SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

ટાઈગર મેમણની મુંબઈની વધુ મિલ્કતોની ટૂંક સમયમાં હરાજી

1993 વિસ્ફોટોનું કાવતરું જયાં ઘડાયું હતું તે ફલેટ પણ વેચાશે ૧૯૯૩ સૌથી મૂલ્યવાન સંપતિમાં વાકોલાનો ૧૦ હજાર મીટરનો પ્લોટ છે જેની કિંમત ૪૦૦ કરોડ હોવાનો અંદાજ મુંબઇ - 1993 ના મુંબઇ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી ટાઇગર મેમણ અને તેના પરિવારની મિલકતોની કેન્દ્રીય સત્તાવાળાઓ ટ્રેક સમયમાં હરાજી કરવાના છે. આ હરાજીમાં માહિમમાં આવેલા ટાઇગર મેમણના એક ફલેટનો પણ સમાવેશ થાય છે જ્યાં કાવતરાની મુખ્ય બેઠકો થઇ હોવાનું કહેવાય છે. એમ અધિકારીઓએ જણાવ્યુ ંહતું. ૧૯૯૩

ગુજરાત સમાચાર 8 Nov 2025 7:00 am

અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો:ચીખલીમાં ડ્રાઇવર સાથે મારામારી કરી બસની ચાવી છીનવી છૂ 2 શખ્સ ઝડપાયા

ચીખલીમાં વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલ ખાનગી બસના ચાલક સાથે માથાકૂટ કરી બસની ચાવી લઈ ફરાર થઇ જનાર બે શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી ચાવી પરત લીધી હતી. લાંબો સમય ડ્રામા ચાલતા મુસાફરો અટવાવા સાથે ટ્રાફિક જામ પણ થયો હતો. વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી જય દ્રારાકેશ ટ્રાવેલ્સની બસ (નં-જીજે-૦૩-બીવાય-૯૮ ૬૪) ના ડ્રાઇવર અને ક્લીનર પર ગાળા-ગાળી કરી માર મારી તેમજ બસની ચાવી છીનવીને ફરાર થઈ ગયેલા બે શખ્સોને ચીખલી પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સાંજે છ વાગ્યાની આસપાસ ચીખલી ચાર રસ્તા પાસે રોંગ સાઇડે આવી રહેલા શખ્સે બસ ચાલક સાથે દલીલબાજી કરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાદમાં બસના ડ્રાઇવર-ક્લીનરને માર મારી બસની ચાવી લઈને ભાગી ગયો હતો. આ બનાવના કારણે બસમાં સવાર મુસાફરો આશરે બે કલાક સુધી અટવાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો .રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પેચ વર્કનું કામ ચાલતું હોવાથી હાઈવે પર વાહનોની લાંબી લાઇન લાગતા વાહન ચાલકો સર્વિસ રોડના ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગ ડાયવર્ટ થયા તે દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ પીઆઇ-ડી.એસ.કોરાટ, સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ગણતરીના સમયમાં જ બન્ને ફરાર શખ્સને ઝડપી પાડી તેમની પાસેથી બસની ચાવી પરત મેળવી બસ ચાલકને સોંપી હતી. હવે પોલીસ આ બંને સામે કેવી કાયદાકીય કાર્યવાહી કરશે તે જોવું રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:57 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ગોધરા- નાગદા રેલવેનો સૌથી લાંબો ABBS યુક્ત સેક્શન બન્યો‎

દેશમાં રેલવે વિભાગ ટ્રેનોને યોગ્ય દિશા આપવા માટે ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ (ABSS) લગાવી રહ્યું છે. આ ક્રમમાં દિલ્હી-મુંબઈ રૂટ પર આવેલા ગોધરા-નાગદા રેલ ખંડ પર એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગત સપ્તાહે આ ખંડના રતલામ ઈ-કેબિનથી બજરંગગઢ સુધીના લગભગ 69 કિમી લાંબા સેક્શનમાં આ સિસ્ટમના પરીક્ષણ બાદ તેને કાર્યરત (કમિશનિંગ) કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે, ગોધરા-નાગદા સેક્શન ભારતીય રેલવેનો સૌથી લાંબો ABSS યુક્ત સેક્શન બની ગયો છે. રેલવે વિભાગે આ પહેલા પણ આ વિસ્તારમાં ABSS ઇન્સ્ટોલ કરવાનું કામ કર્યું હતું. સૌપ્રથમ કાંસુડીથી પીપલોદ સુધી અને ત્યારબાદ નાગદાથી રતલામ ઈ-કેબિન સુધી એબીએસએસ ઇન્સ્ટોલ કરી ચૂક્યું છે. હવે, રતલામ ઈ-કેબિનથી બજરંગગઢ સેક્શન સહિત મંડળનો આશરે 135 કિમીનો વિસ્તાર ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમથી સજ્જ થઈ ગયો છે. આ નવી ટેકનોલોજી ટ્રેનોના સંચાલનને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવશે. હાલમાં આ રૂટ પર પેનલ ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને એબ્સોલ્યુટ બ્લોક સિસ્ટમ દ્વારા ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. ABSS લાગુ થવાથી આ સમગ્ર વિસ્તારમાં ટ્રેનોની અવરજવરનું નિયમન વધુ ઝડપી અને ચોક્કસ બનશે. જેનાથી રૂટ પર ટ્રેનોની ગતિ અને સમયપાલનમાં સુધારો થવાની અપેક્ષા છે. કામ રેકર્ડ સમયમાં પૂર્ણ કરાયું છે રતલામ ઈ-કેબિનથી બજરંગગઢ સુધી ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ પૂર્ણ થયું છે.આ કામગીરી પૂર્ણ થતાં ગોધરા-નાગદા સેક્શન ભારતીય રેલવેનો સૌથી લાંબો એબીએસએસથી સજ્જ સેક્શન બની ગયો છે. આ કાર્ય રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. અશ્વિનીકુમાર, ડીઆરએમ,રતલામ ટ્રેનો વચ્ચે અંતર આપમેળે નિયંત્રિત થશે‎ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ(એબીએસએસ)‎એટલે રેલવેમાં ટ્રેન વચ્ચેનું અંતર આપમેળે નિયંત્રિત‎કરવાની આધુનિક વ્યવસ્થા છે. આ સિસ્ટમમાં ટ્રેકને‎અલગ બ્લોક માં વહેંચવામાં આવે છે અને દરેક બ્લોકમાં‎ટ્રેન હોય તો સિગ્નલ આપમેળે લાલ થાય છે. ટ્રેન‎બ્લોકમાંથી બહાર નીકળે ત્યારેજ સિગ્નલ ફરીથી લીલું‎થાય છે. તેના કારણે માનવીય ભૂલો ઘટશે અને‎ભવિષ્યમાં અકસ્માતો અટકાવવામાં મદદરૂપ થશે.આ‎ટેકનોલોજી ટ્રેનની સલામતી અને સમયબદ્ધતા‎વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.‎

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:57 am

ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિની ઉજવણી‎:પારડીજનજાતિ ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું

ઉમરગામથી શુક્રવારે આ જનજાતિ ગૌરવ યાત્રા રથ નીકળી તારીખ 15 11 2025 ના રોજ એકતા નગર ખાતે પૂર્ણ થશે ઉમરગામથી નીકળી હતી. આ રથ યાત્રા સાંજે પારડી કુમાર શાળા મેદાન ખાતે બપોરે આવી પહોંચી હતી અને આ રથ યાત્રા સાથે રહેલ ગુજરાત સરકારના મંત્રી જયરામભાઈ ગામીત તથા વિજયભાઈ અને પિયુષભાઈ પટેલે બિરસા મુંડાની સંઘર્ષ ગાથા અને એમની બહાદુરીની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલ આદિવાસીઓની અનેક યોજનાઓ પણ ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારમાંથી જયરામભાઈ ગામીત વિજયભાઈ પિયુષભાઈ પટેલ વલસાડ જિલ્લાના મહામંત્રી મહેન્દ્ર ચૌધરી,શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ ,પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ પારડી નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ નાયકા કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી પારડી શહેર ભાજપ મહામંત્રી ઝુબિન દેસાઈ, અશોક પ્રજાપતિ અનેક પારડી તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ,સહિત અન્ય ગામના સરપંચો પારડી નગરપાલિકાના સદસ્યો તથા ખૂબ મોટી સંખ્યામાં પારડી તાલુકા કાર્યકર્તાઓ ઉપસ્થિત હતાં.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:56 am

ઉર્સની ભવ્ય ઉજવણી:કોલક મીરાંદાતાર દરગાહમાં પલ્લી રાસ્તીમાંનો ઉર્શ શરિફની ઉજવણી

પારડી તાલુકાના કોલક મીરાંદાતાર દરગાહમાં રાસ્તી પલ્લીમાં નો ઉર્શ શરીફ યોજાયો હતો. જેમાં ઉર્શનાં છિલ્લા બાંધવામાં આવ્યા તેમજ મૌલુત શરીફ પાઠનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે રાસ્તીમાંની ધજા ચઢાવવામાં આવી હતી. તથા સંદલ પાલખી આખા ગામમાં નીકળતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સવારે માજીમાં ને ગુસલ આપ્યું હતું. તેમજ આમ નિયાઝનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ભક્તો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પૂજ્ય નટુબાપુના આશિષ થી અમિતાબેન મીલનભાઈ દાતારવાલા, હૃદય સંગમ દાતારવાલા, વિસ્પી પટેલ, બિનયફર પટેલ, સુભાષ ડોકરે, સુરેશ દાંડેકર, બજરંગભાઇ દાંડેકર, નટરાજભાઈ દાંડેકર વગેરે મહિલાઓ, યુવાઓ, ભક્તજનો જોડાઈ ઉજવણી કરી હતી.આ ઉર્શ શરીફ કાર્યક્રમમાં મુંબઈ, અમદાવાદ, સુરત, નવસારી, બીલીમોરા, બોરડી, ઘોલવડ, ખેરગામ, ધરમપુર, વાપી, દમણ થી લોકો પોતાની આશા સાથે પધારે છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:55 am

રક્તદાન કેમ્પનું આયોજન:દાનહના દાદરા ગામે કંપનીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

દાનહના દાદરા ગામે આવેલ ગ્રોવર એન્ડ વેલ ઇન્ડિયા કંપનીમાં રક્તદાન કેમ્પનું આયોજન સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લાયન્સ કલબ ઓફ સિલવાસા અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કંપનીના ચેરમેન ઉમેશજી મોરના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર દ્વારા તેમના સારા આરોગ્ય અને દીર્ઘ આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. અને સ્થાનિકોને તબીબી સારવાર માટે રક્ત ઉપલબ્ધ કરે છે. આ કેમ્પમાં કંપનીના પ્રતિનિધિઓ, કર્મચારીઓ, લાયન્સ કલબના સભ્યો, સીલ્વાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:55 am

ટ્રાફિકજામ:વાપીમાં સર્વિસ રોડ પર 6 કલાકમાં 40થી વધુ લકઝરી બસના કબજાથી ટ્રાફિકજામ

વાપીમાં વૈશાલી ઓવરબ્રિજથી લઇને જીઆઇડીસી ચાર રસ્તા સુધી હાઇવેના સર્વિસ માર્ગ પર ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે. જેથી પેસેંજરો બુકિંગ કર્યા બાદ ઓફિસની સામે ઉભા રહે છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે લક્ઝરી બસો પેસેંજરોને લેવા પહોંચે છે ત્યારે મોડે સુધી ઉભી રહેતા સર્વિસ માર્ગથી પસાર થતા અન્ય વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઇ જતા હોય છે. ઘણીવાર ચાલકો અને બસ ચાલકો વચ્ચે બોલાચાલી થવાની ઘટના પણ સામે આવે છે. વલસાડ તરફના સર્વિસ રોડ પર વાપી ચાર રસ્તાથી લઈ પેપીલોન ચાર રસ્તા અને છેક છરવાડા હાઈવે ક્રોસિંગ સુધી રોજ 6કલાકમાં 40થી વધુ લકઝરી ટ્રાફિકજામ સર્જે છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:54 am

કલનના ‎‎અભાવનો નમૂનો પ્રકાશમાં આવ્યો:વલસાડ પાલિકાના 1 જ કોમન રસ્તાના 2 વાર ખાતમુહૂર્ત થયા

વલસાડ પાલિકામાં જૂથબંધી અને સંકલનના અભાવનો નમુનો પ્રકાશમાં આવ્યો,જ્યારે રૂ10 કરોડના ખર્ચે બનનાર રોડ માટે બે વોર્ડમાં બે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સભ્યોએ પોતપોતાની રીતે અલગ અલગ ખાતમુહૂર્ત કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડમાં પાલિકાના વહીવટમાં ચૂંટાયેલા ભાજપના સભ્યોમાં ઘણા સમયથી જુથ અલગ પડી ગયા છે.અમુક સભ્યો પાર્ટીના કહેવામાં નથી.જેના કારણે અમુક સભ્યોને હાથો બનાવી અમુક સ્થાપિત તત્વો લાભ ઉઠાવી રહ્યા છે. શાસકો વચ્ચે સંકલનના અભાવનો નમુનો જોવા મળ્યો હતો.જેમાં અબ્રામા વોર્ડ નં.11માં હાઇવે ગીરીરાજ હોટલથી મોગરાવાડી એન્કર થઇને પારડીસાંઢપોર કૈલાસ રોડને જોડતો ચારેક કિમીના રોડ માટે જે તે વખતે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના સહયોગથી અને ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા રજૂઆતો અંતે મંજૂર થયો હતો.જેનું ખાતમુહૂર્ત કરવા વોર્ડ નં.11માં ધારાસભ્ય ભરતભાઇ પટેલને સ્થાનિક સભ્યોએ બોલાવી ધારાસભ્યના હસ્તે સ્થાનિક ભાજપના સભ્યો, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલની ઉપસ્થિતિમાં કરાયું હતું આ જ રોડનું મોગરાવાડી વોર્ડ નં.3 વિસ્તારમાં પણ ભાજપના સ્થાનિક વોર્ડ સભ્યો,પાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું.જો કે એક જ રોડનું મોગરાવાડી અબ્રામાની વચ્ચે કોઇ એક જગ્યાએ સાથે મળીને ખાતમુહૂર્ત કરવાનું ઉચિત રહ્યું હોત તેવી લોકોમાં ચર્ચા ઉઠી હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:53 am

ભાસ્કર ફોલોઅપ:ભૂવાએ અમદાવાદના ખેડૂત પાસે પણ 1 કરોડ પડાવ્યા હતા

​પારડી પરીયાના યુવકને ઠગી 2.15 લાખ પડાવનાર ભૂવા અને તેની ટોળકીએ અમદાવાદના બાવળામાં ખેડૂત કાંતી વાઘજીભાઇ મકવાણા ઉ.વ. 70 સાથે 1,06,50,000ની છેતરપિંડીની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ઠગ ભૂવા અનવર ઉર્ફે સલીમબાપુ રહે. વાંકાનેર, મોરબી અને તેના બે સાગરીતો વજુ મથુરભાઇ પગી અને બચુ ઠાકોર બંને રહે. બાવળા સામે અમદાવાદ કેરાલા GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. એક કરોડથી વધુની ઠગાઇનો ભોગ બનનાર કાંતીભાઈ મકવાણાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી વજુ પગી મારફતે તેઓ અનવર ઉર્ફે સલીમબાપુના સંપર્કમાં આવ્યા હતા. અનવરે તેમને તાંત્રિક વિધિ કરીને 10 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાનું કહી 4 ફેબ્રુઆરી, 2024ના રોજ કાંતીભાઈના ઘરે જઈને પાણી ભરેલા કેરબામાં શેમ્પુ, અત્તર અને કાગળો નાખીને તેમાંથી ચલણી નોટો કાઢી બતાવતા ભરોસો બેસી ગયો હતો.લાલચમાં આવી કાંતીભાઈએ ભૂવાને એક માસમાં ટુકડે-ટુકડે કુલ 1,06,50,000 રોકડા-ગુગલ પે થી આપ્યા હતા . છેલ્લે, 29 જૂન, 2024 ના રોજ જૂનાગઢમાં રૂ 11 લાખ લીધા બાદ ભૂવાએ કાંતીભાઈને રૂપિયા ભરેલા પૂંઠાના 30 બોક્સ આપ્યા હતા અને બે દિવસ પછી ખોલવાનું કહ્યું હતું. બે દિવસ બાદ જ્યારે બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી 500,200, 100,50 અને 20ની મનોરંજન માટે વપરાતી નકલી નોટોના બંડલો મળી આવતા પોતાની સાથે છેતરપિંડી થયાનું ભાન થયું હતું.પારડી પોલીસે પકડેલા આ ઠગ ભૂવાને હવે અમદાવાદ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ કરશે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:53 am

રોજીરોટી પર સંકટ:પંચ.માં ટ્રેકટર જેશીબીને ફિટનેસ સર્ટિ નહીં મળતાં વાહન માલિકો મુશ્કેલીમાં

પંચમહાલમાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોને ફીટનેસની કામગીરી ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી માર્ચ 2025થી અટકાવી દેતાં ટ્રેકટર- જેસીબી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોની ફિટનેસ ટેસ્ટની કામગીરી માર્ચ 2025થી અટકાવી છે, જેથી ટ્રેક્ટર-જેસીબી માલિકોની રોજીરોટી પર સંકટ ઉભું થવા પામેલ છે. ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા અનેક વાહનોના પૈડાં થંભી ગયા છે. પંચમહાલમાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના ટ્રેક્ટર વાહનો માટે ફરજિયાત ફિટનેસ સર્ટીફિકેટ પ્રત્યે વધારે પડતા પડકારો સામે આવ્યા છે. જેના કારણે ટ્રેકટર જેસીબી મશીન દ્વારા ભાડે ચલાવી રોજી રોટી મેળવતા વાહન માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.માર્ચ 2025થી આવા વાહનોનું ફિટનેસ સેન્ટરો પર ફિટનેસ ટેસ્ટિંગ બંધ કરેલ છે. સોફ્ટર નેશનલ ઇન્ફ્રોમટિક સેન્ટર સોફ્ટરની કામગીરીને લઈને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશ બાદ આ નિયમ લાગુ કરાયો છે. ફિટનેસ ટેસ્ટનું સર્ટી ફિકેટ ના હોવાને કારણે વાહન માલિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે. જેવી કે આવા વાહનો રસ્તા પર જોવા મળે તો રૂા.5000 સુધીનો દંડ ફટકારે છે. ફિટનેસ વગરના ટ્રાન્સપોર્ટ ટ્રેક્ટરોને હવે કોઈપણ પ્રકારની લોન, વાહન ટ્રાન્સફર કે રજિ.ની કાર્યવાહી આરટીઓમાં થશે નહીં. ઉપરાંત આવા વાહનો જો અકસ્માતમાં સંકળાય તો માલિક સામે કાર્યવાહી કરે છે. આવી સમસ્યાઓ સાથે વાહન માલિકો વાહનો ચલાવી શકતા નથી. સોફ્ટર અપડેટની કામગીરી પૂર્ણ થશે હાલમાં સોફ્ટર નેશનલ ઇન્ફ્રોમટિક સેન્ટર સોફ્ટરની કામગીરીને લઈ પંચમહાલ ગોધરા સહીત કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, ગુજરાતના આદેશ બાદ આ ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોની ફિટનેસ ટેસ્ટની કામગીરી અટકાવેલ છે. ફિટનેસ સેન્ટર સંચાલકોને આવા વાહનોને ફિટનેસ ટેસ્ટ કરવો નહિ તેવા આદેશ આપવામાં આવેલ છે. જેને કારણે ટેસ્ટિંગ કામગીરી બંધ કરી છે. ટૂંક સમયમાં સોફ્ટર અપડેટની કામગીરી પૂર્ણ થશે. કામગીરી રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે. અન્ય વાહનોની ફિટનેસ ટેસ્ટની કામગીરી હાલ કાર્યરત છે : બી.એ ચાવડા, આરટીઓ ઇન્સ્પેકટર, ગોધરા ફિટનેસ સેન્ટર પર ધક્કા ખાવ છું હું પાછલા ઘણા સમયથી ટ્રેકટર ભાડે ચલાવીને મારુ અને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા વાહનના ફિટનેસ ટેસ્ટિંગ માટે હું પાછલા 6 માસથી આરટીઓ સહીત ફિટનેસ સેન્ટર પર ધક્કા ખાઉ છું. પણ ફિટનેસ ટેસ્ટ નહિ થવાને કારણે મને વાહન મૂકી દેવાનો વારો આવેલ છે. જેને કારણે મારી રોજી રોટી પર સંકટ ઉભું થવા પામેલ છે. તાત્કાલિક કામગરી કાર્યરત કરવામાં આવે તેવી અમારી માગ છે - બિલાલ શેહરીયા, ગોધરા

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:53 am

ભાસ્કર એક્સક્લુસિવ:આંગણવાડીની જમીનનો હેતુ ફેર થતાં બાળકો ઓટલે બેસવા મજબૂર

સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ અને વહીવટી ગૂંચવણો કેવી રીતે વિકાસ કાર્યોને અટકાવી શકે છે અને તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે, તેનું જીવંત ઉદાહરણ વલસાડ તાલુકાના કુંડી ગામે સામે આવ્યું છે. અહીં તંત્રએ સ્ટેટલાઈટ માપણીમાં ગંભીર છબરડો થતાં આંગણવાડી માટે નિયત કરાયેલી સરકારી પડતર જમીન અચાનક જ રેકોર્ડ પર ગૌચરણમાં તબદીલ થઈ ગઈ છે.પરિણામે કુંડી ગામ માટે બે વર્ષ અગાઉ મંજૂર થયેલી આંગણવાડીનું નિર્માણકાર્ય સંપૂર્ણપણે અટકી પડ્યું છે અને નાના ભૂલકાં જર્જરિત મકાનમાં જીવનના જોખમે અભ્યાસ કરવા મજબુર બન્યાં હતાં. હાલ ઓટલા પર બેસી બાળકો ભણી રહ્યા છે. વલસાડના કુંડી ગામ પંચાયતની બરોબર બાજુમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.3ની ઇમારત છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હતી. છતમાંથી પોપડા ખરવા અને દીવાલોમાં તિરાડો પડવાના કારણે બાળકોને અહીં બેસાડવા જીવના જોખમ સમાન હતું.ગામના જાગૃત માજી સરપંચ અને હાલ ડેપ્યુટી સરપંચ કાર્તિક દેસાઈ દ્વારા આ ગંભીર બાબતે જિલ્લા કક્ષા સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ સઘન પ્રયાસોના અંતે આખરે તંત્ર દ્વારા ગામને નવી આંગણવાડી બનાવવા માટે મંજૂરી અપાઇ હતી.જો કે આ મંજૂરી કાગળ પર જ રહી ગઈ છે. જ્યારે આંગણવાડીના નિર્માણ માટે જમીનની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં કરાયેલા રી-સર્વે (સ્ટેટલાઈટ માપણી)ના દસ્તાવેજો આડા આવ્યા હતાં. આ નવા રેકોર્ડ મુજબ જે સરકારી પડતર જમીન વર્ષોથી ગામના ઉપયોગ માટે હતી અને જ્યાં આંગણવાડી હતી એ જગ્યા ઉપર આંગણવાડી તોડીને નવી બનાવવાનું નક્કી કરાયું હતું.તેને ગૌચરણની જમીન તરીકે દર્શાવી દેવામાં આવી હતી.આ એક જ ટેકનિકલ ભૂલના કારણે સમગ્ર પ્રોજેક્ટ પર ગ્રહણ લાગી ગયું છે અને છેલ્લા બે વર્ષથી એક ઈંટ પણ મૂકી શકાઈ નથી. આ વહીવટી લાપરવાહીની સૌથી કરુણ અસર ગામના માસૂમ બાળકો પર પડી રહી છે.નવી ઇમારત ન મળવાના કારણે અને જૂની ઇમારત જોખમી હોવાથી બાળકોને ભણાવવા માટે કોઈ સુરક્ષિત સ્થળ બચ્યુ નથી.મજબૂરીવશ આંગણવાડીની આશાવર્કર બહેનો પોતાના ઘરના ઓટલા પર આ નાના ભૂલકાઓને બેસાડીને અભ્યાસ કરાવી રહી છે. PHCમાં જમીનનો પ્રશ્ન ઊભો ન થયોવલસાડના કુંડી ગામ ખાતે થોડા સમય અગાઉ જ એક નવુંનક્કોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) બનાવવામાં આવ્યું છે. ત્યારે આ જમીનનો કોઈ પ્રશ્ન ઉભો નહોતો થયો.ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે,જ્યારે આરોગ્ય કેન્દ્ર બન્યું ત્યારે આ જમીન ગૌચરણ નહોતી? શું તંત્રના નિયમો અને સેટેલાઈટ માપણી માત્ર ગરીબ બાળકોની આંગણવાડી માટે જ આડા આવે છે. આ સ્પષ્ટપણે તંત્રની બેદરકારી અને સંવેદનહીનતા દર્શાવે છે.ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા આ ગંભીર ભૂલ સુધારવા માટે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. >કાર્તિક દેસાઈ ,કુંડી આંગણીવાડી કયારે મળશે ખબર નથી‎હાલ તો કુંડી ગામના ભૂલકાંઓનું ભવિષ્ય સરકારી વિભાગની ફાઈલોમાં‎અટવાયેલું છે.જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર ક્યારે‎જાગશે અને આ ઓટલા પર ભણતા બાળકોને તેમની પોતાની આંગણવાડીની‎છત ક્યારે નસીબ થશે. >મિતાલી બેન પટેલ સ્થાનિક,કુંડી ગામ‎

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:52 am

ખેડૂતોને હાલાકી:ચાપલધરાના ત્રણ ખેડૂતો સળગેલી શેરડી‎પાકના વળતરથી આજદિન સુધી વંચિત‎

