સુરતના લિંબાયત વિસ્તારમાં અશાંતધારો અમલી હોવા છતા અનેક વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસના કારણે હિન્દુઓ પોતાના ઘર સસ્તામાં વેચી દેવા અથવા તાળા મારી અન્ય વિસ્તારમાં રહેવા જવા મજબૂર બન્યા હોવાનો ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે દાવો કર્યો છે. વિધાનસભામાં અશાંતધારા વિધેયકની ચર્ચા દરમિયાન પણ સંગીતા પાટીલ દ્વારા પોતાના વિસ્તારના આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સંગીતા પાટીલે કહ્યું હતું કે, લિંબાયતની અનેક સોસાયટીઓ એવી છે કે, જ્યાં હવે નામ માત્રના એકલ દોકલ હિન્દુ પરિવારો બચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ તમામ ધર્મના લોકોને મકાનની ફાળવણી થતી હોય છે. ત્યારે આ યોજનામાં રહેતા હિન્દુ પરિવારનો પણ પરેશાન કરાતા હોવાની ફરિયાદ કરી છે. હજારો તેલુગુ પરિવાર પોતાના ઘર છોડવા મજબૂર બન્યા- સંગીતા પાટીલલિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા તેલુગુ સમાજના ભાઈ-બહેનોની વ્યથા રજૂ કરતા ધારાસભ્યએ કહ્યું કે, અગાઉ અહીં 8 થી 10 હજાર જેટલા તેલુગુ પરિવારો ખૂબ જ શાંતિથી વસવાટ કરતા હતા. પરંતુ, સમય જતાં અમુક અસામાજિક તત્વોના ત્રાસને કારણે આ પરિવારો હવે ત્યાંથી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે. તેમને સતત એ હદે માનસિક ત્રાસ આપવામાં આવે છે કે તેઓ પોતાની મિલકતો ઓછી કિંમતે વેચી દે અથવા ઘર છોડીને ભાડે રહેવા ચાલ્યા જાય, જે ચિંતાજનક છે. શાકાહારી લોકોના ઘર નજીક માંસના ટુકડા ફેંકી પરેશાન કરવામાં આવેસંગીતા પાટીલે ખોરાકની આદતો દ્વારા આપવામાં આવતા ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘણા હિન્દુ પરિવારો શુદ્ધ શાકાહારી હોય છે, જ્યારે તેમની આજુબાજુમાં રહેતા અમુક પરિવારો માંસાહાર કરતા હોય છે. આ લોકો માંસાહાર કર્યા પછી તેના અવશેષો અને ગંદકી જાણીજોઈને હિન્દુઓના ઘરની આજુબાજુ ફેંકી દે છે. આ પ્રકારની હરકતો પાછળનો મુખ્ય હેતુ હિન્દુ પરિવારોને માનસિક રીતે તોડી નાખવાનો અને તેમને આ ધાર્મિક અસહિષ્ણુતા સહન કરવા મજબૂર કરવાનો હોય છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસમાં પણ વિવાદસરકારી આવાસ યોજનાઓ, જે ગરીબોના ઉત્થાન માટે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જ્યારે ડ્રો દ્વારા મકાનો ફાળવવામાં આવે છે. અહીં રહેતા હિન્દુ પરિવાર પણ પોતાના આવાસ છોડીને જતા રહે તે હદે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. અસામાજિક તત્વોની મિલકત હડપવાની વ્યવસ્થિત વ્યૂહરચનાધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે લિંબાયતમાં કેટલાક અસામાજિક તત્વો વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય હિન્દુઓની મિલકતો પડાવી લેવાનું છે. પહેલા તેઓ એક ઘર ખરીદે છે, પછી તેની પર ગેરકાયદેસર રીતે ચાર-પાંચ માળનું બાંધકામ કરે છે અને ત્યારબાદ આજુબાજુના હિન્દુઓને હેરાન કરીને તેમના મકાનો પણ લઈ લે છે. આ રીતે તેઓ આખું નગર વસાવવાનો પ્રયાસ કરે છે. લિંબાયતની અનેક સોસાયટીઓમાં હિન્દુઓ નામશેષ થયાચર્ચા દરમિયાન સંગીતા પાટીલે પ્રભાવિત સોસાયટીઓના નામ પણ ગણાવ્યા હતા. તેમણે મારુતિનગર, પદ્માવતી નગર, ગોવિંદ નગર, બુદ્ધ સોસાયટી, અંબિકા નગર અને અંબા નગર જેવી અનેક સોસાયટીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સોસાયટીઓમાં એક સમયે હિન્દુઓની બહુમતી હતી, પરંતુ આજે ત્યાં હિન્દુઓ નામશેષ થઈ ગયા છે. માત્ર એક-બે પરિવારો જ માંડ બચ્યા છે, જેઓ પણ અત્યંત ભય અને ત્રાસના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે અથવા ઘરને તાળાં મારીને પલાયન કરી ગયા છે. માનસિક ત્રાસ અને મિલકત વેચવાની મજબૂરીજે વિસ્તારોમાં માત્ર એક-બે હિન્દુ પરિવારો બચ્યા છે, તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને મિલકત વેચવા મજબૂર કરવામાં આવે છે. સંગીતા પાટીલે જણાવ્યું કે આ પરિવારો પોતાની સુરક્ષા માટે મિલકતો વેચીને અન્યત્ર રહેવા માંગે છે, પરંતુ અશાંતધારાને કારણે ક્યારેક વેચાણની પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડે છે. તેમણે રજૂઆત કરી કે આવા કિસ્સાઓમાં હિન્દુ પરિવારોને મિલકત વેચવાની પરવાનગી જલ્દી મળવી જોઈએ જેથી તેઓ સુરક્ષિત સ્થાને પોતાનું નવું ઘર વસાવી શકે. અશાંતધારા હેઠળ ‘હિન્દુ ટુ હિન્દુ’ મિલકત ટ્રાન્સફરની માંગસંગીતા પાટીલે અશાંતધારાના કાયદામાં સ્પષ્ટતાની માંગ કરતા કહ્યું કે, જો કોઈ હિન્દુ પોતાની મિલકત બીજા હિન્દુને વેચવા માંગતો હોય, તો તેને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ. તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ. જોકે, હિન્દુની મિલકત અન્ય ધર્મના લોકોને વેચવાના કિસ્સામાં કડક નિયંત્રણો હોવા જોઈએ. આ રજૂઆત પાછળનો તેમનો તર્ક એ હતો કે હિન્દુ વસ્તી જળવાઈ રહે અને વસ્તીનું સંતુલન બગડે નહીં, જે લિંબાયતના સામાજિક માળખા માટે જરૂરી છે. SITની રચના અને કલેક્ટરની મંજૂરીની અનિવાર્યતાનવા સુધારા બિલ મુજબ, હવે અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફર માટે SIT (Special Investigation Team) ની તપાસ કરવામાં આવશે. ધારાસભ્યએ આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કોઈપણ ફાઈલ પાસ ન થવી જોઈએ. આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે મિલકતો પચાવી પાડતા તત્વો પર લગામ લાગશે. તપાસ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે મિલકતનું વેચાણ કોઈ દબાણ કે ત્રાસ હેઠળ તો નથી થઈ રહ્યું ને? મતવિસ્તારની જનતાની વેદનાને વાચા આપવાનો પ્રયાસધારાસભ્યએ જણાવ્યું કે લિંબાયતની જનતાએ તેમને જે પ્રશ્નો અને ફરિયાદો મોકલી હતી, તેને તેમણે ગૃહમાં રજૂ કરી છે. જનપ્રતિનિધિ તરીકે આ તેમની જવાબદારી છે કે તેઓ પોતાના વિસ્તારના લોકોની સુરક્ષા અને શાંતિ માટે અવાજ ઉઠાવે. હજારો લોકો જે માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે, તેમની વેદના સરકાર સુધી પહોંચાડવી જરૂરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે નવા કાયદાથી અસામાજિક તત્વોમાં ફાળ પડશે અને સામાન્ય જનતાને ન્યાય મળશે. ગેરકાયદેસર બાંધકામો અને વસ્તી પરિવર્તનનું ષડયંત્રસંગીતા પાટીલે વધુમાં ઉમેર્યું કે કેટલાક વિસ્તારોમાં જે રીતે વસ્તીનું પરિવર્તન થઈ રહ્યું છે તે આકસ્મિક નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર છે. હિન્દુઓના મકાનો લઈને ત્યાં મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી દેવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં અન્ય ધર્મના પરિવારોને વસાવવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે જૂના વતનીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અશાંતધારાનો હેતુ આવા વસ્તી વિષયક ફેરફારોને રોકવાનો જ છે, જેથી સામાજિક સમરસતા જોખમાય નહીં. રાજ્યમાં અશાંતધારાના આ સમાચાર પણ વાંચોઃસુરતમાં MLA અરવિંદ રાણાએ કહ્યું, લોકોને પલાયન કરવા મજબૂર ન કરો, ભ્રષ્ટ અધિકારીઓને પદ પરથી હટાવો સુરતના ઐતિહાસિક નવાપુરા-રાણા વોર્ડમાં અશાંત ધારાના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લઘુમતી વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરવા માટે જે રીતે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે, તેના વિરોધમાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને રહીશોએ લડી લેવાનો મૂડ બનાવ્યો છે. આજે જગન્નાથ મહાદેવના મંદિરે વિશેષ આરતીનું આયોજન કરી, ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) ભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે, જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે, તો સમજજો કે 'Something is wrong'. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. ‘દીકરીના મિત્રો હોઈ શકે પણ મિત્રો મિત્રોમાં ફરક હોય’આનંદીબેન પટેલે જણાવ્યું કે, આપણે આપણા દીકરા-દીકરીને સાચવવાની હવે ખાસ જરૂર છે. બહેનોને ખાસ કહેવું છે કે, આપણી નજર દીકરા-દીકરી પણ હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે, પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે. ‘બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આમાં શંકા છે’આનંદીબેન પટેલે ઉદાહરણ આપતા જણાવ્યું કે, તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામા-કાકા-ભાઈ કે મિત્રોનો ફોન આવે તો એ તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે પણ જે દિવસે ફોન આવે અને એ બાજુના રૂમમાં જઈને વાત કરવાનું શરૂ કરી દે ત્યારે તેના પર શંકા કરજો. અત્યાર સુધી તે બાજુમાં બેસીને વાત કરતી હતી પણ હવે તે બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આમાં શંકા છે જ એટલા માટે ધ્યાન રાખજો કે, એ ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય, કથાઓમાં આવી વાતો ભલે ન થતી હોય પણ મારી કથા તો આજ છે. ‘મારો ચૂંટણી ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી થતો’આનંદીબેન પટેલે ચૂંટણી ખર્ચ વિશે જણાવ્યું કે, ઘણા મને પૂછે છે કે, તમે આટલી વખત ચૂંટણી લડ્યા તો કેટલો ખર્ચ થતો હતો? તો હું કહેતી કે, મારે ગુજરાતમાં ચૂંટણીનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ થતો હતો, જ્યારે અહિં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીખર્ચનો આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે. ચૂંટણીમાં ઓછા ખર્ચનું શું છે રહસ્ય?ચૂંટણીમાં ઓછા ખર્ચનું રહસ્ય જણાવતા કહ્યું કે, રહસ્ય એક જ છે કાર્યકર્તાઓ. તેઓને પ્રેમ કરો, મિલન સમારંભ ગોઠવો, તેઓના ઘરે જાવ, તેઓના પરિવાર વિશે જાણો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થવું એ જ સાચી પદ્ધતિ છે. માત્ર વોટ લઈને 'રામ-રામ' કરી લેવા તે યોગ્ય નથી. ‘મારો ચૂંટણી ખર્ચ કલેક્ટર માનવા તૈયાર ન હતા’વધુમાં જણાવ્યું કે, મારે કોઈ દિવસ ગામમાં જમાડવાનો કાર્યક્રમ નથી કરવો પડ્યો. ઘાટલોડિયામાં તો આનાથી પણ ઓછો ખર્ચો થતો. કેમા કેટલો ખર્ચો થયો તેનું ફોર્મ ભરતા ત્યારે કલેક્ટર આટલો ઓછો ખર્ચ માનવા તૈયાર ન હતા. તો એ જશ ગામના સરપંચ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતનાને નગરપાલિકાના સદસ્યો તેમજ કઠોર પરિશ્રમ કરવાવારા કાર્યકર્તાઓને જાય છે. સતત 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર બને છે તેનું કારણ એ છે કે તેના મુળમાં સંસ્કાર, વિશ્વાસ, પરિશ્રમ અને દેશભક્તિ છે. આ બધાનો સરવાળો ગુજરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત આનંદીબેન પટેલે વૃદ્ધાશ્રમ, વેક્સિનેશન, આરોગ્ય સહિતની બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. જે તમામ મુદ્દાને આપણે ગ્રાફિક્સ દ્વારા જાણીએ… હવે જોઈએ ભાગવત કથાની કેટલીક તસવીરો……
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને ધાડની ગંભીર ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજકોટથી 'ગંડવા ગેંગ' સાથે સંકળાયેલી એક મહિલા આરોપીને ઝડપી પાડી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. શું હતી સમગ્ર ઘટના?ગત તા. 15 માર્ચ 2026ના રોજ સાંજના સમયે ફરિયાદીને ફોન દ્વારા સંપર્ક કરી, ઉમા ચાર રસ્તા પાસે આવેલ ડોમિનોઝ પિઝા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અજાણ્યા શખ્સોએ ભેગા મળી ફરિયાદીને ગાળો આપી, માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. 1,75,000 ની કિંમતની સોનાની ચેન અને બે વીંટીઓની લૂંટ ચલાવી હતી. આ અંગે તા. 23 માર્ચ 2026 ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયાઆ ગંભીર ઘટનામાં પાણીગેટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેકનિકલ સોર્સના આધારે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયા હોવાનું જાણવા મળ્યું જતું. આ સાથે સીસીટીવી અને હોટેલ રજીસ્ટરમાં આરોપીઓએ આપેલા આધાર કાર્ડ અને જન્મના દાખલા તેમજ તેમની ફોર વ્હીલર ગાડીની વિગતો મળી આવી હતી. પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડીઆ સમગ્ર ઘટનામાં પોલીસની ટીમે રાજકોટમાં દરોડો પાડીને ગાડીના માલિક અને આ કાવતરામાં સામેલ આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, રાજકોટ)ને ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતું. અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યાયોગેશભાઈ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજભાઈ નરોત્તમબાપુ ગોંડલીયા (રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રાજકોટ) અને એક અજાણ્યો શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સુરતની તાપી મૈયાના કિનારે અયોધ્યાની સરયૂ આરતી અને કાશીના ઘાટ જેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. દિવ્ય ભાસ્કર અને 'તાપી નમોસ્તુતે'ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દીપોત્સવમાં સુરત સાચા અર્થમાં આધ્યાત્મિક નગરીમાં પરિવર્તિત થયું હતું. જે પ્રકારે દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજાય છે, બિલકુલ તે જ શૈલીમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં લાખો ભક્તોની હાજરીમાં શ્રદ્ધાનો મહાકુંભ ઉમટ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્રણ લાખ દીવડાના પ્રકાશથી ઝળહળી ઉઠી તાપી નદીઆ ઐતિહાસિક દિવસની ઉજવણી માટે તાપી નદીના કિનારે અંદાજે ત્રણ લાખ દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. આ દ્રશ્ય એટલું મનોહર હતું કે જાણે આકાશના તારા ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો ભાસ થતો હતો. અયોધ્યાના દીપોત્સવની યાદ અપાવતા આ કાર્યક્રમે સુરતને ગૌરવ અપાવ્યું છે. લાખોની સંખ્યામાં ઉમટેલા શહેરીજનોએ એકસાથે દીવડા પ્રગટાવીને રામલલાના જન્મોત્સવને વધાવ્યો હતો, જેના કારણે તાપીના કિનારા પર કેસરીયો પ્રકાશ અને શ્રદ્ધાનો અનોખો સંગમ રચાયો હતો. દીવડાઓ દ્વારા કંડારાઈ રામ મંદિર અને ધનુષબાણની પ્રતિકૃતિઆ દીપોત્સવ માત્ર દીવડાઓ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ કલા અને શ્રદ્ધાનો સુંદર સમન્વય હતો. સ્વયંસેવકો અને ભક્તોએ દીવડાઓની ગોઠવણી દ્વારા તાપી ઘાટ પર ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રી રામની મૂર્તિ અને વિશાળ ધનુષબાણની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. આ ઉપરાંત સૂર્યદેવની પ્રતિકૃતિ પણ દીવડાઓથી કંડારવામાં આવી હતી, જે ઉભરતા રામ રાજ્યનું પ્રતીક બની હતી. આ આકારોને નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક વ્યક્તિ આ પળને કેમેરામાં કેદ કરી રહી હતી. આકાશમાં આતશબાજી અને ડ્રોન શોના અદભૂત દૃશ્યોરામોત્સવની આ ઉજવણીમાં ટેકનોલોજી અને પરંપરાનો સંગમ જોવા મળ્યો હતો. તાપી નદીની વચ્ચેથી કરવામાં આવેલી ભવ્ય આતશબાજીએ રાત્રિના આકાશને રંગબેરંગી રોશનીથી ભરી દીધું હતું. આ આખા કાર્યક્રમનું ડ્રોન શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરથી લેવાયેલા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ડ્રોન શોટમાં ત્રણ લાખ દીવડાઓ અને આતશબાજીનો નજારો જોઈને એવું લાગતું હતું કે સુરત ખરેખર અયોધ્યા અને કાશીને ટક્કર આપી રહ્યું છે, જે શહેરીજનો માટે ગર્વની ક્ષણ હતી. જહાંગીરપુરાના રામમઢી ઓવારા ખાતે જનમેદની ઉમટીઆ ભવ્ય કાર્યક્રમનું આયોજન જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરની પાછળ આવેલા પ્રસિદ્ધ રામમઢી ઓવારા ખાતે કરવામાં આવ્યું હતું. વહેલી સાંજથી જ અહીં ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સુરતના ખૂણેખૂણેથી લાખો રામભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા. તાપી કિનારે વહેતી પવિત્ર લહેરખીઓ અને ભજન-કીર્તનના નાદ સાથે વાતાવરણ એકદમ દિવ્ય બની ગયું હતું. સુરતની ભક્તિશક્તિનો પરિચય આપતા આ મેળામાં દરેક વર્ગના લોકો એકઠા થઈને ભગવાન રામની આરાધનામાં લીન થયા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓની હાજરીઆ ધાર્મિક મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત રાજ્યના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી. મહાનુભાવોએ પોતે દીવડા પ્રગટાવીને આરતીમાં ભાગ લીધો હતો અને સુરતની જનતાને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી. સી.આર. પાટીલે આ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સુરત હવે ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. નેતાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને ભક્તોનો ઉત્સાહ બમણો કરી દીધો હતો. ભક્તિપૂર્ણ વાતાવરણમાં સુરતીઓ રામમય બન્યાસમગ્ર રામોત્સવ દરમિયાન તાપી કિનારે ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ હાથમાં દીવડા લઈને રામભક્તિમાં મગ્ન જોવા મળી હતી. આ આયોજન દ્વારા સુરતે સાબિત કર્યું કે, તે માત્ર આર્થિક રાજધાની નથી પરંતુ, સંસ્કાર અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર છે. લોકોએ શિસ્તબદ્ધ રીતે આ દીપોત્સવમાં ભાગ લઈને સુરતની એકતા અને ભક્તિ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હવે આધ્યાત્મિક પર્યટનનું કેન્દ્રઆ પ્રકારના ભવ્ય આયોજનોથી સુરતની ઓળખ હવે બદલાઈ રહી છે. અયોધ્યા અને કાશીની જેમ સુરત પણ હવે ધાર્મિક પર્યટનના નકશા પર ઉભરી રહ્યું છે. તાપી નદીના શુદ્ધિકરણ અને કિનારાના વિકાસ સાથે આવા દીપોત્સવ ભવિષ્યમાં સુરતની પરંપરા બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે. આ કાર્યક્રમની સફળતાએ આગામી વર્ષોમાં વધુ મોટા પાયે ઉજવણી કરવાની આશા જગાડી છે. આમ, રામનવમીનો આ દીપોત્સવ સુરતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને લોકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને વેપારીઓમાં આર્થિક તણાવને કારણે આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટનામાં કતારગામ વિસ્તારના એક 48 વર્ષીય હીરા વેપારીએ આર્થિક સંકડામણથી કંટાળી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. ઓફિસમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધીમળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સુરતના કતારગામ સ્થિત નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ વિછુભાઈ જયાણી (ઉં.વ. 48) રામપુરા મેઇન રોડ પર પોતાની હીરાની ઓફિસ ધરાવતા હતા. મળતી માહિતી મુજબ આજે સવારના સમયે ધર્મેશભાઈએ પોતાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું શરીર ઝેરની અસરમાં આવી ગયું હતું અને ફરજ પરના ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સુસાઇડ નોટમાં ભાવુક અપીલમહીધરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠીમાં ધર્મેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા લખ્યું હતું કે, હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. મારી જિંદગી માટે હું પોતે જ જવાબદાર છું. મારા ગયા પછી મારા ભાઈઓનો ખ્યાલ રાખજો. આર્થિક મુશ્કેલીઓથી હારી જઈને જીવન ટૂંકાવ્યુંપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મેશભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. વ્યવસાયમાં ધાર્યું પરિણામ ન મળતા અથવા પૈસાની લેવડદેવડમાં ફસાઈ જવાને કારણે તેઓ માનસિક તણાવમાં હોવાનું અનુમાન છે. આ આર્થિક મુશ્કેલીઓથી હારી જઈને અંતે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરીમહીધરપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે કે, આર્થિક સંકડામણ સિવાય અન્ય કોઈ દબાણ કે કારણ જવાબદાર છે કે કેમ. અન્ય એક વેપારીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધોમૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં 21 વર્ષીય આશિષ રમેશભાઈ સરવૈયા પરિવાર સાથે રહેતો હતો અને હીરામાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. તેમના પિતા ડાયમંડ હોસ્પિટલમાં સફાઈ કામ કરે છે. ગઈકાલે બપોરે આશિષે ઘરે છતમાં લગાવેલ લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આશિષએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ અમરોલી જુનો કોસાડ રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મુકેશભાઇ ભીમાભાઇ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરી પત્ની તેમજ બે સંતાનનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે રાત્રે મુકેશભાઈએ ઘરે લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુકેશભાઈએ આર્થિક સંકડામણમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.
US-Iran War Update News : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને પાકિસ્તાન અંગે ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે, વાતચીત પ્રક્રિયા દરમિયાન ઈરાને અમેરિકાને 10 ઓઈલ ટેન્કર ગિફ્ટ આપ્યા છે અને આ તમામ જહાજો પર પાકિસ્તાની ઝંડા હતા. તેમણે એવું પણ કહ્યું છે કે, યુદ્ધવિરામમાં પાકિસ્તાની ભૂમિકા પણ હોઈ શકે છે. ઈરાને અમેરિકાને હોર્મુઝમાંથી 10 ટેન્કર પસાર થવા દેવાની ખાતરી આપી : ટ્રમ્પનો દાવો વ્હાઈટ હાઉસમાં ગુરુવારે કેબિનેટની બેઠક બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘ઈરાને હોર્મુઝ જળસંધી હેઠળ અમેરિકાને 10 ઓઈલ ટેન્કર પાર કરાવવાની મંજૂરી આપી હતી.
