SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

એક્સક્લૂઝિવ:અમદાવાદના હાથીજણ-DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા અરજી રદ, 1 લાખનો દંડ પણ ફટકાર્યો, 400 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

વારંવાર નિયમોના ભંગ બદલ શાળાને નવેસરથી માન્યતા ન અપાઇ,અગાઉ પણ બે વાર જિલ્લા સ્તરે શાળાની માન્યતા રદ કરી હતી

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 6:54 pm

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરામાં દેશના સૌપ્રથમ ગરિમા ગૃહમાં 10 ટ્રાન્સજેન્ડરનો પગભર થવાનો પ્રયાસ, 3 ટ્રાન્સજેન્ડર પેટ્રોલ પંપમાં નોકરી કરી વર્ષે લાખ રૂપિયા કમાય છે

વડોદરામાં શરૂ થયેલા દેશના પ્રથમ ગરીમા ગૃહમાં હાલ 10 ટ્રાન્સજેન્ડર રહે છે,ગરિમા ગૃહમાં રહેતા 3 ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ પર નોકરી કરી રહ્યા છે,સરકાર ટ્રાન્સજેન્ડરોને સરકારી નોકરી આપીને પગભર બનાવે એવી માગ ઊઠી

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 1:00 am

ડેટિંગ ડાયરી:પ્રેમ બદલાયો પરિણયમાં

જ્યારે લગ્ન થઇ ગયાં ત્યારે મેં એમને પૂછ્યું, ‘તમે મારા જેવી સામાન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કેમ સ્વીકાર્યું?’

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:59 am

સંબંધનાં ફૂલ:કોઇને તમારી પરવા છે...

મહામારીને ભૂલી જવી જ યોગ્ય છે પણ આ સમય દરમિયાન જે લાગણીનો અહેસાસ થયો છે એ જળવાઇ રહે એ જરૂરી છે. કપરા સમયમાં આ લાગણીઓએ આપણને ટકાવી રાખ્યા છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:54 am

વુમનોલોજી:સ્વતંત્ર ભારતમાં સ્ત્રીની સશક્ત સફર

ભારતમાં ઇતિહાસની સ્ત્રીએ સમગ્ર સ્ત્રી સમાજને જે વારસો આપ્યો એને શિસ્ત અને શિદ્દત સાથે દરેક દસકામાં અલગ અલગ સ્ત્રીઓએ આગળ વધાર્યો છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:47 am

એક્સેસરીઝ:ભાઇ-ભાભીને પ્રેમથી બાંધો સ્ટાઇલિશ રાખી સેટ

લગ્ન બાદ ભાઈનાં સુખ તેમજ દુ:ખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે ભાભીને પણ રાખડી બાંધવામાં આવે છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:40 am

રસથાળ:તહેવારોમાં મીઠાશ ઘોળતી મધમીઠી મીઠાઇઓ

22 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનું પર્વ છે. આ દિવસે ભાઇનું મોં મીઠું કરવા માટે બહેનો અવનવી મીઠાઇઓ બનાવતી હોય છે. તો ચાલો બનાવીએ આવી જ કેટલીક ખાસ મીઠાઇઓ...

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:02 am

લઘુનવલ:માણસનો મોબાઇલ વાંચવા મળે તો એ મન વાંચવા બરાબર જ કહેવાય!

અતિરાજ આખરે તો પુરુષ. સુંદર નારીદેહનાં પ્રલોભન સામે પુરુષને પરાજિત થતા કેટલી વાર! કોને ખબર, સ્વીટીની નિયતમાં ખોટ હોય અને તેણે ચાલ રમી હોય

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:01 am

મેનેજમેન્ટ મંત્ર:ઓફિસમાં ન ખાઓ આચરકુચર, આ રહ્યો પરફેક્ટ ડાયટ પ્લાન

વજન નિયંત્રણમાં રહે એ માટે સ્વયં પર થોડું નિયંત્રણ જરૂરી છે. જો થોડી કાળજી રાખવામાં આવે તો વધેલું વજન ઘટાડી શકાય છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 7:00 am

તાલિબાનની આવકનું ગણિત:અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી યુદ્ધ લડી રહેલા તાલિબાનો કરે છે અધધ...રૂપિયા11,800 કરોડની વાર્ષિક કમાણી, અફીણ સહિત અનેક ક્ષેત્રો છે આવકના સ્રોતો

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ અહેવાલ, 2020ની માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થતું અફીણ વિશ્વમાં આશરે 84 ટકા બજાર હિસ્સો ધરાવે છે,વર્ષ 2016માં 400 મિલિયન ડોલરની કમાણી સાથે ફોર્બ્સની યાદીમાં તાલિબાન પાંચમા સ્થાન પર હતું

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 12:05 am

એક્સક્લૂઝિવ:ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓએ કહ્યું, ફોન પર ફાયરિંગનો અવાજ સંભળાય છે, કંઇ પણ થાય અફઘાનિસ્તાન નથી જવું

અફઘાની વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહી વધુ ભણવા તૈયાર પણ ઘરે ન જવા મક્કમ,સરકારી સ્કોલરશિપથી આવેલ વિદ્યાર્થીઓને આશરો આપવાની ICCRની તૈયારી,તાલિબાનીઓ કેટલાક પ્રાંતમાં પૈસા અને ખાવાનું માગી રહ્યાં છે

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 6:11 pm

મંડે મેગા સ્ટોરી:20 વર્ષમાં 61 લાખ કરોડ ખર્ચ કર્યા પછી પણ અમેરિકા જેનાથી જીતી ન શક્યું તે તાલિબાનની સંપૂર્ણ કહાની

તાલિબાને અમેરિકાને 20 વર્ષ સુધી લડત આપી અને દેશ છોડવા માટે મજબૂર કર્યું,અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 61 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 10:57 am

ન્યૂ રીલ્સ:ફિલ્મી દેશભક્તિના મલ્ટિપ્લેક્સિયા રંગો

મલ્ટિપ્લેક્સ પહેલાંના દૌરમાં દેશભક્તિનો મતલબ સૈનિકો, જવાનો અને યુદ્ધ જ હતો. યુદ્ધો સરહદો ઉપર જ હતાં

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:40 am

માનસ દર્શન:તુલસીના પગ ધરતી પર અને નજર આકાશમાં છે

તુલસીના પગ ધરતી પર અને નજર આકાશમાં છે. આ સર્જકને માપવાનું મુશ્કેલ છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:38 am

માય સ્પેસ:ગણતંત્ર એટલે ગણવું કે ગણગણવું નહી...

નવી પેઢીને ખબર છે કે, લોકશાહી એટલે સ્વતંત્રતા, પરંતુ સાથે સાથે સ્વીકારવી પડતી જવાબદારી

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:36 am

Sci-લેન્ડ:ભારતનાં ભવિષ્યની ‘સ્માર્ટ’ ભૂતાવળ!

મોટાભાગના લોકો દિવસભરમાં 150 વખત કે દર છ મિનિટે ફોન ચેક કરે છે. યંગસ્ટર્સ દિવસનાં સરેરાશ 110 મેસેજ મોકલે છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:32 am

પ્રશ્ન વિશેષ:સાચું કહેજો, કેટલાએ નીરજ ચોપરાનું નામ પણ સાંભળ્યું હતું?

‘ગીતાંજલિ’ને નોબલ પ્રાઈઝ મળ્યાં પછી આપણે કહેલું કે, ‘આ નોબલ જીત્યા તે રવીન્દ્રનાથ ટાગોર તો અમારા હોં !’

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:29 am

વિશેષ:રાજદ્રોહનો કાયદો સમગ્ર લોકશાહી માટે પડકાર!

રાજદ્રોહનો કાયદો ઇંગ્લેન્ડમાં 2009માં જ નાબૂદ થઇ ગયો, પણ ભારતમાં એ આજેય યથાવત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેની વ્યાખ્યા કરવાનો સમય આવી ગયો છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:27 am

સોશિયલ નેટવર્ક:અંગ્રેજોએ કેવી રીતે સામ્રાજ્ય સ્થાપ્યું?

અંગ્રેજો જરાય ભ્રમમાં નહોતા કે આ દેશના લોકો પર હથિયારોના જોરે રાજ કરી શકવાના નથી

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:25 am

સાહિત્ય વિશેષ:અનુભવની મૂડીથી સર્જાય શબ્દની કેડી

દીકરીનો અવતાર એટલે બંધન. એટલે ધીરે ધીરે અંદર બળવાખોર બનતી ગઇ

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:22 am

ડૂબકી:મધ્યરાત્રિએ મળેલી આઝાદીનું પર્વ

આપણે આજે આઝાદ દેશમાં રહેવાનો ગર્વ અનુભવી રહ્યાં છીએ તો એની ક્ષણેક્ષણ એ માણસને આભારી છે, જેને ગોળી મારવામાં આવી અને એમણે માત્ર એક જ ઉદ્્્ગાર કાઢ્યો : ‘હે રામ’. જે હવે રાજઘાટના સમાધિસ્થળ પર શણગાર થઈને રહી ગયા છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 7:18 am

સુપર એક્સલુઝિવ:1971ના યુદ્ધમાં ભુજ એરબેઝ પરના હુમલા વખતના સુપરહીરો વિજય કર્ણિકે પહેલીવાર 'દિવ્ય ભાસ્કર'ને વર્ણવી દાસ્તાનઃ પાકે. 6 કલાકમાં 65 બોમ્બ ઝીંક્યા હતા

1971ની 9 ડિસેમ્બરની રાતના 10 વાગ્યે ભુજ એરબેઝ પર અંધકારમાં પથરાયેલા સન્નાટાને પાક. બોમ્બર વિમાનોના અવાજે ચીરી નાંખ્યો,પાક. એરફોર્સના કેનબેરા તરીકે ઓળખાતા બોમ્બર વિમાનોએ 4 દિવસ સુધી છૂટાછવાયા હુમલા કરી ભુજના એરબેઝને ટાર્ગેટ બનાવ્યા હતા

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 12:30 am

આક્રોશ:અફઘાની યુવાનોએ કહ્યું, 'પાકિસ્તાનીઓ ઘુસણખોરી કરી રહ્યાં છે અને રેપ થઇ રહ્યાં છે', સોશિયલ મિડીયામાં 'સેંક્શન પાકિસ્તાન' હેશ ટેગ મુવમેન્ટ શરૂ થઇ

અફઘાની યુવાનો દિવ્યભાસ્કર સાથે વર્ણવી સાથે આતંકની આંખે દેખી હાલત,ગુજરાત અને ભારતમાં ભણતા અફઘાની યુવાનોનો પાકિસ્તાન સામે મોરચો

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 12:12 am

સ્પેસ યુગઃ હવે પગ જમીન પર નહીં રહે

- નાસા મંગળ પરના વિશાળ ખાડાઓમાં ખાખાખોળા કરે તેવો બિલકુલ માણસ જેવો રોબોટ તૈયાર કરી રહી છે - રશિયાએ ધરતી પર જ નિશ્ચિત જગ્યામાં મંગળ જેવું વાતાવરણ રચી કરેલા પ્રયોગમાં મળેલી નિષ્ફળતા લેસન રૂપ બની - એક સમયે પૃથ્વી ખેડવી પણ મુશ્કેલ હતી અને હવે અવકાશી મિશનોની લાઇન લાગી છે એક સમયે વિશ્વ પ્રવાસ એ એક અજાયબ ઘટના હતી. મેગાસ્થનીસ, યુ એન સંગ, માર્કો પોલો અને ઇબ્ને બતુતા જેવા પ્રવાસીઓ અડધું જીવન વિવિધ દેશોના પ્રવાસમાં વિતાવી દેતાં અને તેનું પ્રવાસ વર્ણન લખતા. એ વર્ણન બાકીની દુનિયા માટે કોઈ મહાન શોધ જેવું બની રહેતું, કારણ કે ત્યારે વાહન વ્યવહારના સાધનો ટાંચા હતા. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવું ખૂબ કપરું હતું, જીવનું જોખમ રહેતું. કોમ્યુનિકેશનની ક્રાંતિ પછી પૃથ્વીનો એક ઈંચ ધમરોળવાનો બાકી રહ્યો નથી ત્યારે હવે માણસને અવકાશ ધમરોળવામાં રૂચિ જાગી છે. ચંદ્ર અભિયાન, મંગળ અભિયાન અને સ્પેસ ટૂરના કાર્યક્રમો વધતા જાય છે. કેટ-કેટલું ઘટી ચૂક્યું છે અને ઘટી રહ્યું છે. ભારતના ચંદ્રયાને ચંદ્ર પર પાણી શોધી કાઢયું, આપણે માર્સઓરબીટ મિશન પણ મોકલ્યું, ચીનનું યાન ચંદ્રની પૃથ્વી પરથી ન દેખાતી બાજુ પર ઊતર્યું. નાસા મંગળ પરના વિશાળ ખાડાઓમાં ખાખાખોળા કરે તેવો બિલકુલ માણસ જેવો રોબોટ તૈયાર કરી રહી છે. ચંદ્ર અભિયાન પછી હવે મંગળમાં વિવિધ દેશોને વધારે રૂચિ જાગી છે. એપ્રિલ માસમાં પહેલી વખત પૃથ્વી સિવાયના કોઈ ગ્રહ પર હેલિકોપ્ટર ઊડયું. નાસાએ મંગળના આકાશમાં ઈનજેન્યુઈટી નામનું રોબોટ હેલિકોપ્ટર ઉડાવ્યું. વિજ્ઞાાનીઓએ કહ્યું કે આ ઉપલબ્ધિ અન્ય ગ્રહો પર સાધનોના ઉપયોગનો માર્ગ ખોલી શકે છે. આ અન્ય ગ્રહ એટલે શુક્ર, શનિનો ઉપગ્રહ ટાઈટન. યુ.એ.ઈ.એ મંગળ પર અલઅમલ અભિ-યાન મોકલ્યું છે. અલઅમલનો અર્થ થાય છે, ઉમ્મીદ. યુ.એ.ઈ. મંગળ મિશન હાથ ધરનારો પહેલો આરબ દેશ બન્યો છે. નાસાએ મોકલેલા પરસીવરન્સ રોવરે મંગળના વાતાવરણમાં ઉપલબ્ધ કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં રૂપાંતર કરવામાં સફળતા મળી છે. તમે જુઓ, કેટલી મોટી મોટી સિદ્ધિઓ મેળવવામાં આવી રહી છે. પરસીવરન્સ મંગળ પર મોકલવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોવર છે. તેમાં મોક્સી નામનું એક યુનિટ લગાડવામાં આવ્યું છે. મોક્સીનું ફૂલફોર્મ થાય છે, માર્સ ઓક્સિજન ઈન સીટુ રીસોર્સ યુટિલાઈઝેશન યુનિટ. આ એકમે હાલ તો ૫ ગ્રામ ઓક્સિજનનું જ ઉત્પાદન કર્યું છે પરંતુ ભવિષ્યમાં મોટા જથ્થાનું ઉત્પાદન કરશે તેમાં શંકા નથી. તેના લીધે અવકાશયાત્રીઓનો મંગળ પર જવાનો માર્ગ મોકળો થશે એટલું જ નહીં તેમને અહીંથી ઓક્સિજનનો જથ્થો લઈ જવાની જરૂર નહીં પડે. અમેરિકાની આ સ્પેસ એજન્સીને જંપ નથી. તેઓ સતત કંઈક ને કંઈક નવું વિચારતા રહે છે અને ઝપાટાભેર તેને અમલમાં મૂકવાની કોશિશ કરે છે. તેમણે અમેરિકામાં એક એવી જગ્યા બનાવી છે જ્યાંનું વાતાવરણ બિલકુલ મંગળ જેવું છે. નાસા એ જગ્યાએ કેટલાક વોલિયન્ટર્સને એક વર્ષ સુધી રાખવા માગે છે. પૃથ્વી પર રહીને મંગળ જેવો અનુભવ કરવાનો આ એક અભૂતપૂર્વ પ્રસાસ છે. ૧૭૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં મંગળ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થા કેટલું વિચારે છે! ડાયરેક્ટ કોઈ માણસને મંગળ પર મોકલીએ અને જીવનું જૌખમ ઊભું થાય તો તાત્કાલિક મદદ કરી શકાય નહીં, આથી ટ્રાયલના ભાગ રૂપે પહેલાં પૃથ્વી પર મંગળ જેવી સ્થિતિ નિર્માણ કરી તેના અનુભવના આધારે ભવિષ્યમાં વિજ્ઞાાનીઓ મંગળ પર છલાંગ લગાવશે. હ્યુસ્ટન સ્થિત જૉનસન અંતરિક્ષ કેન્દ્રમાં થ્રીડી પ્રિન્ટરની મદદથી મંગળ સરિખી જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું નામ છે માર્સ ડયુન આલ્ફા. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ત્રાસવાદી હુમલાની મોકડ્રીલ યોજાય તેમ અહીં એક વર્ષ સુધી સંશોધકો મંગળ અભિયાનની નકલ કરશે. તેમાં સ્પેસ વોક પણ સમાવિષ્ટ હશે. પરિવારજનો સાથે મર્યાદિત વાતચીત થઈ શકશે. નાસા દ્વારા ઠરાવવામાં આવેલો ખોરાક જ લઈ શકાશે. સંશાધનો અને ઉપકરણો ફેઈલ થઈ જાય ત્યારે શું કરવું તેની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે. નાસાના વિજ્ઞાાનીઓ અસીમ વિચારે છે. કવિ અને રવિથી પણ આગળ નીકળી ચૂક્યા છે. કલ્પના બહારના મૂલ્કમાં મહાલે છે. આ પ્રયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલો પ્રયોગ ચાલુ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. તેમાં અંતરિક્ષમાં ખાવામાં આવતું રેડી ટુ ઈટ ફુડ હશે. આ સ્યુડો મંગળયાનને કોઈ બારી નહીં હોય, કેટલાક છોડ જરૂરથી ઉગાડવામાં આવશે. પણ તે મેટ ડેમનની ધ માર્સિયન ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે એમ બટેટાના નહીં હોય. વિજ્ઞાાનીઓ એ જાણવા માગે છે કે માણસ મંગળ પર જાય તો તે કેવી રીતે રહી શકશે? તેનું પર્ફોમન્સ કેવું રહેશે? તેને કોઈ શારીરિક, માનસિક કે અન્ય પ્રકારની તકલીફ તો નહીં થાય ને? અને જો થશે તો કેવી થશે? આ અભિયાન માટે વોલિયન્ટર્સની શોધ જરૂર કરવામાં આવી રહી છે પરંતુ ગમે તે વ્યક્તિ આ શોધમાં જોડાઈ શકે નહીં. તેના માટે વિજ્ઞાાન, એન્જીનિયરિંગ અથવા ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી અથવા પાયલોટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. માત્ર અમેરિકનો જ અરજી કરી શકે છે. વય મર્યાદા ૩૦થી ૫૫ વર્ષની છે. આરોગ્ય સારું હોવું જરૂરી છે. ભોજન સંબંધિત કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ગતિને કારણે ચક્કર કે એવી કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવી જોઈએ. અંતરિક્ષ યાત્રીઓ માટે જે પૂર્વશરતો હોય છે એ જ અહીં રાખવામાં આવી છે. ભવિષ્યમાં સમાનવ મંગળ યાત્રા વધારે સારી અને સફળ રીતે યોજી શકાય તેના માટેની આ કસરત છે. અગાઉ પણ આવો પ્રયોગ થઈ ચૂક્યો છે. રશિયાએ માર્સ-૫૦૦ નામથી આવો એક અખતરો કરેલો, જે નિષ્ફળ ગયો હતો. નિષ્ફળ જવાનું કારણ એ હતું કે તેમાં સામાન્ય લોકોને લેવામાં આવ્યા હતા. અવકાશ યાત્રી જેવી યોગ્યતા ન ધરાવતા લોકોને લેવામાં આવ્યા હતા. અવકાશી અભિયાનમાં જોડાવાનું કામ ખૂબ કઠિન છે. તેમાં તમે કેવળ સારા વિજ્ઞાાની હો એ પૂરતુ નથી, શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત હોવું જરૂરી છે. સુનિતા વિલિયમ્સ એવું કહે કે હું સ્પેસ વોક નહીં કરું, નીચે જોઉં તો મને ચક્કર આવે છે, એવું ચાલે? તેમનું નામ ઇતિહાસમાં એટલા માટે દર્જ થયું કે તેઓ બધી રીતે મજબૂત અને યોગ્ય છે. તમને વિજ્ઞાાનની ગમે તેટલી જાણકારી હોય પણ તમને જો દસમા માળેથી પણ ચક્કર આવતા હોય તો તમે અવકાશ યાત્રાનો હિસ્સો બની શકો નહીં. ત્યાં નેટફ્લિકસ ન હોય, ત્યાં યુ-ટયુબ કે ગિટાર ન હોય, તમારે કોઈ આધાર વિના જ રિલેક્સ થવું પડે. અવકાશ સંશોધનના પાંચ દાયકા પછી ખગોળ વિજ્ઞાાનીઓ નવી ઊંચાઈ આંબી રહ્યા છે, નવી ક્ષિતિજ ઓળંગી રહ્યા છે. ભારતની વાર્ષિક અવકાશી બજેટ રૂા.૧૩,૯૪૯ કરોડનું છે. અમેરિકાનું વાર્ષિક સ્પેસ બજેટ ૭.૯ અબજ ડોલરનું છે. ૫૯,૨૫૦ કરોડ રૂપિયા. અમેરિકા બાદ ચીન પણ સ્પેસ રીસર્ચમાં રોકેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમુક બાબતમાં તો આગળ નીકળી પણ રહ્યું છે. જેમ કે ચંદ્રની પાછળની બાજુ પર પહોંચવું. જેફ બેઝોસ અને રીચર્ડ બ્રાન્સને સ્પેસ ટુરિઝમનો યુગ શરૂ કરી દીધો છે. સીએજીઆરના આંકડા પ્રમાણે ૨૦૨૫ લગીમાં સ્પેસ ટુરિઝમ માર્કેટ ૧.૩ અબજ ડોલરનું થવાનું છે. માણસના પગ હવે જમીન પર રહેવાના નથી. આકાશની કોઈ સીમા નથી અને માણસની મહત્ત્વાકાંક્ષા પણ અસીમ છે. આવનારા દિવસોમાં બધું અકલ્પનીય અને અજબ-ગજબ, અજબ-અજાયબ જોવા મળવાનું છે. આજની નવી જોક મગન (છગનને): ક્યાં જાય છે? છગનઃ પોલીસ સ્ટેશન. મગનઃ કેમ? છગનઃ મેં તારા ભાભીના માથા પર દંડો મારી દીધો. મગનઃ ભાભી મરી ગયા? છગનઃ ના, જીવે છે અને હવે મને નહીં જીવવા દે એટલે પોલીસ સ્ટેશન જાવ છું. મગનઃ હેં!? જીકે જંકશન - દર વર્ષે ૧૦મી ઓગસ્ટે વિશ્વ જૈવ ઈંધણ દિવસ મનાવવામાં આવે છે. જૈવ ઈંધણ એક કાંકરે અનેક નિશાન વીંધે છે. એક તો કચરાની સમસ્યા દૂર થાય છે અને બીજું પ્રદૂષણ મુક્ત ઊર્જા સ્ત્રોત મળી રહે છે. - દિલ્હી સરકારે પર્યટકો માટે એપ્લિકેશન વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોનાને કારણે પ્રવાસન ક્ષેત્રમાં ૨.૧૫ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. - ટિકટોક દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બની ગઈ છે. તે ફેસબુકને પણ ઓવરટેક કરી ગઈ છે. યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આ એપ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. ભારતમાં પ્રતિબંધિત છે. - રાજસ્થાનના મુખ્યમંત્રીએ ડિજિટલ મોનોગ્રાફનું અનાવરણ કર્યું હતું. મોનોગ્રાફનો અર્થ વિશેષ લેખ એવો થાય છે. ડિજિટલ મોનોગ્રાફમાં આઝાદીનું આંદોલન લડનારા સેનાનીઓના યોગદાન અને સંઘર્ષ પરના વિશેષ લેખો છે. - ઑલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા નીરજ ચોપરાના સન્માનમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ૭મી ઓગસ્ટને ભાલાફેંક દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. - તાજેતરમાં સુધા મૂર્તિનું એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે હાઉ ધ અર્થ ગોટ ઇટ્સ બ્યુટી. દર વર્ષે ૯મી ઓગસ્ટે નાગાસાકી દિવસ મનાવવામાં આવે છે. ૯મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ અમેરિકાએ નાગાસાકી પર એટમબોમ્બ ફેંક્યો હતો. - તાજેતરમાં અભિનેતા અનુપમ શ્યામ તથા કેરળના પ્રસિદ્ધ મૂર્તિકાર પી. એસ. બેનર્જીનું નિધન થયું હતું. ઉત્તરાખંડ રાજ્ય સરકારે વંદના કટારિયાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આઈઆઈટી જોધપુરે સૌથી ઓછા ખર્ચે વોટર પ્યુરોફિકેશન યુનિટનું નિર્માણ કર્યું છે. - જમ્મુ કાશ્મીરમાં સાયક્લોથોન આયોજિત કરવામાં આવી છે જેનું શીર્ષક છે પેડલ ફોર ડલ. આંતરરાષ્ટ્રીય સેના ખેલ ૨૦૨૧ની યજમાની રશિયા દ્વારા કરવામાં આવશે. - મોહમ્મદ મોખબર ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ભારત અને યુ.એ.ઈ. વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો, જેનું શીર્ષક હતું ઝાએદ તલવાર ૨૦૨૧.

