SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

હિંમતનગરના ગ્રામજનો માટે રાહતના સમાચાર:HUDA મુદ્દે રાજ્ય સરકારનો યુ-ટર્ન, નિર્ણય હાલ સ્થગિત

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA)ના પ્રસ્તાવને લઈને ગામડાંમાંથી ઊઠેલી ચિંતાઓને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. HUDA બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગામોના આગેવાનો તથા ગ્રામજનોએ પોતાની રજૂઆતો મૂકી હતીભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનોએ પોતાની રજૂઆતો મૂકી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રચાયેલી કમિટીના સભ્યો મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી રચવાનો નિર્ણય હાલ માટે રોકવાનો સ્પષ્ટ નિર્ણય કર્યોઆ બેઠક દરમિયાન ગ્રામજનો દ્વારા જમીન, વિકાસના સ્વરૂપ, સ્થાનિક હિતો અને ભવિષ્યની અસર અંગે ઉઠાવાયેલા તમામ મુદ્દાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી રચવાનો નિર્ણય હાલ માટે રોકવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ગ્રામજનો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે સરકાર તરફથી પણ સંવાદ અને સહમતિના આધારે આગળ વધવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:24 pm

ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹2800 કરોડના ચેક વિતરિત કર્યા, CITIISમાં ગુજરાત અગ્રણી રાજ્યોમાં સામેલ; અમદાવાદમાં ગૌરવશાળી સમારોહ

અમદાવાદમાં યોજાયેલા શહેરી વિકાસ વર્ષ 2025ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ ₹2800 કરોડની રકમના ચેક વિતરિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા CITIIS (સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન) કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ પર ફોકસમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતીતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવી હતી. આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો. જો વિઝનરી લિડરશીપ હોય અને વિકાસ માટેના કમિટમેન્ટ સાથે પૈસાની કોઈ કમી ના હોય તો કેટલી સ્પીડથી અર્બન ડેવલોપમેન્ટ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ શહેરી વિકાસ વર્ષથી પૂરું પાડ્યું છે. નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડના ચેક અર્પણ શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની એ સફળતાને પગલે મોર્ડન અર્બન ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનને વધુ ગતિ આપવા રાજ્ય સરકારે સર્વ સ્પર્શી, સર્વ પોષક અને સર્વ સમાવેશી નગરોના વિકાસની નેમ પાર પાડવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને એક સાથે એક જ મંચ પરથી કુલ 2800 કરોડ રૂપિયાની રકમના ચેકો વિવિધ સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કર્યા હતા. રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ વિકાસ કામો માટે આપ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં આ ચેક અર્પણ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને 40 કરોડ મુજબ કુલ 360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ 308 કરોડ રૂપિયા મળીને સમગ્રતયા 2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા. સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામોના આયોજનમાં નાણાંની કોઈ તંગી ન રહે એવું જે ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સરકારે કર્યુ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, વધુને વધુ નાણાં લોકોના વિકાસ કામો માટે કેમ વાપરી શકાય તેની ક્ષમતા હવે નગરપાલિકાઓએ હવે વધારવાની છે. તેમણે વિકાસના કામોમાં ગુણવત્તાને અને સ્વચ્છતાને પ્રાયોરિટી આપવાનું પ્રેરક સૂચન કરતાં ઉમેર્યુ કે, સ્વચ્છતા એ સૌનો સહજ સ્વભાવ બની ગયો છે ત્યારે એ માટેના વધુ ઈનિસ્યેટિવ લેવાનું દાયિત્વ નગરપાલિકા-મહાનગરપાલિકાઓએ નિભાવવાનું છે. “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયારઆપણા 6 શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાને મેળવ્યું છે તે લિગસી ને આગળ વધારવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બધા જ શહેરોને લિડ લેવાનો અને વોર્ડ દીઠ કચરાનું 100 ટકા સેગ્રીગેશન કરવાનો તથા નગરપાલિકાઓમાં વીજ બિલની બચત માટે ગ્રીન ક્લિન સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ “અર્નિંગ વેલ અને લિવિંગ વેલ”ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે. તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ અનુરોધ મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓને કર્યો હતો. આજે અનેક શહેરોએ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે શહેરી વિકાસ માટે એક જ સ્થળેથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક અર્પણ કરવાના આ કાર્યક્રમ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી પ્રજાની સમસ્યાઓ અને તકલીફોના સમાધાન માટે સતત પ્રયાસરત રહે છે. મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનાં ઉકેલ શોધવા મુખ્યમંત્રીશ્રીએ સતત પ્રયાસરત રહીને જન સુખાકારીના અનેકવિધ કાર્યો પૂર્ણ કરાવ્યા છે. એમના જ કાર્યકાળમાં આજે અનેક શહેરો એ દેશમાં સ્વચ્છતામાં આગળ આવીને મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છેનાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાં નાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવે સતત તકલીફોમાં જીવવું પડતું હતું. પરંતુ, નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શાસનધૂરા સંભાળ્યા બાદ ગુજરાતનાં શહેરો અને જિલ્લાઓ સતત વિકાસપથ પર તેજ ગતિથી આગળ વધ્યાં છે અને આજે સમગ્ર દેશ વિકાસની આ તેજ ગતિ જોઈ રહ્યો છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપ્યુંતેમણે ઉચ્ચકક્ષાની માળખાગત સુવિધાઓ સાથે નગરોના સતત વિકાસ વિશે વાત કરતાં કહ્યું કે, રાજ્યની 9 નગરપાલિકાઓ આજે મહાનગરપાલિકાઓ બની છે. ધોલેરા અને ગિફ્ટ સિટીનું ઉદાહરણ આપી, સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સ્વચ્છતા સહિત અન્ય ક્ષેત્રોમાં અને નાગરિક સુવિધાઓ માટે ઉપસ્થિત સૌને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા એકસાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. શહેરી વિકાસમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના વિકાસ માટે અનેકવિધ આયામો અને યોજનાઓ અમલી બનાવી હતી. જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત સહિતની યોજનાઓ અને અભિયાનો ઉપરાંત આદિજાતિ વિકાસ માટે અલાયદું બજેટ તથા 2005માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાનો પાયો નરેન્દ્રભાઈએ નાખ્યો હતો. શહેરી વિકાસ વિભાગનું બજેટ 22 હજાર કરોડથી વધારીને 30 હજાર કરોડ કર્યું એ જ દિશામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગનું બજેટ 22 હજાર કરોડથી વધારીને 30 હજાર કરોડ કર્યું છે. શહેરોમાં રોડ રસ્તા, સેનિટેશન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સહિતના શહેરી વિકાસના પ્રકલ્પોના નિર્માણ માટે શહેરી વિકાસ વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે તેમ જણાવી, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારોને તેમણે દરેક વિકાસકામ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અંતર્ગત આવતા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધીતેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે સતત દરકાર લીધી હતી. એ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પણ શહેરી વિકાસ વિભાગના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને લોકોની સુખાકારી વધારવા માટે અનેકવિધ પ્રકલ્પોના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ અવસરે રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો, શહેરીવિકાસ અગ્રસચિવ એમ. થેન્નારસન, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ શ્રીમતી રેમ્યા મોહન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિક કમિશનર વીણા પટેલ તેમજ રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:22 pm

વેરાવળમાં એસ.ટી. બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો:ભાવનગર-વેરાવળ રૂટ પર લાઇન ચેકિંગમાં પર્દાફાશ, ઉના ડેપો સાથે તાર

ગીર સોમનાથ ભાવનગરથી વેરાવળ આવી રહેલી એસ.ટી. બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનો બનાવ સામે આવ્યો છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક આવેલા નમસ્તે સર્કલ પાસે નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન બસમાંથી વિદેશી દારૂ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તો બીજી GSRTC બસમાં દારૂની હેરાફેરીના તાર ઉના એસ.ટી ડેપો સાથે જોડાયા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી GJ-18 ZT 0439 નંબરની એક્સપ્રેસ એસ.ટી. બસમાં ચેકિંગ દરમિયાન એક થેલો મળી આવ્યો હતો. તપાસ કરતાં થેલામાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ થેલો બિનવારસી હોવાનું જાણવા મળ્યું છે. GSRTCની લાઇન ચેકિંગ ટીમે સમગ્ર મામલાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરી હતી. બાદમાં ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો વધુ તપાસ અર્થે પ્રભાસ પાટણ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે GSRTCના ડ્રાઇવર ઘેલાભાઈ મૂલુભાઈ વાધ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા એસ.ટી. બસ મારફતે દારૂની હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ GSRTC ની બસ માં વિદેશી દારૂ ની હેરાફેરીના તાર ઉના એસ.ટી બસ ડેપો સાથે જોડાયા હોવાનું આધારભૂત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો પોલીસ તટસ્થ તપાસ હાથ ધરે અને આ બસ ના ઉના એસ.ટી.બસ ના CCTVની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરે તો દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. જાહેર પરિવહનના સાધનોનો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાની ઘટનાઓ સામે આવતાં સુરક્ષા અને ચેકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:14 pm

મોરબીમાં વ્યાજખોરી મામલે બે સામે ફરિયાદ:વેપારી પાસે 88 લાખની પઠાણી ઉઘરાણી કરનાર એકની ધરપકડ

મોરબીમાં એક વેપારી યુવાન પાસેથી વ્યાજખોરો દ્વારા લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ 88 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. આ મામલે વેપારીએ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના રાતડીયાની વાડી મેઇન કેનાલ પાસે રહેતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર (35) એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રકાશભાઈ રામજીભાઈ પઢીયાર (રહે. નાના રામપર) અને ભરતભાઈ રબારી (રહે. થોરાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કિશોરભાઈએ જુલાઈ 2024માં પ્રકાશભાઈ પાસેથી શરૂઆતમાં 1 લાખ અને પછી ટુકડે ટુકડે 21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. કિશોરભાઈએ લીધેલા તમામ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હતા અને તેનું નોટરી લખાણ પણ કરાવ્યું હતું. તેમ છતાં, પ્રકાશભાઈ પઢીયારે એક લાખ રૂપિયા પર દિવસના 800 રૂપિયા લેખે વ્યાજ પેટે ટુકડે ટુકડે 26 લાખ રૂપિયા વસૂલ્યા હતા. આટલું જ નહીં, તેઓ વધુ 78 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા અને રૂપિયા ન આપવા બદલ કિશોરભાઈ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ, ભરતભાઈ રબારી પાસેથી કિશોરભાઈએ 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના બદલામાં તેમણે 7 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં, ભરતભાઈ રબારી વધુ 10 લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરી રહ્યા હતા અને રૂપિયા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બંને આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા કિશોરભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં આરોપી લાલજી ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ (ઉં.વ. 30, રહે. પ્રાથમિક શાળા પાસે, થોરાળા) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:09 pm

સુરત પોલીસે 'નો પાર્કિંગ'માંથી ગાડી ઉઠાવતા જ યુવક-યુવતીનો હંગામો, VIDEO:યુવકે મહિલાકર્મીને ધક્કો માર્યો, કહ્યું- હું અધિકારી હોઉં તો એકપણ લુખ્ખો ન હોય; અટકાયત થતાં જ માફી માગી

સુરત શહેરના વરાછા-સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોના પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. તાજેતરમાં યોગીચોક વિસ્તારમાં 'નો પાર્કિંગ' માંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે મહિલા પોલીસને યુવકે ધક્કો પણ માર્યો હતો. આ સાથે જ યુવક કહી રહ્યો હતો કે, જો હું અધિકારી હોઉં તો સુરતમાં એકપણ લુખ્ખો ન હોય. આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ માફી માગી હતી. વાહન ઉઠાવતા જ યુવક અને યુવતીનું પોલીસ સાથે ઘર્ષણસુરતના યોગીચોક વિસ્તારમાં યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાર્ક માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ દ્વારા 'નો પાર્કિંગ'માં પડેલા વાહનો ઉઠાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ગાડી ટોઈંગ કરવામાં આવતા ત્યાં હાજર યુવક અને યુવતી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. મામલો એટલો બિચક્યો હતો કે યુવતી ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે જ ઉભી રહી ગઈ હતી અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો. યુવકે મહિલા પોલીસને ધક્કો માર્યો અને વિવાદિત નિવેદનઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસકર્મીઓ અને પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની હાજરીમાં જ યુવકે મહિલા પોલીસકર્મીને ધક્કો માર્યો હતો. યુવકે સિસ્ટમ પ્રત્યે રોષ ઠાલવતા વિવાદિત નિવેદન આપ્યું હતું કે, જો હું અધિકારી હોત તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોત, હું દેશ માટે પગાર પણ ન લઉં. મારે આ સડી ગયેલી સિસ્ટમમાં નથી આવવું. પોલીસે યુવક-યુવતી સામે કડક કાર્યવાહી કરતા માફી માગીસરથાણા પોલીસ દ્વારા અંતે બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા યુવક અને યુવતીના તેવર નરમ પડ્યા હતા. જેથી બંનેએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની ફરજમાં રુકાવટ ન કરવા માટેનું લેખિત માફીનામું આપ્યું હતું. સાથે જ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની બાહેંધરી આપી હતી. યુવક અને યુવતીની જાહેર જનતાને અપીલ પોલીસ સ્ટેશનમાં માફી માગ્યા બાદ યુવક અને યુવતીએ જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું જોઈએ નહીં. અન્ય લોકોએ ઉશ્કેરતા આવેશમાં આવીને કાયદો હાથમાં લેવાથી મુશ્કેલી વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:04 pm

મોરબીમાં પિતાના ઠપકાથી સગીરે ઝેરી દવા પીધી:બગથળા ગામે સારવાર દરમિયાન મોત, પોલીસે તપાસ શરૂ કરી

મોરબીના બગથળા ગામે પિતાના ઠપકાથી નારાજ થઈને એક સગીરે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબી તાલુકાના બગથળા ગામે રમેશભાઈ મેરજાની વાડીએ મજૂરી કામ કરતા હરસિંગભાઈ ભુરીયાના 17 વર્ષીય પુત્રએ આ પગલું ભર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો, જે તેને પસંદ ન આવતા તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 10:03 pm

ગુજરાતમાં SIR-2025 ઝુંબેશ પૂર્ણ:19 ડિસેમ્બરે મુસદ્દા મતદારયાદી જાહેર થશે, 100% ગણતરી કામગીરી સંપન્ન

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી, ફોર્મ પરત આવવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો હતો ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, તેથી માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે. આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી. ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી હતી. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી. 3 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે. SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી આમ, આ મતદારયાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.જે ભારતના નાગરિક છે અને SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો એવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:52 pm

રાજકોટની SNSD સ્કૂલને રૂ.1 લાખનો દંડ:સ્થળ ફેરફારની મંજૂરી વિના અઢી વર્ષથી ધમધમતી સ્કૂલ હવે DEO કચેરીના ધ્યાને આવી !

રાજકોટમાં શિક્ષણના નામે લાલિયાવાડી ચાલતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી SNSD સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી શાળા હરીપર ગામે સ્થળાંતરિત કરી દેવામાં આવી હતી પરંતુ અઢી વર્ષ પહેલાનો આ સ્થળ ફેરફાર છેક બે વર્ષે એટલે કે આજથી છ મહિના પહેલા ધ્યાને આવ્યો હતો. જે બાદ નોટિસ અને થયેલી તપાસમાં સ્કૂલની બેદરકારી હોવાનું ખુલતા રૂ.1 લાખનો દંડ ફટ કરવામાં આવ્યો છે અને સ્કૂલ બંધ કરવા માટે વડી કચેરીએ ભલામણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાજેતરમાં નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી શાળાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષીત પટેલે જણાવ્યુ હતુ કે, કાલાવાડ રોડ પર છેલ્લા 14 વર્ષથી ભાડાના બિલ્ડીંગમાં SNSD સ્કૂલ કાર્યરત હતી. 6 મહિના પહેલા જ્યારે આ બાબતે અને આવી ત્યારે ત્યાં 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જોકે હવે ત્યાં 8 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે જેમને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સંચાલકો દ્વારા અઢી વર્ષ પહેલા અત્રેની કચેરીએથી કોઈ પણ પ્રકારની સ્થળ ફેરફાર કરવા અંગેની મંજુરી લીધા વગર જ શાળાને હરિપર ગામે સ્થળાંતરીત કરવામાં આવી હતી. જોકે આ બાબત 6 મહિના પહેલા ધ્યાને આવી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીની રચના કર્યા થઈ. જ્યાં SNSD શાળાના સંચાલકો પાસે કોઈ પણ પ્રકારની સ્થળ ફેરફાર હોવાના કાગળીયા મળી ન આવ્યા હોવાનો રિપોર્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી હવે DEO કચેરી દ્વારા SNSD સ્કૂલના સંચાલકોને રૂ.1 લાખ સુધીનો દંડ અને આ શાળા બંધ કરવા અંગે ગાધીનગર શિક્ષણ વિભાગમાં ભલામણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:48 pm

વેરાવળમાં 181 અભયમે યુવતીનો જીવ બચાવ્યો:આત્મહત્યા માટે રેલવે ટ્રેક પર પહોંચેલી યુવતીનું કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

વેરાવળમાં 181 મહિલા અભયમ હેલ્પલાઈન ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સમયસર હસ્તક્ષેપ કરી એક યુવતીનું અમૂલ્ય જીવન બચાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, વેરાવળ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પાસે એક યુવતી નિઃસહાય હાલતમાં હોવાનું ધ્યાન જાગૃત નાગરિકને આવતા તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર મનીષાબેન વઢવાણા, મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા તથા પાયલોટ રમેશભાઈ બામણિયા વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમ દ્વારા યુવતીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ મેળામાં જવાની ના પાડતાં તેણીને અત્યંત દુઃખ લાગ્યું હતું. આ મુદ્દે પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેમજ પરિવારજનોએ માસીની દીકરીનો પક્ષ લીધો હોવાનું લાગતાં તેણી માનસિક રીતે હતાશ બની ગઈ હતી. ભાવનાત્મક આઘાતના કારણે તેણી ઘરેથી નીકળી આત્મહત્યા કરવાનો વિચાર કરી રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી. 181 મહિલા અભયમ ટીમે યુવતીને આત્મહત્યાના ગંભીર પરિણામો અંગે સમજાવી, વિશ્વાસમાં લઈને જીવન તરફ પાછા વળવા પ્રોત્સાહિત કરી હતી. ત્યારબાદ યુવતીને સુરક્ષિત રીતે ઘરે લઈ જઈ તેની માતાને સોંપવામાં આવી હતી. આ સાથે પરિવારજનોને પણ સંવાદ, સમજદારી અને લાગણીસભર સહયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં યુવતીને હેમખેમ રીતે બચાવી પરિવાર સાથે મિલન કરાવવાના બદલામાં માતા તેમજ મામા-મામી સહિત પરિવારજનોએ 181 મહિલા અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. 181 મહિલા અભયમ હેલ્પલાઈનની આ કામગીરી સમાજ માટે આશાનું કિરણ બની છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:43 pm

વડોદરા ટ્રાફિક પોલીસની વર્ષ 2025ની કામગીરી:જનજાગૃતિ અને ટેક્નોલોજીના ઉપયોગથી અકસ્માતોમાં ઘટાડો, અવાજનું પ્રદૂષણ કરતા સાઇલેન્સર પર બિલ્ડોઝર ફેરવાયું

વડોદરા શહેર પોલીસ કમિશ્નરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાએ વર્ષ 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ કરવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના પરિણામે શહેરમાં માર્ગ અકસ્માતોના આંકડામાં 2024ની તુલનાએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 75 હજાર નાગરિકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજાવાયુંટ્રાફિક શાખા દ્વારા શાળા-કોલેજો, કંપનીઓ, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ જાહેર સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, નાટક, નુક્કડ નાટક, રેલી, બાળ મેળા અને સડક સંવેદના જેવા મોટા કાર્યક્રમો દ્વારા કુલ 25 જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં આશરે 75,000થી વધુ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત વાહનચલન અંગે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં અનધિકૃત મીડિયન કટના સર્વે પછી 63 જગ્યાએ તેને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરમાં ફેઝ-2માં 2614 સીસીટીવી લગાવવાનું કામ શરૂવડોદરા ટ્રાફિક વિભાગે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ટ્રાફિક નિયંત્રણ અને વાયોલેશન પર અંકુશ મેળવ્યો છે. જેમાં સ્માર્ટ સિટી અને વિશ્વાસ ફેઝ-2 હેઠળ કુલ 2614 સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પ્રગતિમાં છે. ITMS સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમભંગ કરનારને ઓટોમેટિક ઈ-ચલણ જારી કરવામાં આવે છે. સાથે ONOC હેઠળ VOC અને E-Challan એપ્લિકેશન દ્વારા ઓન-રોડ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ઈ-ચલણ અને મેમો જારી કરાય છે. 676 બોડીવોર્ન કેમેરાથી ઘટનાઓનું લાઇવ રેકોર્ડિંગઆ સાથે 43 પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જંકશનો પર ટ્રાફિક નિયમો અંગે સતત જાહેરનામા કરવામાં આવે છે. સાથે 7 ડ્રોન કેમેરા દ્વારા બ્લેક સ્પોટ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સર્વેલન્સ રાખવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા 676 બોડીવોર્ન કેમેરા (જેમાંથી 73 કંટ્રોલ રૂમ સાથે લાઇવ ઇન્ટિગ્રેટેડ) દ્વારા ફીલ્ડ અધિકારીઓની ઘટનાઓનું લાઇવ રેકોર્ડિંગ થાય છે. ઈ-ચલણ હવે ઘરે બેઠાં UPI એપ્સ (ગૂગલ પે, ફોન પે, પેટીએમ, SBI યોનો, ભીમ) દ્વારા માત્ર થોડી ક્લિકમાં ભરી શકાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા 5383 વાહનોને ડીટેઇન કરાયાઆ સાથે સ્વદેશી ‘મેપલ્સ માય એપ’ સાથે MOU હેઠળ રોડ ક્લોઝર, ડાયવર્ઝન, જામ જેવી માહિતી રીઅલ-ટાઇમ અપડેટ કરી નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસે બુલેટ બાઇકના ઘોંઘાટીયા સાયલન્સર સામે ખાસ ડ્રાઇવ ચલાવી 2025માં 506 વાહનોના સાયલન્સર કોર્ટના આદેશ મુજબ નાશ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ દરમિયાન 2,55,672 ઈ ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે સાથે જ 5383 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં 165 જેટલા ફેટલ અકસ્માત સર્જાયા હતા જે વર્ષ 2025માં 160 થયા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:42 pm

અમદાવાદમાં 21 ડિસેમ્બરે 'શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ':બ્રહ્માકુમારીઝ ગુજરાતના 'હીરક જયંતી મહોત્સવ' નિમિત્તે આયોજન, વૈશ્વિક શાંતિ માટે 60,000થી વધુ રાજયોગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનો કરશે સામૂહિક મેડિટેશન

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ગુજરાત ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિતે 'હીરક જયંતિ'ના ઉપ્લક્ષમાં તારીખ 21 ડિસેમ્બર, 2025 રવિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે ભવ્યાતિભવ્ય શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયે દરેક વ્યક્તિના જીવનમાં શાંતિની પુકાર છે અને આજે માનવ મન શાંતિ ઈચ્છે છે, ત્યારે મૂલ્યોથી મૂલ્યવાન જીવન બનાવવાના એક સુંદર અભિગમ સાથે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજાઇ રહ્યો છે, તેમ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજ્યોગીની ભારતીદીદીએ જણાવ્યું છે. વિશ્વ યોગ દિવસે આયોજિત આ સમારોહ બ્રહ્માકુમારીઝ મુખ્યાલય માઉન્ટ આબુના સહ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતીદીદીની અધ્યક્ષતામાં યોજાશે. સમારોહનું મુખ્ય મહેમાન પદ ડૉ. નીરજા ગુપ્તા, કુલપતિ ગુજરાત યુનિવર્સિટી તથા અતિથિ વિશેષ પદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર ભ્રાતા જી.એસ.મલિક શોભાવશે.'હીરક જયંતી સમારોહ'ના મુખ્ય આકર્ષણો 1. વિશ્વ ધ્યાન દિવસે વૈશ્વિક શાંતિ માટે 600થી વધુ શ્વેત વસ્ત્રધારી રાજયોગી બ્રહ્માકુમારી ભાઈ બહેનો શાંતિદૂત બની, શાંતિના એક જ લક્ષ્ય પર, એક સાથે, એક સ્થાને, આબેહૂબ રંગોના પ્રકાશમય દિવ્ય વાતાવરણમાં સામૂહિક મેડિટેશન કરશે.2. સાત વિવિધ મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે ગીત, સંગીત, કલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સાથે 100 થી વધુ કલાકારો આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ થશે. 3. 60 તપસ્વી રાજ્યોગીની બ્રહ્માકુમારી બહેનો પવિત્રતાના સૂચક કમળ આસન પર બેસીને ધ્યાન કરશે.4. પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા વિડિઓ સંદેશ તથા બ્રહ્માકુમારીઝ ગુજરાતની ઈશ્વરીય સેવાઓની ઝલક પણ રજૂ કરવામાં રહેશે. આપ આપના સ્થાને રહી જીવંત પ્રસારણ નિહાળતા, મનથી આ સમૂહ મેડિટેશનમાં જોડાઈ શાંતિની અંજલિ મેળવી શકો છો.ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે સહભાગી બનવા આપનું સહૃદય આહવાન કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:39 pm

હીરા વેપારી સાથે 40 લાખની ઠગાઈ કેસમાં દલાલ ઝડપાયો:થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી 30 આરોપીઓને પાસા, તમંચા સાથે ટેમ્પો ચાલક ઝડપાયો

આગામી નાતાલ અને 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ દિવસમાં સુરત પોલીસે આર્થિક ગુનાખોરીથી લઈને ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો સામે લાલ આંખ કરી છે. હીરા વેપારી સાથે 40 લાખની ઠગાઈ કેસમાં દલાલ ઝડપાયોસુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકસાન પહોંચાડતા તત્વો સામે ઈકો સેલે કડક કાર્યવાહી કરી છે. મહિધરપુરાના હીરા વેપારી કલ્પેશભાઈ ચોવટિયા સાથે થયેલી રૂ. 40.39 લાખની ઠગાઈના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસની વિગત મુજબ, મુંબઈની 'પારસમણી પલ્સ એન્ડ જ્વેલર્સ'ના માલિક મુકેશ સોનીએ વેપારી પાસેથી વિશ્વાસમાં લઈ હીરા મેળવ્યા હતા, પરંતુ તેનું પેમેન્ટ ચૂકવ્યું નહોતું. આ કેસમાં 10 દિવસ પહેલા મુખ્ય આરોપી મુકેશ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પોલીસની ઊંડી તપાસમાં બહાર આવ્યું કે આ ઠગાઈમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવનાર દલાલ પણ એટલો જ જવાબદાર છે. ઈકો સેલના ઇન્સ્પેક્ટર જાડેજાની ટીમે બાતમીના આધારે ઉત્રાણ વિસ્તારના શિવમ પેલેસમાં રહેતા 49 વર્ષીય દલાલ કિરીટ દુર્લભભાઈ ફિંડોળીયાને દબોચી લીધો છે. આ ધરપકડથી હીરા બજારના અન્ય ઠગ તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તહેવારો પહેલા 'પાસા' હેઠળ 30 આરોપીઓ જેલ ભેગાશહેરમાં શાંતિ જળવાય અને નાગરિકો નિર્ભય બનીને તહેવારો ઉજવી શકે તે માટે પીસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા છેલ્લા 10 દિવસમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 30 આરોપીઓ વિરુદ્ધ પાસા (PASA) હેઠળ હુકમ કરવામાં આવ્યા છે.આ કાર્યવાહીમાં માત્ર હીરાની છેતરપિંડી જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ, સગીરાઓ પર બળાત્કાર, અપહરણ અને છેડતી જેવા જઘન્ય અપરાધો કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ 30 આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલ, ભુજ મધ્યસ્થ જેલ અને રાજકોટ જેલ જેવા અલગ-અલગ સ્થળોએ ધકેલી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સાયબર ઠગ મોહમદ ઇમરાન અને હીરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર કાર્તિક શાહનો સમાવેશ થાય છે. મહિલાઓની સુરક્ષા અને સાયબર સુરક્ષા માટે પોલીસનું આ પગલું ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ભેસ્તાન જીઆવ રોડ પરથી તમંચા સાથે ટેમ્પો ચાલક ઝડપાયોબીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સ્ક્વોડ પણ સતર્ક બની છે. ભેસ્તાન જીઆવ રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પાંડેસરામાં રહેતા ટેમ્પો ચાલક જીતેન્દ્રકુમાર વર્માની ધરપકડ કરી છે. તેની પાસેથી રૂ. 5000ની કિંમતનો એક દેશી તમંચો મળી આવ્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તે કોઈ ગુનાહિત ઈરાદાથી નહીં પણ માત્ર 'મોજ-શોખ' માટે વતનથી આ ગેરકાયદે હથિયાર ખરીદી લાવ્યો હતો. જોકે, પોલીસનું માનવું છે કે આવા હથિયારો ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે, તેથી આર્મ્સ એક્ટ હેઠળ તેની સામે ગુનો નોંધી સખત કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:35 pm

