SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

પંચમહાલ સ્કવોર્ડે 15 વર્ષથી ફરાર ચોરીના આરોપીને પકડ્યો:પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયકને કાલોલ તાલુકાના મલવાણ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. પંચમહાલ રેન્જના IGP આર.વી. અસારી અને SP ડૉ. હરેશભાઈ દુધાતે વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચનાના આધારે, પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઈ. બી.એમ. રાઠોડે પરિણામલક્ષી કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત, પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઇ. રૂપસિંહ કલાભાઇને હ્યુમન સોર્સિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સાંતલપુર પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં-64/2010 અને ફ.ગુ.ર.નં.69/2010, IPC કલમ 379, 411, 114 મુજબના ચોરીના ગુનામાં ફરાર આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયક, રહે. મલવાણ કરોલી ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ, હાલ તેના ઘરે હાજર હતો. પોલીસે બાતમીના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપી ભુપતસિંહ બુધાભાઈ ઉર્ફે કલસિંહ નાયકને મોજે-મલવાણ કરોલી ફળિયું, તા. કાલોલ ખાતેથી શોધી કાઢીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:39 pm

યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવી:શામળાજી મંદિરે 'ઇન્ટેનજીબલ દીપાવલી'ની ઉજવણી કરાઈ

યુનેસ્કો દ્વારા દિવાળી પર્વને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવતા, યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ રોશની અને દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.ગુજરાતમાં દીપાવલી નિમિત્તે ઐતિહાસિક સ્થળોએ દીપોત્સવ અને રંગોળી સાથે ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર અને હરીશચંદ્રની ચોરી ખાતે 'ઇન્ટેનજીબલ દીપાવલી ઉજવણી' કાર્યક્રમ યોજાયો હતો. યુનેસ્કો દ્વારા ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા પર્વ 'દિવાળી'ને તેની 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' (Intangible Cultural Heritage - ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ગૌરવનો વિષય બન્યો છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના પરિણામે જ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ વિશ્વ મંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે. યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ, ગુજરાત રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા રાજ્યભરમાં એક વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો હેતુ ભારતની સાંસ્કૃતિક ઓળખને વિશ્વ સમક્ષ મજબૂત રીતે રજૂ કરવાનો અને આ ગૌરવશાળી ક્ષણને રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો હતો.આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ હજારો દીવા પ્રગટાવીને તથા આકર્ષક રોશની સજાવીને દિવ્ય વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. આ રોશની દ્વારા ભારતીય સંસ્કૃતિના 'પ્રકાશ પર્વ'નો સંદેશ વિશ્વભરમાં ફેલાવવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:36 pm

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 25 ઠરાવો સર્વાનુમતે મંજૂર:ફોરર્ટ્રેક રોડ, કોમ્યુનિટી હોલ અને અંડરબ્રિજ સહિતના 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરી

ભાવનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 25 ઠરાવો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. 59.27 કરોડના વિકાસ કામોને મંજૂરીઆજરોજ મહાનગર પાલિકા ખાતે મુખ્ય હોલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં 25 ઠરાવો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ચર્ચાઓ બાદ તમામ વિકાસલક્ષી કામો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતાં. રૂપિયા 59 કરોડ 27 લાખનાં વિકાસના કામોને બહાલી આપવામાં આવી. આ બેઠકમાં અનેક વિકાસ કામોની મંજૂરી આપવામાં આવી છે. ગઢેચી નદી અને કુંભારવાળા વચ્ચેના રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવાનું કામજેમા હિલપાર્કથી ઓઝ સ્કૂલ અને ઓઝ સ્કૂલથી એન્જીનયરિંગ કોલેજ સુધી PQC રોડ, ગઢેચી નદી અને કુંભારવાળા વચ્ચે આવેલ રેલવે ફાટક આવી છે તેમાં અંડરબ્રિજ બનવવાનું કામ, કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા અને રાજ્યસરકારની સંયુક્તની ગ્રાન્ટ માંથી શહેરની બન્ને વિધાનસભા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા સહિતના કામોને મળી 59.27 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે. 4 અન્ય કામો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યાઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવેલ કે ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમીટી બેઠકમાં 25 ઠરાવો મુકવામાં આવ્યા હતા જે કામોને સર્વાનુમતે મંજુર કરવામા આવ્યા હતા.અને આ સાથે 4 અન્ય કામો અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા જેમાં રી.એ કરવાની વિગતો હતી. ભાવનગર મહાનગરના ઐતહાસિક કામોની અંદર આજે સ્ટેન્ડિંગ કમીટીમાં 59કરોડ અને 27 લાખના ખર્ચે સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવી છે. ફોરર્ટ્રેક PQC રોડ બનશેખાસ ભાવનગરની કનેક્ટિવિટી માટે હિલપાર્ક ચોકડી થી ઓઝ સ્કૂલ અને ઓઝ સ્કૂલથી એન્જીનીયરીંગ કોલેજ સુધી ફોરર્ટ્રેક PQC રોડ બનાવવાનું કામ 22 કરોડના ખર્ચે કરવામા આવશે જે ભાવનગરની ન્યુ એન્ટ્રી તરીકે ફેમસ થવાની છે.આ ઉપરાંત ગઢેચી નદી અને કુંભારવાડા રેલવે પાટા પાસે અંડરબ્રિજના કામની મંજૂરી આપવામાં આવી છે જે 22 કરોડ 74 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.જેથી ટ્રાંફિક સમસ્યાનું નિવારણ આવશે.અને લોકો ઝડપથી તેના કાર્યસ્થળ પર પહોંચી શકે તેવી ફેસિલિટી ભાવનગરની અંદર ઉભી થવાની છે. કોમ્યુનિટી હોલ બનશેઆ ઉપરાંત કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયાની ગ્રાન્ટ અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટ માંથી શહેરની બે પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર લોકોને પારાવારીક પ્રસંગો કરવા માટે કોમ્યુનિટી હોલ બનવાના છે.એની પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે રૂપિયા 4 કરોડના ખર્ચે રુવા ખાતે કોમ્યુનિટી હોલ અને ગ્રાઉન્ડ બનશે અને ચિત્રા ખાતે 4 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનવવાનો છે.આ બન્ને કોમ્યુનિટી હોલ બનવાથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારને સામાજિક પ્રસંગો કરવા માટે આ કોમ્યુનિટી હોલ આશીર્વાદ રૂપ સાબિત થવાના છે. શહેરમાં જે કામો શરૂ છે તે કામોને ઝડપથી પુરા કરવા સૂચનાઓ આપવામાં આવી છે. અને આ ઉપરાંત જે પણ નવા કામોના આયોજન છે એ આગામી બજેટની અંદર મૂકીને પ્રજાલક્ષી બજેટ બનાવી અને આગામી દિવસોની અંદર જે બજેટના મુદ્દાઓ છે એ પણ તૈયારીઓ માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:06 pm

‘ગાંધીજી પણ એક સમયે દારૂ પિતા થઈ ગયા હતા’:હળવદના ભાજપ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો, કોંગ્રેસે રાજીનામાંની માંગ કરી

સમગ્ર ગુજરાતની અંદર દારૂ સહિતના નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેવામાં બે દિવસ પહેલા હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા એક જાહેર કાર્યક્રમની અંદર દારૂ અને જુગારને લઈને ટીપણી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેમણે એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જેમાં કુસંગત વિશે વાત કરતા મહાત્મા ગાંધીજી પણ દારૂ પિતા હતા તેવો શબ્દ પ્રયોગ કર્યો છે. ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂકીને મોટો વિવાદ જગાવ્યો છે. તેમણે ખરાબ સંગત (કુસંગત) વિશે વાત કરતાં એવો શબ્દપ્રયોગ કર્યો હતો કે, ખરાબ સંગતને કારણે ગાંધીજી પણ એક સમયે દારૂ પીતા થઈ ગયા હતા. મહાત્મા ગાંધીજી વિશેના આ આપત્તિજનક નિવેદનને કારણે મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 12:55 મિનિટના વિડીયોમાં પ્રકાશ વરમોરાએ 3:20 મિનિટ બાદ ગાંધીજીનો ઉલ્લેખ કરીને આ નિવેદન આપ્યું છે, જે આ મુજબ છે : “ આજથી 10 દિવસ પહેલા ધ્રાંગધ્રામાં અલૌકિક પ્રાણપ્રતિષ્ઠામાં ગયો હતો. ત્યાં ધર્મસભા મતથી વિષય મુક્યો હતો તેને જુદી રીતે મુકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અનંત કોટિ બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે. માણસ પોતાની ચેતના વધારે તો કોઈપણ મોહનમાંથી મહાત્મા બની શકે છે. જન્મ સમયે બધા મહાપુરુષો-દિવ્ય પુરુષો આપના જેવાં જ હોય છે. પણ સંગદોષના કારણે ક્યાંકને ક્યાંક ખોટા વિષયમાં આવી જાય અને પરિણામે તેનું ચારિત્ર્ય વિશ્વકક્ષામાં ચમકવાના બદલે અને પૂજનીય-વંદનીયનો ભાવ લોકોને આવે એના બદલે એક સીમિત ભાવમાં રહી જતાં હોય છે. આ સહજ વિષયને મેં ત્યાં સ્પીચના માધ્યમથી મૂક્યો હતો, કે ચાર પ્રકારના માનવ હોય - રાક્ષસ માનવ, પશુ માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. રાક્ષસ માનવ પાછળ મારે કહેવાની વાત હતી કે આપણામાં અહંકાર ભાવ, ઈર્ષ્યા ભાવ, દ્વેષ ભાવ આવે, કોઈ અભક્ષ્ય ખોરાક ખાવાનું મન થાય, માંસાહાર કરવાનું મન થાય, તો આ બધુ રાક્ષસ માનવ કહેવાય. રાક્ષસ માનવને જકોઈ સિંગડા નથી ઊગ્યા હોતા, આપણો ભાવ ક્યાંક ખરાબ થાય, ત્યારે અહંકાર આવે. અહંકાર જ્ઞાનનો હોય, પૈસાનો હોય, પદનો હોય, કોઈપણ અહંકાર આવ્યો, તો એટલી સેકેન્ડ માટે આપણે રાક્ષસ માનવ થયા. પછી આપણે આપણી વાતને દિન-હીન-લાચાર સમજીએ કે હવે આપણાથી શું થાય? તો આ થયું પશુ માનવ. ખાલી પેટ માટે જીવે, સમાજને કાઈ નુકસાન નથી પહોંચાડતા અને કોઈ ફાયદો નથી પહોંચાડતા. એન એનાથી ઉપર હોય છે દેવ માનવ - દિવ્ય માનવ. જે ધીર-વીર-ઉદાર હોય છે, પ્રેમાળ-કૃપાળુ-કરુણાવાન-કલ્યાણકારી-મંગલકારી હોય છે. આ જે માણસની ઉન્નતિ કરવાની હોય છે, એમ આહારનું બહુ મોટું મહત્ત્વ હોય છે. એટલે મારો એટલો જ વિષય હતો કે સમાજના જે પ્રતિષ્ઠિત માણસો છે, તે ઉધ્યોગપતિ, રાજનેતા, ડૉક્ટર કે વકીલ ભલે હોય, કોઈ પણ માણસ પ્રતિષ્ઠિત માણસ હોય, આ પ્રતિષ્ઠિત માણસે એવો કોઈ આહાર ન કરવો જોઈએ કે જેનાથી તેની ચેતના વધાને બદલે સીમિત થઈ જાય. વિષય મારો એટલો હતો કે છેલ્લે આપણે બધા માણસ છીએ. સંગદોષના કારણે ગમે તેવો સારામાં સારો મણસ હોય, મહાત્મા ગાંધીજી પણ એક વાર દારૂ પિતા થઈ ગયા હતા. તો આત્મચિંતન ઉપવાસ કરી આપણી અંદર રહેલી ભાવશુદ્ધિ કરી લેવાની.” મોરબી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી રાજીનામું માંગ્યુંધારાસભ્ય પ્રકાશ વરમોરાના આ બફાટના વિરોધમાં મોરબી શહેર કોંગ્રેસની ટીમે તુરંત વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. કોંગ્રેસના કાર્યકરોએ નગર દરવાજા ચોક પર ધારાસભ્ય પ્રકાશ વરમોરા જાહેરમાં માફી માંગે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી આકરી નારેબાજી કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સુરી, મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસનો સવાલ : ગાંધીજીનું અપમાન કોણ કરે છે?મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ મુદ્દે ભાજપ સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીને સીધો સવાલ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે ટીપ્પણી કરી ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેને ગાંધીજીનું અપમાન ગણાવ્યું હતું. જાડેજાએ સવાલ ઉઠાવ્યો કે, જો કોંગ્રેસના નેતાની ટીપ્પણી ગાંધીજીનું અપમાન હોય, તો હાલમાં ભાજપના પોતાના જ ધારાસભ્ય દ્વારા ગાંધીજી દારૂ પીતા હતા તેવું જે નિવેદન આપવામાં આવે છે, તે શું ગાંધીજીનું અપમાન નથી?

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 11:01 pm

વડોદરા નેશનલ હાઈવે 48 પર ઓઈલ ઢોળતા ટ્રાફિક:દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો

વડોદરાના નેશનલ હાઇવે 48 પર ઓઇલ ઢોળાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી તરફનો માર્ગ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર ઢોળાયેલા ઓઇલને દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં જેસીબીની મદદથી માટી નાખીને માર્ગને સાફ કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ટ્રાફિક વ્યવસ્થાપન કરી રહી છે. ફાયરની ટીમના કર્મચારીએ જણાવ્યું હતું કે દેણા ચોકડી પર લિક્વિડ ઢોળાયું છે તેવો કંટ્રોલ રૂમથી દરજીપુરા ERC ફાયર સ્ટેશનની ટીમને કોલ મળ્યો હતો. પરંતુ અહીંયા કેમિકલ ઢોળાયું છે અને અહીંયા એક ઈકો પસાર થઈ અને ત્યાં ફસાઈ હતી અને તે પલટી મારી હતી તેને બહાર કાઢવામાં આવી છે. હાલમાં કામગીરી ચાલી રહી છે.અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ......

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:54 pm

ONGC સાથે 67 લાખની છેતરપિંડીમાં ત્રણ આરોપીને 14 વર્ષે સજા:CBI કોર્ટે ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો, વર્ષ 2011માં CBIમાં ફરિયાદ નોંધાઈ હતી

ONGCમાં માલની ખોટી ડિસ્પેચ બતાવી 67 લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2011માં 67 લાખની ઠગાઈ આચરનાર ત્રણ આરોપીઓ સામે CBI માં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં CBI કોર્ટે ઠગાઈ આચરનાર ત્રણ આરોપીઓને ત્રણ ત્રણ વર્ષની કેદ અને 30- 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓએ પરચેઝ ઓર્ડર મુજબ ONGCમાં સમય મર્યાદામાં માલ નહીં પહોંચાડી બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી રકમ ખોટી રીતે મેળવી લીધા હોવાનું પુરવાર થાય છે. CBI કોર્ટે ત્રણને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યોકોર્ટે ત્રણેય આરોપીને ગુનેગાર ઠરાવતા નોંધ્યુ હતું કે, આ કેસના સંજોગો જોતાં પ્રોબેશનનો લાભ આપવાનું વ્યાજબી અને ન્યાયી જણાતુ નથી. આ કેસમાં હજુ મેસર્સ ડેટ નોર્સ્કે વેરિટાસના સર્વેયર આરોપી ભાવિન પટેલ નાસતા ફરતા છે. જેથી કોર્ટે આરોપી અતુલ નારણભાઈ પંચાલ, મહેન્દ્રસિંહ પી. વાઘેલા અને ઘનશ્યામ રામબ્રિચ પાંડેને ત્રણ ત્રણ વર્ષની કેદ અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2011માં ONGC સાથે 67 લાખની ઠગાઈસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 22 જૂન 2011ના રોજ મેસર્સ નેશનલ મશીન ટૂલ્સના પ્રોપરેટર નારણ પંચાલ સામે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. જેમાં અતુલ નારણભાઈ પંચાલ અને ONGC મુંબઈના અજાણ્યા અધિકારીઓ અને અજાણ્યા અન્ય લોકો સામે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપ છે કે આરોપી અતુલ નારણભાઈ પંચાલે, મેસર્સ ઓએનજીસીના અજાણ્યા અધિકારીઓ અને અજાણ્યા અન્ય લોકો સાથે ષડયંત્ર રચીને 1 જૂન 2011ના રોજ મેસર્સ ONGC લિમિટેડ પાસેથી છેતરપિંડી અને અપ્રમાણિકપણે 67,58,938 રૂપિયાની ચુકવણી મેળવી હતી. CBI કોર્ટે ત્રણ આરોપીને સજા સાથે દંડ ફટકાર્યોજેની તપાસ કરતા સામે આવ્યું હતું કે 29 એપ્રિલ 2011ના રોજ માલની ડિસ્પેચ ખોટી રીતે બતાવી હતી અને ખરીદી ઓર્ડરની શરતો અને નિયમો અનુસાર ચુકવણી માટે પાત્ર ન હતા. જેથી ONGC લિમિટેડ સાથે છેતરપિંડી થઈ હતી. CBIએ આ મામલે તપાસ કરીને 27 ડિસેમ્બર 2011ના રોજ આરોપી અતુલ નારણભાઈ પંચાલ, ભાવિન પટેલ, મહેન્દ્રસિંહ પી. વાઘેલા અને ઘનશ્યામ રામબ્રિચ પાંડે સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ ચાલતા CBI કોર્ટે ત્રણ આરોપીને ગુનેગાર ઠરાવીને ત્રણ ત્રણ વર્ષની કેદ અને દરેક આરોપીને 30-30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:37 pm

કેન્દ્રીય વિદ્યાલયના સેક્રેટરીએ રૂ.23.83 લાખની છેતરપીંડી આચરી:રાજકોટની નામાંકિત સ્કૂલમાં સિનિયર સેક્રેટરીએ શિક્ષક - પ્રિન્સિપાલની ખોટી સહીઓ કરી નાણા ઉપાડી લીધા

શહેરના કાલાવડ રોડ પરની કેન્દ્રીય વિદ્યાલયના સેક્રેટરીએ રૂ.23.83 લાખની છેતરપીંડી આચરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં FIR નોંધાઈ છે. સીનીયર સેક્રેટરી દેવેન્દ્ર ગણાત્રાએ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકની ખોટી સહીઓ કરી રૂપીયા ટ્રાન્સફર કરી લીધા અને બાદમાં બેંકની ભૂલ થયાનું જણાવી ગેરમાર્ગે પણ દોર્યા હતા. જોકે બેંક સાથેના વેરિફિકેશનમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને સ્કૂલના સિનિયર સેક્રેટરીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતુ. બનાવ અંગે કાલાવડ રોડ પર પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસમાં આચાર્ય આવાસમાં રહેતાં ગંગારામ મીણા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દેવેન્દ્ર ગણાત્રાનું નામ આપ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં ગત તા. 05 સપ્ટેમ્બર, 2022 થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓની સાથે સીનીયર સેક્રેટરી આસિસ્ટન્ટ તરીકે દેવેન્દ્ર ગણાત્રા ફરજ બજાવે છે. તેઓના ત્રણ બેંક એકાઉન્ટ આવેલ છે. તે તમામ ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો કરવા માટે તેઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલાયમા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ઇંગ્લીશ) તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ પરમારની સાથે સહીઓ થતી હોય છે. જે બાદ દેવેન્દ્ર ગણાત્રા તમામ નાણાકીય વ્યવહારો કરે છે. શાળામા એક ચેક ઇસ્યુ રજીસ્ટર પણ નીભાવવામા આવે છે. જે રજીસ્ટરમાં તેઓની તેમજ જેને ચેક બનાવેલો હોય તેની સહીઓ તેમજ તે રજીસ્ટરમા ચેક નંબર, તારીખ, રકમ, બેંકનુ નામ, જેને ચેક આપેલ છે તે પાર્ટીનું નામ, ચેક આપવાનો હેતુ, કયા વિભાગમાં ખર્ચ કરેલ છે તે તથા ચેક પોસ્ટમાં મોકલેલ હોય તેની વિગત, સહીઓ સહિતનુ રજીસ્ટર નીભાવવાનુ કામ પણ આ દેવેન્દ્ર ગણાત્રાનુ છે. જોકે આ દરમિયાન અમદાવાદની રીઝનલ ઓફીસ અમદાવાદથી ગત તા.21 ના ફોન આવ્યો હતો કે, તમારા બેંક ખાતામા મોટા પ્રમાણમા પૈસાની ટ્રાન્સફર થાય છે. તે અંગે ચેક કરવાનુ કહેતા આ બાબતે દેવેન્દ્ર ગણાત્રાને પુછતા તેઓએ લેખીતમાં એક પત્રમા જણાવેલ કે, તેણે પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સીને ઓક્ટોમ્બર-2025 મા પૈસા ટ્રાન્સફર કર્યા છે. જે બાદ જણાવ્યુ કે, આ ટ્રાન્જેક્શન બેંકની ભુલના કારણે થયેલ છે અને તે અંગે બેંકના સ્ટેમ્પ વાળો લેટર વોટસઅપમાં મોકલેલ હતો. જેથી કાલાવડ રોડ પરની યુનીયન બેંક ખાતે ખરાઈ કરવા પત્ર લખતા લેખીતમાં જણાવેલ કે, ટ્રાન્જેકસન ડીટેલ્સ ખોટી હોવાનુ તેમજ બેન્કની અધિકૃત નકલ ન હોવાનુ જણાવેલ હતું. જે બાદ ચેક ઇસ્યુ રજીસ્ટર તથા બેંક ખાતાના સ્ટેટમેન્ટ જોતા જાણવા મળેલ કે,પોર્ટેબલ સીએનએફ કન્સલ્ટન્સી નામની પેઢી કે જેને શાળાએ કોઈ કામ કરાવેલ ન હોય, કોઈ ટેન્ડર કે કોઈ વર્ક ઓર્ડર આપેલ નથી છતાં તેના બેંક ખાતામા રૂ. 11,83,839 ટ્રાન્સફર થયેલા છે. જેથી આ બાબતે શાળાના વિદ્યાલય પ્રબંધન કમીટીના અધ્યક્ષ કલેક્ટર હોય તેમને આ બાબતની જાણ કરી હતી. શાળાના બેંક ખાતામાથી તેમજ ઇસ્યુ કરેલ ચેકની નકલો તેમજ સાથે આપવામા આવતી બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી)નુ લીસ્ટ મંગાવતા અને તેને ચેક ઇસ્યુ રજીસ્ટર સાથે સરખાવતા ચેકમા છેડછાડ તેમજ બેંક એડવાઇઝરી સ્લીપ (બેનીફીશયરી) ફરીયાદીની તેમજ ગૌતમભાઈ પરમારની ખોટી સહીઓ કરી અને રૂ.23.83 લાખ નાણા ટ્રાન્સફર કર્યા અંગેનુ ધ્યાન પર આવેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. વધુમાં જાણવા મળતી વિગત મૂજબ, કેન્દ્રીય વિદ્યાલય સાથે છેતરપીંડી આચરવાના ગુનામાં આરોપી પોતાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો હતો. જેમાં તે ચેકમાં આંકડા લખવામાં જગ્યા રાખતો હતો અને આચાર્ય સહિતના લોકોની સહી થયા બાદ મોટી રકમ ભરી દેતો અને બાદમાં મોટી રકમ ભરી પૈસા ઉપાડી લેતો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:12 pm

નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈનો કેસ આરોપી હર્ષલ લહેરીની ધરપકડ:કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, હર્ષલે મુખ્ય આરોપી પ્રકાશને 30 બેંક એકાઉન્ટ આપ્યા હતા

શહેરના એસ.જી. હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં થયેલી 5 કરોડ રૂપિયાની મોટી ઉચાપતના મામલે સોલા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે આરોપી હર્ષલ સુરેશચંદ્ર લહેરીને ઝડપી લીધો છે અને કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે નિરમા યુનિવર્સિટીએ પોતાના કર્મચારી સહિત કુલ 7 શખસો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી હર્ષલ લહેરીએ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરને આશરે 30 જેટલા બેંક એકાઉન્ટ આપ્યા હતા, જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે. કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો?સરકારી વકીલ એસ.એમ. શેખે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ કયા-કયા લોકો સાથે સંપર્ક કર્યો છે, કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો છે, તેમજ ઠગાઈની રકમ કોના-કોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. આ ઉપરાંત, ફેક આઈડી અને નકલી દસ્તાવેજોના ઉપયોગ અંગે પણ તપાસ કરવી જરૂરી હોવાનું રજૂ કરાયું હતું. આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશબીજી તરફ, આરોપી પક્ષે દલીલ કરી હતી કે આરોપી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને રિમાન્ડની જરૂર નથી. જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસની માગ સ્વીકારી અને આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ, સિમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતના મહત્વના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:05 pm

અમદાવાદમાં કફ સિરપનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી:8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ખુલાસો માગ્યો

રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદમાં વિવિધ 8 જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે. આ મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહીડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતાં આ 8 મેડિકલ સ્ટોર્સ પૈકી 5 મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં કફ સીરપ દવાનું વેચાણ કરવામાં આવતું હતું. બાકીના અન્ય 3 મેડિકલ સ્ટોર્સ પૈકી 2 મેડિકલ સ્ટોર્સ ખાતે રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હાજર હતા અને કફ સીરપ દવાનું વેચાણ કરતાં હતા. જ્યારે બાકીના 1 મેડિકલ સ્ટોર્સ તપાસ સમયે બંધ માલૂમ પડયા હતા. 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસઆથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપીને તાત્કાલીક ખુલાસો કરવાં જણાવવામાં આવ્યું છે. મેડિકલ સ્ટોર્સના ખુલાસા આવ્યા બાદ તંત્ર દ્વારા નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ શખ્સો વિરુદ્ધ કાર્યવાહીરાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા સમયાંતરે રાજ્યમાં આવેલા મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવે છે. તેમજ રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરી, એક્ષપાયર્ડ-ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર વેચાતી કફ સિરપ, એમ.ટી.પી. કીટ તથા અન્ય ક્ષતીઓ બાબતે સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 10:03 pm

એન.ડી. સાયન્સ કોલેજ સીલ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ:માધવાણી કોલેજના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ

પોરબંદર શહેરની એન.ડી. સાયન્સ કોલેજને ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. કોલેજ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેનાથી સેંકડો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. મહાનગરપાલિકા કમિશ્નર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોલેજ બિલ્ડિંગ જોખમી હોવાથી તેના સ્ટેબિલિટી રિપોર્ટ માટે સંસ્થાને અગાઉથી સૂચના આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા રિપોર્ટ ન અપાતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમણે ઉમેર્યું કે વૈકલ્પિક વ્યવસ્થા કરવી એ સંસ્થાની પ્રાથમિક જવાબદારી છે અને સીલ કરતા પહેલા પણ સંસ્થાને જાણ કરાઈ હતી. જોકે, કોલેજ સંચાલકોએ મહાનગરપાલિકાના આ દાવાઓને નકારી કાઢ્યા છે. કોલેજના પ્રિન્સિપાલ અને સંચાલકો અનુસાર, પાલિકાએ કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના કોલેજને સીલ કરી દીધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે મહત્વના દસ્તાવેજો હજુ પણ કોલેજમાં જ તાળાબંધ છે. સીલની કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી.એ આ મામલે ટ્રસ્ટીઓ અને મહાનગરપાલિકા કમિશ્નરને મળીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. એ.બી.વી.પી.એ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્રણ દિવસમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આ દરમિયાન, નવયુગ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રમાબેન રાયઠઠાએ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ન આવે તે માટે તાત્કાલિક માધવાણી કોલેજના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે આવતીકાલથી નિયમિત શિક્ષણ કાર્ય ફરી શરૂ કરી દેવામાં આવશે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી અને પૂર્વ નોટિસ વિનાના સીલને કારણે વિદ્યાર્થીઓ ચિંતિત છે. આગામી દિવસોમાં કોલેજની સ્થાયી કે તાત્કાલિક વ્યવસ્થા કેવી રીતે અમલમાં આવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:43 pm

બોટાદ જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડાના જનડા ગામે યોજાયું:20 પ્રાથમિક, 15 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ 'સ્ટેમ' વિષય પર પ્રયોગો રજૂ કર્યા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે બોટાદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડા તાલુકાના જનડા ગામે યોજાયું હતું. જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બોટાદના ઉપક્રમે આ ત્રણ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બોટાદ જિલ્લાની 20 પ્રાથમિક અને 15 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે 'વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ' વિષયને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો, મોડેલો અને વિચારો રજૂ કર્યા હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. ભરતભાઈ વઢેર, ગઢડા મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. વિક્રમસિંહ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. પ્રભાતસિંહ મોરી અને જનડા ગામના સરપંચ લાલજીભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અન્ય શિક્ષણ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:39 pm

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને DEOની બીજી નોટિસ:FRCના ઓર્ડર સામે સ્ટે મળ્યો છે કે તેને લઈને ખુલાસો રજૂ ન કર્યો, DEOએ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બીજી નોટિસ ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી FRCના ઓર્ડર સામે સ્ટે મળ્યો છે કે નહીં તેની સ્પષ્ટતા કરવા આદેશ કર્યો હતો. જેના માટે સ્કૂલને 7 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. DEOએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલાને બીજી અને અંતિમ નોટિસ ફટકારી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ છતાં સ્કૂલે નિયત સમયમાં જવાબ રજૂ કર્યો નહીં. જેથી અમદાવાદ શહેર DEOએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલાને બીજી અને અંતિમ નોટિસ ફટકારી છે. જો નિયત સમયમાં સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવાની DEOએ તૈયારી દર્શાવી છે. શાળા FRCના ઓર્ડર સામે રિવિજન કમિટીમાં ગઈસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને પાસે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ખુલાસો માંગ્યો છે. શાળા દ્વારા FRC પાસે 39,360 રૂપિયા ફી લેવા માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ FRC એ જેમાં ઘટાડો કરી 22,500 મંજૂર કરી હતી. જે બાદ શાળા FRCના ઓર્ડર સામે રિવિજન કમિટીમાં ગઈ હતી. FRCના ઓર્ડર સામે સ્ટે મળ્યો છે કે તેને લઈને સ્કૂલે ખુલાસો રજૂ ન કર્યોપરંતુ રિવિઝન કમિટીમાં FRCના ઓર્ડર સામે સ્ટે આપવામાં ના આવ્યો હોવા છતાં શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી FRCના નિયમ વિરુદ્ધ ફી લેવામાં આવતી હોવાની DEOને ફરિયાદ મળી હતી. જેથી અમદાવાદ શહેર DEOએ શાળા પાસે રિવિઝન કમિટીમાં FRCના ઓર્ડરના સ્ટે મળ્યો છે કે નહીં નથી મળ્યો તો કોની મંજૂરીથી વધારે ફી લેવામાં આવે છે તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:38 pm

ગોધરામાં 32મો ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:પોલીસ વિભાગોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ વધારવાનો હેતુ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 32મા ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. લુણાવાડા રોડ પર આવેલા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વિભાગોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને આંતરિક સંકલન વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટ વર્ષ 1994થી નિયમિતપણે યોજાઈ રહી છે. આ પરંપરા પોલીસ વિભાગમાં એકતા, સહકાર અને સકારાત્મક સ્પર્ધાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે. આ વર્ષની ટુર્નામેન્ટમાં રાજ્યના પોલીસ વિભાગની કુલ 18 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં 9 પોલીસ રેન્જ, 4 પોલીસ કમિશનરેટ્સ, વેસ્ટર્ન રેલવે પોલીસ, એસઆરપી ગ્રુપ-5, ડીજીપી ઇલેવન, પોલીસ તાલીમ ભવન અને રાજ્ય જેલ વિભાગોની ટીમોનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે, 10 ડિસેમ્બરના રોજ, ગાંધીનગર રેન્જ અને ડીજીપી ઇલેવન વચ્ચે મુકાબલો યોજાયો હતો. એસઆરપી ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ગોધરા રેન્જ આઇજી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે, રમતગમત વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોલીસ વિભાગ જેવી જવાબદારી ભરેલી સેવાઓમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સંકલન અનિવાર્ય છે. આવી સ્પર્ધાઓથી વિભાગો વચ્ચે સકારાત્મક જોડાણ મજબૂત બને છે. આગામી દિવસોમાં વધુ રસપ્રદ મુકાબલા યોજાશે, જેમાં વિજેતા ટીમને ડીજીપી કપનો ખિતાબ એનાયત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:36 pm

યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દીપાવલી:રાજ્યભરમાં ઐતિહાસિક સ્મારકો પર ઉજવાઇ ‘ઇન્ટેન્જિબલ દીપાવલી–2025’

ભારતના સૌથી ભવ્ય અને વૈશ્વિક રીતે ઓળખાતા પર્વ દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage) યાદીમાં સ્થાન મળતા સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને વિશ્વમંચ પર મળેલી વિશેષ માન્યતાનું પ્રતીક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે કરેલા પ્રયાસોનું આ મોટા પાયે ફળ માનવામાં આવી રહ્યું છે. દીવાળીના સંભવિત અને બાદમાં થયેલા સત્તાવાર સમાવેશને આવકારવા ગુજરાતમાં વિશેષ ઉજવણી ઇંટેન્જિબલ દીપાવલી-2025 યોજાઈ હતી. 33 જિલ્લાઓમાં સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ દીપોત્સવ રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 33 જિલ્લાઓમાં આવેલા મહત્વના ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ દીપોત્સવ, રંગોળી, પ્રકાશ સજાવટ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. અડાલજની વાવ, દાંડી કુટિર, એકતા નગર, વડોદરા મ્યુઝિયમ, જામનગર સહિતના સ્થળોએ સ્થાનિક કલાકારોએ પરંપરાગત સંગીત, નૃત્ય અને લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરી. રાજ્યમાં એકરૂપ ઉજવણીનો માહોલ સર્જાયો10 ડિસેમ્બર, 2025ના રોજ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની સૂચના અનુસંધાને સમગ્ર રાજ્યમાં એકરૂપ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત આયોજનથી સ્મારકો દીપક અને લાઈટિંગથી ઝળહળી ઉઠ્યાં. યુનેસ્કો દ્વારા દીવાળીને મળેલું આ વૈશ્વિક સન્માન માત્ર ઉત્સવનું ગૌરવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ઊંડાણભરી ધરોહરને પ્રાપ્ત થયેલો વિશ્વસ્તરીય મુદ્રાંક છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:34 pm

સુરેન્દ્રનગરના ધણાદ ગામમાં ઘુડખરનો ત્રાસ:25થી 30ના ટોળામાં આવતા ઘુડખરો ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના ધણાદ ગામમાં ઘુડખરોનો ત્રાસ વધ્યો છે. 25થી 30ના ટોળામાં આવતા ઘુડખરો ખેતરોમાં ઊભા રવિ પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માવઠાના મારથી માંડ બેઠા થયેલા ખેડૂતોએ મોંઘા બિયારણ, દવાઓ અને મજૂરી ખર્ચીને જીરું, વરિયાળી, તલ, ઘઉં અને ચણા જેવા શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે. આ પાકોને ઘુડખરો દ્વારા ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ આ સમસ્યા અંગે ફોરેસ્ટ વિભાગ, ઘુડખર અભ્યારણના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને મંત્રીઓ સુધી વારંવાર રજૂઆતો કરી છે. અગાઉ રેલીઓ અને બેઠકો દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. આટલી રજૂઆતો છતાં તંત્ર દ્વારા ખેતરો સુધી પહોંચેલા ઘુડખરોને સ્થળાંતર કરીને અભ્યારણમાં પાછા મૂકવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોના ઊભા પાકોને સતત નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ સરકાર અને ફોરેસ્ટ વિભાગને આ મામલે ગંભીરતાથી વિચારણા કરીને, સીમ સુધી પહોંચી ગયેલા ઘુડખરોને તાત્કાલિક અભ્યારણમાં મૂકવાની કવાયત શરૂ કરવા માટે ઉગ્ર માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:29 pm

રાજકોટમાં પ્રેમી પંખીડાનો આપઘાત:પરણિત યુવક સગીરાને ભગાડી ગયો, અઠવાડિયા બાદ વતન આવતી બસમાં ઝેરી દવા પી લેતા મોત

રાજકોટના પ્રેમી પંખીડાએ ચાલુ બસમાં ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા પરિણીત યુવાનને સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી સાત દિવસ પૂર્વે યુવાન સગીરાને ભગાડી ગયો હતો અને રાણપુર પોતાના મામાના ઘરે લઈ ગયો હતો. જે બાદ આજે બપોરે બંને ધંધુકાથી જામનગરની બસમાં રાજકોટ આવી રહ્યા હતા પરંતુ પરિવાર એક નહીં થવા દે તેવા ડરથી પ્રથમ યુવકે અને બાદમાં સગીરાએ ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગંજીવાડા શેરી નંબર - 1 માં રહેતા 33 વર્ષીય રવિ ખોડાભાઈ મકવાણાને ઘરની સામે જ રહેતી 17 વર્ષીય સગીરા રાજલ સંજયભાઈ કિહલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરાના પરિવારજન ત્રણ મહિના પહેલા જ ત્યાં રહેવા આવ્યો હતો. યુવાન પરિણીત હોવા છતાં સગીરાના પ્રેમમાં પડ્યો હતો અને બાદમાં એક અઠવાડિયા પહેલા યુવાન સગીરાને ભગાડી ગયો હતો. જે બાદ પ્રેમી પોતાના રાણપુર રહેતા મામાના ઘરે પ્રેમિકાને લઈ ગયો હતો. જ્યાંથી બંને આજે સવારે ધંધુકા - જામનગરની બસમાં બેસી રાજકોટ આવતા હતા. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓ આજીડેમ ચોકડીએ ઉભા હતા. જે દરમિયાન આજીડેમ ચોકડીએ બસ ઊભી રહી અને સગીરાને નીચે ઉતારી તો તે બેભાન થઈ ઢળી પડી હતી. જેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબોએ સગીરાનુ મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. જે બાદ રવિ મકવાણાનો ભાવનગર રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી બંનેએ સજોડે દવા પી આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. સગીરા ગુમ થયાની થોરાળા પોલીસમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હોવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:26 pm

આરબીટ્રેટર ચુકાદો પડકારતી રિટ પિટિશન ગુજરાત હાઇકોર્ટે ફગાવી:ભાગીદારી પેઢીની મિલ્કતોની વહેંચણી મામલે લવાદની નિમણૂંક કરાઇ હતી

ભાગીદારો છૂટાં પડતાં મિલકતો સંદર્ભે સર્જાયેલ વિખવાદો માટેના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે આરબીટ્રેશન (લવાદ)ની નિમણૂંક કરવા અંગે હુક્મ કર્યો હતો. આ હુક્મના પગલે લવાદ તરીકે નિમાયેલાં નિવૃત જસ્ટીસ એ.જી. ઉરેઝી સમક્ષ એક ભાગીદાર નિરવ ભાઉએ લવાદને મિલકતોની વહેંચણી કરવાની સત્તા નહીં હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ મુદ્દાને આરબીટ્રેશને નામંજુર કર્યો હતો. આ હુક્મ સામે ભાગીદાર નિરવ ભાઉએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. બંને પક્ષકારોની રજૂઆત બાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના ભટ્ટે આરબીટ્રેશનના નિર્ણય સામેની અરજી ફગાવી દેવાનો હુક્મ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે રિટાયર્ડ જસ્ટિસની લવાદ તરીકે નિમણૂંક કરી હતીકેસની વિગત એવી છે કે અમદાવાદમાં આવેલી બી.ડી. એન્જિનિયર્સ નામની ભાગીદારી પેઢીના નિરવ શિરીષ ભાઉ અને રાજેન્દ્ર રસીકલાલ મહેતા બંને ભાગીદારો હતાં. તેમની વચ્ચે વિખવાદો થતાં તેમણે વર્ષ 2018 માં ભાગીદારી પેઢીનું કામકાજ બંધ કરી કામદારો અને સ્ટાફને પૂરેપૂરું ચૂકવણું કરી છૂટા કરી દીધા હતા અને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પણ નિર્ણય કર્યો હતો. વર્ષ 2021 વર્ષમાં રાજેન્દ્ર મહેતાએ પોતાના વકીલ મારફત અન્ય ભાગીદારને નોટિસ આપી આ મતભેદ, લવાદને સોંપવા માટે જણાવેલ. પરંતુ કોણે લવાદ તરીકે રાખવા તે અંગે નિર્ણય ન થતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં IAAP દાખલ કરેલ જેમાં ભાગીદારોની સંમતિથી વર્ષ 2022માં ગુજરાત હાઇકોર્ટે રિટાયર્ડ જસ્ટિસ એ. જી. ઉરેઝિની લવાદ તરીકે નિમણૂંક કરેલ. ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતીત્યારબાદ લવાદ સમક્ષ નિરવ ભાઉએ આરબીટ્રેશન કાયદાની કલમ 16 હેઠળ એવી અરજી આપેલ કે આ કિસ્સામાં લવાદી કાર્યવાહી ટકી શકે નહીં કારણ કે તા. 1 ઓગસ્ટ 2018ની તારીખથી ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ ગયું છે અને ભાગીદારી પેઢીની મિલકતોની વહેચણી કરવા માટે લવાદને સત્તા નથી; ઉપરાંત ભાગીદારીના કરારમાં ભાગીદારીની મિલકતની વહેંચણીની પ્રક્રિયા લવાદ દ્વારા થઈ શકે તેવી કોઈ જોગવાઈ નથી. આ અરજી રિટાયર્ડ જસ્ટિસ એ. જી. ઉરેઝી 7 જૂન 2023 ના હુકમથી નામંજૂર કરેલ. જે વિરુદ્ધ અરજદારે પોતાના એડવોકેટ મારફતે ભારતીય બંધારણના Articles 226, 227 હેઠળ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. 'લવાદના આવા ચુકાદાને હાઇકોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી પડકારી શકાય નહીં'સદર કેસમાં પ્રતિવાદી રાજેન્દ્ર રસીકલાલ મહેતાએ પોતાના એડવોકેટ નિમિષ કાપડિયા મારફત વિગતવાર જવાબ દાખલ કરેલ અને રજૂઆત કરેલ કે આરબીટ્રેશન કાયદાની કલમ 5 ધ્યાને લેતાં, જ્યારે લવાદી કાર્યવાહી ચાલુ હોય ત્યારે લવાદના આવા ચુકાદાને હાઇકોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી પડકારી શકાય નહીં. આ અંગેના SBI General Insurance Co.Ltd. Vs. Krish Spinning reported in 2024 INSC 532 ના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલાં ચુકાદાને ટાંકયો હતો. રિટ પિટિશન નામંજૂર કરવાનો હુક્મ કર્યો હતોપક્ષકારોની રજૂઆત બાદ હાઇકોર્ટના જસ્ટિસ મૌના ભટ્ટે અરજદારની રીટ પીટીશન નામંજુર કરવાનો હુક્મ કર્યો હતો. તેમાં નોંધ્યું હતું કે, લવાદી કાર્યવાહી દરમ્યાન આવા હુકમ રિટ પિટિશનમાં પડકારવામાં આવે તો લવાદની સ્વતંત્રતા જોખમાય અને આરબીટ્રેશન કાયદાનો હેતુ જળવાશે નહીં. તેથી રિટ પિટિશન કોર્ટે ડિસમિસ (નામંજૂર) કરવાનો હુક્મ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:26 pm

કોપીરાઇટ કેસમાં સજા પામેલા ફરાર આરોપીને અમદાવાદથી દબોચ્યો:2  વર્ષની સજા પામેલો ફરાર આરોપી કાર્તિક ભટ્ટ અમદાવાદથી પકડાયો: જૂનાગઢ A-ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડ્યો

​જૂનાગઢ પોલીસ રેન્જ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાસતા ફરતા તેમજ સજા થયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના ભાગરૂપે, જૂનાગઢ A-ડિવિઝન પોલીસે તાજેતરમાં એક મહત્ત્વની કાર્યવાહી કરીને સજા પામેલા ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આઇજી નિલેશ જાજડીયા, એસપી ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ A-ડિવિઝન પોલીસે આ કામગીરી કરી હતી.પીઆઈ વિ. જે. સાવજની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા માટે સઘન પ્રયાસો શરૂ કરાયા હતા.આ દરમિયાન જૂનાગઢ A-ડિવિઝન ધી-કોપીરાઇટ એક્ટ 1957 ની કલમ 63, 65 તથા બી.એન.એસ.એસ. કલમ 116(૩)નો ગુનો)માં નાસતો ફરતો આરોપી કાર્તિક વિનોદરાય ભટ્ટ પોલીસ પકડથી બચવા માટે અમદાવાદ જતો રહ્યો હતો અને ત્યાં જુદા જુદા વિસ્તારમાં છુપાયેલો હતો.બાતમીના આધારે, પીઆઈ વિ. જે. સાવજ અને પીએસઆઇ વાય.એન સોલંકીએ A-ડિવિઝન પો. સ્ટે. સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા તથા પો. કોન્સ. નરેન્દ્રભાઈ બાલસે અમદાવાદ થી કાર્તિક વિનોદભાઈ ભટ્ટને ઝડપી પાડ્યો હતો.કોર્ટના હુકમ બાદ આરોપીને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.. ​આ કામગીરીમાં પોપીએસઆઈ વાય.એન સોલંકી, એ.એસ.આઇ ભદ્રેશભાઈ રવૈયા,એ.એસ.આઇ. પંકજભાઈ સાગઠીયા, પો. હેડ કોન્સ. નીલેશભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ બાલસ,પો.કોન્સ.જયેશભાઈ કરમટા, સુભાષભાઈ કોઠીવાળ,જીગ્નેશભાઈ શુકલ, અનકભાઈ બોઘરા તથા કલ્પેશભાઈ ચાવડાની ટીમ જોડાયેલી હતી

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:22 pm

વટવામાં બિલ્ડરની જમીનમાં ખોટી સહીઓ કરીને છેતરપિંડી આચરી:કોંગ્રેસના કોર્પોરેટરના બે પુત્રો સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી જમીનમાં હેતુ ફેર કરવા માટે ઓર્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારો દ્વારા ખોટી સહી કરી અને રિવાઇઝ NA પરિશિષ્ટમાં બનાવટી સોગંદનામુ રજૂ કર્યું હતું. મરણ જનાર વ્યક્તિના ફોટા અને આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીના બે પુત્રો સહિત આઠ લોકો વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરના બે પુત્રો સહિત આઠ લોકો સામે ફરિયાદ દાણીલીમડા વિસ્તારમાં સહલંબ ટોલનાકા પાસે આવેલી કીર્તિકુંજ સોસાયટીમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર ગુલામ હુસેન કુરેશી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શહેરના વટવા વિસ્તારમાં આવેલી જમીનમાં 1037 ચોરસ વાર જગ્યામાં 10 માર્ચ 2025ના રોજ ઓર્ચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોમાં બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીના પુત્ર તોસીફ આલમ અને તજમ્મુલ આલમ તિરમીજી સહિતના 8 લોકો દ્વારા વટવાની જમીનમાં રિવાઇઝ એને પ્લાન સબમીટ કરવામાં કુલ જમીનના માપમાં હાલવા ચાલવા સહિતની જગ્યા જાણ બહાર દર્શાવ્યો ઓનલાઇન સબમીટ કર્યું હતું. ફોટા અને આધારકાર્ડનો ઉપયોગ કરીને નકલી સહીઓ કરીપરિશિષ્ટમાં અર્શદ અલી મોમીન નામના વ્યક્તિનું 2024માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં પણ તેના નામની બનાવટી સહયોગ કરી સોગંદનામુ રજૂ કર્યું હતું આ ઉપરાંત તેમના ફોટા અને આધારકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો. બનાવટી સહીઓ કરી અને ડોક્યુમેન્ટ સરકારી કચેરીમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે બિલ્ડર દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:13 pm

નોટબંધીનું કાળું નાણું ખંખેર્યું:મહર્ષી ચોકાસ, અરવિંદ શાહ અને સુનિલ રૂપાણી EDના રડાર પર, 62.52 કરોડના ગોલ્ડ-સિલ્વર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ

સુરતમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે મોટી કાર્યવાહી કરી છે. EDની સ્થાનિક ટીમે મહર્ષી ચોકાસ અને તેમના સાથીદારો વિરુદ્ધ અમદાવાદની સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પ્રોસિડ ઓફ ક્રાઇમ રજૂ કરી છે. 62 કરોડથી વધુની રકમ એકાઉન્ટમાં જમાEDની તપાસમાં સામે આવ્યું છે કે, નોટબંધી દરમિયાન મહર્ષી ચોકાસ, અરવિંદ શાહ અને હિમાંશુ આર. શાહ તથા સુનિલ રૂપાણી સહિતના લોકોએ મળીને 62.52 કરોડની જૂની ડિમોનેટાઇઝ્ડ નોટોને ગેરકાયદેસર રીતે બેન્ક ખાતાઓમાં જમા કરાવી હતી. મહર્ષી એસ. ચોકાસ અને હિમાંશુ આર. શાહે અન્ય લોકો સાથે મળીને બોગસ ડોક્યુમેન્ટ્સના સહારે નિરવ શાહની 'નિરવ એન્ડ કંપની'ના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં 36 કરોડની રકમ ડિપોઝિટ કરી હતી. આ ઉપરાંત, મહર્ષી સંજય ચોકાસ અને સુનિલ રૂપાણીએ અપૂર્ણ KYC દસ્તાવેજોના આધારે સુનિલ રૂપાણીની કંપનીના એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં 24.35 કરોડની રકમ જમા કરાઈ હતી. આમ, નોટબંધી બાદ કુલ 60.35 કરોડ અથવા 62.52 કરોડની રકમ ગેરકાયદેસર રીતે જમા કરવામાં આવી હતી. ગોલ્ડ-સિલ્વર ખરીદીને કાલ્પનિક વેચાણ બતાવાયુંતપાસ અધિકારીઓના ધ્યાને આવ્યું છે કે,આ જમા કરાયેલા રૂપિયાનો ઉપયોગ બુલિયન સપ્લાયર્સ પાસેથી સોનું અને ચાંદી ખરીદવા તેમજ અન્ય વ્યક્તિગત જવાબદારીઓ ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આ સોના-ચાંદીનું વેચાણ બતાવવામાં આવ્યું હતું, જે કાલ્પનિક હોવાનું ED માની રહી છે. EDના ઇનસાઇટ મુજબ, આ વેચાણમાં બે લાખથી વધુના માલ માટે પાનકાર્ડની જરૂર ન પડે તે માટે યુક્તિ કરવામાં આવી હતી. 'ઇનસાઇટ' મુજબ, પાનકાર્ડની જરૂર ન પડે તે માટે કાલ્પનિક વેચાણ દર્શાવવા માટે જાણીજોઈને 2 લાખથી નીચેના બિલ બનાવવામાં આવ્યા હતા અને આ સોનું અજાણ્યા લોકોને વેચવામાં આવ્યું હોવાનું બતાવી દેવાયું હતું. 2.6 કરોડની મિલકતો સિઝ, વધુ જ્વેલર્સ ભેરવાશે?EDની તપાસ દરમિયાન, મહર્ષી ચોકાસ અને તેના ગ્રુપની 2.6 કરોડની મિલકતો પણ સિઝ કરવામાં આવી છે. ED એવી શંકા પણ વ્યક્ત કરી રહી છે કે આ કમાણી દ્વારા અન્ય મિલકતો પણ ખરીદવામાં આવી હશે. નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ સીબીઆઈ અને આવકવેરા વિભાગ પણ તપાસ કરી ચૂક્યા છે. નોટબંધીના આ મોટા કૌભાંડનો કેસ ફરી ખુલતા સુરતના ઘોડદોડ રોડના કેટલાક જ્વેલર્સ પણ આગામી સમયમાં EDના સકંજામાં આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:13 pm

CPની નશીલા પદાર્થોનું વેચાણ કરનાર સપાટો બોલાવવા સૂચના:વડોદરાના અટલાદરા, જેપી રોડ તથા જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજા સાથે 3 કેરીયર ઝડપાયા

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં એમડી તથા ગાંજા સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરનાર શખ્સો સપાટો બોલાવવાની સૂચના અપાઇ હતી. જેના પગલે પોલીસે અટલાદરા, જેપી તથા જવાહરનગર વિસ્તારમાં રેડ કરી 3 કેરીયરને 16 હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યાં હતા. આ ઉપરાંત ગાંજો તથા એક્ટિવા મળી રૂ. 31 હજારના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નશીલ પદાર્થો જેવા કે એમડી, ગાંજો, અફીણ, ચરસ અનેનશીલી દવા તેમજ ઇન્જેક્શનોનુ છુપીરીતે વેચાણ થાય છે. આ કાળા કારોબારના કારણે યુવાધન આ નશીલા પદાર્થોને સેવન કરીને પોતાનુ જીવન બરબાદ કરી રહ્યું છે. જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આ નશીલ પદાર્થો વેચાણ તેમજ વેચાણ કરનાર પેડલર અને કેરીયરો સામે સપાટો બોલાવવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા નશાયુક્ત પદાર્થોના વેપલા પર કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં અટલાદરા પોલીસે ખીસકોલી સર્કલ પાસે ગાંજાનું વેચાણ કરતા આરોપી વૈભવરાજ હેમંતકુમાર જાદવ (રહે. રહે સેજાકુવા ગામ, રામજીફળીયુ, તા.પાદરા) ત્યા રેડ કરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પાસેથી 5 હજારનો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત જે પી રોડ પોલીસે એફઝલ ઈમ્તીયાઝ બેમને (રહે. મદીના મસ્જીદ વિસ્તાર પાલેજ તાજી ભરુચ)ને 5 હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી એકિટવા તથા ગાંજો મળી રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ત્રીજા બનાવમાં આરોપી વિજય નાગજી વાઘેલા (રહે.કાળી તલાવડી પાસે, રણોલી ગામ તા.જી.વડોદરા) ને રૂ. 6 હજાર ઉપરાંતના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:07 pm

ચર્ચિત દીપેશ-અભિષેક મોત કેસમાં CBI તપાસની અરજી સેશન્સ કોર્ટે ફગાવી:મેટ્રો કોર્ટે અરજી ફગાવતા સેશન્સ કોર્ટમાં અરજી થઈ'તી, તપાસમાં ખામીનું જણાવી CBIની માગ કરતી અરજી ફગાવાઈ

ચર્ચિત દીપેશ અને અભિષેકના અપમૃત્યુ કેસમાં CBI તપાસની માગ સાથે કરવામાં આવેલી અરજી અમદાવાદની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા લગાવી દેવામાં આવી છે. મૃતક દિપેશના પિતાએ CBI તપાસની માગ સાથેની અરજી કરી હતી. જો કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ CBI તપાસની માગ રદ્દ કરી હતી. જે બાદ મેટ્રો કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. પરંતુ મેટ્રો કોર્ટના ઓર્ડર બાદ સેશન્સ કોર્ટમાં CBI તપાસની માગ કરતી અરજી કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. મેટ્રો કોર્ટના ઓર્ડર બાદ સેશન્સ કોર્ટમાં CBI તપાસની માગ કરતી અરજી કરી હતીએડિશનલ સેશન્સ જજ પી.આઇ. પ્રજાપતિએ નોંધ્યું હતું કે, CBI તપાસની અરજી અને મેડિકલ ઓપીનીયન અંગેની ફરિયાદ પણ સુપ્રીમ કોર્ટે અગાઉ નામંજૂર કરી હતી. તપાસ એજન્સી દ્વારા આરોપીઓ સામે IPC કલમ 304(અ) અને જુવેનાઇલ જસ્ટીસ એક્ટ, 2000ની કલમ 23 થી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલી છે. નીચલી કોર્ટના હુકમમાં કોઈ ભૂલ જણાતી ન હોવાથી તેમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. 'તંત્ર વિધિ કરીને તેની બલિ ચઢાવીને મૃત્યુ નીપજાવવામાં આવ્યું'અરજદાર પ્રફુલભાઈ વાઘેલાએ અરજીની દલીલમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સાપરાધ માનવવધના કેસમાં તપાસમાં ખૂબ ખામી રખાઈ છે. બાળકોનું મૃત્યુ ડૂબી જવાથી થયું નથી. મૃત્યુ અત્યંત શંકાસ્પદ હાલતમાં થયું છે. તંત્ર વિધિ કરીને તેમની બલિ ચઢાવીને મૃત્યુ નીપજાવવામાં આવ્યું છે. મૃતક બાળકો આશ્રમ દ્વારા અથવા તો નારાયણ સાંઈ દ્વારા તેમના સાધકોની મદદથી ભોગ બન્યા હોવાની શંકા છે. આ કેસમાં યોગ્ય તપાસ થવી જરૂરી છે. જેથી મેજિસ્ટ્રેટશ્રીનો અરજી નામંજૂર કરતો હુકમ યોગ્ય નથી. વધુ તપાસ CBIને સોંપવાની જોઇએ. સેશન્સ કોર્ટે CBI તપાસની માગ કરતી અરજી ફગાવી બીજી તરફ આશ્રમ તરફથી હાજર રહેલા એડવોકેટ નિતીન ગાંધીએ એવી રજૂઆત કરી હતી કે, આ કેસમાં અગાઉ પણ સુપ્રીમ કોર્ટ સુધી CBI તપાસ કરવાની માંગ કરતી અરજી કરાઈ હતી. કોર્ટે તે અરજી ગ્રાહ્ય રાખી નહતી. જે બાદ ફરીયાદી પક્ષે CBI તપાસની માંગણી કરતી અરજી નીચલી કોર્ટમાં કરાઈ હતી. જેને પણ ફગાવી દેવામાં આવી હતી. જેથી હવે આ અરજી પણ રદ કરવી જોઈએ. જે બાદ સુનાવણી દરમિયાન બંન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે CBI તપાસની માંગ કરતી અરજી ફગાવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 9:04 pm

છરીથી હુમલો કરનાર સગીર બે વર્ષ બાદ દોષિત:સગીરને સુધારણા માટે 2 માસ અને 10 દિવસની સજા ફટકારી, ફરિયાદીને ન્યાય અપાવવા સજાનો હુકમ કરાયો

વર્ષ 2023માં આશ્રમ રોડ નજીક ઉત્તરાયણના દિવસે મોટર સાયકલ ન આપી હોવાની જુની અદાવત રાખી છરી વડે હુમલો કરનાર સગીરને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા સગીરને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જુવેનાઇલની દેખરેખ રાખનાર કોઈ ન હોવાનું તેમજ બાળકની ગંભીર ગુનાના આરોપીઓ સાથેની મિત્રતા ના લીધે સગીર વયમાં ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેને સુધારા માટે સજા કરવાથી ફરિયાદીને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસાડવા માટે સજા કરવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વાર સગીરને સુધારણા માટે બે માસ 10 દિવસની સજા કરવામાં આવી છે. સગીર અને તેના સાથી આરોપીએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો2023માં ઉત્તરાયણના દિવસે હુમલો કરનાર સગીરને 2 માસની સજા કરવામાં આવી છે. 2023માં ઉત્તરાયણના દિવસે ફરિયાદી અને તેનો ભાઈ પતંગ ચગાવતા હતા. ત્યારે બપોરના 3 વાગ્યા આસપાસ ફરિયાદીનો ભાઈ વસ્તુ લેવા માટે ચાલીના નાકે આવેલ દુકાન પર ગયો હતો. તે સમયે જુવેનાઈલ તેમજ તેની સાથેના 4 લોકોએ ભેગા મળી હુમલો કર્યો હતો. સગીર અને તેના સાથેના આરોપીઓ દ્વારા છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સગીરે છરી વડે પીઠ પર ઇજા કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી અને સગીર ભાગી ગયો હતો. ફરિયાદી દ્વારા બનાવના 3 દિવસ પહેલા એક આરોપીને મોટર સાઇકલ આપવાની ના પાડતા આરોપી અને સગીરે બદલો લેવા જૂની અદાવત રાખી હુમલો કર્યો હતો. જુવેનાઇલ કોર્ટમાં સગીરને રજૂ કરાયોઆ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા સગીરને નજરકેદ કરી જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સગીર વિરૂદ્ધ જુવેનાઇલ બોર્ડમાં તેમજ અન્ય આરોપીઓ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં સરકાર તરફથી એ.પી.પી. એ.કે.તિવારી દ્વારા 8 સાહેદ તપાસવામાં આવેલ અને 14 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી આ એ.પી.પી. એ.કે.તિવારી દ્વારા વિગતવાર દલીલ કરવામાં આવેલી જેમાં ફરિયાદી અને શાહેદો દ્વારા બનાવમાં સગીરે છરી વડે હુમલો કર્યો હોવાની તેમજ કોર્ટમાં ઓળખી બતાવ્યાની રજૂઆત કરી હતી. સગીરને સુધારણા માટે 2 માસ અને 10 દિવસની સજા કરતો કોર્ટનો હુકમ અત્યારે જુવેનાઇલના પિતા અન્ય ગુનામાં જેલમાં છે. જેથી જુવેનાઇલની દેખરેખ રાખનાર કોઈ નથી. તેમજ સગીરની ગંભીર ગુનાના આરોપીઓ સાથેની મિત્રતા હોવાથી સગીર વયમાં ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેને સુધારા માટે સજા કરવાથી ફરિયાદીને ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન દલીલો સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા સગીરને તકસીરવાન ઠેરવવામાં આવ્યો છે. જેથી સગીરને સુધારણા માટે 2 માસ અને 10 દિવસની સજા કરતો હુકમ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:57 pm

રાપરના જાહેર માર્ગ પર ગટરની છત ધરાશાઈ:બે લારીધારકો ગટરના ખાડામાં પડી ગયા, સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢતા જીવ બચ્યો

રાપર શહેરના સલારીનાકા પાસે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહારના જાહેર માર્ગ પર ગટરની છત ધરાશાઈ થઈ હતી. આ ઘટના આજે સાંજે બની હતી, જેમાં બે લારીધારકો ગટરના ખાડામાં પડી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સીએચસીના ગેટ બહાર આવેલા જાહેર શૌચાલય પાસેના ગટરના ખાડાની છત અચાનક તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો. આ સમયે બાજુમાં લારી મારફતે જૂના કપડાંનું વેચાણ કરતા બે ધંધાર્થીઓ ગટર ભરેલા ખાડામાં ખાબક્યા હતા. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દાયકાથી આ ગટર લાઇનનું તંત્ર દ્વારા કોઈ સમારકામ કે જાળવણી કરવામાં આવી નથી. જેના કારણે જર્જરિત બનેલી ગટરના ટાંકાની છત તૂટી પડવાની આ ઘટના બની હતી. લોકોએ તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના જર્જરિત ખાડાઓ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ ન બને.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:56 pm

BU-ફાયર સેફ્ટી વિનાની 12 પ્રિ-સ્કૂલ સીલ કરાઈ:AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલોમાં ચેકિંગ કરી કાર્યવાહી કરાઈ, જાણો કઈ પ્રિ-સ્કૂલો સીલ કરાઇ

અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરખેજ, બોપલ, જોધપુર વેજલપુર સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી મેળવ્યા સિવાયની 12 જેટલી પ્રિ-સ્કૂલો સીલ કરવામાં આવી છે. ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરાઇરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી, પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એકસાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વેજલપુર, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:53 pm

ગોડાદરામાં LC માટેની બોલાચાલી બની જીવનનો અંત!:પોલીસ ભરતી માટે ફોર્મ ભરવા એલસી ન મળતાં માતા સાથે ઝઘડો, યુવતી બહાર ગઈ અને પછી આત્મહત્યા કરી

