સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે અદભૂત સતર્કતા દાખવી ગણતરીની મિનટોમાં હુમલાખોરોને રસ્તા પર જ દબોચી લીધા હતા. હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઈલમાં દોડી તેમને જમીનદોસ્ત કરી દીધા હતા. આ સમગ્ર ઓપરેશનના CCTV હાલ સામે આવ્યા છે. ઘાતક ચપ્પુ અને 3 બાઈક પર 9 સવારCCTVમાં દેખાતા દૃશ્યો કોઈપણ નાગરિકને હચમચાવી દે તેવા ભયાનક છે. સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક પછી એક ત્રણ બાઈક ગલીમાં પ્રવેશ કરે છે. દરેક બાઈક પર ત્રણ-ત્રણ એટલે કે કુલ 9 જેટલા અસામાજિક તત્વો સવાર હતા. આ તમામ હુમલાખોરોના હાથમાં 'રેનબો' કલરના અત્યંત ધારદાર 6 જેટલા મસમોટા ચપ્પુ હતા. તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા. હુમલાખોરોનો આ આતંક જોઈને સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. માત્ર 1000 રૂપિયાની ઉઘરાણીમાં જીવ લેવા નીકળ્યાપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખી લોહિયાળ ખેલ પાછળ માત્ર 1,000 રૂપિયાનો નજીવો વિવાદ જવાબદાર હતો. ફરિયાદી સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી પાસે આરોપીઓએ અગાઉ ઉછીના આપેલા 1,000 રૂપિયાની કડક માંગણી કરી હતી. સચિને અત્યારે આ રકમ આપવાની અસમર્થતા દર્શાવતા મામલો એકાએક બીચક્યો હતો. આરોપી કનૈયા, દીપક અને તેના અન્ય મિત્રોએ સચિનને ફોન પર બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સચિનને અહેસાસ થઈ ગયો હતો કે આ લોકો હુમલો કરશે, તેથી તેણે તુરંત પોલીસને ફોન કર્યો હતો. હુમલાખોરો સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો પહોંચી ગયો અત્યાર સુધી આપણે બોલિવૂડ ફિલ્મોમાં જોયું છે કે, જ્યારે હીરો પર હુમલો થાય ત્યારે પોલીસ છેલ્લી ઘડીએ પહોંચે છે પણ ગોડાદરામાં ચિત્ર બિલકુલ અલગ હતું. સચિનનો ઈમરજન્સી કોલ મળતા જ ગોડાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હરવિજયસિંહ, સંદીપભાઈ અને વિશાલભાઈ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. હુમલાખોરો સોસાયટીમાં ઘૂસીને સચિનને નિશાન બનાવે તે પહેલા જ પોલીસ કાફલો ત્યાં સજ્જ થઈને પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ અને જવાનોને અચાનક સામે જોઈને હુમલો કરવા આવેલા ગુંડાઓના હોશ ઉડી ગયા હતા અને નાસભાગ મચી હતી. આરોપીએ ભાગવા માટે બાઈકનું એક્સિલરેટર માર્યું ને પોલીસે પકડ્યાપોલીસને જોઈને હુમલાખોરોએ પકડાઈ જવાના ડરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે, એક બાઈક પર સવાર હુમલાખોરો ભાગવા માટે જોરદાર એક્સિલરેટર આપે છે ત્યારે પોલીસકર્મી પાછળથી એક આરોપીને પકડીને ખેંચી રસ્તા પર પટકે છે, જેના કારણે ચાલુ બાઈક હવામાં એક ટાયર પર (વીલી) થઈ જાય છે અને સંતુલન ગુમાવતા બંને રસ્તા પર પટકાય છે. બીજી તરફ, પોલીસ જવાનો હાથમાં દંડા લઈને તેમની પાછળ જીવના જોખમે દોડે છે. એક હુમલાખોર ગલીમાં સંતાઈને ભાગવાની કોશિશ કરે છે પણ બાહોશ પોલીસ જવાનો તેને પકડીને રસ્તા પર પાડી દે છે. એક પોલીસ જવાન આરોપીના ખભા પર બેસી ગયો આ આખા ઓપરેશનનું સૌથી રોમાંચક અને દિલધડક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક આરોપીએ પોલીસની પકડમાંથી છૂટવા માટે જોરદાર ઝપાઝપી કરી હતી. જોકે, નીડર પોલીસે તેને જમીન પર પછાડ્યો અને તે ફરીથી ભાગી ન જાય તે માટે એક પોલીસ જવાન તેના ખભા પર બેસી ગયો હતો. રસ્તાની વચ્ચે ચાલેલું આ દ્રશ્ય કોઈ ફિલ્મી એક્શન જેવું લાગતું હતું અને આ જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓને રસ્તા પર લાઈનમાં બેસાડી તેમની કડક પૂછપરછ કરી અને તલાશી લેતા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. યુપી-બિહારના રીઢા શખ્સોની ગેંગ ઝડપાઈગોડાદરા પોલીસે જે છ આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં મનિષ ઉર્ફે કાલિયા ગુપ્તા, પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે, દીપક યાદવ, અમિત ઉર્ફે બીડી યાદવ, પ્રકાશ ઉર્ફે વિક્કી સોની અને અભિષેક ઉર્ફે બચ્ચી યાદવનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે અને સુરતના લિંબાયત તથા ગોડાદરા વિસ્તારમાં રહીને કલરકામ કે હીરા મજૂરી કરે છે. તેમની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ સામેલ હતો. પોલીસ હવે આ ગેંગના અન્ય સાગરીતો અને ગુનાહિત કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે. ગેરકાયદે મંડળી રચી હુમલો કરવાનો ગુનો દાખલગોડાદરા પોલીસે આ ગંભીર મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ગેરકાયદે મંડળી રચવી, હુમલો કરવો અને હથિયાર રાખવા જેવી કલમોનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક સૂચના બાદ પોલીસ અત્યારે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ પર કામ કરી રહી છે. આરોપીઓ જે રીતે તૈયાર થઈને સાત જેટલા ઘાતક રેનબો ચપ્પુ લઈને આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે, જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો સુરતમાં એક મોટી ગેંગવોર કે હત્યાની ઘટના બની શકી હોત. પોલીસની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળીસુરત શહેર પોલીસની આ વીજળીક વેગે કરેલી કામગીરીની આખા ગુજરાતમાં અને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે જનતા પોલીસ પર ભરોસો કરતા અચકાતી હોય છે, પરંતુ અહીં ફરિયાદી સચિનની સમયસૂચકતા અને ગોડાદરા પોલીસનો ક્વિક રિસ્પોન્સ જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. પોલીસે માત્ર રીઢા ગુનેગારોને પકડ્યા જ નહીં, પણ જે રીતે સરાજાહેર તેમને પાઠ ભણાવ્યો તેનાથી ગુનેગારોમાં પોલીસનો ખોફ બેસી ગયો છે. હાલ આ તમામ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ અમદાવાદમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં તાપમાન 5 ડિગ્રી સુધી વધી શકે છે અને શહેરમાં 40થી 42 ડિગ્રીની આસપાસ ગરમી પહોંચવાની સંભાવના છે ત્યારે આ સંજોગોમાં શહેરના કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમી પડશે તેની મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉથી જાણકારી મળી રહેશે. શહેરમાં ક્યો વિસ્તાર સૌથી વધુ ગરમ છે તેની ત્રણ દિવસ અગાઉ જ જાણ થશેમળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહે ત્યારે હીટ સ્ટોક તેમજ અર્બન હીટ આઇલેન્ડ જેવા જોખમોને ઓછા કરવા માટે પૂર્વસચેત પગલા લઈ શકાય તેના માટેનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી બચવા માટે AMCએ સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સેટલિયો લેબ્સ (SatLeo Labs) સાથે જોડાણ કર્યું છે, જેમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિકો પણ સામેલ છે. આ સ્ટાર્ટઅપની ઉચ્ચ-રિઝોલ્યુશન મલ્ટીબેન્ડ થર્મલ ઇન્ટેલિજન્સ સેટેલાઈટ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને શહેરના હોટસ્પોટની ઓળખ કરશે અને 3 દિવસ અગાઉ હોટસ્પોટનું પૂર્વાનુમાન કરવામાં આવશે. કેટલા વિસ્તારમાં હોટસ્પોટની અસર છે તેની પણ માહિતી અપાશેગરમીના હોટસ્પોટ વિસ્તારોની ઓળખ સેટેલાઇટ પરથી મેળવેલા લેન્ડ સર્કસ ટેમ્પરેચર (LST) ડેટાના આધારે કરવામાં આવશે. ત્યારબાદ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને 30-35 મીટર વિસ્તારના SPATIAL રિઝોલ્યુશન સાથે હવાના તાપમાનનું દૈનિક પૂર્વાનુમાન કરવામાં આવશે. આ પૂર્વાનુમાન 3 દિવસ અગાઉ ઉપલબ્ધ રહેશે અને તેની ચોકસાઈમાં 2-30 જેટલો ફરક હોઈ શકે છે. કેટલા વિસ્તારમાં હોટસ્પોટની અસર છે તેની પણ માહિતી દર્શાવવામાં આવી છે. હાલ 46 જેટલા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી છેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાર્ટઅપ સાથે જે જોડાણ કરીને પૂર્વાનુમાન નક્કી કરવામાં આવ્યું છે તેમાં 46 જેટલા સ્થળો દર્શાવવામાં આવ્યા છે, જે આસપાસના એકથી બે કિલોમીટર વિસ્તાર ગરમ રહે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેના આધારે આ વિસ્તારમાં વધારે ગરમી હોવાથી ત્યાં લોકોને પણ માહિતગાર કરી શકાય તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે અમદાવાદ શહેરમાં હાલ દરરોજ આશરે 1750 એમએલડી પાણીનો પુરવઠો આપવામાં આવે છે. મુખ્યત્વે નર્મદા આધારિત સરફેસ વોટરનો જથ્થો સૌથી વધુ છે, જ્યારે ભૂગર્ભજળ પરનો આધાર ખૂબ ઓછો રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 325 જેટલી ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ભૂગર્ભ જળ વધારવામાં પરપોશન વેલ બનાવવામાં આવી રહી છે ત્યારે શહેરમાં 325 જેટલી ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે, જેના દ્વારા ચોમાસામાં નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું છે. ઉપરાંત સોસાયટીઓમાં પરકોલેશન વેલ યોજનાઓ પણ અમલમાં મુકાઈ છે. આ વિસ્તારોમાં 180 ટીડીએસનું શુદ્ધ પાણી ઉપલબ્ધઅમદાવાદમાં પાણી પુરવઠાની વ્યવસ્થા છેલ્લા બે દાયકામાં મોટા પાયે બદલાઈ છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં અગાઉ બોરવેલ આધારિત પાણી સપ્લાય થતો હતો. જેમાં ટીડીએસનું પ્રમાણ 2200થી 2500 સુધી હતું. બાદમાં જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નર્મદાની લાઈનોના વિકાસથી આ વિસ્તારોમાં 180 ટીડીએસનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બન્યું છે. પાણી પુરવઠામાં વધારો કરવાની તૈયારીઓઆગામી વર્ષોને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠામાં વધારો કરવાની પણ તૈયારી ચાલી રહી છે. 2030 સુધીમાં શહેરમાં 2450 એમએલડી પાણી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. જાસપુર ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રંક મેઈન લાઈન જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પાણી ક્ષમતા વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગ્રાહકોની વ્યાખ્યામાં નાના માણસથી માંડીને મોટા-મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ વગેરે આવી જાય છે, પરંતુ ગ્રાહકો સાથે થતી લૂંટ અટકાવવા માટે સરકારના પ્રયત્નો પણ ટૂંકા પડતાં હોય તેવું દેખાય છે. ઘણી વાર વસ્તુની કિંમત કરતા વેપારીઓ વધુ પૈસા લેતા હોય છે, જેમાં મહત્તમ ગ્રાહકો માથાકૂટ કરવાનું ટાળે છે, જેના કારણે જ ગ્રાહકો સાથે થતી લૂંટ સતત વધતી જાય છે. આ વચ્ચે અમદાવાદમાં કઈક અલગ જ કિસ્સો માસે આવ્યો છે. 5 કિલો તુવેર દાળની એમ.આર.પી. કરતાં વેપારીએ ગ્રાહક પાસેથી વધુ રકમ લેતા તે ગ્રાહકે કોર્ટમાં કેસ કર્યો હતો. 156 રૂપિયા રકમ બહુ નાની હતી, પરંતુ ગ્રાહક જાગૃત હોવાથી કાનૂની લડત આપી હતી. આ લડત એક-બે વર્ષ નહીં પરંતુ દસ વર્ષ સુધી ચલાવી હતી. છેવટે તાજેતરમાં જ ગ્રાહક કોર્ટે વેપારીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ ગ્રાહકને 156 રૂપિયાના 7 ટકા વ્યાજ લેખે વળતર આપવા હુકમ કર્યો છે. વેપારીએ 5 કિલોના પેકિંગમાં રૂ.165 વધારાના વસૂલ કર્યા હતાઆ કેસની વિગત એવી છે કે, ફરિયાદી ગ્રાહક શશીકાંત એ. રાવલે અમદાવાદના કાલુપુર વિસ્તારના કબૂતરખાનાના જથ્થાબંધ વેપારી મેઘરાજ નાનકરામ ઓમ પાસેથી પાંચ કિલો અંગુર તુવેર દાળ પેકિંગમાં ખરીદી હતી. પેકિંગ ઉપર છાપવામાં આવેલી M.R.P. રૂ.675 હોવા છતાં વેપારીએ શશીકાંત પાસેથી રૂ.840ની વસુલાત કરી હતી. વેપારીએ તુવેરની દાળમાં કિલોદીઠ રૂ.33 વધારે વસુલ કરી પાંચ કિલોના પેકિંગમાં રૂ.165 વધારાના વસુલ કર્યા હતા. આ મામલે શશીકાંતએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઉત્પાદક અને વેપારી સામે ગ્રાહકની સાથે અનફેર ટ્રેડ પ્રેક્ટીસ આચરવા સબબ રૂ.1,50,000 કન્ઝયુમર વેલફેર ફંડમાં વેપારી જમા કરાવે અને ફરિયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ માગી હતી. વેપારીએ પ્રથમ ભૂલ હોવાનું અને ફરિયાદ રદ કરવા માગ કરી હતીઆ કેસ ચાલી જતા વેપારીએ શરતચૂકથી વધારે રકમ વસુલ કરી હોવાનો જવાબ આપી પોતાનો બચાવ કર્યો હતો. એટલું જ નહીં બલ્કે પ્રથમ ભૂલ હોવાથી માફ કરવા અને ફરિયાદ રદ કરવા વિનંતી કરી હતી. તેની સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરીને રજૂઆત કરી હતી કે, વેપારીઓ ગ્રાહકો સાથે અયોગ્ય, અનૈતિક અને પ્રતિબંધિત વેપારી ગેરરીતિ આચરી બેફામ નફાખોરી આચરે છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા ન્યાયના હિતમાં ગેરકાયદેસર વેપાર નીતિ સામે યોગ્ય દંડ કરવો જરૂરી છે. ગ્રાહકની કાનૂની ખર્ચના 2000 ચૂકવવા પણ હુકમજિલ્લા ગ્રાહક કમિશને નેશનલ કમિશનનો હોટેલ ન્યાય મંદિરના અપીલના કેસમાં ઠરાવ્યા મુજબ, જો કોઇ વેપારી M.R.P.થી વધારે રકમ વસુલ કરે તે સંજોગોમાં તે ગેરકાયદેસર વેપાર નીતિ આચરેલ હોવાનું કહી શકાય. આથી વેપારીને રૂ.50,000નો દંડ ફરમાવવાતો હુક્મ કર્યો હતો. સાથે સાથે ગ્રાહક પાસેથી વધારાની વસુલ કરેલ રકમ રૂ.165 ફરિયાદ દાખલ કર્યાની તારીખ 2016થી 7 ટકાના વ્યાજ સાથે ચુકવવા અને રૂ.2,000 કાનૂની ખર્ચના અલગથી ચુકવી આપવા હુકમ કર્યો છે. આવા વેપારીઓને ખુલ્લા પાડવા ગ્રાહકોને આગળ આવવા અપીલગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે 10-10 વર્ષની લાંબી કાનુની લડત બાદ નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા ફરમાવવામાં આવી છે. સાથે ગ્રાહક જાગૃતિનો શાનદાર વિજય થયો હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે, વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. એમ.આર.પી. થી વધારે રકમ વસુલ કરે છે, જી.એસ,ટી. નંબરવાળા પાકા બીલ અને ગેરેંટી આપતા નથી, તોલમાપમાં ગ્રાહકોને ફટકો મારીને ભેળસેળ કરતા હોય છે, આવા તમામ ગ્રાહકોને છેતરનારા વેપારીઓને ગ્રાહક કમિશને લપડાક મારી આવકારદાયક અને પ્રશંસનીય ચુકાદો આપ્યો છે. ગ્રાહકોએ આવા વેપારીઓને ખુલ્લા પાડવા વધુને વધુ ફરિયાદો દાખલ કરવા આગળ આવવું જોઇએ.
અમદાવાદ વડોદરા નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલ વાસદ તેમજ ખેડા ટોલના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં કેટલીક ગાડીવાળા ટોલમાંથી પસાર થવા માટે જરૂરી પુરાવા ડુપ્લિકેટ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે, તે પણ NHAIના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટેગના માધ્યમથી જ ઉપલબ્ધ છે. જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ રજૂ કરશે તો કડક કાર્યવાહી કરાશેભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ, જેવાં કે ગાડીની RC બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફર્ઝી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જૂના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસૂલાત કરાવવામાં આવશે. (જે તે વાહનના વર્ગ વાર અને દર મુજબ ) જેથી ભારત સરકારને થતું નુકસાન અટકાવી શકાય. ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશેવધુમા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી તારીખ 1 એપ્રિલ, 2026થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડીમાં ફાસ્ટટેગથી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશનથી જ પેમેન્ટ વસૂલવામાં આવશે. ઉપરોક્ત બાબતના અનુસંધાનમાં ટોલ પ્લાઝા અધિકારો દ્વારા પોલિસ સ્ટેશનમાં પત્ર પણ રજુ કરવામાં આવેલ છે તેમજ પોલીસનો સહયોગ હંમેશા સકારાત્મક રહયો છે.
અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. આજે કલોલના શેરથા બાયપાસ પાસે વધુ એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ બનેલી આઈસર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈસર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું આઈસર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો તેમજ ગ્રામજનોએ રોડની ખરાબ હાલત અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ટ્રક પલટીને બાજુમાંથી પસાર થતી કાર પર ખાબકતાં ભૂકો બોલી ગયોપ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતી આઈસર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભૂકો બોલાઈ ગયો હતો. કારમાં સવાર મહિલા ચગદાઈ જતાં મોત થયુંઅંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતા જ ટોલ રોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારીલોકોનો આક્ષેપ છે કે અમદાવાદ મહેસાણા હાઈવે અત્યંત ખખડધજ હાલતમાં છે અને માર્ગ-મકાન વિભાગ તેમજ GRICL કંપની માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે. પરંતુ રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી દાખવે છે. રોડની ડિઝાઇન અને સુરક્ષાની અનેક ખામીઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાલમાં અડાલજ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ટ્રકમાં મોટું મશીન હતું તે કાર પર પડ્યું હતુંઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા તરફથી આઇસર ટ્રકમાં મોટું મશીન હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીકના હાઈવે રોડ પર બમ્પ કૂદતા ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. અને ટ્રક પલટીને સીધી કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં તપાસ ચાલુ છે.
વૈશ્વિકસ્તરે ઊર્જા ક્ષેત્રે સર્જાયેલી અસ્થિરતા અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને સુરત મહાપાલિકાએ એક મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સુરત શહેરમાં નેચરલ ગેસના નેટવર્કને વ્યાપક બનાવવા અને પાઈપલાઈન નાખવાની કામગીરીમાં આવતા વહીવટી તથા આર્થિક અવરોધોને દૂર કરવા માટે મહાપાલિકાએ રોડ રીસ્ટોરેશન અને પરમિશન ચાર્જમાં સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરી છે. ગેસ પાઈપલાઈનના નેટવર્ક માટે રોડ રીસ્ટોરેશન-પરમિશન ચાર્જમાં મુક્તિછેલ્લા કેટલાક સમયથી મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આ દેશો પર નિર્ભર છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડે, તો તેની સીધી અસર સ્થાનિક ઈંધણના ભાવ અને ઉપલબ્ધતા પર પડી શકે છે. ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ સત્તાવાર પરિપત્ર જાહેરરાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતની ગંભીરતા સમજીને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે ગેસ નેટવર્કના વિસ્તરણમાં આવતા તમામ અવરોધો દૂર કરવામાં આવે. સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ, 20 મી માર્ચના રોજ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. 4 અઠવાડિયા સુધી રોડ કટિંગ કે રીસ્ટોરેશન ચાર્જ લેવામાં આવશે નહીંમહાપાલિકાએ આ રાહત મર્યાદિત સમયગાળા માટે આપી છે જેથી કામગીરીમાં ઝડપ લાવી શકાય. આગામી 4 અઠવાડિયા સુધી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પાસેથી કોઈપણ પ્રકારનો રોડ કટિંગ કે રીસ્ટોરેશન ચાર્જ લેવામાં આવશે નહીં. સામાન્ય રીતે ગેસ કંપનીઓએ રસ્તા ખોદવા માટે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડતી હોય છે, જે હવે માફ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કંપનીઓ વધુમાં વધુ વિસ્તારોમાં પાઈપલાઈન પહોંચાડી શકશે. ગેસ કંપનીઓની અરજી પર 24 કલાકમાં નિર્ણય લેવો પડશેઅત્યાર સુધી ગેસ લાઈન નાખવા માટે જે-તે ઝોન કચેરીમાંથી મંજૂરી મેળવવામાં દિવસો નીકળી જતા હતા. ખાસ કરીને જે રસ્તાઓ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ એટલે કે ગેરંટી પિરિયડ હેઠળ હોય, ત્યાં ખોદાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડતી હતી. નવા આદેશ મુજબ તમામ ઝોન કચેરીઓએ ગેસ કંપનીઓની અરજી પર 24 કલાકમાં નિર્ણય લેવો પડશે. રસ્તો સરખો નહીં હોય તો એજન્સી વિરુદ્ધ કાર્યવાહીમહાપાલિકાએ આર્થિક રાહત આપી છે, પરંતુ જનતાની સુવિધા સાથે કોઈ બાંધછોડ કરી નથી. આ યોજના હેઠળ ગેસ કંપનીઓએ ખોદાણ કર્યા બાદ રસ્તાને ફરીથી મૂળ સ્થિતિમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી ગેસ કંપનીની રહેશે. રસ્તાના સમારકામમાં વાપરવામાં આવતું મટીરીયલ મહાપાલિકાના સિવિલ એન્જિનિયરિંગ ધોરણો મુજબનું હોવું જોઈએ. અને જે-તે ઝોનના એન્જિનિયરો સતત આ કામગીરીનું નિરીક્ષણ કરશે. જો રસ્તો સરખો નહીં કરવામાં આવે, તો એજન્સી વિરુદ્ધ ભારે દંડ અને કાનૂની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.
