવા તરીકે ધોરણ 10 નાપાસની જ LC (લિવિંગ સર્ટિફિકેટ) રજૂ કરી છે. જોકે, પ્રશ્ન એ ઉભો થાય છે કે 2021માં જ્યારે આટલી મોટી ભૂલ થઈ હતી ત્યારે તેમણે સુધારો કેમ નહોતો કર્યો? વોર્ડ નંબર 27માં પાર્ટીએ ફરી મૂક્યો છે વિશ્વાસભાઈદાસ પાટીલ ભાજપના સક્રિય કાર્યકર છે અને પાર્ટીએ તેમના પર ફરી એકવાર વિશ્વાસ મૂકીને વોર્ડ નંબર 27 માંથી ટિકિટ આપી છે. પાર્ટીએ જ્યારે ઉમેદવારોને રિપીટ કરવાનો નિર્ણય લીધો ત્યારે શૈક્ષણિક લાયકાતના જૂના રેકોર્ડ્સ કેમ ન ચકાસ્યા તે અંગે પણ આંતરિક ચર્ચાઓ શરૂ થઈ છે. કાર્યકરોમાં ગણગણાટ છે કે ઉમેદવારોના આવા વિવાદોને કારણે પાયાના કાર્યકરોની મહેનત પર પાણી ફરી વળે છે અને વિપક્ષને પ્રહાર કરવાની તક મળે છે. વિપક્ષ દ્વારા આક્રમક તેવર અને પ્રશ્નોની ઝડીભાઈદાસ પાટીલના સોગંદનામાનો મામલો સામે આવતા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, ભાજપના ઉમેદવારો જનતાને ગેરમાર્ગે દોરવામાં પાવરધા છે. જો એક ઉમેદવાર પોતાની લાયકાત વિશે સાચું બોલી શકતા ન હોય, તો તેઓ જનતાના કામો કઈ રીતે પારદર્શક રીતે કરશે? સુધા પાંડે અને ભાઈદાસ પાટીલ બંને કિસ્સામાં 'ટાઈપિંગ મિસ્ટેક' નું બહાનું કાઢવામાં આવ્યું છે, જે હવે ગળે ઉતરે તેમ નથી.
ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી વડોદરા શહેરના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતાં હોવાથી કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાઈ ગયા છે. જેથી સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ ઝડપથી રીન્યુ કરવાની માંગ સાથે વડોદરાના જાણીતા વકીલ કમલ પંડ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વડોદરાના જાણીતા વકીલ કમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ એપ્રિલ માસમાં રીન્યુ કરવામાં આવે છે. માર્ચ થી એપ્રિલ સુધી તેઓના લાયસન્સ આપેલા હોય છે. આ રૂટીન વર્ક છે. ગુજરાતમાં દરેક શહેર અને જીલ્લામાં આ પ્રકારે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો આપવામાં આવેલ છે. અને ઉપર મુજબના પ્રોસીજર મુજબ તેઓના લાયસન્સ રીન્યુ થાય છે. સદરહું સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો નાયબ કલેકટરશ્રી ધ્વારા રીન્યુ થાય છે. હાલમાં ઓનલાઈન ની પ્રથા પણ સ્ટેમ્પ માટે છે. પરંતુ ઘણી કોર્ટ કેસોમાં જે સ્ટેમ્પ રજુ કરવાના હોય છે તે ટ્રેઝરીમાં ચલણ ભરી સ્ટેમ્પ મેળવી તેના પર ઓર્ડરો ટાઈપ થાય છે અને તે જે તે સંસ્થામાં રજુ કર્યે થી આગળનો પ્રોસેસ થાય છે. અને તે સ્ટેમ્પ જ કોર્ટમાં વેલીડ ગણાય છે. આપે દરેક અધિકારીને લોકોના કામો તાત્કાલિક ધોરણે થાય અને કામ કરતી સરકારનો દાખલો બેસે તે રીતે કામગીરી કરવા જણાવો છો. પરંતુ અધિકારીઓ એક યા બીજા બહાના હેઠળ પ્રજાને ત્રાસ આપવાની જ પ્રક્રિયા કરે છે. હાલમાં એપ્રિલ માસમાં સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સો રીન્યુ કરવા માટે તમામ સ્ટેમ્પ વેન્ડરોએ એપ્લીકેશન આપી દીધેલ છે. પરંતુ ચુંટણી ના બહાના હેઠળ કોઈપણ અધિકારી રુટીન કામ કરવા તૈયાર નથી. ખરેખર આ પ્રોસેસ રેગ્યુલર છે. ઓરલી ફોન દ્વારા પણ ટ્રેઝરીમાં સુચના આપે કે જે જુના સ્ટેમ્પ વેન્ડરો છે તેઓના લાયસન્સ રીન્યુ ગણાશે તો પણ પ્રજાને મુશ્કેલી પડે નહિં. હાલમાં આ પ્રક્રિયાને કારણે પ્રજા ના કામો અટવાયેલ છે. ચુંટણી પછી લાયસન્સ રીન્યુ કરવા જણાવે છે. જયારે વડોદરા શહેરના કલેકટર આજે પણ રુટીન કામ એટલે કે કેસોની સુનાવણી અને રોજબરોજની કાર્યવાહી પણ કરી રહ્યાં છે. જો કલેકટરને સમય હોય તો નાયબ કલેકટરને સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રીન્યુ કરવા અંગે વાંધો હોઈ શકે નહિં. લાયસન્સ ઈલેકશન પછી રીન્યુ થશે તો તેમાં 5-7 દિવસ નીકળી જશે અને 5-7 દિવસ પછી કોર્ટોમાં વેકેસન શરુ થશે. આ સંજોગોમાં સ્ટેમ્પ માટે ત્રાસ ભોગવતા પ્રજાને બીજા એક માસ સુધી રોકાવું પડશે. એટલે કે કોર્ટ ખુલશે ત્યારે પ્રોસેસ થશે. હાલમાં આ પરિસ્થિતિ મોટા ભાગના ગુજરાતના શહેરોમાં અને જીલ્લામાં છે. આ સંજોગોમાં આપ સાહેબને વિનંતી છે કે, સત્વરે સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સો રીન્યુ કરવા અથવા ઓરલી જે તે ટ્રેઝરીને જાણ કરી રેગ્યુલર સ્ટેમ્પો મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે.