સાબરકાંઠામાં નિકુભા ગેંગના ચાર સામે ગુજસીટોક દાખલ:ખનીજચોરી રોકતા સરકારી કર્મચારીઓ પર હુમલા બદલ કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લામાં ખનીજચોરી રોકવા ગયેલા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર સભ્યો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા એલસીબીએ બુધવારે આ કાર્યવાહી કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. એલસીબીના સૂત્રો અનુસાર, પ્રાંતિજ તાલુકાના નવાપુરા (સિતવાડા) ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ, ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ આ ગેંગના સભ્યો છે. આ શખ્સો સાબરમતી નદીમાંથી થતી ખનીજચોરી અટકાવવા આવતા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથે અવારનવાર ઝઘડો કરી મારામારી કરતા હતા. આ ગેંગ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં મારામારી અને ખુનની કોશિશ સહિત કુલ 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. જિલ્લા પોલીસવડાએ ખનીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. ગુજસીટોક 2015 હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરવામાં આવતા, જિલ્લામાં તંત્રની આંખમાં ધૂળ નાખીને ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:35 pm

વડોદરામાં દબાણો દૂર કરાતા ધારાસભ્ય અને કોંગ્રેસ કાઉન્સિલરના પતિ આમને-સામને:આવાસો‌ ફાળવ્યા વગર દબાણો દૂર કરાયાનો આક્ષેપ, MLAએ કહ્યું- ચાર દિવસ પહેલા આવાસો ફાળવ્યા હતા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે આવેલા FP 108 નંબરના પ્લોટ ઉપરના ગેરકાયદે કાચા-પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીને પગલે સયાજીગંજ વિસ્તારના ભાજપાના ધારાસભ્ય અને સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરના પતિ આમને-સામને આવી ગયા હતા. કાઉન્સિલરના પતિ અને દબાણકારોને આક્ષેપ કર્યો હતો કે, આવાસો‌ ફાળવ્યા વગર દબાણો દૂર કરવામા આવ્યા છે. એક તબક્કે દબાણ શાખાની ટીમ અને દબાણકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. મકાન ઉપર બુલડોઝર ફરતા એક મહિલા રડી પડી હતી. પ્લોટ ઉપર 25 ઝુપડા સહિતના કાચા-પાકા મકાનોશહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે FP 108 નંબરનો સરકારી પ્લોટ આવેલો છે. આ સરકારી પ્લોટ ઉપર વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવનાર છે. ત્યારે આ પ્લોટ ઉપર 25 જેટલા ઝુપડા સહિતના કાચા પાકા મકાનો હતા. આ દબાણો દૂર કરવા માટે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈદબાણ શાખાની ટીમ સ્થળ ઉપર પહોંચતાની સાથે જ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડીયા અને સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને તેમના પતિ નરેન્દ્ર રાવત પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને દબાણો ન તોડવા માટે રજૂઆત કરી હતી. પરંતુ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મકાન માલિકોને ચાર દિવસ પહેલા આવાસો ફાળવ્યા હતાધારાસભ્ય કેયુર રોકડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ગોરવા મધુનગર ચાર રસ્તા પાસેના વાણિજ્ય પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી રહી હતી અને આ પ્લોટ ઉપર વિસ્તારના લોકો માટે ફાયર સ્ટેશન બનાવવા માટેની પણ રજૂઆત હતી. જેને લઇને આજે દબાણ શાખાની ટીમ દ્વારા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્લોટ ઉપરના મકાન માલિકોને ચાર દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા આવાસો પણ ફાળવી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર અને તેમના પતિ ગરીબોના મસિહા બનીને આ કામગીરી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્લોટ ઉપર કોંગ્રેસના સમયમાં જ દબાણો થયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આવાસ ફાળવ્યા નથી અને મકાનો દૂર કરી દેવાયાતો બીજી બાજુ ધારાસભ્યના આક્ષેપ સામે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમીબેન રાવતના પતિ નરેન્દ્ર રાવતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નડતરરૂપ દબાણો દૂર થવા જોઇએ. FP 108 નંબરનો પ્લોટ વાણીજ્ય હેતુ માટેનો છે. આ પ્લોટ ઉપર કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ હતાં. આ પ્લોટ ઉપર રહેતા લોકોએ પહેલાં આવાસોની ચાવી આપો બીજા દિવસે મકાનો ખાલી કરી દેવાની બાંહેધરી આપી હતી. ચાર દિવસ પહેલા આવાસોના ડ્રો થયા છે. હજુ આવાસ ફાળવવામાં આવ્યા નથી. આમ છતાં તેઓના મકાનો દૂર કરી દેવામાં આવ્યા છે. કાઉન્સિલરે આક્ષેપ કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યોગોરવા મધુનગર ચાર રસ્તા પાસેના વાણિજ્ય પ્લોટ ઉપરના દબાણો દૂર કરવા બાબતે કોર્પોરેશન દ્વારા જે રીતે ઉતાવળ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતો પત્ર કાઉન્સિલર અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, આવાસોની ફાળવણી કરતા પહેલાં ગરીબોના મકાનો દૂર કરવામાં આવ્યા છે. દબાણ શાખાના અધિકારીઓ ભાજપાના ઇશારે કામ કરી રહ્યા છે. જો દબાણો જ દૂર કરવા હોય તો વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો સહિત શહેરમાં અનેક ગેરકાયદેસરના દબાણો છે તે દૂર કરો. ગરીબોના દબાણો દૂર કરી હેરાન ન કરો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:30 pm

ગોંડલ રોડ પર અકસ્માત:માતા સાથે રસ્‍તો ઓળંગતી બાળાને ટુવ્‍હીલર ચાલક ઉલાળી નાસી ગયો નંબર પ્લેટ ઉપરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

-ડિવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરા ગુરૂકુળ સામે રહેતાં જયશ્રીબેન ભોજાભાઇ વઢીયારા (ઉ.વ.39)ની ફરિયાદ પરથી એક્‍સેસ ટુવ્‍હીલર નં. જીજે.03.એમજે.7916ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયશ્રીબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે શાકભાજી વેંચી પરિવારને મદદરૂપ થાય છે. ગત તા.02.12.2025ના રોજ તેની 16 વર્ષની દિકરી ગોંડલ રોડ પૂલ ઉતરતાં મક્કમ ચોક તરફ જતાં રસ્‍તા પર રંગોલી કોમ્‍પલેક્ષ પાસેના રસ્‍તા પર ડિવાઇડર પાસે રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે એક્‍સેસના ચાલકે તેની દિકરીને ઠોકરે ચડાવી દીધી હતી. અકસ્‍માત સર્જી તે ભાગી ગયો હતો પરંતુ તેની નંબર પ્‍લેટ નીકળીને જયશ્રીબેનની સાડીમાં ફસાઇ ગઇ હતી. અકસ્માતમાં દીકરીને ડાબા પગે ગોઠણની ઘુંટી સુધીના ભાગે ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સરકારી હોસ્‍પિટલમાં લઇ જવાઇ હતી. અહિ ડોક્‍ટરે તેને પગમાં ફ્રેકચર થઇ ગયાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્‍યું હતું. બાદ નંદનીનું ડોક્‍ટરે ઓપરેશન કરી પગમાં સળીયો બેસાડયો હતો. હાલ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત ફિરોઝભાઈ મુંગરભાઈ સોરા (ઉં.વ.46) એ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પરિવારને જાણ થતા 108માં જાણ કરાઈ હતી જે બાદ 108ના ઇએમટીએ ફિરોઝભાઈને તપાસી મૃત જાહેર કર્યાં હતા અને બી.ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ફિરોઝભાઈ 8 ભાઈ નાના હતા અને તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. તેઓ પોતે મજૂરી કામ કરતા હતા અને માનસિક બીમારી અને આર્થિક ભીંસથી આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત રાજદીપ પ્રિતેશભાઈ સોલંકી (ઉં.વ.16) ગઈ તા.11.12.2025ના રોજ મોટર સાયકલ લઈને કામ કરવા જતો હતો ત્યારે રેલનગરના નાલા પાસે બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પોતે શ્રમિક કામ કરતો અને તેમના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયું હતું જે બાદ માતાએ અન્ય લગ્ન કરી લેતા મૃતક પોતાના ફુવા સાથે રહેતો હતો પોતે બે બેનનો એકનો એક ભાઈ હતો જેના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:27 pm

સોલા અને શીલજના પ્લોટ વેચાયા:હેબતપુર-વસ્ત્રાલ સહિતના 4 પ્લોટના વેચાણથી 441 કરોડની AMCને આવક થશે, રહેણાંક અને કોમર્શિયલ બંને પ્લોટ વેચાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. તાજેતરમાં જ 13 જેટલા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા હતા. શીલજ, સોલા, હેબતપુર અને વસ્ત્રાલમાં પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 441.4 કરોડ રૂપિયાની આવક થશે. શીલજના રહેણાક માટેના પ્લોટનો ભાવ સૌથી વધુ ભાવ મળ્યો છે. આ તમામ પ્લોટને ખરીદનાર ડેવલોપરને સોંપવા માટેની મંજૂરીની દરખાસ્ત આવતીકાલે ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે. વસ્ત્રાલના પ્લોટનો 51.92 કરોડ રૂપિયાનો ભાવ મળ્યોશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 13 જેટલા પ્લોટ જેમાં સિંધુભવન રોડ, એસજી હાઇવે, શીલજ, ચાંદખેડા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્લોટ જાહેર હરાજીથી વેચાણમાં મૂકવામાં આવ્યા હતા. સોલા હેબતપુર ટી.પી. 41માં આવેલા ફાઇનલ પ્લોટ 171નો 2.81 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે 3974 ચોરસ મીટરના 111.65 કરોડમાં વેચાયો હતો. જ્યારે અન્ય પ્લોટનો 2.86 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે 3819 ચોરસ મીટરના 109.22 કરોડ રૂપિયાના ભાવ આવ્યો છે. શીલજની ટીપી 216ના ફાઇનલ પ્લોટ 93ની 1.73 લાખ પ્રતિ ચોરસ મીટરની બોલી લાગી હતી. જે 9765 ચોરસ મીટરના 168.93 કરોડની આવક થઈ છે. જ્યારે વસ્ત્રાલના પ્લોટનો 51.92 કરોડ રૂપિયાનો ભાવ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:17 pm

અમદાવાદ-દિલ્હી વંદે ભારત ટ્રેન 2026માં શરૂ થશે:ઉદયપુર-અસારવા વાયા હિંમતનગર, નડિયાદ-મોડાસા ટ્રેન ફરી શરૂ કરવા રેલવે મંત્રીને સાંસદની રજૂઆત

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને વંદે ભારત ટ્રેન અને નડિયાદ-મોડાસા ટ્રેન સેવા ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. રેલવે મંત્રીએ વર્ષ 2026માં અમદાવાદથી દિલ્હી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવાની ખાતરી આપી છે. સાંસદ બારૈયાએ ઉદેપુરથી વાયા હિંમતનગર થઈ અસારવા સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે ભારપૂર્વક માંગ કરી હતી. આ ઉપરાંત, તેમણે કોરોના બાદ બંધ કરાયેલી નડિયાદ-મોડાસા ટ્રેન ફરી શરૂ કરવા પણ જણાવ્યું હતું. લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન મંગળવારે સાંસદે ફરી એકવાર રેલવે મંત્રીની મુલાકાત લીધી હતી. આ વખતે તેમણે અમદાવાદથી વાયા હિંમતનગર થઈ દિલ્હી સુધી વંદે ભારત ટ્રેન ઝડપથી શરૂ કરવા માંગ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે રેલવે તંત્ર 2026માં આ અદ્યતન ટ્રેન શરૂ કરવા માટે ચિંતિત છે અને તે ઝડપથી શરૂ કરાશે. સાંસદના મતે, આ ટ્રેન શરૂ થવાથી હિંમતનગરથી ઉદેપુર, જયપુર અને દિલ્હી સુધી સીધી કનેક્ટિવિટી મળશે. તેનાથી મુસાફરોનો સમય અને નાણાં બંનેની બચત થશે. નડિયાદ-મોડાસા ટ્રેન બંધ હોવાને કારણે મુંબઈ, સુરત, નડિયાદ, કપડવંજ અને મોડાસાના મુસાફરોને અન્ય ખર્ચાળ વિકલ્પો પસંદ કરવા પડે છે. આનાથી મુસાફરોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેથી આ સેવા સત્વરે પુનઃસ્થાપિત થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:10 pm

ગઠિયાએ બેંક મેનેજર બની વૃદ્ધ સાથે ઠગાઈ:ઇફ્કોના નિવૃત્ત કર્મચારીને વોટ્સએપમાં RTO ચલણની ફાઈલ મોકલી બેંક ખાતામાંથી 19 લાખ ઉપાડી લીધા

ગાંધીનગરના શેરથા વિસ્તારમાં રહેતા અને ઈફકો કંપનીમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ આરટીઓ ચલણ ભરવાના બહાને વોટ્સએપમાં લિંક મોકલી મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યાર બાદ બેંક મેનેજરની નકલી ઓળખ આપી વૃદ્ધના ખાતામાંથી રૂ. 18.72 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે પગલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સએપમાં આરટીઓ ચલણની APK ફાઈલ મોકલી હતીગાંધીનગરના શેરથામાં રહેતા ઈફકોના નિવૃત્ત કર્મચારી સોમાભાઈ પ્રજાપતિ સાથે બનેલી સાયબર છેતરપિંડીની ઘટનાએ સ્માર્ટફોન વાપરતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ડિજિટલ યુગમાં ગઠિયાઓએ મોકલેલી એક લિંક પદના ક્લિકના કારણે વૃદ્ધના પરસેવાની કમાણીના રૂ. 18.72 લાખ ગણતરીની મિનિટોમાં સાફ થઈ ગયા છે. શેરથાના કસ્તુરીનગરમાં રહેતા સોમાભાઈ પ્રજાપતિના વોટ્સએપ પર ગત 17 નવેમ્બરના રોજ એક અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણની APK ફાઈલ આવી હતી. ઠગે ઈન્ડિયન ઓવરસીઝના બેંક મેનેજર તરીકે ઓળખ આપી હતીસોમાભાઈએ અજાણતામાં આ ફાઈલ ઓપન કરતાની સાથે જ તેમનો મોબાઈલ હેકર્સના કબજામાં આવી ગયો હતો. બાદમાં ફાઈલ ઓપન કર્યાના થોડા કલાકો બાદ જ સોમાભાઈને એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ ઈન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર 'મિશ્રા' તરીકે આપી હતી. સંજોગવશાત્ સોમાભાઈની બેંક શાખાના ખરા મેનેજરનું નામ પણ મિશ્રા હોવાથી તેમને જરા પણ શંકા ગઈ નહોતી. ગઠિયાએ કેવાયસી અપડેટ કરવાના બહાને સોમાભાઈ પાસેથી ડેબિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યોજોકે તેમના પુત્રએ ઓટીપી આપવાની મનાઈ કરી હતી. પરંતુ મોબાઈલ અગાઉથી જ હેક હોવાને કારણે ગઠિયાઓએ ઓટીપી વગર જ ટુકડે-ટુકડે 18.72 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં સગેવગે કરી દીધા હતા. આ સિવાય તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ સગા-સંબંધીઓને પણ APK ફાઇલની આરટીઓ લિંક વોટ્સએપ પર આપમેળે ફોરવર્ડ થવા લાગી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને બેંક ખાતાઓના ટ્રાન્ઝેક્શન અને જે આઈપી એડ્રેસ પરથી લિંક આવી હતી તેની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 9:08 pm

સાબરમતી નદીના પટમાં ખનીજ માફિયાઓનો 'ખેલ' ખતમ:માણસામાં 5 જિલ્લાની ટીમોનું મેગા ઓપરેશન, 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત; સાબરકાંઠા-બનાસકાંઠાના શખસોના નામ ખુલ્યા

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ પર એકસાથે પાંચ જિલ્લાની તંત્રની ટીમોએ મધરાતે ત્રાટકીને 6 એસ્કેવેટર અને જેસીબી સહિત 8 વાહનો મળીને કુલ રૂ.4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગની સૌથી મોટી કાર્યવાહી ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ સાબરમતી નદીમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલા સભાયા અને તેમની ટીમ દ્વારા બાતમીના આધારે ગઈકાલ મંગળવાર બપોરથી વોચ ગોઠવવામાં આવી હતી. બાદમાં મધરાતે રેડ કરવામાં આવી ત્યારે નદીના પટમાં ખોદકામ કરી રહેલા ભૂમાફીયાઓ પોલીસ અને ખાણ-ખનીજની ટીમને જોઈ મશીનો સાથે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. કૌભાંડનો છેડા સાબરકાંઠા-બનાસકાંઠા સુધી ફેલાયેલાજોકે ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા અને મહેસાણાની સંયુક્ત ટીમોએ વ્યુહાત્મક રીતે ઘેરો ઘાલીને 6 એસ્કેવેટર, 1 જેસીબી અને 1 ડમ્પરને સ્થળ પર જ જકડી લીધા હતા. આ કામગીરી મધરાત સુધી સતત ચાલુ રહી હતી. આ કાર્યવાહીમાં પકડાયેલી મશીનરીઓ તપાસતા માલૂમ પડ્યું છે કે આ કૌભાંડના છેડા છેક સાબરકાંઠા અને બનાસકાંઠા સુધી ફેલાયેલા છે. જપ્ત કરાયેલા મોટાભાગના એસ્કેવેટર મશીનો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામના રાઠોડ પરિવારના સભ્યો અજયસિંહ, સૂર્યદેવસિંહ, ગોવાલસિંહ, ઈશ્વરસિંહ અને ધર્મેન્દ્રસિંહની માલિકીના હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠાના કોટડાના અને માણસાના શખસો પણ ભાડેથી મશીનો લાવીને નદીનું પેટાળ ચીરી રહ્યા હતા. નદીના પટમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટહાલમાં તમામ મશીનરીને સીઝ કરીને વીંઝોલ અને ચરણ ચેકપોસ્ટ ખાતે કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી છે. માણસા અને પ્રાંતિજ પોલીસની હાજરીમાં કરાયેલી આ કામગીરી બાદ હવે નદીમાં થયેલા ખાડાઓની વૈજ્ઞાનિક માપણી કરવામાં આવશે. ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ આ તમામ વાહન માલિકો વિરુદ્ધ કરોડો રૂપિયાનો દંડ અને કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી સાબરમતી નદીના પટમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:57 pm

બોટાદ DDOની અધ્યક્ષતામાં તુરખા ગામે સમીક્ષા બેઠક:વિકાસ યોજનાઓ, દબાણ અને આરોગ્ય સેવાઓ પર ચર્ચા

બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાની અધ્યક્ષતામાં તુરખા ગામે એક સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્રવર્તી શાળા સંબંધિત વિવિધ વિકાસ યોજનાઓ, દબાણ અને સેવાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પ્રથમ બેઠક ગ્રામ પંચાયત તુરખા ખાતે યોજાઈ હતી, જેમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં અમલમાં રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અને પ્રગતિશીલ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌચર જમીન પર થયેલા દબાણ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તુરખા ખાતે આરોગ્ય સ્ટાફ અને આશાબહેનો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આર.સી.એચ. અધિકારીના માર્ગદર્શન હેઠળ SAM બાળકોની તપાસ, CMTCમાં રીફર કરાયેલ કેસો, જોખમી તથા અતિજોખમી સગર્ભા મહિલાઓની ડિલિવરી, ટી.બી. રેફરલ અને નોટિફિકેશન જેવી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. છેલ્લે, તુરખા કેન્દ્રવર્તી શાળા ખાતે તમામ શાળા સ્ટાફની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેની વ્યૂહરચના, મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ અને શાળામાં ઉપલબ્ધ તથા ખૂટતી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તર અને હાજરીમાં સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:57 pm

સુરેન્દ્રનગરમાં ગોગો સિગારેટનું વેચાણ ઝડપાયું:SOGએ ત્રણ પાન પાર્લર સંચાલકો સામે કાર્યવાહી કરી, રૂ.3350નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર ગોગો સિગારેટના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાંથી ત્રણ પાન પાર્લર સંચાલકોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કુલ રૂ. 3350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી યુવાનોમાં નશાની બદી રોકવા માટે ગૃહ વિભાગના જાહેરનામાના અમલના ભાગરૂપે કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ એસ.ઓ.જી.ને જિલ્લામાં સગીરો અને યુવાનો દ્વારા ચરસ-ગાંજા જેવા નશાઓ માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણને રોકવા સૂચના આપી હતી. ગૃહ વિભાગ દ્વારા આ બદીને નાબૂદ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના અસરકારક અમલ માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી. સ્ટાફ સુરેન્દ્રનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજુ રંગાડિયા ( રાજ પાન પાર્લર), ધરમશી આલ (ડિલક્ષ પાન પાર્લર), અને અશ્વિન કાલિયા (સ્મોક લાઈટ પાન પાર્લર) નામના ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય પાનની કેબિનમાંથી અલગ અલગ ફ્લેવરના કુલ 335 સ્મોકિંગ કોન સ્ટીક જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.3350 થાય છે. આ મામલે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પી.એસ.આઈ. એન.એ. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ મહીપતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અશ્વિન ઠારણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા, મીત મુંજપરા, સાહીલ મહંમદભાઈ સેલત, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અશ્વિન વાઘેલા અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:53 pm

બોડકદેવની મિર્ચ મસાલા રેસ્ટોરાંમાં ચોરી:કિચનની જાળી તોડી 42 હજારના પિત્તળના વાસણો લઈ ફરાર

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં આવેલી જાણીતી મિર્ચ મસાલા રેસ્ટોરાંમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ રેસ્ટોરાંના કિચનની પાછળ આવેલી લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને આશરે 42 હજાર રૂપિયાના પિત્તળના વાસણોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ રેસ્ટોરાંના મેનેજર ભૈરૂસિંહ દેવડાને સવારે કામ પર આવ્યા ત્યારે થઈ હતી. 16 ડિસેમ્બરના રોજ સવારે લગભગ 11 વાગ્યે જ્યારે તેઓ રેસ્ટોરાંમાં પહોંચ્યા ત્યારે ટેબલ પર થાળીઓ ગોઠવેલી ન દેખાતા તેમણે વેઈટર રાજન યાદવને પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે, કિચનમાં રાખવામાં આવેલી પિત્તળની થાળીઓ અને તપેલા ગાયબ હતા. 40 પિત્તળની થાળીઓ અને તપેલાની ચોરીપ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ચોરોએ કિચનની પાછળ ઉપર તરફ આવેલી નાની લોખંડની જાળી કાપી અથવા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કિચનમાંથી કુલ 40 પિત્તળની થાળીઓ અને બે મોટા પિત્તળના તપેલા મળી કુલ અંદાજે 42 હજાર રૂપિયાનો સામાન ચોરી થયો છે. યુટિલિટી સ્ટાફે અગાઉની રાત્રે તમામ વાસણો સાફ કરીને નિયમિત જગ્યાએ મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે રેસ્ટોરાંના મેનેજર દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોશ વિસ્તારમાં ચોરી થતા સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યાહાલ પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં થયેલી આ ચોરીની ઘટનાએ સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:49 pm

કુંભમેળાની માફક થશે ભવનાથ મેળાનું આયોજન:જૂનાગઢમાં યોજાતા મેળાની તૈયારીના ભાગરૂપે ગાંધીનગરમાં બેઠક મળી, આગેવાનો, સંતો મહંતો તરફથી જરુરી સૂચનો કરાયા

જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભવનાથ મેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને ભવ્ય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. કુંભ મેળાની જેમ ભવનાથ મેળાનું આયોજન કરાશેબેઠક દરમિયાન રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે ભવનાથ મેળાનું આયોજન કુંભ મેળાની તર્જ પર કરવામાં આવશે. લાખોની સંખ્યામાં ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, પીવાના પાણી, નિવાસ અને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગિરનાર પર્વત વિસ્તારમાં ભીડ નિયંત્રણ અને વ્યવસ્થા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બેઠક મળીઆ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને મહંતોએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. તેમણે પરંપરાગત રીતિ-રીવાજો જાળવી રાખવાની સાથે આધુનિક વ્યવસ્થાઓ ઉમેરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. સ્થાનિક આગેવાનોએ જુનાગઢ શહેર પર પડતા ભારને ધ્યાનમાં રાખી પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન અને વેપારીઓ માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરી હતી. વહીવટી અધિકારીઓએ પ્રાથમિક આયોજનની રૂપરેખા રજૂ કરી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને સમયસર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. આ સાથે આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને આરોગ્ય વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:47 pm

રાજકોટ સમાચાર:કમોસમી વરસાદના નુકસાન બદલ 2.39 લાખ ખેડૂતોને રૂ.665 કરોડ ચૂકવાયા

કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને ટેકો પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી તા.17 ડિસેમ્બર સુધીમાં 2,39,215 અરજીઓની ચકાસણીની પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ.665 કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફતે સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેડૂતોની અરજી ચકાસણી પ્રક્રિયા સતત શરૂ છે. રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે 99 ટકાથી વધુ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે ખેડૂતમિત્રોને આધાર સીડીંગ કરાવવાનું બાકી હોય તેઓને પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરાવી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી સહાયના નાણાં સરળતાથી ખેડૂતના ખાતામાં જમા થઈ શકે. કુંડલિયા કોલેજ પાસે ખાણીપીણીના નામે પડ્યા પાથર્યા રહેતા ગંજેરીઓને હટાવાયા મહાનગરપાલિકા દ્વારા શાસ્ત્રી મેદાન સામે કુંડલિયા કોલેજ પાસે આવેલી ખાઉંગલીમાં હોકર્સઝોન શરૂ કરીને ખાણીપીણીના ધંધાર્થીઓને આ સ્થળે ધંધો કરીને રોજગાર કમાવવા માટે પરવાનગી આપી છે. ત્યારે અવારનવાર વિવાદમાં રહેતી આ ખાઉંગલીમાં થોડા સમયથી ગંજેરી તરીકે ઓળખાતા માથાભારે શખ્સોએ ખાણીપીણીના ધંધાના નામે અડ્ડો જમાવીને કોલેજે આવતી વિદ્યાર્થિનીઓની સાથે ગંદી મજાક કરતા હતા. આ બાબત કોલેજના પ્રિન્સિપાલના ધ્યાને આવતાં તેઓએ કમિનશનર તુષાર સુમેરાને પત્ર લખીને ત્રાસ દુર કરવા માટે માગણી કરી હતી. આ બાબતે મ્યુનિ. કમિશરનર દ્વારા તુરંત જ પગલા લઇને દબાણ હટાવ વિરોધી શાખાના અધિકારી બારીયાને હોકર્સઝોનમાં ગેરકાયદે ઉભા રહેતા આવા આવારા તત્વોને હટાવવાનો આદેશ આપતાં આજે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દબાણ હટાવ શાખાએ કામગીરી કરતાં હોકર્સઝોનમાં ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલા તત્વો રેકડી સહિત નાસી ગયા હતા અને કલેક્ટર તંત્ર હસ્તકના શાસ્ત્રી મેદાનમાં અડ્ડો જમાવ્યો હતો. મળતી વિગતો મુજબ કુંડલિયા કોલેજ પાસેના હોકર્સઝોનમાં ધંધો રોજગાર કરનાર ખાણીપીણીના ધંધાર્થીઓના કહેવા મુજબ એક શખ્સ માથાભારે તત્વો પાસેથી રેંકડીદીઠ દૈનિક રૂ.100નું ઉઘરાણું કરે છે. આ માટે એક ગંજેરીને જવાબદારી સુપરત કરાઇ છે. જો કોઇ ધંધાર્થી દૈનિક હપ્તો ન આપે તો મહાનગરપાલિકામા ફરિયાદ કરવામાં આવે છે. મનપાના સફાઈ કામદારોને સુરતની કંપનીએ ટ્રેનિંગ આપી મનપાની બેડીનાકા ડ્રેનેજ ઓફીસ ખાતે સુરતની કંપની દ્વારા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો, વ્યક્તિઓની કામગીરી દરમ્યાન સેફ્ટીના સાધનોના વપરાશ જેમ કે, પીપીઇ કીટ્સનો ઉપયોગ, સલામતી સાધનો અને મશીનોના ઉપયોગ અને મહત્વ, ગટરો અને સેપ્ટિક ટેન્કની સફાઈ પહેલાં, દરમ્યાન અને પછી લેવાતા સાવચેતી અંગે તાલીમ આપી ગટર અને સેપ્ટિક ટેન્કની જોખમી સફાઈ અટકાવવા માટે ટ્રેનીંગનું આયોજન કરાયું હતું. ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈની કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય એસઓપી અનુસરવાથી શક્ય અકસ્માતો નીવારી શકાય છે.આ તાલીમમાં અંદાજિત 100 જેટલા સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવેલ હતી. મનપાની આંગણવાડીઓમાં બાળદિન - અન્નપ્રાશનની ઉજવણી મહિનાનો ત્રીજો મંગળવાર એટલે બાળદિન અને અન્નપ્રાશનની ઉજવણીનો દિવસ. મંગળવારના રોજ રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી ખાતે તમામ બાળકોના જન્મદિવસની ઉજવણી તેમજ 6 મહિના પૂર્ણ થતા બાળકને અન્નપ્રાસન કરાવીને ઉજવણી કરવામાં આવી હતી.સરકારની પૂર્વ પ્રાથમિક શિક્ષણને લઈને આજની થીમ વેશભૂષા આધારિત બાળકોને અલગ અલગ વેશભૂષા દ્વારા બાળકોને ફળ, ફૂલ, શાકભાજી, નેતા, સેવકો એ રીતે અલગ અલગ વ્યક્તિ તથા વસ્તુનો પરિચય થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. આજની બાળ દિવસની ઉજવણીમાં પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા વાલી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તેમની વિસ્તૃત માહિતી આપેલ તેમજ વિકાસ યાત્રા વિશે માહિતી આપેલ તેમજ માતાઓને ખાસ ટી. એચ. આર.નું મહત્વ, દરરોજ ખોરાકમાં બાલ શક્તિનો ઉપયોગ દિવસમાં ચાર વખત કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમજ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટેના સઘન પ્રયત્ન કરવા માટે ખાસ સુચન કરવામાં આવ્યુ હતુ. સરકારી પોલીટેક્નીક ખાતે AI ની આવશ્યકતા અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન અપાયુ સરકારી પોલીટેક્નીક, રાજકોટ ખાતે તાજેતરમાં 'Data Driven Decision Making Al for Excellence' વિષય અંગે પાંચ દિવસીય (અઠવાડિક) ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાના આચાર્ય ડો. એ. એસ. પંડયાએ શિક્ષણ ક્ષેત્રમાં આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ (A.I.)ની આવશ્યકતા, પ્રાધ્યાપકોની ભૂમિકા અને શૈક્ષણિક ગુણવતા વધારવા માટે A.I.ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે મુખ્ય અતિથિ ACP જાદવે ટેકનોલોજી, શિસ્ત અને જ્ઞાનના સંયોજન થકી શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ સર્જવા તેમજ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:45 pm

