વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે 6 માર્ચે છેલ્લી બેઠક મળી હતી. જે પહેલા કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સત્તાધીશો પોતાના માનીતાઓને ફાયદો કરાવવાનો કારસો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. 'બેઠકમાં મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ'કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ આક્ષેપ કર્યા હતા કે, સ્થાયી સમિતિની બેઠકમાં માત્ર મિટિંગ, ઇટીંગ અને ચિટિંગ જ ચાલે છે. સ્થાયી સમિતિના સભ્યો પોતાના માનીતા ઇજારદારોને ફાયદો કરાવવા માટે ઇજારાની સમય મર્યાદામાં તેમજ નાણાની મર્યાદામાં વધારો કરવામાં આવે છે. 'સાયકલ લઈને ફરતા હતા, તે હવે મોંઘી ગાડીઓમાં ફરે છે'કોંગ્રેસ શહેર પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, જે સત્તાધીશો ચૂંટાયા પહેલા સાયકલ લઈને ફરતા હતા તેઓ હવે મોંઘી ગાડીઓમાં ફરે છે અને કરોડો રૂપિયાના બંગલામાં રહેવા માંડ્યા છે. પાલિકામાં સત્તાધીશો દ્વારા માત્ર ભ્રષ્ટાચાર જ કરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસે કામો અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. કસ્ટોડિયન તરીકે કામો અટકાવવા કોંગ્રેસની રજૂઆતકોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, જે કામોની સમય મર્યાદા વધારવામાં આવી છે અને જે કામોમાં નાણાની મર્યાદા વધારવામાં આવી છે તે ગેરકાયદેસર ગણી શકાય. જેથી કસ્ટોડિયન તરીકે મ્યુનિસિપલ કમિશનરે આ તમામ કામો અટકાવી દેવા જોઈએ.
રાજ્યમાં 37 IPS અધિકારીઓની સામુહિક બદલી રાજ્યમાં 37 આઈપીએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ . અનેક હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરાયા.. (SMC)ના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, CBIનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UPSC 2025માં ગુજરાતનું ઐતિહાસિક રિઝલ્ટ યુપીએસસી 2025 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત માટે રિઝલ્ટ ઐતિહાસિક રહ્યું. પહેલીવાર સ્પીપાના 34 વિદ્યાર્થીઓ સફળ થયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રોપેન ગેસ સપ્લાય બંધ થતા 100 એકમો બંધ ઈઝરાયેલ અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર મોરબીમાં વરતાવાની શરુ. પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા છેલ્લા બે જ દિવસમાં મોરબીના 100 જેટલા સિરામિક એકમ બંધ થઈ ગયા છે.બીજા 450 કારખાનાં બંધ થવાના આરે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફાઈનલ માટે અમદાવાદ આવી ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી.. ટીમ તાજ હોટલમાં રોકાશે.. 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર જામશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માર્ચની શરુઆતમાં જ ગરમીનું ટોર્ચર શરુ આજથી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી.... ટી-20 વર્લ્ડકપની ફાઈનલના દિવસે એટલે કે 8 માર્ચે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદ પોલીસની હદમાં થશે ફેરફાર અમદાવાદ પોલીસની હદમાં ફેરફાર થશે હવે ઝોન 8 બનશે.વધતી જતી વસતી અને ગુનાને લઈને પૂર્વમાં ઝોન 8ના ડીસીપીની નિમણૂક કરવામાં આવી છે જે અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પણ રજૂ કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ આજે ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ..ચૂંટણીથી આગામી 5 વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરાશે. 99 ઉમેદવાર મેદાનમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નસકોરા બોલાવતા આરોપીઓને ઝડપી પાડ્યા સુરત સાયબર ક્રાઈમે એમપીમાં રેડ કરી 19 કરોડથી વધુનું ડિજટલ ફ્રોડ કરનાર ગેંગને ઉંઘતી ઝડપી પાડી... 10-12 પાસ ગેંગના આ ગઠિયાઓએ સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના 8 લાખ રુ. પણ સેરવી લીધા હતા ..ભાડાની રૂમમાં નીચે ગાદલા નાખી ફ્રોડ માટેનું આખું સેટઅપ કર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડોક્ટરે લાઈનસર વાહનોને ઉડાવ્યા, પાંચને ઈજા સુરતના પાલ -ઉમરા બ્રિજ પર એક ડોક્ટરે લાઈનસર વાહનોને ઉડાડ્યા . પાંચ જેટલા લોકો રસ્તા પર ઈજાગ્રસ્ત થઈને પડેલા દેખાયા. ડોક્ટર લાંબી સર્જરી કરીને ઘરે જતા હતા અને ઝોકું આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધોળા દિવસે બાળકીના અપહરણનો પ્રયાસ રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર માતાની નજર સામે જ પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો.. જો કે આસપાસના લોકોએ મહિલાને ઝડપી પોલીસને સોંપી દીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકરોએ 6 માર્ચથી ઓનલાઈન કામગીરી ન કરવાની જાહેરાત કરી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સમર્થનમાં પાટડીમાં લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કાર્યકરોનો આક્ષેપ છે કે 2022થી વચન આપવા છતાં તેમને ઓનલાઈન કામગીરી માટે નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. 2019માં અપાયેલા મોબાઈલ ફોન હવે બિનઉપયોગી બની ગયા છે. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી જેવી નવી એપ્લિકેશનો પર કામ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આંગણવાડી કાર્યકરો જણાવે છે કે ફેસ કેપ્ચર એપ્લિકેશન નિયમિત ચાલતી નથી અને એવીટી એપ્લિકેશન પણ યોગ્ય રીતે કામ કરતી નથી. આ એપ્લિકેશનો બાળકોની વાસ્તવિક હાજરી કરતાં ઘણી ઓછી સંખ્યા દર્શાવે છે. સક્ષમ મોબાઈલના અભાવે ખોટી હાજરી ગણાય છે, જેના કારણે બાળકો માટે આહાર અને નાસ્તાના બિલ પણ ઓછી સંખ્યા પ્રમાણે મળે છે. કાર્યકરોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની રહેશે. આ પરિસ્થિતિને કારણે ICDSનો મુખ્ય હેતુ સિદ્ધ થતો નથી. બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાનો સમય મળતો નથી. મોટાભાગનો સમય નવી એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે, જેનાથી કામગીરી પર નકારાત્મક અસર થાય છે અને કાર્યકરોની માનસિક સ્થિતિ પર પણ ગંભીર અસર પડે છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો લાંબા સમયથી ઓછા પગાર અને અન્ય બાર જેટલા મુદ્દાઓ પર માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. કાર્યકરોની ધીરજ હવે ખૂટી ગઈ છે, અને ઓછા પગારમાં છ કલાકમાં આટલી બધી કામગીરી કરવી મુશ્કેલ બની છે. આ તમામ રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળતા, આંગણવાડી કાર્યકરોએ 5 માર્ચ કે તે પછીની કોઈપણ તારીખથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી ન કરવાનો નિર્ણય લીધો છે. દસાડા તાલુકા આંગણવાડી હેલ્પર/વર્કર સંગઠન દ્વારા પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે સીડીપીઓને લેખિત આવેદનપત્ર સુપરત કરીને સ્પષ્ટ કરાયું છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ ન આવે અને નવા મોબાઈલ ફોન આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવામાં આવશે નહીં.
સુરત શહેરમાં પારિવારિક કંકાસના કારણે આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના અડાજણ અને ચોકબજારને જોડતા જિલાની બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો છે. બ્રિજ પરથી યુવકને કૂદતો જોઈ રાહદારીઓમાં ફાળ પડીપ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોર પછીના સમયે એક યુવક જિલાની બ્રિજ પર પહોંચ્યો હતો અને કોઈપણ વિચાર કર્યા વગર અચાનક તાપી નદીના વહેણમાં કૂદકો મારી દીધો હતો. બ્રિજ પરથી યુવકને કૂદતો જોઈ રાહદારીઓમાં ફાળ પડી હતી અને તુરંત જ આ અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કૂદકો મારનાર યુવક હિંમત હાર્યા વગર જાતે જ તરીને બહાર આવી ગયોઆ ઘટનાની જાણ થતા જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો લાઈફ જેકેટ અને રેસ્ક્યુ બોટ સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, ફાયરની ટીમ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરે તે પહેલા જ એક ચમત્કાર સર્જાયો હતો. કૂદકો મારનાર યુવક હિંમત હાર્યા વગર જાતે જ તરીને નદીના કિનારે સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો. યુવકનો જીવ બચી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધોફાયર વિભાગે તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક સુરતના પંડોળ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ આ મામલે યુવકનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે. સદનસીબે યુવકનો જીવ બચી જતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ‘હું મારો જીવ આપવા જઈ રહ્યો હતો, મારે હવે કઈ નથી જોઈતું’આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે જણાવ્યું હતું કે, હું મારી પત્નીથી પરેશાન થઈને નદીમાં કૂદ્યો હતો. અહીં હું એમ્બ્રોઈડરીનું કામ કરું છું. મારી પત્નીની સાથે મારો ઝઘડો થતો હતો, તે ખોટા કામ કરે છે. આ બાબતે મારે તેની સાથે રોજ ઝઘડો થાય છે. મેં મારા ગામવાળા, મારા મામા-કાકા બધાને આ વાત કરી પણ તે બધાને અપમાનિત કરે છે. પત્ની સાથે મારે જરાય બનતું નથી. તે ઝઘડો કરે છે. મેં એક મહિનામાં 16,500 રૂપિયા કમાઈને આપ્યા તો પણ તે ખુશ નથી. એક મહિનામાં 16,500 આપ્યા તે શું ઓછા છે? મારો એક છોકરો છે, પત્ની છે અને મારી માતા અલગ રહે છે. એટલે જ હું મારો જીવ આપવા જઈ રહ્યો હતો, મારે હવે કઈ નથી જોઈતું. યુવક પોતે જ સહી-સલામત બહાર આવી ગયો: સબફાયર ઓફિસરસબ ફાયર ઓફિસર બલવંત સિંહે જણાવ્યું હતું કે, ફાયર કંટ્રોલ દ્વારા મુગલીસરા ફાયર સ્ટેશનને કોલ આવ્યો કે જીલાની બ્રિજ ઉપરથી એક વ્યક્તિએ કૂદકો મારેલો છે. જેવો કોલ આવ્યો એટલે તરત જ આપણે ટીમ લઈને અડાજણ જીલાની બ્રિજ ઉપર આવી ગયા. અહીં તપાસ કરતા એમ જણાયું કે, આ જગ્યાએથી કૂદકો મારેલો છે એટલે નીચે તપાસ કરતા હતા જે વ્યક્તિએ કૂદકો મારેલો છે તે પોતે જ સહી-સલામત બહાર આવી ગયેલો છે. અત્યારે તેને બ્રિજ ઉપર લાવ્યા છીએ અને 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. તે પંડોળ વિસ્તારનો છે અને ઘરના કંકાસથી કંટાળીને તેને કૂદકો માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી
અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ ફેલાઈ રહી છે. આ અફવાઓના કારણે લોકો પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરતો એક વીડિયો સંદેશ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશમાં કુંભાણીએ સ્પષ્ટતા કરી છે કે અમરેલી જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જિલ્લામાં ક્યાંય પણ ઇંધણની કોઈ અછત નથી અને તમામ પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ વિતરણ ચાલુ છે. અધિકારીએ નાગરિકોને અફવાઓના આધારે ગભરાટમાં આવીને પેટ્રોલ-ડીઝલનો વધુ પડતો સંગ્રહ ન કરવા વિનંતી કરી છે. તેમણે શાંતિ અને સંયમ જાળવીને નિયમિત જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવાની અપીલ કરી છે.
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો યોજાયો હતો. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ અને વિદેશી પર્યટકો ઉમટી પડ્યા હતા, જેમણે આદિવાસી સંસ્કૃતિનો આનંદ માણ્યો હતો. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર નિમિત્તે દેશ-દુનિયાના ખૂણેખૂણેથી આદિવાસીઓ પોતાના વતન પરત ફરે છે. છોટા ઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર દરમિયાન વિવિધ મેળાઓનું આયોજન થાય છે, જેમાં કવાંટનો ગેરનો મેળો સૌથી મોટો અને વિશ્વ પ્રસિદ્ધ છે. હોળીના ત્રીજા દિવસે યોજાતા આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ભાગ લે છે. ગેરના મેળામાં આદિવાસીઓ ગામડે-ગામડેથી પોતાની અલગ-અલગ ટીમો બનાવી 'ઘેરૈયા' બનીને આખો દિવસ નાચગાન કરતા કવાંટ ગામમાં ફરે છે.ગેરના મેળાનું વિશેષ મહત્વ છે. આદિવાસીઓ હોળીના દિવસે ગામ અને પોતાના પર આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે બાધા રાખે છે. આ બાધાના ભાગરૂપે તેઓ અલગ-અલગ વેશ ધારણ કરીને પાંચ દિવસ સુધી જુદા-જુદા ગામોમાં ફરીને 'ગેર' ઉઘરાવે છે. આ પાંચ દિવસ દરમિયાન ઘેરૈયા બનેલા લોકો જમીન પર સૂવે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે અને શરીર પર સફેદ માટીના છૂંદણાં કરાવે છે. કેટલાક લોકો શરીર પર તેલ લગાવીને કાળો રંગ કરે છે અને ફાટેલા વસ્ત્રો પહેરીને ફરે છે, આ રીતે તેઓ ગેર ઉઘરાવે છે.ત્યારબાદ પાંચમના દિવસે ગામના પાદરે ગેરમાં મળેલા ધાન્યમાંથી ભોજન બનાવીને ખાય છે. આ પછી તેઓ પોતાના ઘેરૈયાના વસ્ત્રો નદીમાં પધરાવીને પોતાની બાધા પૂરી કરે છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બોટાદ: નવસર્જન ટ્રસ્ટ અને રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં દલિત સમાજના સભ્યોને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદ ન મળવા અને તેમની જમીન પરના ગેરકાયદેસર કબજા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆત મુજબ, વર્ષોથી દલિત સમાજના ચૂંટાયેલા સભ્યોને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો દરજ્જો આપવામાં આવતો નથી. આ ઉપરાંત, વર્ષો પહેલાં દલિત સમાજને ફાળવવામાં આવેલી જમીન પર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે.આવેદનપત્રમાં તાલુકા વિકાસ અધિકારીને આ મામલે દખલગીરી કરીને દલિત સમાજને ન્યાય અપાવવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે દલિત સભ્યો માટે ઓફિસમાં ખુરશીની વ્યવસ્થા કરાવવા, સ્મશાન માટે જમીન ફાળવવા અને દલિત સમાજની કબજા હેઠળની જમીન ખાલી કરાવી પરત અપાવવા માંગ કરી હતી. આ આવેદનપત્ર સુપરત કરનારાઓમાં બળદેવભાઈ મકવાણા, મનજીભાઈ સોલંકી, દાનાભાઈ સોલંકી, વિઠલભાઈ સાપરીયા, રામજીભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દેવજીભાઈ બાવળવા, સોમાભાઈ રાઠોડ, દાનજીભાઈ સોલંકી, કેશવભાઈ મકવાણા, મનુભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર, કાન્તીભાઈ ચૌહાણ, વિપુલભાઈ વાઘેલા, ઈમ્તિયાઝભાઈ કુરેશી, સિકંન્દરભાઈ જોખીયા, જાકિરભાઈ સંધી અને નરેન્દ્રભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
'ડાયમંડ સિટી' અને 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં રસ્તાઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. આશ્ચર્યજનક ઘટનામાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને ચીફ ફાયર ઓફિસર (CFO)ની ઓફિસની બિલકુલ બહાર રસ્તા પર એક વિશાળ ભૂવો પડ્યો છે. અંદાજે 6 થી 7 ફૂટ ઊંડા આ ભૂવાને કારણે વહીવટી તંત્રની કામગીરીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હો લાગ્યા છે. મુખ્ય કચેરીના ઉંબરે જ ભ્રષ્ટાચાર કે બેદરકારી?સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જમીન ધોવાણ થવાથી ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય ગણાય છે. પરંતુ, સુરતના હાર્દ સમાન મુગલીસરા વિસ્તારમાં, જ્યાં પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે, ત્યાં ભર ઉનાળે રસ્તો બેસી જવો એ ચર્ચાનો વિષય બન્યો છે. જે રસ્તા પરથી રોજના સેંકડો અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે, તે જ રસ્તાની આ હાલત જોઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂવો પડતાં તંત્રમાં દોડધામમળતી માહિતી અનુસાર, ફાયર ચીફ ઓફિસની બહાર અચાનક રસ્તો બેસી ગયો હતો અને જોતજોતામાં 7 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું નહોતું, અન્યથા મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘટનાની જાણ થતા જ પાલિકાના ડ્રેનેજ અને રોડ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે ભૂવાને ચારેબાજુથી બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. શું પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ?ભર ઉનાળે ભૂવો પડવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક અનુમાન મુજબ રસ્તાની નીચેથી પસાર થતી વર્ષો જૂની ડ્રેનેજ લાઇન અથવા પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે અંદરખાને માટીનું ધોવાણ થયું હોઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે જો આટલી મહત્વની જગ્યાએ લાંબા સમયથી લીકેજ હતું, તો તંત્રને તેની જાણ કેમ ન થઈ? શું પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે? બેરિકેટિંગને કારણે ટ્રાફિકના દૃશ્યો સર્જાયાઆ વિસ્તાર અત્યંત વ્યસ્ત છે અને પાલિકાની કચેરી હોવાથી અહીં લોકોની સતત અવરજવર રહે છે. રસ્તાની વચ્ચે પડેલા ભૂવા અને ત્યારબાદ કરાયેલા બેરિકેટિંગને કારણે ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા. સાંકડા રસ્તા પર વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નેપાળની ચૂંટણીમાં યુવા નેતા બાલેન્દ્ર શાહનો દબદબો! ચીનના માનીતા નેતાના સૂપડાં સાફ
Nepal Parliamentary Election 2026 : નેપાળમાં પાંચમી માર્ચે સંસદીય ચૂંટણી યોજાયા બાદ હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં માનીતા નેતાના સૂપડાં સાફ થતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, શરૂઆતના વલણોમાં 43 બેઠકો પરની મતગણતરીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) 35 બેઠકો પર આગળ ચાલી રહી છે. આરએસપીના વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહ પૂર્વ નેપાળના ઝાપા-5માં પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે દેશની ચૂંટણીમાં આરએસપી ઓલીની પાર્ટીથી ખૂબ આગળ નીકળી ગઈ છે.
સુરતના એક વિઝા કન્સલ્ટન્ટને ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી અને ચેક રિટર્નના કેસમાં ખંભાતની અદાલતે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આરોપી અમરીશકુમાર કાળુભાઈ વઘાસીયાને રૂ. 16.60 લાખના બે ચેક રિટર્ન થવા બદલ તકસીરવાર ઠેરવવામાં આવ્યા છે. ખંભાત શહેરના પોપટપુરાના રહેવાસી અંકિત શશિકાંતભાઈ પટેલે ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા માટે સુરતના વેડ રોડ પર આવેલા 'એ એન્ડ ટી વિઝા કન્સલ્ટન્ટ'ના સંચાલક અમરીશકુમાર વઘાસીયાનો સંપર્ક કર્યો હતો. અમરીશકુમારે ન્યુઝીલેન્ડમાં રહેવા, નોકરી અને ઇમિગ્રેશન સહિત કુલ રૂ. 18 લાખ નક્કી કર્યા હતા. અંકિતભાઈએ રોકડ, ચેક, યુપીઆઈ અને આરટીજીએસ દ્વારા કુલ રૂ. 17.60 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ અમરીશકુમારે અંકિતભાઈને ન્યુઝીલેન્ડની ટિકિટ અને વિઝા આપ્યા હતા. જોકે, મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ જાણવા મળ્યું કે વિઝા નકલી હતા અને સિસ્ટમમાં દર્શાવવામાં આવતા ન હતા. અંકિતભાઈએ અમરીશકુમારનો સંપર્ક કરતા, તેમને મલેશિયાની ટિકિટ આપીને ત્યાંથી ન્યુઝીલેન્ડના વિઝા અને ટિકિટ મળી જશે તેમ જણાવ્યું હતું. અંકિતભાઈ મલેશિયા ગયા, પરંતુ ત્યાં પણ વિઝા ન મળતા તેઓ ભારત પરત ફર્યા હતા. ભારત પરત ફર્યા બાદ અંકિતભાઈએ અમરીશકુમારને રૂબરૂ મળીને ખર્ચ સહિતના ચૂકવેલા પૈસા પરત માંગ્યા હતા. જેના જવાબમાં અમરીશકુમારે રૂ. 8.30 લાખના બે ચેક, જેની તારીખ અનુક્રમે 20 ઓગસ્ટ, 2024 અને 5 સપ્ટેમ્બર, 2024 હતી, તે લખી આપ્યા હતા. નિયત તારીખે આ બંને ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયા હતા. આથી, અંકિતભાઈએ તેમના વકીલ એ.એસ. પટેલ મારફતે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ખંભાતની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. ઓડેદરા સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજે બંને પક્ષોના વકીલોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા. વકીલ એ.એસ. પટેલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને, અદાલતે અમરીશકુમાર વઘાસીયાને ચેક રિટર્નના ગુનામાં તકસીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો હતો. વધુમાં, અદાલતે ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો, અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો.
નાબાર્ડ દ્વારા સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના આર્થિક વિકાસ અને સશક્તિકરણનો હતો. આ આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'વોકલ ફોર લોકલ' પહેલને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આયોજકો દ્વારા મહિલાઓને સ્વરોજગારી માટે પ્રેરિત કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
અમદાવાદ સ્થિત સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટર દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર તાલીમનું ફરી એકવાર ગૌરવપૂર્ણ પરિણામ પ્રાપ્ત થયું છે. UPSC દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ (IAS–IPS) પરીક્ષામાં સરદારધામના વધુ 4 વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી છે. પસંદગી પામેલ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે:1.તુષાર એચ. મેંદપરા – All India Rank 1952.અનિકેત કે. પટેલ – All India Rank 2663.સાવન પી. સરાવડિયા – All India Rank 2924.સ્નેહ આર. પટેલ – All India Rank 813 મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા સંચાલિત સુધા જસવંત અંબાલાલ પટેલ સિવિલ સર્વિસ સેન્ટરમાંથી અત્યાર સુધી UPSC દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસ પરીક્ષામાં કુલ 39 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. આજે જાહેર થયેલ પરિણામમાં વધુ 4 વિદ્યાર્થીઓની સફળતા સાથે કુલ સંખ્યા હવે 43 પર પહોંચી છે. આ નોંધપાત્ર સિદ્ધિ સરદારધામ દ્વારા યુવાનોને આપવામાં આવતી દિશા, પ્રેરણા અને ઉચ્ચ સ્તરની તાલીમનું પ્રતિબિંબ છે, જે સમાજના યુવાઓને રાષ્ટ્રસેવામાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.
UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)2025નું ફાઈનલ રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. કૂલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. જેમાં ગુજરાત SPIPAના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. નિસાર દિશાંતે ઓલ ઈન્ડિયા 19મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. અમદાવાદ સ્થિત SPIPAના ક્વોલિફાઈ થયેલા ઉમેદવારો સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. અમદાવાદ SPIPAના ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોનું લિસ્ટUPSC-2025ના રિઝલ્ટમાં અમદાવાદ સ્થિત SPIPAના 34 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. આ SPIPAનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ છે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા વર્ષ 2020માં બહાર પડાયેલા પરિપત્રને જાહેર હિતની અરજી દ્વારા ચેલેન્જ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે પહેલા જ કોર્ટે પૂછ્યું હતું કે, શા માટે 6 વર્ષ પછી પરિપત્રને ચેલેન્જ કરાયો છે? અરજદારે જણાવ્યું હતું કે, આ જાહેર હિતનો વિષય હોવાથી પરિપત્રને ચેલેન્જ કરવામાં આવે છે. 20 લાખથી વધુના ફ્રોડમાં પોલીસ CP ઓફિસની સૂચના મળે તો જ ફરિયાદ નોધાયઆ પરિપત્ર મુજબ 20 લાખ રૂપિયાથી વધુની મિલકતનો ફ્રોડ કે ચીટીંગનો કેસ હોય તો પોલીસ સ્ટેશન દ્વારા તેને હાયર ઓફિસરને મોકલવાનું રહે છે. ત્યારબાદ તે પોલીસ કમિશનરની ઓફિસમાં મોકલી આપવામાં આવે છે. પોલીસ કમિશનરની ઓફિસ દ્વારા ફરિયાદ નોંધવા માટે સૂચના મળે તો જ ફરિયાદ નોંધવામાં આવે છે. આગળની કાર્યવાહી બે અઠવાડિયા બાદ રાખીઅરજદાર પોતે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. આ સર્ક્યુલર સંદર્ભે તેને ઓથોરિટી સમક્ષ રજૂઆત પણ કરી છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે તેમને જાહેર હિતની અરજીમાં પોતાની વિશ્વાસનીયતા પુરવાર કરવી પડશે. આ અરજીમાં તેમનું કોઈ અંગત હિત સંકળાયેલું નથી અને વર્ષ 2020માં બહાર પડાયેલ સર્ક્યુલર હાલમાં અમલમાં છે. તે બાબત સોગંદનામાં ઉપર આપવાની રહેશે. આ સાથે જ આ મુદ્દે આગળની કાર્યવાહી બે અઠવાડિયા બાદ રાખી છે.
પાટણમાં 24 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે:28 હજાર એકરથી વધુ વિસ્તારમાં સફળ અમલીકરણ
રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન અંતર્ગત પાટણ જિલ્લો નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા કચેરી, પાટણના સક્રિય માર્ગદર્શનથી જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આના પરિણામે પાટણ ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બન્યું છે. હાલમાં પાટણ જિલ્લામાં 24,260 ખેડૂતો દ્વારા અંદાજે 28,814 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને પ્રદર્શન માટે જિલ્લામાં કુલ 218 મોડલ ફાર્મ કાર્યરત છે. ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે 21 બાયો રિસોર્સ સેન્ટર (BRC) પણ કાર્યરત છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી હેઠળ મુખ્યત્વે દિવેલા, કપાસ, અડદ, મગ, ગવાર, ચણા, ઘઉં, રાઈ, જીરું, ઘાસચારો તેમજ બાગાયતી અને મસાલા પાકોનું વાવેતર થાય છે. આ પાકો ખેડૂતોને સારી આવક પૂરી પાડી રહ્યા છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા માટે ક્લસ્ટર આધારિત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, દેશી ગાયના ઉપયોગ, જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે. આનાથી વધુ ખેડૂતો આ પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું વિશેષ મહત્વ હોવાથી, દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ખેડૂતોને ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કૃષિ પેદાશોને બજારમાં યોગ્ય સ્થાન મળે તે માટે પણ જિલ્લા સ્તરે પ્રયાસો થયા છે. દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી ખેડૂતો પોતાની પેદાશો સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે. ઉપરાંત, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO) મારફતે માર્કેટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે, જે ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદરૂપ બની રહી છે. આ તમામ પ્રયાસોના પરિણામે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માત્ર એક નવી પદ્ધતિ નથી, પરંતુ તે ખેડૂતોની આવક વધારતી, જમીનની ઉપજ ક્ષમતા જાળવતી અને પર્યાવરણનું સંરક્ષણ કરતી ટકાઉ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહી છે.
રાજકોટમાં PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા વીજ ગ્રાહકોને બિલિંગમાં છેતરવામાં આવી રહ્યા હોવાના કોંગ્રેસ નેતા પાલ આંબલીયાના આક્ષેપો બાદ સમગ્ર વિવાદ ગરમાયો છે. જોકે આ મુદ્દે PGVCLના MD કેતન જોષીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો સત્યથી વેગળો અને ભ્રામક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગ્રાહકોને વીજ બિલમાં સ્લેબનો લાભ પૂરેપૂરો મળે છે, એટલે કે વીજળીનું બિલ બે મહિને આવે તો વધુ રૂપિયા લાગે તેવી માન્યતા ખોટી છે. PGVCLની બિલિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે. કેતન જોષીએ સમજાવ્યું હતું કે PGVCLમાં બિલિંગની પ્રક્રિયા GERC (ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન) દ્વારા નક્કી કરેલા નિયમો અને સપ્લાય કોડ મુજબ જ કરવામાં આવે છે. જે ગ્રાહકો 6 કિલોવોટથી વધુનો વીજ લોડ ધરાવે છે અથવા થ્રી-ફેસ કનેક્શન ધરાવે છે, તેમને દર મહિને બિલ આપવામાં આવે છે. જ્યારે સામાન્ય ઘરેલું ગ્રાહકોને 'બાય-મંથલી' એટલે કે દર બે મહિને એકવાર જ બિલ આપવામાં આવે છે. કોઈ ગ્રાહકોને વારંવાર પેમેન્ટ કરવા માટે કચેરીના ધક્કા ખાવા ન પડે તે માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્લેબ સિસ્ટમ અને ગણતરીની સ્પષ્ટતાવધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર ગ્રાહકોમાં એવી ગેરસમજ હોય છે કે બે મહિનાનું બિલ સાથે આવવાથી તેઓ ઊંચા સ્લેબમાં આવી જાય છે અને તેને વધુ નાણાં ચૂકવવા પડે છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. જ્યારે બે મહિના (60 દિવસનું) બિલ આવે છે, ત્યારે સોફ્ટવેરમાં સ્લેબ આપોઆપ ડબલ થઈ જાય છે. અને જો બિલ 60 દિવસના બદલે સંજોગોવશાત 70 દિવસે આવે, તો પણ ગ્રાહકને પ્રોપોશનેટ (ક્રમિક) રીતે 1.33 ના ગુણાંકમાં સ્લેબનો લાભ મળે છે. આમ બિલ એક મહિને આવે કે બે મહિને, ગ્રાહકે ચૂકવવાની થતી રકમમાં કોઈ તફાવત પડતો નથી. તેમણે 502 યુનિટના બિલનું ઉદાહરણ આપીને આખી ગણતરી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે PGVCLનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નહીં, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજળી પૂરી પાડવાનો છે. સ્લેબ વાઈઝ ગણતરીની વિસ્તૃત જાણકારી જો કોઈ ગ્રહકનું બે મહિનાનું બિલ 502 યુનિટ હોય, તો તેની ગણતરી માસિક 251 યુનિટના આધારે જુદા-જુદા સ્લેબમાં કરવામાં આવે છે. જેમાં પ્રથમ 50 યુનિટ માટે રૂ. 3.05, બીજા 50 યુનિટ માટે રૂ. 3.50, ત્યારપછીના 150 યુનિટ માટે રૂ. 4.15 અને બાકીના 1 યુનિટ માટે રૂ. 5.20 લેખે કુલ રૂ. 955.20 નું બિલ બને છે. દ્વિમાસિક બીલમાં પણ પ્રથમ 50 યુનિટ માટે રૂ. 3.05 લેખે રૂ. 152.50 વસૂલવામાં આવે છે. બીજા 50 યુનિટ માટે રૂ. 3.50 લેખે રૂ. 175 લેવામાં આવે છે. ત્યારપછીના 150 યુનિટ માટે રૂ. 4.15 લેખે 300 યુનિટની ગણતરી કરતા રૂ. 1245 થાય છે. બાકીના 2 યુનિટ માટે રૂ. 5.20 લેખે રૂ. 10.40 ઉમેરવામાં આવે છે. આ તમામ રકમનો કુલ સરવાળો રૂ. 1910.40 થાય છે, જેને બે વડે ભાગતા રૂ. 955.20 જ આવે છે. આમ, દ્વિમાસિક સાયકલમાં પણ ગ્રાહકોને સ્લેબનો પૂરતો લાભ મળી રહે છે. કેતન જોષીએ અંતમાં જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહકને પોતાના બિલિંગ અંગે કોઈ પણ પ્રકારની મુંઝવણ કે શંકા હોય, તો તેઓ પોતાના બિલ સાથે નજીકની PGVCL કચેરીએ જઈ શકે છે. ત્યાંના અધિકારીઓ ગ્રાહકની ગેરસમજ દૂર કરવા અને ગણતરી સમજાવવા માટે હંમેશા તત્પર છે. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહીને ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે સિસ્ટમમાં સ્લેબનો લાભ ઓટોમેટિક રીતે મળી જ જાય છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ. 203 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. શહેરના સર સયાજીરાવ નગરગૃહ ખાતે કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ, દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડૉ. હેમાંગ જોષી, મેયર પિંકી સોની, શહેરના ધારાસભ્યો, જિલ્લાના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, શહેર ભાજપ અધ્યક્ષ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીકા ટિપ્પણીથી શહેર કે રાજ્ય નથી ચાલતુંઃ સંઘવીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાના પરિવારને ચલાવવા પણ સમસ્યા આવે છે, ત્યારે આટલા મોટા શહેરને ચલાવવામાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે. કેટલાક લોકો સવારે ઊઠીને કોઈક ને કોઈક મુદ્દો શોધે છે, જેનાથી સત્તાપક્ષની ટીકા કરી શકાય. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, માટે ટીકા ટિપ્પણીથી કોઈ શહેર કે રાજ્ય નથી ચાલતું. શહેરના વિકાસ અને શહેરને સ્વચ્છ રાખવા માટે સહભાગી થવું જોઈએ. ‘સુરસાગર તળાવ ખાતે થ્રીડી મેપિંગ શો, ફાઉન્ટન શો યોજાશે’નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે મહાઆરતી યોજાશે. આ ઉપરાંત રોજ થ્રીડી મેપિંગ શો, ફાઉન્ટન શો, તથા મ્યુઝિક એન્ડ લાઇટ શો યોજવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ. 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેથી વડોદરાની સાંજ લોકો માટે યાદગાર બની રહે. વડોદરાના ટુરિઝમને વિકસાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. ન્યાયમંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવાશેહર્ષ સંઘવીએ એવી પણ જાહેરાત કરી હતી કે, આગામી દિવસમાં ન્યાયમંદિર પાસે હેરિટેજ સ્ક્વેર બનાવવામાં આવશે. વડોદરા પાસે અનેક હેરિટેજ બિલ્ડિંગો છે જે વિરાસતને સાચવવાના પણ પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓમાં પણ તેનું આકર્ષણ વધશે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ વડોદરામાં થશેનાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરાના યુવાનોને નવી તક મળે તે માટેના પ્રયાસો કરવાં આવી રહ્યા છે. દેશની જાણીતી યુનિવર્સિટીઓ વડોદરામાં આવેલી છે. ત્યારે હાલમાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ પણ સ્થપાયો છે. વિવિધ યુનિવર્સિટીમાં તેના કોર્સ શરૂ કરવામાં આવશે. ત્યારે આગામી દિવસમાં વડોદરા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજવામાં આવશે જેમાં વડોદરાના યુવાનો માટે ઉત્તમ તકો ઉભી થશે. ‘હું જ્યાં જન્મ્યો છું તેના કરતાં આ શહેરને સ્વચ્છ બનાવો’હર્ષ સંઘવીએ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, વડોદરા શહેર આજીવન સ્વચ્છતામાં નંબર 1 બની રહે તેવા પ્રયાસો કરવામાં આવે. તેઓએ કહ્યું હતું કે હું ચેલેન્જ આપવા આવ્યો છું કે, વડોદરા સુરત અને અમદાવાદ કરતા સ્વચ્છ બને અને આજીવન સ્વચ્છ રહે તેવા પ્રયાસો કરવામાં આવે.
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2022માં કરેલી જાહેરાતને પુનઃ યાદ અપાવતા રાજકારણ વધુ એક વખત ગરમાયું છે. કેતન ઇનામદારે જાહેરાત કરી છે કે, હું આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડું. પણ સાવલીના પ્રજાના દિલમાં હંમેશા રહીશ. વર્ષ 2022માં ચૂંટણી ટાણે જાહેરાત કરી હતીકેતન ઇનામદારે વર્ષ 2022ની ચૂંટણી સમયે પણ જાહેરાત કરી હતી કે, હું આગામી ચૂંટણી નહીં લડું. જો કે હાલમાં બરોડા ડેરીની ચૂંટણી નજીક છે અને સાવલીના ઉમેદવાર સાથે તેઓની બેઠક હતી તેમ તેઓએ આ મુદ્દાને પુનઃ યાદ કરાવ્યો હતો અને પુનઃ જાહેરાત કરી હતી કે, હું વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડું. તેઓએ એમ પણ કહ્યું હતું કે, હું મારી સાવલીના પ્રજાની પડખે હંમેશા ઊભો રહીશ. હું એમના દિલમાં છું અને રહીશ. બરોડા ડેરીના સાવલીના ઉમેદવાર બિનહરીફબરોડા ડેરીની ચૂંટણી સામે છે અને આવતીકાલ તા. 7 માર્ચે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારે સાવલી બેઠકના ડેરીના ઉમેદવાર રામસિંહ વાઘેલા કે જેઓ કેતન ઇનામદારના સમર્થક કહેવાય છે તેઓની સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું જેથી તેઓ પણ હવે બિનહરીફ જાહેર થશે. તેઓ દ્વારા આજરોજ કેતન ઇનામદાર સાથે મુલાકાત કરવામાં આવી હતી તે સમયે આ જાહેરાત કરાઈ હતી. જાહેર જીવનમાં છું, જીવીશ ત્યાં સુધી પ્રજા વચ્ચે રહીશકેતન ઇનામદારને પૂછવામાં આવ્યું કે, શું તેઓ હવે લોકસભામાં જવા માગે છે જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી નહીં લડું. પરંતુ જાહેર જીવનમાં છું અને જીવીશ ત્યાં સુધી પ્રજાની વચ્ચે રહીશ. ત્યારે હવે તેઓ આગામી સમયમાં શું રણનીતિ કરે છે તેના ઉપર વિરોધીઓની પણ નજર રહેશે.
મોરબી શહેર અને તાલુકામાં જુદા જુદા ત્રણ સ્થળોએ આપઘાતના બનાવો નોંધાયા છે. આ ઘટનાઓમાં એક વૃદ્ધા, એક આધેડ અને એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો છે. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ ઘટના મોરબીના ડિવાઇન પાર્ક, સત્ય-બી એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૧માં બની હતી. અહીં ૭૫ વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ એપાર્ટમેન્ટના ધાબા પરની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટના મોરબીના સોઓરડી પાસે આવેલા ચામુંડાનગર એકમાં બની હતી. અહીં ૫૫ વર્ષીય ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકીએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગૌતમભાઈના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી. ત્રીજી ઘટના મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે નોંધાઈ હતી. અહીં ૩૦ વર્ષીય મહેશભાઈ રમેશભાઈ પરમાર નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મહેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક યુવાનના પરિવારજન બિપીનભાઈ પરમાર (ઉંમર ૩૨, રહે. લક્ષ્મીનગર) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં ગુજરાત બાર કાઉન્સિલની 23 બેઠકો માટે મતદાન:પ્રથમવાર CCTV અને લાઈવ રેકોર્ડિંગ હેઠળ પ્રક્રિયા
ગુજરાત બાર કાઉન્સિલની 23 બેઠકો માટે આજે રાજ્યભરમાં મતદાન શરૂ થયું છે. સવારે 10:30 વાગ્યાથી વિવિધ મતદાન મથકો પર વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં પારદર્શિતા જાળવવા માટે પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા લાઈવ રેકોર્ડિંગ અને CCTV કેમેરાની કડક દેખરેખ હેઠળ યોજાઈ રહી છે. બાર કાઉન્સિલની કારોબારીના કુલ 23 સભ્યોને ચૂંટવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર, આ વખતે 30 મહિલા અનામત લાગુ કરવામાં આવી છે, જેના કારણે 5 બેઠકો મહિલા વકીલો માટે અનામત રાખવામાં આવી છે. કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. રાજ્યભરના 77,000થી વધુ રજિસ્ટર્ડ વકીલો આ ચૂંટણીમાં મતદાન કરશે. આ માટે રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને 450થી વધુ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમર્થિત ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. મતદાન પ્રેફરેન્શિયલ વોટિંગ પદ્ધતિ (પસંદગીના ક્રમ મુજબ મતદાન) દ્વારા થઈ રહ્યું છે. જામનગરના વકીલ મંડળ ખાતે સવારથી જ વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યાં કુલ 1,834 મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પોલિંગ ઓફિસર કિશોરભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ, મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને સાંજ સુધીમાં તમામ મતપેટીઓ સીલ કરી અમદાવાદ મોકલવામાં આવશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓ ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે ખસેડવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા 9મી માર્ચથી શરૂ થશે. પ્રેફરેન્શિયલ વોટિંગ હોવાથી પરિણામ જાહેર થતા થોડો સમય લાગશે, અને અંદાજ મુજબ 14મી માર્ચ સુધીમાં બાર કાઉન્સિલના નવા સભ્યોના નામ જાહેર થઈ શકે છે.છેલ્લા 27 વર્ષથી બાર કાઉન્સિલમાં ‘સમરસ પેનલ’નું વર્ચસ્વ રહ્યું છે. આ વખતે જુનિયર વકીલો માટે સ્ટાઈપેન્ડ અને વકીલ વેલ્ફેર ફંડ જેવા મુદ્દાઓ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહ્યા છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીઓ અને રોજગારીના સંકટને લઈને મેદાને આવ્યા હતા. કર્મચારીઓએ એકઠા થઈને યુનિવર્સિટીના કુલ સચિવ અને વાઇસ ચાન્સલર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્ણ થતા કરારને તાત્કાલિક અસરથી રીન્યુ કરવાનો હતો. જેમાં કર્મચારીઓએ વાઇસ ચાન્સલરને અનેક વેધક સવાલ પણ કર્યા હતા. જેમાં એક કર્મચારીએ તો એવું પણ કહી દીધું કે, આ આ શરતો સ્વીકારો એટલે નોકરી નહીં પણ ગુલામી કહેવાય કરાર પૂર્ણ થતા રોજગારી છીનવાઈ જવાનો ભયરજૂઆતમાં જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં કાર્યરત અનેક કર્મચારીઓના 11 માસના કરાર ફેબ્રુઆરી માસની અલગ-અલગ તારીખે જેમ કે 6 ફેબ્રુઆરી, 2026 અને 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. નિયમ મુજબ, કરાર પૂર્ણ થયા બાદ કર્મચારીઓને બ્રેક આપવામાં આવે છે અને ત્યારબાદ જ નવો કરાર કરવામાં આવતો હોય છે. જોકે, આ વખતે કરાર રીન્યુ થવા બાબતે અનિશ્ચિતતા જણાતા કર્મચારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી હતી. અન્ય શહેરોથી આવતા કર્મચારીઓની કફોડી સ્થિતિકર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ પૈકીના ઘણા કર્મચારીઓ માત્ર સુરત જ નહીં, પરંતુ નવસારી, બીલીમોરા, વલસાડ, સોનગઢ અને વ્યારા જેવા દૂરના વિસ્તારોથી રોજ અપ-ડાઉન કરીને પોતાની ફરજ બજાવે છે. આજના મોંઘવારીના જમાનામાં જો તેમના કરાર રીન્યુ કરવામાં ન આવે, તો સેંકડો પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ શકે તેમ છે. મોટાભાગના કર્મચારીઓનું ઘર આ એકમાત્ર નોકરી પર નિર્ભર હોવાથી તેઓએ વહીવટી તંત્રને માનવીય અભિગમ અપનાવવા વિનંતી કરી છે. મહિલા કર્મચારીએ કાંડા કાપી નાખવા જેવી વાત ગણાવીકર્મચારીઓએ યુનિવર્સિટીના વહીવટ સામે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, સંસ્થા તેમને જે લેટર આપી રહી છે, તેની શરતો ખૂબ જ કડક છે. એક મહિલા કર્મચારીએ તેને કાંડા કાપી નાખવા જેવી વાત ગણાવી છે. અન્ય એક કર્મચારીએ કહ્યું કે, આ શરતો સ્વીકારો એટલે નોકરી નહીં પણ ગુલામી કહેવાય. કર્મચારીઓ ચિંતિત છે કે વર્ષોની સેવા કોઈની 12 વર્ષ, તો કોઈની 20, 30 કે 35 વર્ષ પછી પણ તેમને ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવી શકે છે. તેમને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન કે જવાબદારી સંસ્થા દેતી નથી. પરીક્ષા આપનારાઓને પણ ફેઈલ કરી દેવાયા હોવાનો આરોપકર્મચારીઓના બેંક હપ્તા બાઉન્સ થઈ રહ્યા છે. ઘરનું ગુજરાન, ગાડીના હપ્તા અને ઈન્શ્યોરન્સ ભરવામાં તેમને ભારે તકલીફ પડી રહી છે કારણ કે પગાર સમયસર મળતો નથી. તેમણે આગળ જણાવ્યું હતું કે, 2017ની મંજૂરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. નવી ભરતીમાં એલિજિબિલિટી ક્રાઈટેરિયાને કારણે 70% જૂના કર્મચારીઓ બહાર ફેંકાઈ જાય તેમ છે. પરીક્ષા આપનારાઓને પણ ફેઈલ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઓર્ડર આપ્યા વગર જ કર્મચારીઓને બોલાવી લેવાયા, પંચિંગના ડેટા ઉડી ગયા અને ફરીથી પંચિંગ કરાવ્યું, છતાં પગારનો કોઈ ઠેકાણો નથી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અનેક પરિવારો માટે આર્થિક સહાયરૂપ બની રહી છે. આ યોજના હેઠળ વાર્ષિક નજીવા પ્રીમિયમ સામે અચાનક મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹2 લાખની સહાય મળે છે. પાટણના એક પરિવાર માટે આ યોજના સંકટ સમયે મોટો આધાર બની છે. પાટણના રોહિતકુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક હતા. તેઓ દર વર્ષે માત્ર ₹436 પ્રીમિયમ ભરીને PMJJBYમાં જોડાયેલા હતા. તાજેતરમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. યોજનાના નિયમ મુજબ, તેમના અવસાન બાદ પત્ની ગીતાબેનને ₹2 લાખની વીમા સહાય મળી છે. મૃતકના ભાઈ શૈલેષકુમાર કનુભાઈએ જણાવ્યું કે આ સહાય તેમના પરિવાર માટે મોટી આર્થિક મદદરૂપ બની છે. ખાસ કરીને રોહિતભાઈના બે બાળકોના અભ્યાસ માટે આ રકમ મહત્વપૂર્ણ આધાર બની રહેશે. પરિવારજનોએ સરકાર અને બેંક સ્ટાફનો આ મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પાટણ બ્રાંચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, મૃતક રોહિતભાઈના પત્નીને PMJJBY હેઠળ ₹2 લાખની વીમા સહાય ચૂકવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, બેંક સ્ટાફ ગ્રાહકોને આ યોજના વિશે માહિતી આપે છે. માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનો વીમો મળતો હોવાથી દરેક ખાતાધારકે આ યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન એક કોપી કેસ નોંધાયો છે. આજે યોજાયેલા બેઝિક મેથેમેટિક્સ (ગણિત) ના પેપરમાં લાલપુર સ્થિત એલ.એલ. મહેતા કન્યા વિદ્યાલય કેન્દ્ર પરથી એક વિદ્યાર્થિની દુપટ્ટામાંથી કાપલી સાથે ઝડપાઈ હતી. આ ઘટના એલ.એલ. મહેતા પરીક્ષા સ્થળ પર બની હતી. પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર અને સ્થળ સંચાલકના ધ્યાને આવ્યું કે એક વિદ્યાર્થીની ચોરી કરી રહી છે. તપાસ કરતા તેના દુપટ્ટામાંથી કાપલીઓ મળી આવી હતી. જામનગર જિલ્લામાં કુલ 14,634 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, લાલપુર કેન્દ્રની એલ.એલ. મહેતા શાળામાં પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી કાપલી સાથે જોવા મળ્યો હતો. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે કોપી કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ કરી દેવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ચોરી જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમ છતાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિયમ મુજબ, ઝડપાયેલી વિદ્યાર્થીની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