ચાપલધરા ગામે ગત 27 સપ્ટેમ્બરના રોજ ત્રણ ખેડૂતોની ઊભેલા પાક શેરડી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે બળી ગઇ હતી પરંતુ આજદિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ચાપલધરામાં 27 સપ્ટેમ્બર બપોરના અંદાજે 1.15 કલાકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનનો તાર તૂટી જતા ત્રણ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતો દ્વારા તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો સમયસર રાનકૂવા ડિવિઝન ઓફિસમાં સબમિટ કરાવી દેવાયા હતા પરંતુ આજદિન સુધી કોઈપણ જાતની જરૂરી મદદ તેમને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી નથી કે કોઈ નુકસાનીનું વળતર ચૂકવામાં આવ્યું નથી. આ ચાલુ વર્ષે કુદરતના પ્રકોપનો માર ખેડૂતોએ ઝીલ્યો જ છે અને ઉપરથી તંત્રની આવી અવળચંડાઈના લીધે જગતના તાત ની સ્થિતિ જાયે તો જાયે કહા જેવી થઈ છે. આવનારા દિવસોમાં ચાપલધરા ગામના આ ત્રણેય ખેડૂતોને પાક નુકસાનીનું વળતર જલ્દીથી ચૂકવવામાં નહીં આવે તો વીજ કંપનીને કોર્ટ સુધી લઈ જવાઇ તો નવાઈ નહીં. કુદરતી આફત અને વીજ કંપનીની બેદરકારીઅસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું મોઘવારીનો માર કુદરતી આફત અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના લીધે આજે અમારે રડવાનો વારો આવ્યો છે. > નરેશસિંહ છોટુસિંહ પરમાર, ખેડૂત કાગળોની પૂર્તતા પછી પણ વિલંબ કેમદક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જે પણ જરૂરી દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. એ તમામ કાગળોની પૂર્તતા કર્યા પછી પણ આટલો વિલંબ વહીવટીતંત્ર માટે ઘણું બધું કહી જાય છે. > નિરવસિંહ પરમાર, ખેડૂત ખેડૂતની પડતા પર પાટુ જેવી સ્થિતિ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂત પહેલેથી જ દયનીય સ્થિતિમાં છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પડતા પર પાટુ સમાન સ્થિતિ અમારી કરી છે. વહેલી તકે કંપની દ્વારા વળતર ચૂકવણી કરવામાં આવે તો થોડી ઘણી રાહત થાય તેમ છે. સરકારે પણ આ દિશામાં પગલાં ભરવા જોઇએ. > હરિસિંહ પરમાર, ખેડૂત, ચાપલધરા તમામ કાગળો વડી કચેરીએ મોકલી આપ્યા છેચાપલધરા ગામે વીજતારથી આગ લાગવાના બનાવમાં અમારી ઓફિસેથી તમામ કાગળો વડી કચેરીએ મોકલી આપવામાં આવ્યા છે. વીજ કંપની દ્વારા નિયુક્ત કરેલા વીમા કંપની દ્વારા તપાસ કરી ખેડૂતોને ક્લેઇમની ચૂકવણી કરવામાં આવશે. ત્યાં સુધીમાં હાલના તબક્કે કાંઇપણ કહેવુ યોગ્ય ગણાશે નહીં. વડી કચેરી ટૂંકાગાળામાં જ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. > એન.જી.પટેલ, ના.કા.ઇ., રાનકૂવા, જીઈબી

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:50 am

સઘન સુધારણા કાર્યક્રમ:મહીસાગર જિલ્લામાં 963 બીએલઓ 8.49 લાખ મતદારોનો સંપર્ક કરશે

મહિસાગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લાના 963 બીએલઓ દ્વારા જિલ્લાના તમામ 8,49,456 મતદારોના ઘરે જઈને તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં ગણતરી (એન્યુમરેશન) ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરાશે. મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. તે માટે અધિકારી - કર્મચારી - BLO માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા વારંવાર સ્થળાંતર, એકથી વધુ સ્થળે મતદાર તરીકે નોંધણી, મૃત્યુ પામેલ મતદારોને યાદીમાંથી દુર કરવા, વિદેશી વ્યક્તિઓને ખોટો સમાવેશ વગેરે જેવા કારણોસર ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંદર્ભે મહીસાગર જિલ્લાના તમામ નાગરીકોને પોતાનું નામ મતદારયાદીમાં સુનિશ્ચિત કરવા પોતાની ભાગીદારી દર્શાવી પૂરતો સહયોગ આપવા મહિસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:50 am

દરોડા:ગોધરા, દે.બારીયા, કાલોલ, ભરૂચની ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય તંત્રના આકસ્મિક દરોડા

પંચમહાલમાં પીએમજેએવાય યોજના હેઠળ સંકળાયેલી ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર તથા કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, દાહોદના દેવગઢ બારીયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર તથા ભરૂચની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. 4 ખાનગી હોસ્પિટલોમાં ગેરરીતિ મળી આવતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં ગોધરા અને ભરૂચની ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. તો કાલોલ અને બારીયાની ખાનગી હોસ્પિ.ને કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચમહાલ જિલ્લામાં પીએમજેએવાય અને મા કાર્ડના લાભાર્થીઓને સરકારી મફત સારવાર આપતી 14 હોસ્પિટલો છે. જેમાં આરોગ્ય વિભાગે યોજના અંતર્ગત નિયમો બનાવીને અમલવારી કરે તેવી યોજના ચાલુ કરી હતી. રાજ્યમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતી ખાનગી હોસ્પિટલોમાં યોજના નિયમોની અમલવારી કરે છે નહિ તેની તપાસ કરવા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ અને વીમા કંપનીની સંયુકત ટીમોએ 5 નવેમ્બરે આકસ્મિક તપાસ કરતાં ગોધરા, દેવગઢ બારીયા, કાલોલ તથા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ગેરરીતિ આચરાતી હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં ખાનગી હોસ્પિટલમાં MBBS ડોકટર હાજર નહોતા, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, નર્સોનો 6 માસનો ટ્રેનિંગ કોર્સ કવોલિફાઇડ ન હતો, દવા એકસપાયર્ડ મળી, બીયુ પરમિશન ન હતું, ફાયર એનઓસી, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આમ ચારેય ખાનગી હોસ્પિટલમાં ગેરરીતિ મળી આવતાં ગોધરા અને ભરૂચની ખાનગી હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. તો બારીયા અને કાલોલની હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપી છે. આમ મોડી રાત્રે આકસ્મિક તપાસ કરવા રાજ્યની આરોગ્ય ટીમ આવતાં સ્થાનિક કક્ષાએ જાણ વગર કાર્યવાહી કરીને જતા રહેતાં સવાલો ઉઠયા હતા. ખાનગી ચાર હોસ્પિટલોમાં મળેલ ગેરરીતિઓ અને કાર્યવાહી‎ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર : સસ્પેન્ડ- PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી, એક્સપાયર્ડ દવાઓ મળી, MBBS ડોકટર હાજર નહોતા, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું. ભરૂચની કાશીમા હોસ્પિટલ : સસ્પેન્ડ- PICU અને NICU માટેના માપદંડ પૂરા નહોતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ નહોતાં, બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા, BU પરમિશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં. કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ : કારણદર્શક નોટિસ - લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, ફાયર એનઓસી ઉપલબ્ધ ન હતી, લાભાર્થીઓને યોજનાની માહિતી આપતું કિઓસ્ક બનાવેલ ન હતું. દેવગઢ બારીયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર : કારણદર્શક નોટિસ - NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી, હોસ્પિટલે CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું. અગાઉ પણ સરકારે રાજ્યભરમાં યોજના સાથે‎સંકળાયેલી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા‎સરકારની પીએમેજેવાય યોજના હેઠળ રાજ્ય ભરના જરૂરિયાત મંદોને મફત સારવાર અપાય છે. જેમાં‎ગેરરીતિની શંકા જતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની સરકારની યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં‎દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક જગ્યાએથી ગેરરીતિ ઝડપાતાં કાર્યવાહી કરી હતી. હાલમાં‎સરકાર દ્વારા પંચમહાલની 2, દાહોદ જિલ્લામાં 1 અને ભરૂચની 1 હોસ્પિટલમાં દરોડા પાડી 2ને સસ્પેન્ડ‎કરી હતી. જ્યારે 2ને નોટિસ આપી હતી.‎

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:49 am

શું આ છે વિકસિત ગુજરાત ?:વિકસિત ગુજરાત ! ચીખલીના 10,668 બાળકોની દેખરેખ કરતી CDPO કચેરી 7 વર્ષથી જર્જરિત ગોડાઉનમાં કાર્યરત

ચીખલી તાલુકામાં આંગણવાડીઓના સંચાલન માટે ઘટક-1,2 અને 3 જેટલા ઘટક કક્ષાના બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી આવી છે. આ ત્રણેય ઘટકના તાબામાં 395 જેટલી આંગણવાડીઓમાં 10,668 જેટલા ભૂલકાઓ કારકિર્દી ઘડતરના પ્રથમ પગથિયા પર પાપા-પગલી ભરી રહ્યા છે. આંગણવાડીઓમાં ભૂલકાઓને કેળવણી સાથે ભૂલકાઓ કુપોષિત ન રહે તે માટે પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો હોય છે. આ આંગણવાડીઓનું સંચાલન કરતી કચેરીના તાલુકા મથકે મકાન જ ઉપલબ્ધ નથી. એક સમયે બાળ વિકાસ યોજના અધિકારીના તમામ ઘટકોની કચેરી તાલુકા પંચાયતના મકાનમાં કાર્યરત હતી પરંતુ જે તે સમયે તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત હોય એ મકાનમાં કાર્યરત તમામ કચેરીઓ વૈકલ્પિક ધોરણે બીજા મકાનમાં ખસેડાઇ હતી. જોકે તાલુકા પંચાયતની કચેરી તો નવા મકાનમાં ધમધમતી થઈ ગઈ હતી પરંતુ વર્ષ 2018થી બાળ વિકાસ યોજનાના અધિકારીની કચેરી જ્યાં ખસેડાઇ હતી ત્યાં જ ખૂંધ ગામમાં આવેલા એક જર્જરિત ગોડાઉનમાં આજેપણ કાર્યરત છે. આમ તમામ આંગણવાડીઓની દેખરેખ રાખનાર વડી કચેરી છેલ્લા સાત વર્ષથી ખખડધજ ગોડાઉનમાં મકાનમાં ચાલી રહી છે, જે ખરેખર વિકસિત ગુજરાતમાં શરમજનક જ કહી શકાય. જોકે બાળ વિકાસ યોજના અધિકારી શારદાબેન સહિતના સ્ટાફે કચેરીના નવા મકાન માટે તાલુકા કક્ષાએ જમીન ઉપલબ્ધ થાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન સાધી પ્રયત્નો હાથ ધર્યા હતા અને તેમાં કંઇક અંશે સફળતા મળતા ઘટક એક અને ત્રણની કચેરીના મકાન માટે ચીખલીમાં જૂની મામલતદાર કચેરીના બાજુમાં જગ્યા ઉપલબ્ધ કરાવાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેમ છતાં નવા મકાનના બાંધકામ માટે સરકાર દ્વારા ગ્રાંટ ફાળવાઇ નથી. ઘટક-1, 3 માટે જમીન મેળવી, હવે ગ્રાન્ટની રાહ જોવાઇ રહી છે ચીખલીમાં ઘટક-1 અને 3 માટે જમીન મેળવી ઉપલી કચેરીએ દરખાસ્ત કરી છે. જેમાં સરકાર દ્વારા ગ્રાંટ ઉપલબ્ધ થતા નવા મકાનનું કામ શરૂ થઈ શકશે. જ્યારે ઘટક-2 માટે જમીન ઉપલબ્ધ કરાવવા દરખાસ્ત કરી છે. > શારદાબેન, સીડીપીઓ

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:44 am

આયોજન:નર્મદામાં 17મીએ ભદામ, 18મીએ અમિયાર ગામથી પદયાત્રા નીકળશે

સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની અધ્યક્ષતામાં રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, માય ભારત કચેરીના પદયાત્રા સમિતિના મુખ્ય સંયોજક વિક્રમ તડવી માય ભારતના ડાયરેક્ટર પંકજ યાદવ, ડો.રવિ દેશમુખ, હરેશ વસાવા ચંદ્રકાંત બક્ષી સહીતના હાજર રહયાં હતાં. સાંસદે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભાની પદયાત્રા તા.17મી નવેમ્બરે ભદામ ગામેથી નીકળી પાટણા ગામે સંપન્ન થશે. જ્યારે દેડિયાપાડા વિધાનસભા વિસ્તારની પદયાત્રા તા.18મી નવેમ્બરે સાગબારાના અમિયાર ગામેથી નીકળી સેલંબા ખાતે સંપન્ન થશે. ગુજરાતમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગરની બે પદયાત્રાઓ તા. 7મી નવેમ્બરથી શરુ થઈ છે. આ યાત્રાનું સમાપન તા.13મી નવેમ્બરે એકતાનગર ખાતે સમાપન થશે. વડાપ્રધાન 15મીએ દેડિયાપાડા આવી રહયાં છે ત્યારે તે અંગેના પ્રશ્નના જવાબમાં સાંસદે જણાવ્યું હતું કે,દેશના પ્રધાનમંત્રી નરેદ્રભાઈ એ હંમેશા આદિવાસી સમાજના હિતેચ્છુ રહ્યા છે. આ કોઈ પાર્ટીનો કે કોઈ ને જોડાવાનો કાર્યક્રમ નથી અને જો ચૈતરભાઈ ધારાસભ્ય છે અને ભાજપમાં જોડાવા માંગતા હોય તો જોડાવાનો પાર્ટીનો વિષય છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:43 am

ડાંગની કુકડનખી એસ.એસ. માહલા કેમ્પસમાં વંદે માતરમનું ગાન કરાયું

કુકડનખી એસ.એસ.માહલા કેમ્પસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ કોલેજ ડાંગ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. જેમાં એસ.એસ.માહલા કમ્પ્યૂટર સાયન્સ કોલેજ, બી.આર.એસ કોલેજ, નર્સિંગ કોલેજ, એએનએમ જીએનએમ બીએસસી નર્સિગ કોર્સના વિદ્યાર્થીઓએ વંદે માતરમ્ ગીત સંસ્કૃતિ અને બંગાળી ભાષામાં ગીત ગાયું હતું. આ કાર્યક્રમમાં વઘઇના મહામંત્રી દિનેશભાઈ, તાલુકા મંડળ પ્રમુખ પંકજ પટેલ અને ચિચિનાગાવઠાના સરપંચ સંકેત બંગાળ હાજર રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થી વંદે માતરમ્ ગીત વિશે ગામના સરપંચે વિસ્તૃત માહિતી આપી હતી અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને કોલેજ ડેવલોપમેન્ટ માટે કોલેજના પ્રવેશથી લઈને પાકા રસ્તા મંજૂર કરવા માટે મહામંત્રી અને સરપંચે ટ્રસ્ટના પ્રમુખને જાણ કરી હતી. વધુમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટના પ્રમુખ શ્યામ માહલાએ હવે આપણે સ્વદેશી વેચાણ અને હર ઘર સ્વદેશી સાધન સામગ્રી માટે જોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:43 am

જનઆક્રોશ:કરગટમાં બ્યુટિફિકેશન નામે ભૂમાફિયા માટીની સાથે સ્વજનોની અસ્થિ લઇ જતાં જનઆક્રોશ

ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમાજના લોકો પેઢીઓથી કરગટ ગામમાં વસે છે. તેમની પરંપરા મુજબ, સ્વર્ગસ્થ સ્વજનોને ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે. હાલમાં, પંચાયત કમિટીએ તળાવના બ્યુટિફિકેશનના બહાને નાણાકીય લાભ માટે માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આક્ષેપ છે. આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનો દ્વારા સમાજના સ્મશાન વિસ્તારમાં માટી ઉપાડવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં મૃતકોના હાડપિંજરો બહાર આવી રહ્યા છે અને ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી તાત્કાલિક ખોદકામ બંધ કરાવવાની માંગ કરી છે. ઉપરાંત, સ્મશાન માટેની આ જમીન ઓડ સમાજના નામે જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:42 am

ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી નિમિત્તે યાત્રાનું આયોજન:વાંસદા તાલુકામાં આજે જનજાતિ‎ગૌરવ રથયાત્રાના સ્વાગત સાથે સભા‎

ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિતે જનજાતિ ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 8 નવેમ્બર શનિવારના રોજ બપોરે 3 કલાકે વાંસદાના ભીનાર ગામે સદગુરુ હાઇસ્કૂલમાં રથનું ભવ્ય સ્વાગત કરાશે. બપોરે 3.45 કલાકે વાંસદા પ્રતાપ હાઇસ્કૂલમાં રથના સ્વાગત સાથે સભાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય તથા આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત, ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, નવસારી જિલ્લાના અધ્યક્ષ ભુરાભાઈ શાહ, ગુજરાત આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વાંસદા તાલુકા ભાજપ તરફથી તાલુકાના સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મોરચાના તમામ કાર્યકરો, સરપંચો તથા સમસ્ત આદિજાતિ સમાજના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહી આ જનજાતિ ગૌરવ રથયાત્રાને ઐતિહાસિક સફળતા અપાવવા આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:42 am

હોસ્પિટલના તંત્રની બેદરકારી:વાંસદા કોટેજ હોસ્પિટલમાં રખડતા શ્વાનના અડિંગાથી દર્દીઓ અને સગાઓ હેરાન

વાંસદાનીકોટેજ હોસ્પિટલ વિવાદોમાં જ રહે છે ત્યારે હવે વધુ એકવાર હોસ્પિટલના તંત્રની બેદરકારી જોવા મળી રહી છે કોટેજ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આ હોસ્પિટલમાં શ્વાન આંટાફેરા મારી રહ્યાં છે. જો આ કૂતરાઓ દર્દીઓના સગાને કરડશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે સવાલ ઉભો થયો છે. વાંસદા કોટેજ હોસ્પિટલમાં રખડતા શ્વાન આરામ કરી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઈ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે શું રખડતા કૂતરા હોસ્પિટલમાં ઘુસી બિન્દાસ્ત લટાર મારી આરામ ફરમાઈ રહ્યા છતાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે કોઈ કર્મચારી ધ્યાન આપનાર કે જોનાર જ નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે. શ્વાન હોસ્પિટલમાં આવી ગયા બાદ વોર્ડની બહાર આંટાફેરા મારી આરામ ફરમાવતા હોવાના દૃશ્યો દર્દીના સંબંધીએ કેમેરા કેદ કરી લીધા હતા. હાલ તો હોસ્પિટલમાં રખડતા શ્વાનની લટારને લઈ દર્દીઓને હાલાકી પડી રહી છે. સાથે સિકયુરિટી આ શ્વાનને જોવે છે તેમ છતાં તેમને ભગાડતા નથી, કોઈ દર્દી અથવા તેમના સગાને શ્વાન કરડી જાય તેની રાહ જોવાઈ રહી છે ? હવે જિલ્લાનું આરોગ્ય તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:41 am

પાક સંરક્ષણના ઉપાય:પાકોમાં ફૂગજન્ય રોગોની શક્યતા વધી, ફૂગનાશકનો છંટકાવ કરવો હિતાવહ

નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU)ના હવામાન વિભાગ દ્વારા 7 નવેમ્બરે નવસારીના વાતાવરણમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થયો હતો.વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારના સમયે 90% જેટલું ઊંચું રહ્યું હતું પરંતુ સાંજે તે ઘટીને 37% પર પહોંચી ગયું હતું. ​પ વનની ગતિ 2.1 કિ.મી. પ્રતિ કલાક જેટલી સાધારણ રહી હતી અને તેની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની નોંધાઈ હતી. ખેડૂતોએ આ સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ​સવારના સમયે ભેજનું પ્રમાણ વધુ હોવાથી, તમારા પાકોમાં ફૂગજન્ય રોગો (જેમ કે તળછારો, ગેરુ) થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને શાકભાજી અને ફળ પાકોમાં સવારની ઝાકળ ઉડી જાય પછી જ નિરીક્ષણ કરવું અને જરૂર જણાય તો સુરક્ષિત ફૂગનાશકનો છંટકાવ કરવો હિતાવહ છે. લઘુત્તમ તાપમાન ધીમે ધીમે નીચે જઈ રહ્યું હોવાથી, રવિ પાકો જેવા કે ઘઉં, ચણા, અને શિયાળુ શાકભાજીનું વાવેતર શરૂ કરવા માટે આ હવામાન અનુકૂળ છે.​ દિવસ દરમિયાન તાપમાન ઊંચું હોવા છતાં, સાંજે ભેજ ઘટે છે. તેથી જમીનની ભેજની જરૂરિયાત મુજબ હળવું પિયત આપવું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:39 am

વીજ કંપનીની બેદરકારી:બીલ ભરવા છતાં કનેક્શન કપાતાં રોષ

જલાલપોર વિસ્તારમાં વીજ કંપનીની અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. વીજ કંપની દ્વારા આ વિસ્તારમાં મોટાપાયે વીજ જોડાણ કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ઝુંબેશ દરમિયાન કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક ગ્રાહકોના કનેક્શન કાપી નાખ્યા હતા. ​ આશ્ચર્યની વાત તો એ છે કે, જે ગ્રાહકોના વીજ બીલ ભરવાની મુદત હજુ બાકી હતી, તેમના પણ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કેટલાક જાગૃત નાગરિકોએ તો સમયસર બીલ ભરી દીધું હોવા છતાં તેમના ઘરોની વીજળી ગુલ કરી દેવાઈ હતી, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ​ વીજ કંપનીની આ અંધાધૂંધીભરી કાર્યવાહીથી રોષે ભરાયેલા રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વીજ કંપનીની સ્થાનિક કચેરીએ ધસી જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોએ અધિકારીઓ સમક્ષ બીલ ભર્યાની રસીદો રજૂ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ​લોકોના આ ઉગ્ર વિરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:38 am

મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ:નવસારીની મહિલાએ મહેનત અને પરિશ્રમથી બનાવી બ્રાન્ડ'

નવસારીમાં મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં, નવસારીના ખેરાગમની એક મહિલા ખેડૂતે ગુલાબની ખેતીમાં નવીનતા લાવીને માત્ર ગુલકંદ જ નહીં, પરંતુ મૂલ્યવર્ધિત ઉત્પાદનોની આખી શ્રેણી તૈયાર કરીને પોતાની અને પરિવારની આર્થિક સ્થિતિ બદલી નાખી છે. નવસારીના ખેરગામના સમશાદબેને શરૂઆતમાં પરંપરાગત ખેતીમાં પૂરતી આવક ન મળતા ગુલાબની ઓર્ગેનિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું. તેમણે વર્ષ 2017 માં ઘરની બાજુમાં હજાર જેટલા દેશી ગુલાબના છોડ ઉગાડીને તેમાંથી આવક મેળવવાનું શરૂ કર્યુ અને વિવિધ ઉત્પાદનો બનાવવાની પહેલ કરી. આ મહિલા ઉદ્યોગસાહસિકે સૌથી પહેલા ગુલાબની પાંદડીઓમાંથી ગુણવત્તાસભર ગુલકંદ બનાવવાનું શરૂ કર્યું. તેમણે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કર્યો અને ખાસ કરીને ખડી સાકરનો ઉપયોગ કરીને ગુલકંદ તૈયાર કર્યું, જે તેના ઔષધીય ગુણો અને શુદ્ધતા માટે જાણીતું બન્યું. ગુલકંદને સફળતા મળ્યા બાદ, તેમણે અન્ય ઉત્પાદનોની શ્રેણીમાં પણ પ્રવેશ કર્યો અને ગુલાબના દરેક ભાગનો ઉપયોગ કર્યો. આ મહિલાની મહેનત અને તેમના ગુલાબના ઉત્પાદનોની સુવાસ હવે નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા, આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. શમાબેને પોતાની આ પ્રવૃત્તિને નામ આપીને શમા ઓર્ગેનિક પ્રોડ્કટ નામની બ્રાન્ડ બનાવી અને એમેઝોન જેવી સાઇટ પર વેચાણ પણ શરૂ કર્યુ. આજે નવસારી તથા આસપાસના પંથકમાં ખુબ જ પ્રચલિત બની છે. શમાબેનના આ પ્રયાસથી તેમને સારી આવક થઈ રહી છે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. કૃષિ અને ગાંધી મેળામાં સારી આવક અમે ગુલકંદ બનાવવાથી શરૂઆત કરી હતી, આ બાદ ગુલાબજળ, ગુલાબ તથા વિવિધ પ્રકારના સાબુ અને હવે એલોવેરા જેલ પણ અમે બનાવ્યું છે. આ સાથે જ સરકાર દ્વારા સરસ, કૃષિ અને ગાંધી મેળાઓમાં પણ અમે સ્ટોલ રાખીએ છીએ અને તેમાં સારી આવક મળે છે.> સમશાદ ઝાકિર હુસેન મુલ્લા, આત્મનિર્ભર મહિલા, ખેરગામ

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:36 am

ભાસ્કર અગ્રેસર:નવસારી મનપા જાગ્યું , દશેરા ટેકરીમાં ગટર પરનું દબાણ 17 વર્ષે દૂર કરાતા લોકોને રાહત

નવસારી મહાનગરપાલિકા દ્વારા દશેરા ટેકરી વિસ્તારમાં રામજી ખત્રી ઘોડાના તબેલા પાસેની 17 વર્ષ જૂની ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાનો અંત લાવવામાં આવ્યો છે. સ્થાનિકોના સહયોગ અને મંજૂરીથી ગટર લાઇન પરના અવરોધરૂપ દબાણને દૂર કરીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારના રહેવાસીઓ છેલ્લા બે મહિનાથી ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ અગાઉ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી અને મહાનગરપાલિકામાં પણ મોરચો લઈને રજૂઆત કરી હતી. જોકે, પાલિકા તરફથી તાત્કાલિક કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. બે દિવસ અગાઉ દિવ્ય ભાસ્કરમાં આ ગટર સમસ્યા અંગે વિગતવાર અહેવાલ પ્રકાશિત થતાં મનપા તંત્ર દોડતું થયું હતું. શુક્રવારે મનપાએ તાત્કાલિક ધોરણે પગલાં લીધાં હતા અને મનપા ટીમસ્થળ પર પહોંચીને, ગટર ઉપરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ગટરનું પાણી ઉપર આવતું અટકી ગયું હતું. સ્થાનિકોએ આ કામગીરીમાં પૂરો સહકાર આપ્યો હતો અને સમસ્યા હલ થતાં અંતે હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:35 am

પુરુષોત્તમ ચવ્હાણના 4 ફલેટ જપ્ત કરવા થાણે કોર્ટમાં અરજી

મહિલા આઈપીએસના પતિ પુરુષોત્તમની રિયલ એસ્ટેટ સ્કેમમાં ધરપકડ 2017-18 વચ્ચે પુરુષોત્તમ ચવ્હાણના ખાતામાંથી આઈપીએસ અધિકારી રશ્મિ કરંદીકરના ખાતામાં ૨.૬૪ કરોડ ટ્રાન્સફર થયા હોવાનો દાવો મુંબઈ - મુંબઈ પોલીસની આથક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ આઈપીએસ અધિકારી રશ્મિ કરંદીકરના ભૂતપૂર્વ પતિ પુરુષોત્તમ ચવ્હાણ દ્વારા ગુનાના પૈસાનો ઉપયોગ કરીને ખરીદેલા ચાર ફ્લેટ જપ્ત કરવાની કાર્યવાહી શરૃ કરી છે. થાણેના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ચાર ફ્લેટ જપ્ત કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર 8 Nov 2025 6:30 am

દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભ:દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 9 નવેમ્બર સુધી અરજી કરી શકશે