સુરત શહેરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ફરી એકવાર ચર્ચામાં આવી છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી યોગેશકુમારે શનિવારે પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના ભાર અને પહેલા વર્ષમાં આવેલી બેકલોગને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. યુવક ભાડાનો રૂમ રાખીને એકલો રહેતોમૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના નેછવા તાલુકાના ઘાણા ગામનો રહેવાસી યોગેશકુમાર શ્રવણકુમાર (ઉં.વ. 20) સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી SVNITમાં અભ્યાસ કરતો હતો. તે ઉમરા ગામની શ્રમજીવી સોસાયટીમાં બીજા માળે ભાડાનો રૂમ રાખીને એકલો રહેતો હતો. સવારે પાણી ભરવા દરવાજો ખખડાવ્યો પણ ના ખૂલ્યોશનિવારે સવારે જ્યારે મકાનમાલિકે રોજિંદા ક્રમ મુજબ પાણી ભરવા માટે તેનો દરવાજો ખખડાવ્યો, ત્યારે અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા મકાનમાલિકે ધક્કો માર્યો હતો, જ્યાં અંદર યોગેશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ?બનાવની જાણ થતા જ ઉમરા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉમરા પોલીસ દ્વારા બપોરે 1:14 વાગ્યે SVNITના સિક્યોરિટી ઓફિસરને આ દુખદ ઘટનાની જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જોકે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. અભ્યાસમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પરેશાન હતોકોલેજના રેકોર્ડ મુજબ, યોગેશકુમાર (રોલ નંબર: U24ME202) એ વર્ષ 2024-25માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. તે હાલ બીજા વર્ષમાં હતો, પરંતુ પહેલા વર્ષના પરિણામોમાં તેને અલગ-અલગ વિષયોમાં બેક આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભ્યાસમાં નબળા દેખાવ અને શૈક્ષણિક તણાવને કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પરેશાન હતો, જે તેના આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે છે. ખેડૂત પિતાનો એકનો એક આશરો છીનવાયોમૃતક યોગેશના પિતા શ્રવણકુમાર રાજસ્થાનમાં ખેતીકામ કરીને પુત્રને ભણાવતા હતા. ખેડૂત પિતાએ દીકરો એન્જિનિયર બનીને પરિવારનો સહારો બનશે તેવા સપના જોયા હતા, પરંતુ સુરતમાં બનેલી આ ઘટનાએ પરિવારને સ્તબ્ધ કરી દીધો છે. કોલેજ સત્તાધીશો દ્વારા યોગેશના પરિવારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેઓ રાજસ્થાનથી સુરત આવવા રવાના થઈ ગયા છે. પરિવારના સભ્યો આવ્યા બાદ જ મૃતદેહનો કબજો સોંપવામાં આવશે. ત્રણ મહિનામાં બીજી ઘટના, SVNITમાં સુરક્ષા પર સવાલSVNITમાં વિદ્યાર્થીઓના આપઘાતનો આ પહેલો કિસ્સો નથી. માત્ર ત્રણ મહિના પહેલા, ડિસેમ્બર મહિનામાં પણ એક બી.ટેકના વિદ્યાર્થીએ હોસ્ટેલના બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તે સમયે પણ વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન સામે રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. ટૂંકા ગાળામાં બનેલી બીજી આત્મહત્યાની ઘટનાને પગલે હવે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કોલેજમાં કાઉન્સેલિંગની સુવિધા અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈહાલમાં SVNIT ના રજિસ્ટ્રાર અને ડીન (સ્ટુડન્ટ વેલફેર) દ્વારા આ બાબતે એકેડેમિક સેક્શન પાસેથી તમામ વિગતો મેળવી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું શૈક્ષણિક તણાવ સિવાય અન્ય કોઈ અંગત કારણો પણ જવાબદાર હતા? આ ઘટનાએ સમગ્ર સુરત અને ખાસ કરીને વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
સુરેન્દ્રનગરના વાદીપરામાં 6 દિવસથી પાણી નથી:મહિલાઓએ બેડા સાથે વિરોધ કર્યો, તાત્કાલિક વિતરણની માંગ
સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં છેલ્લા છ દિવસથી પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. પાણી ન મળતા રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ પાણીના બેડા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.વોર્ડ નંબર 4 માં આવેલા વાદીપરા વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા સામે હલ્લાબોલ કર્યો હતો. તેમણે તાત્કાલિક ધોરણે પીવાનું પાણી વિતરણ કરવાની માંગ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 12 મહિના જેટલો સમય થયો હોવા છતાં, મહાનગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત બદતર છે, જ્યારે કેટલીક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા વધુ વકરી છે, જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ગીર સોમનાથમાં રક્તની અછત:વેરાવળમાં થેલેસેમિયા પીડિતો અને ઓપરેશન માટે મહાદાન કેમ્પ
વેરાવળમાં રવિવારે, 22 માર્ચ 2026ના રોજ, રેડ ક્રોસ સોસાયટી ખાતે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાને કારણે રક્તની અછત સર્જાઈ છે, જેને પહોંચી વળવા અને થેલેસેમિયા પીડિત બાળકો તેમજ ઓપરેશનમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત એકત્રિત કરવા આ કેમ્પ યોજાશે. આ પહેલ વેરાવળ એકેડેમિક એસોસિએશન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી છે. આ રક્તદાન શિબિર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રેડ ક્રોસ સોસાયટી, આવાસ યોજના પાસે, વેરાવળ ખાતે યોજાનાર આ કેમ્પમાં નગરજનો, રક્તદાતાઓ, વિદ્યાર્થીઓ અને ભાઈઓ-બહેનોને રક્તદાન કરવા માટે વેરાવળ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ પવનભાઈ ગુપ્તા અને ઉપપ્રમુખ યોગેશભાઈ શર્માએ અપીલ કરી છે. આયોજકોનો મુખ્ય હેતુ સમાજમાં રક્તની અછત દૂર કરવી અને લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળ, જિલ્લાની એકમાત્ર NABH સર્ટિફિકેટ માન્ય બ્લડ બેન્ક ધરાવે છે. આ સંસ્થા આરોગ્ય ભુવન ખાતે રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર અને સર્જીકલ સાધનો વિનામૂલ્યે વાપરવા સહિતની અનેક સેવાઓ પૂરી પાડે છે. સંસ્થાના સ્થાપક અને એમિરેટ્સ ચેરમેન કિરીટ અને ઉનડકડે જણાવ્યું હતું કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા મેજર બાળકોને કોઈપણ ચાર્જ લીધા વિના નિ:શુલ્ક રક્ત પૂરું પાડતી એકમાત્ર સંસ્થા છે. સંસ્થાના ચેરમેન અતુલ એમ કાનાબારના માર્ગદર્શન હેઠળ, સમગ્ર કમિટી અને સ્ટાફ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ઓપરેશન અને ડિલિવરી સમયે તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂરી પાડવા માટે 24x7 બ્લડ બેન્ક કાર્યરત રાખે છે. થેલેસેમિયા મેજર બાળકો અંગેની માહિતી માટે સંસ્થાના નંબર 7600824365 અથવા થેલેસેમિયા કમિટીના પરાગભાઈ ઉનડકટ અને અનિસ રાચ્છનો સંપર્ક કરવા જણાવાયું છે. ગિરીશ ઠક્કરે (સેક્રેટરી) ઉમેર્યું હતું કે, ખાસ કરીને પ્લેટલેટ કે પ્લાઝમાની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ કમિટીના સભ્યો પરાગ ઉનડકટ, સંજય દાવડા અને અનિસ રાચ્છ સક્રિયતાથી રક્ત પૂરું પાડવામાં મદદ કરે છે.
કારના કાચ ફોડી રૂ. 7000નું નુકસાન કર્યું, વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ શહેરના ફરિયાદકા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રૌઢ પર ઉછીના આપેલા નાણાં પરત માંગવા બાબતે તેમના જ કુટુંબિક ભત્રીજા અને અન્ય ત્રણ શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, તેમજ હુમલાખોરોએ પ્રૌઢની કારના કાચ ફોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા વરતેજ પોલીસ મથકે ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદકા ગામના પીપળા વાળા ચોક પાસે રહેતા સંજય વજુભાઈ મકવાણા ઉ.વ. 43 ગત રોજ સાંજે પોતાની વેગનર કાર નંબર GJ 07 BN 9024 રિપેર કરાવીને ભત્રીજાઓ સાથે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમના કુટુંબિક ભત્રીજા ભૌતિક પપ્પુભાઈ મકવાણાએ ફોન કરીને તેમને નવાગામ મોગલ માતાના મંદિર પાસે ઉભા રાખ્યા હતા, સંજય ત્યાં પહોંચતા જ ભૌતિક, તેનો સાળો અશ્વિન મનસુખભાઈ અને મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા, સંજયએ ભૌતિક પાસે અગાઉ ઉછીના આપેલા રૂ.40,000ની માંગણી કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, હુમલામાં સંજયને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થતા પ્રથમ વરતેજ CHC હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હુમલાખોરોએ સંજયની વેગનર કારના આગળ-પાછળ અને સાઈડના તમામ કાચ ફોડી નાખ્યા હતા, જેનાથી અંદાજે રૂ.6000 થી 7000નું નુકસાન થયું હતું. જતી વખતે આરોપીઓએ ધમકી આપી હતી કે, જો હવે પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશું, તારે થાય તે કરી લેજે, હાલ વરતેજ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકામાં મોંઘવારી કે મંદીની કોઈ મોટી અસર વર્તાતી નથી અને ભારતીય ઉદ્યોગસાહસિકોનો વેપાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.વર્તમાન સમયમાં વિશ્વના કેટલાક ખૂણે ચાલી રહેલા યુદ્ધો અને બીજી તરફ શાંતિની વાતો વચ્ચે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયનો મત અત્યંત સ્પષ્ટ છે. ભારતીય સમુદાય માને છે કે યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. યુદ્ધથી માનવતાને માત્ર નુકસાન જ થાય છે અને કોઈનું ભલું થતું નથી. અમેરિકામાં મોંઘવારી અને સામાન્ય જીવનવૈશ્વિક સ્તરે યુદ્ધની અસરોને લીધે મોંઘવારી વધવાની આશંકાઓ સેવાઈ રહી છે, પરંતુ અમેરિકામાં વસતા ભારતીયોના મતે ત્યાં મોંઘવારીની બહુ મોટી અસર વર્તાતી નથી. ટેરિફમાં ફેરફાર છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓમાં કોઈ મોટો તોતિંગ વધારો જોવા મળ્યો નથી. માત્ર ગેસના ભાવમાં સામાન્ય વધારો-ઘટાડો જોવા મળે છે, જે નિયમિત પ્રક્રિયા છે. ભારતીય પરિવારો ત્યાં સુરક્ષિત છે અને તેમને કોઈ વિશેષ તકલીફનો સામનો કરવો પડી રહ્યો નથી. ભારતીય બિઝનેસ અને આર્થિક પાસુંઅમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોનો બિઝનેસ અત્યારે ખૂબ સારો ચાલી રહ્યો છે. ત્યાં ભારતીય ઉદ્યોગસાહસિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નથી અને તેઓ મુક્તપણે પોતાનો વ્યવહાર કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, આ વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં ભારત માટે નવી તકો પણ ઊભી થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમયગાળામાં ભારતનું એક્સપોર્ટ (નિકાસ) અમેરિકામાં વધશે અને અમેરિકાના બજારોમાં ભારતની વસ્તુઓની માંગમાં મોટો ઉછાળો જોવા મળશે. ગ્લોબલ માર્કેટમાં ભારતીય ચીજવસ્તુઓનો દબદબોયોગી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, વિદેશમાં ભારતીય વસ્તુઓની માંગ અને નિકાસમાં ધરખમ વધારો થયો છે. હવે વિદેશી ગ્રાહકો 'મેડ ઈન ઈન્ડિયા' પ્રોડક્ટ્સને વધુ પસંદ કરી રહ્યા છે. સ્થાનિક દુકાનદારો પણ પોતાની દુકાનોમાં 30 થી 35 ટકા જેટલો ભારતીય સામાન રાખતા થયા છે, જે ભારતની વધતી આર્થિક શક્તિ અને વિશ્વસનીયતાનો પુરાવો છે. H1B વિઝા અને વિદ્યાર્થીઓની સ્થિતિઅમેરિકામાં રિશેશન (મંદી) હોવાની વાતો માત્ર અફવા સાબિત થઈ રહી છે. વિઝા પ્રક્રિયા અંગે વાત કરીએ તો, H1B વિઝા માટે જોકે સરકાર તરફથી કોઈ વિશેષ ગેરંટી મળતી નથી, પરંતુ તેમ છતાં ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને કોઈ ગંભીર સમસ્યા નડતી નથી. અમેરિકા હજુ પણ એક ચોક્કસ સ્તર પર પ્રગતિ કરી રહ્યું છે અને ભારતીય સમુદાય ત્યાં પોતાની મજબૂત પકડ જાળવી રહ્યો છે.
ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર છે. માછીમારી બોટ માટેના ડીઝલમાં લિટર દીઠ રૂ. 22.43નો વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચી લીધો છે. રાજ્ય સરકારની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી લાખો માછીમારોને મોટી રાહત મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા ડીઝલના ભાવમાં આ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને સસ્તા દરે ડીઝલ મળી રહે તે માટે BPCL સાથે કરાર કરવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ અચાનક ભાવ વધારો જાહેર કરતા માછીમારોની મુશ્કેલી વધી હતી. માછીમારોએ આક્ષેપ કર્યો હતો કે, જો આ ભાવ વધારો અમલી રહે તો તેમને ફિશિંગનો વ્યવસાય બંધ કરવાની ફરજ પડશે. મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલે રજૂઆત કરી હતી. સરકારે દલીલ કરી હતી કે જે રીતે એસ.ટી. નિગમને રાહત અપાય છે, તેમ માછીમારોને પણ 'કન્ઝ્યુમર સેગમેન્ટ' ને બદલે 'રિટેલ ગ્રાહકો' ની સમકક્ષ ગણી રાહત આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ BPCL ને ભાવ વધારો પાછો ખેંચવા સૂચના આપવામાં આવી હતી. આ નિર્ણયથી માછીમારોમાં ખુશીનો માહોલ છે. પ્રદેશ માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટેંડેલે જણાવ્યું હતું કે, “અમે ખૂબ ખુશ છીએ. જો રૂ. 22 વધ્યા હોત તો અમારો ધંધો પડી ભાંગત. વડાપ્રધાન અને રાજ્ય સરકારનો આભાર કે તેમણે અમારી વેદના સાંભળી.” ગુજરાતમાં અંદાજિત 15 થી 20 હજાર માછીમારી બોટ કાર્યરત છે. એક બોટને 10-12 દિવસના ફિશિંગ માટે સરેરાશ 2000 લિટર ડીઝલની જરૂર પડે છે. ભાવ વધારો પાછો ખેંચાતા એક ફેરા દીઠ માછીમારોને રૂ. 45,000થી વધુનો સીધો આર્થિક ફાયદો થશે. હવે રાજ્યના માછીમારોને અગાઉના નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ મળશે, જેનાથી મત્સ્યોદ્યોગમાં ફરી તેજી આવવાની આશા છે.
રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં રહેતા યુવાનને પૂર્વ પાડોશીએ ભાગીદારીમાં ડમ્પરનો ધંધો કરવાના બહાને ફસાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. યુવાન પાસે ડમ્પર ખરીદવા પ્રથમ 9 લાખ અને બાદમાં રીપેરીંગ અર્થે વધુ 4 લાખ મેળવી લઇ મૂડી કે નફામાં ભાગ નહિ આપી છેતરપિંડી આચરતા અંતે યુવાને રૂ.14 લાખની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પર લઈ ધંધો ને નફામાંથી અડધો-અડધો ભાગ રાખવાની વાતજામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં રહેતા પાર્થ કિશોરભાઈ જોષી (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રતાપ આપા બોરીચાનું નામ આપી જણાવ્યું હતું કે, તે રામનાથપરા સ્મશાન પાસે રેકડી ધરાવી નાઈટ ડ્રેસનો ધંધો કરે છે. બે વર્ષ પહેલા પાડોશમાં ભાડે રહેતા પ્રતાપ બોરીચા અને તેનો પરિવાર ગઈ 14 ડિસેમ્બર, 2024ના રોજ રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે જમવા માટે આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે, પોતાને ડમ્પરનો ધંધો છે અને તેમા સારી આવક થાય છે જેથી તેની સાથે મળી એક ડમ્પર લઈ સાથે ધંધો કરી નફામાંથી બંન્નેનો અડધો-અડધો ભાગ રાખવાની વાત કરી હતી. ટ્રક રૂ.21 લાખમાં વેચવાનું જણાવ્યું હતુંઆ પછી પ્રતાપએ કહ્યું કે, ટ્રક લેવા પ્રથમ આપવાના પૈસા તું આપ બાકીના પૈસાની લોન પોતે કરી લેશે અને ટ્રકનો વહીવટ હું કરીશ. ત્યારબાદ ટ્રકના દલાલ રજાકભાઈ પીંજારા પાસે ગાડી જોવા સાયલા ગયા હતા જ્યાં ડમ્પર પસંદ આવતા ટ્રકના માલિક જીવાભાઈને ફોન કરી ટ્રક ખરીદ કરવા અંગે વાતચીત કરતા તેમણે ટ્રક રૂ.21 લાખમાં વેચવાનું જણાવ્યું હતું. બાદ તા. 14 ફેબ્રુઆરી, 2025ના રોજ રૂ.9 લાખ RTGSથી ટ્રાન્સફર કર્યા હતા. બાકી રહેતા રૂ.15 લાખ પ્રતાપભાઈએ બોટાદ રહેતા તેના ભાઈ ઓરદાનભાઈ બોરીચા નામે ટ્રક લઈ તેના નામે લોન કરી ભરી આપશે તેમ જણાવ્યું હતુ. કટકે-કટકે રોકડા રૂ.5 લાખ આપ્યા હતાંત્યારબાદ ડમ્પર પ્રતાપના ભાઈ ઓરદાનભાઈના નામે રજીસ્ટ્રેશન કરાવ્યો હતો અને તેના નામે લોન કરાવી હતી. ત્યારબાદ બે મહીના દરમિયાન પ્રતાપએ ડમ્પરમા ખર્ચ કરવો પડે તેમ છે, જેના પેટે તારે રૂ.5 લાખ આપવા પડશે પછી ટ્રક સરખો ચાલી શકશે અને આવક શરૂ થશે તેમ કહ્યું હતું જેથી પ્રતાપને કટકે-કટકે રોકડા આશરે રૂ.5 લાખ આપ્યા હતાં. હાલ સુધીમાં તેણે નફામાથી કંઈ ભાગ આપ્યો નથીત્યારપછી પ્રતાપ તેના કોઈ ડ્રાઈવર મારફતે ટ્રકમાં રેતી-કપચીમાં ભાડા કરતા પરંતુ આવક પેટે કોઈ નફો આપતા નહીં જેથી પ્રતાપને આ બાબતે વાત કરતા તેણે કહ્યું કે, અત્યારે નફો નહીં થાય, નફો મળવાનુ ચાલુ થતા 6 મહીના થશે જે બાદ હાલ સુધીમાં તેણે નફામાથી કંઈ ભાગ આપ્યો નથી. 14 લાખની ઠગાઈનો ગુનો નોંધાયોઆ પછી ટ્રક મારા ભાઈના નામે રજીસ્ટર્ડ છે તને નફામાંથી કોઈ ભાગ મળશે નહીં, જો નફાનો ભાગ માંગીશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસે રૂ.14 લાખની ઠગાઈ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતીક કિશોરભાઈ ધોળકિયા (ઉ.વ.31)એ આજે પોતે જ્યાં રૂમ રાખી ભાડે રહે છે ત્યાં પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ પાસે ખોડિયારપરા શેરી નંબર 3માં લાકડાની ગાડીમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્યુસાઈડ નોટ મળી આવી હતી જે કબ્જે કરી બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવાન મુળ શાપર વેરાવળનો વતની હોવાનું અને અહિં પાંચેક દિવસ પહેલા જ રૂમ રાખી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચીઠીમાં હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મંરુ છું લખ્યું હતું જો કે યુવાને ક્યાં કારણોસરઆપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના ભાવનગર રોડ પર આવેલ થોરાળામાં રહેતો 17 વર્ષીય સગીર ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી ગયો હતો. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સગીર વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલે આવી અને સગીર વિદ્યાર્થીનું નિવેદન લેવા તજવીજ કરી હતી પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બે બહેનો એકનો એક ભાઈ સગીર વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ તેની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે ટેન્શનમાં રહેતો હતો કારણ કે તેનું ઇતિહાસનું પેપર નબળું ગયું હતું. આ ટેન્શનમાં તેણે ફિનાઈલ પી લીધું હતું. હાલ સગીર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હવે કામ થતું નથી, જીંદગીથી કંટાળી મિલપરાના નેપાળી યુવાને ઝેરી દવા પીધી રમેશ શુભાંગભાઈ વિશ્વકર્મા (ઉ.વ.35) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ જ્યુબેલી ગાર્ડનમાં હતો ત્યારે ઉંદર મારવાની દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. રમેશભાઈએ પોલીસને જણાવ્યું કે, તે રેસ્ટોરન્ટમાં પહેલા કામ કરતો પણ અગાઉ શરીરે દાઝી ગયા પછી કામ ધંધો થતો ન હતો જેનાથી કંટાળીને જ્યુબેલી ગાર્ડનમાં દવા પીધી હતી પછી ઘરે ગયો હતો ત્યાં ઉલ્ટી કરતા પરિવારે પૂછતાં ઝેરી દવા પીધાનું કહ્યું હતું. પરિવારજનોએ તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અહીં ઇમર્જન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ છે. રમેશ પહેલા ચાઈનીઝ પંજાબી રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હાલ તેનાથી કામ થતું ન હોવાથી બેકાર રહેતા પગલું ભર્યું હતું. હાલ પોલીસે તેનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ:ભાજપે ગોધરા કમલમ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી
પંચમહાલ જિલ્લામાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. આ અંતર્ગત ગોધરા ખાતેના કમલમ કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભાજપનો એક્શન પ્લાન તૈયાર કરવાનો હતો. પક્ષના અગ્રણી નેતાઓએ ચૂંટણી જીતવા માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં મધ્ય ઝોન ચૂંટણી ઇન્ચાર્જ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રદેશ ઉપપ્રમુખ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ ભાજપ પ્રભારી હર્ષદ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણી ઇન્ચાર્જ ડો. યોગેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમાબેન, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ અને જીગ્નેશ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કરવા માટે અત્યારથી જ સક્રિય થઈ જવા આહ્વાન કર્યું હતું. આ બેઠક દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓને વેગ મળ્યો છે.
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે વિવિધ મોરચાના નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી. બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે ગઢડાના આહિર સમાજના યુવા આગેવાન પ્રતાપ છૈયાની નિમણૂક કરાઈ છે. યુવા મોરચાના પ્રભારી તરીકે પરીક્ષિત ભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. કિસાન મોરચાના પ્રભારી તરીકે સુરેશ ગઢીયા, જ્યારે મહિલા મોરચાના પ્રભારી તરીકે હિમત મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. લઘુમતી મોરચાના પ્રભારી તરીકે યુનુસ બેલીમ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તરીકે વિરેન્દ્ર ખાચરને જવાબદારી સોંપવામાં આવી છે.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને 19 માર્ચે આવેલા વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે શનિવારથી શરૂ થયો છે. આ વાવાઝોડાને કારણે અગરિયા સમુદાયની સોલાર પેનલો અને મીઠા ઉદ્યોગને મોટું નુકસાન થયું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનું આકલન શરૂ કર્યું છે. અગરિયાઓને થયેલા નુકસાનનો આ પ્રથમ વખત સર્વે કરવામાં આવી રહ્યો છે, જેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે. દસાડા-લખતરના સ્થાનિક ધારાસભ્ય પી. કે. પરમાર રવિવારે રણની મુલાકાત લેશે. તેઓ રૂબરૂ અગરિયાઓની વેદના અને સમસ્યાઓ સાંભળશે. અગરિયા સમુદાય દ્વારા નુકસાનીનો સર્વે ઝડપી શરૂ કરાવવા બદલ ધારાસભ્ય પી. કે. પરમારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ - વડોદરા નેશનલ હાઇવે 48 ઉપર વડોદરા તરફ જવાના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે ઉપર અંદાજે 8 થી 10 કિમી જેટલી લાંબી કતારો જોવા મળી હતી. સાંજના સમયે વાહનચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું. વાહનચાલકોને 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવું પડ્યુંનેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાલમાં વડોદરાના દશરથથી મુલદ ચોકડી સુધી કાર્પેટિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે વાહનોનું ડાઈવર્ઝન સર્વિસ રોડ ઉપરથી આપવામાં આવ્યું છે. સર્વિસ રોડ ઉપર વાહનોનું ભારણ વધતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આણંદ તરફથી વડોદરા તરફ જતા વાહન ચાલકોએ અંદાજે 1થી 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું. સર્વિસ રોડ સાંકડો હોવાથી ટ્રાફિક વધ્યો નેશનલ હાઇવે પર 6 લેન આવેલો છે. પરંતુ હાલમાં સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે વાહનોની કતારો જોવા મળી રહી છે. ઉપરાંત કેટલીક જગ્યાએ જંક્શન હોવાના કારણે સાંજના પીક અવર્સમાં ટ્રાફિક વધુ હોય છે તેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. ચોમાસા પહેલા હાઈવેનું કાર્પેટિંગ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાસદથી વડોદરા સુધીના પટ્ટામાં કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે કેટલાક વિસ્તારમાં ચોમાસામાં વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જાય છે અને વાહનચાલકોએ હાલાકી વેઠવી પડે છે ત્યારે હાલમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને હાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી સુરત મનપાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ થયો છે. છેલ્લા 5 વર્ષથી જે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કે ધરણામાં 50ની સંખ્યામાં પણ માંડ દેખાતા હતા, તે હવે ટિકિટની રેસમાં સિંહ ફાળે ઉતરી આવ્યા છે. સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. 120 બેઠક પર 900 દાવેદાર, કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણસુરતની કુલ 120 બેઠકો માટે અત્યાર સુધીમાં અંદાજે 900 જેટલા મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. નવાઈની વાત એ છે કે, સામાન્ય દિવસોમાં નિષ્ક્રિય જણાતા સંગઠનમાં ચૂંટણી આવતા જ પ્રાણ ફૂંકાયા હોય તેમ લાગે છે. સોમવાર સુધી ચાલનારી આ પ્રક્રિયામાં હજુ પણ દાવેદારોની સંખ્યા વધવાની શક્યતા છે. કોંગ્રેસ 50% બેઠકો પર યુવા ચહેરા ઉતારશેપક્ષના હાઈકમાન્ડ દ્વારા આ વખતે રણનીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 50% ટિકિટ યુવા ઉમેદવારોને આપવાનું નક્કી કરાયું છે. ગત ચૂંટણીમાં કારમી હાર બાદ હવે પક્ષ નવા લોહી અને નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવા માંગે છે, જેથી મતદારોમાં ફરી વિશ્વાસ પેદા કરી શકાય. સુરતને 3 ઝોનમાં વહેંચી રણનીતિ તૈયારચૂંટણી જીતવા માટે કોંગ્રેસે સુરત શહેરને ભૌગોલિક અને જ્ઞાતિ સમીકરણો મુજબ 3 મુખ્ય ઝોનમાં વિભાજિત કર્યું છે: કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધના વાલાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ઝોનની જવાબદારી પક્ષના વરિષ્ઠ અને અનુભવી નેતાઓને સોંપવામાં આવી છે, જેઓ સીધા પ્રદેશ નેતૃત્વને રિપોર્ટ કરશે. કાર્યકરોની ગેરહાજરી પર ઉઠતા સવાલરાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ધરણા કે રેલીઓમાં માંડ 30થી 50 કાર્યકરો ભેગા થતા હતા. આજે જ્યારે સત્તાની આશા જાગી છે ત્યારે 900 લોકો દાવેદારી કરી રહ્યા છે, જે પક્ષની શિસ્ત પર પણ સવાલો ઉભા કરે છે. ગત ચૂંટણીના 'ઝીરો' માંથી 'હીરો' બનવાનો પડકારયાદ રહે કે ગત મનપા ચૂંટણીમાં ભાજપે 'કોંગ્રેસ મુક્ત સુરત'નું સપનું સાકાર કર્યું હતું. કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન જમાવ્યું હતું. આ વખતે પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહેલી કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે.શું કોંગ્રેસનો આ 'યુવા મોહ' અને નવી રણનીતિ તેને સુરત મનપામાં પુનરાગમન કરાવશે? તે તો આવનારો સમય જ બતાવશે.
સામાન્ય રીતે પુરુષ પ્રભુત્વ ધરાવતા બોડી બિલ્ડિંગ જેવા અત્યંત પડકારજનક ક્ષેત્રમાં બોટાદની દીકરી મુસ્કાને પોતાની મક્કમતા અને કઠોર મહેનતથી રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી છે. મુસ્કાનની આ અસાધારણ સિદ્ધિને બિરદાવવા માટે શહેરના લાયબ્રેરી હોલ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અવરોધો પાર કરી મેળવી સફળતામુસ્લિમ સમાજમાંથી આવતી મુસ્કાને પરંપરાગત સામાજિક મર્યાદાઓ અને રૂઢિચુસ્ત વિચારધારાઓને બાજુ પર મૂકીને સાબિત કર્યું છે કે જો ઈરાદા લોખંડી હોય તો પ્રતિભાને કોઈ સીમા નડતી નથી. તેની આ સફર આજે અનેક યુવતીઓ માટે સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. સન્માન સમારોહની ઝલકલાયબ્રેરી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજુ શાહ અને તેમની ટીમ દ્વારા મુસ્કાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ, કોચ તથા નગરપાલિકાના અધિકારીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મુસ્કાનને 'ગુજરાતનું ગૌરવ' ગણાવી આગામી નેશનલ લેવલની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરી હતી. પ્રેરણાનું કેન્દ્રમુસ્કાનની સફળતા માત્ર વ્યક્તિગત વિજય નથી, પરંતુ બોટાદ શહેર માટે ગૌરવની ક્ષણ છે. તેની મહેનત અને રમત પ્રત્યેની સમર્પણ ભાવનાને જોતા સમગ્ર પંથકમાંથી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓનો પ્રવાહ વહી રહ્યો છે.
