વલસાડ શહેરને અડીને આવેલા પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલી કૈલાશ ઓવારા માધ્યમિક શાળા જમીન અને બાંધકામ વિવાદને કારણે ચર્ચામાં આવી છે. શાળાના પરિસરમાં બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા કથિત ગેરકાયદેસર બાંધકામને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું છે કે, પારડી સાંઢપોર સ્થિત કૈલાશ ઓવારા માધ્યમિક શાળાના પરિસરમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મામલે શિક્ષણ નિરીક્ષક તેજસ પટેલે 16મી જાન્યુઆરી 2026 ના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન શાળાના આચાર્ય દ્વારા બાંધકામ કે જમીન સંબંધિત કોઈ જરૂરી આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. પ્રાથમિક વિગતો મુજબ, આ શાળા વર્ષ 1964થી ભાડા કરાર પર ચાલી રહી છે, પરંતુ જમીન માલિકે વર્ષ 2012માં સંસ્થાને જાણ કર્યા વિના જ જમીન અન્યને વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લઈને શાળાના પ્રમુખ અને આચાર્યને 19 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11:30 કલાકે વલસાડ કચેરી ખાતે હાજર રહેવા આદેશ આપ્યો છે. સંચાલકોએ તમામ કાયદેસરના દસ્તાવેજો અને સાધનિક કાગળો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. નગર આયોજન વિભાગ દ્વારા આપવામાં આવેલા ટેકનિકલ અભિપ્રાયમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈ પણ વિવાદિત જમીન પર બાંધકામ કરી શકાશે નહીં અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. શિક્ષણ વિભાગે ખાતરી આપી છે કે, વિદ્યાર્થીઓના હિત અને તેમના અભ્યાસના મેદાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના પારડી સાંઢપોર ગામે આવેલી APMC માર્કેટની જગ્યામાં વલસાડ વિભાગ લોક સેવક સંઘ સંચાલિત કૈલાશ ઓવારા માધ્યમિક શાળાના બે ક્લાસમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંઘના પ્રમુખે જણાવ્યું કે, APMC દ્વારા જમીન વેચી દેવામાં આવી ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે 700 વારની જગ્યામાં મકાન તેમજ રમતગમત માટે કોમન પ્લોટ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, વલસાડ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું કે, પારડી સાંઢપોર ગામે આવેલી જગ્યા વર્ષોથી એમ જ પડેલી હોવાથી શાળાની જગ્યા બાકી રાખી બાકીની જગ્યા જાહેરાત આપી બિલ્ડરને વેચાણ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 17 જાન્યુઆરીની રાત્રે અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોનમાં બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 30 વર્ષમાં ભાજપે ગુજરાતને ખાડામાં ધકેલી દીધું છે. ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, પરંતુ ભયનું શાસન ચાલે છે. આજે નિકોલમાં મધ્ય ઝોન બુથ કાર્યકર્તાઓનું સંમેલનઆમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોનમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા છે. આજે અમદાવાદના નિકોલમાં આવેલા ઉદય ગ્રીન પાર્ટી પ્લોટમાં મધ્ય ઝોન બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી સહિતના નેતાઓ હાજરી આપવાના છે. તો 19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. ભાજપની જેમ આમ આદમી પાર્ટી પણ હવે બુથ લેવલ પર કાર્યકર્તાઓને મજબૂત કરવાના પ્રયાસ કરશે. આ તમામ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ સંબોધન પણ કરવાના છે. ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથીઃ કેજરીવાલઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી દીધું છે. ચારેય તરફ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. લોકોમાં ડર છે, ધમકાવવામાં આવે છે. જે કોઈ તેમના વિરોધમાં અથવા અન્યાય સામે અવાજ ઉઠાવે છે, તેને પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. લોકો ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 6-7 મહિનાથી સમગ્ર ગુજરાતમાં, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે અને તેમાં જનતાની ભારે ભીડ ઉમટી રહી છે. ‘અત્યાર સુધી લોકોમાં નિરાશા હતી કે ભાજપ નહીં તો કોણ?’વધુમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારી પાસે તો પૈસા પણ નથી, અમે તો ફક્કડ પાર્ટી છીએ, છતાં લોકો પોતાના ખર્ચે, પોતાના પૈસાથી આમ આદમી પાર્ટીની સભાઓમાં આવી રહ્યા છે. અત્યાર સુધી લોકોમાં નિરાશા હતી કે ભાજપ નહીં તો કોણ? કોંગ્રેસ પાસેથી પણ કોઈ આશા નહોતી, પરંતુ હવે લોકો આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યો છું. આ દરમિયાન હું મારા તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અમે રણનીતિ બનાવીશું. તેમજ બૂથ લેવલ, તાલુકા લેવલ અને જિલ્લા લેવલ પર જે કાર્યકર્તાઓ જોડાયા છે, તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજાશે. ભાજપ તમામ મશીનરીના દુરુપયોગ કરીને જીત હાંસિલ કરે છે.
ઉમરગામમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ:લગ્નની લાલચ આપી યુવકે કૃત્ય આચર્યું; પોક્સો હેઠળ ફરિયાદ
વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં એક 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ મામલે ઉમરગામ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સગીરાના પડોશમાં રહેતા 18 વર્ષીય રોહિત સંતોષ યાદવ નામના યુવકે તેનો મોબાઈલ નંબર મેળવી મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમિયાન તેણે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીએ 1 જુલાઈ 2025 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની તબિયત લથડતા પરિવારજનોએ તેની તપાસ કરાવી હતી, જેના પગલે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતા આરોપી યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉમરગામ પોલીસે સગીરાનું નિવેદન નોંધી મેડિકલ તપાસ કરાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા દ્વારા પરંપરાગત લગ્નગીતોને પુનર્જીવિત કરવાના ઉમદા હેતુથી એક અનોખા 'લગ્ન ગીતોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મોડાસાના વિવેકાનંદ સોસાયટી હોલમાં યોજાયો હતો. આ ઉત્સવમાં 100થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ગણેશ સ્થાપનાથી લઈને વિદાય સુધીના વિવિધ 15 લગ્નગીતોની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને જાણે લગ્ન મંડપમાં બેઠા હોય તેવો અનુભવ કરાવ્યો હતો. આધુનિક યુગમાં ડીજેના વધતા ચલણ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે પરંપરાગત લગ્નગીતો વિસરાઈ રહ્યા છે. એક સમયે લગ્ન પ્રસંગોની શોભા ગણાતા આ મંગળ ગીતો આજની પેઢી માટે અજાણ્યા બની રહ્યા છે. આ વિરાસતને આવનારી પેઢી સુધી પહોંચાડવા અને હિન્દુ સંસ્કૃતિનું જતન કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદનો ઉદ્દેશ્ય સંસ્કારોનું સિંચન કરતા આ મીઠા ગીતોને ફરી જીવંત કરવાનો છે. કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સંયોજિકા મિત્તલબેન સોની અને મેઘાબેન શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. લગ્ન ગીતોત્સવમાં જોડાયેલી તમામ 100થી વધુ મહિલાઓને ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા દ્વારા ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પહેલને સમાજ દ્વારા બિરદાવવામાં આવી હતી, જેણે વિસરાતી જતી પરંપરાને ફરી જીવંત કરવાનો સંદેશ આપ્યો હતો.
સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા
Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે. મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે.
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'આત્મવિશ્વાસ હેલ્પલાઇન' શરૂ કરી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી પરીક્ષાઓ પૂર્વે વિદ્યાર્થીઓમાં જોવા મળતા તણાવ, ભય અને ચિંતા દૂર કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. આ હેલ્પલાઇન અંતર્ગત વલસાડ સિવિલ હોસ્પિટલના માનસિક તજજ્ઞ ડૉ. વિરેન્દ્ર સોલંકી દ્વારા માનસિક સલાહ અને કાઉન્સેલિંગ આપવામાં આવશે. આ ઉપરાંત, ધોરણ 10 અને 12 (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ના કુલ 56 વિષયોના અનુભવી શિક્ષકો દ્વારા વિષયવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માત્ર જ્ઞાનની જ નહીં, પરંતુ માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસની પણ કસોટી છે. તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ સમયે આ હેલ્પલાઇનનો નિઃસંકોચ ઉપયોગ કરવા અપીલ કરી હતી. બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓમાં ડર અને માનસિક તણાવ સામાન્ય રીતે જોવા મળે છે. આ પરીક્ષાનો હાઉ દૂર કરવા અને તેમને વિષયવાર માર્ગદર્શન આપવા માટે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વિશેષ પહેલ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન 15 જાન્યુઆરીથી 18 માર્ચ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ મોડી રાત્રે પણ કોઈ પ્રશ્નમાં મૂંઝવણ અનુભવે તો ફોન દ્વારા નિષ્ણાતોનો સંપર્ક કરી શકશે, જે 24/7 સુવિધા પૂરી પાડે છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા મુખ્ય વિષયો માટે તજજ્ઞ શિક્ષકો માર્ગદર્શન આપશે. પરીક્ષાના ડર, ચિંતા કે ઘરના વાતાવરણને કારણે થતી માનસિક અસરો માટે સાઇકિયાટ્રિસ્ટની મદદ પણ ઉપલબ્ધ રહેશે. વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ સરળતાથી મળે તે માટે તમામ વિષય નિષ્ણાતોના નામ અને મોબાઈલ નંબરની યાદી જિલ્લાની દરેક શાળાના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ આ નંબરોનો પ્રસાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આ હેલ્પલાઇન ખૂબ સફળ રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ વીડિયો કોન્ફરન્સ અને ફોન કોલ્સ દ્વારા પોતાની શૈક્ષણિક મૂંઝવણો દૂર કરી હતી. આ વર્ષે પણ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ તણાવમુક્ત બની પરીક્ષા આપી શકે તેવો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 19 અને 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી 'લોન્ગ માર્ચ'ને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા પાલઘરમાં આયોજિત આ મોરચાને ધ્યાનમાં રાખીને, અપર જિલ્લાધિકારી સુભાષ ભાગડે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને અન્ય સંગઠનો દ્વારા 'જલ-જંગલ-જમીન'ના પ્રશ્નો પર ચારોટી નાકાથી પાલઘર જિલ્લાધિકારી કચેરી સુધી આ મોરચો કાઢવામાં આવશે. આ મોરચામાં અંદાજે 10 થી 11 હજાર લોકો જોડાવાની શક્યતા છે. નેશનલ હાઈવે 48 પર ગુજરાતથી મુંબઈ તરફ જતી લેન પર આ મોરચો નીકળવાનો હોવાથી અકસ્માત ટાળવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ ફેરફાર અંતર્ગત, 19 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી અને 20 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે. ગુજરાત તરફથી પાલઘર, ઘોડબંદર, ઠાણે, મુંબઈ અને નવી મુંબઈ તરફ જતાં તમામ પ્રકારના ભારે અને અતિ-ભારે વાહનોને 'અચ્છાડ નાકા' થી આગળ પ્રવેશ મળશે નહીં. હલકા વાહનો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. વાહનચાલકો મહાલક્ષ્મી બ્રિજ – વાઘાડી – કાસા – તલવાડા – વિક્રમગઢ – પાલી ફાટા – વાડા/મનોર થઈને આગળ વધી શકે છે. બીજો વિકલ્પ ચારોટી નાકા – સારણી – નિકાવલી – આંબોલી – મસાડા – પેઠ – આંબેડા – ચિખલીપાડા – ચિંચપાડા થઈને જવાનો છે. ભારે વાહનોને રોકવા માટે અચ્છાડ નાકાથી આંબોલી વચ્ચે આવેલી હોટલો, ઢાબા, પેટ્રોલ પંપ અને સુરક્ષિત પાર્કિંગ સ્થળોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, પોલીસ વાહનો, મહેસૂલ વિભાગના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓના વાહનો તેમજ સક્ષમ અધિકારીની પરવાનગી ધરાવતા વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રાસંગપર ગામ પાસે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની વીજ લાઇનના પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વળતરની સ્પષ્ટતા વગર કામગીરીનો વિરોધ કર્યો હતો. આ ઘટના મોડી રાત્રે બની હતી. કંપની રાસંગપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 765 કેવીની હેવી લાઇન પસાર કરી રહી છે. ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવા અને વીજ વાયરનો કોરિડોર પસાર કરવા માટે કંપની દ્વારા શું અને ક્યારે વળતર આપવામાં આવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ સ્પષ્ટતા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આના વિરોધમાં ખેડૂતોએ પહેલા બપોરના સમયે કામ બંધ કરાવ્યું હતું. તેમણે માગ કરી હતી કે, વીજ પોલનો સામાન ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે, કારણ કે તેમને વળતર મળ્યું ન હતું. જોકે, મોડી સાંજ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સામાન હટાવવામાં ન આવતા, રાસંગપરના અસરગ્રસ્ત ખેડૂત નરેન્દ્ર રંગપરિયા અને સરપંચ અમિત ઘુમલીયા સહિતના ખેડૂતોએ રાત્રે આઠ વાગ્યે કંડલા-જામનગર હાઈવેને રાસંગપર ગામના પાટિયા પાસે બંધ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી હાઈવે બંધ રહેતા ટ્રક સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા. ત્યારબાદ વીજ પોલ ઉભા કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરના અધિકારીઓ અને માણસો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ખેડૂતોની માંગણી મુજબ ખેતરમાંથી વીજ પોલ માટેનો માલસામાન ઉપાડી લેવાની તૈયારી દર્શાવી હતી. આ પછી ખેડૂતોએ બંધ કરેલો રસ્તો ખોલી આપ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખાલિયાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોને વળતર બાબતની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ખાનગી કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં અને જો કામ કરશે તો અસરગ્રસ્ત ખેડૂતો સાથે રાખીને વિરોધ કરવામાં આવશે.
76 વર્ષના ઈતિહાસમાં 8મી વખત AMCમાં વહીવટદારોનું શાસન આવે તેવી શક્યતા
AMC News : 1 જુલાઈ-1950ના રોજ અમદાવાદને મ્યુનિસિપાલિટીમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજજો પ્રાપ્ત થયો હતો. 76 વર્ષના ઈતિહાસમાં અંદાજે બે મહિનાના સમય માટે આઠમી વખત વહીવટદાર કોર્પોરેશનમાં શાસનધુરા સંભાળે તેવી સંભાવના છે. ડ્રાફટ મતદાર યાદી 19 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની છે. હાલના મેયર સહિતના પાંચ પદાધિકારીઓની 9 માર્ચના રોજ મુદત પુરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં થોડા સમય માટે કોર્પોરેશનમાં રાજકીય શૂન્યાવકાશ જોવા મળશે.
એક સમયના 'હીરા નગરી' તરીકે ઓળખાતા નવસારી શહેરમાં ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક યુદ્ધ અને ટ્રમ્પના ટેરિફ નીતિના કારણે મંદીના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. હીરાના કારખાના તબક્કા વાર બંધ થતા હજારો રત્ન કલાકારો બેકાર બન્યા હતા. જોકે, આ કપરી સ્થિતિમાં નવસારીના રત્ન કલાકારો માટે સોલર ઉદ્યોગ આશીર્વાદરૂપ સાબિત થયો છે. સુરતના ઉદ્યોગપતિ ઈશ્વર ધોળકિયાએ નવસારીમાં વર્ષોથી બંધ પડેલી મફતલાલ મિલમાં વર્ષ 2021માં સોલાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરતા 1000થી વધુ રત્ન કલાકારોને ઘર આંગણે જ સન્માનજનક રોજગારી મળી છે. સુરત પહેલા નવસારી હતી 'ડાયમંડ નગરી' વર્ષો અગાઉ નવસારી શહેર ડાયમંડ કટીંગ એન્ડ પોલીસી માટે મોટું હબ હતું, પરંતુ સુરતનો થયેલો વિકાસ અને ટ્રેન, હવાઈ જહાજ અને માર્ગ કનેક્ટિવિટીને જોતા સુરત સમગ્ર વિશ્વમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલિસીંગમાં નવસારીથી આગળ વધી ગયું. જોકે, નવસારીમાં પણ રત્ન કલાકારો મોટી સંખ્યામાં કાર્યરત હતા. 2008માં આવેલી કારમી મંદી અને તબક્કા વાર અલગ-અલગ કારણોસર નવસારીમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીસનું કામ ઘટતું ગયું. જોકે, રત્ન કલાકારો પાડોશી શહેર સુરત અપડાઉન કરી રોજગારી મેળવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થિતિ વધુ ગંભીર બની છે કામ ન મળવું જેવી કઠિન પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો સાથે વેપારીઓ પણ કરી રહ્યા છે. 80% રત્ન કલાકારો સુરત તરફ પલાયન થવા મજબૂર હતાવર્ષો અગાઉ નવસારીમાં 10,000થી વધુ રત્ન કલાકારો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ મંદીના ગ્રહણને કારણે અનેક કારખાનાઓને તાળા લાગતા 70થી 80% રત્ન કલાકારોએ રોજગારી માટે સુરત તરફ દોટ મૂકવી પડી હતી. આ સ્થિતિમાં કલાકારોને દરરોજ ટ્રેનમાં 4 કલાકનો સમય વેડફીને થકવી નાખતું અપ-ડાઉન કરવું પડતું હતું, જેના કારણે તેઓ પરિવારને સમય આપી શકતા નહોતા. ગોલ્ડી સોલારની કંપની કઈ રીતે શરૂ થઈરોજગારની દ્વષ્ટિએ નવસારી જિલ્લો એક સમયે મફતલાલની મિલના નામથી ઓળખાતો હતો. 80થી 90ના દાયકામાં ટાટા, મફતલાલ અને કોટન મિલ સહિત દેશમાં નામાંકિત મિલો ધરાવતો હતો, પરંતુ કાળક્રમે તબક્કાવાર મિલો બંધ થતી ગઇ અને લોકોની રોજગારી છીનવાતી ગઇ, જેના કારણે શહેરના કર્મચારી અને કામદાર વર્ગને રોજગારી માટે સુરત જવું પડતું હતું, પરંતું સુરતના ઉદ્યોગપતિએ નવસારીમાં સોલાર પેનલ ફીટ કરાવ્યા અને બાદમાં ખંડેર બનેલી મફતલાલ મિલમાં સોલાર સેલ બનાવતી દક્ષિણ ગુજરાતની પ્રથમ કંપની શરૂ કરી છે. ITIમાં નિ:શુલ્ક તાલીમ બાદ 20,000નો પગારનવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વર્ષોથી બંધ મફતલાલ ડેનિમ કંપનીના પરિસરમાં 'ગોલ્ડી સોલાર' (Goldi Solar) કાર્યરત થતા ચિત્ર બદલાયું છે. આ કંપનીમાં જોડાનારા 1000 જેટલા રત્ન કલાકારો નવા ફિલ્ડમાં એન્ટ્રી કરી હતી જેથી સૌપ્રથમ તેમને સોલાર કંપની કઈ રીતે કામ કરે છે તે અંગેની તાલીમ આપવાનું જરૂરી હતું, જેથી નવસારીને અડીને આવેલી ખારેલ ITI ખાતે તમામ નોકરી મેળવનાર રત્ન કલાકારોને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગની ખાસ તાલીમ નિ:શુલ્ક આપવામાં આવી હતી. કુશળ બન્યા બાદ આ કર્મચારીઓને અંદાજે 20,000ના પગાર સાથે ઘર આંગણે જ નિમણૂક આપવામાં આવી છે. અમે રત્ન કલાકારોની સ્કિલનો ઉપયોગ સોલારમાં કર્યો: MDગોલ્ડી સોલાર કંપનીના MD ઈશ્વર ધોળકિયા જણાવે છે કે, નવસારીમાં પર્ટીક્યુલર જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નાની મોટી મંદી આવતી હોય ને જતી હોય, એની અંદર ગોલ્ડી સોલરે એક રિક્રૂટમેન્ટનો પ્લાન કર્યો. જેમાં અમે રત્નકલાકારો અને અન્ય એક હજારથી વધારે લોકોને જોબ ક્રિએટ કરીને આપી છે. આ બધા લોકો હોશિયાર હતા, કારણ કે એ બધા આર્ટિસ્ટ-રત્નકલાકાર હતા. જેથી અમે તેમની આ સ્કિલનો ઉપયોગ સોલાર ઇન્ડસ્ટ્રીમાં કર્યો છે. પોઝિટિવ વાત એ છે કે નવસારી શહેરની અંદર એક હજારો લોકોને ગોલ્ડી સોલર રોજગારી પૂરી પાડી છે. અમે કર્મચારીઓને લીવ પણ પ્રોવાઈડ કરીએ છીએ: HRગોલ્ડી સોલારમાં HR વિભાગમાં ફરજ બજાવતા અર્પિતા પટેલ જણાવે છે કે, છું છેલ્લા બે વર્ષથી અહીં છું નવસારી એક્ચુલી ડાયમંડ નગરી પણ કહેવાય છે, અહીં હવે હાલમાં ગોલ્ડી સોલારમાં એક હજાર જેવા ડાયમંડ કર્મચારીઓ અહીંયા જોબ કરે છે, એમને અમે ટ્રેઈન કર્યા છે. અમે લોકોએ અને એ લોકો ખાસ પોતાને બહુ સરસ રીતે રજૂ કરી રહ્યા છે અને અનઓર્ગેનાઇઝમાંથી ઓર્ગેનાઇઝ ફીલ્ડમાં આવ્યા છે. બીજું કે અમે લોકો એ લોકોને અહીંયા કેન્ટીનમાં ફૂડ પણ પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ લીવની બેનેફિટ્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ. જેમ કે CL, SL, PL. પેલા જે લોકો સુરત અપડાઉન કરતા હતા એ લોકો હવે અહીંયા જ નોકરી કરે છે. જેથી એમનો સમય બચે છે અને પરિવાર માટે સમય ફાળવી શકે છે. અહીંયા આવ્યા પછી અમને બહુ સારું લાગ્યું: કર્મચારી રત્નકલાકારમાંથી સોલર એક્સપર્ટ બનેલા કર્મચારી ભાલચંદ્ર સોનવણે જણાવે છે કે, હું ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો, પણ મંદીના કારણથી અમે અહીંયા આવ્યા છીએ. અહીં અમને ખુબ સારી નોકરી મળી છે અને ટાઈમ પર જ સેલરી મળી રહે છે ડાયમંડ કંપનીમાં કોઈક વાર સમયસર પગાર મળતો ન હતો, રજા મળતી ન હતી. કેટલાક લાભો મળતા ન હતા. પરંતુ અહીં એ તમામ ખોટ પૂરી થઈ છે. ઘર આંગણે નવસારીમાં નોકરી મળી છે તો બહુ સરસ રીતના અમે કામ કરીએ છીએ અને પરિવારને પણ સમય આપી શકીએ છીએ. અગાઉ સુરત જવામાં બે ત્રણ કલાક તો અમારે વેસ્ટ જ જતો હતો. પણ અહીંયા આવ્યા પછી અમને બહુ સારું લાગ્યું છે. અહીં આવ્યા પછી મારી આર્થિક સ્થિતિ સુધરી: કર્મચારી અહીં કામ કરતા અનિલ નાયકા જણાવે છે કે, હું 20 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો હતો. ઘણા સમયથી મંદીના કારણે અને ઉતાર-ચઢાવને લીધે હીરા મળે કે ન મળે અને અપ-ડાઉનની સમસ્યાને કારણે હું ખૂબ હતાશ થઈ જતો હતો. પરિવાર ચલાવવો પણ મુશ્કેલ હતો. પરંતુ આ ગોલ્ડી કંપનીમાં જોડાયા પછી મારા ઘર-પરિવારની સ્થિતિ સુધરી છે અને મકાનના હપ્તા જેવા અનેક રોકાયેલા કામો હવે પૂરા થઈ રહ્યા છે. અંધારામાં ઉમ્મીદનું નવું કિરણ જાગ્યું: કર્મચારી અનિલ નાયકા વધુમાં જણાવે છે કે, મેં 20 વર્ષ હીરાના કામમાં વિતાવ્યા તે સમયે ટ્રેનની અવરજવર અને મંદીના કારણે બહુ તકલીફ પડતી હતી. ક્યારેક કામ ન મળે તો ખાલી હાથે ઘરે પાછા ફરવું પડતું, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું અને છોકરાઓની ફી ભરવી પણ મુશ્કેલ બની જતું હતું. મનમાં સતત હતાશા રહેતી કે આ બધું ક્યાં સુધી ચાલશે, કારણ કે ઉપરથી જ કહેવામાં આવતું કે અત્યારે મંદીનો માહોલ છે. જ્યારે અહીં ભરતીની જાહેરાત આવી ત્યારે મેં ઇન્ટરવ્યુ આપ્યો અને હું પાસ થઈ ગયો. મને એવું લાગે છે કે જાણે અંધારામાં કોઈ ઉમ્મીદનું કિરણ જાગ્યું હોય. આજે હું અને મારો પરિવાર સુખેથી જીવી રહ્યા છીએ. મારા પરિવારમાં મારા મમ્મી, પત્ની અને ભણતા બે દીકરાઓ છે, જેઓ હવે સુરક્ષિત અનુભવે છે અને હું પણ મારું રોજગાર વ્યવસ્થિત રીતે ચલાવી શકું છું. હવે હું પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકું છું: કર્મચારી અહીં કામ કરતા અનિલ રાઠોડ જણાવે છે કે, હું 20 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદી અને ઉતાર-ચઢાવના કારણે કામ મળવું મુશ્કેલ બની ગયું હતું. હીરાના કામમાં અનિશ્ચિતતા એટલી બધી હતી કે ક્યારેક કામ મળે અને ક્યારેક ન મળે. ટ્રેનમાં અપડાઉનની પણ મોટી સમસ્યા રહેતી હતી. આ બધી પરિસ્થિતિઓને કારણે ગરીબ પરિવારને ચલાવવું ખૂબ જ કપરું બની ગયું હતું. મને હંમેશા ચિંતા રહેતી હતી કે મારું ઘર કેવી રીતે ચાલશે. જ્યારે હીરાના કામમાં મંદી આવી ત્યારે મારી હાલત અત્યંત દયનીય થઈ ગઈ હતી. ક્યારેક કામ ન મળતા ખાલી હાથે ઘરે પાછા ફરવું પડતું હતું. પરંતુ મને ગોલ્ડી કંપનીમાં ભરતી વિશે જાણવા મળ્યું. મેં ત્યાં ઈન્ટરવ્યુ આપ્યો અને મારું સિલેક્શન થયું. આ મારા જીવનમાં અંધારામાં પ્રકાશના કિરણ જેવું હતું. ગોલ્ડીમાં નોકરી મળ્યા પછી મારા જીવનમાં સ્થિરતા આવી છે. હવે હું મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકું છું. 'મને અહીં કેન્ટિનમાં લાભ આપ્યો એના માટે આભાર'કંપનીમાં કેટરિંગ બિઝનેશ કરતા અશોકભાઈ જણાવે છે કે, હું ધોરાજીનો રહેવાસી છું, 20 વર્ષથી હું સુરતમાં છું. પાંચ વર્ષ મેં ડાયમંડમાં કામ કર્યું. ત્યાર પછી મને પહેલેથી જ જમવાનો શોખ, એના માટે હું શિફ્ટ થઈ ગયો અને ડાયનિંગ હોલ ચાલુ કર્યો. સુરતની અંદર એ ડાયનિંગ હોલ ચાલુ કર્યો,અરજણ અને ગોવિંદ ધોળકિયાએ મારો હાથ ઝાલ્યો, જેથી કરીને ઈશ્વરભાઈએ ગોલ્ડી સોલાર કંપનીની શરૂઆત કરીને કેન્ટીનનો લાભ મને આપ્યો. એ મારા માટે ધન્યવાદ છે. રત્ન કલાકાર તરીકે મેં પાંચ વર્ષ નોકરી કરી, તે પછી મેં આ ધંધામાં પ્રવેશ કર્યો. રત્ન કલાકાર તરીકે તમે પાંચેક વર્ષ કર્યા ઘણી તકલીફો આવી, તકલીફોમાં તેજી-મંદી, તેજી-મંદી આવ્યા કરતી હતી અને હું પહેલેથી ખાવાનો શોખીન હતો એટલે હું હોટલ લાઈનમાં શિફ્ટ થઈ ગયો. પછી ત્યાં મેં ડાયનિંગ હોલ ચાલુ કર્યો અને ત્યાર પછી આ દાદા લોકોએ - ગોવિંદદાદા અને અર્જુનદાદાએ જે કંપની ચાલુ કરી, એના માટે કેન્ટીનનો લાભ મને મળી ગયો. એના માટે હું એમનો આભારી છું સદાય માટે, ઈશ્વરભાઈ અને ગોવિંદદાદાનો.