નવસારી આશાપુરી મંદિરે ચૈત્ર આઠમનો મહાયજ્ઞ:હિન્દુ સંગઠનોએ લીધો પ્લાસ્ટિક મુક્ત ઉત્સવનો સંકલ્પ
નવસારીના પૌરાણિક આશાપુરી માતાજી મંદિરે ચૈત્ર નવરાત્રીની આઠમ અને રામનવમીનો પવિત્ર સમન્વય થયો હતો. આ અવસરે મંદિરમાં ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક ઉત્સવની સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ પણ ચલાવવામાં આવ્યું હતું. આ પહેલ ઉત્સવનું વિશેષ આકર્ષણ બની હતી. ગાયકવાડી શાસનકાળના પ્રતીક સમાન આશાપુરી મંદિર સાથે હજારો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તો માને છે કે માતાજી સૌની આશા પૂરી કરે છે, તેથી જ આ મંદિર ‘આશાપુરી’ તરીકે પ્રચલિત છે. આઠમ નિમિત્તે સુરત, બીલીમોરા, બારડોલી અને વાપી જેવા શહેરોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મહાયજ્ઞમાં નારિયેળ હોમીને ભક્તોએ વાતાવરણને શુદ્ધ બનાવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદની ‘માતૃશક્તિ’ પાંખ દ્વારા મંદિરમાં આવતા ભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ હતી. સેવા આપનાર મહિલા કાર્યકરના જણાવ્યા અનુસાર, અમે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તરફથી અહીં ઉપસ્થિત છીએ. જે ભક્તો પૂજાનો સામાન પ્લાસ્ટિકની થેલીમાં લાવે છે, તેનું અમે કલેક્શન કરી રહ્યા છીએ જેથી મંદિર પરિસર સ્વચ્છ રહે. સાથે જ, હવાનું પ્રદૂષણ રોકવા અને સ્વાસ્થ્યની જાળવણી માટે અગરબત્તીનો વપરાશ ઘટાડવા માટે પણ જનજાગૃતિ ફેલાવી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણને બચાવવાનો છે. આમ, નવસારીના આશાપુરી મંદિરે ભક્તિ અને સામાજિક જવાબદારીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સુરેન્દ્રનગર શાખા દ્વારા સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ અને વાલી મિટિંગનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 6, 7 અને 8ના અંદાજિત 900 વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને પ્રભુધૂનથી થયો હતો, જેમાં સંતો અને વાલીગણ પણ જોડાયા હતા. ઉપસ્થિત સંતોનું સ્વાગત અને પરિચય કરાવવામાં આવ્યા હતા, અને તેમણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉત્સવમાં ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશભક્તિ સ્પીચ, નાટક, નૃત્ય, ડાન્સ અને પિરામિડ જેવી પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26માં લેવાયેલી વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ તેમજ કલા ઉત્સવમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા પરીક્ષાલક્ષી અને શૈક્ષણિક માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શિક્ષકગણના સહિયારા પ્રયત્નોથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પોરબંદરમાં કર્લી જળાશયમાંથી જળકુંભી દૂર કરાશે:રાજ્ય સરકારે 59.20 લાખની વહીવટી મંજૂરી આપી
પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી (ગાંડી વેલ) ને દૂર કરવા માટે રાજ્ય સરકારે રૂ.59.20 લાખની વહીવટી મંજૂરી આપી છે. આ મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા આપવામાં આવી છે. કર્લી સ્ટ્રીમમાં રતનપર અને છાંયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જળકુંભી ફેલાઈ ગઈ છે. તેના કારણે પાણીની સપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, જે જળચર જીવન માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. આ વિસ્તાર અસ્માવતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પણ ભાગ છે. જળકુંભીના પ્રસારથી દ્રશ્ય સૌંદર્ય પર નકારાત્મક અસર થતી હતી, તેથી શહેરના આ મહત્વપૂર્ણ સ્થળને સ્વચ્છ અને આકર્ષક બનાવવા આ કામગીરી અનિવાર્ય બની હતી. આ કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 'ડિપોઝિટ વર્ક' તરીકે હાથ ધરવામાં આવશે. જેમાં જળકુંભીને મેન્યુઅલી દૂર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. ગુણવત્તા નિયંત્રણના તમામ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કર્લી સ્ટ્રીમમાં જળપ્રવાહ સુધરશે, જળચર જીવનનું સંરક્ષણ થશે અને રિવરફ્રન્ટ વિસ્તારની સુંદરતામાં વધારો થશે. આ કામગીરી પોરબંદર શહેર માટે પર્યાવરણ સુધાર અને સ્વચ્છતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
અમદાવાદ એસઓજી ટીમ દ્વારા વિરાટનગર ચાર રસ્તા પાસેથી 27.600 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. આરોપી આઠેક માસ પહેલા અજમેરમાં એક વ્યક્તિને ઓળખાણ થયા બાદ તેની પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો. બાદમાં શહેરમાં છૂટકમાં વેચાણ શરૂ કર્યુ હતું. એસઓજીની ટીમે ડ્રગ્સ આપનાર બે વ્યક્તિઓની પણ શોધખોળ હાથ ધરી છે. MD ડ્રગ્સ વેચવા આવેલા યુવકની ધરપકડજમાલપુરમાં રહેતો અલ્તમસ ઉર્ફે મોહસીન પઠાણ નામનો વ્યક્તિ વિરાટનગર AMC ઓફિસ બહાર ખાણીપીણીની દુકાનો પાસે ડ્રગ્સની વેચવા આવ્યો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જે બાદ પોલીસે ત્યાં વોચ ગોઠવીને અલ્તમસ ઉર્ફે મોહસીન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 27.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન આઠેક મહિના પહેલા તે અજમેર ગયો ત્યારે તેને ફૈયાઝ સાથે મુલાકાત થઇ હતી. તેણે સસ્તામાં ડ્રગ્સની વ્યવસ્થા કરાવી આપી હતી. અલ્તમસે ફૈયાઝને ફોન કરી ડ્રગ્સ મંગાવ્યું હતું, ત્યારે બાબુ નામનો વ્યક્તિ ડ્રગ્સ આપી ગયો હતો. જેથી પોલીસે ફૈયાઝ અને બાબુ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી મૃત હાલતમાં ભ્રૂણ મળ્યુંશહેરના પિરાણા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ પરના કચરાના ઢગલાની ટોચ પર અજાણી વ્યક્તિ બાળકનો જન્મ છુપાવવા નવજાત ભ્રુણ ત્યજીને ફરાર થઇ ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરણભાઇ ફરજ બજાવે છે. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મેસેજે મળ્યો હતો કે પીરાણા કચરાના ઢગલા પાસે એક ભ્રુણ મળી આવ્યું છે. જેથી કિરણભાઇ અન્ય પોલીસકર્મીઓ સાથે ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં પીરાણા ડમ્પિંગ સાઇટમાં ટોચ પર એક નવજાત ભ્રુણ મળી આવ્યું હતું. જેથી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. તેમજ આસપાસ તપાસ કરતા તેનું કોઇ વાલી વારસ મળી આવ્યું ન હતું. જેથી અજાણી વ્યક્તિએ નવજાત બાળકનો જન્મ છુપાવવા ત્યજીને જતું રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે દાણીલીમડા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા નીકળી:છાપરીયાથી શરૂ થઈ મહેતાપુરા રામજી મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના છાપરીયા રામજી મંદિરથી એક શોભાયાત્રા નીકળી હતી, જે મહેતાપુરા રામજી મંદિરે મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરથી પ્રસ્થાન કરીને છાપરીયા ચાર રસ્તા, જૂની જિલ્લા પંચાયત, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ અને ન્યાયમંદિર મહેતાપુરા ઢાળ માર્ગે મહેતાપુરા રામજી મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર હિંમતનગર ભક્તિમય બન્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની, બજરંગ દળ અને માતૃશક્તિના આગેવાનો પણ યાત્રામાં સામેલ થયા હતા. કેસરિયા સાફામાં સજ્જ દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તલવાર અને લાકડીના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ સ્થાનિકો દ્વારા ફૂલોથી સજાવટ, આરતી અને ફૂલવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ અને સલામતી જાળવવા માટે સમગ્ર રૂટ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા સદસ્ય અમૃત પુરોહિત, સંતો-મહંતો, હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લુણાવાડામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી:હજારો ભક્તો 'જય શ્રી રામ'ના નારા સાથે જોડાયા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમસ્ત હિંદુ પરિવાર મહિસાગર લુણાવાડા દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. લુણાવાડાના શ્રી રામજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દિવસભર મંદિરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. સાંજે શ્રી રામજી મંદિરથી ભગવાન રામલલાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ફુવારા ચોક, માંડવી બજાર, આસ્થાના બજાર, બસ સ્ટેશન પાછળ, દરકોલી દરવાજા, હાટડીયા બજાર અને નગરપાલિકા માર્ગ થઈને પરત મંદિર પહોંચી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 'જય શ્રી રામ'ના નારાથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મહીસાગર પોલીસે સમગ્ર ઉજવણી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
રાજપર ગામે RCC રોડ પર પાણી છાંટવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવાન પર હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ થયેલા યુવાનને વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી તાલુકાના રાજપર ગામના મેહુલ દલસુખભાઈ ધાડવી (ઉં.વ. 22,) ગામના સરપંચ સુખા છના અણીયાળીયાના કહેવાથી ગામથી ભડેણા ગામ તરફના RCC રોડ પર પાણી છાંટી રહ્યા હતા. તે સમયે વિક્રમ ભરતભાઈ ત્યાં આવ્યા હતા અને રોડ પર મુકેલા કાંટા હટાવવાનું કહ્યું હતું. મેહુલે કાંટા હટાવીને આજુબાજુ મુક્યા હતા, ત્યારે વિક્રમે ફરીથી તે કાંટા પણ હટાવવાનું કહ્યું. આના પર મેહુલે સરપંચને પૂછ્યા વગર કાંટા નહીં હટાવવાનું કહેતા વિક્રમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. મેહુલે ગાળો બોલવાની ના પાડતા વિક્રમ વધુ ઉશ્કેરાઈને પોતાના ઘરમાંથી લાકડાનો ધોકો લઈને આવ્યા હતા. તે સમયે વિક્રમના પત્ની ઇન્દુબેન અને માતા રમીલાબેને તેમને પકડી રાખ્યા હતા. જોકે, વિક્રમ તેમનાથી છૂટીને મેહુલની નજીક આવ્યા અને લાકડાનો ધોકો તેમના ડાબા હાથની કોણી પર માર્યો હતો. વધુ મારથી બચાવવા માટે રમીલાબેન, ઇન્દુબેન અને કલાભાઈ ગંગારામભાઈએ વિક્રમને પકડી રાખ્યા હતા. આ ઘટના બાદ મેહુલ પોતાના ઘરે ગયા હતા અને માતા-પિતાને જાણ કરી હતી. ડાબા હાથની કોણીમાં દુખાવો થતા તેમને ગામના કબા છનાભાઈ વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મેહુલની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે તેમને ડાબા હાથે કોણી પાસે મુંઢમાર વાગ્યો છે, પરંતુ કોઈ ભાગ તૂટ્યો નથી. હાલ મેહુલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે મેહુલ દલસુખભાઈ ધાડવીએ વિક્રમ ભરતભાઈ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના એમ.જી. પાણકુટા ચલાવી રહ્યા છે.
રાજકોટના રેન્જ આઈ.જી. તરીકે બાહોશ ગણાતા નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ ગૂનેગારો સામે સકંજો કસ્યો હોય તેમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની સચોટ બાતમી આપે તેને રૂ.5000 થી રૂ.20000 સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું અને તેની બજવણીના પ્રયત્નો કરવામાં આવ્યા. આમ છતાં પણ આરોપીઓ આજદિન સુધી મળી આવ્યા નથી. જેથી આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરાયુ છે. પોલીસે જણાવ્યું છે કે ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી કોઈને મળે તો રાજકોટ રેન્જ કચેરીના જે- તે જિલ્લાને જાણ કરવામાં આવે. ક્રમ - આરોપી - ક્યાં ગૂનો નોંધાયો - બાતમી આપનારને ઇનામ 1. લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (રહે.પંજાબ) - દેવભૂમિ દ્વારકા - રૂ.100002. ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (રહે.રાજકોટ) - દેવભૂમિ દ્વારકા - રૂ.150003. અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ (રહે.ભરૂચ તથા મુળ રહે.ઓરીસ્સા) - દેવભૂમિ દ્વારકા - રૂ.100004. કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા (રહે. મધ્યપ્રદેશ) - દેવભૂમિ દ્વારકા - રૂ.5000 5. રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ (રહે.મધ્યપ્રદેશ) - દેવભૂમિ દ્વારકા - રૂ.50006. દિનેશ જામસિંગ મેલા (રહે.મધ્યપ્રદેશ) - દેવભૂમિ દ્વારકા - રૂ.50007.આસુતોષ શીવધરન ત્રીપાઠી (રહે.ઉત્તરપ્રદેશ) - જામનગર - રૂ.50008. આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી (રહે.ઉતરપ્રદેશ) - જામનગર - રૂ.50009.મહેન્દ્ર કૃષ્ણબલદેવ તીવારી (રહે.ઉતરપ્રદેશ) - જામનગર - રૂ.500010. લાલજી કૈલાશભાઇ પંડયા (રહે.જામનગર) - જામનગર - રૂ.1000011. બાલુ માનસિંગ બીલવાવ (રહે.મધ્યપ્રદેશ) - જામનગર - રૂ.500012. વસના ભુરા સરૂપા બીલવાલ (રહે.મધ્યપ્રદેશ) - જામનગર - રૂ.500013. કૈલાશ રામસીંગ અજનાર (રહે.મધ્યપ્રદેશ) - જામનગર - રૂ.500014. સંદિપ ગોકરણભાઇ પાસવાન (રહે.ઉત્તરપ્રદેશ) - મોરબી - રૂ.500015. રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી/શીખ (પંજાબ) - મોરબી - રૂ.1000016. સોનુસિંગ સતનામસિંગ જાટ (રહે.પંજાબ) - મોરબી - રૂ.1000017. ગંગારામ છોટાડીલા ચતર (રહે.ઝારખંડ-બિહાર) - મોરબી - રૂ.10000 18. દેવાસી ઉર્ફે કનુ મદન પરી (રહે.ઓડીસા) - મોરબી - રૂ.500019. રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ (રહે.બિહાર) - મોરબી - રૂ.800020. ફારૂક હબીબ જામ (રહે.માળીયા મીયાણા, મોરબી) - મોરબી - રૂ.2000021. વિવેક ઉર્ફે ટેલર અમરેંન્દ્રસીંહ વિષ્ણુદેવસિંહ ચંદેલ (રહે.બિહાર) - લોધીકા - રૂ.800022. રોહન બચાવપ્રસાદ રાવત (રહે.ઉત્તરપ્રદેશ) - વિરપુર - રૂ.800023. મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર પુરખારા સરદારરામ ગોદારા (રહે.રાજસ્થાન) - વિંછીયા - રૂ.1000024. રાજલખાન શખીમહંમદ મુસ્લીમ (રહે.મધ્યપ્રદેશ) - સુરેન્દ્રનગર - રૂ.500025. મનુભા માનસિહ ઝાલા (રહે.સુરેન્દ્રનગર) - સુરેન્દ્રનગર - રૂ.8000 26. અલીભાઇ નથુભાઇ ડફેર (રહે.સુરેન્દ્રનગર) - સુરેન્દ્રનગર - રૂ.1000027. સંજુ ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર (રહે.રાજસ્થાન) - સુરેન્દ્રનગર - રૂ.500028. ડાલુરામ હાલુજી ગુર્જર (રહે.રાજસ્થાન) - સુરેન્દ્રનગર - રૂ.500029. ભીખાભાઇ ભુરાભાઇ કુના (રહે.મહારાષ્ટ્ર) - સુરેન્દ્રનગર - રૂ.20000
જામનગરમાં રામનવમીના દિવસે એક પરપ્રાંતિય મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી 40 વર્ષીય રીન્કી દેવી બનટુસિંહ કઠેરીયાનો ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને તપાસ શરૂ કરી છે. મૃતક રીન્કી દેવી મૂળ મથુરાના વતની હતા. તેઓ બે દિવસ પહેલા ગુમ થયા હતા, જે અંગે તેમના પુત્ર રોહિત કઠેરીયાએ સિટી સી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. આજે સવારે રીન્કી દેવીનો મૃતદેહ તેમના પુત્રના મિત્ર વિજય વિઠલ ઓડિચના કાકાના ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. રીન્કી દેવી અને વિજય ઓડિચ વચ્ચે સંબંધો હતા. મહિલા વિજય ઓડિચ પાસેથી પૈસાની માંગણી કરતી હતી, જે આ હત્યાનું કારણ બન્યું હોવાનું મનાય છે. સિટી સી-ડિવિઝન પોલીસે આરોપી વિજય ઓડિચને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે. રીન્કી દેવીના પતિનું વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ પોતાના ત્રણ સંતાનો નીતિન (17), રોહિત (19) અને અંજલી (6) સાથે ડિફેન્સ કોલોનીમાં રહેતા હતા. રીન્કી દેવી એક કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિજય ઓડિચ રીન્કી દેવીના ઘરની પાછળના ભાગમાં રહેતો હતો. તેણે રીન્કી દેવીના પુત્ર રોહિત સાથે મિત્રતા કેળવી હતી, જેના કારણે તે અવારનવાર તેમના ઘરે આવતો-જતો રહેતો હતો. આ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
વિશ્વની સૌથી લોકપ્રિય IPL 2026ની લીગનો 28 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલમાં IPLની તમામ ટીમો સારા પ્રદર્શન માટે કમરકસી રહી છે. નવી સીઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નહેરા અને કેપ્ટન શુભમન ગીલે ટુર્નામેન્ટને લઈને ચાલી રહેલી ચર્ચાઓના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીડિયાને સંબોધન કર્યું હતું. હું ઇમ્પેક્ટ પ્લેયર નિયમ વિરુદ્ધ: કેપ્ટન ગિલકેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ આશિષ નેહરા વચ્ચેની વાતચીત દરમિયાન ‘ઇમ્પેક્ટ પ્લેયર’ નિયમને 2027 સુધી ચાલુ રાખવા અંગે ચર્ચા થઈ હતી. ભાસ્કરના પ્રશ્નનો જવાબ આપતા કેપ્ટન ગિલે કહ્યું, “વ્યક્તિગત રીતે, મને લાગતું નથી કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હોવો જોઈએ.” તેમણે પોતાના મતને સમજાવતા જણાવ્યું કે ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, અને મેચમાં એક વધારાનો બેટ્સમેન ઉમેરવાથી રમતની કુશળતા પર અસર પડે છે. કારણ કે મેચ રમવા માટે એક ચોક્કસ કૌશલ્ય જરૂરી હોય છે. આ ઉપરાંત, પિચની પરિસ્થિતિઓ પણ ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો રહી. કોચ નેહરા, જે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર છે, તેમણે કહ્યું કે તેઓ પોતાની પસંદગી મુજબની પિચ તૈયાર કરવા માંગે છે, પરંતુ દુર્ભાગ્યે એવું શક્ય નથી. ગિલે પોતાના કોચના મતને પુનરાવર્તિત કરતાં નિયમિત રીતે રન બનાવવાની અને તમામ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવાની મહત્વતા પર ભાર મૂક્યો. શુભમન ગિલે કહ્યું, તમારી સામેની ટીમ કરતાં વધુ રન બનાવવા જ પડે છે. અમે એક જ મેચમાં 300–350 રન બનાવવા જેવી સિદ્ધિ હાંસલ કરવા પાછળ નથી. અમે એવી ટીમ બનવા માંગીએ છીએ કે જે સતત મોટા રન બનાવે અને તે પિચ માટેનો પાર સ્કોર હાંસલ કરે. પોતાના પ્રદર્શન અંગે વાત કરતાં ગિલે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત સિદ્ધિઓ સામે ટીમની સફળતાને મહત્વ આપે છે. મહત્વનું છે કે, ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે પંજાબના મલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે પોતાની પ્રથમ મેચની શરૂઆત કરશે.
વલસાડ શહેરમાં રામનવમી નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા રેલવે ગોદી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ રહી હતી, જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આયોજન સમિતિના સભ્ય હિતેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે અયોધ્યાની તર્જ પર ભગવાન રામની નવી મૂર્તિ લાવવામાં આવી છે. રામનવમીના પાવન અવસરે બપોરે 12:00 કલાકે આ મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની હતી. શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકસભાના દંડક ધવલ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના મહાનુભાવોએ કેસરીયો ખેસ ધારણ કરી રામલલાના આશીર્વાદ લીધા હતા. સમિતિના સભ્ય સ્નેહલ દેસાઈએ શોભાયાત્રાના રૂટની વિગતો આપી હતી. આ યાત્રા રેલવે ગોદીથી પ્રારંભ થઈ નવરંગ લસ્સી સર્કલ, બેચર રોડ, છીપવાડ, તરિયાવાડ, એમ.જી. રોડ અને ટાવર થઈ દાદિયા ફળિયા ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં રામ-લક્ષ્મણ-જાનકી અને ભગવાન કૃષ્ણની વિવિધ જીવંત ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમગ્ર રૂટ પર સતત સુંદરકાંડના પાઠ ગુંજતા રહ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય અને રામમય બની ગયું હતું.
અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી:શહેર રામમય બન્યું, વિશાળ શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા
અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ છવાયો હતો, જેમાં અમરેલી શહેર સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બાળકો, મહિલાઓ સહિત સેંકડો લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તોએ હાથમાં ભગવા ધ્વજ સાથે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર પાણી અને શરબતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં સેવાભાવી લોકો દ્વારા ભક્તોને પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ધાર્મિક ઉત્સાહ અને એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર પણ શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ હતી. સાધુ-સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર વાતાવરણને ભગવામય બનાવવામાં આવ્યું હતું.
ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ઉત્સવ:શોભાયાત્રા નીકળી, શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું
ભરૂચમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ઉત્સવની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના સોનેરી મહેલથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેના કારણે શહેર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે શોભાયાત્રાનું આયોજન થયું. રામભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને 'જય શ્રી રામ'ના ગગનચુંબી નારા લગાવ્યા હતા, જેનાથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા પૂર્વે નર્મદા નગર એપાર્ટમેન્ટ સ્થિત સંકટ મોચન હનુમાનજી મંદિરથી બાઈક રેલી સોનેરી મહેલ પહોંચી હતી. અહીં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શ્રી ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી, ત્યારબાદ યાત્રાનો પ્રારંભ થયો. આ શોભાયાત્રા શહેરના મોટા ભોઈવાડ, લલ્લુભાઈ ચકલા, હાજીખાના અને નવાડેરા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ યાત્રા કષ્ટભંજન હનુમાન મંદિર, ધોળીકુઈ ખાતે સમાપ્ત થઈ હતી. રામનવમીના આ પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વડોદરાના માંજલપુરમાં રહેતા સરજુબેન પટેલના નિધન બાદ તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના સનાતન આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના ભારત દેશ બને પ્રજ્ઞાચક્ષુ મુક્ત દેશ સંકલ્પને પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આચાર્ય મહારાજે ૨૦૧૨માં જૂનાગઢ ખાતે યોજાયેલા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં આ અભિયાનને વેગ આપ્યો હતો. તે સમયે ગુજરાતના 22000 હરિભક્તોએ ચક્ષુદાન માટે અને 332 હરિભક્તોએ દેહદાન માટે સંકલ્પ લીધો હતો. વડોદરા શહેર અને જિલ્લામાંથી 7000થી વધુ લોકોએ ચક્ષુદાન અને આઠ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. સરજુબેન પ્રવીણકાંત પટેલે પણ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તેમના નિધન બાદ, તેમના પુત્ર રાકેશભાઈ પટેલે શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી માતાના આ સંકલ્પને પૂર્ણ કર્યો. તેમના ચક્ષુઓનું દાન ડો. ઈન્દુમતી ટી. પટેલ આઈબેંકમાં કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના સહયોગથી અત્યાર સુધીમાં 17 હરિભક્તોના ચક્ષુના દાન કરાવવામાં આવ્યા છે. આ પુણ્ય કાર્ય દ્વારા કુલ 34 લોકોને નવી દ્રષ્ટિ મળી છે. આ ઉપરાંત, એક હરિભક્તે દેહદાન કરીને પોતાનું શરીર મેડિકલ કોલેજને અર્પણ કર્યું હતું. મંડળના પ્રમુખ અરુણભાઈ પટેલના જણાવ્યા અનુસાર, મંડળ દ્વારા વધુમાં વધુ લોકો ચક્ષુદાન અને દેહદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજમાં આ અંગે જાગૃતિ લાવવા માટે મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલ 36 વર્ષીય શાન્તિબેન આકેડીવાલાનો સળગેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા પાછળ આર્થિક લેતીદેતી અને વિશ્વાસઘાતનું મોટું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભોયરામાંથી મળ્યો સળગેલો મૃતદેહશાન્તિબેન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હતા. તેમની શોધખોળ દરમિયાન પાલનપુર ઇન્કમટેક્ષ ઓફિસ નજીક આવેલા એક બંધ ટ્રેક્ટર કમ્પાઉન્ડના ભોયરામાંથી એક સળગેલી લાશ મળી આવી હતી. તપાસ કરતા આ લાશ શાન્તિબેનની હોવાનું જાણવા મળ્યું હતું. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ધાબળામાં વીંટાળી, પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી અને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. 79 તોલા સોનું અને રોકડ હત્યા પાછળનું કારણપોલીસ FIR અને પ્રાથમિક વિગતો મુજબ, આ હત્યા પાછળ મોટું આર્થિક કારણ જવાબદાર છે. મૃતક શાન્તિબેને આરોપી રેખાબેન અને તેજાભાઇ રાઠોડને બકરા પાલનના વ્યવસાય માટે 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે શાન્તિબેને પોતાના દાગીના અને નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ તે પાછા ન આપવા પડે તે માટે તેમની હત્યાનું ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું. ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરીઆરોપીઓએ ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપ્યો હતો. 22 માર્ચ, 2026 ના રોજ રાત્રે રેખાબેને શાન્તિબેનને હનુમાન ટેકરી પાસેની પોતાની ફર્નિચરની દુકાને બોલાવ્યા. ત્યાં તેમને પ્રસાદમાં નશાકારક પદાર્થ ભેળવીને ખવડાવવામાં આવ્યો. શાન્તિબેન બેભાન જેવી હાલતમાં થતા, રેખાબેન, રોહિત મકવાણા અને વિષ્ણુભાઈ વાલ્મિકીએ ક્લચ વાયર વડે તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી. દોષિતોને કડક સજાની સ્વજનોની માંગ મૃતક શાન્તિબેનના જેઠ ડૉ.ભીખુભાઈ રામાભાઈએ જણાવ્યું કે મારા ભાઈના પત્ની બાળકો માટે નાસ્તો લેવા ગયા હતા અને જૂના દાગીના તથા પૈસાની ઉઘરાણી કરવા આરોપીની દુકાને ગયા હતા. ત્યાં વિશ્વાસઘાત કરીને તેમની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અમારી સરકારને વિનંતી છે કે દોષિતોને કડક સજા થાય. મહિલા સહિત ચાર સામે ગુનોપાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે ચાર મુખ્ય આરોપીઓ રેખાબેન તેજાભાઇ રાઠોડ, તેજાભાઇ દેવાભાઇ રાઠોડ, રોહિત સરતનભાઇ મકવાણા અને વિષ્ણુભાઈ કરશનભાઈ વાલ્મિકી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને આર્થિક શિસ્ત જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના વિવિધ ઝોન અને વિભાગો દ્વારા ચાલતી મનમાની પ્રથાને ડામવા માટે કમિશનરે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા આદેશ અનુસાર, હવેથી રુપિયા 5 કરોડ કે તેથી વધુ રકમના કોઈપણ પ્રોજેક્ટ, કામ અથવા કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી વગર જાહેર કરી શકાશે નહીં. વિભાગના કાર્યપાલક એન્જિનિયરોને સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતાસુરત પાલિકામાં અત્યાર સુધી ચાલી આવતી સિસ્ટમમાં મોટો ફેરફાર કરતા આ નિર્ણયથી સમગ્ર વહીવટી આલમમાં ચર્ચા જાગી છે. સામાન્ય રીતે, સ્થાયી સમિતિ કે અન્ય ખાસ કમિટીઓ દ્વારા દરખાસ્ત મંજૂર થયા બાદ સંબંધિત ઝોન અથવા વિભાગના કાર્યપાલક એન્જિનિયરોને સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતા હતા. આ પ્રક્રિયામાં કમિશનરને ઘણીવાર કામ શરૂ થયાની જાણ પણ હોતી નહોતી. હવે આ ડાયરેક્ટ સિસ્ટમ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. વાસ્તવિક સ્થિતિની જાણ ન હોવાને કારણે પ્લાનિંગ અને બજેટમાં ગૂંચવણો સર્જાતીઆ નિર્ણય પાછળના મુખ્ય કારણો તપાસતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં સુરત પાલિકાની ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ 11 માર્ચે પૂર્ણ થયો છે. આ મુદત પૂરી થવાના છેલ્લા દિવસોમાં ઉતાવળે અનેક ટેન્ડરો, નીતિગત નિર્ણયો અને અંદાજો મંજૂર કરવામાં આવ્યા હતા. વિકાસકામો અટકે નહીં તે માટે કમિશનરની સહી સાથે આ દરખાસ્તો કમિટીઓ સુધી પહોંચાડાઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે, કમિટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયોની જાણ વહીવટી પાંખ દ્વારા કમિશનરને કરવામાં આવતી નહોતી. કાર્યપાલક ઇજનેરો માત્ર ઠરાવના આધારે સીધા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેતા હતા. કમિશનરને પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિની જાણ ન હોવાને કારણે ઘણીવાર પ્લાનિંગ અને બજેટ ફાળવણીમાં ગંભીર ગૂંચવણો સર્જાતી હતી. કમિશનર પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ જ લીલી ઝંડી આપશેડેપ્યુટી કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ પ્રોજેક્ટ ભલે તે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયો હોય, પરંતુ જો તેની કિંમત રુપિયા 5 કરોડથી વધુ હોય, તો તેનો વર્ક ઓર્ડર આપતા પહેલા ફાઈલ કમિશનર ટેબલ પર મોકલવી પડશે. કમિશનર પ્રોજેક્ટની જરૂરિયાત, ગુણવત્તા અને નાણાકીય જોગવાઈઓની સમીક્ષા કર્યા બાદ જ લીલી ઝંડી આપશે. ઝોન અને વિભાગીય વડાઓએ હવે દરેક મોટા કામનો રિપોર્ટ સીધો કમિશનર કચેરીમાં જમા કરાવવો પડશે.