ભાવનગર શહેરના આઈ.ટી.આઈ. કોલેજ પાસે આવેલા મફતનગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ત્રણ ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી અનુસાર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, આઈ.ટી.આઈ. કોલેજની બાજુમાં, મફતનગર પેડક વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં લીંબડાના ઝાડ નીચે કેટલાક શખ્સો ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરતા ગંજીપત્તાના પાના વડે 'હારજીતનો હાથકાપનો' જુગાર રમતા ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેમાં ઇમરાન બાબુભાઇ મલેક ઉ.વ.32, રહે.વડવા, અલ્કા ટોકીઝ પાસે, એજાજ ઉસ્માનભાઇ ગોરી ઉ.વ.35 રહે.વિધાનગર, આઇ.ટી.આઇ કોલેજ પેડક તથા શાહબાઝ મહેબુબખાન પઠાણ ઉ.વ.29 રહે.વિધાનગર, આઇ.ટી.આઇ કોલેજ પેડક સહિત ત્રણ શખ્સો પાસેથી રોકડ રૂપિયા 11,290 ઝડપી લીધા હતા, પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકો પૈકીના એક તથા એક્ષપોર્ટનો મોટો વ્યવસાય કરતાં મયુર ડાયકેમની જુદી જુદી કંપનીઓ અને તેના સંચાલકોના ઘરે ઇન્કમટેક્સના વ્યાપક પ્રમાણમાં પડેલાં દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા હતાં. અમદાવાદ અને વડોદરાના પાદરા સહિત જુદી જુદી જગ્યાઓ પર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી આવી છે. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના કેમિકલના ઉત્પાદકો અને વેપારીઓ પણ મયુર ડાયકેમ સાથે જોડાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. આ દરોડાના પગલે ડાયઝ અને કાપડનું કામ કરતાં વેપારીઓ ચકચાર ફેલાઇ જવા પામ્યો છે. તેમાંય વર્ષોથી ડાયકેમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં મયુર ડાયકેમને ત્યાં આયકર વિભાગના દરોડા પડતાં તેમની સાથે સંકળાયેલાં નાના-મોટા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યાઅમદાવાદના વટવા સ્થિત મયુર ડાયકેમના માલિક મયુર પટેલના નિવાસસ્થાન અને તેમના ભાગીદારો તેમજ સ્વજનોના નિવાસસ્થાનો પર તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શનની વિગતો પણ મળી આવી છે, જેની તપાસ અધિકારીઓ ચલાવવામાં આવી રહી છે. બંગ્લાઓ, ઓફિસો સહિત મળીને કુલ 20 જગ્યાઓ પર તપાસઇન્ટરમિડીયેટ, ડાઈઝ અને ખાસ પ્રકારનું કેમિકલ બનાવતી મયુર ડાયકેમ સહિત અમદાવાદ, પાદરા, દહેજ અને સુરતમાં ધમધમતી ઘણી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઇન્કમટેક્સના અધિકારીઓની વોચ હતી. મયુર ડાયકેમ દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવેલા આર્થિક વ્યવહારોની વિગતો બહાર આવ્યા બાદ શુક્રવારે સવારે ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વટવાના બે યુનિટ, પાદરા ખાતેના યુનિટ તેમજ મયુર પટેલ અને તેમના ભાગીદારોના નિવાસસ્થાનો સોલા, બોપલ અને ઓફિસો મળી કુલ 20 જગ્યાઓ પર ત્રાટક્યા હતા. બે દિવસથી ઇન્કમટેક્સના અધિકારીઓની તપાસવર્તમાન સમયમાં કેમિકલ મોટા પાયે નિકાસ થઈ રહ્યો છે ત્યારે આ ઇન્ડસ્ટ્રી દ્વારા કેટલા રૂપિયાની નિકાસ કરવામાં આવી અને તેના કેટલા બિલો બનાવવામાં આવ્યા હતાં, તેમજ કેવી એન્ટ્રીઓ પાડવામાં આવી હતી. તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ બે દિવસથી ઇન્કમટેક્સના અધિકારીઓ કરી રહ્યા છે. બિનહિસાબી વ્યવહારોની વિગતો અધિકારીઓને હાથ લાગીઆ તપાસ દરમિયાન ઘણા બિનહિસાબી વ્યવહારોની વિગતો પણ અધિકારીઓને હાથ લાગી છે.જેની તપાસમાં મયુર ડાયકેમ સાથે સંકળાયેલા ઘણા મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સુધી તપાસનો રેલો પહોંચે તો નવાઇ પામવા જેવી વાત નથી. નશીલા પદાર્થનું ઉત્પાદન કરતી ફેકટરીઓ પણ ITના રડારમાંઅત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીઆઇડીસીમાં નાની નાની ફેક્ટરીઓમાં દવાઓના નામે ચોક્કસ ટોળકીઓ ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું ઉત્પાદન કરી રહી છે અને તેનું મિસડિકલેરેશન કરી વિદેશમાં નિકાસ પણ કરી રહી છે. આવી ટોળકીઓ સામે કેન્દ્રીય એજન્સીઓ ઉપરાંત સ્થાનિક એજન્સીઓ પણ કડક પગલાં લેવા કવાયત કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા સુરેન્દ્રનગર વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વઢવાણના ઐતિહાસિક હવામહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે આ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. 13.59 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2023ને 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે વિશ્વભરમાં ઉજવીને 'શ્રી અન્ન'નું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આપણા પૂર્વજોના આહારમાં બાજરી, જુવાર અને રાગી જેવા ધાન્યો મુખ્ય હતા, જે આજે ફરીથી મેદસ્વિતા અને હૃદયરોગ જેવી બીમારીઓ સામે લડવા માટે અનિવાર્ય બન્યા છે. આ મહોત્સવ મિલેટ્સ પકવતા ખેડૂતોને પ્રોત્સાહન આપી નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું અભિયાન છે. મકવાણાએ ખેડૂતોને રાસાયણિક ખાતરના જોખમો સામે સાવચેત કરતાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીથી જમીન બગડી છે અને તેનાથી થતા રોગો સમાજ માટે ખતરો બન્યા છે. વેચાણ માટે નહીં તો પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં અંજીર, દાડમ અને હળદર જેવા પાકોમાં થઈ રહેલા પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોની પ્રશંસા કરી હતી. રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, સરકારે કમોસમી વરસાદ સામે રૂ. 11,000 કરોડનું રાહત પેકેજ સીધું ખેડૂતોના ખાતામાં જમા કર્યું છે. વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. 24,022 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા જેવી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી ત્રણ વર્ષમાં રૂ. 48 કરોડના ખર્ચે સાકાર થનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરનો વિકાસ થશે.
ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલી દડીની કોલોની પાસે આજે સાંજે એક આખલો ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આ ઘટનાથી સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. આખલો રસ્તા પર ચાલતી વખતે અચાનક ગટરમાં ખાબક્યો હતો. ગટર અત્યંત સાંકડી હોવાથી આખલો અંદર બરાબરનો ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે દોરડા અને અન્ય સાધનો વડે આખલાને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ ગટરની સાંકડી જગ્યાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ પડી હતી. આ વિસ્તારમાં ગટરના ઢાંકણા લાંબા સમયથી ખુલ્લા છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા આ ઢાંકણા બંધ કરવામાં આવ્યા નથી. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયે હૃદયરોગના હુમલાથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત પોલીસ વિભાગમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરત પોલીસના SC/ST સેલમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ માલિવાડનું હૃદયરોગના હુમલાને કારણે અકાળે અવસાન થયું છે. એક નિષ્ઠાવાન અને મિલનસાર પોલીસ જવાનના નિધનથી સમગ્ર સુરત પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે. ઘરે હતા ત્યારે જ આવેલો હ્રદયરોગનો હુમલો ઘાતક નિવડ્યોમળતી માહિતી અનુસાર, હેડ કોન્સ્ટેબલ નિમેષભાઈ માલિવાડ સુરત પોલીસના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સેલમાં કાર્યરત હતા. તેઓ પોતાની ફરજ પ્રત્યે અત્યંત સજાગ અને શિસ્તબદ્ધ ગણાતા હતા. તેઓ પોતાના ઘરે હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવાર કંઈ સમજે તે પહેલા જ તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેમનું નિધન થયુ હતું. નિમેષભાઈનો પરિવાર સંપૂર્ણપણે જનસેવા અને ખાખી વર્દીને સમર્પિત છે. માત્ર નિમેષભાઈ જ નહીં, પરંતુ તેમના પત્ની પણ સુરત પોલીસ વિભાગમાં કાર્યરત છે. તેમના પત્ની હાલ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સાથી કર્મચારીઓએ પણ આ દુઃખદ ઘડીએ પરિવારને સાંત્વના પાઠવી હતી. ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાયનિમેષભાઈએ પોલીસ વિભાગમાં આપેલી વર્ષોની નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવવા માટે વિભાગ દ્વારા તેમને પૂરા સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમયાત્રા પૂર્વે સુરત પોલીસ દ્વારા તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. પોલીસ પરંપરા મુજબ હવામાં ફાયરિંગ કરી અને સલામી આપીને આ જવાનને માનભેર વિદાય અપાઈ હતી.
ભરૂચમાં વાલ્મિકી સમાજ પ્રીમિયર લીગનો પ્રારંભ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ચોથી સિઝનનું ઉદ્ઘાટન
ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત “ભરૂચ વાલ્મિકી સમાજ પ્રીમિયર લીગ (B.V.P.L) 4th” ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટનું આયોજન ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશભરમાં ચર્ચિત IPL T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની તર્જ પર ખેલાડીઓની પસંદગી કરીને ટીમોની રચના કરવામાં આવી છે. આ લીગ માટે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે 80 જેટલા વાલ્મિકી સમાજના ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જે ટુર્નામેન્ટ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મંત્રી કિશન મેર અને સામાજિક કાર્યકર શંકર પટેલ સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રમતગમત દ્વારા સમાજમાં એકતા તથા સૌહાર્દ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ટુર્નામેન્ટને લઈને સમાજમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
દમણમાં પારસી સમુદાયે નવરોઝ પર્વ ઉજવ્યું:વિશ્વભરના ઈરાની પારસીઓનું નવું વર્ષ શરૂ થયું
દમણમાં પારસી સમુદાય દ્વારા 'નવરોઝ' પર્વની ઉજવણી કરવામાં આવી. આ પર્વ પારસીઓનું નવું વર્ષ છે, જેની વિશ્વભરના 15 થી 20 દેશોમાં વસતા ઈરાની પારસી સમુદાયના લોકો દ્વારા ઉજવણી થાય છે. સંઘપ્રદેશ દમણમાં દાયકાઓથી ઝોરાષ્ટ્રીયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તેમણે 21મી માર્ચના રોજ પારસી નવરોઝ પર્વની ઉજવણી કરી હતી. આ પવિત્ર તહેવાર નિમિત્તે દમણના તમામ પારસી અને ઈરાની સમુદાયના લોકો એકસાથે ભેગા થયા હતા. તેમણે પારસી અગિયારીમાં 'જશન' એટલે કે વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કર્યું હતું. જશન પૂર્ણ થયા બાદ સમુદાયના લોકોએ એકબીજાને મળીને 'નવરોઝ મુબારક' પાઠવ્યા હતા. ત્યારબાદ કેક કાપીને સૌનું મોઢું મીઠું કરાવી નવરોઝ પર્વની હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી. પારસી આગેવાનોએ સમગ્ર દેશની જનતા તેમજ દેશ-વિદેશમાં વસતા તમામ પારસીઓ અને ઈરાનીઓને નવરોઝની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાઈચારા અને ખુશીઓ સાથે આ દિવસને મનાવવાનું આહ્વાન કર્યું હતું.
સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને ગુનાખોરી ડામવા માટે કાર્યરત સુરત રેલ્વે પોલીસની SHE ટીમ દ્વારા એક પ્રશંસનીય સફળતા મેળવવામાં આવી છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી અપહરણ કરાયેલી 16 વર્ષીય સગીરાને સુરત રેલ્વે પોલીસે શોધી કાઢી છે અને તેની સાથે રહેલા 26 વર્ષીય યુવકની ધરપકડ કરી મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 8 ફેબ્રુઆરી, 2026ના રોજ એક સગીરાના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 136 (2) મુજબ નોંધાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. યુવક અને સગીરા શંકાસ્પદ હાલતમાં બેઠેલા મળી આવ્યાસુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરાની સીધી સૂચના હેઠળ શી ટીમના વુમન એ.એસ.આઈ. મનીષા મધુકર અને તેમની ટીમ પ્લેટફોર્મ નંબર 2 પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક યુવક અને એક સગીરા શંકાસ્પદ હાલતમાં બેઠેલા મળી આવ્યા હતા. પોલીસ ટીમે તેમની પાસે આધાર પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ચાઇલ્ડ કોર્નરમાં લઈ જઈને પૂછપરછ કરતાં સત્ય બહાર આવ્યુંશંકા વધુ દ્રઢ થતા બંનેને રેલ્વે સ્ટેશન પર સ્થિત ચાઇલ્ડ કોર્નરમાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં મહિલા પોલીસ અધિકારીઓએ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે 26 વર્ષીય આરોપી મંજીતકુમાર રામકુપાલ પ્રજાપતિ રહે. ગામ અકોટીયા, જી. રીવા, મધ્યપ્રદેશ અને સગીરા એકબીજાના પ્રેમમાં હતા. લગ્ન કરવાની ના પાડતા ઘરેથી ભાગી નીકળ્યા હતાંપરિવારજનોએ લગ્ન કરવાની ના પાડતા તેઓ તારીખ 07 ફેબ્રુઆરી, 2026ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી નીકળ્યા હતા. આ સમય દરમિયાન તેઓ વડોદરાના પોર વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા હોવાની કબૂલાત કરી હતી. સુરત પોલીસે MP પોલીસનો સંપર્ક સાધ્યોસુરત રેલ્વે પોલીસે તાત્કાલિક મધ્યપ્રદેશની ડભૌરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ડભૌરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઋષભ યાદવે પુષ્ટિ કરી હતી કે સગીરાના પિતાએ આ મામલે અપહરણની ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવકને મધ્યપ્રદેશ પોલીસને સોંપાયોત્યારબાદ મધ્યપ્રદેશ પોલીસના હેડ કોન્સ્ટેબલ સંતોષ સિંહ અને કોન્સ્ટેબલ કિશેન્દ્ર સિંહ સુરત દોડી આવ્યા હતા. સુરત રેલ્વે પોલીસે જરૂરી કાયદાકીય દસ્તાવેજો અને એફ.આઈ.આર.ની વિગતો મેળવી સગીરા અને આરોપી મંજીતકુમારનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.
ગુજરાતમાં આંગણવાડી કાર્યકર્તા અને આશા વર્કર બહેનોના વેતન વધારા તથા અન્ય હક્કો માટે ચાલી રહેલું આંદોલન તેજ થઈ ગયું છે. તાજેતરમાં ત્રણ દિવસની હડતાળ બાદ હવે બહેનોએ ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)એ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. AAPના યુવા નેતા પ્રવીણ રામે બહેનોની માંગણીઓને યોગ્ય ગણાવી સરકારને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે. ત્રણ દિવસની હડતાળમાં 1 લાખથી વધુ બહેનોએ ભાગ લીધો હતોપ્રવીણ રામે જણાવ્યું કે, રાજ્યની આંગણવાડી અને આશા વર્કર બહેનો વર્ષોથી યોગ્ય માનદ વેતન, સુવિધાઓ અને સરકારી કર્મચારી જેવો દરજ્જો મેળવવા માટે લડી રહી છે છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. તાજેતરમાં ત્રણ દિવસની હડતાળમાં 1 લાખથી વધુ બહેનોએ ભાગ લીધો હતો. હવે વિધાનસભા ઘેરાવની ચીમકી સાથે આંદોલન વધુ તીવ્ર બન્યું છે. AAP આ લડતમાં સંપૂર્ણપણે બહેનોની સાથે છે અને જરૂર પડે તો આગામી દિવસોમાં પણ સક્રિય સમર્થન આપશે. પાર્ટીએ સરકારને અપીલ કરી છે કે, બહેનોની લાંબા સમયથી લટકતી માંગણીઓ જેમ કે વેતન વધારો, ડિજિટલ કામ માટે સાધનો અને અન્ય સુવિધાઓને તાત્કાલિક માન્યતા આપવામાં આવે. અન્યથા આંદોલન વધુ વિસ્તરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. માવઠાએ તોડી ખેડૂતોની કમર, AAPએ કરી તાત્કાલિક વળતરની માંગ આ ઉપરાંત રાજ્યમાં તાજેતરમાં પડેલા માવઠા અને કરા સાથેના કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આંબા, કેળા, મકાઈ, ઘઉં, ચણા સહિતના બાગાયતી તેમજ અન્ય પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. આ મુદ્દે AAPના નેતા સાગર રબારીએ સરકાર પર આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચાર અને અસરકારક અમલના અભાવે પાક વીમા યોજના નિષ્ફળ રહી છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી સુધરી છે. બંને આંદોલનોને કારણે રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો વધ્યો સાગર રબારીએ કહ્યું કે, ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. સરકારે તાત્કાલિક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. સાથે જ પારદર્શક અને મજબૂત પાક વીમા યોજના તૈયાર કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કુદરતી આપત્તિઓ સામે ખેડૂતો સુરક્ષિત રહે. વધતા કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને કાયમી સુરક્ષા કવચ બનાવવાની જરૂર છે. AAPએ બંને મુદ્દાઓ પર સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને લડત આપવાની તૈયારી દર્શાવી છે. આ બંને આંદોલનોને કારણે રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો વધ્યો છે.
મોરબી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતના હસ્તે આ પ્રદર્શન અને વેચાણ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમના સ્વાગત પ્રવચન બાદ, રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતે જણાવ્યું હતું કે, મિલેટ્સ માત્ર ખોરાક નથી પણ આપણી સંસ્કૃતિ છે અને આ ઉત્સવ તેના પુનઃ જાગરણનો પ્રતિક છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરાયું છે, જેનાથી 'શ્રી અન્ન' વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે. રાજપૂતે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાનમાં મિલેટ્સનું યોગદાન નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ પ્રાકૃતિક ખેતી મહોત્સવને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવાનું મજબૂત પ્લેટફોર્મ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જેનાથી તેમની સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. આ માર્કેટમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ સહિત મિલેટ્સમાંથી બનતી અનેક સ્વાદિષ્ટ વાનગીઓના લાઈવ ડેમો રજૂ કરાયા હતા. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જીવામૃતના ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ડીડીઓ નવલદાન ગઢવી, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, ડેપ્યુટી ડીડીઓ શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીએ આભારવિધિ કરી હતી.
આગામી 23 માર્ચના રોજ શહિદ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીતમય કાર્યક્રમમાં અંદાજે 5000થી વધુ કાર્યકરો જોડાશે સવારે પ્રભાત ફેરી, રાતે 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમવડોદરા શહેર યુવા મોરચાના અધ્યક્ષ મૌલિક દેસાઈએ જણાવ્યું હતું કે, 23મી માર્ચ શહીદ દિવસ છે. આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. તેઓ આપણા દેશની આઝાદી માટે આ દિવસે શહીદ થયા હતા. ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર વર્ષોથી આ દિવસે સવારે 6:30 વાગ્યે પ્રભાત ફેરી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપતું જ હોય છે. સાથે સાથે આ વર્ષે શહીદોને યાદ કરવા માટે 23 તારીખે રાત્રે 8:30 વાગ્યે 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 50થી વધુ કલાકારો પ્રદર્શન કરશેતેઓએ ઉમેર્યું હતું કે, 50 કરતા પણ વધારે કલાકારો સાથે મલ્ટિમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગી પાઠક, જેઓ 'મેરા દેશ મેરા સનાતન' ના પ્રણેતા છે, તે આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય કલાકાર છે. તેમની સાથે રહીને આ આખો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 5000 કરતા પણ વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાશેતેને વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરના 5000 કરતા પણ વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાય અને શહીદોને યાદ કરે, શહીદોએ શહીદી વહોરી ત્યારે જઈને આપણને આઝાદી મળી છે એ યાદ કરાવવું આજના યુવાઓને ખૂબ જરૂરી છે. તેના માટે ભારતીય જનતા યુવા મોરચાએ વડોદરા શહેરના અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની સાહેબ અને યુવા મોરચાના અમારા પ્રદેશ અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઉપસ્થિત રહેશેઆ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ સાથે દંડક બાલુ શુક્લા, મંત્રી મનીષાબેન, ધારાસભ્ય કેયુરભાઈ, ચૈતન્યભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026ની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારના તમામ 18 વોર્ડ માટેની વોર્ડવાઈઝ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ આગામી 23/03/2026ના સોમવારે કરવામાં આવશે. ચૂંટણી શાખા દ્વારા જાહેર કરવામાં વિગત મુજબ આ મતદાર યાદી વિધાનસભા મતવિસ્તારની વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. જે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માંગે છે, તેઓ આ યાદીમાં પોતાનું નામ ચકાસી શકે તે માટે પણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં હવે 991ને બદલે 1172 બુથ થશે. તમામ 18 વોર્ડની સંબંધિત વોર્ડ ઓફિસ ખાતે પણ જે-તે વોર્ડની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશેચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 1થી 18ની આ પ્રાથમિક મતદાર યાદી ઢેબર રોડ પર આવેલ ડો. આંબેડકર ભવન ખાતે ત્રીજા માળે રૂમ નંબર 11માં આવેલી ચૂંટણી શાખામાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, શહેરના તમામ 18 વોર્ડની સંબંધિત વોર્ડ ઓફિસ ખાતે પણ જે-તે વોર્ડની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. નાયબ કમિશનરે મતદારોને નિયત સ્થળોએ જઈને પોતાનું નામ અને અન્ય વિગતોની ખાતરી કરી લેવા અપીલ કરી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે અને કોઈ લાયક મતદાર બાકાત ન રહી જાય તે માટે આ મતદાર યાદી જાહેર કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. માર્કેટયાર્ડમાં વાર્ષિક હિસાબો પૂર્ણ કરવા માટે હરાજીનું કામકાજ બે દિવસ બંધરાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા વાર્ષિક હિસાબોની કામગીરીને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં કાર્યરત કમિશન એજન્ટો અને વેપારીઓ તરફથી સને 2025-2026 ના વાર્ષિક હિસાબો પૂર્ણ કરવા માટે ખરીદ-વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવશે. આ નિર્ણયના પરિણામે તા. 30.03.2026 ને સોમવાર અને તા. 31.03.2026 ને મંગળવારના રોજ મુખ્ય માર્કેટયાર્ડ (અનાજ વિભાગ)માં હરાજીનું તમામ કામ સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત તા. 28.03.2026 ને શનિવાર સવારથી જ અનાજ વિભાગના મુખ્ય યાર્ડમાં તમામ જણસીઓની આવક અને વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી, ખેડૂત ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ દિવસો દરમિયાન પોતાનો માલ વેચવા માટે માર્કેટયાર્ડમાં ન લાવે, જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. હિસાબી કામગીરી પૂર્ણ થયા બાદ તા. 01 એપ્રિલ-2026ને બુધવારથી માર્કેટયાર્ડનું તમામ કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે. આ દરમિયાન આગામી તારીખ 26 માર્ચને ગુરૂવારના રોજ રામનવમી ના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવશે. તહેવાર નિમિત્તે રાજકોટના મુખ્ય માર્કેટયાર્ડમાં તમામ પ્રકારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તા 26 માર્ચના પણ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
