SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

ગુજરાતમાં પતંગની દોરીએ બે યુવકની જિંદગીની દોર કાપી:બાયડમાં મોપેડસવારનું ચાઈનીઝ દોરીએ અને જંબુસરમાં બાઈકસવારનું ગળું કાપતાં મોત, પરિવારો શોકમગ્ન

ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી રહ્યા છે. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં બે જગ્યાએ વાહનચાલકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં એક બનાવમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ અરવલ્લીના બાયડ પાસે એક યુવકનું ગળું કાપતાં લોહીલુહાણ થયો હતો અને તેનું મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતાં તેની પણ મોત થયું હતું. અરવલ્લીના બાયડમાં મોપેડસવારનું મોતપ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ખતરો વધી રહ્યો છે. તંત્રની કડકાઈના દાવાઓ વચ્ચે ફરી એકવાર ચાઈનીઝ દોરીએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે. બાયડ તાલુકાના ચોઈલા ગામે મોપેડ પર પસાર થઈ રહેલા તીર્થ પટેલ નામના યુવકનું ગળામાં દોરી આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ચોઈલા ગામનો તીર્થ પટેલ પોતાના મોપેડ પર જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની જીવલેણ ચાઈનીઝ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી તીક્ષ્ણ હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં મોપેડ પરથી નીચે પટકાયો હતો. હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યોઅકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સમગ્ર ચોઈલા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જંબુસરના પીલુદરામાં બાઈકસવારનું મોતજંબુસર તાલુકાના પીલુદરા ગામે પતંગની દોરી વાગવાથી એક યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટના આજે બપોરે આશરે 1.30 વાગ્યાના સુમારે બની હતી. મૃતક યુવકની ઓળખ રાહુલભાઈ કનુભાઈ પરમાર તરીકે થઈ છે. તેઓ પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારના રહેવાસી હતા. રાહુલભાઈ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગવાથી તેમનું ગળું કપાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકને સારવાર માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તંત્રની કામગીરી સામે સવાલસરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, બજારમાં ચોરીછૂપીથી આ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો તંત્ર દ્વારા યોગ્ય ચેકિંગ અને કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો કદાચ આ યુવકનો જીવ બચાવી શકાયો હોત.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:24 pm

DB REELS: આજે તો અમિત કાકાએ પતંગ કાપી:જુઓ અમિત શાહની 'કાઈપો છે; મોમેન્ટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્રણ પતંગ કપાયા બાદ અમિત શાહે એક પેચ કાપતા કાર્યકરો ગેલમાં આવી ગયા .. બાદમાં શાહે નિરાંતે ધાબા પર બેસી બોર -જામફળની મજા માણી હતી. રાજ્યભરમાં ઉત્તરાયણની કેવી ધૂમ મચી છે જુઓ વીડિયોમાં.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:15 pm

અટલાદરામાં બિલ્ડીંગ કામગીરી દરમ્યાન સોસાયટીની દીવાલ ધરાશાયી:રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો, મોટી દુર્ઘટના ટળી

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે એક બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કામગીરી દરમ્યાન બાજુની સોસાયટીની દીવાલ ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દીવાલ પડતા સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયાવડોદરા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ છે. શહેરના અટલાદરા વિસ્તારમાં પ્રમુખસ્વામી સોસાયટી પાસે બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવાની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન એકાએક દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચ્યોઆ ઘટના બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર પોહચ બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનામાં લોકો આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ બનાવને લઈ તાત્કાલિક ઘટના સ્થળે અટલાદરા પોલીસ દોડી આવી હતી. આ સમગ્ર મામલો પોલીસે લોકોની સાથે મળી થાળે પડ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:13 pm

ચોરને પકડવા સુરત પોલીસનું MPમાં આર્મી સ્ટાઈલમાં ઓપરેશન:અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પહોંચી, વહેલી સવારે ચારેય બાજુથી ઘેર્યો; આંખ ખુલતા જ આરોપીને દબોચ્યો

સુરતના સારોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગની ભીડનો લાભ ઉઠાવી સોનાના દાગીના સહિત 9 લાખની મત્તાની ચોરી કરી મધ્ય પ્રદેશના અંતરિયાળ ગામમાં છૂપાટેલા આરોપીને ગુજરાત અને MPની પોલીસે ઝડપી પાડ્યો છે. બોલિવૂડની એક્શન થ્રિલર ફિલ્મની જેમ પોલીસ બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ થઈ ચોરોના ગઢ ગણાતા 150 મકાનોના ગામમાં વહેલી સવારે 5:30 વાગ્યે ત્રાટકી હતી. વહેલી સવારે અગાસી પર નિરાંતે સૂતા ચોર અરૂણ ભણેરિયાને આંખ ખુલતાની સાથે જ બે રાજ્યોની પોલીસે તેની ધરપકડ કરી હતી. શું છે સમગ્ર મામલો?ગત તા. 27 નવેમ્બર 2025ના રોજ ખોડલ ફાર્મ ખાતે બળવંત હડિયાના પુત્રના લગ્નનો ભવ્ય પ્રસંગ ચાલી રહ્યો હતો. લોકો લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતા ત્યારે આરોપી અરૂણ ઉમેશકુમાર ભણેરિયા મહેમાન બની ત્યાં ત્રાટક્યો હતો. તેણે નજર ચૂકવી સોનાનું મંગળસૂત્ર અને વીંટીઓ ભરેલી આશરે 9 લાખની કિંમતની મત્તા ધરાવતો થેલો ચોરી લીધો હતો. આ ઘટના બાદ સુરત પોલીસ સક્રિય થઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતમાં ચોરી કરી આરોપી મધ્યપ્રદેશના ગામમાં છૂપાયોસારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે તેમને એક ચહેરો વારંવાર શંકાસ્પદ જણાયો હતો. એ.એસ.આઇ ધનંજય અને સંજયને બાતમીદારો પાસેથી વિગતો મળી હતી કે, આરોપી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડીયાસાસી ગામમાં છૂપાયેલો છે. આ ગામ સામાન્ય ગામ નથી પરંતુ એક એવો વિસ્તાર છે જ્યાં 150થી વધુ મકાનોમાં ઘરફોડ ચોરો રહે છે. જ્યારે પણ કોઈ રાજ્યની પોલીસ અહીં પગ મૂકવાની હિંમત કરે છે ત્યારે આખું ગામ એકઠું થઇને પોલીસ પર જીવલેણ હુમલો કરે છે. અથડામણના ભય હેઠળ બુલેટપ્રૂફ જેકેટમાં પોલીસ ગામમાં પહોંચીઆ માહિતી મળ્યા બાદ સુરત પોલીસે કોઈ રિસ્ક લેવાને બદલે એક પ્લાન બનાવવાનું નક્કી કર્યું અને ટીમ મધ્યપ્રદેશ માટે રવાના કરાઈ હતી. મધ્યપ્રદેશ પહોંચેલી સુરત પોલીસની ટીમે ત્યાંના બોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના લોકોના આક્રમક સ્વભાવને ધ્યાનમાં રાખી પોલીસ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સજ્જ થવાનું નક્કી કર્યું હતું. કોઈપણ મોટી હિંસક અથડામણ થાય તો પણ આરોપી છૂટી ન જાય તે માટે વહેલી સવારે 5:30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. અગાસીમાં નિરાંતે સૂતા આરોપીને ચારેય બાજુથી ઘેર્યોપોલીસની ગાડીઓ ગામની બહાર જ ઊભી રાખીને જવાનોએ પગપાળા ગામમાં પ્રવેશ કર્યો હતો. પોલીસના આ ઓપરેશનના દૃશ્યો જાણે કોઈ સાઉથની એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારના હતા. આરોપી અરૂણ ભણેરિયા પોતાના ઘરની અગાસી પર નિરાંતે સૂતો હતો તે દરમિયાન જ પોલીસે ચારેય દિશામાંથી અગાસીને કોર્ડન કરી લીધી હતી. જેથી આરોપી પાસે ભાગવાનો કોઈ રસ્તો ન બચે. એક તરફ આરોપીને ઝડપી પાડવા પોલીસ તૈયાર હતી અને બીજી બાજુ ગામના અન્ય લોકો જાગી જાય તો મોટી અથડામણ થવાના ભય વચ્ચે પોલીસે આરોપીને ઘેરી લીધો હતો. આંખ ખુલતાની સાથે જ પોલીસે આરોપીને દબોચ્યોજેવી અરૂણની આંખ ખુલ્લી તેણે સામે ખાખી યુનિફોર્મ અને બુલેટપ્રૂફ જેકેટમાં સજ્જ પોલીસ જવાનોને જોયા અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેય બાજુએથી ઘેરાયેલો હોવાથી તેની પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પોલીસે તેને દબોચી લીધો અને ગામના અન્ય લોકો જાગે તે પહેલા તેને સુરક્ષિત રીતે પોલીસ વાહનો સુધી પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ પોલીસ આરોપીને બોડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સુરતના સારોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી લગ્નપ્રસંગમાં મહેમાન બની પહોંચીને ચોરી કરતોઆરોપી મોટા શહેરના આલીશાન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે એકદમ ઠાઠમાઠથી મહેમાન બની પહોંચી જતો હતો. જ્યારે વર કે કન્યા પક્ષના લોકો લગ્નની વિધિઓમાં વ્યસ્ત હોય અથવા જમાવાના કાઉન્ટર પર ભારે ભીડ હોય ત્યારે તે કિંમતી ઘરેણાં ભરેલા થેલાની ચોરી કરી લેતો હતો. તે અગાઉ મધ્યપ્રદેશના બોડા પોલીસ સ્ટેશન અને રાજસ્થાનના પ્રતાપઢગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ રહી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2018 અને 2024માં પણ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પાસેથી રૂ. 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યોડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસે અરૂણ પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. જેમાં 22 કેરેટ સોનાનું મંગળસૂત્ર જેનું વજન 30.740 ગ્રામ છે અને તેની કિંમત 3.92 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 18 કેરેટની સોનાની બે વીંટીઓ જેનું કુલ વજન આશરે 5.344 ગ્રામ છે અને તેની કિંમત 60,440 રૂપિયા જેટલી થાય છે. આ સોનાના દાગીના સાથે આરોપી પાસેથી 4.41 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આમ, સુરત પોલીસે કુલ 9,07,669 રૂપિયાનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:13 pm

સુરેન્દ્રનગરમાં સાવકી માતાએ પિતાની મિલકત પચાવી પાડી:પુત્રી ન્યાય માટે પોલીસવડાને રજૂઆત કરી, કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માગ

સુરેન્દ્રનગરમાં એક પુત્રીએ તેના પિતાના અવસાન બાદ સાવકી માતા દ્વારા મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ન્યાય મેળવવા માટે પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે. પુત્રીના જણાવ્યા અનુસાર, તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પિતાના અવસાન પછી, સાવકી માતાએ તેમની તમામ મિલકત કથિત રીતે પચાવી પાડી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ છેલ્લા છ મહિનાથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પુત્રીએ કર્યો છે. આખરે, પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસવડાને લેખિત રજૂઆત કરીને પિતાની મિલકતમાં કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માટે માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:58 pm

સુદામડા ગામે વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી:₹34.50 લાખનો દારૂ, વાહન સહિત ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકાના સુદામડા ગામે પોલીસે વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડી ₹34.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹39.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુદામડા ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી સાયલા PSI ડી.ડી. ચુડાસમાને મળી હતી. આ બાતમીના આધારે તેમની ટીમે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 2568 બોટલો, એક બોલેરો પિકઅપ ગાડી અને એક એક્ટિવા સ્કૂટર કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા દારૂ અને વાહનો સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹39,76,200 આંકવામાં આવી છે. આ મામલે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર, બોલેરો ચાલક અને એક્ટિવા ચાલક સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 3:55 pm

સુરતમાં ભગવાન શિવને એક દિવસમાં 60 હજારથી વધુ કરચલાનો અભિષેક:પોષ અગિયારસે ભક્તોનું ઘોડાપૂર, કાનની વ્યાધિ દૂર કરવા જીવતા કરચલા ચડાવવાની પરંપરા

તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઈલ માટે જ નહીં, પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન શિવને પરંપરાગત બીલીપત્ર અને પુષ્પોની સાથે જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ વિશિષ્ટ પરંપરા પાછળ ઊંડી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, જે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તોને અહીં ખેંચી લાવે છે. ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવેલોકમાન્યતા મુજબ, જે વ્યક્તિઓ કાનની ગંભીર બીમારીઓ કે શ્રવણ શક્તિને લગતી સમસ્યાઓથી પીડાતા હોય, તેઓ અહીં આવીને મહાદેવની માનતા રાખે છે. પોષ માસની અગિયારસના દિવસે આ માનતા પૂર્ણ કરવા માટે ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક કાળથી અખંડિત રીતે ચાલી આવે છે. ભક્તો માને છે કે અહીં કરચલા ચડાવવાથી શારીરિક પીડામાં રાહત મળે છે, જેને પગલે દર વર્ષે પોષ અગિયારસે અહીં ભક્તિનો મહેરામણ ઉમટી પડે છે અને વિશાળ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. લોકમાન્યતા મુજબ મંદિરનો ઇતિહાસ શ્રી રામ સાથે જોડાયેલો આ મંદિરનો ઇતિહાસ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, વનવાસ દરમિયાન શ્રી રામ જ્યારે અહીં આવ્યા હતા, ત્યારે તેમણે પિતૃ તર્પણ વિધિ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. પિતા દશરથના અવસાનના સમાચાર મળતા રામચંદ્રજી મૂંઝવણમાં હતા અને વિધિ માટે યોગ્ય બ્રાહ્મણની શોધમાં હતા. તે સમયે સમુદ્રદેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમની સહાય કરી હતી. આ ઐતિહાસિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને કારણે રામનાથ ઘેલા મંદિરનું મહત્વ શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. કાનની તકલીફ હોય તે કરચલાઓને અર્પણ કરવાની ભક્તોની શ્રદ્ધાજ્યારે ભગવાન રામ પિતૃ તર્પણ કરી રહ્યા હતા, ત્યારે સમુદ્રના મોજાંની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. આ ઘટના બાદ ભગવાન રામે કરચલાઓને આજીવન શ્રાપમુક્ત કરીને વરદાન આપ્યું હતું કે, જે કોઈ ભક્ત કાનની તકલીફ અથવા કાનમાંથી રસી નીકળવા જેવી સમસ્યા સમયે અહીં કરચલા ચડાવશે, તેની વ્યાધિ દૂર થશે. આ કથાના પ્રભાવ હેઠળ આજે પણ હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરે છે. જિગ્નેશ રાઠોડ નામના એક ભક્તે જણાવ્યું કે, તેમની પત્નીના કાનમાંથી રસી નીકળતી હોવાથી તેમણે રાખેલી માનતા ફળી છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં કરચલા ચડાવવા આવ્યા છે. સવારના 5 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારપોષ અગિયારસના દિવસે વહેલી સવારના 5 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શિવાભક્તો અહીં ઉમટી પડે છે. એક અંદાજ મુજબ, આ એક જ દિવસમાં શિવલિંગ પર 60,000 થી વધુ જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે. આ કરચલાઓને દક્ષિણ ગુજરાતની વિવિધ નદીઓના કિનારેથી મંગાવવામાં આવે છે, જેની કિંમત બજારમાં 100 થી 200 સુધીની હોય છે. ભક્તો આ જીવતા જીવોને થાળીમાં શણગારીને ભોગ તરીકે લાવે છે. હજારો કરચલાઓથી શિવલિંગ ઢંકાયુંમંદિરના મુખ્ય પૂજારી અશોક ભાઈ ગોસ્વામી આ પરંપરા વિશે જણાવે છે કે, શિવલિંગ પર જે રીતે બીલીપત્ર ચડાવવામાં આવે છે, તેટલી જ પવિત્રતાથી અહીં કરચલા અર્પણ કરાય છે. દિવસભર હજારો કરચલાઓથી શિવલિંગ ઢંકાઈ જાય છે. જોકે, જીવદયાનું ધ્યાન રાખતા મંદિર પ્રશાસન દ્વારા રાત્રિના સમયે આ તમામ કરચલાઓને એકત્ર કરી વિધિવત્ રીતે ફરીથી તાપી નદીમાં અર્પણ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ધાર્મિક આસ્થાની સાથે જીવસૃષ્ટિનું સંતુલન પણ જળવાઈ રહે છે. કરચલા ચડાવવાની વર્ષોથી પરંપરા આધુનિક સમયમાં પણ વિજ્ઞાન અને તર્કથી પર જઈને લોકોની શ્રદ્ધા અવિચલિત રહી છે. મંદિરે આવતી મહિલા શ્રદ્ધાળુ ભૂમિકા પટેલે જણાવ્યું કે, આ મંદિરનો મહિમા અને કરચલા ચડાવવાની પરંપરા વિશે સાંભળીને તેઓ અહીં દર્શનાર્થે આવ્યા છે. દરેક વયના લોકો, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, આ શિવલિંગમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. લોકો માટે આ માત્ર પથ્થરનું શિવલિંગ નથી, પરંતુ રોગમુક્તિ અને આશીર્વાદ આપતું જીવંત દેવસ્થાન છે, જે વર્ષોથી અસંખ્ય લોકોની પીડા હરતું આવ્યું છે. કરચલાઓને રાત્રિના સમયે એકત્રિત કરીને તાપી નદીમાં અર્પણ કરાય છેદક્ષિણ ગુજરાતનો સમુદ્ર કિનારો નજીક હોવાથી રામનાથ ઘેલા મહાદેવના મંદિર માટે કરચલા સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય છે, જે શ્રદ્ધાળુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બને છે. પોષ અગિયારસના પવિત્ર દિવસે જ્યારે શિવલિંગ પર હજારોની સંખ્યામાં જીવતા કરચલાઓનો અભિષેક કરવામાં આવે છે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય પરંપરા જાળવવામાં આવે છે. દિવસભર ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા આ તમામ કરચલાઓને રાત્રિના સમયે અત્યંત સાવચેતીપૂર્વક એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને વિધિવત્ રીતે તાપી નદીના ભરતીના પાણીમાં સુરક્ષિત રીતે અર્પણ કરી દેવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે ધાર્મિક આસ્થાની સાથે જીવદયાનો અભિગમ પણ સચવાય છે અને જીવતા કરચલાઓને ફરી તેમના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવે છે. ભક્ત જિગ્નેશ રાઠોડએ જણાવ્યું હતું કે, મારા પત્ની માટે માનતા રાખી હતી. તેમના કાનમાંથી રસી નીકળતી હતી. મેં એવી માનતા રાખી હતી કે જો આ રસી નીકળતી બંધ થઈ જાય તો એમના માટે હું કરચલા ચડાવીશ. તેમને કાનમાંથી રસી નીકળતી બંધ થઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:55 pm

પ્રભાસ પાટણમાં માધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો:મકરસંક્રાંતિ પર્વે કોળી સમાજે શોભાયાત્રા કાઢી ધ્વજારોહણ કર્યા

મકરસંક્રાંતિ પર્વે પ્રભાસ પાટણ ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ માધાતા મહારાજનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો. માધાતા ગ્રુપના આયોજન હેઠળ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રાનો પ્રારંભ શાંતિનગરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી થયો હતો. ઢોલ-નગારાના તાલે અને જય માધાતા મહારાજના નાદ સાથે યુવાનો, વડીલો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. શોભાયાત્રા શાંતિનગરથી મોટા કોળી વાળા, દરજી વાળા, રામરાખ ચોક અને ભરડાપોળ જેવા માર્ગો પરથી પસાર થઈ હતી. તે રામદેવપીર ડેરી અને વેગડા ભીલ સ્થાનક ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર ફૂલો, ધાર્મિક ધ્વજો અને બેનરોથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ માટે પાણી અને ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ ઉજવણી દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું મહત્વ દર્શાવાયું હતું. વક્તાઓએ માધાતા મહારાજના જીવન અને તેમના માર્ગદર્શન પર પ્રકાશ પાડ્યો હતો. આવા કાર્યક્રમો યુવા પેઢીમાં સંસ્કાર અને સામૂહિક ભાવના વિકસાવવામાં મદદરૂપ થાય છે. કાર્યક્રમમાં માધાતા ગ્રુપના આગેવાનો, કોળી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મકરસંક્રાંતિનો આ પર્વ પ્રભાસ પાટણ વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:52 pm

છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ પતંગ ચગાવ્યો:પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી સૌને શુભેચ્છા પાઠવી

છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આજે પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. તેમણે પતંગ ચગાવીને આ પર્વનો આનંદ માણ્યો હતો. દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે નાના-મોટા સૌ કોઈ પતંગ ચગાવીને ઉત્તરાયણનો આનંદ માણે છે. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ લોકોને સુરક્ષિત રીતે અને પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખીને મકર સંક્રાંતિની ઉજવણી કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:50 pm

કાલોલના રીંછિયા આટામાં 7 વર્ષની બાળકીને પતંગ કાઢતા કરંટ લાગ્યો:ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીંછિયા આટા ગામે એક 7 વર્ષની બાળકીને પતંગ કાઢતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવાના પ્રયાસમાં બાળકી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રીંછિયા આટા ગામના મંદિર ફળિયામાં રહેતી આ બાળકી આજે પોતાના ઘર પાસે પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતી વખતે તેની પતંગ નજીકના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. બાળકી જ્યારે ઝાડમાંથી પતંગ ખેંચીને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, તે જ સમયે પતંગનો દોરો નજીકમાંથી પસાર થતા હાઈટેન્શન જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. વીજ વાયરના સંપર્કમાં આવતા જ બાળકીને જોરદાર વીજળીનો ઝટકો લાગ્યો હતો અને તે હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:48 pm

પહેલા મારામારી અને પછી માફી માગી:વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે યુવકે જાહેરમાં મારામારી કરી, પોલીસે ઝડપી પાડતા માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય

વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે બે રાહદારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારીની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને પગલે ગોરવા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માગીને કહ્યું: હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી નહીં થાય. વડોદરાના ઈન ઓર્બિટ મોલ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક ગઈકાલે મોડી રાત્રે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. ગોરવા પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને વીડિયોના આધારે આરોપીની ઓળખ કરી અને તેને ઝડપી લીધો હતો. ક્રિશ મનીશભાઈ મખીજા (ઉંમર 20 વર્ષ, રહે. 307, આર્કોન અણપ, રાત્રી બજાર પાછળ, વડોદરા)ની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ક્રિશ મખીજાએ પોલીસને જણાવ્યું હતું કે, હું ગેંડા સર્કલથી બાપુની દરગાહ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વ્યક્તિ સાથે મારી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડો થયો હતો અને ધક્કામુક્કી પણ થઈ ગઈ હતી. આ ઘટના બદલ હું ખેદ વ્યક્ત કરું છું અને માફી માંગું છું. હું ખાતરી આપું છું કે આવી ભૂલ આગળથી ફરી નહીં થાય. ગોરવા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:40 pm

રાત્રે રિચાર્જ કરાવવા નીકળ્યા ને અકસ્માતનો ભોગ બન્યા:મકરપુરા GIDCમાં મજૂરને પૂરપાટ વાહનચાલકે અડફેટે લીધો, ઘટચનાસ્થળે જ મોત; ચાલક એક્સિડન્ટ કરી ફરાર

વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં 50 વર્ષીય મજૂર પિતરભાઈ લાલસિંગ ડામોરનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નીપજ્યું છે. આ અંગે મૃતકની પત્નીએ પોલીસ મથકમાં ફરીદા બંધાવી છે. રિચાર્જ કરાવવા ગયા હતા ને અકસ્માતનો ભોગ બન્યાઆ અંગે મૃતકના પત્ની રમીલાબેનને નોંધાવેલ ફરિયાદ મુજબ પતિ પિતરભાઈ મહાબલી ઈન્ડસ્ટ્રીઝ કંપની શેડની સામે ફૂટપાથ પર ઝૂંપડામાં રહે છે અને છૂટક મજૂરી કરીને જીવન ગુજારે છે. તેઓનું મૂળ વતન રાજસ્થાનના કુશલગઢ તાલુકાના મસ્કા છોટા ગામ છે. ગઈકાલે રાત્રે તેમના પતિ પિતરભાઈ મોબાઈલમાં રિચાર્જ કરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રમીલાબેન ઝૂંપડામાં જમવાનું બનાવી રહ્યા હતા. અચાનક એક રાહદારીએ તેમને જાણ કરી કે, મકરપુરા જીઆઈડીસીમાં એક્યુટેસ્ટ સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડના ગેટ સામે તેમના પતિનું અકસ્માત થયું છે અને તેઓનું મોત થયું છે. આરોપી અકસ્માત કરીને ઘટનાસ્થળેથી ફરારઆ બનાવની જાણ થતા જ રમીલાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પતિ રોડ પર મૃત હાલતમાં પડ્યા હતા. તેમને માથાના કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ જણાવ્યું કે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન હંકારીને પિતરભાઈને ટક્કર મારી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. હાલમાં આ ઘટના અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે. હાલામાં આ અકસ્માત સર્જી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:38 pm

વલસાડમાં મકરસંક્રાંતિ પર્વે SPએ ગૌસેવા કરી:ગૌશાળાની મુલાકાત લઈ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી

સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં પણ દાન-પુણ્ય અને સેવાના મહત્વ સાથે આ તહેવાર ઉજવાયો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા (SP) એ ગૌશાળાની મુલાકાત લીધી અને ગૌસેવા કરી. વલસાડ જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક ગૌશાળાની મુલાકાત લીધી હતી, જ્યાં રખડતા અને બીમાર પશુઓની સારવાર તથા સેવા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે હિન્દુ શાસ્ત્રોમાં મકરસંક્રાંતિના દિવસે ગૌસેવાનું વિશેષ મહત્વ છે. SPએ સ્વયં ગૌપૂજન કર્યું અને ગૌશાળા દ્વારા અબોલ પશુઓ માટે કરવામાં આવતી સેવાની પ્રશંસા કરી. પતંગોત્સવના આ પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ વડાએ વલસાડવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પતંગ અને દોરીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ પતંગ અને દોરી એકબીજાના પૂરક બનીને આકાશમાં ઊંચાઈ સર કરે છે, તેમ નાગરિકો અને પોલીસ-વહીવટી તંત્ર સાથે મળીને સમાજના વિકાસ અને શાંતિ માટે કાર્ય કરે તે આવશ્યક છે. SPએ ખાસ કરીને યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે પ્રગતિ માટે આકાશની કોઈ સીમા નથી. યુવાનોએ મુક્ત મને અને ઉત્સાહ સાથે પોતાના જીવનમાં પ્રગતિ કરવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વલસાડ પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા અને સહયોગ માટે તત્પર છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:26 pm

દાહોદ LCBએ 1.35 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો:ગરબાડા ચોકડી પાસે વાહન ચેકિંગમાં કન્ટેનરમાંથી મળ્યો, બે ઝડપાયા

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગરબાડા ચોકડી નજીકથી વાહન ચેકિંગ દરમિયાન રૂ. 1.35 કરોડથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. LCB ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પર બાલાજી હોટલ સામે એક બંધ બોડી આઇસર ટ્રક (નં. MP09GG7984) ને અટકાવવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાં પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દારૂ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ 814 પેટીઓમાંથી 33,066 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 1,35,59,298/- આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂ. 20,00,000/- ની કિંમતનો આઇસર ટ્રક, આરોપીઓ પાસેથી મળેલા રૂ. 10,000/- ના બે મોબાઇલ ફોન અને પ્લાસ્ટિકના બબલ રેપ રોલ સહિત કુલ રૂ. 1,55,70,798/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર સહિત મધ્યપ્રદેશના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ ક્યાંથી લવાયો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ તેજ કરાયા છે. દાહોદ ટાઉન “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. LCB ની આ સફળ કામગીરીથી સરહદી વિસ્તારમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:26 pm

બનાસકાંઠા LCB એ દારૂ ભરેલી ક્રેટા ઝડપી:ચાર આરોપી ફરાર, 11.57 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લા LCB એ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ક્રેટા ગાડી (નં. GJ 37 AB 1865) માંથી રૂ. 11,57,156/- નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં દારૂની 1542 બોટલો અને વાહનનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શાંત સુંબેની સૂચના મુજબ, દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. LCB પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે, તેઓ આખોલ ચાર રસ્તા ખાતે વોચ ગોઠવીને ઊભા હતા. તે દરમિયાન કંસારી તરફથી ઉપરોક્ત ક્રેટા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે ગાડી ડીસા તરફ ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. ક્રેટા ગાડીના ચાલકે મહાદેવિયા ગામ તરફ જતા રસ્તા પર, પછી કાચા રસ્તા પર બાઇવાડા ગામ તરફ અને ત્યાંથી થેરવાડા ગામની સીમમાં ગાડી ભગાવી હતી. થેરવાડા ગામની સીમમાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી હતી. પોલીસ કોર્ડન કરવા પહોંચે તે પહેલાં જ ગાડીનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1542 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,42,156/- થાય છે. ક્રેટા ગાડી સહિત કુલ રૂ. 11,57,156/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં વિનોદભાઈ નારણભાઈ જાદવ (ઉ.વ. 30, ધંધો: ડ્રાઈવિંગ, રહે. ગોગુવાડા, તા. દાંતીવાડા), દિલીપભાઈ હંસાભાઈ (ઉ.વ. 27, ધંધો: ડ્રાઈવિંગ, રહે. ગોગુવાડા, તા. દાંતીવાડા), દિનેશભાઈ (રહે. પાસવાળ) અને ક્રેટા ગાડીનો ચાલક હનુમાનનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ફરાર છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:24 pm

ગોધરાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું:પતંગોત્સવ સાથે જલેબી-ફાફડા અને ઊંધિયાની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી

ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયું છે, જ્યારે બજારોમાં ખાણી-પીણીની ભારે ઘરાકી જોવા મળી રહી છે. પર્વની પરંપરા મુજબ, ગોધરાના બજારોમાં સવારથી જ ચટાકેદાર ઊંધિયું, ગરમાગરમ જલેબી અને ફાફડા ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી છે. એસ.ટી. સ્ટેશન રોડ, પ્રભા રોડ અને ચિત્રા રોડ જેવા મુખ્ય બજારોમાં ખાણી-પીણીના સ્ટોલ્સ પર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે અગાઉથી જ વિશેષ તૈયારીઓ કરી રાખી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:22 pm

અમદાવાદ એરપોર્ટમાંથી ગાંજા સાથે પકડાયેલી પંજાબી યુવતીને હાઇકોર્ટે જામીન આપ્યા:'બેગમાં 13 કિલો ગાંજા હતો, ગામ બહાર ગઈ નહોતી અને ભાઈ સાથે બેંગકોકથી ટ્રિપ મારી'

21 વર્ષીય પંજાબી યુવતી સંદીપ કૌર સહિત કુલ ત્રણ આરોપીઓ સામે DRI દ્વારા મે, 2025માં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. યુવતી સહિતના શખ્સો બેંગકોકથી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. જેમને ચેકિંગ દરમિયાન બેગેજ કાઉન્ટર ઉપર ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી અને સહ આરોપીના બેગેજમાંથી શંકાસ્પદ વસ્તુ મળી હતી. જે 39 કિલો હાઈડ્રોપોનિક ગાંજો હતો. બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. અમદાવાદ એરપોર્ટ પરથી 39 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતોઆરોપીઓ પૈકી ઝડપાયેલી યુવતી સંદીપ કૌરે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ કિશન.એન.બ્રહ્મભટ્ટ દ્વારા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં તેઓએ રજૂઆત કરી હતી કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. આરોપી 21 વર્ષની યુવાન છે. તે માત્ર ધોરણ 10 પાસ છે. તેની બેગમાં 13 કિલો જેટલો ગાંજો હોવાની તેને જાણ જ નહોતી. તે પંજાબના એક ગામડાની વ્યક્તિ છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે યુવતી સહિતના આરોપીઓ પાસેથી કુલ 39 કિલો જેટલો ગાંજો મળ્યો હતો. તે સ્મગલિંગ સિન્ડિકેટની સભ્ય છે. આરોપી પાસેથી મળેલો ગાંજો કોમર્શિયલ ક્વોન્ટિટીનો છે. તેની ઉપર ગંભીર ગુનો છે. યુવતીને 1 લાખના બોન્ડ ઉપર શરતી જામીન હાઇકોર્ટે આપ્યા કોર્ટે નોંધ્યું હતું કે કુલ 3 આરોપી સામે ગુનો નોંધાયો છે. જેમાં 21 વર્ષીય યુવતી સામે કોઈ પૂર્વ ગુના નોંધાયા નથી. તે તેના 23 વર્ષના ભાઈ સાથે તે ફોરેન ટ્રીપ પર ગઈ હતી. હજી આરોપી સામે ચાર્જફ્રેમ થયો નથી અને તે મે મહિનાથી પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે યુવતીને 1 લાખના બોન્ડ ઉપર શરતી જામીન હાઇકોર્ટે આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:20 pm

