SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

મહેસાણા મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો:'કોંગ્રેસનું કમિટમેન્ટ' નામે 11 મુદ્દા સમાવ્યા, નવા ગાર્ડનથી લઈ સ્વિમિંગપૂલ અને જીમ બનાવવાનું વચન

મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદારોને આકર્ષવા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસનું કમિટમેન્ટ' શીર્ષક હેઠળ જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે 11 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લોન્ચિંગ પ્રસંગે સીડબલ્યુસી મેમ્બર જગદીશ ઠાકોર, જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર અને પ્રવક્તા યુવરાજસિંહ રાણા સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આ મેનિફેસ્ટો દ્વારા શહેરની વર્ષો જૂની સમસ્યાઓના ઉકેલની ખાતરી આપી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રાધનપુર ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાનું વચન સૌથી મહત્વનું છે. આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા માટે સર્વે કરવાની અને પીવાનું શુદ્ધ પાણી સવાર-સાંજ બે સમય પૂરૂં પાડવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ગંદકી અને પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવાનું કમિટમેન્ટ પણ પક્ષ દ્વારા આપવામાં આવ્યું છે. આ ચૂંટણી ઢંઢેરામાં જીવદયા અને પશુ ચિકિત્સા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સત્તામાં આવતા જ ગૌ-માતાની સારવાર માટે અલગ હેલ્પલાઈન, 24 કલાક કાર્યરત પશુ દવાખાનું અને પશુ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવાનું વચન આપ્યું છે. નવા ગાર્ડનથી લઈ સ્વિમિંગપૂલ અને જીમ બનાવવાનું વચનમનોરંજન અને સુવિધાઓની વાત કરીએ તો, શહેરમાં નવા બાગ-બગીચા, આધુનિક જિમ, સ્વિમિંગ પૂલ, બાળકો માટે ટોડલર ઝોન અને જિલ્લા કક્ષાનું પ્રાણી સંગ્રહાલય બનાવવાની વાત કહી છે. સુરક્ષાના હેતુથી છેવાડાના વિસ્તારોમાં પોલીસ ચોકી માટે જમીન ફાળવવાનો મુદ્દો પણ મેનિફેસ્ટોમાં આવરી લેવાયો છે. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વચનો માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ સત્તામાં આવતાની સાથે જ તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. *મેનિફેસ્ટોના 11 મુદા નીચે પ્રમાણે છે* (1)સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (S.T.P) તાત્કાલીક શરૂ કરી ગંદકીનું નિરાકરણ લાવીશું. (2)હેસાણાનાં તમામ વિસ્તારોનો સર્વે કરી પાર્કિંગની સમસ્યાનું કાયમી સમાધાન લાવીશું. (3)મહેસાણા શહેરનાં અને મહાનગરપાલિકામાં વિલીન થયેલા ગ્રામીણ વિસ્તારમા નવીન બાગ, રમત-ગમતના મેદાનો, જિમ અને સ્વિમિંગ પુલની સુવિધાઓ ઊભી કરીશું. (4) મહાનગપાલિકાના તમામ ગામ તેમજ સીટી વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી સવારે અને સાંજે એમ બે વખત પહોંચાડીશું. (5)છેવાડાનાં ગામોને આવરી લેવાતા વિસ્તારમાં પોલીસ ચોકી બનાવા માટે જમીન ફાળવીશું. (6)રાધનપુર ચોકડી ઉપર ઓવરબ્રીજ બનાવીશું. (7)મહાનગરપાલિકના તમામ બાગ બગીચામાં નાના બાળકો માટે અલગથી રમત-ગમતના સાધનો મૂકી ટોડલર ઝોન બનાવીશું. (8)મહાનગરપાલિકા વિસ્તાર માટે સરકારી 24/7 કાર્યરત પશુ દવાખાનું બનાવડાવીશું. સાથે જ અલગથી પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરીશું. (9)પશુ ચિકિત્સા માટે અદ્યતન મશીનરી વસાવીશું. (10)ગૌ-માતાની ચિકિત્સા માટે અલગ હેલ્પલાઈન લાવીશું. (11)શહેરમાં જિલ્લા કક્ષાનું મોટું પ્રાણી સંગ્રહાલય (Z00) બનાવીશું તેમજ વિવિધ આયુર્વેદિક વૃક્ષોની વાવણી કરી નવી પેઢી ઔષધો પ્રત્યે જાગૃત થાય તેવો પ્રયત્ન કરીશું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:50 pm

'તેરા તુજકો અર્પણ':​નેત્રમ શાખાના CCTVની મદદથી ગણતરીની કલાકોમાં 9 અરજદારોના રોકડ, મોબાઈલ અને કિંમતી સામાન મળી કુલ 1.72 લાખનો મુદામાલ મૂળ માલિકોને સોંપાયો

​જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવતી નેત્રમ શાખાએ આધુનિક ટેકનોલોજી અને માનવીય અભિગમનો સમન્વય સાધીને નવ જેટલા અરજદારોના ખોવાયેલા કિંમતી સામાન, રોકડ અને મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાએ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આશરે 1.72 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે. ​આ સમગ્ર કામગીરીમાં 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ શહેરમાં કાર્યરત સીસીટીવી કેમેરા નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થયું છે. નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ.પી. મકવાણા અને તેમની નિષ્ણાત ટેકનિકલ ટીમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરીને ગુનાખોરી ડામવાની સાથે નાગરિકોની સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જે લોકોએ પોતાનો સામાન પરત મેળવવાની આશા છોડી દીધી હતી, તેમને પોલીસે સામેથી સંપર્ક કરીને તેમનો સામાન પરત સોંપતા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ​આ સફળતામાં સૌથી મોટો કિસ્સો જૂનાગઢના રહેવાસી હર્ષલભાઈ ભરતભાઈ રાજાનો રહ્યો હતો. તેઓ રાયજીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ખિસ્સામાંથી 1,14,500 રૂપિયાની માતબર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો ભરેલું પાકીટ ગાંધીગ્રામ પાસે રસ્તામાં પડી ગયું હતું. આ બાબતની જાણ થતા જ નેત્રમ શાખાએ હર્ષલભાઈના રૂટ પરના સીસીટીવી કેમેરા અને લોકલ ફૂટેજની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે પાકીટ શોધી કાઢીને હર્ષલભાઈને રૂબરૂ બોલાવી પૂરેપૂરી રકમ પરત કરી હતી. ​આવી જ રીતે, ફેઝાનભાઈ શરીફભાઈ શેખ નામનો યુવક સુખનાથ ચોક તરફ જતો હતો ત્યારે તેનો 14 હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ પડી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે એક બાઈક ચાલકે આ મોબાઈલ રસ્તા પરથી ઉઠાવ્યો હતો. પોલીસે બાઈક નંબરના આધારે તે વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો અને ગણતરીની કલાકોમાં મોબાઈલ પરત અપાવ્યો હતો. આ ઉપરાંત, ઈવનગર રોડ પરથી પસાર થતી એક પીકઅપ રિક્ષામાંથી 50 કિલો શિખંડ ભરેલું પાર્સલ રસ્તા પર પડી ગયું હતું. નેત્રમ શાખાએ સીસીટીવીની મદદથી વાહનનો નંબર શોધી કા્યો હતો અને મૂળ માલિક રાદડીયા ઘનશ્યામભાઈને સામેથી બોલાવી 12,500 ની કિંમતનો આ માલ પરત કર્યો હતો. ​શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ પોલીસની સતર્કતા જોવા મળી હતી. ગીરીરાજ રોડ તરફ જતા મહેશભાઈ ભટ્ટ પોતાનો સેમસંગ મોબાઈલ રીક્ષામાં ભૂલી ગયા હતા, જ્યારે રાજકોટના દીપકભાઈ ધોળકીયા પોતાનું કપડાં ભરેલું બેગ ઝાંઝરડા ચોકડી પાસેની રીક્ષામાં ભૂલી ગયા હતા. નેત્રમ શાખાએ આ બંને કિસ્સામાં રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરીને રીક્ષા ચાલકોનો સંપર્ક કર્યો હતો. રીક્ષા ચાલકોએ પણ પ્રામાણિકતા દાખવીને સામાન પોલીસમાં જમા કરાવ્યો હતો, જે પોલીસે મૂળ માલિકોને સુપરત કર્યો હતો. આ ઉપરાંત ભાવેશભાઈ સરધારાનું પાકીટ, પવનકુમાર ડોડેચાનું બેગ અને અન્ય અરજદારોની ચીજવસ્તુઓ પણ સીસીટીવીની મદદથી તાત્કાલિક રીકવર કરવામાં આવી હતી. ​પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહીથી તમામ અરજદારો અભિભૂત થઈ ગયા હતા. જેમને સામાન પરત મળવાની કોઈ આશા નહોતી તેવા લોકોએ જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ સમગ્ર કાર્યવાહીમાં પી.એસ.આઈ. એચ.પી. મકવાણાની સાથે ટેકનિકલ ઓપરેટર પ્રતીકભાઈ કરંગીયા, પાર્થભાઈ ચૌહાણ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ દ્વારા પોલીસે સાબિત કર્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાની સેવા અને સુરક્ષા વધુ સુદ્રઢ બની શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:49 pm

ખડગેના નિવેદન સામે ભાજપ આક્રમક:મૌન ધરણા યોજી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો, ધારાસભ્યનો કટાક્ષ-રાહુલ ગાંધીને શાક કિલોમાં આવે કે લિટરમાં તેની પણ ખબર નથી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા તાજેતરના વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ નિવેદનના વિરોધમાં ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર એકમ દ્વારા સેક્ટર-21 ના શોપિંગ સેન્ટર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ એક કલાક સુધી મૌન પાળીને કોંગ્રેસના નેતૃત્વ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને કોંગ્રેસ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ ઉપસ્થિત રહેલા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે હતાશામાં આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. રીટાબહેને કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસની દાળ હવે પાકવાની નથી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જે નેતાને શાકભાજી કિલોમાં આવે કે લિટરમાં તેની પણ સમજ નથી તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી કોંગ્રેસ હંમેશા જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરે છે: રીટા પટેલગુજરાતની અસ્મિતાનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિ ગુજરાતની દેન છે. દેશના આર્થિક વિકાસમાં આજે પણ ગુજરાત 10 ટકાથી વધુ ફાળો આપી રહ્યું છે. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોની સફળતા પાછળ પણ ગુજરાતનું નામ જોડાયેલું છે, જે કોંગ્રેસે કદાચ વિસારે પાડ્યું છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતી આવી છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યોગાંધીનગર શહેર ભાજપના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના મતે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન માત્ર પક્ષલક્ષી નથી પરંતુ તે રાજ્યની જનતાનું અપમાન છે જેને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. એક તરફ કોંગ્રેસના નિવેદનો અને બીજી તરફ ભાજપનો આ મૌન વિરોધ આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં નવા વળાંકો લાવશે તેવું જણાઈ રહ્યું છે. હાલ તો ભાજપે આ મૌન આંદોલન દ્વારા કોંગ્રેસના નેતૃત્વને ઘેરવાની રણનીતિ અપનાવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:46 pm

વિશ્વ આરોગ્ય દિવસે વિજયનગરમાં HPV રસીકરણ જાગૃતિ કાર્યક્રમ:કિશોરીઓ માટે ગર્ભાશયમુખ કેન્સર સામે SBCC અભિયાન યોજાયું

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિજયનગરના અંતરિયાળ ખારીબેડી ગામે કિશોરીઓ માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અંગે વ્યાપક જનજાગૃતિ અને વર્તન બદલાવ અભિયાન (SBCC) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાબરકાંઠાના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. ખારીબેડી વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં HPV સંક્રમણ અને તેના ગંભીર પરિણામો, ખાસ કરીને ગર્ભાશયમુખ (સર્વાઇકલ) કેન્સર વિશે વૈજ્ઞાનિક આધારિત માહિતી પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા રસીકરણ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કિશોરીઓને જણાવ્યું કે HPV એક સામાન્ય સંક્રમણ છે જે જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓને અસર કરે છે. તેમણે 9 થી 14 વર્ષની વયે અપાતી HPV રસીના ફાયદા સમજાવ્યા, જે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે અને ગર્ભાશયમુખ કેન્સરનું જોખમ ઘટાડે છે. કિશોરી વય રસીકરણ માટે સૌથી અસરકારક સમય છે કારણ કે આ ઉંમરે શરીર રસીને ઝડપથી અને લાંબા ગાળે સ્વીકારી શકે છે. આનાથી રસીની અસરકારકતા મહત્તમ બને છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્તદાન મહાદાન ના ઉમદા આશય સાથે તબીબી અધિકારીઓ, સ્ટાફ, આશા બહેનો અને ગ્રામજનો દ્વારા કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ GMERS બ્લડ બેંકના સ્ટાફના સહયોગથી યોજાયો હતો અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગર દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે પ્રતિક ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:41 pm

વાંટડીના ગુમ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી:ગામ નજીક ડુંગર પર ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

હિંમતનગર તાલુકાના વાંટડી ગામનો એક યુવક છેલ્લા દસ દિવસથી ગુમ હતો. મંગળવારે તેનો મૃતદેહ ગામ નજીકના ડુંગર પરના જંગલ વિસ્તારમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ગાંભોઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાંટડી ગામના વિશાલસિંહ કમલેશસિંહ સોલંકી (ઉંમર આશરે 24 વર્ષ) ગાંભોઈમાં આવેલા એક મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતા હતા. તેઓ છેલ્લા નવ-દસ દિવસથી ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી અને જાણવાજોગ નોંધ પણ કરાવી હતી. મંગળવારે ગ્રામજનોને ગામના ડુંગર પર એક ઝાડ પર યુવકનો મૃતદેહ લટકતો હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા તે ગુમ થયેલા વિશાલસિંહ સોલંકીનો જ મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે અગમ્ય કારણોસર ઝાડ સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાય છે. ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI બાલુસિંહ ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહ દસ દિવસ જૂનો હોવાથી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:38 pm

વન વિભાગમાં 'સાફ સફાઇ'ની ઇનસાઇડ સ્ટોરી:વર્ષોથી એક જગ્યાએ જામેલા RFOને હટાવવા CMનો કડક નિર્ણય, જયપાલસિંઘને પ્રમોટ કરવા એ.પી.સિંઘની પાંખો કપાઇ

ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી RFOની બદલીઓએ વનવિભાગમાં પલિતો ચાંપ્યો છે. 30મી માર્ચે એકસાથે 365 જેટલા RFOની બદલીઓ થઇ હતી. જેમાં વિસ્તરણ અધિકારીઓને ગીરમાં અને ગીરના અધિકારીઓને વિસ્તરણમાં મૂકી દેવાતા વનવિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હકીકતમાં આ 'સાફ સફાઇ' પાછળ મુખ્યમંત્રીનો સીધો આદેશ હતો. મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતોટોચના સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વર્ષોથી પોતાની જગ્યા પર જામી ગયેલા RFOને હટાવવા માટે મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતો. જેના પછી બદલીનો આખો પ્લાન તૈયાર થયો હતો અને ઇતિહાસમાં પહેલી વખત આ રીતે બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત IFS અધિકારીઓની પણ બદલી કરાઇ હતી. ગીરમાં અનુભવ વગરના અધિકારીઓ મૂકાતા વિરોધનો વંટોળસામાન્ય રીતે ગીર જંગલમાં એવા અધિકારીઓને મૂકવામાં આવતા હોય છે જે પ્રાણીઓની બાબતમાં અનુભવી હોય પરંતુ આ વખતની બદલીઓમાં આવું નથી થયું. આ વખતે નોર્મલ રેન્જના અધિકારીઓને ગીર જંગલમાં મૂકી દેવાયા હતા એટલે વિરોધનો વંટોળ શરૂ થયો હતો. પૈસા લઇને બદલી કરાતી હોવાનું ખૂલ્યું હતુંગીરના અધિકારીઓને હટાવવામાં વન વિભાગના વડા દ્વારા જ પૈસાનો વહીવટ કર્યાની રજૂઆત RFO એસોસિએશને મુખ્યમંત્રી અને વનમંત્રીને કરી હતી. જેના પછી મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તપાસ કરાવી તો ખૂલ્યું કે મોટાભાગની બદલીઓ વહીવટથી કરાય છે. જેથી મુખ્યમંત્રી નારાજ થયા હતા.જેના કારણે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરીકે ફરજ બજાવતા એ.પી.સિંઘને તેમના પદ પરથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને જયપાલસિંઘને ચાર્જ સોંપાયો હતો. જો કે આંતરિક ગણગણાટ મુજબ વહીવટની વાતો ચાલે છે પણ ટોચના સૂત્રોએ તેનો ઇન્કાર કર્યો હતો. જયપાલસિંઘને પ્રમોટ કરવાની કવાયતજયપાલસિંઘને ચાર્જ સોંપાવા પાછળનું એક કારણ એ પણ છે કે સરકારે તેમને પ્રમોટ કરવાની તૈયારી કરી લીધી છે. જયપાલસિંઘનું નામ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ (DG ફોરેસ્ટ) તરીકે મોકલાયું છે. જેથી તેમને અત્યારે ચાર્જ સોંપાય તો તે અપગ્રેડ થાય અને તેમના ચાન્સ વધી જાય. નાયબ સચિવને સાઇડ પોસ્ટિંગ!સચિવાલયના અન્ય અધિકારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ તરીકે કરવામાં આવી છે. જેને સાઇડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે. આને વન વિભાગના માળખામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. જો કે સરકારનો આ નિર્ણય વનવિભાગની સાથોસાથ ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:30 pm

ગુજરાતનું અપમાન સહન નહીં કરાય:કોંગ્રેસ અધ્યક્ષની ગુજરાત વિરોધી ટિપ્પણીના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ખાતે ‘મૌન ધરણા’

રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે આ નિવેદનના વિરોધમાં આજે ભાવનગર મહાનગર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ ડો. હરેશ નાવડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી તેમજ વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવા વીર સપૂતો આપ્યા છે, જેમણે દેશને વિશ્વ ફલક પર સર્વોચ્ચ સ્થાન અપાવવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વારંવાર કરવામાં આવતા ગુજરાતના અપમાનનો જનતાએ આગામી ચૂંટણીમાં મતાધિકાર દ્વારા એવો 'કરારો જવાબ' આપવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ ગુજરાતીઓ વિરુદ્ધ બોલતા પહેલા સો વાર વિચાર કરે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યઓ, શહેરના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારઓ, તમામ વોર્ડના પ્રમુખ - મહામંત્રીઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારઓ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:19 pm

વેરાવળમાં ભાજપનું મહા જનસંપર્ક અભિયાન:સ્થાપના દિવસ નિમિત્તે વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડી

વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મહા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓએ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં જનસંપર્ક યાત્રા કાઢી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યો તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. કાર્યકર્તાઓએ સામાન્ય નાગરિકો સાથે સીધી મુલાકાત કરી સરકારના કાર્યો અંગે પ્રતિસાદ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' જેવા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ દેશપ્રેમથી છવાઈ ગયું હતું. આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી જયેશ પંડ્યા, મૌલિક વૈયાટા, મહિલા મોરચાના અગ્રણી મંજુલાબેન સુયાણી અને અમૃતાબેન અખિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંગઠનની એકતા અને સક્રિયતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપ દ્વારા આયોજિત આ મહા જનસંપર્ક અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારના વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાનો અને આગામી સમયમાં જનસમર્થનને વધુ મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:16 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:MLA કાનાણીની આપ સામે 'ધુરંધર' સ્ટાઇલમાં બેટિંગ, તાપી નદીમાંથી મહિલાની લાશ મળી

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:15 pm

'ઠંડુ પીણું પીવા ઉભો રહ્યો ને 1.70 લાખ ચોરાયા':કેશોદમાં બેંકમાંથી રૂ. 1.70 લાખ ઉપાડી ઠંડું પીવા ઉભેલા યુવકની નજર ચૂકવી ત્રણ ગઠિયાઓ રૂપિયા લઈ થયા રફુચક્કર, પોલીસે CCTVના આધારે તપાસ તેજ કરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. કેશોદના વ્યસ્ત એવા ચાર ચોક વિસ્તારમાં ત્રણ અજાણ્યા ગઠિયાઓ એક યુવકની નજર ચૂકવી તેના બાઈકના થેલામાં રાખેલા રૂપીયા 1.70 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા છે. આ ઘટના બાદ કેશોદ પોલીસે તાત્કાલિક અસરથી નાકાબંધી કરી ગઠિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ​કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામના યુવક આજે સવારે કેશોદની એસબીઆઈ (SBI) બેંકની શાખામાંથી રૂપીયા 1,70,000 રોકડા ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડ્યા બાદ તેઓ બાઈક લઈને રવાના થયા હતા અને બેંકથી માત્ર 150 મીટર દૂર આવેલા ચાર ચોક પાસે તિલક વિસ્તારમાં ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. ​બલભદ્રસિંહજીએ પોતાનું બાઈક પાર્ક કરીને ઠંડું પીણું પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી ત્રણ ગઠિયાઓએ બાઈક પર ટીંગાડેલા થેલાની ક્લિપ અને ચેઈન ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ ગઠિયાઓ થેલામાં રાખેલી 1.70 લાખની રોકડ રકમ કાઢીને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ ભાગી છૂટ્યા હતા. યુવકને જ્યારે શંકા ગઈ અને તેણે થેલો ચેક કર્યો ત્યારે ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ભોગ બનનાર બલભદ્રસિંહજીએ જણાવ્યું હતું કે, મેં બેંકમાંથી પૈસા ઉપાડીને બાઈકના થેલામાં મૂક્યા હતા. ઠંડું પીવા માટે ગાડી રોકી ત્યારે નજર ચૂકવીને ત્રણ જણા પૈસા લઈને જતા રહ્યા હતા. મેં તાત્કાલિક પોલીસને જાણ કરી છે. ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસની દુકાનો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ લૂંટ ચલાવીને જૂનાગઢ તરફના માર્ગે નાસી છૂટ્યા છે. પોલીસે જિલ્લાભરમાં મેસેજ પાસ કરીને ગઠિયાઓનો પીછો કરવા અને તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:06 pm

‘હું છું કિશોર ચીખલીયા’ મોરબી કોંગ્રેસનો સંકલ્પ:પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપશે, મહાનગરપાલિકાની ચૂંટણી માટે પુષ્પરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી

આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા રવિવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સનાળા રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પક્ષની પ્રતિબદ્ધતાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે તો શહેરના વિકાસ અને પારદર્શિતા માટે ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવશે. ચૂંટણી પ્રચારનો મુખ્ય સંકલ્પ તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. કોંગ્રેસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ચૂંટણીને તેમના નામે લડવાનું નક્કી કર્યું છે. પક્ષના તમામ કાર્યકરો હું છું કિશોર ચીખલીયા ના સંકલ્પ સાથે પ્રચારમાં જોડાશે. કિશોર ચીખલીયાએ જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા આપેલા યોગદાનને ધ્યાને રાખીને કાર્યકરો પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસની મુખ્ય પ્રતિબદ્ધતાઓ શુદ્ધ પાણીની સુવિધા: શહેરમાં હાલ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી અશુદ્ધ પાણી સપ્લાય થઈ રહ્યું છે. કોંગ્રેસે ખાતરી આપી છે કે સત્તા પર આવતા જ તમામ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. જનરલ બોર્ડનું લાઈવ પ્રસારણ: પાલિકાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે જનરલ બોર્ડની બેઠકોનું સીધું પ્રસારણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી બોર્ડમાં થતી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયોની જનતાને સીધી જાણકારી મળે. પાયાની સુવિધાઓ: શહેરના રોડ-રસ્તાની હાલત સુધારવા તેમજ બાગ-બગીચા જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવશે. શહેર પ્રમુખે ઉમેર્યું હતું કે, કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન દ્વારા મોરબીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા પક્ષ કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:05 pm

ગુજરાત માથે ત્રણ સિસ્ટમ:અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ, આ વર્ષે ચોમાસું નબળું રહેવાનું સ્કાયમેટનું અનુમાન, જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ

AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી.. તો ભાજપના ઉમેદવારો પસંદ કરવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. 10 સભ્યો નક્કી કરશે કે ટિકિટ કોને આપવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો . પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા ક્ષત્રિય આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા આપમાં જોડાયા.. ઈસુદાન ગઢવીએ કહ્યું જે લોકો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે, એવા તમામ લોકોને અમે આવકારીએ છીએ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાના પોલીસ પર ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે હર્ષ સંઘવીના કહેવાથી પોલીસે તેમના ઘરે તપાસ કરી , તેમની માતાની હેરાનગતિ કરી .સુરતના ડીસીપીએ આ આક્ષેપોને રદિયો આપ્યો કે આ વાતમાં કોઈ તથ્ય નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર એ છે કે સ્કાયમેટે આ વર્ષે ચોમાસું નબળુ રહેવાની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાકિસ્તાનથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ ગુજરાત અને રાજસ્થાન ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો.. 5 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનની આવતું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંજૂરી વગર જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ અમદાવાદના જગન્નાથ મંદિર ટ્ર્સ્ટની 60 કરોડની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો.. મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે આ મામલો કોર્ટમાં છે.. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દયા-સુંદરના પિતા પંચમહાભૂતમાં વિલીન ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતા પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીના જણાવ્યા પ્રમાણે તેઓ દોઢ વર્ષથી પેરાલાઈઝ્ડ હતા..થલતેજ સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોટલના રુમમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સાઈકૃપા હોટેલમાં 27 વર્ષીય યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું . તેની બેગમાંથી યુવતીનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે.યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક આવ્યો.. 4 દિવસ બાદ 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો..માતા-પિતાના નિવેદન લેવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્ટો કારે ત્રણ ગુલાટી ખાધી,એકનું મોત અમરેલીના ધારીમાં અલ્ટો કાર પલટી ખાઈ ગઈ.ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે ત્રણ ગુલાટી ખાધી. બહાર નીકળવાના પ્રયાસમાં એકનું કાર નીચે દબાઈ જતા મોત થયું. તો બેનો આબાદ બચાવ થયો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 6:02 pm

વેરાવળમાં ઉમેદવારીના બીજા દિવસે એકપણ ફોર્મ નહીં:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં રાજકીય ગરમાવો યથાવત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયાના બીજા દિવસે પણ કોઈ ફોર્મ ભરાયું નથી. બપોરના ત્રણ વાગ્યા સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વેરાવળ નગરપાલિકાની એકપણ બેઠક માટે એકપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યો ન હતો. આ પરિસ્થિતિએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આના કારણે અંતિમ ક્ષણોમાં ભારે દોડધામ થવાની સંભાવના છે. વેરાવળ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ સ્તરે યોજાશે. જેમાં જિલ્લા પંચાયતની 5 બેઠકો, તાલુકા પંચાયતની 22 બેઠકો અને વેરાવળ નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો માટે રાજકીય પક્ષો, દાવેદારો અને કાર્યકરો સક્રિય બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તંત્ર દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌહાણને ચૂંટણી અધિકારી બનાવાયા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે તાલુકા વિકાસ અધિકારી રાજેશ ટીલાવતની નિમણૂક થઈ છે. વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે પ્રાંત અધિકારી કકડીયાને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. ઉમેદવારી પત્રો રજૂ ન થયા હોવા છતાં ફોર્મ ઉપાડવામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 35 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 135 ઉમેદવારી ફોર્મ લેવાયા છે, જ્યારે વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે કુલ 130 ફોર્મ ઉમેદવારો દ્વારા ઉપાડવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમેદવારો અને પક્ષો હજુ પણ અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. ટિકિટ ફાળવણી, આંતરિક મતભેદો, ગઠબંધન અને સમીકરણોની ગોઠવણ જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો દાખલ થવાની શક્યતા છે. મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અંગે ચાલી રહેલી આંતરિક ચર્ચાઓને કારણે દાવેદારો રાહ જોઈ રહ્યા હોવાનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:57 pm

તળાવમાં માછલી પકડવા ગયેલી કિશોરીનું કરૂણ મોત:પગ લપસ્યા બાદ પાણીમાં ડૂબી જતા જીવ ગૂમાવ્યો, વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે કાળજું કંપાવતી ઘટના

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આજે સવારના સમયે એક કરુણ ઘટના સામે આવી છે. ભગવાન મહાવીર કોલેજની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની કિશોરીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘરના પાસેના તળાવમાં માછલી પકડવા ગઈ હતી કિશોરીમળતી માહિતી મુજબ, અંજુમકુમારી ગોવિંદરા મહારા વેસુના ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી હતી. જે આજે 7 એપ્રિલના સવારે 11:15 વાગ્યે તળાવે માછલી પકડવા માટે ગઈ હતી. માછલી પકડતી વખતે અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.બાળકી પાણીમાં ડૂબતી હોવાનું જોઈ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે જાણ કરી હતી. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ જીવ બચાવી ન શકાયોઘટનાની જાણ થતાં જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાં લાપતા થયેલી અંજુમકુમારીને શોધી કાઢી બહાર કાઢી હતી. જોકે, બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હોવાથી તેની હાલત અત્યંત નાજુક હતી. સ્થાનિકો અને ફાયરના જવાનો દ્વારા વિલંબ કર્યા વગર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ કરી હતી. કમનસીબે, તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ બાળકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં પરિવારના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:54 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોસ્ટમોર્ટમ માટે બાળકીની લાશ બહાર કાઢી, પિતાના નિધનથી 'તારક મહેતા...' ફેમ દિશા વાકાણી ભાંગી પડી

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:45 pm

વિદ્યાનગરમાં નેશનલ ફૂટબોલ કેમ્પ શરૂ, 100 ખેલાડીઓ ભાગ લેશે:આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે

આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 'STAIRS સ્કૂલ ફૂટબોલ લીગ (SSFL) નેશનલ કેમ્પ 2026'નો પ્રારંભ થયો છે. નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન અને STAIRS ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પ 7મી અપ્રિલથી 9મી એપ્રિલ સુધી ચાલશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની પાયાની ફૂટબોલ પ્રતિભાઓને નિખારવાનો છે. આ SSFL 2026 અંતર્ગત દેશભરના 12 રાજ્યો અને 29 શહેરોમાંથી 50,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રવ્યાપી સખત પસંદગી પ્રક્રિયા બાદ, 100 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમને આ પ્રતિષ્ઠિત નેશનલ કેમ્પમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે CVM યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી અને DFA પ્રમુખ મેહુલ પટેલ, STAIRS ફાઉન્ડેશનના સ્થાપક સિદ્ધાર્થ ઉપાધ્યાય, આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડ, ગોપાલ કાગ અને માધવન જાજુ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રિપબ્લિક ઓફ આયર્લેન્ડના પૂર્વ ગોલકીપર ડેવિડ ફોર્ડે ખાસ હાજરી આપી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આટલી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓને સ્પર્ધા કરતા જોવા એ એક અદભૂત પહેલ છે. ફૂટબોલ સખત મહેનત અને માનસિક મજબૂતી માંગે છે.” STAIRS ફાઉન્ડેશનના પ્રમુખ સિદ્ધાર્થ ઉપાધ્યાયે ઉમેર્યું કે, SSFL એ શાળા સ્તરેથી પ્રોફેશનલ ફૂટબોલ સુધી પહોંચવાનો સચોટ માર્ગ છે. આ કેમ્પ ગુજરાતના તેમજ દેશભરના યુવા ફૂટબોલરો માટે પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર ખોલશે. પ્રતિભા દરેક જગ્યાએ છે, માત્ર તકોની જરૂર છે — મેહુલ પટેલ આણંદ જિલ્લા ફૂટબોલ એસોસિએશન (DFA) ના પ્રમુખ અને CVM ના જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવા ફૂટબોલરો માટે આ કેમ્પ પ્રોફેશનલ કરિયરનું પ્રવેશદ્વાર બનશે. ડેવિડ ફોર્ડ જેવા આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વના માર્ગદર્શનથી ચરોતર પ્રદેશના ખેલાડીઓને વૈશ્વિક એક્સપોઝર મળશે . તેમણે ઉમેર્યું કે કેમ્પના પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તાલીમ આપી ભારતીય યુથ આઈ-લીગ એકેડેમીમાં જોડાવાની તક અપાશે.ભવિષ્યનો મજબૂત પાયો: CVM ફૂટક્લબના ફૂટબોલ ડાયરેક્ટર ગોપાલ કાગે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ખેલાડીઓને પ્રોફેશનલ ફૂટબોલની વધુ નજીક લઈ જશે. સહભાગી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની શારીરિક અને માનસિક તાલીમ આપી ભારતના ફૂટબોલના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:41 pm

હળવદના ટીકર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો:કૌટુંબિક બહેનનો પીછો કરવાની શંકાએ લોહિયાળ ખેલ ખેલાયો, ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

હળવદ તાલુકાના ટીકર ગામે કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખી એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના શું હતી? ટીકર ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા 22 વર્ષીય મહોમદઅયાઝ વારીશ કગથરાએ ફિરોજ સલીમ સંધિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ફિરોજને શંકા હતી કે મહોમદઅયાઝ તેની કાકાની દીકરી રૂકસાનાનો પીછો કરે છે. આ વહેમ રાખીને આરોપીએ બે દિવસ પૂર્વે ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા આરોપીએ મહોમદઅયાઝ પર છરી વડે હુમલો કરી દીધો હતો. શરીરના અનેક ભાગે છરીના ઘા ઝીંક્યા હુમલાખોરે યુવાનના પેટના ડાબી બાજુના પડખામાં, જમણા હાથના બાવળા પર અને ગળાની હાંસળીની નીચે છાતીના ભાગે છરીના આડેધડ ઘા માર્યા હતા. હુમલાને પગલે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હાલત વધુ ગંભીર જણાતા તેને તાકીદે અમદાવાદની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી ઘટના અંગે હળવદ પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ફિરોજ હાલ ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:41 pm

માતા-પુત્ર પર દીકરીના સાસરિયાઓનો હુમલો:દીકરીને મનદુ:ખ થતા લેવા માટે ગયા હતા પાદરગઢ ગામ, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ

ભાવનગરના તળાજાના પાદરગઢમાં માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠળિયા ગામના એક પરિવારના ભાઈ-બહેનના લગ્ન પાદરગઢ ગામે સમાજના રિવાજ મુજબ સામસામે કર્યા હતા. જેમાં પુત્રીને તેના સાસરિયામાં મનદુ:ખ સર્જાયું હતું. જેના કારણે માતા-પુત્ર તેની દીકરીને લેવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરિયાઓએ વૃદ્ધા અને તેના પુત્ર પર હુમલો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે માતાએ દાઠા પોલીસ મથકમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રીને લેવા માટે ગયાને હુમલો થયો આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, વૃદ્ધાના પુત્ર લાલજી અને પુત્રી ગીતાના લગ્ન સામસામે કુંચા પરિવારમાં કર્યા હતા. તાજેતરમાં દીકરીને તેના સાસરિયાઓ સાથે કોઈ મુદ્દે વાંધો પડતા ફરિયાદી બાલીબેન અને તેમનો પુત્ર લાલજી તેમની દીકરી ગીતાના દીકરા-દીકરીને તેડવા માટે પાદરગઢ ગામે ગયા હતા. જ્યાં દીકરીના સાસરીયા જેમાં જમાઈ દિલીપ કુંચા, ગીગા કુંચા, લાલજીની પત્ની સોનલ અને વિઠ્ઠલ કુંચાએ બાલીબેન અને તેમના પુત્ર લાલજી સાથે ઝઘડો કર્યો હતો. 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ઝઘડો ઉગ્ર થતા માતા-પુત્ર પર ધોકા વડે હુમલો કરી નાની મોટી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બબાલમાં ઈજાગ્રસ્ત માતા પુત્રને પ્રથમ દાઠા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. જો કે ત્યારબાદ વધુ સારવાર માટે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે દાઠા પોલીસે દિલીપ કુંચા, ગીગાભાઈ કુંચા,વિઠલ કુંચા, સોનલબેન સહિતના તમામ વિરુદ્ધ BNS 115(2), 117(2), 352, 351(3), 54 તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:37 pm

ગોધરામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ઝાડ પડ્યું:સિવિલ હોસ્પિટલ ગેટ પાસે ઝાડ ધરાશાયી, અફરાતફરી મચી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મુખ્ય ગેટ પાસે એક વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ઝાડ પડવાની ઘટનાને પગલે ઈમરજન્સી વિભાગ પાસે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:35 pm

ભાવનગરમાં ભૂમાફિયાનો આતંક:ખેડૂતોની જમીન પચાવી પાડતા 'બબૂચકો'ની 'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ, 5 જેટલા ખેડૂતો SPને રજૂઆત દોડી આવ્યા

જિલ્લાના સિહોર, ઉમરાળા અને જેસર પંથકમાં માથાભારે તત્વો દ્વારા ખેડૂતોને પરેશાન કરવાના અને જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધતા, પીડિત ખેડૂતો અને સામાજિક આગેવાનોએ ભાવનગર એસ.પી.ને રૂબરૂ મળી કડક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્તરે પોલીસની મિલીભગતને કારણે આ 'બબૂચકો' બેફામ બન્યા છે. જમીન વેચી દે નહીંતર ખેતી કરવા નહીં દઉં, ​ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાના અને ખેડૂતોને ડરાવી-ધમકાવી તેમની કિંમતી મિલકત હડપ કરી લેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક ગંભીર મામલો ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં એક લાચાર ખેડૂતે પોતાની જમીન બચાવવા અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે, શાન ઠેકાણે ન આવતા તત્વોએ ફરી ધમકીઓ આપવાનું શરૂ કરતા ખેડૂત પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પુત્રના મોત બાદ પણ પઠાણી ઉઘરાણીથી કંટાળી ખેડૂત પરિવાર SPના શરણે ​ભાવનગર જિલ્લામાં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા તત્વોનો આતંક સીમા વટાવી રહ્યો છે ઉમરાળા તાલુકાના લિખાળા ગામના એક વૃદ્ધ ખેડૂતે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી ભાવનગર એસ.પી.ને ન્યાયની ગુહાર લગાવી છે મકાન અને જમીન વેચીને મુદ્દલ ચૂકવી દીધી હોવા છતાં, પુત્રના અવસાન બાદ પણ વ્યાજખોર દ્વારા આપવામાં આવતી ધાક-ધમકીઓને કારણે ખેડૂત પરિવારે હવે પોલીસ રક્ષણની માંગ કરી છે, પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે દાદાગીરી કરે છે જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામના એક ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે પોતાની જ માલિકીની જમીનમાં ખેતીકામ કરવા જતાં અટકાવી, જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ કંટાળીને ખેડૂતે ભાવનગર પોલીસ અધિક્ષક સમક્ષ ન્યાયની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે અવારનવાર કરાતી દાદાગીરી અને જમીન સસ્તામાં વેચી દેવા માટે અપાતા દબાણને કારણે ખેડૂત પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે, મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી સિહોરના મોટા સુરકા ગામના એક આસામી દ્વારા પોતાની માલિકીની રૂ.24 લાખની મશીનરી વેચ્યા બાદ, તે મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી કરી કામ અટકાવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે પીડિત દ્વારા ભાવનગર એસ.પી. ને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે,​​ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી પા ગામમાં 29 વીઘા જમીન ધરાવતા ખેડૂતને પોતાના જ ખેતરમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે, આ મામલે વિક્રમદેવસિંહ રણુભા સરવૈયા અને મુનો રણુભા સરવૈયા નામના શખ્સો સામે આક્ષેપ છે કે તેઓ ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી આપી રહ્યા છે, ​મોટા સુરકાના ખેડૂત જયેશભાઈ દામજીભાઈ જસાણીએ રજૂઆત કરી છે કે, કછોટિયા ગામમાં આવેલી તેમની સાડા સાત વીઘા જમીનમાં પડોશી ખેડૂત ધીરસંગભાઈ પરમાર ગેરકાયદેસર રસ્તો વાપરી રહ્યા છે, જયેશભાઈએ જણાવ્યું કે, જ્યારે મેં તેને અટકાવ્યો ત્યારે તેણે ફોન પર નશાની હાલતમાં હોવાની અને 'તારે જે કરવું હોય તે કરી લેજે' તેવી ધમકી આપી હતી હાલમાં તેમના ખેતમજૂરોને પણ ડરાવવામાં આવી રહ્યા છે, ​'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ આ અંગે ખેડૂત આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, ​એસ.પી. સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે, ખેડૂતોને હેરાન કરતા આવા 'બબૂચકો' સામે પોલીસ ટાંટિયાતોડ સર્વિસ જેવી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે ગામડાઓમાં માથાભારે તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, અને જો કોઈ જાય તો સ્થાનિક પોલીસ તેમની મદદ કરતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે, ​ખેડૂતોને પરેશાન કરતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. અમે એસ.પી.ને આવા ઈસમોને તેમના ઠેકાણે પાડવા વિનંતી કરી છે, ​એસ.પી. દ્વારા આ તમામ અરજીઓ સ્વીકારીને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:27 pm

પોલીસે મારા ઘરે જઈ માતા સાથે ગાળાગાળી કરી- ઈટાલિયા:'હર્ષ સંઘવી તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી, હું વિસાવદરમાં જ છું જ્યારે ધરપકડ કરવી હોય છૂટ છે'

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળાગાળી અને ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એક વીડિયોના માધ્યમથી ગોપાલ ઈટાલિયાએ પ્રહાર કરતા કહ્યું કે, હર્ષ સંઘવી, તમે ગૃહમંત્રી હોવ તો અમે ફાટી પડતા નથી. તમારે મારી સાથે તકલીફ હોય તો હું વિસાવદરમાં જ છું. જે કલમ હેઠળ જ્યારે ધરપકડ કરવી હોય તેની છૂટ છે. અમે ડરી જવાના નથી. હર્ષ સંઘવી એક મહિનાથી પોતાને તીર માર ખાં સમજે છે- ગોપાલ ઈટાલિયાગોપાલ ઈટાલિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા એક મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 'તીસ માર ખાં' સમજે છે. કઈ વાંધો નહીં, ઘણા તીસ માર ખાં આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના તીસ માર ખાની પણ વ્યવસ્થા થઈ જાહે જનતા દ્વારા. હર્ષ સંઘવીએ મારા પરિવારના સભ્યોને ધમકાવવાનું કામ કરાવ્યું- ગોપાલ ઈટાલિયાઆજે એવું થયું કે હર્ષ સંઘવીએ સવાર-સવારમાં મારા ઘરે પોલીસવાળાને મોકલ્યા. હું તો અત્યારે વિસાવદર બેઠો છું, આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર IB પાસે છે, મારું લોકેશન IB પાસે છે, મારી બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે, એને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, સુરત. એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધેસીધા મારા ઘરે ગયા, થોડીઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ અને પછી પાછળથી પાછો સારો એવો વીડિયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. તમારા IPSમાં તાકાત હોય તો મારી ધરપકડ કરી લેવાની છૂટ છે- ઈટાલિયાઈટાલિયાએ વધુમાં કહ્યું કે, અમે કંઈ ફાટી પડતા નથી. તમારામાં અને આઈપીએસમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. જ્યારે મજા આવે ત્યારે, જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. મારા માતા સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ના બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીની સાથે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને જે હોશિયારીઓ બતાવી છે એ બિલકુલ વ્યાજબી વાત નથી.મારી મા સિનિયર સિટીઝન છે. હું રાજકારણમાં છું, મારા મમ્મીએ તો મને ઘણું કીધેલું કે બેટા રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખાઓ હોય, આમાં ગુંડાઓ હોય, બેટા આપણે આ નો કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ નો આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પરંતુ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય, તો હવે હુંય રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પૂરવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. ભાવનગરના કેસમાં પોલીસ સમન્સ લઈને ઈટાલિયાના ઘરે ગઈ હતી- ડીસીપીઆમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપ અંગે સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાવનગર કેસમાં સમન્સ લઈને પોલીસ તેમના ઘરે ગઈ હતી. તેમનું ઘર ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવે છે. જોકે તેઓ ઘરે નહોતા એટલે પોલીસ પરત આવી ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:26 pm

જૂનાગઢમાં મહિલા વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ:​જૂનાગઢમાં લાયસન્સની આડમાં વ્યાજવટાવનો કાળો કારોબાર: દિવ્યા સાવલાણીએ ડ્રાઈવર પાસે 10% વ્યાજ વસૂલી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસે કરી ધરપકડ

​જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ રંગ લાવી રહી છે. શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા એક મજબૂર શખ્સને વ્યાજના વિષચક્રમાં ફસાવી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોસ્પિટલના કામ માટે રાખેલા પૈસા પણ પડાવી લેનાર મહિલા વ્યાજખોર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોષીપરાના નંદનવન રોડ પર રહેતા અશરફભાઈ અનવરભાઈ બ્લોચને ફેબ્રુઆરી 2024માં રૂપીયા 30,000ની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે જોષીપરામાં રહેતી અને મોતીબાગ પાસે ઓફિસ ધરાવતી દિવ્યા કિશોરભાઈ સાવલાણીનો સંપર્ક કર્યો હતો. દિવ્યાએ પોતાની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાનું જણાવી રૂપીયા 30,000 આપ્યા હતા, પરંતુ લાયસન્સની શરતો બાજુ પર મૂકી દર મહિને 10% વ્યાજની માંગણી કરી હતી. આટલું જ નહીં, તેણે એડવાન્સ વ્યાજ પેટે રૂ. 6,000 કાપીને અશરફભાઈને માત્ર રૂ. 24,000 રોકડા આપ્યા હતા અને ગેરંટી પેટે બે સહી કરેલા કોરા ચેક પણ લખાવી લીધા હતા. ​ફરિયાદી અશરફભાઈએ શરૂઆતમાં દર ગુરુવારે રૂ. 2,000ના હપ્તા નિયમિત ચૂકવ્યા હતા. જોકે, ધંધામાં મંદી આવતા જ્યારે તેઓ હપ્તો ભરી શક્યા નહીં, ત્યારે દિવ્યા સાવલાણીએ અસલી રૂપ બતાવ્યું હતું. દિવ્યાએ અશરફભાઈને પોતાની ઓફિસે બોલાવીને ધમકી આપી હતી કે, તું મને ઓળખતો નથી, મારી ઓફિસની નીચે જ મારા માણસો બેઠા છે, તારા ટાંટીયા ભંગાવી નાખીશ અને જાનથી મરાવી નાખીશ. ડરી ગયેલા અશરફભાઈ પાસે તે સમયે દવા લેવા માટે રાખેલા રૂ. 6,000 હતા, જે દિવ્યાએ બળજબરીથી પડાવી લીધા હતા. ​આ મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે અશરફભાઈની ફરિયાદના આધારે આરોપી મહિલા દિવ્યા સાવલાણીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મહિલા વિરુદ્ધ એક મહિના પહેલા પણ ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો. તેની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાના દાવાની પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ​ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ યોજાયેલા સેમિનારથી પ્રેરાઈને ફરિયાદીએ હિંમત દાખવી આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ડરે નહીં અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જેથી આવા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:26 pm

મંદિરમાં ચોરી કરનાર પોલીસના શરણે:છાણી જકાતનાકા ખાતે મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને આભૂષણોની ચોરી કરનારને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાંચે દબોચ્યા