મહેસાણા શહેરના રાધનપુર ચોકડી વિસ્તારમાંથી મુસાફરના ખિસ્સામાંથી 25 હજારની ચોરી કરનાર રીઢા ગુનેગારોની ટોળકીને બી-ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. પકડાયેલા આરોપીઓ સુરતના રહેવાસી છે અને અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નજર ચૂકવી તેના ખિસ્સામાંથી 25 હજારની રોકડ રકમ ચોરી લેવામાં આવીગત 15 માર્ચ, 2026ના રોજ રાધનપુર ચોકડી પાસે આવેલા ચાણસ્મા પીક-અપ સ્ટેન્ડ પાસેથી એક મુસાફરને ગાડીમાં બેસાડી નજર ચૂકવી તેના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરી લેવામાં આવી હતી.આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસ હાથ ધરી હતી.સીસીટીવી ફૂટેજ અને કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી એક શંકાસ્પદ સિલ્વર કલરની વેગનઆર ગાડી GJ-22-A-1962 પોલીસના રડારમાં આવી હતી. રામોસણા ચોકડી પાસે ટ્રાફિકજામ કરી ગાડીને કોર્ડન કરી લીધી હતીનાગલપુર ચોકડી પાસે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, આ ગાડી પાલાવાસણા સર્કલ તરફથી મહેસાણામાં પ્રવેશી રહી છે. પોલીસે રામોસણા ચોકડી પાસે ટ્રાફિક જામ કરી ગાડીને કોર્ડન કરી લીધી હતી. ગાડીમાં સવાર ચાર ઇસમોની કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ મહેસાણામાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી. આ ગેંગ ખાસ કરીને વૃદ્ધો અને અજાણ્યા મુસાફરોને નિશાન બનાવતી હતી. તેઓ હાઈવે પર મુસાફરોને સસ્તા ભાડે બેસાડવાની લાલચ આપતા હતા.ગાડીમાં બેસાડ્યા બાદ વાતચીતમાં ભોળવી મુસાફરને આગળ-પાછળ થવાનું કહી નજર ચૂકવી રોકડ કે ઘરેણાં ચોરી લેતા હતા. ચોરી કર્યા બાદ 'ગાડી બગડી ગઈ છે' તેમ કહી મુસાફરને અધવચ્ચે ઉતારી દઈ આ ટોળકી ફરાર થઈ જતી હતી. રોકડ રકમ મળી કુલ 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતા મોહસીનખાન ઉર્ફે સલમાન પઠાણ,સાહિલખાન ઉર્ફે રાજ પઠાણ, સોહેબ ઉર્ફે ફાટેલી આકબાની અને સલીમ ઉર્ફે સફેદ દાઢી આકબાનીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 3 મોબાઈલ, વેગનઆર ગાડી અને રોકડ રકમ મળી કુલ રૂ.1.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અડાલજ ચોકડી પરથી મુસાફરોને બેસાડી કુલ 6 વખત લૂંટ કરી હોવાની કબૂલાત કરીપકડાયેલ આરોપીઓ પૈકી મોહસીનખાન અને સોહેબ સામે અગાઉ સુરત, વલસાડ, જામનગર અને પાટણ સહિતના શહેરોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગે છેલ્લા બે માસ દરમિયાન વડોદરા હાઈવે અને અડાલજ ચોકડી પરથી મુસાફરોને બેસાડી કુલ 6 વખત લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. મહેસાણા બી-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વિઝાના નામે ઠગાઇના કિસ્સા વધી રહી ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે કે, વર્ક વિઝા આપવાના નામે 16 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં રહેતા એક વિઝા સલાહકારે તેના 6 ગ્રાહકોની ફ્રીનલેન્ડ અને બોસનીયાના વર્ક વિઝાની ફાઇલ માટે મુંબઇની કંપનીને કામ આપ્યુ હતું. કંપનીએ 16 લાખ મેળવીને દોઢ વર્ષ સુધી કામ ન કરી આપીને વિવિધ બહાના આપ્યા હતાં. જે અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિદેશના વર્ક-વિઝા આપવાના બહાને 16 લાખની છેતરપિંડીમળતી વિગત અનુસાર, નારણપુરામાં રહેતા દેવાંગભાઇ ઉપાધ્યાય વિઝા સલાહકાર તરીકે કામ કરે છે. 2024માં તેમને મુંબઇની આરકેન ઓવરસીસ કંપનીના માલિક સોનાલી ચંદાણી અને દિશાંત મણીયાર તથા મેનેજર રાફેલ રાજપુત સાથે સંપર્ક થયો હતો. જે બાદ દેવાંગભાઇને આ તમામ લોકો સાથે મુલાકાત થઇ હતી. ટોળકીએ લોભામણી વાતો કરીને ફસાવ્યામુલાકાત દરમિયાન આ ટોળકીએ ત્રણથી ચાર માસમાં 100 ટકા કામ કરી આપવાની લોભામણી વાતો કરી હતી. ત્યાકબાદ વિશ્વાસ કેળવવા આ ટોળકીએ વિવિધ વિઝાની કોપી બતાવીને અલગ અલગ દેશોના વિઝા માટે પ્રોસેસ અને ફી ની વાત કરી હતી. જેથી દેવાંગભાઇએ તેમના ગ્રાહકોને ફ્રીનલેન્ડ અને બોસનીયાના વર્ક વિઝા અપાવવા બાબતે વાત કરતા આ ટોળકીએ બેથી ચાર લાખનો ખર્ચ જણાવ્યો હતો. કંપનીએ વિઝા ન કરાવીને બહાના બતાવ્યા હતાઆમ, દેવાંગભાઇએ ચાર ગ્રાહકોને ફ્રીનલેન્ડ તથા બે ગ્રાહકોને બોસનીયા જવા માટે વર્ક વીઝાની પ્રોસેસ શરૂ કરાવી હતી. ગ્રાહકોના ડોક્યુમેન્ટ પણ કંપનીને મોકલી આપીને 16 લાખ ફી ભરી હતી. જોકે, દોઢ વર્ષ વીતી ગયા બાદ પણ કંપનીએ વિઝા ન કરાવી આપીને વિવિધ પ્રકારના બહાના બતાવ્યા હતા. પોલીસે 3 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી જેથી દેવાંગભાઇએ આ મામલે ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ સમગ્ર મામલે મુંબઇની કંપનીના માલિક સોનાલી ચંદાણી અને દિશાંત મણીયાર તથા મેનેજર રાફેલ રાજપુત સામે 16 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મંત્રીએ ગ્રામ્ય સ્તરે માળખાગત સુવિધાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. લોકાર્પણ સમારોહને સંબોધતા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, સુવિધાસભર ગ્રામ્ય માળખું એ જ સાચા અર્થમાં વિકાસની ચાવી છે. રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓ સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, આ નવું પંચાયત ભવન ગામના વહીવટનું કેન્દ્રબિંદુ બનશે. અહીંથી સરકારની વિવિધ યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થશે અને સ્થાનિક નાગરિકોને દાખલાઓ કે અન્ય સરકારી સેવાઓ માટે ભટકવું નહીં પડે. સોલધરા ગામે તૈયાર થયેલું આ નવું ભવન ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ભવન દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને એક જ છત નીચે તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી શકાશે, જેનાથી ગ્રામ્ય જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા વિકાસ અધિકારી (TDO) ભાવના યાદવ, સ્થાનિક રાજકીય આગેવાનો, પંચાયતના સભ્યો તેમજ સોલધરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ નવા ભવનની સુવિધાઓ નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુરતના ગોડાદરા વિસ્તારના ભાજપના કાર્યકર દિલીપસિંહ રાજપૂત સામે વ્યાજખોરીનો ગંભીર આક્ષેપ કરાયો છે. ગેરેજ સંચાલક રવિન્દ્ર તિવારીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મેં 30 લાખે વ્યાજે લીધા હતા અને તેના બદલામાં 1.21 કરોડ ચૂકવી દીધા છે. તેમ છતા દિલીપસિંહ રાજપૂત હજી પણ ઉઘરાણી કરે છે . મને અને મારા પરિવારને ગોળીથી મારી નાખવાની ધમકી આપે છે. આ મામલે મેં ત્રણવાર પોલીસ અરજી કરી હોવા છતા તેની સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. અંતે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરાતા ડીસીપી કાનન દેસાઈ દ્વારા આ મામલે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. 30 લાખના બદલામાં 1.21 કરોડ વસૂલ્યા છતાં ઉઘરાણીગોડાદરામાં ગેરેજ ચલાવતા રવિન્દ્ર તિવારીએ વર્ષ 2017માં મકાન બનાવવાના હેતુથી ભાજપના કાર્યકર દિલીપસિંહ રાજપુત પાસેથી 30 લાખ વ્યાજે લીધા હતા. આ રકમના બદલામાં તેમણે પોતાની ત્રણ મિલકતના અસલ દસ્તાવેજો ગીરો મૂક્યા હતા. રવિન્દ્રભાઈનો દાવો છે કે છેલ્લા નવ વર્ષ દરમિયાન તેમણે વ્યાજ અને મુદ્દલ પેટે કુલ 1.21 કરોડની માતબર રકમ દિલીપસિંહના પરિચિતો અને સગાંઓના બેંક ખાતામાં જમા કરાવી દીધી છે. આમ છતાં, વ્યાજખોર કાર્યકર દ્વારા હજુ પણ વધુ નાણાં મેળવવા માટે સતત પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 'કમર પર રિવોલ્વર લટકાવી ફરતો ભાજપનો કાર્યકર'આરોપ છે કે ગોડાદરામાં દિલીપસિંહ રાજપુત સુરત ભાજપનો સક્રિય કાર્યકર હોવાની ઓળખ આપી હંમેશા પોતાની કમર પર રિવોલ્વર લટકાવીને જાહેરમાં ફરે છે. રવિન્દ્ર તિવારીનો ગંભીર આક્ષેપ છે કે દિલીપસિંહ પોતાની રાજકીય વગ અને હથિયારનો દુરુપયોગ કરી લોકોને ડરાવવાનું કામ કરે છે. તે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં પણ આ જ અંદાજમાં જોવા મળે છે, જેથી કોઈ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત ન કરે. 'ગોળી મારી દઈશ' તેવી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામેવ્યાજખોરીની ઉઘરાણીમાં દિલીપસિંહ રાજપૂત એટલી હદે રોષે ભરાયો હતો કે તેણે ફરિયાદી રવિન્દ્ર તિવારીને ફોન પર પોતાની રિવોલ્વરથી જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. ફરિયાદી પાસે આ ધમકી આપતી વખતનું ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે, જે પુરાવા તરીકે પોલીસ કમિશનરને સોંપવામાં આવ્યું છે. આ રેકોર્ડિંગમાં કાર્યકર રવિન્દ્રને ગોળી મારી દેવાની વાત કરતો સ્પષ્ટ સંભળાય છે. 12 ટકા વ્યાજ વસૂલી બળજબરીથી ચેકબુક પડાવી લીધીફરિયાદી મુજબ, શરૂઆતમાં વ્યાજની રકમ ઓછી નક્કી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં દિલીપસિંહે પાવર બતાવી વ્યાજનો દર વધારીને 12 ટકા કરી દીધો હતો. એટલું જ નહીં, રવિન્દ્ર તિવારીની સહી કરેલી ત્રણ બેંક ચેકબુક પણ બળજબરીથી પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. ગોડાદરા પોલીસ મથકે સુનાવણી ન થતા કમિશનરને અરજી કરીપીડિત રવિન્દ્ર તિવારીએ કહ્યું હતું કે, અગાઉ બે વખત ગોડાદરા પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી, પરંતુ મોટા નેતાઓ સાથેના સંપર્ક અને રાજકીય વગને કારણે દિલીપસિંહ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોલીસની આ નિષ્ક્રિયતા અને પક્ષપાતી વલણથી કંટાળીને અંતે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે સ્થાનિક પોલીસ સ્તરે તેમની ફરિયાદને દબાવવાનો વારંવાર પ્રયાસ થઈ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધી આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને ધમકીઓ આપી રહ્યો છે. ડીસીપી કાનન દેસાઈએ એસીપીને સોંપી તપાસઆ ગંભીર મામલાની નોંધ લેતા ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે રવિન્દ્ર તિવારીની અગાઉની અરજી પર ગોડાદરા પીઆઈએ ચાર પાનાનો રિપોર્ટ સબમિટ કર્યો છે. જોકે, હવે રિવોલ્વર બતાવી ગોળી મારી દેવાની ધમકી અને વ્યાજખોરીના નવા પુરાવાઓ સાથેની ઓડિયો ક્લિપ સામે આવી હોવાથી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ડી-ડિવિઝનના એસીપીને જવાબદારી સોંપવામાં આવી છે. એસીપી સ્તરની નિષ્પક્ષ તપાસ બાદ જ યોગ્ય પુરાવાના આધારે વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ગોડાદરા હત્યાકાંડ પહેલા જ્યાં વિવાદ થયો તે દિલીપની હોટેલગોડાદરામાં તાજેતરમાં જ ભાજપ કાર્યકર પવનસિંગના પુત્ર દ્વારા એક ફાઈનાન્સરની હત્યા કરવામાં આવી હતી, જે મામલે સુરતમાં મોટો હોબાળો મચ્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે જાન્યુઆરી મહિનામાં જે વિવાદથી આ લોહિયાળ હત્યાકાંડની શરૂઆત થઈ હતી, તે ઝઘડો દિલીપસિંહ રાજપુતની હોટલ પર જ થયો હતો. બંને પક્ષો વચ્ચે ત્યાં જ મારામારી થઈ હતી અને વિવાદ વધુ વકર્યો હતો. આરટીઆઈ (RTI) હેઠળ માહિતી માંગી ન્યાયની આશારવિન્દ્ર તિવારીએ વધુમાં જણાવ્યું કે, તેમણે અગાઉની બે અરજીઓ, જેનો નિકાલ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો, તેની સંપૂર્ણ વિગતો આરટીઆઈ હેઠળ માંગી છે. તેમને લાગે છે કે દિલીપસિંહ રાજપુત મોટા નેતાઓ સાથેના સંપર્ક બતાવી પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવા દેતો નથી. ત્રીજી વખત સીધી પોલીસ કમિશનર કચેરીએ અરજી કરીને તેમણે માંગ કરી છે કે જો ખરેખર કાયદો દરેક માટે સમાન હોય, તો આ રિવોલ્વરધારી વ્યાજખોર સામે તાત્કાલિક કડક પગલાં ભરીને તેમને અને તેમના પરિવારને સુરક્ષા પુરી પાડવામાં આવે. વ્યાજખોરોના આતંકથી સુરત પોલીસ એક્શન મોડમાંસુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો આતંક અતિશય વધી ગયો છે, ત્યારે પોલીસ કમિશનર દ્વારા પણ વ્યાજખોરો વિરુદ્ધ કડક મુહિમ ચલાવવાના આદેશ અપાયા છે. દિલીપસિંહ રાજપુત સામે હવે એસીપી તપાસ શરૂ થતાં અન્ય પીડિતો પણ બહાર આવે તેવી શક્યતા છે. પોલીસ હવે ટેકનિકલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શન અને ઓડિયો ક્લિપના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે પર મિયાણી ગામ નજીક આજે એક કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ પરિવાર દ્વારકા દર્શન કરીને પોતાની કારમાં પોરબંદર તરફ પરત ફરી રહ્યો હતો. મિયાણી નજીક નેશનલ હાઈવે પર અચાનક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર જોરદાર રીતે ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતા જ 108 ઈમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ચારેય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
5 મહિના પહેલાં મહાભારતમાં અશ્વત્થામાનો રોલ પ્લે કરનારા એક્ટર આયુષ શાહ સાથે 4.44 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ LUCC ચિટ ફંડ કૌભાંડની તપાસ દરમિયાન, પોલીસે આરોપી શબાબ હુસૈન રિઝવીના નિવાસ સ્થાને મિલકત જપ્તીની નોટિસ ચોંટાડેલી છે. રિઝવી ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા અનેક ઠગાઈ કેસોમાં ફરાર છે. મિલકત પર જપ્તીની નોટિસ ચોંટાડવામાં આવી'તીઅધિકારીઓએ અગાઉ ચિટ ફંડ ઓપરેશન સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા હતા, તેમના પર રોકાણકારો પાસેથી મોટી રકમ એકત્રિત કર્યા બાદ ગાયબ થઈ જવાના આક્ષેપ છે. કોર્ટના આદેશ બાદ, પોલીસે જાલાઉન જિલ્લામાં આવેલ રિઝવીના નિવાસસ્થાને જઈને, વારંવાર સમન્સ છતાં કોર્ટમાં હાજર ન રહેતાં તેમની મિલકત પર જપ્તીની નોટિસ ચોંટાડવામાં આવી હતી. 4.44 કરોડનો ચેક બાઉન્સ કેસ ને ત્રણને સમન્સ આ દરમિયાન, રિઝવી હવે મુંબઈમાં એક અલગ નાણાકીય વિવાદ મામલે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે, જે એક એવિએશન ટ્રેનિંગ કંપની સાથે સંબંધિત છે. કાનૂની દસ્તાવેજો અનુસાર, ₹4.44 કરોડના ચેક બાઉન્સ કેસમાં મુંબઈની ગિરગાંવ કોર્ટમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે શબાબ હુસૈન રિઝવીની સાથે સાથે માયફ્લેજ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરો બિશ્વજિત બદાલ ઘોષ અને પિયાલી શ્યામલેન્દુ ચટર્જીને સમન્સ મોકલ્યા છે. કાવતરાપૂર્વકની નકલી દસ્તાવેજી કરવાના આરોપઅભિનેતા આયુષ શાહે કંપની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે, આ ફરિયાદમાં ₹4,44,48,000ની ઠગાઈ અને કાવતરાપૂર્વકની નકલી દસ્તાવેજી કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રોકાણકારો અને વિદ્યાર્થીઓને સંસ્થાની સંપત્તિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાવસાયિક લાયકાત વિશે ભ્રમિત કરવામાં આવ્યા હતા. સંસ્થાની કાર્યક્ષમતાને લઈને સવાલો ઊભા થયાઘણા વિદ્યાર્થીઓએ પણ વચન આપેલી એવિએશન ટ્રેનિંગ સુવિધાઓ, પ્રમાણપત્રો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન મળવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ઉત્તરાખંડ સહિત અન્ય સ્થળોએ સંસ્થાની કાર્યક્ષમતાને લઈને સવાલો ઊભા થયા છે. ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં હાલ તપાસ ચાલુવિવાદમાં વધારો કરતાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આરોપીઓએ કંપનીનું નામ “Myfledge Private Limited” માંથી બદલીને “Fledge Institute of Aviation and Hospitality” રાખ્યું છે. ફરિયાદીઓનો દાવો છે કે આ પગલું નવા નામ હેઠળ કામગીરી ચાલુ રાખવા અને નવા વિદ્યાર્થીઓ તથા રોકાણકારોને આકર્ષવા માટે લેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને મુંબઈ બંને સ્થળોએ હાલ તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ છે. આ પણ વાંચો 'મહાભારત' ફેમ આયુષ શાહને ઠગનાર હવે ગુજરાતમાં એક્ટિવ:એક્ટરે ભાસ્કરને આપવીતી કહી, બંટી બબલીએ 4.44 કરોડ રૂપિયા પડાવ્યા 5 મહિના પહેલાં મહાભારતમાં અશ્વત્થામાનો રોલ પ્લે કરનારા એક્ટર આયુષ શાહ સાથે 4.44 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ. આ છેતરપિંડી જેણે કરી છે તે બંટી બબલી હવે ગુજરાતમાં એક્ટિવ થયા હોવાનો દાવો આયુષ શાહે કર્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં આયુષે પોતાની સાથે કોણે છેતરપિંડી કરી, કેવી રીતે કરી, હવે ગુજરાતમાં તે કયા શહેરમાં એક્ટિવ થયા છે એનો ખુલાસો કર્યો છે. સૌથી પહેલા તો એ જાણી લો કે આયુષ શાહ કોણ છે. આયુષ શાહ એક્ટર છે, જેણે માય ફ્રેન્ડ ગણેશા પાર્ટ-2થી એક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઉત્તરન, મહાભારત, સૂર્યપુત્ર કર્ણ, નવ્યા જેવી સિરિયલો કરી. તેણે ઘણી ફિલ્મો પણ કરી છે. આયુષ એક્ટિંગ કરવા ઉપરાંત પોતાની પીઆર એજન્સી પણ ચલાવે છે. આ પીઆર એજન્સી સાથે ઘણી કોર્પોરેટ ઓફિસ, પ્રોડક્શન હાઉસ, ટીવી અને ફિલ્મોની હસ્તીઓ જોડાયેલી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
સુરત શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ડિજિટલ યુગમાં ઠગબાજો અવનવી તરકીબો અજમાવી લોકોને શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં રહેતા એક આધેડ સાથે ગોલ્ડ માઇનિંગમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી રૂપિયા 16 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલા શ્યામ મંદિર પાસે શ્યામ વિલામાં રહેતા 52 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગાળે છે. તેમના પુત્રએ આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધ સાથે મિત્રતા કેળવીને ફસાવ્યાફેબ્રુઆરી માસમાં વૃદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે તેમના સંપર્કમાં તન્વી શર્મા નામની એક યુવતી આવી હતી. તન્વીએ વૃદ્ધ સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ વોટ્સએપ પર વાતચીત શરૂ કરી હતી. તેણે વૃદ્ધને વિશ્વાસમાં લીધા અને ઓનલાઇન ગોલ્ડ માઇનિંગમાં રોકાણ કરવાથી ખૂબ જ ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. રોકાણ સામે નફો થતો હોય તેવું દેખાડવામાં આવ્યું હતુંતન્વી શર્માએ વૃદ્ધને એક વેબસાઇટની લિંક મોકલી હતી, જે દેખાવમાં એકદમ અધિકૃત લાગતી હતી. આ બનાવટી વેબસાઇટ પર વૃદ્ધનું એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તન્વીએ વૃદ્ધને સમજાવ્યું કે તેઓ આ પ્લેટફોર્મ દ્વારા સોનાના વેપારમાં ભાગ લઈ શકશે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે, વેબસાઇટ પર વૃદ્ધને તેમના રોકાણ સામે નફો થતો હોય તેવું દેખાડવામાં આવ્યું હતું. યુવતીએ વૃદ્ધ પાસેથી 16 લાખ પડાલી લીધાઆ આભાસી નફો જોઈને વૃદ્ધ વધુ લાલચમાં આવ્યા હતા. ઓનલાઇન કસ્ટમર સપોર્ટના નામે તેમને અલગ-અલગ બેંક એકાઉન્ટ્સ આપવામાં આવ્યા હતા. વૃદ્ધએ તબક્કાવાર રીતે IDFC બેંકના ખાતામાંથી રૂપિયા 1,00,000 અને ICICI બેંકના ખાતામાંથી રૂપિયા 15,00,000 આમ કુલ રુ.16,00,000 જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પૈસા ઉપાડવા ગયા ત્યારે ભાંડો ફૂટ્યોજ્યારે વૃદ્ધએ પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવાની કોશિશ કરી, ત્યારે અસલી ખેલ શરૂ થયો. વેબસાઇટ પરથી પૈસા ઉપાડવાનું ઓપ્શન કામ નહોતું કરતું. જ્યારે તેમણે તન્વી શર્માનો સંપર્ક કર્યો, ત્યારે તેણે જણાવ્યું કે પૈસા ઉપાડવા માટે તમારે ટેક્સ અને અલગ-અલગ પ્રોસેસિંગ ફી પેટે હજુ વધુ રકમ ચૂકવવી પડશે. પુત્રને જાણ કરીને ફરિયાદ નોંધાઈવૃદ્ધને શંકા ગઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે. તેમણે જ્યારે વધુ પૈસા આપવાની ના પાડી, ત્યારે તન્વી શર્મા અને કથિત કસ્ટમર સપોર્ટે તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને વેબસાઇટ પણ બ્લોક જેવી થઈ ગઈ. વૃદ્ધએ આ સમગ્ર મામલે પોતાના પુત્રને જાણ કરી હતી. પોતાની સાથે રૂપિયા 16 લાખની છેતરપિંડી થઈ હોવાનું સમજાતા, વૃદ્ધના પુત્ર વિકેન પટેલે તાત્કાલિક સુરત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે તન્વી શર્મા અને તેની સાથે સંકળાયેલા અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદમાં આજે 21 માર્ચથી ઓડિશા પરબનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિ, કલાઓ, હસ્તકલા અને પરંપરાગત ભોજનનો અનોખો મેળાવડો જોવા મળશે. ઓડિશા સરકાર દ્વારા પ્રવાસન વિકાસ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવતા હવે ગુજરાત જેવી જ રીતે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરાયા છે. ઓડિશાની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશેઅમદાવાદ શહેરમાં 21થી 23 માર્ચ દરમિયાન યોજાનારા ‘ઓડિશા પર્વ’નો પ્રારંભ થયો છે, જ્યાં ગુજરાતના લોકોને ઓડિશાની જીવંત સંસ્કૃતિને નજીકથી માણવાનો અવસર મળશે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ઓડિશાની પરંપરા, કલા, હસ્તકલા, હેન્ડલૂમ અને વિવિધ પ્રકારની ટ્રાઇબલ આર્ટનું લાઈવ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ઓડિશાની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ પણ અમદાવાદીઓને માણવા મળશે. મુલાકાતીઓને કલાકારો સાથે સીધી વાતચીત કરવાની તક ઓડિશા સરકારના પ્રતિનિધિઓ દ્વારા આયોજિત આ મહોત્સવનો મુખ્ય હેતુ રાજ્યના પ્રવાસન વિકાસને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. ઓડિશાની સરકારે ટુરિઝમના વિકાસ માટે 1 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે અને ‘ઓડિશા પર્વ’ જેવી પહેલ દ્વારા દેશભરમાં ઓડિશાની ઓળખ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ મહોત્સવમાં ઓડિશાના નિષ્ણાત કલાકારો દ્વારા લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય અને આદિવાસી નૃત્યોના જીવંત પ્રદર્શન લોકો માટે વિશેષ આકર્ષક બનાવશે. સાથે જ મુલાકાતીઓને કલાકારો સાથે સીધી વાતચીત કરવાની તક પણ આપવામાં આવી રહી છે. ભારતની વૈવિધ્યસભર પરંપરાઓને વધુ પ્રોત્સાહન મળશેકાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક મેળાવડો જ નહીં, પરંતુ ગુજરાત અને ઓડિશા વચ્ચે સાંસ્કૃતિક અને પર્યટન ક્ષેત્રે જોડાણ મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઓડિશાની પરંપરાઓ, ભોજન અને કલા દ્વારા મુલાકાતીઓને એક અનોખો અનુભવ આપવામાં આવી રહ્યો છે, જે પ્રવાસન માટે નવી સંભાવનાઓ ઉભી કરે છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બંને રાજ્યો વચ્ચે સંસ્કૃતિનો વિનિમય વધશે અને ભારતની વૈવિધ્યસભર પરંપરાઓને વધુ પ્રોત્સાહન મળશે. ગુજરાતથી જોઈને શીખીશું અને ઓડિશામાં લાગુ કરીશુંઃ નાયબ CMઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવિત પરિદાએ જણાવ્યું હતું કે, પહેલી વખત ઓડિશા પરબ લઈને આવ્યા છીએ. ગુજરાતમાં ટુરીઝમને વધારવા માટે ઘણું બધું છે. ગુજરાતથી જોઈને શીખીશું અને ઓડિશામાં લાગુ કરીશું. અમદાવાદ શહેરમાં કોઈ ઓડિશાને લગતું આયોજન કરશે તો અમે તેમને સબસિડી પણ આપીશું. આજે હેન્ડલૂમ સહિતની વસ્તુઓને લઈને પરબની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ લોકોને મીની ઓડિશા જોવા મળશે. ઓડિશામાં જે વસ્તુઓ સૌથી પ્રચલિત છે તે અહીંયા જોવા મળશે. ઓડિશાના પહેરવેશ અને વાનગીઓ લઈને અહીંયા આવ્યા છીએ. ‘ઓડિશા સરકારે ટુરિઝમ બજેટ પણ વધાર્યું’વધુમાં પ્રવિત પરિદાએ જણાવ્યું હતું કે, ગુજરાતને જોઈને જ ટેન્ટ સિટીની શરૂઆત કરી છે. ગુજરાતમાં અનેક જોવા લાયક ટુરિસ્ટ સાઈડ છે, અમે તેને કામ જોઈશું. ઓડિશામાં અમે જેવી જગ્યા પર ટુરિઝમનો વિકાસ કરવાનું ઇચ્છીએ છીએ. તેમજ ઓડિશા સરકાર દ્વારા ટુરિઝમ માટેનું બજેટ પણ વધારી દેવામાં આવ્યું છે. ટુરીઝમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે યોગ્ય પોલિસી પણ છે. તેમજ એડવેન્ચર ટુરિઝમને પણ આગળ લઈ જઈ રહ્યા છીએ. જે લોકો આધ્યમિક દ્રષ્ટિએ આવશે તેમને અમે યુનેસ્કો સાઇટ અને કલ્ચરલ ટુરીઝમ બતાવીશું જે માટે અમે અમદાવાદ આવ્યા છીએ.
