સાબરકાંઠા જિલ્લામાં ભાજપે 10 કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી હિંમતનગર અને ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના આદેશ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી કરવા બદલ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના નિર્દેશ બાદ જિલ્લા સંગઠને આ નિર્ણય લીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા અગાઉથી જ ઉમેદવારોની પસંદગી કરીને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક કાર્યકરોએ પક્ષના નિર્ણયનો અનાદર કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોમાં ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ચાર, વોર્ડ નંબર 2 માંથી બે અને વોર્ડ નંબર 7 માંથી ત્રણ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી પણ એક અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોના નામ આ મુજબ છે: હિંમતનગર પાલિકાના વોર્ડ નંબર 6 માંથી દીપક સવજી ભાટી. ઈડર પાલિકાના વોર્ડ નંબર 1 માંથી જયસિંહ રાધાકિશન તંવર, પારુલબેન જેકીકુમાર કોઠારી, પ્રદીપ નગીનદાસ શાહ અને મનીષાબેન જીજ્ઞેશ પંડ્યા. વોર્ડ નંબર 2 માંથી ફીરોજાબાનુ નસીબખાન બલોચ અને સંજય કાલીદાસ ભોઈ. વોર્ડ નંબર 7 માંથી કેવલ વિશાલકુમાર દોશી, રમિલાબેન દિનેશ પટેલ અને કમળાબેન હિંમત વણઝારા. આ તમામ 10 કાર્યકરોને હિંમતનગર અને ઈડર નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરવા બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ભાવનગર શહેરમાં થોડા દિવસ પૂર્વે હાદાનગર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી યુવાનની માતા શાકમાર્કેટમાં વસ્તુ લેવા જાય તે વેળાએ બે શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોય જે બાબતે યુવાન શખ્સોને થોડા દિવસ પહેલા સમજાવવા ગયેલ જેની દાઝ રાખી આઠ શખ્સોએ યુવાનના ઘર પર પથ્થરમારો તેમજ બાઈકની તોડફોડ કરી હતી. જે મામલે યુવાને બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી 8 શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની છેડતીથી મામલો બિચક્યોમળતી વિગતો અનુસાર, હાદાનગર વિસ્તારમાં રહેતા યુવાને હરેશ ઉર્ફ ભાકો ગોવિંદ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશ પરમાર, હર્ષદ રમેશ ચૌહાણ, વિરલ રમેશ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, અને રામો ઉર્ફે ઓઢી વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, યુવાનની માતા જ્યારે પણ માર્કેટમાં ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતી હોય ત્યારે શખ્સો ખરાબ નજર નાખી એલ ફેલ બોલતા હોય આ અંગે યુવાનની માતાએ શખ્સોને ટપારતા શખ્સોએ યુવાનની માતા સાથે અડપલા કરી બાવડું પકડી પછાડી દીધી હતી અને યુવાનએ પણ ઠપકો આપ્યો હતો. સ્કૂટરોની તોડફોડ કરી ઘર પર પથ્થર મારોઆ વાતની આઠેય શખ્સોએ દાઝ રાખી ધોકા પાઇપ તથા લાકડી જેવા હથિયારો સાથે યુવાનના ઘરે આવ્યા હતાં, તેના ઘર બહાર પાર્ક કરેલ સ્કૂટરોની તોડફોડ કરી ઘર પર પથ્થર મારો તથા સોડા બોટલના ઘા કર્યા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં 8 શખ્સો સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 75, 324(4), 125, 189(2), 191(2), 191(3), 190 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધાયો હતો. 8 શખસોની ધરપકડજે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઇ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશભાઇ પરમાર, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, વિરલ હરેશભાઇ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, રામો ઉર્ફે ઓઢી રહે. તમામ ભાવનગરના રહેવાસીઓ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાળઝાળ ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અજાણ્યા શખ્સે આ કૃત્ય આચર્યું હતું, જેના કારણે શાળામાં પંખા અને લાઈટ વિના અભ્યાસ કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૮ એપ્રિલના રોજ એક અજાણ્યો વ્યક્તિ શાળામાં આવ્યો હતો. તેણે પોતાને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) નો કર્મચારી ગણાવી સ્માર્ટ મીટર લગાવવાની વાત કરી હતી. શાળાના આચાર્યએ તેની પાસે ઓળખપત્ર માંગતા તે બતાવી શક્યો ન હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, તે જ સાંજે ફરી આવીને તેણે શાળાનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. આ ઘટનાના પરિણામે, ૧૯ અને ૨૦ એપ્રિલે વિદ્યાર્થીઓને પંખા અને લાઈટ વિના ગરમીમાં અભ્યાસ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, મધ્યાહન ભોજન બનાવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, આ શાળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બૂથ તરીકે પણ ફાળવવામાં આવી છે, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની છે. આ મામલે શાળાના આચાર્યએ કાંકણપુર સબ ડિવિઝનના અધિકારીઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. MGVCL અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વિભાગ તરફથી કોઈ કર્મચારીને મોકલવામાં આવ્યો ન હતો અને આ કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢના ચોબારી ફાટકથી ઝાંઝરડા રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ રસ્તા પર લાંબા સમયથી એક કદાવર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કોઈ પણ પ્રકારના સફેદ પટ્ટા કે સાવચેતીના ચિહ્નો ન હોવાને કારણે તે 'મોતનું સ્પીડ બ્રેકર' બની ગયું હતું. આ સ્પીડ બ્રેકર અંધારામાં કે દૂરથી વાહનચાલકોને દેખાતું ન હોવાથી રોજબરોજ ત્રણથી ચાર અકસ્માતો અહીં સામાન્ય બની ગયા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા બે દિવસ પહેલા આ સમસ્યા અંગે અહેવાલ રજૂ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. અંતે, તંત્રની રાહ જોયા વગર એક જાગૃત નાગરિકે પોતે જ આ જવાબદારી ઉપાડી લીધી છે. જૂનાગઢના જાગૃત નાગરિક ચેતનભાઈ પરમાર પોતે પણ આ સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે અચાનક ઝટકો લાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે જોયું કે આ રસ્તે અનેક વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને શાળાઓએ જતા બાળકો પસાર થાય છે, જેમના જીવ પણ જોખમમાં છે. તંત્રની નિષ્ક્રિયતા જોઈને ચેતનભાઈએ નિશ્ચય કર્યો કે જે પીડા તેમણે ભોગવી છે તે અન્ય કોઈ નાગરિકે ન ભોગવવી પડે. આ ઉમદા હેતુ સાથે તેમણે પોતાના ૨ થી ૩ હજાર રૂપિયાના વ્યક્તિગત ખર્ચે કલર લાવીને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાનું કામ શરૂ કર્યું છે. ચેતનભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આમાં તેમનો કોઈ રાજકીય હેતુ નથી અને તેઓ માત્ર એક જાગૃત નાગરિક તરીકે બીજાના જીવ બચાવવા આ કામગીરી કરી રહ્યા છે. આ સેવાકાર્યમાં સ્થાનિકોનો પણ પૂરો સહયોગ સાંપડ્યો છે. નજીકમાં જ આવેલી મહાદેવ મોટર્સના માલિક બબન પંડિતે આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રોડ પર અકસ્માતોની હારમાળા સર્જાય છે. બે દિવસ પહેલા જ એક ટ્રેક્ટર પસાર થતી વખતે બમ્પના કારણે જોરદાર ઉછળ્યું હતું અને તેમાં બેઠેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો હતો. આ વિસ્તારમાં હોસ્પિટલો અને શાળાઓ વધુ હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, છતાં મનપાના અધિકારીઓ તેમની એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ પર જ કળા કરી રહ્યા હોય તેવું લાગે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર અકસ્માત થાય ત્યારે હોસ્પિટલે ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ અકસ્માત અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેતા નથી. અન્ય એક સ્થાનિક નાગરિક નિલેશભાઈએ પણ તંત્રની નીંભરતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે કામ મહાનગરપાલિકાએ કરોડોના બજેટમાંથી કરવાનું હોય તે કામ આજે એક સામાન્ય નાગરિકે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને કરવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા જ અહીં એક વૃદ્ધ મહિલા બાઈક પરથી નીચે પછડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડા મહિનાઓ પહેલા બે યુવકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આટલી જાનહાનિ અને અકસ્માતો પછી પણ જો તંત્ર ન જાગે તો જૂનાગઢના લોકોએ હવે પોતાના જીવની ચિંતા જાતે જ કરવી પડશે અને દરેક અસુવિધા સામે જાતે જ લડવું પડશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રોડ, ગટર અને પાણી માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ નાની એવી સ્પીડ બ્રેકરની કામગીરીમાં પણ અણઆવડત અને બેદરકારી છતી થઈ રહી છે. અત્યારે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે જો આ નીંભર તંત્ર ગંભીર ઘટનાની રાહ જોઈને બેસી રહેશે, તો આગામી સમયમાં જૂનાગઢના રસ્તાઓ હોસ્પિટલના ખાટલામાં ફેરવાઈ જશે તેવી ભીતિ છે. ચેતનભાઈ પરમાર જેવા જાગૃત નાગરિકોની આ કામગીરી તંત્રના મોઢા પર લપડાક સમાન છે અને તે સાબિત કરે છે કે હવે જનતાએ પોતાના રક્ષણ માટે પોતે જ રસ્તા પર ઉતરવું પડશે.
મહેસાણાના રામોસણા બ્રિજ પર સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાથી ડીસા જઈ રહેલી એક ઇકો કારમાં અચાનક આગ લાગતા વાહન બળીને ખાખ થઈ ગયું હતું. બનાસકાંઠા પાસિંગની GJ08BS4162 નંબરની આ કારમાં સવાર ચાલકની સમયસૂચકતાને કારણે મોટો અનર્થ ટળ્યો હતો. કારમાં વાયર બળ્યા ને આગે વિકરાળ સ્વરૂપ લેતાં ગાડી બળીને ખાખબનાવની વિગત મુજબ ચાલક શામળભાઈ નાયી જ્યારે કાર લઈને રામોસણા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ગાડીમાં અજીબ દુર્ગંધનો અહેસાસ થયો હતો. કંઈક અજુગતું હોવાની આશંકાએ તેમણે તાત્કાલિક ગાડીને રસ્તાની બાજુમાં સાઈડ પર ઉભી રાખી હતી. ગાડીમાંથી નીચે ઉતરીને તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, ગાડીના વાયર બળી રહ્યા છે. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કારને લપેટમાં લઈ લીધી હતી. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આશરે 4000 લીટર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતોઆ અચાનક બનેલી ઘટનાને પગલે રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે, ચાલક શામળભાઈએ સમયસૂચકતા વાપરી ગાડીમાંથી તાત્કાલિક બહાર નીકળી જતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ખુલો કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં શેરબજારમાં થયેલા મોટા નુકસાનને કારણે એક યુવાને આત્મહત્યા કરી છે. રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોત નંબર 17/2026 મુજબ, મૃતકનું નામ દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉંમર 35) છે. તેઓ રાજપાર્ક, ડિવાઇન હોસ્પિટલ પાછળ, જામનગર ખાતે રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ શેરબજારમાં ટ્રેડિંગ કરતા હતા અને તેમને આશરે 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ આર્થિક નુકસાનને કારણે તેઓ માનસિક તણાવમાં હતા. પોલીસ તપાસ અનુસાર, 7 એપ્રિલ 2026ના રોજ સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે દેવાંગભાઈએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. 13 દિવસની સારવાર બાદ ગઈકાલે તેમનું અવસાન થયું હતું. મૃતકની પત્ની દિવ્યાબેન દેવાંગભાઈ પોપટે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલાએ બી.એન.એસ.ની કલમ ૧૯૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સચીન GIDC વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતા અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયાની હત્યાના આરોપમાં પકડાયેલા ચાર યુવકોને સુરતની સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો અને મુખ્ય સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસને પગલે કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી જેલમુક્ત કરવાનો આદેશ કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? માર્ચ 2023નો એ લોહિયાળ કિસ્સોઆ ઘટનાની વિગતો મુજબ, 13 માર્ચ 2023ના રોજ રાત્રિના સમયે સચીન GIDC રોડ નંબર 3 પર આવેલા શ્રીરામ વે બ્રીજ પાસે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ અશોકકુમાર ઉર્ફે રામુ કનોજીયા તરીકે થઈ હતી, જે સ્થાનિક લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 14 માર્ચની સવારે જ્યારે તેમનો મૃતદેહ રસ્તાના કિનારે પડ્યો હોવાની જાણ થઈ, ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના ભાઈ જીતેશકુમારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અજાણ્યા શખ્સો સામે હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને 4 આરોપીની ધરપકડ કરી હતીઘટનાની ગંભીરતાને જોતા સચીન GIDC પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે અશોકકુમારના શરીર પર નાની-મોટી અનેક ઈજાઓ હતી, જે બોથડ પદાર્થ અથવા હુમલાને કારણે થઈ હોવાનું અનુમાન હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની માહિતીના આધારે પોલીસે કરણસિંગ ઉર્ફે રાની, મૈયાદીન ઉર્ફે બટકા, અનંત ઉર્ફે આનંદ માંજી અને કેશનપાલ ઉર્ફે પંડીત નામના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો હતો કે આ ચારેય આરોપીઓએ અંગત અદાવત અથવા સામાન્ય ઝઘડામાં અશોકકુમારને મોતને ઘાટ ઉતાર્યો હતો. મુખ્ય સાક્ષી જુબાનીમાં ફરી ગયા હતાકેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ (સરકાર પક્ષ) દ્વારા અનેક પંચ સાહેદો અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કેસ ત્યારે નબળો પડ્યો જ્યારે નજરે જોનાર હોવાનું મનાતા મુખ્ય સાક્ષી ગીરજાશંકર પોતાની જુબાનીમાં ફરી ગયા હતા. ગીરજાશંકરે પોલીસને આપેલા અગાઉના નિવેદનને કોર્ટમાં સમર્થન આપ્યું ન હતું. આ ઉપરાંત, અન્ય પંચ સાહેદો પણ બનાવ કેવી રીતે બન્યો અને કોણે હત્યા કરી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા. ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ મજબૂત સાંકળ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 'કેસ સાબિત કરવા માટે પુરાવા અપૂરતા'આ કેસમાં બચાવ પક્ષે વકીલ રિધ્ધિશ મોદી, મુકુંદ રામાણી અને આર.જી. પારેખ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ પાસે આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ નક્કર વૈજ્ઞાનિક કે સંજોગોવસાત પુરાવા નથી. પોલીસે માત્ર શંકાના આધારે આ નિર્દોષ યુવાનોની ધરપકડ કરી છે. વકીલોએ રજૂઆત કરી હતી કે જ્યારે મુખ્ય સાક્ષીઓ જ બનાવને સમર્થન નથી આપી રહ્યા અને પંચનામાની વિગતોમાં પણ વિસંગતતા છે, ત્યારે આરોપીઓને સજા આપી શકાય નહીં. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે સ્વીકાર્યું કે કેસ સાબિત કરવા માટે પુરાવા અપૂરતા છે. એક વર્ષથી જેલમાં બંધ ચારેય યુવકો છૂટકારોબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરતની અદાલતે અવલોકન કર્યું હતું કે ફોજદારી ન્યાયશાસ્ત્રના સિદ્ધાંત મુજબ જ્યાં સુધી ગુનો નિશંકપણે સાબિત ન થાય ત્યાં સુધી કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. આ કેસમાં સાક્ષીઓ ફરી જવાથી અને પુરાવાની કડીઓ તૂટી જવાથી ફરિયાદી પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પરિણામે, અદાલતે ચારેય આરોપીઓ - કરણસિંગ, મૈયાદીન, અનંત અને કેશનપાલને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદા સાથે જ એક વર્ષથી જેલમાં બંધ ચારેય યુવકોના છુટકારાનો માર્ગ મોકળો થયો છે.
ભાવનગરમાં પ્રોબેશનર IASના ડ્રાઈવર લાંચ લેતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ સરકારને તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લેવા પ્રેર્યા છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ડ્રાઈવરના ગણવેશ (ડ્રેસ)ના કલરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી કચેરીઓના ડ્રાઈવરોના ગણવેશમાં ફેરફારસામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગાંધીનગરથી જારી કરાયેલા આદેશ અનુસાર, અગાઉ નક્કી કરાયેલ ડ્રેસ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના નિયમ મુજબ ડ્રાઈવરો માટે પેન્ટનો કલર સ્ટીલ ગ્રે અને શર્ટનો કલર લાઇટ ગ્રે રાખવામાં આવ્યો હતો. હવે નવા નિર્ણય પ્રમાણે પેન્ટ માટે ઘાટો બદામી (Brown/Walnut) અને શર્ટ માટે આછો બદામી (Almond) કલર નક્કી કરવામાં આવ્યો છે. ભાવનગર લાંચ કાંડ બાદ સરકારનો નિર્ણયસરકારે આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ રીતે જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રો મુજબ તંત્રમાં કર્મચારીઓની ઓળખ સરળ બને, એકરૂપતા જળવાઈ રહે અને જવાબદારીની ભાવના મજબૂત થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભાવનગરની ઘટનાએ બતાવ્યું કે, કચેરીઓમાં કામ કરતા સ્ટાફની કામગીરી પર વધુ નજર રાખવાની જરૂર છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર હવે સિસ્ટમમાં નાના-મોટા ફેરફારો કરીને કડક સંદેશ આપવાની કોશિશ કરી રહી છે. સંબંધિત વિભાગોને ડ્રેસકોડનું કડક પાલન કરવા સૂચનાઆ આદેશ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં લાગુ પડશે અને સંબંધિત વિભાગોને તેનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. અગાઉના આદેશમાં દર્શાવેલ અન્ય શરતો યથાવત રાખવામાં આવી છે, એટલે કે ડ્રેસ કોડ સિવાયના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 'ગેરવર્તણૂક માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે'રાજ્યભરના સરકારી ડ્રાઈવરોમાં આ નવા ગણવેશ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક કર્મચારીઓ આ નિર્ણયને સામાન્ય પ્રશાસકીય ફેરફાર તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને ભાવનગર લાંચ કાંડ બાદ સરકાર દ્વારા આપવામાં આવેલા સંકેત તરીકે લઈ રહ્યા છે કે હવે તંત્રમાં બેદરકારી અથવા ગેરવર્તણૂક માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે. આ રીતે, એક વિડિયોથી શરૂ થયેલી ઘટના હવે રાજ્યસ્તરે નીતિગત ફેરફાર સુધી પહોંચી છે, જે આગામી સમયમાં તંત્રની કાર્યપદ્ધતિ પર કેવી અસર કરે છે તે જોવાનું રહેશે.
બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી અપહરણ થયેલા એક બાળકની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડગામ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત 3 શખસની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે અત્યાર સુધીમાં ગુજરાત, દિલ્હી, તેલંગાણા સહિત 4 રાજ્યોમાં કુલ 8 નવજાત બાળકોનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી છે. તપાસનો ઘટનાક્રમ અને ધરપકડ6 એપ્રિલના રોજ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળકનું અપહરણ થયું હતું. ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી પોલીસે તપાસ હાથ ધરી સૌપ્રથમ મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સગીરની માતા પણ અગાઉ બાળ તસ્કરીના ગુનામાં આંધ્રપ્રદેશની જેલમાં હોવાનું સામે આવ્યું છે.આરોપીઓની પૂછપરછમાં મુખ્ય દલાલ મુરુગનનું નામ ખુલતા વડગામ પોલીસે તેલંગાણાના કાગઝનગરથી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના અન્ય 2 સાગરીતો કાસરપ્પુ તિરુપતિ અને કેલેટી ગંગાધરને પણ દબોચી લેવામાં આવ્યા હતા. IVF સેન્ટરથી બાળ તસ્કરી સુધી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેંગ અગાઉ IVF સેન્ટરોમાં તંદુરસ્ત મહિલાઓને દાખલ કરાવી કમિશન મેળવવાનું કામ કરતી હતી. જોકે, વધુ નફાની લાલચમાં તેઓ નવજાત બાળકોની તસ્કરીના ગુનામાં સંડોવાયા હતા. તેઓ ગરીબ વાલીઓ પાસેથી બાળકો મેળવી નિસંતાન દંપતીઓ અથવા અન્ય એજન્ટોને ઊંચી કિંમતે વેચતા હતા. કુલ 8 બાળકોનું વેચાણપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં 4 રાજ્યના બાળકો વેચ્યા છે: દાંતા-વડગામ (ગુજરાત): 2 બાળકો હૈદરાબાદ (તેલંગાણા): 3 બાળકો મુંબઈ (મહારાષ્ટ્ર): 2 બાળકો દિલ્હી: 1 બાળક વધુ તપાસ ચાલુપોલીસે સગીર એજન્ટ પાસેથી બાળક વેચાણના રોકડા 1.5 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ રેકેટમાં હૈદરાબાદની શિવારાણી અને મુંબઈના રોહિદાસ સહિત અન્ય 4થી 5 શખસોની સંડોવણી પણ સામે આવી છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. બનાસકાંઠાના અન્ય એક કેસમાં દાંતા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ ભ્રમ ફેલાવતી હોવાનો આક્ષેપ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચંડોળા તળાવ મુદ્દે ધારાસભ્યએ મત માગ્યા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ચંડોળા તળાવનો મુદ્દો ઉઠાવી મત માંગ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાભી રીવાબાએ નણંદ નયનાબાને શુભકામના પાઠવી રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી..સાથે જ કહ્યું કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે તો સામે નયનાબાએ કહ્યું એ તો 28 તારીખે ખબર પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાળા વાવટા ફરકાવી જીગ્નેશ મેવાણીનો વિરોધ કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીનો કાળા વાવટા ફરકાવી અને નારેબાજી કરી વિરોધ કરવામાં આવ્યા..ચાંદખેડા બાદ રખિયાલ -સરસપુર વોર્ડમાં પણ ટિકિટના વિવાદ મામલે મેવાણીને વિરોધનો સામનો કરવો પડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મમતાને હરાવવા ભાજપે દોડાવી ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી 1300 શ્રમિક સાથેની 'વોટર્સ સ્પેશિયલ' એસી ટ્રેન રવાના થઈ. આ ટ્રેનનો ખર્ચ ભાજપ ભોગવશે.. ગઈકાલે આ જ સ્ટેશન પર યુપી બિહારના શ્રમિકો સાથે લાઠીચાર્જ કરાયો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસે મુસાફરો પર લાઠીચાર્જ કર્યાનો ઈનકાર તો આ અફરાતફરીની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા પશ્ચિમ રેલવ વિભાગના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ કહ્યું કે કોઈ મુસાફર પર લાઠીચાર્જ થયો નથી. જો કે પોલીસનો લાઠીચાર્જ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષાને ટક્કર મારી BMW AMTS બસ સ્ટેન્ડમાં ભટકાઈ અમદાવાદના નિકોલમાં બીએમડબ્લ્યુ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અને એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. ટક્કર એટલી ખતરનાક હતી કે ગાડી અને બસ સ્ટેન્ડ બંનેનો કચ્ચરઘાણ વળી ગયો. રિક્ષાચાલક ગંભીર હાલતમાં છે, જ્યારે કારચાલક 2.5 કરોડની ગાડી મૂકી ફરાર થઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્ટિવા ટકરાયાનો ઠપકો આપતા છરીના ઘા માર્યા અમરેલીમાં પણ ધંધૂકા જેવો બનાવ બન્યો..બીનાકા ચોકમાં પાનની દુકાને ઊભેલા શખ્સને એક્ટિવા ટકરાવ્યું.. જેનો ઠપકો આપતા તેને ઉપરાઉપરી છરીના 3 ઘા ઝિંકી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અર્ટિગાની ટક્કરે એક જ પરિવારના ત્રણના મોત સુરતના અનાવલમાં અર્ટિગા કારે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. બાઈક સવાર યુવક, તેની પત્ની અને સાસુનું મોત નીપજ્યું, જ્યારે 6 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો. નમો સ્ટેડિયમમાં મુંબઈ આજ સુધી એક પણ મેચ જીતી નથી.. રોહિત શર્મા મેચ રમશે કે નહીં તે હજુ સસ્પેન્સ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
શ્રી પારકર યુવક મંડળ અમદાવાદ દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જોધપુર, સેટેલાઇટ સ્થિત જલારામ હોલ ખાતે યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા કુલ 151 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાનના આ ભગીરથ કાર્ય બદલ પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા શ્રી પારકર યુવક મંડળના કાર્યકર્તાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચના સમર્પિત 'વર્કસ્પેસ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે IEEE પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવેલું આ ભારતનું પ્રથમ અદ્યતન વર્કસ્પેસ છે. આ પ્રસંગે IEEE MGA ગવર્નન્સ કમિટીના સભ્ય અને ONGCના પૂર્વ ચીફ જનરલ મેનેજર ડૉ. દીપક માથુર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વૈશ્વિક ટેક્નિકલ કૌશલ્યો સાથે જોડવામાં અને ઉદ્યોગ જગતની માંગ મુજબ સજ્જ કરવામાં મદદરૂપ થશે. સિલ્વર ઓક યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ પૂનમ અગ્રવાલ અને વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવનિર્મિત વર્કસ્પેસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. તેમાં હાઈ-એન્ડ કમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી વર્કશોપ સ્પેસ, સંશોધન અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે કોન્ફરન્સ એરિયા તેમજ રિક્રિએશનલ ઝોનનો સમાવેશ થાય છે. આ વર્કસ્પેસના માધ્યમથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા ઇનોવેશન, રિસર્ચ, આઇડિએશન અને ટેક્નિકલ અપલિફ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સુવિધા તેમની કલ્પનાશક્તિને વાસ્તવિકતામાં બદલવાનું સક્ષમ માધ્યમ બનશે. સિલ્વર ઓક યુનિવર્સિટી વૈશ્વિક સ્તરના શિક્ષણ અને આધુનિક એક્સપોઝરની પોતાની પરંપરાને સતત વેગ આપી રહી છે. IEEE જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથેના તેના જોડાણને આ વર્કસ્પેસ એક નવો આયામ આપશે. અહીંથી પ્રશિક્ષિત યુવા પ્રતિભાઓ ભવિષ્યના ટેક્નોલોજી લીડર્સ અને નવોન્મેષી સંશોધકો તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા છે. આ અદ્યતન સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સૌરિન શાહ, એડવાઈઝર ડૉ. એમ. એન. પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. મિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ઓફ ટેક્નોલોજીના ડીન અને IEEE ગુજરાત સેક્શનના પ્રોફેશનલ એક્ટિવિટી ચેર ડૉ. સાત્વિક ખારા, એચ.ઓ.આઈ. ડૉ. જૈમિન દવે, કોમ્પ્યુટર વિભાગના વડા પ્રો. મયુરેશ કુલકર્ણી અને ફેકલ્ટીગણમાંથી પ્રો. પરિમલ પટેલ, પ્રો. ગૌરવ તિવારી, ડૉ. મોનાલી સુથાર અને પ્રો. દિગંત પરમાર પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ખાખરા હડમતિયા ગામ ખાતે આસોદરિયા પરિવાર દ્વારા આયોજિત પારિવારિક મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ પ્રસંગે પરિવારના તમામ સભ્યોની નોંધપાત્ર હાજરી અને સહભાગિતા જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન મેન્ટર હિમાનીબેન ભૂવાએ પારિવારિક મહોત્સવ વિષય પર સરળ અને પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના વિચારો અને રજૂઆતે ઉપસ્થિત સૌમાં નવી ઊર્જા અને સકારાત્મક દૃષ્ટિકોણ જગાવ્યો હતો. અન્ય નેતૃત્વદાયી વ્યક્તિત્વોના અનુભવો અને વિચારો પણ સભ્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આયોજકો દ્વારા કરવામાં આવેલ સુવ્યવસ્થિત આયોજન અને માહિતીપ્રદ કાર્યક્રમ માટે તમામ ઉપસ્થિતોએ આભાર વ્યક્ત કર્યો હતો. આવા પ્રયત્નો સમાજમાં એકતા, સંવાદ અને વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આસોદરિયા પરિવારના આ ઉપક્રમની પ્રશંસા કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આવા જ ઉત્તમ અને પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ સંદર્ભમાં, આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ માલવિન્દ્રસિંગ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો વધુ વધ્યો છે. AAP ઉમેદવારોને સમર્થન આપવા અને પ્રચારને વેગ આપવા માટે આવેલા સાંસદ કાંગે પ્રચાર અભિયાન શરૂ કરતા પહેલા પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે અને જીત મેળવશે. તેમણે જિલ્લાના લોકોને અપીલ કરતા કહ્યું કે, એક વખત આમ આદમી પાર્ટીને તક આપો, અમે વિકાસ અને પારદર્શક શાસન આપીશું. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપને સત્તામાં આવતા દાયકાઓ લાગ્યા, જ્યારે AAPએ ટૂંકા ગાળામાં બે રાજ્યોમાં સરકાર બનાવી પોતાની ક્ષમતા સાબિત કરી છે. સાંસદ કાંગે વધુમાં આક્ષેપ કર્યો કે વર્તમાન સરકાર દ્વારા AAPના કાર્યકરો અને સમર્થકોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કાર્યવાહી દ્વારા તેમને ડરાવવામાં આવે છે. તેમ છતાં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ પાર્ટી સતત આગળ વધી રહી છે અને જનસમર્થન મેળવી રહી છે. સાંસદ કાંગના આગમનથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતાઓ છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે વૈશાખ સુદ બીજની રાત્રે બાબા રામદેવપીરનો પાટ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાટ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન ભક્તિભાવપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. અલખ ધૂણાના મહેન્દ્રભાઈ વ્યાસે રૂપાદે માલદેની કહાણી વર્ણવી હતી. આ ઉપરાંત, તેમણે ગંગા અવતરણની કથા પણ રજૂ કરી હતી. પ્રમોદભાઈ વ્યાસે પણ ગંગા અવતરણ નિમિત્તે વક્તૃત્વ આપ્યું હતું. આ ભજન સત્સંગમાં કલાકારો મુકેશભાઈ મહેતા, ગંગેટના બારોટજી, મહેન્દ્રભાઈ વ્યાસ, નિરંજનભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બળવંતસિંહ દરબાર સહિત અન્યોએ ભજનોની રમઝટ બોલાવી હતી. બાળક બેન્જો વાદક ચિરાગ પટણી (ગોચનાદે) એ પણ પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અમેરિકામાં રહેતા ગામના ચમનભાઈ મફતલાલ પટેલે અખંડ દીવાનો લાભ લીધો હતો. આવતા અધિક માસમાં મુખ્ય યજમાન તરીકેનો લાભ કુણઘેરના વિપુલસિંહ કરસનજી રાઠોડે લેવાની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. આજના પાટ પૂજન અને ભોજનના દાતા તરીકેનો લાભ ચંદ્રુમાણા ગામના સુંડાજી બાબુજી કલ્યાણજી ઠાકોર (ચાંદસા પરિવાર) એ લીધો હતો.
મોરબીના સનાળા રોડ પર આવેલી અરિહંત સોસાયટીના રહીશોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના નેતાઓને મત માંગવા ન આવવા માટે સોસાયટીના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવ્યા છે. રોડ-રસ્તા, પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 9 માં આવેલી આ સોસાયટીમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ સમસ્યાઓ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. અગાઉની ચૂંટણીઓ દરમિયાન પણ આ પ્રશ્નો ઉકેલવાની ખાતરીઓ આપવામાં આવી હતી. તે સમયે તાત્કાલિક ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને સામાન પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર એક દેખાડો જ સાબિત થયો. આ ખાતમુહૂર્ત લોકોને મૂર્ખ બનાવવા માટે હતું કે કેમ, તે આજદિન સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ન ઉકેલાતા રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ આખરે આ કડક પગલું ભર્યું છે. સોસાયટીના બંને પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે લખેલા બોર્ડ દ્વારા તેમણે પોતાની વેદના અને રાજકીય નેતાઓ પ્રત્યેનો અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટના મોરબીના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે લોકોની સમસ્યાઓ પ્રત્યેની ઉપેક્ષાને ઉજાગર કરે છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જે શહેરમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને દર્શાવે છે. આ ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી, ખાસ કરીને સિગ્નલ ફળિયા અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે નાગરિકોને સાવચેત રહેવા અને તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં નોંધાયેલા આ કેસોમાં મોટાભાગના ભોગ બનનાર દર્દીઓ ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારના રહેવાસીઓ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને એન્ટી-રેબીઝ રસીકરણ (ARV) સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. યશરાજ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ઇમરજન્સી વિભાગમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જેમાં સિગ્નલ ફળિયા વિસ્તારના કેસ વધુ છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, જો કોઈને પણ શ્વાન કરડે અથવા શ્વાનનો હુમલો થાય, તો તાત્કાલિક હોસ્પિટલ આવી એન્ટી-રેબીઝ વેક્સિન (ARV) ઇન્જેક્શન અને જરૂરી સારવાર લેવી અનિવાર્ય છે. ડો. ઠાકોરે ચેતવણી આપી હતી કે, જો સમયસર સારવાર ન લેવામાં આવે તો 'હડકવા' (Rabies) જેવી જીવલેણ બીમારી થઈ શકે છે, જેનો કોઈ ઈલાજ નથી. તેમણે લોકોને આ બાબતે ગંભીરતા દાખવવા અને સાવચેતી રાખવા જણાવ્યું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દરજી પરિવારોના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગામ અને બહારગામથી આવેલા દરજી પરિવારોએ માતાજીના દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાભ લીધો હતો. દરજી પરિવારો દ્વારા દર વર્ષે બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં જગદીશભાઈ ઉમેદભાઈ દરજીએ મુખ્ય યજમાન તરીકે યજ્ઞનો લાભ લીધો હતો. શાસ્ત્રી ભરતભાઈ દવે, અજીતભાઈ દવે અને મહેશભાઈ શાસ્ત્રી સહિતના વિદ્વાનોએ શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી. આ ધાર્મિક પ્રસંગે કાંતિભાઈ દરજી, જેન્તીભાઈ દરજી, હરગોવનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, બકાભાઇ અને પ્રવીણભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવના આ પવિત્ર અવસરે કૌશિકભાઈ ધુડાભાઈ દરજી તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવાયા:5 કિલો ચંદન 7 દિવસ ઘસીને તૈયાર કરાયા
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૧૯ એપ્રિલ, રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા મળે તે હેતુથી આ શણગાર કરવામાં આવ્યા હતા. આ શણગાર માટે પાંચ કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત દિવસથી કિશોરો અને યુવાનો દ્વારા પથ્થર પર ચંદન ઘસીને આ વાઘા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ તેમાંથી ગોટીઓ બનાવવામાં આવે છે. આ ગોટીઓનો ઉપયોગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો અને હરિભક્તો કપાળમાં તિલક કરવા માટે કરે છે. વૈશાખ માસમાં સખત ગરમી પડતી હોય છે, ત્યારે ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ સેવાઓ કરે છે. આધુનિક સમયમાં લોકો ગરમીથી બચવા પંખા, એરકુલર કે એરકન્ડીશનરનો ઉપયોગ કરે છે અને મંદિરોમાં પણ ભગવાનને ઠંડક આપવા માટે એ.સી. અને પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. જોકે, જ્યારે આ સાધનો ઉપલબ્ધ ન હતા, ત્યારે ભક્તો હાથથી પંખો નાખીને અને ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને તેનો લેપ તૈયાર કરી ભગવાનના શણગાર કરતા હતા, જેને ચંદનના શણગાર કહેવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩મા વચનામૃતમાં ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાનો આદેશ આપ્યો છે. આ પરંપરાને અનુસરીને કુમકુમ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી ચંદન વાઘાના શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત, અખાત્રીજના દિવસનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જગન્નાથપુરી અને અમદાવાદમાં યોજાતી રથયાત્રાના રથોના નિર્માણ કાર્યનો પ્રારંભ થાય છે. ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ પણ આ જ દિવસથી થાય છે.
સુરતમાં શ્રી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 423 વર્ષિતપ પારણા પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ માતૃ પારૂબેન મયાચંદજી વર્ધાજી આરાધના ભવન ખાતે યોજાયો હતો. આ મહોત્સવ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. તેમની સાથે આચાર્ય પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનકાર આચાર્ય રશ્મિરાજસૂરીશ્વરજી મ.સા. સહિતના વિદ્વાન સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનો પ્રારંભ વિક્રમ સંવત 2082ના ચૈત્ર વદ-14, ગુરુવાર, તા. 16 એપ્રિલ 2026ના રોજ થયો હતો. પારણાનો મુખ્ય કાર્યક્રમ સુરતના સરસાણા ડોમ, ખજોદ ચોકડી સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. વિક્રમ સંવત 2082ના વૈશાખ સુદ-3, સોમવાર, તા. 20 એપ્રિલ 2026ના રોજ રજવાડી પારણોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
મોરબીના રવાપર ગામ પાસે આવેલી લોટસ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બપોરના સમયે મીટર બોક્સ પાસે આગ લાગી હતી. આ ઘટનામાં ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રવાપર ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા લોટસ સોસાયટીના A-3 એપાર્ટમેન્ટમાં આ આગ લાગી હતી. મીટર બોક્સ પાસે અચાનક આગ લાગ્યા બાદ ધડાકા થવા માંડ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. આગને કારણે એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બાદમાં વીજ કંપનીના સ્ટાફે સ્થળ પર આવીને વીજ પુરવઠો ફરીથી કાર્યરત કર્યો હતો.
• ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આ કેસની તપાસમાં સાયબર ફ્રોડનો આંક 2500 કરોડને પાર રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 1500 કરોડનું સાયબર ફ્રોડ 2500 કરોડથી વધુ પહોંચી ગયું છે અને આ કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અત્યાર સુધી આ કેસમાં પોલીસે કુલ 17 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર અને હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ દ્વારા પોતે બેંકમાં કામ કરતા હોવાથી બેન્ક મેનેજર સાથ મળી કમિશન અને રૂપિયા કમાવવાની લાલચમાં સાયબર ફ્રોડ કરતા આરોપીઓ સાથે મળી બેન્કિંગ પ્રોસેસ તેમજ રોકડ રકમની લેવડ દેવડ સહિતના કામોમાં મદદરૂપ બની દેશવ્યાપી કૌભાંડમાં સહયોગી બનતા પોલીસે તેની ધરપકડ કરી બેન્કમાંથી તેમનો ઓરીજીનલ ડેટા મેળવી બાદમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલતી આ તપાસમાં અત્યાર સુધી આ કેસમાં કુલ 2500 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસ ટિમ દ્વારા ચાલી રહેલી તપાસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે બેન્કના પર્સનલ બેન્કર અને એક બેન્ક મેનેજરનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપીઓમ મૌલિક રામજીભાઉ કમાણી જે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામનો રહેવાસી છે જેને પોતે BBAનો અભ્યાસ કર્યા બાદ યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૌલિક કમાણી આ કેસમાં અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી, જય નાદપરા, રૂષિત રૈયાણી તથા લાલાભાઇ ઝાલાવડીયા સાથે સતત સંપર્કમાં રહી આરોપીઓ સાથે મળી લોકોની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ યસ બેંકમાં ખોલાવવામાં મદદ કરી હતી. એટલું જ નહિ હાઇ વેલ્યૂ ટ્રાનજેક્શન કરવામાં પણ મદદ કરી જ્યારે લેવડ દેવડ અંગે બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ એલર્ટ આવે ત્યારે તાત્કાલિક બૅન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર બેન્કના ઉપરી અધિકારીઓને પોતાની ઓથોરિટીનો દૂરૂપયોગ કરી એલર્ટ હટાવવાની કામગીરી પોતાના અંગત લાભ તથા કમિશનના હેતુથી કરતો હતો. અને રોકડ રકમની લેવડ દેવડ કરવામાં પણ મદદરૂપ થતો હતો. આ ઉપરાંત બીજા આરોપી તરીકે કલ્પેશ ડાંગરીયાની ધરપકડ કરવામાં આવી છે જે પોતે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીતળા ગામનો રહેવાસી છે અને પોતે અગાઉ જામકંડોરણા, મોવિયા અને પડધરીમાં યસ બેંકના મેનેજર તરીકે કામ કરતો હાલ એક્સિસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે. આરોપી કલ્પેશની મુલાકાત યાજ્ઞિક ઉર્ફે લાલા ઝાલાવાડીયા સાથે થઇ હતી જેને હજુ પકડવાનો બાકી છે. ફરાર આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલાએ કલ્પેશની મુલાકાત ઋષિત રૈયાણી સાથે કરાવી હતી. કલ્પેશ ડાંગરીયાએ જ અગાઉ પકડાયેલા આરોપીઓને APMCનો લેટર લઇ આવી સબમિટ કરાવશો તો રોકડ લેવડ દેવડ અને ટ્રાન્ઝેક્શનમાં કોઈ મુશ્કેલી નહિ આવે તેવી સલાહ આપી હતી. યસ બેન્કમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ ગણવામા આવતી હોવાથી આરોપી કલ્પેશ પોતાની બ્રાન્ચમાં પૈસા ન હોય ત બીજી બેંકમાં સંપર્ક કરાવી રોકડ રકમ ઉપાડવામાં પણ સાયબર માફિયાઓને મદદ કરતો હતો. જયારે ત્રીજા એક આરોપી અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે જે પોતે જામકંડોરણાના સ્થાનિક રહેવાસી છે. અનુરાગ હાલ HDFC બેન્કમાં કામ કરે છે જે અગાઉ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતો હતો. અનુરાગ બાલધાએ હોન્ડલમાં બેસી નરેન્દ્ર નામના વ્યક્તિના નામથી રકાઉન્ટ ખોલ્યું હતું જે એકાઉન્ટ ઋષિત રૈયાણી નામનો આરોપી છે તેમના દ્વારા ખોલવામાં આવ્યું હતું. એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ચેકબુક સહીત તમામ વેરિફિકેશનમાં નરેન્દ્રના બદલે ઋષિત રૈયાણીએ જ સહી કરી હતી. ઋષિત રૈયાણી નરેન્દ્ર ન હોવા છતાં તમામ ફોર્મ સાચા હોવા તરીકે ની સહી આરોપી અનુરાગ બાલધા એ કરી હતી. હાલ આ તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી બેન્ક પાસેથી ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ફોર્મ પણ માંગવામાં આવી રહ્યા છે જેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી વધુ કેટલા ખોટ ડોક્યુમેન્ટ અને ખોટા એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ દ્વારા મોટા ભાગે ગોંડલ અને રાજકોટ APMCના લેટર નો ઉપયોગ બેન્ક એકાઉન્ટમાં કર્યો હોવાનુ અને અત્યાર સુધી કુલ આ ગુન્હામાં કૂલ 85 બેન્ક એકાઉન્ટમાં 1930 એન.સી.સી.આર.પી. અરજીઓની સંખ્યા 535 જેટલી છે. જેમાં કૂલ રીપોર્ટેડ સાયબર ફ્રોડની રકમ 74 કરોડ કરતા વધુ છે. તથા આ તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ ટોટલ ટ્રાન્જેકશનની રકમ 2500 કરોડ કરતા પણ વધુ હોવાનું તપાસમાં સામે આવતા સરકારમાં રિપોર્ટ કરી આ કેસમાં સીએની મદદ મેળવી તપાસ કરવામાં આવી રહી છે જેથી આગામી દિવસોમાં સાયબર ફ્રોડ અને આરોપીઓનો આંકડો વધે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે મેં પોલીસ તપાસમાં આ કેસમાં આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપલે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કારણ કે એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલની નવી શાખાનો પ્રારંભ થયો છે, જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થવાની અપેક્ષા છે. અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી તેમજ પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને હૃદયરોગ (કાર્ડિયોલોજી), કેન્સર (ઓન્કોલોજી) અને ન્યુરોલોજી જેવી જટિલ બીમારીઓ માટે વિશેષ વિભાગો ઉભા કરવામાં આવ્યા છે, જેથી ગંભીર દર્દીઓને પણ સ્થળ પર જ શ્રેષ્ઠ સારવાર મળી શકે. ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને મુંબઈ લાંબુ નહી થવું પડેહોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી આ હોસ્પિટલ ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ જેવી જ અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને હવે મુંબઈ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે. શરૂઆતના તબક્કામાં હોસ્પિટલમાં 120 બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં 60 ફૂલ-ટાઈમ ડોક્ટર્સ અને 60 રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ સતત સેવા આપશે. ખાસ વાત એ છે કે પ્રારંભિક 30 દિવસ સુધી દર્દીઓ માટે ફ્રી OPD સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેનાથી સામાન્ય લોકોને મોટો લાભ મળશે. વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા ગિફ્ટ સિટી નજીક એર એમ્બ્યુલન્સ માટે પણ જગ્યા માગવામાં આવી છે. આ સુવિધા ખાસ કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા ઇમર્જન્સી કેસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે, જેથી સુરત અથવા વડોદરા જેવા શહેરોમાંથી અડધા કલાકમાં અંગો હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ ગિફ્ટ સિટી અને આસપાસના 20-25 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
માલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મામલતદાર જાગૃતિબેન મકવાણાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્ર ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ધર્મેશ ભરવાડના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની પણ રજૂઆત કરી હતી. કાર્યકરોએ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં ભરવા અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આવેદનપત્ર સુપરત કરતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મનીષભાઈ કોઠારી, પંડ્યા અમરીશભાઈ, સંતોષભાઈ વ્યાસ, લાલજીભાઈ ભગત, સોની રમેશભાઈ, સોની કેતનભાઈ, ભરવાડ હીરાભાઈ, સંજયભાઈ ભરવાડ, પ્રવીણભાઈ, વિક્રમભાઈ અને ચૌહાણ ભરતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે. જાહેર સભામાં તેઓએ કહ્યું હતું કે, ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ આપણે ચૂંટણી ચાલુ રાખવી છે. કોંગ્રેસવાળા ફોર્મ ભરી ગયા છે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ તમને લોકોને મજા ન આવે એટલે ન કરાવી.ચૂંટણી ચાલુ રહે તો જ ઉમેદવારો મતદારો પાસે જાય, મતદારોનું ઋણ તેમને ખબર પણ પડે, અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે. ‘કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને જીતાડ્યા તો અમારે પાંચ વર્ષ લોકોના કામ કરવા પડે. બાકી 24 માટે કેટલાય સામેથી આવીને કહેતા હતા કે, ગોઠવી આપો. બરોડા ભાગોળ મને સપોર્ટ આપે 24 બેઠકોમાંથી 24 પાક્કી. કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે. કોની જોડે બેસે છે તે પણ મને ખબર છે. ચા પીતા-પીતા શું વાતો કરે છે એ બધું જ મારા ધ્યાન પર છે. તેઓએ ઉમેર્યું હતું કે, પરિણામ આવી જાય અને પછી નેતા બની જઇએ, તો લોચો પડે. મજૂર તો હું પોતે જ છું. ચૂંટણી જીતવાના છે. એ વિશ્વાસ છે, પણ જો આમાંથી એક પણ ઉમેદવાર ફેલ ગયો, તો હું પોતે ફરીથી આ જ રીતે જાહેર સભા કરીશ અને જનતાને કહીશ કે - 'જુઓ, આ ઉમેદવારને આપણે જીતાડીને લાવ્યા હતા, પણ હવે તે નવરો જ નથી અને હું જાહેરમાં જ એનું રાજીનામું લેવડાવી દઈશ. હું કોઈ મજાક નથી કરી રહ્યો. તમારે જનતાને સમય આપવો જ પડશે. 'બેન્ડ' તો પણ વગાડું છું.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ (Eye) OPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, કલેક્ટરે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી હતી. તેમણે વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે સંવાદ સાધી તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય સેવાઓ ઉપરાંત, કલેક્ટરે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર (NRC), ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરાયું હતું. સાથે જ, વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ-2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. મુલાકાતના અંતે, કલેક્ટરે હોસ્પિટલના માળખાગત વિકાસ પર ભાર મુકતા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને પાવર બેકઅપ માટે જનરેટર જેવી પાયાની જરૂરિયાતો અંગે તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે હોસ્પિટલ પ્રશાસનને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને સારવાર અર્થે આવતા કોઈપણ દર્દીને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવી.
ગુજરાત રાજ્યમાં હિન્દુ સંગઠનના વ્યક્તિઓ પર હુમલા અને હત્યાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે, ધંધુકા શહેરમાં ધર્મેશ માલધારી નામના હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં બોટાદમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, બોટાદ દ્વારા 20 એપ્રિલ, 2026ના રોજ સાધુ-સંતો સાથે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ધર્મેશ માલધારીની હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા, જેમાં ફાંસીની સજાનો પણ સમાવેશ થાય છે, તેની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ આવા બનાવો હિન્દુ સમુદાય પર બંધ થાય તેવી અપીલ કરી હતી. વધુમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા અને પીડિત પરિવારને યોગ્ય મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
આમોદમાં મગરના આતંકનો અંત:વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો, નિકોએ રાહત અનુભવી
ભરૂચ જિલ્લાના આમોદમાં થોડા દિવસોથી ફેલાયેલા મગરના આતંકનો અંત આવ્યો છે. વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો છે, જેનાથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. તાજેતરમાં અશરફ પટેલ પર મગરે હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ કરી હતી. અંતે, હુમલાખોર મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. મગર પકડાતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે, કારણ કે તેઓ રોજિંદા કામકાજ માટે તળાવ અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. વન વિભાગે લોકોને જળાશયોની આસપાસ સાવચેત રહેવા અને સતર્કતા જાળવવા અપીલ કરી છે.
જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા આજે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રત્નકલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની પડતર માંગણીઓ અને સહાયના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અહેવાલમાં રત્નકલાકારોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે યોજનાના અમલીકરણમાં ટેકનિકલ ખામીઓને આગળ ધરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રત્નકલાકાર યુનિયનના લીડર કેતન હીરપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નકલાકારોની વેદના રજૂ કરી છે. રત્નદીપ સહાય યોજના અંતર્ગત કુલ 2892 જેટલા રત્નકલાકારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર 676 કલાકારોને જ આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. બાકીના મોટી સંખ્યામાં કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે. કેતન હીરપરાએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ બાબતે જિલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીએ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ઘણી અરજીઓમાં માત્ર તારીખને બદલે મહિનો અને વર્ષ લખેલું હોવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે અરજીઓ સીધી જ નામંજૂર કરી દેવામાં આવી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે રત્નકલાકાર વર્ગ અભણ અને અજ્ઞાત હોવાથી આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તેના આધારે તેમને સહાયથી વંચિત ન રાખવા જોઈએ અને અરજીમાં સુધારો કરવાની તક આપવી જોઈએ. બીજી તરફ, અન્ય એક અગ્રણી રત્નકલાકાર જિતેન્દ્ર ઠાકરે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રત્નદીપ સહાય યોજનાના લાભાર્થીઓમાં માત્ર 20 ટકા કલાકારોનો જ સમાવેશ થયો છે, જ્યારે 80 ટકા જેટલો મોટો વર્ગ હજુ પણ આ સહાયની રાહ જોઈ રહ્યો છે. તેમણે કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરવા વિનંતી કરી છે. જિતેન્દ્ર ઠાકરે સરખામણી કરતા જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓ માટે આઠમો પગાર પણ લાગુ થઈ ચૂક્યો છે અને તેમને મોંઘવારી ભથ્થા જેવી અનેક સુવિધાઓ મળે છે, પરંતુ તેની સામે રત્નકલાકારોની હાલત અત્યંત દયનીય છે. છેલ્લા 20 વર્ષમાં રત્નકલાકારોના મહેનતાણાના દરમાં કોઈ મોટો વધારો થયો નથી, જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે. જૂનાગઢના રત્નકલાકારોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. કલાકારોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર માનવીય અભિગમ અપનાવીને અરજીઓની ટેકનિકલ ખામીઓ સુધારવાની મંજૂરી આપે, તો સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળી શકે તેમ છે. આવેદનપત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે રત્નકલાકારો આ આર્થિક સ્થગિતતા વચ્ચે જો સહાય મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર રત્નકલાકારોની આ વ્યાજબી માંગણીઓ પર કેવા પ્રકારના પગલાં ભરે છે.
દમણ પોલીસે કડૈયામાં બે સ્થળે દરોડા પાડ્યા:₹19 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો
દમણ પોલીસે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયાના સ્ટાફે બાતમીના આધારે અને પેટ્રોલિંગ દરમિયાન સતર્કતા દાખવી કડૈયામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ₹19 લાખથી વધુનો વિદેશી દારૂ અને એક લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. પ્રથમ દરોડામાં, પોલીસ ટીમ ભીમપોર સ્થિત કુંડ ફળિયા પાસેની સ્મશાન ભૂમિ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાં એક બંધ ગોડાઉન શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી હતી. ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 485 પેટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹14,06,240/- છે. બીજી કાર્યવાહી શીતલ પેટ્રોલ પંપ પાસે કરવામાં આવી હતી. એક મકાન સામેના પતરાના શેડમાં તપાસ કરતા પોલીસને 116 પેટી વિદેશી દારૂ અને ₹8,225/- ની છૂટક ક્વાર્ટર બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત ₹4,97,220/- છે. આ જ સ્થળેથી દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતી હોવાની શંકા સાથે GJ-05-GU-5617 નંબરની એક કાળા રંગની બોલેરો કાર પણ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,25,000/- છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 601 પેટી ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે, જેની કુલ કિંમત ₹19,11,685/- થાય છે. વાહન સહિત કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹23 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ આગળની તપાસ અને કાર્યવાહી માટે આબકારી વિભાગને સોંપી દીધો છે. દમણ પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છૂટક મંજુરી સેન્ટિંગ કામ કરતો હતો અને આજે રજા પાડી રોકાયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર સવારે નવ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઆ યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેનું નામ દાનિશ અસજરે ( ઉંમર વર્ષ 20) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે GIDC ગેઈટ સામે આવેલા લકી એપાર્ટમેન્ટમાં શ્રમિક તરીકે કામ કરતો હતો અને સેન્ટિંગનું કામ કરતો હતો. આ પગલું ભરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ યુવકે આજે કામગીરીમાંથી રજા લીધી હતી અને તે કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળે હતો અને ત્યાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકે આપઘાત શા માટે કર્યો છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક શ્રમિક તરીકે પોતાના સંબંધી સાથે અહીંયા રહેતો હતો અને સેન્ટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનવાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્રણ યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાઝ રાખી અને ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી- સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ વડે મારતા જીવ બચાવવા માટે યુવક ભાગ્યો હતો. ત્યારે તેનો પીછો કરી અને ફરીથી પકડી અને હથિયારો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપુનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. PI બદલાતા અસામાજિક તત્વો ફરી સક્રિય થઈ ગયાશહેરના બાપુનગર વિસ્તારમાં નવા પીઆઇ આવતાની સાથે જ અસામાજિક તત્વો ફરીથી સક્રિય થઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં એકવાર કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા યુવકને દોડાવી દોડાવીને માર માર્યો છે. બાપુનગરમાં રહેતા અને સ્ટીમ પ્રેસનું કામ કરતા સાહિલ શેખે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. મોડીરાતે સાહિલ શેખ ટી સ્ટોલ પર ગયો હતો ત્યારે ત્યારે અયાન, ફૈઝાન અને આવેશ આવ્યા હતા. બાપુનગર વિસ્તારમાં તેઓ દાદાગીરી કરતા હોવાને લઈને સાહિલે વિરોધ કર્યો હતો જેને લઈ તેની ઉપર દાજ રાખતા હતા. ત્રિપુટીની દાદીગીરી સામે અવાજ ઉઠાવનાર યુવક પર હુમલોત્રણેયની દાદાગીની સામે સાહિલ વાંધો ઉઠાવતો હોવાથી તેની સાથે બબાલ કરવા આવ્યા હતા. સાહિલ કઈ વિચારે તે પહેલા ત્રણેય માથાભારે તત્વોએ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી અને હથિયારો લઈને માર માર્યો હતો. જીવ બચાવવા માટે પોતે ત્યાંથી અજીત મિલ કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો ત્યારે ત્યાં પણ તેનો પીછો કર્યો હતો અને પાછળથી સાહિલના માથામાં કુહાડી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્રણેય હુમલાખોરોએ સાહિલને દંડા અને પાઈપથી મારતા હતા. આસપાસના લોકો આવી જતા ત્રણેયે ધમકી આપી કે હવે જો અમારો વિરોધ કર્યો તો તને જાનથી મારી નાખીશુ. ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બાપુનગર પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે મેગા કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં ડીવાયએસપી ઝાલા સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો જોડાયો હતો. ચૂંટણી પહેલાં અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવાનો આ સઘન પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પોલીસે શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ જૂના શહેરના સાંકડા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કર્યું. રાત્રિ દરમિયાન શંકાસ્પદ વાહનોનું એફ.એસ.એલ. અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો પર પણ તપાસ કરાઈ હતી. તેમની ગતિવિધિઓ પર નજર રાખવા સૂચનાઓ અપાઈ હતી. જાહેર માર્ગો અને ચોક વિસ્તારોમાં પોલીસની હાજરી વધારીને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો પ્રયાસ કરાયો હતો. જામનગર પોલીસ વિભાગે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તે માટે જામનગર પોલીસ કટિબદ્ધ છે. રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગની આ પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ તેજ બનાવાશે. પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, શહેરીજનોમાં તંત્રની આ સતર્કતાને લઈને સંતોષ જોવા મળ્યો છે.
ખેડબ્રહ્મા પ્રચાર સભામાં સાંસદે અનોખી રચના રજૂ કરી:રાધા-કૃષ્ણ પર આધારિત રજૂઆતનો વીડિયો વાયરલ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. આ સભામાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ રાધા અને કૃષ્ણને કેન્દ્રમાં રાખી એક રચના રજૂ કરી હતી. સાંસદે રજૂ કરેલી આ રચનામાં રાધા અને કૃષ્ણ વચ્ચેના સવાલ-જવાબને રજૂ કરાયા હતા. તેમની આ રજૂઆત દરમિયાન સભામાં હાજર શ્રોતાઓ ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા હતા. ચૂંટણી પ્રચાર સભામાં આ પ્રકારની સાહિત્યિક રજૂઆત લોકો માટે નવીન રહી હતી. પ્રેક્ષકો તરફથી આ રજૂઆતને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકો સાંસદની આ કલાત્મક રજૂઆતની નોંધ લઈ રહ્યા છે.
છોટા ઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે હ્યુમન ચેઇન બની:કલેક્ટર ગાર્ગી જૈને મતદારોને મતદાન કરવા અપીલ કરી
છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ એક કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.આ હ્યુમન ચેઇન છોટા ઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડીથી માણેકચોક સુધી લંબાવવામાં આવી હતી. તેમાં શાળાના બાળકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને તમામ મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું
અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રાંત, વિભાગ, જિલ્લા અને પ્રખંડ સ્તરના કાર્યકર્તાઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દરમિયાન કુલ ૯ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પ્રાંત અને વિભાગ સ્તરના અગ્રણીઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હર્ષદભાઈ ગિલેટવાળા, નિપુણભાઈ ભટ્ટ, તેજસભાઈ ઓઝા, ગણેશભાઈ રાઠોડ, કૈલાસભાઈ રાજપુરોહિત અને ચંદ્રિકાબેન પટેલ સહિતના વક્તાઓએ સંગઠનના મજબૂતીકરણ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન નારણપુરા જિલ્લા મંત્રી દેવલભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના સમાપન બાદ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને સંગઠન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી હતી.