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ પારૂલપાર્ક સોસાયટી અને ગિરિરાજ સોસાયટીની બહારની દિવાલ પર આવેલ મેલડી માતાના મંદિરમાંથી ગત 4 એપ્રિલની અજાણ્યા ચોરોએ મંદિરનો દરવાજો તોડીને ચાંદીની મેલડી માતાની મૂર્તિ તથા મૂર્તિ પર ચડાવેલા આભૂષણોની કુલ ચોરી કરી હતી. આ ચોરીના ગુનાનો ભેદ વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી બેની ધરપકડ કરી છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધવામાં આવ્યો જતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની ટીમે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર કિશોરની તેના વાલીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી. સગીરે કબૂલ કર્યું કે તેણે જ મંદિરમાંથી મેલડી માતાની ચાંદીની મૂર્તિ તથા બે હારની ચોરી કરી હતી અને તેને તેના મિત્ર જય હસમુખભાઇ ભીમાણી મારફતે પાદરાના આશીક રહેમત મલ્લીકને વેચી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત જ જય હસમુખભાઇ ભીમાણી (રહે. ભગવતનગર સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે, સમા, વડોદરા) તથા આશીક રહેમત મલ્લીક (રહે. કૃષ્ણાવાટિકા ફ્લેટ, મધર્સ સ્કૂલ રોડ, પાદરા, વડોદરા)ને શોધી કાઢી પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ છે કે આશીક મલ્લીકે ચોરીની મૂર્તિને ઓગાળીને ચાંદીની લગડી બનાવી લીધી હતી. પોલીસે મેલડી માતાની મૂર્તિ ઓગાળીને બનાવેલ ચાંદીની લગડી , ગાભાના આભૂષણ હાર , મોબાઈસહિત સ્કૂટર સહિતનો કુલ રૂપિયા 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક સગીર અને બે આરોપીને ફતેગંજ પોલીસના હવાલે કર્યા છે. આ મામલે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:21 pm

દ્વારકામાં 8 થી 14 એપ્રિલ ભાગવત કથા:જગદ્ગુરુના આશીર્વાદથી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે

દ્વારકાની પવિત્ર ભૂમિ પર શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથાનું રસપાન કરાવશે. આ કથા 8 એપ્રિલથી 14 એપ્રિલ, 2025 દરમિયાન યોજાશે. આ જ્ઞાનયજ્ઞ શ્રી શંકરાચાર્ય આશ્રમ, શ્રી શારદાપીઠ મઠ ખાતે દરરોજ બપોરે 4 થી 7 વાગ્યા સુધી ચાલશે. જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજશ્રીના પરમ પ્રિય શિષ્ય પૂજ્ય શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીજી કથા વ્યાસ તરીકે બિરાજશે. તેઓ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સચોટ રસપાન કરાવી શ્રોતાઓને ભક્તિના સાગરમાં તરબોળ કરશે. આ કથા દ્વારા સમગ્ર દ્વારકા નગરીમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થશે. શારદાપીઠ પરિવારે તમામ સનાતનધર્માનુરાગી અને ધર્મપ્રેમી જનતાને આ પાવન જ્ઞાનયજ્ઞમાં પધારી કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:21 pm

દાહોદમાં વિશ્વ આરોગ્ય દિવસ, હોમિયોપેથી સપ્તાહની ઉજવણી:આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ

દાહોદ: નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ 2026' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓના સમન્વય દ્વારા સમાજને નિરોગી બનાવવાનો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. ડો. સુધીર જોશીએ 'વિશ્વ આરોગ્ય દિવસ 2026'ની થીમ ‘Together for health. Stand with science’ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓના મહત્વ પર ભાર મૂક્યો, ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે ફેલાતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સામે લડવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચના જરૂરી હોવાનું જણાવ્યું. ડો. જોશીએ 'વન હેલ્થ એપ્રોચ' સમજાવતા કહ્યું કે માનવીય સ્વાસ્થ્ય પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પર્યાવરણ સુરક્ષિત હશે તો જ માનવજાત સ્વસ્થ રહી શકશે. તેમણે ભવિષ્યની આરોગ્ય કટોકટીઓનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને વૈશ્વિક એકતાને અનિવાર્ય ગણાવી. કાર્યક્રમમાં આયુર્વેદના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 'સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્' એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આયુર્વેદને માત્ર ઉપચાર પદ્ધતિ નહીં, પરંતુ જીવન જીવવાની એક કળા તરીકે રજૂ કરવામાં આવ્યું. દિનચર્યા અને ઋતુચર્યા મુજબ જીવનશૈલીમાં ફેરફાર કરવાથી અનેક રોગોને અટકાવી શકાય છે. વક્તાઓએ ગિલોય, અશ્વગંધા અને તુલસી જેવી જડીબુટ્ટીઓ દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂક્યો. શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા માટે પંચકર્મ અને માનસિક શાંતિ માટે યોગ-પ્રાણાયામની અસરકારકતા પણ સમજાવવામાં આવી. કાર્યક્રમના બીજા ચરણમાં ડો. મોના રાઠવાએ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે હોમિયોપેથી એ કુદરતી અને આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોમાં આ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં સૌ ઉપસ્થિતોએ સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે સામુહિક શપથ લીધા હતા.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:20 pm

AAP કાર્યકર દેવા મોરબીયાનો રાજુ બોરખતરિયા પર ટિકિટ વેચવાનો આરોપ:કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, ગોપાલ ઈટાલિયાના ગઢમાં AAPના કાર્યકર્તાઓમાં રોષ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે જૂનાગઢ જિલ્લામાં મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ પક્ષના પાયાના અને વફાદાર કાર્યકરોએ નેતાગીરી સામે બાયો ચડાવી છે. ખાસ કરીને વિસાવદર અને મેંદરડા વિસ્તારના સક્રિય કાર્યકરો દેવા મોરબીયા અને પુરુષોત્તમ વસાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રાજુ બોરખતરિયા પર ટિકિટોના સોદા કરવાના અને મનસ્વી રીતે ઉમેદવારો નક્કી કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. દેવા મોરબીયાએ કહ્યું, 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે, જ્યારે પુરુષોત્તમ વસાણીએ કહ્યું કે, વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી. ગઈકાલે પણ જુનાગઢ જિલ્લા એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે રાજુ બોર ખતરીયા અને આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો​સૌથી વધુ વિવાદ વિસાવદર બેઠક પર જોવા મળી રહ્યો છે, જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર ગણાય છે. અહીં ઉમેદવારની પસંદગીને લઈ કાર્યકરોમાં ભારે રોષ છે. કાર્યકરોનો આરોપ છે કે, જેમણે પક્ષ માટે લોહી રેડ્યું છે તેવા વફાદાર લોકોની અવગણના કરવામાં આવી છે. જે સીટ પર 14 સક્રિય કાર્યકરોએ ટિકિટ માંગી હતી, તે તમામને પડતા મૂકીને કોઈ 15મી જ વ્યક્તિને ટિકિટ આપી દેવાતા હોબાળો મચ્યો છે. જે વ્યક્તિએ ક્યારેય દાવેદારી પણ નોંધાવી નહોતી તેને પક્ષે ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં એવો મેસેજ ગયો છે કે પક્ષમાં સંગઠન કરતા 'સેટિંગ' વધુ ચાલી રહ્યું હોવાના ગંભીર રાક્ષકો કરવામાં આવ્યા છે. 'મન અને ધનથી કામ કર્યું, છતાં અવગણના કરવામાં આવી'​વર્ષ 2018થી 'આપ' સાથે જોડાયેલા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 17માં ચારેય ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરનાર પુરૂષોત્તમભાઈ વસાણીએ જણાવ્યું કે, 'મેં ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયા માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. છેલ્લા 10 મહિનાથી મનોજ સોરઠીયાના માર્ગદર્શનમાં સંગઠન મજબૂત કર્યું, છતાં અંતે વફાદાર કાર્યકરની અવગણના કરવામાં આવી.' પુરૂષોત્તમભાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમની નારાજગી આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો સામે નથી, પરંતુ જે રીતે ખોટા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા થઈ છે તેની સામે છે. રાજુ બોરખતરિયા ટિકિટો 'વેચી' રહ્યા​બીજી તરફ, મેંદરડા તાલુકાની આંબળા તાલુકા પંચાયત સીટના સહ-પ્રભારી દેવાભાઈ મોરબીયાએ કહ્યું, રાજુ બોરખતરિયા પક્ષને લોકશાહી ઢબે ચલાવવાને બદલે પોતાની 'પ્રાઇવેટ પેઢી' સમજીને મનમાની કરી રહ્યા છે. દેવાભાઈએ વિડિયોમાં આરોપ લગાવ્યો છે કે રાજુ બોરખતરિયા લાયક ઉમેદવારને ટિકિટ આપવાને બદલે ટિકિટો 'વેચી' રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો પાયાના કાર્યકરોની આ રીતે જ અવગણના થશે તો 2026ની સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવતી હોવાનો આરોપ​આ બંને કાર્યકરોએ પક્ષના પ્રદેશ નેતૃત્વ સામે પોતાની વાત મૂકી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા અને પ્રવિણ રામને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મામલે તાત્કાલિક દખલગીરી કરે. જો પાયાના કાર્યકરોની રજૂઆત સાંભળવામાં નહીં આવે, તો સંગઠનમાં મોટું ભંગાણ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આક્ષેપ કર્યા​જૂનાગઢમાં જે રીતે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, તે જોતા આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે લડવાને બદલે આમ આદમી પાર્ટીએ પોતાના જ નારાજ કાર્યકરોને મનાવવામાં વધુ શક્તિ ખર્ચવી પડશે. કાર્યકરોનો સ્પષ્ટ સંદેશ છે કે તેમને પક્ષના પ્રતીક સામે વાંધો નથી, પરંતુ પક્ષમાં ઘૂસી ગયેલી 'વ્યક્તિગત મનમાની' અને 'ભ્રષ્ટ કાર્યપદ્ધતિ' સામે તેમનો જંગ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયોએ રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે પક્ષનું મોવડી મંડળ આ વિવાદને કઈ રીતે થાળે પાડે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 5:02 pm

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેર પોલીસ સજ્જ:વડોદરા પોલીસ કમિશનરે કહ્યું: ચૂંટણી દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા સચોટ એક્શન પ્લાન તૈયાર, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, કાયદો ભંગ કરનારાઓને છોડવામાં નહી આવે

વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓ કરવામાં આવી હોવાથી તમામ કર્મચારીઓની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન અનુસરવાના માર્ગદર્શનો અને જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને બરદાશ્ત કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 25 ટકા કરતાં વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અને કાયદો ભંગ થવાના બનાવોને રોકી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ શાંતિ જાળવવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:57 pm

ચિયર લિડરે કોને ફ્લાઇંગ કિસ આપી?:ફિમેલ ફેને ક્રિકેટરનો હાથ ખેંચી લીધો, ઠેકડા માર્યાં; KKR ટ્રોલ થઈ, SRK ભડક્યો!, જુઓ VIDEO

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:55 pm

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 3 સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કયા જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'? હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 4:52 pm

ગોપીપુરાને પુનર્જીવિત કરવાના સંકલ્પ સાથે હૃદય ખોલી 'સ્વર્ણદાન':જૈન મહિલાઓએ હસ્તા મુખે ચેન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ દાનપાત્રમાં પધરાવી; 44 દેરાસરોની ભૂમિ ફરી ધબકશે

સુરતના ઐતિહાસિક ગોપીપુરા વિસ્તારને તેની અસલ ભવ્યતા પરત અપાવવા અને 'ઊર્જા ભૂમિ'ના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમટી પડેલા 15,000 થી વધુ શ્રાવક-શ્રાવિકાઓએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી હતી. ખાસ કરીને મહિલાઓએ સોનાના વધતા ભાવોની પરવા કર્યા વગર પોતાના કિંમતી આભૂષણો દાનમાં અર્પણ કરીને ભક્તિ અને ત્યાગનો નવો ઈતિહાસ રચ્યો છે. ચેન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ દાનપાત્રમાં પધરાવીકાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં દાન આપવા માટે ભારે હોડ જામી હતી. અનેક શ્રાવિકાઓએ હસતા મુખે પોતાના ગળામાંથી સોનાના ચેન, હાથની બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને આંગળીમાંથી હીરાની વીંટીઓ ઉતારીને દાનપાત્રમાં પધરાવી દીધી હતી. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન ત્યારે થયા જ્યારે અનેક મહિલાઓએ અત્યંત પવિત્ર ગણાતા મંગળસૂત્ર પણ 'ઊર્જા ભૂમિ'ના સંકલ્પ માટે અર્પણ કરી દીધા હતા. આ દ્રશ્યો જોઈ શ્રેષ્ઠીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગોપીપુરા 44 દેરાસરોની પવિત્ર ધરોહર'તળ સુરત'ની ઓળખ સમાન ગોપીપુરા વિસ્તાર 44 જૈન દેરાસરો ધરાવે છે. અમદાવાદ, વડોદરા અને સુરતના અગ્રણીઓના સહયોગથી આ વિસ્તારને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની પધરામણી અને નૃત્યોત્સવ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપીપુરાના જીર્ણોદ્ધારની સાથે ધાર્મિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. નવી પેઢીના સંસ્કારો અને ભવ્ય રથયાત્રાકાર્યક્રમની શરૂઆત એક આકર્ષક રથયાત્રાથી થઈ હતી, જેમાં વિવિધ પાઠશાળાઓના 1500 થી વધુ બાળકો મનોહર વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. આ દ્રશ્ય જૈન ધર્મના સંસ્કારોનું નવી પેઢીમાં સિંચન થતું હોવાની પ્રતીતિ કરાવતું હતું. બાળકોએ પણ પોતાના ગલ્લાની બચત આ ઉમદા કાર્ય માટે અર્પણ કરી વડીલોની સાથે ખભેખભા મિલાવ્યા હતા. 'સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી'સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે દાનની અપેક્ષા રાખી હતી, પણ આ રીતે સોનાના દાગીનાનો વરસાદ થશે તેવી કલ્પના નહોતી. મહિલાઓએ જે રીતે લાઈનો લગાવીને પોતાના ઘરેણાં આપ્યા છે તે સુરતના જૈન સમાજની ઉદારતા અને ધર્મ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આ દાનનો ઉપયોગ ગોપીપુરાના જીર્ણોદ્ધાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વેગ અને ધાર્મિક શિક્ષણ માટે કરવામાં આવશે. આ પ્રસંગે દરેક ભક્તને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગોપીપુરાની પવિત્રતાનો અનુભવ કરવા એકવાર ચોક્કસ મુલાકાત લે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:42 pm

કોંગ્રેસે સુરેન્દ્રનગર મનપા ચૂંટણી મેનીફેસ્ટો જાહેર કર્યો:શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા પર ભાર મુકાયો

કોંગ્રેસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનીફેસ્ટોમાં પક્ષે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રે, કોંગ્રેસે દરેક વોર્ડમાં પ્રાથમિક શાળા અને દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળા સ્થાપિત કરવાનું વચન આપ્યું છે. વધુમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે દરેક વોર્ડમાં લાઇબ્રેરી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે, મેનીફેસ્ટોમાં દરેક વોર્ડ દીઠ એક આરોગ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની વાત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે, પક્ષે સુરક્ષિત અને એસી સુવિધાવાળી હોસ્ટેલના નિર્માણની પણ જાહેરાત કરી છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે, કોંગ્રેસે દરેક ઝોનમાં મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાનું પણ પોતાના મેનીફેસ્ટોમાં સમાવેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:29 pm

પાટણ રેલવે અંડરબ્રીજની કામગીરીમાં બેદરકારીનો કોન્ટ્રાક્ટર સામે ગુનો:ખાલકશાપીર ફાટક પાસે સુરક્ષાના અભાવે ખાડામાં પડતા ઊંઝા STના મિકેનિકને ગંભીર ઈજા થઈ હતી

પાટણના ખાલકશાપીર રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજના નિર્માણ કાર્યમાં બેદરકારીને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૈરવ નગર સોસાયટી, પાટણના રહેવાસી અને ઊંઝા એસટી ડેપોમાં મિકેનિકલ તરીકે ફરજ બજાવતા દિપનકુમાર પ્રવીણકુમાર રાઠોડ 21 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે ખાલકશાપીર રેલ્વે ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા. અંડરબ્રીજનું કામ ચાલુ હોવા છતાં, કોન્ટ્રાકટર દ્વારા સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે અવરજવર માટે યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. રાત્રિના અંધકારમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે દિપનકુમાર બે અંડરગ્રાઉન્ડ બેઝ વચ્ચેની જગ્યામાં અચાનક પડી ગયા. આ અકસ્માતમાં દિપનકુમારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના મિત્ર અર્પિત દરજીએ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણની જનતા હોસ્પિટલ પહોંચાડ્યા. તબીબી તપાસમાં તેમને ડાબા હાથની ચાર આંગળીઓ, જડબા, ડાબા ખભા અને જમણા પગના થાપાના ભાગે ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. તેમને માથામાં સામાન્ય હેમરેજ પણ થયું હતું. જનતા હોસ્પિટલમાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના હાથ અને જડબાના ઓપરેશન કરવામાં આવ્યા. લાંબી સારવાર બાદ સ્વસ્થ થયા પછી, દિપનકુમારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 125(b) હેઠળ બેદરકારીથી ઈજા પહોંચાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એએસઆઈ જીગરકુમાર નટવરલાલ જોષીને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:28 pm

DIG વિધિ ચૌધરીએ દાહોદની મુલાકાત લીધી:અત્યાધુનિક પોલીસ કંટ્રોલ રૂમનું લોકાર્પણ; PI ને ચૂંટણી માર્ગદર્શન આપ્યું

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) વિધિ ચૌધરીએ તાજેતરમાં દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી, જેમાં તેમણે અત્યાધુનિક પોલીસ કંટ્રોલ રૂમનું લોકાર્પણ પણ કર્યું. તા. 7/4/2026 ના રોજ યોજાયેલી આ મુલાકાત દરમિયાન, DIG ચૌધરીએ જિલ્લામાં નવનિયુક્ત થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ, સુરક્ષા વ્યવસ્થા અને આચારસંહિતાના કડક અમલીકરણ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. પોલીસને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્ક રહેવા આદેશ અપાયા હતા. આ પ્રવાસનું એક મુખ્ય પાસું દાહોદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનું નવીનીકરણ અને લોકાર્પણ હતું. લોક સહયોગથી તૈયાર કરાયેલો આ અત્યાધુનિક કંટ્રોલ રૂમ હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ છે. તે ગુનાખોરી ડામવા અને કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ આપવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, મુખ્ય મથક દાહોદના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારી સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ તંત્રની આ સક્રિયતા દર્શાવે છે કે દાહોદ જિલ્લામાં આગામી ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. આ આધુનિક કંટ્રોલ રૂમ કાર્યરત થવાથી જિલ્લામાં સર્વેલન્સ અને મોનિટરિંગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:27 pm

સુરેન્દ્રનગરમાં હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ પર CCTV ફરજિયાત:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું, 31/05/2026 સુધી અમલ

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ સહિતના વિવિધ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે.જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરના તમામ ઢાબા, ટી સ્ટોલ, ખાણી-પીણીના સ્થળો, આંગડિયા પેઢીઓ અને મનોરંજનના સ્થળોએ હાઈ ડેફિનેશન (HD) અને નાઈટ વિઝન સુવિધાવાળા સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત કરવા પડશે. આ કેમેરા સિસ્ટમમાં ઓછામાં ઓછું એક માસનું બેકઅપ જળવાઈ રહે તેવા ડી.વી.આર. (ડિજિટલ વિડીયો રેકોર્ડર) રાખવા પણ ફરજિયાત છે.હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, શોપિંગ મોલ/કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, રેસ્ટહાઉસ, સોનીની દુકાનો, બેંકો અને ધર્મશાળાઓ/મુસાફિરખાના જેવા સ્થળોએ અંદર અને બહાર બંને જગ્યાઓ સંપૂર્ણપણે આવરી લેવાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે. વધુમાં, એક કેમેરો રોડ પરની અવરજવર અને પ્રવેશ-નિકાસના માર્ગોને સંપૂર્ણપણે આવરી લે તે રીતે સ્થાપિત કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડશે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ-223 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર બનશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:26 pm

છઠીઆરડા શાળામાં પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન યોજાયું:સ્વ. જયાબેન રબારીની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને ભોજન પીરસાયું

છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળામાં મંગળવાર, 7 એપ્રિલ, 2026ના રોજ સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભોજન દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ (ભુવાજી) અને તેમના નાના ભાઈ કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ (કાંટાવાળા)નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વ. જયાબેન ગોવિંદભાઈ રબારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. તેમની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. આ અવસરે દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ, કાનજીભાઈ અરજણભાઈ દેસાઈ, શિક્ષક રાજુભાઈ પટેલ, અતુલભાઈ પટેલ અને ચેતનભાઈ મોદીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. શાળા પરિવારે દાતાઓના સેવાકીય કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે દાતા પરિવારે સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કિરણભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય જયપ્રકાશ સથવારાએ દાતા ગોવિંદભાઈ અરજણભાઈ દેસાઈ અને કાનજીભાઈ અરજણભાઈ દેસાઈની શાળાની જરૂરિયાતોમાં મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી. તિથિ ભોજન માટે છઠીઆરડા પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આમંત્રિત કરાયા હતા. કાર્યક્રમ બાદ તમામ વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું, જેનો વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:23 pm

હિન્દુ ધર્મ આચાર્ય સભાનું નવમું અધિવેશન બેંગ્લોરમાં:સનાતન ધર્મના સંરક્ષણ અને એકતા પર સંતોનું મંથન

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ માટે કાર્યરત 'હિન્દુ ધર્મ આચાર્ય સભા'નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે સંપન્ન થયું. આ અધિવેશનનું યજમાનપદ આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજે સંભાળ્યું હતું.આર્ષ વિદ્યામંદિરના સુપ્રસિદ્ધ સંત સ્વામી દયાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સ્થાપિત આ સભામાં ભારતભરના 200 વર્ષથી પણ વધુ જૂના વિવિધ સંપ્રદાયોના આશરે 90 જેટલા મૂર્ધન્ય ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.વર્તમાનમાં આ સભાના સંરક્ષક તરીકે રમણ રેતી વૃંદાવનના સંત કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે. અધ્યક્ષ સ્થાને પંચદશનામ જુના અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર અવધેશાનંદજી મહારાજ અને કન્વીનર તરીકે આર્ષ વિદ્યામંદિર રાજકોટના અધ્યક્ષ પરમાત્માનંદજી મહારાજ સેવા આપી રહ્યા છે. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વી.એચ.પી.ના અધ્યક્ષ આલોકજી પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાંથી જામનગરના પ્રણામી સંપ્રદાયના વડા કૃષ્ણમણીજી મહારાજ, SGVP ના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ (ચંપારણ્ય પીઠ) અને સંતપંથ પ્રેરણાધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ – સન્યાસ આશ્રમ અમદાવાદ જેવા સંતોએ હાજરી આપી હતી.અધિવેશનમાં અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી. જેમાં નવી શિક્ષણ નીતિનું શાળા-કોલેજોમાં અસરકારક અમલીકરણ અને દેશભરના લાખો મઠ-મંદિરોની સરકારી નિયંત્રણ હેઠળની સંપત્તિને મુક્ત કરાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી.સંમેલનમાં 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની અભિનેત્રીઓ અને લવ જેહાદનો ભોગ બનેલી બહેનોએ પોતાની આપવીતી રજૂ કરી હતી. આ ઘટના બાદ હિન્દુ દીકરીઓની સુરક્ષા અને ઘરવાપસી જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ કરવાનો નિર્ધાર કરાયો.ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના તમામ ધર્માચાર્યોએ પોતાના વ્યક્તિગત પ્રોટોકોલને બાજુ પર મૂકીને એકસૂત્રતા સાધી હતી. આ સભા હિન્દુ સમાજને સંગઠિત કરવા અને રાષ્ટ્રીય સમસ્યાઓના નિરાકરણ માટે ફળદાયી રહી.આદિ ચૂનચૂનગિરિ મઠના સંન્યાસીઓ, ઋષિકુમારો, સ્વયંસેવકો તથા આર્ષ વિદ્યામંદિરના સંન્યાસીઓ અને સંન્યાસીનીઓએ આ અધિવેશનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:22 pm

અરવલ્લીમાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે માવઠું:મોડાસા, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ

