SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલ શખ્સ 5 દિવસના રિમાન્ડ પર:મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ લઇ આવતો હતો, ઘરમાંથી 10.36 લાખનો વધુ 296 ગ્રામ જથ્થો મળી આવ્યો

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત ગઈકાલે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે અને તેમાં પણ તે ચાલાકી પૂર્વક ઇલેક્ટ્રિક સ્પીકર ખોલી તેમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ભરી પાર્સલ મારફત રાજકોટ પહોંચાડી અહીંયા રૂપિયા 3થી 4 હજાર કિંમતમાં એક ગ્રામ જથ્થો વેચતો હતો. 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સેય નો ટુ ડ્રગ અંતર્ગત શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરતા પેડલરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અન્વયે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે શહેરના યુનિવર્સિટી રોડ પર જે કે ચોક નજીક ધ્રુવ જોશી નામના શખ્સને અટકાવી તેની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 3.62 લાખનો મુદામાલ કબજે કરી 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવ મૂળ મુંબઈનો રહેવાસી હોવાનું અને છેલ્લા દોઢ બે વર્ષથી રાજકોટ રહેતો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીને સાથે રાખી તેના ઘરે ઝડતી લેતા 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આરોપી પ્રથમ આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો હતો પરંતુ આગવી ઢબે પુછપરછ કરતા આરોપી આ જથ્થો મુંબઈથી લાવ્યો હોવાનું અને અહીંયા એક ગ્રામ જથ્થો 3થી 4 હજાર કિંમતમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ મુંબઇનો રહેવાસી હોવાથી પોતે મુંબઈના પેડલર પાસેથી આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ખરીદ કરી બાદમાં તેને ઇલેક્ટ્રિક સાઉન્ડ સ્પીકરમાં ભરી પાર્સલ મારફત રાજકોટ સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરનાર કન્ઝ્યુમરનું લિસ્ટ પણ મળી આવ્યું છે જે અંગે પણ પોલીસ તપાસ કરી તેમને ડી એડીકઝન સેન્ટરમાં મોકલીશું અને જો નહિ સહમત થાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ગાંજો અને હાઈબ્રીડ ગાંજા વચ્ચે નશાની માત્રામાં ખુબ મોટો તફાવત રહેલો હોય છે. સામાન્ય ગાંજાનો નશો કરતા હાઈબ્રીડ ગાંજાનો નશો અતિ તીવ્ર હોય છે જેનું થોડી માત્રામાં સેવન કરવાથી નશેડીઓને MD ડ્રગ્સના નશા જેવી અસર કરતું હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 50,000 છે જયારે હાઈબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 35 લાખ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 1:22 pm

ચૈત્રી નવરાત્રિનો આરંભ:વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉલ્લાસભેર ઉજવણી

હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે. તેમજ મહારાષ્ટ્રિયન પરિવારોનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘરમાં તેમજ ખારીવાવ રોડ પર ઉમંગ અને ઉલ્લાસથી નવ વર્ષની ઉજવણી કરવામાં આવી. પરંપરાગત ગુડી ઉભી કરાઈવડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પવિત્ર ચૈત્ર માસના પ્રારંભે પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઉભી કરી તેની પૂજા અર્ચના કરીને એક બીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. વડોદરામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે. વડોદરા એ સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે, તેના કારણે અહીં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વસતો થયો હતો, જેઓ દ્વારા આજના દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આજે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરીઆજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હોવાની પણ કથા છે. આજના દિવસને હિંદુ ધર્મનું નવું વર્ષ ગણવામાં આવે છે. આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એકમેકને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુડીને વિજય ધ્વજનું પ્રતીક ગણવામાં આવે છેગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈને તેના રેશમી કે સુતરાઉ કાપડ મૂકી પર કડવા લીમડાની ડાળખી, સાકરનો હાર, પુષ્પહાર કરી તેની પર ચાંદીપિત્તળકે તાંબાનો લોટો મુકવામાં આવે છે. પછી હળદર-કંકુથી પૂજા કરવામાં આવે છે. પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે. ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે. મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે. શ્રદ્ધાળુઓએ ઘટસ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરીઆજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે માઈ ભક્તો દ્વારા આજથી ઘાટ સ્થાપન કરી અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના વિવિધ માઈ મંદિરો ખાતે પણ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. 9 દિવસ નવરાત્રિ દરમિયાન ભક્તો માતાજીની આરાધનામાં લીન બનશે. વર્ષમાં બે નવરાત્રી આવે છે, જેમાં ચૈત્રી નવરાત્રિનું મહત્વ વધુ જોવા મળે છે. વડોદરાના માતાજીના મંદિરોમાં પણ આજથી ભીડ જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 1:21 pm

હિંમતનગરથી ઇન્દોર-જોધપુર રૂટ પર નવી ST બસો શરૂ:ધારાસભ્ય વી.ડી. ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી ડેપોને ચાર નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગર-ઇન્દોર અને હિંમતનગર-જોધપુર રૂટ પર આ નવીન એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગીય કચેરીને કુલ 11 નવી બસો ફાળવવામાં આવી હતી. તેના ભાગરૂપે, હિંમતનગર એસટી ડેપોને ચાર નવી બસો મળી છે. આ નવી સુવિધાથી હિંમતનગરમાં જાહેર પરિવહન વધુ સુવિધાજનક, ઝડપી અને સશક્ત બનશે, જે સામાન્ય જનતાને લાભ આપશે. આ પ્રસંગે શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, મહામંત્રી પ્રકાશભાઈ વૈધ, રાજુભાઈ દેસાઈ, ઇન્ચાર્જ ડેપો મેનેજર એન.કે. પટેલ, શશીકાંત સોલંકી, ગોપાલભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સુથાર, રાજુભાઈ શર્મા, મેહુલભાઈ સાંખલા, ભૂમિકાબેન મહેતા, યતીનાબેન મોદી, લાલભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર એસટી ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એન.કે. પટેલે રૂટની વિગતો આપી હતી. હિંમતનગર-જોધપુર બસ દરરોજ સવારે ૭:૩૦ વાગ્યે ઉપડશે. આ અપ-ડાઉન બસનો રૂટ હિંમતનગરથી ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી, આબુ રોડ, શિરોહી, પાલી થઈને જોધપુર સુધીનો રહેશે. જ્યારે, હિંમતનગર-ઇન્દોર બસ દરરોજ સવારે 8 કલાકે ઉપડશે. આ અપ-ડાઉન બસનો રૂટ હિંમતનગરથી મોડાસા, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, જાંબવા, ધાર થઈને ઇન્દોર સુધીનો રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 1:00 pm

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

Sonia Gandhi vs Shashi Tharoor on Iran: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તથા સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓના મંતવ્યોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતા આ વલણને 'નૈતિક પતન' ગણાવ્યું, જ્યારે સાંસદ શશી થરૂરે તેને એક જવાબદાર અને સુનિયોજિત કૂટનીતિ ગણાવી સરકારનો બચાવ કર્યો છે. સરકારના મૌન પર સોનિયા ગાંધીના પ્રહાર સોનિયા ગાંધીએ એક લેખ દ્વારા સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઈરાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન અને એક રાષ્ટ્રાધ્યક્ષની હત્યા જેવા ગંભીર મામલે નવી દિલ્હીનું મૌન ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 12:59 pm

આંગણવાડી બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં:માનદ વેતનમાં વધારા સહિત 12 માગણીઓને લઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

રાજકોટની 360 સહિત રાજ્યની 53,000 આંગણવાડીની 1.06 લાખ બહેનો આજે 19 માર્ચે સતત બીજા દિવસે કામથી અળગા રહ્યા છે. આંગણવાડી વર્કરનો માસિક રૂ.10,000 અને હેલ્પરનો રૂ.5,500 થી વધારી અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,400 કરવામાં આવે તેમજ મોબાઇલ આપવામાં આવે તે સહિતની 12 માંગણીઓને લઈ બહેનોએ જયુબેલી ચોક ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સરકાર અમલ કરે તેવી તેઓની માંગણી છે. જો સરકાર તેમની માગણી નહીં સંતોષે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઓનલાઈન કામગીરી બંધ કર્યા બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું- સંગીતા રાવલગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમા સૌરાષ્ટ્ર મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતુ કે, આજે વિરોધ નો બીજો દિવસ છે. અમે 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ કરેલી છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. જેથી અમારે આંગણવાડીઓને તાળા મારીને જયુબેલી ગાર્ડનમાં વિરોધ માટે આવવું પડ્યું છે. 2000 આંગણવાડી બહેનો લડત ચલાવી રહી છે અને 1700 આંગણવાડીઓને તાળા મારવામાં આવ્યા છે. આંગણવાડી વર્કરને 10,000 અને હેલ્પરને 5500 આપવામાં આવે છે. જેથી સરકારે વિચાર કરવો જોઈએ કે આટલી મોંઘવારીમાં આ બહેનો કઈ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. 'અમારી માગણી નહીં સંતોષાય તો ચૂંટણી કામગીરીનો બહિષ્કાર કરીશું'તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોનો પગાર વધારવામાં આવે. આમ છતાં પણ સરકાર દ્વારા આ બહેનો સામે અપીલ કરવામાં આવી છે. આ બહેનો સરકારી મેળવવા અને કાર્યક્રમોમાં પોતાનો સહયોગ આપે છે. જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે જો સરકાર દ્વારા આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવામાં નહીં આવે અને નવા મોબાઈલ આપવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતા સરકાર અમલવારી નથી કરતી- ધ્રુપલબેન પતરીયાજ્યારે આંગણવાડી હેલ્પર ધ્રુપલબેન પતરીયાએ જણાવ્યુ હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આંગણવાડી હેલ્પર તરીકે કામ કરું છું અને મારો પગાર માત્ર રૂ.5500 છે. હાઇકોર્ટ દ્વારા પગાર વધારવા માટેનો ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં સરકાર દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી. પરિવારમાં સાસુ - સસરા, પુત્ર અને પુત્રી તેમજ પતિ છે. જેઓનું ગુજરાન ચલાવવું આ મોંઘવારીમાં પોષાતું નથી.જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું. સી.આઈ.ટી.યુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન 26 જિલ્લાના 106 જેટલા આગેવાનોની બનેલી કારોબારીની બેઠકમાં તા.18, 19 અને 20 માર્ચના રોજ કામગીરીથી અળગા રહેવાનુ એલાન કરાયુ છે. જેમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના પગારમાં વધારો, ડિજિટલ કામગીરી માટે 2022 માં આપેલ વચન મુજબ નવા મોબાઇલ આપવા, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવા, બાળકોના પોષણ આહાર માટેના દર 2019 માં નક્કી કરાયા બાદ વધારો ન કરાતા તે વધારો કરવા, AVT અને FRS જેવી એપ્લિકેશન ચાલતી ન હોય બંધ કરવી, બાળકોના પોષણ આહાર તેમજ અન્ય તમામ બિલો નિયમિત ચૂકવાય અને તે બહેનોને પોતાના પગારમાંથી ખર્ચ ન પડે તે માટે એડવાન્સ આપવાની વ્યવસ્થા કરવા સહિતની 12 જેટલી માગણીઓ મૂકવામાં આવી છે. વધુમાં જણાવ્યા મુજબ, 10 ની માર્ચ 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રીએ હૈયા ધારણા આપી હોવા છતાં એક પણ માગણીઓનો ઉકેલ ન આવતા છેવટે પ્રથમ તબક્કામાં તારીખ 18, 19 અને 20 માર્ચના રોજ રજા રિપોર્ટ ભરીને તેમજ સ્થાનિક અધિકારીઓને આવેદનપત્રો આપીને કામથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે.લાંબા સમયથી ગુજરાતની 1,06,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો સરકાર સમક્ષ 27 વખત બેઠક યોજીને માગણીનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી ચૂકી છે. સરકારને જો કુપોષિત બાળકોની ચિંતા જ હોય તો છેક 2018 માં પોષણના આહાર દરો નક્કી કરાયા હતાં તેમાં કોઈ જ વધારો કરાયો નથી તે કરી જ શક્યા હોત અને તેથી બાળકોના પોષણ આહારને નુકસાન પહોંચતું હોવાની રજૂઆત કર્યા છતાં આ બાબતે પણ સરકાર દ્વારા નિર્ણય કરાયો નથી. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે પગારમાં 1500નો વધારો કરી અને વર્કરને 4,500અને હેલ્પરને 625નો વધારો કરીને 2250 કર્યા હતા તથા રાજ્ય સરકારે 2022 માં વર્કરને માત્ર રૂપિયા 2250 અને હેલ્પર ને 3000 વધારો કર્યા બાદ કોઈ જ વધારો કર્યો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગારોમાં વધારો કર્યા વિના કામના બોજમાં પણ જંગી વધારો કર્યો છે. વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોને જીવન ટકાવવું મુશ્કેલ બની જતા છેવટે પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:58 pm

ગોધરામાં રમઝાન માસ: હિન્દુ વેપારીઓ માટે મુસ્લિમ રક્ષક:રાની મસ્જિદ વિસ્તારમાં ભાઈચારાનું ઉદાહરણ, સુરક્ષા સાથે વેપાર

ગોધરા શહેરના પોલન બજાર અને રાની મસ્જિદ વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન અનોખો ભાઈચારો જોવા મળી રહ્યો છે. અહીં હિન્દુ વેપારીઓ માટે મુસ્લિમ બિરાદરો રક્ષક બનીને ઊભા છે, જેઓ તેમની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરે છે. આ દૃશ્ય સામાન્ય રીતે ગોધરા વિશે પ્રવર્તતી છબીથી વિપરીત, એક સકારાત્મક વાસ્તવિકતા દર્શાવે છે. આ વિસ્તારમાં 20થી વધુ લારીઓ અન્ય ધર્મના વેપારીઓની છે. આ વેપારીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે પોતાનો વેપાર કરી શકે છે. મુસ્લિમ ગ્રાહકો કોઈપણ ભેદભાવ વિના તેમની પાસેથી ખરીદી કરે છે, જેનાથી વેપારીઓને સારી કમાણી થાય છે. સ્થાનિક લોકો કે દુકાનદારો દ્વારા આ વેપારીઓ પાસેથી એક પણ રૂપિયો ચાર્જ કે ભાડું લેવામાં આવતું નથી. રાત્રિના સમયે સ્થાનિક મુસ્લિમ યુવાનો સતત દેખરેખ રાખીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.ગોધરાના આ બજારમાં જોવા મળતો આ દૃશ્ય ધાર્મિક સૌહાર્દ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:55 pm

આણંદ કોમર્સ કોલેજનો 56મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો:કુલપતિ નીરજા ગુપ્તા અને મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા

શ્રીરામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજનો 56મો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નીરજા ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 'શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ'ના સ્થાપક મહિપતસિંહ ચૌહાણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. મંડળના પ્રમુખ હેમન્તભાઈ પટેલ અને માનદ સેક્રેટરી જ્યોત્સનાબેન પટેલ પણ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. વી. એમ. વનાર દ્વારા મહેમાનોનો પરિચય કરાવાયો અને પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ભેટથી તેમનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું. ડૉ. કિરીટ વી. સોલંકીએ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો, જ્યારે ડૉ. કાજલ બી. રાવ દ્વારા કોલેજની સહઅભ્યાસિક તેમજ ઇત્તર પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કરાયો. આ પ્રસંગે પ્રો. ડૉ. નીરજા ગુપ્તાએ માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું. મહિપતસિંહ ચૌહાણે પ્રેરક ઉદબોધન કર્યું. મંડળના પ્રમુખ હેમન્તભાઈ પટેલ અને સેક્રેટરી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે પણ પ્રેરક વક્તવ્ય આપ્યા. સંસ્થા દ્વારા તાજેતરમાં યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં રજૂ કરાયેલા સંશોધનપત્રોને આવરી લેતા ત્રણ ISBN પુસ્તકો તેમજ સંસ્થાના વાર્ષિક સામયિક 'જ્ઞાન મંજુષા'નું વિમોચન કરાયું. અભ્યાસ, રમતગમત, NCC, NSS તેમજ અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ચંદ્રક તેમજ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહમાં વય નિવૃત્તિને કારણે નિવૃત થતા એસોસિએટ પ્રોફેસર ડૉ. આશુતોષ યાજ્ઞિકનું સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું. ડૉ. ઉર્વી જી. અમીન તેમજ ડૉ. સંજય આર. ઠક્કર ઉદ્દબોધક તરીકે કાર્યરત હતા. કાર્યક્રમના અંતે ડૉ. જીગીશા વાગડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓના ખંત, પરિશ્રમ અને સહયોગથી આણંદ કોમર્સ કોલેજનો 56મો વાર્ષિક ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:51 pm

એમ.બી. પટેલ કોલેજમાં 'વિનર્સ શો-2026' યોજાયો:400 વિદ્યાર્થીઓને NCC, NSS, સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સન્માનિત કરાયા

આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ માટે વિનર્સ શો - 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 400 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ કોલેજ, યુનિવર્સિટી, જિલ્લા અને રાજ્ય સ્તરની NCC, NSS, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ અને યુથ ફેસ્ટિવલ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો હતો. તેમને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ઉષા નર્સિંગ હોમના ડાયરેક્ટર ડૉ. ઉષાબેન ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડૉ. જતીન પટેલના માર્ગદર્શન હેઠળ માઇક્રોબાયોલોજી વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતન પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર વિનોદ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:35 pm

CVM યુનિવર્સિટીમાં સેમિકન્ડક્ટર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થપાશે:GCET કોલેજમાં દ્વિદિવસીય સિમ્પોઝિયમમાં 500 વિદ્યાર્થીઓને માર્ગદર્શન

CVM યુનિવર્સિટી સંચાલિત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિભાગ દ્વારા ‘સેમિકન્ડક્ટર ટેકનોલોજીઝ’ વિષય પર દ્વિદિવસીય સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ અને ડીન અમિત ગણાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિમ્પોઝિયમમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોના 500થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. ઉદ્યોગ જગતની અગ્રણી કંપની eInfochips ના નિષ્ણાત ઇજનેરોએ વિદ્યાર્થીઓને વાસ્તવિક પડકારો, VLSI ડિઝાઇન, ચિપ ફેબ્રિકેશન અને AI હાર્ડવેર જેવા આધુનિક વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ડૉ. અમિત ગણાત્રાએ ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા માટે સેમિકન્ડક્ટરના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા પ્રેરણા આપી હતી. સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલે કાર્યક્રમની સફળતા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે CVM યુનિવર્સિટી આગામી સમયમાં સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન માટે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ’ની સ્થાપના કરશે. આ કેન્દ્ર વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગો માટે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:26 pm

​ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજ પાર્ટી મામલે વધુ એક ફરિયાદ:વેપારીએ પૂજારીના પુત્ર સહિત 6 સામે ભવનાથમાં FIR નોંધાવી; કાલે 11 સામે ફરિયાદ નોંધાઈ

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના નિજ મંદિરને અપવિત્ર કરનારા તત્વો સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. ગઈકાલે તંત્ર દ્વારા 11 શખસ સામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાયા બાદ, આજે 19 માર્ચે વધુ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે પૂજારી પુત્ર અને તેના મિત્રો સહિત કુલ 6 શખસ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાતાર રોડ પરના વેપારીએ ફરિયાદ નોંધાવી​ગિરનાર અંબાજી મંદિરના ભંડારાના રસોડામાં દારૂ અને નોનવેજની પાર્ટી કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સનાતન ધર્મ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૂનાગઢના દાતાર રોડ પર રહેતા અને વેપાર કરતા જાગૃત નાગરિક આવળભાઈ કરશનભાઈ ખટાણાએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં મંદિરના ભંડારાના રસોઈઘરમાં અમુક ઇસમો દારૂનું સેવન કરી, છાકટા બની, બિભત્સ ગાળો બોલી નોનવેજ રાંધીને ખાતા હોવાનું દેખાય છે. આ પણ વાંચો.... 11 લોકો સામે પોલીસ ફરિયાદ, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશેઘટના 22 ઓક્ટોબરની, આરોપીઓની શોધખોળ​આ પવિત્ર શક્તિપીઠ ખાતે થયેલા આ અશોભનીય કૃત્યથી કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. પોલીસે ફરિયાદી પાસેથી પેન ડ્રાઈવમાં રહેલા વીડિયો પુરાવા કબજે કર્યા છે. આ ઘટના ગત 22 ઓક્ટોબર, 2025ના રોજ બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 298, 299, 54 અને 302 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે. આજે (19 માર્ચ) આ શખસો સામે ગુનો દાખલ ​18 માર્ચે 11 સામે નોંધાઈ હતી FIR​નોંધનીય છે કે, ગઈકાલે જ જૂનાગઢ કલેક્ટરના કડક આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા બે અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. ગિરનારની પવિત્રતા ખંડિત કરનારા અને દાનપેટીમાં ગેરરીતિ કરનારા કુલ 11 શખસ સામે ભવનાથ પોલીસે સકંજો કસ્યો હતો. પવિત્ર પરિસરમાં મહેફિલનો મામલોતપાસમાં બહાર આવ્યું હતું કે પૂજારી કિશોરસિંહ ચૌહાણનો પુત્ર અભિષેક તેના મિત્રો સાથે ગિરનારની સીડીઓ ચડીને ઉપર પહોંચ્યો હતો. તેઓએ મંદિરના ગોખ પાસે દારૂ પીધો અને ત્યારબાદ ભંડારામાં નોનવેજની પાર્ટી કરી હતી. આ ઘટનામાં છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને માંસ ઉપર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. આ તમામ લોકો અનઅધિકૃત રીતે મંદિરમાં પ્રવેશ્યા હતા અને 4 દિવસ સુધી ત્યાં રોકાણ કર્યું હતું. દાનપેટીની રકમમાં વિશ્વાસઘાતબીજી ફરિયાદ પૂજારીઓ દ્વારા આચરવામાં આવેલી નાણાકીય અનિયમિતતા અંગે હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું કે, કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે વાસણ રાખી દેતા હતા, જેથી શ્રદ્ધાળુઓનું દાન સીધું દાનપેટીમાં ન જાય અને તેઓ તે રકમ ખિસ્સામાં સેરવી શકે. આ આર્થિક છેતરપિંડીમાં યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ 5 શખસ સામે ગુનો નોંધાયો હતો. ​વહીવટી તંત્રની લાલ આંખ અને કલેક્ટરના કડક આદેશો​જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટદારને કડક સૂચના આપી છે. 2024થી મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં થયેલી આ બેદરકારી બદલ 12 કર્મચારીની મંદિર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, વહીવટદારની તપાસ કરવામાં આવશે અને જો તેમની નિષ્કાળજી જણાશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. ​ભવિષ્ય માટે લેવાયેલા મહત્વના નિર્ણયો ​ગિરનાર જેવા પવિત્ર સ્થળની સુરક્ષા અને ગરિમા જાળવવા માટે પ્રશાસન હવે આરપારના મૂડમાં છે. પોલીસ હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ સમાચાર પણ વાંચો… ગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ ​જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:17 pm

છોટા ઉદેપુરમાં આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખનું આવશે:જગદીશ વિશ્વકર્મા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાને લઇને તડામાર તૈયારીઓ શરૂ

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે, ૨૦ માર્ચના રોજ છોટા ઉદેપુરની મુલાકાત લેશે. તેમના આગમનને લઈને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને પ્રદેશ પ્રમુખના કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જાહેર કરી હતી. કાર્યક્રમ અનુસાર, જગદીશ વિશ્વકર્મા સવારે ૯:૩૦ વાગ્યે વસેડી પહોંચશે. ત્યાંથી યુવા ભાજપના કાર્યકરો બાઈક રેલી કાઢીને તેમને ગોરા રામજી મંદિર અને મહાકાળી મંદિર લઈ જશે, જ્યાં પ્રદેશ પ્રમુખ દર્શન કરશે. ત્યારબાદ તેઓ દરબાર હોલ ખાતે છોટા ઉદેપુર વિધાનસભાના સંગઠનના પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજશે અને સંઘ કાર્યાલયની મુલાકાત લેશે. સવારે ૧૧ વાગ્યે, પ્રદેશ પ્રમુખ ભાજપ કાર્યાલય પહોંચીને છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના કાર્યકરોને મળશે. તેઓ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને કાર્યકરોને માર્ગદર્શન આપશે. ત્યારબાદ, તેઓ ઘેલવાંટ ખાતે એક બૂથ પ્રમુખના ઘરે ભોજન લેશે અને ત્યાંથી નસવાડી જવા રવાના થશે. નસવાડી પહોંચ્યા બાદ, સંખેડા વિધાનસભાનું સંમેલન યોજાશે. આખા દિવસના આ કાર્યક્રમો દ્વારા પ્રદેશ પ્રમુખ જિલ્લાના કાર્યકરોને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે માર્ગદર્શન પૂરું પાડશે. પ્રદેશ પ્રમુખના આગમનને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:04 pm

બાકરોલના 13 મકાનો સીલ:બાકી વેરાની વસૂલાત માટે મનપાની કાર્યવાહી, ₹5.37 લાખ વસૂલાયા

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકરોલ વિસ્તારમાં કાર્યવાહી કરીને 13 મકાનો સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹5,37,990નો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાની રિકવરી ટીમે બાકરોલની વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી વેરો ન ભરનારા મકાન માલિકો સામે કાર્યવાહી કરી હતી. કુલ ₹2,35,988નો વેરો બાકી હોવાથી 13 બંધ મકાનોને સ્થળ પર જ સીલ કરી દેવાયા હતા. સીલ કરવાની કાર્યવાહી ઉપરાંત, અન્ય મિલકત ધારકો પાસેથી ₹3,02,002ની વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કમિશનરની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી. મનપાના ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરવો ફરજિયાત છે. નાગરિકોની સુવિધા માટે, માર્ચ મહિનામાં આવતી તમામ જાહેર રજાઓ અને રવિવારે પણ મહાનગરપાલિકાની કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. 19મી માર્ચ, ગુરુવારે જાહેર રજા હોવા છતાં, મનપા વિસ્તારની તમામ કચેરીઓ સવારે 11:00 થી સાંજે 4:00 કલાક સુધી કાર્યરત રહેશે. તંત્રએ નગરજનોને અપીલ કરી છે કે મિલકત સીલ થવા જેવી કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો જમા કરાવી દે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 12:02 pm

કુખ્યાત ભાવેશ જીલીયા સામે પણ પાટણ પોલીસ કડક કાર્યવાહી કરશે:Dysp રેણુકાની અપીલ: ગુંડા તત્વોથી ડર્યા વગર ફરિયાદ કરો, સાયબર ટીમ સર્વેલન્સમાં

પાટણ પોલીસે કુખ્યાત ભાવેશ બળદેવભાઈ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયા અને તેની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. રાધનપુર Dysp પરેશ રેણુકાએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. Dysp પરેશ રેણુકાએ માહિતી આપી કે ભાવેશ જીલીયાનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. ગુજરાત પોલીસમાં તેના વિરુદ્ધ કુલ 20 ગુના નોંધાયેલા છે. માત્ર પાટણ જિલ્લામાં જ તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, IPC 323 (મારામારી) અને ગુજસીટોક (GUJCTOC) સહિતના 10 ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને ભાવેશ જીલીયા કે તેની સિન્ડિકેટના સભ્યો અથવા અન્ય ગુંડા તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય, તો તેઓ કોઈપણ ડર કે ધાકધમકી વિના પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) નો સંપર્ક કરી શકે છે. ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અસામાજિક તત્વો અને સિન્ડિકેટના સભ્યો સામે કોઈ પણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વિના કામ કરવામાં આવશે અને આવા કોઈ પણ ઈસમને છોડવામાં આવશે નહીં. આ સાથે જ, Dysp પરેશ રેણુકાએ સાયબર સુરક્ષા અંગે ચેતવણી આપતા જણાવ્યું કે પોલીસની સાયબર સર્વેલન્સ ટીમને ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાના સંદર્ભમાં બે જૂથો વચ્ચે વૈમનસ્ય અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ન્યાય સંહિતા અનુસાર, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવી કે વૈમનસ્ય ફેલાવવું ગુનો બને છે. હાલમાં સાયબર ટીમ સતત સર્વેલન્સ કરી રહી છે અને જો આવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:59 am

સરકારને 25 માર્ચ સુધીનું પશુપાલકોનું એલ્ટિમેટમ:દહેગામમાં વેપાર-ધંધા સજ્જડ બંધ, ઉત્તમ ડેરીની ગાડી આવતા દુધ ઢોળી નાખ્યું; વિવાદ ઉગ્ર બનવાના એંધાણ

ગાંધીનગરના દહેગામ તાલુકાના પશુપાલકો અને ઉત્તમ-મધુર ડેરી વચ્ચે ચાલી રહેલો વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. પશુપાલક સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા દહેગામ બંધના એલાનને પગલે આજે 19 માર્ચે વહેલી સવારથી વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. જોકે, બંધના એલાન છતાં ઉત્તમ ડેરીની ગાડી દૂધ લેવા પહોંચતા પશુપાલકોએ દૂધ ઢોળી નાખી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પશુપાલકોને સમગ્ર તાલુકામાંથી અભૂતપૂર્વ સમર્થનદહેગામ તાલુકાના પશુપાલકો છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર મધુર ડેરી તેમનું દૂધ સ્વીકારે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. દહેગામ તાલુકાના પશુપાલકો અમદાવાદની ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ આપવા માટે માંગણી કરી રહ્યા છે. દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી દૂધની લડાઈ હવે લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અગાઉ પશુપાલકો દ્વારા આપવામાં આવેલા વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા જેવા કાર્યક્રમોને પોલીસે નિષ્ફળ બનાવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે ગુરુવારે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને સમગ્ર તાલુકામાંથી અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. પશુપાલકોએ ઉત્તમ ડેરીની ગાડીને રસ્તામાં જ આંતરી લીધીઆજે વહેલી સવારે જ્યારે સમગ્ર દહેગામ બંધ પાળવાની તૈયારીમાં હતું, ત્યારે ઉત્તમ ડેરીની ગાડી ગામડાઓમાંથી દૂધ એકત્ર કરવા માટે આવી પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ પશુપાલકોએ આ ગાડીને રસ્તામાં જ આંતરી લીધી હતી. આંદોલનના સમર્થનમાં અને ડેરીના વલણ સામે વિરોધ નોંધાવવા પશુપાલકોએ ગાડીમાં ભરેલું દૂધ રસ્તા પર ઢોળી દઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 25 માર્ચ બાદ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકીનોંધનીય છે કે, દહેગામના આ આંદોલનને સ્થાનિક વેપારી એસોસિએશન અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ પણ જાહેર ટેકો આપ્યો છે. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખીને પશુપાલકોની માગણીઓને સમર્થન આપ્યું છે. સંકલન સમિતિના જણાવ્યા અનુસાર, પશુપાલકો હવે સહેજ પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. જો આગામી 25 માર્ચ સુધીમાં મધુર ડેરીમાં દૂધ ભરવાની માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવી હાઈવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસનું સધન પેટ્રોલિંગબીજી તરફ દહેગામ સજ્જડ બંઘ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ ચાલુ રાખી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનો ઇનકાર કરી દેવાતા આ વિવાદ વકર્યો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે, તેમને પરાણે ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:58 am