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને ફાયદો, EUએ અમેરિકા-યુરોપને આપી કડક ચેતવણી
EU warns Trump : યુરોપિયન યુનિયન (EU)ના ટોચના રાજદ્વારી અને યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાજા કૈલાસે અમેરિકા અને યુરોપ વચ્ચે વધી રહેલા મતભેદોને લઈને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે સહયોગી દેશો વચ્ચેની આંતરિક ફૂટનો સૌથી વધુ ફાયદો ચીન અને રશિયાને થઈ રહ્યો છે. 'ચીન અને રશિયાને થઈ રહ્યો છે ફાયદો' કાજા કૈલાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ચીન અને રશિયા 'મૌજ કરી રહ્યા હશે', કારણ કે સહયોગી દેશો વચ્ચેના આંતરિક મતભેદો સીધા તેમના હિતમાં જઈ રહ્યા છે. તેમણે ઈશારામાં કહ્યું કે જો પશ્ચિમી દેશોની એકતા નબળી પડશે તો તેનો સીધો ફાયદો એ શક્તિઓને મળશે, જે વૈશ્વિક વ્યવસ્થાને પડકારી રહી છે.
મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ
Delhi High Court News : પારિવારિક વિવાદોમાં હંમેશા સાસરિયાવાળા જ જવાબદાર હોય તેવુ જરૂરી નથી, મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવતી હોય છે તેવુ અવલોકન દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મામલાની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. પત્ની દ્વારા મધ્યસ્થતા દરમિયાન દર વખતે નવી નવી માગ કરવાને કોર્ટે લાલચી વલણ ગણાવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ બંસલ કૃષ્ણાની બેંચે એક મહિલા દ્વારા કરાયેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. બેંચે કહ્યું હતું કે આ મામલામાં પત્નીએ વધુમાં વધુ ધન પડાવવા માટે પતિ અને સસરા સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન આ હકિકતો સામે આવી હતી, દહેજ ઉત્પીડન કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કોર્ટોએ કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાની જરૂર છે.
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો ચિંતામાં, ભારતના નેતાઓ મૌન
- હિન્દુ યુવકને કાર નીચે કચડીને મારી નખાયો, બીએનપીના નેતાની ધરપકડ - બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠયો, સાંસદ બોબે બ્રિટિશ સરકાર પર દબાણ વધાર્યું Bangladesh News : બાંગ્લાદેશમાં છેલ્લા દોઢ મહિનાથી હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે, છેલ્લા 24કલાકમાં વધુ બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. જેમાં એક હિન્દુ યુવકને કારની નીચે કચડીને મારી નાખવામાં આવ્યો હતો, આ જઘન્ય હત્યાકાંડને બાંગ્લાદેશની કટ્ટરવાદી પાર્ટી બીએનપીના નેતા અને કોન્ટ્રાક્ટર અબુલ હાશીમે અંજામ આપ્યો હતો. જ્યારે એક હિન્દુ હોટેલ વ્યવસાયી લિટન ચંદ્ર ઘોષની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. છેલ્લા દોઢ મહિનાથી ખુલ્લેઆમ હિન્દુઓની હત્યાઓ થઇ રહી છે આ મુદ્દે બ્રિટન સહિતના અન્ય દેશના સાંસદો, નેતાઓ ખુલીને અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ ભારતમાં નેતાઓ મૌન જણાઇ રહ્યા છે.
ગેરમાર્ગે દોરતી એઆઈ હેલ્થ સમરી ગુગલે હટાવવી પડી
- એઆઈ હેલ્થ સમરી દ્વારા રોગની તપાસ અને ઉપચાર અંગે ભુલભરેલી અને અધૂરી માહિતી અપાયાનો દાવો કરાયા બાદ એક્શન - ગુગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. તે માર્કેટ શેરના 91 ટકા ઉપર રાજ કરે છે. તેમાંય તેનું એઆઈ એટલે કે ગુગલ જેમીનાઈ એઆઈ પણ સૌથી મોટું લાર્જ લેન્ગવેજ મોડલ છે. તેના કારણે થઈ રહેલા ડખાનો નિકાલ લાવવા માટે ગુગલે આ કામગીરી હાથ ધરી છે : મેડ-જેમીનાઈ-એમ 1.5 દ્વારા તમામ સ્તરે દાખલ કરવામાં આવેલા વિવિધ ડેટા, મેડિકલ હિસ્ટ્રી, દર્દીઓના વિવિધ રિપોર્ટ અને મલ્ટિપલ રિસર્ચનું એનાલિસિસ કરવામાં આવે છે.
મીરા ભાયંદરમાં મોટી સંખ્યામાં ગુજરાતી, જૈન, મારવાડી વિજેતા
કોર વોટબેન્કમાં ટિકિટો વહેચાતાં ભાજપને ફાયદો ભાજપને ૯૫માંથી ૭૮ બેઠક મળી તેમાંથી ૧૯ ઉમેદવારો ગુજરાતી, મારવાડી, જૈન સમાજના મુંબઈ - મીરા ભાયંદરમાં ગુજરાતી , મારવાડી, જૈન ઉેમેદવારોને ટિકિટ વહેંચણીમાં પ્રાધાન્ય આપવાનો ભાજપનો વ્યૂહ ફળ્યો છે. અહીંથી મોટી સંખ્યામાં ગુજરાતી, જૈન, મારવાડી ઉમેદવારો ચૂંટાયા છે. મીરા ભાયંદરમાં ભાજપને ૯૫માંથી ૭૮ બેઠકો મળી છે.
ચાંદી.....નામ સાંભળતા જ રોકાણકારોના ચહેરા પર ખુશી છવાઇ જાય કારણ પણ સ્વભાવિક છે....તેનો ભાવ. ચોખ્ખો હિસાબ છે જેણે 2025ના જાન્યુઆરી મહિનામાં ચાંદી લીધી હશે એ સમયે ભાવ 96 થી 97 હજાર રૂપિયા એટલે કે એક લાખની અંદર હતો. જેને હજુ તો 12 મહિના માંડ પૂરા થયા અને આ ભાવ પોણા ત્રણ લાખને પાર પહોંચી ગયો છે. આટલા સમયમાં ભાવ કેમ વધ્યા આ સવાલે ભલભલાને વિચારતા કરી દીધા છે. આવનારી દિવાળી કે 2027 સુધીમાં ચાંદીનો ભાવ કેટલે પહોંચશે અને કેટલું વળતર આપશે તે મુદ્દે પણ લોકોમાં ચર્ચા છે. આટલું તો ઠીક પણ ચાંદીના વધેલા ભાવની અસર આયુર્વેદિક દવાઓ અને દાંતની ટ્રીટમેન્ટ ઉપર પણ પડી છે. દિવ્ય ભાસ્કરે ડૉક્ટર તેમજ વર્ષોથી ચાંદીના વેપાર સાથે સંકળાયેલા અને અનુભવી લોકો સાથે વાતચીત કરીને ભાવવધારા પાછળના મુખ્ય કારણો જાણ્યા હતા. આયુર્વેદમાં સોના-ચાંદીને નોબલ મેટલ કહેવાય છે. સામાન્ય રીતે સોનામાંથી બનતી દવાઓને ઇમ્યુનિટી બૂસ્ટર સ્વરૂપે લેવાય છે. જ્યારે ચાંદીમાંથી બનતી દવાઓને બ્રેન ફંક્શનમાં સુધારો કરવા માટે લેવાય છે. 50થી વધુ દવાઓમાં સોના-ચાંદીનો ઉપયોગએક્સપર્ટના મતે, 50થી વધુ આયુર્વેદિક દવાઓમાં સોના-ચાંદીનો ઉપયોગ થાય છે. જેમાં શરદી, ડાયાબિટીસ, નબળાઇ દૂર કરવી, શ્વાસના રોગો, યુરિનરી ઇન્ફેક્શન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચ્યવનપ્રાશમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે. સોના-ચાંદીનો ઉપયોગ આયુર્વેદિક અને ભસ્મ આધારિત દવાઓમાં સૌથી વધુ થાય છે. આ જ કારણોસર તેમાં થયેલા ભાવવધારાના કારણે આયુર્વેદિક દવાઓની કિંમત પણ ઝડપથી વધી છે. એક અંદાજા મુજબ આયુર્વેદિક દવાઓની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં 10થી 40% જેટલો વધારો થયો છે. ચાંદીમાંથી બનતી દવાઓ ચાંદી મોંઘી થતાં ડેન્ટલ ટ્રીટમેન્ટ પર અસરસામાન્ય રીતે દર વર્ષે સોના ચાંદીના ભાવમાં 10થી 20% ભાવ વધારો જોવા મળતો હોય છે પણ આ વર્ષે ચાંદીમાં ભાવ વધારો 125%થી 150% સુધી પહોંચી ગયો છે. જેની અસર ડેન્ટલ ટ્રીટમેન્ટ પર પણ પડી છે. દાંતોની કેવિટી ભરવા અને ક્રાઉન લગાવવામાં સોના-ચાંદી મિશ્રિત ધાતુઓનો ઉપયોગ થાય છે. દાંતમાં ચાંદી પુરવા માટે ઉપયોગમાં લેવાતા સિલ્વર એલોય પાઉડરની કિંમત વધી ગઇ છે. ડૉ. મનોજ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે હાલમાં લોકોના મનમાં એવો સવાલ આવે છે કે દાંતની ટ્રીટમેન્ટ આટલી મોંઘી કેમ થતી જાય છે. દાંતમાં પૂરવામાં આવતી ચાંદી, સિમેન્ટના ભાવમાં વધારો થયો છે. જેના કારણે દાંતની ટ્રીટમેન્ટ પણ પહેલા કરતાં મોંઘી થઇ છે. મયુર આડેસરા રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રેસિડન્ટ છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જાન્યુઆરી, 2025ની શરૂઆતના દિવસોમાં ચાંદીનો ભાવ 95 થી 96 હજાર રૂપિયા આસપાસ હતો. આ વર્ષે ચાંદીએ લોકોને 150% થી પણ વધુનું રિટર્ન આપ્યું છે. જે લોકોએ ચાંદીમાં રોકાણ કર્યું છે તેમને ચાંદી....ચાંદી.... થઇ ગયું છે. તેમણે ચાંદીના ભાવમાં વધારો થવા પાછળના કારણો પણ જણાવ્યા. તેમના મતે, ચાંદી મેટલ છે એટલે તેના ભાવ હંમેશા વધતા જ રહેવાના છે. ચાંદીના ભાવવધારાના કારણોની વાત કરીએ તો મુખ્ય કારણ જીઓ પોલિટિકલ ટેન્શન છે. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ સમાવેશ થાય છે. ચીને પણ અમુક પ્રતિબંધો મૂક્યા છે. ચીન પોતાના એક્સપોર્ટ પર પણ પ્રતિબંધ મુકવાનો વિચાર કરી રહ્યું છે. આ બધી અસરના કારણે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 2026ના વર્ષમાં અમેરિકાની ફેડરલ બેંક વ્યાજદર ઘટાડે તેવી પણ શક્યતા છે. ETFમાં ચાંદીનું બાઇંગ વધી રહ્યું છે. જેથી ચાંદીની માગ સતત વધી છે. પાંચમું ફેક્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ છે. EVની બેટરીમાં અમુક ટકા ચાંદી હોય છે, સોલાર તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં પણ ચાંદીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. આ બધા ઉપયોગ વધવાના કારણે ચાંદીની માગ પણ વધી રહી છે. ભાયાભાઇ સાહોલિયા રાજકોટ સોની બજારના પ્રમુખ છે. તેઓ ચાંદીના ભાવ વધવા પાછળ 2 કારણોને જવાબદાર ગણે છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જ્યારે ચાંદીનો ભાવ 1 લાખની અંદર હતો ત્યારે તે યોગ્ય ભાવ હતો પરંતુ એકાએક ઉછાળો આવ્યો અને અઢી લાખને પાર થઇ ગઇ તે ભાવ વધુ કહેવાય. જેટલા લોકો ચાંદીના વેપાર સાથે સંકળાયેલા છે તેમના મગજમાં આ ભાવ ઉતરતા નથી. આ ભાવવધારા પાછળ 2 કારણો હોઇ શકે. પહેલું કારણ સટ્ટો અને બીજું કારણ વૈશ્વિક અસ્થિરતા. અત્યારના ભાવ ખૂબ વધારે'લોકોને એવો એક ભય છે કે ગમે ત્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. આવી સ્થિતિ હોય ત્યારે હંમેશા સોનુ ચાંદી પોતાના ભાવની મર્યાદા મૂકી દે છે અને એવો માહોલ ઊભો થઇ જાય છે કે ભાવ બેફામ વધી જાય છે. અત્યારે જે ભાવ છે એ ખૂબ વધુ ગણાય. આના કારણે સોના ચાંદીના ધંધામાં હાલ મંદી જોવા મળી રહી છે.' મયુર આડેસરાએ વધુમાં જણાવ્યું કે, સોના ચાંદી ગ્રાહકોને નિરાશ નથી કર્યા પણ ખૂબ સારું વળતર આપ્યું છે. આખા દેશમાં ચાંદીની ડિમાન્ડ એટલી વધી છે કે વેપારીઓ પહોંચી નથી શકતા. સોના-ચાંદીના ભાવ હજુ વધી શકેભાયાભાઇના મતે સોના-ચાંદીના ભાવ હજુ પણ વધી શકે છે. તેમણે કહ્યું કે,મુખ્ય વાત એ છે કે હવે લોકો સોનુ ચાંદીને બુલિયનના સ્વરૂપમાં જોવા લાગ્યા છે. લોકો માને છે કે સોના ચાંદીમાં રોકાણ કરીએ તો આગામી દિવસોમાં સારૂં વળતર મળે. 'ચાંદીએ એક વર્ષમાં દોઢ ગણું વળતર આપ્યું છે. જો આવુંને આવું આવનારા દિવસોમાં પણ રહ્યું તો ચાંદીનો ભાવ 3 લાખને પાર જતાં વાર નહીં લાગે. વચ્ચેના સમયમાં થોડો ભાવ ઘટે છે, ફરી પાછો ઉછાળો આવી જાય છે પરંતુ એકંદરે આવનારી દિવાળી સુધીમાં ચાંદી 3 લાખને પાર હોય તો પણ નવાઇ નહીં.' મયુર આડેસરા કહે છે કે, રાજકોટને ગોલ્ડ સિલ્વર મેન્યુફેક્ચરર હબ તરીકે ગણવામાં આવે છે. રાજકોટની કલાકૃતિ અને જોબ વર્કની કારીગરી વિશ્વવિખ્યાત છે. શહેરના કારીગરોની કાસ્ટિંગ વર્કમાં કુશળતા છે. અહીંની બનેલી ચાંદીની આઇટમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સપ્લાય થાય છે. એક અહેવાલ મુજબ જણાવું તો એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીમાં અંદાજે 470 મિલિયન આસપાસ એક્સપોર્ટ થયું છે. 2026માં આ ભાવ 3 લાખથી 3.5 લાખ ઉપર પહોંચે તો પણ નવાઇ નહીં. ચાંદીના વ્યવસાયે હરણફાળ ભરીરાજકોટમાં સોના ચાંદીનો વ્યવસાય 100થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. વર્ષ 1990 બાદ ચાંદીના વ્યવસાયે હરણફાળ ભરી છે. અહીં ચાંદીની મૂર્તિ, શો-પીસ, સિક્કા, છડા, કંદોરા, વિંટી, કી-ચેઇન જેવી અનેક વસ્તુઓ બને છે. વર્ષ 2010થી ઇટાલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેક્યુમ કાસ્ટિંગ પ્રોસેસથી દાગીના બનાવાય છે. રાજકોટમાં દરરોજ સરેરાશ 2 હજારથી 3 હજાર કિલોગ્રામ ચાંદીમાંથી ઘરેણાંનું ઉત્પાદન થાય છે. ઇનોવેશન અને વેરાયટી ધરાવતા દાગીના બનાવવામાં રાજકોટનો ચાંદી ઉદ્યોગ દેશમાં પ્રથમ ક્રમે છે. રાજકોટમાં અંદાજે 1200 યુનિટ છે જે 2 લાખથી 2.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
આવતીકાલથી નવી સિરીઝ ‘બંદીવાન’:સાબરમતી જેલમાં સજા કાપતા કેદીઓની સળગતી સત્યકથાઓ, તેમની પોતાની જુબાની
એક ક્ષણનો ગુસ્સો, એક ખોટો નિર્ણય અને પછી આખું જીવન જેલની ચાર દીવાલમાં કેદ. શું ક્યારેય વિચાર્યું છે કે જે માણસો જનમટીપ જેવી લાંબી સજા કાપી રહ્યા છે, તેમનાં મનમાં શું ચાલતું હશે? તેઓ પોતાનાં કૃત્યો અંગે શું વિચારતા હશે? શું તેમને પોતે કરેલા ગુનાનો પસ્તાવો થતો હશે? આવા અનેક સવાલોના જવાબો મેળવવા માટે દિવ્ય ભાસ્કરે ગુજરાતની સૌથી મોટી એવી સાબરમતી જેલમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે જનમટીપ સહિતની સજા ભોગવી રહેલા કેદીઓના ઇન્ટરવ્યૂ કર્યા. આ ઇન્ટરવ્યૂઝ આધારિત નવી સિરીઝ દિવ્ય ભાસ્કર એપ પર આવતીકાલથી શરૂ થઈ રહી છે. તેનું નામ છેઃ ‘બંદીવાન’.આવતીકાલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ ‘બંદીવાન’ સિરીઝનો એક નવો એપિસોડ પ્રકાશિત થશે. આ સિરીઝમાં કેદીઓ પોતાના શબ્દોમાં કહેશે કે કેવી રીતે એક ક્ષણમાં તેમનું જીવન અંધકારમય બની ગયું. કેવી પરિસ્થિતિમાં તેઓએ ગુનો કર્યો, જેલની કઠોર જીવનશૈલીમાં તેઓ કેવી રીતે ટકી રહ્યા છે, અને હવે તેમને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે... આ બધું જ તમે સાંભળશો તેમની જ જુબાનીમાં. રોજેરોજ એવી સત્યકથાઓ રજૂ થશે, જે તમને હચમચાવી નાખશે. જેલના સળિયાઓ પાછળ જીવતા આ માણસોની વાસ્તવિક કહાનીઓ આપણને સૌને વિચારવા મજબૂર કરશે કે કેવી રીતે એક ખોટો નિર્ણય વ્યક્તિનું પોતાનું અને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. સમાજ, કાયદો અને માનવતા વચ્ચેના સંબંધોને સમજવા માટે આ સિરીઝ જરૂર જુઓ. ‘બંદીવાન’, જેલના સળિયા પાછળની સળગતી સત્યકથાઓ. આવતીકાલ સોમવારથી શુક્રવાર દરરોજ વાંચવાનું ચૂકશો નહીં.
નોકરી ન્યૂઝ:SBIમાં ડેપ્યુટી મેનેજર-VPની ભરતી, રૂપિયા 45 લાખ સુધીનું પેકેજ
એસબીઆઇ ટેકનિકલ નિષ્ણાતો માટે 12 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી કરશે. જેમાં ડેપ્યુટી મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ જેવા મહત્વના પદો માટે B.E, B.Tech, M.E, M.Tech, M.Sc અને MCA પાસ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં પસંદગી પામનારને વાર્ષિક રૂ. 45 લાખ સુધીનું પગાર પેકેજ મળશે. ઉમેદવારોએ 5 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. અનુભવ અને શોર્ટલિસ્ટિંગના આધારે ઇન્ટરવ્યુ દ્વારા ફાઈનલ પસંદગી કરાશે. અરજી કરવા માટે વેબસાઇટ sbi.co.in/web/careers પર જાઓ, ‘Join SBI’ ટેબમાં ‘Current Openings’ પર ક્લિક કરો, SCO ભરતી પસંદ કરો અને ‘Apply Online’ પર ક્લિક કરો, નામ, સંપર્ક નંબર, ઇમેઇલ અને શૈક્ષણિક વિગતો સાથે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો, લેટેસ્ટ રેઝ્યૂમે, ID પ્રૂફ, વયનો પુરાવો અને ડિગ્રી સર્ટિફિકેટ્સ અપલોડ કરો, જો લાગુ પડતી હોય તો, ઓનલાઇન બેંકિંગ અથવા કાર્ડ દ્વારા અરજી ફી ભરો. તમામ વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો. અરજીમાં ભૂલ સુધારવાની તક સબમિટ કર્યા પછી મળશે નહીં આ પોસ્ટ માટે B.E/B.Tech, M.E/M.Tech, MCA અથવા M.Sc (CS/IT) પાસ હોય અને 25 થી 50 વર્ષ (પદ મુજબ અલગ-અલગ). સંબંધિત ક્ષેત્રમાં કામનો અનુભવ હોવો અનિવાર્ય છે. લોન કે ક્રેડિટ કાર્ડમાં ડિફોલ્ટ ન હોવો જોઈએ, ક્લિન રિપોર્ટ જરૂરી. સરકારી કર્મચારીઓ માટે પરવાનગી પત્ર (NOC) રજૂ કરવો પડશે.
દીપડો દેખાતાં લોકો ગભરાયાં:ધ્રુપકા ગામે સમી સાંજે ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
સિહોર પાસેનું ધ્રુપકા ગામ જંગલની નજીક આવેલ ગામ છે.આથી જંગલમાં રહેતા રાની પશુઓ અવારનવાર ધ્રુપકા ગામમાં અને ગામની સીમમાં આવી જતા હોય છે. આથી ગામમાં આ બાબતે ભયનો માહોલ ફેલાયો છે. ધ્રુપકા ગામે ગત રાત્રિના નવ સાડા નવના શુમારે ગામમાં સ્મશાન રોડ પર દીપડો જોવા મળ્યો હતો. આથી શેરીના કૂતરા ભસતા-ભસતા પલાયન થઇ ગયા હતા.આ રોડ પર રહેતા એક પરિવારે બલ્બના અજવાળે દીપડાને સામે કાંઠેથી આવતા જોયો હતો. દીપડાનું આ લાઇવ ર્દશ્ય જેણે-જેણે જોયું હશે એણે ભયની કેવી લાગણી અનુભવાઇ હશે એ કલ્પનાતીત છે ! અને ધીમે પગલે જંગલમાં નીકળી ગયો. પરંતુ ગામમાં આવી ગયેલું આ રાની પશુ લોકોમાં ભયનો માહોલ ફેલાવતો ગયો. બે-ત્રણ દિવસ પહેલાં ધ્રુપકાથી માત્ર ત્રણેક કિલોમીટર દૂર આવેલ ભડલી ગામે બે સિંહ જોવા મળ્યા હતા.એ પછી ધ્રુપકા ગામમાં સમી સાંજે દીપડાએ દેખા દેતા આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ભય અનુભવી રહ્યા છે.અત્યારે ખેતીમાં સરગવો અને ડુંગળીની સિઝન ચાલી રહી છે.ગ્રામ્ય વિસ્તારમાં તો કેટલાક પરિવારો વાડી વિસ્તારમાં રહેતા હોય છે. રાની પશુઓને અન્ય સ્થળે ખસેડાય તેવી માંગગીરનું જંગલ છોડીને રાની પશુઓ હવે ધીમે-ધીમે ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિસ્તરતા અને વિહરતા થયા છે. અને રસ્તે જતી મહિલા કે વાડીમાં કામ કરતાં મજૂર કે બાળક પર દીપડા જેવું લુચ્ચું પ્રાણી હુમલો કરતું હોય છે. અને ઘણીવાર એમાં કોઇ ઘાયલ થાય કે પછી મૃત્યુને પણ ભેટતું હોય છે. આ રાની પશુઓને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના રહીશોની લોકમાંગ ઊઠવા પામી છે.