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં પોલીસ બનવાનું સપનું જોતી એક યુવતીએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ભરતી માટે ફોર્મ ભરવા એલસી ન મળતાં માતા સાથે ઝઘડો થયા બાદ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે કારણ આ છે કે અન્ય કોઈ બાબત છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુવતી પોલીસ ભરતી માટે તૈયારી કરતી હતીગોડાદરાના શાંતિનગર નજીક આવેલા પ્રભુનગરમાં રહેતા પ્રકાશભાઈ જાદવ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 19 વર્ષીય પુત્રી હર્ષિદા જાદવ પોલીસ બનવાની ઈચ્છા ધરાવતી હતી અને તેની તૈયારી પણ કરી રહી હતી. તે હાલમાં ઘરે મેકઅપનું કામ કરતી હતી અને સાથે બહારથી કોલેજનો અભ્યાસ પણ કરતી હતી. માતા-પુત્રી વચ્ચે બોલાચાલીહર્ષિદાએ પોલીસ ભરતી માટે ફોર્મ ભરવા માટે જરૂરી તેની માતા કલ્પનાબેન પાસેથી માંગ્યું હતું. જોકે, LC ન મળવાને કારણે માતા-પુત્રી વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ હર્ષિદા થોડા સમય માટે ઘરની બહાર ગઈ અને પરત આવીને ચોથા માળે આવેલા દાદા-દાદીના રૂમમાં જતી રહી હતી. રાત્રે દરવાજો તોડતાં લટકતી હાલતમાં મળીરાત્રે જમવા માટે બોલાવતા હર્ષિદાએ કોઈ જવાબ ન આપતા પરિવારજનોને શંકા ગઈ હતી. રાત્રે લગભગ ૧૧ વાગ્યે દાદી સુનંદાબેન જ્યારે રૂમમાં સુવા ગયા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં કે બૂમો પાડવા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર ન મળતાં આખરે પરિવારજનોએ રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું. યુવતી હર્ષિદા પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક નીચે ઉતારી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોમૃતક યુવતીના પિતા અને પિતરાઈ ભાઈ સાહિલે જણાવ્યું હતું કે, હર્ષિદા પોલીસ બનવા માંગતી હતી અને LC ન મળવાને કારણે માતા સાથે બોલાચાલી થઈ હતી.આ ઘટના અંગે પોલીસને જાણ થતાં સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આપઘાતનું કારણ અકબંધપોલીસે હાલમાં આપઘાતનું સચોટ કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને અન્ય સંબંધીઓના નિવેદનો લેવાની અને આ સમગ્ર બનાવ અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:49 pm

મ્યુઅલ એકાઉન્ટ સામે બેચરાજી પોલીસમાં ફરિયાદ:સાયબર ફ્રોડના નાણાં પત્નીના ખાતામાં જમા કરાવી ચેકથી ઉપાડ્યા મહેસાણાના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

બેચરાજી પોલીસ મથકના પી.એસ.આઈ. એમ. પી. ચૌધરીએ ધ મહેસાણા અર્બન બેંકમાં થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહાર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહેસાણાના એક શખ્સ પર સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં પોતાની પત્નીના બેંક ખાતામાં જમા કરાવી અંગત ફાયદા માટે વાપરવાનો આરોપ છે. શખ્સ પર સાયબર ફ્રોડની ફરિયાદપ્રાપ્ત વિગતો મુજબ મૂળ બેચરાજી તાલુકાના ડેડાણા ગામના અને હાલ મહેસાણાના રાધે કીર્તન ફ્લેટમાં રહેતા પટેલ હિરેન દ્વારા તેની પત્ની પ્રેમીલાબેન પટેલના નામે 8 એપ્રિલ 2024ના રોજ ધ મહેસાણા અર્બન બેંકમાં એક સેવિંગ્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. એક કરોડનું ટર્નઓવરથી શખ્સનો ભાંડો ફૂટ્યોપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 8 એપ્રિલ 2024 થી 10 ઓક્ટોબર 2025 સુધીમાં આ બેંક એકાઉન્ટમાં કુલ ₹1,07,20,842 (એક કરોડ સાત લાખ વીસ હજાર આઠસો બેતાળીસ)ની ક્રેડિટ અને ₹1,07,20,572 (એક કરોડ સાત લાખ વીસ હજાર પાંચસો બોતેર)નું ડેબિટ ટર્નઓવર થયું હતું. પાંચ એકનોલેજમેન્ટ સાથે સાયબર ફ્રોડની ફરિયાદો સાયબર વિષયક પોર્ટલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાતા વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ પાંચ એકનોલેજમેન્ટ સાથે સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાં ફ્રોડના નાણાં આ ખાતામાં જમા થયા હોવાનું જણાયું છે. નાણાં તે સેલ્ફ ચેક મારફતે ઉપાડતો, 16.68 લાખ અંગત ફાયદા માટે વાપર્યાવધુ તપાસમાં સ્પષ્ટ થયું કે હિરેન પટેલે પોતાની પત્નીના નામે ખાતું ખોલાવીને તેનો એક્સેસ પોતે ઓપરેટ કર્યો હતો. તેણે પોતાના મળતીયાઓ સાથે મળીને ભારતના અલગ-અલગ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં આ ખાતામાં જમા કરાવ્યા હતા. આ નાણાં તે સેલ્ફ ચેક મારફતે ઉપાડતો હતો. તપાસ દરમિયાન 8 એપ્રિલ 2024 થી 10 ઓક્ટોબર 2025 સુધીમાં આ ખાતામાંથી સાયબર ફ્રોડના કુલ 16,68,001 પણ અલગ-અલગ ચેકથી ઉપાડીને પોતાના અંગત ફાયદા માટે વાપર્યા હોવાનું સામે આવ્યું છે. બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈપોલીસે એકાઉન્ટ ધારક પ્રેમીલાબેનને બોલાવતા તેમણે જણાવ્યું હતું કે ખાતું તેમના પતિ હિરેને ખોલાવ્યું છે અને હાલ તે જેલમાં છે જ્યારે તેમને ખાતા વિશે વધુ માહિતી નથી.આમ હિરેન પટેલે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી સાયબર ફ્રોડના નાણાં મેળવી અંગત ફાયદા માટે વાપરવા બદલ બેચરાજી પોલીસ મથકમાં તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:42 pm

ઉપરકોલ કિલ્લા પર દીપાવલીને UNESCO ધરોહરની ઉજવવાની:​દીપાવલી તહેવાર UNESCOની અમૂર્ત ધરોહર બનતા જૂનાગઢમાં ઉજવણી: ઉપરકોટ કિલ્લાના રાણકદેવી મહેલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી અને દીપ પ્રજ્વલિત કરાયા

ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવાર દીપાવલીને યુનેસ્કો (UNESCO)ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ ભારતનું ૧૬મું તત્વ બની છે. આ રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી જૂનાગઢમાં પણ ભવ્ય રીતે કરવામાં આવી હતી.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના રાણકદેવી મહેલના પ્રાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દિવાળી પર્વની જેમ જ, જુદી જુદી વિદ્યાલયોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી કલાત્મક રંગોળીઓ બનાવી અને દીપ પ્રજ્વલિત કરી આ સિદ્ધિને વધાવી લીધી હતી. ​આ ગૌરવપ્રદ ઉજવણીમાં શહેરના મુખ્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા. જેમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનન અભાણી, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા હાજર રહ્યા હતા.આ મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ અને જૂનાગઢની અસ્મિતાને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ નિહાળી હતી અને રંગોળી બનાવનાર વિદ્યાર્થીઓની કળાને બિરદાવી હતી.ઉપરકોટના કિલ્લામાં ઢળતી સાંજે એક અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારોએ સાંસ્કૃતિક ગીતોની પણ પ્રસ્તુતિ આપી હતી. આ દીપોત્સવના કાર્યક્રમમાં જૂનાગઢ અને મેંદરડાની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ રંગોળી બનાવવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં એન. બી. કાંબલીયા કન્યા વિદ્યામંદિર, કે.જી. ચૌહાણ વિદ્યામંદિર, બહાઉદ્દીન સાયન્સ કોલેજ, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ-જૂનાગઢ, આર.જે. કનેરિયા ગર્લ્સ સ્કૂલ, સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યામંદિર, એમ.જી. ભુવા કન્યા વિદ્યામંદિર તથા મેંદરડા ખાતેની નાગલપુર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા યુવા યુનેસ્કોનું આંતરસરકારી સમિતિનું સત્ર 7,13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો, નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે, જ્યાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ દીપાવલીનું નામાંકન સ્વીકારાયું હતું. આ પ્રસંગને અનુલક્ષીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિ પીઠ અને પુરાતત્વ સાઇટ્સ પર પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:41 pm

શૈલેષ ખાંભલાએ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવાની મનાઈ કરી:રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરાતા પોલીસ પર 'ટોચરિંગ'ના ગંભીર આક્ષેપો કર્યા, સીટી Dy.SPએ આક્ષેપોને તથ્ય વિહોણા ગણાવ્યા

ACF શૈલેષ ખાંભલાને તેની પત્ની અને સંતાનોની હત્યા પ્રકરણમાં આજે કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. 3 દિવસ માટે વિચારવા સમય આપેલો હોવાથી નાર્કો ટેસ્ટ અંગે આજે સમય મર્યાદા પૂર્ણ થતાં જજ સમક્ષ હાજર થયેલા શૈલેષે ટેસ્ટ માટે ના પાડી દીધી હતી. રજૂઆત દરમિયાન શૈલેષ કોર્ટમાં જ રડી પડ્યો હતો, અને પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. જે અંગે સીટી ડીવાયાએસપીએ પાયા વગરના આક્ષેપો હોવાનું જણાવ્યું હતું. કોર્ટમાં નાર્કો ટેસ્ટ અંગે શૈલેષ ખાંભલાએ ના પાડી દીધીપત્ની અને સંતાનોની હત્યા કરનાર ACF શૈલેષ ખાંભલાને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ACF શૈલેષ ખાંભલાના નાર્કો ટેસ્ટની માગને લઈ કોર્ટ પાસે વિચારવા માગેલો સમય પૂરો થયા બાદ કોર્ટમાં ફરી એક વખત રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટમાં જજ સમક્ષ શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ માટે ના પાડી અને રડવા લાગ્યો હતો, અને પોલીસ ઉપર પણ શૈલેષ ખાંભલાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસ તેને સતત ટોચરિંગ કરી રહી છે અને મને મારી નાખશે તેવી ભીતિ છે, તેવી વાત પણ જજ સમક્ષ કરી, અને શૈલેષ ખાંભલાએ જજ સમક્ષ પોતે પણ મરી જવાની વાત કરી. ત્યાર બાદ નાર્કો ટેસ્ટની ના પાડવામાં આવતા શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, અને કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કરેલા આક્ષેપો અંગે શૈલેષ ખાંભલાએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું. આ પણ વાંચો: ભાવનગર ACFનાં પત્ની-પુત્ર-પુત્રીના હત્યાકેસમાં નવો ઘટસ્ફોટ:સંતાનો-પત્નીની હત્યા કર્યા પહેલાં પ્રેમિકાને રાત્રે ફોનમાં શું કહ્યું?, વનકર્મી સાથે ભાગવા બન્નેના પાસપોર્ટ તૈયાર કર્યા હતા આરોપીના પાયા વિહોણા આક્ષેપો, રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં માગણી કરાશેશૈલેષ ખાંભલાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરેલો, જે અંગે સીટી DYSP આર.આર.સિંધાલે જણાવ્યું કે શૈલેષ ખાંભલા જે છે, હાલમાં નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે, તેના રિમાન્ડ પૂરા થઈ ગયા છે. એના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથ્ય બેસ વગરના છે. પોલીસને રિમાન્ડ માંગવાનો પૂરો હક છે. વિસ્તૃત પુરાવા લેવા માટે પોલીસ રિમાન્ડ પોલીસ માંગતી હોય છે અને જરૂર લાગે તો અમે રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં કરીશું. 'પોલીસ પાસે પ્રી પ્લાનિંગ મર્ડરના પુરાવા છે': સીટી DYSPશૈલેષ ખાંભલાએ બળજબરી પૂર્વક ગુનો કબુલાવ્યો હોવાના કરેલા આક્ષેપ બાબતે જણાવાયું હતું કે, સાયન્ટિફિક ટોટલી એવિડન્સીસ છે આપણી પાસે, જેમાં પ્રી પ્લાનિંગ મર્ડર હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા તેના જ સરકારી ક્વાર્ટરના આગળના ભાગે ખાડા ખોદવામાં આવેલા છે. ત્યારબાદ મર્ડર કરી લાશ તેમાં નાખી ખાડા પૂરવાની વિધિ કરી હતી. અને સરકારી સાહેદોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:41 pm

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મ્યૂલ એકાઉન્ટ સામે ડ્રાઇવ:સાયબર ક્રાઈમ માટે ભાડા ખાતા આપનાર સામે પગલા, 3 ફરિયાદ નોંધાઈ; બેંક કર્મચારીની સંડોવણીની તપાસ

અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા સાયબર ક્રાઈમને લઈને ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મ્યુલ એકાઉન્ટ સામે રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કર્યું છે જેમાં મ્યુલ એકાઉન્ટ્સ કે જે સાયબર ગઠિયાઓ દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે વપરાતા બેંક ખાતાઓને નિશાન બનાવે છે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડવાના હેતુથી આ કાર્યવાહીમાં ક્રાઇમબ્રાંચ દ્વારા ત્રણ ફરિયાદ નોંધવામા આવી છે. આ કામગીરી દરમિયાન એક બેંક કર્મચારીની પણ સંડોવણી સામે આવતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 'વ્યક્તિઓ થોડા પૈસાના લાલચમાં પોતાનું એકાઉન્ટ ગઠિયાઓને 'ભાડે' આપે છે'ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાને જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ્સ સાયબર અપરાધીઓ માટે રૂપિયાના ટ્રાન્જેક્શન માટેનું સૌથી મોટું સાધન છે. ઘણીવાર વ્યક્તિઓ થોડા પૈસાના લાલચમાં પોતાનું એકાઉન્ટ ગઠિયાઓને 'ભાડે' આપે છે, પછી તેમનું એકાઉન્ટ તમામ પ્રકારના સાયબર ક્રાઇમના રૂપયાના ટ્રાન્ઝેક્શન માટે મુખ્ય માધ્યમ બની જાય છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે રજ્યભરમાં કડક કાર્યવાહી શરૂ થઈ છે. બેંક કર્મચારીઓની બેદરકારી કે સંડોવણી!એકાઉન્ટ્સની ગોઠવણ માત્ર સાયબર ગઠીયા કે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરી આપતી ગેંગ દ્વારા નથી ચાલતી તેમાં ઘણી વખત બેંકના અધિકારી ખાતાઓ ખોલવામાં મદદરૂપ થતા હોય છે. કેટલીક વખત બેંક કર્મચારીઓની બેદરકારી કે સંડોવણી પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ હવે બેંક સ્ટાફની ભૂમિકાની પણ અલગથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જો સાબિત થાય કે કર્મચારીઓએ KYC અથવા વેરીફીકેશનની પ્રક્રિયામાં ચાલાકી પૂર્વક કોઇ ખેલ કર્યો હોય અથવા ગંભીર બેદરકારી રાખી હોય તો તે બેંક કર્મચારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. ગુનાખોરની વિગતો ગુજરાત સાયબર ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કરાશેKYC, ટ્રાન્ઝેક્શન મોનીટરીંગ તથા અન્ય ફરજિયાત પ્રોટોકોલનું પાલન ન કરનારી બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ સામે પણ કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આવી બેંકો અને સંસ્થાઓની બેદરકારી કે ગુનાખોરની વિગતો ગુજરાત સાયબર ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કરવામાં આવશે. જેથી તેમની સામે કડક કાનુની કાર્યવાહી થઇ શકે છે. મ્યુલ એકાઉન્ટ શું છે?મ્યુલ એકાઉન્ટ એ એવો બેંક એકાઉન્ટ છે જેને સાયબર અપરાધીઓ પોતાના ગેરકાયદેસર નાણાં ટ્રાન્શફર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આ એકાઉન્ટ ખોલનાર વ્યક્તિ સામાન્ય રીતે ગુનામાં સીધી ભાગીદાર નથી, પણ એકાઉન્ટ અન્ય કોઇ દ્વારા ઓપરેટ કરી તેમાં ક્રાઇમના રૂપિયાના મલ્ટી ટ્રાન્જેકશન થતા હોય છે. નાણાંની હેરફેર માટે ઉપયોગગેરકાયદેસર રીતે મળેલા નાણાં (જેમ કે ઠગાઈ, ફ્રોડ, હેકિંગ) મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.પછી તે નાણાં બીજી જગ્યાએ મોકલવા માટે વપરાય છે જેથી આ કાંડ કરનારની ઓળક સામે આવતી નથી. મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડ, ફિશિંગ, હેકિંગ, ગેમ્બલિંગ, અને ડ્રગ્સઅન્ય ગેરકાયદેસર વ્યવહારો માટે નાણાં ધોવા માટે સૌથી વધુ વપરાય છે. ઘણીવાર લોકો તેમના એકાઉન્ટ ભાડે આપે છે કે ગેરકાયદેસર નાણાંની એન્ટ્રીઓ પાડવા માટે વપરાય છે. જ્યારે તપાસમાં ખાતેદાર સુધી પોલીસ કે અન્ય કોઇ એજન્સી પહોંચે ત્યારે ગુનાગારો સામે સીધો કોઇ આરોપ નથી હોતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:36 pm

કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMC કમિશનરે મોડલ સીટીની ચર્ચા કરી:કહ્યું, શહેરમાં બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ ન હોય તો દંડ કરો, એક મોડલ ફાયર સ્ટેશન ઊભું કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીવ્યુ બેઠક દરમિયાન શહેરમાં વધતા જતા એર પોલ્યુશન અને મચ્છરજન્ય રોગોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા વિવિધ જગ્યા ઉપર ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર જ્યાં ગ્રીન નેટ ન લગાવવામાં આવ્યું હોય તેવી સાઈટોને દંડ કરવા માટેની સૂચના આપી હતી. રોડ ઉપર જે ડમ્પરો પસાર થાય છે તેઓ ધૂળ ઉડાડતા હોય છે ત્યારે આવા ડમ્પરો સામે પણ કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને હવે શહેરના મોડલ સીટી તરીકે બનાવવા માટે વિવિધ મોડલ જગ્યાઓ બનાવવા માટે પણ બેઠકમાં સુચના આપી હતી. 'એક મોડલ ફાયર સ્ટેશન ઊભું કરો'મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાતી રીવ્યુ બેઠક દરમિયાન શહેરમાં આવનારા કોમનવેલ્થ ગેમ્સને લઈને શહેરમાં વિકાસનું મોડલ ઊભું કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે નવા 15 ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે તેમાં એક ફાયર સ્ટેશન મોડલ ફાયર સ્ટેશન તરીકે બનાવવા માટે જણાવ્યું હતું. સ્ટ્રીટ લાઈટો બંધ રહેવા મામલે કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીને પેનલ્ટી કરવા સૂચના આપી છે. ઝાડના ટ્રીમિંગ માટે હજુ સુધી કોઈ SOP નહીં બનાવવા બદલ ગાર્ડન વિભાગ અધિકારીઓનો ઉધડો લીધો હતો. કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરી નહોતી જેના કારણે થઈને અધિકારીઓને ખખડાવ્યા હતા. 'બાંધકામ સાઈટો પર ગ્રીન નેટ ન હોય તો દંડ કરો'અમદાવાદ શહેરમાં વધતા જતા એર પોલ્યુશનને લઈને કમિશનરે જણાવ્યું હતું બાંધકામ કન્સ્ટ્રકશન સાઈટની ચારે તરફ ગ્રીન નેટ લગાવવાનું ફરજિયાત બનાવવા અને નેટ નહીં લગાવનાર અને બાંધકામ સાઈટને મોટો દંડ કરવામા આવે. શહેરમાં રોડ અને બ્રિજના કામો ઝડપથી પૂરા કરવા પણ જણાવ્યું હતું. દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાંભા વિસ્તારમાં માત્ર એક જ કોન્ટ્રાક્ટરનો માણસ કામ કરે છે જેથી માણસો વધારવા જોઈએ તેવું સૂચન કરતા કમિશનરે કહ્યું હતું કામ તમારે કરવાનું છે અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ મને આપવાનો છે જેથી કામ તમે કરો અને બાદમાં મને જાણ કરો. અધિકારીઓને આડે હાથ લીધાઅમદાવાદ શહેરમાં લાંભા, અસારવા, ખાડિયા, સરસપુર, સહિત જુદા જુદા વિસ્તારોમાં ઉભરાતી ગટરો મામલે અધિકારીઓને ખખડાવ્યા હતા. શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની અને કેટલીક જગ્યાએ અંધારપટ છવાયેલો હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં વિભાગના અધિકારીઓને આડે હાથ લીધા હતા. કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તાર પણ હવે નવો બની રહ્યો છે ત્યારે ત્યાં મોડલ રોડ બનાવવા માટે તેમજ પ્લાન્ટેશન કરવા માટેની તાકીદ અધિકારીઓને કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:26 pm

યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત ધરોહર સૂચિમાં સામેલ કરતા પાટણમાં આનંદનો માહોલ:રાણકી વાવમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યાં, પરંપરાગત ગરબાની રમઝટ જામી

યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) દ્વારા દિવાળીને અમૂર્ત વિશ્વ ધરોહર (Intangible Cultural Heritage) સૂચિમાં સામેલ કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી નિમિત્તે, પાટણ રમત ગમત કચેરી વિભાગ દ્વારા પાટણ સ્થિત વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે દીપ પ્રાગટ્ય અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા મળતા ગુજરાતમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણની યાદગાર ઉજવણી માટે પાટણ રમત ગમત કચેરી વિભાગે વિશ્વ વિરાસત રાણકી વાવની પસંદગી કરી હતી. રાણકી વાવના પરિસરમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જેના કારણે આ પ્રાચીન સ્થાપત્યની સુંદરતા વધુ નિખરી હતી. દીવડાઓના પ્રકાશે વાવના શિલ્પો અને કોતરણીને પ્રકાશિત કર્યા હતા. આ પ્રસંગે પરંપરાગત ગરબાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:21 pm

વડોદરામાં ઇન્ટેન્જિબલ દીપાવલી ઉજવણી:યુનેસ્કોની સાંસ્કૃતિક વારસા યાદીમાં ભારતના દિપાવલી પર્વને “ઇન્ટેન્જિબલ દીપાવલી” તરીકે સ્થાન પ્રાપ્ત થતા બરોડા મ્યુઝિયમ ખાતે 1000થી વધુ દિવાઓ પ્રગટાવી ઉજવણી કરાઇ

. યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (Intangible Cultural Heritage-ICH) સૂચિમાં દીપાવલી તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને અનુસંધાને, ગુજરાત રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં “ઇન્ટેન્જિબલ દીપાવલી” તરીકે વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક કેન્દ્રો અને હેરિટેજ સ્થળોએ હજારો દીવા પ્રગટાવી અનોખું પ્રકાશોત્સવની ઉજવણી કરવા જણાવાયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો જેમાં મોઢેરા સૂર્ય મંદિર, રાણકી વાવ, અડાલજની વાવ, દાંડી કુટીર, શર્મિષ્ઠા તળાવ, ઉપરકોટ, પોરબંદર ગાંધી સ્મૃતિ, ધોળાવીરા, રણોત્સવ ખાતે ઘોરડો સહિત રાજ્યના મુખ્ય સ્થળોએ વિશેષ ઉજવણી યોજાનાર છે. વડોદરા જિલ્લામાં પણ આ ઉજવણીના ભાગરૂપ આજે બરોડા મ્યુઝિયમમાં 1000થી વધુ દીપ પ્રજ્વલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગોળી, રોશની સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સ્થાનિક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:12 pm

બોટાદ સગીરા ગર્ભવતી કેસ:બાળ આયોગ સભ્યએ પીડિતા-પરિવારની મુલાકાત લીધી, ઝડપી કાર્યવાહીના આદેશ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મેમ્બર કમલેશભાઈ રાઠોડ બોટાદ પહોંચ્યા છે. તેમણે સગીરાના ગર્ભવતી થવાના કેસમાં પીડિત સગીરા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. કમલેશભાઈ રાઠોડે પીડિતા સાથે વાતચીત કરીને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે કલેક્ટર અને એસપી સાથે બેઠક યોજી હતી. આયોગે પીડિતાને તાત્કાલિક ન્યાય મળે તે માટે ઝડપભેર ચાર્જશીટ દાખલ કરવા અને ડી.એન.એ. ટેસ્ટ કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. આયોગે જણાવ્યું કે પીડિતાના પુનર્વસન અને જન્મેલા બાળકની સંપૂર્ણ જવાબદારી સરકાર નિભાવશે. બાળક હાલ સારવાર હેઠળ છે અને સ્વસ્થ થયા બાદ સરકાર તેની સંભાળ લેશે. આ કેસમાં આરોપીને કડકમાં કડક અને દાખલારૂપ સજા થાય તે માટે તંત્ર જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. આ ઘટનામાં 70 વર્ષીય આરોપી અરજણ ખોડાભાઈ પટેલે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે 1 ડિસેમ્બરના રોજ આરોપી સામે ગુનો નોંધી 2 ડિસેમ્બરના રોજ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:06 pm

ગુજરાત યુનિવર્સિટીમાં 12 ડિસેમ્બરથી 'ભારત કુલ'નો પ્રારંભ:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન, ઓસમાણ મીર અને ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી રહેશે હાજર

ભાવ, રંગ તાલનો ફેસ્વિટલ એટલે કે ભારત કુલનું12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેનું 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને અપાવી ભારતની સિદ્ધી અને ગુજરાતનું ગર્વ વધારનાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. ભારત કુલ કાર્યક્રમમાં આવનાર મુલાકાતઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવશે. ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમ યોજાશે જે લોકો નિહાળી શકશે. ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ અલગ અલગ કાર્યક્રમની શરૂઆત થશેગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ભારતકુલ કાર્યક્રમમાં 12 ડિસેમ્બરના દિવસે ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ અલગ અલગ કાર્યક્રમની શરૂઆત થશે. ભારત કુલના ઉદ્ઘાટન બાદ ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ કાર્યક્રમ અંતર્ગત BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી પ્રવચન આપવાના છે. તેમજ ભારત કુલમાં ભાવ, રાગ અને તાલ એમ ત્રણ પ્રકારે અલગ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં ભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં અલગ અલગ વક્તા લોકોને સંબોધન કરશે. કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાશેતાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજવાના છે. આ કાર્યક્રમોમાં જાણીતા ચિત્રકાર, જાણીતા એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ IPS અજય ચૌધરી, જાણીતા શિલ્પકાર, એક્ઝિબિશન ડિઝાઇનર, જાણીતા કાર્ટૂનિસ્ટ, જાણીતા કવિ ઉપસ્થિત રહેવાના છે. જે અલગ અલગ કલાને લઈને હાજર લોકો સાથે સંવાદ કરશે. લાલો મૂવીની ટીમ અને ઓસમાણ અને આમિર મીર ઉપસ્થિત રહેશેતેમજ ભારત કુલમાં રાગના પણ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં કવિ સંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી, તેજસ દવે ઉપસ્થિત રહેવાના છે. લાલો ફિલ્મના કલાકારો, સંગીતના ખમીર એવા ઓસમાણ મીર અને આમિર મીર પણ ઉપસ્થિત રહેવાના છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:01 pm

ઉમરગામ મર્ડર કેસનો 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:વલસાડ LCBએ નાલાસોપારામાંથી આરોપીને ઝડપી પાડ્યો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઉમરગામના મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામ્યા બાદ છેલ્લા છ વર્ષથી ફર્લો રજા પરથી ફરાર આરોપીને મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને વલસાડ LCBની મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસ દ્વારા 26 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2025 દરમિયાન પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર રહેલા આરોપીઓ વિરુદ્ધ વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનોને કાર્યવાહી ઝડપી બનાવવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વ હેઠળ વલસાડ LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઉમરગામ પોલીસ મથકે વર્ષ 2012માં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલો કેદી નંબર 1572 અશોક ઉર્ફે સુરેશ જ્યોતિબદન મિશ્રા (ઉંમર 60) 7 ઓક્ટોબર 2019ના રોજ રજા પર મુક્ત થયો હતો. રજા પૂર્ણ થયા બાદ તે પરત જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. આથી, તેના વિરુદ્ધ પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. LCBની ટીમને મળેલી બાતમીના આધારે, નાલાસોપારા (વેસ્ટ) ખાતે આવેલા ઓમ સાઈ એપાર્ટમેન્ટ ફેઝ-2 માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી આરોપી અશોક ઉર્ફે સુરેશ જ્યોતિબદન મિશ્રાને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને ઉમરગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. પ્રિઝન એક્ટના ગુનામાં તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેને લાજપોર જેલમાં હસ્તગત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આરોપી અશોક ઉર્ફે સુરેશ જ્યોતિબદન મિશ્રા (ઉંમર 60) નાલાસોપારા (વેસ્ટ), જી. પાલઘર, મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેનું મૂળ રહેઠાણ રમાનગર એપાર્ટમેન્ટ, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ) છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 8:00 pm

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન યોજાઈ:સી.યુ. શાહ હાઈસ્કૂલ ખાતે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સુરેન્દ્રનગરની સી.યુ. શાહ ઇંગ્લીશ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની વોકેશનલ સ્કીલ કોમ્પિટિશન 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની 61 શાળાઓના આશરે 300 વિદ્યાર્થીઓ અને 61 વોકેશનલ ટ્રેનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર શાળા હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. હાલમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની 62 સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે. વિદ્યાર્થીઓમાં વોકેશનલ સ્કીલ્સ પ્રત્યે રસ અને વલણના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગર અને બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા આ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વોકેશનલ ટ્રેડ અંતર્ગત વિવિધ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન આઇ.ટી.આઇ.ના નિષ્ણાંત ઋષભ શાહ અને જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર વૈશાલીબેન પરાલીયાએ નિર્ણાયક તરીકે કર્યું હતું. સ્પર્ધાના પરિણામ અનુસાર, શ્રી સી.યુ. શાહ હાઈસ્કૂલ, વઢવાણ (મૂળચંદ રોડ) એ IT ITES ટ્રેડમાં 'Digital India' પ્રોજેક્ટ રજૂ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય નંબર શ્રી સરકારી માધ્યમિક શાળા, કટારિયાને Agriculture ટ્રેડમાં 'Vertical Farming' પ્રોજેક્ટ માટે મળ્યો છે. જ્યારે શ્રી વી.બી. ઉત્તરબુનિયાદી વિદ્યાલય, ડોળીયા એ Apparel ટ્રેડમાં 'Art Gallary' પ્રોજેક્ટ રજૂ કરીને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શ્રી સી.યુ. શાહ હાઈસ્કૂલ હવે રાજ્ય કક્ષાની સ્કીલ કોમ્પિટિશન 2025-26માં અમદાવાદ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષાના જિલ્લા સેકન્ડરી કો-ઓર્ડિનેટર મનનભાઇ બારોટ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર નરેશભાઇ બદ્રેશિયા અને તેમની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:57 pm

સગર્ભા સાથે દુષ્કર્મ કરનારને સાત વર્ષની સજા:ઈડર કોર્ટે આરોપીને ₹25 હજારનો દંડ ફટકાર્યો

ઈડર કોર્ટે સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે આરોપીને ₹25,000નો દંડ પણ કર્યો છે. મંગળવારે ઈડર કોર્ટમાં આ અંગેનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ નિકેશ બારોટના જણાવ્યા અનુસાર, આ ઘટના વર્ષ 2021માં બની હતી. સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગર્ભા મહિલા પોતાના ઘર નજીક જંગલમાં કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે દાંતા તાલુકાના જામરૂ ગામના રણછોડ હાંકડાભાઈ ખોખરીયાએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના કારણે ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તત્કાલિન સમયે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનાની તપાસ કરી ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી મંગળવારે ઈડર કોર્ટના ન્યાયાધીશ કે.એસ. હિરપરા સમક્ષ ચાલી હતી. ન્યાયાધીશે જામરૂના રણછોડ ખોખરીયાને દોષિત ઠેરવી સાત વર્ષની કેદ અને ₹25,000નો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:56 pm

Editor's View: મહાયુદ્ધનાં મંડાણ:ચીને જાપાનનાં ફાઇટર જેટ પર રડાર લોક કરી, માથાં કાપવાં સુધી વાત પહોંચી, ગુજરાત પર શું ખતરો? જાણો