છતર GIDCમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:નામ વગરના ગોડાઉનમાંથી દારૂની 5940 બોટલ સાથે 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ

ટંકારા પોલીસે મોરબી-રાજકોટ હાઈવે પર છતર ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં એક નામ વગરના ગોડાઉન પર દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધી બાકીના પાંચ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે છતર જીઆઈડીસીમાં જલારામ પ્લાસ્ટિક નામના ગોડાઉનની બાજુમાં આવેલા એક નામ વગરના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહિત છે. આ ગોડાઉન મોરબીના પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાએ ભાડે રાખ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરજે 1 જીબી 5019 નંબરનું ટ્રક કન્ટેનર અને જીજે 36 વી 3401 નંબરની બોલેરો ગાડી મળી આવી હતી. દારૂની કુલ 5940 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 77.22 લાખ અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 27.60 લાખની કિંમતના 27,600 પ્લાસ્ટિકના ચપલા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે દારૂ અને વાહનો સહિત કુલ રૂ. 1,30,02,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોડાઉનમાંથી કમલેશ બાપુલાલ વડેરા (રહે. જોલાવટ, રાજસ્થાન), જીતમલ કાલીયા કટારા (રહે. રતનપુર, રાજસ્થાન) અને નાનીલાલ વાલીયા સીંગાડા (રહે. જાંબુડી, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કહેરારામ હરખારામ (રહે. રાજસ્થાન), પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા (રહે. મોરબી), માણસુરભાઈ દેવદાનભાઈ ડાંગર (રહે. મોરબી), બોલેરોના ચાલક રાજુરામ (રહે. રાજસ્થાન) અને ટ્રક કન્ટેનરમાં દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ સહિત કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:19 pm

બોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રા:કોળી સમાજ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

બોટાદમાં માંધાતા ગુર્પ – કોળી સમાજ દ્વારા માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની 14મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી આ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ શોભાયાત્રા શહેરના ગઢડા રોડથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. તેમાં અંદાજે 150 ટુ-વ્હીલર, 45 ફોર-વ્હીલર અને 5 થ્રી-વ્હીલર વાહનો જોડાયા હતા. ડીજેના તાલે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અને યુવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. શોભાયાત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે સમાપ્ત થઈ હતી. આયોજનકર્તાઓએ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:17 pm

પોરબંદર પક્ષી સુરક્ષા માટે સજ્જ:કમિશનર હસમુખ પ્રજાપતિએ કરુણા અભિયાનની વિગતો આપી

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પોરબંદરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પતંગબાજીના આ ઉત્સવ દરમિયાન પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ‘કરુણા અભિયાન’ પર ભાર મૂક્યો હતો. કમિશનર પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે, 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં શહેરની 30થી વધુ સેવાભાવી અને બિનસરકારી સંસ્થાઓ સહયોગ આપી રહી છે. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની પાંખો કપાઈ જવાના કિસ્સામાં વન વિભાગ અને આ સંસ્થાઓ દ્વારા ઓપરેશન સહિતની જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આજ રોજ અત્યાર સુધીમાં અંદાજે 15 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર કેન્દ્ર પર લાવવામાં આવ્યા છે. પક્ષીઓને નવજીવન આપવા માટે ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમ સતત કાર્યરત છે. કમિશનરે નગરજનોને અપીલ કરી હતી કે, પતંગ ચગાવતી વખતે પક્ષીઓ અને અન્ય નાગરિકોને ઈજા ન પહોંચે તેની કાળજી રાખવી. તેમણે ઉત્સવના આનંદની સાથે અબોલ જીવોની સુરક્ષા પ્રત્યે પણ સજાગ રહેવા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:15 pm

મોરબીમાં સગીરાએ 11મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો:અભ્યાસના તણાવને કારણે અંતિમ પગલું ભર્યું: પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક સગીરાએ 11મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, રવાપર ઘૂનડા રોડ પર સ્થિત 'કસોરા 11' (Kasora 11) એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503માં રહેતા સુનિલ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગીએ વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું હતું. 11મા માળેથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા સગીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ કાફલો દોડી ગયોતપાસ અને કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ અધિકારી વિપુલ ફુલતરિયાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૃતક દેવાંગી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને લીધે માનસિક તણાવમાં રહેતી હતી. આ ટેન્શનમાં જ તેણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. અકસ્માતથી મોતનો ગુનો નોંધ્યોપોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:14 pm

મંત્રી પી.સી. બરંડાએ શામળાજીમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી:પતંગ ચગાવી રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાએ યાત્રાધામ શામળાજી ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે શામળાજી મંદિર પરિસરમાં પતંગ ચગાવી રાજ્યની જનતાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. ભીલોડા-મેઘરજ વિધાનસભાના સભ્ય અને રાજ્ય સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તરીકે, પી.સી. બરંડાએ તેમના વિસ્તારમાં આવેલા નવરચિત શામળાજી તાલુકાના યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં આ ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ભીલોડા તાલુકા ભાજપ સંગઠન અને મંદિર ટ્રસ્ટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી નવો તાલુકો બન્યા બાદ પ્રથમ વખત ભગવાનના સાનિધ્યમાં ઉત્તરાયણની ઉજવણી કરવાનો અવસર મળ્યો છે. તેમણે આ પાવન પર્વ નિમિત્તે રાજ્યની સમગ્ર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:13 pm

સોશિયલ મીડિયાની મિત્રતા ઝઘડાનું કારણ, રૂપાણી સર્કલ નજીક ફોરવ્હિલમાં તોડફોડ:ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરતા મહિલાને મારી નાખવાની ધમકી, બે શખ્સો સામે પોલિસ ફરિયાદ

ભાવનગર શહેરના રૂપાણી સર્કલ નજીક એક મહિલાના ઇન્સ્ટાગ્રામના મિત્રએ તે મને કેમ ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કર્યો છે તેમ મહિલાને કહી ઉશ્કેરાઈ ભૂંડાબોલી ગાળો આપી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફોરવ્હીલને નુકશાન પહોંચાડયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. યુવતીએ તેના 2 મિત્ર સામે ફરિયાદ નોંધાવીઘોઘા રોડ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રૂપાણી સર્કલ નજીક આવેલ શાંતિજ્યોત બિલ્ડિંગ ફ્લેટમાં રહેતી શેરી ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા ધરાવતા નિત બારૈયા અને તેના એક અજાણ્યા સાથી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત 13 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ફરિયાદી મીઠાઈ લઈને ઘરે આવી અને ફ્લેટની નીચે ઉભી હતી, ત્યારે નિત બારૈયા અને તેનો મિત્ર ટુ-વ્હીલર પર ત્યાં પહોંચ્યા હતા. યુવક ઉશ્કેરાઈ જઈને યુવતીને ગાળો આપવા લાગ્યોઆ સમયે નિત બારૈયાએ ફરિયાદીને પૂછ્યું હતું કે તેને ઇન્સ્ટાગ્રામ પર કેમ બ્લોક કર્યો છે. જેના જવાબમાં ફરિયાદીએ જણાવ્યું કે નિત બારૈયા ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ગાળો આપતો અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી તેને બ્લોક કરવામાં આવ્યો હતો. આ વાત સાંભળતાં જ નિત બારૈયા ઉશ્કેરાઈ ગયો અને ભુંડાબોલી ગાળો આપવા લાગ્યો હતો. લોખંડના પાઈપથી ગાડીનું બોનેટ તોડ્યુંફરિયાદ મુજબ, ગાળો ન બોલવા કહેતા નિત બારૈયા અને તેના સાથીએ તલવાર અને લોખંડનો પાઈપ કાઢી ફરિયાદીની ફોરવ્હિલ ગાડીના આગળ-પાછળ તથા સાઈડના કાચ તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં, લોખંડના પાઈપથી ગાડીનું બોનેટ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપી ફરારબનાવ દરમિયાન ચીસાચીસ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા બંને આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે નિત બારૈયા અગાઉ પણ વારંવાર ફરિયાદીનો પીછો કરતો અને ધમકીઓ આપતો હતો. બે યુવક સામે ફરિયાદ નોંઘાઈઆ સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસે નિત બારૈયા તથા એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ બીએનએસ કલમ 352, 351(3), 324(4), 78 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:06 pm

હિંમતનગરમાં ઉત્તરાયણ પૂર્વે હવા ભરેલા રમકડાંનો ક્રેઝ:બાળકો અને પરિવારો રમકડાં ખરીદવા માટે ઉમટ્યા, બ્યુગલના અવાજે આકર્ષણ જમાવ્યું

હિંમતનગરમાં ઉત્તરાયણ પૂર્વે મહાવીરનગર વિસ્તારમાં હવા ભરેલા રમકડાંનું બજાર ધમધમતું જોવા મળ્યું હતું. મહાવીરનગર ચાર રસ્તાથી મોતીપુરા તરફના રોડ પર પતંગોની સાથે વિવિધ પ્રકારના હવા ભરેલા રમકડાંનું વેચાણ થઈ રહ્યું છે. બાળકો અને પરિવારો આ રમકડાં ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને, આ રમકડાં બ્યુગલના અવાજથી બાળકોમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે, જેના કારણે બજારમાં રોનક જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 2:06 pm

પોરબંદર દરિયામાં ગેરકાયદે લાઇટ ફિશિંગ ઝડપાયું:બે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ

પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરીને થતી માછીમારી અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિરાજ ઓસમાણ પટેલીયા અને સરફરાજ ઇસ્માઇલ પટેલીયા અનધિકૃત રીતે લાઇટ ફિશિંગ કરતા ઝડપાઈ ગયા હતા. લાઇટ ફિશિંગ પદ્ધતિ દરિયાઈ જીવસૃષ્ટિ અને માછલીઓના પ્રજનન પર હાનિકારક અસર કરતી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી રોકવા માટે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:55 pm

નવસારીમાં ધારદાર દોરીથી એક ઇજાગ્રસ્ત:ગણદેવી રોડ પર ઘટના, નાક-કાનના ભાગે ઊંડો કાપો પડ્યો

ઉતરાયણના તહેવાર દરમિયાન નવસારી-ગણદેવી રોડ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નવાગામ પાસે બાઈક પર જઈ રહેલા 45 વર્ષીય સુમન નાયકાના નાક અને કાનના ભાગે દોરી વાગતા ઊંડો કાપો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુમન નાયકા તેમના પુત્ર સાગર નાયકા સાથે બાઈક પર નવસારીથી ઈચ્છાપુર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સાગરને એક દોરી દેખાતા તેણે તેને પાછળ ફેંકી હતી.જોકે, પાછળ બેઠેલા સુમન નાયકાના નાક અને કાનના ભાગે તે દોરી ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને નવસારી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પારસી હોસ્પિટલના ડોક્ટરોએ સુમન નાયકાને ઇમર્જન્સી સારવાર આપી, નાક અને કાનના ભાગે ટાંકા લઈને તેમનો જીવ બચાવ્યો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન બાઇક ચાલકોને રોડ ઉપરથી પસાર થતી વેળા સાવચેતી રાખવી પડશે, કારણ કે ધારદાર દોરો કોઈપણ સમયે કોઈપણ દિશામાંથી આવી ચેહરાને ઇજાગ્રસ્ત બનાવી શકે છે સાથે જ ગળા પર જો દોરો આવે તો તેનાથી ગળું કપાવવાની સંભાવના પણ રહેલી છે ભૂતકાળમાં આવી ઘટનાને કારણે અનેક લોકોના મોત થવા સાથે મોટાભાગના બાઈક ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા છે, ત્યારે આ મામલે સામાજિક સંસ્થાઓ તેમજ સરકારે ઉતરાયણ અગાઉ સેફટી ગાર્ડ અનેક બાઇકો ઉપર નિશુલ્ક લગાવી આપ્યા છે તેમજ ગળા ઉપર પહેરવા માટે સેફ્ટી માસ્ક પણ આપ્યા છે જેથી બાઇક ચાલકો સાવચેતી પૂર્વક આજે સમગ્ર દિવસ દરમિયાન વાહન હાકે તે જરૂરી છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને 9 મી જાન્યુઆરીના રોજ નવસારી પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પતંગની ધારદાર દોરીથી ટુ-વ્હીલર ચાલકોના ગળા કપાવવાની ગંભીર ઘટનાઓ રોકવા માટે ટ્રાફિક વિભાગ, ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે સેફ્ટી સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:52 pm

વડોદરામાં વહેલી સવારે પવન ન રહેતા પતંગ રસિયાઓ નિરાશ:જલેબી અને ઊંધિયું લેવા દુકાનોમાં ભીડ; સાંસદે કાર્યકર્તાઓ સાથે ઉતરાયણ ઉજવી, પક્ષી ઘાયલ થાય તો આ નંબર પર સંપર્ક કરો

આજે મકરસંક્રાંતિનો તહેવાર છે ત્યારે વડોદરા શહેરમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં વહેલી સવારે પવનની ગતિ ધીમી હોવાથી પતંગ રસીકો નિરાશ થયા હતા. પરંતુ હાલમાં પવનની ગતિ વધતા જ પતંગ રસિકોની ભીડ ધાબા પર જોવા મળી રહી છે. આ સાથે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીએ કાર્યકર્તાઓ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. જલેબી અને ઊંધિયું લેવા માટે દુકાનો પર ભીડ વડોદરા શહેરમાં વહેલી સવારે પતંગ રસિયાઓને નિરાશ મળી હતી પરંતુ જલેબી અને ઊંધિયું લેવા માટે ભારે ભીડ દુકાનો પર જોવા મળી હતી. હાલમાં પવનની ગતિ ધીરે ધીરે વધી રહી છે ત્યારે હાલમાં રંગબે રંગી પતંગોથી વડોદરાનું આકાશ છવાઈ ગયુ છે. આ સાથે અબોલા જીવોના રક્ષણ માટે વોલિયન્ટર સત્તત નજર રાખી રહ્યા છે. વડોદરાનું આકાશ પતંગોથી રંગાયેલું છે ઉતરાયણના પર્વને લઈ વડોદરાના સાંસદે જણાવ્યું હતું કે, વડોદરાએ ઉત્સવપ્રિય નગરી છે અને વડોદરા હોય કે ગુજરાત, હંમેશા જે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાની અંદર ઉત્તરાયણ, પતંગ, ગરબા આ બધી વસ્તુઓ ગુજરાતીના DNA ની અંદર હોય છે. અત્યારે તો પવન ઓછો છે, તો પણ વડોદરાનું આકાશ પતંગોથી રંગાયેલું છે અને વડોદરાની અંદર તમામ નાગરિકો પરિવારજનો, મિત્રો સાથે મળી અને આ પર્વની રંગેચંગે ઉજવણી કરતા હોય ત્યારે, ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે મળી વડોદરાના મધ્યમાં અમારા સાથી કાર્યકર્તાઓ સાથે, અમારા વોર્ડના પ્રમુખ, તમામ સંગઠનના કાર્યકર્તાઓ, કાઉન્સિલરો સાથે મળી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને આપ સૌને પણ આ પર્વની ઉજવણી કરવા માટે હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ચાર જગ્યાએ કેમ્પનું આયોજનવાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, 2006થી આ અમારી સેવા કાર્યરત છે અને આજે વર્ષ 2026માં પણ કાર્યરત છે. અમે લોકો દર વર્ષની જેમ આ વખત ચાર જગ્યાએ કેમ્પનું આયોજન કર્યું છે. જે મુખ્ય કેમ્પ અમારો ગાંધીનગર ગૃહ છે. બીજા નંબરનો કેમ્પ મલ્હારપાર્ક ચાર રસ્તા, કારેલીબાગ. ત્રીજા નંબરનો ગોરવા આઈ.ટી.આઈ (ITI) પાસે. ચોથા નંબરનો વાઘોડિયા રોડ, જે 12 તારીખથી ચાલુ થયો છે અને એ 17 તારીખ સુધી ચાલુ રહેશે. આ સાથે બાકીના અમારા ત્રણ કેમ્પ છે એ 14-15, પણ એના સિવાય 365 દિવસ તમે જ્યારે બી ફોન કરશો તો અમારી સેવાઓ ચાલુ રહેશે. ટીમના 200 વોલેન્ટિયર વડોદરામાં સક્રિયવધુમાં કહ્યું કે, મારી ટીમના 200 વોલેન્ટિયર વડોદરામાં સક્રિય છે, બર્ડ્સ રેસ્ક્યુ માટે અને અધર એનિમલ માટે પણ અવિરત મળી ટીમ કાર્યરત હોય છે. હમણાં કબૂતરના કોલ આવ્યા છે. હવે અમે લોકો આ બધો આંકડો સાંજે કાઢીએ છીએ. સાંજે જ્યારે કેમ્પનું શટડાઉન કરીએ છીએ ને ત્યારે બધો આંકડો સામે આવશે. લોકોને એક જ અપીલ છે કે તમે સવારે અર્લી મોર્નિંગ, આ જે ઉતરાયણનો પર્વ છે એ દિવસે તમે સવારે 9:00 વાગ્યા પહેલા પતંગ ના ચગાવો અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ચગાવો કારણ કે પક્ષીને માળામાંથી બહાર નીકળવાનું હોય છે ચણવા માટે અને સાંજે રિટર્ન આવવાનું હોય છે. એ સમય ખાલી તમે સાચવી લો તો ઘણા પક્ષીઓ તમે બચાવી શકો છો. ગાંધીનગર ગૃહ જ્યુબેલીબાગ, વડોદરા તુષાર ઉતેકર: ૮૪૦૧૫ ૯૪૪૧૨ અરવિંદ પવાર: ૯૯૭૪૫ ૫૪૪૬૬ સુવાસ પટેલ: ૯૯૨૫૩ ૨૫૩૦૧ હાર્દિક પવાર: ૯૧૦૪૧ ૬૬૪૩૪ ઝી અભિષેક: ૯૧૩૭૧ ૮૦૩૦૭ કિરણ શર્મા: ૯૪૨૭૧ ૩૯૬૦૬ યુવરાજસિંહ રાજપુત: ૯૫૫૮૩ ૫૫૭૮૩ ૯૭૭૩૨ ૫૧૫૩૩

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:51 pm

દાહોદ LCBએ 36.74 લાખનો દારૂ ઝડપ્યો:ગુજરાત-MP સરહદે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક આરોપીને ઝડપી લીધો

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદે કતવારા વિસ્તારમાંથી ₹36.74 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આઇસર ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે દાહોદ LCB દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા LCB ટીમને ખાસ કામગીરી સોંપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCBની ટીમોએ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન, મધ્યપ્રદેશ તરફથી ગોધરા તરફ જઈ રહેલો એક બંધ બોડી આઇસર ટ્રક (રજી. નં. MP09GH5071) શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી. ટ્રકની તપાસ કરતા, પ્લાસ્ટિકના કુલર ફ્રેમની આડમાં છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. LCB પોલીસે કુલ 271 પેટીઓમાંથી 7,188 બોટલ વિદેશી દારૂ અને બિયર ઝડપી પાડ્યા, જેની કિંમત ₹21,69,564 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઇસર ટ્રક (કિંમત ₹15,00,000), એક મોબાઇલ ફોન (₹5,000) અને અન્ય સામગ્રી સહિત કુલ ₹36,74,564નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક જયરામ સન ઑફ તેજારામ (ઉંમર 27 વર્ષ, રહેવાસી રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી, ડી.આર. બારૈયા, પીએસઆઈ આર.વી. રાઠોડ, એન.બી. પરમાર સહિતના અધિકારી-કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દાહોદ LCBની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:49 pm

નવસારીમાં આંતરરાજ્ય ‘મટરુ ગેંગ’ ઝડપાઈ:200 CCTV તપાસી LCBએ ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરમાં થયેલી ધોળા દિવસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય 'મટરુ ગેંગ'ના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો ₹11.72 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના 12 જાન્યુઆરીના રોજ ટાઉન વિસ્તારમાં બની હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, LCB સીનિયર પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે શહેરના 200થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓના લોકેશન ટ્રેક કર્યા હતા. ડિજિટલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમી મુજબ, આરોપીઓ નવસારી રેલ્વે સ્ટેશન ગરનાળા પાસે છુપાયેલા હતા. પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹11,72,522 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં ₹10,63,409 ની કિંમતના સોનાના દાગીના (બંગડીઓ, કડા, બોલ માળા, ડોકિયું અને બુટ્ટી), ₹73,171 ની કિંમતની ચાંદીની વસ્તુઓ (19 સિક્કા, લગડી અને ગ્લાસ), ₹10,340 રોકડ, પાંચ મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલ સાધનો (ડીસમિસ અને કટર) નો સમાવેશ થાય છે. આ ગેંગ ચોરી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવતી હતી. તેઓ ટ્રેન દ્વારા જુદા જુદા રાજ્યોમાં મુસાફરી કરતા અને સ્થાનિક હોટલોમાં રોકાતા હતા. દિવસ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા. ચોરી કરવા માટે, તેઓ કટર અથવા મોટા સ્ક્રૂ ડ્રાઈવર (ડીસમિસ) નો ઉપયોગ કરીને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશતા હતા. કિંમતી સામાનની ચોરી કર્યા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં લલિત ઉર્ફે કાલુ શિવજી સાહુ (મૂળ બિહાર, હાલ દિલ્હી), સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ (રહે. ઝજ્જર, હરિયાણા) અને જીશન ઉર્ફે ગોપાલ જગદીશરાજ શર્મા (રહે. ભવાના, ન્યુ દિલ્હી) નો સમાવેશ થાય છે. લલિત ઉર્ફે કાલુ શિવજી સાહુ સામે સુરત, વડોદરા અને રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે. સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં અગાઉ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. આ કામગીરીમાં LCBના પીઆઈ વી.જે. જાડેજા, એસ.વી. આહિર, પીએસઆઈ વાય.જી. ગઢવી, એમ.બી. ગામીત અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. નવસારી ટાઉન પોલીસ હવે આ ગેંગ અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે તેની વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:47 pm

પાટણ નેત્રમ ટીમે ગુમ મોબાઈલ શોધી પરત કર્યો:રીક્ષામાં ભૂલાયેલો 12,000નો મોબાઈલ CCTVની મદદથી મળ્યો

પાટણ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે VISWAS પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરાની મદદથી રીક્ષામાં ભૂલાયેલો એક કિંમતી મોબાઈલ શોધી કાઢ્યો છે. આ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. પાટણ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ, જિલ્લામાં VISWAS પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરાનો ઉપયોગ કરીને પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવે છે. આ અંતર્ગત, પાટણના રહેવાસી પરેશભાઈ ઠક્કરે નેત્રમનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તેઓ સિદ્ધપુર ચાર રસ્તા પાસેથી રીક્ષામાં મુસાફરી કરતી વખતે આશરે ₹12,000ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ રીક્ષામાં ભૂલી ગયા હતા. પરેશભાઈની ફરિયાદ મળતા જ નેત્રમ ટીમે તાત્કાલિક સર્વેલન્સ કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજના આધારે, ટીમે સંબંધિત રીક્ષાની ઓળખ કરી તેનો નંબર GJ38WA3372 મેળવ્યો. રીક્ષા ચાલકનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે પરેશભાઈ ઉતર્યા બાદ અન્ય એક અજાણ્યા મુસાફર રીક્ષામાં બેઠા હતા જેઓ રૂની ખાતે ઉતર્યા હતા. નેત્રમની ટીમે તાત્કાલિક રૂની પહોંચી તપાસ કરતા ખોવાયેલો મોબાઈલ મળી આવ્યો. પોલીસે આ મોબાઈલ પરેશભાઈ ઠક્કરને પરત સોંપ્યો. આ કામગીરીમાં પો.સ.ઈ. એચ.એસ. પટેલ, પો.વા.સ.ઈ. જે.એલ. રાજપુત, સીનીયર એન્જીનીયર દિપક ઠક્કર અને આ.પો.કો. મહેશકુમાર ભુદરભાઇ જોડાયા હતા. પોતાનો કિંમતી મોબાઈલ પરત મળતા પરેશભાઈએ પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:46 pm

જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:હાર્દિક પંડ્યા રવાના થયા બાદ ઈ-મેઈલ મળ્યો, સર્ચ ઓપરેશન શરૂ

દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાની વિદાય બાદ ધમકી મળતા તંત્ર વિશેષ વિગતો મુજબ, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટથી રવાના થયાના થોડા જ સમય બાદ આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગઈ હતી. જામનગર એસપી ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત એસઓજી અને એલસીબીની ટીમોએ એરપોર્ટ પર ધામા નાખ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગજામનગર એરપોર્ટ એરફોર્સના કાર્યક્ષેત્ર (ડિફેન્સ એરિયા) હેઠળ આવતું હોવાથી તેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઈટમાં આવતા અને જતા તમામ મુસાફરોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ પૂરતું એરપોર્ટની અંદર કોઈપણ અજાણ્યા વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આર્મી અને એરફોર્સના અધિકારીઓની દોડધામએરપોર્ટ સંકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ગાડીઓની અવરજવર પણ વધી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ધમકીભર્યા ઈ-મેઈલના મૂળ સુધી પહોંચવા માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર એરપોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:32 pm

મોદી સરકાર તને જલ્દી પાછો લાવશે, આખું હિન્દુસ્તાન તારી સાથે:યુક્રેનમાં ફસાયેલા મોરબીના સાહિલ સાથે માતાની વાતચીતનો ભાવુક વિડીયો, વકીલ દીપા જોસેફ સાહિલને મળ્યાં

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ફસાયેલા અને હાલ યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સાહિલ તેના વકીલ દીપા જોસેફ સાથે જોવા મળી રહ્યો છે અને લાંબા સમય બાદ તેણે પોતાની માતા સાથે વ્હોટ્સએપ વીડિયો કોલ પર વાત કરીને હૈયાધારણ મેળવી હતી. યુક્રેનમાં કેવી રીતે ફસાયો સાહિલ?મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં પોતાનો ખર્ચ કાઢવા માટે તે કુરિયર સર્વિસમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો. કમનસીબે, એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવતા તેને રશિયામાં જેલ થઈ હતી. બાદમાં રશિયન સત્તાવાળાઓ દ્વારા તેને જેલમાંથી મુક્ત કરી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. સાહિલ યુદ્ધ કરવા ઈચ્છતો ન હોવાથી, તેણે 3 ઓક્ટોબર, 2025ના રોજ યુક્રેનની સરહદ પર પહોંચીને આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. વકીલ દીપા જોસેફે સાહિલ સાથે મુલાકાત કરીદિલ્હીના જાણીતા વકીલ દીપા જોસેફ સાહિલની મદદ માટે છેક યુક્રેન પહોંચ્યા હતા. તેમણે ડિટેન્શન સેન્ટરમાં સાહિલની મુલાકાત લીધી અને તેને ખાવા-પીવા સહિતની થોડી જીવન જરૂરી વસ્તુઓ પણ આપી હતી. દીપા જોસેફે સાહિલનું ઇન્ટરવ્યુ કર્યું હતું. ઇન્ટરવ્યુ દરમિયાન સાહિલે જણાવ્યું કે રશિયામાં અભ્યાસ કે રોજગાર માટે આવતા વિદેશી યુવાનોને કઈ રીતે ષડયંત્રમાં ફસાવવામાં આવે છે. મોરબીથી રશિયા અને ત્યાંથી યુક્રેનની જેલ સુધીની તેની આપવીતી તેણે વર્ણવી હતી. મોદી સરકાર તને પરત લાવશે : સાહિલની માતાવકીલ દીપા જોસેફે પોતાના ફોનથી સાહિલને તેની માતા સાથે વોટ્સએપ વિડીયો કોલ દ્વારા વાત કરાવી હતી. વીડિયોમાં સૌથી ભાવુક પળ ત્યારે આવી જ્યારે સાહિલે તેની માતા હસીનાબેન માજોઠી સાથે વાત કરી. હસીનાબેને પોતાના દીકરાને હિંમત આપતા કહ્યું કે, બેટા ગભરાતો નહીં, તું યુક્રેનમાં આવી ગયો એ તે બહું સારું કર્યું છે. તારી સાથે આખું હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની મીડિયા ઉભી છે. મોદી સરકાર તને જલ્દી પાછો લાવશે, તેના પર વિશ્વાસ રાખ.” સાહિલની માતાની માતાની ભારત સરકાર સમક્ષ રજૂઆતસાહિલની માતા સતત ગુજરાત સરકાર અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. વકીલ દીપા જોસેફ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસો અને વીડિયો વાયરલ થયા બાદ હવે સાહિલની વહેલી તકે વતન વાપસી થાય તેવી આશા મોરબીવાસીઓ અને તેના પરિવારમાં જાગી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:22 pm

યુવકનું માથું લોખંડની જાળીમાં ભટકાડ્યું, લાત-મુક્કાઓથી માર્યો:પ્રત્યકદર્શી:વડોદરાના જશોદાનગરમાં યુવકની હત્યા, ઉત્તરાયણ પર્વમાં પરિવારનો કુળદીપક બુઝાયો

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા જશોદાનગર વિસ્તારમાં એક યુવકની નિર્મમ હત્યા થઈ છે. યુવક ભત્રીજીના જન્મદિવસની ઉજવણી કરીને ઘરે જવા નીકળી રહ્યો હતો, આ સમયે તેની હત્યા થઈ હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ઘટનાને પગલે મકરપુરા પોલીસની ટીમ ઘટના દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવક ભત્રીજીના જન્મદિવસની ઉજવણી કરીને ઘરે જવા નીકળ્યો ને પતાવી દીધોસુશીલાબેન પત્ની બિટુ ગજાનંદ પટેલ (ઉંમર 45, રહેવાસી એ/8, શિવશક્તિનગર, જશોદા કોલોની, મકરપુરા, વડોદરા)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના દીયર અનુપ ગજાનંદ પટેલ (ઉંમર 40) તેમની પત્ની સુનિતાબેન તથા બાળકો સાથે આમ્રપાલી કોમ્પ્લેક્ષ, ફ્લેટ નં. એફ-1, પહેલો માળ, મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે રહે છે. અનુપભાઈ જીઇવરનોવા કંપની, હાલોલ ખાતે શિફ્ટ વાઇઝ નોકરી કરે છે. ચાવીને લઈને બોલાચાલી થઈને ઝઘડો વધ્યો13 જાન્યુઆરીના રોજ રાત્રે અંદાજે 9:30 વાગ્યે મારી મોટી દીકરી અંશીકાનો જન્મદિવસ હોવાથી અનુપભાઈ અમારા ઘરે આવ્યા હતા. ત્યાં થોડીવાર બેસીને બર્થડે વિશ કર્યા બાદ તેઓ નોકરી માટે નીકળ્યા હતા. ઘરની બહાર વાતચીત દરમિયાન અચાનક પડોશી રાહુલ યાદવ (મનુ યાદવનો દીકરો) તથા તેની સાથેનો બીજો એક વ્યક્તિ આવ્યો હતો અને અનુપભાઈ સાથે ચાવીને લઈને બોલાચાલી ઝઘડો શરૂ કરી દીધો હતો. રાહુલે અનુપભાઈને બે-ત્રણ થપ્પડ માર્યા હતા. મેં તેમને છુટા પાડ્યા હતા, પરંતુ થોડીવાર બાદ ફરી ઝઘડાનો અવાજ આવતા બહાર આવ્યા તો રાહુલ યાદવ ફરીથી અનુપભાઈને મારવા લાગ્યો હતો. આ દરમિયાન મારા મમ્મી-પપ્પા, બહેન મંજુ, ભાઈ સંજીવ, ભાભી મમતાબેન વગેરે પણ આવી ગયા હતા અને ઝઘડો અટકાવવાના પ્રયાસ કર્યા હતા. લોખંડની ગ્રીલ સાથે અથડાવ્યા અને નીચે પાડી દીધોત્યારબાદ સુભાષ યાદવ પણ આવીને અનુપભાઈને મારવા લાગ્યા હતા. રાહુલે મારું ગળું પકડી લીધું અને તેમની સાથે તથા બહેન-ભાઈ સાથે પણ મારામારી કરી હતી. અનુપભાઈ ઘરમાં ઘુસવાની કોશિશ કરતા તેમને લોખંડની ગ્રીલ સાથે અથડાવ્યા અને નીચે પાડી દીધા હતા. આ દરમિયાન મનુ યાદવ (રાહુલના પિતા) દંડો લઈને આવ્યા અને અનુપભાઈને મારવા લાગ્યા હતા. અનુપભાઈ ઘરમાં ઘુસી ગયા તો રાહુલ પણ તેમની પાછળ ઘરમાં ઘુસી ગયો હતો. બીજા કેટલાક અજાણ્યા લોકો બહાર બહેન-ભાઈ સાથે ઝઘડતા હતા. મંજુબેને પોલીસને ફોન કરતાં બધા નાસી ગયા હતા. દરવાજે બેભાન હાલતમાં પડેલો યુવકનું ઢીમ ઢળી ગયુંઘરમાં પરત આવતાં અનુપભાઈ પાછળના દરવાજે બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. અનુપભાઈનો દીકરો આકાશ આવ્યો અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પોલીસ અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ અનુપભાઈને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક અનુપભાઈની પત્ની સુનિતાબેન પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી રાહુલ યાદવ, સુભાષ યાદવ, મનુ યાદવ સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. 'હું વચ્ચે પડી ત્યારે મને પણ બે-ત્રણ લાફા મારી ને ગાડી સાથે અથડાવી'મકરપુરામાં થયેલ હત્યા મામલે પ્રત્યક્ષદર્શી મંજુબેન પટેલે જણાવ્યું હતું કે, અમે જ્યારે ઘરની બહાર નીકળ્યા ત્યારે 4-5 લોકો એક વ્યક્તિને મારી રહ્યા હતા. અમે જેવી તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે પણ એ લોકો તેને મારી રહ્યા હતા અને તેને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જોતજોતામાં ત્યાં 20થી 25 લોકોનું ટોળું આવી ગયું. એ બધા જ ભેગા મળીને પેલા એક વ્યક્તિને મારવા લાગ્યા હતા. જ્યારે હું વચ્ચે પડી ત્યારે મને પણ બે-ત્રણ લાફા મારી દીધા અને ગાડી સાથે અથડાવી હતી. એ લોકોએ યુવક અનુપનું માથું લોખંડની જાળીમાં ભટકાડ્યું અને તે નીચે પડી ગયો હોવા છતાં તેને લાત-મુક્કાઓથી મારતા રહ્યા હતા. 'આ લોકો 'બાહુબલી' છે, એમની સામે કોઈ બોલી શકતું નથી'સ્થાનિક રામખેર પટેલે જણાવ્યું હતું કે, આ શિવશક્તિ નગર છે. અહીં બહુ મોટી બબાલ થઈ છે. આ લોકો તેમની ગાડીઓ રસ્તાની વચ્ચે ડબલ રોડ પર પાર્ક કરે છે. આ લોકો 'બાહુબલી' છે, એમની સામે કોઈ બોલી શકતું નથી. આ લોકો અહીં મારવા આવ્યા હતા. જ્યારે અમે વચ્ચે બચાવવા પડ્યા, ત્યારે અમને પણ ધક્કા માર્યા હતા. મને શ્વાસ લેવાની તકલીફ છે, જો મને કંઈ થઈ ગયું હોત તો આ લોકોની જવાબદારી હોત. એ લોકોએ મને માર્યો નથી, પણ જોરદાર ધક્કા-મુક્કી કરી હતી. મારવા આવ્યા એ મનુભાઈના છોકરાઓ છે, યાદવ લોકો છે. એ લોકો પોતાને બાહુબલી સમજે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 1:07 pm