અસલી ₹500 આપો ને નકલી 1500 લઈ જાવ:સુરતમાં 2 કરોડની ફેક કરન્સી છાપી પહેલી ડીલ અમદાવાદ કરવા આવ્યા ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા, નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમરાઇવાડીમાંથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળીક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા. નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતાપોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. સુરતમાં રેડ કરી પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરીપોલીસે આરોપીઓની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારો પર્દાફાશ થયો હતો કે આ ચલણી નોટ સુરતના વરાછા ખાતે છાપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની એક ટીમ વરાછા પહોચી ગઈ છે અને સ્થાનિક પોલીસની મદદ લઈને જ્યા નોટ છાપી રહ્યા હતા ત્યારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ચલણી નોટ પ્રિન્ટ કરવાનું મશીન સહિતની સામગ્રીઓ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યુ છે. અસલી 500 આપો અને નકલી 1500 લઈ જાવઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી. દેશભરમાં ફેક કરન્સી પહોંચાડવા એજન્ટોની ફૌજ બનાવવાની તૈયારીઆરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂઆત જ કરી હતી અને તેવામાં તે સંકજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પંચનામુ કરવામાં પરસેવો છૂટ્યોક્રાઇમ બ્રાંચે 500ના દરની 40 હજારથી વધુ નોટ કબજે કરી લીધી છે જેનુ પંચનામું મોડી રાતથી ચાલુ છે. 40 હજાર નોટના સીરીયલ નંબર લખવામાં અને ત્યારબાદ તેનુ પંચનામુ કરવામાં ક્રાઈમ બ્રાંચનો પરસેવો છૂટી ગયો છે. ક્રાઇમ બ્રાંચની મોટાભાગની ટીમો હાલ આ કામગીરી કરવા માટે લાગી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:48 am

માતાજીનો અલૌકિક શૃંગાર જોઈ ભક્તો ભાવવિભોર:ચૈત્રી નવરાત્રિના પ્રારંભે અંબિકા નિકેતન અને જૂના અંબાજી મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, શ્રદ્ધાળુઓ માટે લગાવ્યા વોટર ફુવારા

આજે 19 માર્ચને ગુરૂવારે ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવવર્ષના પાવન અવસર પર ડાયમંડ સિટી સુરતના મંદિરોમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં 'જય માતાજી'ના નાદ સાથે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવવર્ષની શુભ શરૂઆત કરવા માટે ભક્તો માતાજીના આશીર્વાદ લેવા આતુર દેખાઈ રહ્યા છે. અટવાલાઇન્સ અંબિકા નિકેતન અને જૂના અંબાજીમાં વહેલી સવારથી ભીડસુરતના જાણીતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારના 4 વાગ્યાથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું. માત્ર અંબિકા નિકેતન જ નહીં, પરંતુ ભાગળ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જૂના અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરવાને અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જેને પગલે સમગ્ર સુરત શહેર ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. માતાજીનો અલૌકિક શૃંગાર જોઈ ભક્તો ભાવવિભોર થયાચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે મંદિરોમાં માતાજીનો અદભુત અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં માતાજીને કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવ્યા છે. માતાજીની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. માતાજીના મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ અને દિવ્યતા પ્રસરી ગઈ છે. હજારો કિલો ફૂલો અને લાઈટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યુંનવરાત્રીના પર્વને વધુ ભવ્ય બનાવવા માટે અંબિકા નિકેતન મંદિર ખાતે વિશેષ સજાવટ કરવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા હજારો કિલો દેશી અને વિદેશી ફૂલોનો ઉપયોગ કરીને મંદિરના ગર્ભગૃહ અને બહારના પરિસરને શણગારવામાં આવ્યું છે. આ સાથે જ રાત્રિના સમયે મંદિર ઝળહળી ઉઠે તે માટે આકર્ષક રોશની (લાઇટિંગ) પણ કરવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગરમી સામે લડવા મંદિર ટ્રસ્ટ દ્વારા 'વોટર મિસ્ટ' સિસ્ટમહાલ સુરતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ભક્તોને હાલાકી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા શ્રદ્ધાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિરની બહાર પાણીના ફુવારા (વોટર મિસ્ટ) અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે વૃદ્ધો અને બાળકોને ગરમીનો અહેસાસ ઓછો થાય છે અને તેઓ સરળતાથી દર્શન કરી શકે છે. મંદિરોમાં હવન અને અનુષ્ઠાનોનો પ્રારંભચૈત્રી નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. આ નવ દિવસો દરમિયાન સુરતના વિવિધ મંદિરોમાં વિશેષ હવન, ચંડીપાઠ અને અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ સામૂહિક નવરાત્રી પૂજન અને અર્ચન પણ થઈ રહ્યા છે. નવવર્ષના પ્રથમ દિવસથી જ આ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સુરતની આધ્યાત્મિક ગરિમામાં વધારો થયો છે. પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્તભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિરની બહાર અને અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્વયંસેવકો પણ ખડેપગે સેવા આપી રહ્યા છે. અંબિકા નિકેતન અને ભાગળ અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:42 am

નવસારીના આશાપુરી મંદિરે પહેલા નોરતે ભક્તોનું ઘોડાપૂર:ગાયકવાડી શાસનકાળનું ઐતિહાસિક મંદિર; 385 વર્ષ જૂના ગર્ભગૃહમાં માના આશીર્વાદ લીધા

નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલા ઐતિહાસિક આશાપુરી મંદિરમાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિર ભક્તોની આશા પૂર્ણ કરનારું માનવામાં આવે છે. ગાયકવાડી શાસનકાળ દરમિયાન નિર્મિત આશરે 385 વર્ષ જૂનું આ આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માતા આશાપુરી સાથે ગણેશજી અને માર્કન્ડેય ઋષિની મૂર્તિઓ પણ બિરાજમાન છે, જે તેને ગુજરાતના અનોખા મંદિરોમાંનું એક બનાવે છે. આસો નવરાત્રિ દરમિયાન પણ આ મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત ઘેરૈયા નૃત્ય અહીંની પરંપરાનો એક ભાગ છે, જેમાં પુરુષો સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે. આશાપુરી મંદિરના મહત્ત્વ પાછળ એક લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે કે, નવસારીમાં ગાયકવાડી રાજ હતું ત્યારે એક સુબાને સપનામાં માતાજી આવ્યા હતા અને દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાનું જણાવ્યું હતું. સુબાએ જમીન ખોદાવતા માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, જેની સ્થાપના તેમણે એક નાની દેરી બનાવીને કરી હતી. આ સ્થાપના બાદ સુબાની માનતા પ્રમાણે તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. એકવાર સુબા સુરત પોતાની પત્નીને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સુરત પહોંચવું અશક્ય બનતા સુબાએ માતાજીને પ્રાર્થના કરી અને ચમત્કારિક રીતે પૂરના પાણી ઓસરી ગયા. ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી માતાજીનું નામ 'આશાપુરી' પ્રચલિત બન્યું. આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટી ઘનશ્યામ પટેલ જણાવે છે કે આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક. આ મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરનું 2004 માં નવેસરથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલું, પણ માતાજીની ચિઠ્ઠી નાખવા છતાં પણ માતાજીએ ગર્ભગૃહમાં બદલવાની ના પાડેલી, એટલે ગર્ભગૃહ એ જ પ્રમાણે 400 વર્ષ જૂનું છે એ જ પ્રમાણેનું છે. આ મંદિરની અંદર દર વર્ષે ગરીબ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને 20 થી 25 લાખ રૂપિયાની રાહત આપવામાં આવે છે. એક જ મંદિર એવું છે કે જે આ સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે. દર વર્ષે મે મહિનામાં 1 લાખ રૂપિયા જેવી સહાયની નોટબુકો આપવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં આઠમના દિવસે ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે. આજુબાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, બીલીમોરા, બારડોલી, વાપી થી બધા માતાજીના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. આવવાનું એક જ કારણ છે કે માતાજી દરેકની આશા પૂરી કરે છે, એટલે જ આ મંદિરનું નામ પણ આશાપુરી પાડવામાં આવે છે.ચૈત્ર નવરાત્રીમાં આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મોટો ઉત્સવ ગણાય છે. આખા ભારતભરમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માતાજીના ગરબા પણ અહીંયા રાખવામાં આવે છે. બ્લડ કેમ્પનું પણ આયોજન આઠમના દિવસે કરવામાં આવે છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા પધારે છે. હેત્વી દવે જણાવે છે કે આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે. હું એમ તો દરરોજ મારા ફેમિલી સાથે અહીં દર્શન કરવા આવું છું, પણ આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે તો એક અલગ જ અનુભવ થાય છે અહીંયા આવીને.માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે એવી મારી આશા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:41 am

ચૈત્રી નવરાત્રિનો આજથી મંગલ પ્રારંભ:ચોટીલાના ડુંગર પર મા ચામુંડાના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર; માર્ગો પર સેવાના કેમ્પો ધમધમ્યા

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આજે ગુરુવાર, 19 માર્ચથી થયો છે. આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર પર શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક મનાય છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની ચાર નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ માટે ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન જેવા કાર્યો માટે આ નવરાત્રિ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે. મંત્ર-તંત્રના પ્રયોગ અને બગલામુખી સાધના સિદ્ધ કરવા માટે પણ આ સમય શ્રેષ્ઠ મનાય છે. ચોટીલા ચામુંડા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ ધામ, જ્યાં મા ચામુંડા બિરાજમાન છે, તે 64 જોગણી પૈકીનો એક અવતાર મનાય છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટીલાના ડુંગર પર બિરાજમાન મા ચામુંડા ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે છે તેવી માન્યતા છે. રોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા અહીં આવે છે, અને ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં ભક્તોની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. ચોટીલાનો ઇતિહાસ ઘણાં વર્ષો જૂનો છે. પૌરાણિક કથા અનુસાર, હજારો વર્ષો પહેલાં પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો, જેનાથી પ્રજા અને ઋષિ-મુનિઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. આ રાક્ષસોથી બચવા માટે ઋષિમુનિઓએ માતાજીની આરાધના કરી અને યજ્ઞ દ્વારા માતાજીનું આહ્વાન કર્યું. હવન કુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે મા આદ્યશક્તિનું પ્રાગટ્ય થયું. આ આદ્યશક્તિએ અલગ અલગ બે સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો. ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયાં, તેથી અહીં માતાજીનાં બે મુખ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન, ગુજરાતભરના અલગ અલગ ભાગોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીનાં દર્શને આવતા હોય છે. નવરાત્રિના આઠ દિવસ પહેલાંથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે અને સ્ટેટ રોડ રથ સાથેના પગપાળા સંઘોથી ઊભરાઈ જાય છે. લગભગ દર એક કિલોમીટરના અંતરે સેવાભાવી મંડળો તથા રોડ પર આવતાં ગામો દ્વારા ચા, પાણી, શરબત, નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો શરૂ થઈ જાય છે. રોડ પરના ખેતર-વાડીના માલિકો-ખેડૂતો પણ પોતાના ખેતરમાં આ પગપાળા સંઘોને રાત્રિ રોકાણ અને દિવસ દરમિયાન આરામ માટે યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડે છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:33 am

હિંમતનગરના ટાવર ચોકમાં પાણી લીકેજ:વહેલી સવારે રસ્તાઓ પર પાણી ભરાયા, પાલિકાએ તપાસ હાથ ધરી

હિંમતનગરના ટાવર ચોક વિસ્તારમાં વહેલી સવારે પાણી લીકેજ થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નગરપાલિકા દ્વારા બનાવેલી પીવાના પાણીની ટાંકીઓમાંથી આ લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું છે. ટાવર ચોકમાં આવેલા બગીચામાં નગરપાલિકા અને જીયુડીસી દ્વારા બે ઓવરહેડ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. આ ટાંકીઓમાંથી કોઈ અજાણ્યા કારણોસર પાણી લીકેજ થયું હતું. લીકેજ થયેલું પાણી શાક માર્કેટ પાસેથી પસાર થઈને ટાવર ચોક અને ત્યારબાદ પરશુરામ પાર્ક સુધી પહોંચ્યું હતું. આ ઘટના એવા સમયે બની જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. સવારે ભારે પવન પણ ફૂંકાયો હતો, અને તે જ સમયે ટાવર ચોકમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. આ મામલે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાણી કેવી રીતે આવ્યું તેની તપાસ કરાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:25 am

વાવાઝોડાથી રણમાં સોલાર પેનલો ફંગોળાઈ, લાખોનું નુકસાન:ખારાઘોડા-ઝીંઝુવાડા ધમરોળાયું: પંથકમાં ભારે પવન સાથે વરસાદથી અગરિયાઓને ફટકો

કચ્છના નાના રણમાં આવેલા ખારાઘોડા અને ઝીંઝુવાડા વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાથી દરેક અગરિયા પરિવારને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દર વર્ષે નાના રણમાં લગભગ 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાને કારણે રણ સૂકું હતું. આથી, સેંકડો અગરિયા પરિવારો નવરાત્રી પહેલા જ રણમાં મીઠું પકવવા પહોંચી ગયા હતા. તેઓએ સોલાર પેનલો ફીટ કરીને કામ શરૂ કર્યું હતું અને તેમની મીઠું પકવવાની સિઝન પૂર્ણતાના આરે હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વાવાઝોડું, પવન અને વરસાદ ખાબક્યો હતો. આનાથી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાણી ખેંચવા માટેની સોલાર પેનલો ઉડીને તૂટી ગઈ હતી. સોલાર પંપ અને કંટ્રોલરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પણ મોટું નુકસાન થયું હતું. રણમાં અગરિયાઓ માટે સોલાર પેનલ ફીટ કરવાનું કામ કરતા લોકોએ જણાવ્યું કે, જોરદાર પવન અને વાવાઝોડા સાથેના વરસાદથી 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી, જેના કારણે અગરિયાઓને મોટું નુકસાન થયું છે. મીઠું પકવતા સતીષભાઈ સાવડીયાએ જણાવ્યું કે, વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મીઠામાં નુકસાન થવા ઉપરાંત સોલાર પેનલો પણ ફંગોળાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:23 am

આણંદની એમ.બી. પટેલ કોલેજમાં મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ:વિદ્યાર્થીની ભવનમાં આત્મહત્યા નિવારણ પર જાગૃતિ અપાઈ

આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ કોલેજની નેશનલ ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા વિદ્યાર્થીની ભવન (ગર્લ્સ હોસ્ટેલ) ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃત કરવાનો હતો. નેશનલ ટાસ્ક ફોર્સના મહિલા સભ્યો ડૉ. તનુશ્રી બસાક, ડૉ. અપેક્ષા પાટડીયા અને ડૉ. પૂર્વા દેસાઈએ વિદ્યાર્થીનીઓને આ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ અને NTFના મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નોડલ ઓફિસર ડૉ. જીતેન ટેલર અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જતીન ડી. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:23 am

ખેરાલુના ચોટીયા ગામે ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક ખાખ:પવનને કારણે વીજ વાયરો ભેગા થતાં આગ; 70 હજારના નુકસાનનો અંદાજ

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે એક કમનસીબ ઘટના સામે આવી છે, જેમાં શોર્ટ સર્કિટના કારણે એક ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ચોટીયા ગામના ખેડૂત કિરણભાઈ ચૌહાણના ખેતરમાં તૈયાર કરીને રાખેલો ઘઉંનો પાક વીજ વાયરોમાં થયેલા ઘર્ષણને કારણે લાગેલી આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. ભારે પવનને કારણે વીજ વાયરો ભેગા થઈ ગયાંમળતી માહિતી મુજબ, ખેડૂત કિરણભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંની લણણી કર્યા બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં એક સાઈડ ભેગો કરીને રાખવામાં આવ્યો હતો. જોકે આ ખેતર ઉપરથી પસાર થતા વીજ કંપનીના બે વાયરો અવારનવાર એકબીજા સાથે અથડાતા હોવાથી તણખા ઝરતા હતા. આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે આ વીજ વાયરો ફરી એકબીજા સાથે ટકરાયા હતા, જેનાથી થયેલા શોર્ટ સર્કિટના તણખા નીચે પડેલા ઘઉંના પાક પર પડ્યા હતા. અંદાજે 65 મણ ઘઉં બળીને ખાખઆગ લાગવાની જાણ થતા જ ખેડૂત પરિવાર ખેતર પર દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. તૈયાર થયેલો તમામ પાક આગથી લપેટાઈને રાખ થઈ ગયો હતો. ખેડૂત કિરણભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 65 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થાય છે, જે ચાલુ વર્ષે પણ તૈયાર હતું. આ આગને કારણે ખેડૂતને આશરે 60થી 70 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે વળતરની માગ કરીઆ ઘટના અંગે ગામના સરપંચ દ્વારા GEBને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. એક તરફ ખેતીમાં મોંઘા બિયારણ અને મહેનત બાદ પાક તૈયાર થયો હતો. ત્યારે આ ઘટનાને કારણે ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હવે ખેડૂત સરકાર અને તંત્ર પાસે યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:21 am

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાયા:શામળાજીના સુનોખ-વાશેરા કંપામાં અસર, ખેડૂતો ચિંતિત

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શામળાજી, સુનોખ અને વાશેરા કંપા વિસ્તારમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયા હતા, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. હવામાન વિભાગે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરી હતી. આ બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે તેમનો ઉનાળુ પાક તૈયાર થઈને ખેતરોમાં પડ્યો છે. સામાન્ય રીતે, ભર ઉનાળે થતા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના વાવેતર નિષ્ફળ જતા હોય છે. આ સ્થિતિમાં, તૈયાર પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:09 am

વકીલ યુવતીની પૂર્વ પ્રેમીએ સગાઈ તોડાવી નાખી:મંગેતરને ફોન કરી બદનામી કરી, માતા-પિતાને પણ ફોન પર ધમકી આપતાં FIR

શહેરના રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે રહેતી 27 વર્ષીય વકીલ યુવતીની સગાઈ કરવામાં આવતા પૂર્વ પ્રેમીએ ફોન ઉપર યુવતીના માતા-પિતાને બિભત્સ શબ્દો ભાંડ્યા હતા. આ સાથે ફોટા જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી સગાઈ તોડાવી નાખી હતી. અવારનવાર અલગ-અલગ ફોન નંબરથી ધમકી આપી અને ‘જો મારી સાથે લગ્ન નહીં કરાવો તો પરિવારને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. લગ્ન બાબતે બોલાચાલી થતા પ્રેમ સંબંધ તૂટ્યોઆ અંગેની વિગત એવી છે કે, હાથીજણ સર્કલ પાસે આવેલા એક ફ્લેટમાં 27 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને મેટ્રો કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરે છે. 2021માં વિદેશ જવા માટે આઈએલટીએસના ક્લાસીસમાં જતી હતી, ત્યારે પ્રિયાંશુ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વધુ સંપર્ક આવતા તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, બે વર્ષ જેટલો ચાલ્યો હતો. ત્યારબાદ 2025ના જૂન મહિનામાં લગ્ન બાબતે બોલાચાલી થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. પ્રિયાંશુના ફોન ઉપાડવાના અને વાત કરવાનું બંધ કરી દેતા તેની માતાએ યુવતીના માતા-પિતાને ફોન કરી કહ્યું હતું કે, તમારી દીકરી અને મારો દીકરો પ્રેમ સંબંધમાં છે અને મારો દીકરો સારો નથી ને કોઈ કામ ધંધો કરતો નથી. તેમજ દારૂની લતે ચડેલ છે. યુવતીના મંગેતરને ફોન કરી સગાઈ તોડાવી નાખીડિસેમ્બર, 2025માં યુવતીની સગાઈ થઈ હતી, જેથી પ્રિયાંશુએ કહ્યું હતું કે, તમે કેમ આવું કર્યું? તેની સગાઈ મને પૂછ્યા વગર કેમ કરી? તેમ કહી જોર જોરથી બોલવા લાગ્યો હતો. તમારી છોકરી સારી નથી, જ્યાં જશે ત્યાં હું એને છોડીશ નહીં અને તમારા દીકરાને ઉઠાવી લઈશ આ પ્રમાણે માનસિક ત્રાસ આપ્યો હતો. હું તમારા ઘરે આવીશ અને તમારી દીકરીના ફોટા મારી પાસે છે, તેને જાહેર કરી દઈશ તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. જે યુવક સાથે યુવતીની સગાઈ થઈ હતી, તેને યુવતી વિશે ખોટી વાતો કરી અને બદનામી કરી સગાઈ તોડાવી નાખી હતી. ધમકી આપતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવીઆટલેથી ન અટકી પ્રિયાશુએ અલગ-અલગ નંબર પરથી યુવતીના માતા-પિતાને ફોન કરીને ‘જો તમે મારી સાથે તેના લગ્ન નહીં કરાવો તો તમારા પરિવારને જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. આ બાબતે યુવતીના માતાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:08 am

બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારતા મહિલાનો જાહેરમાં તમાશો:વડોદરામાં બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી જામ કર્યો; કહ્યું- હું મારો જીવ આપી દઇશ

વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ પાસે મુખ્ય રોડ પર ગત(18 માર્ચ) મોડી રાત્રે એક મહિલાએ ભારે હોબાળો મચાવીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. બોયફ્રેન્ડે રિક્ષામાંથી ધક્કો મારી નીચે ફેંકી દેતા મહિલાએ જાહેર રોડ પર તમાશો કર્યો હતો. બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે જ્યારે મહિલાને પકડી ત્યારે મહિલા બોલતી હતી કે, મેં કહ્યું ને કે તમે સાઇડમાં થઈ જાઓ. હું મારો જીવ આપી દઈશ, મને રોડ પર ફેંકી દીધી છે. ઘટનાને પગલે રાવપુરા પોલીસ દોડી ગઈ હતી અને મહિલાની અટકાયત કરી વરણામા પોલીસને સોંપી દીધી હતી. વરણામા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ‘મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા’મહિલા કહે છે કે, મારા જીવની કિંમત પોલીસ ચૂકવશે, મારા શરીરથી હાથ દૂર રાખજો. મને મારી નાખો. વરદીનો ઘમંડ ન બતાવશો. મેં 112 પર કોલ કર્યો, ત્યારે કેમ ન આવ્યા. મારાથી દૂર રહો. મહિલા પોલીસકર્મી કહે છે કે, તમે સાઇડમાં આવી જાઓ. મહિલા પોલીસકર્મી તેને ખેંચીને લઈ જાય છે. બોયફ્રેન્ડે મહિલાને રિક્ષામાંથી નીચે ફેંકી દીધી હતીગઇકાલે મહિલા કેવડિયાથી તેના બોયફ્રેન્ડ સાથે નીકળી હતી, જ્યારે વરણામા પોલીસ સ્ટેશનની હદ આવી ત્યારે તેના બોયફ્રેન્ડે તેને રિક્ષામાંથી ધક્કો મારી ઉતારી દેતા મહિલા નીચે પડી ગઈ હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો, એટલે 108 એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો એટલે હોસ્પિટલ તરફથી વરણામા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ રોડ પર તમાશો કર્યોસયાજી હોસ્પિટલની બહાર મહિલાએ ધમાલ કરી હતી. મહિલાએ જાહેર રસ્તા પર જોરદાર હંગામો કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો. પોલીસે લાંબી સમજાવટ અને પ્રયાસો બાદ મહિલાને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન ઘટનાસ્થળે ભારે ભીડ જામી ગઈ હતી અને થોડા સમય માટે મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાએ અંદાજિત એક કલાક અમારી સાથે મગજમારી કરી: પોલીસકર્મીપોલીસકર્મી કનુભાઈએ જણાવ્યું હતું કે, 112 નંબર પરથી અમને કોલ આવ્યો હતો કે તમે પંચમુખી હનુમાન મંદિર પાસે જાઓ. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશની એક મહિલા ત્યાં હાજર હતી, તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેવડિયામાં રહે છે. નશો કરેલી હાલતમાં હોય એવું દેખાય છે. મહિલાએ લગભગ એક કલાક અમારી સાથે મગજમારી કરી હતી. ‘મહિલાએ અમારી સાથે હાથાપાઈ કરી’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા એવું કહેતા હતા કે હું કેવડિયાથી આવી છું. જોકે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તે સારવાર માટે આવ્યા હતા કે અન્ય કોઈ કારણસર આવ્યા હતા. અમે જ્યારે તેમને પોલીસ સ્ટેશન ચાલવાનું કહ્યું ત્યારે તેમણે અમારી સાથે હાથાપાઈ કરી હતી. આખો રસ્તો જામ કરી દીધો હતો અને ટ્રાફિકમાં પણ અડચણ ઊભી કરી હતી. પછી લોકોએ અમને મદદ કરી અને પોલીસની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 11:01 am

માર્ચ એન્ડિંગને લઈ PGVCL ની એર સ્ટ્રાઇક:સૌરાષ્ટ્ર - કચ્છમાં વિજ બિલ ન ભરનારા 52 હજાર ગ્રાહકોના કનેક્શન કાપી રૂ.101 કરોડની આવક, હજૂ રૂ.98 કરોડની વસૂલાત બાકી

માર્ચ એન્ડિંગ નજીક આવતા જ PGVCL દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. વિજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરાઈ છે. ડીસ કનેક્શન ડ્રાઈવમાં 52802 ગ્રાહકોના કનેક્શન કાપવામાં આવ્યા છે અને તેના થકી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડને રૂ.101.17 કરોડની આવક થઈ છે. જેમાં 4 માસથી વધુ સમયથી તેમજ રૂ.5000 થી વધુ વિજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે હજુ 2.23 લાખ ગ્રાહકો એવા છે કે જેઓ વિજ બીલ ભરતા નથી. જેમની પાસેથી રૂ.98.50 કરોડની વસૂલાત બાકી છે. જેથી હવે ચેકીંગ ડ્રાઇવ થકી તેઓ પર સકંજો કસવામાં આવશે. PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, નાણાકીય વર્ષના અંતે ડેબિટ એરિયસ ઓછું કરવા માટે કંપની દ્વારા વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી હતી. 25 ફેબ્રુઆરીએ થયેલી પ્રથમ ડ્રાઇવમાં 30857 ગ્રાહકોના વિજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.86.94 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 17 માર્ચના મેગા ડીસ કનેક્શન પાર્ટ 2 માં 21945 વીજ કનેક્શન કટ થયા હતા અને તેમાં રૂ.41.48 કરોડની આવક થઈ છે. જે પહેલા રૂ.140 કરોડ જેટલું લેણું બાકી હતુ. જોકે રૂ.42 કરોડની રિકવરી થતા રૂ.98 કરોડની ડેબિટ એરિયર્સ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છમાંથી PGVCL ની ઓછી ડેબિટ એરિયર્સ બાકી રહે તે માટે રજાના દિવસોમાં પણ વિજ બિલ ન ભરનારાને ત્યાંથી વસૂલાતની કામગીરી ચાલુ રહેશે. અગર હકો અને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાનું બાકી વિજ બિલ ઓનલાઇન પણ ભરી શકે છે. ઉદ્યોગકારો અને ખાનગી રેસીડેન્સ ધારકોને ત્યાંથી બાકી વિજ બિલની વસૂલાત માટે ચેકિંગ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓના બાકી લેણા બાબતે જણાવ્યું હતું કે, તેઓને સરકાર તરફથી ગ્રાન્ટ મળતાની સાથે જ તેમના દ્વારા વીજ બિલ ભરપાઈ કરી દેવામાં આવતુ હોય છે. જેમાં નગરપાલિકાઓના વિજ બિલ બાકી છે. જોકે તેમાં સાવરકુંડલા નગર પાલિકા તરફથી ચૂકવણી થઈ ચૂકી છે. ગોંડલ નગરપાલિકાના વીજ બિલની રકમ પણ મળવાની છે. જોકે આ નગરપાલિકાઓનો હેતુ લોકોની સેવાનો હોય છે. તેમણે જણાવ્યું કે, આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં 4 મહિનાથી વધુ સમયથી જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યું ન હોય અને રૂ.5000 થી વધુનું વીજ બિલ બાકી હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી ડીસ કનેક્શન ડ્રાઈવ કરવામાં આવી હતી. હજુ 50000 જેટલા ગ્રાહકો એવા છે કે જેમના દ્વારા વિજ બિલ ભરવામાં આવ્યુ નથી. જેથી તેઓની પાસેથી નાણાની વસૂલાત બાકી છે. જોકે PGVCL દ્વારા આ જ રીતે ડ્રાઇવ રાખી માસ SMS દ્વારા ગ્રાહકોને વિજ બિલ ભરવા સૂચના આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર - કચ્છના કયા સર્કલમાં કેટલી વસૂલાત? સર્કલ - વિજ કનેક્શન કપાયા - વસૂલાત (લાખમાં)રાજકોટ શહેર - 2807 - 1900.98રાજકોટ ગ્રામ્ય - 5268 - 1566.32જામનગર - 10271 - 1084.68સુરેન્દ્રનગર - 1341 - 783.16મોરબી - 4453 - 739.13ભાવનગર - 7792 - 733.35ભુજ - 2513 - 689.95અંજાર - 2491 - 626.48પોરબંદર - 4881 - 573.46 અમરેલી - 4226 - 558.96જૂનાગઢ - 4565 - 518.62બોટાદ - 2194 - 342.28કુલ - 52802 - 10117.36 કેટલા ગ્રાહકોની કેટલી વસૂલાત બાકી? રાજકોટ શહેર - 17996 - 411.80રાજકોટ ગ્રામ્ય - 18840 - 158.68જામનગર - 34365 - 1539.13સુરેન્દ્રનગર - 28081 - 1827.27મોરબી - 15883 - 500.95ભાવનગર - 10045 - 493.97કચ્છ - 40639 - 2179.83અંજાર - 22569 - 971.33પોરબંદર - 10665 - 428.87અમરેલી - 10063 - 666.05જૂનાગઢ - 8584 - 299.78બોટાદ - 6071 - 372.70કુલ - 2,23,801 - 9850.34

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:57 am

ભાગળ-ચૌટાપુરમાં SMCનું સરપ્રાઈઝ ચેકિંગ:27 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ, 31,000નો દંડ વસૂલ્યો

