SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

પંચમહાલ કોંગ્રેસમાં 290 બેઠકો સામે 186 દાવેદારો નોંધાયા:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં ઉત્સાહ ઓસર્યો

પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. જોકે, ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી 'સેન્સ' પ્રક્રિયામાં ભારે નિરસતા જોવા મળી રહી છે. બીજા દિવસના અંતે મળેલી વિગતો મુજબ, જિલ્લાની કુલ 290 બેઠકો સામે માત્ર 186 દાવેદારોએ જ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બેઠકોની સરખામણીએ ઉમેદવારોની અછતજિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓ માટે શરૂ કરવામાં આવેલી ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ચિત્ર ચિંતાજનક જણાઈ રહ્યું છે. અનેક બેઠકો પર એક પણ દાવેદાર સામે ન આવતા સંગઠન સ્તરે દોડધામ મચી છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ કાર્યકરો ચૂંટણી લડવા માટે ખચકાટ અનુભવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેઠકોનું ગણિત અને દાવેદારીની સ્થિતિ: રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક-વિતર્કઉમેદવારોની આ નિરસતા પાછળ સંગઠનની નબળાઈ જવાબદાર છે કે પછી કાર્યકરોમાં ચૂંટણી જીતવાનો આત્મવિશ્વાસ ઓછો થયો છે, તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કુલ બેઠકોની સંખ્યા સામે દાવેદારોનો આંકડો 100 કરતા પણ ઓછો હોવાથી આગામી દિવસોમાં કોંગ્રેસ તમામ બેઠકો પર ઉમેદવારો કેવી રીતે ઉભા રાખશે, તે જોવું રસપ્રદ રહેશે. હાલની સ્થિતિ જોતા બાકી રહેલી બેઠકો માટે આયાતી ઉમેદવારો કે નવા ચહેરાઓની શોધ કરવી પડે તેવી નોબત આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:27 pm

મેમનગરની સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ:તાવ અને વોમિટિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ (SP) ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં હાલ 60 વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પટોમ્સ સાથે વિદ્યાર્થીનીઓને લાવવામાં આવ્યા હતી. ફૂડ પોઈઝનિંગના કારણે એક બાદ એક વિદ્યાર્થીનીઓને તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ રહી છે તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં આ તમામ વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકને ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલે છે તો કેટલાક OP અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. ગઈકાલથી લઈ આજ સુધીમાં 60 વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હોવાની માહિતી મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:25 pm

પરશુરામ જન્મોત્સવની તૈયારીઓ માટે બેઠક યોજાઈ:સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજે ભવ્ય ઉજવણીની રૂપરેખા નક્કી કરી

સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાઈ હતી, જેમાં સમાજના વિવિધ વિસ્તારો અને ઘટકોના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નજીકના સમયમાં આવી રહેલા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવાની રૂપરેખા નક્કી કરવામાં આવી. આ બેઠકમાં પરશુરામ ધામ લીંબડી ખાતે યોજાનાર લોક ડાયરા અને એડવોકેટ દીપેન દવેના સન્માન સમારંભને સફળ બનાવવા માટેની આયોજન વ્યવસ્થા અને કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:24 pm

પંચમહાલ LCBએ ₹39.18 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ગોધરામાં ધોળાકુવા વિસ્તારમાં બંધ કંપનીના મેદાનમાં દરોડો પાડ્યો, 2ની ઘરપકડ, 3 ફરાર

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના ધોળાકુવા વિસ્તારમાં ડી-માર્ટ મોલ પાછળ આવેલી એક બંધ કંપનીના મેદાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 39.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહીપંચમહાલ રેન્જ IG અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ દુધાતની સૂચના મુજબ, LCB PI એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ASI નાદીરઅલીને બાતમી મળી હતી કે, રમેશ સંગોડ અને રમેશ કટારા નામના શખ્સો ડી-માર્ટ પાછળ આવેલી બંધ ફેક્ટરીના મેદાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલપોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે: વિદેશી દારૂ: 7,512 નંગ બોટલ/ટીન (કિંમત આશરે રૂ. 23,78,592) વ્હાઇટ પાવડર: આશરે 30 ટન પાવડર (કિંમત રૂ. 30,000) વાહન: એક અશોક લેલેન્ડ ટેલર (કિંમત રૂ. 15,00,000) મોબાઈલ: 2 નંગ કુલ કિંમત: રૂ. 39,18,592 ધરપકડ અને વોન્ટેડ આરોપીઓપોલીસે સ્થળ પરથી બે આરોપીઓ વિજય ગરાસીયા અને સુનીલ મંડોરીયા (બંને રહે. ધોળાકુવા, ગોધરા) ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર રમેશ સંગોડ, રમેશ કટારા અને ટેલરનો ચાલક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે તમામ પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:23 pm

ગોધરા કોલેજ સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ:કીડીઓને કણ પૂરી સેવાયજ્ઞ યોજાયો

ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના સ્ટાફ દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કૉલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ સામૂહિક રીતે કીડિયારું પૂરવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ અંતર્ગત, સ્ટાફના સભ્યો કૉલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં કીડીઓના દર હોય ત્યાં કીડિયારું પૂરે છે. તેઓ લોટ, તલ, ઘી અને ખાંડના મિશ્રણનો ઉપયોગ કરીને કીડી જેવા નાના જીવોને ખોરાક પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિમાં જીવદયાને સર્વોપરી માનવામાં આવે છે. આ પરંપરાને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કૉલેજના અધ્યાપકોએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થા માત્ર વિદ્યાર્થીઓના ઘડતરનું જ કાર્ય નથી કરતી, પરંતુ સમાજમાં પ્રકૃતિ અને અબોલા જીવો પ્રત્યે સંવેદના જગાડવાનું કામ પણ કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:10 pm

TCS પાસે લક્ઝુરિયસ કારમાં ચાલતા આઇપીએલ સટ્ટા બેટિંગનો પર્દાફાશ:મહેસાણાનો બુકી 5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, GT અને RRની મેચ પર જુગાર રમાડતો હોવાનું ખૂલ્યું

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ઇન્ફોસિટી સર્કલ નજીક TCS રોડ પરથી એક લકઝુરીયસ કારમાં બેસીને IPL ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમી રમાડતા વિજાપુરના બુકી ચિરેન જયંતીભાઈ પટેલને રોકડ રકમ, મોબાઈલ અને કાર મળીને રૂ.5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે. ઇન્ફોસિટી સર્કલ નજીક કારમાં બેસી ક્રિકેટ સટ્ટા બેટિંગ કરતો શખસ ઝડપાયોગાંધીનગરના ઇન્ફોસીટી સર્કલ પાસે શનિવારની મોડી રાત્રે એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી. વાળાની ટીમ રાયસણ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ઇન્ફોસિટી સર્કલ નજીક ટાટા કન્સલટન્સી કંપની પાસેના રોડ પર લક્ઝુરિયસ કારમાં બેસી એક શખ્સ મોટાપાયે ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ કરી રહ્યો છે. GT અને RRની મેચ પર જુગાર રમતો અને રમાડતો હોવાનું ખૂલ્યું જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડા પાડતા જ બ્લુ કલરની મારૂતિ સુઝુકી ફ્રોનક્ષ ગાડીમાં બેઠેલો બુકી ચિરેન જયંતીભાઈ પટેલ (રહે. રાજેશ્વરી સોસાયટી, મણિપુરા રોડ, વિજાપુર) ફફડી ઉઠ્યો હતો. જેણે પોલીસ કાર્યવાહીથી બચવા હવાતીયા પણ માર્યા હતા.બાદમાં પોલીસે તપાસ કરતા તે મોબાઈલમાં ENGLISH777 નામની વેબસાઇટ પર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમતો અને રમાડતો હોવાનું ખૂલ્યું હતું. જેના આઇડી પર લાખોના વ્યવહારો પણ બતાવતા હતા. પોલીસે કુલ 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યોજેના પગલે પોલીસે ઘટનાસ્થળેથી વિજાપુરના બુકી ચિરેન પટેલ પાસેથી મોબાઈલ ફોન, 15,000 રૂપિયાની રોકડ તેમજ કાર મળીને કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ સટ્ટાની દુનિયામાં વિજાપુરના ચિરેન જયંતીભાઈ પટેલનું નામ ખાસુ પ્રચલિત છે. જે મોટા બુકીઓ સાથે સીધો સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના ઓનલાઈન સટ્ટા બેટિંગના આઇડી પાસવર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરાય તો સારા ઘરના નબીરા - બિલ્ડરો ના નામ પણ ખુલવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:09 pm

નવસારી મહાપાલિકાનો ચૂંટણીનો જંગ:વોર્ડ નંબર 8માં અસુવિધાઓ અને ખોદાયેલા રસ્તાઓ;સત્તાધારી પક્ષને અનુભવાશે જનતાનો મિજાજ

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય તાપમાનમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 માં સત્તાધારી ભાજપના કાર્યકરોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ અને ઉત્સાહનો માહોલ છે. વેજલપુર વિસ્તારના હૃદય સમાન આ વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણોની શતરંજ અને વર્ષો જૂની સ્થાનિક સમસ્યાઓ આગામી ચૂંટણીના ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે. દાવેદારોની લાંબી યાદી: પક્ષ કોના પર ઉતારશે પસંદગીનો કળશ?વોર્ડ નંબર 8 માં પોતાની પકડ મજબૂત કરવા ભાજપના અનેક લડાયક કાર્યકરોએ કમર કસી છે. વિવિધ શ્રેણીમાં રજૂ થયેલી દાવેદારીઓ પક્ષ માટે પસંદગીની મૂંઝવણ ઉભી કરી શકે તેમ છે, કેમ કે, આ વોર્ડમાં 15 કરતાં વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે OBC મહિલા: જ્યોત્સનાબેન પ્રજાપતિ, સવિતાબેન ચૌધરી સામાન્ય સ્ત્રી: નીતુબેન શાહ OBC પુરુષ: જગદીશ મોદી, અપૂર્વ મિસ્ત્રી, ઉર્વેશ રબારી, જગમલભાઈ દેસાઈ સામાન્ય પુરુષ: વિજય કિકાણી, મહેશ પુરોહિત, નરેશ પુરોહિત, રાજુ પટેલ, કલ્પેશ (લઠ્ઠડ) મહેશ્વરી, હરિઓમ શર્મા બનાસકાંઠાના મતદારોની 'કિંગમેકર' ભૂમિકાવોર્ડ નંબર 8 ના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અહીં મૂળ બનાસકાંઠાથી સ્થળાંતરિત થઈને વસેલા મતદારો હાર-જીતનું ગણિત બદલવાની ક્ષમતા ધરાવે છે. વેજલપુર નગરપાલિકાના અંતિમ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા જગદીશ મોદી છેલ્લા બે ટર્મથી અહીં વિજેતા બની રહ્યા છે, જે તેમની પ્રજાકીય લોકપ્રિયતા અને જમીની પકડનો પુરાવો આપે છે. વોર્ડ નંબર 8ના મતદારોના સંખ્યાબળ સંખ્યા બળની વાત કરીએ તો વોર્ડના મતાધિકાર ધરાવતા નાગરિકોની વિગતવાર વિગતો નીચે મુજબ છે: વિકાસના દાવા અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈચળકાટ ધરાવતા હોર્ડિંગ્સની પાછળ સ્થાનિક સમસ્યાઓનો અંધકાર હજુ પણ કાયમ છે. એટલે જ તો આ વોર્ડમાં પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ અને બિસ્માર રસ્તાઓના કારણે જનતામાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં અહીં આવેલા ઐતિહાસિક અને વોર્ડની શાન સમાન ગંગા તળાવ પણ હાલ સત્તાધીશોની બેદરકારીનો ભોગ બન્યું છે. બ્યુટીફિકેશનના અભાવે આ જળસ્ત્રોત બિનઉપયોગી બન્યો છે, સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ તળાવની માવજત કરવામાં આવી હોત તો આ તળાવ શુદ્ધ પાણીનો સોર્સ બની શક્યું હોત. ખોદાયેલા માર્ગો અને હાલાકી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિવાજી ચોકથી દુધિયા તળાવ સુધી પાઈપલાઈનની કામગીરીને કારણે આખું નગર ખોદાયેલું છે. ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામ વચ્ચે વાહનચાલકોની ધીરજ ખૂટી રહી છે અને લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે વોર્ડની ભૌગોલિક સીમારેખાવોર્ડ નંબર 8 માં નવગાળા ચાલ, વ્રજવિહાર એપાર્ટમેન્ટ, મેહા કોમ્પલેક્ષ, સુરગંગા સોસાયટી, વિજયનગર સોસાયટી, કિનલ સોસાયટી, સમર્થ એપાર્ટમેન્ટ, આશાપુરી કોમ્પલેક્ષ, ક્રિસ્ટલ ગોલ્ડ, જીનલ એપાર્ટમેન્ટ, હારમની એપાર્ટમેન્ટ, મંકોડીયા, રંગકૃપા, દેવપ્રયાગ, નાનુવાડી મંકોડીયા, વિશાખાપાર્ક, રઘુકુળ અને પાર્થ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમીધારા, મુનિસુવ્રત દર્શન, શ્રી વિજય આશિષ પેલેસ, ક્રિસ્ટલ પેલેસ, તોરલ સોસાયટી-ચંદનવન, દેવદીપ અને સૂર્યદર્શન એપાર્ટમેન્ટ જેવા વિસ્તારો આ વોર્ડની સીમામાં ધબકે છે. જનતાનો અવાજ: વહાલા-દવલાની નીતિથી વિજલપોર પર અન્યાયસ્થાનિક રહીશ કૈલાશ મહાકાળ પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે, અહીં રોડ સિવાય એક પણ નક્કર કામ થયું નથી. વિજલપોર અને જલાલપોરના મર્જર બાદ અન્યાયની લાગણી વધી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં વિસ્તાર 'ડેમ'માં ફેરવાઈ જાય છે. વર્ષ 2008 માં જે પાણીનો પ્રોજેક્ટ 4 કરોડનો હતો, તે આજે 40 કરોડને આંબી ગયો છે, છતાં 10 વર્ષની સત્તા ભોગવ્યા બાદ પણ સત્તાધીશો ઘરે-ઘેરે મીઠું પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. વિકાસના નામે માત્ર વાયદા?અન્ય એક જાગૃત નાગરિક રમેશભાઈ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા કહે છે કે, નવા રોડના નામે માત્ર જૂના બ્લોક ફરી બેસાડી દેવાયા છે. ગટરની કુંડીઓ રોડ લેવલથી નીચે જતી રહી હોવાથી અકસ્માતનો ભય રહે છે. મધ્યમ વર્ગના પરિવારોએ પીવાના પાણી માટે મહિને 1,000 રૂપિયા ખર્ચવા પડે છે. વેરો ભરવા છતાં મીઠું પાણી ન મળવું તે તંત્રની નિષ્ફળતા છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, મજૂર વર્ગની દરકાર લેનાર કોઈ નથી. સત્તાધારી પક્ષ 20 વર્ષનો વિકાસ બોલે છેસામે પક્ષે, સ્થાનિક નરેશ પુરોહિત વિકાસનો દાવો કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને વિજલપોરની કાયાપલટ થઈ છે. વર્ષ 1984 માં જ્યાં રિક્ષા પણ નહોતી આવી શકતી, ત્યાં આજે આધુનિક રસ્તાઓ છે. શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધીના રસ્તાઓ નવસારીમાં શ્રેષ્ઠ છે. હાલ જે ખોદાણ છે તે ભવિષ્યની પાણી અને ગટરની સુવિધા માટે છે. ભાજપ લોકોની માંગણીઓ પૂરી કરવા સક્ષમ છે અને વિકાસના કામોમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. આમ, વોર્ડ નંબર 8માં હાલ તો કેટલાક નાગરિકો સુવિધાના અભાવે અસંતોષ ઠાલવી રહ્યા છે તો કેટલાક નાગરિકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે..પરંતુ આખરે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે જનતા આખરે શું ઇચ્છતી હતી અને શું ઇચ્છી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:59 pm

ભાડુઆતને સમજાવવા જતા મકાનમાલિક પર છરી-પાઈપથી હુમલો:આરોપીઓ મકાનમાલિકને ઘર ખાલી કરાવ્યું તો તને જાનથી મારી નાખવો પડશે કહી ફરાર

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ભાડુઆતને અન્ય ભાડુઆતોને હેરાન કરવાના મુદ્દે સમજાવવા જતા મકાનમાલિકને છરી અને પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મકાનમાલિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાડુઆતોને હેરાન કરતા હોવાથી સમજાવટ કરી હતીઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી વિગતો અનુસાર રાજકોટ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ સરવૈયા (ઉ.વ. 39) ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 3 એપ્રિલ 2026ના રોજ તેઓ અને તેમના પત્ની ભાવનગરના દેસાઈ નગર, મીરાપાર્ક સોસાયટીમાં આવેલ તેમના મકાન પ્લોટ નં-31(સી) ખાતે હાજર હતા.મકાનમાં રહેતા ભાડુઆત કોમલબેન ધનસુખભાઈ રાઠોડ અન્ય ભાડુઆતોને હેરાન કરતા હોવાથી અગાઉ આ મુદ્દે ધનસુખભાઈને અગાઉ કહ્યું કે, તમે તમારા પત્નીને સમજાવો. અજાણ્યા શખસોએ હુમલો કરી મકાનમાલિકને જાનથી મારી નાખવાની ધમકી આપીત્યારબાદ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે કોમલબેનના સંબંધી હિતેશભાઈ તથા બે અજાણ્યા શખસો ઈકો કાર લઈને સ્થળ પર આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. વિરોધ કરતા એક શખસ પાઈપ લઈને અને હિતેશ છરી સાથે હુમલો કરી રાજેન્દ્રસિંહના હાથમાં ઇજા પહોંચાડી હતી, તેમજ અન્યોએ પણ પાઈપ અને ઢીકા પાટાથી માર માર્યો હતો. હુમલા બાદ આરોપીઓએ મકાનમાલિકને ધમકી આપી કે, “આજ પછી જો ઘર ખાલી કરાવ્યું છે તો તને જાનથી મારી નાખવો પડશે.” ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રાજેન્દ્રસિંહે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોમલબેન ધનસુખભાઈ રાઠોડ, હિતેશભાઈ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ BNS એક્ટની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટની કલમ-135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં રાજેન્દ્રસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:58 pm

હિંમતનગરમાં પશુ-પક્ષીઓ માટે કુંડા, ચાટ, માળાનું વિતરણ:સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા રાહત દરે વિતરણ કરાયું

હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તે રવિવારે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા પશુ અને પક્ષીઓ માટે કુંડા, ચાટ અને માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલ્યો હતો. સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે 500 કુંડા, 300 માળા અને 100 ચાટનું વિતરણ કરાયું હતું. આ પહેલનો ઉદ્દેશ ગરમીની ઋતુમાં પશુ-પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો છે. આ વિતરણ કાર્યક્રમમાં સ્માઈલ ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ રબારી, ટ્રસ્ટીઓ યોગેશભાઈ શાહ, લોકેશભાઈ પ્રજાપતિ, પી.એમ. સોની અને સંસ્થાની સેવાકીય ટીમ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે, સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવાનું કાર્ય પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:51 pm

વડાલી પોલીસે બે દેશી બંદૂક સાથે બે ઝડપ્યા:મેઘ-કરુંડા રોડ પરથી ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ

આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વડાલી પોલીસે કાર્યવાહી કરી છે. આ અંતર્ગત, મેઘ-કરુંડા રોડ પરથી બે દેશી બનાવટની બંદૂક સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. વડાલી પોલીસ સ્ટેશનના PI ડી.આર. પઢેરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફના નરેશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મેઘ ગામથી કરુંડા ગામ તરફ જતા રસ્તા પર આવેલા ગૌચરમાંથી આ શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહેંદ્રભાઈ માવજીભાઈ ડાભી (ઉ.વ. 26) અને રાકેશભાઈ સુરેશભાઈ ડાભી (ઉ.વ. 32)નો સમાવેશ થાય છે. આ બંને દામાવાસ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠાના રહેવાસી છે. તેમની પાસેથી લાયસન્સ વગરની બે દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી, જેની કિંમત આશરે ₹10,000 આંકવામાં આવી છે. વડાલી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:48 pm

હિમાલય કોલ્ડ સ્ટોરેજ દ્વારા 200 કિલો ગોળનું દાન:બોટાદ મુક્તિધામના શ્વાન લાડવા સેવાયજ્ઞને મળ્યો સહયોગ

બોટાદ મુક્તિધામ ખાતે શ્વાન માટે ચાલતા લાડવા સેવાયજ્ઞને હિમાલય કોલ્ડ સ્ટોરેજ, બોટાદ તરફથી 200 કિલો ગોળનું દાન મળ્યું છે. આ સેવાયજ્ઞ છેલ્લા 20 વર્ષથી સી.એલ. ભીકડિયાના માર્ગદર્શન હેઠળ અવિરત ચાલી રહ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને નગરપાલિકાના સહયોગથી નિર્માણ પામેલા બોટાદ મુક્તિધામમાં દરરોજ સીમ-વગડાના શ્વાન માટે રોટલા બનાવવામાં આવે છે. આ ઉપરાંત, દર રવિવારે લાડવા બનાવીને વિતરણ કરવામાં આવે છે. આ જીવદયા સેવા પૂજ્ય આંબારામ બાપુના આશીર્વાદથી ચાલુ છે. આ જીવદયા સેવાયજ્ઞની એક વિશિષ્ટતા એ છે કે, સંસ્થા દ્વારા ક્યારેય કોઈની પાસે દાન માટે હાથ લંબાવવામાં આવતો નથી કે રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી. પરમાર્થના આ કાર્ય માટે જરૂરી ઘઉં, લોટ, ઘી, ગોળ જેવી વસ્તુઓ સ્વયંભૂ પ્રાપ્ત થાય છે. તાજેતરમાં, હિમાલય કોલ્ડ સ્ટોરેજ, બોટાદના માલિક દિનેશભાઈ કળથીયાએ શ્વાનના લાડવા માટે 200 કિલો ગોળનું દાન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:48 pm

સાબરકાંઠા LCBએ ચોરીના સામાન સાથે બે શખસ ઝડપ્યા:સાડા ત્રણ વર્ષ પહેલા નવાનગર આરોગ્ય કચેરીમાં ચોરી કરી હતી

સાબરકાંઠા LCB એ હિંમતનગરના વીરપુર બાયપાસ રોડ પરથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ સાડા ત્રણ વર્ષ પહેલા વડાલીના નવાનગર સ્થિત આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. LCB એ બંનેને અટકાયતમાં લઈ વધુ કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. LCB ટીમ હિંમતનગરથી ઇડર તરફ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘાણધા રેલ્વે ફાટક પાસે દેવરાજભાઈ અને રાજેન્દ્રકુમારને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, નવાનગર ગામના અજયકુમાર અશોકભાઈ થોરી અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકીએ સાડા ત્રણ વર્ષ પહેલા નવાનગર આરોગ્ય કચેરીમાંથી કોમ્પ્યુટરની ચોરી કરી હતી અને હાલ તેઓ ચોરીનો સામાન થેલામાં લઈને વીરપુર બાયપાસ રોડ પાસે ઊભા છે. બાતમીના આધારે, LCB ટીમે ઘટનાસ્થળે પહોંચી અજયકુમાર અશોકભાઈ થોરી (ઉં.વ. ૨૧) અને ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ સોલંકી (ઉં.વ. ૨૩), બંને રહે. નવાનગર, તા. વડાલી, જિ. સાબરકાંઠાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કોમ્પ્યુટરના મોનિટર, સીપીયુ, પાણીની નાની મોટર અને પ્રિન્ટર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે અને તેમના ગામના કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ (જે હજુ ફરાર છે) એમ ત્રણેયે મળીને સાડા ત્રણ વર્ષ પહેલા રાત્રીના સમયે પોતાના ગામની આરોગ્ય કચેરીમાંથી બે કોમ્પ્યુટરનો સામાન અને એક પાણીની નાની મોટર ચોરી કરી હતી. આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીના આ ગુનામાં LCB એ એક ઇલેક્ટ્રિક પાણીની નાની મોટર, એસર કંપનીના બે કોમ્પ્યુટર મોનિટર, એસર કંપનીના બે કોમ્પ્યુટર સીપીયુ, બે માઉસ અને એક નાનું પ્રિન્ટર સહિત કુલ ૪૨,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓને હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ: ૧. અજયકુમાર અશોકભાઈ પુંજાભાઈ થોરી, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી, જિ. સાબરકાંઠા. ૨. ધવલકુમાર ઉર્ફે ડીજે જગદિશભાઈ મણાભાઈ સોલંકી, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી, જિ. સાબરકાંઠા. પકડવાનો બાકી આરોપી: ૧. કિર્તીકુમાર ઉર્ફે ગોલ્ડન ગોબરભાઈ સલાટ, રહે. નવાનગર (વડાલી), તા. વડાલી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:46 pm

ચહલનો સુંદર યુવતીઓ સાથે VIDEO VIRAL:અર્શદીપે ગર્લફ્રેન્ડનો હાથ પકડી ફોટો પાડ્યો?; 'ચંપક'ને જાડેજાએ કાખમાં તેડ્યો, રોહિતે જબરા ઈશારા કર્યા

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:44 pm

વેરાવળમાં 62 વર્ષથી રામધૂનની પરંપરા ચાલુ:સેલટેક્સ ઓફિસરે શરૂ કરેલું પ્રભાત ધૂન મંડળ આજે પણ સક્રિય

વેરાવળ શહેરમાં છેલ્લા છ દાયકાથી 'પ્રભાત ધૂન મંડળ' દ્વારા દર શનિવારે રામધૂનની પરંપરા અવિરતપણે ચાલી રહી છે. આ મંડળની શરૂઆત 62 વર્ષ પહેલા એક સેલટેક્સ અધિકારી દ્વારા કરવામાં આવી હતી, જે આજે પણ સક્રિય છે.આ મંડળની સ્થાપના 15 એપ્રિલ, 1964 (વૈશાખ સુદ બીજ) ના રોજ તત્કાલીન સેલટેક્સ અધિકારી કંચનલાલ ગટુરલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. તેમનો હેતુ શહેરમાં રામનામનો મહિમા વધારવાનો હતો, જેના ભાગરૂપે દર શનિવારે રાત્રે 10:30 થી 12:30 વાગ્યા સુધી રામધૂન શરૂ કરાઈ હતી.શાહ સાહેબે શરૂઆતમાં વેપારીઓ અને વડીલોને સાથે રાખીને જુદા જુદા લોકોના ઘરે જઈને રામધૂન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વધુ વેપારીઓ અને શ્રદ્ધાળુઓ આ કાર્યમાં જોડાતા ગયા. મંડળનો મુખ્ય હેતુ એ હતો કે, જો રાત્રે ધાર્મિક સ્થળોએ ન જઈ શકાય, તો કોઈના પણ ઘરે ભેગા થઈને રામધૂન દ્વારા જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવવો.આ પરંપરા અનુસાર, દર વર્ષે દિવાળી પછીના પહેલા શનિવારે શ્રી તપેશ્વર મંદિર ખાતે વિશેષ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ પરિવાર ધૂન માટે આમંત્રણ આપે, તો મંડળના સભ્યો ત્યાં રામધૂન કરવા પહોંચી જાય છે.હાલમાં આ ધૂન મંડળમાં બહેનો અને બાળકોની સંખ્યા પણ વધી છે. રામધૂન સાથે ભજન, શ્રીનાથજીના ધોળ-કીર્તન અને જલારામ બાપાના ગુણગાન પણ ગવાય છે, જેનાથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. કોરોના કાળ દરમિયાન પણ આ ધૂન બંધ રહી ન હતી અને સેવાભાવી સેવકના ઘરે અવિરતપણે ચાલુ રહી હતી.શનિવારે ધૂન કરાવવા માટે શ્રી પ્રભાત ધૂન મંડળનો સંપર્ક કરવા માટે શ્રદ્ધા ઇન્વેસ્ટમેન્ટના શૈલેષભાઈ રાયઠઠ્ઠા અથવા વ્યંકટેશ બુક સ્ટોલના ભાવીનભાઈ ઠકરારનો સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:43 pm

પાકિસ્તાનની ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ISIનું કામ કરતી ગેગમાં રહી ભારતમાં પોલીસ સ્ટેશન-સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતો; ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો

ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેટ કેસમાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે.આરોપી ગ્રેનેટની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો.હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ઢાબામાંથી વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહની ધરપકડપંજાબ પોલીસે ગુજરાત ATSને વોન્ટેડ આરોપીની માહિતી શેર કરી હતી.જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. ATSએ અલગ અલગ ટીમ બનાવી બનાસકાંઠા SOGની મદદથી ડીસાના એક ઢાબામાંથી બિક્રમજીતસિંઘની ધરપકડ કરી હતી. સુરક્ષા એજન્સીના એકમો પર વિસ્ફોટ કરાવતોઆરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી શહેઝાદ ભટ્ટીની સાથે મળીને ગ્રેનેટ સપ્લાય અને સુરક્ષા એજન્સીના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હતો.આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ ભટ્ટી માટે પંજાબના સ્થાનિક માણસોને ગેંગમાં જોડતો અને ભટ્ટીની સૂચના મુજબ પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીના એકમો ઉપર હુમલો કરાવવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટરઆરોપી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે. જે ભારતના પંજાબ રાજ્યમાં ISI માટે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે છે,તેમજ સુરક્ષા એજન્સી અને પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતનામ વ્યક્તિ ઉપર ગ્રેનેટ મારફતે હુમલો કરાવી રહ્યો છે.જે અંગે સ્પેશિયલ ઓપરેશન થતા અમૃતસર ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અગાઉના ગુનામાં કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.ત્યારે હવે આ ગુનામાં વોન્ટેડ બિક્રમજીતસિંઘની ધરપકડ કરીને પંજાબ પોલીસને આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:42 pm

બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNને ફરિયાદ- રેડિયેશન ફેલાયું તો આરબ દેશો પણ થશે બરબાદ

Bushehr Nuclear Plant Attack : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ન્યૂક્લિયર પ્લાન્ટમાંથી રેડિએશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાનના બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસને પત્ર લખીને ફરિયાદ કરી છે. પરમાણુ ઉર્જા કેન્દ્ર પર સતત હુમલાને લઈને અરાઘચીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે, જો આ કેન્દ્રોમાંતી રેડિએશન ફેલાશે તો ખાડી દેશોના નાગરિકોનો જીવ ખતરામાં મુકાશે. બુશેહરમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાને UNને પત્ર લખ્યો યુએનને લખેલા પત્રમાં અરાઘચી (Abbas Araghchi)એ ચેતવણી આપી છે કે, ‘અમેરિકા અને ઈઝરાયલ અમારા પરમાણુ કેન્દ્રો પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે રેડિએશન ફેલાવાનો ખતરો વધી ગયો છે.