અરવલ્લી જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ મોડાસા, મેઘરજ અને માલપુર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઘટનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ભારે પવન ફૂંકાયો હતો. મોડાસા શહેર ઉપરાંત આનંદપુર કંપા, ખાલીકપુર, ટીંટોઇ, ઉમેદપુર, જીવણપુર સહિતના અનેક ગામોમાં તોફાની વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. હાલ પણ વાતાવરણમાં પલટો યથાવત છે અને વધુ વરસાદ પડવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:22 pm

ડો.બાબાસાહેબની જન્મજયંતિએ સર્જાશે સમરસતાનો સંગમ:જૂનાગઢમાં ભીમ જન્મોત્સવ નિમિત્તે ઐતિહાસિક મહારેલી: એસસી, એસટી, ઓબીસી અને મુસ્લિમ સમાજ બંધારણના રક્ષણ માટે એક જ મંચ પર આવશે

​જૂનાગઢની પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર આગામી 14 મી એપ્રિલના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક અભૂતપૂર્વ અને યાદગાર ક્ષણ સર્જાવા જઈ રહી છે.આ વર્ષે બાબાસાહેબની શોભાયાત્રા માત્ર એક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતા, સામાજિક ન્યાય, સમાનતા અને ભાઈચારાનો એક મજબૂત મંત્ર બનીને ઉભરી આવશે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે દલિત, પછાત અને લઘુમતી સમાજના લોકો ખભેખભા મિલાવીને એકતા અને સમરસતાનો સંદેશ આપવા માટે રસ્તા પર ઉતરશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંવિધાનના મૂલ્યોનું જતન કરવું અને સમાજમાં વ્યાપ્ત અસમાનતા સામે એક થઈને અવાજ બુલંદ કરવાનો છે. ​આ ભવ્ય શોભાયાત્રાના સુચારુ આયોજન અને રણનીતિ ઘડવા માટે તાજેતરમાં કેવડાવાડી સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર છાત્રાલય ખાતે એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટર હસમુખભાઈ (ખોડાભાઈ) મકવાણા, જાણીતા એડવોકેટ અશોકભાઈ સોલંકી, ઓબીસી સમાજના પ્રખર નેતા બટુકભાઈ મકવાણા, મુસ્લિમ સમાજના આગેવાન સુહેલભાઈ સિદ્દીકી અને મધુર સોશિયલ ગ્રુપના સલીમભાઈ ગુજરાતી સહિતના અગ્રણીઓએ હાજર રહીને આ યાત્રાને સફળ બનાવવા માટેના સૂચનો આપ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે વર્તમાન સમયમાં બંધારણીય અધિકારોના રક્ષણ માટે તમામ પછાત અને લઘુમતી વર્ગોનું એક મંચ પર આવવું અનિવાર્ય છે. ​ આ યાત્રાનો પ્રારંભ કેવડાવાડી ખાતે આવેલા ડૉ. ભીમરાવ આંબેડકર છાત્રાલયથી કરવામાં આવશે. પ્રારંભ પૂર્વે બાબાસાહેબની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચિત્તાખાના ચોક અને આઝાદ ચોક થઈને પસાર થશે. આ સમગ્ર માર્ગ પર વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાનું અંતિમ મુકામ કાળવા ચોક રહેશે, જ્યાં બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરી મહાઆરતી અને વિશિષ્ટ સંકલ્પ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે. ​અનુસૂચિત જાતિના અગ્રણી એડવોકેટ અશોક સોલંકીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર હસમુખભાઈ મકવાણાએ જે વિચાર રજૂ કર્યો છે તે ખરેખર ઉમદા અને સમયની માંગ છે. તેમણે કહ્યું કે જૂનાગઢમાં આપણે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોએ સાથે મળીને એક મહારેલીનું આયોજન કરવાનો જે નિર્ધાર કર્યો છે, તે આપણા સૌના સમાન પ્રશ્નોના નિરાકરણ માટેનો પ્રથમ સોપાન છે. આપણે એકબીજાને સહકાર આપીશું તો જ આપણા હક અને અધિકારોનું રક્ષણ કરી શકીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ લડત માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ આપણા બંધારણીય હકોને બચાવવા માટેની એક મોટી ચળવળનો ભાગ છે, જેમાં તમામ ભાઈ-બહેનોએ જોડાવું જોઈએ. ​મહાનગરપાલિકાના કોર્પોરેટર હરસુખભાઈ મકવાણાએ પણ તમામ જ્ઞાતિજનોને જાહેર આમંત્રણ આપતા જણાવ્યું હતું કે 14 મી એપ્રિલ એ માત્ર એક વ્યક્તિનો જન્મદિવસ નથી પણ કરોડો વંચિતો માટે આશાનું કિરણ છે. તેમણે જય ભીમ, નમો બુદ્ધાય ના નારા સાથે અપીલ કરી હતી કે આ વર્ષે અમે તમામ સમાજને સાથે લઈને રેલીનું આયોજન કર્યું છે. કેવડાવાડી છાત્રાલયથી શરૂ થનારી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને બાબાસાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડે તેવી મારી નમ્ર વિનંતી છે. આ આયોજન થકી આપણે સાબિત કરીશું કે જૂનાગઢનો દલિત અને ઓબીસી સમાજ હવે જાગૃત થયો છે. ​લઘુમતી સમાજના અગ્રણી સોહિલ સિદકીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બંધારણ ઉપર કોઈ પણ પ્રકારની આંચ કે કટોકટી આવતી હોય, ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે બહાર આવીએ.આ મહારેલીનો મુખ્ય હેતુ સમસ્ત સમાજની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો છે. જો આપણે એક હશું તો જ બંધારણ સુરક્ષિત રહેશે. ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, માઈનોરિટી સમાજે આ રેલીમાં મહત્તમ સંખ્યામાં જોડાઈને સામાજિક એકતાના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપવી જોઈએ. આ યાત્રા માત્ર કોઈ એક જ્ઞાતિ કે ધર્મની નહીં, પરંતુ બંધારણમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દરેક લોકોની યાત્રા બની રહેશે. શહેરના દરેક ખૂણેથી આવનારા લોકો કાળવા ચોક ખાતે જ્યારે એકત્ર થશે, ત્યારે તે દ્રશ્ય જૂનાગઢની ગંગા-જમના સરસ્વતી તહઝીબ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ પૂરું પાડશે. આયોજકો દ્વારા લોકોને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આહવાન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:22 pm

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે:ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા મોબાઇલ ફોનની લત છોડવા માટે ૫ સહેલા પરંતુ અસરકારક ઉપાય

‘રીલ મુક્તિ કેન્દ્ર’ વિશેનો મીમ આજે નેટીઝન્સમાં ખૂબ ચર્ચામાં છે, અને સાચું કહીએ તો, તે હકીકતને ખૂબ નજીક છે. એક સર્વે મુજબ, Gen Z દિવસમાં ૧૫૦થી વધુ વખત ફોન ચેક કરે છે, જે સામાન્ય મર્યાદાથી ઘણું વધારે છે. સ્માર્ટફોનની લત હવે ચિંતા, બેચેની અને FOMO (Fear of Missing Out) જેવા લક્ષણો રૂપે દેખાઈ રહી છે. આથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે લગભગ ૫૬% લોકો ગેમિંગ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પૈકી ઓછામાં ઓછા એકમાં તો લતગ્રસ્ત છે; અને ૨૫% લોકો ફોન દૂર હોય ત્યારે Withdrawal symptoms અનુભવે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી લતને ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે: “જે વસ્તુ હોય ત્યારે આનંદ નથી આપતી, પણ ના હોય ત્યારે પીડા આપે — તે જ લત છે.” જ્યારે મન અને શરીર સ્ક્રીન સાથે જોડાઈ જાય છે, ત્યારે સૌથી પહેલા અસર ધ્યાન પર પડે છે. મગજ સતત નોટિફિકેશન, સ્ક્રોલિંગ અને ઝડપી રિવોર્ડ્સનો આદી બની જાય છે, અને એક વિચાર પર સ્થિર રહેવાની ક્ષમતા ઘટે છે. ડોપામિનના સ્તર વધે છે, પરંતુ આ આનંદ ટૂંકા સમય માટે જ રહે છે, જેનાથી બેચેની, ઉત્સાહમાં ઘટાડો અને ભાવનાત્મક થાક અનુભવાય છે. ઉંઘની રીત બગડે છે, આંખો અને ગળામાં તાણ રહે છે, અને નર્વસ સિસ્ટમ હંમેશા એલર્ટ સ્થિતિમાં રહે છે. સમય જતા ચિંતા વધે છે, બોર થવું સહન થતું નથી, અને શાંતિમાં રહેવું મુશ્કેલ લાગે છે. તો જ્યારે ડિજિટલ લાલચ વધે ત્યારે શું કરવું? 1. Switch Off to Switch On “ફોન આજકાલ પાણી જેવો છે — જરૂરી છે, પણ સતત ઉપયોગ જરૂરી નથી,” ગુરુદેવ કહે છે, સૂતા પહેલા ઓછામાં ઓછા ૨ કલાક ફોન બંધ રાખો અને સવારે ઉઠ્યા પછી પણ ૨-૩ કલાક ફોનથી દૂર રહો. આ તમારા મન અને નર્વસ સિસ્ટમને આરામ અને પુનઃઉર્જા મેળવવા માટે સમય આપે છે. 2. Craving- તીવ્ર ઇરછા ને સમજો ગુરુદેવ કહે છે: “ક્રેવિંગ એ આનંદની યાદનો પુનરાવર્તન છે.” સ્ક્રોલિંગ કે ગેમિંગથી મળતો આનંદ ક્ષણિક છે. આ સત્યને સમજતા જ, લાલચ ધીમે ધીમે ઓછી થાય છે. 3. Vow-પ્રતિજ્ઞા સાથે શરૂ કરો નાની અને શક્ય પ્રતિજ્ઞા લો: “આગામી ૭ દિવસ હું રાત્રે ૮ પછી ફોન ઉપયોગ નહીં કરું.” જો ભૂલ થાય, તો ફરીથી શરૂ કરો. આ આત્મનિયમ તમને આંતરિક શક્તિ આપે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:20 pm

એચ.એ. કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો:મેગેઝીન 'ઉર્જા'નું વિમોચન, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ મહોત્સવ અને કોલેજ મેગેઝીન “ઉર્જા”નો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પોરીઆ અને અદાણી સ્કીલ ફાઉન્ડેશનના સીઈઓ જતીન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ડો. કિશોર પોરીઆએ જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો માટે ઘણી તકો ઉપલબ્ધ છે, જેનાથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. કાર્યક્રમના અતિથિ વિશેષ અદાણી સ્કીલ ફાઉન્ડેશનના સીઈઓ જતીન ત્રિવેદીએ સ્કીલ બેઝ્ડ કોર્ષીસ દ્વારા આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને સંબોધતા કહ્યું કે, ગળાકાપ હરીફાઈ, સોશિયલ મીડિયાનો પ્રભાવ અને વધુ પડતી અપેક્ષાઓને કારણે યુવાનો નિરાશ થાય છે. તેમણે યુવાવસ્થાથી જ લક્ષ્ય નક્કી કરીને સખત પરિશ્રમ અને સ્માર્ટ વર્ક દ્વારા ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, એનએસએસ, એનસીસી તથા સ્પોર્ટ્સમાં સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમારંભનું સંચાલણ પ્રો. મહેશ સોનારાએ કર્યું હતું, જ્યારે આભારદર્શન પ્રો. અનુરાધા પાગેદારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:19 pm

હિંમતનગરમાં કમોસમી વરસાદ વરસ્યો:ભારે પવન અને વીજળીના કડાકા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાં

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને પ્રાંતિજના મજરા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે બપોર બાદ હિંમતનગરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા અને પવનના કારણે બોર્ડ-બેનરો ઉડતા જોવા મળ્યા હતા. જોકે, આ વરસાદ માત્ર થોડી મિનિટો માટે જ રહ્યો હતો. હિંમતનગર આસપાસના ગાંભોઈ, મોરડુંગરા, ગામડી, જવાનપુરા, બાંખોર, રૂપાલકંપા, ટીંબાકંપા અને બાવસર જેવા ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, હિંમતનગરના રૂપાલ અને રાયગઢ પંથકમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. પ્રાંતિજના મજરા પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથેના આ વરસાદને કારણે મજરા-ચંદ્રાલા નેશનલ હાઈવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:18 pm

રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું:સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 બાળકોને કેરીનો રસ, પૂરી સહિતનું ભોજન

રાહી ફાઉન્ડેશન દ્વારા નવા વાડજ, અખબાર નગર સર્કલ સ્થિત સ્મિત ચાઇલ્ડ સ્કૂલના 50 મનોદિવ્યાંગ બાળકો માટે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજનમાં કેરીનો રસ, પૂરી, ખમણ, શાક અને પાપડનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં બાળકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનના આયોજનમાં દાતા શ્રી વર્ષાબેન શાહ અને રીંકુબેન પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પરીખ અને અશોકભાઈ દલાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના સંચાલકશ્રીનો પણ આ કાર્યક્રમમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:18 pm

NIMCJ વિદ્યાર્થીઓએ વડનગરની મુલાકાત લીધી:ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો

NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કરવાનો હતો. વિદ્યાર્થીઓએ શાળા, બૌદ્ધ મઠ અને શહેરની હેરિટેજ વૉક જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો. તેમણે તાજેતરમાં જ શરૂ કરાયેલ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ અનુભવ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:17 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા ગોમતીપુરમાં ખીચડી-છાશ વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને 221મા પ્રોજેક્ટનો લાભ મળ્યો

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને ખીચડી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તુલસી પાર્ક, ઝૂલતા મિનારા પાસે યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 221મો ખીચડી વિતરણ પ્રોજેક્ટ હતો, જેમાં શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી શ્રી જયેશ પરીખ, નિહારિકા પરીખ, મહેન્દ્ર પટેલ, જગદીશ પીલુચિયા, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:17 pm

મિલન દરજી ગેંગના ફરાર આરોપીઓ પકડાયા:મયુર અને વિશાલની બેંક ખાતાની કીટ મેળવવાથી લઈ દુબઈમાં ATMથી નાણાં ઉપાડવા સુધીની ભૂમિકા

સુરત સાયબર ક્રાઈમ સેલે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા 'મિલન દરજી ગેંગ'ના 2 મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ દુબઈથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ્ડ સાયબર ક્રાઈમનું નેટવર્ક ચલાવતી હતી. પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે બેરીયો કાકડીયા અને વિશાલ ઉર્ફે ગોળી ગોધાણીનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ ગેંગના મુખ્ય સૂત્રધાર મિલન દરજી માટે બેંક એકાઉન્ટ કીટ મેળવવાથી લઈને દુબઈમાં ATM મારફતે નાણાં ઉપાડવા સુધીની મહત્વની ભૂમિકા ભજવતા હતા. દુબઈ કનેક્શન અને બેંક એકાઉન્ટનું મોટું નેટવર્કઆ કેસમાં પકડાયેલા પહેલા આરોપી મયુર ઉર્ફે બેરીયો કાકડીયાની ભૂમિકા અત્યંત ગંભીર છે. તે સીધો મુખ્ય આરોપી મિલન દરજી સાથે દુબઈમાં રહીને કામ કરતો હતો. મયુરનું મુખ્ય કામ ભારતના અલગ-અલગ બેંક એકાઉન્ટ્સના ATM કાર્ડ દ્વારા દુબઈમાં 'દિરામ' (UAE Currency) ઉપાડવાનું હતું. આ નાણાં તે મિલન દરજી સુધી પહોંચાડતો હતો. બીજી તરફ, બીજો આરોપી વિશાલ ગોધાણી સુરતમાં રહીને અગાઉ પકડાયેલા આરોપી અજય ઈટાલિયાના કહેવાથી અલગ-અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટની કીટો મેળવીને અજય અને જલ્પેશ નડીયાદરાને પૂરી પાડતો હતો. ચાઈનીઝ ગેંગ સાથે મળીને આચરતા હતા છેતરપિંડીતપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચાઈનીઝ ગેંગ સાથે મળીને ઇન્ટરનેશનલ લેવલ પર સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતી હતી. તેઓ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઓફિસ ભાડે રાખીને આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. ભારતીય નાગરિકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટ્સ મેળવી, આ એકાઉન્ટમાં ચાઈનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ ગેંગ એટલી હદે સક્રિય હતી કે ધરપકડ બાદ પણ તેમની ગેરકાયદે પ્રવૃતિઓ ચાલુ રહેતા પોલીસ દ્વારા GCTOC ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન મળી આવ્યો ટેકનોલોજીનો ખજાનોસાયબર ક્રાઈમ સેલે જ્યારે મોટા વરાછા સ્થિત સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ પાડી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઓફિસ અને આરોપીઓના ઘરેથી સર્ચ દરમિયાન 28 મોબાઈલ ફોન, 86 ડેબિટ કાર્ડ અને 180 બેંક પાસબુક મળી આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી 30 ચેકબુક, 258 જેટલા વિવિધ કંપનીના સિમકાર્ડ, 7 હિસાબની ડાયરીઓ, 1 કોમ્પ્યુટર, 1 CPU અને 1 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનેરા બેંકના 261 જેટલા એકાઉન્ટ્સમાં નેટ બેંકિંગ દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું જણાયું હતું. GCTOC હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહીઆરોપીઓ દ્વારા આચરવામાં આવતો ગુનો સંગઠિત અપરાધની શ્રેણીમાં આવતો હોવાથી 'ધ ગુજરાત કંટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015' (GCTOC) ની કલમ 3(1)(2), 3(2) અને 3(4) મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો દેશના નિર્દોષ નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમ આચરતા હતા. છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આ બે સાગરીતો પકડાતા હવે ગેંગના અન્ય નેટવર્ક પરથી પણ પડદો ઊંચકાશે. અગાઉ 14 જેટલા આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડમિલન દરજી ગેંગ વિરુદ્ધની આ તપાસમાં સુરત પોલીસે અત્યાર સુધીમાં કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અજય ઈટાલિયા, જલ્પેશ નડીયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળીયા અને બ્રિજેશ ઈટાલિયા જેવા મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અલગ-અલગ વ્યવસાયો જેવા કે લોન કન્સલ્ટન્સી, નોકરી કે બાંધકામની આડમાં આ રેકેટમાં જોડાયેલા હતા. સાયબર ક્રાઈમ સેલ હવે આ ગેંગના અન્ય નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:15 pm

વડનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાણીની ટાંકી ધરાશાયી:સીન્ટેક્સની ટાંકી ઈકો ગાડી પર પડતા કારનો કુરચો બોલાયો, મોટી જાનહાનિ ટળી

વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે ઊંચાઈ પર ગોઠવવામાં આવેલી સીન્ટેક્સની વિશાળ પાણીની ટાંકી અચાનક નીચે પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નીચે પાર્ક કરેલી એક ઇકો ગાડીનો કુરચો બોલાઈ ગયો હતો, પરંતુ સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. હોસ્પિટલના માળખાકીય ફિટિંગમાં ખામીને કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. પાણીની ટાંકી ધડાકાભેર નીચે કાર પર પડીહોસ્પિટલ બિલ્ડિંગ પર સ્થિત પાણીની ટાંકી અચાનક ધડાકાભેર નીચે પડતા ટાંકીના વજન અને પાણીના પ્રચંડ ફોર્સને કારણે નીચે ઉભેલી ઇકો ગાડીના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અણધારી ઘટનાથી દર્દીઓના સગા અને હોસ્પિટલ સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટાંકીના લોખંડના સ્ટ્રક્ચર અથવા ફિટિંગમાં રહેલી ખામી અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશઆ દુર્ઘટનાએ હોસ્પિટલના માળખાકીય મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જો આ ટાંકી ચાલુ અવરજવર દરમિયાન કોઈ વ્યક્તિ પર પડી હોત તો પરિણામ જીવલેણ હોત. લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે હોસ્પિટલના તમામ જોખમી સ્ટ્રક્ચરનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:14 pm

ઝુંડાલમાં સ્વધા ફાઉન્ડેશને ડ્રોઇંગ સ્પર્ધા યોજી:વંચિત 45 બાળકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા

ઝુંડાલમાં સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા વંચિત બાળકો માટે એક ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 45 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે, 16 બાળકોને ગોલ્ડ મેડલ અને 29 બાળકોને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર વિતરણ સમારોહ મુખ્ય અતિથિ શ્રી સુરેશ ક્રિશ્ચિયન અને કોર્પોરેટર જસવંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી સંદીપ શ્રીવાસ્તવ અને સચિવ શ્રી બી.આર. પાંડે દ્વારા વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:09 pm

કાપોદ્રામાં તાપી નદીમાંથી પરિણીતાની લાશ મળી:ઘર કંકાશી કંટાળીને મહિલાએ ઘર છોડ્યું, તાપી નદીમાં પડતું મૂકી આપધાત કર્યો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 42 થી 45 વર્ષીય લાભુબેન શૈલેષભાઈ બારૈયાએ પારિવારિક ઝઘડાથી વ્યથિત થઈ કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ગત રોજ મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ આજે સવારે તેમનો મૃતદેહ નદીમાં તરતો મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ઉત્રાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી નદીમાં તરતી લાશ લોકોને નજરે પડીઆજે સવારે અંદાજે 10 વાગ્યાના અરસામાં કાપોદ્રા બ્રિજ પરથી મોટા વરાછા તરફ જતા રસ્તા પર તાપી નદીના પાણીમાં એક મહિલાની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોના નજરે પડ્યું હતું. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડ કંટ્રોલ વિભાગને જાણ કરવામાં આવતા જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી તેનો કબજો પોલીસને સોંપ્યો હતો. પારિવારીક ઝઘડામાં માઠું લાગતા ઘરેથી નીકળી ગયાપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક મહિલા કાપોદ્રાની આદર્શ સોસાયટીમાં રહેતા હતા. ગત રોજ તેમને પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેનું માઠું લાગી આવતા તેઓ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ આખી રાત તેમની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે તેમના આપઘાતના સમાચાર મળ્યા હતા. મહિલાના ભાઈએ મૃતદેહની ઓળખ કરીઘટનાની જાણ થતા વરાછા રોડ પરની નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા મહિલાના ભાઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ કાપોદ્રા પોલીસે મૃતદેહનો કબજો ઉત્રાણ પોલીસને સોંપ્યો છે, કારણ કે ઘટના સ્થળની હદ ઉત્રાણ પોલીસ મથકમાં આવતી હોવાથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:08 pm

ગઢડામાં ખેડૂત પાસેથી ₹10 લાખના બદલે 70 લાખની ઉઘરાણી:પુત્રે ટૂકડે ટૂકડે લીધેલા નાણા સામે વ્યાજખોરે જમીનના દસ્તાવેજ લખાવી લીધા, જાનથી મારવાની ધમકી આપી

ગઢડા તાલુકામાં વ્યાજખોરો દ્વારા એક ખેડૂત પરિવારને માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર 10 લાખ રૂપિયાના ધિરાણ સામે વ્યાજખોરે 70 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ખેડૂતની ખેતીની જમીન પોતાના નામે કરાવી લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાયાની ફરિયાદ ગઢડાના ખેડૂત વલ્લભ ગઢીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પુત્ર નરેશે આશરે 7 થી 8 વર્ષ પહેલા આરોપી ભગુ બોરીચા પાસેથી ટુકડે-ટુકડે અંદાજે 10 લાખ રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા. સમય જતાં આરોપીએ વ્યાજનું ચક્રવૃદ્ધિ ગણિત માંડી 10 લાખની રકમ સામે 70 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી. ધમકી આપી જમીન લખાવી લીધીફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, આરોપી ભગુ બોરીચા અવારનવાર તેમના ઘરે આવીને ગાળાગાળી કરતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ દબાણ હેઠળ આવીને વ્યાજખોરે ખેડૂતની જમીનના સાટાખત અને ત્યારબાદ દસ્તાવેજ પણ પરાણે પોતાના નામે કરાવી લીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જમીન હડપી લીધા બાદ પણ આરોપી હજુ વધુ નાણાંની માંગણી કરી રહ્યો છે. વીડિયો પુરાવો અને પોલીસ કાર્યવાહીવ્યાજખોરના ત્રાસની આ સમગ્ર ઘટનાનો પરિવારજનોએ મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે તેમ છે. ખેડૂત પરિવારની અરજીના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે વિવિધની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે: ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023: કલમ 351(3), 352 ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011: કલમ 33(3), 40, 42(D) હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:08 pm