ગુજરાત સમાચાર 14 Aug 2021 5:30 am

ઓર્ગન ડોનેશન ડે સ્પેશિયલ:લંગ્સ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 35 લાખ, જાણો કયા અંગનો કેટલો ખર્ચ આવે? હાર્ટ શરીરમાંથી કાઢ્યા બાદ 6 કલાકમાં અને આંખ 3 મહિનામાં ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે છે

એક બ્રેન ડેડ વ્યક્તિ 8 લોકોને નવું જીવન આપી શકે છે,ઓર્ગન મેળવવા માટે SOTTOમાં રજિસ્ટ્રેશન બાદ મેળવી શકાય છે ઓર્ગન,નવા ઓર્ગનથી વ્યક્તિને બે દાયકાનું નવું જીવન મળે છે, અંગદાન કેમ કરવું અને ઓર્ગન કેવી રીતે મળી શકે છે એ વિશે જાણો આ લેખમાં

દિવ્ય ભાસ્કર 13 Aug 2021 12:10 am

કૈસા હૈ એ બંધન અનજાના:ઓર્ગન ડોનેશન પછી થાય છે સંબંધોની આપ-લે, અંગદાન કરનારા પરિવારોની લાગણી સભર વાત

ઓર્ગન ડોનરનાં પરિવારજનો સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત,ડોનર અને અંગ મેળવનાર પરિવાર વચ્ચે બંધાય છે પારિવારિક સંબંધો

દિવ્ય ભાસ્કર 12 Aug 2021 4:15 pm

આઝાદીના ઇતિહાસની એક હિંમતભરી, અનેરી ક્રાંતિકારી પ્રવૃત્તિ

- ફ્રીડમ રેડિયોના કાર્યક્રમનો 'હિંદોસ્તાં હમારા'થી પ્રારંભ થતો અને 'વંદે માતરમ્'થી સમાપ્તિ થતી આઝાદીની ઝંખનાનો આતશ જલતો રાખવા માટે કેટલીય વ્યક્તિઓએ કુરબાની આપી છે. માત્ર પાંચ વર્ષની વયે અમદાવાદના આશ્રમમાં ગાંધીજીને જોતાં જ ઉષાબહેન મહેતા ગાંધી રંગે રંગાઈ ગયા. એ પછી થોડા જ સમય બાદ સૂરત જિલ્લાના એમના ગામ સરસની પાસેના ગામમાં ગાંધીજીએ યોજેલી એક શિબિરમાં એમણે ભાગ લીધો અને થોડો સમય આ નાની બાળાએ રેંટિયો પણ કાંત્યો હતો. ૧૯૨૮માં માત્ર આઠ વર્ષની વયે ભારતના પ્રવાસે આવેલા સાયમન કમિશન સામેના મોરચામાં ભાગ લીધો. 'સાયમન ગો બેક'ના નારા સાથે વહેલી સવારની બાળકોની પ્રભાતફેરીમાં ભાગ લીધો. આવા આંદોલનની એક કૂચમાં પોલીસોએ બાળક-બાલિકાઓ પર લાઠીમાર કર્યો. 'ઝંડા ઊંચા રહે હમારા' એમ કહીને હાથમાં ઝંડા સાથે આગળ વધતાં બાળકો પર લાઠીમાર થતાં એક છોકરી બેહોશ બની ગઈ અને એના હાથમાંથી ઝંડો જમીન પર પડી ગયો. ઝંડાને જમીન પર પડેલો જોઇને ઉષાબહેનનું હૈયું કકળી ઊઠયું. એમને લાગ્યું કે આ તો આઝાદીના ઝંડાનું અપમાન કહેવાય અને એથીયે વધારે આ રીતે બ્રિટિશ તાબેદારી ધરાવતી પોલીસનો વિજય કહેવાય. આથી એમણે હાથમાં ઝંડો રાખવાને બદલે પહેરવાનો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખ્યો. તરત જ ખાદીના તાકા ખરીદવામાં આવ્યા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી એવી રીતે વસ્ત્રો બનાવ્યાં કે એ ઝંડા જેવા જ લાગે. પોલીસ ગમે તેટલો લાઠીમાર કરે, પણ એ ઝંડો કઇ રીતે ઝૂંટવી શકે કે ફેંકી દઈ શકે ? ગાંધીજીની ભાવનાઓને જીવનમાં સાકાર કરનારી વિરલ વ્યક્તિઓમાંથી એક એવા ડો. ઉષાબહેન મહેતા ૮૦ વર્ષની વયે ઇ.સ. ૨૦૦૦ની ૧૧મી ઓગસ્ટે અવસાન પામ્યા, પણ આજે પણ એમની સાદાઈ, લઘુતા અને નિખાલસતાનું સ્મરણ થાય છે. 'પદ્મવિભૂષણ'નો ખિતાબ મળ્યો હોવા છતાં ક્યારેય સભામંચ પર સ્થાન મેળવવા આગળની હરોળમાં બેસવાની વૃત્તિ નહીં, પાછળ બેસવામાં ક્ષોભ નહીં. બધું સરળ અને સહજ. એમાં પણ ઉષાબહેન મહેતાની ફ્રિડમ રેડિયોની પ્રવૃત્તિએ એક કુશળ, સાહસિક નારીરત્નની પ્રતિભાના પ્રકાશનો સૌને અનુભવ કરાવ્યો. ૧૯૪૨ની ૯મી ઓગસ્ટે ભારતના લાડીલા નેતાઓને કારાવાસમાં બંધ કરીને અંગ્રેજ સરકારે આઝાદીનો અવાજ ગૂંગળાવી નાંખવાનો પ્રયત્ન થયો. આ સમયે 'ક્વિટ ઇન્ડિયા' (હિંદ છોડો)નો સંગ્રામ આરંભાયો હતો. ઉષાબહેન અને એમના સાથીઓને દેખાવો કે જાહેર સભામાં ઝાઝી શ્રદ્ધા નહોતી. અગાઉનાં આંદોલનોના ઇતિહાસ પર નજર નાખવાથી એમને એટલી ખાતરી થઇ ગયેલી કે આઝાદીની આ ચળવળમાં જો સફળ થવું હોય તો પોતાનું ટ્રાન્સમીટર હોવું જોઇએ. જુદાં જુદાં પ્રેસને તાળાં લાગી ગયાં. સમાચારો પર પ્રતિબંધ હતો. જેલમાં રહેલાં નેતાઓની કોઇ જાણકારી મળતી નહોતી, ત્યારે ઉષાબહેન અને બાબુુભાઈ ઠક્કરે 'ફ્રીડમ રેડિયો'નું કામ કરવાનો નિર્ણય કર્યો. આઝાદીના આશકોને માટે નેતાઓની ગતિવિધિ જાણવા માટે અને પ્રજાની સ્વાધીનતાની ઝંખના જાગૃત રાખવા માટે આવા ટ્રાન્સમીટરની ઉપયોગીતા હતી. વળી શક્તિશાળી ટ્રાન્સમીટર હોય તો અન્ય દેશો સુધી પણ પોતાની આઝાદીની વાત પહોંચાડી શકાય. શિકાગો રેડિયોનાં નાનક મોટવાણી પણ આની સાથે જોડાયાં, જેને પરિણામે ટ્રાન્સમીટર માટેનાં સાધનો અને ટેકનિશિયનો ઉપલબ્ધ થયાં. એવી જ રીતે ડો. રામમનોહર લોહિયા. અચ્યુતરાવ પટ્ટવર્ધન અને પુરુષોત્તમ ત્રિકમદાસ આ સિક્રેટ કોંગ્રેસ રેડિયોમાં સહયોગ આપવા તૈયાર થયા. આ રેડિયો દ્વારા ગાંધીજી અને બીજા નેતાઓનાં સંદેશાઓ દેશભરમાં ફેલાવવાના હતા, પરંતુ ટ્રાન્સમીટર તૈયાર કરવા માટે ઘણો ખર્ચો થાય. એનું શું કરવું ? આવે સમયે પોતાનં સઘળાં ઘરેણાં એક વ્યક્તિએ આપવાની તૈયારી બતાવી, પરંતુ આવી રીતે રકમ મેળવવી કેટલું યોગ્ય ગણાય ? આથી અંતે બાબુભાઈ ઠક્કરે જરૂરી પૈસા મેળવ્યા અને નિષ્ણાત દ્વારા એક જરૂરી સેટ બનાવડાવ્યો. જો કે, હકીકત એ બની કે આ સેટ બનાવનારે જ અંતે ઉષાબહેન અને એમના સાથીઓને દગો દીધો ! બીજી બાજુ 'મહાત્મા' ફિલ્મ તૈયાર કરનાર વિઠ્ઠલભાઈ ઝવેરીની દોરવણી હેઠળ એક બીજું જૂથ પણ બીજા ટ્રાન્સમીટર ચલાવવાની વિતરણમાં હતું. આ સિવાય પણ બીજા કેટલાંક જૂથો આઝાદી માટે ઝઝૂમતા લોકોનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરતાં હતા. જો કે, બીજા જૂથોએ બહુ ફાળો ન આપ્યો, પરંતુ આ બધાં જૂથો વચ્ચે સુમેળ અને સંગઠન સાધવાનું કામ ડો. રામમનોહર લોહિયા કરતા હતા અને આ બધાં જૂથો અનેક રોમાંચક સાહસો અને રહસ્યો સાથે સંકળાયેલાં 'કોંગ્રેસ રેડિયો'ને નામે એક સાથે કામ કરતાં હતાં. આ કોંગ્રેસ રેડિયો માત્ર નામનો જ રેડિયો નહોતો, પરંતુ એને એનું પોતાનું ટ્રાન્સમીટર, પ્રસારણ મથક અને રેકોર્ડિંગ મથક પણ હતું. પોતાની કોલસાઇન અને આગવી તરંગ લંબાઈ હતા અને ૧૯૪૨ની ૧૪મી ઓગસ્ટથી એનું પ્રસારણ શરૂ થયું. આ કોંગ્રેસ રેડિયો છે. ૪૨.૩૪ મીટર પર ભારતના કોઇ સ્થળેથી બોલે છે અને આમ આ રેડિયો દ્વારા દેશના ખૂણે ખૂણે સમાચારો પહોંચવા લાગ્યા. શહેરની પોલીસ અને ગુપ્તચર પોલીસ એમની ભાળ મેળવવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યાં. એમના વિશાળ પંજામાંથી આ આઝાદીના આશકો આબાદ રીતે હાથતાળી આપતા હતા. ટ્રાન્સમીટર અને પોલીસની ગુપ્તચર વાન વચ્ચે સંતાકૂકડી ચાલતી હતી. ટ્રાન્સમીટર સાવ નજીક હોય, તો પણ પોલીસને થાપ આપવામાં સફળ થતા અને ક્યારેક તો પોલીસને એમ લાગતું કે તે માઇલોના માઇલ દૂર છે. હકીકતમાં સાવ નજીક જ હોય ! આને માટે એક મહિનાના ભાડે જુદી જુદી જગ્યાએ આ આઝાદીના આશકો ફ્લેટ લેતાં. ક્યારેક કહેતા કે 'કાકાને માટે ફ્લેટ જોઇએ છે.' 'કાકા'ની સહુ આતુરતાપૂર્વક રાહ જોતા હોવાનો દેખાવ પણ કરતાં. શરૂઆતમાં દિવસમાં એકવાર પ્રસાર થતું. એમાં સમાચાર, ભાષણ, સૂચના અને એલાન પ્રસારિત થતાં. અમુક વિષયોને સ્પર્શવાનો અખબારો વિચારસુદ્ધાં કરી શકતા નહીં, તેઓ કોંગ્રેસ રેડિયો સરકારી હુકમોનો ભંગ કીરને લોકોને સાચી માહિતીથી વાકેફ કરતો હતો. આમ જનસમૂહમાં એક નવું જોમ જાગી ઊઠયું. ધીરે ધીરે સવારે એક સાંજ એમ બે વખત અંગ્રેજી અને હિન્દીમાં પ્રસારણ શરૂ થયું. શાયર ઇકબાલના 'હિંદોસ્તાં હમારા' એ ગીતથી કાર્યક્રમનો આરંભ કરતા અને કાર્યક્રમને અંતે 'વંદે માતરમ્' પ્રસારિત થયું. ૧૯૪૨ની ૧૨મી નવેમ્બરે કાર્યકરોની બેઠક મળી અને સહુએ નક્કી કર્યુંકે આ આખીયે પ્રવૃત્તિ ગુપ્ત રાખવી. બીજી બાજુ અંગ્રેજ પોલીસે મુંબઈના અગ્રણી રેડિયો વેપારીઓને પકડયા. એ પછી બાબુભાઈ ઝવેરીની કચેરી પર દરોડો પાડયો, ત્યારે સીઆઈડીના બારેક અધિકારીઓની ચાંપતી નજર હોવા છતાં કચેરીની બધી ફાઇલો આબાદ રીતે ખસેડી દીધી. આ સમયે ઉષાબહેને બાબુભાઈને પૂછ્યું, 'તમારી માતાની તબિયત અંગે મારે ડોક્ટરને શું કહેવાનું છે ?' બાબુભાઈએ કહ્યું, 'માતાની સ્થિતિ ગંભીર છે એમ ડોક્ટરને કહેશો.' અહીં ડોક્ટર એટલે ડો. રામમનોહર લોહિયા અને આ ઉત્તર સાંભળીને ઉષાબહેન ડો. રામમનોહર લોહિયા અને અન્ય સહુ કાર્યક્રમ રેકોર્ડ કરવા માટે જ્યાં રોકાયા હતા, ત્યાં ગયા અને પરિસ્થિતિથી વાકેફ કર્યા. એવામાં એક ટેનિશિયનની ધરપકડ થતાં કાર્યક્રમ પ્રસારિત થવાની મુશ્કેલી ઊભી થઇ, પણ સહુએ નક્કી કર્યું હતું કે આ રેડિયો બંધ થવો જોઇએ નહીં. આથી એક જ મથક ચલાવવાનું અને બીજું ટ્રાન્સમીટર રાતોરાત બદલી નાખવાનું નક્કી કર્યું. છેવટે એક સ્થળે ત્રણ ઓરડાઓ બંધ કરીને કાર્યક્રમ શરૂ થયો, પણ એ પૂરો થવાની તૈયારીમાં હતો ત્યાં જ બારણે ટકોરા પડયાં. કાર્યક્રમ તો પૂરો કર્યો, પોલીસે ત્રણ બંધ બારણાં તોડીને સહુને પકડી લીધાં. પોલીસને ત્રણ મહિનાની આકરી મહેનત અંતે સફળ થઇ. ડેપ્યુટી કલેક્ટર, મિલિટરી ટેકનિશિયનો અને પચાસેક પોલીસોનું દળ વિજયના સ્મિત સાથે ધસી આવ્યું. તેમણે રેકોર્ડ ચલાવવાનું બંધ કરવા ફરમાન કર્યું, પરંતુ સહુએ આ હુકમ માનવાનો ઇન્કાર કર્યો અને 'વંદે માતરમ'ની રેકોર્ડ પૂરી થવા દીધી, પણ સાથે એમનો હેતુ શ્રોતાજનોને એ જાણ કરવાનો હતો કે અમારા એક ટેકનિશિયને એમને દગો દીધો છે અને અમારી ધરપકડ થઇ છે. પરંતુ આ ખબર પ્રસારિત કરવા ગયા, ત્યાં તો દગાબાજ ટેકનિશિયને ફ્યૂઝ ઉડાડી દીધો. ઓરડામાં અંધારં થઇ ગયું. પોલીસે એકાદ ફાનસ મંગાવીને મકાનમાંથી મળેલી વસ્તુઓની યાદી તૈયાર કરી અને પંચ બોલાવ્યું. પંચના એક માણસ તરીકે મકાનના ચોકીદારને બોલાવ્યો. તેણે કહ્યું, 'સાહેબ, હમ તો ગરીબ લોગ હૈ, હમ કૈસે સમજે ઇન બાતો મેં ?' પોલીસે તેને ધમકાવવા ને ડરાવવા પ્રયત્ન કર્યો, પણ તેણે તો ટ્રાન્સમીટર હોઈ શકે તે વાત જ માનવાની ના પાડી. એમણે કહ્યું, 'ટ્રાન્સમીટર એટલે શું ? તેની મને શું ખબર ?' એક પોલીસે દમદાટીથી કહ્યું, 'અલ્યા બેવકૂફ, તને એટલી ય ગમ પડતી નથી કે આમાંથી ગીત વાગે ?' ચોકીદારે ખડખડાટ હસતા કહ્યું, 'લાકડાની વસ્તુ તે વળી કઈ રીતે ગાઈ શકે ?' અંતે જ્યારે ઉષાબહેને એને કહ્યું કે એને સહી કરવામાં કંઈ વાંધો નહિ આવે, ત્યારે જ છેવટે એણે કમને સહી કરી. લગભગ સાડા ત્રણ કલાક સુધી કાર્યવાહી ચાલી. ઓરડાની બહાર બધાએ પગ મૂક્યો, ત્યારે પ્રત્યેક પગથિયે એકેક તેમજ નીચે કેટલાયે પોલીસોની ટુકડી ઊભી હતી. આઝાદીના આશકોને તો આ 'ગાર્ડ ઓફ ઓનર' જેવું લાગ્યું! પોલીસે ઘણી ખૂટતી વિગતોની કડીઓ મેળવી લીધી અને બીજે દિવસે વિઠ્ઠલભાઈ ઝવેરીની ધરપકડ કરી, પછી વારો આવ્યો ચિકાગો રેડિયો કંપનીના નાનિક મોટવાણીનો. આ કેસની મહિનાઓ સુધી તપાસ ચાલી. પોલીસે આરોપોની ઝડી વરસાવી. કાયદાની કલમો લગાડવામાં કશું બાકી નહીં. સહુની અનિચ્છા છતાં કોંગ્રેસની આબરૂ જાળવા દેશના મોખરાના ધારાશાસ્ત્રીઓ શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી મોતીલાલ સેતલવાડ, શ્રી એસ.આર. તેંડુલકર અને શ્રી ઠક્કરને બચાવ માટે રોકવામાં આવ્યા. જ્યારે શ્રી વિમા દલાલે સરકારી વકીલ તરીકે કામ કર્યું. એંશી જેટલાં સાક્ષીઓની જુબાની બાદ નાનિક મોટવાણી અને વિઠ્ઠલ ભાઈ ઝવેરી નિર્દોષ ઠર્યા. ચંદ્રકાન્તભાઈ અને ઉષાબહેન ગુનો કરતાં પકડાયા હતા. અંતે ચંદ્રકાન્તભાઈને એક વર્ષની, ઉષાબહેનને ચાર વર્ષની અને બાબુભાઈને પાંચ વર્ષની કેદ મળી, પણ આ સજાથી કોઇને સહેજે ક્ષોભ નહોતો, બલ્કે આનંદ અને ગૌરવ હતાં અને એ સઘળા ગાંધીજીની એ હાકલના શબ્દો એમના કંઠમાંથી ગૂંજતા હતા : 'કરેંગે યા મરેંગે.' આજની વાત બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ? બીરબલ : જહાંપનાહ, કોઇપણ દેશનો વિનાશ બોંબમારાથી શક્ય નથી. જાપાન એનું ઉદાહરણ છે. કોઇ દેશનો વિનાશ આક્રમણો કે અત્યાચારોથી થતો નથી, જેમ કે ઇઝરાયેલ બાદશાહ : ક્યા ખૂબ ? પણ કઈ રીતે દેશનો વિનાશ થાય છે ? બીરબલ : પક્ષોની યાદવાસ્થળી, ભ્રષ્ટ રાજકારણીઓ અને ધર્મ-જાતિ કે કોમના ભેદભાવથી ! પ્રસંગકથા શરીફ ચાંચિયાઓની નાગચૂડ પોતાના અંતિમ સમયે સુલેમાને ત્રણેય પુત્રોને બોલાવ્યા. આખરી સંદેશ આપતા હોય એમ એમણે કહ્યું, 'જુઓ, તમને દરેકને પચીસ હજાર રૂપિયા આપું છું, પણ સાથે મારી એક શરત છે.' કંજૂસ પિતા પાસેથી આટલા પૈસા મળે છે તેય ઘણું છે, એમ માનીને ત્રણે પુત્રોએ નમ્રતાથી કહ્યું, 'પિતાજી, આપ બેફિકર રહેજો. અમે જરૂર વચનપાલન કરીશું.' સુલેમાને કહ્યું, 'તો સાંભળો, તમને દરેકને આ રકમ આપું છું, પરંતુ મારી દફનવિધિ વખતે તમારે એક કામ કરવાનું. તમારે મારી કબરમાં અગિયાર હજાર એકસોને એક રૂપિયા મુકવાના. બોલો, તમે આ મંજુર છે ?' ત્રણેય દીકરાઓએ વિચાર્યું કે પિતાજી પાસેથી જે કંઇ મળે તે લઇ લેવું. આથી ત્રણેયે વાત મંજૂર રાખી. પહેલા દીકરાએ પિતાનું અવસાન થતાં એમની કબરમાં ૧૧ હજાર એકસોને એક રૂપિયા મૂક્યા, બીજાએ પણ એ જ રીતે એટલી રકમ મૂકી. પણ ત્રીજા દીકરાએ છટાથી પોતાના ખીસ્સામાંથી ચેકબૂક કાઢી. તેત્રીસ હજાર ત્રણસોને ત્રણ રૂપિયાનો ચેક લખ્યો. બંને ભાઈઓએ મૂકેલા બાવીસ હજાર બસો ને બે રૂપિયા પોતાના પાકિટના હવાલે કરીને એ ચેક કબરમાં મૂક્યો. આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે દેશમાં પેલા ત્રીજા દીકરાની માફક ષડયંત્રો, ગેરરીતિ કે ગોટાળા કરીને બીજાની સંપત્તિ આંચકી લેનારાઓની હોડ જામી છે. સરકારી કારકૂન હોય, બાંધકામનો કોન્ટ્રાક્ટર હોય, સાયબર ફ્રોડ કરનાર હોય, કોલેજમાં પ્રવેશ હોય કે પછી બેંક હોય - બધેજ આવા લોકોનો પંજો એટલો બધો ફેલાઈ ગયો છે કે આ દેશમાંથી સીધી લીટીએ કામ કરવાનું કે સચ્ચાઈથી જીવવાનું મુશ્કેલ બનવા લાગ્યું છે. પ્રમાણિકતા કાજે સુખ કે સંપત્તિ ગુમાવનાર માનવી આજે બેવકૂફ ગણાય છેઅથવા તો એને બીજી દુનિયામાં વસતો હોય એમ કહીને લોકો એની હાંસી ઉડાવે છે. ક્યારે આ દેશમાં સાચા રાહે ચાલનારા માનવીનો આ ત્રીજા દિકરા જેવા ચાંચિયાઓથી ઉગારો થશે !

ગુજરાત સમાચાર 12 Aug 2021 5:40 am

ઑલિમ્પિક્સમાં ભારતની મેડલ જર્ની .

- ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ જીતનારા ટોપ 15 દેશોના નામ વાંચતા જ અંદાજ આવે છે કે સ્પોર્ટ્સ અને આર્થિક વિકાસ વચ્ચે સીધો સંબંધ છે - કડવું સત્યઃ આપણને અત્યાર સુધીમાં જેટલા ગોલ્ડ મળ્યા છે તેના કરતા ત્રણ ગણા યુએસ દરેક ઑલિમ્પિકમાં જીતે છે - 1948માં ભારતની હોકી ટીમે બ્રિટનને ફાઇનલમાં પરાજિત કરીને સદીઓની ગુલામીનું વેર વાળેલું ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય ખેલવીર નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડમેડલ અપાવતાં સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ છે. આ પહેલાં ૨૦૦૮માં અભિનવ બિન્દ્રાએ ભારતને શૂટિંગમાં ગોલ્ડમેડલ અપાવ્યો હતો. રમત-ગમત એ ઊર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. આ ઊર્જા અને ઉત્સાહ વિકાસમાં પરિવર્તિત થતાં હોય છે. ટોક્યો ઑલિમ્પિકમાં અમેરિકાના ખેલવીરોએ ૩૯ ગોલ્ડ સહિત ૧૧૨ મેડલ જીત્યા છે. ૩૮ ગોલ્ડ સહિત ૮૮ મેડલ સાથે ચીન બીજા ક્રમ પર છે. ૨૭ ગોલ્ડ સહિત ૫૮ મેડલ સાથે જાપાન ત્રીજું અને ૨૨ સુવર્ણ સહિત ૬૫ ચંદ્રક સાથે બ્રિટન ચોથા ક્રમ પર છે. ભારતને ૧૯૨૮થી આજ સુધીમાં કુલ ૧૦ ગોલ્ડમેડલ મળ્યા છે. પહેલાં ચારમાં અમેરિકા, ચીન, જાપાન અને બ્રિટન આવે છે તેના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે સ્પોર્ટસ પર્ફોમન્સ અને વિકાસ વચ્ચે શું સંબંધ છે. રમત ક્ષેત્રે તમારે સર્વોચ્ચ શિખર પર પહોંચવું હોય તો અતિમહત્ત્વાકાંક્ષી અને અતિપરિશ્રમી હોવું આવશ્યક બની જાય છે. એ જ પરિશ્રમ અને મહત્ત્વાકાંક્ષા દેશને વિકસિત બનાવવા જરૂરી હોય છે. દેશવાસીઓની મહત્ત્વાકાંક્ષા અને પરિશ્રમ જ્યારે વધતા જાય ત્યારે અભિનવ બિન્દ્રા અને નીરજ ચોપરા જેવા સર્વોત્કૃષ્ટ ખેલાડીઓની સંખ્યા પણ વધતી જાય છે અને દેશની ગ્રોથસ્ટોરી પણ લખાતી જાય છે. ૨૦૨૧ના મેડલ ટેલીમાં ટોપ-૧૫ દેશોના નામ વાંચીએ તો તરત જ ખ્યાલ આવે છે કે દેશના આર્થિક વિકાસ અને સ્પોર્ટ્સના વિકાસ વચ્ચે સીધો સંબંધ છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારા ટોપ-૧૫ દેશોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. ૧. યુ.એસ., ૨. ચીન, ૩. જાપાન, ૪. બ્રિટન, ૫. આર.ઓ.સી. (રશિયા), ૬. ઓસ્ટ્રેલિયા, ૭. નેધરલેન્ડ, ૮. જર્મની, ૯. ઇટલી, ૧૦. ફ્રાન્સ, ૧૧. કેનેડા, ૧૨. બ્રાઝિલ, ૧૩. ન્યુઝીલેન્ડ, ૧૪. ક્યુબા, ૧૫. હંગેરી. ભારત આ યાદીમાં બહુ પાછળ છે. જે આપણને કહી જાય છે કે હજી બીજી રમતોમાં પણ આપણને નીરજ ચોપરા જેવા પ્રતિભાવંતોની જરૂર છે. નીરજની સોનેરી જીતની ઉજવણીના અવસર પર ભારતની અત્યાર સુધીની ઓલિમ્પિક જર્ની પર નજર કરવાનું મન થઈ જાય છે. સાલ ૧૯૦૦માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં નોર્મન પ્રીચાર્ડને દોડમાં બે સિલ્વર મેડલ મળ્યા હતા. નોર્મનને એકઝેટલી ઇંડિયન કહી શકાય નહીં. તેનો જન્મ ભારતના બ્રિટિશ ફેમિલીમાં થયો હતો ત્યારે ભારત અંગ્રેજોના તાબા હેઠળ હોવાથી ઓલિમ્પિકમાં ભારતનો સ્વતંત્ર ધ્વજ પણ ન હોય. ભારત ૧૯૨૮માં ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે જોડાયું. પ્રીચાર્ડ સ્વતંત્ર ખેલાડી તરીકે ઓલિમ્પિકમાં જોડાયેલા. રશિયાના ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં હાલ જે રીતે ભાગ લઈ રહ્યા છે એ રીતે. નોર્મનનો જન્મ ભારતમાં થયો, અહીં જ શિક્ષણ મેળવ્યું અને કારકિર્દીના પ્રારંભિક વર્ષોમાં શણનો વેપાર પણ કર્યો. અહીં તે સમયે યોજાતી રમતોમાં તેમણે અનેક વિક્રમ સર્જેલા. તેનું જન્મ પ્રમાણપત્ર અહીંનું, પેરિસની યાત્રા ભારતના ડોક્યુમેન્ટ પર કરેલી, એ રીતે તે ચોક્કસ ભારતીય કહી શકાય. પ્રીચાર્ડ બાદની વાત કરીએ તો ૧૯૨૮માં એર્મ્સ્ટડમ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં પ્રથમ ગોલ્ડ મેળવ્યો. ૧૯૨૮થી ૧૯૫૬ દરિમયાન ભારતની પુરુષ હોકી ટીમે બેકટુ બેક છ ગોલ્ડમેડલ મેળવેલા. ૧૯૨૦થી ૧૯૮૦ સુધીમાં ૧૨ ઓલિમ્પિક રમાઈ, તેમાં ભારતના નામે ૧૧ મેડલ બોલતા હતા. ૧૯૪૮માં ભારતના ખેલાડીઓએ પ્રથમ વખત ત્રિરંગાના નેજા હેઠળ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો. ભારતની હોકી ટીમે ફાઈનલ મેચમાં હરીફ ટીમને ૪-૦થી પરાજિત કરી ગોલ્ડમેડલ જીતેલો. આ જીત ત્રણ કારણથી સ્પેશ્યલ હતી. એક તો ભારતે સ્વતંત્ર દેશ તરીકે ભાગ લીધેલો. બીજું અત્યાર સુધી જેની ગુલામી કરી હતી એ બ્રિટનની ટીમને જ હોકીની ફાઈનલમાં પરાજિત કરેલી અને ત્રીજું તેની જ જમીન પર લંડન ખાતે હરાવી. સ્વતંત્ર ભારતને પહેલો વ્યક્તિગત ગોલ્ડમેડલ ખાસાબા જાદવે અપાવેલો. ૧૯૫૨માં હેલસિંકી ખાતે ઓલિમ્પિક યોજાયેલી. તેમાં કુસ્તીબાજ ખાસાબા જાદવ બ્રોન્ઝ વિજેતા બનેલા. ઓલિમ્પિકમાં જવા માટે તેમને અને તેમના પરિવારે લોકફાળો કરવો પડયો હતો. ખાસાબા જાદવે વ્યક્તિગત મેડલ મેળવ્યા પછી ભારતને ઓલિમ્પિકમાં બીજો વ્યક્તિગત મેડલ મેળવવા માટે ૪૪ વર્ષની રાહ જોવી પડી. ૧૯૯૬માં એટલાંટા ખાતે આયોજિત ઓલિમ્પિક રમતોમાં લિયેન્ડર પેસે ટેનિસમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. ત્યારપછી આપણું પર્ફોમન્સ ક્રમશઃ સુધરવા લાગ્યું. દરેક ઓલિમ્પિકમાં કમસેકમ એક મેડલ મળતો થયો. ૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સમાં ભારતને પહેલી વખત ૬ મેડલ મળ્યા. સાલ ૨૦૦૦માં વેઈટલિફટર કરન્મ મલ્લેશ્વરી ઑલિમ્પિક મેડલ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની. સિડની ઑલિમ્પિકમાં તેઓ બ્રોન્ઝમેડલ વિજેતા બન્યા. મલ્લેશ્વરીએ ચંદ્રક જીત્યા પછી બીજી ભારતીય ખેલવિરાંગનાને ચંદ્રક જીતવામાં ૧૨ વર્ષ લાગ્યા, અલબત્ત એ પછી બોક્સિંગમાં મેરી કોમ, બેડમિન્ટનમાં સાયના નેહવાલ અને પી.વી. સિંધુ તથા કુસ્તીમાં સાક્ષી મલિકે મેડલનું ગૌરવ અપાવ્યું. આજે એ સ્થિતિ છે કે ઑલિમ્પિકમાં ભારતના પુરુષ ખેલાડીઓ કરતાં વધારે મેડલ મહિલા ખેલાડીઓ જીતી રહી છે. ભારતને સૌ પ્રથમ વ્યકિતગત સિલ્વર મેડલ ૨૦૦૪માં મળ્યો. જે એથેન્સ ખાતે શૂટિંગમાં રાજ્યવર્ધનસિંહ રાઠોરે પ્રાપ્ત કરેલો. ભારતને અત્યાર સુધીમાં હોકીમાં આઠ ગોલ્ડમેડલ મળ્યા છે, તેમાંથી છેલ્લો ગોલ્ડ ૧૯૮૦માં મોસ્કો ઑલિમ્પિકમાં મળ્યો હતો. આ વખતે ઇંડિયન હોકી ટીમ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બની. આ સાથે અત્યાર સુધીમાં હોકીમાં ભારતના ૧૨ મેડલ થયા છે. હોકી પછી ભારતીય રમતવીરોને સૌથી વધુ સફળતા શૂટિંગ અને રેસલીંગમાં મળી છે. ૨૦૦૮માં અભિનવ બ્રિન્દાને ૧૦ મીટર એર રાયફલ શૂટિંગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત થયો હતો. આ સાથે ૧૯૮૦ પછી સુવર્ણચંદ્રકનો ૩૮ વર્ષનો ખાલીપો સમાપ્ત થયો. ૨૦૧૨માં લંડન ઑલિમ્પિક્સમાં શૂટિંગની હરિફાઈમાં વધુ બે પ્રતિભા ઝળકી. વિજય કુમારને સિલ્વર અને ગગન નારંગને બ્રોન્ઝ મેડલ મળ્યો. ટોક્યો ઑલિમ્પિકમાં રવિ દહીયા કુસ્તીમાં સિલ્વર મેડલ વિજેતા બન્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કેવળ એક જ પુરુષ કુસ્તીબાજને બે ઑલિમ્પિક મેડલ મળ્યા છે. ૨૦૦૮માં સુશીલકુમારને બ્રોન્ઝ મેડલ અને ૨૦૧૨માં સિલ્વર મેડલ વિજેતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. યોગેશ્વર દત્તને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે અને સાક્ષી મલિક કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ મેળવનારી પહેલી ભારતીય મહિલા છે. ૨૦૧૬માં તેને પ્રથમ ગોલ્ડમેડલ મળ્યો હતો. બેડમિંટન અને બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં પ્રતિભા બતાવી છે. બોક્સિંગમાં ૨૦૦૮માં વિજેન્દ્રસિંઘ અને ૨૦૧૨માં મેરી કોમ બ્રોન્ઝ વિજેતા બન્યા હતા. બેડમિંટનમાં ૨૦૧૨માં સાયના નેહવાલ બ્રોન્ઝ અને ૨૦૧૬માં પી.વી. સિંધુ રજત ચંદ્રક વિજેતા બન્યા હતા. આ વખતે ૪૯ કિલો વેઈટ લિફટિંગમાં મીરાબાઈ ચાનુ સિલ્વર મેડલ, બેડમિંટનમાં પી.વી. સિંધુ બ્રોન્ઝ મેડલ, વેઈટ લિફટિંગમાં લવલીના બોર્ગોહાઈન બ્રોન્ઝ મેડલ, કુસ્તીમાં રવિ દહીંયા સિલ્વર મેડલ, બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ અને ભાલા ફેંકમાં નીરજ ચોપરા ગોલ્ડમેડલ વિજેતા બન્યા છે. મેડલની વધતી જતી સંખ્યા એક દિવસ આપણને ઑલિમ્પિકના ટોચના પાંચ વિજેતાઓમાં પહોંચાડશે એવી આશા બૂલંદ છે. આજની નવી જોક લલ્લુ (છગનને): પપ્પા, તમને અંધારાથી ડર લાગે છે? છગનઃ ના. લલ્લુઃ તમને ગાજવીજથી ડર લાગે છે? છગનઃ ના. લલ્લુઃ એનો મતલબ એમ કે તમને મમ્મી સિવાય કોઈથી ડર લાગતો નથી. છગનઃ હેં!? બહુ કેવાય ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ કે. ડી. જાદવે ઑલિમ્પિકમાં જવા માટે ઘર ગીરવે મૂકવું પડેલું કુસ્તીબાજ કે. ડી. જાદવે ઑલિમ્પિકમાં ભાગ લેવા પોતાનું ઘર ૭ હજાર રૂપિયામાં ગીરવે મૂકેલું. ભારતમાં પ્રતિભાઓ તો અનેક પાકે છે પરંતુ- તેનું સંવર્ધન કરનારા અને તેને પારખનારા કદરદાનોનો અભાવ હોવાથી એ પ્રતિભાઓ વિશ્વપ્રસિદ્ધ થયા પહેલાં જ કરમાઈ જાય છે. કુસ્તીબાજ ખાસાબા જાદવ આવા વિસમ સંજોગોમાંથી પણ પાર ઊતર્યા હતા. ૧૯૫૨માં તેમણે હેલસિંકી ઓલિમ્પિકમાં ભારતને પહેલો સ્વતંત્ર ગોલ્ડ મેડલ અપાવેલો. વિજય પછી દેશમાં તેમનું જબરદસ્ત સન્માન થયું. રેલ્વે સ્ટેશન પર તેમને આવકારવા હજારોની ભીડ એકઠી થઈ. ૧૫૧ બળદ ગાડાનું વિશાળ સરઘસ નીકળ્યું, પરંતુ જ્યારે તેમને ઓલિમ્પિકમાં જવાનું હતું ત્યારે સ્થિતિ બિલકુલ ઉલટી હતી. એ સમયમાં ભારતમાં રમતગમત ક્ષેત્રે અણઘડ વહીવટ ચાલતો હતો. ૧૯૫૨માં મદ્રાસ ખાતે આયોજિત નેશનલ ગેમ્સમાં તેઓ વિજેતા બન્યા હોવા છતાં તેમને ગોલ્ડમેડલ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો. આવા ભેદભાવ બદલ તેમણે પતિયાલાના મહારાજા યાદવીન્દ્રસિંહને ફરિયાદ કરી. તેઓ ત્યારે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશનના અધ્યક્ષ હતા. તેમણે કોલકત્તામાં જાદવની ફરીથી પરીક્ષા લીધી અને તેમાં તેઓ હેલસિંકી ઑલિમ્પિક માટે ક્વોલિફાય થયા. ક્વોલિફાય તો થઈ ગયા પરંતુ તેમની પાસે હેલસિંકી જવાના પૈસા નહોતા. તેમણે રૂપિયા ૭,૦૦૦માં એક કોલેજ પ્રિન્સિપાલ પાસે પોતાનું ઘર ગીરવે મૂક્યું. હજી રૂપિયા ૧૨૦૦૦ ખૂટતા હતા. તેમણે બોમ્બે પ્રાંતના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈને વાત કરી. મોરારજીભાઈનો જવાબ હતો, ગેમ્સ પછી મળીએ. અંતે તેઓ લોકફાળો ઊઘરાવીને ઑલિમ્પિકમાં પહોંચ્યા અને તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ દેશને ગૌરવ અપાવ્યું. જીકે જંકશન - દર વર્ષે ૭મી ઓગસ્ટે વિશ્વ હાથશાળ દિવસ મનાવવામાં આવે છે. હાથશાળના ઉત્પાદનો વધારે સારી ગુણવત્તાના હોય છે પરંતુ બજારવાદને લીધે તેમનું સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ વિશે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. - તાજેતરમાં અમેરિકાના કુસ્તીબાજ બોબી ઇટનનું અવસાન થયું હતું. રાજસ્થાન સરકાર દ્વારા ૬૦ ભિક્ષુકોને નોકરી આપવામાં આવી છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે પાકિસ્તાનને કોરોનાની રસી ખરીદવા માટે ૫૦ કરોડ ડોલરની લોન આપી છે. - ઉત્તરાખંડના લાભાંશુ શર્મા કેસરી કુસ્તીદંગલમાં વિજેતા બન્યા હતા. એ.ડી.બી. મહારાષ્ટ્રને ગ્રામીણ કનેક્ટિવટી સુધારવા માટે ૩૦ લાખ ડોલરની લોન આપશે. - જોન્સન એન્ડ જોન્સનની સીંગલ ડોઝ રસીને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે તેનો ઉપયોગ ઈમરજન્સીમાં જ કરી શકાશે.

ગુજરાત સમાચાર 12 Aug 2021 5:30 am

ઉ.પ્રદેશમાં બ્રાહ્મણોને ખેંચવા વિપક્ષો સક્રિય..

- વિપક્ષી એકતા નહીં, તો યોગી રોકાશે નહીં - ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર - સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી બંને જાતિવાદ આધારિત પક્ષ ચલાવે છે સંસદમાં વિરોધ પક્ષોએ સ્પાયગેટ-ટુના મુદ્દે સરકારને ભીંસમાં લેવા એકતા બતાવી છે પરંતુ હવે એ જોવાનું એ છે કે આગામી છ મહિનામાં ભાજપ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશનો જંગ લડશે ત્યારે વિપક્ષો કેવા પ્રકારની એકતા બતાવશે તે પર સૌની નજર છે. ઉત્તર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષો તેમના અભિમાન છોડીને એક થાય તો પણ ઘણુંં એમ કહી શકાય. આ બંને મુખ્ય પ્રાદેશિક પક્ષોજ યોગી આદિત્યનાથનો વિજય રથ અટકાવી શકે એમ છે. પરંતુ તે બંને વચ્ચે અનેક મતભેદો છે. બંને પક્ષ ભૂતકાળમાં એક થયેલા છે પરંતુ તેનું પરિણામ બહુ પ્રોત્સાહજનક નથી. અખિલેશ યાદવ અને માયાવતી એમ બંનેના પાયાના કાર્યકરો એક થવા રાજી નથી તે પણ હકીકત છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજદવાદી પાર્ટી બંને જાતિવાદ આધારિત પક્ષ ચલાવે છે. બંને ચોક્ક્સ જ્ઞાાતિઓને સાથે રાખતી આવી છે. આ જ્ઞાાતિઓની પેટા જ્ઞાાતિને પણ આ લોકો પોતાના પક્ષમાં ખેંચી લાવે છે. બીજી તરફ ભાજપે જાતિવાદને સાઇડમાં રાખીને જંગ લડવાનો સંકેત આપ્યો છે. ભાજપે દરેક જ્ઞાાતિને પોતાની સાથે સમાવી છે. ભાજપે વિવિધ જ્ઞાાતિના નેતાઓને પણ પોતાની સાથે રાખ્યા છે. એ પણ બહુ જાણીતી વાત છે કે મોદી સરકારે તાજેતરમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે તેમાં સૌથી વધુ પ્રાધાન્ય ઓબીસી અને પછાત વર્ગને આપ્યું છે. તેમાં ચૂંટણી જંગમાં જઇ રહેલા ઉત્તર પ્રદેશના ચહેરાઓનો સમાવેશ પણ થાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાન સભા અને અન્ય રાજ્યોની ચૂંટણીઓના પરિણામોની અસરમાં ફર્ક છે. કેમકે ઉત્તર પ્રદેશને આગામી લોકસભાની હાર જીત પર અસર સાથે જોડવામાં આવે છે. જો વિપક્ષ ઉત્તર પ્રદેશમાં જીતશે તો તે લોકસભામાં ચૂંટણી વખતે અનેક વાંધા ઉભા કરી શકે છે. જો વિપક્ષ જીતશે તો વડાપ્રધાન પદનો ઉમેદવાર માટે પણ વિપક્ષમાં જંગ શરૂ થઇ જશે. જો ભાજપ જીતશે તો ૨૦૨૪ના લોકસભાના જંગમાં તે ઉત્સાહ સાથે ઉતરશે. હાલની સ્થિતિ એ છે કે બ્રાહ્મણોને મનાવવા દરેક પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની સંખ્યા ૧૨ ટકા જેટલી છે. તેમને પોતાની તરફ ખેંચવા દરેક રાજકીય પક્ષ પ્રયાસ કરી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના ૫૭ જેટલા રેકોર્ડ બ્રાહ્મણ વિધાનસભ્યો ચૂંટાયા છે. આ ઉપલા વર્ગે ૨૦૧૭ના જંગમાં ભાજપને એક તરફું મતદાન કર્યું હતું. યાદવ અને રાજપુત વચ્ચેની ચાલી આવતી મડાગાંઠમાં બ્રાહ્મણો હંમેશા રાજપૂત તરફ રહ્યા છે. કેમકે જ્યારે બ્રાહ્મણોને જરૂર પડી છે ત્યારે રાજપુતો તેમની સાથે રહેતા આવ્યા છે. હવે વિપક્ષો એવો આક્ષેપ કરે છે કે યોગી આદિત્યનાથના શાસનમાં બ્રાહ્મણો નારાજ છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે પરશુરામ જ્યંતિની રજા યોગી સરકારે કાપી માટે બ્રાહ્મણો નારાજ છે. જોકે એ વાતમાં બહુ દમ નથી. જ્યારે સમાજવાદી પક્ષના લોકોની ગુંડાગીરી હતી ત્યારે અને બહુજન સમાજવાદી પક્ષની જાટવ કોમના પ્રભુત્વ વાળી સરકાર હતી ત્યારે બા્રહ્મણો નારાજ હતા. યાદવ-મુસ્લિમના પ્રભુત્વ વાળા સમાજવાદી પક્ષ હોય કે દલીત-મુસ્લિમના પ્રભુત્વ વાળી બહુજન સમાજવાદી પાર્ટી હોય તે બંને સાથે બ્રાહ્મણોને બહુ ગોઠતું નહોતું. જ્ઞાાતિવાદને બાજુ પર રાખીને વાત કરીયે તો યોગી આદિત્યનાથે છેેલ્લા છ મહિનાથી પછાત વર્ગને વિવિધ સવલતો આપવી શરૂ કરી દીધી છે. જેમકે વધુ ગેસ સિલિન્ડર્સ અને નાના ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો રાહતનો હપ્તો પહોંચાડવો વગેરે શરૂ કરી દીધા છે. વડાપ્રધાન ગ્રામીણ યોજના હેઠળ મળતા લાભો લોકો સુધી પહોંચાડવા માટે યોગી સરકારે ખાસ વ્યવસ્થા તંત્ર ઉભું કર્યું છે. જેના કારણે યોગી સરકાર સામે ઉભો થયેલોએન્ટી ઇન્કમબન્સી વેવ ખતમ થઇ જાય. ટૂંકમાં ભાજપે સત્તા ટકાવી રાખવા માટેના પ્રયાસો છ મહિનાથી શરૂ કરી દીધા છે. કેટલાક લોકો યોગી સરકાર માટે વિવાદ ઉભો કરી રહ્યા છે. પરંતુ આજની તારીખમાં યોગીનો હાથ ઉપર છે.

ગુજરાત સમાચાર 11 Aug 2021 5:40 am

લુઈ ઝમ્પેરિનિના ઘરમાં ટ્રોફિઓનો ઢગલો થઈ ગયો..

- ઝડપી રનર તરીકે લુઈનું નામ આખા અમેરિકામાં જાણીતું થઈ ગયું - લુઈની રોમાંચક જીવનકથા-ભાગ-5 - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - 1 માઈલ દોડનો 4:21.3 મિનિટનો લુઈનો રેકોર્ડ 19 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહોતું - એક અખબારે લુઈના બન્ને પગનો 50,000 ડોલરનો વીમો ઉતરાવ્યો હતો..! પછી લુઇએ યુનિવર્સિટી ઓફ કેલિફોનિંયા, લોસ એન્જેલસ (UCLA) ની સધર્ન કેલિફોનિંયા ક્રોસ કન્ટ્રીની બે માઇલની દોડ કોમ્પિટિશનમાં ભાગ લીધો. તે સાવ સહજતાથી એટલી તેજ ગતિએ દોડતો 'તો કે જાણે તેના પગ જમીનને અડતા જ ન હોય એવું ખુદ તેને મહેસૂસ થતું હતું. બીજા તમામ પ્રતિસ્પર્ધીઓ કરતાં લુઇ ઘણો આગળ હતો. તેની દોડનો વેગ એટલો તો જલદ હતો કે એકેય હરીફ તેની નજીક રહી શકતો નહોતો. લુઇની દોડવાની ઝડપ જોઇ ઘણાં દર્શકોના હૃદયના ધબકારા વધી ગયા. તેમને લાગ્યું કે આ છોકરો દોડતો દોડતો ગમે તે ઘડીએ ઢળી પડવાનો છે. પણ આવું વિચારનારા દર્શકો ખોટા પડયા. લુઇ દોડતો દોડતો ના ઢળી પડયો. ફિનિશ લાઇન ક્રોસ કર્યા પછી લુઇએ પાછળ નજર કરી તો તેને એક પણ હરીફ નજરે ના ચઢ્યો. પ્રતિસ્પર્ધીઓ તેનાથી લગભગ પા માઇલ જેટલા પાછળ હતા. ટ્રેક રનની સંજ્ઞાામાં જોઇએ તો બે માઇલ એટલે ૮ લેપ્સ ગણાય. એક લેપના ૪૦૦ મિટર લેખે ૮ લેપના ૩૨૦૦ મિટર થાય. લુઇ એટલી તેજ ગતિએ દોડયો કે તેનો નજીકનો પ્રતિસ્પર્ધી તેનાથી પા માઇલ એટલે કે લગભગ ૪૦૦ મીટર અથવા એક લેપ પાછળ હતો. લુઇને લાગ્યું કે તે મુર્ચ્છિત થઇ જશે; તેજીલા તોખાર જેવી અતિ ઝડપી દોડના લીધે નહીં, પણ પોતે કેટલી મોટી સિધ્ધિ હાંસલ કરી નાંખી તેના વિચાર માત્રથી તેને લાગ્યું કે તે હોશ ગુમાવી બેસશે.. પાછળ દોડતા આવી પહોંચેલા તેના મોટાભાઇ પીટેએ લુઇની પીઠ થાબડી તેને અભિનંદન આપતા બન્ને ભાઇઓ ભાવવિભોર બની ગયા... ઝડપી રનર તરીકે લુઇનું નામ એ હદે પ્રખ્યાત થઇ ગયું કે ટ્રેક પર લુઇને દોડવા માટે ઊભેલો જોઇ ભલાભલા હરિફોને દોડતા પહેલા જ પરસેવો વળી જતો હતો. લુઇનો ઓટોગ્રાફ લેવા માટે છોકરીઓ પડાપડી કરતી, અખબારના ફોટોગ્રાફરો તેને ઘેરી વળતા અને લુઇના ઘરમાં જીતની ટ્રોફીઓનો ખડકલો થઇ ગયો'તો. લુઇને અત્યાર સુધીમાં એટલી બધી કાંડા ઘઢિયાળો ભેટમાં મળી ચૂકી હતી કે હવે તેણે પોતે ફ્રેન્ડસ, સગા-સંબંધી અને પડોશીઓને આ રિસ્ટવોચ ભેટમાં આપવાનું શરૂ કર્યૂં હતું. વર્ષ ૧૯૩૪ માં સધર્ન કેલિફોર્નિયા ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપની સ્પર્ધા લુઇ માટે જીવનની સૌથી સોનેરી ક્ષણ બની રહી. હાઇસ્કૂલ કક્ષાની એક માઇલની આ દોડ સ્પર્ધા વીજળી વેગે ૪ઃ૨૧.૩ મિનિટમાં ખતમ કરીને લુઇએ એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. લુઇએ નેશનલ હાઇસ્કૂલ કક્ષાએ જે નવો રેકોર્ડ નોંધાવ્યો એ દોડ સ્પર્ધા વખતે લુઇનો મુખ્ય હરિફ ટ્રેક પર દોડતા દોડતા એટલો બધો હાંફી ગયો કે ટ્રેક પરથી તેને ઊંચકીને દવાખાને લઇ જવો પડયો હતો, જ્યારે ભયંકર ઝડપી દોડ પછી પણ લુઇ તો એકદમ પ્રફુલ્લિત અને તરોતાજા લાગતો હતો. દોડ બાદ તેણે મિત્રો સાથેની વાતચીતમાં કહ્યું, બીજી 'લેપ'માં હુ જો થોડોક જ વધારે તેજ ગતિએ દોડયો હોત તો એક માઇલની દોડ મેં ૪ઃ૧૮ મિનિટમાં પુરી કરી હોત, અર્થાત ૩ મિનિટ ઓછા સમયમાં એક માઈલની દોડ હું પુરી શક્યો હોત. તે વખતે એક રિપોર્ટરે અખબારમાં આ દોડ સ્પર્ધાના ન્યૂઝમાં લુઇની દોડના ભરપેટ વખાણ કરતા ભવિષ્યવાણી ભાખી હતી કે લુઇએ નેશનલ હાઇસ્કૂલનો ૪ઃ૨૧.૩ નો જે વિક્રમ સર્જ્યો છે, તે આવતા ૨૦ વર્ષમાં કોઇ નહીં તોડી શકે. રિપોર્ટરની એ આગાહી લગભગ સાચી પડી. એક માઇલની દોડ સ્પર્ધાનો ૪ઃ૨૧.૩ નો રેકોર્ડ ૧૯ વર્ષ બાદ તૂટયો હતો. વર્ષ ૧૯૧૬ માં એડ શિલ્ડસનો ૪ઃ૨૩.૬ નો રેકોર્ડ હતો પરંતુ તેના પછી ૧૯૨૫ માં ચેસ્લી ઉનરૂએ ૧ માઇલની દોડ સ્પર્ધા ૪ઃ૨૦.૫ માં પુરી કરી હતી, પણ ચેસ્લીના આ રેકોર્ડની કોઇ સત્તાવાર નોંધ કરાઇ ન હોવાથી આ રેકોર્ડ ગણત્રીમાં લેવાતો નથી. ગ્લેન કર્નિંગહામનો વર્ષ ૧૯૩૦ નો રેકોર્ડ ૪ઃ૨૪.૭ નો હતો. આમ એડ શિલ્ડસના ૪ઃ૨૩.૬ ના રેકોર્ડ સામે લુઇએ ૪ઃ૨૧.૩ નો નવો જ નેશનલ હાઇસ્કૂલ રેકોર્ડ સ્થાપતા ટ્રેક રનર તરીકે આખા અમેરિકામાં તેનું નામ ગાજતુ થઇ ગયું. લુઇ મૂળે ટોરેન્સ ગામનો રહીશ હતો, અને ટ્રેક રનમાં તે ઝંઝાવાતી ગતિએ દોડતો હોવાથી આખા અમેરિકામાં તે 'ટોરેન્સ ટોર્નેડો' તરીકે જાણીતો થઇ ગયો હતો. અખબારોમાં પણ લુઇના નામ આગળ 'ટોરેન્સ ટોર્નેડો' વિશેષણ અચૂક લખાતું થઇ ગયું હતું. એક મઝાની અને આશ્ચર્યની વાત તો એ છે કે લુઇના ન્યૂઝના કારણે 'ટોરેન્સ હેરાલ્ડ' નામના સમાચાર પત્રની નકલોનું વેચાણ વધી જવાના કારણે આ પેપરની આવક પણ ખૂબ વધી ગઇ. જેથી અખબારના માલિકે લુઇના બન્ને પગનો ૫૦,૦૦૦ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો.! હજી થોડા વર્ષો પહેલા જે છોકરો આજે હું કોના ઘરના રસોડામાંથી બ્રેડ-બટર ચોરીને ખાઇ જઉં'ના વિચારમાં ખોવાયેલો રહેતો હતો, એ છોકરો હવે વર્ષ ૧૯૩૬ માં બર્લિનમાં યોજાનારી ઓલિમ્પિકમાં ટ્રેક રેસ જીતવાના ખ્યાલમાં ખોવાયેલો રહેતો હતો. ઓલિમ્પિકમાં એક માઇલની રેસ નહોતી, ૧૫૦૦ મીટરની દોડ સ્પર્ધા જ હતી. ૧૫૦૦ મીટર એટલે એક માઇલ કરતાં થોડું ઓછું અંતર થાય. ૧૫૦૦ મીટર બરાબર ૦.૯૩ માઇલ થાય છે. ઓલિમ્પિકની ૧૫૦૦ મીટરની દોડમાં સામાન્ય રીતે ૨૨ થી ૩૦ વર્ષના યુવાનો ભાગ લેતા હતા. વર્ષ ૧૯૩૬ની ઓલિમ્પિકની ટ્રેક સ્પર્ધામાં કયા કયા રનર ભાગ લેશે? અને તેમાં જીતવાની સંભાવના કોની છે? તે વિશેની અટકળોમાં પહેલું નામ ગ્લેન કર્નિંગહામનું ચર્ચાતું હતું. ૧ માઇલની દોડમાં ૪ઃ૦૬.૮ નો વર્લ્ડ રેકોર્ડ કર્નિંગહામના નામે હતો. મહત્વની વાત એ છે કે કનિંગહામે ચોથા ધોરણમાં હતો ત્યારથી દોડની હરિફાઇમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને વર્ષ ૧૯૩૬ ની ઓલિમ્પિક વખતે તેની ઉંમર ૨૭ વર્ષની હશે. જ્યારે લુઇની ઉંમર તે વેળા માત્ર ૧૯ વર્ષની થશે અને ટ્રેક દોડનો લુઇનો અનુભવ માત્ર પાંચ જ વર્ષનો હતો. પરંતુ હાઇસ્કૂલ કક્ષાએ એક માઇલની દોડ હરિફાઇમાં આખા અમેરિકામાં લુઇએ ડંકો વગાડી દીધો હતો. દરેક દોડ સ્પર્ધામાં લુઇ ખુદ પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જતો હતો.