મોરબીના મયુરપુલ પર ત્રિપલ અકસ્માત:ઈકો કારે બ્રેક મારતાં પાછળ આવતી બે કાર અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
મોરબીના મયુરપુલ પર સોમવારે સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કારે બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બે અન્ય કાર એક પછી એક અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવતા મુખ્ય માર્ગ મયુરપુલ પર બની હતી. અકસ્માતને કારણે પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ત્રણેય વાહનોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ દિલીપ ઠક્કર સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વાહનો હટાવ્યા બાદ પુલ પરનો ટ્રાફિક પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો, જેનાથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો હતો.
ખેતરમાં કામ કરતા યુવકનો કાન છૂટો પડ્યો:કાલોલના વાટા રીછીયા ગામે લોખંડની એંગલ વાગતા ગંભીર ઈજા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે એક યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. લોખંડની એંગલ વાગવાને કારણે યુવકનો કાનનો ભાગ છૂટો પડી ગયો હતો, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના આજે વાટા રીછીયા ગામના ખેતરમાં બની હતી. કલર કામ કરી રહેલા સોલંકી મહેશ નામના યુવકને કામ દરમિયાન લોખંડની તીક્ષ્ણ એંગલ કાનના ભાગે વાગી હતી. આ ગંભીર ઈજાને કારણે તેમનો કાન છૂટો પડી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહેશભાઈને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે.
દુનિયાનું 20-22% ઓઇલ જ્યાંથી સપ્લાય થાય છે, એ હોર્મુઝનો દરિયો અત્યારે ઉકળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, હવે ભારત પણ એની રડારમાં આવી ગયું છે. બે દિવસમાં ઈરાની ગનબોટ્સે બે ભારતીય જહાજ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ તરફ અમેરિકાએ ઈરાનના 900 ફૂટ લાંબા જહાજ ટોસ્કાના એન્જિન રૂમ પર ગોળીઓ વરસાવીને દરિયામાં ઊભું રાખી દીધું છે. ચીનથી આવતાં આ જહાજને અમેરિકન નેવીએ મધદરિયે રોકી દીધું છે. આ સ્થિતિમાં આવતીકાલની ઇસ્લામાબાદ શાંતિમંત્રણા પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. અને ઈઝરાયેલ લેબનોનનાં 55 ગામ ગળી ગયું છે. એવામાં ઈરાને ઘાતક ખૈબર-શેકન મિસાઈલો તેલ અવીવ તરફ તાકી દીધી. આજે આપણે યુદ્ધમાં ગ્લોબલ ગેમના ગેમ્બલની વાત કરીએ... નમસ્કાર... દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી હવે માત્ર ઓપરેશન નથી રહી, પણ તે એક કાયમી જીઓગ્રાફિકલ ચેન્જ બાજુ આગળ વધી રહી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે IDFએ 20 એપ્રિલની સવાર સુધીમાં જે ડેટા જાહેર કર્યો છે તે ચોંકાવનારા છે. ઈઝરાયેલ હવે લેબનોનની સરહદની અંદર 5 થી 10 કિલોમીટરની એક ફોરવર્ડ ડિફેન્સ લાઈન નામની સિક્યોરિટી લાઈન બનાવી કરી રહ્યું છે. આ લાઈનનો મતલબ એ છે કે ઈઝરાયેલ હવે માત્ર સરહદની રક્ષા નથી કરી રહ્યું, પણ લેબનોનની જમીન પર પોતાનો દાવો ઠોકીને પોતાનું ડોમિનન્સ વધારીને બફર ઝોન બનાવી રહ્યું છે. ઈઝરાયલનો લેબનોનના ગામો પર કબજો પણ સવાલ થાય કે ઈઝરાયલ આવું કેમ કરી રહ્યું છે? તો જવાબ છે હિઝબુલ્લાહનો ખાત્મો... હિઝબુલ્લાહ ઈઝરાયલના ઉત્તરના ભાગો પર સતત ડ્રોન અને રોકેટના મારા ચલાવી રહ્યું છે. જેના કારણે તે વધુ આક્રામક થયું છે. ઈઝરાયેલની 5 બ્રિગેડે નેવીની મદદથી લેબનોનના 55 ગામો પર કબજો કરી લીધો છે. આ જ વાત હિઝબુલ્લાહ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો છે. ઈઝરાયલે હિઝબુલ્લાહના 1,800થી વધુ લડવૈયાઓને પતાવી દીધા છે અને પ્રોક્સી ગ્રુપને પતાવવા મેદાને છે. હિઝબુલ્લાહની હથિયાર સપ્લાય પર ફટકો આમાં સૌથી મોટી વાત એ છે કે ઈઝરાયેલનો ટાર્ગેટ ખાલી હિઝબુલ્લાહના લડવૈયાઓ નથી, પણ સ્મગલિંગ પણ રૂટ છે. હિઝબુલ્લાહના સીરિયાથી લેબનોન આવતા હથિયારોના જથ્થાને રોકવા માટે લેબનોનના લિતાની નદી પરના પુલને ઈઝરાયલે નિશાન બનાવ્યું છે અને તોડી પાડ્યું છે. જોકે