ચીનની જમીની સરહદ લગભગ 22,117 કિલોમીટર લાંબી છે અને 14 દેશો સાથે જોડાયેલી છે; આ તમામ દેશો સાથે ચીને જમીની સરહદ મામલે ઝઘડો કરી ચૂક્યું છે. એમાંય ભારત, રશિયા અને વિયેતનામ સાથે તો યુદ્ધો પણ થયાં અને લોહી પણ વહ્યું. નાના દેશો પાસેથી તો ચીને ધમકાવીને જમીનો લઈ લીધી અને અમુક સાથે સમજૂતી કરી લીધી. છતાં પણ આજની તારીખે ભારત અને ભૂતાન સાથે ચીનનો સરહદ વિવાદ ચાલુ છે. આ તો થઈ જમીનની વાત, દરિયાઈ સરહદની વાત કરીએ તો 8 દેશો સાથે જોડાયેલી છે. આપણે તાઈવાનને નહીં ગણીએ કારણ કે અમેરિકા અને જાપાનની જેમ જ ચીનના કારણે ભારત અને તાઈવાન વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો નથી. આમાંથી 7 દેશો સાથે તેમનો દરિયાઈ સીમા વિવાદ થઈ ચૂક્યો છે અને હજુ પણ ચાલુ જ છે. ઈનફેક્ટ તાઈવાનને તો ચીન પોતાનો ભાગ માને છે જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર ગણે છે. અને આ જ તાઈવાન મામલે હાલ બે શક્તિશાળી દેશો એટલે કે ચીન અને જાપાન સામસામે આવી ગયા છે. આજે આપણે તેની વાત કરીશું. નમસ્કાર.... પહેલા તો ક્યાં વિવાદ ઉભો થયો છે તે જાણીએ. પૂર્વ એશિયામાં ચીન છે. તેની સામે દરિયામાં માત્ર 130 કિમી દૂર તાઈવાન છે. તેની ઉપર જાપાન છે. જાપાનના યોનાગુની ટાપુથી તાઈવાન માત્ર 110 કિમી દૂર છે. જાપાને મ્યાનમાંથી કેમ તલવાર કાઢી?7 અને 8 ડિસેમ્બર 2025 ના રોજ આપણે વાત કરી એ જ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરના આકાશમાં ચીનના J-15 ફાઈટર જેટે જાપાનના વિમાનો પર રડાર લોક કર્યું. રડાર લોક કર્યું એટલે કે મેં તને નિશાન બનાવી લીધો છે, હવે હું ફાયર કરું છું.દાયકાઓ સુધી શાંતિના પૂજારી રહેલા જાપાને હવે પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી છે. કેમ? ચાલો તાઈવાન મામલે બનેલી પાંચ ઘટનાઓ પર નજર કરીને વિવાદ સમજીએ. 7 નવેમ્બરે જાપાની PM તાકાઈચીએ સંસદમાં કહ્યું, તાઈવાન પર હુમલો એ જાપાન માટે અસ્તિત્વનાં જોખમ સમાન છે. જાપાની પીએમના આ નિવેદન પછી ચીને અમુક કડક પગલા લીધા ચીન જાપાન પર ગિન્નાયું આ જ મામલે ઓકાસામાં ચીનના કોન્સ્યુલેટ જનરલ શુ જિયાને વિદેશ નીતિને લાત મારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ધમકી આપી કે જે અમારી બાબતમાં માથું મારશે તેનાં માથાં કાપી નાખવામાં આવશે. આ પ્રતિક્રિયા તેમણે ત્યારે આપી હતી જ્યારે જાપાની PM તાકાઈચીએ તાઈવાન પર પોતાની વાત રાખી હતી. જો કે પછી વિવાદ અને જાપાનનું આંતરરાષ્ટ્રીય પ્રેશર વધ્યું તો ટ્વીટ ડિલિટ કરવી પડી. તાઈવાન પર જાપાનનો ટ્ર્મ્પને સણસણતો જવાબજો કે જ્યારે ઘર્ષણ વધવાની શરૂઆત થઈ ત્યારે જ ચીન અને જાપાને વ્હાઈટ હાઉસમાં ફોન ઘૂમાવ્યો હતો. ચીને સૌથી પહેલા આ મામલે વોશિંગ્ટનમાં ફોન લગાવ્યો. ટ્રમ્પને આખી માહિતી આપી અને પોતાનું સ્ટેન્ડ જણાવ્યું. આના તરત પછી ટ્રમ્પે ટોક્યોમાં ફોન કર્યો અને જાપાનનું વલણ આક્રમકમાંથી શાંત કરવા અપીલ કરી. પણ જાપાને પાછીપાની ન કરી. PM તાકાઈચીએ ટ્રમ્પને મોઢેમોઢ ના પાડી દીધી કે અમે પાછળ નહીં હટીએ. જેનું તાકાઈચી માટે એક મોટું કારણ એ પણ છે કે તાઈવાન મામલે વાત કરે ત્યારે તેમની પોપ્યુલારિટીમાં ચાર ચાંદ લાગે છે. અને ચીને આક્રમક વલણ દાખવ્યું. જાપાની ઈતિહાસમાં સૌથી મોટી ઘૂસણખોરી?હમણાની જ વાત કરીએ તો 2 ડિસેમ્બરે સેન્કાકુ ટાપુઓ પાસે ચીન અને જાપાનના કોસ્ટ ગાર્ડ સામસામે આવી ગયા અને કલાકો સુધી સ્ટેન્ડઓફ ચાલ્યું. જેના થોડા દિવસ પછી ફિલાપાઈન્સ સીમાં ચીની નેવીએ જાપાની પ્લેન પર ફાયર કન્ટ્રોલ રડાર લોક કર્યું જેની આપણે અગાઉ વાત કરી. અને 9 ડિસેમ્બરે રશિયા અને ચીનના 100 બોમ્બર્સે જાપાનની ફરતે સંયુક્ત ઉડાન ભરી. જાપાનના ઈતિહાસમાં લગભગ એક જ દિવસમાં આટલી મોટી ઘૂસણખોરી ક્યારેય નથી થઈ. આ કોઈ કવાયત નહોતી, જાપાન સામે આ સીધું શક્તિ પ્રદર્શન હતું. તાઈવાનને જાપાન પ્રત્યે સોફ્ટ કોર્નરઆ તો હાલની ઘટનાઓ છે. પણ આને વધુ સારી રીતે સમજવા 130 વર્ષ પાછળ જવું પડશે. 1895 માં જાપાને ચીનને હરાવીને તાઈવાન જીતી લીધું હતું. 50 વર્ષ સુધી તાઈવાન જાપાનનું સંસ્થાન રહ્યું. પણ અહીં એક ટ્વિસ્ટ છે. કોરિયા કે ચીનની જેમ તાઈવાનના લોકો જાપાનને નફરત નથી કરતા. ઉલટું, તાઈવાનના મોર્ડનાઈઝેશનનો શ્રેય તેઓ જાપાનને આપે છે. ચીન તાઈવાનને પોતાનું કહે છે અને તાઈવાનનો જાપાનીઓ પ્રત્યેનો આ સોફ્ટ કોર્નર ચીનની આંખમાં કણાની જેમ ખૂંચે છે. જાપાને તાઈવાન રાગ આલાપ્યો બીજા એક મોટા ટ્વિસ્ટની પણ વાત કરવી જોઇએ કારણ કે જાપાને વેપાર માટે તાઈવાનને પડતું મૂકી દીધું હતું. 1972માં જાપાને ચીન સાથે વેપાર કરવા તાઈવાન સાથે સત્તાવાર સંબંધો તોડ્યા. 2025માં વડાપ્રધાન તાકાઈચીએ જૂની વાતો પરથી પડદો હટાવી લીધો છે. હવે જાપાન માટે પિક્ચર ક્રિસ્ટલ ક્લિયર છે: મિત્ર તાઈવાન મુશ્કેલીમાં છે અને દુશ્મન ચીન દરવાજે યુદ્ધ કરવા ઉભું છે. બેઉ બળિયા બાથે વળગ્યાબંને પ્રશાંત મહાસાગરમાં પોત-પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. એક બાજુ ડ્રેગન પાસે સૌથી મોટી નેવી છે. તેમનું ફુજિયન મોર્ડન ઈલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચ સિસ્ટમથી સજ્જ છે. જેના જ લીધે તેઓ ક્વોન્ટિટીના જોરે જાપાનને દબાવવા માગે છે. શાંત બંધારણના લીધે જાપાન પાસે પોતાની મોટી સેના નથી પણ આ જ બંધારણમાં અમેરિકાની જબાન છે કે જાપાનને કંઈ થશે તો અમેરિકા ખભેખભો મિલાવીને ઉભું હશે. જેનો પણ એક ઈતિહાસ છે. અને જાપાન પણ લલ્લુપંજુ નથી. જાપાન પાસે કેમ પોતાની સેના નહોતી?1947માં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ જાપાન પાસે 'શાંતિપ્રિય બંધારણ' સ્વીકારાવ્યું હતું, જેમાં જાપાન યુદ્ધ નહીં કરી શકે તેવી શરત હતી. જોકે, બદલાતા સમય સાથે 2015માં જાપાને શિંજો આબેના સમયમાં જાતે 'સિક્યોરિટી લૉ' માં ફેરફાર કર્યો, જેથી હવે મિત્ર દેશ પર હુમલો થાય તો જાપાન યુદ્ધમાં ઉતરી શકે. 1960 ની 'યુએસ-જાપાન સિક્યુરિટી ટ્રીટી' મુજબ અમેરિકાએ જાપાનને સુરક્ષાની ગેરંટી આપી હતી. પણ ત્યારે અમેરિકા અને ચીનના સંબંધો અલગ હતા અને હવે અલગ છે. ત્યારે અમેરિકા ચીનને જવાબ આપવા માગતું હતું હવે અમેરિકા ચીન સાથે વેપાર તો કરે જ છે પણ તેને વધારવા પણ માગે છે. બાઈડેનની વાત કરીએ તો તે જાપાન અને તાઈવાનના સમર્થનમાં હતા પણ વેપારી અને જગતજમાદાર ટ્રમ્પ યુદ્ધ બંધ કરવાના મુદ્દા પર જ ઈલેક્ટ થયા છે. આ સ્થિતિમાં જાપાનનું શું થશે તે જોવાનું રહેશે. અને હવે જેના પર વિવાદ થઈ રહ્યો છે તે તાઈવાનની વાત. જાપાન અને ચીનના આક્રમક વલણના 3 મોટા કારણો છે. 1) ધ સિલિકોન શિલ્ડ2) જાપાનનું ગળું3) ફર્સ્ટ આઈલેન્ડ ચેઈન તાઈવાન દાવાના પણ 3 મોટા કારણોતાઈવાન પાસે TSMC છે, જે દુનિયાની 60% સેમિકન્ડક્ટર ચિપ્સ અને 90% એડવાન્સ ચિપ્સ બનાવે છે. જો ચીન તાઈવાન પર હુમલો કરે અથવા બ્લોકેડ કરે, તો એપલના આઈફોનથી લઈને અમેરિકાની મિસાઈલ સિસ્ટમ સુધી બધું ઠપ થઈ જાય. જાપાનનું 90% પેટ્રોલિયમ અને ગેસ તાઈવાન સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો ચીન તાઈવાન લઈ લે, તો તે ગમે ત્યારે જાપાનનું 'ગળું દબાવી' શકે છે. ચીનને મહાસાગરમાં ખૂલેઆમ ફરવું છે, પણ જાપાન, તાઈવાન અને ફિલિપાઈન્સની ટાપુ શૃંખલા જેને ફર્સ્ટ આઈલેન્ડ ચેઈન પણ કહેવાય છે તે ચીનને રોકી રાખે છે. ચીનને આ સાંકળ તોડવી છે, અને જાપાનને આ સાંકળ સાચવવી છે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. જાપાન કંઈ તાઈવાનના પ્રેમમાં પડીને આટલું આક્રમક નથી થયું. આ જીઓગ્રાફિકલ પોલિટિક્સ છે. ભૂતપૂર્વ જાપાની પીએમ શિન્ઝો આબેએ કહ્યું હતું, તાઇવાન આકસ્મિકતા એ જ જાપાન આકસ્મિકતા છે. આબે અને જાપાનનાં મહિલા વડાપ્રધાન બંને તાઈવાન પ્રેમી અને ચીન વિરોધી માનસિકતા ધરાવતા રહ્યા છે. આ મુદ્દે આજે જાપાનને સમજાઈ ગયું છે કે યુક્રેનમાં જે થયું તે એશિયામાં થઈ શકે છે. અમેરિકા પર સંપૂર્ણ ભરોસો રાખીને બેસી રહેવાય તેમ નથી. એટલે જ જાપાન હવે શાંતિપ્રિય બંધારણની મર્યાદાઓ તોડીને, સંરક્ષણ બજેટ બમણું કરી રહ્યું છે. જાપાન જાણે છે કે જો તાઈવાન ગયું, તો પછીનો નંબર ઓકિનાવા આઈલેન્ડનો છે. ચીન-જાપાન મુદ્દે ભારતનું શું સ્ટેન્ડ?આમ તો ભારત આ મામલે ન્યૂટ્રલ છે પણ જાપાન આપણું દોસ્ત છે. ભારતે હાલ કોઈ સત્તાવાર સ્ટ્રોંગ નિવેદન નથી આપ્યું. દોસ્તીના લીધે એક રીતે ભારતને જાપાન પ્રત્યે સોફ્ટ કોર્નર રહે તો નવાઈ નહીં. વિવાદ આગળ વધશે તો શું થશે? હવે વાત અતિ ગંભીર સંભાવનાઓની. ન કરે નારાયણ અને આ મામલે જો ન થવાનું થયું તો ચીન તાઈવાનની નાકાબંધી કરી શકે છે. આની એક અસર એ પણ થઈ શકે કે એશિયન નાટો વધુ મજબૂત થશે. અને ચીન જાપાની સી ફૂડ અને કાર ઈન્ડસ્ટ્રી પર પ્રતિબંધો મૂકીને જાપાનની આર્થિક કમર તોડવાનો પ્રયાસ કરી શકે છે. અને છેલ્લે.... આપણને થાય કે આ બધી માથાકૂટ તો આપણાથી હજારો કિલોમીટર દૂર થઈ રહી છે. આપણે શું લેવા દેવા. જો આપણે આવું વિચારીએ તો ખાંડ ખાઈએ છીએ કારણ કે ગુજરાતના ધોલેરામાં જે સેમિકન્ડક્ટર પ્લાન્ટના સપનાં જોઈએ છીએ એમાં ટાટાનું પાર્ટનર કોણ છે? તાઈવાનની કંપની PSMC. જો તાઈવાનમાં કંઈ થાય તો ત્યાંના એન્જિનિયર્સ કે ટેક્નોલોજીનું ટ્રાન્સફર રોકાઈ શકે છે. રાજકોટના ફેક્ટરીમાં વપરાતી CNC મશીનની ચીપ હોય કે મોબાઈલ ચીપ બધુ મોંઘું થઈ શકે છે. ટૂંકમાં તાઈવાનને શરદી થાય તો ગુજરાતના ઓટોમોબાઈલ કે સેમિકન્ડક્ટર સેક્ટરને તાવ આવી શકે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.(રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:55 pm

કલોલ કોર્ટે મહિલા પર હુમલો-લૂંટ-કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારી:સેક્સ મેનિયાક વિજય ઠાકોર હાલમાં ફાંસી અને આજીવન કેદની ભોગવી રહ્યો છે

ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટમાં નામદાર એડિશનલ જજ ડી.વી. શાહ દ્વારા લૂંટ અને હુમલાના કેસમાં સેક્સ મેનિયાક વિજય ઠાકોરને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે . ઉલ્લેખનીય છેકે આ રીઢો આરોપીને ભૂતકાળમાં પોક્સોના ત્રણ ગુનામાં કોર્ટે ફટકારેલી ફાંસી અને આજીવન કેદની સજા જેલમાં ભોગવી રહ્યો છે. સાયકો આરોપીએ ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા માકેસની હકીકત મુજબ, કલોલના વાંસજડા ગામના સેક્સ મેનિયાક વિજયજી પોપટજી ઠાકોરે ગત તા. 5 જૂન 2021ના રોજ બોરીસણાથી રામનગરના રોડ પર સાયોના ફેક્ટરી નજીક નાળિયામાં ભીખીબેન ઠાકોરને શિકાર બનાવ્યા હતાં. આરોપીએ ભારો ચઢાવવાના બહાને ભીખીબેનને નાળિયામાં લઈ જઈ એકલતાનો લાભ લઈને ધોકા વડે માથાના પાછળના અને કપાળના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. આરોપીએ લૂંટ કરી હતીબાદમાં ભીખીબેનના પગમાં પહેરેલા આશરે 500 ગ્રામ વજનના કડલા કિંમત રૂ. 35 હજારની લૂંટ કરી હતી અને પોતાનું નંબર વગરનું બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આરોપી પર 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા જે કેસ કલોલ એડિશનલ સેશન્સ જજ ડી.વી. શાહની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે સરકાર પક્ષે એપીપી જીગ્નેશ જોષી દ્વારા આરોપી વિરુદ્ધ દાખલ થયેલા જુદા જુદા ગુનાઓની માહિતી રજૂ કરવામાં આવી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, હાલના આરોપી વિજયજી ઠાકોર સામે ઉક્ત ગુના સિવાય સાંતેજ પોલીસ સ્ટેશનમાં પાંચ, કડી પોલીસ સ્ટેશનમાં એક મળીને કુલ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં મોટાભાગના ગુનાઓ આ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ગંભીર પ્રકારના છે. ત્રણ પોક્સોના ગુનામાં ફાંસીની અને આજીવન કેદની સજા પણ કોર્ટ ફટકારેલી છેખાસ કરીને તેમણે દલીલ કરી હતી કે,અગાઉ આ જ આરોપીને અલગ અલગ ત્રણ પોક્સોના ગુનામાં ફાંસીની અને આજીવન કેદની સજા પણ કોર્ટ ફટકારેલી છે. જે સજા આરોપી જેલમાં ભોગવી રહ્યો છે. આરોપી અત્યંત રીઢો ગુનેગાર હોવાથી તે દયાને પાત્ર નથી અને તેને કાયદા દ્વારા નિર્ધારિત મહત્તમ સજા ફરમાવવામાં આવે. આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 10 હજારનો દંડઆમ તમામ પુરાવાઓ અને આરોપીના ગંભીર ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને એડિશનલ જજ ડી.વી. શાહ દ્વારા આરોપી વિજય ઠાકોરને 10 વર્ષની સખત કેદની સજા અને 10 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. તેમજ ઇજા પામનારને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. જે વળતરની રકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:53 pm

મોડાસાના સાકરીયામાં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન શરૂ:શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત, 100 બાળકોએ 50 કૃતિઓ રજૂ કરી

અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મોડાસાના સાકરીયા ખાતે ત્રણ દિવસીય 11મા ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની પ્રતિભા અને વૈજ્ઞાનિક ચેતનાને મંચ પૂરો પાડવાના હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાના આ વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ શાંતાબેન પરમાર, ડાયટ પ્રાચાર્ય રોઝલીન એચ. સુવેરા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા શિક્ષણાધિકારી ઉષાબેન ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશભાઈ દવે, શ્રોફ ફાઉન્ડેશનના અધિકારીઓ, શિક્ષક સંઘના પ્રમુખ અનિલ પટેલ, મહામંત્રી આશિષ પટેલ, શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી પ્રજ્ઞેશ શર્મા સહિત તમામ તાલુકાના TPEO, BRC, CRC અને ડાયટ અરવલ્લીની કોર ટીમ ઉપસ્થિત રહી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અરવલ્લી જિલ્લામાંથી કુલ 50 વૈજ્ઞાનિક મોડેલ્સ અને કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આમાં 30 માધ્યમિક વિભાગની અને 20 પ્રાથમિક વિભાગની કૃતિઓનો સમાવેશ થાય છે. પ્રદર્શન સંચાલન સમિતિના જણાવ્યા અનુસાર, 100 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને ૫૦ માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. કાર્યક્રમના સંયોજક આર.એલ. જીતપુરાએ જણાવ્યું હતું કે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, શોધખોળ અને વૈજ્ઞાનિક વિચારોને સમાજ સમક્ષ રજૂ કરવાનો તથા ભવિષ્યના નવોદિત વિજ્ઞાનીઓનું ઘડતર કરવાનો છે. આ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન આગામી બે દિવસ સુધી જનમાનસ માટે ખુલ્લું રહેશે, અને વધુમાં વધુ લોકો તથા વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક આયોજનનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:52 pm

12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:વેરાવળ પ્રોહી કેસમાં મુંબઈના વિરારમાંથી LCBએ પકડ્યો

ઇમરાન નફીસ શેખ, જે 2013માં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર હતો, તેને ગીર સોમનાથ LCB દ્વારા મુંબઈના વિરારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વોન્ટેડ, લાલશાહી અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આ સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, LCB ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ અને એચ.એલ. જેબલીયાના નેતૃત્વ હેઠળની ટીમે આરોપી અંગે માહિતી એકત્ર કરવાનું કામ હાથ ધર્યું હતું. પો.કોન્સ. પિયુષભાઈ બારડના હ્યુમન સોર્સ અને એ.એસ.આઈ. રામદેવસિંહ જાડેજા તથા ભુપેન્દ્રસિંહ ચાવડાના ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી મુંબઈના વિરારમાં હોવાની ખાતરી થઈ હતી. ત્યારબાદ પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ અને LCBના હેડ કોન્સ્ટેબલ હીતેશ વાળા, ઉદયસિંહ સોલંકી, પ્રકાશ સોલંકી તથા પો.કોન્સ. અશોક મોરીની ટીમે વિરાર પહોંચીને દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો. પકડાયેલ આરોપી ઇમરાન નફીસ શેખ મુંબઈના વિરારમાં રૂમ નં. 01, વૈષ્ણવી એપાર્ટમેન્ટ, યસુબાઈ કમ્પાઉન્ડ ખાતે રહેતો હતો. LCBને ચોક્કસ બાતમી મળતા તેને ત્યાંથી ઝડપી લઈ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરોપી વેરાવળ સિટી પો.સ્ટે. ગુ.ર.નં. 5329/2013, પ્રોહી કલમ 66(B), 65(A)(E) હેઠળ નોંધાયેલા કેસમાં ઘણા વર્ષોથી વોન્ટેડ હતો. ઇમરાન નફીસ શેખ વિરુદ્ધ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ GRP પો.સ્ટે.માં ગુ.ર.નં. 187/2025, કલમ N20(b)(ii)(B), NB(C)N મુજબ અને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 240/2019 – પ્રોહી એક્ટ 65(A)(A) મુજબ પણ ગુના નોંધાયેલા છે. આ દર્શાવે છે કે આરોપી વિવિધ રાજ્યોમાં પ્રોહિબિશન અને સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:49 pm

'એ આપણને છોકરા સમજે છે પરંતુ આપણે બાપ છીએ':રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં RBAના સપોર્ટર પટેલનું નિવેદન, વકીલોની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી પૂર્વે એક પછી એક વિવાદો સામે આવતા રહે છે. થોડા દિવસો પહેલા રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીએ RBA પેનલના દિલીપ પટેલ, વર્તમાન પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરાએ લીગલ સેમિનારના નિયમોનું ઉલ્લંઘન કરી 400 વકીલો પાસેથી રૂ. 16 લાખ ઉઘરાવી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે તેને દિલીપ પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા ત્યારે હવે દિલીપ પટેલનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, એ લોકોને એમ લાગે છે કે આપણે છોકરા છીએ, પરંતુ અમે છોકરા નહીં તારા બાપ છીએ. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 'કાંટે કી ટક્કર'ના એંધાણરાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીનો મામલો હવે ગરમાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના વકીલ આલમમાં બાર એસોસિએશનની ચૂંટણી માટે ભારે ઉત્સાહ છે. પરંપરાગત રીતે, આ ચૂંટણીમાં બે મુખ્ય પેનલ, 'સમરસ પેનલ' અને 'RBA પેનલ' વચ્ચે સીધો જંગ જોવા મળે છે. આ જંગમાં વકીલોના હિત અને બાર એસોસિએશનના વર્ચસ્વની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેના કારણે આ ચૂંટણી 'કાંટે કી ટક્કર' થવાના એંધાણ આપી રહી છે. 'એ લોકો આપણને છોકરા સમજે છે પરંતુ આપણે બાપ છીએ'જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન RBA પેનલના દિલીપ પટેલનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, એ લોકોને ભલે એવું લાગે કે આપણે છોકરા છીએ પરંતુ છોકરા નહીં તારા બાપ છીએ. જે બાદ જણાવ્યું હતું કે, આપણે બધા ધરતી સાથે જોડાયેલા છીએ જ્યારે તેમાંના બધા ઊંચું માથું રાખીને કોઈને બોલાવે નહીં તેવા છે જેથી તે બધા પિટાઈ જ જવાના છે. ગત વર્ષે આપણા ચાર ઉમેદવારો જીત્યા ન હતા તે આપણી હારે જ કહેવાય જેથી આ વખતે આખી પેનલ જીતવી જોઈએ. બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરીએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતારાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ધીમે ધીમે રાજકીય રંગ ધારણ કરી રહી છે. શરૂઆતમાં બાર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોષીએ RBA પેનલના દિલીપ પટેલ, બાર એસો.ના પ્રમુખ પરેશ મારુ, અને સુમિત વોરા સામે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા, જેમાં એક લિગલ સેમિનારમાં નિયમોનું ઉલ્લંઘન કરી 400 વકીલો પાસેથી રૂ. 2500 જેટલી મોટી ફી વસુલવામાં આવી હતી. અને લો કોલેજો પાસેથી પણ રૂપિયા 16 લાખ ઉઘરાવ્યા હતા. RBA પેનલના ઉમેદવારો સમરસ પેનલ

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:47 pm

અરણેજમાં પ્રાકૃતિક કૃષિ તાલીમવર્ગ યોજાયા:ખેડૂતોને નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસપર્ણી અર્ક વિશે માર્ગદર્શન મળ્યું

ગીર સોમનાથ જિલ્લાના અરણેજ ખાતે ખેડૂતો માટે ત્રણ દિવસીય પ્રાકૃતિક કૃષિ સંસ્થાકીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ ખેતી નિયામક તાલીમની કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયાસરૂપે આ તાલીમ યોજાઈ હતી. કૃષિ તાલીમ અને સંશોધન કેન્દ્ર, અરણેજ ખાતે આ તાલીમ 10 ડિસેમ્બર, 2025 થી 12 ડિસેમ્બર, 2025 સુધી યોજવામાં આવી છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિગતવાર સમજ આપવાનો છે. તાલીમ દરમિયાન ખેડૂતોને રવિ સિઝનના પાકોમાં પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘનજીવામૃત, તેમજ પાક સંરક્ષણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દસપર્ણી અર્ક અને સપ્તધાન્ય અર્ક જેવા અસ્ત્રોના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં કોડીનાર તાલુકાના અરણેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 80 થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નાયબ ખેતી નિયામક (તાલીમ) પી.કે. સ્વર્ણકાર, ખેતીવાડી અધિકારી ગોવિંદભાઈ ધોળિયા, અરણેજ ગામના કૃષિ સખી દેવલબેન અને કનકસિંહ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:46 pm

હિંમતનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ પર બેઠક યોજાઈ:નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી

હિંમતનગરમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજાઈ હતી. પ્રાથમિક મતદારયાદી 16 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસિદ્ધ થવાની છે, તે પૂર્વે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.આ બેઠકમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગવાર તૈયાર કરાયેલી Absent, Shifted, Death, Duplicate (A/S/D/D) મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ પ્રાથમિક મતદારયાદીમાંથી કમી થનાર છે. BLO દ્વારા તેમના મતદાન મથકના BLAને પણ આ અંગેની યાદી આપવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી.મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય. આ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સહયોગ મળે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:38 pm

ગોધરા MLA સી.કે. રાઉલજીને વિધાનસભામાં મહત્વપૂર્ણ જવાબદારી:જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા

ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિ રાજ્ય વિધાનસભાની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સમિતિઓમાંની એક છે. તેમની નિયુક્તિ તેમના લાંબા રાજકીય અનુભવ અને વહીવટી સમજને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમને રાજ્યના નાણાકીય દેખરેખની આ સર્વોચ્ચ જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર હિસાબ સમિતિ વિધાનસભાની સૌથી શક્તિશાળી સમિતિઓ પૈકીની એક છે. તેનું મુખ્ય કાર્ય કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના રિપોર્ટની સમીક્ષા કરીને રાજ્ય સરકારના ખર્ચાઓ અને હિસાબોની ચકાસણી કરવાનું છે. આ સમિતિ સરકારી વિભાગો દ્વારા થતા ખર્ચમાં પારદર્શિતા જાળવવા અને નાણાકીય ગેરરીતિઓ પર નિયંત્રણ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગોધરા અને પંચમહાલ જિલ્લાના રાજકીય વર્તુળોમાં તેમની આ નિયુક્તિને આવકારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:29 pm

9 મહિનામાં 14થી 17 વર્ષની 341 દીકરી પ્રેગ્નેન્ટના ચોંકાવનારા આંકડા:14 વર્ષની 2, 15 વર્ષની 34 અને 16 વર્ષની 76 બાળાઓ, કડી અને મહેસાણામાં સૌથી વધુ દીકરીઓ સગર્ભા

મહેસાણા જિલ્લામાં સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં એટલે કે 9 મહિનામાં કુલ 341 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આ આંકડાઓની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, 13થી 17 વર્ષની વયજૂથની આ સગીરાઓમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને સૌથી વધુ 17 વર્ષની 229 દીકરીઓનો સમાવેશ થાય છે. નાની વયે ગર્ભધારણના આ કિસ્સાઓ સમાજ માટે ખરેખર લાલબત્તી સમાન છે. કડીમાં 88 અને મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતીમહેસાણા જિલ્લાના તાલુકાવાર વિગતો જોઇએ તો સૌથી વધુ કિસ્સા કડીમાં 88 અને ત્યાર બાદ મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સગીરાઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરી આરોગ્યલક્ષી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સગીરાઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી આ ગંભીર મુદ્દા પર સામાજિક જાગૃતિ અને કાયદાકીય પગલાંની જરૂરિયા ઊભી થઈ છે. કયા તાલુકામાં કેટલી બાળાઓ સગર્ભા કુલ 22,812 સગર્ભા મહિલામાંથી 341 બાળાઓઆમ મહેસાણા જિલ્લામાં કુલ 22,812 સગર્ભા મહિલામાંથી 341 સગર્ભા દીકરીઓ સામે આવી છે. જેમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229 દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ 18 વર્ષની 588 અને 19 વર્ષની 852 યુવતીઓ સગર્ભા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ મામલે એ સામે આવ્યું નથી કે, આ તમામ બાળાઓના લગ્ન થયા છે કે નહીં. હાલમાં આરોગ્ય વિભાગ પાસે એ માહિતી ઉપલબ્ધ ના હોવાનું પણ સામે આવ્યું છે. આ બાળાઓના લગ્ન થયા છે કે નહીં તે તપાસનો વિષય છેઆ આંગે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે, નાની ઉંમરે ગર્ભવતી બાળાઓ નોંધાઈ છે. જેમની ANC તરીકે નોંધણી કર્યા પછી એમની તકેદારી આરોગ્ય ટીમ દ્વારા લેવામાં આવે છે. તેમજ ન્યુટ્રિશિય કીટ પણ આપવામાં આવે છે. કારણ કે, બાળાઓની ઉંમર ઓછી છે એટલે વજન પણ ઓછું છે. ભવિષ્યમાં બાળક ઓછા વનજવાળું ન આવે એટલે માતા-બાળક બંનેને બચાવવાના પ્રાયસ છે. આ લોકોનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. આ લોકોની નોંધણી માત્ર સગર્ભા મહિલા તરીકે કરી છે. લગ્ન થયા છે કે નહીં તે તપાસનો વિષય છે. આ અંગે રિવ્યુ ધનંજય ત્રિવેદી દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:24 pm

ભરૂચના કરજણ ગામમાં સ્કૂલ યુનિફોર્મ વિતરણ:જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