પંચમહાલમાં 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ગૃહ વિભાગનો નિર્ણય
પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલાં લેવાયેલો આ નિર્ણય વહીવટી સ્તરે મહત્વપૂર્ણ પરિવર્તન સૂચવે છે. આ 11 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી આ બદલીઓ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું મનાય છે. ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રને વધુ સજ્જ અને નિષ્પક્ષ બનાવવાના હેતુસર આવા નિર્ણયો લેવાય છે. વિભાગીય સૂત્રો અનુસાર, બદલીઓના આદેશોનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી અધિકારીઓ નવી જગ્યાએ સમયસર કામગીરી સંભાળી શકે.
મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે રામનવમી ની જાહેર રજા હોવા છતાં, મનપાના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે લાલ આંખ કરી હતી, મનપાની રિકવરી ઝુંબેશ દરમિયાન કુલ 90 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે અને 22 મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જાહેર રજાના દિવસે પણ 487 કરદાતાઓએ જાગૃતિ દાખવી કુલ રૂ.66 લાખનો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો, આ સાથે જ નાણાકીય વર્ષ 2026-27 ની મનપાની કુલ આવક રૂ.173.55 કરોડ પર પહોંચી છે, નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે, તેમજ સીલિંગ કે કનેક્શન કપાત જેવી કડક કાર્યવાહીથી બચવા માટે બાકીદારોને વહેલી તકે પોતાનો વેરો ભરપાઈ કરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને લેક સિટી બનાવવાની દિશામાં અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના વિવિધ ઝોનમાં નાગરિકોના મનોરંજન અને પર્યાવરણની જાળવણી માટે કરોડોના ખર્ચે લેક ગાર્ડન વિકસાવવામાં આવ્યા છે. જોકે, આ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટી મર્યાદા એ જોવા મળી રહી છે કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મોટાભાગના તળાવોના પાણી સુકાઈ જાય છે અને મેદાનમાં ફેરવાઈ જાય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ રૂપે, મનપા પ્રશાસને હવે ડિંડોલી સ્થિત પ્રસિદ્ધ 'છઠ સરોવર'ને બારે મહિના પાણીથી ભરેલું રાખવા માટે કમર કસી છે. શહેરનો પ્રથમ 'ફ્લોટિંગ સોલાર પેનલ' પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતીઅગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા છઠ સરોવરમાં શહેરનો પ્રથમ 'ફ્લોટિંગ સોલાર પેનલ' પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવાનો અને સાથે જ તળાવના પાણીનું બાષ્પીભવન અટકાવવાનો હતો. જોકે, તાજેતરમાં આવેલા ફિઝિબિલિટી રિપોર્ટમાં આ પ્રોજેક્ટ માટેના ટેકનિકલ પાસાઓ નકારાત્મક જણાતા તંત્રએ આ યોજનાને હાલ પૂરતી પડતી મૂકી છે. પ્રોજેક્ટ રદ થતા હવે પાલિકાએ સરોવરના સૌંદર્યીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુંતળાવની ભૌગોલિક સ્થિતિ અને પાણીની સપાટી જાળવી રાખવામાં આવતી મુશ્કેલીઓને કારણે સોલાર પેનલ્સ બેસાડવી આર્થિક અને ટેક્નિકલ રીતે વ્યવહારુ જણાતી નહોતી. આ પ્રોજેક્ટ રદ થતા હવે પાલિકાએ સરોવરના સૌંદર્યીકરણ અને જળ સંગ્રહ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય અને બિહારી સમાજના લોકો વસવાટ કરે છે. આ સમુદાય માટે છઠ સરોવર માત્ર એક તળાવ નથી, પરંતુ આસ્થાનું મોટું કેન્દ્ર છે. દર વર્ષે છઠ પૂજાના પવિત્ર પર્વ પર અહીં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે. ચોમાસામાં છલકાતું આ સરોવર માર્ચમાં સુકાવા લાગે છેચોમાસામાં છલકાતું આ સરોવર માર્ચ મહિનો આવતા જ સુકાવા લાગે છે. મે અને જૂન મહિનામાં તો સ્થિતિ એવી સર્જાય છે કે, સરોવરમાં પાણીનું ટીપું પણ જોવા મળતું નથી. આને કારણે સ્થાનિક પર્યાવરણ પર તો અસર પડે જ છે, પરંતુ સાથે સાથે ગાર્ડનની મુલાકાતે આવતા લોકોમાં પણ નિરાશા જોવા મળે છે. લિંબાયત ઝોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે આ સરોવરને બારે મહિના જીવંત રાખવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં જ એક સ્પેશિયલાઈઝ્ડ કન્સલ્ટન્સી ફર્મની નિમણૂંક કરવામાં આવશે. આ કન્સલ્ટન્ટમાં જમીનમાં ઉતરેલા પાણીના સ્તરને કેવી રીતે વધારવું? સાથે નજીકના ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધ કરેલા પાણીનો ઉપયોગ કરી શકાય કે કેમ? તેમજ નેચરલ શેડિંગ અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા પાણીને સુકાતું કેવી રીતે બચાવવું? અને તળાવની સંગ્રહ ક્ષમતા વધારવા માટે જરૂરી ખોદકામ જેવા પાસાનો અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શહેરમાં 20થી વધુ તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છેસુરતના વરાછા, કતારગામ અને અડાજણ જેવા વિસ્તારોમાં પણ લેક ગાર્ડન બનેલા છે. મનપાના આંકડા મુજબ શહેરમાં 20થી વધુ તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ, જાળવણીના અભાવે અને કુદરતી સ્ત્રોતો સુકાઈ જવાથી આ 'લેક ગાર્ડન' માત્ર 'ગાર્ડન' બનીને રહી ગયા છે. છઠ સરોવરનો આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ રહેશે, તો આગામી સમયમાં શહેરના અન્ય તળાવોમાં પણ આ જ મોડલ લાગુ કરવામાં આવશે. ડિંડોલીના રહીશોએ પાલિકાના આ નિર્ણયને વધાવ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો સરોવરમાં બારે મહિના પાણી રહેશે, તો આસપાસના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને પક્ષીઓની સંખ્યામાં પણ વધારો થશે. ખાસ કરીને છઠ પૂજા વખતે પાણીની તંગીને કારણે જે કૃત્રિમ વ્યવસ્થા કરવી પડે છે, તેનાથી મુક્તિ મળશે. મનપા દ્વારા આગામી 15 થી 20 દિવસમાં કન્સલ્ટન્સીના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટ આવ્યા બાદ અંદાજિત ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવશે અને ઉનાળો પૂરો થાય તે પહેલા જ સરોવરના રિપેરીંગ અને વોટર મેનેજમેન્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરો માટે ઉનાળાના વેકેશનમાં પ્રવાસનું આયોજન કરવું હવે વધુ સરળ બનશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રાફિકને ધ્યાને રાખીને રાજકોટ થી લાલકુઆં (ઉત્તરાખંડ) વચ્ચે વિશેષ ભાડા પર 'વીકલી સમર સ્પેશિયલ' ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન બંને દિશામાં કુલ 8 ટ્રિપ્સ લગાવશે. ટ્રેનનું સમયપત્રક અને ફેરાટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સમર સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે રાત્રે 22.30 કલાકે ઉપડશે અને બુધવારે વહેલી સવારે 05.15 કલાકે લાલકુઆં પહોંચશે. આ સેવા 6 એપ્રિલ થી 27 એપ્રિલ, 2026 સુધી કાર્યરત રહેશે. સામે પક્ષે, ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે લાલકુઆંથી બપોરે 12.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.10 કલાકે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન 5 એપ્રિલ થી 26 એપ્રિલ, 2026 દરમિયાન દોડશે. રાજસ્થાન અને યુપીના મુખ્ય શહેરોમાં સ્ટોપેજઆ ટ્રેન ગુજરાતના વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ થઈને રાજસ્થાનના જોધપુર, જયપુર તથા ઉત્તર પ્રદેશના મથુરા, કાસગંજ અને બરેલી જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. આ લાંબા રૂટ પર મુસાફરોને સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર અને જનરલ ક્લાસની સુવિધા મળી રહેશે. બુકિંગની વિગતોરાજકોટથી ઉપડતી ટ્રેન નંબર 05046 માટેનું બુકિંગ 28 માર્ચ, 2026 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો સમયપત્રકની વધુ વિગત માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
આજે ગોધરા શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર 'જય શ્રી રામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી હિમેશભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શોભાયાત્રામાં હિન્દુ સમાજના તમામ વર્ગના લોકો અને ભારતીય જનતા પાર્ટી ગોધરાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ટેબ્લો રહ્યા હતા. નાસિક ઢોલ અને પુણેરી ઢોલના તાલે યુવાનો અને ભક્તો ઉત્સાહભેર ઝૂમ્યા હતા. ભગવાન શ્રી રામ દરબારના સુંદર ટેબ્લો તેમજ 'બાહુબલી હનુમાનજી'ની વિશેષ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉત્સવમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા, જે સમાજની એકતાનું પ્રતિક પૂરું પાડતું હતું. આ પ્રસંગે હિમેશભાઈ પરીખે શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી યાત્રાઓ સમાજમાં ભક્તિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવે છે. ગોધરાના રાજમાર્ગો પરથી પસાર થયેલી આ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના રહેવાસીઓ માટે પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં જળ વ્યવસ્થાપનને વેગ આપવા માટે ન્યારા ગામ પાસે 37.49 કરોડના અંદાજિત ખર્ચે 50 MLDની ક્ષમતા ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગેના ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ શહેરના માધાપર, ઘંટેશ્વર અને રેલનગર જેવા વિસ્તારોની અંદાજે 100,000થી વધુ વસતીને શુદ્ધ પાણીની ભેટ મળશે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે હાલની સ્થિતિમાં રાજકોટના આ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે. 'સૌની યોજના' અંતર્ગત મળતું કાચું પાણી સૌપ્રથમ ન્યારા ઓફટેક ખાતે લાવવામાં આવે છે પરંતુ, ત્યાં શુદ્ધિકરણની સુવિધા ન હોવાને કારણે આ પાણીને પાઈપલાઈન દ્વારા રૈયાધાર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. રૈયાધાર ખાતે પાણી શુદ્ધ થયા બાદ, તેને ફરીથી પંપ કરીને ઘંટેશ્વર અને ન્યારા ઓફટેક તરફ લાવવામાં આવે છે, જ્યાંથી સ્થાનિક સ્તરે વિતરણ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું આ પ્રક્રિયામાં માત્ર સમયનો જ વ્યય નથી થતો પરંતુ, વીજળી અને પરિવહન પાછળ પણ મોટો ખર્ચ થાય છે. વળી, લાંબી પાઈપલાઈન પ્રક્રિયામાં પાણીના જથ્થામાં ઘટાડો થવાની સંભાવના પણ રહેતી હોય છે. આ બધી 'કડાકૂટ' તેમજ ટેકનિકલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યારા ખાતે જ ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે. નવો પ્લાન્ટ કાર્યરત થતા જ કાચું પાણી સીધું ન્યારા ખાતે જ ફિલ્ટર થઈ જશે અને ત્યાંથી જ સીધું વિતરણ શરૂ કરી શકાશે. રેલનગર - માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા આ હાઈટેક ફિલ્ટરેશન પ્લાન્ટ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, જે પાણીની શુદ્ધતામાં અનેકગણો વધારો કરશે. 50 MLDની ક્ષમતા આસપાસના વધતા જતા રહેણાંક વિસ્તારોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી માનવામાં આવી રહી છે. ખાસ કરીને રેલનગર - માધાપર જેવા વિસ્તારો જે ઝડપથી વિકસી રહ્યા છે, ત્યાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની અછત અથવા લો-પ્રેશરની સમસ્યામાં આ પ્રોજેક્ટથી રાહત મળશે. નવા પ્લાન્ટના ફાયદાઓવીજળીની બચત: પાણીને રૈયાધાર સુધી ધકેલવા અને ત્યાંથી પાછું લાવવા માટે થતા પંપીંગ ખર્ચમાં ધરખમ ઘટાડો થશે.સમયસર વિતરણ: પાણી શુદ્ધિકરણ સ્થાનિક સ્તરે થવાથી વિતરણના સમયપત્રકમાં વધુ ચોકસાઈ આવશે.શ્રેષ્ઠ ગુણવત્તા: આધુનિક ટ્રીટમેન્ટ પ્રોસેસ દ્વારા નાગરિકોને પીવાનું વધુ સુરક્ષિત અને ચોખ્ખું પાણી મળશે. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશેરાજકોટ મનપા દ્વારા એકતરફ ન્યારા ખાતે 50 MLDના પ્લાન્ટ માટે ટેન્ડર બહાર પડ્યા છે, બીજી તરફ શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ન્યારી ડેમ પાસે રૂ. 143 કરોડના ખર્ચે બનનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા 150 MLD ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આમ મ્યુ. કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી 25 વર્ષની વસતી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ન્યારા ઓફટેક પાસેનો રૂ. 37.49 કરોડનો આ પ્રોજેક્ટ રાજકોટના ઉત્તર-પશ્ચિમ ઝોનના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
સુપરવાઈઝરનું ફિલ્મી ઢબે અપહરણ:પગાર બાકી હોવાથી કર્મચારીઓએ અપહરણ કરી માર માર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા
શહેરના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઈઝરનું અપહરણ કર્યું હતું. કર્મચારીઓ ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કરીને સુપરવાઈઝરને અલગ-અલગ સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી બે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ફિલ્ડ ઓફિસરને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતોનવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે રાજ બારોટ કામ કરતો હતો.રાજે તેના બે મિત્રોને પણ નોકરીએ રખાવ્યા હતા પરંતુ, તેમનો પગાર બાકી હોવાથી અવારનવાર વિવાદ સર્જાતો હતો. 24મી માર્ચે સાંજે રાજ બારોટ ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને ફોન કરીને શખ્સોએ ભીમજીપુરા બોલાવ્યો હતો. આ શખસોએ રાજને રસ્તા વચ્ચે આંતરીને ઢોર માર મારીને ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તેને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈને અન્ય મિત્રોને પણ બોલાવ્યા હતા. ત્યાં આરોપીઓએ ફિલ્ડ ઓફિસરને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો. પીડિત પાસે માફી મંગાવતો વીડિયો સો.મીડિયામાં વાયરલ કર્યોઆરોપીઓએ પીડિત પાસે માફી મંગાવતો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દાદાગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વાડજ પોલીસને જાણ થતાં પોલીસે અપહરણ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વિશાલ વાણીયા, નયન સાગડીયા, પિન્ટુ મકવાણા, હર્ષ મોભ, મિહીર મોભ તથા બે સગીર સહિત સાતેય આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા તાજેતરમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 'બેગ ફ્રી ડે'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વિના શાળાએ આવવાની તક મળી હતી. આ ખાસ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેમણે ડાન્સ ટીચર્સ પાસેથી ડાન્સના નવા સ્ટેપ્સ શીખ્યા હતા. શૈક્ષણિક પ્રવૃત્તિઓથી અલગ, વિદ્યાર્થીઓએ પોતાની કળા પ્રદર્શિત કરવા માટે 'ઇન્ટર હાઉસ ફ્રેન્ડલી ડાન્સ કોમ્પિટિશન'માં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડી, તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો. સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ મિત્રો સાથે આનંદ અને ડાન્સ પ્રવૃત્તિઓનો ભરપૂર લાભ લીધો હતો. શાંતિ એશિયાટિક સ્કૂલનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો.
ન્યૂયોર્કની કડકડતી ઠંડી અને ક્વીન્સના એક આલીશાન બંગલોમાંથી એક ક્રુર આદેશ ગુંજ્યો, દુનિયામાં કાં તો તમે કિલર છો, કાં તો લૂઝર. આ આદેશ આપ્યો હતો ફ્રેડ ટ્રમ્પે અને સાંભળનાર હતા દુનિયાના હાલના સૌથી શક્તિશાળી નેતા અને હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ. આ વાત દાયકાઓ પહેલા શીખવાડવામાં આવી હતી તે ટ્રમ્પ આજે વ્હાઈટ હાઉસમાં બેસે છે. ટ્રમ્પના બેફામ નિર્ણયો અને અણધાર્યો વ્યવહાર જોઈને બધાને મનમાં એક સવાલ થાય કે, આ માણસ આટલો કૃર અને વિચિત્ર કેમ છે? પોતાની જ ભત્રીજી મેરી ટ્રમ્પના ડોક્યુમેન્ટ્સથી માંડીને બોબ વુડવર્ડના સનસનીખેજ ખુલાસાઓ સીધી અને મેગી હેબરમેનની ડાયરીથી માંડીને ન્યૂયોર્કના ફ્રોડ કેસના કાગળિયાઓ સુધી દરેક પાનું અત્યારે એ જ સત્યની ચીસ પાડીને તેના જવાબ આપે છે. આજે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિની વાત કરવાના છીએ જેના માટે વાસ્તવિકતા કોઈ માયને નથી રાખતી, તેમને જોઈએ છે પબ્લિસિટી અને વર્ચસ્વ. 1980ના દાયકાનો એ આક્રામક રિયલ એસ્ટેટ ટાયકૂન અને 2026નો વેરની રાજનીતિ કરનાર નેતા કેવી રીતે અલગ છે અને તેમાં શું હજું પણ એવું ને એવું જ છે? આજે આપણે તેની વાત કરીશું. માત્ર આટલું જ નહીં આજે આપણે એ બધા જ પડદા પાછળના રાઝ હટાવીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આટલા બધા નાર્સિસિસ્ટ છે, કેમ બેફામ નિર્ણયો લઈ દુનિયા ધુણાવે છે અને તેનામાં જીતવાની આવી ઘેલછા ક્યાંથી જન્મી છે? નમસ્કાર.... અમેરિકાએ પોતાના ઈતિહાસમાં અત્યાર સુધી અલગ અલગ 45 રાષ્ટ્રપતિઓ જોયા પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા રાષ્ટ્રપતિ ક્યારેય નહીં જોયો હોય. તેમને મહાન માનવાવાળો પણ વર્ગ છે અને અમેરિકાની લોકશાહી માટે ખતરો માનવાવાળો પણ વર્ગ છે. ટ્રમ્પના પરિવારમાં વિક્ટ્રીનો જ સિક્કો ચાલતો તેમને સમજવા માટે આપણે તેમના પિતા ફ્રેડ ટ્રમ્પને સમજવા બહુ જરૂરી બની જાય છે. મેરી ટ્રમ્પ જે ટ્રમ્પના ભત્રીજી છે અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ પણ છે તે પોતાના પુસ્તક ટુ મચ એન્ડ નેવર ઈનફમાં લખે છે કે, “ટ્રમ્પ પરિવારના ઘરમાં પ્રેમ જેવી કોઈ વસ્તુની કોઈ કિંમત નથી. ત્યાં માત્ર એક જ સિક્કો ચાલે છે વિક્ટ્રી” ‘વિનર vs લૂઝર’ ફિલોસોફી ફ્રેડ પોતે એક ટફ રિયલ એસ્ટેટ ડેવલોપર હતા. તેમણે પોતાના સંતાનોના મગજમાં એક વાત બરોબરની ફીટ કરી દીધી હતી કે દુનિયામાં બે જ પ્રકારના લોકો છે વિનર્સ અને લુઝર્સ. તેમના મતે જો તમારે દુનિયામાં સફળ થવું હોય તો તમારે કિલર બનવું પડે એટલે કે જેમાં દયા, સહાનુભૂતિ કે નમ્રતા છે તે નબળો માણસ છે. ભાઈના મૃત્યુથી મળેલો કડવો પાઠ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયર ટ્રમ્પ પણ સ્વભાવે સોફ્ટ હતા. તેઓ પાયલટ બનવા માગતા હતા પણ તેમના પિતાને આ સોફ્ટનેસ મંજૂર નહોતી. તેમણે ફ્રેડને એટલા અપમાનિત કર્યા કે તે એલ્કોહોલિઝમના શિકાર બન્યા અને ખાલી 42 વર્ષની ઉંમરે દુનિયા છોડી જતા રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે આ બધું પોતાની નજરે જોયું. તેમણે સમજી લીધું કે બાપની નજરમાં હિરો બનવું હોય તો તેના ભાઈ જેવું નથી થવાનું અને કડક બનવું પડશે. જો આવું કરવું હોય તો કઠોર બનવું પડશે. જેના કારણે તેણે પોતાની અંદરની લાગણીઓનો જ બલિ ચઢાવી દીધો. પિતાની કિલર એટલે કે વિનર બનવાની વિચારધારાને ટ્રમ્પે જીવન બનાવી લીધું. માતાની ગેરહાજરીનો અસર પરંતુ વાત માત્ર પિતાના પ્રભાવ સુધી મર્યાદિત નથી. ડોનાલ્ડના જીવનમાં જે એક મોટી ખોટ રહી ગઈ, તે હતી માતૃત્વની હૂંફ. ડોનાલ્ડના જીવનમાં માનો કોઈ રોલ નથી રહ્યો કારણ કે ડોનાલ્ડ જ્યારે અઢી વર્ષના જ હતા ત્યારે તેમની માતા મેરી એની મેકલોડ ગંભીર બિમારીઓનો શિકાર બન્યા. સાયકોલોજિસ્ટ માને છે કે જ્યારે ડોનાલ્ડના જીવનમાં માતાની હાજરી હોવી જોઈતી હતી તે નહોતી. જેના કારણે ડોનાલ્ડમાં એમ્પથીનો એ પણ ન આવ્યો. મેરી ટ્રમ્પના ખુલાસા મેરી ટ્રમ્પના એ શબ્દો આજે પણ અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં ગુંજે છે, જેમાં તેઓ દાવો કરે છે કે ટ્રમ્પ પરિવારમાં પ્રેમ એ કોઈ લાગણી નહીં, પણ એક કમજોરી ગણવામાં આવતી હતી. મેરી લખે છે કે, “ડોનાલ્ડને ક્યારેય એવું માતૃત્વનું પોષણ મળ્યું નહીં જે ભાવનાત્મક સ્થિરતા આપે. પિતા ડરામણા હતા અને માતા ગેરહાજર. જેના કારણે ડોનાલ્ડ એવા બાળક બનીને મોટા થયા જેમને સતત બીજાનું ધ્યાન ખેંચવાની અને બીજાની પ્રશંશાની ભૂખ હોય. એટલા માટે જ આજે પણ ટ્રમ્પ સ્ટેજ પર હોય ત્યારે તેમની એંદર એ જ નાનું બાળક દેખાય છે જે દુનિયાને કહી રહ્યું છે કે મને જુઓ હું કેટલો મહાન છું. ” ટ્રમ્પને ઘડનાર 7 કારણો મેરી ટ્રમ્પ મુજબ 7 એવી ઘટનાઓની વાત કરીએ જેણે ટ્રમ્પને ટ્રમ્પ બનાવ્યા મિલિટરી સ્કૂલનો કડક પ્રભાવ ડોનાલ્ડનો તોફાની સ્વભાવ જોઈને તેમના પિતાએ 13 વર્ષની ઉંમરે જ તેમને ન્યૂયોર્કની મિલિટરી એકેડમીમાં મોકલી દીધા. ડોનાલ્ડ જ્યારે ક્વીન્સના આલીશાન બંગલાનો ત્યાગ કરી ન્યૂયોર્ક મિલિટરી એકેડમી NYMA પહોંચ્યા, ત્યારે માહોલમાં ઠંડી સાથે એક અજીબ સન્નાટો હતો. એ મિલિટરી યુનિફોર્મ માત્ર કપડાં નહોતા, પણ એક કઠોર પિતા દ્વારા આપવામાં આવેલી દેશનિકાલ જેવી સજા હતી. ત્યાંની પથ્થર જેવી શિસ્તમાં ડોનાલ્ડે ભાવનાઓનો ત્યાગ કરી, સત્તાના જોરે બીજાને કેવી રીતે નમાવવા તે કળા આત્મસાત કરી લીધી. ડરથી શાસન શીખ્યો ટ્રમ્પે ટ્રમ્પના NYMAના ક્લાસમેટનું કહેવું છે કે ડોનાલ્ડ ત્યાં આયરન ફિસ્ટથી શાસન કરતા હતા. તેમણે શીખ્યું કે લીડરશીપ એટલે લોકપ્રિયતા નહીં, પણ બીજાને ડરાવીને પોતાની વાત મનાવવી. ડોનાલ્ડના મેન્ટોર કોલોનલ થિયોડોર ડોબિયાસ હતા. જેઓ ખૂબ જ સ્ટ્રિક્ટ સ્વભાવના માણસ હતા. ટ્રમ્પે તેમની પાસેથી શીખ્યું કે જે સત્તામાં છે, તે નિયમો બનાવી શકે પણ શકે છે અને તોડી પણ શકે છે. ખુંખાર વકીલ રાય કોહનનો પ્રભાવ ત્યાર બાદ 1970ના ગાળામાં જ્યારે ડોનાલ્ડ ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઉતર્યા ત્યારે તેમની મુલાકાત એક એવા વકીલ સાથે થઈ જેણે તેમનું જીવન બદલી નાખ્યું. નામ હતું રાય કોહન. એ ટ્રમ્પના રાજકીય ગુરુ હતા. તે કોઈ સાદા સિમ્પલ વકીલ ન હતા પણ ખૂબ જ ખુંખાર અને કુખ્યાત મિજાજના વકીલ હતા. મહાન અમેરિકન વકીલ મેકકાર્થી યુગના આ કુખ્યાત શખ્સ કોહને ટ્રમ્પને શિખવાડ્યું કે કાયદો ન્યાય માટે નહીં, પણ દુશ્મનને ધૂળ ચટાડવા માટેનું હથિયાર છે. 