ગુજરાત સમાચાર 5 Apr 2026 4:35 pm

ભરૂચમાં ખ્રિસ્તી સમુદાયે ઈસ્ટર પર્વની ઉજવણી કરી:પ્રભુ ઈસુના પુનરુત્થાનની યાદમાં ચર્ચોમાં પ્રાર્થના સભાઓ યોજાઈ

ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે પુનરુત્થાનની યાદમાં ઈસ્ટર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલ વિવિધ ચર્ચોમાં વહેલી સવારે પ્રાર્થના સભાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો,યુવાનો અને બાળકો જોડાઈ સ્તુતિ-આરાધના કરી અને એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી. ખ્રિસ્તી ધર્મમાં ઈસ્ટર પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા મુજબ ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુ બાદ તેમને કબરમાં મૂકવામાં આવ્યા હતા.તેમ છતાં, તેમના કહ્યા મુજબ ત્રીજા દિવસે,રવિવારે, તેઓ ફરી સજીવન થઈ લોકોને દર્શન આપ્યા હતા.આ ઘટનાની યાદમાં ખ્રિસ્ત ઉઠ્યો છે તેની યાદમાં વિશ્વભરના ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસ્ટર સન્ડે તરીકે આ પર્વની ઉજવણી કરે છે. ઈસ્ટર નિમિત્તે ભરૂચ જિલ્લાના એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચ, સીએનઆઈ ચર્ચ, કેથલિક ચર્ચ તેમજ સાહિના ચર્ચ સહિતના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. વિશ્વાસીઓએ નવા પોશાકો પહેરી ચર્ચોમાં હાજરી આપી ઈસુની સ્તુતિ-આરાધના કરી અને સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધે તેવી પ્રાર્થનાઓ કરી હતી. આ રીતે ભરૂચ જિલ્લામાં ઈસ્ટર પર્વ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:35 pm

વડોદરામાં બાયોસેક્સ્યુઅલના બે ચોંકાવનારા કિસ્સા:GRINDR એપથી કોન્ટેક્ટમાં આવેલા અજાણ્યા શખસને મળવા ગયો ને યુવક લૂંટાયો, મોબાઈલની ચેટ વાંચતા દારુડિયા પતિનો રાઝ ખુલ્યો

વડોદરામાં GRINDR એપ્લિકેશનનો ઉપયોગ કરીને બાયોસેક્સ્યુઅલ માટે બોલાવીને યુવકને લૂંટવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ યુવકને ધમકી આપીને ATMમાંથી પૈસા ઉપાડવાની કોશિશ કરી અને છેવટે સોનાની ચેન તથા બે વીંટીઓની લૂંટ કરી લીધી હતી. મકાન માલિકે ચાવી આપતા જ આરોપીઓએ ફરિયાદીને બોલાવ્યો ફરિયાદી GRINDR એપ દ્વારા નિકુંજ નામના આરોપીના સંપર્કમાં આવ્યો હતો. ચેટિંગ અને વીડિયો કોલ દ્વારા વાતચીત થયા બાદ આરોપીઓએ વડોદરામાં ઉમા ચાર રસ્તા પાસે આવેલા ડોમિનોઝ પિઝા નજીકના એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાન ભાડે લેવાના બહાને મકાન માલિકને મળ્યા હતા. મકાન માલિકે ચાવી આપતા આરોપીઓએ તેનો ઉપયોગ કરીને ફરિયાદીને ત્યાં બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમણે યુવક પાસેથી 1,75,000ની કિંમતની સોનાની ચેઈન અને બે વીંટીઓની લૂંટ કરી લીધી હતી. આ ઘટના 23 માર્ચ, 2026ના રોજ બની હતી. કાવતરામાં સામેલ મહિલા આરોપીની ધરપકડપાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેક્નિકલ સોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી. તપાસમાં આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ'માં રોકાયા હોવાનું જાણવા મળ્યું. આ સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે રાજકોટમાં દરોડો પાડીને ગાડીના માલિક અને આ કાવતરામાં સામેલ આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, રાજકોટ)ને ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતી. યોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા (રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રાજકોટ) અને એક અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ આરોપીઓમાં યોગેશ બિંદુ છે અને મુમતાજ સાથે લગ્ન કર્યા છે. આ ઘટનામાં ત્રણ આરોપીઓ તો એક જ ઘરના છે. આ ઘટનામાં પોલીસે મહિલા આરોપી સાથે એક કાર કબજે કરી છે. ઘટના- 2 પત્ની પતિની મોબાઈલ ચેટ વાંચીને ચોંકી ગઈવડોદરામાં એક પરિણીત મહિલાએ પોતાના પતિના મોબાઈલમાં અન્ય મહિલાઓ તથા છોકરાઓ સાથે ચેટિંગના સ્ક્રીનશોટ્સ જોઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે, તે અને તેનો પતિ છેલ્લા કેટલાય વર્ષોથી લગ્નજીવન વિતાવી રહ્યાં છે અને તેમને એક બાળકી પણ છે. પતિ અવારનવાર દારૂના નશામાં આવીને તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. આ વર્તનને કારણે મહિલા વર્ષોથી માનસિક ત્રાસ સહન કરતી હતી. છેલ્લે તે છૂટાછેડા માટે તૈયાર થઈ ગઈ હતી. છોકરાઓ સાથે અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલના પુરાવા મળ્યામહિલાએ વધુમાં કહ્યું કે, પતિ વારંવાર દારૂ પીને ગમે ત્યાં પડી રહેતો હતો. આવી સ્થિતિમાં મહિલા તેને શોધીને ઘરે લઈ આવતી હતી. તાજેતરમાં પતિ દારૂ પીને બેહોશ અવસ્થામાં હતો ત્યારે પત્નીએ તેનો મોબાઈલ તપાસ્યો. તેમાં તેને અન્ય મહિલાઓ તથા છોકરાઓ સાથે અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલના પુરાવા મળ્યા. આ કિસ્સામાં પતિ બાયોસેક્સ્યુઅલ હોવાની વિગતો પણ સામે આવી છે. આ જોઈને મહિલા ચોંકી ગઈ અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાએ પતિના બાયોસેક્સ્યુઅલ વર્તન અને માનસિક ત્રાસની ફરિયાદ પણ નોંધાવી છે. સમાજ માટે ચેતવણીપોલીસે જણાવ્યું છે કે, આવી એપ્લિકેશનો દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્ક કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ઘર ભાડે આપતી વખતે પાર્ટીની વેરિફિકેશન વગર ચાવી આપવી જોઈએ નહીં. આ કિસ્સો એક વખત ફરી યાદ અપાવે છે કે સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના માધ્યમથી આવતા સંપર્કોમાં અંધાધૂંધી વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:35 pm

હિંમતનગરમાં 40 હજાર સ્ક્વેર ફૂટ ચિત્રાંકન પૂર્ણતાના આરે:નગરપાલિકાએ 7 લાખ લીટર કલરથી વિવિધ થીમ પર બનાવ્યા ચિત્રો

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 40 હજાર સ્ક્વેર ફૂટ દીવાલો પર ચિત્રાંકન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં અંદાજે સાત લાખ લીટર કલરનો ઉપયોગ થયો છે અને તે રૂ. 20 લાખના ખર્ચે હાથ ધરાઈ છે. હાલ આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આ ચિત્રાંકન અન્ડરપાસ, ઓવરબ્રિજ, નગરપાલિકા સામેની દીવાલો, કેનાલ ફ્રન્ટના પ્રવેશદ્વાર, આંબાવાડી રેલવે અન્ડરપાસ, મહાવીરનગરથી ટાવર ચોક સુધીના રેલવે ઓવરબ્રિજની બંને તરફની દીવાલો, નગરપાલિકા સામેના કોટની દીવાલ અને છાપરિયા ચાર રસ્તે હનુમાનજી મંદિર પાસેની દીવાલો પર કરવામાં આવ્યું છે. વિવિધ થીમ્સમાં ભાથીગળ ગુજરાતી સંસ્કૃતિ, સ્વચ્છ ભારત અભિયાન, શહીદ થીમ, કુદરતી દ્રશ્યો, મધુબની, વર્લી, એબ્સ્ટ્રેક્ટ આર્ટ, તેમજ શહેરની ઓળખ સમા ટાવર, પેલેસ અને કેનાલ ફ્રન્ટના ચિત્રોનો સમાવેશ થાય છે. આ તમામ થીમ્સ પૂર્વ કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ દ્વારા આપવામાં આવી છે. તેમણે મિશન લાઈફ અંતર્ગત રૂ. 5 લાખ અને સ્વચ્છ ભારત મિશનની રૂ. 15 લાખની ગ્રાન્ટ મળી કુલ રૂ. 20 લાખની ગ્રાન્ટમાંથી આ ચિત્રાંકન કરાવ્યું છે. જીનલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ત્રણ ટીમો દ્વારા 25 ફેબ્રુઆરીએ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે 15 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. કેનાલ ફ્રન્ટના બંને પ્રવેશદ્વાર પર મધુબની અને વર્લી ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેમાં હિંમતનગરની ઓળખના ચિત્રો પણ સામેલ છે. આ સ્થળ આગામી દિવસોમાં શહેરીજનો માટે સેલ્ફી પોઈન્ટ બની શકે છે. આંબાવાડી રેલવે અન્ડરપાસમાં શહીદ થીમ પર ચિત્રાંકન કરાયું છે, જ્યારે મહાવીરનગરથી ટાવર સુધીના રેલવે ઓવરબ્રિજ પર એબ્સ્ટ્રેક્ટ થીમનું ચિત્રાંકન ચાલી રહ્યું છે. પાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ સાદી દીવાલ પર જાહેરાતો, પેઈન્ટિંગ કે સ્ટીકરો ચોંટાડશે તો રૂ. 500નો દંડ વસૂલ કરવામાં આવશે. ચિત્રાંકન કરેલી દીવાલો પર આવી પ્રવૃત્તિ કરનાર સામે કડક દંડનાત્મક કાર્યવાહી અને રીપેઈન્ટનો ખર્ચ પણ વસૂલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:18 pm

ઘોઘંબા જંગલમાંથી બે દીપડાના બચ્ચા મળ્યા, એક મૃત:પંચમહાલના સીમલીયા નજીકથી મળ્યા, બીજું બચ્ચું ઇજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામ નજીક આવેલા જંગલમાંથી બે બાળ દીપડા મળી આવ્યા છે. આ પૈકી એક બાળ દીપડાનું મૃત્યુ થયું છે, જ્યારે બીજું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે.બારિયા ફળીયા વિસ્તારના જંગલમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક ગ્રામજનોની નજર આ બાળ દીપડાઓ પર પડી હતી. તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.માહિતી મળતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે મૃત બાળ દીપડાના શબનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.ઇજાગ્રસ્ત બાળ દીપડાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે રેસ્ક્યુ વાન મારફતે ખસેડવામાં આવ્યો છે.વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ પુખ્ત દીપડાએ આ બંને બાળ દીપડાઓ પર હુમલો કર્યો હોઈ શકે છે. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:15 pm

આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ:ઘોઘાસર્કલ વોર્ડ 13માં LED સ્ક્રીન પર પ્રચારાત્મક વીડિયો ચાલતા કોંગ્રેસના દાવેદારે ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ કરી

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13 વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતાના ભંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સુભાસનગરચોક સ્થિત જૈન દેરાસર પાસે મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી LED સ્ક્રીન પર વિકાસ કામો અને ખાતમુહૂર્તના વીડિયો સાથે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીના ફોટા દર્શાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દાવેદારે ચૂંટણી વિભાગમાં લેખિત ફરિયાદ આપી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ભાવનગર મનપાની LED સ્ક્રીનમાં વિકાસ કાર્યોની એડવર્ટાઇઝઆ અંગે ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ પક્ષના દાવેદાર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આજે મારા વિસ્તારના સુભાસનગર ચોક જેન દેરાસર પાસે લાગેલ એલઇડીમાં મારા ધ્યાને આવ્યું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી LED સ્ક્રીન ઉપર અત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ જે કામો કરેલા છે, જે ખાતમુહૂર્ત કરેલા છે એના બધા વીડિયોની સ્ક્રીન ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી બધાના ફોટાવાળું છે, હાલ આચારસંહિતા ચૂંટણીના હિસાબે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી હોય અને આચારસંહિતા ચાલુ હોય અને આ રીતનો આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું મારી નજરે આવતા આજરોજ ચૂંટણી વિભાગમાં આચારસંહિતા માટેની ફરિયાદ નોંધાવી છે કે આ કાર્ય માટે જે કોઈની ભૂલ થઈ હોય, ક્ષતિ હોય, જે કોઈ અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવા માંગણી કરેલી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:12 pm

દક્ષિણ આફ્રિકામાં વડોદરાના ઉદ્યોગકારો માટે સુવર્ણતક:ખાણકામ, ફાર્મા અને પેકેજ્ડ ફૂડ સેક્ટરમાં નિકાસ વધારવા માટે કાઉન્સોલેટ જનરલનું મહત્વનું માર્ગદર્શન

વડોદરાના ઉદ્યોગસાહસિકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારના નવા દ્વાર ખૂલવા જઈ રહ્યા છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) દ્વારા મુંબઈ ખાતેના સાઉથ આફ્રિકાના કાઉન્સોલેટ જનરલ ગિડિયન લબેનની ઉપસ્થિતિમાં એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના ખાણકામ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં નિકાસની ઉજળી તકોબરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ ડો. મુકુંદ પુરોહિતે માહિતી આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં હાલમાં ઔદ્યોગિક મશીનરી, પંપ, વાલ્વ અને ઇલેક્ટ્રિકલ સાધનોની ભારે માંગ છે. આ ઉપરાંત પેસેન્જર અને વ્યાપારિક વાહનોના માર્કેટમાં પણ ભારતીય ઉદ્યોગકારો માટે મોટું મેદાન છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા હવે કોલસા આધારિત ઉર્જાથી દૂર થઈ રહ્યું હોવાથી સોલર મોડ્યુલ્સ અને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) સેવાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગો માટે નિકાસના મોટા સ્કોપ છે. કેમિકલ્સ અને ફાર્મા સેક્ટરમાં વર્ચસ્વગુજરાત ભારતની કુલ ફાર્મા જરૂરિયાતોમાં 30% યોગદાન આપે છે. આ શક્તિને જોતા દક્ષિણ આફ્રિકામાં જેનરિક દવાઓ અને API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ) ની નિકાસ માટે કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનરશિપની ઉત્તમ તકો છે. તે જ રીતે, ખાણકામ અને કૃષિ ક્ષેત્રમાં વધતી માંગને કારણે એગ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સના ઉદ્યોગકારો માટે પણ નવો માર્ગ મોકળો થશે. કુદરતી સંસાધનો અને FMCG ક્ષેત્રદક્ષિણ આફ્રિકા સોનું, પ્લેટિનમ અને મેંગેનીઝ જેવા ખનિજોનો વિપુલ ભંડાર ધરાવે છે. વડોદરાના ઉદ્યોગકારો લાંબા ગાળાના સપ્લાય એગ્રીમેન્ટ અને સ્ટ્રેટેજિક મિનરલ પાર્ટનરશિપ કરી શકે છે. સાથોસાથ, પેકેજ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને કન્ઝયુમર પ્લાસ્ટિકની વધતી માંગ FMCG નિકાસકારો માટે અમૂલ્ય સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 4:01 pm

રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રના 125 માં સમાધિદિનની ઉજવણી થઈ:રાકેશભાઈજીએ કહ્યુ - મહેલોમાં રહેતા રાજાઓને કશું ખબર ન પડતી, તેમના દર્પણની ખૂબીઓ વજીર વર્ણવતા: CM નો જવાબ -તમે આપેલા અરીસા સામે અમે ઊભા રહીશું

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 5 એપ્રિલે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રના 125 માં સમાધિદિનની ઉજવણી પ્રસંગે આવી પહોંચ્યા હતા. પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણના આ પર્વ દરમિયાન ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના આચાર્ય રાકેશ ભાઈજીએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, રાજાઓ મહેલમાં હોવાથી તેઓને ગ્રાસ રૂટનું કશું ખબર ન હોય. રાજાની આજ્ઞાથી વજીર દર્પણ લઈને ગામમાં ગયા. લોકોને ભેગા કરી દર્પણની ખૂબીઓ સમજાવી અને કહ્યું કે રાજાની ભલામણ છે કે આનો ઉપયોગ કરજો. તમારું દુઃખ દૂર કરજો અને સુખી થજો. જેનો જવાબ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, તમે જે અરીસો આપ્યો છે તેની સામે અમે ઊભા રહીશું અને અમારું મુખ જોઈશું. જેમાં જાડુ પડ લાગશે તો તમને કાપી આપવાનું કહીશું. જેથી સરખું દેખાય. મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ આપીને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પદો પર તૈયાર કરાયેલા ‘સુખધામ અનંત’ નામના નવા સંગીત આલ્બમનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા આધ્યાત્મિક ગ્રંથ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના સંદેશને જીવનમાં ઉતારીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું જોઈએ. આ જ્ઞાનના દ્રઢિકરણ માટે નિયમિત રીતે સત્સંગમાં જવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા જ્ઞાન અને સંદેશને અનુસરવાથી વ્યક્તિનું પોતાનું જીવન તો બદલાશે જ પરંતુ તેની સાથે અન્યોને પણ પ્રેરણા મળશે. તેમણે સંસ્થાના સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પરમ પ્રયાણ પર્વ એ પરમ કૃપાળુદેવની પરમ અદભુત આત્મદશાનું સ્મરણ કરીને આત્મ કલ્યાણના માર્ગે અગ્રેસર થવાનો અપૂર્વ અવસર છે. તેમણે આ પર્વને સ્મરણ નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર ગણાવ્યો હતો. આ સાથે કહ્યું હતું કે, વ્યવહાર જીવન જીવતા જીવતાં પણ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રને અનુસરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગૂઢ આધ્યાત્મિક જ્ઞાનને સમજવામાં માનવીની શક્તિ ઓછી પડતી હોય છે ત્યારે વધુમાં વધુ સત્સંગમાં જઈને જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તેનાથી આત્મસાક્ષાત્કારના માર્ગમાં પ્રગતિ થતી રહે છે. આમ સત્સંગ, જ્ઞાન શ્રવણ અને આત્મજ્ઞાની મહાપુરુષોના સંગને તેમણે આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વના ગણાવ્યા હતા. આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક આચાર્ય રાકેશભાઈજી, રાજકોટના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ અપૂર્વમુનિ સ્વામીનુ સન્માન કર્યું હતુ.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 3:17 pm

સાબરકાંઠામાં 301 બેઠકો સામે ભાજપના 1080 દાવેદારો:હિંમતનગર નગરપાલિકામાં 40 બેઠકો પર 182 ટિકિટ વાંચ્છુ, ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારના નામની મહોર મારશે

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 301 બેઠકો માટે ભાજપના 1,080 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. હાલ આ તમામ દાવેદારોની પેનલ તૈયાર કરી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ હિંમતનગરમાં બે નિરીક્ષકોની ટીમ દ્વારા બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. હવે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. બેઠકો અને દાવેદારોનું ગણિતજિલ્લા ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ સ્તરે દાવેદારો: જિલ્લા પંચાયત: 34 બેઠકો માટે 181 દાવેદારો. તાલુકા પંચાયત: 8 તાલુકા પંચાયત (પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ, પોશીના, ઇડર, હિંમતનગર અને વિજયનગર)ની કુલ 170 બેઠકો માટે 567 દાવેદારો. નગરપાલિકા: હિંમતનગર, ઇડર, વડાલી અને પ્રાંતિજ (પેટાચૂંટણી) મળી કુલ 97 બેઠકો માટે 332 દાવેદારો. હિંમતનગર નગરપાલિકામાં વોર્ડ દીઠ ખેંચતાણહિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણી યોજાવાની છે. જેમાં વોર્ડ નંબર 3 ને બાદ કરતા બાકીના 10 વોર્ડની 40 બેઠકો પર 182 દાવેદારો વચ્ચે સ્પર્ધા છે. સૌથી વધુ 28-28 દાવેદારો વોર્ડ નંબર 1 અને 10 માં નોંધાયા છે. વોર્ડ મુજબ દાવેદારોની સ્થિતિ: ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સૌની નજર ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 3:13 pm

પાંચ હાઇ-વે નીકળતા ખેડૂતોમાં ચિંતા:મહેસાણા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ અને નવા હાઈવેના પ્રોજેક્ટ સામે ઉચરપીના ખેડૂતોમાં ભારે રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

મહેસાણા નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસની પ્રક્રિયા તેજ બની છે પરંતુ, આ વિકાસ હવે ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને નવનિર્મિત મહાનગરપાલિકામાં ભળેલા નાનકડા ઉચરપી ગામના ખેડૂતોમાં વહીવટીતંત્રના રોડ પ્રોજેક્ટ્સને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામની આસપાસ એક-બે નહીં પણ પાંચ જેટલા મોટા રોડ પસાર થવાના હોવાથી ખેડૂતોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે. એક કિલોમીટરના અંતરમાં પાંચ મોટા રોડની જાળઉચરપી ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામની અત્યંત નજીકથી ભારતમાલા હાઈવે, શામળાજી-હિંમતનગર હાઈવે, મહેસાણા રિંગ રોડ અને મહાનગરપાલિકાના બે મોટા ટીપી રોડ પસાર થવાના છે. નવાઈની વાત એ છે કે આ તમામ રોડ વચ્ચેનું અંતર એક કિલોમીટર કરતા પણ ઓછું છે. આ આડેધડ આયોજનને કારણે ખેડૂતોની કિંમતી જમીનો કપાતમાં જઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે, ટીપી સ્કીમના કારણે પહેલાથી જ 40 ટકા જમીન કપાતમાં ગઈ છે.અને હવે આ નવા હાઈવે પ્રોજેક્ટ્સને લીધે ખેડૂતો પાસે આંગળીના વેઢે ગણાય તેટલી જમીન પણ બચશે નહીં. પશુપાલન અને ખેતી પર સંકટસ્થાનિક ખેડૂત આગેવાન ભરતભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ઉચરપી ગામના મોટાભાગના પરિવારો પાસે સરેરાશ 2 થી 4 વીઘા જમીન જ છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જો આટલા મોટા પાયે જમીન સંપાદન કે કપાત થશે તો 60 ટકાથી વધુ ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. જમીન વગર પશુઓને ક્યાં રાખવા અને તેમનો ચારો ક્યાંથી લાવવો તે મોટો પ્રશ્ન છે.જેના કારણે પશુપાલનનો વ્યવસાય પણ સંપૂર્ણપણે ઠપ થઈ જવાની ભીતિ છે. બિનજરૂરી રોડ રદ કરવા માંગખેડૂતોની સ્પષ્ટ રજૂઆત છે કે, રિંગ રોડની કોઈ જરૂરિયાત જણાતી નથી કારણ કે, તેની બિલકુલ નજીકથી અન્ય હાઈવે પસાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલું આ આયોજન ખેડૂતોને પાયમાલ કરનારું હોવાનું જણાવી ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ બિનજરૂરી રોડના પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરશે અને ન્યાય માટે ઉગ્ર લડત આપશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 3:13 pm

રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ:6 અને 7 એપ્રિલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. આગામી 6 અને 7 એપ્રિલે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે અને ત્યારબાદ 8 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ માછીમારોને 6 અને 7 એપ્રિલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહીરાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં ફરી એકવાર પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા 7 એપ્રિલે દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળતો હતો. પરંતુ કમોસમી વરસાદથી તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી6 અને 7 એપ્રિલ દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર વધુ જોવા મળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચી તરંગો અને તેજ પવનને કારણે જોખમ વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે. જો કે ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશેહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહી છે. જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળવાની છે. દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ થઈ શકે છે. ધીમે-ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકેવધુમાં પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, જે બાદ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ખાસ બદલાવ આવ્યો નથી. સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય કરતા તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે. 3 દિવસ સુધી કોઈ બદલાવ આવશે નહીં જે બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આવતીકાલથી બે દિવસ 60થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં 35 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 3:06 pm

પનીર બાદ હવે ભેળસેળવાળો ગોળ:રસમલાઈ અને પોપટ છાપ બ્રાન્ડના ગોળના નમૂના પરીક્ષણમાં ફેઈલ, તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી

મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી એક વિશેષ તપાસમાં જાણીતી બ્રાન્ડના ગોળના નમૂના ગુણવત્તાના ધોરણો પર ખરા ઉતર્યા નથી. બજારમાં વેચાતી 'રસમલાઈ' અને 'પોપટ છાપ' જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડના ગોળમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને શહેરમાં આ બ્રાન્ડના ગોળનું વેચાણ કરતા બે મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કાર્યવાહીની પ્રક્રિયા તેજ કરી છે. હરિક્રિષ્ણા માર્કેટિંગમાંથી 4 અને રામકૃષ્ણ માર્કેટની પેઢીના 2 નમૂના ફેઈલછેલ્લા બે મહિનાથી જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા દેશી તેમજ સફેદ ગોળમાં ભેળસેળ અંગે ગુપ્ત બાતમીના આધારે સર્વે કરવામાં આવી રહ્યો હતો. આ તપાસના ભાગરૂપે ડેડિયાસણ GIDCમાં આવેલી હરિક્રિષ્ણા માર્કેટિંગ અને માલ ગોડાઉન રોડ પર આવેલી પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હરિક્રિષ્ણા માર્કેટિંગમાંથી લેવાયેલા 6 નમૂના પૈકી 4 નમૂના અને રામકૃષ્ણ માર્કેટની પેઢીના 2 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. ગોળમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો ગુનો છેજિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ગ્રાહકો જેને કેમિકલ મુક્ત દેશી ગોળ માનીને ખરીદે છે, તેને આકર્ષક બ્રાઉન રંગ આપવા માટે અને સફેદ ગોળને વધુ ચમકદાર બનાવવા માટે વેપારીઓ સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે. ખાદ્ય સુરક્ષાના કાયદા મુજબ ગોળમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો ગુનો છે. પ્રાથમિક તપાસમાં ખાનગી લેબોરેટરીમાં નમૂના ફેલ થયા બાદ હવે તંત્ર દ્વારા અન્ય બ્રાન્ડના ગોળના જથ્થા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ગોળના વેચાણ એકમો પર તપાસનો દરોડો લંબાવવામાં આવશે એવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 3:02 pm