ભરૂચ તાલુકાના કરજણ ગામમાં જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટ વર્ષોથી સમાજસેવામાં સક્રિય છે. પ્રોજેક્ટ શિક્ષા હેઠળ, ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીગ્નાશા ગોસ્વામી, ડાયરેક્ટર શેફાલી પંચાલ, ગામના સરપંચ, એસએમસી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક રજૂઆતથી થઈ હતી. ટ્રસ્ટના ઉપપ્રમુખ જીગ્નાશા ગોસ્વામીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરતી વખતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિક બની સમાજની સેવા કરે, એ જ અમારી શુભેચ્છા છે. કાર્યક્રમના અંતે, શાળાના આચાર્ય પરિમલસિંહ યાદવે ટ્રસ્ટના પ્રમુખ અને હોદ્દેદારોનો શાળા તથા ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 7:00 pm

ભુજમાં સાયબર ફ્રોડના બે આરોપી ઝડપાયા:બેંક ખાતા દ્વારા નાણાં મેળવી કમિશન લેતા હતા

પશ્ચિમ કચ્છ, ભુજ સાયબર સેલ દ્વારા ભુજમાંથી સાયબર ફ્રોડના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ બેંક ખાતાઓ મારફતે સાયબર ફ્રોડના નાણાં મેળવી, ચેકથી ઉપાડી અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરીને કમિશન લેતા હતા. સમન્વય પોર્ટલ પરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના આધારે ધનંજય શૈલેષભાઈ ચૌહાણ (રહે. 27, સત્યમ સોસાયટી, બાપાસીતારામ મઢુલીની સામે, મંગલમ ચાર રસ્તા, ભુજ) અને આસિફ ઓસમાણ સાદ (ઉ.વ. 28, રહે. સીતારા ચોક, ભીડ નાકા બહાર, ભુજ) ના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસમાં તેઓ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. આરોપી ધનંજય શૈલેષભાઈ ચૌહાણે કુલ રૂ. 87,76,510ની સાયબર છેતરપિંડી કરી હતી. તેમની સામે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી આસિફ ઓસમાણ સાદે કુલ રૂ.22,00,500 ની સાયબર છેતરપિંડી કરી હતી. તેની સામે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને આરોપીઓને એલસીબી દ્વારા હસ્તગત કરીને ભુજ શહેર એ-ડિવિઝન અને ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:51 pm

નવસારીમાં દીપડો પાંજરે પુરાયો:કુંભાર ફળિયા ગામમાં શિકારની શોધમાં આવ્યો હતો, સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા કુંભાર ફળિયા ગામમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલો ત્રણ વર્ષનો એક નર દીપડો પાંજરે પુરાયો હતો. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કુંભાર ફળિયા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડા દેખાવાની ઘટનાઓ બનતી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. ગામના સરપંચે આ અંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગ, સુપા રેન્જને જાણ કરી હતી. સૂપા રેન્જ દ્વારા કૃષ્ણકાંત રણછોડ ચૌહાણના ખેતરમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે આ પાંજરામાં દીપડો ફસાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે દીપડાનો કબજો લઈ તેની જરૂરી તબીબી તપાસ હાથ ધરી છે અને તેને જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સામાજિક વનીકરણ વિભાગ, સુપા રેન્જ દ્વારા કુલ 9 દીપડાઓને પાંજરે પૂરવામાં આવ્યા છે. કુંભાર ફળિયા ગામમાં હજુ પણ બે દીપડા દેખાઈ રહ્યા હોવાથી વન વિભાગે બે અલગ-અલગ જગ્યાએ વધુ પાંજરા ગોઠવ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:44 pm

ગુજરાતમાં પ્રવાસન વિકાસને મળશે નવી ગતિ:દરેક જિલ્લામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચનાને મંજૂરી, વર્ષમાં 10 કરોડની ગ્રાન્ટ મળશે

રાજ્યના દરેક જિલ્લામાં પ્રવાસ સ્થળોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી (DTDS)’ની રચનાને મંજૂરી અપાઈ છે. 11મી રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં આ મુદ્દે થયેલી ચર્ચા બાદ હવે સત્તાવારતાથી જિલ્લા સ્તરે વધુ સશક્ત અને નાણાકીય સ્વતંત્ર સોસાયટીની રચના કરાઈ છે, જે સ્થાનિક પ્રવાસન વિકાસમાં ગેમચેન્જર સાબિત થશે. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના મુખ્ય હેતુઓજિલ્લામાં પ્રવાસન સ્થળોની જરૂરિયાતો અનુસાર ટૂંકા અને લાંબા ગાળાના આયોજન, ઝડપી અમલવારી અને રાજ્યની યોજનાઓનો લાભ લઈ યાત્રાધામ-પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળે તે માટે કાર્ય કરવાનું મુખ્ય ધ્યેય રહેશે. ગવર્નિંગ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલદરેક જિલ્લામાં કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે. જિલ્લા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા બોર્ડ-સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. આ કાઉન્સિલ નીતિગત નિર્ણયથી લઈને ફંડિંગ, પ્રોજેક્ટ સમીક્ષા અને દેખરેખ સુધીની તમામ જવાબદારી સંભાળશે. નાણાકીય સશક્તિકરણદરેક જિલ્લામાં વર્ષ દરમિયાન રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. ઉપરાંત CSR ફંડ, યુઝર ફી અને અન્ય સ્ત્રોતોમાંથી પણ સોસાયટી ફંડ એકત્રિત કરી શકશે. સિંગલ નોડલ બેંક ખાતા દ્વારા પારદર્શિતા જાળવાશે. વિકાસ કાર્યોમાં સામેલ વ્યવસ્થાઓ પ્રવાસન વિકાસના મુખ્ય લાભોજિલ્લા સ્તરે આયોજનથી અમલવારી વધુ ઝડપી બનશે, સ્થાનિક સ્તરે પ્રોફેશનલ મેનેજમેન્ટ ઉપલબ્ધ થશે અને નાણાકીય-વહીવટી સ્વતંત્રતા મળવાથી કામગીરીમાં ગતિ આવશે. સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં રોજગારી સર્જાશે તેમજ મહિલા મંડળો અને SHGને પણ પ્રાથમિકતા મળશે. આ બેઠકમાં પ્રવાસન મંત્રી ડૉ. જયરામ ગામીત, પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યારે જિલ્લા કલેકટર અને મહાનગરોના કમિશનરો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આ નિર્ણયથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં નવી તાકાત અને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:38 pm

વલસાડના TCનું ટ્રેનમાં ફરજ દરમિયાન નિધન:મથુરા પાસે હાર્ટ એટેક આવ્યો, વતનમાં અંતિમ સંસ્કાર કરાયા

વલસાડ રેલવે વિભાગમાં ફરજ બજાવતા TC ધીરજ સરજારેનું અગસક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું છે. આ ઘટના ગઈકાલે મથુરા રેલવે સ્ટેશન પછી બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ધીરજ સરજારે અગસક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં TC તરીકે સેવા આપી રહ્યા હતા. મથુરા રેલવે સ્ટેશન પસાર કર્યા બાદ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આગળના સ્ટેશન પર તબીબી તપાસ કરતા ધીરજભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આજે તેમનો પાર્થિવ દેહ વલસાડ લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ધીરજ સરજારેના પરિવારમાં તેમની પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. રેલવે વિભાગના અધિકારીઓ અને સહકર્મીઓએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. રેલવેમાં ફરજ બજાવતા તેમના સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ધીરજભાઈને અગાઉ પણ હાર્ટ એટેક આવી ચૂક્યો હતો અને તેઓ તેની દવા લઈ રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:37 pm

યાત્રી કૃપયા ધ્યાન દે:અજમેર રૂટ પર બ્લોકને કારણે ટ્રેનોનું રૂટમાં ફેરફાર, વિવેક એક્સપ્રેસ આંશિક રદ

ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર–મદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 44 પર રોડ અન્ડર બ્રિજના બાંધકામને કારણે 11 અને 12 ડિસેમ્બરના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો ડાઇવર્ટ રુટથી દોડાવવામાં આવશે અને આ ટ્રેનો અજમેર સ્ટેશન પર રોકાશે નહીં. 11 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ–શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19269 પોરબંદર–મુજફ્ફરપુર એક્સપ્રેસ દૌરાઈ–અજમેર–મદારના બદલે દૌરાઈ–મદાર બાયપાસ લાઈન દ્વારા ચલાવવામાં આવશે. જ્યારે 12 ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર 19411 ગાંધીનગર કેપિટલ–દૌલતપુર ચોક એક્સપ્રેસ પણ આ જ ડાઇવર્ટ રુટથી ચાલશે. યાત્રીઓની સુવિધા માટે આ ટ્રેનોને દૌરાઈ અને મદાર જંકશન સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવશે. તે જ સમયે, દક્ષિણ રેલવેના મીલવિટ્ટાન–તૂતિકોરિન સેક્શનમાં ડબલ ટ્રેકિંગના કામને કારણે વિવેક એક્સપ્રેસમાં પણ અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. 19 ડિસેમ્બરના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા–તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ તૂતિકોરિન સુધી નહીં જઈ, કોવિલપટ્ટી સ્ટેશન સુધી જ દોડશે. આ રીતે કોવિલપટ્ટી અને તૂતિકોરિન વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત, 21 ડિસેમ્બરના રોજ તૂતિકોરિન તરફથી ઉપડનારી ટ્રેન નંબર 19567 તૂતિકોરિન–ઓખા વિવેક એક્સપ્રેસ તૂતિકોરિનના બદલે કોવિલપટ્ટી સ્ટેશનથી પ્રસ્થાન કરીને ઓખા સુધી જશે, અને આ દરમિયાન તૂતિકોરિન અને કોવિલપટ્ટી વચ્ચેની સેવા આંશિક રીતે રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:32 pm

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે 12 શખ્સોને નોટિસ આપી:ગેરકાયદે ખનન બદલ રૂ. 99.67 કરોડનો દંડ ફટકાર્યો

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગ દ્વારા 12 શખ્સોને કુલ રૂ. 99.67 કરોડનો દંડ ફટકારતી નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહી સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં બ્લેકટ્રેપ (રબલ) ખનિજના ગેરકાયદેસર ખનન અંગેના દરોડા બાદ કરવામાં આવી છે. આ ઘટના 2 ડિસેમ્બર, 2025ના રોજ સાયલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સુદામડા-સેજકપર રોડ પર વાટાવચ્છ સીમ વિસ્તારમાં કરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન સામે આવી હતી. સ્થળ પર તપાસ કરતા ખાડામાં અલગ-અલગ જગ્યાએ કુલ 4 એક્સકેવેટર મશીન બ્લેકટ્રેપ ખનિજનું ખનન કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, કુલ 11 ડમ્પરો પણ મળી આવ્યા હતા, જેમાંથી 4 ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનિજ ભરેલું હતું અને એક ડમ્પર ખાલી હતું. રોડ પરથી પણ 3 ભરેલા ડમ્પરો પકડવામાં આવ્યા હતા. આમ, કુલ 14 ડમ્પર અને 4 એક્સકેવેટર મશીનને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, ખાણકામવાળા ખાડાની બાજુમાં અન્ય એક ખાડામાં એક્સપ્લોઝિવનો જથ્થો ચાર્જ કરેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર બાબતે ખાણ ખનીજ કચેરીને આગળની કાર્યવાહી કરવા માટે અહેવાલ કરવામાં આવ્યો હતો. ગુજરાત ખનિજ (ગેરકાયદે ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-2017ના નિયમ 22ના શિડ્યુલ મુજબ, બિનઅધિકૃત રીતે ખનન કરાયેલ કુલ 25,09,257.83 મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનિજની કિંમત પ્રતિ મેટ્રિક ટન રૂ. 315 લેખે રૂ. 79,04,16,217 થાય છે. સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરના સુધારા ઠરાવ તા. 29/11/2018ના નિયમ-1(અ)ની જોગવાઈ મુજબ, બ્લેકટ્રેપ રબલ ખનિજ માટે પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે રૂ. 20,55,08,217નો દંડ પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચાર એક્સકેવેટર મશીનની કમ્પાઉન્ડિંગ ફી પેટે રૂ. 8,00,000 અને લીઝના પાકા હદનિશાન, સાઇનબોર્ડ, ફેન્સિંગ ન હોવાથી કરારભંગ બદલ રૂ. 30,000નો દંડ પણ સમાવવામાં આવ્યો છે. આમ, કુલ મળીને સમાધાન પેટે વસૂલવાપાત્ર રકમ રૂ. 99,67,54,434 (અંકે નવાણું કરોડ સડસઠ લાખ ચોપન હજાર ચારસો ચોત્રીસ રૂપિયા પૂરા) થાય છે. આ નોટિસ દ્વારા સંબંધિત 12 શખ્સોને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ ગુજરાત ખનીજ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017ના નિયમ-22 હેઠળ ગુનાની માંડવાળ કરીને સમાધાનની રકમ ભરપાઈ કરવા સંમત છે કે કેમ. નોટિસ મેળવનારાઓમાં ખીમાભાઈ વસ્તાભાઈ પટેલ (લીઝધારક), દિલીપભાઈ જેમાભાઈ ધાડવી, દેવાભાઈ હમાભાઈ ભાંગરા, અજીતસીંહ અભેસીગભાઈ પઢીયાર, જીલુભાઈ નાજભાઈ ખવડ, રઘુભાઈ જેમાભાઈ ધાડવી, સંજયભાઈ ધુડાભાઈ ધાડવી, રાજુભાઈ ખુમાનસંગભાઈ રાઠોડ, વિપુલભાઈ રાસુભાઈ બાટીયા, દોલાભાઈ ધુડાભાઈ ધાડવી, શિવ શંકર યાદવ અને ધાધરેટીયા પ્રવિણભાઈ માનસીંગભાઈનો સમાવેશ થાય છે. જે બાબતે આપે તા.24/12/2025ના રોજ 12 કલાકે રુબરુ સુનાવણીમા જરુરી આધારપુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.જો આપના દ્વારા સમય મર્યાદામા કોઈ પ્રતિસાદ નહી સાંપડે તો આપને આ બાબતે કંઈ કહેવાનું રહેતુ નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે,જેની ગંભીર નોંધ લેશો. જે અંગે જે.એસ.વાઢેર, ભુસ્તરશાસ્ત્રી (ઇચા) ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ સુરેન્દ્રનગર દ્વારા નોટીસ ફટકારી જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:30 pm

નોબેલ એટલે...એક નામ, જે સમર્પણ, જ્ઞાન અને માનવતાનું પ્રતિક:રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે નોબેલ પ્રાઈઝ ડેની ઉજવણી નિમિતે 600 કરતાં વધારે જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમની નું સ્ટોકહોમ થી લાઈવ પ્રસારણ રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ​ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજરોજ નોબેલ પ્રાઈઝ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 600થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ અવસરે, સ્ટોકહોમથી નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું જીવંત પ્રસારણ કરીને વિશ્વના આ પ્રતિષ્ઠિત સન્માનની ઝલક વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, વિજ્ઞાન ને લગતી જુદી જુદી 5 થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે. જેમાં નોબલ પ્રાઈઝ ફિઝિયોલોજી ઓર મેડિસિનની વિશેષ ગેલેરી છે, જેમાં 1901 થી 2025 સુધીના માનવ કલ્યાણ માટે ફિઝિયોલોજી ઓર મેડિસિન ક્ષેત્રે મળેલ નોબલ પ્રાઈઝ ધરાવતા વૈજ્ઞાનિકો તેમના દ્વારા કરેલ સંશોધનો ની માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ છે. ઇન્ટરએક્ટીવ એગ્ઝિબિટ્સ તેમજ ઓડીઓ-વિડીઓ ના માધ્યમ થી સવિસ્તાર માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ છે, નોબેલ પ્રાપ્તકર્તાઓને ફિઝિયોલોજી ઓર મેડિસિનના ઉમદા પારિતોષિક થી સન્માનિત કરવામાં આવેલ છે. આ નોબલ પ્રાઈઝ ગેલેરી વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ માં અદભુત માહિતી અને નવી પ્રેરણા પુરી પાડી રહી છે. નોબલ પ્રાઈઝ વિષે જાણીએ તો સ્વીડિશ મુળના શોધક રસાયણશાસ્ત્રી, એન્જિનીયર અને ઉધોગપતિ આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલ ની અંતિમ ઈચ્છામાં નિર્ધારિત કર્યા મુજબ તેમની સંપત્તિ માંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, શાંતિ અને સાહિત્યમાં ઓસ્લો, નોર્વેમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. નોબલ પ્રાઈઝએ વિશ્વના ટોચના પ્રસિધ્ધ પુરસ્કાર પૈકી એક છે. દર વર્ષે 10 ડિસેમ્બર ના રોજ આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે નવા વિજેતાઓને પુરસ્કાર આપવા માટે સ્ટોકહોમમાં એવોર્ડ સમારંભ યોજાય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 ડિસેમ્બર 2025 ના રોજ આરએસસી ભાવનગર ખાતે નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું સ્ટોકહોમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, તદુપરાંત નોબલ પ્રાઈઝ (ફિઝિયોલોજી ઓર મેડિસિન) ગેલેરીની વિઝિટ, નોબેલ લોરીએટ્સ વિષે રસપ્રદ માહિતી, વર્ષ 2025માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તથા શરીરવિજ્ઞાન અથવા દવા ના ક્ષેત્રમાં નોબેલ વિજેતાઑ અને તેમના સંશોધનો વિષે એક્સપર્ટસ ડો.હેમ ભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર (ભૌતિકશાસ્ત્ર), શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર, ડૉ.એસ આદિમૂર્તિ, મુખ્ય વૈજ્ઞાનિક, MNPB-વિભાગ, CSIR-CSMCRI, ભાવનગર તથા ડૉ.જયેશ સોલંકી, એસોસિયેટ પ્રોફેસર, ફિઝિયોલોજી વિભાગ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર દ્વારા વર્ષ 2025માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તથા શરીરવિજ્ઞાન ના ક્ષેત્રમાં નોબેલ વિજેતાઑ અને તેમના સંશોધનોએ સમાજમાં અને વિશ્વમાં તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરના ડીન ડો.ચિન્મય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ દિવસે આરએસસીના સ્ટાફ દ્વારા નોબેલ ગેલેરીના પ્રવેશદ્વાર પર ફૂલોની અત્યંત મનમોહક અને કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી હતી, તદુપરાંત, આ પ્રસંગને અનુરૂપ નોબેલ ગેલેરીને પણ ભવ્ય રીતે શણગારવામાં આવી હતી, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. આરએસસી ભાવનગર લોકોમાં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વ ની ભૂમિકા ભજવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:20 pm

નવસારી LCBએ રૂ. 12.61 લાખનો પ્રોહી. મુદ્દામાલ ઝડપ્યો:મુંબઈ-અમદાવાદ ને.હા.નં-48 પરથી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, સેલવાસથી અસલાલી લઈ જવાતો હતો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશન કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. LCBએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર-48 પરથી રૂ. 12.61 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. તા. 09/12/2025ના રોજ નવસારી LCBના પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતુકમાર બહાદુરસિંહ અને અર્જુનકુમાર હર્ષદભાઇને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ, દારૂનો જથ્થો સેલવાસથી ભરીને અસલાલી લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે મોજે. આરક-સિસોદ્રાના પાટીયા પાસે નેશનલ હાઈવે નંબર-48 (મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક) પર નાકાબંધી ગોઠવી હતી. વોચ દરમિયાન, LCBની ટીમે રજીસ્ટ્રેશન નંબર DD 01 Z 9131 ધરાવતો એક ટેમ્પો અટકાવ્યો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 1032 ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 12,61,520/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. 2,51,520/- ની કિંમતના 1032 ટીન વિદેશી દારૂ (બિયર), રૂ. 10,00,000/- ની કિંમતનો EICHER PRO 2119 L HSD BSVI ટેમ્પો અને ₹10,000/- ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપી અમોલકુમાર લાલસિંગ જોરસિંગ યાદવ (ઉંમર 34, ધંધો: ડ્રાઇવિંગ, રહેવાસી: નગલા હર્ર ગામ, થાના. એદિલ, તા. ભર્થના, જી. ઇટાવા, ઉત્તર પ્રદેશ) ને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે, દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત ચાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ આરોપીઓમાં સેલવાસનો કમલેશ બાજપેઇ (જેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો), કમલેશ બાજપેઇ સાથે દારૂ ભરી આપવામાં મદદ કરનાર બે અજાણ્યા ઇસમો, અને અસલાલી ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યો ઇસમનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:17 pm

CMના પાલનપુર પ્રવાસ પહેલા દારૂ, ડ્રગ્સના અડ્ડાની યાદી જાહેર:કોંગ્રેસે જાહેર કરેલા નંબર પર નાગરિકોએ બુટલેગરોની વિગતો મોકલી, તાત્કાલિક પગલા ભરવા માગ

કોંગ્રેસ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાનના શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે કોંગ્રેસે Say No to Drugs અભિયાન અંતર્ગત વ્હોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો. જેમાં દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓની વિગતો આપવા નાગરિકો પાસે અપીલ કરી હતી. જેના પર નાગરિકોએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ કયા ચાલે છે અને કોણ ચલાવે છે તેની વિગતો મોકલી આપી છે. આવતીકાલે મુખ્યમંત્રી બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેથી કોંગ્રેસે પાલનપુરમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓની યાદી જાહેર કરી છે. તેમજ મુખ્યમંત્રી યાદીની તપાસ કરી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણને બંધ કરાવે તેવી કોંગ્રેસે માગ કરી છે. દારૂ, ડ્રગ્સના અડ્ડાઓની વિગતો નાગરિકો પાસે માંગવામાં આવી હતીગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણને બંધ કરવાની માગ સાથે લડત લડી રહી છે. નાગરિકોને સાથે રાખીને પણ અલગ અલગ કાર્યક્રમ કોંગ્રેસ કરી રહી છે. જેથી થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. જેના પર રાજ્યમાં ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓની વિગતો નાગરિકો પાસે માંગવામાં આવી હતી. જેમાં ઘણા બધા નાગરિકોએ યુવાઓને દૂષણના રવાડે જતા રોકવા માટે કોંગ્રેસના વ્હોટ્સએપ નંબર પર વિગતો મોકલી આપી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાની પોલ ખોલી નાખીજાહેરમાં નાગરિકો બોલી શકતા ન હોવાથી તેમને કોંગ્રેસના નંબર પર દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓની વિગતો આપી છે. કોંગ્રેસે નાગરિકોએ મોકલેલી જાહેર કરી છે. એમાં પણ આવતીકાલે મુખ્યમંત્રી જ્યાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપવાના છે ત્યાંની જ વિગતો જાહેર કરી છે. કોંગ્રેસે વિગતો જાહેર કરી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડા ક્યાં ચાલે છે, કોણ ચલાવે છે તેની વિગતો જાહેર કરી છે. તેમજ મુખ્યમંત્રી સરકારી કાર્યક્રમ માટે હાજરી આપવા માટે જઈ રહ્યા છે તો તેમની પાસે યાદીની ચકાસણી કરી કાયમી ધોરણે દારૂ, ડ્રગ્સ, જુગાર અને ગાંજાનું વેચાણ બંધ કરવા માટે માગ કરવામાં આવી છે. સરકાર દારૂ અને ડ્રગ્સના દૂષણને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યુંગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં જે પ્રકારે દારૂ, ડ્રગ્સ અને કતલખાના ચાલી રહ્યા છે તેના માટે કોંગ્રેસ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર નાગરિકો પાસેથી નશાકારક પદાર્થોનું વેચાણ થાય છે તેની વિગતો આપવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં માહિતી સામે આવતા સરકાર દારૂ અને ડ્રગ્સના દૂષણને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસની ટીમે ગુજરાતના અલગ અલગ જગ્યાએ ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાની વિગતો જાણવા લોકોનો સંપર્ક કર્યો હતો. આવતીકાલે મુખ્યમંત્રી બનાસકાંઠાના પાલનપુરમાં જઈ રહ્યા છે. ત્યારે ત્યાંની જનતાએ તેમનો ગુસ્સો, લાગણી અને માંગણી મોકલી આપી છે. આવા અડ્ડાઓ CM અને ગૃહમંત્રી કાયમી બંધ કરાવે તેવી માગવધુમાં ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, જનતાએ જે વિગતો મોકલી આપી છે ત્યાં ચાલતા દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી કાયમી ધોરણે બંધ કરાવે તેવી માગ કરીએ છીએ. ગુજરાતમાં બોલિવૂડ ફિલ્મના જેમ ડાયલોગ બોલાવવામાં આવે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ પ્રકારના ડાયલોગનો દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચલાવનાર પર કોઈપણ પ્રકારનો ફરક પડતો નથી. બેફામ રીતે યુવાનોના ભવિષ્યને અંધારામાં ધકેલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને યુવાનો દૂષણ પાછળ ધકેલાઈ રહ્યા છે છતાં મુખ્યમંત્રી કોઈ પગલા ભરતા નથી. બુટલેગર વીડિયો જાહેર કરીને હોમ ડિલિવરી કરવાની વાત કરી રહ્યા છે અને કહે છે તેની પોલીસ સાથે ભાગીદારી છે છતાં પણ કોઈ પગલા લેવાતા નથી. કોંગ્રેસે CMના પ્રવાસ પહેલા પાલનપુરમાં ચાલતા અડ્ડાઓની વિગત જાહેર કરીગૃહમંત્રી સામે સવાલ કરતા હિરેન બેન્કરે જણાવ્યું કે, ગૃહમંત્રી કહેતા હતા કે અડધી રાત્રે કોલ કરજો તો તેમને અમે નાગરિકોએ મોકલેલી વિગતો જાહેર કરીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચાલે છે. ગુજરાતના જાગૃત નાગરિકે ડ્રગ્સ, દારૂ અને જુગાર ક્યાં રમાય છે તેની વિગતો વ્હોટ્સએપ નંબર પર મોકલી આપી છે. જો સામાન્ય નાગરિક પાસે આટલી વિગત હોય તો ગુજરાતમાં 30 વર્ષથી ચાલતી સરકાર પાસે કેમ કોઈ વિગતો નથી. જો સામાન્ય નાગરિક વિગત આપી શકતો હોય તો ભ્રષ્ટાચારનું ગૃહ વિભાગ કેમ આ મામલે કોઈ કાર્યવાહી કરી શકતું નથી. આવતીકાલે મુખ્યમંત્રી તે વિસ્તારમાં જાય છે તો અમે આપેલી યાદીની ચકાસણી કરી પાલનપુરમાં દારૂ ન મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી અમારી માગ છે. કોંગ્રેસ પક્ષના નશા મુક્ત ગુજરાત અભિયાનના વ્હોટ્સએપ નંબર પર મળેલી બનાસકાંઠાનાં પાલનપુરમાં ચાલતા અડ્ડાઓની વિગત.ડ્રગ્સનું વેચાણ ગાંજા સાથે: જુગાર : ઈંગ્લિશ દારૂના અડ્ડા :રવિ માળી, ચકો ઠાકોર, શૈલેષ મોચી, છલિયો સલાટ, બબલુ ઠાકોર, દીપક ઠાકોર, ખત્રી, અન્ય 12 જેટલા લોકો હોમ-ડિલીવરી કરવા જાય છે દેશી દારૂના અડ્ડા નીચેના સ્થળો પર ચાલે છે :દિલ્લી ગેટ, અમીર રોડ, ગોબરી રોડ, ભીલ વાસ, શક્તિનગર, માન સરોવર, રેલવે સ્ટેશન, મસ્જિદ પાસે, અશોક સોસાયટી, જનતા નગર, ઢૂંઢિયાવાડી, મફતપુરા, જનતા નગર, ચામુંડા વાસ.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:10 pm

વલસાડ પોલીસે 36 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો:'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમમાં અંતર્ગત ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો

વલસાડ જિલ્લા પોલીસે 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 131 લાભાર્થીઓને ₹36 લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ કાર્યક્રમ મોંઘાંભાઈ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો. ચાલુ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુમ થયેલા અને ચોરીના કેસોમાં પોલીસે સક્રિય કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીઓની ધરપકડ કરીને ગુમ થયેલો અને ચોરાયેલો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો હતો. રિકવર કરાયેલો મુદ્દામાલ અરજદારોને સરળતાથી પરત મળી રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ ટીમે કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી હતી. સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહના વલસાડ પ્રવાસ દરમિયાન તેમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો, જ્યાં મુદ્દામાલ માલિકોને સુપ્રત કરાયો. રેન્જ IG પ્રેમ વીર સિંહે કેટલાક અરજદારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, લાભાર્થીઓના ચહેરા પરની ખુશી અને પોલીસ વિભાગ પ્રત્યેનો આભાર જોઈને પોલીસ જવાનોનો થાક દૂર થઈ જાય છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 6:01 pm

ઘર આંગણે વાવી નાખ્યો ગાંજાના 558 છોડ:દારુ-જુગાર મુદ્દે સામસામે આવ્યા ભાજપ-કોંગ્રેસ નેતાઓ, બાઈક સવાર દંપતિને ટ્રકે કચડી નાખ્યા, આજે પણ ઈન્ડિગોની 23 ફ્લાઈટ્સ કેન્સલ રહી

ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ સુરતના રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી. ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી.એક વાર કાબૂમાં આવ્યા બાદ ફરી એક વાર આગ ભભૂકી ઉઠી.. કરોડોન નુક્શાનનો અંદાજો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુ-જુગાર મુદ્દે ભાજપના નેતાનો કોંગ્રેસ પર આક્ષેપ ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ ગોમતીપુરમાં કોંગ્રેસના નેતાઓ દારુ,જુગાર અને ડ્રગ્સના ગોરખધંધા ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો,જવાબમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે કહ્યું કે સરકાર તો તમારી જ છે , તો દરોડા કેમ નથી પડાવતા? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોશીનામાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં ગાંજાની ખેતી પકડવા SOGએ ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું.જેમાં પોશીનામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું..ઘરની આગળ ખુલ્લી જમીનમાં ગાંજાના 558 છોડ વાવેલા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બલોચ સમાજે કર્યો ફિલ્મ ધૂરંધરનો વિરોધ બોલિવુડ ફિલ્મ ધુરંધરનો જૂનાગઢના બલોચ સમાજે વિરોધ કર્યો.ફિલ્મના આ ડાયલોગથી સમાજની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાથી ફિલ્મ પર બેનની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ લાંબા સમયથી સત્તાથી વંચિત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી. સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ પ્રભારી દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઇ.તેમણે કહ્યું કે પ્રજા ભાજપના લાંબા સમયના શાસનથી કંટાળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે દિવસ શોકમાં રહી હેવાનિયતનો ભોગ બનેલી બાળકી રાજકોટના જસદણમાં હેવાનિયતનો ભોગ બનેલી બાળકીની હાલત હાલ સ્થિર છે. ચોથી ડિસેમ્બરે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ રહેતા આરોપીએ તેના ગુપ્તાગમાં સળિયો નાખ્યો હતો.. બાળકી સતત બે દિવસ સુધી શોકમાં રહી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો NH-48 પર અકસ્માતમાં દંપતીનું મોત વડોદરા પાસે NH-48 પર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું. .બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની પહેલા ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવ્યાં, બાદમાં તેમના પર ટ્રક ફરી વળતા મોતને ભેટ્યા. હાઈવે પર માંસના લોચા વિખેરાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજસ્થાનમાં ગુજરાતીઓનો કાળજું કંપાવતો અકસ્માત રાજસ્થાનના સિકરમાં થયેલા બસ અને ટ્રકના અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયા. વલસાડના અલગ અલગ ગામના 50 લોકો વૈષ્ણોદેવી અને રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે પણ ઈન્ડિગોની 23 ફ્લાઈટ્સ કેન્સલ આજે પણ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 23 ફ્લાઈટ્સ કેન્સલ થઈ.અન્ય એરલાઈન્સની ફ્લાઈટ પણ ડિલે થઈ. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી માત્ર 40 ફ્લાઈટ ઓપરેટ થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઉતાર-ચડાવ જોવા મળશે.. અમદાવાદમાં 13.8, વડોદરામાં 13 અને રાજકોટમાં 13.2 ડિગ્રી તાપમાન રહ્યું. તો નલિયા 10 ડિગ્રી સાથે ઠુંઠવાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:55 pm