પાટણમાં રિક્ષામાં વૃદ્ધાને છરી બતાવી લૂંટ:મહિલા સહિત ત્રણ આરોપીઓએ દાગીના, રોકડ ઝૂંટવી ધમકી આપી
પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ ₹15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 65 વર્ષીય શારદાબેન ડીસાથી પાટણ જઈ રહ્યાં હતામૂળ ચાણસ્માના રૂપપુરના અને હાલ મહેસાણા ખાતે રહેતા 65 વર્ષીય શારદાબેન હરગોવનભાઈ રાવળ ગત 18 એપ્રિલ, 2026ના રોજ ડીસાથી પાટણ પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પાટણ ટી.બી. ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ચાલતા જતા હતા. રિક્ષામાં ચાલક ઉપરાંત એક મહિલા અને પુરુષ અગાઉથી હાજર હતાબંસી કાઠિયાવાડી હોટલ પાસે એક કાળા-લીલા રંગની રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષાચાલકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ માત્ર ₹10ના ભાડામાં નિર્ધારિત સ્થળે ઉતારવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં અગાઉથી જ પાછળના ભાગે સફેદ ડ્રેસ પહેરેલી એક મહિલા તેની નાની છોકરી સાથે બેઠેલી હતી, જ્યારે ડ્રાઈવરની બાજુમાં પણ એક શખ્સ હાજર હતો. વૃદ્ધાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, ઓઢણીથી મોઢું બાંધી દીધુંરિક્ષાચાલકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રિક્ષા સિદ્ધપુર રોડ તરફ હંકારી હતી. જ્યારે વૃદ્ધાએ પોતાના ઉતરવાના સ્થળ શાંતિનાથ સોસાયટી પાસે રિક્ષા ઊભી રાખવા જણાવ્યું, ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલા અને શખ્સે તેમને ઉતરવા દીધા ન હતા. રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલાએ પોતાની ઓઢણીથી વૃદ્ધાનું મોઢું બાંધી દીધું હતું. સોનાની બે બુટ્ટીઓ બળજબરીથી કાઢી લીધીલૂંટારુઓએ રિક્ષાને એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ વૃદ્ધા પાસે રહેલું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાંથી ₹600ની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના કાનમાં પહેરેલી 4 થી 5 ગ્રામની સોનાની બે બુટ્ટીઓ, જેની કિંમત આશરે ₹15,000 હતી, તે બળજબરીથી કાઢી લીધી હતી. રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદલૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે શારદાબેને પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ B.N.S.ની કલમ 309(4), 351(3), 126(2), 311, 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ધંધુકા હત્યાકાંડના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાને આપવામાં આવ્યું હતું. ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના કડક વિરોધમાં આ રજૂઆત કરાઈ હતી. અરવલ્લી જિલ્લા રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ, કનુભાઈ પટેલ, જિલ્લા મંત્રી પ્રિયંક પોકાર તેમજ ભરવાડ સમાજના અગ્રણી લાલાભાઈ ભરવાડ, રોશનભાઈ, રવિભાઈ, વૈદિકભાઈ અને પ્રકાશભાઈ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લાની લોઠિયા RMSA સરકારી માધ્યમિક શાળામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્વે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ચૂંટણી શાખા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'મતદાન કેવી રીતે કરવું' તે દર્શાવતો એક ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જામનગરના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. તમામે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ અને લોકશાહીને મજબૂત કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સંદેશાને સુંદર કલાત્મક રીતે રજૂ કર્યો હતો. આ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાતમાં હિટવેવનો ખતરો:જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં 'હીટ વોર્ડ' શરૂ કરાયા, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં
ગુજરાતમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હિટવેવની આગાહી વચ્ચે રાજ્યનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘વોર રૂમ’ જેવી તૈયારી કરવામાં આવી છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં ખાસ ‘હીટ વોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવી બેડની વ્યવસ્થા કરાઈહીટ સ્ટ્રોકના ગંભીર કેસોને પહોંચી વળવા માટે દરેક CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર)માં 2 બેડ અને જિલ્લા હોસ્પિટલમાં 5 બેડ અનામત રાખવામાં આવ્યા છે. આ બેડોમાં પૂરતી કુલિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી દર્દીઓને તાત્કાલિક રાહત મળી રહે. સાથે સાથે હોસ્પિટલમાં જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ORS કોર્નર ઉભા કરવામાં આવ્યાગરમીથી ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો થવાની શક્યતા વચ્ચે હોસ્પિટલમાં ORS કોર્નર પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં લોકોને મફત ORS આપવામાં આવશે. SNCU અને ICU જેવા સંવેદનશીલ વિભાગોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી નવજાત શિશુઓ અને ગંભીર દર્દીઓ પર ગરમીની અસર ઓછા થાય. આ સાથે જ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે અને ફાયર સેફ્ટી અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ ગરમી દરમિયાન સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે.
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26મી એપ્રિલે યોજાશે. ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વાપી મનપા વિસ્તારમાં કુલ 1.13 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારો માટે 123 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી વિમલ પટેલના જણાવ્યા અનુસાર, તમામ 123 મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડો અને બેસવાની સુવિધાની ચકાસણી કરવામાં આવી છે. આ સુવિધાઓ મતદારોને ગરમીમાં કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે છે. હીટવેવની આગાહીને પગલે મતદારોને કોઈ તકલીફ ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લેવામાં આવી છે. ગરમીના ઊંચા પારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સાથે ખાસ સંકલન સાધવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ સહાય મળી રહે. ચૂંટણી અધિકારીએ મતદારોને વહેલી સવારે મતદાન કરવા ખાસ અપીલ કરી છે. મતદાન સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે. બપોરની ગરમી અને લૂથી બચવા માટે મતદારો સવારે 10:00 વાગ્યા પહેલા મહત્તમ મતદાન કરી લે તે હિતાવહ છે. વહેલી સવારે મતદાન કરવાથી મતદારોને લાંબી કતારો અને ગરમી બંનેથી રાહત મળશે. વાપીમાં ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુવિધાયુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કમર કસવામાં આવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવીને નાણાં પડાવતી હનીટ્રેપ ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં રહી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકને 'જીવનસાથી' એપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફસાવી, પાટણના સંખારી ગામની સીમમાં બોલાવી માર મારી બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ 15 લાખની ખંડણી માંગી યુવક પાસેથી 3 લાખ પડાવી લીધા હતા. આ મામલે રણુજ પોલીસે 4 અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ બોલાવ્યોમૂળ ગીર સોમનાથના અને હાલ અમદાવાદમાં કાર્યરત ગુરુદત્ત મોવિલયાનો સંપર્ક 20 દિવસ પહેલા 'જીવનસાથી' એપ પર માનસી પટેલ નામની યુવતી સાથે થયો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતા બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. 12 એપ્રિલ 2026ના રોજ યુવતીએ યુવકને ચાણસ્મા બોલાવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર લોકેશન મોકલી ખીમીયાણા અને સંખારી ગામ વચ્ચેની સીમમાં આવવા જણાવ્યું હતું. સીમમાં બંધક બનાવી માર માર્યોયુવક નિર્ધારિત લોકેશન પર પહોંચતા જ બે અજાણ્યા શખસોએ તેને અટકાવ્યો હતો. ત્યારબાદ ત્રીજા શખસે આવી પોતે યુવતીનો ભાઈ હોવાનું કહી યુવકને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો. આરોપીઓએ યુવકનો મોબાઈલ અને બાઈકની ચાવી પડાવી લઈ તેને ખેતરમાં બંધક બનાવ્યો હતો અને 15 લાખની ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બેંક ટ્રાન્સફર દ્વારા 3 લાખની લૂંટતે જ સાંજે ચોથો શખસ કાર લઈને ત્યાં આવ્યો હતો. આરોપીઓએ યુવકના મોબાઈલ એપ દ્વારા HDFC બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ 'શ્રી નકલંગ ભગવાન પેટ્રોલિયમ'ના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ તેને ચાણસ્માની હોટલમાં આખી રાત બંધક રાખ્યો હતો. 13 એપ્રિલના રોજ આરોપીઓ તેને પાટણની SBI બેંકમાં 2 લાખ ઉપાડવા લઈ ગયા હતા, પરંતુ ચેક ન હોવાથી નાણાં ઉપડી શક્યા ન હતા. અંતે હોટલ ફાઉન્ટેન ફર્ન ખાતે તેને રોકી રાખી, ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂરી થતા બીજા 2 લાખ ગિરધર પંચાલ નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ધમકી અને પોલીસ ફરિયાદકુલ 3 લાખ પડાવ્યા બાદ આરોપીઓએ યુવકના પરિવારને મારી નાખવાની ધમકી આપી છોડી દીધો હતો. ડરના માર્યા છ દિવસ મૌન રહ્યા બાદ યુવકે તેના મિત્રને જાણ કરી હતી. 18 એપ્રિલના રોજ ઘટનાસ્થળની મુલાકાત વખતે યુવકની તબિયત બગડતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રણુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે BNSSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ સારા ચોમાસાના સંકેત છે. જૂનાગઢ જિલ્લામાં રહેતા અને ભડલી વાક્ય, અખાત્રીજના પવનની દિશાના આધારે આગાહી કરતા રમણિક વામજાએ આ વર્ષે લાંબા અને સારા ચોમાસાની આગાહી કરી છે. આગાહીકારે કહ્યું છે કે, આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારોજૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકના વતની અને છેલ્લા સાડા ત્રણ દાયકાથી પવનની ગતિ તેમજ ખગોળ વિદ્યાના ઊંડા અભ્યાસ દ્વારા વરસાદનું સચોટ અનુમાન લગાવતા રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે અખાત્રીજના પવિત્ર દિવસે વાતાવરણમાં સર્જાયેલી સ્થિતિ અને પવનની દિશાના આધારે જણાવ્યું છે કે આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થશે. ખાસ કરીને પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવન ફૂંકાયા હોવાથી તેમજ આકાશમાં વાદળોની જે પ્રકારની ગોઠવણ જોવા મળી છે, તે જોતા ખેડૂતો માટે આ વર્ષ ખુશખાલ સાબિત થવાનું છે. ચોમાસું વહેલું શરૂ થશે અને લાંબુ ચાલશે- રમણિક વામજાઆગાહીકાર અનુસાર વરસાદની શરૂઆત વહેલી થઈ શકે છે. આગામી 18 મેના રોજ કૃતિકા નક્ષત્રના પ્રભાવ હેઠળ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે, મુખ્ય ચોમાસું ઘણું લાંબુ ચાલશે તેવું અનુમાન છે. આ વર્ષે ચોમાસું અંદાજે 50 થી 55 દિવસ સુધી સક્રિય રહે તેવી શક્યતા છે, જેને કારણે ખેતી અને જળ સ્તરમાં મોટો ફાયદો થશે. રમણીકભાઈએ લાલબત્તી ધરતા એમ પણ કહ્યું છે કે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી પણ શક્યતા છે, પરંતુ તેની સાથે જ સૌરાષ્ટ્રના તમામ ડેમ, નદી અને નાળા છલકાઈ જશે જે ભવિષ્ય માટે સારા સંકેત છે. ભાદરવા મહિનાના અંત ભાગમાં પણ વરસાદનો જોર યથાવત રહેશે. હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીના પાકોને જીવનદાન મળશે. જોકે, ચોમાસાના અંતિમ તબક્કામાં એટલે કે નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના છે, જે અમુક પાકો માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હશે, તેમને નવરાત્રીના વરસાદથી નુકસાન થવાની ભીતિ છે. મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદો કરાવી શકે- આગાહીકારખેતીના પાકો વિશે વિસ્તૃત સલાહ આપતા વંથલીના આ આગાહીકારે જણાવ્યું હતું કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. આ વર્ષે મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે, કારણ કે આ પાકોને વરસાદની અનુકૂળતા રહેશે. બીજી તરફ, કપાસના પાકમાં આ વર્ષે જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. કપાસના વાવેતરમાં જોખમ વધારે હોવાથી ખેડૂતોએ મગફળીને પ્રથમ પસંદગી આપવી જોઈએ તેવું તેમનું મંતવ્ય છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાના ચૂંટણી મેનીફેસ્ટોની જાહેરાત કરીને તૈયારી કરી છે. પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યભરમાં કુલ 5266 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક સ્થળોએ ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ષડયંત્રો પણ કરવામાં આવ્યા છે, છતાં પાર્ટીના કાર્યકરો મજબૂતાઈથી લડી રહ્યા છે.ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે રસ્તા, શિક્ષણ અને આરોગ્ય સહિતના મુદ્દા સાથે મેનિફેસ્ટો જાહેરપાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ગ્રામ વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપી છે. જિલ્લા અને તાલુકા સ્તરે વિકાસ માટે આયોજન કરવામાં આવશે. ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓને સુધારવા અને વાડી વિસ્તારોમાં એક વર્ષમાં રોડ સુધારવાની ખાતરી આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓનું સંચાલન સુધારવા, શિક્ષકોની ભરતી કરવા અને નવા વર્ગખંડો બનાવવા વચન આપવામાં આવ્યું છે. આરોગ્ય સેવાઓમાં CHC અને PHC કેન્દ્રોને મજબૂત બનાવવામાં આવશે, ડોકટરોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે અને પૂરતી દવાઓ ઉપલબ્ધ કરાશે. કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતી માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા અને ખેડૂતની આવક વધારવા યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા પણ આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન માટે રસીકરણ અને સુવિધાઓ વધારવા પર ભાર મૂકાયો છે. ગરીબી ઘટાડવા અને જરૂરિયાતમંદોને સરકારી પેન્શન યોજનાઓનો લાભ પહોંચાડવાની પણ ખાતરી આપવામાં આવી છે. 'ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે'ઇસુદાન ગઢવીએ મતદારોને લોભ-લાલચમાં ન આવવા અપીલ કરી અને ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, બંને પક્ષોએ વર્ષો સુધી શાસન કર્યું છતાં લોકો માટે પૂરતું કામ કર્યું નથી. આંગડિયા પેઢી મામલે તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે 150થી વધુ કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય પક્ષોના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને ભાજપ તેને દબાવવા પ્રયાસ કરી રહી છે, એવો આરોપ પણ ઇસુદાન ગઢવીએ લગાવ્યો હતો.
જામનગર મનપાની ચૂંટણીમાં પ્રચાર તેજ:ઉમેદવારો ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે વિવિધ માધ્યમો અપનાવી રહ્યા છે, જેમાં ધાર્મિક સ્થળોના દર્શન અને સંતો-મહંતોના આશીર્વાદ મેળવવાનું એક મહત્વપૂર્ણ પાસું બન્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP), આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ કેટલાક અપક્ષ ઉમેદવારો શહેરના જુદા જુદા મંદિરો અને ધાર્મિક સ્થળોએ જઈ રહ્યા છે. તેઓ સંતો અને મહંતોના આશીર્વાદ મેળવીને પોતાના ચૂંટણી પ્રચારને ગતિ આપી રહ્યા છે. ચૂંટણીના આ માહોલ વચ્ચે, ઉમેદવારો ધાર્મિક આસ્થાનો સહારો લઈને જનસંપર્ક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ધાર્મિક સ્થળોએ ઉમેદવારોની મુલાકાતો વધતા પ્રચારને એક નવી દિશા મળી રહી છે. આમ, જામનગરમાં ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળો અને સંતોના આશીર્વાદ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જે ઉમેદવારો માટે પ્રચારનું એક અસરકારક માધ્યમ સાબિત થઈ રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. અમદાવાદમાં અસારવા વોર્ડમાં ભાજપે રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, ત્યારે આજે અસારવા વોર્ડમાં ભાજપે રિક્ષા રેલી યોજી હતી. જેમાં અંદાજિત 100 જેટલા રિક્ષાચાલકો જોડાયા હતા. ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસી અને પ્રચાર કર્યો હતો. અસારવામાં રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી યોજવામાં આવી હતી. મકતમપુરામાં ચંડોળા નહીં બનવા દઈએ- MLAઅમદાવાદ મનપાની ચૂંટણીમાં ચંડોળા તળાવનો મુદ્દો વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ઉપાડ્યો હતો. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે, અહીંયા જમીનો ખુબ ખાલી પડી છે. અમને આપો અમે અહીંયા ગાર્ડન બનાવીશું પરંતુ બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું. જેને ગાર્ડન જોઈએ એ ભાજપને મત આપશે અને જેને ચંડોળા જોઈએ એ કોંગ્રેસને મત આપશે. વોટ આપવો હોય તો ડંકાની ચોટ આપજો. તેને વધુમાં કહ્યું કે, બુટલેગરો સાથે મીટીંગ કરી અને અમે મત લેનારા નથી. બુટલેગરો સાથે વોટિંગ કરાવવાનું સેટિંગ કરીને પછી પાંચ વર્ષ શું કરવા ફોન ઉપાડવા ?? સુશિક્ષિત લોકો જેવા કે ડોક્ટરો, પ્રિન્સિપાલ, એન્જિનિયરો વગેરે આવો અને આપણે જુહાપુરાને બદલીએ. 'કોંગ્રેસ અને AIMIM વાળા વિકાસ નથી કરતા'અમિત ઠાકરે કહ્યું હતું કે, ભાજપે કરોડો રૂપિયાના ખર્ચે મકતમપુરામાં પાર્ટીપ્લોટ, ઓડિટોરિયમ, ગટરલાઇનો વગેરે નાખી છે. કોંગ્રેસ અને AIMIM વાળા વિકાસ કરતા નથી. જો ભાજપનો ઉમેદવાર મકતમપુરામાં જીતશે તો વધુ ઝડપથી અને સારો વિકાસ થશે.
મહિલા અનામત બિલને લઈને દેશના રાજકારણમાં ગરમાવો તેજ બન્યો છે. ભાજપ જ્યારે કોંગ્રેસને આ મામલે જવાબદાર ઠેરવી રહી છે, ત્યારે કોંગ્રેસે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર વળતા આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે સંસદમાં રજૂ થયેલું બિલ મહિલાઓના હિતમાં નહીં પરંતુ લોકોમાં ભ્રમ ફેલાવવા માટે છે. RSS અને ભાજપમાં મહિલાઓનું સ્થાન ક્યાં?: મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપની નીતિને મહિલા વિરોધી ગણાવતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, RSSને સ્થપાયાને 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, પરંતુ આટલા સમયમાં ક્યારેય કોઈ મહિલાને 'સરસંઘચાલક' બનાવવામાં આવી નથી. તેવી જ રીતે, ભાજપ પણ અનેક દાયકાઓથી સક્રિય છે, છતાં ક્યારેય કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું નથી. આના પરથી તેમનો મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. ‘ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડ્યું’મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે, સંસદમાં જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે તે ખરેખર મહિલાઓને તાત્કાલિક અનામત આપવા માટે નથી. ભાજપ માત્ર તોડી-મરોડીને વાતો રજૂ કરી રહી છે. તેમણે હાથરસ કાંડ, મણિપુર હિંસા અને મહિલા પહેલવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે. ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે’કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ મહિલાઓને સશક્ત કરવામાં ક્યારેય વિશ્વાસ રાખતી નથી અને આ બિલ માત્ર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. વાસનિકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપના આ 'ખોટા ઈરાદા' સમજી ગઈ છે અને સમય આવ્યે સત્ય સામે આવશે.
સુરતના અમરોલી વિસ્તારમાં રવિવારે યોજાયેલી પીએસઆઈ (PSI) ભરતીની પરીક્ષા દરમિયાન ચોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષામાં કડક સુરક્ષાના દાવાઓ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન સાથે વર્ગખંડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો અને પરીક્ષા દરમિયાન ગૂગલની મદદ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘટનાની વિગતોઅમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા શિવમ રામકુમાર યાદવ નામના ઉમેદવારે પોતાની બેઠક વ્યવસ્થા પાસે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો. પેપર શરૂ થયા બાદ તે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ કરીને પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. પરીક્ષા સુપરવાઈઝરની નજર પડતા જ તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધિત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થપરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં, ઉમેદવાર મોબાઈલ ફોન અંદર લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો? આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રના સંચાલકો અને ચેકિંગ સ્ટાફની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ પરીક્ષા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેને અંદર કોઈની મદદ મળી હતી કે કેમ.
નવસારીમાં હુમલાના 3 આરોપી હથિયાર સાથે ઝડપાયા:વિરાવળ નાકા પાસે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો
નવસારીના વિરાવળ નાકા પાસે યુવાન ઇમરાન શેખ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. નવસારી ટાઉન પોલીસે પીછો કરીને તેમને મરોલી-ઉભરાટ રોડ પરથી દબોચી લીધા હતા. આ ઘટના જૂની અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના 17 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે વિરાવળ નાકા પાસે આવેલી 'હિંદ ચા-નાસ્તા'ની દુકાન નજીક બની હતી. કાગદીવાડના રહેવાસી ઇમરાન તૈયબ શેખ પર આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ, કિશન દુબે અને અન્ય એક સાગરીતે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇમરાનને શરીર પર આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇમરાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલે તાત્કાલિક આરોપીઓને પકડવા સૂચના આપી હતી. ટાઉન પીઆઈ કે.ડી. નકુમ અને વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘુઘા અને જીતુને બાતમી મળી હતી કે, આરોપીઓ સુરતથી ઉભરાટ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મરોલી-ઉભરાટ રોડ પર 'વેલકમ હોટલ' પાસે વોચ ગોઠવી હતી. આરોપીઓની કાર પસાર થતાં જ પોલીસે કોર્ડન કરીને ત્રણેયને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મોહંમદ આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ (ઉંમર 30, રહે. મરીયમપુરા, નવસારી, મૂળ ઉત્તરપ્રદેશ), કિશન અખીલેશ દુબે (ઉંમર 25, રહે. ઘેલખડી, નવસારી) અને સૂરજ રાજકુમાર દુબે (ઉંમર 22, રહે. ડીંડોલી, સુરત, મૂળ ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે ગુનામાં વપરાયેલા બે તીક્ષ્ણ ચપ્પુ પણ કબજે કર્યા છે. નવસારી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા અગાઉ એપીએમસી પાસે પણ મારામારી કરવામાં આવી હતી. ટાઉન પોલીસની આ સતર્કતાને કારણે ગંભીર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.