નવસારી જિલ્લાના વણગામમાં દીપડાએ મોડી રાત્રે ભારે આતંક મચાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા એક પશુવાડામાં ત્રાટકીને દીપડાએ એકસાથે ૧૦ બકરા-બકરીઓનું મારણ કર્યું હતું. આ ઘટનાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, વણગામના પશુપાલક સુરેશભાઈ જોગી આહીરના વાડામાં દીપડો ઘૂસી ગયો હતો. રાત્રિના અંધકારનો લાભ લઈ દીપડાએ વાડામાં બાંધેલા પશુઓ પર હુમલો કર્યો હતો. સવારે સુરેશભાઈએ વાડામાં જઈને જોયું ત્યારે 10 બકરા-બકરીઓના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા, જેને જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગને જાણ કરાતા ફોરેસ્ટર ભાવિનભાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃત પશુઓનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એકસાથે 10 પશુઓના મારણથી પશુપાલક સુરેશભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે. રહેણાંક વિસ્તારની નજીક દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોડાસા પોલીસે ગેરકાયદેસર કતલ અટકાવી, 7 ગૌવંશ બચાવ્યા:કસ્બા વિસ્તારમાં રેડ, બે આરોપી ઝડપાયા
મોડાસા ટાઉન પોલીસે કસ્બા વિસ્તારમાં ગેરકાયદેસર કતલના ઇરાદે બાંધી રાખવામાં આવેલા 7 ગૌવંશને બચાવ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. PSI એસ.એસ. મલેકને મળેલી બાતમીના આધારે પોલીસે કસ્બા વિસ્તારમાં જમાલ વાવ દરગાહ પાછળ ઝાડી-ઝાખરામાં ગૌવંશ બાંધી રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે PI ડી.બી. વાળા અને PSI એસ.એસ. મલેક સહિતની પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે કતલના ઇરાદે બાંધેલા 7 ગૌવંશને ગંભીર હાલતમાં શોધી કાઢ્યા હતા. પોલીસે તાત્કાલિક તેમને મુક્ત કરાવી જીવ બચાવ્યો હતો. આ સાથે સ્થળ પરથી બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોડાસા કસ્બાના મોઘલવાડા વિસ્તારના 54 વર્ષીય નઝીરમોહમ્મદ બેલીમ અને રાણા સૈયદ વિસ્તારના 28 વર્ષીય અકિલ મુલતાનીનો સમાવેશ થાય છે. બંને વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગૌવંશ કતલ અને પશુઓની ગેરકાયદેસર હેરફેર રોકવા માટે સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવા માટે કમર કસી છે. તાજેતરમાં પીએમ મોદીએ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે લાંબી વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ બેઠકમાં કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ ઉદ્યોગપતિઓના પ્રશ્નો સાંભળ્યા અને તેમના સૂચનો મંગાવ્યા હતા, જેથી ભારતીય કાપડ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી શકે અને નિકાસમાં ધરખમ વધારો થઈ શકે. 60થી 65 અગ્રણીઓને PMએ વ્યક્તિગત અભિપ્રાય આપવા કહ્યુંબેઠકની શરૂઆતમાં પીએમ મોદીએ 10 મિનિટના પ્રભાવશાળી સંબોધન સાથે કાપડ ઉદ્યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત પાસે કૌશલ્ય છે, હવે માત્ર તેને વૈશ્વિક માપદંડો સાથે જોડવાની જરૂર છે. મીટિંગમાં હાજર 60થી 65 અગ્રણીઓને પીએમએ વ્યક્તિગત અભિપ્રાય આપવા પ્રોત્સાહિત કર્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગકારોની મુશ્કેલીઓ જાણીને નીતિગત ફેરફારો કરવાનો છે, જેથી ટેક્સટાઇલ સેક્ટરમાં ચીન જેવા દેશો સામે ભારત મજબૂતીથી ટકી શકે અને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બને. સુરતના અગ્રણીની રજૂઆત, વ્યાજદરમાં ઘટાડો અને સ્થિરતાની માગદક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિયેશનના ચેરમેન અને મિલ પ્રોસેસિંગ યુનિટના પ્રમુખ જીતુ વખારીયાએ આ બેઠકમાં સુરત વતી મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે મુખ્યત્વે ત્રણ માંગણીઓ પર ભાર મૂક્યો હતો, જેમાં (1) બેંકના વ્યાજદરમાં ઘટાડો, (2) કાચા માલ (રો-મટીરીયલ)ના ભાવમાં સ્થિરતા અને (3) અવિરત પાવર સપ્લાય. જીતુભાઈએ વધુમાં જણાવ્યું કે, જો કાચા માલના ભાવ વારંવાર બદલાય તો લાંબા ગાળાના એક્સપોર્ટ ઓર્ડર પૂરા કરવામાં મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે, જે ઉદ્યોગના વિકાસ માટે મોટો અવરોધક સાબિત થાય છે. નિકાસ વધારવા માટે આર્થિક ટેકો અને સીસી લિમિટની જરૂરિયાતનિકાસ (એક્સપોર્ટ) વધારવા માટે જીતુભાઈએ પીએમ સમક્ષ રજૂઆત કરી કે ઉદ્યોગકારોને ઓછા વ્યાજે લોન અને સીસી લિમિટની સુવિધા મળવી જોઈએ. વર્કિંગ કેપિટલની ખેંચને કારણે અનેક નાના એકમો વિશ્વ બજારમાં સ્પર્ધા કરી શકતા નથી. જો સરકાર નાણાકીય સહાય અને વ્યાજમાં રાહત આપે, તો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી દુનિયાના કોઈપણ ખૂણા સાથે કોમ્પિટિશન કરવા સક્ષમ છે. આ આર્થિક સધ્ધરતા જ ભારતીય ટેક્સટાઇલને આંતરરાષ્ટ્રીય બજારોમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે અને નિકાસના પ્રશ્નો હલ કરશે. સુરતનું મોર્ડનાઈઝેશન, રેપિઅર લૂમ્સ અને ડિજિટલ પ્રિન્ટિંગનો દબદબોછેલ્લા 5-7 વર્ષમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. જીતુ વખારીયાએ મીટિંગમાં ગર્વ સાથે જણાવ્યું કે, સુરતમાં હવે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી જેવી કે રેપિઅર જેકાર્ડ અને હાઈ-સ્પીડ લૂમ્સ કાર્યરત છે. પ્રોસેસિંગ ક્ષેત્રે પણ 200થી 300 મિલોમાં અત્યાધુનિક ડિજિટલ પ્રિન્ટિંગ મશીનો લાગી ગયા છે. આપણે ટેકનિકલ રીતે સક્ષમ છીએ, હવે માત્ર યોગ્ય ટર્મ્સ અને કન્ડિશન તથા વ્યાજબી ભાવની નીતિ મળે તો ભારત વિશ્વમાં ડંકો વગાડી શકે તેમ છે, તેની પીએમએ પણ નોંધ લીધી હતી. પીએમએ લેખિત રજૂઆતની પણ વેપારીઓને છૂટ આપીઆ મહત્વપૂર્ણ મેરેથોન બેઠક સવા અગિયાર વાગ્યાથી શરૂ થઈને અઢી વાગ્યા સુધી સતત ચાલી હતી. પીએમ મોદીએ દરેક વિસ્તારના પ્રતિનિધિઓને સાંભળવા પૂરતો સમય આપ્યો હતો. મીટિંગના અંતે પીએમએ એક ઉદાર જાહેરાત કરતા કહ્યું કે, જો કોઈના મહત્વના મુદ્દાઓ રજૂ કરવાના રહી ગયા હોય તો તેઓ આગામી એક સપ્તાહમાં લેખિતમાં પત્ર મોકલી શકે છે. આ અભિગમ દર્શાવે છે કે સરકાર ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવા અને ટેક્સટાઇલ ક્ષેત્રે ભારતનું સ્ટેન્ડ વિશ્વમાં મજબૂત કરવા કેટલી ગંભીર છે. જીતુ વખારીયાનો 'વન ટુ વન' સુરતની સમસ્યાઓ પર પ્રકાશજીતુ વખારીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે 4-5 મહિના પછી ડિલિવરી આપવાની હોય ત્યારે જો રો-મટિરિયલના ભાવમાં મોટો તફાવત આવે તો એક્સપોર્ટર્સ માટે મુસીબત ઊભી થાય છે. ટ્રેડિંગ અને પ્રોક્યોરમેન્ટ માટે નાણાંની જરૂરિયાત પૂરી કરવા સસ્તી લોન જ એકમાત્ર ઉપાય છે. તેમણે પીએમ સમક્ષ આશા વ્યક્ત કરી કે જો એક્સપોર્ટ પર વિશેષ રાહત મળે તો સુરતની ક્ષમતા બેવડાઈ શકે છે. ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે પાવર સપ્લાયની સાતત્યતા જ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. વૈશ્વિક બજાર જીતવાનો વિશ્વાસપીએમ મોદી સાથેની આ સીધી વાતચીતથી ટેક્સટાઇલ ઉદ્યોગના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતુ વખારીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પીએમ મોદીના સકારાત્મક અભિગમ અને સૂચવેલા ફેરફારોથી ભવિષ્યમાં મોટા પરિવર્તનો આવશે. ઉદ્યોગકારો હવે માત્ર ભારતીય બજાર નહીં, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટને સર્વ કરવા માટે સજ્જ છે. આ મીટિંગથી સાબિત થાય છે કે, પીએમ પોતે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ચિંતિત છે અને ભારત ચોક્કસપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ થશે તેવી અમને પૂરી આશા છે.
વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. દાદાએ જ પોતાની 7 વર્ષની પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ દીકરીની માતાએ કપુરાઈ પોલીસ મથકમાં નોંધાવી છે. દાદાએ પોતાની જ માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદસંસ્કારી નગરીને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવે છે. જેમ સંસ્કારી નગરીમાં માનવતાને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સોમા તળાવ વિસ્તારમાં એક દાદાએ પોતાની જ 7 વર્ષની માસૂમ પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી છે. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે અયોગ્ય વર્તન કર્યુંફરિયાદ અનુસાર ગત રાત્રિના સમયે આરોપી દાદા પોતાની પૌત્રીને કોઈ બહાને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વૃદ્ધે તેની સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી શારીરિક અડપલા શરૂ કર્યા હતા. દાદાની આ હરકતથી ગભરાયેલી બાળકીએ તુરંત જ રૂમની બહાર આવીને પોતાની માતાને આપવીતી જણાવી હતી. બાળકીના શબ્દો સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીની માતાએ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીદીકરી સાથે થયેલા આ દુષ્કૃત્ય મામલે બાળકીની માતાએ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વહૂએ પોતાના જ સસરા વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાલુ વર્ષે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાક પર કુદરતી પરિબળોની માઠી અસર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે આંબામાં ક્લાવરિંગ (મોર) આવવાની પ્રક્રિયા અત્યંત વિલંબિત થઈ છે. સામાન્ય રીતે નવેમ્બરમાં શરૂ થતું ફ્લાવરિંગ આ વખતે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી ખેંચાયું છે. તો બીજી તરફ વધતી જતી ગરમી અને દિવસ-રાતના તાપમાનમાં મોટા તફાવતને કારણે ફળ ધારણ (ફ્રૂટ સેટિંગ) પ્રક્રિયા ખોરવાઈ છે. આ સાથે જ મધ્યો અને થ્રિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધતા ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ છે. જેથી આ વર્ષે કેસર કેરીની સીઝન માત્ર મોડી જ નહીં પરંતુ ઓછી આવાક વાળી પણ રહેશે. કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ સ્થિતિમાં પાકને બચાવવા માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેસર કેરીની સીઝન માત્ર મોડી જ નહીં, પરંતુ ઓછી આવક વાળી પણ રહેશે. જેને કારણે સ્વાદપ્રિય લોકો માટે આ વર્ષે કેસરનો સ્વાદ મોંઘો અને મોડો મળવાની પૂરી શક્યતા છે. 'બગીચા રાખવા કે કાઢી નાખવા?': ખેડૂતજૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામના ખેડૂત ધીરૂભાઈ દીવરાણીયા પોતાની વેદના ઠાલવતા જણાવે છે કે, તેમની પાસે 8 વીઘા જમીનમાં 120 આંબાના ઝાડનો બગીચો છે. દર વર્ષે આ સમયે આંબા કેરીઓથી લથબથ હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અત્યંત દયનીય છે. ગરમીના કારણે મોરમાં કોઈ બંધારણ જ થયું નથી. મોર તો આવ્યો પણ તે ખરી રહ્યો છે અથવા જીવાત તેને નુકાસન કરી રહી છે. ક્લાઇમેટ ચેન્જની સીધી અસર: કૃષિ નિષ્ણાતજૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગના ડીન ડો. ડી.કે. વરૂએ આ પરિસ્થિતિ પાછળ 'જળવાયુ પરિવર્તન'ને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આંબો એક અત્યંત સંવેદનશીલ પાક છે. આ વર્ષે નવેમ્બરમાં જે ઠંડી પડવી જોઈએ તે ન પડતા ફ્લાવરિંગ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ અપેક્ષિત મોર જોવા મળ્યો નથી. હવે જ્યારે ફેબ્રુઆરીમાં મોર દેખાઈ રહ્યો છે, ત્યારે અચાનક તાપમાન ઊંચું જવાથી નવી સમસ્યા ઊભી થઈ છે. આંબામાં 'મધ્યો' અને 'થ્રિપ્સ'નો ઉપદ્રવ વધ્યોતાપમાન વધતા જ આંબામાં 'મધ્યો' અને 'થ્રિપ્સ' (રાખોડી જીવાત)નો ઉપદ્રવ વધ્યો છે, જે મોરનો રસ ચૂસીને તેને સૂકવી નાખે છે. જ્યારે આંબામાં અલગ-અલગ તબક્કે ફ્લાવરિંગ આવે છે, ત્યારે ફળ બેસવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. હાલમાં દિવસનું તાપમાન વધુ અને રાતનું તાપમાન ઓછું હોવાથી કુદરતી પરાગનયન (Pollination) પર અસર પડે છે. કેરીના રસિકો માટે મોંઘી સાબિત થશે સીઝનઆ તમામ પરિબળોને જોતા એટલું તો સ્પષ્ટ છે કે, આ વર્ષે કેસર કેરીની સીઝન માત્ર મોડી જ નહીં, પરંતુ ઓછી આવક વાળી પણ રહેશે. ખેડૂતો જો વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરશે તો બાકી બચેલા પાકને બચાવી શકશે. પરંતુ ગ્રાહકો માટે આ વર્ષે કેસરનો સ્વાદ મોંઘો અને મોડો મળવાની પૂરી શક્યતા છે. ડો. વરૂએ ખેડૂતોને હાલની પરિસ્થિતિમાં જે કેરીઓ વટાણા કે લખોટી જેવડી થઈ ગઈ છે તેને બચાવવા માટે નીચે મુજબના પગલાં લેવા સૂચન કર્યું છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સૂર્યનગરની ગલીમાં ચાલતા જુગાર ધામ પર પાણીગેટ પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી પોલીસે 15 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેઓ પાસેથી પોલીસે 15 મોબાઇલ અને રોકડ રકમ મળી 1.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને બાતમી મળતા રેઈડ કરી હતીશહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીગેટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ગાજરાવાડી સૂર્યનગરની ગલીમાં સાંઇનગરમાં આવેલા શ્યામભાઇ સરોજના મકાનના પહેલા માળે કેટલાક શખસો જુગાર રમે છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે રેઈડ કરી હતી ત્યારે મકાનની બહાર આવેલ ઓરડીના આગળના ભાગે આવેલી ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતા જુગારીઓમા દોડધામ મચી ગઈ હતી. 15 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતાઆ દરમિયાન સ્થળ પરથી કુલ 15 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગ જડતી કરી હતી. ત્યારે તેમની પાસેથી 15 મોબાઇલ અને રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ રૂપિયા 1.09 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા જુગારીઓ
ધોરણ 10 ગણિતનું પેપર અપેક્ષા મુજબ સરળ:વિદ્યાર્થીઓએ રાહત અનુભવી, મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત
ગુજરાતમાં ચાલી રહેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓમાં આજે ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભય ધરાવતા આ વિષયનું પેપર અપેક્ષા મુજબ સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. આજે લેવાયેલું ધોરણ 10 ગણિતનું પેપર સરેરાશ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહ્યું હતું. ગોધરાના પરીક્ષા કેન્દ્ર પરથી બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, પેપર અઘરું નહોતું. મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત હતા અને અગાઉ કરેલી તૈયારી મુજબના જ પૂછાયા હતા.
ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને વિવાદ વધુ વકર્યો છે. બે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ મુસ્લિમ સમાજના આગેવાનોએ તેનો વિરોધ નોંધાવી પોલીસ ફરિયાદ કરવાની માગ કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે, રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના પ્રતિનિધિઓ, ભરૂચના સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા અને ચક્રઘર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદ નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના દ્વારા કરવામાં આવેલા અનશન બાદ પ્રશાસનને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સમય પૂર્ણ થતા સમિતિના સભ્યો દ્વારા ફરી એકવાર પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, પુરાતત્ત્વ વિભાગ દ્વારા નિયમો મુજબ કાર્યવાહી ન થતી હોવાથી, આ રાષ્ટ્રીય ધરોહર અંગે લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે આગામી સમયમાં સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોના ભાગરૂપે શહેરના વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજીને લોકોને આ વિષય અંગે માહિતી આપવામાં આવશે. આગામી 5મી એપ્રિલ, સોમવારથી શરૂ કરીને, દર મહિનાના સોમવારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી કલેક્ટર કચેરીની બહાર હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગોધરામાં ભાજપ યુવા નેતાના ઘરેથી સ્કોર્પિયો ચોરાઈ:20 લાખની કારની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
ગોધરા શહેરની શાંતિનિવાસ સોસાયટીમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારની ચોરી થઈ છે. પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિવેક શાહના ઘર આંગણેથી આશરે 20 લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો S11 કાર ચોરાઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના ગોધરાના પોલીસ ચોકી નંબર 8 નજીક આવેલી શાંતિનિવાસ સોસાયટીમાં બની હતી. તસ્કરોએ વિવેક શાહની કાળા રંગની સ્કોર્પિયો S11 કારને નિશાન બનાવી હતી. રાત્રિના આશરે 2 વાગ્યાના સુમારે, સફેદ રંગની ક્રેટા કારમાં આવેલા અજાણ્યા શખ્સો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમણે ખૂબ જ ચાલાકીપૂર્વક પાર્ક કરેલી સ્કોર્પિયો કારનું લોક તોડ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ તસ્કરો સ્કોર્પિયો કાર લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે સોસાયટી અને આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે IPS બદલીની આતુરતાનો અંત આવી ગયો છે. સરકાર દ્વારા એક સાથે 37 IPSની બદલી કરવામાં આવી છે જેમાં સૌથી ચર્ચાસ્પદ હોય તો એ છે રાજકોટ અને સૌરાષ્ટ્ર. કારણ કે આખા સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાની રેન્જના વડાને બદલી દેવામાં આવ્યા છે જેમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જનો સમાવેશ થાય છે. તેમાં પણ એક નામ એવું કે જેના નામથી માત્ર ગુનેગારો જ નહિ પોલીસ પણ ફફડે છે તેવા બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે જે આગામી વિધાનસભા ચૂંટણી સમયે પણ રાજકોટ રેન્જના વડા તરીકે જ જવાબદારી નિભાવશે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લો વિવાદમાં રહે છે, તેમાં પણ ખાસ કરીને ગોંડલ અને રીબડાનો વિવાદ તો આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બને છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના ગઢમાં હવે નિર્લિપ્ત ‘રાજ’ ચાલશે. ત્યારે નિર્લિપ્ત રાયની બદલીને લઇને પાટીદાર દબંગ નેતા નિખીલ દોંગાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારીની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. તો નિર્લિપ્ત રાયની બદલીથી બૂટલેગરો અને ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારને નુકસાન કરતા લોકો પર અંકુશ લાવવા નિલિપ્ત રાયની નિમણૂકરાજકોટ રેન્જના વડા તરીકે નિર્લિપ્ત રાયને મુકવા પાછળનું કારણ જોઈએ તો સૌરાષ્ટ્રમાં બેખૌફ બનેલા ગુનેગારો પર અંકુશ લાવવા તેમજ રાજકીય કે બિનરાજકીય રીતે સરકારને નુકસાન કરતા તમામ પર અંકુશ લાવવા ખાસ તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. સૌરાષ્ટ્રમાં ખનીજ માફિયાઓ તેમજ દારૂ-જુગારના અડ્ડાઓ સદંતર બંધ કરાવવા માટે તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ રેન્જ અંતર્ગત સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાયને રાજકોટ લાવવાનો તખ્તો 4 મહિના પહેલાથી જ ઘડાઈ ગયો હતોનિર્લિપ્ત રાય પોતે ગુજરાતમાં બાહોશ અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારી તરીકે છાપ ધરાવે છે તેઓ કાયદાથી વિરુદ્ધ કામ કરનારા કોઈને પણ છોડતા નથી. માટે ખાસ રાજકોટ રેન્જમાં તેમની નિમણૂક કરવામાં આવી છે અને આ માટેનો તખ્તો ચાર મહિના પહેલાથી જ ઘડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકીય લોકોની પણ ખોટી ભલામણોને મહત્વ ન આપતા હોય તેવા IPS કદાચ ગુજરાતમાં ગણ્યા ગાઠ્યા છે અને તે પૈકી એક નામ નિર્લિપ્ત રાયનું છે માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં તેમની રેન્જના વડા તરીકેની જવાબદારી સરકાર માટે ઉપયોગી બને તેવી ચર્ચાઓ સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે. જયરાજસિંહ-અનિરુદ્ધસિંહના વિવાદો વચ્ચે નિર્લિપ્ત રાયની એન્ટ્રીરાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડાના બે બાહુબલી વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે રાજકોટ રેન્જ IG તરીકે મજબૂત અધિકારીને મુકવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ગોંડલ રીબડાના આંતરિક વિવાદો અને ગોંડલમાં વિપક્ષ દ્વારા કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઇ સવાલો ઉભા કરાયા છે ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ આગામી સમયમાં યોજાનાર ચૂંટણી દરમિયાન તેની કેવી અને કેટલી અસર જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે? નિખિલ દોંગાની સોશિયલ મીડિયા પોસ્ટ એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. નિર્લિપ્ત રાય સાહેબ ને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે શહેર પોલીસ કમિશનરની જગ્યાએ એડિ. પોલીસ કમિશનરનું નામ લિસ્ટમાંરાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા પોતાની બદલી ઈચ્છી રહ્યા હોવાની ચર્ચાઓ શહેર પોલીસ બેડામાં ચાલી રહી હતી. જો કે આ વખતે પણ તેમની બદલી થઈ નથી, પરંતુ તેમના બદલે એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાનું નામ બદલીના લિસ્ટમાં આવી ગયું છે અને તેમના સ્થાને ચૈતન્ય માંડલિકની રાજકોટના નવા એડિશનલ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવતા તમામ જિલ્લાની રેન્જના વડાને બદલી દેવાયારાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવના બદલે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. જૂનાગઢ રેન્જ IG નિલેશ જાજડીયાના બદલે રાજેન્દ્રસિંહ ચુડાસમાને મુકવામાં આવ્યા છે. ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારના બદલે આર.વી.અસારીને મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેરના એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાના બદલે ચૈતન્ય માંડલિકને મુકવામાં આવ્યા છે.