રિવર ફ્રન્ટની અવદશા થઈ:વલભીપુરમાં લાખોના ખર્ચે બનાવાયેલા રિવર ફ્રન્ટની દુર્દશા
વલભીપુર નગરપાલિકા દ્વારા ઘેલો નદીના કાંઠે તેમજ પાલિકાના વોટર વર્કસ નજીક શહેરીજનો માટે ફરવા સાથે કુદરતી વાતાવરણ વચ્ચે બેસી શકે તે માટે ઇ.સ.2018ની સાલમાં લાખો રૂપિયાના ખર્ચૈ રીવર ફ્રન્ટ બનાવવામાં આવ્યું છે અને હાલ આ રિવર ફ્રન્ટની અવદશા થઇ છે. ઘેલો નદી કાંઠા તરફ લોકો આરામથી બેસી શકે તે માટે રિવર ફ્રન્ટની બાલ્કની ટાઇપ ચડતા ક્રમમાં પગથિયાઓ બનાવેલ છે પરંતુ હાલમાં આ સ્થળની હાલત એવી થઇ છે કે, લોકો ફરવા આવે તો પણ આરોગ્ય બગડે તેવી હાલત છે નદીમાં ગટરના પાણી ઠલવાતા હોય તેથી પાણીમાંથી દુર્ગંધ મારતી વાસ આવે છે તો પગથિયા નજીક ગાંડા બાવળાએ સામ્રાજય ઉભું કરી દીધુ છે. પાલિકાનું વોટર વર્કસ નજીકમાં આ સ્થળ હોવા છતા઼ં જાળવણી ન થાય તે કેવી કમનસીબી સમજવી આ રિવર ફ્રન્ટની યોગ્ય જાળવણી થાય અને શહેરીજનો કમસેકમ સાંજના સમયે ફરવા આવી શકે તેવી વ્યવસ્થા નગરપાલિકાની દ્વારા હાથ ધરવામાં આવે તેવી લોકોને અપેક્ષા છે.
લોક માંગ:સિહોરના રસ્તાઓ ગુણવત્તાસભર બનાવવા માંગ
ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામો અને શહેરોના રસ્તાઓની ગુણવત્તા અત્યંત નબળી હોવાને કારણે આ રસ્તાઓ બનતાની સાથે જ થોડા સમયમાં તૂટી જાય છે. અને સામાન્ય જનતાની તકલીફ હતી ત્યાંને ત્યાં જ રહે છે. અને ખરાબ રસ્તાઓને લીધે ઇંધણ, સમય અને ઘણીવાર અકસ્માતોને લીધે જીવનું પણ નુકસાન થાય છે. આપણી પાસે ગુણવત્તાવાળા ઇજનેરો છે.અને હાઇ-વેનું કામ ઘણું ગુણવત્તાવાળું થાય છે. તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને જલદી તૂટે નહીં તેવા રસ્તાઓ બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જે નવા સિમેન્ટ કૉંક્રિટના રસ્તાઓ બને છે તેની કામગીરી અને મટીરીયલ્સ એટલી બધી હલકી કક્ષાના હોય છે કે થોડાં જ દિવસોમાં તે રસ્તાઓ તૂટી જાય છે. અને જનતાના કર વેરામાંથી થયેલ સરકારની આવક પાણીમાં જાય છે. આથી સારા કામની ગુણવત્તા ધરાવતા કોન્ટ્રાકટરોને જ આવા કામો સોંપવામાં આવે. જો માલ સામાન કે કામની ગુણવત્તામાં જરા પણ કમી હોય તો તેને યોગ્ય દંડ કરવામાં આવે. લોકોની અપેક્ષા પણ સરકાર પાસે વિશેષ હોય. આ માટે માત્ર લાગતા વળગતા કોન્ટ્રાકટરોને જ કામ આપવાનું બંધ કરી ગુણવત્તાયુકત કામ કરતાં કોન્ટ્રાકટરોને જ કામ આપવામાં આવે. નીચેની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી આ કાર્ય ન થઇ શકે તો રાજ્ય સરકાર આ કામમાં હસ્તક્ષેપ કે દેખરેખ રાખી યોગ્ય કાર્યવાહી કરાવે અને ગુજરાતના લોકોની કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તે માટે ઝડપી કાર્યવાહી કરવા માંગ ઊઠી છે.
અપૂરતી વિકાસ:પાલિતાણામાં પાણી, રોડ અને સફાઈના પ્રશ્નો અણઉકેલ
પાલિતાણા શહેરની વસ્તી કુદકે ભુસકે વધી રહી છે એક અંદાજ મુજબ શહેરની વસ્તી 80,000 જેટલી ગણાય છે. સ્ટેશન રોડ, ભૈરવનાથ ચોક, માંડવી ચોક, ગારિયાધાર રોડ, તળેટી રોડ, મેઇન રોડ, તળાજા રોડ, પેલેસ રોડ જયાં એક સમયે મોકળાશ અનુભવાતી હતી ત્યાં પણ આજે વાહનોની ગીચતા અને પ્રદૂષણ જોવા મળે છે. આ ગતિ એ જ શહેરની વસ્તી જો વધતી રહેશે અને તેને સારી રીતે સમાવવા પૂરતું આયોજન નહીં કરવામાં આવે તો 10 કે 15 વર્ષ પછી શહેરના અનેક વિસ્તારો અને રાજમાર્ગોની શું દશા છે તેની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. પાણી, રોડ, સફાઇ, ટ્રાફિક, બાગ બગીચા જેવા પ્રશ્નો ઉકેલાતા નથી. પાલિતાણા નગરપાલિકા અને રાજ્યના સત્તાધીશો નાગરિકો માટે ખૂબ મહત્વના એવા આ સર્વે પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરેલ. રોજબરોજના પ્રશ્નો હલ કરવા તે નગરપાલિકાની જવાબદારી છે પરંતુ શહેરની ભાવિ સમસ્યાઓનો અભ્યાસ કરી તેનું પરફેક્ટ આયોજન કરવાની વિશેષ જવાબદારી છે. પાલિતાણા શહેરને રાજ્ય સરકારે પવિત્ર તીર્થધામ જાહેર કરેલ છે પાલિતાણાના વિકાસ અને ભાવી આયોજનને ધ્યાનમાં રાખી તંત્ર ગોઠવવાની કે સાધનોની ફાળવણી કરવાની રાજ્ય સરકારની પણ જવાબદારી છે. આવી જ રીતે શહેરના રસ્તાઓ બાંધ્યા પછી તેની યોગ્ય જાળવણી મરામત પણ ઘણી મહત્વની બાબત છે સત્તાવાળાઓએ ઉત્સાહ બતાવી અમુક રસ્તાઓ સારા બનાવેલ પરંતુ સંખ્યાબંધ રસ્તાઓ આજે પણ ખરાબ છે આવા ખરાબ અને બિસ્માર રસ્તાઓ ટ્રાફિકની ધીમી ગતિ માટે ઘણી અંશે જવાબદાર છે વળી આ રસ્તાઓ ઉપરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાનું કાર્ય આવકાર્ય છે પરંતું કમનસીબી એ છે કે આવા પગલા એ ઉભરાની માફક લેવાય અને ફરી પાછું બધું જ યથાવત ચાલે છે. પાલિતાણામાં લાંબા સમયથી નિયમિત પાણી, બિસ્માર રોડ, નિયમિત સફાઇ, ટ્રાફિક અને બાગ બગીચા જેવા પ્રશ્નો ઉકેલાતા નથી. સમસ્યા-1 : ટ્રાફિક જામભૈરવનાથ ચોક, દરબાર ચોક થી માંડવી ચોક, તળાજા રોડ, સ્ટેશન રોડ વિગેરે વિસ્તારોમાં દિવસમાં અનેક વખત ટ્રાફિકજામ થઈ જાય છે પરંતુ આના કરતાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના વિસ્તારમાં હાલત અમુત સમયે ઘણી ખરાબ થઈ જાય છે. સમસ્યા-2 : પાણીની અનિયમિતતાએક વિકટ પ્રશ્ન પાણીનો છે. શહેરના ઉંચાણ વાળા વિસ્તારોને પાણી નિયમિત મળતું નથી તો અમુક વિસ્તારોમાં પૂરતા પ્રેસર થી પાણી મળતું નથી ઉનાળાના ત્રણથી ચાર મહિના તો પાણીની ભારે તંગી નગરજનોને અનુભવી પડે છે. દર વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે એકાદ વર્ષે જો ઓછો વરસાદ થાય તો પાલિતાણામાં પાણીની ભારે સમસ્યા ઊભી થશે તે ચોક્કસ છે. સમસ્યા-3 : અપૂરતા બાગ બગીચાવિકાસને લગતી ત્રીજી બાબત છે નગરજનો માટે અનિવાર્ય એવા બાગ બગીચા વસ્તીના પ્રમાણમાં ફક્ત એક જ બગીચો છે તેની પૂરતી જાળવણી થતી નથી અને બિસ્માર હાલતમાં છે. પાલિતાણાની જનતાને હરવા ફરવા માટે એક સારા બગીચાની જરૂર છે. જો બગીચો સારો બને તો પરિવાર સાથે ફરવા જઈ શકાય.
શ્રેષ્ઠ પ્રદર્શન:પ્રથમ નેશનલ જંબોરીમાં શ્રેષ્ઠ દેખાવ કરતા રોવર રેંજર વિદ્યાર્થીઓ
ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યૂ દિલ્હી દ્વારા 9 થી 13 જાન્યુઆરી 2026 દરમિયાન બાલોદ - છત્તીસગઢ ખાતે પ્રથમ નેશનલ રોવર રેંજર જંબોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના તમામ રાજ્યો અને સિનિયર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રોવર રેંજર એકત્ર થયાં હતાં. ત્યારે આ કેમ્પમાં ભાવનગર અને અમદાવાદ ના રોવર રેંજર દ્વારા ગુજરાત નું નેતૃત્વ કરવામાં આવેલ અને સ્ટેટ એક્ઝિબિશન, કેમ્પ ફાયર, એથનિક ફેશન શો, યુથ પાર્લામેન્ટ, યુથ ફોરમ, ફોક ડાન્સ વિગેરે પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે યુથ ફોર્મ માં સમગ્ર દેશમાંથી આવેલા રાજ્યોના વિદ્યાર્થીઓમાં ચેર પર્સન અને વાઇસ ચેર પર્સન તરીકે ગુજરાતના રોવર રેંજરને નિયુક્ત કરાયા હતા અને યુવા શક્તિ સે રાષ્ટ્ર નિર્માણ સૂત્રને સાર્થક કર્યું હતું. જંબોરી દરમિયાન છત્તીસગઢ રાજ્યના સીએમ શ્રી વિષ્ણુ દેવ રાય મુખ્ય મહેમાન તરીકે અને શિક્ષણ મંત્રી ગજેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર દેશમાંથી આવેલા રોવર રેંજરને આવકાર્યા હતા. ગુજરાતના કન્ટીજન લીડર તરીકે સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રોગ્રામ ઓફિસર શ્રી ધ્રુવાબેન ભટ્ટે સેવા આપી હતી.
શિક્ષણનું સ્તર ઊંચુ લઈ જવા નવીન પ્રયાસ:પ્રાથમિક શાળાઓના બાલવાટિકા વિભાગ માટે મેન્ટરની નિમણૂક
પ્રાથમિક શાળાઓમાં હવે બાળકની ઉંમર છ વર્ષની થાય ત્યારથી જ પહેલા ધોરણમાં પ્રવેશ મળે છે, પણ જો પાંચ વર્ષ થયા હોય તો તેમને બાલવાટિકાના નવા વિભાગમાં સમાવવામાં આવે છે. આ બાલવાટિકા અને ધોરણ એક, બેના શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન માટે ખાસ મેન્ટરની નિમણૂક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.તેઓને શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવા માટે કામગીરી સોંપવામાં આવી છે. નીપુણ ભારત મિશનના અમલીકરણ માટે બાલવાટિકા, ધોરણ 1 અને 2 ના શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ આ પ્રકારે મેન્ટરની યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. તેના માટે સીઆરસી બીઆરસી કોર્ડીનેટર અને બીઆરપીને નિમણૂક આપીને તેમની પાસે મેન્ટર તરીકેની કામગીરી કરાવવામાં આવશે. નબળા બાળકો પર ધ્યાન અપાશેદેશભરની શાળા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે નવી નિતિ ઘડવામાં આવી છે અને આ નીતિ મુજબ સ્કૂલના શિક્ષકોને ક્લાસરૂમમાં ટેક્નોલોજીનો ઉપયોગ, નબળા બાળકો પર વધુ ફોકસ કેમ કરવું, માનસિક સ્વાસ્થ્ય સહિતની બાબતો શીખવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક નવી એડવાઇઝરી જાહેર કરી છે.
ગંભીર હુમલો કરાયો:તારામાંથી જ દાળ પુરી ખાવાની છે તેમ કહી માથા પર છરીના ઘા માર્યા
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ પાસે જાહેર સ્થળે દાદાગીરી, છરીથી હુમલો અને લૂંટની ગંભીર ઘટનાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સીદસરનો રહેવાસી એક ખેતીકારક યુવક તળાવ ખાતે કરિયાણું લેવા આવ્યો હતો, પરંતુ દાળપુરીના નાસ્તા દરમિયાન થયેલી બોલાચાલી થોડા જ સમયમાં હિંસક હુમલામાં ફેરવાતાં છરી, લોખંડના પાઈપ અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી સાથે લૂંટ જેવી ઘટના સર્જાઈ હતી, જેના કારણે શહેરમાં વધતી લુખ્ખાગીરી સામે ફરી ચિંતા વ્યક્ત થઈ રહી છે. સીદસર ખાતે ભાગ્યું રાખી ખેતી કરતા પ્રવીણભાઈ મંગાભાઈ ચારોલીયાએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરેથી ભાવનગરના ગંગાજળિયા તળાવ પાસે બસ સ્ટેન્ડ નજીક કરિયાણું લેવા આવ્યા હતા અને સવારે આશરે 11 વાગ્યાના સમયે તળાવ નજીક આવેલી લારી એ દાળપુરીનો નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યો ઈસમ ત્યાં આવી દાદાગીરીપૂર્વક તેમની થાળી માંથી જ દાળપુરી ખાવા લાગ્યો હતો, જેને પ્રવીણભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમે ઝઘડો ઊભો કર્યો હતો અને તારામાંથી જ દાળ પુરી ખાવાની છે જેથી દુકાનદારે તેને ત્યાંથી કાઢી મૂક્યો હતો, પરંતુ થોડા સમય બાદ એ જ ઈસમ પોતાની સાથે બે અન્ય અજાણ્યા ઈસમોને લઈ પરત આવ્યો હતો જેમાંથી બે ઈસમોએ પ્રવીણભાઈને પકડી રાખ્યા હતા અને લાલો નામનો ઈસમે માથા ના ભાગે છરીનો ઘા મારતાં પ્રવીણભાઈ લોહીલુહાણ હાલતમાં થઈ ગયા હતા. આ દરમિયાન એક ઈસમે પોતાનું નામ અર્જુન ઠુઠો હોવાનું કહી હું તળાવમાં જ રહું છું, હવે તળાવમાં દેખાયા તો મારી નાખશું તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી જ્યારે ત્રીજા શખ્સે ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ પ્રવીણભાઈના ખીસ્સામાંથી રૂ.800 લૂંટી લીધા હતા, જે બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. છેલ્લાં અઠવાડિયાથી શહેરમાં મારામારી તથા ધમકીની ઘટનાઓ સતત વધી રહી હોવાને કારણે લુખ્ખાતત્વો બેફામ બન્યા હોવાનો રોષ પણ સામે આવી રહ્યો છે.
અંગદાન પ્રવૃત્તિ વધુ વેગવાન બનશે:મોટા આસરાણાની હોસ્પિટલે માંગી ઓર્ગન સેન્ટરની મંજૂરી
ગંભીર બીમારી કે અકસ્માતમાં કોઈ વ્યક્તિ પોતાના મહત્વપૂર્ણ અંગો ગુમાવે છે, ત્યારે તેનું જીવન અંધકારમય બની જાય છે. આવી પરિસ્થિતિમાં અંગદાન એ એક એવી મહાન પ્રક્રિયા છે, જે અનેક લોકોના જીવનમાં ફરીથી આશા અને પ્રકાશ લાવી શકે છે. તેથી જ અંગદાનને ‘મહાદાન’ કહેવાય છે. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાએથી ઓર્ગન સેન્ટર માટે મોટા આસરાણાની ખાનગી હોસ્પિટલે સૌ પ્રથમવાર સામેથી મંજૂરી માંગી છે. આગામી દિવસોમાં જેની મંજૂરી મળતા ભાવનગર અને અમરેલી જિલ્લાની અંગદાન પ્રવૃત્તિને વધુ વેગ મળશે. મોટા આસરાણા ખાતે મહુવા હેલ્થકેર ફાઉન્ડેશન સંચાલિત એચ.ઓ.એસ. હોસ્પિટલે ઓર્ગન અને ટીસ્યુ રિટ્રાઇવલ સેન્ટર માટે રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગને અરજી કરી હતી. જે અરજીની અનુસંધાને આઈ.કે.ડી.સી.આર. અમદાવાદના તબીબ તજજ્ઞોની ટીમ મોટા આસરાણા ખાતેની એચ.ઓ.એસ. હોસ્પિટલની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટના આધારે ઓર્ગન સેન્ટરની મંજુરી મળતા સેન્ટર કાર્યરત બનશે. મોટા આસરાણાના ઓર્ગન સેન્ટરથી બે જિલ્લાને લાભમહુવા તાલુકાના મોટા આસરાણા ખાતેની ખાનગી હોસ્પિટલે ઓર્ગન સેન્ટર માટે માંગેલી મંજૂરી થતા ભાવનગર અને અમરેલી જિલ્લાને ફાયદો થશે. અંગદાન કરવા માંગતા અમરેલી જિલ્લાના અંગદાતા પરિવારને ભાવનગર શહેર સુધી આવવું નહિ પડે. અમરેલી જિલ્લા ઉપરાંત મહુવાની નજીકના પાલિતાણા, ગારિયાધાર અને તળાજા તાલુકાને ફાયદો થશે. અંગદાનમાં રાજ્યકક્ષાએ ભાવનગર ત્રીજા ક્રમે ધકેલાયુંભાવનગર જિલ્લામાં અંગદાનમાં અત્યાર સુધીમાં 83 દર્દીઓના પરિવારે અંગદાનમાં અનન્ય સિંહ ફાળો આપ્યો છે. રાજ્યમાં કુલ થતા અંગદાનમાં બીજા નંબરે રહેનારું ભાવનગર એક કદમ નીચે જતા હવે ત્રીજા ક્રમે છે ત્યારે અંગદાનમાં પ્રથમ નંબરે અમદાવાદ બાદ ત્રીજા નંબરે રહેનારું સુરત હાલ બીજા નંબરે છે. ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર-2016માં હૃદયનું પ્રથમ અંગદાન ભાવનગરમાંથી રાજ્યનું સૌ પ્રથમ અંગદાન જાહેર કરાયુ હતું. તબીબી તજજ્ઞોની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરાશેઓર્ગન ડોનેશન સેન્ટર બાબતે વર્ષ-2025માં મંજૂરી માંગવામાં આવી હતી. જે બાબતે નજીકના દિવસોમાં તબીબી તજજ્ઞોની ટીમ ઇન્સ્પેક્શન કરવા આવશે. મંજૂરી મળ્યા બાદ અમારી 150 બેડ સાથે ન્યુરોસર્જરી સહિતની સારવાર આપતી હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન સેન્ટર કાર્યરત બનશે. - ભાવેશભાઈ કળસરીયા, ડાયરેક્ટર, SOS હોસ્પિટલ મોટા આસરાણા
ભાવનગર જિલ્લા સહકારી બેંકની જલાલપર શાખામાંથી 40 થી 50 ખેડૂતોની ડિપોઝિટની એક કરોડથી પણ વધુ રકમની બેંકના કર્મચારી દ્વારા ઉચાપત કરવામાં આવી હોવા છતાં બેંક દ્વારા કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરાઈ હોવાનું માર્કેટ યાર્ડના ડિરેક્ટર દ્વારા સ્ટેટ રજીસ્ટ્રાર સહિતનાને રજૂઆત કરાઈ છે. ભાવનગર માર્કેટ યાર્ડના ડિરેક્ટર ભીખાભાઈ જાજડિયા દ્વારા સ્ટેટ રજીસ્ટ્રાર અને નાબાર્ડના જનરલ મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લા સહકારી બેંકના જલાલપર શાખાના કર્મચારી આણંદ પોપટ સગરે જલાલપર વિકળીયા અને આજુબાજુના ગામોમાંથી મુકેલી ડિપોઝિટની રકમની ઉચાપત કરેલી છે. 40 થી 50 ખેડૂતોની 1 લાખ થી 15 લાખ સુધીની અંદાજે 1 કરોડથી વધુ રકમની ડિપોઝિટ ઉચાપત કરી છે. ગત 12મી જાન્યુઆરીના રોજ બેંગ્લોર સાયબરે ટ્રાન્જેક્શન થયેલી હોવાથી બેંગ્લોર પોલીસે ફરિયાદ કરેલી છે. અને હેડ ઓફિસ ને જાણ થઈ તે દિવસે આ કર્મચારીની બદલી કરી ગઢડા મુક્યા હતા અને જલાલપરથી છૂટા કર્યા હતા. ઉચાપત કરનાર કર્મચારી ગઢડા હાજર નહીં થઈ ફરાર થઈ ગયા છે. સાયબર સેલ દ્વારા ફરિયાદ કરી હોય ત્યારે બેંક દ્વારા ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાવવાને બદલે કર્મચારીની બદલી કરી હતી. તેમજ આજ સુધીમાં બેંક દ્વારા કર્મચારી વિરુદ્ધમાં કોઈ પોલીસ ફરિયાદ નથી. બેંક દ્વારા કેટલા ખેડૂતોની ઉચાપત થઈ છે તે ખેડૂતોના નામથી કેશિયર પર ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. એક મેકર અને એક ચેક કર એમ બે કર્મચારીઓથી પેમેન્ટ થવા જોઈએ તેના બદલે બંને કામગીરીના પાસવર્ડ વડી કચેરીએ આપેલ છે જેના કારણે ફ્રોડ થયેલ છે. જેથી જવાબદારો સામે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
કેન્દ્ર સરકારના પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય દ્વારા રીસાયક્લિંગ ઓફ શિપ રેગ્યુલેશન્સ–2026 જાહેર થતાં ભારતનો શિપ રીસાયક્લિંગ ઉદ્યોગ મોટા પરિવર્તનના બારસાખ પર આવી ઉભો છે. વૈશ્વિક સ્તરે અગ્રણી ગણાતા આ ઉદ્યોગને હવે ઓપરેશનલ તેમજ નાણાકીય પડકારોનો સામનો કરવો પડશે. રીસાયક્લિંગ ઓફ શિપ એક્ટ–2019 હેઠળ લાવવામાં આવેલા નવા નિયમો હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન સાથે ભારતીય પ્રથાઓને સુસંગત બનાવવા માટે છે, પરંતુ ઉદ્યોગના હિસ્સેદારો માને છે કે આ પરિવર્તન સરળ નહીં રહે. નવા નિયમો હેઠળ શિપ રીસાયકલર્સ પર સલામતી, પર્યાવરણ સંરક્ષણ, દસ્તાવેજીકરણ, તાલીમ અને વિવિધ એજન્સીઓની મંજૂરી સંબંધિત કડક શરતો લાદવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી કામદારોની સુરક્ષા વધશે અને ભારતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા મજબૂત થશે, જ્યારે શિપ બ્રેકરોનું કહેવું છે કે પાલનની વધતી કિંમત નાના અને જૂના યાર્ડ્સ માટે મુશ્કેલીરૂપ બની શકે છે. ખાસ કરીને સેફ-ફોર-હોટ-વર્ક ધોરણો પૂર્ણ કરવા માટે યાર્ડ્સને ગેસ-મુક્ત વ્યવસ્થા, સતત દેખરેખ, અગ્નિ નિવારણ સિસ્ટમ, પ્રમાણિત સાધનો, તબીબી સુવિધા અને ઈમરજન્સી પ્રતિભાવ જેવી માળખાગત સુવિધાઓ વિકસાવવી પડશે, જેમાં ભારે મૂડીરોકાણ જરૂરી બનશે. જોખમી કચરાના નિકાલ માટે TSDFની ફરજિયાત સભ્યપદ અને લાઇસન્સધારી પરિવહન વ્યવસ્થાથી ખર્ચ વધુ વધશે. નવા નિયમોમાં પરવાનગીઓ માટે અનેક એજન્સીઓનો સમાવેશ કરાયો છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થવાની ભીતિ ઉદ્યોગ વ્યક્ત કરી રહ્યો છે. સાથે જ દસ્તાવેજીકરણ, ઓડિટ અને રિપોર્ટિંગની કડક વ્યવસ્થા નાના ઓપરેટરો માટે પડકારરૂપ બની શકે છે. માનવ સંસાધન ક્ષેત્રે પણ નિયમિત તાલીમ અને આરોગ્ય તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે. આગ, વિસ્ફોટ અથવા પ્રદૂષણ જેવી ઘટનાઓમાં કામગીરી સ્થગિત કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવી છે, જેના કારણે ઉદ્યોગમાં ચિંતા છે. તેમ છતાં નીતિનિર્માતાઓનું કહેવું છે કે લાંબા ગાળે આ નિયમો સલામતી, કામદારોના કલ્યાણ અને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. હવે શિપ રીસાયક્લિંગ ફક્ત સ્ટીલ કાપવાનો વ્યવસાય નહીં, પરંતુ સલામતી અને પર્યાવરણીય જવાબદારી સાથે જોડાયેલો ઉદ્યોગ બની રહ્યો છે.
ભાવનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રીના જુદા જુદા ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ તંત્ર પણ સાબદુ થઈ ગયું હતું અને તેના રૂટ પર દેખાડવા પૂરતા કામો પણ કરાયા હતા. પરંતુ સાંજે જેવા મુખ્યમંત્રી ભાવનગર છોડીને ગયા ત્યાં ફ્લાય ઓવર પર અંધકાર છવાયો હતો. ફ્લાય ઓવર પરની લાઈટો બંધ થઈ ગઈ હતી. ભાવનગર ખાતે દિવ્યાંગોને સાધન અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાના હોવાથી કોર્પોરેશન દ્વારા પણ તાબડતોબ લોકાર્પણ અને ખાતમુહૂર્તોનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો હતો. ગણતરીની કલાકોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોવાથી કાર્યક્રમનું સ્થળ સરદારનગર મેઘાણી ઓડિટોરિયમમાં ખાલી સીટો ન દેખાય તે માટે કોર્પોરેશનના કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોથી ઓડિટોરિયમ ભરવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગર શહેરના પ્રથમ ફ્લાય ઓવર પરની આકર્ષક એલઇડી લાઇટો તો સામાન્ય દિવસોમાં ઘણી બંધ ચાલુ હોય છે પરંતુ કોઈ ઉચ્ચ પદાધિકારી કે રાજકીય નેતા ભાવનગરમાં આવવાના હોય ત્યારે તમામ લાઈટોથી ફ્લાય ઓવરનું આકર્ષણ પણ વધારવામાં આવે છે. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રીના ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ભાવનગર છોડીને જેવા ભાવનગરથી મોં ફેરવ્યું તેવું ફ્લાય ઓવર પર લાઈટના થાંભલાની રંગબેરંગી એલઇડી લાઇટો તો બંધ હતી જ પરંતુ રાત્રે ફ્લાય ઓવર પરની તમામ લાઈટો બંધ થઈ ગઈ હતી. ફ્લાય ઓવર પર રાત્રે લાઇટો બંધ હોવાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય રહ્યો હતો. કોર્પોરેશન દ્વારા ફ્લાય ઓવર પરની રંગબેરંગી લાઈટો નિયમિત ન ચાલુ રહી શકે તો ખાસ કોઈ મુશ્કેલી ન રહે પરંતુ જો મુખ્ય લાઈટો જ બંધ થઈ જાય તો ગંભીર અકસ્માતને નકારી શકાય નહીં.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઇન્દોરની મુલાકાત હતી. તેમણે કહ્યું કે અહીંની હવા, પાણી અને જમીનમાં ઝેરી છે. બીજા મોટા સમાચાર કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયાનું વિવાદાસ્પદ નિવેદન હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. મોદીએ કહ્યું-TMC ઘુસણખોરોને મતદાર બનાવી રહી છે:તેમને વસાવીને ગરીબોના અધિકારો છીનવી રહી છે; ભાજપ તેમને દેશમાંથી કાઢી મુકશે પશ્ચિમ બંગાળના માલદામાં શનિવારે પીએમ મોદીએ કહ્યું કે બંગાળ સામે ઘૂસણખોરીનો એક મોટો પડકાર છે. બંગાળના ઘણા વિસ્તારોમાં વસ્તીનું બેલેન્સ બગડી રહ્યું છે. ટીએમસી ઘૂસણખોરોને મતદાર બનાવી રહી છે. ગરીબોનો હક છીનવાઈ રહ્યો છે. ભાજપ સરકાર બનતા જ ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આયુષ્માન ભારત યોજના પર વાત કરતા પીએમએ કહ્યું કે, ટીએમસીના લોકોને તમારી તકલીફની કોઈ ચિંતા નથી. અહીં આયુષ્માન યોજના લાગુ થવા દેવામાં આવી નથી. આવી પથ્થર દિલ સરકારની બંગાળમાંથી વિદાય જરૂરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મહારાષ્ટ્રમાં સત્તા માટે ખેંચતાણ શરૂ:મુંબઈમાં શિંદે જૂથના 29 કોર્પોરેટરો હોટેલમાં શિફ્ટ, ફડણવીસે કહ્યું- મેયર પદ માટે કોઈ વિવાદ નથી; અજીત-શિંદેનું ભેદી મૌન મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીના પરિણામના એક દિવસ પછી મુંબઈમાં રાજકીય હલચલ વધી ગઈ છે. શિવસેના શિંદે જૂથના તમામ 29 કોર્પોરેટરો તાજ હોટેલ પહોંચ્યા છે. બીજી તરફ સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે શિંદે જૂથ અને અજિત પવાર જૂથને જેટલી અપેક્ષા હતી, તેવું પરિણામ આવ્યું નથી. બંને ડેપ્યુટી CM હારથી ઘણા નારાજ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. પાણીમાં ઝેર...હવામાં ઝેર...દવામાં ઝેર...જમીનમાં ઝેર:જવાબ માગશો તો બુલડોઝર ચાલશે, રાહુલ ગાંધીની X પર પોસ્ટ, કહ્યું- ભાજપની ડબલ એન્જિન સરકારનું નવું સ્માર્ટ સિટી મોડલ ભાજપની ડબલ એન્જિન સરકારનું નવું સ્માર્ટ સિટી મોડલ પાણીમાં ઝેર, હવામાં ઝેર, દવામાં ઝેર, જમીનમાં ઝેર અને જવાબ માગો તો બુલડોઝર ચાલશે! આ રીતે આ મોડલમાં ગરીબોનાં મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી હોતું. સરકાર અત્યારે તેમની બેદરકારીથી થયેલી ઇન્દોરની દુર્ઘટનાની જવાબદારી લે - દોષિતોને સજા અને પીડિતોને સારો ઇલાજ અને વળતર જલદીથી અપાવે. લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે ઇન્દોર પહોંચ્યા. દૂષિત પાણી પીવાથી બીમાર થયેલા દર્દીઓ અને મૃતકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી. રાહુલ સૌથી પહેલા બોમ્બે હોસ્પિટલ ગયા, જ્યાં તેમણે દૂષિત પાણીથી પીડિત દર્દીઓ અને પરિવારજનો સાથે મુલાકાત કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 'SC-ST મહિલા સાથે રેપ કરો, તીર્થયાત્રાનું ફળ મળશે':'તેમના ધર્મગ્રંથોમાં નિર્દેશ આપેલા છે', MPના કોંગ્રેસ ધારાસભ્યનું મહિલાઓને લઈને શરમજનક નિવેદન મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે જો કોઈ તીર્થ પર જઈ શકતો નથી તો તે દલિત આદિવાસી વર્ગની મહિલા કે બાળકી સાથે બળાત્કાર કરશે તો તેને તે જ ફળ મળશે જે તીર્થ કરવાથી મળે છે. વીડિયોમાં બરૈયા કહી રહ્યા છે- ભારતમાં સૌથી વધુ બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મોસ્ટ ઓબીસી સાથે થાય છે. બળાત્કારની થિયરી એ છે કે કોઈ પણ...કેવા પણ મગજનો વ્યક્તિ રસ્તામાં જઈ રહ્યો હોય, તેને સુંદર અતિ સુંદર છોકરી જો દેખાઈ તો તેનું મગજ વિચલિત થઈ શકે છે તો બળાત્કાર થઈ શકે છે. આદિવાસીઓમાં, એસસીમાં કઈ અતિ સુંદર સ્ત્રી છે? મોસ્ટ ઓબીસીમાં આવી સ્ત્રીઓ, સુંદરીઓ છે? શા માટે બળાત્કાર થાય છે, કારણ કે તેમના ધર્મગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે… સંપૂર્ણ સમાચાર વાંચો 5. ફ્લાઇટથી અડધા ભાડામાં લક્ઝરી સફર, PHOTOS:CCTVથી લઈ ઓટોમેટિક દરવાજા સુધીની સુવિધા, મોદીએ દેશની પહેલી સ્લીપર વંદે ભારતનું ઉદ્ઘાટન કર્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 180 kmph છે. એ પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી (કામાખ્યા) વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે. ટ્રેનની કુલ મુસાફર ક્ષમતા 1128 છે. એના 16 કોચમાંથી 11 એસી-3 ટાયર કોચ, ચાર એસી-2 ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ છે. સ્લીપર ટ્રેનના થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ એસીનું ભાડું આશરે ₹3,600 છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરા ભાજપમાં અંદરોઅંદર ડખા, 3 MLAએ સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો: જૂનાં કામો પૂર્ણ ન થતાં નારાજ, MLA શૈલેષ મહેતા ને MP હેમાંગ જોશીની અલગ બેઠક વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ મળીને વિકાસકાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં આજે 17 જાન્યુઆરીએ વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો 3 MLAએ બહિષ્કાર કર્યો છે. જ્યારે MLA શૈલેષ મહેતા અને MP હેમાંગ જોશીની અલગ બેઠક યોજાઈ હતી. CMને લેટર બાદ ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. લેટર બોમ્બના વિવાદ પછી આજે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની ગેરહાજરીએ ચર્ચાનો વિષય બનાવ્યો છે. જૂનાં કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા:આરોપીએ ક્રૂર રીતે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ગંભીર ઈજા કરી'તી, રાજકોટની સ્પે.કોર્ટનો ચુકાદો રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર, 2025ના દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંહ તેરસિંહ ડુડવા (ઉં.વ.30) સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો. આરોપીને ઘટનાના 43મા દિવસે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઈરાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય નાગરિકો દિલ્હી પરત ફર્યા:ભારત સરકારનો આભાર માન્યો; ઈરાનમાં મોંઘવારીના વિરોધમાં 28 ડિસેમ્બરથી પ્રદર્શનો ચાલુ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ અમેરિકાની ચેતવણીઃ મેક્સિકો ઉપરથી ઉડાન ભરતી સમયે સાવધાન રહો:60 દિવસનો પ્રતિબંધ લાદ્યો; ગયા અઠવાડિયે ડ્રગ કાર્ટેલને લઈને હુમલાની ધમકી આપી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ ફરવા જતા ગાંડાઘેલા બનતા પ્રવાસીઓ સાવધાન, પળવારમાં મોત:અરુણાચલમાં થીજી ગયેલા તળાવ પર ચાલવાની મજા માણતા કેરળના બે યુવકો ડૂબ્યા, 1નો મૃતદેહ મળ્યો, બીજો ગુમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ બ્રિટનમાં યુવકે ગુરુદ્વારા સાહિબમાં માંસ ફેંક્યું:સંસદમાં મહિલા સાંસદે મામલો ઉઠાવ્યો, કહ્યું-શીખ ધર્મની મર્યાદા વિરુદ્ધ; સીસીટીવીમાં કેદ થયો આરોપી, પોલીસે ધરપકડ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ધર્મઃ રામાયણમાં હનુમાનજીના પ્રસંગમાંથી મળતી અમૂલ્ય શીખ:મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સકારાત્મક વિચાર સાથે સતત પ્રયત્ન કરતા રહો, સફળતા ચોક્કસ મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ક્રિકેટઃ બાંગ્લાદેશની હવે T20 વર્લ્ડકપમાં ગ્રુપ બદલવાની માગ:ICCને ગ્રુપ-Cમાંથી Bમાં બદલવા કહ્યું; તેની તમામ લીગ મેચ શ્રીલંકામાં રમાશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ હવે મિનિટોમાં જ UPIથી ઉપાડી શકશો PFના પૈસા:નવી સિસ્ટમ એપ્રિલ સુધીમાં લોન્ચ થશે, તેનાથી જરૂરિયાતના સમયે ફટાફટ રૂપિયા મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો) અજબ ગજબ અજમેરમાં બાળકોએ યુનિવર્સિટીનું પેપર ચેક કર્યું અજમેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીમાં બાળકો પરીક્ષાના પેપર ચેક કરી રહ્યા હતા. આ ચેકિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ઘટના અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જોકે, યુનિવર્સિટીએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ️ ચર્ચિત નિવેદન ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:શું પ્રેગ્નન્સીમાં તાવની દવા ન ખાવી જોઈએ? ટ્રમ્પે કહ્યું હતું- બાળકને ઓટિઝમનો ખતરો; હવે રિસર્ચમાં શું બહાર આવ્યું? 2. વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અઠવાડિયામાં 25 કલાક કામની મંજૂરી:ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ IT, હેલ્થકેર જેવાં 118 સર્વિસ સેક્ટરમાં તક; 2034 સુધી વર્ષે 1.19 લાખને વિઝા આપવાનો ટાર્ગેટ 3. મહારાષ્ટ્રમાં શિવસેના-NCPના વોટ હવે ભાજપના:ઠાકરે બ્રધર્સ મુંબઈ સુધી સમેટાયા, શિંદે પાસે માત્ર થાણે; ભાજપ એકમાત્ર 'ઓલ-સ્ટેટ' પાર્ટી 4. ઈરાન પર હુમલાથી કેમ પાછળ હટ્યું અમેરિકા?:નેતન્યાહુએ કઈ મજબૂરીમાં ટ્રમ્પને રોક્યા; શું જળવાઈ રહેશે ખામેનીની ઈસ્લામિક સત્તા? 5. અમદાવાદમાં ત્રીજા માળે દોડશે બુલેટ ટ્રેન:પેસેન્જર્સને હવામાં ઊડતા હોય એવો અહેસાસ થશે, નીચે ટનલ-વચ્ચે રેલ અને પતંગની થીમ, કાલુપુર સ્ટેશનનો તમે ના જોયેલો ડ્રોન વીડિયો 6. ગામમાં છાણ ઉપાડતા જયદીપ બોલિવૂડના 'મહારાજ' બન્યા:સરકારી પરીક્ષાઓમાં ફેલ થયા, શાહરુખે જાતે ફોન કરી 'કિંગ' આપી; ઇરફાન ખાન સાથેની સરખામણીથી રડી પડ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મૌની અમાસે કર્ક અને મકર રાશિની પ્રતિષ્ઠા વધશે, સિંહ જાતકોનો ભાગ્યોદય થશે, વૃષભ રાશિએ ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
વાતાવરણમાં નોંધાયો ફેરફાર:બે દિવસમાં તાપમાન 5.8 ડિગ્રી વધ્યુ
ભાવનગર શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બે દિવસમાં રાતના ઉષ્ણતામાનમાં 5.8 ડિગ્રીનો વધારો થયો છે. આથી શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામમાન વધીને 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ છે. જેથી ઠંડીની તીવ્રતા ઓછી થઇ ગઇ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાત્રે પવનની ગતિમાં થતાં ફેરફારને કારણે શહેરના તાપમાનમાં વધઘટ થતી રહી છે. આજે મહત્તમ તાપમાન પણ વધીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જદ કે સાંજના સમયે પવનની ઝડપ વધીને 10 કિલોમીટર થઇ ગઇ હતી. આજે લઘુત્તમ ઉષ્ણતામાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. શહેરમાં મહત્તમ તાપમાન આજે 0.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીમાં રાહતનો અનુભવ શહેરીજનોને થયો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ જે સાંજે ઘટીને 40 ટકા નોંધાયુ હતુ જ્યારે આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે 10 કિલોમીટર થઇ ગઇ હતી. શું કામ રાત્રે ઠંડીની તીવ્રતા વધતી નથી ?વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોય ત્યારે રાત્રિ દરમિયાન પવનની ગતિ 7થી 10 કિમી આસપાસ હોવાથી ઉપર અને નીચલા સ્તરમાં ગરમ-ઠંડા પવનો મિક્સ થાય છે, જેથી ઠંડીનો પારો ઊંચકાતો નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી જાય ત્યારે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થાય છે. આજથી પવનની ઝડપમાં વધારો થશેઠંડીમાં હાલ રાહત મળી છે. જો કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફવર્ષા અને ભારે વરસાદ થવાનો છે એને કારણે ફરીથી ઠંડી પણ આવશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 થી 25 તારીખ વચ્ચે ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. તા.18થી પવનની ઝડપમાં વધારો થશે. ભાસ્કર નોલેજએક સપ્તાહમાં રાતના તાપમાનમાં વધઘટ
ચોરીનો મામલો આવ્યો સામે:પરિવાર ખરીદી માટે સુરત ગયો’ને ઘરમાં 1.97 લાખની ચોરી
ભાવનગરના ફુલસર ઉપવન દર્શન સોસાયટી માં રહેતા નીલમબેન અલ્પેશભાઈ ડાભી નણંદના લગ્ન હોવાથી તેઓ ગત તારીખ 13 જાન્યુઆરીના ઘરે તાળું મારી સુરત ખરીદી કરવા માટે ગયા હતા. બાદ ત્યાંથી ભાવનગર ઘરે પરત ફરતા ઘરના દરવાજાનું તાળું તોડી અંદરની વસ્તુઓ વગેરે અસ્તવ્યસ્ત જણાતા અને ત્યારબાદ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા, મોબાઈલો સહિત ₹1,97,980ની મતાની ચોરી કરી કોઈ તસ્કરો નાસી છૂટ્યા હતા.
ગમખ્વાર બનાવ:કૂતરુ આવી જતા બાઇકથી પટકાયેલી મહિલાનું મોત
વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય લીલાદેવી શાહુના પતિ લૂમ્સના કારખાનામાં કામ કરી બે પુત્ર અને બે પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે લીલાદેવી શેખપુર ખાતે સંબંધીને મળીને તેમના ભાણેજ સાથે બાઈક પર ઘરે જતા હતા. ત્યારે વેલંજા શુભ ગ્લોબલ વિલેજ ત્રણ રસ્તા પાસે રસ્તા વચ્ચે અચાનક કુતરૂ આડું આવતા અમનકુમારે બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું. જેમાં લીલાદેવી બાઈક પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા લીલાદેવીને સારવાર માટે કઠોર સીએચસી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
વોન્ટેડ આરોપી ઝડપાયો:રૂ.1.98 કરોડની કાપડ ઠગાઇમાં વોન્ટેડ પકડાયો
બોગસ પાનકાર્ડ બનાવી જીએસટી નંબર મેળવી 1.98 કરોડની કાપડની ઠગાઈમાં એક વર્ષથી વોન્ટેડે કાપડ દલાલ અજય રમેશ તોલાની(39)(પેલેડીયમ રેસીડન્સી, ન્યુ અલથાણ રોડ) સલાબતપુરાથી ઝડપાયો છે. ચીટિંગ કરનાર અજયે સાગરિત હિતેશ વઘાસીયા સાથે મળી આર.જે.એન્ટરપ્રાઇઝ ફર્મ ઊભી કરી હતી. પોલીસથી બચવા માટે આરોપીએ ભાડાનું મકાન ખાલી કરી નાખ્યું હતું. રઝા અલી હુસૈન સોલંકી જે પીવીસી બેગ મેન્યુફેકરીંગનો ધંધો કરે છે. તેમના જીએસટી નંબર અને પાનકાર્ડ નંબરનો દૂરુપયોગ કરી અજય તોલાનીએ વેપારીઓ પાસેથી 1.98 કરોડનો કાપડનો માલ ઉધારમાં લીધો હતો.
લાખોનું ફૂલેકું ફેરવનાર ઠગ ઝડપાયો:આવાસના નામે 60.21 લાખની ચીટિંગ કરનાર દિલ્હીથી પકડાયો
સરકારની આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને સુરતના 49 જણા પાસેથી રૂ.60.21 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ઠગને શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના કારેલીબાગ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુળ રાજસ્થાનના ચરૂ જિલ્લાના સુજાનગઢ ગામના વતની અને હાલ પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આવેલા વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા મયંક સંજય મિશ્રા (ઉવ.23) એ સ્લમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને પોતે સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતા હોવાનું અને આવાસ યોજના તેમની પાસે હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી. વર્ષ 2024 દરમિયાન તેણે શહેરમાં રહેતા 49 જેટલા લોકોને ડ્રો વગર જ આવાસ અને દુકાન અપાવવાની લાલચ આપી ને કુલ રુ.60.21 લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે પાલનપુર જકાતનાકા સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશ વિનોદભાઇ ચોટલીયાએ મયંક સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે 4.78 લાખનો ગાંજો ઝડપ્યો:પુત્રના મોત બાદ પરિવાર ચલાવવા માટે ગાંજો વેચતી 67 વર્ષીય વૃદ્ધા ઝડપાઇ
સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે તલંગપુર વિશાલનગરમાંથી રૂ.4.78 લાખની કિંમતના ગાંજા સાથે 67 વર્ષની વૃદ્ધ વિધવાને પકડી પાડી હતી. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી સચિન જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતીકે, સચિન જીઆઇડીસી તલંગપુર રોડ પર આવેલા વિશાલનગરમાં એક વૃદ્ધા ગાંજો વેચે છે. બાતમીના આધારે શુક્રવારે પોલીસની ટીમે વિશાલનગર પ્લોટ નં.49માં આવેલા મકાન પર દરોડો પાડી તપાસ કરતા અંદરથી રૂ.4,78,250ની કિંમતનો 9.565 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો કબજે લઇને મકાનમાં રહેતી 67 વર્ષીય વૃદ્ધ મહિલા સોનાદેવી બસંત રામજીસિંગને પકડી પાડી હતી. સચિન જીઆઇડી પોલીસની પ્રાથમિક પુછપરછમાં તે છેલ્લા ત્રણેક મહિનાથી ગાંજો વેચતી હતી અને તેને આ ગાંજો અશ્વનિકુમાર રોડ વિસ્તારમાં રહેતો સંજય નામનો શખ્સ આપી ગયો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વિધવા વૃદ્ધાની ધરપકડ કરી હતી. જ્યારે સંજયને વોન્ટેડ જાહેર કર્યો હતો. સોનાદેવીના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતુમુળ બિહારના સીતામઢીના વતની સોનાદેવીના પતિનું આશરે 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. જ્યારે પુત્ર અને પુત્રવધુ સાથે રહેતી હતી. આશરે 6 વર્ષ પહેલા સોનાદેવીના પુત્ર અને પુત્રવધુનું પણ અવસાન થતા એક પૌત્ર અને એક પૌત્રીની જવાબદારી તેમના પર આવી ગઇ હતી. મજુરી કરીને સોનાદેવી તેની સંભાળ રાખતા હતા પણ ઉમર સાથે તેમનાથી કામ ન થતું ન હતું. દરમિયાનમાં એક શખ્સે તેમને ગાંજો વેચવા માટે આપ્યો હતો. ત્યારેથી તેણી ગાંજો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીના હત્યારા યુસુફખાન પઠાણ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ થયો છે. પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો છે સાથે તેની પાસેથી ગાડી પણ કબજે કરી લીધી છે. લિંબાયતમાં વેલ્ડિંગનું કામ કરતા યુવકને આરોપીએ ચપ્પુ બતાવી ધમકાવી તેની કાર લઈ ફરાર થયો હતો. લિંબાયત ખાનપુરામાં તવક્કલ પ્લાજામાં રહેતા મુહમ્મદ ઈકબાલ આરીફ વેલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુન-2025માં આરોપી યુસુફખાન પઠાણ લિંબાયતમાં મુહમ્મદ ઈકબાલના ઘરે આવ્યો હતો અને તેને કહ્યું કે ‘તુમ્હારી ગાડી મુજે બહુત પસંદ હે, અબ તુમ યે ભૂલ જાઓ’, આથી યુવકે કહ્યું કે ‘ગાડી મારા કામ માટે લીધી છે અને તેની લોન પણ બાકી છે’, ત્યારે આરોપીએ ધમકી આપી કે ‘યે ગાડી ભુલ જાઓ નહીં તો તુમ જિંદા નહી રહોગે’, કહી ચપ્પુની અણીએ ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. ક્રેટા ગાડી લઇને ફરાર થયાના ત્રણ દિવસ પછી આરોપી યુસુફ પઠાણે મુહમ્મદ ઇકબાલ પાસેથી ગાડીની આરસી બુક પણ પડાવી લીધી હતી. મુહમ્મદ ઇકબાલ જ્યારે ગાડી પરત માંગતો ત્યારે તે ધમકી આપતો હતો. ઉપરથી ગાડીના લોનના હપ્તા પણ તે પોતે ભરતો હતો. છેવટે તેણે હિંમત કરી ફરિયાદ આપતા લિંબાયત પોલીસે યુસુફખાન ઈશરતખાન પઠાણ(ગોવિંદનગર સોસા, લિંબાયત)ની સામે ખંડણી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુસુફખાનની ધરપકડ કરી ક્રેટા કાર કબજે કરી છે. આરોપી લિંબાયતના વેલ્ડરને ધમકી આપી કારના ડોક્યુમેન્ટ્સ પણ લઇ ગયો હતો 5.50 કરોડના સાયબર ક્રાઇમમાં મહિસાગરમાં વોન્ટેડયુસુફખાન સામે મહીસાગરમાં સાયબર ફ્રોડની 5.50 કરોડની રકમ એક ટ્રસ્ટના ખાતામાં નખાવી હતી જેમાં તે વોન્ટેડ હતો લખનૌમાં હિન્દુનેતા કમલેશ તિવારીની હત્યામાં સામેલ યુસુફખાન પઠાણ સામે મહીસાગર જિલ્લાના લુણાવાડા સાયબર ક્રાઇમમાં 5.50 કરોડની સાયબર ચીટીંગની ફરિયાદ થયેલી હતી. જેમાં આરોપી વોન્ટેડ હતો. યુસુફખાને મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડની 5.50 કરોડની રકમ એક ટ્રસ્ટના ખાતામાં જમા કરાવી હતી. જેમાં તેનું નામ સામે આવ્યું હતું. જામીન પર આવ્યો ત્યારે વેલ્ડરે રહેવા જગ્યા કરી હતીલખનૌમાં વર્ષ 2019માં ઓકટોબરમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા થઈ હતી. આ હત્યાકાંડમાં આરોપી યુસુફખાન પઠાણ જામીન પર છૂટયો હતો. લિંબાયતમાં વેલ્ડિંગનું કામ કરતા મુહમ્મદ ઈકબાલ યુસુફ પઠાણને બાળપણથી ઓળખતો હતો. જામીન પર છૂટીને આવ્યો ત્યારે મુહમ્મદ ઈકબાલે લિંબાયતમાં મિત્રને ત્યાં રહેવાની આરોપીને સગવડ કરી આપી હતી. થોડા વખતમાં મિત્રને પણ તેનો સ્વભાવ પસંદ ન આવતા બીજી જગ્યાએ રહેવાનું કહી દીધું હતું. આથી આરોપી યુસુફખાન પઠાણ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો.