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આગામી સમયમાં દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જેમાં ભાવનગર ખાતેના દિવ્યાંગ રમતવીરોની સ્પર્ધાઓનું આયોજન થનાર છે. ભાવનગર જિલ્લા અને શહેરનાં શારીરિક ક્ષતિગ્રસ્ત (HO) દિવ્યાંગ વ્યક્તિઓ માટે તા.9 નવેમ્બર રવિવારના રોજ સ્પેશ્યલ ખેલમહાકુંભના શારીરિક વિકલાંગ (O.H.) ખેલાડીઓના ફોર્મ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, આંબાવાડી, સ્વસ્તિક સોસાયટી, ભાવનગર ખાતે સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. ફોર્મ ભરનાર દરેક ખેલાડીઓએ અપંગતાનુ ડોક્ટરી સર્ટિફિકેટ, આધારકાર્ડ, બેન્ક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, બે નકલમાં સાથે રૂબરૂમાં આવવાનું રહેશે. આ સરનામે ફક્ત તા. 9 નવેમ્બર રવિવારે એક જ દિવસ ફોર્મ ભરાવવામાં આવશે. જેની દરેક ખેલાડીઓ એ નોંધ લેવી. આ સિવાય શહેર કક્ષાએ નરેશ ભાઈ દવે (9428591019) અને મનસુખભાઈ સોલંકી (99091169107) . તેમજ તાલુકાકક્ષાએ મનસુખભાઈ કનેજીયા (સિહોર-9327364054 ), પ્રકાશ સોલંકી (પાલિતાણા -9924660024 ), રાજુભાઇ વેગડ (તળાજા -9426188651) ,જગતભાઈ ગોહેલ (વલ્લભીપુર-9016224643), પાયલબેન બારૈયા (ઘોઘા-9978773601) , ભાસ્કરભાઈ દેસાઈ (મહુવા-9824390646 ), હિતેશભાઈ બોરીચા (ગારિયાધાર- 9974389606), નિર્મલસિંહ ગોહિલ (જેસર-8200607931 ) તાલુકા પ્રતિનિધિ નો સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.25 નવેમ્બર રહેશે. જેમણે બે ઇવેન્ટોમાં ભાગ લેવાનો હોય તેમણે બે-બે ડોક્યુમેન્ટ સાથે લાવવા. પ્રજ્ઞાચક્ષુ માટેનાં સ્પેશ્યલ ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવા માટે https://script.google.com/macros/s/AKfycby C4abX9JSp6HjUf8XDrb1_XnObVhPpSe2TFlKNtOT_cYlWtRMqhjIRl1rs8C CpE9mahw/exec લિન્ક પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે સ્પોર્ટ્સ શિક્ષક એલ.એન.વાઘેલા (9979044212)ને તથા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, નવા ફિલ્ટર પાસે, ભાવનગરને સંપર્ક કરવાનો રહેશે. સ્પેશ્યલ ખેલમહાકુંભ અંતર્ગર્ત મનોદિવ્યાંગ ખેલાડીઓની જિલ્લા કક્ષાના ટુર્નામેન્ટની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે જેમાં 15 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ઓનલાઈન સબમિટ કરતા એક નંબર આવશે જે ફોર્મની હાર્ડકોપી પર અચૂક લખવો. વધુ માહિતી માટે અરવિંદ.એમ ભટ્ટ (9429234829) અને જયેશભાઈ.એચ ધંધુકિયા (9427558384)નો સંપર્ક કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:17 am

વરણી:NSUIના પ્રદેશ મહામંત્રી તરીકે અભિજીતસિંહની નિમણુંક કરાઇ

ગુજરાત ગુજરાત NSUI દ્વારા હાલમાં જ પ્રદેશ ની નવી ટીમની ઘોષણા કરવામાં આવી હતી જેમાં યુવા અને લડાયક છબી ધરાવતા વિદ્યાર્થી આગેવાનો ને નિમણૂક અપાય હતી જેમાં ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અભિજીતસિંહ ચુડાસમા ને NSUI ના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક સોંપવામાં આવી હતી. જે નિર્ણયને લઈ ભાવનગર યુનિવર્સિટીમાં NSUI ના કાર્યકર્તાઓ એ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:17 am

હોમિયોપેથી તથા ડેન્ટલના દરો મંજુર કરાયા:યુનિ.માં અભ્યાસક્રમમાં જોડાણ અરજી માટેની ફી 75 હજાર રહેશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભાની મિનિટસ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ યુનિવર્સીટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટીંગમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં એક મહત્વના નિર્ણયમાં યુનિ. સાથેની કોલેજોમાં ચાલુ / વધારાના તમામ અભ્યાસક્રમ (યુ.જી. / પી.જી./પી.જી. ડિપ્લોમા / યુ.જી. ડિપ્લોમા / સર્ટીફીકેટ) દીઠ જોડાણ અરજી માટેની ફી રૂ. 75 હજાર (નોન-રીફડેબલ) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. યુનિ. ખાતે દિવ્યાંગ કેટેગરીની શૈક્ષણિક કર્મચારીઓની ભરતી અન્વયે સિલેક્શન કમિટી દ્વારા પસંદગી પામેલ ઉમેદવારને નિમણુંક આપવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં શામળદાસ કોલેજ ફિલોસોફી વિષય, એમ.જે. કોલેજ ઓફ કોમર્સમાં Commerce / Accountancy તથા લાઇફ સાયન્સ ભવનમાં બોટની વિષયમાં ઉમેદવારોની પસંદગી કરી નિમણુંક આપવાનું નક્કી કરવામાં આવ્યું. ઉપરાંત તબીબી વિધાશાખા તથા નર્સિંગ વિધાશાખાના મહેનતાણાના નક્કી થયેલ દરો અનુસાર હોમિયોપેથી વિદ્યાશાખા તથા ડેન્ટલ વિદ્યાશાખાના દરો રાખવાનું મંજૂર કરવામાં આવ્યું. આ ઉપરાંત ચાલુ / વધારાના તમામ અભ્યાસક્રમ (યુ.જી. / પી.જી./પી.જી. ડિપ્લોમા / યુ.જી. ડિપ્લોમા / સર્ટીફીકેટ) દીઠ જોડાણ અરજી માટેની ફી રૂ. 75,000 (નોન-રીફડેબલ) રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. યુનિવર્સિટી દ્વારા નવા જોડાણ માટે ફીની રકમને બહાલી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:17 am

ભણતરમાં ભેદભાવ:ફી વાળી ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલોમાં છોકરીઓની સંખ્યામાં 20,329ની ઘટ

આજના સમયમાં વાસ્તવિકતા એ છે કે સમાજમાં દીકરીઓ પ્રત્યે ભેદભાવ હજુ પણ જોવા મળે છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ભાવનગરમાં પણ મધ્યમ વર્ગો અને આર્થિક પછાત વર્ગોમાં મોટાભાગે એવું જોવામાં આવે છે કે પુત્રોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવાય છે. જ્યારે દીકરીઓને સરકારી શાળામાં ભણાવવામાં આવે છે. ભાવનગર જિલ્લા પંચાયતની આંકડાકીય વિગત આ વર્ષે જાહેર કરવામાં આવી છે તે મુજબ 2024- 25માં ભાવનગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં છોકરીઓની સંખ્યા 2,033 વધારે છે. આ જ કક્ષાએ જો નોન ગ્રાન્ટેડ અને ગ્રાન્ટેડમાં જોઈએ તો કુલ 1,44,535 વિદ્યાર્થીઓ પૈકી 82,432 છોકરાઓ છે જ્યારે છોકરીઓની સંખ્યા માત્ર 62,103 છે. એટલે છોકરીઓની સંખ્યા 20,329 ઓછી છે. સરકારી શાળાઓમાં છોકરીઓને વધારે બેસાડવામાં આવે છે જ્યારે ખાનગી અને ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં છોકરાઓને પસંદગી અપાય છે આમાં આપણી સમાજ વ્યવસ્થા અને કુટુંબ પણ જવાબદાર ગણી શકાય. હાઈસ્કૂલમાં ખાસ કરીને ફીનું ધોરણ ઊંચું હોય છે તેમજ વિજ્ઞાન પ્રવાહમાં તો બે લાખથી ચાર લાખ સુધી ફી હોય છે ત્યારે છોકરાઓની તુલનામાં છોકરીઓને સરકારી સ્કૂલ પસંદ કરવાનું કહેવામાં આવે છે જ્યારે છોકરાઓ માટે કારકિર્દી અગત્યની હોય તેઓને ખાનગી હાઇસ્કુલોમાં તોતિંગ ફી ભરીને પણ બેસાડવામાં આવે છે. ભલે હવે પરિણામમાં છોકરાઓ કરતા છોકરીઓ મેદાન મારી જતી હોય પરંતુ હજી આપણા સમાજમાં આ એક વલણ બદલાયું નથી. સમાજમાં દીકરીઓની શિક્ષણપ્રતિ ભેદભાવનું એક મોટું કારણ માનસિકતા છે. મોટા ભાગે માતા- પિતાની માનસિકતા જ છે કે દીકરાઓ પરિવારના વારસદાર અને ભવિષ્યમાં પરિવારના આર્થિક સ્તંભ બને છે. જ્યારે દીકરીઓ પરણીને સાસરે જશે, ત્યાં જઈને પણ પતી, બાળકો, ઘર પરિવાર જ સંભાળશે. આ માન્યતાઓ દશકાઓથી ચાલતી આવી છે અને આજે પણ મોટા પાયે જોવા મળે છે. જેથી દીકરીઓને આ ક્ષેત્રે પણ અન્યાય થાય છે. આ માન્યતામાં વ્યાપકપણે સમાજમાં પરિવર્તન લાવવુ જરૂરી છે. ફી ભરવાની હોય તેવી શાળાઓમાં આજની તારીખે પણ છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી હોય છે કારણ કે હજી ભેદભાવ દુર થયો નથી. સ્ત્રી સમાનતાનો દંભ, ભેદભાવ દુર કરવો જરૂરીસમાજમાં ક્યારેક દીકરીઓની પ્રતિભા અને પ્રગતિને લીધે સમાજનો ભય અને હિંમતની ઉણપ પણ આ પ્રકારના ભેદભાવ પેદા કરે છે. સમાજ શું કહેશે? દીકરીને વધુ ભણાવીને શું કરવાનું ? વગેરે સવાલોના જવાબો આપવાની હિમ્મત અને સમજ વાલી દાખવતા નથી પરિણામે પરિસ્થિતિ ભેદભાવ ઉત્પન્ન કરે છે. સ્ત્રી સમાનતાનો દંભ અને ભેદભાવ દુર કરવા માટે પરિવારો, સમાજ અને સરકાર સહકારથી આગળ વધીને દીકરીઓના શિક્ષણ માટે સમાન અવસર પૂરાં પાડી વિકાસની તક આપે તે અનિવાર્ય છે. 21મી સદી આવી છતાં સમાજમાં હજી દીકરીઓ સાથે સમાનતાના નામે દંભ છે તે દૂર કરવો જરૂરી છે.> ડો.નેહલ ત્રિવેદી, તજજ્ઞ, સમાજકાર્ય હાઈસ્કુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:16 am

પાંચ ઇંચથી વધુ વરસાદથી તૈયાર પાક નાશ પામ્યો:જેસર તાલુકાના ખેડૂતોની માંગ સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે

જેસર તાલુકામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનના કારણે ખેડૂતોને સંપૂર્ણ દેવું માફી જાહેર કરવા જેસર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેવા માફીની રજૂઆત કરવામાં આવી હતી. જેસર તાલુકામાં પડેલ ભારેથી અતિ ભારે કમોસમી માવઠાના વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થયેલ પાક જેવા કે મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ વગેરે પાકો સદંતર નાશ પામેલ છે જેના કારણે ખેડૂતોને ગંભીર અને મોટું નુકસાન થયેલ છે હાલ પણ કમૌસમી વરસાદ ચાલુ છે જે ખૂબજ ચિંતાજનક બાબત ગણાય છે તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની તેમજ ગંભીર અસર જોવા મળે છે. વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં તૈયાર થયેલ પાક ખેડૂતોના ખેતરમાં પડેલ હતો અને ખેડૂતો તે પાકની લણવાની કામગીરી ચાલુમાં હોય તે દરમિયાન અચાનક આ ભારેથી અતિભારે કમોસમી વરસાદ (માવઠા) પાંચથી દસ ઇંચ સુધી વરસાદ પડયો હતો.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:13 am

લોલમલોલ:પાલિતાણામાં નવા બનેલા માર્ગો ત્રણ મહિનામાં જ તૂટ્યા

પાલિતાણા શહેરના મુખ્ય રસ્તાઓ જે માર્ગ મકાન હસ્તના રોડ મામલે વિપક્ષએ માર્ગ અને મકાન વિભાગ (RB સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેરને શહેરના મુખ્ય માર્ગોની અત્યંત ખરાબ હાલત અંગે ગંભીર રજૂઆત કરી છે અને તાકીદે સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આપી છે. પાલિતાણામાં માર્ગ મકાન વિભાગ હસ્તકના માત્ર ત્રણ મહિના પૂર્વે જ નવીનીકરણ પામેલા માર્ગો પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે જે સ્પષ્ટપણે નબળી ગુણવત્તાના કામ અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને તપાસની પણ માંગ કરી છે. એસ.ટી રોડ, જકાતનાકાથી ભૈરવનાથ ચોક, બાયપાસ અને ગારીયાધાર રોડ સહિતના મુખ્ય માર્ગોની હાલત દયનીય છે જેમાં લોકોને હાલાકી પડી રહી છે ખાડાઓના કારણે રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરોચોમાસામાં અને માવઠાના વરસાદમાં માર્ગો ધોવાઈ જવાથી બિસ્માર થયા છે તમામ ક્ષતિગ્રસ્ત માર્ગો પર પડેલા ખાડાઓનું વહેલીતકે પેચવર્ક કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવે. નવા બનેલા માર્ગોની ગુણવત્તાનું તટસ્થ તકનીકી નિરીક્ષણ કરાવી હલકી ગુણવત્તાના કામ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંકા સમયગાળામાં સંતોષકારક સમારકામ નહીં થાય તો શહેરની જનતાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ આપી છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:13 am

હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું:\તમને મારી નાંખવા છે '' કહી ભત્રીજાએ વૃધ્ધાની હત્યા કરી

મહુવાના કોંજળી ગામે ભત્રીજાએ તેના કૌટુંબિક બાની હત્યામાં આજે પોલીસે આરોપીને કોંજળી ગામે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ પોલીસ સમક્ષ વટાણા વેરી દિધા હોવાનું સામે આવ્યું છે. લૂંટના ઇરાદે વિપુલ વાળા મોડી રાત્રીના તેના કૌટુંબિક દાદીમાં ના ઘરમાં ઘુસ્યો હતો પરંતુ તેઓ ઉઠી ગયા હતા અને વિપુલને ઓળખી જતા મારે તમને મારી નાંખવા છે તેમ કહી વૃધ્ધાની હત્યા અને લુંટ કરી ફરાર થઇ ગયાનું પોલીસ સમક્ષ કબુલાત આપતા એક દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. મહુવાના કોંજળી ગામે એકલવાયું જીવન જીવતા વૃદ્ધા ઉજીબેનની વાળાની હત્યા પ્રકરણે આરોપી કૌટુંબિક ભત્રીજાને મહુવા રૂરલ પોલીસે ધરપકડ કરી, કોંજળી ગામે ઘટના સ્થળે આરોપીને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. નાના એવા ગામમાં આરોપીને પોલીસના મસમોટા કાફલા સાથે લાવવામાં આવતા આરોપી સમક્ષ લોકોએ ફિટકારની લાગણી પ્રસરાવી હતી. આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરેથી તેના કૌટુંબિક બા ઉજીબેનના ઘરે લૂંટના ઇરાદે દિવાલ ઠેકીને ઘરમાં ઘુસ્યો હતો પરંતુ અવાજ આવતા તેમના બા ઉજીબેન જાગી ગયા હતા અને વિપુલને ઓળખી ગયા હતા.જેથી વિપુલને ડર લાગ્યો હતો કે લૂંટની જાણ ગામવાસીઓને પણ થશે. જેથી તેમના બા ઉજીબેનને કહેલ કે, આજે મારે તમને મારી નાંખવા છે તેમ કહી, ચાદર લઇ વૃદ્ધાના માથાના ભાગથી ગળા સુધી ઓઢાડી, દોરડા વડે ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જે બાદ વૃદ્ધાએ પહેરેલ ઘરેણાં લૂંટીને ફરાર થયો હતો. આજે આરોપીને મહુવા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે મુદ્દામાલની રીકવરી અર્થે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. સૌરાષ્ટ્ર સમાચાર ઇનસાઇડવૃદ્ધાના હાથમાંથી લૂંટેલી બંગડીઓ નકલી નિકળીપંચ્યાશી વર્ષિય વૃદ્ધાની હત્યા બાદ સોનાની છ કડીઓ, કાનની બે ટોટીઓ, સોનાની બંગડીઓની લૂંટ કરી હતી. પરંતુ સોનાની માળા ગળામાંથી આંચકવા જતાં, માળા તૂટી જતાં સોનાના પારા તૂટીને વિખેરાઇ ગયા હતા જેથી માળા ઘટના સ્થળે જ મુકી દિધી હતી જ્યારે સોનાની બંગડી વેચવા જતાં સોનીએ બંગડી નકલી હોવાનું જણાવ્યું હતું. જે બાદ સોનીએ પણ આ ઘરેણાં લેવાની ના પાડતા તમામ ઘરેણાં કુંભણ નજીકના એક નદીના વહેંણમાં ફેંકી દિધા હતા. મુદ્દામાલ રિકવર કરવા વહેણમાં તરવૈયા ઉતાર્યાભાવનગર એલ.સી.બી. પોલીસ દ્વારા છ દિવસ બાદ આરોપી વિપુલ વાળાની ધરપકડ કરી હતી પરંતુ લૂંટ કરેલા તમામ ઘરેણાં આરોપીએ મહુવા નજીક આવેલ કુંભણ નદી નજીક એક પાણીના વહેંણમાં ફેંકી દિધા હોવાની કબુલાત આપતા પોલીસે સોનાના ઘરેણાંના મુદ્દામાલની રીકવરી કરવા નદીના વહેંણમાં તરવૈયાઓની ટીમ બોલાવી ઘરેણાંની શોધખોળ કરી હતી પરંતુ ઘરેણાં હાથ ન લાગ્યાનું પોલીસે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:12 am

ખેડૂતને પૂરતો ભાવ આપવા કરાશે પ્રયાસ:માવઠાથી નુકશાન થયેલી મગફળીમાં ખેડૂતોને 75 ટકા વળતર સાથે ખરીદી કરવામાં આવશે

જેસરમાં એફ એસ આઇ ઇન્ડસ્ટ્રીઝના માલિક હાજી ફારૂકભાઈ સૈયદ તેમજ હાજી અંજુમભાઈ સૈયદએ ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી ખરાબ થઈ ગયેલી પલળી ગયેલી તેવી મગફળી ખરીદવા માટે જેસરમાં આવેલ એફ એસ ઈ ઇન્ડસ્ટ્રીઝમાં 75% ના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. એફ એસ આઇ ઇન્ડસ્ટ્રીઝના માલિકે જણાવ્યુ હતુ કે જેસરના ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના અનુસંધાને જેસર ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ વિરેન્દ્રસિંહ સરવૈયા દ્વારા એફ એસ આઇ ઇન્ડસ્ટ્રીઝના માલિકને રજૂઆત કરતા ખેડૂતોના પ્રેરણા સ્ત્રોત બની અને જેસરમાં આવેલ એફ એસી ઇન્ડસ્ટ્રીઝના માલિક સાથે સતત બે દિવસથી બેઠકો યોજી અને ખેડૂતોને પૂરતો ભાવ મળે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઉભો કરવામાં આવે તેવી બેઠક યોજીને રજૂઆત કરી હતી આ રજુઆત બાદ એફ એસ આઈ ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા ખેડૂતોની લાગણી અને માંગણીને માન આપી એફ એસ આઈ ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા ગમે તેવી મગફળી હોય પલળી ગયેલી ઊગી ગયેલી, ગોગડા થઈ ગયેલી અને ખરાબ થઈ ગયેલી મગફળી ઓલ ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયામાંથી વિના સંકોચે જેસરમાં આવેલ એફ એસ આઈ ઇન્ડસ્ટ્રીઝમાં ખેડૂતોના હિતમાં ખરાબ થઈ ગયેલી બગડી ગયેલી મગફળી 75% ના ભાવ સાથે ખરીદવામાં આવશે. ખેડૂતને પૂરતો ભાવ આપવા કરાશે પ્રયાસસવારના આઠ કલાકથી રાત્રિના દસ કલાક સુધી અહીંયા આપેલા મોબાઈલ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકશે તેમ ઇન્ડસ્ટ્રીઝના માલિક ફારૂકભાઈ સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમનો મોબાઈલ નંબર છે 94294 60786 તેમજ 9428560786 ઉપર ફોન કરી શકે છે અને ગમે તે જિલ્લા કે રાજ્યનો ખેડૂત હોય તેમને મગફળીનો પૂરતો ભાવ આપવાની પૂરેપૂરી મહેનત કરવામાં આવશે અને ખેડૂતોને જે નુકસાની ગઈ છે તેના ભાગરૂપે આ પગલુ ભરવામાં આવ્યું હતું તેમ હાજી અનજુભાઈ સૈયદે જણાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:11 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:ગોવાની અંડર-16 ક્રિકેટ ટુર્ના.માં ભાવનગરની કલબ રનર્સઅપ

ગોવાના મડગાંવ ખાતે સંપન્ન થયેલી સિલ્વર જ્યુબિલી અંડર-16 ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગરની જય શિવરાય ક્રિકેટ ક્લબ રનર અપ બની છે. આ ટુર્નામેન્ટમાં ભાવનગરના ધર્મિલ વૈદ્યને પ્લેયર ઓફ ધ સીરીઝ, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ પ્રિન્સ ગૌસ્વામીને આપવામાં આવ્યો હતો. લીગ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં સુપ્રીમ ક્રિકેટ એકેડમી, નવી મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 115 રન બનાવ્યા હતા. જેમાં વૈભવ થોરાવેના 51 અને દેવેશ બ્રિજેના 34 રન મુખ્ય હતા. જય શિવરાય ક્લબ તરફથી ધ્રુવિલ પરેખે 2 અને પ્રાંશ તિવારી, મહમદ ઇદ્રીશ કુરેશી અને ધર્મિલ વૈદ્યએ 1-1 વિકેટ લીધી હતી. બીજી બેટિંગ કરતાં જય શિવરાય ક્લબ 4 વિકેટના ભોગે 17.3 ઓવર મા 116 રન કરીને મેચ જીતી લીધી હતી. જેમાં ધર્મિલ વૈદ્યના 68 અને રેહાન સોમણીના 15 રન મુખ્ય હતા. જય શિવરાય ક્રિકેટ ક્લબના કોચ મયુર જીતેન્દ્ર પાટીલે ટીમને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:09 am

ભાસ્કર ગાઇડ‎:માતરિયા તળાવથી શ્રવણ ચોકડીનો‎માર્ગ 24મી સુધી બંધ કરવામાં આવ્યો‎

ભરૂચના માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો માર્ગ 24મી તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ આધારિત પાણી યોજના હેઠળ આ વિસ્તારમાં 1422 મિમીના ડાયામીટર વાળી પાઇપલાઇન નાખવાની કામગીરીને ધ્યાને રાખી તંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ રસ્તો બંધ કરવામાં આવતાં વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. માતરિયા તળાવથી શ્રવણ ચોકડી તરફ જવા માટે વાહનોએ રોડની બીજી લેનનો ઉપયોગ કરવો પડશે. એક લેનમાંથી બંને તરફના વાહનો પસાર થવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા થવાની ભિતિ સેવાઇ રહી છે. શ્રવણ ચોકડી પાસે દહેજની કંપનીઓમાં જતી બસો ઉભી રહેતી હોવાથી કર્મચારીઓ તેમના વાહનો લઇને શ્રવણ ચોકડી સુધી જતાં હોવાથી આ માર્ગ પરથી પસાર થતાં વાહનોની સંખ્યા વધારે રહે છે. શ્રવણ ચોકડી તરફ જવા આ માર્ગનો ઉપયોગ કરોશ્રવણ ચોકડીથી માતરિયા તળાવ સુધીના માર્ગને બંધ કરવામાં આવતાં વાહનચાલકોએ શ્રવણ ચોકડી, ગણેશ ટાઉનશીપ, આલ્ફા સોસાયટી, આકાશદીપ સોસાયટી, નારાયણ સ્કવેર થઇ પંચવટી સોસાયટી લીંક રોડ થઇને શકિતનાથ તરફ જઇ શકાશે. જાહેરનામાનો ભંગ કરશો તો સજા થશે‎ ભરૂચના આરડીસીએ બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 243 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ વાહનચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને આ સત્તા પોલીસ વિભાગને સોંપવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ 6 મહિનાની કેદ સુધીની સજા થઇ શકે છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:09 am

લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું:ઉત્તર સરદારનગર વોર્ડમાં પીવાના ગંદા પાણીથી રોષ

શહેરના ઉત્તર સરદારનગર વોર્ડની વિદ્યુત સોસાયટી, સર્વોદય સોસાયટી, પટેલ સોસાયટી, પંચશીલ સોસાયટી, આરોગ્ય સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી આ તમામ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી ખુબ જ ગંદુ આવે છે. અને પૂરતું પાણી પણ આવતું નથી. ગંદા પાણીથી લોકોના આરોગ્ય પર ખતરો છે. તેમજ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પણ અતિશય ખરાબ છે. માતંગી મંદિરવાળો રોડ છેલ્લા 10 મહિનાથી ખોદેલો છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં કોઇ પણ પ્રકાર નું યોગ્ય પરિણામ ના મળતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહીલને બોલાવી ને રજુઆત કરી હતી. આ વોર્ડના પ્રમુખ હુસેનભાઇ સરવૈયા, કોંગ્રેસ આગેવાન એડવોકેટ જયેશભાઇ બારૈયા સહિતના હાજર રહ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:08 am

કોર્પો.માં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન કરાયું:ભાવનગર ઝોનમાં ગુંજ્યો વંદે માતરમનો નાદ : શપથ લેવાયા

રાષ્ટ્રગીત વંદે માતરમ”ના 150 વર્ષ પૂર્ણ થવાથી રાષ્ટ્રગીતના સન્માનમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન ખાતે તથા ઝોનના તાબા હેઠળ આવતા ચારેય જિલ્લાઓની તમામ 28 નગરપાલિકાઓમાં સવારના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી રાષ્ટ્રગીત “વંદે માતરમ”નું સમૂહગાન કર્યું હતું. જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધવલ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રાદેશિક કક્ષાની સંકલન મિટીંગમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતુ અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા સ્વદેશી અપનાવવાની પહેલ સાથે સ્વદેશી શપથ લેવામાં આવ્યા હતા. ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રીનાબેન ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવાની સાથે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાં તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતાં. ભાવનગર મહાનગરપાલિકા ખાતે મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણીએ ગીતનું સમૂહગાન કરવાની સાથે સ્વદેશીના શપથ લીધાં હતાં. આ ઉપરાંત જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પોલીસ અધિક્ષકની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ, તમામ મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ ગાન કરાયા હતા. લોકોને એકતાના સૂત્રમાં બાંધવાનો હેતુઆ કાર્યક્રમનો ઉદ્દેશ જનમાનસમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવી, દેશની સ્વતંત્રતા માટે આપેલા બલિદાનોને યાદ કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને સશક્ત બનાવવા માટે સૌને એકતાના સૂત્રમાં બાંધવાનો હતો.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:08 am

નિલમબાગ પોલીસના વિસ્તારમાં LCB ઉપર હુમલો:9 બુટલેગરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી વિડીયો ઉતાર્યો