રાજકોટમાં નાનામવા ચોક પાસે આયોજિત ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યના ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ખેતીના પાકોને જે વ્યાપક નુકસાન થયું છે, તે અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે માવઠાથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકારનું મન ખુલ્લું છે અને વહીવટી તંત્ર દ્વારા નુકસાનીના આંકલન માટે જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર્વેની કામગીરી અને આર્થિક વળતરની ખાતરી મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, માવઠાની સ્થિતિ અંગે તેમણે રાજ્યના કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. રાજ્ય સરકાર ખેડૂતોની પીડા સમજે છે અને જ્યાં પણ પાકને વધુ પડતું નુકસાન થયું હશે, ત્યાં પ્રાથમિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. ખાસ કરીને જે વિસ્તારોમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યાં સર્વેના રિપોર્ટના આધારે યોગ્ય વળતર ચૂકવવાની સરકારની પૂરેપૂરી તૈયારી છે. મંત્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે આપત્તિના સમયે સરકાર ખેડૂતોની પડખે ઉભી છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર સહાયની રકમ ચૂકવવામાં આવશે. મિલેટ મહોત્સવ: સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષાનો સમન્વય રાજકોટ મહાપાલિકા અને રાજ્યના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બે દિવસીય મહોત્સવનો પ્રારંભ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાની હાજરીમાં થયો હતો. આ પ્રદર્શન 21 અને 22 માર્ચ દરમિયાન સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો સંદેશ દ્વારા રાજ્યની તમામ 17 મહાપાલિકાઓમાં આ પ્રકારના ઉત્સવની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જમીનની ફળદ્રુપતા અને માનવીના સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. આ હેતુ માટે સરકાર દ્વારા બજેટમાં રૂ. 392 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાળવામાં મદદરૂપ થશે. પ્રાકૃતિક ખેતી અને શ્રીઅન્નનું મહત્વ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ પ્રસંગે મિલેટ (જાડા ધાન્ય) ને ‘શ્રીઅન્ન’ તરીકે ઓળખાવીને તેને દૈનિક આહારમાં સામેલ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. બીજી તરફ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે આધુનિક જીવનશૈલીના રોગો જેવા કે ડાયાબિટીસ અને મેદસ્વિતા સામે મિલેટને એક સચોટ રક્ષણકવચ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશને કારણે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેની સામે પ્રાકૃતિક ખેતી દ્વારા પકવવામાં આવેલા મિલેટ્સ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ મેળામાં મિલેટની વિવિધ વાનગીઓ અને પ્રાકૃતિક ખેતીની શુદ્ધ પેદાશોના અનેક સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં શહેરના નાગરિકોને વચેટિયાઓ વગર સીધા જ ખેડૂતો પાસેથી શુદ્ધ અને તાજી જણસી ખરીદવાની તક મળી રહી છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારના લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર પૂરું પાડવાનો છે. મંત્રી બાવળીયાએ પણ જણાવ્યું હતું કે, મિલેટનો વપરાશ વધવાથી ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે અને સમાજનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટી તરફ મહત્વપૂર્ણ અને વ્યાપક પગલું ભરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ 561 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં AMTS માટે 311 બસો અને BRTS માટે 250 બસોનો સમાવેશ થાય છે. આ તમામ બસોનું સપ્લાય અને ઓપરેશન વર્ષ 2026 દરમિયાન તબક્કાવાર શરૂ થશે. PM E-DRIVE કાર્યક્રમ અંતર્ગત 1000 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને અન્ય 660 ઈલેક્ટ્રીક બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. 1960 નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે300 વધુ ઈલેક્ટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની તૈયારી છે. આ તમામ યોજનાઓ પૂર્ણ થતાં વર્ષ 2027 સુધીમાં શહેરમાં કુલ 1960 નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે. આગામી પાંચ વર્ષમાં AMTS અને BRTS મળીને કુલ 2700 ઈલેક્ટ્રિક બસોનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. 3100 બસોની ગ્રીન મોબિલિટી ફ્લીટ ઉભી થશેહાલમાં શહેરમાં 400 CNG AC બસો કાર્યરત છે અને આ તમામને સાથે રાખીને અમદાવાદમાં કુલ 3100 બસોની ગ્રીન મોબિલિટી ફ્લીટ ઉભી થશે. અંદાજ મુજબ 2030 સુધીમાં શહેરમાં 3000 જેટલી ઈલેક્ટ્રિક બસો કાર્યરત થતાં દૈનિક આશરે 300 ટન અને વાર્ષિક 1.10 લાખ ટન જેટલો GHG (CO2e) ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ સાથે ડીઝલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે શહેરના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદરૂપ બનશે. આરામદાયક, સ્વચ્છ અને શાંત મુસાફરીનો અનુભવઆર્થિક રીતે પણ ઈલેક્ટ્રિક બસો લાભદાયી સાબિત થઈ રહી છે. ડીઝલ બસોની સરખામણીએ ઈલેક્ટ્રિક બસોમાં ઓછા મિકેનિકલ પાર્ટ્સ હોવાને કારણે મેન્ટેનન્સ ખર્ચ ઓછો રહે છે અને રિપેરિંગ ઝડપી થાય છે, જેના કારણે ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે અને સમયની બચત થાય છે. આમ, નાગરિકોને વધુ આરામદાયક, સ્વચ્છ અને શાંત મુસાફરીનો અનુભવ મળે છે, જે જાહેર પરિવહન પ્રત્યે આકર્ષણ વધારશે. પરિણામે ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થવાથી ટ્રાફિક અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ગ્રીન અને આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની તૈયારીઓઆગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને પણ જાહેર પરિવહનને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગોએ અંદાજે 800થી 1000 બસોની જરૂરિયાત રહેશે, જેને ધ્યાનમાં રાખીને ગ્રીન અને આધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં અમદાવાદમાં કુલ 204 ઈલેક્ટ્રિક બસો દોડી રહી છેઅત્રે ઉલ્લેખનીય છેકે, શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવાઓની શરૂઆત વર્ષ 2019માં BRTS પ્રોજેક્ટ હેઠળ 50 ઈલેક્ટ્રિક બસો GCC (Gross Cost Contract) આધારે ફ્લીટમાં સામેલ કરીને થઈ હતી. ત્યારબાદ વર્ષ 2021માં વધુ 150 ઈલેક્ટ્રિક બસો ઓપરેશનમાં મુકવામાં આવી હતી. AMTS દ્વારા 4 ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદમાં કુલ 204 ઈલેક્ટ્રિક બસો દોડી રહી છે.
ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારો દ્વારા ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કુંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે 16 દિવસ શંકર-પાર્વતીની પૂજા કરે છે. સુરેન્દ્રનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા રાજસ્થાની પરિવારો દર વર્ષે આ તહેવાર ઉજવે છે. હોળીના બીજા દિવસથી અમાસ પછીની ત્રીજ સુધી, એટલે કે સતત 16 દિવસ સુધી શંકર-પાર્વતી (ગણગોર) ની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન પરિણીત અને કુંવારિકા મહિલાઓ હાથમાં મહેંદી મૂકીને પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરે છે. ગણગોર તહેવારના 16મા દિવસે વહેલી સવારે પૂજા-અર્ચના કર્યા બાદ ગણગોર માતાને બેન્ડવાજા સાથે ભવ્ય વરઘોડો કાઢીને નદીના પાણીમાં પધરાવવામાં આવે છે. આ વિધિ સાથે 16 દિવસના વ્રત અને પૂજાનું સમાપન થાય છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના વાડી વિસ્તારમાં 108 ઇમરજન્સી સેવા ટીમે એક સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો. આ એક હાઈ-રિસ્ક કેસ હતો, જેમાં બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હતી. મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ 108 ને જાણ કરી હતી. આ મહિલાની ચોથી સુવાવડ હતી અને તબીબી દ્રષ્ટિએ તેને 'હાઈ રિસ્ક ANC' કેસ ગણવામાં આવતો હતો. ગર્ભમાં રહેલા બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હોવાથી પ્રસુતિ અત્યંત જોખમી બની હતી. ઘટનાની જાણ થતા જ રાણાવાવ 108 ના EMT આસ્થા અગાવત અને પાયલોટ રણમલભાઈ કોડીયાતર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહિલાની ગંભીર સ્થિતિ અને અસહ્ય પીડાને કારણે તેને હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય નહોતો. આથી, 108 ની ટીમે પોતાની તાલીમ અને કુશળતાનો ઉપયોગ કરીને વાડી વિસ્તારમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લીધો. ટીમની કુશળતાપૂર્વક કામગીરીના પરિણામે મહિલાએ એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો. પ્રસુતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ, તેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ કપરી પરિસ્થિતિમાં સફળ કામગીરી કરવા બદલ 108 ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ કસોતે અને જિલ્લા કો-ઓર્ડિનેટર દર્શક યાદવ દ્વારા EMT આસ્થા અગાવત અને પાયલોટ રણમલભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ પણ 108 ની આ સેવાને બિરદાવી હતી.
UCC મુદ્દે ઈદના દિવસે ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન વિધાનસભામાં UCC બિલ પસાર થાય તે પહેલા ઇદના તહેવારે AIMIM પાર્ટીના કાર્યકર્તાઓએ જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ.. કહ્યુ આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી રાજ્યભરમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી થઇ રહી છે ત્યારે સુરતમાં રાંદેરના ઇદગાહ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે પંક્તિબદ્ધ થઈને નમાજ અદા કરી અને એક એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' પાઠવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હજુ સાત દિવસ માવઠાની આગાહી છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે હજુ સાત દિવસ વરસાદની આગાહી કરી છે .. આજે કચ્છ-ગીર સોમનાથ, સાબરકાંઠા સહિત 8 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે ... જોકે ભર ઉનાળે વરસાદને લીધે ખેડુતો ચિંતામાં મુકાયા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AQI મામલે ભાજપ MLAનો કોર્પોરેશન પર આક્ષેપ સંકલન સમિતિની બેઠકમાં મનપા AQI ઓછો બતાવવાનો પ્રયત્ન કરતી હોય તેવા આક્ષેપ ભાજપના ધારાસભ્ય અમિત શાહે કર્યા છે .. કહ્યુ જ્યારે મશીન માપવા આવે ત્યારે ચાર રસ્તાની જગ્યાએ બગીચામાં પાણી છાંટી AQI માપવામાં આવે છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતની 400 મિલમાં ‘સ્વૈચ્છિક લોકડાઉન’ ઇરાન ઇઝરાયલ યુદ્ધને કારણે કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાતા ટેક્સટાઇલ સેક્ટરમાં વપરાતી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ,, જેને લીધે 400 મિલના પૈડા થંભી ગયા તો સિલિન્ડરની અછતને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડી છે દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પરત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુબઈ, ઓમાન, શારજહા, કતાર, કુવેત સહિતના દેશોના પોર્ટ હાલમાં બંધ હોવાથી મોરબીથી મોકલેલા 1500 જેટલા કન્ટેનરો પાછા ફરી રહ્યા છે. બીજી તરફ એક્સપોર્ટનું ભાડું રૂ.60 હજારથી વધીને 3 લાખે પહોચ્યુ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી યોગગુરુ સાથે શંકરસિંહ વાઘેલાનો વીડિયો 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરાયેલા યોગગુરુ પ્રદીપ જોટંગીયાનો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથેનો વીડિયો વાઈરલ થયો છે.. તો યોગગુરુ સામેની તપાસમાં અન્ય મોટા નામો ખુલે તેવી શક્યતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને ભીષણ આગ ફાટી નીકળી.. આગમાં એક શ્રમિકનું મોત જ્યારે માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા... બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મૃતકના શરીરના ચીંથરા ખેતરોમાં પડ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચેટીચંડની રેલી બાદ સિંધી યુવકો પર પાઇપ-છરીથી હુમલો ચેટીચંડની રેલી બાદ ઘરે પરત ફરતા સિંધી સમાજના યુવકો પર 5થી 6 અજાણ્યા શખ્સોએ પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં એકને માથામાં 20થી વધુ ટાંકા આવ્યા .. અવારનવાર થતી આવી ઘટનાઓથી પોલીસ પર પ્રશ્નો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસ્તાની ગેંગના સૂત્રધારના અન્ય બાંધકામોનું ડિમોલિશન પાટણના ઝીલિયામાં અગાઉ મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈના ગેરકાયદેસર ફાર્મહાઉસનો ગેટ તોડી પડાયા બાદ આજે અન્ય બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવા વાહનની ચોરી કરનાર ચોરની DCP ઝોન-5 LCBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 14 જેટલા એક્ટિવા કબજે કર્યા છે. આરોપી મેટ્રો સ્ટેશનની નીચે જ પાર્ક કરેલા એકટીવાની ચોરી કરતો હતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનોની ચોરી કરતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મેટ્રો સ્ટેશન નીચે લાગેલા CCTVમાં આરોપી કેદ થઈ ગયો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 9 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી વિકાસ દ્વારા મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરવામાં આવતી હતીઝોન-5 DCP ડો. જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, LCBની ટીમ દ્વારા મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા વાહનોની ચોરી કરનાર આરોપી વિકાસ ત્રિવેદી (ઉ. વ.42, રહે. રન્ના પાર્ક, ઇસનપુર)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિકાસ દ્વારા મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરવામાં આવતી હતી. સળિયા વડે લોક તોડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક્ટિવાની ચોરી કરતો હતો, જ્યારે વાહનમાં પેટ્રોલ પૂરું થઈ જાય તો બ્રિજ નીચે અથવા તો આવવાનું જગ્યાએ એક્ટિવા મૂકીને જતો રહેતો હતો. આરોપી અગાઉ પણ આઠ જેટલા વાહન ચોરીના ગુના અને લૂંટના ગુનામાં સંડોવાયેલો છે. અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે લાગેલા CCTVમાં આરોપી કેદ થઈ ગયો હતોઆરોપી દ્વારા સૌથી વધારે મેટ્રો સ્ટેશનની નીચે પાર્ક કરેલા વાહનોની ચોરી કરવામાં આવતી હતી મેટ્રો સ્ટેશન નીચે જ્યાં સૌથી વધારે ચોરીના બનાવો બનતા હોય એવા સ્થળોએ CCTV લગાવવામાં આવ્યા છે ત્યારે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે લાગેલા CCTVમાં આરોપી કેદ થઈ ગયો હતો, જેના આધારે LCBની ટીમ દ્વારા આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. આજ દિન સુધી વાહનો અન્ય કોઈને વેચી પૈસા મેળવ્યા છે એવું સામે આવ્યું નથી.
લુણાવાડા ST ડેપોને 6 નવી ગુર્જરનગરી બસો મળી:ધારાસભ્ય ગુલાબસિંહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા ST ડેપોને 6 નવી ગુર્જરનગરી બસોની ફાળવણી કરવામાં આવી છે. લુણાવાડા 122 વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે આ બસોને લીલી ઝંડી આપી તેમના નિર્ધારિત રૂટ પર પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોના સમાવેશથી લુણાવાડામાં જાહેર પરિવહન સુવિધા વધુ મજબૂત બનશે. ST વિભાગ દ્વારા આ બસોની ફાળવણી કરવામાં આવી છે, જે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતેના ડેપોને મળી છે. નવી બસોની શરૂઆતથી મુસાફરોને વધુ સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આનાથી જાહેર પરિવહન વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે. આ પ્રસંગે લુણાવાડા ST ડેપોના સુપરવાઇઝર, ડ્રાઇવર, કંડકટર અને મિકેનિક સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પહેલથી લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં મુસાફરી વધુ સરળ બનશે તથા જાહેર પરિવહન સેવા વધુ મજબૂત બનશે.
આદિવાસીઓના અધિકાર માટે લડત આપતા સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરવા માટે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી તા. 23 માર્ચના રોજ વડોદરા આવશે. આ અંગેના કાર્યક્રમની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી, એઆઈસીસીના એસટી વિભાગના વિક્રમ ભુરીયા દ્વારા સંબોધવામાં આવી હતી. આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થાય છેકોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોના સંવિધાનના અધિકારો છીનવાઈ રહ્યા છે. ચારેતરફથી અતિક્રમણ થઈ રહ્યું છે. સરકાર રક્ષણ કરવાના બદલે સમર્થન કરી રહી છે. આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળે છે. આજે પણ આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. વિકાસ માટે બજેટમાં પણ મોટો ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસીના નામે બજેટ ફાળવાય છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકો લડત આપી રહ્યા છે. આ સમાજ હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતના આદિવાસી પટ્ટા ઉપરમાં જે લોકો લડત આપી રહ્યા છે એવા સ્વૈચ્છિક સંસ્થાના યુવાનો, મહિલાઓ, કાર્યકરો તેમજ લોકો સાથે સીધો સંવાદ કરવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી એક કલાક જેટલો સમય ચર્ચા કરશેઅંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના પ્રશ્નો ઉપર ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1 થી સાંજે 6 વાગ્યા સુધી આ સંવાદ યોજાશે. પ્રબુધ્ધ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ ચર્ચા વિચારણા કરશે. રાહુલ ગાંધી એક કલાક રોકાશે અને તેઓ વિવિધ મુદ્દાઓ ઉપર સંવાદ કરશે. કોંગ્રેસ આગામી સમયમાં લોકોની વચ્ચે જે તેઓના અધિકારો માટે લડત આપશે. 14 ટકા આદિવાસી છતાં શોષણ કરવામાં આવે છેઆઈસીસીના એસટી વિભાગના વિક્રાંત ભરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 14 ટકા આદિવાસી હોવા છતાં તેઓનું સૌથી વધુ શોષણ કરે છે. ભાજપ દ્વારા વિકાસના નામે આદિવાસીઓના મકાનો છીનવવામાં આવી રહ્યા છે, તેઓનો રોજગાર છીનવાઈ રહ્યો છે અને આદિવાસીઓ મજૂર બની ગયા છે. આદિવાસીઓને તેઓનો અધિકાર મળવો જોઈએ. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી એક જ સંદેશ આપવા આવી રહ્યા છે કે ગુજરાતમાં આદિવાસીઓ સાથે જે ખોટું થઈ રહ્યું છે તે હવે નહી થવા દઈએ અને સંવિધાનમાં જે હક છે તે અપાવવા લડત આપવામાં આવશે. આખા દેશમાં આંદોલન થશે અને તેની શરૂઆત વડોદરાથી કરાશેઆદિવાસીઓ માટે દેશમાં જો કોઈ મોટું પરિવર્તન આવવું જોઈએ તો તે ગુજરાતથી આવવું જોઈએ. આ સંવાદ એક નવી ક્રાંતિને જન્મ આપનારું આંદોલન બની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે મોટા મોટા વાયદા કર્યા હતા પરંતુ તેમ નથી થયું. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં આ લડતની શરૂઆત કરીશું. જે સમાજ માટે લડત આપી રહ્યા છે તેઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીએ છે. આખા દેશમાં આ આંદોલનની શરૂઆત થશે અને તેની શરૂઆત વડોદરાથી કરાશે. સંમેલનમાં કોઈ ચૂંટણીની વાત નહીં થાયવિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સંમેલન કોઈ એક પક્ષનું સંમેલન નથી પરંતુ આદિવાસીઓનું પોતાનું સંગઠન કે આદિવાસીઓ માટે લડત આપતા તમામ લોકોનું સંમેલન છે. આ સંમેલનમાં કોઈ ચૂંટણી કે કોઈ વોટની વાત નહીં થાય પરંતુ જે આદિવાસીઓને ન્યાય અપાવવાનો છે તેની વાત થશે. આ કાર્યક્રમમાં ડોક્ટર, નિવૃત્ત લોકો, પ્રબુધ્ધ નાગરિકોને આમંત્રિત કરાયા કેમ અંદાજે 1000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે લોકો જંગલની જમીન ખેડતા હતા તેઓ માટેનો કાયદો 2006માં મંજૂર થયો. 18 વર્ષ બાદ આજ સુધીમાં માત્ર 51 ટકા જેટલી જ કામગીરી થઈ છે. હાલમાં આદિવાસીની હાલત ન ઘરનો ન ઘાટનો જેવી થઈ છે. સરકાર દ્વારા વ્યવસ્થિત ષડયંત્ર કરાઈ રહ્યું છે જેના કારણે આદિવાસી પાછળ ઠેલાતો ગયો છે. બજેટમાં મોટી વાતો કરાય છે પરંતુ તેનું વિવિધ વિભાગમાં વર્ગીકરણ કરી દેવામાં આવે છે અંતે આદિવાસી લોકો સુધી તો કઈ પહોચતું જ નથી. અનેક વિસ્તારમાં આજે પણ રસ્તો નથી, શાળા નથી, આરોગ્ય કેન્દ્ર પણ નથી. 7 કિમી ચાલે તો મુખ્ય માર્ગ ઉપર પહોંચી શકે છે.
અમદાવાદથી એક મહિલાએ પોતાના પતિ પાસેથી 5 વર્ષના બાળકની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને કસ્ટડી માતાને સોંપવા હુકમ કર્યો છે. સાથે જ બાળક કેનેડાનું નાગરિક હોવાથી તેનું OCI કાર્ડ અને પાસપોર્ટ પણ માતાને સોંપવા હુકમ કર્યો છે. બાળક પિતાની કસ્ટડીમાં હોવાથી તેને હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવા માગ કરતા હાઇકોર્ટે પોતાના હુકમ ઉપર 2 અઠવાડિયાનો સ્ટે આપ્યો છે. કેનેડાની ઓંટોરિયો કોર્ટે બાળકની કસ્ટડી માતાને સોંપી હતીકેસને વિગતે જોતા કેનેડામાં જન્મેલા અને ત્યાંના જ નાગરિક એવા 5 વર્ષીય બાળકની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં પુત્રની કસ્ટડી મેળવવા અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે તેના પતિને જોડવામાં આવ્યો હતો, કારણ કે બાળક તેના પતિ પાસે હતું. આ સાથે જ બાળકનો પાસપોર્ટ અને OCI કાર્ડ પણ તેના પતિ પાસે હતા. કેનેડાની ઓંટોરિયો કોર્ટે બાળકની કસ્ટડી તેની માતાને આપી હતી, પરંતુ તેનો પતિ બાળકને લઈને ભારત આવી ગયો હતો. પત્ની એક પુરુષ પાર્ટનર સાથે રહે છે, બાળકનું ભવિષ્ય જોખમમાંઃ પતિ અરજદાર પત્ની અને પતિના લગ્ન 2018માં કેનેડામાં થયા હતા અને 2020માં તેમના પુત્રનો જન્મ થયો હતો. આમ તે જન્મથી જ કેનેડાનો નાગરિક બન્યો હતો. વર્ષ 2021માં તેને OCI કાર્ડ મળ્યું હતું. પુત્રના જન્મ બાદ માતા-પિતા અવારનવાર ભારત આવતા હતા, પરંતુ તેમના લગ્ન જીવનમાં મતભેદો સર્જાયા હતા. પતિનું કહેવું હતું કે, પત્ની લગ્ન બાહ્ય સંબંધો ધરાવે છે, તે એક પુરુષ પાર્ટનર સાથે રહે છે, જે તેના બાળકના ભવિષ્ય માટે પણ જોખમી છે. પતિએ મેઇલમાં પત્ની પાછળ વાપરેલા પૈસાનો પણ ઉલ્લેખ કર્યોપતિએ પત્નીને એક ઇમેલ પણ મોકલ્યો હતો, જેમાં તેમના ઝઘડા દરમિયાન પત્નીએ તેની ઉપર કરેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. સાથે જ તેની પાછળ ખર્ચેલા રૂપિયા, આપેલો સમય વગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પિતા દીકરાને લઈને ભારત આવી ગયા હતા, ત્યારે તેની પત્ની પણ ભારત આવીને તેની સાથે રહી શકે એવું તેને જણાવ્યું હતું. જો કે, પત્ની ભારત પરત ફરવા તૈયાર નથી. પત્નીએ કહ્યું-કોર્ટની મંજૂરી વગર પતિ કેનેડા છોડીને ભારત આવ્યો પત્ની તરફે રજૂઆત થઈ હતી કે, તેના બાળકનો પિતા જવાબદારીઓથી ભાગીને ભારત આવી ગયો હતો. બાળકની કસ્ટડી અરજદારને આપી હોવા છતાં તે તેની મંજૂરી વગર કે કેનેડાની કોર્ટની મંજૂરી વગર કેનેડા છોડીને ભારત આવ્યો હતો. કેનેડાની કોર્ટે બાળકના પિતાને તુરંત બાળકને ભારતથી પરત કેનેડા લાવવા હુકમ કર્યો હતો. દીકરો કેનેડા આવે ત્યારે કેનેડાના પીલ વિસ્તારમાંથી તેને દૂર નહીં કરવા પણ હુકમ કર્યો હતો. ઓન્ટોરિયો કોર્ટમાં કાર્યવાહી પણ આગળના સમયમાં ચાલનાર છે. પત્ની પર ત્રાસ આપવાનો આક્ષેપ, બંને એક જ એપાર્ટમેન્ટમાં અલગ રહેતાપતિએ રજૂઆત કરી હતી કે, તે પોતે ડેન્ટિસ્ટ છે. કેનેડામાં પત્ની તેના ઘરમાં પ્રવેશ પણ આપતી નથી. પત્નીએ પતિને ત્રાસ આપવાના આક્ષેપસર 911 નંબર ડાયલ કરવા ધમકી આપી હતી. બંને એક જ એપાર્ટમેન્ટમાં અલગ-અલગ મકાનમાં રહેતા હતા. પત્ની એક પુરુષ પાર્ટનર સાથે રહે છે. પતિ અને પત્ની બંને હિન્દુ છે, જેથી તેમની દીકરો પણ જન્મની સાથે હિન્દુ જ હોય તે સ્વાભાવિક છે. ત્યારે દીકરો ભારતમાં સંયુક્ત કુટુંબમાં રહીને હિન્દુ પરંપરાઓ, રહેણીકરણી, જીવન પદ્ધતિ શીખશે. અહીંયા સંયુક્ત પરિવારમાં તેનું ધ્યાન રાખનારા લોકો પણ છે. કોર્ટના પ્રયત્ન બાદ પણ બન્ને સમાધાન માટે તૈયાર નહિગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ થતા પહેલા બંનેએ સમાધાનનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ફળદાયી નહીં દેખાતા કોર્ટે પતિ-પત્ની બંનેને સાંભળ્યા હતા. આખરે ગુજરાત હાઇકોર્ટ અરજદારના પુત્રનું OCI કાર્ડ અને પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા પિતાને કરાવવા હુકમ કર્યો હતો. ભારતમાં પુત્ર સંયુક્ત ફેમિલીમાં સુરક્ષિત છેઃ પતિઅરજદાર માતાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન કેનેડિયન કાયદા મુજબ થયા છે, તેથી કેનેડાની કોર્ટ તે અંગે નિર્ણય લઇ શકે. કેનેડાની કોર્ટે માન્યું છે કે, પુત્રની કસ્ટડી માતાને આપવી જોઈએ. આમ બાળકનો પિતા તેને ગેરકાયદેસર રીતે ભારત લઈ આવ્યો છે. ત્યારે પિતાનું કહેવું હતું કે, ત્યાંની કોર્ટે પિતા પ્રત્યે કોઈ નકારાત્મક હુકમ કર્યો નથી. આથી પુત્રને ભારત લાવીને તેને કોઈ ગેરકાનુની કામ કર્યું નથી. પુત્ર જન્મે હિન્દુ હોવાથી તેને હિન્દુ ગાર્ડિયનશીપના કાયદા લાગુ પડે, કેનેડાના નહીં. ભારતમાં પુત્ર સંયુક્ત ફેમિલીમાં સુરક્ષિત છે, વળી તેની માતા વીડિયો કોન્ફરન્સથી તેની સાથે વાત કરે છે. બન્નેના લગ્ન કેનેડિયન કાયદા અંતર્ગત થયાનું કોર્ટે નોંધ્યુંકોર્ટ સમક્ષ વિવિધ રજૂઆતો થઈ હતી, જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, બંનેના લગ્ન કેનેડામાં કેનેડિયન કાયદા અંતર્ગત થયા છે, હિન્દુ મેરેજ એક્ટ મુજબ થયા નથી. કાયદા મુજબ દીકરો માતા સાથે જ રહેવો જોઈએ અને કેનેડિયન કોર્ટનો હુકમ પિતા માટે આબદ્ધકર્તા છે. કોર્ટ કે માતાની મંજૂરી વગર દીકરાને ભારતમાં લાવવામાં આવ્યો છે. પિતા પોતાની પસંદગી મુજબ દીકરાને ઈચ્છા ત્યાં રાખી શકે નહીં. બાળક કેનેડામાં જન્મથી ચાર વર્ષ રહ્યું હોવાથી તેને તેના ઉત્પત્તિ સ્થાનથી દૂર રાખી શકાય નહીં. વળી કેનેડાની શાળામાં તે દાખલ પણ થયેલ છે. પતિએ સુપ્રીમ કોર્ટમાં જવાનું કહેતા હુકમ પર સ્ટેગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ટાંકીને હુકમ કર્યો હતો કે, માતા સાથે તેના પુત્રનું હિત રહેલું છે. બાળક કેનેડાનું નાગરિક છે, તેને માતાથી વધુ સમય દૂર રાખી શકાય નહીં. તેને અજાણી જગ્યાએ રાખી શકાય નહીં. પિતાનું કૃત્ય કાયદા વિરુદ્ધનું છે. આથી કોર્ટમાં જમા થયેલા બાળકનું OCI કાર્ડ અને પાસપોર્ટ અરજદાર માતાને આપવામાં આવે. પિતાએ જો કોઈ અરજી કરવી હોય તો તે કેનેડાની કોર્ટમાં કરી શકે છે. જો કે, પિતાએ હાઈકોર્ટના ઉપરોક્ત હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય માંગતા હાઇકોર્ટે પોતાના હુકમને 2 અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં નરેન્દ્ર સંઘાત વિજેતા બન્યા છે. તેમને કુલ 79 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા 100 ટકા મતદાન નોંધાયું હતું. વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ હરેશ બોપલિયાની બે ટર્મ (ચાર વર્ષ) પૂરી થઈ રહી હતી. તેમની ટર્મ 31 માર્ચના રોજ સમાપ્ત થતી હોવાથી નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે ત્રણ કારખાનેદારોએ દાવેદારી નોંધાવી હતી. કેવલ સંઘાણી, નરેન્દ્ર સંઘાત અને કાંતિ સીતાપરા. ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા રૂબરૂ, સોશિયલ મીડિયા અને ફોન દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. 21 માર્ચના રોજ ચૂંટણી યોજાઈ હતી. વોલ ટાઇલ્સ ડિવિઝનના કુલ 161 સભ્યોએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. મત ગણતરી બાદ નરેન્દ્ર સંઘાતને 79 મત, કાંતિ સીતાપરાને 53 મત અને કેવલ સંઘાણીને 29 મત મળ્યા હતા. ચૂંટણી અધિકારી મણિભાઈએ નરેન્દ્ર સંઘાતને વિજેતા જાહેર કર્યા હતા. વિજય બાદ નરેન્દ્ર સંઘાતે જણાવ્યું હતું કે, તેઓ સિરામિક ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો માટે તેમજ ઉદ્યોગ માટે પાણી અને વીજળીના પ્રશ્નો ઉકેલવાને પ્રાધાન્ય આપશે. તેઓ અન્ય ડિવિઝનના પ્રમુખો અને ઉદ્યોગકારોને સાથે રાખીને સિરામિક ટ્રેડને વધુ ફાયદો થાય તે દિશામાં કામગીરી કરશે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
અમરેલી: 3 માસમાં 23 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા:SP સંજય ખરાતની ટીમે વર્ષોથી ફરાર ગુનેગારોને દબોચ્યા
અમરેલી પોલીસે છેલ્લા ત્રણ માસમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતની ટીમે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ 23 વોન્ટેડ અને પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વર્ષોથી વિવિધ ગુનાઓમાં ફરાર હતા. આ અભિયાન અંતર્ગત, અમરેલી પોલીસે સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા અને પંજાબ જેવા રાજ્યોમાંથી પણ આરોપીઓને પકડી પાડ્યા છે. કેટલાક આરોપીઓ 16 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા હતા, જ્યારે સૌથી જૂનો કેસ લગભગ 27 વર્ષ (1998નો) જૂનો હતો. ઝડપાયેલા આરોપીઓ સામે IPC, BNS, NDPS અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. કેટલાક આરોપીઓ પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, અને ઘણા પેરોલ જમ્પ કરીને ફરાર થયા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન, કેટલાક આરોપીઓના મૃત્યુ પામવાના કારણે તેમના નામ કમી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી. SP સંજય ખરાતની સૂચના હેઠળ, પેરોલ ફોલો સ્ક્વોડ, એલ.સી.બી., AHTU અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમોએ આ કામગીરી પાર પાડી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓનું પગેરું શોધી કાઢ્યું હતું. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારના પાણીના ટેન્કરે 7 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો છે. પાણીનું ટેન્કર રિવર્સ આવી રહ્યું હતું ત્યારે રમી રહેલી એક બાળકીના માથા પર ચઢી ગયું હતું, જેના કારણે બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે મામલે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પૂરઝડપે ટેન્કર રિવર્સમાં આવવા દેતા રમતી બે દીકરીઓને અથડાયુંજૂના વાડજમાં રહેતા સંજય સોલંકી છૂટક મજૂરી કરે છે. સંજયભાઈને બે દીકરીઓ છે, જેમાં એક 7 વર્ષની અને એક 6 વર્ષની છે. સંજયભાઈની દીકરી સવારના સમયે જૂના વાડજ BRTS બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમતી હતી. ત્યારે પાણીના ટેન્કરનો ચાલક રિવર્સ ચલાવી રહ્યો હતો. ટેન્કરચાલકે પૂરઝડપે ટેન્કર રિવર્સમાં આવવા દેતા રમતી બે દીકરીઓને અથડાયું હતું. બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું છુંદાઈ ગયુંઆ દરમિયાન 7 વર્ષની બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું છુંદાઈ ગયું હતું. બાળકીનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડતા મોત, કંપારી છૂટી જાય એવા દ્રશ્યો અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો. તેમજ તેનું મોઢું પણ છુંદાઈ જતાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં હડકંપ
Iran's Natanz Nuclear Plant Attack : અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થલે દોડી આવ્યા છે. ભયંકર વિસ્ફોટ, દૂર દૂર સુધી સંભળાયો અવાજ ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તારો સુધી સંભળાયો છે.