વડોદરા જિલ્લાના કુંઢેલામાં સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિધાર્થીઓની તબિયત લથડી હતી. જે બાદ વિદ્યાર્થીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી તેમને ફૂડ પોઈઝનિંગ કે હિટ સ્ટ્રોકની આશંકા છે. જો કે હાલ તબિયત લથડવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. યુનિવર્સિટીના 11 વિધાર્થીઓ તબિયત લથડીડભોઈના કુંઢેલામાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 11 વિધાર્થીઓની ગઈકાલે રાત્રે અચાનક તબિયત લથડી હતી. આ તમામ વિધાર્થીઓને 18 એપ્રિલે જમ્યા બાદ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી થતા હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે યુનિવર્સિટી સતાધીશોનું કહેવું છે કે, અહીંયા અભ્યાસ કરતા વિધાર્થીઓને અઠવાડિયામાં એકવાર વડોદરા સિટીમાં ખરીદી માટે લાવવામાં આવે છે. તેઓ ગઈકાલે આખો દિવસ શહેરમાં રહ્યા હતા. તેઓની તબિયત રાત્રે લથડી હતી. બાદમાં તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 'સેમ્પલ હેલ્થ લેબોરેટરીમાં મોકલીશું'યુનિવર્સિટી સતાધીશોએ જણાવ્યું હતુ કે, બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હોય તો તેઓની સાથે 1 હજાર લોકો જમ્યા હતા. માત્ર 11 વિધાર્થીઓને જ અસર થઈ છે. અને જો ફૂડ પોઈઝનિંગ થયું હોય તો અમે તે બાબતે પણ અમારા દ્વારા હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ મોકલીશું. જે કંઈ આવશે તો તેની સામે કાર્યવાહી કરીશું.
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.
અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાન નજીક એક યુવક પર ત્રણ શખસે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. એક્ટિવા અથડાવા બાબતે યુવકે ટોક્યા હતા. સામાન્ય બોલાચાલીમાં થયેલી આ મારામારીની લાઈવ ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદના ધંધૂકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની છરી મારી હત્યા કરાઈ હતી. આખો બનાવ કેવી રીતે બન્યો?ફરિયાદ મુજબ, સિરાજ મહેબૂબ કુરેશી જ્યારે ડિલક્સ પાનની દુકાન પર હાજર હતા, ત્યારે ત્રણ શખસ એક્ટિવા લઈને ત્યાં આવ્યા હતા. આ શખસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પાનની દુકાન સાથે અથડાવ્યું હતું. સિરાજ કુરેશીએ તેમને વાહન સરખી રીતે ચલાવવાની સલાહ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા શખસે એક્ટિવામાંથી છરી કાઢી સિરાજ કુરેશી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પીઠના ભાગે છરીના 3 ઘા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ સાથે જ આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્રણેય આરોપીઓને પોલીસ રાઉન્ડ અપ કર્યાભોગ બનનાર યુવકે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે: દાદલીમિયા રફીકમિયા સૈયદ ઇરફાન રફીક સૈયદ અજુમિયા રફીક સૈયદ સામાન્ય બાબતે હુમલાથી ફફડાટઅમરેલી પોલીસે ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નં. 10માં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ક્રાંતિકારી સેનાના એક માસ્ક પહેરેલા યુવાને સરદાર પટેલની પ્રતિમાને પગે પડીને ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ‘હિસાબ આપો’ના નારા લગાવ્યાતેઓએ આક્ષેપ કર્યો છે કે, નીતિન દોંગાએ અગાઉ સ્ટેટમેન્ટ પેપરમાં ચૂંટણી ન લડવાનું જાહેર કર્યું હતું, છતાં તેઓ ત્રીજી વખત ટિકિટ મેળવીને ઉમેદવાર બન્યા છે. આ કાર્યને તેમણે ‘જૂઠાણું’ ગણાવ્યું છે. સાથે માસ્ક મેને વાસણાથી ભાયલી ગામ સુધી કારમાં રેલી કાઢીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું અને નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ સ્લોગનો આપ્યા હતા. સરકારી આવાસ યોજનાના ફ્લેટમાં લીફલેટ વહેંચીને ‘હિસાબ આપો’ના નારા લગાવવામાં આવ્યા હતા. માસ્કમેન PM નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવોઆ સાથે ઉમેદવારોના હોળીંગ (પોસ્ટર/બેનર) પર નીતિન દોંગાના સ્ટેટમેન્ટ પેપરના કટિંગ લગાવીને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી વોર્ડ-10નું રાજકારણ વધુ ગરમાયું છે. તેઓએ સવાલ ઉઠાવ્યા કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે કોઈ એક્શન લેશે કે કેમ? કારણ કે આ વિરોધ વડોદરા ભાજપના વોર્ડ-10ના ઉમેદવારો વિરુદ્ધ છે અને માસ્ક મેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવો કરે છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નીતિન દોંગા વચ્ચે વિવાદઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી માસ્ક મેન અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ ક્રાંતિકારી સેનાના આ માસ્ક મેન દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર મતદાન જાગૃતિ માટે પ્રચાર કરનાર માસ્ક મેન ચર્ચમાં આવ્યો છે.
નર્મદા જિલ્લાની અમલેથા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે રશ્મિતાબેન વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. તેઓ અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે, ત્યારે રશ્મિતાબેન એકમાત્ર એવા ઉમેદવાર છે જેમને ભાજપે રિપીટ કર્યા છે. ગત ટર્મમાં ભાજપે તેમને પ્રથમવાર ટિકિટ આપી હતી, જેમાં તેમણે કોંગ્રેસના એક દિગ્ગજ નેતાની દીકરીને હરાવ્યા હતા. વિપક્ષના નેતાઓ દ્વારા ભાજપ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવતા, રશ્મિતાબેને સોશિયલ મીડિયા પર વિપક્ષને મજબૂત જવાબ આપ્યો હતો. તેમની આ કામગીરીને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને ફરી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમલેથા બેઠક જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલી છે, જ્યાં પ્રચાર કરવો પડકારજનક હોય છે. તેમ છતાં, ભાજપના આ ઉમેદવાર જાતે જંગલ વિસ્તારમાં જઈ પ્રચાર કરી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે નાંદોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ મુકેશ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર બંને પક્ષે મજબૂત ઉમેદવારો હોવાથી રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં સૌની નજર આ બેઠક પર છે.
જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પુરાણો મુજબ, આ કુંડમાં સ્નાન કરવાથી અને પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પવિત્ર દામોદર કુંડ આગામી 21 અને 22 એપ્રિલના દિવસે બંધ રહેશે.આ એજ પવિત્ર સ્થાન છે જ્યાં નરસિંહ મહેતા દરરોજ પ્રભાતિયા ગાતા સ્નાન કરવા આવતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ પોતે અહીં સ્નાન કર્યું હોવાની માન્યતા છે. આ કુંડના પાણીમાં હાડકાં ઓગળી જવાની ચમત્કારિક શક્તિ હોવાનું કહેવાય છે, તેથી જ હજારો લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે અહીં આવે છે. ગિરનારની ગોદમાં આવેલું આ તીર્થ હરિ અને હરના મિલનનું પ્રતીક મનાય છે. જૂનાગઢમાં આવેલું અને પિતૃઓના મોક્ષ માટે પરમ પવિત્ર મનાતું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આગામી બે દિવસ માટે ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને કુંડની સ્વચ્છતા અને જાળવણી માટે લેવાયો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલા ચૈત્ર માસ દરમિયાન ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન જેવી ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડ્યા હતા. આ વિશાળ જનમેદનીને કારણે કુંડના પાણી અને આસપાસના ઘાટ પર સફાઈની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 અને 22 એપ્રિલના રોજ કુંડના ઘાટ પર થતી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે પિતૃ તર્પણ અને પૂજા-અર્ચના સંપૂર્ણપણે બંધ રહેશે. આ બે દિવસો દરમિયાન કુંડના તળિયાની ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવશે અને વર્ષોથી જમા થયેલો કાંપ તેમજ અન્ય કચરો દૂર કરવામાં આવશે. ત્યારબાદ 23 એપ્રિલના રોજ કુંડમાં નવું અને શુદ્ધ નીર ભરવામાં આવશે અને ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે તીર્થ ખુલ્લું મૂકવામાં આવશે. આ સફાઈ પાછળનું એક મહત્વનું કારણ આગામી સમયમાં આવતો પુરુષોત્તમ માસ પણ છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ હોય છે અને તે સમયે અહીં આવનારા યાત્રિકોની સંખ્યામાં અનેકગણો વધારો થતો હોય છે. આ પવિત્ર માસની શરૂઆત પૂર્વે કુંડની પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે અત્યારથી જ આ આયોજન કરવામાં આવ્યું છે. નિલેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, વ્યવસ્થાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયમાં ભાવિકો સહકાર આપે અને આ બે દિવસ દરમિયાન દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ પોતાની યાત્રાનું આયોજન ગુરુવાર પછી કરે તેવી નમ્ર વિનંતી છે. ગુરુવાર સવારથી તમામ વિધિઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પક્ષની શિસ્તનો ભંગ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના આદેશ અનુસાર, આ કાર્યકર્તાઓને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે જે કાર્યકર્તાઓએ અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તેઓ સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ યાદી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા જાહેર કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા 26 સભ્યોમાં જિલ્લા પંચાયતના 2, ચાણસ્મા તાલુકા પંચાયતના 1, શંખેશ્વર તાલુકા પંચાયતના 1, રાધનપુર તાલુકા પંચાયતના 1, સાંતલપુર તાલુકા પંચાયતના 4, સિધ્ધપુર તાલુકા પંચાયતના 2, પાટણ નગર પાલિકાના 7 અને સિધ્ધપુર નગર પાલિકાના 8 કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરવામાં આવેલા મુખ્ય નામોમાં બિલીયા જિલ્લા પંચાયત બેઠક પરથી પટેલ ભગવતીબેન કનુભાઈ અને નેદરા જિલ્લા પંચાયત બેઠક પરથી રાજપૂત માનજી પ્રતાપજીનો સમાવેશ થાય છે. પાટણ શહેરના વિવિધ વોર્ડમાંથી લીંબાચીયા શુશીલભાઈ આત્મારામ, રાવલ છાયાબેન મયુરકુમાર, રાજપુત ગોપાલસિંહ ગંગાસિંહ, પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઈ, ફારુકી મહમદકુસેન અતાહુસેન, સોલંકી પિનલબેન વિપુલભાઈ અને ઠાકોર ભવાનજી વરસાજીને પક્ષમાંથી દૂર કરાયા છે. આ પૈકીના મોટાભાગના સભ્યો પૂર્વ નગર પાલિકા સદસ્ય અથવા સક્રિય સભ્યો તરીકેની જવાબદારી સંભાળતા હતા. સિધ્ધપુર શહેરમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ વાઘેલા કનુભા દલાજી, ઠાકોર નિરમાબેન સેધુસિંગ, પ્રજાપતિ હસમુખભાઈ હરગોવનભાઈ, પ્રજાપતિ વિકાસભાઈ હસમુખભાઈ, ભટ્ટ હેતલબેન રાકેશકુમાર, વ્યાસ દિપીકાબેન કિરણકુમાર, ઠાકર ગાયત્રીબેન મિતેશકુમાર અને ઠાકોર સજનબેન રાજુજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએથી ઠાકોર હંસાબેન માધવસિંહ (ધાણોધરડા), ઠાકોર ભેમાજી અમથાજી (શંખેશ્વર), સોલંકી મુકેશભાઈ પચાણભાઈ (કામલપુર), ઠાકોર જમુબેન ધિરાજી (ઝઝામ), પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ (લોદરા), ચૌધરી મઘાભાઈ દેવણભાઈ (વારાહી-2), આહીર રાણીબેન નારણભાઈ (મઢુત્રા), પટેલ અગ્નિભાઈ રણછોડભાઈ (કુવારા) અને રાઠોડ ધનજીભાઈ વિરાભાઈ (ડીંડરોલ) સામે પણ શિક્ષાત્મક પગલાં ભરી તેઓનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે સિદસર વિસ્તારમાં વાળુકડ ચોકડી પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસના નામ પણ ખૂલ્યા હતા. દારૂ, કાર અને મોબાઈલ સહિત 7,09,424 રુપિયાનો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારનો અટકાવવાનો પ્રયાસ કર્યોમળતી વિગતો અનુસાર, 19 એપ્રિલે રાત્રિના સમયે પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના સિદસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને ચોક્કસ માહિતી મળતા વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક કાર નંબર GA-10-A 5757 આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ચાલકે ત્યાંથી ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી. ત્યારે પોલીસ જવાનોએ આ કારનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધી હતી.કારમાં સવાર ગોપાલ મેર (રહે.સિદસર) તથા અરજણ ચભાડ (રહે. સિદસર)ની અટકાયત કરી હતી. કારની તપાસ હાથ ધરતા વિના પરમિટે વિદેશી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની 1,152 નંગ બોટલ મળી આવી હતી. સુરતના શખસે દારૂ ભરેલી ગાડી આપી હતીઆ દારૂ અંગે પૂછતા બંન્ને શખસોએ જણાવ્યું હતું કે સુરત રહેતા રઘુ ચભાડે આ દારૂનો જથ્થો ભરેલી ગાડી આપી હતી. જેને શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ખારામાં બાપાની મઢૂલી પાછળ રહેતા હરેશ અલગોતરે મંગાવી હતી. આથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે વિદેશી દારૂની બોટલ અને કાર સહિત રૂપિયા 7,09,424નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોપાલ મેર અને અરજણ ચભાડ, રઘુ ચભાડ, હરેશ આલગોતર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લામાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી 2 નગરપાલિકાઓ કલોલ-દહેગામ તેમજ જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને મતદારો કોઈ પણ ભય વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીંગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની અંદર તેમજ 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીં. ખાસ કરીને મતદાન મથકોમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન કે વાયરલેસ સેટ જેવા સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આસપાસ વાહનોના જમાવડા પર પણ પ્રતિબંધઆ ઉપરાંત મતદાન મથકની આસપાસ વાહનોના જમાવડા પર પણ પ્રતિબંધ રહેશે. બીજી તરફ ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર. શર્માએ પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પાસે લાઈનમાં ઉભા રહેવું પડશે. સ્ત્રીઓ માટેની અલગ કતારમાં પણ શિસ્તબદ્ધ રીતે ઉભા રહીને પોતાના વારા મુજબ મતદાન કરવાનું રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મતદારોએ મથક અને તેની આસપાસનો વિસ્તાર ખાલી કરવાનો રહેશે જેથી અન્ય મતદારોને અડચણ ન પડે. આગામી 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.જે 30મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રને વિશેષ સત્તાઓ સોંપાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ કાયદેસરની ફરિયાદ દાખલ કરી શકશે. ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને નિરીક્ષકોને ફરજ માટે જરૂરી સાધનો વાપરવાની છૂટછાટ આપવામાં આવી છે.જ્યારે સામાન્ય નાગરિકો માટે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજ રોજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે. રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.? તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને ડર છે કે દેશની સામાન્ય પરિવારની મહિલાઓ સાંસદમાં અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે અને તેમની પરિવારવાદની રાજનીતિને પડકારશે. સતા પરિવાર પૂરતી સીમિત રાખવી એ તેમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ જ એમની માનસિકતા છે. માતૃશક્તિ ને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા આ કોંગ્રેસ પક્ષની છે. આ એજ કોંગ્રેસ છે જેને 370 કલમનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો, CAAનો વિરોધ, GSTનો વિરોધ, UCCનો વિરોધ કર્યો, સર્જીકલ સ્ટ્રાઇક અને ઓપરેશન શિંદુરનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસની માનસિકતા એ જ છે કોઈપણ રિફોમેશન આવે એમાં જૂઠું બોલો, ભ્રમ ફેલાવવો અને આગળ વધવા ન દેવું.
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના રાજકારણમાં એક મસમોટા હવાલા કાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહીધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર પોલિટિક્સ હવાલા કાંડનો માસ્ટર માઈન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક 'પનીરના વેપારી' તરીકે આપતો હતો. આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતો, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. આંગડિયા સંચાલકની કબૂલાતમહીધરપુરાની અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ખુલાસો કરતા કહ્યું કે, દિલ્હીથી હિમાંશુ નામની વ્યક્તિ દ્વારા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલવામાં આવતું હતું. હિમાંશુ આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક મોટા પનીરના વેપારી તરીકે આપતો હતો, પરંતુ આ નાણાંનો અસલી હેતુ રહસ્યમય હતો. આ રોકડ રકમ લેવા માટે પૂર્વ મંત્રીનો PA આકાશ મિશ્રા પોતે દર મહિને આંગડિયા પેઢી પર આવતો હતો. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 80થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા છે, જેની છેલ્લી ડિલિવરી 10મી તારીખે લેવામાં આવી હતી. હાલમાં પોલીસે આંગડિયા પેઢીના રેકોર્ડ્સ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી છે. પનીર વેપારીના સ્વાંગમાં હિમાંશુનો માસ્ટર પ્લાનતપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા આ આંગડિયા પેઢીનો રેગ્યુલર કસ્ટમર હતો. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, હિમાંશુએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે દિલ્હીમાં તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ વેપારના બહાને તે નિયમિત અંતરે સુરત પેમેન્ટ મોકલતો હતો. જોકે, પડદા પાછળની સત્યતા કંઈક અલગ જ હતી. પનીરના વેપારના નામે મોકલવામાં આવતા આ લાખો રૂપિયા વાસ્તવમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓ માટે વપરાતા હોવાની પ્રબળ આશંકા છે. અજય તિવારી નામનો અન્ય એક કાર્યકર પણ સામેલઆ હવાલા કાંડમાં સુરતનું કનેક્શન પીપલોદ વિસ્તાર સાથે જોડાયેલું છે. દિલ્હીથી મોકલવામાં આવેલા નાણાં મેળવવા માટે આકાશ મિશ્રા નામનો યુવક આંગડિયા પેઢી પર આવતો હતો. નોંધનીય છે કે, આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂક્યો છે. આકાશ છેલ્લા ચાર મહિનામાં અનેકવાર આંગડિયા પેઢી પર રૂબરૂ આવીને લાખોની રોકડ રકમ લઈ ગયો હતો. તેની સાથે અજય તિવારી નામનો અન્ય એક સક્રિય કાર્યકર પણ સામેલ હતો. આ બંને યુવકો મૂળ પરપ્રાંતીય છે, પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થઈ રાજકીય રીતે સક્રિય છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયો 'કાળો કારોબાર'આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 એપ્રિલના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાંથી નાણાં રિસિવ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ તપાસમાં આંગડિયા પેઢીના માલિકે કબૂલાત કરી છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આશરે 8થી 90 લાખ રૂપિયા આકાશ મિશ્રાને હેન્ડઓવર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ સીસીટીવી ફૂટેજ અને આંગડિયા પેઢીના ચોપડાઓના આધારે તપાસનો વ્યાપ વધારી રહી છે. ચૂંટણી પૂર્વે ફંડિંગનો ખેલ: ક્યાં વપરાયા આટલા પૈસા?ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ફંડિંગ ખાસ કરીને આગામી ચૂંટણીઓના પ્રચાર-પ્રસાર અને કાર્યકર્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે, જો આ વ્યવહાર કાયદેસરનો હતો, તો તેને હવાલા અને આંગડિયા મારફતે કેમ કરવામાં આવ્યો? શા માટે હિમાંશુએ પોતાની ઓળખ છુપાવી પનીરનો વેપારી બનવું પડ્યું? પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સમહીધરપુરા પોલીસ અને અન્ય એજન્સીઓએ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલની સઘન પૂછપરછ કરી છે. પોલીસે નામની એન્ટ્રીઓ, દિલ્હી ઓફિસ સાથે થયેલા સંપર્કો અને વ્યવહારના સમયગાળાની સંપૂર્ણ વિગતો એકત્ર કરી છે. આ ઉપરાંત, આકાશ મિશ્રા અને હિમાંશુ પાહુજાના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ્સનું ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે માત્ર એક જ નહીં, પરંતુ અન્ય આંગડિયા પેઢીઓ મારફતે પણ કરોડો રૂપિયા સુરતની ધરતી પર ઠાલવવામાં આવ્યા હોઈ શકે છે. આગામી દિવસોમાં મોટા માથાના નામ ખુલવાની શક્યતાઆ હવાલા કાંડ માત્ર આકાશ મિશ્રા કે હિમાંશુ સુધી સીમિત નથી. પોલીસ માની રહી છે કે આ એક મોટા સિન્ડિકેટનો ભાગ છે. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્કમાં અનેક 'સફેદપોશ' ચહેરાઓ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ આ ફંડિંગના અસલી લાભાર્થીઓ અને રાજકીય આકાઓના નામ બેનકાબ થશે. સુરત પોલીસ હવે ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ મામલે જાણ કરે તેવી શક્યતા છે, જેથી નાણાકીય ગેરરીતિઓની ઊંડી તપાસ થઈ શકે.