સુરત શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર લાલ આંખ કરી છે. શહેરના સૌથી જૂના અને ગીચ ગણાતા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી તપાસ પ્રક્રિયાને કારણે વ્યાપારી આલમમાં ભારે ફફરાટ ફેલાયો છે. નવનિયુક્ત નાયબ આરોગ્ય અધિકારી અમિત પટેલ દ્વારા ગઈકાલે મોડી સાંજે ભાગળ અને ચૌટાપુર વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. બજારમાં સાંજના સમયે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, અને આ જ સમયે ખાદ્ય પદાર્થોનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે. આ તકનો લાભ લઈને અનેક વેપારીઓ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવતા હોય છે. આ બાબતને ધ્યાને રાખી નાયબ આરોગ્ય અધિકારી અમિત પટેલે પોતાની ટીમ સાથે ભાગળ ચાર રસ્તાથી લઈને ચૌટાપુર સુધીના માર્ગો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પાલિકાની ગાડીઓ અને અધિકારીઓનો કાફલો જોઈને અનેક લારી-ગલ્લા ધારકો અને નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 227 એકમોની કરાઈ તપાસઆરોગ્ય વિભાગની ટીમે ટૂંક સમયમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આ અભિયાન દરમિયાન કુલ 227 જેટલી સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવાનો અને પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નાશ કરવાનો હતો. ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ વાસી અથવા અયોગ્ય રીતે સંગ્રહિત કરેલો ખોરાક મળી આવ્યો હતો. આરોગ્યની દ્રષ્ટિએ જોખમી એવા આશરે 27 કિલો જેટલા ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ હોવા છતાં, અનેક વેપારીઓ તેનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. ટીમે આશરે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવા બદલ અને પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ વિવિધ એકમો પાસેથી કુલ રૂપિયા 31,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તાત્કાલિક ડસ્ટબિન મુકાવ્યાઆરોગ્ય અધિકારી અમિત પટેલે આ કાર્યવાહી દરમિયાન માત્ર દંડ વસૂલવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું પરંતુ વેપારીઓમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. શહેરને કચરામુક્ત બનાવવા માટે સોર્સ સેગ્રિગેશન એટલે કે કચરાનું વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે. આ અંતર્ગત અધિકારીએ વેપારીઓને સુકો કચરો અને ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે તાકીદ કરી હતી. જે વેપારીઓ પાસે વ્યવસ્થા નહોતી, ત્યાં તાત્કાલિક ડસ્ટબીન મુકાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:57 am

હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત 2082 શરૂ:મહારાષ્ટ્ર-ગુજરાતમાં વસતા મરાઠી સમાજ ગુડી પડવાની ઉજવણી કરી, જાણો ગુડી પડવાનું મહત્વ

હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનો અત્યંત પવિત્ર અને વિશેષ ગણાય છે. ભારતીય કેલેન્ડર અનુસાર, ચૈત્ર એ વર્ષનો પ્રથમ મહિનો છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષ એટલે કે 'વિક્રમ સંવત'નો પ્રારંભ થાય છે. આ વર્ષે 19 માર્ચ 2026થી વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ છે, જેને દેશના વિવિધ ભાગોમાં ગુડી પડવો, યુગાદિ કે વર્ષ પ્રતિપદા તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગુડી પડવો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારનો સૌથી મોટો તહેવાર છે. 'ગુડી'નો અર્થ 'વિજય પતાકા' થાય છે અને 'પડવો' એટલે ચંદ્રના પક્ષનો પ્રથમ દિવસ. મરાઠી સમુદાય આ દિવસે પોતાના ઘરની બહાર વાંસની લાકડી પર રેશમી વસ્ત્ર અને ઊંધો કળશ રાખી 'ગુડી' ઉભી કરે છે. 19 માર્ચથી જ ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. ભારતની વિવિધતામાં એકતાના દર્શન આ પર્વમાં પણ થાય છે. આ દિવસે દેશના અલગ-અલગ ભાગોમાં તેને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાદી, ગોવા અને કેરળમાં સંવત્સર પડવો, કાશ્મીરમાં નવરેહ, મણિપુરમાં સજિબૂ નોંગમા પાનબા અને ઉત્તર ભારતમાં ચૈત્ર નવરાત્રી. આ પર્વ પાછળ અનેક પૌરાણિક અને ઐતિહાસિક માન્યતાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું, તેથી તેને 'બ્રહ્મધ્વજ' તરીકે પણ પૂજવામાં આવે છે. મરાઠી સમુદાય આ દિવસને છત્રપતિ શિવાજી મહારાજના વિજય ઉત્સવ તરીકે ઉજવે છે. આ જ દિવસે મહાન ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની ગણતરી કરીને હિન્દુ પંચાંગની રચના કરી હતી. કેટલીક માન્યતાઓ મુજબ, રાવણ પર વિજય મેળવી પ્રભુ શ્રીરામ આ દિવસે અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં વિજય પતાકા લહેરાવવામાં આવે છે. આ દિવસે ઘરની સાફ-સફાઈ કરી મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવે છે. વાંસની લાકડી પર ચાંદી, તાંબા કે પિત્તળનો કળશ ઊંધો મૂકી, તેને કેસરી વસ્ત્ર, લીમડાના પાન અને ફૂલોથી શણગારી ઘરના ઉંચા સ્થાન પર લગાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘર પર ગુડી લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સંતોષ સૈદાણે જણાવે છે કે આજે ચૈત્ર નવરાત્રીની શરૂઆત છે અને એની સાથે સાથે આજે ગુડી પડવાનો તહેવાર છે, જે અમારા મહારાષ્ટ્રીયન સમાજ, ઓલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા મરાઠી સમાજ જે ગુડી પડવાનો તહેવાર છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. આજના દિવસે પોતાના ઘરની બહાર એક લાકડી હોય છે, એ લાકડીની ઉપર તાંબાનો લોટો હોય છે અને એની સાથે સાથે લીમડાના પત્તા અને પતાશાનો હાર હોય છે. એનાથી જે લીમડો હોય છે, એની અંદર કડવાશ હોય છે, એ કડવાશના લીધે જે આપણા ઘરની અંદર જે નેગેટિવ ઉર્જા હોય છે એ જતી રહે છે અને પતાશા જે છે એના લીધે પોઝિટિવિટી આપણા ઘરમાં આવે છે. આજે અમારો જે મરાઠી સમાજ છે એ આ તહેવારને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે અને ઘરની અંદર પુરણપોળી બનાવે છે. અમારા દરેકે દરેક જે અહીંયા રાધેપાર્ક સોસાયટીમાં વસતા મરાઠી રહીશો છે, એ બધાના ઘરે આજે પુરણપોળી બનશે અને એ નૈવેદ્ય માતાજીને ધરાવશે. આજના દિવસે હું ખાલી એટલું જ કહીશ કે માં વિશ્વંભરી તમામ જે મારા મિત્રો છે, ભાઈ-બહેનો છે, બધાને સુખ અને શાંતિ આપે. શિવાજી મહારાજના સમયકાળથી જે આ સંસ્કૃતિને આપણે જીવતી રાખી છે, તે જ રીતે આવનારી પેઢી પણ આ ગુડી પડવાનો તહેવાર અને મરાઠી સંસ્કૃતિને જીવતી રાખે એવી હું માતા ભગવતીને પ્રાર્થના કરું છું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:53 am

ગીર સોમનાથમાં ટીબી ફોરમની બેઠક યોજાઈ:જિલ્લાને ટીબી મુક્ત કરવા ચર્ચા

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઇણાજ ખાતે આવેલી જિલ્લા કચેરીમાં ટીબી ફોરમ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2025 સુધીમાં ગીર સોમનાથ જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાનો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેષ પરમાર, વેરાવળ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શીતલ રામ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ડો. ખેવના કારાવડીયા, જિલ્લાના ઔદ્યોગિક એકમોના પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2025 સુધીમાં જિલ્લાની 176 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા બદલ તેમના સરપંચોનું સન્માન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત, ટીબીના દર્દીઓને સમયસર દવાઓ, ચેકઅપ અને રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લાની લેબોરેટરીઓની નિયમિત તપાસ કરવા અને જો કોઈ ખામી જણાય તો તેમને તાત્કાલિક બંધ કરાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ. આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવા માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા સંકલ્પ લીધો હતો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આ બાબતે કોઈપણ જરૂરિયાત ઊભી થાય તો તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ માહિતી અનિશ રાચ્છ દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:53 am

રાધનપુર રોડ પર માર્ટીનોઝ પિત્ઝામાં વહેલી સવારે આગ:થોડીવાર અફરાતફરી મચી ગઈ, બારીની ગ્રીલ તોડી દુકાનમાં ફસાયેલા 8 યુવાનોનું રેસ્ક્યુ

મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાન 'માર્ટીનોઝ પિત્ઝા'માં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે પીઝા હાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની ગંભીરતા એ હતી કે આગ લાગી ત્યારે દુકાનની અંદર 8 જેટલા યુવાનો ફસાયેલા હતા.જેમના જીવ જોખમમાં મુકાયા હતા.રેસ્ક્યુ બાદ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.જોકે આગ ક્યાં કારણે લાગી અને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળીઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ વચ્ચે ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ફાયરની ટીમે જહેમત ઉઠાવી દુકાનમાં ફસાયેલા તમામ 8 યુવાનોને સુરક્ષિત રીતે બારીની ગ્રીલ તોડી બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. આ યુવાનોનું રેસ્ક્યૂફાયર વિભાગ દ્વારા કમલેશ નિસાથ (26), જવાલા નિસાથ (18), ગોકુલ નિસાથ (18), ભોલા નિસાથ (23), હરદીપ નિસાથ (20), પંકજ નિસાથ (20), સુનિલ નઈપાલ (22) અને કિશન નઈપાલ (22) એમ તમામ આઠેય યુવાનોને સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:52 am

ભરૂચમાં મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉજવણી કરી:નવા વર્ષના પ્રારંભે પરંપરાગત રીતે પર્વ મનાવાયું

ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષના પ્રારંભરૂપ મહાપર્વ ‘ગુડી પડવા’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રો પરિધાન કરી ઘેરઘેર ગુડી સ્થાપિત કરી પૂજા અર્ચના કરી હતી. આ સાથે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચૈત્ર માસના પ્રારંભ સાથે આવતા આ પર્વને મહારાષ્ટ્રમાં વિશેષ મહત્વ અપાય છે. માન્યતા અનુસાર, ભગવાન શ્રી રામે વાલીનો સંહાર કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે ગુડી સ્થાપિત કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજદિન સુધી જળવાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજે ઘરોમાં ગુડી ઉપર તાંબાનો કલશ મૂકીને તેને રેશમી વસ્ત્રોથી શોભિત કરી પૂજા અર્ચના કરી હતી. ચૈત્ર નવરાત્રીના આરંભને અનુલક્ષીને સૂર્યનારાયણની આરાધના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લીમડાના રસની પ્રસાદી ગ્રહણ કરવાની પરંપરાનું પણ પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજે ધાર્મિક ભાવનાથી ગુડી પડવાના પર્વની ઉજવણી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:38 am

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મણિબહેન પટેલ પુસ્તકનું વિમોચન:સરદાર પટેલ યુનિવર્સિટીમાં જીવન-કવન ઉજાગર કરાયું, રીલ સ્પર્ધાના વિજેતાઓ સન્માનિત

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'સમર્પણ અને ત્યાગમૂર્તિ: મણિબહેન પટેલ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ 'સરદાર સાગા' અંતર્ગત તેમની પુત્રી મણિબહેન પટેલના રાષ્ટ્રપ્રેમ અને સામાજિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ પ્રો. નિરંજન પટેલ અધ્યક્ષ સ્થાને હતા. પ્રો. નમ્રિતા કોલા, ડૉ. વસંત પટેલ અને ડૉ. જિગીષ પંડ્યા સહિતના શિક્ષણવિદો પણ હાજર રહ્યા હતા. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જેવા વિષયો પર રીલ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૨૦થી વધુ એન્ટ્રીઓ આવી હતી. ડૉ. અર્પિત પાટડિયા અને ડૉ. રાજેશ્વરી પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠા ગુપ્તાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે પાખી દોવારાહ અને મ્રીદ્દુપ બોરૃઆહ દ્વિતીય સ્થાને વિજેતા બન્યા હતા. રાધાશ્રી ઉપાધ્યાય અને અદિતિ પટેલ તૃતિય સ્થાને વિજેતા રહ્યા હતા. ડૉ. અપૂર્વા અને તેમની ટીમને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા અને ભૂમિ ચાવડાના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:37 am

પાટણની નગરદેવી કાલિકા માતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:માતાજીને ડાયમંડ આભૂષણો, ફૂલોની આંગીનો શૃંગાર; દિવ્ય દર્શન માટે ભીડ

પાટણમાં રાણકીવાવ નજીક આવેલા ઐતિહાસિક કાલિકા માતા મંદિરે આજથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીને દેશ-વિદેશના ડાયમંડના આભૂષણો અને કલકત્તા-મુંબઈના રંગબેરંગી ફૂલોનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટણ નગરીના નગરદેવી તરીકે પૂજાતા કાલિકા માતાનું આ પ્રાચીન મંદિર પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા આ મંદિરમાં આદ્યશક્તિ માં કાલિકા અને મહાલક્ષ્મી સ્વરૂપે ભદ્રકાળી માતા બિરાજમાન છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મૂર્તિને વિશિષ્ટ રીતે શણગારવામાં આવી હતી. પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા માતાજીને પુષ્પમાળા તેમજ દેશ-વિદેશથી લાવવામાં આવેલા વિવિધ ઘાટ અને આકારના ડાયમંડના આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કલકત્તા અને મુંબઈથી મંગાવવામાં આવેલા રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. નવ દિવસીય મહોત્સવ દરમિયાન કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને દરરોજ અલગ-અલગ પ્રકારની આંગી, નિતનવા વસ્ત્રો અને અલંકારોથી આભૂષિત કરવામાં આવશે. મંદિર પરિસર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રી દરમિયાન દરરોજ સવારે 10 વાગ્યે શૃંગાર આરતી, સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 9:30 વાગ્યે સંપૂર્ણ શૃંગાર દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આ ધાર્મિક અનુષ્ઠાનોની સાથે મંદિર પ્રાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:34 am

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન:આઈસ્ટાર કોલેજમાં વિદ્યાર્થીઓએ કારકિર્દીના ઘડતરમાં સંસ્થાના યોગદાન અંગે પ્રતિભાવો રજૂ કર્યા

ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમયુની આઈસ્ટાર કોલેજના એલ્યુમની એસોસિએશન સેલ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિવિધ કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટોયો ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, દહેજના જનરલ મેનેજર રાહુલ મેહતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બૈજુ વર્ગીસ અને મિતાલી વારિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સંસ્થાના પ્રિન્સિપાલ ડો. એમ.એમ. રાજે એલ્યુમની મીટનું મહત્વ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને અપાતા યોગદાન વિશે માહિતી આપી હતી. ડો. હિરલ પટેલે ઉપસ્થિત એલ્યુમની વિદ્યાર્થીઓની કારકિર્દી અને તેમની સિદ્ધિઓ વિશે ચિતાર આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આઈસ્ટાર સંસ્થાના આચાર્ય ડો. એમ.એમ. રાજ, કોલેજ સંયોજક ડો. જીગર પટેલ અને મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખ રૂપેશ શાહ દ્વારા દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીના ઘડતરમાં સંસ્થાના યોગદાન અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે રવીશ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:28 am

મોરબી પેકેજિંગ યુનિટોમાં ભાવ વધારો નિશ્ચિત:રો-મટીરીયલ મોંઘું થતા 15-20% ભાવ વધારવાનો એસો.નો નિર્ણય

મોરબીના પેકેજિંગ યુનિટોમાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ્સના ભાવમાં 15થી 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પેકેજિંગ એસોસિએશનની તાજેતરમાં મળેલી બેઠકમાં લેવાયો હતો. પેકેજિંગ ઉદ્યોગ સિરામિક ઉદ્યોગ પર નિર્ભર છે, અને ટાઇલ્સ સહિતની વસ્તુઓના પેકિંગ માટે બોક્સનો ઉપયોગ થાય છે. મોરબીમાં કુલ 192 જેટલા નાના-મોટા પેકેજિંગ યુનિટ્સ આવેલા છે, જેમાંથી મોટાભાગના યુનિટ્સ મોરબીના સિરામિક ઉદ્યોગ પર આધારિત છે. સિરામિક એસોસિએશન દ્વારા સામૂહિક રીતે એક મહિના માટે કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેની અસર પેકેજિંગ ઉદ્યોગ પર પણ પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી પેકેજિંગ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયાની આગેવાની હેઠળ એક બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો અને પેકેજિંગ યુનિટ ધરાવતા કારખાનેદારો હાજર રહ્યા હતા. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ પેકેજિંગ યુનિટમાં વપરાતા રો-મટીરીયલ, જેમાં પેપર સહિતની તમામ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. પેકેજિંગ યુનિટોને ટકાવી રાખવા માટે આગામી સમયમાં પ્રોડક્ટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે. સિરામિક કારખાનાઓ ફરી શરૂ થશે ત્યારે રો-મટીરીયલના ભાવને ધ્યાનમાં રાખીને નવા ભાવ નક્કી કરાશે. હાલમાં પેકેજિંગ યુનિટમાં બનતા બોક્સના વર્તમાન ભાવમાં સરેરાશ 15 થી 20 ટકા જેટલો વધારો કરવામાં આવે તો જ આ ઉદ્યોગ મોરબીમાં ટકી શકે તેમ છે. સિરામિક કારખાનાઓ બંધ હોવાથી બોક્સની માંગમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ઘણા પેકેજિંગ યુનિટ બંધ થઈ ગયા છે અથવા બંધ થવાની અણી પર છે. બેઠકમાં આગેવાનો દ્વારા શ્રમિકો અને તેમના પરિવારોને મુશ્કેલી ન પડે તે માટે પણ તકેદારી રાખવા ટકોર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:22 am

ચારૂસેટના 2322 વિદ્યાર્થીઓએ 30 હજારથી વધુ મોડેલ્સ બનાવ્યા:લિબરલ આર્ટ્સ વર્કશોપમાં કલાનો કસબ દેખાયો, 15 કોર્સ દ્વારા સર્વાંગી વિકાસ

ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત 12મા વર્ષે લિબરલ આર્ટ્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ હેઠળ આયોજિત આ ચાર દિવસીય વર્કશોપમાં બી.ટેક., બી.બી.એ. અને બી.સી.એ. જેવી પ્રોફેશનલ વિદ્યાશાખાઓના 2322 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, સ્કલ્પટિંગ, ડ્રામા અને ડાન્સ સહિતના વિવિધ વિષયોમાં 30,000થી વધુ મોડેલ્સ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અતુલ પટેલે આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા જણાવ્યું કે, પ્રમુખ સુરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ કલા-સંસ્કારમાં પણ નિપુણ બને તે હેતુથી આ પ્રયોગ કરવામાં આવે છે. રજીસ્ટ્રાર બિનીત પટેલે ઉમેર્યું કે, NEP-2020નું અમલીકરણ હવે થઈ રહ્યું છે, પરંતુ ચારૂસેટે 2014થી જ લિબરલ આર્ટ્સને ક્રેડિટ કોર્સ તરીકે દાખલ કરી દીધો હતો. વર્કશોપના સંચાલક અને ડીન ડો. ભાસ્કર પંડ્યાના જણાવ્યા અનુસાર, આ આયોજનમાં 59 તજજ્ઞો અને 12 કોર્સ કોર્ડિનેટરની ટીમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર સુનીલ આડેસરા, નાટ્ય ટ્રેનર પ્રદીપ પટેલ અને ચિત્રકાર કનુ પટેલ જેવા દિગ્ગજ કલાકારોએ ભાગ લઈ વિદ્યાર્થીઓની કલાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કલાકાર કનુ પટેલે ચારૂસેટના આ પગલાને અનુકરણીય ગણાવી બિરદાવ્યું હતું. હ્યુમેનિટીઝ વિભાગના વડા ડો. કૌશિક ત્રિવેદીએ માહિતી આપી કે, છેલ્લા 12 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓએ વિવિધ કલા ક્ષેત્રોમાં તાલીમ મેળવી છે. આ પ્રદર્શનની 5000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ મુલાકાત લઈ કલાના આ મહાકુંભને વધાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:22 am

અમરેલી પોલીસ તહેવારોને લઈ એલર્ટ મોડમાં:સાવરકુંડલામાં ASP જયવીર ગઢવીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું

અમરેલી જિલ્લામાં આગામી રામનવમી અને રમઝાન ઈદ જેવા મહત્વના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે સાવરકુંડલા શહેરમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, ASP જયવીરસિંહ ગઢવીના નેતૃત્વ હેઠળ સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસે રાત્રી દરમિયાન શહેરના મુખ્ય રાજમાર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ (ફૂટ માર્ચ) હાથ ધર્યું હતું. આ કામગીરીમાં અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ નજર રાખી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, પોલીસ તંત્ર દ્વારા સામાજિક આગેવાનો અને વેપારીઓ સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો છે. તેમને શાંતિ જાળવવા અને પોલીસને સહયોગ આપવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સાવરકુંડલા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નિર્ભયતાથી અને ભાઈચારાના માહોલમાં તહેવારોની ઉજવણી કરે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:18 am

નાગધણીંબામાં ખેડૂતને માર મારી લૂંટ ચલાવનારની ધરપકડ:વરતેજ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યાં, ત્રણ હજુ ફરાર

ભાવનગરના નાગધણીંબા ગામના ખેડૂતને તેના વાડી ભાગીયા સાથે ઘંઉના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખી ભાગીયાના કહેવાથી ચાર શખસે ખેડૂતને આંતરી તેને મારમારી સોનાની રૂદ્રાશની માળા, બે વિંટી અને કાંડા ઘડીયાળની લૂંટ ચલાવી હતી. જે મામલે ગુનો નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટ કરનાર બે શખસને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ બનાવના ત્રણ શખ્સો ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ખેડૂતને માર મારી લૂંટ કરી હતીઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી માહિતી મુજબ, ભાવનગરના નાગધણીંબા ગામે રહેતા ખેડૂત અશોક દુલાભાઈ ઈટાલીયાએ 15 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાગ્યા સંજય ગોરધનભાઈ પરમાર સાથે ઘઉંના હિસાબના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી ભડી ગામના ભગત નાનુભાઈ ભરવાડ, નાથા ભરવાડ તથા ગોપાલ પોપટભાઈ કોળી તથા એક અજાણ્યા ઈસમ ખેડૂત અશોકના ભાગ્યા સંજયની ચઢામણીથી અશોક કાર લઈને નીકળતા તેને રોકાવી ગાળો આપી ગળામાં પહેરેલ અઢી તોલાની આશરે 2 લાખની સોનાની રુદ્રાક્ષની પારા વાળી માળા તથા આશરે 50 હજારની કિંમતની સોનાની બે વીંટીઓ તથા 50 હજાર કિંમતની સેકોન્ડા કંપનીની ઘડિયાળ મળી કુલ રૂ. ત્રણ લાખનો મુદ્દામાલ લઈ અશોકને મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બે આરોપીની ધરપકડઆ મામલ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જે મામલે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં નાગધણીંબાના ખેડૂતને આંતરી લૂંટ ચલાવનારા ભરત ઉર્ફે ભગત નાનુભાઉ સિંધવ (ઉં.વ.35 રહે. ભડી ગામ, જિ.ભાવનગર) અને સંજય ગોરધનભાઈ પરમાર (ઉં.વ.33, રહે. નાગધણીંબા ગામ તા.જિ.ભાવનગર)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યા શખસ સહિત ત્રણ હજુ ફરારજ્યારે આ મામલે વરતેજ પોલીસ મથકના પી.આઈ. ચુડાસમાએે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતુ કે, આ બનાવમાં કુલ 4 શખસ અને એક અજાણ્યા ઈસમ મળી 5 સામે ગુનો નોંધાયો હતો. વરતેજ પોલીસે વાડીના ભાગ્યા સંજય ગોરધનભાઈ પરમાર અને ભડી ગામના રહેવાસી ભરત ઉર્ફે ભગત નાનુભાઈ સિંધવને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે આ બનાવના ફરાર અન્ય બે શખ્સ અને એક અજાણ્યા ઈસમને ઝડપી લેવા ચકોગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:16 am

અમદાવાદમાં આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સિરીઝ ફેસસરફેસ:હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ભવ્ય સોલો એક્ઝિબિશન

કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં, પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એકસાથે આવે છે. કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે. આ રચનાઓમાં ક્યારેક આકાર સ્પષ્ટ થાય છે તો ક્યારેક તે અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે. આ રીતે કૃતિઓ આકાર અને અભિપ્રાય વચ્ચેની એક રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે. એક્ઝિબિશનનો એક વિશિષ્ટ ભાગ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે. આ સર્કયુઅલ ફોર્મેટ આર્ટને એક પ્રતિકાત્મક અને આધ્યાત્મિક પરિમાણ આપે છે. માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળીને એક અનોખી દૃશ્ય અનુભૂતિ સર્જે છે. ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ રાજેન્દ્ર કડિયાની આર્ટિસ્ટિક પ્રેક્ટિસના મેચ્યોર ફેઝને દર્શાવે છે. અહીં પેઇન્ટિંગ માત્ર અંતિમ ચિત્ર નથી, પરંતુ એક સતત ચાલતી ક્રિએટિવ પ્રોસેસ છે. એક્ઝિબિશન દરરોજ સાંજે 4:00 થી 8:00 વાગ્યા સુધી 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:09 am

ગઢડાના પીપળ ગામના સરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ:જેટકો વળતર ફોર્મ પર સહી કરાવવા ગયેલા પરિવાર સાથે ઝપાઝપી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ અનુસૂચિત જાતિના પરિવાર સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી કિશોરભાઈ બથવાર પોતાના પરિવારની સંયુક્ત જમીન પરથી પસાર થતી જેટકો વીજ લાઇનના વળતર માટે જરૂરી ફોર્મ પર સહી કરાવવા સરપંચના ઘરે ગયા હતા. તેમની સાથે પરિવારના અન્ય સભ્યો અને ચાર સાક્ષીઓ પણ હાજર હતા. આ સમયે સરપંચ બસુભાઈ ચોહલાએ ફોર્મ પર સહી કરવાની ના પાડી અને ફોર્મ ફાડી નાખ્યું હતું. તેમણે ફરિયાદીના ભાઈ સવજીભાઈને લાફો મારી ઝપાઝપી કરી હતી. આ ઘટના દરમિયાન એક મોબાઈલ ફોન પણ નીચે પડી ગયો હતો અને સમગ્ર બનાવનો વીડિયો બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હતો. આ ઘટના અંગે ફરિયાદીએ ગઢડા પોલીસ સ્ટેશનમાં વીડિયો પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. ગઢડા પોલીસે સરપંચ બસુભાઈ ચોહલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2) તેમજ એટ્રોસિટી અધિનિયમની કલમ 3(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:09 am

'અફવાઓ નહીં, વિશ્વાસ રાખો' જિલ્લામાં ગેસ પૂરતો : કલેક્ટરનો નાગરિકોને:અફવાઓથી ગભરાશો નહીં: કલેક્ટરનો નાગરિકોને વિશ્વાસભર્યો સંદેશ

વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે નાગરિકોને વિશ્વાસભર્યો સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. કલેક્ટરે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે, પરંતુ દરેક માહિતી સાચી હોતી નથી. કેટલીક અફવાઓ લોકોમાં અનાવશ્યક ભય અને ગભરાટ પેદા કરે છે. આવી પરિસ્થિતિમાં, સચોટ માહિતી પર વિશ્વાસ રાખવો અને જવાબદાર નાગરિક તરીકે વર્તવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે ગેરસમજ અને અફવાઓને કારણે અનાવશ્યક ભીડ અને સંગ્રહ કરવાની વૃત્તિથી તંત્ર પર બોજો વધે છે. જો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ લે અને નિયમોનું પાલન કરે, તો દરેક સુધી સરળતાથી પુરવઠો પહોંચી શકે છે. કલેક્ટરે ખાસ ભાર મુક્યો કે નાગરિકોએ માત્ર અધિકૃત ગેસ એજન્સીઓ અથવા વિક્રેતાઓ પાસેથી જ સિલિન્ડર મેળવવા જોઈએ. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કાળાબજારી સામે અવાજ ઉઠાવવા અને જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવવા તેમણે અપીલ કરી. જિલ્લા પ્રશાસન દ્વારા ગેસ પુરવઠા પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક નાગરિક સુધી ગેસનો પુરવઠો સુચારૂ રીતે પહોંચે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સમય એકતા અને સમજદારીથી કામ કરવાનો છે. અફવાઓને બદલે સત્ય પર વિશ્વાસ રાખવા અને ગભરાટને બદલે સંયમ રાખવા કલેક્ટરે નાગરિકોને અનુરોધ કર્યો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:07 am

ઇરાનના વળતા પ્રહારથી ટ્રમ્પ ગભરાયા? કહ્યું - હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરીએ

Iran Attack on Qatar : મિડલ ઈસ્ટમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું જંગ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાનના તેલ અને ગેસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. જોકે, હવે આ વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી અને કડક ચેતવણી આપીને દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, જો ઈરાને કતાર પર હુમલો કરવાની ભૂલ કરી, તો પરિણામ ભયંકર આવશે. દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ 'સાઉથ પાર્સ' પર શું થયું?