ગુજરાત સમાચાર 11 Aug 2021 5:35 am

મેજર ધ્યાનચંદ હોકીનું હિમશિખર

- જેમના નામે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર અપાશે તે હોકીવીર ધ્યાનચંદ કોણ છે ? - મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું: ભારતના હોકીવીરે હિટલરને રોકડું પરખાવેલું - ધ્યાનચંદે 12 ગોલ ફટકાર્યા તો સહગલે ખુશ થઈને 14 ગીત ગાયા - બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે મહાન બનવાની કોઈ રેસીપી નથી હોતી. મહાન બનાતું નથી હોતું. મહાનતા ઇનબિલ્ટ હોય છે. હા, કેટલાક ટ્રિગર્સ હોય છે માણસની અંદર... જે દબાઈ જાય તો તે મચી પડે છે અને મહાન બની જાય છે. મેજર ધ્યાનચંદ આવી જ એક મહાન હસ્તી હતા. ઑલિમ્પિકમાં ભારતને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અપાવનારી એક માત્ર પ્રતિભા. ભલે ગોલ્ડ ટીમને મળ્યો હતો, તેમને વ્યક્તિગત નહોતો મળ્યો, પણ તેમની વ્યક્તિગત રમત એટલી અજાયબ કે ૧૯૨૮થી ૧૯૩૬ના એ વર્ષોમાં તેમણે ઑલિમ્પિકમાં જે ઈતિહાસ લખ્યો તે તેમના વિના સંભવ નહોતો. રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદનું નામ આપવાનું ભારત સરકારનું પગલું આવકારદાયક છે. રમતના સંકુલો, રમતના પારિતોષિકો, રમત-ગમતને લગતી યોજનાઓ કે સ્કોલરશિપ્સ આ બધાની આગળ દેશના મહાન રમતવીરોના જ નામ જોડવા જોઈએ, જેથી સ્પોર્ટ્સને વધુ પ્રોત્સાહન મળે, તેના વિશેની જાગરુકતા વધે. ૨૯મી ઑગસ્ટ ૧૯૦૫ના રોજ તેમનો જન્મ, જે હવે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવાય છે. અલ્લાહાબાદમાં જન્મેલા આ જાદુગરનું મૂળ નામ ધ્યાનસિંઘ. ધ્યાન ચંદ કેવી રીતે થઈ ગયું તેની વાત આગળ કરશું. તેમના પિતા પણ હોકી પ્લેયર હતા અને આર્મી વતી હોકી રમતા. ધ્યાનસિંઘ ક્યારેય હોકી ન રમતા. અન્ય રમતોમાં પણ તેમનો ઓછો રસ હતો. અપવાદરૂપ કુસ્તી. તેમને કુસ્તી રમવી ગમતી પિતાની વારંવાર બદલી થતી હોવાથી તેમનું શિક્ષણ ડિસ્ટર્બ થતું. વિક્ટોરિયા કોલેજ, ગ્વાલિયરમાંથી તેઓ સ્નાતક થયા. માત્ર ૧૭ વર્ષની ઉંમરે બ્રિટિશ આર્મીમાં સિપાહી તરીકે જોડાઈ ગયા. ૧૯૨૨માં તેમણે આર્મીમાંથી હોકી રમવાનું શરૂ કર્યું. અહીંથી હોકી સાથેનો તેમનો નાતો શરૂ થાય છે. સુબેદાર મેજર તિવારીએ તેમના હાથમાં હોકી સ્ટિક પકડાવી. તેમની કેળવણી કરી. તેમના માર્ગદર્શન હેઠળ જોતજોતામાં ધ્યાનચંદ હોકીના મહાન ખેલાડી બની ગયા. તેમની સ્પોર્ટ્સ ટેલેન્ટ જોઈને ૧૯૨૭માં તેમના લાન્સ નાયક બનાવી દેવામાં આવ્યા. તેમના ભાઈ રૂપસિંહ પણ તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમતા. ૧૯૨૮માં પહેલી વખત ભારતીય હોકી ટીમે એમ્સ્ટર્ડમ ઑલિમ્પિકમાં ભાગ લીધો. તેમાં ટીમ ઇંડિયા બધી જ મેચ જીતી અને ધ્યાનચંદને જબરદસ્ત સફળતા મળી. હોલેન્ડ સામેની ફાઇનલમાં ટીમ ઇંડિયા ૩-૦થી વિજેતા બની તેમાં બે ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા. ૧૯૨૬થી ૧૯૪૮ સુધીની તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમણે ૪૦૦ ગોલ ફટકારેલા. સર ડોન બ્રેડમેન તેમનાથી ત્રણ વર્ષ નાના હતા અને તેઓ પણ ધ્યાનચંદના ફેન હતા. ૧૯૩૫માં ટીમ ઇંડિયા ઑસ્ટ્રેલિયા અને ન્યુઝેલેન્ડના પ્રવાસે ગયેલી. એક મેચ એડીલેડમાં રમાયેલી જેમ ડોન બ્રેડમેન પણ આવ્યા હતા. તેમણે તેમની રમત જોઈને કહેલું, ક્રિકેટરો જે રીતે ક્રિકેટમાં રન બનાવે એવી રીતે ધ્યાનચંદ ગોલ ફટકારે છે. જ્યારે તેમને ખબર પડી કે ધ્યાનચંદે ૪૮ મેચમાં ૨૦૧ ગોલ ફટકાર્યા છે તો તેમણે તુરંત આશ્ચર્ય વ્યક્ત કર્યું, આ ગોલ કોઈ હોકી પ્લેયરે ફટકાર્યા છે કે બેટ્સમેને! લોસ એન્જલસ ઑલિમ્પિકમાં ફાઇનલ મેચમાં ભારત અને અમેરિકાની ટીમ વચ્ચે ટક્કર થયેલી. ભારતની ટીમે અમેરિકાની ટીમને ૨૪-૦૧થી હરાવી દીધી. બીજે દિવસે એક અખબારમાં છપાયું, ભારતની હોકી ટીમ પૂર્વથી આવેલું તોફાન છે. ૧૯૩૬માં બર્લિન ઑલિમ્પિકમાં જોવા જેવી થઈ. વોર્મ અપ મેચમાં ભારતની ટીમ જર્મનીની ટીમ સામે ૧-૪થી હારી ગઈ. તેના લીધે ધ્યાનચંદ બહુ જ અપસેટ થઈ ગયા. મીર્ઝા મસૂદ નામનો ખેલાડી આઉટ ઑફ ફોર્મ હતો. તેને હટાવી તેના સ્થાને રમવા માટે અલી દારાને ભારતથી સ્પેશ્યલ બોલાવવામાં આવ્યો. એ અલી દારા આઝાદી પછી પાકિસ્તાનના મશહૂર હોકી પ્લેયર રહ્યા. ૧૯મી ઓગસ્ટે ભારત અને જર્મની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. હિટલર, તેનો પ્રચાર મંત્રી ચાર્લ્સ ગોબેલ્સ અને બીજા કેટલાક નાઝી અધિકારીઓ તે મેચ જોવા આવેલા. નાઝી જર્મનીએ આર્ય નસલની હોકી ટીમ તૈયાર કર્યો હતો, જેનો હિટલરને ઘમંડ હતો. અડધો મેચ પૂરો થયો ત્યાં સુધીમાં ઇંડિયાએ માત્ર એક જ ગોલ ફટકાર્યો હતો. સેકન્ડ હાફમાં ધ્યાનચંદ અને તેમના ભાઈ રૂપસિંહે તેમના જૂતા ઊતરી નાખ્યા અને ઊઘાડા પગે જુસ્સા ભેર રમવા લાગ્યા. ટીમ ઇંડિયા ૮-૧થી વિજેતા બની. આ ઘટનાનું બહુ મિસ રીપોર્ટીંગ થયું છે. કેટલાકે તો એવા ફાંકાં માર્યા છે કે ટીમ ઇંડિયાએ ૧૫ ગોલ ફટકાર્યા હતા અને તેમાંથી ૧૪ ધ્યાનચંદે ફટકાર્યા હતા. ઘણાએ એવું લખ્યું છે કે આઠમાંથી છ ગોલ. ઓથેન્ટિક માહિતી એ છે કે આઠમાંથી ત્રણ ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા અને બર્લિન ઑલિમ્પિકના તમામ મેચીસમાં તેમણે કુલ ૩૩ ગોલ ફટકાર્યા હતા. ટીમ હારી એ પહેલા જ હિટલર મેદાન છોડીને જતો રહ્યો હતો. બાદમાં પ્રેઝન્ટેશન સેરેમનીમા પાછો આવ્યો. તેણે ધ્યાનચંદને ડીનર માટે આમંત્રણ આપ્યું. ધ્યાનચંદ ગયા. હિટલર તેની રમતથી પ્રભાવિત હતો. તેણે પૂછ્યું, તમે હોકી સિવાય બીજું શું કામ કરો છો? ધ્યાનચંદે કહ્યું, સુબેદાર છું. હું તમને જર્મન સેનામાં કર્નલનું પદ આપીશ. જર્મની તરફથી હોકી રમો. ધ્યાનચંદે આ ઑફરનો સવિનય ઇનકાર કર્યો, મેં મારા દેશનું નમક ખાધું છે. આથી હું મારા દેશ માટે જ રમીશ. હિટલરે કહ્યું, તને તારા દેશે શું આપ્યું છે? ધ્યાનચંદે જવાબ આપ્યો, મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, એ મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું. ગેપને પારખવાની ક્ષમતા ભાગલા પછી પાકિસ્તાન જતા રહેલા હોકી પ્લેયર અલ દારાએ વર્લ્ડ હોકી મેગેઝિનમાં લખ્યું, ધ્યાન ક્યારેય ફાસ્ટ રમતા નહોતા. તેઓ ધીમે જ દોડતા, પરંતુ તેમનામાં ગેપને પારખવાની ગજબની ક્ષમતા હતી. ડાબા ફ્લેકમાં તેમનો ભાઈ રૂપસિંહ અને જમણા ફ્લેકમાં હું રમતો. ડીમાં પહોંચીને તેઓ એટલી ઝડપથી અને એટલી શક્તિ સાથે શોટ મારતા કે સારામાં સારો ગોલ કીપર પણ તે રોકી શકતો નહોતો. પૃથ્વી રાજ કપૂર ધ્યાનચંદના જબ્બર ફેન હતા. તેઓ કે. એલ. સહગલને લઈને મુંબઈમાં હોકીની મેચ જોવા ગયા. અડધી મેચ પૂરી થઈ ત્યાં સુધી એક પણ ગોલ થયો નહીં. સહગલ અકડાઈ ગયા, મેં તમારા બંનેનું નામ બહુ સાંભળ્યું છે. મને આશ્ચર્ય છે કે તમે આટલા સમયમાં એક પણ ગોલ ન કરી શક્યા. રૂપસિંહે ટીખ્ખળ કરી, અમે જેટલા ગોલ મારી એટલા ગીત સંભળાવશો? સહગલે હા પાડી. એ પછી બંને ભાઈઓએ મળીને ૧૨ ગોલ ફટકાર્યા. મેચ પૂરો થાય એ પહેલા સહગલ મેદાન છોડીને ભાગી ગયા હતા. બીજે દિવસે તેમણે ધ્યાનચંદને પોતાના સ્ટુડિયો તેડી લાવવા માટે કાર મોકલી. તેઓ આવ્યા, પણ સહગલ સાહેબ કહે અત્યારે ગાવાનો મારો મૂડ નથી. ધ્યાન ચંદ નિરાશ થઈ ગયા. થયું કે ખાલી ખોટો સમય બરબાદ કર્યો સહગલ સાહેબે. બીજે દિવસે સહગલ પોતાની કાર લઈને ટીમ ઇંડિયાની હોકી ટીમ જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચ્યા. તેમણે કુલ ૧૪ ગીત ગાયા અને તમામ ખેલાડીઓને એક-એક ઘડિયાળ ભેટ આપી. ૧૯૭૨માં ધ્યાનચંદના પુત્ર અશોક કુમાર હોકી રમવા જર્મની ગયા હતા. હોકીના એક પ્રસંશક તેમને મળવા માટે સ્ટ્રેચર પર આવ્યા. તેમણે ૧૯૩૬ના જર્મન છાપાઓના કટિંગ બતાવ્યા અને કહ્યું, તમારા પિતા બહુ જ મહાન હતા. જર્મન અખબારના કટિંગની હેડલાઈન હતી: જર્મનીને ટીમ ઇંડિયાની આ જીત લાંબા સમય સુધી યાદ રહેશે. મેજર ધ્યાનચંદ તેમના મૃત્યુ પછી વધારે ફેમસ બન્યા. આ સાથે તેમની સાથે ઘણી બધી અફવા પણ જોડાઈ. જેમ કે વિયેનામાં તેેમનું ચાર હાથવાળું પૂતળું મૂકવામાં આવ્યું છે. જે વ્યક્તિ અકલ્પનીય હોય તેમના વિશે જ અફવાઓ ઊડતી હોય છે. આવી અવિશ્વસનીય પ્રતિભા, આવી અકલ્પનીય પ્રતિભાને કેવળ પદ્મ ભૂષણ સુધી સીમિત રાખી શકાય નહીં. તેમને ભારત રત્ન પણ મળવો જોઈએ. સ્ટેડિયમના નામ ખેલાડીના નામ સાથે જોડવાની લોકલાગણી રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામકરણ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ થયું તે આવકાર્ય છે. આવી જ રીતે સ્ટેડિયમોના નામ ખેલાડીઓના નામે હોય એવી લોકલાગણી ઉઠી છે. સોશિયલ મીડિયામાં લોકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે મેદાનોના નામ જો મહાન ખેલાડીઓના નામથી ઓળખાય તો ગૌરવ પણ જળવાય અને રમત પ્રત્યે નાગરિકોનું જોડાણ વધે. મિલ્ખા સિંહ, પીટી ઉષા, સચિન તેંડુલકર, કપિલદેવ, સુનિલ છેત્રી, મેરી કોમ, પી. સિંધુ, લિયેન્ડર પેસ, મહેશ ભૂપતિ વગેરેના નામે મેદાનો ઓળખાતા થાય તો એ ખરું સમ્માન લેખાશે. હોકીના મેદાનને ચેસ બોર્ડની જેમ જોતા હોકી પ્લેયર કેશવ દત્તે કહેલું, ધ્યાનચંદની અસલી પ્રતિભા દડાને ચીપકાવી રાખવામાં નહોતી, પણ તેમના મગજમાં હતી. ચેસનો ખેલાડી જે રીતે શતરંજનું બોર્ડ જુએ એ રીતે તેઓ હોકીના મેદાનને જોતા હતા. 54 વર્ષે પણ અજય હતા ૧૯૫૯માં તેઓ ૫૪ વર્ષના હતા અને ત્યારે પણ ભારતનો એકેય ખેલાડી એવો નહોતો જે ધ્યાનચંદ પાસેથી બોલ છીનવી શકે. પછીની પેઢી ધ્યાનચંદની લેગસીનું વહન ન કરી શકી. આ વખતે ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતાડનારી ભારતીય ટીમ પાસે આગામી ઑલિમ્પિકમાં મોટા ચમત્કારની આશા રાખી શકાય છે. ધ્યાનસિંહનું નામ ધ્યાનચંદ કેવી રીતે પડયું? તેઓ દિવસે તો હોકીની પ્રેક્ટીસ કરતા. રાતે પણ કરતા. એ સમયે તો લાઇટો હતી નહીં તો ચંદ્રના અજવાળામાં હોકીની પ્રક્ટિસ કરતા. તેના પરથી તેમનું નામ ધ્યાનસિંઘમાંથી ધ્યાનચંદ પડી ગયું. ત્યાર પછી આજીવન તેઓ આ જ નામથી ઓળખાયા. હોકી તોડીને ચેક કરવામાં આવી કે ક્યાંક તેમાં ચુંબક તો નથીને? બોલ પર તેમની જબરદસ્ત પકડ હતી. નેધરલેન્ડની એક મેચ દરમિયાન તેમનું અસામાન્ય પરફોર્મન્સ જોઈને સત્તાધીશોને શંકા ગઈ કે ધ્યાનચંદે હોકીમાં ચુંબક લગાવેલું છે. તેમની હોકી તોડીને ચથીક કરવામાં આવી. અંદરથી તો શું નીકળવાનું હતું. કારણ કે જે હતું તે ધ્યાનચંદની અંદર હતું. તે પછી પણ ઘણી અફવાઓ ઊડતી રહેતી. વિદેશોમાં એવી વાતો થતી કે ધ્યાનચંદ હોકી પર ગૂંદ લગાવીને રમે છે. આજની નવી જોક મગન (છગનને): શું વિચારે છે? છગન: દૂધવાળા હડતાળ પર હોય ત્યારે દૂધ સડક પર ફેંકી દે છે. શાકવાળા હડતાળ પર હોય ત્યારે શાક સડક પર ફેંકી દે છે. બેંકવાળા ક્યારે હડતાળ પર જશે? મગન: હેં!?

ગુજરાત સમાચાર 10 Aug 2021 5:30 am

બોંબ ફેંકીને શું કર્યું ? તારો આત્મા તને ડંખતો નથી !

- આ બનાવનું પુનરાવર્તન ન થાય, તેમાં જ માનવજાતનું કલ્યાણ છે ! ભપકાદાર હોટેલના એક આલીશાન ખંડમાં બેઠેલો પુરુષ બારી વાટે જોતો જોતો વિચારોની ગર્તામાં સરી ગયો. ટેબલ પર પેયની પ્યાલીઓ હતી. ખાદ્યની રકાબીઓ હતી. સામે પરિચારિકા હરકોઈ હુકમ ઉઠાવવા સજ્જ હતી, છતાં એ પુરુષનું ચિત્ત આ કશામાંય નહોતું ! એ ખોવાયેલા જેવો હતો: બારી વાટે એ દૂર દૂર કંઈ નીરખી રહ્યો હતો. જીવનના અંતરાલ જેવું આકાશનું અંતરાલ મેઘખંડોથી અગમ્ય બન્યું હતું. ગગનમંડળ કાળાંડિબાંગ વાદળોથી છવાઈ રહ્યું હતું. હવાઈ સ્ટેશનની તકેદારીની લાલ બત્તી પણ ઝાંખી પડી ગઈ હતી. 'ઓહ ! કેવી વેદના, કેવા વલવલાટ !' ટેબલ પર બેઠેલા પુરુષે દુઃખનો ચિત્કાર કર્યો. 'આહ ! સર્પદંશવાળા માનવીને ઝેરથી વિમુક્તિ મળ્યા પછી પણ દર ચોમાસે, મેઘાચ્છાદિત આકાશ જોઈને જેમ વેદના ઉપડે છે એમ મને પણ આ વાદળોનાં ઘટાટોપ જોતાં વ્યાકુળતા પ્રગટ થઈ આવે છે. ઓહ ! એક ભયાવહ ભૂતાવળ મારી સામે નાચી રહે છે ! આહ ! શું કર્યું મે ?' પરિચારિકા પોતાના મરકતા ઓષ્ઠ પર સ્મિત ફરકાવતી ખડી હતી, ને અજ્ઞાાની ઇંતેજારીમાં હતી, પણ આજ્ઞાા આપનાર ખુદ મનનો આજ્ઞાાંકિત બની બેઠો હતો. 'દેશાભિમાની ! દેશની રક્ષા! કેવા પ્રેરક શબ્દો ! રે ! વિજ્ઞાાનનું કેવું સામર્થ્ય અને માણસનું કેટલું અસમાર્થ્ય ! માણસ માણસને ન સમજાવી શક્યો, સંભાળી ન શક્યો, એટલે માણસ વરુ બન્યો ! એક વરુ બીજા વરુને સંહારવા તત્પર બન્યું ! એક વરુના સંહારમાં અનેકની સલામતી જોઈ ! વાહ, કેવો બુદ્ધિનો ખેલ ! અનેકની સલામતી માટે એકના સંહારની આવશ્યક્તા લેખાઈ. ધર્મ કલ્પાયો.' એ દિવસો ભૂલ્યા ભુલાતા નથી. જુવાનીના એ રંગીન દિવસો હતા. દેશની સરકારે એક દિવસ મન, ચિત્ત ને બુદ્ધિથી સ્વસ્થ છવ્વીસ જણાને એના યુદ્ધપ્રાંગણમાં નોતર્યા. એમાં મારી પણ પસંદગી થઈ. અમને સહુને કહેવામાં આવ્યું કે 'તમે હરએક સહસ્ત્રમલ્લ સમા છો, એક વિશાળ સેના સમાન છો, નરસિંહ છો. એક દિવસ તમારા હાથે એવું કાર્ય થશે કે જગત ત્રીજા વિશ્વયુદ્ધના જ્વરમાંથી મુક્ત થશે. તમારો દેશ તમારા નામથી પોતાની છાતીને ફુલાવશે.' અમારી જુવાની થનગની રહી. અહો, કેવુ અવતારનું સાફલ્ય ! કેવું જીવનનું સદ્ભાગ્ય ! કેવું હશે એ મહાન કાર્ય ! ખરેખર બડભાગી છે અમારો અવતાર ! થોડાએક દિવસ વિમાન-સંચાલનની કુશળતા પ્રાપ્ત કરવામાં વીત્યા, ત્યાં એક દિવસ ફરી અમને બોલાવવામાં આવ્યા ને બિરદાવવામાં આવ્યા: 'મહારથીઓ, જગત ત્રીજા વિશ્વયુદ્ધ તરફ અતિ વેગે ઘસડાઈ રહ્યું છે ! મોત ઝપટ કરી રહ્યું છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો કાળો કકળાટ કરી રહ્યા છે. દુર્ભાગી પ્રજાજનોને કાળમુખા યુદ્ધથી બચાવવાનું પુણ્યકાર્ય તમારે વિલિયમ પારસન્સ, પોલ તિબેટ્સ, રોબર્ટ લેવિસ, ચાર્લ્સ સ્પીની અને ફ્રેડરિક એશવર્થ કરવાનું છે !' 'વાહ, અમારા પર કેવો ભરોસો ! દેશની કેટલી આશાઓ અમારા પર !' આંગળીને વેઢે ગણી શકાય તેવા અમે છવ્વીસ વ્યક્તિ એમ માનતા હતા કે અમે જાણે પૃથ્વીને ઉદ્વારનારા છવ્વીસ ઇસુ ખ્રિસ્તના અમે અવતારો ! દુનિયા અમારી તારી તરશે. અમે મિથ્યાભિમાન સેવ્યું. દર્પભર્યા કેટલાય અમારા દિવસો આ રીતે પસાર થયા, ત્યાં વળી અમને એક હારમાં ખડા કરીને કહેવામાં આવ્યું: 'કર્તવ્યનું કદમ તમારી નજીક આવી રહ્યું છે. આપણે અણુબોમ્બ તૈયાર કર્યો છે. ૨૦-૨૦ માઈલ સુધીમાં એના ધુમાડાને જે સ્પર્શશે, તે સળગીને ભડથું થઈ જશે. અનંત તાકાતવાળો આ બોમ્બ છે ! આ બોમ્બ ઝીંકવાનું સત્કાર્ય એક દિવસ તમારે કરવાનું છે. છતાંય આ કાર્ય પ્રતિ જેને શ્રદ્ધા ન હોય, અંતરમાં વીરત્વ ને દિલમાં દિલેરી ન હોય તે પોતાને ઘેર પાછા ફરી શકે છે.' અમે પાછા ફરવા માટે આવ્યા નહોતા. દેશ પ્રત્યેનું ઋણ ફેડવા અહીં એકઠા થયા હતા. પણ અણુબોમ્બનાં અમને જે વર્ણન આપ્યાં એની વિનાશક શક્તિનો ચિતાર આપ્યો, એ અમે ખરેખર ગપગોળા માની બેઠા ! રાજકારણી લોકો ઘણીવાર હોય તેથી વધુ મોટી-મોટી વાત કરે છે ! એ એમની પ્રચારકલા કહેવાય છે. પ્રચારકતા પણ એક પ્રકારનું ઠંડું યુદ્ધ છે. આહ ! એક બોમ્બ અને કેટલી માનવહત્યા ! શું માનવે સરજેલું વિજ્ઞાાન માનવની આટલી કત્લેઆમ કરી શકે ખરું ? ના.ના. યુવાનની નજર વાદળો પરથી હઠીને મેજ પર સ્થિર થઈ. એણે વિચાર્યું કે એક અણુબોમ્બથી મરનાર માનવોની એ સંખ્યા ગણવા કરતાં પેયના પ્યાલાની સંખ્યા ગણવી મનચિત્તને શાંતિકારક રહેશે ! યુવાન પેયના રંગીન પ્યાલા ગણી રહ્યો. પરિચારિકાની આંગળીઓને જોઈ રહ્યો, પણ પાછું તેનું ચિત્ત બહાર ધીરું ધીરું ગર્જતાં વાદળોની ઘટામાં ગૂંચવાઈ ગયું. 'જે વાતને અમે ગપગોળા માની ગમ્મત કરતા હતા, એ એક દિવસ સાચી ઘટના બની બેઠી. અમને છવ્વીસ જણાને એકાંતે એકાએક નોતરવામાં આવ્યા ને અમારી સંખ્યા બે ભાગમાં વહેંચી નાખવામાં આવી. અમને કહેવામાં આવ્યું:' 'તમારી બે ટુકડીઓને બે વિમાનને બે અણુબોમ્બ આપવામાં આવે છે. એક ટુકડી હીરોશિમા તરફ ધસી જાય, બીજી ટુકડી કોકુરા શહેર પર ! બોંતેર કલાકની અવધિમાં કાર્ય આટોપાઈ જવું જોઈએ. આ બોમ્બ મોં ખોલેલો રાક્ષસ છે. જો યથાસમય તેનો ઉપયોગ નહિ થાય તો એ, તમને તમારા વિમાનને અને એની આજુબાજુ વીસ માઈલમાં પથરાયેલી સર્વ ચેતનસૃષ્ટિને સત્યાનાશના પંથે લઈ જશે. અને જુઓ ! બોમ્બ નાખીને ભાગજો. પાછું વાળીને પણ જોતા નહિ.' મારું સ્થાન કોકુરા શહેર પર બોમ્બ ઝીંકનારી ટુકડીમાં હતું. હું એ નિર્દોષ માણસો માટે મોતનો પેગામ લઈને ઊપડયો, પણ ઓહ ! કરમની ગત ન્યારી છે. જેને ભાગ્ય બચાવવા ઇચ્છે છે, એને કોણ મારી શકે ? આકાશ આખું મેઘાચ્છન્ન બની ગયું. અંધકારમાં કાળાંમેશ વાદળોની ભયંકર ઓટમાં અમે ઘેરાઈ ગયા. દિશા એકેય સૂઝે નહિ ! નાખી નજર પહોંચે નહિ. ત્રીસ હજાર ફૂટની ઊંચાઈ પર અમે બેસી રહ્યા હતા પણ કોકુરા શહેરનો કણ પણ નજરે ચડે નહિ. બોમ્બ ઝીંકવો ક્યાં ? સમયની ઘડીમાંથી પળ વિપળની રેત ઝડપથી ખલાસ થવા લાગી હતી. અત્યાર સુધી અમારા મગજમાં પારકાના પ્રાણ લેવાની યુક્તિ રમતી હતી, જો સમયસર બોમ્બ ઝીંકી ન દેવાય તો અમારા પોતાના પ્રાણ જવાની દહેશત ખડી થઈ ! પારકા અને પોતાના વચ્ચેની કેવી વિડંબના ! વાદળો ગોરંભાયે જતાં હતાં. અમારી ગતિ અમને ચકરાવે ચઢાવી રહી હતી. આખરે અમારા પ્રાણભયના કારણે કોકુરા શહેર ન મળે તો ન સહી, જે શહેર મળે તેના પર બોમ્બ ઝીંકી દેવો એવો અમે નિર્ણય કર્યો. ને ઝીંક્યો ! ઝીંક્યો ! આ ! આ રે! યુવાન છેલ્લા શબ્દો જોરથી બોલી ગયો, ને એના હાથમાં રહેલો કીમતી પેયનો સુંદર પ્યાલો ખણિંગ કરતો નીચે પડયો ! શત શત ટુકડાઓમાં એ વહેંચાઈ ગયો ! પરિચારિકા દોડી. એ પાસે આવી ને બોલી, 'આ શું કર્યું ? 'હું એ જ વિચારી રહ્યો છું કે મેં આ શું કર્યું ?'' યુવાને સુંદર પરિચારિકા તરફ નિહાળ્યું. ઓહ ! કેવી સુંદર છોકરી ! પણ મારે અને સુંદરતાને શું ? નિર્દોષતાને અને મારે શું ? આવી કેટલીય નજાકતભરી છોકરીઓનાં જીવન મેં એ દિવસે હણી લીધાં હશે ! 'તમે પાગલ છો ?' પરિચારિકાએ કંટાળીને પૂછ્યું. 'ના, બહેન ! હું જાણીતો દેશસેવક છું, પણ નામ નહિ આપું ! નામ સાંભળીને તું કંપી ઊઠીશ. અઘોર મારાં કૃત્ય છે. છેલ્લાં દશ વર્ષથી હું વિચાર કરું છું. મેં મારા અભિમાનમાં આ શું કર્યું ? રાતોની રાતો નીંદવિહોણી ગુજારી મેં મારી જાતને પ્રશ્ન કર્યો છે, કે મેં આ શું કર્યું ? અને જવાબ જડયો નથી !' ને આટલી વાત કરતાં એ અજબ માનવી વળી વાદળોની ઓટમાં ને વિચારોના ગોટમાં અટવાઈ ગયો. બોમ્બ ઝીંક્યો કોકુરાને બદલે ૧૯૪૫ની નવમી ઓગસ્ટે નાગાસાકી પર. આલાને બદલે માલો હણાઈ ગયો! પણ નીચે તો જે થયું તે વર્ણનની બહાર છે, વર્ણનાતીત છે. એ પૂર્વે છઠ્ઠી ઓગસ્ટે હિરોશિમા પર આકાશી આફત વેરી હતી. એ અત્યારે સ્મૃતિને પાગલ બનાવે છે. સાથોસાથ દૂર દૂર રહેલા અમારા વિમાને પણ ભયંકર આંચકા ખાવા માંડયા, અમારા હાડકાંપાંસળાં હલમલી ગયાં તે વાદળી રંગની રોશની અમને ઘેરી વળતી લાગી એક મિનિટે એક માઈલની એ ઝેરી રોશનીની ગતિ હતી. સૂર્ય પણ આ વાદળી રોશની પાસે બૂઝાતી મીણબત્તી જેવો લાગતો હતો. ઓહ ! અમે પણ ગયા, ગયા. અમારું વિમાન ઝડપાઈ જવાની તૈયારીમાં હતું પણ ત્રીસ વારના છેટેથી એકાએક વિમાન વળ ખાઈ ગયું ! રાક્ષસના મોંમાં પ્રવેશતાં અમે રહી ગયા ! આહ ! જીવન બચી ગયું ! કેવો આનંદ ! અમે જીવનનો આનંદ માણવા માંડયા પણ એ અમને ખારો લાગ્યો. યુદ્ધના દિવસોમાં સહુ પોતાની સ્વજનોની રક્ષા માટે અધીરાં ને પારકાના પ્રાણ લેવા માટે ઉમંગી હોય છે. બિચારી મારી બૂઢી મા ! રણક્ષેત્રમાંથી મને હેમખેમ પાછો આવેલો જોઈ ખૂબ રાજી થઈ ગઈ. એણે મને ચુંબન કર્યું. વાળ સૂંઘ્યા, પણ જ્યારે મારા પરાક્રમની ગાથાઓ મારા મોંએ સાંભળી ત્યારે બબડી ઊઠી: 'ઓહ દીકરા ! તેં આ શું કર્યું ? તારો આત્મા તને ડંખતો નથી !' ને મારી પ્યારી મા મારી પાસે લગભગ મૌન બની ગઈ. એકવાર મેં એને એકાંતમાં ભગવાનને પ્રાર્થના કરતી ને દાંતવિહોણા બોખા મુખથી બોલતી સાંભળી: 'પ્રભુ ! બે લાખ નિર્દોષોની હત્યા કરનાર મારા પુત્રને માફ કરજો ! એ નથી જાણતો કે એણે શું કર્યું છે !' યુવાનનું મસ્તક સ્મૃતિઓની વેતસછડીથી માર ખાતું પાકેલા આમ્રફળની જેમ મેજ પર ઝૂકી રહ્યું. પરિચારિકા કોઈ ચિત્તભ્રમનો દર્દી આવ્યો છે, એવી ફરિયાદ કરવા મેનેજર પાસે જવા ચાલતી હતી, ત્યાં એક બીજો યુવાન તેના મેજની સામી બાજુ આવીને બેઠો. આગંતુકે પેલા યુવાનને જોયો. એ ચમક્યો ને બીજી પળે પેલાનો ખભો હલાવી બોલ્યો. 'ઓહ ! કમાન્ડર ફ્રેડરિક એશવર્થ! તું ક્યાંથી ? આટલે દિવસે ?' વિચારગ્રસ્ત યુવાન જેનું નામ એશવર્થ હતું, એણે આગંતુક સામે જોયું ને બોલ્યો: 'ઓહ ચાર્લ્સ સ્વીની ! મારા મિત્ર ! ઓહ, આકાશમાં ઘટાટોપ થયેલાં વાદળોને તું નીરખે છે ને ! રે ! એ દિવસોની યાદ..' 'મિત્ર ! જો બે ઘડી પણ સાથે બેસવું હોય તો એ વાતો વિશે મૌન સેવજે! એ જ જખમ ઉખેળવા જતાં આખું જિગર ફાટી જશે. વિસ્મૃતિ જ આપણા પ્રાણનો આધાર છે, આપણી ટુકડીનો પેલો સભ્ય. મેજર કલોડ ઇધર્લી કેટલીય વાર ધાડ પાડવાના ગુના બદલ સજા ભોગવી આવ્યો. માનસશાસ્ત્રીઓએ એનું પૃથક્કરણ કરતાં કહ્યું છે કે, એ બોમ્બ ફેંકવાની કામગીરીને લીધે પોતાના મગજની સમતુલા ખોઈ બેઠો છે. પોતાને સજા કરાવવા માટે એ ગુનો કરે છે.' બન્ને મૌન બની ગયા. ઉપરાઉપરી પેયના પ્યાલા પીવા લાગ્યા. આખરે બેપરવાની જેમ એશવર્થ ઉભો થયો અને બબડયો: 'આ બનાવનું પુનરાવર્તન ન થાય, એમાં જ માનવજીવનનું કલ્યાણ છે !' આજની વાત બાદશાહઃ બીરબલ, ભારતના શા ખબર છે ? બીરબલ: જહાંપનાહ, ભારતમાં મનોચિકિત્સકોની સામે નવો પડકાર ઊભો થયો છે. માનવમનના સ્ટ્રેસની સારવાર આપતા એમને હવે મોબાઈલ ટ્રોમાની સારવાર આપવી પડે છે. બાદશાહ: ક્યોં ? બીરબલ: જહાંપનાહ, મોબાઈલ માનવીના શરીરનું અવિભાજ્ય અંગ છે. નિકટનો મિત્ર કે સદા હુકમ કરતો માલિક છે. એ ક્યાંક રહી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો એટલો આઘાત લાગે છે, જેટલો આઘાત એને પ્રણયભંગ થાય, તો પણ નથી લાગતો ! પ્રસંગકથા શેરીના નાકે ઊભો છે ડેલ્ટા વેરિયંટ ડબલ ડેકર બસમાં એક દારૂડિયો ડ્રાઈવરની નજીકની બેઠક પર બેસીને સતત બબડતો હતો. ડ્રાઈવરે થોડો સમય તો એની સાથે વાતો કરી, પણ પછી એને લાગ્યું કે આમ ને આમ વાતો કરવા જતાં ડ્રાઇવિંગમાં એકાગ્રતા નહીં રહે. આથી એણે દારૂડિયાને કહ્યું, 'જુઓ, તમે દાદરો ચડીને ઉપર જશો, તો મુસાફરીની વધુ મજા આવશે. લહેરાતા પવનની મોજ માણવા મળશે.' ડ્રાઈવરે દારૂડિયાને ઉપર મોકલવા માટે બહાનું બતાવ્યું અને દારૂડિયો ડબલ ડેર બસની ઉપર ગયો. હજી માંડ થોડો સમય વીત્યો હશે કે એ દોડતો પાછો આવ્યો. આથી પરેશાન ડ્રાઈવરે પૂછયું, 'કેમ પાછા આવ્યા ? ઉપર બેસવામાં મજા ન આવી ?' દારૂડિયાએ કહ્યું, 'ના, એવું તો કંઈ નહીં, પરંતુ મને બહુ બીક લાગી, તેથી હું નીચે ઉતરી આવ્યો.' 'એમાં ડરવાનું શું હોય ? હું ધ્યાનથી બસ ચલાવું છું. તમને કોઈ વાંધો નહીં આવે.' દારૂડિયાએ કહ્યું, 'અરે, પણ હું ઉપર નહીં બેસું. ત્યાં તો કોઈ ડ્રાઈવર સામે દેખાતા નથી.' આ વાત અમને એટલા માટે યાદ આવી કે દારૂડિયાને ડબલ ડેકર બસની ઉપર ડ્રાઈવર દેખાતો નથી એ રીતે આજે આપણા દેશમાં ડેલ્ટા વેરિયંટ કોઇને દેખાતો નથી. વિશ્વના એકસો ત્રીસ દેશોને આ ડેલ્ટા વેરિયંટે પ્રભાવિત કર્યા છે. ચીન, મધ્ય-પૂર્વ, સાઉથ વેસ્ટ એશિયા, યુરોપ અને હવે અમેરિકામાં પણ એ આતંક મચાવી રહ્યો છે. અમેરિકાની પચાસ ટકા વસ્તીએ વેક્સિન લીધી હોવા છતાં અમેરિકાના લોકો મોટી સંખ્યામાં ડેલ્ટા વેરિયંટથી સંક્રમિત થઈ રહ્યાં છે. આજે સમજદારી એમાં છે કે આપણે બીજાના આ અનુભવને જોઇને સાવચેત બની જઈએ. એક બાજુ આપણું અર્થતંત્ર ખૂલે છે, ત્યારે વેક્સિન અને સમજદારીભર્યા વર્તનથી આ વાયરસના સંક્રમણની અસર ઓછી કરી શકીએ. મોટા સમારંભોથી અળગા રહીને અને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા પ્રમાણે આવશ્યક વર્તન કરીએ. આ બધું એ માટે કે હજી આ મહામારી દૂર થઈ નથી. આપણા ઘરના બારણાંની બહાર જ આ વાયરસ ઊભો છે. સાવધાન બનીએ.