ભરૂચમાં કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ:ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, પરિવર્તનનો દાવો
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા એક પ્રચાર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે. શેખે આરોપ લગાવ્યો કે હારના ડરથી ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને શાસક પક્ષ લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. શેખે આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ પક્ષો મતવિસ્તારમાં મત વિભાજન કરીને ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી રહ્યા છે. આ સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ, યુસુફ મલેક સહિતના અગ્રણી નેતાઓ અને ઉમેદવારો હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો લોકોનો મિજાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના એક કાર્યકરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાફલાની બે કારના કાચ તૂટ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ કાર્યકર પંકજ પટેલના જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણીની પ્રચાર સભા પૂર્ણ કરી રામનગરથી મગુના તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડ પર આવેલી ડેરીની સામે અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેમની ટાટા પંચ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. ડ્રાઈવર સાઈડનો કાચ તોડી પથ્થર સીધો તેની જમણી આંખ ઉપર વાગ્યો હતો. જેના કારણે તેઓ લોહીલુહાણ બન્યા હતા. તેમની પાછળ આવતી અન્ય એક અર્ટીગા કાર પર પણ પથ્થર પડતા ઘોબો પડ્યો હતો. હાલ પંકજભાઈ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ત્રણ ટાંકા લેવા પડ્યા છે. પંકજભાઈએ આ હુમલા પાછળ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસના લોકોએ હતાશામાં હુમલો કર્યો હોય શકે: નરેશ પટેલઆ સમગ્ર મામલે મગુના સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની જીત નિશ્ચિત જણાતા કોંગ્રેસના લોકોએ હતાશામાં આવીને આ હુમલો કર્યો હોઈ શકે છે. જોકે અગાઉ તેમની પોતાની ટિકિટ ફાળવણી સમયે થયેલા વિરોધ અંગે પૂછતા તેમણે બચાવ કરતા કહ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી પરંતુ હવે કોઈ આંતરિક વિરોધ નથી. મહેસાણાના મગુના પંથકમાં બનેલી આ ઘટનાએ શાંત ચૂંટણી માહોલમાં અચાનક ગરમાવો લાવી દીધો છે. એક તરફ ભલે ઉમેદવાર અને કાર્યકર આક્ષેપ કોંગ્રેસ પર કરી રહ્યા હોય પરંતુ ટિકિટ ફાળવણી વખતના આંતરિક વિરોધ અને ભાજપના ઉકળતા ચરુની વાતોએ પણ સ્થાનિક કક્ષાએ જોર પકડ્યું છે. હાલમાં સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 125(એ), 118(1), 324(2) મુજબ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ હુમલા પાછળ ખરેખર કોનો હાથ છે.
ગોધરા SOG ટીમે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી બે ઓટો રીક્ષા, આઠ ગેસ સિલિન્ડર સહિત કુલ 87 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ રાંધણગેસના સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે અન્ય સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગ કરતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં ઓમ પ્રકાશ તારાની, મુકેશ સોલંકી અને આરીફ સદામસનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મોડીરાત્રે વધુ એક યુવકે કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનોની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગે યુવકને સહી-સલામત નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. રાહદારીઓએ બૂમાબૂમ કરી અને તંત્ર દોડતું થયુંમળતી માહિતી મુજબ, શહેરના કાપોદ્રા બ્રિજ પરથી રાત્રે એક અજાણ્યા 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તાપી નદીમાં પડતું મૂક્યું હતું. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓની નજર આ યુવક પર પડતા જ ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમો રિંગ બોયા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ નદીના પ્રવાહમાં ડૂબતા યુવક સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ફાયર જવાનોએ ફિલ્મી ઢબે નદીમાં ઉતરીને યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. આત્મહત્યાના પ્રયાસનું કારણ અકબંધફાયર વિભાગે યુવકને બચાવી લીધા બાદ તેને અશ્વિનીકુમાર પોલીસ ચોકીને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હાલ યુવકના પરિવારજનોનો સંપર્ક કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે એક યુવક હાથમાં મોટો છરો લઈને જાહેર રસ્તા પર આતંક મચાવતો અને રાહદારીઓને ધમકાવતો જોવા મળ્યો હતો. આ યુવકે પોલીસ અને BRTS તંત્રને પણ બીભત્સ ગાળો ભાંડી હતી. ‘અહીં નહીં આવવાનું, બધું બંધ કરી દો’, આરોપીની દાદાગીરીવાઇરલ વીડિયો મુજબ, યુવક BRTS બસ સ્ટેન્ડ પાસે રસ્તાની વચ્ચે છરો લહેરાવીને નીકળતા વાહનચાલકોમાં ભય ફેલાવી રહ્યો હતો. તેણે દુકાનદારોને ધમકી આપતા કહ્યું હતું કે, બધું બંધ કરી દો, આ બધું મારું છે. અહીં માત્ર ચિકનની દુકાનો જ ચાલુ રહેશે. રાહદારીઓને છરો બતાવી તે અહીં નહીં આવવાનું કહીને ધમકાવી રહ્યો હતો. નવા PI માટે અસામાજિક તત્ત્વોનો પડકારવાડજ વિસ્તારમાં લાંબા સમય સુધી કાર્યરત PI વી. આર. ડાંગરની બદલી થયા બાદ, નવા આવેલા PI એચ. પી. ગરાસિયા માટે આ કિસ્સો એક મોટો પડકાર સાબિત થયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસ અધિકારીઓની બદલી થતા જ અસામાજિક તત્ત્વોએ ફરી માથું ઊંચક્યું છે. આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની ક્ષમતા પર પણ સવાલો ઊભા કર્યા છે. પોલીસ કાર્યવાહી: ગુનો નોંધવાની તજવીજઆ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાએ જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયા બાદ યુવકની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત બિલને લઈને હાલ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, મેલી મુરાદ સાથે મહિલા અનામત બિલ પસાર કરવા નીકળેલી ભાજપ સરકારને હવે દેશમાં ધોબી પછડાટ ખાવાનો વખત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતનાં બંધારણીય અને ભારતનાં જનતાના આત્માના અવાજને નષ્ટ કરવા માટે, મહિલાઓનો સંપૂર્ણ દુરુપયોગ કરીને વડાપ્રધાને જે પ્રચાર-પ્રસાર હેતુથી, ચૂંટણીલક્ષી હેતુથી વિપક્ષને બદનામ કરવા માટે જે સંસદમાં બિલ રજૂ કર્યું હતું, જે ખૂબ ખરાબ રીતે ઊડી ગયું. કારણ કે ભારતની ઓળખ, આત્મા પર એમાં ઘાતક હથિયાર તરીકે એમણે ચૂંટણીલક્ષી દુરુપયોગ કર્યો હતો. માટે એ મહિલાઓના સન્માનની જગ્યાએ એમણે મહિલાઓને દુરુપયોગ કરીને જે અપમાનજનક કૃત્ય કર્યું છે, એ કોંગ્રેસ પાર્ટી સખત રીતે વખોડે છે અને 33 ટકા મહિલા અનામત જે 2023માં બિલ પસાર થયું હતું, એનો તાત્કાલિક અમલ કરે એવી નમ્ર પ્રાર્થના કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ બિલ લાવવાનો હેતુ માત્ર આવનારી બંગાળથી માંડીને ચૂંટણીમાં મહિલાઓનો દુરુપયોગ કરવાનો હતો અને પ્રચાર-પ્રસાર કરવાનો જ એનો મુખ્ય હેતુ હતો. એમનો હેતુ મહિલાઓને અનામત આપવાનો નહોતો, અટલ બિહારી વાજપેયી ને પણ એમના નેતા ને પણ એ લોકો ભૂલી ગયા છે. કોંગ્રેસ સુરતમાં તમામ મહિલાઓને નિઃશુલ્ક બસ મુસાફરીની સુવિધા આપશેતાજેતરમાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પણ કોંગ્રેસે મહિલાઓ અને વિદ્યાર્થી લક્ષી વિશેષ કમિટમેન્ટ (મેનિફેસ્ટો) રજુ કર્યો છે. સુરત શહેર કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો શહેરની તમામ મહિલાઓને નિઃશુલ્ક બસ મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત, આર્થિક ભારણ ઘટાડવા માટે જો વાહન મહિલાના નામે હશે તો સંપૂર્ણ રોડ ટેક્સમાં મુક્તિ અને જો મિલકત મહિલાના નામે હશે તો ટેક્સમાં 50 ટકા જેટલી મોટી રાહત આપવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે મહિલા અનામત કાયદાને કોઈપણ વિલંબ વગર આગામી ચૂંટણીથી જ અમલમાં મૂકવામાં આવે અને સીમાંકનની રાહ જોયા વગર અત્યારની 543 બેઠકો પર જ 33 ટકા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. વધુમાં, સામાજિક ન્યાયના ભાગરૂપે આ અનામતમાં OBC, SC અને ST મહિલાઓ માટે તેમની વસ્તીના પ્રમાણમાં અલગ સબ-ક્વોટાની જોગવાઈ કરવી જોઈએ, તો જ સાચા અર્થમાં મહિલાઓને ન્યાય મળ્યો ગણાશે.
સુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગના રત્નકલાકારોમાં ભારે આક્રોશમાં છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 26 એપ્રિલના મતદાન પૂર્વે રત્નકલાકારોએ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા વ્યવસાય વેરા વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમની સ્પષ્ટ માંગ છે કે પગારમાંથી કપાતો માસિક રૂ. 200નો વેરો તાત્કાલિક બંધ કરવામાં આવે. 'દર મહિને રૂ. 200નો બોજ'ઓમકાર સોરઠિયાએ જણાવ્યું હતું કે, મારી 20,000ની સેલેરીમાંથી 200 રૂપિયા કપાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાને 'નંબર વન' કહે છે, પણ મજૂરો પાસેથી વેરો ઉઘરાવવો એ ક્યાંનો ન્યાય છે? જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે. વેરો માલિકોનો કે કારીગરોનો?રત્નકલાકાર હરિ મહારાજે પોતાની વ્યથા ઠાલવી કે, ખરેખર તો આ વ્યવસાય વેરો માલિકોએ ભરવાનો હોય છે, તો પછી કારીગરોના પગારમાંથી કેમ કાપવામાં આવે છે? અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. 'મહાનગરપાલિકા વિશ્વની આઠમી અજાયબી'રત્નકલાકાર રમેશભાઈ પાલિકાની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો કે, મહાનગરપાલિકા વિશ્વની આઠમી અજાયબી છે જે કામદારો પાસેથી ટેક્સ લે છે. રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે. તેમ છતાં રત્નકલાકારોને PF, PSI, હક રજા, ગ્રેજ્યુઈટી કે બોનસ જેવા કોઈ લાભો મળતા નથી. કામદારોને તેમના હક આપવાના બદલે તેમની પાસેથી ટેક્સ લેવો એ તદ્દન ખોટું છે. આ ચૂંટણીમાં રત્નકલાકારોનો મિજાજ સ્પષ્ટ છે કે વેરો નાબૂદ નહીં તો મત નહીં. '100 કરોડનો વેરો એ BRTSની નુકસાનીની ભરપાઈ'ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ કાકનું કહેવું છે કે, સુરતના રત્નકલાકારો દર વર્ષે અંદાજે 80થી 100 કરોડ રૂપિયા વ્યવસાય વેરો મહાનગરપાલિકાને ચૂકવે છે. બીજી તરફ, પાલિકાની BRTS બસ સેવા વર્ષે 100 કરોડનું નુકસાન કરે છે. શું રત્નકલાકારોના ટેક્સના પૈસાથી આ નુકસાની ભરપાઈ કરવામાં આવે છે? પરિવર્તનના મૂડમાં રત્નકલાકારોસુરતના લાખો રત્નકલાકારો જે શહેરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેઓ હવે પરિવર્તનના મૂડમાં જણાય છે. ડાયમંડ વર્કર યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, કારીગરોમાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી છે. મધ્યમ અને ગરીબ વર્ગના આ કારીગરો માટે દર મહિને 200 રૂપિયાની બચત પણ મોટી વાત હોય છે. જ્યારે મોંઘવારી આસમાને છે ત્યારે વધારાના વેરાનો બોજ તેમને અસહ્ય લાગે છે. આ ચૂંટણીમાં રત્નકલાકારો એકજૂથ થઈને પોતાની તાકાત બતાવવા તૈયાર છે. ચૂંટણીલક્ષી કમીટમેન્ટની રાહ: રાજકીય પક્ષો માટે કસોટીઆગામી દિવસોમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે રત્નકલાકારોના વિસ્તારોમાં જશે. ત્યારે તેમને આ વેરાના પ્રશ્નોનો સામનો કરવો જ પડશે. અત્યાર સુધી માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ આ વખતે રત્નકલાકારો 'કમિટમેન્ટ' માંગે છે. જે પક્ષ લેખિતમાં અથવા જાહેર મંચ પરથી વ્યવસાય વેરો નાબૂદ કરવાની જાહેરાત કરશે, તેના પક્ષે રત્નકલાકારોનું પલડું નમી શકે છે. હીરા નગરીના આ કારીગરોનો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચશે કે કેમ તે તો સમય જ બતાવશે. પણ હાલ પૂરતો તો રત્નકલાકારોએ વિરોધનું રણશિંગુ ફૂંકી દીધું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગરની મુલાકાતે:સંતરામપુરમાં વિકાસ સંકલ્પ સભા અને બેઠકનું આયોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગર જિલ્લાના સંતરામપુરની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત વિકાસ સંકલ્પ સભાને સંબોધશે. આ ઉપરાંત, તેઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે. કાર્યક્રમ અનુસાર, મુખ્યમંત્રી પ્રથમ સંતરામપુરના પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિકાસ સંકલ્પ સભાને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ સવારે રામદ્વારા ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને પગલે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ પ્રતાપપુરા ખાતે ઉપસ્થિત થયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક એક ચાલુ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આજે રાધનપુરથી વારાહીને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી વાહન ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રેલરને લપેટમાં લઈ લીધું હતું. નેશનલ હાઈવે પર ચાલુ વાહનમાં આગ લાગવાની આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. આગની તીવ્રતાને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટનામાં ટ્રેલરને મોટાપાયે નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટના બાદ બળી ગયેલા વાહનને હાઈવે પરથી હટાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોડાસાના સાકરિયા ગામે આવેલા સ્વયંભૂ અને સુતેલા હનુમાન દાદાના મંદિરે 22 થી 24 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગેની વિગતવાર માહિતી આપવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મંત્રી અને અરવલ્લી જિલ્લાના પત્રકાર વૈભવ રાઠોડ તેમજ સ્વયંસેવક અને પત્રકાર કૌશિક પટેલના આયોજન હેઠળ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આપવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ હેમંત પટેલે સમગ્ર કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત મંદિરમાં જીર્ણોદ્ધાર, મારુતિયાગ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેવા મુખ્ય ધાર્મિક વિધિઓ યોજાશે. આ ઉપરાંત, ભક્તો માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો પ્રારંભ 21 એપ્રિલે ધવલ કુમારના સ્વરે ભવ્ય સુંદરકાંડના આયોજનથી થશે. 22 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહાયાગ અને અગિયાર કુંડાત્મક હવન યજ્ઞશાળાનું ઉદ્ઘાટન કરશે. તે જ રાત્રે જીગ્નેશદાદાની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. 23 એપ્રિલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ડાયરા કાર્યક્રમ યોજાશે. મહોત્સવની પૂર્ણાહુતિ 24 એપ્રિલે મહાપ્રસાદ સાથે થશે. મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં સાયબર ગુનેગારોએ વધુ એક નિર્દોષ નાગરિકને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યૂ આપવાના બહાને કમાણી કરવાની લાલચ આપી સાયબર ઠગોએ ₹30.49 લાખ પડાવી લીધા છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીવસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવકને ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, જેમાં પાર્ટટાઈમની જોબ ઓફર કરી હતી. આ જોબમાં મોબાઈલ ફોનથી ગુગલ મેપમાં જઈને હોટેલ અને રેસ્ટોરન્ટમાં રિવ્યુ આપવાના હતા. જે રિવ્યુ આપવાથી શરૂઆતમાં 50 રૂપિયાનો ટાસ્ક મળશે અને એડવાન્સ પૈસા જમા કરાવવાથી 100 રૂપિયાનો એક ટાસ્ક સામેથી આપવામાં આવશે, તેવું જણાવ્યું હતું. વિશ્વાસ કેળવી લાખોનું રોકાણ કરાવ્યુંયુવકે અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને ટાસ્ક પૂરુ કરવાનું શરૂ કર્યું. જે બદલ યુવકને શરૂઆતમાં પુરા કરવાના પૈસા આપવામાં આવતા હતા, જે બાદ યુવકને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં એડ કર્યા બાદ રોજના 21 ટાસ્ક આપવામાં આવશે, કહીને યુવક પાસેથી એડવાન્સ 2000 લીધા હતા. જે પૈસા લીધા બાદ યુવકે ટાસ્ક પૂરા કરતા યુવકને 2630 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા, જેથી યુવકને વિશ્વાસ આવી ગયો હતો. 30.49 લાખ ગુમાવ્યા બાદ ભાંડો ફૂટ્યો13 માર્ચ, 2026થી 1 એપ્રિલ, 2026 સુધીમાં ઠગોએ અલગ-અલગ બહાને યુવક પાસેથી પૈસા પડાવ્યા. યુવકને જણાવવામાં આવ્યું કે તેનો નફો ઘણો વધી ગયો છે, તેથી 'VIP કસ્ટમર' બનવા માટે વધુ ₹16 લાખ જમા કરાવવા પડશે. લાલચમાં આવી યુવકે આ રકમ પણ ભરી દીધી હતી. 20 દિવસમાં ટુકડે-ટુકડે કુલ ₹30.49 લાખ જમા કરાવ્યા બાદ જ્યારે યુવકે પોતાનો નફો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ 'પ્રોસેસિંગ ફી'ના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. યુવકને છેતરપિંડીનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દક્ષિણ ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજા, કારખાનાઓમાં રજા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે રાંધણગેસની અછતને લીધે હજારો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિસાવાસીઓએ વતનની વાટ પકડી છે. દરમિયાન રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની ભારે ભીડ ઉમટી હતી. આજે બીજા દિવસે એટલે કે સોમવારે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે કાગડા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભીડ માત્ર એક જ દિવસની હોય તે પ્રકારની હાલ સ્થિતિ સામે આવી રહી છે. ગઈકાલે શું ઘટના બની હતી?ગતરોજ ઉધના રેલવે સ્ટેશ. ખાતે અંદાજે 28 હજારથી વધુ મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ તેમાં માત્ર 23 હજારને જ ટ્રેનોમાં જગ્યા મળી શકી, જ્યારે 5 હજારથી વધુ મજૂરો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા. શનિવારે મોડી સાંજથી મોટી સંખ્યામાં મુસાફરોએ ઉધના સ્ટેશને ધામો નાંખ્યો હતો. મુસાફરોની સંખ્યા વધી રહી હતી. હાલાકી એટલી વધી ગઈ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો બેરિકેટ પર ચઢી ગયા હતા. જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યાસવારે રેગ્યુલર દિવસોની જેમ ઉધના રેલવે સ્ટેશન પર સામાન્ય મુસાફરો દેખાયા હતા. આજે પણ થોડા ઘણા આજે મુસાફરો આવ્યા હતા તેમને લાઈનબધ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. ગતરોજ જ્યાં મુસાફરો ની ભીડ હતી ત્યાં આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના બંને હોલ્ડિંગ એરિયામાં એક પણ મુસાફર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વેકેશનમાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતારવિવારના દિવસે જે અફરાતફરી અને ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આજે સોમવારના દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ વેકેશન દરમિયાન શનિવાર, રવિવાર અને મંગળવારના રોજ થવાની શક્યતા છે. વેકેશન દરમિયાન થતી પરિસ્થિતિને લઈને રેલવે વિભાગ દ્વારા આ ત્રણેય દિવસોમાં સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ જેટલી ટ્રેન અન રિઝલ્ટ સાથે જનરલ કોચવાળી ટ્રેન દોડાવવામાં આવે છે.