1973માં જ્યારે ટ્રમ્પ પર ભેદભાવના ગંભીર આરોપો લાગ્યા, ત્યારે કોહને ગુરુમંત્ર આપ્યો કે, “ક્યારેય માફી ન માગવી, પણ સામો એટલો મોટો વળતો પ્રહાર કરવો કે સરકાર પોતે ડરીને બેકફૂટ પર આવી જાય.” કેસને હથિયાર બનાવવાની નીતિ 1973માં ટ્રમ્પ પર બ્લેક ભાડૂતો સાથે ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો હતો ત્યારે કોહને જ ટ્રમ્પને શીખવ્યું હતું કે માફી ન માગવી પણ સરકાર સામે જ મુકદ્દમો ઠોકી દેવો. આ જ ટ્રમ્પની ફિલોસોફીની તાકાત બની. ટીવી શૉથી બનાવી ઈમેજ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે તેમનો રિયાલિટી શો ધ એપ્રેન્ટીસ બહુ કામ લાગ્યો. મેગી હેબરમેન તેમના પુસ્તક કોન્ફિડેન્સ મેનમાં લખે છે કે, આ શો એ ટ્રમ્પની એક એવી છબી બનાવી જે હકિકતમાં હતી જ નહીં. નકલી ઈમેજથી રાજનીતિમાં કૂદવું આ શોમાં ટ્રમ્પને એક ખૂબ જ સફળ, ડિસિપ્લિન્ડ અને કઠોર અબજોપતિ તરીકે બતાવવામાં આવ્યા. જ્યારે હકીતમાં ટ્રમ્પની અનેક કેસિનો અને હોટલ દેવાળિયું ફૂંકી રહી હતી. શોના પ્રોડ્યુસર્સે છેલ્લે માન્યું કે તેણે પોતાના નિવેદનો સુધારીને પોતાને જીનિયસ બોસ તરીકે રજૂ કર્યાં. અમેરિકન્સે ટ્રમ્પની નકલી છબીને અસલી માની અને ટ્રમ્પના પોલિટિકલ કરિયરની ગાડી ચાલી પડી. પોતાને કેમ સ્પેશિયલ માને છે? સાયકોલોજિસ્ટે ટ્રમ્પના કેરેક્ટરને મિલોન ઈન્વેન્ટરી ઑફ ડાયગ્નોસ્ટિક ક્રાઈટેરિયા તરીકે ગણાવ્યું. આ લાંબા લચકા શબ્દનો અર્થ થાય છે. આવો માણસ પોતાની જાતને ખૂબ જ સ્પેશિયલ માને છે અને એવું માને છે કે દુનિયા તેમને સલામ કરે છે. તેમને બીજાને ઑર્ડર આપવો ખૂબ ગમે છે. તે હંમેશા લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચવા માગે છે. ટ્રમ્પને આત્મશ્લાઘાની બીમારી? પણ આની પાછળ એક કિલર એંગલ છે જેને સાયકોલોજિકલ એક્સપર્ટ્સ મેલિગ્નન્ટ નાર્સિસિઝમ કહે છે. આ એવા લોકો હોય છે જેમને બીજાના દુખથી કોઈ ફરક નથી પડતો અને તેઓ પોતાના ઈગોને સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. 2026માં યુક્રેન વિવાદ હોય કે ઈરાન પરના તેમના તદ્દન વિરોધાભાસી નિવેદનો, ટ્રમ્પ માટે દરેક ક્ષણ એક ઈન્ડિપેન્ડેન્ટ યુદ્ધ છે. જો જૂની વાત તેમના પ્રેઝેન્ટ વિક્ટ્રીને નડતી હોય, તો તેઓ તેને પસ્તીની જેમ ફેંકી દેવામાં જરાય અચકાતા નથી, કારણ કે તેમના માટે સત્ય ક્ષણભંગુર છે. રાઈટ નાવમાં જીવતા ટ્રમ્પ જ્યારે ફેમસ સાયકોલોજિસ્ટ ડેન પી. મેકએડમ્સે ટ્રમ્પના કેરેક્ટર અને હાવભાવની સ્ટડી કરી તો તેમને એક ખૂબ જ અજીબ વાત નજરે પડી. સામાન્ય રીતે લોકો પોતાની લાઈફને એક સ્ટોરી તરીકે જુએ છે. જેમાં તેઓ ભૂતકાળની ભૂલોમાંથી શીખતા હોય છે અને તેના પછી ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય છે પણ ટ્રમ્પ માટે આવું કંઈ જોવા ન મળ્યું. ટ્રમ્પ રાઈટ નાવમાં જીવે છે. ટ્રમ્પ માટે જીવન ગેમ ઑફ થ્રોન્સ જેવું ટ્રમ્પની નજરે જીવન એક અલગ અલગ એપિસોડ્સ કે ગેમ ઓફ થ્રોન્સ જેવી સિરિઝ છે. ટૂંકમાં ટ્રમ્પ એવા માણસ છે કે એકવાર તે ખોટું બોલે છે તો બીજીવાર તે તેની એકદમ ઓપોઝિટ વાત કરે છે, જેનો તેને કોઈ પછતાવો પણ નથી હોતો કારણ કે તેમના માટે બંને સમય અલગ અને ઈન્ડિપેન્ડેન્ટ છે. માટે જ આવા લોકો ક્યારેય પોતાની ભૂલો સ્વીકારી શકતા નથી અને તેમાંથી શીખી પણ નથી શકતા. તેમના માટે સાચું એ જ છે જે તેમને જીતવા માટે કે આગળ વધારવા માટે મદદ કરે છે. રાષ્ટ્રપતિ પદે 30 હજાર જુઠ્ઠાણા ટ્રમ્પે જ્યારે રાષ્ટ્રપતિ પદે પોતાનું એક વર્ષ પૂરું કર્યું ત્યારે વોશિંગ્ટન પોસ્ટની ફેક્ટ ચેક ટીમે એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હતું. જેના મુજબ ટ્રમ્પે પોતાના પહેલા રાષ્ટ્રપતિ ટર્મમાં 30 હજારથી વધુ ખોટા, પાયાવિહોણા અને ભ્રામક દાવા કર્યા હતા. સત્ય કરતાં જીત મહત્વની સાયકોલોજિસ્ટ આને ઈલ્યુઝનરી ટ્રુથ ઈફેક્ટ કહે છે. ટૂંકમાં જો તમે એક ને એક ખોટી વાત 100વાર કહો છો તો લોકો તેને સાચું માનવા લાગે છે. ટ્રમ્પ માટે ફેક ન્યૂઝ એ શબ્દ નથી પણ વેપન છે. જે ઈન્ફોર્મેશનમાં તેમને મજા આવે તે જ માનવી અને ન મજા આવે તેને નકારી દેવી. અને તેના જ બેઝ પર એક બેઝલેસ રિયાલિટી ઉભી કરવી. જેમાં તેમની માસ્ટરી છે. ટ્રમ્પની પોલિટિક્સ જોઈએ તો તેમાં એક વસ્તુ નજરે પડે છે. તે પોતાના વિરોધીઓના હુલામણા નામો પાડે છે. ટ્રમ્પ એકવાત બખૂબી જાણે છે કે લોકો લાંબા ભાષણો વહેલા ભૂલી જાય છે પણ આવા નિકનેમ્સ ક્યારેય નથી ભૂલી શકવાના. આ કોઈના કેરેક્ટર પર એક સાયકોલોજિકલ એટેક છે. એક હાથ સે દો, એક હાથ સે લો ઘણા ઈન્ટરનેશનલ રિલેશન્સના જાણકાર લોકો માને છે કે ટ્રમ્પની વિદેશ નીતિ લેવળ દેવળ વાળી છે. એક હાથથી દો અને બીજા હાથથી લો. ટ્રમ્પ પોતાના જેવા સ્ટ્રોંગ લોકો એટલે કે પુતિન અને કિમ જોંગ ઉન માટે એક અલગ પ્રકારનું એટ્રેક્શન મહેસૂસ કરે છે. કારણ કે ટ્રમ્પ પોતાને તેના જેવા જ લીડર તરીકે જુએ છે. વિદેશનીતિના પાયા હલાવ્યા ટ્રમ્પને નૈતિક દુનિયામાં જીવવું નથી ગમતું કારણ કે તેમણે જ યુનાઈટેડ નેશન્સ અને નાટો જેવા સંગઠનોને નજીવા અને નમાલા ગણાવી દીધા છે. તેમના મતે આવા પ્લેટફોર્મ્સ એક સોદો છે. જો તમે પૈસા નહીં આપો તો અમે તમને રક્ષણ નહીં આપીએ. આમાં તમને નિર્ણય લેનારમાં નેતા અને વેપારી બંને નજરે પડશે. જેના જ કારણે અમેરિકાની દાયકાઓ જૂની વિદેશ નીતિના પાયા હલી ગયા છે. હવે ટ્રમ્પના વ્યક્તિત્વના કારણે રાષ્ટ્રપતિ જેવા સન્માનિત પદ પર લેવાયેલા નિર્ણયોની પણ વાત કરીએ જેણે દુનિયાને હચમચાવી નાખી. ટગ ફિલિંગથી અતિ આત્મવિશ્વાસ મનોવૈજ્ઞાનિકો માને છે કે આ જ ગટ ફિલિંગ પર અતિશય વિશ્વાસ અને એક્સપર્ટ્સની સલાહોને ન માનવાના કારણે ટ્રમ્પે પોતાના નિર્ણયોના કારણે દુનિયા ધુણાવી છે. કારણ કે ટ્રમ્પ તેમને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસ ગણે છે. ડીલ મેકર ઈમેજ ધ આર્ટ ઓફ ધ ડીલ નામના પુસ્તકમાં ટ્રમ્પે પોતાને ડિલ મેકર ગણાવ્યા છે. ટ્રમ્પ પોતાને આ પુસ્તકના લેખક ગણાવે છે પણ કહેવાય છે કે ખરેખર આ પુસ્તક ટોની શ્વાર્ટઝે લખ્યું હતું. જેને 2016ના એક ઈન્ટરવ્યૂમાં મોટો ધડાકો કર્યો હતો. તેમણે લખ્યું કે, “મને પસ્તાવો છે કે મેં ટ્રમ્પની છબી આટલી ભવ્ય બનાવી. હકીકતમાં તેઓ એક સોશિયોપેથ છે જેમને માત્ર પોતાની જ પડી છે.” ટ્રમ્પને પોતાની વાહવાહી જ ગમે છેઃ ટોની શ્વાર્ટઝ ટોનીનું કહેવું છે કે ટ્રમ્પ ક્યારેય એકાગ્રતાથી વાંચી નથી શકતા, તે હંમેશા અન સ્ટેબલ હોય છે અને તેમને હંમેશા પોતાની વાહવાહી ગમે છે. તેમણે કહ્યું હતું કે આ પુસ્તક ફરી લખવાનું કહેવામાં આવે તો તેનું હેડિંગ ધ સોશિયોપેથ હશે. પિતાની નજરમાં લૂઝર નહોતું બનવું ન્યૂયોર્કના કોર્ટના ધૂળ ખાતા દસ્તાવેજો પર નજર કરીએ તો ટ્રમ્પે વર્ષો સુધી પોતાની સંપત્તિના ખોટા વેલ્યુએશન જ કર્યા છે એવું જણાય છે. કેમ? ખાલી ટેક્સથી બચવા નહીં પણ પોતાની જાતને અસલી સંપત્તિ કરતા વધુ અમીર બતાવવા માટે. આ એક સાયકોલોજીકલ નીડ હતી. તેમને એવું લાગતું હતું કે જો તેઓ અબજોપતિ નહીં દેખાય તો તે પોતાના પિતાની નજરમાં વિનર નહીં પણ લૂઝર સાબિત થશે. રાષ્ટ્રપતિ પદે બેજવાબદાર નિર્ણયોથી દુનિયા ધૂણાવી વિખ્યાત પત્રકાર બોબ વુડવર્ડના પુસ્તકો ફિયર અને રેજમાં ટ્રમ્પના એવા 7 કિસ્સાઓ છે જે દુનિયાને હચમચાવી નાખે છે… ટ્રમ્પ નિર્સિસિઝમથી પીડિત? એક શબ્દ છે નાર્સિસિસ્ટ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે આત્મશ્લાઘા, સાવ સાદી રીતે સમજીએ પોતાની જાતને જ પ્રેમ કરવો અને મહાન માનવું. ટ્રમ્પની ભત્રીજી મુજબ ટ્રમ્પ નાર્સિસિઝમના 7 પાયાઓ પર ખરા ઉતરે છે ઉછેર અને સાયકોલોજીનો પ્રભાવ પણ આપણે 1980ના દાયકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને અત્યારને ટ્રમ્પને કમ્પેર કરીએ તો ત્યારે તે એક સેલ્ફ પ્રોમોટર બિઝનેસમેન હતા જેમને ન્યૂયોર્કની હાઈ સોસાયટીમાં જગ્યા જોઈતી હતી. પણ હાલના ટ્રમ્પ અલગ છે. આજે તેમની પાસે રાજકીય સત્તા છે અને તેમની લડાઈ હવે પોપ્યુલારિટી માટે નહીં પણ બદલા માટે છે એવું એક્સપર્ટ્સનું માનવું છે. વિજય vs સત્ય પણ ત્યારના અને અત્યારના ટ્રમ્પમાં કોમન વાત છે તેમનો અહંકાર, તેમની બોલવાની રીત અને નિયમો તોડવાની વૃત્તિ. પહેલા તેમની અનસ્ટેબિલિટીની અસર ખાલી અમેરિકાને કે ન્યૂયોર્કને પડતી હતી પણ હવે આખી દુનિયાને પડે છે. બાળપણની તોફાની હરકતો આ બધુ આપણને કહી જાય છે કે ટ્રમ્પ વિચિત્ર નથી પણ તે એવા સોશિયલ સ્ટાન્ડર્ડ્ઝને નકારે છે જેને આપણે શિષ્ટ કે પવિત્ર કહીએ છીએ. તેમનો ઉછેર, તેમની સાયકોલોજીકલ એરર અને સત્તાની ભૂખે જ આજના ટ્રમ્પને આવા બનાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પમાં અમેરિકા પોતાની એવી છબી જુએ છે જે વિનરની હોય છે. પણ ખરેખરમાં વિજય કરતા સત્ય મોટું હોય છે. અને છેલ્લે… આપણે વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પને 13 વર્ષની ઉંમરે મિલિટરી સ્કૂલ મોકલવામાં આવ્યા હતા પણ શા માટે મોકલવામાં આવ્યા હતા તેની વાત કરીએ. ટ્રમ્પ પોતાની નિશાળમાં ખૂબ જ તોફાની અને જીદ્દી મિજાજના હતા. છોકરાઓ સામે ગુંડાગર્દી તો છોકરીઓની ચોટલી ખેચતા હતા, મ્યુઝીક ટીચરને તો આંખમાં મુક્કો મારીને આંખ સોજાડી દીધી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલમાં સોશિયલ આઈ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની આમંત્રિત શાળાઓના મધ્યમ વર્ગના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે ડાન્સ, મેજિક શો, ગરબા અને મિમિક્રી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું, જેનાથી બાળકોને ખૂબ આનંદ થયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 'પાણી બચાવો' વિષય પર જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. દરેક વિદ્યાર્થીને ભેટ સ્વરૂપે ફૂલસ્કેપ ચોપડા પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાજ સ્કાયલાઈન હોટલના તમામ સ્ટાફ મેમ્બર્સ અને સોશિયલ આઈ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. આમંત્રિત શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને, દિવ્યાંગ બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સૌએ સાથે મળીને તેમને પણ આનંદ કરાવ્યો હતો.
સમી કૉલેજમાં ‘થનક-2026’ વાર્ષિકોત્સવ સંપન્ન:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રસ્તુતિઓ રજૂ કરી
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે વાર્ષિકોત્સવ ‘થનક-2026’ તાજેતરમાં સંપન્ન થયો. આ મહોત્સવ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને અભિવ્યક્તિ આપતું એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક માધ્યમ બન્યો હતો. સમારોહના અધ્યક્ષ પદેથી વિસનગરની એમ.એન. કૉલેજના આચાર્ય ડૉ. આર. ડી. મોઢે યુવાઓ માટે ઉપલબ્ધ વિશાળ તકો અને સાચી દિશામાં પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો. મુખ્ય મહેમાન ડૉ. એન. કે. સોનારાએ વિદ્યાર્થીઓને વાંચનની આદત કેળવવા પ્રેરણા આપી હતી, જ્યારે અતિથિ વિશેષ ડૉ. ભરત એમ. ચૌધરીએ વિશ્વના વિભૂતિઓના સંઘર્ષ અને સફળતાના પ્રસંગો ટાંકીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ક્ષણે વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ છવાયો હતો. આચાર્ય ડૉ. ટી. પી. આનંદના કુશળ માર્ગદર્શન અને કૉલેજના તમામ સ્ટાફ મિત્રોના સક્રિય સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કૉલેજના મુખ્ય પ્રવેશદ્વારને કલાત્મક રીતે શણગારવામાં કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. આરતી પ્રજાપતિ અને પી.ટી.આઈ. ડૉ. જાગૃતિ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર ઉત્સવનું સંચાલન અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડૉ. ચેતન પ્રજાપતિ, સંસ્કૃત વિભાગના ડૉ. ખુશ્બુ મોદી અને ગુજરાતી વિભાગના ડૉ. હાર્દિક પ્રજાપતિએ કર્યું હતું. અંતમાં, ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક શ્રી જેવત ચૌધરીએ આભાર વિધિ કરી હતી.
વડોદરા જિલ્લાના પાદરા નગર વિસ્તારમાં બજરંગનગર પાછળ આવેલા ખેતરમાં જિલ્લા પોલીસ દ્વારા દરોડો પાડીને 2.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી બુટલેગર પિતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી ફરાર થઈ ગયો તેને વોન્ટેડ જાહેર કરાયો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડીમાહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પૃથ્વી પટેલે પોતાના ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છૂટક વેચાણ કરે છે. આ બાતમીને આધારે સ્થળ પર પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંભુ માળી ફરાર થઈ ગયો હતોઆ દરોડા દરમિયાન પૃથ્વી રીંકીન પટેલ અને તેમના પિતા રીંકીન ભોગીલાલ પટેલને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ દારૂના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓ દારૂનો જથ્થો શંભુ માળી (રહે. તરસાલી, વડોદરા) પાસેથી લાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન શંભુ માળી ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે. 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે સ્થળ પરથી 2.11 લાખનો દારૂ એક મોબાઇલ ફોન અને એક વાહન સહિત કુલ રૂપિયા 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં ચૈત્ર આઠમ અને શ્રી રામ નવમીના પવિત્ર અવસરે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી મહાનગરપાલિકા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે ઓટોરિક્ષા સ્ટીકર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કુંવારિકા કન્યાઓ દ્વારા કંકુ-ચોખાની પરંપરાગત વિધિ કરીને અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, આ અભિયાન મારફતે કોંગ્રેસ શહેરના દરેક ખૂણામાં પહોંચવાનો પ્રયાસ કરશે. ઓટોરિક્ષા દ્વારા પાર્ટીનો સંદેશ સીધો લોકો સુધી પહોંચશે અને જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત થશે. કોંગ્રેસ લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડશે અને વડોદરાને સુવિધાસભર તથા સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાન માત્ર રાજકીય પ્રચાર પૂરતું નથી, પરંતુ શહેરના નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી તેમની સમસ્યાઓ અને કોંગ્રેસના સંકલ્પો પહોંચાડવાનો પ્રયાસ છે. ઓટોરિક્ષા સ્ટીકર અભિયાન દ્વારા શહેરના દરેક વિસ્તાર સુધી પહોંચીને જનતા સાથે સક્રિય જોડાણ મજબૂત કરવામાં આવશે. વર્તમાન શાસન સામે કોંગ્રેસ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને આવનારી ચૂંટણીમાં જનતા પરિવર્તન તરફ આગળ વધશે. ભાજપના શાસન પર પ્રહાર કરતાં ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વિકાસના નામે માત્ર વાયદાઓ અને જાહેરાતો કરવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે. હરણી બોટ કાંડ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા હોવા છતાં પીડિતોને પૂરતો ન્યાય મળ્યો નથી, એમ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે શહેરની આધારભૂત સુવિધાઓ અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. રસ્તાઓની હાલત ખરાબ હોવાનું, ખાડાઓના કારણે લોકો પરેશાન થતા હોવાનું તેમજ ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા નિષ્ફળ ગયાની વાત તેમણે ઉલ્લેખી હતી. વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં વિકાસની હકીકત સામે આવી રહી છે અને હવે જનતા પરિવર્તન માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, આશિષભાઈ જોશી, સ્વેજલ વ્યાસ, મહેન્દ્રસિંહ રાઠોડ સહિત શહેર કોંગ્રેસના સિનિયર નેતાઓ, કોર્પોરેટરો, આગેવાનો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાએ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) અને LT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સી. વી. રામન કોમ્પિટિશન -2025/26માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધામાં સુરત જિલ્લા અને સુરત શહેરની કુલ 51 શાળાઓએ ભાગ લીધો હતો. ઓનલાઈન મોડમાં યોજાયેલી આ સ્પર્ધામાં શાળાની કૃતિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાના બાળ વૈજ્ઞાનિકો વર્મન દિપાલી નોનેલાલ અને રિદ્ધિ વિશાલભાઈ રાવળે 'ઇન્ફ્રારેડ સ્વીચ' નામની કૃતિનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું. વિજેતા ટીમને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય રોશનીબેન ટેલરે આ સિદ્ધિ બદલ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષક વર્ષાબેન પટેલ, આરતીબેન સારંગ અને કૉ-ઓર્ડીનેટર દર્શનભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજને કાળાબજારમાં વેચવાનું આખું રેકેટ સક્રિય હોવાની આશંકા વચ્ચે આજરોજ માંગરોળ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. માંગરોળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે બોલેરો પિકઅપ વાહનોને આંતરીને તેમાંથી હજારો કિલો શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો માંગરોળથી કેશોદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. જે. પટેલ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન બે બોલેરો પિકઅપ ગાડીઓ શંકાસ્પદ જણાતા તેને ઉભી રાખવામાં આવી હતી. આ વાહનોની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં અનાજ ભરેલા કોથળા મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી અનાજ (રેશનિંગ) હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ અને વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા મુદ્દામાલની વિગતો જોઈએ તો, કુલ 8,790 કિલો અનાજનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ચોખાના કુલ 6,935 કિલોગ્રામના જથ્થાની કિંમત ₹1,52,570 (પ્રતિ કિલો ₹22 લેખે) આંકવામાં આવી છે. જ્યારે 1,855 કિલોગ્રામ ઘઉંના જથ્થાની કિંમત ₹37,100 (પ્રતિ કિલો ₹20 લેખે) ગણવામાં આવી છે. આ ઉપરાંત અનાજની હેરાફેરીમાં વપરાયેલા બંને બોલેરો પિકઅપ વાહનોની કિંમત ₹6,00,000 ગણીને કુલ ₹7,89,670 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલમાં માંગરોળ પોલીસ દ્વારા આ અનાજ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી અનાજના કાળાબજારમાં સંડોવાયેલા મોટા માથાઓ સુધી પહોંચવા માટે પોલીસે પકડાયેલા વાહન ચાલકોની પૂછપરછ હાથ ધરી છે. અનાજનો જથ્થો સરકારી હોવાની પુષ્ટિ કરવા માટે પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પોલીસ તંત્ર દ્વારા હવે ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
જૂનાગઢ શહેરમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે 'રામ નવમી'ની અભૂતપૂર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનારની ગોદમાં વસેલું આ ઐતિહાસિક શહેર આજે સંપૂર્ણપણે 'રામમય' બની ગયું છે. શહેરની બે સૌથી મોટી અને મુખ્ય શોભાયાત્રાઓનું આજે ભવ્ય પ્રસ્થાન થયું છે. ઉપરકોટ નજીક આવેલા પ્રાચીન શ્રી રામ મંદિર અને ઝાંઝરડા ગામના રામ મંદિર ખાતેથી ભગવાન રામની શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા અને 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર ગિરિ તળેટી ગુંજી ઉઠી હતી. 6થી 7 કલાક સુધી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો અને ગલીઓમાં ફરશેઆજની આ મુખ્ય શોભાયાત્રામાં આશરે 40થી 45 જેટલા આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લોટ્સમાં રામાયણના વિવિધ પ્રસંગો અને પાત્રોને જીવંત કરવામાં આવ્યા છે, જેના દ્વારા નવી પેઢીને રામચરિત્રના મૂલ્યો સમજાવવાનો પ્રયાસ કરાયો છે. ઢોલ-નગારા, શરણાઈના સૂર અને ડીજેના તાલે યુવાનો અને મહિલાઓ ભક્તિના રંગમાં રંગાયા છે. હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ટ્રસ્ટના અગ્રણી ગોકુલ વસોયાએ જણાવ્યું હતું કે, અંદાજે 6થી 7 કલાક સુધી આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો અને ગલીઓમાં ફરશે, જ્યાં ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવશે. રામનવમી એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, જીવન જીવવાની મર્યાદા શીખવતો પર્વ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ રામ જન્મોત્સવના આ પવિત્ર અવસરે જોડાઈને જનતાને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ભગવાન રામના જીવનના આદર્શો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રામનવમી એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ જીવન જીવવાની મર્યાદા શીખવતો પર્વ છે. રામ રાજ્યની સ્થાપના ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેમના જીવનના ઓછામાં ઓછા એક વિચારને આપણા ચરિત્રમાં ઉતારીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે જોશીપુરાથી લઈને ઝાંઝરડા રોડ સુધી સમગ્ર જૂનાગઢ જાણે મિની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ ઝાંઝરડા રોડ પરથી શોભાયાત્રા કાઢવામાં આવીબીજી તરફ, ઝાંઝરડા રોડ વિસ્તારમાં પણ દિવાળી જેવો ઝાકઝમાળ માહોલ જોવા મળી રહ્યો છે. ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના ભાગરૂપે આજે લાઈવ ઓરકેસ્ટ્રા અને સંતવાણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રસ્તાઓ પર ભગવા રંગની ધજા-પતાકા અને આકર્ષક રોશનીના કારણે રાત્રીના સમયે આખો વિસ્તાર ઝળહળી ઉઠ્યો છે. દિવ્યેશ જેઠવા અને હરિઓમ પંચોલી જેવા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ ઝાંઝરડા રોડ પરથી જે શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ રામસેના પાત્ર ગ્રુપના સભ્યો વિવિધ પાત્રોના વેશ ધારણ કરીને આકર્ષણ જગાવી રહ્યા છે. શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ફરાળ અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા. શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ફરાળ અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. ગિરનારના આંગણે આજે જન્મોત્સવની પૂર્વ સંધ્યાથી લઈને આજની મુખ્ય શોભાયાત્રા સુધીની તમામ ઉજવણીઓએ ભક્તોમાં એક નવી ઊર્જા અને આધ્યાત્મિકતાનો સંચાર કર્યો છે.
ગઢડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરા હેઠળ આ વર્ષે પાંચમી વખત શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં યોજાયેલી આ શોભાયાત્રામાં સંતો-મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા શહેરના મઘરપાટ અંબાજી ચોકથી પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રા જીનનાકા, વાઢાળાચોક, માણેકચોક, નવી કાપડ બજાર, જુના મંદિર, ટાવર રોડ, બોટાદના ઝાંપે અને હાઈસ્કૂલ ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. તેમાં ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા અંદાજે 20 જેટલા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ભજન મંડળીઓ, બેન્ડ અને ડીજેના તાલે યુવાનો 'જય શ્રી રામ'ના નારા સાથે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કુલ ૧૦૩ જેટલા પોલીસકર્મીઓ બોડીવન કેમેરા, દૂરબીન અને વોકી-ટોકી જેવા આધુનિક સાધનો સાથે તૈનાત હતા. સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી, જેના પરિણામે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા અંગેની માહિતી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ આપી હતી.
બગવદર પોલીસે લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:મહિલા આરોપી ₹60.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીશલી ગામના ટીંબા સીમમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીના સંપૂર્ણ મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસે આ ચોરી અંગે સઘન તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે સ્થાનિક રહેવાસી શાંતિબેન કેશુભાઈ જેઠાભાઈ ખુંટી (ઉંમર 42) ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ ગુનાની કબૂલાત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ ચોરી કરેલા મૂળ દાગીના ઓળખાય નહીં તે માટે તેને ઓગાળીને તેમાંથી નવા દાગીના પણ બનાવી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા દાગીના અને રોકડ રકમ રિકવર કરી છે. જેમાં આશરે 422.96 ગ્રામ સોનાના દાગીના (ઓગાળેલા અને નવા બનાવેલા દાગીના સહિત) અને ₹1,50,000 રોકડ રકમનો સમાવેશ થાય છે. કુલ ₹60,61,132/- નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. બગવદર પોલીસે બાતમીના આધારે ચોરીનો 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ મહિલા આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રામ નવમીની ભવ્ય શોભાયાત્રા:વિવિધ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા આયોજન
મોરબીમાં રામ નવમીના પવિત્ર દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય રામ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં 'જય શ્રી રામ'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા મોરબીના સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરી હતી. શોભાયાત્રામાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આકર્ષક ફ્લોટ્સ, શણગારેલા વાહનો અને બગીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સનાતની ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, અને બાળકોને શિવ, રામ તથા કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષામાં સજ્જ કરવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈ મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ થઈને દરબારગઢ પાસે આવેલા રામ મંદિર મહેલ ખાતે સમાપ્ત થશે. નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. રાત્રે 12 વાગ્યે રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી સાથે શોભાયાત્રા સંપન્ન થશે.
વડોદરા શહેરમાં રામનવમી પર્વને લઈ આજે ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં આજે 23 જેટલી શોભાયાત્રાઓ નીકળી છે. ત્યારે શહેરના સંવેદનશીલ ગણાતા કુંભારવાડા વિસ્તારમાં આવેલા ફતેપુરા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં લોખંડી બંદોબસ્ત સાથે નીકળી હતી. આ યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફતેપુરા વિસ્તારમાંથી શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પસારસંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાંથી રામનવમીને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આરતી બાદ ડીજેના તાલ અને ભવ્ય આતિશબાજી સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. રામજીની શોભાયાત્રાનું ભવ્ય ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર આરતી કરવામાં આવી હતી. ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતુંઆ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે, કમિશનર અને એમની સાથે સાથે જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર, તમામ ડી.સી.પી દ્વારા તમામ મોબાઈલ દ્વારા, મોટરસાઈકલ, ડ્રોન, બીજી વીડિયો એનાલિટિક્સ સાથેના ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. એ જ પ્રમાણે જે 23 યાત્રાઓ અને 9 જેટલા ભંડારા છે એ પૈકી ઘણી યાત્રાઓ અત્યારે ચાલુ છે, ઘણી યાત્રાઓ અત્યારે નીકળવાની છે. શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્તહાલમાં 6 એસ.આર.પી ની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા પી.આઈ., પી.એસ.આઈ. અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને ડીપ પોઈન્ટમાં શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. વડોદરા સંસ્કારી નગરી છે, ખૂબ સારો માહોલ છે. તમામ ધર્મના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. આની પહેલા અમે દરેક ધર્મના આગેવાનો સાથે મીટીંગો કરી લીધી હતી. અત્યારે પણ જે મુખ્ય નાકાઓ છે ત્યાં બીજા ધર્મના જે અગ્રગણ્ય નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આજે શોભાયાત્રા નીકળવાની છે એમનું સ્વાગત કર્યું હતું.
ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક ગતરાત્રીનાધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનું વેરભાવ રાખીને 3 શખ્સોએ એક યુવાન ને ઢીકા-પાટુ નો મારમારી છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ને વાંસા અને ખંભા પાસે ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે કાળુ ઉર્ફે 302 સહિત બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા જીતુભાઈ છગનભાઈ ડોડિયા (ઉ.વ. 44)એ ફરિયાદ નોંધાવી છે કે, ગત મોડીરાત્રીના તેઓ શિવાજી સર્કલ ખાતે શાકભાજીના થડા પર બેઠા હતા ત્યારે તેમના મિત્રના દિકરાએ આવી જાણ કરી કે તેમના દીકરા જેનીસ પર છરીથી હુમલો થયો છે અને તેને રીક્ષામાં દવાખાને લઈ જવાયો છે. આ માહિતી મળતા જ તેઓએ તેમના નાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી અને બંને સર-ટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જેનીસ ન મળતા દિકરીનો ફોન આવ્યો કે જેનીસ ઘરે આવી ગયો છે. ઘરે પહોંચી તપાસ કરતા જેનીસને વાંસાના ભાગે ત્રણ ટાંકા અને જમણા ખંભા પાસે ઇજા જોવા મળી હતી. જેણે જણાવ્યા મુજબ, તે પોતાના મિત્રો સાથે શિવાજી સર્કલ શ્રીજી પાનના ગલ્લાની બાજુમાં ક્રિષ્ના બેકરી પાસે પાસે બેઠો હતો ત્યારે કાળુ ઉર્ફે 302 તથા બે અજાણ્યા શખ્સો આવ્યા અને ગાળો આપતા વિવાદ થયો હતો. જેનીસે ગાળો ન આપવા કહેતા કાળુ 302 એ મારમાર્યો અને અન્ય શખ્સે છરીથી હુમલો કર્યો હતો, જ્યારે ત્રીજા શખ્સે પણ મારપીટ કરી હતી. આસપાસ લોકો ભેગા થતા શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા, જ્યારે પિતા એ તેના દીકરાને ક્યાં કારણસર મારમાર્યો તે અંગે જાણવા પ્રયાસ કરતા,જણાવ્યું કે આ લોકો સાથે ધુળેટીના દિવસે થયેલી બોલાચાલીનો વેર રાખીને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થતા જેનીસને 108 મારફતે સર-ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે ઘોઘારોડ પોલીસે કાળુ ઉર્ફે 302 તથા બે અજાણ્યા શખ્સો સામે BNS કલમ 115(2), 118(1), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં કાકણપુર રામપુરા ગામે હડકાયા શ્વાનનો હુમલો:2 વર્ષની બાળકી અને વાછરડાને ગંભીર ઈજા
ગોધરા તાલુકાના કાકણપુર રામપુરા ગામે એક હડકાયા શ્વાને બે વર્ષની બાળકી અને એક વાછરડા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટના સમયે, બે વર્ષની બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. અચાનક આવેલા શ્વાને તેના પર હુમલો કર્યો અને કાનના ભાગે ગંભીર બચકાં ભર્યા. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેની સઘન સારવાર ચાલી રહી છે. આ હુમલા પહેલા, તે જ હડકાયા શ્વાને ગામમાં એક વાછરડા પર પણ હુમલો કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી 45 વર્ષીય પરિણીતા દ્વારા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 115 (2), 351 (2) સહિતની કલમ અંતર્ગત જુબેર કુરેશી (ઉવ.33) નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલામાં પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. ઝડપાયેલો શખ્સ રીક્ષા ડ્રાઇવર છે અને પરણિત છે. જેની સામે અગાઉ અમદાવાદમાં સાઇબર ફ્રોડનો ગૂનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. શહેરમાં રહેતી 45 વર્ષીય પરણિતાને 4 વર્ષ પહેલા ધાર્મિક સ્થળે દર્શન માટે જતી વખતે એક ઓટો રિક્ષા ચાલક સાથે પરિચય થયો હતો. રિક્ષા ચાલક જુબેર કુરેશીએ શરૂઆતમાં ભાડું ન લઈને તેણીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ જુબેર કુરેશી તેણીના ઘરે આવી ગયો હતો અને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. આ સાથે જ આરોપીએ વીડિયો બનાવીને ધમકી આપીને મૌન રહેવા મજબૂર કરી હતી. જે બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન આરોપી વારંવાર ઘરે આવી ધમકી આપી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હોવાનો આક્ષેપ છે. તાજેતરમાં પણ આરોપીએ પીડિતાને માર માર્યો હતો અને તેના હાથની આંગળી તોડી નાખી હતી. આ ઘટનાના પગલે પીડિતાએ સામાજિક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ થયો હતો. ભક્તિનગર પોલીસે બુધવારના રોજ આરોપી જુબેર કુરેશીની ધરપકડ કરી હતી અને ગુરૂવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે એક પણ દિવસના રિમાન્ડ ન માગતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પરણિત હોવા છતાં પણ ત્યકતાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે હવે તેને દુષ્કર્મના ગુનામાં જેલની સજા થઈ છે. ભાઈના પ્રેમલગ્નને લીધે માથાકૂટમાં યુવાનનું અપહરણ કરી માર માર્યો રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં પ્રેમલગ્નના ડખ્ખામાં યુવકનું અપહરણ થયું હતું અને ઢોર માર માર્યો હતો અને ધમકી અપાઈ હતી કે, દીકરીને ઘરે પાછી મુકી જાજે, નહિતર જાનથી મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું. આ અંગે આજીડેમ પોલીસે દીકરીના પિતા સહિતના સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ભરત કરમણભાઈ ભરવાડ (ઉં.વ. 22)એ જણાવ્યું કે, હું કોઠારીયા સોલવંટમાં મારા પરિવાર સાથે રહું છું. ભાઈ વિજય (ઉં.વ.24)ને 8 માસ પહેલા રામભાઈ ટોળીયાની દીકરી પાયલ સાથે પ્રેમ લગ્ન થયા છે. દરમિયાન 25 માર્ચના રાત્રીના 10 વાગ્યે હું મારી મોબાઇલની દુકાન બંધ કરી મારા ફઈ અનુબેન મંગાભાઈ જોગરાણાના ઘરે જતો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો આવ્યા અને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ધીરુભાઈ ટોળીયા, રામભાઇ ટોળીયા, રાહુલ અને ખોડાભાઈ જોગરાણા પણ ત્યાં આવી ગયા હતા. જે બાદ કારમાં અપહરણ કરી શાપરના ગોંડલ રોડ પાસેના પુલ બાજુ લઈ ગયા હતા. જ્યાં ગાડી ઉભી રાખી મને ઉતારી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જે બાદ સીતારામ સોસાયટી પાસે કારમાંથી ધક્કો મારી નીચે પછાડી જતા રહ્યા હતા. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં સગીરને છરીનો ઘા મારી હાથના કાંડાની નસ કાપી ધરમનગરમાં જૂની અદાવતમાં સગીરને છરો મારી હાથના કાંડાની નસ કાપી નાંખતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. 10 દિવસ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી સગીરને મિત્રએ તને શેની હવા છે? તેમ કહી છરો મારી હાથના કાંડાની નસ, ત્રાણીયા કાપી નાખ્યા હતાં. જતા જતા મારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી છે તો જેલમાંથી છૂટ્યા બાદ ફરી છરીના ઘા મારીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે જગદીશભાઈ ગોરધનભાઈ ટીમ્બલીયા (ઉં. વ.52) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના 17 વર્ષના પુત્ર દિક્ષિતના મિત્ર જામ્બો ઉર્ફે આનંદનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.24 ના રોજ રાત્રિના 11.30 વાગ્યા આસપાસ તેના પુત્ર દીક્ષિતનો ફોન આવ્યો કે, તેના મિત્ર જામ્બાએ તેના ડાબા હાથમાં છરો મારી દીધેલ છે અને મિત્ર પાવન સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યો છે. ટ્રક - ક્રેઇન વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક ગેરેજ ધારકનું મોત, પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી ગ્રીનલેન્ડ ચોકડીએ ત્રિપલ અકસ્માતમાં સર્જાતા ગેરેજ સંચાલકનુ મૃત્યુ નિપજ્યુ હતુ. ગ્રીનલેન્ડ ચોક પાસે જ ટ્રકમાં ગ્રીસ ભરવાનું ગેરેજ ધરાવતા 45 વર્ષીય રસિકભાઈ હિરપરા આજે 26 માર્ચના સવારે ગેરેજેથી ઘરે જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી વાળા ચોકમાં ક્રેઈન અને રીક્ષા વચ્ચે બાઈક દબાઈ ગયું હતુ અને અકસ્માત સર્જાયો હતો. જેને લીધે રસિકભાઈનું મૃત્યુ નિપજ્યુ હતુ. રસિકભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં 1 પુત્ર છે. પોતે મૂળ રાજકોટ તાલુકાના માલીયાસણ પાસે આવેલ ખેરડી ગામના વતની હતા. અકસ્માત મૃત્યુના બનાવથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો હતો. ફેડ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી સોનુ ન જમા કરાવી છેતરપિંડી રેલનગરમાં આવેલી ફેડબેંકમાંથી રૂ. 8.15 લાખની ગોલ્ડ લોન મેળવી સામે બેંકમાં સોનુ નહિ જમા કરાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ભેજાબાજે ફેડબેંકમાંથી ગોલ્ડ લોન મેળવી આઈઆઈએફએક બેંકમાં ગીરો પડેલા દાગીના છોડાવી લઇ ધિરાણ આપનાર બેંકને આપ્યા ન હતા. જે બાદ રોકડા નાણા આપવાનું કહી રૂ.2.15 લાખ આપ્યા હતા અને રૂ.6 લાખ નહીં આપી તમારે મારા વિરુદ્ધ જે ફરિયાદ કરવી હોય તે કરી દો હું પૈસા આપવાનો નથી એમ કહેતા બેન્કના એરિયા મેનેજરે પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે બેંકના એરિયા મેનેજર હીરેનભાઇ વ્યાસે આરોપી તરીકે ગૌરાજ ડોડીયા (રહે.આર્યનગર, પેડક રોડ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. માનસિક અસ્વસ્થ યુવાનનો એપાર્ટમેન્ટ પરથી કૂદકો મારી આપઘાત ઉદયનભાઈ દિલીપભાઈ લાંબા (ઉં.વ. 42, રહે.રાધે કૃષ્ણ સોસાયટી શેરી નં.3,આહીર ચોક પાસે, રાજકોટ) આજે 26 માર્ચના વહેલી સવારે પોતાના નિત્ય ક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા બાદ ઘરની નજીક જ આવેલા સાસ્વત પ્રભુવત બિલ્ડિંગમાં જઈ ઉપરથી પડતું મુકી દીધું હતું. બનાવથી લોકો એકઠા થઈ જતા 108માં જાણ કરાઈ હતી. 108ના સ્ટાફે સ્થળ પર મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉદયનભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતા. બે ભાઈઓમાં મોટા અને અપરિણીત હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. પુત્રીએ ભાગીને લગ્ન કરતા માતાએ ફિનાઇલ પી લીધુ નવા થોરાળામાં દીકરીએ ભાગીને લગ્ન કરતા માતાએ ફિનાઈલ પી લીધું હતું. માતાને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, કંચનબેન મનસુખભાઈ વાઘેલા (ઉં.વ.59, રહે. નવા થોરાળા શેરી નં.9) રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી જતા અત્રેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસ સૂત્રોએ નિવેદન લેવા તજવીજ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા આ પગલું ભર્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે.
વેરાવળ-સોમનાથમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યા ભક્તો, શહેરભરમાં ધર્મમય માહોલ
વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની આ વર્ષે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો અને રામભક્તોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. વેરાવળ શહેરમાં વખારીયા બજાર સ્થિત ત્રીકમરાયજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા. ડી.જે.ના તાલે તેમજ ઢોલ-શરણાઈના નાદ સાથે યુવાનો શ્રી રામ જય રામ જય જય રામના ગુંજતા નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કર્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સ્વાગત દ્વાર ઉભા કરી યાત્રાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલવર્ષા, ઠંડા પીણા અને પ્રસાદનું વિતરણ કરી ભક્તોને આવકારવામાં આવ્યા હતા. આ સાથે જ, વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નવા અને જૂના રામ મંદિરોમાં છેલ્લા નવ દિવસથી રામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. વહેલી સવારથી લઈને રાત્રિ સુધી વધાઈ, રામધુન અને ભજન-કીર્તનનો માહોલ રહ્યો હતો. જન્મ ક્ષણે બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. વેરાવળ લોહાણા મહાજન દ્વારા પણ રામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મહાજન વાડી ખાતે પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ધાર્મિક વિધિઓ બાદ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામ દરબાર અને હિંડોળા દર્શનનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. ઉજવણી દરમિયાન ભજન-કીર્તન અને ધૂન પર રાસ રમી ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે સમૂહ ફરાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાજ એકતાનું સુંદર દૃશ્ય સર્જાયું હતું.
ભાવનગરના ઘોઘા ખાતે જૈન દેરાસર પાસે મુખ્ય રોડ પર બિરાજમાન હજરત રોશન ઝમીર ચોભાપીર સરકારનો ઉર્ષ શરીફ આગામી શનિવાર, તા. 28-03-2026 ના રોજ અત્યંત શાન અને શૌકત સાથે ઉજવવામાં આવશે. રામ-રહિમ ગૃપ દ્વારા સતત 9 મા વર્ષે આ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર પંથકમાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સંદલ શરીફ અને ન્યાઝનું આયોજનઉર્ષના પવિત્ર પ્રસંગે સાંજે 5:00 કલાકે દાણાપીઠ વિસ્તારમાં આવેલી મેમણ મસ્જીદ ખાતેથી સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ વાજતે-ગાજતે નીકળશે અને દરગાહ શરીફ પહોંચશે. સાંજે 7:00 કલાકે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો માટે મહાપ્રસાદ (ન્યાઝ) ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કવ્વાલીનો ભવ્ય મુકાબલો અને લાઈવ પ્રસારણરાત્રે 9:00 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનના પ્રખ્યાત કવ્વાલ અકબર આઝાદ ચિશ્તી અને ગુજરાતની મશહૂર ફનકારા સલીનાખાન વચ્ચે કવ્વાલીનો મુકાબલો જામશે. આ કાર્યક્રમમાં રઇશ મિરાસી અને તેમની ટીમ સાઝ સંગત આપશે. વિશેષ સુવિધા રૂપે, સ્ટુડિયો સિતારામના સૌજન્યથી આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામ-રહિમ ગૃપ દ્વારા આ પાવન અવસરે દરેક સમાજના લોકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને સક્રિય બન્યા છે. ભાજપે સંગઠનાત્મક મજબૂતી અને વ્યૂહાત્મક આયોજન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસે પણ સોશિયલ મીડિયાથી દૂર રહીને બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડ અને જિલ્લા પંચાયતની 30 બેઠકો પર વિસ્તારવાર બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકોમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણી કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજી, સનમ પટેલ, પિયુષ પટેલ અને કરસનભાઈ ટીલવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રી પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ બેઠકો દરમિયાન ખાસ કરીને માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં બૂથવાર મતદારોની વિગતો, નવી મતદાર નોંધણી, મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટેના કાર્યક્રમો અને ઘર-ઘર સંપર્ક અભિયાનનો સમાવેશ થાય છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત, દરેક બૂથ પર મજબૂત ટીમ ઊભી કરવા, પેજ પ્રમુખ વ્યવસ્થાને સક્રિય બનાવવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા અને સોશિયલ મીડિયા દ્વારા વધુ અસરકારક પ્રચાર કેવી રીતે કરી શકાય તે બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શહેરમાં આજે શ્રી રામ સેવા સમિતિ દ્વારા 45મી રામનવમી નિમિત્તે અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણી વિશેષ રહી હતી કારણ કે, 45 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર રામલલ્લાનો જન્મોત્સવ અને મહાઆરતી નવનિર્મિત શ્રીરામ મંદિરમાં યોજાયા હતા. સવારે 9:30 કલાકે રથમાં મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કર્યા બાદ તોરણવાળી માતાના ચોકથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રા રાત્રે 10:00 વાગ્યે પુનઃ તોરણવાળી માતાના ચોક પર પરત ફરી સંપન્ન થશેઆ રથયાત્રા તોરણવાળી ચોકથી શરૂ થઈ રેલવે સ્ટેશન, રાજમહેલ રોડ, ગોપીનાળા, ડેરી રોડ, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી અને આઝાદચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આશરે 7 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરશે. ભગવાન રામની એક ઝલક મેળવવા માટે સમગ્ર રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઠેર-ઠેર સેવાસ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ યાત્રા રાત્રે 10:00 વાગ્યે પુનઃ તોરણવાળી માતાના ચોક પર પરત ફરી સંપન્ન થશે. રામાયણની જીવંત ઝાંખીઓ, ઊંટલારીઓ અને વિવિધ વાહનોનો સમાવેશરથયાત્રાના આકર્ષણમાં અમદાવાદના જગન્નાથ મંદિરના ગજરાજ, 50 ટ્રેક્ટરો પર પ્રસ્તુત કરાયેલી રામાયણની જીવંત ઝાંખીઓ, ઊંટલારીઓ અને વિવિધ વાહનોનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત ગાંધીનગરનો અખાડો, નાસિક ઢોલ, શરણાઈ વાદકો અને રાજસ્થાની-પંજાબી કલાકારોએ યાત્રામાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. 40 જેટલી ભજન મંડળીઓ અને ઐતિહાસિક વેશભૂષા ધારણ કરેલા પાત્રોએ સમગ્ર શહેરને રામમય બનાવી દીધું હતું. યાત્રા જૂનાપરા, લાખવડી ભાગોળ અને પાટીદારનગર થઈ મોડી રાત્રે પરત ફરશેબીજી તરફ શહેરના પરા રામજી મંદિર ખાતે પણ બપોરે 12:00 કલાકે શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સાધુ-સંતોના આશીર્વચન બાદ બપોરે 1:30 કલાકે ક્રેઈન દ્વારા 50 કિલો ગુલાબની પુષ્પવર્ષા સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ યાત્રા જૂનાપરા, લાખવડી ભાગોળ અને પાટીદારનગર થઈ મોડી રાત્રે પરત ફરશે. પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોસમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 DySP, 5 PI, 18 PSI અને 194 પોલીસ જવાનો સહિત કુલ 340થી વધુ સુરક્ષાકર્મીઓ, જેમાં હોમગાર્ડ અને જી.આર.ડી જવાનોનો પણ સમાવેશ થાય છે, તેઓ સતત ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
ઉન મદ્રેસામાં બુરખાધારીનો આતંક CCTVમાં કેદ:8.45 લાખની મત્તા ચોરી પુરાવા મટાડવા ઓફિસ સળગાવી
સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત મદ્રેસામાં સનસનીખેજ ચોરી અને આગજનીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક CCTV ફૂટેજમાં જોવા મળ્યો છે, જેમાં એક બુરખાધારી શખ્સ અત્યંત ચાલાકીથી મદ્રેસાના ગેટની અંદર જતો સ્પષ્ટ દેખાય છે. આ અજાણ્યા શખ્સે મોડી રાત્રે મદ્રેસાના સંકુલમાં પ્રવેશ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વહેલી સવારે પોણા ચાર વાગ્યે ખેલાયો ચોરીનો ખેલપ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના 24 માર્ચ 2026ના રોજ વહેલી સવારે આશરે પોણ ચાર વાગ્યાની આસપાસ બની હતી. મદ્રેસાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, એક શખ્સ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને મુખ્ય ગેટની અંદર પ્રવેશ્યો હતો. ગેટની અંદર ગયા બાદ તેણે સીધો જ મદ્રેસાની ઓફિસ તરફ પ્રયાણ કર્યું હતું. આ શખ્સે ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તિજોરી સાફ કરી 8.45 લાખની મત્તાની લૂંટઆરોપીએ ઓફિસમાં રાખેલા કબાટ અને તિજોરીને નિશાન બનાવી હતી. તેણે કબાટમાંથી અંદાજે 7,50,000 રૂપિયાની રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો. આટલું જ નહીં, ટેબલ પર રાખેલા આશરે 95,000 રૂપિયાની કિંમતના 4 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ આ બુરખાધારી શખ્સ ચોરી કરી ગયો હતો. આમ, કુલ 8,45,000 રૂપિયાની માતબર રકમની ચોરી કરીને આરોપીએ મદ્રેસાના વહીવટકર્તાઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે. પુરાવા નાશ કરવા ઓફિસમાં લગાડી આગચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા અને સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવાનો નાશ કરવાના ઈરાદે બુરખાધારી શખ્સે ઓફિસમાં આગ ચાંપી દીધી હતી. આગને કારણે ઓફિસમાં રહેલા અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઈલો, ફર્નિચર અને કોમ્પ્યુટર સેટ બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે મદ્રેસાના અન્ય ભાગોમાં સૂતેલા લોકોને સમયસર જાગ થઈ જતાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો, નહીંતર આખી ઈમારત લપેટમાં આવી શકે તેમ હતી. ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈઆ મામલે મદ્રેસાના સંચાલક અબ્દુલ અહમદ ખલીલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 25 માર્ચ 2026ના રોજ રાત્રે 22:30 કલાકે સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ જાણીજોઈને બુરખાનો ઉપયોગ કર્યો હતો જેથી તેની ઓળખ ન થઈ શકે. હાલમાં FSLની ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે. જાણભેદુ હોવાની શંકા સાથે તપાસ તેજહાલમાં પાંડેસરા પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી ફૂટેજમાં દેખાતા બુરખાધારી શખ્સના રૂટને ટ્રેક કરી રહી છે. ગેટની અંદર જતા દેખાતા આ શખ્સની ઊંચાઈ અને ચાલવાની ઢબ પરથી પોલીસ તેને ઓળખવાના પ્રયાસો કરી રહી છે. પોલીસને શંકા છે કે આ કોઈ જાણભેદુ વ્યક્તિનું કામ હોઈ શકે છે જે મદ્રેસાની ઓફિસ અને રોકડ ક્યાં રાખવામાં આવે છે તેનાથી વાકેફ હતો. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થાય તેવી શક્યતા છે.