ભાવનગર એલ.સી.બી. પોલીસે નિલમબાગ પોલીસના ચાવડીગેટ દેવીપુજકવાસ વિસ્તારમાં 22 બોટલ ઇંગ્લીશ દારૂ તેમજ બુટલેગરોને ઝડપી લેવા બાતમી આધારે દરોડા પાડવા પોલીસની ટીમ પહોંચી તે વેળાએ નવ જેટલા બુટલેગરો તેમજ તેમના મળતીયાઓ દ્વારા પોલીસની ટીમ ઉપર એસીડ ફેંકવાનો પ્રયાસ કરી, સામસામી ઝપાઝપી કરી, વિડીયો ઉતાર્યો હતો. નિલમબાગ પોલીસ મથકના વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા બુટલેગરો ગોવાથી કાર GJ 04 EE 3152 લઇને ભાવનગર વિદેશી દારૂ લઇ ભાવનગર આવ્યા હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન ચાવડીગેટ વિસ્તારમાં કારમાંથી ત્રણ જેટલા બુટેલગરોને ઉતારી પૂછતાછ શરૂ કરી, કારમાં તપાસ કરાઇ રહી હતી. તે દરમિયાન દિનેશ રાજુભાઇ શાહ, કિશન રાકેશભાઇ શાહ, વિશાલ અજયભાઇ યાદવ ત્રણેય બુટલેગરના મળતીયાઓ રાકેશ મનુભાઇ શાહ, અજય જેન્તીભાઇ ચુડાસમા, પ્રકાશ નરેશભાઇ શાહ, હાર્દિક ઉર્ફે બોમ્બ, રાકેશ શાહની પત્નિ આશા, તેમજ અજાણ્યા શખ્સે ત્યાં આવી, તમારી પાસે પકડવાનું સર્ચ વોરન્ટ છે તેમ કહી, છ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી, વીડીયો ઉતારી, ફરજમાં રૂકાવટ કરી હતી. જે દરમિયાન એક બુટલેગરે પોલીસ કર્મચારી ઉપર એસીડ ફેંકવાની કોશીશ કરતા પોલીસ કર્મચારીએ આંચકી લેતા પોલીસ કોન્સ્ટેબલ માનદિપસિંહ ગોહિલને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા જે મામલે પોલીસ સમક્ષ એક બુટલેગરે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી હતી. જે મામલે દિનેશ શાહ, કિશન શાહ, વિશાલ શાહ, અને રાકેશ શાહની 22 વિદેશી દારૂની બોટલો કિ.રૂા. 59,847ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. ૉ

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:06 am

અકસ્માતની ભીતિ:શહેરના પ્રથમ ઓવરબ્રિજની સલામતિ દિવાલ ટૂંકી હોવાથી અકસ્માતનો ભય

ભાવનગરનો ચિત્રા ઓવરબ્રિજ શહેરના વિકાસની પ્રેરણા સમાન છે, પરંતુ એ જ બ્રિજ સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બની ગયો છે. રોજ હજારોની સંખ્યામાં વાહનો માટે આ બ્રિજ મુખ્ય માર્ગ બન્યો છે. ઘણી વખત રાત્રે લોકો ત્યાંથી ચાલીને પણ પસાર થઈ રહ્યા છે પરંતુ ત્યાં બ્રિજ ઉપર બનાવવામાં આવેલી સેફટી દીવાલો પરથી કોઈ લટકાઈ જાય કે કૂદે નહીં તે ચિંતા વધી રહી છે તો તે સ્થિતિમાં બીજા મોટા શહેરોમાં જેમ પતરા અથવા તો સાઉન્ડ બેરિયર સીટ લગાવવામાં આવી છે તેમ દેખાવ નહીં પરંતુ લોકોનો જીવ બચાવવા ઉપાય બની છે. શહેરના ચિત્રા પાસે બનેલો બ્રિજ 115 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે જ્યાં દરરોજ આશરે 1,000 થી વધુ કાર, 2,500 થી વધુ ટુ વ્હીલર, અને 500 થી વધુ ભારે વાહનો દૈનિક પસાર થાય છે, ત્યારે રાત્રિના સમયે બ્રિજ પરથી લોકો ચાલીને જતા નજરે પડે છે. તે બ્રિજ પર 3.5 ફુટ હાઈટ ની સેફટી દિવાલ અને નીચે જમીનથી બ્રિજની ઊંચાઈ 30 થી 35 ફૂટ જેટલી થાય છે એવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ અકસ્માતે કે ઈરાદાપૂર્વક લટકાઈ જાય કે કૂદીને પડે તો લોકોના જીવનું જોખમ કહેવાય તે સ્પષ્ટ છે. શહેરના નાગરિકો અને નિષ્ણાતોનું માનવું છે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આ બ્રિજની બંને બાજુએ મેટલના પતરા અથવા સાઉન્ડ બેરિયર સીટ લગાડેલી નજરે પડે છે આ સીટ થી ફક્ત અવાજ પ્રદૂષણ ઘટાડવા માટે નહીં પણ વ્યક્તિ કે વાહન નીચે ફેકાય ન જાય તે માટે અસરકારક છે. ભાવનગર ચિત્રા બ્રિજની નીચે અનેક હીરાના કારખાના અને દવાખાના આવેલા છે અને તે વિસ્તાર સવારે લોકોથી ભરચક રહે છે, પતરા લગાવવાથી સુરક્ષા ઉપરાંત વાહનોની લાઈટ અને અવાજ નો પ્રભાવ પણ ઓછો થાય છે. ભાવનગરમાં ચિત્રા બ્રિજ ઉપર આવા પતરા મારવામાં આવે તો આત્મહત્યા જેવા કિસ્સા અટકાવી શકાશે, અકસ્માત થાય તો વાહન કે વ્યક્તિ ફંગોળાય તો નીચે પટકાવવાનો ભય રહેતો નથી. આ બ્રિજ માત્ર કોન્ક્રીટનો ઢગલો નહીં પરંતુ હજારો લોકોનો દૈનિક માર્ગ છે કોઈ અણધાર્યા બનાવ કે દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્રએ યોગ્ય પગલાં લઈ લોકોની સુરક્ષા વધારવી તે કોર્પોરેશનની જવાબદારી છે. બીજા સ્ટ્રક્ચરથી ઊંચાઈ વધારોબોર તળાવ રોડ પર ઓવરબ્રિજમાં બંને બાજુએ પેરાપેટ વોલની ઊંચાઈ લિમિટેડ છે જ્યારે સેફ્ટી માટે વિચારીએ તો બીજા સ્ટ્રક્ચરથી ઊંચાઈ વધારવી જોઈએ જેમાં સાઉન્ડ બેરિયર સીટ જેવા મટીરીયલથી અકસ્માત થાય તો ફંગોળાઈ જતા લોકોનો બચાવ થઈ શકે. > જ્યોતિન્દ્ર અજવાળિયા, પૂર્વ, પીએટા બ્રિજનુ બાંધકામ નિયમ પ્રમાણેચિત્રા પાસે બનેલા બ્રિજનું સમગ્ર બાંધકામ નિયમ પ્રમાણે કરવામાં આવ્યું છે જેની સાઈડની પેરાપેટ હોલ પણ બાંધકામના નિયમથી બની છે પરંતુ લોકોની સેફટી વધુ સુરક્ષિત કરવા સાઉન્ડ બેરિયર સીટ જેવા બીજા સ્ટ્રક્ચર જોડી એ તો ઉપયોગી બની શકે > મૌલિકભાઈ પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર, BMC

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:05 am

શિક્ષકોમાં રોષ:નર્મદામાં બીએલઓની કામગીરીનો ઇન્કાર કરનારાઓ વિરુદ્ધમાં ધરપકડ વોરંટ નીકળ્યાં

મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ગુજરાત સહિત અન્ય 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી સુધારણા કામગીરીનું એલાન કરી દીધું છે.નર્મદા જિલ્લામાં આ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોએ મતદાર યાદી કામગીરીનો વિરોધ નોંધાવી પોતાને આ કામગીરીથી બાકાત રાખવા તંત્રને રજૂઆત કરી હતી.તો બીજી બાજુ જેણે પણ આ કામગીરીનો વિરોધ કર્યો હતો એમની ઘરે તંત્રએ પોલીસ મોકલી હોવાની ગંભીર બાબત સામે આવી છે. બીએલઓની કામગીરીનો વિરોધ કરનાર બહેનોએ જણાવ્યું હતું કે અમારી પાસે પહેલેથી જ કામનું ભારણ છે જેથી બીએલઓની કામગીરી અમારાથી થઈ શકે એમ નથી.અમારી સાથે ઘણી એવી પણ બહેનો છે કે જેમને અંગ્રેજી ફાવતું નથી તો ઓન લાઇન કામગીરી કેવી રીતે કરી શકે.આ કામગીરી કરવા માટે અમને દબાણ આપવામાં આવે છે.આ કામગીરી માટે જે લોકો હાજર થયા નથી એમના ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યા છે અને શિક્ષાત્મક કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે.શારદા બેન વસાવાએ જણાવ્યું હતું કે અમારી પર ફોન આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે તમારા વોરંટ કાઢવામાં આવ્યો છે તમે કામગીરી માટે હાજર થઈ જાવ.જેથી અમે પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા ત્યાર બાદ પોલીસ જીપમાં અમને મામલતદાર કચેરીએ લઈ આવી અને સાંજે 7 વાગ્યા સુધી બેસાડી જબરજસ્તી કામગીરી કરાવી છે.આ કામગીરી માટે સરકાર એક મહિનાનાં માત્ર 500 રૂપિયા મહેનતાણું આપે છે એ યોગ્ય નથી. જ્યારે આ કામગીરીનો વિરોધ કરનાર શ્રીમતી સુરજના મહિડા કન્યાવિનય શાળાનાં શિક્ષિકા રેખા ટેલરે જણાવ્યું હતું કે મારી વિદ્યાર્થીનીઓની ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે હું બીએલઓની કામગીરી કરું તો ભણાવુ કેવી રીતે.જો આ કામગીરી નહી કરું તો નાયબ મામલતદાર પોલીસની ધમકી આપે છે.મારી જગ્યાએ નાયબ મામલતદાર ભણાવવા આવવાનાં હોય તો હું આ કામગીરી કરવા તૈયાર છું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:05 am

ATM પર મોબાઈલથી રૂપિયા ઉપાડો!:ATM કાર્ડ ઘરે ભૂલી ગયા? ટેન્શન નહીં! 5 સ્ટેપમાં UPI એપથી જ કેશ ઉપાડો; પૈસા ફસાય તો આ કરો

તમારે અચાનક રોકડાની જરૂર પડી અને તમે પહોંચી ગયા ATM પર, પણ ખિસ્સામાં હાથ નાખ્યો તો યાદ આવ્યું કે, યાર ATM કાર્ડ તો ઘરે જ રહી ગયું! પહેલા આવું થતું તો તમે કાં તો મિત્રને બોલાવતા કારણ કે એના સિવાય તો તમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પણ હવે નહીં... જો તમારા ફોનમાં બેટરી અને ઇન્ટરનેટ છે, તો તમે ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધાનું નામ છે 'ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ' (ICCW), જે UPI દ્વારા કામ કરે છે અને મોટાભાગની મુખ્ય બેંકોના ATM તેને સપોર્ટ કરે છે. કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ? આ સિસ્ટમ આપણી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શરૂ કરેલી એક સુવિધા છે, જે તમને કોઈપણ બેંકના ATM પરથી (જે આ સુવિધાને સપોર્ટ કરતું હોય) તમારી UPI એપ (જેમ કે GPay, PhonePe, Paytm) નો ઉપયોગ કરીને પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. સાદી રીતે સમજીએ તો, તમારો ફોન જ તમારા કાર્ડ તરીકે કામ કરશે. ડેબિટ કાર્ડ ખિસ્સામાં લઈને ફરવાની કોઈ જરૂર નથી. તમારે ATM મશીન પર દેખાતા QR કોડને સ્કેન કરીને તમારા ફોનમાંથી UPI પિન નાખવાનો હોય છે, અને ATM તમને કેશ આપી દે છે. 5 સરળ સ્ટેપમાં કેશ ઉપાડવાની પ્રોસેસ કોઈપણ UPI એનેબલ્ડ ATM પરથી કાર્ડ વગર પૈસા ઉપાડવા માટે આ 5 સ્ટેપ્સ ફોલો કરો: આ સ્માર્ટ ટ્રિકમાં શું સાવધાની રાખવી? આ સુવિધા ખૂબ જ ઉપયોગી છે, પરંતુ કેટલીક બાબતો જાણવી જરૂરી છે જેથી તમને કોઈ મુશ્કેલી ન પડે: પૈસા કપાય પણ કેશ ન નીકળે તો શું કરવું? આ એક સામાન્ય સમસ્યા છે. ઘણીવાર ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય છે, તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે પણ ATMમાંથી કેશ નથી નીકળતા. જો તમારી સાથે આવું થાય તો જરા પણ ગભરાશો નહીં. આટલું ખાસ યાદ રાખો કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ એ ATMનો ઉપયોગ કરવાની સૌથી સુરક્ષિત અને સરળ રીતોમાંની એક છે. બસ, એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમે તમારો UPI પિન કોઈની સાથે ક્યારેય શેર ન કરો અને ATM પર QR સ્કેન કરતી વખતે કે પિન નાખતી વખતે કોઈ અજાણી વ્યક્તિ જોઈ ન રહી હોય. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વીડિયો જોવા સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:05 am

ભાવનગર એરપોર્ટ સાથે અન્યાય:પ્રતિ માસ સરેરાશ 6091 મુસાફરો છતા ભાવનગર એરપોર્ટ સાથે થયેલો અન્યાય

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ભાવનગર સહિત દેશના 7 એરપોર્ટ પર આગામી 6 મહિના માટે ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. સાત હવાઇ મથકેથી મુસાફરોની સંખ્યા ઓછી હોવાનું કારણ દર્શાવી ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે. પરંતુ ભાવનગરનો કિસ્સો કઇંક અલગ જ છે, અહીંથી સારો ટ્રાફિક હોવા છતા ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. ભાવનગર એરપોર્ટ પર માર્ચ-2024થી જુન-2025ના સમયગાળા દરમિયાન સરેરાશ 6,091 મુસાફર પ્રતિ માસનો ટ્રાફિક હતો. દેશના સાત એરપોર્ટની વર્તમાન સ્થિતિનું સૌથી મોટું કારણ મુસાફરોનો અભાવ છે. માર્ચ 2024 થી ઓગસ્ટ 2025 સુધી, લગભગ 17 મહિનાના સમયગાળા દરમિયાન, ફક્ત 1,14,762 મુસાફરોએ આ તમામ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. તેમાંથી 1,05,936 મુસાફરો ફક્ત ભાવનગર અને પાક્યોંગ એરપોર્ટના હતા. બાકીના પાંચ એરપોર્ટ, અલીગઢ, મુરાદાબાદ, ચિત્રકૂટ, લુધિયાણા અને શ્રાવસ્તીમાં છેલ્લા 17 મહિનામાં 5,226 મુસાફરોએ ઉડાન ભરી હતી. શ્રાવસ્તી એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયું હતું, આ સમયગાળા દરમિયાન ફક્ત 442 મુસાફરોને હેન્ડલ કરવામાં આવ્યા હતા. ચિત્રકૂટ 593 મુસાફરો સાથે બીજા ક્રમે હતું. જે સાત એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે તે પૈકી સૌથી વધુ મુસાફરો ભાવનગર એરપોર્ટ પરથી હેન્ડલિંગ કરવામાં આવી રહ્યા હતા. DGCA દ્વારા રજૂ કરાયેલ શિયાળુ સમયપત્રક ઓક્ટોબરથી દેશભરના 126 એરપોર્ટ પર અમલમાં આવ્યું છે. આગામી છ મહિના માટે, બધી એરલાઇન્સ આ શિયાળાના સમયપત્રકના આધારે તેમની ફ્લાઇટ્સનું સંચાલન કરશે. જ્યારે આ શિયાળાના સમયપત્રકમાં 885 સાપ્તાહિક ફ્લાઇટ્સનો વધારો થયો છે, ત્યારે કાર્યરત એરપોર્ટની સંખ્યા 129 થી ઘટીને 126 થઈ ગઈ છે. સાત એરપોર્ટ્સે આગામી છ મહિના માટે ફ્લાઇટ્સ સ્થગિત કરી છે. DGCAના શિયાળુ સમયપત્રક અનુસાર, જે સાત એરપોર્ટ્સ પરથી આગામી છ મહિના માટે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે તેમાં અલીગઢ, મુરાદાબાદ, ચિત્રકૂટ, ભાવનગર, લુધિયાણા, પાક્યોંગ અને શ્રાવસ્તી એરપોર્ટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે અલીગઢ, મુરાદાબાદ, ચિત્રકૂટ અને શ્રાવસ્તીનું ઉદ્ઘાટન ગયા વર્ષે 10 માર્ચે કરવામાં આવ્યું હતું. આ બધા એરપોર્ટ્સ ઉડાન (UDAN - ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ ખોલવામાં આવ્યા હતા. આ એરપોર્ટ પરથી ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ન જાય તે માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આમ છતાં, આ એરપોર્ટને માત્ર 19 મહિનામાં બંધ કરવાની ફરજ પડી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ સાત એરપોર્ટમાંથી પાંચ બિગ ચાર્ટર છે. ફ્લાય બિગ એરલાઇન્સ, એક ખાનગી લિમિટેડ કંપની, આ એરપોર્ટનું સંચાલન કરતી હતી. આ એરપોર્ટમાં અલીગઢ, મુરાદાબાદ, ચિત્રકૂટ, લુધિયાણા અને શ્રાવસ્તી એરપોર્ટનો સમાવેશ થાય છે. સ્પાઇસ જેટ ભાવનગર અને પાક્યોંગથી પણ ઓપરેટ થતી હતી. અલીગઢ અને મુરાદાબાદ એરપોર્ટથી, ફ્લાય બિગ એરલાઇન્સ લખનૌ અને કાનપુર માટે એક-એક ફ્લાઇટ ચલાવતી હતી. ચિત્રકૂટ એરપોર્ટ લખનૌ, વારાણસી, પ્રયાગરાજ અને કાનપુર માટે ફ્લાઇટ ચલાવતી હતી. દરમિયાન, એરલાઇન્સ લુધિયાણાથી હિંડોન એરપોર્ટ સુધી ફ્લાઇટ ચલાવતી હતી. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, આ બધા એરપોર્ટ પર પરિસ્થિતિ આવક 25 પૈસા અને ખર્ચ 1 રૂપિયો જેવી થઈ ગઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના (ઉડાન) હેઠળ આવરી લેવામાં આવતા એરપોર્ટનો ઓપરેટિંગ ખર્ચ આશરે 12 થી 15 કરોડ રૂપિયા છે. આ ખર્ચ એરપોર્ટના કદ અને સ્ટાફના આધારે વધે છે. દરમિયાન, ઘણા એરપોર્ટ પર મહિનાઓથી કોઈ મુસાફરો આવ્યા નથી, જેના કારણે એરલાઇન્સ માટે તેમના ઓપરેટિંગ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બન્યું હતુ. ભાવનગર એરપોર્ટ પર ટ્રાફિક મહિનો - મુસાફરોની સંખ્યા

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:04 am

કેવડિયામાં ભારત પર્વ:નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ : વિજયદત્તા

સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે તેમ ગોવાના હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું હતું. કેવડિયામાં ભારત પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ રાજયોની કળાને પ્રદર્શિત કરતાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. ભારત પર્વએ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ બની ગયો છે.લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌ પ્રથમવાર આયોજન કરાયું છે.ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ગોવાનાહસ્ત કલાકારે નાળિયેર કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે.હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વોકલ ફોર લોકલ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને નવું માર્કેટ મળ્યું છે. આ ભારત પર્વથી અમને વૈશ્વિક ઓળખ પણ મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે,વિજયદત્તા લોટલીકરને તેમની સર્જનાત્મક કૃતિઓ માટે વર્ષ 2018માં રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. વિદેશોમાં પણ હસ્તકલાની વસ્તુઓની માગ વધીનારિયેળની કાચલીમાંથી તેઓસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવવામાં આવે છે. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. આકળા હવે દેશની સીમાઓ પાર કરીને ઇગ્લેન્ડ, ફ્રાન્સ,અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત પરદેશથી કસ્ટમાઇઝ પ્રોડક્ટના ઓર્ડર મળી રહયાં છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:04 am

ફાયર સેફટી-સ્ટાફમાં ખામી:કાશીમા હોસ્પિટલનું લાઇસન્સ રદ

ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગાંધીનગરથી આવેલી આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં નર્સિંગ સ્ટાફ પાસે જરૂરી લાયકાત તથા ફાયર સેફટીની વ્યવસ્થા નહિ હોવાથી તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ લઈ રહેલી કેટલીક ખાનગી હોસ્પિટલો ગેરરીતિઓમાં સંકળાયેલી હોવાની ચોક્કસ માહિતી મળતાં વિભાગે અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું.આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમા હોસ્પિટલનું પીએમજય હેઠળનું એમ્પેનલમેન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરની કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હાજર ન હોવાનું, દર્દીઓને સારવાર આપતા કર્મચારીઓ પાસે જરૂરી ટેક્નિકલ લાયકાત ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની ફરજિયાત મંજૂરીઓ પણ ઉપલબ્ધ ન હતી. આ ઉપરાંત, હોસ્પિટલ એક રહેણાંક બંગલામાંથી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને કાશીમા હોસ્પિટલનું પીએમજય હેઠળનું તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:02 am

વરસાદના કારણે સંઘોમાં ઘટાડો થયો:વિશ્વ વિખ્યાત ખોડિયાર મંદિરે પૂનમ સુધી 250થી વધુ પગપાળા સંઘોએ શિશ નમાવ્યા

માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ખાતે રાજ્ય કે રાષ્ટ્ર જ નહી પણ સમગ્ર વિશ્વમાંથી માતાના ભક્તો અત્રે દર્શનાર્થે આવે છે અને જોગમાયા સ્વરૂપ માતા ખોડિયારના દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણે છે.ગુજરાતમાં વરસાદના કારણે સંઘોમાં ઘટાડો થયો હતો. કારતક માસમા લાભ પાંચમથી પૂનમ સુધી 250થી વધુ સંઘોએ માતાજીને ધજા ચડાવી અને લાપસી ધરાવી હતી. આ વર્ષે લાભ પાંચમથી વરસાદ હોવાથી સંઘોની સંખ્યામાં ઘટાડો થયો હતો ચાલુ વરસાદ હોવા છતા સંઘો આવ્યા હતા પણ ગયા વર્ષના સંઘોની સંખ્યામાં ઘટાડો થયો હતો.દર રવિવારે એક અંદાજ મુજબ દર રવિવારે 10 થી 15,000 ભકતો ખોડીયાર મંદિર દર્શનાર્થે આવે છે. દરેક વેપારીઓ પોતાનો ઘંધો માતાજીના દર્શન કરીને કરતા હોય છે. તેના કારણે ખોડીયાર મંદિરે બેસતા વર્ષથી પાંચમ સુધી રોજ 50 થી 60 હજાર ભકતો દર્શન કરી પોતાના ધંધા, વેપાર શરૂ કર્યા હતા. લાભ પાંચમથી ગુજરાત અને ગુજરાત બહાર પગપાળા સંઘો આવવા શરૂ થયા હતા ખોડિયાર માતાજીના મંદિરે 50 થી 3000 ભાવિકો સાથેના રોજ 10 થી 20 સંઘો મળી પાંચમથી પુનમ સુધીમાં 250થી વધુ સંઘો પગપાળા આવી ધજા ચડાવી હતી.વર્ષોથી કારતક શુદ 12ના દિવસે ગોટાથી સંઘ નીકળે અને ચૌદશના માતાજીને ધજા ચડાવે, લાપસી કરે છે. ખોડિયાર માતાજીના અનન્ય ભકત એવા અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા રમેશભાઇ ભરવાડ દર પૂનમ ભરે છે. અને દર વર્ષે કારતક શુદ બીજના બોપલ પગપાળા સંઘ લઇને આવે જે સાતમ આસપાસ ખોડીયાર મંદિર પહોંચી માતાજીના આશીર્વાદ લે છે. પોતાના બંને પુત્રો ડોકટર છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:01 am

અર્ટીગા કાર પર નજર પડી ને 'સલમાન લસ્સી'નો ખેલ પડ્યો:પોલીસકર્મીને ધક્કો મારી PI સોઢા પર 30 સેકન્ડમાં બેવાર છરીથી હુમલો કર્યો, સ્વ-બચાવમાં પગમાં ગોળી ધરબીને ભો ભેગો કર્યો