સીમાંકન પર વિરોધ ને ચૂંટણી બહિષ્કારના બેનર:સૂચિત રિંગ રોડ અને ટીપી સ્કીમથી જમીન ગૂમાવવાનો ખેડૂતોને ડર, ઉચરપી ગામ બાદ હવે તાવડીયામાં લાગ્યા બેનરો

મહેસાણા મનપાની રચના બાદ સીમાંકન અને વિકાસના નક્શાઓને લઈ વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઉચરપી ગામ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા તાવડીયાના ગ્રામજનોએ પણ મનપાની આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના ગામમાં બેનર લગાવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. આ વિરોધનું મુખ્ય કારણ નવા સૂચિત રિંગ રોડ, ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો ભય છે. તાવડીયા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, મહેસાણાના વિકાસ માટે તૈયાર કરાયેલા પ્લાનમાં અધિકારીઓએ ઓફિસમાં બેઠા-બેઠા અણઘડ આયોજન કર્યું છે. ગામની આસપાસ 80 મીટર, 30 મીટર અને 24 મીટર જેવા અનેક નાના-મોટા રસ્તાઓ દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે 200થી વધુ પરિવારોની ખેતીલાયક જમીન અને રહેણાંકના પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે બેથી પાંચ વીઘા જેવી મર્યાદિત જમીન છે, જેમાં ટીપી સ્કીમ હેઠળ 40 ટકા કપાત થતા તેમની પાસે પશુપાલન અને ખેતી માટે કંઈ જ બાકી રહેશે નહીં. ખાસ કરીને 80 મીટરના રિંગ રોડને કારણે અનેક ખેડૂતોના પાણીના બોર અને પિયતની લાઈનો નાશ પામશે, જેની સીધી અસર ગામના લાખો લિટર દૂધના ઉત્પાદન પર પડશે. ગામના સ્થાનિક ફલજીભાઈએ જણાાવ્યું હતું કે ગામની નજીકમાં બિલકૂલ બાયપાસ જોઈએ નહીં. અમારા ગામની જમીન જાય એમ છે અને ખેતીનો વ્યવસાય પડી ભાંગે એમ છે. કોઈ પાર્ટીને ગામમાં આવવા દેવાના નથી. એટલે અમારે ચૂંટણીનો પૂરો બહિષ્કાર છે. ખેડૂત અગ્રણી સંગ્રામભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સરકારને વિનંતી કરતા જણાવ્યું છે કે, આ આડેધડ રસ્તાઓના આયોજનથી ખેડૂતોની મહામૂલી જમીન, પિયતના બોર અને પાઈપલાઈન નષ્ટ થશે. જેના કારણે ગામનું લાખો લિટર દૂધ ઉત્પાદન ઠપ્પ થઈ જશે અને સેંકડો પરિવારો બેરોજગાર બની જશે. 40 ટકા કપાતના કાયદા સામે વાંધો ઉઠાવતા ખેડૂતોએ માંગ કરી છે કે 80 મીટરના રિંગરોડને શામળાજી-રામપુરા ચોકડીથી ફતેપુરા તરફ ડાયવર્ટ કરવામાં આવે જેથી ખેતી બચાવી શકાય. જો અધિકારીઓ દ્વારા ઓફિસમાં બેઠા તૈયાર કરાયેલા આ 'અણઘડ' પ્લાનમાં સુધારો કરી ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે, તો નવા જોડાયેલા 25 ગામોને સાથે રાખીને આગામી સ્થાનિક ચૂંટણીઓ, 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણીના બહિષ્કાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિજયભાઈ જણાવ્યું હતું કે જમીનો અમારી પાસે બહુ ઓછઈ છે. મુખ્યવ્યવાસ પશુપાલન અને ખેતી છે. જીવાદોરી સમાન છે. રોડ નજીક આવે તો ઘર ક્યાં બનાવવા અને ખેતી માટે ક્યાં જવું. તો દૂર લઈ જઈ તો નગરપાલિકાનું અને ગામનું સચવાય જાય. અમારો ખોટો વિરોધ નથી. કાયદેસર ભારતના નાગરિક તરીકે રજૂઆત કરીએ શકીએ. ચાર કે પાંચ રોડ આવે છે. ટીપી સ્કીમ અને ભારતમાલાનો રોડ ગામની બાજુ આવે છે. એટેલ નુકસાન થાય છે જંત્રી ઓછી હોવાના કારણે વળતર કાંઈ ખાસ મળે એમ નથી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 4:06 pm

દાહોદમાં ચૂંટણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી:5 થી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ; ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓને કારણે દાહોદ જિલ્લામાં તા. 01/04/2026 થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. ચૂંટણી અન્વયે આગામી તા. 26/04/2026 ના રોજ મતદાન અને તા. 28/04/2026 ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. 30/04/2026 સુધીમાં પૂર્ણ થનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર શાંતિ અને સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસ અધિક્ષકશ્રી, દાહોદની દરખાસ્તને ધ્યાને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ મંજૂરી વિના મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર નિયંત્રણો લાદવાની આવશ્યકતા જણાતા આ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ (GAS) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 37(3) હેઠળ મળેલી સત્તાની રૂએ દાહોદ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. 06/04/2026 થી તા. 20/04/2026 ના 24:00 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ અનઅધિકૃત રીતે એકત્રિત થવું, કોઈપણ પ્રકારની સભા ભરવી કે સરઘસ કાઢવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, આ હુકમમાંથી કેટલીક આવશ્યક સેવાઓ અને પ્રસંગોને મુક્તિ આપવામાં આવી છે. સરકારશ્રીના વિભાગો દ્વારા આયોજિત કાર્યક્રમો, સરકારી કે અર્ધ-સરકારી ફરજ પરના કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોને આ આદેશ લાગુ પડશે નહીં. આ ઉપરાંત, સામાજિક પરંપરા મુજબ નીકળતી સ્મશાનયાત્રાઓ અને લગ્ન વરઘોડાને પણ આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જાહેરનામાના ભંગ બદલ કડક શિક્ષાત્મક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આ હુકમનો અનાદર કરનાર કે તેમાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(3) મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:58 pm

સસરાનું નિધન થતાં ઉમેદવારી પરત ખેંચી:વોર્ડ 8 માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી નહીં લડે, ઋત્વિજ જોશીએ કહ્યું- અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરીશું

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી જેમાં વોર્ડ 8માં મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા મહિલા ઉમેદવાર ઊર્મિલા પરમારના સસરાનું નિધન થતાં તેઓએ ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે અને આ અંગે શહેર પ્રમુખને લેખિત આપ્યું છે. યાદી જાહેર થયાના બે કલાક પહેલા જ સસરાનું નિધનકોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં વોર્ડ 8માં મહિલા ઉમેદવાર તરીકે ઊર્મિલા પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ યાદી જાહેર થયાના બે કલાક પૂર્વે જ તેઓના સસરા કે જેઓ હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાના કારણે સારવાર લઈ રહ્યા હતા તેઓનું નિધન થયું હતું. જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. અંતિમ ક્રિયા દરમિયાન ચૂંટણી પ્રચાર ન થાય તેથી નિર્ણયહિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૃત્યુના તેરમાં દિવસ સુધી અલગ અલગ વિધિ ચાલે છે જેના કારણે ઊર્મિલાબહેને તેઓના પરિવારમાં રહેવું અનિવાર્ય બન્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ પ્રચાર પણ ન કરી શકે તેના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ તેઓ માટે પરિવાર છે પરંતુ હાલમાં તેઓના પરિવારને તેઓની જરૂર છે જેથી તેઓની રજૂઆત અમે ધ્યાનમાં રાખી છે. તેઓના પરિવારમાંથી કોઈને ઉમેદવારી અપાશેશહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ઉમેદવારે લેખિતમાં રજૂઆત કરી તેઓના પરિવારના જ કેટલાક સભ્યોના નામ આપ્યા છે તે અંગે ચર્ચા વિચારણા કરી નામ જાહેર કરવામાં આવશે. ઉર્મિલા પરમારના સસરા કરોડિયા ગામના સરપંચ રહી ચૂક્યા છે તેઓના પતિ પણ ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે, ત્યારે તેઓનો આખો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે, આ દુઃખદ સમયમાં કોંગ્રેસ પણ તેઓની સાથે છે એમ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું. આગામી એક બે દિવસમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે તેમાં તેઓના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત કરીશું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:57 pm

જગન્નાથ મંદિરની 60 કરોડની કિંમતની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ:મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માગ, મંદિરના મહંતે કહ્યું- 'આ મામલો કોર્ટમાં છે, ચૂકાદા મુજબ નિર્ણય કરીશું'

અમદાવાદના જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીનનો મામલો વધુ એકવાર સપાટી પર આવ્યો છે. મંદિર ટ્રસ્ટના કર્તાહર્તાઓએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જ અંદાજિત 60 કરોડની કિંમતની જમીન એક મુસ્લિમ વેપારીને વેચી નાખી હોવાનો સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આક્ષેપ કરાયો છે. જગન્નાથ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી હોય ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ આ વિવાદ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, જમીનનો મામલો હાલ કોર્ટમાં છે. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે. 28 હજાર વાર જમીન મંજૂરી વિના વેચી નખાયાનો આક્ષેપસામાજિક કાર્યકર અતુલ દવેએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1992માં બહેરામપુરા સર્વે નંબર 138ની જમીન આપવામાં આવી હતી. લગભગ 1.5 લાખ ચોરસ વાર જમીન જેની કિંમત 450 કરોડ રૂપિયા થાય છે. આ જમીનનો બારોબાર વહીવટ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જમીન પૈકી એક જમીનનો 28,000 ચોરસ વાર રૂ. 60 કરોડ જેની બજાર કિંમત છે તેને વર્ષ 2018માં માત્ર સાત કરોડ રૂપિયામાં તેને આપી દેવામાં આવી છે. પાછલા બારણે કોઈપણ પ્રકારની મંજૂરી વિના આ જમીનને વેચવાનો પેતરો કરવામાં આવ્યો છે. જે જમીન આપવામાં આવી છે તેમાં 28,000 ચોરસ વાર જમીનને 2018માં આપવામાં આવી હતી. મુસ્લિમ વ્યક્તિને જે જમીન વેચવામાં આવી તેમાં દિલીપદાસજીએ સહી કરી છે ત્યારે તેઓએ સહી કરતા પહેલા વિચારવું જોઈએ કે જે કાગળમાં સહી કરી રહ્યા છો. એક મુસ્લિમ વ્યક્તિને જમીન આપી છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. વધુમાં તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, જમીનનો સોદો માત્ર સાત કરોડમાં જ થયો છે પરંતુ 45 કરોડમાં સોદો થયો હોવાનું જાણવા મળ્યું છે અને 38 કરોડ રૂપિયા બ્લેકમાં લીધા છે. જે જમીન આપવામાં આવી છે તે મૂળ ઉસ્માન ઘાંચી નામના વ્યક્તિ જેઓ H.S. HOTELVALA ના માલિક છે. મુખ્ય ભૂમિકા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની છે મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની માગઆ બાબતે મંદિરના વહીવટકર્તા અને ગુજરાત સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે કોઈપણ પ્રકારની રજૂઆતને સાંભળવા માટે તેઓ તૈયાર નથી. હિન્દુ હિત અને મંદિરના હિતમાં જે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે. જે કૌભાંડીઓ મંદિર ઉપર કબજો જમાવીને બેઠા છે તેમને કાઢી મૂકવામાં આવે તેમજ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવાની માંગ કરી છે. જમીન કૌભાંડની તપાસ SIT દ્વારા કરવાની પણ માંગ કરીએ છીએ. જેના માટે અમે વડાપ્રધાનને પત્ર લખીએ છીએ. લાખો લોકો આ પત્ર લખીને વડાપ્રધાનને મોકલશે. જગન્નાથ મંદિર બચાવોનું કેમ્પેન અમે કરી રહ્યા છીએ. જમીનના સોદાથી મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો દાવોઅમારો એક માત્ર આશય છે કે જે આ કૌભાંડ થયું છે. એમાં કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે તેમજ મંદિરને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તે ભરપાઈ કરવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે. જમીનનો વર્ષ 2018 માં દસ્તાવેજ કરવામાં આવ્યો હતો જેમાં ખરીદનાર તરીકે યાસીનભાઈ ઘાંચી અને વેચનાર તરીકે જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ છે આ સોદાથી મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:53 pm

ભાસ્કરના અહેવાલ બાદ મ્યુ. મિશનરે 105 કર્મીની ફોજ ઉતારી:વોર્ડ-29ની મુલાકાત લઈ ગંદકી દુર કરવા આદેશ કર્યો; 7 લોકોને નોટિસ આપી ₹11,500નો દંડ વસૂલ્યો

'દિવ્ય ભાસ્કર' દ્વારા 6 એપ્રિલના રોજ વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસમાં વ્યાપેલી અસહ્ય ગંદકી અને ડ્રેનેજની ગંભીર સમસ્યાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તંત્ર જે કામ મહિનાઓથી ટાળી રહ્યું હતું, તે અહેવાલના 24 કલાકમાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે 7 એપ્રિલે વહેલી સવારથી જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે મેદાને ઉતર્યા હતા. અહીં વહેલી સવારે સફાઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે કમિશનર એમ નાગરાજન દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરી હતી અને તે સફાઈ કરતા કર્મચારીઓને પણ ખબર ન હતી. કમિશનર દ્વારા આ વિસ્તારનું જાતે નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. એનજીઓની ટીમે પણ માઇક દ્વારા લોકોને કચરો કચરા ગાડીમાં નાખવા અને ગંદકી ન કરવા સમજાવ્યા હતાં. ચોકઅપ થયેલી ગટરોની જેટીંગ મશીન દ્વારા સફાઈ વડોદ આવાસમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યને સાફ કરવા ખાસ 4 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 105 સફાઈ કર્મચારીઓનો સમાવેશ કરાયો હતો. ચોકઅપ થયેલી ગટરોને જેટીંગ મશીન દ્વારા સાફ કરવામાં આવી હતી, જેથી ગંદુ પાણી રસ્તા પર વહેતું બંધ થાય. આ સફાઈ ઝુંબેશ દરમિયાન ગંદકી ફેલાવતા 11 લોકો પાસેથી ₹11,500નો દંડ વસૂલવામાં આવ્યો છે અને સાત લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે. અમે આજે 3 આવાસ કવર કરવાના છીએઃ ડો. કિંજલ પટેલઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે. કમિશનર સરની જે ઇન્સ્ટ્રક્શન છે તે પ્રમાણે અમે સફાઈ કરી રહ્યાં છીએ. ઓલમોસ્ટ 105 સફાઈ કામદારોની ચાર ટીમ બનાવીને ત્રણ આવાસો અમે આજે કવર કરવાના છીએ. આવાસમાં રહેતા લોકોની પણ જવાબદારી બને છે કે મેન્ટેનન્સ અને સફાઈ રાખે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, ગાડીઓ આવે છે, પણ કચરો નાખવામાં લોકોના આવતા નથી. બધા નોકરિયાત વર્ગ છે અને કચરા ગાડીનો સમય અનુકુળ ન લાગતા બહાર નાખી દે છે અને એને લીધે ગંદકીનો પ્રોબ્લેમ રહે છે. ‘લોકોને કચરો ગાડીમાં જ નાખવા અપીલ’આ જે ડાઉનટ્રેક પાઈપ છે એ બધા તૂટી ગઈ છે, જેને રિપેર કરવા માટે નોટિસો આપી છે. જનતાને ખાસ એટલી અપીલ છે કે કોર્પોરેશનનું જે કામ છે એમાં સપોર્ટ કરે. કચરાની ગાડી આવે છે તો કચરાનો નિકાલ કચરાની ગાડીમાં જ થાય. સમયનો ફેર પડતો હોય તો તમારો કચરો તમારી પાસે એક દિવસ રાખી શકો છો અને બીજા દિવસે ગાડીમાં જ નાખી શકો છો, પણ બહાર નાખવો નહીં. આપણે સુરતને સ્વચ્છ અને સુંદર રાખીએ તેવી પબ્લિકને અમારી અપીલ છે. કેટલાક લોકો ઉપરથી કચરો ફેંકતા હોવાની પણ ફરિયાદસફાઈ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા કેટલાક અંશે ગંદકી પાછળના કેટલાક સ્થાનિક લોકો જ હોવાનું બહાર આવ્યું હતું. અહીં ચાર માળના બિલ્ડિંગો આવેલા છે. રહીશોના જણાવ્યા અનુસાર, બીજા, ત્રીજા અને ચોથા માળના રહીશો આળસને કારણે સીધો જ કચરો ગેલેરી કે બારીમાંથી નીચે ફેંકે છે, જેના કારણે નીચે રહેતા લોકો અને પસાર થતા રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે. કચરા પેટીની પણ ચોરીમહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ગાડી સવારે નિશ્ચિત સમયે આવે છે, પરંતુ અનેક લોકો એ સમયે જાગતા નથી અથવા ગાડી પાસે જવાની તસ્દી લેતા નથી. પરિણામે, જ્યારે ગાડી જતી રહે છે, ત્યારે તેઓ રસ્તા પર કે ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકી દે છે. કચરા ગાડીનો સમય સેટ ન થતો હોવાની ફરિયાદો બાદ તંત્રએ મોટા ડ્રમ મૂક્યા હતા, પરંતુ અસામાજિક તત્વો એ ડ્રમને પણ ચોરી ગયા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:52 pm

ચંદ્રુમાણામાં 14 દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી અપાઈ:આરોગ્ય કેન્દ્ર દ્વારા 27 દીકરીઓનો સર્વે કરી નોંધણી કરાઈ

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા 14 થી 15 વર્ષની 14 દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાન હાલ ચાલુ છે. આરોગ્ય કેન્દ્રના સીએચઓ મમતાબેન પરમાર, મહિલા આરોગ્ય કાર્યકર સરોજબેન ઠાકોર, આરોગ્ય કાર્યકર મહેશભાઈ પ્રજાપતિ અને આશા બહેનો પદ્માબેન વ્યાસ, વીરીબેન રાવલ, આશાબેન ચાવડા, મંજુલાબેન વાઘેલા દ્વારા ગામમાં રસીકરણ માટે પાત્ર દીકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 27 દીકરીઓની નોંધણી થઈ હતી. નોંધાયેલી 27 દીકરીઓમાંથી 14 દીકરીઓને કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને મેડિકલ ઓફિસર રશ્મિકાબેન પટેલની ઉપસ્થિતિમાં રસી આપવામાં આવી હતી. બાકીની 13 દીકરીઓના પરિવારજનોને રસીકરણ માટે સમજાવવામાં આવી રહ્યા છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફે જણાવ્યું હતું કે, બાકી રહેલી દીકરીઓનું પણ ટૂંક સમયમાં રસીકરણ થાય તે માટે પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:48 pm

ભરૂચમાં ₹23 કરોડના રોડની કામગીરી અધૂરી:ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી ચાર માર્ગીય રોડના કામ મુદ્દે સ્થાનિકોમાં રોષ, અકસ્માતનો ભય

ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી ₹23 કરોડના ખર્ચે બનેલા ચાર માર્ગીય રોડની કામગીરી અધૂરી છે. એક વર્ષ વીતી ગયા છતાં જરૂરી સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટ્સ ન હોવાથી રાત્રિના સમયે અંધારું છવાયેલું રહે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે. ઉપરાંત, સ્પીડ બ્રેકરના અભાવે પૂરઝડપે દોડતા ખનીજ માફિયાઓના ડમ્પરો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. માર્ગ પર આવેલા ત્રણ મુખ્ય નાળાઓને યોગ્ય રીતે પહોળા કરવામાં આવ્યા નથી અને ત્યાં કોઈ બેરીકેટ્સ પણ મુકવામાં આવ્યા નથી. આને કારણે અનેક વાહનચાલકો ખાડામાં પટકાઈ રહ્યા હોવાના બનાવો નોંધાયા છે. સ્થાનિકોના મતે, આ માર્ગ નવા ભરૂચના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમ છતાં, તંત્ર દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને વહેલી તકે રોડની બાકી કામગીરી પૂર્ણ કરવા, સ્ટ્રીટ લાઇટ, સ્પીડ બ્રેકર અને નાળાઓ પર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી અકસ્માતોને અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:47 pm

વેરાવળમાં 7 કલાક વીજ પુરવઠો બંધ:પ્રિ-મોન્સૂન સમારકામ માટે આવતીકાલે સવારે 9 થી સાંજના 4:00 વાગ્યા મરામત કામગીરી થશે

વેરાવળ શહેરમાં ચોમાસા પૂર્વે વીજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે પ્રિ-મોન્સૂન સમારકામ હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત, 8 એપ્રિલ 2026 (બુધવાર) ના રોજ સવારે 09:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી 11 કેબી ભવાની ફીડર પર મરામત કામગીરી થશે. આને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કુલ સાત કલાક વીજ પુરવઠો બંધ રહેશે. પીજીવીસીએલની વેરાવળ પેટા વિભાગીય કચેરી દ્વારા જારી કરાયેલી માહિતી મુજબ, ભવાની હોટલ વિસ્તાર, જૈન દેરાસર ચોક, ડાભોર રોડ, ગીતા-1, ટાગોર નગર, બિહારી નગર, શિક્ષક કોલોની, જીવન જ્યોત સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. વિદ્યુત વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં આવી કામગીરી હાથ ધરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ વરસાદી મોસમ દરમિયાન વીજ પુરવઠામાં ખલેલ ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. લાઈન, ટ્રાન્સફોર્મર અને અન્ય સાધનોની ચકાસણી તથા મરામત ભવિષ્યમાં તાત્કાલિક ખામીઓને ઘટાડીને સતત વીજ પુરવઠો જાળવી રાખવામાં મદદ કરે છે. વિદ્યુત વિભાગે નાગરિકોને વીજ પુરવઠો બંધ રહેવાના સમયગાળા દરમિયાન જરૂરી તૈયારી રાખવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને, પાણીનો સંગ્રહ, મોબાઈલ અને ઇન્વર્ટર ચાર્જિંગ તેમજ અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ઉપકરણોની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ. વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. આથી, નાગરિકોને સતર્ક રહી સુરક્ષા જાળવવા અને વિદ્યુત વિભાગને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:45 pm

વાપી GIDCની શાહ પેપર મિલમાં આગ લાગી:ફાયરકર્મીઓએ કલાકો જહેમત કાબૂ મેળવ્યો, કૂલિંગ પ્રોસેસ ચાલુ

વાપીની ઔદ્યોગિક વસાહતમાં આવેલી શાહ પેપર મિલમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર મિલ પરિસર તેની ઝપેટમાં આવી ગયું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મિલના કર્મચારીઓએ શરૂઆતમાં જાતે જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાઈ જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાને કારણે ફાયરકર્મીઓને કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. લાંબી મથામણ બાદ આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ કૂલિંગ કામગીરી હજુ પણ ચાલુ છે. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. જોકે, આગના કારણે મિલને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થયું છે. મશીનરી, કાચો માલ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. હાલ પ્રશાસન અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:39 pm

શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ:આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણી શાખા રાઉન્ડ ધ ક્લોક કાર્યરત

આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી છે. આને કારણે આણંદ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી ચૂંટણી શાખા સામાન્ય દિવસોની સરખામણીમાં હાલ ચોવીસ કલાક અને જાહેર રજાના દિવસોમાં પણ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીથી ધમધમી રહી છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણી શાંતિપૂર્ણ અને સરળતાથી સંપન્ન થાય તેમજ વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી શાખા કાર્યરત છે. ચૂંટણી શાખા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઉમેદવારો, નાગરિકો અને ચૂંટણી તંત્ર વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે. આણંદ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલી આ જિલ્લા ચૂંટણી શાખામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછૂનની દેખરેખ હેઠળ એક મામલતદાર, ત્રણ નાયબ મામલતદાર, બે ક્લાર્ક, બે ઓપરેટર અને બે પટાવાળા સહિતનો સ્ટાફ જાહેર રજાઓ અને સામાન્ય દિવસોમાં મોડી રાત સુધી કામ કરી રહ્યો છે. આ શાખા ચૂંટણી સંબંધિત રેકોર્ડની જાળવણી, મતપેટીઓ, EVM, બેલેટ પેપર અને અન્ય ચૂંટણી સામગ્રીનું વ્યવસ્થાપન કરે છે. તેમાં નોડલ અધિકારીઓ, મતદાન અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરો સહિતના ચૂંટણી સ્ટાફની નિમણૂક, ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલો મોકલવા, ચૂંટણીલક્ષી તાલીમ આપવી અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ન્યાયી તથા નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવું જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ નોડલ અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવે છે અને નિયમિત બેઠકો યોજાય છે. MCMC સેન્ટરના સહયોગથી પેઈડ ન્યૂઝ પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ મતદાન જાગૃતિ (SVEEP) કામગીરીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:36 pm

ગુજરાત યુનિવર્સિટી શરાફી મંડળીનું આધુનિકીકરણ:તમામ સેવાઓ થઈ ઓનલાઇન

માનનીય કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના વરદ હસ્તે ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સહકારી શરાફી મંડળીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અને ક્રેડિટ સોસાયટી તથા સ્પોર્ટ્સ ક્લબના પુનઃ નિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના કાયમી કર્મચારીઓમાં પરસ્પર સહકાર થકી બચતની ઉમદા ભાવના વિકસે એ હેતુથી તા.01/07/1972માં ગુજરાત યુનિવર્સિટી કર્મચારી સહકારી શરાફી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળી દ્વારા નિયમિત માસિક બચત, બે પ્રકારની લોન, વાર્ષિક ડિવિડન્ડ, ભેટ સોગાદ અને સભાસદોના બાળકોને શૈક્ષણિક પુરસ્કારો થકી નવાજવાનું ઉમદા કામ કરવામાં આવે છે. નેક એ ગ્રેડ ધરાવતી ગુજરાત યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટી પોતાના આર્થિક વ્યવહારો માટે એ ગ્રેડ ઓડિટ વર્ગ ધરાવે છે. જે પોતાની સન્માનજનક આર્થિક સ્થિતિ દર્શાવે છે. હાલના સમયમાં આર્થિક વ્યવહારોમાં અનેક નવોન્મેષ જોવા મળે છે ત્યારે છેલ્લા 54 વર્ષથી કાર્યરત ક્રેડિટ સોસાયટીએ પણ પોતાના તમામ આર્થિક વ્યવહારો અને કામગીરીને ડિજિટલ કરવા માટે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીની ક્રેડિટ સોસાયટી અને સ્પોર્ટ્સ એન્ડ રિક્રીએશન ક્લબની ઑફિસનું રિનોવેશન કરી તેની સુવિધાઓમાં વધારો કરવામાં આવેલ છે. આ કર્મચારી કલ્યાણલક્ષી પ્રકલ્પોને તા.06/04/2026 સોમવારના રોજ સાંજે 5 વાગ્યે સેનેટ હોલ ખાતે ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા અને કા. કુલસચિવ ડૉ. પી.એમ.પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પુનઃ નિર્મિત મંડળી કાર્યાલય અને સ્પોર્ટ્સ ક્લબ ઓફિસનું લોકાર્પણ તથા મંડળીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી સભાસદોને સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે માનનીય કુલપતિએ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને મંડળીની કામગીરી બાબતે પ્રશંસા વ્યક્ત કરી હતી અને કારોબારી સભ્યો અને સર્વે સભાસદોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા અને મંડળીના ડિઝિટલાઇઝેશન બાબતે ભારોભાર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. હવેથી સર્વે સભાસદો આ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન થકી મંડળી સાથેના પોતાના તમામ આર્થિક વ્યવહારો સંપૂર્ણ પારદર્શિતા સાથે સરળતાથી કરી શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ક્રેડિટ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:34 pm

પાલનપુરમાં કોંગ્રેસની નગરપાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ:શહેરના પ્રભારી સમક્ષ મોટી સંખ્યામાં કાર્યકરોએ દાવેદારી નોંધાવી, પસંદગીનો ક્રાઈટેરિયા વફાદારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પાલનપુર શહેરના પ્રભારી અને મહેસાણાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, દરેક વોર્ડમાંથી વ્યક્તિગત રીતે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા અને તેમની સેન્સ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ દ્વારા તેનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 10 થી 12 દાવેદારો છે, જ્યારે કેટલાક વોર્ડમાં તો 20 જેટલા દાવેદારો જોવા મળ્યા છે. આ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસમાં દાવેદારોનો મોટો ધસારો છે. ઉમેદવારની પસંદગી માટેના માપદંડ અંગે હસમુખ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા, પક્ષ પ્રત્યેની વફાદારી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:31 pm

સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીનો લાંચ લેતો વીડિયો વાયરલ:રાજકોટમાં અરજદારની અરજી મંજૂર કરવા રૂ.5000 ની લાંચ મંગાઈ, વહીવટી તંત્રે પટ્ટાવાળાને છૂટ્ટો કરી સંતોષ માની લીધો

રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગનો આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી રૂ.5000 ની લાંચ માંગતો હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ કર્મચારીને છુટ્ટો કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોમાં અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવે છે. જેમાં અરજદાર રૂ.2000 આપતો નજરે પડે છે. જેમાં લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોઝભાઇનું નામ લે છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અન્ય કર્મચારીનો ખૂલાસો કરવામાં ન આવી સમગ્ર લાંચ પ્રકરણ પર ઢાંક પીછોડો કરવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિભાગ - 2 ના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું કે, વિડીયો ધ્યાનમાં આવતા આઉટ સોર્સિંગના કર્મચારી કે જે પટ્ટાવાળા છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કરવામાં આવ્યું છે. વીડિયોમાં ફિરોઝભાઈ નામના અધિકારીનું નામ લેવામાં આવે છે જે બાબતે પૂછવામાં આવતા નાયબ કલેક્ટર જણાવ્યું કે તે તપાસમાં વિષય છે અને આમાં ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. શહેરમા જૂની કલેક્ટર કચેરીના નાયબ કલેકટર કચેરી ગ્રામ્ય વિભાગ 2 માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના કર્મચારી કામ કરવાના રૂપિયા માંગતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. અરજદાર અહીં અરજી કરે તો 1 થી 2 મહિના સુધી અરજદારને તારીખો આપવામાં આવે છે ત્યારબાદ અરજદાર કંટાળી જાય ત્યારે અહીંથી અરજદારને એવું કહેવામાં આવે છે કે અમારું કંઈક સમજો. જે બાદ અરજદાર કંટાળીને લાંચ આપવા મજબૂર બને છે. અહીં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો જ આઉટસોર્સનો કર્મચારી રૂ.5000ની લાંચ માંગતો નજરે પડે છે અને બાદમાં રૂ.2000 રોકડા લેતો જાગૃત નાગરિકના મોબાઇલમાં રહેલા કેમેરામાં કેદ થઈ જાય છે. જે પોતાના સાહેબ ફિરોઝભાઈનું પણ નામ લે છે. જોકે તે કોણ છે તે બાબતે નાયબ કલેક્ટર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. જોકે જાગૃત નાગરિકનો વિડીયો વાયરલ થયા બાદ નાયબ કલેક્ટર દ્વારા આદેશ બહાર પાડવામાં આવે છે કે, સરકાર દ્વારા માન્ય એજન્સી ઓમ એન્ટરપ્રાઈઝ મારફત અત્રેની કચેરીમા આઉટસોર્સથી પટ્ટાવાળાની સેવાઓ લેવામાં આવે છે. એજન્સી દ્વારા હિરેન ચૌહાણને કચેરીમાં પટ્ટાવાળા તરીકેની સેવાઓ માટે ફાળવવામાં આવ્યો હતો. જોકે તા.7 એપ્રિલના રોજ પટ્ટાવાળા દ્વારા અરજદાર પાસે લાંચની માંગણી કરવાની ગેરપ્રવૃત્તી કરવાનું ધ્યાને આવેલ છે. જેથી આ પટ્ટાવાળાની સેવાઓ લેવી કચેરી માટે હિતાવહ નથી જેથી તેને સેવામાથી છુટા કરવામાં આવે છે. જોકે અહીં વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાને બદલે કર્મચારીને છુટા કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં પટ્ટાવાળા દ્વારા સાહેબ તરીકે નામ લેવામાં આવે છે તે ફિરોઝભાઈ કોણ છે ? તે જાહેર કરવાને બદલે અને લાંચની ચેઇન ખૂલ્લી પાડવાને બદલે ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:22 pm

નવસારીમાં નેશનલ હાઈવે-48 પર ટેમ્પોએ બાઈકનું ઉલાળ્યું:ખડસુપા પાસે પતિ સાથે ગેસ સિલિન્ડર લેવા જતી પત્નીનું ઘટનાસ્થળે મોત, ટેમ્પોચાલક વાહન મૂકી ફરાર

નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે નવસારીના ખડસુપા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ટેમ્પો ચાલકે મોટરસાઈકલ પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 47 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ટેમ્પો ચાલક પોતાનું વાહન છોડીને નાસી છૂટ્યો હતો. ગેસ સિલિન્ડર ભરાવવા જતી વખતે કાળ ભેટી ગયોમળતી માહિતી મુજબ, નવસારીના સરપોર ગામના વતની ગીતાબેન ખાલપ (ઉં.વ. 47) અને તેમના પતિ આજે સવારે પોતાના ગામથી બાઈક પર ગેસનો સિલિન્ડર ભરાવવા માટે નવસારી શહેર તરફ આવી રહ્યા હતા. દરમિયાન ખડસુપા ગામ પાસે નેશનલ હાઈવે 48 પર એક ટેમ્પો ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ગીતાબેન રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. મહિલાનો મૃતદેહ સિવિલ ખસેડાયોઅકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પકડાઈ જવાની બીકે પોતાનો ટેમ્પો ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પરિવારમાં શોકની લાગણીસરપોર ગામના દંપતી સાથે બનેલી આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. નવસારી ગ્રામ્ય પોલીસે આ મામલે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:18 pm

આ જ હતો…મારો આને… કહી હુમલો કર્યો:વડોદરામાં ફરી કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, આરોપી જાહેરમાં હથિયાર લઈ દોડતો સીસીટીવીના કેદ થયો, ચાર સામે ફરિયાદ

વડોદરા શહેરમાં એક વખત ફરી ગેંગવોરનો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કુખ્યાત બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચકતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ગુજસીટોક હેઠળ જેલમાં રહેલો અને તાજેતરમાં છૂટેલો અસફાક શેખ ફરીથી પોતાની ગેંગ સાથે સક્રિય થયો હોવાનું સામે આવ્યું છે. સિટી પોલીસે ઇજાગ્રસ્ત નૈમુદ્દીન સૈયદની ફરિયાદના આધારે ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત રિક્ષા ડ્રાઇવર અને મજીલીમીયા માસ્ટરનો ખાંચો મીનારા મસ્જીદ પાસે આવેલ યાકુતપુરા ખાતે રહેતા નઈમુદ્દીન બસીરુદ્દીન સૈયદ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી સાજીદ ગોલુમીયા શેખ ઉર્ફે પહેલવાન , અસ્ફાક ઇકબાલમીયા શેખ, ફિરોજ ઝેલાની શેખ ત્રણેય (રહે.મીનારા મસ્જીદની પાછળ, યાકુતપુરા, વડોદરા શહેર) દ્વારા જુની અદાવતને લઇને ફરિયાદી પર હુમલો કર્યો હતો. દરમ્યાન તેઓ ઉશ્કેરાઇ જઈને ગંદી ગાળો બોલતા હતા અને આ જ હતો, મારો આને….તેવુ કહીને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી સાજીદ ગોલુમીયા શેખ ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ડંડો માર્યો હતો. આ સાથે આરોપીના ભાઈ નાસીરુદ્દીન બસીરુદીન સૈયદ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ગડદાપાટુનો માર કર્યો હતો.આ દરમ્યાન આરોપી મોહસીન અમીનમીયા શેખ દ્વારા તેઓના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તમામ સામે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોપી અસ્ફાક ઇકબાલમીયા શેખ ગુજસીટોક હેઠળ જેલમાં રહી ચુક્યો છે અને પરત ફરતા આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ તેમની આખી હરકત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:17 pm

પાટણ નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે મોટો ઉલટફેર:કિરીટ પટેલની હાજરીમાં દિનેશ પટણીની કોંગ્રેસમાં ‘ઘરવાપસી’, પૂર્વ ઉપપ્રમુખને ભાજપની ટિકિટ ન મળતાં ફરી ‘પંજા’માં

પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે પાટણ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટણીએ ભાજપ સાથે છેડો ફાડીને સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ભાજપ દ્વારા ટિકિટ આપવાનો ઇનકાર કરાતા નારાજ થયેલા પટણીએ ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. મંદિર ખાતે પક્ષપલટાનો કાર્યક્રમ યોજાયોઆ પક્ષપલટાનો કાર્યક્રમ હડકમાઈ માતાજીના મંદિર ખાતે યોજાયો હતો. દિનેશ પટણી અને તેમના સમર્થકોએ માતાજીના દર્શન કર્યા બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. પટણી અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યાં પણ ઉપપ્રમુખની જવાબદારી સંભાળી હતી. લાંબા સમય બાદ પોતાની મૂળ વિચારધારામાં પરત ફરવાને રાજકીય વર્તુળો ‘ઘરવાપસી’ તરીકે જોઈ રહ્યા છે. ટિકિટની નારાજગી પક્ષપલટાનું મુખ્ય કારણકોંગ્રેસમાં જોડાયા બાદ દિનેશ પટણીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે પટણી સમાજને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ વલણથી નારાજ થઈને સમાજના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. સામે પક્ષે કોંગ્રેસે વોર્ડ નંબર 9માં પટણી સમાજને એક ટિકિટ આપવાનું વચન આપ્યું છે. રાજકીય સમીકરણો બદલાશેનોંધનીય છે કે, દિનેશ પટણીએ થોડા દિવસો પહેલા જ ભાજપમાંથી ઉમેદવારી માટે સેન્સ આપ્યા હતા. ચૂંટણીના ઠીક પહેલા ભાજપના કદાવર નેતાનું કોંગ્રેસમાં જવું એ શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 9માં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા જોવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 3:09 pm

પ્રોહિબિશન ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ પોલીસે રમેશભાઈ સુથારની ધરપકડ કરી

પંચમહાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી રમેશભાઈ સુથારની ધરપકડ કરી છે. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડને આ સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ) દ્વારા 1 એપ્રિલથી 40 એપ્રિલ 2026 સુધી 'નાસતા ફરતા આરોપીઓ પકડવા' માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતે તમામ પોલીસકર્મીઓને સક્રિય રહેવા સૂચના આપી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી અનુસાર, પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રમેશભાઈ બચુભાઈ સુથાર ગોધરાના ભુરાવાવ ચોકડી પાસે હાજર હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રમેશભાઈ બચુભાઈ સુથારને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:58 pm

ભર ઉનાળે વરસાદ:શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ

ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ઘીમી ઘારે વરસાદ વરસ્યો હતો, આમા ભર ઉનાળે વરસાદ વરસતા ગરમી માં મહદઅંશે ઘટાડો થયો હતો, સવારથી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ત્યારે ભાવનગરમાં પણ હળવા થી ભારે વરસાદ પડશે, તેમજ 30 થી 40 કિ.મી ઝડપે પવન ફૂંકાશે તે આગાહી વચ્ચે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, તેમજ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, ભાવનગરમાં અનેક ગામો તેમજ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, આમ, ભરઉનાળે ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી. પરંતુ હાલ કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનક પલટો સાથે ધીમી ધારે વરસાદ વરસ્યોનું આગમન થયું હતું, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, કાળાનાળા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે, હાલ, ભાવનગરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સરેરાશ 34 ડીગ્રી તાપમાનનો પારો રહ્યો છે. છેલ્લા 5 દિવસનું તાપમાનનો પારો જોઈએ તો, તા.3 એપ્રિલ શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 81 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.4 એપ્રિલ શનિવારના રોજ મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 54 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.5 એપ્રિલ ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 29 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.તા.6 એપ્રિલ સોમવારના રોજ મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 39 ટકા અને પવનની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.7 એપ્રિલ ને મંગળવારના રોજ લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 74 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:53 pm

સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું:કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું

કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરાને કમિટમેન્ટ નામ આપ્યું છે. અમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શહેરીજનોને જો કોંગ્રેસનું બોર્ડ આવશે તો શું કરશે તે અંગેના કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા. શુધ્ધ પાણી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું કમિટમેન્ટ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા, શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, પુષ્પા વાઘેલા, પ્રવક્તા નિશાંત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે, જો કોંગ્રેસનું બોર્ડ બનશે તો શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવશે, વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ન સર્જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, શહેરમાં સારા રોડ રસ્તા બનાવવામાં આવશે અને સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. કોંગ્રેસના આગેવાનોએ ભાજપના આગેવાનો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવી જો તેઓનું બોર્ડ આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. ભાજપના શાસકો ઉપર ભ્રષ્ટાચારના આરોપ કોંગ્રેસના આગેવાનોએ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી શાસનમાં રહેલા ભાજપના શાસકો ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેઓનકર્યા હતા કે દરેક ટેન્ડરમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. શાસકોએ માત્ર પોતાના ગજવા જ ભર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોના ઘરમાં ત્રીજા માળ સુધી પાણી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા હતી. ત્યારે આગામી સમયમાં પણ આવી વ્યવસ્થા કરવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીમાં પૂર અને સીસોટી કાંડ ચર્ચાયું ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના કાર્યક્રમમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત પાલિકામાં ફાયર વિભાગ દ્વારા ખરીદવામાં આવેલી મોંઘીદાટ સીસોટીનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરણી બોટ દુર્ઘટનામાં મૃતકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી તેમ જણાવી આ તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ આગામી સમયમાં લોકો સુધી પહોંચશે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:35 pm

આણંદમાં વાતાવરણમાં પલટો:છૂટાછવાયા વરસાદી ઝાપટાથી જનજીવન પ્રભાવિત

આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ બપોરના સમયે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. જોકે, ગરમીથી પરેશાન નાગરિકોને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસેલા આ વરસાદને કારણે બજારમાં પણ તેની અસર જોવા મળી હતી. બીજી તરફ, આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં પણ આણંદના આકાશમાં કાળા વાદળો છવાયેલા છે અને આગામી કલાકોમાં હજુ પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:30 pm

ચૂંટણી પ્રચારમાં 10થી વધુ વાહનોના કાફલા પર પ્રતિબંધ:સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ. સોલંકીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલાની અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષના કાર્યકરો કે અન્ય વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે 10થી વધુ વાહનોના કાફલા સાથે ફરી શકશે નહીં. આ નિયમ કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓના કાફલાને પણ લાગુ પડશે. જો મંત્રીના કાફલામાં 10થી વધુ વાહનો હોય, તો દસ વાહનો પછી કાફલો તોડીને બે કાફલા વચ્ચે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. મહાનુભાવોની સુરક્ષા સંબંધિત વિશેષ સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારીની કચેરીની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર વધુમાં વધુ ત્રણ વાહનો સાથે આવી શકશે. કચેરીની અંદર પ્રવેશ માટે પણ મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. પાંચથી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, ફરજ પરના સરકારી વાહનો, ચૂંટણી કાર્યમાં રોકાયેલા સ્ટાફના વાહનો અને સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલા વાહનોને આ નિયંત્રણો લાગુ પડશે નહીં. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે 30 એપ્રિલ, 2026ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:29 pm

LPG અંગે કેન્દ્રનો મોટો નિર્ણય: તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ

add caption 5kg FTL LPG Cylinder for Migrants: દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી(FTL) સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 2:14 pm

સ્ટાર મોબાઇલ સામે કાર્યવાહી: રજીસ્ટર વગર મોબાઇલ લે-વેચ:ગીર સોમનાથમાં નિયમોનું પાલન ન કરનાર વેપારીઓ માટે ચેતવણી

ગીર સોમનાથ જિલ્લામાં ગુન્હાઓમાં મોબાઈલ ફોનના દુરુપયોગને કારણે પોલીસ સક્રિય બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો ભંગ કરીને રજીસ્ટર વગર મોબાઈલની લે-વેચ કરવા બદલ પ્ર.પાટણની 'સ્ટાર મોબાઈલ' દુકાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ચોરીના કે ગુન્હામાં વપરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટે મોબાઈલ વેપારીઓ માટે નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમો મુજબ, નવા કે જૂના મોબાઈલની ખરીદી કે વેચાણ કરતી વખતે વેચનાર અને ખરીદનારની સંપૂર્ણ વિગતો—નામ, સરનામું અને ઓળખ—રજીસ્ટરમાં નોંધવી ફરજિયાત છે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગીર સોમનાથ પોલીસ વધુ સક્રિય બની છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે જિલ્લામાં ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત, પ્ર.પાટણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પીર રેહાન મસ્જિદ નજીક આવેલી 'સ્ટાર મોબાઈલ' નામની દુકાનની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જણાયું કે દુકાનના માલિક/સંચાલક મોહમદરફીક હુસેનભાઈ ભાદરકા (ઉંમર 40, રહે. પ્ર.પાટણ લખાતવાડી) દ્વારા મોબાઈલ લે-વેચ માટે જરૂરી રજીસ્ટર નિભાવવામાં આવ્યું નહોતું. આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ ગણાતાં, પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મોબાઈલ લે-વેચનો વ્યવસાય કરતા તમામ વેપારીઓએ નિયમોનું કડક પાલન કરવું પડશે. રજીસ્ટર વગર વેપાર કરતા જણાશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુન્હાઓ રોકવા અને તેના મૂળ સુધી પહોંચવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:06 pm

વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ:સુરેન્દ્રનગર જિલ્લામાં 4 જનસંપર્ક સભાઓ બાદ 7 ગુના દાખલ

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી)ની પ્રવૃત્તિઓ ડામવા માટે 15 માર્ચથી 14 એપ્રિલ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિભાગીય સ્તરે જનસંપર્ક સભાઓ યોજી વ્યાજખોરોના ત્રાસ સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જનસંપર્ક સભાઓ અને પોલીસ કાર્યવાહી જિલ્લામાં કુલ 4 જનસંપર્ક સભાઓ યોજવામાં આવી હતી. આ સભાઓમાં મળેલી રજૂઆતો અને જાગૃતિના પગલે પોલીસમાં કુલ 7 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 અરજદારો દ્વારા મળેલી અરજીઓમાં અરજદાર અને સામાવાળા પક્ષ વચ્ચે સમાધાન થતાં તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. કયા પોલીસ સ્ટેશનમાં કોની સામે ગુના નોંધાયા? પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 7 શખ્સો સામે ગુના નોંધાયા છે: મૂળી પોલીસ સ્ટેશન: દેવાયત સામળા રબારી (રહે. ગઢડા), કાળુ ભરવાડ અને દિલા ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર). લીંબડી પોલીસ સ્ટેશન: ભગીરથસિંહ રાણા (રહે. હાલ લીંબડી, મૂળ કંથારિયા) અને રાજદીપસિંહ ઉર્ફે ભાણુભા મહેન્દ્રસિંહ (રહે. નંદીગ્રામ સોસાયટી, લીંબડી). ચુડા પોલીસ સ્ટેશન: મનુ જીવા ખાચર (રહે. કોરડા, તા. ચુડા). જોરાવરનગર પોલીસ સ્ટેશન: હરપાલસિંહ દીલુભા પઢીયાર (રહે. વઢવાણ). ધજાળા પોલીસ સ્ટેશન: મોઢ બહાદુર ખાચર (રહે. સાંગોઈ), પ્રતાપ કાઠી દરબાર (રહે. શીરવાણીયા), ઉદય લખુ ખવડ (રહે. શીરવાણીયા), બાબ જીલુ ભાંભળા (રહે. ભાણેજડા), વનરાજ બાબ ભાંભળા (રહે. ભાણેજડા) અને હરસુખ ગોવિંદ ત.કોળી (રહે. ગઢશીરવાણીયા, હાલ થાનગઢ). સુરેન્દ્રનગર સિટી B ડિવિઝન: રામ વસ્તુભાઈ કરપડા (60 ફૂટ રોડ), પ્રફુલસિંહ અર્જુનસિંહ રાણા (દાળમીલ રોડ), અરવિંદ વરસંગ જાદવ (અખીશેલ પાર્ક), મયુર ગોવિંદ રબારી (કુકડા, તા. મૂળી), બાલાસીંગ આર. રાઠોડ (રહે. હાલ અમદાવાદ, અદાણી શાંતિગ્રામ) અને પ્રતાપ કાળુ માલા (રહે. થાનગઢ). પોલીસની જાહેર અપીલ પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ આરોપીઓ અથવા અન્ય કોઈ પણ વ્યાજખોરના ત્રાસનો ભોગ બની હોય, તો નિર્ભય થઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી. પોલીસ વ્યાજખોરીની પ્રવૃત્તિને જડમૂળથી નાબૂદ કરવા કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 2:06 pm

જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી

(IMAGE - IANS) Israel Threatens Iran Train Network: ઈરાન માટે આજે એટલે કે મંગળવાર, 7 એપ્રિલનો દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યો છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમજૂતી માટે આપવામાં આવેલી ડેડલાઈન આજે પૂરી થઈ રહી છે, તો બીજી તરફ ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 1:49 pm

ચૂંટણીમાં ચા - કોફીના રૂ.10, નાસ્તાના રૂ.63, ઢોલ નગારાવાળાના રૂ.1000:રાજકોટમાં ઉમેદવાર દીઠ કોર્પોરેશનમાં રૂ.9 લાખ, જિ. પંચાયતમાં રૂ.6 લાખ, તા.પંચાયતમાં રૂ.3 લાખની મર્યાદા : પ્રતિ કિમી સ્કૂટરનો રૂ.3, કારનો રૂ.6 ફ્યુઅલ ખર્ચ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નિયત મર્યાદા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડતાં ઉમેદવાર રૂ.9 લાખ, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતાં ઉમેદવાર રૂ.6 લાખ તો તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવાર રૂ.3 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જોકે ચા કોફી અને નાસ્તા સહિતનો ખર્ચ ગત લોકસભાની ચૂંટણીમાં હતો તે પ્રમાણે જ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ચા - કોફીના રૂ.10, દૂધના ગ્લાસના રૂ.30, નાસ્તાના રૂ.63, ભોજનના રૂ.100 નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ ઢોલ નગારાના 1 વ્યક્તિ દીઠ રૂ.1000, કેશિઓ પાર્ટી (લારી સાથે) 1 યુનિટના રૂ.2000 તો ડી.જે. પાર્ટી વાહન સાથે 1 યુનિટનો રૂ.10000 નો ખર્ચ મંજૂર થયો છે. આ સિવાય સ્કુટરનો ફયુઅલનો ખર્ચ પ્રતિ કિમી રૂ.2 થી રૂ.3 અને કારનો ફયુઅલનો ખર્ચ પ્રતિ કિમી રૂ.5 થી રૂ.6 મંજૂર કરવામાં આવ્યા છે. ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નિયત મર્યાદા મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે - રૂ.9 લાખ 1 થી 9 વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે - રૂ.2.25 લાખ 9 થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે - રૂ.3.50 લાખ જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે - રૂ.6 લાખ તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે - રૂ.3 લાખ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર- 12 વોર્ડ સુધીની પંચાયત - રૂ.25000ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર 13 થી 22 વોર્ડ સુધીની પંચાયત - રૂ.45000ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર 23 કે તેથી વધારે વોર્ડની પંચાયત - રૂ.60000 ચા - કોફી અને ભોજનના ભાવ ચા કોફી - રૂ.10દૂધનો ગ્લાસ - રૂ.30નાસ્તો - રૂ.63સમોસા, કચોરી/ચીઝ ગ્રિલ સેન્ડવિચ, દહીં વડા, પવા બટાટા, સેવ ખમણી -રૂ.50 સાંજનું ભોજન : થેપલા અથવા પરોઠા, ખીચડી, શાક, કઢી, છાસ, પાપડ, સલાડ -રૂ.100 વેજીટેબલ રેગ્યુલર થાળી ૧ સ્વીટ, ૨ સજી, રોટી ૬ અથવા પુરી, મીકસ ભજીયા, ચટણી, દાળભાત, છાસ, પાપડ, સલાડ - રૂ.110 મંડપની કામગીરી માટે આઇટમોના ભાવોનું પત્રક મંડપ (ઝુલા સાથે) (એક દિવસ માટે) - પ્રતિ ચો.ફુટ - રૂ.2ફલોરીંગ (એક દિવસ માટે) - પ્રતિ ચો. ફુટ - 0.66 બેરીકેટીંગ (3 ફૂટ ઉંચાઇ) (બે દિવસ માટે) - પ્રતિ ચો.ફુટ - રૂ.10 ડસ્ટબીન - પ્રતિ નંગ - રૂ.60 પીવીસી (પ્લાસ્ટીક ખુરશી) (એક દિવસ માટે) - પ્રતિ નંગ - રૂ.10 ટેબલ (2.50 5 ફુટ) (ટેબલ કલોથ સાથે) (એક દિવસ માટે) - પ્રતિ નંગ - રૂ.150 ગાદલુ, ચાદર, ઓસીકું - પ્રતિ સેટ - રૂ.30 ઢોલ-નગારા - કેશીયો પાર્ટીનું ભાવ પત્રક ઢોલ નગારા - 1 વ્યક્તિ - રૂ.1000કેશિઓ પાર્ટી (લારી સાથે) - 1 યુનિટ - રૂ.2000ડી.જે. પાર્ટી વાહન સાથે - 1 યુનિટ - રૂ.10000સ્કુટરનો ફયુઅલનો ખર્ચ - પ્રતિ કિમી - રૂ.2 થી રૂ.3કારનો ફયુઅલનો ખર્ચ - પ્રતિ કિમી - રૂ.5 થી રૂ.6 આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ - 1 નંગ - રૂ.20 થી રૂ.30એમ્પ્લિફાયર, માઈક્રોફોન, સ્પિકર - 1 યુનિટ - રૂ.2500 થી રૂ.4000ટોપી - 1 - રૂ.30 થી રૂ.50મફલર - 1 - રૂ.50 થી રૂ.75શાલ - 1 - રૂ.80 થી રૂ.200ફટાકડા - 1 બોક્સ - રૂ.1500ચોપાનિયા - 500 નંગ - રૂ.250બગી - રૂ.7000 મંડપ – સ્ટેજ અને આનુસાંગિક મુખ્ય કામોના ભાવ મુખ્ય સ્ટેજ 6 ફૂટ થી 8 ફૂટની હાઈટ તેમજ 18 એમ એમ ફલાયવૂડ લગાવી તેમજ તેને લાગવાની અને ગોઠવવાની તમામ કામગીરી - 1 ચો. મી. - રૂ.1000વી.આઈ.પી. ગાદીવાળી ખુરશીઓ કાર્યક્રમનાં સ્થળે સુચના મુજબ સાફસુફ કરી ગોઠવી આપવાની માલ મજુરી સાથેની કામગીરી. સ્ટીલ રાઉન્ડમાં - 1 - રૂ.105ગ્લાસ ટોપવાળી લાકડાની ટીપોઈ - 1 - રૂ.140નેચરલ બુકે ઉભા - 1 - રૂ.350પોડીયમ - 1 - રૂ.1500VVIP ફુલના હાર - 01 - રૂ.200VIP - 01 - રૂ.150 ઇલેકટ્રીકલની કામગીરી માટે આઇટમોના ભાવોનું પત્રકહેલોજન ફીટીંગ 500 વોટ (વાયરીંગ તથા સ્વીચ બોર્ડ સાથે) (એક દિવસ માટે) - રૂ.400સાઉન્ડ સિસ્ટમ સેટ (બે દિવસ માટે) - રૂ.4500એલ.ઈ.ડી. લાઈવ ટેલીકાસ્ટ ટી.વી. 148 ફુટ - પ્રતિ નંગ - રૂ.51000LED ટયુબલાઇટ કમ્પલીટ વીથ લીડ વાયર - પ્રથમ દિવસ - રૂ.20.201200 એમ.એમ./1400 એમ.એમ.સાઈઝ સીલીંગ ફેન - પ્રથમ દિવસ - રૂ.80.80પોર્ટેબલ એરકન્ડીશનીંગ મશીન કમ્પલીટ વીથ ગેસ ચાર્જીંગ અને જરૂરી ફલેક્સીબલ ડકટ, ડ્રેઈન સીસ્ટમ વિગેરે સાથે 0.75 /1.0 ટન પ્રતિ દિવસના - પ્રથમ દિવસ - રૂ.19193, 4 અને 5 ટન ટાવર ટાઈપ/સ્પીલ્ટ એરકંડીશન મશીન જરૂરી ગેસ ચાર્જીંગ સાથે લાવવા લઈ જવા તથા ઈન્સ્ટોલ કરી આપવાના ભાડા સહીતનો ભાવ (એક દિવસ માટે) - રૂ.7070સાદી નાની સાઉન્ડ સિસ્ટમ (એક દિવસ) - રૂ.1500 વિડીયોગ્રાફી / ફોટોગ્રાફીના ભાવ વિડીયોગ્રાફી કેમેરા સાથે - 4 કલાક - 1 વ્યક્તિ - રૂ.1380વિડીયોગ્રાફી કેમેરા સાથે - 8 કલાક - 1 વ્યક્તિ - રૂ.1495વિડીયોગ્રાફી કેમેરા સાથે - 12 કલાક - 1 વ્યક્તિ - રૂ.2150 ફોટોગ્રાફી કેમેરા સાથે - 1 વ્યક્તિ - રૂ.200

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:48 pm

10 દિવસથી ધુમાડાનું 'તાંડવ, લોકો ઘરમાં પણ માસ્ક પહેરવા મજબૂર:ખજોદ ડમ્પિંગ સાઈટની આગ મુસીબત બની, અનેક સોસાયટીના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ધમકી

સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ જીતતી હોય, પરંતુ શહેરના ખજોદ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ અને ડરામણી છે. છેલ્લા 10 દિવસથી ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી ભીષણ આગ હવે માત્ર કચરો નથી સળગાવી રહી, પણ હજારો લોકોના શ્વાસ પણ રૂંધી રહી છે. સરસાણાના આગમ હાઈટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશોએ હવે સીધો જ હુંકાર કર્યો છે કે, પહેલા આગ બુઝાવો, પછી જ વોટ માંગવા આવજો. ઘરમાં પણ માસ્ક પહેરીને ફરવા મજબૂર લોકોખજોદની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે લોકોએ પોતાના જ ઘરોમાં કેદ થવું પડ્યું છે. 'આગમ હાઈટ્સ' સોસાયટીના રહીશ પ્રકાશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું સિનિયર સિટીઝન છું, મારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી ધુમાડો એટલો વધી ગયો છે કે બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. 'નો વોટ, નો એન્ટ્રી', 550 ફ્લેટના 2000 મતદારોનો ચૂંટણી બહિષ્કારચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નેતાઓ માટે આ માઠા સમાચાર છે. આગમ હાઈટ્સના રહીશોએ એકસૂરે નક્કી કર્યું છે કે, જો આગ અને ધુમાડાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. અત્યાર સુધી કોઈ કોર્પોરેટર ડોકાયું નથી. જો તેમને અમારા જીવની પડી નથી, તો અમને તેમના વોટની પડી નથી. માત્ર એક જ સોસાયટીના 2000થી વધુ વોટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ આગ છે કે કરોડોનું કચરા-કૌભાંડ?સોસાયટીના રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, દર 15-20 દિવસે અહીં આગ લાગે છે. શું આ કુદરતી છે કે જાણીજોઈને લગાડવામાં આવે છે? કચરાના નિકાલ માટે કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, છતાં કચરો સળગાવવાની ફરજ કેમ પડે છે? શું કચરો ઓછો બતાવવા માટે આ 'આગનું કૌભાંડ' આચરવામાં આવે છે? SMCએ આના પર તાત્કાલિક તપાસ બેસાડવી જોઈએ. 'મિની લોકડાઉન', બાળકો માટે મેદાન અને વૃદ્ધો માટે વોકિંગ બંધસનફ્લાવર 1-Aના પ્રેસિડેન્ટ તજિંદરભાઈએ જણાવ્યું હતું કે, અમે અત્યારે નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છીએ. આ એક પ્રકારનું 'મિની લોકડાઉન' છે. બાળકો નીચે રમવા જઈ શકતા નથી, વૃદ્ધોને ગભરામણ થાય છે. અમારે ગાડી લઈને નીકળવું હોય તો પણ નાક પર રૂમાલ બાંધવો પડે છે. શું આ જ સ્માર્ટ સિટી છે? લોકોના SMCને 5 તીખા સવાલતમે નાગરિકોને દંડ કરો છો, પણ ડમ્પિંગ સાઈટની આ ગંદકી માટે જવાબદાર કોણ? 10 દિવસથી આગ કેમ બુઝાઈ નથી? શું ફાયર સેફ્ટીના સાધનો ટૂંકા પડે છે? આ ઝેરી ધુમાડાથી થતી બીમારીઓની જવાબદારી કોની? જ્યારે જનતા શ્વાસ માટે તડપે છે, ત્યારે નેતાઓ માત્ર વોટ માટે જ દેખાશે? શું SMC પાસે આ આગ રોકવા માટે કોઈ 'માસ્ટર પ્લાન' છે? રહીશોએ ચેતવણી, હવે આશ્વાસન નહીં, એક્શન જોઈએખજોદ નજીકના વિસ્તારના 3000 થી વધુ પરિવારોએ હવે મન બનાવી લીધું છે. જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે આ આગ નહીં બુઝાય અને કચરાના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં નહીં આવે, તો રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે. એવોર્ડ જીતવા અને મેડલ મેળવવા એ સારી વાત છે, પણ જ્યારે શહેરનો એક મોટો હિસ્સો ઝેરી ધુમાડામાં ગૂંગળાઈ રહ્યો હોય, ત્યારે એવોર્ડની ચમક ઝાંખી પડી જાય છે. તંત્રએ જાગવાની જરૂર છે. કોઈ કોર્પોરેટર ડોકાયા નથી, ચૂંટણી પર અસર પડશેઃ પ્રકાશભાઈપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, હું આગમ હાઈટ્સમાં રહું છું અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એ બુઝાતી નથી. એટલે એના લીધે જે બધો સ્મોક, ધુમાડો એ બધા બાળકો માટે અને અમારા માટે બહુ તકલીફજનક છે. હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. અહિયાં કોઈ કોર્પોરેટર આવતું નથી કે અમે અમારો પ્રોબ્લેમ જણાવી શકીએ. આવનારી ચૂંટણીમાં આ સમસ્યાની અસર ચોક્કસથી પડશે. અમારે ત્યાં 550 ફ્લેટ છે, 2000 મતદારો છે તો અમે આ ચૂંટણીમાં સંપૂર્ણ બહિષ્કાર કરીશું. બાળકો શ્વાસ નથી લઈ શકતા, શું આ છે સ્વચ્છ ભારત અભિયાનઃ હર્ષભાઈવધુમાં સ્થાનિક હર્ષભાઈએ જણાવ્યું હતું કે, મોદીજીનું શું કહેવું છે 'સ્વચ્છ ભારત અભિયાન'. શું સ્વચ્છ ભારત અભિયાન આવું દેખાવું જોઈએ? આજે સુરત મહાનગરપાલિકા કહી રહી છે કે, તમે સ્વચ્છતા રાખો, પણ જો SMC પોતે સ્વચ્છતા નથી રાખતી તો સામાન્ય માણસ ક્યાંથી સ્વચ્છતા રાખી શકશે. આ આગને કારણે બીમારીઓ વધી રહી છે. બાળકો શ્વાસ નથી લઈ શકતા. અમારે બારીઓ બંધ રાખવી પડે છે અને એટલી બદબૂ આવે છે કે, જ્યારે અમે બહાર ગાડી લઈને નીકળીએ ત્યારે નાક બંધ કરીને ચાલવું પડે છે. ‘અમે વોટ વિશે વાત જ કરવા માંગતા નથી’અત્યારે ચૂંટણી આવી રહી છે, તો જે કોઈ પણ કોર્પોરેટર કે નેતાજી અહીં આવશે તેમને 'નો વોટ'. કોઈ વોટ નહીં અને અમે વોટ વિશે વાત જ કરવા માંગતા નથી. અહીં 2000થી 3000 પરિવારો રહી રહ્યા છે, અમે વોટ માટે વાત જ નહીં કરીએ. અમને આના વિરુદ્ધ એક્શન જોઈએ છે. આ સ્થિતિ અમારા 'નાના લોકડાઉન' જેવી બની ગઈ છેઃ તજિંદરતજિંદર (સનફ્લાવર 1-A નો પ્રેસિડેન્ટ) એ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી અહીં ડમ્પિંગ યાર્ડમાં આગ લાગેલી છે અને તેના માટે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. જેના કારણે ધુમાડો થઈ રહ્યો છે, ધૂળ ઉડી રહી છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દુર્ગંધ પણ ખૂબ જ આવે છે, જેના કારણે અમારે બારીઓ બંધ રાખવી પડે છે. વૃદ્ધોને અમારે દવાઓ આપવી પડે છે અને બાળકો નીચે રમવા નથી આવી શકતા. માસ્ક પહેરીને ફરવું પડી રહ્યું છે. આ સ્થિતિ અમારા માટે એક 'નાના લોકડાઉન' જેવી બની ગઈ છે. તેથી અમે એસ.એમ.સીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આ બાબતે પગલાં લો. અહીં 500 જેટલા પરિવારો છે જે આ સમસ્યા ભોગવી રહ્યા છે. જો કોઈ અમારી વાત નહીં સાંભળે તો અમે કડક પગલાં લેવા મજબૂર થઈશું. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યા જલ્દી ઉકેલાય, નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:44 pm

નાસિક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત:એક ટ્રક ચાલકનું મોત; બીજા ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી વલસાડ સિવિલ ખસેડાયો

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નાસિક હાઇવે ઉપર કપરાડાના કુંભ ઘાટ ખાતે 2 ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે બીજા ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને સ્થાનિક લોકોએ 108ની મદદ લઈને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છેઆ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:43 pm

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો

Air India Revises Fuel Surcharge: ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા 100 ટકાના ઉછાળા બાદ એર ઈન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઈન અંતરના આધારે રૂ. 299થી રૂ. 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને 'ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ' માં ફેરવી દેવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર 7 Apr 2026 1:39 pm

CM નિવાસ સ્થાને ભાજપની બેઠક પૂર્ણ:બેઠક બાદ ઉમેદવારોને લઈ મોટો નિર્ણય, C-D નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિસ્તૃત ચર્ચા બાદ ઉમેદવારોની પસંદગી અંગે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બેઠકમાં મનપા (મ્યુનિસિપલ કોર્પોરેશન)ની બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જીતની સંભાવનાઓ, સ્થાનિક ફીડબેક અને મજબૂત ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલ સુધી મંથન થયું હતું. ત્યારબાદ A અને B વર્ગની નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચનાખાસ કરીને C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નગરપાલિકાઓ માટે સ્થાનિક સ્તરે જ મંથન કરીને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી સ્થાનિક સામાજિક અને રાજકીય સમીકરણોને વધુ સારી રીતે સંતુલિત કરી શકાય. જિલ્લાવાર આંકડા મુજબ C અને D વર્ગની નગરપાલિકાઓને લઈ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમરેલીમાં 3 C અને 1 D, અમદાવાદમાં 1 C, અરવલ્લીમાં 1 D, આણંદમાં 2 C અને 1 D, કચ્છમાં 1 C, ખેડામાં 1 C અને 2 D, ગીર સોમનાથમાં 2 C, છોટાઉદેપુરમાં 1 C, જામનગરમાં 1 C, દેવભૂમિ દ્વારકામાં 1 C, નવસારીમાં 1 D, પંચમહાલમાં 1 C, બનાસકાંઠામાં 1 C, બોટાદમાં 1 D, ભરૂચમાં 1 D, ભાવનગરમાં 1 D, મહેસાણામાં 2 C, મોરબીમાં 1 C અને 1 D, વડોદરામાં 2 C, વલસાડમાં 1 C, વાવ-થરાદમાં 1 C, સાબરકાંઠામાં 1 C, સુરતમાં 3 C અને સુરેન્દ્રનગરમાં 1 D વર્ગની નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. બેઠકમાં મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ ઝોનવાઈઝ સૂચનો આપ્યા હતા અને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થવાની શક્યતા છે. ઉમેદવારોની પસંદગીના માપદંડ નક્કી કરવામાં આવ્યાઆ સાથે જ પાર્ટીએ 60 વર્ષની ઉંમર મર્યાદાનો કડક અમલ, થ્રી-ટર્મ ફોર્મ્યુલા લાગુ કરવો તેમજ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ન આપવાના મહત્વપૂર્ણ નિર્ણયો પણ સ્વીકાર્યા છે. આ નિર્ણયોથી અનેક વર્તમાન નેતાઓ માટે પડકાર ઊભો થવાનો છે અને નવી પેઢીને તક મળવાની શક્યતા વધી છે. ભાજપની આ વ્યૂહાત્મક મથામણ અને કડક નિયમો સાથે આવનારી ચૂંટણીમાં માત્ર ઉમેદવારોની પસંદગી જ નહીં પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:27 pm

ગંદકી કરનાર 429 આસામી પાસેથી 2.13 લાખના દંડની રિકવરી:એપ્રિલમાં ત્રણ દિવસમાં 54 હજારનો દંડ વસૂલ્યો, હોટલ-રેસ્ટોરન્ટ અને નાસ્તા સ્ટોલ પાસે ગંદકી કરનારાઓ સાવધાન

મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની સેનેટરી શાખા અને ફૂડ તંત્રની ટીમે નાની મોટી રેસ્ટોન્ટ, હોટલ, ફાસ્ટ ફૂડ વગેરે ખાણીપીણી બજાર ઉપર તવાઈ બોલાવી હતી. જેમાં માર્ચ મહિનામાં શહેરમાં જાહેરમાં કચરો નાંખી ગંદકી કરનારા કુલ 429 આસામીઓ પાસેથી 2.13 લાખનો દંડ વસુલ કર્યો હતો. એટલું જ નહીં નગરની નાની મોટી 99 રેસ્ટોરન્ટ, હોટેલના માલિકો પાસેથી દંડ પેટે કુલ રૂપિયા 54,100ની રીકવરી કરવામાં આવી હતી. માર્ચમાં 429 ધંધાર્થીને દંડ ફટકારાયો મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે ખાણીપીણીના શોખીનોનો જમાવડો રેસ્ટોરન્ટ, હોટલ, નાસ્તા સ્ટોલ પર જોવા મળે છે. આવા રેસ્ટોરન્ટ, હોટેલ અને ખાણીપીણી બજારો પાસે ગંકદી કરતા 429 ધંધાર્થીઓને સેનેટરી શાખાની ટીમે ગત માર્ચ મહિનામાં 2,13,450 રુપિયાનો દંડ ફટકારી તેની રીકવરી કરી હતી. એપ્રિલમાં પણ હોટેલ-રેસ્ટોરંટ સામે કડક કાર્યવાહી જ્યારે એપ્રિલ માસના માત્ર ત્રણ દિવસમા જ ફૂડ ઈન્સ્પેક્ટર પ્રિયાન્સી પ્રજાપતિ અને તેની ટીમે શહેરમાં રેસ્ટોરન્ટ, હોટેલ, પાર્ટી પ્લોટ નજીક ગંદકી કરવા બદલ 69 આસામીઓ સામે પગલાં ભરી રુપિયા 54,100નો દંડ ફટકારી તેની વસુલાત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 108 નાની-મોટી રેસ્ટોરન્ટ, હોટેલ આવેલી છે. આ રેસ્ટોરન્ટ, હોટેલો દ્વારા તેનો ભીનો કચરો જાહેરમાં નાંખીને ગંદકી કરવામાં આવતી હોવાથી ફૂડ ઈન્સ્પેક્ટર અને ટીમે કુલ 69 હોટેલ, રેસ્ટોરન્ટના સ્થળોએ ચેકિંગ કર્યું હતુ.અહીં કોઈ સ્વચ્છતા નહીં જળવાતી હોઈ ખાદ્યપદાર્થો લોકોની જિંદગી માટે જોખમ ઉભુ કરવા બદલ કડક કાર્યવાહી ધરી હતી. સફાઈ વહીવટી ચાર્જ પેટે કુલ 429 આસામીઓ પાસેથી રિકવરી કરી હતી. જેના પગલે અન્ય હોટલ તથા રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:19 pm