સરકારના ગૃહ વિભાગ દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડીને રાજ્યના 37 ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી તથા નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરબદલમાં અનેક રેન્જ આઈજી તેમજ મોટા શહેરોના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારની બદલી કરીને તેમને CID ક્રાઇમના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભાવનગર રેન્જના નવા આઈજી તરીકે રાજેન્દ્ર અંસારીને નિમણૂક કરવામાં આવી છે. ગૌતમ પરમારનો ભાવનગર રેન્જ આઈજીનો કાર્યકાળ 3.5 વર્ષ રહ્યોભાવનગર-બોટાદ-અમરેલી રેન્જના આઈજી ગૌતમ પરમાર, જે 2004 બેચના આઈપીએસ અધિકારી છે, તેમણે 26 ઓક્ટોબર, 2022ના રોજ ભાવનગર રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને અંદાજે 3.5 વર્ષ સુધી આ પદ પર રહી ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઇપ્રોફાઇલ બગદાણા કેસમાં કાર્યવાહીખાસ કરીને GST કાંડ, ડમીકાંડ-તોડકાંડ, લેન્ડ ગ્રેબિંગ અને ગુંજીસીટોક જેવા કેસોમાં ગેરકાયદેસર રીતે ગરીબોની જમીન પચાવી પાડનાર તત્વો સામે કડક પગલાં લેવાયા હતાં. ઉપરાંત સાઇબર ફ્રોડના કેસોમાં પણ અનેક કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરમાં બનેલા હાઇપ્રોફાઇલ બગદાણા મારામારી પ્રકરણમાં પણ તેમના માર્ગદર્શન હેઠળ SIT ટીમ રચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે શરદ પૂર્ણિમા નિમિત્તે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની મહિલા પોલીસ કર્મીઓ માટે પ્રથમ વખત રાસ-ગરબા અને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. ગૌતમ પરમાર દ્વારા ઘણીવાર રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિંગ વધુમાં, રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ઘણીવાર રાત્રિના સમયે સામાન્ય નાગરિક તરીકે મુસાફરી કરીને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યા હતા.ત્યારે ભાવનગર ના 3.5 વર્ષના કાર્યકાળ બાદ ગૌતમ પરમારની ગાંધીનગર CID ક્રાઇમના વડા તરીકે નિમણુક થવા પામી છે. 17 વર્ષ બાદ રાજેન્દ્ર અંસારી ફરી ભાવનગરમાંભાવનગર-અમરેલી-બોટાદ રેન્જના નવા આઈજી તરીકે રાજેન્દ્ર અંસારીની નિમણૂક કરવામાં આવી છે. રાજેન્દ્ર અંસારી 2006 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ અગાઉ વર્ષ 2009-10 દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. લાંબા સમય બાદ ફરીથી તેમને ભાવનગર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. લગભગ 17 વર્ષ બાદ તેઓ ભાવનગર-બોટાદ-અમરેલી રેન્જના આઈજી તરીકે નિમણૂક પામ્યા હોવાથી પોલીસ તંત્રમાં આ બદલીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
AI Image
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 બેઠકો માટે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, તેમાંથી 2 ઉમેદવારો ભાવનગર માંથી ઉમેદવારી નોંધવી હતી, ભાવનગર શહેરમાં અંદાજે 1480 મતદારો નોંધાયેલા છે અહીંના બાર રૂમ ખાતે સવારના 10:30 થી સાંજના 5:00 કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, ભાવનગર જિલ્લામાંથી બે અગ્રણી વકીલો મેદાનમાં છે જેમાં હિરેન તનસુખરાય જાની પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન તથા અનિરુદ્ધસિંહ ઝાલા પૂર્વ ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બંને ઉમદેવારોએ ઉમેદવારી નોંધાવી છે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ યોજાઈ રહી છે, જેમાં પારદર્શિતા માટે દરેક પોલિંગ બૂથ પર સીસીટીવી કેમેરા અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આજરોજ સમગ્ર ગુજરાત માંથી 99 ઉમેદવારોનો ભાવિનો નિર્ણય રાજ્યના અંદાજિત 78,000 વકીલ મતદારો કરશે, આ ચૂંટણીમાં કુલ 23 બેઠકોમાંથી 5 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 18 બેઠકો સામાન્ય (પુરૂષ) ઉમેદવારો માટે છે. મતદાન માટે 'પ્રેફરેન્શિયલ વોટિંગ સિસ્ટમ' (પસંદગીનો ક્રમ 1-2-3) અપનાવવામાં આવી છે મહત્વની વાત એ છે કે મહિલા અને પુરૂષ ઉમેદવારો માટે એક જ બેલેટ પેપર રાખવામાં આવ્યું છે, ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર પૂર્વ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ એ વકીલોની માતૃસંસ્થા છે જે સનદ આપવા ઉપરાંત વકીલોના વેલ્ફેર, મૃત્યુ સહાય અને માંદગી સહાય જેવા મહત્વના કાર્યો કરે છે, વકીલોના હિતમાં વધુ સારા કાર્યો કરવાના સંકલ્પ સાથે અમે મેદાનમાં છીએ, રાજ્યભરના વકીલોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ચૂંટાયેલા 23 સભ્યો આગામી 5 વર્ષ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું સંચાલન સંભાળશે.
વાપી GIDCમાં ધુળેટી પર બે ભાઈ પર હુમલો:સ્પીકર વગાડવા બાબતે ઝઘડો, ચપ્પુ-પથ્થરથી ગંભીર ઇજા
વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં ધુળેટી પર્વની ઉજવણી દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક હુમલામાં પરિણમી હતી. ત્રણ શખ્સોએ બે સગા ભાઈ પર ચપ્પુ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય હુમલાખોર ફરાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાપી GIDCની એક કંપનીમાં કામ કરતા શ્રમિકો ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. ફરિયાદી ચંદનસીંગ અને તેમના ભાઈઓ કંપનીમાં સ્પીકર વગાડી ગુલાલ ઉડાડી રહ્યા હતા. આ દરમિયાન આરોપી સત્યમગીરી પ્રમોદગીરી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને સત્યમગીરીએ તે જ રાત્રે આશરે 9 વાગ્યે પોતાના બનેવી રૂપકગીરી અને ભાઈ રોશનગીરીને સ્થળ પર બોલાવી લીધા હતા. ત્રણેય આરોપીઓ કંપનીના દરવાજા પાસે આવી ગાળાગાળી કરવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેવો દરવાજો ખુલ્યો કે તરત જ રૂપકગીરીએ ચંદનસીંગના પેટના ડાબા ભાગે તીક્ષ્ણ ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ સત્યમગીરીએ ચંદનસીંગને આંખ ઉપર પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. બંને ભાઈઓને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈ ગુડુસીંગને પણ રૂપકગીરીએ પીઠના ભાગે ચપ્પુ મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી સત્યમગીરી અને રોશનગીરીની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય હુમલાખોર રૂપકગીરી હજુ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ભાઈઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ગતરાત્રિના સુમારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં શ્રીપાલનગર સોસાયટી પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પુરઝડપે આવતા અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી એક્ટિવા ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જમીને પાન ખાવા નીકળેલા યુવકને અડફેટે લઈ મોત નિપજાવ્યુંમહેસાણાના કલાપીનગર પાછળ છાપરામાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા જીતુભાઈ અમૃતભાઈ વાલ્મીકીના નાના ભાઈ મહેન્દ્રભાઈ ગત રાત્રે નવેક વાગ્યાના સુમારે જમીને ઘરેથી મસાલો ખાવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે રાધનપુર રોડ પર આવેલી શ્રીપાલનગર સોસાયટી સામેથી રસ્તો પસાર કરી રહ્યા હતા, ત્યારે પાંચોટ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા એક્ટિવા ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જોકે સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના મોટા ભાઈ જીતુભાઈએ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતકની લાશનું મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલીવારસોને સોંપવામાં આવી હતી.
જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દરમિયાન વકીલો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. એક નોન-પ્રેક્ટિસનર વકીલ મતદાન કરવા આવતા સિનિયર વકીલે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું, જેના કારણે વિવાદ વકર્યો હતો. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી આજે સમગ્ર રાજ્યમાં નિયત નિયમો મુજબ યોજાઈ રહી છે. અંદાજે 70,000 વકીલો આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે. જામનગરમાં આ વખતે પાંચ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મીનાબેન ભાયાણી અને ચાંદનીબેન પોપટ નામની બે મહિલા ઉમેદવારો અનામત બેઠક પરથી લડી રહી છે. મતદાન ચાલુ હતું તે દરમિયાન એક નોન-પ્રેક્ટિસનર વકીલ મત આપવા આવ્યા હતા. સિનિયર વકીલે તેમની ઓળખ અને આઈડી કાર્ડ માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા સિનિયર વકીલે કથિત નોન-પ્રેક્ટિસનર વકીલ પર હાથ ઉપાડ્યો હતો. વકીલોની ચૂંટણીમાં નોન-પ્રેક્ટિસનર વકીલોના મતદાનનો મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. જે વકીલોએ સનદ મેળવ્યા બાદ અન્ય વ્યવસાયો અપનાવ્યા છે અને પોતાની સનદ જમા કરાવી નથી, તેઓ ચૂંટણીમાં મતદાન કરે છે. આનાથી નિયમિત પ્રેક્ટિસ કરતા વકીલોમાં અસંતોષ છે, કારણ કે નોન-પ્રેક્ટિસનર વકીલો હોદ્દેદારો નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. વર્ષોથી જામનગરમાં એક જ ઉમેદવાર ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે વર્તમાન ઉમેદવારના વિરોધમાં અનેક વકીલો હોવાથી કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સ્પર્ધા વધુ કસોકસભરી બની છે. હાલ વકીલ મંડળ અને કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.
સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી ‘સૌની યોજના’ અંતર્ગત અમરેલી જિલ્લાના મોણપુર ગામમાં નર્મદાના નીરનું આગમન થયું છે. જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ‘સૌની યોજના’ લિંક 4, પેકેજ 5 હેઠળ રૂ. 27.84 લાખના ખર્ચે નવનિર્મિત સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે આશરે 350 કિ.મી. દૂરથી નર્મદાનું પાણી હવે મોણપુરના તળાવમાં ઠલવાશે. 8-10 ગામો માટે 'પ્રાણ આપતો વાલ્વ': ખેતી અને પશુપાલનને મળશે નવું જીવન લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માત્ર એક વાલ્વ નથી, પરંતુ આસપાસના 8 થી 10 ગામોની ખેતી, પીવાનું પાણી અને પશુ-પંખીઓ માટે પ્રાણ આપતો વાલ્વ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાની સક્રિયતાને કારણે આ ખાસ કેસમાં મંજૂર થયેલો વાલ્વ હવે વર્ષો સુધી ખેતરના તળ ઊંચા લાવવામાં અને ચેકડેમો ભરેલા રાખવામાં મદદરૂપ થશે. ચિત્તલમાં રૂ. 2.33 કરોડના ખર્ચે ‘જલ જીવન મિશન’નો પ્રારંભ મોણપુર બાદ મંત્રીઓ દ્વારા ચિત્તલ મુકામે ‘જળ અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. અહીં ‘જલ જીવન મિશન’ હેઠળ રૂ. 2.33 કરોડના ખર્ચે ‘નલ સે જલ’ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ યોજનાથી અંદાજે 218 ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચશે. આ ઉપરાંત, ચિત્તલ વિસ્તારમાં વિકાસની ગતિ તેજ કરતા રૂ. 48 લાખના ખર્ચે સ્લેબડ્રેઈન, પૂર સંરક્ષણ દિવાલ, કોમ્યુનિટી હોલ, સીસી રોડ અને ભૂગર્ભ ગટર જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સૌની યોજના: સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની કાયાપલટ ઉલ્લેખનીય છે કે ‘સૌની યોજના’ (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન) હેઠળ અંદાજે 1,126 કિ.મી. લાંબુ પાઇપલાઇન નેટવર્ક પથરાયેલું છે. આ પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના ડેમ અને તળાવો ભરીને સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. મોણપુરના કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, કલેકટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના IT હબ ગણાતા ઇન્ફોસિટી વિસ્તારમાં સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ દવેના કૌભાંડમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી દસ્તાવેજો બનાવી વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર નીરવ દવે હાલ જેલની હવા ખાઈ રહ્યો છે ત્યારે ઇન્ફોસિટી પોલીસે આ પ્રકરણમાં તેના નિવૃત નાયબ સચિવ પિતા અને પુત્રની ધરપકડ કરી તેમને પણ સેન્ટ્રલ જેલ ભેગા કરી દીધા છે. જોકે નીરવની પત્ની હજુ પણ પોલીસને હાથતાળી આપીને ભુગર્ભમાં ઉતરી ગઈ હોવાથી ભોગ બનનાર વેપારીઓની પૈસા પરત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. પ્રવાસન સ્થળોના સરકારી ટેન્ડરના નામે છેતરપિંડી કરીગાંધીનગરના સેક્ટર-23માં રહેતા મહાઠગ દંપતિએ રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો બનાવી અનેક વેપારીઓને કરોડોનો ચુનો લગાવવામાં આવ્યો છે. આ પ્રકરણમાં મહાઠગ નીરવ હાલમાં જેલની હવા ખાઈ રહયો છે તો એની પત્ની ભૂગર્ભમાં ઉતરી છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસે મહાઠગના નિવૃત નાયબ સચીવ પિતા અને પુત્રની પણ ધરપકડ કરી સેન્ટ્રલ જેલ ભેગા કરી દીધા છે. અમદાવાદના વેપારી ભાવિકભાઈ પટેલ સાથે નીરવ દવેનો પરિચય વર્ષ 2004માં થયો હતો, જ્યારે નીરવ ઇન્ફોસિટીમાં એરટેલની એજન્સી ચલાવતો હતો. ત્યારે વર્ષ 2023માં નીરવે વડનગરના શર્મિષ્ઠા તળાવના મેન્ટેનન્સનું નકલી ટેન્ડર બતાવી ભાવિકભાઈ અને તેમના મિત્રો પાસેથી 1.75 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડીનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ આ સિલસિલો અટક્યો ન હતો. નીરવે પાટણની રાણકી વાવમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ, દ્વારકાના શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ, અમરેલીના રાજમહેલ કિલ્લાનું રિનોવેશન અને સુરતના તાપી રિવરફ્રન્ટના બ્યુટીફિકેશન જેવા હાઈ-પ્રોફાઈલ સરકારી પ્રોજેક્ટ્સના નકલી ટેન્ડરો ઉભા કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં રોકાણના નામે તેણે ભાવિક પટેલના સાળા અને અન્ય સંબંધીઓ પાસેથી કુલ 20.70 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. માત્ર ભાવિકભાઈ જ નહીં પરંતુ ઇન્ફોસિટીમાં ગેસ એજન્સી ચલાવતા દર્શનભાઈ રામી પણ આ ઠગ દંપતીનો શિકાર બન્યા છે. નીરવ અને તેની પત્ની મીરાએ સુરત મહાનગર પાલિકાના 22.58 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બનાવટી લેટરપેડ પર તૈયાર કરેલો વર્ક ઓર્ડર બતાવી દર્શનભાઈ પાસેથી 1.12 કરોડથી વધુની રકમ પડાવી હતી. તો નીરવની ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ પણ પોતાના મકાન વેચાણના 24 લાખ રૂપિયા આ ઠગાઈમાં ગુમાવ્યા છે. નિરવ દવેના પુત્ર અને પિતાની ધરપકડઆ મામલે પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે, આ ઠગાઈમાં નીરવનો પુત્ર યજત દવે ડિજિટલ એડિટિંગનો ઉપયોગ કરતો હતો. યજત અસલી સરકારી પત્રો મેળવી લેપટોપમાં તેમાં ફેરફાર કરી પોતાની પેઢીનું નામ લખી ખોટા વર્ક ઓર્ડર તૈયાર કરતો હતો, જેને જોઈને રોકાણકારો વિશ્વાસમાં આવી જતા હતા. નીરવના પિતા મહેન્દ્ર દવે જેઓ પોતે નિવૃત નાયબ સચિવ છે, તેમની પણ આ કૌભાંડમાં સંડોવણી હોવાના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા. આમ વર્ષ 2016 થી 2025 દરમિયાન આ આખા પરિવારે મળીને ટુકડે-ટુકડે કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઇ વી. આર. ખેરે જણાવ્યું કે , નીરવ હાલમાં જેલમાં છે. જ્યારે તેની પત્ની મીરા વોન્ટેડ છે. આ પ્રકરણમાં નીરવનાં નિવૃત નાયબ સચિવ પિતા મહેન્દ્ર દવે અને પૌત્ર યજતની ભાવિક પટેલ સાથેની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બંન્નેને કોર્ટે 18 માર્ચ સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છેકે મહાઠગ દંપતીએ નકલી ટેન્ડરોના ઓથાર હેઠળ આચરેલા કરોડોના કૌભાંડમાં હવે નિવૃત નાયબ સચિવ અને પૌત્રની પણ ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ મીરા દવે હજી પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે. ત્યારે ભોગ બનનાર વેપારીઓને સરકારી ટેન્ડરની લાલચમાં હાથના કર્યાં હૈયે વાગ્યા હોય એમ રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. કેમકે પોલીસ ચોપડે માત્ર વ્હાઈટની એન્ટ્રીના રૂપિયાની ઠગાઈનો આંકડો નોંધાયો છે.
સુરત શહેરમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજ વિવાદના વમળમાં ફસાયો છે. કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આશરે 63 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ફ્લાયઓવર બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે, જે બ્રિજનું લોકાર્પણ હજુ ગત 22 જાન્યુઆરી 2026ના રોજ જ કરવામાં આવ્યું હતું, ત્યાં માત્ર 45 દિવસમાં જ મસમોટી તિરાડો અને પોપડા ઉખડવા લાગ્યા છે. ત્યારે મનપા દ્વારા ભ્રષ્ટાચારના ગાબડાં છુપાવવા કલરકામના થીગડાં મારવામા આવી રહ્યા છે. તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. પોપડા ઉખડી ગયા, તિરાડો પડી કતારગામ અને અમરોલીને જોડતા આ મહત્વકાંક્ષી બ્રિજનો એક રેમ્પ જનતા માટે ખુલ્લો મૂકાયાને હજુ ગણતરીના દિવસો થયા છે. ત્યારે બ્રિજ પર અનેક જગ્યાએથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને રસ્તાની સપાટી પર તિરાડો જોવા મળી રહી છે. દોઢ મહિનામાં જ બ્રિજની કામગીરી પર સવાલોસામાન્ય રીતે કોઈપણ બ્રિજ દાયકાઓ સુધી અડીખમ રહેવો જોઈએ, પરંતુ અહીં તો દોઢ મહિનામાં જ કોન્ટ્રાક્ટરે રિપેરિંગ કામ શરૂ કરવું પડ્યું છે. આ દ્રશ્યો જોઈને રાહદારીઓ પણ આશ્ચર્યચકિત છે કે શું આ નવો બ્રિજ છે કે વર્ષો જૂનો? ભ્રષ્ટાચારને છુપાવવા કલરકામનો ખેલબ્રિજમાં પડેલી ખામીઓને સુધારવાને બદલે તેને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આરોપ છે કે જે જગ્યાએ તિરાડો પડી છે અથવા ગાબડાં પડ્યા છે, ત્યાં ઉતાવળે થીગડાં મારીને તેના પર કલરકામ કરી દેવામાં આવ્યું છે જેથી ભ્રષ્ટાચારની પોલ ખુલી ન જાય. જનતાના પરસેવાના 63 કરોડ પાણીમાં ગયા હોવાની લાગણી કતારગામના રહીશોમાં જોવા મળી રહી છે. મનપાના બ્રિજ સેલ સામે ઉઠ્યા સવાલોસુરત મહાનગરપાલિકાનો 'બ્રિજ સેલ' હંમેશા વિવાદોમાં રહે છે. ભૂતકાળમાં વેદ-વરિયાવ બ્રિજમાં પણ આવી જ રીતે લોકાર્પણના ટૂંકા ગાળામાં ખામીઓ સર્જાઈ હતી. રત્નમાલા બ્રિજની આ સ્થિતિ સુરત મહાનગરપાલિકાના ઈજનેરોની દેખરેખ અને ક્વોલિટી કંટ્રોલ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. શું સુપરવાઇઝરોએ બાંધકામ સમયે આંખ આડા કાન કર્યા હતા? શું મટીરિયલના ટેસ્ટિંગમાં ગોબાચારી થઈ છે? આવા અનેક સવાલો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજની દયનીય હાલતસુરત મનપા એક તરફ સ્માર્ટ સિટી અને પ્રગતિના બણગાં ફૂંકે છે, તો બીજી તરફ કરોડોના ખર્ચે બનેલા બ્રિજની આવી દયનીય હાલત ટેક્સ ભરતા નાગરિકોની મજાક સમાન છે. જો હજુ તો હળવા વાહનોની અવરજવરમાં જ આ હાલત હોય, તો ભવિષ્યમાં ભારે ટ્રાફિક વચ્ચે આ બ્રિજ કેટલો સુરક્ષિત રહેશે તે પણ એક મોટો પ્રશ્ન છે.