સુરત મનપાની ચૂંટણી, AAPના 75 મૂરતિયા જાહેર:2021માં પાર્ટીએ 27 બેઠકો જીતી હતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના પત્તા ખોલી દીધા છે. રવિવારે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતના વિવિધ વોર્ડ માટે કુલ 75 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ સાથે જ પાર્ટીએ દાવો કર્યો છે કે સુરત ગુજરાતની એવી પ્રથમ મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર સત્તા સંભાળશે. ભાજપના ગઢમાં AAPનો પડકારમનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સુરત હંમેશા ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરત એક ગ્લોબલ સિટી હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે. સુરતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પહેલી યાદીની મુખ્ય વિશેષતાઓ 75 ઉમેદવારો: પાર્ટીએ પ્રથમ યાદીમાં જ 75 નામોની જાહેરાત કરીને પોતાની સક્રિયતા સાબિત કરી છે. નવા ચહેરાઓને સ્થાન: યાદીમાં શિક્ષિત, સક્રિય અને જનતાની વચ્ચે રહેતા સ્થાનિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું મનાય છે. ટકાઉ વિકાસનો એજન્ડા: AAPએ પારદર્શક વહીવટ અને દિલ્હી-પંજાબ મોડલની જેમ પાયાની સુવિધાઓ (શિક્ષણ, આરોગ્ય) પર ભાર મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સુરતનો મેયર AAPનો હશે- મનોજ સોરઠિયાઆમ આદમી પાર્ટીએ આ વખતે રણનીતિ બદલી છે. મનોજ સોરઠીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુરતના લોકો આ વખતે માત્ર વિપક્ષ તરીકે નહીં, પરંતુ શાસક પક્ષ તરીકે AAPને પસંદ કરશે. તેમણે જણાવ્યું કે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે અને આ ચૂંટણીમાં ભાજપના વર્ષો જૂના શાસનનો અંત આવશે. ઉમેદવારોને અભિનંદન અને આગામી રણનીતિયાદી જાહેર કર્યા બાદ સોરઠીયાએ તમામ પસંદ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને જીત માટે અગ્રિમ શુભેચ્છાઓ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં બાકી રહેલી બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને પાર્ટી પૂરી તાકાત સાથે પ્રચાર મેદાનમાં ઉતરશે. સુરત મનપામાં અગાઉ વિપક્ષ તરીકે મજબૂત પકડ બનાવ્યા બાદ, હવે AAP સીધી સત્તા કબજે કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. 75 ઉમેદવારોની આ યાદી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે. AAPની પ્રથમ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને અનુભવનો સમન્વય પૂર્વ વિપક્ષી નેતાઓ અને સમાજ રત્નોને મેદાનમાં ઉતારાયાસુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. જાહેર કરવામાં આવેલી 75 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાર્ટીએ જ્ઞાતિગત સમીકરણો, સામાજિક પ્રતિષ્ઠા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ચહેરાઓ પર દાવ ખેલ્યો છે. આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને એડવોકેટ્સ અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ કરીને AAPએ ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી છે. અનુભવી નેતૃત્વ પર ભરોસોપાર્ટીએ ગત ટર્મમાં મનપામાં આક્રમક ભૂમિકા ભજવનાર પૂર્વ કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પાયલ સાકરીયા પૂર્વ વિપક્ષ નેતા, મહેશ અણધણ પૂર્વ વિપક્ષ ઉપનેતા, રચનાબેન હીરપરા પૂર્વ વિપક્ષ દંડક છે. આ ત્રણેય નેતાઓએ મનપામાં શાસક પક્ષ સામે જનતાના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમાજ અને જ્ઞાતિના પ્રતિષ્ઠિત ચહેરાઓAAP એ સુરતના વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપીને 'સર્વસમાજ'ની રણનીતિ અપનાવી છે. મૂળ સુરતી અને ઓબીસી ચહેરા મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા, રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણાને ટિકિટ અપાઈ છે. પાટીદાર અને સંસ્થાકીય જોડાણમાં ઉમિયાધામ મંદિર (વરાછા) ના લીગલ સેલ કન્વીનર જયંતી પટેલના પુત્ર એડવોકેટ રૂબીન પટેલ, SPG સાથે જોડાયેલા વીણાબેન પટેલ અને મોનિકા સંઘવીનો સમાવેશ થાય છે. ઓબીસી અને અન્ય સમાજસગર સમાજના પ્રખર વક્તા તુલસી લાલૈયા, આહીર સમાજમાંથી રમેશ જીંજાળા, પ્રવિણ કાતરિયા અને અસ્મિતા કાતરિયાને સ્થાન મળ્યું છે. પ્રજાપતિ અને કોળી સમાજમાં પ્રજાપતિ સમાજમાંથી ભરત પ્રજાપતિ, BAPS સંસ્થાના અનુયાયી પંકજ આંબલીયા સહિત 5 ઉમેદવારો અને કોળી સમાજમાંથી ઉષા ગોહિલ સહિત 3 મહિલા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા છે. શિક્ષિત અને વ્યવસાયિક ઉમેદવારોની બોલબાલાપાર્ટીએ બૌદ્ધિક વર્ગને આકર્ષવા માટે મોટી સંખ્યામાં એડવોકેટ્સ અને શિક્ષિત યુવાનોની પસંદગી કરી છે. મહારાષ્ટ્રીયન સમાજમાંથી એડ. વિલાસ પાટીલ, એડ. ભૂપત કોડીયાતર, એડ. મુમતાઝ મુલતાની અને એડ. શાહીન મલેક જેવા કાયદાના જાણકારોને ટિકિટ મળી છે. યુવા અને આદિવાસી નેતૃત્વવોર્ડ નં. 3 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા અને શૈક્ષણિક રીતે સજ્જ (BSC, B.ed.) પ્રકાશ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. શહેરના બ્રહ્મ સમાજમાંથી શ્રવણ જોશી, મહેન્દ્ર રાજપુરોહિત અને જાગૃતિ જાનીને સ્થાન આપીને AAPએ મધ્યમ વર્ગ અને પ્રબુદ્ધ વર્ગના મતો મેળવવા કવાયત તેજ કરી છે. તેમજ બારોટ સમાજમાંથી કલ્પેશ બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આમ આદમી પાર્ટીની આ યાદીમાં માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમાજમાં ઊંડી પકડ ધરાવતા લોકોનો સમાવેશ કરાયો હોવાથી સુરત મનપાનો જંગ આ વખતે ત્રિપાંખિયો અને રસપ્રદ બનશે. મનોજ સોરઠીયાના મતે, આ ઉમેદવારોની પસંદગી સુરતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પાયાના પથ્થર સાબિત થશે. આ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બે યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે યાદી નીચે મુજબ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 3:01 pm

રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી:વેરાવળ બંદર પર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિનો માહોલ

વેરાવળ બંદર ખાતે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ વર્ષે મે મહિનામાં સેવા નિવૃત્ત થનારા પટાવાળા સતાર ગુલામ હુસેન બીલીમના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણીનો પ્રારંભ કરાયો. ધ્વજવંદન બાદ બંદર સુરક્ષા જવાનો, અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. સમગ્ર બંદર વિસ્તાર દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ રાષ્ટ્રીય વહાણવટા દિવસનું મહત્વ સમજાવ્યું. તેમણે ભારતના વેપાર, અર્થતંત્ર અને વૈશ્વિક જોડાણમાં બંદરોની ભૂમિકા પર ભાર મૂક્યો. વેરાવળ બંદરના માછીમારી અને વેપાર ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાનનો પણ ઉલ્લેખ કર્યો. ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે દાંડીયા-રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન સાથે ઉજવણી પૂર્ણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, દેશપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસારિત થયો.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:59 pm

વેરાવળ ભોંય સમાજ: ઉમેદવાર પસંદગી માટે મતદાન:લોકશાહી પદ્ધતિ અપનાવી, એકતા અને સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું

વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભોંય સમાજ દ્વારા લોકશાહી મૂલ્યોને જીવંત કરતી એક અનોખી પરંપરા જોવા મળી છે. સમાજમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે પારદર્શક અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા યોજી સમાજ સ્વીકૃતિ મેળવવાનો આ પ્રયોગ હવે એક સશક્ત પરંપરા બની ગયો છે. ભોંય સમાજના આગેવાન પટેલ હરગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, વેરાવળ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં સમાજના આશરે 5 હજાર જેટલા નિર્ણાયક મતદારો છે. આથી, સમાજમાંથી જ યોગ્ય અને સ્વીકાર્ય ઉમેદવાર રાજકીય પક્ષમાં આગળ આવે તે માટે વર્ષોથી આ લોકશાહી પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ વખતે સમાજમાંથી બે મહિલા સહિત કુલ સાત દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, વ્યક્તિગત દાવેદારીને બદલે સમૂહની એકતા જળવાઈ રહે તે માટે સમાજ દ્વારા મતદાનથી ઉમેદવાર નક્કી કરવાની દિશામાં આગળ વધવામાં આવ્યું. તાજેતરમાં યોજાયેલી દાવેદારોની બેઠકમાં સમજુતીના માહોલ વચ્ચે પાંચ દાવેદારોએ પોતાનો દાવો પરત ખેંચ્યો હતો. આથી, ચૂંટણી હવે બે યુવા ચહેરાઓ વચ્ચે સીમિત રહી છે. સમાજ તરફથી રવિ જેન્તીલાલ વાઘેલા અને બ્રિજેશ રમેશભાઈ મહેતા એમ બે ઉમેદવારો વચ્ચે આજે રવિવારે ભોંય સમાજની વાડી ખાતે મતદાન યોજાયું. સવારે 8:30 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી બેલેટ પેપર મારફતે શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા સમાજના પ્રમુખ અને પાંચ સભ્યોની સીધી દેખરેખ હેઠળ પારદર્શક રીતે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ મતદાનમાં માત્ર પુરુષ મતદારોને જ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો, છતાં સમગ્ર આયોજનમાં શિસ્ત, સમરસતા અને જવાબદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. સાંજે મતગણતરી પૂર્ણ થયા બાદ જેને બહુમતી મળશે તે ઉમેદવારનું નામ સમાજ તરફથી સત્તાવાર રીતે રાજકીય પક્ષમાં મોકલાશે અને તેની ઉમેદવારી નોંધાશે. આ સાથે જ સમગ્ર સમાજ એકજૂટ બનીને પસંદ કરાયેલા ઉમેદવારને જીતાડવા માટે મેદાનમાં ઉતરી પડશે. ભોંય સમાજની આ પહેલ માત્ર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, પારદર્શિતા અને સંગઠનની શક્તિનું જીવંત પ્રતિબિંબ છે. સમાજની અંદરથી જ નેતૃત્વ ઊભું કરવાની આ પદ્ધતિ અન્ય સમાજો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:58 pm

ખેડા ટોલ પાસે થાર-ઈકો અકસ્માત, 10 ઘાયલ:ઈકો પલટી ખાતાં ત્રણની હાલત ગંભીર, થાર ચાલક ફરાર

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક રવિવારે એક રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ દોડતી થાર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતાં ઈકો ગાડી હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર કુલ 10 મુસાફર ઘાયલ થયા છે, જે પૈકી 3ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પૂરપાટ ઝડપે આવતી થારે સંતુલન ગુમાવ્યું ઘટનાની વિગતો અનુસાર, ઈકો ગાડી હાઈવેની પ્રથમ લેનમાં પોતાની નિર્ધારિત ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક થાર ગાડીના ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને ઈકો ગાડીના પાછળના ભાગે પ્રચંડ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઈકો ગાડી હવામાં ફંગોળાઈને માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10 મુસાફર ઘાયલ, 3 ગંભીર ઈકો ગાડીમાં સવાર કુલ 10 મુસાફરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 પૈકી 7 મુસાફરને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે 3 મુસાફરની હાલત ગંભીર હોવાથી તેમની સઘન સારવાર ચાલી રહી છે. થાર ચાલકની માનવતાહીનતા: ડિવાઈડર કૂદાવી ફરાર પ્રત્યક્ષદર્શી હિતેશ પટેલના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જ્યા બાદ થારનો ચાલક ઉભો રહેવાને બદલે માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. તેણે પોતાની ગાડી ડિવાઈડર પર ચડાવી દઈ સામેના ટ્રેક પર કૂદાવી હતી અને નડિયાદ તરફ અત્યંત ઝડપે હંકારી મૂકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, થાર ગાડીના બમ્પરનો કેટલોક ભાગ પણ ઘટનાસ્થળે તૂટીને પડી ગયો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પલટી ખાયેલી ઈકો ગાડીને ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે ફરાર થારચાલક વિરુદ્ધ ગુનો નોંધી, ગાડીના નંબર અને સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:53 pm

રાજકોટ રેલવે ડિવિઝને ઇતિહાસ રચ્યો:પાર્સલ આવકમાં સૌપ્રથમ રૂ. 15 કરોડનો આંકડો પાર કરીને સર્જ્યો રેકોર્ડ, ગતવર્ષની તુલનાએ 43.10 ટકાનો તોતિંગ વધારો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન માલસામાનના પરિવહન અને પાર્સલ આવકના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને તેના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 15 કરોડની આવકનો આંકડો વટાવીને વ્યાપારી ક્ષેત્રે નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી દીધો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગત નાણાકીય વર્ષમાં ડિવિઝને કુલ રૂ. 15.05 કરોડની આવક મેળવી છે. આ આંકડો પાછલા નાણાકીય વર્ષ 2024-25ની રૂ. 10.54 કરોડની આવકની તુલનાએ 43.10%નો તોતિંગ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે. વ્યૂહાત્મક આયોજન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ રાજકોટ ડિવિઝનની આ ઐતિહાસિક સફળતા પાછળ ઉપલબ્ધ સંસાધનોનું સુવ્યવસ્થિત સંચાલન અને આધુનિક વ્યૂહરચના જવાબદાર છે. ડિવિઝન પાસે રહેલી 42 જેટલી અસ્કયામતો (Assets) નો મહત્તમ અને પૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આ આયોજનને કારણે કાર્યક્ષમતામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રેલવે તંત્ર દ્વારા ખાસ કરીને લોડિંગ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેના પરિણામે રેલવેની ખાલી રહેતી જગ્યાઓનો આવક પેદા કરવા માટે ઉપયોગ થઈ શક્યો છે. સંસાધનોના અસરકારક ઉપયોગના ભાગરૂપે, ડિવિઝને પ્રથમ વખત 24 ટનની ક્ષમતા ધરાવતી 34 પાર્સલ વેન (VP) ને વિવિધ ટ્રેનો સાથે જોડીને તેનું કુશળ સંચાલન કર્યું હતું. આ વધારાની પાર્સલ વેનને કારણે 765.16 ટન વધારાના માલનું લોડિંગ શક્ય બન્યું હતું, જેના દ્વારા રેલવેની તિજોરીમાં રૂ. 66.09 લાખની વધારાની આવક ઉમેરાઈ છે. આ વ્યૂહરચનાને કારણે ડિવિઝન ટ્રાફિકના નવા સ્ત્રોતો શોધવામાં અને જૂના ગ્રાહકોને વધુ સુવિધા આપવામાં સફળ રહ્યું છે. પરિવહન કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓ રાજકોટ અને આસપાસના વિસ્તારોના ઉદ્યોગો માટે રેલવે હવે પરિવહનનું પ્રથમ પસંદગીનું માધ્યમ બની રહ્યું છે. ડિવિઝન દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું સલામત અને ઝડપી પરિવહન કરવામાં આવ્યું છે, જેમાં અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. ઇમિટેશન જ્વેલરી: રાજકોટના પ્રખ્યાત ઇમિટેશન ઉદ્યોગને આ સેવાનો મોટો લાભ મળ્યો છે. બ્રાસ પાર્ટ્સ (પિત્તળના ભાગો): જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી બ્રાસ પાર્ટ્સનું મોટા પાયે લોડિંગ થયું છે. ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ: ઓટો પાર્ટ્સ અને કાપડના પરિવહનમાં પણ વધારો નોંધાયો છે. ખાદ્ય સામગ્રી: શાકભાજી, ફળો અને જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ (Perishable Items) માટે રેલવેએ ઝડપી પરિવહન સુનિશ્ચિત કર્યું છે. ઘરવખરીનો સામાન: સામાન્ય જનતા માટે ઘરવખરીના સામાનનું પરિવહન પણ સરળ બનાવવામાં આવ્યું છે.માલના જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો, નાણાકીય વર્ષ 2025-26માં 4,55,555.05 ક્વિન્ટલ માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે પાછલા વર્ષના 3,59,288.01 ક્વિન્ટલની સરખામણીએ ઘણું વધારે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વેપારીઓનો વિશ્વાસ રેલવે પર વધી રહ્યો છે. ડિજિટલ ક્રાંતિ અને ગ્રાહક સુવિધામાં આધુનિકીકરણ રાજકોટ ડિવિઝને માત્ર આવકમાં નહીં, પરંતુ વહીવટી પારદર્શિતામાં પણ ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવવામાં આવ્યો છે. 1. કેશલેસ ટ્રાન્ઝેક્શન (95% થી વધુ): વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના અભિગમને સાર્થક કરતા, પાર્સલ આવકનો **95%** થી વધુ હિસ્સો હવે ડિજિટલ પેમેન્ટ માધ્યમથી પ્રાપ્ત થાય છે. આનાથી રોકડ વ્યવહારમાં થતી મુશ્કેલીઓ ઘટી છે અને પારદર્શિતા વધી છે. 2. 100% કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ: સમગ્ર ડિવિઝનમાં પાર્સલ સિસ્ટમને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ કરી દેવામાં આવી છે. આનાથી માનવીય ભૂલોની શક્યતા ઘટી છે અને હિસાબ-કિતાબ વધુ સચોટ બન્યો છે. 3. લાઈવ ટ્રેકિંગ અને SMS એલર્ટ: ગ્રાહકોને હવે તેમના પાર્સલના લોકેશન માટે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સિસ્ટમ દ્વારા પાર્સલનું લાઈવ ટ્રેકિંગ અને રસીદના મેસેજ સીધા ગ્રાહકના મોબાઈલ પર મોકલવામાં આવે છે. આ સુવિધાને કારણે ડિલિવરી પ્રક્રિયા વધુ સુરક્ષિત અને ઝડપી બની છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાને ટીમવર્કનું પરિણામ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રેલવેના દરેક કર્મચારી અને અધિકારીના સમર્પણને કારણે આ ઐતિહાસિક લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. ડિવિઝનનો ઉદ્દેશ્ય માત્ર આવક વધારવા માટેનો નથી, પરંતુ ગ્રાહકોને ઓછા ખર્ચે અને સુરક્ષિત રીતે માલ પહોંચાડવાની સુવિધા આપવાનો પણ છે.ગ્રાહક-કેન્દ્રી સેવાઓને કારણે જ આ નાણાકીય વર્ષમાં 43.10%નો ગ્રોથ જોવા મળ્યો છે. આગામી સમયમાં ડિવિઝન દ્વારા વધુ નવી ટ્રેનોમાં પાર્સલ વેન જોડવાની અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે વધુ આધુનિક સુવિધાઓ વિકસાવાની યોજના છે. આ સિદ્ધિ ભારતીય રેલવેના નકશામાં રાજકોટ ડિવિઝનની એક વિશિષ્ટ અને મજબૂત ઓળખ ઉભી કરશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:49 pm

મંદિર પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા:બાપોદ પોલીસે બાતમીના આધારે રેડ પાડી, 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં અવાર નવાર જુગાર,દારૂ સાથે અનૈતિક પ્રવૃત્તિ સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે.ત્યારે ભગવાનના મંદિર પાછળ પત્તાથી જુગાર રમતા પાંચ આરોપીઓને બાપોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. મંદિર પાછળ જુગાર રમતા સમયે પોલીસની રેડશહેરમાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ વિભાગે અભિયાન ચલાવ્યું છે.આ અંતર્ગત બાપોદ પોલીસ સ્ટેશનની ટીમે આજવા રોડ પરના લક્ષ્મીનગર વિસ્તારમાં શંકર ભગવાન મંદિર પાછળની ખુલ્લી જગ્યામાં પત્તાથી જુગાર રમતા પાંચ આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ.પસ્તાગીયાની આગેવાનીમાં સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે લોકરક્ષક પુષ્પરાજસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રોકડ, ચાર મોબાઇલ સહિત કુલ 49,220 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓની વિગતસુનીલ માછી (રહે. લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા)અરૂણ વસાવા (રહે. ચોખડી નાની શાક માર્કેટ પાસે, ઝુપડું, વાડી, વડોદરા)હર્ષદ માછી (રહે. મ.નં-272, લક્ષ્મીનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા)પ્રવીણરાજપુત (રહે. બ્લોક નં-13, મ.નં-04, શક્તિના વુડાનું મકાન, વડોદરા)અજય રાવલ (રહે. મ.નં-106, બંસીધર હાઈટ્સ, સયાજીપાર્ક પાસે, આજવા રોડ, વડોદરા)

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:46 pm

જામનગરમાં અસલમ ખીલજી, અલ્તાફ ખફી ગેંગ પર ગુજસીટોક:રેન્જ IG નિર્લિપ્ત રાયનો સપાટો; 30 શખસ સામે કાર્યવાહી

જામનગરમાં અસામાજિક તત્વો સામે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. તાજેતરમાં થયેલી મારામારી અને ફાયરિંગની ઘટના બાદ એક્શન મોડમાં આવેલા આઈ.જી.એ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સક્રિય બે ગેંગ પર ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના માત્ર 10 દિવસમાં જ તેમણે શહેરના વોર્ડ નંબર 12ના બે મુખ્ય જૂથો સામે આ કડક પગલાં લીધા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. શહેરના અતિ સંવેદનશીલ પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં આતંક મચાવતી બે મુખ્ય ગેંગ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળની ગેંગ અને અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને ગેંગના કુલ 30 જેટલા શખ્સો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી.ની સૂચના બાદ પોલીસે પટણીવાડ વિસ્તારમાં વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અસલમ ખીલજી સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, અલ્તાફ ખફી અને તેના સાગરીતો હાલ જેલમાં જ છે, તેમની સામે પણ જેલમાંથી જ ગુજસીટોક હેઠળ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. થોડા દિવસો પહેલા આ સંવેદનશીલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી, જેના પગલે આઈ.જી. રાયે તાબડતોબ જામનગર દોડી આવીને કાર્યવાહીની રણનીતિ ઘડી હતી. નોંધનીય છે કે રાજકોટ રેન્જ આઈ.જી.નો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયની આ ત્રીજી અને જામનગર જિલ્લામાં પ્રથમ ગુજસીટોકની કાર્યવાહી છે. આ કડક કાર્યવાહીને પગલે શહેરના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જામનગરની જનતાએ પોલીસની આ આક્રમક શૈલીને કારણે રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:44 pm

MPની મન કી બાતથી ભાજપમાં કમિશનનો કકળાટ:નેત્રંગમાં બસ સ્ટેન્ડ જરૂરી શોપિંગ સેન્ટર નહીં; કમિશન મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું- જાહેર સભામાં કહીશ તો લોકો તેમના પર થૂંકશે

ભરૂચ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને અસંતોષ સપાટી પર આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતેના મન કી બાત કાર્યક્રમના આયોજન સમયે એક જાહેર મંચ પરથી પોતાની જ પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. સાંસદના આ વિસ્ફોટક નિવેદનોને કારણે પક્ષનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. વિકાસના કામોમાં 'ટકાવારી' પ્રથાનો આક્ષેપસાંસદે સીધું નિશાન સાધતા જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને ધારાસભ્ય રીતેશ વસાવાની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લામાં થતા વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ છે. વસાવાએ વધુમાં સંકેત આપ્યા હતા કે પક્ષના કેટલાક પ્રોજેક્ટોમાં 'ટકાવારી સિસ્ટમ' (કમિશન પ્રથા) કાર્યરત છે, જે પક્ષની છબી ખરડી રહી છે. જનસુવિધા સામે હિતોના ટકરાવ પર કટાક્ષરાજપારડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન જેવી પાયાની સુવિધાઓ આપવાને બદલે શોપિંગ સેન્ટર બનાવવાની પ્રાથમિકતા સામે સાંસદે કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના નિર્ણયો જનતાની જરૂરિયાતને બદલે અમુક ચોક્કસ હિતોને સાધવા માટે લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ-BTP સાથે સરખામણીમનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે: જે ભ્રષ્ટ પ્રથાઓ અગાઉ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) માં જોવા મળતી હતી, તે હવે ભાજપમાં પણ પ્રવેશી રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલઆ નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, આ બાબતે ભાજપના અન્ય કોઈ મોટા નેતા કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આગામી ચૂંટણીઓ પૂર્વે સાંસદના આ આક્રમક તેવર પક્ષ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્તરે પક્ષ આ આંતરિક અસંતોષને કેવી રીતે ઠારે છે તેના પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:42 pm

વરાછા કો-ઓપ. બેંક ચૂંટણી, 31 વર્ષનો ‘સમરસ’નો સિલસિલો તૂટ્યો:53 હજાર સભાસદો નક્કી કરશે 6000 હજાર કરોડના વહીવટી સત્તાનું ભવિષ્ય, ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચ્યા

સુરત શહેરની સહકારી બેંકિંગ ક્ષેત્રની જાયન્ટ ગણાતી વરાછા કો-ઓપરેટિવ બેંકમાં આજે ઈતિહાસ રચાયો છે. 6000 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકની સ્થાપનાથી અત્યાર સુધી હંમેશા બિનહરીફ વરણી થતી આવી છે, પરંતુ આ વખતે 31 વર્ષમાં પ્રથમવાર મતદાનની નોબત આવી છે. 12 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 17 ઉમેદવારોના ભાવિ આજે પેટીમાં કેદ થયા છે. સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચતા લોકસભા-વિધાનસભા જેવો માહોલ વરાછાના કાપોદ્રા ધારૂકા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચ્યાસુરતના કાપોદ્રા ખાતે આવેલી ધારુકા કોલેજ કેમ્પસમાં વરાછા બેંકની ચૂંટણીનું મતદાન આજે સવારે 8:00 વાગ્યાથી ચાલી રહ્યું છે. સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. સવારથી ચાલી રહેલા મતદાનમાં સૌરાષ્ટ્રવાસી હીરા ઉદ્યોગપતિઓ સહિતના વરાછા બેંકમાં સભાસદો હોવાથી મતદાન કરવા આવી રહ્યા છે. વલ્લભભાઈ સવાણી, મહેશ સવાણી, પૂર્વ મેર દક્ષેશ મવાણી, દિનેશ નાવડીયા સહિતના ઉદ્યોગપતિઓ મતદાન કરવા આવી ચૂક્યા છે. કેમ આ ચૂંટણી ઐતિહાસિક બની?વરાછા બેંકમાં કુલ 15 બેઠકો છે. નિયમ મુજબ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ 3 બેઠકો પર સભ્યો બિનહરીફ થયા હતા. બાકીની 12 બેઠકો પર સહમતી સાધવા માટે છેલ્લા દિવસ સુધી કવાયત ચાલી હતી. જોકે, 5 અપક્ષ ઉમેદવારો પોતાની જીદ પર અડગ રહેતા અને ફોર્મ પરત ન ખેંચતા આખરે સહકાર પેનલ સામે ચૂંટણીનો જંગ છેડાયો છે. નંબર વગર પ્રચાર માટે 'તારણહાર' બન્યા કાર્યકરોઆ વખતે ચૂંટણીમાં સૌથી મોટો અવરોધ 'ડેટા પ્રોટેક્શન એક્ટ' બન્યો હતો. ડિજિટલ યુગમાં પહેલીવાર ઉમેદવારો પાસે મતદારોના મોબાઈલ નંબરની સત્તાવાર યાદી નહોતી. ઉમેદવારોએ મતદાર યાદીમાંથી 'અટક' મુજબ ડેટા અલગ તારવ્યો હતો. વોટ્સએપ ગ્રુપમાં લિંક્સ મોકલીને મતદારોને જોડવા પ્રયાસો થયા. 200થી વધુ કાર્યકરોની ફોજ ઉતારીને 25 હજારથી વધુ પરિવારોનો રૂબરૂ સંપર્ક કરાયો હતો. રાજકીય ચૂંટણી જેવો માહોલ: સોસાયટી વાઈઝ પ્રચારસામાન્ય રીતે સહકારી બેંકની ચૂંટણીમાં શાંત માહોલ હોય છે, પરંતુ અહીં દૃશ્યો અલગ હતા. દરેક સોસાયટી દીઠ મતદારોની યાદી બનાવી કાર્યકરોએ ડોર-ટુ-ડોર કેમ્પેઈન કર્યું હતું. મતદારોને રિઝવવા માટે પેનલ વાઈઝ કાર્ડ્સ અને સોશિયલ મીડિયા વીડિયોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વરાછા વિસ્તારમાં સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. બેંક મારી છે એવો સભાસદોને અહેસાસ, જબરદસ્ત મતદાન થઈ રહ્યું છેઃ કાનજીભાઈકાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, વરાછા કો-ઓપરેટિવ બેંકમાં 30 વર્ષ પછી યોજાયેલી આ પ્રથમવાર ઇલેક્શનનો જંગ થયો છે. પણ આજે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે, એ જોઈને ગૌરવ થાય કે લોકોને વરાછા બેંક પ્રત્યે ખૂબ લાગણીથી જોડાયેલા છે. આ બેંક મારી બેંક છે, એવો સભાસદોનો અહેસાસ અમને દેખાઈ રહ્યો છે એનો આનંદ છે. અને ખૂબ મોટી માત્રામાં, કદાચ અમને અપેક્ષા નહોતી એના કરતા પણ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, કારણ કે બેંકને સાચવવાની છે, બેંકની મજબૂતાઈ ટકાવવાની છે. ‘લોકોનો ઉત્સાહ જ અમને કામ કરવાની પ્રેરણા આપે છે’ આ લોકશાહી છે અને 30 વર્ષ પછી જ્યારે ઇલેક્શન જાહેર થયું, ત્યારે ઘણા બધાને એવું હોય કે ચાલોને આપણે પણ ઉમેદવારી કરીએ, બસ એવા ભાવથી થયેલી ઉમેદવારી અને એ મિત્રો પણ સામે ઊભા છે. પણ લોકોને બેંક માટેની જે લાગણી છે, એ ગમે એટલી સામે પેનલ હોય તોય આ પેનલ જીતવી જોઈએ એ ઉત્સાહ જ અમને આ કામ કરવાની પ્રેરણા આપે છે. ગેરવહીવટ કે સારો વહીવટ નથી એવા આક્ષેપોનો જવાબ સભાસદોએ આપ્યો છે. સભાસદોને વિશ્વાસ છે. ગેરવહિવટના આક્ષેપો વિશે તમે શું કહેશો?જે આક્ષેપ થયા છે ને એ આક્ષેપમાં એક પણ ટકા સત્યતા નથી, કદાચ એવો વિચાર પણ નહીં આવ્યો હોય. સભાસદોને સાચવવાનું કદાચ ભારતભરમાં વરાછા બેંક એવી બેંક છે કે એને વીમાથી સુરક્ષિત, અકસ્માત વીમાથી સુરક્ષિત કર્યા હોય એવી બેંક છે. વાત આવી કર્મચારીની, તો અમારા કર્મચારીઓને 25 લાખ, 50 લાખ ને 1 કરોડનો વીમો બેંકના કર્મચારીના માટે અપાતો હોય એવી ભારતભરની આ પ્રથમ બેંક છે. અડચણ તો ઇલેક્શનમાં સ્વાભાવિક હશે જ, પણ અમારા સભાસદો બેંકની સાથે ટટ્ટાર થઈને ઊભા છે ને એ જ બેંકની મજબૂતાઈ છે. શું લાગે છે કેટલું મતદાન થશે?જવાબમાં કાનજી ભાલાળાએ કહ્યું કે, મતદાન મને એવું લાગે છે કે 15,000 જેટલું મતદાન કુલ થવાની પૂરી શક્યતા છે. અમને એવું હતું કે 10,000 મતદાન થશે, પણ જે ઉત્સાહ જે રીતે આવી રહ્યા છે ને લાઈન ખૂટતી જ નથી એ જોતા એવું લાગે છે કે મતદાન ઘણું થશે. આ બેંકની ખરેખર બેંકની સાથે સભાસદો છે એનું આ પ્રૂફ છે. સભાસદો સુધી પહોંચવામાં કેટવી મુશ્કેલી મડી?ડેટા પ્રોટેક્શન એક્ટને કારણે ઉમેદવારોને સભાસદોના મોબાઈલ નંબર સાથેની યાદી મળી શકી નહોતી. પણ અમે આખું સોશિયલ મિકેનિઝમ સમાજનું એ રીતે જોડાયેલું છે; ગામના મંડળ, પરિવારના મંડળ, સોસાયટીના મંડળ અને એ મંડળના એડ્રેસ નીકળ્યા અને એ એડ્રેસને આધારે પોતાની પાસેના નંબર એને મેચ કરીને અમે સંપર્ક કરવાની પૂરી કોશિશ કરી છે. અમે અંદાજે 25,000 સભાસદો સુધી મોબાઈલથી કોન્ટેક્ટ કરી શક્યા છીએ. બે ઉમેદવારો વંડી ઠેકીને ઈ પેનલમાં જતાં ચૂંટણીની જરૂર પડીઃ હિતેશ જાસોલિયાપરિવર્તન પેનલ ઉમેદવાર હિતેશ જાસોલિયાએ જણાવ્યું કે, વરાછા બેંકની ઇલેક્શનમાં હું વાત કરું તો 31 વર્ષના શાસન બાદ આ પહેલીવાર ઇલેક્શન છે અને એકહથ્થુ શાસન છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારે એકહથ્થુ શાસન ચાલતું હતું ત્યારે આ સહકાર પેનલના જ બે ઉમેદવારો જે અમારી પેનલમાં હતા અને વંડી ઠેકીને ઈ પેનલમાં વયા ગયા, ત્યારે આ ઇલેક્શન કરવાની ફરજ પડી છે. ‘લોકશાહી જીવંત રાખવા ચૂંટણી કરવી જરૂરી’આ કોઈ આ લોકશાહીના ભાગમાં અત્યારે આ કીડિયારું ઉભરાણું એ લોકશાહી બતાવે છે અને આને લોકશાહી કહેવાય. અમારો એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે કે વ્યવસ્થા પરિવર્તન થવું જોઈએ. વ્યવસ્થા પરિવર્તન માટે સહકારના કાયદા છે, આ બંધારણના કાયદા છે કે લોકશાહી જીવંત રાખવા માટે ચૂંટણી ફરજિયાત કરવી જરૂરી છે. તો જ લોકશાહીમાં આપણે જીવી શકીએ, રહી શકીએ અને મતદાતાનો અધિકાર પણ રહી જાય અને જે બેંકમાં અત્યારે હું વાત કરું તો મારા મુદ્દા અને જે વંડીઓ ઠેકીને ગયા છે જે બે વ્યક્તિઓ સહકાર પેનલમાં, અમારા બધાના સાથે મુદ્દા એવા હતા કે આ દીકરીઓને 11 મહિનાના કરાર ઉપર આ વરાછા બેંક રાખે છે, જો દીકરીની જ તમે વાત કરતા હોવ તો હું આ ખુલ્લી મીડિયાના માધ્યમથી તમને આ ચેલેન્જ આપું છું કે હું તમને પત્ર લખીશ. ‘આ લડાઈ વંડીઓ ઠેકવા વાળા સામે છે’આ હું બંધ નથી થઈ જવાનો આ હજી શરૂઆત છે. આજે અમે જ્યારે પેનલ ઉભી કરી ત્યારે અમારા પેનલમાંથી અમારી તોડી અને વંડીઓ ઠેકીને જે વઈ જવા વાળા છે ને એની સામે અમે લડાઈ છે આ અમારી. આ સહકાર પેનલ જો સહકાર નહીં આપે તો આવતા પાંચ વર્ષે પણ ચૂંટણીમાં જંગ લડવા માટે તૈયાર જ રહેજો. ‘20-21ના ઓડિટ રિપોર્ટ કેમ નથી મૂકતા?’અને મારા સભાસદ ભાઈઓને વિનંતી કરું છું કે આપ ઊંડી તપાસ કરજો જે કઈ વેબસાઈટો સરકારની અથવા તો વરાછા બેંકની પબ્લિક ડોમેન હોય એમાં ચેક કરી લેજો. જે 20-21ના ઓડિટ રિપોર્ટ કેમ નથી મૂકતા? અને જે હમણાં વાર્ષિક રિપોર્ટ જે જાહેર કરે છે 2025નો ઓડિટ રિપોર્ટ, તો એમાં પણ થાપણ તમે જોઈ લેજો કે થાપણ આવે છે 800 કરોડ રૂપિયા જે 3300 કરોડ રૂપિયા અને 4400 કરોડ થાય છે તો 800 કરોડ રૂપિયાનું ફંડ, આ લોન તો લોકો લાઈનમાં છે તો 800 કરોડ રૂપિયા કેમ લોન આગળ નથી આપતા? ‘મતદાતા અમને ન જીતાડે તો પણ વાંધો નથી’આ પણ ઘણા સવાલ ઉત્પન્ન થાય છે પણ હવે અમે પાપા પગલી કરતા શીખ્યા હતા, હવે અમે આમાં ઊંડા ઉતરી અને સીડી પાંચ વર્ષમાં સીડી ચઢીને બતાવશું. જો અમે સીડી ન ચઢી શકીએ, આ મતદાતા અમને ન જીતાડે, અમને કોઈ વાંધો નથી, કોઈ અફસોસ નથી પણ વ્યવસ્થા પરિવર્તન કઈ રીતના થાય એ આવનારા પાંચ વર્ષમાં અમે જ બતાવીશું. ચૂંટણીમાં અમે હારી જઈએ તો મને કોઈ ગમ નથી અમે દિલ જીતી લીધા છે લોકોના. આ વ્યવસ્થા પરિવર્તન અને આ લોકશાહીને જીવંત રાખવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:32 pm