ગુજરાત સમાચાર 19 Mar 2026 10:01 am

લિવ-ઇનમાં રહેતી માતાએ ઢોર માર મારતા 2 વર્ષની દીકરીનું મોત:સુરતમાં માતા તોફાન કરતી દીકરીને વેલણ-લાકડીથી અઠવાડીયાથી મારતી હતી, બ્રેઇન હેમરેજ થતાં અંતિમ શ્વાસ લીધા

સુરતના વરાછા વિસ્તારમાં મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી બે વર્ષની માસૂમ બાળકીને સગી જનેતાએ વેલણ અને સાવરણી વડે એટલી હદે માર માર્યો કે માસૂમનું મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષા સોસાયટી વિભાગ-1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા દોઢ મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. જેમાં ત્રીજા નંબરની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી. ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીંકી દીધા હતા. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા અને બાળકી ઢળી પડીમાતાના અમાનુષી મારને કારણે નાનકડી યશવિતા બેભાન થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસોસ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડો. સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે, બાળકીના શરીર પર માત્ર આજની જ નહીં, પરંતુ અગાઉ પણ તેને માર મારવામાં આવ્યો હોય તેવા નિશાનો મળી આવ્યા છે. તેને હાથ, લાકડી અને પટ્ટા જેવા સાધનોથી મારવામાં આવી હોવાનું જણાય છે. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થવાથી તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકી બરાબર જમતી નહોતી અને તોફાન કરતી હતી, જેનાથી કંટાળીને માતા છેલ્લા એક અઠવાડિયાથી તેને પટ્ટા અને લાકડીથી ફટકારતી હતી. મૃતક બાળકીના પિતા મૂળ ગીર સોમનાથના કોડીનારના વતની છે અને ઓખા ખાતે માછીમારીનો વ્યવસાય કરે છે. જ્યારે માતા હાલ સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા સંદીપ સાથે રહે છે. બાળકોના ઉછેરમાં ધીરજ ગુમાવવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. વરાછા પોલીસે હાલ માતા અને તેની અન્ય ત્રણ પુત્રીઓની પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 10:01 am

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો

Sensex and Nifty News : મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે 'ઓઈલ વોર'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 9:43 am

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112

Rupees against Dollar News : અખાતી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો અને ડૉલરની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ડૉલર સામે રૂપિયો તળીયે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ઉભી થયેલી તેલ પુરવઠાની કટોકટીએ ભારતીય ચલણ 'રૂપિયા'ની કમર તોડી નાખી છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 9:30 am

કલોલમાં ઓઈલ-ટાયરના ગોડાઉનમાં આગ:લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા, આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નખાયો, સર્વિસ રોડને બંધ કરાયો

કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગત(18 માર્ચ) મધરાત્રે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. આ આગમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઓઈલ અને ટાયરના ગોડાઉનમાં આગકલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મધરાત્રિના સમયે જ્યારે શહેર નિદ્રાધીન હતું, ત્યારે કર્મયોગી સોસાયટીમાં આવેલા ઓઈલ અને ટાયરના ગોડાઉનમાંથી અચાનક આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યાઆ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. જેમાં કલોલ, કડી, ઇફકો, ONGC અને ગાંધીનગરથી કુલ 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખ્યો, સર્વિસ રોડને બંધ કરાયોઆ અંગે ફાયર સૂત્રોએ કહ્યું કે,ઓઈલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો અને સર્વિસ રોડને પણ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યોઆ ઘટનાની જાણ થતા જ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા મોરચો સંભાળ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂપ્રાથમિક અહેવાલો મુજબ, આ આગમાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૂપિયાનો ઓઈલ, ગ્રીસ અને ટાયરનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 9:26 am

ચૈત્ર નવરાત્રી શરૂ, અંબિકા માતા મંદિરે ભક્તો ઉમટ્યા:ખેડબ્રહ્મામાં ઘટ સ્થાપન, મહાલક્ષ્મી સ્વરૂપના દર્શન

આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ ખેડબ્રહ્મા ખાતે આવેલા શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ મા અંબિકાના આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિર પરિસર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નવ દિવસીય નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ ઉપાસના માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર નવરાત્રી નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. ગર્ભગૃહ અને માતાજીની મૂર્તિને મનમોહક ફૂલોના હારથી શણગારવામાં આવી છે. આજે પ્રથમ નોરતે માતાજીએ ગજ કેસરી સવારી પર બિરાજમાન થઈ મહાલક્ષ્મી સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા હતા. માનું આ દિવ્ય સ્વરૂપ જોઈ માઈભક્તોએ ધન્યતા અનુભવી હતી. માતાજીના મંદિરે પરંપરાગત રીતે ઉજવણીના ભાગરૂપે આજે સાંજથી જ મંદિરના પટાંગણમાં આવેલા ચાચર ચોકમાં ગરબાનું આયોજન થશે. આગામી નવ દિવસ સુધી ખેડબ્રહ્મામાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે, જેના માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:54 am

“કેકારવ”માં ઝળહળ્યું બાળ પ્રતિભાનું આકાશ:પ્રભાસ પાટણમાં સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ, પી.એમ. શ્રી પે સેન્ટર શાળાના નાનકડા કલાકારોની અદભૂત રજૂઆત

પ્રભાસ પાટણના શૈક્ષણિક આકાશમાં આ દિવસ એક યાદગાર ક્ષણ બની રહ્યો, જ્યારે પી.એમ. શ્રી પે સેન્ટર શાળાના આંગણે “કેકારવ” નામે ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. શાળાના નાનકડા બાળકોની કળા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને આનંદથી ભરી દીધું. બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત, નાટ્ય અને લોકસંસ્કૃતિ આધારિત કાર્યક્રમો રજૂ કરી હાજર રહેલા મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા. રંગબેરંગી વેશભૂષા, અભિવ્યક્તિ અને તાલમેલથી સજ્જ દરેક પ્રસ્તુતિએ દર્શકોના દિલ જીતી લીધા અને શાળાનું આંગણું તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, સોમનાથ પાટણના પીઆઈ ગોસ્વામી, ડૉ. આર.ડી. સાવલીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરદાસભાઈ નંદાણીયા સહિત શિક્ષણક્ષેત્રના અનેક આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો ન રહ્યો, પરંતુ બાળકોમાં રહેલી છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાનો એક ઉત્તમ મંચ બની રહ્યો. વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને શાળાને આર્થિક તેમજ માનસિક સહકાર આપ્યો. આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પરબતભાઈ જાખોત્રા અને શિક્ષકમિત્રોએ ભારે મહેનત કરી હતી. તેમની માર્ગદર્શન અને સંકલન શક્તિએ “કેકારવ”ને એક યાદગાર અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ફેરવી દીધો. અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે અને તે તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. “કેકારવ” માત્ર એક વાર્ષિકોત્સવ નહોતો, પરંતુ તે બાળકોના સપનાઓને પાંખ આપતો, તેમની અંદરની પ્રતિભાને મંચ આપતો અને શિક્ષણને આનંદમય બનાવતો એક જીવંત ઉત્સવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:52 am

પુસ્તકપ્રેમનો ઉત્સવ : વેરાવળની ચોક્સી કોલેજમાં ‘BOOK BONANZA 2026’ધામધૂમથી ઉજવાયો:વાંચન સંસ્કૃતિને મળ્યો નવો વેગ, 250થી વધુ વિદ્યાર્થીઓએ પુસ્તકોના ખજાનામાં લગાવી ડૂબકી

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટ્સ એન્ડ શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે “પુસ્તક મહોત્સવ – BOOK BONANZA 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ મહોત્સવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યેનો ઉત્સાહ પ્રગટ કર્યો. “પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે” જેવી ઉક્તિને સાકાર કરતી આ ઉજવણીમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને વાંચન સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિષયોના જ્ઞાનસભર પુસ્તકોના પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વાંચનની દુનિયામાં ડૂબકી લગાવી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના કુલસચિવ મહેશભાઈ મેતરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને આશરે 250થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જીગર આર. રાવલ એ જણાવ્યું હતું કે, “ઉત્તમ પુસ્તકો જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.” ગ્રંથપાલ ડૉ. મૈત્રી જોશીએ લાયબ્રેરીના સમૃદ્ધ પુસ્તક સંગ્રહ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ, ગ્રંથપાલ તેમજ NCC ના કો. ઓર્ડીનેટર પ્રો. અર્જુન ચોચા ના માર્ગદર્શન તળે NSS અને NCCના વિદ્યાર્થીઓએ ભારે મહેનત કરી હતી. આ પુસ્તક મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થયો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:47 am

ચૈત્રના પ્રથમ નોરતે વાતાવરણમાં પલટો:હિંમતનગરમાં ધૂળની ડમરીઓ ઉડતા ખેડૂતો ચિંતિત

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે હિંમતનગર સહિત સમગ્ર પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાતાવરણ ધૂંધળું બન્યું હતું. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં ખેતરોમાં ઘઉંની કાપણીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભારે પવન અને ધૂળની ડમરીઓને કારણે કાપણીના કામમાં અવરોધ ઊભો થયો છે. આ ઉપરાંત, ખેડૂતો પોતાનો તૈયાર થયેલો ઘઉંનો પાક વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવી રહ્યા છે. ખુલ્લામાં પડેલા અનાજને ધૂળ અને સંભવિત માવઠાથી બચાવવા માટે ખેડૂતો અને વેપારીઓમાં દોડધામ જોવા મળી હતી. જો પવન સાથે વરસાદી ઝાપટું પડે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:42 am

ગોધરામાં રાહદારી યુવકને બાઈક સવારે ટક્કર મારી:પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજા, સિવિલમાં દાખલ

ગોધરાના સિમલા વિસ્તારમાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. નોકરી પૂરી કરીને ઘરે જઈ રહેલા એક રાહદારી યુવકને અજાણ્યા બાઈક સવારે ટક્કર મારી હતી. આ ઘટનામાં યુવકને પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં રહેતો મેરાજ પઠાણ નામનો યુવક સિમલા વિસ્તારમાં નોકરી કરે છે. તે પોતાની નોકરી પૂર્ણ કરીને પગપાળા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, માર્ગ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા બાઈક ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે મેરાજ પઠાણને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તેમણે લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હાલમાં મેરાજ પઠાણની ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:32 am

ચોક્સી કોલેજ વેરાવળમાં 'પુસ્તક મહોત્સવ'નું આયોજન:શહેરની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને હોદ્દેદારોએ લાભ લીધો

વેરાવળની શ્રી ચોક્સી કોલેજમાં 18 માર્ચ, 2026ના રોજ 'પુસ્તક મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે આ 'બુક બોનાન્ઝા' ઉજવાયો હતો. સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી ચાલેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાનો અને જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરવાનો હતો. કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવ મહેશભાઈ મેતરા, પ્રિન્સિપાલ નરેન્દ્ર પંડ્યા, સવજાણી કોલેજના ટ્રસ્ટી ગિરીશભાઈ કારીયા અને નવલભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.જે. બંધિયા, ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્મિતાબેન છગ, જે.એમ. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ, ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી જયસ્વાલ સાહેબ, રેયોન સ્કૂલના આચાર્ય અને સ્ટાફ, જન સેવા ટ્રસ્ટ રેયોન તથા વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને જુદી જુદી કોલેજોના પ્રાધ્યાપકોએ પણ આ મહોત્સવનો લાભ લીધો હતો. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. જીગર રાવલે જણાવ્યું હતું કે, ઉત્તમ પુસ્તકો જીવન બદલવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે હેતુથી લાયબ્રેરી સમિતિ દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધી હતી. ગ્રંથપાલ ડો. મૈત્રી જોશીએ લાયબ્રેરીના વિવિધ પુસ્તકોના સંગ્રહ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. અંગ્રેજી સાહિત્યથી લઈને વિવિધ વિષયોના જ્ઞાનસભર પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ પ્રો. (ડો.) જીગર આર. રાવલ, સમગ્ર કોલેજ સ્ટાફ, ગ્રંથપાલ તથા એન.એસ.એસ. અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી અનિસ રાચ્છ દ્વારા એક યાદીમાં આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:28 am

પોરબંદરમાં મારામારી-લૂંટ કેસ:3 આરોપી ઝડપાયા ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું, મુખ્ય આરોપી ફરાર

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસે મારામારી અને લૂંટના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આજે ઘટનાસ્થળે પકડાયેલા આરોપીઓ સાથે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું. જોકે, આ ઘટનાનો મુખ્ય આરોપી વિજય બાપોદરા હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઘટના ગત તારીખ ૧૬ માર્ચ, ૨૦૨૬ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ફરિયાદી રામદે દેવશી પરમાર (રહે. બોખીરા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તે રાત્રે આશરે ૧૨ વાગ્યે તેમના મિત્ર મહેશ ઓડેદરાના ફોન પર વિજય બાપોદરાનો ફોન આવ્યો હતો અને તેમને સની આઈના મંદિર પાસે બોલાવ્યા હતા. ફરિયાદી અને તેમના મિત્રો ત્યાં પહોંચતા, આરોપી વિજય સરમણભાઈ બાપોદરા અને તેના સાથીઓએ ફોર વ્હીલર કાર (નંબર GJ-18-BL-9222) વચ્ચે ઉભી રાખી રસ્તો રોક્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને તેમના મિત્રો મહેશ, સુનીલ અને મેહુલ સાથે ઉગ્ર બોલાચાલી કરી જાહેરમાં ગાળો આપી હતી. આરોપી વિજય બાપોદરાએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી તેમનું માથું કારના બોનેટ પર પછાડ્યું હતું. જ્યારે ફરિયાદી પોલીસને ફોન કરવા ગયા, ત્યારે તેમનો આઈફોન છીનવીને રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો, જેનાથી આશરે રૂ. ૫૦૦૦/-નું નુકસાન થયું હતું. આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ઉદ્યોગનગર પોલીસે BNS કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૨૪(૨), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં કરણ ઉર્ફે કલો ઉમેદગીરી મેઘનાથી (રહે. બોખીરા), નાગજણ રામભાઈ ભુતીયા (રહે. ખાપટ, સાત માળિયા) અને ભુમીત પરબતભાઈ બાપોદરા (રહે. બોખીરા)નો સમાવેશ થાય છે. પોલીસ અહેવાલ મુજબ, આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર વિજય સરમણભાઈ બાપોદરા (રહે. બોખીરા) હજુ પોલીસ પકડથી દૂર છે. ઉદ્યોગનગર પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:25 am

ચીખલી ચાર રસ્તા પાસે આઈસર ટેમ્પોમાં આગ:શોર્ટ સર્કિટથી લાગી, ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ

ચીખલી તાલુકામાં ચીખલી ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાર્ક કરેલા એક આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે, ટેમ્પોના ચાલક અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટેમ્પોના કેબિનના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ વાહનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ચીખલી પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ ન થાય તે માટે વ્યવસ્થા સંભાળી હતી. આગના કારણે વાહનને મોટું નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ ન થતા રાહત થઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:23 am

પાટણ સિવિલમાંથી 14 વર્ષની કિશોરી ગુમ:ઉત્તર પ્રદેશની સગીરાના અપહરણની શંકા, પિતાએ નોંધાવી ફરિયાદ

પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી 14 વર્ષની એક સગીર કિશોરી ગુમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારની આ દીકરી તેની માતાની પ્રસૂતિ સમયે હોસ્પિટલમાં હાજર હતી. ત્રણ દિવસથી ગુમ થયેલી કિશોરીનો પત્તો ન લાગતા તેના પિતાએ અપહરણની શંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા ઉત્તર પ્રદેશના કાસગંજના શહબાજપુરના એક શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરીની માતાને પ્રસૂતિ માટે પાટણની ધારપુર સિવિલના પ્રસૂતિ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. માતાએ આઠમા સંતાન તરીકે એક દીકરીને જન્મ આપ્યો હતો. માતાની સંભાળ રાખવા માટે આ મોટી દીકરી હોસ્પિટલમાં રોકાઈ હતી, જ્યારે તેના પિતા બીજી દીકરીની બીમારીના કારણે સિદ્ધપુરના કાલેડા ગામે ભઠ્ઠા પર ગયા હતા. 15 માર્ચના રોજ માતા નવજાત બાળકીને દૂધ પીવડાવવા માટે NICU વોર્ડ નંબર 19માં લઈ ગઈ હતી અને મોટી દીકરીને બહાર બેસવાનું કહ્યું હતું. માતા બાળકીને દૂધ પીવડાવીને બહાર આવી ત્યારે મોટી દીકરી ત્યાં જોવા મળી ન હતી. તેની ઘણી શોધખોળ કરવા છતાં અને તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તે મળી ન હતી. બાદમાં કિશોરીના પિતાને જાણવા મળ્યું કે તેમના ઈંટના ભઠ્ઠા પર કામ કરતો ઉત્તર પ્રદેશનો મજૂર ઓમકાર સુખવીર સૈની તેમની દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. પિતાએ તેને ઠપકો આપ્યા બાદ તે પોતાના વતન જતો રહ્યો હતો. આથી પિતાને શંકા ગઈ કે ઓમકાર તેમની દીકરીનું અપહરણ કરીને લઈ ગયો છે, અને તેમણે પાટણના રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:22 am

CVM યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નેશનલ યુથ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીત્યા:ડિબેટ, મિમિક્રી અને વકતૃત્વ સ્પર્ધામાં મેળવી સિદ્ધિ

વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. ચેન્નાઈની સત્યભામા યુનિવર્સિટી ખાતે 10 થી 14 માર્ચ, 2026 દરમિયાન આયોજિત 'AIU 39th નેશનલ યુથ ફેસ્ટિવલ'માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મહોત્સવમાં દેશભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ વચ્ચે યોજાયેલી પાંચ સ્પર્ધાઓમાં સીવીએમ યુનિવર્સિટીની ટીમે પ્રભાવશાળી દેખાવ કરી અનેક પુરસ્કાર હાંસલ કર્યા હતા. આ સ્પર્ધાઓમાં સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલકુમાર પટેલ અને આદિત્ય કાપડિયાએ વાદ-વિવાદ (Debate) સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત, નીલકુમાર પટેલે મિમિક્રી સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે આદિત્ય કાપડિયાએ વકતૃત્વ (Elocution) સ્પર્ધામાં તૃતીય સ્થાન હાંસલ કરી યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ કલ્ચરલ હેડ ડૉ. સર્વેશ ત્રિવેદી, ડૉ. યોગેશ ચૌહાણ તથા શ્રી કનુ પટેલના માર્ગદર્શનની મહત્વની ભૂમિકા રહી હતી. તેમની સાથે ટીમ મેનેજર શ્રી સાગર જાની અને શ્રી સ્નેહ વ્યાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઉત્તમ તાલીમ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ગવર્નિંગ બોડી (GOB) અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ના તમામ સભ્યશ્રીઓએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજિત પટેલે પણ વિજેતા વિદ્યાર્થીઓ અને સમગ્ર માર્ગદર્શક ટીમને તેમની મહેનત બદલ બિરદાવી હતી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:22 am

પાટણમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું:ધૂળની ડમરીઓથી વિઝિબિલિટી ઘટી, થોડી વાર માટે વીજ પુરવઠો ખોરવાયો; વાતવરણમાં ઠંડક

પાટણ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. માર્ચ મહિનામાં ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ આકસ્મિક માવઠાને લીધે ખેતી પાકો પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:21 am

CVM યુનિવર્સિટીમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ યોજાયો:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપ્યું

વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં 'માર્ગદર્શનમ્ 2026' કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં 50થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષના 1100 ઉપરાંત વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ CVM યુનિવર્સિટી સંલગ્ન એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT), એમ.બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT) અને જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET)ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ગત શનિવાર, 14 માર્ચ 2026ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સૂત્ર અનુભવ સે સંવાદ, સફળતા કી શરૂઆત હતું. કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન ADIT અને GCET ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડો. દર્શક દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને વિભાગીય વડા પણ હાજર રહ્યા હતા. ટ્રેનિંગ એન્ડ IIIP સેલના હેડ અને કન્વીનર મિનેષ અમીન તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા આ સત્રોમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓના રિઝ્યુમ સ્ક્રીનિંગ અને ગ્રુપ ડિસ્કશન (GD) જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી તેમને કોર્પોરેટ જગતની જરૂરિયાતો અને ઇન્ટરવ્યૂ ટેકનિક વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઈન્ડસ્ટ્રી-સ્ટુડન્ટ ઈન્ટરેક્શન સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેમ્પસથી કારકિર્દી સુધીની સફળતાના માર્ગ માટે તૈયાર કરવાનો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને સીધા ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે સંવાદ કરીને પ્લેસમેન્ટ માટેની તેમની તૈયારીઓને ઓપ આપ્યો હતો. આયોજકોએ પધારેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહભાગીઓનો આભાર માની કાર્યક્રમની સફળતાને બિરદાવી હતી. CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ગવર્નિંગ બોડી તથા બોર્ડ ઓફ મેમ્બર્સ દ્વારા આ કાર્યક્રમની સફળતા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:21 am

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સુરક્ષા વધારાઈ, હાઈ એલર્ટ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટની સ્થિતિમાં પણ દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિમાં ગાફેલ ન રહેવાય. આ ખાસ ડ્રાઈવનું આયોજન ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારનો સમાવેશ થાય છે. તેમનો ઉદ્દેશ દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવાનો છે. ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને મરીન કમાન્ડો દ્વારા જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં સરમતની નાળ, રસૂલનગર વિસ્તાર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. જેટી વિસ્તારનો સમાવેશ થાય છે. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરોનું નિરીક્ષણ કર્યું હતું. શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની પૂછપરછ અને તલાશી લેવામાં આવી હતી. આતંકવાદી પ્રવૃત્તિ કે ઘૂસણખોરીની શક્યતા ધરાવતી કાંઠા વિસ્તારની અવાવરુ જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના આ પગલાંથી જામનગરનો દરિયાકાંઠો વધુ સુરક્ષિત બન્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 8:20 am

LPG બાદ હવે તેલનું આગમન:80 હજાર મેટ્રિક ટન ક્રૂડ સાથે ‘જગ લાડકી’ જહાજ મુન્દ્રા પહોંચ્યું

પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને દરિયાઈ માર્ગો પરના પડકારો વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ભારતીય ધ્વજ ધરાવતું વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ સંયુક્ત આરબ અમીરાતથી આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો જથ્થો લઈને અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સુરક્ષિત રીતે લાંગર્યું છે. આ શિપમેન્ટ ભારતની મુખ્ય રિફાઇનરીઓ માટે જીવનરેખા સમાન સાબિત થશે. ‘જગ લાડકી’ટેન્કર તેની અદભૂત ક્ષમતા અને કદ માટે જાણીતું છે. આ જહાજની કુલ લંબાઈ 274.19 મીટર અને પહોળાઈ 50.04 મીટર છે. યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુર્જરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર ગત શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવતા ફૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’નો આબાદ બચાવ થયો છે. 14 માર્ચના રોજે જ્યારે જગ લાડકી જહાજ ફુજૈરાહના સિંગલ પોઈન્ટ મૂરિંગ પર ઓઈલ લોડ કરી રહ્યું હતું બરાબર તે જ સમયે ઓઈલ ટર્મિનલ પર ડ્રોન સ્ટ્રાઈક થઈ હતી. હુમલાના કારણે ટર્મિનલની આસપાસ આગ ફાટી નીકળી હતી અને મોટાભાગની લોડિંગ કામગીરીઓ તાત્કાલિક રોકવી પડી હતી. જોકે, આ ભયાનક અને જીવલેણ સ્થિતિ વચ્ચે પણ ભારતીય જહાજનો બચાવ થયો છે. રવિવારે સવારે 10:30 કલાકે (IST) જગ લાડકી લગભગ 80.800 ટન ઓઈલ લઈને ફુજૈરાહ પોર્ટ પરથી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે મુન્દ્રા બંદર આવવા રવાના થયું હતું જે બુધવારે સવારે અદાણી પોર્ટ પર પહોચ્યું હતું. અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ આ વિશાળ જહાજને સુરક્ષિત બર્થિંગ સુવિધા પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:54 am

હાઈવે પર અકસ્માતો રોકવા RTO નો સકંજો:રાજકોટમાં અઠવાડિયામાં રોંગ લેન, ઓવર પેસેન્જર, HSRP વિનાના 210 વાહન ચાલકોને રૂ.8 લાખનો દંડ : હેવી વ્હીકલ ધારકોને ત્રીજી લેનમાં વાહન ચલાવવા સૂચના

હાઇવે પર થતા અકસ્માત કરવા માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. જેમાં રોંગ લેન, ઓવર પેસેન્જર અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે. રાજકોટ RTO કચેરીએ માત્ર એક અઠવાડિયામાં જ આ પ્રકારના 210 મેમો ફટકારી દીધા છે. જેના થકી રૂ.8 લાખની આવક થઈ છે. આ દરમિયાન હેવી વ્હીકલ ધારકો ત્રીજી લેનમાં વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવી હતી જેથી નાના વાહન ચાલકોએ વધુ ઓવરટેક ન કરવું પડે અને તેને લીધે અકસ્માતોની ઘટના પણ અટકાવી શકાય. રાજકોટના RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યુ હતુ કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા હાઇવે ઉપર જે અકસ્માતો થઈ રહ્યા છે તથા વાહન ચાલકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે તે બાબતે રોંગ લેન, રોંગ સાઇડ ડ્રાઇવ, HSRP વિનાના જે વાહનો છે ઉપરાંત ઓવર પેસેન્જર વાહનો ચાલે છે ઉપરાંત નોન ટ્રાન્સપોર્ટેશન વ્હીકલમાં મુસાફરોની હેરફેર થાય છે તેને ધ્યાનમાં લઈને સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને રાજકોટ આરટીઓ દ્વારા અમદાવાદ, મોરબી, જામનગર અને ગોંડલ સહિતના હાઇવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક અઠવાડિયામાં HSRP (હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) વિનાના 35 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોંગ લેનના 120 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પરમિટ ભંગ અને ઓવર પેસેન્જરના 55 કેસ કરવામાં આવેલા છે. આ રીતે એક અઠવાડિયામાં 210 મેમો ફટકારવામાં આવ્યા છે અને અંદાજે રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોંગ લેનમાં ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ આવતા હોય છે તેવા વાહન ચાલકોને મેમો આપવામાં આવેલો છે. આ ઉપરાંત ડ્રાઇવરોને સમજ આપવામાં આવી છે કે જે ત્રણ લેન હોય છે. જેમાં પહેલી લેન ઓવરટેક લેન હોય છે. બીજી લેન રેગ્યુલર લેન અને ત્રીજી લેન હેવી વાહનો માટેની હોય છે. જેથી આ નિયમ મુજબ જ તેઓ વાહન ચલાવે તેવી સમજ આપવામાં આવે છે. શું છે વાહન વ્યવહાર કમિશનરનો પરિપત્ર? ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીને સંબોધીને પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વાહનોનો ટેક્ષી અથવા મેક્ષી તરીકે ઉપયોગ કરી મુસાફરોનું પરીવહન થતું હોય છે. જેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં પણ આવતા હોય છે. આવા વાહનો દ્વારા મુસાફરોનું પરીવહન ખૂબ જ જોખમી છે તેમજ રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને નંબર પ્લેટ વિનાના વાહનો ગેરકાયદેસર માઈનિંગ પ્રવૃત્તિ મા સંડોવાયેલા હોય છે. જે માર્ગ સલામતિ માટે માટે પડકારરૂપ છે. આથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ પ્રાઇવેટ વાહનોમાં મુસાફરોનું ગેરકાયદેસર પરીવહન કરતા વાહનો, રોંગ સાઈડ હંકારવામાં આવતા વાહનો અને ક્વોરી તેમજ અન્ય વિસ્તારમાં પરિવહન કરતા નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ખાસ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવા જણાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:37 am

વિવાદથી સમાધાન તરફ:કચ્છમાં ‘ ઉજાસ’ બન્યું તૂટતાં સબંધો માટે આશાનું કિરણ , કાઉન્સેલિંગથી વૈવાહિક વિવાદોમાં ઉકેલ

ઘરેલુ અને દાંપત્ય સંબંધોમાં સર્જાતા મતભેદોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. ઘણી પરિસ્થિતિઓમાં સમજણ, સંવાદ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા આવા પ્રશ્નોનો અંત લાવી શકાય છે. તે હેતુથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ‘ઉજાશ - એક આશાનું કિરણ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ દામ્પત્યજીવન અને પરિવારીક પ્રશ્નોને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં, સમજદારીપૂર્વક અને નિઃશુલ્ક રીતે ઉકેલવા પ્રયત્ન થાય છે. કચ્છમાં પણ આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આંકડા મુજબ એપ્રિલ 2024થી ઉજાસ પ્રક્રિયા અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ 187 કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 30 પરિવારો વચ્ચે સુખદ સમાધાન નોંધવામાં આવ્યું હતું. 21 વર્ષ ના લગ્નજીવનને અલગ થતાં રોકવામાં આવ્યુંડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિડીયેશન સેન્ટર દ્વારા ઉજાસ પ્રક્રિયાના મધ્યમથી હાલમાં એક પરિવારને વિખેરાતા અટકાવાયો હતો. અરજદાર મહિલાએ ડિસેમ્બર 2025માં અરજી કરી હતી. તેમના પતિને કેફી દ્રવ્યોનું વ્યસન હોવાથી પત્ની અને પોતાના બે સંતાનો સાથે દુર્વ્યવહાર થતો હોવાનું રજૂ થયું હતું. લગ્નજીવનના 20 વર્ષ બાદ મતભેદો ગંભીર બનતા મામલો કોર્ટ સુધી પહોંચતા પહેલા જ તેને ઉજાસ મેટર તરીકે નોંધી બંને પક્ષોને સાંભળીને ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જાન્યુઆરીમાં બંને પક્ષોની સકારાત્મકતાથી સુખદ સમાધાન કરાયું હતું. સમજણ અને મધ્યસ્થીથી સંબંધોમાં ઉજાસ લાવે યોજનાજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ‘ઉજાસ’ યોજના વૈવાહિક વિવાદોના મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે અસરકારક બની રહી છે. આ યોજના હેઠળ દંપતી તેમજ તેઓના પરિવારોને નિશુલ્ક, ગોપનીય અને સમજણભર્યું કાઉન્સેલિંગ સાથે મધ્યસ્થી માર્ગદર્શન અપાય છે. અહી થયેલું સમાધાન કાનૂની માન્યતા ધરાવતું હોવાથી લાંબી પ્રક્રિયા વિના જ વિવાદનો ઉલેક શક્ય બને છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:36 am

કર વસૂલાત:સુધરાઈની હાલ સુધીની 16 કરોડની વસૂલાત, 12 દી’માં વધુ 4 કરોડનું લક્ષ્ય

ભુજ શહેરમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડતી ભુજ નગરપાલિકાની આવકમાં છેલ્લા પાંચ વર્ષથી નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ ઉપરાંત નગરપાલિકા પોતાની આવક મુખ્યત્વે વિવિધ કર મારફતે પ્રાપ્ત કરે છે. સુધરાઈ વિભાગના સ્ટાફ દ્વારા સમયસર અને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી કર વસુલાત ઝુંબેશને કારણે મિલકત કર, પાણી, ગટર, સફાઈ અને દીવાબત્તી જેવા કરોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં 17 માર્ચ સુધી નગરપાલિકાની કુલ આવક 16 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જેમાંથી અંદાજે 13.67 કરોડ રૂપિયા મિલકત, પાણી, ડ્રેનેજ, સફાઈ અને દીવાબત્તી કર તેમજ શિક્ષણ ઉપકર તરીકે વસુલાયા છે. જ્યારે 1.80 કરોડ રૂપિયા વ્યવસાય વેરા રૂપે મળ્યા છે. ટેક્સ બ્રાન્ચના હેડ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 31 માર્ચ સુધી કુલ 20 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અને તે હાંસલ થવાની શક્યતા છે. નગરપાલિકા દ્વારા બાકીદારોને નિયમિત રીતે રસીદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે લોકો સમયસર કર ચૂકવવામાં વધુ સજાગ બન્યા છે. ખાસ કરીને 2022-23થી અમલમાં આવેલા નિયમ મુજબ 31 માર્ચ બાદ કર ભરનાર પાસેથી 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે, જેના કારણે સમયસર ચુકવણી કરનારાઓની સંખ્યા વધતી જાય છે. નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પણ નાગરિકોને વધુમાં વધુ કર સમયસર ભરવા અપીલ કરી છે. લોકોને સુવિધા મળે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ બપોરે 1:30 વાગ્યા સુધી કર વસુલાત કચેરીઓ ચાલુ રાખવામાં આવી રહી છે. ભુજ શહેરમાં કુલ 44 હજારથી વધુ મિલકતો છે, જેમાંથી 30 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ પ્રોપર્ટી છે. છેલ્લા ચાર વર્ષમાં ભુજવાસીઓએ નગરપાલિકાને વિવિધ સુવિધાઓ માટે અંદાજે 85 કરોડ રૂપિયાથી વધુનો કર ચૂકવ્યો છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:26 am