સુરતના 4 બાળકોએ મેન્ટલ મેથ્સમાં વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સ બનાવ્યો:કેલ્ક્યુલેટર, પેન અથવા કાગળની મદદ વગર જટિલ ગણતરીઓ કમ્પ્યુટર જેવી ઝડપ અને ચોકસાઈ સાથે કરી

સુરત શહેરના 8 થી 11 વર્ષની વયજૂથના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ મેન્ટલ મેથ્સમાં સફળતાપૂર્વક નવો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ બાળકોએ ગણિતજ્ઞોની આ સિદ્ધિને વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ રેકોર્ડ બ્રેકિંગ ઇવેન્ટમાં, આ ચારેય યુવા અંકગણિતના જાદુગરોએ કેલ્ક્યુલેટર, પેન કે કાગળની મદદ વગર જટિલ ગણતરીઓ કમ્પ્યુટર જેવી ઝડપ અને ચોકસાઈ સાથે કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. 90 દાખલા માત્ર 4 મિનિટ અને 53 સેકન્ડમાં પૂરા કર્યાઆ ચારેય અંકગણિતના જાદુગરોએ કેલ્ક્યુલેટર, પેન અથવા કાગળની મદદ વગર જટિલ ગણતરીઓ કમ્પ્યુટર જેવી ઝડપ અને ચોકસાઈ સાથે કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સિદ્ધિ મેળવનારા ચાર બાળકોમાંના પ્રથમ છે, દિલ્હી પબ્લિક સ્કૂલના ધોરણ 2 માં અભ્યાસ કરતા 7 વર્ષીય કિયાશ ઠક્કર, જેમણે 2 અંકની 3 સંખ્યાઓનો સરવાળો કરવાના કુલ 90 દાખલા માત્ર 4 મિનિટ અને 53 સેકન્ડમાં પૂરા કર્યા. તેમની આ સિદ્ધિ અદભૂત એકાગ્રતા અને વીજળી જેવી ઝડપી ગણતરી કરવાની ક્ષમતા દર્શાવે છે. 8 વર્ષીય પૂરવે 140 દાખલા માત્ર 3 મિનિટ અને 50 સેકન્ડમાં પૂર્ણબીજી અસાધારણ સિદ્ધિ દિલ્હી પબ્લિક સ્કૂલના ધોરણ 3માં અભ્યાસ કરતા 8 વર્ષીય પૂરવ અગ્રવાલે મેળવી છે. પૂરવે 1 અંક x 2 અંકનો ગુણાકાર કરવાના 140 દાખલા માત્ર 3 મિનિટ અને 50 સેકન્ડમાં પૂર્ણ કરીને મેન્ટલ મલ્ટિપ્લિકેશનમાં એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ત્રીજા વિદ્યાર્થી છે શ્રી સ્વામિનારાયણ એકેડમીના ધોરણ 4 માં અભ્યાસ કરતા 9 વર્ષીય દિવિત દેસાઈ, જેમણે 0.5 સેકન્ડની ઝડપે ફ્લેશ થતા 1 અંકના 610 નંબરોનો સરવાળો કરીને એક મુશ્કેલ સિદ્ધિ હાંસલ કરી છે. ફ્લેશ સ્પીડ પર ફોકસ અને ચોકસાઈ જાળવી રાખવાની તેમની ક્ષમતા સૌથી મુશ્કેલ ગણનારી સિદ્ધિઓમાંની એક ગણાય છે. 11 વર્ષીય બાળકે 115 દાખલા 5 મિનિટ અને 2 સેકન્ડમાં પૂર્ણઆ જૂથમાં ચોથી સિદ્ધિ અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલના ધોરણ 5માં અભ્યાસ કરતા 11 વર્ષીય યુગ અગ્રવાલે હાંસલ કરી છે. યુગે 3 અંકને 1 અંક વડે ભાગાકાર કરવાના 115 દાખલા 5 મિનિટ અને 2 સેકન્ડમાં પૂર્ણ કર્યા, જે તેમની ઉત્કૃષ્ટ સંખ્યાત્મક સ્પષ્ટતા અને ઝડપ દર્શાવે છે. વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવો એ એક દુર્લભ સિદ્ધિ છે, પરંતુ 4 વિદ્યાર્થીઓના જૂથમાં બે વાર આવું કરવું એક વારસો સ્થાપિત કરે છે. આ સાથે ફન ડિજિટ્સે મેન્ટલ મેથ્સમાં કુલ 31 રેકોર્ડ બનાવ્યા છે જે વિશ્વમાં સૌથી વધુ છે. 'નાની ઉંમરે એકાગ્રતા, વિઝયુલાઇઝેશન અને માનસિક ચપળતા'ફન ડિજિટ્સ એકેડમીના હેડ કોચ દીપેશ દેસાઈએ આ યુવા સિદ્ધિ વિશે વાત કરતા કહ્યું, આટલી નાની ઉંમરે એકાગ્રતા, વિઝયુલાઇઝેશન અને માનસિક ચપળતાનું આ સ્તર પ્રદર્શિત કરતા આ બાળકો ખરેખર પ્રેરણાદાયી છે. આ રેકોર્ડ તેમની સખત મહેનત અને તેમના માતાપિતાના મજબૂત સમર્થનને આભારી છે. આ બાળકોએ માત્ર પોતાની ક્ષમતા સાબિત નથી કરી, પરંતુ મેન્ટલ મેથ્સની શક્તિને પણ રેખાંકિત કરી છે. 'આ સ્પર્ધા મગજના બંને ગોળાર્ધને સક્રિય કરે છે'તેઓએ જણાવ્યું હતું કે, મેન્ટલ મેથ્સ એ માત્ર ગણતરી નથી, પરંતુ તે એક એવી શિસ્ત છે જે મગજના બંને ગોળાર્ધને સક્રિય કરીને એકાગ્રતા, ફોટોગ્રાફિક મેમરી અને સાંભળવાની કૌશલ્યને વધારે છે. આ યુવા પ્રતિભાઓએ માત્ર રેકોર્ડ્સ જ નથી તોડ્યા, પરંતુ સમગ્ર યુવા પેઢી માટે ગણિતના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:53 pm

હારીજ પાસે બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી:નીલગાયને બચાવવા જતા અકસ્માત, 620 સોલાર પ્લેટો સાથે બન્ને ટ્રક બળીને ખાખ, રૂ. 1.24 કરોડનું નુકસાન

પાટણ જિલ્લાના હારીજ નજીક માંસા-પાટણ માર્ગ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માંસા કેનાલ ઉપર બે આઇશર ટ્રક વચ્ચે ટક્કર થતાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કુલ રૂ. 1.24 કરોડનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેમાં 620 સોલાર પ્લેટોનો પણ સમાવેશ થાય છે. પોલીસ સૂત્રો અનુસાર, પીલુડા પ્રોજલ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીમાંથી સોલાર પ્લેટો ભરીને કંબોઇ તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવર કૈલાશક્રિશનીયા ચૌધરીએ નીલગાયને બચાવવા માટે અચાનક બ્રેક મારી હતી. પાછળથી આવી રહેલી અન્ય ટ્રકના ડ્રાઇવર સોમવીર ભુપસિંગ પ્રજાપતીએ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી આગળની ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આગળની ટ્રકના ડ્રાઇવર કૈલાશક્રિશનીયા ચૌધરીને માથામાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ પાછળની ટ્રકના એન્જિનમાં આગ લાગી, જે ઝડપથી બંને ટ્રકોમાં ફેલાઈ ગઈ. આ આગમાં બંને આઇશર ટ્રકો અને તેમાં ભરેલી કુલ 620 સોલાર પ્લેટો સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ ગઈ હતી. સળગી ગયેલી 620 સોલાર પ્લેટોની કિંમત આશરે રૂ. 70 લાખ અને બંને ટ્રકની કિંમત આશરે રૂ. 54 લાખ અંદાજવામાં આવી છે. આમ, કુલ રૂ. 1.24 કરોડનું મોટું નુકસાન થયું હતું. હારીજ પોલીસે ટ્રક ડ્રાઇવર સોમવીર ભુપસિંગ પ્રજાપતી વિરુદ્ધ બેદરકારી અને નુકસાન પહોંચાડવા બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:33 pm

વડોદરાના 72000 ખેડૂતોને સહાયના 94 કરોડ ખાતામાં જમા થયા:બાકી 26 હજાર ખેડૂતોને પણ પાક નુકસાન સહાય ચૂકવાશે, ખેતીવાડી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે સરકારે રાહત પેકેજ જાહેર કર્યા બાદ પ્રાથમિક તબક્કામાં જ સહાય ચૂકવણી શરૂ કરી દીધી છે. વડોદરા જિલ્લામાં 98229 ખેડૂતોએ પાક નુકસાની બદલ સહાય મેળવવા માટે અરજી કરી હતી. જે પૈકી જિલ્લા ખેતીવાડી વિભાગે ટૂંક સમયમાં જ સર્વે કરીને 72 હજાર ખેડૂતોને પ્રાથમિક તબક્કામાં જ કુલ રૂ. 94 કરોડથી વધારેની સહાય રકમ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. 72 હજાર ખેડૂતોને 94 કરોડથી વધારેની સહાય રકમ ચૂકવાઈઓક્ટોબરમાં વડોદરા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને ટૂંક સમયમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરાવીને ઐતિહાસિક કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું હતું. જે સંદર્ભે વડોદરા જિલ્લાના ખેડૂતોએ પાક નુકસાની બદલ સહાય મેળવવા માટે અરજી કરી હતી. 26210 ખેડૂતોના બેંક ખાતામાં ટૂંક સમયમાં સહાયની રકમ જમા થશેખેતીવાડી વિભાગે આ અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરીને 72 હજાર ખેડૂતોના ખાતામાં સીધી રીતે સહાયની રકમ જમા કરાવી દીધી છે. બાકી રહેતા 26210 ખેડૂતોના બેંક ખાતામાં પણ તબક્કાવાર અને ટૂંક જ સમયમાં સહાયની રકમ જમા કરાવી દેવામાં આવશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. 'સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે'વડોદરા જિલ્લામાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક રાહત મળે તે માટે પાંચ મદદનીશ ખેતી નિયામક, 9 વિસ્તરણ અધિકારી, 107 ગ્રામસેવકો, તમામ ગામોના વી.સી.ઈ. સહિત જિલ્લા ખેતીવાડી શાખાના સ્ટાફ દ્વારા સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે. જે ખેડૂતોની વિગતો પૂર્ણ થાય છે, તેમના ખાતામાં તરત સહાય જમા કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:32 pm

સુભાષ બ્રિજની ઓવર ઓલ ફેર કન્ડીશનનો રિપોર્ટ કેવી રીતે આપ્યો?:વિપક્ષે બ્રિજનો રિપોર્ટ આપતા સવાલ કર્યો, કહ્યું- કેન્ટી લીવર ખરાબ છતાં સારો હોવાનો રિપોર્ટ આપ્યો તો ઇન્સ્પેક્શન શું કર્યું?

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટનાના એક અઠવાડિયા બાદ વિપક્ષ દ્વારા અચાનકજ બ્રિજના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શહેરમાં 69 બ્રિજનું ચોમાસા પહેલાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધી બ્રિજ, સુભાષ બ્રિજ અને સરદાર બ્રિજ એમ ત્રણેય બ્રિજને રિપેરિંગની જરૂરિયાત હોવા અંગેનો બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવા છતાં તેમાં બ્રિજની ઓવર ઓલ ફેર કન્ડીશન બતાવી દેવામાં આવી હતી તેવો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુભાષ બ્રિજના કેન્ટી લીવરમાં રિપેરિંગની જરૂરિયા હોવા અંગેની જાણ હોવા છતાં ઇન્સ્પેક્શન રિપોર્ટમાં બ્રિજની કન્ડીશન સારી બતાવવામાં આવી હોવાનું જણાવી વિપક્ષ દ્વારા ઇન્સ્પેક્શન રિપોર્ટ સામે સવાલો ઊભા કર્યા છે. બે કંપનીઓ દ્વારા 69 બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાયું હતુંવિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે એક અઠવાડિયા બાદ શહેરના 69 બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ અચાનક જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી.ને 35 બ્રિજ તથા જીઓ ડીઝાઈન એન્ડ રીસર્ચ પ્રા.લીને 34 બ્રિજ એમ બે કંપનીઓને કુલ 69 બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાનું કામ આપ્યું હતું. સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શનનું કામ પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ બ્રિજના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ 9 જુલાઈના રોજ આપવામાં આવ્યો હતો. ઓવર ઓલ ફેર કન્ડીશનનો રિપોર્ટ કેવી રીતે આપ્યો?પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી. કંપની દ્વારા સુભાષ બ્રિજની કન્ડીશન ઓવર ઓલ ફેર એટલે કે એકંદરે સારી કન્ડીશન છે તેવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. વિપક્ષ નેતાએ આ રિપોર્ટ સામે સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, આ કંપની દ્વારા આપવામાં આવેલો ઇન્સ્પેક્ટર રિપોર્ટ યોગ્ય રીતે ઇન્સ્પેક્શન કર્યા વગર અવાસ્તવિક અને ગેરમાર્ગે દોરનારો હોય તેમ સ્પષ્ટ જણાવે છે. જે સમયે બ્રિજની અંદરની બાજુના બોક્ષમાં ચામાચીડિયા હોવાને કારણે બોક્ષનું ઇન્સ્પેક્શન કરી શક્યાં ન હતા તેવું તેમના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે તો પછી ઓવર ઓલ ફેર કન્ડીશનનો રિપોર્ટ કેવી રીતે આપ્યો? બ્રિજનું શું ઇન્સ્પેક્શન કર્યું? તે તપાસનો વિષય બની જાય છે. જેથી બ્રિજ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ સ્પષ્ટ રીતે ખોટો પુરવાર થાય છે. જેથી રિપોર્ટ વાસ્તવિકતાથી દૂર હોય તેમ જણાઈ આવે છે. જેથી પંકજ એમ. પટેલ કન્સલટન્ટ પ્રા.લી.ને કામમાં બેદરકારી કરવા બદલ તાકીદે બ્લેકલિસ્ટ કરવી જોઇએ. આ બ્રિજનું ઝીણવટભર્યું કે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થયું નથીબ્રિજના ઇન્સ્પેક્શન સામે વધુ સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, આ બ્રિજનું ઝીણવટભર્યું કે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થયું નથી અને ઇન્સ્પેક્શન રિપોર્ટમાં બ્રિજની વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરવામાં આવી નથી. આ ઇન્સ્પેક્શનનું કામ જે ખાસ અગત્યનું અને પ્રજાની સલામતી બાબતે હોવા છતાં તેમાં બેદરકારી રાખવામાં આવે. સત્તાધારી પક્ષ તથા તંત્ર મુક પ્રેક્ષક બની પ્રજાની સલામતીની અવગણના કરે જે શરમજનક બાબત છે. શહેરના તમામ બ્રિજોનું સાયન્ટિફિક રીતે વિવિધ ટેસ્ટ તથા ઇન્સ્પેક્શન કરી ત્યાર બાદ તેનો રિપોર્ટ પ્રજાહિતમાં તાકીદે જાહેર કરવો જોઇએ. તમામ બ્રિજોનું અલગ અલગ એજન્સી દ્વારા ઇન્સ્પેક્શન કરાયુંવિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાની કામગીરી અલગ અલગ એજન્સીઓને સોંપવામાં આવી હતી. જેમાં પ્રથમ અને બીજા તબક્કાના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. જે ઇન્સ્પેક્શન બાદ તેમાં ખામી જોવામાં આવતા તાત્કાલિક ધોરણે કોઈપણ દુર્ઘટના ન થાય તે માટે બ્રિજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. AMCના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા ચાલુ છેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગોમાં ભરતી પ્રક્રિયા ચાલી જ રહી છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાં પણ ઇન્સ્પેક્શનથી લઈને અલગ અલગ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ ભરતી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:27 pm

રાજકોટમાં ઈન્ડિગોની 29 ફ્લાઇટ કેન્સલ થતા 600 મુસાફરોને રિફંડ અપાયું:12 મી સુધી દિલ્હી - મુંબઈની ફ્લાઈટ કેન્સલ, 13 મીથી હવાઈ ઉડાન પૂર્વવત થશે : મુસાફરો માટે હેલ્પ લાઈન નંબર જાહેર

રાજકોટ એરપોર્ટ જોઇન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં ઈન્ડિગોની 29 ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 600 મુસાફરોને રિફંડ આપવામાં આવ્યુ છે. DGCA દ્વારા અમુક કલાકો જ ફ્લાઇટ ઉડાવવી. અમુક કલાકો બાદ પાયલોટને આરામ આપવો જોઈએ. આ ઉપરાંત વધુમાં વધુ બે નાઈટ લેન્ડિંગની મંજૂરી છે. આ નિયમ અંગે એક વર્ષ પહેલા ઈન્ડિગોને જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમના દ્વારા નિયમોનું પાલન કરવામાં ન આવ્યું અને તેને કારણે ક્રૂ અને પાયલોટની અછત જોવા મળી. ઈન્ડિગો એરલાઈન્સ ના મેનેજમેન્ટમાં ખામીને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ઈન્ડિગો 60 થી 70 ટકા એરલાઈન્સ હિસ્સો ધરાવે છે જેના લીધે વધુ સમસ્યા સર્જાઈ છે. મોનોપોલીના લીધે આ પરિસ્થિતિ વધારે વણસી છે જોકે સરકાર હવે પગલા લઈ રહી છે. તપાસ સમિતિ પણ બેસાડવામાં આવી છે. લોકોને કોઈ હાલાકી પડે તો તે માટે MAY I HELP YOU 9409303371 નંબર જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ખોરવાયેલી છે. આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 12 મી ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે. રાજકોટથી ઈન્ડિગો એર લાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોસ છે. ગત શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8 માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9 માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો 8 ડિસેમ્બરના 8 માંથી 4 ફ્લાઇટ રદ થઈ હતી. જ્યારે 9 ડિસેમ્બરના 9 માંથી 2 ફ્લાઈટ કેન્સલ રહી હતી. જ્યારે હજુ 12 ડિસેમ્બર સુધી રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે જ્યારે 13 મી ડિસેમ્બરથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ થઈ જશે. ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 ડિસેમ્બર સુધી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 17.55 વાગ્યાની રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ છે ઉપરાંત 19.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે. આ સિવાયની સવારની 8.05 વાગ્યાની દિલ્હી, 9 વાગ્યાની મુંબઈ, 10.25 વાગ્યાની પુણે, 12 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગ્લોર અને 4.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આ 2 ફ્લાઈટ રદ 6E 5025/5009 - રાજકોટ - દિલ્હી - રાજકોટ6E 273/274 - રાજકોટ - મુંબઈ - રાજકોટ આ ફ્લાઈટ ચાલુ 6E -6557/6558 - રાજકોટ - દિલ્હી- રાજકોટ 6E - 6132/6133 - રાજકોટ - મુંબઈ- રાજકોટ6E - 6241/6245 - રાજકોટ - પુણે - રાજકોટ6E -6371/6372 - રાજકોટ - હૈદરાબાદ - રાજકોટ6E - 154/155 - રાજકોટ - ગોવા- રાજકોટ6E 6507/6508 - રાજકોટ - બેંગ્લોર - રાજકોટ6E 936/937 - રાજકોટ - મુંબઈ - રાજકોટ

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:16 pm

ગોરવા-દશામાં મંદિર સામે ડિમોલેશન, ઝૂંપડામાં આગ લગતા અફરા તફરી:કાચા ઝુંપડા તોડી પડાયા, મહિલાઓની પોલીસ સાથે બોલાચાલી, મનપા દબાણ શાખાનું મેગા ડિમોલિશન

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા કાચા 200 જેટલા ઝૂંપડા પર બુલડોઝર ફેરવી પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો. દરમ્યાન અચાનક એક ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ સ્થળેથી કાચા ઝૂંપડા તોડતા સ્થાનિક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. દશામાં મંદિર પાસે ઝૂપડાં પર બુલડોઝર કાર્યવાહીશહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિર પાસે આવેલ ગેરકાયદેસર ઝૂંપડા બનાવી શ્રમજીવીઓ રહેતા આવ્યા છે. પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી અને આ તમામ બસો જેટલા ઝૂંપડા ખાલી કરાવીને તોડી પાડવા હાઉસિંગ બોર્ડ તંત્ર દ્વારા જણાવાયું હતું. દબાણ શાખાની ટીમે 200 જેટલા ઝૂંપડા તોડી પાડ્યા હતાપરિણામે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રહીશોની રકઝક અને બોલાચાલી બાદ પોલીસે કેટલીક મહિલાઓને પકડી લઈ ગઈ હતી. આ દરમ્યાન પાલિકાની દબાણ શાખાની ટીમે 200 જેટલા તોડી પાડ્યા હતા. 20 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો જ્યારે બીજી બાજુ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારની શાક માર્કેટ સહિત આસપાસના દુકાનદારો દુકાન આગળ દબાણ કરી શેડ બાંધીને વેપાર ધંધો કરતા તેમજ લારી ગલ્લા પથારાવાળાના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દરમ્યાના 20 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:14 pm

ABVP હોસ્ટેલ સર્વેક્ષણ, સ્ક્રીન રાઈટ ટુ એક્ટિવિટી ટાઈમ અભિયાન ચલાવશે:કોમનવેલ્થ માટે સ્પોર્ટ્સ કોચના અભાવ મામલે આંદોલન કરશે, આણંદના પ્રદેશ અધિવેશનમાં પ્રસ્તાવ પારિત કરાશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 71મુ રાષ્ટ્રીય અધિવેશન ઉત્તરાખંડના દેહરાદૂનમાં 28થી 30 નવેમ્બર દરમિયાન યોજાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશનમાં કુલ 5 પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ પ્રકારે આંદોલનાત્મક કાર્યક્રમ કરવાના છે. ABVP તમામ હોસ્ટેલમાં જઈને ત્યાંની સુવિધા અને વિદ્યાર્થીઓની જરૂરિયાતનું ફેબ્રુઆરી મહિનાથી સર્વેક્ષણ કરવાના છે. તેમજ કોમેન્વલેથ ગેમ્સની યજમાની કરવાની તક અમદાવાદને મળી છે, પરંતુ રાજ્યમાં પૂરતા સ્પોર્ટ્સ કોચ ન હોવાથી તેને લઈને લઈને પણ આંદોલનાત્મક કાર્યક્રમ યોજશે. 71મુ રાષ્ટ્રીય અધિવેશન દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતુંઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 71મુ રાષ્ટ્રીય અધિવેશન 28થી 30 નવેમ્બર 2025 દરમિયાન દહેરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. ત્રણ દિવસીય આ અધિવેશનમાં તમિલનાડુ, જમ્મુ- કારમીર, ગુજરાત તથા ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યો સહિત દેશભરના 1211 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અધિવેશન દરમિયાન સંગઠનના વિકાસ, શૈક્ષણિક નીતિઓ અને સામાજિક-સાંસ્કૃતિક મુદ્દાઓ પર ઊંડું વિચાર-મંથન કરવામાં આવ્યું તથા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓને એકરૂપ માળખા હેઠળ લાવવા અંગેનો પ્રસ્તાવભગવાન બિરસા મુંડા નગરમાં યોજાયેલા અધિવેશનમાં કુલ 5 પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. પર્યાપ્ત નાણાકીય ફાળવણી સાથે બધા શૈક્ષણિક સંસ્થાઓને એકરૂપ માળખા હેઠળ લાવવા અંગેનો પ્રસ્તાવ', 'બાંગ્લાદેશી ઘુસણખોરી: રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહી માટે પડકાર', માનવસર્જિત કુદરતી આપત્તિ નિવારણમાં સમાજની ભૂમિકા', અને 'વિભાજનકારી તાકાતો સામે સંગઠિત સમાજ જ ઉપાય'-આ ચાર પ્રસ્તાવો પ્રતિનિધિઓના સૂચનો અનુસરી સુધારીને પારિત કરવામાં આવ્યા હતા. તેમજ 'સમાજ પરિવર્તનનો વાહક બને યુવા' વિષયક પ્રસ્તાવ 27 ડિસેમ્બરે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકમાં મંજૂર થયો હતો. ABVPનું પ્રદેશનું 57મુ અધિવેશન આણંદમાં યોજાશેABVPના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ આજની સમાજનો ખૂબ મોટો મુદ્દો છે. PG અને બેચલરને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારે હોસ્ટેલની સ્થિતિ શું છે તેની તપાસ કરવામાં આવશે. મહાનગરમાં હોસ્ટેલમાં કેવા પ્રકારની સુવિધા છે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો છે. તેમજ આવનાર વર્ષ માટે કેવા પ્રકારની સુવિધાની જરૂર છે તેના માટે ગુજરાત સહિત દેશભરમાં સર્વેક્ષણ અભિયાન ચલાવશે. વિદ્યાર્થીઓ પરિષદના કાર્યકર્તા હોસ્ટેલ સર્વેક્ષણ લઈને ફેબ્રુઆરી મહિનામાં કામગીરી કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશનું 57મુ અધિવેશન 5, 6, 7, 8 જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાવાનું છે. આ અધિવેશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. એક પ્રસ્તાવ કોમનવેલ્થ ગેમ્સને લઈને પારિત કરવામાં આવશેવધુમાં સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધિવેશનમાં જે ચર્ચા થઈ છે તેને લગતી ચર્ચા તો જશે જ સાથે સાથે વિદ્યાર્થીઓની સમસ્યા, સમાજની સમસ્યાને લઈને 3 દિવસ દરમિયાન ચર્ચા કરવામાં આવશે. 1200 જેટલા પ્રતિનિધિઓ આ અધિવેશનમાં ઉપસ્થિત રહેશે જેમાં પણ પ્રસ્તાવ પારિત કરવામાં આવશે. જેમાં એક પ્રસ્તાવ કોમનવેલ્થ ગેમ્સને લઈને પારિત કરવામાં આવશે. કારણ કે હજુ પણ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તેવું નથી. જે જિલ્લામાં છે ત્યાં પૂરતા પ્રમાણમાં કોચ નથી. અમુક યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે, સ્વિમિંગ બનાવ્યા છે પરંતુ પૂરતા કોચ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ તકલીફનો સામનો કરે છે. જેને લઈને વિદ્યાર્થી પરિષદ આંદોલનાત્મક કાર્યક્રમ કરશે. વિદ્યાર્થીઓને અને સમાજને કેવા પ્રકારની જરૂર છે તેને લઈને ચર્ચા કર્યા બાદ વધુ કેટલાક પ્રસ્તાવ પારીત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:12 pm

સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે:રાજકોટ મનપા દ્વારા રૂ. 143 કરોડનાં ખર્ચે 150 MLD ક્ષમતાનો WTP બનાવવા તૈયારી, આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાશે નિર્ણય, કુલ 24 દરખાસ્ત મુકાઈ

રાજકોટ મહાપાલિકા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત રીતે પાણી પહોંચાડી શકાય તે માટે રૂ. 143 કરોડનાં ખર્ચથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સહિતની કુલ 24 દરખાસ્તો સામેલ છે. આ દરખાસ્તો અંગે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટરાજકોટ મહાનગરપાલિકા સૌરાષ્ટ્રનો સૌથી મોટો 150 MLD (મિલિયન લિટર પ્રતિ દિન) ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના પાછળ અંદાજે રૂ. 143.07 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, તેના પર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. રાજકોટ પશ્ચિમના નવા ભળેલા વિસ્તારો અને ભવિષ્યમાં જોડાનાર સંભવિત વિસ્તારોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આ એડવાન્સ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વેસ્ટ ઝોનના લોકોને પૂરતું અને ફિલ્ટર થયેલું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરશે. ન્યારી-1 ડેમ આધારિત આ WTP કણકોટ રોડ પર સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસે, વોર્ડ નં. 11ના મવડી ટીપીના બે પ્લોટમાં લગભગ 54,558 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવશે. મૂળભૂત રીતે, 150 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 117.24 કરોડનો ખર્ચ થશે. આ કામમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના રૂ. 9.33 કરોડનો પણ સમાવેશ થાય છે, જેનાથી કુલ ટેન્ડર રકમ રૂ. 136.70 કરોડ થાય છે. આ ઉપરાંત, રૂ. 20.36 કરોડ જીએસટી (GST) અને OM ના રૂ. 9.60 કરોડ સહિત અધિકારીઓએ કુલ રૂ. 143.07 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. આ યોજનામાં WTPના તમામ સ્ટ્રક્ચર યુનિટ્સ, અંદાજિત 65.00 ML ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર (GSR), 3 ML ક્ષમતાનો એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR), પમ્પિંગ સ્ટેશન, તેને લગતા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામો, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઓફિસ બિલ્ડિંગ અને એરિયા ડેવલપિંગના કામોનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ ભાગમાં ન્યારી ડેમથી આવતી 1400 mm (મિલીમીટર) ડાયામીટરની આશરે 5.90 km (કિલોમીટર) લાંબી વોટર પાઇપલાઇન નાખવાનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેક્ટમાં પાંચ વર્ષનો કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ સામેલ છે. કામ માટે ટેન્ડર પ્રક્રિયામાં ચેન્નાઈની ઇકો પ્રોટેક્શન એન્જિનિયરિંગ અને રાજકોટની સ્ટર્લિંગ ઇન્ફ્રા. કંપનીના જોઈન્ટ વેન્ચરે 26.99 ટકા 'ઓન' માંગ્યો હતો, જ્યારે અમદાવાદના ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રા. લિ. અને ક્રિષ્ના કન્સલ્ટન્ટના જોઈન્ટ વેન્ચરે 4.66 ટકા 'ઓન' રજૂ કર્યો હતો. આ નીચા ભાવને ટેક્નિકલ ઇવેલ્યુએશન કમિટીએ મંજૂર કર્યો છે. જો આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે તો, તે રાજકોટના પાણી પુરવઠા માળખામાં એક મોટું સીમાચિહ્નરૂપ પરિવર્તન લાવશે. આ યોજના પાંચ વર્ષ પહેલાં સરકારી મંજૂરી મેળવ્યા બાદ હવે સાકાર થવા જઈ રહી છે. અન્ય મહત્ત્વની દરખાસ્તો પર નિર્ણય લેવાશે આવતીકાલની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 24 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે, જેમાં ઉપરોક્ત વિશાળ WTP યોજના ઉપરાંત અન્ય બે મુખ્ય બાબતો અને કર્મચારીઓના પગાર ધોરણને લગતા નિર્ણયો પણ સામેલ છે. એક મહત્ત્વની દરખાસ્ત મનપાના વિવિધ કાર્યક્રમો માટેના 'તત્કાલ' ખર્ચની મંજૂરીને લગતી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીઓ મારફત જ કામગીરી કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભમાં, રેટ કોન્ટ્રાક્ટ કરેલા કે ન કરેલા, મંડપ, લાઇટ, સાઉન્ડ, એલઇડી, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ડ્રોન, બેનર, પ્રિન્ટિંગ, પ્રચાર-પ્રસાર, જાહેરાત, અલ્પાહાર, ભોજન અને વાહનની વ્યવસ્થા જેવા તમામ કાર્યો માટે હવે સરકારી એજન્સીઓને એમ્પેનલ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ નિર્ણયથી નાના અને ઇમરજન્સી ખર્ચ માટે વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો મોકલવા જરૂરિયાત દૂર થશે અને કમિશનર કક્ષાએ ઝડપી મંજૂરી મળી શકશે, જેનાથી કાર્યક્રમોનું સંચાલન સરળ બનશે. હોર્ડિંગ અને જાહેરાત કોન્ટ્રાક્ટને લગતી અન્ય એક મહત્ત્વની દરખાસ્તમાં એસ્ટેટ વિભાગે એજન્સીઓની માંગણીને ધ્યાનમાં રાખીને કુલ 35 હોર્ડિંગ સાઇટના કોન્ટ્રાક્ટની મુદત ત્રણ વર્ષને બદલે પાંચ વર્ષની કરવા ભલામણ કરી છે. આ નિર્ણય હેઠળ 2030 સુધી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, જેમાં દર વર્ષે 6 ટકાનો ભાવ વધારો લાગુ થશે. આ પગલું કોર્પોરેશનની આવકમાં વધારો કરશે તેવો દાવો દરખાસ્તમાં કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી વર્ષમાં આટલો લાંબો કોન્ટ્રાક્ટ આપવા અંગે આવતીકાલે સમિતિ નિર્ણય લેશે. આ 35 સાઇટમાં નવા ભળેલા વિસ્તારો ઉપરાંત ડો. યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, રેસકોર્સ રીંગ રોડના વિવિધ ભાગો, કાલાવડ રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ સહિતના મુખ્ય માર્ગો પરના હોર્ડિંગ બોર્ડ, કિયોસ્ક બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના હક્કોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં કુલ 9 એજન્સીઓએ રસ દાખવ્યો હતો, જેમાં 3 એજન્સીઓ ડિસ્કવોલિફાય થઈ હતી, અને નીચા ભાવ રજૂ કરનાર એજન્સીને કામ સોંપવાનો નિર્ણય લેવાઈ શકે છે. અન્ય દરખાસ્તોમાં કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કુલ 9 સંવર્ગોના પગાર ધોરણમાં સુધારો કરવાનું સામેલ છે. આ સુધારાનો લાભ ચીફ ફાયર ઓફિસર, ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ (જન્મ-મરણ) અને સફાઈ સુપરવાઈઝર સહિત 9 કેડરના લગભગ 75 કર્મચારીઓ અને અધિકારીઓને મળશે. પગાર સુધારા બાબતનો હુકમ થયાની તારીખથી આ કર્મચારીઓને સુધારેલું પગારધોરણ મળવાપાત્ર થશે, જેનાથી કોર્પોરેશનના પગાર ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, 24 દરખાસ્તોના એજન્ડામાં સબ ઓડિટરોની ખાલી જગ્યા પર બઢતી, અલગ અલગ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાના કામ, ફર્નિચરની ખરીદી, સ્ટોર્મ અને ડ્રેનેજ લાઇન નાખવાના કામો, ગત બેઠકની પેન્ડિંગ હાઈસ્કૂલનું બિલ્ડિંગ સંસ્થાને સોંપવા અંગેની દરખાસ્ત અને નાકરાવાડી સાઈટ પાછળ કમ્પાઉન્ડ વોલ બનાવવા સહિતનાં કામોનો પણ સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:02 pm