'અમારી પાસે વધારાનું ઓઈલ જ નથી, અમેરિકા ખોટું બોલી રહ્યું છે...' ટ્રમ્પે આપેલી છૂટ પર ઈરાનનો પલટવાર
Strait of Hormuz: અમેરિકાએ જાહેરાત કરી છે કે ઈરાનના તેલ પર લાગેલા પ્રતિબંધોમાં 30 દિવસ માટે ઢીલ આપવામાં આવી રહી છે. જેનો અર્થ એ છે કે, 20 માર્ચથી 19 એપ્રિલ સુધી જે તેલ સમુદ્રમાં જહાજો પર ભરેલું પડ્યું છે, તેને વેચી શકશે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, આનાથી લગભગ 14 કરોડ બેરલ તેલ બજારમાં આવી શકે છે. પરંતુ આ બાબતે ઈરાન તરફથી જે વળતો જવાબ આવ્યો છે તે કદાચ ટ્રમ્પને ના પસંદ પડશે. 'તમે જે છૂટ આપી તે નકામી છે'
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે હવામહેલ ખાતે કુલ રૂ. 13.59 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અંતર્ગત શહેરમાં અનેક નોંધપાત્ર કામો હાથ ધરવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગરની કાયાપલટ કરવામાં આ કામો મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વઢવાણનો પંજાબ બેંક વાળો રસ્તો અને 80 ફૂટ રોડને 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી. શહેરના આગામી આયોજન અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, કોલેજથી ગેબનશાહ પીર સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. 48 કરોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. જ્યારે રતનપરથી વઢવાણ સુધીના રિવરફ્રન્ટ માટે રૂ. 265 કરોડની મહત્વાકાંક્ષી યોજના સરકારમાં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મેક્સન સર્કલથી દાળમિલ રોડ સુધી રૂ. 69 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત હાલ અંતિમ તબક્કે છે. કાર્યક્રમ દરમિયાન રૂ. 9.35 કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા બસ સ્ટેશન અને બસ સ્ટોપના સંચાલન અર્થે રૂ. 3.69 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરના સૌંદર્યીકરણ પર ભાર મૂકતા વિવિધ સર્કલો ખાતે આકર્ષક સ્કલ્પચર બનાવવા માટે રૂ. 77 લાખ અને ઐતિહાસિક અજરામર ટાવર સર્કલના આધુનિકીકરણ માટે રૂ. 65 લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરાશે. નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે વઢવાણ વિસ્તારમાં ખાંડીપોળ પાસે રૂ. 1 કરોડના ખર્ચે આધુનિક બગીચો તૈયાર કરવામાં આવશે. વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવવાના હેતુથી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઓફિસ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળના બાંધકામ માટે રૂ. 3.24 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિકાસની આ મજલમાં સુરેન્દ્રનગરની શાન સમાન દૂધરેજ તળાવના નવીનીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 'અમૃત 2.0' યોજના અંતર્ગત રૂ. 4.24 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ તળાવ આજે લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. માછીમારી બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં લિટર દીઠ કરવામાં આવેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. હવે રાજ્યના માછીમારોને અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ રહેશે. માછીમારો પર વધતા ખર્ચને ધ્યાનમાં રાખી હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠીઆ મુદ્દે રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. માછીમારો પર વધતા ખર્ચના બોજાને ધ્યાનમાં રાખીને ત્વરિત હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી હતી. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. ‘સ્પેશિયલ એક્સેપ્શન’ હેઠળ માછીમારોને રાહત આપવા માંગ કરીમાછીમારોને ડિસ્કાઉન્ટ દરે ડીઝલ પૂરું પાડવા માટે ગુજરાત ફિશરીઝ કો-ઓપરેટિવ ફેડરેશન દ્વારા ભારત પેટ્રોલિયમ સાથે કરાર કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં કંપનીએ ડીઝલના ભાવમાં વધારો જાહેર કરતા માછીમારોમાં અસંતોષ ફેલાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ‘સ્પેશિયલ એક્સેપ્શન’ હેઠળ માછીમારોને રાહત આપવા માંગ કરી હતી. કેન્દ્ર સરકારે આ રજૂઆતને માન્ય રાખીને કંપનીને ભાવવધારો પાછો ખેંચવા સૂચના આપી છે. હંમેશા માછીમારોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વસતા હજારો માછીમારોને સીધી રાહત મળશે. મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય બદલ વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના કાલિકા માતા ડુંગર પર પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ડુંગર વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ખાસ કરીને, કાલિકા માતાના દર્શનાર્થે આવતા લોકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવીને પ્રકૃતિને સ્વચ્છ રાખવાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. વન વિભાગે ડુંગર ફરતે ફેલાયેલો પ્લાસ્ટિક કચરો દૂર કરીને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. આ પહેલ પર્યાવરણ જાળવણી અને લોકોમાં જવાબદારીની ભાવના ઊભી કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમદાવાદના ધારાસભ્યો અને સંસદ સભ્યોની મ્યુનિસિપલ કમિશનર સાથે આજે 21 માર્ચના રોજ સંકલન સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં અમદાવાદમાં હવા પ્રદુષણ માપવા માટેના એર ક્વોલીટી ઇન્ડેક્સ (AQI) ઓછો બતાવવાનો પ્રયત્ન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોવાનો આક્ષેપ એલિસ બ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. AQI માપવાના મશીન ચાર રસ્તા ઉપર લગાવવાની જગ્યાએ બગીચામાં લગાવી અને તેના ઉપર પાણી છાંટીને AQI ઓછો બતાવવાનો પ્રયત્ન કોર્પોરેશન કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બગીચામાં પાણી છાંટી AQI ઓછો બતાવવામાં આવે છે: MLAધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, આજે મ્યુનિસિપલ કમિશનર સાથે મળેલી સંકલન સમિતિની બેઠકમાં હવા પ્રદુષણ મામલે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બગીચામાં પાણી છાંટી AQI ઓછો બતાવવામાં આવે છે જેથી ખરેખર જો હવા પ્રદુષણ માપવું હોય તો દરેક ચાર રસ્તા ઉપર મશીન રાખવું જોઈએ. મુંબઈમાં જેમ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટવાની સિસ્ટમ છે તેમ અમદાવાદમાં પણ જ્યારે રજા ચિઠ્ઠી આપવામાં આવે ત્યારે તેમાં શરત રાખવામાં આવે કે જ્યારે પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ધૂળ ઉડે ત્યારે તેમાં પાણી છાંટવુ જોઈએ જેના કારણે AQI ઊંચો જાય નહીં. જગન્નાથ મંદિરના 100 ફૂટ વિસ્તારમાં નોનવેજ વેચાતું બંધ કરવા રજૂઆતવધુમાં તેમણે રજૂઆત કરી હતી કે, શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના 100 ફૂટ વિસ્તારમાં જાહેરમાં નોનવેજ લટકાવીને રાખવામાં આવે છે. રાત્રે જાહેરમાં આ પ્રમાણે નોનવેજ જગન્નાથ મંદિરના 100 ફૂટ વિસ્તારમાં લગાવવામાં આવે છે જેથી તેને બંધ કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં તેમણે રજૂઆત કરી હતી કે, વર્ષ 2023ના બજેટના કામો હજી પેન્ડિંગ છે જે કામોને પણ ઝડપી પૂર્ણ કરવામાં આવે. કોર્પોરેશને કર્મચારીનું મોરલ ઉચ્ચું લાવવા સાથે ઉભું રહેવું જોઈએશહેરના પીરાણા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ આવેલી છે જેમાં કામ કરતા એક કર્મચારીને કચરો વીણવા આવતા લોકો દ્વારા મારવામાં આવ્યો હતો અને જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીને આ રીતે માર મારવામાં આવે છે તેમ છતાં કોર્પોરેશન તંત્ર તેની સાથે ઉભું રહ્યું નહીં. જેથી આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું જો કર્મચારીઓનું મોરલ ઊંચું લાવવું હોય તો કોર્પોરેશન તંત્ર એ આવા કર્મચારીઓની સાથે ઉભું રહેવું જોઈએ. ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાવાળાઓને દૂર કરવા રજૂઆતશહેરના લાલ દરવાજા ભદ્રકાળી મંદિર પાસેના પાછળના બજારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. ત્યારે જે પાથરણા વાળાઓ ગેરકાયદેસર રીતે બેસતા હોય તેમને દૂર કરવા જોઈએ તેવી પણ રજૂઆત કરી હતી. તેમજ લાલ દરવાજા વિસ્તારમાં આવેલું પાલિકા બજાર ખૂબ જ જર્જરીત હાલતમાં થઈ ગયું છે. જો કોઈ દુર્ઘટના ઘટશે તો કોર્પોરેશનના માથે જવાબદારી આવશે જેથી આ બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરતા કોર્ટ મેટર હોવાનું જણાવ્યું હતું. જેથી તેને તાત્કાલિક નિરાકરણ લાવવાની પણ રજૂઆત કરાઇ હતી. ટ્રાફિક દૂર કરવા ASI વિભાગની મંજૂરી લઈને બ્રિજ બનાવાશેદરિયાપુર વિસ્તારના ધારાસભ્ય કૌશિક જૈને રજૂઆત કરી હતી કે, તેમના મતવિસ્તારમાં કાલુપુર પ્રેમ દરવાજાથી લઈને દરિયાપુર દરવાજા થઈને દિલ્હી દરવાજાથી શાહપુર શંકર ભુવન સુધી ખૂબ જ ટ્રાફિક રહે છે. જેથી આ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બ્રિજ બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેથી આ વિસ્તારમાં બ્રિજ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં ટ્રાફિક દૂર કરવા ASI વિભાગની મંજૂરી લઈને બ્રિજ બનાવવામાં આવશે.
નવસારી યુવક સાથે સાયબર ફ્રોડ:ફેસબુક પર લોનની જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરતા જ 4900 રૂપિયા ગુમાવ્યાં
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિમલક ગામમાં એક યુવક સાથે સાયબર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોલાર પેનલ ફિટિંગનો વ્યવસાય કરતા આ યુવકે ફેસબુક પર લોનની જાહેરાત જોઈને 4900 રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સિમલક ગામના હાંસ મહોલ્લામાં રહેતા 28 વર્ષીય મહમદ હસન મોહમદ હાંસ સોલાર પ્લેટના વેપાર અને ફિટિંગ સાથે સંકળાયેલા છે. ફેબ્રુઆરી 2026માં ફેસબુક વાપરતી વખતે તેમને એક લોનની જાહેરાત દેખાઈ હતી. આર્થિક જરૂરિયાત હોવાથી મહમદ હસને તે લિંક પર ક્લિક કર્યું હતું. જેના થોડા સમય બાદ તેમને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ મળ્યો હતો. સાયબર ગઠિયાઓએ મહમદ હસન પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને ઇમેલ આઈડી મંગાવ્યા હતા. ત્યારબાદ 'InCred Finance' ના નામે એક નકલી ઇમેલ મોકલીને તેમને જણાવ્યું કે, તેમની 67,000 રૂપિયાની લોન મંજૂર થઈ ગઈ છે. જોકે, તેમના બેંક ખાતામાં કોઈ રકમ જમા થઈ ન હતી. લોન મંજૂર થઈ ગઈ હોવાનું કહીને, છેતરપિંડી કરનારાઓએ પ્રોસેસિંગ ફીના બહાને 'પંચાલ નિખિલ' ના નામનું QR કોડ સ્કેનર મોકલ્યું હતું. ફરિયાદીએ 8 ફેબ્રુઆરીએ 1900, 600 અને 250 રૂપિયા, 13 ફેબ્રુઆરીએ 1000 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 550 રૂપિયા, 19 ફેબ્રુઆરીએ 245 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ 200 અને 155 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આમ, કુલ 4,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી પણ ગઠિયાઓએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી, જેનાથી મહમદ હસનને શંકા ગઈ અને તેમને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ યુવકે 26 ફેબ્રુઆરીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. હાલમાં, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરેલા કથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયાના પાપનું પોટલું હવે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ સાથે ખૂલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ નકલી ગુરુના આશીર્વાદ લેતા હોય તેવો જૂનો વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ સુરતના સામાજિક કાર્યકર વલ્લભભાઈ ચોથાણીએ આ 'ભોગગુરુ' સામે 2 લાખની છેતરપિંડી, વાઘના ચામડાનો ઉપયોગ અને ડૉક્ટરી ડિગ્રી વગર કેન્સર તથા હાર્ટ એટેકની જોખમી સારવાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં યુટ્યુબના સહારે ડોક્ટર બની બેઠેલા આ ઠગ વિરુદ્ધ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કડક તપાસના આદેશ આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં આ આંતરરાજ્ય છેતરપિંડીના નેટવર્કમાં અનેક મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે. નકલી ગુરુના ગુણગાન ગાતા શંકરસિંહ વાઘેલાસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નકલી યોગગુરુ પ્રદીપના તાપી કિનારે આવેલા આશ્રમમાં બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'આટલી નાની ઉંમરમાં ગુરુજીના આશીર્વાદ મળ્યા તે મારું સૌભાગ્ય છે. તાપી કિનારે સરસ વાતાવરણ છે અને આશ્રમમાં યોગ-પ્રાણાયામની ઉત્તમ વ્યવસ્થા છે.' બાપુએ આ વીડિયોમાં આસપાસના લોકોને પણ આ આશ્રમનો લાભ લેવા અને સમાજને યોગ્ય દિશા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આ જ ગુરુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા હવે આ જૂનો વીડિયો બાપુ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી રહ્યો છે. 'આને યોગગુરુ નામ જ ન આપો, આ તો 'ભોગગુરુ છે' સુરતના જાણીતા સામાજિક કાર્યકર વલ્લભભાઈ માધાભાઈ ચોથાણીએ આ પ્રકરણમાં મૌન તોડ્યું છે. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આને યોગગુરુ નામ જ ન આપો, આ તો 'ભોગગુરુ' છે. આવા લુચ્ચા અને લંપટ લોકો સમાજને છેતરે છે અને ક્રાઈમ કરે છે.' વલ્લભભાઈએ માગ કરી છે કે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોના પર્દાફાશ થવો જોઈએ. તેમણે જણાવ્યું કે પ્રદીપ અને તેની ગેંગ નિર્દોષ લોકોના શ્રદ્ધા સાથે ખેલ ખેલી રહી છે. રૂપિયા 2 લાખની છેતરપિંડી અને ધાકધમકીનો આરોપવલ્લભભાઈ ચોથાણીએ જણાવ્યું કે, આ નકલી યોગગુરુએ તેમની સાથે જ 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આશ્રમના કામના બહાને લોકો પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી. વલ્લભભાઈના જણાવ્યા અનુસાર, 'આ શખ્સ પૈસા ઉછીના માંગે છે અને પછી પાછા આપવાની વાત આવે ત્યારે ગાળો આપે છે અને ધમકાવે છે. તે ખુલ્લેઆમ કહે છે કે થાય તે કરી લ્યો, પૈસા નથી દેવા.' માત્ર વલ્લભભાઈ જ નહીં, પરંતુ અનેક લોકો આ ઠગના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. નકલી ગુરુ વાઘના ચામડા પર બેસીને લોકોને પ્રભાવિત કરતોઆ કેસમાં એક નવો વળાંક વાઘના ચામડાનો પણ છે. વલ્લભભાઈએ આક્ષેપ કર્યો છે કે એક સમયે આ નકલી ગુરુ વાઘના ચામડા પર બેસીને લોકોને પ્રભાવિત કરતો હતો. આ બાબતે વલ્લભભાઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લેખિત જાણ પણ કરી હતી. જોકે, જ્યારે વન વિભાગની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે આ શખ્સે તમામ પુરાવાઓ સગેવગે કરી નાખ્યા હતા. વલ્લભભાઈએ માગ કરી છે કે વાઘનું ચામડું ક્યાંથી આવ્યું અને અત્યારે ક્યાં છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. વાળ-દાઢીની દુકાન ચલાવતા યુટ્યુબથી બન્યા 'ગુરુ'નકલી યોગગુરુ પ્રદીપના ભૂતકાળ વિશે વાત કરતા વલ્લભભાઈએ જણાવ્યું કે, રાજકોટમાં આ પ્રદીપ, તેનો ભાઈ અમિત અને પિતા દિલીપભાઈ રહેતા હતા. ત્યાં તેઓ ‘સત્યમ હેરડ્રેસર’ નામની સલૂનની દુકાન ચલાવતા હતા. ત્યારબાદ યુટ્યુબ પર વીડિયો જોઈને યોગની પ્રવૃત્તિઓ શીખ્યા અને લોકો પર જોખમી પ્રયોગો શરૂ કર્યા. રાજકોટ, સુરત (કતારગામ, વરાછા, મોટા વરાછા) અને ધોરણ પાડી વિસ્તારમાં આ નકલી ગુરુએ પોતાની જાળ બિછાવી હતી. ડિગ્રી વગર તબીબી તપાસ કરતાં ગુરુના કારણે અનેકના જીવ અદ્ધરઆ નકલી ગુરુ દાવો કરતો હતો કે તે હાર્ટ એટેકની બંધ વેન ખોલી નાખે છે. આ બાબતે વલ્લભભાઈએ ચેતવણી આપતા કહ્યું કે, 'કોઈની હાર્ટની વેન આનાથી ખુલતી નથી. ઉલટાનું તેના જોખમી પ્રયોગોથી લોકોની ચાલુ વેન પણ બંધ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.' ડાક્ટરી ડિગ્રી કે યોગ્ય જ્ઞાન વગર કરવામાં આવતા આવા પ્રયોગોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ અને આગામી કાર્યવાહીઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ આ નકલી યોગગુરુની ધરપકડ કરી લીધી છે. શંકરસિંહ વાઘેલા જેવા મોટા નેતાઓના વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે પ્રદીપે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને કેટલા મોટા માથાઓને ભોળવ્યા હતા. બીજી તરફ, વલ્લભભાઈ જેવા અનેક ફરિયાદીઓ હવે સામે આવી રહ્યા છે, જેના કારણે આ ઠગાઈનો આંકડો કરોડોમાં પહોંચે તેવી શક્યતા છે. ધોરણ 12 પાસ શખસ બન્યો 'ડોક્ટર'આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 સુધી ભણેલો આ નકલી યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયા કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી વગર ગંભીર રોગોનો ઈલાજ કરતો હતો. તે હૃદયના બ્લોકેજ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ જડમૂળથી દૂર કરી આપવાની ગેરંટી આપી ભોળા લોકોને છેતરતો હતો. તબીબી વિજ્ઞાનના નિયમોને નેવે મૂકીને તે ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરતો હતો. દર્દીઓના જીવ જોખમમાં મૂકતી સારવારવાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ નકલી ડોક્ટર દર્દીના પેટમાં જાડી સોય ઘુસાડીને લિક્વિડ બહાર કાઢતો હતો. મંત્રી પાનસુરીયાએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, MBBS અને MD જેવી ડિગ્રીઓ મેળવવા ડોક્ટરો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, જ્યારે આ શખસ કોઈ પણ જ્ઞાન વગર ઓપરેશન જેવી પ્રક્રિયાઓ કરી લોકોના જીવન સાથે છેડા કરી રહ્યો હતો. કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારીહાલમાં પોલીસ આ શખસની દેશદ્રોહના ગુના હેઠળ તપાસ કરી રહી છે, પરંતુ હવે આરોગ્ય વિભાગ પણ તેની મેડિકલ છેતરપિંડી મામલે અલગથી તપાસ કરશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ પુરાવાઓના આધારે ગુનો નોંધીને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે. ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો સાથે ઝડપ્યોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 18 માર્ચે 2 કરોડની નકલી ચલણી નોટોના કેસમાં સુરતના આ કથિત યોગગુરુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અગાઉ રાજકોટમાં હેર સલૂન ચલાવતો હતો. ત્યારબાદ સુરતમાં ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ નામે સંસ્થા ખોલી લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે ખતરનાક ખેલ ખેલવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર સુદ બીજની રાત્રે રામદેવપીર ધૂણા ખાતે પાટપૂજન અને ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રામદેવપીર બાબાના પાટની આરતી અને પૂજા કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક પાટ પૂજન કર્યું હતું. ધૂણા મંડળના મહેન્દ્રભાઈ વ્યાસે સત્સંગમાં સંતો અને સજ્જનો સાથે સંગત રાખવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રવિ સાહેબ અને નરભેરામ મહારાજ વચ્ચેના આધ્યાત્મિક મિલન અને સંવાદ પર પ્રકાશ પાડ્યો હતો. રવિ સાહેબ આરખીથી નરભેરામ મહારાજને મળવા આવ્યા હતા,પરંતુ મહારાજ જૂનાગઢ ગયા હોવાથી તેઓ પણ જૂનાગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમનું સંત મિલન થયું હતું. મહેન્દ્રભાઈએ જેસલ તોરલ અને રૂપાદે માલદેના ઉદાહરણો પણ આપ્યા હતા, જેઓ અલગ-અલગ સ્થળોના હોવા છતાં અંતઃપ્રેરણાથી મળ્યા હતા. તેમણે જણાવ્યું કે સંતો માટે સંત મિલનનું ખૂબ જ મહત્વ હોય છે અને તેઓ એકબીજાને મળવા માટે કોઈપણ પરિસ્થિતિમાં આગળ વધતા હોય છે.આ પ્રસંગે ધૂણા મંડળના ભક્તો સ્વ. રઘાભાઈ કમશીભાઈ ચાવડા, સ્વ. ગાંડાભાઈ ગોબરજી ઠાકોર અને સ્વ. ઈશ્વરભાઈ રણછોડભાઈ પટેલ ઝવેરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કલાકારો સુરેશભાઈ વકીલ, નીરૂભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બડાજી દરબાર સહિતનાએ ભજનો રજૂ કર્યા હતા.બીજના આ પ્રસંગે પાટણના કરિયાણાના વેપારી કનુભાઈ પટેલે તમામ સીધુ સામગ્રી દાનમાં આપી હતી. આ કાર્યક્રમમાં કંચનબેન વ્યાસ અને નીતિનભાઈ વ્યાસ સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમી તાલુકાના ગોચનાદ ગામનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો બાળ બેન્જો વાદક ચિરાગ દલપતભાઈ દેવીપૂજક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નાની ઉંમરથી જ તેના પિતા સાથે કાર્યક્રમોમાં હાજર રહેવાથી તેણે સુંદર રીતે બેન્જો વગાડતા શીખી લીધું છે. અત્યાર સુધીમાં ચિરાગે નાના-મોટા 100 જેટલા કાર્યક્રમોમાં પોતાની કલા પ્રદર્શિત કરી છે અને જાણીતા કલાકારોના કાર્યક્રમોમાં પણ બેન્જો વાદન કર્યું છે.
પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની સીઝન અને મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા રેલવે પ્રશાસને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોને દેશના અન્ય રાજ્યો સાથે જોડતી 8 જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક એક વધારાનાં થર્ડ એસી (3-Tier AC) કોચ જોડવાની જાહેરાત કરી છે. રેલવે તંત્રના કહેવા મુજબ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એસી શ્રેણીમાં મુસાફરી કરવા માંગતા લોકોની સતત વધતી માંગને પહોંચી વળવાનો અને મુસાફરોને ટિકિટ કન્ફર્મ મળવાની શક્યતાઓમાં વધારો કરવાનો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, લાંબા અંતરની ટ્રેનોમાં હાલમાં એસી કોચની માંગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારો હવે સ્લીપર ક્લાસને બદલે થર્ડ એસીમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ લાંબુ રહેતું હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી. હવે આ 8 જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક-એક કોચ વધારવાથી દર ફેરામાં અંદાજે 64 થી 72 વધારાની સીટો ઉપલબ્ધ થશે, જે મુસાફરો માટે મોટી રાહત સમાન સાબિત થશે. કઈ ટ્રેનોમાં કેટલા કોચ વધશે અને ક્યારથી અમલી બનશે? * ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ (19575/19576): આ ટ્રેનમાં અત્યાર સુધી 4 થર્ડ એસી કોચ હતા, જે હવે વધારીને 5 કરવામાં આવ્યા છે. આ સુવિધા ઓખાથી 27 મે 2026 અને નાથદ્વારાથી 28 મે 2026 થી કાયમી ધોરણે શરૂ થશે. * ઓખા-બિલાસપુર એક્સપ્રેસ (22939/22940): આ ટ્રેનમાં પણ થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. જેનો લાભ ઓખાથી 23 મે 2026 અને બિલાસપુરથી 25 મે 2026 થી મળશે. * રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (20913/20914): રાજધાની દિલ્હી તરફ જતા મુસાફરો માટે આ ટ્રેન ખૂબ મહત્વની છે. જેમાં હવે 4 ને બદલે 5 એસી કોચ હશે. રાજકોટથી 21 મે 2026 અને દિલ્હીથી 22 મે 2026 થી આ વધારાનો કોચ જોડવામાં આવશે. * રાજકોટ-રીવા એક્સપ્રેસ (22937/22938): મધ્યપ્રદેશ તરફ જતી આ ટ્રેનમાં પણ મુસાફરોની ભીડ રહેતી હોય છે. હવે તેમાં 4 ને બદલે 5 થર્ડ એસી કોચ હશે. આ વ્યવસ્થા રાજકોટથી 24 મે 2026 અને રીવાથી 25 મે 2026 થી અમલી બનશે. * જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ (19578/19577): દક્ષિણ ભારતને જોડતી આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરાઈ છે. જામનગરથી 23 મે 2026 અને તિરુનલવેલીથી 26 મે 2026 થી આ ફેરફાર લાગુ થશે. * હાપા-મડગાંવ એક્સપ્રેસ (22908/22907): કોંકણ રેલવે માર્ગે જતી આ ટ્રેનમાં પણ 4 ના બદલે 5 એસી કોચ જોવા મળશે. હાપાથી 27 મે 2026 અને મડગાંવથી 29 મે 2026 થી આ વધારાનો કોચ કાયમી ધોરણે જોડાશે. * વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ (19319/19320): સોમનાથની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ છે. તેમાં એસી કોચની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે. વેરાવળથી 27 મે 2026 અને ઈન્દોરથી 26 મે 2026 થી આ સુવિધા કાર્યરત થશે. * વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (19218/19217): મુંબઈ તરફ જતા મુસાફરો માટેની આ લોકપ્રિય ટ્રેનમાં હવે 6 ને બદલે 7 થર્ડ એસી કોચ હશે. વેરાવળથી 23 મે 2026 અને બાંદ્રાથી 22 મે 2026 થી આ વધારો અમલી બનશે. રેલવેના આ નિર્ણયથી માત્ર મુસાફરોને જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના પર્યટન અને વેપાર ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે. ઓખા, વેરાવળ, જામનગર અને રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનોમાં ક્ષમતા વધવાથી અન્ય રાજ્યોથી આવતા હજારો પ્રવાસીઓને સરળતા રહેશે. ખાસ કરીને દ્વારકા અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે હવેથી કન્ફર્મ ટિકિટ મેળવવી હવે થોડી વધુ સરળ બનશે. આ વધારાના કોચ જોડવાથી રેલવેની આવકમાં પણ વધારો થશે અને સાથે સાથે મુસાફરોને ગુણવત્તાયુક્ત સેવા પણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની નવી સંરચના વિશેની સચોટ માહિતી મેળવવા માટે રેલવેની એકમાટે સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા 'NTES' એપનો ઉપયોગ કરે. આગામી મે મહિનાથી આ તમામ ફેરફારો અમલી બનવાના હોવાથી મુસાફરો અત્યારથી જ તે મુજબ પોતાનું એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.
“નાનું પગલું, મોટી સેવા”:વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના વાસણોનું વિતરણ
અમદાવાદમાં વિશ્વ ચકલી દિવસના અવસરે “ઉત્તિષ્ઠ યુવા ફાઉન્ડેશન” દ્વારા પક્ષીઓ માટે એક પ્રેરણાદાયક સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરમીના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને સંસ્થાના યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના વાસણો (બાઉલ)નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તરસથી પીડાતા પક્ષીઓને રાહત આપવાનો તેમજ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો. સ્વયંસેવકોએ લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમને પોતાના ઘરની ગેલેરી, છત અથવા આંગણામાં પક્ષીઓ માટે પાણી રાખવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે, “આ એક નાનું પગલું છે, પરંતુ પક્ષીઓ માટે જીવનદાયક બની શકે છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘરે એક વાસણ પાણી મૂકે તો અનેક નિર્દોષ જીવ બચી શકે છે.” લોકોએ પણ આ પહેલને સરાહનીય ગણાવી અને ઉત્સાહભેર સહભાગ લીધો હતો. અનેક લોકોએ તરત જ પાણીના બાઉલ રાખીને આ અભિયાનને સમર્થન આપ્યું. આજના સમયમાં ઝડપી શહેરીકરણ, વૃક્ષોની ઘટતી સંખ્યા અને વધતા પ્રદૂષણના કારણે ચકલીઓ જેવી નાની પક્ષીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા માટે ખૂબ જ જરૂરી બની છે. અંતમાં સંસ્થાએ તમામ નાગરિકોને અપીલ કરી કે તેઓ પણ આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરની આસપાસ પક્ષીઓ માટે પાણી અને દાણા રાખે અને પ્રકૃતિ પ્રત્યે પોતાની ફરજ નિભાવે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટના નામે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા તાત્કાલિક અસરથી પાંચ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે. જેમાં ચાર આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક કાયમી સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. રોગી કલ્યાણ સમિતિના ફંડમાં ઉચાપતનું કૌભાંડઅમદાવાદ સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર મુજબ, લિકર પરમિટ મેળવવા માટે અરજદારે નિયત ફી રોગી કલ્યાણ સમિતિ (RKS) ના ફંડમાં જમા કરાવવાની હોય છે. નવી પરમિટ માટે 25,000 અને જૂની પરમિટના નવીનીકરણ માટે 20,000ની ફી નક્કી કરવામાં આવી છે. આ રકમ સીધી સમિતિના ખાતામાં જમા થાય તે હેતુથી ક્યુઆર (QR) કોડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જોકે, કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ આ સરકારી નાણાં પોતાના અંગત ખિસ્સામાં પધરાવી દઈ સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લિકર પરમિટ ઓફિસમાં QR કોડ હોવા છતાં રોકડ વ્યવહાર કરાયોહોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા પરમિટ ધારકોની સુવિધા માટે અને પારદર્શિતા જાળવવા માટે ખાસ ક્યુઆર કોડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. સૂચના મુજબ કોઈપણ સંજોગોમાં રોકડ રકમ સ્વીકારવાની મનાઈ હતી. આમ છતાં, લિકર પરમિટ ઓફિસમાં રોકડ વ્યવહારો થતા હોવાની ફરિયાદ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને મળી હતી. સમિતિના સત્તાવાર ખાતામાં રુપિયા જમા થતા નહોતાતપાસ દરમિયાન જાણવા મળ્યું કે કર્મચારીઓ અરજદારો પાસેથી રોકડા રૂપિયા લેતા હતા અને રેકોર્ડ પર વ્યવહારને ઓનલાઇન ટ્રાન્સફર તરીકે દર્શાવતા હતા, જે ખરેખર રોગી કલ્યાણ સમિતિના સત્તાવાર ખાતામાં જમા થતા નહોતા. અરજદારોએ રોકડા નાણાં ચૂકવ્યા છતાં રસીદમાં ઓનલાઇન પેમેન્ટ બતાવાયુંઆ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે કેટલાક ફરિયાદકર્તાઓએ પુરાવા રજૂ કર્યા. આ પુરાવાઓમાં રોગી કલ્યાણ સમિતિની રસીદો તો હતી, જેમાં રસીદ નંબર, તારીખ અને સમય સાચા હતા, પરંતુ ટ્રાન્ઝેક્શન મોડ ખોટો દર્શાવ્યો હતો. અરજદારોએ રોકડા નાણાં ચૂકવ્યા હોવા છતાં રસીદમાં ઓનલાઇન પેમેન્ટ બતાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આવા 6 થી વધુ કિસ્સાઓ મળી આવ્યા હતા. જ્યારે સિવિલ ઓફિસ દ્વારા પરમિટ ધારકોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ પુષ્ટિ કરી કે તેઓએ ઓફિસમાં રોકડ રકમ જ ચૂકવી છે. કર્મચારીઓની પૂછપરછ અને વહીવટી મડાગાંઠશંકાસ્પદ ગેરરીતિ જણાતા લિકર પરમિટ ઓફિસમાં કાર્યરત સ્ટાફને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ સ્ટાફમાં એક કાયમી ક્લાર્ક અને ત્રણ આઉટસોર્સિંગ ડેટા એન્ટ્રી ઓપરેટરોનો સમાવેશ થતો હતો. અડધા કલાકથી વધુ ચાલેલી સઘન પૂછપરછ છતાં, આ કર્મચારીઓએ મચક આપી નહોતી અને તેઓએ કોઈપણ પ્રકારના રોકડ વ્યવહાર કર્યા હોવાનો સાફ ઇનકાર કર્યો હતો. કર્મચારીઓના અસહકારભર્યા વલણને કારણે વહીવટી તંત્રએ આ મામલે કાયદાકીય માર્ગ અપનાવવાનો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો મક્કમ નિર્ણય લીધો હતો. બેઠક યોજાઈ અને પોલીસ ફરિયાદનો નિર્ણય કરાયોપરિસ્થિતિની ગંભીરતાને જોતા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એડિશનલ MS, સિનિયર પ્રોફેસરો, RMO અને એકાઉન્ટ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. લાંબી ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાયો કે વહીવટી તંત્રએ વધુ વિલંબ કર્યા વિના પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ત્યારબાદ તુરંત જ સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ ડો. જયંત સોલંકીને પોલીસ ફરિયાદ અને સંબંધિત કાયદાકીય મુદ્દાઓ માટે ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરાઈમાત્ર પોલીસ કાર્યવાહી જ નહીં, પણ સંસ્થાકીય સ્તરે પણ ઊંડી તપાસ કરવા માટે પાંચ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીએ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોતાની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. તપાસ સમિતિએ બાબતની પણ ચકાસણી કરશે કે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈ મોટા અધિકારીઓની સંડોવણી છે કે કેમ. અત્યાર સુધીના ડેટાના આધારે પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. પ્રફુલ પાનસુરીયાએ પાંચ આરોપીની હકાંલપટ્ટી કરીઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે આવતા પૈસા રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાના હોય છે. નવી પરમિટ માટે 25,000 અને જૂની રીન્યુ કરવા માટે 20,000ની ફી QR કોડ દ્વારા જમા કરાવવાની જોગવાઈ છે. કેટલાક કર્મચારીઓ આ પૈસા રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકતા હતા. ફરિયાદકર્તાઓએ પૈસા આપ્યા હોવા છતાં તેમના નામ જમા થયેલા પૈસાની યાદીમાં નહોતા. 4 આઉટસોર્સિંગ કર્મચારી બરતરફ અને સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરાયાઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યુ હતું કે, આ કૌભાંડમાં સામેલ 4 આઉટસોર્સિંગ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. એક સરકારી ક્લાર્કને પણ સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ ટીમ આ અંગે ઝીણવટભરી તપાસ કરશે અને જેટલા પણ પૈસાની ગેરરીતિ થઈ છે તે વસૂલ કરવામાં આવશે.
જૂનાગઢ શહેરના સર્કિટ હાઉસ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં આવતા વિવિધ પર્વો અને પક્ષના સ્થાપના દિવસની ઉજવણીના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને કાર્યકર્તાઓમાં નવા જોશનો સંચાર કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફક્ત એટલું જ નહીં હાલ જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પર જે વ્યાજખોરના આક્ષેપો થઈ રહ્યા છે તે મામલે ઉદય કાનગડને પ્રશ્ન પૂછતા તેમણે મીડિયાથી દૂર ભાગતા ચાલતી પકડી હતી. બેઠક અંગે માહિતી આપતા ભાજપના અગ્રણી ઉદય કાનગડે જણાવ્યું હતું કે આજની આ બેઠક મુખ્યત્વે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એવા તમામ કાર્યકર્તાઓ માટે હતી જેમને પક્ષ દ્વારા વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ એક પ્રકારની પરિચય બેઠક હતી, જેમાં સંગઠનના માળખાને વધુ ગતિશીલ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ દિવસને પક્ષના દરેક સ્તરના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોમાં પક્ષની વિચારધારાનો વ્યાપ વધે તે માટેની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવી હતી. ભાજપ દ્વારા માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક કાર્યક્રમોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. બેઠકમાં જણાવ્યા અનુસાર, આગામી 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'મન કી બાત' ને જૂનાગઢના દરેક વોર્ડમાં લોકોની મહત્તમ હાજરી સાથે સાંભળવામાં આવે અને તેનું આયોજન ભવ્ય રીતે થાય તે માટે કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જૂનાગઢમાં આગામી સમયમાં કોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નથી, કારણ કે ગયા વર્ષે જ કોર્પોરેશનની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. જોકે પક્ષના સંગઠનાત્મક માળખાને સતત સક્રિય રાખવા માટે અન્ય જિલ્લા કે વિસ્તારોમાં જ્યાં ચૂંટણીઓ હોય, ત્યાં જૂનાગઢના અનુભવી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે. ઉદય કાનગડે સ્પષ્ટ કર્યું હતું કે, પક્ષ દ્વારા જ્યારે પણ અને જ્યાં પણ જરૂર જણાશે, ત્યાં જૂનાગઢના કાર્યકર્તાઓ ખભેખભા મિલાવીને કામ કરવા માટે તૈયાર છે. આ બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. સરકારી યોજનાઓનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને સંગઠનની શક્તિને બુથ લેવલ સુધી મજબૂત કરવા માટે આ બેઠક ખૂબ જ ફળદાયી રહી હોવાનું માનવામાં આવે છે. બેઠકના અંતે તમામ હોદ્દેદારોએ એકતા અને શિસ્ત સાથે પક્ષના કાર્યોને આગળ વધારવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ધારાસભ્ય સંજય કોરડિયા, ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, અને જુનાગઢ શહેરના તમામ મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી તાલુકાના સોનારીયા અને કથીવદર ગામ વચ્ચે આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે સુવિધાપથ-સીસી રોડનું નિર્માણ થશે. રાજ્યના ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોનારીયા અને કથીવદર ગામને જોડતો 300 મીટર લાંબો આ સુવિધાપથ-સીસી રોડ માર્ગ અને મકાન પંચાયત હેઠળ બનાવવામાં આવશે. આ મજબૂત રોડના નિર્માણથી ગ્રામ્ય કક્ષાએ નાગરિકોની અવરજવરની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત, સોનારીયા ખાતે આશરે 5 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કોમ્યુનિટી હોલના નિર્માણથી ગ્રામજનોને સામાજિક અને અન્ય કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામોમાં જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં અમરેલી તાલુકાના ૭૧ ગામોમાં પણ જળ સંરક્ષણ માટે તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર શહેર અને ગામડાં બંનેમાં સમાન વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે. આ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયતના આગેવાનો, સરપંચ દિલુભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસકાર્યોને વધાવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. AAPના તાલુકા OBC સેલના પ્રમુખ રોહિત વડુકર પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ ઘટનાથી જિલ્લાના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. કોંગ્રેસમાં જોડાયેલા આ કાર્યકરોનું સ્વાગત સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પક્ષપલટો કરનાર કાર્યકરોમાં AAP ની નીતિઓ અને સ્થાનિક સ્તરે સંકલનના અભાવ અંગે નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષનું પરિણામ આ મોટા જોડાણ તરીકે સામે આવ્યું છે. આ ઘટનાને કારણે વેરાવળ તાલુકામાં આમ આદમી પાર્ટીની સંગઠન શક્તિ પર સીધી અસર પડશે. જ્યારે કોંગ્રેસ માટે આ એક મજબૂતીનો સંકેત માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક રાજકીય નિરીક્ષકોના મતે, આ જોડાણ ભવિષ્યના ચૂંટણી સમીકરણોને પણ પ્રભાવિત કરી શકે છે. ગીર સોમનાથમાં થયેલા આ રાજકીય ફેરફારે અન્ય પક્ષોમાં પણ ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. આગામી દિવસોમાં વધુ કાર્યકરો પક્ષપલટો કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ ઘટનાએ હાલ પૂરતું જિલ્લામાં રાજકીય તાપમાન ઊંચું કરી દીધું છે.
આઈ.ટી.આઈ. સરખેજ ખાતે રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ (RAC) લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આવતી આ સંસ્થામાં 18 માર્ચ, 2026ના રોજ આ લેબને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અદ્યતન લેબ Daikin India કંપની દ્વારા તેમના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) કાર્યક્રમ હેઠળ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રસંગે માનનીય નિયામક નીતિન સાગવાન, Daikin India કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કંવલજીત જાવા, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ધ્રુતિ જોશી અને Daikin કંપનીના અન્ય ડિરેક્ટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપ્તિએ, આઈ.ટી.આઈ. સરખેજના પ્રિન્સિપાલ (વર્ગ-1) સી.બી. ઝાલાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે કુમારિકાઓને શૃંગાર ભેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. નવરાત્રી એ માતા શક્તિની આરાધનાનો તહેવાર છે, જેમાં કુમારી બાળિકાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળિકાઓનું સન્માન કરવાનો હતો. ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળિકાઓને ચૂડીઓ, બિંદી, ચુન્ની અને મેહંદી જેવી શૃંગારની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. હેલ્પ્સ ફાઉન્ડેશન સમાજસેવાના કાર્યોમાં સક્રિય રહ્યું છે અને જરૂરિયાતમંદોને મદદ કરતું આવ્યું છે. આ પ્રવૃત્તિ દ્વારા સમાજમાં નારી શક્તિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાની બાળિકાઓને સન્માનિત કરવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને સમાજમાં તેમના સ્થાનને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. તે સમાજમાં એકતા, પ્રેમ અને સહકારના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. આ રીતે, ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગે કુમારિકાઓને શૃંગાર ભેટ આપવી એ સકારાત્મક સામાજિક પહેલ છે.
ઊંઝાની વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં બુધવાર, 18મી માર્ચના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. વિદાય સમારોહ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ડાન્સ રજૂ કર્યો હતો અને પોતાના શાળાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓએ પણ આ પ્રસંગે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા અને વિદાય ગીત ગાયું હતું. શાળાના આચાર્ય કેતનભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાને યાદગીરી રૂપે ભેટ અર્પણ કરી હતી અને શિક્ષકોને પણ ભેટ આપી સન્માનિત કર્યા હતા. વિદાય કાર્યક્રમની સાથે જ ગત વર્ષે નર્સરીથી ધોરણ 8 સુધીમાં પ્રથમ ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી વર્ગશિક્ષકોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય કેતનભાઈ પટેલે સ્ટાફ મિત્રોના સહયોગથી કર્યું હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા તેના 219મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ હેઠળ 800થી વધુ શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રામદેવનગર ખાતે જોગણી માતાના મંદિર પાસે, તુલસી મુખીના વાસમાં યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, મહેન્દ્ર પટેલ, શરદ જાદવ, રામભાઈ, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.આ કાર્યક્રમના સહયોગી તરીકે શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો.
તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના બાજીપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. હળપતિ વાસમાં ચાલતા જુગારધામ પર કાર્યવાહી કરીને 5 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. LCB ના PSI કે.આર. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને હરપાલસિંહને બાતમી મળી હતી કે, બાજીપુરા ગામના હળપતિ વાસમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો 'ચકલી-પોપટ' નામનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં હિરેન કાંતીલાલ ચૌધરી (રહે. વાલોડ, મૂળ વ્યારા), ભરત કિરીટભાઇ ચૌધરી (રહે. બાજીપુરા, વાલોડ), અનિલ રમણભાઇ ચૌધરી (રહે. બુહારી, વાલોડ), દિલીપ મોકેનભાઇ ગામીત (રહે. બાજીપુરા, મૂળ મહારાષ્ટ્ર) અને જયેશ મહેશભાઇ કોંકણી (રહે. દેગામા, વાલોડ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગારના દાવ પરના રૂ. 740 અને અંગઝડતીના રૂ. 9,430 મળી કુલ રૂ. 10,170 રોકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 20,000ની કિંમતના 4 મોબાઈલ ફોન, પ્લાસ્ટિકનો ચાર્ટ, શેતરંજી અને જુગારના અન્ય સાહિત્ય સહિત કુલ રૂ. 30,170નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે વાલોડ પોલીસને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદના સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતોએ માંડવી દરિયાકિનારે હરિકૃષ્ણ મહારાજ પર પુષ્પોથી અભિષેક કર્યો હતો. સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરે સ્વામિનારાયણ મંત્રની ધૂન અને કીર્તન કર્યા હતા. ત્યારબાદ યોજાયેલી સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ ભક્તિ અને સત્સંગથી મળતા સુખ અંગે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ માંડવીના ઇતિહાસ અને મહિમા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઇ.સ. 1581માં રાવ ખેંગારજીએ માંડવીની સ્થાપના કરી હતી. આજથી 400 વર્ષ પહેલાં માંડવી વિશ્વમાં જહાજ બનાવવા માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું. માંડવી કિનારે આવેલો વિજય પેલેસ, જે ઈ.સ. 1929માં મહારાજ વિજયરાજજીએ બંધાવ્યો હતો, તે ખૂબ જ જાણીતો છે. અહીંની સફેદ રેતી અને સુંદર દરિયાકિનારો પણ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. આ ઉપરાંત, માંડવીમાં મોટી સંખ્યામાં પવનચક્કીઓ આવેલી હોવાથી તે એશિયાના વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ તરીકે પણ પ્રસિદ્ધ છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે,સ્વામિનારાયણ ભગવાન અનેક વખત માંડવી પધાર્યા હતા અને આ દરિયામાં સ્નાન કર્યું હતું. તેમણે માંડવીમાં ખૈયા ખત્રી સાથે શાસ્ત્રાર્થ કરીને તેમને સત્સંગી બનાવ્યા હતા, જેના પરિણામે માંડવીમાં અનેક લોકો સત્સંગી બન્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત મુક્તજીવન સ્વામીબાપાએ પણ માંડવીના જળમાં ઘણી વખત સ્નાન કર્યું હતું. કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ આ દરિયાના જળથી શ્રી હરિકૃષ્ણ મહારાજ પર અનેક વખત અભિષેક કર્યો છે અને પોતે પણ સ્નાન કર્યું છે. આથી માંડવીનો દરિયાકિનારો પ્રસાદીમય બન્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આવા પ્રસાદીમય જળમાં જે કોઈ સ્નાન કરે અથવા મહિમા સહિત તે જળને મસ્તકે ચડાવે, તેના જીવનું કલ્યાણ થાય છે. આ જ કારણોસર આજે અહીં ભગવાન પર અભિષેક અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડના સેગવી પાસે દારૂ ભરેલી કાર પલટી:બુટલેગર કાર મૂકી ફરાર, ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડના સેગવી ગામ પાસે મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બુટલેગર કાર અને દારૂનો જથ્થો છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. આ ઘટના ગત રાત્રે આશરે 12:10 વાગ્યાના અરસામાં સેગવી ગામના લીમડા ચોક પાસે બની હતી. સફેદ રંગની સ્વીફ્ટ કાર (નંબર: GJ-15-CG-2619) પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં વલસાડ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 1280 બોટલ (કિંમત ₹2,60,600), સ્વીફ્ટ કાર (કિંમત ₹2,00,000) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) સહિત કુલ ₹4,65,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એ.પી.કો. ધીરેનકુમાર બીપીનચંદ્રએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 તથા ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. PI એસ. એન. ગડડુ વધુ તપાસ ચલાવી રહ્યા છે અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે વોન્ટેડ આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સંતરામપુર નગરમાં ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સવારથી જ વૃદ્ધો, યુવાનો અને બાળકોએ નવા વસ્ત્રો ધારણ કર્યા હતા. ઘરોમાં વિવિધ પ્રકારની મીઠી વાનગીઓ, ખાસ કરીને દૂધ સેવૈયા, બનાવવામાં આવી હતી. જુમ્મા મસ્જિદના પેશ ઈમામ હઝરત મૌલાના ગુલામ યાસીન સાબે ઈદની નમાઝ અદા કરાવી હતી. નમાઝ બાદ દેશમાં શાંતિ અને અમન જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. ઈદની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંતરામપુર પોલીસ વિભાગ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલી મસ્જિદો પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પી.આઈ.અને પોલીસ સ્ટાફે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચના નવાબ પરિવારમાં દસ્તારબંધી સમારોહ યોજાયો:આદિલ અલી વજાહત ખાન નવમા નવાબ તરીકે જાહેર
ભરૂચના નવાબ પરિવારમાં પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરા મુજબ 'દસ્તારબંધી' વિધિ યોજાઈ હતી. આ સમારોહમાં આદિલ અલી વજાહત ખાનને ભરૂચના નવમા નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સમારોહ ભરૂચની હઝરત એદ્રુશ બાવાની દરગાહ ખાતે યોજાયો હતો. આદિલ અલી વજાહત ખાન આઠમા નવાબ વજાહત અલી ખાનના પુત્ર છે. તેમના દાદા સાતમા નવાબ સુજાઅત અલી ખાન હતા. નવાબ પરિવારનો વંશ મરહુમ નવાબ મિર્ઝા શુજાઅત અલી ખાન નિઝામી સુધી પહોંચે છે, જેમને પરિવારની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાખાના વડા માનવામાં આવે છે. દસ્તારબંધી સમારોહ દરમિયાન મસ્જિદના પેશ ઈમામ અને દરગાહના ખાદીમની હાજરીમાં વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. દરગાહના સજ્જાદા નશીન હઝરત સૈયદ શહાબુદ્દીન એડ્રુસી (સહાબ બાવા) દ્વારા દુઆઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ અવસરે નવાબ સાહેબના નાના ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન સહિત પરિવારજનો, સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમારોહની વ્યવસ્થા ઝૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝહરુદ્દીન વફીઉદ્દીન સૈયદ દ્વારા સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી.