બજેટને મળી મંજૂરીની મ્હોર:ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ શહેરના વિકાસ કામો માટે 124.06 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી

કચ્છ જિલ્લા કલેક્ટર અને વિવિધ વિસ્તાર વિકાસ સત્તામંડળોના ચેરમેન આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રથમ વખત બજેટ આધારિત માઈક્રો પ્લાનિંગ અમલમાં મૂકવામાં આવ્યું છે. વર્ષ 2026-27 માટે ભુજ, ભચાઉ, રાપર, અંજાર અને ગાંધીધામ સહિતના સત્તામંડળોના બજેટને સર્વાનુમતે મંજૂરી અપાઈ છે, જેમાં વહીવટી ખર્ચ કરતા વિકાસલક્ષી કાર્યોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી માટે રૂ. 2510 લાખનું બજેટ મંજૂર થયું છે. જેમાં બાગ-બગીચા વિકાસ માટે રૂ. 50 લાખ, નવી ટી.પી. સ્કીમ માટે રૂ. 12 લાખ અને દ્વિતીય ડીપી પ્લાન માટે રૂ. 110 લાખ ફાળવાયા છે. પીવાના પાણી માટે રૂ. 607 લાખ, ભુજ ડ્રેનેજ માટે રૂ. 515 લાખ અને માધાપર માટે રૂ. 250 લાખની જોગવાઈ સાથે સ્ટ્રીટ લાઈટ અને આઈકોનિક રોડ-સર્કલ માટે રૂ. 125 લાખ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 380 લાખ ફાળવાયા છે. ભચાઉ વિકાસ સત્તામંડળ માટે રૂ. 162.30 લાખના બજેટમાં ચિલ્ડ્રન પાર્કના પુનઃવિકાસ માટે રૂ. 50 લાખનો સમાવેશ થયો છે. રાપર માટે રૂ. 141.64 લાખના બજેટમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રૂ. 50 લાખના ખર્ચે આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. કચ્છના શહેરો માટે ફાળવાયેલ બજેટ ભુજ શહેરને મળશે આ નવી સુવિધાઓભુજ શહેરના બાગ બગીચાઓના વિકાસ માટે રિલોકેશન સાઈટના અનામત પ્લોટમાં 5 નવા ગાર્ડન વિકસાવવામાં આવશે.પીવાના પાણીની સુવિધા માટે ભુજ શહેરમાં વોર્ડ નં. 1, 7, 8, 9 અને 11 તેમજ GIDC વિસ્તારમાં નર્મદા વોટર સંપ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવા કામો કરાશે.આ સાથે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે. શહેરના સુશોભન માટે ભાડા દ્વારા ભુજમાં આઈકોનિક રોડ અને સર્કલનું નિર્માણ કરાશે જેમાં 'ભાડા આઈકોનિક રોડ'' (રૂ. 100 લાખ) અને 'ભાડા સર્કલ'' (રૂ. 25 લાખ) ના વિકાસના કામો નક્કી કરવામાં આવ્યા છે. રિલોકેશન સાઈટ ખાતે સ્પોર્ટ કોમ્પલેક્ષના 85% કામ માટે રૂ.380 લાખ ફાળવાયા છે. રાપર માટે રૂ. 141.64 લાખના બજેટમાં ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી રૂ. 50 લાખના ખર્ચે આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. અંજાર વિકાસ સત્તામંડળ માટે રૂ. 2392 લાખનું બજેટ મંજૂર થયું છે. જેમાં સ્ટેડિયમ ફેઝ-1 માટે રૂ. 207 લાખ, મેમોરિયલ પાર્ક માટે રૂ. 50 લાખ, બગીચા વિકાસ માટે રૂ. 25 લાખ, ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ માટે રૂ. 15 લાખ અને ટી.પી. સ્કીમ તથા અન્ય વિકાસ કાર્યો માટે રૂ. 50 લાખ ફાળવાયા છે. ગાંધીધામ વિકાસ સત્તામંડળનું આશરે રૂ. 72 કરોડનું બજેટ મંજૂર થયું છે, જેમાં મહાનગરપાલિકાને રૂ. 30 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. આથી આઈકોનિક રોડ, ગ્રીન સ્પેસ, વોટર સપ્લાય, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા કામો હાથ ધરાશે. GDAના નવા બિલ્ડિંગ માટે રૂ. 1.17 કરોડ ફાળવાયા છે. કલેક્ટરના નેતૃત્વમાં પ્રથમ વખત જિલ્લાના વિકાસ સત્તામંડળોમાં બજેટ આધારિત આયોજન

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:22 am

બોર્ડ પરીક્ષા પૂર્ણ:21 દિવસના લાંબા શિડ્યુલ બાદ છાત્રોના ચહેરા પર ખુશી

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પુર્ણ થઈ છે. 21 દિવસ સુધી ચાલેલી આ લાંબી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા પખવાડિયામાં પૂર્ણ થતી હોય છે, પરંતુ આ વર્ષે શિડ્યુલ લાંબુ ચાલતા ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ અને પરીક્ષાની કામગીરીમાં જોડાયેલો સ્ટાફ પણ થાક અનુભવી રહ્યો હતો. જોકે, અંતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરીક્ષાના છેલ્લા દિવસે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું, જેમાં કચ્છ જિલ્લામાં કુલ 23,334 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 611 પરીક્ષાર્થી ગેરહાજર નોંધાયા હતા. બીજી તરફ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસના વિષય સાથે પરીક્ષા પૂર્ણ થઈ હતી, જેમાં 1102 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 49 ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા સોમવારે જ પૂર્ણ થઈ હતી. આજથી બોર્ડના પેપર તપાસવાની કામગીરીનો પ્રારંભ થશે. ભુજ, અંજાર અને ગાંધીધામ એમ ત્રણ સ્થળોએ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો કાર્યરત કરાયા છે. અગાઉથી નિમણૂક પામેલા શિક્ષકો આ કેન્દ્રો પર હાજર થઈને ઉત્તરવહી તપાસવાની જવાબદારી સંભાળશે. આ સાથે વિદ્યાર્થીઓ વેકેશનની મજા માણવા સજ્જ થયા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:18 am

બેરોજગારીનો અરીસો:: ભુજમાં 112 જનરક્ષકના ડ્રાઈવરની ભરતીમાં ઉમેદવારો ઉમટતા વ્યવસ્થા ખોરવાઇ

રાજ્યમાં રોજગારીની શોધમાં ભટકી રહેલા યુવાનોની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો જીવંત પુરાવો બુધવારે ભુજ મધ્યે જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના 112 ઈમરજન્સી જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ડ્રાઇવરોની ભરતી માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આવેલી 108ની કચેરીએ ઇન્ટરવ્યૂ રખાયા હતા. જોકે સવારે ઉમેદવારોએ ડખો કરતા થોડીવાર માટે અજંપાભરી સ્થિતિ પેદા થઈ હતી. તંત્રની ગણતરી કરતા ચાર ગણા ઉમેદવારો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઇ હતી. આ ભરતીમાં ભાગ લેવા માત્ર કચ્છ નહીં પરંતુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ-થરાદ, દાહોદ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ભુજ પહોંચ્યા હતા. સવારથી ઉમેદવારોની લાંબી લાઈનો લાગી હતી, પરંતુ તંત્ર દ્વારા એવું જણાવાયું કે બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ અને મહેસાણાના ઉમેદવારો લાઈનમાંથી નીકળી જાય અને માત્ર કચ્છ તથા સુરેન્દ્રનગરના ઉમેદવારો જ ઉભા રહે. આ સાંભળતા અન્ય જિલ્લાના યુવાનોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. દિયોદર અને વડગામથી આવેલા યુવાનોએ આક્ષેપ કર્યો કે, સત્તાવાર જાહેરાતમાં ક્યાંય પણ જિલ્લાનો બાધ રખાયો ન હતો અને કોઈ પણ કેન્દ્ર પર ઇન્ટરવ્યૂ આપી શકાશે તેવી ખાતરી અપાઈ હતી, છતાં અહીં આવ્યા બાદ અન્યાય કરાયો છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ અંગે સત્તાવાર અધિકારીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 112 જનરક્ષક પ્રોજેક્ટ માટે ભુજમાં પ્રથમ વખત આ પ્રકારે ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે 108 એમ્બ્યુલન્સની ભરતીમાં 60 થી 70 જેટલા ઉમેદવારો આવતા હોય છે, પરંતુ આ વખતે અચાનક 300થી વધુ યુવાનો ઉમટી પડતા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી.તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ સ્વીકારી લેવાયા છે અને ચકાસણી કરીને મુખ્ય કચેરીએ મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:17 am

ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરીની થશે શરૂઆત

દેશમાં વર્ષ 2011 બાદ હવે 2026માં ફરીથી વસ્તી ગણતરીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં આગામી ૨૦ એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રારંભ થવાની પ્રબળ સંભાવના છે. વર્ષ 2021માં કોરોના મહામારીના કારણે આ પ્રક્રિયા મોકૂફ રાખવી પડી હતી, પરંતુ હવે સંપૂર્ણપણે ‘ડિજિટલ’ સ્વરૂપે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે અંદાજે 4 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ જોડાશે. નિયમોનુસાર, અંદાજે 700 થી 800 લોકોની વસ્તી દીઠ એક ગણતરીદારની નિમણૂક કરવામાં આવશે. આ તમામ કર્મચારીઓ ખાસ તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ દ્વારા ઘરે-ઘરે જઈને રિયલ ટાઈમ ડેટા એકત્ર કરશે. આ ડેટા સીધો સેન્ટ્રલ સર્વર પર અપલોડ થશે, જેનાથી ડેટાની ચોકસાઈ અને ઝડપ વધશે. વર્ષ 2011માં કચ્છ જિલ્લામાં 20.93 લાખ લોકોની વસ્તી હતી. આ વખતે કચ્છ જિલ્લાની વસ્તી 27 લાખની આસપાસ પહોંચી શકે છે. આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા કાગળને બદલે ડિજિટલ માધ્યમથી થવાની છે. વહીવટી તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કર્મચારીઓને તાલીમ આપવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જિલ્લાના છેવાડાના ગામડાઓથી લઈને શહેરી વિસ્તારો સુધી દરેક નાગરિકની માહિતી આંકડાકીય રીતે નોંધવામાં આવશે. આ બાબતે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે સંભવિત 20 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબ્બકો શરૂ થશે,જે 19 મે સુધી ચાલશે. વસ્તી ગણતરી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાસ્કર નોલેજઆ 33 પ્રશ્નો પૂછવામાં આવશેઆગામી જનગણનામાં દરેક પરિવારને ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉમર, લિંગ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર, માતા-પિતાની વિગતો, દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગ જેવી માહિતી સામેલ રહેશે. ઘરના પ્રકાર, પાણી, શૌચાલય, વીજળી, રસોઈ ઇંધણ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે. પહેલીવાર લોકોને સ્વયંમ ગણતરીનો વિકલ્પ મળશેડિજિટલ જનગણનામાં નાગરિકોને સ્વ—ગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવશે. નક્કી કરેલા સમયગાળા દરમિયાન આધિકારિક જનગણના પોર્ટલ પર મોબાઈલ નંબર અથવા આધાર આધારિત OTP દ્વારા લોગિન કરી પરિવારની માહિતી પોતે ભરવી શકશે. આ માહિતીમાં પરિવારના સભ્યોની સંખ્યા, ઉમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, આવાસ અને સુવિધાઓ જેવી વિગતો સામેલ રહેશે. સફળ સબમિશન પછી રજિસ્ટ્રેશન નંબર મળશે, જેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવું પડશે. બે તબક્કામાં થશે ગણતરી, માર્ચ 2027 સુધી ચાલશે કામગીરી

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 7:14 am

નીરવ મોદીની યુકે પ્રત્યાર્પણ કેસ ફરી ખોલવાની અરજી

ભારતમાં અત્યાચારના જોખમનું બહાનુ આગળ ધરીને ભારતની બેન્કો સાથે છેતરપિંડીના આરોપી નીરવ મોદીને પૂછપરછ દરમ્યાન સતામણી થવાનો ભય ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદીની લંડન હાઈ કોર્ટમાં ભારતમાં તેની પ્રત્યાર્પણ અપીલ ફરી ખોલવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી પૂરી થઈ છે. તેની કાનૂની ટીમે દલીલ કરી છે કે ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમ્યાન તેના પર અત્યાચારનું અથવા અમાનવીય વ્યવહારનું જોખમ રહેલંી છે. પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કેસમાં આશરે બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરીંગમાં કથિત સંડોવણી માટે ભારતમાં તેઓ વોન્ટેડ છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 7:00 am

નેતાઓનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત બળાત્કાર કેસમાં ઝડપાયોઃ 58 વિડીયો મળ્યા

ખરાતના ક્લાયન્ટ લિસ્ટમાં અનેક નેતા, સેલિબ્રિટીઓ ખરાતે એક મહિલાને નશીલું પીણું પીવડાવી તથા મંત્રતંત્રની ધમકીઓ આપી ૩ વર્ષ સુધી વારંવાર બળાત્કાર ગુજાર્યો ખારત સિન્નરનાં ઈશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો અધ્યક્ષઃ શિંદે સહિતના નેતાઓ સાથેની તસવીરો વાયરલ થઈ મુંબઈ - મહારાષ્ટ્રના નાસિકમાં એક મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયા બાદ અનેક રાજકીય નેતાઓ તથા સેલિબ્રિટીેના હાઈ પ્રોફાઈલ જ્યોતિષી બની ગયેલા અને પોતાને કેપ્ટન તરીકે ઓળખાવતા અશોક ખરાતની સતત ત્રણ વર્ષ સુધી એક મહિલા પર બળાત્કાર માટે ધરપકડ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખરાતના ક્લાયન્ટના લિસ્ટમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિતના નેતાઓ સામેલ હોવાનું કહેવાય છે. ખરાતની પેનડ્રાઈવમાંથી ૫૮ વિડીયો મળ્યા છે તેમાં કેટલીક વાંધાજનક ક્લિપ્સ હોવાનું પણ કહેવાય છે.

ગુજરાત સમાચાર 19 Mar 2026 7:00 am

1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરાઈ:800 મીટર દોડ, સ્ટ્રેચિંગ, વર્ટિકલ જમ્પથી ખેલાડીઓની શક્તિ પરખાઇ

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાના ‘બેટરી ટેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાના 1254 ખેલાડીઓની પ્રતિભાની કસોટી કરવામાં આવી હતી. આ બેટરી ટેસ્ટ દ્વારા પસંદ થયેલા ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટ્સ સ્કૂલોમાંશિક્ષણની સાથે સાથે પ્રોફેશનલ રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. શારીરિક ક્ષમતા માપવા માટે 800 મીટર દોડ, વર્ટિકલ જમ્પ, સ્ટ્રેચિંગ સહિતના 7 જેવા ટેસ્ટ લઇ તેમની કસોટી લેવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:53 am

અમદાવાદના વાતાવરણમાં પલટો:વહેલી સવારથી ફૂંકાયો તેજ પવન, ઉજાલા સર્કલ પાસે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી; વાહન ચાલકોને હાલાકી

હવામાન વિભાગની આગાહી અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શહેરમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ છે, જોકે ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ઉજાલા સર્કલ અને વણઝર વિસ્તારમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. હવામાં ઉડેલી ધૂળની ડમરીઓને લીધે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેજ પવન અને ધૂળિયા વાતાવરણની અસર વીજ સેવા પર પણ પડી છે. ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે લાઈટો ગુલ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આશરે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે ગરમીમાં રાહત મળી છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં આગામી 3 કલાક ભારે, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટ મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની (5-15 mm/hr) આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને 30 થી 60 ટકા જેટલી વીજળી પડવાની સંભાવના પણ છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે હળવો વરસાદ (5 mm/hr થી ઓછો) થવાની શક્યતા છે. અહીં પવનની ગતિ 40 કિલોમીટરથી ઓછી રહેશે અને વીજળી પડવાની શક્યતા 30 ટકાથી ઓછી છે. 20 માર્ચ બાદ વાતાવરણ થશે ચોખ્ખું 19 માર્ચના રોજ વરસાદની શક્યતા વધશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા અને પાટણ ઉપરાંત પંચમહાલ, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જે બાદ વાતાવરણ ચોખ્ખું થવાની આશા છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:37 am

અમેરિકન જાસૂસી સંસ્થા CIA:અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર નજર રાખે છે

કહેવાય છે કે પહેલાના જમાનામાં રાજા ગુપ્ત વેશે રાત્રે નગરની મુલાકાત લઇ નગરમાં શું ચાલી રહ્યું છે, રાજા વિશે કે એમની રીત ભાત વિશે શું ચર્ચાઓ ચાલે છે તેની માહિતી ભેગી કરી, પ્રજાના હિતમાં કામ કરતા. આપણા લોક ગ્રંથ રામાયણમાં સીતાજીનો રાજા રામ દ્વારા કરાયેલો ત્યાગ આવી જ એક નગરચર્ચાને આધારિત છે એ જાણીતી વાત છે. હવેના જમાનામાં પ્રજાજનો તો ઠીક જે તે દેશના રાજા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા નેતાઓથી લઇને કોઇપણ, કોઇને કોઇ ટેક્નોલોજી દ્વારા સતત દુશ્મન દેશો, કંપનીઓ, જે-તે દેશની સરકાર દ્વારા, કોઇ વ્યક્તિ કે પછી જે-તે દેશની જાસૂસી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા કારણોસર કે કોઇ કારણ વગર પણ સર્વેલન્સ હેઠળ હોય છે અને સેટેલાઇટ, ઇન્ટરનેટ, સર્વેલન્સ કેમેરા જેવી ટેકનોલોજીને કારણે જાસૂસીનું કામ સરળ પણ થઇ ગયું છે. આ ગુરુવારે 2025 માં ધમાલ મચાવનારી ફિલ્મ મેકર આદિત્ય ધારની ધુરંધર ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. જે પણ એક જાસૂસની કથા પર આધારિત છે. સલામતી અને તાકાત માટે જાસૂસી સંસ્થા પર આધારકહેવાય છે કે કોઇપણ દેશની સલામતી અને તાકાત એ દેશની સરકારની નજર હેઠળ કે સ્વતંત્ર રીતે ચાલતી અને સરકારને માહિતી પહોંચાડતી જાસૂસી સંસ્થાઓ પર ઘણો મોટો આધાર રાખે છે. ભારતની રો, રશિયાની KGB, બ્રિટનની MI 6, ઇઝરાયલની મોસાદ કે અમેરિકાની CIA જેવી સંસ્થાઓ તેના મોટા ઉદાહરણ છે. એમાં પણ અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના ઉદભવ, એનું કારણ, એની કામગીરી, એની સાથે સંકળાયેલા લોકો વિશે એટલી બધી દંતકથાઓ, અફવાઓ અને કુતૂહલતા એનું અસ્તિત્વ 1947માં આવ્યું ત્યારથી લોકોમાં ચાલે છે. શીતયુદ્ધના કારણે CIA અસ્તિત્વમાં આવીNational Security Act of 1947 દ્વારા શીતયુદ્ધ (કોલ્ડવોર)ની આજુબાજુના સમયમાં અમેરિકાને લાગ્યું કે વિશ્વમાં વધતા રાજકીય અને સૈન્ય સંકટોને ધ્યાનમાં રાખીને એક શક્તિશાળી ગુપ્તચર સંસ્થા હોવી જરૂરી છે એ કારણસર અસ્તિત્વમાં આવી CIA. કોલ્ડ વોરના સમય દરમિયાન અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે રાજકીય અને ગુપ્તચર સ્પર્ધા હતી. હાલનું રશિયા અને એ વખતનું સોવિયેત યુનિયન અને બીજા કેટલાક દેશો CIA એ જાસૂસી કામગીરી ચલાવી હતી. આગળ કહ્યું એમ આજની જેમ એ વખતે પણ માહિતી કોઇ પણ યુદ્ધ જીતવા માટે અગત્યની ચાવી હતી. ચાણક્યનીતિ પણ કહે છે કે યુદ્ધની વ્યૂહરચના દુશ્મનની હિલચાલની અંદરની માહિતી આધારિત ઘડાતી હોય છે. જેની પાસે દુશ્મન દેશની જેટલી વધારે માહિતી એટલી એ દેશની યુદ્ધ જીતવાની શક્યતા વધારે. હાલના સમયમાં CIAનું મહત્વ વધ્યુંહાલના સમયમાં CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)નું મહત્વ આતંકવાદ, સાયબર યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઇ છે. 9/11ના હુમલા પછી સમીકરણો બદલાયાએમાંય 9/11ના અમેરિકામાં થયેલા મોટા ત્રાસવાદી હુમલા પછી દુનિયા આખીમાં સુરક્ષા અને સલામતીના સમીકરણો બદલાઇ ગયા છે. ખાસ કરીને વિશ્વમાં સુપર પાવર તરીકે ઓળખાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. આતંકવાદથી ગ્રસ્ત દેશોને પોતાની સુરક્ષા માટે કરોડો ડોલર્સનું બજેટ ફાળવવું પડે છે. એવામાં CIA અન્ય દેશોની રાજકીય, આર્થિક, વિશ્વભરના આતંકવાદી સંગઠનો અને સૈન્ય પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરે છે. આ માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ અને સરકારને મહત્વપૂર્ણ નીતિ અને સુરક્ષા સંબંધિત નિર્ણય લેવા માટે મદદ કરે છે. અત્યારના સમયમાં યુદ્ધ તીર કામઠાં, તલવારો કે ફક્ત બંદૂક કે તોપ દ્વારા નથી લડાતું પણ જે-તે દેશની સુરક્ષાને લગતી કમ્પ્યુટર સિસ્ટમને સાયબર એટેક દ્વારા ઠપ્પ કરી નાખવી, ડેટા ચોરી લેવો, એ ડેટાનો ઉપયોગ પ્રોક્સી કે ડાયરેક્ટ યુદ્ધમાં માટે કરવો જેવી અવનવી ટેક્નિકથી પણ લડવામાં આવે છે. ગુપ્ત નેટવર્ક પર નજરએવે વખતે CIA અન્ય દેશો અને હેકિંગ ગ્રુપ્સ તરફથી થતાં સાયબર હુમલાઓ વિશે માહિતી એકત્રિત કરીને અમેરિકાની સુરક્ષા અને ઘણી વખત એ માહિતી બીજા દેશો સાથે વહેંચીને આતંકવાદ સામે લડવા માટે કામ કરે છે. એમાં CIA જેવી સંસ્થાઓને આધુનિક ટેકનોલોજી, સેટેલાઇટ અને એના દ્વારા ડેટા વિશ્લેષણ અસરકારક રીતે માહિતી ભેગી કરવામાં મદદ કરે છે. અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર પણ નજર રાખે છે જે એને કદાચ સુપર પાવરનું સ્ટેટસ જાળવવામાં મદદ કરે છે. 9/11 ના માસ્ટર માઇન્ડ ગણાતા અલ-કાયદાના ઓસામા બિન લાદેનને Operation Neptune Spear હેઠળ મારી નાખવામાં અત્યંત અગત્યની કામગીરી નિભાવનાર અમેરિકન જાસૂસી સંસ્થા CIAની કેટલીક ગુપ્ત કામગીરી આંતરરાષ્ટ્રીય કાયદા અને નૈતિકતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. છતાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં CIA ને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. HBOના અત્યંત લોકપ્રિય શો 'ગેમ ઓફ થ્રોન'માં એક સંવાદ છે જે યાદદાસ્ત પરથી લખ્યો છે. માણસ ઘરને સુરક્ષિત રાખવા વાડ બનાવે એટલે બીજા માણસને એ વાડની પેલે પાર શું ચાલી રહ્યું છે એની ઉત્સુકતા થાય જ. ઉત્સુકતા સુધી ઠીક હતું પણ હવે એ લાગણી, ઇર્ષ્યા, સ્પર્ધા અને એ માણસને ખતમ કરવા સુધી પહોંચી ગઇ છે ત્યારે, એ માણસે (દેશે) પોતાના ઘરની વાડની સુરક્ષા વધારવા સિવાય છૂટકો નથી જ!

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:30 am

યંગ ઇન્ડિયન્સ દ્વારા ‘નમામિ નર્મદે’ પહેલ:પ્લાસ્ટિક ફ્રી પરિક્રમા, 50 યુવાઓ નર્મદાના રૂટ પરથી કચરો ભેગો કરી સીડબોલ નાખશે

યંગ ઇન્ડિન્સ દ્વારા ‘નમામી નર્મદે’ અભિયાન અંતર્ગત ચેન્જમેકર્સ મીટ યોજાઈ હતી. જે થકી નર્મદા પરિક્રમા માર્ગ પર પર્યાવરણ જાગૃતિનું અનોખું ઉદાહરણ જોવા મળશે. 6 વર્ષના બાળકથી લઈને 55 વર્ષના યુવાનો અને વયસ્કો સુધીના લગભગ 45–50 સભ્યોનું ગ્રુપ આ વર્ષે અભિયાનમાં જોડાયા છે. ઉદ્યોગસાહસિકો, ડોક્ટરો, નેચર લવર્સ, ફાઇનાન્સ પ્રોફેશનલ્સ અને કોલેજ સ્ટુડન્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રના લોકો સાથે મળી આ પહેલને આગળ વધારી રહ્યા છે. આ ટીમ દ્વારા 110 સીડ બોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેને ‘યંગ ઇન્ડિયન્સ’ના સભ્યો નર્મદા પરિક્રમા દરમિયાન માર્ગની બાજુઓ પર જાતે જ વાવશે. ખાસ વાત એ છે કે આ સીડ બોલ્સ સામાન્ય પરિક્રમાવાસીઓને આપવામાં નહીં આવે, કારણ કે યોગ્ય રીતથી વાવણી માટે તાલીમ જરૂરી છે. તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એકત્ર કરાયેલા કચરાને ગત વર્ષની જેમ રિયાસકલિંગ માટે અપી નર્મદા નદીને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવશે. તેમ યંગ ઇન્ડિયન્સના અર્પિતા શાહ, ખ્યાતિ ઠક્કર સહિત સમગ્ર ટીમે જણાવ્યું હતું. પરિક્રમાના રૂટ પર નર્મદા પરિક્રમા એન્થમ વગાડાશેયંગ ઇન્ડિયન્સ દ્વારા નર્મદા પરિક્રમા એન્થમ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી તેઓ દ્વારા નર્મદા જિલ્લાના પરિક્રમા રૂટ પર આવતા રામપુરા, તિલકવાડા તાલુકા સહિતના 10થી વધુ ગામોના સરપંચો અને પ્રશાસન સાથે ખાસ અપીલ કરવામાં આવી હતી કે, નર્મદા પરિક્રમા એન્થમ ‘ચલો મળી સંકલ્પ કરીએ, પ્લાસ્ટીક ફ્રી નર્મદા કરીએ’ રૂટ પર આવકા ગામડા, મંદિર, વિશ્રામગૃહ સહિતના દરેક સ્થળોએ વગાડવામાં આવે અને તેનાથી લોકોને વધુમાં વધુ પ્રેરણા મળી શકે છે. ‘નમામી નર્મદે’ હવે માત્ર અભિયાન નહીં, પરંતુ યંગ ઇન્ડિયન્સનું એક જનઆંદોલનપર્યાવરણપ્રેમીઓ, ડોક્ટરો, ઇન્ફ્લુએન્સર્સ અને સરકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો. મીટમાં નર્મદા પરિક્રમાની આધ્યાત્મિક મહત્તા સમજાવવામાં આવી. ત્યારબાદ નિષ્ણાતોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના નુકસાન અને માઇક્રોપ્લાસ્ટિકના આરોગ્ય પર પડતા પ્રભાવ વિશે માહિતી આપી. પર્યાવરણ કાર્યકરોએ નદી પ્રદૂષણ અને કચરા વ્યવસ્થાપન અંગે વાસ્તવિક સ્થિતિ રજૂ કરી. નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સહકારથી કચરા વ્યવસ્થાપન સુધારવા અને પરિક્રમા માર્ગ સ્વચ્છ રાખવા પ્રયાસો ચાલી રહ્યા છે. યંગ ઇન્ડિયન્સ વડોદરાએ સ્થાનિક પંચાયત અને વેન્ડરો સાથે મળીને સ્ટીલ જેવા વિકલ્પો અપનાવવા પર ભાર મૂક્યો હતો. ‘નમામી નર્મદે’ હવે માત્ર અભિયાન નહીં, પરંતુ એક જનઆંદોલન બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:29 am