પંચમહાલમાં ડૉલર બદલવાના બહાને 15 લાખની છેતરપિંડી:બે અજાણ્યા સામે કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
પંચમહાલ જિલ્લામાં ડૉલર બદલવાના બહાને ₹15 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાંકણપૂર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે. પેટલાદ તાલુકાના પારજ ગામના ખેડૂત મુકેશભાઈ કાલીદાસ પટેલ સાથે આ છેતરપિંડી થઈ છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાને સ્વામિનારાયણ સંસ્થાના સેવક તરીકે ઓળખાવી, ડૉલરને ભારતીય રૂપિયામાં બદલવા માટે મદદ માંગી હતી. શરૂઆતમાં મુકેશભાઈએ શંકા વ્યક્ત કરી વાતચીત ટાળી હતી, પરંતુ આરોપી સતત તેમના સંપર્કમાં રહ્યો. તેણે વધુ મોટી રકમના ડૉલર બદલવાની લાલચ આપી મુકેશભાઈને વિશ્વાસમાં લીધા અને આ કામ માટે તૈયાર કર્યા. 24 માર્ચના રોજ વહેલી સવારે મુકેશભાઈ ભાડાની કારમાં ડ્રાઈવર સાથે ગોધરા તરફ નીકળ્યા. માર્ગમાં ટુવા નજીક પહોંચતા અજાણ્યા ઈસમે તેમને કેનાલ પાસે એક વ્યક્તિને પૈસા આપવાની સૂચના આપી. ત્યાં પહોંચતા એક અજાણ્યો વ્યક્તિ મળ્યો, જેણે ફોન પર વાત કરાવી વિશ્વાસ પેદા કર્યો અને મુકેશભાઈ પાસેથી ₹15 લાખ ભરેલી બેગ લઈ લીધી. બદલામાં આરોપીએ મુકેશભાઈને કાળી થેલીમાં ડૉલર આપ્યા. ત્યારબાદ તે રેલવે લાઇન ઓળંગીને ભાગી ગયો અને તેના બીજા સાથી સાથે બાઈક પર ફરાર થઈ ગયો.શંકા જતાં મુકેશભાઈએ થેલી ખોલી તપાસ કરતા તેમાં માત્ર 495 ડૉલર જ હોવાનું સામે આવ્યું, જે ભારતીય કરન્સી મુજબ અંદાજે ₹45,000 જેટલું થાય છે. આ રીતે મોટી રકમની છેતરપિંડી થતાં મુકેશભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. કાંકણપુર પોલીસે અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીએ બગવદરમાં દરોડો પાડ્યો:2.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ટીમે બગવદર વિસ્તારના સિંહજરનેશ ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ 234 બોટલો સાથે આશરે રૂ. 2,67,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબી ટીમે નાગકા ગામના સિંહજરનેશ વિસ્તારમાં રહેતા બાવન કાના કટારાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનના ફળિયામાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. તપાસમાં 19 પુઠ્ઠાના બોક્સમાંથી કુલ 234 બોટલો જપ્ત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપી બાવન કાનાભાઈ કટારા સ્થળ પર હાજર નહોતો અને તે ફરાર હોવાનું જણાયું હતું. આ મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમો તહેનાત કરી તેની શોધખોળ તેજ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા યુવક પર તેના જ મિત્ર દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. નાસ્તો લેવા નીકળેલા યુવકને રસ્તામાં અટકાવી બીજા સાથે ઝઘડો કરવા દબાણ કરાયું હતું, જેની ના પાડતા ઉશ્કેરાયેલા મિત્ર એ યુવાનને પીઠમાં છરીનો ઘા મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુનિલે ઝઘડા માટે સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયોઆ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં રહેતા 25 વર્ષીય સુનિલ ધમાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રે તેઓ મોટરસાયકલ પર નાસ્તો લેવા જતા હતા, ત્યારે આશરે સાડા બારેક વાગ્યે મોતી સ્ટુડિયો પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમનો મિત્ર રાહુલ ઉર્ફે ગુંદી ચંદુભાઈ રાઠોડ પોતાના મિત્રો સાથે બેઠો હતો અને સુનિલને બોલાવી મોટરસાયકલ ઉભી રાખવા કહ્યું હતું. ત્યારબાદ રાહુલે કહ્યું કે, તારી બાજુમાં રહેતા હરિભાઈ બુધાભાઈ બારૈયા સાથે ઝઘડો કરવા સાથે આવવા દબાણ કર્યું હતુ, પરંતુ સુનિલે ઝઘડા માટે સાથે આવવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી છરી કાઢી પીઠમાં ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. ચક્કર આવતાં તે ઘરે પહોંચ્યો હતો, જ્યાંથી પરિવારજનોએ તેને તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, આ મામલે ગંગાજળિયા પોલીસે રાહુલ ઉર્ફે ગુંદી ચંદુભાઈ રાઠોડ રહે. ભાવનગર સામે BNS કલમ 118(1), 352 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તાજેતરમાં આધ્યાત્મિકતા અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ૐઋષિ સ્વામીજી ૐગુરુ દ્વારા આયોજિત ‘મંત્ર થેરાપી દરબાર’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું. 750થી વધુ ભાવિકોએ અનુભવી દિવ્ય ઉર્જાઆ વિશેષ દરબારમાં 750થી વધુ લોકોએ ભાગ લઈ પવિત્ર મંત્રોના જાપ અને મંત્ર સાધનાની શક્તિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. સમગ્ર ઓડિટોરિયમ ભક્તિ અને શાંતિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહીને ૐગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ૐગુરુએ આ પ્રસંગે મંત્ર શક્તિપાત, સર્વ દુઃખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી પોતાની સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવનની સમસ્યાઓનું આધ્યાત્મિક નિરાકરણઆજના આધુનિક યુગમાં મનુષ્ય ભૌતિક સુખો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આંતરિક શાંતિથી વંચિત છે. આ બાબતે ૐગુરુએ જણાવ્યું હતું કે, મંત્ર થેરાપી દ્વારા દિવ્ય શક્તિ સાથે જોડાઈને માનસિક અને આંતરિક શાંતિ મેળવી શકાય છે. તેમણે શ્રદ્ધાળુઓને આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિવારણ માટે 7 પ્રકારની દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. નિઃશુલ્ક સમાજ કલ્યાણનો સંકલ્પૐગુરુએ દેશ અને દુનિયામાં નિઃશુલ્ક મંત્ર થેરાપી દરબારો યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિ સુધી સાચું આધ્યાત્મિક માર્ગદર્શન પહોંચાડવાનો અને સમાજનું કલ્યાણ કરવાનો છે. નોંધનીય છે કે, ગંભીર શારીરિક પડકારો હોવા છતાં તેઓ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે. આગામી કાર્યક્રમોની રૂપરેખારાજકોટની સફળતા બાદ હવે આ દિવ્ય યાત્રા આગળ વધશે. આગામી મંત્ર થેરાપી દરબાર 12 એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યાર બાદ આણંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ભવ્ય દરબારોનું આયોજન કરવામાં આવશે.
સુરતના છેવાડે આવેલી ખજોદ ડમ્પિંગ સાઈટ પર આજે સતત ત્રીજા દિવસે પણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના લશ્કરો ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા હતા. અલબત્ત, બે દિવસ પહેલાં એક કિલોમીટર વિસ્તારમાં લાગેલી આગ પર 20 લાખ લીટર પાણીનો મારો ચલાવી મહદઅંશે અંકુશ મેળવવામાં આવ્યો છે. જોકે, ફાયર વિભાગને સંપૂર્ણ આગ કાબુમાં લેવા માટે હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે. આગામી બે દિવસમાં આગ પર કાબુ મેળવવાની સાથે કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 25 માર્ચની આખી રાત ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને આજે મોટા ભાગનાં વિસ્તારમાં આગ પર આંશિક કાબુ મેળવવામાં સફળતા મેળવી છે. અલબત્ત, જે સ્થળ પર હાલમાં આગ અને ધુમાડાનાં ગોટેગોટા ઉઠી રહ્યા છે, ત્યાં ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. 24 માર્ચે બપોરના સુમારે ડમ્પિંગ સાઈટમાં ભિષણ આગસ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પહેલો નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવાનો ઇજારો ધરાવતાં સીડી ટ્રાન્સપોર્ટનાં મેળાપીપણામાં હજારો ટન કચરાનો બારોબાર નિકાલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક વખત ખજોદ ખાતે આવેલી ડમ્પિંગ સાઈટ પર મંગળવારે બપોરનાં સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા શહેરમાં કચરા કૌભાંડ પર પડદો પાડવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આગ પર કાબુ મેળવા 20 લાખ લીટર પાણીનો વપરાશ10 કિલોમીટર દૂર સુધી આગનો ધૂમાડો નજરે પડતાં આસપાસનાં વિસ્તારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ફાયર વિભાગે અંદાજે 20 લાખ લીટર પાણીનો વપરાશ કરીને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, આજે ફાયર વિભાગ દ્વારા આંશિક આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી અને આગ પુન: ન વધે તે માટે જે સ્થળેથી ધૂમાડા નીકળી રહ્યા છે, ત્યાં પણ પાણીનો અવિરત છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
કાલોલ પાસે છકડો પલટ્યો, 5 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત:પાવાગઢથી પરત ફરતા બોડીદ્રા ગામના શ્રદ્ધાળુઓને ઈજા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામ નજીક એક છકડો રિક્ષા પલટી જતાં પાંચ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ મુસાફરો પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કરીને તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. મધવાસ નજીક પહોંચતા છકડા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે છકડો રસ્તાની બાજુમાં પલટી ગયો હતો. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જે બાદ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
માધવપુરમાં હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો:LCBએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા
માધવપુર ગામના ખાયડા વિસ્તારમાં થયેલા હત્યાના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોરબંદર એલ.સી.બી.એ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં દોસમહમદ હાસમભાઇ જોખીયા, હાસમ કાસમભાઇ જોખીયા, સાબીર ઉર્ફે સબીર હુસેનભાઇ દલ, અશરફ ઓસમાણભાઇ રોંશ અને હાર્દિક નરોત્તમભાઇ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપીઓએ અગાઉના મનદુઃખ અને ઝઘડાને કારણે ગેરકાયદેસર મંડળી બનાવી હતી. તેમણે ફરિયાદી અને તેમના સાથીઓને રોકી લોખંડના પાઇપ અને ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી સહિત અનેક લોકોને ફ્રેક્ચર અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પુધર સીમ વિસ્તારમાંથી તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે માધવપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી આચરતી એક સક્રિય ગેંગને ઝડપી પાડવામાં સાંતેજ પોલીસને સફળતા મળી છે. પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 22 લાખની કિંમતના સોનાચાંદીના દાગીના રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે આ ગેંગ રિક્ષામાં આવી ભંગાર વિણવા બહાને બંધ મકાન ફાર્મ હાઉસની રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કર્યા ગાંધીનગર જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને અટકાવવા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે સાંતેજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મુછાળ અને સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના અંદાજે 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક સીએનજી રિક્ષા (નંબર GJ-27-WA-2455) માં ચોરીનો માલ લઈ કેટલાક ઇસમો વડસર એરફોર્સ બ્રિજ પાસેથી પસાર થવાના છે.જે બાતમીના આધારે પોલીસે વડસર ગામની સીમમાં ધોળકા સબ કેનાલ પાસે વોચ ગોઠવી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર ઝડપાઈ ગયાઆ અંગે પીઆઈ એસ.આર. મૂછાળે જણાવ્યું કે, રિક્ષા આવતા જ તેને કોર્ડન કરી તપાસ કરતા રવિ જયંતિભાઈ ઠાકોર અને તેની પત્ની કોમલ (મૂળ રહે. દોત્રોલી ગામ, તા. ઇડર, જિ. સાબરકાંઠા), રોશની ગૌતમભાઈ ગોપાલભાઈ દેવીપુજક (મૂળ રહે. તરભ ગામ, તા. વિસનગર, જિ. મહેસાણા),અજય પોપટભાઈ વાદી (રહે. કલોલ),અર્જુન રમેશભાઈ આદિવાસી ( રહે. કલોલ),સુર્યાબેન અનિલભાઈ ચંદુભાઈ સલાટ (મૂળ રહે. હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ પાસે, જિ. સાબરકાંઠા) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર ઝડપાઈ ગયા છે. 22 પ્રકારના દાગીના જપ્ત કરી વધુ પૂછતાછ ચાલીઆ તમામ આરોપીઓ હાલ કલોલના પીયજ રોડ પર કાચા છાપરામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આ ભંગાર ગેંગે કબૂલાત કરી છે કે, તેઓ રિક્ષા લઈને ભંગાર વીણવાના બહાને દિવસ દરમિયાન રેકી કરતા હતા. જે મકાન કે ફાર્મ હાઉસ બંધ જણાય તેના દરવાજાના લોક તોડી ચોરીને અંજામ આપતા હતા. આ ટોળકીની ધરપકડથી સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશનના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત ઝડપાયેલી મહિલા આરોપીઓ કોમલ અને રોશની અગાઉ કલોલ તાલુકા અને શહેર પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું પણ બહાર આવ્યું છે. ગેંગ પાસેથી સોનાનો સેટ કિં. 5.77 લાખ, સોનાના બાજુબંધ કિં. 2.35 લાખ, સોનાની કાનની ચેન-બુટ્ટી કિં. 2.61 લાખ તેમજ ચાંદીના કંદોરા, પાયલ અને જુરા સહિત કુલ 22 પ્રકારના દાગીના જપ્ત કરી વધુ પૂછતાછ ચાલી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના દરિયાપુર તથા દુધેશ્વર પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હજારો રામભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેર રામમય બન્યું હતું. આ શોભાયાત્રા સરયુ મંદિર, પ્રેમ દરવાજાથી શરૂ થઈ હતી. આ ચોથું વર્ષ હતું જ્યારે આ શોભાયાત્રાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરિયાપુર, દુધેશ્વર પ્રખંડ અને અસારવા જિલ્લાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામનવમીના પવિત્ર અવસરે આયોજિત આ શોભાયાત્રામાં હોદ્દેદારો સહિત હજારો રામભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર આરતી ઉતારવામાં આવી હતી અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓ માટે શરબત, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
શહેરના સીજી રોડ ઉપર BEEKAY BAKERSની નાનખટાઈમાંથી જીવાત નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ બેકરીની હાઈજેનિક કન્ડીશન મામલે નોટિસ ફટકારીને રૂ .25 હજારનો દંડ વસૂલ કરાયો છે. AMC ફુડ વિભાગ દ્વારા શહેરમાં હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમો, ડેરી, બેકરી, ચવાણા એન્ડ સ્વીટમાર્ટ સહિતના એકમોમાં ચેકિંગ કરીને 127 ફુડ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 3 દિવસમાં 229 એકમોમાં ચેકિંગ કરીને 85 એકમોને નોટિસ ફટકારવામાં આવીAMC ફુડ વિભાગ છેલ્લા 3 દિવસમાં 229 એકમોમાં ચેકિંગ કરીને 85 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને 64 TPC ટેસ્ટ કરાયા છે તથા 144 કિ. તથા 138 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રીનો નાશ કરાયો છે અને રૂ.1.78 લાખનો દંડ વસૂલ કરાયો છે. ફુડ વિભાગ દ્વારા શેરડીના રસના 7, દૂધ અને દૂધની બનાવટોના 12, બેકરી પ્રોડક્ટ્સના 4, પાણી પુરી અને મસાલના 3, નમકીનના 3, બેસન, લોટના 5, ખાદ્ય તેલના 3, મસાલાના 15 તથા અન્ય 75 સહિત કુલ 127 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફુડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, વગેરે ધંધા સાથે સકંળાયેલાઓના સ્થળે ચેકિંગ ઝૂંબેશ સઘન બનાવવામાં આવશે
પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત બગવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રોજીવાડાથી ઇશ્વરીયા ગામ તરફ જતા રસ્તા પર એક વાડી નજીકથી પોલીસે આઇસર ટ્રકમાંથી ₹82.68 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹82,68,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા આપેલી સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામ્ય DYSP સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પીએસઆઈ આર.જી. ચુડાસમા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ચોક્કસ બાતમીના આધારે, પોલીસે રોજીવાડા ગામની સીમમાં રવી ભોજાભાઈ કણેતની વાડી પાસે ખુલ્લા વિસ્તારમાં ઉભેલા ટ્રક પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, આઇસર ટ્રકમાંથી 4272 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત ₹55,53,600) અને 1368 નંગ 750 મી.લી.ની બોટલો (કિંમત ₹19,15,200) મળી આવી હતી. આઇસર ટ્રકની કિંમત ₹8,00,000 ગણવામાં આવી છે. આમ, કુલ ₹82,68,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રોજીવાડાના રવી ભોજાભાઈ કણેત, ઇશ્વરીયાના રાજુ નાથાભાઈ વેસરા, ટ્રકના અજાણ્યા ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક ઇસમ સહિત ચાર લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં આ જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
રાજ્યમાં 518 પોલીસ અધિકારીઓની બદલી:સોમનાથ PI એચ.આર. ગોસ્વામીની સુરત બદલી કરવામાં આવી
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ કરી છે. કુલ 518 પોલીસ અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીઓમાં સોમનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. પીઆઈ ગોસ્વામીએ ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય સુધી સેવા આપી છે. તેઓ બે વર્ષ સુધી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ, બે મહિના પહેલા જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના આંતરિક આદેશથી સોમનાથ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. વેરાવળ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન, પીઆઈ ગોસ્વામીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા અનેક ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું અને વેપારીઓ તથા સમાજના અગ્રણીઓ સાથે સારા સંબંધો જાળવ્યા હતા.