પોરબંદર પોલીસે મારામારીના આરોપી ‘ટાર્ઝન’ સાથે રિ-કન્સ્ટ્રક્શન કર્યું:ઘટનાસ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કરાયા

પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે ટાર્ઝનને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી તપાસના ભાગરૂપે પુરાવા એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ગંભીર ઘટના બની હતી. જેમાં આરોપી સમીર ઉર્ફે ટાર્ઝન વિરુદ્ધ અન્ય વ્યક્તિ પર હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આ પગલું ભર્યું છે. ગુનાના મૂળ સુધી પહોંચવા અને પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસે આરોપી પાસેથી હુમલો ક્યાં થયો, કયા હથિયારનો ઉપયોગ થયો અને ઘટના સમયે અન્ય કોણ હાજર હતું તે સહિતની વિગતોનું પુનરાવર્તન કરાવ્યું હતું. આરોપીને જાહેરમાં ઘટનાસ્થળે લઈ જવામાં આવતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ રિ-કન્સ્ટ્રક્શન કોર્ટમાં કેસ ચલાવતી વખતે મજબૂત પુરાવા તરીકે મદદરૂપ થશે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આરોપીના અન્ય સાગરીતોની સંડોવણી અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:48 pm

વેરાવળમાં પ્રતિબંધિત ઇ-સીગારેટનો વેપલો:SOGએ રૂ. 29,500ના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવાના હેતુસર જિલ્લા પોલીસે પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ અને હુકા સંબંધિત સામગ્રીના ગેરકાયદે વેપાર સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પો.સબ ઇન્સ્પેક્ટર આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાની ટીમ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. દેવદાનભાઈ માણંદભાઈ, પો.હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ અને પો.કોન્સ્ટેબલ નદીમભાઈ શેરમહમદભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે વેરાવળ વિસ્તારમાં પ્રતિબંધિત ઇ-સીગારેટનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. મળેલી બાતમીના આધારે, પોલીસ ટીમે વેરાવળ બહારકોટ ચાર ચોક નજીક આવેલા દર્શન એપાર્ટમેન્ટના રૂમ નં. 02 પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, લક્કી કોલોની, સોમનાથ ટોકિઝ પાસે, વેરાવળના રહેવાસી સૈફ આરિફભાઈ પોપટપોત્રા (ઉંમર 29 વર્ષ)ના કબજામાંથી અલગ-અલગ કંપની અને વિવિધ ફ્લેવરની પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ તેમજ નશાકારક પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતી હુકા એસેસરીઝનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ELFBAR 600 Disposable Pod કંપનીની 75 નંગ ઇ-સીગારેટ (કિંમત રૂ. 15,000), ROMIYO કંપનીની ચાઇના બનાવટની 5 નંગ ઇ-સીગારેટ (કિંમત રૂ. 1,000), હુકા માટે ઉપયોગમાં લેવાતા 170 પેકેટ ફોઇલ પેપર (કિંમત રૂ. 8,500) અને 1 નંગ મોબાઇલ ફોન (કિંમત રૂ. 5,000) મળી કુલ રૂ. 29,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ The Prohibition of Electronic Cigarettes Act – 2019 અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને વેચાણ કરવામાં આવતું હતું તે અંગે તપાસ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પ્રતિબંધિત ઇ-સીગારેટ, હુકા અથવા નશાકારક સામગ્રીના ગેરકાયદે વેપાર અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી. શાખાને જાણ કરે, જેથી યુવા પેઢીને નશાની લતથી બચાવી શકાય અને જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:47 pm

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસે પંચવિધ સેવાયજ્ઞ:મહારક્તદાન, મેમોગ્રાફી, સુપોષણ, 'કેચ ધ રેઇન' અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન

જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના ધારાસભ્ય બન્યા પછીના ચોથા જન્મદિવસની ઉજવણી પાંચ વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરી હતી. મકરસંક્રાંતિના પર્વ, 14 જાન્યુઆરીના રોજ રણજીત નગર સ્થિત કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજ ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. આ પંચવિધ સેવાયજ્ઞમાં મહારક્તદાન કેમ્પ, 79-વિધાનસભા વિસ્તારના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનું અભિયાન, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે મેમોગ્રાફી અભિયાન, 'કેચ ધ રેઇન' કાર્યક્રમનો અમલ અને 'પ્લાસ્ટિક મુક્ત જામનગર' અભિયાનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. અગાઉના જન્મદિવસ પર યોજાયેલા કેમ્પમાં 525 બોટલ રક્ત એકત્ર કરાયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગરીબ દર્દીઓ અને થેલેસેમિયાના બાળકો માટે બ્લડ બેંકમાં જમા કરાવાયું હતું. કુપોષણથી સુપોષણ સુધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અભિયાન અંતર્ગત, ધારાસભ્યએ પ્રથમ જન્મદિવસે 251 કુપોષિત બાળકોને દત્તક લીધા હતા. અત્યાર સુધીમાં 700થી વધુ બાળકો સુપોષિત બન્યા છે. હાલમાં બાકી રહેલા 61 કુપોષિત બાળકોને દત્તક લેવાયા છે, જેથી 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના તમામ બાળકો સુપોષિત બન્યા છે. સ્તન કેન્સરની જાગૃતિ માટે જામનગર શહેરની 1863 બહેનોને જાગૃત કરીને તેમની મેમોગ્રાફી સ્ક્રિનિંગ કાર્યવાહી કરાઈ હતી. તેમાંથી 15 બહેનોના રિપોર્ટ પોઝિટિવ આવતા, તેમની આગળની સારવાર માટે ધારાસભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના મહત્ત્વપૂર્ણ 'કેચ ધ રેઇન' કાર્યક્રમ અંતર્ગત જામનગરના 3000 જેટલા એકમોમાં તેનો અમલ કરાવવાનો નિર્ધાર કરાયો છે. આ ઉપરાંત, જામનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:43 pm

ભરૂચમાં ઉતરાયણની ઉજવણી, આકાશ પતંગોથી છવાયું:જિલ્લાવાસીઓએ દાન-પુણ્ય સાથે પર્વની ઉજવણી કરી

ભરૂચ જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અનુકૂળ પવનને કારણે જિલ્લાવાસીઓએ વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગો ચગાવી હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું, અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો અને બાળકો વહેલી સવારથી જ ધાબા પર પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં સવારથી જ ઉતરાયણનો માહોલ જામ્યો હતો અને બપોર બાદ પણ પતંગ રસિયાઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌમાતાનું પૂજન કરવાની પરંપરા મુજબ, ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેમને ઘાસચારો અને ઘૂઘરી અર્પણ કરી હતી.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ તેમના માતૃશ્રી સાથે પાંજરાપોળની મુલાકાત લીધી હતી.તેમણે ગાય માતાનું પૂજન કરી ઘાસ ખવડાવ્યું હતું. ત્યારબાદ, તેમણે સ્લમ વિસ્તારના બાળકોને પતંગ, ફિરકી અને ચીકીનું વિતરણ કરીને ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉતરાયણ પર્વ નિમિત્તે શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઊંધિયું અને જલેબીની જયાફતનો વિશેષ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. બે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઊંધિયા-જલેબીના સ્ટોલ લાગ્યા હતા, જ્યાં લોકોએ પરંપરાગત સ્વાદનો આનંદ માણ્યો હતો. ધાબા પર ચઢેલા પતંગ રસિયાઓ વચ્ચે આકાશી યુદ્ધ પણ જોવા મળ્યું હતું. એકબીજાની પતંગ કાપતા ‘એ કાપ્યો છે… એ લપેટ… એ હેંડી…’ જેવી ચીચીયારીઓ અને પીપૂડાના અવાજોથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:41 pm

અમરેલીમાં મંત્રી કૌશિક વેકરીયાએ પતંગ ઉત્સવ ઉજવ્યો:સાંસદ ભરત સુતરીયા પણ કાર્યકરો સાથે જોડાયા

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉજવણી ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે અમરેલીમાં રાજ્ય કક્ષાના ઊર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરીયા અને લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે રાજકીય આગેવાનો પરિવારજનો સાથે ઉત્તરાયણ ઉજવતા હોય છે, ત્યારે મંત્રી કૌશિક વેકરીયાએ સામાન્ય કાર્યકરની જેમ ધાબા પર ચઢી પતંગ ઉડાવી હતી. તેમની આ સાદગીભરી અને લોકસંપર્કસભર ઉજવણીથી કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ ઉત્સવ દરમિયાન કાઈ પો છેના નારાથી વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, આજે માત્ર પતંગ નહીં, પરંતુ વિકાસની પતંગ આકાશમાં ઉડી રહી છે. ગુજરાત અને દેશ વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે. તેમણે તમામ નાગરિકોને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત પતંગ ઉડાવવાની અપીલ પણ કરી હતી. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાએ વધુમાં કહ્યું કે, ઉત્તરાયણ પર્વ લોકો પરિવાર અને ભાઈબંધો સાથે ઉજવે છે. રાજ્ય અને દેશમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. તેમણે સોમનાથના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાને વિશ્વને સંદેશ આપ્યો છે. આજના દિવસે વિકાસના કાર્યો થતા રહે તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પતંગ ઉત્સવ માત્ર તહેવારની ઉજવણી પૂરતો સીમિત ન રહેતા, કાર્યકરો અને નેતાઓ વચ્ચેના આત્મીય સંબંધો તેમજ સંગઠનની એકતા દર્શાવતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 12:30 pm

દસાડાના રાજપર ખાતે નવી GIDC મંજૂર:સુરેન્દ્રનગરના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, ધારાસભ્યે લોકો વતી સરકારનો આભાર માન્યો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રાજપર ગામ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી GIDC (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. રાજપર ખાતે આકાર પામનારી આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઉદ્યોગો માટે તેમજ સ્થાનિક રોજગારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. નવા ઉદ્યોગો આવવાથી દસાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો મળશે અને આર્થિક ગતિવિધિઓ તેજ બનશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મંજૂર કરવા બદલ સુરેન્દ્રનગરની જનતા વતી રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિશેષ ઋણ સ્વીકારવામાં આવ્યો છે. આ નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લાને 'સ્માર્ટ અને આત્મનિર્ભર' બનાવવાની દિશામાં વેગ આપશે. રાજપર હવે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતનું નવું ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:49 am

ઉત્તરાયણ પર્વની ઉજવણી:પતંગરસિયાઓએ અગાસીઓમાં ખાણીપીણી, બુમોથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે

ભાવનગર શહેરમાં મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા પરંતુ જોવે એટલા પંતગ ચગ્યા ન હતા, ધીમે ધીમે ઉત્તરાયણ નો ક્રેઝ ઘટતો જાય છે, ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહ પરિવાર પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પપુડા, શેરડી, તલ-ગોળ ની બનાવટની ચીકીઓ સાની સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ લોકો અગાસીમાં ચડી ગયા હતા મકરસંક્રાંતિના દિવસે ગૌવંશોને લીલો ચારો આપવાનું અનેરું ધાર્મિક મહત્વ હોય પરિણામે રજકો, લીલી જુવાર,શેરડીના આગળા સહિતનો પશુ ચારો પણ જીવદયા પ્રેમીઓ, પરોપકારી ઓએ મોટા પ્રમાણમાં દાન પૂર્ણ નું મહત્વ છે, અનેક પરિવારોએ દર વર્ષની માફક આ વર્ષે પણ ગેસના રંગબેરંગી ફુગ્ગાઓ ખરીદી કરવા ઉમટ્યા હતા, ભાવનગર શહેર-જિલ્લા માં મકરસંક્રાંતિ ના દિવસ પૂર્વે લોકો માં ઉત્સાહ ની ઉણપ જોવા મળી રહી હતી, પરંતુ ગમે તેવી તકલીફો વચ્ચે પણ ઉત્સવપ્રધાન ભાવેણાવાસીઓ આફતને અભેરાઈએ ચડાવી તહેવારોને પ્રધાન્યતા આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:46 am

પોરબંદર ભોજેશ્વર પ્લોટ પાસે હથિયારોથી હુમલો:જૂના ઝગડાના મનદુઃખમાં સામસામે ફરિયાદ નોંધાઈ

પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર પાસે જૂના ઝઘડાના મનદુઃખને કારણે હથિયારો વડે સામસામે હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે આલય, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ મુજબ, અગાઉના ઝઘડાના કારણે આરોપીએ આઇમા પાનની દુકાને જઈ એક યુવકની ગેરહાજરીમાં ગાળો આપી હતી. આ અંગે ફરિયાદીએ ફોન પર પૂછપરછ કરતા આરોપીએ તેને વાડી પ્લોટ બોલાવ્યો હતો, જ્યાં સમાધાન થયું હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ફરિયાદીનો મિત્ર આરોપીને તેના ઘરે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ ફરિયાદીને ખીજડી પ્લોટ મામાદેવ મંદિર પાસે બોલાવ્યો. ત્યાં આરોપીએ ફરિયાદીને ઝાપટ મારી, જમીન પર પડેલા પથ્થરથી ડાબા ખભા પાસે ઘા કર્યો અને છરી વડે માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. બીજી ફરિયાદ અનુસાર, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયાએ પણ જૂના ઝઘડાના મનદુઃખને કારણે ફરિયાદીને મામાદેવ મંદિર પાસે બોલાવી ગાળો આપી હતી. ફરિયાદી સમાધાન માટે વાડી પ્લોટ શાક માર્કેટ પાસે ગયો ત્યારે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં ફરીથી મામાદેવ મંદિર પાસે પહોંચતા આરોપીએ ફરિયાદીને ઝાપટ મારી અને પોતાની પાસે રહેલી બંધ છરીના હાથા વડે ડાબા કાનની પાછળ ઇજા કરી હતી. અન્ય આરોપીએ હાથમાં પહેરેલા પંચ વડે જમણા ખભા તથા ડાબી બાજુ પડખાના ભાગે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:42 am

તિલકનગર પમ્પિંગ પાસેથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ:ચોરખાનામાંથી 680 વિદેશી દારૂની બોટલો સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગરમાં એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઓટો રીક્ષા ઝડપી પાડી છે. શહેરના તિલકનગર પમ્પિંગ પાસે રેઇડ દરમિયાન રિક્ષાના ચોરખાના માંથી દારૂ મળ્યો હતો, જોકે રીક્ષા ચાલક ફરાર થયો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો રીક્ષા ચોરખાનામાંથી છૂપાવ્યો હતોઆ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહતી મુજબ 13 જાન્યુઆરીના રોજ ભાવનગર એલ.સી.બી.પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી આધારે ઓટો રીક્ષા રજી નં.GJ-04-AU-7799માં ચોર ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ઓટો રીક્ષા તિલકનગર પમ્પીંગ પાસે પડેલ છે. 680 વિદેશી દારૂની બોટલો સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્તજે બાતમીવાળા સ્થળ પર રેઇડ કરી તપાસ કરતા રીક્ષાના ચોરખાના માંથી લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી 180 ML પ્લાસ્ટીકની બોટલ 680 નંગ કિ.રૂ.1,79,520 મળી આવી હતી જોકે રેઇડ દરમિયાન રીક્ષા ચાલક ફરાર થયો હતો. ત્યારે LCB ટીમે 680 વિદેશી દારૂની બોટલો અને રીક્ષા મળી કુલ રૂપિયા 3,29,520 નો મુદ્દામાલ ઝડપી પાડી રીક્ષા ચાલક વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:40 am

ગાંધીનગરમાં રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલ:CMએ 10 મિનિટ પતંગ ચગાવ્યો, ધારાસભ્ય દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ભવ્ય આયોજન

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 જાન્યુઆરી, 2026ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-4 ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી 10 મિનિટ માટે પતંગ ચગાવી રવાના થયા છે. રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલઉત્તરાયણના પરંપરાગત ઉત્સાહ અને સાંસ્કૃતિક માહોલને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ પતંગોત્સવમાં રંગબેરંગી પતંગો, સંગીત અને ઉત્સવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ કાર્યક્રમ આનંદ અને મનોરંજનનું કેન્દ્ર બન્યો છે. આ પતંગોત્સવમાં પરિવાર સાથે જોડાઈને ઉજવણી કરવા સહાય ફાઉન્ડેશન દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:36 am

અમદાવાદમાં શુધ્ધ ઘીની જલેબી, સુરતી ઊંધિયાની ડિમાન્ડ વધુ:ગ્રાહકોએ કહ્યું ફાફડા, જલેબી અને ઊંધિયા વગર ઉત્તરાયણ અધુરી; પતંગ ચગાવાની સાથે ખાણીપીણીની મોજ

અમદાવાદીઓમાં ઉતરાયણના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ચગાવતા પહેલા અમદાવાદીઓએ ફાફડા જલેબી અને ઊંધિયાની ખરીદી માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી જ અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાના એટલા શોખીન છે કે પતંગ દોરી હાથમાં આવે તે પહેલાં જ તેમના હાથમાં ફાફડા, જલેબી અને ઊંધિયુ આવી ગયું છે. ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી માટે અમદાવાદીઓની લાઇનઅમદાવાદ શહેરની તમામ દુકાનો પર અમદાવાદીઓની લાઇન જોવા મળી રહી છે. તમામના ભાવ વધ્યા હોવા છતાં લોકોની ડિમાન્ડમાં ઘટાડો ન થયો હોવાની દુકાનદારો માની રહ્યા છે. તેમજ ગ્રાહકો પણ કહી રહ્યા છે કે ફાફડા, જલેબી અને ઊંધિયા વગર ઉત્તરાયણ અધૂરું ગણાય છે. સુરતી ઊંધિયું અમદાવાદીઓની પ્રથમ પસંદગીઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ આખું તહેવારી રંગે રંગાયું છે. પતંગ ચગાવાની તૈયારી સાથે સાથે અમદાવાદીઓએ ફાફડા-જલેબી અને ઊંધિયાની ખરીદી શરૂ કરી દીધી છે. શહેરની પ્રખ્યાત મીઠાઈ અને ફરાળની દુકાનો પર વહેલી સવારથી જ લોકોની ભીડ ઉમટી પડી છે. આ વર્ષે ખાસ કરીને શુદ્ધ ઘીમાં બનેલી જલેબી, ફાફડા અને કચોરી અને ઊંધિયાની ભારે માંગ જોવા મળી છે. સુરતી ઊંધિયું અમદાવાદીઓની પ્રથમ પસંદગી બની ગયું છે. તહેવારને કારણે ભાવમાં વધારો જોવા મળ્યોભાવની વાત કરીએ તો તહેવારને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે, છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી. શહેરમાં ફાફડાના ભાવ 750 રૂપિયે પ્રતિ કિલો, શુદ્ધ ઘીમાં બનેલી જલેબીના 900 અને ઊંધિયુંના 550 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે. ‘ચટાકેદાર ઊંધિયું, શુદ્ધ ઘીની જલેબી અને કચોરીની અત્યારે ખૂબ ડિમાન્ડ’વેપારી અલ્પેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના કારણે ચટાકેદાર ઊંધિયું, શુદ્ધ ઘીની જલેબી અને કચોરીની અત્યારે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે. દર વખત જેટલી જાવ વખતે ડિમાન્ડ જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ લોકો લાઈન લગાવીને ખરીદી માટે પહોંચી ગયા છે. સીંગતેલમાં બનાવેલા ફાફડા 750 રૂપિયા કિલો, જલેબી 800થી 900 રૂપિયા અને ઊંધિયું 550 રૂપિયા છે. ઉતરાયણનો તહેવાર તમામ લોકો માનવતા હોવાથી ફાફડા, જલેબી અને ઊંધિયા માટે પણ લોકોની ડિમાન્ડ રહેતી હોય છે. 'ફાફડા જલેબી અને ઊંધિયુ હોય તો તહેવારમાં વધારે મજા પડે'ગ્રાહક મોનાબેને જણાવ્યું હતું કે, ઉતરાયણનો તહેવાર હોવાથી આજે અમે ગાંઠિયા ખાવા માટે આવ્યા હતા. અમારા તમામ લોકોના ગાંઠિયા અને જલેબી ખૂબ પસંદ છે. ઊંધિયું અને કચોરી પણ ઘરે લઈ જઈ રહ્યા છીએ. ઉત્તરાયણ ફાફડા, જલેબી અને ઊંધિયા વગર અધુરી રહી જાય છે. જો ફાફડા જલેબી અને ઊંધિયુ હોય તો તહેવારમાં વધારે મજા આવતી હોય છે

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:21 am

2000થી વધુ પક્ષીઓનાં જીવ બચાવાશે:રાજકોટમાં ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષીઓની સારવાર માટે 7 કેન્દ્રો ઉભા કરાયા, 30 જેટલા ડૉક્ટર્સ સહિત 80થી વધુનો સ્ટાફ ખડેપગે

દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજકોટના અલગ અલગ 7 કેન્દ્રો અને એક હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત થયા છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જેમાં 30 વેટરનિટી તબીબોની સાથે કુલ 80 કરતા વધુનો સ્ટાફ સતત ખડેપગે રહીને ઘાયલ પક્ષીઓની સારવાર કરી રહ્યા છે. આજે તેમજ કાલે એમ બે દિવસમાં જ 2000 કરતા વધુ પક્ષીઓનો આ અભિયાન દ્વારા જીવ બચાવવામાં આવશે. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે મુખ્ય કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આજથી શરૂ થયેલા કરુણા અભિયાનના મેડિકલ કેમ્પના ડૉ. દીપ સોજીત્રાએ જણાવ્યું હતું કે, 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં કરુણા અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 7 સ્થળોએ આવેલા જુદા-જુદા કેન્દ્રોમાં 30 ડૉક્ટર્સ અને અન્ય પેરામેડિકલ સહિતનો સ્ટાફ મળીને 80-85 લોકો સેવા આપી રહ્યા છે. આજે અને આવતીકાલે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીનાં રોજ મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓ અમારા કેન્દ્રોમાં આવતા હોય છે. અમારા હેલ્પલાઇન નબરો 9898019059ની સાથે જ સરકારી હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરતા અમારી ટીમો સ્થળ પર પહોંચી જાય છે. મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ની દોરીના કારણે કબૂતર, હોલો, બગલો, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. આ પક્ષીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને અહીં લાવવામાં આવે છે. અને તેની સારવાર કરવામાં આવે છે. પક્ષીઓની પાંખ કે ગરદન તૂટી ગઈ હોય તો ત્યાં ટાંકા લઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ તે જ્યાં સુધી સાજુ ન થાય ત્યાં સુધી શેલ્ટરમાં રાખવામાં આવે છે. કોઈપણ પક્ષી સ્વસ્થ થયા બાદ તેને આકાશમાં વિહરવા માટે મુક્ત કરવામાં આવે છે. ગત વર્ષે મકરસંક્રાંતિનાં તહેવારોમાં 13, 14 અને 15 જાન્યુઆરીના મેડિકલ કેમ્પ કાર્યરત હતો. જે દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયેલા 2000 પક્ષીઓ આવ્યા હતા. જેમાંથી 1,400 પક્ષીઓની કેમ્પ સ્થળે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે 400 પક્ષીઓના મૃત્યુ થયા હતા. આ વર્ષે પણ અલગ-અલગ કેન્દ્રોમાં મળીને 2000 કરતા વધારે ઘાયલ પક્ષીઓ અહીં આવે તેવી શક્યતા હોવાથી તે મુજબનો સ્ટાફ અને દવા સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે. અને તમામ ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા અમારી ટીમો સતત ખડેપગે છે. કરુણા ફાઉન્ડેશનનાં કેન્દ્રો અને હોસ્પિટલ 1.ત્રિકોણબાગ, રાજકોટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન2.અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ 3.અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,૧૫૦ ફૂટ રીંગ રોડ4.અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ5.અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 6.બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 7.કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી8.શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ ઉલ્લેખનીય છે કે, કરુણા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 22 વર્ષથી દરવર્ષે મકરસંક્રાંતિનાં તહેવારો દરમિયાન ઠેર-ઠેર ઘવાયેલા પક્ષીઓની સારવાર માટેના કેન્દ્રો ઉભા કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં મળીને હજારોની સંખ્યામાં પતંગના દોરથી ઘાયલ થયેલા પક્ષીઓ આ કેન્દ્રોમાં આવે છે. અહીં મોટી સંખ્યામાં નિષ્ણાત તબીબો સહિતના સ્ટાફ દ્વારા આ પક્ષીઓની જરૂરી સારવાર કરવામાં આવે છે. અને જ્યાં સુધી પક્ષી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને શેલ્ટર હોમમાં રાખ્યા બાદ આકાશમાં છોડી દેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:20 am

નવસારીમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યૂ:ઓપરેશન થિયેટરમાં સારવાર, જાગૃતિથી મૃત્યુદરમાં ઘટાડો

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા નવસારીમાં વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. શહેરમાં પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને ઓપરેશન થિયેટર ઊભા કરાયા છે, જ્યાં પશુચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. લોકોમાં આવેલી જાગૃતિને કારણે પક્ષીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવ કેન્દ્ર અને ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે. અહીં પશુચિકિત્સકો ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી રહ્યા છે. મકરસંક્રાંતિ સહિત ત્રણ દિવસ સુધી આ કામગીરી સતત ચાલુ રહેશે. વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ પોતાના માળામાં આવન-જાવન કરતા હોય છે, ત્યારે પતંગના ધારદાર દોરાથી તેઓ ઘાયલ થાય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ આવી છે. ભગવાન મહાવીર કરુણા સંસ્થા સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલા જૈનમ શાહના જણાવ્યા અનુસાર, લોકો હવે ઘાયલ પક્ષીઓની માહિતી એનજીઓને ફોન કરીને આપે છે, જેનાથી રેસ્ક્યુ કામગીરી સરળ બની છે. મકરસંક્રાંતિ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા એનજીઓના સંપર્ક નંબર પ્રસારિત કરવામાં આવે છે. લોકો ઘાયલ પક્ષીઓના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અથવા સીધા એનજીઓને જાણ કરે છે, જેથી સ્વયંસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી પક્ષીઓને બચાવી શકે. આ જાગૃતિના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. વર્ષો પહેલાં મકરસંક્રાંતિ દરમિયાન 100 થી વધુ પક્ષીઓના મોત થતા હતા, તેની સામે હવે 100 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ થાય છે અને મૃત્યુઆંક બેથી વધુ નથી. આ વર્ષે એનજીઓના સભ્યોને આશા છે કે એક પણ પક્ષીનું મોત નહીં થાય અને સારવાર માટે આવતા પક્ષીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. આ દર્શાવે છે કે જાગૃતિ અભિયાન સફળ રહ્યું છે. જૈનમ શાહ જણાવે છે કે, અમારી સંસ્થા છેલ્લા 15 વર્ષથી પક્ષીઓ માટે કેમ્પનું આયોજન કરતી આવી છે,હાલમાં જોવા મળતા ટ્રેન્ડ મુજબ છેલ્લા 15 વર્ષની કેસની સંખ્યા જોઈએ તો પહેલા લોકો ફોન કરતા નહોતા કે ઘાયલ પક્ષી મળે તો શું કરવું પરંતુ હવે લોકો ફોન કરતા થયા છે,પક્ષીઓને બચાવવાનો રેસીયોમાં વધારો થયો છે, પહેલા સો જેટલા પક્ષીઓ મરી જતા પરંતુ હવે 100 જેટલા કેસ આવે છે અને બે થી વધુ પક્ષીઓના મોત થાય છે. એક સારી બાબત કહી શકાય આજે સવારથી 50થી વધારે પક્ષીઓ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે મોટાભાગના ની સર્જરી કરવામાં આવી છે અને એમના શરીરમાં જે દોરાના કારણે કટ લાગી ગયો હતો તે ખાસ્સો ઊંડો હોય છે,તેથી તે દૂર કરવામાં આવે છે,દર વર્ષે 10 કિલોથી વધુ ના દોરા અમે ખરીદીને તેનો નાશ કરીએ છીએ આજે અને આવનારા ત્રણ દિવસ સુધી અમારા એનજીઓને 30થી વધુ સભ્યો ફિલ્ડમાં કાર્ય કરી રહ્યા છે અને છ થી વધારે વેટનરી ડોક્ટરો પણ આ સેવામાં કાર્ય કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:17 am

અમદાવાદ એરપોર્ટ પરથી 42 લાખનું વિદેશી ચલણ જપ્ત:100 ડોલર અને 1072 પાઉન્ડ સાથે મુસાફર બેંગકોક જઈ રહ્યો હતો ને કસ્ટમ્સ વિભાગે પકડ્યો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ એક મોટી કાર્યવાહી કરીને વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ 42,06,340ની કિંમતનું વિદેશી ચલણ જપ્ત કર્યું છે. હિલચાલ શંકાસ્પદ લાગતા અટકાવ્યો ને વિદેશી ચલણ ઝડપાયુંપ્રાપ્ત વિગતો અનુસાર, કસ્ટમ્સ વિભાગને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે એક મુસાફર ગેરકાયદે રીતે મોટી માત્રામાં વિદેશી ચલણની નિકાસ કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ 13 જાન્યુઆરી, 2026ના રોજ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિયેટજેટ એર ફ્લાઇટ VZ-571 ના એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો. ડોલર અને પાઉન્ડની નોટો સામાનમાં છુપાવી હતીજ્યારે અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મુસાફરે અત્યંત ચાલાકીથી તેના સામાનમાં વિદેશી નોટો છુપાવી હતી. 1172 વિદેશી ચલણી નોટો કબજે, ભારતીય કરન્સી મુજબ 42 લાખ મોટી માત્રામાં વિદેશી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 100 યુએસ ડોલરની નોટો (જેની કિંમત અંદાજે 8,91,000) અને 1072 પાઉન્ડ સ્ટર્લિંગની નોટો (જેની કિંમત અનુક્રમે 12,73,300 અને 20,42,040) મળી આવી છે. આમ, કુલ મળીને 1172 વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે, જેની ભારતીય બજારમાં કુલ કિંમત અંદાજે 42,06,340 જેટલી થવા જાય છે. આ મામલે અત્યારે કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે તપાસ શરૂ કરીઆ કાર્યવાહી કસ્ટમ્સ અધિનિયમ, 1962 અને FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ), 1999ની જોગવાઈઓના ભંગ બદલ કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે હાલ તમામ ચલણ જપ્ત કરી લીધું છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે. નિયમો મુજબ, કોઈપણ મુસાફરે નિયત મર્યાદાથી વધુ વિદેશી ચલણ લઈ જતા પહેલા કસ્ટમ્સ સમક્ષ તેની જાહેરાત (Declaration) કરવી અનિવાર્ય છે. આ કિસ્સામાં મુસાફરે કોઈ પણ પ્રકારની જાણકારી આપી નહોતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 11:06 am