અપડેટ એવી છે કે લિતાનીના ઓપ્શનમાં લેબનોનની નાબાતીહ અને ટાયરના કેટલાક પુલો ફરી ખુલ્યા છે, જે સ્થાનિક વસ્તી માટે પણ રાહત હોઈ શકે, પણ સૈન્ય દ્રષ્ટિએ તે હજુ પણ જોખમી વિસ્તાર છે. ઈઝરાયલને ઈરાનનો વળતો પ્રહાર ઈઝરાયલની એગ્રેસિવનેસ દેખાડે અને ઈરાન ચૂપ બેસે તેવું બને? ગઈ રવિવારે રાત્રે ઈરાને તેની સૌથી એડવાન્સ ગણાતી ખૈબર-શેકન મિસાઈલોની તૈનાતી કરી છે. આ મિસાઈલો ઈઝરાયલના આયર્ન ડોમ નામની એર ડિફેન્સને નબળી પાડી શકે છે. સોલિડ-ફ્યુઅલ પર ચાલતી આ મિસાઈલો ખૂબ જ ઝડપી છે અને હુમલાના એન્ડ પોઈન્ટ સુધી પોતાનો રસ્તો પણ બદલી શકે છે. આવું કરીને ઈરાન ઈઝરાયલને મેસેજ આપવા માગતું હશે કે, જો ઈઝરાયેલ ઈરાનના પ્રોક્સી ઠેકાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તેહરાન સીધું તેલ અવીવ કે હાઈફા ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવતા અચકાશે નહીં. ઈરાન પાસે હજુ કેટલો દારૂગોળો? અમેરિકાની ઈન્ટેલિજેન્સ એજન્સીના મતે, ઈરાન પાસે હજુ પણ 70% મિસાઈલ સ્ટોક પડેલો છે. ઈરાન અત્યારે તેની અંડર ગ્રાઉન્ડ ટનલો અને પર્વતોની વચ્ચે છુપાયેલા લોન્ચ પેડ્સને એક્ટિવ કરી રહ્યું છે. આ એશિયાના એનર્જી માર્કેટ અને વર્લ્ડ પીસ માટે ખતરાની ઘંટડી છે. અમેરિકાએ ઈરાની જહાજને પકડી પાડ્યું જ્યારે જમીન પર આટલું ટેન્શન હોય, ત્યારે દરિયો કેવી રીતે શાંત રહી શકે? 19 એપ્રિલ 2026ની રાતે નોર્થ અરબ સાગરમાં જે ઘટના બની, તેણે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાનનું 900 ફૂટ લાંબુ મહાકાય માલવાહક જહાજ M/V ટોસ્કા, ચીની બંદરથી ઈરાન તરફ જઈ રહ્યું હતું, તેને અમેરિકી નેવીના મહાકાય યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સે ઉત્તર અરબ સાગરમાં અટકાવ્યું. US નેવીએ ચીનથી આવતું ઈરાની જહાજ મધદરિયે અટકાવ્યું અમેરિકાનો દાવો છે કે આ જહાજમાં કેમિકલ કાર્ગોના નામે પ્રિસિઝન મિસાઈલ બનાવવા માટેનો કાચો માલ, એટલે કે સોડિયમ પરક્લોરેટ લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે જહાજે ચેતવણીઓને ધ્યાનમાં ન લીધી, તો અમેરિકી નેવીએ ટોક્સાના એન્જિન રૂમમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને જહાજને દરિયાની વચ્ચે જ લાચાર કરી દીધું. આ કોઈ સામાન્ય જપ્તી નહોતી, પણ દરિયાઈ કાયદાઓ અને સોવેર્નિટીને સીધી ચેલેન્જ હતી. ઈરાને તેને સશસ્ત્ર દરિયાઈ ચાંચિયાગીરી ગણાવી છે, જ્યારે અમેરિકા તેને આતંકવાદ વિરોધી કાર્યવાહી તરીકે જોઈ રહ્યું છે. ઈરાન-અમેરિકાના ઈગોએ યુદ્ધ ભડકાવ્યું હવે તમે આ ઘટનાને બીજી રીતે પણ સમજો. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાનની યુદ્ધ રોકવા મીટિંગ થવાની હતી. પણ અમેરિકાએ ઈરાની જહાજ પર ફાયરિંગ કરી અને અધવચ્ચે રોકી દીધું અટલે ઈસ્લામાબાદ ટોક્સ પર પાણી ફરી ગયું છે. આ હુમલા પછી ઈરાને શાંતિ મંત્રણાના ટેબલ પર આવવાની ઘસીને ના પાડી દીધી છે. આનાથી એ સાબિત થાય છે કે મિડલ ઈસ્ટના દરિયામાં હવે વેપાર નહીં, પણ શક્તિ પ્રદર્શન સર્વોપરી બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટઃ દુનિયાની ડોક ને ઈરાનની તલવાર દુનિયાના કુલ તેલ વેપારનો 20-22% હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું સેન્ટર પોઈન્ટ બની ગયું છે. ઈરાને આ જળમાર્ગને પોતાની જાગીરની જેમ વાપરવાનું શરૂ કર્યું છે. 17 એપ્રિલે જ્યારે ઈરાને કોમર્શિયલ જહાજો માટે હોર્મુઝ ખોલ્યું, ત્યારે લાગ્યું કે તણાવ ઘટશે. પણ ઈરાનની શરતો અને અમેરિકાના ઈગોએ આખી વાત પર પાણી ફેરવી દીધું. હોર્મુઝની હઠઃ ઈરાન-અમેરિકા નમતું નથી જોખતા હવે ઈરાને માગ કરી છે કે અમે હોર્મુઝ ફરી ત્યારે જ ખોલીશું જ્યારે હોર્મુઝથી નીકળતું દરેક જહાજ ઈરાનને દરિયાઈ ટોલ ટેક્સ (ટ્રાન્ઝીટ) એટલે કે રૂપિયા ચૂકવે. એક શરત એવી પણ છે કે હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજો નહીં નીકળી શકે. ત્રીજી શરત એવી છે કે જે રૂટ પરથી ઈરાન કહે તે રૂટ પરથી જ જે-તે દેશના જહાજોને નીકળવું પડશે. હોર્મુઝમાં ફરી સન્નાટો છવાયો અમેરિકાએ આને બ્લેકમેલિંગ કહી અને ઈરાન સામે ઝૂકવાની ઘસીને ના પાડી દીધી. છેલ્લે થયું એવું કે હોર્મુઝ ફરીથી બંધ થઈ ગઈ. આની અસર ખાલી અમેરિકા અને ઈરાનને જ નહીં પણ આખી દુનિયાને ખરાબ રીતે થઈ. જે હોર્મુઝમાંથી રોજ કરોડો બેરલનું તેલ નીકળવાનું હતું તે ફરી બંધ થઈ ગયું છે અને અત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. જો કે યુદ્ધ જહાજોની ગર્જના તો છે જ છે. ઈરાને ભારતને પણ લપેટે લીધું પશ્ચિમ એશિયાનો આ જંગ હવે ખાલી ઈઝરાયેલ કે ઈરાન પૂરતો નથી રહ્યો, તેની લપેટમાં ભારત પણ આવી ગયું છે. 