જિલ્લા પંચાયતની વડુ બેઠક પર AAPની ટિકિટ ફાળવણીથી વિવાદ:મહિલાના પતિએ કહ્યું 'અમને જાણ બહાર ટિકિટ ફાળવણી કરી, AAP સાથે અમારે કોઈ સંબંધ કે હોદ્દો નથી'

વડોદરાના પાદરા તાલુકામાં આમ આદમી પાર્ટી (AAP)એ જિલ્લા પંચાયતની વડુ બેઠક પર ટિકિટ ફાળવણી કરતા વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ વડુ બેઠક માટે ભાજપના નેતાના પત્ની કાંતાબેન પઢીયારને ટિકિટ ફાળવી હોવાનું સામે આવ્યું છે. જે મુદ્દે ભાજપ નેતા નટવરસિંહ પઢીયારે કહ્યું કે અમને જાણ બહાર ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે.અમારે આપ સાથે કોઈ સંબંધ નથી અને ચૂંટણી લડવાની પણ નથી. AAPની ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષકાંતાબેન પઢીયારના પતિ નટવરસિંહ પયાર વડુ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. જોકે, આ ટિકિટ ફાળવણીને લઈને સ્થાનિક સ્તરે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. નટવરસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીએ તેમની જાણ બહાર આ નિર્ણય લીધો છે. આ સાથે જ નટવરસિંહ પઢીયાર ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં આપે ટિકિટ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ, કાંતાબેન પઢીયારે તેમને ફાળવવામાં આવેલી ટિકિટનો અસ્વીકાર કર્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. અમારે ચૂંટણી લડવાની નથી:નટવરસિંહ પઢિયારઆમ આદમી પાર્ટીની ટિકિટ ફાળવણી અંગે નટવરસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતો માણસ છું. આમ આદમી પાર્ટીએ અમારી જાણ બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે. અમારે આ ચૂંટણી લડવી નથી. અમારે આમ આદમી પાર્ટી સાથે કોઈ જ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ નથી. મારી પત્નીની તબિયત થોડી નબળી હોવાથી અમે આ ચૂંટણી લડી શકીએ તેમ નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સમાચાર આવ્યા ત્યારે જ અમને આ વાતની ખબર પડી. અમે તો ટિકિટ માટે કોઈ માંગણી પણ કરી નહોતી. જે રીતે પાર્ટીએ ટિકિટ ફાળવી છે તે એકદમ અયોગ્ય છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:06 pm

બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, વહેલી સવારથી વાદળછાયું:ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા વાદળો ઘેરાઈ આવતા દિવસ દરમિયાન પણ અંધારપટ જેવો અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદથી ફરી એકવાર પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 1:06 pm

હિંમતનગરમાં ચોમાસાના પાણી નિકાલ માટે પાઇપલાઇન કામગીરી શરૂ:બેરણા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી બેરણા રોડ અને સહકારી જીન વિસ્તારમાં શગુન સહિતની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરશે. ગત ચોમાસામાં શહેરના બેરણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું હતું. આ અંગે નગરપાલિકામાં રજૂઆતો થયા બાદ પાણી નિકાલ માટે વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરાયું હતું. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. મંગળવારે હિંમતનગરના બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝથી એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પાઇપલાઇન બ્રહ્માકુમારીઝથી હિંમતનગરની કેનાલ સુધી અંદાજે 2.3 કિલોમીટરથી વધુ અંતરમાં નાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1200 x 1400 વ્યાસવાળી, આશરે સાડા આઠ ફૂટ લાંબી 1000થી વધુ પાઇપોનો ઉપયોગ થશે. આ કામગીરી અંદાજે ત્રણ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બેરણા રોડ અને સહકારી જીન વિસ્તારમાં શગુન સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી. આ સમસ્યાના નિવારણ માટે રૂપિયા 6.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં બેરણા રોડ પર કામ શરૂ થયું છે, ત્યારબાદ સહકારી જીન વિસ્તારમાં કામગીરી હાથ ધરાશે. આ પાઇપલાઇન કાર્યરત થવાથી ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને સ્થાનિકોને રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:56 pm

વડોદરાની હોટેલમાં યુવકે દુપટ્ટાથી ફાંસો ખાધો:બેગમાંથી યુવતીનું ચૂંટણીકાર્ડ મળ્યું, રૂમમાંથી બહાર ન નીકળતા ફાયર વિભાગે દરવાજો તોડ્યો

વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા સયાજીગંજ વિસ્તારની 'સાઈ કૃપા' હોટેલ (જનમહેલ)માં એક યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતકની બેગમાંથી યુવતીનું આઈડી કાર્ડ અને આપઘાત માટે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કરાયો હોવાથી આ મામલો વધુ ગૂંચવાયો છે. મૃતક યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી જયેન્દ્રકુમાર લુહાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જયેન્દ્રકુમાર ગત સોમવારે સવારે 8 વાગ્યે હોટેલમાં રોકાયા હતા. નિયમ મુજબ તેમણે સોમવારે સવારે ચેક-આઉટ કરવાનું હતું, પરંતુ તેઓ રૂમની બહાર ન નીકળતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. વારંવાર દસ્તક આપવા છતાં રૂમ ન ખૂલતા અંતે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે દરવાજો તોડીને અંદર તપાસ કરતા યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રહસ્યમય પુરાવા અને પોલીસ તપાસસયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા મુદ્દાઓ સામે આવ્યા છે. જેમાં યુવકે આપઘાત કરવા માટે કોઈ અન્ય વસ્તુના બદલે યુવતીના દુપટ્ટાનો ઉપયોગ કર્યો છે. પોલીસને મૃતકની બેગની તલાશી લેતા તેમાંથી એક યુવતીનું વોટર આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે. આ પુરાવાઓને આધારે એવી અટકળો લગાવાઈ રહી છે કે આ પ્રેમ પ્રકરણ અથવા કોઈ યુવતી સાથેના વિવાદને કારણે લેવાયેલું પગલું હોઈ શકે છે. યુવકના મોબાઈલ કોલ ડિટેલ્સની તપાસસયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ અને યુવકના મોબાઈલ કોલ ડિટેલ્સની પણ તપાસ કરી રહી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:47 pm

'દારૂના અડ્ડા બંધ કરાવવાના નામે સેટિંગ કરનારા ખુલ્લા પડશે':કુમાર કાનાણીએ કહ્યું 'જનતા સુધી સાચી વાત પહોંચાડવામાં પાછળ રહી ગયા; 'એક રૂપિયો કોઈ પાસે માંગ્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દઈશ'

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં વિપક્ષે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આપણે જનતા સુધી સાચી વાત પહોંચાડવામાં ક્યાંક પાછળ રહી ગયા હતા, પરંતુ આ વખતે ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામો અને સત્ય હકીકત દરેક ઘર સુધી પહોંચાડવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. 'મફત શિક્ષણના નામે જનતાને છેતરવાનું બંધ કરો'શિક્ષણના મુદ્દે વિપક્ષને આડે હાથ લેતા કાનાણીએ કહ્યું કે, જે લોકો મફત શિક્ષણની વાતો કરીને મતો મેળવવા માંગે છે, તેમને ખબર હોવી જોઈએ કે સુરત મહાનગરપાલિકા વર્ષોથી ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપી રહી છે. આ ઉપરાંત રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો બાળકો ખાનગી શાળાઓમાં મફત ભણે છે, જેની ફી સરકાર પોતે ભરે છે. દફતર, બૂટ અને પરિવહન ખર્ચ પણ સરકાર ઉઠાવે છે, છતાં વિપક્ષ માત્ર જૂઠાણાં ફેલાવી રહ્યો છે. આરોગ્ય સેવાઓ મુદ્દે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સ્મીમેર અને સિવિલ જેવી હોસ્પિટલોમાં મફત સારવાર મળે જ છે. આયુષ્માન કાર્ડ દ્વારા દરેક વ્યક્તિને 10 લાખની સહાય મળે છે. જો એક પરિવારમાં પાંચ સભ્યો હોય, તો સરકારે અડધા કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સુરક્ષા તમારા ઘરમાં અગાઉથી જ મૂકી દીધી છે. આ વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવાની જરૂર છે, જેથી વિપક્ષના ગપ્પા અને ભ્રામક પ્રચારનો જનતાને સાચો ખ્યાલ આવી શકે. ‘આખું વર્ષ હપ્તા ખાનારા હવે ભક્તિનો દેખાડો કરી રહ્યા છે’વિપક્ષી નેતાઓના ચરિત્ર પર પ્રહાર કરતા કાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો કે, જે લોકો અત્યારે સુંદરકાંડ કરીને ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે, તેમણે પાંચ વર્ષ સુધી દેશી દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવ્યા છે. પોલીસ સાથે સેટિંગ કરીને અડ્ડાઓ ચલાવવા અને ગેરકાયદે બાંધકામોની અરજીઓ કરી તોડબાજી કરવી એ વિપક્ષનો અસલી ચહેરો છે. આવા ભ્રષ્ટ શખ્સોને જનતાની સામે ખુલ્લા પાડવા માટે ભાજપના કાર્યકર્તાઓએ હવે જંગે ચઢવું પડશે અને સત્ય જણાવવું પડશે. 'આ વિસ્તારમાં વિરોધ પક્ષની જરૂર નથી'વરાછાના વિકાસ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શહેરમાં રોડ, રસ્તા કે પાયાની સુવિધાઓમાં કોઈ કમી રાખવામાં આવી નથી. તેમણે બહુ ગાજેલા 'વિરોધ પક્ષ હોવો જોઈએ' તેવા તર્કને ફગાવી દેતા કહ્યું કે, આ વિસ્તારમાં વિરોધ પક્ષની કોઈ જરૂર નથી. ભાજપના કાર્યકર્તાઓ પોતે જ પ્રજાનો અવાજ છે. લોકોની પીડા સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં અમે સક્ષમ છીએ. જ્યારે શાસક પક્ષ જ લોકોના પ્રશ્નો ઉઠાવતો હોય ત્યારે અન્ય કોઈની જરૂર રહેતી નથી. ‘એક રૂપિયો માંગ્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દઈશ’કાનાણીએ જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો કે, જો વરાછાનો કોઈ પણ સામાન્ય નાગરિક એમ કહી દે કે ધારાસભ્યએ કોઈ કામના બદલામાં પૈસા માંગ્યા છે, તો તેઓ અત્યારે જ પદ પરથી રાજીનામું આપી દેવા તૈયાર છે. તેમણે કાર્યકર્તાઓને પણ સૂચના આપી કે કોઈ પણ અધિકારીને પૈસા આપવાની જરૂર નથી. આપણે ઈમાનદારીથી કામ કરીએ છીએ અને જનતાની વચ્ચે વટથી મત માંગવાની શક્તિ પણ આપણી નૈતિકતામાં જ રહેલી છે. સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા સૂચનચૂંટણીના આડે હવે માત્ર 10-12 દિવસનો જ સમય બાકી છે ત્યારે કાનાણીએ કાર્યકર્તાઓને યુદ્ધના ધોરણે કામ કરવા જણાવ્યું છે. પોલિંગ એજન્ટની નિમણૂક, ટેબલ વ્યવસ્થા અને સ્લિપોનું વિતરણ જેવા કામો ઝડપથી પતાવવા સૂચના આપી છે. સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતી ખોટી વાતો અને વિપક્ષના નકલી પ્રોપેગેન્ડાનું ત્વરિત ખંડન કરી જનતાને જાગૃત કરવા તેમણે તાકીદ કરી છે. સમય ઓછો હોવાથી દરેક સેકન્ડનો સદુપયોગ કરી સઘન પ્રચાર કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. 'છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બદલવા હાકલ'કાર્યકર્તાઓમાં જોશ પૂરતા કાનાણીએ કહ્યું કે, ભાજપનો કાર્યકર્તા જે બોલે છે તે કરી બતાવે છે. વરાછામાં છેલ્લા 10 વર્ષથી જે હારનું મેણું લાગ્યું છે, તે આ વખતે ગમે તે ભોગે ભાંગી નાખવાનું છે. આપણે કોઈની સામે નીચા જોણું થાય એવું કામ કર્યું નથી, તેથી પૂરા આત્મવિશ્વાસ સાથે લોકોની વચ્ચે જાઓ. દસ વર્ષનો આ દુષ્કાળ આ વખતે વિજયના ઉત્સવમાં બદલાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 'ટિકિટ ગમે તેને મળે, આપણું લક્ષ્ય ભાજપનો વિજય'પક્ષની આંતરિક શિસ્ત અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, ટિકિટની માંગણી કરવી એ સૌનો અધિકાર છે અને અમે તમામ કાર્યકર્તાઓની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. પરંતુ ટિકિટ ગમે તેને મળે, પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડવો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કોઈએ પણ આંતરિક ખેંચતાણ કરી પોતાના જ ઉમેદવારને પાડવાની વાત કરવાની નથી, આપણું કામ માત્ર સામેવાળાને પછાડવાનું અને ભાજપનો ભગવો લહેરાવવાનું છે. વરાછામાં કેસરીયો લહેરાવવા કાર્યકર્તાઓ તૈયારઅંતમાં, કુમાર કાનાણીએ અત્યંત જોશીલી અપીલ કરતા કહ્યું કે, આ વખતે કોઈ પણ ભૂલને અવકાશ નથી. રાત-દિવસ એક કરીને દરેક સોસાયટી અને દરેક ઘર સુધી પહોંચવાનું છે. વિપક્ષોના જૂઠાણા અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ જનતાને યાદ અપાવવાના છે. 'ભારત માતા કી જય' ના નારા સાથે તેમણે કાર્યકર્તાઓને વિજયના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી જવા લલકાર્યા હતા. વરાછાના આ ગઢમાં ફરી એકવાર કેસરીયો લહેરાશે તેવો મક્કમ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:45 pm

દીકરાના ઉછીના પૈસાની ઉઘરાણીમાં પિતા પર હુમલો:નેસવડમાં બે શખ્સે મળીને આધેડને ધોકા-ઢીકાપાટુનો માર માર્યો, પોલીસે શોધખોળ શરૂ કરી

ઘોઘા તાલુકાના નેસવડ ગામે દીકરાએ લીધેલા હાથઉછીના પૈસા પરત માંગવા બાબતે થયેલી માથાકૂટમાં પિતા વચ્ચે પડતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે આ મામલે ગામના જ બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતનેસવડ ગામના વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા (ઉં.વ. 50)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતરોજ તેમનો દીકરો યોગેશ ગામના શંકર ભગવાનના મંદિર પાસે ઉભો હતો, ત્યારે ગામના જ ભાવેશ બટુકભાઈ ડાભીએ હાથઉછીના આપેલા પૈસાની ઉઘરાણી બાબતે તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દીકરા સાથે માથાકૂટ થતી જોઈ રાજુભાઈ ત્યાં વચ્ચે બચાવ કરવા પહોંચ્યા હતા. હીરાના કારખાનાના હિસાબના પૈસા મુદ્દે વાતચીત દરમિયાન ભાવેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. ધોકા અને ઢીકાપાટુનો મારગાળો આપવાની ના પાડતા ભાવેશે લાકડાના ધોકા વડે રાજુભાઈના પગ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ નરેશ ઉર્ફે ટકો બટુકભાઈ ડાભી મોટરસાયકલ પર ત્યાં આવ્યો હતો અને રાજુભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકીહુમલો કર્યા બાદ બંને શખસે ધમકી આપી હતી કે, જો ફરીથી પૈસા માંગશો તો જાનથી મારી નાખીશું. ઇજાગ્રસ્ત રાજુભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરતેજ પોલીસે આ મામલે નેસવડ ગામના રહેવાસી ભાવેશ બટુકભાઈ ડાભી અને નરેશ ઉર્ફે ટકો બટુકભાઈ ડાભી વિરુદ્ધ BNS કલમ 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટ 135ની કલમો હેઠળ ગુનો નોંધી બંન્નેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:41 pm

RRU-BCAS વચ્ચે MoU:ભારતમાં પ્રથમ સ્વદેશી ઉડ્ડયન સુરક્ષા પરીક્ષણ કેન્દ્ર સ્થપાશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MoU ભારતીય એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતા ફુલ બોડી સ્કેનર્સ અને અન્ય સુરક્ષા સાધનોના પરીક્ષણ, મૂલ્યાંકન અને પ્રમાણપત્ર માટે ભારતના પ્રથમ સ્વદેશી પરીક્ષણ કેન્દ્રની સ્થાપના માટે છે. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ કરાર પર RRUના વાઇસ ચાન્સેલર પ્રો. બિમલ એન. પટેલ અને BCASના સંયુક્ત મહાનિર્દેશક પ્રતિભા આંબેડકરે હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારી ઉડ્ડયન સુરક્ષા સાધનોના પરીક્ષણ, સંશોધન, તાલીમ અને ધોરણોના વિકાસ માટે એક મજબૂત સંસ્થાકીય માળખું પૂરું પાડશે. પ્રસ્તાવિત કેન્દ્ર દ્વારા મૂળ સાધન ઉત્પાદકો (OEMs) દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉપકરણોનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરીને પ્રમાણપત્ર પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે. MoU હેઠળ, RRU ખાતે વૈશ્વિક ધોરણોને અનુરૂપ અત્યાધુનિક પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રયોગશાળાઓ સુરક્ષા અને કામગીરીના કડક માપદંડોને પૂર્ણ કરતી તકનીકોને જ મંજૂરી આપશે. આ ઉપરાંત, તાલીમ કાર્યક્રમો, વર્કશોપ અને સંશોધન સહયોગ દ્વારા ક્ષમતા વિકાસને પણ પ્રોત્સાહન મળશે. આ પહેલ ભારતને ઉડ્ડયન સુરક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તે વૈશ્વિક સ્તરે દેશની ટેકનોલોજીકલ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:40 pm

લોકજન શક્તિ પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે:ગુજરાતમાં પંચમહાલ, ખેડા, કચ્છમાં લડશે પક્ષ

લોકજન શક્તિ પાર્ટી (રામવિલાસ) એ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. 6 એપ્રિલ, સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રદેશ સંગઠન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પક્ષની ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. પાર્ટી દ્વારા જાહેર કરાયા મુજબ, નીચેની બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવશે: પંચમહાલ ગોધરા નગરપાલિકા: વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 9. પંચમહાલ જિલ્લા પંચાયત: ઓરવાડા સીટ. ખેડા જિલ્લા: બેટાવાડા પંચાયત સીટ. કચ્છ જિલ્લા પંચાયત: નલિયા અને મોથારા જિલ્લા પંચાયત સીટ. અમદાવાદમાં લેવાયેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્થાનિક સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનો અને જનતાના પ્રશ્નોને વાચા આપવાનો છે. પક્ષ દ્વારા આગામી દિવસોમાં અન્ય બેઠકો માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:30 pm

ગુજરાત વન વિભાગમાં ધરખમ ઉથલપાથલ:એ.પી. સિંઘને ‘હેડ ઓફ ફોરેસ્ટ’ના પદ પરથી હટાવી જયપાલસિંઘને વધારાનો ચાર્જ સોંપાયો

ગુજરાત રાજ્યના વન વિભાગમાં રાજ્ય સરકારે મોટા પાયે વહીવટી ફેરફારો કરતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. લાંબા સમયથી ટોચના પદ પર કાર્યરત અધિકારીઓની અચાનક બદલીના આદેશો બહાર પડતા સચિવાલયના ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે. એ.પી. સિંઘની ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં નિમણૂકવન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ ‘હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ’ તરીકે ફરજ બજાવતા એ.પી. સિંઘને તેમના પદ પરથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયને વન વિભાગના માળખામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નાયબ સચિવ આસવ ગઢવીની ભાવનગર બદલીએ.પી. સિંઘની બદલી બાદ હવે વન વિભાગના વડા તરીકેનો વધારાનો ચાર્જ જયપાલસિંઘને સોંપવામાં આવ્યો છે, જે વિભાગના કામકાજ માટે મહત્વપૂર્ણ જવાબદારી માનવામાં આવે છે. માત્ર ટોચના સ્તરે જ નહીં, પરંતુ સચિવાલયના અન્ય અધિકારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ‘ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ’ તરીકે કરવામાં આવી છે, જેને સાઈડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે. વન વિભાગના વડાને કોર્પોરેશનમાં મોકલવાને લઈ ચર્ચાતે જ રીતે, ઉપ સચિવ હિમાંશુ ગોહિલને પણ વન વિભાગમાંથી મુક્ત કરી સરકારી વકીલની કચેરીમાં ઉપ સચિવ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ એકાએક થયેલા ફેરફારોને કારણે વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વન વિભાગના વડાને કોર્પોરેશનમાં મોકલવાના અને અન્ય અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપવાના નિર્ણય પાછળના કારણોને લઈને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. આ ફેરફારો પાછળ શા માટેનો વ્યૂહરચનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે સત્તાવાર સ્પષ્ટતા ભલે ન થઈ હોય, પરંતુ તંત્રમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:26 pm

4.96 લાખની 1,483 નકલી નોટ 15 બેંકમાં જમા થઈ:ચિલ્ડ્રન બેન્ક, ફાટેલી, કલર ઝેરોક્ષ વાળી નોટ કોણે જમાવી કરાવી તેને લઈ તપાસ, SOGએ ગુનો નોંધ્યો

શહેરમાં અલગ-અલગ 15 બેન્કમાં વિવિધ દરની રૂપિયા 4.96 લાખની 1,483 નકલી ચલણી નોટો જમા થઇ છે. જેમાં 2000ના દરની 8, 500ના દરની 803, 200ના દરની 225, 100ના દરની 248, અને 50ના દરની 190 નોટ જમા થઇ હોવાની વિગતો સામે આવી છે.આ અંગે SOGએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ચિલ્ડ્રન બેન્કની નોટ પણ બેંકમાં જમા થઈશહેરની બેંકમાં ચિલ્ડ્રન બેન્ક, ફાટેલી, કલર ઝેરોક્ષ વાળી સહિત નકલી નોટ જમા કરાવવામાં આવી છે. બોગસ ચલણી નોટ જમા થયા બાદ મોટા પ્રમાણમાં આ નોટ બજારમાં પણ ફરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે હજી સુધી કોઈ આરોપી ઝડપાયા નથી. એ સાથે જ આ નોટ કઈ રીતે બજારમાં ફરતી થઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 'ઈ-સાક્ષ્ય' એપની મદદથી નોટની વીડિયોગ્રાફીમહત્વનું છે કે આ નોટની અંદર ચિલ્ડ્રન બેંક ફુલ ઓફ ફન લખેલી નોટ પણ છે. જ્યારે SOGની 'ઈ-સાક્ષ્ય' એપ્લિકેશન દ્વારા તમામ નકલી નોટોની ઓનલાઈન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 માર્ચે જ 18 બેન્કમાં ચિલ્ડ્રન બેન્ક સહિત રૂ. 5.67 લાખની 1659 નકલી ચલણી નોટો જમા થઇ હતી.

દિવ્ય ભાસ્કર 7 Apr 2026 12:25 pm