ઠેબા બાયપાસ પાસે કાર-રિક્ષા અકસ્માત:રિક્ષામાં સવાર મુસાફરો સહિતના ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ભયંકર ટક્કરના કારણે કારની બોનેટ તૂટી

જામનગર શહેર નજીક ઠેબા બાયપાસ ચોકડી રોડ પર આજે એક મોટરકાર અને મુસાફરો ભરેલી રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાચાલક સહિત કારમાં સવાર પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઠેબા બાયપાસ પાસે મોટરકાર અને રિક્ષા સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ તરત જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ઈજાઓ થઈ હતી, જ્યારે મોટરકારમાં સવાર પરિવારના સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી અને રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:18 pm

NHSRCL પ્રોજેક્ટને પગલે અમદાવાદ રેલવે ડિવિઝનમાં બ્લોક:ગુજરાત મેલનો મણિનગર સ્ટોપેજ રદ, 08 મે સુધી રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કાંકરિયા–વટવા રેલખંડ પર NHSRCL (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી માટે વિશેષ બ્લોક લેવામાં આવ્યો હોવાથી, 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી બે મુખ્ય ઇન્ટરસિટી ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 19036 મણિનગર – વડોદરા અને ટ્રેન નંબર 19035 વડોદરા – વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ગુજરાત મેલના સ્ટોપેજમાં ફેરફારમાત્ર ટ્રેન રદ જ નહીં, પરંતુ લાંબા અંતરની ટ્રેનોના શિડ્યુલમાં પણ આંશિક ફેરફાર કરાયા છે. ટ્રેન નંબર 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલનો મણિનગર સ્ટેશન પરનો ઠેરાવ (Stoppage) 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઊભી રહેશે નહીં. મુસાફરો માટે સૂચનાઉનાળાની સિઝનમાં મુસાફરી કરનારા મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલાં NTES એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોની લેટેસ્ટ સ્થિતિ તપાસી લે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:17 pm

કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું:90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા, સુરતમાં સુસાઈડ નોટ લખી અને વીડિયો બનાવીને કહ્યું -'મારી આ હાલત માટે જુનેદ જવાબદાર છે'

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. 90 લાખની લોન સામે 2.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, ઉઘરાણી બંધ ન થતા આખરે વેપારીએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઈલ પી લીધું હતું. સુરતમાં આપઘાતનો પ્રયાસ કરતાં પહેલા કાપડના વેપારીએ 3 પેજની સુસાઈડ નોટ લખી છે અને એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં કાપડના વેપારીએ કહ્યું છે કે, મારી આ હાલત માટે ફક્ત ને ફક્ત જુનેદ જવાબદાર છે. વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યોભોગ બનનાર વેપારીના પુત્રના જણાવ્યા અનુસાર, વ્યાજખોર જુનેદની ઉઘરાણી એટલી હદે વધી ગઈ હતી કે પરિવારે પોતાની મિલકતો વેચીને પણ પૈસા ચૂકવ્યા હતા. આમ છતાં, જુનેદ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દબાણ સહન ન થતા કાપડના વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, તેમના મિત્રને જાણ થતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 3 પેજની સુસાઈડ નોટ અને વીડિયોમાં વ્યથા ઠાલવીઆ પગલું ભરતા પહેલા કાપડના વેપારીએ અત્યંત ભાવુક અને ચોંકાવનારો 3 પાનાનો પત્ર (સુસાઈડ નોટ) લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેમણે પોતાની વ્યથા અને વ્યાજખોર જુનેદ દ્વારા આપવામાં આવતા ત્રાસની વિગતો વર્ણવી હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓ હવે પોલીસ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે. વીડિયોમાં શું કહ્યું?મિત્રો મને માફ કરી દેજો, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હું અત્યારે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું હવે બહુ જ કંટાળી ગયો છું. તમે બધાએ મારા માટે બહુ જ પ્રયત્નો કર્યા કે હું આ મુસીબતમાંથી બહાર નીકળી આવું, પણ હું ના નીકળી શક્યો. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો રહ્યો નથી. જુનૈદ ભાઈનું પૈસા માટેનું બહુ જ પ્રેશર છે, મારી પાસે એક રૂપિયો પણ નથી તો હું તેમને પૈસા ક્યાંથી આપીશ? આખા ગામને ખબર છે કે જે પણ પૈસા આપવાના છે તે અસલમ સબ્બીર આપશે, મેં તો ખાલી ગેરેંટી જ લીધી હતી. પણ હવે તે પૈસા નથી આપતા તો હું શું કરીશ? હું ક્યાંથી આપીશ? મારા જે પણ મિત્રો મારી પાસે પૈસા માંગે છે તે મને માફ કરી દેજો અને મારી ફેમિલીને હેરાન ના કરતા. બસ, મારા માટે આટલી દુવા કરજો. સુસાઇડ નોટ હું મારી મરજથી આપઘાત કરી રહ્યો છું. કેમ કે મારાથી જુનેદ ખોરાવાલાના પૈસા માટેનું પ્રેસર સહન થતું નથી. મારાથી ભૂલ થઈ હતી Feb-2025 માં. કે મેં મારા ભાઈ અને તેનો પાર્ટનર પાસેની લાગણીમાં આવી ગયો. તેમને જુનેદ ખોરાવાલા પાસેથી મારી જીમ્મેદારી પર એક પ્રોપર્ટી લોન લેવા માટે તેમજ 50 લાખ રોકડ અપાવ્યા હતાં. તેમાંથી મારા પિતાની અમન સોસાયટીની મિલકત વેચી 33,00,000 જમા કરાવી દીધા હતા. તેમજ તેમ છતાં 50 લાખમાંથી 16 લાખ બાકી નીકળ્યા અને Galaxyની પ્રોપર્ટીમાં 78 લાખ બાકી નીકળ્યા. ટોટલ 94 લાખ બાકી જુનેદભાઈએ અસલમ-શબીરને આપવાનાં બાકી નીકળ્યા. આ બંને પાર્ટનર પ્રોબ્લેમમાં આવતા આ પૈસાની ઉઘરાણી મારી પાસેથી ચાલુ થઈ. જ્યાં સુધી મેં પૈસા પુરા નહીં કર્યા ત્યાં સુધી દર મહીને 2,35,000 વ્યાજ (તેનો મતલબ વ્યાજ ગણાય)તે આપવાનું. અને મને બહુ જ દબાવ આપી જુનેદ ખોરાવાલાએ 78 લાખની જગ્યાએ 22 લાખ વધારે માંગી. 1 કરોડની રીક્ષી (રસીદ/લખાણ) કરાવી દીધી. મેં પણ અમુક રકમ જુનેદભાઈ પાસે લીધી હતી. તેમાંથી આ હપ્તાઓમાં અસલમ-શબીરના વ્યાજના 14 લાખ જેટલા મારા પાસેથી લઈ લીધા અને આ બે વર્ષમાં મેં મારા પોતાના લીધેલા પૈસાનું પણ 20 લાખ જેટલું વ્યાજ ભરી દીધું હતું. હવે મારા પોતાના નામે 6,60,000/-, 6,60,000 + 1,40,000 = Total 23 લાખ માંગે છે અને અસલમ-શબીરના 1,60,000/- માંગે છે. આ પૈસાની ઉઘરાણી માટે તે કમિટીવાળી મને ખૂબ જ માનસિક ત્રાસ આપે છે. આ કારણને લીધે હું ડિપ્રેશનની બીમારી લાગી ગઈ છે. એ મને અવારનવાર માનસિક ત્રાસ આપ્યો છે અને વધી પણ ગયો છે. તે ફોન પર ધાક-ધમકી તેમજ Atlas સોસાયટીમાં આવી મારા ઘરની નીચે ઉભા રહીને ગાળાગાળી તેમજ ગમે તેવા શબ્દો બોલે છે. કામકાજ કરી ઘરે પરત આવતી વખતે રસ્તામાં રોકીને પણ ગાળો ભાંડે છે અને મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. અને એક દિવસ રાત્રે મને માર પણ માર્યો હતો, મારો છોકરો મને બચાવવા વચ્ચે પડ્યો તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી બધાયની સામે આપેલી હતી. મેં 122 પર કોલ કરીને પોલીસ બોલાવી હતી પણ એવી બધું ઓળખાણ હોઈ તે વખતે પોલીસ મારું નિવેદન લીધા વગર તેમજ કહેવાથી પાછી ચાલી ગઈ હતી. હું અને મારી ફેમિલી બહુ ડરી ગયા છીએ અને મારાથી પૈસા આવી શકે એવી પોઝિશન નથી. તે રોજે-રોજ ફોન કરી તેમજ સોસાયટીમાં આવીને પૈસાની માંગણી કરે છે તેમજ ધાક-ધમકી આપે છે. 24/2/24ના દિવસે તેણે મને મારવા બહારથી માણસો પણ બોલાવ્યા હતાં, જેની પાસે રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો હતા. જુનેદ એવું કહેતો હતો કે, હું તારા ટુકડે ટુકડા કરી નાખીશ તો પણ કોઈ મારું કંઈ બગાડી નહીં શકે, કેમકે ઝુબેર ઓરાવાળા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટા મોટા ઓફિસર સાથે ઓળખાણ છે તે બધાને ખબર છે મારી હવે મારી પાસે મરવા સિવાય કોઈ પણ વિકલ્પ બચતો નથી એનો ત્રાસ સહન થતો નથી મારું આપઘાત કરી રહ્યો છું. કેમકે હું જીવતો રહું તો એ મને ખોટા કેસોમાં ફસાવી તેમજ મારા છોકરાના ઘર B-106ની પણ માંગણી કરે છે. એ ઘર મારા છોકરાનું છે. મારી પાસે જે કંઈ પણ હતું એ મેં મારા પિતાનું અને સાસરિયુનું ઘર તેમજ મારી માતાના અને મારી પત્નીના તેમજ મારી છોકરીના દાગીના મેં ગિરવે મૂકીને જુનૈદ ઓરાવાળાને આખા પૈસા ચુકવેલ હતા. પણ હવે મારી પાસે કંઈ પણ બચ્યું નથી મેં મારા પૈસા મેળવીયા હતા. તેનાથી કઈક વધારે રકમ મેં લખવામાં મુકાવેલ છે અને મારા ભાઈની રકમ માટે 6 મહિનાને 15 દિવસ જેટલો વ્યાજ મેં મારી પાસેથી ચૂકવાયો. હવે મારી પાસે કંઈ પણ બચ્યું નથી સિવાય મને આપઘાત. મારી આ હાલત માટે ફક્તને ફક્ત જુનેદ હુકુમ ઓરાવાળા જ જવાબદાર છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:15 pm

રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું આયોજન:સ્પીપા ખાતે કાર્યદક્ષ શાસન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ લર્નિંગ પર મંથન

ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા એક મહત્વપૂર્ણ રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર આધારિત આ કાર્યશાળાનો પ્રારંભ અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. પરંપરાગત તાલીમથી પરિણામલક્ષી વહીવટ તરફભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓની તાલીમ પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો છે. હવે તાલીમને માત્ર ઔપચારિકતાને બદલે કર્મચારીની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારી રૂપે યોજાયેલા આ મંથનમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને વર્ગ-1 તથા 2ના અધિકારીઓએ વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા ચર્ચાઓ કરી હતી. AI અને ડિજિટલ લર્નિંગ પર વિશેષ ભારવર્કશોપ દરમિયાન કુલ 8 અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ જેવા આધુનિક મુદ્દાઓ પર ગહન વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને iGOT અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને વહીવટ સાથે સાંકળવા તથા સ્પીપાને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત, છેવાડાના માનવી સાથે જોડાયેલા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓને તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ માધ્યમથી તાલીમ આપવાનું વિઝન રજૂ કરાયું હતું. વિકસિત ભારત 2047 માટે બ્લુપ્રિન્ટકાર્યક્રમના અંતે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ સમગ્ર કવાયત ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ કાર્યદક્ષ તેમજ લોકભોગ્ય બનાવવા માટે એક મહત્વની બ્લુપ્રિન્ટ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:13 pm

જૂનાગઢમાં ગુંજ્યો નારો, ક્ષયમુક્ત ભારત અભિયાન:કૃષિ યુનિવર્સિટી અને મનપાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓએ લીધો ટીબી નિર્મૂલનનો મક્કમ સંકલ્પ

યસ! વી કેન એન્ડ ટી.બી.: લેડ બાય ભારત, પાવર્ડ બાય જનભાગીદારી ના બુલંદ નારા સાથે જૂનાગઢમાં વિશ્વ ક્ષયરોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રએ એકસૂરે હાકલ કરી હતી. 24 માર્ચ 2026ના રોજ કૃષિ મહાવિદ્યાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ટીબીના જીવાણુની શોધના 144માં વર્ષ નિમિત્તે વૈજ્ઞાનિક રોબર્ટ કોચના પ્રદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા ટીબી અંગે ગહન માર્ગદર્શનકાર્યક્રમના પ્રારંભમાં આર.એમ. સોલંકીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સિટી ટીબી ઓફિસર ડૉ. પી.એસ. પ્રકાશે ક્ષયરોગના ઇતિહાસ, લક્ષણો અને આધુનિક તપાસ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં દર વર્ષે આશરે 10.6 મિલિયન લોકો આ રોગનો શિકાર બને છે. ટીબીના 'લેટન્ટ' અને 'એક્ટિવ' પ્રકારો સમજાવતા તેમણે TrueNat જેવી ટેકનોલોજી અને DOTS સારવાર પદ્ધતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. જનભાગીદારીથી જ શક્ય છે ટીબીનું નિર્મૂલનમુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર તેજસ ડી. પરમારે વિદ્યાર્થીઓને આ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સર્વેક્ષણ અને જાગૃતિ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સિટી ટીબી સેન્ટર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકાર દ્વારા ચાલતા 'નિક્ષય મિત્ર' અભિયાન હેઠળ મળતી નિઃશુલ્ક સારવાર અને 6 થી 9 મહિનાની સારવાર પ્રક્રિયા અંગે પણ તેમણે મહત્વની વિગતો આપી હતી. સ્વચ્છતા અને જવાબદારીભર્યું વર્તનઅધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ જણાવ્યું કે જાહેર સ્થળોએ થૂંકવા જેવી આદતો સંક્રમણ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્વચ્છતા અને જવાબદારીભર્યા વર્તન દ્વારા જ આપણે આ રોગને રોકી શકીશું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી ટીબી જાગૃતિનો સંકલ્પ કર્યો હતો. નોંધનીય છે કે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચાલુ રહેશે. આ પ્રસંગે પી.એસ. પ્રકાશ, આર.એમ. સોલંકી, પી.ડી. કુમાવત અને એલ.સી. વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ પી.ડી. કુમાવત દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:09 pm

નાના વરાછામાં 181 અભયમની સફળતા:181 અભયમની એન્ટ્રીથી 11 વર્ષ જૂના લગ્નજીવનમાં ફરીથી પ્રેમની જ્યોત પ્રજ્વલિત થઈ

સુરતના નાના વરાછા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર મધ્યસ્થી કરીને એક હસતો-ખેલતો પરિવાર વિખેરાતા બચાવ્યો છે. 11 વર્ષથી સુખી લગ્નજીવન જીવતા આ દંપતીના સંબંધોમાં છેલ્લા 2 વર્ષથી તિરાડ પડી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના ગેરકાયદેસર સંબંધોના કારણે ઘરમાં રોજબરોજ કંકાસ થતો હતો, જેનાથી કંટાળીને પરિણીતાએ હેલ્પલાઇનનો સહારો લીધો હતો. કાઉન્સિલિંગથી બદલાયું પતિનું હૃદય ઘટનાની જાણ થતા જ સુરત-ઉમરા 181 અભયમની ટીમ તત્કાલ પરિણીતાના ઘરે પહોંચી હતી. ટીમે પતિને એક પતિ અને પિતા તરીકેની તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું. અસરકારક કાઉન્સિલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે અન્ય સ્ત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અને ભવિષ્યમાં પત્નીને હેરાન ન કરવાની ખાતરી આપી હતી. બાળકોના ભવિષ્ય માટે પત્નીનો ઉમદા નિર્ણય પતિએ પત્નીની લેખિતમાં માફી માંગી હતી. બીજી તરફ, પત્નીએ પણ પોતાના 2 સંતાનોના ભવિષ્ય અને 11 વર્ષના લાંબા સાથને માન આપીને પતિને સુધરવાની એક તક આપવાનું સ્વીકાર્યું હતું. 181 અભયમ ટીમના હસ્તક્ષેપથી એક તૂટતું લગ્નજીવન ફરી પાટે ચડ્યું છે, જે સમાજ માટે એક હકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:06 pm

મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં મોટા તફાવતથી ઉદ્યોગકારોમાં રોષ:જૂના - નવા ગ્રાહકો વચ્ચે મોટું અંતર; સરકારને સમાન ભાવની નીતિ માટે હસ્તક્ષેપ કરવા માગ કરી

મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક સામ્રાજ્યમાં અત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવ નિર્ધારણમાં રાખવામાં આવેલી વિષમતાને કારણે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સિરામિક એકમોની ગંભીર માંગ છે કે, જો સરકાર આ મામલે સક્રિય હસ્તક્ષેપ કરીને સમગ્ર ઉદ્યોગ માટે ‘એક સમાન ભાવ’ની નીતિ અમલી બનાવે, તો જ મંદીના મરણે પડેલા અને બંધ પડેલા કારખાનાઓમાં ફરી ચેતનાનો સંચાર થઈ શકે તેમ છે. હજારો ઉદ્યોગકારો નેચરલ ગેસના શરણે જવા મજબૂર વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની પ્રત્યક્ષ આંચ મોરબીના આંગણે વર્તાઈ રહી છે, જેના કારણે પ્રોપેન ગેસનો જીવનરેખા સમાન પુરવઠો સાવ ઠપ થઈ ગયો છે. પ્રોપેન ગેસ પર નિર્ભર રહેતા અનેક સિરામિક ટાઇલ્સના કારખાનાઓ છેલ્લા લગભગ 1 મહિનાથી બંધ થઈ ગયા છે. ઇંધણના આ ગંભીર સંકટને પગલે હવે હજારો ઉદ્યોગકારો અનિવાર્યપણે નેચરલ ગેસના શરણે જવા મજબૂર બન્યા છે. કારખાનેદારોમાં ઘેરી નિરાશા ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસ માટે ઈમેલ મારફતે જે ભાવપત્રક જાહેર કર્યું છે, તેણે ઉદ્યોગકારોની રહીસહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે. કંપની દ્વારા જૂના કાયમી ગ્રાહકો અને મજબૂરીવશ નવા જોડાયેલા ગ્રાહકો વચ્ચે ભાવમાં જે મોટું અંતર રાખવામાં આવ્યું છે, તેનાથી ઉદ્યોગ ફરી બેઠો થવાની આશા રાખતા કારખાનેદારોમાં ઘેરી નિરાશા વ્યાપી ગઈ છે. કાયમી ગ્રાહકો માટે સ્લેબ સિસ્ટમ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ આ સ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, એપ્રિલમાં જાહેર થયેલા દરો મુજબ છેલ્લા 6 મહિનાથી નેચરલ ગેસ વાપરતા કાયમી ગ્રાહકો માટે સ્લેબ સિસ્ટમ રખાઈ છે. જેમાં માસિક વપરાશના 50% સુધી 52 રૂપિયા, 50% થી 80% સુધી 75 રૂપિયા અને 80% થી 100% સુધી 85 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે, જેના કારણે કાયમી ગ્રાહકોને સરેરાશ 65 રૂપિયાના ભાવે ગેસ ઉપલબ્ધ થાય છે. નવા ગ્રાહકો માટે આકરો ભાવ ફટકારવામાં આવ્યો તેમણે વધુમાં વ્યથા ઠાલવતા ઉમેર્યું કે, પ્રોપેન ગેસના અભાવે જે નવા ગ્રાહકો નેચરલ ગેસ તરફ વળ્યા છે, તેમને કંપની દ્વારા સીધો 88 થી 90 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો આકરો ભાવ ફટકારવામાં આવ્યો છે. એક જ ઔદ્યોગિક વિસ્તારમાં, એક સરખી પ્રોડક્ટ બનાવવા માટે ગેસ કંપનીની આ બેધારી નીતિએ ઉદ્યોગકારો માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનાવી દીધું છે. મધ્યસ્થી કરવા માગ ઊઠી મનોજભાઈ એરવાડીયાએ સરકારને સત્વરે આ વિવાદમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી છે કે મોરબીના પ્રત્યેક કારખાનેદારને સમાન દરે નેચરલ ગેસ પૂરો પાડવામાં આવે. જો સરકાર લોકહિતમાં 'નહીં નફો નહીં નુકસાન'ના ઉમદા ધોરણે ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરે, તો જ એક મહિનાથી મૌન થઈ ગયેલા સિરામિક એકમોના પૈડાં ફરી ગતિમાન થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 2:05 pm

અર્થ આઇકોન-2 ભક્તિના રંગે રંગાયું:ખોડીયાર નગરમાં શ્રદ્ધાળુઓની જનમેદની વચ્ચે સુંદરકાંડના પાઠથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ગુંજારવ

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ અર્થ આઇકોન-2 ખાતે તાજેતરમાં એક ભવ્ય અને ભક્તિમય સુંદરકાંડ પાઠનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ઉમટી પડતા સમગ્ર વિસ્તાર આધ્યાત્મિકતા અને ભક્તિભાવના સૂરથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમના આયોજનથી સ્થાનિક રહીશોમાં અનેરી ખુશી જોવા મળી હતી. સ્થાનિક રહીશો અને સોસાયટીનો સહકાર આ ધાર્મિક ઉત્સવમાં સંકે સોસાયટીના સભ્યો તેમજ આસપાસના સ્થાનિક રહેવાસીઓએ ખૂબ જ ઉમંગભેર ભાગ લીધો હતો. સુંદરકાંડના પાઠ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થઈ ગયા હતા અને સમૂહ પાઠનો ધાર્મિક લાભ લીધો હતો. ભજન અને મંત્રોચ્ચારના કારણે વાતાવરણ અત્યંત પવિત્ર અને સકારાત્મક બની ગયું હતું. આયોજકો અને મહાનુભાવોની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન અશોકભાઈ જેસીધાણી, પ્રમુખ વિશાલભાઈ અને હિતેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોના સચોટ સંકલન અને રાત-દિવસની મહેનતને પરિણામે આ કાર્યક્રમ નિર્વિઘ્ને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પૂર્વ કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર તથા સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતાનો સંદેશ આ પ્રકારના ધાર્મિક આયોજનો માત્ર ભક્તિ પૂરતા મર્યાદિત ન રહેતા, સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મક ઊર્જા ફેલાવવાનું પણ ઉત્તમ કાર્ય કરે છે. અર્થ આઇકોન-2 ખાતે થયેલું આ આયોજન સામાજિક સમરસતા વધારવાની દિશામાં એક સરાહનીય પ્રયત્ન સાબિત થયું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:59 pm

બોટાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો:મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નિર્મિત

બોટાદમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે, નવું શ્રી સ્વામિનારાયણ મંદિર માનવજીવનને સંસ્કારથી શિક્ષિત અને દીક્ષિત કરવાનું પ્રેરણા કેન્દ્ર બનશે. તેમાંથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું કે, આ મંદિર દ્વારા માનવી વ્યસનો અને દૂષણોથી હંમેશા દૂર રહી શકશે. આ શિલાન્યાસ સમારોહમાં વરિષ્ઠ સંતમંડળ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:53 pm

ગઢડામાં ભાજપ સ્થાપના દિવસ પૂર્વે યુવા મોરચા દ્વારા પેમ્પલેટ વિતરણ:શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને કાર્યક્રમની માહિતી અપાઈ