બાળકોનું ભણતર બગડે છે:અમદાવાદમાં સીલ થયેલી સ્કૂલો ખોલવા માગ, પ્રિ-સ્કૂલના સંચાલકે સ્ટે.ચેરમેનને આવેદનપત્ર આપ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રિ- સ્કુલોને પણ સીલ કરવામાં આવી છે. આજે 17 ડિસેમ્બરના રોજ પ્રિ-સ્કૂલનાં સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને મળીને આવેદનપત્ર આપ્યું હતું. સંચાલકોની એક જ માંગણી છે કે, 38 જેટલી પ્રિ સ્કૂલોને સીલ કરવામાં આવી છે તેને ખોલવામાં આવે. અમારી પણ ઘણી બધી સમસ્યાઓ છે તેનો કોઈ રસ્તો કાઢી આપવામાં આવે. જુઓ આ બાબતે નિરાકરણ નહીં આવે તો તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે. AMCએ નોટિસ વિના 38 સ્કૂલો સીલ કરીપ્રિ-સ્કૂલના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 38 જેટલી સ્કૂલોને કોઈપણ નોટિસ વિના સીલ મારી દેવામાં આવી છે. ત્યારે આજે સંચાલકોએ ભેગા થઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને રજૂઆત કરી છે તેમજ આવેદનપત્ર આપ્યું છે. અમારી કેટલીક માંગ છે જેમાં અત્યારે હાલમાં જેટલી પણ સ્કૂલો સીલ કરવામાં આવી છે તેને ખોલવામાં આવે. કારણ કે, બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. સ્કૂલો નહીં ખોલી આપે તો અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો જ્યાં અમે બાળકોને ભણાવી શકીએ. કોઈપણ નોટિસ વિના સીલ મારવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે અમે રજૂઆત કરી છે કે અમારી ઘણી બધી સમસ્યાઓ છે તેઓ દસ દિવસમાં બીયુ પરમિશન લઈ લો તેમ કહે છે, પરંતુ કેટલા દિવસમાં પરમિશન લઈ શકાય એમ નથી. શું સ્કૂલો બંધ કરાવવા માંગે છે કે કેમ?અમે તેમને ઘણી બધી બાબતો કહી છે, પરંતુ તેઓ કોઈ સમજવા તૈયાર નથી અને મન માની કરી રહ્યા છીએ. અમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને જ રજૂઆત કરી શકીએ છીએ. જે સીલ મારવાની કાર્યવાહી કરી છે તે ખોટા સમયે કરવામાં આવી છે. ગત વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં મધ્ય સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે સીલ કરવામાં આવી હતી. આ વર્ષે પણ આ રીતે ડિસેમ્બર મહિનામાં સીલ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ પાછળ તેમનો હેતુ શું છે એ અમને સમજાતું નથી શું સ્કૂલો બંધ કરાવવા માંગે છે કે કેમ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરીશુંમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વખતે એફિડેવિટ માટે પણ કહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું નથી. જેથી અમારી એક જ માંગ છે કે આ બાબતે કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવે અને અમારી સમસ્યાઓને સાંભળી સીલ ખોલવામાં આવે. જો આ બાબતે કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો અમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરીશું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:43 pm

વેરાવળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકો ઝડપાયા:બંને યુવકો મદરેસાના ફાળા માટે ગુજરાત આવ્યા હોવાની કબૂલાત, SOGની પૂછપરછ બાદ નિર્દોષ જણાતા મુક્ત કરાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના રામભરોસા ચોક વિસ્તારમાંથી SOG ગીર સોમનાથ દ્વારા બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને યુવકો મદરેસાના ચંદા માટે ગુજરાત આવ્યા હોવાનું જણાવ્યું હતું. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.કાગડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝડપાયેલા યુવકોમાં અનીસ ઉલ રેહમાન (ઉ.વ. 21) અને મોહમદ અસલમ (ઉ.વ. 39) બંને જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાના મદરેસામાં શિક્ષક તરીકે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંને યુવકોએ જણાવ્યું હતું કે તેઓ ગત તા. 01/12/2025ના રોજ કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જુનાગઢ, જેતપુર અને માંગરોળ સહિતના શહેરોમાં મદરેસાના ચંદા ઉઘરાવ્યા હતા. બે દિવસ માંગરોળમાં રોકાયા બાદ આજરોજ સવારે એસ.ટી. બસ મારફતે વેરાવળ પહોંચ્યા હતા. પોલીસ સમક્ષ બંને યુવકોએ સ્કેનર મારફતે ચંદો ઉઘરાવી જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લાના મદરેસાના એકાઉન્ટમાં ઓનલાઇન જમા કરાવતા હોવાની કબૂલાત આપી હતી. SOG પોલીસ દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે બંને યુવકોના સરનામા અને પૃષ્ઠભૂમિ અંગે ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું હતું. તપાસમાં હાલના તબક્કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી ન હોવાનું સ્પષ્ટ થતાં બંને યુવકોને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:42 pm

વેરાવળમાં 18 ડિસેમ્બરે 4 કલાક વીજ કાપ:11 કેવી દક્ષ ફીડરમાં સમારકામ, સવારે 10 થી બપોરે 2 સુધી પુરવઠો બંધ

વેરાવળ શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, ગુરુવાર, 18 ડિસેમ્બર, 2025ના રોજ ચાર કલાકનો વીજ કાપ રહેશે. PGVCLની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી દક્ષ ફીડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપથી શિવજીનગર, આદિત્ય પાર્ક, સોલંકી ટાયરની પાછળનો વિસ્તાર, ક્રિષ્ના સોસાયટી, નમસ્તે હોટલ પાસે, ફિશરીઝ કોલેજ, વિનાયક એપાર્ટમેન્ટ, પ્રમુખ નગર, બુલેટ શોરૂમ પાછળ, શ્રી નાથજી રેસીડેન્સી, યમુના માર્કેટ અને વેરાવળ બાયપાસ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. PGVCL દ્વારા જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે પરિવારના સભ્યોની સલામતી હેતુસર વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાવવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:22 pm

સાયબર ક્રાઇમે 3.38 કરોડના ફ્રોડમાં ત્રણની ધરપકડ કરી:મ્યુલ એકાઉન્ટની તપાસના આધારે કાર્યવાહી, ફ્રોડની રકમ હવાલા મારફતે ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલ્યાનું ખુલ્યું

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 3.38 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઇવ' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડી કચેરી અને ભારત સરકારના I4C પોર્ટલ પરથી મળેલી મ્યુલ એકાઉન્ટની માહિતીના આધારે તપાસ શરૂ થઈ હતી. સાયબર ફ્રોડના વધતા બનાવોને રોકવા માટે, અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ આણંદ સાયબર ક્રાઇમે મ્યુલ એકાઉન્ટની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે કુલ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, ગૌરવ ઠાકુરભાઇ શાહ (ઉમરેઠ)ના ઇશારે ક્રુતાર્થ દીવ્યાંગકુમાર શાહ (ઉમરેઠ)એ તેના મિત્રો ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઇ ભીન્ડી અને હીરલકુમાર મિતુલભાઇ પટેલની મદદથી ષડયંત્ર રચ્યું હતું. આ ગેંગે ભારતના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરીને અનેક બેન્ક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી. આ રીતે મેળવેલી કુલ રૂ. 3.38 કરોડની રકમને હવાલા મારફતે USDT ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈ મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં આ સમગ્ર પ્રવૃત્તિ સંગઠિત રીતે થતી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે પાંચ આરોપીઓ પૈકી ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઇ ભીન્ડી અને હીરલકુમાર મિતુલભાઇ પટેલની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ગુનામાં કુલ 17 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. NCCRP પોર્ટલ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી આ એકાઉન્ટ્સ પર કુલ 37 ઓનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડ અને સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડીઆરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજીત રીતે ષડયંત્ર રચી લોકોને વિશ્વાસમા લઇ એકાઉન્ટ ખોલાવતાં. જે બાદ તેમના બેન્ક ખાતાઓમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી નાણા મેળવી આગળ હવાલા મારફતે તેમના મળતીયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપતા હતા. બે આરોપીઓ હાલ દુબઈ હોવાનું જાણવા મળ્યું છે: DYSPઆ અંગે નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધી ગુપ્તે જણાવે છે કે, આ પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકીના બે આરોપીઓ હાલ દુબઈ ખાતે ગયા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જે અંગે વધુ તપાસ ચાલું છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:19 pm

પંચમહાલના 18,000 ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય:ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, યોગ્ય તપાસની માંગ કરી

પંચમહાલ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ-2025ની અમલવારીમાં વિલંબ અને ભેદભાવના આરોપોને પગલે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સંઘે અંદાજે 18000 ખેડૂતોના બાકી સર્વેને પૂર્ણ કરવા અને ઓછી સહાય મળવાના મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ યુ. ચૌહાણની રજૂઆત મુજબ, કમોસમી વરસાદને કારણે ડાંગર, મકાઈ, કપાસ, દિવેલા, સોયાબીન, તમાકુ અને શાકભાજી સહિતના મુખ્ય પાકોને 33 ટકાથી વધુ નુકસાન થયું હતું. આ નુકસાન સામે સહાય મેળવવા જિલ્લાના કુલ 60,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. આવેદનપત્રમાં સંઘે જણાવ્યું છે કે, જિલ્લા ખેતીવાડી અધિકારીએ માત્ર 42,000 ખેડૂતોનો જ સર્વે કર્યો હોવાનું જાહેર કર્યું છે. આના પરિણામે, અંદાજે 18,000 જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી જવાનો ભય સેવાઈ રહ્યો છે. સંઘનો આક્ષેપ છે કે જે સર્વે થયો છે તે પણ મનસ્વી રીતે અને ઘરબેઠા આંકડા ભરીને કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોને જાહેર થયેલા ₹22,000 પ્રતિ હેક્ટર વળતરને બદલે માત્ર ₹5,000 જેટલી ઓછી સહાય મળી છે, જે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે. ભારતીય કિસાન સંઘે કલેક્ટરને વિનંતી કરી છે કે બાકી રહેલા 18,000 ખેડૂતોનો સર્વે તાત્કાલિક કરાવવામાં આવે. ઉપરાંત, ઓછી સહાય મળવાના મામલે તપાસ કરી પંચમહાલના ખેડૂતોને અન્ય જિલ્લાના ખેડૂતોની જેમ પાકોનું પૂરેપૂરું વળતર મળે તે માટે કાર્યવાહી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:15 pm

અમદાવાદની હોટલમાં હાથની નસ કાપી યુગલનો આપઘાતનો પ્રયાસ:યુવકનું હોટલ રૂમમાં જ મોત, યુવતીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ; આપઘાત પાછળનું કારણ અકબંધ

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું હોટલના રૂમમાં જ મોત નીપજ્યું છે જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. યુવક યુવતી બંને એક જ સમાજના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાથની નસ કાપી યુવક-યુવતીનો આપઘાતનો પ્રયાસશહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઈલી સ્ટે નામની હોટલમાં ગઈકાલે એક યુવક અને યુવતી રોકાવા આવ્યા હતા. જોકે, આજે બપોરે 2થી 2:30 વાગ્યાની આસપાસ બંનેએ અગમ્ય કારણોસર હોટલના રૂમમાં જ હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કર્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. ઇજાગ્રસ્ત યુવતી હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલપોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, યુવક અને યુવતીની ઉંમર 23 અને 24 વર્ષ છે. બંને અમદાવાદમાં શેલા વિસ્તારના રહેવાસી છે અને બંને એક જ સમાજના છે. બંને ગઈકાલે બપોરે ભાગીને ઘરેથી હોટલમાં આવ્યા હતા. યુવક અને યુવતીએ હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. યુવતી હાલ બેભાન અવસ્થામાં છે જેથી ભાનમાં આવ્યા બાદ હકીકતની જાણ થશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 8:14 pm

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : 'ટેરિફને હથિયાર' બનાવતા દેશોને સીતારમણની ચેતવણી

Finance Minister Nirmala Sitharaman On Tariff War : વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સાથે પડકારો પણ વધી ગયા છે. ટેરિફ જેવા કરનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારને હથિયાર બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિંતા વ્યક્ત કરી છે. ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ થતા સાવધાન : નાણાંમંત્રી નાણામંત્રીએ ખાનગી મીડિયાના કાર્યક્રમમાં કહ્યું કે, આજના સમયમાં કર અને અન્ય રીતે વૈશ્વિક વેપારનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાનો રસ્તો નક્કી કરવો પડશે.

ગુજરાત સમાચાર 17 Dec 2025 8:07 pm

Editor's View::હૈદરાબાદમાં સ્વિગી રાઈડર કસ્ટમરના કૂતરાથી ડરી ત્રીજા માળેથી કૂદતાં મોત, ગીગવર્કરના અકસ્માતની ટાઈમલાઈન

હૈદરાબાદમાં 23 વર્ષના સ્વિગી રાઈડર મોહમ્મદ રિઝવાન કસ્ટમરના કૂતરાથી ડરી ત્રીજા માળેથી કૂદ્યો અને મોત થયું. મુંબઈમાં ઉબર રાઈડર પાછળ બેસેલા શુભાંગી માગરેનું એક્સિડન્ટમાં મોત. નોઈડામાં ડિલિવરીનાં દબાણમાં રોંગ સાઈડ જનાર 24 વર્ષના બ્લિંકિટ રાઈડર પ્રવીણનું મોત. અને તેલંગાણામાં અર્બન કંપનીના બ્યુટિશિયન ચંદ્રિકાનું બાઈક ચલાવતી વખતે એક્સિડન્ટમાં મોત. અલગ અલગત તારીખો, અલગ અલગ શહેરો, અલગ અલગ કંપનીઓ, અલગ અલગ લોકો… પરંતુ અંત એક જ – મોત. આવા બનાવોની ગણતરી કરીએ તો અઢળક છે જે આપણા ધ્યાનમાં નથી આવતા. અને સામેની બાજુ આ દુર્ઘટના બાદ તમારા મોબાઈલમાં મેસેજ આવે છે.... વાંચીને સ્વાભાવિક છે તમને ગુસ્સો આવે, તમે કંપનીને ફરિયાદ કરો કે એક્સ પર લાંબી પોસ્ટ લખો અને તમને 50 રૂપિયાનું રિફંડ મળે છે. પડદાની પાછળ તમે નજર કરશો તો કોઈનો જીવ તે 50 રૂપિયા કરતા મહત્વનો છે તે આપણે ભૂલી જઈએ છીએ. અને વાત અહીં પૂરી નથી થઈ જતી. ખરી વાત તો શરૂ હવે થાય છે કારણ કે આપણે 10 મિનિટની સગવડ માટે જે કિંમત ચૂકવી રહ્યા છીએ એના સેન્ટરમાં રૂપિયો નથી પણ કોઈ માણસનું જીવન છે. માટે જ આજે વાત કરીશું ડિજિટલ ગુલામીમાં કામ કરતા કંપની રાઈડર્સની જે આપણને તો ડિલિવરી આપે છે પણ બદલામાં તેમને ઝડપના કારણે મોતની સજા મળે છે. નમસ્કાર.... NITI Aayogના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, 2029-30 સુધીમાં ભારતમાં 2.35 કરોડ લોકો એટલે કે લગભગ ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી જેટલા લોકો આ ‘ગીગ ઈકોનોમી’નો ભાગ હશે. માટે તેમને પડતી સમસ્યાની વાત કરવી એક સમજદાર અને જવાબદાર નાગરિક તરીકે અતિ જરૂરી બને છે. ગીગ ઈકોનોમી વર્કફોર્સ આ વાત એવી સિસ્ટમની છે જેણે આપણી સંવેદનાઓ બૂઠી કરી નાખી છે જેની આપણને ખબર પણ નથી. આ મુદ્દો ટ્રાફિકના નિયમ પૂરતો નથી. આ મુદ્દે 21મી સદીની ગીગ ઈકોનોમીનો છે. જે હવે સંસદમાં પણ ગુંજી ચૂક્યો છે. થોડું ભૂતકાળમાં ડોકીયું કરીએ તો એક સમય હતો જ્યારે ઓર્ડર આપો એટલે અઠવાડિયું લાગતું, પછી 3-4 દિવસ થયા અને હવે 10 મિનિટમાં ડિલિવરી મળે છે. અને એમાં પણ 7 મિનિટમાં ડિલિવરી મળે તેની પ્લાનિંગ ચાલી રહી છે. આટલી કંપનીઓ ઝડપી ડિલિવરીની સુવિધા આપે છે. માણસ નહીં, મશીન બનતા લોકો આમાં કામ કરીને પોતાના પરિવારનું પેટિયું રડતા લોકોને આપણે વર્કિંગ ક્લાસ કહીએ છીએ. સરકાર તેમને ગીગ વર્કર્સ કહે છે. અને જે કંપનીમાં તેઓ કામ કરે છે તે તેમને પાર્ટનર કહે છે. પણ હકિકતમાં આ એવો ચક્રવ્યૂહ છે જેમાં અભિમન્યુ દાખલ તો થાય છે પણ બહાર નીકળવું અઘરું છે. આ મુદ્દો સમજવા માટે આપણે બે શબ્દો જાણવા પડે. ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ. ઈ-કોમર્સ એટલે એમેઝોન કે ફ્લિપકાર્ટ, જ્યાં ડિલિવરીમાં 2-4 દિવસ લાગે છે. ક્વિક કોમર્સ એટલે બ્લિંકિટ કે ઝેપ્ટો જ્યાં 10-20 મિનિટમાં ડિલિવરી થાય છે. 2024માં ક્વિક કોમર્સમાં ભારતમાં 14 હજાર 300 કરોડનું જંગી રોકાણ થયું હતું. જેના કારણે મેટ્રો સિટીથી લઈને સુરત-રાજકોટ-વડોદરાની ગલીઓ સુધી આ કંપનીઓ અને રાઈડર્સ પહોંચી ગયા છે. 2023 સુધીમાં ક્વિક કોમર્સનું કદ બજારમાં 8.2 લાખ થવાનો અંદાજ હતો. આપણે આ ઉતાવળિયા સમયમાં પહોંચ્યા કેવી રીતે અને આપણી ધીરજનું મોત કેવી રીતે થયું તે સમજીએ... ધીરે ધીરે ધીરજનું મોત! આ સમયમાં આપણી આદતમાં પણ ફેર આવ્યો છે. પહેલા આપણે જરૂરિયાત માટે ઓર્ડર કરતા હતા અને હવે ઈચ્છા સંતોષવા માટે ઓર્ડર કરીએ છીએ. જેના માટે કંપનીઓએ પોતાનું સુનિયોજિત ઝાળ બિછાવ્યું છે. કંપનીઓનો ખર્ચ અને ઓર્ડર જે પૂરા કરવા માટે કંપનીઓએ શહેર વચ્ચે ડાર્ક સ્ટોર ઉભા કર્યા છે જે માણસો માટે નહીં પણ રોબોટિક સ્પિડથી ડિલિવરી માટે ડિઝાઈન થયેલા છે. અહીં બધું મળી રહે છે અને ડિલિવરીવાળા ત્યાંથી તમારા સુધી પ્રોડક્ટ પહોંચાડે છે આ પ્રોસેસમાં રાઈડરનું જે શોષણ થાય છે, તે ચોંકાવનારું છે. શોષણના 3 પાયા Fairwork India અને અન્ય અભ્યાસો બતાવે છે કે રાઈડરની કમાણી ગીગ વર્કર રાઈડરની કમાણી કોરોના સમયે રાઈડર્સને સરેરાશ 35 રૂપિયા મળતા હતા પણ હાલ મોંઘવારી વધી, પેટ્રોલ મોંઘું થયું છતાં રાઈડર્સને સરેરાશ 15-20 રૂપિયા મળે છે. પેટ્રોલ, બાઈક મેઈન્ટેનન્સ અને મોબાઈલ ડેટા બધું રાઈડર્સના ખિસ્સામાંથી વપરાય છે. પહેલા 2 કિલોમીટરની ડિલિવરી હતી અને 5 કિલોમીટર સુધી પહોંચી છે. ડિલિવરી મેનને ‘કર્મચારી’ નહીં, ‘પાર્ટનર’ કહેવાનું ગણિત અને કાયદાકીય છટકબારીની વાત કરીએ તો કંપનીઓ ગીગ વર્કર્સને કર્મચારી નહીં પણ પાર્ટનર કહે છે. જેનું કારણ છે કે જો કર્મચારી ગણે તો PF, પેન્શન, મેડિકલ લીવ અને ESIC પડે. રાઈડરને પાર્ટનર કહીને કંપની સીધો 25-30 ટકા ફાયદો પોતાના થેલામાં નાખે છે. અને પાર્ટનર કહેવાનું બીજું કારણ છે કે માનીલો ઓલા ડ્રાઈવરનું સિગ્નલ તૂટે અને અકસ્માત થાય અને મોત થઈ જાય તો કંપની કહી દે આ તો અમારો કોન્ટ્રાક્ટર છે. સીધા જવાબદારીથી હાથ ઉંચા કરવાની તક. ઈન્સેન્ટિવ પાછળ મોતની દોડ આ મુદ્દા વિશે વાત કરવા પાછળનું ત્રીજું અને સૌથી ભયાનક કારણ છે મોતના મંડાણ. કંપનીઓના રાઈડર શોખથી ઝડપી બાઈક કે રોંગ સાઈડમાં બાઈક નથી ચલાવતા. તેઓ કંપનીઓની એલ્ગોરિધમમાં ફસાયેલા છે. ડિનર ટાઈમાં ઓર્ડર પૂરા કરે તો ઈન્સેન્ટિવ મળે છે. માની લો કે 15 ઓર્ડર પૂરા કરવાના છે. 14 ઓર્ડર પૂરા થયા અને ડિનર ટાઈમ પૂરો થવા આવ્યો તો 15 ઓર્ડરના એક્સ્ટ્રા 200 રૂપિયાના કારણે સ્પીડિંગ કરે છે અને બદલામાં એક્સિડન્ટ કે મેત મળે છે. મે 2024માં ગુડગાંવમાં 20 વર્ષના ઝેપ્ટો ડ્રાઈવરના મોત પાછળ ટાર્ગેટ પ્રેશર જ જવાબદાર હતું. ટેક કંપનીઓનો ધ્યેય ‘તમારી આદત બદલવી’ હવે આ બિઝનેસ પાછળની એવી વાત જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. કંપનીઓ ખરેખર પ્રોફિટમાં નથી હોતી પણ કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. તેમનો ટાર્ગેટ પોતાની કંપનીનું નામ ચમકાવવું તો હોય જ છે પણ આપણી આદત બદલવું તેનાથી પણ મોટી પ્રાયોરિટી હોય છે. આપણને 10 મિનિટમાં શાકભાજી મગાવવાની લત લગાડી તેમને પ્લેટફોર્મ ફી, રેઈન ફી, નાઈટ ચાર્જ અને સ્મોલ કાર્ટ ફી મળે છે. ટૂંકમાં ગ્રાહક આળસું બને છે અને રાઈડર લાચાર. જીતે છે કોર્પોરેટ જાયન્ટ કંપનીઓ. આપણે અત્યારે સમજવું જરૂરી છે કારણ કે આવનારો સમય આનાથી પણ ખરાબ હોય શકે છે. નીતિ આયોગના રિપોર્ટ અને ટેક્નોલોજીના ટ્રેન્ડથી ભવિષ્યની 3 શક્યતાઓ જોઈ શકાય છે. ગ્રોથનું એક્સપ્લોઝન પહેલું, ખેતી સાથે જોડાયેલા નથી તે લોકો આ રોજગારીમાં ઝંપલાવે છે. કારણ કે અહીં કામ સહેલું હોય છે. ઓટોમેશન થ્રેટ બીજું, ખબર હોય તો કચ્છમાં પોસ્ટ વિભાગે ડ્રોનથી 46 કિલોમીટરનું અંતર માત્ર 30 મિનિટમાં કાપીને પાર્સલ પહોંચાડવાનો પ્રયોગ કર્યો હતો. આજે રાઈડરને નોકરીની ખુશી છે પણ ભવિષ્યમાં ડ્રોન સસ્તા થશે ત્યારે માણસ ડિલિટ થશે અને ડ્રોન ઈન થશે. રેગ્યુલેટરી બેટ ત્રીજો મહત્વનો મુદ્દો સમજવા જેવો છે. સરકાર સોશિયલ સિક્યોરિટી કોડ લાવવાની વાત કરે છે. પણ જ્યાં સુધી આ કડક અમલો લાગુ નહીં થાય ત્યાં સુધી ગીગ વર્કર મોર્ડન ગુલામીમાં ડૂબેલા રહેશે. ગીગ વર્કરને થતી તકલીફો આપણે ડિલિવરી તો તરત જોઈએ છે પણ તેની પાછળના પિક્ચરને ખબર નથી હોતી. ઠંડી હોય, તડકો હોય, કે વરસાદ હોય રાઈડરને આરામ નથી મળતો. જેના લીધે તેમના કમરના મણકા ઘસાઈ જાય છે, કિડની સ્ટોન પણ વધે છે, ડિહાઈડ્રેશનના શિકાર પણ બને છે. ડિલિવરી રાઈડરનું જીવન બંધુઆ મજદૂર સમાન રાઈડર નિવૃત થશે ત્યારે તેની પાસે પેન્શન કે PF પણ નહીં હોય અને હાડકા પણ ભાંગેલા હશે. અંગ્રેજો જે રીતે બંધુઆ મજદૂરી કરાવતા હતા આ પણ એક પ્રકારની બંધુઆ મજદૂરી જ છે. ફરક એટલો છે પહેલા અપમાન મળતું હતું અને હવે રેટિંગ મળે છે. યાદ રાખજો! તમારો પીઝા જો ઠંડો આવે તો મફત મળે છે, પણ એ લાવનાર ડિલિવરી બોયની લાશ જો ઠંડી થઈ જાય તો સરકાર પણ તેની નોંધ નથી લેતી અને કંપની પણ ઉંચા હાથ કરી દે છે. અને છેલ્લે..... દિવ્ય ભાસ્કરે ગાંજા અને ડ્રગ્સના દુષણ સામે લાલ આંખ કરી અને સુરતમાં આવી જ ક્વિક કોમર્સ ડિલેવરીથી મળતા ગોગો પેપરનો ભાંડો ફોડ્યો. મીડિયાનું દબાણ વધતા ગુજરાત સરકારે 10 મિનિટમાં મળતા નશાના દુષણ એવા રોલિંગ કે ગોગો પેપર બંધ કર્યા. નશેડીઓ ક્વિક કોમર્સનો ઉપયોગ એટલા માટે કરતા હતા કારણ કે તે ગાંજો પીતા કે ગોગો પેપર લેતા પોલીસના હાથે પકડાઈ ન જાય. માટે ક્વિક કોમર્સ મોતનો ખેલ તો છે જ પણ ડિજિટલ ડ્રગની ડિલિવરી પણ છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:55 pm

તાલીમ આપ્યા વગર જ પ્રાઇવેટ સિક્યોરિટીનું લાઇસન્સ બનાવી આપ્યું:એજન્ટે 1.60 લાખ લઈ ખોટી રીતે લાઇસન્સ બનાવ્યું, બે લોકો સામે ફરિયાદ નોંધાઈ