બોટાદમાં પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા નીકળી:સર્વ સમાજના લોકો જોડાયા, ધામધૂમથી ઉજવણી
બોટાદ શહેરમાં 19 એપ્રિલ, 2026 ના રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા બોટાદ જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી મહાકાળીધામ બોટાદ દ્વારા યોજવામાં આવી હતી. અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી ભાવેશબાપુ શુકલનો પણ આ આયોજનમાં સહયોગ રહ્યો હતો. આ શોભાયાત્રા શ્રી મસ્તરામજી મંદિરથી શરૂ થઈ હતી. તે દિનદયાળ ચોક, હવેલી ચોક, એસ.ટી. ડેપો અને પંજવાણી વેબ્રિજ સહિત શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શોભાયાત્રાનું સમાપન વર્લ્ડ મલ્ટીપ્લેક્સ સામે આવેલા શ્રી મહાકાળી ધામ ખાતે થયું હતું. રેલી પૂર્ણ થયા બાદ શ્રી મહાકાળી ધામ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સંવેદનશીલતાને કારણે એક વિકલાંગ દંપતી વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત થયું છે. એસ.પી.એ દંપતીને તેમના ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજો કલાકોમાં પરત અપાવ્યા હતા. જ્યોતિનગરમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ પટેલ અને તેમના પત્ની બંને વિકલાંગ છે. તેઓ ફરસાણની ફેરી કરીને ગુજરાન ચલાવે છે. ઘરખર્ચ અને લોન ભરવા માટે તેમને પૈસાની જરૂર હતી. આશરે પાંચ-છ મહિના પહેલા, દંપતીએ કિશોરભાઈ સામજીભાઈ હડીયલ પાસેથી કટકે-કટકે ₹6,70,000 ઉછીના લીધા હતા. આ રકમ સામે તેમણે પોતાના મકાનનો અસલ દસ્તાવેજ અને સહી કરેલા ચાર કોરા ચેકો ગીરવે આપ્યા હતા. જ્યારે સુરેશભાઈએ ₹6,70,000 પરત આપીને મકાનના દસ્તાવેજ માંગ્યા, ત્યારે કિશોરભાઈએ ₹10,00,000 ની માંગણી કરી દસ્તાવેજ પરત આપવાનો ઇનકાર કર્યો. આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા ન હોવાથી દંપતી અસહાય બન્યું હતું. ન્યાયની આશાએ, વિકલાંગ દંપતી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યું. તેમની વ્યથા અને પરિસ્થિતિ જોઈને એસ.પી. પ્રેમસુખ ડેલુ પોતે પોતાની ઓફિસમાંથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા હતા. એસ.પી. ડેલુએ અત્યંત સંવેદનશીલતા સાથે દંપતીની રજૂઆત સાંભળી. તેમણે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજીનો નિકાલ કરવા સૂચના આપી. એસ.પી.ની સૂચના મુજબ, સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. પોલીસે સામાવાળા પક્ષ કિશોરભાઈ હડીયલને બોલાવી કાયદાકીય સમજ આપી. પોલીસની હાજરીમાં, કિશોરભાઈએ સુરેશભાઈના મકાનનો અસલ દસ્તાવેજ અને ચાર કોરા ચેકો પરત સોંપ્યા. વ્યાજખોરીના ડર અને દસ્તાવેજ ગુમાવવાના ભયમાંથી મુક્ત થયેલા સુરેશભાઈ અને તેમના પત્નીએ રાહતનો શ્વાસ લીધો. તેમણે જિલ્લા પોલીસ વડા અને બી-ડિવિઝન પોલીસની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂના ખંઢેર આવાસોનું રીનોવેશન કરીને માત્ર રૂ. 2 લાખમાં 1BHK આવાસ વેચવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે માત્ર રૂ. 2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, મનપાને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા છે. બીજીતરફ LIG તેમજ MIG કેટેગરીનાં 2 અને 3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો છે. આ બંને કેટેગરીના મળી માત્ર 23 આવાસોની સામે અંદાજે 4 હજાર ફોર્મનો ઢગલો થયો છે. પ્રાપ્ત વિગત મુજબ જુના આવાસોને નવો ઓપ આપીને વેંચવાની યોજના અત્યારે ઊંધા માથે પછડાઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ 2006માં બીએસયુપી (BSUP) યોજના હેઠળ નિર્મિત આ 1057 આવાસોનાં રીનોવેશન બાદ માત્ર રૂ. 2 લાખની નજીવી કિંમતે ઓફર કરવા છતાં જનતાએ તેમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. છેલ્લા બે સપ્તાહથી ચાલતી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યાના આવાસો સામે માત્ર 454 ફોર્મ જ ભરાયા છે, જોકે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 મેં છે. ત્યારે 1057 કરતા વધુ ફોર્મ ભરાય છે કે નહીં તેનાં પર સૌની મીટ મંડાયેલી છે. મનપાની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ આવાસોનું અતિશય જૂનું માળખું માનવામાં આવે છે. પ્રેમમંદિર પાસે અને પોપટપરામાં આવેલા આ આવાસો મૂળભૂત રીતે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર અભિયાન અંતર્ગત વિસ્થાપિતોને વસાવવા માટે બનાવવામાં આવ્યા હતા. જોકે ભૌગોલિક સ્થિતિ સહિતના અગમ્ય કારણોસર તત્કાલીન લાભાર્થીઓએ આ મકાનોમાં રહેવા જવાનું મુનાસિબ માન્યું નહોતું. જેના પરિણામે લાંબા સમય સુધી માનવ વસવાટ વિનાના આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો અને 'ભૂતિયા બંગલા' જેવા ખંઢેરમાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના બારી-બારણાં ચોરાઈ ગયા હતા, પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને આખું સ્ટ્રક્ચર જોખમી જણાતું હતું. સામાન્ય એન્જિનિયરિંગ સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ ઈમારત 20-25 વર્ષ જૂની થાય ત્યારે તેનું રિ-ડેવલપમેન્ટ કરવું હિતાવહ હોય છે. રાજકોટના મોકાના ગણાતા પ્રેમમંદિર વિસ્તારમાં જમીનની કિંમત ખૂબ ઊંચી છે, ત્યારે તંત્ર પાસે તક હતી કે આ જૂના સ્ટ્રક્ચરને તોડી પાડીને ત્યાં 12 થી 14 માળના આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવવામાં આવે. જો ત્યાં કોમર્શિયલ સેન્ટર અને નવા આધુનિક આવાસો બનાવવામાં આવ્યા હોત તો મનપાની તિજોરીમાં કરોડોની આવક થઈ શકી હોત અને જરૂરિયાતમંદોને સુરક્ષિત મકાન મળે તેમ હતું. પરંતુ, સત્તાધીશોએ જૂના જોખમી માળખા ઉપર જ થીગડાં મારીને, લાખો રૂપિયાનો ખર્ચ કરી રસોડાના પ્લેટફોર્મ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને કલરકામ કરાવી તેને 'નવા' તરીકે રજૂ કરવાની નીતિ અપનાવી, જે હવે મનપા માટે 'લાખના બાર હજાર' જેવી સાબિત થઈ રહી છે. એકતરફ વધતી જતી મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગ એક ઘર માટે વલખાં મારી રહ્યો છે, ત્યાં રૂ. 2 લાખમાં ઘર મળતું હોવા છતાં લોકો પાછા પડી રહ્યા છે. લોકોમાં એવી દહેશત છે કે જે બિલ્ડિંગ 20 વર્ષ સુધી બિનવારસી હાલતમાં પડી રહ્યું હોય તેની મજબૂતી કેટલી હશે? જોકે બીજી તરફ, આ ફોર્મ વિતરણમાં એલઆઇજી (LIG) અને એમઆઇજી (MIG) કેટેગરીના મકાનો માટે પડાપડી જોવા મળી રહી છે. માત્ર 6 એલઆઇજી આવાસો માટે 1882 અરજીઓ અને 17 એમઆઇજી આવાસો માટે 2171 અરજીઓ આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડાકીય તુલના સ્પષ્ટ કરે છે કે જનતાને સસ્તા કરતાં સુરક્ષિત અને આધુનિક આવાસ મળે તેમાં વધુ રસ છે. રાજકોટ મહાનગરપાલિકાના આ ફ્લોપ શો એ સાબિત કરી દીધું છે કે જૂના ખંઢેરને માત્ર કલર કરવાથી તે રહેવા લાયક બની જતું નથી. હવે જોવાનું એ રહે છે કે આવનારી 6 મેં સુધીમાં 1 BHKનાં આવાસો લેવા માટે કેટલા ફોર્મ આવે છે. જો કદાચ આ માટે જરૂરી અરજીઓ નહીં મળે તો મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી રહ્યા છે, પરંતુ ઠેર ઠેર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે(19 એપ્રિલ) જીગ્નેશ મેવાણી રખિયાલ-સરસપુર વોર્ડની પેનલના પ્રચાર માટે આવ્યા હતા. જે દરમિયાન રેલી પણ યોજવામાં આવી હતી. રેલીના રૂટ પર સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવીને જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કર્યો હતો. ઉમેદવારની સાથે સ્ટાર પ્રચારકનો વિરોધઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો વિવાદ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. સિનિયર નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપી દીધી હતી. સરસપુર રખિયાલ વોર્ડમાં પણ સિનિયર નેતાઓની જીદના કારણે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલી દેવામાં આવ્યું હતું. જેથી સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતા હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેવી હવે સરસપુર રખિયાલ વોર્ડમાં ઉમેદવારોની સાથે સાથે સ્ટાર પ્રચારકનો પણ વિરોધ થઈ રહ્યો છે. મેવાણીનો વિરોધગઈકાલે સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણી સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા. તેમજ વિવાદ વધારે ન થયા તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ રાખવામાં આવી હતી. મારી પત્નીની છેલ્લી ઘડીએ ટિકિટ કાપી હતી: શકીલ ઘાંચીગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે, સરસપુર રખિયાલ વોર્ડમાં મારી પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. તેમજ મેન્ડેટ લેવા માટે પણ આવવા કહેવામાં આવ્યું હતું. જેથી અમે બધી જગ્યાએ પોસ્ટ મુકીને ટિકિટ મળી ગઈ છે તેવી ઉજવણી પણ કરી દીધી હતી. પરંતુ છેલ્લી ઘડીએ અમારી ટિકિટ કાપીને અન્ય મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. હિંમતસિંહ પટેલ પાસે ગયા હતા તો તેમણે એવું કહ્યું કે તે ઉપરથી વાત કરાવીને ટિકિટ લઈને આવ્યા છે. જેથી સક્રિય કાર્યકર્તા છીએ છતાં ટિકિટ કાપતા મેં રાજીનામું આપી દીધું હતું. જેથી ગઈકાલે રેલી દરમિયાન અમારા સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને કાળા ઝંડા ફરકાવી વિરોધ કર્યો હતો.
30 વર્ષના શાસનમાં જનતા ત્રાહિમામ, આ વખતે પરિવર્તન નક્કી, વોટ લીધા પછી ભાજપના નેતાઓ દેખાયા નથી, અમે હારીએ કે જીતીએ જનતા સાથે રહીશું.. કરોડોના ખર્ચે પાણીની લાઈનો અને ગાર્ડન બનાવ્યા, વિકાસના જોરે જનતા ફરી જીતાડશે - કુમાર શાહ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર ભરમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જોરોશોરથી પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે ત્યારે પીરછલ્લા વોર્ડ નંબર 6ના મતદારોનો મિજાજ અને ઉમેદવારોના દાવાઓ વચ્ચે રસાકસીભરી સ્થિતિ જોવા મળી રહી છે, એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ 10 વર્ષમાં થયેલા કરોડોના વિકાસ કાર્યો, નવી પાઈપલાઈન અને આધુનિક ગાર્ડનનો હવાલો આપી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી ઉમેદવારો જનતાની પાયાની સમસ્યાઓ જેવી કે પાણીની અછત, ગટર અને રસ્તાના મુદ્દે પરિવર્તનની હાકલ કરી રહ્યા છે, વોર્ડના પ્રવાસ દરમિયાન જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે નળ છે પણ પાણી નથી, વેરો ભરો છતાં સુવિધા નથી અને વર્ષો જૂના રહેણાંક મકાનો પર ફરેલા જેસીબીના કારણે લોકોમાં રોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે, કોંગ્રેસના ઉમેદવારો જનતાના આક્રોશને 'પરિવર્તનની લહેર' ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારો કરેલા કાર્યોના આધારે ફરી એકવાર ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પીરછલ્લાની જનતા 'વિકાસ' ના નામે મત આપે છે કે પછી 'પરિવર્તન' ને તક આપે છે. પીરછલ્લા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર સલીમ રાધનપુરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ લોકોના જ્યારે ભાવનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે લોકોના મુખ્ય પ્રશ્નો પાણી, નળ, ગટર અને રસ્તાના હોય છે અમે આ વિસ્તારમાં આવ્યા, આ વિસ્તારમાં અમે લોકોની સમક્ષ અમારો પ્રચાર કરવા ગયા ત્યારે લોકોએ અમને સ્પષ્ટ એવું કીધું કે 5 વર્ષ થયા અમને અહીંયા કોઈ મળવા આવ્યું નથી, અમે એમને એવી ગેરેન્ટી આપી છે કે અમે જીતીએ કે હારીએ, તમારા પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે હંમેશા તૈયાર રહેશું અને આ વિસ્તારની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન પાણીનો છે, દરેક વ્યક્તિઓએ એવું કીધું કે ભાઈ અહીંયા પાણી આવતું નથી, પણ ભાવનગરની જનતાને એવી અમે અપીલ કરીએ છીએ કે દરેક જગ્યાએ આ પ્રશ્ન ભાવનગરમાં છે તો હવે પરિવર્તનની લહેર ફૂંકાઈ ગઈ છે તો 'પંજા' ને વોટ આપી અને પરિવર્તન જરૂરી હોય, પરિવર્તન એક વખત લાવીને બતાવો. આ વખત ખૂબ જ સરસ રિસ્પોન્સ છે અને ખૂબ જ... કારણ કે લોકોમાં તકલીફ છે અને રોષ છે, ગુસ્સો છે, એ અમારી ઉપર ઠાલવે છે કે અહીંયા તમે આવો છો એક વખત મત માંગવા, પછી ક્યારેય આવતા નથી. એટલે અમે સ્પષ્ટ એવું કીધું કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે અમને મોકો નથી મળ્યો, આ વખતે મોકો આપો અને પછી જોઈ જોજો. તમારી ફરિયાદ હશે તો તમારે અમને કહેવા નહીં આવવું પડે, એ પહેલા ફરિયાદ સોલ્વ થઈ જશે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની અંદર રોડ હોય, બ્લોક હોય કે પાણીની જે સમસ્યાઓ હતી એ 10 વર્ષ દરમિયાન પૂરા કરવાના પૂરા પ્રયત્ન કર્યા છે, આ વોર્ડની અંદર બે કે ત્રણ વિસ્તાર એવા હતા કે જ્યાં થોડીઘણી પાણીના વિસ્તારની તકલીફ હતી, થોડોક ઊંચાણવાળો વિસ્તાર સેનોટેરિયમની હતી ત્યાં પણ થોડી તકલીફ હતી ત્યારે ત્યાં આગળ પાણીની નવી લાઈન નાખી છે સેનોટેરિયમની અંદર લગભગ અંદાજે 25 લાખના ખર્ચે પાણી ની લાઈન નાખી છે, સ્વસ્તિકનો સોસાયટીનો જે આંબાવાડીની અંદર ત્યાં પણ 45 લાખના ખર્ચે પાણીની લાઈન સ્વસ્તિક સોસાયટીની અંદર નાખવાનું કામ ચાલુ છે, એ જ રીતે ચારભાઈ બીડી વાળો ખાંચો છે ત્યાં આગળ પણ પાણીનો થોડો ઘણો પ્રેશરનો પ્રોબ્લેમ હતો ત્યાં આગળ પણ લાખ 60 થી 65 લાખના ખર્ચે પાણીની લાઈન નખાવી છે એ જ રીતે ડ્રેનેજ લાઈન જે વર્ષોથી રાજાશાહી વખતની હતી તે ડ્રેનેજ લાઈન પણ મંગળા માતાનું મંદિર હોય કે અલગ અલગ વિસ્તાર હોય ત્યાં આગળ બદલવાનું કામ કર્યું છે, મહિલા કોલેજ બગીચો આ વોર્ડની અંદર આવતો હોય છે ત્યારે આ મહિલા કોલેજ અઢી થી પોણા ત્રણ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ કર્યું છે, વધુમાં જણાવ્યું હતું કે, ટર્મ પૂરી થઈ એ પહેલા જ તે મહિલા કોલેજના વિસ્તારની અંદર યશવંતરાય નાટ્યગૃહની બાજુની અંદર જે જર્જરિત સ્કૂલ હતી તેને તોડી પાડીને અત્યારે પીક્યુસી એટલે કે સીએચસી સેન્ટર ત્યાં આગળ બનાવવા જઈ રહ્યા છીએ ત્રણ માળનું જેથી લોકોને નાનામાં નાની કાંઈ પણ હોસ્પિટલની અગવડતા હોય તો ત્યાં આગળ મળી રહે, આ સિવાય મેઈન બજાર હોય, રસાલા કેમ્પ હોય તમામની અંદર રોડ રસ્તા કર્યા છે અને નાનામાં નાની ગલીઓની અંદર કોઈપણ બ્લોક પણ બાકી ન રહી જાય તેની ચિંતા કરી છે ચારેય નગરસેવકોને જે અભૂતપૂર્વ પિરછલ્લા વોર્ડના મતદારોએ જે આવકાર આપ્યો છે એ આવકાર આગામી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમને પણ મળશે જ કામ કારણ કે અમે નાનામાં નાના લોકો સુધી પાણી માટે થઈ કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તા તેની માટે થઈ અને નાનામાં નાના લોકો સુધી પહોંચ્યા છીએ ત્યારે આ તકે તમામ મતદારો સાથ આપશે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, 10 વર્ષ સુધી જે રીતે વિકાસ કાર્યો કર્યા છે આ વિકાસ કાર્યોને વેગવંતુ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે આ વેગવંતુને આગામી દિવસોમાં મતદારો ચાલુ રાખશે.. ઈકબાલભાઈ ફ્રુટવાળાએ જણાવ્યું હતું કે, નવાપરા ગ્રીન આ વોર્ડમાં પાણીની થોડીક તકલીફ છે અને સફાઈની પણ છે, અમે ઘરવેરો અને અન્ય તમામ વેરા ભરીએ છીએ, તેમ છતાં પાણી અને સફાઈ કામની સમસ્યા રહે છે અમારા નવાપરા રાજપૂત વાડી પાસેનો જે વિસ્તાર છે ત્યાં જો સફાઈ સારી રીતે થાય તો સારું રહે, જેથી કરીને બાળકો બીમાર ન પડે.. પીરછલ્લા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ મણિયાર એ જણાવ્યું હતું કે, ખાસ તો પાણીના પ્રશ્નો આવે છે બીજું કહેવાનું કે 2010 માં આ વિસ્તારમાં રાજેશ જોશી જ્યારે કોર્પોરેટર હતા, ત્યારે અહીં મહિલા કોલેજમાં ઓવરહેડ ટાંકી બનાવી, ઓવરહેડ ટાંકી અહીંથી 200-300 ફૂટ આઘી છે, છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને પાણીની લાઇન આપવામાં પણ તકલીફ પડે છે, અહીં એક વડીલ હતા, જેમણે અમને ખુદ કીધું કે આ વિસ્તારમાંથી કુમાર શાહ કોર્પોરેટર હતા પણ એ એક વાર મત લઈને હજી સુધી દેખાયા નથી. એવું ન બને એટલે અમે એ લોકોને ખાતરી આપી કે ચૂંટણી આજે છે, કાલે પતી જશે, અને અમે ચૂંટણી હારીએ કે જીતીએ, અમે તમારા પ્રશ્નો માટે 24 કલાક તૈયાર રહીશું... વિસ્તારમાં રહેતી સંધ્યાએ જણાવ્યું હતું કે, અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા મકાનના ડિમોલેશન થઈ ગયા છે અને કેટલાય વર્ષોથી અમે વાલ્મિકી સમાજ અહીંયા રહેણાક કરતા હતા અને છતાં જ અચાનક કરીને ડિમોલેશન આવી ગયા, અહીંયા કરીને કેટલાય મજૂર હોય, મજૂરી કરીને પોતાના 7-7, 8-8 લાખના મકાનો કર્યા હોય અને તમે ડાયરેક્ટ આવીને મકાન જેસીબીથી તમે પાડી દો છો, તો તમે આ વિકાસ કર્યો કહેવાય છે?, અને મારી પાછળ જ તમે જોઈ શકો છો કે અહીંયા જોગર્સ પાર્ક છે, તમે જોઈ શકો છો, મસ્ત આમ કઈ હરિયાળી છે, સ્વચ્છતા અને પાછળ જ ગંદકી છે તો આ તમારો વિકાસ છે? નળ અને પાણીની