સુરત સાયબર ક્રાઈમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યો ત્યારે દૃશ્ય ચોંકાવનારૂ હતું. એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ અંદર પ્રવેશી ત્યારે બે આરોપી તો નિરાંતે સૂતા હતા, જ્યારે અન્ય લેપટોપ અને મોબાઈલ પર મશગૂલ હતા. આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 8 લાખ રૂપિયા પળવારમાં સેરવી લીધા હતા. નિવૃત્તિના પાંચ જ દિવસમાં લૂંટસુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટર ગ્રેડ-1ના અધિકારી ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેમને પ્રોવિડન્ટ ફંડ પેટે 28 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી તેમણે 20 લાખની એફડી કરાવી હતી. બાકીના 8 લાખ રૂપિયા પોતાના ખર્ચ માટે રાખ્યા હતા. જોકે, 5મી ડિસેમ્બરે ગઠિયાઓએ રેલવે DRM ઓફિસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પેન્શન એક્ટિવેટ કરવાના નામે ફોન કર્યો હતો. લિંક મોકલી અને ઓટીપી માગીને વૃદ્ધના ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ડિજિટલ લિંકનું ભેજાબાજ નેટવર્કઆ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે, કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા. ઓછું ભણતર છતાં હાઈટેક ઠગાઈપકડાયેલા નવ આરોપીઓની શૈક્ષણિક વિગતો તપાસતા પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. ગેંગમાં મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર અને આદિત્ય જેવા શખ્સો સામેલ હતા, જે માત્ર 10 કે 12 પાસ હતા. કોઈ ડીજે ઓપરેટર હતો તો કોઈ હેર કટિંગ કે વેલ્ડિંગનું કામ કરતો હતો. માત્ર પ્રિયાંશુ પાઠક બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ ઓછા ભણેલા યુવાનોએ ટેકનોલોજીના સહારે દેશભરના સેંકડો લોકોને લાખોનો ચુનો લગાવ્યો હતો અને સુરત પોલીસની રડારમાં આવી ગયા હતા. બેટબુક 247 અને ગેમિંગનું જોડાણતપાસમાં જાણવા મળ્યું છે કે, આ આરોપીઓ માત્ર બેંક ફ્રોડ જ નહોતા કરતા, પરંતુ BetBook247.com નામની ગેમિંગ વેબસાઈટના માધ્યમથી મોટું રેકેટ ચલાવતા હતા. તેઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકોની જીતેલી રકમ ચૂકવવા માટે અથવા નવા લોકોને આઈડી પૂરા પાડવા માટે કરતા હતા. લૂંટના નાણાં વ્હાઈટ કરવા માટે તેઓ ગેમિંગ વેબસાઈટને એક મજબૂત કવર તરીકે વાપરતા હતા. આ રીતે તેઓ ગુનાહિત નાણાંની હેરફેર કરીને પોલીસને હાથતાળી આપતા હતા. કુરિયર દ્વારા બેંક કિટ્સની હેરાફેરીસાયબર માફિયાઓ અત્યંત ચાલાકીથી ભાડાના ફ્લેટના એડ્રેસ પર અલગ-અલગ બેંક ખાતાઓની કિટ્સ કુરિયર મારફતે મંગાવતા હતા. એકવાર કિટ મળી જાય એટલે તેઓ મોબાઈલમાં એકાઉન્ટ લોગઈન કરી ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. એટીએમથી રોકડા રૂપિયા ઉપાડીને મુખ્ય આરોપી ચેતન અને શુભ ઉર્ફે બજરંગબલી સુધી પહોંચાડતા હતા. તેઓ 'ડિપોઝિટ' અને 'વિડ્રોઅલ' નામના બે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતા હતા, જેમાં ફ્રોડના રૂપિયાના સ્ક્રીનશોટ અને સ્લિપો અપલોડ કરીને હિસાબ રાખવામાં આવતો હતો. 19 કરોડનું રાષ્ટ્રીય કૌભાંડસુરત પોલીસની આ કામગીરીમાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા બેંક ખાતાઓની વિગતો મેળવી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 19 કરોડ 24 લાખ રૂપિયાથી વધુનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ટોળકી સામે દેશભરમાંથી કુલ 119 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. સુરત પોલીસ હવે આ તમામ ફરિયાદોના તાર જોડીને તપાસ આગળ ધપાવી રહી છે. મુદ્દામાલ અને ધરપકડની કાર્યવાહીપોલીસ ટીમે દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટમાંથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ તેમજ પાસબુક જપ્ત કરી છે. આ ટોળકી છેલ્લા પાંચ મહિનાથી માસિક 15,000 રૂપિયાના ભાડાના ફ્લેટમાં રહીને આ રેકેટ ચલાવતી હતી. મુખ્ય આરોપી પ્રિયાંશુને મિર્ઝાપુરથી અને બાકીના આઠ શખસને રીવાથી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
5 વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો:વ્યારાના મુસા ગામે વન વિભાગને મળી સફળતા
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાના ભય હેઠળ જીવી રહેલા ગ્રામજનોએ આખરે રાહત અનુભવી છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ગત રાત્રિ દરમિયાન એક 5 વર્ષનો કદાવર નર દીપડો સફળતાપૂર્વક પકડાઈ ગયો હતો. મુસા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાની સતત અવરજવરને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ હતો. આ દીપડાના કારણે લોકોમાં ચિંતા વ્યાપી હતી. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તકેદારીના ભાગરૂપે ગામની સીમમાં એક પાંજરું ગોઠવ્યું હતું. દીપડો મારણ ખાવાની લાલચે રાત્રિના અંધકારમાં પાંજરામાં પ્રવેશતા જ તે કેદ થઈ ગયો હતો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાંજરે પુરાયેલો દીપડો આશરે 4 થી 5 વર્ષની વયનો નર છે અને તે શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે. વન વિભાગની ટીમે સવારે ઘટનાસ્થળે પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો. હાલ આ દીપડાને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત રીતે ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી બદલ મુસા ગામના લોકોએ વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે.
ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા'નો સમાપન કાર્યક્રમ 8 માર્ચે, બપોરે 3 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગાંધીનગરના રામકથા મેદાનમાં જનસભાને સંબોધન કરશે. ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓનો અવાજ ઉઠાવ્યોપાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોમનાથથી શરૂ કરાયેલી આ યાત્રાને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. યાત્રા દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. કેજરીવાલ ખેડૂતોના પ્રશ્નો પર વાત રજૂ કરશેયાત્રાની પૂર્ણાહુતિના ભાગરૂપે યોજાનારી આ જનસભામાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈને પોતાની વાત રજૂ કરશે. સાથે સાથે ખેડૂતોને લગતી નીતિઓ અને મુદ્દાઓ અંગે પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જનસભાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કાર્યકરો હાજર રહે તેવી શક્યતા છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો માટે સાબરકાંઠા જિલ્લાના પાંચ કેન્દ્રો પર મતદાન શરૂ થયું છે. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે, જેના માટે જિલ્લાના 1500 જેટલા ધારાશાસ્ત્રીઓ પોતાનો મત આપશે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. અહીં સ્થાનિક ધારાશાસ્ત્રીઓ મતદાન કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, મતપેટીઓ સીલ કરીને ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચાડવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી એકત્ર થયેલી મતપેટીઓની ગણતરી આગામી 9 તારીખના રોજ શરૂ થશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગૌરવ પથ પર નજીવી બાબતે થયેલા વિવાદમાં બે એક્ટિવા સવાર યુવકોએ એક 65 વર્ષીય વૃદ્ધ કારચાલકને રસ્તા પર પાડી દઈ ઢીકમુક્કીનો માર માર્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બંને હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે વિવાદ વકર્યો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામના રહેવાસી 65 વર્ષીય અજકુમાર રમણલાલ મેહતા 4 માર્ચના રોજ પોતાના મિત્રો સાથે કાર (નંબર GJ-21-CE-8979) લઈને ઉમરસાડી ગયા હતા. બપોરે 4 વાગ્યાની આસપાસ પરત ફરતી વખતે ગૌરવ પથ પર એક એક્ટિવા (નંબર GJ-15-DJ-4643) પર સવાર બે શખ્સો જોખમી રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિવિલ રોડ પર ઠાકોરજી પાર્ક પાસે પ્રથમ વખત રસ્તો રોકીને ઝઘડો કર્યા બાદ, ડોક્ટર હાઉસ પાસે ફરીથી કારને આંતરીને કાચ પર હાથ માર્યો હતો. જાહેરમાં વૃદ્ધને નીચે પાડી ક્રૂરતાપૂર્વક માર માર્યો જ્યારે અજકુમાર મેહતા કારમાંથી નીચે ઉતર્યા, ત્યારે બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. હુમલાખોરોએ વૃદ્ધને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધા હતા. એક શખ્સે વૃદ્ધનો જમણો હાથ પોતાના પગ નીચે કચડી નાખ્યો હતો, જ્યારે બીજા શખ્સે તેમના મોઢા પર આડેધડ લાતો અને ઢીકમુક્કી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપીઓએ જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ખોટા આક્ષેપો અને પોલીસ કાર્યવાહી હદ તો ત્યારે થઈ જ્યારે હુમલાખોરોએ માર મારતી વખતે વૃદ્ધ પર તમે મારો મોબાઈલ લઈ લીધો છે તેવો પાયાવિહોણો આક્ષેપ પણ કર્યો હતો. અજકુમારના મિત્રો વચ્ચે પડતા તેમને પણ ડરાવવાનો પ્રયાસ કરાયો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધે ઘરે પ્રાથમિક સારવાર લીધા બાદ બીજા દિવસે પોતાના પુત્ર સાથે વલસાડ સિટી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક્ટિવા નંબરના આધારે બંને યુવકોને શોધી કાઢી બંને યુવકોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે. આમ છતાં વલસાડ બેઠક માટે ચૂંટણી પહેલાં જ વિરોધીઓ એક્ટિવ થઈ ગયા છે. તેમાં પણ નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ હાલમાં ચર્ચામાં છે. તેઓ કોઈ આંદોલનને કારણે નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વ્યંગાત્મક ચિત્રોને લીધે ચર્ચામાં આવ્યા છે. આ કાર્ટૂન્સમાં અનંત પટેલની રાજકીય સફરને વલસાડના સાંસદથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીની દર્શાવી તેમની કથિત મહત્વાકાંક્ષાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. 'મુંગેરીલાલ' સાથે સરખામણીવાયરલ થયેલા ચિત્રોમાં અનંત પટેલને 'મુંગેરીલાલ કે હસીન સપને' જેવી સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા છે. આ કાર્ટૂન્સમાં તબક્કાવાર તેમની રાજકીય ઈચ્છાઓ પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ વલસાડના સાંસદ બનવું. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી (CM) પદ સુધી પહોંચવું. ત્યારપછી ભારતના વડાપ્રધાન (PM) બનવાના સપના જોવા. અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની મહેચ્છા રાખવી. રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં આ પોસ્ટ્સ ઝડપથી વાઈરલ થઈ રહી છે, જેને વિરોધીઓ દ્વારા કરવામાં આવેલો ડિજિટલ પ્રહાર માનવામાં આવે છે. ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચેનું 'ડિજિટલ યુદ્ધ'નોંધનીય છે કે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે છેલ્લા લાંબા સમયથી આદિવાસી મુદ્દાઓ પર ગજગ્રાહ ચાલી રહ્યો છે. બંને નેતાઓ અવારનવાર એકબીજા પર જાહેર મંચ પરથી આક્ષેપો કરતા રહે છે. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન પણ ધવલ પટેલે 'સુપર મારિયો' ગેમ જેવો એનિમેટેડ વીડિયો શેર કરીને અનંત પટેલની ઠેકડી ઉડાડી હતી. હવે ફરી એકવાર આ પ્રકારના કાર્ટૂન્સ દ્વારા બંને પક્ષના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા રણમેદાન બન્યું છે. અનંત પટેલનો વળતો જવાબઆ વિવાદ અને વાઈરલ ચિત્રો અંગે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર આવી અનેક વસ્તુઓ વાઈરલ થતી રહેતી હોય છે. મારે આવા પાયાવિહોણા વિષયો પર કોઈ પ્રતિભાવ આપવાની જરૂર જણાતી નથી. વ્યંગાત્મક ચિત્રોના આ પ્રહાર પરથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં આ બે નેતાઓ વચ્ચેનો રાજકીય જંગ વધુ તીવ્ર બની શકે છે.
પાટણમાં વકીલોનું મતદાન:જિલ્લાના 5 કેન્દ્રો પર 1250 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે પાટણ જિલ્લામાં વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પાંચ મતદાન મથકો પર કુલ 1250 નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા સવારે 10:30 કલાકે શરૂ થઈને સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે. પાટણ શહેર સહિત જિલ્લામાં પાટણ, સિદ્ધપુર, સમી, ચાણસ્મા અને રાધનપુર ખાતે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લા અદાલત ખાતે 520 વકીલોએ મતદાન કર્યું હતું. વહેલી સવારથી જ વિવિધ કેન્દ્રો પર મતદાન કરવા માટે વકીલોની લાંબી કતારો જોવા મળી હતી. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન પેટીઓને સીલ કરવામાં આવશે.આ પેટીઓને સુરક્ષિત રીતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી માટે બનાવવામાં આવેલા ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) કાયદામાં રાજ્ય સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. જેમાં મળતી વિગત મુજબ, સરકાર ગુજસીટોકમાં સુધારા સાથે ‘આતંકવાદ’ શબ્દ હટાવી શકે છે અને કેટલીક કલમોમાં ફેરફાર સાથે વિધાનસભામાં સુધારા વિધેયક લાવવાની તૈયારીમાં છે. પાંચ પર્ષ પહેલાં ગુજસીટોક પસાર થયો'તોલગભગ પાંચ વર્ષ પહેલાં રાજ્ય વિધાનસભાએ આ કાયદો પસાર કર્યો હતો, પરંતુ તે હજુ સુધી અમલમાં આવ્યો નથી. હવે સરકાર તેમાં કેટલાક સુધારા કરી તેને ફરીથી અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. ‘આતંકવાદ’ શબ્દ દૂર કરવાની ચર્ચા ચાલી રહી છેમાહિતી મુજબ, કાયદામાં સમાવાયેલ ‘આતંકવાદ’ શબ્દ દૂર કરવાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ સાથે થયેલી ચર્ચાઓ બાદ આ શબ્દ કાયદામાંથી કાઢી નાખવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ સુધારા થવાથી કાયદો વધુ સ્પષ્ટ અને અમલમાં સરળ બનશે. કેટલીક કલમોમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજસીટોક કાયદામાં ગેંગ દ્વારા થતા ગંભીર ગુનાઓ, ખંડણી, ગેંગવોર, હથિયારોના ગેરકાયદેસર વેપાર તેમજ સંગઠિત ગુનાખોરી સામે વધુ કડક કાર્યવાહી શક્ય બને તે માટે કાયદાકીય જોગવાઈઓ મજબૂત કરવામાં આવશે. તપાસ એજન્સીઓને પણ આવા કેસોમાં વધુ સત્તા મળે તે માટે કેટલીક કલમોમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી છે. વિધાનસભામાં સુધારા વિધેયક લાવવાની તૈયારીમાંઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ગુજરાત વિધાનસભાએ આ કાયદો પસાર કર્યો હતો અને ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. લાંબા સમયથી કાયદાનો અમલ ન થતા હવે રાજ્ય સરકાર તેમાં જરૂરી સુધારા કરીને ફરીથી વિધાનસભામાં સુધારા વિધેયક લાવવાની તૈયારીમાં છે. સરકાર આવનારા વિધાનસભા સત્રમાં આ સુધારા રજૂ કરી શકે છે. જો આ સુધારા મંજૂર થાય તો રાજ્યમાં સંગઠિત ગુનાખોરી સામે કાર્યવાહી માટેનો કાયદો વધુ અસરકારક બનવાની સંભાવના છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાનની પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સુરતના અદાલત પરિસરમાં સવારથી જ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પર્વમાં સુરતના આશરે 8500 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સુરતના 11 મહારથી ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. પારદર્શિતા માટે ટેકનોલોજીનો સહારો: 14 કેમેરાથી મોનિટરિંગચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બોગસ વોટિંગ ન થાય તે માટે આ વખતે વહીવટી તંત્ર અને બાર કાઉન્સિલ દ્વારા સજ્જડ આયોજન કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાની 'બાઝ નજર' રાખવામાં આવી રહી છે. સુરતમાં જ્યાં મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં અલગ-અલગ 14 હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સવારે 10:00 વાગ્યાથી શરૂ થયેલું આ મતદાન સાંજે 6:00 વાગ્યા સુધી સતત ચાલશે. રાજકીય પક્ષોના લીગલ સેલ મેદાનમાંમાત્ર વકીલો જ નહીં, પણ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પોતપોતાના મનપસંદ અને સમર્થિત ઉમેદવારોને વિજયી બનાવવા માટે લીગલ સેલના હોદેદારો અને કાર્યકરો સવારથી જ ફિલ્ડમાં ઉતરી ગયા છે. વકીલોને મતદાન મથક સુધી લાવવા અને પેનલ મુજબ મતદાન કરાવવા માટે વ્યૂહાત્મક ગોઠવણ જોવા મળી રહી છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. વેલ્ફેર ફંડ અને નિવૃત્તિના લાભોનો મુખ્ય મુદ્દોચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે આ વખતે આર્થિક સુરક્ષાના પ્રશ્નો કેન્દ્રસ્થાને રહ્યા છે. જાણીતા વકીલ ઝકી મુખ્તીયાર શેખે જણાવ્યું હતું કે, વકીલોમાં આ વખતે 'વેલ્ફેર' સૌથી મોટો મુદ્દો છે. હાલમાં વેલ્ફેરની રકમ મૃત્યુ પછી વારસદારોને મળતી હોય છે, પરંતુ વકીલોની માંગ છે કે આ રકમ તેમને હયાતીમાં જ મળે. આ ઉપરાંત, વેલ્ફેરની રકમમાં થતા ટેક્સ કે અન્ય કપાત બંધ કરી પૂરેપૂરી રકમ આપવાની ખાતરી આપનાર ઉમેદવાર તરફ વકીલોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. કોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓનો અભાવસુરતની નવી કોર્ટ બિલ્ડીંગમાં વકીલોને પડતી હાલાકી પણ આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બની છે. વકીલોની માંગ છે કે કોર્ટ પરિસરમાં બેસવાની યોગ્ય સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવે. ખાસ કરીને ડિજિટલાઇઝેશન અને પાર્કિંગની સુવ્યવસ્થિત સિસ્ટમ લાગુ કરવામાં આવે તો વકીલો અને અસીલો બંનેની અગવડતામાં ઘટાડો થઈ શકે તેમ છે. મહિલા અનામતથી નવા યુગની શરૂઆતઆ વખતની BCG ચૂંટણીમાં 30% મહિલા અનામતના અમલને કારણે એક નવો ઇતિહાસ રચાયો છે. આ નિર્ણયથી મહિલા વકીલોમાં અનેરો ઉત્સાહ છે. ઉમેદવાર હિરલ પાનવાલાએ જણાવ્યું કે, પ્રથમવાર મહિલાઓને પ્રતિનિધિત્વ મળતા બાર કાઉન્સિલના દ્વાર વુમેન લોયર્સ માટે ખુલ્યા છે. મહિલા વકીલોના વિશિષ્ટ પ્રશ્નોને બાર કાઉન્સિલ સુધી પહોંચાડવા અને તેમના અધિકારો માટે લડવા માટે આ ચૂંટણી એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે. યુવા વકીલો માટે ટ્રેનિંગ અને સ્ટાઈપેન્ડની નેમવકીલાતના વ્યવસાયમાં નવા આવતા 'યંગ લોયર્સ' માટે પણ આ ચૂંટણી નિર્ણાયક છે. ઉમેદવારો વચન આપી રહ્યા છે કે તેઓ યુવા વકીલોને આર્થિક ટેકો આપવા માટે સ્ટાઈપેન્ડની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત, વકીલોના જ્ઞાનમાં વધારો કરવા માટે 'કંટીન્યુઈંગ લીગલ એજ્યુકેશન' હેઠળ ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવવાની પણ વાત કરવામાં આવી છે, જેથી નવા વકીલો વ્યાવસાયિક રીતે વધુ સક્ષમ બની શકે. વકીલોની સુરક્ષા અને ડિગ્નિટીનો સવાલસમગ્ર મતદાન દરમિયાન વકીલોની સુરક્ષા અને તેમના ગૌરવનો મુદ્દો પણ ગાજ્યો છે. વકીલો પર થતા હુમલાઓ રોકવા માટે પ્રોટેક્શન એક્ટની જરૂરિયાત અને ન્યાયિક પ્રક્રિયામાં વકીલોનું માન જળવાય તેવા વાતાવરણની માંગ પ્રબળ બની છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 8500 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સુરતના 11 મહારથીઓનું ભવિષ્ય બેલેટ બોક્સમાં સીલ કરશે. વકીલ ઝકી મુખ્તીયાર શેખએ જણાવ્યું હતું કે, આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન છે, છઠ્ઠી માર્ચે અને સવારથી ખૂબ જ સારી રીતે વોટરો આવી અને મતદાન કરી રહ્યા છે. મતદારોમાં ખૂબ જ સારો ઉત્સાહ છે અને આ એક પર્વ બધા ઉમેદવારો એકબીજા સાથે હળીમળીને ઉજવી રહ્યા છે અને મતદાનો... ખાસ કરીને મતદારો પોતાના પસંદગીના અને સારા કામો કરે એવા મતદારોને પસંદ કરી રહ્યા છે. અને આ મતદાન ચોક્કસપણે વધુમાં વધુ થાય એવી અમારી તમામ મતદારોને અપીલ છે અને શાંતિથી આ પર્વ પૂરો થાય.આ વખતે મુખ્ય મુદ્દાઓ જે છે તે વેલ્ફેરનો મુદ્દો છે. હયાતીમાં જે વેલ્ફેરની રકમ જે છે તે મૃત્યુ પછી મળતી હોય છે તે હયાતીમાં મળી જાય તે મુખ્ય મુદ્દો છે. જે વેલ્ફેરની રકમમાં પૈસા કપાઈને આવે છે મોટા ભાગે, તે નહીં કપાય અને પૂરેપૂરી રકમ મળે તે મુદ્દો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે નવી કોર્ટ બિલ્ડીંગ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેસવાની સુવિધાઓ અને તમામ ફેસિલિટીઝ મળી રહે તે મુદ્દો છે. અને ડિજિટલાઇઝેશન, પાર્કિંગ સિસ્ટમ થાય કે જેનાથી અગવડતા વકીલોને ઓછી પડે તે મુખ્યત્વે મુદ્દાઓ છે. અને ખાસ કરીને એડવોકેટોની સેફ્ટી અને ડિગ્નિટીનો ખાસ મુદ્દો છે. વકીલ હિરલ પાનવાલાએ જણાવ્યું હતું કે, જો એક તો પહેલીવાર 30% મહિલા અનામત મળ્યું છે અને એના લીધે કેટલી બધી મહિલા ઉમેદવારો માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દ્વારો ખુલ્યા છે. હું એવું માનું છું કે તમે હમણાં મારા બધા સપોર્ટર્સનો ઉત્સાહ જોઈ રહ્યા છો. મારા સપોર્ટર્સ બહુ મોટી સંખ્યામાં મને વોટ કરવા આવ્યા છે અને હું બહુ કોન્ફિડન્ટ ફીલ કરું છું, બહુ હેપી ફીલ કરું છું.બધાનો ઉત્સાહ જોઈ રહ્યા છો કે બધા મને બહુ સારું વોટિંગ કરવા આવી રહ્યા છે અને હું એવું માનું છું કે જે મારે સુરતના અને સમગ્ર ગુજરાતના વકીલો ખાસ કરીને યંગ અને વુમેન લોયર્સના મુદ્દાઓ બાર કાઉન્સિલ સુધી પહોંચાડવા છે. યંગ લોયર્સ માટે મારે જે સ્ટાઈપેન્ડથી લઈને એ લોકોની ટ્રેનિંગ, એ લોકોની કંટીન્યુઈંગ લીગલ એજ્યુકેશન માટે મારે કામ કરવું છે. એ સિવાય મહિલાઓના ઘણા પ્રશ્ન જે વિશિષ્ટ પ્રશ્ન હોય છે એ બધા મારે બાર કાઉન્સિલ સુધી લઈ જવા છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કારોબારીમાં 23 સભ્યોની પસંદગી માટે આજે રાજ્યભરમાં નોંધાયેલા એડવોકેટ્સ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વિવિધ બાર એસોસિએશનોમાં નોંધાયેલા વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 23 ઉમેદવારોને ચૂંટશે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મતદાનને લઈને એડવોકેટ્સમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વેરાવળ ખાતે આશરે 750 જેટલા વકીલો સવારે 10:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી મતદાન કરશે. આ ચૂંટણીમાં ગીર સોમનાથ માટે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વેરાવળ બાર એસોસિએશન તરફથી ઇતિહાસમાં પ્રથમ વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. વેરાવળ બાર એસોસિએશનના વરિષ્ઠ એડવોકેટ એસ.એન. સવાણી, જેઓ છેલ્લા ચાર ટર્મથી બાર એસોસિએશનમાં ચૂંટાઈ રહ્યા છે, તેમણે આ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ એડવોકેટ એસ.એન. સવાણીએ સમગ્ર જિલ્લામાં તેમજ રાજ્યભરમાં વ્યાપક પ્રચાર અને સંપર્ક અભિયાન ચલાવ્યું હતું. તેમણે ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાળા, સુત્રાપાડા, ગીરગઢડા સહિતના વિસ્તારોમાં એડવોકેટ્સ સાથે મુલાકાત કરી પોતાના પ્રતિનિધિત્વ માટે સમર્થન માંગ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા રાજ્યસભા અને લોકસભાની ચૂંટણીની જેમ બેલેટ પેપર દ્વારા યોજાઈ રહી છે. દરેક નોંધાયેલા એડવોકેટ પોતાના મત દ્વારા ઉમેદવારોને પસંદ કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યના એડવોકેટ્સમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગર બોરતળાવ પોલીસે શહેરના ફુલસર વિસ્તારમાં રેઇડ કરતા ક્રેટા કારમાં બેસીને મોબાઇલ મારફતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ પર હારજીતના સોદા કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઇલ, રોકડ રકમ અને કાર સહિત કુલ રૂ. 10,41,700નો મુદ્દામાલ કબજે કરી બન્ને શખ્શો સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફૂલસરમાં T20 મેચ પર સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયામળતી માહિતી મુજબ, બોરતળાવ પોલીસ સ્ટાફ ગતરાત્રીના પેટ્રોલિંગમાં હતો, ત્યારે ફુલસર વિસ્તારમાં આવેલા ઓમ શાંતિ રેસીડેન્સીમાં ક્રેટા કારમાં બેસી બે શખ્સો મોબાઇલ દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા કાર નંબર GJ-04-EJ-4423માં બેઠેલા અનીલ ધીરુભાઈ દિહોરા (રહે. ખોડીયાર ચોક, ભાવનગર) અને સંજય મેપાભાઈ કામ્બડ (રહે. ગણેશનગર-2, ભાવનગર) મોબાઇલમાં GRAND7.IN તથા BIG EXCHANGE-09 વેબસાઇટ મારફતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટી-ટ્વેન્ટી મેચ પર હારજીતના સોદા કરતા ઝડપાઈ ગયા હતાં. 10.41 લાખ જપ્ત ને ગુનો નોંધાયોપોલીસે બંને પાસેથી બે મોબાઇલ કિ.રૂ. 40,000, રોકડ રૂ. 1,700 અને ક્રેટા કાર કિ.રૂ. 10,00,000 સહિત કુલ રૂ. 10,41,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે બોરતળાવ પોલીસે બંને સામે જુગાર અધિનિયમની કલમ 12(A) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નેશનલ ફાર્મસી એજ્યુકેશન ડેની ઉજવણી:આત્મીય યુનિવર્સિટીમાં તજજ્ઞ વ્યાખ્યાન અને સ્પર્ધા યોજાઈ
દર વર્ષે ૬ માર્ચના રોજ ફાર્મસી શિક્ષણના પિતામહ એમ.એલ. શ્રોફની જન્મજયંતિ નિમિત્તે નેશનલ ફાર્મસી એજ્યુકેશન ડે (NPED) ઉજવવામાં આવે છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ ૬ માર્ચ, ૨૦૨૬ના રોજ ભારતભરની વિવિધ ફાર્મસી સંસ્થાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આત્મીય યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્માસ્યુટીકલ સાયન્સીસ દ્વારા ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટ્સ એસોસિએશન – રાજકોટ ચેપ્ટરના સહયોગથી ૧૮ અને ૨૭ ફેબ્રુઆરીના રોજ વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં ત્રણ તજજ્ઞ વ્યાખ્યાનો અને લેબ ટુ આર્ટ સ્પર્ધાનો સમાવેશ થાય છે. તજજ્ઞ વ્યાખ્યાનોમાં ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. નિસર્ગ વાળાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: માનવોની મહાન રચના કે ખતરો? વિષય પર, ડો. એસ.એચ. વિસાવડિયાએ એચ.આઈ.વી. એઈડ્સ અંગે જાગૃતિ પર, અને ડો. ધાર્મિક મહેતાએ ફાર્મસીના કારકિર્દી વિકલ્પો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, એયુ ફેસ્ટ પ્રોગ્રામના ભાગરૂપે લેબ ટુ આર્ટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોનો ઉપયોગ કરીને કલાત્મક મોડેલ બનાવ્યા હતા. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધાર્મિક મહેતા, રીના ઉઘરેજા, પરાગ રબારા, રચના જોશી સહિત અન્ય કર્મચારીગણ અને વિદ્યાર્થી સંયોજકોએ સક્રિય યોગદાન આપ્યું હતું.