ગુજરાત સમાચાર 5 Aug 2021 5:40 am

ઇ-રૂપીઃ સરકારી યોજનાઓનો ભ્રષ્ટાચાર ખતમ થશે?

- હવે સરકાર બેંકખાતામાં પૈસા નાખવાને બદલે લાભાર્થીના મોબાઇલમાં વાઉચર મોકલાવી દેશે, જેનો ઉપયોગ માત્ર જે-તે યોજનાના લાભ માટે જ થઈ શકશે - ઇ-રૂપીને ડિજિટલ કરન્સી ન સમજતા, તે વાઉચર છે - ભારતમાં 76 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે, વધુમાં વધુ વહીવટ ઑનલાઇન કરીને પારદર્શિતા લાવવાનો આ યોગ્ય સમય સી-ફોર નામની એજન્સીએ કરેલા એક સર્વેક્ષણમાં ૭૧ ટકા ગ્રામજનોએ એવું કહ્યું કે, સરકારી યોજનાઓમાં અતિશય ભ્રષ્ટાચાર ચાલે છે. ૩૦ ટકાએ યોજનાગત લાભ માટે પૈસા ખવડાવ્યા હોવાની પણ કબૂલાત કરી. રાજીવ ગાંધીના સમયમાં સરકાર એક રૂપિયો ખર્ચે ત્યારે માત્ર ૧૫ પૈસા છેવાડાના માનવી સુધી પહોંચતા હતા. વચ્ચે ૮૫ પૈસા ચાઉં થઈ જતા. આજે સ્થિતિ બદલાઈ છે પણ ભ્રષ્ટાચારનો અંત આવી ગયો છે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. ચૂંટણીમાં દાવા કરવામાં આવે એ અલગ વાત છે, કિન્તુ જમીની હકીકત સૌ કોઈ જાણે છે. સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે ન તો જમીન પરના માણસને કોઈ લાભ થાય છે, ન તો સરકારને. તેવું ન થાય તે માટે મોદી સરકારે એક નવી પહેલ કરી છે, જેણે આશા જગાવી છે કે સરકારી યોજનામાંથી ભ્રષ્ટાચાર નહીંવત થઈ જશે. કેન્દ્ર સરકારે ઈ-રૂપી નામથી કેશલેસ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા લોન્ચ કરી છે. આ વ્યવસ્થા વ્યક્તિ અને હેતુ આધારિત છે. ભારતમાં અત્યારે ૭૬ કરોડ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. ગામડાંના લોકો પણ હવે ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા છે. અભણમાં અભણ વ્યક્તિના ઘરમાં પણ કમસેકમ એક વ્યક્તિ તો એવી હોય જ છે જે મોબાઈલ થકી પેમેન્ટ કરવાની અને સ્વીકારવાની સમજણ ધરાવે છે ત્યારે કેશલેસ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સફળ નીવડવાની સંભાવના ખૂબ વધારે છે. ઈ-રૂપી કઈ રીતે કામ કરે છે એ સમજવા જેવું છે. ઈ-રૂપી વાઉચર આધારિત વ્યવસ્થા છે. તમારી પાસે બિગ બાઝારનું પાંચસો રૂપિયાનું વાઉચર હોય તો તમે ત્યાં જ તે ખર્ચી શકો, અન્યત્ર નહીં. એમેઝોનનું વાઉચર હોય તો એમેઝોનની વેબસાઈટ પર જ ખર્ચી શકાય અન્યત્ર નહીં. એવું જ આ ઈ-રૂપીનું છે. સરકાર અત્યારે મોટાભાગની યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર કરે છે. સીધા બેંકમાં પૈસા નાખે છે પણ ત્યાંય બે પ્રકારની સમસ્યા તો નડે જ છે. પહેલી સમસ્યા બેંકની અમલદારશાહીની નડે છે, અને બીજી સમસ્યા લાભાર્થીની પોતાની હોય છે. જે-તે યોજના માટે મળેલા પૈસા લાભાર્થી અન્યત્ર ખર્ચી નાખે તો તેનાથી જે ફાયદો થવો જોઈએ તે થતો નથી. જે હેતુથી તે પૈસા આપવામાં આવેલા હોય તે હેતુ મરી જાય છે. અત્યારે સરકાર જુદી-જુદી ૩,૦૦૦ યોજનામાં રૂપિયા ૧૭.૫૦ લાખ કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે છે. ઈ-રૂપી તેના કરતાં પણ એક ડગલું આગળ જઈને કામ કરશે. દાખલા તરીકે સરકાર દેશના ખેડૂતોને બિયારણ માટે સહાય આપવા માગે છે તો હવે તેના ખાતામાં પૈસા નહીં નાખે, પરંતુ તે ખેડૂતના આધારકાર્ડ સાથે સંલગ્ન મોબાઈલ નંબરમાં એક વાઉચર મોકલી આપશે. એ વાઉચર જે-તે ખેડૂતના નામનું જ હશે, અને તેનો ઉપયોગ ફક્ત ને ફક્ત બિયારણ ખરીદવા માટે જ થઈ શકશે. બિયારણ માટે સરકારે માન્ય કરેલી દુકાન ખાતે જ તે વાઉચર રિડીમ થઈ શકશે. આવી જ રીતે એલપીજી, રેશન, મેડિકલ ટ્રીટમેન્ટ, પેન્શન અને શિષ્યવૃત્તિ સહિત વિવિધ યોજનાઓ માટે આ રીતે કેશલેસ સહાય મેળવી શકાશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે લાભાર્થીના ખાતામાં સીધા પૈસા નાખ્યા પછી પણ સરકારને ખબર પડતી નહોતી કે તેમણે આપેલા પૈસા લાભાર્થીએ ક્યાં ખર્ચ્યા? હવે પડશે. ગત જૂલાઈ મહીનામાં દેશમાં ૩૦૦ કરોડ યુપીઆઈ વ્યવહારો થયા છે. યુપીઆઈ થકી રૂપિયા ૬ લાખ કરોડની ચૂકવણી થઈ છે. દેશમાં ઓનલાઈન આર્થિક વ્યવહારો આટલા બધા વધી ચૂક્યા છે ત્યારે ઈ-રૂપી વાઉચર વ્યવસ્થા લાગુ કરવાનો આ બિલકુલ યોગ્ય સમય છે. આ વ્યવસ્થા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નાણાંકીય સેવા વિભાગ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા મળીને તૈયાર કરવામાં આવી છે. ટી.બી. નિવારણ કાર્યક્રમ, માતા અને શિશુ કલ્યાણ યોજનાઓ, દવા અને નિદાનની યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, ખાતર સબસીડી સહિત વિવિધ યોજનાઓ માટે ઈ-રૂપીનો ઉપયોગ થશે. ઈ-રૂપી ડીજીટલ રૂપિયો નથી, પણ ડિજિટલ રોકડ છે, જેનું ફિઝીકલ કેશ અથવા બેંક બેલેન્સમાં રૂપાંતર અમુક બેંકો થકી જ થઈ શકશે અને તે પણ યોજનાઓનો લાભ આપનારી એજન્સીઓ જ કરાવી શકશે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ઈ-રૂપીમાં લેવડદેવડ નહીં કરી શકે એ ખાસ સમજવું જોઈએ. આ વ્યવસ્થા માત્ર ને માત્ર અમુક વ્યક્તિ અને અમુક સંસ્થા માટે જ હશે. માત્ર સરકાર જ ઈ-રૂપી વાઉચર જનરેટ કરી શકશે એવું નથી, ખાનગી કંપનીઓ પણ કરી શકશે. જેમ કે કોઈ કંપનીને એમ થયું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારજનોને કંપની તરફથી રસી અપાવવી છે તો તે તમામ કર્મચારી અને તેમના પરિવારજનોના નામના ઈ-રૂપી વાઉચર જનરેટ કરી શકશે અને એ વાઉચરનો ઉપયોગ અગાઉથી ઠરાવવામાં આવેલી હોસ્પિટલમાં જ થઈ શકશે. આવા જ વાઉચર શોપિંગ માટે જનરેટ કરી શકાય, અન્ય કોઈ હેતુ માટે જનરેટ કરી શકાય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે લાભાર્થીને ફરજિયાતપણે તેનો ઉપયોગ જે-તે લાભ મેળવવા માટે જ કરવાનો રહેશે, અને લાભ આપનારનો હેતુ પણ સિદ્ધ થશે. તેના પૈસા વેડફાશે નહીં જે-તે કામમાં ખર્ચાશે. બીજા અનેક દેશોમાં હાલ આ પ્રકારની પેમેન્ટ વ્યવસ્થા અમલી છે. અમેરિકન સરકાર જે વિદ્યાર્થીના ભણતરનો ભાર ઉપાડવા માગતી હોય તેના ખાતામાં પૈસા નાખવાને બદલે તેને શિક્ષણ વાઉચર અથવા સ્કૂલ વાઉચર આપી દે છે. તેનો ઉપયોગ શાળાની ફી ભરવા સિવાય બીજે ક્યાંય થઈ શકતો નથી. અમેરિકા ઉપરાંત કોલંબિયા, ચીલી, સ્વીડન અને હોંગકોંગમાં આવી વાઉચર વ્યવસ્થા અમલમાં છે. સરકારી યોજનાનો હેતુ ગરીબોને ગરીબીમાંથી ઊંચા લાવવાનો હોય છે. ભ્રષ્ટાચારને કારણે તેમને યોજનાનો લાભ મળતો નથી અને તેઓ આજીવન ગરીબ રહી જાય છે, બીજી બાજુ ગરીબો ઊંચા ન આવવાના કારણે યોજના નિષ્ફળ જાય છે સરકારની મહેનત પાણીમાં જાય છે. વર્ષો સુધી સરકાર સહાય જાહેર કરતી રહે છે અને વર્ષો સુધી પૈસા વેડફાતા રહે છે, ચાઉં થતાં રહે છે. ઈ-રૂપી આ દૂષ્ચક્ર અટકાવશે તેવો અંદાજ છે. તેનાથી ગરીબી નિવારણની દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી થઈ શકે છે. કોઈપણ દેશ વિકાસશીલમાંથી વિકસિત ત્યારે જ બને છે જ્યારે સરકાર શિક્ષણ અને આરોગ્ય પાછળનો ખર્ચ વધારે. ઈ-રૂપી થકી સરકાર શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ તો કરશે જ, સાથોસાથ તે ખર્ચ ચોક્કસ વ્યક્તિ સુધી પહોંચવાથી તેનો નક્કર લાભ પણ મળશે. ઇ-રુપીનો રણકાર કેવોક છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે. આજની નવી જોક છગન (મગનને) : ભારતીય પત્ની પોતાના પતિનું બધું જ માને છે. સિવાય એક. મગનઃ એ શું? છગનઃ કહ્યું નથી માનતી. મગનઃ હેં!? વિચાર ઇંડિયાની પોતાની ડિજિટલ કરન્સી શા માટે નહીં? ઈતિહાસમાં ૨૧મી સદીની બીજી શતાબ્દીનો ઉલ્લેખ નાણાકીય જગતમાં ક્રાંતિ લાવનારા દાયકા તરીકે થશે. કોઈને કલ્પના નહોતી કે જેના માલિકનું નામ ગુપ્ત છે એવો એક વર્ચ્યુઅલ સિક્કો નામે બિટ કોઈન ગોલ્ડ, પ્લેટિનમ અને પેટ્રોલ કરતા પણ સેંકડો ગણી મોંઘી જણસ બની જશે. આજે ૨,૦૦૦ કરતા વધારે ક્રિપ્ટો કરન્સીઝ છે અને તેનું વૈશ્વિક માર્કેટ ૧.૨ ટ્રિલિયન ડોલરનું છે. ક્રિપ્ટો તો એક પ્રકારની ટેકનોલોજીનું નામ છે. એ સિવાયની પણ ડિજિટલ કરન્સીઝ હોઈ શકે છે. ક્રિપ્ટો કરન્સી માર્કેટની વિશેષતા એ છે કે તેમાં વચ્ચે કોઈ મધ્યસ્થ બેંક નથી. તેમ છતાં તેની લોકપ્રિયતા આટલી બધી છે તેનો અર્થ એ થયો કે હવે લોકો ડિજિટલ મની ઇચ્છે છે. ક્રિપ્ટો કરન્સીને લોકો સોના-ચાંદી જેવી મિલકત માનવા લાગ્યા છે ત્યારે ભારત સરકારે આ પ્રવાહથી અલિપ્ત રહેવું જોઈએ નહીં. આરબીઆઈએ ક્રિપ્ટો અથવા અન્ય પ્રકારની ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો સમય પાકી ગયો છે. મુહૂર્ત વીતી રહ્યું છે. જીકે જંકશન - નિકોલ પાશિન્યાન અર્માનિયાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. દર વર્ષે પહેલીથી ૭મી ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. - તાજેતરમાં ફિલ્મ સમીક્ષક રાશિદ ઈરાનીનું નિધન થયું હતું. કન્ફેડરેશન ઓફ ઇંડિયન ઈન્ડસ્ટ્રી અને સિરમ ઈન્સ્ટીટયૂટએ ગ્રામ્ય ક્ષેત્રે રસીકરણ માટે સમજૂતિ કરી છે. - ઇટલીના મર્સેલજેકેબ્સ ટોક્યો ઓલિમ્પિકની ૧૦૦ મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડમેડલ વિજેતા બન્યા છે. હાઈટેક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેરળ રાજ્ય સરકારે કૃષિકરણ યોજના શરૂ કરી છે. - ભુવનેશ્વર કોવિડ-૧૯ સામે ૧૦૦ ટકા રસીકરણ કરનારું દેશનું પહેલું શહેર બન્યું છે. દિલ્હી યુનિવર્સિટીના સંશોધકોએ દેડકાની એક નવી પ્રજાતિની ઓળખ કરી છે. દર વર્ષે ૨૯મી જુલાઈએ આંતરરાષ્ટ્રિય વાઘ દિવસ મનાવવામાં આવે છે. - નાઈજિરિયાએ પોતાની નવી ક્રીપ્ટો કરન્સી લોંચ કરી છે. આ કરન્સીનું નામ છે ઈ-નાયરા. નાસાનું પર્સીવરન્સ રોવર મંગળના જેઝેરો નામક ક્રેટર (ખાડો)માં ખાખાખોળા કરી રહ્યું છે. વિશ્વ કેડેટ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતની પ્રિયા મલિક ગોલ્ડમેડલ વિજેતા બની છે. - દર વર્ષે ૨૭મી જૂલાઈએ અર્ધસૈનિક દળ સી.આર.પી.એફ. (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૮૩મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. - તાજેતરમાં ભૌતિક વિજ્ઞાાની સ્ટીવન બેનવર્ગનું નિધન થયું હતું. અમેરિકાના આ વિજ્ઞાાનીને ૧૯૭૯માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. - ઑનલાઈન શિક્ષણ આપતી ભારતની કંપની બાયજુએ સિંગાપોરની ટેક એજ્યુકેશન કંપની ગ્રેટ લર્નિંગ ૬૦ કરોડ ડોલરમાં ખરીદી હતી. જાપાનની માત્ર ૧૩ વર્ષની ખેલ વિરાંગના મોમીજી નિશયા ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ વિજેતા બની છે. સ્કેટબોર્ડિંગમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. - ફિલિપાઈન્સ ગોલ્ડરાઈસના વાવેતરને મંજૂરી આપનારો પહેલો દેશ બન્યો છે. તાજેતરમાં લોલોજોન્સ દ્વારા એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જનું શીર્ષક છે ઓવર ઈટ. - યુકેમાં એક નવા વાઇરસે ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું છે. તેનું નામ છે, નોરો વાઇરસ. તેના ૧૫૩ કેસ નોંધાયા છે. આ વાઇરસનો ભોગ બનનાર દરદીને ઝાડા-ઊલટી થઈ જાય છે.

ગુજરાત સમાચાર 5 Aug 2021 5:30 am

મમતાની દિલ્હી લટારે કોંગ્રેસને એક્ટિવ કરી

- નેશનલ રાજકારણમાં પ્રવેશવાની ચાલ - ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર - પેગાસસના મુદ્દે મમતાએ પોતાનું અલગ પંચ બનાવીને વિપક્ષોને ભોંઠા પાડી દીધા મ મતા બેનરજીની દિલ્હી ખાતેની ચાર દિવસની મુલાકાત બાબતે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે તે કંઇ ખાસ ઉકાળી શક્યા નથી. પરંતુ એમ કહી શકાય કે ભાજપ વિરોધી પક્ષોને એક કરવા માટેના તે બીજ રોપી શક્યા છે. તે બધા પક્ષોને એક તખ્તા પર લાવવા માંગે છે. લોકોની યાદ શક્તિ થોડી કાચી છે. તેમને યાદ કરાવવું જરૂરી છે. મમતાએ નેશનલ લેવલે આગળ વધવાનો પ્રયાસ ૨૦૧૪માં પણ કર્યો હતો. ત્યારે તેમના સાથી તરીકે કે.ડી. સિંહ હતા જે તેમને પ્રોત્સાહન આપતા હતા. આ કે.ડી.સિંહને મમતાએ બે વાર રાજ્યસભામાં સભ્ય પણ બનાવ્યા હતા. પ.બંગાળથી બહાર મમતાએ પહેલીવાર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે દિલ્હીમાં બોલિવુડના એક્ટરને ઉભા રાખ્યા હતા. તેમના ઉમેદવારને ચાર આંકડા જેટલા પણ વોટ નહોતા મળ્યા. મમતાએ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે જાહેર સભા પણ યોજી હતી. તેમને હતું કે બહુ લોકો તેમને સાંભળવા આવશે પરંતુ તેમને સાંભળવા કોઇ ના આવતાં છેેલ્લી ઘડીએ તે રદ્દ કરવા ફરજ પડી હતી. આવી નિષ્ફળતા જોઇને તે સલાહકાર કે.ડી. સિંહથી દુર થઇ ગયા હતા. હાલમાં આ કે.ડી. સિંહ આર્થિક ગોટાળાના કારણે જેલમાં છે. એટલેજ તાજેતરમાં તે જ્યારે દિલ્હીમાં હતા ત્યારે કોઇએ પૂછ્યું હતું કે શું તમે વિપક્ષોનું નેતૃત્વ કરશો ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે એ તો પરિસ્થિતિ પર આધારીત છે. મારા માટે તો પ.બંગાળ સ્વિટ હોમ છે. આ જવાબ પરથી ઘણું સમજી શકાય છે. ૨૦૨૪માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી ખસેડવાના હેતુને આગળ વધારવા મમતા કોંગ્રેસ, એનસીપી,આરજેડી, આપ વગેરેના નેતાઓને પણ મળ્યા હતા. મમતા વડાપ્રધાન મોદીને ૩૫ મિનિટ માટે મળ્યા હતા. આ મુલાકાતને તેમણે શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. બીજી તરફ તેમની મુલાકાત દરમ્યાન થયેલી ચર્ચાની વિગતો જાણવા વિપક્ષના નેતાઓ આતુર હતા પણ મમતાએ તેમની ંઆતુરતા પર પાણી ફેરવી દીધુું હતું. પેગાસસના મુદ્દે મમતાએ પોતાનું અલગ પંચ બનાવીને વિપક્ષોને ભોંઠા પાડી દીધા હતા. કેમકે સંસંદમાં વિપક્ષ હોબાળો મચાવીને મામલો કોર્ટમાં લઇ જવા માંગે છે પરંતુ હવે મમતાએ જ્યારે પોતાનું અલગ પંચ રચવાની વાત કરી એટલે વિપક્ષી એકતાને ફટકો વાગ્યો છે એમ કહી શકાય. એપેક્સ કોર્ટ આગામી અઠવાડીયે પેગાસસ પર હીયરીંગ કરશે પરંતુ મમતાએ ઉભા કરેલા પંચના કારણે મોદી સરકારને ભીંસમાં લેવાનો વિપક્ષનો પ્લાન નબળો પડશે. બીજી તરફ ગાંધી પરિવાર એક્ટિવ થયો છે. રાહુલ ગાંધી સંસદમાં દરેક વિપક્ષને મળતા હતા. પહેલાં તે ભાગ્યેજ કોઇને મળતા હતા. મમતા બેનરજીની એન્ટ્રી અને શરદપવારની ચાલ જોઇને કોંગ્રેસ પ્રિન્સ દરેકને મળતા થયા છે એમ કહી શકાય. ગાંધી પરિવાર માને છે કે વિપક્ષનું નેતૃત્વ કરવાનો તેમનેા જન્મ સિધ્ધ અધિકાર છે. એટલેજ રાહુલ વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. પ્રશાંત કિશોરના આઇડયા પ્રમાણે પહેલાં કોંગ્રેસ પક્ષે રાજ્યોમાં ચાલતા વિવાદોને કાબુમાં લેવા જોઇએ એમ કહેતાં કોંગ્રેસે તેનો અમલ કરવો શરૂ કર્યો છે. પંજાબમાં સિધ્ધુને મુકીને બળવાખોરીને શાંત પાડી હતી. એવીજ રીતે રાજસ્થાનમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને સચીન પાઇલોટના માણસોને સમાવીને સમાધાન કરાવાશે એમ મનાય છે. એવીજ રીતે છત્તીસગઢમાં ચાલતો વિવાદ ઠંડો પાડવા કોંગ્રેસ સક્રીય બની છે.