પ્રાઈવેટ સિક્યુરિટીના લાઈસન્સ માટેની કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર આલ્ફા સિક્યુરિટી સર્વિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખોટી રીતે એજન્ટ બનીને બેઠા હોવાનું સામે આવ્યું છે. ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ભરૂચના માલિક નીયોળીયા જશવંતસિંહે બરોબર બીપીન મિસ્ત્રીને પ્રાઇવેટ સિક્યુરિટી અંગેની તાલીમ આપ્યા સિવાય બનાવટી ખોટું તાલીમ સર્ટી બનાવી જે સર્ટીનો ખરા તરીકે ઉપયોગ કરી પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ બનાવી આપ્યું હતું. તેમજ લીગલ અદાના માલિક રવિરાજસિંહ ગોહિલે તાલીમ આપવાની હોવા છતાં તાલીમ ન આપી ખોટી રીતે તાલીમ માટેનું ખોટું સર્ટી બનાવી સાચા તરીકે મોકલી લાઈસન્સ મંજૂર કરાવ્યું હતું. જેને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિયોળીયા જશવંતસિંહ અને રવિરાજસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે. લાયસન્સના જરૂરી ડોક્યુમેન્ટ બાબતે પૂછપરછ કરી હતીગાંધીનગરમાં પોલીસ ભવનમાં મુખ્ય ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રકુમાર ચતુર્વેદીએ બીપીન મિસ્ત્રી માટે પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ લેવા માટે લાયસન્સના જરૂરી ડોક્યુમેન્ટ બાબતે પૂછપરછ કરી હતી. પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીએ ધંધો ચાલુ કરવું હોય જેથી તેનું લાઇસન્સ કેવી રીતે મળે તેને લઈને ગૂગલ પર સિક્યુરિટી લાઇસન્સ ઇન ગુજરાત સર્ચ કરતા લીગલ અદા વેબસાઈટ જોવા મળી હતી. જેમાંથી ફોન નંબર લઈને પ્રાઇવેટ સિક્યુરિટી લાઇસન્સ લેવા માટેની પૂછપરછ કરી હતી. વિરમના ખાતામાં 60 હજાર મોકલી આપ્યા હતાજે દરમિયાન રવિરાજસિંહ ગોહિલે લાઇસન્સ આપવાની સમગ્ર પ્રોસિઝર જણાવી હતી. લાઇસન્સ મેળવી અપવાવવા માટેનું પ્રાઈઝનું ફોર્મેન્ટ પણ આપ્યું હતું. જેમાં ગુજરાતના લાયસન્સ માટે 1.60 લાખ લખેલા હતા. જે બાદ ફરિયાદીને રવિરાજસિંહ નવરંગપુરામાં આવેલી લીગલ અડ્ડા નામની ઓફિસ પર મળવા બોલાવ્યા હતા. જ્યાં લાઇસન્સ મેળવવા માટેની સમગ્ર પ્રોસિઝર સમજાવવામાં આવી હતી. જેથી તેના ભાગીદાર વિરમ નામના વ્યક્તિના ખાતામાં 60 હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. તેમજ જે પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા તે પણ ફરિયાદીએ મોકલી આપ્યા હતા. ત્યારબાદ લાઇસન્સ મળી જ જશે તેવું કહી બાકીના રૂપિયા પણ લઈ લેવામાં આવ્યા હતા. બે લોકો સામે ફરિયાદ નોંધાઈઅરજીથી લઈને લાઇસન્સ મેળવવા સુધીની સમગ્ર પ્રોસિઝર કરાવી આપવાની ફરિયાદીને ખાતરી આપવામાં આવી હતી. જે બાદ આલ્ફા સિક્યુરિટી સર્વિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ભરૂચ ખાતેથી તાલીમ લીધા હોવાનું સર્ટિફિકેટ બીપીન મિસ્ત્રીને બતાવ્યું હતું. જેમાં ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લીધા હોવાનું સર્ટિફિકેટ હતું અને સિક્કો પણ લગાવેલો હતો. કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર જ ખોટી રીતે સર્ટી બનાવી સાચા તરીકે લાયસન્સ મંજૂર કર્યું હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિયોળીયા જશવંતસિંહ અને રવિરાજસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:52 pm

દમણ અપહરણ-ખંડણી કેસમાં આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી:બોમ્બે હાઈકોર્ટે મામલાની ગંભીરતા ધ્યાને લઈ જામીન અરજી રદ કરી

સંઘપ્રદેશ દમણમાં પર્યટકોના અપહરણ અને ખંડણીના ગંભીર કેસમાં બોમ્બે હાઈકોર્ટે આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં દમણ ક્રાઈમ બ્રાન્ચના PSI ધનજી દુબરીયા સહિત કુલ નવ પોલીસકર્મીઓ આરોપી તરીકે જેલમાં બંધ છે. ફરિયાદ અનુસાર, ઓગસ્ટ મહિનામાં દમણ ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસકર્મીઓએ ત્રણ પર્યટકોનું અપહરણ કર્યું હતું. તેમને ગોંધી રાખીને રૂ. 25 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ મામલો સામે આવતા PSI સહિત નવ પોલીસકર્મીઓ વિરુદ્ધ અપહરણ, ધાકધમકી અને ખંડણી જેવી બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે આક્ષેપ કર્યો હતો કે, ચાર્જશીટમાં ગંભીર કલમો હટાવીને સામાન્ય અને જામીનપાત્ર કલમો ઉમેરવામાં આવી હતી. દમણ પોલીસ દ્વારા આરોપી પોલીસકર્મીઓને મદદ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા. જોકે, બોમ્બે હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PSI ધનજી દુબરીયા સહિત તમામ આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી રદ કરી છે. આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફરી એકવાર ફગાવાતા દમણમાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:51 pm

રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિતી

Indian Railways: રેલવેમાં મુસાફરી કરતાં લોકોએ હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ મામલે સરકારે માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (17 ડિસેમ્બર) જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કિ કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે. તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીએ પૂછેલા સવાલના લેખિત જવાબમાં વૈષ્ણવે સામાન પર એકસ્ટ્રા ચાર્જ મામલે નિવેદન આપ્યું હતું. રેડ્ડીએ અગાઉ પૂછ્યું હતું કે, શું રેલવે, એરપોર્ટ પર અપનાવવામાં આવેલા સામાનના નિયમો જેવા જ ટ્રેન મુસાફરો માટે સામાનના નિયમો લાગુ કરાશે? જેના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે, 'હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર 17 Dec 2025 7:37 pm

APK ફાઇલની પર ક્લિક કરતા પહેલા સાવધાન:વડોદરામાં SBIમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી યુવક સાથે 1.36 લાખ રૂપિયાની ઠગાઇ, એપીકે ફાઇલ પર ક્લિક કરતા 2 ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા કપાઇ ગયા

વડોદરા શહેરના આજવા રોડ પરથી આવેલી સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા યુવકને ભેજાબાજોએ SBIમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી, ત્યારબાદ તેમના ક્રેડિટકાર્ડમાં ઇન્ટરનેશનલ સર્વિલ ચાલુ થઇ ગઇ છે, જે બંધ કરાવવા માટે તમારા 5 હજાર ચૂકવવા પડશે. જેથી યુવકે હા પાડતા યુવક ઠગોએ તેમના પર એક કસ્ટમર સપોર્ટની એપીકે ફાઇલની લિંક મોકલી હતી, જેના પર યુવકે ક્લિક કરતા જ તેમના એસબીઆઇ તથા એચડીએફસીના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 1.36 લાખ બોરાબાર કપાઇ ગયા હતા. જેથી યુવકે પોતાની સાથે ફ્રોડ થયો હોવાનુ માલુમ પડતા તેણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરાના આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો યુવક ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ગત 22 ઓગસ્ટ 2025ના રોજ અજાણ્યા મોબાઈલ પરથી યુવક પર કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, અમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બોલીએ છીએ. તમારા એસબીઆઇના ક્રેડિટ કાર્ડ નંબર તેમજ એચડીએફસી બેંક ક્રેડીટ કાર્ડ નંબર પર ઇન્ટરનેશનલ સર્વિસ ચાલુ થઇ ગઇ છે, જો તમારા આ સર્વિસ હટાવવી હોય તો તેના માટે તમારે રૂપિયા 5 હજાર જેટલો ચાર્જ ચુકવવો છે. જેથી યુવકે આ ચાર્જ હટાવવા માટે હા પાડી હતી. ભેજાબાજોએ આ ઇન્ટરનેશનલ સર્વીસ હટાવવા માટે તેમને એક લીંક મોકલી હતી. આ લીંક Customer Support_ p38.apk લખેલુ હતું ત્યારબાદ આ ઠગો દ્વારા યુવકને આ લિંક પર ક્લીક કરવા માટે કહ્યું હતું. જેથી યુવકને તેમના પર વિશ્વાસ આવી ગયો હોય તેમના કહ્યાં મુજબ યુવકે આ લિંક ક્લિક કરતા એક લિંક ખુલી હતી. ત્યારબાદ બપોરના 4.30 વાગ્યાની આસપાસ તેમના એસબીઆઇના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 71 હજાર તથા એચડીએફસીના ક્રેડિટ કાર્ડમાથી રૂપિયા 69 હજાર હજાર કપાઈ ગયા હતા. યુવકના અલગ અલગ બન્ને ક્રેડિટ કાર્ડમાંથી રૂપીયા 1.36 લાખ બારોબાર કપાઈ ગયા હતા. જેના મેસેજ આવ્યાં હતા. આ મામલે યુવકે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઠગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:23 pm

રાજકોટ અગ્નિકાંડ કેસમાં TRP ગેમ ઝોનના મેનેજરનું મોત:25 દિવસ પહેલાં જ જામીન પર છૂટેલા નીતિન લોઢાનું હાર્ટ એટેકથી રાજસ્થાનમાં મોત

રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા TRP ગેમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25 દિવસ પૂર્વે જ જામીન મુકત થતાં પોતાના વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો. જ્યાં ગઈકાલે નીતિન લોઢાનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતારાજકોટમાં TRP ગેમ ઝોનમાં દોઢ વર્ષ પૂર્વે આગ ભભૂકી ઉઠતાં 27 લોકો જીવતા ભુંજાયા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ગેમ ઝોનના સંચાલકો, જમીન માલીક અને કોર્પોરેશનના અધિકારીઓ સહિત 16 શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંના એક આરોપીનું અગ્નિકાંડમાં જ મોત નિપજતાં પોલીસ દ્વારા 15 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. નીતિન લોઢાનું હાર્ટ એટેકથી રાજસ્થાનમાં મોતજેલ હવાલે રહેલા TRP ગેમ ઝોનના મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.વ.43)ને ગર્ત તા. 21 નવેમ્બરનાં રોજ રાજકોટ સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યો હતો. જામીન મુકત થતાં જ નીતિન લોઢા પોતાના વતન રાજસ્થાનના ભીમ ગામે જતો રહ્યો હતો. જ્યાં ગઈકાલે તેને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. નીતિન લોઢા TRP ગેમ ઝોનમાં મેનેજર હતોમૃતક નીતિન લોઢાને સંતાનમાં એક પુત્રી છે અને TRP ગેમ ઝોનમાં તે ગ્રેવેટી નામે કાફે ચલાવતો હતો. પરંતુ તપાસમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:22 pm

ભુજ PGVCLની કચેરીમાં બિલ ભરવા ગ્રાહકોની લાંબી કતારો:ધીમી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે કલાકો સુધી રાહ જોવી પડી

ભુજની PGVCL સિટી ડિવિઝન કચેરીમાં વીજ બિલ ભરવા આવેલા ગ્રાહકોને બુધવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધીમી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે બિલ ભરપાઈ પ્રક્રિયા ધીમી પડી હતી, જેના પરિણામે ગ્રાહકોને લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડી હતી. PGVCLના કાર્યપાલક ઇજનેર કાપડિયાએ જણાવ્યું હતું કે, બુધવારે સિટી ડિવિઝન વીજ લેણા કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધીમી હોવાને કારણે બિલ ભરપાઈમાં વિલંબ થયો હતો. આ સમસ્યાને કારણે ગ્રાહકોને રાહ જોવી પડી હતી. જોકે, બાદમાં સિનિયર સિટીઝન માટે અલગ સુવિધા ઊભી કરવામાં આવી હતી અને સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોના મતે, બિલ કાઉન્ટર પર અનુભવહીન કર્મચારીઓને કારણે પણ પ્રક્રિયા ધીમી પડી રહી છે. તાલીમના અભાવે એક બિલ ભરવામાં વધુ સમય લાગતો હોવાથી ઘણા ગ્રાહકોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. આ પરિસ્થિતિને કારણે વડીલો, મહિલાઓ અને નોકરીયાત વર્ગને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રાહકો દ્વારા પૂરતા કર્મચારીઓ હોવા છતાં વ્યવસ્થાપનના અભાવ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ગ્રાહકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે, એક તરફ ધીમી કામગીરીને કારણે બિલ સમયસર ભરાઈ શકતા નથી, જ્યારે બીજી તરફ બિલની તારીખ પસાર થતાં વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:09 pm

સુરતમાં 20 ફૂટ ઊંડો ભૂવો પડતા બે ઈમારતો ખાલી કરાઈ:ચોકબજારમાં મેટ્રો ટનલના કામમાં સોસાયટીના ગેટ પાસે ભૂવો પડતા સિમેન્ટ કોંક્રિટનું પુરાણ કરાયું, મોટી દુર્ઘટના બનતા રહી ગઈ

સુરત શહેરના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. શાહપોર અને આઈ.પી. મિશન સ્કૂલ તરફ જવાના માર્ગ પર મેટ્રોની ટનલ ખોદકામ દરમિયાન અચાનક રોડ 20 ફૂટ જેટલો ઊંડો બેસી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મુખ્ય રોડ પર 20 ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડ્યોશાહપોર સાંઈબાબા મંદિર પાસે અને ડો. નરગીસ હાડવેદના દવાખાનાની નજીક મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રહેણાંક મકાનોની નીચેથી જ્યારે ટનલ બોરિંગ મશીન (TBM) પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક જમીન અંદરથી ધસી પડી હતી. આના પરિણામે મુખ્ય રોડ પર 20 ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડ્યો હતો. રહેવાસીઓમાં ફફડાટ અને સ્થળાંતરજમીન ધસી પડવાને કારણે આસપાસની ઇમારતોના પાયા નબળા પડવાની ભીતિ સેવાઈ હતી. સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બે બિલ્ડિંગો ઘર નંબર: 12/1299 ઘર નંબર: 12/1311 ને જોખમી જાહેર કરી ખાલી કરાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના જણાવ્યા અનુસાર, ઘરોની નીચે કામ ચાલતું હોવાથી સતત ધ્રુજારી અનુભવાતી હતી અને હવે રસ્તો બેસી જતાં જાનમાલના નુકસાનનો ડર સતાવી રહ્યો છે. સિમેન્ટ-કોંક્રિટથી તાત્કાલિક પુરાણ કરાયુંદુર્ઘટનાની જાણ થતા જ સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારની ઘેરાબંધી કરીને લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. વધુ જમીન ધસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સિમેન્ટ-કોંક્રિટનું મિશ્રણ કરી પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈમારતોની સ્થિરતા ચકાસવા માટે ટેકનિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીંસદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આ પ્રકારે જમીન ધસવાની ઘટનાએ મેટ્રોની કામગીરી સામે સુરક્ષાના સવાલો ઊભા કર્યા છે. મિત્રોની કામગીરીમાં અગાઉ પણ આ રીતના ભુવાઓ પડવાની ઘટનાઓ બની છે. આ પહેલા પણ સુરતના વરાછા વિસ્તારમાં ભુવા પડ્યા હતા અને નીચેથી માટીનું લિક્વિડ પણ બહાર આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:04 pm

દુકાનદારો સામે ગાંધીનગર મનપાની લાલ આંખ:સેક્ટર-21ના માઈક્રો શોપિંગના 57 વેપારીને 38 લાખના બાકી ભાડાં માટે 7 દિવસનું અલ્ટીમેટમ, દુકાનો સીલ કરવા તૈયારી

ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી પાલિકાની માલિકીની મિલકતોનો ઉપયોગ કરવા છતાં ભાડું ન ચૂકવતા વેપારીઓ સામે કાર્યવાહીના ભાગરૂપે સેક્ટર- 21 વિસ્તારમાં આવેલ ત્રિકોણીયા માઈક્રો શોપિંગ સેન્ટરના 57 ભાડુઆતોને 38 લાખ બાકી ભાડાની રિકવરી માટે સાત દિવસનું અલ્ટિમેટમ આપી નોટિસો ફટકારવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં સામે આવ્યું છે કે, સેક્ટર-21 સ્થિત ત્રિકોણીયા શોપિંગ સેન્ટરના કુલ 57 જેટલા ભાડુઆતોએ લાંબા સમયથી મનપાની તિજોરીમાં ભાડાની રકમ જમા કરાવી નથી. ભાડું ન ભરતા તંત્રએ કડક પગલાં લેવાનું શરૂ કર્યુંઆ તમામ વેપારીઓ પાસે મહાનગર પાલિકાનું કુલ રૂ. 38,08,887 જેટલું મસમોટું ભાડું બાકી નીકળે છે. સરકારી મિલકતનો ઉપયોગ કરવા છતાં ભાડું નહીં ભરનાર આ ભાડુઆતો સામે હવે તંત્રએ કડક પગલાં ભરવાનું નક્કી કર્યું છે. આ અંગે મનપાના એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, આ તમામ 57 કસૂરવાર ભાડુઆતોને લેખિત નોટિસ આપવામાં આવી છે. આ દુકાનદારોને સ્પષ્ટ સૂચના આપી છે કે બાકી નીકળતી તમામ રકમ આગામી 7 દિવસમાં ભરપાઈ કરવાની રહેશે.જો નિર્ધારિત સમય મર્યાદામાં બાકી ભાડું જમા કરવામાં નહીં આવે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મિલકતો સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે મનપાની આ કડક કાર્યવાહીથી આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ બાકી વેરા અને ભાડાની વસૂલાત માટે તંત્ર આવી જ રીતે મેદાનમાં ઉતરશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 7:04 pm

જામનગરમાં PGVCL દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ:વિવિધ સુત્રો દર્શાવતા બેનરો અને પોસ્ટરો દ્વારા વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણનો સંદેશ અપાયો

જામનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના જામનગર વર્તુળ દ્વારા વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ જનતામાં વીજ સલામતી અને ઊર્જા બચત પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ રેલી સાંજે 5:00 વાગ્યે લાલબંગલો કંપાઉન્ડ પરથી શરૂ થઈ હતી. જેમાં PGVCLના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન વીજ સલામતી રાખો – જીવન સુરક્ષિત બનાવો અને ઊર્જા બચાવો – ભવિષ્ય બચાવો જેવા સૂત્રો દર્શાવતા બેનરો અને પોસ્ટરો દ્વારા લોકોને મહત્વપૂર્ણ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. લોકોને ઘરેલું અને ઔદ્યોગિક સ્તરે વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ કરવા, ખુલ્લા વાયરથી દૂર રહેવા, વીજ અકસ્માતોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અને બિનજરૂરી વીજ વપરાશ ટાળીને ઊર્જાનું સંરક્ષણ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. PGVCL જામનગર વર્તુળ દ્વારા આયોજિત આ જનજાગૃતિ કાર્યક્રમથી નાગરિકોમાં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે સકારાત્મક સંદેશ ફેલાયો હતો, જે ભવિષ્યમાં વીજ વપરાશની આદતો સુધારવામાં મદદરૂપ થશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:59 pm

'તેરા તુજકો અર્પણ':જૂનાગઢ 'સી' ડિવિઝન પોલીસનો માનવીય અભિગમ: અરજદારોના 2.13 લાખના મોબાઈલ અને 20 હજારની રોકડ પરત કરી

જૂનાગઢ શહેરમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોન ગુમ થવાના બનાવોને ગંભીરતાથી લઈ, પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનિકલ સોર્સ અને ભારત સરકારના CEIR પોર્ટલની મદદથી ટ્રેસ કરેલા કુલ 10 મોબાઈલ ફોન, જેની કિંમત 2,13,565 રૂપિયા થાય છે, તે તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. ફોન પરત મળતા અરજદારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. સી ડિવિઝન પી.આઈ. એ.બી. ગોહિલની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધી કાઢવામાં આવેલા આ મોબાઈલો ઉપરાંત, હજુ પણ અન્ય ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવાની પ્રક્રિયા વેગવંત બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં રિકવર થનારા અન્ય મોબાઈલો પણ જે-તે માલિકોને તબક્કાવાર પરત કરવામાં આવશે. ​મોબાઈલ ફોન સિવાય પોલીસે એક અરજદારના ફસાયેલા નાણાં પણ પરત અપાવવામાં સફળતા મેળવી છે. એક અરજદારે આપેલ હાથ ઉછીના 20,000 રૂપિયા સામાવાળા વ્યક્તિ પરત આપતા ન હોવાની ફરિયાદ મળી હતી. આ મામલે પોલીસે મધ્યસ્થી કરી અને સામાવાળા પક્ષને સમજાવટથી કામ લઈ, અરજદારની પૂરેપૂરી રોકડ રકમ પરત અપાવી ન્યાય અપાવ્યો હતો. આમ, મોબાઈલ અને રોકડ મળીને કુલ 2,33,565 રૂપિયાનો મુદ્દામાલ લોકોને પરત સોંપવામાં આવ્યો હતો. ​આ સફળ કામગીરીમાં 'સી' ડિવિઝન પી.આઈ. એ.બી. ગોહિલની સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એલ. બકોત્રા, વુમન પોલીસ કોન્સ્ટેબલ રિદ્ધિબેન રમેશભાઈ તેમજ સાયબર એક્સપર્ટ વિશ્વાબેન કાનાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસના આ પોઝિટિવ અભિગમથી સ્થાનિક પ્રજામાં પોલીસની છબી વધુ સુદ્રઢ બની છે. આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા નાગરિકોએ જૂનાગઢ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:57 pm

સુરત રોડ સેફટી કાઉન્સિલની બેઠક:લાયસન્સ સસ્પેન્ડ અને નવા 54 સિગ્નલો લગાવવા નિર્ણય, ઓવરલોડ વાહન અને માટી ભરી ઢાંક્યા વગર નીકળતા ટ્રકો સામે ઝુંબેશ

સુરત શહેરના માર્ગોને સુરક્ષિત બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સિલની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પોલીસ, મહાનગરપાલિકા અને આર.ટી.ઓ.ના અધિકારીઓને સંકલનમાં રહીને કામ કરવા સૂચના અપાઈ હતી. કમિશનરે ખાસ કરીને હાઈવે પર બાજ નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની ઊંચાઈ 25થી 30 ફૂટ કરવા અને ટ્રાફિકમાં અડચણરૂપ બનતા પરિબળોને તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યા હતા. ઓવરલોડ વાહન અને માટી ભરી ઢાંક્યા વગર નીકળતા ટ્રકો સામે ઝુંબેશબેઠકમાં મુસાફરો અને શાળાના બાળકોની સલામતી અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરએ સ્પષ્ટ કર્યું હતું કે જે રિક્ષા કે વાન ચાલકો ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી જોખમી મુસાફરી કરાવે છે, તેમની સામે કડક કાયદાકીય હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વરાછા રોડ પર પાસોદરાથી નવજીવન હોટલ વચ્ચે દોડતા ઓવરલોડ વાહનો અને માટી ભરીને ઢાંક્યા વગર નીકળતા ટ્રકો વિરૂદ્ધ વિશેષ ઝુંબેશ ચલાવવા પોલીસને તાકીદ કરવામાં આવી છે. નવા 54 જંક્શનો પર ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરાશેશહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા માટે માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની વિગતો પાલિકાના અધિકારીઓએ આપી હતી. અત્યાર સુધીમાં અલગ-અલગ ઝોનમાં સ્પીડ લિમિટ, નો-પાર્કિંગ અને ભારે વાહનોના પ્રતિબંધના 600થી વધુ સાઈન બોર્ડ્સ લગાવવામાં આવ્યા છે. વધુમાં, રિક્ષા ચાલકો વ્યવસ્થિત પાર્કિંગ કરે તે માટે શહેરના 216 પોઈન્ટ્સ પર પીળા રંગના પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી સમયમાં નવા 54 જંક્શનો પર ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવામાં આવશે. 261 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાઆર.ટી.ઓ. વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન 1232 અને વર્ષ 2025ના શરૂઆતના ગાળામાં 261 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવરસ્પીડના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું. લાયસન્સ વગરના ડ્રાઈવરો રાખતી એજન્સીઓ સામે કડક પગલાં લેવાશેઅંતમાં, જાહેર જનતાની સુવિધા માટે બી.આર.ટી.એસ. રૂટ પર જ્યાં લોકો ગ્રીલ ક્રોસ કરે છે ત્યાં ગ્રીલની ઊંચાઈ વધારવા અને ડોર-ટુ-ડોર કચરાના ટેમ્પો ચાલકોના લાયસન્સની તપાસ કરવા પાલિકાને સૂચના અપાઈ હતી. લાયસન્સ વગરના ડ્રાઈવરો રાખતી એજન્સીઓ સામે કડક પગલાં લેવાશે. આ બેઠકમાં આરોગ્ય, માર્ગ-મકાન અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરતને સુરક્ષિત શહેર બનાવવા માટેની આખી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:53 pm

હિન્દુ નામથી ID બનાવી સગીરાને હોટલ લઈ જતો યુવક ઝડપાયો:હિન્દુ સંગઠનના કાર્યકરોએ હોટલમાં જ યુવકને ઢોર માર માર્યો, પોલીસે કહ્યું- યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરાશે

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રિજન્ટ પ્લાઝાની એક હોટલમાં અફરાતફરી મચી ગઈ જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરોએ દરોડા પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. એક યુવક પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી સગીરાને ઓયો હોટલમાં લઈને પહોંચ્યો હતો. યુવક સગીરાને લઈ હોટલે પહોંચ્યોઘટનાની વિગતો મુજબ, ડિંડોલીના રિજેન્ટ પ્લાઝામાં ચોથા માળે આવેલી વે પોઇન્ટ હોટલમાં અન્ય ધર્મનો એક યુવક અને સગીરા રૂમ લેવા પહોંચ્યા હતા. યુવકે હોટલના રજિસ્ટરમાં પોતાની ઓળખ અવેદનાથ તરીકે આપી હતી અને તે મુજબનું આધારકાર્ડ પણ રજૂ કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે આવેલી સગીરાનું પણ નકલી આધારકાર્ડ રજૂ કર્યું હતું. ખોટા દસ્તાવેજો બનાવીને હોટલ સંચાલકની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો. હોટલમાં જ યુવકને ઢોર માર મારવામાં આવ્યોહિન્દુ સંગઠનના કાર્યકરોને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે, એક યુવક ખોટી ઓળખ આપીને સગીરા સાથે હોટલમાં રોકાયો છે. કાર્યકરો તુરંત હોટલ પર પહોંચ્યા હતા અને યુવકની હકીકત સામે આવતા જ તેને ઢોર માર માર્યો હતો. હોટલની અંદર જ યુવકની બરાબરની 'ધોલાઈ' કરવામાં આવી હતી. આ દરમિયાન હોટલ સંચાલક મહિલાએ બજરંગ દળના કાર્યકરો સાથે દલીલો કરતા મામલો વધુ બિચક્યો હતો અને ભારે હોબાળો થયો હતો. 'નકલી ડોક્યુમેન્ટ છતાં યુવક સામે કોઈ કાર્યવાહી નહીં'ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, પરંતુ બજરંગ દળનો આક્ષેપ છે કે, નકલી ડોક્યુમેન્ટ્સ હોવા છતાં યુવક સામે હજુ સુધી કડક કાર્યવાહી કરાઈ નથી. સગીરાને નિયમ વિરુદ્ધ રૂમ આપનાર હોટલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી કરનાર યુવક હજુ પોલીસ પકડથી દૂર કેમ છે? યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરાશે: ACPઆ સમગ્ર હંગામા બાદ સુરતના એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, અમે સંગઠનના સંપર્કમાં છીએ. છોકરી સગીર હોવાનું સામે આવ્યું છે. યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. યુવકને કડક સજા થયા એવી અમારી માગ છે: જીતેન્દ્ર યાદવવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોડાદરા જિલ્લા સહ-સંયોજક જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, અમારા કાર્યકર્તાના માધ્યમથી માહિતી મળી કે એક મુસ્લિમ યુવક છે જે નકલી હિન્દુ બનીને અમારી એક સગીર છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેને હોટલમાં લઈ ગયો હતો. જ્યારે અમારા બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આ અંગેની જાણકારી મળી ત્યારે અમે તેને પકડ્યો અને 100 નંબર પર તથા 112 નંબર પર કોલ કરીને પોલીસને બોલાવી. તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં અમારી બજરંગ દળની ટીમે તેને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:44 pm

4 દાયકાબાદ કમાટીબાગમાં વ્હાઇટ ટાઇગરનું કમબેક:પ્રવાસીઓ 15 દિવસ પછી નિહાળી શકશે, રાજકોટથી લાવવામાં આવ્યા વાઘ અને વાઘણ