છેડતીનો મામલો:એજન્સી પાસેથી ક્રેટા ભાડે લઈને પરત ન કરી ગઠિયાએ ઠગાઇ કરી

ફતેગંજની વીવીઆઈપી કાર રેન્ટલ પાસેથી ક્રેટા કાર ભાડે લઈ જઈને ભેજાબાજે પરત કરી છેતરપિંડી કરી હતી. ત્યારે જે.પી રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ બીસી મિસ્ત્રી કમ્પાઉન્ડ ખાતે રહેતા નુરુલહક્ક જાહેદભાી ચૌહાણ વીવીઆઈપી કાર રેન્ટલ નામથી ફોર વ્હીલર ગાડી ભાડે અપાવવાનું કામ કરે છે. વીવીઆઈપી કાર રેન્ટલ જુમ કાર તથા હોસ્ટ એપ્લિકેશનમાં રજીસ્ટર કર્યું હતું. નુરૂલહક્કે ક્રેટા કાર ખરીદી હતી. ત્યારે તાંદલજા શાંતિવન સોસાયટી ખાતે રહેતા આતાઉર રહેમાન શાકિર મેમણ અગાઉ નુરુલહક્ક પાસેથી કાર ભાડેથી લઈ જતો હતો અને સમયસર પરત આપી જતો હતો. તા.5 ફેબ્રુઆરીએ આતાઉરે ફોન કરીને જણાવ્યું હતું કે, મારે પરિવાર સાથે ડભોઈ જવું છે. જેથી કોઈ ડીઝલ કાર પાંચ દિવસ માટે ભાડેથી જોઈએ છે. ત્યારે નુરુલહક્કે રૂ.5 હજારના ભાડે આતાઉરને ક્રેટા કાર આપી હતી. જોકે ત્યારે આતાઉરે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પણ નુરુલહક્કને આપ્યા હતા. સાથે જ તેને રૂ.10 હજાર એડવાન્સ, તથા રૂ.10 હજાર ડિપોઝિટ પેટે આપ્યા હતા. જોકે ત્યાર બાદ આતાઉર તા.10 ફેબ્રુઆરીએ કાર પરત આપવાનો હતો. જેને પગલે નુરુલહક્કે જીપીએસ તપાસ્યું હતું. જેમાં કાર બોડેલી નજીક જણાઈ હતી. આતાઉર કહેતો હતો કે, તમારી કાર બીજાને આપી છે. થોડા દિવસમાં તમને પરત મળી જશે. જોકે ત્યારબાદ આતાઉર ખોટા વાયદા કરતો રહ્યો હતો. પરંતુ તેને કાર પરત કરી નહોતી. ત્યારે જે.પી રોડ પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ભાડે લઇને ઠગાઇ કરતા ગઠીયાઓ મોટી સંખ્યામાં સક્રિય થયાં છે. ત્યારે પોલીસ સામે પણ આવા ભેજાબાજોને પકડવાની નવી ચેલેન્જ ઉભી થઇ છે. ભાસ્કર ઇનસાઇડકારને જીપીએસથી લોક કરી દેવાઈ, જોકે ભેજાબાજ તેના પછી કારને ટો કરીને મધ્યપ્રદેશ બાજુ લઈ ગયોકાર પરત ન મળતા નુરુલહક્કે તેને જીપીએસ સિસ્ટમથી લોક કરી દીધી હતી. જોકે કાર સ્થળ પરથી હલતા નહીં, તેને ટો કરીને લઈ જવાઈ હતી. કારને મધ્યપ્રદેશ તરફ લઈ જવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યાં નેટવર્ક ન મળતા જીપીએસ પણ કામ કરતું નહોતું. ત્યારે કારનું જીપીએસ કાઢીને કોઈને કાર આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. નુરુલહક્કે સમગ્ર મામલે 10 ફેબ્રુઆરીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે એક મહિના બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:26 am

દુષ્કર્મના મામલે સજા ફટકારી:સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદ

શહેર નજીકના ગામમાં સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ખાસ પોક્સો અદાલતે આરોપીને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ભોગ બનેલી સગીરાને વળતર આપવાનો આદેશ કર્યો છે. એક વર્ષ અગાઉ 14 વર્ષની સગીરાને ભગાડી જવાનો ગુનો જવાહરનગર પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં સગીરાના પિતાએ પુત્રીને કોઈ યુવક ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગેની ફરિયાદ બાદ પાંચમા દિવસે પોલીસે સગીરાને શોધી કાઢી હતી. બાદમાં પિતા સમક્ષ નિલેશ સોલંકી ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાની તબીબી ચકાસણી કરાવતાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ ભેગો કરાયો હતો. મામલાની સુનાવણી ખાસ પોક્સો અને એડિ. સેશન્સ કોર્ટમાં ચાલી હતી. જેમાં સરકારી વકીલ પી.સી.પટેલે કરેલી દલીલોને ધ્યાનમાં લઈ જજ એસ.એન. સોલંકીએ આરોપીને સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:19 am

બોર્ડની પરીક્ષા:ધો.10ના સામાજિક વિજ્ઞાનમાં આતંકવાદની અસરો તથા ખજૂરાહો વિષયે સવાલ પૂછાયો

ધો.10 એસએસસી-ધો 12 એચએસસી બોર્ડની પરીક્ષા બુધવારે પૂરી થઇ હતી. ધો.10ના 11 અને 12ના 8 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 2 હજાર શિક્ષકો ગુરુવારથી ઉત્તરવહી ચકાસણી શરૂ કરશે. ધોરણ 10માં સમાજીક વિજ્ઞાનના છેલ્લા પેપરમાં આતંકવાદની અસરોનો તથા ખજુરાહોનો સવાલ પૂછાયા હતા. ધો.10માં સમાજીક વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 39877 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 39350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 527 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસનું પેપર હતું. જેમાં કુલ 369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 19 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે. ગુરુવારથી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરૂ કરાશે. જેમાં ધો.10ના 11 અને 12ના 8 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 2 હજાર શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરશે. કુલ 19 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહી ચકાસણી કરવામાં આવનાર છે. મૂલ્યાંકન કેન્દ્રો પર 100 થી 125 જેટલા શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરશે. તમામ કામગીરી સીસીટીવી સર્વેલન્સ હેઠળ હાથ ધરવામાં આવશે. સતત 8 કલાક સુધી ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવાની રહેશે. દરેક કેન્દ્ર પર 25 હજાર જેટલી ઉત્તરવહી બોર્ડ દ્વારા મોકલવામાં આવશે. બોર્ડ દ્વારા 10 દિવસના સમયગાળામાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરામાં 19 મૂલ્યાંકન કેન્દ્રો પર અંદાજિત 4,75,000 જેટલી ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડસરની કામગીરી બાદ ઉત્તરવહી ચકાસણી, ત્યારબાદ શિક્ષકો વસ્તી ગણતરીમાં અને પછી ચૂંટણીની કામગીરીમાં જોતરાશે બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી 10 દિવસ ચાલશે. ત્યારબાદ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાં લગાડવામાં આવશે. ત્યારબાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ શિક્ષકોને કામગીરી કરવી પડશે. નવેમ્બર ડિસેમ્બર મહિનાથી શિક્ષકો સરની કામગીરીમાં લાગેલા હતા. ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની સંખ્યા ઘટી રહી છે અને વર્કલોડ વધી રહ્યો છે. ભાસ્કર એક્સપર્ટવલભી વિદ્યાપીઠનો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાયોસામાજિક વિજ્ઞાનનું ધો.10નું પેપર ધાર્યા કરતા સરળ હતું. વિભાગ-સીમાં 40મો પ્રશ્ન વલભી વિદ્યાપીઠનો ટ્વિસ્ટ કરીને પૂછાયો હતો. નકશા સરળ હતા જેમાં રાતી જમીન, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન,ભદ્રાવતી, શણ ઉત્પાદન વિશે પૂછવામાં આવ્યું હતું. ગ્રાહક તરીકે આપણી ફરજ અને જૈવિક ખેતી તરફના વલણનો પ્રશ્ન હતો. સામાજિક વિજ્ઞાનની ચોપડી વાંચી હોય તો અડચણ આવે તેમ ન હતું. મહિલા સમાનતા માટે ગુજરાત સરકારની યોજના વિશે પુછાયું હતું. - કુંતલ શાહ, વિષય નિષ્ણાત, સામાજિક વિજ્ઞાન ધો.10

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:14 am

ઠગાઈનો મામલો આવ્યો સામે:અકોટાના ઠગે આવાસના નકલી લેટર આપી 16 લોકોના 40.17 લાખ ઠગ્યા

પાલિકાના એજન્ટ તરીકે ઓળખ આપી અકોટા ગામના ઠગે 16 લોકોના પીએમ આવાસના મકાન અપાવવાના બહાને પાલિકાના જ સહી-સિક્કાવાળા બોગસ લેટર આપી 40.17 લાખ ઠગતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે. સમતા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકને હરીશે કહ્યું હતું કે, તે વડોદરા મહાનગર પાલિકામાં એજન્ટ છે અને પીએમ આવાસ યોજનાના મકાન અપાવે છે અને સુભાનપુરા ઝાંસી રેસિડેન્સીના બે ફ્લેટ અપાવવાનું કહ્યું હતું. જોકે ફ્લેટ જોવા જવા કહેતા પહેલાં પ્રોસેસ કરવી પડશે, એલોટમેન્ટ લેટર પછી ફ્લેટ જોવા જવાય તેમ કહ્યું હતું. વર્ષાબેને ફ્લેટ માટે કુલ ~6.83 લાખ હરીશને આપ્યા હતા. હરીશે મકાન માટે અરજી ભર્યા અંગેની પાવતી આપી હતી, જેમાં બે ફ્લેટની ફાળવણી થયાની પાલિકાના સહી સિક્કાવાળી નકલ આપી હતી. ત્યારબાદ ફ્લેટનો કબ્જો આપ્યો નહોતો. બાદમાં તેણે ઓફિસ બંધ કરી દેતાં 16 લોકોના આવાસના બહાને ~40.17 લાખ પડાવ્યાનું બહાર આવ્યું હતું. ગોરવા પોલીસે હરીશની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભાસ્કર ઇનસાઇડહરીશે 16 નહીં 27 લોકોને છેતર્યા, પોતે ફ્લેટ લેવા પ્રોસેસ કર્યો, પાવતી એડિટ કરી છેતર્યાગોરવા પોલીસે 16 લોકો સાથે હરીશ ચૌહાણે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધી હતી. જોકે હરીશે 27થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું અને તેમાં ઠગાઈની રકમ ~60 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. હરીશ લોકોને પાલિકાની બોગસ પાવતી આપીને ઠગતો હતો. હરીશે પોતે મકાન લેવા પ્રોસેસ કરી પાલિકાએ આપેલી પાવતી એડિટ કરીને હરીશ અન્ય લોકોના નામ ઉમેરી છેતરપિંડી કરતો હતો તેમ સુત્રોએ કહ્યું હતું. આ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:11 am

24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું:ગાયત્રી પરિવારે 40 દિવસીય સવા લાખ મંત્ર જાપ અનુષ્ઠાન કરીને 15 મહિલાને ગર્ભ સંસ્કાર આપ્યા

ગાયત્રી પરિવાર દ્વારા 15 માર્ચે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. વસંત પંચમીથી હોળી સુધીના 40 દિવસનું અનુષ્ઠાન કરવાનો સંકલ્પ અનેક ભક્તોએ લીધો હતો. જેની પૂર્ણાહુતિના ભાગરૂપે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા સામૂહિક પૂર્ણાહુતિનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. યજ્ઞનું સંચાલન પ્રજ્ઞા પુત્રી મીનાક્ષીબેન કાબરિયા અને તેમની સંગીત ટોળી દ્વારા કરાયું હતું. 500થી વધારે પરિજનોએ લાભ લીધો હતો. બીજી તરફ 15 જેટલી બહેનોએ ગર્ભ સંસ્કાર કરાવ્યા હતા. ડો.નિરજભાઈએ યુવાનોને સાધનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યજ્ઞમાં 108 ગાયત્રી મહામંત્રની આહુતિ સમર્પિત કરાઈ હતી. કાર્યક્રમનું આયોજન અનિલ રાવલ અને તેમની સુભાનપુરા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:07 am

ભાવનગરમાં 587 કરોડના ખર્ચે 1300 બેડની મેડિસીટનું નિર્માણ:પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થવામાં, ગાયનેક અને પીડિયાટ્રિક માટે 8 માળનું અલગ બિલ્ડિંગ; ત્રણ જિલ્લાના લોકોને મળશે સારવારનો લાભ

ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના લોકોની આરોગ્ય સુવિધા માટે ભાવનગરમાં રૂપિયા 587 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી મેડિસીટીના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ચાર ફેઝનમાં થનારી આ કામગીરી પૂર્ણ થતા ત્રણ જિલ્લાના લોકોને એક છત નીચે જ આરોગ્ય સુવિધાઓ મળી રહેશે. હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારના વિભાગ અલગ અલગ હોય નવી મેડિસીટી હોસ્પિટલમાં તમામ એક ફ્લોર નીચે જ મળી રહેશે. ખાસ કરીને ગાયનેક અને પીડિયાટ્રિક માટે અલગ જ બિલ્ડિંગ તૈયાર કરાઈ રહ્યું છે. મેડિસીટીમાં દર્દીઓને હીપ અને ની રિપ્લેસ્ટમેન્ટ જેવી સારવાર પણ મળી રહેશે. 1.64 લાખ ચો.મી. જગ્યામાં ચાર ફેઝમાં મેડિસીટીની કામગીરી પૂર્ણ થશેભાવનગર શહેરના નારીગામ નજીક આધુનિક નવી સર્ટી હોસ્પિટલ નું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં 976 બેડ અને 316 આઈસીયુ વિભાગના બેડ મળી 1300 બેડની આધુનિક સેન્ટ્રલી એસી બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં 30 મેજર ઓટી, 10 માઇનર ઓટી, મેડિસિન વિભાગ, ટીબી વિભાગ, ઇન્ફેક્શન ડીસીસ વિભાગ, સાઈક્રેટિક વિભાગ, સ્કીન વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેટીક વિભાગ, કાન-નાક-ગળાનો (ENT) વિભાગ, આંખ વિભાગ, જિમેસ્ટિક વિભાગ, ગાયનેક વિભાગ, ચિલ્ડ્રન વિભાગ સહિતની સુવિધાથી સજ્જ 1,26,070 ચોરસ મીટરમાં નવી મેડિસીટી હોસ્પિટલ બનવા જઈ રહી છે. તેની બાજુમાં 37,760 ચોરસ મીટરમાં મેડિકલ કોલેજ બનાવવા માટેની કામગીરી હાથ ધરાશે, જેમાં 250 અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને 50 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા ધરાવશે. ફેઝ-1 માં બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ, જે બન્ને 11-11 માળની છે, જેમાં બન્નેમાં 1000-1000 આશરે કેપિસિટી છે, તે કામગીર પૂર્ણતાના આરે છે. આ અંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું હતું કે, અંદાજિત 587 કરોડના ખર્ચે મેડિસીટી ભાવનગરમાં નિર્માણ પામવાની છે. થોડા માસ પૂર્વે વડાપ્રધાન ભાવનગર આવ્યા ત્યારે આ મેડિસીટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બે યુજી હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બની ગઈ છે અને બાકી મેડિકલ કોલેજ, સરકારી હોસ્પિટલ અને માતા અને બાળકો, એને અમે શોર્ટ ફોર્મમાં MCH વિંગ એ પણ અલગથી આકાર લેનાર છે. આ કામમાં ફેઝ વાઇસ વાત કરીએ તો ફેજ-1નું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે. કારણકે બોયસ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ બન્નેની આશરે 2000 વિદ્યાર્થીની કેપેસિટી છે, તે અત્યારે ફેઝ-1માં થવાની છે. ત્યારબાદ પીજી હોસ્ટેલ અને એકેડેમી બ્લોક, એટલે મેડિકલ કોલેજના બ્લોક બનવાનું શરૂ થશે. અત્યારે સરકાર સાથે રજૂઆતની વાત ચાલે છે. જ્યારે હોસ્ટેલ અમને હાથમાં આવે, સાથે સાથે જો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં બિલ્ડીંગ બની ગયું હોય, તો વિદ્યાર્થીને ત્યાં અભ્યાસ સાથે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ જાય. આશરે આ કામ ચાર ફેઝમાં વહેંચાયેલું છે. એમાં ફેઝ વનનું કામ પૂર્ણ થવાના આરે છે. બીજા ફેઝમાં એકેડમી બ્લોક અને પીજી હોસ્ટેલ બનશે, અને ત્રીજા ફેઝમાં હોસ્પિટલનું કામકાજ શરૂ થશે. અને ચોથા ફેઝમાં ડોક્ટર ક્વાર્ટર્સ, ડીન સુપ્રીડેન્ટેડ ક્વાર્ટર્સ બનાવવાનું હોય, તેની શરૂઆત થશે. નવી હોસ્પિટલમાં 30 મોડ્યુલર ઓપરેશન થિયેટર હશેઆખો કોન્સેપ્ટ એવો છે કે એક યુનિટરી કેમ્પસ હોય અને યુનિટરી કેમ્પસની અંદર આ બધી જ સુવિધા એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય. આશરે 30 મોડ્યુલર થિયેટર હશે, અને 1200 બેડની કેપેસિટી સાથે હોસ્પિટલ બનવા જઈ રહી છે.અને અત્યારે જોઈએ તો ભાવનગરની પેરીફેરી ડેવલોપિંગ થઈ રહી છે, જે પણ બહાર જઈ રહી છે. જેલ પણ બહાર જઈ રહી છે, આરટીઓ ઓફિસ પણ જઈ રહી છે, તો એ એરીયા છે વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. એ રીતે આપણે જોઈએ તો આપણે ડેવલોપિંગ સારી રીતે થઈ શકશે. આખી હોસ્પિટલ કેમ્પસ જ્યારે આકાર લેશે, તો અત્યારે કરતાં વધારે સ્માર્ટ ટાસ્ક રૂમ અને બધા ઓટી છે, તે મોડ્યુલર થશે. ઉપરાંત અમે ભવિષ્ય માટે અત્યારે એવી પ્રપોઝલ મૂકેલી છે કે આઈટી નો ઉપયોગ વધુમાં વધુ થાય, જેથી પેશન્ટ છે એ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ શકે. હાલ દરરોજ પેશન્ટ આવતા હોય છે, પણ તે એપોઇન્ટમેન્ટ લઈ શકે. તેવો રિપોર્ટ ઓનલાઇન મળી શકે. ઉપરાંત વિદ્યાર્થીઓનું જે ભણવાનું છે, એમાં સ્માર્ટ ક્લાસ રૂમનો ઉપયોગ થઈ શકે. જેથી સ્ટેટ ઓફ આર્ટ આપણે એવું કરી શકાય કે ભાવનગર છે એક દરિયા કિનારે છે, પણ છતાં જે સારામાં સારી કોલેજો અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય એ પ્રકારની ફેસિલિટી ભણવા માટે અને પેશન્ટ માટે મળે, એ પ્રકારની અમારી નીમ છે. મેડિસીટીના નિર્માણ બાદ ભાવનગર સરટી હોસ્પિટલમાં પણ કેટલીક સારવાર ચાલુ રહેશેહાલ જે હોસ્પિટલ કાર્યરત છે તેમાં સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ ત્યાં નિર્માણ થયું છે, જે ગયા વર્ષે, એક વર્ષ પહેલા આપણે શરૂ કર્યું છે. ઉપરાંત કેન્સર બિલ્ડીંગ છે.તો સરકારનો પ્લાન એવી રીતનો છે કે આ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાંને ત્યાં ચાલુ રહેશે, કેન્સર બિલ્ડીંગ પણ ત્યાં ચાલુ રહેશે. અને અત્યારે અમારે સરકારમાં ચર્ચા ચાલુ છે કે જે બેઝિક સુવિધાઓ છે, બેઝિક જરૂરિયાત છે એ અહીંયા શરૂ રહે. ઉપરાંત જે આપણે અલગ-અલગ ફેસિલિટી જેવી કે તમારે ફિટનેસ કઢાવવાનું છે કે હજ માટેના સર્ટિફિકેટ લેવાના છે, વેક્સિનેશન છે તો જે પાયાની જરૂરિયાતો છે એ અહીંયા જ રહે એ બાબતની ચર્ચા અત્યારે અમારી સરકારમાં ચાલી રહી છે. અને ઉપરાંત આ સિવાયની બીજી સુપર સ્પેશિયાલિટી પણ અહીંયા આવશે. મેડિસીટીના યુનિટરી કેમ્પસમાં તમામ વિભાગ એક જ જગ્યાએ હશેસર. ટી. માં ગાયનેક વિભાગ એક જગ્યાએ છે, પીડિયાટ્રિક બીજી જગ્યાએ છે, ENT ત્રીજી જગ્યાએ છે, કેન્સર ચોથી જગ્યાએ છે, લેબોરેટરી પાંચમી જગ્યાએ છે. એટલે ઘણીવાર જો બહારનું કોઈ પેશન્ટ આવે ને તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય કે એક બિલ્ડીંગમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં છતાં આપણે અત્યારે દર્દી મિત્ર રાખ્યા છે જેથી એ લોકોને મદદ કરી શકે, ગાઈડ કરે છે. તો અહીંયા આગળ એ બધામાંથી એ લોકો બહાર આવી જશે કે એક જ બિલ્ડીંગ હોય અને યુનિટરી કેમ્પસ હોય એટલે બધું એમને ત્યાંથી મળી જશે. વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર, અમરેલી, બોટાદમાં સુવિધાઓ તો છે. હાલમાં જે રીતે સર. ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ભાવનગર અલગ અલગ જગ્યાએ છે, તો એમએમસીના નિયમ પ્રમાણે ઉપરાંત જ્યારે બધું એક રૂફ નીચે હોય, તો અલગ અલગ રૂફમાં ફરવું પડે છે. તે બાબતે પણ લોકોને ફરવું ન પડે, હાલાકી ન ભોગવી પડે, એટલે એ બધી વસ્તુ મેડિસીટીમાં એક સાથે થશે, જેમાં સ્પેશિયાલિટી બિલ્ડીંગ હશે અને સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ પણ હશે. સ્પેશિયાલિટી બિલ્ડીંગ એટલે એમાં પૂરતા પ્રમાણમાં મોડ્યુલ ઓટી, આઈસીસીયુ, પીડીયાટિક વોર્ડ, ગાયનેક વોર્ડ અને સ્પેસિફિકલી પીડિયાટિક અને ગાયનેક નું આઠ માળનું બિલ્ડીંગ, જે સ્પેશિયલી માતા અને બાળક માટે ફાળવેલું છે, તે બાબતની સુવિધા ઉપલબ્ધ થશે. મેડિસીટીમાં હીપ અને ની રિપ્લેસમેન્ટ જેવી ટ્રીટમેન્ટ ફ્રીમાં થશેહાલમાં જ્યારે ભાવનગર બધી જ રીતે વિસ્તરી રહ્યું છે, ત્યારે આજુબાજુના લોકોને પણ છેક સિટીમાં અંદર ન આવવું પડે, એ માટે નારી ચોકડી એરિયામાં, એટલે અમદાવાદ, રાજકોટ કે તળાજા બાજુથી આવતા હોય, તો એ બધાને બહારની જગ્યાએ સુવિધા મળશે અને હાલમાં જે રીતે કોર્પોરેશનની ઇ-બસ સેવાથી ભાવનગરના લોકો પણ ત્યાં સહેલાઈથી પહોંચી શકશે. હાલમાં સરકારના ધારા ધોરણ મુજબ બધી જ ટ્રીટમેન્ટ મેડિસિટીમાં ફ્રી થશે, જેમ કે ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ અને ભવિષ્યમાં જો યોગ્ય રહ્યું, તો એનજીઓગ્રાફી, એનજીઓ પ્લાસ્ટિ ઓ પણ થવાની શક્યતા રહેશે. ઉપરાંત બાકી બધા ઓપરેશનો ફ્રી માં થશે.આ મેડિસિટીનું નિર્માણ થવાથી આજુબાજુના ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની જેટલી વસ્તી છે, તેને આ હોસ્પિટલનો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:00 am

'મારે તો હજી પાર્ટનર શોધવાની છે' VIDEO:લવ મેરેજમાં મનના રાજા તો અરેન્જમાં ફેમિલીનું પ્રેસર, જાણો લવ મેરેજમાં સમાજના ઇનવોલમેન્ટને લઈ શું કહ્યું અમદાવાદીઓએ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી છોકરા-છોકરીઓના લવ મેરેજને લઈને સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અરેન્જ મેરેજ સારા કે પછી લવ મેરેજ કરવા જોઇએ અને જો છોકરા છોકરીઓ લવ મેરેજ કરે તો તેમાં સમાજનું કેટલું ઇનવોલમેન્ટ જરૂરી છે તે જાણવા દિવ્ય ભાસ્કર આજની યુવા પેઢી વચ્ચે પહોંચ્યું હતું. કોઈએ કહ્યું સમાજનું ઇનવોલમેન્ટ જરૂરી છે કારણ કે, આજની જનરેશનમાં જે ડિવોર્સ અને અન્ય કેસ જોવા મળી રહ્યા છે તેમને એથિક્સ શીખવાડવા જરૂરી છે તે માટે સમાજ જરૂરી છે. તો કોઈએ કહ્યું લવ મેરેજમાં સમાજનું ઇનવોલમેન્ટ જરૂરી નથી. કારણ કે, અરેન્જ મેરેજમાં ફેમિલીના પ્રેસરથી રહેવું પડે છે પણ લવ મેરેજમાં કોઈ પ્રેસર રહેતું નથી. પોતાની મરજીથી પાર્ટરન પસંદ કર્યો હોય છે. જાણો લવ મેરેજમાં સમાજના ઇનવોલમેન્ટને લઈ અમદાવાદીઓએ કેવા કેવા જવાબો આપ્યા.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:00 am

ગુજરાતમાં તબીબી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ:પિતાના અર્ધ-મેચિંગ સ્ટેમ સેલ્સથી થેલેમેસેમિયાગ્રસ્ત 5 વર્ષના બાળકનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, TCR આલ્ફા બીટા ડિપ્લીશન પદ્ધતિનો ઉપયોગ