જામનગર અદાલત પરિસરમાં આવેલા બાર એસોસિએશનના હોલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 23 સભ્યોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. બાર કાઉન્સિલની માર્ગદર્શિકા મુજબ, ઓબ્ઝર્વર્સ અને પોલિંગ ઓફિસરોની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં કાઉન્સિલની કારોબારીના 23 સભ્યોની બેઠકો માટે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોમાં જામનગરના પાંચ વકીલોનો પણ સમાવેશ થાય છે. કુલ 1834 નોંધાયેલા મતદારો સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન કરી શકશે. આ પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મુખ્ય પોલિંગ ઓફિસર તરીકે એડવોકેટ કિશોરભાઈ ડી. ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. તેમને મદદનીશ પોલિંગ ઓફિસર તરીકે મયૂરભાઈ ભટ્ટ, નરેન્દ્રસિંહ સોઢા, ભાવેશભાઈ ધ્રુવ, કિશોરભાઈ મકવાણા, મિહિર નંદા, ભરતગીરી ગોસાઈ, ઈશાકભાઈ કુરેશી અને ગિરિશભાઈ સરવૈયા સહાય કરી રહ્યા છે. બાર કાઉન્સિલ દ્વારા નિયુક્ત કરાયેલા ઓબ્ઝર્વરોની દેખરેખ હેઠળ સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓ સાથે ઓબ્ઝર્વરો રવાના થશે. વકીલ આલમમાં આ ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના ન્યાયિક ક્ષેત્રે અત્યંત મહત્વની ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2026નું આજે સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતના અંદાજે 80,000 જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જૂનાગઢમાં સવારથી જ વકીલોમાં આ ચૂંટણીને લઈને ભારે ઉન્માદ જોવા મળી રહ્યો છે અને મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે. વકીલો આ ચૂંટણીને માત્ર એક મતદાન તરીકે નહીં પરંતુ લોકશાહીના પર્વ તરીકે ઉજવી રહ્યા હોય તેવું વાતાવરણ કોર્ટ સંકુલમાં જોવા મળી રહ્યું છે. જાણે દિવાળીનો તહેવાર હોય તેમ વકીલો એકબીજાને મળીને અને ઉત્સાહભેર મતદાન મથક પર પહોંચીને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી રહ્યા છે. સૌરાષ્ટ્રના 23 સહિત 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગઆ વખતની બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે.જેમાંથી 23 ઉમેદવારો ખાસ સૌરાષ્ટ્ર પંથકમાંથી નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીની ખાસિયત એ છે કે, સમગ્ર ગુજરાતમાંથી કુલ 25 સભ્યોને ચૂંટવાના હોય છે અને તે માટે પસંદગી આધારિત મતદાન એટલે કે પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ જટિલ મતદાન પદ્ધતિને કારણે મતગણતરીની પ્રક્રિયા પણ લાંબી ચાલે છે, જે અંદાજે આઠ દિવસ સુધી ચાલી શકે છે. જૂનાગઢના મતદાન મથક પર ઉમેદવાર રોહિત મકવાણાએ પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે જૂનાગઢથી પરિવર્તનના પવનની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યભરમાં જંગી બહુમતી સાથે તેમનો વિજય નિશ્ચિત છે. કુલ 23 સભ્યોની પસંદગી કરવામાં આવશેચૂંટણીના માહોલ વચ્ચે વકીલ આલમમાં એક અલગ જ પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વકીલોના હિત અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ માટે જે 23 સભ્યોની પસંદગી થવાની છે, તે માટે મતદારો અત્યંત જાગૃત જણાય છે. જૂનાગઢમાં ભલે ધીમી ધારે મતદાન શરૂ થયું હોય, પરંતુ દિવસ ચઢતાની સાથે જ મતદારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉમેદવારો દ્વારા પોતાના સમર્થકો સાથે પ્રચારની છેલ્લી ઘડીઓ સુધી સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. વકીલોના મતે આ વખતે જૂનાગઢનું પરિણામ આખા ગુજરાતની પેનલ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જૂનાગઢથી ફૂંકાયેલો આ પરિવર્તનનો પવન ગાંધીનગર સુધી પહોંચશે તેવી ચર્ચાઓ પણ વકીલ મંડળોમાં જોરશોરથી ચાલી રહી છે. બાર કાઉન્સિલની આ ચૂંટણી વકીલોના કલ્યાણ, મેડિકલ સહાય, અને નવી પેઢીના વકીલો માટેની સવલતો જેવા મુખ્ય મુદ્દાઓ પર લડાઈ રહી છે. 99 ઉમેદવારો વચ્ચેનો આ જંગ અત્યંત રસાકસીભર્યો બની રહ્યો છે કારણ કે દરેક ઉમેદવાર પોતાની પકડ ધરાવતા વિસ્તારોમાં મજબૂત દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના 23 ઉમેદવારો વચ્ચેની આંતરિક સ્પર્ધા પણ આ વખતની ચૂંટણીનું મુખ્ય આકર્ષણ છે. સાંજ સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ બેલેટ બોક્સ સીલ કરવામાં આવશે અને ત્યારબાદ શરૂ થશે આઠ દિવસ સુધી ચાલનારી રોમાંચક મતગણતરી. અત્યારે તો જૂનાગઢના વકીલોએ જે રીતે ઉત્સાહ બતાવ્યો છે તે જોતા ચોક્કસપણે કહી શકાય કે આ વખતે પરિણામોમાં કંઈક નવું જોવા મળી શકે છે.
ગઢડામાં ધોરણ 10ની એક વિદ્યાર્થીની ભૂલથી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. ગઢડા પોલીસની PCR વાનના કર્મચારીઓએ સમયસર મદદ કરીને તેને સાચા કેન્દ્ર પર પહોંચાડી, જેના કારણે તે પરીક્ષા આપી શકી. આ ઘટના ગઢડાના વાવડી ગામની વિદ્યાર્થીની સાથે બની હતી. તેણીનું મૂળ પરીક્ષા કેન્દ્ર માલપરા ગામમાં હતું, પરંતુ ભૂલથી તે લગભગ 14 કિલોમીટર દૂર આવેલા ગઢડાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. ગઢડાની નૂતન કન્યા વિદ્યાલય ખાતે શિક્ષકોએ વિદ્યાર્થીનીની રસીદ તપાસી ત્યારે જાણવા મળ્યું કે તેનો પરીક્ષા નંબર માલપરા ગામની શાળાનો છે. આથી વિદ્યાર્થીની મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તે જ સમયે, ગઢડા PCR વાનના ઇન્ચાર્જ પોલીસ અજીતભાઈ જગુભાઈ ભોજક અને ડ્રાઇવર કનકસિંહ વાળા રાઉન્ડ પર નૂતન કન્યા વિદ્યાલય પહોંચ્યા હતા. તેમને વિદ્યાર્થીનીની આ ભૂલ વિશે જાણ થઈ. PCR વાનના ઇન્ચાર્જે તાત્કાલિક વિદ્યાર્થીનીને પોલીસ વાનમાં બેસાડી અને પરીક્ષાના સમય પહેલા જ તેને માલપરા ગામની શાળાએ પહોંચાડી દીધી. સમયસર કેન્દ્ર પર પહોંચતા વિદ્યાર્થીનીએ રાહતનો શ્વાસ લીધો અને ગઢડા પોલીસનો આભાર માન્યો.
સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મ આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે આગલા દિવસે 10 માર્ચના રોજ સામાન્ય સભા મળશે. આ સભામાં લાઈટ અને ફાયર સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા આશરે 20 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. શહેરના ઝડપી વિસ્તરણ અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને અગ્નિશમન સેવાઓને વધુ સજ્જ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની જરૂરિયાત મુજબ, નવા વોટર ટેન્કરોની ખરીદી માટે રૂ. 6,42,00,000ના ગ્રોસ અંદાજને મંજૂરી આપવામાં આવશે. શા માટે નવા વોટર ટેન્કરોની જરૂરિયાત ઊભી થઈ?સુરત શહેર આજે માત્ર ટેક્સટાઈલ કે ડાયમંડ સિટી નથી રહ્યું, પરંતુ તે ભારતનું સૌથી ઝડપથી વિકસતું મેટ્રો સિટી બની ગયું છે. હાલમાં સુરત મહાનગરપાલિકા પાસે ફાયર વિભાગમાં અંદાજે 150થી વધુ વિવિધ પ્રકારના વાહનોનો કાફલો છે, જેમાં વોટર ટેન્કર, વોટર બાઉઝર, ઈમરજન્સી રેસ્ક્યૂ ટેન્ડર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. નવા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો શરૂ કરવામાં આવ્યાફાયર વિભાગના અંદાજે 15થી 20 જેટલા જૂના વોટર ટેન્કરો જે છેલ્લા 15 વર્ષથી સેવામાં હતા, તે હવે આરટીઓ અને સરકારી ધારાધોરણો મુજબ 'કન્ડમ' એટલે કે ઉપયોગ કરવા લાયક રહ્યા નથી. આવા જૂના વાહનો વારંવાર બગડતા હોવાથી ઈમરજન્સી સમયે સમયસર ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે. સાથે સુરતની હદમાં નવા વિસ્તારો હજીરા, સચિન, પલસાણા બાજુના વિસ્તારો ભળતા શહેરનું ક્ષેત્રફળ ઘણું વધી ગયું છે. નવા વિસ્તારોમાં નવા ફાયર સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં વાહનોની અછત વર્તાઈ રહી છે અને સુરતમાં હવે 70 મીટરથી વધુ ઊંચાઈની ગગનચુંબી ઈમારતો બની રહી છે. આવી ઈમારતોમાં લાગેલી આગ ઓલવવા માટે સતત અને મોટા પ્રમાણમાં પાણીના પુરવઠાની જરૂર હોય છે. મોટા વોટર ટેન્કરો 'મોબાઈલ હાઈડ્રન્ટ' તરીકે કામ કરી શકે છે. 6.42 કરોડના ખર્ચે આવનારા ટેન્કરો અદ્યતન ટેકનોલોજીથી સજ્જફાયર વિભાગ દ્વારા તૈયાર કરાયેલા અંદાજ મુજબ, આશરે 6.42 કરોડના ખર્ચે ખરીદવામાં આવનારા આ ટેન્કરો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે. આ નવી ગાડીઓની વિશેષતાઓ જોઈએ તો, આ ટેન્કરોની ક્ષમતા 10,000થી 12,000 લિટરની હશે, જે એકસાથે લાંબો સમય સુધી વોટર કેનન ચલાવી શકશે. ટેન્કરોની અંદરની બોડી સ્ટેઈનલેસ સ્ટીલની બનાવવામાં આવશે જેથી કાટ ન લાગે અને લાંબા સમય સુધી તેની મજબૂતી જળવાઈ રહે. 2.66 કરોડના ખર્ચે 'PoC Radio Sets'થી સજ્જ થશે વિવિધ વિભાગોમહાનગરપાલિકાના વિવિધ ઝોન અને વિભાગો વચ્ચેના સંકલનને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે આધુનિક સંદેશાવ્યવહાર પ્રણાલી અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રૂ. 2,66,51,560ના ખર્ચે PoC રેડિયો સેટ્સ અને તેના બે વર્ષના સબસ્ક્રિપ્શન સર્વિસના અંદાજને બહાલી આપવામાં આવશે. આ ટેકનોલોજી દ્વારા ઈમરજન્સી સ્થિતિમાં કે આપત્તિ વ્યવસ્થાપન સમયે વિવિધ ઝોનના અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ વચ્ચે રિયલ-ટાઇમ કનેક્ટિવિટી જળવાઈ રહેશે, જે કામગીરીની કાર્યક્ષમતામાં વધારો કરશે. 9.81 કરોડના ખર્ચે CCMS સિસ્ટમ વાળી સ્ટ્રીટ લાઈટ શહેરની સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને ઉર્જા કાર્યક્ષમ બનાવવા માટે મનપાએ કમર કસી છે. હાલના જુના કન્વેન્શનલ ફીડર પીલરને બદલે અદ્યતન 'સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ' CCMS સ્થાપિત કરવા માટે રૂ. 9,81,78,000ના ગ્રોસ અંદાજને મંજૂર કરવામાં આવશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ લાઈટો આપોઆપ ચાલુ-બંધ થશેપ્રોજેક્ટની વિશેષતા જોઈએ તો, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ લાઈટો આપોઆપ ચાલુ-બંધ થશે. બિનજરૂરી વીજ વપરાશ ઘટશે અને મેઈન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો થશે. કંટ્રોલ રૂમ પર બેઠા-બેઠા જ કયા વિસ્તારની લાઈટ ચાલુ છે કે બંધ, તેની જાણકારી મળી શકશે. લાઈટમાં ખામી સર્જાતા જ સિસ્ટમ દ્વારા એલર્ટ મળશે, જેથી રિપેરિંગ કામગીરી ઝડપી થઈ શકશે.
પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) એ રાધનપુરમાં પટ્ટણી દરવાજા પાસે દરોડો પાડી ધોરણ-7 પાસ એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈ પણ તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, S.O.G. શાખાની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાધનપુર પટ્ટણી દરવાજા નજીક આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મહંમદ હનીફ હુક્કા (રહે. હવેલીવાસ, રાધનપુર; મૂળ રહે. કમાલપુર, પાલનપુર) 'હાર્ડવૈદ (કમાલપુરવાળા)' નામનું દવાખાનું ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આ દવાખાનું ચાર દુકાનોમાં ફેલાયેલું હતું, જેમાં રિસેપ્શન, વેટિંગ એરિયા અને ત્રણ બેડ સાથેના અલગ અલગ રૂમો બનાવવામાં આવ્યા હતા. દવાખાનામાંથી એક્સ-રે મશીન, ડિજિટલ એક્સ-રે રીડર, કોમ્પ્યુટેડ રેડિયોગ્રાફી સિસ્ટમ અને પ્રિન્ટર જેવા સાધનો મળી આવ્યા હતા. આરોપી ઇલિયાસ હુક્કાની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે માત્ર ધોરણ-7 સુધી જ અભ્યાસ કર્યો છે અને તેની પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ નથી. તેમ છતાં તે દરરોજના આશરે 50 થી 70 જેટલા દર્દીઓને તપાસીને તેમને એલોપેથીક દવાઓ અને સારવાર આપતો હતો. પોલીસે સ્થળ પરથી 18 જેટલી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો, સીસીટીવી ડીવીઆર, પલંગ અને દર્દીઓની વિગતો ધરાવતી નોંધપોથીઓ સહિત કુલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એ.એસ.આઈ. શૈલેષકુમારની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 110, 319(2), 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'અસ્મિતા લીગ'નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત મહિલા સશક્તિકરણના હેતુથી વિવિધ વય જૂથની દોડ સ્પર્ધાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાશે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના વિભાગ દ્વારા આયોજિત આ લીગ, જિલ્લા વહીવટી તંત્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), MY Bharat અને જિલ્લા રમતગમત કચેરીના સંયુક્ત સંકલનથી યોજાશે. 'અસ્મિતા લીગ' (Achieving Sports Milestone by Inspiring Women Through Action) “Sports for Women ને પ્રોત્સાહન આપતી એક મુખ્ય પહેલ છે, જેનો મુખ્ય હેતુ દેશભરની દીકરીઓ અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ સ્પર્ધા આગામી 8 માર્ચ, 2026ના રોજ જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, લીંબડી ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ સવારે 7:30 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. લીગમાં મુખ્યત્વે 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ તેમજ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાને ત્રણ મુખ્ય વય જૂથોમાં વહેંચવામાં આવી છે: અન્ડર-13 વર્ષ, 13 થી 18 વર્ષ અને 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ. જિલ્લા યુવા અધિકારી દ્વારા તમામ દીકરીઓ અને મહિલાઓને આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. રસ ધરાવતા ઉમેદવારો mybharat.gov.in પોર્ટલ પર અથવા સત્તાવાર QR કોડ સ્કેન કરીને પોતાની નોંધણી કરાવી શકે છે. શાળાઓ, મહાવિદ્યાલયો અને વાલીઓને પણ મહિલાઓને આ પહેલમાં જોડાવા પ્રોત્સાહિત કરવા અપીલ કરાઈ છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ધૂળેટીના દિવસે એક અર્ધબેભાન હાલતમાં આવેલા દર્દીના પરિવારજનો અને મિત્રોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સારવાર શરૂ હોવા છતાં તબીબો સાથે બોલાચાલી અને ધક્કામુકી કરતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, એક યુવકને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સિવિલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. યુવકની ગંભીરતા જોઈને ફરજ પરના તબીબોએ તાત્કાલિક તેની સારવાર અને તપાસ શરૂ કરી દીધી હતી. જોકે, દર્દીની સાથે મોટી સંખ્યામાં આવેલા તેના મિત્રો અને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, દર્દીની પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે નિયમ મુજબ કેસ પેપર કઢાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે પરિવારજનોએ પિત્તો ગુમાવ્યો હતો. નવાઈની વાત એ છે કે, ભણેલા-ગણેલા દેખાતા આ સભ્યો અંગ્રેજીમાં બૂમબરાડા પાડી તબીબો પર દબાણ બનાવી રહ્યા હતા. મહિલા સ્ટાફમાં ભયનો માહોલપરિવારજનોના આક્રમક વર્તન અને ધક્કામુકીને કારણે ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતી મહિલા તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હોબાળો એટલી હદે વધી ગયો હતો કે, હોસ્પિટલના તબીબી અધિકારીએ તાત્કાલિક સિવિલ પોલીસ ચોકીનો સંપર્ક કરી પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યોઘટનાની ગંભીરતા જોઈને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તબીબી અધિકારીઓ અને પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો. ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, જે કેસ પેપર માટે હોબાળો થયો હતો, તે પરિવારજનોએ છેક પોણો કલાક બાદ કઢાવ્યો હતો. તબીબો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું તે દુર્ભાગ્યપૂર્ણસિવિલ ઇમરજન્સી વિભાગના તબીબી અધિકારીના જણાવ્યા પ્રમાણે, સારવારમાં કોઈ કચાસ રાખવામાં આવી નહોતી. તેની એક્સ-રે અને સોનોગ્રાફી સહિતની તમામ જરૂરી તપાસો પણ કરી દેવામાં આવી હતી. તેમ છતાં માત્ર કેસ પેપરની પ્રક્રિયા બાબતે તબીબો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તબીબો પર થતા આવા હુમલા કે દબાણ લાંબાગાળે દર્દીઓની સેવા પર જ અસર કરે છે.