વડોદરાની સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હેત્વી કાંતિભાઈ ખીમસુરિયાએ નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપ પટના, બિહાર ખાતે યોજાઈ હતી. નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી 2026માં યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારતના 19 રાજ્યોમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જુનિયર કેટેગરીના સ્ત્રી વિભાગમાં હેત્વીએ ભાલાફેંક અને શોટપૂટ બંને રમતોમાં પ્રથમ સ્થાન મેળવી બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ પહેલા, કુમારી હેત્વી ખીમસુરિયાને 2024માં કલા અને સંસ્કૃતિ વિભાગમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલપુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. હેત્વી જન્મથી 75% સેરેબ્રલ પાલ્સી જેવા રોગથી પીડાય છે. તેમ છતાં, તે રમતગમત ક્ષેત્રે પણ ઉત્તમ પ્રદર્શન કરી રહી છે.તેની આ સિદ્ધિઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
વડોદરાના સમા-હરણી લિંક રોડ પર સ્થિત અંબે વિદ્યાલય ખાતે 20 માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે પર્યાવરણ જાળવણી અને જીવદયાના ઉમદા હેતુ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આધુનિક સમયમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના હેતુથી શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ સાથે મળીને કુલ ૫૬ જેટલા આકર્ષક અને સુરક્ષિત 'ચકલી ઘર' (Nest Boxes) તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ પૂંઠા, લાકડા અને કુદરતી વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને આ માળા બનાવ્યા હતા. ત્યારબાદ, આ તમામ 56 ચકલી ઘરોને શાળાના પ્રાંગણમાં આવેલા વૃક્ષો અને સુરક્ષિત સ્થાનો પર પક્ષીઓના વસવાટ માટે મુકવામાં આવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડાની પણ સુંદર વ્યવસ્થા કરી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ અનુભવ દ્વારા પર્યાવરણીય સંતુલન, જીવદયા, સર્જનાત્મકતા અને પક્ષીઓના રહેઠાણ તથા તેમની જીવનશૈલી વિશે પ્રત્યક્ષ માહિતી મળી હતી. શાળાએ સંદેશ આપ્યો કે મોબાઈલ ટાવરનું રેડિયેશન અને કોંક્રિટના જંગલોને કારણે આજે ચકલીઓનો 'ચીં... ચીં...' અવાજ ઓછો થઈ રહ્યો છે. અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓનો આ નાનકડો પ્રયાસ સમાજમાં એક મોટો સંદેશ આપશે કે જો આપણે ધારીએ તો ફરીથી આપણા આંગણાને ચકલીઓના કલરવથી ગુંજતું કરી શકીએ છીએ.આ પ્રયાસ દ્વારા 'ચાલો સૌ સાથે મળીને ચકલી બચાવીએ, કુદરતનું જતન કરીએ' તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
એનિમલ લાઈફ કેર સંસ્થાના વિજય ડાભી અને અન્ય સભ્યો દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત માળાઓનું વિતરણ કરવામાં આવ્યું. 20 માર્ચ, 2026ના રોજ પરિમલ ગાર્ડન, ગુજરાત વિદ્યાપીઠ અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારોની પોળોમાં ચકલીઓનો અવાજ ઓછો સંભળાય છે. આનું મુખ્ય કારણ તેમના રહેઠાણો છીનવાઈ જવા અને આધુનિક ઘરોમાં બખોલ જેવી જગ્યાઓનો અભાવ છે. પહેલાના સમયમાં ઘરોમાં ચકલીઓ માટે ખાસ જગ્યાઓ રાખવામાં આવતી હતી. વિજય ડાભીના જણાવ્યા અનુસાર, પ્રદૂષણ, જંગલોનો નાશ, કંપનીઓના મોટા ટાવર્સમાંથી નીકળતું રેડિયેશન અને ઘોંઘાટ જેવા પરિબળોને કારણે ચકલીઓ શહેરી વિસ્તારોમાંથી લુપ્ત થવાના આરે છે. વિશ્વભરમાં પણ તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે, એનિમલ લાઇફ કેરના સભ્યોએ લોકોને પોતાની આસપાસ ચકલીના માળા બાંધવા અને પાણીના કુંડા મૂકવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જો દરેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાશે નહીં, તો ભવિષ્યમાં ચકલીઓ માત્ર યાદગાર તસવીરોમાં જ જોવા મળશે.એનિમલ લાઇફ કેર સંસ્થા ભવિષ્યમાં પણ ચકલીઓને બચાવવા માટે આવા અથાગ પ્રયત્નો ચાલુ રાખશે અને વિનામૂલ્યે માળાનું વિતરણ કરશે.
આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં માનસિક તણાવ અથવા અગમ્ય કારણોસર યુવાનો મોતને વહાલું કરી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે, જ્યાં 18 વર્ષના એક યુવકે ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારને સવારે બારીમાંથી જોયું તો યુવક લટકતો હતોપાંડેસરા વિસ્તારમાં આવેલા બાપુનગર ફેઝ-2માં રહેતા શિવમ રાજેશ કુશવાહ (ઉં.વ.18)એ શુક્રવારે મોડીરાત્રે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. ઘટના સમયે પરિવારના ઊંઘી રહ્યો હતો, સવારમાં દરવાજો ખટખટાવતા શિવમે દરવાજો ન ખોલતા બારીમાંથી જોયું તો તેણે ફાંસી લગાવી લીધી હતી. ઘરના પરિવારની નજર તેના પર પડી ત્યારે તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ તેનું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું, તેથી તેને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. શિવમ પાંડેસરાની એક ડાઈંગ મિલમાં મજૂરી કરતો હતોમૃતક શિવમ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને રોજીરોટી કમાવવા માટે પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો. તે પાંડેસરાની એક ડાઈંગ મિલમાં મજૂરી કામ કરતો હતો. માત્ર 18 વર્ષની નાની ઉંમરે તે મિલમાં સખત પરિશ્રમ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રમતિયાળ સ્વભાવના અને મહેનતુ પુત્રના અકાળે અવસાનથી માતા-પિતા અને ભાઈ-ભાંડુઓ ઘેરા શોકમાં ડૂબી ગયા છે. પડોશીઓના જણાવ્યા મુજબ, શિવમ સ્વભાવે શાંત હતો અને તેની આત્મહત્યાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમે એકવાર તેના ઘરે જોવા ગયા તો તે સૂતો હતોઃ પાડોશીપાડોશી કુશવાહા ગોલુ રાકેશે જણાવ્યું હતું કે, આ ઘટના પાંડેસરા GIDC બાપુનગરમાં બની હતી. રાત્રે તે પહેલા અમારા ઘરે આવ્યો હતો, હસીને વાત કરી, જે પણ થોડું-ઘણું જમવાનું હતું તે જમ્યો અને પછી પોતાના ઘરે જતો રહ્યો. ત્યારબાદ તે સૂઈ ગયો હતો. અમે એકવાર તેના ઘરે જોવા ગયા તો તે સૂતો હતો. પછી તેના મોટા ભાઈએ મોબાઈલ એક્સચેન્જ કર્યો. ત્યારબાદ અમે પણ ઘરે જઈને સૂઈ ગયા હતાં. સવારે 9 વાગ્યે અમે દરવાજો ઘણો ખખડાવ્યો પણ તેણે ખોલ્યો નહીં. પછી બારીમાંથી જોયું તો તેણે ફાંસી લગાવી લીધી હતી. અમને બીજું કંઈ લાગતું નથી, તેણે અમને કંઈ જણાવ્યું પણ નહોતું અને બીજી કોઈ સમસ્યા વિશે પણ વાત કરી નહોતી.
અમદાવાદના ખોડીયાર ગામે 14 અને 15 માર્ચના રોજ જય રોકડીયા હનુમાનદાદાનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના સમાપન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંતો-મહંતો, ખોડીયાર ગામના સરપંચ બાબુજી ગાંડાજી ઠાકોર, માજી સરપંચ પરશોત્તમભાઈ નારણભાઈ પટેલ અને બાદરજી નાથાજી ઠાકોર સહિત ગામના અગ્રણીઓ, નગરજનો અને આમંત્રિતો પણ જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવા અને તેને આગળ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજમાં વ્યસનમુક્તિ માટે પણ અપીલ કરી હતી.મહોત્સવ દરમિયાન યજ્ઞ, શોભાયાત્રા, સુંદરકાંડ પાઠ અને લોકડાયરા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ, પૂર્વ સરપંચો અને અન્ય અગ્રણીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય વિદ્યાલય પાટણમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ:ધોરણ 1 અને 3થી 5માં નવા વર્ગો માટે અરજી કરો
કેન્દ્રીય વિદ્યાલય પાટણ દ્વારા શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે શાળામાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરાયો છે. રાકેશકુમાર પરમાર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શાળાના અત્યાધુનિક મકાન અને પાયાની સવલતો સાથે બાળકોને અભ્યાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. આ શૈક્ષણિક વર્ષથી પ્રથમ ધોરણમાં કુલ 80 બેઠકો સાથે બે વર્ગો કાર્યરત કરવામાં આવશે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિયમો અને માર્ગદર્શિકા મુજબ, પ્રથમ ધોરણની આ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઇન્ટરનેટના માધ્યમથી હાથ ધરવામાં આવશે. રસ ધરાવતા વાલીઓ 20 માર્ચ 2026 થી 2 એપ્રિલ 2026 સુધી પોર્ટલ દ્વારા આવેદન કરી શકશે. સાથે જ, પ્રાથમિક શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવા માટે ધોરણ 3થી ધોરણ 5માં પણ એક-એક વધારાનો નવો વર્ગ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ ત્રણેય ધોરણોમાં 40-40 બાળકોની ક્ષમતા ધરાવતા કુલ ત્રણ નવા વર્ગો શરૂ થવાથી પાટણના વધુ વિદ્યાર્થીઓને પ્રવેશનો લાભ મળશે. ધોરણ 3થી 5 માટેની આ પ્રક્રિયા શાળાની કચેરીએ રૂબરૂ સંપર્ક કરીને કરવાની રહેશે, જેના ફોર્મ વાલીઓએ કચેરી પરથી સવારે 9 થી 11 વાગ્યાના નિર્ધારિત સમય દરમિયાન મેળવવાના રહેશે.આ ઉપરાંત, અન્ય ઉપલા ધોરણોમાં ખાલી રહેલી બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા પણ પ્રત્યક્ષ રીતે જ કરવામાં આવશે, જે આગામી 2 એપ્રિલથી 8 એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. વધુ માહિતી માટે વિદ્યાલયની વેબસાઈટ https://patan.kvs.ac.in/en/admission-details/ ની મુલાકાત લઈ શકાય છે. ઓફલાઈન ફોર્મ માટે https://cdnbbsr.s3waas.gov.in/s3kv05e67d84b0573978173592737eb863/uploads/2026/03/2026031914.pdf લિંક ઉપલબ્ધ છે.
આર.સી. કોલેજમાં ફૂડપ્રેન્યોર ફેસ્ટ યોજાયો:વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિકતાનું પ્રદર્શન કર્યું
આર.સી. કોલેજ ઑફ કોમર્સ ખાતે ફુડપ્રેન્યોર ફેસ્ટ 2026નું આયોજન કરાયું. આ ફેસ્ટમાં વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ લગાવીને પોતાની ઉદ્યોગસાહસિકતાનું પ્રદર્શન કર્યું.કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સાગર દવેએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે ફુડપ્રેન્યોર ફેસ્ટ જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાનો ભાવ વિકસાવે છે. કોલેજ આવા સર્જનાત્મક પ્રયત્નોને હંમેશા પ્રોત્સાહન આપતી રહેશે. આ ફેસ્ટનું આયોજન ઇનોવેશન ક્લબ અંતર્ગત ચાલતા ફ્યુચર ફાઉન્ડર્સ ફોરમ દ્વારા કરાયું હતું. પ્રવૃત્તિના કોઓર્ડિનેટર ડૉ. ચિંતન પંડ્યાએ જણાવ્યું કે આ ફેસ્ટ વિદ્યાર્થીઓને ‘કિચન આઈડિયા થી માર્કેટ રિયાલિટી' સુધીનો વ્યવહારિક અનુભવ પૂરો પાડે છે. આનાથી તેમને બ્રાન્ડિંગ, પ્રાઈસિંગ અને ગ્રાહક વ્યવહારનો વાસ્તવિક અનુભવ મળે છે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિવિધ ફૂડ સ્ટોલ્સ, નવીન આઈડિયાઝ અને ગ્રાહકો સાથેનો જીવંત સંપર્ક આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હતી.
જૂનાગઢના સરદારબાગ પાસે આવેલી હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026 નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ આ પ્રદર્શન સહ વેચાણ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોમાં પરંપરાગત જાડા ધાન્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે આયોજિત આ મેળામાં કુલ 49 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. આ સ્ટોલ્સના માધ્યમથી બાજરી, જુવાર, રાગી, કોદરી અને સાંબા જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સ અને વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ આઈટમ્સ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળની બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ, આઈ.સી.ડી.એસ. અને આયુર્વેદ વિભાગના સ્ટોલ્સ દ્વારા મુલાકાતીઓને મિલેટ્સના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ શ્રી અન્ન એટલે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર, આદિવાસી સમાજનો સત્કાર અને કેમિકલ મુક્ત ખેતીનો આધાર છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જાપાન જેવા દેશોમાં લોકોના લાંબા આયુષ્યનું કારણ તેમનો શુદ્ધ ખોરાક છે, તેવી જ રીતે આપણે પણ હવે ખોરાકને દવા તરીકે સ્વીકારવો પડશે. વડાપ્રધાનના પ્રયાસોથી વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે માત્ર ભારત જ નહીં પણ આખું વિશ્વ મિલેટ્સની ઉપયોગિતા સ્વીકારી રહ્યું છે. મિલેટ્સના ફાયદાઓ વિશે જણાવતા પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, મિલેટ્સ ગ્લુટેન મુક્ત છે, જે પાચનતંત્ર માટે અત્યંત ફાયદાકારક છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. રાગી અને બાજરી જેવા ધાન્યમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. ખેતીની દ્રષ્ટિએ જોતા, મિલેટ્સ ઓછા પાણીમાં અને સૂકા વિસ્તારમાં પણ સરળતાથી 100 દિવસમાં તૈયાર થઈ જાય છે, જે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ભારત વિશ્વમાં મિલેટ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને તેના પ્રોત્સાહનથી નાના ખેડૂતોની આવકમાં ચોક્કસ વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલી છે. તાજેતરમાં મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોને ટ્રેક્ટર સહાય અને અન્ય ખેતીવાડી યોજનાઓમાં સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા 500 ગામોને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પ્રભારી મંત્રીએ લોકોને આહવાન કર્યું હતું કે આવનારી પેઢીને તંદુરસ્ત રાખવા દૈનિક આહારમાં મિલેટ્સને ફરી સ્થાન આપવું જોઈએ. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન ખોરાકના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ વધી છે. પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ આધારિત આહાર અપનાવવાથી જ સ્વસ્થ જીવન શક્ય છે. પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો શરૂઆતમાં મોંઘા લાગે પરંતુ લાંબા ગાળે હોસ્પિટલ ખર્ચ બચાવે છે. તેમણે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 10 લોકોને આ અભિયાન સાથે જોડવા અનુરોધ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવી ઠાકરે જેવું અન્ન, તેવું મન સૂત્ર ટાંકીને કહ્યું હતું કે ખોરાકની સીધી અસર સ્વાસ્થ્ય અને વિચારો પર પડે છે. વર્ષ 2026 ને મિલેટ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે મિલેટ્સના પ્રચાર-પ્રસાર પર તેમણે ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે મિલેટ પાકનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજભાઈ આસોદરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભાર્થી ચીનુભાઈ સોજીત્રાને સહાય વિતરણ કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત મિલેટ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક નવીન પહેલ તરીકે પ્રશંસા પામી હતી. કાર્યક્રમમાં મિલેટ મહોત્સવની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં આવેલી સૂર્યનગર સોસાયટીમાં રહેતા એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં, આરોપીએ આ બાબતે કોઈને જાણ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 'તું મને ગમે છે અને હું તને પ્રેમ કરું છું' કહીને ઘરે બોલાવીમળતી વિગતો અનુસાર, અમરોલીના નવા કોસાડ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા રાજદીપ ચુડાસમાએ સગીરા પર દાનત બગાડી હતી. છેલ્લા છ મહિનાથી તે સગીરા સાથે વાતચીત કરીને મિત્રતા કેળવી હતી. ગત તારીખ 14 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ, રાજદીપે 'તું મને ગમે છે અને હું તને પ્રેમ કરું છું' તેમ કહીને કિશોરીને મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી. બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યોસગીરા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે રાજદીપ તેને બેડરૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે હવે આપણે લગ્ન કરી લેવાના છે તેમ કહીને કિશોરીની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ કૃત્ય બાદ પાપી યુવકે સગીરાને ધમકાવી હતી કે જો આ વાતની જાણ કોઈને કરશે તો તે તેને જાનથી મારી નાખશે. પરિવારે ફરિયાદ નોંધાવી આ ઘટના બાદ ભયભીત થયેલી કિશોરીએ આખરે હિંમત ભેગી કરી પરિવારજનોને આપવીતી જણાવી હતી. સમગ્ર મામલો સામે આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત અમરોલી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. અમરોલી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે રાજદીપ ચુડાસમા વિરુદ્ધ બળાત્કાર અને ધમકીનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ભવનના સાતમા માળે સિટી લેવલનું આ આધુનિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. વડોદરા શહેરની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી સીધા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. શહેર પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે વડોદરા શહેર પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીના વિનિમયથી ક્રાઇમ ડિટેક્શન, મહત્વના તહેવારોમાં બંદોબસ્ત, સંસાધનો અંગેની માહિતી પ્રસ્તૂત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા, શહેરના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. અહીંથી સીસીટીવી કેમેરા થકી વડોદરા શહેરમાં સુરક્ષા-ટ્રાફિકની દ્રષ્ટિએ કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે? તે બાબતોની જાણકારી સંઘવીએ મેળવી હતી. તેમણે સુરક્ષા પ્રણાલીમાં આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વિઝિટ બૂકમાં પોતાની નોંધ લખી શહેર પોલીસ કમિશનરે સુપ્રત કરી હતી. નવલખી મેદાન ખાતેથી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણરાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવલખી મેદાન ખાતે જાહેર સભા સંબોધિત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ રૂપિયા 538 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં જ વડોદરામાં 725 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. વિશ્વાસ પ્રોજેક્ટ થકી અધ્યતન નેટવર્ક ઉભુ થયુંનાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં અદ્યતન સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સરકારી તથા ખાનગી કેમેરાઓને એકીકૃત કરીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. આવનારા સમયમાં આ કેમેરા નેટવર્કને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેમાં ફેશિયલ રિકગ્નિશન અને નંબર પ્લેટ ઓળખ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. આ પગલાં પોલીસ માટે ફોર્સ મલ્ટીપ્લાયર સાબિત થશે અને ગુનેગારોને ઝડપી રીતે શોધવામાં મદદરૂપ બનશે. પોલીસ કર્મચારીઓની કામગીરી બિરદાવીનાયબ મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસના જવાનોના અવિરત સેવાભાવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દરેક પરિસ્થિતિમાં પોલીસ જવાનો નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહે છે. તેમના સુખાકારીને ધ્યાનમાં રાખીને પોલીસ હાઉસિંગ, જેલ સુવિધાઓ અને પોલીસ સ્ટેશનોના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અમલમાં મુકવામાં આવ્યા છે, જેનાથી પોલીસ દળની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. મોટી કોરલ અને ભાલોદ વચ્ચે બ્રિજ બનશેકરજણ તાલુકાના મોટી કોરલ અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ સુધી નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જેને કારણે 55 કિમીનું અંતર ઘટીને માત્ર 5 કિમી જેટલું થઈ જશે. ઝઘડિયા તરફથી વડોદરા આવતા લોકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. ગુનેગારોને પોલીસમાં હનુમાનજી દેખાશેનાયબ મુખ્યમંત્રીએ ગુનેગારોને કડક શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે, ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો. જો કોઈ પણ ટપોરી કે લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકોને હેરાન કરશે તો તેઓને પોલીસમાં સાક્ષાત હનુમાનજીના દર્શન થશે. કોઈ પણ લુખ્ખા તત્વોને છોડવામાં નહીં આવે. તેઓએ મહિલાઓને પણ આહવાન કર્યું હતુંકે, જો કોઈ ટપોરી સામે આવે તો તેઓ સામે રાણી લક્ષ્મીબાઈ બની જજો. તેઓએ એમ પણ કહ્યું હતું કે કોઈ પણ ટપોરીની ભલામણ હું સ્વીકારું નહીં અને તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સરકારનો સેવા સુરક્ષા અને શાંતિનો મંત્રરાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સેવા, સુરક્ષા અને શાંતિના મંત્ર સાથે કાર્ય કરી રહી છે, જેના પરિણામે ગુજરાતમાં ગુનાખોરી સામે કડક અને અસરકારક કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને સાયબર ક્રાઈમ જેવા નવા પડકારોમાં પણ ગુજરાત પોલીસ નોંધપાત્ર કામગીરી કરી રહી છે અને અનેક નાગરિકોને તેમની ગુમાવેલી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે, ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ ડ્રગ્સ સહિતના ગુનાઓ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી છે અને આવી પહેલો રાજ્યને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરમાં 1316 કેમેરા કાર્યરતપોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નેત્રમ અંતર્ગત સીસીટીવી, બોડી-વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરા મળી કુલ 1316 કેમેરા કાર્યરત છે, જેને વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના કેમેરા સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, શહેરમાં ખાનગી એજન્સીઓ દ્વારા સ્થાપિત કેમેરાઓનું મેપિંગ કરીને આધુનિક વીડિયો એનાલિટિક્સ દ્વારા પોલીસ કામગીરીમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે શહેરમાં ચોવીસ કલાક સુરક્ષા મોનિટરિંગ શક્ય બન્યું છે. કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા, દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ, શૈલેષ મહેતા, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ચૈતન્ય દેસાઇ, ભાજપના શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, રેન્જ આઇજી શસંદીપ સિંઘ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ઇન્ચાર્જ કલેક્ટર મમતા હિરપરા, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેરિટી કમિશનરની નવી ઓફિસનું લોકાર્પણનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદર શહેરમાં નવનિર્મિત ચેરિટી કમિશનરની ઓફિસની પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રસ્ટોન રજિસ્ટ્રેશન ઓફિસના નવનિર્માણથી હવે શહેર-જિલ્લાના ટ્રસ્ટને પણ આધુનિક સુવિધાઓ મળી શકશે.
મહેસાણા શહેરના ધોબીઘાટ રોડ પર ધોળા દિવસે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી છે. 72 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરની સોસાયટીથી માત્ર 50 મીટર દૂર હતાં. ત્યારે હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા બાઇક સવારે તેમના ગળામાંથી આશરે દોઢ તોલાનો સોનાનો દોરો ઝૂંટવી ગાંધીનગર લિંક રોડ તરફ નાસી છૂટ્યો હતો. ધોબીઘાટ રોડ પર ધોળા દિવસે ચેઈન સ્નેચિંગમહેસાણાના પટેલપાર્ક પાછળ આવેલી હરીહર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મીનાબેન રતિલાલ પટેલ શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના એક્ટિવા પર શાકભાજી લેવા બજારમાં જઈ રહ્યા હતા.તેઓ જ્યારે ધરતી રેસીડેન્સી સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે પાછળથી કાળા કપડાં અને હેલ્મેટ પહેરીને આવેલા એક અજાણ્યા મોટરસાઇકલ ચાલકે ચાલુ એક્ટિવાએ વૃદ્ધાના ગળામાં પહેરેલ સોનાનો દોરો અચાનક ખેંચી લીધો હતો. સોનાના દોરાની કિંમત આશરે 1.50 લાખહુમલાથી વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં મીનાબેનને કોઈ શારીરિક ઈજા પહોંચી નથી. લૂંટાયેલા સોનાના દોરાની કિંમત આશરે 1.50 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. ફરિયાદ નોંધાઈબનાવ અંગે મીનાબેને મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે લૂંટારુને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

28 C