ભરૂચ સેવાયજ્ઞ સમિતિએ નર્મદામાં ધાબળાનું વિતરણ કર્યું:4000 ધાબળા, જૂના કપડાં અને વાસણો જરૂરિયાતમંદોને આપ્યા

ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ધાબળા તથા જરૂરિયાતનાં કપડાં-વાસણોનું વિતરણ કર્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ સમિતિએ આ માનવસેવાનું કાર્ય હાથ ધર્યું હતું. કુલ 4000 ધાબળા, મોટી માત્રામાં જૂના કપડાં તથા વાસણો જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવ્યા હતા. સંસ્થા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સર્વે કર્યા બાદ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજે છે. આ વર્ષે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા શીશા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ અને કોકટી ગામોમાં ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડેડીયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમાવાસીઓને પણ ધાબળા અપાયા હતા. ભરૂચવાસીઓ પાસેથી મોટી માત્રામાં જૂના કપડાં અને વાસણો એકત્ર કરીને સંસ્થાએ આ અંતરિયાળ વિસ્તારોમાં વહેંચ્યા હતા. આ વિતરણથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને સીધી મદદ મળી હતી. આ સમગ્ર સેવાકાર્યમાં સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હેમંત પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિની ભટ્ટ, એકતા પટેલ અને હેતલ પરીખ સહિતના સભ્યો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 5:01 pm

પ્રેમમાં અંધ પતિ સાળાની પૂર્વ પત્નીને ઘરે લઇ આવ્યો:પત્નીએ વાંધો ઉઠાવ્યો તો ધમકી આપતા કહ્યું- 'હવે તને રાખવાની નથી, છૂટાછેડા આપી દેવાના છે'; 8 સામે FIR

પાટણના સાંતલપુર તાલુકાના એક ગામમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પતિએ તેની પિયરની પૂર્વ ભાભી સાથે અનૈતિક સંબંધો કેળવી તેને બીજી પત્ની તરીકે ઘરમાં રાખી હતી. ત્યારબાદ પ્રથમ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ કર્યું હતું. આ મામલે પતિ, તેની બીજી પત્ની (પૂર્વ ભાભી) સહિત કુલ 8 સાસરિયાં સામે પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મહિલાના લગ્ન આશરે 16 વર્ષ પહેલાં સાંતલપુરના એક ઈસમ સાથે સામાજિક વિધિથી થયા હતા. આ લગ્નજીવનથી તેમને બે બાળકો છે. મહિલાને અગાઉના લગ્નજીવનમાંથી પણ એક દીકરી છે, આમ તે કુલ ત્રણ બાળકો સાથે રહે છે. ફરિયાદી મહિલાને છેલ્લા પાંચથી છ મહિના અગાઉ જાણ થઈ હતી કે તેના પતિને તેની સગી ભાભી (નાના ભાઈની પત્ની) સાથે અનૈતિક સંબંધો છે. આ વાતની જાણ મહિલાના ભાઈને થતાં તેણે તેની પત્નીને સામાજિક રીતે છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ પતિએ પત્નીની પૂર્વ ભાભીને પોતાની બીજી પત્ની તરીકે ઘરમાં રાખી દીધી અને પ્રથમ પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, પતિ એ તેની બીજી પત્નીની ચઢામણીથી અને સાસરિયાંના અન્ય સભ્યોના સહયોગથી ફરિયાદીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ સભ્યોમાં દિયર, મોટા સસરા, જેઠનો દીકરો, કાકી સાસુ અને અન્યનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ એકસંપ થઈ ફરિયાદીને ગાળો બોલી, 'હવે તને રાખવાની નથી, છૂટાછેડા આપી દેવાના છે' તેવી ધમકીઓ આપી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેમને હેરાન-પરેશાન કરીને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ મામલે સમાધાન માટે સામાજિક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પતિ અને સાસરિયાં સમાધાન કરવા તૈયાર ન થયા. આખરે મહિલાએ પાટણ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, પૂર્વ ભાભી અને 6 અન્ય સાસરિયાં મળી કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:54 pm

ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં IT ની ટીમનો દરોડો:ત્રિલોક અને અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી

અમદાવાદના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પણ IT ની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી છે. ગઈકાલે મંગળવારે આવકવેરા વિભાગે વિનોદ ટેકસટાઇલમાં પાડેલા દરોડામાં તપાસનો દોર લંબાયો છે. હજી પણ આ સર્ચનો દાયરો વધી શકે છે. ગઈકાલે મંગળવારે પાડેલા દરોડામાં તુલીપના એક બંગલામાંથી 21 લાખથી વધુની રોકડ રકમ તથા સોના - ચાંદીના દર દાગીના મળી આવ્યા છે. તેની કિંમત આંકવા આજે વેલ્યુઅરને બોલાવીને જાણવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે IT ની ટીમો દ્વારા તપાસગઈકાલે મંગળવારે આવકવેરા વિભાગે વિનોદ ટેકસટાઇલમાં પાડેલા દરોડામાં તપાસનો દોર લંબાયો છે.આજે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેવા પામી છે. આજે ત્રિલોક પરીખના ગુલમહોર ક્લબ ખાતે IT ની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખના નિવાસસ્થાને અને ઓફિસે પણ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. જોકે આવકવેરા વિભાગ તરફથી સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. 35 સ્થળો પર ITની ટીમનું સર્ચ ઓપરેશનસુત્રોના જણાવ્યા મુજબ વિનોદ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેમના નિવાસસ્થાન સહિત કુલ 35 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડાની કામગીરીમાં આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ - કર્મચારીઓની ટીમ જોડાઈ છે. IT ની ટીમે તપાસનો દાયરો વધાર્યો છે અને હજી પણ આ સર્ચનો દાયરો વધી શકે છે. ગઈકાલે વિનોદ મિત્તલને ત્યાંથી લાખોની રોકડ અને અન્ય વ્યવહારો મળ્યાગઈકાલ મંગળવારના સર્ચ દરમિયાન IT ની ટીમને વિનોદ મિત્તલના ત્યાંથી લાખોની રોકડ અને અન્ય વ્યવહારો પણ મળ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. IT ની ટીમ દ્વારા બેંક ખાતા સહિત તમામ દાગીના સહિતની બાબતોની તપાસ ચાલુ છે. મોટી માત્રામાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:51 pm

સલમાન ખાને ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગનો પ્રારંભ કરાવ્યો:વડોદરાની ટીમ સિઝન- 2માં ગુજરાત ટ્રેલબ્લેઝર્સ પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ, હૈદરાબાદના સ્ટેડિયમમાં 18,000 ચાહકોએ હાજરી આપી

ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) સીઝન 2નો પ્રારંભ થયો. જેમાં હૈદરાબાદના ગચીબોલીના GMC બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ ખાતે મેગાસ્ટાર અને ISRLના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનની હાજરીમાં બીજો રાઉન્ડ શરૂ થયો હતો. તેલંગાણા સરકારના માનનીય મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા આ કાર્યક્રમને સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. મૂળ વડોદરાની ટીમ ગુજરાત ટ્રેલબ્લેઝર્સે રાઉન્ડ 2માં વિજય મેળવ્યો છે. બીબી રેસિંગ (ફ્રાન્સ)ના એન્થોની બોર્ડન હોન્ડા CRF 450 R પર સવાર થઈને 450cc ઇન્ટરનેશનલ ક્લાસ જીતવા માટે આગળ વધ્યા હતા, જ્યારે કેલ્વિન ફોનવિલેએ (ફ્રાન્સ) યામાહા YZ 250 પર 250cc ઇન્ટરનેશનલ ક્લાસમાં વિજય મેળવ્યો. 250cc ઇન્ડિયા-એશિયા મિક્સ કેટેગરીના ભારે સ્પર્ધાત્મક રાઉન્ડમાં ટીમ બિગરોક મોટરસ્પોર્ટસના (ઇન્ડોનેશિયા) નાકામી મકારિમે કાવાસાકી KX 250 પર શોર કરતા ચાહકોની સામે જ ચેકર્ડ ફ્લેગ પોતાને નામે કર્યો હતો. 18,000થી વધુ ચાહકોની હાજરી સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું, જેનાથી સ્પીડ, કૌશલ્ય અને વૈશ્વિક રેસિંગ શ્રેષ્ઠતાનો અવિસ્મરણીય નજારો જોવ મળ્યો હતો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે: “તેલંગાણા હંમેશાથી વિશ્વ કક્ષાના સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકોના માધ્યમથી યુવાનોને સશક્ત બનાવવામાં માનતું આવ્યું છે. ISRL જેવી આંતરરાષ્ટ્રીય-સ્તરની મોટરસ્પોર્ટ લીગનું સ્વાગત રમતગમતમાં નવીનતા, રોજગાર સર્જન, પ્રવાસનમાં વૃદ્ધિ અને હૈદરાબાદને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાન આપવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રકારની ઈવેન્ટ્સ આપણા યુવાનોમાં શિસ્ત, પ્રતિરોધકતા અને ગર્વને પ્રેરણા આપે છે. ISRLના બ્રાન્ડ એમ્બેસેડર, મેગાસ્ટાર સલમાન ખાને જણાવ્યું હતું કે, હૈદરાબાદની ઉર્જા અવિશ્વસનીય હતી. ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સને ભારતીય ભૂમિ પર એકસાથે તેમની મર્યાદાઓને આગળ વધારતા જોવા ખરેખર રોમાંચક હતું. ISRL આપણા દેશના યુવાનો માટે કંઈક અર્થપૂર્ણ સર્જન કરી રહ્યું છે, જ્યાં વિશ્વ કક્ષાના સલામતી ધોરણો વચ્ચે પ્રતિભાનો તક સાથે સંગમ થાય છે. આ યાત્રાને પ્રત્યક્ષ રીતે જોવી એ આનંદની વાત છે. ISRL અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે જણાવ્યું હતું કે, આજની રાત ISRL અને દરેક મહત્વાકાંક્ષી ભારતીય રાઇડર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ચિયર કરતા ચાહકો દર્શાવે છે કે મોટરસ્પોર્ટ ભારતીય યુવાનો સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. પ્રતિભાને પોષતી અને વૈશ્વિક માર્ગો પ્રશસ્ત કરતી વિશ્વ-સ્તરીય મોટરસ્પોર્ટ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના અમારા વિઝનને ટેકો આપવા બદલ અમે તેલંગાણા સરકારના આભારી છીએ. આ રમત માટે પરિવારો, સમુદાયો અને યુવાનોની એકતા ખરા અર્થમાં શક્તિશાળી છે. પુણેમાં જબરદસ્ત આરંભિક રાઉન્ડથી મળેલી ગતિને આગળ ધપાવતાં, હૈદરાબાદે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએસએ, જર્મની, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના ટોચના ખેલાડીઓ સાથે ખરા અર્થમાં વૈશ્વિક રાઇડર્સ રોસ્ટરનું પ્રદર્શન કર્યું, સાથે જ તેઓ ઋગવેદ બરગુજે અને ઇક્ષાન શાનબાગ સહિત ભારતના શ્રેષ્ઠ રાઇડર્સ સાથે પણ સ્પર્ધામાં ઉતર્યા. આ સીઝનમાં 21 દેશોના 36થી વધુ આંતરરાષ્ટ્રીય એથ્લીટ રેસિંગમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ISRLએ ભારતને સ્પર્ધાત્મક સુપરક્રોસ માટે એક નવા વૈશ્વિક હબ તરીકે મજબૂત રીતે સ્થાન અપાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:21 pm

પીપાવાવ પોર્ટ નજીક થતી ડ્રેજિંગની કામગીરીનો વિરોધ:હિરા સોલંકીએ કહ્યું-'ઉદ્યોગના ભોગે આખુ ગામ બરબાદ નહીં થવા દઈએ'; માછીમારોને નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

અમરેલીના જાફરાબાદના શિયાળબેટ ગામના લોકોએ પીપાવાવ પોર્ટ દ્વારા થઈ રહેલા ડ્રેજિંગ કાર્ય સામે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી સાથે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર સુપરત કરી ડ્રેજિંગનું કામ અટકાવવાની માગ કરી છે. આ તકે હીરા સોલંકીએ કહ્યું કે, ઉદ્યોગના ભોગે ગામ આખુ બરબાદ થઈ જાય એવુ નહીં થવા દઈએ. ઉદ્યોગ પણ રહેવો જોઈએ અને સાથે ગામ પણ રહેવું જોઈએ. ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ. પીપાવાવ પોર્ટ નજીક એક ખાનગી કંપની દ્વારા LPG ગેસ જેટી માટે ડ્રેજિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ ડ્રેજિંગને કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા છે, જેનાથી તેમની પેઢી દર પેઢીની રોજગારી પર સંકટ આવ્યું છે. ગ્રામજનોના મતે, ઊંડાણ પૂર્વક કરવામાં આવતા ડ્રેજિંગથી દરિયાના પથ્થરો બહાર આવી રહ્યા છે, જે ટાપુ પર આવેલા શિયાળબેટ ગામ માટે જોખમ ઊભું કરી શકે છે. તેમણે દરિયાઈ નિષ્ણાત ટીમો સાથે ડ્રેજિંગની કામગીરી કરવાની માગ કરી છે, જેથી માછીમારોની રોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું કે, જાફરાબાદ તાલુકામાં શિયાળબેટ ટાપુ છે, અહીંયા પીપાવાવ પોર્ટમાં જેટીનું કામ શરૂ થયુ છે. અહિં અનેક માછીમારો રહે છે. ત્યારે આ બોટ આવવાના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ડ્રેજિંગના કારણે શિયાળબેટનું અસ્તિવત જ મટી જશે. બોયા અને જાળમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે છતાં વળતર આપવામાં આવતું નથી. સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે. આજે મેં પણ આવેદન પત્ર આપ્યુ છે. જો અમારી માંગણીનું સંતોષકારણ નિવારણ નહીં આવે, ઉદ્યોગ સાથે અમને કોઈ વિરોધ નથી, પણ ઉદ્યોગની સાથે ગ્રામજનોને પણ રોજીરોટી મળવી જોઈએ. વધુમાં જણાવ્યું કે, ઉદ્યોગના ભોગે ગામ આખુ બરબાદ થઈ જાય એવુ નહીં થવા દઈએ. ઉદ્યોગ પણ રહેવો જોઈએ અને સાથે ગામ પણ રહેવું જોઈએ. ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ. આ ગામના લોકોને આવવા જવામાં જો તકલીફ પડતી હોય તેમ છતાં આવડી મોટી કંપની જો બોટની પણ સુવિધા ન આપતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ છે. શિયાળબેટના સરપંચ મંજુબેન બાળધીયાએ જણાવ્યું હતું કે, પીપાવાવ પોર્ટની નવી જેટીના નિર્માણ માટે થતા ડ્રેજિંગથી શિયાળબેટને મોટું નુકસાન થઈ રહ્યું છે. નાના પાયાના માછીમારોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે અને તેમના બોયા પણ તોડી નાખવામાં આવ્યા છે. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે, પીપાવાવ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિક લોકોને 50 ટકા રોજગારી આપવામાં આવતી નથી. આજે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી, શિયાળબેટના સરપંચ અને ગ્રામજનો અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમક્ષ ડ્રેજિંગની કામગીરીને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પીપાવાવ પોર્ટમાં ચાલી રહેલા ડ્રેજિંગ કાર્યને કારણે વિવાદ સર્જાયો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:16 pm

વટવામાં બનશે વિશાળ રેલવે ટર્મિનલ:અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારણ ઘટશે, રોજ 51 ટ્રેનોની સરળતાથી હેન્ડલિંગ શક્ય બનશે

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાં એક વિશાળ મેગા કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલ લગભગ 3 કિલોમીટર લાંબુ હશે અને તે તૈયાર થયા પછી અમદાવાદ રેલવે સ્ટેશન પર પડતો ટ્રાફિકનો ભાર ઘણો ઓછો થશે. આ નવા ટર્મિનલથી હવે અમદાવાદ વિસ્તારમાંથી રોજ કરતા ઘણી વધારે ટ્રેનો ચલાવી શકાશે. હાલ જ્યાં મર્યાદિત ટ્રેનોનું સંચાલન થાય છે, ત્યાં ભવિષ્યમાં 150થી વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. રોજ 51 ટ્રેનોની સરળતાથી હેન્ડલિંગ શક્ય બનશેઆ ટર્મિનલમાં ટ્રેનોની જાળવણી માટે આધુનિક સુવિધાઓ બનાવવામાં આવશે. અહીં 12 પિટ લાઇનો, 29 સ્ટેબલિંગ લાઇનો, વોશિંગ લાઇનો અને ખરાબ કોચો સુધારવા માટે ખાસ લાઇનો હશે. સાથે જ, નવા 6 પ્લેટફોર્મ પણ તૈયાર થશે. વટવા ટર્મિનલ શરૂ થયા બાદ રોજ 51 ટ્રેનોની સરળતાથી હેન્ડલિંગ શક્ય બનશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ મંડળની કુલ ક્ષમતામાં લગભગ 85 ટકા વધારો થશે. એક્સપ્રેસ, મેમુ, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોની સુવિધા મળશેઆ સાથે અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીનગર કેપિટલ અને ગાંધીગ્રામ સ્ટેશનો પર પણ અપગ્રેડેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેના કારણે અલગ-અલગ સ્ટેશનો પરથી વધુ ટ્રેનો ચલાવી શકાશે. આ સમગ્ર વિકાસ પછી મુસાફરોને સૌથી મોટો ફાયદો થશે. હાલ જે મુસાફરોની ક્ષમતા છે તે વધીને લગભગ અઢી ગણો વધારો થશે. મુસાફરોને એક્સપ્રેસ, મેમુ, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોની સુવિધા મળશે. આ પ્રોજેક્ટથી ટ્રેનો વધુ સમયસર ચાલશે, ભીડ ઘટશે અને મુસાફરી વધુ સરળ થશે. આ રીતે, વટવામાં બનતું મેગા ટર્મિનલ અમદાવાદને રેલવે ક્ષેત્રે એક નવી ઊંચાઈ સુધી લઈ જશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:07 pm

પોશીનામાં ગાંજાનું વાવેતર મળ્યું, ડ્રોનથી સર્વેલન્સ:સાબરકાંઠા SOGએ ₹1.13 કરોડના લીલા ગાંજા સાથે એક શખસને ઝડપ્યો, ખેતરમાંથી મળેલા 558 છોડનો વજન 226 કિલો

સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ કાર્યરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે પોશીના તાલુકાના લાખિયા ગામેથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. ગાંજાના વાવેતરની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગાંજાનું વાવેતર શોધવા માટે ડ્રોનથી સર્વેલન્સ કર્યુ હતું. ઘર આગળ ગાંજાની ખેતીSOG ટીમે લાખિયા ગામની નાની સોનગઢ ફળીમાં રહેતા હાંમથા ડાભી (ઉં.વ. 38) નામના શખસની ધરપકડ કરી છે. પોલીસે તેના રહેણાંક મકાનની આગળની જમીનમાંથી 226.237 કિલોગ્રામ વજનના કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે રૂ. 1,13,11,850 (₹1.13 કરોડ) જેટલી થાય છે.આ પણ વાંચો, બોટાદના રાણપુરમાં SMCએ ગાંજાનું વાવેતર ઝડપ્યું SOGને બાતમી મળીજિલ્લામાં ડ્રગ્સના વેચાણ અને સેવન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે SOG PI ડી.સી. પરમાર અને PSI પી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ SOG ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જયદીપકુમાર, પંકજકુમાર અને નિલેશકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે હાંમથાભાઈ ડાભી પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરે છે. ડ્રોન દ્વારા ખરાઈબાતમીની ખરાઈ કરવા માટે SOG ટીમે સૌપ્રથમ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેથી સ્થળની ચોક્કસ માહિતી મળી શકે. ચોક્કસ બાતમી મળ્યા બાદ, સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહીSOG ટીમે આરોપી હાંમથાભાઈ ડાભીના કબજા ભોગવટાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસે યુવાધનને નશાખોરીના રવાડે ચઢાવતા આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બોટાદમાં કપાસના ખેતરમાંથી ₹1 કરોડના 93 લીલા છોડ જપ્ત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેતરમાંથી કપાસના વાવેતરની આડમાં છૂપાવીને કરાયેલું ગાંજાનું મોટા પાયે ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. રાતના અંધારામાં SMCના આ દરોડામાં, આશરે ₹99.50 લાખ એટલે કે એક કરોડની બજાર કિંમત ધરાવતા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ ખેતરના માલિક અજીતસિંહ જીવાભાઈ બારડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 3 આરોપી ફરાર છે.આ પણ વાંચો, સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર સુરેન્દ્રનગર SOGએ સાયલામાંથી ગાંજાનું વાવેતર ઝડપ્યું હતુંગત મહિને 25 નવેમ્બરે સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. SOGની ટીમે પોણાત્રણ કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા હતા. ગાંજાનો મદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા હતા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. SOGની ટીમે સતત 19 કલાક સુધી કામગીરી કરીસુરેન્દ્રનગર જિલ્લામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. SOGની ટીમે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી હતી. ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન GRD જવાનની મદદ લેવામાં આવી હતી. જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય તેવા જવાનોની મદદથી ગાંજાના તમામ છોડને ખેતરમાંથી ઉખેડી જપ્ત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:03 pm

BRTS ડ્રાઈવર સાથે ઝઘડો ભારે પડ્યો:શાંતિ ભંગ કરવા બદલ યુવકની પોલીસ સ્ટેશન લઈ જઈ તલાશી લેતા ચરસના બે પેકેટ મળ્યાં, NDPS હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ઉધના વિસ્તારમાં BRTS બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર એક યુવકની અટકાયત કરી પોલીસે તલાશી લેતા ગંભીર માદક પદાર્થની હેરફેરનો પર્દાફાશ થયો છે. પોલીસે યુવકના ખિસ્સામાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ચરસના બે પેકેટ કબજે કરીને તેની ધરપકડ કરી છે. શાંતિ ભંગ કરવા બદલ પોલીસ યુવકને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈઉધના પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, લિંબાયત લાલ બિલ્ડીંગ પાસે પ્રતાપનગરમાં રહેતા અને BRTS બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય નઈમુદ્દીન અમીનુદીન શેખ દક્ષિણામુખી હનુમાન મંદિર નજીક BRTS રૂટ પર બસ ચલાવી રહ્યા હતા. તે જ સમયે, બાઈક પર પાછળ આવી રહેલા 23 વર્ષીય યુવક ઈશ્વર રામદાસ બેડસે (રહે. કાશીનગર આવાસ, ઉધના) એ બસ ડ્રાઈવર સાથે રસ્તા પર જ તકરાર શરૂ કરી હતી. ઝઘડો વધતા ડ્રાઈવર નઈમુદ્દીને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ઉધના પોલીસે શાંતિ ભંગ કરવા બદલ યુવક ઈશ્વર બેડસેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તલાશી લેતા યુવકના ખિસ્સામાંથી શંકાસ્પદ વસ્તુ મળીપોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ યુવક ઈશ્વર બેડસેની પૂછપરછ શરૂ કરી અને તેની નિયમ મુજબ અંગત તલાશી લેવામાં આવી. તલાશી દરમિયાન, ઈશ્વરના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની કોથળીમાં કાળા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. યુવક આ શંકાસ્પદ વસ્તુ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો. પોલીસે આ પદાર્થની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તેને FSLમાં તપાસ માટે મોકલી આપ્યો હતો. FSLના પૃથક્કરણમાં આ પદાર્થ પ્રતિબંધિત માદક દ્રવ્ય ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈડ્રાઈવર સાથે ઝઘડો કરનાર યુવક પાસેથી ચરસ મળી આવતા ઉધના પોલીસે ઈશ્વર બેડસે વિરુદ્ધ NDPSની સંબંધિત કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવક પાસેથી જે ચરસ મળી આવ્યું છે જેની બજાર કિંમત 4459 રૂપિયા છે. મામૂલી ટ્રાફિક વિવાદમાંથી ડ્રગ્સની હેરફેરનો કેસ બહાર આવતા પોલીસે હવે ઈશ્વર બેડસે આ ચરસ ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના મોબાઈલ ફોન કોલ્સ અને અન્ય સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:02 pm

વડોદરા રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસનું અનાઉન્સમેન્ટ:ટ્રાફિકની અડચણરૂપ વાહનો યોગ્ય રીતે પાર્કિંગ થાય તે માટે અભિયાન

વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસે ટ્રાફિકથી ધમધમતા સયાજીગંજ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરી ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા અને નાગરિકોના આડેધડ થતા પાર્કિંગ અંગે જાગૃતતા લાવવા અપીલ કરી હતી. આ દરમ્યાન શહેર ટ્રાફિક એસીપી અને પોલીસ કમિશનર પણ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન વિસ્તારમાં માઇક દ્વારા અનાઉન્સમેન્ટશહેરના રેલ્વે સ્ટેશન ખાતે દૈનિક ટ્રાફિકજામની સમસ્યા જોવા મળતી હોય છે. અહીં રીક્ષા ચાલકો અને ટેક્સી પાસિંગ વાહનો આડેધર પાર્ક થતા અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રેલવે સ્ટેશનથી બહાર નીકળતા મુસાફરો ખૂબ હેરાન થઈ રહ્યા હોય છે. જેના પગલે શહેર ટ્રાફિક પોલીસે આજે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેર પાસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.. એક્ઝિટ ગેટની વચ્ચોવચ કોઈએ વાહન ઊભું ન રાખવા અપીલટ્રાફિક પોલીસના જવાનો લાઉડ સ્પીકર દ્વારા રીક્ષા ચાલકો તથા ટેક્સી પાસિંગના કાર ચાલકોને પોતાના વાહન સાઈડમાં ઉભા રાખવાની સૂચના આપી હતી અને એક્ઝિટ ગેટની વચ્ચોવચ કોઈએ વાહન ઊભું ન રાખે તેવી અપીલ કરાઈ હતી. જેના પગલે રિક્ષા ચાલકો સુવ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા. જેને કારણે રેલવે સ્ટેશન બહાર માર્ગ ખુલ્લો થતાં ટ્રાફિકની અવરજવર સામાન્ય થઈ શકી હતી. ટ્રાફિક સમસ્યા દૂર કરવા ટ્રફિક પોલીસનું અભિયાનટ્રાફિક પોલીસ અવર નવાર આ પ્રકારે કાર્યક્રમ કરે છે. પરંતુ આ વિસ્તારમાં રેલવે સ્ટેશનને બસ સ્ટેશન હોવાથી મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પેસેન્જર રિક્ષામાં બેસવા સીધું સ્ટેન્ડ પર જતું નથી અને બીજી તરફ રીક્ષા ચાલકો પણ પેસેન્જર લેવા માટે આગળ આવી જાય છે. દરિમયાન ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેથી આ અંગે રિક્ષા ચાલકો અને મુસાફરો જાગૃત થાય અને ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ ન બને તેવો પ્રયાસ આજે કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 4:01 pm

સાબરકાંઠા LCBની મોટી કાર્યવાહી કરી:સિકંદર લોઢા ગેંગના 7 સભ્યો સામે GUJCTOC હેઠળ ગુનો દાખલ

સાબરકાંઠા LCB એ સિકંદર લોઢા ગેંગના સાત સભ્યો સામે GUJCTOC હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી જિલ્લામાં આર્થિક ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવવા માટે કરવામાં આવી છે. સાબરકાંઠા LCB ડી.સી. સાકરીયા દ્વારા 'સિકંદર લોઢા ગેંગ' તરીકે કુખ્યાત સંગઠિત ગુના આચરતી ટોળકીના સક્રિય સભ્યોની ઓળખ કરવામાં આવી છે. તેમાં સિકંદર સલીમભાઈ લોઢા (ઉ.વ. 42, લાલપુર, હિંમતનગર), તેમનો પુત્ર સમઆન (ઉ.વ. 19), હસીબ અબરાર અનવર લોઢા (ઉ.વ. 21, નવલપુર), સિકં પત્ની સીમા (ઉ.વ. 40), આસીફખાન મહેબુબખાન પઠાણ (ઉ.વ. 36, મીરા રોડ, મહારાષ્ટ્ર, મૂળ નંદાસણ), તરબેજ ગુલામરસુલ ઉમર કાશ્મીરી (ઉ.વ. 36, મુંબઈ), અને મનીષ ઉર્ફે કુમાર હરગોવનભાઈ પટેલ (ઉ.વ. 34, ન્યુ દિલ્હી, મૂળ સંખારી) નો સમાવેશ થાય છે. આ ગેંગના સભ્યો પાસપોર્ટ કન્સલ્ટિંગ અને પ્રાઇવેટ નોકરી જેવા વ્યવસાયોની આડમાં આર્થિક લાભ મેળવવા ગુનાખોરીના રસ્તે નાણાં કમાય છે. તેઓએ નાણાકીય લાભના આશયથી હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રા.લી., ચીખલીમાં રોયલ ઇન્ટરનેશનલ, ગાંધીનગરમાં સક્સેસ ઓવરસીઝ કન્સલ્ટન્સી અને વર્લ્ડ ટુર એન્ડ ટ્રાવેલ્સ, અમદાવાદમાં વીવા ટ્રાવેલ્સ, મુંબઈમાં તઝીન ટ્રાવેલ કંપની (TTC) તથા શાન ઓવરસીઝ જેવી જુદી જુદી ઓફિસો ખોલી હતી. આ કંપનીઓના નામ હેઠળ, તેઓ લોકોને વિદેશના વર્ક વિઝા અપાવી જુદા જુદા દેશોની કંપનીઓમાં ઊંચા પગારની નોકરી અપાવવાની જાહેરાતો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હતા. ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લાલચ આપી વિશ્વાસ કેળવી, તેઓ અલગ અલગ દેશોમાં મોકલવાના વ્યક્તિ દીઠ અઢી લાખથી નવ લાખ રૂપિયા નક્કી કરતા હતા. તેઓ અસલ પાસપોર્ટ અને પ્રથમ એડવાન્સ પેટે એક-એક લાખ રૂપિયા લેતા હતા. ત્યારબાદ વિદેશી કંપનીઓના શંકાસ્પદ લેટરો આપી વધુ પૈસા પડાવી છેતરપિંડીના ગુનાઓ આચરતા હતા. આ ગેંગની અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અને સંગઠિત ગુના કરતી ટોળકીને અંકુશમાં લેવા માટે, આરોપીઓ અને તેમને મદદ કરનારાઓ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ-2015 ની કલમ 3(1){2}, 3(2), 3(4), અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:57 pm