મહેસાણામાં ઉત્તરાયણનો ઉમંગ:વહેલી સવારે ઠંડી બાદ આકાશ પતંગોથી છવાયું, પવનનો સાથ મળતા પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ

મહેસાણા શહેરમાં આજે ઉત્તરાયણના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો ચમકારો હોવાને કારણે ધાબાઓ પર પતંગબાજોની હાજરી નહિવત જોવા મળી હતી. જોકે, જેમ જેમ સૂર્યનારાયણના દર્શન થયા અને ઠંડીનો પારો થોડો ગગડ્યો તેમ તેમ લોકો ઉત્સાહભેર ધાબા અને અગાશીઓ પર ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે પતંગરસિયાઓ માટે સૌથી આનંદની વાત પવનની ગતિ રહી છે. સવારથી જ પવને પતંગબાજી માટે સાનુકૂળ સાથ આપતા મહેસાણાના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ જોવા મળી રહી છે. શહેરના ગોપીનાથ રોડ, મોઢેરા રોડ અને રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં 'કાયપો છે' અને 'એ લપેટ'ના ગુંજારવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. અનુકૂળ પવનને કારણે પતંગરસિયાઓમાં ભારે ખુશીનો માહોલ છે અને સાંજ સુધી આ આકાશી જંગ જામશે તેવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:53 am

પાટણના લાયન્સ ક્લબની સેવા:છેલ્લા 14 વર્ષથી ગાયો માટે દાન એકત્ર કરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌશાળામાં દાન આપે છે

પાટણ લાયન્સ ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું છે. ક્લબ છેલ્લા 14 વર્ષથી આ પ્રવૃત્તિ કરી ગૌશાળાઓને મદદ કરી રહી છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબના આગેવાનો અને કાર્યકરોએ શહેરના હિંગળાચાચર બગવાડા દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી દાનની રકમ એકત્ર કરી હતી. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. પાટણ શહેરમાં પણ ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે. પતંગ રસિકો ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરે છે, ત્યારે લાયન્સ ક્લબ જેવી સેવાભાવી સંસ્થાઓ પશુઓ માટે દાન એકત્ર કરીને આ પર્વની ઉજવણી કરે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:41 am

સુરતના રામનાથ ઘેલા સ્મશાનમાં અનોખી પરંપરા:પવિત્ર ષષ્ઠતિલા અગિયારસે પૂર્વજોના મોક્ષ માટે સ્મશાનમાં પૂજા, પૂર્વજોને પ્રિય એવી દારૂ અર્પણ કરાયો

આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસનો પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને મોક્ષદાયની તિથિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ ૨૪ અગિયારસમાં આ અગિયારસનું સ્થાન વિશેષ છે, કારણ કે માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને તર્પણથી પિતૃઓને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં આ ખાસ અવસરે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અહીં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ પૂર્વજો પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સ્મૃતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. લોકો પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માના કલ્યાણ માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, જેના કારણે સમગ્ર સ્મશાન પરિસરમાં એક ગંભીર અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રામનાથ ઘેલા સ્મશાનમાં પિતૃ તર્પણની પ્રક્રિયા સામાન્ય વિધિઓ કરતા અલગ આ પરંપરાની સૌથી અનોખી બાબત એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોને જે વસ્તુઓ સૌથી વધુ ગમતી હતી, તેની સાથે પૂજા-અર્ચના કરે છે. રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં પિતૃ તર્પણની પ્રક્રિયા સામાન્ય વિધિઓ કરતા થોડી અલગ છે. અહીં લોકો માનતા હોય છે કે પૂર્વજોને તેમની જીવતેજીવ પ્રિય હોય તેવી વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે. આ વિધિમાં ભોજનની વાનગીઓથી લઈને અન્ય વ્યક્તિગત શોખની વસ્તુઓનો સમાવેશ થાય છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ધૂપ-દીપ કરી પૂર્વજોની તસવીર સમક્ષ પૂજા કરે છે અને તેમને ભાવપૂર્વક વિનંતી કરે છે કે તેઓ તેમના ભોગનો સ્વીકાર કરે. આ પ્રકારની પૂજા પૂર્વજો અને પરિવાર વચ્ચેના અતૂટ બંધનને જીવંત રાખે છે. દારૂ અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છેઆ પૂજા વિધિ દરમિયાન એક વિશિષ્ટ અને પરંપરાગત બાબત એ જોવા મળી હતી કે જે પૂર્વજોને તેમના જીવનકાળ દરમિયાન દારૂ કે અન્ય કોઈ ચોક્કસ પીણાં પસંદ હતા, તેમના પરિવારજનો દ્વારા પૂજા અર્ચના સાથે તે તમામ વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. દારૂ અર્પણ કરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેને શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે. પરિવારજનોનું માનવું છે કે પિતૃઓને જે ગમતું હતું તે અર્પણ કરવાથી તેમની આત્માને પરમ શાંતિ મળે છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તર્પણ કર્યા બાદ, લોકો આ અનોખી આહુતિ આપીને પૂર્વજોની તૃપ્તિ માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા. આ પ્રકારની અર્પણ વિધિ સુરતની સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યેની એક અલગ પ્રકારની આત્મીયતા દર્શાવે છે. ષષ્ઠતિલા અગિયારસે પૂજા કરવાથી પિતૃઓને નરકવાસમાંથી મુક્તિ મળેની માન્યતાષષ્ઠતિલા અગિયારસનું આધ્યાત્મિક મહત્વ વર્ણવતા વિદ્વાનો જણાવે છે કે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં આ દિવસે પૂજા કરવાથી પિતૃઓને નરકવાસમાંથી મુક્તિ મળે છે અને તેઓ સીધા મોક્ષના માર્ગે અગ્રેસર થાય છે. આ સ્મશાન ભૂમિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવનો વાસ હોવાનું મનાય છે. લોકો દ્રઢપણે માને છે કે અહીં પિતૃઓને જે પણ અર્પણ કરવામાં આવે છે, તે સીધું જ તેમના સુધી પહોંચે છે. આ કારણોસર જ સુરતી પરિવારો પેઢીઓથી અહીં આવીને પૂર્વજોના નામે તર્પણ કરે છે. પિતૃઓના મોક્ષ માટેની આ શ્રદ્ધા આજે પણ આધુનિક યુગમાં અકબંધ જોવા મળી રહી છે, જે ભારતીય પરંપરાઓની ઊંડી મૂળિયાં દર્શાવે છે. પૂર્વજોની યાદમાં કેટલાય પરિવારજનો ભાવવિભોર થઈને રડતા જોવા મળ્યા પૂજા વિધિ દરમિયાન સ્મશાનમાં વાતાવરણ અત્યંત કરુણ અને ભાવુક બની ગયું હતું. પોતાના પૂર્વજોને ગુમાવી દેનાર પરિવારજનો જ્યારે તેમની યાદમાં વિધિ કરી રહ્યા હતા ત્યારે અનેક લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. પૂર્વજોની યાદમાં કેટલાય પરિવારજનો ભાવવિભોર થઈને રડતા પણ જોવા મળ્યા હતા. આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પરંતુ પોતાના સ્વજનો પ્રત્યેનો આદર અને તેમનાથી વિખૂટા પડ્યાનું દુઃખ વ્યક્ત કરવાનું એક માધ્યમ પણ હતું. લોકો પિતૃઓની તસવીરો સામે હાથ જોડીને બેસી રહ્યા હતા અને તેમના જીવનના સંઘર્ષો તથા સ્મૃતિઓને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. લાગણીઓના આ ઘોડાપૂરમાં દરેક જણ પોતાના પિતૃઓને યાદ કરવામાં મગ્ન હતા. ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ અંતમાં, આ અનોખી વિધિ સુરતી જનતાની પૂર્વજો પ્રત્યેની અતૂટ આસ્થાનો પુરાવો આપે છે. સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા લોકો અહીં ભેદભાવ ભૂલીને માત્ર પિતૃ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. પૂર્વજોને પ્રિય એવી વસ્તુઓ જેમ કે દારૂ, ભોજન કે મિઠાઈ અર્પણ કરીને લોકોએ એક અનોખો સંદેશ આપ્યો છે કે મૃત્યુ પછી પણ સંબંધોનો અંત આવતો નથી. રામનાથ ઘેલા સ્મશાનમાં યોજાયેલી આ અર્પણ વિધિમાં ભક્તિ, મોક્ષની કામના અને પારિવારિક લાગણીઓનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:39 am

પાટણમાં સિદ્ધરાજ જયસિંહની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ:રાજપૂત સમાજ, નગરપાલિકાએ માલ્યાર્પણ કર્યું; પંચામૃત અભિષેક પણ કરાયો

પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની મકરસંક્રાંતિના દિવસે પુણ્યતિથિ નિમિત્તે બુધવારે શહેરના બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજપૂત સમાજ દ્વારા પંચામૃતથી અભિષેક પણ કરાયો હતો. વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પાટણમાં ચાવડા, વાઘેલા અને સોલંકી વંશના અનેક રાજાઓએ શાસન કર્યું હતું. સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણની ધૂરા સંભાળી ત્યારથી તેમણે પાટણના સીમાડાઓ વધાર્યા હતા અને તે સમયે પાટણ ગુજરાતની રાજધાની હતી. ઉત્તરાયણના દિવસે આ ચક્રવર્તી સમ્રાટનું નિધન થયું હોવાથી, બુધવારે મકરસંક્રાંતિના પાવન પર્વ પ્રસંગે તેમની 883મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ નગરપાલિકા સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરના આગેવાનોએ બગવાડા દરવાજા ખાતે સ્થાપિત રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને તેમની યશોગાથા વાગોળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:34 am

સેલવાસથી સુરત લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો:વલસાડ LCBએ બે આરોપીને પકડ્યા, એક ફરાર

વલસાડ LCB ટીમે સેલવાસથી સુરત લઈ જવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹4,08,960/-ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ખાનગી બાતમીના આધારે વાપી નજીક મોજે સલવાવ, એમ.ક્યુબ-02 બિલ્ડિંગ સામે, નેશનલ હાઈવે નં. 48 પરથી મુંબઈથી સુરત તરફ જઈ રહેલી ગ્રે કલરની FIAT PUNTO કાર (નં. GJ-05-JL-6375)ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન તેની વચ્ચેની સીટ અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂના કુલ 37 બોક્સમાં 876 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4,08,960/- થાય છે. દારૂ ઉપરાંત, ₹3 લાખની કિંમતની કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, આમ કુલ ₹7,18,960/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કારચાલક પ્રભુસિંહ જ્યોધસિંહ ઉદયસિંહ રાવત (ઉ.વ. 26) અને ક્લીનર દેવેન્દ્રસિંહ કિશનસિંહ પ્રેમસિંહ રાવત (ઉ.વ. 22)ને ઝડપી પાડ્યા છે. બંને હાલ ઓલપાડ, સુરત ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. આ દારૂ ભરેલી કાર આપનાર અને પાયલોટિંગ કરનાર અશ્વીનકુમાર (રહે. સચીન, સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેના પુરા નામઠામ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે LCBની ટીમે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલ અને ઝડપાયેલા આરોપીઓ અંગે ડુંગરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:30 am

લોઢવા સ્કૂલમાં મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ પતંગો ઉડાવી, પરંપરાગત વ્યંજનોનો આનંદ માણ્યો

લોઢવા ગામમાં આવેલી ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો પાવન તહેવાર ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સ્કૂલ પરિસર તહેવારી માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો ઉડાવી તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. ખુલ્લા આકાશમાં ઉડતા પતંગો અને બાળકોના હાસ્યભર્યા ચહેરાઓએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું. વિદ્યાર્થીઓએ તલના લાડુ, મીઠાઈઓ તથા પરંપરાગત વ્યંજનોનો પણ આનંદ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક જીવનના મૂલ્યો પ્રત્યે સમજ વિકસાવવાનો હતો. મકરસંક્રાંતિ માત્ર તહેવાર નહીં, પરંતુ ઋતુ પરિવર્તન, નવી શરૂઆત અને સકારાત્મક ઊર્જાનો સંદેશ આપે છે, તે ભાવના બાળકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર સ્કૂલ પરિસર પતંગો, તહેવારી સજાવટ અને ખુશીના રંગોમાં રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓમાં એકતા, ઉત્સાહ અને આનંદની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ જશુભાઈ વાઢેરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિ જેવા પરંપરાગત તહેવારોની ઉજવણી દ્વારા બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આજની ઉજવણીમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, એકતા અને આનંદ જોવા મળ્યો, જે અમારા માટે અત્યંત આનંદની વાત છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભવિષ્યમાં પણ શૈક્ષણિક સાથે-સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્કૂલ સતત પ્રયત્નશીલ રહેશે.” સ્કૂલ સંચાલન દ્વારા આયોજિત આ ભવ્ય ઉજવણીથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, પરંપરા અને તહેવારો પ્રત્યે આદરભાવ વિકસે તેવો હેતુ સિદ્ધ થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:27 am

મહીસાગરમાં ગાઢ ધુમ્મસ છવાયું:વિઝિબિલિટીમાં ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી, ઠંડીનો ચમકારો વધ્યો

મહીસાગર જિલ્લામાં 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વના દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું હતું. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું હતું. લુણાવાડા ઉપરાંત સંતરામપુર, ખાનપુર, ગોધર અને કડાણા સહિતના તાલુકાઓમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે સવારના સમયે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી. ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડીનો પારો પણ વધુ ઘટ્યો હતો, જેના કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે કામકાજ માટે નીકળતા લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળ્યા હતા. ઠંડીની તીવ્રતા વધતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. ઉતરાયણના પર્વના દિવસે હાડ થીજાવતી ઠંડી અને ધુમ્મસના સંયોજનને કારણે સવારનું વાતાવરણ વધુ શીતળ બન્યું હતું. આની અસર રોજિંદા જીવન તેમજ માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:25 am

નલિયામાં 5.2 ડિગ્રી સાથે ઠંડીનો પારો ગગડ્યો:પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની, અમદાવાદમાં ઉત્તરાયણ પર AQIનું સ્તર 200ને પાર

ઉત્તરાયણના દિવસે પવન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આજે એટલે કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની રહેશે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડીઅમદાવાદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 14 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 11.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 8.8 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16 ડીગ્રી સેલ્સિયસ વેરાવળમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પ્રદૂષણનો પારો વધ્યોAQIની વાત કરીએ તો, ઉત્તરાયણના દિવસે અને તેની આસપાસના દિવસોમાં અમદાવાદનો AQI 200થી 250 ની વચ્ચે નોંધાયો છે, જે 'ખરાબ' (Poor/Unhealthy) શ્રેણીમાં આવે છે. હવામાં PM2.5 અને PM10 નું પ્રમાણ વધ્યું છે. પતંગબાજી દરમિયાન ફટાકડા ફોડવા, વાહનોનું પ્રદૂષણ અને શિયાળાના કારણે હવામાં જામતું ધુમ્મસ (Smog)ના કારણે AQI આટલો વધારે નોંધાયો છે. થલતેજ, બોપલ, શાંતિગ્રામ અને રખિયાલ જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ જોવા મળ્યું છે. પતંગબાજીની મજા વચ્ચે અમદાવાદનો AQI 200ને પાર પહોંચ્યોઅમદાવાદીઓ માટે ઉત્તરાયણનો તહેવાર આનંદ લઈને આવ્યો છે, પરંતુ સાથે જ શહેરની હવામાં ઝેર પણ ભળ્યું છે. પતંગબાજીની મજા વચ્ચે આજે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે પ્રદૂષણની ચાદર પણ જોવા મળી હતી. ઉત્તરાયણના પર્વે શહેરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. આંકડાઓ મુજબ, શહેરના અનેક વિસ્તારોમાં AQI 200થી વધુ નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. અમદાવાદના આ વિસ્તારોની હવા ઝેરી બનીખાસ કરીને ગોતા, થલતેજ અને શાંતિગ્રામ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી છે. વહેલી સવારની ઠંડી અને પતંગબાજો દ્વારા ફોડવામાં આવતા ફટાકડાને કારણે હવામાં પ્રદૂષિત કણોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને અસ્થમા અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવું. શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?AQI જાણવા માટે વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે અને એની માત્રા માપવામાં આવે છે. એના માટેની એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. AQI જેટલો ઓછો એટલી હવા સારી અને જેમ જેમ AQI વધે અમ અમ પ્રદૂષણ વધ્યું ગણાય. એર ક્વોલિટી ઇન્ડેક્સને વિવિધ સ્ટેજમાં ડિવાઇડ કરવામાં આવ્યો છે. વળી, દરેક સ્ટેજને એક ખાસ કલર કોડ આપવામાં આવ્યો છે, જેથી સરળતાથી જાણી શકાય અને સમજી પણ શકાય કે હવા કેટલી શુદ્ધ છે અને કેટલી પ્રદૂષિત છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 10:22 am

ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે

Fire at BJP MP Ravi Shankar Prasad Residence: ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.

ગુજરાત સમાચાર 14 Jan 2026 9:53 am

સુરતના 125 બ્રિજ પર ટુ-વ્હીલર માટે નો-એન્ટ્રી:'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુક્તિ, ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરનો નિર્ણય

સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતંગના દોરાના કારણે વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ન થાય અને કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 125 ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પર પ્રતિબંધતહેવારના દિવસોમાં ઓવરબ્રિજ પર પતંગના દોરા આવવાની શક્યતા વધુ હોય છે, જેનાથી ગળા કપાવવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. આ જોખમને ટાળવા માટે શહેરના તાપી નદી પરના બ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રહેશે. જે વાહનચાલકો આ બે દિવસ દરમિયાન અવરજવર કરવા માંગતા હોય, તેઓએ ફરજિયાતપણે બ્રિજની નીચેના સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, ફોર-વ્હીલર વાહનો માટે બ્રિજ ખુલ્લા રહેશે. 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે તો પ્રતિબંધમાંથી મુક્તિઆ જાહેરનામામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. જે ટુ-વ્હીલર ચાલકોએ પોતાના વાહન પર આગળના ભાગે સુરક્ષા માટે 'સેફ્ટી ગાર્ડ' લગાવેલા હશે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, તાપી નદી પર આવેલા મોટા બ્રિજ પરથી ટુ-વ્હીલર પસાર થઈ શકશે, પરંતુ ત્યાં પણ ચાલકોએ તકેદારી રાખવી પડશે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે નાગરિકો પોતાની સુરક્ષા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરે. ઓવરબ્રિજ પાસે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાતપોલીસ કમિશનરના આ આદેશના અમલીકરણ માટે શહેરના દરેક ઓવરબ્રિજ પર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બ્રિજના ચઢાણ અને ઉતરાણના પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ સતત મોનિટરિંગ કરશે જેથી કોઈ ટુ-વ્હીલર ચાલક બ્રિજ પર ન જાય. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરનો નિર્ણયસુરત પોલીસ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય નાગરિકોની સુરક્ષા માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાયણ પર દોરાથી ઘાયલ થનારા લોકોની સંખ્યામાં વધારો થતો હોય છે, ત્યારે આ વર્ષે પોલીસ પ્રશાસન કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતું નથી. શહેરીજનોને આનંદ અને સલામતી સાથે તહેવાર ઉજવવા અને પોલીસને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:43 am

પાટણમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી:રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું, 'એ કાપ્યો છે'ની બૂમો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓ 'કાપ્યો છે' અને 'લપેટ' જેવી બૂમો પાડી ઉત્સાહભેર પતંગો ચગાવી રહ્યા છે. પરિવારો સાથે અગાસીઓ પર પહોંચી લોકો તલસાંકળી, ફાફડા-જલેબી અને ઊંધિયાની જયાફત માણશે પતંગ કપાય ત્યારે 'એ કાપ્યો છે'ની ગગનભેદી ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પતંગ ચગાવવા માટે પૂરતો પવન હોવાથી પતંગ રસિયાઓને ખૂબ મજા આવી હતી. સામાન્ય નાગરિકોની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પતંગ ચગાવી પર્વની ઉજવણીમાં જોડાશે

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:29 am

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ શણગાર:મકરસંક્રાંતિ પર્વે રંગબેરંગી પતંગોથી સજ્જ, સંતો દ્વારા ગૌ પૂજન

સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉતરાયણ નિમિત્તે દાદાને રંગબેરંગી પતંગોનો વિશેષ શણગાર કરાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાનજી દાદાના સિંહાસનને વિવિધ ડિઝાઇનની પતંગો અને રંગબેરંગી દોરાની ફિરકીઓથી મનોહર રીતે શણગારવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સવમય વાતાવરણ છવાયું હતું. મંદિરના સંતો દ્વારા હનુમાનજી દાદાની સન્મુખ પરંપરાગત રીતે ગૌ પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત, ચિક્કી, મમરાના લાડુ સહિતની પરંપરાગત વાનગીઓનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો, જેનો ભક્તોએ પ્રસાદ તરીકે સ્વીકાર કર્યો. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે હરિભક્તોએ સાળંગપુર મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી અને હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવ્યા. આ અંગેની માહિતી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:26 am

સ્વાદપ્રિય સુરતીઓ 45 કરોડનું ઊંધિયું ઝાપટશે:પતંગ સાથે ઊંધિયાના ભાવ પણ ચગ્યા, કિલોએ 100 રૂપિયાનો વધારો; વહેલી સવારથી દુકાનો પર લાંબી કતાર

સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે સુરતીઓ અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી જશે તેવો અંદાજ છે. ગત વર્ષે આ આંકડો 30 કરોડની આસપાસ હતો, જે આ વખતે ભાવવધારા અને વધતી માંગને કારણે નવી સપાટી વટાવશે. 'રસોડાને રજા' અને ‘ઊંધિયાની મજા’સુરતીઓ માટે ઉત્તરાયણ એટલે 'રસોડાને રજા' અને 'ઊંધિયાની મજા'. આ પરંપરાને જાળવી રાખવા માટે લોકો કિલો દીઠ વધારાના 100-150 રૂપિયા ચૂકવવા પણ તૈયાર દેખાઈ રહ્યા છે.ઊંધિયું બનાવવા માટે જરૂરી એવા ખાસ શાકભાજીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં અધધ વધારો થયો છે. સુરત એપીએમસી માર્કેટમાં રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણની આવક હોવા છતાં માંગ 5 ગણી વધી ગઈ છે. સામાન્ય દિવસોમાં જે રતાળુ કે પાપડી વ્યાજબી ભાવે મળતા હતા, તેના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. 'ઊંધિયું કિલો દીઠ 40થી 150 રૂપિયા મોંઘું'- વેપારીવેપારીઓના જણાવ્યા મુજબ, પાપડી અને રતાળુના જથ્થાબંધ ભાવમાં થયેલા વધારાની સીધી અસર તૈયાર ઊંધિયાના ભાવ પર પડી છે. આ કાચા માલની કિંમત વધવાને કારણે ગ્રાહકોને આ વર્ષે ઊંધિયું કિલો દીઠ 40થી 150 રૂપિયા મોંઘું પડી રહ્યું છે, છતાં પણ સુરતીઓના ઉત્સાહમાં કોઈ જ ઓટ જોવા મળી રહી નથી. સૌથી મોંઘું 'ફરાળી ઊંધિયું' માર્કેટમાં વેચાઈ રહ્યું છેઆ વર્ષે સુરતના બજારમાં ઊંધિયાના અલગ-અલગ પ્રકારો અને તેના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય સુરતી ઊંધિયું, જેમાં પાપડી, રતાળુ, રવૈયા અને મુઠિયાનો ઉપયોગ થાય છે, તેનો ભાવ પ્રતિ કિલો 550થી 600 રૂપિયા સુધી પહોંચ્યો છે. જો તમે જૈન ઊંધિયું પસંદ કરો છો, જેમાં કંદમૂળ નથી હોતું, તો તેનો ભાવ 550થી 650 રૂપિયાની વચ્ચે છે. સૌથી મોંઘું 'ફરાળી ઊંધિયું' વેચાઈ રહ્યું છે, જેનો ભાવ 550 થી શરૂ કરીને 700 રૂપિયા પ્રતિ કિલો સુધી વસૂલવામાં આવી રહ્યો છે. ફરાળી ઊંધિયામાં વપરાતું સૂરણ, રાજગરાનો લોટ અને ડ્રાયફ્રૂટ્સ જેવી સામગ્રીને કારણે તેના ભાવ અન્ય કરતા વધુ ઊંચા રહે છે 8 લાખ કિલો ઊંધિયાના તોતિંગ વેચાણનો અંદાજસુરત શહેરમાં નાની-મોટી અંદાજે 5,000 જેટલી ફરસાણની દુકાનો આવેલી છે. એક સર્વે મુજબ, દરેક દુકાને સરેરાશ 100થી 150 કિલો ઊંધિયાનું વેચાણ થાય છે. આ ગણતરીએ સમગ્ર સુરતમાં માત્ર એક જ દિવસમાં આશરે 8 લાખ કિલો ઊંધિયાનું વેચાણ થવાનો અંદાજ છે. આ આંકડો દર્શાવે છે કે સુરતનું અર્થતંત્ર ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ અને દોરા પર જ નહીં, પરંતુ ખાદ્યબજાર પર પણ મોટાપાયે નિર્ભર છે. 35 થી 45 કરોડનો આ આર્થિક વહીવટ સાબિત કરે છે કે મોંઘવારી ગમે તેટલી હોય, પણ સુરતીઓ પોતાની પરંપરાગત જયાફત માણવામાં ક્યાંય પાછા પડતા નથી. આ કારણે વેપારીઓએ ભાવ વધાર્યાફરસાણના અગ્રણી વેપારી નીતિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ઊંધિયું બનાવવાની પ્રક્રિયા અત્યંત મહેનત માંગી લે તેવી છે. માત્ર શાકભાજી જ નહીં, પણ ખાદ્ય તેલ, મસાલા અને મજૂરી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તરાયણના દિવસે કારીગરોને વધારાનું વેતન આપવું પડે છે અને વહેલી સવારે 5 વાગ્યાથી ભઠ્ઠીઓ ચાલુ કરી દેવી પડે છે. ગેસના ભાવ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને જોડતા, ગત વર્ષની સરખામણીએ નફાનું માર્જિન ઘટ્યું છે. આથી, ગુણવત્તા જાળવી રાખવા માટે ભાવમાં વધારો કરવો વેપારીઓ માટે અનિવાર્ય બની ગયો છે. ગ્રાહકો પણ આ બાબત સમજી રહ્યા છે અને ગુણવત્તાયુક્ત ઊંધિયા માટે વધુ કિંમત ચૂકવી રહ્યા છે. કિંમત કરતા ક્વોલિટી પર સુરતીઓનો ભારસુરતની જનતા હંમેશા ક્વોલિટીની આગ્રહી રહી છે. બજારમાં ઓછા ભાવે પણ ઊંધિયું મળતું હોય છે, પરંતુ સુરતીઓ નામી બ્રાન્ડ્સ અને જૂના ભરોસાપાત્ર વેપારીઓને ત્યાં જ લાઈન લગાવે છે. લોકોનું માનવું છે કે વર્ષમાં એક જ વાર આવી રીતે સહપરિવાર ઊંધિયું ખાવાનો લ્હાવો મળે છે, તો પછી 20-50 રૂપિયા બચાવવા માટે સ્વાદ સાથે બાંધછોડ ન કરવી જોઈએ. આ માનસિકતાને કારણે જ પ્રખ્યાત દુકાનો પર ટોકન સિસ્ટમ હોવા છતાં લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે. ઊંધિયાની સાથે શુદ્ધ ઘીની જલેબી અને ગરમાગરમ પૂરીના ભાવ પણ આ વર્ષે 10થી 20 ટકા વધ્યા હોવા છતાં ડિમાન્ડમાં કોઈ ઘટાડો થયો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઊંધિયાનો ક્રેઝ અને ભાવમાત્ર સુરત શહેર જ નહીં, પણ આસપાસના કામરેજ, પલસાણા અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ ઊંધિયાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં શાકભાજી સીધા ખેતરમાંથી આવે છે, ત્યાં પણ મજૂરી અને મસાલાના ભાવ વધતા ઊંધિયું 400થી 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. સુરતના પ્રખ્યાત 'માટલા ઊંધિયા' (ઉબાડિયું)ની માંગ પણ આ વર્ષે ભારે રહી છે. ઉબાડિયાના ભાવ પણ 450થી 550 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. શહેરની મોંઘી હોટલોથી લઈને હાઈવે પરના લારી-ગલ્લા સુધી, દરેક જગ્યાએ ઊંધિયાના વેપારમાં તેજી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:20 am

ઉત્તરાયણના બે દિવસ 108 સ્ટેન્ડબાય:45 એમ્બ્યુલન્સ તથા 230થી વધુનો સ્ટાફ ફરજ બજાવશે

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર અકસ્માતના બનાવો બનતા હોય છે. આ વર્ષે 14 અને 15 જાન્યુઆરી બે દિવસ દરમિયાન 244 અકસ્માતના બનાવ બનવાનો અંદાજ 108ની ટ્રેન્ડ ફોર કાસ્ટીંગ ટીમ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ અકસ્માતોના બનાવોને પહોંચી વળવા જિલ્લામાં 108મા ફરજ બજાવતા 230થી વધારે કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે. તો આ કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 108નો સ્ટાફ ઉત્તરાયણના બે દિવસ સ્ટેન્ડબાયમહેસાણા જિલ્લામાં 108ની 45 એમ્બ્યુલન્સ તો 230થી વધારે કર્મચારી ફરજ બજાવે છે. આ કર્મચારીઓને ઉત્તરાયણના બે દિવસ સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના અપાઈ છે. મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકામાં વિસનગર,વડનગર,ખેરાલુ,સતાલાસણા,ઊંઝા,વિજાપુર,કડી,જોટાણા અને બેચરાજીમાં ઉત્તરાયણ પર પતંગ પકડવા જતા રોડ પર વાહન સાથે ટકરાઈ જવાના બનાવો બનતા હોય છે. છેલ્લા 5 વર્ષના આધારે અકસ્માતનો અંદાજમહેસાણા જિલ્લામાં વર્ષ 2020મા અંદાજિત 139, વર્ષ 2021મા અંદાજિત 129, વર્ષ 2022મા અંદાજિત 130 વર્ષ 2023મા અંદાજિત 161, વર્ષ 2024મા 141 તો ગત વર્ષ 2025માં અંદાજીત 152 અકસ્માતના બનાવો નોંધાયા હતા. આ આંકડા આધારે 108ની ટ્રેન્ડ ફોર કાસ્ટિંગ ટીમ દ્વારા 14 જાન્યુઆરી 2026ના દિવસે જિલ્લામાં 165 અકસ્માત તો 15 જાન્યુઆરી 2026ના રોજ 79 અકસ્માતના કેસ નોંધાવાનો અંદાજ લગાવ્યો છે. આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ વધવાનો અંદાજઆ અગાઉના વર્ષની ઉતરાયણ કરતા આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કેસ વધવાનો અંદાજ છે, તે પગલે જિલ્લાના 108ના 230થી વધારે કર્મચારીઓને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરવામાં આવ્યો છે. પતંગ ચગાવતા પડી જવાના બનાવો, માર્ગ અકસ્માત, દોરી વાગવાના કેસઆ અંગે મહેસાણા જિલ્લા 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ જીગ્નેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લામાં નોર્મલ દિવસ દરમિયાન 108ને ઈમરજન્સીના 82 કોલ મળતા હોય છે. જોકે ઉતરાયણ પર પતંગ ચગાવતા પડી જવાના બનાવો, માર્ગ અકસ્માત, દોરી વાગવા સહિતના બનાવોમાં ભારે ઉછાળો આવતો હોય છે. તેને પગલે 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન ઇમરજન્સી કેસમાં વધારો નોધાઇ શકે છે. જોકે જિલ્લાની 45 એમ્બ્યુલન્સ તથા 230થી વધુ સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:20 am

રાજાઈ સમાજનો 15મો વિદ્યાર્થી સત્કાર સમારંભ:બાલમંદિરથી કોલેજના 250 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું

ભાવનગરના જૂના સિંધુનગર સ્થિત ઝુલેલાલ મંદિર પાસેના શ્રી રાજાઈ સમાજ ભવન ખાતે રાજાઈ સેવા સમાજ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૫મો વિદ્યાર્થી સત્કાર સમારંભ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ તારીખ 12 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે યોજવામાં આવ્યો હતો. આ સત્કાર સમારંભમાં રાજાઈ સમાજના બાલમંદિરથી લઈને કોલેજ સુધીના 250 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજાઈ સેવા સમાજ ટ્રસ્ટના રમેશ રાજાઈએ આ માહિતી આપી હતી. રાજાઈ સેવા સમાજ દ્વારા આ સત્કાર સમારંભનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી છેલ્લા ૧૫ વર્ષથી આ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજાઈ સેવા સમાજના હોદ્દેદારો, સભ્યો અને સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કપિલ રાજાઈ, યશ રાજાઈ, પ્રશાંત રાજાઈ, પ્રણવ રાજાઈ અને રાજાઈ સેવા સમાજના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:08 am

પાટણમાં લગ્નમાં ચોરી કરવાર બે આરોપી જામીન પર મુક્ત:17.13 લાખના દાગીના-રોકડ ચોરી કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા

પાટણ શહેરમાં લગ્નપ્રસંગોમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરનાર કુખ્યાત કડિયા સાંસી ગેંગના બે સભ્યોને જામીન મળ્યા છે. નકુલ રાજકુમાર સિસોદીયા અને ક્રિશ્ના બીરૂ પ્રભુ સિસોદીયાની લાંબા સમય બાદ પાટણ પોલીસે ધરપકડ કરી હતી. પાટણની જ્યુડિશિયલ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરીને તેમને રૂ. 5000/5000ના જામીન પર મુક્ત કર્યા છે. આ આરોપીઓ ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૨ના અરસામાં પાટણમાં લગ્નપ્રસંગોમાં સારા કપડાં પહેરી મહેમાન હોવાનો ડોળ કરીને ભેટ, ચાંલ્લાની રોકડ અને દાગીના ભરેલી બેગોની સિફતપૂર્વક ચોરી કરતા હતા. નકુલ સામે પાટણમાં ત્રણ ગુના નોંધાયેલા છે, જ્યારે ૧૧ વર્ષથી નાસતી ફરતી ક્રિશ્ના સામે ૨૦૧૪માં ચોરીનો એક ગુનો નોંધાયેલો હતો. નકુલ રાજકુમાર સિસોદીયા સામે ૨૮ નવેમ્બર, ૨૦૨૨ના રોજ પાટણના ખોડાભા હોલ ખાતેથી વર્ષાબેન સુથાર પાસેથી રૂ. ૮,૦૮,૮૦૦ના સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો. તે જ દિવસે, જે.જે. પાર્ટી પ્લોટ ખાતેથી સુરેશ પંચાલની દીકરીના રૂ. ૪૦,૮૩૭ની કિંમતના દાગીના, રોકડ અને ફોન ચોરી કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત, ૨૦૧૯માં ચાણસ્માના ખારીઘારિયાલથી આવેલા મામેરામાંથી રૂ. ૫,૬૫,૦૦૦ રોકડ અને રૂ. ૯૦,૦૦૦ના સોનાના દાગીના સહિત કુલ રૂ. ૫,૬૫,૦૦૦ની મતા ચોરી કરી હતી. ક્રિશ્ના બીરૂ ઉર્ફે બીરૂ પ્રભુ સિસોદીયા સામે ૧૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ પાટણના ફાઈવ એલ.પી. ભવન ખાતેથી રૂ. ૩ લાખની કિંમતનો ૧૦ તોલાનો હાર રાખેલું પર્સ ચોરી કરવાનો ગુનો નોંધાયો હતો, જેમાં એક છોકરો અને એક છોકરી સંડોવાયેલા હતા. આ તમામ ગુનાઓ ઘણા વર્ષોથી વણઉકેલ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ આ જૂના કેસો ઉકેલાયા હતા. કુલ મળીને, ચાર લગ્નપ્રસંગોમાંથી રૂ. ૧૭.૧૩ લાખના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 9:03 am

લોખંડની સાંકળથી કૂતરાને બાંધ્યા, ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર ક્રૂરતા:ભોજન પણ આપતો નહોતો, કપુરાઇ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક આવેલ ચિખોદરા પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર થઈ રહેલ ક્રૂરતાનો પર્દાફાશ થયો છે. લોખંડની સાંકળથી કૂતરાને બાંધી રાખ્યા હતા, ભોજન પણ આપતો નહોતો. જેને પગલે કપુરાઇ પોલીસે યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચિખોદરા ગામ પાસે ડોગ હૉસ્ટેલના નામે શ્વાનો પર ક્રૂરતાવડોદરામાં પ્રાણી ક્રૂરતા નિવારણ માટે કાર્યરત દિયા અગ્રવાલને માહિતી મળી હતી કે, ચિખોદરા ગામ પાસે એક વ્યક્તિ દ્વારા ડોગ એન્ડ કેટ હોસ્ટેલ ઈન નામથી શ્વાનોને રાખવાનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના દ્વારા શ્વાનો પર ક્રૂરતા કરવામાં આવી રહી છે. જેથી યુગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવ, દિયા અગ્રવાલ અને તેમના ટીમના સભ્યો સ્થળ પહોંચી આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં શ્વાનો મળી આવ્યાકપુરાઇ પોલીસ મથકની ટીમે સ્થળ તપાસ કરતા ત્યાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શ્વાનો મળી આવ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમન પ્રશાંત દેસાઇ (રહે. નીલકમલ સોસાયટી, નિઝામપુરા, વડોદરા) નામનો વ્યક્તિ “ડોગ એન્ડ કેટ હોસ્ટેલ ઈન” નામથી પાલતુ શ્વાનો માટે હોસ્ટેલ ચલાવે છે. બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવામાં આવતાંપાલતુ શ્વાનોના માલિકો પોતાના શ્વાનો અહિ સાર સંભાળ માટે મૂકી જતાં હોય છે, ત્યારે આ સંસ્થા દ્વારા શ્વાનોની કોઈ પણ પ્રકારની કાળજી લીધા વિના તેમને બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવામાં આવતાં હતા અને ઇજાગ્રસ્ત શ્વાનોને કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હતી. યુવક સામે ગુનો નોંધાયોકપુરાઇ પોલીસ દ્વારા પ્રાણી ક્રૂરતા કાયદા હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળની કલમો મુજબ “ડોગ એન્ડ કેટ હોસ્ટેલ ઈન” ના માલિક અમન દેસાઇ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવે જણાવ્યું હતું કે, કોઈ પણ પશુને ઇજા પહોંચે તે રીતે બળજબરીપૂર્વક બંધક બનાવીને રાખવું એ ગુનો બને છે, જેથી તેમને પોલીસ ને જાણ કરી આ બાબતની ફરિયાદ કરી હતી. ‘જોયા જાણ્યા વિના કોઈ પણ હોસ્ટેલમાં શ્વાનો ને ન મુકશો’વધુમાં તેમણે શ્વાન માલિકો ને વિનંતી કરી હતી કે આ રીતે જોયા જાણ્યા વિના કોઈ પણ હોસ્ટેલમાં શ્વાનો ને ન મુકશો અને જો શ્વાન ને હોસ્ટેલમાં મૂકવાની ફરજ પડે છે તો તેની સંપૂર્ણ કાળજી લેવાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:41 am

ગીર સોમનાથમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન:19 જાન્યુઆરીથી પ્રભાસપાટણના સદભાવના મેદાનમાં પ્રારંભ થશે

ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત આ સ્પર્ધા પ્રભાસપાટણના સદભાવના મેદાન ખાતે 19 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ વર્ગોમાં રમતો યોજાશે, જેમાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. પ્રાંત અધિકારી વિનોદ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. અંડર-17 બહેનો માટેની સ્પર્ધા 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જ્યારે અંડર-19 ભાઈઓ માટેની સ્પર્ધા 27 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોની આશરે 35 ટીમો ભાગ લેશે, જેમાં લગભગ 600 ખેલાડીઓ, કોચ અને મેનેજરો સામેલ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ અને ટ્રેનરોની સેવાઓ સાથે વિવિધ કમિટીઓની રચના કરીને સંકલિત આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાઓ 20-10-20ના સમય સ્લોટ મુજબ રમાશે અને ભારતના ક્વોલિફાઇડ હેન્ડબોલ રેફરીઓ દ્વારા મેચોનું મૂલ્યાંકન કરાશે. અંડર-17 બહેનોની ટીમોનું રિપોર્ટિંગ 18 જાન્યુઆરીના રોજ અને અંડર-19 ભાઈઓની ટીમોનું રિપોર્ટિંગ 26 જાન્યુઆરીના રોજ રહેશે. તમામ મેચો લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે. સદભાવના મેદાન ખાતે હેન્ડબોલ માટે કુલ 4 મેદાનો તૈયાર કરાયા છે, જેમાંથી 2 મેદાનોમાં ફ્લડલાઈટની વ્યવસ્થા છે, જેથી સાંજના સમયે પણ મેચો યોજી શકાય. વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓ, ટેકનિકલ અધિકારીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી નિવાસસ્થાન તથા મેદાન સુધી પરિવહન વ્યવસ્થા તેમજ ભોજનની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા જાહેર આમંત્રણ અપાયું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:10 am

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભક્તિ, શૌર્ય, વીરરસનો સંગમ:હેમંત જોશીના કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ, હમીરજી ગોહિલની ગાથાએ યુવાઓને પ્રેર્યા

સોમનાથ મંદિર પરિસરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમોમાં ભક્તિ, વીરરસ અને લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ શ્રેણી હેઠળ યોજાયેલા લોકપ્રિય ગાયક હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના સાથે થઈ હતી. હેમંત જોશીએ ઝડપી હનુમાન ચાલીસા, ‘આઈગીરી નંદનીની…’, ‘શ્રીરામ જય રામ…’ અને ‘અગડ બમ બબમ…’ જેવા ભજનો આધુનિક ફ્યૂઝન સ્ટાઈલમાં રજૂ કર્યા હતા. આ ભજનોએ શ્રદ્ધાળુઓને ઝૂમવા અને થીરકવા મજબૂર કર્યા હતા, જેનાથી ભક્તિરસથી ભરપૂર માહોલ સર્જાયો હતો. ફ્યૂઝન ભક્તિની સાથે-સાથે હેમંત જોશીએ ભારતમાતાની સરહદોની રક્ષા કરતા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં…’ અને ‘દેશ મેરે તેરી શાન પે સદકે…’ જેવા વીરરસથી ભરેલા ગીતો રજૂ કરીને સમગ્ર વાતાવરણને દેશભક્તિના ભાવોથી ભરી દીધું હતું. કાર્યક્રમના પ્રારંભે ભવ્યરાજસિંહ રાજપૂત દ્વારા સોરઠના મહાન વીર હમીરજી ગોહિલની શૌર્ય ગાથાની અસરકારક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંત, શૂરા અને દાતારની આ ધરતી પર વીરોની શૌર્યગાથા ખાસ કરીને યુવાવર્ગ માટે પ્રેરણાસ્રોત બની રહી છે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાતા આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સોમનાથની ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:09 am

ઉદવાડામાં દૂધ ચોરી, ચાર શખ્સો CCTVમાં કેદ:વલસાડના પારડી તાલુકાના શોપિંગ સેન્ટર પાસેથી અમૂલ દૂધના કેરેટની ચોરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર (રિદ્ધિ સિદ્ધિ કમ્યુનિકેશન નજીક) પાસેથી દૂધ ચોરીની ઘટના બની છે. 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે આશરે 2:50 વાગ્યે, ચાર અજાણ્યા શખ્સોએ અમૂલ તાજા દૂધનું એક કેરેટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સવારે વેપારી દુકાને પહોંચ્યા ત્યારે તેમને દૂધનું એક કેરેટ ઓછું જણાયું હતું. તેમણે નજીકના CCTV ફૂટેજ તપાસતા, તેમાં બે બાઈક પર આવેલા ચાર શખ્સો દૂધ ચોરી કરતા સ્પષ્ટ દેખાયા હતા. ચોરોએ એક સ્પ્લેન્ડર અને એક R15 બાઈકનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાને પગલે પારડી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને આ ચોરી અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક નજીકની પોલીસ ચોકીમાં જાણ કરે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:07 am

રાજકોટવાસીની મૂંઝવણ, આજે મેચ જોવા જવું કે પતંગ ચગાવવો:ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ હાઈ સ્કોરીંગ રહેવાની શક્યતા, રોહિત-કોહલીની બેટિંગ જોવા ફેન્સ આતુર

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે ટુર્નામેન્ટની બીજી મેચ આજે રાજકોટમાં રમાવા જઈ રહી છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં દોઢ વાગ્યાથી મેચ શરૂ થશે. 11 વાગ્યાથી પ્રેક્ષકોને ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. આજની મેચને લઈ રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. મેચ માટે સ્ટેડીયમની આસપાસ પાર્કિંગના 7 સ્થળ નક્કી કરાયા છે. સવારે 10 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જામનગર-રાજકોટ રોડ પર વાહનો ડાયવર્ટ કરાશે. ખંઢેરી સ્ટેડિયમ પાસે 7 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાખંઢેરી સ્ટેડિયમ ખાતે સ્ટેડિયમની આસપાસમાં કુલ 7 જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે પાર્કિંગમાં કુલ 5000 જેટલી મોટરકાર અને 5000થી વધુ ટુ-વ્હીલર પાર્ક થઇ શકે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાર્કિંગ સરકારી ખરાબા અને અન્ય જગ્યાઓમાં ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ અનધિકૃત જગ્યામાં વાહનો પાર્કિંગ થશે તો તેમને ટોઇંગ કરી દેવામાં આવશે. લોકોએ પાસ પ્રમાણે વાહન પાર્ક કરવાનું રહેશેજે લોકોને સાઉથ એન્ટ્રી ગેટમાં કાર પાર્કિગનો પાસ મળ્યો છે, તેઓએ મેઇન એન્ટ્રી ગેઇટ-1 ઉપરથી પ્રવેશ મેળવી અને સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિગમાં વાહન પાર્ક કરવાનુ રહેશે. તેમજ જે લોકોને ઇસ્ટ પાર્કિંગનો પાસ મળ્યો છે તેઓએ શિવ શકિત હોટેલથી યુ-ટર્ન લઇ આઉટર મીડિયા ગેઇટ નં.3થી પ્રવેશ મેળવી સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ વળી ત્યાંના પાર્કિગમાં વાહન પાર્ક કરવાનું રહેશે. રાજકોટ-જામનગર રોડ પર સવારના 10થી રાતના 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટઆ મેચમાં અંદાજિત 30 હજાર જેટલા પ્રેક્ષકો વાહન સાથે આવનાર હોવાથી, ત્યારે આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ ઉપર હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ શકે છે. જેથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને ટ્રાફિકજામને નિવારવા માટે રાજકોટ-જામનગર રોડ ઉપર આજે (14 જાન્યુઆરી) સવારના 10 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ટ કરવા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યની દરખાસ્તના આધારે જામનગરથી રાજકોટ તરફ આવતા ટ્રક, ટ્રેઈલર અને ટેન્કર જેવા મોટા વાહનોને પડધરી-મોવિયા સર્કલથી ડાઈવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ-મીતાણા થઈ રાજકોટ તરફ આવશે. એજ રીતે રાજકોટથી જામનગર જતા ભારે વાહનોને માધાપર ચોક ખાતેથી ડાયવર્ટ કરવામાં આવશે. બોમ્બ-ડોગ સ્ક્વોડથી ચેકિંગ, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધરાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, મેચને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 3 એએસપી, 4 ડીવાયએસપી, 14 પીઆઇ, 42 પીએસઆઈ સહીત 700 પોલીસ કર્મી અને 400 ટીઆરબી તેમજ હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત SCA તરફથી ખાનગી સિક્યોરિટી બાઉન્સર પણ રાખવામાં આવ્યા છે. અહીંયા ખાસ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સતત પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. બૉમ્બ સ્ક્વોડથી તેમજ ડોગ સ્ક્વોડ મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. જ્યારે 100 જેટલા બોડી વોર્ન કેમેરા મદદથી પણ પોલીસ દ્વારા સુરક્ષા રાખવામાં આવશે. જ્યારે સ્ટેડિયમ આસપાસ ડ્રોન ઉડાડવા પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 8:00 am

એપીકે ફાઈલ ડાઉનલોડ કરતાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા

ભારતીય નૌકાદળના નાવિક સાથે છેતરપિંડી બેન્કે જ ફાઈલ મોકલી છે તેવું માની ડાઉનલોડ કરીઃ નકલી બેન્ક મેનેજરનો ફોન પણ આવ્યો મુંબઈ - કોલાબાના નેવલ ડોકયાર્ડમાં તૈનાત ૨૭ વર્ષીય નાવિકને વોટ્સએપ પર બનાવટી ક્રેડિટ કાર્ડની મોબાઈલ એપ્લિકેશન લિંક મોકલીને રુ. ૯૦ હજારથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. કોલાબા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર 14 Jan 2026 7:55 am

વલસાડના મગોદમાં પૂર્વ સરપંચની નકલી સહીથી કૌભાંડ:બોગસ દસ્તાવેજો બનાવી લાખોની લોન લેવાઈ

વલસાડ તાલુકાના મગોદ ગામમાં પૂર્વ સરપંચની નકલી સહી અને બોગસ દસ્તાવેજોના આધારે લાખો રૂપિયાની લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ છેતરપિંડીમાં સરકારી દસ્તાવેજોમાં મોટા પાયે છેડછાડ કરવામાં આવી હતી. મગોદ ગામના પૂર્વ સરપંચ કિરણભાઈ અશોકભાઈ હળપતિની નકલી સહી અને તલાટીના બનાવટી સિક્કાનો ઉપયોગ કરીને બેંકમાંથી આશરે રૂ. 10.78 લાખની લોન મેળવવામાં આવી હતી. આ કૌભાંડ દીપેશભાઈ ભીખુભાઈ પટેલ અને સંધ્યાબેન દીપેશભાઈ પટેલ દ્વારા આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. કિરણભાઈ હળપતિની અરજી બાદ વલસાડ તાલુકા પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તપાસમાં જણાયું કે લોન લેવા માટે રજૂ કરાયેલી ઘર વેરા રસીદ મગોદ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી જ નથી. પંચાયતના રેકોર્ડમાં 2023-24 દરમિયાન આવી કોઈ રસીદ ફાડવામાં આવી હોવાનું નોંધાયું નથી. રજૂ થયેલી રસીદમાં સરપંચના સિક્કા પર 'Kiran' એવી ખોટી સહી કરવામાં આવી હતી, જે પૂર્વ સરપંચની અસલી સહી સાથે મેચ થતી નથી. તત્કાલીન તલાટી-કમ-મંત્રી પરિમલ એમ. પટેલે પણ સ્પષ્ટ કર્યું છે કે દસ્તાવેજો પર કરવામાં આવેલી સહી અને સિક્કા તેમના નથી. લોન મેળવવા માટે ચતુર્દિશાનું પ્રમાણપત્ર, પંચાયતનું લેણું બાકી નથી તેવો દાખલો, રહેઠાણનો દાખલો અને ગ્રામ પંચાયતનો દાખલો જેવા તમામ દસ્તાવેજો તલાટીની જાણ બહાર નકલી સહી-સિક્કા કરી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મગોદ ગ્રામ પંચાયતના રેકોર્ડમાં નોંધાયેલ ઘર નંબર 587 માં કાયદેસરની પ્રક્રિયા વગર જ નામ ફેર કરવાનો પ્રયાસ પણ થયો હતો. આરોપીઓ મિલકત મોર્ગેજ કરી રહ્યા હતા ત્યારે શંકા જતા ઓનલાઈન તપાસ કરવામાં આવી અને કૌભાંડ બહાર આવ્યું. પૂર્વ સરપંચ કિરણભાઈએ વધુમાં જણાવ્યું કે આરોપી દીપેશ પટેલને પંચાયત તરફથી ફાળવવામાં આવેલો ટેમ્પો તે તેના અંગત મંડપ સર્વિસના ધંધામાં વાપરતો હતો, જે સરકારી મિલકતનો દુરુપયોગ છે. આ મામલે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પૂર્વ સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે પોલીસ કડક કાર્યવાહી નહીં કરે, તો તેઓ ન્યાય મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 7:54 am

માદુરો બાદ ગ્રીનલેન્ડના પીએમના અપહરણનો વારો? ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચોખ્ખી ધમકી

Donald Trump on Greenland : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની મહત્વાકાંક્ષા હવે એક ગંભીર ધમકીમાં પરિણમી છે. જ્યારે ગ્રીનલેન્ડે સ્પષ્ટપણે કહ્યું કે તે વેચાઉ નથી, ત્યારે ટ્રમ્પે ત્યાંના પ્રીમિયર (વડાપ્રધાન)ને સીધી ધમકી આપી છે, જેના કારણે ગ્રીનલેન્ડમાં ભય અને બેચેનીનો માહોલ છે. ટ્રમ્પના આક્રમક તેવરને કારણે એવી આશંકા સેવાઈ રહી છે કે અમેરિકા વેનેઝુએલા જેવી કોઈ કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. શું છે સમગ્ર મામલો?

ગુજરાત સમાચાર 14 Jan 2026 7:47 am

પુત્રની 80 લાખની બાકી લોન વસૂલવા વૃદ્ધ માતાનું અપહરણ

જુહુથી કારમાં એકાંત સ્થળે લઇ જઇ વૃદ્ધાને ધમકાવ્યા મુખ્ય આરોપી કુરેશી ફરાર, સાગરિત પકડાયોઃ ગેરકાયદે લોન આપી ધાકધમકીમાં અનેકને નિશાન બનાવ્યાની શંકા મુંબઇ - મુંબઇના બે ખાનગી મની લેન્ડરોએ ૬૩ વર્ષીય એક વૃદ્ધાનું જુહુથી અપહરણ કર્યું હતું અને તેમને કારમાં એકાંત સ્થળે લઇ જઇ ધમકાવ્યા હતા. વૃદ્ધાનો પુત્ર ૮૦ લાખની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો હોવાનો આરોપ કરી આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ લોનની કબૂલાત કરતા દસ્તાવેજો પર સહી કર્યા પછી જ તેમને છોડવામાં આવ્યા હતા. આ ઘટના ગયા મહિને બની હતી પણ પોલીસે સોમવારે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી અને હવે મુખ્ય આરોપીની શોધ કરી રહી છે.

ગુજરાત સમાચાર 14 Jan 2026 7:45 am

અમેરિકાને મહાસત્તા તરીકે ટકાવી રાખવા પેન્ટાગોન મરણીયું બન્યું છે

- આર્ટકિટ રિજનમાં ચીનના પગપેસારાના નામે હવે કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ કબજે કરવા અમેરિકા તલપાપડ થયું છે, હાલ નવ દેશો સાથે સંઘર્ષ યથાવત્ - હવે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે કે, હાલમાં દુનિયાની એક જ સર્વોચ્ચ સત્તાનું પદ જતું રહેશે અને દુનિયામાં મલ્ટિપાવર સેન્ટર બની જશે : દુનિયા તેને નબળો પડતો દેશ ન માને તેના કારણે તેણે મરણિયો જંગ આદર્યો છે. તે ક્યાંક દબાણ કરે છે તો ક્યાંક પ્રતિબંધ મુકે છે તો ક્યાંક દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવે છે તો ક્યાંક શક્તિ પ્રદર્શન કરે છે : સર્વોચ્ચ મહાસત્તા બની રહેવાનું દબાણ કે પછી રશિયા, ચીન, ભારતના વધતા પ્રભાવને અટકાવવા અને ઈરાનને કચડવા આક્રમક પગલા : અમેરિકા ‘Sanctioning Russia Act of 2025' નામના નવા કાયદા એવા તમામ દેશો ઉપર ૫૦૦ ટકા તોતિંગ ટેરિફ લગાવશે જેઓ રશિયા પાસેથી ક્રૂડ અથવા તો યુરેનિયમ ખરીદે છે, ખાસ કરીને ચીન અને ભારત ઉપર પેન્ટાગોન હાલમાં મરણિયું થયેલું છે. કોઈપણ ભોગે સમગ્ર વિશ્વમાં અમેરિકાને મહાસત્તા તરીકે યથાવત્ રાખવા માટે તેણે તમામ સ્તરે પ્રયાસ શરૂ કરી દીધા છે. હાલમાં ગ્રીનલેન્ડને કબજે કરવાની જાહેરાત ટ્રમ્પના માધ્યમથી કરાવાઈ છે.

ગુજરાત સમાચાર 14 Jan 2026 7:00 am

ભગવાન દાસ માંજાની ધારનું સિક્રેટ શું?:તાપીના પાણી અને દેશી ગુંદરમાંથી બંને છે લૂગદી, ખાસ 'ઉસ્તાદો'ની ટીમ દોરીમાં રેડે છે જીવ