ગુજરાતમાં તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. અમદાવાદ સ્થિત કયોર (QURE) હેમેટોલોજી સેન્ટરમાં થેલાસેમિયા મેજર જેવી જીવલેણ આનુવંશિક બીમારીથી પીડાતા માત્ર 5 વર્ષના બાળકમાં પિતાના અર્ધ-મેચિંગ સ્ટેમ સેલ્સથી હેપ્લો આઇડેન્ટિકલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત અત્યાધુનિક TCR આલ્ફા બીટા ડિપ્લીશન પદ્ધતિનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર બે અઠવાડિયામાં બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને તેને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ કયોર (QURE) હેમેટોલોજી સેન્ટરના ડૉ. હિમલ એમ. શાહ, ડૉ. અંકિત રૈયાણી અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે, જે ગુજરાતના હજારો થેલાસેમિયા દર્દીઓ, ખાસ કરીને બાળકો માટે નવી આશાનું કિરણ બની છે. થેલાસેમિયા મેજર એક ગંભીર અને ચેલેન્જિંગ આનુવંશિક લોહીની બીમારી છે, જેમાં શરીરમાં હેમોગ્લોબિનનું ઉત્પાદન થતું નથી. આ કારણે દર્દીઓને દર 15થી 20 દિવસે નિયમિત લોહી ચડાવવું પડે છે. લાંબા સમય સુધી લોહી ચડાવવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે હૃદય, લિવર સહિતના મહત્વના અંગોને નુકસાન થવાનું જોખમ રહે છે. ભારતમાં દર વર્ષે આશરે 10,000 નવા થેલાસેમિયા મેજરના કેસ નોંધાય છે અને ગુજરાતમાં આ બીમારીનો પ્રકોપ ખાસ વધારે જોવા મળે છે. પરંપરાગત સારવારમાં આજીવન લોહી ચડાવવું અને ચેલેશન થેરપી લેવી પડે છે, જ્યારે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર રોગમુક્તિ માટે જવાબદાર માનવામાં આવે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે 100 ટકા મેચિંગ જરૂરી હોય છેઆ 5 વર્ષીય બાળક પણ થેલાસેમિયા મેજરથી પીડાતો હતો, પરંતુ તેના માટે સંપૂર્ણ મેચિંગ ડોનર ઉપલબ્ધ ન હતો. તેને બહેન નથી. આ કિસ્સામાં, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન માટે બહારના સંપૂર્ણ મેચ થયેલા દાતા પણ ઉપલબ્ધ નહોતા. પિતાના સ્ટેમ સેલ્સ અર્ધ-મેચિંગ એટલે કે હેપ્લો આઇડેન્ટિકલ હતા. સામાન્ય રીતે પરંપરાગત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે 100 ટકા મેચિંગ જરૂરી હોય છે, જેના અભાવે આ કેસ શરૂઆતમાં અશક્ય લાગતો હતો. આ ટેકનિકની સફળતા દર 80 ટકા સુધીઆવા જટિલ કેસ માટે QURE હેમેટોલોજી સેન્ટરની ટીમે વિશ્વસ્તરીય TCR આલ્ફા બીટા ડિપ્લીશન ટેકનિકનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિમાં ડોનરના સ્ટેમ સેલ્સમાંથી એવા TCR આલ્ફા બીટા T-સેલ્સ દૂર કરવામાં આવે છે, જે GVHD (ગ્રાફ્ટ વર્સેસ હોસ્ટ ડિસીઝ) જેવા ગંભીર જોખમોનું કારણ બની શકે છે. ત્યારબાદ ફક્ત TCR ગામા ડેલ્ટા T-સેલ્સ અને શુદ્ધ સ્ટેમ સેલ્સને દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ ટેકનિકની સફળતા દર 80 ટકા સુધી છે, જે પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ વધુ અસરકારક માનવામાં આવે છે. કુલ 3 તબક્કામાં સારવાર કરાઇ આ સમગ્ર સારવાર ત્રણ તબક્કામાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં બાળકને કીમોથેરપી દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરવામાં આવ્યું. ત્યારબાદ પિતાના બ્લડમાંથી સ્ટેમ સેલ્સ એકત્રિત કરીને તેમાં TCR ડિપ્લીશન પ્રક્રિયા કરવામાં આવી. અંતિમ તબક્કામાં સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી બાળકને જરૂરી દવાઓ આપવામાં આવી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેની તબિયત પર સતત નજર રાખવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટ પછી માત્ર બે અઠવાડિયામાં બાળકના લોહીના પેટર્નમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો, હેમોગ્લોબિનનું સ્તર સ્થિર થયું અને ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટ્યું. બાળકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે અને હાલમાં તે નિયમિત ફોલો-અપ હેઠળ છે. પરિવાર માટે આ ખુશીની ક્ષણ છે, કારણ કે અગાઉ જીવનભર લોહી ચડાવવાની ચિંતા હતી, જ્યારે હવે સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા જાગી છે. ‘ ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે ’કયોર હીમેટોલોજીસ્ટ સેન્ટરમાં હીમેટોલોજીસ્ટ અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન ફીઝીશીયન ડૉ. હિમલ એમ. શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે અને તે તેમની ટીમના વર્ષોના પ્રયત્નોનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે TCR ડિપ્લીશન જેવી આધુનિક ટેકનિક ગુજરાતમાં ઉપલબ્ધ થવાથી હવે વધુ થેલાસેમિયા દર્દીઓને તેનો લાભ મળશે. ગુજરાતમાં 10,000 થી વધુ થેલાસેમિયા દર્દીઓ છે અને આવી સારવાર તેમના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ પ્રક્રિયામાં મૃત્યુદર, જીવલેણ ચેપ અને ગ્રાફ્ટ રિજેક્શનનું નોંધપાત્ર જોખમ રહેલું છે. આ જ કારણ છે કે ભારતમાં મોટાભાગના સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સેન્ટરો તે કરતા નથી. પરંતુ નવી તકનીક સાથે, ગુજરાત જેવા રાજ્યોમાં થેલેસેમિયા મેજરથી પીડિત દર્દીઓ માટે તે વરદાન છે. આ સિદ્ધિ ગુજરાતના તબીબી વિજ્ઞાનને નવી દિશા આપનાર સાબિત થશે‘ગુજરાતમાં થેલાસેમિયા દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં અત્યાર સુધી મોટા ભાગના કેસોમાં સંપૂર્ણ મેચિંગ ડોનર ન મળવો એક મોટો પડકાર રહ્યો છે. આ સફળતા પછી હવે માતા-પિતા અથવા ભાઈ-બહેનના અર્ધ-મેચિંગ સ્ટેમ સેલ્સથી પણ અસરકારક સારવાર શક્ય બની છે. QURE હેમેટોલોજી સેન્ટર આ ટેકનિકને વધુ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે, જે રાજ્યના તબીબી ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારશે. આ સિદ્ધિ ગુજરાતના તબીબી વિજ્ઞાનને નવી દિશા આપનાર સાબિત થશે. ડો. હિમલ શાહે કહે છે કે, થેલેસેમિયા મેજર એક લોહીની બિમારી છે. કે જેમાં બાળક કે પુખ્તવયના વ્યક્તિને દર 15 થી 20 દિવસે લોહી ચડાવવાની જરૂર પડે છે. ગુજરાતમાં ખાસ કરીને અમૂક વિસ્તારમાં અને અમૂક કોમ્યુનિટીમાં વધારે થતું હોય છે. જેમ સિંધી, લોહાણા, પંજાબી આવી બધી કોમ્યુનિટીમાં વધારે જોવા મળે છે. આ કોમ્યુનિટીમાં વર્ષોથી જે તેમના પૂર્વજો પર્ટીકયુલર સી બેલ્ટમાં રહેતાં હતા, ત્યારે ઝેરી મેલેરિયા કે ઝેરી રોગોની શક્યતા વધારે હતી. જેમ જેમ ઇવોલ્યુશન થયું તેમ આ બિમારી વાળી વ્યક્તિ એટલે કે થેલેસેમિયા માયનોર વાળા વ્યક્તિ છે, તેમાં તેમને ઝેરી મેલેરિયા સામે કુદરતી રીતે રક્ષણ મળતું હતું. એટલે જનરલી આ કોમ્યુનિટીમાં ઝેરી મેલેરિયા સામે રક્ષણ મળતું ગયું પણ તેમાં થેલેસેમિયા નામનો જીન ઘૂસી ગયો જે શરુઆતમાં વ્યક્તિ વાહક હોય ત્યાં સુધી કોઇ તકલીફ પડતી નથી. પણ જો આ વાહક બીજા વાહક સાથે અંદરોઅંદર લગ્ન કરે તો બાળકને થેલેસેમિયા મેજર બિમારી થતી હોય છે. ‘વ્યક્તિનો રક્તકણ જેનું આયુષ્ય નોર્મલ 120 દિવસ હોય ’‘બિટા થેલેસેમિયા મેજર બિમારી એક્ચ્યુલી શરીરમાં જે રક્તકણ રહેલો હોય છે, તેમાં હિમોગ્લોબિન નામનું તત્ત્વ રહેલું હોય છે. હિમોગ્લોબિનમાં ચાર પ્રકારની ચેઇન જોવા મળે છે, એમાં બે બિટા અને બે આલ્ફા નામની છે. આ બિટા ગ્લોબિન નામની ચેઇન છે તેમાં એક બિટા ચેઇનમાં ખરાબી દેખાય તો તેને થેલેસેમિયા માયનોર કહીએ છીએ. પરંતુ જો આ બંને બિટા ગ્લોબિન ચેઇન ખરાબ થઇ જાય તો જે તે વ્યક્તિને બિટા થેલેસેમિયા મેજર થતું હોય છે. આ તકલીફ થાય ત્યારે જે તે વ્યક્તિનો રક્તકણ જેનું આયુષ્ય નોર્મલ 120 દિવસ હોય છે, તેની બદલે ઘટીને 15થી 20 દિવસ થઇ જાય. એટલે વ્યક્તિને દર 15 થી 20 દિવસે લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે.’ ‘મેડિકલી ભાષામાં તેને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ છીએ’‘આપણા શરીરમાં જે તે લોહીના કણ છે લાલ કણ, સફેદ અને ત્રાક કણ છે, જેને અંગ્રેજીમાં રેડ, વ્હાઇટ અને પેટલેટ કહીએ છીએ. આ બધાંનો જન્મ સ્થળ બોર્નમેરો એટલે કે હાડકાંનો માવો છે. હાડકાં અંદરથી પોલાં છે તે પોલાં હાડકાંમાં અસ્થિમજ્જા રહેલી છે. તેમાં સ્ટેમ સેલ નામનો બીજ હોય. આ બીજમાંથી બધાં જ કણ બનતાં હોય છે. હવે જો આ બિમારીને જડમૂળમાંથી નાશ કરવો હોય કે પરમેનન્ટ કયોર જોઇતું હોય તો તેનું ઉદ્દભવ સ્થાન એટલે કે સ્ટેમ સેલને જ બદલવો પડે. મેડિકલી ભાષામાં તેને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ છીએ. જે તે વ્યક્તિને થેલેસેમિયા મેજર હોય અને તેને લોહી ચડાવીએ તો આશરે 15 થી 20 દિવસ લોહી ટકે છે અને આખી જીંદગી તેમને લોહી સમયાંતરે ચડાવવુ પડે. આવા વ્યક્તિને વારંવાર લોહી ચડાવવું પડે તેના કારણે કોમ્પ્લીકેશન થઇ શકે કાંતો શરીરમાં આયર્ન વધી જાય તેના લીધે કોમ્પ્લીકેશન થતાં હોય છે. આવા વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ભારત દેશમાં વધુમાં વધુ 30થી 40 વર્ષ છે.’ ‘સ્ટેમસેલ કોઇને ચડાવવા હોય તો પહેલાં જે તે વ્યક્તિનું ટાઇપીંગ જોવું પડે છે’તેઓ વધુમાં જણાવે છે કે સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટની પ્રોસીજરની વાત કરીએ તો સૌથી પહેલાં અમે જે તે વ્યક્તિને સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું હોય તો તેનું ટાઇપીંગ કરતાં હોઇએ છીએ. જેમ કોઇપણ વ્યક્તિને બ્લડ ચડાવવું હોય તો પહેલાં આપણે બ્લડ ગ્રૃપ જોઇએ, તેવી જ રીતે સ્ટેમસેલ કોઇને ચડાવવા હોય તો પહેલાં જે તે વ્યક્તિનું ટાઇપીંગ જોવું પડે છે અને એવા જ ટાઇપીંગ વાળી બીજી વ્યક્તિને શોધીને તે વ્યક્તિના શરીરમાંથી પહેલાં સ્ટેમ સેલ કલેક્ટ કરવામાં આવે છે. પછી જે થેલેસેમિયા મેજરવાળા દર્દી છે તેને અમે બોર્નમેરોમાં અમૂક પધ્ધતિથી દવા આપી તેમનો બોર્નમેરો સાફ કરીએ છીએ. જેમ ખેતરમાં અનાજ ઉગાડવા માટે જેમ જૂના બીજ સાફ કરવા પડે તેવી જ રીતે બોર્નમેરો દવાથી આખો સાફ કરીને નવા બીજ અમે બ્લડ વાટે આપીએ છીએ. તેને અમે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ. ‘પેરેન્ટસમાંથી જે જીન બાળકમાં મળે એવા જ જીન બીજા બાળકને મળવાની શક્યતા વધારે’‘દરેકે દરેક વ્યક્તિનો સ્ટેમ સેલ એનું એક પર્ટીકયુલર ટાઇપીંગ હોય છે, જેની ઉપર એન્ટીજન રહેલાં હોય તેને હ્યુમન લીકોજન એન્ટીજન ટાઇપીંગ (HLA) કહીએ છીએ. દરેક વ્યક્તિના આ યુનિક હોય છે. આ ટાઇપીંગ જયારે એકવાર નક્કી થઇ જાય એવા જ ટાઇપીંગ ધરાવતાં તેમના ભાઇ-બહેન શોધતાં હોઇએ છીએ. જેમાંથી આપણે બ્લડ લઇએ એ જ ટાઇપીંગ વાળા વ્યક્તિને મળે તો રીએકશનની શક્યતા ઓછી થઇ જાય છે. કોઇપણ વ્યક્તિનું HLA ટાઇપીંગ કે જીન જોવા જઇએ તો તેમના પેરેન્ટસમાંથી આવતાં હોય છે એટલે પેરેન્ટસમાંથી જે જીન બાળકમાં મળે એવા જ જીન બીજા બાળકને મળવાની શક્યતા વધારે હોય છે. એટલે અમે તેમના કઝીન કે અંકલ-અંકલ-આન્ટી બીજા કોઇ છે તેની સાથે મેચ થવાની શક્યતા લગભગ નહીવત હોય છે.’ ‘ખરાબ કણ છે જે નુકસાન કરી શકે તે કાઢીને થેલેસેમિયા દર્દીને આપીએ છીએ’‘જો ભાઇ-બહેન ના હોય તો ચાઇના તેમ જ બીજા ઘણાં કન્ટ્રી છે જયાં સીંગલ ચાઇલ્ડ પોલીસી છે. તો તે કેસીસમાં બહારના કોઇ ડોનર હોય ફોરેનના કે ઇન્ડિયાના તો તેનું સ્ટેમ સેલ લાવીને આપી શકીએ. મેચ અનરીલેટેડ ડોનર જો તે પણ પોસીબલ ના હોય તો હાફ મેચ ટ્રાન્સપ્લાન્ટ એક વિકલ્પ છે. દરેક વ્યક્તિ માટે પપ્પા અને મમ્મી તો હોય જ, ભલે હાફ મેચ હોય. તે કેસીસમાં પેરેન્ટસમાંથી સ્ટેમ સેલ લઇ અમે અમૂક પધ્ધતિથી કયોરીફાય કરી તેમાં ખરાબ કણ છે જે નુકસાન કરી શકે તે કાઢીને થેલેસેમિયા દર્દીને આપીએ છીએ.’ ‘અમે ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે’તેમના કહેવા મુજબ થેલેસેમિયાની પરમેનન્ટ કયોર માટે બે જ વિકલ્પ છે. એક છે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને બીજી છે જીન થેરાપી. જીન થેરાપી ઇન્ડિયામાં હાલ ઉપલબ્ધ નથી. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનમાં ફૂલ મેચ સીમલીંગ ટ્રાન્સપ્લાન્ટ જે ઘણાં વર્ષોથી ઇન્ડિયાના ઘણાં બધાં સેન્ટરમાં થાય છે. પરંતુ ઘણાં બધાં કેસીસમાં જેમ ભાઇ-બહેન ના હોય કે ભાઇના ડોનર ઉપલબ્ધ ના હોય તો હેપ્લો આઇડેન્ટીકલ ટ્રાન્સપ્લાટેશન જે કહીએ છીએ તે ગુજરાતમાં બહુ ઓછા સેન્ટરમાં થાય છે અને હેપ્લો આઇડેન્ટીકલ ટ્રાન્સપ્લાટેશનમાં પણ ટીસીઆર આલ્ફા મીટરની મેટર કે જેનાથી આ ટ્રાન્સપ્લાન્ટેશનનો સકસેસ રેઇટ ઘણો વધી જાય છે. તે અમે ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. ‘એકવાર એની ફીટનેસ આવી પછી અમે તેના ફાધરની ફીટનેસ ચેક કરી’‘સામાન્ય વ્યક્તિ સમજે તે રીતે વાત કરીએ તો આ પ્રક્રિયામાં સૌથી પહેલાં અમે દર્દી 5 વર્ષનું બાળક હતું અમારી પાસે જે જન્મ્યુ તેના છ મહિનાથી દર 15 દિવસે લોહી ચડાવતું હતું. તેનું સૌથી પહેલાં અમે ફીટનેસ ચેક કરી કે બાળક ટ્રાન્સપ્લાન્ટ માટે ફીટ છે કે નહીં. એકવાર એની ફીટનેસ આવી પછી અમે તેના ફાધરની ફીટનેસ ચેક કરી. ફાધર સાથે સ્ટેમ સેલ મેચ હતાં. એકવાર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું એટલે અમે તેને શરૂઆતમાં બી સેન્સીડાઇઝ નામનો પ્રોટોકોલ કહીએ તેમાં અમે એને દર મહિને પાંચ દિવસ માટે અમૂક ઇન્જેંકશન આપ્યા બે મહિના માટે. પછી તેને દાખલ કરીને હાયડોઝ કીમોથેરાપી આપી જેથી કરીને તેના જૂના બધાં સ્ટેમ સેલ નાશ પામે. એ પધ્ધતિ પછી અમે તેના ફાધરના સ્ટેમ સેલ કલેક્ટ કરીએ સ્પેશ્યલ લેબોરેટરીમાં તે પ્રોસીજર માટે મોકલી આપ્યા. જે 10 થી 12 કલાકમાં અમારી પાસે પ્રોસીજર થઇને આવી જાય. એમાં જેટલાં પણ ખરાબ ટી લીંબોસાઇન નામના કણ હોય તે નીકળી જાય એટલે હાફ મેચ સ્ટેમ સેલ ફાધરના છે તે દર્દીમાં પ્રત્યારોપાણ કરી પછી 14 થી 28 દિવસ માટે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઇવેન્ચ્યુલી ધીમે ધીમે તેના રક્તકણ, શ્વેત કણ અને ત્રાક કણ વધવા મંડયા અને જે વધેલાં કણ હતા તે અમે રિપોર્ટમાં ચેક કર્યું કે તે ફાધરના સ્ટેમ સેલમાંથી જ વધ્યાં છે ત્યારબાદ અમે તે બાળકને રજા આપી.’ ‘એવરેજ ખર્ચો લગભગ 20 થી 25 લાખ ખર્ચો થતો હોય છે’ડો.હિમલ શાહ કહે છે કે આ જે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન છે એમાં એવરેજ ખર્ચો લગભગ 20 થી 25 લાખ ખર્ચો થતો હોય છે. કે જેમાં કોઇ ફીક્સ ચાર્જ નથી હોતો પણ ઘણાં બધાં બાળકોમાં જો કોમ્પ્લીકેશન ના થાય તો ખર્ચ આટલો જ રહેતો હોય છે. કદાચ જો કોમ્પ્લીકેશન વધારે તો થાય તો ખર્ચો વધી પણ શકે. વહેલું નિદાન થાય અને વહેલી સારવાર મળે તો મોટાભાગના કેસમાં આ પોસીબલ છે. ખાસ અમૂક કોમ્યુનિટીમાં થેલેસેમિયા માયનોર ખૂબ પ્રચલિત છે અને તેના કેસીસ બહુ પ્રિવેલન્ટ છે તે કેસીસમાં મેરેજ પહેલાં પ્રિ મરાઇડલ સ્ક્રીનીંગ થવું જોઇએ. એચપી ઇલેક્ટ્રોકોરોસીસ રિપોર્ટથી જેથી કરીને મમ્મી અથવા પપ્પા બંનેમાંથી જો કોઇપણ થેલેસેમિયા માયનોર ના હોય તો આ બિમારી થવાની શક્યતા નહીવત છે. પણ જો બંને થેલેસેમિયા માયનોર હોય તો તેમણે મેરેજ પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. અમે મેરેજ કરવાની ના પાડતાં નથી, મેરેજ પણ કરી શકો પણ બાળક જયારે ગર્ભમાં હોય ત્યારે 8 થી 12 અઠવાડિયામાં ટેસ્ટ થતો હોય છે કે ગર્ભમાં રહેલું બાળક થેલેસેમિયા મેજર છે કે નહીં. ‘ખરાબ લોહી મળી ગયું તો તેને એચઆઇવી કે હીપેટાઇટીસ બી કે સી નામનો રોગ થઇ જાય’‘હેપ્લો આઇડેન્ટિકલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત અત્યાધુનિક TCR આલ્ફા બીટા ડિપ્લીશન પદ્ધતિનો ઉપયોગ કરીને અમે કર્યું છે. તેમાં સફળતાંની ટકાવારી 5 વર્ષથી ઓછી વયના બાળકમાં 80 થી 85 ટકા હોય છે. ભારત દેશમાં થેલેસેમિયા મેજરના વ્યક્તિઓનું આયુષ્ય 30 થી 40 વર્ષનું છે. પરંતુ ફોરેનમાં વધારે છે, કારણ કે સપોટીવ કેરના કારણે. આપણાં દેશમાં બાળકને થેલેસેમિયા થાય પછી તેને રેગ્યુલર બ્લડ ટ્રાન્સમીશન, પ્રોપર્લી જવું જોઇએ તે મળતું નથી. વારંવાર બ્લડ ટ્રાન્સમીશન થવાના કારણે શરીરમાં આયર્ન ઓવરલોડ થાય એટલે લોહ તત્ત્વ બધી જગ્યાએ જામી જાય. ખાસ કરીને લીવર અને હાર્ટમાં. જે નીકાળવા માટે અમારે એક કે બે વર્ષનો બાળક થાય તેની દવા ચાલુ કરવી પડે. ધીમે ધીમે તેને એન્ડોક્રોનોલોજીકલ કોમ્પ્લીકેશન થઇ શકે. બાળકનો વિકાસ ના થાય, હાઇટ ન વધે, દાઢી-મૂંછ ના આવે, તેને ઇવેન્ચ્યુલી ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી બિમારીઓ ચાલુ થઇ જાય. તેના હાડકાં નબળાં પડવા મંડે, ફેકચર થાય, ઇંન્ફેંકશન થાય. આવા બધાં કોમ્પ્લીકેશન જેમ જેમ મોટો થાય તેમ તેમ થતું હોય છે. એકપણ વાર ખરાબ લોહી મળી ગયું તો તેને એચઆઇવી કે હીપેટાઇટીસ બી કે સી નામનો રોગ થઇ જાય. એકવાર તે રોગ થયો પછી તેની દવા અલગથી કરવી પડે. જેના કારણે લીવર, કિડની ડેમેજ થવાની શક્યતા રહે. થેલેસેમિયા મેજરમાં હીપ્લો આઇન્ડેન્ટીકલ પધ્ધતિથી કદાચ એક કે બે સેન્ટર આ ઓપરેશન કરે છે, પરંતુ આ જે પદ્ધતિ છે તે અમે ગુજરાતમાં ફર્સ્ટ ટાઇમ લાવ્યા છે અને આ પધ્ધતિથી સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરેલું છે. દિકરાના પિતાએ ડોક્ટરનો માન્યો આભાર જામનગરના રહીશ અને દિકરાના પિતા હસમુખભાઇ(નામ બદલેલ છે) અમદાવાદ સ્થિત કયોર (QURE) હેમેટોલોજી સેન્ટરના ડો. હિમલ એમ. શાહ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારો દીકરો પાંચ વર્ષનો છે, જેને થેલેસેમિયા મેજર હતો. તે જયારે દોઢ વર્ષનો હતો ત્યારે અમને ખબર પડી. તેને પહેલાં તાવ આવ્યો પછી શરીર પીળું પડવા લાગ્યું હતું. એટલે અમે નજીકના ડોકટરોને બતાવ્યું હતું. તેમણે રિપોર્ટ કરાવ્યાં બાદ કહ્યું હતું કે, તેને થેલેસેમિયા મેજર નામની બિમારી છે જે જીનેટીક બિમારી છે. આમાં બ્લડ ચડાવવા સિવાય બીજો કોઇ ઇલાજ નથી તેવું ડોકટરે કહ્યું. ત્યારપછી અમને સમયાંતરે બધી ખબર પડવા માંડી હતી. ‘દવાઓ બંધ કરી એટલે ફરી તેને બ્લડ ચડાવવાની જરૂર પડી’‘ત્યારબાદ અમે રાજકોટના એક ઓન્કોલોજીસ્ટ-હીમેટોલોજીસ્ટ ડોકટરને બતાવ્યું હતું. તેમને દવા ચાલુ કરી તો અઢી-ત્રણ વર્ષ સુધી તેને બ્લડ ચડાવવાની જરૂર પડી નહીં. દરમિયાનમાં અમને ખબર પડી કે મારા સગાંએ અમદાવાદમાં કયોર હેમેટોલોજી સેન્ટરના ડો. હિમલ શાહ જોડે સારવાર કરાવી હોવાની અમને જાણકારી મળી હતી. એટલે અમે દિકરાને કયોર હેમેટોલોજી સેન્ટરમાં ડો. હિમલભાઇને બતાવવા આવ્યા હતા. પછી તેમણે જે દવાઓ જોખમી હતી જે તેના પર વધારે અસર કરતી હતી તે દવાઓ બંધ કરી એટલે ફરી તેને બ્લડ ચડાવવાની જરૂર પડી. પણ એને બીજો પ્રોબ્લેમ હતો. જયારે પણ તેને બ્લડ ચડાવવામાં આવે ત્યારે તે બ્લડ તેને યુરિન મારફતે બહારે નીકળી જતું હતું. તે શેના કારણે નીકળી જતું હતું તે અમને ખ્યાલ ન હતો. આ હકીકત જાણીને ડો. હિમલભાઇએ દિકરાના તમામ રિપોર્ટ કરાવ્યા. તેમાં ખબર પડી કે તેને કોઇપણ બહારનું મેચ નહીં આવતું બ્લડ ચડે એટલે બ્લડ યુરિન મારફતે બહાર નીકળી જાય. પછી અહીંયા યોગ્ય સારવાર કરીને બ્લડ ચડાવવાનું શરૂ કર્યું ત્યારપછી તેને યુરિન મારફતે જે બ્લડ બહાર આવતું હતું તે બંધ થઇ ગયું.’ ‘આનો એક જ ઇલાજ છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ’તેમણે વધુમાં કહ્યું કે, સાહેબે અમને કીધું કે આનો એક જ ઇલાજ છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ. એને કહેવાય સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ. જેમાં એકની બોડીમાંથી લઇને તેની બોડીમાં નાંખીએ તે એક જ ઇલાજ છે. તે અંગે અમને ડો. હિમલભાઇએ વિસ્તારથી બધું સમજાવ્યું હતું. અમે મે-2025માં અહીંયા બતાવવા આવ્યા હતા. 3 જાન્યુઆરીએ અમને ડો. હિમલભાઇએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની વાત કરી હતી. નવી ટેકનોલોજી જે જર્મન ટેકનોલોજી જેને કહેવાય છે, TCR આલ્ફા બીટા ડિપ્લીશન પદ્ધતિનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું કહે છે. તેની પ્રોસેસ કરીને બાબાને સ્ટેમ સેલ ચડાવ્યાં. સ્ટેમ સેલ ચડાવ્યા પછી મારા બાબાને એકદમ સારું છે. તે થેલેસેમિયાની બિમારીમાંથી મુક્ત થઇ ગયો છે. 3 જાન્યુઆરી-2026 માં જ તેને સ્ટેમ સેલ ચડાવ્યાં હતા. સ્ટેમ સેલ ચડાવ્યા પછી તેને પ્રોસેસમાં આવતાં બહુ ટાઇમ લાગે એટલે વચ્ચે તેને બ્લડ અને પેટલેટ ચડાવવાની જરૂર પડી હતી. 10 કે 20 દિવસ પછી તેને કંઇપણ ચડાવવાની જરૂર પડી નથી. ‘પહેલાં કયારેક 15 દિવસ, 10 દિવસે ચડાવતાં હતા’‘કોઇ જાતની હવે તેને શરીરમાં કોઇ તકલીફ નથી. દોડી શકે, રમી શકે બધી પ્રવૃત્તિઓ કરે છે. પહેલાં તેના શરીરમાં હીમોગ્લોબીન ઓછું થઇ જતું ત્યારે તે ઢીલો પડી જતો હતો. એકદમ શાંત પડી જતો હતો. રમે નહીં, જમે નહીં. કોઇપણ જાતની એકટીવીટી ના કરે. બ્લડ ચડાવીએ ત્યારપછી તે એકટીવ થાય. મારે જામનગરમાં હાર્ડવેરનું કારખાનું છે અને સંતાનમાં બે દિકરા છે. આ મોટો દીકરો છે, તેને જ પ્રોબ્લેમ છે. નાના દિકરાને માયનોર છે, પણ તેને કોઇ જાતનો પ્રોબ્લેમ નથી. પહેલાં દિકરાને કયારેક 15 દિવસ, 10 દિવસે ચડાવતાં હતા. ધીમે ધીમે ગેપ વધતો ગયો. સાહેબે સારવાર કરી પછી તેને 25 દિવસે જરૂર પડતી હતી. મારો દીકરો દોઢ વર્ષનો હતો ત્યારે આ તકલીફ શરૂ થઇ હતી. આજે સાડા પાંચ વર્ષનો છે. તે પહેલાં પ્લે આઉટમાં જતો પણ 15 દિવસ જાય ત્યાં બિમાર પડતો એટલે સ્કૂલે જતો નહીં.’ ‘પહેલાં હું જામનગરથી સારવાર લેવા માટે અહીંયા આવતો હતો’તેઓ કહે છે કે હજુ ભણવાની વાર છે. છ-આઠ મહિના થઇ જાય પછી બધું રૂટીન ચાલુ કરી દઇશું, સ્કૂલે મોકલવાથી લઇને રમવા વગેરે ચાલુ કરાવી દઇશું. અત્યારે તેને બહારે નહીં જવાનું, ઘરની અંદર રમવા, ફરવાની છૂટ છે. બહારે જવામાં શું થાય કે વાતાવરણમાં બેકટેરિયા હોય છે કે જેના કારણે તેને ઇન્ફેંકશન લાગવાના ચાન્સ વધારે હોય છે. ત્રણ મહિના આપણાં માટે ખૂબ મહત્વના છે. ત્યાં સુધી તેને કોઇ ઇન્ફેકશન ન લાગે તો આપણાં માટે ઘણું સારુ કહેવાય. પછી ધ્યાન તો ખાસ રાખવાનું જ પણ રિસ્ક ઓછું થઇ જાય. મારે અત્યારે તેને 72 દિવસ થઇ ગયા છે. મારે હવે 18 દિવસ તેનું ધ્યાન રાખવાનું છે, તે મહત્વના છે. તે 18 દિવસ નીકળી ગયા પછી જોખમ ઘટી જશે. પહેલાં હું જામનગરથી સારવાર લેવા માટે અહીંયા આવતો હતો. પછી સાહેબે તેનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું ને ત્યારે સાહેબે અમને કહ્યું હતું કે, એક મહિનો સેલ ટ્રાન્સપ્લાન્ટ માટે આપણે હોસ્પિટલમાં રહેવાનું થશે. ત્યારપછી બે મહિના અમદાવાદમાં રહેવાનું રહેશે. કેમ કે તેને ઇન્ફેંકશન કે બીજું કંઇ થાય તો તાત્કાલિક તેને સારવાર મળી શકે. હું જામનગરથી આવું તો ઘણું મોડું થાય, પછી વધારે તકલીફ પડે. ‘હવે ટેકનીક બહુ સારી અને સરળ બની ગઇ છે’‘મારા દિકરામાં મારા સ્ટેમ સેલ ચડાવ્યાં. અમારે હાફ મેચ હતું, ફૂલ મેચમાં ન હતું. સાહેબે શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ફૂલ મેચ અમને કયાંયથી ના મળ્યું. એટલે સાહેબે નિર્ણય કર્યો કે ફાધરના હાફ મેચમાં આપણે આલ્ફા બીટા ડીપ્લેરેશન કરીને આપણે તેને સ્ટેમ સેલ ચડાવીશું. સાહેબ અને સ્ટાફ ઘણાં સારા છે તેમના માટે બોલવાના મારી પાસે શબ્દો નથી. કોઇ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો હું તો એમ કહું છું કે હેમલ સરને મળી જોવો. મારા જીવનમાં આવા ડોકટર પહેલી વખત મળ્યાં. અત્યારસુધીમાં મારે 27-28 લાખનો ખર્ચ થઇ ગયો છે, હજુ બીજો ખર્ચ ગણીએ તો 30 લાખની આસપાસ થઇ જશે. મારી લોકોને એવી સલાહ છે કે જો આપણું બાળક કયોર થતું હોય ને તો આ ઓપરેશન કરાવવું જોઇએ. આનો બીજો કોઇ ઇલાજ નથી. હવે ટેકનીક બહુ સારી અને સરળ બની ગઇ છે.’