ગુજરાત સમાચાર 4 Aug 2021 5:45 am

ટ્રેક રેસમાં ઝમ્પેરિનિ ખુદના રેકોર્ડ તોડતો ગયો

- 16 વર્ષના લુઈ ઝમ્પેરિનિએ બે માઈલની દોડ સ્પર્ધામાં કોલેજના યુવાન દોડવીરોને હરાવી દીધા.. - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-4 - 1 માઈલની દોડ સ્પર્ધા પહેલી વખત 5:03, બીજી વખત 4:58 અને છેલ્લે 4:42 માં પુરી કરી - અમેરિકાનો સૌથી ઝડપી રનર ગ્લેન કનિંગહામ, લુઈનો રોલ મોડલ હતો ક નિંગહામ દોડવીર તરીકે આખા દેશમાં લોકપ્રિય બન્યો તે અગાઉ તેના શાળા જીવન દરમિયાન એવી એક કરૂણ ઘટના બની ગઇ કે તે વખતે બધાને એમ લાગતું હતું કે આ છોકરો આખી જિન્દગી હવે ચાલી જ નહીં શકે. ગ્લેન કનિંગહામ પ્રાથમિક શાળામાં હતો ત્યારની આ દુર્ઘટના છે. ચાલુ સ્કૂલે એક દિવસ કોઇક કારણસર ભયંકર વિસ્ફોટ થયો હતો. આ વિનાશક ધડાકામાં કનિંગહામનો ભાઇ મોતના મુખમાં ધકેલાઇ ગયો હતો, અને ધડાકાની અગનજવાળામાં કર્નિંગહામખાસ કરીને બન્ને પગે ગંભીરરીતે દાઝી ગયો હતો. શરીરના અન્ય કેટલાક અંગોની ચામડી પણ આગમાં બળી ગઇ હતી. હોસ્પિટલમાં લાંબી સારવાર પછી દોઢ મહિને નાનકડો કનિંગહામ માંડ પથારીમાં બેઠો થઇ શકતો હતો. પણ હજી તેનાથી બે પગે ઊભું તો થઇ શકાતુ જ નહોતું. બે-ત્રણ મહિનાની વધુ ઘનિષ્ઠ સારવાર પછી તે માંડમાંડ થોડો વખત ઊભો રહી શકતો થયો હતો. ડગુમગુ લંગડાતી ચાલે તે બે-પાંચ ડગલા ચાલીને બેસી જતો હતો. તેને ચાલતો-દોડતો કરવા માટે કોઇકે તેને એક વિચિત્રરીતે તાલીમ આપવાનું શરૂ કર્યું. કર્નિંગહામના પરિવાર પાસે એક ઘોડો હતો. એ ઘોડો ખૂબ ડાહ્યો ડમરો અને ધીમી ચાલે ચાલતો હતો. પરિવારના એક સભ્ય રોજ સવારે કર્નિંગહામને ઘોડાની પૂંછડી પકડીને ઊભો રાખતા અને પછી ઘોડાને હળવી ચાલે ઘર નજીકની વિશાળ જગ્યામાં ચલાવતા. ઘોડાની પૂંછડી પકડી કર્નિંગહામ લંગડાતી ચાલે આગળ વધતો હતો. થોડા દિવસો આ રીતે ચલાવ્યા બાદ પરિવારના સભ્યએ ઘોડાને જરા વધારે વેગથી ચલાવવા માંડયો. ઘોડાની ચાલ થોડી ઝડપી બનતા પૂંછડી પકડીને પાછળ પાછળ ચાલતા કનિંગહામે પણ તેની ચાલવાની ઝડપ મને કે કમને વધારવી પડી. શરૂઆતમાં તેને પગમાં બહુ જ દુઃખાવો થતો હતો. છતાં તેની આ કસરત ચાલુ જ રખાઇ. આમને આમ મહિનાઓ વીતી ગયા. કર્નિંગહામને હવે ઘોડાની પૂંછડી પકડયા વગર જાતે જ દોડતા ફાવી ગયું. પગનો દુઃખાવો પણ ગાયબ થઇ ગયો. શાળાની દોડ સ્પર્ધામાં તે એક પછી એક ઇનામો જીતતો ગયો. એક માઇલની દોડ સ્પર્ધામાં તો એ દોડતો ત્યારે દર્શકોને એમ લાગતું કે કર્નિંગહામ દોડતો નથી, પણ હવામાં ઉડી રહ્યો છે. તેના પગ જમીન પર જાણે ટકતા જ નહોતા. હરિફોને બહું પાછળ રાખીને તે ફિનિશ લાઇન ક્રોસ કરી જતો હતો. વર્ષ ૧૯૩૨ સુધીમાં તો સૌમ્ય સ્વભાવના અને બન્ને પગે તેમજ બરડા પર રાખ્તરીતે દાઝેલાના નિશાનવાળા કર્નિંગહામનું નામ આખા અમેરિકામાં જાણીતું થઇ ગયું, હવે પછીના થોડા જ વર્ષોમાં તે એક માઇલની દોડમાં અમેરિકાનો સૌથી ઝડપી રનર બની જવાનો હતો. એ હતો લુઇ ઝમ્પેરિનિનો રોલ મોડેલ, એનો પ્રેરણામૂર્તિ, એનો મેન્ટર કે એનો આરાધ્યદેવ, જે ગણો તે કનિંગહામ હતો. બીજીબાજુ વર્ષ ૧૯૩૨માં લુઇના મોટાભાઇ પીટેએે ક્રોમ્પ્ટન ખાતે નિઃશુલ્ક શિક્ષણ આપતી એક જુનિયર કોલેજમાં પ્રવેશ લઇને અભ્યાસ શરૂ કર્યો, જ્યાં એ કોલેજની ટ્રેક સ્પર્ધામાં સ્ટાર રનર બની ગયો. કોલેજના સ્ટાર રનર બની ગયેલા પીટેને તો પોતાના નાનાભાઇ લુઇને પણ સ્ટાર રનર બનાવવાની તાલાવેલી હતી. તેથી તે કોલેજમાંથી છૂટીને લગભગ રોજ બપોરે લુઇને તેજ રનર બનાવવાની તાલીમ આપવા ઘેર જતો હતો, જ્યાં તે લુઇને પોતાની સાથે દોડાવતો હતો, અને ઝડપી રનર બનવા માટે કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવાનો તેમજ ખાસ તો કઇરીતે દોડવું તેની ટેકનિક તે લુઇને શીખવતો હતો. તાલીમ દરમિયાન પીટેને લાગ્યું કે ટૂંકા અંતરની દોડ તો લુઇ બરાબર દોડે છે, પણ તેણે તો ગ્લેન કનિંગહામની જેમ એક માઇલની દોડમાં લુઇને અવ્વલ નંબરે લાવવો હતો. પીટે, લુઇને જુદી જુદી દોડ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવતો હતો અને સંખ્યાબંધ સ્પર્ધામાં તેની જીત થતા ટોરન્સમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ઝડપી દોડવીર તરીકે લુઇનું નામ જાણીતું થવા લાગ્યું. સ્કૂલની કોમ્પિટિશનમાં પણ તેને મેડલ્સ મળતા છોકરીઓમાં પણ તેની લોકપ્રિયતા વધતી ગઇ. તેની ૧૬મી વર્ષગાંઠે તો સંખ્યાબંધ છોકરીઓ જન્મદિનની શુભેચ્છા આપવા ચોતરફ તેને વીંટળાઇ વળી હતી. ફેબુ્રઆરીમાં સ્કૂલમાં ટ્રેક સીઝન શરૂ થઇ. લુઇ ૮૮૦ યાર્ડની રેસ જીતી ગયો. મઝાની વાત એ છે કે અગાઉ ૮૮૦ યાર્ડની રેસ જીતવાનો તેના મોટાભાઇ પીટેનો જ રેકોર્ડ હતો. પણ લુઇ તેનાથી બે સેકન્ડ ઓછા સમયમાં ૮૮૦ યાર્ડ દોડીને મોટાભાઇનો જ રેકોર્ડ તોડતા બધાએ તેને તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લીધો. અઠવાડિયા પછી એક માઇલની ટ્રેક કોમ્પિટિશનમાં પણ ઇતિહાસનું પુનરાવર્તન થયું. લુઇ એટલી તેજ ગતિએ દોડયો કે મોટાભાઇ પીટેનો ૫ઃ૦૬નો રેકોર્ડ ૩ સેકન્ડસથી તોડી ૫ઃ૦૩નો નવો વિક્રમ સર્જ્યો હતો. ઝડપી દોડમાં લુઇ એક પછી એક પોતાના જ રેકોર્ડ તોડતો ગયો. થોડા સપ્તાહ પછી એક માઇલની બીજી એક દોડ સ્પર્ધામાં તેણે એક માઇલ દોડ ૪ઃ૫૮માં પુરી કરી હતી. ત્રણ અઠવાડિયા પછી એક માઈલની ટ્રેક રેસમાં તેણે ૪ઃ૫૦.૬ નો નવો સ્ટેટ લેવલનો રેકોર્ડ નોંધાવ્યો. અમેરિકાના તે સમયના અત્યંત ઝડપી રનર ગ્લેન કનિંગહામને સતત નજર સામે રાખતા લુઇને પોતાના ખુદના જ રેકોર્ડ તોડવાની જાણે ઘેલછા જાગી હતી. એપ્રિલમાં તેણે ૪ઃ૪૬ નો રેકોર્ડ કર્યો અને એપ્રિલના અંતમાં ૧ માઇલની દોડ સ્પર્ધામાં તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી ૪ઃ૪૨ નો નવો વિક્રમ નોંધાવતા અખબારોમાં તેની વાહવાહ થઇ ગઇ. એક અખબારે લખ્યું ; 'આ છોકરો દોડે છે કે ઉડે છે?' ટ્રેક રનમાં લુઇએ હવે બે ડગ આગળ માંડયા. સ્કૂલના વિદ્યાર્થીઓને બદલે તેણે હવે કોલેજના વિદ્યાર્થીઓ સાથેની દોડ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચાર્યૂ. ક્રોમ્પ્ટન ખાતે તેના મોટાભાઇ પીટે તેમજ બીજા ૧૩ કોલેજીયન રનર સાથે બે માઇલની સ્પર્ધામાં તે જોડાયો, એ વખતે લુઇની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી અને અગત્યની હકીકત તો એ હતી કે બે માઇલ લાંબી દોડ સ્પર્ધામાં અગાઉ તેણે ક્યારેય ભાગ લીધો નહોતો. પીટે અને તેની કોલેજના બીજા ૧૩ વિદ્યાર્થીઓ સાથેની દોડમાં પણ લુઇની જીત થઇ. તેના હરીફ કરતાં તે ૫૦ યાર્ડ આગળ નીકળી ગયો હતો. (ક્રમશઃ)

ગુજરાત સમાચાર 4 Aug 2021 5:35 am

ખેંચતાણ ઘણી ઘણી, ધન ખેંચે શહેર ભણી, ધણ ખેંચે ગામ ભણી

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી પાંજો કચ્છડો બારે માસ અને કોરોના ભારે ત્રાસ..... કોરોના મહામારી વચ્ચે જેમ શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા એમ કેટલાય શ્રીમંતો પણ શહેરથી દૂર પોતાના ગામડે પહોંચી ગયા. મોટા મોટા મહાનગરમાંથી વતનમાં આવેલા કચ્છીમાડુઓને લીધે કેટલાય ગામડા ધમધમી ઊઠયા. પોતાનું ગામડું કોને વ્હાલું ન હોય ? કહે છેને કે જેનું વાતાવરણ જોઇને મડુ પણ ગાવા માંડે એને કહેવાય ગામડું. છેલ્લાં દસેક દિવસથી મૂળ કચ્છના વતની એવાં પથુકાકા દેખાતા નહોતા. એટલે ખબર કાઢવા માટે કાકાના ઘરે ગયો. મેેં ઓશરીમાં બેસી ઘઊં વિણતા (હો) બાળાકાકીને પૂછયું કે 'પથુકાકા કયાં છે ? કેમ દેખાતા નથી ?' કાકી છણકો કરીને બોલ્યા 'તારા કાકા બળદિયા છે બળદિયા, એની શું વાત કરૂં?' હું તો ઘડીભર સાંભળીને ચોંકી ગયો કે પોતાના ધણીને આટલી આસાનીથી બળદિયા કહે છે ?' મારા મનનો સવાલ પારખી કાકી હસીને બોલ્યા 'તારા કાકા બળદિયા છે એટલે શું ખબર છે ? કચ્છના બળદિયા ગામે એનાં બાપ-દાદાનું મકાન છે ત્યાં એકલા રહેવા ગયા છે.' મેં પૂછયું કે 'કાકાના જીગરજાન મિત્ર મુળજીકાકા પણ નથી દેખાતા એનું શું કારણ ?' કાકીએ જવાબ આપ્યો 'ઇ મુળજીભાઇ તો કયારના કપાયા છે તને ખબર નથી ?' હું તો સાંભળીને ઘડીભર ધુ્રજી ગયો એ જોઇ કાકીએ ફોડ પાડયો કે 'અમારા કચ્છના ગામડાનું નામ કપાયા છે તને ખબર નથી ? હવે સમજણ પડી કે નહીં ? કાકા બળદિયા છે અને મુળજીભાઇ કપાયા '..... આ ગામડાના નામ સાંભળીને મને ભારે નવાઇ લાગી. એક કચ્છના જાણકારે કહ્યું કે 'માત્ર કપાયા નહી, કચ્છમાં તો નાના કપાયા અને મોટા કપાયા એમ જુદા જુદા ગામ છે ખબર છે ?' આ સાંભળીને મનમાં વિચાર આવ્યો કે આ મોંઘવારી, મહામારી અને અધૂરામાં પૂરૂં ઇંધણના દરવધારાને લીધે નાના અને મોટાના ખીસ્સા 'કપાયા' જ છેને? પેટ્રોલ અને ડિઝલનો ભાવ આમ જ વધતો રહ્યોને તો મોંઘી ગાડીઓને બદલે જતે દિવસે કચ્છના બળદિયા ગામનું નામ યાદ કરીને બળદ-ગાડામાં ફરવાનો વારો આવે તો કહેવાય નહી. તમે જોજો કે પેટ્રોલ - ડિઝલના ભાવવધારાના વિરોધમાં ય ગામેગામ જુદી જુદી પાર્ટીવાળા બળદ-ગાડામાં બેસી મોરચા અને રેલી કાઢવા માંડયા છે બરાબરને ? કહે છેને પગ નીચે આવે મોંઘવારીનો રેલો ત્યારે સહુ કાઢે રેલી, જેથી કદાચ ધ્યાન આપે પ્રજાના 'બેલી'..... મુંબઇમાં તો થોડા વખત પહેલાં દેશની જૂનામાં જૂની પાર્ટીએ બળદ-ગાડામાં રેલી કાઢી હતી. એક એક ગાડામાં ૨૦-૨૫ જણ ચડી બેઠા હતા અને સરકાર વિરૂધ્ધ જોરશોરથી સૂત્રો પોકારતા હતા. આટલા બધાનો ભાર વેંઢારીને બીચ્ચારા બળદિયાના મોઢામાં ફિણ આવી ગયા હતા. સૌથી આગળના ગાડામાં પણ કેટલાય નેતાઓ ઉભા ઉભા ઘોષણાબાજી કરતા હતા. પણ ભાર વધી જતા કડેડાટી સાથે ગાડુ તૂડયું અને નેતાઓ નીચે ફેંકાયા. બળદિયા પણ પડખાભેર પડયા. એ ઘડીએ કપડાં ખંખેરીને ઉભા થતા નેતાઓને જોઇને પથુકાકાએ ટકોર કરેલી કે 'અમથાય આ પાર્ટીના કેટલાય નેતાઓ ફેંકાઇ ગયા છે, એટલે આમાં કંઇ નવાઇ જેવું નથી. બાકી તો કહેવત છેને કે ઘરડાં ગાડા વાળે..... એમાં ઉમેરો કરીને કહી શકાય કે ઘરડા ગાડા વાળે અને જુવાન ગાડા ઊંધા વાળે બરાબરને ? ગાદી ઉપર હોય એ ફેંકયા કરે..... અને ગાદી ગુમાવી હોય ફેકાયા કરે રાજકારણને રસ્તે આવું ચાલ્યા જ કરે મારા ભાઇ, એટલે જ કહું છું : શહેર છોડી હાલો ગામડે સંધાય જણ ટેસથી ફરો ગાડામાં અને જુઓ ગોવાળિયાને ધણ પછી બળતરા નહી કરાવે આ મોંઘા ઇં-ધણ મેં કહ્યું 'કાકા ગાડી અને ગાદીમાં શું સામ્ય છે ખબર છેને ? ગાડી હોય કે ગાદી આવે ત્યારે માણસ હરખાય અને જાય ત્યારે મુંઝાય.' આ સાંભળી કાકાએ ડબકું મૂકયું કે 'અસલના વખતમાં કેવી રાજનીતિ હતી ? અત્યારે તો નીતિ વગરનું જ રાજ છેને? અગાઉ ગાદી ઉપર ખાદીના કવર જોવા મળતા અને અત્યારે કવરને બદલે ગાદીના લવર (સત્તાપ્રેમી) જોવા મળે છે.' મેં કહ્યું 'ગાંધીબાપુ કહેતા કે ગામડા ધબકતા રહેવા જોઇએ અને ગામડાવાળાને ઘરઆંગણે જ રોજગારી મળવી જોઇએ જેથી કમાવા માટે ગામડાને છોડીને શહેરમાં જવું ન પડે.' પથુકાકા કહે 'અસલના વખતમાં બહારવટિયા ગામ ભાંગવા આવતા યાદ છેને ? અત્યારે ગામડાના અંદરવટિયા જ ગામ છોડીને શહેર ભણી હાલતા થાય છે એટલે ગામ એની મેળે ભાંગતા જાય છે.' મેં કહ્યું 'કાકા શહેરમાં જઇને જે બે પાંદડે થાય છે એ ગામડાને ભૂલી શકતા નથી. પૈસાનું પાણી કરીને વિલેજ રિસોર્ટમાં જાય છે. ત્યાં ફરવા માટે બળદગાડા હોય એમાં ફરવાની મજા લે છે. ઝાડ નીચે ખાટલા પાથર્યા હોય એમાં ટેસથી લાંબા ટાંટિયા કરી એસીને બદલે દેશી હવા ખાતા પડયા રહે છે. જમવામાં પણ અસલ દેશી ખાણું ઝાપટે છે. રોટલા, રિંગણાનો ઓળો અને કચ્છી બિયર તરીકે ઓળખાતી છાશના ઘૂંટડા ભરી પેટે ડાઢક કરે છે. લંગડી અને ખો-ખો દેશી રમતો રમે છે અને ગામડાના માહોલમાં જલસા કરે છે.' કાકા છણકો કરીને બોલ્યા 'આ બધા શહેરીઓ દસ-વીસ હજાર ખર્ચીને એકાદ-બે દિવસ ગામડાનો માહોલ માણવા જાય છે એનાં કરતાં ગામડામાં રહ્યા હોત તો શું ભૂંડા લાગત ? આટલા પૈસામાં ગામડામાં તો આખા મહિનાનો ખર્ચો નીકળી જાય ખબર છે ? પણ મને લાગે છે કે ઇંધણના દર આમ જ વધતા રહ્યાં ને મોંઘવારી વધતી જ રહી તો ધીરે ધીરે શહેરમાં પણ લોકોને બળદ-ગાડામાં કે સાયકલ પર ફરતા જોઇને, રિક્ષાને બદલે ખરેખર હોર્સ-પાવરથી ચાલતી ઘોડાગાડીઓને ફેરા કરતી જોઇને અને દિલ્હીની ભાગોળે કિસાનો ફેરવે છે એવાં ટ્રેકટર ઘરઘરાટી કરતા જોઇને ગામડાની લાઇફનો જ અનુભવ થશે જોજો તે ખરા?' મેં સવાલ કર્યો કે ' બે વર્ષ પહેલાં અમેરિકાથી તમારો ગ્રાન્ડસન ઇન્ડિયા આવ્યો ત્યારે તેને ગામડાના જીવનનો પરિચય કરાવવા બળદિયા લઇ ગયેલાં એ અનુભવ કેવો રહ્યો ? આ વચમાં કોરોનાએ મેથી મારી એમાં એ પૂછવાનું રહી જ ગયું.' ખોંખારો ખાઇને કાકા બોલ્યા ' હા તેં સારૂં યાદ દેવરાવ્યું. મારો પોતરો (ગ્રાન્ડસન) સની આવ્યો ત્યારે તેને ગામડે લઇ ગયો એ વખતે અને ભારે મજા પડી ગઇ. ગામડામાં ચક્કર મારવા નીકળ્યા ત્યારે એક જગ્યાએ ગાયોને ગમાણામાં ઊભી ઊભી ખોળ ખાતી હતી. આ જોઇ સની બોલી ઉઠયો સી..... સી દાદુ કાઉ-બુફે કાઉ. બુફે. થોડે આગળ ગયા ત્યાં ભેસનો તબેલો આવ્યો. ભેંસો પણ હારબંધ ઊભી ઊભી ખાતી હતી. એટલે સની ફરી બોલ્યો દાદુુ સી..... સી બફેલો બુફે. પછી પોતે જ બોલી ઉઠયો કે દાદુ હવે મને ખબર પડી કે આપણી સોસાયટીમાં ઊભા ઊભા ખાવાની બુફેની ફેશન કયાંથી આવી. એટલે બુફેમાં જે ઉભા ઉભા ખાતા હોય તેને હું બુફેલો..... કહીશ બુફેલો ઓકે ?' કાકાએ કહ્યું હું મનોમન બોલ્યો કે 'બેટમજી આ ઇન્ડિયા છે, ઇન્ડિયા. ઊભા ઊભા ખાણાંની કયાં વાત કરે છે? અહીં ઉભા ઉભા નાણાં હજમ કરવાવાળાનો તોટો નથી. કામ કઢાવવા માટે ઊભાઊભા ખાણું નહીં નાણું ખવરાવવું પડે, નીચે ઊભો (અન્ડર-સ્ટેન્ડ?) કે નહીં ?' ગ્રાન્ડસનની વાત આગ વધારતા કાકા કહે કે 'એક જગ્યાએ ભેંસ દોહવાતી જોઇ સનીએ હઠ પકડી કે તેને પણ ટ્રાય કરવી છે ભેંસ પાસે લઇ જઇને દૂધવાળાને રિક્વેસ્ટ કરી કે આને જરા ટ્રાય કરવા આપોને ? ભલાભોળા દૂધવાળાએ સનીને પડખે બેસાડયો અને ભેંસના આંચળમાંથી દૂધ કાઢી તાંસળીમાં કેમ સેર પડે એ શીખવ્યું. પણ અજાણ્યા હાથને પારખી ભેંસ પાછલા પગ પછાડવા માંડી. પણ સની કેમેય કરી આંચળ મૂકે નહીં. એટલે રંગીન મિજાજના દૂધવાળાએ સની સામે જોઇને લલકાર્યું : છોડ દો ''આંચળ'' ઝમાના કયા કહેગા.....' ભેંસના તબેલામાંથી બહાર નીકળીને મેં ગ્રાન્ડસનને સાનમાં સમજાવ્યું કે 'દોહવાનું સહેલું નથી સમજ્યો બચ્ચુ ? પશુને જ નહીં પ્રજાને દોહતા આવડી જાય એ ડેમોક્રસીમાં કયાંના કયાં પહોંચી જાય છે ખબર છે ?' કાકાનો કિસ્સો સાંભળી હું બોલ્યો કે 'મને તો નાનપણ સાંભળેલું બાળકનૈયાનું ગીત અડધુંપડધું યાદ આવે છે : કાનુડો કામણગારો ગૈયાને દોહે કુમળા કર (હાથ)થી..... પણ આજે સરકાર પ્રજાને દોહે છે. આકરા 'કર' થી.....' ગ્રામોધ્ધારની મોટી મોટી યોજનાઓ જાહેર થાય છે છતાં કેટલાંય ગ્રામજનોએ આજેય ઉધાર લઇને જેમતેમ ગાડું ગબડાવવું પડે છે એવી ટકોર કરતા પથુકાક કહે કે 'વિના ઉધાર નહી ઉધ્ધાર..... એવી દશા છે. આ ગામડાના ખેડૂતોનો જ દાખલો લ્યોને ? એમને માટે અબજો રૂપિયાની સહાય યોજનાઓ જાહેર થાય છે. છતાં એમની આત્મહત્યાના કિસ્સા ઓછા થયા છે ? મહારાષ્ટ્રના વિદર્ભના ગરીબ ખેડૂતો બીચ્ચારા કહેતા હોય છે કે આ વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટવા અગ્નિસ્નાન કરવાનું વિચારીએ ત્યારે મનમાં થાય કે મોંઘુ પેટ્રોલ કયાંથી લાવશું ? અમારા ભાગ્યમાં તો જીવતા જ મફતમાં બળવાનું લખ્યું છે. એવા સૂત્રો પોકારાય છે દેશ કી શાન કિસાન..... પણ આ બધા ખેડૂતો મનોમન પોકારતા હશે દેશની શાન કિસાન..... ઠેકાણે લાવે લીડરોની 'સાન'.....' મેં કહ્યું આજે અડધા ખાલી પેટે રહેતા કરોડો લોકો ગામડામાં વસે છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું. બીજી બાજુ સરકાર ગામડે ગામડે ઘર ઘરમાં ટોઇલેટની ઝુંબેશ ચલાવે છે ખબર છેને ? પણ આ અડધા ભૂખ્યાના ઘરમાં ટોઇલેટ બાંધીને એનો શું ઉપયોગ ? જો ખાશે નહી તો 'જાશે' કયાંથી ? અંદર આંટો મારીને 'સાભાર પરત' થશે કે બીજું કાંઇ ?' પથુકાકા બોલ્યા તારી આ વાત પરથી કોઇ ડાયરામાં સાંભળેલું વાકય યાદ આવ્યું. શહેર અને ગામડા વચ્ચે શું ફરક છે ? વિશે હાસ્યકલાકારે કહેલું કે બહારનું ખાઇ ઘરમાં 'જાય' એ શહેરી અને ઘરનું ખાઇ બહાર (લોટે) જાય એ ગામડિયા. મેં કાકાને યાદ અપાવ્યું કે 'તમારા ગ્રાન્ડસન સની સાથે વિલેજ - વિઝીટની વાત તમે અધૂરી મૂકી એ પૂરી તો કરો ?' કાકા એકદમ તોરમાં આવી બોલી ઉઠયા કે 'ગામડાની શેરીઓમાંથી હું અને મારો પોતરો ફરતા હતા ત્યાં સનીની નજર માટીના ઘરોની માથે સૂકવેલા છાણા ઉપર પડી. તરત સની બોલી ઊઠયો કે સિટીના લોકો કરતાં આ વિલેજના 'કેટલ' કેટલી ડિસિપ્લીન મેન્ટેન કરે છે જુઓ તો ખરા ? રોડ ડર્ટી ન થાય માટે છાપરા પર 'પોટી' કરી છે, વેરી સરપ્રાઇઝીંગ' પછી મારે એેને સમજાવવું પડયું કે ગાય-ભેંસના છાણમાંથી છાણાં બનાવી તેનો ચુલામાં ઇંધણ (ફયુઅલ) તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ જવાબ દીધા પછી મને મનમાં વિચાર આવ્યો કે ઇંધણના ભાવ આસમાને ગયા પછી અને રાંધણ ગેસની કિંમત ઊંચે ગયા પછી આમ જ રાં-ધણનું ઇં-ધણ ધણમાંથી મેળવવું પડશે.' મેં કાકાને દાદ દેતા કહ્યું કે 'છાપરા માથે છાણાં થાપવાનો તમે કમાલનો કિસ્સો સંભળાવ્યો હો ?' કાકા બોલ્યા મોંઘવારી આમને આમ વધતી જતી હોવાથી અત્યારે છાપરાને માથે જ નહીં પણ નેતાઓને માથે પણ છાણા થપાય છેને ? અંત-વાણી ખેંચતાણ ઘણી ઘણી ધન ખેંચે શહેર ભણી 'ધણ' ખેંચે ગામ ભણી

ગુજરાત સમાચાર 3 Aug 2021 5:50 am

વિશ્વ: આર્થિક સંકટ અને આંદોલનોનો બેવડો માર

- આર્થિક સુધારા કરનારા દેશો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રીફોર્મ્સ લાવવાનું ચૂકી જતા વિકાસની દોડમાં અડધે જ હાંફી ગયા - કોલંબિયા, દક્ષિણ આફ્રિકા, ટયુનિશિયા સહિત અનેક દેશોમાં અશાંતિ ફેલાઈ રહી છે, શામાટે? - મુક્ત આર્થિક નીતિઓ ત્યજવાનું ચીનનું પગલું આત્મઘાતી સાબિત થઈ શકે છે પૈસા અને સ્વાસ્થ્યને સીધો સંબંધ છે. એવું નથી કે તમારી પાસે કરોડો હોય તો તમે ૭૦ને બદલે ૧૪૦ વર્ષ જીવી શકો. પરંતુ એ તમને ખુશ રાખે છે, માનસિક તણાવથી મુક્ત રાખે છે અને એ રીતે તમારા સ્વસ્થ રહેવાના ચાન્સીઝ વધારી દે છે. બેંક બેલેન્સ અને બ્લડપ્રેશર વચ્ચે એક અદ્રશ્ય સંબંધ રહેલો છે. આમાં અપવાદ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં આ જ સત્ય છે. માણસ પાસે પૈસા હોય તો એ હેપી રહે એમ દેશ પાસે પૈસા હોય તો તે પણ ખુશ રહે છે. જેવું અર્થચક્ર ખોરવાય કે અનેક પ્રકારના કોલાહલ શરૂ થઈ જાય છે. થોડા સમયથી આવું બની રહ્યું છે. કોરોનાએ વૈશ્વિક અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતારી દેતા કેટલાય દેશોમાં અશાંતિ વ્યાપી છે. દક્ષિણ આફ્રિકામાં હુલ્લડો ફાટી નીકળ્યા છે. કોલંબિયામાં હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ટયુનિશિયામાં બંધારણીય કટોકટી ઊભી થઈ છે. જ્યાં જુઓ ત્યાં બિનઉદારવાદી સરકારોની બોલબાલા છે. પેરુમાં માર્ક્સવાદીઓ સત્તારૂઢ થયા છે, તો બ્રાઝિલ અને મેક્સિકોની લોકતાંત્રિક સંસ્થાઓની સ્વતંત્રતા પર હુમલા થઈ રહ્યા છે. કોરોનાની લહેર પછી કે લહેરની સાથે જે અશાંતિની લહેરો ફુંકાઈ છે તે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જોવા મળી રહી છે. આ એવા દિવસો છે જ્યાં હજી પૂરો દિવસ પણ નથી, અને પૂરી રાત પણ નથી. આ એવા દેશો છે જે અમેરિકા બનવાનું સ્વપ્ન જૂએ છે, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં ગંદકી છે અને પ્રાઈવેટ હૉસ્પિટલો ઘર ખાલી થઈ જાય એટલી મોંઘી છે. અહીં સરકારી શાળાઓ ખખડધજ છે અને ખાનગી શાળામાં ફીના નામે લૂંટફાટ ચાલી રહી છે. અત્યાર સુધી આ બધું તો હતું જ પરંતુ આર્થિક વિકાસની સ્વપ્નીલ દોડમાં તેઓ આ બધું નજરઅંદાજ કરી રહ્યા હતા. બોમ્બની જેમ કોરોના ફાટતા તેમની નોકરીઓ ગઈ છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા તેમના સ્વજનો સ્વર્ગસ્થ થઈ ચૂક્યા છે. સ્વપ્ન ભંગ પછીની બિહામણી વાસ્તવિકતા તેમનાથી સહન થઈ શકતી નથી. અમલદારશાહીમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર હૉસ્પિટલોમાં સુવિધાઓનો પણ અભાવ અને બે છેડા ભેગા કરવામાં પડતી મુશ્કેલીએ જનતાનો અસંતોષ વધારી દીધો છે. અત્રે એ નોંધવું બિલકુલ સુસંગત છે કે બ્યુબોનિક પ્લેગમાં યુરોપની અડધી વસ્તી સાફ થઈ ગયા પછી નવજાગૃતિકાળના આંદોલનો થયા હતા. એક સર્વે પ્રમાણે કોરોનાને કારણે વિશ્વમાં ૧,૪૦,૦૦,૦૦૦ મોત થયાં છે. ચીનને બાદ કરી દઈએ તો વિશ્વની ૬૮ ટકા વસ્તી લોઅર અને મિડલ ઈન્કમવાળા દેશોમાં વસે છે. કુલમાંથી ૮૭ ટકા મૃત્યુ આ દેશોમાં થયા છે. નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં માત્ર પાંચ જ ટકા વસ્તી એવી છે જેને રસીના બંને ડોઝ મળ્યા છે. કોરોના આવ્યા બાદ મધ્યમ આવકવાળા દેશોની જીડીપીનો વિકાસદર ૫ ટકા ઘટી ગયો છે. વધી રહેલી આર્થિક સંકડામણ સામાજિક અશાંતિમાં પરિવર્તિત થઈ રહી છે. સાલ ૨૦૦૮ પછી પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. અમેરિકા અને બ્રિટન માટે આર્થિક ખળભળાટ એ નવી વાત નથી. ઊભરતા અર્થતંત્રોને આ ઘટના કીડીને કોશના ડામ જેવી લાગી રહી છે. તેઓ નિરાશાનો અનુભવ કરી રહ્યા છે. નવી શતાબ્દીની શરૂઆતમાં વિશ્વના ગરીબ દેશોને ઊંચા લાવવાની ચર્ચા શરૂ થઈ હતી. તેમાં ત્રણ બાબતો પર ભાર મુકાયો હતો. ફોરેન ટેકનોલોજી સ્વીકારો, ઉત્પાદન ક્ષેત્રે રોકાણ વધારો, અને વેપાર માટે અર્થતંત્રના દરવાજા ખોલો. પૂર્વ એશિયાની ટાઈગર ઈકોનોમીઝ આ કમાલ કરી ચૂકી હતી. આ ટાઈગર ઇકોનોમીઝ એટલે સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઈવાન. વોલસ્ટ્રીટે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઈનાને નવી સુપરસ્ટાર ઇકોનોમી ગણાવીને તેમના માટે સૌ પ્રથમ બ્રિક્સ શબ્દ પ્રયોજ્યો હતો. તેવું થયું પણ ખરું, કેટલાક ગરીબ દેશો બહુ ઝડપથી આગળ વધવા લાગ્યા. મલ્ટીનેશનલ કંપનીઓ નવા દેશોમાં પહોંચવા લાગી. ગરીબી ઘટી. નવા બહુધુ્રવીય વિશ્વનો ઉદય થયો. જેમાં બધા અગાઉ કરતાં વધારે સુગ્રથિત બન્યા. ૮૦ના દસક પછી શરૂ થયેલું આ સ્વપ્ન તેના મુકામ સુધી પહોંચી શક્યું નથી. વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા અને ચીનને જે સફળતા મળી તે બીજા એશિયન દેશોને મળી નથી. ૩૯ ટકા દેશો એવા છે જેમનો સંઘ કાશીએ પહોંચતા પહેલાં જ વિખરાઈ ગયો. બ્રાઝિલ અને રશિયા ઠંડા પડી ગયા. લેટિન અમેરિકન દેશોની ગાડી પણ ક્યાંક ને ક્યાંક પાટા પરથી ઊતરી ગઈ. મિડલ ઇસ્ટ અને ઉપસહારન આફ્રિકા ધનાઢ્ય દેશોની તુલનાએ વધારે પાછળ રહી ગયા છે. તેનું કારણ આ રાષ્ટ્રો અને તેની સરકાર વિકાસ શું છે એ સમજ્યા વિના જ વિકાસની રેસમાં જોડાઈ ગયા હતા. ઇમારત ગમે તેટલી સારી હોય પણ પાયો મજબૂત ન હોય તો ઇમારત ઊભી રહી શકે? ન રહી શકે. દેશના વિકાસ માટે પણ આવું જ છે. શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા મજબૂત ન હોય તો વિકાસ થઈ શકતો નથી અને જો એકાદ-બે વર્ષ થઈ જાય તો સાતત્ય જાળવી શકતો નથી. વિકાસની દોડમાં સામેલ થયેલા દેશોએ પણ એવું જ કર્યું. તેમણે આર્થિક સુધારા તો લાગુ કર્યા, પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રિફોર્મ્સ લાવવાનું ચૂકી ગયા. વિકાસશીલ દેશોમાં સમસ્યા શું છે એ તો બધાને ખબર છે, પણ સમાધાન કરવામાં આવતું નથી. આફ્રિકા સુસ્ત પાવર પ્લાન્સ, ભારતની ખખડધજ બેન્કિંગ સિસ્ટમ અને રશિયાનો ભ્રષ્ટાચાર તેના પગની બેડી સાબિત થયા છે. નેતાઓ, અદાલતો, મધ્યસ્થ બેંકો અને તેના જેવી જ બીજી સ્વાયત્ત સંસ્થાઓની સ્વતંત્રતા ખતમ કરી તેના પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોમાં આર્થિક ચક્ર ખોરવાતા વિરોધ ફાટી નીકળ્યો છે અને વિરોધ પ્રદર્શનો આર્થિક વિકાસને વધુ ખોરવી રહ્યા છે. આમ એક દૂષ્ચક્ર ચાલુ થઈ ગયું છે જેને રોકવું જરૂરી છે. વિકાસશીલ દેશોને અર્થતંત્ર ખોલવાની સલાહ આપતાં વિકસિત દેશો પોતાના દેશની કંપનીઓને સ્પર્ધા ન નડે તે માટે પ્રોટેક્શનિઝમની નીતિ અપનાવી રહ્યા છે. જ્યારે વિશ્વમાં પ્રોટેક્શનિઝમની નીતિ અપનાવનારા દેશોની સંખ્યા વધી જાય ત્યારે વિકાસદર ધીમો પડે છે. વિશ્વને પ્રવર્તમાન સંકટ અને અશાંતિમાંથી બહાર લાવવા માટે આ એક મોટો પડકાર છે. કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી બાળકો શાળાએ જઈ શકતાં નથી તે પણ એક મોટું વિઘ્ન છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ભવિષ્યના વિકાસના પાયામાં લૂણો લાગવાનું જોખમ છે. ચીને મુક્ત વિકાસની નીતિ અપનાવીને તેની આર્થિક સફળતાની દાસ્તાન લખી છે. આશ્ચર્ય તો એ છે કે તે પણ હવે સંકુચિત નીતિઓ તરફ ઢળ્યું છે અર્થતંત્રને વધુને વધુ બંધનયુક્ત બનાવી રહ્યું છે. અમેરિકા અને યુરોપે હંમેશા ગરીબ દેશોમાં પોતાની બજાર શોધી છે. તેનાથી ઊલટું વલણ ચીન માટે આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે છે. પશ્ચિમી દેશોએ રક્ષણવાદની નીતિ અપનાવી હોવાથી વિકાસશીલ દેશોના વેપારીઓ માટે નિકાસની તકો ઘટી છે. બીજીબાજુ ઉત્પાદન ક્ષેત્ર વધુને વધુ ઓટોમેટિવ બનતું જતું હોઈ તેમાં પણ નોકરીઓ ઘટતી જાય છે. સેવાક્ષેત્રની નોકરીઓ પણ વિકસીત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં હવે ઓછી આઉટસોર્સ થઈ રહી છે. જોકે એકની પાછળ બીજાએ ભૂલ કરવા જેવું નથી. કોઈપણ દેશમાં નોકરીની વધુને વધુ તકો ત્યારે જ ખૂલે જ્યારે મુક્ત આર્થિક નીતિઓ અપનાવાય, અને દેશમાં નોકરીઓ જેટલી વધારે હોય એટલી શાંતિ પણ જળવાય. ટેકનોલોજીનો ઉપયોગ, મુક્ત અર્થતંત્ર, સારામાં સારું શિક્ષણ અને ઉત્તમ તબીબી સેવાઓ જ કોઈપણ દેશની સકસેસ સ્ટોરી લખી શકે છે અને મળેલી સમૃદ્ધિ ટકાવી શકે છે. જીકે જંકશન * દર વર્ષે ૩૧મી જુલાઈએ વિશ્વ રેન્જર દિવસ મનાવવામાં આવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અથવા ઘાયલ થનારા રેન્જર્સને આ દિવસે યાદ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. * મલેશિયાએ હિપેટાઈટીસ માટે દુનિયાની સૌ પ્રથમ સસ્તી અને અસરકારક દવા રજિસ્ટર કરાવી છે. * સાઉદી અરેબિયાએ કેટલાક દેશો પર ૩ વર્ષનો પ્રવાસ પ્રતિબંધ લાદ્યો છે. તેમાં યુ.એ.ઈ., લીબિયા, સિરિયા, યમન, ઈરાન, તુર્કી અને ભારતનો સમાવેશ થાય છે. આ માટે તેણે જારી કરેલી સૂચિને કોવિડ-૧૯ રેડલિસ્ટ નામ આપવામાં આવ્યું છે. * શ્રીલંકામાંથી વિશ્વનો સૌથી મોટો નિલમ પથ્થર મળી આવ્યો છે. તેનો વજન ૫૧૦ કિલો અથવા ૨૫ લાખ કેરેટ છે. તેની કિંમત રૂા. ૭૦૦ કરોડ આંકવામાં આવી રહી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ પ્રમાણે ભારત પાસે ૫૦૦ કરોડ ટન સોનાનો ભંડાર છે. * કર્ણાટક રાજ્ય સરકારે ખેડૂતોના બાળકો માટે શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસ દ્વિપ પાસે જ્વાળામુખીની ઓળખ કરવામાં આવી છે. * રાજસ્થાન રાજ્ય સરકારે લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય કર્યો છે. ભારતીય નૌસેનાના જહાજ આઈ.એન.એસ. તલવારે આફ્રિકાના પૂર્વીય તટ પર યોજાયેલા કટલાસ એક્સપ્રેસ યુદ્ધ અભ્યાસ ૨૦૨૧માં ભાગ લીધો હતો. * આનંદ રાધાકૃષ્ણનને પ્રતિષ્ઠિત આઈઝનર કોમિક ઈન્ડસ્ટ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નૂપુર ચતુર્વેદી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમના નવા સીઈઓ બન્યા છે. * દર વર્ષે ૩૦મી જૂલાઈએ વિશ્વ માનવ તસ્કરી પ્રતિરોધક દિવસ મનાવવામાં આવે છે. નજીબ મીકાતિ લેબેનોનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. * આંતરરાષ્ટ્રીય ક્લિનએર કેટેલિસ્ટ પ્રોગ્રામ અંતર્ગત ભારતના એક માત્ર શહેરની પસંદગી થઈ છે, તે શહેર એટલે ઈન્દોર. * છત્તીસગઢ રાજ્ય સરકારે જમીન વિનાના ખેડૂતોને પ્રતિવર્ષ રૂા. ૬ હજાર આપવાનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડના ભૂતપુર્વ બોલર માઈક હેનરીકનું તાજેતરમાં અવસાન થયું હતું. આજની નવી જોક છગન (લલ્લુને): પરિણામ શું આવ્યું? લલ્લુ: પ્રિન્સિપાલનો છોકરો ફેઇલ થયો. છગન: ને તું? લલ્લુ: મેજર સાહેબનો છોકરો ફેઇલ થયો. છગન: તું? લલ્લુ: ડૉક્ટર સાહેબનો છોકરો ફેઇલ થઈ ગયો. છગન: ડોબા તારું પૂછું છું? લલ્લુ: તમે કંઈ રાષ્ટ્રપતિ છો કે તમારો છોકરો પાસ થઈ જાય? છગન: હેં!?

ગુજરાત સમાચાર 3 Aug 2021 5:30 am

નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સહેલગાહ

- હૈદરાબાદના રામપ્પા ટેમ્પલને માર્કો પોલોએ મંદિરની દુનિયાનો સૌથી ચમકદાર સિતારો ગણાવ્યો હતો - જર્મનીમાં ૧૮૯૫માં જુગેન્ડસ્ટીલ કલા આંદોલન થયું હતું, જુગેન્ડસ્ટીલ એટલે યુવા શૈલી : તેનું એપિ સેન્ટર હવે વૈશ્વિક ધરોહર છે વૈશ્વિક ધરોહરો શું છે? તે એવા સ્થાપત્યો છે જે આપણે જાળવવાના છે. તે એવો ભૂતકાળ છે જેનો પરિચય ભવિષ્ય સાથે કરાવવાનો છે. નવી પેઢીએ તેની પાસેથી કંઈક શીખવાનું છે. તે આપણું ગૌરવ છે. હડપ્પન સંસ્કૃતિના ધોળાવીરા નગરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરની સૂચિમાં સ્થાન આપ્યું ત્યારે આપણી છાતી ગજ-ગજ ફૂલી. હડપ્પા, મોહનજોડેરો (અથવા મોહેંજોડેરો) અને એ સમયના બીજા નગરોની મહાનતા હતી, ડ્રેનેજ સિસ્ટમ. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા. યુનેસ્કોએ વિશ્વની આવી બીજી પણ કેટલીક ઐતિહાસિક સાઈટને તેની સૂચિમાં સ્થાન આપ્યું છે. આપણી સાઈટનો સમાવેશ થાય તેનું આપણને ગૌરવ હોય તેમ બીજી સાઈટ વિશે જાણીને આપણે તેમાંથી કશુંક શીખીને તેમાંથી કંઈક નવું કરી શકીએ છીએ. તો ચાલો, આજે કેટલીક નવી વૈશ્વિક ધરોહરોની ઉડતી મુલાકાત લઈએ. (૧) ગ્વાંગજો બંદરગાહ- ચીનઃ ઇટાલિયન વિશ્વ પ્રવાસી માર્કો પોલોએ ગ્વાંગજો બંદરગાહની પ્રશંસા કરેલી. તેણે આ શહેરને અત્યંત સંપન્ન અને ભવ્ય ગણાવેલું. સિલ્ક રૂટના સમુદ્રી માર્ગો માટે આ શહેર બહુ જ મહત્ત્વનું હતું. આજે પણ તે ચાલુ સ્થિતિમાં છે અને ભરપૂર ધમધમે છે. વિશ્વના ૮૦ દેશોના ૩૦૦ પોર્ટ સાથે વેપાર કરે છે. ૧૪મી સદીમાં મિંગ વંશના શાસન કાળથી તે ચીનનું સૌથી વ્યસ્ત બંદર બની ગયું છે. (૨) યુરોપના ઝરાઃ બ્રિટનના બાથ શહેરમાં પહેલી સદીમાં ગરમ પાણીનો ઝરો બનાવવામાં આવ્યો હતો. એવા જ ઝરા યુરોપના બીજા ૧૧ શહેરોમાં પણ છે, જેને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરોની સૂચિમાં સ્થાન આપ્યું છે. બાથ શહેરના નામ પરથી જ બાથ એટલે નહાવું એવો અર્થ રચાયો. જર્મનીના બેડ કિસિંજન, બેડ એમ્સ, બેડન બેડન, ચેક રિપબ્લિકના ફ્રેન્ટીન કોવિ, કાર્લોવી વેરી, મેરી અનશ્ક લેઝન, બેલ્જિયમના સ્પા, ફ્રાંસના વિચી, ઇટલીના મોન્ટેકાટિની ટર્મ, બ્રિટનના બાથ અને ઓસ્ટ્રિયાના બેડન બેઈવીએન યુરોપ જેવા ઠંડા પ્રદેશમાં ગરમ પાણીના ઝરા વરદાનરૂપ છે. આ પાણી ઔષધિય ગુણો ધરાવે છે. (૩) કોરદુઆં દીવાદાંડી-ફ્રાંસઃ ફ્રાંસની આ ૬૮ મીટર ઊંચી દીવાદાંડી ૪૧૦ વર્ષ જૂની છે. ૧૬૧૧માં એન્જિનિયર લૂઇ દા ખૂઆએ તેની ડિઝાઈન બનાવી હતી. ત્યાં સુધી પહોંચવા સમુદ્રમાં નૌકામાં બેસીને જવું પડે છે. વિશ્વની સૌથી ઊંચી પરંપરાગત દીવાદાંડીમાં તે ૧૦મા સ્થાને આવે છે. ફ્રાંસની સૌથી જૂની આ દીવાદાંડી નવજાગૃતિ કાળનું માસ્ટરપીસ છે. તેનું બાંધકામ ૧૫૮૪માં શરૂ થયેલું અને ૧૬૧૧માં પૂરૂ થયું. (૪) ડિયરસ્ટોન સ્મારક-મોંગોલિયાઃ મોંગોલિયામાં આવેલા કાંસ્ય યુગના આ પ્રાચીન પથ્થરો પર સુંદર ચિત્રકારી કરવામાં આવી છે. તેની પર વિવિધ જાનવર તથા હથિયાર દોરવામાં આવેલા છે. આ સિવાયની પણ ઘણી બધી અજબ-ગજબ પેટર્ન બનાવાઈ છે. પથ્થરોની ઊંચાઈ ૪ મીટરની છે. તેનું વિશેષ આર્કષણ છે ઊડતા હરણોનાં ચિત્રો. તેના પરથી જ તેનું નામ ડિયરસ્ટોન પડયું છે. સર્બિયામાં આવેલા આ પથ્થરો ગ્રેનાઈટ અથવા ગ્રીન સ્ટોનના છે. (૫) હિમારોક આર્ટ-સાઉદી અરેબિયાઃ સાઉદી અરબના હિમા વિસ્તારમાં આવેલા પથ્થરો પર ૭૦૦૦ વર્ષ પહેલાં કોતરણી કામ કરવામાં આવ્યું છે. તેમાં ઊંટના ચિત્રો છે. ઉપરાંત અરબી, ગ્રીક અને મસનદ ભાષામાં વાર્તાઓ પણ લખવામાં આવી છે. તે પ્રાચીન સમયમાં આરબ દ્વિપકલ્પ પર ધબકતાં માનવ જીવનનો પરિચય આપે છે. હિમા રોક આર્ટ અંતર્ગત કુલ ૩૪ સાઈટ છે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી સાઉદી અરેબિયાની આ ૬ઠ્ઠી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. (૬) રામપ્પા મંદિર-ભારતઃ હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર ૧૩મી સદીમાં બનાવવામાં આવેલું રામપ્પા મંદિર ભારતની સમૃદ્ધ પ્રાચીન સ્થાપત્ય કળાનો પુરાવો છે. આ મંદિરને રૂદ્રેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક શિલાલેખમાં લખ્યું છે કે ઇ.સ. ૧૨૧૩માં કાકટિયા શાસક ગણપતિ દેવના શાસન કાળમાં મંત્રી રૂચાર્લા દ્વારા મંદિરનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. માર્કો પોલોએ તેની મુલાકાત લીધી હતી અને તેને મંદિરોની ગેલેક્સીનો સૌથી ચળકતો સિતારો ગણાવ્યો હતો. બાંધકામ રામપ્પા નામના શિલ્પી દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનું આ એક માત્ર મંદિર છે જે તેના શિલ્પીના નામથી ઓળખાય છે. (૭) પાસેઓ ડેલ પ્રાદો- સ્પેનઃ મેડ્રિડમાં ૧૬મી સદીમાં બનેલો માર્ગ અને ૧૭મી સદીમાં તેના કિનારે બનેલું ઉદ્યાન આજે વૈશ્વિક ધરોહર બની ગયા છે. આ ગાર્ડનમાં કળા અને સંસ્કૃતિની અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ ફૂલની જેમ ઊગી છે. જેમ કે પ્રાદો મ્યુઝિયમ અને રાયનાસોફિયા આર્ટ ગેલેરી. મેડ્રિડ ફરવા આવનારા પ્રવાસીઓ તેની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ત્યાં આવેલા ત્રણ મ્યુઝિયમ ગોલ્ડન ટ્રાયંગલ તરીકે ઓળખાય છે. કલાના રસિકો માટે તે તીર્થધામથી જરાય કમ નથી. (૮) ડાર્મશ્ટાટ મેથિલ્ડેનહોહે-જર્મનીઃ જર્મનીના હેસિયન પ્રાંતના ગ્રાન્ડ ડયૂક અર્નેસ્ટ લુડવિગે ૧૮૯૯માં કલાના પ્રચાર-પ્રસાર માટે આ સંસ્થાનું નિર્માણ કરેલું. ૧૯૦૧થી ત્યાં કલાના પ્રદર્શનો યોજાતા. અહીં રશિયાની ઓર્થોડોક્સ કલાનું ચર્ચ એક પ્રદર્શન હોલ અને પ્રખ્યાત વેડિંગ ટાવર આવેલા છે. વેડિંગ ટાવર અર્નેસ્ટ લુડવિગના બીજા લગ્નના અનુસંધાને બનાવવામાં આવ્યો હતો. આ જગ્યાને કલાકાર કોલોની તરીકે પણ ઓળખવામાં આવે છે. જુગેન્ડસ્ટીલ કલાકારો અહીં રહેતા અને પોતાનું કામ કરતાં. જુગેન્ડસ્ટીલનો અર્થ થાય છે યુથ સ્ટાઈલ, યુવા શૈલી. આ એક કલાકીય ચળવળ હતી જે ૧૮૯૫થી શરૂ થયેલી અને ૧૯૧૦ સુધી ચાલેલી. જર્મન કલાકાર જ્યોર્જ હીર્થે જુગેન્ડ નામનું સામયિક શરૂ કરેલું તેના પરથી જુગેન્ડસ્ટીલ ચળવળ શરૂ થયેલી. જ્યોર્જ હીર્થ ગ્રાફિક્સ આર્ટ અને ઇન્ટિરિયર ડેકોરેશન ક્ષેત્રે સક્રિય હતા. (૯) ન્યુ ડચ વોટર લાઈન-નેધરલેન્ડઃ નેધરલેન્ડમાં સુરક્ષા વ્યવસ્થાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલી ન્યુડચ વોટર લાઈન ૪૫ કિલ્લા અને ૬ કિલ્લેબંધીઓનો એક સમૂહ છે. આ વ્યવસ્થા ૮૫ કિલોમીટરમાં ફેલાયેલી છે. દુશ્મન દેશોને નજીક આવતા રોકવા માટે તેનો ઉપયોગ થતો હતો. આ અંતર્ગત કુદરતી જળ પ્રવાહોની સાથે કૃત્રિમ જળ પ્રવાહોનું સાયુજ્ય રચવામાં આવ્યું છે. ઓલ્ડ ડચ વોટર લાઈનનું નિર્માણ ૧૭મી સદીમાં ફ્રેડરિક હેનરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલ્ડ ડચ વોટર લાઈન ૧૬૨૯થી ૧૮૧૫ દરમિયાન બાંધવામાં આવી અને ન્યુ ડચ લાઈન ૧૮૧૫થી ૧૯૪૦ દરમિયાન. પાણીથી રક્ષણ મેળવવાની આ ઘટના આપણા વૈદિક શ્લેકની યાદ અપાવે છે. જળથી રક્ષો, જળ વડે રક્ષો. (૧૦) પાડુઆના ભીંત ચિત્રો-ઇટલીઃ ૧૪મી સદીના આ મશહૂર ભીંત ચિત્રો ૮ ધાર્મિક અને ધર્મનિરપેક્ષ ઈમારતો પર બનાવવામાં આવેલા છે. તે ઇટાલીના પડુઆ શહેરમાં સ્થિત છે. અલગ-અલગ કલાકારો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો એક જેવા જ લાગે છે. આ ચિત્રોમાં પ્રકૃતિ અને માનવ સમુદાય એકમેકમાં ઓતપ્રોત થતા દેખાય છે. ઇટાલી ફરવા જતા વિશ્વ પ્રવાસીઓ માટે તે વિશેષ જોણું બની રહે છે. (૧૧) ટ્રાન્સ ઇરાનિયન રેલવેઃ ૧૯૨૭થી ૧૯૩૮ વચ્ચે બનેલી ટ્રાન્સ ઇરાનિયન રેલવે એક દૃષ્ટાંતરૂપ રેલવે નેટવર્ક છે. ૧૩૯૪ કિ.મી. લાંબી આ રેલલાઈન કાસ્પિયન સમુદ્રને ફારસની ખાડી સાથે જોડે છે. આમ તો કાસ્પિયન સી વિશ્વનું સૌથી મોટું સરોવર છે. ટ્રાન્સ ઇરાનિયન રેલવે નેટવર્ક અંતર્ગત ૩૨૪ પૂલ અને ૨૨૪ ગુફા છે. રઝા શાહે તેનું બાંધકામ કર્યું હતું. તે પછીના શાસકોએ તેનો વિસ્તાર કર્યો. ૧૯૩૮માં બંદર શાપુરથી બંદર શાહ સુધીનો જે રુટ બાંધવામાં આવ્યો હતો તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો છે. જવાહરલાલ નહેરુએ કહ્યું છે, ભૂતકાળમાં રહેવું ન જોઈએ, પરંતુ ભૂતકાળમાંથી શીખવું જોઈએ. ભૂતકાળમાંથી શીખેલા સબક અને વર્તમાનનો પરિશ્રમ બહેતર ભવિષ્યના નિર્માણની ગેરેન્ટી આપી શકે છે. આજની નવી જોક છગન (લીલીને) : મને અલાદીનનો ચિરાગ મળ્યો. લીલીઃ વાહ! તમે શુું માગ્યું જીન પાસે? છગનઃ મેં જીનને કહ્યું કે તારો મગજ ૧૦ ગણો વધારી દે. લીલીઃ પછી? છગનઃ જીન કહે. શૂન્યને ગમે તેટલા સાથે ગુણો જવાબ ઝીરો જ આવે. લીલીઃ હેં!? જીકે જંકશન - દર વર્ષે ૨૮મી જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. આસામના મુખ્યમંત્રીએ વાસ ઔદ્યોગિક પાર્કનો શીલાન્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાસના વિવિધ ઉપયોગમાંથી એક ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે પણ થઈ શકે છે. - તાજેતરમાં બેડમિંટન પ્લેયર નંદુ નાટેકરનું નિધન થયું હતું. આઈએમએફે અંદાજ બાંધ્યો છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ૯.૫ ટકા રહશે. - બિહારમાં દેશની સૌપ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કિને ભારતની મુલાકાત લીધી હતી. - ઓડિશા દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં નળમાં આરઓ વોટર અવેલેબલ બનાવવાની યોજના શરૂ થઈ છે. યોજનાનું નામ છે ડ્રિંક ફ્રોમ ટેપ. આ યોજનાનું સર્વપ્રથમ અમલીકરણ પુરીમાં થયું છે. હવે તમે ત્યાં ડાયરેક્ટ નળનું પાણી પી શકો છો. - બસવારાજ એસ. બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. અમેરિકન સરકારે રસીકરણમાં ભારતની મદદ માટે ૨૫ મિલિયન ડોલરની સહાય જાહેર કરી છે.