ગઢડા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, ગઢડા યુવા ભાજપ મોરચા દ્વારા આજે શહેરમાં પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા મોરચાના પ્રમુખ અને કાર્યકરોએ માણેક ચોક, નવી કાપડ બજાર, સોની બજાર અને બોટાદના ઝાંપા સહિતના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકોને પેમ્પલેટ આપ્યા હતા. આ પેમ્પલેટ દ્વારા આવતીકાલના કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યકરોએ નાગરિકોને આ કાર્યક્રમોમાં જોડાઈને ઉજવણીને સફળ બનાવવા અપીલ કરી હતી. ગઢડા યુવા ભાજપ પ્રમુખ કિશન ચૌહાણે આ અંગે માહિતી આપી હતી. ભાજપના સ્થાપના દિવસને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:42 pm

રાજકોટમાં ભાજપનો કેશિયો પાર્ટી સાથે પ્રચાર શરૂ:મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસકામોની પત્રિકા ઘરે ઘરે આપી, BJP કોર્પોરેટર ભૂલથી 26 ને બદલે 25 એપ્રિલે કમળને મતદાનની અપીલ કરી બેઠા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા વિકાસકામોની પત્રિકા લઈને ગુજરાત ભાજપ દ્વારા આજે તા.5 એપ્રિલથી બુથ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં ઉમેદવારો જાહેર થાય તે પૂર્વે શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં વોર્ડ નંબર 2 માં પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન શાસક પક્ષના પૂર્વ દંડક અને પૂર્વ કોર્પોરેટર મનીષ રાડિયા જનસંપર્ક દરમિયાન લોકોને ભૂલથી કહી બેઠા કે 25 એપ્રિલે ભાજપને મત આપવા જજો. જોકે હકીકતમાં 26 એપ્રિલે મતદાન છે. આ ઉપરાંત વોર્ડ નંબર 3 માં ઉમેદવાર વિના કેશિયો પાર્ટી સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, 6 એપ્રિલના ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે ત્યારે તેના એક દિવસ પૂર્વે સમગ્ર ગુજરાતમાં બૂથ કક્ષાના મહાસંપર્ક અભિયાનનું આયોજન કરાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેવાડાના માનવ સુધી પહોંચવાની ગતિ છે. જે અંગેની પ્રદેશ કક્ષાએથી તૈયાર થયેલી વિકાસકામોની પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કરી રહ્યા છીએ. અમારા માટે ઉમેદવાર મહત્વનો નથી પરંતુ અમારો વિચાર મહત્વનો છે અને અમારું નિશાન કમળ મહત્વનું છે. તેમણે જણાવ્યું હતુ કે, આજે શહેરના તમામ બુથમાં અમારો પ્રચાર પૂર્ણ થશે અને આ પ્રચાર એ રીતનો હશે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પક્ષે કરેલા કામોને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ. જેમાં કમળના નિશાન પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. આજે અમારા દૈનિક જનસંપર્કને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. રાજકોટ શહેરમાં ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, AIIMS, અટલ સરોવર, ફાયર સ્ટેશનો, વોર્ડ ઓફિસો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતના વિકાસકામો થયા છે. રાજકોટ શહેરના મેગા સિટી બનાવવા માટે જે કઈ પણ વિકાસ કરવાના હોય તે થઈ રહ્યા છે. આગામી સમયમાં કન્વેન્શન સેન્ટર, ન્યૂ રેસકોર્સ, વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના કામો કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:27 pm

​જૂનાગઢના બિલખા રોડ પર સિંહની પજવણી:ટોર્ચના પ્રકાશથી સિંહ અંજાયો, પથ્થરમારાથી સિંહણ વિફરી; વાઇરલ વીડિયોએ વન વિભાગની પોલ ખોલી

​જૂનાગઢના બિલખા રોડ પર સિંહોની પજવણીની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો દ્વારા સિંહ પર હાઈ-બીમ ટોર્ચ મારતા પ્રબળ પ્રકાશને કારણે સિંહની આંખો અંજાઈ જતાં ત્યાંથી દૂર ખસવા મજબૂર બન્યો હતો. આટલેથી ન અટકતા શખસોએ સિંહણ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે શાંત ગણાતી સિંહણ અત્યંત આક્રમક બની ગઈ હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે, વન વિભાગની સુરક્ષા-વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી છે. ​આ બાબતે વન વિભાગના જવાબદાર અધિકારી સુહાગીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. સિંહદર્શનની લહાયમાં લોકો ભાન ભૂલી રહ્યા છે​ગિરનારના જંગલ વિસ્તારમાં અત્યારે 54થી વધુ સિંહોનો વસવાટ છે. ખાસ કરીને બિલખા રોડ અને પીટીસી પરેડ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં સિંહો અવારનવાર મારણની શોધમાં આવી ચડે છે. સિંહદર્શનની લહાયમાં લોકો ભાન ભૂલી રહ્યા છે અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. જ્યારે સિંહ શાંતિથી પોતાનું મારણ કરી રહ્યો હોય અથવા વિસામો લેતો હોય, ત્યારે આવા તત્વો વીડિયો ઉતારવા કે મનોરંજન માટે સિંહને ઉશ્કેરવાનું કૃત્ય કરે છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે સિંહ દર્શનની મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે, છતાં વન વિભાગના પેટ્રોલિંગનો ક્યાંય પત્તો નથી. ​વન વિભાગની કામગીરી સામે અનેક સવાલોએક તરફ સરકાર સિંહ સંરક્ષણ માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે અને સિંહના રક્ષણના મોટા-મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને ઠંડી હવા ખાઈ રહ્યા છે, જ્યારે સિંહો રસ્તાઓ પર અસુરક્ષિત રીતે રખડી રહ્યા છે. બે દિવસ પહેલા જ ભવનાથ વિસ્તારમાં સાત સિંહોના ટોળાએ જીવના જોખમે રસ્તો ક્રોસ કર્યો હતો. તે સમયે વાહનચાલકોએ માનવતા દાખવી વાહનો થંભાવી દીધા હતા, પરંતુ વન વિભાગના કોઈ કર્મચારી કે ગાર્ડ ત્યાં હાજર નહોતા. જો આ સિંહો કોઈ અકસ્માતનો ભોગ બને કે કોઈ માનવ-સંઘર્ષની ઘટના બને તો જવાબદાર કોણ?

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:18 pm

વલસાડ પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત થઈ લવારા:બે વકીલ સહિત ત્રણ સામે ગુનો, પોલીસે કાયદેસર કાર્યવાહી કરી

વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં તોફાન કરવા બદલ બે વકીલ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના 4 એપ્રિલની મધ્યરાત્રિએ બની હતી, જ્યારે આ શખ્સો પોલીસ મથકમાં લથડિયાં ખાતા અને બકવાસ કરતા ઝડપાયા હતા. ઘટનાની વિગતો અનુસાર, 4 એપ્રિલ, 2026 ના રોજ રાત્રે 10:30 કલાકે ગાંધીનગર 112 પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એક મેસેજ મળ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો બકવાસ કરી રહ્યા છે. ફરજ પરના એ.એસ.આઈ. રાજેશભાઈ કાશીનાથભાઈ અને સ્ટાફે તેમની પૂછપરછ કરતા તેઓ તોતડાતી જીભે વાત કરતા અને નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે પંચોની હાજરીમાં આ ત્રણેય ઈસમોને ચલાવી જોતા તેઓ શરીરનું સંતુલન જાળવી શકતા નહોતા અને તેમની આંખો લાલચોળ હતી. બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરતા તેઓ નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થઈ હતી. તેમની પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ ન હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જીલ રાજેશભાઈ મેરાઈ (24, વકીલાત, રહે. ધરમપુર), વૈભવ સુરેશભાઈ પટેલ (29, વકીલાત, રહે. અબ્રામા, વલસાડ) અને કરણકુમાર અશોકકુમાર દેસાઈ (28, ખેતી, રહે. સોનવાડા, વલસાડ) નો સમાવેશ થાય છે. વલસાડ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)બી મુજબ ગુનો નોંધી, તેમને મેડિકલ તપાસ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:04 pm

જામનગરના 3 યુવા ક્રિકેટરોની પસંદગી:ઇન્ડિયા U-19 NCA કેમ્પમાં સ્થાન મેળવ્યું

જામનગરના ત્રણ યુવા ક્રિકેટરો જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર કુમારની ઇન્ડિયા અન્ડર-19 નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. આ ત્રણેય ખેલાડીઓએ ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર U-19 ટીમ અને પ્રતિષ્ઠિત જયહિંદ ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડ દેખાવમાં તેમની સતત સારી રમતને કારણે સિલેક્ટરોનું ધ્યાન ખેંચાયું હતું. આ ખેલાડીઓની સફળતામાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમણે વર્ષોથી આ યુવા ક્રિકેટરોને નિયમિત અને વ્યાવસાયિક તાલીમ આપી છે, જેના પરિણામે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી શક્યા છે. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરતભાઈ મથ્થરે જણાવ્યું હતું કે, “આ ત્રણેય ખેલાડીઓની પસંદગી સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. તેમની મહેનત, લગન અને શિસ્ત પ્રશંસનીય છે. અમને વિશ્વાસ છે કે તેઓ ભવિષ્યમાં ભારત માટે પણ રમશે અને દેશનું નામ રોશન કરશે.” આ સિદ્ધિ બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓના વાલીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ સફળતા જામનગરમાં વિકસતી ક્રિકેટ સંસ્કૃતિ માટે પ્રેરણારૂપ છે અને ભવિષ્યમાં આવા વધુ યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 1:01 pm

પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટની ગુજરાત એડમિન મીટિંગ યોજાઈ:ચોટીલામાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ

પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોટીલા ખાતે ગુજરાતના એડમિન સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના વિવિધ અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે આમંત્રણ પત્રિકાની રૂપરેખા અંગે વિગતવાર વિચારણા કરાઈ હતી. દાતાઓની નામાવલિ અને દાનની વિગતો ટ્રસ્ટમાં રજૂ કરવા માટે સૂચનાઓ અપાઈ હતી. મંડપ, કેટરિંગ અને સ્થળ વ્યવસ્થા અંગે ચર્ચા કરીને સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. અતિથિઓ અને દાતાઓ માટે રહેઠાણ વ્યવસ્થા અંગે પણ નિર્ણયો લેવાયા હતા. ખાસ કરીને, નવચંડી આયોજન માટે જરૂરી સરકારી મંજૂરીઓ મેળવવા અને સંબંધિત કામગીરી માટે વિવિધ સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ટ્રસ્ટની રસીદ અને હિસાબ નિયમિતપણે જમા કરાવવા માટે પણ સૂચનાઓ અપાઈ હતી. એડમિન સભ્યોના પ્રશ્નો અને સૂચનો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી, અને તેમને વિવિધ કામગીરીની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. શૈક્ષણિક માર્ગદર્શન અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ એડમિન સભ્યોનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:58 pm

આબુરોડની વાસડા વાઇન શોપમાં આગ:વહેલી સવારે લાગી, મોટું નુકસાન થયું

રાજસ્થાનના આબુરોડ સ્થિત વાસડા વાઇન શોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આ ઘટના અમીરગઢ નજીક બની હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, આ આગને કારણે વાઇન શોપના માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. માવલ રાજેસ્થાન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:51 pm

અમરેલીમાં 10 Km રનનું આયોજન:ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ સાથે જાગૃતિ

અમરેલી શહેરમાં ‘એન્વિઝન અમરેલી 10 Km અને 5 Km રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં આશરે 500 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ સાથે યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ Envision Energy, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો. દોડમાં ભાગ લેનારાઓએ 5 Km અને 10 Kmનું અંતર પૂર્ણ કરીને ફિટનેસ, યોગ્ય પોષણ અને સ્વચ્છતાનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વિભાગ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સેન્ટર અને અન્ય અધિકારીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત અને સુચારુ આયોજનના કારણે સમગ્ર ઇવેન્ટ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થઈ. આવા કાર્યક્રમો અમરેલીના નાગરિકોને શારીરિક રીતે સક્રિય રહેવા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનવા માટે પ્રેરણા આપે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:50 pm

ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ:રજાના દિવસે ઘટના, ફાયર બ્રિગેડે કાબૂ મેળવવા પ્રયાસ કર્યા

ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી હતી. સ્માર્ટ બજાર નજીક આવેલા આ કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી. આગ લાગતા આસપાસના વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી. આગનો ધુમાડો દૂરથી દેખાતા લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરકર્મીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી બેંકમાં લાગી હોવાથી નીચેની દુકાનો સુધી ફેલાવાનો ભય હતો. રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આગના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:47 pm

ટીન્ડર પરની મિત્રતા યુવકને ભારે પડી!:ડેટિંગ એપ પર સંપર્ક કરી યુવતીએ રોકાણની લાલચ આપી રૂ.56 લાખની છેતરપિંડી આચરી

શહેરમાં ફાર્મા કંપનીના ડેપ્યુટી મેનેજર યુવકે ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરી જે બાદ યુવતીની વાતોમાં આવીને અજાણી એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતું. યુવકે લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે મોટો નફો બતાવતા હતાં, જેથી યુવકે નફો ઉપાડવા વધુ લખો રૂપિયા ભર્યા છતાં યુવકને કોઈ રકમ પરત આપી નહોંતી. યુવક સાથે થયેલી 56.35 લાખની છેતરપિંડી મામલે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીની વાતોમાં આવી એપ ડાઉનલોડ કરીમણીનગરમાં રહેતો 40 વર્ષીય યુવક ફાર્મા કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. યુવક પાંચ વર્ષથી ડેટિંગ એપ્લિકેશન ટિન્ડર વાપરે છે. યુવકને ટીન્ડર પર આરોહી ગુપ્તા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને થોડા સમય વાતચીત કરી જે બાદ આરોહીએ યુવકને કરન્સી ટ્રેડિંગના રોકાણ કરવાનું જણાવ્યું હતું, જેમાં સારો નફો થાય એવી લાલચ આપી હતી. યુવકે આરોહીની વાતોમાં આવીને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જેમાં યુવકે તેની ડોક્યુમેન્ટ સહિતની વિગતો ભરીને એકાઉન્ટ ખોલાવ્યું હતું. એકાઉન્ટમાં શરૂઆતમાં યુવકે 40,000નો રોકાણ કરતા નફા સાથે 43,000થી વધુ ની રકમ બતાવતા હતા, જેથી યુવકને વિશ્વાસ આવી ગયો હતો. પૈસા ઉપાડવા વધુ રકમ ભરવા કહ્યુંયુવકે આરોહીની વાતોમાં વિશ્વાસ કરીને ટુકડે-ટુકડે એપ્લિકેશનમાં 35. 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે યુવકને 1.24 કરોડ રૂપિયા નફો બતાવતા હતા. યુવકે નફા સાથેની રકમ ઉપાડવાનો પ્રયત્ન કરતા યુવકને ટેક્સ અને અલગ અલગ બહાના હેઠળ પૈસા ભરવાનું જણાવતા યુવકે 17 લાખ અને 3.95 લાખ એમ અલગ-અલગ રકમ પણ ભરી હતી. છતાં યુવકને કોઈ રકમ પરત આપવામાં આવી નહોતી, જેથી યુવકને તેની સાથે ફ્રોડ થયાની જાણ થતા યુવકે 56.35 લાખની છેતરપિંડી મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:14 pm

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે નિયંત્રણો જાહેર:ફોર્મ ભરવા કચેરી પાસે 3 વાહન, 5 વ્યક્તિને જ પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ઉમેદવારી પત્રો ભરવા સંદર્ભે નિયંત્રણો જાહેર કર્યા છે. આ નિયંત્રણો મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓને લાગુ પડશે. જાહેરનામા મુજબ, ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનોને પ્રવેશ મળશે. કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયંત્રણો અપક્ષ ઉમેદવારો તેમજ બિન-માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોને પણ લાગુ પડશે. જો દરખાસ્ત મૂકનાર અન્ય મતદારોએ કચેરીમાં હાજર રહેવું અનિવાર્ય હોય, તો અગાઉ પ્રવેશેલા ચાર મતદારો બહાર નીકળ્યા બાદ જ અન્ય મતદારોને ક્રમશઃ પ્રવેશ અપાશે. આ જાહેરનામું ૬ એપ્રિલ, 2026 થી 11 એપ્રિલ, 2026 ના રાત્રિના 24.00 કલાક સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ, રાજકીય પક્ષ કે ઉમેદવાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:12 pm

ગીર સોમનાથ પોલીસે બાળકોને ગુડ ટચ-બેડ ટચની સમજ આપી:વેરાવળની શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સલામત ગુજરાતનું લક્ષ્ય સાર્થક

ગીર સોમનાથ પોલીસે વેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલય શાળામાં 'ગુડ ટચ-બેડ ટચ' જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતી બાળકીઓને સુરક્ષા અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ભયમુક્ત અને જાગૃત બનાવવાનો હતો. જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી 'સલામત ગુજરાત'ના લક્ષ્યને સાર્થક કરવા અને પ્રજા-પોલીસ વચ્ચે સુમેળ સાધવા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી અને શી-ટીમના કર્મચારીઓ – એ.એસ.આઈ. ક્રિષ્નાબેન રઘુભાઈ, પો.કોન્સ. રેખાબેન રામભાઈ, પો.કોન્સ. હર્ષાબેન મેણસીભાઈ અને પો.કોન્સ. પરીતાબેન કનુભાઈ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. બાળકીઓને 'ગુડ ટચ-બેડ ટચ' વિશે સમજાવવામાં આવ્યું અને તેમને જાગૃત તથા સજાગ રહેવા, નિર્ભયપણે પગલાં લેવા અને તાત્કાલિક પોતાના માતા-પિતા, વાલી અથવા શિક્ષકોને જાણ કરવા અંગે માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, શાળાની બાળકીઓને સેલ્ફ-ડિફેન્સ વિશે પ્રાથમિક સમજ પણ આપવામાં આવી. પોલીસ વિભાગ દ્વારા 04/04/2026ના રોજ શાળાના શિક્ષકો માટે સેલ્ફ-ડિફેન્સ તાલીમનું આયોજન પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:09 pm

ગુજરાતના દરિયાકાંઠે 'લોખંડી' સુરક્ષા:જામનગર બાદ હવે કચ્છમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ; પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે ભારતની જળસીમા પર સંભવિત ખતરાઓને ટાળવા માટે ગુજરાત પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ સજ્જ થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાના કારણે શંકાસ્પદ ગતિવિધિઓ અને ઘૂસણખોરી રોકવા માટે દરિયાઈ પટ્ટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કચ્છ: સરહદી અને દરિયાઈ વિસ્તારોમાં હાઈ-એલર્ટ કચ્છ જિલ્લો જે રણ અને દરિયો ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે, ત્યાં સુરક્ષા એજન્સીઓને 'એલર્ટ મોડ' પર રાખવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સ્થાનિક માછીમારો અને સરહદી લોકોને યુદ્ધની ગંભીરતા અને શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો તુરંત જાણ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં ગઇકાલે હાથ ધરાયું હતું સ્પેશિયલ ઓપરેશન જામનગર સેક્ટરમાં ગઇકાલે એટલે કે 3/4/2026ના રોજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ નીચે મુજબના સ્થળોએ તપાસ કરી હતી: સુરક્ષા વધારવાનું મુખ્ય કારણ સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ બાદ હાઈ-એલર્ટ અપાતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં પૂરતી તકેદારી રાખવી અનિવાર્ય બની છે. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતની જળસીમાને સુરક્ષિત રાખવી અને કોઈપણ સંભવિત ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવો એ આ સઘન પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને દેશની સુરક્ષા સામે કોઈ જોખમ ઉભું ન થાય.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 12:03 pm

સુરેન્દ્રનગર ચૂંટણી, હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ:શાંતિપૂર્ણ મતદાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પડાયું

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી જારી કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગના કાર્યક્રમ મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ-2026 માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી થશે. આ જાહેરનામા અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં પરવાનાવાળા શસ્ત્રોની હેરફેર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. થાનગઢ નગરપાલિકા વિસ્તારના તમામ પરવાનાધારકોએ પોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા 'આર્મ્સ રૂલ્સ-૨૦૧૬' મુજબ માન્યતા પ્રાપ્ત આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. જો હથિયાર ડીલર પાસે જમા કરાવવામાં આવે, તો તેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનને કરવી ફરજિયાત છે. જોકે, હથિયારના કારતૂસ કે દારૂગોળો જમા કરાવવાની જરૂર રહેશે નહીં. જોકે, કેટલાક વર્ગોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ કે જેમને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી છે, તેઓ આમાંથી મુક્ત રહેશે. આ ઉપરાંત, જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોકડની હેરફેર માટે ફરજ પરના સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ્સ, જેઓ માન્ય પરવાનો અને ઓળખપત્ર ધરાવે છે, તેઓ પણ શસ્ત્રો રાખી શકશે. નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્યો કે જેઓ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને સ્ક્રિનિંગ કમિટી દ્વારા શસ્ત્ર જમા કરાવવામાંથી મુક્તિ મેળવી છે, તેમને પણ આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે 'ભારતીય ન્યાય સંહિતા, 2023'ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ 26 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:54 am

વલસાડમાં ગરમીનો પારો સ્થિર, બફારો વધશે:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ, હળવા વરસાદની શક્યતા

વલસાડ જિલ્લામાં ગરમીનો પારો સ્થિર રહ્યો છે. આજે મહત્તમ તાપમાન 29C નોંધાવાની શક્યતા છે, જે ગઈકાલ જેટલું જ રહેશે. જોકે, ભેજનું પ્રમાણ વધવાને કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત સહિત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વલસાડમાં 10% જેટલા હળવા વરસાદની શક્યતા છે. આકાશ મુખ્યત્વે સૂર્યપ્રકાશિત રહેશે, પરંતુ છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે. પવન મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી આશરે 11 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. હવામાં ભેજનું પ્રમાણ 54% જેટલું રહેવાની શક્યતા છે, જેના કારણે બપોરના સમયે ગરમીની સાથે અકળામણનો અનુભવ થઈ શકે છે. આજે યુવી ઇન્ડેક્સ 10 (ખૂબ ઊંચો) રહેવાની શક્યતા છે, તેથી બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ગઈકાલે પણ દિવસ દરમિયાન ગરમીનું જોર હતું, પરંતુ પશ્ચિમી પવનોને કારણે સાંજે થોડી રાહત મળી હતી. આજે પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:51 am

મૃત દાદાની નકલી સહી: ભત્રીજી સામે છેતરપિંડીની ફરિયાદ.:કાકાએ વલસાડ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

વલસાડ સિટી પોલીસ મથકે એક અનોખી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એક 19 વર્ષીય યુવતીએ પોતાના મૃત દાદાની ખોટી સહી કરીને તેમની ઇકો કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હોવાનો આક્ષેપ છે. આ મામલે યુવતીના કાકાએ પોતાની ભત્રીજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તા ભાવેશકુમાર રમણલાલ પટેલ (રહે. ચીખલી, નવસારી) ના પિતા રમણલાલ છનાભાઈ પટેલનું અવસાન ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ થયું હતું. રમણલાલના નામે સફેદ રંગની મારૂતિ ઇકો કાર (નંબર: GJ-21-AQ-8607) હતી. ભાવેશકુમારના મોટાભાઈ સંજયભાઈનું પણ અવસાન થયું છે, અને તેમની દીકરી જીયાબેન સંજયભાઈ પટેલ (ઉ.વ. ૧૯) આ કેસમાં આરોપી છે. ફરિયાદ મુજબ, જીયાબેને તેના દાદા રમણલાલ પટેલના અવસાનની જાણ હોવા છતાં, ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ વલસાડ આરટીઓ કચેરી ખાતે કાર ટ્રાન્સફર માટેના TTO ફોર્મ પર દાદાની ખોટી અને બનાવટી સહીઓ કરી હતી. આ નકલી સહીઓને સાચી તરીકે દર્શાવીને આશરે ₹૨ લાખની કિંમતની ઇકો કાર પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. પરિવારના અન્ય સભ્યોને જાણ કર્યા વગર કાર પોતાના નામે થઈ ગઈ હોવાની શંકા જતાં, ભાવેશકુમારે વલસાડ આરટીઓ કચેરીમાં માહિતી અધિકાર (RTI) હેઠળ વિગતો માંગી હતી. તપાસમાં સામે આવ્યું કે કાર ટ્રાન્સફર માટે જે સહીઓ કરવામાં આવી હતી તે બનાવટી હતી, કારણ કે તે સમયે તેમના પિતા હયાત ન હતા. આ મામલે વલસાડ ટાઉન પોલીસે જીયાબેન સંજયભાઈ પટેલ વિરુદ્ધ કલમ ૩૩૬(૨), ૩૩૬(૩) અને ૩૪૦(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:49 am

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: હથિયાર પરિવહન પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી હથિયાર જમા કરાવવા આદેશ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 સંદર્ભે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ જાહેર સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જિલ્લામાં કડક આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં પરવાનાવાળા શસ્ત્રોની હેરફેર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા દરેક પરવાનાધારકોએ પોતપોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા 'આર્મ્સ રૂલ્સ-2016' મુજબ માન્યતા પ્રાપ્ત આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. જો હથિયાર ડીલર પાસે જમા કરાવવામાં આવે, તો તેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનને કરવી ફરજિયાત છે. પરવાનાધારકોએ હથિયારના કારતૂસ કે દારૂગોળો જમા કરાવવાની જરૂર રહેશે નહીં. ફરજ પર રોકાયેલા પોલીસ કે અન્ય કર્મચારીઓ/અધિકારીઓ કે જેઓને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી છે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે. આ ઉપરાંત, જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ લાવવા-લઈ જવા માટે ફરજ પરના સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ્સ, જેઓ માન્ય પરવાનો ધરાવે છે, તેઓ ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખી શકશે, પરંતુ ફરજ દરમિયાન તેમણે પોતાનું ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય રહેશે. નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્યો કે જેઓ વિવિધ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય અને જેમને સ્ક્રિનિંગ કમિટી દ્વારા શસ્ત્ર જમા કરાવવામાંથી મુક્તિ મળી હોય, તેમને પણ આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ 'ભારતીય ન્યાય સંહિતા, 2023'ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રતિબંધ 26 એપ્રિલ, 2026 સુધી અમલી રહેશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:48 am

ભરૂચમાં ગૌસેવા અર્થે ભવ્ય લોકડાયરો યોજાયો:દેવાયત ખવડ, સાગરદાન ગઢવીના સૂર પર લોકો ઝૂમ્યા, મોટી જનમેદની ઉમટી

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા એમ.કે. કોલેજ સામેના આત્મીય સંસ્કાર ધામના ગ્રાઉન્ડ ખાતે ગતરોજ રાત્રિના સમયે ગૌસેવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મેઘલ ગ્રુપના સૌજન્યથી યોજાયો હતો. ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને લોકગાયક સાગરદાન ગઢવીએ આ કાર્યક્રમમાં પોતાની કલાત્મક રજૂઆતથી ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધો હતો. લોકસંગીત અને ડાયરાના રંગે રંગાયેલા વાતાવરણમાં લોકો ઉત્સાહભેર ઝૂમી ઊઠ્યા હતા. આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના રાજકીય આગેવાન રણદીપસિંહ રીબડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સામાજિક હેતુ સાથે જોડાયેલા આ આયોજનને સર્વત્ર પ્રશંસા મળી રહી છે. લોકોએ બંને ગાયકો ઉપર રૂપિયાની નોટની વર્ષા પણ કરી હતી, જેનાથી લોકોનો ઉત્સાહ વધુ વધ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર, માર્મિક પટેલ, જિતેન્દ્ર પરમાર, દિનેશ આહિર, કિરપાલ વાઘેલા, નરેશ ઠક્કર, કરજીત પટેલ, કૃણાલસિંહ ડાયમા અને કૌશિક સોલંકી સહિતના આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:44 am