સુરતના લિંબાયત, ભેસ્તાન અને ડીંડોલી સહિતના 35% વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર અને 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ સલમાન લસ્સીને ક્રાઇમ બ્રાન્ચના PI પી.કે. સોઢાએ પગમાં ગોળી ધરબીને ઝડપી પાડ્યો છે. ભેસ્તાન મર્ડર બાદ સુરતથી માત્ર 50 કિમી દૂર નવસારીના ડાબેલ ગામમાં સસરાના ભાડાના મકાનમાં છુપાયેલા સલમાન લસ્સીને પકડવા ગયેલી ટીમ પર તેણે હુમલો કર્યો હતો. PI સોઢાએ આખી ઘટનાનું વિવરણ આપતા જણાવ્યું કે, સલમાન લસ્સી પાછળના દરવાજેથી ભાગી છૂટવા બહાર આવ્યો અને તુરંત એક પોલીસકર્મીને ધક્કો મારી પાડ્યો. ત્યાર બાદ માત્ર 30 સેકન્ડના ગાળામાં તેણે પોતાની પાસેના ચપ્પુ વડે બે વખત PI સોઢા પર હુમલો કર્યો હતો. PI સોઢા સમયસર ખસી જતાં બચી ગયા. જ્યારે સલમાન ત્રીજી વખત હુમલો કરવા ધસ્યો, ત્યારે સ્વ-બચાવ માટે PI સોઢાએ તેમની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના પગમાં ગોળી ચલાવીને તેને નિષ્ક્રિય કરી દીધો, જેના કારણે આ કુખ્યાત ગુનેગાર કાયદાના સકંજામાં આવી ગયો. આરોપી સુરતથી માત્ર 50 કિ.મી. દૂર છુપાયો હતોભેસ્તાન મર્ડર બાદ આરોપી સલમાન લસ્સીએ પોલીસથી બચવા માટે કોઈ દૂરના સ્થળે આશરો લીધો ન હતો. આશ્ચર્યની વાત એ હતી કે, તે સુરતથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલા નવસારી જિલ્લાના ડાબેલ ગામના એક મકાનમાં છેલ્લા પાંચ દિવસથી છુપાયેલો હતો. આ મકાન તેના સસરાએ ભાડેથી લીધું હતું અને તેમાં સલમાન લસ્સી, તેની પત્ની, સસરા-સાસુ અને ત્રણ બાળકો પણ હાજર હતા. PI પી.કે. સોઢાની ટીમે બાતમીદારી અને ત્વરિત કાર્યવાહીના આધારે સલમાનનું લોકેશન ટ્રેસ કર્યું. બાતમી મળી કે, તે ડાબેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાયેલો છે. સુરતથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક નવસારી પહોંચી. મહોલ્લામાં પહોંચીને પોલીસ પાંચ મકાનોમાંથી સલમાનના ઠેકાણાને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન, તેમની નજર ત્યાં પાર્ક કરેલી અર્ટીગા ગાડી પર પડી. પી.કે. સોઢાએ તરત જ આ મકાન પર શંકાની સોય તાકી અને એ જ દરવાજો ખખડાવ્યો. માત્ર 30 સેકન્ડમાં લસ્સીએ PI સોઢા પર બે હુમલા કર્યાદરવાજો ખખડાવતા જ સલમાન લસ્સીને ખબર પડી ગઈ કે તેને પકડવા માટે પોલીસ આવી પહોંચી છે. PI સોઢાએ આખી ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, ભેસ્તાન મર્ડર થયું ત્યારથી જ અમે આ ગેંગના અલગ-અલગ સાગરિતોને આઇડેન્ટીફાઈ કર્યા હતા અને તેમની હલનચલન પર નજર રાખી હતી. બાતમી મળતા અમે અધિકારીઓ સાથે સોસાયટીમાં પહોંચ્યા. તેની અર્ટીગા કાર આઇડેન્ટીફાય થતાં અમે દરવાજો ખખડાવ્યો અને અંદર લાઈટ ચાલુ થઈ. તરત જ અમે ચારેય બાજુથી મકાનને કોર્ડન કરી લીધું. હું અને મારી ટીમ મકાનના પાછળના ભાગે હાજર હતા. લસ્સી ઘરની બહાર આવ્યો ને તેને અમે ઓળખ આપી- 'અમે પોલીસ છીએ!'તેઓએ જણાવ્યું હતું કે, સલમાન લસ્સી આગળના દરવાજેથી નહીં પણ પાછળના દરવાજેથી ભાગી છૂટવાની કોશિશમાં બહાર આવ્યો. બહાર આવતાની સાથે જ તેણે પોતાની પાસે સંતાડેલું એક ચપ્પુ હાથમાં લઈ લીધું હતું. પણ તેને ખબર નહોતી કે પાછળની બાજુએ PI પી.કે. સોઢા પોતાની ટીમ સાથે સજ્જ ઊભા છે. જેવો સલમાન લસ્સી બહાર આવ્યો કે તુરંત પોલીસે તેને ઓળખ આપી- અમે પોલીસ છીએ!. ઓળખ મળતાં જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને ટીમના એક પોલીસકર્મીને જોરદાર ધક્કો માર્યો, જેના કારણે તે નીચે પડી ગયો. 'સ્વ-બચાવ માટે, મેં સલમાન લસ્સીના પગ પર ગોળી ચલાવી'PI સોઢા તુરંત સમજી ગયા કે આરોપી ભાગી છૂટવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, તે હુમલો પણ કરી શકે છે. PI સોઢાના હાથમાં તેમની સર્વિસ રિવોલ્વર હતી. આરોપી લસ્સીએ માત્ર 30 સેકન્ડના સમયગાળામાં બે વખત ચપ્પુ વડે PI સોઢા પર હુમલો કર્યો, PI સોઢા સમયસર ખસી જતાં તેમને કોઈ ઈજા થઈ નહોતી. 'આવા અપરાધીઓ ગુનાહિત માનસિકતાના હોય છે'PI પી.કે. સોઢાએ જણાવ્યું કે, હું પોતે માનું છું કે આવા જે અપરાધી હોય છે, જેમની પાછળ મર્ડર જેવા ગંભીર ગુનામાં પોલીસ હોય છે, તેમની માનસિકતા હોય છે કે પકડાઈ જવું એના કરતાં પોલીસને અડચણરૂપ થઈને અથવા તો ભાગવા માટે શસ્ત્રોનો ઉપયોગ કરવો. તેણે ભાગવા માટે જ મારી ઉપર હુમલો કરવાનું વિચાર્યું હતું. સલમાન લસ્સી પર ખંડણી, મારામારી અને મર્ડર સહિતના 15 જેટલા ગુના નોંધાયેલા છે. તેની ગુનાહિત માનસિકતાથી જ ખબર પડી જાય છે કે તે કેવો હશે. પોલીસ તરીકે અમારી એક જ પ્રાથમિકતા હોય છે કે કોઈપણ પ્રકારની કેઝ્યુઆલિટી ન થાય. જ્યારે તેણે અમારી ટીમના માણસને ધક્કો માર્યો ત્યારે અમને સ્પષ્ટ થઈ ગયું કે, આ ભાગવા માટે કંઈ પણ કરી શકે છે અને હુમલો પણ કરી શકે છે. અમારે સ્વ-બચાવ અને કાયદો જાળવવા માટે કાર્યવાહી કરવી પડી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:00 am

ગુજરાતી યુવકે બનાવેલી એસિડિટીની ઓરલ સ્ટ્રીપ અમિત શાહે ટેસ્ટ કરી:જીભ પર મૂકતા ઓગળી જાય, સેકન્ડોમાં ફાયદો, સાંધાના દુખાવાની દવા માટેનો પ્રયોગ પણ સફળ રહ્યો

થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. જેમાં એક યુવકે તેમને સ્ટ્રીપ એટલે કે પટ્ટી સ્વરૂપે બનાવેલી દવા બતાવી. જેને જીભ પર મૂકતા જ થોડી જ સેકન્ડમાં એસિડિટી કે સાંધાનો દુ:ખાવો મટી જવાનો દાવો હતો. અમિત શાહે તરત જ યુવક પાસેશી એ સ્ટ્રીપ લીધી અને મોંમાં મૂકી દીધી. આ વીડિયો ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તળેલું, તીખું અને જંક ફૂડ ખાવાના શોખીન લોકોમાં તેમજ ચાની ચુસ્કી લેનારાઓમાં એસિડિટીની ફરિયાદ સામાન્ય છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં લોકો તુરંત ગોળી અથવા સોડા સ્વરૂપે ઉપલબ્ધ લિક્વિડનો સહારો લે છે. જો કે એક ગુજરાતી યુવકે આ બંને પદ્ધતિઓથી તદ્દન અલગ નાનકડી અને ફ્લેવર્ડ ઓરલ સ્ટ્રીપ વિકસાવી છે. આ સ્ટ્રીપને જીભ પર મૂકતા જ ગણતરીની સેકન્ડોમાં એસિડિટી તેમજ સાંધાના દુખાવામાં રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે પાલતુ પ્રાણીઓ માટે પણ આ જ પ્રકારની સ્ટ્રીપ્સ તૈયાર કરી છે. વિટ્રિશિયન ઓરલ સ્ટ્રીપ્સ કેવી રીતે બીમાર લોકોને કામમાં આવે છે? આ સ્ટ્રીપનો ઉપયોગ કોણ-કોણ કરી શકે છે? ટેબ્લેટ અને સોડા ફોમ કરતાં ઓરલ સ્ટ્રીપ કેવી રીતે અલગ પડે છે? તેના ફાયદા નુકસાન શું છે? વગેરે બાબતે દિવ્ય ભાસ્કરે વિટ્રિશિયન ઓરલ સ્ટ્રીપ્સનું સ્ટાર્ટઅપ કરનાર વત્સલ દીક્ષિત સાથે વાતચીત કરીને જાણકારી મેળવી છે. વત્સલ દીક્ષિતે MBAનો અભ્યાસ કર્યો છે અને આ જ ક્ષેત્રમાં ભારત અને વિદેશમાં 10થી 12 વર્ષનો અનુભવ મેળવ્યો છે, તેમને આ સ્ટ્રીપ સ્વરૂપે આ દવા બનાવવાનો વિચાર તેમની માતાની બીમારીમાંથી આવ્યો. તેમની માતાને નાનપણથી જ ડાયાબિટીસની ગંભીર બીમારી છે, જેના કારણે તેઓ દિવસ દરમિયાન 10થી 12 અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હતા. આ જોઈને વત્સલ દીક્ષિતને થયું કે મારે કંઈક એવું કરવું છે જેથી મેડિકેશન પ્રક્રિયા સરળ બને અને તેમની માતાને ઓછી દવાઓ લેવી પડે. વત્સલ દીક્ષિતે જણાવ્યું, આ નાનકડા વિચાર પરથી મેં નવા રિસર્ચ કરવાની શરૂઆત કરી. કેમ કે સ્ટ્રીપ ફોર્મમાં મેડિકલની દવાઓ હજી શોધાઈ નહોતી. મેં આ દિશામાં ધીરે ધીરે મેં પ્રયોગો કરવાના શરૂ કર્યા. એ પછી જાણવાનો પ્રયાસ કર્યો કે જો મારે સ્ટ્રીપમાં કોઈ દવા બનાવવી હોય તો કેવા પ્રકારનું ફોર્મ્યુલેશનની જરૂર છે? શું મેં જે મિન્ટ ફ્લેવરમાં ઓરલ સ્ટ્રીપ ચાખી હતી તેના જેવી દવા બની શકે ખરી? આ વિષયથી મેં શરૂઆત કરી અનેક પ્રયત્નો અને મેડિકલ ક્ષેત્રે કામ કરતા એક્સપર્ટ સાથે મુલાકાતો કરી અને અંતે મને સફળતા મળી. શરૂઆતમાં વત્સલે ડાયાબિટીસની દવા આ સ્ટ્રીપ ફોર્મમાં લાવવા વિશે વિચાર્યું, પરંતુ તે લાંબો પ્રોજેક્ટ હોવાથી તેમણે દિશા બદલી. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતીઓમાં ચા અને સ્ટ્રીટ ફૂડના શોખને કારણે એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. ડેટા દર્શાવે છે કે વિશ્વમાં 22% લોકોને સાપ્તાહિક હાર્ટબર્ન અથવા એસિડ રિફ્લક્સના એપિસોડ્સ થાય છે. આ આંકડાથી પ્રેરાઈને વત્સલ દીક્ષિતે એસિડિટીની સમસ્યાના નિરાકરણ માટે ઓરલ સ્ટ્રીપ બનાવવાનું નક્કી કર્યું. એસિડિટીથી રાહત માટે તેમણે સંપૂર્ણપણે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને કોમ્પોનન્ટ્સ વિકસાવવાનું નક્કી કર્યું. જે આજના સમયમાં વીગન ફૂડના વધતા કૉન્સેપ્ટને ધ્યાનમાં રાખીને યોગ્ય હતું. માઉથ ફ્રેશનર સ્ટ્રીપ અને મેડિકેટેડ સ્ટ્રીપ બનાવવામાં મોટો તફાવત હોય છે. તેમણે સોડા કે ગોળીના ફોર્મેટમાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ્સને સ્ટ્રીપ ફોર્મમાં કેવી રીતે લાવી શકાય તે માટે મથામણ શરૂ કરી અને તેમાં સફળતા મેળવી. વત્સલ દીક્ષિતે 2022માં રિસર્ચ શરૂ કર્યું અને સતત બે વર્ષની મહેનત બાદ 2025માં ઓરલ સ્ટ્રીપ બનાવવામાં સફળતા મળી. સ્ટાર્ટઅપ જર્નીમાં ફાઇનાન્સિયલ સપોર્ટ એક મોટો પડકાર હતો, જેના માટે તેમણે અમદાવાદ સ્થિત I-HUBનો સંપર્ક કર્યો અને ઇન્ક્યુબેટર તરીકે જોડાયા. શરૂઆતમાં 100થી વધુ આઇડિયા હતા, જેમાંથી તેમણે માણસો માટે 2 અને પ્રાણીઓ માટે 2, એમ કુલ 4 પ્રોડક્ટ ટેસ્ટ ફેઝ માટે તૈયાર કરી. પ્રોડક્ટ તૈયાર થયા પછી તેમણે પરીક્ષણ શરૂ કર્યું. વત્સલ દીક્ષિતે કહ્યું, અમે ટેસ્ટીંગ કર્યા કે એક સ્ટ્રીપ જીભ પર મુકવામાં આવે તો કેટલી સેકન્ડમાં ઓગળી જાય છે? દવાની સરખામણીમાં ઓરલ સ્ટ્રીપ્સ કેટલી જલ્દી અને કેવું પરિણામ આપે છે? આ માટે સૌથી પહેલાં તો મેં મારા ઉપર જાતે જ પ્રયાસ કર્યો. પછી અનેક લોકોને પણ ટેસ્ટ માટે આ સ્ટ્રીપ આપી હતી. અમે નોર્મલ એસિડિટી, મીડિયમ અને હાઈ એસિડિટી એમ ત્રણ કેટેગરીવાળા લોકો ઉપર સ્ટ્રીપનો ટ્રાયલ કર્યો. એમાં અમને ઘણા સૂચનો પણ મળ્યાં તેના આધારે સુધારો વધારો કરતાં ગયા. લગભગ લગભગ 400થી 500 લોકો પર કરેલા ટેસ્ટિંગના અંતે અમે એસિડિટિની ઓરલ સ્ટ્રીપને ઓરેન્જ ફ્લેવરમાં ડેવલપ કરવામાં સફળતા મળી. જ્યારે જોઈન્ટની સ્ટ્રીપ માટે કેનબેરી ફ્લેવર્સમાં અમને સફળતા મળી. જેટલી મહેનત મેં મનુષ્ય માટેની સ્ટ્રીપ તૈયાર થાય એ માટે કરી છે એટલી જ મહેનત પેટ્સ માટે પણ કરી છે. વત્સલ દીક્ષિતે એક વૃદ્ધ મહિલાનું ઉદાહરણ આપ્યું હતું, જેઓ બેડ રેસ્ટની સ્થિતિમાં હતા, પરંતુ 40 દિવસ સુધી આ સ્ટ્રીપ લીધા પછી સરળતાથી બેઠાં થઈ શક્યા હતા. પ્રોડક્ટ ફાઇનલ થયા બાદ તેના એપ્રુવલ માટે લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. પ્રોડક્ટ લૉન્ચ કરતા પહેલાં જ FSSAI, USFDA, HEALTH CANADA, HALAL BOARD LICENCES જેવા સર્ટિફિકેટ્સ મેળવી લેવામાં આવ્યા છે. જેથી આ વાતની પણ ખાતરી થઈ જાય કે આનાથી કોઈને કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ ન થાય. વત્સલ દીક્ષિતે તેમના સ્ટાર્ટઅપને દેશ અને વિદેશમાં વિસ્તારવાનું શરૂ કર્યું છે. હાલમાં તેઓ UK, USA અને CANADAમાં પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં ગાંધીનગરમાં આયોજિત સ્ટાર્ટઅપ કૉન્ક્લેવમાં વત્સલ દીક્ષિતને I-HUBના ઇન્ક્યુબેટર તરીકે સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સ્ટોલની મુલાકાત લીધી અને પ્રોડક્ટ વિશે માહિતી મેળવી. વત્સલે જણાવ્યું, જ્યારે અમિત શાહ મારા સ્ટોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મેં તેમને વિનંતી કરી કે જો તમે મને સમય આપો તો હું મારી પ્રોડક્ટ વિશે આપને જણાવવા માગુ છું. તેઓ સહજતાથી ઉભા રહ્યા અને મારી પાસેથી માહિતી મેળવી. આ સમયે મેં કહ્યું કે મેં એસિડિટીમાં રાહત માટે આ સ્ટ્રીપ બનાવી છે. તો તેમણે પણ ટેસ્ટ કરી જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. એટલું જ નહીં આ પ્રોડક્ટ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તત્કાલિન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ મળ્યો હતો. ત્યારે તેમને પણ પ્રોડક્ટને બિરદાવી હતી. સાથે જ માર્ગદર્શન પણ આપ્યું કે હજી વધારે આમાં કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે. ઓરલ સ્ટ્રીપના આ સ્ટાર્ટઅપ અંગે અમે I-HUBના પ્રોગ્રામ હેડ જયકુમાર જોષી સાથે પણ વાતચીત કરી હતી. જયકુમાર જોષીએ કહ્યું, વત્સલ દીક્ષિત તેમના સ્ટાર્ટઅપ સાથે અમારે ત્યાં એક વર્ષ પહેલાં જોડાયા હતા. તેઓ જે સ્ટ્રીપ બનાવવાના હતા એનાથી લોકોને શું ફરક પડશે? કેવી રીતે ફાયદો થશે આ બધુ ફાઈનલ થઈ ગયા પછી અમે તેમને ઈન્ક્યુબેટર તરીકે જોડ્યા. વત્સલ દીક્ષિતે વેલનેસ પ્રોડક્ટ બનાવી છે. તેમણે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો ફેઝ પૂર્ણ કરી દીધો અને હાલમાં તેઓ બજારમાં પ્રોડક્ટ વેચી કરી રહ્યાં છે. મોટા ભાગે તેમની પ્રોડક્ટ ઓનલાઈન વેચાઈ થઈ રહી છે. પરંતુ અમે તેમની સાથે ચર્ચા કરીને ઓફલાઈન રૂટથી કેવી રીતે માર્કેટમાં સ્થાન બનાવી શકાય તે માટેનો પણ સપોર્ટ કરી રહ્યાં છીએ. જયકુમાર જોષીએ કહ્યું કે જ્યારે અમારા ત્યાં કોઈ વ્યક્તિ આઈડિયા લઈને આવે છે એના રજિસ્ટ્રેશનથી માંડીને માઈન્ડ ટુ માર્કેટ સુધીનો સપોર્ટ પૂરો પાડીએ છીએ. આ માટે અમે તેને બે વર્ષ સુધી ઈન્ક્યુબેશનનો સપોર્ટ આપીએ છીએ. જેમાં અમે ફંડિગથી લઈને મેન્ટરીંગ પ્રોવાઈડ કરીએ છીએ. જો તેની પ્રોડક્ટ ડેવલપ થઈ જાય અને એ પછી પણ માર્કેટમાં મૂકવા માટે વધુ ફંડની જરૂર હોય તો તેનો સપોર્ટ પણ અમે કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું, હાલમાં આવી નહીં પરંતુ આ પ્રકારની કેટલીક ટેક્નોલોજી છે. પરંતુ ગુજરાતમાં આ પહેલી પ્રોડક્ટ કહી શકાય. જે વેલનેસ પ્રોડક્ટને ડેવલપ કરીને દવા સ્વરૂપે બનાવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે 600 કરતા વધારે સ્ટાર્ટઅપને સપોર્ટ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 6:00 am

યાત્રાળુઓને સૂચના:પાલિતાણા ડુંગર વિસ્તારમાં કુલ 18 સિંહ પરિવારો રહેતા હોય યાત્રામાં તકેદારી રાખવી

પાલીતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલીતાણા રાઉન્ડ હેઠળ કુલ 1574.92 હે. અનામત જંગલ વિસ્તાર જાહેર થયેલ છે. તે શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાય છે. તથા તેની આજુ-બાજુ આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરાણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. તેનો અંદાજીત કુલ વિસ્તાર 4500 હે. છે. જેથી આ તમામ ક્ષેત્રફળમાં સિંહ, દીપડા, ઝરખ, ઘોરખોદીયા તથા અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. પાલીતાણા ક્ષેત્રીય વિભાગમાં આદપુર, તળેટી અને જીવાપુર બીટ આવેલી છે. તેમાં જૈન ધર્મના આસ્થાનું કેન્દ્ર છે. શેત્રુંજય ડુંગર પર કુલ 104 અલગ-અલગ જગ્યા પર ધાર્મિક સ્થાનો આવેલા છે. તેમાં આ ડુંગર પર મુખ્ય રસ્તો જય તળેટી થી આદેશ્વર ભગવાનના દેરાસરથી દોઢગાઉ, ત્રણગાઉ, છગાઉ ઘેટીપાગ થી આદેશ્વર ભગવાનના મંદિર સુધી શ્રધાળુ, યાત્રાળુ, પુજારીઓ, ડોળીવાળા, તેડાગર, ફૂલ વેચવાવાળા, વોચમેનો તથા અન્ય આ તમામ રસ્તાઓનો રોજ બરોજ ઉપયોગ કરે છે. તેના માટે આપેલી સુચના ધ્યાનમાં રાખવા જરૂરી છે, જેથી જંગલી પ્રાણીઓ અને માણસ વચ્ચે ઘર્ષણના બનાવ ન બને. આ ડુંગર ઉપર તથા આજુ-બાજુમાં કુલ 18 સિંહોનો પરિવાર વસવાટ કરે છે. જે દરરોજ પોતાના લોકેશન બદલતા રહે છે કોઈ એક જગ્યાએ સ્થાનિક રહેતા નથી. હિંસક પ્રાણીઓથી બચવા યાત્રાળુઓને સુચના > સિંહોની રંજાડ કરવી નહિ.> યાત્રા દરમ્યાન લાકડી સાથે રાખવી અને જો રાત્રી દરમ્યાન જવાનું થાય ત્યારે સાથે ટોર્ચ રાખવી.> યાત્રા દરમ્યાન કોઈ જંગલના રસ્તાનો ઉપયોગ ના કરવો.> સિંહ જો રસ્તાપર બેસી જાય અથવા ત્યાંથી ના હટે તો જાતે ભગાડવાના પ્રયત્નો ન કરવા તેમજ તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો.> સિંહ જો મળી જાય તો તેનો મોબાઈલ થી વિડીયો કે ફોટો ગ્રાફી ના કરવી પરતું સલામત સ્થળે આશ્રય લેવા તકેદારી રાખવી.> યાત્રા સૂર્ય પ્રકાશની હાજરી હોય તેવા સમયે કરવી તેમજ સામેથી ૩૦ મીટર સુધી નરી આંખે જોઈ શકાય તેવા સમયે યાત્રા કરવી> ખુલ્લામાં સુવાનું ટાળવું. વનરક્ષકનો સંપર્ક કરવો વનપાલ 9408887979, વનરક્ષક તળેટી 9725809708, આદપુર 8758358738, વનરક્ષક જીવાપુર 7202077183

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:59 am

હવામાન:ઉત્તરના પવનથી છેલ્લા 5 દિવસમાં રાત્રે તાપમાન 5 ડિગ્રી ઘટી ગયું

ભાવનગર શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતા આગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. રવિવાર સુધીમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી સુધી જવાની આગાહી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો ઘટીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો જ્યારે લઘુત્તમ ઉષ્ણતમાનનો પારો પણ ઘટીને 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. જેથી મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ચાર દીવસમાં રાતનું તાપમાન ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયું છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જે સામાન્ય રીતે નવેમ્બરમાં આ સમયગાળામાં શહેરમાં નોંધાતા એવરેજ તાપમાનથી 4 ડિગ્રી ઓછું નોંધાયું હતુ. 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 21 ડિગ્રી હતુ તે આજે ઘટીને 20.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા હતુ તે સાંજે ઘટીને 47 ટકા થયું હતુ. શું કામ ઠંડી વધશે ?હિમાચલમાં હવે બરફવર્ષા શરૂ થતાં ગુજરાતમાં પણ ઉત્તરના પવનો સક્રિય થયા છે. જેના પગલે આગામી અઠવાડિયામાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી શકે છે. આ સાથે શિયાળાની ઠંડીનો વિધિવત પ્રારંભ થશે. રાત્રે તાપમાનમાં ઘટાડો

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:57 am

રવીન્દ્ર જાડેજા રાતોરાત ઈન્સ્ટાગ્રામમાંથી ક્યાં ગાયબ થયા?:ACમાં બેસતા સાહેબોની તડકામાં ચામડી બળી, પ્રતિજ્ઞા પત્રથી છાંયડો કરતા CMએ ટોણો માર્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:55 am

ઇનોવેટિવ સૂચનોનો આગામી બજેટમાં સમાવેશ:કોર્પો.ના બજેટ માટેના સૂચનો 20મી સુધીમાં મોકલી શકાશે

ભાવનગર શહેરના આગામી બજેટમાં નગરજનોના વિકાસલક્ષી સૂચનો સમાવવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી છે અને 20મી નવેમ્બર સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઇનોવેટિવ સૂચન મોકલવા જણાવ્યું છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા ગત વર્ષ 2025-26 ના અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવા માટે શહેરીજનો પાસેથી વિવિધ ઇનોવેટિવ સૂચનો મંગાવ્યા હતા. જેમાં કુલ 11 સંસ્થા અને શહેરીજનોએ 71 જેટલાં સૂચનો મોકલાવ્યા હતાં. તે પૈકી 17 કામોનો કોર્પોરેશનના ગત બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી મોટાભાગના પ્રોજેક્ટ પૂર્ણ થયા અથવા કામગીરી હાલમાં શરૂ હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવી વિકાસ કામો સાથે સુવિધામાં વધારો થાય તે હેતુથી સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં રજૂ થનાર કોર્પોરેશનના આગામી વર્ષ 2026-27 ના બજેટમાં રોડ, ડ્રેનેજ, પાણી, લાઈટ સિવાયના ઇનોવેટિવ કામોના સૂચનો મંગાવાયા છે. 20 મી નવેમ્બર સુધી ઓફિસ સમય સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને યોગ્ય ઇનોવેટિવ સૂચનો બંધ કવરમાં કવર પર ઇનોવેટિવ સૂચન લખી નગરજનોએ મોકલવા. ગત બજેટમાં ક્યાં સૂચનોનો થયો હતો સમાવેશભાવનગર કોર્પોરેશનના ગત વર્ષ 2025 - 26 ના બજેટમાં નગરજનો દ્વારા સૂચવવામાં આવેલ સૂચનો પૈકી વેજીટેબલ માર્કેટ, મોડેલ સ્કૂલ, ફૂડ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, મેયર્સ ડેસ્ક, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સહિતના સૂચનો સમાવાયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:54 am

200 શિક્ષકોની બીએલઓ તરીકે નિયુક્તિ:શિક્ષકોને BLOની કામગીરી ઓન ડ્યુટી માટે સૂચના આપો

મતદાર યાદી સુધારણાની કામગીરી હાલમાં ચાલી રહી છે જેમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા લગભગ 200 જેટલા શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને જામનગર અને અમરેલીની જેમ આ કામગીરી ઓન ડ્યુટી આપવા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ માગણી કરી છે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાના કુલ 491 બુથોમાંથી 200 જેટલા બુથો પર એટલે કે 40% જેટલા શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. અગાઉ રજૂઆતો કરી હતી પરંતુ આજ સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી શિક્ષકોને પડતી મુશ્કેલીઓ નિવારવા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આ કામગીરી ખૂબ જ લાંબી ચાલવાની હોવાથી કામગીરી માટે ઓન ડ્યુટી આપવા સંબંધિત વિભાગને સૂચના આપવા, બીએલઓ સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન ન કરવા, શિક્ષણ ઉપર વિપરીત અસર નો ઊભી થાય તે માટે અન્ય કેડર ના કર્મચારીઓને સમાન ધોરણે બીએલો ની કામગીરી આપવા તેમજ માન્ય રાજકીય પક્ષોના બી.એલ.એ. નીમવાના હોય જેની નિમણૂક કરી તેનું સંકલન જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએથી બીએલઓ સાથે કરાય તેવી માંગ છે