720 વિદ્યાર્થીઓને મળશે AI વિશે માર્ગદર્શન:સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા ગાંધી કોલેજ ખાતે ફ્રી AI વર્કશોપ
સંપ્રતિ ફાઉન્ડેશનએ યુવાધનને ટેકનોલોજીના ઉપયોગથી વિકાસની યોગ્ય દિશા, માર્ગદર્શન અને સાહસિકતાના ગુણોમાં વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરવો તે માટે ગુજરાત રાજ્ય માટે નવગુરુકુલ સંસ્થા સાથે MOU કર્યાં છે. જેના પ્રથમ ચરણમાં ગાંધી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમવાર AI ફ્રી વર્કશોપ શરુ કરવામાં આવેલ છે. આ વર્કશોપ17થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 720 વિદ્યાર્થીઓને 8-8કલાકના વર્કશોપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ફાઉન્ડેશનના ચેરમેન નિરવ શાહે જણાવ્યું હતું કે સંસ્થા ઉચ્ચ-ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. ઉદઘાટન સમારોહમાં. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે AI ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે.
JEE મેઈન-2026 (સેશન-1) ના એડમિટ કાર્ડ જાહેર કરાયા છે. 21 થી 24 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ વેબસાઇટથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. છેલ્લા 5 વર્ષના પેપર્સનું વિશ્લેષણ દર્શાવે છે કે માત્ર 22 મહત્વના પ્રકરણો 50% પેપર કવર કરે છે. ભાસ્કર એનાલિસિસ અહીં જ છુપાયેલા છે 22 ચેપ્ટરના 150થી વધુના માર્કસ આત્મવિશ્વાસ વધારવા સૌથી પહેલા કયા પ્રકરણો કરવા?
GTU દ્વારા NEP-2020ને ધ્યાનમાં રાખી એક નવી કોમ્પ્રિહેન્સિવ પોલિસી જાહેર કરી છે. આ સ્કીમ હેઠળ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હવે પોતાની મેઇન ડિગ્રીની સાથે માઇનોર કે ઓનર્સ સ્પેશિયલાઇઝેશન કરી ડબલ બેનિફિટ મેળવી શકશે. આ માટે યુનિવર્સિટીએ સત્તાવાર સર્ક્યુલર બહાર પાડીને નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. GTU ના જણાવ્યા મુજબ, આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો ક્રેઝ છે, ત્યારે વિદ્યાર્થીને પ્રેક્ટિકલ સ્કિલ્સથી સજ્જ કરવા આ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી મોટી કંપનીઓ સાથે ઇન્ડસ્ટ્રી-લેડ પ્રોગ્રામ પણ ચલાવશે, જેથી સ્ટુડન્ટ્સને માર્કેટમાં શું ચાલે છે તેનું વાસ્તવિક જ્ઞાન મળશે. પોતાની બ્રાન્ચ ઓનર્સ, બીજી માઈનોર વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ કે ઇન્ડસ્ટ્રી પ્રોગ્રામ પસંદ કરી શકશે
શહેરના પરવટ પાટિયા કેનાલ રોડ પર પોલારીસ શોપિંગ સેન્ટરમાં SOGએ દરોડો પાડી ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરીમાંથી MD ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડી પાડયું હતું. હવે આ બાબતે વધુ માહિતી મેળવવા SOGએ ઈશા અણઘણના પિતા દિનેશ અણઘણને પૂછપરછ માટે બોલાવવા નોટિસ આપી છે. નોટિસમાં SOG દ્વારા 7 દિવસની અંદર હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. અગાઉ લેબના માલિક ઈશા અણઘણની SOGએ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. SOGના સ્ટાફે નોટીસમાં દિનેશ અણઘણ પાસેથી દીકરી ઈશાએ જે લેબ શરૂ કરી ત્યારે સાધન સામગ્રી ખરીદી કરી તે અંગેના નાણાકીય રોકાણની વિગતો માંગી છે સાથે દિનેશ અણઘણના બેંક ખાતાની વિગતો માંગી છે. કંપનીમાંથી કેમિકલ ટિફિન સંતાડી લાવતો હોવાની શંકાલેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવવા માટે ડ્રગ્સમાફીયા બ્રિજેશ ભાલોડીયા સચીન જીઆઇડીસીની જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાંથી કેમિકલ ટીફીન બોક્ષમાં સંતાડી લાવતો હોવાની શક્યતા એસઓજીને લાગી રહી છે. એમડી ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ બાબતે એસઓજીના સ્ટાફે કંપનીમાં પણ તપાસ શરૂ કરી છે. ઈશાની લેબમાં બ્રિજેશ ભાલોડીયાને લંડનમાં બેઠેલા જનક જાગાણીએ એમડી ડ્રગ્સ બનાવવાની વાત કરી હતી.
ગ્રાહક કોર્ટનો ચુકાદો:વાહન ચોરાય અને FIRમાં મોડું થાય તો પણ વીમો ચૂકવવો પડે
વાહન ચોરી ઘટનામાં ફરિયાદ મોડી કરવામાં કે વીમા કંપનીને જાણ કરવામાં મોડું થાય તો ક્લેઇમ ચૂકવવાથી ઇન્કાર કરી દેવાય છે. આવા જ એક કેસમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ગાડીની રકમના 75 ટકા ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો. અરજદાર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલો કરી હતી. પાંડેસરા ખાતે રહેતા અરજદારે ઘરની પાસે જ રૂપિયા સાડા છ લાખમાં લીધેલી કાર ઊભી રાખી હતી અને બીજી નવેમ્બર, 2017ના રોજ રાત્રિના સમયે આ કાર ચોરાઈ ગઈ હતી. જેની ફરિયાદ આઠ દિવસ મોડે થઈ હતી.વીમા કંપની સામે જ્યારે ક્લેઇમ કરાયો ત્યારે તેને નકારી દેવામા આવ્યો હતો. જેથી કેસ ગ્રાહક કોર્ટમાં ગયો હતો. પીઆઇ રજા પર હોવાથી ફરિયાદ સાત દિવસ મોડીઅરજદાર પાંડેસરા પોલીસ મથકમાં તા. બીજી નવેમ્બર,2017ના રોજ ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં પીઆઇ રજા પર હોવાથી તેમની ફરિયાદ લેવાઈ નહતી અને આથી પીઆઇ 10મીના રોજ આવ્યા પછી ફરિયાદ લેવાઈ હતી.
વિપક્ષની માંગ:કચરા કૌભાંડમાં SIT રચી તપાસ કરવા વિપક્ષની માંગ
સ્વચ્છતા સર્વેક્ષણમાં છેતરપિંડી કરવા કાગળ પર ‘ફૂલ ગુલાબી’ ચિત્ર ઊભું કરવાનું સુનિયોજિત ષડયંત્ર હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. મહાપાલિકામાં ગાજેલા કરોડો રૂપિયાના કચરા કૌભાંડમાં હવે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર મામલે સત્તાધારી પક્ષ અને મળતિયા કોન્ટ્રાક્ટર વચ્ચે મેળાપીપણું હોવાનો ગંભીર આક્ષેપ કરી વિપક્ષી નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં સૌથી ગંભીર મુદ્દો ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંગેનો છે. વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ સુરતને ગાર્બેજ ફ્રી સિટી દર્શાવવા માટે કાગળ પર બધું બરાબર હોવાનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરાયું હતું. પ્રજાના પરસેવાની કમાણીના 215 કરોડ રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવી અનિવાર્ય બની ગયું છે.
સુમન સ્કૂલની જગ્યા ફેરવવાનો વિવાદ:400 લોકોએ CMને પત્ર લખીને કહ્યું હતું કે જૂના સ્થળે જ સ્કૂલ બનાવો
વોર્ડ-7-કતારગામ-વેડ વિસ્તારમાં મંજૂર થયેલી સુમન માધ્યમિક શાળાના ગેરકાયદે ફેરફારને લઈને વિવાદ ગરમાયો છે. આ ભોપાળું બહાર આવતાં સ્થાયી ચેરમેન રાજન પટેલે ગત બેઠકમાં ઇજારદાર વર્ક ઓર્ડર વગર જ કામગીરી કઈ રીતે શરૂ કરી દેવાઇ? તે મામલે તપાસના અને સ્થાનિક લોકોનો મત જાણીને આગળનો નિર્ણય કરવા દરખાસ્ત મુલતવી કરી દીધી હતી. જોકે, સ્થાનિક સંખ્યાબંધ સોસાયટીઓના લોકોએ મંજૂર સ્થળે જ સ્કૂલ નિર્માણ કરવાની અને ઇજારદારે કામગીરી શરૂ જ કરી નહીં હોવાથી વહેલી તકે સ્કૂલ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીને 2 મહિના અગાઉ ફરિયાદ કરી હતી. ગત તારીખ 14 નવેમ્બરે 400 જેટલા સ્થાનિક લોકોએ જાતે સહી કરીને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે લોકોનો મત પણ જુની મંજુર જગ્યાએ જ સ્કૂલ બને તે જ રહ્યો હોવાનું આ સાથે સ્પષ્ટ થયું છે. ગત તારીખ 17 જુલાઈ 2025 ના રોજ સ્થાયી સમિતિમાં ઠરાવ પસાર થયા બાદ 6 ઓગસ્ટ 2025 ના રોજ વર્ક ઓર્ડર પણ આપી દેવાયો હતો છતાં પણ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાની ભલામણ હેઠળ ઝોનના કાર્યપાલક ઇજનેરે સ્કૂલ કામગીરી જ અટકાવી દીધી હોય ગરીબ બાળકોના શિક્ષણના અધિકારનું હનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં કર્યો છે. મંજૂર જગ્યા કિંમતી હોય જમીન પધરાવી દેવાનો ખેલવોર્ડ-7 કતારગામ-વેડ રોડ ફા.પ્લોટ.નં-94 પર સ્કૂલ નિર્માણનો ઠરાવ થયો હતો તેમજ ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું. પરંતુ રાજકારણ રમાતાં વોર્ડ નંબર-8 ડભોલી-સિંગણપોર ગાયત્રી મંદિર પાછળ કોમર્શીયલ હેતુના પ્લોટ પર જગ્યા ગેરકાયદે બદલી કઢાઈ હતી. મુખ્યમંત્રીને થયેલી ફરિયાદમાં સ્થાનિકોએ એમ પણ જણાવ્યું છે કે, મંજુર જગ્યા ઘણી કિંમતી હોય જમીન માફિયાઓને પધરાવી દેવા માટે જ આ ખેલ ખેલાયો છે, આ જગ્યા બદલવા અંગે જવાબદાર ધારાસભ્ય વિનુ મોરડિયા, કાર્યપાલક ઇજનેર કામિની દોશી સહિતનાઓ સામે કાર્યવાહી કરવા પણ તેમાં માંગ કરવામાં આવી હતી. તેમજ આ ખેલ સામે સ્થાનિકોએ છેક દિલ્હી સુધી ફરિયાદ કરવાની ચિમકી પણ આ 2 મહિના પહેલા મુખ્યમંત્રીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.
ભાસ્કર એક્સક્લુસિવ:એરપોર્ટ પર AI લોકોની વર્તણૂંક જાણશે, આમ તેમ જોઈ ગભરાશે તે પકડાઈ જશે
સુરત એરપોર્ટ પર સહિત દેશભરમાં કસ્ટમ અધિકારીઓની વર્દી પર કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેથી તેઓની પેસેન્જર સાથેની વાતો કે ચેકિંગ દરમિયાનની ગતિવિધિ સહિત બધું જ રેકર્ડ થઈ જશે. રેકોર્ડિંગ રોજન સર્વર પર અપલોડ કરવું પડશે જેનું મોનિટરિંગ ઉચ્ચ લેવલથી કરવામા આવશે. એરપોર્ટ પર AI લોકોની વર્તણૂંક જાણશે, આમ તેમ જોઈ ગભરાશે તે પકડાઈ જશે અધિકારીઓએ છ મહિના સુધી બેકઅપ રાખવું પડશેએરપોર્ટ પર ડયૂટી ધરાવતા દરેક કસ્ટમ અધિકારીઓને આ કેમેરા આપવામા આવ્યા છે સુરતમાં ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે છે અને તેનુ ટોટલ રેકોર્ડિંગ સાડા ચાર થી પાંચ કલાકનુ રહે છે. આ રોજનું રેકોર્ડિંગ અધિકારીઓએ અંદાજે છ મહિના સુધી રાખવુ પડશે. જો કે, અધિકારીઓને સમસ્યા એ છે કે તેમની પાસે બેકઅપ રાખવા માટેની વિશાળ સિસ્ટમ નથી. ટેકનોલોજીનો ઉપયોગ, સતર્કતા વધારશે અને સેફ્ટી પણઇડીના મામલાના સ્પે.પી.પી. વિશાળ ફળદુ કહે છે કે ટેકનોલોજીનો ઉપયોગ દરેક એરપોર્ટ પર સતર્કતા વધારશે અને સેફ્ટી પણ વધારશે. એઆઇના ઉપયોગના આધારે કરચોરી શોધવાના પ્રયાસ તો શરૂ થઈ ગયા છે હવે આ સિસ્ટમ સ્મગલિંગ કેસ પકડવામાં વપરાશે તો તેના પ્રભાવકારી પરિણામો જોવા મળે એવી આશા છે. એરપોર્ટ પર શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ જાણી તેને પકડી શકાશે.
સરકાર એક તરફ વિદ્યાર્થીઓ પર ભાર વિનાનું ભણતરની સ્થિતિ બનાવી રાખવા મોટા ઉપાડે જાગૃતિ ફેલાવી રહી છે, ત્યારે સુરતના નાનપુરા ચેમ્બર ઓફ કોમર્સ નજીક આવેલી પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસવાની જવાબદારી માસૂમ વિદ્યાર્થીઓ પર જ થોપી દેવાઇ છે, જે બાળકોના અધિકારો અને સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન તરફથી ફાળવાતા ભોજન ભરેલા ભારે વાસણો વિદ્યાર્થીઓને ઉઠાવવા અને ખેંચી લાવવા માટે મજબૂર કરાતા હોવાના દ્રશ્યો સપાટી પર આવ્યા છે. સ્કૂલના ગેટ સુધી વાહન પહોંચી ન શકતું હોય ત્યારે બાળકોને દૂરથી ભારે વાસણો ઉંચકી લાવવાની ફરજ પણ પડાઇ રહી છે. અચરજ એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે ભોજનનો ભાર ઊંચકવામાં હેરાન થઈ રહ્યા હતા, ત્યારે શાળાના શિક્ષકો લોબીમાં બેસીને ગપ્પા મારતા નજરે પડ્યા હતા, જે તેમની જવાબદારી અને સંવેદનશીલતા ઉપર પણ મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે.
અમેરિકા દ્વારા ટેરિફ નાંખવામાં આવ્યો છે પરંતુ સુરત અને મુંબઈના હીરા અને જ્વેલરી ઉત્પાદકોએ અન્ય દેશોમાં માર્કેટ શોધી લેતા જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. 2024ના ડિસેમ્બરમાં 6577 કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડ એક્સપોર્ટ થયા હતાં જે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં 7163 કરોડ રૂપિયાના એક્સપોર્ટ થયા હતાં. આમ વર્ષ 2025ના ડિસેમ્બરમાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 8.91 ટકાનો વધારો થયો હતો. તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ 3.31 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં 711 કરોડ રૂપિયાના લેબગ્રોનનું એક્સપોર્ટ થયું જ્યારે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં 746 કરોડનું એક્સપોર્ટ થયું. સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 16.11 ટકા, સિલ્વર જ્વેલરીમાં 270 ટકા વધારો થયો હતો. ભાસ્કર નોલેજયુએઈ, ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ વધ્યુંઅમેરિકા દ્વારા ડાયમંડ પર 56 ટકા જ્યારે જ્વેલરી પર 50 ટકા ટેરીફ નાંખ્યો છે. જેને લઈને વેપારીઓએ અન્ય દેશોમાં બજારની શોધ કરી હતી. જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં યુએઈમાં 28 ટકા, હોંગકોંગમાં 28 ટકા જ્યારે ઓસ્ટ્રેલિયામાં 40 ટકાનો વધારો થયો છે. ઉદ્યોગકારોએ સમયસર માર્કેટ ડાયવર્સિફિકેશન કર્યુ હોવાથી એક્સપોર્ટમાં વધારો થયો છે. આગામી સમયમાં યુએઈ, ઓસ્ટ્રેલિયા અને એશિયન બજારો પર વધુ ફોકસ રાખવામાં આવે તો અમેરિકાની ઘટતી માંગની અસર ઘટાડી શકાય છે. સિલ્વર જ્વેલરી એક્સપોર્ટમાં 270%ના વધારો - આંકડા રૂપિયા કરોડમાં
લૂંટની ઘટના:આંબેડકરનગરમાં યુવક પર હુમલો કરી સોનાનો ચેઇન-રોકડ પડાવી લીધા
શહેરના આંબેડકરનગરમાં રહેતાં પ્રકાશ વસંતભાઇ ચાવડા (ઉ.વ. 35) પર 7 શખ્સે હુમલો કરી સોનાનો ચેઇન અને રોકડ પડાવી લીધા હતા. પ્રકાશ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ સોલંકી, ગીરધર ઉર્ફે ગીધો સોલંકી, પુંજા સોલંકી, ભાવેશ સુમેશરા, ધવલ, જયદીપ તથા હમીરના નામ આપ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિક્ષા ગેંગનો ભોગ બન્યો યુવક:યુવકના ખિસ્સામાંથી મહિલા સહિતની ગેંગે રૂ. 34 હજાર સેરવી લીધા
શહેરમાં વધુ એક યુવક રિક્ષાગેંગનો ભોગ બન્યો હતો. યુવકના ખિસ્સામાંથી રૂ. 34800 સેરવી લેવાયા હતા. માંડાડુંગર પાસેની માધવવાટિકામાં રહેતો પ્રભાત જંજવાડિયા નામનો યુવક શુક્રવારે બપોરે રિક્ષામાં બેસીને બહાર જવા નીકળ્યો હતો. રિક્ષામાં અગાઉથી જ એક મહિલા સહિત બે શખ્સ મુસાફરના સ્વાંગમાં બેઠા હતા. રિક્ષા આજીડેમ ચોકડી નજીક પહોંચી હતી ત્યારે મહિલાએ ઉલટી ઉબકા થવાનો ઢોંગ કર્યો હતો. થોડીવાર બાદ મહિલાની તબિયત લથડી છે તેને હોસ્પિટલે લઇ જવી પડશે તેમ કહી રિક્ષા ચાલકે પ્રભાતને ઉતારી દીધો હતો. રિક્ષામાંથી ઉતરેલા યુવકે થોડીવાર બાદ પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેને ખિસ્સામાંથી રૂ. 34800 સેરવાઇ ગયાની જાણ થઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ગુનો નોંધાયો:ઉદ્યોગનગરમાં જાહેરમાં બખેડો કરનાર 6 શખ્સ સામે ગુનો નોંધાયો
શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમાં કેટલાક કખ્સો ગાળાગાળી કરી બખેડો કરતા હોવાનો વીડિયો ફરતો થયો હતો. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી બખેડો કરનારની ઓળખ સ્પષ્ટ કરી હતી. પોલીસે આ મામલે ગજેન્દ્ર ઉર્ફે ગજ્જો, બહાદુરસિંહ જાદવ, ભાવેશ વિનોદ મકવાણા, હર્ષદ રામસી ઠાકોર, અમિત નિલેશ કુકાવા, જગદીશ રાકેશ ઉધરેજિયા અને અનિલ શકરા ઉધરેજિયા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તમામ નઆરોપીઓની ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
SIRની કામગીરી:રાજકોટ જિલ્લામાં 2.25 લાખ મતદારને નોટિસ, દાવો કરવા આજે છેલ્લો દિવસ
ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં નવેમ્બર માસમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિસેમ્બર મહિનામાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે ત્યારે આગામી 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો હોય ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ રાજકોટ જિલ્લામાં SIR પ્રક્રિયામાં 2002ની તુલનાએ પુરાવા રજૂ નહીં કરનાર 2.25 લાખથી વધુ મતદારને નોટિસ આપી પુરાવા સાથે સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં અનમેપ મતદારોની સુનાવણી માટે 200થી વધુ અધિકારીઓને ખાસ પાવર આપી પ્રત્યેક અધિકારીઓ દૈનિક 50-50 અનમેપ મતદારોની સુનાવણી કરી રહ્યા છે. જેમાં આજે હક્ક-દાવા રજૂ કરવા માટે અંતિમ દિવસ છે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 23,91,027 મતદારને ઘેર-ઘેર એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરી તમામ મતદારોનું વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ મેપિંગ કરવામાં આવતા 20,55,357 મતદારોનું મેપિંગ પૂર્ણ કરી ડિજિટાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 2,25,329 મતદાર વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ પુરાવા રજૂ કરી નહીં શકતા SIR બાદ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં અનમેપ કેટેગરીમાં સમાવેશ કરી હાલમાં તમામ મતદારને નોટિસ આપી પુરાવા મેળવવા સુનાવણી ચાલુ છે.