ઉત્તરાયણના તહેવાર પર મહાનગરોથી લઈ ગામડાની બજારોમાં માંજાનું વેચાણ થાય છે. પરંતુ, આજે 70 વર્ષ બાદ પણ 'ભગવાનદાસ માંજા'નો બધાની વચ્ચે દબદબો જળવાઈ રહ્યો છે. 1957માં શરૂ થયેલી ભગવાનદાસ માંજાની સફર આજે સાત દાયકા બાદ પણ ચાલી રહી છે. ભગવાનદાસ પરિવારની ત્રીજી પેઢી આ ધંધામાં જોડાયેલી છે. 70 વર્ષ પહેલા પરિવારના વડીલોએ જે 'સિક્રેટ' સાથે માંજો બનાવવાની શરૂઆત કરી હતી તે જ પરંપરાને આજની પેઢીએ જાળવી રાખી છે. તાપીના પાણી, દેશી ગુંદર, બલ્બના ઝીણા કાચ અને બરેલીના ઉસ્તાદોરની મહેનતથી તૈયાર થતો માંજો આજે પણ પતંગબાજોની પહેલી પસંદ છે. ભગવાનદાસ માંજાની ધાર પાછળનું સિક્રેટ શું છે તે જાણવા દિવ્ય ભાસ્કરે ભગવાનદાસ પરિવારની ત્રીજી પેઢીના લોકો સાથે વાતચીત કરી હતી. 'ભગવાનદાસ માંજા'ની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?સુરતના ડબગરવાડ અને ભાગળ વિસ્તારના ઈતિહાસમાં વર્ષ 1957 એક સુવર્ણ અક્ષરે લખાયેલું વર્ષ છે. આ એ સમય હતો જ્યારે ભારત આઝાદીના દસ વર્ષ પૂર્ણ કરી રહ્યું હતું અને સુરત પોતાની વ્યાપારી પાંખો ફેલાવી રહ્યું હતું. તે સમયે બે સગા ભાઈઓ, ભગવાનદાસ અને હસમુખભાઈએ, ખૂબ જ મર્યાદિત સાધનો સાથે માંજા બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ ભાગળ કોટ સફિલ રોડ પર માત્ર 15 બાય 10 ના એક નાનકડા ઓરડામાં રહેતા હતા. આ ઓરડો જ તેમનું ઘર હતું અને આ જ તેમની વર્કશોપ હતી. રસ્તાના કિનારે બેસીને, ધૂળ અને ગરમીની પરવા કર્યા વગર, તેમણે દોરાને ધાર આપવાનું કામ શરૂ કર્યું. તે સમયે પતંગની દોરી બનાવવી એ માત્ર સીઝનલ ધંધો હતો, પરંતુ આ બે ભાઈઓએ તેને એક કળા તરીકે સ્વીકારી. તેમના જીવનનો મંત્ર હતો કે ગ્રાહકને એવી દોરી આપવી કે જે એકવાર વાપરે તે બીજીવાર બીજે ક્યાંય ન જાય. શરૂઆતના દિવસોમાં સાયકલ પર જઈને દોરા લાવવા અને રાત-દિવસ એક કરીને લૂગદી તૈયાર કરવી એ તેમનો નિત્યક્રમ હતો. ભગવાનદાસભાઈની દ્રષ્ટિ અને હસમુખભાઈની મહેનતે એક એવો પાયો નાખ્યો કે જેના પર આજે એક વિશાળ વ્યાપારી ઈમારત ઉભી છે. આ સંઘર્ષ માત્ર આર્થિક નહોતો, પણ એક એવી બ્રાન્ડ ઉભી કરવાનો હતો જે આવનારા દાયકાઓ સુધી અડીખમ રહે. આજે જ્યારે આપણે કરોડોના ટર્નઓવરની વાત કરીએ છીએ, ત્યારે તેની પાછળ તે 15 બાય 10 ના ઓરડામાં વહેલા પરસેવાની મહેક છુપાયેલી છે. 'ભગવાનદાસ માંજા'ની બનાવટમાં તાપીના પાણીની કમાલદુનિયાભરમાં માંજો અનેક જગ્યાએ બને છે—બરેલી, અમદાવાદ, દિલ્હી કે લખનૌ—પરંતુ સુરતી માંજાની જે 'કાટ' છે તે ક્યાંય જોવા મળતી નથી. આની પાછળનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી.ભગવાનદાસ પરિવારના મતે, તાપીના પાણીમાં રહેલા મિનરલ્સ અને પીએચ લેવલ માંજાની લૂગદી માટે આશીર્વાદ સમાન છે. જ્યારે કાચનો પાવડર, ચોખાની કણકી, અને વિવિધ કેમિકલ્સને તાપીના પાણીમાં મિશ્ર કરવામાં આવે છે, ત્યારે એક એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે જે દોરાના રેસાઓને અંદર સુધી મજબૂત બનાવે છે. સુરત સિવાય અન્ય શહેરોમાં જ્યારે આજ કારીગરો માંજો બનાવે છે, ત્યારે ત્યાંના પાણીની ક્ષારયુક્તતા અથવા અશુદ્ધિઓને કારણે લૂગદી દોરા પર બરાબર ચોંટતી નથી, પરિણામે થોડા પેચ લડાવ્યા પછી દોરી 'નરમ' પડી જાય છે. પરંતુ ભગવાનદાસનો માંજો તાપીના પાણીને કારણે પથ્થર જેવો કઠણ અને કાચ જેવો ધારદાર રહે છે. આ પાણીના પ્રતાપે જ દોરીનો રંગ પણ લાંબા સમય સુધી ઉતરતો નથી. સુરતના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જ્યારે આ દોરી સુકાય છે, ત્યારે તેની કુદરતી મજબૂતીમાં અનેકગણો વધારો થાય છે. આ જ કારણ છે કે મોટા મોટા પતંગબાજો પણ માને છે કે જો સુરતનું પાણી માંજાને ન લાગે, તો તે માંજો 'નિર્જીવ' છે. ભગવાનદાસ પરિવારે આ પરંપરાગત જ્ઞાનને પેઢી દર પેઢી સાચવી રાખ્યું છે અને આજે પણ તેઓ માંજો બનાવવામાં પાણીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપે છે. માંજો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ?માંજો બનાવવો એ કોઈ મશીનરીનું કામ નથી, પણ સંપૂર્ણપણે માનવ કૌશલ્ય પર આધારિત પ્રક્રિયા છે. ભગવાનદાસના માંજામાં સૌથી મહત્વનો ભાગ છે તેની 'લૂગદી' અથવા 'મસાલો'. આ મસાલો તૈયાર કરવા માટે ઉત્તમ ગુણવત્તાના ચોખાને બાફીને તેની કણકી બનાવવામાં આવે છે, જેમાં દેશી ગુંદર, સાંકળ-8 ના બોબીનનો પાયો અને અત્યંત ઝીણો પીસેલો બલ્બનો કાચ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને ચોક્કસ તાપમાને ઉકાળવામાં આવે છે જેથી તે દોરા પર બરાબર પકડ જમાવી શકે. જ્યારે લૂગદી તૈયાર થાય, ત્યારે નિષ્ણાત કારીગરો તેને પોતાના હાથની હથેળીમાં લે છે. એક બાજુ ચરખો ફરતો હોય અને બીજી બાજુ કારીગર દોરાને પોતાની આંગળીઓની 'ચપટી' માંથી પસાર કરે છે. આ ચપટીનું દબાણ કેટલું રાખવું તે માત્ર વર્ષોના અનુભવથી જ શીખી શકાય છે. જો દબાણ વધુ હોય તો દોરો તૂટી જાય, અને જો ઓછું હોય તો ધાર ન આવે. ચરખા પર જ્યારે દોરો વીંટાય છે, ત્યારે તેના પર કાચનું એક એવું લેયર ચઢે છે જે નરી આંખે જોવું મુશ્કેલ છે પણ પેચ લડાવતી વખતે તે તલવાર જેવું કામ કરે છે. ભગવાનદાસની આ ચરખા સિસ્ટમ આજે પણ વર્ષો જૂની પદ્ધતિથી જ ચાલે છે, કારણ કે મશીનથી બનેલા માંજામાં એ 'જીવ' હોતો નથી જે હાથથી બનાવેલા માંજામાં હોય છે. આ પ્રક્રિયામાં તાપમાન અને પવનની દિશા પણ મહત્વનો ભાગ ભજવે છે. પતંગ અને માંજાની દુનિયાની 'વોલ સ્ટ્રીટ' એટલે સુરતનું ડબગરવાડસુરતનું ડબગરવાડ એટલે માત્ર ગીચ ગલીઓનો વિસ્તાર નહીં, પણ પતંગ અને માંજાની દુનિયાનું 'વોલ સ્ટ્રીટ'. અહીંની હવામાં જ માંજાની સુગંધ અને ચરખાનો અવાજ વણાયેલો છે. ભગવાનદાસના નામનો 'સિક્કો' અહીં એટલો જોરથી ચાલે છે કે વિદેશી ગ્રાહકો પણ ડાયરેક્ટ અહીં જ આવે છે. આજે સુરતી માંજો માત્ર પાડોશી દેશો જેવા કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ નહીં પણ અમેરિકાના કેલિફોર્નિયા, કેનેડાના ટોરન્ટો, લંડન અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી રહ્યો છે. ત્યાં વસતા ગુજરાતીઓ જ્યારે ઉત્તરાયણ મનાવે છે ત્યારે તેઓ ખાસ ભગવાનદાસની ફીરકીઓ કુરિયર કરાવે છે અથવા ભારત પ્રવાસે આવતી વખતે સાથે લઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભગવાનદાસના માંજાની માંગ એટલી છે કે ઘણીવાર સીઝન શરૂ થયાના બે મહિના પહેલા જ સ્ટોક બુક થઈ જાય છે. NRI ગ્રાહકો માટે ખાસ 'પ્રીમિયમ કોટન' માંજો તૈયાર કરવામાં આવે છે જે વિદેશી પવનોમાં પણ પતંગને સ્થિર રાખે છે. ભગવાનદાસે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ગુડવિલ એવી બનાવી છે કે, ગ્રાહક કિંમત પૂછ્યા વગર માત્ર 'ભગવાનદાસ'નું લેબલ જોઈને ઓર્ડર આપે છે. ડબગરવાડની આ સાંકડી ગલીઓમાંથી નીકળેલી ફીરકી જ્યારે ન્યૂયોર્કની ગગનચુંબી ઈમારતો વચ્ચે પતંગ કાપે છે, ત્યારે તે સુરતના ગૌરવમાં વધારો કરે છે. MBBSની ડિગ્રી મેળવ્યા બાદ પણ ત્રીજી પેઢીનો યુવક ધંધાથી દૂર ન થયોપરિવર્તનના આ યુગમાં જ્યારે નવી પેઢી પોતાના ફેમિલી બિઝનેસથી દૂર ભાગે છે, ત્યારે ભગવાનદાસ પરિવારમાં એક અનોખી ઘટના જોવા મળી છે. ત્રીજી પેઢીના ધૃવિલ, જેણે MBBS જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેણે હોસ્પિટલના એસી કેબિનમાં બેસવાને બદલે ડબગરવાડની ધૂળ અને રંગો વચ્ચે બેસીને પોતાના દાદા-પિતાનો વારસો સાચવવાનું નક્કી કર્યું છે. ધૃવિલનું માનવું છે કે, ડોક્ટરી એ વ્યવસાય છે પણ માંજો એ તેમનો લોહીમાં વણાયેલો સંસ્કાર છે. એક ભણેલી-ગણેલી વ્યક્તિ જ્યારે આ વ્યવસાયમાં આવે છે, ત્યારે તે ટેકનોલોજી અને નવીન વિચારો લાવે છે. ધૃવિલે માંજાના પેકેજિંગ, ઓનલાઇન માર્કેટિંગ અને ગ્રાહક સેવાને આધુનિક બનાવી છે. આજે ભગવાન પતંગ ભંડાર ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એટલો જ સક્રિય છે. ડોક્ટર હોવાને કારણે તે માંજાની પ્રક્રિયામાં વપરાતા કેમિકલ્સની સેફ્ટી અને ગુણવત્તા પર પણ વિશેષ ધ્યાન આપે છે. આ સમર્પણ જ દર્શાવે છે કે ભગવાનદાસ નામની પાછળ માત્ર નફો નથી, પણ એક અતૂટ લાગણી છે. ધૃવિલ જેવા યુવાનોને કારણે જ આજે પતંગ ઉદ્યોગને એક નવી દિશા મળી છે. આ ઉદાહરણ આખા સુરત માટે પ્રેરણારૂપ છે કે ગમે તેટલા ભણો, પણ પોતાના મૂળિયાને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. મોટાભાગનો માંજો ઉનાળાના ચાર મહિનામાં જ તૈયાર થઈ જાયઉત્તરાયણનો તહેવાર ભલે જાન્યુઆરીમાં માત્ર બે દિવસ માટે આવતો હોય, પરંતુ ભગવાનદાસ પરિવાર માટે આ એક 365 દિવસનો અવિરત યજ્ઞ છે. 14મી જાન્યુઆરીએ જ્યારે આકાશ પતંગોથી ખાલી થાય છે, ત્યારે માત્ર બે મહિનાના ટૂંકા વિરામ બાદ, એટલે કે હોળી-ધૂળેટી પછી તરત જ માર્ચ મહિનામાં નવા વર્ષની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ સમય પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ ઉનાળાનો આકરો તાપ છે. માંજો બનાવવા માટે સૂર્યપ્રકાશ સૌથી મહત્વનું ઘટક છે. જ્યારે માંજા પર લૂગદી ચઢાવવામાં આવે છે, ત્યારે તેને કુદરતી રીતે સુકવવા માટે 40 ડિગ્રીથી વધુ તાપમાનની જરૂર પડે છે. જો માંજો ભેજવાળા વાતાવરણમાં સુકાય તો તેની ધાર નરમ પડી જાય છે, પરંતુ માર્ચથી જૂન મહિના સુધીના કાળઝાળ તડકામાં જે માંજો તૈયાર થાય છે, તેની મજબૂતી પથ્થર જેવી હોય છે. ભગવાનદાસ પરિવાર આ ચાર મહિના દરમિયાન હજારો કિલોમીટર લાંબો દોરો તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં સમયબદ્ધતા ખૂબ જરૂરી છે. કારીગરો વહેલી સવારે 4 વાગ્યાથી કામે લાગી જાય છે જેથી બપોરની લૂ શરૂ થાય તે પહેલા લૂગદી ચઢી જાય. ચોમાસામાં જ્યારે કામ બંધ હોય છે, ત્યારે આ તૈયાર થયેલા માંજાને ખાસ ભેજ રહિત ગોદામોમાં રાખવામાં આવે છે. દિવાળી પછી ફરીથી ફીરકી પર વીંટવાનું અને પેકેજિંગનું કામ જોરશોરથી શરૂ થાય છે. આ આખું ચક્ર દર્શાવે છે કે એક ઉત્તમ ફીરકી પાછળ મહિનાઓની ધીરજ અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય છુપાયેલું છે. કારીગરોનું સ્થળાંતર અને સુરત-બરેલી પદ્ધતિનો સમન્વયમાંજો બનાવવાની કળામાં કારીગરોની ભૂમિકા સૌથી મહત્વની છે. પહેલાના સમયમાં સુરતમાં જ અનેક સ્થાનિક કારીગરો હતા, પરંતુ સમય જતાં નવી પેઢી આ મહેનતવાળા કામથી દૂર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ભગવાનદાસ પરિવારે ઉત્તર પ્રદેશના બરેલી, લખનૌ અને મુરાદાબાદથી કુશળ 'ઉસ્તાદો' ને સુરત બોલાવ્યા છે. આ કારીગરો પેઢી દર પેઢી દોરી ઘસવાનું કામ કરે છે. સુરતમાં અત્યારે એક અનોખો સમન્વય જોવા મળે છે—બરેલીના કારીગરો અને સુરતની લૂગદી. બરેલીની દોરી મૂળભૂત રીતે 'ખેંચ' ના પેચ માટે જાણીતી છે, જે ખૂબ જ લીસી અને ધારદાર હોય છે. જ્યારે સુરતી માંજો 'ઢીલ' ના પેચ માટે મજબૂત પકડ ધરાવે છે. ભગવાનદાસે આ બંને પદ્ધતિઓનું મિશ્રણ કરીને એક નવો જ પ્રકારનો માંજો તૈયાર કર્યો છે, જે ખેંચ અને ઢીલ બંનેમાં અજેય સાબિત થાય છે. આ કારીગરો દિવાળી પછી સુરતમાં ધામા નાખે છે અને ઉત્તરાયણ સુધી દિવસ-રાત એક કરે છે. ભગવાનદાસ પરિવાર આ કારીગરોને માત્ર મજૂર નહીં, પણ કલાકાર માને છે. તેમના રહેવા, ખાવા અને સ્વાસ્થ્યની જવાબદારી પરિવાર ઉપાડે છે. આ અતૂટ સંબંધને કારણે જ દાયકાઓથી એ જ કારીગરો દર વર્ષે સુરત આવે છે. આ શ્રમિકોના પરસેવા અને સુરતના પાણીના મિશ્રણથી જે પ્રોડક્ટ તૈયાર થાય છે, તે આભમાં પતંગોનું રાજ સ્થાપે છે. પેચ લડાવવાનું વિજ્ઞાન: ઢીલ વિરુદ્ધ ખેંચ અને માંજાની ભૂમિકાપતંગબાજી એ માત્ર મનોરંજન નથી, પણ એક ભૌતિકશાસ્ત્ર છે. જ્યારે બે પતંગો આકાશમાં પેચ લડાવે છે, ત્યારે માંજાની ગુણવત્તા જ હાર-જીત નક્કી કરે છે. પતંગબાજીમાં મુખ્યત્વે બે ટેકનિક હોય છે: 'ખેંચ' અને 'ઢીલ'. ભગવાનદાસનો માંજો ખાસ કરીને ઢીલના પેચ માટે 'કિંગ' માનવામાં આવે છે. તેની સપાટી પર રહેલા કાચના કણો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જ્યારે તે સામેવાળી દોરી સાથે ટકરાય છે, ત્યારે તે કરવતની જેમ કામ કરે છે. સામેવાળી દોરી ગમે તેટલી મજબૂત હોય, પણ જો તે ભગવાનદાસના માંજાના ઘર્ષણમાં આવે તો તે સેકન્ડોમાં કપાઈ જાય છે. ભગવાનદાસના માંજામાં વપરાતો દોરો 'સાંકળ-8' ગુણવત્તાનો હોય છે, જે વજનમાં હલકો હોવા છતાં અત્યંત મજબૂત હોય છે. હલકો હોવાને કારણે પતંગ દૂર સુધી જઈ શકે છે અને મજબૂત હોવાને કારણે તે હવામાં આવતા દબાણને સહન કરી શકે છે. ઘણા પ્રોફેશનલ પતંગબાજો પવનની ગતિ મુજબ માંજાની પસંદગી કરે છે. જો પવન તેજ હોય તો તેઓ થોડો જાડો માંજો પસંદ કરે છે, અને જો પવન ઓછો હોય તો બારીક પણ ધારદાર માંજો વાપરે છે. ભગવાનદાસની દુકાને ગ્રાહકોને તેમની પતંગ ચગાવવાની શૈલી મુજબ માંજો સજેસ્ટ કરવામાં આવે છે. માંજાની બનાવટમાં પક્ષીઓની પણ ચિંતાએક જવાબદાર વેપારી તરીકે, ભગવાનદાસ પરિવારે હંમેશા પક્ષીઓની સુરક્ષા અને પર્યાવરણનો ખ્યાલ રાખ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચાઈનીઝ માંજા ને કારણે પક્ષીઓ અને મનુષ્યોના જીવ જોખમમાં મૂકાયા છે. ભગવાનદાસ પરિવારે હંમેશા ચાઈનીઝ માંજાનો વિરોધ કર્યો છે અને માત્ર સુતરાઉ દોરાના માંજાના જ પ્રચાર કર્યો છે. સુતરાઉ દોરો કુદરતી રીતે નાશવંત છે, એટલે કે જો તે ઝાડ પર ફસાઈ જાય તો પણ થોડા સમયમાં તે સડીને તૂટી જાય છે, જેનાથી પક્ષીઓને લાંબા ગાળાનું નુકસાન થતું નથી. વધુમાં, ભગવાનદાસના માંજામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે વીજળીના વાયરોમાં શોર્ટ સર્કિટ થતા અટકાવે છે. ઉત્તરાયણ પહેલા આ પરિવાર ગ્રાહકોને જાગૃત કરે છે કે સવારે વહેલા અને સાંજે પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ચગાવવી જોઈએ. તેઓ પક્ષીઓના રેસ્ક્યુ માટે કામ કરતી સંસ્થાઓને પણ આર્થિક મદદ કરે છે. વ્યવસાયની સાથે સાથે સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની આ સંવેદનશીલતા તેમને અન્ય વેપારીઓથી અલગ પાડે છે. 'કાઈપો છે' ના આનંદમાં કોઈનો જીવ ન જાય, તે જોવાની જવાબદારી આ પરિવાર પોતાના ખભે લે છે. પેકેજિંગ અને બ્રાન્ડિંગનું મહત્વ પહેલાના સમયમાં માંજો સાદી કાગળની પટ્ટીમાં વીંટીને આપવામાં આવતો હતો, પરંતુ ભગવાનદાસે બ્રાન્ડિંગનું મહત્વ સમજ્યું. તેમણે પોતાની ફીરકીઓ માટે ખાસ પ્રકારની પ્લાસ્ટિક અને લાકડાની ફીરકીઓ ડિઝાઇન કરાવી છે, જેના પર તેમનો આઈકોનિક લોગો અને 'ભગવાનદાસ' નામ સુવાચ્ય અક્ષરે લખેલું હોય છે. ફીરકીનું પેકેજિંગ પણ આકર્ષક બનાવવામાં આવ્યું છે જેથી તે ગિફ્ટ આપવા માટે પણ ઉત્તમ લાગે. વિદેશ મોકલવા માટે ખાસ એર-ટાઈટ પેકેજિંગ કરવામાં આવે છે જેથી રસ્તામાં ભેજને કારણે માંજાની ધાર ખરાબ ન થાય. દરેક ફીરકી પર બેચ નંબર અને ઉત્પાદનની તારીખ હોય છે, જે તેની ઓથેન્ટિસિટી સાબિત કરે છે. તેમની 'બ્લેક ડાયમંડ', 'ક્રિસ્ટલ' અને 'ગોલ્ડ' જેવી વેરાયટીઓ તેમના પ્રીમિયમ પેકેજિંગ માટે જાણીતી છે. ગ્રાહકો જ્યારે દુકાને આવે છે ત્યારે તેમને વિવિધ કલરના લેબલો જોવા મળે છે, જે માંજાની ક્વોલિટી અને કિંમત સૂચવે છે. આ વ્યવસ્થિત બ્રાન્ડિંગને કારણે જ આજે લોકો બજારમાં મને ભગવાનદાસની ગોલ્ડ ફીરકી આપો તેમ કહીને માંગણી કરે છે. સુરતી ડાયસ્પોરા અને ગ્લોબલ ડિમાન્ડસુરતીઓ દુનિયાના કોઈપણ ખૂણે જાય, પણ ઉત્તરાયણ અને સુરતી માંજો ક્યારેય ભૂલતા નથી. લંડનના હેરો વિસ્તારમાં કે અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા હજારો સુરતી પરિવારો માટે જાન્યુઆરી મહિનો એટલે હોમસિકનેસનો સમય હોય છે. આ ખોટ પૂરી કરવાનું કામ ભગવાનદાસનો માંજો કરે છે. દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ભગવાનદાસની દુકાનેથી સેંકડો પાર્સલ વિદેશ રવાના થાય છે. વિદેશમાં પતંગ ચગાવવાના નિયમો કડક હોવા છતાં, ત્યાં રહેતા ભારતીયો ખાસ પરવાનગી લઈને પતંગ મહોત્સવ યોજે છે અને તેમાં ભગવાનદાસનો માંજો શાન બને છે. વિદેશી મિત્રો પણ આ દોરીની મજબૂતી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ગ્લોબલ ડિમાન્ડને કારણે ભગવાનદાસ પરિવાર હવે ઇન્ટરનેશનલ શિપિંગમાં એક્સપર્ટ બની ગયો છે. વિદેશી ચલણમાં થતી આ કમાણી સુરતના અર્થતંત્રમાં પણ ફાળો આપે છે. આ રીતે, એક નાનકડી દુકાન આજે ભારતની સોફ્ટ પાવર અને સંસ્કૃતિને વિદેશમાં ફેલાવવાનું માધ્યમ બની છે. સિઝનલ રોજગારી અને અર્થતંત્રમાં ફાળોપતંગ ઉદ્યોગ સુરતના હજારો ગરીબ પરિવારો માટે રોજગારીનું સાધન છે. ભગવાનદાસ જેવી મોટી પેઢીઓ જ્યારે મોટા પાયે ઉત્પાદન કરે છે, ત્યારે તેમાં માત્ર માંજો ઘસનારા જ નહીં, પણ ફીરકી બનાવનારા સુથારો, લેબલ છાપનારા પ્રિન્ટરો, અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરાયણની સીઝન દરમિયાન સુરતમાં અંદાજે 300 કરોડનો વેપાર થાય છે, જેમાં મોટો હિસ્સો માંજાનો હોય છે. ભગવાનદાસ પરિવાર આ આર્થિક ચક્રનું એક મહત્વનું એન્જિન છે. મહિલાઓ પણ ઘરે બેઠા ફીરકીઓ પર દોરી વીંટવાનું કામ કરીને વધારાની આવક મેળવે છે. આ રીતે, આ વ્યવસાય માત્ર એક પરિવારની સમૃદ્ધિ નથી, પણ આખા સમાજને આર્થિક ટેકો આપતું માધ્યમ છે. લગભગ 30 જેટલા કારીગરો ને રોજગાર મળે છે. પક્ષીઓને 100 ટકા સુરક્ષિત રાખતો માંજો તૈયાર કરવાનું વિઝનઆગામી વર્ષોમાં ભગવાનદાસ પરિવાર પોતાના બિઝનેસને વધુ પ્રોફેશનલ બનાવવા માંગે છે. તેઓ એક એવું સેન્ટર ઉભું કરવા માંગે છે જ્યાં પ્રવાસીઓ આવીને જોઈ શકે કે સુરતી માંજો કેવી રીતે બને છે (Kite Tourism). આ ઉપરાંત, તેઓ ઇકો-ફ્રેન્ડલી માંજા પર વધુ સંશોધન કરી રહ્યા છે જે પક્ષીઓ માટે 100% સુરક્ષિત હોય. મશીનરીનો ઉપયોગ ઓછો રાખીને હાથની કળાને કેવી રીતે જાળવી રાખવી, તે તેમનું મુખ્ય વિઝન છે. તેઓ ઈચ્છે છે કે સુરતનો આ વારસો ક્યારેય લુપ્ત ન થાય અને 'ભગવાનદાસ' નામ આવનારી ઘણી સદીઓ સુધી પતંગ જગતમાં ગુંજતું રહે. સુરત નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભગવાનદાસ માંજાની ડીમાન્ડગ્રાહક ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી ‘ભગવાનદાસ’ માં પ્રકાશભાઈ પાસે દોરી લેવા આવું છું કારણ કે મારા મિત્રો અમદાવાદ, વડોદરા અને બધી જ હોસ્પિટલોમાં છે. આજે પણ મને વડોદરાથી એક કોલ આવ્યો અને તરત જ આવ્યો છું કે ‘ભગવાનદાસ’ માં પ્રકાશભાઈની ક્રિસ્ટલ દોરી, ખાસ કરીને બરેલી અને ક્રિસ્ટલ દોરી માટે હું આવ્યો છું અને મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ દિવસ એવી કોઈ ફરિયાદ આવી નથી કે દોરી ખરાબ નીકળી. ઓલ્વેઝ એવું જ કહેવામાં આવે છે કે સુરતથી જ દોરી અને તે હોય ભગવાનની જ જોઈએ અને તે પણ ક્રિસ્ટલ બોક્સ વાળી અને ખૂબ મજા લૂંટતા હોય છે. જ્યારે પણ મિત્રોને પાછા મળીએ ઉતરાણ પછી ત્યારે એમના મોં માંથી થેન્ક્યુ તો અવશ્ય હોય છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 am

કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજો આવતા નથી, તેમને બોલાવાય છે:સરકાર 4 સ્ટાર હોટલમાં રહેવા-જમવાની સુવિધા પણ આપે, આ વખતે 50 દેશોના લોકોએ ભાગ લીધો

દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સોમવારે પતંગ ઉડાવી હતી. આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. વિદેશીઓને પતંગના ઠુમકા મારતા જોવા એ હંમેશા પતંગ મહોત્સવનું આકર્ષણ રહ્યું છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વિદેશીઓ પતંગ મહોત્સવમાં કેવી રીતે આવે છે? તેમને કેવી રીતે ખબર પડે છે કે દર વર્ષે ગુજરાતમાં આવો કોઇ પતંગ મહોત્સવ યોજાય છે? શું તેમને પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાય છે? શું તેમને અહીં આવવા બદલ કોઇ ફી ચુકવવામાં આવે છે. આવા અનેક સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે વિદેશી પતંગબાજો સાથે વાતચીત કરી હતી. પતંગ મહોત્સવમાં તમે જે વિદેશીઓને જુઓ છો તેમને ખાસ બોલાવાય છે. ગુજરાત ટુરિઝમ આ વિદેશી પતંગબાજોને અહીં રહેવાની, જમવાની, આસપાસમાં ફરવાની પણ સુવિધા આપે છે. શહેરની ફોર સ્ટાર હોટલમાં વિદેશીઓને ઉતારો અપાય છે. આ વાત ખુદ વિદેશી પતંગબાજોએ જ ભાસ્કરને કહી છે. અમદાવાદના પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે તુર્કી, અમેરિકા, રશિયા અને આયર્લેન્ડ સહિતના દેશોમાંથી પતંગબાજો પણ આવ્યા છે. કોઇ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલું છે તો કોઇ નાનપણથી જ પતંગ ચગાવતા શીખ્યું છે. સૌથી પહેલાં અમે તુર્કીથી આવેલા સેન સાથે વાતચીત કરી હતી. 10 વર્ષથી પતંગ ઉડાવે છેતુર્કીમાં કાઇટ કોલેબ નામની એક સંસ્થા ચાલે છે. જેના થકી સેને કાઇટ ફેસ્ટિવલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે તુર્કીમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સેન કહે છે કે, હું નાનો હતો ત્યારથી જ મને પતંગનો શોખ હતો. મેં મારી રીતે પતંગ બનાવવાની શરૂઆત કરી હતી. જેમ મોટો થયો તેમ અમને આ મોટી પતંગો વિશે ખબર પડી અને અમે તે ઉડાવવાની શરૂઆત કરી. છેલ્લા 10 વર્ષથી હું કાઇટિંગ કરી રહ્યો છું. સેનને 3 વર્ષ અગાઉ અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ વિશે જાણકારી મળી હતી. જો કે એ સમયે તે કોઇ કારણોસર આવી શક્યો નહોતો. દરેકને અલગ સ્ટોલ અપાયોસેન કહે છે કે, અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે. કોઇ મને પૂછે કે ભારતની સૌથી બેસ્ટ બાબત કઇ છે તો હું કહીશ કે અહીંના લોકો ખૂબ સારા છે. હું આગામી સમયમાં પણ આ કાઇટ ફેસ્ટિવલમાં આવીશ. રશિયન નાગરિક વિક્ટર પહેલી વખત ભારત પ્રવાસે આવ્યો છે. તે મોસ્કોમાં રહે છે અને 3 વર્ષ પહેલાં પતંગ ચગાવતા શીખ્યો હતો. વિક્ટરે જણાવ્યું કે તેને ગુજરાત ટુરિઝમે પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. રશિયન નાગરિકે ગુજરાતની પ્રશંસા કરીતેણે કહ્યું કે, અહીં ભાગ લેવા માટે અમને કોઇ પેમેન્ટ તો નથી મળતું પણ હોટલ, ફૂડ, ટ્રાવેલ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અનેક દેશના લોકો અહીં આવ્યા છે. આ મહોત્સવને હું ખૂબ સારી રીતે માણી રહ્યો છું. મેં અહીં આવીને ઘણા નવા મિત્રો બનાવ્યા છે. નીક ઓનિયલ નામની મહિલા અમેરિકાની રહેવાસી છે. તે અગાઉ દિલ્હી અને કેરળના કાઇટ ફેસ્ટિવલમાં આવી ચૂકી છે પણ તે અમદાવાદ પહેલીવાર આવી છે. તે નાની હતી ત્યારથી જ પતંગ ચગાવતા શીખી ગઇ હતી. ગુજરાત ટુરિઝમે અમેરિકન મહિલાનો સંપર્ક કર્યોતેણે ભારતમાં થતાં તમામ કાઇટ ફેસ્ટિવલ અંગે કોરોનાના સમય પહેલાં જ જાણકારી મેળવી લીધી હતી. એ સમયે તેને અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ અંગે પણ જાણવા મળ્યું હતું. ગુજરાત ટુરિઝમે નીકનો સંપર્ક કર્યો હતો અને તેને અહીં પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે બોલાવી હતી. નીકે કહ્યું કે, અમે પતંગબાજો એક બીજાને સારી રીતે ઓળખતા હોઇએ છીએ. તેમના દ્વારા આ બધી તકો સર્જાતી હોય છે. પતંગબાજો એકબીજાને કહેતા હોય છે કે કોઇને પતંગ મહોત્સવમાં આવવું હોય આવી શકે છે. નીકે કહ્યું કે અહીંયા મજા તો આવે છે પરંતુ જો ઇવેન્ટ થોડી વધારે હોત તો સારું રહ્યું હોત. અમે પતંગ તો ચગાવી છે પરંતુ વધારે કંઇ કરી નથી શક્યા. પહેલાં જે પતંગ ચગાવતા હતા અને અત્યારે પતંગ ચગાવીએ છીએ તેમાં મોટો ફેર છે. અત્યારે જે પતંગ ચગાવીએ છીએ તે ખૂબ મોટા છે. હું શીખી ત્યારે માહોલ અલગ હતો. અન્ય રાજ્યના કાઇટ ફેસ્ટિવલમાં જવાની ઇચ્છાનીકને અન્ય રાજ્યમાં થતાં કાઇટ ફેસ્ટિવલમાં પણ ભાગ લેવો છે. તે કહે છે કે મારે ભારતના બીજા વિસ્તારોને પણ જાણવા છે. મારે હૈદરાબાદનો કાઈટ ફેસ્ટિવલ પણ માણવો છે. મને ભારતના લોકો ખૂબ ગમે છે. તે અમને ખૂબ પ્રેમ આપે છે. મને બધા સાથે ફોટો પડાવવામાં પણ મજા પડે છે. ટ્રેવર આયર્લેન્ડથી આવેલો પતંગબાજ છે. તે બીજીવાર અહીં કાઇટ ફેસ્ટિવલમાં આવ્યો છે. તેને ચારેક વર્ષ અગાઉ અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ અંગે માહિતી મળી હતી. તેણે કહ્યું કે, અહીં આવવા માટે અમને ગુજરાત ટુરિઝમ એપ્રોચ કરે છે. અમને અહીં આવવાની ફી નથી મળતી પરંતુ ફેસેલિટી મળતી હોવાના કારણે વધુ ખર્ચ પણ નથી થતો. અહીં હું ખરેખર આનંદ કરી રહ્યો છું. કાઇટ ફેસ્ટિવલમાં આવવા મળ્યું તે મારા માટે આનંદની વાત છે. કેવી રીતે સિલેક્શન થાય છે?અહીં આવવાની સિલેક્શન પ્રોસેસ વિશે તેણે કહ્યું કે, મને 100% તો ખબર નથી પરંતુ અમારી ઓનલાઇન પ્રેઝન્સ ખૂબ સારી છે. આયર્લેન્ડમાં ખૂબ સારી હવા હોવાથી અને મોટા પ્રમાણમાં બીચ હોવાથી ત્યા પણ પતંગ ઉડાવવાની મજા પડે છે એટલે અમે શરૂઆતમાં ત્યાં કાઇટિંગ કરતા હતા અને તે પછી દેશ-વિદેશમાં કાઇટિંગ કરીએ છીએ. આયર્લેન્ડમાં ખૂબ ઓછા લોકો પતંગ ચગાવે છે. સામાન્ય લોકો તો નહીં પરંતુ કેટલાક ગ્રુપ કાઇટિંગ કરતા હોય છે. આ રીતે અમે વિવિધ દેશના લોકો સાથે વાતચીત કરી હતી. દરેકને અહીં આનંદ આવતો હતો, દરેકને ભારતની મહેમાનગતિ ખૂબ પસંદ હતી પરંતુ બીજી વાત એ પણ છે કે, આ લોકો પોતાની રીતે નથી આવ્યા પરંતુ ગુજરાત ટૂરિઝમે તેમને આમંત્રણ આપીને બોલાવ્યા છે. ટૂરિઝમ વિભાગ તેમને નિઃશુલ્ક હોટલ, ટ્રાવેલ અને ફૂડ સહિતની સુવિધાઓ પણ આપે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 am

અમિત શાહ અસલ અમદાવાદી મૂડમાં પતંગ ચગાવશે:સવારે જગન્નાથ મંદિરે દર્શન અને ગૌ પૂજન કરશે, નારણપુરા-નવા વાડજમાં કાર્યકર્તા-સ્થાનિકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી નારણપુરા વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. ગૃહમંત્રી સવારે જગન્નાથ મંદિર ખાતે દર્શન અને આરતી કરશે ત્યાર બાદ નારણપુરા વિધાનસભામાં નવા વાડજ, અખબારનગર અને નારણપુરા એમ ત્રણ જગ્યાએ પતંગ ચગાવશે. જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરશેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 આસપાસ જગન્નાથ મંદિર ખાતે દર્શન અને ગૌ પૂજા કરશે. 11:30 વાગ્યે જગન્નાથ મંદિરથી નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ કરવામાં આવનારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2નું ખાતમુહૂર્ત કરશે. જે બાદ નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે આવેલા અર્જુન ગ્રીન ફ્લેટ્સમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે પતંગ ચગાવશે. બપોરે 3:15 અખબારનગર મીર્ચી ગ્રાઉન્ડ ખાતે આવેલા આસ્થા ઓપલ એપાર્ટમેન્ટમાં સાંજે 3:45 વાગ્યે નવા વાડજ અભિષેક એપાર્ટમેન્ટ ખાતે કાર્યકર્તાઓ અને ફ્લેટના રહીશો સાથે પતંગ ચગાવશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 am

બીનોરી ગ્રુપ માટે હનુમાનજી શા માટે છે ખાસ?:'પપ્પાની રેતી-કપચીની દુકાન હતી, અમદાવાદમાં સપનેય ખ્યાલ નહોતો કે આટલી ઊંચી બિલ્ડિંગ્સ બનશે ને કરોડોમાં વેચાશે'