આચાર સંહિતાનો કડક અમલ:રાજકોટમાં દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરમાંથી 650 બોર્ડ અને બેનરો હટાવી દેવાયા, એસ્ટેટ વિભાગે તમામ એજન્સીઓ સાથે બેઠક યોજી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિતની વિવિધ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને અન્ય સ્વાયત સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને તા1 એપ્રિલથી આદર્શ આચાર સંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન ન કરે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને એસ્ટેટ શાખા સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તેમજ બે દિવસમાં શહેરમાંથી સરકારી જાહેરાત વાળા 650 બોર્ડ અને બેનરો હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે એસ્ટેટ વિભાગે તમામ એજન્સીઓ સાથે બેઠક યોજી સરકારી જાહેરાત વાળા બોર્ડ-બેનરો હટાવવા કડક સૂચના આપી દીધી છે. રાજકોટમાં આચાર સંહિતાનો અમલ શરૂ થતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને સૂચના આપી હતી કે, શહેરના કોઈ પણ વિસ્તારમાં સરકારી મિલકતો કે જાહેર માર્ગો પર રાજકીય જૂથો સાથે જોડાયેલા પ્રચાર-પ્રસાર કરતા બોર્ડ, બેનર, ઝંડીઓ કે હોર્ડિંગ્સ તાત્કાલિક અસરથી દૂર કરવા. કમિશનરના આ આદેશના પગલે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારી પરબત બારીયાની આગેવાની હેઠળની ટીમ સમગ્ર શહેરમાં ફરી વળી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર કરતા અંદાજે 650 જેટલા બોર્ડ, બેનર અને ઝંડીઓ ઉતારી લેવામાં આવી હતી. મનપાની આ કામગીરીમાં ખાસ કરીને એવા બોર્ડ અને બેનરો પર નિશાન સાધવામાં આવ્યું હતું જેમાં રાજકીય નેતાઓની તસવીરો, તેમના નામ અને હોદ્દાની વિગતો દર્શાવવામાં આવી હતી.વિગતવાર માહિતી મુજબ, દબાણ હટાવ શાખાની ટીમે શહેરના વિવિધ વોર્ડમાં ફરીને આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં વોર્ડ નં. 9 નિલકંઠ સોસાયટી વિસ્તાર અને આસપાસના મુખ્ય માર્ગો, વોર્ડ નં. 13 આનંદ બંગલા ઇન્ડસ્ટ્રિઝ એરિયા, વોર્ડ નં. 14નાં મુખ્ય ચોક અને જાહેર મિલકતો તેમજબવોર્ડ નં. 2 સરકીટ હાઉસ અને તેની આસપાસના વિસ્તારોમાંથી બોર્ડ અને બેનરો હટાવવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા રાજકીય હોર્ડિંગ્સ અને ધજા-પતાકાઓને જપ્ત કરવામાં આવ્યા છે. દબાણ હટાવ શાખાના અધિકારીએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે આચાર સંહિતા દરમિયાન શહેરના તમામ 18 વોર્ડ અને વિસ્તારોમાં સતત ફેરણી કરવામાં આવશે. જ્યાં પણ નિયમ વિરુદ્ધ બોર્ડ કે બેનર જોવા મળશે, તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, તમામ રાજકીય પક્ષો, સંસ્થાઓ અને નેતાઓને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યાં સુધી આચાર સંહિતા અમલમાં છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પ્રચાર સાહિત્ય જાહેરમાં નહીં લગાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. એસ્ટેટ શાખા દ્વારા એજન્સીઓને આદેશ બીજી તરફ, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પણ સક્રિય બની છે. એસ્ટેટ શાખા દ્વારા શહેરની આશરે 60 જેટલી ખાનગી જાહેરાત એજન્સીઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, જો કોઈ પણ સ્થળે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર કરતા બોર્ડ અથવા કોઈનરાજકીય પ્રચાર-પ્રસાર કરતા હોર્ડિંગ્સ લગાવેલા હોય, તો તેને તુરંત દૂર કરવાના રહેશે. એસ્ટેટ શાખા દ્વારા તમામ 60 એજન્સીઓના પ્રતિનિધિઓને બોલાવીને આ અંગે સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે. જો એજન્સીઓ દ્વારા હોર્ડિંગ્સ જાતે દૂર કરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા તે ઉતારી લેશે અને તેનો ખર્ચ પણ જે તે એજન્સી પાસેથી વસૂલવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, પરંતુ વહીવટી તંત્ર 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સાથે કામ કરી રહ્યું છે. મનપાની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવાનો છે. આગામી દિવસોમાં પણ પોલીસ તંત્ર અને ચૂંટણી પંચની ટીમો સાથે મળીને મનપા દ્વારા આચાર સંહિતાના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવશે. શહેરીજનોમાં પણ આ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. આમ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આચાર સંહિતાના પ્રથમ 48 કલાકમાં જ આક્રમક કામગીરી બતાવીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ચૂંટણી નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:44 am

પાટણમાં 895 બેઠકો પર RTE હેઠળ મફત પ્રવેશ:ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા,17 એપ્રિલ સુધી ચાલશે

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પાટણ સહિત સમગ્ર રાજ્યમાં 4 એપ્રિલ, 2026 થી શરૂ થઈ ગઈ છે. વાલીઓ 17 એપ્રિલ, 2026 સુધી સત્તાવાર વેબસાઈટ rte.orpgujarat.com પરથી ઓનલાઈન અરજી કરી શકશે. પાટણ જિલ્લામાં કુલ 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે આ વર્ષે 895 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. એટલે કે, બાળકની જન્મ તારીખ 2 જૂન, 2019 થી 1 જૂન, 2020 ની વચ્ચે હોવી જોઈએ. વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વાલીઓએ બાળક અને વાલીનું આધારકાર્ડ, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (જેમ કે ભાડાકરાર અથવા લાઈટ બિલ), આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા. આ વર્ષે રાજ્યભરમાં અંદાજે 84,000 થી વધુ બેઠકો પર RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે, જેમાં પાટણ જિલ્લાને 895 બેઠકો ફાળવવામાં આવી છે. વાલીઓને સૂચના આપવામાં આવી છે કે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને નિઃશુલ્ક હોવાથી કોઈપણ એજન્ટ કે લેભાગુ તત્વોના સંપર્કમાં ન આવવું. પ્રવેશ માટે અગ્રતાક્રમ મુજબ અનાથ બાળક, સંભાળ-સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર-સ્થાનાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, શારીરિક રીતે વિકલાંગ બાળકો, એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી સારવાર લેતા બાળકો, શહીદ થયેલ લશ્કરી-પોલીસદળના જવાનોના બાળકો, માતા-પિતાને સંતાનમાં એક જ દીકરી હોય તેવું બાળક, અનુસૂચિત જાતિ-જનજાતિ (SC-ST), SEBC-જનરલ સહિતના BPL કુટુંબના બાળકો, SC-ST કેટેગરીના બાળકો, SEBC-EWS-વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, રાજ્ય સરકારની આંગણવાડીના બાળકો અને સામાન્ય કેટેગરી (બિનઅનામત) ના બાળકોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:42 am

RTO કર્મી પર હુમલો કરી ઘડિયાળની લૂંટ કરનારા ઝડપાયા:કાર વાળવા બાબતે ઝઘડો કર્યો હતો, ઘોઘારોડ પોલીસે બે હિન્દીભાષીને દબોચી લીધા

ભાવનગરના સરદારનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે કાર વાળવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી કિંમતી ઘડિયાળ લૂંટી લેવાની ઘટના બની હતી. આ મામલે ઘોઘારોડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતકાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને RTO કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ ગોહિલ (ઉં.વ. 29) બે દિવસ પહેલાં રાતે પોતાના ભાઈ અને મિત્ર સાથે કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પત્નીની તબિયત ખરાબ હોવાનો ફોન આવતા તેમણે મેઘાણી ઓડિટોરિયમ પાસેના વળાંકથી ઉતાવળમાં કાર પરત વાળી હતી. કાર વાળતી વખતે સામેથી આવતા બે શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને હિન્દીમાં અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ઝપાઝપી અને લૂંટજ્યારે ભગીરથસિંહ અને તેમના ભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી, ત્યારે બંને શખ્સોએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન એક શખ્સે ભગીરથસિંહના હાથમાંથી ₹12,800ની કિંમતની ટાઈટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો અલગ-અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. ભગીરથસિંહે આ મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કાર્યવાહી અને ધરપકડફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ બંને આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓના નામ અમિત જ્યોતિકુમાર રાકેશ (રહે. ભાવનગર) અને દીપક જયસ્વાલ (રહે. ભાવનગર) છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલી ઘડિયાળ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:38 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો:ભાજપ વિકાસ કામો તો કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ફોક્સ કરશે

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત,10 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને નવરચિત મહેસાણા મહાનગરપાલિકા માટે આગામી 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે અને પોતપોતાની રણનીતિ સાથે મેદાને ઉતર્યા છે. ‘ભાજપમાં યોગ્ય ઉમેદવારોની પસંદગીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે’ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સજ્જ હોય છે. ભાજપ માત્ર ચૂંટણી પૂરતું જ નહીં, પરંતુ સતત પાંચ વર્ષ પ્રજાની વચ્ચે રહી કામગીરી કરે છે. ભાજપ જિલ્લાની તમામ 467 બેઠકો પર પૂરી તાકાતથી ચૂંટણી લડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોને આધારે ભાજપ ફરી એકવાર જંગી બહુમતી મેળવશે તેવો દાવો પક્ષે કર્યો છે. હાલમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયાથી યોગ્ય ઉમેદવારોની પસંદગીનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસે 15 દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીસામે પક્ષે કોંગ્રેસે આ વખતે ભાજપને કાંટે કી ટક્કર આપવા માટે વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે દાવો કર્યો છે કે, કોંગ્રેસે 15 દિવસ અગાઉ જ ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. મહાનગરપાલિકા અને બહુચરાજી નગરપાલિકામાં પણ 90 ટકા ઉમેદવારોના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે. નવરચિત મહાનગરપાલિકાના નવા વિસ્તારો અને બદલાયેલી વોર્ડ રચનામાં જ્ઞાતિગત સમીકરણોને આધારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી છે. કોંગ્રેસ સ્થાનિક મુદ્દા ઉઠાવશેઆ ચૂંટણીમાં કોંગ્રેસ ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણીમાં અન્યાય અને મહાનગરપાલિકાના 13 વોર્ડના સ્થાનિક પ્રશ્નોને હથિયાર બનાવી રહી છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, શહેરના આધુનિકીકરણ અને વિકાસના કામોને મુદ્દો બનાવી મતદારો પાસે જશે. ખાસ કરીને મહેસાણા પહેલીવાર મહાનગરપાલિકા તરીકેની ચૂંટણીમાં જઈ રહ્યું હોવાથી લોકોમાં પણ આ ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા અને આકર્ષણ જોવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:23 am

અમદાવાદના એક વોર્ડમાં ભાજપના 12 નામ નક્કી થશે:ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી કરાશે, આજથી ઘરે ઘરે પત્રિકા વિતરણ કરી પ્રચારના શ્રીગણેશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.અમદાવાદ મહાનગરપાલિકા માટે શહેર ભાજપ દ્વારા સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં વિધાનસભા મુજબ આવતા વોર્ડના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવી રહ્યા છે.આજે 5 એપ્રિલના રોજ બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે.જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરવામાં આવશે.એક વોર્ડમાં 12 જેટલા નામની પેનલ તૈયાર કરવામાં આવશે.આજથી ભાજપ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે. ઉમેદવાર માટે 12 નામની પેનલ તૈયાર કરવામાં આવી રહી છેભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના 48 વોર્ડમાંથી 192 બેઠક માટે 2364 જેટલા દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવેલી છે. ઉમેદવારોના બાયોડેટા મેળવ્યા બાદ ભાજપ દ્વારા ગઈકાલે 4 એપ્રિલથી સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.ઉમેદવારોના નામની ગુપ્તતા જળવાઈ રહે તેના માટે ભાજપ દ્વારા ગુપ્ત સ્થળે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શહેર પ્રમુખ, મહામંત્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના નેતાઓ દ્વારા ઉમેદવારોના બાયોડેટાની ચકાસણી કરી અને એક ઉમેદવાર માટે ત્રણ નામ એમ એક વોર્ડમાં ચાર ઉમેદવાર માટે 12 નામની પેનલ તૈયાર કરવામાં આવી રહી છે. શહેરમાં સંકલન બેઠક બાદ પ્રદેશ સંકલન સમિતિની બેઠક મળશે જેમાં આ તમામ ઉમેદવારોના નામની પેનલ પર ચર્ચા કર્યા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થશે. 9 કે 10 એપ્રિલે ભાજપ મનપાના ઉમેદવાર જાહેર કરી શકેગુજરાતમાં યોજાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શહેર અને પ્રદેશ સંકલન સમિતિની બેઠક બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માં જે દાવેદારોએ દાવેદારી કરી છે તેના બાયોડેટા ની તપાસ કરીને અલગ અલગ નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે.ગુજરાત ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે.પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર અંતિમ મહોર મારવામાં આવશે જે બાદ 9 અથવા 10 એપ્રિલના રોજ ગુજરાત ભાજપ દ્વારા મહાનગરપાલિકાની બેઠકો માટે ચૂંટણીની યાદી જાહેર કરવામાં આવશે. પ્રચાર અભિયાન, પત્રિકાઓનું સોસાયટી અને ફ્લેટમાં વિતરણગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને આજથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. આજે 5 એપ્રિલથી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત લોકોમાં પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના તમામ નેતાઓ કાર્યકર્તાઓને ભૂત પ્રમુખો દ્વારા ઘરે ઘરે જઈને ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અને છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની તમામ માહિતી લોકો સુધી પહોંચે તેના માટેની પત્રિકાઓ દરેક બુથ પ્રમુખો સુધી પહોંચાડવામાં આવી છે અને તેમના દ્વારા સોસાયટી અને ફ્લેટોમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:09 am

અમદાવાદ એયરપોર્ટ પરથી 3 દિવસમાં બીજી વખત ગાંજો ઝડપાયો:બેંગકોકથી બેગમાં છુપાવીને આવેલા ભારતીય પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત, મુસાફરની ધરપકડ

અમદાવાદ એયરપોર્ટ પરથી નશાકારક પદાર્થોની દાણચોરીનો સિલસિલો યથાવત છે. ત્યારે ગત 4 એપ્રિલના રોજ બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડથી વધુ થવા જાય છે. વિયેત જેટમાં હેન્ડ બેગમાં છુપાવીને લાવ્યો ગાંજોહેન્ડ બેગ સ્ક્રીનિંગ દરમિયાન શંકાના આધારે, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ વિયેટ જેટ એરલાઈન્સની ફ્લાઇટ નં. VZ-750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી આવતા ભારતીય નાગરિકને અટકાવ્યો હતો. મુસાફરના હેન્ડ બેગની વિગતવાર તપાસ કર્યા પછી, લીલાશ પડતા પદાર્થવાળા ચાર વેક્યુમ-સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા. NDPS એક્ટ હેઠળ મુસાફરની ધરપકડઆ પ્લાસ્ટિકના પેકેટનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે આ પેકેટમાં જે પદાર્થ છે તે હાઈડ્રોપોનિક ગાંજા (કેનાબીસ) હોવાની પરીક્ષણમાં પુષ્ટિ મળી, જેનું વજન 1.107 કિલો હતું.પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં આ મુસાફર મહારાષ્ટ્રના ઉલ્લાસનનગરનો હોવાનું જાણવા મળ્યું છે. તે કોની પાસેથી અને કોને આપવા ગાંજો લાવ્યો હતો તે અંગે વધુ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેડ્રોપોનિક ગાંજાની દાણચોરીના કિસ્સાઓ સતત વધતાં જઈ રહ્યાં છે. આ ગુનામાં સજાની કડક જોગવાઈ હોવા છતાં આ ગાંજાની ડિમાન્ડને કારણે દાણચોરીના કેસો ઘટવાનું નામ લેતાં નથી. આ દરમિયાન બે દિવસ પહેલા પણ વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ નં. વીઝેડ- 750 દ્વારા બેંગકોક (ડોન મુઆંગ)થી અમદાવાદ આવી રહેલા બે મુસાફર ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 11:01 am

'ભાઈ તારા વિસ્તારમાં લડ ને અહીં શું છે?':વડોદરાના MLA યોગેશ પટેલે કહ્યું:બહારથી કોઈ તો એની સામે લડીશું', વિવાદીત બેનર્સ લાગ્યા: 'કયા સુધી મોદીજીના નામ પર વોટ આપશો, પટેલ ઉમેદવારને સ્થાન આપો'

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ નંબર 18ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો તેવો નિર્ણય સ્વીકાર્ય નહીં રહે અને તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, વિસ્તારમાં વર્ષોથી કાર્યરત અને પક્ષ માટે કામ કરનારા સ્થાનિક કાર્યકરોને જ ટિકિટ આપવી જોઈએ. આ ઉપરાંત વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ સહિતના વિસ્તારોમાં વિવાદિત બેનરો પણ લાગ્યા છે. આ બેનર કોને લગાવ્યા, તે તપાસનો વિષય છે. માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ભાઈ તારા વિસ્તારમાં લડ ને અહીં શું છે? અમારે બહુ કાર્યકરો છે. બહારથી કોઈ તો આપણે બધા લડવાનું છે. વિરોધ કરવાનો. જો ભાઈ મહેનત આપણે કરી છે. આપણે બધે ફર્યા છે. આપણે બસો ભરીને પહોંચાડ્યા છે. પાર્ટીએ જે કહ્યું છે તે બધું આપણે કર્યું છે, જેથી આપણને ચાન્સ મળવો જોઈએ મને લોકોએ મત આપ્યા છે, લોકો થકી હું છું. લોકોના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ધારાસભ્યની છે. પાર્ટી જેને ટિકિટ આપે એને મારે જીતાડવાનો. બરાબર ને. એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ અબોલા ન કરતા. આ પાર્ટી નક્કી કરે છે. તો બીજી તરફ વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ અને નિલમ્બર સર્કલ સહિતના સ્થળોએ વિવાદિત બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, કયા સુધી મોદીજીના નામ પર વોટ આપશો? #પ્રો મોદી #બીજેપી વિરોધી. મોદીજીના નામ પર વોટ આપવો નહીં એમનું કામ દેશ ચાલવાનું છે નહીં કે તમારો વિસ્તાર.. #પ્રો મોદી #બીજેપી વિરોધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપો. જય સરદાર જય પાટીદાર ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે હવે નિવેદન અને પોસ્ટર શરૂ થઈ ગયું છે. સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા માટે નિવેદનો થઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પોસ્ટર પણ લાગતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 10:28 am

ગુપ્ત ભાગે ટ્યુબ નાખી, ઇન્જેક્શનની સોયો ભોંકી:મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો, ટોયલેટનું પાણી પીવડાવ્યું; મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારનું યુવક સાથે અમાનવીય વર્તન

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારે અમાનવીય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી બંનેનું અપહરણ કરી, યુવક પર ગુજારવામાં આવેલા પાશવી અત્યાચાર કર્યો હતો. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં 12 નામજોગ અને અન્ય અજાણ્યા શખસો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે . પ્રેમ સંબંધ અને મૈત્રી કરારની પૃષ્ઠભૂમિ ફરિયાદી યુવક (ઉં.વ. 26)એ નોંધાવેલી વિગતો મુજબ, તેને ત્રણ વર્ષ અગાઉ એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીના લગ્ન અન્ય જગ્યાએ થયા હોવા છતાં તે યુવક સાથે રહેવા માંગતી હતી. જેથી બંનેએ ગત 16/3/2026ના રોજ મૈત્રી કરાર કર્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદના વટવા વિસ્તારમાં આયોજન નગરમાં ભાડે રૂમ રાખીને રહેતા હતા અને નોકરી કરતા હતા. અમદાવાદથી અપહરણ અને લૂંટ ગત તારીખ 2/4/2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને અમદાવાદ ખાતેના તેમના રૂમ પર ધસી આવ્યા હતા. આરોપીઓએ દરવાજો ખોલી બંનેને અપશબ્દો બોલવા લાગ્યા હતા. થેલામાં રહેલા રોકડા રૂ. 32,000 અને સોનાના દાગીના તેમજ મોબાઈલ-ડોક્યુમેન્ટ લૂંટી લીધા હતા. ત્યાર બાદ બંનેને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. અમાનવીય અત્યાચારની પરાકાષ્ઠા ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવકને અવાવરૂ જગ્યાએ અને ખેતરમાં લઈ જઈને આરોપી હસમુખ બાબુજી માળી અને અન્ય શખસોએ હ્રદયદ્રાવક અત્યાચાર ગુજાર્યો હતો: યુવકને લોહીલુહાણ હાલત હોસ્પિટલ ખસેડાયો આરોપીઓએ અંતે યુવકને ખેતરમાં ફેંકી દીધો હતો. સ્થાનિક લોકોએ 112 અને 108 ને જાણ કરતાં યુવકને લોહીલુહાણ હાલતમાં થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. થરાદ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચિરાગ પ્રુથ્વીરાજ ચૌધરીને સોંપી છે. આરોપીઓના નામ

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 10:26 am

આખું બાઈક સળગી ઊઠ્યું:જુહાપુરા ચાર રસ્તા પાસે BRTS બસ કેબિન પાસે બાઈકમાં આગ લાગી, બોપલમાં ગેસ લિકેજની ઘટનાની દોડધામ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગઇકાલે(4 એપ્રિલ) રાતે આગ લાગવાની ઘટના બની હતી. જુહાપુરા ચાર રસ્તા પાસે આવેલી BRTS કેબિનની બિલકુલ બાજુમાં પાર્ક કરવામાં આવેલી એક મોપેડ (બાઈક) માં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે આ મામલે ફાયર બ્રિગેડમાં કોઈ જાણ કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લઈ લીધી હતી. બાઈક બળીને ખાખજુહાપુરા ચાર રસ્તા પાસે BRTS કેબિન પાસે એક બાઈકમાં આગ લાગી હતી. બાઈકમાં આગ લાગતા થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાઈક આખેઆખી બળીને ખાખ થઈ ગઈ હતી. બાઈકમાં લાગેલી આગના કારણે BRTS કેબિનને પણ નુકસાન થયું હતું. ચાર રસ્તા જેવો વ્યસ્ત વિસ્તાર હોવાથી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ BRTS કેબિનની નજીક જ આગ લાગી હોવાથી થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગ બુઝાવી દીધી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડમાં કોઈ કોલ મળ્યો નથી. બોપલમાં ગેસ લિકેજની ઘટનાની દોડધામશહેરના બોપલ વિસ્તારમાં VIP રોડ પર હનુમાન મંદિર નજીક મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ગેસ લીકેજ થયો હોવાનો મેસેજ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો. રાત્રે ઘરમાં સૂતેલા લોકોને ગેસ લીકેજ થયો હોવાની ગંધ આવી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ગેસ કંપનીના અધિકારીઓને પણ જાણ કરી હતી, જેથી તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગેસની ગંધના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ફાયરની ટીમ અને ગેસ કંપનીના લોકો પહોંચી ગયા હતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 9:35 am

સુરતમાં દેશી દારૂના અડ્ડા પર LIVE રેડ:બુટલેગરે બાળકોને પોટલીઓ વેચવા લગાડ્યાં. 'AAP' કાર્યકરના સત્તાપક્ષ પર આકરા પ્રહાર

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લીંબાયત વિસ્તારમાં એક દેશી દારૂના અડ્ડા પર સોશિયલ મીડિયા લાઈવ સાથે 'જનતા રેડ' કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, અહીં માસૂમ બાળકો પાસે દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નં. 26માં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણલીંબાયત વિસ્તારમાં આવેલા દત્તાત્રેય નગર (વોર્ડ નંબર 26)માં લાંબા સમયથી દેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાની ફરિયાદ ઉઠી હતી. 'આપ'ના કાર્યકરોએ સ્થળ પર જઈને જોયું તો ટેબલ પર દેશી દારૂની પોટલીઓ ભરેલો થેલો પડ્યો હતો. આ દૃશ્યો ફેસબુક લાઈવના માધ્યમથી સમગ્ર સુરતમાં વાઇરલ થયા છે, જેનાથી પોલીસ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. બાળકોના હાથમાં પુસ્તકને બદલે દારૂની પોટલી!વીડિયોમાં જોઈ શકાય છે કે, દારૂ વેચનારા કોઈ બુટલેગર નહીં પણ નાની ઉંમરના બાળકો છે. જ્યારે કાર્યકરે પૂછ્યું કે 'આ કોનો અડ્ડો છે?' ત્યારે બાળકે ડર્યા વગર 'વિશાલભાઈ'નું નામ આપ્યું હતું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે બુટલેગરો હવે પોલીસથી બચવા માટે માસૂમ બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 'આપ'ના નેતાના સરકાર પર આકરા પ્રહારલાઈવ વીડિયો દરમિયાન 'આપ'ના નેતાએ ભાજપ સરકાર અને ગૃહ રાજ્યમંત્રીને આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, ગૃહમંત્રી કહે છે કે ક્યાંય દારૂ મળતો હોય તો અમને જણાવજો, તો આ જુઓ સાહેબ, તમારા નાકની નીચે જ દારૂ વેચાય છે. સુરતમાં સારી સરકારી શાળાઓ કે હોસ્પિટલોની સુવિધા ભલે ન મળે, પણ દારૂની પોટલીઓ ગલીએ-ગલીએ મળી રહે છે. આ કેવું ગુજરાત મોડેલ? ચૂંટણી પહેલા કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ગાજશેસુરત મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓમાં દારૂબંધી અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહેવાના સંકેતો મળી રહ્યા છે. વિપક્ષ આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે. બીજી તરફ, રહેણાંક વિસ્તારમાં બાળકો દ્વારા દારૂ વેચાવાની ઘટનાથી સ્થાનિક મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દારૂના અડ્ડાઓ કડક કાર્યવાહી થશે?સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, રહેણાંક વિસ્તારોમાં બાળકો પાસે દારૂ વેચાવતા અડ્ડાઓ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે કે કેમ? આપના કાર્યકરોએ પોલીસને પણ બોલાવી હતી. હવે જોવાનું એ રહેશે કે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આ દારૂના અડ્ડાઓ પર કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 9:32 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મેનિફેસ્ટોને કોંગ્રેસનું કમિટમેન્ટ નામ અપાયું:6-7 એપ્રિલે 15 મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરાશે; ધારાસભ્ય-સાંસદોને હાજર રાખવા સૂચના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતીને ફરી બેઠી થવા માટેના પ્રયાસ કરી રહી છે. જે માટે મતદારોને વધુ આકર્ષવા જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાત પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં મેનિફેસ્ટો જાહેર કરવાની છે. આગામી 6 અને 7 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને મેનિફેસ્ટો જાહેર કરવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ મહાનગરપાલિકાના પ્રમુખોને સૂચના આપી છે. માત્ર એટલું જ નહીં મેનિફેસ્ટો જાહેર કરતા સમયે વિપક્ષ નેતા, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદોને પણ હાજર રાખવા માટે સૂચના અપાઈ છે. કોંગ્રેસ 6-7 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ કરીને મેનિફેસ્ટો જાહેર કરશેગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ માત્ર ચૂંટણી નથી, પરંતુ સ્થાનિક સ્તર પર બેઠું થવાનો એક ચાન્સ છે. તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષને મજબૂત કરવાનો મોકો પણ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપનું શાસન છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. ત્યારે પ્રજાનો વિશ્વાસ જીતીને તમામ બેઠક પર મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ જનતાનો વિશ્વાસ જીતવા માટે જનતાના મુદ્દાઓ પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. મેનિફેસ્ટો માટે નેતાઓ ઘર-ઘર સુધી ગયા હતામેનિફેસ્ટો માટે કોંગ્રેસના નેતાઓ વોર્ડ, તાલુકા અને જિલ્લાઓમાં મતદારોના ઘર ઘર સુધી ગયા હતા. મતદારોના શું પ્રશ્નો છે તેને લઈને સૂચનો માંગવામાં આવ્યા હતા. જનતાની શું સમસ્યા છે હજુ પણ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયારચૂંટણી માટે બનાવેલી મેનિફેસ્ટોની ટીમ દ્વારા કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે સૌથી પહેલા 15 મહાનગરપાલિકામાં જાહેર કરવામાં આવશે. જેના માટે 15 મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી જીત્યા બાદ ક્યાં ક્યાં કમિટમેન્ટ પૂરા કરશે તેની જાહેરાત કરવામાં આવશે. જો કે તે બાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જાહેરાત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 9:22 am

કોડીનારમાં ભાજપને મોટો ઝટકો:BJPના પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ કોંગ્રેસને સમર્થન આપ્યું; તા.પં. સદસ્ય સુનીલ રાઠોડના ભાજપને રામ રામ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. કોડીનાર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સિધાજની બેઠક બની 'ટર્નિંગ પોઈન્ટ' કોડીનારના સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠકમાં રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા હતા. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. જેઠાભાઈએ મંચ પરથી હુંકાર કર્યો હતો કે, તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે. વર્ષો સુધી ભાજપના પાયાના પથ્થર રહેલા નેતાનું આ પગલું ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે. સુનીલ રાઠોડના 'રામ-રામ': ભાજપને ડબલ ઝાટકો માત્ર જેઠાભાઈ જ નહીં, પરંતુ ભાજપના સક્રિય નેતા અને હાલના તાલુકા પંચાયતના સદસ્ય સુનીલ રાઠોડે પણ ભાજપ સાથેના છેડા ફાડી નાખ્યા છે. સુનીલભાઈએ તેમના વિશાળ સમર્થક ગ્રુપ સાથે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સુનીલભાઈ અગાઉ કારોબારી ચેરમેન જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે, તેથી તેમનો પક્ષપલટો ભાજપના ગ્રામ્ય સંગઠનમાં મોટું ગાબડું પાડી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા આ રાજકીય હલચલ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈએ રણનીતિ સ્પષ્ટ કરતા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે: ભાજપમાં આંતરિક અસંતોષની ચર્ચા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ગીર સોમનાથ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે આ પક્ષપલટો થયો હોવાનું મનાય છે. જેઠાભાઈ સોલંકીનો પ્રભાવ દલિત અને પછાત વર્ગના મતદારો પર વધુ હોવાથી, કોંગ્રેસને આનો સીધો ફાયદો થઈ શકે તેમ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોડીનારનો આ 'ખેલ' સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક તરફ કોંગ્રેસ નવા જોશ સાથે મેદાનમાં આવી છે, તો બીજી તરફ ભાજપે પોતાનું સંગઠન વિખેરાતું બચાવવા માટે મથામણ કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ પક્ષપલટાને કેવી રીતે સ્વીકારે છે. ------ આ પણ વાંચો માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠક માટે ભાજપમાંથી એક પણ નેતાએ દાવેદારી નોંધાવી નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો…

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 9:05 am

સુરેન્દ્રનગરના કોઠારીયામાં વજાભગતની પુણ્યતિથિએ ભાગવત કથા:11મી પુણ્યતિથિ નિમિત્તે જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામમાં સેવાભાવી વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. આ કથામાં વ્યાસપીઠ પરથી જીગ્નેશ દાદા (રાધે રાધે) ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કોઠારીયા ધામ ખાતે ભવ્ય કથા મંડપ અને ભોજન માટે વિશાળ મંડપ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 9:00 am

ડાંગમાં વાતાવરણ પલટાયું, ઠંડક અને ધુમ્મસ છવાયા:સાપુતારા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા

ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાપુતારા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે ઠંડકનો અનુભવ થયો હતો. આ બદલાયેલા વાતાવરણથી સ્થાનિકો અને પર્યટકોમાં આશ્ચર્ય સાથે ખુશી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સવારથી જ પવનમાં ઠંડક વધી હતી અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ખાસ કરીને સાપુતારા અને આસપાસના પહાડી વિસ્તારોમાં આ દૃશ્ય વધુ સ્પષ્ટ જોવા મળ્યું હતું. આ ખુશનુમા વાતાવરણ પર્યટકો અને સ્થાનિકો માટે આહલાદક બન્યું હતું. જોકે, આ બદલાયેલું વાતાવરણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યું છે. ધુમ્મસ અને ભેજવાળા માહોલને કારણે આંબાવાડી અને શાકભાજીના પાકને નુકસાન થવાનો ભય છે. અચાનક તાપમાનમાં ઘટાડો અને ભેજનું પ્રમાણ વધવાથી નાજુક પાકો પર નકારાત્મક અસર પડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના મતે, જો આવું વાતાવરણ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર વિપરીત અસર પડી શકે છે. તેઓ હાલ કુદરતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સંભવિત નુકસાન ટાળવા માટે જરૂરી પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે. આમ, ડાંગ જિલ્લામાં એક તરફ ઠંડક અને કુદરતી સૌંદર્યનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ ચિંતાનો વિષય બન્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 8:47 am

કચેરી-અધિકારીઓ બાદ હવે ‘બીડી’ પણ નકલી:કેશોદ પાસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો, નકલીના ખેલમાં હવે વ્યસનીઓ પણ ફસાયા

ગુજરાતમાં નકલી ઘી, તેલ, મસાલા અને નકલી સરકારી કચેરીઓ બાદ હવે નકલી બીડીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢના કેશોદ પાસે પોલીસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઠગબાજો હવે કોઈ પણ ક્ષેત્ર છોડવા તૈયાર નથી. કેવી રીતે ઝડપાયું કૌભાંડ?આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે 'સાબળે વાધીરે એન્ડ કંપની' (પુના, મહારાષ્ટ્ર)ના જાગૃત કર્મચારીઓએ શંકાસ્પદ હલચલ નોંધી હતી. એક સફેદ ઇકો કારમાં નામાંકિત કંપનીઓના નામે નકલી બીડીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા, કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ જેઠવાએ પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી. વેરાવળ રોડ પર તોરલ હોટેલ પાસે કારને આંતરીને તપાસ કરતા તેમાંથી નકલી બીડીના કાર્ટન મળી આવ્યા હતા. મુદ્દામાલ સાથે એકની ધરપકડપોલીસે આ કાર્યવાહી દરમિયાન રાજકમલ બીડીના 107 પેકેટ (કિં. ₹48,150), સાબળે બીડીના 136 પેકેટ (કિં. ₹63,648), ઇકો કાર અને મોબાઈલ સહિત કુલ ₹3,12,298નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે કોડીનારના એક્તા ચોક વિસ્તારમાં રહેતા કિરણ લક્ષ્મણભાઈ સોલંકીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ નકલી માલ અમરેલીના ઈરફાન પઠાણ પાસેથી મેળવવામાં આવ્યો હતો. મોડસ ઓપરેન્ડી: સસ્તી અને હલકી ગુણવત્તાકંપનીના લોગોવાળા બનાવટી રેપર છાપી તેમાં હલકી ગુણવત્તાની બીડી ભરીને અસલી તરીકે બજારમાં પધરાવવામાં આવતી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા વેપારીઓને વધુ નફાની લાલચ આપી આ નકલી જથ્થો વેચવામાં આવતો હતો. પેકેટના પ્રિન્ટિંગ અને કાગળની ગુણવત્તામાં તફાવત હોવા છતાં સામાન્ય માણસ તેને સહેલાઈથી ઓળખી શકે તેમ નહોતું. આરોગ્ય સામે જોખમનકલી બીડીમાં વપરાતા નબળા તમાકુ કે અન્ય હાનિકારક પદાર્થો ગંભીર બીમારીઓને નોતરી શકે છે. પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે કે આ નકલી રેપર ક્યાં છાપવામાં આવતા હતા અને આમાં બીજા કેટલા શખ્સો સંડોવાયેલા છે. ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, બજાર ભાવ કરતા વધુ સસ્તી મળતી વસ્તુઓ લેતી વખતે સાવચેતી રાખવી.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 8:38 am

સરદાર પટેલ નગરમાં બાળકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા:રાજેન્દ્રભાઈની ટીમ દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું

આજરોજ સરદાર પટેલ નગરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજેન્દ્રભાઈ અને તેમની ટીમ, જેમાં રિયાબેન, હેતલબેન, ચંદ્રેશભાઈ અને ગિરીશભાઈનો સમાવેશ થાય છે, તેમના દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પાઠ દરમિયાન બાળકોને હનુમાન ચાલીસાનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. તેમને 'સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના' જેવી ચોપાઈઓ દ્વારા સંકટ સમયે રક્ષણ અને નિર્ભયતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત, 'અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ વર દીન જાનકી માતા' જેવી ચોપાઈઓ દ્વારા અભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે હનુમાનજીના મહત્વ વિશે જ્ઞાન આપવામાં આવ્યું. આ પૃથ્વી પર સાક્ષાત દેવતા એવા હનુમાનજીના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આરતી કરવામાં આવી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી બાળકો ભક્તિના રંગમાં રંગાઈને આનંદિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 8:21 am

મુંબઈ હાઈ ઓએનજીસી પ્લેટફોર્મ પર આગમાં ૧૦ કર્મચારીઓ ઘાયલ

ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવાયો ઉર્જા ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ તેલક્ષેત્રોમાં મુંબઈ હાઈનું સ્થાન મુંબઈ - મુંબઈના કિનારે આવેલ ઓઈલ એન્ડ નેશરલ ગેસ કોર્પોેરેશન (ઓએનજીસી)ના મુંબઈ હાઈ એસેટ ખાતે એક ઓફશોર પ્લેટફોર્મ પર આગ લાગી હતી. આ આગની ઘટનામાં ઓછામાં ઓછા દસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ પ્લેટફોર્મ મુંબઈ હાઈ એસેટનો મહત્વનો ભાગ છે, જે દેશના મુખ્ય સમુદ્રસ્થિત તેલ ઉત્પાદન ક્ષેત્રોમાંનું એક છે.

ગુજરાત સમાચાર 5 Apr 2026 7:50 am

નાશિકમાં કાર કૂવામાં ખાબકતાં 6 બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોનાં મોત

ખાનગી ટયુશન ક્લાસના સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી પાછા ફરતાં મુખ્યમંત્રીએ જાહેર વિસ્તારોમાં ખુલ્લા કુવાઓનું સેફ્ટી ઓડિટ કરવાનો આપ્યો આદેશઃ મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયતા જાહેર મુંબઈ - મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ખુલ્લા કૂવામાં એક કાર પડી જતાં છ બાળકો સહિત એક જ પરિવારના નવ સભ્યોના મોત થતાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અકસ્માત શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ દિડોરીના શિવાજી નગર વિસ્તારમાં થયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાળકો સહિત અન્યના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે જાહેર વિસ્તારોમાં ખુલ્લા કુવાઓનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત સમાચાર 5 Apr 2026 7:45 am

કચરાના ઢગલાની દુર્ગંધથી 50 સોસાયટી સહિત મકરપુરાના રહીશો ત્રાહિમામ:'સ્માર્ટ સિટીના નામે કરોડો ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા', ટેક્સ લેવા શહેરમાં ભેળવ્યાનો વડદલાના સ્થાનિકોનો આક્ષેપ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે ભાસ્કર ટીમ પહોંચી છે વડોદરા શહેરના વોર્ડ નં-19માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. વોર્ડ નં-19માં નવા વિસ્તારમાં વડદલા ગામનો પણ સમાવેશ થાય છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીશું. ​વડોદરા શહેરના તરસાલી અને જામ્બુવા બ્રિજ વચ્ચે નેશનલ હાઈવે પર આવેલી ડમ્પિંગ સાઈટ પર આખા શહેરનો કચરો ઠાલાવવામાં આવે છે. જેને કારણે કચરાનો મોટો ઢગલો થઈ ગયો છે. જેથી આસપાસની 40થી 50 સોસાયટીના અને મકરપુરા ગામના રહીશો દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. આ ઉપરાંત હાઈવે પરની હોટેલોના સંચાલકો પણ ત્રાસી ગયા છે. હોટલમાં લોકો જમવા પણ આવતા નથી. જેને કારણે ધંધા પણ ઠપ થઈ ગયા છે. તરસાલી વિસ્તારના સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે જણાવ્યું હતું કે, વડોદરામાં 'સ્માર્ટ સિટી' ના નામે કરોડો રૂપિયા આવ્યા, પણ એ માત્ર ભાજપના નેતાઓના ખિસ્સામાં જ ગયા હોય તેવું લાગે છે. વડદલાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવ્યા, કોઈ સુવિધાઓ મળતી નથી. ઇન્દિરા નગરમાં લોકોને પાણી મળતું નથી, પોતાના પૈસે બોટલ મંગાવા મજબૂરવડોદરા શહેરના વોર્ડ નંબર-19ના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને રસ્તાની સમસ્યાઓથી અહીંના લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમના આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે વોર્ડ નંબર 19ના લોકોમાં ભારે આક્રોશ છે. સૌથી પહેલા અમે ઇન્દિરા નગરમાં પહોંચ્યા, જ્યાં અહીંના લોકોને પાણી જ મળતું નથી. લોકો પીવા માટે પૈસા ખર્ચને બોટલ મંગાવે છે. વેરો ભરતા હોવા છતાં પાણી જેવી પ્રાથમિક સુવિધાનો મળતા અહીંના લોકોમાં ભારે આક્રોશ છે. રસ્તાઓ ઉબડખાબડ, ચોમાસામાં તો ઘરોમાં પાણી ઘૂસે છેઅહીં ગટરો પણ ઉભરાય છે. તેમના વિસ્તારના રસ્તાઓ સાંકડા હોવાથી એમ્બ્યુલન્સ પર આવી શકતી નથી. આગ લાગે તો ફાયર બ્રિગેડની ગાડી પણ ન પહોંચી શકે. અહીંના રસ્તાઓ ઉબડખાબડ છે. જેને કારણે સિનિયર સિટીઝન ઘણીવાર પડી જાય છે અને અકસ્માતો પણ થાય છે. આ ઉપરાંત વીજ થાંભલાઓ પડી જાય તેવી સ્થિતિમાં છે, જેને કારણે ભયનો પણ માહોલ છે. ચોમાસામાં તો ઘરોમાં પાણી ઘૂસી જાય છે. જેથી ઘરનો સામાન પણ પલળી જાય છે. 'અમે વેરા નિયમિત ભરીએ છીએ, છતાં સુવિધા નથી'ઇન્દિરાનગરના સ્થાનિક મહિલા હીરાબેને વ્યથા રજૂ કરતા કહ્યું કે, આ રોડનો તો બહુ જ પ્રોબ્લેમ છે. અમે ચાલવા જઈએ તો ઠોકર વાગે છે અને કેટલીય વાર પડી પણ જવાય છે. હું પોતે બે-ત્રણ વાર પડી ગઈ છું. રસ્તો એટલો ખરાબ છે કે ચાલવું મુશ્કેલ છે અને બાઇક વાળા પણ કેટલીય વાર અહીં લપસીને પડી જાય છે. 'અમારા વિસ્તારમાં કોઈ નેતા ડોકાતું પણ નથી'સ્થાનિક હીરાબેને વધુમાં જણાવ્યું હતું કે, પાણીના નળની લાઈન તો હજી સુધી આવી જ નથી. અમે તો બોરિંગ કરાવીને પાણી મેળવીએ છીએ. પાઈપો આવી ગઈ છે પણ નાખવા કોઈ આવ્યું નથી. અમે ઘર દીઠ 3000-3000 રૂપિયા પણ ઉઘરાવીને આપ્યા છે છતાં કામ થતું નથી. કોઈ પણ નેતા અહીં જોવા આવતું નથી. અમારા વિસ્તારમાં કોઈ નેતા ડોકાતું પણ નથી. 'ખુલ્લા વાયરોને કારણે એક નાના છોકરાને કરંટ લાગ્યો હતો'ઇન્દિરાનગરના સ્થાનિક મહિલા સોનલબેન જોષીએ જણાવ્યું હતું કે, આ વીજળીના થાંભલાની સમસ્યા છે. આ થાંભલા એટલા બધા નીચા થઈ ગયા છે અને એવી હાલતમાં છે કે ગમે ત્યારે પડી શકે તેમ છે. એક થાંભલો તો સાવ અંદર ઘૂસી ગયો છે અને પડવાની અણી પર છે. ચોમાસામાં આ ખુલ્લા વાયરોને કારણે એક નાના છોકરાને કરંટ લાગ્યો હતો. એ છોકરાના પિતા તો દુબઈ હતા, પણ અહીં પબ્લિક ભેગી થઈ ગઈ અને જેમ-તેમ કરીને એ બાળકનો જીવ બચાવ્યો. આ વાયરો સાવ નીચા છે, જે ખૂબ જ જોખમી છે. 'પીવાનું પાણી તથા ગટરની સુવિધા આપો'સ્થાનિક મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી માંગણી બહુ સ્પષ્ટ છે. અમને નવા થાંભલા જોઈએ, આ જોખમી વાયરો બદલી આપો, રસ્તા વ્યવસ્થિત કરો અને પીવાનું પાણી તથા ગટરની સુવિધા આપો. ખુલ્લા નાળામાંથી આવતી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવભાસ્કર ટીમ ઇન્દિરા નગરથી આગળ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર તરસાલી બાયપાસ પાસે પહોંચી, જ્યાં ખુલ્લા નાળામાં ગટરના પાણી છોડાયા છે. જેને કારણે અહીં દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ છે. લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. 'વડોદરાના સાંસદ હેમાંગ જોશીનો આ વિસ્તાર છે'તરસાલી વિસ્તારના સ્થાનિક અગ્રણી રાકેશ પાટીલે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19માં છેલ્લા 30 વર્ષમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી. જે પરિસ્થિતિ 30 વર્ષ પહેલાં હતી, એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે. તમે આ નાળાની સ્થિતિ જોઈ શકો છો. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વોર્ડ નંબર 19ના કોર્પોરેટરો ઘનશ્યામ પટેલ, અલ્પેશ લીંબચીયા અને હેમલતાબેન તડવીનો વિસ્તાર છે. આ લોકોએ શું કામ કર્યા છે તે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. 'સ્થાનિકો પરેશાન, પણ તંત્ર કે નેતાઓ કંઈ સાંભળવા તૈયાર નથી'રાકેશ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ આખો રહેણાંક વિસ્તાર છે અને અહીંથી જ વડોદરામાં હાઈવે પરથી એન્ટ્રી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શહેરમાં પ્રવેશે ત્યારે તેને સૌથી પહેલા આ ખુલ્લાં નાળાં અને ગટર જ જોવા મળે છે. શું આને સ્માર્ટ સિટી કહેવાય? આ નાળાના કારણે અહીં મચ્છરોનો ભારે ત્રાસ છે. 'અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવ્યા, કોઈ સુવિધાઓ મળતી નથી'વડોદરા શહેરનો વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યો છે, જેમાં વડદલા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વડદલા ગામ પહેલા આવતી સોસાયટીઓનો પણ સમાવેશ થાય છે. દિવ્ય ભાસ્કરની ટીમે સોસાયટીઓમાં પહોંચી, અહીંના રહીશો પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અહીં નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે પરંતુ અહીંના રહીશો પાણી માટે આજે પણ વલખા મારે છે. અહીં સ્ટ્રીટ લાઈટનો સદંતર અભાવ છે. રાત્રિના સમયે રોડ સુમસામ બની જાય છે. અહીંયા લોકો કહે છે કે, અમને માત્ર ટેક્સ લેવા માટે શહેરમાં ભેળવવામાં આવ્યા છે, અમને કોઈ સુવિધાઓ મળતી નથી. ગામડામાં રહેતા હોય તેવું લાગે છે. કોઈ નેતા અહીં જોવા માટે આવતા નથી. 'સૌથી મોટી સમસ્યા રોડની અને લાઈટની છે'વડદલા રોડ પર આવેલ તીર્થ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા મંગાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સૌથી મોટી સમસ્યા રોડની અને લાઈટની છે. રોડ પર સ્ટ્રીટ લાઈટ સમયસર ચાલુ નથી થતી અને ઘણી જગ્યાએ લાઈટો વચ્ચે અંતર વધારે હોવાથી અંધારું રહે છે. બીજું, આ રોડનું કામ વર્ષોથી અધૂરું પડ્યું છે. વડદલા રોડ પર ઢગલા કરી છોડી દે છે. જેના કારણે રાત્રે અંધારામાં કેટલાય સિનિયર સિટીઝનોના એક્સિડન્ટ થયા છે, પણ તંત્રની નજરમાં આ આવતું નથી. 'વડોદરામાં ભેળવ્યા પછી કોઈ ફાયદો થયો નથી, માત્ર નુકસાન છે'મંગાભાઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, પાણીની ટાંકી બની ગઈ તેને પણ કેટલાય વર્ષો થઈ ગયા છે. આજુબાજુના વિસ્તારોમાં પાણી ચાલુ થઈ ગયું છે પણ અમારી સોસાયટીમાં હજુ પાણી આવતું નથી. અમે રજૂઆત કરવા જઈએ તો કહે છે કે કનેક્શન લેવા માટે પૈસા ભરો. અમે બિલ્ડરને વાત કરીએ તો તે પણ 'ભરું છું, ભરું છું' કહીને વાયદા કરે છે. અમને ટેક્સના નામે વડોદરામાં ભેળવી દીધા છે પણ સુવિધા ઝીરો છે. ટેક્સ ભરવામાં મોડું થાય તો વ્યાજ લે છે, પણ સુવિધા ન આપવા બદલ કોઈ વ્યાજ આપતું નથી. અમારા માણસો અને બિલ્ડર પાણી માટે ત્રણ-ચાર ધક્કા ખાઈ આવ્યા છે. સોસાયટીના લોકો પણ રજૂઆત કરવા ગયા છે, પણ ત્યાંથી મીઠો જવાબ આપી દે છે અને પછી બધું ભૂલી જાય છે. અમને વડોદરામાં ભેળવ્યા પછી કોઈ ફાયદો થયો નથી, માત્ર નુકસાન જ ગયું છે. '15-20 સોસાયટીઓમાં હજુ પણ પાણીની તકલીફ'વડદલા રોડ પર આવેલી તીર્થ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા કિરણ મકવાણાએ જણાવ્યું હતું કે, અમે 2013થી આ સોસાયટીમાં રહીએ છીએ. 2019માં આ વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયો છે, પરંતુ હજુ સુધી અમને કોર્પોરેશનની કોઈ પાયાની સુવિધાઓનો લાભ મળ્યો નથી. ન તો કોઈ કોર્પોરેટર કે મંત્રીએ અમારી મુલાકાત લીધી છે કે ન તો અમારી તકલીફો પર ધ્યાન આપ્યું છે. અહીં પાણીની ટાંકી બની ગઈ છે અને વડદલા રોડની શરૂઆતમાં આવેલી નવી નગરી તેમજ વડદલા ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. 'અમને પાયાની સુવિધાઓ જ ન મળતી હોય, તો આ ટેક્સ લેવાનો અર્થ શું?'કિરણ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, પણ ખબર નથી પડતી કે આ ટેક્સ કઈ સુવિધા માટે લેવામાં આવે છે. જો અમને પાયાની સુવિધાઓ જ ન મળતી હોય, તો આ ટેક્સ લેવાનો અર્થ શું?, રસ્તાનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ચૂંટણીઓ નજીક આવી એટલે કામ બંધ થઈ ગયું છે. રસ્તા પર જે ચેમ્બરો બનાવવામાં આવ્યા છે તે દોઢથી બે ફૂટ ઊંચા છે, જે ખૂબ જ જોખમી છે. ગઈકાલે જ હું ટુ-વ્હીલર પર આવતો હતો ત્યારે સામેથી બસ આવતી હતી, મારે અચાનક બ્રેક મારવી પડી કારણ કે આ ઊંચા ચેમ્બરોને લીધે અકસ્માત થવાનો પૂરો ભય રહે છે. મારી એટલી જ વિનંતી છે કે વિકાસ માત્ર વડોદરાના અમુક વિસ્તારો પૂરતો સીમિત ન રાખતા અહીં પણ ધ્યાન આપે. 'ચૂંટણી વખતે જ નેતાઓ આવે છે, બાકી કોઈ આવતું નથી'સ્થાનિક મહિલા હરમિંદર કૌર સંધુએ જણાવ્યું હતું કે, અમે ઈમાનદારીથી વોટ આપવા જઈએ છીએ, પણ અહીં કોઈ આવવા તૈયાર નથી. બહુ જ તકલીફ પડે છે. રસ્તામાં એટલા ખાડા છે કે ગાડી ચલાવીએ તો પેટમાં દુખવા લાગે છે. કોઈને એક્સિડન્ટ થાય કે કોઈ બીમાર પડે, તો એને કેવી રીતે દવાખાને લઈ જવો એ તો અમને જ ખબર છે. ચોમાસામાં તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. પીવાના પાણીની પણ સમસ્યા છે અને અમે વેરા તો પૂરેપૂરા ભરીએ છીએ, છતાં કોઈ સુવિધા મળતી નથી. 'બધા ખાલી 'હા કરીશું' કહીને ચૂંટણી વખતે જ દેખાય છે'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બહુ બધી રજૂઆતો કરી છે, અમે બોલ્યા પણ ખરા, પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી. બધા ખાલી 'હા કરીશું, હા કરીશું' કહીને ચૂંટણી વખતે જ દેખાય છે. અત્યારે તો એવું લાગે છે કે બધાય આંધળા-બહેરા અને મૂંગા થઈ ગયા છે. પેલી કહેવત છે ને કે 'અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા' – બસ એવી જ હાલત અહીં થઈ ગઈ છે. 'એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી'વડોદરાના વોર્ડ નં. 19ના કોંગ્રેસના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 19માં, ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં અને ડેપોની પાછળના ભાગમાં અનેક ગંભીર સમસ્યાઓ છે. સ્લમ વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે અને ગટરની કોઈ યોગ્ય સુવિધા નથી. અહીં રસ્તાઓ એટલા સાંકડા છે કે કોઈ ઇમરજન્સી હોય, જેમ કે ડિલિવરી કે અન્ય કોઈ જાનહાનિનો પ્રસંગ હોય, ત્યારે એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી. મેઈન રોડ પર સોસાયટીઓએ દબાણ કરેલું છે, જે દૂર કરવામાં આવતું નથી. અમે આ બાબતે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ‘મોદીના નામ પર વોટ મેળવીને જીતી જાય, પછી વિસ્તારમાં ફરતા પણ નથી’વોર્ડ નં. 19ના કોંગ્રેસના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાજે કહ્યું કે, અહીંના કોર્પોરેટરોને તો વિસ્તારના લોકો ઓળખતા પણ નથી. તેઓ માત્ર મોદીજીના નામ પર વોટ મેળવીને જીતી જાય છે, પણ જીત્યા પછી વિસ્તારમાં ફરતા પણ નથી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે લોકો પરિવર્તન લાવે છે કે નહીં. કામ કરવાવાળા લોકો તો ઘણા છે, પરંતુ જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારના લોકોનું ભાગ્ય બદલાવાનું નથી. લોકો સુવિધાઓથી વંચિત છે અને હવે તેઓ જ નક્કી કરશે કે તેમને કેવું શાસન જોઈએ છે. રોડ, પાણી અને ગટરના કામો અમે કર્યા છે- પૂર્વ કોર્પોરેટરવોર્ડ નંબર 19ના ભાજપના પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધું છે. મારા વોર્ડ નંબર 19માં અમારા સંયુક્ત પ્રયાસોથી આશરે 375 કરોડના કામો ફક્ત અમારા વોર્ડમાં જ થયા છે. રોડ, પાણી અને ગટરના કામો અમે કર્યા છે. ઘનશ્યામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાની મુખ્ય એન્ટ્રી ખૂબ સરસ બનાવવામાં આવી છે. તરસાલી વોર્ડ 19ના જંક્શનથી હાઈવે સુધીનો રસ્તો જે બાકી હતો, ત્યાં પાણી ભરાતું હોવાથી RCC રોડ બનાવીને તેની ઊંચાઈ વધારી બહુ સરસ કામગીરી કરવામાં આવી છે. ઉમા વિદ્યાલય વાળો 18 મીટરનો રસ્તો પણ શરૂ કરી દીધો છે અને સરદાર પટેલ સ્ટેચ્યુથી રવિ પાર્ક બાજુનો રસ્તો પણ મંજૂર થઈ ગયો છે જે ટૂંક સમયમાં શરૂ થશે. 'તહેવારને લીધે મજૂરો વતન ગયા હોવાથી કામ અટક્યું છે'ઘનશ્યામ પટેલે કહ્યું કે, 24 કરોડના ખર્ચે પાણી માત્ર નેટવર્ક ઊભું કર્યું છે. વડદલા રોડ પર જૂની સોસાયટીઓએ કોર્પોરેશનમાં અરજી કરીને સર્વે કરાવીને પાણીના કનેક્શન માટેના જરૂરી પૈસા ભરવાના હોય છે. મેં પોતે સોસાયટીએ સોસાયટીએ જઈને લોકોને આ પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા છે. જે લોકો પ્રોસીજર પૂર્ણ કરે છે તેમને કનેક્શન મળી જ રહ્યા છે. તેને વધુમાં કહ્યું કે, આ ઉપરાંત ઈન્દિરા નગર (Aથી E ભાગ)માં ₹1500ની યોજના હેઠળ મોટાભાગે પાણી અને ગટરના કામો પૂર્ણ કર્યા છે. ફક્ત એક જ ભાગ બાકી છે જ્યાં હોળીના તહેવારને લીધે મજૂરો વતન ગયા હોવાથી કામ અટક્યું છે. જેવી હોળી પૂરી થશે, તે કામ પણ પૂર્ણ થશે. સાંકડી ગલીઓમાં પથ્થર અને મોટા રસ્તાઓ પર કાર્પેટ સીલકોટ રોડ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:30 am

અશાંત ધારાનો ભંગ:હિન્દુ પાસેથી મુસ્લિમે ખરીદેલી મિલકતને મંજૂરી નહીં મળતા હિન્દુના નામે મંજૂરી મેળવી સાટાખત પર વેચાણ

અશાંતધારામાં સમાવિષ્ટ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે મિલકત તબદીલીની મંજૂરી નહીં મળતા હિન્દુના નામે મંજૂરી મેળવી માત્ર સાટાખતના આધારે મિલકતના વેચાણ કરતા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છ. જેમાં અશાંત ધારા હેઠળ ગુજરાત રાજ્યમાં બીજો અને ભાવનગરમાં પ્રથમ ગુનો નોંધાયો હતો. તપાસ દરમ્યાન 5.50 લાખનો આર્થિક લાભ મેળવવા મિલકત વેચાણના કાવતરા બહાર આવ્યા હતા. જેમાં સંડોવાયેલા વધુ બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમા આવેલ પ્લોટ નં.567/એ1, એ/2/ઈ વાળી મિલ્કત અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતા આ મિલ્કતના માલીક દર્શરાજસિંહ ધર્મેંન્દ્રસિંહ ગોહીલએ અશાંતધારા વિસ્તારમાં તબદીલ હેઠળ પુર્વ મંજુરી મેળવ્યા સિવાય મિલ્કત અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને વેચી હતી. જે અંગે સીટી મામલતદાર દ્વારા ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. વી.સી.જાડેજાએ સંભાળી તપાસમાં હિન્દુની મિલકત ખરીદ વેચાણ માટે હિન્દુના નામના ઉપયોગ કરી લાખોનો લાભ મેળવતા હોવાનું બહાર આવ્યું હતું. જુનેદભાઈ હારૂનભાઇ ગનીયાણીએ આ મકાન પોતે ખરીદ કરી મુળ માલીક પાસેથી મકાન ખરીદ કરવા વેચાણ દસ્તાવેજ કરાવવા પુર્વ મંજુરી મેળવવાની અરજી નાયબ કલેક્ટરને કરી હતી. જે અરજી ના મંજુર થતા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીએ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ સાથે મળી કાવતરૂ રચી ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલે તેના દિકરા દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલના નામે મકાન ખરીદ કરવા નાયબ કલેક્ટરની કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ કરવા પુર્વ મંજુરીની અરજી કરી હતી. જે અરજી મંજુર થતા મિલ્કતના નાણા મુળ માલીકને ચુકવવા અલારખાભાઇ કાદરભાઇ ગીગાણી પાસેથી બેન્ક ટ્રાન્ઝેકશન દ્વારા દર્શરાજસિંહના બેંક ખાતામાં અગાઉથી મેળવી લીધા હતાં. ત્યાર બાદ મુળ માલીકને તે નાણા ચુકવી આપી માર્જીનની રકમ રૂ.5.50 લાખ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણીએ પોતે મેળવી લીધા હતાં. બાદમાં આ મિલ્કત દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી અલરખાભાઇ કાદરભાઇ ગીગાણીએ ખરીદ કરવા નાયબ કલેક્ટરની કચેરી ખાતે પુર્વ મંજુરીની અરજી કરી હતી. જે અરજી ના મંજુર થયેલ હોવા છતા આરોપીઓએ ષડયંત્ર કરીને વેચાણ સાટાખત નોટરી પાસે કરાવી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીને કબજો સોંપી આપ્યો હતો. જેથી દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારખાભાઇ કાદરભાઇ ગીગાણી અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ થયો હતો. આમ, આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓના બેન્ક ટ્રાન્ઝેકશન/મની ટ્રેઇલ જોતા આરોપીઓએ, દર્શરાજસિંહ ગોહિલના નામે મિલ્કત તબદીલ થયેલ ન હોય તે પહેલા આરોપી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીના બેન્ક ખાતામાંથી રૂ.93 લાખ ટ્રાન્સફર કરાવી મુળ માલીકને રૂ.87.50 લાખ ચુકવેલ. તેમજ રૂ.5.50 લાખ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા જુનેદભાઈ ગનીયાણીએ આર્થીક લાભ મેળવેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન FIRમાં સ્થાવર મિલ્કત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-6(ડી) તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ-61(2) મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ તપાસ દરમ્યાન ખુલવા પામેલ વધુ બે આરોપીઓ ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ ગોહિલ તથા જુનેદભાઇ હારૂનભાઇ ગનીયાણી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અલારખાભાઇ કાદરભાઇ ગીગાણીએ વિવાદાસ્પદ મકાન ખાલી કરી મકાનનો કબ્જો દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલને પરત સોંપી આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:13 am