વડોદરામાં પોલીસે બિયર ભરેલી કારને પકડી:પોલીસને જોતા જ કારચાલકે યુ ટર્ન મારી કાર ભગાડી ને દૂર જઈને કાર મૂકીને ચાલક ભાગી છૂટ્યો, રૂ.4500 ની કિંમતના બિયરના ટીન સહિત 5 લાખનો

વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે એક સફેદ રંગની હ્યુન્ડાઈ વેન્યુ કારમાંથી મોટી માત્રામાં બીયર જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કાર સહિત કુલ 5,04,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે ચાલક ફરાર થઈ ગયો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ વાઘોડિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને બાતમીદાર તરફથી માહિતી મળી કે અજવા-નિમેટા રોડ પર એક સફેદ રંગની વેન્યુ ફોરવ્હીલ કાર (રજી. નં. GJ-06-PE-7524)માં દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ તરત જ બે પંચોને બોલાવીને તેમને અને સ્ટાફને વાકેફ કર્યા હતા. ત્યારબાદ અજવા ચોકડી પહેલા વોચ ગોઠવીને બેઠા હતા. પોલીસને બાતમી અનુસારની કાર આવતી જોવા મળી હતી. કાર જોતા જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કારને યુ-ટર્ન લઈને સયાજીપુરા ગામ તરફ ભાગી ગયો હતો. પોલીસ ટીમ અને સ્ટાફે તરત જ તેનો પીછો કર્યો હતો અને આગળ જઈને જોતા ફ્રુટ માર્કેટમાં ગોપાલ ફરસાણની ફ્રેન્ચાઈઝી સામે કાર પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી. કારનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કારનો આગળનો કાચ તૂટેલો હતો અને લોખંડના પાતળા સળિયાની મદદથી દરવાજાનું લોક ખોલવામાં આવ્યું હતું. પંચોની હાજરીમાં કારની તલાશી લેતા પાછળના ભાગમાં સ્પેર વ્હીલમાંથી ભારતીય બનાવટના બીયરના ટીન મળી આવ્યા. આ ટીનોની કુલ કિંમત 4,500 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કાર અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. કપુરાઇ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:51 pm

જ્વેલર્સ શોપના માલિકે વિશ્વાસ કેળવી 6.10 કરોડની છેતરપિંડી આચરી:હોલસેલ વેપારી પાસેથી એક્ઝિબિશનના નામે 6 કિલો સોનાના દાગીના મેળવ્યા; ચેક બાઉન્સ થતા ફરિયાદ

શાસ્ત્રીનગરમાં આવેલી જ્વેલર્સ શોપના માલિકે સોનાના હોલસેલના વેપારી પાસેથી 6.10 કરોડ રૂપિયાનું સોનું લીધું હતું. એક્ઝિબિશનમાં દાગીના લઈ જવાના છે કહીં ત્રણ જણાએ કરોડોના દાગીના મેળવ્યા હતા. સામે ચેક આપ્યો હતો જે વેપારીએ ભરતા રિટર્ન થયો હતો. આ અંગે વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ઓળખીતાની શાસ્ત્રીનગરમાં જ્વેલર્સની શોપ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રહેતા ઋષભ શાહ સીજીરોડ પર આવેલા સુપર મોલમાં ઋષભ જ્વેલર્સના નામથી દાગીના બનાવવાનું કામ કરે છે. ઋષભના હાથ નીચે 50 કારીગરો કામ કરે છે. જ્વેલર્સનો શો-રૂમ ધરાવતા વેપારીઓ દાગીનાની ડીઝાઈન ઋષભને બતાવીને બાદમાં ઓર્ડર આપતા હોય છે. ઋષભના ઓળખીતા હરનેશ શાહ શાસ્ત્રીનગર ખાતે રત્નાકર જ્વેલર્સ નામનથી શો-રૂમ ધરાવતા હતા. હરનેશ સાથે તેનો દીકરો હર્ષ શાહ પણ શો-રૂમ પર બેસતો હતો. આરોપીએ સમયસર પેમેન્ટ ચુકવીને વિશ્વાસ કેળવ્યોવર્ષ 2017માં હરનેશે ઋષભની મદદ માંગી હતી અને જરૂરીયાત મુજબ દાગીના આપવાની વાત કરી હતી. પરિચીત હોવાથી ઋષભે હરનેશ સાથે ધંધાકીયા વ્યવ્હાર શરૂ કર્યો હતો. હરનેશ અને તેનો પુત્ર અવારનવાર ઋષભના શો-રૂમ પરથી સોનાના દાગીના જાંગડ ઉપર લઈને જતા હતા. હરનેશને પસંદ આવે તે રીતે દાગીના રાખતા હતા અને બીજા દાગીના પરત કરી દેતા હતા. આ સિવાય દાગીના વેચાય તેનું પેમેન્ટ પણ હરનેશ ઋષભને સમયસર કરી દેતો હતો. ધંધામાં હરનેશ સમયસર પેમેન્ટ ઋષભને આપી દેતો હોવાથી એક વિશ્વાસ ઉભો થયો હતો. એક્ઝિબિશન રાખવાના નામે 6 કિલો દાગીના લીધાહરનેશ અને તેના ઓળખીતા નિકેશ શાહે તારીખ 10 જૂન 2023ના રોજ 1.33 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીના ઋષભ પાસેથી ખરીદી કર્યા હતા જેમાં તેમણે ટુકડે ટુકડે પેમેન્ટ કરી દીધું હતું. એપ્રિલ 2025માં હરનેશ, હર્ષ અને નિકેશ સીજીરોડ પર ઋષભને તેના શો-રૂમ પર મળવા માટે આવ્યા હતા. ત્રણેયે જણાએ ઋષભને જણાવ્યુ હતું કે અમારે ગાંધીનગર, ધોળકા અને બીજી બે ત્રણ જગ્યાએ સોનાના દાગીનાનું એક્ઝિબિશન રાખવાનું છે જેથી 6 કિલો જેટલા દાગીના જરૂર છે. ઋષભે સિક્યોરીટી પેટે ચેક માંગ્યો હતો જેથી હરનેશે અને નિકેશે કોરો ચેક આપ્યો હતો. ત્રણેય પર વિશ્વાસ હોવાથી ઋષભે 6 કિલો સોનાના દાગીના તેમને આપી દીધા હતા. દાગીના પરત ન કરી પેમેન્ટ પણ ન ચુકવતા અંતે ફરિયાદ નોંધાઈદાગીના આપી દીધા બાદ હરનેશે જણાવ્યુ હતું કે, એક મહિના પછી તમે ચેક બેંકમાં ભરાવી દેજો. ઋષભે 6.10 કરોડના દાગીના એપ્રૂવલ વાઉચર બનાવીને આપી દીધા હતા. હરનેશે બાહેધરી પણ લીધી હતી કે એક્ઝિબિશનમાં જે દાગીનાનો ઓર્ડર ફાઈનલ થાય તે રાખીને બાકીના દાગીના પરત આપી દઈશું. ઋષભ હરનેશની વાત માની લીધી હતી અને તેઓ દાગીના લઈને જતા રહ્યા હતા. સમય જતા હરનેશ અને નિકેશે દાગીના પરત નહીં આપતા ઋષભે માંગણી શરૂ કરી હતી. ઋષભની માંગણી બાદ નિકેશે જણાવ્યુ હતું કે, એક્ઝિબિશન પતાવીને દાગીના પરત આપીશું. ઋષભ ત્રણેય પર ગિન્નાયો હતો અને કહેવા લાગ્યો હતો કે, દાગીના પરત આપી દો નહીંતો રૂપિયા આપી દો. નિકેશ સહિતના લોકોએ કોઈ જવાબ નહીં આપતા અંતે ચેક બેંકમાં જમા કરાવી દીધો હતો. 6.10 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થતા અંતે ઋષભે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:47 pm

બોટાદમાં કુખ્યાત સિરાજ ઉર્ફે શીરો ડોનની ધરપકડ:વેપારીને ધમકાવી ખંડણી માંગવાના કેસમાં પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું

બોટાદ પોલીસે કુખ્યાત સિરાજ ઉર્ફે શીરો ડોનની ધરપકડ કરી છે. વેપારી પાસેથી ખંડણી માંગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.બોટાદમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શંકરભાઈ રામુભાઈ મોબલીપરા પાસેથી સિરાજે ખંડણીની માંગણી કરી હતી. શંકરભાઈએ સિરાજને 9.19 લાખ રૂપિયા અને એક બેરેજા કાર આપી હતી. તેમ છતાં, સિરાજે દર મહિને 1 લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે શંકરભાઈએ ગત ૧ ડિસેમ્બરે બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક સિરાજ ઉર્ફે સિરો હુસેન ખલીયાણીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલું વાહન પણ કબજે કર્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીઆઈ ખરાડી સહિત પોલીસનો મોટો કાફલો હાજર રહ્યો હતો. સિરાજ ઉર્ફે સિરો વિરુદ્ધ ભૂતકાળમાં ગુજસીટોક, ધાકધમકી, ખંડણી, શરીર સંબંધી ગુનાઓ, જુગાર અને પ્રોહિબિશન સહિત કુલ 39 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2023માં તેની સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો, જેમાં તે જામીન પર છૂટ્યા બાદ અન્ય ગુનાઓ આચરી રહ્યો હતો. બોટાદ પોલીસ દ્વારા સિરાજના જામીન રદ કરવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે.આ અંગેની માહિતી બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે આપી હતી.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:44 pm

ગોરડકા બ્રિજ પાસે ઈકો કાર પલટી:કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન આશરે 10 થી 15 ફૂટ નીચે ઉતર્યુ, બેને ઈજા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા બ્રિજ પાસે આજે એક ઈકો કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન આશરે 10 થી 15 ફૂટ નીચે ખાળિયામાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈકો કારમાં સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમયસરની મદદથી મોટી જાનહાનિ ટળી હતી.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:43 pm

સુત્રાપાડાના લોઢવા ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ:6 વીઘા પાક બળીને ખાખ, શોર્ટ સર્કિટથી આગ ફેલાઈ; સરપંચે ખેડૂતોને વળતરની માંગ કરી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે પટેલવાવ વિસ્તારમાં આજે શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પરબતભાઈ હમીરભાઈ વાળાના આશરે 6 વીઘા શેરડીનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ખેતરમાં આવેલા PGVCL ના વીજ થાંભલાના જમ્પરમાં શોર્ટ સર્કિટ થતાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ફેલાઈ હોવાનું અનુમાન છે. આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ તેના પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતને આશરે સાત લાખ રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. લોઢવા ગામના સરપંચ હીરાભાઈ વાઢેરે PGVCL પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, વીજલાઇન અને સાધનોની યોગ્ય જાળવણી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. સરપંચ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:41 pm

PRLમાં આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપોસિસ 2025નું આયોજન:12 ડિસેમ્બર સુધી ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ ચર્ચા કરશે

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) એ 8થી 12 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપોસિસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 10મી સ્ટુડન્ટ્સ કોન્ફરન્સમાં ઓપ્ટિક્સ અને ફોટોનિક્સમાં જે પ્રકારે બદલાવ થઈ રહ્યા છે તેને લઈને વિદ્યાર્થીઓ વાફેક થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કોપોસિસ 2025માં 500થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ આવ્યા છે, જેમાંથી 14 વિદેશી ઇન્સ્ટિટયૂટમાંથી 20 જેટલા સાયન્ટિસ્ટ આવ્યા છે અને બાકીના ઇન્ડિયન સાયન્ટિસ આવ્યા છે જે આ તમામ વિષયો પર ચર્ચા કરશે અને તેમાં કેવા પ્રકારના બદલાવ આવી રહ્યા છે તેને લઈને ચર્ચા કરશે. સ્વદેશી ક્વોન્ટમ પ્રોડક્ટ ડેવલપમેન્ટ જોનાકી અને સમય ( ટાઇમ ટુ ડિજિટલ કન્વર્ટર ) પણ લોન્ચ કરવામાં આવ્યું છે. સ્વદેશી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી પ્રોડક્ટનું લોન્ચિંગઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદ અને વર્કશોપ સ્કોપોસિસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન PRL સ્ટુડન્ટ ચેપ્ટર ઇન ઓપ્ટિક્સ એન્ડ ફોટોનિક્સ (SCOP) દ્વારા, ઓપ્ટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા (OSI)ના સહયોગથી અને સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર (IITGN)ના સંયુક્ત આયોજનથી કરવામાં આવી રહ્યું છે. જેમાં ISRO ના અધ્યક્ષ, PRL કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટના અધ્યક્ષ, એ.એસ. કિરણકુમાર, PRL, IITGN અને SACના ડિરેક્ટરો તેમજ ઓપ્ટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા (OSI)ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. PRL ખાતે વિકસિત સ્વદેશી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી પ્રોડક્ટનું લોન્ચિંગ અને ઉદ્યોગ અને પ્રદર્શન પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પરિષદSCOP 2016માં PRL દ્વારા શરૂ કરાયેલ વિદ્યાર્થી-આયોજિત વાર્ષિક ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પરિષદ છે. જે દર વર્ષે એક જ સંસ્થામાં સતત યોજાય છે. OSISએ ભારતીય ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ સમુદાય માટે મુખ્ય મંચ તરીકે સેવા આપી છે. SCOP સાથે તેનું સંકલન વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગ નેતાઓ અને વૈશ્વિક વૈજ્ઞાનિક નિષ્ણાતો વચ્ચે સહયોગ માટે ગતિશીલ માર્ગ બનાવે છે. બે દિવસીય વર્કશોપ યોજાશેપાંચ દિવસના આ કાર્યક્રમમાં બે દિવસીય વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 160 વિદ્યાર્થીઓ માટે 16 ટ્યુટોરિયલ્સ આપવામાં આવશે. ત્યારબાદ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ અને પરિસંવાદ યોજાશે જેમાં એક કોલોક્વિયમ વ્યાખ્યાન, 80 આમંત્રિત વાર્તાલાપ, 65 યોગદાન આપેલ મૌખિક પ્રસ્તુતિઓ, 200 પોસ્ટર પ્રસ્તુતિઓ, પેનલ ચર્ચા અને ઉદ્યોગ પ્રદર્શનનો સમાવેશ થશે. 13 દેશો અને ભારતના 22 રાજ્યોના સહભાગીઓનું પ્રતિનિધિત્વસ્કોપોસિસ 2025માં લગભગ 500 સહભાગીઓએ ભાગ લીધો છે. જેમાં યુએસએ, જર્મની, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જાપાન, ઇઝરાયલ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, ફિનલેન્ડ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક અને નેધરલેન્ડના 350 રાષ્ટ્રીય અને 20 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ પરિષદ 13 દેશો અને ભારતના 22 રાજ્યોના સહભાગીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં રાજ્ય અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IIT, NIT, IISER, ડીમ્ડ યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રો, ખાનગી સંસ્થાઓ, વિદેશી યુનિવર્સિટીઓ અને સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 500 કરતા વધુ લોકો ભાગ લઈ રહ્યા છેPRLના ડિરેક્ટર અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા PRL માં શરૂઆત થઈ હતી જેનું આ વર્ષે 10મુ એડીશન છે. જેનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી કોન્ફરન્સ. જે ફૂડ વિદ્યાર્થીઓ છે તે આનું આયોજન કરે છે. જેનો ઉદ્દેશ્ય છે કે ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર જે બદલાવ આવે છે તેના પર ચર્ચા કરવાનું અને એક્સપર્ટની બોલાવીને પણ તેના પર ચર્ચા કરવામાં આવે છે. આ PRL માં દસ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે એક નવો અધ્યાય જોડવામાં આવ્યો છે. ઓપ્ટિકલ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાની એન્યુઅલ કોન્ફરન્સ થાય છે તે આની સાથે જોડવામાં આવી છે. જેમાં 500 કરતા વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ આવ્યાવધુમાં અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ, કોન્ટમ કોમ્યુનિકેશન સહિતના વિષય પર ચર્ચા કરવામાં આવશે. કોન્ટમ કોમ્યુનિકેશન કઈ રીતે કરી શકાય તેના પર ચર્ચા કરવામાં આવશે. લેઝરના ડેવલોપમેન્ટ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે અને જે પ્રકારના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તેનાથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 125 ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ આવ્યા છે, જેમાં 14 વિદેશી ઇન્સ્ટિટયૂટમાંથી 20 જેટલા સાયન્ટિસ્ટ આવ્યા છે અને બાકીના ઇન્ડિયન સાયન્ટિસ આવ્યા છે જે આ તમામ વિષયો પર ચર્ચા કરશે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:40 pm

ગોધરા બાયપાસ પર ટેન્કર પલટ્યું:લાખોનું તેલ ગાયબ, ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ટ્રાન્સપોર્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક દરૂણિયા બાયપાસ પર એક ટેન્કર પલટી જવાની ઘટના સામે આવી છે. આ ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો કાચો કપાસિયા તેલનો જથ્થો ગાયબ થઈ ગયો છે. અકસ્માત બાદ ટેન્કરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેથી ટ્રાન્સપોર્ટરે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કચ્છના ગાંધીધામ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પરેશભાઈ અજીતસિંહ ભાટીયાએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 5 ડિસેમ્બર, 2025ના રોજ સવારે લગભગ 11 વાગ્યે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તેમનું ટેન્કર ગોધરાના દરૂણિયા ગામ બાયપાસ પાસે પલટી ખાઈ ગયું છે. આ ટેન્કર (નંબર GJ.12.CJ.3396) આદિલાબાદની એ.જી.એસ. ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસેથી 29 નવેમ્બર, 2025ના રોજ કાચું કપાસિયા તેલ લઈને મહેસાણાની એન.કે. પ્રોટીન્સ, કડી ખાતે પહોંચાડવાનું હતું. ટેન્કરના ડ્રાઈવર તરીકે ચાંમુડા નગર, ગાંધીધામના રહેવાસી ઓમપ્રકાશ માલી હતા. માહિતી મળતા જ પરેશભાઈએ તેમના કર્મચારી ઘનશ્યામ આહીરને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઘનશ્યામ આહીરે સ્થળ પર પહોંચીને પરેશભાઈને ફોન પર જણાવ્યું કે ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાધેલી હાલતમાં પડ્યું છે, પરંતુ ટેન્કરમાં ભરેલું કપાસિયા તેલ સંપૂર્ણપણે ખાલી છે. અકસ્માત બાદ ડ્રાઈવર ઓમપ્રકાશ માલી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને તેના બંને મોબાઈલ નંબર બંધ આવતા હતા. પરેશભાઈ ભાટીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડ્રાઈવર ઓમપ્રકાશ માલીએ ટેન્કરને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પલટી ખવડાવી હતી. જેના કારણે ટેન્કરમાં ભરેલું કાચું કપાસિયા તેલ જમીન પર ઢોળાઈ ગયું અથવા તો તેની ચોરી થઈ ગઈ છે. આથી, તેમણે 9 ડિસેમ્બર, 2025ના રોજ ડ્રાઈવર ઓમપ્રકાશ માલી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની શોધખોળ અને તેલ ક્યાં ગયું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:35 pm

મહેસાણામાં રેન્જ IGએ વાર્ષિક નિરીક્ષણ કર્યું:20થી 25 કર્મચારીઓને સાયબર ગુનાઓ ઉકેલવા માટે તાલીમ આપવા આઈજીની સૂચના

મહેસાણા જિલ્લાનું રેન્જ કક્ષાનું વાર્ષિક નિરીક્ષણ એન્યુઅલ ઇન્સ્પેક્શન રેન્જના વડા વીરેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણના ભાગરૂપે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવી, જેમાં મોકડ્રિલ, ચેક પોસ્ટની કાર્યવાહી, સ્કોપ ડ્રિલ, પી.ટી., અને વેપન ડ્રિલ જેવી બાબતોની ઝીણવટપૂર્વક તપાસ થઈ હતી. આ ઉપરાંત, ઘોડેસવારીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. નિરીક્ષણના ભાગરૂપે ક્રાઈમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ મહેસાણા જિલ્લામાં ગુનાખોરી અને કાયદાની પરિસ્થિતિની સમીક્ષા કરવાનો છે. આ સાથે લોક દરબાર પણ યોજાયો હતો જેમાં રેન્જના વડા દ્વારા લોકોની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળીને તેના નિરાકરણના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સાયબર ગુનાઓ ઉકેલવા માટે તાલીમ આપવા આઈજીની સૂચનારેન્જ આઈ.જી. દ્વારા પોલીસ સ્ટેશન લેવલ પર પોલીસકર્મીઓની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને,સાયબર અવેરનેસના કાર્યક્રમો યોજવા અને દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમના કેસો ઉકેલવાની પોલીસની કેપેસિટી વધારવા માટે સૂચના અપાઈ છે. આના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનના સ્તરે ઓછામાં ઓછા 20થી 25 કર્મચારીઓને સાયબર સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે કુશળ બનાવવા તાલીમ આપવાની સૂચના આપવામાં આવી છે. કર્મચારીઓની સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શનપોલીસ દરબારમાં પોલીસ તરફથી કોઈ ખાસ રજૂઆત ન મળી હોવા છતાં, તમામ કર્મચારીઓને તેમની કોઈપણ વહીવટી સમસ્યાઓ, જેમ કે પ્રમોશન, પગાર, ટી.એ.ડી.એ. સંબંધિત સમસ્યાઓ માટે સૌપ્રથમ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરવા જણાવાયું છે. જો ત્યાંથી ઉકેલ ન આવે, તો રેન્જ આઈ.જી. કચેરી આવવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સ્તરે નવી સેવાઓ માટે દર વર્ષે પ્રપોઝલ કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ કેટલીક નવી ભરતીઓ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:33 pm

પંકજ જોશી બન્યા GERCના નવા ચેરપર્સન:પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં નિમણૂક

ગુજરાત સરકારે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ના નવા ચેરપર્સન તરીકે રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક કરી છે. energy Petrochemicals Department દ્વારા 10 ડિસેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર રાજ્ય સરકારે ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003 અનુસાર આ નિયુક્તિ અમલમાં મૂકી છે. સરકાર દ્વારા ગઠિત સિલેકશન કમિટીએ બે યોગ્ય નામોની પેનલ રાજ્ય સરકારને ભલામણ કરી હતી. વિચારવિમર્શ બાદ સરકારે પંકજ જોશીની પસંદગી કરીને તેમને જર્કના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પોતાના કાર્યભાર સંભાળે એ દિવસથી આ નિયુક્તિ અમલમાં આવશે. પંકજ જોશી લાંબા સમય સુધી રાજ્ય સરકારમાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે અને વહીવટી ક્ષેત્રે તેમનો વિશાળ અનુભવ હવે વીજક્ષેત્રની નીતિઓ અને નિયમનક્ષેત્રે ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:33 pm

વડોદરામાં 68 વર્ષીય વૃદ્ધ હનીટ્રેપમાં ફસાયા:મહિલાએ ફેસબુક પર ચેટ કરી મળવા બોલાવ્યા; બાદમાં સાગરીતો સાથે અપહરણ કરી ધમકી આપી 7 લાખ પડાવ્યા, એકની ધરપકડ

વડોદરા શહેરમાં ફેસબુક મારફતે હનીટ્રેપના વધુ એક કિસ્સાએ સનસનાટી મચાવી છે. શહેરના વારસિયા રીંગ રોડ પર રહેતા 68 વર્ષીય વૃદ્ધને અજાણી યુવતી અને તેના સાથીઓએ ફસાવીને ડ્રગ્સ કેસમાં સંડોવી દેવાની ધમકી આપી હતી. આ ટોળકીએ વૃદ્ધ પાસેથી 7 લાખ રૂપિયાનો બેરર ચેક મેળવીને રકમ ઉપાડી લીધી અને પલાયન થઈ ગયા હતા. આ મામલે શિનોર પોલીસે અપહરણ, ખંડણી અને કાવતરાની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. પોલીસે ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતતા અભિયાન ચલાવ્યુંતાજેતરમાં કાયાવરોહણમાં સાયબર ઠગાઈનો શિકાર બનેલા વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી, જેના પગલે પોલીસે ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતતા અભિયાન ચલાવ્યું હતું. તેમ છતાં, આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. આ કિસ્સામાં વૃદ્ધને ફેસબુક પર 'પીન્કી પટેલ' નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. તેને સ્વીકાર્યા બાદ ચેટ શરૂ થઈ અને બંનેએ મોબાઈલ નંબરની આપલે કરી હતી. સફેદ કારમાં આવેલા કેટલાક ઈસમોએ વૃદ્ધ અને યુવતીને અટકાવ્યાગત 2 ડિસેમ્બરે યુવતી વડોદરા આવી અને વૃદ્ધ સાથે એક્ટિવા પર માલસર, શિનોર ગયા હતા. પરત ફરતા સમયે ગરનાળા પાસે સફેદ ફોર-વ્હીલર કારમાં આવેલા કેટલાક ઈસમોએ તેમને અટકાવ્યા હતા. તેઓએ પોલીસ તરીકેની ઓળખ આપી અને કહ્યું કે યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી છે, તેથી વૃદ્ધ પણ તેમાં ફસાઈ જશે. વૃદ્ધને કારમાં બેસાડીને તેમનું મોપેડ સાથે લઈને વડોદરા તરફ લઈ ગયા હતા. નકલી પોલીસ બનેલી ટોળકીએ 9 લાખ રૂપિયાની માંગણી કરીરસ્તામાં નકલી પોલીસ બનેલી ટોળકીએ 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ વૃદ્ધે ગભરાઈને 7 લાખમાં સમાધાન કર્યું હતું. તેઓ વૃદ્ધને તેમના ઘરે લઈ ગયા, બેરર ચેક મેળવીને બેંકમાંથી રકમ ઉપાડી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. ઝડપાયેલા આરોપીએ પત્રકાર હોવાની હકીકત પોલીસને જણાવીઆ સમગ્ર મામલે શિનોર પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હાર્દિક કનૈયાલાલ શેઠની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે નાગરિકોને ઓનલાઈન અજાણી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવતા સાવચેત રહેવા અપીલ કરી છે. આ ઘટનામાં ઝડપાયેલ આરોપી પોતે પત્રકાર હોવાની હકીકત પોલીસને જણાવી છે. હાલમાં શિનોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:29 pm

પાટણના અશ્વ અણહિલે પંજાબમાં ત્રીજું સ્થાન મેળવ્યું:ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં 80 ઘોડાઓને હરાવ્યા

પાટણ જિલ્લાના દિઘડી ગામના અશ્વ અણહિલે પંજાબમાં યોજાયેલી ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શામળા ફાર્મ હાઉસના માલિક આનંદભાઈ દેસાઈના આ અશ્વે 80 ઘોડાઓને હરાવીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અણહિલનો જન્મ રજુભાઈ દેસાઈના સેવાળા ખોડિયાર સ્ટડ ફાર્મમાં થયો હતો. આ સિદ્ધિને કારણે મારવાડી અશ્વ જગતમાં દિઘડી ગામનું નામ જાણીતું બન્યું છે. આ ઉપરાંત, પાટણ જિલ્લાના જંગરાલ ગામના અશ્વ રુશાને પણ તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી મોટી અશ્વ સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રુશાને રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામસિંહ ગામમાં આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ભારતભરમાંથી 500 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો. અગાઉ, રુશાને પુષ્કર મેળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને તેને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જંગરાલ ગામના પીનાકીનભાઈ બારોટ જયવીર સ્ટડફાર્મ ખાતે અશ્વ ઉછેરનો શોખ ધરાવે છે. તેઓ બાળપણથી જ ઘોડાઓ પ્રત્યે લગાવ ધરાવે છે અને તેમની દૈનિક દેખભાળ રાખે છે. રુશાન અશ્વની ઓલાદ પણ વિશિષ્ટ છે. તેના પિતાનું નામ પર્સન છે, જે હાલમાં પાંચ કરોડ રૂપિયામાં પંજાબમાં વેચાયો છે. રુશાનની માતા અનામિકા અને તેની માતા આલામારા પણ આ ઘોડાના પરિવારનો ભાગ છે. પીનાકીનભાઈના અશ્વને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાઓમાં પણ એવોર્ડ, ટ્રોફી અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. આ બંને અશ્વોની સિદ્ધિ બદલ તેમના માલિકો અને ગામના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે, તેમ પ્રતિકભાઈ બારોટ અને શિવમ દલવાડીએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:18 pm

કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ:સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઇ, પ્રભારી દેવેન્દ્ર યાદવે કહ્યું પ્રજા હવે ભાજપના લાંબા શાસનથી કંટાળી

આગામી દિવસોમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે લાંબા સમયથી સત્તાથી વંચિત કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ અગાઉથી હાથ ધરવામાં આવી છે.જેમાં આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાવનગર સર્કિટહાઉસ ખાતે એક કારોબારી બેઠક યોજી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો, નગરસેવકો, એ.આઈ.સી.સી. પી.સી.સી. ડેલીગેટ યુવા કોંગ્રેસ, NSUI સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર સર્કિટહાઉસ ખાતે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની વિવિધ પાંખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે પ્રભારી દેવેન્દ્ર યાદવે કહ્યું કે, ભાજપ અત્યારે શિખર પર છે જેથી હવે તેનાથી ઉપર નહિ જઈ શકે માટે જો કોંગ્રેસના કાર્યકરો આગામી સમયમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવા SIR ને ધ્યાને રાખી એક રણનીતિ બનાવી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે તો ચોક્કસ એક સારું પરિણામ કોંગ્રેસ મેળવી ભાજપને પછાડી શકશે. સાથે આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં કોંગ્રેસને નુકશાન કરી રહી છે ત્યારે ભાજપ અને આપ પાર્ટી સામે આગામી ચૂંટણીમાં તાકાતથી લડી લેવા અપીલ કરી હતી, જ્યારે આ અવસરે અનેક નાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા જેને દેવેન્દ્ર યાદવે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે પણ કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, દારૂ, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે લડત ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:11 pm

જામનગર પોલીસે 'દિવ્યેશ ડોન'ની હવા કાઢી:છુટ્ટા હાથે બાઇક ચલાવી રોલા પાડતા આફ્ટર-બિફોર થઇ ગયું, બે હાથ જોડીને માફી માંગી

જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બાઈક સ્ટંટના વીડિયો અંગે કાર્યવાહી કરવામાં આવી છે. દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા નામના યુવક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના મુજબ, ભયજનક ડ્રાઇવિંગ અને બાઈક સ્ટંટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. આ સૂચનાના અનુસંધાને, 3 ડિસેમ્બર, 2025ના રોજ એક બાઈક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ધ્યાને આવતા, 9 ડિસેમ્બર, 2025ના રોજ PSI બી.બી. સિંગલની સૂચનાથી તપાસ શરૂ કરાઈ હતી. એ.એસ.આઈ. પરેશભાઈ ખાણધર, પો.કોન્સ. સંજયભાઈ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલીયા અને પારૂલબા જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ હ્યુમન સોર્સના આધારે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે સ્ટંટ કરનાર મોટરસાયકલનો નંબર GJ-10-DL-0739 હતો. ITMS સોફ્ટવેરમાં આ મોટરસાયકલની મુવમેન્ટ ચેક કરતા, વાયરલ રીલ્સ સાથે સરખામણી કરીને બાઈક સ્ટંટ કરનારની ઓળખ થઈ. RTO ડેટા તપાસતા, તે જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પરેશભાઈ ખાણધર અને સંજયભાઈ જોડે શંકર ટેકરી વિસ્તારમાં તપાસ કરતા, મોટરસાયકલ ચાલક તેના નિવાસસ્થાનેથી મળી આવ્યો. પૂછપરછમાં તેણે 25 નવેમ્બર, 2025ના રોજ આ વીડિયો રીલ્સ બનાવ્યાની કબૂલાત કરી હતી. કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો. પો.કોન્સ. સંજયભાઈ જોડે ફરિયાદી બનીને દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ પર ઓવર સ્પીડિંગ, બાઈક સ્ટંટ અને રફ ડ્રાઇવિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પર સી.સી.ટી.વી. કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નજર રાખી રહ્યું છે. તમામ વાહનચાલકોને પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. <

દિવ્ય ભાસ્કર 10 Dec 2025 3:05 pm