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઉનાળાનો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના ભાવનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં પારો 35થી 37 ડિગ્રીની વચ્ચે સ્થિર છે. ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનું જોર યથાવત્ હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ રહેવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની અસર વધુ જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગરમીનું જોર યથાવત્ છે. આજે આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. એટલે કે, T-20 ફાઇનલ મેચના દિવસે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. ભાવનગર બાદ રાજકોટ બીજા નંબરનું ગરમ શહેરછેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 37.7 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 37.7 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, ભાવનગરમાં 38 ડિગ્રી, ભુજમાં 35.4 ડિગ્રી, દાહોદમાં 34.9 ડિગ્રી, દમણમાં 34 ડિગ્રી, ડાંગમાં 36 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી, દીવમાં 37 ડિગ્રી, દ્વારકામાં 27.8 ડિગ્રી, ગાંધીનગરમાં 37.2 ડિગ્રી, કંડલામાં 35 ડિગ્રી, નલિયામાં 30.6 ડિગ્રી, ઓખામાં 29.8 ડિગ્રી, પોરબંદરમાં 36.7 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી, સુરતમાં 36.4 ડિગ્રી, વેરાવળમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના મોરબી સ્થિત વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે પ્રોપેન ગેસની આયાત અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં મોરબીના પ્રોપેન ગેસ આધારિત સિરામિક યુનિટો ક્રમશઃ બંધ થઈ રહ્યા છે. જોકે, આ આર્થિક સંકટ વચ્ચે પણ શ્રમિકો પ્રત્યે કારખાનેદારોએ દાખવેલી સંવેદના ચર્ચાનો વિષય બની છે. યુદ્ધની અસર અને અનિશ્ચિતતાનું વાતાવરણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક તણાવને કારણે પ્રોપેન ગેસનો જથ્થો મળતો બંધ થયો છે. સિરામિક ઉત્પાદનમાં ગેસ મુખ્ય ઇંધણ હોવાથી, તેના અભાવે કારખાનાઓ ચલાવવા અશક્ય બન્યા છે. પ્લાન્ટ મેનેજર જાહિદ ખાનના જણાવ્યા અનુસાર, યુદ્ધની સ્થિતિને જોતા સપ્લાય ક્યારે પુનઃસ્થાપિત થશે તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી સ્થિતિ થાળે નહીં પડે, ત્યાં સુધી ઉદ્યોગની ગાડી પાટે ચડવી મુશ્કેલ છે. 4 લાખ પરિવાર પર જોખમ છતાં 'રાશન'ની ગેરંટી મોરબીના સિરામિક ઉદ્યોગમાં આશરે 4 લાખથી વધુ શ્રમિક રોજીરોટી મેળવે છે. સરેરાશ એક યુનિટમાં 250થી 300 કામદાર કાર્યરત હોય છે. ગેસના અભાવે કામ બંધ થતા આ શ્રમિકોની આવક અટકી પડી છે. આ કપરા સમયે શ્રમિકો અને તેમના પરિવારો ભૂખ્યા ન રહે તે માટે ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો મેદાને આવ્યા છે. ઉદ્યોગપતિઓ દ્વારા લેવાયેલા મહત્વના પગલાં: રહેવાની વ્યવસ્થા: કારખાના બંધ હોવા છતાં શ્રમિકોને લેબર કોલોની કે ક્વાર્ટર્સ ખાલી કરવા જણાવાયું નથી. તેઓ પરિવાર સાથે ત્યાં રહી શકે તેવી છૂટ અપાઈ છે. રાશન કાર્ડની વ્યવસ્થા: ઉદ્યોગપતિ હિતેશ દેત્રોજાએ જણાવ્યું કે, શ્રમિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને રાશન મળી રહે તે માટે સ્થાનિક દુકાનો સાથે સંકલન કરવામાં આવ્યું છે. શ્રમિકો ત્યાંથી રાશન મેળવી શકે તેની જવાબદારી કારખાનેદાર કે કોન્ટ્રાક્ટરે ઉપાડી છે. 'પલાયન' રોકવા માટેનો વ્યૂહાત્મક અને માનવીય અભિગમ જો શ્રમિકો અત્યારે વતન પરત ફરે, તો સ્થિતિ સામાન્ય થયા બાદ તેમને પાછા આવતાં 30થી 40 દિવસનો સમય લાગે છે. આનાથી ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મુશ્કેલી પડી શકે છે. આથી, શ્રમિકોનું પલાયન અટકાવવા અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે કારખાના પરિસરમાં જ રહેવા-જમવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. આર્થિક નુકસાન વેઠીને પણ શ્રમિકોની ચિંતા કરતો આ માનવીય અભિગમ ઉદ્યોગ જગત માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
ભરૂચ રેલવે સ્ટેશન પર છાશ વિતરણ:છત્રપતિ શિવાજી મહારાજની જન્મતિથિ નિમિત્તે મરાઠી સમાજે આયોજન કર્યું
ભરૂચ રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજની જન્મતિથિ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત આપવાના હેતુથી યોજાયો હતો. આ પ્રસંગે મરાઠી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન પરથી પસાર થતા મુસાફરો, રિક્ષાચાલકો અને સ્થાનિક નાગરિકોને છાશનું વિતરણ કરીને ગરમીથી રાહત પૂરી પાડવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને યાદ કરીને સમાજ સેવા કરવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ છાશનો લાભ લીધો હતો.
ભારતના મહેમાન બનેલા જહાજને શ્રીલંકાએ આશરો આપ્યો, અમેરિકાના ડર વગર દાખવી માનવતા
IRIS Bushehr Sri Lanka control: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર હવે હિંદ મહાસાગર સુધી પહોંચી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે, શ્રીલંકા સરકારે ઈરાની નૌકાદળના જહાજ IRIS બુશહર અને તેના ક્રૂ મેમ્બર્સની કાર્યવાહી સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ લીધી છે. શું બની હતી ઘટના? અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાની યુદ્ધજહાજ IRIS ડેના (જેણે ભારતમાં આયોજિત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ-2026 માં ભાગ લીધો હતો) બુધવારે શ્રીલંકાના દક્ષિણ કિનારા પાસે અમેરિકાની એક સબમરીનના હુમલા બાદ ડૂબી ગયું હતું. આ ઘટના બાદ તેનું સાથી જહાજ 'IRIS બુશહર' મુશ્કેલીમાં મુકાયું હતું અને તેણે શ્રીલંકા પાસે આશરો માંગ્યો હતો.
India US Oil Deal Criticism: ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસ સુધીની છૂટ આપી છે. ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકારના આડે હાથ લીધી છે. અમેરિકા દ્વારા ભારત માટે લેવાયા આ નિર્ણયને આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ હોવાનો દાવો કર્યો છે. 'સંપ્રભુતા પર જોરદાર થપ્પડ' કોંગ્રસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું કે, અમેરિકાના નાણામંત્રીએ મીડિયાને કહ્યું છે કે તેને ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલની ખરીદી કરવાની મંજૂરી આપી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીનું મતદાન:બોટાદ અને ગઢડામાં વકીલો દ્વારા ઉત્સાહભેર મતદાન
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા એમ બે કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ ચૂંટણીને લઈને બોટાદ જિલ્લાના વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા હતા. બોટાદમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર રૂમ ખાતે અને ગઢડામાં જ્યુડિશિયલ કોર્ટના બાર રૂમ ખાતે મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં કુલ 480 મતદારો નોંધાયેલા છે. જેમાં ગઢડાના 113, બોટાદ-રાણપુરના 352 અને બરવાળાના 15 મતદારોનો સમાવેશ થાય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કુલ 25 બેઠકો છે, જેમાંથી આજે 23 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ 23 બેઠકો માટે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે.
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી તંગદિલીને પગલે ગુજરાતના દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. નવસારીના દરિયાકાંઠે આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરીને રોકવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 'સઘન કોસ્ટલ પેટ્રોલીંગ' હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા, આઈજી પી.એલ. માલ અને એસપી એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ૫ માર્ચ, ૨૦૨૬ના રોજ આ ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. નવસારી સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર યુ.જે. પટેલ અને મરીન કમાન્ડોની ટીમોએ ઉભરાટથી લઈને દાંતી સુધીના સમગ્ર દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડોની અલગ-અલગ 'હિટ ટીમો' બનાવીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિનારા પર ફરતા શંકાસ્પદ શખ્સોની પૂછપરછ અને વાહનોનું ચેકિંગ કરાયું હતું. સમુદ્રમાં શંકાસ્પદ બોટ કે કોઈ અજાણી વસ્તુ દેખાય તો તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. દરિયાકાંઠાની ખાડીઓ અને અવાવરૂ લોકેશન પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈ નશીલા પદાર્થો કે ડ્રગ્સના પેકેટ્સ છુપાવ્યા હોય તો શોધી શકાય. વર્તમાન સંજોગોમાં ડ્રોન દ્વારા થતી જાસૂસી કે હુમલાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ સ્થાનિકોને પણ ડ્રોન, ગેરકાયદેસર કેફી પદાર્થોની હેરાફેરી અને દાણચોરી રોકવા માટે સતર્ક રહેવા સૂચના આપી છે. આ સઘન ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સરહદને અભેદ્ય બનાવી રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે(6 માર્ચ) યોજાઈ રહી છે. આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી તપાસ બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠર્યા હતા. કુલ 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત આ રીતે હવે ચૂંટણીમાં 99 ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે. આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે 30 ટકા મહિલા ઉમેદવારોના પ્રતિનિધિત્વની ખાસ બાબત અમલમાં મૂકવામાં આવી છે. કુલ 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 5 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે. બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન પર મતદાનની વ્યવસ્થાઅમદાવાદમાં વકીલ મતદારોની સુવિધા વધારવા માટે આ વખતે પ્રથમ વખત બે અલગ-અલગ પોલિંગ સ્ટેશન પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક પોલિંગ સ્ટેશન ગુજરાત હાઇકોર્ટ ખાતે છે, જ્યારે બીજું પોલિંગ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અટલ કલામ હોલ ખાતે રાખવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનમતદાન સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યભરમાંથી 76,579 હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં અમદાવાદના 18 હજારથી વધુ વકીલો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણી માત્ર વહીવટી પ્રક્રિયા નહીં, પરંતુ વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને સમાનતા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
મિડલ ઈસ્ટ યુદ્ધમાં સૌથી મોટો વળાંક! ટ્રમ્પનો દાવો, 'ઈરાન મને ફોન કરી રહ્યું છે પણ...'
(IMAGE - IANS) US Iran Deal: ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાઓને કારણે ઈરાનનું સૈન્ય અને આર્થિક માળખું ભાંગી પડ્યું છે, જેના પરિણામે તે હવે મંત્રણા માટે તૈયાર થયું છે.
ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ', વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન
US-India trade negotiations : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાએ અત્યંત મહત્વનું અને કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને ચીન જેવી આર્થિક રાહતો આપવામાં આવશે નહીં. ચીન એક પાઠ હતો, ભૂલ નહીં રાયસીના ડાયલોગ દરમિયાન લેન્ડોએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા ચીનને જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા, તેનાથી ચીન એક પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવ્યું છે. અમે ભારત સાથે કામ કરીને તેની 'અસીમિત ક્ષમતા' ને અનલોક કરવા માંગીએ છીએ, પરંતુ ભારતે સમજવું જોઈએ કે અમે ભારત સાથે એવી ભૂલો નહીં કરીએ જે અમે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી.
આયુર્વેદ ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ધરાવતી સંસ્થા ITRA (Institute of Teaching and Research in Ayurveda) દ્વારા જામનગરના આંગણે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ 'રસમીમાંસા-2026' નો પ્રારંભ થયો છે. ITRA ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ પરિષદનો મુખ્ય હેતુ ભારતીય ચિકિત્સા પદ્ધતિના મહત્વના અંગ 'રસશાસ્ત્ર' (Ayurvedic Alchemy and Pharmaceutics) ને આધુનિક વિજ્ઞાનના માપદંડો સાથે જોડી વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાનો છે. આ રાષ્ટ્રીય પરિષદમાં દેશભરના 300થી વધુ નામાંકિત રસશાસ્ત્રીઓ, સંશોધકો, વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નિષ્ણાતો સહભાગી થયા છે. આ નિષ્ણાતો આયુર્વેદિક દવાઓની શુદ્ધતા, અસરકારકતા અને ગુણવત્તા પર પોતાના સંશોધન પત્રો રજૂ કરશે. ખાસ કરીને પ્રાચીન ભસ્મ અને કુપીપક્વ રસાયણોની આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સુરક્ષા જેવા ગહન વિષયો પર અહીં મંથન કરવામાં આવશે. પ્રો. તનુજા નેસરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રસમીમાંસા-2026 એ આયુર્વેદને 21મી સદીની જરૂરિયાતો મુજબ ઢાળવા માટેનું મજબૂત પ્લેટફોર્મ છે. જામનગરની ધરતી પરથી આયુર્વેદિક સંશોધનની નવી દિશા નક્કી થશે. આ પરિષદના સંયોજક તરીકે પ્રો. બી. જે. પાટગીરી જવાબદારી નિભાવી રહ્યા છે. ITRA ફાર્મસી શિક્ષણ વિભાગના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 7 અને 8 માર્ચના રોજ ધન્વંતરિ મેદાન ખાતે એક વિશાળ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 30,000 ફૂટની જગ્યામાં ફેલાયેલા વિશાળ એસી ડોમ અને 32 પેગોડામાં યોજાનાર આ એક્સ્પોમાં 52 જેટલા સ્ટોલ હશે. એક્સ્પોના સંયોજક પ્રો. જોબન મોઢાના માર્ગદર્શન હેઠળ આ આયોજનને આખરી ઓપ અપાયો છે. આ એક્સ્પોની ખાસિયત તેની 150 પ્રકારની વિવિધ વાનગીઓ છે. જેમાં લાઈવ ફૂડ, પેકેજ્ડ આઈટમ્સ, સૂપ, સ્ટાર્ટર અને આરોગ્યપ્રદ પીણાંઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હર્બલ કોસ્મેટિક્સ અને હેલ્થ પ્રોડક્ટ્સ માટે અલગ વિભાગ રાખવામાં આવ્યો છે, જ્યાં ITRA ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ્સની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે. એક્સ્પોમાં WHO GTMC ની એક વિશેષ પ્રદર્શન ગેલેરી હશે, જ્યાં મુલાકાતીઓને વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવશે. મુલાકાતીઓ માટે પ્રકૃતિ પરીક્ષણ, શ્રમ પરીક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગેના માર્ગદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ 'વોકલ ફોર લોકલ', 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને 'મેઇક ઇન ઇન્ડિયા' જેવા ભારત સરકારના અભિયાનોને મજબૂત પીઠબળ પૂરું પાડશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા શ્રી અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવ આજથી શરૂ થયો છે. અંબિકા માઈ મંડળ દ્વારા સંચાલિત આ મહોત્સવ દરમિયાન ત્રણ દિવસ સુધી મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક પૂજા વિધિઓ યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે, શુક્રવારે, યજ્ઞનો પ્રારંભ થયો હતો. શાસ્ત્રી ધવલભાઈ દવેના હસ્તે યજમાન રાજેન્દ્રસિંહ ડાભી દ્વારા મંડપ પ્રવેશ પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અગ્નિ સ્થાપન અને સાયં પૂજન આરતી પણ યોજાઈ હતી. જીર્ણોદ્ધાર મહોત્સવને લઈને માતાજીને ફૂલોથી શણગારવામાં આવ્યા છે, જ્યારે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. પુણ્યકારી બીજા દિવસે સવારે પ્રાતઃપૂજન બાદ મંદિરેથી શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સ્નપન પ્રયોગ અને સાયં પૂજન આરતી થશે. પાવનકારી ત્રીજા દિવસે પ્રાતઃપૂજન, પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ બાદ મહાઆરતી યોજાશે. આ મહોત્સવના સમાપન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ડાયમંડ સિટીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને તહેવારોના દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ધુળેટીના પર્વ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાંતાનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુ બતાવી, ધમકાવીને તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. CCTV ફૂટેજમાં કેદ થયો અસામાજિક તત્વોનો ખૌફવાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ધોળે દિવસે ભરચક વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ લઈને ફરે છે. આ તત્વોએ એક યુવકને ઘેરી લીધો હતો અને તેને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેને બળજબરીથી પકડી રાખીને માર પણ મારવામાં આવ્યો હતો. આ ફૂટેજ જોતા એવું લાગે છે કે આ તત્વોને પોલીસ કે કાયદાનો જરાય ડર રહ્યો નથી. લોકોની અવરજવર વચ્ચે પણ તેઓ આ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરતા અચકાયા નહોતા. માસૂમ બાળકની આજીજી પણ ન નકામી નીવડીઆ વીડિયોમાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય એ છે કે, જ્યારે આ ગુંડા તત્વો યુવક પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક નાનો બાળક સતત આજીજી કરી રહ્યો હતો. તે માસૂમ બાળક હુમલાખોરોને 'ન મારવા' માટે કરગરી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો. છતાં, ક્રૂરતાની હદ વટાવી ગયેલા આ તત્વોએ માસૂમની વાત સાંભળી નહોતી અને યુવાનને મારવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલપાંડેસરાનું શાંતાનગર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ધુળેટી જેવા તહેવારના દિવસે જ્યારે લોકો ઉજવણીમાં મગ્ન હોય, ત્યારે આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, અસામાજિક તત્વો અવારનવાર અહીં માથું ઉંચકે છે અને લોકો પર પોતાનો રૂઆબ જમાવવા માટે આવી હિંસક પ્રવૃત્તિઓ કરે છે. આ ઘટના પાછળનો હેતુ વિસ્તારમાં દહેશત ફેલાવવાનો હોવાનું પણ મનાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતા પોલીસ એક્શનમાંઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થયા હતા. વીડિયો વાઇરલ થતાં જ સુરત પોલીસ સફાળી જાગી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. ચૌધરીએ આ મામલે ગંભીર નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી અમને આ વીડિયો મળ્યો છે. વીડિયોની ખરાઈ કર્યા બાદ જાણવા મળ્યું છે કે આ ઘટના પાંડેસરાના શાંતાનગરમાં બની છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરીપાંડેસરા પોલીસ હાલમાં CCTV ફૂટેજમાં દેખાતા ચહેરાઓની ઓળખ કરી રહી છે. પી.આઈ. ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે, અમે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદ લઈ રહ્યા છીએ. સીસીટીવીમાં દેખાતા અસામાજિક તત્વોને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. પોલીસ આ બાબતે એ પણ તપાસ કરી રહી છે કે પીડિત યુવક અને હુમલાખોરો વચ્ચે કોઈ જૂની અદાવત હતી કે કેમ. આ ઘટના બાદ સુરતમાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.
રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી. ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસીયાઈ ભાઈ અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના પાણીમાં નહાવા પડ્યા હતા. ત્રણેયમાંથી એક યુવક અને કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા, જ્યારે માસીયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નિકળી ગયો હતો. ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી હતી, જ્યારે 38 કલાક બાદ આજે 6 માર્ચે ધોરણ 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. ક્રિષ્ના બે બહેનોનો એકનો એક ભાઈ હતોક્રિષ્ના ચૌહાણ વરાછા ખાતે શ્રી અશ્વિન હાઈસ્કુલમાં ધો.10માં અભ્યાસ કરતો હતો. હાલમાં તેની બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી અને તેનું કેન્દ્ર યોગી ચોક ખાતે આવેલી આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, યુનિટ-2માં આવ્યું હતું. તેને ગુજરાતી અને વિજ્ઞાન એમ બે પેપર આપ્યા પણ હતા અને 6 માર્ચે ગણિતનું પેપર હતું. ક્રિષ્ના બે બહેનોનો એકનો એક ભાઈ હતો. ક્રિષ્નાના પિતા દુબઈ ખાતે કામ કરે છે, જ્યારે તેની માતા હીરાના કારખાનામાં કામ કરે છે. ધૂળેટીના તહેવારના દિવસે આ ઘટનાને પગલે વિરાસ અને ચૌહાણ પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ હતી. સાથે નાસ્તો કર્યા બાદ નહાવાનો પ્લાન કર્યોપ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સાતપડાગામનો વતની અને હાલ વેસુ સ્થિત સુમન આવાસમાં રહેતો 20 વર્ષીય જયદીપ વિનુભાઈ વિરાસ કેમેરા ફિટિંગનું કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. 4 માર્ચે ધૂળેટીના દિવસે જયદીપ પોતાના ઘર નજીક મિત્રો સાથે ધૂળેટી રમી રહ્યો હતો. ત્યારબાદ જયદીપ સીમાડા નાકા ખાતે આવેલી શક્તિવિજય સોસાયટીમાં રહેતા માસીના પુત્ર નિતીનના ઘરે ગયો હતો. જ્યાં પણ તેઓએ ધૂળેટી રમી હતી અને બાદમાં નિતીન સાથે નાસતો પણ કર્યો હતો. દરમિયાન જયદીપ અને નિતીને તાપી નદીમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો હતો. નિતીનના ઘર નજીક રહેતો તેનો મિત્ર 16 વર્ષીય ક્રિષ્ના ગૌતમ ચૌહાણ પણ તાપી નદીમાં નહાવા જવા માટે તૈયાર થયો હતો. બન્ને મિત્રને ડૂબતા જોઈ બહાર આવી બુમા-બુમ કરીજયદીપ, નિતીન અને ક્રિષ્ના ત્રણેય બાઈક પર સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના કાંઠે નાહવા જવા માટે ગયા હતા. તેઓએ ત્યાં પહોંચીને પહેલા ત્રણેયએ એક બીજા પર રંગ છાટી ધૂળેટી રમી હતી. બાદમાં ત્રણેય મિત્રો તાપી નદીમાં નહાવા પડ્યા હતા. જેમાં જયદીપ અને ક્રિષ્ના ઊંડા પાણીમાં નહાવા જતા ગરકાવ થઈ ગયા હતા. બંને મિત્રોને ડૂબતા જોઈ ગભરાયેલો નિતીન તાત્કાલિક બહાર આવીને બૂમો પાડી લોકોને બોલાવ્યા હતા. બીજાનો મૃતદેહ 38 કલાક બાદ મળ્યો112 નંબર પર ફોન કરીને પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. સાથે જયદીપ અને ક્રિષ્નાના સંબંધીને પણ જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન 5 માર્ચની રાત્રે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ જયદીપની લાશ શોધી કાઢી હતી, જ્યારે 38 કલાક બાદ ક્રિષ્નાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પરિવારમાં હાલ ચોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
સુરતના પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં 1 ટેમ્પો અને 3 બાઈક ચાલકો સહિત કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવી ઘરે પરત ફરી રહેલા ડૉ. વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગભરાટમાં બ્રેકને બદલે એક્સીલિટર દબાઈ જતાં કાર વાહનોને ફંગોળીને ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર તબીબની અટકાયત કરી તપાસ હાથ ધરી છે, જોકે મેડિકલ પરીક્ષણમાં તેઓ નશામાં ન હોવાનું અને અકસ્માત માત્ર અતિશય થાકને કારણે સર્જાયો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. કાબૂ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધાઘટનાની વિગતો મુજબ, સુરતના પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અંદાજે 11:00 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં હોન્ડા કંપનીની WR-V કાર (નંબર: GJ 19 AM 8976)ના ચાલક ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી (ઉં.વ. 39, રહે. ભાઠા ગામ, પાલ)એ વાહન પરથી કાબૂ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા. ડોક્ટરે સર્જેલા અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઈજા પહોંચીપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ડૉ. વિરલકાંત લાઈફ લાઈન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ 5 માર્ચ, 2026ના રોજ સાંજે સુદીપ હોસ્પિટલ ખાતે એક સર્જરી પતાવીને પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં હિમ્મતભાઈ બોરીચા, ભાવીકબેન ચુડાસમા, પારૂલબેન રાઠોડ, મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંગનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મૈત્રી, સિવિલ અને સાયોના જેવી વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી. અચાનક ઝોકું આવી જતાં બ્રેકને બદલે એક્સિલિટર દબાવ્યુંપાલ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માત સમયે ડોક્ટર નશાની હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વધુ ખાતરી માટે તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર, લાંબી સર્જરી અને થાકને કારણે બ્રિજ ઉતરતી વખતે તેમને અચાનક ઝોકું આવી ગયું હતું, જેના કારણે સમયસૂચકતા ગુમાવી બેઠા હતા. પાલ પોલીસે ઘટનાસ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી છે અને અકસ્માતગ્રસ્ત હોન્ડા કાર તેમજ અન્ય વાહનોને કબજે કર્યા છે. પોલીસ દ્વારા ડોક્ટર વિરલકાંતની અટકાયત કરવામાં આવી છે અને તેમની હોસ્પિટલ ડ્યુટીના સમયગાળા તેમજ અકસ્માતના ચોક્કસ સમયની ક્રોસ-વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે CCTV અને FSLની મદદને આધારે વધુ તપાસ હાથ ધરીતપાસના આગળના તબક્કે, પાલ પોલીસે બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે જેથી અકસ્માતની ચોક્કસ તીવ્રતા અને ક્રમ જાણી શકાય. ઈજાગ્રસ્ત પાંચેય વ્યક્તિઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ડોક્ટર વિરલકાંતના ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનના દસ્તાવેજોની ચકાસણી કરી છે. હાલમાં પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુના હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં વધુ પુરાવા મેળવવા માટે એફએસએલ (FSL)ની મદદ લેવાય તેવી પણ શક્યતા છે, જેથી ટેકનિકલ કારણોસર અકસ્માત થયો છે કે કેમ તેની સ્પષ્ટતા થઈ શકે.