મારામારી તેમજ લૂંટનો બનાવ:સરદારનગર પ્યાલી લેવા ગયેલા યુવાન પર હુમલો, ઘડિયાળ લૂંટાઈ

શહેરના સરદારનગર વિસ્તારમાં જ્યાં નાની બોલાચાલીથી શરૂઆત થયેલો વિવાદ મારામારી અને લૂંટ સુધી પહોંચી ગયો હતો. કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના મિત્ર તથા ભાઈ સાથે સરદારનગર સર્કલ પાસે આવેલી પ્યાલીની દુકાને ગયા હતા. તે દરમિયાન ફોરવીલ કારને વળાંક લેવા લાગ્યા હતા ત્યારે સામેથી પસાર થઈ રહેલા બે શખ્સોએ ગાળો બોલતા ભગીરથસિંહ તથા તેમના ભાઈએ ગાળો શા માટે બોલો છો તેવુ કહેતા અમિત જ્યોતિકુમાર રાકેશ અને દિપક જયસ્વાલ એ અચાનક હુમલો કરીને ભગીરથસિંહ અને તેમના ભાઈને માર માર્યો હતો. હુમલામાં ભગીરથસિંહના હાથમાંથી બ્રાન્ડેડ કંપનીની અંદાજે 12,800ની કિંમતની ઘડિયાળ છીનવી લઈને બંને શખ્સો અલગ અલગ દિશામાં ફરાર થયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:12 am

જીઈસીમાં શારીરિક કસરતના મહત્વ પર વર્કશોપ:માનવીને માનસિક એકાગ્રતા અને તણાવમુક્તિ માટે કસરત અનિવાર્ય

ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ (GEC)ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા વેલબિઈન્ગ એન્ડ હેપ્પીનેસ ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે ધ પાવર ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ ઇન એવરી ડે લાઇફ (દૈનિક જીવનમાં શારીરિક કસરતની શક્તિ) વિષય પર એક વિશેષ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન ભારતસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સૈનિક જીવનના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, શિસ્તબદ્ધ જીવન અને નિયમિત કસરત એ માત્ર શરીર માટે જ નહીં, પરંતુ માનસિક એકાગ્રતા અને તણાવમુક્તિ માટે પણ અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક સમજાવ્યું કે વ્યાયામથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં પાયાનું કામ કરે છે. આ વર્કશોપમાં વક્તા દ્વારા વિદ્યાર્થીઓને સરળ વ્યાયામ, સ્ટ્રેચિંગ અને શ્વાસવ્યાયામનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યસ્ત શૈક્ષણિક સમયપત્રક વચ્ચે પણ સ્વાસ્થ્ય માટે સમય કેવી રીતે ફાળવવો તેનું પ્રેરણાદાયી શિક્ષણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:12 am

મેથ્સ અને ફિઝિક્સ- કેમેસ્ટ્રીમાં 3 માર્ક તમામને મળશે:ગુજકેટમાં આન્સર કી જાહેર થતા વિદ્યાર્થીઓને ચાર માર્ક મળી ગયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની આન્સર કી જાહેર કરવામાં આવી છે તેમાં ગણિતની આન્સર કી માં એક પ્રશ્નમાં તમામ જવાબો અને અન્ય એક પ્રશ્નમાં ચાર પૈકી બે વિકલ્પો સાચા છે. એટલે કે વિદ્યાર્થીને એક માર્ક અત્યારથી જ મળી ગયો છે ‌ જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં બે પ્રશ્નોમાં તમામ વિકલ્પ સાચા છે. એટલે કે વિદ્યાર્થીઓને બે માર્ક અત્યારથી જ મળી ગયા છે. બાયોલોજીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ અને એક પ્રશ્નમાં તમામ વિકલ્પો સાચા છે એટલે કે માત્ર અંગ્રેજી માધ્યમમાં જે પ્રશ્નમાં તમામ વિકલ્પ સાચા છે તેને એક માર્ક મળી ગયો છે. એટલે કે કુલ ચાર માર્ક અત્યારથી જ મળી ગયા છે જેમાં 3 માર્ક તમામ માધ્યમમાં જ્યારે બાયોલોજીમાં 1 માર્ક માત્ર અંગ્રેજી માધ્યમના પરીક્ષાર્થીઓને મળી ગયો છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે આ આન્સર કી અંગે વિદ્યાર્થીઓને કોઈ રજૂઆત હોય તો વિષય વાર માધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ અલગ ફોર્મ ભરી ઈમેલ આઇડી gujcetkey,@gmail.com પર તારીખ 8 એપ્રિલને બુધવાર સાંજે 6:00 વાગ્યા સુધી જરૂરી આધાર સાથે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ અને જરૂરી આધારો સિવાય મળેલી રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. આન્સર કી ની રજૂઆત ફક્ત ઇ-મેલ દ્વારા સ્વીકારવામાં આવશે અને પ્રશ્ન દીઠ રૂપિયા 500 ફી રહેશે. પ્રશ્નની રજૂઆત કરી હોય અને તે સાચી ઠરશે તો ઉમેદવારને ભરેલી ફી પરત કરાશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:11 am

ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર:પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, મચ્છરોને રોગચાળાથી ​સ્થાનિકોમાં આક્રોશ; ચૂંટણી બહિષ્કારની ચીમકી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પાયકવાડ વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળતી વખતે દર વખતે ગંદા પાણીમાં પગ મૂકવો પડે છે. 'ગટરના ગંદા પાણી ઉંબરા સુધી આવી ગયા'દિવ્ય ભાસ્કરની ટીમે સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 9(રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુર) સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પાયકવાડ વિસ્તારના સ્થાનિકો જણાવે છે કે, ગટરના ગંદા પાણી તેમના ઉંબરા સુધી આવી ગયા છે. આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીં છેલ્લા 15થી 20 વર્ષથી ડ્રેનેજની ગંભીર સમસ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને ફરિયાદો પાછી ફરે છે. 'ડ્રેનેજ લાઈનનો 15થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે'સ્થાનિક મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈનનો 15થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે, આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી. આ મેઈન રોડ છે, અહીં બધા સમાજના કાર્યકર્તાઓ પણ જાય છે અને જોવે છે પણ જોતા જતાં કોઈ એક્શન નથી લેતા. 15 વર્ષથી બધા હેરાન અને પરેશાન છે. મોહમ્મદ આસિફે જણાવ્યું કે, અમારા અહીં કોર્પોરેટર રાજનભાઈ છે અને શૈલેષ, કુણાલ સેલર છે એ બધા જોવે છે. આ મંદિર પણ આપણું બહુ જૂનું પુરાણું છે, અહીંથી આવતા-જતાં બધા જોવે છે એવું નથી કે નથી જોતા. બધા કોર્પોરેટર પણ જોવે છે બધા આગેવાનો પણ જોવે છે પણ કોઈ જાતનું એક્શન લેતા નથી. પીવાનું પાણી ગંદુ, લોકો દરરોજ પાણી ખરીદવા મજબૂરસ્થાનિક રુકસાનાબાનુંએ જણાવ્યું હતું કે, આ બધું ગટરનું એકલું નાપાક જ પાણી જાય છે, એમાં નાના નાના બચ્ચા બીમાર પડે છે. અને રોજનું એક બિસલેરી પાણી લાવી અમે પીએ છે. ગરીબ માણસ ક્યાંથી રોજનું પાણી લાવીને પીવાનું? પીવાનું પાણી પણ એટલું ગંદુ આવે છે, એવી પ્રોબ્લેમ છે. આ કેટલા વર્ષોથી પ્રોબ્લેમ છે. ક્યાં સુધી અમે આ સહન કરીએ? કેટલું બધું સહન કરીએ છીએ અમે! અમારા બચ્ચા બિચારા કૂદી કૂદીને જાય છે પછી આવીને તરત નવડાવવા પડે છે. 'પીવાનું પાણી ખરાબ આવે છે, કોઈ તપાસ કરવા નથી આવતા'સ્થાનિક શબ્બીર મહારાજે જણાવ્યું હતું કે, આ સમસ્યા માટે કોર્પોરેશનમાં વારંવાર અમે અરજીઓ કરી છે, પણ કોઈ આવતું નથી અને આવે છે તો જોઈ-જોઈને ચાલ્યા જાય છે. હમણાં છેલ્લા મોદી સાહેબ કરીને કોઈ આવેલા, તે કહે અમે પાંચ-છ દિવસમાં આવીએ છીએ પણ કોઈ આવતું નથી ને કંઈ કરતું નથી. રોજનું પીવાનું પાણી ખરાબ આવે છે. કોઈ તપાસ કરવા પણ નથી આવતા. અને અહીંયા શંકર ભગવાન મંદિર બાજુ જવાવાળા લોકો પણ આ ગટરના પાણીમાંથી જાય છે. એ લોકો પણ જોયા કરે પણ કોઈ બોલતું નથી. 'આ લોકો કામ નથી કરતા, ફક્ત વેરો ઉઘરાવે છે'શબ્બીર મહારાજે કહ્યું, આગામી સમયમાં ચૂંટણી આવે છે એના બાબતમાં એવું છે કે વોટ તો અમે બહિષ્કાર કરવાના જ છે, કેમકે આ લોકો કામ નથી કરતા. વેરો ઉઘરાવે છે, વેરો નહીં હોય તો 18 ટકા વ્યાજે આપણી પાસેથી પૈસા લે છે એ પણ આ લોકો કંઈ કરતા નથી. શબ્બીર મહારાજે વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટરો અહીં ભગવાનના મંદિરમાં જાય છે એ લોકો પણ કહી કહીને થાક્યા પણ કોઈ કામ કરતું નથી. એમની નિયત જ નથી કામ કરવાની નથી ખાલી વેરો ઉઘરાવવો છે. તો આની કોઈ સમસ્યાનો ઉકેલ લાવે. નહીં તો પછી અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કમિશનર પાસે જઈશું. 'અમે પથ્થર મૂકીને કોઈ દિવસ કામ ચલાવીએ છીએ'સ્થાનિક સમીર મલિકે જણાવ્યું હતું કે, લગભગ 15-20 વર્ષથી આ તકલીફ એટલી ચાલે છે કે અમને રોજની તકલીફ પડે છે. છોકરાઓ માંદા પડે છે. ત્રણ વખત મારા છોકરાને હું હોસ્પિટલ લઈ ગયો છું. મારી પાસે રિપોર્ટ છે, તમે કહેતા હોવ તો રિપોર્ટ બતાવું. આમાં એટલી ગંદકી થાય છે, અહીંથી આવતા-જતા પાણીની તકલીફ પડે છે. સાહેબ પણ આવે છે અને કહે છે કે કરશું કરશું પણ આ કામ થતું નથી. બે દિવસ કોઈ માણસ આવે, કરાવીને જાય, એક દિવસ બંધ થાય અને બીજા દિવસે સાંજથી પાછું પાણી ચાલુ થઈ જાય. ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ​લોકોમાં હવે આક્રોશ ફાટી નીકળ્યો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો ચૂંટણી પહેલા આ ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. અમે કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં અને મત પણ આપીશું નહીં. ગંદકીથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા​સ્થાનિકોનો સવાલ છે કે જો 20 વર્ષમાં એક ડ્રેનેજ લાઈન સરખી ન થઈ શકતી હોય, તો મત આપવાનો શો અર્થ? જ્યારે નેતાઓ મતોની ઝોળી ફેલાવીને આવશે, ત્યારે જનતા તેમને આ ગંદકી અને 20 વર્ષના અન્યાયનો જવાબ માંગશે તે નક્કી છે. વોર્ડ નંબર 9ની આ સ્થિતિ આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ માટે મોટી મુસીબત ઊભી કરી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:00 am

તમારા સુધી કેવી રીતે પહોંચે છે ગેસ અને પેટ્રોલ-ડીઝલ?:ગુજરાતના 3 પોર્ટ પર આવે છે ક્રૂડ ઓઇલ, વિદેશથી આયાતની આખી ચેઇન સમજો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર લડાઇ રહેલા ઇરાન V/S ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધના કારણે ગેસ અને ઇંધણ વારંવાર સમાચારોમાં ચમકતા રહે છે. થોડા દિવસો પહેલાં ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલ માટે લાગેલી લાંબી-લાંબી લાઇનના દ્રશ્યો હજુ તમે ભૂલ્યા નહીં હો. આ જ વાત એ સાબિત કરે છે કે સામાન્ય માણસની જિંદગીમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલ કેટલી અસર કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિદેશથી આવતા આ ગેસ અને પેટ્રોલ-ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? આ સવાલનો જવાબ મળશે આજની સન્ડે બિગ સ્ટોરીમાં. ગેસ અને પેટ્રોલ-ડીઝલ ક્યાંથી નીકળે છે? ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલા તબક્કામાંથી પસાર થાય છે? કયા તબક્કે એની ઉપર ચાર્જિસ લાગે છે? કેવી રીતે છેવટનો ભાવ નક્કી થાય છે? એ જાણવા દિવ્ય ભાસ્કરે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલ સાથે વાત કરી હતી. જેમણે આખી સપ્લાય ચેઇન વિશે માહિતી આપી હતી. અહીં 2 તબક્કામાં આખી વાત સમજો. પહેલાં ગેસની વાત કરીએ. ક્રૂડ ઓઇલ રિફાઇનરીમાં કેવી રીતે પહોંચે છે?જ્યાં નક્કી થાય છે કે અહીં જમીન નીચે ક્રૂડ ઓઇલ છે ત્યાં સર્વે કરીને ડ્રિલિંગ કરાય છે અને ખનન થાય છે. જેના પછી ક્રૂડ ઓઇલને બહાર કઢાય છે. જે-તે દેશ જમીનમાંથી ક્રૂડ ઓઇલ કાઢીને તેને સ્ટોર કરે છે. ક્રૂડ ઓઇલને પાઇપલાઇનથી રિફાઇનરી કે ઓઇલ ફાર્મ્સમાં મોકલાય છે. જ્યાં તેનું સ્ટોરેજ થાય છે. ઘણી જગ્યાએ દરિયામાં પણ ડ્રિલિંગ કરાય છે. તેમાંથી નીકળતા ક્રૂડ ઓઇલને પાઇપલાઇનથી ટેન્કર્સમાં કલેક્ટ કરાય છે. જ્યાંથી તેને રિફાઇનરી અને ઓઇલ ફાર્મ્સમાં મોકલાય છે. ક્રૂડ ઓઇલમાંથી સૌથી પહેલાં LPG મળેવિદેશમાંથી નીકળતા ક્રૂડ ઓઇલને ભારતમાં મોટા ટેન્કર્સથી ઇમ્પોર્ટ કરાય છે. ભારતમાં લાવીને ક્રૂડ બાસ્કેટમાં સ્ટોર કરવામાં આવે છે. એ પછી પાઇપલાઇન અને રેલવે વેગન દ્વારા અલગ અલગ રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે. રિફાઇનરીમાં ફ્રેક્શનલ ડિસ્ટીલરી નામની પ્રોસેસ ચાલે છે. જેમાં ક્રૂડ ઓઇલને ફ્રેક્શનલ ડિસ્ટીલરી ટાવરમાં વિવિધ તાપમાન પર ગરમ કરવામાં આવે છે. તેમાંથી પહેલાં LPG, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ એમ જુદી જુદી પ્રોડકટ નીકળે છે. ટેમ્પરેચર ઓછું થતું જાય એમ છેલ્લે બિટુમીન નીકળે છે. ભારતમાં મોટાભાગે LPG અને CNG ઇમ્પોર્ટ થાય છે. ભારત કયા-કયા દેશો પાસેથી ગેસ ખરીદે છે?CNG અને LNGનુ મોટાભાગે કતાર, અમેરિકા, યુનાઇટેડ આરબ અમીરાત અને અંગોલાથી ઇમ્પોર્ટ થાય છે. એ સિવાય ઓમાન, નાઈજીરિયા, ઇક્વિટોરિયલ ગિની, કેમેરુન અને મોઝામ્બિકથી પણ ઇમ્પોર્ટ થાય છે. એના પછી ઓસ્ટ્રેલિયા અને રશિયાનો વારો આવે છે. ગુજરાતમાં 3 પોર્ટ પર ક્રૂડ ઓઇલ આવે છેગુજરાતા 3 બંદર પર ઓઇલ મેસિવ ટેન્કર્સમાં ક્રૂડ આવે છે. જેને દરિયામાં જ નાની શિપમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાંથી ઓઇલ ફાર્મ્સમાં અનલોડ કરવામાં આવે છે. ગુજરાતમાં આ જગ્યાએ ઓઇલ રિફાઇન થાય છેગુજરાતમાં કુલ 3 રિફાઇનરી છે. જામનગરમાં રિલાયન્સ ઉપરાંત નાયરા એનર્જીની રિફાઇનરી છે. વડોદરામાં ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરી છે. ગુજરાતમાં કાચો માલ (ક્રૂડ ઓઇલ) આવે છે એ પછી અહીં રિફાઇન થાય છે. જુદી-જુદી કંપનીઓ વચ્ચે સમજૂતીરિલાયન્સ અને નાયરા સિવાય દરેક કંપની પાસે પોતાની ઓછામાં ઓછી 2 રિફાઇનરી આખા દેશમાં છે. રિલાયન્સ અને નાયરા પાસે 1-1 જ રિફાઇનરી છે. ભારતમાં જેટલી કંપનીઓ છે તેમની વચ્ચે એક સમજૂતી હોય છે. જેમ કે મુંબઇ રિફાઇનરી BPCL અને ગુજરાત રિફાઇનરી IOC હસ્તક છે. મુંબઇ રિફાઇનરી IOCને સપ્લાય કરે છે તો ગુજરાત રિફાઇનરી HPCL, BPCL, નાયરા જેવી કંપનીને સપ્લાય કરે છે. રિફાઇનરીમાં ક્રૂડમાંથી ગેસ, પેટ્રોલ, ડીઝલ જેવી પ્રોડક્ટ અલગ પડે છે અને પછી ડિસ્ટ્રિબ્યૂશન ચેનલથી ગ્રાહકો સુધી પહોંચે છે. રિફાઇનરીથી ડિલર સુધી કેવી રીતે પહોંચે છે?રિફાઇનરી પરથી પાઇપલાઇન દ્વારા કંપનીના સપ્લાય લોકેશન પર પ્રોડક્ટ મોકલાય છે. ઉદાહરણ તરીકે વડોદરામાં આવેલી IOCની રિફાઇનરી પરથી દુમાડમાં આવેલા IOC અને HPCLના સપ્લાય લોકેશન પર પ્રોડક્ટ મોકલાય છે. BPCLનું ઇન્સ્ટોલેશન કોયલીમાં છે. કંપની પોતાના સ્ટોરેજ ટેન્કમાં પ્રોડક્ટને શિફ્ટ કરે છે. જ્યાંથી તે ડિલર ચેનલ સુધી પહોંચે છે. ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી આ રીતે ગ્રાહકના ઘરે પહોંચે છેLPG કોઇ દિવસ સીધો રિફાઇનરીમાંથી નથી જતો. કેપ્સ્યૂલ દ્વારા સપ્લાય ઇન્સ્ટોલેશન પર જાય છે. જ્યાં તે સ્ટોરેજ થાય છે. અહીં તેનું બોટલિંગ થાય છે. બોટલિંગ થયા પછી ડિસ્ટ્રીબ્યૂટર પાસે જાય છે. ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી ગ્રાહકના ઘર સુધી પહોંચે છે. દરેક ડિસ્ટ્રીબ્યૂટરને અમુક એલોટેડ કસ્ટમર હોય છે. એ ડિસ્ટ્રીબ્યુટર કસ્ટમર સિવાય બીજા કોઇને સિલિન્ડર વેચી ન શકે. ગુજરાતમાં જે કાચો માલ આવે છે એ ફક્ત ગુજરાત પૂરતો નથી હોતો. એ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ડિસ્ટ્રિબ્યૂટ થાય છે. ભારત રિફાઇન પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરે છે. ગેસના ભાવનું ગણિતગેસની ગણતરી mmbtuમાં થાય છે. (1 mmbtu એટલે અંદાજે 21 કિલો LNG-LPG થાય). ગેસનો ભાવ સરકાર નક્કી કરે છે. સામાન્ય રીતે વાર્ષિક ભાવ નક્કી થાય છે પણ ક્યારેક ત્રિમાસિક કે છમાસિક ભાવ પણ નક્કી થાય છે. હાલ 1 mmbtuનો ભાવ આશરે 8.91 ડોલર છે. ગેસના ભાવ પર કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી લાગે. ટ્રાન્સપોર્ટ ખર્ચ, રિફાઇનિંગ ખર્ચ અને બોટલિંગ ખર્ચ પણ લગાવાય. જેના પછી વેટ, ડિલરનું માર્જિન ઉમેરાય અંતે ફાઇનલ ભાવ આવે છે. ગેસનો સ્ટોરેજ ખર્ચ સૌથી વધુપેટ્રોલિયમ પદાર્થોમાં સૌથી વધુ સ્ટોરેજ ખર્ચ ગેસનો હોય છે. ગેસને લિક્વીફાઇડ કર્યા પછી તે ઊડી ન જાય તે માટે અમુક તાપમાન રાખવું પડે છે. સ્ટોરેજ માટે મેક્સિમમ કોઇ ટાઇમ લિમિટ નથી. ગેસની સ્ટોરેજ કેપેસિટી પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણી ઓછી હોય છે. ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરમાં રોટેશન થતું હોય છે. જેથી લાંબો સમય સુધી સ્ટોરેજની જરૂર નથી પડતી. LPG ઘરેલુ વપરાશમાં જ વપરાઇ જાય છે. જેથી તેનું એક્સપોર્ટ નથી થતું. કેરોસીન, લુબ્રિકેટીંગ ઓઇલ, એવિએશન ફ્યૂલ પણ એક્સપોર્ટ થાય છે. PNG ભારતના જ ગેસ ફિલ્ડમાંથી ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. PNGનું ઇમ્પોર્ટ નથી થતું. LNG ગેસ ફાર્મમાં સ્ટોર થાય છે ત્યાંથી ડિસ્ટ્રીબ્યૂટ થાય છે. હવે વાત પેટ્રોલ-ડીઝલની. પેટ્રોલ-ડીઝલ ક્યારેય સીધા પોર્ટ પર નથી આવતા. પોર્ટ પર ફક્ત ક્રૂડ ઓઇલ આવે છે. જેને રિફાઇન કરાય છે. રિફાઇનરીમાં ફ્રેક્શન ડિસ્ટીલેશન (ક્રૂડ ઓઇલમાંથી ગેસ, પેટ્રોલ-ડીઝલ છૂટા પડે) થાય છે. એના પછી તેનું સ્ટોરેજ થાય છે અથવા એક્સપોર્ટ થાય છે. પેટ્રોલ-ડીઝલ આ રીતે વાહન સુધી પહોંચે છેરિફાઇનરીમાં અમુક માત્રામાં સ્ટોરેજ થાય છે. જેને કુલિંગ પીરિયડ કહેવાય છે. પેટ્રોલ ડીઝલને ઓવરહેડ સ્ટોરેજ ટેન્કમાં રખાય છે. જેમાં ફ્લોટિંગ રૂફ હોય છે. પેટ્રોલ 0.6થી 0.7 % ઊડી જાય છે. ડીઝલ પણ ઊડી જાય છે. જેથી ખર્ચમાં તેની ગણતરી થાય છે. 1-2 દિવસ કુલિંગ થયા બાદ પાઇપલાઇનથી સપ્લાય ઇન્સ્ટોલેશન પર મોકલાય છે. જ્યાંથી ટેન્કર દ્વારા પેટ્રોલ પંપ ડિલર સુધી પહોંચે છે અને પેટ્રોલ પંપથી ગ્રાહકના વાહનમાં પહોંચે છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રિફાઇનિંગનો ખર્ચ, કંપનીનું માર્જિન, એક્સાઇઝ, કસ્ટમ ડ્યૂટી, વેટ અને પછી ડિલર માર્જિન ઉમેરાય છે. જેના પછી રિટેલ સેલિંગ પ્રાઇઝ નક્કી થાય છે. સાદું અને પ્રીમિયમ પેટ્રોલ ડીઝલપેટ્રોલ અને ડીઝલ માટે BISના માપદંડ હોય છે. જેના પ્રમાણે દરેક કંપનીએ રિફાઇનિંગ કરવાનું હોય છે. રિફાઇનરીથી જે પેટ્રોલ ડીઝલ આવે તે સાદા હોય છે. જ્યારે સપ્લાય લોકેશન પર પેટ્રોલ ડીઝલમાં એડિટીવ એડ કરાય છે. જેમાં રસ્ટ રિમૂવર્સ અને ઓક્ટએન બુસ્ટર્સ એડ કરાય છે. જેનાથી એન્જિનની ક્ષમતા વધી જાય છે અને મેન્ટેનન્સ ઓછું આવે છે. જેને પ્રીમિયમ પેટ્રોલ કહેવાય છે. ગ્રાહકને જે લેવું હોય તે લઇ શકે છે. પેટ્રોલ-ડીઝલની 3 પબ્લિક લિમિટેડ કંપનીપેટ્રોલ ડીઝલ માટે 2 પ્રકારની કંપની હોય છે. એક પબ્લિક લિમિટેડ કંપની અને બીજી પ્રાઇવેટ કંપની. ભારતમાં પબ્લિક લિમિટેડ કંપની 3 છે. જે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL), ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) છે. આ સિવાય બીજી નાની આસામ ઓઇલ અને મેંગ્લોર રિફાઇનરી જેવી કંપની પણ છે. જેમ ક્રૂડ ઓઇલનો ભાવ વધઘટ થાય તેમ આ કંપનીઓના ભાવ વધઘટ થતાં હતા. પ્રાઇવેટ કંપનીઓમાં સરકારનો હસ્તક્ષેપ નથી હોતો. રિફાઇનિંગ લોસ કવર પ્રાઇવેટ કંપનીઓ ગમે ત્યારે ભાવ વધઘટ કરી શકે છે. એ ભાવ વધારી પણ શકે અને ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. પબ્લિક લિમિટેડ કંપનીઓ પેટ્રોલ ડીઝલ એક્સપોર્ટ નથી કરતી પણ નાયરા અને રિલાયન્સ જેવી પ્રાઇવેટ કંપનીઓ યુરોપિયન અને આફ્રિકન દેશોમાં પેટ્રોલ ડીઝલ એક્સપોર્ટ કરે છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 6:00 am

'મહંત ચરિતમ' શ્રેણી પર કથા યોજાઈ:આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત આવશ્યક : મહંત સ્વામી મહારાજ

ભાવનગર : 'અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા' એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજની અક્ષરવાડીમાં પધારમણી અને ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ ઉપક્રમે આજે સવારે પ્રાતઃપૂજા બાદ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત જરૂરી છે. ચલાવી લેવું, જતું કરવું, માફ કરી દેવું, જેવાં અનેક પાસા છે જેથી પરિવારમાં શાંતિ જળવાય રહે અને એ જ્યારે ઘરમાં ધર્મ હોય ત્યારે જ શક્ય બને છે. સવારની પારાયણ દરમ્યાન પૂજ્ય આદર્શજીવન સ્વામીએ 'મહંત ચરિતમ' શ્રેણી પર અદભુત કથાનો લાભ આપ્યો હતો. સાંજની સભામાં ગુરુભક્તિ અર્ધ્યમ અંતર્ગત તપ, ઉપવાસ, વિશેષ નિયમ લેનાર બાળકો, યુવાનો, વડીલ હરિભક્તોને બિરદાવતો અદભુત કાર્યક્રમ ઉપરાંત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા અને અંતમાં ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિને પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે દર્શન આશીર્વાદ આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:55 am

CPM પણ લડશે ચૂંટણી:કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીમાં CPM ઝંપલાવશે

ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયત પાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાં આજે નવું રાજકીય સમીકરણ બહાર આવ્યું છે. સીપીએમ દ્વારા પણ ચૂંટણી લડવા મન મક્કમ કરી લેવાયું છે. ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદીની ભાવનગર જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગર શહેર ઉપરાંત પાલીતાણા, સિહોર અને ઘોઘા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા સમિતિની બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકા, પાલીતાણા નગરપાલિકા તથા કેટલીક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો લડવા માટેનો નિર્ણય કરાયો હતો. સીપીઆઈએમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવા માટે ઉમેદવારો ઊભા રાખશે. સીપીએમ પોતાની ઉમેદવારો 8મી એપ્રિલે નક્કી કરશે તથા 9મી એપ્રિલે તેની જાહેરાત કરવામાં આવશે. ભાજપના નિરીક્ષકો ગયા, લોબિંગ શરૂઆગામી ચૂંટણીઓ માટે પ્રદેશ કક્ષાએથી ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુકોના સેલ્સ લેવામાં આવ્યા હતા. નિરીક્ષકો દાવેદારોને સાંભળી ચાલ્યા ગયા પરંતુ હવે દાવેદારો દ્વારા પોતાના ગોડફાધરો થકી લોબિંગ શરૂ કરવામાં આવ્યું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સંઘ અને જુના જોગીઓને પણ મળી પ્રદેશ કક્ષાએ ઉમેદવારોની પસંદગીમાં દબાણ માટે સતત પ્રયાસો શરૂ થયા છે. આવી પરિસ્થિતિમાં સારા કરતાં મારાને પ્રાધાન્ય મળવાના પણ ચાન્સ વધી જાય છે.

દિવ્ય ભાસ્કર 5 Apr 2026 5:55 am