પોરબંદર મહાનગરપાલિકાનું 2026-27નું બજેટ રજૂ:995 કરોડનું બજેટ, 53.38 કરોડની પુરાંત મંજૂર
પોરબંદર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. વહીવટદાર એસ.ડી. ધાનાણી (આઈ.એ.એસ.)ના અધ્યક્ષસ્થાને તા. 21/03/2026 ના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં કુલ રૂ. 9,95,05,57,707/- (લગભગ 995 કરોડ) ની આવક અને રૂ. 9,41,67,72,164/- (લગભગ 941 કરોડ) ના ખર્ચની જોગવાઈ છે, જેમાં રૂ. 53,38,60,543/- (લગભગ 53.38 કરોડ) ની પુરાંત દર્શાવવામાં આવી છે. આ વિકાસલક્ષી બજેટ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામો હાથ ધરવા પર ભાર મૂકે છે. બિનજરૂરી ખર્ચાઓમાં કાપ મૂકીને પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રસ્તા અને માળખાગત સુવિધા: શહેરમાં રસ્તાઓના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તા, રિસર્ફેસિંગ, સીસી રોડ, પેવરબ્લોક અને સ્ટ્રીટલાઈટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરને ધૂળમુક્ત બનાવવા માટે પેવરબ્લોકના કામોને ગતિ આપવામાં આવી રહી છે. બ્યુટીફિકેશન અંતર્ગત બંદર રોડના બગીચાઓનું અપગ્રેડેશન, ચોપાટી ખાતે નવા ગેટ, કમલાનહેરુ ગાર્ડન તથા પેરેડાઈઝ સર્કલનો વિકાસ, સુકાળા તળાવનું સૌંદર્યકરણ અને શહેરમાં ડેકોરેટિવ લાઈટિંગ તથા વોલ પેઈન્ટિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અને પમ્પિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે. આનાથી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે. ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. 160 કરોડથી વધુના આયોજન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન અને એસ.ટી.પી. (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂના ઘન કચરાનો નિકાલ અને નવી મશીનરીની ખરીદી પર ભાર મૂકાયો છે. પાણી પુરવઠા ક્ષેત્રે રૂ. 158 કરોડના ખર્ચે નેટવર્ક અપગ્રેડેશન, નવી ટાંકીઓ અને નવા વિસ્તારોમાં પાણીની સુવિધા વધારવા માટેના કામો રાજ્ય સરકારના GUDC દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. સ્ટ્રીટલાઈટ માટે સ્માર્ટ અને એનર્જી એફિશિયન્ટ લાઈટિંગ સાથે સીસીટીવી કેમેરા સ્થાપનાનો સમાવેશ કરતો વિશાળ પ્રોજેક્ટ અંદાજે રૂ. 55 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે. શહેરના હેરીટેજ સંરક્ષણ, શિક્ષણ ક્ષેત્રે મોડર્ન લાઈબ્રેરી, સ્કૂલ બિલ્ડિંગ અને આંગણવાડીના નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત, જનસુવિધા કેન્દ્રો, પબ્લિક ટોયલેટ અને પરિવહન સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરના આધુનિકીકરણ, સુવિધાઓના વિસ્તરણ, પ્રવાસન વિકાસ તથા નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને આ બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં માળખાગત સુવિધાઓ અને સુંદરતામાં વધારો કરવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. મનપા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડ જંક્શન પર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં. 1માં રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના 45 મીટર પહોળા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું આયોજન પણ અમલમાં મૂકાયું છે. જામનગર રોડ અને બીજા 150 ફૂટ રિંગ રોડના જંક્શનને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે આકર્ષક બનાવવા માટે રૂ. 3.71 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ડી.પી. રોડ સ્માર્ટ સિટીના જોડાણ અને ટ્રાફિકની સુવિધા માટે મહત્વનો સાબિત થશેઆ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાના બંને ખૂણાઓ પર 113 રનિંગ મીટર લંબાઈની કલાત્મક દીવાલ બનાવવામાં આવશે અને ટ્રાફિકના સુચારુ સંચાલન માટે એક ભવ્ય સર્કલનું પણ નિર્માણ કરવામાં આવશે. બીજીતરફ રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના કુલ 1300 મીટર લંબાઈના રસ્તાને અદ્યતન રીતે વિકસાવવા માટે અંદાજે 17 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. 45 મીટરની પહોળાઈ ધરાવતો આ નવો ડી.પી. રોડ સ્માર્ટ સિટીના જોડાણ અને ટ્રાફિકની સુવિધા માટે અત્યંત મહત્વનો સાબિત થશે. રાજકોટ મહાનગરપાલિકાએ આ કામગીરીનો જોરશોરથી પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું સત્તાવાર જાહેર કર્યું છે. લાયન સફારી પાર્કની કામગીરી 90% પૂર્ણરાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ પાછળ સાકાર થઈ રહેલા મીની સાસણ સમાન લાયન સફારી પાર્કનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આશરે 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય, તંત્ર દ્વારા આગામી મે માસના અંતે અથવા જૂનના પ્રારંભમાં, એટલે કે ઉનાળુ વેકેશન દરમિયાન જ આ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રૂ. 44 કરોડના ખર્ચે 38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ગીર જેવું જ કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સફારી પાર્કમાં પ્રવાસીઓ ખુલ્લી જીપમાં બેસીને એશિયાટિક લાયન અને વાઘ જેવા અનેક વન્ય પ્રાણીઓને મુક્ત અવસ્થામાં જ નિહાળી શકશે. હવે સ્થાનિકો અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓને સિંહ દર્શન માટે સાસણ સુધી લાંબા થવું નહીં પડેસલામતીના ભાગરૂપે 5 મીટર ઊંચી ચેઇનલિંક ફેન્સિંગ, નાઇટ શેલ્ટર અને આંતરિક રોડના કામો પૂરા કરી લેવાયા છે. હાલમાં આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા, ફૂડ કોર્ટ, પાર્કિંગ અને ટિકિટ કાઉન્ટરનું કામ પ્રગતિમાં છે. લાલપરી તળાવથી પાણીનું જોડાણ અને ગીર જેવો કલાત્મક પ્રવેશદ્વાર આ પાર્કનું મુખ્ય આકર્ષણ બનશે. રાજકોટ મહાનગરપાલિકાના આ પ્રોજેક્ટથી હવે સ્થાનિકો અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓને સિંહ દર્શન માટે સાસણ સુધી લાંબા થવું નહીં પડે અને ઘરઆંગણે જ જંગલ સફારીનો આનંદ મળશે. હરિપર રોડ પર બંગલામાં શોર્ટ સર્કિટથી આગરાજકોટના કાલાવડ રોડ પર હરિપર રોડ સામે આવેલી આસુતોષ રેસિડન્સીના બંગલા નંબર B/3ના પહેલા માળે આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. મિલનભાઈ બોસમિયાના માલિકીના આ બંગલાના રૂમમાં એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રૂમમાં રહેલ એસી, ફર્નિચર, POP, ઇલેક્ટ્રિક આઇટમ અને કબાટ સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવને પગલે સોસાયટીના રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ બનાવની જાણ થતા જ કાલાવડ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ આશરે 40 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરોની સમયસૂચકતાને કારણે આગને વધુ પ્રસરતી અટકાવી દેવામાં આવી હતી. હાલ નુકસાનીનો ચોક્કસ આંકડો જાણવા મળ્યો નથી, પરંતુ ઘરની કિંમતી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે. મનપા દ્વારા વોર્ડ નં.8ના રૂ. 100 કરોડના કામો માટે ફરી ટેન્ડર પ્રસિદ્ધરાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.8માં ડીઆઈ પાઈપલાઈન અને રોડ રીસ્ટોરેશનના કામો માટે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અગાઉ સ્ટેન્ડિંગ કમીટીમાં 100 કરોડની દરખાસ્ત રજૂ કરાઈ હતી, પરંતુ એજન્સીઓ દ્વારા ઉંચા 'ઓન' ના ભાવ ભરીને રીંગ બનાવવામાં આવતા કામો રીટેન્ડરમાં મોકલાયા હતા. ખાસ કરીને રૈયા રોડ, નિર્મલા રોડ અને કાલાવડ રોડ વિસ્તારના આ કામો માટે હવે અનુક્રમે રૂ. 20.90 કરોડ અને રૂ. 65.34 કરોડના નવા ટેન્ડર પ્રસિદ્ધ થયા છે. અગાઉ સમાન કામોમાં 13થી 14 ટકા ડાઉન ભાવ મળ્યા હતા, જેની સામે આ વખતે માત્ર 4 ટકા ડાઉન ભાવ આવતા કોર્પોરેશનને અંદાજે 10 ટકા જેટલું નુકસાન જાય તેમ હતું. છેલ્લા 3 મહિનામાં મનપાએ એજન્સીઓની આંતરિક મીલીભગત અને ઉંચા ભાવોને કારણે 14 થી વધુ ટેન્ડરો ફરીથી બહાર પાડવા પડ્યા છે. જેમાં બગીચાઓની જાળવણી અને ડ્રોન કામગીરીના ટેન્ડરોનો પણ સમાવેશ થાય છે. હવે આ 100 કરોડના વિકાસકામો પર નવી બોડી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.
પોરબંદર પોલીસે ભગવાન શ્રી માધવરાયજીના વિવાહ પ્રસંગે યોજાનારા સુપ્રસિદ્ધ 'માધવપુર મેળા-2026' માટે સુરક્ષાની સઘન તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ મેળો 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં લાખોની જનમેદની ઉમટવાની શક્યતા છે. મેળા પરિસરને અલગ-અલગ ઝોનમાં વહેંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળાની સુરક્ષા માટે કુલ 1458 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં 7 DYSP, 18 PI, 78 PSI, 763 ASI/HC/PC, 535 GRD/SRD અને 57 TRB જવાનોનો સમાવેશ થાય છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર હાઈવે, માધવપુર ગામ, મંદિર પરિસર, ચોપાટી અને પાર્કિંગ સહિતના વિસ્તારોમાં 140 જેટલા CCTV કેમેરા દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 3 ખાસ શી-ટીમ (SHE-Team) ની નિમણૂક કરાઈ છે. ખિસ્સાકાતરુઓ અને આવારા તત્વો પર નજર રાખવા માટે 3 વિશેષ સર્વેલન્સ ટીમો પણ સતત કાર્યરત રહેશે. મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે માધવપુર પોલીસે રૂટ ડાયવર્ઝન પ્લાન તૈયાર કર્યો છે. પોરબંદરથી માંગરોળ તરફ જતા વાહનો માટે મોચા ગામથી કડછ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક થઈ આંજક-આંત્રોલી હાઈવે રોડ પરથી પસાર થવાનું રહેશે. તેવી જ રીતે, માંગરોળથી પોરબંદર-દ્વારકા તરફ જતા વાહનો માટે આંત્રોલી ગામથી આંજક, વાડલા ફાટક થઈ મેખડી, સામરડા, સરમા, ઘોડાદર, બગસરા, કડછ, મોચા થઈ નેશનલ હાઈવે પર જવાનું રહેશે. યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે હેલીપેડ, સ્ટેડિયમ, આનંદ નગરી અને પ્રદર્શન સ્ટોલ જેવા સ્થળોએ પણ અલગ-અલગ પોલીસ ટુકડીઓ તૈનાત રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ (GUJCET) 2026ની પરીક્ષા આગામી 29 માર્ચના રોજ યોજાનાર છે. સુરત શહેર અને જિલ્લામાંથી આ વર્ષે રેકોર્ડબ્રેક 28,500થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી હવે 'એજ્યુકેશન હબ' તરીકે ઉભરી રહ્યું છે ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવી છે. સુરતના ઝોન મુજબના 145 કેન્દ્રો પર સીસીટીવી વોચસુરત શહેરમાં ટ્રાફિક અને અંતરને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રોનું વિભાજન કરવામાં આવ્યું છે. અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા મુખ્ય વિસ્તારોમાં કુલ 145 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ના જણાવ્યા અનુસાર, પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સ્પેશિયલ 'સ્ક્વોડ' તૈનાત કરવામાં આવી છે, જે સરપ્રાઈઝ વિઝિટ લેશે. ટ્રાફિક સમસ્યાને જોતા પોલીસનો વિશેષ પ્લાનપરીક્ષાના દિવસે સુરતના વ્યસ્ત વિસ્તારો જેવા કે વરાછા મેઈન રોડ અને રીંગ રોડ પર વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના અંતરે ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને ભીડ ન કરવા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં 45 મિનિટ વહેલા પહોંચે. સુરતના વિદ્યાર્થીઓમાં 'એન્જિનિયરિંગ'નો ક્રેઝ વધ્યોઆ વર્ષના ડેટા મુજબ, સુરતમાંથી ગ્રુપ-A (ગણિત) ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા 12%નો વધારો જોવા મળ્યો છે. સુરતની ખાનગી અને સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટનું મહત્વ વધી ગયું છે. નિષ્ણાતોના મતે, આ વખતે સુરત સેન્ટરનું પરિણામ રાજ્યના સરેરાશ પરિણામ કરતા ઊંચું રહેવાની ધારણા છે, કારણ કે સ્થાનિક કોચિંગ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા લેવાયેલી મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. હોલ ટિકિટમાં સુરતના સેન્ટરનું એડ્રેસ ચેક કરી લેવુંઘણી વખત સુરતમાં એક જ નામ ધરાવતી બે શાળાઓ અલગ-અલગ વિસ્તારમાં હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાતા હોય છે. બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરતના વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડમાં આપેલ 'સ્કૂલ ઇન્ડેક્સ નંબર' અને પૂરેપૂરું સરનામું ગુગલ મેપ્સ પર અગાઉથી ચેક કરી લેવું. જો ફોટો કે સહીમાં ભૂલ હોય તો સુરતની ઝોનલ ઓફિસ (રાયચંદ દીપચંદ ગર્લ્સ હાઈસ્કૂલ, ગોપીપુરા) નો સંપર્ક સાધવાનો રહેશે. કેલ્ક્યુલેટર અને અન્ય સ્ટેશનરી અંગેના નિયમોગુજકેટમાં સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ છે, પરંતુ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કે સ્માર્ટ વોચ પર પ્રતિબંધ છે. સુરતના પરીક્ષા કેન્દ્રો પર ગેટ પાસે જ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પારદર્શક પાઉચમાં જ પેન અને કેલ્ક્યુલેટર લાવવાનું રહેશે. ઉનાળાની ગરમીને જોતા દરેક કેન્દ્ર પર પીવાના પાણીની અને પ્રાથમિક મેડિકલ કિટની સુવિધા રાખવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની આરોગ્ય ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
ચંદ્રુમાણામાં ઝાપડા દાદાની રમેલ યોજાઈ:વિવિધ ગામોના ભુવાજીઓએ લોકદેવીઓનું આવાહન કરી આશીર્વાદ આપ્યા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના ડેરીવાસ ખાતે બુધવારે રાત્રે શ્રી ઝાપડા દાદાની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ ગામોના ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઝાપડા દાદા અને અન્ય લોકદેવીઓનું આવાહન કરીને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા. ડેરીવાસમાં ઠાકોર પરિવાર દ્વારા શ્રી બ્રહ્માણી માતા, શ્રી મેલડી માતા, શ્રી ગોગા મહારાજ અને શ્રી ઝાપડા દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે. નાગજીભાઈ ડાહયાજીના પરિવારે આ ઝાપડા દાદાની રમેલનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માણી માતાના ભુવાજી રમેશજી અને ગાંડાજી, મેલડી માતાના ભુવાજી નરસિંહજી, ગોગા મહારાજના ભુવાજી વજેસંગજી, તેમજ ગામના વિહત માતાના ભુવાજી દિનેશભાઈ ખટાણા સહિત અનેક ભુવાજીઓ હાજર રહ્યા હતા. તેમણે વિવિધ શક્તિઓનું આવાહન કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓને સુખ-શાંતિ અને કુશળ ક્ષેમના આશીર્વાદ પાઠવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવાર દ્વારા બહારગામથી પધારેલા ભુવાજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ત્રણ માસૂમ મિત્રો એકાએક ગુમ થઈ જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે રમતા-રમતા આ ત્રણેય બાળકો ક્યાંક લાપતા થઈ ગયા હતા. પરિવારે મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે ગોડાદરા પોલીસ મથકમાં અપહરણ અને ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની અનેક ટીમો હાલ આ બાળકોની શોધખોળમાં જોતરાઈ છે. છેલ્લે રેલવે સ્ટેશન દેખાયા છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા ત્રણેય પાડોશી હોવાની સાથે ગાઢ મિત્રો પણ છે. ગત તારીખ 24/03/2026ના રોજ રાત્રિના અંદાજે 08:45થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રણેય બાળકો સોસાયટીમાં જ રમી રહ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. રાત આખી સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારો ફેંદી માર્યા બાદ પણ બાળકોનો કોઈ સુરાગ મળ્યો ન હતો, જેને પગલે પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન પર પોલીસની નજરઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ દ્વારા સોસાયટી અને મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી જાણી શકાય કે બાળકો કઈ દિશામાં ગયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બાળકો હિન્દી ભાષા બોલે છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના બહાર જવાના રસ્તાઓ પર પણ સતર્કતા વધારી દીધી છે. બાળકો પાસે કોઈ મોબાઈલ ફોન છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ગુમ થયેલા બાળકોનું વર્ણન અને ઓળખપોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ત્રણેય બાળકોના દેખાવ અને પહેરવેશ નીચે મુજબ છે: ઉત્તર પ્રદેશના વતની એવા પરિવારો પર આભ તૂટી પડ્યુંગુમ થયેલા બાળકો પૈકી એક બાળકનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું ઈટાવા જિલ્લાનું બલાહાર ગામ છે. આ પરિવારો સુરતમાં રોજગારી અર્થે સ્થાયી થયા છે. એકસાથે ત્રણ-ત્રણ દીકરાઓ ગુમ થતા આખી સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, ત્રણેય બાળકો સ્વભાવે શાંત હતા અને અગાઉ ક્યારેય પણ કહ્યા વગર ક્યાંય ગયા નહોતા. કોઈ અજાણી વ્યક્તિ તેમને લલચાવી-ફોસલાવીને લઈ ગઈ હોવાની કે પછી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાની આશંકાએ વાલીઓના જીવ અદ્ધર કરી દીધા છે. ગોડાદરા પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈને પણ આ બાળકો વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.
પાટણ શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. છીંડિયા દરવાજા સ્થિત રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં બાહુબલી હનુમાન, અયોધ્યાના રામલલ્લાની આબેહૂબ મૂર્તિ અને વિવિધ વેશભૂષાની ઝાંખીઓ મુખ્ય આકર્ષણ રહી હતી. રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ વર્ષે યાત્રામાં બે મુખ્ય રથ જોડવામાં આવ્યા હતા. એક રથમાં અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામના બાળ સ્વરૂપની આબેહૂબ મૂર્તિ હતી, જ્યારે બીજા રથમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ બિરાજમાન હતી. કેસરી સાફામાં સજ્જ સ્વયંસેવકો દ્વારા રથને દોરડાથી ખેંચીને નગર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ઝાંખીઓ અને વેશભૂષા પ્રદર્શિત કરાઈ હતી. જેમાં બાહુબલી હનુમાન અને શિવ-પાર્વતીની વેશભૂષા સાથેની ઝાંખીઓ જોડાઈ હતી. દુર્ગાવાહિનીની 500થી વધુ બહેનોએ તલવાર રાસ રજૂ કર્યો હતો, જ્યારે બજરંગ દળના યુવાનોએ લાઠી દાવના કરતબો દર્શાવ્યા હતા. ડી.જે. અને ધાર્મિક સંગીતના સૂરે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેરના અંદાજે 6 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ દરમિયાન ઠેર-ઠેર ભક્તોએ ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. રથયાત્રાનું શહેરના માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરાયા હતા. યાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડા પાણી, શરબત અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 1 DySP, 4 PI, 8 PSI અને 200 કોન્સ્ટેબલ સહિતનો કાફલો તૈનાત રહ્યો હતો. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નિર્ધારિત સ્થળે સંપન્ન બનશે.
સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત 'બ્રહ્મમહોત્સવ' અંતર્ગત મહા વિષ્ણુયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભુ સ્વામીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે તેમ 'કળિયુગ કેવલ નામ આધારા'. વર્તમાન સમયમાં અલ્પ આયુષ્ય અને ઓછી શ્રદ્ધા ધરાવતા જીવો માટે મોક્ષ મેળવવાનું સૌથી સરળ સાધન ભગવત નામ છે. આ નામનો જાપ ભણેલા-અભણ કે અમીર-ગરીબ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. નિત્ય 3.5 કરોડ મંત્રજાપ અને વિષ્ણુયાગસુરત ગુરુકુલ પરિવાર દ્વારા દરરોજ સ્વામિનારાયણ મહામંત્રના 3.5 કરોડ જાપ કરવામાં આવી રહ્યા છે. આ મંત્રજાપના દશાંશ હોમ નિમિત્તે આયોજિત યજ્ઞમાં સંતો, હરિભક્તો અને મહિલાઓએ યજ્ઞ નારાયણને આહુતિઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનું અદભૂત તપભગવાન સ્વામિનારાયણના 245 માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે હજારો ભક્તોએ કઠિન તપસ્યા કરી છે. જેમાં 300 ભક્તોએ નકોરડા ઉપવાસ, 1200 ભક્તોએ રસાહાર, 5000 ભક્તોએ ફલાહાર અને 8000 ભક્તોએ એકટાણા કર્યા હતા. વિશેષ રૂપે, 75 થી વધુ ભાવિકોએ નવ દિવસ સુધી માત્ર ત્રણ કોળિયા ભોજન લઈને તપ કર્યું હતું. ભક્તિના આ માહોલમાં 13000 ભક્તોએ ઘરે પારણા બાંધી ઠાકોરજીને નવ દિવસ સુધી ઝુલાવી પદ પધરાવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 52 પૈકી 12 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કૌભાંડીઓને જેલ ભેગા કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષોએ ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કર્યું છે, જે ત્રિપાંખિયા જંગના સંકેત આપે છે. આ પત્રકાર પરિષદ મોરબીના સનાળા રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 12 ઉમેદવારોના નામ નીચે મુજબ છે: પત્રકારોને સંબોધતા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 5ના ઉમેદવાર પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકામાં ભાજપના 52 સભ્યો હતા, ત્યારે ભ્રષ્ટાચાર અને કૌભાંડો ચરમસીમાએ પહોંચ્યા હતા. તેમણે નંદીઘર અને આવાસ યોજના સહિતના કૌભાંડોમાં ભાજપે કૌભાંડીઓને છાવર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જાડેજાએ ખાતરી આપી હતી કે જો કોંગ્રેસ મહાપાલિકામાં સત્તા પર આવશે, તો ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરનારાઓ સામે માત્ર ફરિયાદ જ નહીં થાય, પરંતુ તેમને જેલ ભેગા પણ કરવામાં આવશે.
અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતનાઓ જનસભાને સંબોધશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ગતરોજ અમરેલી બાદ આજે જામનગરમાં ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડ પાસે આ સભા યોજાશે. આ મહત્વપૂર્ણ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશેષ ઉપસ્થિત રહેશે. બંને નેતાઓ આજે જામનગરની જનતાને સંબોધિત કરશે અને આગામી ચૂંટણી માટે પક્ષનો પ્રચાર કરશે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીના ઉમેદવારો માટે સમર્થન મેળવવાનો અને મતદારોમાં ઉત્સાહ ભરવાનો છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ પ્રકાશ દોંગા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમરેલીમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટ છે, તમે ભાજપને 40 સીટ આપી. આનાથી વધારે પ્રેમ શું આપશો. પણ બદલામાં તમને ભાજપે શું આપ્યું? જે ભાજપને તમે 40 સીટ આપી તેજ તમને દંડા મારે છે. તેમજ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં AAPની સરકાર બનાવો, ગુજરાતની દરેક મહિલાના એકાઉન્ટમાં 1-1 હજાર આવવાના શરૂ થઈ જશે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકની હદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ગધેડા માર્કેટ ચાર રસ્તાથી મહાવીર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર રોડની સાઇડમાં ઊભેલા આઇસરના પાછળના ભાગમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈઅકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ મનોજભાઈ અંબાલાલ વસાવા (ઉંમર 50 વર્ષ) તરીકે થઈ છે. તેઓ વડોદરા તાલુકાના કતારપુર ગામના વતની હતા અને ખેતીનો વ્યવસાય કરતા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ચાલકને ગંભીર ઇજાઓ પોહચી હતી. પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યોઅકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાઇકચાલકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પાણીગેટ પોલીસે અકસ્માતમાં મોત થયા અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની મોટા પાયે બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.જેની સીધી અસર ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેક પીઆઈને હવે રાજ્યના અન્ય મહત્વના શહેરો અને જિલ્લાઓમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ફેરબદલને પગલે પાટનગરના પોલીસ મથકોમાં ટૂંક સમયમાં નવા ચહેરાઓ કાર્યભાર સંભાળતા જોવા મળશે. ગાંધીનગર જિલ્લામાંથી વિદાય લેનારા અધિકારીઓની વિગતવાર યાદી ગાંધીનગરથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ઓડેદરાની સુરત ગ્રામ્ય, જે.પી.જાડેજાની અમદાવાદ સીટી, આર.જે. સિસોદિયાની SCRB, ડી. ડી. ચૌધરીની સીઆઈડી ક્રાઈમ, ડી. બી. ભુરા અને એસ.આર. મૂછાળની નાગરિક સંરક્ષક દળ અમદાવાદ, પી. બી. ચૌહાણ ની ડીજીપી કચેરી, ડી. બી. ડાભીની તાલીમ, આર.આર. પરમારની અમરેલી, ઉન્નતિ પટેલની રા. અ.પો.તા.કેન્દ્ર સોરઠ, એસ. એ. ડાભીની આદિજાતિ વિકાસ, કે. બી. સાંખલાની ડાંગ, રાકેશ ડામોરની મહેસાણા, એ એસ. અસારી અને બી. બી. ગોયલની સાયબર એક્સલન્સ, જી.કે. ભરવાડની નાગરિક સંરક્ષણ અમદાવાદ, વી. આર. ખેરની અમદાવાદ સીટી, એસ.એસ.દેસાઈની પંચમહાલ, પી. જે.ચુડાસમાની ભરૂચ બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર હવે નવા અધિકારીઓની નિયુક્તિઆમ, હવે ગાંધીનગરમાં મહત્વની કામગીરી બજાવનારા આ અધિકારીઓની વિદાયથી જિલ્લા પોલીસ તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર હવે નવા પ્રતિભાશાળી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.ગાંધીનગર આવનાર પોલીસ ઈન્સ્પેકટરોમાં CID ક્રાઈમમાંથી વી. એ. શાહ, અમદાવાદથી એમ.આર. તબિયર, કરાઈ થી આર. વી. તબિયાડ, ઇન્ટેલિજસમાંથી એન. જી. બારોટ, કચ્છથી એચ.એસ. સોલંકી, બોટાદથી એ. જી. સોલંકી, પોરબંદરથી વી. પી. પરમાર, વલસાડથી એમ.પી. પટેલ, વડોદરાથી વી. એસ. પટેલ, એન. એમ. સોલંકી, સુરતથી એ. એસ. ચૌહાણ ,અમદાવાદથી એચ. એન. પટેલ અને CID ક્રાઈમથી એસ. જી. દેસાઈનો સમાવેશ છે. આગામી દિવસોમાં કયા અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવે તેના પર સૌની નજરગાંધીનગરમાં નવા આવનારા અધિકારીઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પીઆઈનો સમાવેશ થાય છે. આ નવા અધિકારીઓના આગમનથી ગાંધીનગર જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ અને ખાસ કરીને પાટનગરની સુરક્ષા વ્યવસ્થામાં નવો વળાંક આવવાની શક્યતા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી જૂના સ્થળેથી છૂટા થઈને નવા નિમણૂક પામેલા જિલ્લાઓમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર એ રાજ્યનું વડુંમથક હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સંવેદનશીલ ગણાય છે ત્યારે નવા આવેલા અધિકારીઓ માટે સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના ટ્રેન્ડને સમજીને કામગીરી કરવી એ એક મોટો પડકાર બની રહેશે. આગામી દિવસોમાં આ અધિકારીઓને કયા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ગત દિવસોમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામે માનવતાને શરમાવે તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ બે સગીર પુત્રીઓને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે અને હવે બંને પીડિત સગીરાઓને ગર્ભપાત માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે તબીબી અને કાયદાકીય કાર્યવાહી નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, માતાની સહમતીથી બંને સગીરાઓનો ગર્ભપાત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાયદા મુજબ 25 અઠવાડિયાથી ઓછો ગર્ભ હોવાથી કોર્ટની મંજૂરીની જરૂર નથી, તેથી ટૂંક સમયમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રીતે ખુલાસો થયો હતોઆ શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા માતા-પિતા તેને કુકેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું જણાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વધુ તપાસ માટે તેને ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે લઈ જવામાં આવી, જ્યાં નિષ્ણાતોએ તે 20 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી હોવાની પુષ્ટિ કરી હતી. બીજી પુત્રી પણ નીકળી પીડિતજ્યારે માતાએ નાની દીકરીની પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા સાવકા પિતા અનિલ રાઠોડના કાળા કરતૂતોની આપવીતી જણાવી હતી. આ દરમિયાન તેની મોટી બહેન પણ રડતી હોવાથી તેની તપાસ કરાવતા જાણવા મળ્યું કે તે પણ 11 અઠવાડિયાની ગર્ભવતી છે. આમ, એક જ નરાધમ પિતાએ પોતાની બંને દીકરીઓનું શારીરિક શોષણ કર્યું હતું. ધમકી આપી ગુજારતો હતો અત્યાચારબંને સગીરાઓએ જણાવ્યું કે, તેમનો પિતા જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવાર સૂઈ જાય ત્યારે તેમની સાથે પરાણે સંબંધ બાંધતો હતો. જો તેઓ કોઈને જાણ કરે તો તેમને અને તેમની માતાને જમવાનું નહીં આપવાની ધમકી આપીને તે મોઢું બંધ રખાવતો હતો. પોલીસ કાર્યવાહીપીડિતોની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ તેજ કરી છે.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉથી ફરાર રહેલા બે આરોપી વલી હાલારી અને તેનો ભાઈ તોફિક હાલારીને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ આ બનાવ તા. 22 માર્ચના રોજ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે બન્યો હતો. નવાપરા વિસ્તારમાં આવેલા ગ્રીન કોમ્પ્લેક્સમાં રહેતા જાહિદ લોંડીયા પર અજાણ્યા શખસોએ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. આ મામલે જાહિદ લોંડીયાએ નિલમબાગ પોલીસ મથકે કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમનો સમાવેશ થાય છે. જોકે, બનાવ બાદ વલી હાલારી અને તોફિક હાલારી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. પોલીસે સતત તપાસ અને શોધખોળ ચાલુ રાખી અને ગત રાત્રે બંને ભાઈઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. કોર્ટે પકડાયેલા બંને ભાઈઓને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યોઆજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરી કેસ સંબંધિત વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરશે. આ બનાવને લઈને શહેરમાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો, ત્યારે આરોપીઓની ધરપકડ બાદ થોડો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ હજી ચાલુ છે અને આવનાર સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને થોડાક દિવસ અગાઉ અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં કર્મચારી ગૌતમ સોલંકીની હાલત અત્યંત નાજુક હતી અને ખાનગી ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. જેનું આખરે સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતાગૌતમ સોલંકી રેલવેમાં ખલાસી તરીકે કામગીરી કરતો હતો અને તેઓ કરચિયા યાર્ડમાં પોતાની નિયમિત ડ્યુટી બજાવી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટના બનતાં જ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યને નોકરી આપવાની પણ વાત કરી આ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. હોસ્પિટલ પરિસરમાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને રેલવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે, રેલવે અધિકારીઓએ પરિવારની સાથે રહ્યા હતા અને સારવાર દરમિયાન મોત થતા પરિવારને આર્થિક મદદ અંગેની વાત કરી છે. આ સાથે પરિવારના સભ્યને નોકરી આપવાની પણ વાત કરી છે. મૃતક યુવકના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃત્યદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. હાલ જિલ્લામાં તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં ભારે ગરમી અનુભવાઈ હતી. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયા પહેલા ફૂંકાયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, જે રાહત માત્ર થોડા દિવસો પૂરતી જ મર્યાદિત રહી. ગરમીથી બચવા માટે શહેરમાં ઠંડા પીણાં, શેરડીનો રસ અને બરફની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો સૂર્યપ્રકાશથી બચવા માટે માથે ટોપી, આંખે ચશ્મા અને મોઢે માસ્ક કે રૂમાલનો ઉપયોગ કરી રહ્યા છે. મહિલાઓ પણ મોઢા પર ઓઢણી અથવા માસ્ક બાંધીને બહાર નીકળતી જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ લોકોને બપોરના તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટની જાણીતી મારવાડી યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જાહેર થયેલા વર્ષ 2026 ના ‘QS વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગ’ માં કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ શ્રેણીમાં યુનિવર્સિટીએ વૈશ્વિક સ્તરે સ્થાન મેળવ્યું છે. આ સફળતા સાથે મારવાડી યુનિવર્સિટીએ વિશ્વભરની ટોચની સંસ્થાઓની યાદીમાં પોતાનું નામ અંકિત કર્યું છે. વૈશ્વિક રેન્કિંગ અને ભારતની ટોચની સંસ્થાઓમાં સ્થાનમારવાડી યુનિવર્સિટીએ આ યાદીમાં 751–850 ના રેન્ક બેન્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિની સૌથી મોટી વિશેષતા એ છે કે, કમ્પ્યુટર સાયન્સના આ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની સાથે ભારતની ટોચની 40 સંસ્થાઓમાં મારવાડી યુનિવર્સિટીએ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છે કે 2024 થી ભારતે આ વૈશ્વિક યાદીમાં પ્રભુત્વ જમાવ્યું છે અને ટોચની 50 સંસ્થાઓમાં ભારતની હાજરી 12 થી વધીને 27 સુધી પહોંચી છે. ગુજરાતની એકમાત્ર ગૌરવશાળી યુનિવર્સિટીઆ રેન્કિંગમાં કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટે સ્થાન મેળવનારી મારવાડી યુનિવર્સિટી સમગ્ર ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, QS વર્લ્ડ રેન્કિંગ એ વિશ્વના સૌથી વિશ્વસનીય માપદંડોમાંનું એક છે. આ સિદ્ધિ સંશોધન, શૈક્ષણિક ગુણવત્તા અને ઉદ્યોગ જગત સાથેના સંકલનનું પરિણામ છે. વધુમાં, પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના વિઝન મુજબ ભારતીય સંસ્થાઓ હવે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠતા સાબિત કરી રહી છે અને અમારું લક્ષ્ય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પડકારો માટે તૈયાર કરવાનું છે. અગાઉના રેકોર્ડ અને સતત પ્રગતિમારવાડી યુનિવર્સિટીનો વિકાસ સતત ઉર્ધ્વગામી રહ્યો છે. ગયા વર્ષે QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026 માં યુનિવર્સિટીએ 353 મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જે કોઈપણ ભારતીય યુનિવર્સિટી માટે સૌથી મોટો ડેબ્યૂ રેન્ક હતો. આ સાથે જ મારવાડી યુનિવર્સિટી ગુજરાતની નંબર 1 ખાનગી યુનિવર્સિટી તરીકે ઉભરી આવી છે.