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:53 am

ભાસ્કર એનાલિસિસ:ઘરવેરામાં 114 કરોડની આવક, 443 કરોડની વસુલાત બાકી

ભાવનગર કોર્પોરેશનના મર્યાદિત આવકના સ્ત્રોત વચ્ચે મિલકતોના રીસર્વે આશીર્વાદરૂપ નિવડશે. એસેસમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા મિલકતોના રી સર્વે દરમિયાન અત્યાર સુધી ઘરવેરાના 18 વોર્ડ પૈકી 9 વોર્ડની મિલકતોની રીસર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. અને તેમાં કુલ 111.29 કરોડની ડિમાન્ડમાં વધારો થયો છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા ઘરવેરાની આવક વધારવા માટે રિકવરી ઉપરાંત સ્કીમ પણ લાવતા હોય છે. ત્યારે ગત વર્ષે નવેમ્બર મહિના સુધીમાં 129 કરોડની ઘરવેરાની આવક હતી જે આ વર્ષે 140. 20 કરોડની આવક થવા પામી છે. કાર્પેટ એરિયામાં હાલમાં કુલ 443 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. જોકે, રિકવરી ઝુંબેશ અને મિલકત સીલ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાથી વેરા ની આવકમાં વધારો થવાની શક્યતા છે. દિન પ્રતિદિન વધતા જતા વિકાસ વચ્ચે રોજબરોજ નવી નવી મિલકતોના પણ નિર્માણ થઈ રહ્યા છે. જેથી કોર્પોરેશનની મિલકત વેરામાં પણ નવી મિલકતોનો ઉમેરો થવો જરૂરી છે. નિયમ અનુસાર દર ચાર વર્ષે મિલકતોનો રીસર્વે કરવો અનિવાર્ય છે. પરંતુ કોર્પોરેશન દ્વારા રી સર્વેની કામગીરી દર ચાર વર્ષે કરી શક્યા નથી. વર્ષ 2017 -18 થી રીસર્વેની કામગીરી શરૂ કરી હતી. અને અત્યાર સુધીમાં મિલકત વેરાના કુલ 9 વોર્ડની રી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2017 - 18 થી વર્ષ 2025 - 26 દરમ્યાન 1,79,769 મિલકતોનો સર્વે કર્યો છે. અને તેમાં એસેસમેન્ટ વિભાગને સફળતા પણ મળી છે. મિલકતોના રી સર્વે દરમિયાન કુલ રૂ.112.29 કરોડની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે. જેથી કોર્પોરેશનની ઘરવેરાની આવક પણ વધશે. નવો વોર્ડના કરેલા રીસર્વે પૈકી સૌથી વધુ વર્ષ 2018 થી વર્ષ 2020 દરમિયાન કોર્પોરેશન વિસ્તારમાં ભળેલા પાંચ ગામો રુવા, અકવાડા, તરસમીયા, સીદસર અને નારી વિસ્તારની મિલકતોની ડિમાન્ડમાં 26.47 કરોડનો વધારો નોંધાયો છે. હજુ આગામી દોઢ વર્ષમાં બાકી રહેલા અન્ય વોર્ડની રી સર્વેની કામગીરી દરમિયાન તંત્રને વધુ 100 કરોડની ડિમાન્ડમાં વધારો થવાની પૂર્ણ શક્યતા વર્તાઈ રહી છે. એસેસમેન્ટની નવી 40ની ટીમ, રિ-સર્વેમાં ઝડપ આવશેકોર્પોરેશનના એસેસમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર ભાવનગર કોર્પોરેશન વિસ્તારની મિલકતોના રીસર્વે ની કામગીરી કરવામાં આવે છે. પરંતુ મર્યાદિત સ્ટાફને કારણે સમયસર રી સર્વે થઈ શકતું ન હતું. જેથી વધુ 15 સ્ટાફની ભરતી કરવા સાથે કુલ 40 નો સ્ટાફ થશે જેથી મિલકતોના રીસર્વેની કામગીરી પણ ઝડપથી થશે. અને ભવિષ્યમાં હાલની કામગીરી પૂર્ણ થયા બાદ દર ચાર વર્ષે દરેક વોર્ડનો રી સર્વે થાય તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. નવ વોર્ડ પૂર્ણ,નવાપરા તખ્તેશ્વરની કામગીરી શરૂનવ વોર્ડની રી સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં વોર્ડ નંબર 6 નવાપરા તખ્તેશ્વરની કામગીરી શરૂ કરેલ છે. જેમાં અંદાજિત 15000 પ્રોપર્ટીનો રી સર્વે થશે. જેમાં કોમશિયલ મિલકત વધુ હોવાથી અને ડેવલેપ એરિયા હોવાથી ડિમાન્ડ વધવાની સંભાવના વધુ છે. જે મહાનગર પાલિકાની આવકમાં પણ વધારો થશે. > આરતીબેન રાઠોડ, એસેસમેન્ટ ઓફિસર મ્યુ.​​​​​​​ નવ વોર્ડની રી-સર્વેની કામગીરી

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:52 am

વિશ્વ રેડિયોગ્રાફી દિવસ:દૈનિક 823 એક્સ-રે : અકસ્માતના કિસ્સામાં આશીર્વાદરૂપ

130 વર્ષ પહેલા 8મી નવેમ્બર-1895ના રોજ વિલ્હેલ્મ કોનરાડ રોન્ટગેનની કરેલી એક્સ-રે કિરણની શોધે આખી આરોગ્ય ક્ષેત્રની દુનિયાને બદલી નાખી છે. અકસ્માતના કિસ્સામાં શરીરના આંતરિક ભાગોમાં થતી ભાંગતૂટ ઉપરાંત શરીરના આંતરિક અવયવોમાં થતા ચેપ કે નુકસાનની જાણકારી એક્સ-રે, સોનોગ્રાફી, સિટી સ્કેન અને એમ.આર.આઈ. જેવા રિપોર્ટથી જાણી શકાય છે. ભાવનગર સર ટી. હોસ્પિટલના રેડિયોલોજીની ઓપીડીમાં સરેરાશ દૈનિક 823 એક્સ-રે અકસ્માતના કિસ્સામાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. વર્ષ-2025માં રેડિયોગ્રાફર્સ અદ્રશ્ય જોવુંના થીમ સાથે ભારત સહિત દુનિયાભરમાં આવતીકાલે 8મી નવેમ્બરના રોજ વિશ્વ રેડિયોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાવનગર શહેરમાં છ દાયકા પૂર્વે એટલે કે વર્ષ-1965ની સાલમાં એક્સ-રે સેવાનો શુભારંભ થયો છે. 1965માં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દેશના તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના દિવાનપરા રોડ અને ખારગેટમાં ખાનગી ક્લિનિકોમાં એક્સ-રે સેવા શરૂ થઇ હતી. 2025માં રેડિયોલોજીની ઓપીડીમાં એક્સ-રે વર્ષ - કેસ ▪️જાન્યુઆરી-2025 20,860▪️ફેબ્રુઆરી-2025 21,531▪️માર્ચ-2025 22,622▪️એપ્રિલ-2025 21,988▪️મે-2025 24,261▪️જૂન-2025 22,648▪️જુલાઈ-2025 24,588▪️ઓગસ્ટ-2025 23,151▪️સપ્ટેમ્બર-2025 23,303▪️ઓક્ટોબર-2025 20,374 રેડિયોલોજીની ઓપીડીની ફેક્ટ ફાઈલ

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:48 am

ગંભીર અકસ્માત સર્જાયો:કારચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવ્યું, માતા-પુત્રી ઘવાયા, તરૂણી ગંભીર

યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કૂલ પાસે ડબલ સવારી સ્કૂટરને પાછળથી ધસી આવેલી કારે ઠોકરે લેતા સ્કૂટર સવાર માતા પુત્રી ફંગોળાયા હતા, જેમાં 15 વર્ષની તરૂણીને ગંભીર ઇજા થઇ હતી, પોલીસે કાર ચાલક મહિલા સામે ગુનો નોંધ્યો હતો. પ્રહલાદ પ્લોટમાં રહેતા જગદીશ મંડપ સર્વિસના સંચાલક દેવાંગભાઇ કોટેચાના પત્ની દર્શનાબેન પ્રસંગમાં જવાનું હોવાથી તેમની પુત્રી ધ્રુુવીને સ્કૂલે તેડવા ગયા હતા, એસએનકે સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી ધ્રુવીને લઇ દર્શનાબેન સ્કૂટર ચલાવી રવાના થયા હતા અને હજુ તો સ્કૂલથી થોડે દૂર પહોંચ્યા હતા તે વખતે જ પાછળથી એક કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી, સ્કૂટરને ઉલાળ્યું હતું. કારની ઠોકરથી દર્શનાબેન અને તેની પુત્રી ધ્રુવી સ્કૂટર પરથી ફંગોળાયા હતા, અકસ્માત સર્જનાર કારની ચાલક એક મહિલા હતા, તેમણે બેંકમાં ઓફિસર તરીકે ફરજ બજાવતાં તેના પતિને જાણ કરતાં તે સ્થળ પર દોડી ગયા હતા, મહિલા તથાં તેના પતિએ ઇજાગ્રસ્ત માતા પુત્રીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:44 am

આધેડે જીવન ટૂંકાવ્યું:ફાયનાન્સ સંચાલકોની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળી આધેડે આપઘાત કરી લીધો

રાજકોટના ભગવતીપરાન કોપરગ્રીનમાં રહેતા આધેેડે કરેલા આપઘાતમાં પોલીસે ફાયનાન્સ પેઢના સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો, આધેડને મકાન માટે લોન લેવી હતી તેને બદલે તેને ગુમરાહ કરી બિઝનેસ લોન મંજૂર કરી તેની ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હતો. કોપરગ્રીનમાં રહેતા દેવશંકરભાઇ રામજીભાઇ મહેતાએ ગત તા.27 સપ્ટેમ્બરના પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, આ મામલે મૃતકના મોટાભાઇ ભરતભાઇ મહેતા (ઉ.વ.50)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સિધ્ધાર્થ ગોંડલિયા, સિધ્ધરાજ ગુજરિયા અને એક હિન્દીભાષી શખ્સ હોવાનું કહ્યું હતું. ભરતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, તેમના ભાઇ ફેરી કરી ગુજરાન ચલાવતા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા, મકાન ખરીદવા માટે ફાઇનાન્સ કંપની શોધી રહ્યા હતા ત્યારે સિધ્ધાર્થ ગોંડલિયાનો સંપર્ક થયો હતો અને તેણે ઓછા વ્યાજદરે હાઉસિંગ લોન કરાવી આપીશ તેમ કહી રૂ.33 લાખની લોન વિસ્તાર ફાયનાન્સમાંથી કરાવી આપી હતી, બેંક એકાઉન્ટમાંથી દર મહિને હપ્તાની રકમ કટ થઇ જતી હતી. દેવશંકરભાઇ નિયમિત હપ્તા ભરતા હતા છતાં ચૂકવવાની રકમ ઓછી નહી થતાં તેમણે તપાસ કરતાં હાઉસિંગ લોનને બદલે તેમને બિઝનેસ લોન આપવામાં આવી હતી અને મોટું વ્યાજ વસૂલાતુ હતું. કેટલાક મહિના પહેલા ભરતભાઇ તેમના ભાઇના ઘરે બેસવા ગયા હતા ત્યારે સિધ્ધરાજ ગુજરીયા નામનો શખ્સ ઘરમાં આવી દેવશંકરભાઇને ગાળો આપતો હતો અને ધમકી આપતો હતો. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોન આવતાંને ધમકી મળતી હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:44 am

કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલા આરોપી પાસેથી છરી જપ્ત:અંધાધૂંધ ફાયરિંગ મામલામાં વધુ ત્રણની ધરપકડ, બંને ગેંગના 8 ફરાર

3શહેરના મંગળા રોડ પર દસેક દિવસ પહેલા રાત્રીના બે કુખ્યાત ગેંગે સામસામે કરેલા ફાયરિંગ મામલામાં ફરાર પરિયા ગેંગના વધુ ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા, જેમાથી એક શખ્સ પાસેથી છરી મળી આવી હતી. જોકે બંને ગેંગના સૂત્રધાર સહિત આઠ શખ્સો હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે. જંગલેશ્વરના સમીર ઉર્ફે મુરગો અને પુનિતનગરના પરેશ ઉર્ફે પરિયો ગઢવીની ગેંગ વચ્ચે ચાલતી તકરારે ગત તા.28ની રાત્રીના ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જંગલેશ્વરનો સમીર ઉર્ફે મુરગો મંગળા રોડ પર આવેલી હોસ્પિટલમાં દાખલ તેના નાનાની ખબર અંતર પૂછવા ગયો હતો ત્યારે પરિયા ગેંગના શખ્સો ધસી આવ્યા હતા અને મુરગા ગેંગના લોકો પર ફાયરિંગ કર્યું હતું, સામાપક્ષે મુરગા ગેંગના મળતીયાઓએ પણ વળતા ભડાકા કર્યા હતા. આ ઘટનાએ શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા હતા, પોલીસે ફરિયાદી બની બંને ગેંગના લોકોને પકડવાની કવાયત શરૂ કરી હતી, એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે શુક્રવારે પરીયા ગેંગના રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા અને જૂનાગઢના અલ્કાફ અબ્બાસ શેખની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજપાલસિંહ જાડેજા અગાઉ પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાઇ ચૂક્યો હતો અને હત્યાની કોશિશના બે ગુના પણ તેની સામે અગાઉ નોંધાયા હતા, તેની પાસેથી છરી મળી આવી હતી. ઘટનાને દસ દિવસ વિતી ગયા છે જોકે હજુ સુધી સમીર ઉર્ફે મુરગો સહિત બંને ગેંગના આઠથી વધુ શખ્સો ફરાર છે, પોલીસે ધરપકડ પામેલા ત્રણેયને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:43 am

એમ્બરગ્રીસના સપ્લાયરની શોધખોળ શરૂ:રૂ.2.97 કરોડના એમ્બરગ્રીસ સાથે ઝડપાયેલી ત્રિપુટી જેલમાં ધકેલાઇ, સપ્લાયરની શોધખોળ

રાજકોટ પોલીસે રૂ.2.96 કરોડના એમ્બરગ્રીસન જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. શુક્રવારે આ ત્રણેયને જેલ હવાલે કરાયા હતા. સપ્લાયર બાબરાનો શખ્સ હાથ આવ્યા બાદ વધુ કેટલીક ચોંકાવનારી હકીકત બહાર આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. શહેરના ત્રિકોણબાગ નજીકથી સ્પેેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે સુરેન્દ્રનગરના નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.51), પરેશ ચંદ્રકાંત શાહ (ઉ.વ.66) અને આશિષ સુરેશ ભટ્ટ (ઉ.વ.48)ને ઝડપી લઇ તેમની પાસેથી રૂ.2,96,30,000ની કિમતનો 2.963 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજકોટ પોલીસે કરોડોના એમ્બરગ્રીસના જથ્થા સાથે ત્રણેય શખ્સને વનવિભાગને હવાલે કર્યા હતા, પોલીસ તથા વનવિભાગની પૂછપરછમાં બાબરાનો શખ્સ સરધાર નજીક આવીને પ્રતિબંધિત જથ્થો આપી ગયાનું રટણ રટ્યું હતું. વનવિભાગે ત્રણેય આરોપીને શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણેયને જેલહવાલે કર્યા હતા. વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) સુરેન્દ્રનગરના શખ્સને બાબરાનો શખ્સ આપી ગયો હતો અને તે પકડવા માટે વનવિભાગે કેટલાક સ્થળે દરોડાનો દોર શરૂ કર્યો છે, જો કે હજુ સુધી આરોપી હાથ આવ્યો નથી, આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બાબરાના શખ્સે અગાઉ પણ કેટલાક શખ્સોને એમ્બરગ્રીસનો જથ્થો આપી મોટી કમાણી કર્યાની શંકા સેવાઇ રહી છે, જોકે બાબરાનો શખ્સ હાથ આવ્યા બાદ જ હકીકત પ્રકાશમાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:40 am

હુમલો:આંબેડકરનગરમાં યુવક પર શખ્સનો તલવારથી હુમલો

આંબેડકરનગર-3માં રહેતાં પિન્ટુ કાનજીભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ભૂપત પીઠાભાઈ કટારિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે ભૂપતે રિક્ષા શેરીમાં નહીં રાખવા મુદ્દે ગાળો ભાંડી તલવાર વડે હુમલો કર્યો હતો. બાદમાં આજે તો તને જાનથી મારી જ નાખવો છે કહી પથ્થરનો ઘા કર્યો હતો. તેના ફોનની ડિસ્પ્લે તોડી નાસી છૂટયો હોવાનું જણાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:40 am

કરુણ બનાવ:આજીડેમમાં નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત

શહેરના મવડી પ્લોટ વિનાયકનગરમાં રહેતા યુવકનું આજીડેમમાં નહાવા પડ્યા બાદ ડૂબી જતા મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, મવડી પ્લોટ વિનાયકનગર-10માં રહેતો બ્રિજેશ પુરૂષોત્તમ રાય(ઉ.વ.20) ગઈકાલે આજીડેમમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. મૃતક ચાર ભાઈ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. મૃતક ત્રણ મિત્રો સાથે કામ પૂર્ણ કર્યા બાદ આજીડેમે નહાવા ગયો હતો. ચારેય મિત્રો નહાવા પડ્યા હતા ત્યારે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રોએ ફાયરબ્રિગ્રેડ,પોલીસને જાણ કરતા તરવૈયાઓએ યુવાની લાશને બહાર કાઢી 108ને બોલાવતા ઈએમટી સહિતનાઓએ યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા આજીડેમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:39 am

સિદ્ધિ:CA ફાઇનલમાં દિવ્ય દેગડાને દેશમાં 13મો રેન્ક

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા નવેમ્બર-2025માં લેવાયેલી CA ફાઇનલનું સોમવારે રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં રાજકોટના વિદ્યાર્થી દિવ્ય દેગડાએ ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક લાવી રાજકોટ તેમજ મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી સમાજનું નામ રોશન કર્યું છે. દિવ્યભાઇની સખત મહેનત તેમજ માતા-પિતાના સપના સાકાર કર્યા છે. તેમને આ પરીક્ષામાં 460 માર્ક મળ્યા છે. તેઓએ 2022માં લેવાયેલ ઇન્ટરમીડિએટમાં પણ દિવ્ય હિતેશભાઇ દેગડાએ રાજકોટ સેન્ટરમાં 679 ગુણ 72.38% સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:38 am

ભાસ્કર બ્રેકિંગ:ફાયર NOC, BU પરમિશન, સીસીટીવી હશે તેવી જ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાનાં કેન્દ્ર ફાળવાશે

રાજકોટ સહિત રાજ્યભરમાં લેવાનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ખાસ કડકાઈ દાખવી છે. બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર હવે એવી જ સ્કૂલોમાં ફાળવાશે જ્યાં તમામ જરૂરી સુરક્ષા માપદંડો જેમ કે ફાયર NOC, બિલ્ડિંગ યૂઝ (BU) પરમિશન, સીસીટીવી સર્વેલન્સ અને ઈમરજન્સી એક્ઝિટની સુવિધા પૂર્ણ રીતે ઉપલબ્ધ હશે. જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે શહેર તેમજ તાલુકા વિસ્તારની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બિલ્ડિંગ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ખાસ કરીને ફાયર સેફ્ટી સિસ્ટમ, ઈમરજન્સી દરવાજા, વીજ વાયરિંગની સલામતી તેમજ વિદ્યાર્થીઓ માટેની બેસવાની સુવિધા અંગે માહિતી મેળવી હતી. આવું કરવાનો મુખ્ય હેતુ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, CCTV કેમેરાની હાજરીથી પરીક્ષામાં થતી ગેરરીતિને પણ અસરકારક રીતે અટકાવી શકાશે. અગાઉ કેટલાક વિસ્તારોમાં જૂના બિલ્ડિંગ અથવા યોગ્ય પરમિશન વિનાની શાળાઓમાં કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થતા હતા. હવે તેવું જોખમ ટાળવા સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે શાળાના બિલ્ડીંગ ચેક કરવાની કામગીરીમાં ડીઇઓ ઓફિસના અધિકારીઓ સહિત 20 થી વધુ કર્મીઓ જોડાયા છે. વિદ્યાર્થીના ઘરથી 3 થી 4 કિ.મી એરિયામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવાશેવિદ્યાર્થીઓને લાંબુ અંતર કાપીને પરીક્ષા કેન્દ્ર સુધી ન જવું પડે અને મુસાફરીનો તણાવ ન રહે તે હેતુથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તેમના ઘરથી માત્ર 3 થી 4 કિલોમીટરની ત્રિજ્યામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે કે કોઈપણ વિદ્યાર્થીએ બિનજરૂરી રીતે દૂરના સ્થળે પરીક્ષા આપવા જવું ન પડે. આ નિર્ણયથી પરીક્ષાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકશે અને વધુ શાંત મનથી પેપર લખી શકશે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:37 am

ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન:શ્રીનાથધામ હવેલીએ 51 કિલો અન્ન(સખડી), 11 ઘીના ડબાની વિવિધ પ્રકારની વાનગી બનાવી ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો

શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, નાના મવા મેઇન રોડ પર આવેલી વીવાયઓ શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્ન્કૂટ મનોરથમાં 51 કિલો અન્ન(સખડી)ના શિખરની દિવ્ય સજાવટ કરવામાં આવી હતી. આ ઉપરાંત 11 ઘીના ડબ્બાની વિવિધ પ્રકારની સામગ્રી બનાવીને શ્રી પ્રભુને ભોગ ધરાવવામાં આવ્યો હતો. 5 કલાક સુધી પ્રભુના સુખાર્થે અન્નકૂટ મહોત્સવનો લાભ અનેક વૈષ્ણવોને મળ્યો હતો. આ ભવ્ય અન્નકૂટ મનોરથના દર્શનાર્થે બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:32 am

મૂકબધીર બાળકોએ લીધા સ્વદેશીના શપથ:260 દિવ્યાંગ મૂકબધીર બાળકોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીત, સ્વદેશીના શપથ લીધા

શહેરના ઢેબર રોડ પર આવેલી છગનલાલ શામજીભાઇ વિરાણી બહેરા મૂંગા શાળા છેલ્લા 6 દાયકાથી દિવ્યાંગ મૂકબધીર બાળકોના વિકાસ માટે કાર્યશીલ છે. જેમાં હાલ નવનિર્મિત શાળામાં અત્યાધુનિક ટેક્નોલોજીથી 260 બાળકો અભ્યાસ કરે છે તેમાં 150 દીકરા-દીકરીઓ નવનિર્મિત છાત્રાલયમાં રહે છે. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે શાળાના 260 દિવ્યાંગ મૂકબધીર બાળકોએ પ્રથમવાર સાઇન લેંગ્વેજ દ્વારા રાષ્ટ્રગીત તથા સ્વદેશીના શપથ લીધા હતા. સ્વદેશી શપથ.....બાળકોએ સ્વદેશીની શપથ લીધી હતી કે, હું ભારતમાતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છુ કે, મારા રોજિંદા જીવનમાં વધુને ભારતીય વસ્તુનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રથમિકતા આપીશ. ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રાત્સાહન આપીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરી દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:32 am

યાદગાર અનુભવ:‘રોડ ટુ હેવન’ માત્ર ગાડીમાંથી રણનો નજારો માણવા માટે નહીં પણ પરોઢે પગે ચાલીને કુદરતી સ્વર્ગ માણવા જેવું છે

‘રોડ ટુ હેવન’ એ સરકાર દ્વારા બનાવવામાં આવેલો 31 કિલોમીટરનો રણમાંથી નિકળતો માર્ગ માત્ર ગાડીમાંથી પસાર થઈને કાર વિન્ડોમાંથી નજારો જોવા જેવો નહીં પરંતુ વહેલી પરોઢે પગપાળા ચાલીને ઠંડુ ભીનું વાતાવરણ, ભૌગોલિક વિશિષ્ટતા અને કુદરતને માણવા જેવો છે. એક અદભુત સવારનો અનુભવ જો કરવો હોય તો વહેલી પરોઢે 5 વાગ્યે રોડ પર પહોંચીને પગે ચાલીને કુદરતને માણે તો જિંદગીનો યાદગાર અનુભવ બની રહે. કચ્છની ધરતી પર કુદરતનો અહેસાસ આપવા માટે વિવિધ કંપનીઓ પેકેજ ટૂર કરીને ત્રણથી ચાર દિવસ કચ્છના ફરવાના સ્થળ ઉપર લઈ જાય છે પરંતુ કચ્છના રણનો, શિયાળાની રાતનો વિશિષ્ટ અનુભવ કરવો હોય તો ખાસ અલગથી પ્લાનિંગ કરવું પડે. મલ્હાર કેમ્પિંગ છેલ્લા 4 વર્ષથી સતત આવી ટૂર કરે છે અને તે અંગે પ્રકાશ પાડતા કેતન ગોસ્વામી જણાવે છે કે, પ્રવાસીઓને દેશ અને વિદેશમાંથી ‘રોડ ટુ હેવન’નો અદ્ભુત અનુભવ કરાવવામાં આવ્યો છે. પરંતુ જો પ્રવાસની શરૂઆત વહેલી સવારે ૩ વાગ્યે ભુજથી નીકળી અર્લી મોર્નિંગ વોકથી થાય, લગભગ 3 કલાકનો આ પ્રવાસ કુદરતની વચ્ચે શાંતિ અને સૌંદર્યનો અનોખો અનુભવ કરાવે છે. અહીંથી જોવા મળતો સનરાઇઝર વ્યૂ કચ્છનો સૌથી સુંદર દૃશ્ય છે. વહેલી સવારે સૂર્યોદય પહેલા મીઠાના સફેદ રણ પરથી આવતી ઠંડી હવા જેને કચ્છીમાં ‘ઠાર’ કહે છે તેનો અનુભવ શહેર અને રણથી દૂર વસતા લોકો માટે અનોખો જ છે. બાજુમાં જ પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ ધોળાવીરા તે સમયની સભ્યતા દર્શાવે છે. ધોળાવીરા થી માત્ર 10 કિ.મી. દૂર આવેલું વુડ ફોસિલ પાર્ક એક અલગ જ કુદરતી ચમત્કાર છે, જ્યાં 15 મિનિટ એકાંતમાં ધ્યાન કરવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે. કચ્છને 24 કલાક માણી શકાયધોળાવીરામાં ગાઈડ તરીકે સેવા આપતા નાગજીભાઈ પરમાર જણાવે છે કે, હડપ્પન સંસ્કૃતિ, સભ્યતા દર્શાવતા ધોળાવીરાની સાઈટ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ખુલી હોય છે, પરંતુ આ વિસ્તારનું સફેદ રણ 24 કલાક માણવા જેવું છે. વહેલી સવાર હોય કે સંધ્યા બંને સમયે અનોખું દ્રશ્ય ખડું કરે છે. શીતળાની રાત્રિના વા તો ઠંડો પવન પૂનમ અને અમાસ બંને રાત્રિઓએ અલગ જ કુદરતી અનુભવ થાય છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:32 am

ઉત્સવ કાર્યક્રમ:ભાજપમાં કાર્યકર્તા ક્યારેય બદલાતો નથી, માત્ર પદવી બદલાય છે અને જવાબદારી બદલાય છે