3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો નોંધાયા:રાજકોટ જિલ્લામાં 5 માસમાં 9 હજાર NFSA રેશનકાર્ડ ઘટ્યા
કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને દર મહિને નિઃશુલ્ક ઘઉં -ચોખા તેમજ રાજ્ય સરકાર દ્વારા રાહતભાવે ચણા, તુવેરદાળ, ખાંડ અને નમક સહિતની વસ્તુઓ જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે વિતરણ કરવામાં આવે છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં હાલ 3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે અને કુલ 12,23,212 જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ મળી રહ્યો છે. જોકે ઈ-કેવાયસી સહિતની કામગીરીને લઈ છેલ્લા પાંચ માસમાં 9 હજાર જેટલા રેશનકાર્ડ ધારકો ઘટ્યા છે. હાલમાં જિલ્લામાં ઈ-કેવાયસીની 93.67 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અજય ઝાંપડાના જણાવ્યા મુજબ જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ એનએફએસએ રાશનકાર્ડ ઈ- કેવાયસી કામગીરી ચાલુ છે જેમાં 3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો પૈકી 3,04,711 રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામીગીરી પૂર્ણ થતા 93.67 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. બાકી રહેતા 2056 એનએફએફએ રેશનકાર્ડ ધારકોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં જિલ્લામાં 74645 લાભાર્થીને નિઃશુલ્ક અનાજનો લાભ અટક્યો છે ત્યારે ઈ-કેવાયસી ન કરાવનાર રેશનકાર્ડ ધારકોને નોટિસ આપ્યા બાદ નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ધારાસભ્યોની પાંખી હાજરી:સંકલન સમિતિની બેઠકમાં 9 MLA જ હાજર, 47માંથી 42 પ્રશ્ન રિપીટ
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 9 ધારાસભ્ય અને એક સાંસદ હાજર રહ્યા હતા. તેમાંથી શહેર ભાજપના ધારાસભ્યોએ કુલ 47 પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી 42 પ્રશ્નો લાંબા સમયથી રિપીટ હતા. અધિકારીઓ દ્વારા દર મહિને યોજાતી બેઠકમાં એક જ જવાબ ધારાસભ્યોને અપાય છે. જ્યારે કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય દ્વારા કુલ 27 પ્રશ્નો પૂછ્યા હતા અને માત્ર 2 પ્રશ્નો રિપીટ પ્રકારના જોવા મળ્યા હતા. આ ઉપરાંત સાંસદ નરહરિ અમીન બેઠકમાં હાજર રહ્યા હતા, પણ લેખિતમાં કોઈ પ્રશ્ન પૂછ્યા ન હતા. નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાણીએ મૌખિક પ્રશ્નો પૂછ્યા હતા, કોઈ લેખિત પ્રશ્ન પૂછ્યો ન હતો. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ બેઠકમાં કોઇ લેખિત પ્રશ્ન પુછાયો ન હતો. અમદાવાદના ધારાસભ્યોમાંથી 50 ટકા ધારાસભ્યો પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા નથી અને અમદાવાદના સાંસદો પણ ભાગ્યે જ કલેક્ટર કચેરી ખાતે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા હોય છે. જ્યારે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો, પણ તેઓ હાજર ન હતા અને વેજલપુરના ધારાસભ્યે પણ પ્રશ્ન પૂછ્યા હતા અને પોતે હાજર રહ્યા ન હતા. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા મોટા ભાગના પ્રશ્નો સરકારી જમીન પર થયેલા દબાણ અંગે પૂછતા હોય છે. લોકોની સમસ્યાને લગતા પ્રશ્નો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. જ્યારે કેટલાક ધારાસભ્યો તો વર્ષમાં એકાદ વખત જ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા હોય છે, જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમરાઇવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો સમાવેશ થાય છે. શહેર ભાજપના ધારાસભ્યોના 98 ટકા પ્રશ્નો એક વર્ષથી એકના એક જ, કોંગ્રેસના ધારાસભ્યે 27 પ્રશ્ન પૂછ્યા ધારાસભ્ય પૂછેલા પ્રશ્નો નવા પ્રશ્નો રિપીટ પ્રશ્નો ઇમરાન ખેડાવાલા 27 25 2 અમિત ઠાકર 2 1 1 અમિત શાહ 7 0 7 હર્ષદ પટેલ 17 1 16 જિતેન્દ્ર પટેલ 17 2 15 અમૂલ ભટ્ટ 3 0 3 કુલ 73 29 44
દસ દિવસ પૂર્વે બનાસકાંઠાના ભચડિયા ગામના પશુપાલકને સતલાસણામાં વાતોમાં ભેળવી તેના કાનમાંથી સોનાની કડીઓ અને રોકડ કાઢી લેનારા બે ગઠીયા પૈકી ચોરી કરેલી સોનાની કડીઓ વેચવા નીકળેલા એકને મહેસાણા એલસીબીની ટીમે રામપુરા ચોકડી નજીકથી ઝડપી લીધો હતો અને વોન્ટેડ તેના પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભચડિયાના દેવાભાઈ ખેતાભાઇ રબારી ગત 5 જાન્યુઆરીએ સતલાસણા કામે આવ્યા હતા. ત્યારે સતલાસણા અંબાજી હાઈવે પર તેમની પાસે આવેલા બે અજાણ્યા શખ્સોએ અમદાવાદ કઈ બાજુથી જવાય તેવું પૂછીને તેમના કાનની સોનાની કડીઓ અને રૂ.5000 સિફતપૂર્વક ચોરી લીધા હતા. સતલાસણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને આધારે મહેસાણા એલસીબીની ટીમે તપાસ હાથ ધરતાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમારને બાતમી મળી હતી કે, રામપુરા ચોકડી નજીક એક્ટિવા સાથે ઊભેલ શખ્સ સોનાની કડીઓ વેચવા ફરી રહ્યો છે. જેને આધારે એલસીબીએ ઘટના સ્થળે પહોંચી દેવાભાઈ ધીરાભાઈ સલાટ (રહે. સર્વોદયનગર, સલાટ વાસ, મોડાસા)ની તલાસી લેતાં પેન્ટના ખિસ્સામાંથી કડીઓ અને રોકડા રૂ.3400 મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતાં દસ દિવસ પૂર્વે તેના દીકરા કરણ સાથે બંનેએ સતલાસણા હાઇવે પર ઉંમરલાયક કાકાને બંડલ બતાવી વાતોમાં લઈ તેમની પાસે કાનમાં રહેલી સોનાની કડીઓ અને રૂ.5000 લીધાની કબૂલાત કરી હતી.
પોરબંદરના માર્કેટયાર્ડ ખેડૂતોની જણસીની આવકમાં થતી હોય છે..યાર્ડમાં મગફળી,અડદ, જુવાર,ઘઉં, ચણા, જીરું સહિતના પાકની આવકમાં નોંધાઇ છે.પોરબંદરના યાર્ડમાં મગફળી, ઘઉં સહિતની તમામ જણસીની આવક નોંધાઈ છે.પોરબંદરના યાર્ડમાં સૌથી વધુ મગફળીની 35,100 કિલો આવક જોવા મળી હતી.જેનો પ્રતિમણે ભાવ રૂ.1005 થી 1405 બોલાયા છે. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદરના માર્કેટયાર્ડ હાલ આવકમાં ઘટાડો નોંધાયો છે.યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શનિવારે મગફળીની 35,100 કિલો,અડદની 1000 કિલો,ચણાની 100 કિલો અને જીરુની 1200 કિલો,ઘાણાની 400 કિલો,સોયાબીનની 700 કિલો,ઘઉંની 2000 કિલો,જુવારની 200 કિલો આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1005 થી 1405 ભાવ,અડદના રૂ.1000થી 1250 ભાવ,જીરુના રૂ.3225 થી 3900 ભાવ અને ચણાના રૂ. 1035 ભાવ બોલાયા હતા. પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો યાર્ડમાં મગફળીના ભાવ પણ ખેડૂતો ઓછા મળી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નબળી ગુણવત્તાને લઈને મગફળીના ભાવ ઘટયાપોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને મગફળીનો પાક પલળી ગયો હતો.ત્યારે મગફળીની ગુણવત્તા ખરાબ થતા હાલ યાર્ડમાં નબળી ગુણવત્તાની મગફળીની આવક જોવા મળી રહી છે જેને લઈને યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છે.
પોરબંદરમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામતલના પડતર પ્રશ્નો,જમીન માપણી,જમીન ફાળવણી,રસ્તાના કામો સહિતના પ્રશ્નો રજૂ થયા હતા.આ બેઠકમાં પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ગ્રામતલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.વધુમાં પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં વનીકરણનો વ્યાપ વધારવા અને રસ્તાની માપણી કરી ચોક્કસ માઈલસ્ટોન નક્કી કરી સઘન વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામોની ગુણવત્તા અને ગતિ વધારવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું એ અધિકારીઓની નૈતિક જવાબદારી છે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, એસપી ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે.પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન.બી.રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ સંભવિત પ્રવાસ અંગે ચર્ચા કરાઈબેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએસ. ડી. ધાનાણીએ પોરબંદરમાંરાજ્યપાલના સંભવિત પ્રવાસ, ગ્રામમુલાકાત અને રાત્રિ નિવાસનાઆયોજન અંગે વિગતો આપી હતી.પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું,ગ્રામ કલ્યાણ કાર્યક્રમોનું અસરકારકઅમલીકરણ અને વીજળી વપરાશપર અંકુશ મેળવવા બાબતે ઉપસ્થિતઅધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરુંપાડ્યું હતું.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માર્ગ અને મકાન વિભાગની કચેરીના તાળા તોડી કોઈ દસ્તાવેજો ફંફોસી ગયું
પોરબંદરના જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના પેટા કચેરીમાં રાત્રીના સમયે કચેરીના મુખ્ય દરવાજાના તાળા તોડી અને કચેરીમાં રહેલ ત્રણ કબાટના દસ્તાવેજ ફંફોડાયા હતા.આ ઘટનાની સવારે ઓફિસના સ્ટાફને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીને જાણ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં અનેક સરકારી કચેરીઓ આવેલ છે. પોરબંદરના એસ.ટી.રોડ પર જિલ્લા પંચાયત કચેરી આવેલ છે.આ કચેરી ઉપરાંત સામે આવેલ બિલ્ડિંગમાં પણ અમુક કચેરીઓ કાર્યરત છે ત્યારે જુના બિલ્ડિંગમાં વર્ષોથી કાર્યરત નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પોરબંદરની કચેરીમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કચેરીના મુખ્ય દરવાજા પર લગાવેલ તાળું સ્કૂટરના અરીસાના સળિયા વડે તોડી કચેરીમાં પ્રવેશ કરી અંદર રહેલા ત્રણ કબાટમાં આવેલ દસ્તાવેજોની ફાઈલો ફંફોળવામાં આવી હતી.આ ઘટના બાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જોકે આ ઘટનામાં કોઈપણ વસ્તુ કે દસ્તાવેજની ચોરી ન થઇ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું. હું સવારે 9:50 વાગ્યે આવ્યો અને કચેરીમાં પ્રવેશ કરવા જતો હતો ત્યારે કચેરીનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો અને અડધો બંધ હતો જેથી મને એવું લાગ્યું કે સાફ-સફાઈ માટે ખુલ્લું હશે,પરંતુ અંદર જોયું તો ત્રણ કબાટ ખુલ્લા હતા જેથી ફરી બહાર આવ્યો તો મુખ્ય દરવાજાના તાળા તૂટેલ બાજુમાં પડ્યા હતા.આ અંગે અધિકારીને ફોન કરી જાણ કરી હતી. > એન. ડી. લાલચેતા,અધિક મદદનીશ ઈજનેર ભૂતકાળમાં આ બિલ્ડિંગમાં સિક્યોરિટીગાર્ડ ચોરી થતા અટકાવી હતીઆ ઘટના બનતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી જોકેસિક્યોરિટી ગાર્ડ પાસે મળતી વિગતો અનુસાર અગાઉ પણજિલ્લા પંચાયત કચેરી સામે આવેલ જુના બિલ્ડિંગમાં અમુકશખ્સોને ચોરી કરતા હોવાની જાણ થતાં તેમને પકડવામાંપ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે તે શખ્સો નાસી ગયા હતા.
ભાસ્કર ફોટો ઇન્વેસ્ટિગેશન:જૂનાગઢનાં ઉપરકોટ પરથી જુઓ દબાણોનું સત્ય''
આ ઉપરકોટના કિલ્લા પરથી લેવાયેલી તસવીર માત્ર નજારો નથી, પણ વહીવટી તંત્રની આંખ ઉઘાડતો અરીસો છે. રાજ્ય સરકાર આ વખતે મેળા પાછળ કરોડોના ખર્ચનું આયોજન કરી રહી છે, મનપા અને તંત્ર રોજ નવી જગ્યાઓ શોધવા દોડધામ કરે છે. પણ સવાલ એ છે કે, આ તસવીરમાં દેખાતી વર્ષો જૂની કિંમતી જમીન કેમ કોઈને દેખાતી નથી? તળેટીના આ વિસ્તારોમાં વર્ષોથી ભયંકર દબાણો થયા છે. જો તંત્ર ઈચ્છાશક્તિ બતાવીને આ ગેરકાયદે દબાણો દૂર કરે, તો શિવરાત્રી મેળા માટે વિશાળ અને મોકળું મેદાન મળી શકે તેમ છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે જ્યારે જગ્યા ઓછી પડે છે, ત્યારે આ આંખ આડા કાન ગંભીર સવાલો ઊભા કરે છે.
સમસ્યા:ભૂગર્ભ ગટરના કામના કારણે રોડ 1 માસ બંધ
જામનગર શહેરના કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર ઠેબા ચોકડી પાસે બારાડી પેટ્રોલ પમ્પ પાસે ઠેબા ચોકડીથી રવિ જ્યોત સોસાયટી પાસે આવેલ ડીવાઈડર ગેપ સુધી ડિવાઈડરની મધ્યરેખાથી ઉત્તર દિશા તરફના રસ્તામાં ભૂર્ગભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. જેથી સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.15 જાન્યુઆરથી તા.15 ફેબ્રુઆરી (એક માસ) સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મ્યુ.કમિશનર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ હુકમનો ભંગ કરશે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. ભૂર્ગભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. ત્યારે વાહન વ્યવહાર માટે રસ્તા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર ઠેબા ચોકડી પાસે બારાડી પેટ્રોલ પમ્પ પાસે ઠેબા ચોકડીથી રવિ જ્યોત સોસાયટી પાસે આવેલ ડીવાઈડર ગેપ સુધી ડિવાઈડરની મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
સ્વચ્છતા:જામનગર દાઉદી બોહરા સમાજે રંગમતી નદી ખાતે સાફ-સફાઈ કરી JMCને સમર્થન આપ્યું
જામનગર મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વ હેઠળ રંગમતી નદી પુનોધાર પ્રોજેક્ટ અંતર્ગત દાઉદી બોહરા સમાજે રંગમતી નદી ખાતે સાફ-સફાઈ કરી જામનગર મહાનગરપાલિકાને સમર્થન આપ્યું છે. સફાઈ બાદ એક ઔપચારિક સમારોહ યોજાયો હતો જેમાં દાઉદી બોહરા સમાજ દ્વારા પ્રોજેક્ટના પુનોધારના લક્ષ્યો માટે મહત્વનો યોગદાન આપવામાં આવ્યું હતું. સદીઓથી જામનગરના દાઉદી બોહરા સમાજ અને તેના નેતૃત્વ માટે પૂર્વજોનું ઘર રહ્યું છે જેમણે વેપાર શિક્ષણ અને સામાજિક કલ્યાણ દ્વારા શહેરની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. શહેર સાથેના આ લાંબા સમયના સંબંધોમાં એક સાથે મહત્વનું પગલું ભરતા સમાચાર રંગમતી નદી પુનઃ ધાર પ્રોજેક્ટમાં સહયોગ આપવા માટે જામનગર મહાનગર પાલિકા સાથે ભાગીદારી કરી છે આ પહેલ સમાજ માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે આ પ્રોજેક્ટ તેમના કોમ્યુનિટી સેન્ટર અને ઐતિહાસિક બોહરા હજીરા ની નજીક ચાલી રહ્યો છે જે તેમના વારસા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. રમતી નદી જામનગર માટે એક મહત્વપૂર્ણ ઈકોલોજિકલ અને સાંસ્કૃતિક જેવા દોરી સમાન છે. પરંતુ શહેર વિકાસને કારણે તે પર્યાવરણીય દબાણ હેઠળ છે જામનગર મહાનગરપાલિકાની તબક્કાવાર પુનઃટ્હાર યોજના નો ઉદ્દેશ્ય જૈવ વિવિધતાને સ્થાપિત કરવાનો સામે સ્થિતી સ્થાપક વધારા અને વાઇબ્રન્ટ જાહેર સ્થળો બનાવવાનો છે.
માર માર્યાનો મામલો:હાથીગઢમાં સગપણનું મનદુ:ખ રાખી આધેડને 4 શખ્સે માર્યા
લીલીયાના હાથીગઢમાં રહેતા હેતલબેન રમેશભાઈ લીંબાસીયા (ઉ.વ.25)એ ખારાના કરણ ઘનશ્યામભાઈ વેકરીયા, સની હિંમતભાઈ વેકરીયા, રાહુલ ઘનશ્યામભાઈ વેકરીયા અને કીર્તી હિંમતભાઈ વેકરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનું સગપણ અંગે ચારેય શખ્સોના કુટુંબીજનોએ માગુ નાખ્યું હતું. પરંતુ તેના કુટુંબીજનોએ હેતલબેન લીંબાસીયાનું સગપણ બાબરા મુકામે કર્યું હોવાનું મનદુ:ખ રાખી કરણ વેકરીયાએ હાથીગઢ ખાતે આંટાફેરા મારી તેના પરિવારને અપશબ્દો આપ્યા હતા. આ ઉપરાંત કરણ વેકરીયા, સની વેકરીયા, રાહુલ વેકરીયા અને કીર્તી વેકરીયાએ હેતલબેનના કાકા વેલજીભાઈ ગોબરભાઈ લીંબાસીયાને લોખંડના પાઈપ, લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત હેતલબેનનું સગપણ તોડાવી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લીલીયા પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ એસ.કે.ધાંધળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ધમકી:ભીલાડના વેપારીને વાપીના વેપારીની મારી નાખવાની ધમકી
ભીલાડના ખેરનાં વેપારીને 2 માસ પહેલા મનોર ફોરેસ્ટ ખાતામાં ખેર પકડાવી દેવાની અદાવત રાખી વાપીના વેપારીએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભીલાડમાં રહેતા અબ્બાસ ખાન હફીસ ખાન ખેરના લાકડાંનો વેપાર કરે છે.વાપી ડુંગળી ફળિયામાં રહેતા ઉસ્માન ઉર્ફે જુમ્મન શેખ પણ ખેરનાં લાકડાંનો વેપાર કરે છે. બે મહિના પહેલા મહારાષ્ટ્રના મનોર ફોરેસ્ટ વિભાગ પાસે ખેરના લાકડાંની ટ્રક પકડાવી હોવાની અદાવત રાખી 15 ડિસેમ્બરે રાત્રે 10.57 કલાકે સ્કોપિયો કારમાં બે ઈસમો સાથે ભીલાડ પહોંચ્યા હતા. ભીલાડ પહોંચી મોબાઇલ પર જોરજોરથી ગાળો બોલી,તુમને હમારી ટ્રક મહારાષ્ટ્ર મનોર ફોરેસ્ટમે પકડાઈ હે, ઈશ લિયે હમ તુજે છોડને વાલે નહીં હે,તુમ બહાર નિકલ,આજ તુજે જાન સે માર દેંગે. જેવી ધમકી આપતા ભીલાડના વેપારીએ ટેરેસ પરથી જોતા રોડ પર સ્કોપિયો કાર નં. GJ. 15.CR.9571 પાસે ફરમાન અલી ઉર્ફે છોટુ આજમ શેખ અને જૈદ શેખ ઉર્ફે ડબલા આબેજ શેખ (તમામ રહે,ડુંગરી,વાપી) ઊભા હતા. વાપીનાં વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અબ્બાસ ખાન હફીસ ખાને ભીલાડ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ન્યૂ રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂર્ણ થતી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવામાં આવી હોવાનું પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા જાહેર કરાયુ છે. આજે મુદત પૂર્ણ થતી હોવાથી જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામાં આવી હતી. જોકે હવે અહીં વધુ 5 વર્ષ માટે અશાંતધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે. જેથી અહીં મિલકત ખરીદનાર અને વેચનારની સાથે કલેકટરની મંજૂરી વિના જમીન - મકાનની લે - વેંચ નહીં થઈ શકે. ધારાસભ્ય ડૉ. શાહે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં વોર્ડ નં.2ની છોટુનગર કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, સ્વસ્તિક સોસાયટી, આરાધનપા સોસાયટી, દિવ્ય સિધ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા, અંજલી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, બજરંગવાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી સહિતના 28 સોસાયટી વિસ્તારોમાં સામાજીક સંતુલન જળવાય રહે અને મિલ્કતોના ખરીદ-વેચાણમાં ગેરરીતિ અટકાવવાના ઉદ્દેશ સાથે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. જેની મુદત ગત તા.13 જાન્યુઆરીના વિધિવત રીતે પૂર્ણ થઇ ગઈ હતી. જે માટે છેલ્લા 6 માસથી થઈ રહેલી રજૂઆત બાદ આજરોજ ગૃહ વિભાગ દ્વારા આ 28 સોસાયટીની અશાંતધારા મુદત 16 જાન્યુઆરી 2031 સુધી લંબાવવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ન્યુ રાજકોટની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત ગત તા.13 જાન્યુઆરીના પૂર્ણ થતાં આ સોસાયટી વિસ્તારના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી પર તાબડતોબ બ્રેક મારી દેવામાં આવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા 28 સોસાયટીના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી હાલ તૂરંત નહીં કરવા માટે સબ રજીસ્ટ્રારને પણ તાકિદ કરી દેવામાં આવી હતી. જોકે હવે ધારાસભ્યે જણાવ્યા મૂજબ અશાંતધારાની મુદ્દત વધારવાને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.
ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીને કૂતરું કરડ્યા બાદ હડકવાથી મોત થતા સ્કૂલ પ્રશાસન અને સનદી અધિકારીઓના વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક મહિલા ગાંધીનગરની નામાંકિત શાળા સાથે જોડાયેલા હતા. જ્યારે તેમના પિતા ગુજરાત સરકારમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે અને 2001માં નિવૃત થયા હતા. આ બનાવમાં શોકિંગ વાત એ છે કે, ચાર મહિના પહેલા મહિલા જ્યારે બીગલ ડોગને રમાડી રહ્યા હતા ત્યારે ચેપ લાગ્યો હતો. ડીસેમ્બરના અંતમાં હડકવાના લક્ષણો જણાતા 30મી ડીસેમ્બરે ભાટ સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 17મી જાન્યુઆરીએ સવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બીગલ બ્રીડના ડોગને રમાડતી સમયે મહિલાને કરડ્યું હતુંઅંદાજે ચારેક મહિના પહેલા ગાંધીનગરની જે શાળા સાથે મહિલા જોડાયેલા છે તે શાળાના જ સ્ટાફ પાસે રહેલા 'બીગલ' બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા ત્યારે કરડ્યું હતું. પોતાના ઘરે પણ પાલતું ડોગ હોય આ ઘટનાને સામાન્ય ગણી હતી અને રેબીઝ રસી લેવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. 17 ઓક્ટોબરે ડોગનું મોત થતા શાળાએ એડવાઈઝરી જાહેર કરી હતી ગત 17 ઓક્ટોબર 2025ના રોજ આ શ્વાનનું રેબીઝના લક્ષણો સાથે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સ્કૂલ સંચાલકો સફાળા જાગ્યા હતા અને તાત્કાલિક તમામ વાલીઓ તેમજ સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે, જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ શ્વાનના સંપર્કમાં આવ્યો હોય તો તાકીદે રસી મુકાવી લે. જેને લઈ સ્કૂલ દ્વારા રેબીઝની રસી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મહિલાની તબિયત લથડતા 30મી ડીસેમ્બરે સારવાર માટે દાખલ કરાયા'તાડીસેમ્બર મહિનાના અંતમાં મહિલાની તબિયત લથડતા અમદાવાદના ભાટ નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 19માં દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલાના મૃતદેહને પૂરતા પ્રોટેક્શન સાથે ગાંધીનગર સેક્ટર-30 સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે સેકટર 30 સ્મશાનના સત્તાવાર સૂત્રોએ કહ્યુ કે, આજે સવારે મૃતકના પાર્થિવદેહને લેવા માટે અમારી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. જે વાસ્તવમાં જેતે હોસ્પિટલે વ્યવસ્થા કરવાની હોય છે. ત્યાંથી કહેવાયું હતું કે, હડકવાના લીધે મૃત્યુ થયું હોવાથી મૃતદેહ પેક કરીને આપવામાં આવ્યો છે. જેને કોઈએ ખોલવો નહીં. મૃતકનું ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે આરોગ્ય વિભાગના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે, આશરે 50 વર્ષીય મહિલા છેલ્લા પંદર દિવસથી રેબીઝની બીમારીમાં સપડાયા હતા. જેઓની ભાટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જેમનું રેબીઝ (હડકવા)ની બીમારીથી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાની પુષ્ટિ થઇ છે. હડકવા જેને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક તીવ્ર વાયરલ ચેપ છે જે લગભગ હંમેશા જીવલેણ હોય છે. તે ચેપી રોગોની શ્રેણી હેઠળ આવે છે. માણસોમાં હડકવા પ્રાણીના કરડવાથી થાય છે. આ વાયરસ પ્રાણીની લાળ દ્વારા ફેલાય છે. શ્વાન, ગાય, ઘોડા, બકરા, સસલા અને જંગલી પ્રાણીઓ જેવા કે શિયાળ, ચામાચીડિયા, કોયોટ્સ, શિયાળ અને હાયના જેવા ખેતરના પ્રાણીઓ હડકવાથી સંક્રમિત થઈ શકે છે. ભારતમાં રખડતા કૂતરાઓ ચેપનો સૌથી સંભવિત સ્ત્રોત છે.કારણ કે પાલતુ પ્રાણીઓને રસી આપવામાં આવે છે. મૃતક મહિલાએ અનેક નામાંકિત કંપનીઓમાં ફરજ બજાવેલીમૃતક મહિલા અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક અને પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) અમદાવાદમાંથી MBAની ડિગ્રી મેળવી હતી. બે દાયકાથી વધુના અનુભવમાં તેમણે ફિલિપ્સ, ટાઇટન, રિલાયન્સ ઇન્ફોકોમ જેવી કંપનીઓમાં નેતૃત્વની મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ભારત સરકારના આરોગ્ય મંત્રાલયમાં સલાહકાર તરીકે રહી HIV અને ક્ષય રોગ નિવારણ જેવા જાહેર આરોગ્યના મોટા પ્રોજેક્ટ્સ પર પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. હાલ તેઓ ગાંધીનગર સ્થિત નામાંકિત શાળામાં એડવાઈઝરી સભ્ય તરીકે સેવા આપતા હતા. સુત્રોએ કહ્યું કે, સ્કૂલના એડવાઝરી સભ્ય અમદાવાદ ખાતે રહેતા રહેતા હતા . પરંતુ નિવૃત આઈએસ પિતાની ઉંમર ને ધ્યાનમાં લઈ તેઓ ગાંધીનગર સેકટર 8 ખાતે રહેવા આવી ગયા હતા. અને સ્કૂલમાં એડવાઈઝરી સભ્ય તરીકે માતા સાથે સેવા આપતા હતા. જ્યારે નિવૃત આઈએસની નાની દિકરી દિલ્હીમાં રહે છે.