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 23મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણી માટે આણંદ-સોજીત્રા રોડ સ્થિત EVM વેરહાઉસ ખાતે મશીનોના પ્રથમ તબક્કાનું ચેકિંગ (FLC) પૂર્ણ થયું છે. આ પ્રક્રિયા 23મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ઉમરેઠ વિધાનસભા વિસ્તારના કુલ 306 મતદાન મથકો માટે 306 મુખ્ય અને 306 વધારાના મળીને કુલ 612 EVM તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનોનું પ્રથમ તબક્કાનું ચેકિંગ નિયમ મુજબ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચના સંયુક્ત નિર્વાચન અધિકારી અને EVM નોડલ ઓફિસર ડી.આર. ભામરએ રવિવારે રૂબરૂ વેરહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ ટેકનિકલ ચેકિંગની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ચૂંટણી પંચની પારદર્શક નીતિ અનુસાર, આ સમગ્ર ચેકિંગ પ્રક્રિયા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં કરવામાં આવી હતી. સંયુક્ત નિર્વાચન અધિકારીએ હાજર રહેલા રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે મશીનોની સુરક્ષા અને તપાસ પ્રક્રિયા અંગે સંવાદ કર્યો હતો. રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી પેટાચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને ટેકનિકલ ક્ષતિ રહિત યોજાય તે માટે તમામ સ્તરે કડક અમલવારી કરવામાં આવી રહી છે. હાલમાં એન્જિનિયરોની ટીમ દ્વારા દરેક મશીનની કાર્યક્ષમતા ચકાસવાની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારબાદ આ મશીનોને સુરક્ષિત રીતે સીલ કરવામાં આવશે.
સુરત શહેર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે, ત્યાં હાલ એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. તાપી નદી પર ડભોલી અને જહાંગીરપુરાને જોડતો બ્રિજ હાલ વાહનોના ઘોંઘાટને બદલે બેટ-બોલના અવાજ અને બાળકોના કિલકિલાટથી ગુંજી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજના મેન્ટેનન્સ માટે બંધ કરવાના નિર્ણય બાદ આ બ્રિજ જાણે 'પ્લે ગ્રાઉન્ડ'માં ફેરવાઈ ગયો છે. બ્રિજના રિપેરિંગ માટે વાહનો માટે એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવાઈસુરતની ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં ડભોલી-જહાંગીરપુરા બ્રિજની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બ્રિજની સપાટી પરના 'વેરીંગ કોટ' માં ઘસારો જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા ટેકનિકલ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, જો સમયસર આ સ્તરનું સમારકામ કરવામાં ન આવે, તો બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. આથી, જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ 11 ફેબ્રુઆરી 2026થી આ બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે એક સાઈડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ કામગીરી માટે 78 દિવસનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો બધું જ આયોજન મુજબ ચાલશે, તો 30 એપ્રિલ 2026 સુધીમાં બ્રિજ ફરીથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. રાત પડે ને બ્રિજ ચોપાટીમાં ફેરવાય તેવો જામે છે માહોલબ્રિજ બંધ થતાની સાથે જ એક તરફ વાહનચાલકો માટે ડાયવર્ઝનની સમસ્યા ઊભી થઈ છે, તો બીજી તરફ આસપાસના રહીશો માટે આ બ્રિજ જાણે ફરવા માટેની ચોપાટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સાંજે 9:00 વાગ્યા પછી અહીં લોકોની ભારે ભીડ જામે છે અને બાળકો ક્રિકેટર રમી રહ્યા છે જ્યારે વડીલો ખુલ્લી હવાની મોજ માણી રહ્યા છે. સાંજના આઠ વાગ્યા પછી ડભોલી અને જહાંગીરપુરા બંને છેડેથી યુવાનોની ટોળકીઓ સ્ટમ્પ અને બેટ લઈને બ્રિજ પર ઉતરી આવે છે. બ્રિજના લાંબા સ્પાન પર એક સાથે 10થી 15 ક્રિકેટની મેચો ચાલતી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. BRTS કોરિડોર જાણે ક્રિકેટનું મેદાન હોય તેવો નજારોસુરતની શાન ગણાતી BRTS લેન, જ્યાં બસો દોડતી હતી, ત્યાં હવે નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. BRTS કોરિડોર જાણે ક્રિકેટનું મેદાન હોય તેમ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. ગંભીર બાબત એ છે કે તે દડો ફેંકતા રોડ પર જાય છે અને અનેક કાર સાથે અથડાય છે, કોઈ બાઈક સાથે અથડાય છે અને બાળકો આ કોરીડોર કૂદીને બોલ લેવા જાય છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ છે. વડીલો અને મહિલાઓ રાતે બ્રિજ પર ટહેલવા નીકળે છેઆ માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી. આસપાસની સોસાયટીઓના વડીલો અને મહિલાઓ પણ રાત્રિના સમયે બ્રિજ પર ટહેલવા નીકળે છે. ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે લોકો બ્રિજ પર જ બેસીને નાસ્તો કરતા અને ગપ્પાં મારતા જોવા મળે છે. જાણે આ બ્રિજ કોઈ રિવરફ્રન્ટ ગાર્ડન હોય તેવો અહેસાસ સ્થાનિકોને થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 78 દિવસ પડકારજનકએક તરફ જ્યારે લોકો આ સ્થિતિનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ 78 દિવસ પડકારજનક છે. આ બ્રિજની એક સાઈટ ચાલુ હોવાથી રાત્રિના સમયે રોંગ સાઈડમાં વાહન ચાલકો આવી રહ્યા છે. લાંબુ ફરવા ન જવું પડે તેથી વાહનચાલક આ બ્રિજ પર રોંગ સાઈડમાં આવી રહ્યા છે, લોકો અહીં બેસી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે અહીં રોંગ સાઈડમાંથી આવતા વાહનોને કારણે અકસ્માત થવાનો ભય રહે છે.
રાજુલા પોલીસે સાયબર ફ્રોડના આરોપીને ઝડપ્યો:અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ઇન્દોરથી આરોપીને દબોચ્યો
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે રાજુલા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને ASP જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ, રાજુલા પોલીસે સાયબર ફ્રોડના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ સાયબર ફ્રોડ કેસમાં, ફરિયાદીને 'જાનવી' નામની મહિલાએ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કર્યો હતો. તેણે શેર માર્કેટમાં નફો કરાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ 'અભિષેક શર્મા' નામના વ્યક્તિએ નુકસાન થયેલી રકમ પાછી અપાવવાની ખાતરી આપી, ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ બનાવડાવ્યું હતું. QR કોડ મારફતે વિવિધ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 75,800ની છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીને છેતરપિંડીની જાણ થતાં તેણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી અરજી નોંધાવી હતી. ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પીઆઈ વિજય કોલાદરાના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટીમે ટેક્નિકલ એનાલિસિસ, બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ અને ATMના CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી. વધુ તપાસ દરમિયાન, પોલીસે આરોપી અંશુમન કમલેશકુમાર તંવર (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ)ને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ વિજય કોલાદરા, PSI આર.એલ. રાઠોડ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. મધુ પોપટ, એ.એસ.આઈ. બહાદુર વાળ, હરપાલસિંહ ગોહિલ, હરેશ વાળા, મનુ માંગાણી, સુરેશ મેર, એ.એસ.આઈ. હરેશ કવાડ, ચંદ્રેશ કવાડ, રામ ભમ્મર તથા પૃથ્વીરાજસિંહ ચાવડાએ સફળતાપૂર્વક યોગદાન આપ્યું હતું. રાજુલા પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને અજાણ્યા લોકોની લાલચમાં આવી કોઈપણ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવા અપીલ કરી છે.
વાંસદાના સરા ગામે જવાન સન્માનમાં હોબાળો:ધર્માંતરણના આક્ષેપ સાથે 5 હજાર લોકો ઉમટ્યા, પોલીસ તપાસ શરૂ
વાંસદા તાલુકાના સરા ગામે મંગળવારે રાત્રે એક સેનાના જવાનના નિવૃત્તિ સન્માન સમારોહમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો. સ્થાનિક ગ્રામજનો અને હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. આ મામલે વાંસદા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર વહીવટી મંજૂરી લેવામાં આવી ન હતી. આયોજનમાં અચાનક મહારાષ્ટ્રથી પાસ્ટરને બોલાવી ધાર્મિક પ્રવચન શરૂ કરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે, નિવૃત્તિ કાર્યક્રમમાં સામાન્ય રીતે સ્નેહમિલન અને ભોજન હોય છે, પરંતુ અહીં ધાર્મિક પ્રચારનો એજન્ડા સ્પષ્ટ દેખાતો હતો. હિન્દુ સંગઠનના અગ્રણી અશ્વિનભાઈ બારોટે આક્ષેપ કર્યો હતો કે, જવાનની દેશસેવા માટે અમને ગૌરવ છે, પરંતુ આ કાર્યક્રમમાં 4થી 5 હજાર ગરીબ આદિવાસીઓને એકત્ર કરીને ધર્માંતરણનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે તાપી જિલ્લાની જેમ હવે નવસારીના અંતરિયાળ ગામોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના પર પ્રશાસને ધ્યાન આપવું જોઈએ. પોલીસને અપાયેલી અરજીમાં સરા ઉપરાંત ધરમપુરી, કેવડી, ખરજઇ, કુકડા અને મહુવાસ જેવા આસપાસના ગામોનો ઉલ્લેખ છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આદિવાસીઓ જન્મથી જ આદિવાસી છે, કોઈ ધર્મથી નહીં. બંધારણના આર્ટિકલ 25 મુજબ અનામતનો લાભ જન્મના આધારે મળે છે. અમે પ્રકૃતિ પૂજક છીએ અને અમારી પોતાની સંસ્કૃતિ છે. પ્રાર્થના કરવી એ કોઈ પાપ નથી, તે દિવસે પણ માત્ર પ્રાર્થના જ થઈ રહી હતી. તેમણે ઉમેર્યું કે, મોહનભાઈ કોકણીની વાત સાચી છે, આદિવાસી અસ્મિતા અને રીત-રિવાજો સર્વોપરી છે અને આદિવાસીત્વ એ કોઈ ધર્મનું મહોતાજ નથી. જે.વી.ચાવડા, પી.આઈ., વાંસદાએ જણાવ્યું હતું કે, ધર્માંતરણની ફરિયાદ મળતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આયોજકો અને પાસ્ટરની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં ધર્માંતરણના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ ગ્રામજનોની અરજી સ્વીકારીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે.
2024-25ના સરકારી આંકડાઓમાં ગુજરાતના વહીવટી તંત્રની અનેક ખામીઓ સામે આવી છે. પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની 324 ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે તલાટી-કમ-મંત્રીના મહેકમમાં 4,151 જગ્યાઓ ખાલી છે અને મોટાભાગે વધારાના ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે “નલ સે જલ” યોજનામાં 20 જિલ્લામાં ગેરરીતિની 54 ફરિયાદો સામે આવી છે. બીજી તરફ સરકાર એક્સટેન્શન ઘટાડીને નવી ભરતી પર ભાર મૂકી રહી છે, છતાં તંત્રમાં ખામી અને ગેરવ્યવસ્થાના પ્રશ્નો યથાવત્ જોવા મળી રહ્યા છે. પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યાની રાજ્યમાં 324 ઘટના, અમદાવાદમાં સૌથી વધુવર્ષ 2024-25ના આંકડાઓ મુજબ, ગુજરાતમાં પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ થયાની કુલ 324 ઘટનાઓ સામે આવી છે, જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 66 કેસોમાં પોલીસ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ નોંધાયો છે. બીજા ક્રમે સુરતમાં 24 ઘટનાઓ સામે આવી છે. આ આંકડાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને પોલીસની જવાબદારી તેમજ પારદર્શિતાને લઈને ચર્ચા તેજ બની છે. તલાટી-કમ-મંત્રીમાં ખાલી જગ્યાઓનો ઢગલો, 4151 જગ્યા ખાલીરાજ્યમાં તલાટી-કમ-મંત્રીના મહેકમ માટે મંજૂર કુલ 11,705 જગ્યાઓ સામે 7,554 જગ્યા ભરાયેલી છે, જ્યારે 4,151 જગ્યા ખાલી છે. તેમાંથી 4,104 જગ્યાઓ પર વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જે કુલ ખાલી જગ્યાઓના 98.86% થાય છે. એટલે કે માત્ર 47 જગ્યાઓ જ એવી છે, જ્યાં વધારાનો ચાર્જ નથી. જિલ્લાવાર આંકડાઓમાં વડોદરામાં સૌથી વધુ 249 જગ્યા ખાલી છે, જ્યારે અમરેલીમાં 237 ખાલી જગ્યાઓ સાથે બીજા ક્રમે છે. દર 100 મંજૂર જગ્યામાંથી સરેરાશ 35 જગ્યા ખાલી રહેતી હોવાની હકીકત વહીવટી તંત્ર માટે ચિંતાજનક છે. આ મુદ્દો દાંતા MLAના સવાલમાં સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. એક્સટેન્શન ઘટાડા તરફ સરકારનો ઝોક, નવી ભરતી પર ભારરાજ્ય સરકારે નિવૃત્ત અધિકારીઓને એક્સટેન્શન આપવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને નવી ભરતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ 2022-23માં કુલ 129 અધિકારીઓને એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જે 2023-24માં ઘટીને 73 થયા અને 2024-25માં માત્ર 35 રહ્યા છે. ગૃહ વિભાગમાં 2022-23માં 43 એક્સટેન્શન આપવામાં આવ્યા હતા, જ્યારે 2024-25માં તે ઘટીને માત્ર 9 રહ્યા છે. આ ઉપરાંત જળ સંપત્તિ, માર્ગ-મકાન અને અન્ય વિભાગોમાં પણ એક્સટેન્શનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકાર હવે નિવૃત્તિ કરતાં નવા મહેકમ ઉભા કરવાની દિશામાં આગળ વધી રહી છે. નલ સે જલ યોજનામાં ગેરરીતિ: 20 જિલ્લામાં 54 ફરિયાદ“નલ સે જલ” યોજનામાં વર્ષ 2024-25 દરમિયાન કુલ 20 જિલ્લાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સંબંધિત 54 ફરિયાદો નોંધાઈ છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 10 ફરિયાદો નોંધાઈ છે, જ્યાં 62.21 લાખની ગ્રાન્ટ સામે 220.54 લાખનો ખર્ચ નોંધાયો છે, જે ગ્રાન્ટ કરતાં લગભગ 3.5 ગણો વધુ છે. કુલ 10,590.60 લાખની ગ્રાન્ટમાંથી 55% ફાળવણી મહીસાગર જિલ્લામાં કરવામાં આવી છે. જ્યારે 4 જિલ્લાઓ જેમ કે, જામનગર, ડાંગ, આણંદ અને પોરબંદરમાં કોઈ ગ્રાન્ટ ફાળવાઈ નથી. પંચમહાલ જિલ્લામાં 140 લાખની ગ્રાન્ટ વપરાયા વગર રહી ગઈ છે. આ તમામ આંકડાઓ યોજનાની અમલવારી અને મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.
બ્રહ્માકુમારીઝના સિક્યુરિટી સર્વિસ પ્રભાગ દ્વારા સુરક્ષા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક સશક્તિકરણ માટે એક વિશેષ રાષ્ટ્રીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કડી અંતર્ગત 25 માર્ચ 2026, બુધવારના રોજ વરાછા સેવાકેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસ અને જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વરાછા સેવાકેન્દ્રના સંચાલિકા બીકે તૃપ્તિબેને સૌનું શબ્દ સુમનથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ અને સન્માનઆ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે DCP ઝોન-1 આલોકકુમાર, ACP-A ડિવિઝન વી આર પટેલ, સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રફુલભાઈ શિરોયા, પૂર્વ DySP વિનય ભાઈ શુક્લા, પ્રોફેસર ઈ.વી. સ્વામીનાથન, બીકે તૃપ્તિબેન અને બીકે દિપકભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પધારેલા તમામ અતિથિઓને પવિત્ર ખેસ અને પરમાત્માની સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેડિટેશન: સુખદ જીવનની માસ્ટર કીમુખ્ય વક્તા મોટીવેશનલ સ્પીકર ડૉ. ઈ.વી. સ્વામીનાથનભાઈએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા તણાવનું વ્યવસ્થાપન અનિવાર્ય છે અને મેડિટેશન તેની 'માસ્ટર કી' છે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે જો આપણે આંતરિક રીતે સશક્ત બનીશું તો જ રાષ્ટ્રને સશક્ત બનાવી શકીશું. આ તકે બીકે અસ્મિતાબેને સૌને રાજયોગની ગહન અનુભૂતિ કરાવી હતી. વિવિધ સ્થળોએ જનજાગૃતિનો વ્યાપઆ કાર્યક્રમમાં 90 જેટલા પોલીસ અધિકારીઓ અને 150 થી વધુ હોમગાર્ડ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાન માત્ર વરાછા પૂરતું મર્યાદિત ન રહેતા, સુરત જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે કામરેજ (SRP કેમ્પ), માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, કડોદરા હોમગાર્ડ યુનિટ, ECHS-નાનપુરા, CISF કવાસ અને સુરત એરપોર્ટ પર પણ સુરક્ષાકર્મીઓ માટે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પવિત્ર બ્રહ્મા ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
રાજકોટમાં 11 મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ. કારણ કે, રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 14 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ યોજાઈ હતી, જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 22 ડિસેમ્બરે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચBCCI દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચ રમાવાની છે. વન ડે મેચની સીરિઝની શરૂઆત 13 ડિસેમ્બર 2026ના દિલ્હી ખાતેથી કરવામાં આવશે અને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં વન ડે સીરિઝની ત્રીજી અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યાર બાદ ટી-20 સીરિઝની પ્રથમ મેચ આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. અત્યાર સુધીમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 6 ટી-20 અને 5 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વનડે મેચની સીરિઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી.
ગોધરા-દાહોદ હાઈવે પર ચંચેલાવના કેવડિયા ગામ પાસે બે એસ.ટી. બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદથી તારાપુર તરફ જઈ રહેલી એક એસ.ટી. બસ ચંચેલાવ નજીક કેવડિયા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી ઝાલોદ-સુરત રૂટની અન્ય એક એસ.ટી. બસે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે એસ.ટી. વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તેઓ દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તાલુકા પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ પૂરતું ઉપલબ્ધ:સાપુતારા પંપ પર ભીડ,અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ
ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે જિલ્લા તંત્રએ સ્પષ્ટતા કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી યુ. વી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. તેમણે લોકોને ગભરાવાની જરૂર ન હોવાની ખાતરી આપી હતી. અધિકારી પટેલે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં ફરતી ખોટી માહિતીથી પ્રભાવિત ન થવા ખાસ અપીલ કરી છે. તેમણે ઉમેર્યું કે, આવી અફવાઓ અનાવશ્યક ભીડ અને ગેરસમજ ઊભી કરી શકે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના મુજબ, પેટ્રોલ અને ડીઝલ ફક્ત વાહનોની ટાંકીમાં જ ભરવામાં આવશે. કોઈપણ વ્યક્તિને ડબ્બા, બેરલ કે અન્ય પાત્રોમાં ઈંધણ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈંધણની સંગ્રહખોરી અટકાવવાનો અને તમામ લોકોને સમાન રીતે ઈંધણ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તંત્ર દ્વારા નિયમોના પાલન પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પુરવઠા વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ ઈંધણની ગેરકાયદે સંગ્રહખોરી કરતો ઝડપાશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પડોશી મહારાષ્ટ્ર રાજ્યમાં કેટલાક પેટ્રોલ પંપ બંધ હોવાને કારણે સરહદી વિસ્તાર સાપુતારા ખાતેના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા તંત્ર વધુ સજાગ બન્યું છે અને પુરવઠા વ્યવસ્થાને સુચારુ રાખવા માટે પગલાં લઈ રહ્યું છે. તંત્રએ ફરી એકવાર લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં ઈંધણ પૂરતું ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારની ગભરાટ કે અફરાતફરી સર્જવાની જરૂર નથી.

32 C