2026ના એપ્રિલ મહિનાનું આ ત્રીજું અઠવાડિયું ભારતીય વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા માટે કસોટીની ક્ષણ સાબિત થઈ રહ્યું છે. 18 એપ્રિલ 2026ની સાંજ ભારતીય નેવીના ઇતિહાસમાં એક કાળી ઘટના તરીકે નોંધાશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા બે ભારતીય રાષ્ટ્ર ધ્વજવાળા જહાજો પર ઈરાને ફાયરિંગ કર્યું છે. ભારતીય જહાજ જગ અર્નવ અને સન્માર હેરાલ્ડ હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે ઈરાની ગનબોટ્સે અચાનક ગોળીઓનો મારો ચલાવ્યો. ભારતીય જહાજના કેપ્ટને ઈરાનને રડારમાં કહ્યું કે, તમે જ નીકળવાની પરમિશન આપી છે. તો ફરી કેમ ગોળીઓ ચલાવી રહ્યા છો? અમને પાછા જવા દો આ ઓડિયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બનાવમાં સન્માર હેરાલ્ડ જહાજની બારીઓના કાચ તૂટી ગયા હતા. હોર્મુઝમાં હુમલો ને દિલ્લીમાં દંગલ આ ઘટના પછી નવી દિલ્હીમાં હલચલ મચી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક અસરથી ઈરાની રાજદૂત મોહમ્મદ ફતહલીને સમન્સ પાઠવ્યા હતા. ભારતે ચોખ્ખાં શબ્દોમાં ઈરાનને વોર્નિંગ આપી કે, ભારતીય ખલાસીઓ અને જહાજોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો કે સામેની બાજુ ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ્સની માનીએ તો અત્યારે પણ 22 જેટલા ભારતીય જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. આ જહાજોની સિક્યોરિટી ઈન્ડિયન નેવીના હાથમાં છે અને તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી કોઈ છમકલું ન થાય. ભારતની ચિંતા તેના જહાજો અને લોકો ભારત માટે સૌથી મોટી ચિંતા આપણા ફસાયેલા 22 જહાજો અને તેમાં રહેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે, પરંતુ પર્શિયન ગલ્ફમાં વધતો તણાવ તેમને જોખમમાં મૂકી રહ્યો છે. દેશ ગરિમા નામના ભારતીય જહાજે હિંમત બતાવીને હોર્મુઝ ઓળંગ્યું છે, પણ BW લોયલ્ટી જેવા જહાજો હજુ પણ ત્યાં જ અટવાયેલા છે. ગ્લોબલ ઈકોનોમી પર વજ્રાઘાત જ્યારે હોર્મુઝ બંધ થાય છે, ત્યારે તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. આજ સવારથી જ ગ્લોબલ માર્કેટમાં ગભરાટનું વાતાવરણ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 17 એપ્રિલે 90 ડોલર પ્રતિ બેરલ હતા તે આજે ઉછળીને 96 ડોલરને પાર પહોંચ્યા છે. જો આવું આમને આમ ચાલું રહેશે તો, તેલના ભાવ આભ આંબશે તે નક્કી છે. આનાથી વૈશ્વિક મોંઘવારી પણ આવી શકે તેમ છે. ક્રુડ ઓઈલ જ નહીં શેર બજારમાં પણ આની માઠી અસર થઈ છે. ભારતીય શેર બજાર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે. ઈન્વેસ્ટર્સ ડરી રહ્યા છે કે જો તેલ મોંઘું થશે તો ફૂગાવો વધી શકે તેમ છે અને જો આવું થાય તો વ્યાજ દરોમાં પણ વધારો આવી શકે. ઈસ્લામાબાદ મંત્રણા પર સંકટનાં વાદળ પશ્ચિમ એશિયાની આ કટોકટીમાં 21 એપ્રિલ એટલે કે આવતીકાલનો દિવસ આખા વિશ્વ માટે આશાનું કિરણ બનીને આવવાનો હતો. પણ આ સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે હવે શું થાય છે તેના પર દુનિયાની નજર મંડાયેલી છે. એવા ચાર કારણ છે જેનાથી મંત્રણા પર પાણી ફરી શકે છે. 1. ટોસ્કા જહાજની જપ્તી ઈરાન માટે આ સૌથી મોટો આઘાત હતો. મંત્રણાના 24 કલાક પહેલા જ અમેરિકાએ ઈરાનના મહાકાય જહાજ ટોસ્કા પર ફાયરિંગ કરીને તેને જપ્ત કરી લીધું. ઈરાને તેને પીઠમાં છરો ભોંકવા જેવી ઘટના ગણાવી. તેહરાનનું માનવું છે કે એક તરફ અમેરિકા શાંતિની વાત કરે છે અને બીજી બાજુ ઈરાનના જહાજો પર હુમલા કરે છે. 