રાજ્યની સૌથી મોટી અને 15,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાંથી મેયરના ખર્ચાના ખોટા બીલો બનાવીને કૌભાંડ કરાયું હોવાની વાત સામે આવતાં ભાજપના નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. બોગસ બીલો બનાવી અને પૈસા ચૂકવવામાં આવ્યા હોવાની શક્યતા છે. જે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો વચ્ચે બેઠક થઈ હતી. બેઠકમાં આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના કમિશનરને આપવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય એક ઉચ્ચ અધિકારી સામે પણ તપાસ થઈ શકે છે. બજેટમાંથી મેયરના ખર્ચાના બિલોની રકમ ચૂકવાઇઅમદાવાદના મેયરને વિશેષ ખર્ચ માટેની સત્તા આપવામાં આવેલી છે. મેયર દ્વારા કાર્યક્રમના ખર્ચાની મંજૂરી માટેના બિલો મુકવામાં આવે છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવતા હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને શંકા ગઈ હતી કે AMCના બજેટમાંથી મેયરના ખર્ચાના બિલોની રકમ ચૂકવાઇ છે તેમાં કેટલાક બોગસ બિલો બનાવીને ખર્ચ બતાવવામાં આવ્યો હોઈ શકે છે. આરટીઆઇ દ્વારા માહિતી માંગવામાં આવી હતી. જેમાં કેટલાક ખર્ચાના ખોટા બિલો બનાવી અને દર્શાવવામાં આવ્યું હોવા અંગેની જાણ થઈ હતી. મ્યુ. કમિશનર નાણા વિભાગના અધિકારીઓ પર ગુસ્સે ભરાયાઆ સમગ્ર બાબત ધ્યાને આવતા મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ અને નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીષ શાહની વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખોટા બિલો બનાવી અને ખર્ચની ચૂકવણી કરવામાં આવી હોવા મામલે ચર્ચા કરવામાં આવી હતી. આરટીઆઈમાં આપવામાં આવેલા જવાબો અને જે પણ ખર્ચાના બિલો બતાવવામાં આવ્યા હતા જેનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે મ્યુનિસિપલ કમિશનર પણ નાણા વિભાગના અધિકારીઓ પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. સમગ્ર પ્રકરણમાં વિજિલન્સ તપાસ સોંપવા આદેશભાજપના પદાધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને સ્પષ્ટતા માગી હતી. આ સમગ્ર બાબત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિભાગના બે કલાર્કને સસ્પેન્ડ કરી અને કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે કમિશનરને જાણ હતા તેઓ દ્વારા સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. નાણા વિભાગ પાસે આ બાબતે સ્પષ્ટતા માગવામાં આવી છે. આ સમગ્ર મામલે ભાજપના પદાધિકારીઓએ જવાબદાર અધિકારીઓની જાણ સિવાય આ કૌભાંડ થઈ ના શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા તેમજ સમગ્ર પ્રકરણમાં વિજિલન્સ તપાસ સોંપવા આદેશ આપવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી ઉપવનદર્શન સોસાયટીમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, પરિવાર જ્યારે નણંદના લગ્નની ખરીદી કરવા સુરત ગયો હતો, ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત કુલ 3 લાખની મત્તા ચોરી કરી અજાણ્યો શખ્સો ફરાર થઈ ગયા હતો, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે જણાવા મળતી વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઉપવનદર્શન સોસાયટીમાં રહેતા નિલમબેન અલ્પેશભાઈ ડાભીના નણંદ પાયલબેનના આગામી એપ્રિલ મહિનામાં લગ્ન હોવાથી, પરિવાર ગત તા.13/01/2026 ના રોજ રાત્રે નવેક વાગ્યે સુરત ખરીદી કરવા માટે ગયો હતો. આ દરમિયાન ઘર બંધ હતું અને મુખ્ય દરવાજા તેમજ બેડરૂમને તાળા મારેલા હતા, આજે સવારે સાડા છ વાગ્યે જ્યારે પરિવાર સુરતથી પરત ફર્યો ત્યારે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું, અંદર જઈને જોતા બેડરૂમનું તાળું પણ તૂટેલું જણાયું હતું અને આખો સામાન વેરવિખેર હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ કબાટમાંથી નીચે મુજબની ચીજવસ્તુઓની ચોરી કરી છે સોનાના દાગીનામાં મંગળસૂત્ર, ચેઈન અને વીંટીઓ કુલ આશરે રૂ.1,17,440 ચાંદીના દાગીનામાં સિંહાસન, છડા, સિક્કા અને અન્ય વસ્તુઓ કુલ આશરે રૂ.25,540, રોકડા રૂ.30,000, 3 મોબાઈલ ફોન કુલ રૂ.25,000 મળી કુલ 1,97,980 ની મતા ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, તેમજ આ સાથે લગ્ન માટે ખરીદેલા નવા કપડાં, શેરવાની, સાડી, ચણીયા-ચોળી તથા મકાનના દસ્તાવેજની નકલ અને દાગીનાના બિલ સહિતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, આ બનાવ અંગે નિલમબેન ડાભીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
IND vs BAN U19 WC: ભારતીય ટીમની સતત બીજી જીત, બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં હરાવ્યું
India vs Bangladesh: ભારતીય ટીમનો મુકાબલો શનિવારે (17 જાન્યુઆરી) ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતીય ટીમે DLS પદ્ધતિ હેઠળ 18 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં આ ભારતીય ટીમની સતત બીજી જીત છે. ભારતે DLS પદ્ધતિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) ને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી.
ગોધરા ફાયર વિભાગે વેપારીઓને આગ સામે તાલીમ આપી:દાહોદ રોડ પર દુકાનોમાં ફાયર સેફ્ટીના પાઠ ભણાવ્યા
ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા અને વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં દાહોદ રોડ પર આવેલી વિવિધ દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓને આ તાલીમ આપવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે વેપારીઓને એકત્ર કરીને ફાયર સેફ્ટી અંગે પ્રત્યક્ષ તાલીમ આપી હતી. ફાયર ઓફિસરોએ અગ્નિશામક સાધનો (Fire Extinguishers) નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત, આગ લાગે ત્યારે ગભરાયા વગર તાત્કાલિક કયા પગલાં લેવા અને ફાયર બ્રિગેડને કેવી રીતે જાણ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન, દુકાનોમાં મુકેલા ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ નિયમિતપણે તપાસવા અને તેમને કાર્યરત સ્થિતિમાં રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં દાહોદ રોડના મોટી સંખ્યામાં વેપારીઓ અને દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ જણાવ્યું કે આવી તાલીમથી તેમની સુરક્ષામાં વધારો થશે અને કટોકટીના સમયે તેઓ પોતાની તેમજ અન્યની મિલકત બચાવવા માટે સજ્જ બન્યા છે. ગોધરા નગરપાલિકાની આ કામગીરીને સ્થાનિકોએ પણ બિરદાવી હતી. આ પ્રકારની તાલીમ ભવિષ્યમાં કોઈ મોટી જાન-માલની હાનિ નિવારવામાં મદદરૂપ થશે.
ગીર સોમનાથ જિલ્લો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બે દિવસીય મુલાકાત માટે સજ્જ બન્યો છે. રાજ્યપાલ 20 અને 21 જાન્યુઆરીના રોજ સોમનાથની મુલાકાત લેશે. આ મહત્વપૂર્ણ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રાજ્યપાલના કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે તાલાલા તાલુકાના ઉમરેઠી ગામ ખાતે વિવિધ કાર્યક્રમ સ્થળોનું સ્થળ નિરીક્ષણ કરી આયોજનની વિગતવાર સમીક્ષા કરી હતી. કલેક્ટર ઉપાધ્યાયે ઉમરેઠી પ્રાથમિક શાળા, આહીર સમાજની વાડી ખાતેના સભાસ્થળ, મોડલ ફાર્મ અને વૃક્ષારોપણના પ્રસ્તાવિત સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે બેઠક વ્યવસ્થા, મંચ, પાર્કિંગ, માર્ગ વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજ પુરવઠો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. સભાસ્થળ પર ઉપસ્થિત વિભાગીય અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી હતી કે, રાજ્યપાલના દરેક કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાઓમાં કોઈ ખામી ન રહે તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામ કરે. સ્થળ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે ખેતીવાડી, બાગાયત, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ, આત્મા પ્રોજેક્ટ, પોલીસ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જવાબદારીઓ ફાળવીને જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના કાર્યક્રમોની રૂપરેખા મુજબ, 20 જાન્યુઆરીના રોજ તેઓ વેરાવળ ખાતેની સંસ્કૃત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં હાજરી આપશે. 21 જાન્યુઆરીના રોજ તેઓ તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદને સંબોધશે અને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ઉમરેઠી ખાતેના કાર્યક્રમો ગ્રામ્ય વિકાસ માટે પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યપાલની મુલાકાતને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામમાંથી કંપારી છૂટી જાય એવી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી જમીન પચાવી પાડવા માટે પોતાના જ સંબંધીઓ દ્વારા અપાતા માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને 65 વર્ષીય વૃદ્ધ કરશનભાઇ ગોવિંદભાઇ કટારીયાએ ગત 1 જાન્યુઆરી, 2026ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના પુત્રએ વંથલી પોલીસ સ્ટેશનમાં SRP જવાન સહિત એક જ પરિવારના પાંચ સભ્યો સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધે 20 વર્ષ જૂના જમીન વિવાદના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાદોઈ ગામની કરાર નામની સીમમાં કરશનભાઇ અને તેમની બે બહેનોના સંયુક્ત નામે અઢી વીઘા ખેતીની જમીન આવેલી છે. આ જમીન 20 વર્ષ પહેલા તેમના કાકાના દીકરા દુર્લભભાઇ (દુલાભાઇ) પીઠાભાઇને વાવવા આપી હતી. વર્ષ 2010માં એકવાર પોલીસ ફરિયાદ બાદ કબજો પરત મળ્યો હતો પરંતુ, છેલ્લા 10 વર્ષથી ફરીથી દુલાભાઇ આ જમીન વાવતા હતા અને હવે તે જમીન પચાવી પાડવા માંગતા હતા. ઘરના ઉપરના માળે રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતોમૃતકના પુત્ર લીલાભાઇ ઉર્ફે નિલેષભાઇ કટારીયાએ નોંધાવેલી વિગતો મુજબ કરશનભાઇએ તારીખ 1 જાન્યુઆરીના રોજ સવારે 9થી 9:30 વાગ્યાના અરસામાં ઘરના ઉપરના માળે રૂમમાં કોઈને જાણ કર્યા વગર ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો અને પાડોશીઓએ તેમને તાત્કાલિક નીચે ઉતારી વંથલી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, આ આત્મહત્યા પાછળનું કારણ 29 ડિસેમ્બર, 2025થી શરૂ થયેલા માનસિક દબાણમાં છુપાયેલું હતું. ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીઓ કરશનભાઇને સમાધાનના બહાને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા અને ત્યાં તેમને ધમકીઓ આપી હતી, જેના કારણે વૃદ્ધ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. છેલ્લા બે વર્ષથી દુલાભાઇ, તેમની પત્ની મંજુબેન અને SRPમાં નોકરી કરતો પુત્ર મહેશ, કરશનભાઇ પર જમીન પોતાના નામે કરી આપવા દબાણ કરતા હતા. મૃતકના ખિસ્સામાંથી મળી ત્રણ પાનાની ચિઠ્ઠીપોલીસ તપાસ અને પીએમ વિધિ દરમિયાન મૃતક કરશનભાઇના પેન્ટના ખિસ્સામાંથી ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, જીગુ રાજા, રાજા કાળા, મહેશ દુલા, મંજુબેન દુલા, દુલાભાઈ પીઠાભાઈ કાયમી માનસિક ત્રાસ આપે છે. જમીન ખાતે કરવાની ધમકીઓ આપે છે, જેથી હું આત્મહત્યા કરું છું. 'અમારી પાસે કોઈ રસ્તો નહોતો'મૃતકના પુત્ર સુરેશભાઈએ જણાવ્યું કે, આરોપીઓ ખૂબ જ વગદાર છે. તેમનો એક પુત્ર SRPમાં છે, એક મિલિટ્રીમાં છે અને એક દીકરી પોલીસમાં છે. તેઓ વારંવાર ધમકી આપતા હતા કે, તમે પોલીસ કેસ કરશો તો પણ અમારી લાગવગ છે, અમારી પાસે પૈસા છે, તમે અમારું શું કરી લેશો? અમે તમારા ટાંગા ભાંગી નાખીશું. આ ધમકીઓને કારણે અમારો પરિવાર ડરમાં જીવતો હતો. મારા પિતાને મરવા માટે મજબૂર કરનાર આ લોકો સામે કડક કાર્યવાહી થાય એવી માંગ છે. પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ ઘટનાએ જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. જમીન હડપવા માટે એક વૃદ્ધને આત્મહત્યા સુધી દોરી જનાર શખસો સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે. હાલ પોલીસે પંચનામુ કરી સ્યુસાઈડ નોટ કબજે લીધી છે અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટની મદદથી તપાસ આગળ ધપાવી છે. ગાદોઈ ગામના લોકોમાં આ દુઃખદ અવસાનને લઈ શોકનું મોજું ફરી વળ્યું છે. વંથલી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ધમકીના ગુના હેઠળ SRPના પરિવારના પાંચ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરી છે
હરિદ્વાર ખાતે 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી યોજાનારા શતાબ્દી ઉજવણીના ભાગરૂપે શનિવારનો દિવસ આદિવાસી સંસ્કૃતિના જીવંત રંગોથી છલકાયો હતો. ગુજરાતના સંતરામપુર, ગોધરા, છોટા ઉદેપુર, વલસાડ અને નવસારી જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને મંત્રમુગ્ધ બનાવી દીધો. આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાના સ્વયંસેવકોની રજૂઆતએ પણ વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું. વાંસળી, સીટીઓ, ઢોલના તાલ સાથે ધનુષ્ય-તીર ધારણ કરીને રજૂ કરાયેલા નૃત્યોમાં આદિવાસી જીવનશૈલી, લોકકથાઓ અને પરંપરાગત આસ્થા સ્પષ્ટ દેખાઈ આવી. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ કલાકારોએ સમગ્ર કેમ્પસમાં નૃત્ય કરી ઉજવણીને ઉર્જા અને આનંદથી ભરપૂર કરી દીધી. આ પ્રસ્તુતિઓ માત્ર દર્શકોને મંત્રમુગ્ધ કરી નથી, પરંતુ શતાબ્દી ઉજવણીના માધ્યમથી દેશની સાંસ્કૃતિક એકતા, વૈવિધ્યતા અને લોકપરંપરાની સમૃદ્ધિને પણ સશક્ત રીતે રજૂ કરી છે. વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ અને મહેમાનોએ આદિવાસી કલાના આ અદભુત દર્શનને વખાણ્યા હતા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગંગાના તટે આવેલા બૈરાગી કેમ્પ ખાતે અખંડ દીપક જન્મ શતાબ્દી નિમિતે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી શરૂ થનારી આ શતાબ્દી ઉજવણીમાં ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી આવેલા આદિવાસી કલાકારોએ નૃત્ય પ્રસ્તુતિ આપી હતી. વિશ્વભરમાંથી અંદાજે એક લાખ જેટલા લોકો આ આયોજનમાં એકત્રિત થયા છે. પાંચ દિવસ ચાલનારા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહેવાના છે.
ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં બોરતળાવ અને બે ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ કુલ ત્રણ અલગ-અલગ બનાવોમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સેસ સ્કૂટર પર દારૂની હેરાફેરી કરતો શખસ ઝડપાયોપ્રથમ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રુત્વીક ઉર્ફે માંજો મુકેશભાઈ મકવાણા નામનો શખસ પોતાના એક્સેસ સ્કૂટર પર વગર પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂની 12 બોટલો કિંમત રૂ.4,320 સાથે મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, આ જથ્થો તેને ચિત્રા વિસ્તારમાં રહેતા ફૈઈ નયનાબેન ઉર્ફે નનુ જેન્તીભાઈ બારેયાએ વેચાણ અર્થે આપ્યો હતો, પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આડોડિયાવાસમાં રહેણાંક મકાન પર દરોડો, મહિલા સંચાલક ઝડપાઈબીજા બનાવ અંગે ઘોઘા રોડ પોલીસની ટીમે આડોડિયાવાસમાં આવેલા ડબલ થાંભલા પાસે રેડ કરી હતી. અહીં રહેતી મહિલાના રહેણાંક મકાનમાંથી 8 પી.એમ. સ્પેશ્યલ રેટ વ્હીસ્કીની 180 MLની 13 સીલપેક બોટલો કિંમત રૂ.3432 મળી આવી હતી. પોલીસે મહિલા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી પોલીસ બે શખસોની ધરપકડત્રીજા બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં સરદારનગર વિસ્તારમાં બ્રહ્મકુમારીની સામે આવેલા મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી ગબ્બરસિંહ બાલીસિંહ તોમર ઉ.વ.42 અને યોગેન્દ્રસિંહ બાલીસિંહ તોમર ઉ.વ.30 બંને મૂળ ઉત્તર પ્રદેશ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી 36 લિટર દેશી દારૂ કિંમત રૂ.3200, રોકડ રકમ રૂ.9,590 તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.20,000 મળી કુલ મુદ્દામાલ રૂ.36,790 ઝડપી લીધો હતો. આ કેસમાં દારૂ પૂરો પાડનાર મહિલા મકાન માલિક હાજર મળી આવી નહોતી. પોલીસે હાજર બંને શખસો અને ફરાર મહિલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. બે મહિલાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાઆમ, પોલીસ બોરતળાવ અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ. 44,542 નો મુદ્દામાલ સાથે મહિલા સહિત 4 ઝડપાયા, જ્યારે અન્ય બે મહિલાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
વલસાડ જિલ્લા કાનૂની સેવા સંસ્થા (DLSA) દ્વારા વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે ડ્રગ્સ અવેરનેસ અંગે કાનૂની માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્ઝેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નિપા રાવલ, DLSA સેક્રેટરી બી.જી. પોપટ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં વલસાડની શાહ કે.એમ. લો કોલેજ, જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, એન.એચ. શાહ કોલેજ, બી.કે.એમ. સાયન્સ કોલેજ, દોલત ઉષા કોલેજ તથા નર્સિંગ કોલેજ સહિત કુલ છ કોલેજોના 590 જેટલા વિદ્યાર્થીઓ અને 10 પ્રોફેસરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ NALSAની ‘DAWN’ (Drug Awareness and Wellness Navigation – For Drug Free India) Scheme, 2025 અંતર્ગત યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પરિણામો અને નશામુક્તિ માટેની કાનૂની જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત, ભારત સરકારના ‘માનસ’ પોર્ટલની હેલ્પલાઇન નં. 1933 અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, તમામ ઉપસ્થિતોને નશામુક્તિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાધનને નશાના રવાડેથી દૂર રાખી સ્વસ્થ અને નશામુક્ત ભારતનું નિર્માણ કરવાનો હતો.
નાયક સમાજવાડી માટે ₹45 લાખની જાહેરાત:રાજ્યસભા, લોકસભા સાંસદ અને ધારાસભ્યએ દાન આપ્યું
હિંમતનગરના બેરણા ખાતે નાયક સમાજવાડીમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના નાયક સમાજ દ્વારા 'સેવા, સંગઠન અને એકતા સ્નેહમિલન' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભા, લોકસભાના સાંસદો અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા સમાજવાડી માટે કુલ ₹45 લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. શ્રી નવ સંસ્કરણ નાયક વિકાસ મંડળ અને અસાઈત નાયક સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના અગ્રણીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા અને સંગઠનને પ્રોત્સાહન આપવાનો હતો. આ સ્નેહમિલન પ્રસંગે, રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ₹25 લાખ, લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાએ ₹15 લાખ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ₹5 લાખ નાયક સમાજવાડીના નિર્માણ માટે આપવાની જાહેરાત કરી હતી. આમ, કુલ ₹45 લાખનું દાન જાહેર થયું હતું. આ કાર્યક્રમમાં સમાજની તેજસ્વી યુવા પ્રતિભાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેઓ સમાજની ઓળખ અને ભવિષ્ય છે. નાયક સમાજે હંમેશા કળા, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે સમાજને વધુ સશક્ત અને પ્રગતિશીલ બનાવે છે. QCI કમિટીના સભ્ય હિમાંશુ પટેલ, ડૉ. જગદીશ નાયક, ડૉ. અશ્વિન નાયક સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા ભાઈઓ-બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં આવેલી CEPT યુનિવર્સિટીએ આજે 20મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરલ પ્રોગામના 589 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.. આ પ્રસંગે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ હેઠળના MBA ઇન રિયલ એસ્ટેટ પ્રોગ્રામમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી. દીક્ષાંત સમારોહમાં 390 અનુસ્નાતક, 196 સ્નાતક અને એક ડોક્ટર ઓફ ફિલોસોફીને ડીગ્રી એનાયત કરવામાં આવી. જ્યારે 45 વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ યુનિવર્સિટી એવોર્ડ્સ ઓફ પ્રોફિશિયન્સી એનાયત કરવામાં આવ્યા. સ્નાતકોમાં 213 વિદ્યાર્થીઓ આર્કિટેક્ચર ફેકલ્ટીમાંથી, 95 વિદ્યાર્થીઓ ડિઝાઇન ફેકલ્ટીમાંથી, 10 વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ફેકલ્ટીમાંથી, 151 વિદ્યાર્થીઓ પ્લાનિંગ ફેકલ્ટીમાંથી અને 120 વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીમાંથી હતા. દિક્ષાંત સમારોહમાં પ્રખ્યાત ડિઝાઇન શિક્ષક અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર અશોક ચેટર્જી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. CEPT યુનિવર્સિટીના પ્રમુખ પ્રો. બર્જોર મહેતાએ યુનિવર્સિટીના વિકસતા શૈક્ષણિક દ્રષ્ટિકોણ પર પ્રતિબિંબ પાડ્યો અને મેનેજમેન્ટ ફેકલ્ટી હેઠળ એક નવો ફ્લેગશિપ પ્રોગ્રામ MBA ઇન રિયલ એસ્ટેટના લોન્ચની જાહેરાત કરી. પ્રો. મહેતાએ જણાવ્યું કે, MBA ઇન રિયલ એસ્ટેટ દેશમાં ઝડપથી વિસ્તરતા ઔપચારિક રિયલ એસ્ટેટ ક્ષેત્રનું સંચાલન કરવા સક્ષમ વ્યાવસાયિકોની વધતી જતી જરૂરિયાતને ઓળખે છે.નવો પ્રોગામ વિવિધ સ્નાતકના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવાની તકો પૂરી પાડશે. CEPTના પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ કાર્યક્રમસ્થળે હાજર રહ્યા હતા. શોભાયાત્રાનું નેતૃત્વ CEPT યુનિવર્સિટીના ચેરમેન સંજય લાલભાઈ, પ્રમુખ પ્રો. બર્જોર મહેતા,મુખ્ય અતિથિ, પ્રોફેસર અશોક ચેટર્જી, ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (અમદાવાદ) મંચ પર આવ્યા અને તેમની સાથે અન્ય પ્રોફેસરો, રજિસ્ટ્રાર અને સંબંધિત ફેકલ્ટીના ડીન જોડાયા. મુખ્ય અતિથિ પ્રોફેસર અશોક ચેટર્જીએ વ્યક્તિગત યાદોને તાજી કરી હતી. તેમણે સ્નાતકોને એવા વ્યાવસાયિકોમાં વિકસિત થવા માટે પ્રોત્સાહિત કર્યા જે લોકો, સ્થળ અને સામૂહિક સ્મૃતિની કાળજી રાખે છે. સમારોહ દરમિયાન પ્રોફેસર રસિક શાહ અને પ્રો. વિદ્યાધર ફાટકને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને શહેરી આયોજનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ માનદ ડોક્ટરેટરની પદવી એનાયત કરવામાં આવી. પ્રો. શાહની કારકિર્દી દાયકાઓ સુધી શિક્ષણ, વ્યાવસાયિક પ્રેક્ટિસ અને સંશોધનમાં નીકળી છે. ભારતમાં શહેરી વિકાસ, નીતિ ઘડતર અને આયોજન શિક્ષણમાં તેમના પાંચ દાયકા લાંબા યોગદાન માટે પ્રો. ફાટકનું વ્યાપકપણે સન્માન કરવામાં આવે છે. કેન્દ્રીય દીક્ષાંત સમારોહ પછી ફેકલ્ટી સ્તરનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જે દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત ડીન પાસેથી તેમની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં એક સિટી બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માત દરમિયાન બસ એમ.એસ. યુનિવર્સિટીના ગેટ સામે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ બસ સ્ટેશનથી કાલાઘોડા તરફ જતી હતી તે દરમિયાન ડ્રાઇવરને ચક્કર આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રાઈવરને ફાયરે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યોસિટી બસની ટક્કરથી બસનો આગળનો ભાગને ભારે નુકસાન થયું હતું. જેના કારણે અકસ્માતમાં બસના ડ્રાઈવર ધર્મેન્દ્ર ઝાલાનો પગ ફસાઈ ગયો હોવાથી તેમને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે હાઇડ્રોલિક કટરની મદદથી બસના કેટલાક ભાગને કાપીને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનો ટોળો ઉમટી પડ્યો હતો. ડ્રાઇવર સહિત બે વ્યક્તિ ઈજાગ્રસ્તઆ અકસ્માતમાં ડ્રાઈવર ધર્મેન્દ્ર ઝાલા તેમજ એક મહિલા જાગૃતિ કાલિદાસ સોલંકી ઈજાગ્રસ્ત થયા હતા. મહિલાને છાતી અને પગના ભાગે ઈજાઓ થતા તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ બંનેને રેસ્ક્યૂ કર્યા હતા. અકસ્માતના સમયે બસમાં આશરે 20 જેટલા મુસાફરો હાજર હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 'ડ્રાઈવરને ચક્કર આવતા અકસ્માત સર્જાયો'વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ બસ સિટી બસ સ્ટેશનથી કાલાઘોડા તરફ જઈ રહી હતી. દરમિયાન ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા આ અકસ્માત સર્જાયો. ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થયું છે અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ મામલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે જેન્ડર રિસોર્સ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી ‘સેતુ’ અંતર્ગત “Safe, Healthy and Inclusive Spaces” વિષય પર એક પરિસંવાદ અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હેલ્થ-ન્યુટ્રીશન, જેન્ડર ડેવલપમેન્ટ અને POSH Act અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પરિસંવાદ અને કાર્યશાળા યુનિવર્સિટીના તમામ ટીચિંગ અને નોન-ટીચિંગ કર્મચારીઓ માટે તા. 17 જાન્યુઆરી, 2026ના રોજ યોજાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી સહિત આશરે 200 કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગા અને સૂક્ષ્મ વ્યાયામ સત્રથી થઈ હતી. યોગ બોર્ડના સોનલબેન અને દીપિકાબેને આ સત્રનું સંચાલન કર્યું હતું અને રોજિંદા જીવનમાં યોગના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ પ્રસંગે ગોધરા સિવિલ હોસ્પિટલના ડોકટરો અને સપોર્ટ સ્ટાફ દ્વારા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન-ટીચિંગ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે માત્ર પુસ્તકજ્ઞાન જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વિવિધ વિષયો અંગેનું પ્રાયોગિક જ્ઞાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે યોગ, સ્વસ્થ આહાર અને કાયદાકીય જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. એમ.એસ. યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સ્વાતિબેન ધ્રુવે “Integrating Nutrition and Work-life Balance for Holistic Health” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે તંદુરસ્ત જીવન માટે આહારનું મહત્વ અને પૌષ્ટિક આહાર અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. જેન્ડર રિસોર્સ સેન્ટરના ઓફિસર મહેન્દ્ર મકવાણાએ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓની સુરક્ષા માટેના POSH Act અને આંતરિક ફરિયાદ સમિતિ (Internal Complaints Committee)ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ પણ કર્યા હતા. કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં ડૉ. હેમેન્દ્ર શાહ, ડૉ. પલક કંસારા અને ડૉ. બીનાબેન વાઢેરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ડાયમંડ સિટી સુરતમાં આજે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળ્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ એક ખાનગી સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ સુરત આવી પહોંચ્યા હતા. શહેરના જાણીતા ઉદ્યોગપતિ સાવરમલ બુધિયાના પૌત્રના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં તેમણે હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આગમનમુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ત્યાંથી સીધા જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. સુરક્ષાના કારણોસર એરપોર્ટ થી લઈને પાર્લે પોઈન્ટ સુધીના માર્ગ પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પાર્લે પોઈન્ટ ખાતે ભવ્ય આયોજનશહેરના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી એક જાણીતી હોટલમાં સાવરમલ બુધિયાના પૌત્રના પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. CM યોગી આદિત્યનાથ અહીં પહોંચતા જ યજમાન પરિવાર દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગીજીએ લગ્નગ્રંથિથી જોડાનાર નવયુગલને મળીને તેમના સુખમય દામ્પત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. રાજકીય દિગ્ગજોની ઉપસ્થિતિઆ પ્રસંગ માત્ર સામાજિક જ નહીં પરંતુ, રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વનો બની રહ્યો હતો. યોગી આદિત્યનાથની સાથે રાજ્ય અને કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા, સુરતના સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આ ભવ્ય સેલિબ્રેશનમાં સહભાગી થયા હતા. એક તરફ ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી અને બીજી તરફ કેન્દ્રીય મંત્રીઓની હાજરીને પગલે હોટલ પરિસરમાં કડક સુરક્ષા ઘેરો જોવા મળ્યો હતો.