અમદાવાદમાં એક સમયે બંગલાઓ બનતા અને આજે લક્ઝુરિયસ ને અલ્ટ્રા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ બની રહ્યા છે. અમદાવાદનો ચારેય દિશાએથી વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં કોઈએ સપનેય વિચાર્યું નહોતું કે અપાર્ટમેન્ટ 12-20 કરોડના મળશે, પરંતુ આજે આ હકીકત છે. અમદાવાદના ફ્યૂચરથી લઈને અમદાવાદની તેજી-મંદી અંગે આજે આપણે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘સ્કાયલાઇનર્સ’ના ત્રીજા એપિસોડમાં વાત કરીશું. નાની દુકાનથી શરૂઆત કરનાર ‘બીનોરી ગ્રૂપ’ આજે તો જાણીતું નામ છે. બીનોરી ગ્રૂપની શરૂઆત કેવી રીતે થઈ ને કેમ ‘બીનોરી’ જ નામ આપવામાં આવ્યું તે સહિતની તમામ માહિતી આપશે ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ શર્મા. 'રાજસ્થાનથી અમદાવાદની સફર'વાતની શરૂઆત કરતાં જ રાજેશ શર્મા કહે છે, 'આમ તો અમે મૂળ રાજસ્થાનના જયપુરથી થોડેક દૂર આવેલા ગામ લાલસોટના છીએ. મારા પપ્પા કૈલાશ શર્મા સૌ પહેલાં અમદાવાદ આવ્યા હતા. 1978માં તેમણે અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે હાર્ડવેર સેનિટરીની દુકાન 'બીનોરી ટ્રેડર્સ'ના નામથી શરૂ કરી હતી. મને આજે પણ યાદ છે કે અમે દુકાનમાં કપચી, ઇંટો, રેતી, ગ્રીડ, ચૂનો, નળ, બેસિન આવું બધું વેચતા હતા. પરિવારમાં હું ને મારો મોટો ભાઈ વિષ્ણુ શર્મા છે. બીનોરીના ફાઉન્ડર મારા પપ્પા જ છે.' 'ભગવાનની શ્રદ્ધાને કારણે નામ રાખ્યું બીનોરી'બીનોરી નામ અંગે રાજેશ શર્માએ જણાવ્યું, 'બીનોરી નામ રાખવા પાછળની સ્ટોરી પણ ભગવાનની આસ્થા સાથે જોડાયેલી છે. અમારા લાલસોટ ગામમાં બીનોરી બાલાજી હનુમાનજીનું મંદિર છે. અમે હનુમાનજીના ભક્ત છીએ અને આ જ કારણે અમે અમારી દુકાનનું ને પછી રિયલ એસ્ટેટમાં બીનોરી નામ રાખ્યું છે. ભગવાન સાથે જોડાયેલી શ્રદ્ધાને કારણે અમારી દરેકે દરેક સ્કીમમાં બીનોરી નામ તો અચૂકથી હોય જ છે. ભગવાનના આશીર્વાદ અમારી પર સદાય રહે તે માટે અમે બીનોરી નામ દરેક સ્કીમમાં પહેલા જ રાખીએ છીએ.' 'પપ્પાએ અલગ-અલગ બિઝનેસ કર્યા'રાજેશ શર્માએ પોતાની રિયલ એસ્ટેટની જર્ની અંગે વાત કરતાં કહ્યું, 'સાચું કહું તો હું રિયલ એસ્ટેટમાં આવીશ તે બિલકુલ નક્કી નહોતું. અમારી હાર્ડવેરની દુકાન હતી. હવે આ દુકાનમાંથી કેવી રીતે કન્સ્ટ્રક્શનની લાઇનમાં આવી ગયા તે જણાવું તો, હાર્ડવેરની દુકાનમાંથી પપ્પાએ કોટા-સ્ટોન-માર્બલનો બિઝનેસ શરૂ કર્યો. થોડા સમય બાદ તેમણે ધાબાં ભરવા માટે જે લોખંડના સળિયા હોય તેનો પણ બિઝનેસ કર્યો. આ જ કારણે હવે અમારી દુકાનમાં બિલ્ડર્સની ખાસ્સી એવી અવર-જવર વધી ગઈ. આ દરમિયાન કેટલાક બિલ્ડર્સ સાથે સારા સંબંધો સ્થપાયા. બિલ્ડર્સ સાથેના સંપર્કો બાદ પપ્પાને પણ થયું કે આપણે પણ રિયલ એસ્ટેટમાં કામ કરીએ. હવે, પપ્પા પાસે પૈસા તો હતા નહીં પણ હિંમત તો હતી તો તેમણે સૌ પહેલી સ્કીમ સેટેલાઇટ વિસ્તારમાં પ્રેમચંદ નગરની સામે બીનોરી અપાર્ટમેન્ટ લૉન્ચ કરી. હવે, પપ્પા ને મોટાભાઈ સ્કીમ સંભાળતા ને હું દુકાન ચલાવતો હતો. ધીમે ધીમે અમે આ બધા અનુભવો લીધા. હું તો એટલું જ કહીશ કે નીતિ સારી હોય તો ભગવાન તમને ચોક્કસથી મદદ કરે છે. હું આજે પણ માનું છું કે બધાં કામ પૈસાથી થાય તેવું જરૂરી નથી. મેં તો અનુભવ્યું છે કે ઘણીવાર પૈસા હોય તો પણ કામ થતું નથી. જીવનમાં એક જ સિદ્ધાંત રાખવો કે નીતિ સારી હોય તો સફળતા મળે છે.' 'બોપલમાં મારો પહેલો પ્રોજેક્ટ' પોતાના પહેલા પ્રોજેક્ટ અંગે રાજેશ શર્મા કહે છે, '2003માં બોપલમાં બીનોરી બંગલો મારો પહેલો પ્રોજેક્ટ હતો. આ પહેલા પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને બધું ઘણું જ સારું રહ્યું. આજની તારીખમાં પણ બીનોરી બંગલો ઘણા લોકોને ગમે છે. હવે વાત કરું તો, અમે બંને ભાઈઓ બીનોરીના નામથી જ અલગ-અલગ સ્કીમ કરીએ છીએ. એક સ્કીમમાં હું ને મોટાભાઈ પાર્ટનર છીએ. બાકી અમારી સેપરેટ સ્કીમ છે. અમારા બંને ભાઈઓએ બીનોરી નામ જ રાખ્યું છે, પરંતુ અમારો લોગો અલગ-અલગ છે. મારા લોગોમાં ભગવાન હનુમાનજીની ગદા છે ને ભાઈના લોગોમાં બિલ્ડિંગ છે. રિયલ એસ્ટેટ ઉપરાંત હું ફોર સ્ટાર હોટેલ બીનોરી પણ ચલાવું છું. લોગોમાં હનુમાનજીની ગદા રાખવાનું કારણ એ જ કે હનુમાનજીની કૃપા અમારી સ્કીમમાં રહેતા લોકો પર સદા વરસતી રહે.' રિયલ એસ્ટેટનું કામ કેવી રીતે શીખ્યા?'રિયલ એસ્ટેટની એબીસીડી કેવી રીતે શીખ્યો તે વાત કરું તો, મારી પાસે શરૂઆતમાં કોઈ પૈસા નહોતા પણ પપ્પાની દુકાને બેસતો થયો. લોકોને કામ કરતા જોયા, બિલ્ડર આવે, તેમની સાથે વાતો કરી...એમ કરીને ધીમે ધીમે નોલેજ આવ્યું. પપ્પાએ સ્કીમ કરી હતી તો તેમાં જતો. ટૂંકમાં કહું તો પ્રેક્ટિકલી મહેનત કરીને શીખીને રિયલ એસ્ટેટમાં કામ કર્યું.' લોકોના મતે, કન્સ્ટ્રક્શનમાં ચિક્કાર પૈસા છેરાજેશ શર્મા કન્સ્ટ્રક્શન ફિલ્ડ અંગે લોકો શું માને છે તે અંગે વાત કરતાં સમજાવે છે, 'અત્યારે ઘણાને વિચાર આવે છે કે કન્સ્ટ્રક્શનમાં તો ચિક્કાર પૈસા છે, પરંતુ આ વાત સાચી નથી. તમને વોલ્યુમ મોટું લાગે છે. જમીનથી લઈ બાંધકામમાં બહુ મોટી રકમની જરૂર પડે અને સામે બુકિંગમાં પણ મોટી અમાઉન્ટ આવતી હોય છે. આ જ કારણે બધાને એવું લાગે, પરંતુ મોટું વોલ્યુમ હોય એટલે તેની સામે ખર્ચ પણ એટલો જ થતો હોય છે.' 'લગન ને મહેનત જરૂરી''અત્યારે રિયલ એસ્ટેટમાં પહેલાં કરતાં આવવું અઘરું છે. પૈસા હોય તો જ આવી શકાય એવું નથી. હું તો માનું છું કે જો આ ફિલ્ડમાં આવવું હોય તો પહેલાં રિયલ એસ્ટેટનું નોલેજ લો. ક્વોલિટી કામ કરતા આવડવું જોઈએ. માર્કેટનો સિનારિયો ખબર હોવી જોઈએ. કન્સ્ટ્રક્શનની એબીસીડી ત્યારે જ આવડે જ્યારે તમે આનું નોલેજ લો ને તેને અમલમા પણ મૂકો. આમ પણ જે-તે ફિલ્ડનું એજ્યુકેશન ને પ્રેક્ટિકલ એમ બંને નોલેજ જરૂરી છે. જો તમારી પાસે એજ્યુકેશન નથી તો તમારે પ્રેક્ટિકલ મહેનત કરવી પડશે અને નસીબનો સાથ હોવો જરૂરી છે. ડેસ્ટિની ક્યારેય સામે ચાલીને આવતી નથી. ડેસ્ટિની બધાએ પોતાની બનાવવાની છે. 5-10 વર્ષ એ લાઇન સાથે કનેક્ટ રહો અને નાના કામથી શરૂઆત કરો. ત્યારબાદ ધીમે ધીમે મોટા કામ કરો. અમેય શરૂઆત નાની-નાની સ્કીમથી કરી હતી. વ્યક્તિએ પહેલું પગથિયું ચઢીને પછી બીજું પગથિયું ચઢવું પડે. પહેલું ને પછી સીધું દસમું પગથિયું ચઢી શકાય નહીં. શરૂઆતમાં મંજિલ દૂર લાગે છે અને લોકો થાકી જાય છે અને અધવચ્ચે છોડી દે છે. આ ફિલ્ડમાં ધીરજ રાખીને મન મજબૂત કરીને મહેનત કરે જવાની છે.' રાજેશ શર્માએ પોતાના લાઇફ મોટો અંગે એમ જણાવ્યું, 'સારાં સારાં ઘર બનાવું ને કસ્ટમર્સ ઘર લીધા બાદ એવું કહે કે મને આ ઘરમાં શાંતિ મળી અને આ બિલ્ડર સાથે મજા આવી. મને જ્યારે લોકોને ઘરમાં શાંતિ મળે તે જોઈને મને સાચે જ સુકૂન ને શાંતિ મળે છે. મને એવું છે કે હું બેસ્ટ ઘર બનાવીને આપું.' 'અમદાવાદનો હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ વિકાસ થયો'અમદાવાદના વિકાસની વાત કરતાં રાજેશ શર્માએ સમજાવ્યું, 'પહેલાં અમદાવાદનો હોરિઝોન્ટલ ફેલાવો હતો. પહેલાં એવું નહોતું કે આટલી ઊંચી બિલ્ડિંગ બનશે, તેવો સપનેય કોઈને ખ્યાલ નહોતો. જ્યારથી વિકાસ થયો ત્યારથી અમદાવાદમાં હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ ડેવલપમેન્ટ થયું. વર્ટિકલમાં નાની જગ્યામાં ઘણા બધા લોકો રહી શકે. હોરિઝોન્ટલમાં જગ્યાનો વપરાશ વધુ થાય અને લોકો ઓછા રહે. દુનિયાનાં કોઈ પણ ડેવલપ્ડ સિટીની વાત કરું તો, મોટાભાગે ત્યાં ડેવલમેન્ટ વર્ટિકલ જ હોય છે. અમદાવાદમાં આ જ થઈ રહ્યું છે. ઘણા ફેરફાર થઈ રહ્યા છે. અમદાવાદમાં જ્યાં નજર કરો ત્યાં ઠેર ઠેર સ્કીમ થતી જોવા મળે છે અને આ જોઈને દરેકના મનમાં એક જ સવાલ આવે છે કે આટલા બધા ફ્લેટ તો કોઈ ખરીદતું હશે? અમદાવાદમાં માઇગ્રેશન વધ્યું છે. ગુજરાત જ નહીં, પણ બહારનાં રાજ્યોના લોકો પણ અહીંયા આવી રહ્યા છે. માઇગ્રેશનની સામે હજી પણ ઘર ઓછાં બન્યાં હોવાનું લાગે છે.' 'અન્ય રાજ્યોના લોકોને રિટાયર્ડ લાઇફ અમદાવાદમાં પસાર કરવી છે''અમદાવાદનું ભવિષ્ય ઘણું જ બ્રાઇટ છે. અમદાવાદમાં મોટા મોટા પ્રોજેક્ટ્સ આવ્યા છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, સાણંદમાં ફેક્ટરી આવી. ફેક્ટરી-જૉબ હોય ત્યાં બાય ડિફોલ્ટ ડેવલમેન્ટ થવાનું જ છે. અમદાવાદમાં કામ જ એટલું બધું છે કે બહારથી લોકો આવે છે. આ લોકોને ગુજરાતની ભૂમિ એટલી બધી ગમી જાય છે કે એ લોકો પછી અમદાવાદમાં જ સેટલ થવાનું વિચારે છે. યુપી, બિહાર, રાજસ્થાન કે પછી સાઉથની વ્યક્તિ પણ એકવાર અમદાવાદ આવી જાય પછી તે અહીંયા જ સેટલ થવાનું વિચારે છે. તે રિટાયર્ડ લાઇફ પોતાના વતન કરતાં અમદાવાદમાં જીવવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદમાં શાંતિ છે, અમદાવાદી લોકો સારા છે, ક્રાઇમ રેટ ઘણો ઓછો છે, ઉપરાંત દારૂબંધી હોવાથી મહિલાઓને સુરક્ષા-સલામતીનો અહેસાસ થાય છે. મેં અત્યાર સુધી ઘણા મકાનો વેચ્યાં અને ઘણા લોકોને રોજ મળું છું. હું ઘણાને પૂછું છું કે રિટાયર્ડ લાઇફ તમે કેમ તમારા વતનમાં પસાર કરતા નથી ને હવે અમદાવાદમાં રહેવું છે? સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે અમદાવાદમાં તો સૌરાષ્ટ્ર-મહેસાણા ને ગુજરાતના જ લોકો આવતા હશે, પરંતુ અમારી આંબલી સ્કીમમાં કોલકાતાના ઘણા લોકોએ ઇન્ક્વાયરી કરી. એ લોકો ચોખ્ખું કહે છે કે અમારે કેટલાંક કારણોસર શિફ્ટ થવું પડે એમ છે અને શિફ્ટ તો અમારે ગુજરાતમાં જ થવું છે અને ખાસ તો અમદાવાદમાં આવવું છે. મારી માતૃભૂમિ અમદાવાદ છે. અમદાવાદમાં માઇગ્રેશન દિવસે દિવસે વધ્યું છે. અત્યારે એવું કહેવાય છે કે કોમનવેલ્થને કારણે તેજી આવશે, પણ જો કદાચ કોમનવેલ્થ ના હોત તો પણ તેજી તો આવવાની જ છે. કોમનવેલ્થને કારણે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે. અલગ-અલગ હોટેલ ને બિલ્ડિંગ્સ ને સ્ટેડિયમ બનશે. આ જ કારણે પૈસા આવશે અને તેનાથી વિકાસ વધશે. શહેરને સારું બનાવવાની જવાબદારી માત્ર સરકારની નહીં, પરંતુ ત્યાં રહેતી પ્રજાની પણ છે.' 'અમદાવાદ અન્ય શહેરોની તુલનામાં સસ્તું'રાજેશ શર્મા માને છે, 'અત્યારે ઘર ખરીદવાનો બેસ્ટ ટાઇમ છે. છેલ્લાં ચારેક વર્ષમાં જમીનના જેટલા ભાવ વધ્યા તેટલા કન્સ્ટ્રક્શનમાં વધ્યા નથી. લોકો મોંઘું વિચારીને લેતા નથી, પણ મારા મતે અત્યારે આ ઘણું જ સસ્તું છે. બીજાં રાજ્યોની તુલનામાં અમદાવાદ સસ્તું છે. અત્યારે સારા લોકેશનમાં ઘર થોડું ઘણું સસ્તું મળી જશે. અમદાવાદ મોઘું થયું જ નથી. રિઝનેબલ રેટમાં સારાં સારાં મકાનો મળી રહે છે. સામાન્ય રીતે જમીન પ્રમાણે ફ્લેટની કિંમત નક્કી થતી હોય છે. હાલમાં સ્ક્વેર ફૂટ ભાવની વાત કરું તો અંદાજે આંબલીમાં 9000 હજાર, સેટેલાઇટમાં 7500-7000 હજાર, વૈષ્ણોદેવી સાઇડ 6500-5000 હજાર, અફોર્ડેબલ સ્કીમમાં સામાન્ય રીતે 3800-4000ની આસપાસ મકાનના ભાવ ચાલે છે. હાલમાં મોટાભાગે અમદાવાદમાંએ રેટ ફિક્સ થઈ ગયો છે પણ જમીનના ભાવ પ્રમાણે થોડું ઘણું વધઘટ થઈ શકે છે. અમદાવાદમાં હાલમાં 12 હજાર રૂપિયા સૌથી હાઇએસ્ટ ભાવ છે, જ્યારે મુંબઈ જેવાં શહેરોમાં સ્ક્વેર ફૂટનો ભાવ 30 હજારથી લઈ 50 હજાર છે. અમદાવાદની બિલિયોનર સ્ટ્રીટમાં હાલમાં સારા સારા ફ્લેટ બની રહ્યા છે. બિઝનેસમેન ને હાઇફાઇ પબ્લિક ત્યાં રહેવા આવે છે અને આ જ કારણે બિલિયોનર સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું. 'બંગલાને બદલે પ્રીમિયમ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે'અમદાવાદમાં દિવસે દિવસે લક્ઝુરિયસ ફ્લેટનું પ્રમાણ વધી રહ્યું છે. રાજેશ શર્મા કહે છે, 'માત્ર લક્ઝુરિયસ નહીં પણ અફોર્ડેબેલ ફ્લેટ પણ વધ્યા જ છે. અમદાવાદમાં ડેવલમેન્ટ થવાને કારણે ચારે બાજુ ફ્લેટ બનતા હોય તેવું દૃશ્ય ઊભું થયું છે. અમદાવાદમાં 15 કરોડ ને 20 કરોડના ફ્લેટ વેચાય તેવું તો કોઈએ ધાર્યું નહોતું. અમદાવાદને મારા મતે તો મેટ્રો જ ગણાય, બસ સરકારે જાહેર નથી કર્યું. લક્ઝરી અપાર્ટમેન્ટમાં બધું જ પ્રીમિયમ ક્વૉલિટીનું હોય છે. કોસ્ટ નક્કી કરતી વખતે જમીનનો ભાવ, બાંધકામનો ભાવ, નફો ઉમેરીને ફ્લેટ વેચાય. લક્ઝરી અપાર્ટમેન્ટમાં લોકો પોતાની રીતે મોંઘી મોંઘી એક્સેસરીઝથી સજાવટ કરતા હોય છે. આ લોકો માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. અમદાવાદમાં આજે તો એક કરોડથી લઈને 25 કરોડના ફ્લેટ મળી રહ્યા છે. હા, એ વાત છે કે આજે અમદાવાદમાં બંગલા બનાવવા મુશ્કેલ છે. બંગલો બનાવવું મોઘું થયું છે. ફ્લેટ વધી રહ્યા છે. ફ્લેટમાં સેફ્ટી હોવાથી વાંધો આવતો નથી. બંગલાના ક્રેઝને બદલે અમદાવાદીઓમાં લક્ઝુરિયસ ફ્લેટનો ટ્રેન્ડ વધ્યો છે. સંતાનો વિદેશમાં છે ને મા-બાપ એકલા હોવાથી હવે મોટાભાગના બંગલા વેચી વેચીને ફ્લેટમાં શિફ્ટ થઈ રહ્યા છે. બંગલો જેવી ફીલિંગ આવે તે માટે તેઓ પ્રીમિયમ ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે.' ઘર લેવામાં શું કાળજી રાખવી?'પ્રોપર્ટી લેવામાં બિલ્ડરની છાપ, કેટલા પ્રોજેક્ટ કેવા કર્યા, પઝેશન ક્યારે આપ્યું, બેકગ્રાઉન્ડ ચેક કરવું. તમે જ્યારે કાર લેવા જાવ છો કેટલી તપાસ કરો છો તે જ રીતે ઘર માટે કરો. ટ્રેક રેકોર્ડ તપાસો, પ્લાન જુઓ. આજે ઘણા બિલ્ડર્સ માત્ર ક્વૉલિટી કામ જ કરે છે. હવે રિયલ એસ્ટેટમાં મારે આના કરતાં વધુ સારું કામ કરવાની કોમ્પિટિશન છે. ઘર ખરીદવાનો આ રાઇટ ટાઇમ છે. આમાં તો મોડું કરવું ના જોઈએ. અમદાવાદમાં ઘણી સ્કીમ છે. અમદાવાદમાં મંદી આવશે ને ભાવ ડાઉન થશે તો તે ભૂલ છે. દસ વર્ષ પહેલાં ભાવ ઓછો હતો અને અત્યારે વધારે છે. થોડા સમય પહેલાં સ્નેહાંજલિને કારણે અમનેય આંચકો લાગ્યો. હું તો એટલી જ સલાહ આપીશ કે વકીલને ડોક્યુમેન્ટ બતાવો. રેરા રજિસ્ટ્રેશન બાદ જ ફ્લેટ બુક કરાવો. ટાઇટલ ચેક કરો. હાલ તો નવી જનરેશનને કારણે સારા સારા બિલ્ડર્સ જ કામ કરી રહ્યા છે અને તેઓ આવું કંઈ જ કરતા નથી.' 'ભૂકંપનો મુશ્કેલ સમય પણ કાઢ્યો'રાજેશ શર્મા ભૂકંપના મુશ્કેલ દિવસો યાદ કરીને કહે છે, 'ભૂકંપ આવ્યો ત્યારે અમે ફ્લેટમાં જ રહેતા હતા. પહેલાં તો ખબર જ ના પડી કે આખરે આ શું થઈ રહ્યું છે? આંચકો આવતાં અમે લોકો તરત નીચે ઊતર્યા. પછી ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપ છે. પછી તો અમદાવાદમાં બિલ્ડિંગ્સ પડી ગયાની વાતો સાંભળી. તરત જ મનમાં વિચાર આવ્યો કે અમે પણ બિલ્ડિંગ્સ બનાવી છે. ભગવાનની કૃપાથી અમે નીતિ પ્રમાણે કામ કર્યું હતું એટલે અમારા બિલ્ડિંગ્સને કોઈ નુકસાન થયું નહોતું. અમે અર્થક્વેકનો મુશ્કેલ સમય પણ કાઢી નાખ્યો.' ‘કોરોનામાં ઘરની અંદર જ બેસી રહ્યા. તે સમયે તો કંઈ કામ જ નહોતું કર્યું. ખરાબ પરિસ્થિતિમાંથી આપણે ને દેશ બહાર નીકળ્યા. હું તો માનુ છું કે કંઈક ખરાબ વસ્તુ થાય પછી ભગવાન સારું કરવાની ડબલ તાકાત આપે જ છે. ભગવાન જ્યારે જ્યારે તકલીફ આપે ત્યારે તે ત્યાં ઝડપથી સુખ આપતો હોય છે. કોરોના બાદ લોકોની માનસિકતા, વિચારશક્તિ, લાઇફસ્ટાઇલ ને સ્વભાવ બદલાયો.’ 'તેજી-મંદીનું ગણિત'રિયલ એસ્ટેટના તેજી-મંદીના ગણિત અંગે રાજેશ શર્માએ સમજાવ્યું, 'તેજી-મંદી સિક્કાની બે બાજુ જેવી છે. તમારે તો બસ કામ સારું કરવાનું છે. હું તો માનું છું કે તેજી એટલે કે એક જ દિવસમાં 10 મકાનો વેચાય તેના કરતાં ધીમે ધીમે વેચાય તે વધારે સારું છે. મારું માનવું છે કે બિલ્ડિંગ જેમ જેમ બને ને તેમ તેમ વેચાય તે વધારે સારું. આ જ કારણે વ્યક્તિ ઓવર ટ્રેડિંગ કરશે નહીં. અમદાવાદમાં ક્યારેય મંદી આવી નથી. હું હાલના સમયને જ એક્ચ્યુઅલ માર્કેટ તરીકે જોઉં છું. બિલ્ડરની ઇમેજ, શાખ સારી હોય તો બુકિંગ સ્પીડમાં થાય છે. નવા લોકો હોય તો થોડી વાર લાગતી હોય છે.' 'હતાશા તો આવે ને જાય''હતાશા તો જીવનમાં આવતી-જતી રહે અને તેમાંથી બહાર પણ જાતે જ આવવાનું હોય છે. ભગવાન પર આસ્થા ને શ્રદ્ધા રાખવાની એટલે ક્યારેય વાંધો આવે નહીં. જે પણ થાય નિયત બગાડ્યા વગર કોઈને તકલીફ ના થાય તેમ જીવવાનું છે ને કામ કરવાનું છે,' તેમ રાજેશ શર્મા માને છે. 'સેફ્ટી સાથે મકાનો બની રહ્યાં છે'રાજેશ શર્મા સ્વીકારે છે, ‘હવે આગ ને ભૂકંપને લગતા નિયમો ઘણા જ સ્ટ્રિક્ટ થયા છે, આ જ કારણે લોકોએ ડરવાની બિલકુલ જરૂર જ નથી. જાપાનમાં પણ અવાર-નવાર ભૂકંપ આવે છે અને ત્યાં પણ ઊંચી ઊંચ બિલ્ડિંગ્સ તો છે જ ને. ત્યાં પણ કોઈને ડર નથી જ લાગતો. અમદાવાદમાં પણ બધા ડેવલપર પૂરતા પ્રિકોશન ને સેફ્ટી સાથે ફ્લેટ બનાવી રહ્યા છે. લોકોએ મનમાં રહેલા ડરને દૂર કરવાની જરૂર છે.’ ('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે ચોથા એપિસોડમાં જાણો, યશ બ્રહ્મભટ્ટે કેવી રીતે 'શિલ્પ' એમ્પાયર ઊભું કર્યું…)

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 am

દાદાએ શાહનું માથું બચાવ્યું:મોઢવાડિયાથી શ્રીફળનો ઘા થઈ ગયો, જુઓ VIDEO; સુરત ભાજપની પતંગમાંથી લાડકવાયા સંઘવી જ ગાયબ!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 6:00 am

અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ગુનેગાર, 2 જ દિવસના પેરોલ મળે-સરકાર

ભાઈનાં મૃત્યુ બાદ ૧૪ દિવસના પેરોલ માગ્યા હતા સાલેમને પોલીસ પહેરા હેઠળ જ પેરોલ મળશે અને પોલીસ બંદોબસ્તનો ખર્ચો પણ તેણે ઉપાડવો પડશે મુંબઈ - ૧૯૯૩ના બોમ્બ ધડાકાના કેસમાં કસૂરવાર ઠરેલો ગેન્ગસ્ટર અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે અને આથી તેને બે જ દિવસના તાકીદના પેરોલ એ પણ પોલીસ રક્ષણ સાથે આપી શકાય છે એમ મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. સાલેમે મોટા ભાઈના અવસાન થવા પર ૧૪ દિવસના પેરોલની માગણી કરી હતી. સરકારી વકીલે ઉક્ત બાબત કોર્ટના ધ્યાનમાં લાવી હતી.

ગુજરાત સમાચાર 14 Jan 2026 5:30 am

દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

નુપૂર સેનનના લગ્નમાં બંને વચ્ચે નિકટતા દેખાઈ પંજાબી સિંગર તલવિંદર મોટાભાગે ફેસ પર પેઈન્ટ સાથે જ દેખાય છે મુંબઈ - દિશા પટાણી હવે પંજાબી સિંગર તલવિંદર સાથે ડેટિંગ કરી રહી હોવાની ચર્ચા છે. તાજેતરમાં ક્રિતી સેનનની બહેન નુપૂરનાં લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. તે દરમિયાન દિશા અને તલવિંદર હાથમાં હાથ પરોવીને સાથે ફરતાં દેખાયાં હતાં. બંને વચ્ચેની નિકટતા જોતાં તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાનું અનુમાન ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર 14 Jan 2026 5:30 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ; ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોત; ચાંદી બે દિવસમાં ₹20,000 વધી