શહેરનો કમાટીબાગ હંમેશા નવા નજરાણા માટે જાણીતો છે. અહીંના પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી 15 દિવસ બાદ સફેદ વાઘ અને વાઘણની જોડીને નિહાળી શકશે. ચાર દાયકા બાદ કમાટીબાગમાં વ્હાઇટ ટાઇગરનું કમબેકઆ અંગે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર ડો પ્રત્યુષ પાટનકરે જણાવ્યું હતું કે, વડોદરા ઝૂમાં અંદાજિત ચાર દાયકા બાદ વ્હાઈટ ટાઈગર (સફેદ વાઘ)નું પુનરાગમન થયું છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે અમે ઘણા સમયથી, એટલે કે સફેદ વાઘના એનિમલ એક્સચેન્જ માટે અમે ઘણા સમયથી કાર્યરત હતા અને અમારા સઘન પ્રયાસો ચાલી રહ્યા હતા. રાજકોટને મકાઉ અને એમેઝોન પેરોટ જેવા પક્ષીઓ આપ્યાવધુમાં કહ્યું કે, સફેદ વાઘ થોડી દુર્લભ પ્રજાતિ હોવાથી તે સરળતાથી મળે એવું હતું નહીં અને રાજકોટ ઝૂ પાસે જ્યારે બ્રીડિંગ થઈ અને એમની પાસે સ્પેર થવા જેવા જાનવર થયા ત્યારે રાજકોટ ઝૂ જોડેથી આપણે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં આપણા ઝૂથી વિદેશી પક્ષીઓ જેવા કે મકાઉ, રીંગ-નેક ફેઝન્ટ, એમેઝોન પેરોટ, એલેક્ટસ પેરોટ, બ્લેક સ્વાન અને કોકાટુ એવા પક્ષીઓની જોડીઓ આપી અને સામે સફેદ વાઘની આ જોડી આપણે મેળવેલી છે. વધુમાં કહ્યું કે, આ સમગ્ર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં પાલિકાના આપણા તમામ ઉપરી અધિકારીઓ, કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સંપૂર્ણ તંત્રનો બહુ જ સારો સપોર્ટ અમને મળી રહ્યો છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સમયસર મંજૂરી પણ મળી ગઈ અને તેના લીધે જ આપણા ત્યાં સફેદ વાઘ આપણા ઝૂ માં લાવવામાં આવ્યા છે. 15થી 45 દિવસ સુધી ક્વોરન્ટીન કર્યાસેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ હાલ ટાઈગર્સ ક્વોરન્ટીનમાં છે. ક્વોરન્ટીન પીરિયડ મિનિમમ 15 થી 45 દિવસનો હોય છે. આમાં જેટલા વહેલા જાનવર નવા વાતાવરણ સાથે એક્લેમેટાઈઝ થશે એટલા વહેલા એટલે કે 15 દિવસ બાદ જાહેર જનતા માટે આ પ્રાણીઓ જોવા ખુલ્લા મુકવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:41 pm

ગાંધીનગરમાં બાળકની રમત પડી ભારે:વાવોલની કુંજ હાઈટ્સમાં બાળકની ફટાકડા ફોડવાની જીદે ઘરના બેડરૂમને ભસ્મીભૂત કર્યો, મોટી હોનારત ટળી

ગાંધીનગરના વાવોલ-ઉવારસદ રોડ પર આવેલી આઠ માળની બહુમાળી ઇમારત 'કુંજ હાઈટ્સ'માં આજે આગની ઘટના સેંકડો પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ઘરના બંધ બેડરૂમમાં દિવાળીના વધેલા ફટાકડા ફોડવાની બાળકની જીદને કારણે લાગેલી ભીષણ આગમાં રાચરચીલું સળગીને ખાખ થઈ ગયું છે. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી હાઇરાઇઝ બિલ્ડિંગમાં મોટી હોનારત સર્જાતા અટકી ગઇ છે. ફાયર સેફ્ટી સિસ્ટમ સમયસર કામ કરી ગઈવાવોલ-ઉવારસદ રોડ પર આવેલી આઠ માળની બહુમાળી ઇમારત 'કુંજ હાઈટ્સ'માં આજે આગની ઘટના સેંકડો પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. જોકે, આ દુર્ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ સમયસર કામ કરી ગઈ, જેને કારણે એક આખો બ્લોક અને આસપાસના પરિવારો મોટી હોનારતનો શિકાર બનતા બચી ગયા છે. ફટાકડામાંથી નીકળેલા તણખાએ પલંગના ગાદલામાં આગ પકડીગાંધીનગર ફાયર બ્રિગેડનાં સૂત્રોએ જણાવ્યું કે ,નીતિનભાઈ વાઘેલાના પરિવારમાં તેમનો 12 વર્ષીય પુત્ર રમી રહ્યો હતો. જેણે દિવાળીના સંગ્રહ કરી રાખેલા ફટાકડા કાઢીને બેડરૂમમાં જ સળગાવ્યા હતા. ફટાકડામાંથી નીકળેલા તણખાએ પલંગના ગાદલામાં આગ પકડી હતી. અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા રૂમને લપેટમાં લીધો હતો. દંપતિ તેમના પુત્રને લઈને સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળીઆ આગના લીધે આખી સોસાયટીમાં ધુમાડાના ગોટેગોટા ફેલાતા રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. દંપતિ તેમના પુત્રને લઈને સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી.આ બનાવની જાણ થતાં જ સરગાસણ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ફાયર જવાનોએ નોંધ લીધી હતી કે ફ્લેટની ઇન-બિલ્ટ ફાયર ફાઈટીંગ સિસ્ટમ ચાલુ હાલતમાં હતી. આથી ફાયરની ટીમે ત્વરિત તે સિસ્ટમ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. જો આ સિસ્ટમ કાર્યરત ન હોત તો આગ છઠ્ઠા માળેથી ઉપરના અને નીચેના માળના ફ્લેટ્સ સુધી પ્રસરી શકી હોત. આગને કારણે બેડરૂમમાં રહેલું એસી, કબાટ અને પલંગ સંપૂર્ણ સળગી ગયા છેગાંધીનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે કહ્યું કે, આ ઘટના બાદ વાલીઓને ખાસ અપીલ છે કે બાળકો એકલા હોય ત્યારે જ્વલનશીલ પદાર્થો કે ફટાકડાથી દૂર રહે તેનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ સોસાયટીના રહીશોને પણ પોતાની ફાયર સિસ્ટમ સમયાંતરે ચેક કરાવતા રહેવા સૂચના છે. કારણ કે વાવોલની આ ઘટના સાબિત કરે છે કે ફાયર સિસ્ટમ થી સજ્જ સુરક્ષા સિસ્ટમ કટોકટીના સમયે ગંભીર હોનારતો રોકી શકે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:39 pm

કેવડી ગામે નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી રદ્દ કરવા માંગ:ધર્મપરિવર્તનની આશંકા વ્યક્ત કરી દેવ બિરસા સેનાએ મામલતદારને આવેદન આપ્યું

નવસારીના વાંસદા તાલુકાના કેવડી ગામે નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. દેવ બિરસા સેના અને અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા વાંસદા મામલતદારને આ અંગે આવેદનપત્ર સુપરત કરાયું છે. સંગઠનોએ ભીખુ મહાકાળ દ્વારા નાતાલની ઉજવણી માટે લેવાયેલી પરવાનગી રદ્દ કરવાની માંગ કરી છે. તેઓએ આશંકા વ્યક્ત કરી છે કે, નાતાલ પર્વની ઉજવણીની આડમાં આદિવાસીઓને ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, જો પરવાનગી રદ્દ કરવામાં નહીં આવે તો નાતાલ પર્વ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સંગઠનોએ મામલતદાર કચેરીએ ભૂખ હડતાળ અને જેલભરો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. થોડા દિવસો અગાઉ અગ્નિવીર સંગઠન દ્વારા વાંસદામાં વટાળ પ્રવૃત્તિ અટકાવવામાં આવી હતી. હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે, વાંસદા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:28 pm

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચનું 'ઓપરેશન કારાવાસ':પોક્સો-દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજામાં પેરોલ જમ્પ કરી 7 વર્ષથી ફરાર આરોપીને મોડાસાથી દબોચ્યો

રાજ્યમાં પેરોલ જમ્પ થયેલા અને જેલમાંથી ફરાર કેદીઓને પકડવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ ઓપરેશન કારાવાસ શરૂ કરાયું છે. જે અંતર્ગત ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા સાત વર્ષ પૂર્વે સાબરમતી મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા બળાત્કાર અને પોક્સોના ગુનાના આજીવન કેદના આરોપીને મોડાસા ખાતેથી ઝડપી પાડી ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાઈકોર્ટે આરોપીના 10 દિવસના પેરોલ મંજૂર કર્યા હતાસમગ્ર પ્રકરણની વિગત મુજબ, બચુજી રતુજી ઠાકોર નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2011માં દહેગામ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. આ કેસમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારતા તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન મે-2018માં હાઈકોર્ટ દ્વારા તેને 10 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. આરોપી પેરોલ જમ્પ કરી 7 વર્ષથી ફરાર હતોઆ રજા પૂર્ણ થયા બાદ 13 મે 2018ના રોજ તેણે જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા કેદીઓને પકડવા માટે LCB-2 ના પીઆઈ એચ.પી. પરમાર અને તેમની ટીમ સતત વર્ક આઉટ કરી રહી હતી. પોલીસે આરોપીને મોડાસાથી ઝડપી પાડ્યોદરમિયાન બાતમી મળી હતી કે, આજીવન કેદનો આ કેદી મોડાસા પાસે પોતાના વતનમાં છુપાયેલો છે. જે બાતમીના આધારે પોલીસે મોડાસા ખાતે વોચ ગોઠવીને 50 વર્ષીય બચુજી ઠાકોરને દબોચી લીધો હતો. વર્ષ 2018થી સતત સાત વર્ષ સુધી પોલીસને થાપ આપી રહેલા બચુજી ઠાકોરની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને ફરી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:28 pm

અધિકારીઓ અને દબાણ શાખાની ટીમ સાથે બેઠક:હવે ચાર દરવાજા વિસ્તારમાં દબાણો સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે, મનપાએ સઘન દબાણ હટાવો અભિયાનનો નિર્ણય લીધો

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ, શહેરના હાર્દ સમા લહેરીપુર ચાર દરવાજા વિસ્તારમાં અવારનવાર ભારે ટ્રાફિકજામના સમસ્યા રહે છે, જેનું મુખ્ય કારણ છે દુકાનદારો દબાણ કરી અને પથરાવાળા ગેરકાયદેસર પોતાની દુકાનો લગાવી દે છે. આજે પૂર્વ ઝોન કચેરી ખાતે બેઠક મળી અને તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવનાર દિવસોમાં આ દબાણોનો સફાયો થશે. ટ્રાફિકની સમસ્યા અને સફાઈની સમસ્યા સર્જાતી હોય છેઆ અંગે વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નંબર-4ના વિસ્તારમાં ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં કેટલાક દુકાનવાળાઓ દુકાનની આગળ સામાન મૂકીને દબાણ કરતા હોય છે તેમજ કેટલાક લારી-ગલ્લા વાળા અને પથારાવાળા પણ મોટા પ્રમાણમાં દબાણ કરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને સફાઈની સમસ્યા સર્જાતી હોય છે. સામાન અને લારી-ગલ્લા જપ્ત કરવામાં આવશેવધુમાં કહ્યું કે, ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 4 ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોએ અત્યારે રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને આસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર અને દબાણ શાખાની ટીમ સાથે રાખીને હવે આવનારા દિવસોમાં આજથી માંડીને સઘન દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવશે. જે પણ લોકો આવી રીતે બિનઅધિકૃત રીતે દબાણ કરતા હશે તેમનો સામાન અને લારી-ગલ્લા જપ્ત કરવામાં આવશે અને જે દુકાનવાળા પણ સામાન બહાર મૂકતા હશે તેમને પણ પેનલ્ટી કરવામાં આવશે અને સખત એક્શન લેવામાં આવશે. યોગ્ય એક્શન લેવામાં આવશે અને દંડ કરવામાં આવશેવધુમાં કહ્યું કે, લારી-ગલ્લા દબાણ હશે તો તેને દબાણ શાખા દ્વારા જપ્ત કરવામાં આવશે અને જે દબાણ શાખાના નીતિ-નિયમ મુજબ પેનલ્ટી કરવામાં આવતી હોય છે તેમછતાં લારી-ગલ્લાના દબાણ ઉપરાંત દુકાનવાળાના પણ જે દબાણ હશે તો એ લોકોને જે પ્રકારે દબાણ કર્યું છે તેના અનુસંધાનમાં યોગ્ય એક્શન લેવામાં આવશે અને દંડ કરવામાં આવશે. દબાણ હટાવવાની ઝુંબેશના કારણે હવે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશેવધુમાં કહ્યું કે, આવા લારી-ગલ્લા અને પથારાના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને સફાઈની પણ સમસ્યા સર્જાતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને તમામ વોર્ડ વિસ્તારમાં પણ દબાણ હટાવવા માટેની ઝુંબેશ કરવામાં આવેલી છે. આ દબાણ હટાવવાની ઝુંબેશના કારણે હવે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે એવું મારું માનવું છે. 5 હજાર સુધીનો દંડ કરવામાં આવશેવધુમાં કહ્યું કે, જે દબાણ રિપીટેડ થતા હશે એના માટે પણ ભવિષ્યમાં કોઈ પોલિસી બનાવવામાં આવશે કે જે લોકો વારંવાર ડિફોલ્ટર થાય છે તેમના લારી-ગલ્લા ઝડપથી છોડવામાં ન આવે એ પ્રકારની પણ નીતિ-નિયમ આવશે એવું મારું માનવું છે. આ સાથે વારંવાર સૂચના આપવા છતાં જે દુકાનવાળા બહાર સામાન મૂકતા હશે તો તે લોકોને 1000-2000થી 5000 રૂપિયા સુધીનો પણ દંડ કરવામાં આવશે અને સખત એક્શન લેવામાં આવશે એવું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:20 pm

સુરતમાં 25 ડિસેમ્બરથી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો યોજાશે:આદિવાસી સમુદાયોને ઉદ્યોગ અને રોજગાર માટે પ્રોત્સાહન મળશે

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામમાં આવેલા દિશા ધોડિયા સમાજની વાડી ખાતે ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે. NTTF-2025 તરીકે ઓળખાતો આ મેળો આદિવાસી સમુદાયોને ઉદ્યોગ અને રોજગાર તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરાયો છે. આ મેળો 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી યોજાનાર છે. આ મેળો માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ આદિવાસી કુશળતા, કલા અને ઉદ્યોગોને નવો મંચ પૂરો પાડશે. તે તેમને સ્વરોજગાર અને ઉદ્યોગ જગતમાં આગળ વધવાની તકો પૂરી પાડશે. આ અંગે નવસારી સર્કિટ હાઉસ ખાતે આદિવાસી આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. NTTF-2025 મેળો બેરોજગારી દૂર કરવા અને નાના-મધ્યમ ઉદ્યોગોને નવા અવસર આપવા માટે રચાયેલ છે. આદિવાસી યુવાનોને તેમના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવાની તક મળશે, જેનાથી સ્વાવલંબનનો માર્ગ મજબૂત બનશે. આ મેળો આદિવાસી કલા, હસ્તકલા, કૃષિ અને ઉદ્યોગોનું પ્રદર્શન કરીને ઉત્પાદકો, ઉદ્યોગીઓ અને ઉદ્યોગકારો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરશે. તે આધુનિક વ્યવસાય પદ્ધતિઓનો પરિચય આપીને યુવાનોને સ્વરોજગાર માટે પ્રેરિત કરશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને તેમના વિસ્તારની બહાર ગ્રાહક વર્ગ સુધી પહોંચવાની તક મળશે. ઉદ્યોગીઓ, નિકાસકારો અને નાણાકીય સંસ્થાઓ સાથે સીધું જોડાણ સ્થાપીને ઉદ્યોગ વૃદ્ધિ માટે નવી શક્યતાઓ ઊભી થશે. મેળામાં તાલીમ સત્રો, વર્કશોપ અને બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) બેઠકોનું આયોજન કરવામાં આવશે, જે ભાગ લેનારાઓને માર્કેટિંગ, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને લાંબા ગાળાની ટકાઉ વ્યવસાયની સમજ આપશે. ખેડૂતો, કારીગરો અને ઉદ્યોગકારો માટે નવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સરકારી એજન્સીઓ અને ઉદ્યોગી ભાગીદારો સાથે જોડાણની તકો પણ ઉપલબ્ધ થશે. આદિવાસી ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપીને, આ મેળો ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધારશે અને સ્થાનિક સમુદાયના વિકાસમાં યોગદાન આપશે. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા જણાવે છે કે, સુરત ખાતે ભારત દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો યોજાશે. તે અંતર્ગત એની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારનો પૂરેપૂરો સહયોગ છે. ગુજરાત રાજ્ય ખાતેથી આદિજાતિ મંત્રી નરેશભાઈ, બીજા મંત્રી જયરામ ગામીત, હર્ષ સંઘવી અને એમની આખી ટીમ આ કાર્યક્રમમાં સહયોગ આપી રહી છે. સાથે જ તમામ આદિવાસી સંગઠનો પણ આની અંદર સહયોગ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાશે. ભારત દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિનો વારસો જાળવવાનું કામ આદિવાસીઓએ કર્યું છે અને એ વારસો એના નૃત્યોમાં જોવા મળે છે, એના સંગીતમાં જોવા મળી રહ્યો છે અને એનું પ્રદર્શન ત્યાં આગળ નિદર્શન થવાનું છે. આખા દેશમાંથી આસામ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનથી જુદી જુદી ટીમો આવવાની છે, સાથે સ્થાનિક સાંસ્કૃતિક ટીમો તો છે જ કે જે આપણને ચાર દિવસ સુધી નિહાળવા મળશે. આ કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી યોજાનાર છે. 400 થી વધારે સ્ટોલો છે, એની અંદર 100 થી વધારે સ્ટોલો પરંપરાગત ખાદ્યોના સ્ટોલો છે કે જે આદિવાસી વાનગીઓ કે જે સાત્વિક અને તબિયતને નુકસાન ન કરે એ પ્રકારની વાનગીઓ ત્યાં બતાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:12 pm

પી.પી. સવાણી પરિવાર દ્વારા 133 પિતા વિહોણી કોયલડી દીકરીઓના લગ્ન:20 અને 21 ડિસેમ્બરે યોજાશે ભવ્ય લગ્ન સમારોહ, સીએમ સહિતના મહાનુભાવો કરશે કન્યાદાન

સુરતનું નામ સેવાના કાર્યોમાં હંમેશા મોખરે રહ્યું છે. આ પરંપરાને આગળ ધપાવતા, જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી મહેશભાઈ સવાણીનો પરિવાર ફરી એકવાર પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓના પાલક પિતા બનવા જઈ રહ્યો છે. આગામી 20 અને 21 ડિસેમ્બર દરમિયાન સુરતમાં કોયલડી નામે ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 133 પિતા વિહોણી દીકરીઓ નવું જીવન શરૂ કરશે. રાજ્યના દિગ્ગજોની ઉપસ્થિતિમાં થશે કન્યાદાનઆ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહીને દીકરીઓના કન્યાદાનમાં સહભાગી થશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નીમુબહેન બાંભણીયા સહિત અનેક રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો નવદંપતીઓને કન્યાદાન અને આશીર્વાદ આપવા પધારશે. સર્વધર્મ સમભાવનું અનોખું ઉદાહરણપી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાતિ અને ધર્મના વાડા તોડીને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે.bઆ વર્ષે પણ 133 દીકરીઓમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની વિવિધ 37 જ્ઞાતિની દીકરીઓનો સમાવેશ થાય છે. આ દીકરીઓ 4 રાજ્યો અને ગુજરાતના 17 જિલ્લાઓમાંથી આવે છે. એક જ મંડપમાં મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢવામાં આવશે, તો ખ્રિસ્તી અને હિન્દુ દીકરીઓ પોતાની પરંપરા મુજબ ફેરા ફરશે. આ દ્રશ્ય ખરા અર્થમાં 'વસુધૈવ કુટુંબકમ' અને સાચા ભારતનું પ્રતિબિંબ પૂરું પાડશે. કેવળ કન્યાદાન નહીં, જીવનભરની જવાબદારીસવાણી પરિવારની વિશેષતા એ છે કે તેઓ માત્ર લગ્ન કરાવીને અટકી જતા નથી. મહેશભાઈએ ઉમેર્યું કે, અમે દીકરીને માત્ર કરિયાવર આપીને વિદાય નથી કરતા, પરંતુ એક બાપ તરીકેની તમામ જવાબદારીઓ આજીવન નિભાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જે દીકરીઓને સગા ભાઈઓ નથી, ત્યાં સવાણી પરિવારના દીકરાઓ મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ અને મોનાર્ક પોતાની સગી બહેનની જેમ 'જવતલ હોમવા'ની વિધિ કરી ભાઈની ફરજ બજાવશે. ડીજીટલ યુગમાં સેવા: સેવા સંગઠન એપ્લિકેશનપી.પી. સવાણી ટ્રસ્ટ હેઠળ હવે 11,000 થી વધુ દીકરી–જમાઈઓનો એક વિશાળ પરિવાર બની ગયો છે. આ પરિવારને એકબીજા સાથે જોડી રાખવા અને મદદરૂપ થવા માટે સેવા સંગઠન નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.આ એપ્લિકેશનમાં ડોક્ટર, વકીલ, શિક્ષક અને માર્ગદર્શન ટીમ ઉપલબ્ધ રહેશે.સભ્યો પોતાના બિઝનેસની માહિતી મૂકી શકશે, જેથી આંતરિક વ્યવસાય અને રોજગારને વેગ મળે. કોઈ પણ જરૂરી મદદ માટે સીધો સંપર્ક કરી શકાશે અને એપ્લિકેશન દ્વારા નજીકમાં રહેતા દીકરી–જમાઈની માહિતી પણ તરત મળી રહેશે.આ એપ્લિકેશનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. છેલ્લા 18 વર્ષમાં 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા સવાણી પરિવારનો આ સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં પ્રેરણારૂપ બન્યો છે, જેનાથી પ્રેરાઈને અન્ય અનેક સંસ્થાઓ પણ હવે દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજતી થઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 6:01 pm

10થી વધુ સ્કૂલ્સને મળી ઉડાવી દેવાની ધમકી:વાલીઓના જીવ અદ્ધર, કોંગ્રેસની પદયાત્રામાં પોલીસ સાથે ઝપાઝપી, ગોગો પેપર્સ પર રાજ્યભરમાં કડકાઈથી ચેકિંગ

રાજ્યની 19 સ્કૂલ્સને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદ, ગાંધીનગર અને કલોલની 19 સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જો કે તપાસમાં સ્કૂલ્સ્માંથી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. આ વચ્ચે સચિવાલયમાં પણ એલર્ટ આપી તપાસ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સત્યમેવ જયતેના નારા સાથે કોંગ્રેસની પદયાત્રા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસના નેતાઓએ પદયાત્રા કાઢી.અમદાવાદ ભાજપ-કાર્યાલય પર જતા નેતાઓને અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદીના પોસ્ટર પર અજાણ્યા શખ્સોએ લગાવી શ્યાહી રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદીના ફોટો પર શ્યાહી લગાવી.ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે તાત્કાલિક શ્યાહી લગાવેલું પોસ્ટર હટાવી દેવાયું આવ્યું. અગાઉ જગદિશ વિશ્વકર્માની રેલી પહેલા પણ બેનરમાં PMના ફોટા પર શાહી લગાવાઈ હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ-કોંગ્રેસના નેતાઓ 'આપ'માં જોડાયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સુરતમાં ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. બંને પક્ષોના 12થી વધુ સક્રિય નેતા અને કાર્યરકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યભરમાં ગોગો પેપર્સ સામે પોલીસ એક્શન મોડમાં ગોગો પેપર્સ સામે ગુજરાત પોલીસ એક્શન મોડમાં. અમદાવાદ એરપોર્ટ પોલીસે 72 લાખના ગોગો પેપર્સ સાથે એકને પકડ્યો.સુરત,વડોદરા સહિત રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યા છે. ભાસ્કરના અહેવાલ બાદ મંગળવારે સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી સુરતના પલસાણામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. જેમાં કેમિકલ ભરેલા ટેન્કર સહિત અન્ય વાહનો સળગી ગયા. 10થી વધુ ફાયર ફાઈટરોએ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરબ્રિજનો ઢોલનગારા સાથે વિરોધ કરાયો રાજકોટમાં શાપર-વેરાવળ નેશનલ હાઈવે પર બનવા જઈ રહેલા ઓવરબ્રિજનો લોકોએ વિરોધ કર્યો. ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર થઈ જશે. જેનાથી 2 લાખ લોકોને અસર થતા વિરોધ કરવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કન્ટેનરની અડફેટે ચાર શ્રદ્ધાળુઓના મોત મોરબીના ચાચાવદરડા ગામે કન્ટેનર ભરેલા ટ્રકે પાંચને અડફેટમા લેતા ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા.. મૃતકો મૂળ બનાસકાંઠાના હતા અને પગપાળા દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂલ સ્પીડમાં આવતી કાર પલટી, ત્રણના મોત અમરેલીના બગસરામાં ફૂલસ્પીડમાં આવતી કાર પલટી ખાઈને ખેતરમાં ઘૂસી ગઈ. કારમાં સવાર ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. કારનો એ હદે કચ્ચરઘાણ વળી ગયો હતો કે કારને કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે રાજ્યમાં હજુ તો ઠંડી બરાબર જામી પણ નથી, ત્યાં તો હવામાન વિભાગે તાપમાન વધવાની આગાહી કરી . પૂર્વ દિશાના પવન ફૂંકાતા તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:55 pm

ભરૂચમાં સોનીના કારખાનેથી 5.32 લાખના દાગીના ચોરાયા, CCTV:ડ્રોવરનું લોક તોડી દાગીના ચોરી બંગાળી કારીગર ફરાર થયો, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ શહેરના કંસારવાડ વિસ્તારમાં એક સોનીના કારખાનેથી રૂ. 5.32 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ ચોરીનો આરોપ એક બંગાળી કારીગર પર છે, જે ઘટના બાદ ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કંસારવાડ, ખલાસવાડ, લાલબજારમાં છેલ્લા 35 વર્ષથી સોના-ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા સુજયકુમાર ધારા (મૂળ પશ્ચિમ બંગાળ) પાસે 7 ડિસેમ્બરે તેમના પરિચિત મારફતે બંગાળનો એક યુવક દાગીના ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. માત્ર પાંચ દિવસમાં જ તેણે વિશ્વાસઘાત કર્યો હતો. 12 ડિસેમ્બરે બપોરના સમયે સુજયકુમાર ધારા નીચેના માળે કારીગર સાથે કામ કરી રહ્યા હતા, જ્યારે તેમની પત્ની ઉપરના માળે હતી. દીકરીને કોલેજથી લેવા જવાનું હોવાથી સુજયકુમાર એબીસી સર્કલ તરફ ગયા હતા. જતા પહેલા તેમણે ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના-ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી લોક કરી દીધા હતા. સાંજે લગભગ 4:30 વાગ્યે દીકરી સાથે ઘરે પરત ફરતા સુજયકુમારને જાણવા મળ્યું કે, કામ શીખવા આવેલો કારીગર ગાયબ હતો. તપાસ કરતા ડ્રોવરનું લોક તૂટેલું હતું અને અંદરના દાગીના ગાયબ હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા સ્પષ્ટ થયું કે, કારીગર ટેબલના ડ્રોવરનું લોક તોડી દાગીના ચોરીને ફરાર થયો હતો. આ અંગે સુજયકુમાર ધારાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભુક્કો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદીની ચોરી થઈ છે, જેની કુલ કિંમત આશરે રૂ. 5.32 લાખ છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપી જીત દાસની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:53 pm

જૂનાગઢ SOG નું 'ઓપરેશન મ્યુલ હન્ટ':દેશના 15 રાજ્યોના 89 લોકો સાથે 3.42 કરોડની ઠગાઈ: જૂનાગઢ SOG ની તપાસ બાદ ભેંસાણના વેપારી સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ.

વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દેશ ભરમાં વધી રહ્યા છે .ત્યારે જૂનાગઢ જિલ્લા એસઓજી (SOG) એ એક એવા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેના તાર છેક દિલ્હીથી લઈને કેરળ સુધી જોડાયેલા છે. ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત જૂનાગઢ એસઓજીની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા જૂનાગઢની યશ બેંકમાં ચાલતા એક શંકાસ્પદ ખાતાની વિગતો શોધી કાઢી હતી. તપાસમાં બહાર આવ્યું કે ભેંસાણના ચણાકા ગોરખપરા વિસ્તારમાં રહેતા નિકુંજ જમનભાઈ ડોબરીયા નામના વેપારીએ 'સોમનાથ એન્ટરપ્રાઈઝ' ના નામે પ્રોપરાઈટર એકાઉન્ટ ખોલાવીને આખા દેશના સાયબર માફિયાઓ માટે પોતાના ખાતાને નાણાંની હેરફેર કરવાનું માધ્યમ બનાવ્યું હતું. એસઓજીની આ સફળ તપાસ અને પર્દાફાશ બાદ હવે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. ​ભારત સરકારના સાયબર પોર્ટલ (NCCRP) અને પોલીસ સમન્વય પોર્ટલ (JMIS) ના માધ્યમથી જૂનાગઢ એસઓજીએ જ્યારે આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ એક જ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 91 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સાયબર માફિયાઓ ભોગ બનનાર પાસેથી નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે નિકુંજ જેવા લોકોના ખાતા કમિશન કે ભાડેથી રાખી તે નાણાં ટ્રાન્સફર કરાતા હતા.આરોપી નિકુંજ ડોબરીયા સારી રીતે જાણતો હતો કે તેના ખાતામાં આવતા નાણાં ગુનાહિત પ્રવૃત્તિના છે, તેમ છતાં તેણે આર્થિક ફાયદાની લાલચમાં આ 3,42,37,884 (3.42 કરોડ) રૂપિયા વિડ્રો કરીને અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને સાયબર ગઠિયાઓને મદદ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 89 જેટલા ભોગ બનનાર લોકોની ઓળખ કરી છે, જેઓ દેશના અલગ-અલગ ખૂણેથી આ માયાજાળમાં ફસાયા હતા. એસઓજીની તપાસમાં કૌભાંડની અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી અને હરિયાણામાં શેરબજારમાં રોકાણ અને IPO ની લાલચ આપીને સૌથી વધુ લૂંટ ચલાવવામાં આવી છે. દિલ્હીના શાહદરાના તન્મય ગુપ્તાએ 14,00,000 રૂપિયા અને દ્વારકાના કનવલજીત સિંઘે 2,30,000 રૂપિયા ગુમાવ્યા છે. હરિયાણાના કૈથલ અને હિસારમાં ગઠિયાઓએ ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોના ખાતા ખાલી કરી દીધા હતા.અહીં ગુનેગારો લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને વિશ્વાસ જીતતા અને ત્યારબાદ હાઈ-પ્રોફાઈલ ટ્રેડિંગના નામે રકમ ટ્રાન્સફર કરાવતા હતા. પંજાબના અમૃતસર અને સંગરુરમાં પણ રોકાણના બહાને લાખોની રકમ પડાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. ​દક્ષિણ ભારતના રાજ્યોમાં છેતરપિંડીની રીત 'ડિજિટલ અરેસ્ટ' અને ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડ તરીકે જોવા મળી છે. બેંગ્લોર જેવા હાઈ-ટેક શહેરમાં પણ શિક્ષિત યુવાનો આ જાળમાં ફસાયા છે. કર્ણાટકના કોલાર અને મૈસુરના રહેવાસીઓએ ઓનલાઇન ટ્રેડિંગમાં 5,00,000 થી 7,00,000 રૂપિયા ગુમાવ્યા છે. કેરળમાં રંજિની નાયર નામની મહિલાને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને ગઠિયાઓએ 15,00,000 રૂપિયા જેવી મોટી રકમ પડાવી લીધી હતી. તમિલનાડુના ચેન્નાઈ અને કોઈમ્બતુરમાં ફેસબુક જેવી એપ્લિકેશન દ્વારા ઓનલાઇન શોપિંગ અને શેરબજારની લાલચ આપીને અનેક પરિવારોને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવ્યા છે. ચેન્નાઈના નાગરાજન અને લક્ષ્મી સાથે અનુક્રમે 13,50,000 અને 17,30,000 રૂપિયાની મોટી છેતરપિંડી થઈ છે. ​ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ ટોળકીએ પોતાનો જાળ બિછાવ્યો હતો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રાધેશ્યામ નામના વ્યક્તિએ 2,65,000 રૂપિયા અને અમદાવાદના નિકોલના હિરેન પટેલે 8,95,000 રૂપિયા ગુમાવ્યા હતા. મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં નેટ બેન્કિંગ ફ્રોડ કરીને નાણાં આ ભેંસાણના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. મુંબઈના સચિન ભોસલે સાથે સૌથી મોટી 23,00,000 રૂપિયાની ઠગાઈ આચરી હતી. નાગપુરના રવીન્દ્ર મોહજે સાથે વોટ્સએપ ગ્રુપ દ્વારા 9,00,000 રૂપિયાની છેતરપિંડી આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે. રાયગઢ અને નવી મુંબઈના રહેવાસીઓએ પણ લાખો રૂપિયા આ શંકાસ્પદ ખાતામાં જમા કરાવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં કુલ 89 અરજદારો સાથે મળીને 3.42 કરોડ જેવી માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. હાલા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:48 pm

આણંદમાં રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી:કલેક્ટરે NHAIને બેડવા, રાણસોલ બ્રિજ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી, અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને બેડવા અને રાણસોલ ખાતેના એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન, નેશનલ હાઈવે પરના ગામડી ઓવરબ્રિજ ખાતે અકસ્માતો અટકાવવા માટે સાઈન બોર્ડ અને માર્કિંગ નિયમ મુજબ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લામાં રોડ નજીકના તળાવો અથવા પાણીના સ્ત્રોતો પાસે અકસ્માત નિવારવા માટે રેલિંગ લગાવવા તમામ રોડ એજન્સીઓને સૂચના અપાઈ હતી. સોજીત્રા મહી કેનાલના કામને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગને રોડ સેફ્ટી સંબંધિત તમામ કામગીરી કરવા અને ડાયવર્ઝન રોડ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા હતા. સામરખાથી ભાલેજ તરફના એક્સપ્રેસ વે પર રેડિયમ માર્કિંગ અને સાઈન બોર્ડની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવા માટે પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, ડી.સી.એફ. સુરેશ મીના, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર એસ.કે. ગરવાલ, આરટીઓ અધિકારી શ્રી પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:31 pm

બરવાળાના બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપાયા:7 ગ્રામ 560 મિલીગ્રામ એમ્બરગ્રીસ, કિંમત રૂ.1.13 લાખ જપ્ત

બોટાદ SOG પોલીસે બરવાળામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે. ઝડપાયેલા આરોપીઓમાં બરવાળાના શાંતિવન સોસાયટીમાં રહેતા હુસેન મહેબૂબ પુજાણી અને ખારા વિસ્તારના પ્રવિણ ધનજી વિરગામાનો સમાવેશ થાય છે. બોટાદ SOG PI એમ. જી. જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે બરવાળા-વલ્લભીપુર રોડ પરથી આ બંને શખ્સોને પકડ્યા હતા. તેમની પાસેથી 7 ગ્રામ 560 મિલીગ્રામ એમ્બરગ્રીસ મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે રૂ. 1 લાખ 13 હજાર 400 આંકવામાં આવી છે. એમ્બરગ્રીસ ઉપરાંત, પોલીસે કુલ રૂ. 1 લાખ 78 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેપાર સામે બોટાદ SOGની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:21 pm

સ્થાનિકોમાં ભૂકંપ જેવો ફફડાટ:વરાછામાં બાંધકામની બોર્ડરની દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી, બે મોટા વૃક્ષ, સ્ટ્રીટ લાઇટ પણ ઉખડી ઊંડા ખાડામાં જેસીબી પર ખાબક્યા

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાંધકામ સાઇટ પર સુરક્ષાના અભાવે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. રાત્રે ભીમરાડ અને બપોર બાદ વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થવાની વધુ એક ઘટના સામે આવતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દીવાલ ધરાશાયી થઈ તેની સાથે બે મોટા વૃક્ષ, સ્ટ્રીટ લાઇટ પણ ઉખડી ઊંડા ખાડામાં જેસીબી પર ખાબક્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતોને મોટું નુકસાન થયું છે. શું છે સમગ્ર ઘટના? વરાછાની અંકુર સોસાયટી નજીક એક બાંધકામની સાઇટ પર કામગીરી ચાલી રહી હતી. જેથી ઊંડો ખાડો કરવામાં આવ્યો છે. આ દરમિયાન અચાનક બાંધકામની બોર્ડરની દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડવાની સાથે જ એક મોટું ઝાડ ઉખડી પડ્યું હતું. જે ખાડામાં રહેલા જેસીબી પર પડ્યું હતું. રસ્તા પરની સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી થયો હતો. વીજળીની મીટર પેટીઓ અને અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું. ભૂકંપ જેવો અનુભવ અને લોકોમાં ફફડાટ ઘટના એટલી જોરદાર હતી કે તેનો અવાજ સાંભળીને આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દીવાલ પડતી વખતે થયેલા ધડાકા અને ધ્રુજારીને કારણે તેમને ક્ષણભર એવું લાગ્યું હતું કે જાણે ભૂકંપ આવ્યો હોય. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જવાબદારો સામે કાર્યવાહીની માંગ શહેરમાં બાંધકામ દરમિયાન દીવાલ પડવાની આ બીજી ઘટના છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. હાલમાં સ્થાનિકો દ્વારા આ બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક મોટી આશ્વાસનરૂપ બાબત છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:08 pm

લગ્ને લગ્ને કુંવારી 'લૂંટેરી દુલ્હન'નો કહેર:દહેગામના યુવકને લગ્નના 12 દિવસમાં જ 4.35 લાખ અને 4 તોલા સોનાનો ચૂનો લગાવ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા અને લગ્નની શોધમાં રહેલા એક યુવાનને 'લૂંટેરી દુલ્હન'ની ટોળકીએ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના નવા વાડજ ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ નવવધૂ રોકડ રકમ અને દાગીના લઈને પિયર જવાનું બહાનું કાઢી રફુચક્કર થઈ ગઈ હતી. ત્યારે બહુચરાજીમાં પકડાયેલી ઠગ ટોળકીનો ટીવી પર અહેવાલ જોઈ દહેગામના યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે દહેગામ પોલીસ મથકે પણ લૂંટેરી દુલ્હન સહિતની ગેંગ વિરુધ ગુનો નોંધવામાં આવ્યો છે. લગ્ન માટે ત્રણ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતીદહેગામના યુવકે લગ્ન માટે બાયોડેટા ઓનલાઇન મૂક્યા હતા. જેના આધારે જ્યોતિ ઉર્ફે જાગૃતિ અને રાજેશ તન્ના નામના મધ્યસ્થીઓએ તેમનો સંપર્ક કરી ચાંદની નામની યુવતી સાથે મુલાકાત કરાવી હતી. છોકરી પક્ષે લગ્ન માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે યુવકના પરિવારે સ્વીકારી ગત 3 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે નક્કી કર્યા મુજબ વરરાજાના પિતાએ 3 લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. બાદમાં લગ્નના માત્ર સાત દિવસ બાદ નવવધૂ ચાંદનીએ તેના પિતા બીમાર હોવાનું નાટક શરૂ કર્યું હતું અને પિયર જવા માટે હઠ પકડી હતી. પિતાની સારવારના બહાને તેણે યુવક પાસેથી વધારાના રૂ. 1.35 લાખ પડાવી લીધા હતા. 10 ઓક્ટોબરના રોજ તે પિયર જવા નીકળી ત્યારે લગ્ન વખતે સાસરી પક્ષ તરફથી ચઢાવવામાં આવેલા 4 તોલા સોનાના દાગીના, જેમાં સોનાનો દોરો, પેન્ડલ અને બ્રેસલેટનો સમાવેશ થાય છે તે પહેરીને નીકળી હતી. પિયર ગયાના બે દિવસમાં ચાંદનીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયોજ્યારે પિયર ગયાના બે દિવસ બાદ ચાંદનીનો ફોન સ્વીચ ઓફ આવતા યુવકને શંકા ગઈ હતી. દરમિયાન 15 નવેમ્બરના રોજ ટીવી પર સમાચાર પ્રસારિત થયા હતા કે બહુચરાજી પોલીસ સ્ટેશનની હદમાં એક 'લૂંટેરી દુલ્હન' પકડાઈ છે જે અનેક લોકોને લગ્નના નામે છેતરી ચૂકી છે. યુવકે ટીવી પર તે યુવતીને જોઈ તુરંત ઓળખી કાઢી હતી કે આ એજ ચાંદની છે જેની સાથે તેણે લગ્ન કર્યા હતા. આમ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરાનો શિકાર બનેલા યુવકે હવે આ ઠગ ટોળકી વિરુદ્ધ દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર પણ વાંચોઃ24 વર્ષની ઉંમરમાં લૂંટેરી દુલ્હને 15 લગ્ન કર્યા!:બનાસકાંઠાથી લઈ ગીર સોમનાથ સુધી 10 જિલ્લાના યુવકો પાસે 52 લાખ પડાવ્યા, લગ્ન માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં યુવકો સાથે લગ્ન કરી પૈસા પડાવનાર લૂંટેરી દુલ્હન ટોળકીને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગેંગમાં જે ચાંદીની નામની યુવતી ઝડપાઈ છે તેને માત્ર 24 વર્ષની ઉંમરમાં 15 લગ્ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ લોકો પાસેથી રોકડ અને દાગીના મળી 52 લાખ રૂપિયા પડાવાયા હતા. મહેસાણા પોલીસે ચાંદનીની સાથે અન્ય એક યુવતીને પણ ઝડપી પાડી છે તેને પણ ચાર લગ્ન કર્યા હોવાની વિગતો મળી છે. લગ્ન માટે કન્યાની તલાશ કરતા યુવકોને આ ટોળકી શોધી કાઢતી હતી. ત્યારબાદ ચોક્કસ રકમ લઈ યુવતીના તેની સાથે લગ્ન કરવામાં આવતા. લગ્નના થોડા જ દિવસોમાં યુવતી ત્યાંથી રફુચક્કર થઈ જતી. યુવક દ્વારા જ્યારે આ મામલે ફોન કરવામાં આવે અને પૈસા પરત માગવામાં આવે તો દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:01 pm

એડવાન્સ ટેક્સ ભરનારાને અપાતી કચરાની ડોલનું વિતરણ બંધ કરાતા વિવાદ:કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખને બાકી રહેલા કરદાતાઓને ડોલ વિતરણ કરવા રજૂઆત કરી

પાટણ નગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનારા મિલકતધારકોને અપાતી કચરાની ડોલનું વિતરણ અચાનક બંધ કરાતા વિવાદ સર્જાયો છે. આ મામલે કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. તેમણે બાકી રહેલા તમામ કરદાતાઓને તાત્કાલિક ડોલ આપવાની માંગ કરી છે. શહેરના નિયમિત એડવાન્સ ટેક્સ ભરનારા મિલકતધારકોને પ્રોત્સાહન આપવા માટે સરકારી નિયમ મુજબ નગરપાલિકાએ કચરાની ડોલ વિતરણનું આયોજન કર્યું હતું. પાલિકાએ અગાઉ આ વિતરણ કામગીરી શરૂ કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણ આપ્યા વિના તેને બંધ કરી દેવામાં આવી છે. આના કારણે અનેક જાગૃત નાગરિકો, જેઓ નિયમિતપણે એડવાન્સ ટેક્સ ભરે છે, તેઓ આ લાભથી વંચિત રહ્યા છે. આ કચરાની ડોલોની ખરીદી સરકારની ગ્રાન્ટ અથવા નગરપાલિકાના સ્વભંડોળમાંથી કરવામાં આવી હતી, જેના પર મોટો ખર્ચ થયો છે. એડવાન્સ ટેક્સ ભરનારા તમામ કરદાતાઓની યાદી મુજબ જ ડોલનો જથ્થો ખરીદવામાં આવ્યો હોવા છતાં વિતરણ અટકાવતા અનેક સવાલો ઊભા થયા છે. રજૂઆતમાં આ કામગીરીને વહીવટી અણઆવડત અને અજ્ઞાનતા ગણાવવામાં આવી છે. કોર્પોરેટર ભરત ભાટિયાએ તમામ પાત્રતા ધરાવતા કરદાતાઓને કોઈપણ મુશ્કેલી વિના તાત્કાલિક ડોલનું વિતરણ કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 5:00 pm

વેરાવળના ભાલકા વિસ્તારમાં ઘાસચારા ગોડાઉનમાં આગ:8 વીઘા જુવારનો ચારો બળી ખાખ, 1 લાખનું નુકસાન

વેરાવળના ભાલકા વિસ્તારમાં પશુધનના ઘાસચારા માટે રાખવામાં આવેલા ખુલ્લા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજાભાઈ લખમનભાઈ ચોપડાના ઘાસચારા ના ખુલ્લા ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહેણાંક મકાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં વેરાવળ ફાયર વિભાગની ટીમના જમાદાર સુનિલભાઈ ચુડાસમા, DCO હરપાલ ખેર, ફાયરમેન જીતેન્દ્રસિંહ ગોહિલ સહિત નો સ્ટાફ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ આસપાસના રહેણાંક વિસ્તારમાં ફેલાતી અટકી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે, જોકે કોઈ ટીખળખોળ દ્વારા ઘાસમાં આગ લગાવાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અંદાજે ૮ વીઘા જેટલો જુવારનો ચારો બળી ગયો હોવાનું જાણવા મળે છે. રાજાભાઈ ચોપડાએ તેમના પશુધન માટે જુવારનો ચારો સંગ્રહ કર્યો હતો, જે આગમાં બળી ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે એક લાખ રૂપિયાની કિંમતનો ઘાસચારો નુકસાન પામ્યો છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:55 pm

'કિંજલ દવેએ કોઈ વિધર્મી સાથે ભાગીને લગ્ન નથી કર્યા':એક્ટ્રેસ-સિંગર અને મહિલા આગેવાન સહિતના લોકોનું કિંજલને સમર્થન, કહ્યું-'પિતાની આબરૂ ખાતર દીકરીએ ખૂબ દુ:ખ સહન કર્યું'

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી. જોકે, કિંજલ દવેએ પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો હતો. કિંજલ દવે અને તેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવાનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ વિવાદાસ્પદ મુદ્દે સમાજ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક લોકો બ્રહ્મ સમાજના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે તો ઘણા લોકો આ નિર્ણયનો વિરોધમાં સામે આવી કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યા છે. હવે આ ચર્ચા વચ્ચે સુરત બ્રાહ્મણ સમાજના મહિલા આગેવાન, સામાજિક કાર્યકર અને જાણીતા એડવોકેટ પ્રતિભા દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કિંજલ દવે અને તેના પરિવારને મજબૂત સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતી સિંગર દર્શન ભટ્ટ, ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર અને લેખિકા કાજલ ઓઝા વૈદ્ય પણ કિંજલ દવેના સમર્થનમાં સામે આવ્યા છે. દીકરીએ ખોટું કામ તો કર્યું નથી, પછી શા માટે બહિષ્કાર?એડવોકેટ પ્રતિભા દેસાઈએ કિંજલ દવેના બહિષ્કારના સમાચાર સાંભળીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારથી મેં બહિષ્કાર કરવાની વાત સાંભળી છે ત્યારથી જ હું વ્યથિત હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, કોઈ સમાજ કે તેની દીકરીએ ખોટું કામ તો નથી કર્યું, તો પછી શા માટે તેને બહિષ્કાર કરવામાં આવે? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ કિંજલ દવેની વાત સાથે સંપૂર્ણપણે સહમત છે અને આ લડતમાં તેની સાથે ઊભા છે. 'કિંજલે કોઈ વિધર્મી સાથે તો ભાગીને લગ્ન કર્યા નથી'પ્રતિભા દેસાઈએ કિંજલ દવેના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે, કિંજલ દવેએ કોઈ વિધર્મી સાથે અથવા તો પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા નથી. તેમણે એ હકીકત પર પ્રકાશ પાડ્યો કે, કિંજલે સમાજના રીત-રિવાજ મુજબ જ સગાઈ કરી હતી, પરંતુ તેની સાથે વિશ્વાસઘાત થયો હતો. તેમણે સંવેદનશીલતા વ્યક્ત કરતાં કહ્યું કે, પિતાની આબરૂ ખાતર કિંજલ દવેએ ખૂબ જ દુઃખ સહન કર્યું છે. જે વિશ્વાસઘાત તેની સાથે થયો, તે આઘાતમાંથી બહાર નીકળતા તેને કેટલો સમય લાગ્યો હશે? 'મહેરબાની કરી બ્રાહ્મણ સમાજને આવી રીતે બદનામ ન કરો'સુરત બ્રાહ્મણ સમાજની મહિલા આગેવાને સમાજને અપીલ કરી છે કે, તેમણે કિંજલ દવેના નિર્ણયને હિંમતપૂર્વકનો નિર્ણય ગણીને વધાવવો જોઈએ અને તેને સાથ આપવો જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કિંજલના નિર્ણયને કારણે સમાજે તેને અપમાનિત કરવી જોઈએ નહીં. અંતે, તેમણે બ્રાહ્મણ સમાજને ભાવુક અપીલ કરતાં કહ્યું કે, મહેરબાની કરી બ્રાહ્મણ સમાજને આવી રીતે બદનામ ન કરો. તેમણે કિંજલના અંગત જીવનના નિર્ણયને ટેકો આપીને સમાજને આ વિવાદનો અંત લાવવા અને સિંગરના ભવિષ્યના માર્ગમાં સહાયરૂપ થવા માટે પ્રોત્સાહિત કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે દ્વારા જ્યારે મૌન તોડીને પોતાનો જવાબ રજૂ કર્યો ત્યાર બાદ ગુજરાતી સિંગરો દ્વારા કિંજલ દવેનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મહિલા એક્ટ્રેસ મોનલ ગજ્જરે પણ પોતાનું સમર્થન કિંજલ દવેને આપ્યો છે. 'કિંજલબેન તમે સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ છો'ગુજરાતી સિંગર દર્શન ભટ્ટે જણાવ્યું હતું કે, કિંજલબેન તમે સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ છો. તમે એવા સેંકડો માં-બાપની હિંમત છો જેના ઘરે દીકરી છે. તમે એવી સેંકડો દીકરીઓની પ્રેરણા છો જેને શૂન્યમાંથી સર્જન કરીને દુનિયાને કંઈક કરીને બતાવવું છે. તમે ગુજરાતી સભ્યતાને, સંસ્કૃતિને તમારા સંગીતના માધ્યમથી પૂરા વિશ્વની અંદર ફેલાવી છે. તમારા નવજીવનના સમાચાર સાંભળીને ખરેખર બહુ ખુશી થઈ કે તમને તમારું ગમતું પાત્ર મળ્યું છે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે તમારા બંનેનું જીવન શિવ અને પાર્વતી જેવું બને, કે જ્યાં ભગવાન ભોળાનાથ પોતાની પત્નીના સ્નેહ અને પ્રેમ માટે રડી પણ શકે અને પત્નીના સન્માન અને સ્વાભિમાન માટે સમસ્ત બ્રહ્માંડ સાથે લડી પણ શકે. બંને સનાતની સ્વધર્મી છે, તો પછી વિરોધ શું કામ?વધુમાં જણાવ્યું હતું કે, એક સમાચાર મળ્યા, એક ન્યુઝ મળ્યા એ સાંભળીને ખરેખર દુઃખ થયું કે જે સમયે સમસ્ત સમાજે તમારી ખુશીઓની અંદર, તમારા રાજીપાની અંદર ઉત્સાહભેર અને આશીર્વાદ સાથે જોડાવું જોઈએ, ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ તમારા નવજીવન માટે, એ સમયે તમારી વિરુદ્ધ ઊભા છે એ સાંભળીને ખરેખર દુઃખ થયું. પણ વિરોધ શું કામ છે? બંને સક્ષમ વ્યક્તિ છે, બંનેએ એકબીજાને પસંદ કર્યા છે, બંને સનાતની સ્વધર્મી છે, તો પછી વિરોધ શું કામ? ઘણી વખત કૂપમંડૂક માનસિકતા વિશાળ વિચારધારાને દબાવી દેતી હોય છે. આવી કૂપમંડૂક માનસિકતામાં ન જઈને ઈશ્વરે બનાવેલી જોડીને આશીર્વાદ આપવા જોઈએ. 'સમાજ દીકરીઓને પાંખો આપે પણ કઈ દિશામાં ઉડવું તેનો અધિકાર આપતો નથી'લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ કિંજલ દવેના સમર્થનમાં જણાવ્યું હતું કે, આપણો સમાજ દીકરીઓને પાંખો આપે છે, પણ કેટલું, કેવી રીતે, કઈ દિશામાં ઉડવું એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખવા માંગે છે. આવું શક્ય નથી, પોસિબલ જ નથી. પંખી પણ પોતાના બચ્ચાને એકવાર ઉડતા શીખવાડીને પછી એની દિશા, ગતિ કે મંજિલ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખતું નથી. હા, હું કિંજલની વાત કરી રહી છું. કિંજલનો વાંક એ નથી કે એણે બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કિંજલનો વાંક એ છે કે એ સફળ છે, નાની ઉંમરે સફળ છે અને માટે એ ચર્ચામાં છે. 'કિંજલ ચર્ચાના ચઢી છે ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે'વધુમાં જણાવ્યું હતું કે, કેટલીય જ્ઞાતિની દીકરીઓ કેટલાય બીજી જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે, કિંજલ ચઢી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે. પોતાની મહેનતથી, પોતાની ટેલેન્ટથી સક્સેસફુલ છે. દુનિયાની દરેક સફળ સ્ત્રી ક્યાંક ને ક્યાંક પોતાનો નાનકડો ટેક્સ ચૂકવવો જ પડે છે. હું પણ એનો હિસ્સો છું અને બીજી કેટલીય સ્ત્રીઓ હશે. એક સ્ત્રી સફળ થાય એટલે સમાજ એની સફળતામાં પોતાનો અધિકાર માંગે છે. એ જ્યારે સંઘર્ષ કરતી હોય, મહેનત કરતી હોય, આગળ આવવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે એના સપોર્ટમાં કોઈ ઊભું નથી રહેતું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:49 pm

હવે મુસ્લિમ વકફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે:ગુજરાત HCએ વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150થી વધુ અરજી ફગાવી, હર્ષ સંઘવીએ કહ્યું- 'કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથી'

નામદાર ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે. આ સાથે જ હાઈકોર્ટે કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને એકસાથે ફગાવી દીધી છે. કોર્ટ ફીમાં છુટછાટની માગ કરતી 150 અરજી ફગાવવામાં આવીઅત્યાર સુધી વકફ સંસ્થાઓ કેટલીક કાયદાકીય જોગવાઈઓ હેઠળ કોર્ટ ફીમાં છૂટછાટનો લાભ લેતી હતી. હવે મુસ્લિમ વકફોને અન્ય ધાર્મિક ટ્રસ્ટો અથવા સખાવતી સંસ્થાઓની સમકક્ષ ગણવામાં આવશે. ન્યાયિક પ્રક્રિયામાં સામેલ થવા માટે વકફોએ હવે નિયત કોર્ટ ફી ભરવી અનિવાર્ય રહેશે. નિયત કોર્ટ ફી છૂટછાટની માંગ કરતી તમામ 150 જેટલી પડતર અરજીઓને કોર્ટે બિનપાયાદાર ગણીને રદ કરી છે. આ નિર્ણય ન્યાયિક ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરનારો- હર્ષ સંઘવીઆ ચુકાદાને આવકારતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ગુજરાતની નામદાર હાઈકોર્ટનો આ નિર્ણય ન્યાયિક ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરનારો છે. કોઈપણ ધાર્મિક સંસ્થા કાયદાથી ઉપર નથી. અમારી સરકાર હંમેશા 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સમાન ન્યાય'ના મંત્રમાં માને છે. હિંદુ ટ્રસ્ટો વર્ષોથી કોર્ટ ફી ચૂકવે જ છે, ત્યારે વકફ સંસ્થાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં. આ ચુકાદાથી કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને વહીવટી સમાનતા મજબૂત બનશે. આ ચુકાદા બાદ હવે તમામ ધાર્મિક સંસ્થાઓ માટે એકસમાન કાયદાકીય માળખું અમલી બનશે. કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ન્યાયતંત્રમાં સૌ સમાન છે અને કાયદો કોઈપણ ધર્મ કે સંસ્થા માટે ભેદભાવ રાખતો નથી. નામદાર હાઈકોર્ટનો આ આદેશ કાયદાના શાસનની જીત છે. વકફ સંસ્થાઓને મળતી વિશેષ છૂટછાટોનો અંત આવવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક અને ન્યાયસંગત બનશે. આ ચુકાદો બંધારણીય સમાનતાના મૂલ્યોને વધુ દ્રઢ કરે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:42 pm

પ્રભારી સચિવે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરી:જનકલ્યાણના કાર્યો સમયસર પૂરા કરવા અધિકારીઓને સૂચના આપી

જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવે તાલુકા અને ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ વિલંબ વગર પૂર્ણ કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનકલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ. આ ઉપરાંત, અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા અને દરેક કચેરીઓમાં પડતર કામગીરીનો સત્વરે નિકાલ કરવા પણ સૂચના આપી હતી. બેઠક દરમિયાન પ્રભારી સચિવે જિલ્લાના ચાલુ, પડતર તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસ કામો અને યોજનાકીય અમલવારી અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની યોજનાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેકટર સ્વપ્નિલ સિસલે તથા અદિતિ વાર્ષને, ઇ.ચા. નિવાસી અધિક કલેકટર બ્રિજેશ કાલરીયા, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:25 pm

વાપીમાં મ્યુલ બેંક એકાઉન્ટથી રૂ. 15.98 લાખની ઠગાઈ:સાયબર ફ્રોડ મામલે બે આરોપીની ધરપકડ