કચ્છ જીલ્લા ભાજપ દ્વારા વંદે માતરમ્ રાષ્ટ્રગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતાં ઉત્સવ કાર્યક્રમને ઉત્સાહભેર મનાવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ સમગ્ર ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અભિવાદન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે પંકજભાઈ ઝાલા દ્વારા વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કરાવાયું હતુંજિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોરે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે આઝાદીથી લઈને આજ દિન સુધી વિવિધ કોંગ્રેસ સરકારે વખતોવખત વંદે માતરમ ગાન પર પ્રતિબંધો મૂક્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમના અભિવાદનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એક સામાન્ય કાર્યકર્તાથી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવી એ ભારતીય જનતા પાર્ટીના એના કાર્યકર્તા પ્રત્યે રહેલા વિશ્વાસ અને ભરોસાને પ્રદીપ કરે છે. ભાજપમાં કાર્યકર્તા ક્યારેય બદલાતો નથી, માત્ર પદવી બદલાય છે, માત્ર જવાબદારી બદલાય છે. સર્વે ઉપસ્થિતોને તેમણે લોકહિતના વધુના વધુ કાર્યો અંગેના સુઝાવો અને ભલામણો તેમની પાસે પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઇ આચાર્ય, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો, બહોળું કાર્યકર્તા વૃંદ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. મંત્રીઓનું સન્માન નિમણૂક થયે નહીં, સારી કામગીરીને આધારે કરોનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, આપણે ત્યાં રિવાજ છે કે જેવા કોઇ ધારાસભ્ય મંત્રી બને એટલે તરત જ આપણે તેમનું સન્માન અને હારતોરા કરવા લાગીએ છીએ. પરંતુ મંત્રીઓનું સન્માન તેમની નિમણૂકના બીજા દિવસે જ કરવાને બદલે તેમની ટર્મ પૂરી થાય તે પછી તેમણે કેટલું કામ કર્યું તેને આધારે કરવું જોઇએ. તમને એવું લાગે કે, તમે આપેલું કામ અને જનતાના જાહેર હિતમાં તે મંત્રીએ કરેલું કામ તેણે દિલથી પૂરું કર્યું તો તમે તેનું શાલ ઓઢાડીને સન્માન કરો. ધારાસભ્યને મંત્રી બનાવાય છે તેની પાછળનો હેતુ જ તેને લોકો પ્રત્યેની જવાબદારીથી સજાગ બનાવવાનો હોય છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:30 am

રાજકોટ મનપાના સ્થાપના દિવસની ઉજવણી:મનપાના સ્થાપના દિવસે મુખ્યમંત્રી રહેશે હાજર, મ્યુનિ. કમિશનર ગાંધીનગર દોડ્યા

રાજકોટ મહાનગરપાલિકાનો સ્થાપના દિવસ 19મીએ છે. તેની ઉજવણીના ભાગરૂપે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. જો કે આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે દિવસે સૌરાષ્ટ્રનો પ્રવાસ નક્કી કર્યો હોવાથી રાજકોટ બોલાવવા માટે શાસકોએ પ્રયાસ કર્યા હતા. જે મામલે ગ્રીન સિગ્નલ આવતા જ કમિશનર તુષાર સુમેરા શુક્રવારે જ ગાંધીનગર દોડી ગયા હતા. મુખ્યમંત્રીનો જૂનાગઢ સહિતનો પ્રવાસ નક્કી થયો છે જેમાં તેઓ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેને લઈને રાજકોટ શહેરમાં પણ મનપાના સ્થાપના દિવસે હાજરી આપશે અને મનપાના અલગ-અલગ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા શુક્રવારે ગાંધીનગર રવાના થઈ ગયા હતા અને વંદે માતરમના કાર્યક્રમમાં પણ હાજર રહી શક્યા ન હતા. સીએમનો શિડ્યૂલ આવ્યા બાદ બીજા કાર્યક્રમો પણ ઘડવામાં આવશે. ઈનસાઈડCMને સાંજે હાજર રાખી મેદની બતાવવામાં સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટો પડકાર બનશેરાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સંગીત સંધ્યાનુ આયોજન કરે છે. આ આયોજનને સારો પ્રતિસાદ મળે છે અને લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે તેમને આ મોટી મેદની બતાવવાની ઈચ્છા તો શાસકોને હોય પણ સીએમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કાર્યક્રમ યોજવો અઘરો બની જાય છે. કારણ કે સંગીત સંધ્યા માટે ઘણી વખત ઓવરક્રાઉડ થાય છે અને લોકોને સંભાળવા મુશ્કેલ બની જતા હોય છે. આવી હકડેઠઠ મેદની વચ્ચે સીએમના પ્રોટોકોલમાં જ મોટાભાગની બેઠક વ્યવસ્થા જતી રહેતી હોવાથી ભીડને સંભાળવી મોટો પડકાર બની જશે. આ કારણે અધિકારીઓ જ એવું ધારી રહ્યા છે કે, સાંજે ખાતમૂર્હત અને લોકાર્પણ પૂરા કરીને સીએમ રાજકોટથી રવાના થાય ત્યારબાદ જ સંગીત સંધ્યા શરૂ કરવામાં શાણપણ છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:30 am

હવામાન:રાજકોટ શહેરમાં 5 દિવસમાં લઘુતમ તાપમાન 6.3 ડિગ્રી ઘટી ગયું, ઠંડી વધી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે. રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં લઘુતમ તાપમાન 6.3 ડિગ્રી ઘટી જતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં તારીખ 3 નવેમ્બરને સોમવારે લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી હતું જે તારીખ 7ને શુક્રવારે ઘટીને 18.5 ડિગ્રી થઇ ગયું છે. હાલ દરિયાકાંઠાના પવનની દિશા ઉત્તર અને દક્ષિણ છે, તેમાં પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશા તરફથી છે. શુક્રવારે રાજકોટનું લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 12 નવેમ્બર પછી તાપમાન હજુ 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી રાજકોટનું છેલ્લા 5 દિવસનું મહત્તમ-લઘુતમ તાપમાન

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:28 am

રાષ્ટ્રગીતનું સમૂહગાન:કચ્છની સરહદ રાષ્ટ્ર ગીત વંદે માતરમના નાદથી ગુંજી ઉઠી

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું અને શપથ લઈને સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે.હર્ષ સંઘવીએ BSF જવાનો સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, 176 બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટ યોગેશ કુમાર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:28 am

ના. મુખ્યમંત્રીની ચેતવણી:સરકારી જમીન પર જો કોઈ દબાણ કરશે તો બુલડોઝર ફરશે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વારના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરવા કચ્છની મુલાકાતે આવ્યા હતા.મુલાકાત દરમિયાન કપુરાશી ખાતે ‘ખાટલા બેઠક’માં સહભાગી થયા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના વિઝનને કારણે કચ્છનાં આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામડાઓ લાભાન્વિત બન્યા છે. સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું કે, સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે. ગ્રામજનોને અનુરોધ કર્યો કે તેઓ સીમાપારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે. કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દુષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે. ગામના વડીલો અને યુવાનો સાથે મુક્તમને સંવાદ કરીને ગામના પ્રશ્નો, સામાજિક-આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે, સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે, તો તેના પર બુલડોઝર ફરશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વરિષ્ઠ અધિકારીઓ જેવા કે ગુજરાત સીઆઈડી ક્રાઈમના ડીજી કે.એલ. રાવ, કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:27 am

કર્મચારીની ઘટ:કચ્છમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં 15માંથી 9 કર્મચારીની ઘટ

કચ્છના યુવાનોને રોજગારની તક પૂરી પાડતી જિલ્લા રોજગાર વિનિમય કચેરી જ આજે પોતાના કર્મચારીઓની ઘટનો સામનો કરી રહી છે. કચેરીમાં કુલ 15 મંજુર જગ્યાઓમાંથી માત્ર 6 જગ્યાઓ જ ભરાયેલી છે, જ્યારે બાકીની 9 જગ્યાઓ ખાલી હોવાના કારણે કચેરીની દૈનિક કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ કર્મચારીઓની અછતને કારણે રોજગાર મેળાનું આયોજન, યુવાનોના રજીસ્ટ્રેશન, માર્ગદર્શન તેમજ વિવિધ સરકારી રોજગાર યોજનાઓના અમલમાં વિલંબ થતો હોય છે. ખાસ કરીને મુખ્ય રોજગાર અધિકારીના બે મહત્વપૂર્ણ પદો ખાલી હોવાને કારણે વહીવટી કામગીરી પર સીધી અસર પડી રહી છે. હાલ કચ્છના રોજગાર અધિકારીનો વધારાનો ચાર્જ મોરબી જિલ્લાના રોજગાર અધિકારીને આપવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે. યુવાનો માટે નોકરીની તકો ઉભી કરવા માટે રચાયેલી આ કચેરી આજે પોતે જ કર્મચારીની અછતથી સંઘર્ષ કરી રહી છે. રોજગાર કચેરીની કાર્યક્ષમતા ઘટવાથી કચ્છ જિલ્લામાં રોજગાર પ્રોત્સાહન યોજનાઓની અસરકારકતા ઉપર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક સ્તરે કચેરીમાં કર્મચારીઓની અછતને કારણે રોજિંદા દસ્તાવેજી કામથી લઈને નોકરી શોધતા યુવાનોને માર્ગદર્શન આપવાનું કાર્ય ધીમું પડી ગયું છે. અનેક યુવાનોને તેમની ફાઇલ પ્રક્રિયામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. રોજગાર આપતી કચેરીમાં જ કર્મચારીઓની અછતનું આ દૃશ્ય એ પ્રશ્ન ઊભો કરે છે કે યુવાનોને રોજગાર આપવાની વાતો કરનારી કરનારી સરકાર પોતાની જ કચેરીઓમાં પૂરતા કર્મચારીઓની નિમણુક કેમ નથી કરતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:26 am

ભાસ્કર એક્સક્લૂસિવ:કેરાની એચજેડી કોલેજમાં ચાલતી રક્ષા શક્તિ સ્કૂલમાંથી 20 વિદ્યાર્થીએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવી લીધું

ગજોડમાં આવેલી એચ. જે. ડી કોલેજમાં ચાલતી રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા 20 જેટલા વાલીઓએ પોતાના બાળકોના સર્ટિફિકેટ કઢાવીને શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. બે વર્ષ પૂર્વે એચ. જે. ડી કોલેજમાં સૈનિક સ્કુલ શરૂ થઇ છે. આ અંગ્રેજી મીડીયમ શાળામાં અભ્યાસ કરતા બાળકોની ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે. જો કે સ્કુલમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફો અંગે વાલીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરાઇ હતી. ત્યારબાદ વાલી પ્રફુલભાઈ છગનભાઈ હોથી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં શાળામાં ક્વોલિફાઇડ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા છાત્રોએ પોતાના સર્ટિફિકેટ કઢાવી લીધા હતા. શુક્રવારે મોરબી, દ્વારકા અને જામનગરના વાલીઓ પોતાના બાળકોને મૂકવા માટે રક્ષા શક્તિ સ્કૂલમાં પહોંચ્યા હતા. પરંતુ અગાઉ કરેલી રજૂઆતોનું કોઈ પરિણામ આવ્યું ન હોવાથી અને સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા પણ કોઈ યોગ્ય પ્રતિઉત્તર ન મળતા આખરે વાલીઓએ પોતાના બાળકોના સર્ટિફિકેટ કઢાવી લીધા હતા. વાલીઓએ કરેલી રજૂઆતમાં મુખ્યત્વે ક્વોલિફાઇડ અને કાયમી શિક્ષકોની ઘટ, તેમજ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ચાલતી આ સ્કૂલમાં બાળકોને બોલપેનથી લઈને ભણવાનું, રહેવાનું, જમવાનું, પુસ્તકો, યુનિફોર્મ, બુટ અને બેલ્ટ સહિતની તમામ જરૂરિયાતની વસ્તુઓ શાળાને આપવાની હોય છે. તેમ છતાં સ્કૂલ દ્વારા આવી કોઈ પણ પ્રકારની સુવિધા વિધાર્થીઓને આપવામાં આવી નથી. શાળામાં કોઈ એનસીસી કે પીટીના ટીચરની કાયમી નિમણુક નથી કરાઈ, હોસ્ટેલમાં કાયમી વોર્ડન પણ નથી. બાળકોને બીમારી દરમિયાન સારવાર અર્થે પણ લઈ જવામાં ન આવતા હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ હોસ્ટેલમાં જમવામાં અવારનવાર જીવાત નીકળતી હોવાની વાલીઓએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. હોસ્ટેલમાં અનિયમિત સાફ-સફાઈ અને ટોયલેટમાં ગંદકી હોવાના કારણે છાત્રો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમજ બાળકોને હોમવર્ક કે રીડિંગ માટે ટાઈમ આપવાને બદલે બાળકોને ન ગમતી રમતો માટે સતત ફોર્સ કરીને ત્રણથી ચાર કલાક સુધી તે રમત રમાડવામાં આવે છે. વાલી મીટીંગ પૂર્ણ થયા બાદ વાલીઓ ઘરે જાય, ત્યારે બાળકોને તમે તમારા પેરેન્ટ્સને કેમ ફરિયાદ કરો છો તેમ કહીને ધમકાવવામાં આવે છે. અને માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે સૈનિક સ્કુલના પ્રિન્સીપાલ અને કોલેજના સંચાલક જગદીશ હાલાઇનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ બંનેના ફોન રીસીવ થયા ન હતા. સત્ર શરૂ થાય બાદ સર્ટિફિકેટ કઢાવવાના પ્રતિદિન રૂ.500 ની માંગણી કરવામાં આવીશાળામાં થતી બાળકોને સમસ્યા કારણે જો કોઈ વાલીઓ પોતાના બાળકોને અહીં ભણાવવા માંગતા ન હોય અને સર્ટી લઈ જવા માંગતા હોય, તેવા વાલીઓ પાસેથી નવા સત્રની શરૂઆત બાદ જેટલા દિવસ બાળકોએ શાળામાં અભ્યાસ કર્યો હોય તેટલા દિવસના પ્રતિદિન રૂ.500 લેખે 15,000 થી 21,000 સુધીની ફી સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે, અને ત્યારબાદ સર્ટી અપાતી હોવાનો આક્ષેપ પણ વાલીઓ દ્વારા કરાયો છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:24 am

ફરિયાદ:માંડવીમાં પરિણીતાને ત્રાસ આપનાર પતિ સહીત 4 સામે ગુનો

માંડવીની 36 વર્ષીય પરિણીતાને આરોપી પતિએ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોધાઇ છે. ફરિયાદી રૂપલબેન ગઢવીએ માંડવી પોલીસ મથકે આરોપી પતિ કમલેશ દેવાંગ ગઢવી,કનૈયા દેવાંગ ગઢવી,દેવાંગ લાખા ગઢવી અને સભાઈબેન દેવાંગ ગઢવી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી પતિએ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખી પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.તેમજ અન્ય આરોપીઓએ સાથે મળી ભૂંડી ગાળો બોલી મારકૂટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ ફરિયાદીને ઘરમાંથી કાઢી મૂકી માવીત્રે આશરો લેવા માટે મજબુર કરી હતી. સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:23 am

રાજકોટમાં ફરી ફાયરિંગ:રેલનગરમાં પાર્કિંગના મામલે મહિલાની છેડતી કરી તેના પતિ પર ટોળાંએ હુમલો કર્યો

રાજકોટ શહેરમાં બેફામ બનેલી ગુંડાગીરીને નાથવામાં નિષ્ફળ ગયેલી પોલીસ રાત્રીના વેપારીઓ અને શહેરીજનો પર દંડા ઉગામી રહી છે, પોલીસની નિષ્ફળતાને કારણે શુક્રવારે રાત્રીના રેલનગરમાં માથાભારે પિતા-પુત્રએ ભડાકા કરી આતંક મચાવ્યો હતો, પાર્કિંગના મુદ્દે થયેલી તકરારમાં માથાભારે વૃધ્ધે મહિલાની છેડતી કરી હતી અને ત્યારબાદ તેના પતિ પર હિચકારો હુમલો કરી ફાયરિંગ કરતા હોબાળો મચી ગયો હતો. રતનપરમાં રહેતા અને કાર લે વેંચનો ધંધો કરતાં સંજયભાઇ અભેસિંહભાઇ રાઠોડ (ઉ.વ.40) શુક્રવારે રાત્રીના રેલનગરની અમૃત રેસિડેન્સી-3માં તેના ભાઇના ઘરે હતા અને ત્રણ દિવસ પહેલા થયેલી માથાકૂટમાં સમાધાન માટે ગયા હતા ત્યારે એ વિસ્તારના ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતુ રાઠોડ સહિતનાઓએ હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા સંજયભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે સંજયભાઇ અને તેના પત્ની મીરાબેને જણાવ્યું હતું કે, રેલનગરમાં તેમના ભાઇના ઘરે સપ્તાહનું આયોજન હોય પાંચેક દિવસથી તે ત્યાં હતા, ત્રણ દિવસ પહેલા ઘર પાસે વાહન પાર્ક કરવાના મુદ્દે ગોવિંદ ચાવડા અને તેના પુત્ર જીતું સાથે બોલાચાલી થઇ હતી. બીજા દિવસે કોઇ મધ્યસ્થી અંગે વાત કરવા મીરાબેન ગોવિંદ ચાવડાના ઘરે ગયા હતા ત્યારે 70 વર્ષના ગોવિંદે તેમની છેડતી કરી હતી, જેથી મામલો વધુ બિચક્યો હતો. શુક્રવારે રાત્રે દસેક વાગ્યેસંજયભાઇ સમાધાન માટે ગોવિંદ ચાવડાની ફાયનાન્સની ઓફિસે ગયા હતા ત્યારે અગાઉથી જ ઓફિસમાં હાજર દસેક શખ્સોએ તેમની ધોલાઇ શરૂ કરી હતી મારતા મારતા ચોકમાં લઇ આવ્યા હતા, ત્યારબાદ અમૃત રેસીડેન્સીના બંને ગેઇટ બંધ કરી ચાવડા પિતા-પુત્ર તરફેના ટોળાએઆતંક મચાવ્યો હતો અને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. માથાભારે શખ્સોએ પોતાના કરતૂતને છુપાવવા માટે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ હસ્તગત કરી લીધું હતું. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. ફાયરિંગની વાત શંકાસ્પદ, આરોપી પાસે હથિયારનું લાઇસન્સ હોવાથી ભડાકાની વાત ઉપજાવ્યાની શંકા : ડીસીપી બાંગરવાઘટનાને પગલે હોસ્પિટલે દોડી ગયેલા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, હુમલાનો ભોગ બનેલા સંજય રાઠોડે ફાયરિંગની વાત કરતાં પોલીસની ટુકડી સ્થળ પર દોડાવવામાં આવી હતી પરંતુ ફાયરિંગ થયાના કોઇ પુરાવા હજુ સુધી મળ્યા નથી, મારામારીની ઘટના ચોક્કસપણે બની છે અને હુમલાખોર પાસે પરવાના લાઇસન્સ હોવા અંગેની ભોગ બનનારને જાણ હોવાથી તેમણે ફાયરિંગ થયાની વાત ઉપજાવ્યાની શંકા છે, જોકે આ મામલે તપાસ ચાલું છે અને જો ફાયરિંગ થયાનું સ્પષ્ટ થશે તો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાશે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:21 am

ભાસ્કર વિશેષ:પર્યાવરણ સંરક્ષણની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘પાની ઔર પંખ’ જયપુર ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામી

માંડવીના યુવા ફિલ્મ નિર્માતાઓ ધાર્મિક ભટ્ટ અને વિનોદભાઈ મહેશ્વરી દ્વારા નિર્મિત પર્યાવરણ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘પાની ઔર પંખ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે બે પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર નોમિનેશન મળ્યા છે. સ્વીડિશ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (SIFF) 2025 માં નોમિનેશન મેળવ્યા બાદ, હવે આ ફિલ્મને ભારતના સૌથી મોટા અને ગૌરવપૂર્ણ જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (JIFF) માટે પણ નોમિનેશન પ્રાપ્ત થયું છે. સિનેમાનો સૌથી મોટા સંગમ એવા JIFF 2026 નું આયોજન 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન જયપુરને બદલે ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થશે. આ વર્ષે JIFF, JIFF–NDFF ગ્લોબલ સિને કૉન્ફ્લુઅન્સ, દિલ્હી ફિલ્મ કન્વેન્શન એન્ડ સમિટ 2026” ના બેનર હેઠળ યોજાઈ રહ્યો છે. જેનો ઉદ્દેશ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાનો અને ભારતને ‘સિનેમાના વૈશ્વિક હબ’ તરીકે સ્થાપિત કરવાનો છે. વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, વિતરકો અને નીતિ નિર્માતાઓ માટે આ એક મહાન સંગમ છે અને તેમાં કચ્છની ફિલ્મનું નોમિનેશન મળવું, એ ગુજરાત માટે ગૌરવની વાત છે. ધાર્મિક ભટ્ટ, મોનિકા જોષી અને વિનોદ મહેશ્વરી જેઓ તેમની સંસ્થા ‘સિક્યોર નેચર’ દ્વારા પર્યાવરણ શિક્ષણ અને જાગૃતિ માટે કામ કરે છે, તેમણે માહિતી આપી કે તેઓ માત્ર ‘પાની ઔર પંખ’ પર જ અટક્યા નથી, પરંતુ અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાનિક ઇકોસિસ્ટમ પર કેન્દ્રિત વધુ કેટલીક ડોક્યુમેન્ટરીઝ પર પણ હાલમાં કામ કરી રહ્યા છે. તાજા પાણીના ઇકોસિસ્ટમનું સંરક્ષણ તેની વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ છે. મહત્વની વાત એ છે કે, આ ડોક્યુમેન્ટરીનું કામ શરૂ કર્યું તે પહેલાં જ, અમે ટોપણસર તળાવની મનમોહક સુંદરતા અને સંવર્ધન માટે સ્થાનિક સ્તરે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કરી દીધું હતું. અને ભૂતકાળ માં હજારો કિલો કચરો સિકયોર નેચરના સ્વયંસેવકો સાફ કર્યો છે. ફિલ્મમાં તળાવની સુંદરતા, પડકારો દર્શાવ્યા છે‘પાની ઔર પંખ’ માંડવીના સદીઓ જૂના ટોપણસર તળાવનું વાસ્તવિક ચિત્ર રજુ કરે છે, જે હજારો જળચર જીવો અને 45થી વધુ પક્ષી પ્રજાતિઓ, જેમ કે પેઇન્ટેડ સ્ટોર્ક અને પેલિકનનું આશ્રયસ્થાન છે. આ ફિલ્મ તળાવની સુંદરતાની સાથે-સાથે ગંદકી અને પ્રદૂષણના પડકારોને પણ નિર્ભીકપણે ઉજાગર કરે છે. અને એક સંદેશો આપવા માંગે છે કે, જે તળાવ અને નદીઓએ માનવ જાતને હજારો વર્ષો સુધી સાચવ્યા અને જેના કારણે માંડવી જેવા ગામનું અસ્તિત્વ શક્ય બન્યું તેને સહેલાઈથી કેમ ભૂલી જઈએ.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:21 am

બેસવાની આ કેવી રીત?:આ કોઈ અસામાજિક તત્વ નથી, પોલીસચોકીમાં બેઠેલો કોન્સ્ટેબલ છે

સામાન્ય નાગરિક હોય, સરકારી અધિકારી કે કર્મચારી હોય, રાજનેતાઓ હોય કે સાધુ-સંતો. પ્રથમ વખત તેઓને મળી તો સામેવાળી વ્યક્તિ કેવી છે અથવા તો કેવી હશે? તે તેના આચાર-વિચાર અને વાણી વર્તન પરથી જ નક્કી થઇ શકે. આ તસવીર જોઇને પ્રથમ દ્દષ્ટિએ એવું લાગે કે કોઈ જુગાર ક્લબ કે અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તેવું સ્થળ હશે ! પરંતુ એવું નથી. આ તસવીર છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી પોલીસચોકીની અને ખુરશી પર કંઈક અલગ જ અંદાજથી બેઠેલી આ વ્યક્તિ કોઈ અસામાજિક તત્વ, જુગાર ક્લબનો સંચાલક કે ક્રાઈમની દુનિયાનો ડોન નથી. પણ ડિસિપ્લિન ફોર્સ એટલે કે રાજકોટ પોલીસ વિભાગનો જ કર્મચારી છે. આ મહાશય પોલીસમેન છે. હવે લોકોએ જ નક્કી કરવાનું છે કે, આ પોલીસમેનની બેસવાની રીત આવી છે તો પછી તેની કામ કરવાની પદ્ધતિ કેવી હશે?

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:20 am

ઉજવણી:‘વંદે માતરમ્ ગીત રાષ્ટ્રભાવના, ગૌરવ, આદર, સન્માનનું પ્રતિક છે’

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્’ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. અંજારના દબડાની નગર પ્રાથમિક શાળા નં. ૬ ખાતે યોજાયેલા સમારોહમાં “વંદે માતરમ્ ગીત રાષ્ટ્રભાવના, ગૌરવ, આદર, સન્માનનું પ્રતિક છે’ તેમ રાજ્યમંત્રી દ્વારા જણાવાયું હતું. અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત સમારોહમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઇ છાંગાએ અધ્યક્ષીય વક્તવ્યામાં જણાવ્યું હતું કે, આઝાદી માટે લડનાર વીરોએ પોતાનું જીવન ન્યોછાવર કર્યુ ત્યારે મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. ‘વંદે માતરમ્’ ગીત આઝાદી પૂર્વે દેશને એક તાંતણે બાંધવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેના દરેક શબ્દમાં રાષ્ટ્રભાવના, ગૌરવ, આદર અને મા ભારતી પ્રત્યે સન્માન ઝલકે છે. તેમણે શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રેમ વગર દેશની ઉન્નતિ શક્ય નથી, નૈતિક પ્રગતિ શિક્ષણના માધ્યમથી થાય છે ત્યારે દેશની આવનારી પેઢીમાં રાષ્ટ્રગીતના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ તથા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે. પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીતમાં ભવિષ્યના ભારતની ઝલક જોવા મળે છે. નગર પાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતિ અધિકારીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યુ હતું અને સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા. મામલતદાર ભગવતીબેન ચાવડા, વસંત કોડરાણી, હિતેન વ્યાસ, શિલ્પાબેન બુધ્ધભટ્ટી, પાર્થ સોરઠીયા, નિલેશગીરી ગોસ્વામી, કલ્પનાબેન ગોર, અશ્વિન સોરઠીયા, ક્રિપાલસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:19 am

સિટી એન્કર:3 વર્ષમાં દિવાળીમાં નવા વાહન ખરીદનારા 69% વધ્યા, બે મહિનેજેટલાં વાહન વેચાય એટલા તહેવારના એક જ માસમાં ખરીદાયા!

આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન વાહનોની ખરીદીમાં ગત ત્રણ વર્ષની સરખામણીએ જબરદસ્ત તેજી જોવા મળી છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, દિવાળીના એક જ મહિનામાં નવા વાહનો ખરીદનારાઓની સંખ્યામાં 69%નો વિક્રમી વધારો નોંધાયો છે, જે બજારમાં આવેલી તેજી અને ગ્રાહકોના ઉત્સાહને દર્શાવે છે. સામાન્ય દિવસોમાં બે મહિનામાં જેટલા વાહનો વેચાય છે, તેટલા વાહનો આ વર્ષે દિવાળીના તહેવારના એક જ મહિનામાં વેચાયા હોવાનું આંકડાઓ પરથી સાબિત થાય છે. 2023માં દિવાળીના મહિનામાં 10,449 વાહનો ખરીદાયા હતા જે 2025ની દિવાળીમાં વધીને 17,665 થઇ ગયા! આ વધારો માત્ર આર્થિક સુધારા જ નહીં, પરંતુ લોકોની બદલાયેલી જીવનશૈલી અને તહેવારોમાં ‘શુભ’ ખરીદીની પરંપરાને પણ ઉજાગર કરે છે. 69%નો વધારો એ દર્શાવે છે કે, કોરોના મહામારી પછી બજારમાં ફરી રોનક આવી છે અને લોકો ખુલ્લા દિલથી ખર્ચ કરવા તૈયાર થયા છે. આ વર્ષે ધનતેરસ અને દિવાળીના શુભ મુહૂર્તમાં વાહન લેવા માટે ગ્રાહકોમાં પડાપડી જોવા મળી. પરિણામે, જે વેચાણ સામાન્ય રીતે બે મહિનામાં થાય છે તે અમે એક જ મહિનામાં પૂર્ણ કરી દીધું.આંકડાઓ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, રાજકોટની બજાર સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. તહેવારોની આ તેજી આવનારા ક્વાર્ટર્સમાં પણ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે આશાનું કિરણ લઈને આવી છે.ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને SUV સેગમેન્ટમાં માંગ વધીઆ વર્ષે ખાસ કરીને ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને SUV સેગમેન્ટમાં માંગ વધારાની રહી છે. લોકો પરંપરાગત પેટ્રોલ-ડીઝલ વાહનોની તુલનાએ હવે ટેક્નોલોજી અને બચત તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. અનેક શોરૂમોએ દિવાળી પહેલાં જ નવા બુકિંગની રેકોર્ડ સંખ્યા નોંધાવી હતી, 3 વર્ષનું સરવૈયું | વર્ષ 2025ના ઓક્ટોબર સુધીમાં જ શહેરમાં 1.02 લાખ વાહનો વેચાયાં આકર્ષક ડિસ્કાઉન્ટ, સરળ ફાઇનાન્સ વિકલ્પો અને નવા મોડેલોને લીધે ખરીદી વધીવાહન ડીલરો અને ઓટોમોબાઇલ સેક્ટરના નિષ્ણાતો માટે આ આંકડા ખૂબ જ પ્રોત્સાહક છે. તહેવારો દરમિયાન કંપનીઓ દ્વારા આપવામાં આવતા આકર્ષક ડિસ્કાઉન્ટ, સરળ ફાઇનાન્સ વિકલ્પો અને નવા મોડેલોની રજૂઆતને કારણે ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછી અર્થતંત્રમાં ઝડપથી પુનરુત્થાન આવ્યું છે, નોકરી અને વેપારની સ્થિરતા વધતાં મધ્યમ વર્ગની ખરીદ શક્તિ પણ વધેલી છે. સાથે જ, બેંક અને નાણાકીય સંસ્થાઓ દ્વારા આકર્ષક લોન યોજના, 0% વ્યાજની ઓફરો અને ફેસ્ટિવલ કેશબેક સ્કીમો પણ ખરીદીમાં પ્રોત્સાહનરૂપ બની છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:18 am

ઉજવણી:દેશપ્રત્યેની પ્રતિબદ્ધતા, સ્થાનિક ઉત્પાદનો માટે પ્રોત્સાહન જરૂરી

રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ યુનિવર્સિટીમાં ઉજવણી કરાઈ હતી. ઉચ્ચ શિક્ષણ કમિશનરના પરિપત્ર અનુસાર, યુનિવર્સિટીએ આ રાષ્ટ્રવ્યાપી પ્રસંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.કુલપતિ, રજીસ્ટ્રાર, વિવિધ વિદ્યાશાખાઓના ડીન વિભાગીય વડા, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9.30 કલાકે તમામ અધિકારી અને કર્મચારીઓ એક સાથે ઊભા રહીને રાષ્ટ્રગીત વંદે માતરમનું ગૌરવભેર સામૂહિક ગાન કર્યું હતું.જે બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતના સન્માનમાં સ્વદેશી અપનાવવા બાબતે શપથ લીધી, જે દેશપ્રત્યેની પ્રતિબદ્ધતા અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ છે. કુલપતિ ડો.મોહન પટેલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા જણાવ્યુ હતું અને સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીને આગળ વધારવા સૌને સાથે મળીને પ્રયાસ કરવાની અપીલ કરી હતી.સંચાલન ડો. કનિષ્ક શાહ દ્વારા કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:13 am

સિટી એન્કર:ગરમ વસ્ત્રોના ધંધાર્થી તિબેટીયનો માટે ભુજ ઘર સમાન

હાલ જિલ્લામાં વહેલી સવારે અને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ સાથે પ્રવાસન સિઝનની પણ શરૂઆત થઈ છે.આ સમય દરમિયાન અન્ય રાજ્યોના લોકો કચ્છમાં ખાસ ગરમ વસ્ત્રોના વેપાર અર્થે આવતા હોય છે. ખાસ કરીને હિમાલયના પહાડી પ્રદેશમાંથી આવતા તિબેટિયન વેપારીઓ દર વર્ષે અહીં પોતાના ખાસ વિન્ટર કલેક્શન સાથે પહોંચે છે.તિબેટીયન એસોસિએશનના લગભગ 45 થી વધુ વેપારીઓ છેલ્લા 13 વર્ષથી શિયાળાની ઋતુમાં ભુજ અને ગાંધીધામમાં હસ્તનિર્મિત ગરમ કપડાં વેચવા માટે આવે છે શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ, વિડી હાઈસ્કૂલ રોડ નજીક તિબેટિયન માર્કેટમાં ઘરાકી જોવા મળી રહી છે. તિબેટીયન બજારમાં બાળકોથી લઈને વયોવૃધ્ધ સુધીના લોકો માટેની ઘણી વસ્તુઓ વેચવામાં આવતી હોય છે જેમાં જેકેટ, વૂલન ટોપી, શોલ, સ્વેટર, મફલર, હાથમોજા, કોટ જેવી ઊનની અલગ અલગ બનાવટો જોવા મળે છે. આ કપડાં ગુણવત્તાયુક્ત હોય છે જેના લીધે ઓછાથી સામાન્ય ભાવમાં વેચાણ કરતા હોય છે.વેપારીઓ નવેમ્બર માસથી ગુજરાતના વિવિધ શહેરોમાં વ્યવસાય અર્થે આવે છે, જેમાં ભુજ પણ તેમનું મહત્વનું કેન્દ્ર છે. રૂબરૂ મુલાકાત દરમ્યાન વેપારીઓએ જણાવ્યું કે, તેઓ દર વર્ષે 3 થી 4 મહિના ભુજમાં રહે છે. સ્થાનિકોની મદદથી આગમન પહેલા જ તેમના રહેવાની વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવતી હોય છે અને વર્ષોથી આવતા હોવાથી સ્થાનિકો સાથે સુમેળભર્યા સંબંધો કેળવી ચૂક્યા છે. વ્યવસાયની સાથે સલામત વાતાવરણ અને લાગણી તેમને કચ્છ ખેંચી લાવે છે. વેપારની સિઝન પૂરી થયા બાદ તેઓ માંડવી, સફેદ રણ જેવા સ્થળોની સુંદરતા માણવા ઉમટી પડતા હોય છે આ વખતે બધાએ રોડ ટુ હેવન જવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે. મહિલાઓ માટે કચ્છ સલામત અને સુરક્ષિતતિબેટીયન વેપારીઓ પરિવાર સાથે ભુજમાં આવે છે અને રહે છે તેઓ મહિલાઓની સલામતી બાબતે જણાવે છે કે,છેલ્લા 15 વર્ષોમાં તેમણે ક્યારેય કોઈ હિંસા કે સમસ્યાનો સામનો કર્યો નથી જરૂર પડ્યે સ્થાનિક લોકો દરેક પગલે અમારી સાથે ઊભા રહે છે અમારા સાથે આવેલી મહિલાઓ દિવસ કે રાત્રિના સમયે અવરજવરમાં ડરતી નથી.સલામતી અનુભવે છે. માત્ર વેપાર નહીં, પણ સંસ્કૃતિના મિલનનો ઉત્સવતિબેટિયન માર્કેટમાં ફરતા ગ્રાહકોને માત્ર કપડાં જ નહીં, પરંતુ તિબેટની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ધૂપની સુગંધ, બુદ્ધ પ્રતિમાઓ, તિબેટીયન ધ્વજ અને રંગીન ઉની કપડાઓ આખા માહોલને જીવંત બનાવી દે છે. અહીંના વેપારીઓ માટે આ માત્ર વેપાર નથી, પરંતુ પોતાના પરંપરાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે. કચ્છની દાબેલી અને પાણીપુરી દાઢે વળગેલા છેવેપારીઓએ જણાવ્યું કે, જમવાની વ્યવસ્થા રોકાણ સાથે કરાતી હોય છે પરંતુ બધાને કચ્છની દાબેલી, પાણીપુરી, ભેળ જેવા વ્યંજનો દાઢે વળગેલા છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:12 am

જન જાગૃતિ અભિયાન:ભુજ તાલુકાના કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા 16 ઓક્ટોબરથી કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાનમાં પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આજે ભુજના રૂદ્રાણી જાગીરથી સંતોના આશીર્વાદ લઈને ભુજ તાલુકામાં કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનમાં પ્રારંભ કરવામાં આવશે. મહારૂદ્દાણી જાગીરથી રથનું સવારે 9 કલાકે પ્રસ્થાન થશે ત્યાંથી નોખાણીયા, લોરીયા હનુમાનગઢ, સુમરાસર શેખ, બપોરે ઢોરી ખાતે 1 કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી કુનરીયા, કોટાય, ધ્રંગ અને સાંજે 6 કલાકે લોડાઈ કેશવનગર ખાતે મહાસભાનું આયોજન કરાયું છે. આ રથ આગામી 7 દિવસમાં ભુજ તાલુકાના 70 વિવિધ ગામોમાં ફરીને ખેડૂતોની વિવિધ પડતર માંગો સંદર્ભે અવગત કરશે. સરકારને અનેક વખત રજુઆતો અને અલ્ટીમેટમ આપ્યા બાદ પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખની છે કે 16 ઓક્ટોબરથી ભચાઉ ના જંગીથી આ લડત અભિયાનનો પ્રારંભ થયો હતો. ભચાઉ, રાપર અને અંજાર બાદ હવે ભુજના ગામડાઓમાં આ લડત સમિતિ દ્વારા કિસાન જાગૃતિ માટે રથ ફેરવવામાં આવશે, ઉલ્લેખની છે કે માંડવી તાલુકાના ગામોમાં બે નવેમ્બરથી જાગૃતિ અભિયાન ચાલી રહ્યું હોવાનું ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલએ જણાવ્યું હતું

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:10 am

ઉલ્કાવર્ષા:16 થી 18 નવેમ્બર સવાર સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોવા મળશે

આગામી 16 થી 18 નવેમ્બરની વહેલી પરોઢે લિઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્ભુત ખગોળીય નજારો આકાશમાં જોવા મળશે.દર વર્ષે નવેમ્બરની શરૂઆતમાં દેખાતી આ ઉલ્કાવર્ષા રાત્રી આકાશને પ્રકાશિત કરતી હોય છે. ખગોળપ્રેમીઓએ મધ્યરાત્રિ બાદથી વહેલી સવાર સુધી આ નજારો માણી શકશે. ભારત જનવિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ, લિઓનીડસની આ સિંહ રાશિની ઉલ્કાવર્ષા ધૂમકેતુ ટેમ્પલ સાથે સંબંધિત છે, ઉલ્કાઓનું કેન્દ્રબિંદુ સિંહ રાશિમાં હોવાથી તેને સિંહ ઉલ્કાવર્ષા કહે છે.જે પોતાના પરિક્રમણ દરમિયાન પૃથ્વીની કક્ષા સાથે ટકરાય છે. આ દરમિયાન ઉલ્કાના ટુકડાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી સળગી ઊઠે છે અને તેજસ્વી અગ્નિરૂપે દેખાય છે, ત્યારે તેને મેરિયોટ ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનીઓ મુજબ, પૃથ્વી પર દરરોજ આશરે 40 ટન ઉલ્કાઓ પ્રવેશે છે, જોકે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે તે દેખાતી નથી. હાલમાં જ દિવાળીનો તહેવાર પૂરો થયો છે ત્યારે લોકો આકાશીય આતશબાજીને યાદ કરી રહ્યા હોય ત્યારે આ દિવસોમાં રાત્રીના સ્વચ્છ આકાશમાં લોકો માટે પ્રકૃતિની આતશબાજી જેવો અદભુત દ્રશ્ય માણવાની તક મળશે. દર વર્ષે નવેમ્બર માસમાં રાત્રીના સમય ઉલ્કાવર્ષા આકાશને પ્રકાશિત કરતી હોય છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:10 am

સાયબર ફ્રોડ:ભુજની યુવતી સાથે ગ્રાહક સુરક્ષા દળના નામે 1.61 લાખની ઠગાઈનો બનાવ

શહેરમાં આવેલ કચ્છ લાઈફ કેર હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીએ મીસો શોપિંગ એપ મારફતે મંગાવેલા આઈ ફોનનું ચાર્જર કવર ઓછુ આવતા ગુગલ મારફતે મેળવેલા ગ્રાહક સુરક્ષા દળના નંબર ફોન કર્યા બાદ સાયબર ઠગોએ શીશામાં ઉતારી બેંક ખાતામાંથી રૂપિયા 1.61 લાખ પડાવી લીધા. આઈયા એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી નિરલબેન સુભાષભાઈ પવાણી(ઠક્કર)એ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ત્રણ મોબાઈલ નંબર અને બે બેંક ખાતાના ધારકો વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. 7 એપ્રિલના મીસો શોપિંગ એપમાંથી આઈ ફોનના ચાર્જર કવર નંગ 2 મંગાવ્યા હતા.જે બાદ 11 એપ્રિલે આવેલા ચાર્જર કવર ખરાબ હોવાથી બદલવા માટે પરત કાર્ય હતા. પરંતુ 12 એપ્રિલના એકજ ચાર્જર કવર આવતા આ મામલે મીસો શોપિંગ એપે હાથ અદ્ધર કરી લીધા હતા.જેથી ફરિયાદીએ ગુગલ મારફતે ગ્રાહક સુરક્ષા દળના નંબર મેળવ્યા હતા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો.જે બાદ 16 એપ્રિલના આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરી ગ્રાહક સુરક્ષાના નામે વાત કરી હતી અને એક લીંક મોકલાવ્યા બાદ તેમાં ફરિયાદ કરવા કહ્યું હતું.આરોપીઓએ અલગ અલગ સમયે વાતચીત કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ તેમના બેંક ખાતામાંથી રૂપિયા 1,61,500 ઉપાડી લીધા હતા. પોલીસના સુચનો છતાં લોકો વિશ્વાસમાં આવી જાય છેસાયબર ફ્રોડના બનાવો હાલ વધી રહ્યા છે જેના કારણે પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમો સહીત સમાચારના માધ્યમો મારફતે લોકોને સાવચેતી રાખવા સુચનો આપવામાં આવે છે.ગુગલ મારફતે મેળવેલા નંબર અને અજાણી લીંક ખોલી તેમાં વિગતો ભરવા મામલે પણ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.તેમ છતાં સાયબર ઠગોના વિશ્વાસમાં આવી લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:09 am

યુધ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી શરૂ:બે દિવસ પાણી સાચવીને વાપરજો ફરીથી નર્મદાની લાઈનમાં ભંગાણ

ભુજને પાણી સપ્લાય કરતી નર્મદાની મુખ્ય લાઈનમાં એક મહિના પહેલા ઓક્ટોબર 12 તારીખે રતનાલ પાસે ભંગાણ પડ્યું હતું. જેને કારણે ચારેક દિવસ સુધી પાણી વિતરણ ખોરવાયું હતું. ફરીથી બુધવારે રાત્રે માધાપર પોલીસ ચોકી પાસે બ્રિજની બાજુમાં નગરપાલિકાની પાણીની લાઈનમાં લીકેજ થતા ઉપરથી સપ્લાય બંધ કરવામાં આવે છે. યુદ્ધના ધોરણે કામ ચાલુ છે અને નગરપાલિકાએ રિલીઝ કરેલી પ્રેસનોટમાં જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકા પાણી પુરવઠા યોજના નર્મદાની પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડેલ હોઇ આવનાર બે દિવસથી પાણીની લાઈનની મેન્ટેનન્સની કામગીરી યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે. આ કામગીરી બે દિવસમાં પૂર્ણ થશે. ભુજ શહેરને મળતું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી શકશે નહીં. જેના કારણે ભુજ શહેરમાં કરવામાં આવતી પાણીના સપ્લાયમાં એક કે બે દિવસનો વિલંબ થશે તેવું ભુજ નગરપાલિકાના વોટર સપ્લાયના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું. આ ઉપરાંત ઇન્ચાર્જ મુખ્ય અધિકારી અનિલ જાદવ તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતા જ પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ભુજ શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં પણ પાણીની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે હવે લાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે આગામી બે દિવસ સુધી ભુજના તમામ વિસ્તારોને પાણીથી વંચીત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:08 am

ડિઝાઇન પેટન્ટ કરવામાં આવી:ઘરમાં હવા ઉજાસ જાળવી મજબુતી આપતા કોંક્રીટ બ્લોકને મળ્યું પેટન્ટ

સિવિલ એન્જિનિયરિંગ અને ફાઇન આર્ટ્સ ક્ષેત્રના સંયુક્ત પ્રયાસથી એક અનોખી અને સર્જનાત્મક ડિઝાઇન પેટન્ટ “બોટનિકલ પેટન્ટ કોંક્રીટ વેન્ટિલેશન બ્લોક રિનફોર્સ્ડ વિથ પોલીપ્રોપીલિન ફાઇબર”ને સફળતાપૂર્વક પ્રકાશિત થઈ છે. જે એન્જિનિયરિંગ અને કળાનું અદ્વિતીય સંમિશ્રણ રજૂ કરે છે. આ નવીન ડિઝાઇનનું નિર્માણ અને પેટન્ટ ફાઇલ સી.કે. પીઠાવાલા કોલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. અનુજ ચાંદિવાલા અને VNSGUના ફાઇન આર્ટ્સ વિભાગના તાત્કાલિક શિક્ષણ સહાયક પ્રો. માનસી ચાંદિવાલાએ કરી હતી. આ ડિઝાઇન કુદરતથી પ્રેરિત બોટનિકલ સેમ્પલના આધારે વિકસાવવામાં આવી છે. ભેજવાળા હવામાનમાં આંતરિક હવાનું સ્તર સુધારે છેઆ કોંક્રીટ બ્લોક ટેકનોલોજીને સૌંદર્ય, ટકાઉપણું અને પર્યાવરણમૈત્રી દ્રષ્ટિકોણ સાથે જોડે છે. બ્લોકની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેમાં હવાનો પ્રવાહ અને પ્રકાશનું નિયંત્રિત વિતરણ થાય છે, જેના કારણે ગરમ અને ભેજવાળા હવામાનમાં ઈમારતોની આંતરિક હવાનું ગુણોત્તર સુધરે છે અને એનર્જીની બચત થાય છે. પોલીપ્રોપીલિન ફાઇબરના ઉમેરાથી બ્લોક વધુ મજબૂત બને છે અને લાંબા ગાળે માળખાની સ્થિરતા જાળવી રાખે છે. આ વેન્ટિલેશન બ્લોકનો ઉપયોગ ફેક્ટરી, એલિવેશન પેનલ, કમ્પાઉન્ડ વોલ, અને પ્રાઈવસી પાર્ટિશન તરીકે થઈ શકે છે. જે રહેણાંક તેમજ જાહેર ઈમારતો માટે આકર્ષક અને ઉપયોગી સોલ્યુશન છે. આ ડિઝાઇન નેચર ફેન્ડલી, એનર્જી સેવિંગ, ટકાઉ માળખું, સૌંદર્યમય ડિઝાઇન, તિરાડ પ્રતિરોધકતા અને સર્જનાત્મક આર્કિટેક્ચરલ તરીકે શ્રેષ્ઠ છે. જે એન્જિનિયરિંગના વૈજ્ઞાનિક અભિગમને કળાની એસ્થેટિક દ્રષ્ટિ સાથે સંકલિત કરે છે. તે ખાસ કરીને રહેણાંક તેમજ જાહેર ઇમારતો માટે યોગ્ય છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:08 am

રિફિલિંગ મરજિયાત !:સરકારી સંકુલોમાં ‘ફાયર એક્સટીંગ્યુશર’ ફરજિયાત,

ગત 25 મે, 2024ના રોજ સાંજે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લોકોની ભીડ ઉમટી હતી. જે દરમિયાન ભીષણ આગ લાગી હતી. જેમાં 28ના મોત નીપજ્યા હતા. આ અગ્નિકાંડ થયો ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આગના બનાવો બને તો બચાવ માટે શું કરવું જોઈએ તેના માર્ગદર્શન સેમિનાર યોજાયા સરકારી સંકુલો, શાળાઓ, ખાનગી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની તપાસ અને ન હોય તો કડક અમલવારી કરવામાં આવી. ફાયર એક્સટીંગ્યુશર દરેક સરકારી કચેરીઓમાં ફરજિયાત આવી ગયા પરંતુ તેને દર વર્ષે કે રિફિલિંગ કરાવવાનું હોય અને તે તેના ઉપર તારીખ દ્વારા દર્શાવવામાં આવે કે આગામી તારીખ સુધી વપરાશ ચોક્કસ પરિણામ આપે. ભુજની સરકારી ઇમારતોમાં ઠેર ઠેર દરેક દીવાલ પર ફાયર એક્સટીંગ્યુશર છે પરંતુ તેને રિફીલ કરાવવા માટે જે તે કચેરી ગંભીર ન હોય તેવું સ્પષ્ટ દેખાય છે. તસવીરમાં ભુજના બહુમાળી ભવન, સિટી સર્વે ભવન વગેરે સંકુલમાં લાગેલા આ ઇક્વિપમેન્ટમાં ગત મે કે જૂન મહિનામાં મુદત પૂરી થઈ ગઈ છે પણ હજુ રિફીલ કરાવાઈ નથી. આવી જ પરિસ્થિતિ અન્ય સંકુલમાં પણ છે. એકમાત્ર કલેક્ટર કચેરીમાં એપ્રિલ 2026 સુધી રિફિલ થઈ ગયેલું દર્શાવે છે. બહુમાળી ભવનમાં તો વિશાળ કોમ્પલેક્ષમાં દરેક ફ્લોર પર લોબીમાં માત્ર ચાર ચાર ફિટ કરાયા છે. આગ લાગે તો બચાવ થઈ શકે કે નહીં તે સવાલ છે. કોઈ ઘટના બને ત્યારે ગંભીરતા હોય છે ત્યારબાદ પાછું જૈસે થે તેવું થઈ જાય છે.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:07 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:વિયેતનામમાં 9થી વધુ દેશોના કલાકારો સાથે સુરતના વિદ્યાર્થીઓ ઝળહળ્યા

ઈન્ડિયાઝ ઇન્ટરનેશનલ ગ્રુવ ફેસ્ટ 2025નું આયોજન વિયેતનામ ખાતે કરાયું હતું. જેમાં 9થી વધારે દેશોના 300થી વધારે કલાકારોની સાથે સુરતના શ્રદ્ધા શાહ ટેપર્સ ડાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઇને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર 14 સેમી ક્લાસિકલ ડુઇટમાં પ્રથમ ઇનામ વૈશ્વી અને મૈત્સ્યા, ત્રીજું ઇનામ માહિર અને ટિઆરા અને પ્રોત્સાહન ઇનામ હીર મિષ્ટીને આપવામાં આવ્યું હતું. જ્યારે 14 વર્ષ અને તેનાથી વધુની ઉંમરની સ્પર્ધામાં સ્કૂલના વિદ્યાર્થી પંક્તિ, સાનવી, ગરિમા અને સાનવીને સેમીક્લાસિકલ કેટેગરીમાં દ્વિતીય અને કળાગુરુ શ્રદ્ધા શાહે બેસ્ટ કોરીઓગ્રાફીની ઉત્સવ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરી દેશ અને શહેરનું ગૌરવ વધાર્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:06 am

રાજ્યપાલના હસ્તે વૃક્ષારોપણ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાંકાનેર ખાતે વૃક્ષારોપણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુક્રવારે વાંકાનેર ગ્રામ પંચાયત પરિસરમાં અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલએ છોડ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો. સાથે જ ઉપસ્થિત સૌને જન્મદિન કે ઉજવણીના પ્રસંગે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, નાયબ વન સંરક્ષક તેમજ ગામના સરપંચએ છોડ રોપીને અભિયાનને પોષિત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:04 am

દુષ્કર્મનો મામલો:લિંબાયતની સગીરા સાથે બનેવી દુષ્કર્મ કર્યું, સારવાર માટે લઇ જવાતા ભાંડો ફૂટ્યો

લિંબાયતની 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનત બગાડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખતા તેણીને સ્મીમેર સારવાર માટે લઇ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં 25 વર્ષીય બનેવી ગોડાદરામાં રહે છે અને ઓનલાઇન ડિલીવરીનું કામ કરે છે. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં 17 વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયા હતા. જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા તેની ધરપકડ કરાઇ હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:03 am

પ્રેમ સંબંધ જાહેર થઇ જતાં સાસુએ પુત્રવધૂનો સાથ આપ્યો:મહિલાએ તેને આશરો આપનારી મિત્રના પતિને પ્રેમજાળમાં ફસાવ્યો

સમાની પરિણિતાએ તેની બહેનપણીનો પતિ સાથે ઝઘડો ચાલતો હોવાથી ઘરમાં આશરો આપ્યો હતો. જોકે બહેનપણીએ આશરો આપનાર પરિણિતાના પતિને પ્રેમમાં ફસાવ્યો હતો. પરિણિતાએ અભયમ બોલાવતાં કાઉન્સેલિંગ બાદ પતિ અને મિત્રે પરિણિતાની માફી માંગી હતી. સમા રહેતી મહિલા ધાર્મિક પ્રવૃતિ કરતી હતી. આ જ વિસ્તારમાં રહેતી પરિણિતાએ મિત્રભાવે મહિલા અને તેના પુત્રને ઘરે આશરો આપ્યો હતો. થોડા સમય બાદ પરિણિતાને જાણ થઇ કે, પતિનું મહિલા સાથે અફેર ચાલે છે. જેથી પરિણિતા તેના પતિને લઇ ગામ જતા રહ્યા હતા. ગુરુવારે રાત્રે પતિ સમયે ઘરે ન આવતા પરિણિતાએ તપાસ કરતાં મહિલાના ઘરની બહાર પતિની બાઈક હતી . પરિણિતાએ અભયમને બોલાવતાં તેની મિત્ર અને પતિનું કાઉન્સેલિંગ કરાયું હતું. પતિએ આવા સબંધ નહી રાખું જેની ખાત્રી આપી હતી. મહિલાએ પણ માફી માંગી હતી. નોંધનિય છે કે, પરિણિતાના સાસુ પુત્રવધુની પડખે ઉભા રહ્યા અને પોતાના દિકરાને ત્યજવાની તૈયારી બતાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Nov 2025 5:03 am