2. અમેરિકાની કડક શરતો અમેરિકાએ મીટિંગ ટેબલ પર આવવા માટે એવી શરત મૂકી હતી કે ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામને હંમેશા માટે ભૂલવો પડશે અને હોર્મુઝ પરની પકડ છોડવી પડશે. સામેની બાજુ ઈરાનને આ બિલકુલ બરદાશ્ત ન હતું કે તેમના દેશની અંદરની વાતમાં બીજો કોઈ દેશ આવીને દખલ કરે. 3. સુરક્ષાની ચિંતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આવતીકાલની ઈસ્લામાબાદની મીટિંગમાં આવવાના હતા, પણ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાની ગનબોટ્સની એક્ટિવિટીને કારણે સુરક્ષા એજન્સીઓએ આ મુલાકાતને જોખમી ગણાવી હતી. 4. બ્લોકેજની મડાગાંઠ ઈરાન ઈચ્છતું હતું કે પહેલા અમેરિકા તેના બંદરો પરથી નૌકાબંધી હટાવે, જ્યારે અમેરિકાની શરત હતી કે પહેલા ઈરાન હોર્મુઝના જલડમરુંમાંથી આંતરરાષ્ટ્રીય જહાજોને ફ્રી કરે. શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ? આ આખી ઘટનાનાના બધા ડોટ્સને જોડવામાં આવે તો એક મોટું ચિત્ર સામે આવે છે કે હવેનો સમય વધુ બદતર અને ભયાનક હોઈ શકે છે. ઈઝરાયલ અત્યારે દક્ષિણ લેબનોનમાં બફર ઝોન બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે તેનાથી સમજ પડે છે કે યુદ્ધ વધુ લંબાઈ શકે તેમ છે. ઈઝરાયલી ડિફેન્સ મિનિસ્ટર કાત્ઝના સ્ટેટમેન્ટ જણાવે છે કે તે હિઝબુલ્લાહને જ નહીં પણ લેબનોનને પણ નબળું પાડીને ત્યાં પોતાનું ડોમિનેન્સ વધારવા માગે છે. જેથી ભવિષ્યમાં ફરી આ મુદ્દો ક્યારેય સામે ફેણ ચઢાવીને ઉભો ન રહે. બીજી બાજુ, ઈરાને તેનું ટ્રુ પ્રોમિસ-4 ઓપરેશન ચલાવીની મિસાઈલ્સ તહેનાત કરી છે તે કહી જાય છે કે ઈરાન વહે વધુ આક્રામક બન્યું છે. આથી હોર્મુઝમાં પણ ટેન્શન વધી શકે છે અને સામેની બાજુ અમેરિકા પણ ઈરાન પર હવાઈ હુમલા કરવા બેતાબ બન્યું છે. આ યુદ્ધ મીડલ ઈસ્ટથી બહાર નીકળીને આખી દુનિયાને લપેટામાં લઈ લેશે. અને છેલ્લે... ટ્રમ્પે જ્યારે દુનિયાને ભરડામાં લીધી હતી ત્યારે યુરોપ ભારતની શક્તિ જાણીને સામે ચાલીને ફ્રી ટ્રેડ ડિલ કરવા પહોંચ્યું હતું. જો કે અમેરિકા કહે અમે કેમ બાકી રહીએ? તેણે પણ ફેબ્રુઆરીમાં ભારત સાથે ડિલ પાર પાડી હતી. આ વાત ફરી આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજથી ત્રણ દિવસ સુધી આ જ ડિલ મામલે વોશિંગ્ટનમાં ચર્ચા ચાલશે. યુદ્ધની મિસાઈલ્સ વચ્ચે મીટિંગ શું બદલાવો લઈને આવશે તેના પર નજર રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
સુરત શહેરની SOGએ આજરોજ શોર્ટકટથી કરોડપતિ બનવાના સપના જોતા ત્રણ શખસોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડના પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે ઝડપી પાડ્યા છે. આ આઘાતજનક કિસ્સામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાં B.Com સુધીનો અભ્યાસ કરી ચૂકેલો અને ઓનલાઇન શોપિંગ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અમરીશ મિશ્રા પણ સામેલ છે, જેની સાથે બે રિક્ષાચાલકો પણ આ ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હતા. ભરૂચના માછીમારો પાસેથી મેળવેલા આ કિંમતી પદાર્થને સુરતમાં વેચવા નીકળેલી આ ટોળકીનો પોલીસે ચોક્કસ બાતમીના આધારે પર્દાફાશ કરી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસ્ટિકની થેલીમાં શંકાસ્પદ પદાર્થ સાથે ત્રણ યુવક ફરતા હતાસુરત SOGના DCP રાજદીપ સિંહ નકુમ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં આર.જે.ડી. બિઝનેસ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ યુવાનો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 1.071 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પદાર્થ કિંમતી 'એમ્બરગ્રીસ' હોવાનું પુષ્ટિ પામ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1,07,10,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં (1) અમરીશ જયપ્રકાશ મિશ્રા, (2) સોનુ ઉર્ફે બબલુ દેવીપ્રસાદ ઉપાધ્યાય અને (3) સંદીપ ક્રિપાશંકર ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના વતની છે. ભરુચના માછીમારો પાસેથી લીધો હતો આ માલઆ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, મુખ્ય આરોપી અમરીશ મિશ્રા B.Com સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને તે ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો તેમછતાં શોર્ટકટથી અમીર બનવાની લાલચે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ માલ તેમને ભરૂચના કાવી કંબોઈ વિસ્તારના માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાએ આપ્યો હતો. અમરીશ મિશ્રા આ ધીરુનો બનેવી થાય છે અને તે છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગ્રાહકની શોધમાં હતો. 'એમ્બરગ્રીસ' એટલે શું? (ફ્લોટિંગ ગોલ્ડ)એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે. જ્યારે વ્હેલ માછલી તેને ઉલ્ટી દ્વારા બહાર કાઢે છે, ત્યારે તે દરિયામાં તરતો જોવા મળે છે. શરૂઆતમાં દુર્ગંધ મારતો આ પદાર્થ વર્ષો સુધી દરિયાના પાણી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સુગંધિત બની જાય છે. વિશ્વના સૌથી મોંઘા પરફ્યુમમાં 'ફિક્સેટિવ' તરીકે તેનો ઉપયોગ થતો હોવાથી તેને 'તરતું સોનું' (Floating Gold) પણ કહેવામાં આવે છે. વોન્ટેડ માછીમારોને પકડવા પોલીસના ચક્રો ગતિમાનભારતમાં વ્હેલ માછલી એક સુરક્ષિત પ્રજાતિ છે અને તેના કોઈપણ અંગ કે પદાર્થનો વેપાર કરવો એ 'વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972' હેઠળ ગંભીર ગુનો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ (ડુમ્મસ) ને સોંપવાની તજવીજ કરી છે. હાલમાં મુખ્ય માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત પોલીસના ડીસીપી રાજદીપ સિંહ નકુમે લોકોને ચેતવણી આપી છે કે, ટૂંકી મહેનતે પૈસા કમાવવાની લાલચમાં યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, પરંતુ પોલીસ આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરશે નહીં અને કડક પગલાં લેશે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચારની શરૂઆતમાં જ વોર્ડ નં.9માં ભાજપના ઉમેદવારોના બોર્ડને લઈને સર્જાયેલી સ્થિતિએ સમગ્ર જિલ્લામાં કુતૂહલ જગાવ્યું છે. સામાજિક વિવાદને કારણે અહીં ત્રણ દિવસમાં ત્રણ વાર મધ્યસ્થ કાર્યાલયના બોર્ડ બદલવાની નોબત આવી છે, જે કદાચ ગુજરાતની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ ઘટના હોઈ શકે છે. શું છે સમગ્ર વિવાદ?મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. વોર્ડ નં. 9 માં ભાજપની પેનલ જાહેર થયા બાદ, ઉમેદવાર હિરેન કરોતરા સામે કોઈ સામાજિક પ્રશ્ન ઉભો થયો હતો. આ વિવાદની અસર સીધી ચૂંટણી પ્રચાર પર જોવા મળી. 3 દિવસમાં 3 વખત બેનરો બદલાયાશરૂઆતમાં ચારેય ઉમેદવારોના નામ અને ફોટા સાથેનું પરંપરાગત બોર્ડ લગાવાયું હતું. વિવાદ વકરતા હિરેન કરોતરાનો ફોટો હટાવી દેવાયો અને માત્ર ત્રણ ઉમેદવારોના ફોટા રાખવામાં આવ્યા. આનાથી 'પેનલ તૂટી' હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. વિવાદ વધુ ગરમાતા ગણતરીની કલાકોમાં ત્રીજું બોર્ડ આવ્યું, જેમાં હવે એકપણ ઉમેદવારનો ફોટો કે નામ નથી. જિલ્લા ભાજપ પ્રમુખની સ્પષ્ટતાઆ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, ઉમેદવાર સામેનો સામાજિક પ્રશ્ન જૂનો છે અને માત્ર ચૂંટણી સમયે ભાજપને બદનામ કરવા માટે તેને ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો એકજૂથ છે. તેઓ સાથે હતા, છે અને રહેશે. સામાજિક પ્રશ્નોને સામાજિક રીતે ઉકેલી લેવામાં આવશે. તમામ ઉમેદવારોને સાથે મળીને જ પ્રચાર કરવાની કડક સૂચના 'કમલમ' દ્વારા આપી દેવામાં આવી છે. લોકોમાં ચર્ચાનું કેન્દ્રસામાન્ય રીતે ચૂંટણીમાં વિરોધ પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ અહીં ભાજપના જ મધ્યસ્થ કાર્યાલય પર વારંવાર બદલાતા બોર્ડ કાર્યકરો અને મતદારોમાં અનેક તર્ક-વિતર્ક જન્માવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ સામાજિક વિવાદને શાંત પાડીને ચારેય ઉમેદવારોને ખરેખર મેદાનમાં સાથે ઉતારી શકશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ તો આગામી પ્રચારના દિવસોમાં જ મળશે.