વાપીમાં મ્યુલ બેંક એકાઉન્ટ દ્વારા રૂ. 15.98 લાખની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે. આ મામલે વાપી GIDC પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં વિમલેશ મુરાલીલાલ યાદવ અને સુનિલ મુરાલીલાલ યાદવ નામના બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપ મુજબ, આ બંનેએ પોતાના આર્થિક લાભ માટે મિત્ર સહ-આરોપી આબીદ જલીલ શેખ અને દિનેશ બિન્દ સાથે મળીને મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેઓએ દેશના વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડથી મળેલા નાણાં પોતાના ખાતાઓમાં જમા કરાવ્યા હતા. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાના નિર્દેશન હેઠળ વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ રાણાના નેતૃત્વમાં PSI લક્ષ્મણભાઈ ગુલાબસિંગ વળવીએ આ મામલે તપાસ હાથ ધરી હતી. CID ક્રાઈમના સમન્વય પોર્ટલ પરથી મળેલા ઇનપુટના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન TJSB, IDFC, કોટક મહિન્દ્રા, HDFC, બેંક ઓફ બરોડા, ICICI, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ નેશનલ બેંક સહિતના અનેક બેંક ખાતાઓ શંકાસ્પદ જણાયા હતા. વાપી GIDC પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે 6 ઓક્ટોબર 2024 થી 27 નવેમ્બર 2025 દરમિયાન કુલ ₹15,98,821 જેટલી રકમના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા. આરોપીઓએ કમિશનની લાલચે પોતાના તેમજ પરિવારજનોના બેંક ખાતાઓનો ઉપયોગ કરવા આપ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:22 pm

ફાઇનાન્સની ઓફિસમાં મહિલાકર્મી અને સંચાલકને છરી બતાવી લૂંટ-બ્લેકમેલિંગ:આરોપીઓએ બંનેને જબરદસ્તીથી અશ્લીલ હરકતો કરાવી વીડિયો-ફોટા પાડી 10 લાખની ખંડણી માંગી

પાટણ શહેરના સિધ્ધપુર ચાર રસ્તા પાસે આવેલી ફાઇનાન્સની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારી અને તેના સંચાલકને બંધક બનાવી લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. અઘાર ગામના બે શખ્સોએ ઓફિસમાં ઘૂસી મહિલા કર્મચારી અને સંચાલકને છરી બતાવી ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ બંનેને જબરદસ્તીથી અશ્લીલ હરકતો કરાવી વાંધાજનક વીડિયો અને ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 10,000 રોકડા અને 5 કોરા ચેકની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત 10 લાખ રૂપિયાની ખંડણી માંગતા મહિલાએ પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટણમાં રહેતી એક મહિલા સિધ્ધપુર ચોકડી પાસે આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરે છે. ગત 13/12/2025 ના રોજ રાત્રે 20:00 વાગ્યાના સુમારે મહિલા અને સંચાલક ઓફિસમાં હતા, ત્યારે અઘાર ગામના ભયલુ ઠાકોર અને રવિ રાવલ ઓફિસમાં ઘૂસી આવ્યાં હતા. આ શખ્સોએ ઓફિસનું શટર બંધ કરી દઈ છરી બતાવી ધમકી આપી હતી કે, તમારા બંને વચ્ચે પ્રેમ સંબંધ છે જેની જાણ પરિવારને કરી દઈશું. આરોપીઓએ મહિલા અને સંચાલકને માર મારી જબરદસ્તીથી અશ્લીલ હરકતો કરાવી તેનો વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ ભયલુ ઠાકોરે પરેશ નામના વ્યક્તિ સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ આરોપીઓએ આ વીડિયો વાયરલ ન કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તે સમયે મહિલા પાસે રહેલા 10,000 રૂપિયા આરોપીઓએ પડાવી લીધા હતા અને બાકીના પૈસા માટે ભાવેશ પાસેથી એચ.ડી.એફ.સી. બેંકના 5 સહી કરેલા કોરા ચેક પડાવી લીધા હતા. આરોપીઓએ ધમકી આપી હતી કે, જો 15/12/2025 સુધીમાં પૈસા નહીં મળે તો વીડિયો વાયરલ કરી દઈશું. આ ઘટના બાદ અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા ઓફિસની રેકી પણ કરવામાં આવતી હતી. સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલિંગથી કંટાળીને અંતે મહિલાએ હિંમત ભેગી કરી કર્મચારી સાથે પોલીસ મથકે પહોંચી હતી. પાટણ સીટી બી-ડિવિઝન પોલીસે ભયલુ ઠાકોર, રવિ રાવલ, પરેશ અને અન્ય બે અજાણ્યા માણસો વિરુદ્ધ BNS ની કલમ 309(6), 308(5), 351(2), 79, 115(2), 61(2)(b) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:13 pm

બોટાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ:60 વર્ષ જૂનું બિલ્ડીંગ જર્જરિત, ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક માંગ

બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે, પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. હોસ્પિટલમાં ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આશરે 60 વર્ષ જૂનું હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે, જ્યાં છત પરથી પોપડા પડે છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં આધુનિક મશીનરીનો પણ અભાવ છે, જે દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો કરે છે. લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, પૂરતા ડોકટરો કે પેરામેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવતી નથી. બોટાદને પાંચથી સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હોવા છતાં, તે માત્ર રાજકીય અખાડો બની રહી હોય તેવું જણાય છે. વર્તમાન પરિસ્થિતિમાં, હોસ્પિટલમાં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય બિમારીઓની જ સારવાર કરવામાં આવે છે. ગંભીર કેસોમાં દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે, જેના કારણે લોકોને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવી પડે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:09 pm

સાબરકાંઠા કોંગ્રેસ SC વિભાગના પ્રમુખનો પદગ્રહણ સમારોહ:નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના સમર્થનમાં 20 અને 22 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શનો યોજાશે

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત પ્રમુખ રમણભાઈ પરમારનો પદગ્રહણ સમારોહ હિંમતનગરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (SC સેલ)ના મહામંત્રી અનિલભાઈ પંડ્યાનો સન્માન સમારોહ અને પૂર્વ ચેરમેન હર્ષદભાઈ મકવાણાનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. આ સમારોહ ગુજરાતના પ્રભારી ડૉ. શંકર યાદવજીની ઉપસ્થિતિમાં હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે બુધવારે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રાંતિજના પૂર્વ વિધાનસભા ઉમેદવાર બેચરસિંહ, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રતનબેન સુતરિયા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ રમણભાઈ પરમારને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ આગામી કાર્યક્રમોની જાણકારી આપતા જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બર, શનિવારના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરાયા હોવા છતાં ખોટી રીતે ફસાવવાના વિરોધમાં હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે. વધુમાં, 22 ડિસેમ્બરના રોજ મહાત્મા ગાંધી મનરેગાનું નામ બદલીને જી. રામજી નામ કરવાના વિરોધમાં મોતીપુરા ખાતે ગાંધીજીની પ્રતિમા સામે ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 4:04 pm

ઓપરેશન મ્યુલ હન્ટ:રાજકોટ રેન્જ અંતર્ગત 5 જિલ્લામાં કુલ 1077 એકાઉન્ટમાં 19.25 કરોડની ફ્રોડ રકમ ઠાલવવામાં આવી હતી, 54 ફરિયાદ દાખલ કરી 51 આરોપીની ધરપકડ કરાઈ

વધતા જતા સાયબર ક્રાઇમને અટકાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલહન્ટ શરૂ કરવામાં આવ્યું છે જેમાં સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટ ધારકો સામે તવાહી બોલાવવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર મળી 5 જિલ્લામાં 1077 એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે જેમાં કુલ 19.25 કરોડ જેટલી રકમ ઠાલવવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે 54 ફરિયાદ નોંધી 51 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બાકીના આરોપીઓ અંગે શોધખોળ તેમજ અન્ય મ્યુલ એકાઉન્ટ અંગે પણ તપાસ શરૂમાં છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઓપરેશન કારાવાસ અંતર્ગત પણ રાજકોટ રેન્જમાં કુલ 50 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જે પૈકી 5 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. 5 જિલ્લામાં 1077 મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ અંતર્ગત આવતા 5 જીલ્લાઓમાં પ્રાથમિક તબક્કે મળેલ માહિતીના આધાર પર 1077 મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં કુલ 19.25 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગઈકાલ સાંજ સુધીમાં તમામ પાંચ જિલ્લાઓમાં કુલ 54 ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 51 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મામૂલી રકમ મેળવી લોકો પોતાનું એકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે અને આ પછી તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે થાય છે જેથી લોકોને પણ અપીલ છે કે આવી રીતે પોતાનું બેન્ક એકાઉન્ટ કોઈને ભાડે આપવામાં ન આવે. અત્યર સુધીની તપાસમાં મુખ્ય આરોપીઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ હોલ્ડર ને શોધી 5 થી લઇ 20 હજાર સુધીના ભાડામાં એકાઉન્ટ ભાળ આપી કરોડો રૂપિયાનું ફ્રોડ આચરી લેતા હોય છે અને પછી અન્ય રાજ્ય અને અન્ય દેશ સુધી આ રકમ પહોંચી જાય છે જે આપણા દેશની ઈકોનોમી ને પણ અસરકારક બને છે માટે લોકોં ખાસ અપીલ છે કે બેન્ક એકાઉન્ટ જાણતા કે અજાણતા કોઈને ભાડે ન આપે.. રાજકોટ જિલ્લા પોલીસે 10 ફરિયાદ નોંધી 21 આરોપીને ઝડપી પાડ્યા તેમને વધુમાં જણાવ્યું હતું કે મ્યુલ હન્ટ એકાઉન્ટ અંગે રાજકોટ જિલ્લામાં કુલ 216 મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને 10 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 6 આરોપીને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ 158 મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને 10 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 1 આરોપીને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કુલ 216 મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને 10 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 6 આરોપીને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 363 મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને 22 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 79 આરોપીને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 254 એકાઉન્ટ આઈડેન્ટિફાય થયા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 254 મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને 10 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 43 આરોપીને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 86 મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 4 આરોપીને નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ રેન્જ અંતર્ગત આવતા 5 જિલ્લાની પોલીસ દ્વારા 325 બેંક એકાઉન્ટ ધારકોની તપાસ કરવાની તેમજ તેમના બેંક સ્ટેટમેન્ટ, અને એકાઉન્ટ ધારકોના નિવેદન નોંધવા સહિતની કામગીરી હજુ બાકી છે માટે આવતા દિવસોમાં બેંક એકાઉન્ટ ધારકોની ધરપકડનો આંક તેમજ ફ્રોડની જમા થયેલ રકમનો આંકડો હજુ પણ વધે તેવી પુરી શક્યતા છે. એકાઉન્ટ ભાડે ન આપવા લોકોને અપીલ રાજકોટ રેન્જ આઇજી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના બેંક એકાઉન્ટ માત્ર નજીવી રકમની લાલચે સાયબર ફ્રોડ, ગેમિંગ ફંડ તેમજ દેશ વિરોધી પ્રવૃતિ આચરનારા વ્યક્તિઓને ભાડે ન આપે કારણ કે મ્યુલ એકાઉન્ટ સંદર્ભે કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેવાની છે. સાયબર ફ્રોડ આચરનારા વ્યક્તિઓ દ્વારા મુખ્યત્વે ટાસ્ક કમ્પ્લિશનના નામે, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે, USDTમાં રોકાણના નામે, KYCના નામે, ફેક એપ્લિકેશન મોકલીને, ફ્રેન્ચાઇઝી અપાવાના બહાને, ડીજીટલ એરેસ્ટના નામે પૈસા પડાવી ભાડે લીધેલા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરવામાં આવતા હોય છે. ઓપરેશન કારાવાસ અંતર્ગત કુલ 5 આરોપી ઝડપાયા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સૂચના આપવામાં આવી હતી જેમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, દુષ્કર્મ, NDPS સહિતના ગંભીર ગુનાઓમાં જેલમાંથી પેરોલ મળ્યા બાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઓપરેશન કારાવાસ અંતર્ગત રાજકોટ રેન્જ અંતર્ગત 5 જિલ્લામાં કુલ 50 આરોપીઓની યાદી તૈયાર કરી મોકલવામાં આવી હતી જે પૈકી 5 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ રેન્જને મળેલ 50 આરોપીઓની યાદીમાં રાજકોટ ગ્રામ્યમાં 11, દેવભૂમિ દ્વારકામાં 5, જામનગરમાં 17, મોરબીમાં 5 અને સુરેન્દ્રનગરમાં 12 આરોપીઓનો સમાવેશ થાય છે જે પૈકી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 3 અને જામનગર પોલીસ દ્વારા 2 અસરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 3:35 pm

ગાંભોઈ પોલીસે 2.67 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:ઇકો કારનો ચાલક ફરાર; કુલ 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંભોઈ પોલીસે ગત રાત્રિએ ઇકો કારનો પીછો કરી રૂ. 2.67 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે, કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કુલ રૂ. 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંભોઈ PI એસ.જે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જગતપુરા જૂના બસ સ્ટેન્ડ નજીક ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ ઇકો ગાડી જોવા મળી હતી. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે યુ-ટર્ન લઈ ભિલોડા તરફ ગાડી હંકારી હતી. પોલીસે સરકારી અને ખાનગી વાહનો દ્વારા ઇકોનો પીછો કર્યો હતો. ચાલકે ફિલ્મી ઢબે ગાડીને માંકડી પેટ્રોલ પંપ રોડ પરથી માંકડી ગામ તરફ અને ત્યાંથી ચાંદરણી ગામની સીમમાં ખેતરોના કાચા રસ્તાઓ પર હંકારી હતી. અંતે, ચાલક ઇકો ગાડી છોડીને ભાગી છૂટ્યો હતો. તલાશી લેતા ઇકો ગાડીમાંથી 680 નંગ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 2,67,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 3,50,000ની ઇકો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, પોલીસે કુલ રૂ. 6,17,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંભોઈ પોલીસે ફરાર ઇકો ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી આ પાંચમી કાર ઝડપાઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 3:30 pm

ભરૂચના મહંમદપુરા-ઢાલ માર્ગ પર ટ્રાફિકજામ ઘટ્યો:સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા હળવી બની, વાહનચાલકોને રાહત

ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વહીવટી તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. અગાઉ, આ માર્ગ પર ડિવાઈડરના અભાવે વાહનો અવ્યવસ્થિત રીતે ચાલતા હતા, જેના કારણે વારંવાર ચક્કાજામ સર્જાતો હતો. રોજબરોજ આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. સ્પ્રિંગ પોસ્ટ સ્થાપિત થયા બાદ વાહનો લેનમાં રહીને પસાર થવા લાગ્યા છે. આના પરિણામે સામસામે આવતાં વાહનો વચ્ચે થતી અડચણ ઘટી છે અને ટ્રાફિકની પ્રવાહિતા સુધરી છે. સવાર-સાંજના વ્યસ્ત સમયગાળા દરમિયાન પણ ટ્રાફિકજામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્રના આ પગલાથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ રાહત અનુભવી છે. વિપક્ષ કોંગ્રેસે પણ આ નિર્ણયને આવકાર્યો છે. કોંગ્રેસના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, સ્પ્રિંગ પોસ્ટ મૂકવાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવ્યો છે. તેમણે શહેરના અન્ય ટ્રાફિકગ્રસ્ત વિસ્તારોમાં પણ આવા જ અસરકારક અભિગમ અપનાવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 3:27 pm

ભારતીય સંસ્કૃતિ દિવસની ઉજવણી:અમદાવાદની પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક સપ્તાહનું આયોજન કરાયું, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. તેની અંતર્ગત તારીખ 17/12/2025ના રોજ ભારતીય સંસ્કૃતિ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ દિવસે વિદ્યાર્થીઓ વિવિધ પ્રદેશોની પરંપરાગત અને વૈવિધ્યસભર ભારતીય વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા, જેના દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને એકતામાં વૈવિધ્યનો સુંદર પરિચય મળ્યો. કાર્યક્રમનું આયોજન કોલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના સશક્ત નેતૃત્વ હેઠળ આપવામાં આવ્યું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, સંવેદનશીલતા અને સાંસ્કૃતિક જાગૃતિ વિકસાવવામાં સહાય મળી. આ દિવસને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિદ્યાર્થિનીઓની કેટેગરીમાં 1્ વિશ્વા સોની (બંગાળી કલ્ચર)૨.તિવારી ક્રિતિકા અને સુથાર સંયોની (મારવાડી કલ્ચર) વિદ્યાર્થીઓની કેટેગરીમાં ૧. વડનાલ રોહિત (દક્ષિણ કલ્ચર)2. હર્ષ સોલંકી ( ગુજરાતી કલ્ચર)

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 3:15 pm

પાલનપુરમાં ડ્રગ્સ-દારૂ બંધ કરાવવા મુદ્દે કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:શહેરમાં ઠેર-ઠેર ડ્રગ્સ, ગાંજા અને દારુ વેચાતો હોવાનો આક્ષેપ, યોગ્ય કાર્યવાહી નહિં થાય તો જનતા રેડની ચીમકી

પાલનપુરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો દ્વારા ડ્રગ્સ, ગાંજો અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરમાં નશાકારક પદાર્થોના બેફામ વેચાણ સામે મહિલાઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ, દારૂ અને ગાંજાની હોમ ડિલિવરી થઈ રહી છે. વધુમાં, પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પણ ડ્રગ્સ વેચવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ મહિલાઓ દ્વારા કરાયો હતો. કોંગ્રેસ અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી સમયમાં પાલનપુરમાં ડ્રગ્સ, દારૂ, અફીણ અને ગાંજાનું વેચાણ બંધ નહીં થાય, તો મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવશે. આ અંગે વાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાલનપુરમાં દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ અને એમડી (MD) ડ્રગ્સનું વેચાણ બેફામ વધી રહ્યું છે. ખાસ કરીને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ તણાવને કારણે આ નશાનો અતિશય ઉપયોગ કરી રહ્યા છે અને શાળાઓની આજુબાજુ પણ મોટા પ્રમાણમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે પોલીસ કર્મચારીઓને વિનંતી કરી હતી કે આ દારૂ, ચરસ અને ગાંજાના કારણે આપણી આવનારી પેઢી ખતમ થઈ જશે. આ વ્યસન એટલું ખતરનાક છે કે તે છૂટતું નથી. તેમણે જિલ્લા પોલીસવડાને પણ આને રોજગારીનું સાધન ન સમજવા અપીલ કરી હતી, કારણ કે તેના કારણે અનેક બહેનો વિધવા બની રહી છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો આ બાબતે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં તપાસ કરીને જ્યાં પણ ગાંજો, ડ્રગ્સ, એમડી ડ્રગ્સ વેચાય છે, સામાન્ય મીઠું પાન વેચાય તે રીતે પાર્લર પર એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, તે અંગે પગલાં લેવામાં આવશે. તેમણે પોલીસ તંત્ર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી હતી કે, આને આવકનું સાધન ન ગણવામાં આવે, કારણ કે તે આપણી આવનારી પેઢીને બરબાદ કરી નાખશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 3:14 pm

આણંદમાં અવેરનેસ મોકડ્રિલનું આયોજન:SPET કર્મચારીઓ, વિદ્યાર્થીઓને આગ સુરક્ષાનું પ્રાયોગિક માર્ગદર્શન અપાયું

આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET)ના મુખ્ય ગ્રાઉન્ડ ખાતે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર અવેરનેસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય આગ નિવારણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફાયર વિભાગના વડા ધર્મેશ ગોર અને તેમની ટીમે આગ લાગવાની પરિસ્થિતિમાં તાત્કાલિક લેવાતા પગલાં અંગે પ્રાયોગિક માહિતી આપી હતી. મોકડ્રિલ દ્વારા આગ સમયે સાવચેતી રાખવા અને પરિસ્થિતિનો સામનો કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં રેસ્ક્યુ કામગીરીનું ડેમોસ્ટ્રેશન પણ સામેલ હતું. મોકડ્રિલ દરમિયાન કુલ ચાર પ્રકારની આગ અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. દરેક પ્રકારની આગમાં કયા ફાયર સાધનોનો ઉપયોગ કરવો તે અંગે સ્પષ્ટ માહિતી અપાઈ હતી. આગ લાગ્યાના પ્રારંભિક તબક્કામાં પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવી તે બાબતે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આગ લાગવાના સમયે નાસભાગ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટેના જરૂરી પગલાં અને પોતાનું તેમજ આસપાસના લોકોનું સુરક્ષણ કેવી રીતે કરવું તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પ્રાયોગિક રીતે ફાયર સાધનોના ઉપયોગની પ્રક્રિયા પણ નિહાળી હતી. ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો અને ફાયર ફાઈટર ગાડીમાં ઉપલબ્ધ સગવડો તથા તેની કાર્યપ્રણાલી અંગે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા આગ નિવારણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 3:00 pm

દાહોદના પૂર્વ DEO મયુર પારેખની મુશ્કેલીમાં વધારો:લાંચ કેસમાં ઝડપાયા બાદ હવે તેમની સામે આવકથી વધુ મિલકતનો ગુનો નોંધાયો, ACBએ રૂ. 65.40 લાખની વધુ સંપત્તિ શોધી

દાહોદ જિલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લાંચ કેસમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ હવે તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીએ રૂ. 65.40 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. પંચમહાલ એસીબી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મયુર પારેખે 01/01/2005 થી 30/06/2023 દરમિયાન પોતાના ફરજકાળ દરમિયાન કાયદેસરની આવકની સરખામણીમાં રૂ. 65,40,163.81 જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ મિલકત તેમની કુલ કાયદેસરની આવક કરતાં આશરે 22.58 ટકા વધુ છે. એસીબીના જણાવ્યા અનુસાર, આરોપીએ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હોવાનો આરોપ છે. અગાઉ લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમની આવક-ખર્ચની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે આ અપ્રમાણસર મિલકતનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ દ્વારા સરકાર તરફે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 08/2025 હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(ઇ) સાથે સુધારા અધિનિયમ-2018ની કલમ 13(1)(બી) તથા 13(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ દાહોદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ડીંડોર કરી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસ પર પંચમહાલ એકમ, ગોધરાના મદદનીશ નિયામક બી.એમ. પટેલ દેખરેખ રાખી રહ્યા છે. લાંચ કેસ બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 2:50 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ - કોંગ્રેસના નેતાઓને પક્ષપલટો:સુરતમાં 12થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના અગ્રણીઓને આપમાં આવકાર

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકારણ ગરમાયું છે. સુરતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ભંગાણ સર્જાયું છે. શહેરના 12થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીયો અને પંજો છોડીને 'આમ આદમી પાર્ટી' (AAP) નો છેડો પકડતા રાજકીય ગલિયારાઓમાં સોપો પડી ગયો છે. 35 વર્ષ જૂના સાથીઓએ છોડ્યો કોંગ્રેસનો સાથસૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. છેલ્લા 35-35 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા અને પાયાના ગણાતા વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દાઓ પર રહેલોએ આજે વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ નેતાઓનું કહેવું છે કે પક્ષમાં વર્ષોની મહેનત છતાં અવગણના થતી હોવાથી તેઓ નારાજ હતા. આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા નેતાઓએ જણાવ્યું હતું કે, 'આપ'ની કામ કરવાની પદ્ધતિ અને લોકોના પાયાના પ્રશ્નો (શિક્ષણ, આરોગ્ય, વીજળી) ઉકેલવાની શૈલીથી તેઓ પ્રેરિત થયા છે. સુરતની જનતા અને કાર્યકર્તાઓ હવે પરંપરાગત પક્ષોથી કંટાળીને એક મજબૂત ત્રીજા વિકલ્પ તરફ જોઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સુરતમાં સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી છે. ભાજપ અને કોંગ્રેસના સક્રિય નેતાઓને પક્ષમાં લાવીને 'આપ' પોતાની વોટબેંક અને જનસંપર્ક વધારવા માંગે છે. નવા જોડાયેલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં પક્ષ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. લોકો પરિવર્તન ઈચ્છે છે અને સુરતના આ સક્રિય નેતાઓના જોડાણથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે. આપનો ખેસ ધારણ કર્યા બાદ નેતાઓએ જૂની પાર્ટી પર બળાપો કાઢ્યોભાજપમાંથી આપમાં જોડાયેલા જીતેન્દ્ર કુંભારે જણાવ્યું હતું કે, પહેલા હું યુવા મોરચા સુરત શહેર કારોબારી સભ્ય હતો ભારતીય જનતા પાર્ટીમાં. અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથવાદ વધારે પડતો હતો, કે આપણે ત્યાં અહીંયા જવાનું નહીં, ત્યાં જવાનું નહીં, પેલા પાસે જવાનું નહીં. એ લોકો બધા, જે ઉપલા લેવલના નેતા હતા એ બધા એકબીજા પાસે જાય, એકબીજાના કાર્યક્રમમાં જાય, આપણા ત્યાં એ લોકો કોઈને આવવા ન દે અને બોલાવવા ન દે. રહી વાત કે અમે 13 થી 14 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતો, નિષ્ઠાવાન કાર્યકર્તા હતો. મેં જ્યારે ગયા પંચવર્ષીયમાં ટિકિટની માંગ કરી ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારા સમાજના કેટલા મકાનો છે? તમારા સમાજના કેટલા ઘરો છે? તમારો વોટ બેંક કેટલો છે અહીંયા વોર્ડની અંદર? તો ત્યારે મેં એમને કીધું કે ટિકિટ માટે કે પછી ભારતીય જનતા પાર્ટી હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું, એ પૂરું નથી એમના માટે કે ભાઈ એના માટે કંઈક તમારે સમાજના અમુક જ સમાજને તમે આપી શકો કાં તો પછી ભારતીય જનતા પાર્ટીની કોઈ એવી નીતિ હોય કે ભાઈ તમારા સમાજમાં આટલા વોટ હોવા જોઈએ કે તમારા આટલા પરિવાર હોવા જોઈએ તો જ તમને ટિકિટ આપીશું. તમે એક નિષ્ઠાવાન કાર્યકર્તા હોવ એ એમના માટે પૂરું નથી. અને એ બધું જોઈને હું ત્યાંથી... ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીને છેલ્લા પાંચ વર્ષથી જે કોર્પોરેટર લોકો વિરોધ પક્ષમાં રહીને જે કાર્યો કરી રહ્યા છે, જે શૈક્ષણિક માધ્યમમાં કામ કરી રહ્યા છે, લોકોના રોડ, રસ્તા, ગટર જે લોકોની સમસ્યાઓ છે એનું જે નિરાકરણ કરે છે, એ લોકોની બધી જે ઈમાનદારીની રાજનીતિથી પ્રેરાઈને હું આમ આદમી પાર્ટીને આજે જોઈન કરી રહ્યો છું. આગળ જે પણ આમ આદમી પાર્ટી જે પણ કાર્ય મને સોંપશે, જે પણ મને જવાબદારી સોંપશે હું નિષ્ઠાથી એ જવાબદારી પૂરી કરીશ અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટે જે પણ મારા પ્રયત્નો થાય, જે પણ મારી કોશિશ રહે, મારા ટીમ વતી હું મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બને એના માટે અમે કોશિશ કરીશું. કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં બહુ વર્ષોથી જોડાયેલો છું, 1995 થી, જ્યારથી હું કોલેજમાં હતો ત્યારથી. યુથ કોંગ્રેસમાં પણ હું પ્રદેશમાં હોદ્દો ધરાવતો હતો અને ત્યાર પછી 2010 માં હું કોંગ્રેસમાંથી કતારગામ-ફૂલપાડા, સાત નંબર વોર્ડમાંથી ઇલેક્શન લડ્યો હતો. કોંગ્રેસમાં એકબીજાના ખેંચતાણ, વ્હાલા-દવલા એવી નીતિ ચાલે છે અને અંદર-અંદરના બહુ ઝઘડા હોય, એમાં અમારા જેવા જેણે કામ કરવું હોય તે સારી રીતે કામ કરી ના શકે, આમ આદમીનું કામ કરી ના શકાય. કોઈ સારી લીડરશીપ નથી, સુરતમાં નથી કે ગુજરાતમાં નથી, કે જેને આધારે આપણે કંઈક કરવું હોય તો કરી શકીએ. અત્યારે આમ આદમી પાર્ટી નીચેથી એટલે કે આમ આદમીથી એટલી સંકળાયેલી છે અને આમ આદમીના નાનામાં નાના પ્રશ્નોને લઈને એ પ્રશ્નોનો ઉકેલ લાવે છે. અને મોટા પ્રશ્નો હોય, ખેડૂતોના હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય, તે બધા પ્રશ્નોને કોઈપણ રાજનીતિ કર્યા વગર આમ આદમીનું કામ કરે છે, એવી 'આમ આદમી' થી હું એટલે ઇમ્પ્રેસ થયો છું. આમ આદમીમાં હું જેવી રીતે કામ કરું છું અને મારી કામ કરવાની ટેવ પણ એવી જ છે કે હું નીચે સામાજિક સોસાયટીઓથી નીચેથી હું કામ કરું, એ રીતનું જ કામ કરીશ જેવી રીતે આમ આદમી પાર્ટી કામ કરે છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 2:29 pm