મહેસાણાના લાખવડ ગામ પાસે ગત 4 માર્ચના રોજ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં ગાંધીધામના એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રેક્ટરની ટ્રોલી સાથે એક્ટિવા અથડાયું હતુંમૂળ બિહારના અને હાલ ગાંધીધામ ખાતે રહી મજૂરી કામ કરતા અજીતપાલ અવધેશપાલ બખુરાભગત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તેમનો મોટો ભાઈ રામલખનપાલ અને અન્ય એક સાથી રાજુપાલ ગત 4 માર્ચના રોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે એક્ટિવા GJ-02-EL-8883 લઈને લાખવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઠાકોર સાવધાનજીના ગલ્લા પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે એક્ટિવા ધડાકાભેર અથડાયું હતું. સારવાર દરમિયાન રામલખનપાલનું મોતઅકસ્માતમાં એક્ટિવા ચાલક રામલખનપાલ અને પાછળ બેઠેલા રાજુપાલ બંનેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન રામલખનપાલનું મોત નીપજ્યું હતું.મૃતક રામલખનપાલ ગાંધીધામમાં રહેતા હતા અને તેમને સંતાનમાં બે દીકરા છે. આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટચોથની ઉજવણી:ગણપતિદાદાને ફળોનો વિશેષ શણગાર અર્પણ કરાયો
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં શુક્રવારે સંકટચોથની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતિદાદાને સંતરા, ચીકુ, દ્રાક્ષ અને કેળાનો વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સંકટચોથની ઉજવણીના ભાગરૂપે, સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. યજમાન સંજયભાઈ એન. સુથાર પરિવાર દ્વારા સવારે 6:45 કલાકે પૂજન-અર્ચન સાથે ધ્વજારોહણ કરાયું હતું. દિવસભર ભક્તોએ અષ્ટવિનાયક ગણપતિદાદાને કરાયેલા ફળોના શણગારના દર્શન કર્યા હતા. મંદિરમાં સાંજે 7:00 કલાકે આરતી કરવામાં આવશે અને રાત્રે 9:19 કલાકે ચંદ્રદર્શન થશે. ભક્ત ગોપી ભોઈના જણાવ્યા અનુસાર, ગણપતિદાદાના દર્શનથી સંકટ સામે રક્ષણ મળે છે અને ભક્તો અષ્ટવિનાયક દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ફરી એકવાર ગંદકી અને ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યા સામે આવતા જવાબદાર તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભગવાન સોમનાથના દર્શન માટે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને આસ્થાભેર યાત્રા દરમિયાન ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો આજે વહેલી સવારે જોવા મળ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા દિગ્વિજય દ્વાર નજીક ગટર ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા પર ગંદા પાણીનો ભરાવો થયો હતો. સવારે આશરે 8 વાગ્યે સર્જાયેલી આ સ્થિતિમાં મંદિર તરફ જતા માર્ગ પર ગટરનું પાણી વહી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ, ખાસ કરીને વયોવૃદ્ધ અને મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો હતો. આસ્થાથી ભરપૂર ભક્તો ભગવાનના દર્શન માટે લાંબી મુસાફરી કરીને આવે છે, પરંતુ તેમને મંદિર નજીક જ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે તે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ ગણાય. ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો જોઈ યાત્રિકોમાં ભારે કચવાટ અને અસંતોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સમસ્યા નવી નથી. વારંવાર મુખ્ય માર્ગ પર ગટરનું પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ સચોટ આયોજન કે પગલાં લેવાતા નથી તેવું જણાઈ રહ્યું છે. સોમનાથ જેવા વિશ્વપ્રસિદ્ધ તીર્થધામમાં સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ હોવી જોઈએ ત્યારે અહીં ગટર વ્યવસ્થા જ નબળી હોવાનો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ મુદ્દે મંદિર ટ્રસ્ટ અને પાલિકા તંત્ર ની ગંભીરતા બેદરકારી આ ઘટના ઉજાગર કરે છે. ઘટનાની જાણ થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ગટર સફાઈ માટે કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ ગંદા પાણીની સફાઈ શરૂ કરવામાં આવી, પરંતુ લોકોનો સવાલ છે કે વારંવાર આવી સ્થિતિ સર્જાય પછી તાત્કાલિક કાર્યવાહી કરવી એ ઉકેલ નથી, કાયમી વ્યવસ્થા જરૂરી છે. વિશ્વભરમાં ઓળખ ધરાવતા સોમનાથ મહાદેવના ધામમાં આવી ગંદકીના દ્રશ્યો માત્ર સ્થાનિક તંત્ર માટે નહીં પરંતુ સમગ્ર તીર્થધામની પ્રતિષ્ઠા માટે પણ ચિંતાજનક ગણાય છે. યાત્રાધામમાં સ્વચ્છતા, મજબૂત ડ્રેનેજ વ્યવસ્થા અને જવાબદારીપૂર્ણ તંત્ર કાર્યશૈલીની માંગ હવે વધુ જોરથી ઉઠી રહી છે. સ્થાનિકો અને યાત્રિકોનો સવાલ સ્પષ્ટ છે – વિશ્વપ્રસિદ્ધ સોમનાથ યાત્રાધામમાં જો ગટરનું ગંદું પાણી મુખ્ય માર્ગ પર વહેતો હોય તો સ્વચ્છતા અને વ્યવસ્થાના દાવાઓ કેટલી હદે સાચા છે?
માલણ ખાતે 7 માર્ચે સેવા સેતુ કાર્યક્રમ:પાલનપુર તાલુકાના નાગરિકોને 56 સરકારી સેવાઓનો લાભ મળશે
પાલનપુર તાલુકાના માલણ ખાતે 7 માર્ચ, 2026ના રોજ બપોરે 2 થી સાંજના 6 વાગ્યા દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો લાભ ફતેપુર, પારપડા, ખરોડીયા, હસનપુર, હેબતપુર, સેજલપુરા, માલપુરીયા, સાંગ્રા, બાદરગઢ, રાણપુરીયા, વરવાડીયા, વગદા, જડીયાલ, સુરજપુરા, રૂપપુરા, હાથીદ્રા, પેડાગડા, સદરપુર, ધાણધા, માનપુરા (ક), અસ્માપુરા (ક), કુંપર, વાસડા (ફ), રતનપુર, ચિત્રાસણી, ઉકરડા, લાલાવાડા, કોટડા (ચાં), ગોઢ, આંત્રોલી, મોરીયા, ભાટવડી, ધનિયાણા, મલાણા, વાસણ (ધા), હુસેનપુરા, જશપુરીયા, મેરવાડા (મ), સોનગઢ, સાંબરડા, લુણવા, ઢેલાણા, ભાગળ (પી), પીરોજપુરા (ટાં), અસ્માપુરા (ગો), માણકા, દેલવાડા, ગોપાલપુરા, અલીગઢ, ખેમાણા, ગોળા, વાસડા (મુ), કરજોડા, વિરપુર, આંબલીયાળ, આંબેથા, પીપળી, નળાસર, જસલેણી, રામપુરા (ક), છાપરા, સેદ્રાસણ, સેમોદ્રા, મેરવાડા અને કમાલપુર સહિતના ગામોના નાગરિકોને મળશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને જાતિ, આવક, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર, બેંકિંગ સેવાઓ, આધારકાર્ડ, એસ.ટી. બસ પાસ, આર્થિક લાભની વિવિધ યોજનાઓ અને મહેસુલી સેવાઓ સહિત કુલ 56 જેટલી સરકારી સેવાઓ એક જ સ્થળે પૂરી પાડવામાં આવશે. પાલનપુર (ગ્રામ્ય) મામલતદાર દ્વારા ઉપરોક્ત ગામોના નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે નિર્ધારિત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.
પાટણના સ્થાનિક લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત સમાજના 800થી વધુ વડીલો માટે હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 21થી 27 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં વડીલો શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરશે. આ રેલવે યાત્રા એક મોટી સામાજિક તીર્થ યાત્રા બનવા જઈ રહી છે. તમામ યાત્રાળુઓ 19 અને 20 માર્ચે અલગ અલગ જથ્થામાં પાટણ અને ઊંઝા સ્ટેશનેથી હરિદ્વાર માટે પ્રયાણ કરશે. ઊંઝા સ્ટેશનેથી યોગા એક્સ્પ્રેસ અને ગાંધીનગર - દૌલતપુર ચોક એક્સ્પ્રેસ દ્વારા, જ્યારે પાટણ સ્ટેશનેથી ભાવનગર - હરિદ્વાર એક્સ્પ્રેસમાં યાત્રીઓ મુસાફરી કરશે. વડીલ યાત્રીઓને મુસાફરીમાં અગવડતા ન પડે તે માટે નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને વિશેષ ઓળખ કાર્ડ અપાશે, જેમાં તેમની આવવા-જવાની ટ્રેનની વિગતો પણ દર્શાવેલી હશે. હરિદ્વારમાં 21 માર્ચથી પ્રેમનગર આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં વક્તા શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે. આ દરમિયાન ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ અને રૂકમણી વિવાહ જેવા ભાગવત ઉત્સવો પણ યોજાશે. સમગ્ર યાત્રા દરમિયાન તમામ યાત્રીઓનો ઉતારો પવિત્ર ગંગા ઘાટે પ્રેમનગર આશ્રમમાં જ રહેશે. આ સમયગાળા દરમિયાન યાત્રીઓને ઋષિકેશ દર્શને પણ લઈ જવાશે. 27મી માર્ચે ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ યાત્રીઓ ટ્રેન વ્યવસ્થા મુજબ પરત ફરશે. યાત્રાના આયોજનના ભાગરૂપે મુખ્ય યજમાન મહેન્દ્રભાઇ જયંતીલાલ પટેલના નિવાસ સ્થાને પત્રિકા લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના દરેક ઘરે અને મહેમાનોને આમંત્રણ પત્રિકા મોકલીને પોથી યાત્રા તથા તીર્થ યાત્રામાં સામેલ થવા આમંત્રણ અપાશે. યાત્રામાં સામેલ થયેલ પોથી યજમાનના પરિવારજનો પાટણ ખાતે જ પોથી પૂજનનો લાભ લઈ શકે તે હેતુથી યાત્રાના બે દિવસ અગાઉ 18 માર્ચે પાટણમાં ભવ્ય પોથી પૂજન તથા પોથી યાત્રાનું પણ આયોજન કરાયું છે. પોથી યાત્રા શ્રીઘેલિયા હનુમાનથી નીકળી સમાજના દરેક વિસ્તારમાં પરિભ્રમણ કરીને નિજ સ્થળે પરત ફરશે, ત્યારબાદ યાત્રીઓ હરિદ્વાર જવા તૈયારી કરશે.
યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને તેમના સમર્થકો માટે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ
Image : Wikipedia
બોટાદના તરઘરામાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી:ખેતરના શેઢે ઘાસ લેવા મુદ્દે ઇજા, સામસામે ફરિયાદ
બોટાદ જિલ્લાના તરઘરા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખેતરના શેઢે ઘાસ લેવા બાબતે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના આશરે ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષોએ સામસામે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તરઘરા ગામના રહેવાસી જોરુભાઈ ધરમશીભાઈ સાકળીયા અને ભરતભાઈ લાલજીભાઈ સાકળીયા કૌટુંબિક ભાઈઓ છે અને તેમની જમીન બાજુબાજુમાં આવેલી છે. ખેતરના શેઢે ઘાસ લેવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બની મારામારીમાં પરિણમી હતી. આ મારામારીમાં બંને પક્ષના આશરે ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ, બંને પક્ષોએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાળીયાદ પોલીસે ભરતભાઈ સાકળીયા, જોરુભાઈ સાકળીયા સહિત આશરે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ બદલીમાં નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ IG બનાવાયા છે. સાથે જ સમશેર સિંહને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું છે. 1991 બેચના સિનિયર આઈ.પી.એસ શમશેરસિંઘનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. કારણ, શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા, તેમના જવાથી રાજ્યના નવા DGP કોણ બનશે તે ચર્ચાઓ રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યાં છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. આમ બે મહિના બાદ પોસ્ટિંગ મળ્યું છે. સંપૂર્ણ લિસ્ટ જુઓ આ સમાચાર વધુ અપડેટ થઈ રહ્યા છે….
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિક શાખા દ્વારા મોરબી શહેરને લાઈટથી ઝળાહળા કરવા માટે સ્ટ્રીટ લાઈટ અને વીજપોલ નાખવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રોડ સુધી મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધી તથા શનાળા સર્કલથી રાજપર રોડ મહાનગરપાલિકા હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કામગીરી ચાલુ છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરમાંથી અંધકાર દૂર કરી રોશનીથી ઝળહળા કરવામાં આવશે. મણિમંદિર, ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઇટ્સનો વર્ક ઓર્ડર અપાયોમોરબીના બન્ને મુખ્ય માર્ગોની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના અન્ય જરૂરી માર્ગો પર પણ આવશ્યકતા મુજબ નવા પોલ સ્થાપિત કરી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવનાર છે. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મણી મંદિર તથા ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.
મોરબીમાં હજુ તો કાયદેસર ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં જ પાણીની હૈયાહોળી શરૂ થઈ ગઈ છે. જો કે ગત વર્ષે મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસ્યા હોવાથી તમામ જળાશયોમાં ભરપૂર જળરાશી સંગ્રાહાયેલી છે. ખાસ કરીને મોરબીની જીવાદોરી ગણાતો મહાકાય મચ્છુ ડેમ - છલોછલ ભરેલો હોય પણ મનપાના પાપે પંચાસર રોડ ઉપર પાણીની લાઇન તૂટી જતા આસપાસની અનેક સોસાયટીઓ છતે પાણીએ તરસી રહી છે. આથી સ્થાનિકોએ વહેલાસર મનપાએ તૂટેલી પાણીની લાઈનનું યોગ્ય રીપેરીંગ કરે તેવી માંગ કરી છે. મોરબી પંચાસર રોડ ઉપર સત્યમ હોલ પાસે નીકળતી પીવાના પાણીની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું. બે દિવસ પહેલા જ આ પાણી લાઇન તૂટી જવાથી આસપાસની તમામ સોસાયટીમાં પાણી વિતરણ ખોરવાઇ જવા પામ્યું છે. જેમાં સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ લાઈનમાં ભંગાણ થવાથી પંચાસર રોડ ઉપર આવેલી અક્ષર પાર્ક, નીરવ પાર્ક, ત્રિમૂર્તિ પાર્ક, સ્વાતિ પાર્ક સહિતની આજુબાજુ બધી સોસાયટીઓમાં પાણી આવતું નથી. જો કે જળ એ જ જીવન હોય અને હાલમાં ઉનાળો શરૂ થયો છે ,પીવાના પાણીની ખપત હવે તો વધવાની અને બીજી તરફ ઘરમાં પાણી આવતું જ ન હોવાથી લોકોને કારણ વગર તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. જો પીવાનું પાણી જ ન હોય તો કપડાં ધોવા અને સ્નાન કરવા માટે ક્યાંથી પાણી હોય તેવો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો. હજુ તો ઉનાળાની શરૂઆતમાં આ રીતે પાણીની કટોકટી સર્જાઈ હોય તો ઉનાળાના મધ્યે પાણીની ગંભીર સ્થિતિ થશે એ વિચાર માત્રથી ધ્રુજી ઉઠાય છે. મનપા બન્યા પછી લોકોની અપેક્ષા, જવાબદારી વધ્યામોરબી નગર પાલિકા હતી ત્યારે લોકોને એવા આંબા આંબલી બતાવવામાં આવ્યા હતા કે કોર્પોરેશન બન્યા પછી વેરો વધશે પરંતુ તેની સાથે મેગા સિટીને મળતા લાભો પણ વધશે અને લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું નહીં પડે અને લોકોની અપેક્ષાઓ પણ વધે તે સ્વાભાવિક છે પરંતુ બન્યું છે તેનાથી વિપરિત. મનપા બન્યા પછી હજુ પણ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ રોડ, રસ્તા બન્યા નથી, અંતરિયાળ વિસ્તારોને ભૂગર્ભ ગટર, પાણી, રસ્તા, રોશની વગેરે સુવિધા મળતી નથી. કોર્પોરેશન બન્યાના એક વર્ષ કરતાં વધુ સમય થયો છે,અને ત્યારથી અત્યાર સુધીમાં અનેક વાર લોકોએ ચક્કાજામ, ચીમકી, દેખાવો, કચેરીએ હલ્લાબોલ સહિતના કાર્યક્રમો આપી તંત્રને ઢંઢોળવા મથવું પડ્યું છે.
નેત્રમણિ કેમ્પ યોજાયો:મોરબીના જલારામ ધામમાં યોજાયેલા નેત્રમણિ કેમ્પમાં 198 દર્દી લાભાન્વિત
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૪ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. દર મહિનાની ૪ તારીખે યોજાતા આ કેમ્પની શૃંખલામાં આ ૫૪મો કેમ્પ હતો. ગત ૫૩ મહિનાઓ દરમિયાન કુલ ૧૫,૦૩૮ લોકોએ નિદાનનો લાભ લીધો હતો અને ૬,૮૪૮ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આજના ૧૯૮ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫,૨૩૬ લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું છે. આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરવામાં આવશે.આગામી કેમ્પ આવતા મહિનાની ૪ તારીખે યોજાશે. જેમાં લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.
સંતાનોથી તરછોડાયેલા દેવદૂત સમાન વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની જિંદગી બેરંગી અને વેરાન હોય છે. કારણ કે, જેના જીવન ઘડતર અને સુખ સમૃદ્ધિ માટે જાત ઘસી નાખી હોય એ સંતાનો જીવનના અંતિમ પડાવમાં માત્ર હુંફની આત્મીય ઈચ્છા રાખતા માવતરને આજકાલ સંતાનો ઘડપણમાં સાચવવા ન પડે કે તેમની સેવા ચાકરી ન કરવી પડે એ માટે વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા અચકાતા નથી. આથી સંતાનોના આવા જખ્મોને કારણે વડીલોના જીવનમાં કોઈ રંગ જ બચ્યો ન હોવાની વચ્ચે મોરબીના સામાજિક કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ 15 વર્ષથી પારકા પોતાનાની જેમ વૃદ્ધાશ્રમના વડીલો સાથે આત્મીયજન જેવી હૂંફ દર્શાવી રહ્યું છે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે 15 વર્ષથી રંગોત્સવની મુઠી ઉંચેરી ઉજવણી કરવાની પરંપરાને ખરા અર્થમાં નિભાવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે રંગોત્સવ મનાવી આ વડીલોને બેરંગી જિંદગીને કલરફુલ બનાવી દીધી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે રંગોત્સવની ઉજવણી કરી હતી. રંગોત્સવની અનોખી ઉજવણી અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ કહ્યું હતું કે, માવતર ઈશ્વરથી અધિક વિશેષ છે. એમને આપણા ઉછેર, શિક્ષણ, લગ્ન અને સુખ માટે જે કંઈ કર્યું તેનું આ ભવમાં તો ઠીક સાત ભવમાં પણ ઋણ ચૂકવી નહિ શકીએ. સંતાનોની ખુશી માટે પોતાની ખુશીઓનું સદાય બલિદાન આપતા વડીલો જીવનની છેલ્લી ઘડીએ સંતાનો પાસેથી માત્ર આત્મીયતા અને હૂંફની લાગણી ઝંખે છે એના બદલે આપણે એની અવહેલના કરીએ ત્યારે એમના અંતર મનની જે લાગણી દુભાય છે છતાં પણ દુઃખ અંદર છુપાવી સંતાનનું ભલું જ ઈચ્છે છે. આથી અમે ધુળેટીએ એમની સાથે રંગે રમીને વૃદ્ધાશ્રમના વડીલોના સંતાનોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. દીકરા, દીકરીઓની આંખઉઘાડવાનો અમારો પ્રયાસ: સંચાલકરંગોત્સવની અનોખી ઉજવણી અંગે યંગ ઇન્ડિયાગ્રુપના દેવેન રબારીએ કહ્યું હતું કે, માવતર ઈશ્વરથીઅધિક વિશેષ છે. એમને આપણા ઉછેર, શિક્ષણ, લગ્નઅને સુખ માટે જે કંઈ કર્યું તેનું આ ભવમાં તો ઠીક સાતભવમાં પણ ઋણ ચૂકવી નહિ શકીએ. સંતાનોનીખુશી માટે પોતાની ખુશીઓનું સદાય બલિદાનઆપતા વડીલો જીવનની છેલ્લી ઘડીએ સંતાનો પાસેથીમાત્ર આત્મીયતા અને હૂંફની લાગણી ઝંખે છે એનાબદલે આપણે એની અવહેલના કરીએ ત્યારે એમનાઅંતર મનની જે લાગણી દુભાય છે છતાં પણ દુઃખઅંદર છુપાવી સંતાનનું ભલું જ ઈચ્છે છે. આથી અમેધુળેટીએ એમની સાથે રંગે રમીને વૃદ્ધાશ્રમનાવડીલોના સંતાનોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોના ઉદ્યાનોના નવિનીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત હાલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા સુરજ બાગનું નવીનીકરણનું કામ ધમધોકાર રીતે ચાલી રહ્યું છે આ નવીનીકરણની કામગીરીમાં જમીનને સમતલ કરવાનું પાયાનું કામ કરવાનું કામ ચાલી રહ્યું છે, આગામી દિવસોમાં અહીં મુખ્ય વોકિંગ ટ્રેક, પ્લે એરિયા મળશે. આ ઉપરાંત બગીચામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને તેમને પૂરતું પાણી મળી રહે તે માટે હાલ પાણીની લાઈન પણ નાખવાની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. હાલ આ ગાર્ડનનું 30 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જો કે ઉનાળુ વેકેશન શરૂ થવાને એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે આ ઉનાળામાં કદાચ બાળકોને આ બગીચામાં રમવા ન પણ મળે અથવા તો લાંબી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાય તો પણ નવાઇ નહીં.

32 C