રાજકોટના વોર્ડ નંબર 7 માં આવેલા ઢેબર રોડ પરના અત્યાધુનિક એસ.ટી. બસપોર્ટમાં છેલ્લા 8 દિવસથી મુસાફરો અને સ્થાનિક વેપારીઓ નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના જણાવ્યા અનુસાર, બસપોર્ટના કનક રોડ પરના ગેટ પાસે ત્રીજા માળની પાઈપોમાંથી ગંદા પાણીના ધોધ વહી રહ્યા છે, જે સીધા રાહદારીઓ અને મુસાફરો પર પડે છે. આ ઉપરાંત, ભૂતખાના ચોકથી ફાયર બ્રિગેડ સુધીના મુખ્ય માર્ગો પર ગટરો ઉભરાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરીની નજીક જ ગંદા પાણીની રેલમછેલ અને અસહ્ય દુર્ગંધને કારણે વેપારીઓનું દુકાને બેસવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સમસ્યા અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્ર સિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી. સમિતિ દ્વારા સીટી ઇજનેર રાવલ અને ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશભાઈ સોલંકી સમક્ષ પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક દંડનીય કાર્યવાહી કરવા અને ગટર લાઈનોની તાત્કાલિક સફાઈ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેકેશન અને લગ્નગાળાને લઈ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 50 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉનાળુ વેકેશન અને લગ્નગાળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા રાજ્યવ્યાપી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી 1 મે થી 31 મે દરમિયાન 50 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળો માટે વધુ ટ્રીપોનું સંચાલન કરાશે. રાજકોટ ડિવિઝન દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને ભુજ જેવા રૂટો પર આ વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો મુસાફરોનો પ્રવાહ વધશે તો એસટી વિભાગ દ્વારા વધુ ટ્રીપો દોડાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, એસટી નિગમ દ્વારા આ વર્ષે વેકેશન દરમિયાન વિવિધ રૂટો પર અંદાજે 1000 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. વર્ષ 2025 ના ઉનાળુ વેકેશનમાં નિગમે 27650 ટ્રીપો દ્વારા 12 લાખથી વધુ મુસાફરોને સેવા આપી હતી. તેના આધારે વર્ષ 2026 ના આ વેકેશન ગાળામાં માત્ર મુખ્ય ધાર્મિક સ્થળો માટે જ અંદાજે 10000 થી વધુ ટ્રીપોનું સંચાલન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા સંચાલનથી મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે અને સરળતાથી પરિવહન સેવા મળી રહે તેવો હેતુ છે. રાજકોટ મનપામાં સફાઈ કામદારોના પગારમાં કૌભાંડનો આક્ષેપ, કમિશનરને આવેદન રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદારોના પગાર અને અન્ય સુવિધાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે કામદાર યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. યુનિયનનો આક્ષેપ છે કે અધિકારીઓ, એસ.આઈ., એસ.એસ.આઈ. અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કામદારોને પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને નિયમ મુજબ 10મી તારીખ સુધીમાં પગાર પણ ચૂકવવામાં આવતો નથી. આ ઉપરાંત, PF અને ESICના નાણાંમાં પારદર્શકતાનો અભાવ હોવાનું જણાવી જી.ડી. અજમેરા એજન્સી દ્વારા કરોડો રૂ.નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ કરાયો છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે 136 કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં પણ ગેરરીતિ થઈ છે. ગંભીર બીમારી ન હોવા છતાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને રાજીનામા મંજૂર કરાવાયા છે, જ્યારે જરૂરિયાતમંદ કામદારો રહી ગયા છે. યુનિયને ડમી કામદારોનું દૂષણ બંધ કરવા, લઘુતમ વેતન સુનિશ્ચિત કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે. આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કામદારોના બેંક ખાતામાં મળવાપાત્ર રકમ જમા કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
મહેસાણા શહેરના એક વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા 8 વર્ષની બાળકીને પોતાની કેબિનમાં બોલાવી તેની સાથે છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીની કેબીનમાં બાળકીને બોલાવી છેડતી કરીગત 18 એપ્રિલના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં ફરિયાદીની 8 વર્ષની ભાણી સોસાયટીના પરિસરમાં રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં ફરજ બજાવતા આરોપી સિક્યુરિટી ગાર્ડ મણિલાલ લક્ષમણભાઈ રાવત, જે મૂળ કૂકસ ગામનો રહેવાસી છે, તેણે બાળકીને પોતાની સિક્યુરિટી કેબિનની અંદર બોલાવી હતી.કેબિનમાં પ્રવેશ્યા બાદ આરોપીએ બાળકીને ડરાવી-ધમકાવી હતી કે, હું તને જે બતાવું તે તારે જોવાનું છે અને આ વાત તારે કોઈને કહેવાની નથી, જો તું આ વાત કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. બાળકીએ હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યાઆ પ્રકારની ધમકી આપીને આરોપીએ પોતાની પેન્ટની ચેઈન ખોલીને અશ્લીલ કૃત્ય કરી બાળકીની છેડતી કરી હતી. ઘટનાને પગલે બાળકી ખૂબ જ ડરી ગઈ હતી અને બાદમાં તેણે સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની ભાણી સાથે થયેલી આ ગંભીર ઘટના અંગે બાળકીના મામાએ તાત્કાલિક મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બીએનએસ કલમ 79, 351(3) તથા પોસ્કો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં બ્લીન્કીટનું વેચાણ અટકાવાયું:અસ્વચ્છતા, પેસ્ટ કંટ્રોલના અભાવે ફૂડ શાખાએ કાર્યવાહી કરી
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરુ સેક્શન રોડ પર આવેલી બ્લીન્કીટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી પેઢી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ પેઢીનું તમામ ઓનલાઈન વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પેઢીમાં સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન થતું ન હતું. સ્ટોરમાં આવેલા કોલ્ડ રૂમમાં શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને અલગ રાખવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત, પેસ્ટ કંટ્રોલ (જીવજંતુ નિયંત્રણ) માટે પણ સંતોષકારક કામગીરી જોવા મળી નહોતી, અને ફૂડ સેફ્ટીના માપદંડોનું ઉલ્લંઘન થતું હતું. ફૂડ અધિકારી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે ગત તારીખ 18 એપ્રિલ 2026 ના રોજ આ પેઢીનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ બે દિવસ અગાઉ પેઢીને નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈ સુધારો ન થતાં ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પેઢીને જરૂરી સુધારા કરવા અને સંબંધિત સર્ટિફિકેટ તથા દસ્તાવેજો કચેરીએ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી પેઢી લાયસન્સની તમામ શરતોનું પાલન નહીં કરે અને યોગ્ય સુધારો નહીં લાવે, ત્યાં સુધી વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી જાળવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ત્રણ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી સહિત સાત જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખેતરમાં વિદેશી દારૂનું કટિંગની બાતમી મળતાં જ દબોચાયામળતી માહિતી મુજબ SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છઠીયારડા ગામમાં આવેલા નુમાનખાન પઠાણના ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે SMC ના PSI ડી. એ. તુવર અને તેમની ટીમે તુરંત જ ખેતર પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. 