બે ઠગ ઝડપાયા:વડોદરામાં સસ્તી સોના અને 10 કરોડની લોન અપાવવાના બહાને 4.95 કરોડની ઠગાઈના કેસમાં બે આરોપીઓની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર

સસ્તા સોના અને લોન અપાવવાના બહાને 4.95 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી છે અને તેમને 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માર્ચ 2025થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન વડોદરા શહેરના સીગ્નેટ હબ ઓફિસ નંબર 315 અને એટલાન્ટિક હાઈટ્સ, ગેંડા સર્કલ ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઈઝ ઈમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સની ઓફિસમાં આ ગુનેગારી કામગીરી ચાલી હતી. આરોપી રાજવીર અને તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ અને નયનાબેન મહીડા સહિતના આરોપીઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું અપાવવાની લાલચ આપી હતી. તેમણે ફરિયાદી પાસેથી સસ્તા સોનાના બહાને 4.61 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. વિશાલ બારડે પોતાને લોન એજન્ટ તરીકે રજૂ કરીને ફરિયાદીને 10 કરોડ રૂપિયાની લોન અપાવવાનું વચન આપ્યું હતું. તેમણે બેંક મેનેજરને કમિશન પેટે એડવાન્સ આપવાના બહાને વધુ 31 લાખ રૂપિયા મેળવી લીધા હતા. આમ, કુલ 4.95 કરોડ રૂપિયા પડાવીને આરોપીઓએ ફરિયાદીને સોનું કે લોન કંઈ જ અપાવ્યું નહોતું અને ઠગાઈ કરી હતી. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓની શોધખોળ કરી હતી. પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપીઓમાંથી નયનાબેન મનહરસિંહ મહીડા અને ભાવેશ નરવતસિંહ પરમાર (બંને વડોદરાના રહેવાસી)ને શોધી કાઢવામાં આવ્યા છે અને બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને વિવિધ તપાસના મુદ્દાઓને આધારે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાની વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓની વિગતો: 1.નયનાબેન મનહરસિંહ નટવરસિંહ મહીડા (ઉંમર: 42 વર્ષ) - રહે. દીપદર્શન-2, નારાયણવાડી, અટલાદરા, વડોદરા. 2.ભાવેશ નરવતસિંહ પરમાર (ઉંમર: 26 વર્ષ) - રહે. લક્ષ્મીકુંજ સોસાયટી, વડસર રોડ, વડોદરા શહેર. આરોપીઓનો ગુનેગારી ઇતિહાસ: - નયનાબેન મહીડા: અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયેલો છે. -ભાવેશ પરમાર: અગાઉ દારૂ પીધેલા અને જાહેર રસ્તા પર અડચણ કરવાના ગુનામાં પકડાયેલો છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 2:20 pm

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ 20 ડિસેમ્બરે:રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી શનિવાર, 20 ડિસેમ્બર, 2025ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 37 ફેકલ્ટીના 21,626 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમની વિગતવાર માહિતી આપવા માટે બુધવાર, 17 ડિસેમ્બર, 2025ના રોજ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ.હરિભાઈ કાતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. કુલપતિએ મીડિયાને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના આ સાતમા દીક્ષાંત સમારોહનું અધ્યક્ષસ્થાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ ગૌસંવર્ધન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં કુલ 21,626 ડિગ્રી પૈકી 1684 વિદ્યાર્થીઓને રૂબરૂ અને 19,942 વિદ્યાર્થીઓને ગેરહાજરીમાં ડિગ્રીઓ એનાયત કરાશે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર કુલ 51 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, તેમ કુલપતિ પ્રો. કાતરિયાએ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 2:07 pm

500 ગ્રામજનોનો ઓવરબ્રિજનું કામ અટકાવવા ઢોલ વગાડી વિરોધ:શાપર-વેરાવળમાં બ્રિજથી 2 લાખ લોકોને મૂશ્કેલીની ભીતિ, અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળની ચિમકી

રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા 2 લાખ લોકોને મુશ્કેલી ઉભી થાય તેમ છે. જેને લઈને 500થી વધુ ગ્રામજનોએ આજે ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર થઈ જતા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બરાબર મુશ્કેલી પડે તેમ છે. આ ઉપરાંત ક્રાઈમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ સંભાવના છે. ત્યારે જો અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો અનશન આંદોલન કરવાની અને દિલ્હીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ ખાતે જવાની પણ તૈયારી બતાવી છે. 'આ કામ બંધ કરાવવા દિલ્હી જવા માટે પણ તૈયાર છીએ'શાપર વેરાવળ ગામ એકતા સમિતિના પ્રમુખ અને વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે અમારા તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનો સાથે કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છીએ. નેશનલ હાઈવે ઓથોરિટીની જે તાનાશાહી ચાલી રહી છે તેના વિરુદ્ધમાં અઠવાડિયા પછી અનશન આંદોલન કરવામાં આવશે. જે બાદ પણ અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટીના ચૌધરી સાહેબે એવું કહ્યું છે કે, આ બ્રિજનું કામ બંધ કરાવવા માટે તમારે દિલ્હી જવું પડશે તો તેના માટે પણ અમે તૈયાર છીએ. 'અમારું જંકશન 250 મીટરથી આશરે 2 કિલોમીટર દૂર જતું રહેશે'નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ ડિઝાઈન બતાવવા માગતી નથી અને સ્થળ ઉપર આવવા તૈયાર નથી. 2 લાખ લોકોને આ સમસ્યા અસર કરે છે. અહીં 4000 ફેક્ટરી અને 500 ટ્રાન્સપોર્ટ આવેલા છે. અત્યારે અમારો જે બ્રિજ છે તેના ઉપર ઓવરલેપિંગ કરીને ઉપર લઈ જવામાં આવે તો અમારું જંકશન જે 250 મીટર છે જે આશરે 2 કિલોમીટર જઈ શકે તેમ છે. જેથી એક અઠવાડિયામાં નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે. 2 લાખ લોકોને પારાવાર મૂશ્કેલીનો સામનો કરવો પડી શકેરાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફનો ઓવર બ્રિજ બનવા અંગે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આશરે 5000 નાના-મોટા કારખાનાઓ તથા આશરે 15000 જેટલા રેસિડેન્સ મકાનો આવેલા છે. શાપર-વેરાવળ મેઈન જંકશન ઉપર જવાનો એપ્રોચ હાઈવેથી આશરે 500 મીટર જેટલો દૂર આવેલો છે જે આ પુલ બને તો આ એપ્રોચ આશરે 2 કિ.મી. જેટલો દૂર જતો રહે તેમ છે. જેનાથી તમામ ઈન્ડસ્ટ્રીઝ અને રહીશોનો ખૂબ જ મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે તેમજ અહિયાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ફાયર સ્ટેશન બન્ને આવેલા હોવાથી, આગ-અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં સમયસર પહોંચી શકાય નહીં અને સમયસર સારવારના અભાવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તેવી શકયતા છે. પુલના કારણે પોલીસને પણ હાઈવે પકડવા ચાર ગણો સમય લાગશેઆ ઉપરાંત હાલમાં શાપર-વેરાવળ જંકશન પર પોલીસ સ્ટેશન આવેલું છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવાના કામે પોલીસને ગમે તે દિશામાં જવા માટે યોગ્ય એપ્રોચ છે, પરંતુ જો બ્રિજ બને તો પોલીસને હાઈવે પકડવા માટે જ ટ્રાફિકના લીધે આશરે ચાર ગણો વધારે સમય લાગી શકે તેમ હોવાથી ગુનાખોરીમાં વધારો થવાની શક્યતા રહેલી છે. ઓવરબ્રિજનું કામ હાલ બંધ કરવામાં આવે તેવી માંગણીઆ સાથે જ સર્વિસ રોડ ઉપર સ્કૂલ, હાઈસ્કૂલ અને પોસ્ટ ઓફિસ જેવી જાહેર સુવિધાઓ આવેલ હોવાથી અને વિદ્યાર્થીઓને અવરજવર માટે હાલમાં જે સર્વિસ રોડ અને હાઈવેનો એપ્રોચ સવલત ભરેલો છે, પરંતુ જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ તમામ જગ્યાઓએ જવા માટે આશરે 2 કિ.મી. જેટલું ફરવું પડે અને ભયંકર ટ્રાફિકની યાતના ભોગવવી પડે જેનાથી વિદ્યાર્થીઓ, કામદારો, અશક્ત વૃદ્ધો વગેરે તમામ લોકોની રોજીંદી જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થાય તેમ છે. જેથી આ ઓવરબ્રિજનું કામ હાલ બંધ કરવામાં આવે તેવી માંગણી છે. અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળની ચિમકીઆ બાબતે જો નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા ખરેખર લોકોની સુખાકારીમાં વધારો કરવા ઈચ્છતું હોય તો ઓવરબ્રિજ બનાવવાની જગ્યાએ હાઈવે ક્રોસ કરવા અંગેનો ફુટબ્રિજ બનાવવાની જરૂરિયાત હોય તો ફુટબ્રિજ બનવવામાં આવે તો ખરેખર લોકોની સુખાકારીમાં વધારો થઈ શકે તેમ છે. આ બાબતને ધ્યાને લઈ આ ઓવરબ્રિજનું કામ હાલ મુલત્વી રાખવા અમોની નમ્ર વિનંતી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 2:04 pm

રાહી ફાઉન્ડેશને નિરાંત ઘરને સ્ટીલના વાસણો અને કપડાં ભેટ આપ્યા:અશક્ત અને નિરાધાર માટેની સંસ્થાને ભોજન ગૃહ માટે સહાય કરી

અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ખાતે આવેલી 'નિરાંત ઘર' સંસ્થાને સ્ટીલના વાસણો અને કપડાં ભેટ આપવામાં આવ્યા છે. આ સંસ્થા અનુબંધ સંસ્થા દ્વારા સંચાલિત છે અને અશક્ત તથા નિરાધાર વ્યક્તિઓની સેવા કરે છે. આ ભેટ ભોજન ગૃહ માટે સ્ટીલના વાસણો અને નિવાસી લાભાર્થીઓ માટે કપડાં સ્વરૂપે હતી. આ સહાયથી સંસ્થાના દૈનિક કાર્યોમાં મદદ મળશે. સ્ટીલના વાસણોના સહયોગ બદલ રીટાબેન મયુરભાઈ શાહ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, વિજય દલાલ અને મહાવીર તિવારી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલિકા નિરૂપાબેનના માર્ગદર્શન બદલ પણ આભાર માનવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:54 pm

સિલ્વર ઓકમાં રાષ્ટ્રીય રિસર્ચ FDPનું આયોજન:AI ટૂલ્સ અને રિસર્ચ મેથોડોલોજી પર એક સપ્તાહનો કાર્યક્રમ

સિલ્વર ઓક યુનિવર્સિટીના સેન્ટર ફોર કન્ટિન્યુઇંગ એજ્યુકેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના સહયોગથી, સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના રસાયણશાસ્ત્ર વિભાગે એક સપ્તાહીય રાષ્ટ્રીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ Research Methodology and Use of AI Tools in Research વિષય પર હાઇબ્રિડ મોડ (ઓનલાઇન અને ઓફલાઇન)માં સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ફેકલ્ટી સભ્યો અને સંશોધકોમાં સંશોધન પદ્ધતિઓની ઊંડાણપૂર્વક સમજ વિકસાવવાનો હતો. સાથે જ, સંશોધન કાર્યમાં આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાધનોના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનો પણ તેનો હેતુ હતો. FDP દરમિયાન, સંશોધન વિષયની પસંદગી, સાહિત્ય સમીક્ષા, સંશોધન ડિઝાઇન, ડેટા વિશ્લેષણ, સંશોધન પેપર લેખન અને પ્રકાશન નૈતિકતા જેવા મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, AI આધારિત ટૂલ્સનો ઉપયોગ કરીને સંશોધન કાર્યને વધુ અસરકારક અને સમયસર કેવી રીતે પૂર્ણ કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ એક સપ્તાહીય FDPમાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી 90થી વધુ ફેકલ્ટી સભ્યો, સંશોધકો અને પી.એચ.ડી. સ્કોલર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનુભવી તજજ્ઞો દ્વારા અપાયેલા વ્યાખ્યાનો અને પ્રાયોગિક સત્રોએ સહભાગીઓના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો કર્યો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:52 pm

પરિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન:સરપંચે રીબીન કાપી ખુલ્લો મુક્યો, બાળકોને પ્રોત્સાહિત કર્યા

પરિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ અનિરુદ્ધસિંહ ગોહિલ, ડેપ્યુટી સરપંચ ભાસ્કરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી કેતનભાઈ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ અનિરુદ્ધસિંહ ગોહિલના હસ્તે રીબીન કાપીને મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ દરેક બાળકને સ્ટોલ પર સો રૂપિયા આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બાળકો દ્વારા બનાવેલા નાસ્તાનો સ્વાદ ચાખીને તેની ગુણવત્તા, સ્વચ્છતા અને સ્વાદિષ્ટતાના વખાણ કર્યા હતા. આ પ્રસંગે આછારણ પ્રાથમિક શાળાના 35 ગુરુજનો અને વિદ્યાર્થીઓએ ટ્વિનિંગ મુલાકાત લીધી હતી. આ બાળકોએ પણ આનંદ મેળાની મજા માણી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને શાળા પરિવારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:50 pm

બોટાદના હિફલીમાં મીણના કારખાનામાં આગ:કાચો માલ, મશીનરી બળીને ખાખ, લાખોનું નુકસાન

બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં આવેલા એક મીણના કારખાનામાં સવારે આગ લાગી હતી. આ ઘટનામાં કારખાનામાં રાખેલો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા. હિફલી વિસ્તારની શેરી નંબર 3 માં આવેલા આ કારખાનામાં આગ લાગી ત્યારે તે બંધ હાલતમાં હતું. સ્થાનિકોએ તાત્કાલિક કારખાનાના માલિકને જાણ કરી હતી. માલિકે કારખાનું ખોલતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે 12 હજાર લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે કારખાનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:49 pm

ખીજડિયા અભયારણ્યની વર્ષ દરમિયાન 52 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી:ઇકો-ટુરિઝમ મજબૂત બન્યું, VGRC પહેલાં ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા તરીકે ઉભર્યું રામસર સ્થળ

ખીજડિયા પક્ષી અભયારણ્યએ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની ઓળખ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અભયારણ્ય ગુજરાતની પર્યાવરણીય શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યું છે. VGRC 2026 પહેલાં, જામનગર નજીક આવેલું ખીજડિયા રામસર સ્થળ ગુજરાતના મહત્વપૂર્ણ કુદરતી સીમાચિહ્ન તરીકે ઉભરી આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો આજે રાજ્યના અગ્રણી પ્રવાસન કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે, જ્યાં કુદરતી લેન્ડસ્કેપ, વન્યજીવન, દરિયાકાંઠાની સુંદરતા, આધ્યાત્મિક સ્થળો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું અનોખું સંયોજન જોવા મળે છે. 600 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના દુર્લભ સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે. આ અનોખું ઇકોલોજીકલ બંધારણ પક્ષીઓ માટે વૈવિધ્યસભર નિવાસસ્થાન પૂરું પાડે છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના આંકડા મુજબ, વર્ષ 2023–24 દરમિયાન અહીં 317 પક્ષી પ્રજાતિઓ નોંધાઈ હતી, જે 2024–25માં વધીને 332 થઈ છે. આ પર્યાવરણીય સમૃદ્ધિને વૈશ્વિક માન્યતા મળી છે. વર્ષ 2022માં ખીજડિયાને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જળભૂમિ તરીકે રામસર સ્થળનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. રાજ્ય સરકાર દ્વારા મુલાકાતીઓ માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેમાં વોચ ટાવર, વન-કુટીરો, પક્ષી નિરીક્ષણ પ્લેટફોર્મ, અર્થઘટન કેન્દ્ર, સેલ્ફી પોઇન્ટ અને માહિતીસભર સાઇનબોર્ડનો સમાવેશ થાય છે. અભયારણ્યની મુખ્ય તાકાત તેની નિવાસસ્થાનની વૈવિધ્યતામાં છે, જ્યાં મીઠા પાણીનો પ્રવાહ દરિયાકાંઠાની ભરતી સાથે મળીને પાળા અને ખાડાઓ સર્જે છે. આ કુદરતી વ્યવસ્થા વન્યજીવન માટે અનુકૂળ સૂક્ષ્મ નિવાસસ્થાનો બનાવે છે. આ સુવિધાઓ ખીજડિયાને ભારતના સૌથી જીવંત પક્ષી સ્થળોમાંનું એક બનાવે છે અને ગુજરાતની ભીની જમીન સંરક્ષણ માટેના વૈજ્ઞાનિક અભિગમને મજબૂત બનાવે છે. રાજકોટમાં 10, 11 અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની પૂર્વ તૈયારીના સમયમાં, ખીજડિયા પક્ષી અભયારણ્ય ગુજરાતના સંકલિત વિકાસ મોડેલનું કુદરતી ઉદાહરણ બની રહ્યું છે. અહીં પર્યાવરણીય સંરક્ષણ અને આર્થિક વિકાસ એકસાથે આગળ વધે છે. પ્રદેશની સમૃદ્ધ જૈવવિવિધતા કૃષિ, પ્રવાસન, આબોહવા સ્થિતિસ્થાપકતા અને ટકાઉ માળખાકીય વિકાસ જેવી રાજ્યની મુખ્ય પહેલોને પૂરક છે, જે VGRC દરમિયાન મુખ્ય કેન્દ્રબિંદુ રહેશે. ખીજડિયા પક્ષી અભયારણ્યની સફળતાની આ ગાથા ગુજરાતના “સમૃદ્ધિ સાથે ટકાઉપણું”ના વિઝન સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:48 pm

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 47મો રક્તદાન કેમ્પ યોજાયો:ગીર ગંગા પરિવારની જલકથામાં અંગદાન સંકલ્પ પત્રો પણ ભરાયા

રાજકોટ ખાતે ગીર ગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથાના ભાગરૂપે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 47મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. રક્તદાન ઉપરાંત, ઉપસ્થિત નાગરિકોએ ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન માટેના સંકલ્પ પત્રો ભરી માનવસેવાની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે 16 અને 17 ડિસેમ્બરના રોજ યોજાયેલી જલકથામાં જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ જ તારીખોએ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન અને દેહદાનના પત્રો ભરવામાં આવ્યા હતા. જનકલ્યાણ ટ્રસ્ટે આ સમગ્ર આયોજન માટે ગીર ગંગા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા સાથે પ્રદીપભાઈ પંડ્યા, અતુલભાઈ શાહ, કૌશિકભાઈ અને પ્રશાંતભાઈ સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 785 ચક્ષુદાન, 44 સ્કીન ડોનેશન અને 61 દેહદાન સફળતાપૂર્વક કરાયા છે. ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગે વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો. 94285 06011) નો સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:46 pm

નસવાડીના કાંધા ગામે ઝૂંપડામાં ચાલે છે આંગણવાડી:દોઢ વર્ષથી મકાન અધૂરું, 10 બાળકો બેસે છે ઘાસના ઝૂંપડામાં

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં આંગણવાડીનું મકાન અધૂરું હોવાને કારણે બાળકોને ઝૂંપડામાં બેસવું પડે છે. છેલ્લા દોઢ વર્ષથી આ મકાનનું કામ અટકેલું છે, જેના કારણે લગભગ ૧૦ જેટલા બાળકો પ્રાથમિક સુવિધાઓ વિના અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને કુપોષણમુક્ત બનાવવા માટે આંગણવાડીઓ ચલાવે છે. આ આંગણવાડીઓમાં રમતના સાધનો પણ પૂરા પાડવામાં આવે છે, પરંતુ કાંધા ગામની આંગણવાડી મકાનના અભાવે ઝૂંપડામાં ચાલી રહી છે. આંગણવાડી માટેનું મકાન દોઢ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે અધૂરું રહી ગયું છે. હાલમાં, બાળકો ગામના એક ઘાસ અને વાંસના બનેલા ઝૂંપડામાં બેસે છે. ચોમાસા દરમિયાન પાણી ટપકતું હોવાથી ઝૂંપડાના ઉપરના ભાગે તાડપત્રી નાખવામાં આવી છે, જેથી બાળકોને આ અસુરક્ષિત વાતાવરણમાં બેસવાની ફરજ પડે છે. આંગણવાડીના મકાનનું કામ અગાઉ મનરેગા યોજના હેઠળ શરૂ કરાયું હતું. જોકે, મનરેગા યોજના હેઠળ મળતી ગ્રાન્ટ ન મળવાને કારણે સરપંચોએ આ કામ અટકાવી દીધું છે. આના પરિણામે, જિલ્લાની ઘણી આંગણવાડીઓના કામ અધૂરા રહી ગયા છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:45 pm

ડૉ. કુમાર વિશ્વાસની 'જલકથા'નો પ્રારંભ:'અપને અપને શ્યામ કી' શ્રવણ માટે ભીડ ઉમટી, અનેક મહાનુભાવો ઉપસ્થિત

ડૉ. કુમાર વિશ્વાસની 'જલકથા અપને અપને શ્યામ કી'નો મંગલ પ્રારંભ થયો. પ્રથમ દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિદ્ધ સ્તોત્ર 'અધરમ્ મધુરમ્'થી થયો, જેનાથી કથાનો માહોલ બંધાઈ ગયો. આ પહેલા કવિ દિનેશજી બાંગરે જલવિષયક કવિતા રજૂ કરી હતી, જ્યારે બાળ ભજનિક બિરેન કુમાર અને ભજનિક અંકિતા શ્રીવાસ્તવે કૃષ્ણ ભજનો ગાયા હતા. આ 'જલકથા' એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ છે. IEA (IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ) કન્સલ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે. આ રેકોર્ડમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, OMG બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, રાજ્યના માજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી અનિલભાઈ પટેલ, રક્ષાદળના કેપ્ટન શ્રી હેમંત વ્યાસ, શ્રી રમેશભાઈ રાણીપા, અમેરિકાના ગીરગંગાના કન્વીનર શ્રી હરીશભાઈ માલાણી, શ્રી રસિકભાઈ ફળદુ, અગ્રણી બિલ્ડર શ્રી ઉમેશભાઈ માલાણી, શ્રી ગૌતમભાઈ ધમસાણીયા, સયાજી હોટેલવાળા શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને એન્જલ પંપવાળા શ્રી શિવાભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભવનાથ આશ્રમ, ભાયાસરવાળા શ્રી વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના શ્રી કલ્પેશગીરીબાપુ, ગીરગંગા સુરતના કન્વીનર શ્રી રામજીભાઈ જેતાણી, કચ્છ-ગ્લોબલના શ્રી ગોવિંદભાઈ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા શ્રી નિખિલભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર શ્રી બાકીરભાઈ ગાંધી, શ્રી કાનજીભાઈ ભાલાળા, શ્રી સવજીભાઈ વેકરીયા, શ્રી ભવાનભાઈ સહિતની સુરતની ટીમ, ડૉ. સુધીરભાઈ ભીમાણી, શ્રી પ્રફુલભાઈ ફુલતેરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ કાકડિયા, કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના શ્રી વાલજીભાઈ નંદા, શ્રી પ્રેમજી વાલજી એન્ડ સન્સના શ્રી હરીશભાઈ, રાધિકા જ્વેલર્સવાળા શ્રી અશોકભાઈ, શ્રી સનાતન ગ્રુપ બિલ્ડર્સ, પ્રખ્યાત કથાકાર શ્રી જગતભાઈ તારૈયા, રાજકોટના માજી મેયર શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી મહેશભાઈ ચૌહાણ અને રાજકોટ જિલ્લા ભાજપના અગ્રેસર શ્રી રાજુભાઈ ધારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય નાગરિકોએ પણ પોતાની ક્ષમતા અનુસાર આ કાર્યમાં સહયોગ આપ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જલકથાને મળેલો પ્રતિસાદ માત્ર આર્થિક મદદ પૂરતો સીમિત નથી, પરંતુ સામૂહિક ભાવનાનો પુરાવો છે. જલકથામાં એકત્રિત થયેલી રકમનો ઉપયોગ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અને સંવર્ધનના કાર્યો પાછળ સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:44 pm

મોરબીમાં મેટાડોરે ટક્કર મારતાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત:દલવાડી સર્કલ પાસે એક્ટિવા ચાલકને અડફેટે લેનાર ડ્રાઈવર ઝડપાયો

મોરબીના બાયપાસ રોડ પર આવેલા દલવાડી સર્કલ પાસે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. એક મેટાડોર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં, મોરબીના પંચાસર રોડ પર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા 75 વર્ષીય લવજીભાઈ નકુમ પોતાનું એક્ટિવા (GJ 3 HF 7956) લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે મેટાડોર (GJ 36 V 8222) ના ચાલકે પાછળથી ટક્કર મારી હતી. લવજીભાઈને હાથ, પગ, કમર અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. મૃતકના 45 વર્ષીય દીકરા હીરાલાલ લવજીભાઈ નકુમે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે મેટાડોર ચાલક અશોકભાઈ કાનજીભાઈ ધંધુકિયા (ઉંમર 42, રહે. મોટા દહીસરા, તા. માળિયા મિયાણા) વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:44 pm

પોદાર પ્રેપ સ્કૂલે રમતોત્સવનું આયોજન કર્યું:'જંબો ઇન સ્ટ્રિંગ્સ એન્ડ સ્પ્રિન્ટ્સ’ થીમ પર બાળકોએ ભાગ લીધો

પોદાર પ્રેપ સ્કૂલે ચાંદખેડા, ટી.પી. 44 ખાતે 'જંબો ઇન સ્ટ્રિંગ્સ એન્ડ સ્પ્રિન્ટ્સ' થીમ પર રમતોત્સવનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં બાળકોએ ઊર્જા અને ઉત્સાહ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ અવસરે Puppeteer's Parade, Shadow Play Dash, The String Maze Challenge, Hand Puppet Buzz અને Puppet Leap જેવી અનોખી અને આનંદમય રેસિસનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા આ પ્રવૃત્તિઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાદા-દાદી અને વાલીઓ માટે પણ વિશેષ રેસિસનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ આ રેસિસનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો, જેનાથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:42 pm

સમી કોલેજની ટીમે ચેન્નાઈની શ્રેષ્ઠ કોલેજોની મુલાકાત લીધી:શિક્ષણ અને વહીવટી કુશળતા સુધારવા સ્ટડી ટૂર યોજાઈ

ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગુજરાત સરકારના આયોજન હેઠળ, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા ચેન્નાઈની શ્રેષ્ઠ કોલેજોની સ્ટડી ટૂર યોજવામાં આવી હતી. રાજ્યની સરકારી કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ કાર્ય તથા વહીવટી કુશળતામાં વધારો કરવાના ઉમદા આશયથી આ મુલાકાત તા. ૫ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન લેવામાં આવી હતી. આ સ્ટડી ટૂરમાં પાટણ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમીના આચાર્ય ડૉ. ટેકપાલસીંહ આનંદ, IQAC કન્વિનર ડૉ. ચેતન પ્રજાપતિ, NAAC ડેપ્યુટી કોઓર્ડીનેટર ડૉ. અમર ચક્રબર્તી અને NAAC સભ્ય પ્રો. જેવત ચૌધરીની ટીમ જોડાઈ હતી. ટીમે ચેન્નાઈ ખાતે શ્રી સુંદરબાઈ શંકરલાલ શશુન જૈન કૉલેજ ફોર વિમેન (NAAC A++) અને ગુરુ નાનક (ઓટોનોમસ) કૉલેજ (NAAC A++)ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, સમી કોલેજની ટીમે બંને કોલેજોમાં ચાલતી શૈક્ષણિક પ્રક્રિયા, વહીવટી કુશળતા, વિવિધ પ્રકલ્પો, એક્સ્ટેન્શન પ્રવૃત્તિઓ, ડોક્યુમેન્ટેશન અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન જેવી બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. આ સ્ટડી ટૂરથી સમી કોલેજની ટીમને નવી દિશા અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સમી કોલેજના આચાર્ય ડૉ. આનંદે ગુજરાત સરકારના આ પ્રકલ્પનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવી સ્ટડી ટૂરથી રાજ્યની કોલેજોની શૈક્ષણિક પદ્ધતિ અને વહીવટી કુશળતામાં મોટો બદલાવ લાવવામાં મદદ મળશે.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:40 pm

નિકોલમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન:વડેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ

અમદાવાદના નિકોલ ખાતે વડેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૧૫ થી ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન યોજાશે. આ સપ્તાહમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી શ્રીપાગીરીજી બાપુ (પૂ. બાપજી) વક્તા તરીકે ભાગવત કથાનું રસપાન કરાવશે. આયોજન લોટસ સ્કૂલની બાજુમાં, લીંબુવાડી, મુક્તિધામ એસ્ટેટની પાછળ, નિકોલ ખાતે કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે, ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ ભક્તો જોડાયા હતા. પોથી યાત્રા બાદ સૌ ભક્તોએ કથા સ્થળે ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું. આ કથામાં આસપાસના તમામ રહેવાસીઓ, કાઉન્સિલરો અને અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. કથાના સમાપ્તિ બાદ સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Dec 2025 1:38 pm