સુવિધા તો સરસ કરી છે, પણ પાણી આવતું નથી, મોટર ચડાવવી પડે છે. આ છે વિકાસ? હવે અમારે વિકાસ નથી જોતો પણ હવે અમારે પરિવર્તન જોઈએ છે, હવે સમાજ અને વાલ્મિકી સમાજ બહુ કંટાળી ગયા છે, ખરેખર જે આ વિસ્તારનું જે ડિમોલેશન થયું છે ને એનાથી તો ખરેખર બહુ દુઃખ થયું છે. જે માણસોએ તો નવા નવા મકાન કર્યા હતા એનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને વોટ માંગવો હોય ત્યારે સફાઈ કામદાર, ત્યારે વાલ્મિકી સમાજ યાદ આવે છે! ભાજપના પીરછલ્લા વોર્ડ ના ઉમેદવાર વૈભવ પારેખએ જણાવ્યું હતું કે, લગભગ દરેક પ્રકારના કામ વોર્ડમાં થયા છે અને હજી પણ કાર્ય ગતિમાં જ છે તમે મહિલા કોલેજ ગાર્ડન જુઓ, ગંગાજળિયા તળાવ જુઓ કે જે ક્યારેય પહેલા લોકોએ જોયું નહોતું એવું અદ્યતન બનાવી દીધું છે. અને હજી પણ આવા જ દરેક કામ ચાલુ રહેશે. એટલે દરેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટનો અત્યારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી, ગલીના ખૂણે ખૂણેમાં સ્ટ્રીટ લાઈટ પહોંચી ગઈ છે. એવી જ રીતે વિકાસના દરેક કાર્યો પીરછલ્લા વોર્ડ સહિત સમગ્ર ભાવનગરમાં ચાલુ જ રહેવાના છે, ભાજપની સરકાર આવતા દરેક વોર્ડમાં આ કાર્ય ચાલુ જ રહેશે. અમે આટલા દિવસોથી પ્રચાર કરી રહ્યા છીએ પણ હજી કોઈ આવા પ્રશ્નો નથી આવ્યા, દરેક જગ્યાએથી અમને ખૂબ જ સરસ આવકાર મળ્યો છે અને સામેથી એમ કહે છે કે આ વસ્તુ અમારી થઈ ગઈ, તમે ખૂબ સારું કામ કરી દીધું. બ્લોકની અમને જે ફરિયાદ હતી કે હવે આ જૂના થઈ ગયા છે તો તમે નવા પણ નાખી દીધા. એટલે ખૂબ જ સરસ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે, કોંગ્રેસના પીરછલ્લા વોર્ડ ના ઉમેદવાર દર્શના જોષીએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં મુખ્ય પ્રશ્ન પાણીનો છે ક્યાંક ખૂબ મોટર મૂકીને બહુ પ્રેશરથી કરે ત્યારે એમને પાણી આવે છે અને ઘણા વિસ્તાર એવા છે કે પાણી નથી આવતું અને પાણીનું બિલ રૂપિયા 1800 ભરી રહ્યા છે, વેરો અને પાણીને બધું બિલ નો ભરે તો ઈ લોકો ઇરરેગ્યુલરમાં આવે અને ભરે છે છતાં પાણી નથી આવતું. અને ઘણા સુખી સમૃદ્ધ મકાનો દેખાય છે પણ એમાં પાણીની સમસ્યા મુખ્ય છે, અને લોકો આ શાસનથી ત્રાહિમામ પોકારી ગયા છે કે જેને કારણે એમને કહે છે, એ લોકો તો સમજતા નથી કે કોણ અમારે ત્યાં આવ્યા છે, ઘણા તો અભણ બૈરાઓ હોય, એને ખબર નથી કે આ ભાજપવાળા છે કે કોંગ્રેસવાળા છે એન તો એમ કહે છે કે અમે આટલા ટાઈમથી મત દઈએ છીએ તમે અમારું કામ નથી કર્યું, હકીકતમાં કામ આ લોકોએ નથી કર્યું ને એનું અમારે સાંભળવું પડે છે મહિલાઓ બહુ ત્રાહિમામ પોકારી ગયેલી છે. 2021માં જીતેલા ઉમેદવાર પૂર્વ નગરસેવક અને મેળવેલ મત કુલ મનીષાબેન અમિતભાઇ વાધેલા 9605 ભાજપયોગીતાબેન પર્યકભાઈ ત્રિવેદી 10,162 ભાજપકૃણાલ ખાંતિલાલ શાહ 11,144 ભાજપ દિલીપ નારાયણદાસ જોબનપુત્રા 9605 ભાજપ પીરછલ્લા વોર્ડ માં આવતા વિસ્તારો આંબાવાડી, ઘોઘા સર્કલ, છાપુરૂ હોલ, ક્રેસન્ટ, બોરડીગેટ, ચારભાઈ બીડીવાળો ખાંચો, તિલકનગર, વાલ્મિકી વાસ, ગીતાચોક, નવાપરા, શેલારશા ચોક, રસાલા કેમ્પ, પીરછલ્લા, સંત કવરરામ ચોક, મહિલા કોલેજ, ડોન ચોક તથા મુનિ ડેરી સહિતના વિસ્તારો પીરછલ્લા વોર્ડ માં મતદારો પુરુષ મતદારો - 18,787સ્ત્રી મતદારો - 18,158કુલ મતદારો - 36,945 મતદાન મથકો -36
કર્ણાવતીમાં ધર્મ-સંસ્કૃતિ સંરક્ષણ માટે હિન્દુ સંમેલન:પરશુરામ જયંતિ નિમિત્તે 19 એપ્રિલે યોજાશે
કર્ણાવતીના ઉસ્માનપુરા વિસ્તારમાં ધર્મ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન આગામી રવિવાર, 19 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવાનો છે. સંમેલનમાં હિંદુ એકતા અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપવામાં આવશે, જેમાં સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સંમેલન ઉસ્માનપુરા (કર્ણાવતી) સ્થિત ગોકુલ નગર સોસાયટીમાં યોજાશે. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરાયું છે. આ આયોજન સનાતન જનજાગૃતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનમાં મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને બાળકો પણ જોડાશે, જેઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવશે. આયોજકોએ સૌને આ કાર્યક્રમમાં હાજરી આપી ધર્મ અને સંસ્કૃતિના રક્ષણનો સંકલ્પ લેવા અપીલ કરી છે.
દામનગરની પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવા દ્વારા દરરોજ 500 પરિવારોના અંદાજે 2000 લોકોને લાભ મળે છે. આ છાસ વિતરણ દૈનિક સવારે 6:00થી 7:00 કલાક દરમિયાન કરવામાં આવે છે. ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા લાભાર્થીઓને નિયમિતપણે છાસ પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા આપતી આ છાસ સેવા અનેક લોકો માટે રાહતરૂપ બની છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમીમાં લોકોને તાજગી અને પોષણ પૂરું પાડવાનો છે. આ સેવાકાર્યમાં મનસુખભાઈ નારોલા, જયંતિભાઈ નારોલા, કાંતિભાઈ આસોદરિયા, લાભુભાઈ નારોલા, બુધાભાઈ વનરા, નિખિલભાઈ દીક્ષિત, દીપકભાઈ રાવલ, નટુભાઈ ભાતિયા, ગોરધનભાઈ આસોદરિયા, બી.એલ. ચાવડા અને રવજીભાઈ લાભુભાઈ નારોલા સહિતના સ્વયંસેવકો નિયમિતપણે યોગદાન આપી રહ્યા છે.
વેરાવળમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામની જન્મજયંતી ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બિલેશ્વર મંદિરે મહાપ્રસાદ સાથે સમાપ્ત થઈ હતી. સવારથી જ વેરાવળના વિવિધ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં ભોગ ધરાવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ બ્રહ્મ સમાજના યુવા સુજલ પાઠકની આગેવાની હેઠળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વેરાવળના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં બહેનો, દીકરીઓ અને બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે બહેનો દ્વારા રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ બ્રહ્મ સમાજના સુજલભાઈ પાઠક, કપિલ મહેતા, મિલનભાઈ જોશી, ધર્મેશભાઈ જોશી, દેવેન્દ્રભાઈ ઓઝા સહિતના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. વેરાવળ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કરી આગેવાનોનું અભિવાદન કર્યું હતું. આ શોભાયાત્રા બજરંગ મંદિરથી શરૂ થઈ, રેયોન ફેક્ટરી પાસેથી પસાર થઈ અને બિલેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. બિલેશ્વર મંદિરે પહોંચ્યા બાદ સમસ્ત બ્રહ્મ સમાજે પરિવાર સાથે ઉપસ્થિત રહી જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઉજવણીમાં યુવા વર્ગ સહિત તમામ આગેવાનોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પીઆઈ ગઢવી સાહેબ, પીએસઆઈ પ્રજાપતિ સાહેબ સહિતના પોલીસ વિભાગના સ્ટાફે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ બદલ સમસ્ત બ્રહ્મ સમાજે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
શહેરમાં પ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવને લઈને ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે. 149મી રથયાત્રાની તૈયારીઓનો આજે 20 એપ્રિલના પવિત્ર પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદનયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ, જેમાં સવારે 9:15 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીને ચંદન અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી. જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે અક્ષય તૃતીયાના દિવસે રથયાત્રાની સફળતા માટે ચંદનયાત્રા કરીને વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર શહેરમાં ધાર્મિક અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે.
વડેરા ગામે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:પોથીયાત્રામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ જોડાયા
અમરેલી નજીકના વડેરા ગામે અક્ષય તૃતીયાના શુભ દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધામધૂમપૂર્વક પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પોથીયાત્રામાં સ્થાનિક લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના માહોલ વચ્ચે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ લોકસંપર્ક માટે આ પોથીયાત્રામાં જોડાયા હતા. મોટા આંકડીયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર ડેની પરમાર ગ્રામજનો સાથે ગરબે ઘૂમ્યા હતા. બીજી તરફ, અમરેલી તાલુકા પંચાયતની વડેરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનીષાબેન સોહલીયા પણ મહિલાઓ સાથે રાસ રમતા જોવા મળ્યા હતા. સ્થાનિક આગેવાન પ્રવીણભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, વડેરા ગામમાં આ શિવપુરાણનું આયોજન ગામના સર્વે પિતૃઓના મોક્ષાર્થે, ગામની શાંતિ અને એકતા માટે તેમજ સર્વે જીવોના કલ્યાણ માટે કરવામાં આવ્યું છે. આ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે.
અમરેલીમાં ફાયર એક્ઝિબિશન યોજાયું:કલેક્ટર અને SP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા એક શામ શહીદ કે નામ કાર્યક્રમ અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ જાગૃત સમાજનું નિર્માણ કરવાનો અને આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાવવાનો હતો. આ એક્ઝિબિશનમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને SP સંજય ખરાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટરે વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરીને ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ફોરવર્ડ સર્કલ ઉપર નેશનલ ફાયર ડેના ઉપલક્ષમાં જિલ્લામાં મોજૂદ ફાયરના બધા ઇક્વિપમેન્ટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને અહીં આવીને ફાયર વિશે જાણકારી મેળવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમારી ફાયર ટીમ રાત-દિવસના સમયમાં, ખૂબ ટૂંકા સમયમાં સારો પ્રતિસાદ આપે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી સારી કામગીરી કરીને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. અમરેલી SP સંજય ખરાતએ જણાવ્યું હતું કે, ફાયર સર્વિસ વિભાગ તરફથી આ વર્ષે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસીસના ફરજના ભાગરૂપે જે ફાયર સર્વિસીસના જવાનો, અધિકારીઓ, શહાદત ભૂતકાળમાં આપેલી છે એને યાદ કરવા સારું, સાથે-સાથે જાહેર જનતાને, ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટનું જે કામ છે, જાહેર જનતાની જે ફરજ છે, આ ડિપાર્ટમેન્ટનું કામ આપણા સૌના જાન-પ્રોપર્ટીના રક્ષણ માટે કેટલું જરૂરી છે એ જાણવા માટે કોઈ પણ આગનો બનાવ બને, તે બનાવ બનતા અટકાવવા સારું, બનાવ બનેલ હોય ત્યારે કેવી રીતે પ્રક્રિયા કરવી જોઈએ, બન્યા પછી શું તાકીદારી રાખવી જોઈએ તેના ભાગરૂપે આજે અમરેલીમાં ચાર રસ્તા, ફોરવર્ડ સર્કલ ઉપર બહુ સુંદર ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, ગઢવી સાહેબ તરફથી બહુ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલ છે.
પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજી
પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને, ખેડૂતોએ પરંપરાગત બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજન કર્યું હતું. અખાત્રીજને ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. આ વણજોયા મુહૂર્તના દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજારો અને ટ્રેક્ટર સહિતની વસ્તુઓની પૂજાવિધિ કરે છે. પરિવારની દીકરીઓના હસ્તે પૂજા કરાવીને તેઓ ખેતીનો પ્રારંભ કરે છે અને સારા વર્ષ માટે પ્રાર્થના કરે છે. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે અને સારો પાક ઉતરે તે માટે શ્રદ્ધાપૂર્વક ધરતી પૂજન કરે છે. અગાઉ ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા અને બળદોની પૂજા કરતા હતા. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનો પ્રારંભ કરતા હતા. જોકે, ખેતીની પદ્ધતિ આધુનિક બનતા હવે હળ-બળદના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને મુહૂર્ત કરવામાં આવે છે. પાટણના ખેડૂતોએ પણ ખેતરમાં ઉગમણી દિશાએ ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કર્યું હતું. આ પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ ટ્રેક્ટરને કંકુ-તિલક કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી હતી. ત્યારબાદ લાલ નાડાછડી બાંધી, ગોળ અને ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. આ સાથે જ આવનારું વર્ષ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઔદિચ્ય બ્રહ્મ સમાજથી પ્રસ્થાન કરીને પરશુરામ ચોક ખાતે પહોંચી હતી. પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામની ફરસીને ફૂલહાર અર્પણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ ભાઈઓએ ભગવાન પરશુરામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કોમી એકતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ દ્રશ્યએ સર્વધર્મ સમભાવનું પ્રતિક પૂરું પાડ્યું. યાત્રાની પૂર્ણાહુતિ બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાનની મહાઆરતી કરીને કરવામાં આવી હતી. આ અવસરે શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વીરેન્દ્ર આચાર્ય, જીજ્ઞાબેન પંડ્યા, પંકજભાઈ, દીપકભાઈ સહિત સમાજના કર્મનિષ્ઠ કાર્યકરોએ યાત્રાને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાંતિનિકેતન સ્કૂલ પાસે પ્રાઈમ આર્કેડ ખાતે યોજાયેલા આ પ્રસંગે ધારાસભ્યએ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ આપવાની ખાતરી આપી હતી. આ કાર્યાલય વોર્ડ નંબર 5ના ઉમેદવારો દીપક બાબુભાઈ પટેલ, ચંદ્રકાન્ત દયારામભાઈ શ્રીમાળી, દક્ષાબેન કિરણભાઈ પટેલ અને રેખાબેન ભરતજી ઠાકોરના પ્રચાર માટે ખુલ્લું મુકાયું છે. જનમેદનીને સંબોધતા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના શાસનથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે. ધારાસભ્ય કિરીટ પટેલે તેમના આઠ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમણે પાટણમાં 3,000 કરોડથી વધુના વિકાસલક્ષી કામો કર્યા છે. આ કામોમાં અનેક સોસાયટીઓના રોડ, હાઈવે, રીંગરોડ અને સરસ્વતી નદી પર રિવરફ્રન્ટની દરખાસ્તનો સમાવેશ થાય છે. તેમણે પોતાની પ્રમાણિકતા અંગે પડકાર ફેંકતા કહ્યું કે, જો પાટણ નગરપાલિકાના 11 વોર્ડ કે 110 ગામમાંથી કોઈ પણ વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સાબિત કરી દે કે તેમણે એક પણ રૂપિયાની લાંચ કે ટકાવારી માંગી છે, તો જનતા તેમને આજીવન મત ન આપે. કિરીટ પટેલે વધતી જતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે પરિવારમાં લગ્ન જેવા પ્રસંગો હોય અને પાંચ તોલા સોનું ખરીદવાની વાત આવે, ત્યારે મોંઘવારીના કારણે સામાન્ય માણસને કમળનું બટન દેખાતું બંધ થઈ જશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
બાળકને અપાયું નવજીવન:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ સ્ટાફે ચાર બાળકોના જીવ બચાવ્યા
ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત સુરેન્દ્રનગર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં બાળકો દ્વારા ગળી લેવાયેલી જોખમી વસ્તુઓના ચાર ગંભીર કેસોમાં એન્ડોસ્કોપી દ્વારા સફળ સારવાર આપવામાં આવી હતી. સમયસર નિદાન અને અદ્યતન એન્ડોસ્કોપિક ટેક્નિકના ઉપયોગથી તમામ બાળકોને કોઈ જટિલતા વિના સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. એક કેસમાં બાળક દ્વારા બે લોહચુંબક ગળી જવાથી આંતરડાંને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી, જ્યારે બીજા કેસમાં બટન બેટરી ગળી જવાથી અંદરના અંગોમાં કેમિકલ બર્ન થવાનો ભય હતો. ત્રીજા કેસમાં ખિલ્લી ગળી જવાથી પેટમાં ઈજા થઈ હતી અને ચોથા કેસમાં બાળક સિક્કો ગળી ગયું હતું, જે પેટમાં પહોંચી જતા તેને અટકી રહેવાની અથવા આગળ વધવાની શક્યતા હતી. ચારેય કેસોમાં કોઈ મોટી જટિલતા નોંધાઈ નહોતી, જે હોસ્પિટલની અદ્યતન એન્ડોસ્કોપી સુવિધા, નિષ્ણાત ટીમની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. જેમાં ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગના નિષ્ણાતો ડૉ. ચિંતન ટેઇલર, ડૉ. નુપુર મહેતા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. નંદન ઉપાધ્યાયની ટીમે એન્ડોસ્કોપી દ્વારા બાળકોના પેટમાંથી લોહચુંબક, બટન, ખિલ્લી, સિક્કા જેવી વસ્તુઓ સફળતા પૂર્વક કાઢી હતી અને બાળકોને ગંભીર સ્થિતિમાં જતા બચાવ્યા હતા. આમ, સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા દર્દીઓ માટે જીવન ઉદ્ધારક સાબિત થઇ છે.

30 C