18 લાખની 5074 બોટલો સાથે 3 ઝડપાયાદરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 5074 નંગ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત 18,03,935 રૂપિયા જેટલી થવા જાય છે. દારૂ ઉપરાંત ઘટનાસ્થળ પરથી બે ઈનોવા કાર પણ ઝડપાઈ છે.જેની કિંમત 22 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ 40,08,935 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 7 વોન્ટેડઘટનાસ્થળેથી વિપુલજી ઠાકોર, નરેશજી ઠાકોર અને મદરજી ઠાકોર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે છઠીયારડાના આનંદ રમેશ રાવળનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત નુમાનખાન અયુબખાન પઠાણ (રહે. છઠીયારડા) અને અમિત ઠાકોર (રહે. લણવા) સહિત કુલ સાત આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં SMCની ટીમે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉનાના ગુપ્તપ્રયાગ આશ્રમ ખાતે ઓલ ઈન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુની પ્રેરણાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ઉના, દીવ, દેલવાડા અને ધોધલા સહિતના વિસ્તારોમાં પૂરી પાડવામાં આવશે. 'હરિઓમ અન્ન સેવા' નામની આ પહેલ અંતર્ગત વૃદ્ધો, દિવ્યાંગો અને નિરાધાર લોકોને સવાર-સાંજ ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા દ્વારા જરૂરિયાતમંદોને નિયમિત ભોજન મળી રહેશે. આ નિઃશુલ્ક અન્ન સેવા માત્ર ઉના-દીવ વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જૂનાગઢ, બિલખા, ચાપરડા અને મુનિ પળી જેવા અન્ય સ્થળોએ પણ વૃદ્ધો અને દિવ્યાંગોને ભોજન પૂરું પાડવામાં આવે છે. પરમ પૂજ્ય મુક્તાનંદબાપુનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ ભૂખ્યું ન સૂવે તે છે, અને આ સેવા દ્વારા તેમનો આ લક્ષ્ય સાર્થક થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉના-દેલવાડા ખાતે આવેલા ગુપ્તપ્રયાગ આશ્રમમાં સવાર-સાંજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ તેમજ ત્યાંના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પહેલેથી જ કાર્યરત છે.
જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૂનાગઢનો જૈન સમાજ ભય અને ચિંતાના ઓથાર નીચે જીવી રહ્યો છે. આજે જૂનાગઢના વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આઈજી અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળીને એક ભાવુક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જૈન સમાજે પોતાની સુરક્ષા અને ધાર્મિક લાગણી દુભાવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. જૈન સમાજનું કહેવું છે કે અહિંસક અને શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણીજોઈને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.જૂનાગઢના શ્રી મૂર્તિપૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને લોકાગચ્છ જૈન સંઘ સહિતના તમામ લોકોએ એકસૂરે વહીવટી તંત્રને જણાવ્યું છે કે આગામી 23 તારીખે યોજાનારી રેલીનું નેતૃત્વ કરનારા કેટલાક તત્વોનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. તેમની વાણી અને વર્તન સામાજિક સૌહાર્દ બગાડનારા છે. જૈન સમાજે પોતાની આત્મા કંપી ઉઠે તેવો ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આજે આ તત્વોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર ધર્મસ્થાનો પર પણ અનધિકૃત કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે 23 એપ્રિલની રેલી અટકાવવામાં આવે અને જૈન વસાહતો તથા મંદિરોની સુરક્ષા માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે. આ રજૂઆત બાદ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે આજે હું અને મારી સાથે મૂર્તિપૂજક સંઘના વીરેનભાઈ વસા, લોકાગચ્છ જૈન સંઘ અને દિગંબર સંઘના અટવાભાઈ સહિત સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિઓ આઈજી સાહેબને મળવા આવ્યા હતા. હિતેશ સંઘવીએ રોષે ભરાઈને કહ્યું હતું કે અત્યારે અમુક તત્વો શાંત પાણીમાં પથરા ફેંકીને જૂનાગઢ જ નહીં પણ સમગ્ર ભારતમાં હજારો વર્ષોથી સાથે રહેતા સનાતન હિંદુ અને જૈનો વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો શાંતિથી જીવી રહ્યા છે ત્યાં અશાંતિ ફેલાવવાનું આ એક મોટું કાવતરું છે. હિતેશ સંઘવીએ ધર્મસ્થાનકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે 23મી તારીખની રેલી દરમિયાન અમારા કોઈ ધર્મસ્થાનકો પર હુમલો ન થાય તેવી અમે ખાસ રજૂઆત કરી છે. લોકશાહીમાં સૌને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે તેમાં અમને વાંધો નથી પણ તે પ્રક્રિયા શાંતિપૂર્ણ હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે જૈન તીર્થંકરો વિશે થતી અભદ્ર ટિપ્પણીઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે સનાતન અને જૈન ધર્મ એક જ સિક્કાની બે બાજુ છે, પરંતુ જે લોકો રાજકારણમાં અત્યારે ઝીરો થઈ ગયા છે તેઓ હીરો બનવા માટે સંત તરીકેની ભાષા મર્યાદા ગુમાવી રહ્યા છે. તેઓ હરિગીરી મહારાજ ને હરિયો અને ગિરીશભાઈ જેવા ને ગીરીયો જેવા અપમાનજનક શબ્દો વાપરી રહ્યા છે અને જૈન તીર્થંકરો વિશે ખોટું બોલીને જૈન સમાજના બાળકો અને મોટેરાઓના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યા છે. અંતમાં હિતેશ સંઘવીએ ભગવાન મહાવીર સ્વામી, ઋષભદેવ અને નેમિનાથ પ્રભુના અહિંસાના માર્ગનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમારો સંદેશ હંમેશા જીવો અને જીવવા દો રહ્યો છે. અમે પોલીસ પ્રશાસનને માત્ર એટલી જ વિનંતી કરી છે કે બહારથી જે નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી કોઈ અઘટિત ઘટના ન બને. પોલીસ વિભાગ દ્વારા અમને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે જૈન સમાજ નિર્ભય બનીને પૂજા-અર્ચના કરી શકશે અને સુરક્ષાની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આમ, ગિરનારના મુદ્દે અત્યારે જૂનાગઢમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

28 C