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:00 am

અમેરિકામાં રહેતા ગુજરાતી સાથે વડોદરામાં ચલક ચલાણું:બેંક, વીમા કંપની, મામલતદાર ઓફિસમાં ધક્કા ખાધા, 'સરકારી સિસ્ટમ' સામે બળાપો ઠાલવ્યો

એક તરફ સરકાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક લાવવાની અને ભારતને ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવાની વાત કરે છે. બીજી તરફ વિદેશ રહીને ભારતની ઇકોનોમીને બૂસ્ટ આપતાં મૂળ ગુજરાતી કે ભારતીયને પોતાના વતનમાં આવીને ખરાબ અનુભવ થવાના કિસ્સા વારંવાર સામે આવે છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. અમેરિકામાં રહીને ત્યાં લોકોની મદદ કરતા અને ભારતીય સંસ્કૃતિને સાચવતા મૂળ ગુજરાતી વ્યક્તિને સરકારી સિસ્ટમ, બેન્ક, ઇન્શ્યોરન્સ કંપની વગેરેનો ખરાબ અનુભવ થયો છે. NRG અંકુર વૈધ 28 વર્ષોથી અમેરિકા રહે છે. તેઓ 17 વર્ષથી USમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન સાથે સંકળાયેલા છે અને 2020થી તેના ચેરમેન છે. આ સંસ્થા અમેરિકામાં રહેતા ભારતીયને કોઇ સમસ્યા હોય તો તેમાં મદદરૂપ થાય છે અને ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રમોટ કરે છે. અંકુર વૈદ્ય રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ સાથે પણ જોડાયેલા છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાતચીત કરીને તેમનો કડવો અનુભવ જાણ્યો હતો. ફ્લાઇટ, બેંક, ઇન્શ્યોરન્સ કંપની અને મામલતદાર ઓફિસ.... એમ દરેક જગ્યાએ તેઓ નિરાશ થયા. અંકુર વૈદ્યના માતા-પિતાએ અમેરિકાથી ગુજરાત આવવા ઇન્ડિગો ફ્લાઇટની ટિકિટ લીધી હતી. જ્યારે ફ્લાઇટ મુંબઇ આવી ત્યારે ઇન્ડિગો તરફથી કહેવામાં આવ્યું કે તમારો સામાન વધારે છે. આ અંગે અંકુર વૈદ્યે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ઇન્ડિગોએ પહેલાંથી અમને કહ્યું નહીં કે 25 કિલોથી વધારે વજન મુંબઇથી આગળ નહીં લઇ જવા દે. શું વડોદરા જતાં પહેલાં લગેજ મુંબઇમાં લગેજ ફેંકી દેવાનો? આ રીતે મુંબઇમાં અટકાવે તો 20 હજાર રૂપિયા ભરવા સિવાય કોઇ છૂટકો જ નથી. એ જ એરલાઇનમાં પાછા આવતા મારા પેરેન્ટ્સની ફ્લાઇટ ડિલે થઇ. એમને ડોમેસ્ટિક એરપોર્ટ પર એવું કહ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઇ જવા માટે કોઇ બસ નથી, તમારે ટેક્સી કરીને જવું પડશે. 80 વર્ષે ફ્લાઇટના કારણે જ મોડા પડેલા વ્હીલ ચેરમાં બેઠેલા 80 વર્ષના 2 વૃદ્ધને આવું કહે છે. અંકુરના માતા-પિતા જ્યારે ટેક્સી શોધીને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં વ્હીલ ચેર જ નહોતી. તેમને એવું કહેવાયું કે તમે ચાલીને જતાં રહો. અંકુર વૈદ્યે વડોદરામાં સરકારી સિસ્ટમના થયેલા ચલક ચલાણા વિશે પણ વાત કરી. સસરાના અવસાન બાદ સરકારી સિસ્ટમનો અનુભવઅમેરિકાથી વડોદરા આવ્યા બાદ અંકુર વૈદ્યના સસરા અઘોરા મોલ સામે સ્કૂટર પરથી પડી ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા ત્યારે 4 કલાક બાદ સારવાર શરૂ થઇ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. સારવારના ચારેક દિવસ બાદ તેઓ અવસાન પામ્યા હતા. તેઓ કહે છે કે, આના પછીનો અનુભવ તો સાચી ગ્રાઉન્ડ રિયાલિટી બતાવે છે. આ એ ભારત નથી જેના તમે પ્રમોશનલ વીડિયો અને પ્રોપેગેન્ડા જુઓ છો. મારા સસરા ગુજરી ગયા ત્યારે તેમના ખિસ્સામાં જે ડોક્યુમેન્ટ હતા તે પ્રમાણેની ડિટેલ લખાવી હતી. અમે તેમાં કોઇ ઇનપુટ આપ્યું નહોતું. આ સમયે તેમને પોલીસ તરફથી સારી મદદ મળી હતી. તેમણે જણાવ્યું કે, અમને પહેલો સારો અનુભવ એક પોલીસકર્મીનો હતો. સમા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇએ આઉટ ઓફ ધ વે અમને મદદ કરી હતી. બેંકના લોકરનું શું થયું?તેમના સસરાના અવસાન બાદ જ્યારે બેન્ક ઓફ બરોડાની સયાજીગંજ બ્રાંચમાં ગયા ત્યારે તેમને ચીફ મેનેજર વિમલકુમારસિંહ મળ્યા હતા. આ બેંકમાં 1983થી તેમનું લોકર હતું પણ હવે તેનું શું થયું તેની કોઇને ખબર નથી. આ અંગે તેઓ કહે છે કે, અમે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરાવડાવ્યું હતું. મારા સસરાનું ડેથ અને બર્થ સર્ટિફિકેટ સહિતના પુરાવા આપ્યા હતા. વિમલકુમારસિંહે અમારી સાથે સારી રીતે વાત કરી, ચા પીવડાવી પણ લોકરનું શું થયું તેનો જવાબ કોઇ પાસે નહોતો. ‘વિમલકુમારસિંહે એવું કહ્યું કે જે ભાઇ લોકર સાચવે છે તે રજા પર છે. તમે કાલે આવો એટલે અમે બીજા દિવસે ગયા ત્યારે અમને કહેવાયું કે ડોક્યુમેન્ટમાં તમારૂં નામ નથી એટલે લોકર અને બેન્ક એકાઉન્ટ એક્સેસ કરવા માટે તમારે પેઢીનામું લાવવું પડે. મેં તેમને કહ્યું કે અમે સોગંદનામું લાવ્યા છીએ. જેમાં મારા સસરાનું ડેથ સર્ટિફિકેટ છે. મારી વાઇફ અને મારું મેરેજ સર્ટિફિકેટ છે. મારી સાળીનું બર્થ સર્ટિફિકેટ છે. એમના પાસપોર્ટ છે. જેમાં પ્રુવ થાય છે કે આ બે જ એમના માતા-પિતા છે. જેના જવાબમાં વિમલકુમારસિંહે મને કહ્યું કે, તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો અમને શું ખબર પડે?’ ત્રીજા દિવસે જ્યારે તેઓ પેઢીનામું લેવા માટે નિઝામપુરામાં એક વકીલ પાસે ગયા તો તેમને કહેવાયું કે આ જ બેંકમાં આવા જ સોગંદનામાથી બેન્ક એકાઉન્ટ એક્સેસ થઇ શકે છે. જેથી અકુંર વૈદ્ય પેઢીનામું લીધા વગર પાછા ગયા. એ સમયે વિમલકુમારસિંહે તેમને એવું કહ્યું કે પેઢીનામું તો જોઇશે. પેઢીનામા માટે 12 હજાર રૂપિયા માગ્યાઆના પછી તે જૂના પાદરા રોડ પર આવેલી સરકારી ઓફિસમાં પેઢીનામું લેવા ગયા હતા. ત્યાં કોઇએ તેમને કહ્યું કે પેઢીનામું મળતાં 8 દિવસ થશે. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે એક વ્યક્તિએ એવું કહ્યું કે 12 હજાર રૂપિયા આપો તો હું પેઢીનામું કઢાવી આપું. તેમની સાથે એક મહિલા હતી. જેણે અંકુર વૈદ્યને ઓફિસમાં લગાવેલો લેટર વંચાવ્યો. જેમાં લખ્યું હતું કે બેન્ક એકાઉન્ટ કે બેન્કના કોઇપણ કામ માટે પેઢીનામાની જરૂર નથી. જ્યારે આ લેટરની કોપી લઇને અંકુર વૈદ્ય બેન્ક મેનેજરને મળવા ગયા ત્યારે તેમને કહ્યું કે તમે આટલી બધી માથાકૂટ કરો છો પણ એક બેન્ક એકાઉન્ટમાં 4 હજાર અને બીજામાં 335 રૂપિયા પડ્યાં છે. બેંકે કહ્યું આ ફોર્મ તો નકલી છે!અંકુર કહે છે કે, મારા પત્નીને મારા સસરાના ફોટા સાથેનું બેંકનું ફોર્મ મળ્યું હતું, તેમની સહીવાળો લેટર પણ મળ્યો હતો. પહેલા દિવસે બેંક તરફથી અમને એવું કહેવાયું કે આ ફોર્મ નકલી છે, તમે ક્યાંથી લાવ્યા તે અમને ખબર નથી. મેં પૂછ્યું કે બેન્ક ઓફ બરોડાનું નકલી ફોર્મ મારા સસરા કેમ બનાવે? તો તેમણે કહ્યું કે આના પર તો સહી સિક્કા નથી. 'બેન્કમાં શુક્ર, શનિ, રવિ રજા હતી. શુક્રવારે છેલ્લો દિવસ હતો. એમને કોઇપણ રીતે 3 દિવસની રજા પહેલાં અમારો પ્રોબ્લેમ સોલ્વ નહોતો કરવો. જેથી આ દરમિયાન અમે પાછા આવી જઇએ અને એમનું આખું ડિસ્કશન મટી જાય. જ્યારે અંકુર વૈદ્ય બેંકમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેમને ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. તેમણે કારેલીબાગમાં જલારામ મંદિર સામે આવેલી ભારતી અક્સા નામની લાઇફ ઇન્શ્યોરન્સ કંપની સામે પણ આરોપ લગાવ્યા. ઇન્શ્યોરન્સ કંપની પર આરોપ લગાવ્યાતેઓ કહે છે કે, દિશા ભટ્ટ તેના મેનેજર છે. જ્યારે ઝીંકલ તારાણી એજન્ટ છે. મારા સસરા પાસેથી આ કંપનીની 10 પોલિસી મળી હતી. જે કુલ 10 લાખથી વધુ રકમની છે. જેમાં કેવાયસી થવા જોઇએ. જે નથી થયા. મારા સસરાને એજન્ટ બનાવીને એવોર્ડ પણ આપેલા હતા. અમેરિકામાં રહેતા મારા બાળકોના નામે પોલિસી હતી. અમેરિકા રહેતા હોય તેમને કેવી રીતે ખબર પડે કે ઇન્ડિયામાં આવી પોલિસીઓ લીધી છે. કદાચ સારા ઇન્ટેનશનથી પોલિસી લીધી હોય તો એક કન્સેન્ટનું પાનું જોઇએ. 'તમારી પાસેથી ઇન્શ્યોરન્સના પૈસા લે પછી પાછા આપી દે એટલે પોલિસી ફોક જાય. ઘણી પોલિસીમાં ફ્રોડ મળશે. આમાં એજન્સીને ખબર ન હોય એવું ન બને પણ બધા સિનિયર સિટીઝનને વિક્ટિમ બનાવે છે. એ બંધ થવું જોઇએ. અંકુર વૈદ્ય જ્યારે LICની ઓફિસમાં ક્લેમ સબમિટ કરવા ગયા ત્યારે પણ તેમને 'સરકારી' સિસ્ટમનો અનુભવ થયો. તેમણે ક્લેમ ફોર્મ જમા કરાવવા માટે 3 દિવસ ધક્કા ખાધા હોવાનો દાવો કર્યો. ફોર્મ સબમિટ કરવા માટે ધક્કા ખાધા હોવાનો દાવોતેઓ કહે છે કે, મારા સસરાની ફાઇલમાંથી LICની પોલિસી મળી હતી. જેથી અમે પ્રતાપનગરમાં આવેલી LICની બ્રાન્ચમાં ગયા. ત્રીજા માળે મેનેજર પનધારીનાથ શ્રીસાઠ બેઠા હતા. તેમણે અમને કેટલાક જરૂરી ફોર્મ ભરીને નોટરાઇઝ કરાવીને બીજા માળે ક્લેમ ઓફિસમાં સબમિટ કરવાનું કહ્યું હતું. વકીલને મળીને નોટરી કરાવીને બધા ફોર્મ ભરાવ્યા બાદ જ્યારે તેઓ ક્લેમ સબમિટ કરવા ગયા ત્યારે LIC ઓફિસના એક મહિલા કર્મચારીએ ફોર્મ ચેક કર્યા હતા. એકમાં નોટરી નહોતી એટલે તે મહિલા કર્મચારીએ કહ્યું કે ફોર્મમાં નોટરી નથી એટલે હું નહીં લઇ શકું. જેના પછી અંકુર વૈદ્ય નોટરી કરાવવા ગયા. જ્યારે તેઓ નોટરી કરાવીને પાછા આવ્યા ત્યારે એ મહિલા કર્મચારી નહોતા મળ્યાં. તેઓ કહે છે કે, એ મહિલા કર્મચારી તો નહોતા પણ મેં બાજુવાળા બેનને પૂછ્યું તો કહે કે હું લંચ પર છું, અઢી વાગ્યા પછી કામ થશે. મેં કહ્યું કે અમે 3 દિવસથી ધક્કા ખાઇએ છીએ, ફોર્મ લેવા માટે બીજું કોઇ નથી? જેથી તે મહિલા કર્મચારીએ કહ્યું કે કોઇ નથી, તમારે રાહ જોવી પડશે. મેં કહ્યું કે આ કઇ રીતની સિસ્ટમ છે? મારે ફક્ત સન્માનપૂર્વક આ ફોર્મ સબમિટ કરવું છે. આના પછી તેઓ મેનેજર પાસે ગયા તો મેનેજર પણ નહોતા મળ્યાં. મેનેજરને ફોન કર્યો તેણે એવું કહ્યું કે અત્યારે લંચ અવર્સ છે. આ ઘટના વિશે તેમણે જણાવ્યું કે, મેનેજરે મને કહ્યું કે એ મહિલા કર્મચારીની રજા મેં જ એપ્રુવ કરી છે. તમને કહીને રજા પર જવાની જરૂર નથી. મેં મેનેજરને કહ્યું કે જો મહિલા કર્મચારીએ મને કહ્યું હોત કે હું રજા પર જવાની છું, તમે ફોર્મ બીજાને આપી દેજો તો હું અન્ય કોઇને આપી દેત. આ સમયે ત્યાં બેઠેલા અન્ય એક એજન્ટે તેમને મદદ કરી હતી. LIC એજન્ટે મદદ કરીઅંકુર વૈદ્યે ઉમેર્યું કે, ઓફિસમાં LIC એજન્ટ અને તેમનો દીકરો બેઠા હતા. તેમણે મને કહ્યું કે, હું તમારૂં ફોર્મ ચેક કરી લઉં છું. તેમણે ફોર્મમાં કંઇ ખૂટતું ન હોવાનું કહ્યું હતું. તેમણે જ ફોર્મ સબમિટ કરાવીને રિસીપ્ટ લીધી હતી. 'મારા સસરાનું ડેથ સર્ટિફિકેટ આપ્યું તો એવું કહે કે હવે મારા સાસુનું ડેથ સર્ટિફિકેટ પણ આપો. જો તેમણે ડોક્યુમેન્ટ સ્વીકાર્યા હોય તો તેનો અર્થ એ છે કે આખું પેકેજ કમ્પ્લિટ છે. અમારા વકીલે પણ અમને કહ્યું કે આ હેરાનગતિ કરવા સિવાય બીજું કંઇ નથી. હજુ બધું પ્રોસેસમાં જ છે. બેન્કનું એક એકાઉન્ટ ક્લોઝ નથી કર્યું, લોકરનું કોઇ ઠેકાણું નથી. લાઇફ ઇન્શ્યોરન્સની કંઇ ખબર નથી.' અમેરિકામાં ભારતીય રાજદૂત સમક્ષ મુદ્દો ઉઠાવશેઅંકુર વૈદ્ય આ બધા મુદ્દા અમેરિકામાં ભારતીય રાજદૂત સમક્ષ ઉઠાવવાના છે. તેમણે કહ્યું કે, મેં અહીં એમ્બેસેડર સાથે મિટિંગ માટે રિક્વેસ્ટ કરી છે. તેમને કહીને તેમના થકી ભારત સરકારને એક લેટર મોકલું કે તમે ગ્રાઉન્ડ રિયાલિટી તો જુઓ. ગ્રાઉન્ડ રિયાલિટીમાં ઇન્ડિયામાં NRIને કોઇ જ પ્રોટેક્શન નથી. કોઇ માણસ જાય તો તેને હેરાનગતિ ન થાય તે માટે શું નિયમો છે? બધાને સિસ્ટમ ખબર છે પણ ટલ્લે ચડાવવા હોય એટલે આમ કરે. 'અકોટા પાસે આવેલી મામલતદારની ઓફિસમાં બાથરૂમ કરતાં ખરાબ વાસ આવે છે. ભારતના સૌથી વધુ પ્રગતિ કરનારા રાજ્યમાં જે ગુજરાતની ગણતરી થાય છે તેની આ હાલત છે તો પાછળ રહેલા રાજ્યોમાં શું હાલત હશે? NRI કોમ્યુનિટી ઇન્ડિયામાં ઉતરે એટલે એમને ડોલર સાઇન તરીકે જોવામાં આવે છે કે કઇ રીતે આંટીમાં લઇ પૈસા કઢાવવા? વડાપ્રધાન મોદી અમેરિકા આવે એટલે અપીલ કરે છે કે તમે આવો તો તમારી સાથે 4 મિત્રોને લઈને આવો. અમે મિત્રને ત્યાં લૂંટાવા લઇને આવીએ? અમે તો લૂંટાઇએ છીએ તમે પણ લૂંટાઓ.'

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:00 am

પોલીસે ગુનેગારોનો દમ કાઢી નાખ્યો!:મુંડન કર્યું, જાહેરમાં લંગડાતા ચાલ્યા; BJPના નવા લિસ્ટમાં ફરી રાજકોટની બાદબાકી!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 6:00 am

હવામાન વિભાગની આગાહી:શહેરમાં આજે કમોસમી વરસાદની આગાહી, ગરમીનો પારો ગગડશે

પશ્ચિમ રાજસ્થાન તરફ સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનથી બે દિવસ શહેર-જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. જ્યારે 20 માર્ચ બાદ વાદળો હટતાં ગરમી વધશે. શહેરમાં બુધવારે ગરમીનું પ્રમાણ ઓછું હતું. જોકે આંશિક વાદળો જોવા મળ્યાં હતાં. જ્યારે દક્ષિણના પવનોથી ભેજ વધ્યો હતો. વહેલી સવારે ભેજનું પ્રમાણ 93 ટકા સુધી પહોંચી ગયું હતું. ઉપરાંત સાંજ પડતાં ઠંડકનો અનુભવ થયો હતો. જ્યારે ગુરુવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહેશે. તે પછી હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં ઠંડક પ્રસરશે. હવામાન વિભાગે 18 અને 19 માર્ચે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરતાં ખેડૂતો પણ એલર્ટ બન્યા છે. હાલ શિયાળુ પાક તૈયાર થયા છે. ખેડૂતો તૈયાર થયેલા પાકને ઝડપથી કાપી માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે, જેથી વરસાદથી થતા નુકસાનથી બચાવી શકાય. શહેરમાં બુધવારે મહત્તમ પારો 35.4 ડિગ્રી અને લઘુતમ પારો 21.2 ડિગ્રી નોંધાયો હતો. ભેજ સવારે 93 ટકા અને સાંજે 27 ટકા નોંધાયો હતો. ભાસ્કર એક્સપર્ટઆગામી 3 દિવસમાં મહત્તમ-લઘુતમ પારો 2-3 ડિગ્રી ઘટશેભારતની ઉત્તરે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ પશ્ચિમ રાજસ્થાન પર તૈયાર થયેલા પ્રભાવી ચક્રવાતી પ્રવાહ (સાઇક્લોનિક સર્ક્યુલેશન)ની અસર હેઠળ 19 અને 20મીએ સવારે 8 વાગ્યાની આસપાસ શહેર-જિલ્લાનાં કેટલાંક સ્થળે વરસાદની સંભાવના છે. જ્યારે દિવસે આકાશ અંશત: વાદળછાયું રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. - મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:58 am

ગુડી પડવા પૂર્વે ખોરાક શાખાની તપાસ:માંજલપુર સહિત 17 સ્થળ પર ચેકિંગ કઠોળ-આઇસક્રીમના 44 નમૂના લીધા

શહેરમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ અંગેની મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી પાલિકાની ખોરાક શાખાની ટીમે માંજલપુર, હાથીખાના, સમા-સાવલી રોડ સહિત 17 સ્થળોએ ચેકિંગ કર્યું હતું. જ્યાંથી મસાલા, કઠોળ અને આઈસક્રીમના 44 નમૂના લઇ તપાસ માટે મોકલ્યા છે. જ્યારે છાણી જકાતનાકા વિસ્તારમાં મોબાઇલ ટેસ્ટિંગ વાન દ્વારા 32 નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. પાલિકાની ફુડ શાખાએ શહેરમાં દીપ ચેમ્બર, દરબાર ચોકડી, માંજલપુર નાકા, ન્યૂ સમા રોડ, સમા-સાવલી રોડ, મુક્તાનંદ કારેલીબાગ, સોખડા રોડ-છાણી, ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ, તરસાલી બાયપાસ, હાથીખાના, વારસિયા, દિવાળીપુરા, પંચવટી, ગોરવા, ગોત્રી અને અલકાપુરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 32 ફુડ યુનિટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ખોરાક શાખાની ટીમોએ ગરમ મસાલા, મરચા પાઉડર, દાળ-અનાજ, તેલ, દૂધ ઉત્પાદનો અને આઇસક્રીમ સહિત કુલ 44 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને તપાસ માટે ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ છાણી જકાતનાકા વિસ્તારમાં મોબાઇલ ટેસ્ટિંગ વાન દ્વારા 12 હોકર, યુનિટમાંથી આશરે 32 નમૂનાનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:55 am

રિલાયન્સ સર્કલથી ભવન્સ સર્કલની સફાઈ કરાઈ:માંજલપુરમાં રસ્તાની સફાઈ સાથે ટ્રીટેડ વેસ્ટવોટરથી 2 સર્કલ સાફ કર્યાં,25 વૃક્ષ પણ ધોયાં

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં વન વોર્ડ-વન રોડ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું છે. બુધવારે દક્ષિણ ઝોનમાં 56મા રોડની સફાઈ કરાઈ હતી. જેમાં પહેલી વખત ભવન્સ સર્કલ અને સ્પંદન સર્કલ ટ્રીટેડ વેસ્ટ વોટરથી ધોવાયા હતા. માંજલપુર રિલાયન્સ સર્કલથી સ્પંદન સર્કલ થઈ ભવન્સ સર્કલ સુધીના રોડની સફાઈ સાથે ડિવાઇડર ધોવાની કામગીરી શરૂ કરાઈ હતી. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તેમણે જાહેરાત કરી કે, સારું કામ કરનાર સફાઈ કર્મીનો ફોટો એલઇડી પર બતાવાશે. જ્યારે સ્પંદન સર્કલ પર જેટિંગ મશીનથી માંજલપુર સ્પંદન સર્કલ અને મકરપુરા રોડ પર ભવન્સ સર્કલની સફાઈ કરાઈ હતી. તદુપરાંત ધૂળના રજકણો હવામાં ન ઊડે તે માટે 25 વૃક્ષો પર પાણીનો છંટકાવ કરાયો હતો. ડિવાઈડર અને ફૂટપાથના સમારકામ સાથે દબાણો હટાવાની કામગીરી કરાઈ હતી. જેમાં રોડ પર મૂકેલા બિનવારસી વાહનો પણ જપ્ત કરાયાં હતાં. આમ, દક્ષિણ ઝોનમાં બુધવારે 56મા રોડની સફાઇ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:52 am

સિટી એન્કર:ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિનો હોલ બનાવવાનું પાલિકા વિસરી,ગુડી પડવાએ આંદોલનનું રણશિંગું ફૂંકાશે

ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે દશપિંડ વિધિ માટે હોલ બનાવવાની જાહેરાત કરાઈ હતી. જેમાં 14 ચિતા, ટાંકી, રોડ, ટોયલેટ-બાથરૂમ અને ગેટ બનાવવા સહિતની કામગીરી પૂર્ણ થવા આવી છે. જોકે દશપિંડ માટેનો હોલ બનાવવાનું કામ શરૂ ન કરાતાં રોષ ફેલાયો છે. સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે ખાસવાડી સ્મશાનના નવિનીકરણ માટે આઇઓસીએલ અને પાવર ગ્રીડ પાસેથી સીએસઆર હેઠળ 15 કરોડ એકઠા કર્યા હતા. જેમાં મહારાષ્ટ્રીયન સમાજની દશપિંડ વિધિ માટે હોલ બનાવવા બાંહેધરી અપાઈ હતી. હાલ 95 ટકા કામ પૂર્ણ થયું હોવાનો પાલિકાએ દાવો કર્યો છે. બીજી તરફ દશપિંડ વિધિ માટે એક પણ ઇંટ ન મૂકાતાં મહારાષ્ટ્રીયન સમાજમાં નારાજગી ફેલાઈ છે.સમાજના આગેવાન કિશોર કેશારકરનું કહેવું છે કે, બુધવારે ત્યાં વિધિ વખતે સમાજના લોકોને પરેશાની થઈ હતી. કામ શરૂ નહીં થાય તો ગુડી પડવાના દિવસે 3 જગ્યાએ સમાજના કાર્યક્રમમાં આગામી દિવસોમાં આંદોલન કરવાની જાહેરાત કરાશે. ભાસ્કર ઇનસાઇડસમાજના લોકોને આશ્વસ્ત કરું છું કે, પૂજા વિધિ માટે હોલ બનાવાશેમેં તાજેતરમાં ખાસવાડી સ્મશાનની મુલાકાત લીધી હતી. બે કંપની પાસેથી ખાસવાડી સ્મશાનમાં સુવિધા ઊભી કરવા સાથે મહારાષ્ટ્રીયન સમાજ માટે પૂજા વિધિ હોલ બનાવવાનું નક્કી થયું હતું, તે બનશે જ. મ્યુ. કમિશનર અને ડે. કમિ. સાથે વાત કરી છે. > રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ દશપિંડ વિધિ માટેના હોલના આયોજનથી અધિકારીઓ અજાણચિતા સહિતની સુવિધા માટે જાહેરાત કરાઈ ત્યારે મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટે હોલ બનાવવા બાંહેધરી અપાઈ હતી.આશ્ચર્યજનક બાબત એ છે કે, સીએસઆર હેઠળ મળેલી ગ્રાન્ટ પૂજા હોલ બનાવ્યા વિના પૂર્ણ થઈ છે. અધિકારીઓ પૂજા હોલ બનાવવાનો છે તે વાતથી અજાણ હોવાનું જાણવા મળ્યું છે. પૂજા હોલ બનાવવા અલગથી 1.50 કરોડનો ખર્ચ થશે. જે માટે મ્યુ. કમિશનર પાસે મંજૂરી મગાઈ છે. હોલ બનતાં 1 વર્ષ થશે તેવું મનાય છે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:49 am

ભાસ્કર એક્સક્લુસિવ:મુખ્યમંત્રીએ પ્રેરણા શક્તિ ગણાવેલી સરકારી કવિ દુલા કાગ શાળામાં સ્પીકર પર મોટા અવાજે પ્રાર્થના વગાડાતાં ડીઇઓએ નોટિસ ફટકારી

મુખ્યમંત્રીએ જે શાળાને પ્રેરણા ગણાવી તે સરકારી શાળા કવિ દુલા કાગને ખાનગી શાળાને ઇશારે ડીઇઓ-શાસનાધિકારીએ નોટિસ આપી છે. સરકારી શાળાને સરકારી તંત્રની નોટિસ મળ્યાનો કિસ્સો બન્યો છે. કવિ દુલા કાગને અડીને આવેલા ગુરુકૂળ વિદ્યાલયે પ્રાર્થનામાં સ્પીકર જોરથી વગાડતા હોવાની ફરિયાદ કરતાં નોટિસ અપાઈ છે. હરણી-વારસિયા રિંગ રોડ પર શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ શાળા રાજ્યભરમાં રોલ મોડલ સમાન છે. આ શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય છે તેમજ ધારાસભ્યો અને કાઉન્સિલરો ભલામણપત્રો લખી આપતા હોય છે ત્યારે આ શાળાને નોટિસ અપાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કવિ દુલા કાગ શાળાની દીવાલને અડીને ખાનગી શાળા ગુરુકૂળ વિદ્યાલય આવેલી છે. તેના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરાઈ હતી કે, કવિ દુલા કાગ શાળા દ્વારા લાઉડ સ્પીકર જોર જોરથી વગાડાય છે. જે સંદર્ભે ઇ.ડીઇઓ મહેશ પાંડેએ શિક્ષણ સમિતિના શાસનાધિકારી વિપુલ ભરતિયા પાસે ગુરુકૂળ વિદ્યાલયના ફરિયાદ સંદર્ભે જવાબ માગ્યો હતો. જેથી શાસનાધિકારીએ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ મોકલી 3 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. શાળામાં ખાનગી શાળા કરતાં વધારે સુવિધા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી અરજી આવી હતી, જવાબની પ્રક્રિયા કરી છે અરજદારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજી કરી હતી. જેને ડીઇઓએ સમિતિમાં મોકલી હતી. જેથી પ્રક્રિયાના ભાગરૂપે શાળા પાસેથી માત્ર જવાબ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. > વિપુલ ભરતિયા, શાસનાધિકારી શાળાએ ડીઇઓમાં અરજી કરી હતી, તે શાસનાધિકારીને તબદીલ કરી છેગુરુકૂળ વિદ્યાલયે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કવિ દુલા કાગ શાળા લાઉડ સ્પીકર જોર જોરથી વગાડતી હોવાની અરજી કરી હતી. જોકે સમિતિની સ્કૂલ હોવાથી તે અરજીને શાસનાધિકારીને તબદીલ કરી છે. > મહેશ પાંડે, ઇ. ડીઇઓ નવા સત્ર માટે કવિ દુલા કાગમાં 124 વિદ્યાર્થીના પ્રવેશનું વેઇટિંગખાનગી શાળાની જેમ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પ્રથમવાર ડિસેમ્બર-2025માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. દર વર્ષે પ્રવેશના ધસારાના પગલે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. બાલવાટિકાથી ધો.8 સુધીમાં 259 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા છે. જ્યારે 124 વિદ્યાર્થીઓનું વેઇટિંગ છે. કવિ દુલા કાગમાં 1031 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે સમિતિની તમામ શાળાઓમાં સૌથી વધારે છે. કવિ દુલા કાગ પ્રાથમિક શાળાને 3 દિવસમાં ખુલાસો આપવા જણાવાયુંશાસનાધિકારીએ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્યને જે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગુરુકૂળ વિદ્યાલયે કરેલી અરજી સંદર્ભથી તમને જાણ કરવામાં આવે છે કે, શાળા દ્વારા વારંવાર રજૂઆત છતાં લાઉડ સ્પીકર જોર જોરથી વગાડવા સંદર્ભે ફરિયાદ કરવામાં આવેલી છે. જે બાબતોનો ખુલાસો 3 દિવસમાં કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:42 am

ટાગસીયા અને શીલ્પકળાના 57 કારીગરનું સન્માન કરાયું:ધ્રાંગધ્રાના પથ્થરની‎શીલ્પકળા, ટાગલિયા કળાને GIનો ટેગ મળશે‎, વિશ્વમાં ઓળખ થશે

અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા – EDII ખાતે બૌદ્ધિક સંપત્તિ જાગૃતિ માટે IP યાત્રાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ – CGPDTM ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે, ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં વંશપરંપરાગત ચાલી આવતી કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ પણ આ સમગ્ર પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનીકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના સંરક્ષણ માટે પણ આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થયો હતો. ડૉ. પંડિત દ્વારા ટાંગલિયા શાલના વ્યવસાય સાથે જોડાયેલા 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ કારીગરોને મળેલી આ માન્યતા તેમની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં ખૂબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ માતાની પછેડી કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ગૌરવ સમાન સોમપુરા શિલ્પ સ્થાપત્ય કલા અને ધ્રાંગધ્રા સ્ટોન કાર્વિંગ પથ્થર કોતરણીને ભૌગોલિક સંકેતક - GI Tag અપાવવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમપુરા કેળવણી મંડળના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું ડૉ. ઉન્નત પંડિત દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. બંને પ્રાચીન કળાઓ માટે GI ટેગિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં જ આરંભવામાં આવશે. જેના પરિણામે સ્થાનિક કારીગરોની કળાને કાયદાકીય રક્ષણ મળશે અને વૈશ્વિક બજારમાં એક આગવી ઓળખ પ્રાપ્ત થશે.પ્રક્રિયા પૂર્ણ થતા જિલ્લાના પથ્થર કલાકારો અને વણકરોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્લેટફોર્મ મળશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:08 am

PGVCL એક્શન મોડમાં:રૂ. 66.21 લાખની બાકી રકમના ગ્રાહકોના સ્થળ પર કનેકશન કટ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જિલ્લાના વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.18-3-2026ને બુધવારે કુલ 310 ટીમ દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 364 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ. 66.21 લાખ જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 4909 ગ્રાહકો પાસેથી કુલ રૂ.235.81 લાખની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલ સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એન.એન.અમીને આ સંદર્ભે જણાવ્યું કે, જે કોઈ પણ ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કોઈ પણ શેહ-શરમ વગર કાપી નાંખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 19 Mar 2026 5:04 am