બનાસકાંઠા LCBએ ધાનેરામાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી:5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, કારચાલક ફરાર
બનાસકાંઠા LCB એ ધાનેરા વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર સહિત કુલ 5,05,008 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારચાલક પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં LCB, પાલનપુર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બાતમીના આધારે ડુંગડોલ, તા. ધાનેરા ગામની સીમમાં નાકાબંધી કરવામાં આવી હતી. એક સફેદ કલરની સ્વીફ્ટ કાર (નં. GJ08AP2469) ના ચાલકે નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે કારનો પીછો કરતા, કાર જડિયા, તા. ધાનેરા ગામે આવેલા લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી અને કારચાલક ગાડી છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી 783 બોટલ/ટીન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો, જેની કિંમત 2,05,008 રૂપિયા છે. સ્વીફ્ટ કાર સહિત કુલ 5,05,008 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ફરાર થયેલા કારચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી:26 જાન્યુઆરીની ઉજવણી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કુલ પાંચ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંગે પણ આયોજનની સમીક્ષા કરાઈ હતી. સંકલન બેઠકમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર દ્વારા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આંગણવાડી, પાણી પુરવઠો અને વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ આધારિત કર્મચારીઓના પગાર સહિતના વિભાગીય પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઝડપી નિકાલ માટે જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકના બીજા ભાગમાં, 26 જાન્યુઆરીના રોજ ઉમરગામ તાલુકાના નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે યોજાનાર પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે આ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ વિમલ પટેલ, નિરવ પટેલ અને આર.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, દક્ષિણ અને ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષકો દિનેશ રબારી અને લોકેશ ભારદ્વાજ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક રોહિત ચૌધરી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ અને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર ભાવેશ પટેલ સહિતના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગરનું સરકારી જિલ્લા પુસ્તકાલય 6 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બન્યું છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે. આ પુસ્તકાલય શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું છે. આજે પણ વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ સહિત 3792 સભ્યો તેનો નિયમિત લાભ લઈ રહ્યા છે. ગત માસમાં જ 335 સભ્યોએ પોતાનું સભ્યપદ રીન્યુ કરાવ્યું છે, જે ડિજિટલ યુગમાં પણ પુસ્તકાલયના મહત્વને દર્શાવે છે. આધુનિક સમયની માંગને અનુરૂપ, પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1 કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્માર્ટ લાઇબ્રેરી અને 5 કરોડ રૂપિયાના ખર્ચે 400 ચોરસ મીટરમાં નવો અધ્યયન ખંડ (રીડિંગ હોલ) બનાવવામાં આવ્યો છે. આ રીડિંગ હોલમાં એકસાથે 250 વિદ્યાર્થીઓ અને 50 સિનિયર સિટીઝન આરામથી બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત, એ.સી. કોન્ફરન્સ હોલ, બાળ વિભાગ અને વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના થકી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ પણ કરી શકે છે. દિવ્યાંગજનો માટે રેમ્પ, વ્હીલચેર અને દિવ્યાંગ ટોયલેટની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં પુસ્તકાલયમાં 24880 ગુજરાતી, 16547 હિન્દી, 9683 અંગ્રેજી અને અન્ય ભાષાના 4226 પુસ્તકો મળીને કુલ 55336 પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર ઉપલબ્ધ છે. સુરેન્દ્રનગરનું આ સરકારી જિલ્લા પુસ્તકાલય માત્ર જ્ઞાનનું મંદિર જ નહીં, પણ બદલાતા સમય સાથે તાલ મિલાવીને પ્રત્યેક શહેરીજનને આગળ વધવા માટેનો પથ દર્શાવતી દીવાદાંડી સમાન છે.
ચોટીલા તાલુકા કક્ષાના 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આ બેઠક ચોટીલા તાલુકાના નાવા ગામે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી મામલતદાર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાને કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરને જરૂરી બંદોબસ્ત ગોઠવવા અને પરેડનું આયોજન કરી અગાઉથી રિહર્સલ કરવા પણ જણાવાયું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર, પી.જી.વી.સી.એલ. ચોટીલાને કાર્યક્રમ દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, તાલુકા હેલ્થ ઓફિસર ચોટીલાને કાર્યક્રમ દરમિયાન મેડિકલ ટીમ હાજર રાખવા આદેશ કરાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોટીલાને દેશભક્તિના ગીતો વગાડી દેશભક્તિને લગતી કૃતિઓ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી ચોટીલાને શાળા અને તેની આજુબાજુના વિસ્તારમાં સફાઈ માટે યોગ્ય પગલાં લેવા જણાવાયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણનું આયોજન કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચોટીલાને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમનો ડાયસ પ્લાન નક્કી કરવા માટે મામલતદાર ચોટીલાને જવાબદારી સોંપવામાં આવી હતી. પાણીની વ્યવસ્થા કરતી વખતે પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ન કરવા અને તેના બદલે કાચની બોટલો અથવા ગ્લાસનો ઉપયોગ કરવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.
જલાલપોર તાલુકાના એથાણ ગામમાં ઘરકંકાસની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એથાણ ગામના હળપતિવાસમાં રહેતા સુખા હળપતિ અને તેની પત્ની મનીષા (ઉંમર 34) વચ્ચે શનિવારે બપોરે અંદાજે 1:00 વાગ્યાના સુમારે જમવા બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શરૂઆતમાં આસપાસના લોકોએ દોડી આવી મધ્યસ્થી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ પણ આવેશમાં આવી હુમલો કર્યો સ્થાનિકોની સમજાવટ બાદ થોડો સમય શાંતિ રહી હતી, પરંતુ થોડી જ વારમાં સુખા ફરી આવેશમાં આવી ગયો હતો. ગુસ્સા પર કાબૂ ગુમાવી તેણે ઘરમાં રહેલી કુહાડી વડે પત્ની મનીષા પર હિંસક હુમલો કર્યો હતો. કુહાડીના ગંભીર ઘા વાગવાને કારણે લોહીલુહાણ હાલતમાં મનીષાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતાં જ જલાલપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જલાલપોર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતમાં થયેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અમદાવાદ-કચ્છ હાઈવે પર કુડા ચોકડી પુલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડે એક પીકઅપ ડાલુમાંથી કુલ 1389 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 9.06 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 16 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 12:15 કલાકે બની હતી. પકડાયેલા આરોપીનું નામ મનશા કાળરામ બિશ્નોઇ (ઉં.વ. 25, રહે. મીરપુરા, તા. સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન) છે, જે વાહનનો ડ્રાઈવર હતો. આરોપી મનશા બિશ્નોઇ એક સફેદ કલરના પીકઅપ ડાલુ (મૂળ રજી. નંબર RJ46GA5424) માં ખોટી નંબર પ્લેટ (GJ08 AW 2521) લગાવીને દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો હતો. આ કેસમાં બુધારામ બિશ્નોઇ (રહે. ભાટીપ, સાંચોર) અને રાજુભાઈ નામના અન્ય બે આરોપીઓ ફરાર છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 3,81,975/- ની કિંમતની 1389 નંગ વિદેશી દારૂની બોટલો, રૂ. 5,00,000/- ની કિંમતનું બોલેરો પીકઅપ વાહન અને રૂ. 25,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂ. 9,06,975/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન ધારાની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2) તથા બી.એન.એસ. કલમ 336(2), 336(3), 340(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદ સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘનશ્યામભાઇ ઘાંઘરે નોંધાવી છે.
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. પેન્ડિંગ અરજીઓ અને નાગરિક સુવિધાઓ અંગે કડક સૂચનાભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યોઆ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. તેમજ કલેકટરની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી, મદદનીશ કલેકટર પ્રતિભા દહિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, આર.સી.એમ.કચેરી અધિક કલેકટર ડી.એન. સતાણી, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા-તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 11 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. VNSGU કેમ્પસમાં કલ્પતરૂ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર સંઘવી જ્યારે કન્વેન્શન હોલમાં આવ્યા ત્યારે હોલની સિલીંગ તૂટેલી હાલતમાં હોવાથી કુલપતિને આ અંગે સૂચના આપી હતી અને ટકોર પણ કરી હતી. ત્યાર બાદ પોતાના સંબોધનમાં પણ વિદ્યાર્થીઓને ચિંતા ન કરવા પણ જણાવ્યું હતું. 'ખૂબ ઝડપથી આ હોલ નવો બનવાનો છે'હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે જે હોલમાં આપણે બેઠા છીએ, હવે છેલ્લા છેલ્લા દિવસો છે. ખૂબ ઝડપથી આ હોલ નવો બનવાનો છે, એનું રીનોવેશન થવાનું છે. પછી મારા આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આનાથી પણ વધારે સુવિધાઓ આ હોલની અંદર ભવિષ્યની અંદર મળવાની છે. મારા ખ્યાલથી એક-બે મહિનામાં કામ ચાલુ થઈ જશે હવે. 16 કરોડ રૂપિયાના ખર્ચે આ હોલને આખી વ્યવસ્થાઓ હજી સુદ્રઢ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે. એટલે ભવિષ્યની અંદર એ વ્યવસ્થાઓ પણ તમને ખૂબ સારી રીતે અહીંયા ઉપલબ્ધ થશે. 'પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ'VNSGU ના કન્વેશન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે. પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે. જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે. યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ. મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે છે. વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશેસંઘવીએ કહ્યું કે, વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણના આજીવન હિમાયતી રહ્યા હતા, ત્યારે વીર કવિ નર્મદના નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઉભી કરી છે. અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપીતેમણે વધુમાં જણાવ્યું કે, દેશને વિકસિત બનાવવામાં ગુજરાત ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે. સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે.
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ચોરી થઈ છે. તસ્કરો રાત્રિના સમયે મંદિરમાં ઘૂસીને ભગવાન હનુમાનજીની મૂર્તિ તેમજ સોના-ચાંદીના આભૂષણો ચોરી ગયા હતા. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગામના આગેવાનો પાસેથી મળેલી માહિતી મુજબ, ચોરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ચોરી કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. જોકે, સમાચાર લખાય ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મોરબી જિલ્લામાં ચોરી, લૂંટ અને મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવા સંજોગોમાં શિયાળાની ઠંડીમાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે.
મીડિયા સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુબંધ છે અને મીડિયાને દબાવવાના પ્રયાસો લોકશાહી પર સીધો હુમલો છે તેમ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’માં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પંજાબ અને પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ અંગે કડક શબ્દોમાં ટીકા કરી હતી. પંજાબની સરકાર મીડિયાને દબાવવાના પ્રયાસ કરી રહી છેવિશ્વકર્માએ કહ્યું કે, કેજરીવાલના ઈશારે પંજાબની ભગવંત માન સરકાર દ્વારા મીડિયા પર કરવામાં આવતું દમન લોકતંત્રના ચોથા સ્તંભ પર ખુલ્લો હુમલો છે. સત્ય અને નિષ્પક્ષતા સાથે સમાચાર પ્રકાશિત કરનાર મીડિયા સંસ્થાઓ પર રેડ, ફરિયાદો અને દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે. તાજેતરમાં પંજાબ કેસરી ગ્રુપની ભટિંડા સ્થિત પ્રિન્ટિંગ પ્રેસ પર કોઈ નોટિસ કે આદેશ વિના પાડવામાં આવેલી પોલીસ રેડ, પત્રકારો સાથે થયેલી મારામારી અને ગેરકાયદેસર અટકાયત લોકશાહી માટે ગંભીર ચેતવણી છે. કોંગ્રેસના ઇમરજન્સીના કાળા દિવસોની યાદ અપાવે છેતેઓએ જણાવ્યું કે, અગાઉ પણ પંજાબમાં અનેક વખત આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મીડિયા પર હુમલા થયા છે. મધ્યરાત્રિએ અખબારોની પ્રેસવાન જપ્ત કરાવી, નકલો સળગાવવી, પત્રકારોને ડરાવવા અને સરકારની ટીકા કરનાર યુટ્યુબર્સ સામે કાર્યવાહી કરવી એ કોંગ્રેસના ઇમરજન્સીના કાળા દિવસોની યાદ અપાવે છે. ભાજપ આવા દમનકારી વલણની કડક શબ્દોમાં નિંદા કરે છે. પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સિવાય કોઈ સુરક્ષિત નથીપશ્ચિમ બંગાળ અંગે પ્રતિક્રિયા આપતાં વિશ્વકર્માએ જણાવ્યું કે, એક સમયે લોકશાહી ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જાણીતી બંગાળની ધરતી આજે મમતા બેનર્જીની TMCના શાસનમાં ભય, હિંસા અને ગુંડારાજની પ્રયોગશાળા બની ગઈ છે. મતદાર યાદીમાંથી ગેરકાયદેસર નામો દૂર ન કરવા માટે BLO અશોક દાસ પર થયેલું દબાણ અને તેમની આત્મહત્યા લોકશાહીની હત્યા સમાન છે. તેમણે TMCને વ્યાખ્યાયિત કરતાં કહ્યું કે, T = તુષ્ટિકરણની રાજનીતિ, M = માફિયા અને ગુંડારાજ, C = ક્રાઈમ કલ્ચર. આજે પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સિવાય કોઈ સુરક્ષિત નથી. TMC ખોટા મતદારો અને ઘૂસણખોરોના દમ પર ચૂંટણી જીતવા માગે છે અને ચૂંટણી પંચની પ્રક્રિયામાં અડચણ ઊભી કરે છે. અંતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભાજપ ભય અને દમનના રાજકારણ સામે ચૂપ નહીં રહે. અશોક દાસને ન્યાય મળે ત્યાં સુધી અને પશ્ચિમ બંગાળ ભયમુક્ત ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રશાંત કોરાટ અને મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું ખુદ ભાજપના ધારાસભ્યે સ્વીકાર્યું હતુ અને વોર્ડ નંબર 18 માંથી આ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તેવી લોક માંગણી આજે કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલનની બેઠકમાં કરી હતી. આ સાથે જ રાજકોટ શહેરમાં ચોમાસા પૂર્વે 176 જર્જરિત ઇમારતો રિપેર કરવા અથવા તોડી પાડવામાં આવે, કોઠારીયા ફ્લાય ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ સાંસદ મોકરીયાએ કરી હતી તો લોકસભા સાંસદ રૂપાલાએ દેપાળીયા ગામનો રિ-સર્વે તેમજ દબાણ સંબંધિત પ્રશ્ન રજૂ કર્યો હતો. જ્યારે ધારાસભ્ય ડૉ. શાહે સિવિલ હોસ્પિટલ નવીનીકરણ, રજીસ્ટ્રાર ઓફિસ નવી બનાવવા તથા એઈમ્સમાં વિવિધ વિભાગો અને નર્સિંગ કોલેજના પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા વતી દેપાળીયા ગામનો રિ-સર્વે તેમજ દબાણ સંબંધિત પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં ટેક્નિકલ વિગતો ચકાસીને તેનો ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે સાંસદ રામ મોકરિયા દ્વારા સિવિલ હોસ્પિટલને લગતા, શહેરમાં જર્જરીત સરકારી ઇમારતો, કોઠારીયા બાયપાસ ફ્લાયઓવર સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલમાં સુરક્ષા જાળવવા માટે કડક પગલા લેવા, શહેરમાં રહેલી 176 જર્જરીત ઇમારતો અંગે તેમજ કોઠારીયા ફ્લાયઓવરનું કામ સમયસર શરૂ થઈ જાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા સિવિલ હોસ્પિટલના નવીનીકરણ, રજીસ્ટ્રાર ઓફિસ નવી બનાવવા તથા એઈમ્સમાં વિવિધ વિભાગો અને નર્સિંગ કોલેજ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા વોર્ડ નં.18 માં લાલપાર્કમાં ઝૂંપડા તેમજ પાર્કિંગ સહિતના દબાણો તેમજ અસામાજિક પ્રવૃતિનો બંધ કરાવવા તથા વોર્ડ.17 માં ખુલ્લા પ્લોટમાં દબાણોનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેતપુર ખાતે થશે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેતપુર ખાતે કરવામાં આવશે. કલેક્ટરે જેતપુર ખાતે યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથા સલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ,મંડપ તથા માઈક પોડીયમની વ્યવસ્થા, સન્માનપત્રો તૈયાર કરવાં,વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાર્યક્રમનાં સ્થળે મેડીકલ વાહન/એમ્બ્યુલન્સ ઉપસ્થિત રાખવાં,ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે સવિસ્તાર પરામર્શ કરવામાં આવ્યો હતો તેમજ વિશિષ્ટ કામગીરી કરેલા નાગરિકોને સન્માનપત્ર વિતરણ દરમિયાન ગોઠવણ અને વ્યવસ્થાપનમાં અંગે માર્ગદર્શન આપ્યું હતુ. 8 વર્ષના બાળકને સુરક્ષિત માતા–પિતાને સોંપાયુ રાજકોટમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનની સહિયારી કામગીરીથી 8 વર્ષના વિખૂટા પડી ગયેલા બાળકનું સુખદ મિલન તેના પરિવારજનો સાથે કરાવી આપવામાં આવ્યુ હતુ. આ અંગે 181 અભયમ ટીમના કાઉન્સેલર બીનાબેન ગોહિલે જણાવ્યું હતુ કે, મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન નાગરિકે આશરે 8 વર્ષનુ બાળક એકલુ મળી આવ્યાનું જણાવ્યુ હતું. ફોન પર આપવામાં આવેલી વિગત મુજબ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકની સુરક્ષા કસ્ટડી લીધી હતી. બાળકનો ફોટો નજીકની શાળાઓમા મોકલી તપાસ કરાઈ. જોકે કોઈ સ્પષ્ટ ઓળખ ન મળતા મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનને હવાલે કરાયો.જે બાદ અટિકા ફાટક વિસ્તારથી બાળકના ભાઈ સુધી પહોંચવામાં સફળતા મળી. તે પછી માતા–પિતાને બોલાવી આધારકાર્ડ દ્વારા ઓળખ ચકાસી અને બાળકને સહીસલામત તેમના વાલી–વારસને સોંપવામાં આવ્યું હતુ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ક્ષયના દર્દીઓને મદદરૂપ થવા 179 લોકો નિક્ષય મિત્ર બન્યા રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટી.બી.મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને ક્ષય અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી ઘનશ્યામ મહેતાના માર્ગદર્શન મુજબ આયોજિત સ્ટોલમાં ક્ષયના દર્દીઓને આર્થિક અને સામાજિક ટેકો આપવાના ઉદેશથી કાર્યરત નિક્ષય પોષણ યોજનાનો લાભ લેવા અને નિક્ષય મિત્ર અભિયાનમાં જોડાવાની અપીલને લોકોએ ઝીલી લીધી હતી. પ્રદર્શનના પાંચ દિવસમાં 8000થી વધુ લોકોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી અને 179 લોકોએ નિક્ષય મિત્ર તરીકે નોંધણી કરાવીને દર્દીઓની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. ઉલ્લેખનીય છે કે, દર્દીને સારવાર દરમિયાન નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ.1000ની સહાય અને નિક્ષય મિત્રોના સહયોગથી પોષણ કીટ આપવામાં આવે છે.
અમદાવાદ શહેરની સિવિલ મેડિસિટી ફરી એકવાર દેશ અને દુનિયામાં એક વર્કશોપ યોજવા જઈ રહી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં 17થી 23 જાન્યુઆરી દરમિયાન 18મો આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ યોજાવાનો છે. આ વર્કશોપ ખાસ કરીને બાળકોમાં જોવા મળતી બ્લેડર એક્સટ્રોફી નામની જટિલ બીમારીના ઓપરેશન અને સારવાર માટે યોજાઈ રહ્યો છે. આ બીમારીમાં બાળકના મૂત્રાશયમાં જન્મજાત ગંભીર ખામી હોય છે, જેને સુધારવા માટે ખૂબ કઠિન સર્જરી કરવી પડે છે. ડોક્ટરો કોઈ પણ ફી લીધા વિના માત્ર સેવા ભાવનાથી અમદાવાદ આવશેવર્કશોપની ખાસ વાત એ છે કે અમેરિકા અને કેનેડાની જાણીતી ચિલ્ડ્રન હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરો કોઈ પણ ફી લીધા વિના માત્ર સેવા ભાવનાથી અમદાવાદ આવશે. તેઓ અહીંના ડોક્ટરોને તાલીમ આપશે અને બાળકોની જટિલ સર્જરી પણ કરશે. દરરોજ 8થી 10 કલાક સુધી સર્જરીઆ વર્કશોપ દરમિયાન ભારતના 15 રાજ્યો અને પડોશી દેશ નેપાળમાંથી મળીને કુલ 125 દર્દીઓને સારવારનો લાભ મળશે. જેમાંથી 15થી 20 ગંભીર કેસોમાં જટિલ ઓપરેશન કરવામાં આવશે. દરરોજ 8થી 10 કલાક સુધી સર્જરી કરવામાં આવશે, જેથી બાળકોને સામાન્ય જીવન મળી શકે. અમેરિકા, કોરિયા સહિતના આ 14 દેશના ડોક્ટરો તાલીમ લેશેસિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, છેલ્લા 18 વર્ષથી સિવિલ હોસ્પિટલ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વર્કશોપ યોજી રહી છે. અમારો ઉદ્દેશ માત્ર દર્દીઓને સારવાર આપવાનો નથી, પરંતુ દેશ-વિદેશના ડોક્ટરોને શ્રેષ્ઠ તાલીમ આપવાનો પણ છે. વર્ષ 2020માં આ વિભાગને બ્લેડર એક્સટ્રોફીની સારવાર માટે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની માન્યતા મળી છે. આ વર્કશોપમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, પોલેન્ડ, કુવૈત, કતાર, કોરિયા, સ્પેન, ઈરાન, સ્વિટ્ઝર્લેન્ડ સહિત 14 દેશોના ડોક્ટરો તાલીમ લેવા આવશે.

23 C