નમસ્કાર, ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ હોવાની જાણકારી સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોતના દાવાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર નજર રહેશે... 1. PM મોદીનું કાર્યાલય (PMO) નવી બિલ્ડિંગ ‘સેવા તીર્થ’ પરિસરમાં શિફ્ટ થઈ શકે છે. 2. કલકત્તા હાઈકોર્ટ ED વિરુદ્ધ TMC કેસની સુનાવણી કરશે. EDનો આરોપ છે કે I-PAC ડાયરેક્ટર પ્રતીક જૈનના ઠેકાણાઓ પર દરોડા દરમિયાન મમતા બેનર્જીએ અડચણ ઊભી કરી હતી. કાલના મોટા સમાચારો 1. PAKના આઠ કેમ્પ પર ભારતીય સેનાની નજર:આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર ચાલુ, કોઈપણ કૃત્યનો જવાબ આપવામાં આવશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારના આતંકવાદી કે સૈન્ય દુસ્સાહસ માટે અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. ભારત પૂરી તાકાતથી જવાબ આપશે. જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે સરહદ પાસે 8 આતંકવાદી કેમ્પ હજુ પણ એક્ટિવ છે. જો કોઈ હરકત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર, થલસેના, વાયુસેના અને નૌસેનાના તાલમેલનું ઉત્તમ ઉદાહરણ છે. ઓપરેશન સિંદૂરમાં 100 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. રવિવારે સરહદ પાસે ડ્રોન જોવા મળ્યા હોવાના સવાલ પર આર્મી ચીફે કહ્યું- તે ખૂબ નાના ડ્રોન છે. આ લાઇટ ચાલુ કરીને ઉડે છે. તે વધુ ઊંચાઈ પર ઉડતા નથી અને બહુ ઓછા જોવા મળ્યા છે. 10 જાન્યુઆરીએ લગભગ 6 ડ્રોન જોવા મળ્યા હતા, જ્યારે 11 અને 12 જાન્યુઆરીએ 2 થી 3 ડ્રોન દેખાયા હતા. આર્મી ચીફ બોલ્યા- 1963નો પાક-ચીન કરાર ગેરકાયદેસર આર્મી ચીફે કહ્યું કે ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963ના કરારને ગેરકાયદેસર માને છે. જે અંતર્ગત પાકિસ્તાને શક્સગામ ઘાટીમાં પોતાનો વિસ્તાર ચીનને સોંપી દીધો હતો. તેમણે કહ્યું કે અમે ત્યાં કોઈપણ હલચલ સ્વીકારતા નથી. જ્યાં સુધી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો સવાલ છે. અમે તેને સ્વીકારતા નથી. અમે તેને બંને દેશોની ગેરકાયદેસર કાર્યવાહી માનીએ છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હવે 10 મિનિટમાં ડિલિવરી નહીં મળે:બ્લિન્કિટે '10 મિનિટ ડિલિવરી'નો દાવો હટાવ્યો; સરકારે ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો સાથે પણ વાત કરી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કિટે તેનાં તમામ બ્રાન્ડ પ્લેટફોર્મ્સ અને જાહેરાતોમાંથી '10 મિનિટમાં ડિલિવરી'નો દાવો હટાવી લીધો છે. કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને લઈને વ્યક્ત કરાયેલી ચિંતા બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. સરકાર સાથેની બેઠકમાં સ્વિગી, ઝોમેટો અને ઝેપ્ટોએ પણ ખાતરી આપી છે કે તેઓ હવે ગ્રાહકોને સમય મર્યાદાનું વચન આપતી જાહેરાતો કરશે નહીં. લેબર મિનિસ્ટરે કંપનીઓ સાથે બેઠક કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં બ્લિન્કિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના ટોચના અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ડિલિવરી પાર્ટનર્સની સલામતી અને તેમના પર પડતા માનસિક દબાણ પર ચર્ચા થઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બાંગ્લાદેશે હઠ પકડી, T20 WCમાં સ્થળ બદલવાની ફરી માગ કરી:કહ્યું- ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા; ICCનો હુકમ- ભારતમાં જ રમવું પડશે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) T20 વર્લ્ડ કપમાં પોતાની મેચના સ્થળ ભારતની બદલે શ્રીલંકા કરવાની માગ પર અડગ છે. BCBએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે- તેણે મંગળવારે ICC સાથે વીડિયો કોન્ફરન્સથી ફરી એકવાર પોતાની માગણી કરી છે. ICCએ બાંગ્લાદેશી બોર્ડને આ માગ પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે. ANIના રિપોર્ટ મુજબ, સોમવારે ICCએ BCBની વેન્યુ બદલવાની માગને ફગાવી દીધી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની પરવાનગી આપી નહોતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનાથી ઉશ્કેરાયેલા બાંગ્લાદેશે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, જોખમનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં વેન્યુ બદલવાની માગ કરવા લાગ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈરાનમાં અત્યાર સુધી 12 હજાર લોકોની હત્યાઃ ટ્રમ્પે કહ્યું- ઈરાની પ્રદર્શનકારીઓ સરકારી ઈમારતો પર કબજો કરી લે; હુમલો કરનારાઓના નામ નોંધાઈ રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પ્રદર્શન કરી રહેલા લોકોને સરકારી ઈમારતો પર કબજો કરવાની સલાહ આપી છે. તેમણે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે ઈરાનના દેશભક્તો પ્રદર્શન ચાલુ રાખે અને પોતાની સંસ્થાઓને પોતાના કબજામાં લે. ટ્રમ્પે લોકોને પ્રદર્શન ચાલુ રાખવાની અપીલ કરી અને કહ્યું કે મદદ રસ્તામાં છે. જે લોકો પ્રદર્શનકારીઓની હત્યા અને તેમના પર અત્યાચાર કરી રહ્યા છે, તેમના નામ નોંધવામાં આવી રહ્યા છે. તેમને આની ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે ઈરાનના અધિકારીઓ સાથે થનારી તમામ બેઠકો રદ કરી દીધી છે. જ્યાં સુધી પ્રદર્શનકારીઓની હત્યાઓ બંધ નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. દાવો- ઈરાનમાં અત્યાર સુધી 12 હજાર લોકોની હત્યા ઈરાનમાં 12 હજાર પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાન સાથે જોડાયેલા મુદ્દાઓને કવર કરતી બ્રિટિશ વેબસાઈટ ‘ઈરાન ઈન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે આ હત્યાઓ છેલ્લા 17 દિવસમાં થઈ છે. વેબસાઈટે તેને ઈરાનના આધુનિક ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો નરસંહાર ગણાવ્યો છે. અત્યાર સુધીના મોટાભાગના અહેવાલોમાં મૃત્યુઆંક 600ની આસપાસ જણાવવામાં આવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી બે જ દિવસમાં રૂ. 20,000 મોંઘી થઈ:આજે સોનાના ભાવમાં પણ ભડકો, આવનારા દિવસોમાં હજુ ભાવ વધશે; ખરીદીમાં આટલું ધ્યાન રાખો આજે (13 જાન્યુઆરી) સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 6,566 રૂપિયા વધીને 2,62,742 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગઈકાલે એણે 2,57,283 રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો હતો. બે દિવસમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 33 રૂપિયા વધીને 1,40,482 રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,40,449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 2.75 લાખ સુધી પહોંચી શકે છે. સોનાની વાત કરીએ તો એની માગમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં એ 10 ગ્રામદીઠ 1.50 લાખ રૂપિયાને પાર કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. છેલ્લી ઘડીએ બજારોમાં ઉત્તરાયણની ધૂમ ખરીદી, ભારે ભીડનો ડ્રોન નજારો:અમદાવાદ-સુરતની માર્કેટમાં પગ મૂકવાની જગ્યા નહીં, વડોદરાના ચાર દરવાજા પાસે પોલીસની વાહનો પર પ્રવેશબંધી ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોના બજારોમાં પતંગો અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેના કારણે પતંગ બજારોમાં લોકોને પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત સુધી પતંગ બજારોમાં લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીની ફોટાવાળી, લાલો, ધુરંધર, પુષ્પા ફિલ્મ, બરેલીની ટુર્નામેન્ટ સહિતની ડિઝાઈન સાથેની પતંગો બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો બીજી તરફ શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. સાથે જ ખિસ્સાકાતરૂઓથી બચવા માટે લાઉડસ્પીકર દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'બિગ બી' સામે ક્રિકેટના ભગવાન એક રન ન કરી શક્યા!:સચિન અને અમિતાભ વચ્ચે ફિંગર ક્રિકેટની જંગ; મેચ, મજા અને મસ્તીનો વાઈરલ VIDEO બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર ફિલ્મી પડદા પર જ નહીં, પણ રમતગમતના મેદાનમાં પણ તેટલા જ ઉત્સાહી જોવા મળે છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ જગજાહેર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બિગ બી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે 'ફિંગર ક્રિકેટ' રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે. ક્રિકેટના ભગવાન સાથે 'બિગ બી'ની મસ્તી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ની ત્રીજી સીઝન દરમિયાન આ બંને દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા લખ્યું- ક્રિકેટના ભગવાન સાથે ફિંગર ક્રિકેટની રમત. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન સાથે રમતી વખતે અમિતાભ બચ્ચનનું બાળપણ જાગી ઉઠ્યું હતું. જ્યારે તેઓ આઉટ થયા ત્યારે થોડીવાર માટે ઉદાસ થઈ ગયા હતા, પરંતુ તરત જ ફરી રમતમાં પરત ફર્યા હતા. બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને હસતાં ચહેરા નેટિઝન્સ માટે કોઈ ભેટથી ઓછું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક શંકાસ્પદ ડ્રોન દેખાયું:સેનાએ ફાયરિંગ કર્યું તો પાકિસ્તાન તરફ ભાગ્યો, 3 દિવસમાં બીજો કિસ્સો (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ISROનું રોકેટ નિષ્ફળ, છતાં સ્પેનિશ સેટેલાઇટ એક્ટિવ:સ્પેસમાંથી સિગ્નલ મોકલ્યો; કંપની બોલી- કયા રસ્તેથી પહોંચ્યો, તે શોધી રહ્યા છીએ (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : SCએ કહ્યું, કૂતરાંમાં વાઇરસ, એનાથી થતી બીમારીની સારવાર નથી:જો કોઈનું મોત થશે તો સરકારે વળતર ચૂકવવું પડશે; જેમને રખડતા કૂતરાઓની ચિંતા છે, તેઓ તેને ઘરે લઈ જાય (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા:28 વર્ષના ઓટો-ડ્રાઇવરને ઘરે પરત ફરતી વખતે ચાકુ માર્યું; 23 દિવસમાં 7 હિંદુની હત્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : એપલે AI માટે ગૂગલ જેમિની સાથે ભાગીદારી કરી:આઇફોનમાં સિરીને સુધારશે, મસ્કે ડીલને ખોટી ગણાવી (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : રોહિત-કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે!:મેચ પહેલાં પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો; બુધવારે બીજી વન-ડેમાં રનનો વરસાદ જોવા મળી શકે (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગ ભેદ!:14 જાન્યુઆરીએ સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજાનો શુભ યોગ; તલ સંબંધિત 6 કાર્યો કરવા ફળદાયી (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ખિસ્સામાં કોબ્રા લઈને ડોક્ટર પાસે પહોંચ્યો શખ્સ મથુરામાં એક શખ્સને કોબ્રા સાપ કરડ્યો. તે સાપને ખિસ્સામાં રાખીને જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટરને કહ્યું કે સાહેબ ઈલાજ કરી દો, આ જ સાપ કરડ્યો છે. ત્યારબાદ તેનો ઈલાજ કરવામાં આવ્યો. હાલમાં તેની હાલત સ્થિર છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: 20 મિનિટમાં મહાવિનાશ:ચીનની 60+1 ન્યુક્લિયર ફોર્મ્યુલા, વોશિંગ્ટન સુધી રડારમાં, ભારત સોફ્ટ ટાર્ગેટ, અમેરિકા અને રશિયાને ધ્રૂજારી છૂટી 2. આજનું એક્સપ્લેનર:ભારતની જમીન, પાકિસ્તાને કબજે કરી, પછી ચીનને ગિફ્ટ કેમ કરી દીધી; શક્સગામ વેલીની કહાની, જેના પર ફરી હોબાળો મચ્યો 3. સ્કાયલાઇનર્સ-2 - ગુજરાતમાં 'બુર્જ ખલીફા' ઊભું કરનારા કોણ છે?:કાપડના ધંધામાંથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું, 'ભૂકંપના દિવસે આંખો સામે બિલ્ડિંગ પડ્યું, ક્ષણમાં અત્યારસુધીના પ્રોજેક્ટ આવી ગયા' 4. લઠ્ઠાકાંડની તપાસમાં લવસ્ટોરીનું લોહિયાળ પ્રકરણ ખૂલ્યું:બે દિવસ સુધી મૃતકની પત્ની ઢોંગ કરતી રહી, જૂનાગઢમાં દારૂ પીને બે શખસ ઢળી પડ્યા અને તપાસમાં ATS જોડાઈ 5. દિલ્હીમાં 300 ઘર યુપી સરકારે કેમ સીલ કર્યાં?:મસ્જિદ કોલોનીના લોકો બોલ્યા, આધાર-મતદાર કાર્ડ છે છતાં તેમનો સામાન ફેંકી દેવાયો; દિલ્હીનાં મુખ્યમંત્રી ક્યાં છે? 6. હવે આવી ગયો રિમોટથી ઊડતો પતંગ, VIDEO:સુરતના 4 મિત્રોએ ભેજુ લગાવી કલરફુલ પતંગ બનાવ્યો, ચગાવવા માટે પવનની પણ જરૂર નહીં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:મેષ, મિથુન અને સિંહ રાશિ માટે મકરસંક્રાંતિનો 'પવન' સારો, કન્યા-મકરના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે વાંચો સંપૂર્ણ સમાચાર

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 5:00 am

બિલ્ડર દંપતીએ 50 લાખ પડાવ્યા:દુકાન બુક કરાવવાના બહાને ઠગાઈ કરનાર બિલ્ડર મનિષ પટેલ પકડાયો

ન્યૂ વીઆઈપી રોડની ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની સાઇટમાં દુકાન બુક કરાવી તેનું પઝેશન અને દસ્તાવેજ ન કરી આપી બિલ્ડર મનિષ પટેલ અને પત્ની રૂપલે ઠગાઈ હતી. 3 બનાવમાં બિલ્ડર દંપતીએ રૂા.50 લાખ પડાવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મનિષ પટેલને પકડી ગોરવા પોલીસને સોંપ્યો હતો. આજવા રોડના સુરભી પાર્ક સોસાયટીમાં રહેતાં રમીલાબેન દિનેશભાઈ મોરડિયા ઘરકામ કરે છે. વર્ષ 2015માં કેયા બિલ્ટેક એલએલપીએ નામની પેઢીના ભાગીદાર બિલ્ડર મનિષ મહેન્દ્રભાઈ પટેલ (સિલ્વર પાર્ક, રેસકોર્સ)એ ન્યૂ વીઆઈપી રોડ અર્થ આઈકોન સામે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની દુકાન અને ઓફિસની સ્કીમ લોન્ચ કરી હતી. રમીલાબેને આ સ્કીમમાં 17 લાખમાં દુકાન બુક કરાવી હતી. તેમને શરૂઆતમાં રૂા.1.50 લાખ બુકિંગ પેટે આપ્યા હતા. ત્યારબાદ દુકાન માટે કુલ રૂા.6.15 લાખ ચૂકવ્યા હતા. જોકે સાઇટનું બાંધકામ અધૂરું જ રખાયું હતું, જેથી રમીલાબેનને દુકાનનો કબ્જો પણ સોંપાયો નહોતો. આ મામલે કેયા બિલ્ટેક એલએલપીએ નામની પેઢીના ભાગીદાર મનિષ પટેલ અને રૂપલબેન મનિષ પટેલ સામે બાપોદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. મનિષ પટેલ સામે 2025-26 દરમિયાન ગોરવા અને બાપોદના બે મળીને કુલ 3 ગુના નોંધાયા હતા અન લાંબા સમયથી નાસતો ફરતો હતો. તેણે લોકો પાસેથી રૂા.50 લાખ મેળવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મનિષ પટેલને પકડી ગોરવા પોલીસને સોંપ્યો હતો. જ્યારે પોલીસે બિલ્ડરના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:55 am

બાળકીનું મોત:સૉ મિલના રૂમમાં ઉકળતું પાણી પડતાં દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત

હરણી ગામમાં ગોડાઉનમાં રહીને મજૂરી કરતા શ્રમજીવીના રૂમમાં ગરમ પાણી દોઢ વર્ષની દીકરી પર ઢોળાતા તે ગંભીર રીતે દાઝી જતાં તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં અધૂરી સારવાર દરમિયાન દીકરીના માતાપિતા તેને ઘરે લઈ આવ્યા હતા. જોકે ઘરે બાળકીનું મોત થઈ ગયું હતું. હરણીમાં આવેલા ભગવતી સો-મિલ ગોડાઉનના રૂમમાં રહેતા રાજેશ સંગાડા પરિવાર સાથે રહી મજૂરી કરે છે. સોમવારે તેઓ મજૂરી માટે નીકળી ગયા હતા. રૂમમાં તેમની પત્ની સીતા અને તેમના ત્રણ સંતાનો હાજર હતા. રાજેશભાઈના મોટા દીકરાને શાળામાં જવાનું હોવાથી પત્નીએ રૂમની બહાર પાણી ગરમ કરવા ચૂલો કર્યો હતો. દોઢ વર્ષની દીકરી આધ્યા રમતા રમતા ચૂલા પાસે પહોંચી જતાં હાથ ગરમ પાણીના તપેલાને વાગતા ઉકળતું પાણી આધ્યા પર ઢોળાયું હતું. પેટના નીચેના ભાગથી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ટૂંકી સારવાર બાદ રાજેશભાઈ દીકરીને ઘરે લઈ આવ્યા હતા. મંગળવારે સવારે આધ્યા તેની માતાના ખોળામાં હતી. જોકે અચાનક તેનું હલન-ચલન બંધ થઈ જતા તેને ફરી વાર હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આધ્યા ગંભીર રીતે દાઝી જતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના ચોપડે તેની નોંધ કરવામાં આવી હતી. જોકે નોંધ તે પ્રકારે કરાઈ હતી કે, દર્દીના માતા-પિતા ડૉક્ટરની સલાહ વિરુદ્ધ રજા લઈ જતા રહ્યા હતા. આ સાથે માતાપિતાએ દીકરીનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું નહોતું. 3 મિનિટમાં ઘટના બની ગઈમારા દીકરાને નવડાવીને મારી પત્ની દીકરાને રૂમમાં મૂકવા માટે ગઈ હતી. સાથે મારી દીકરી માટે તે ઠંડુ પાણી લેવા માટે ગઈ હતી. પાણી લઈને આવે તે પહેલા માત્ર 3 મિનિટમાં ઘટના બની ગઈ હતી. અમને તબીબે કહ્યું હતું કે, તબીયત સારી છે. દીકરીને ઘરે લઈ જઈ શકો છો એટલે અમે લઈ ગયા હતા. 2 દિવસ બાદ બતાવવા આવવા માટે કહ્યું હતું. દીકરીની તબીયત સારી લાગતી હતી. > રાજેશભાઈ સાથે થયેલી વાતચીત અનુસાર

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:54 am

રસાકસી:બીસીએમાં ચૂંટણીનો દોર શરૂ, બે દિવસમાં 650થી વધુ ફોર્મનું વિતરણ, 31 સભ્યો માટે ચૂંટણી યોજાશે

બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં હવે ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી 15 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લઈ સોમવારે અને મંગળવારે 650થી વધુ ઉમેદવારીના ફોર્મનું વિતરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. 31 સભ્ય માટે ચૂંટણી યોજાનાર છે. બીસીએની એપેક્ષ કાઉન્સિલમાં 12 સભ્યો પૈકી આઈસીએમાંથી બે સભ્યો બિનહરિફ ચૂંટાઈને આવ્યા હતા. 10 એપેક્ષ કાઉન્સિલ અને 21 ચૂંટાયેલી કમિટીના સભ્યની ચૂંટણી થશે. ચૂંટણીના ફોર્મ તા.17-19 જાન્યુઆરી દરમિયાન સબમિટ કરવાના રહેશે, જ્યારે ચૂંટણી અધિકારી અને તેમની ટીમની સાક્ષીમાં તા.20 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી કરાશે. બીજી બાજુ કાઉન્સિલના લગભગ 6 સભ્યને કુલિંગ પિરિયર્ડ છે. જેને લઈ આ વખતની ચૂંટણી ભારે રસાકસીવાળી રહેનાર છે. અગાઉ ફોર્મ વિતરણની તારીખોને લઈ પણ વિવાદ થયો હતો. જોકે ચૂંટણીના ફોર્મ વિતરણની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. હવે કેટલા ફોર્મ ભરીને સબમિટ કરાવાય છે, કેટલાક ફોર્મ પરત ખેંચી લેવાય છે. તે જોવાનું રહ્યું છે. આગામી સમયમાં ડબ્લ્યુપીએલની મેચો પણ કોટંબી સ્ટેડિયમમાં યોનાજાર છે. જોકે તે સમયે ચૂંટણીના ભારે રસાકસીના માહોલમાં છેલ્લી ઘડીએ શું થાય છે તેના પર સૌની નજર છે. વર્ષ 2023ની ચૂંટણી બાદ પક્ષોનાં સમીકરણ બદલાયાંબીસીએની વર્ષ 2019ની ચૂંટણી લોઢા કમિટીના નિયમ મુજબ થઈ હતી. જે-તે સમયે પ્રણવ અમીનના ગ્રૂપ સાથે ડૉ.દર્શન બેંકર હતા. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને સંજય પટેલનું એક ગ્રૂપ હતું. 2023ની ચૂંટણી આવતા સમીકરણો બદલાયા અને કેટલાક વિખવાદને કારણે બેંકર છૂટા પડ્યા હતા, હવે સંજય પટેલ સહિત બેંકરે સત્યમેવ જયતે ગ્રૂપ બનાવ્યું હતું. કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ બાદ બીસીએના સભ્યોનો રસ વધ્યોકોટંબી સ્ટેડિયમ બન્યા બાદ ભારત-ન્યૂઝીલેન્ડની મેચ સુધી નવા સ્ટેડિયમમાં 16 મોટી મેચ રમાઈ ચૂકી છે. ઘણા સભ્યોએ મેચ દરમિયાન સુવિધા અનુભવી હતી, સાથે જ મેચના કેટલાક નિર્ણય સહિતની પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. જેથી સભ્યોમાં પદનો રસ વધ્યો હોવાનું કેટલાક લોકોનું માનવુ છે. 10 એપેક્ષ કાઉન્સિલ સભ્ય અને 21 કમિટીના સભ્યો માટે ચૂંટણીબીસીએમાં પહેલાં 10 એપેક્ષ કાઉન્સિલ સભ્ય અને બીજા 21 ચૂંટાયેલી કમિટીના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. એપેક્ષમાં બે ભાગ છે, જેમાં પહેલાં 5 પધાધિકારી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે અને 21 કમિટી સભ્યોમાં ગ્રાઉન્ડ્સ એન્ડ ઈન્ફ્રા, પ્રેસ એન્ડ પબ્લિસિટી અને ફાયનાન્સ કમિટીના સભ્ય હોય છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:53 am

ભાસ્કર નોલેજ:મંજૂસર જીઆઇડીસીની એવી સ્ટીલ કંપનીમાં ઓઇલ ટેન્કરમાં ધડાકો, દાઝેલા શ્રમિકનું મોત

મંજૂસર જીઆઈડીસીમાં ગેસ કટર દ્વારા શ્રમજીવી કામ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ લીકેજ થતાં તેઓ દાઝી ગયા હતા. જેને પગલે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હતું. મંજૂસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટના 46 વર્ષીય રાજા સિંહ મંજૂસર જીઆઈડીસીમાં આવેલી એ.વી. સ્ટીલ કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં તેઓ ગેસ કટર દ્વારા ફોર્જિંગ વિભાગમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ લીકેજ થતાં નજીકમાં રહેલા ઓઈલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે રાજાભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બનતાં લોકો દોડી આવ્યા હતા અને તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા રાજાભાઈને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મંજૂસર પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ હાથ ધરી હતી. આસપાસ જ્વલનશીલ પદાર્થ ન રાખવો જોઈએગેસ કટર દ્વારા કામ ચાલતું હોય ત્યારે આસપાસ ઓઈલ પેઈન્ટ, ટર્પેટાઈન સહિત કોઈ પણ પ્રકારનો જ્વલનશીલ પદાર્થ ન રાખવો જોઈએ. જેથી કોઈ પણ દુર્ઘટનાને ટાળી શકાય. જ્યારે કોઈ પણ શ્રમજીવી ગેસ કટિંગ કે વેલ્ડિંગનું કામ કરી રહ્યા હોય ત્યારે તેની આસપાસ ફાયર એક્સ્ટિંગ્યૂશર નજીકમાં રાખવું જોઈએ. આ સાથે કંપની કે ફેક્ટરીમાં હાઈન્ડન્ટ ફાયર સિસ્ટમ પણ લગાવેલી હોવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:51 am

મજબૂત માળખું:સાયન્સ, ટેકનોલોજી, લો સહિતની ફેકલ્ટીમાં 24 હેડની નિમણૂક કરાઇ

એમ.એસ.યુનિવર્સિટીમાં 5 વર્ષ બાદ કાયમી હેડની નિમણૂકો શરૂ કરવામાં આવી છે. સીનીયોરીટી પ્રમાણે હેડની નિમણૂકો કરવામાં આવી રહી છે. સાયન્સ, હોમ સાયન્સ, ટેકનોલોજી, લો સહિતની ફેકલ્ટીઓમાં 24 હેડની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ કોમર્સ ફેકલ્ટીમાં 4 હેડની નિમણૂક કરવામાં આવી હતી. એમ.એસ.યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીઓમાં 98 જેટલા હેડની નિમણૂક કરવાની છે. અત્યાર સુધી મોટાભાગના વિભાગોમાં હેડ પદ પર ઇન્ચાર્જ તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. નવા વીસીએ એકડમીક રીતે યુનિવર્સિટીને મજબૂત માળખું આપવા માટે હેડ અને ડીનની નિમણૂકો કરવાને પ્રાધ્યન્ય આપી રહ્યા છે. જેમાં અત્યારે તબક્કાવાર હેડની નિમણૂકો કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સૌ-પ્રથમ ચાર હેડની નિમણૂક કરવામાં આવી હતી. હવે સાયન્સ, હોમ સાયન્સ, આર્ટસ, ટેકનોલોજી, પર્ફોંમીગ આર્ટસ, લો, મેનજમેન્ટ, ફાર્મસી, એજયુકેશન સાયકલોજી ફેકલ્ટીમાં હેડની નિમવામાં આવ્યા છે સિનિયોરિટી પ્રમાણે પદ આપવાની જાહેરાત સંઘ વિરોધીને લોટરી લાગશેયુનિવર્સિટીના વીસી દ્વારા જે પણ અધ્યાપકની સિનિયોરિટી હોય તેમને જ હેડ કે ડીન બનાવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે યુનિવર્સિટીમાં ગણગણાટ શરૂ થયું છે. છેલ્લા બે દાયકાથી ભાજપ-સંઘ પ્રેરીત અધ્યાપકો કે પૂર્વ સેનેટ-સિન્ટિકેટ સભ્યોનું વર્ચસ્વ હતું. જેના પગલે યુનિવર્સિટીમાં સંઘ વિરોધી જૂથને પ્રમોશન સહિતના લાભો મળતા ના હતા. જોકે હવે કોમન એકટ બાદ ભાજપ-સંઘ પ્રેરીત જૂથનું વર્ચસ્વ ઓછું થઇ ગયું છે. નવા વીસીના સિનિયોરિટી પ્રમાણે પદના નિર્ણયથી સંઘના વિરોધીઓ પહેલી હરોળમાં આવી ગયા છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:50 am

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરે 550 સોસાયટીમાં પતંગનું વિતરણ કર્યું:ચૂંટણી પૂર્વે કોર્પોરેટરે ખેંચ મારી,‘વેરાનું વળતર મળવું જોઈએ’ લખેલી 10 હજાર પતંગ વહેંચી

ઉત્તરાયણના આગલા દિવસે કાઉન્સિલરે વેરાનું વળતર તો મળવું જ જોઈએ તેવા મેસેજ સાથેની પતંગો વહેંચી હતી. લોકોને 5 વર્ષમાં બોટકાંડ, પૂર, ખાડા, ગંદું પાણી જેવી સમસ્યાને ધ્યાનમાં રાખી ચૂંટણીમાં બટન દબાવવા અપીલ કરી છે. વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ 550થી વધુ સોસાયટીમાં પતંગ વહેંચી હતી.તેમનું કહેવું કે, લોકોએ જે પ્રમાણે વેરો ભર્યો તે મુજબ વળતર મળ્યું નથી. ગંદું પાણી, ખાડા, ભૂવા, પૂરની સ્થિતિ જેવી ઘટના બાદ પીડિતોને વળતર મળ્યું નથી. તેઓએ ધારાસભ્યોએ કરેલી રજૂઆતને સમર્થન આપી કહ્યું કે, અધિકારીઓ સાંભળતા નથી. લોકો લાગણીવશ થઈને નહીં, જે હાલાકી પડી છે તેને યાદ રાખી ચૂંટણીમાં બટન દબાવે. ઉત્તરાયણથી જ ચૂંટણી પ્રચાર શરૂ કર્યોભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ આશિષ જોષી પાલિકાની ચૂંટણી અપક્ષ તરીકે લડશે.બોટકાંડ પીડિતોની સાથે રહેલા આશિષ જોષીએ વોર્ડ 15માં દાવેદારીને મજબૂત કરવા ઉત્તરાયણના બહાને પ્રચાર શરૂ કર્યો છે. તેઓ ગંદા પાણી, ખાડા, પૂરમાં ન મળેલી સહાયને મુખ્ય મુદ્દા બનાવશે તેમ લાગે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:47 am

સિટી એન્કર:ગૃહિણીએ ચણા દાળ દળીને ઘરઘંટીની સ્વિચ બંધ કર્યા પછી પણ આગ લાગી,બાજુની અગાસી પર પતંગ ચગાવતા છોકરાઓએ જોતાં જાણ થઈ

લહેરીપુરા અને દિવાળીપુરામાં મંગળવારે સાંજે 4-15થી 4-30 વાગ્યા વચ્ચે 15 મિનિટમાં 2 મકાનોમાં આગના બનાવો બન્યા હતા. લહેરીપુરા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ઘરઘંટીમાં આગ લાગ્યા બાદ પ્રસરી હતી. લહેરીપુરા પાસેના ખારવાવાડમાં 4 માળના એક મકાનમાં પહેલા અને બીજા માળે બે ભાઇનો પરિવાર રહે છે. મંગળવારે બપોરે તેના ત્રીજા માળે આગ લાગી હતી. આ મકાનમાં ત્રીજા માળે ઘરઘંટીમાં પરિણીતાએ ચણા દાળ દળ્યા બાદ સ્વિચ બંધ કરી હતી. તેઓ નીચે આવ્યા બાદ 10 મિનિટમાં જ આગ ભભૂકી હતી. આ મકાન પાસે પાડોશની અગાસીમાં છોકરાઓ પતંગ ચગાવતા હતા. તેમણે ધુમાડાના ગોટેગોટા નીકળતાં જોતાં બૂમાબૂમ કરી મૂકી હતી આગની જાણ થતાં લોકો ત્રીજા માળે ધસી ગયા હતા. જોકે વીજ લાઇન ચાલુ હોવાથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન અનાજ અને ગોદડીઓ સહિત અન્ય સામાન આગની ઝપટમાં આવી જતાં આગ વકરી હતી. આખરે લાશ્કરોએ આવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. વાયર ગરમ થતાં આગ લાગી, અર્થલૂપ ઇમ્પિડન્સ ટેસ્ટ કરાવોઘંટી લાંબો સમય ચાલુ રાખી હોય અને વાયર યોગ્ય માનાંક પ્રમાણે ન હોય કે ઘસાઇ ગયો હોય તો તે ખૂબ ગરમ થઇ જાય છે. એટલે જો સ્વિચ બંધ પણ કરી હોય તો પણ આગ લાગી શકે છે. આવા કિસ્સાથી બચવું હોય તો અર્થલૂપ ઇમ્પિડન્સ ટેસ્ટ વાયરિંગ માટે કરાવવો જોઇએ. આ માટેનો ખર્ચ ઓછો હોય છે. > હેમિલ ભટ્ટ, વડોદરા ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટર દિવાળીપુરામાં મોટરની સ્વિચ બંધ કરવાનું ભૂલી જતાં આગશહનાર દિવાળીપુરા વિસ્તારમાં આવેલી દેવ હોસ્પિટલ સામેના બંગલામાં મોટરની સ્વિચ ચાલુ રાખીને ભૂલી જતાં આગ લાગી હતી. આ મોટરના વાયરિંગ સાથે સબમર્સિબલ અને બોરિંગનું વાયરિંગ હોવાથી તે પણ ઝપટમાં આવે તે અગાઉ પ્લાસ્ટિક કોમ્પોનન્ટ્સ અને સર્કિટ બોર્ડ બળી ગયાં હતાં. આ વિશે તજ્જ્ઞ દક્ષેસ દવેના જણાવ્યા મુજબ જો ટાંકીમાંથી પાણી ખાલી થઇ જાય તો મોટરનો ડ્રાયરન કહેવાય છે. જેમાં મોટરનું વાઇન્ડિંગ ગરમ થયા બાદ આગ લાગે છે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:45 am

ભાસ્કર એક્સક્લૂસિવ:વડોદરાના યુવકની જર્મન બેઝ કંપની દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ડ્રોન એઆઇથી બ્રિજ-ડેમનો સરવે

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રથમવાર ગુજરાત અને દેશમાં વડોદરાના યુવકની જર્મન બેઝ કંપનીએ ડ્રોન એઆઈ ટેક્નોલોજી થકી સરવે શરૂ કર્યો છે. હાલમાં સુભાષ બ્રિજનો ડ્રોન થકી થ્રીડી સરવે કર્યા બાદ તેમાં થયેલી નુકસાનીનું તારણ જાણી શકાયું અને ઈજનેરોએ તેને તોડવાનો નિર્ણય કર્યો હતો. આ ટેક્નોલોજી બ્રિજનું લાઈવ થ્રીડી મોડલ બનાવે છે. જેમાં ઈજનેરો ન પહોંચી શકે તેવા દરેક ખૂણામાં જ્યાં બ્રિજને ક્ષતિ પહોંચી છે તેની જાણકારી મળે છે. કંપની બ્રિજ-ડેમના સ્ટ્રક્ચરના પ્રિ-પોસ્ટ મોન્સૂન સરવે કરે છે. જર્મની બેઝ કંપની એર ઈન્ટેલના ફાઉન્ડર કુંજન પટેલ એઆઈ પાવર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે. તેમની કંપની ડ્રોન એઆઈ ટેક્નોલોજીમાં કાર્યરત છે. ગંભીરા દુર્ઘટના બાદ એર ઈન્ટેલ કંપનીએ 10થી વધુ બ્રિજનો ડ્રોન એઆઈ ટેક્નોલોજીથી સરવે કર્યો છે. કુંજન પટેલે જણાવ્યું કે, બ્રિજ અને ડેમના સ્ટ્રક્ચરનું કોમ્પ્રેહેન્સિવ કન્ડિશન એસેસમેન્ટ કરીને 0.7 એમએમ સુધીની તિરાડ અંગેની જાણ ટેક્નોલોજી કરી આપે છે. ડ્રોનમાં લગાવેલા આ 4 સેન્સરની મુખ્ય ભૂમિકા કંપનીએ એઆઈ ટેક્નોલોજીથી આ મુખ્ય બ્રિજ-ડેમનો સરવે કર્યો1) વેસ્ટ બંગાળમાં દુર્ગાપુરના સ્ટેટ હાઈવે પરનો બ્રિજ 2) વેસ્ટ બંગાળમાં પંચેટ ડેમ 3) ઝારખંડનો મૈથન ડેમ 4) ઝારખંડ તિલૈયા ડેમ 5) કર્ણાટકનો ભાદરા ડેમ 6) કર્ણાટકનો મીલેટ ડેમ 7) સેલવાસનો ખાનવેલ બ્રિજ 8) સેલવાસનો રખોલી બ્રિજ 9) સુભાષ બ્રિજ

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:44 am

આધુનિક ટ્રાન્સપોર્ટ:શહેરીજનોને ટ્રાફિકથી છુટકારો આપવા પોડ ટેક્સીનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવા નિર્ણય

શહેરમાં ઈ-બસ અને આગામી સમયમાં મેટ્રો ટ્રેન બાદ હવે પોડ ટેક્સી પ્રોજેક્ટ શરૂ થવાની દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. પાલિકાની રિવ્યૂ બેઠક પૂર્વે યોજાયેલી બેઠકમાં ટ્રાફિક જામથી ત્રસ્ત વિસ્તારમાં આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આ પ્રોજેક્ટ પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પર આધારિત છે, જે શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આફ્રિકાની કંપનીએ વડોદરામાં પોડ ટેક્સી મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સોલર બેઝ્ડ રહેશે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ જેવાં મહાનગરોમાં પણ આ પ્રોજેક્ટની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં શહેરમાં ટ્રાફિકથી ત્રસ્ત વિસ્તારમાં સરવે કરીને પોડ ટેક્સી પ્રોજેક્ટને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. પોડ ટેક્સીઓ (પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ) શું છે? દૂષિત પાણીની સમસ્યા, હવે ખાનગી હોસ્પિટલ પાસેથી આંકડા મગાવાશેવિવિધ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. પાલિકાએ હવે ખાનગી હોસ્પિટલો પાસેથી આંકડા મગાવવાનું શરૂ કર્યું છે. જેનાથી એ જાણવા મળશે કે, કયા વિસ્તારમાં દૂષિત પાણીના પ્રશ્નો છે. પાલિકાએ હાલમાં પણ દૂષિત પાણીના સમારકામને પ્રાધાન્યતા આપી છે. પાલિકાએ 1200 પ્લોટ શોધ્યા, કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે અપાશેપાલિકાએ 1200થી વધુ ઓપન પ્લોટ શોધ્યા છે, જેમાં 490 પ્લોટ પરથી દબાણ હટાવી દેવાયાં છે. જ્યારે 600થી વધુ પ્લોટ પર ગેરકાયદે બાંધકામ હોય તો દૂર કરાશે. આગામી સમયમાં પાર્કિંગ, હોકિંગ ઝોન અને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે અપાશે.

દિવ્ય ભાસ્કર 14 Jan 2026 4:43 am