ગુજરાત સમાચાર 2 Aug 2021 2:30 am

ગુજરાતના શિક્ષણજગતના ધ્રુવતારક સમા પથદર્શક દાઉદભાઈ ઘાંચી

- શિક્ષક એ વિદ્યાર્થીનો રોલ મૉડેલ છે. એનામાં કોઇ ઉણપ ચલાવી લેવાય નહીં ! - ઇંટ અને ઇમારત- કુમારપાળ દેસાઈ ૧૯૨૭ની એકત્રીસમી જુલાઈ ૯૫મા વર્ષમાં પ્રવેશતા ગુજરાતના શિક્ષણજગતના ધુ્રવતારક સમા પથદર્શક દાઉદભાઈ ઘાંચી એમના વર્ગમાં કવિ બાયરનની પંક્તિઓ ટાંકીને કહેતાં, 'ખુલ્લું નિરભ્ર આકાશ અને લાંબો પંથ એ એના સૌંદર્યને કારણે નહીં, પણ તેમાં સુષુપ્તપણે રહેલી અનંત શક્યતાઓને કારણે મને ખૂબ ગમે છે.' શિક્ષક-ઋષિ દાઉદભાઈ ઘાંચીએ શિક્ષણની આવી અનંત શક્યતાઓ તાગી છે અને તેમના વિદ્યાર્થી હોય કે તાલીમાર્થી હોય, એ સહું કોઇમાં મૌલિક દ્રષ્ટિથી કિંતુ શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરવાની અનંત શક્યતાઓની ક્ષિતિજ ઉઘાડી આપી છે. ગુજરાત જે કેટલાંક મૂઠી ઊંચેરા શિક્ષકોથી ઉજળું છે એમાંના એક તે શિક્ષકત્વથી શોભતા ડૉ. દાઉદભાઈ ઘાંચી છે. શિક્ષણ પામવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે અને શિક્ષણ આપવા માટે કેટલી મહેનત કરવી પડે એનો આદર્શ દાઉદભાઈએ આપણને આપ્યો છે એ દરેક તાલીમાર્થીની શક્તિ અને મર્યાદાઓ પિછાણી એમની વિદ્યાકીય મુશ્કેલી દૂર કરતા. વર્ગમાં આવતાંની સાથે જ બ્લેક બોર્ડ પર મહત્વનાં મુદ્દાઓ અને વિચારોની નોંધ લખતાં, તો ગ્રંથાલયમાં કલાકોના કલાકો વિતાવીને એ નવા વિચારોથી વાકેફ થતાં અને પોતાની અંતરદ્રષ્ટિનો ઉપયોગ કરીને એ વિચારોને શિક્ષણ જગતમાં વહેતા કરતા હતા. શિક્ષણના આ ઋષિએ શિક્ષણપ્રાપ્તિ માટે અથાગ પુરુષાર્થ કર્યો છે. એમનો જન્મ મધ્યમ વર્ગીય મુસ્લિમ ઘાંચી પરિવારમાં થયો. એમનો પારિવારિક વ્યવસાય તેલઘાણીના ગૃહઉદ્યોગનો હતો. નાની ઉંમરે એમણે પિતાની છત્રછાયા ગુમાવી અને માતા પાસેથી કાર્યનિષ્ઠાના પાઠ શીખ્યાં. એમનાં કાકા પાસેથી એ ઘાણી ચલાવવાનું શીખ્યાં. બળદ પાસેથી કામ લેવા માટે ખૂબ સાવચેતી અને ેક્ષમતાની જરૂર હતી. ઘાણીથી થતી આવક એ કુટુંબની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો. પૂરક આવક માટે તેલ ઉપરાંત અન્ય પરચૂરણ ચીજવસ્તુઓનું વેચાણ કરતા અને સાથોસાથ એક-બે ભેંસ રાખીને તેનું દૂધ વેચી આવક ઊભી કરતાં. આ આર્થિક ઉપાર્જનના કામમાં આખુંય કુટુંબ જોડાઈ જતું અને એ કુટુંબ પાસેથી દાઉદભાઈને મહત્તમ પુરુષાર્થ, ચીવટભરી કરકસર અને નેક કમાણીનું શિક્ષણ મળ્યું. દાઉદભાઈમાં શિક્ષણની ધગશ એવી કે અનેક અવરોધો આવતાં હોવા છતાં એમાં વધુ અભ્યાસ અને સતત પ્રગતિ કરતાં રહ્યાં. આને માટે ક્યારેક યતિમખાનાનાં છાત્રાલયમાં નિઃશુલ્ક ભોજન અને નિવાસની વ્યવસ્થાનો પણ ઉપયોગ કર્યો. એમની ઉચ્ચશિક્ષણની ઝંખના એમને એ સમયની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાં લઇ આવી અને અહીં ફિરોઝ દાવર, ધીરુભાઈ ઠાકર, ટી. એન. દવે, એમ.એન. જોશી વગેરે જેવા આદર્શ શિક્ષકો પાસેથી અભ્યાસ કરવા મળ્યો. કોલેજકાળમાં દક્ષિણા ફેલોશિપ પણ મેળવી અને ગુજરાત કોલેજમાં ફેલો તરીકે કામ કર્યું. એ પછી બી.એડ્. અને એમ.એડ્ની પદવી મેળવી. ૧૯૬૮ના જૂનથી મોડાસામાં કોલેજ ઓફ એજ્યુકેશનમાં જોડાયાં અને મોડાસા કોલેજમાં ડૉ. ધીરુભાઈ ઠાકરના નેતૃત્વ હેઠળ એમણે અનેક નવા આયામો સિદ્ધ કર્યા. આચાર્ય તરીકે શિક્ષણ સંસ્થાનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ ટકાવી રાખવા માટે એમણે માનવસંબંધો પર વિશેષ ભાર મુક્યો અર્થાત્ એટલે કે વાલીઓ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને આચાર્યો આ બધાં વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો સર્જાય એવાં આગવાં આયોજનો કરતાં. નવીન શિક્ષણ પદ્ધતિઓ વિકાસવવાની સાથોસાથ શૈક્ષણિક કાર્ય રસપ્રદ અને માહિતીસભર કેમ બને એનું માર્ગદર્શન આપતાં. અરે, વર્ગખંડમાં કઇ કઇ વસ્તુઓ લઇને જવું, વર્ગમાં ગયા પછી કેમ બેસવું, કેવી રીતે ઊભા રહેવું એ પણ તેઓ શીખવતાં હતા. શિક્ષક એ વિદ્યાર્થીઓને માટે રોલ મોડલ છે આથી એનામાં કોઇપણ પ્રકારની ઉણપ ચલાવી શકાય નહીં. એણે જેટલો એનો વિષય અને આત્મસાત કર્યો હોય, એટલો એ વિષયને વધુ ન્યાય આપી શકે. સિમ્પોઝિયમની પદ્ધતિ દ્વારા નવા નવા પ્રકલ્પો રચતાં હતાં અને પછી તો શૈક્ષણિક અને ઇત્તર પ્રવૃત્તિમાં અહેવાલ લેખન, લેખનકલા, પુસ્તક સમીક્ષા, વાર્તાલેખન એ બધુ શીખવવામાં આવતું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ યોગ: કર્મસુ કૌશલમ્ । એ પ્રમાણે દરેક પ્રવૃત્તિ શિસ્ત, સમજ, નિષ્ઠા અને સંશોધન સાથે કરવામાં આવતી. આ એક એવા શિક્ષક છે કે જેમણે ગુજરાતને સાચા શિક્ષકત્વની ઓળખ આપી. પુસ્તકમાં રહેલાં જ્ઞાાનની વાત તો ખરી, પણ સાથોસાથ એમણે એમનાં વિદ્યાર્થીઓને જીવનશિક્ષણ આપ્યું અને એથીયે વધુ તેઓ કહેતાં કે શિક્ષક પાસે એક કરતાં વધુ વિષયો શીખવાની ક્ષમતા હોવી જોઇએ. નવમાં ધોરણમાં હતા, ત્યારે શિક્ષક આઈ.એમ. જોશી સાહેબે તેમનાં રેડિયો જેવાં અવાજની ટકોર કરી હતી. એની એમને એટલી બધી પીડા હજી પણ સ્મરણમાં છે અને તેથી શિક્ષકના શબ્દો, ટીકા-ટિપ્પણ કે હાવભાવ વિદ્યાર્થીના ચિત્ત પર ઊંડી અસર કરે છે, એ ભાવ એમનામાં પહેલેથી જ દ્રઢ થયો. દાઉદભાઈની જ્ઞાાનયાત્રાનો વિચાર કરીએ, ત્યારે એમ લાગે કે ઉત્તર ગુજરાતના આ ઋષિ સાંદિપનીએ શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનાં વિદ્યાર્થીઓમાં એક નવી ચેતના જગાવી છે. તેઓ વિદ્યાર્થીઓમાં એટલા બધાં ઓતપ્રોત બની જતાં કે એમના આ શિષ્યો સાથે હંમેશાં જીવંત સંપર્ક રહેતો. એમનો તાલીમાર્થી મળે તો એની પ્રગતિનો આલેખ માગે અને સાથોસાથ એની સામાજિક નિસબત કેટલી છે, તે જાણવા પ્રયત્ન કરે. એકેએક વિદ્યાર્થીને ઓળખી કાઢે. આજે પણ પચાસેક વર્ષ પહેલાં એમની પાસે અભ્યાસ કરનારા વિદ્યાર્થીને જુએ, ત્યારે એને નામ દઇને બોલાવે. આવી અકબંધ સ્મૃતિ ધરાવતા દાઉદભાઈ પાસે આજે પણ પાંચ-દસ મિનિટ બેસો, તો પણ એમના શિક્ષકત્વનો વૈચારિક અને ભાવનાશાળી સ્પર્શ થયા વિના ન રહે. સાબરકાંઠાના હૃદયસમા મોડાસાને કર્મભૂમિ બનાવી, મોડાસા એજ્યુકેશન કોલેજમાં આચાર્ય તરીકે એમણે અનેક નવા આયોજનો કર્યા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાકાળના વર્ષોમાં ૧૯૮૭ની ૧૭મી નવેમ્બરથી ૧૯૯૨ની ૩૧મી જુલાઈ સુદી એમણે કાર્ય કર્યું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિચાબીજમાંથી એનો વિકાસ કરવાને માટે કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિાક સાથે કાર્ય કર્યું અને એમની નિવૃત્તિ બાદ ૧૯૯૨ની ૧લી ઓગસ્ટથી ૧૯૯૪ની ૫મી એપ્રિલ સુધી એમણે કાર્યકારી કુલપતિ તરીકે કામગીરી બજાવી. દાઉદભાઈ કોઇપણ કામ પ્રારંભ કરે, ત્યારે એમની નજર સામે એક નક્શો હોય. પરંપરાની સાથે શિક્ષણની નવી આબોહવાને ઓળખીને તેઓ તેમાં પરિવર્તન આણે અને એ રીતે તેમનાં માર્ગદર્શન હેઠળ 'એક કામ કરતી' યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. મોડાસા કોલેજ અને યુનિવર્સિટીના એમનાં કાર્યો એક શિક્ષકની ધગશ અને જીવંત ચેતનાનો પુરાવો બની રહ્યાં. બાળપણમાં માતા અને કાકા પાસેથી જે શિસ્તના પાઠ શીખ્યા હતા, એ જ શિસ્તના તેઓ આગ્રહી રહ્યા. પરિણામે એવું વાતાવરણ સર્જી શક્યા કે જ્યારે એમની પાસેથી અભ્યાસ કરીને બહાર નીકળેલાં વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં કોઇ મુશ્કેલી પડી નહીં. એક વક્તા તરીકે દાઉદભાઈ ગુજરાતના શિક્ષણજગતમાં જ નહીં, પણ બધાં ક્ષેત્રોમાં પોતાની આગવી છાપ ઉપસાવી શક્યાં હતાં. એમનાં નવીન અને આધુનિક વિચારોથી સહુના ચિત્તને આકર્ષી લેતા અને એમાં વચ્ચે ક્યાંક છટાદારી રીતે ઉર્દૂ શાયરી બોલીને પોતાનાં વિચારને વધુ પ્રભાવક બનાવતાં હતા. એમની પાસે એવી વક્તવ્યની છટા છે કે કોઇપણ પ્રસંગે દાઉદભાઈ હોય એટલે નવા વિચારો, નવું વાતાવરણ અને નવી તાજગીનો અનુભવ થાય! ખુમારી તો એવી કે એકવાર એક કાર્યક્રમમાં એમણે પૂજ્ય મોરારીબાપુ પાસે એમની કાળી કામળી માંગી અને કહ્યું કે, 'આ કોઇ જાદુઈ કામળી છે એમ કહેવાય છે. મને આપો.' એમની આ હિંમત કાબિલે દાદ કહેવાય. વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપૂએ પોતાની કામળી દાઉદભાઈના ખભા પર પહેરાવી. છેક મોડાસા અને પાટણથી માંડીને સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશોમાં પણ દાઉદભાઈના શિક્ષકત્વએ પોતાનાં વિચાર-વૈભવથી સહુને પ્રેરણા આપી છે. શિક્ષક તરીકેના પોતાના કર્તવ્યને ઇશ્વરની મહામૂલી દેન સમજતાં દાઉદભાઈએ વિશ્વકોશના શિલ્પી ડૉ. ધીરુભાઈ ઠાકરની વિદાય પછી વિશ્વકોશના સ્વજનોને આગળ વધવાની અને નવયુગના સર્જન કરવાની ખોબે ખોબે પ્રેરણા આપી છે. શિષ્યવૃત્તિ લઇને અભ્યાસ કરનારા દાઉદભાઈએ ત્રણ-ત્રણ વખત અમેરિકન ફૂલબ્રાઇટ સ્કોલરશીપ પ્રાપ્ત કરી હતી, તો એવી જ રીતે નવ વર્ષ સુધી યુનિવર્સિટીના કુલનાયક અને ઉપકુલપતિ તરીકેનું ઉચ્ચપદ શોભાવ્યું હતું. એમના કહેવા પ્રમાણે શિક્ષકને વર્ગ કે વિષયના બંધનમાં બાંધી ન શકાય. શિક્ષકત્વ પામવું એ જ એક મોટી સિદ્ધિ છે. એમનો શિક્ષક એમના વિદ્યાર્થી જીવનના અનુભવોમાંથી સર્જાયો છે. એકવાર એમના શિક્ષકે એમને વાંકા વળીને પગનાં અંગૂઠા પકડવાની સજા કરી. સંજોગવશાત્ શિક્ષકને વર્ગની બહાર જવું પડયું અને દોઢેક કલાકે પાછા આવ્યા. આ નાનો વિદ્યાર્થી દાઉદ હજી પગનાં અંગૂઠા પકડીને ઊભો હતો. શિક્ષકને આ જોઇને પારાવાર દુઃખ થયું અને વિદ્યાર્થીની માફી માંગી. શિક્ષકની આજ્ઞાાનું આટલી હદે પાલન કરવા માટે શાબાશી આપી અને પછી એ શિક્ષકે કોઇ વિદ્યાર્થીને આવી શિક્ષા કરી નહીં. આ ઘટનામાંથી વિદ્યાર્થી દાઉદભાઈએ એક નવીન અર્થ તારવ્યો અને તે એ કે શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાાન આપતો નથી, પણ વિદ્યાર્થી પણ શિક્ષકને નવો બોધ આપી શકે. દાઉદભાઈના અંગ્રેજી ગ્રામરે ત્રણ-ત્રણ પેઢીઓને તૈયાર કરી. દેશ અને વિદેશની જુદી જુદી યુનિવર્સિટીમાં એમણે વ્યાખ્યાન આપ્યાં છે. તેઓ ઉર્દૂ, અંગ્રેજી અને ગુજરાતી તો જાણે, પરંતુ એમણે સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કર્યો છે. અને તેઓ માને છે કે, ભાષાનો કોઇ ધર્મ સાથે સંબંધ હોવો જરૂરી નથી અને વ્યક્તિની મહત્તા એના ધર્મથી નહીં, પણ એની માનવતાથી થાય છે. આવા દાઉદભાઈના સંઘર્ષમય જીવનનાં પ્રસંગો, એમની વિશિષ્ટ જ્ઞાાનયાત્રા અને એમનાં નવીન શિક્ષણ પ્રયોગોનો ગ્રંથ ગુજરાતી વિશ્વકોશ દ્વારા પ્રગટ થશે, ત્યારે આજની અને આવતીકાલની પેઢીને શિક્ષકત્વનો અક્ષરમાં આલેખાયેલો આદર્શ મળી રહેશે અને એની સાથે શિક્ષણના બંધિયાર ક્ષેત્રમાં પરિવર્તનનો બુલંદ અવાજ કરનાર શ્રી દાઉદભાઈ ઘાંચીના મુખેથી વારંવાર સાંભળેલો ગાલિબનો આ કલામ યાદ આવશે. 'મૌજોં કા તકાજા હૈ, દોસ્તો, કહાં તક ચલેંગે કિનારે-કિનારે ?' આજની વાત બાદશાહ: બીરબલ, ભારતના શા ખબાર છે? બીરબલ: જહાંપનાહ, એક વિરોધપક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે, ખેડૂતોની આત્મહત્યા માટે પ્રધાનમંત્રી દોષિત છે, ત્યારે કોઇએ એ નેતાને પ્રશ્ન કર્યો કે, 'કેફે કૉફી ડે'ના કરોડપતિ માલિકે આત્મહત્યા કરી શા માટે ? બાદશાહ: શું જવાબ આપ્યો ? બીરબલ: વિરોધપક્ષના નેતાએ ઉત્તર આપ્યો કે, 'આવો આઉટ ઑફ કોર્સ' પ્રશ્ન પૂછો નહીં. પ્રસંગકથા વચન વાયદામાં પલટાઈ જાય છે ! સમાજવાદી વિચારધારા ધરાવતા દેશના મહાન નેતા રામમનોહર લોહિયા એકવાર જર્મનીના બર્લિન શહેરમાં પોતાના મિત્ર સાથે મોટરમાં ઘૂમવા નીકળ્યા હતા. તેઓ થોડી વધુ ઝડપે ગાડી ચલાવતા હતા અને રસ્તા પર સામેથી એક ખેડૂત લાઇટ વગરના ટેમ્પામાં શાકભાજી લઇને નીકળ્યો હતો. લોહિયાજીની ગાડી એ ખેડૂતના લાઇટ વગરના ટેમ્પા સાથે અથડાઈ. એ ખેડૂત ટેમ્પા પરથી રસ્તા પર બહાર પડી ગયો અને ટેમ્પામાં રહેલી શાકભાજી રસ્તા પર આમતેમ પડી. જર્મન ખેડૂત લોહિયાજીને ખરી-ખોટી કહેવા લાગ્યો અને ધમકી આપતાં કહ્યું, 'જુઓ, અહીંથી ભાગશો નહીં, હું હમણાં જ પોલીસને બોલાવી લાવું છું' લોહિયાજીએ એને કહ્યું, 'તારે જે કંઇ નુકસાન થયું હોય તે ભરપાઈ કરવા હું તૈયાર છું' છતાં ખેડૂત માન્યો નહીં, ત્યારે લોહિયાજીએ કહ્યું, 'ભલે, તમારી ઇચ્છા છે તો તમે પોલીસને બોલાવી લાવો. હું વચન આપું છું કે હું અહીં ઊભો રહીને તમારી રાહ જોઈશ.' ખેડૂત પોલીસને બોલાવવા ગયો અને એને દૂર ગયેલો જોઇને લોહિયાજીના મિત્રએ કહ્યું, 'ચાલો, હવે ગાડી હંકારી મૂકો. અહીંથી ભાગી નીકળીએ. માંડ મુસીબત ટળી.' પણ લોહિયાજી માન્યા નહીં, મિત્રએ ઘણું સમજાવ્યા, છતાં એ અહીંથી જવા તૈયાર નહોતા. એવામાં પેલો જર્મન ખેડૂત પોલીસને વિશે બબડાટ કરતો આવી પહોંચ્યો, કારણ કે, પોલીસ એની સાથે આવવા તૈયાર થઇ નહોતી. લોહિયાજીને ઊભેલા જોઇને ખેડૂતને અતિ આશ્ચર્ય થયું. એણે કહ્યું, 'હું તો એમ માનતો હતો કે તમે નાસી છુટયા હશો, પણ તમે તો અહીં જ ઊભા છો.' લોહિયાજીએ કહ્યું, 'હું કઈ રીતે ભાગી શકું, મેં તમને વચન આપ્યું હતું કે તમે આવશો એ પહેલાં હું અહીંથી જઇશ નહીં, તો પછી ભાગી જવાની વાત જ ક્યાં ?' જર્મન ખેડૂત લોહિયાજીથી પ્રભાવિત થઇને ચૂપચાપ ચાલ્યો ગયો અને લોહિયાજીનું વચનપાલન જોઇને એમનો મિત્ર પણ આશ્ચર્યચકિત બની ગયો. આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં નેતાઓ વચનોની લહાણી કરે છે એમ કહેવાય છે, પરંતુ નેતાની સાથે પ્રજા પણ વચનો આપવામાં અને તેનું પાલન નહીં કરવાની બાબતમાં પાછી પડતી નથી. અધિકારી સરકારી કામ પૂરું કરવા અંગે વચન આપે કે વેપારી રકમ પાછી આપવા માટે વચન આપે, એવા વચનો પળાતા નથી. આની અસર સામાન્ય માનવીઓ પર પણ થાય છે. તેઓ પણ આપેલું વચન ગંભીરતાથી લેતા નથી અને અંતે આપણા દેશમાં આપેલું વચન એ આપેલાં વાયદામાં ફેરવાઈ જાય છે. કોઇપણ દેશની પ્રગતિ માટે વચનબદ્ધતા અનિવાર્ય છે. જાપાન કે ઇઝરાયેલની પ્રગતિનું કારણ એના નેતા અને પ્રજાએ આપેલા વચનોના પાલનમાં રહેલી છે. 'પ્રાણ જાય, પણ વચન ન જાય' તેમ માનનારી આપણી પ્રજા ક્યારે વચનપાલક બનશે ?

ગુજરાત સમાચાર 29 Jul 2021 5:35 am

વિદેશી મૂળ ધરાવતા ભારતીય ખાનપાન

- આશ્ચર્ય તો એ વાતનું છે કે પોર્ટુગીઝ ભારતમાં બટેટા લાવ્યા એ પહેલા આપણે ફરાળ શેનું કરતા હોઈશું!? - જલેબી અને નાન ઇરાની, દાળભાત નેપાળી, રાજમા મેક્સિકન ફૂડ આઇટમ છે - આજે સૌથી વધુ ઑનલાઇન ઑર્ડર જેનો અપાય છે તે બિરયાની મોગલો દ્વારા ભારતમાં લવાઈ છે માનવ જાતિનો ઈતિહાસ સ્થળાંતરોનો ઇતિહાસ છે. કોઈ વ્યક્તિ જ્યારે તેનું વતન છોડીને જાય ત્યારે એક આખી સંસ્કૃતિ તેની સાથે સ્થળાંતર કરતી હોય છે. સંસ્કૃતિ એટલે ભાષા, રીતિરીવાજો, ઉપાસના પદ્ધતિ, પહેરવેશ, લોકકળાઓ અને ખાન-પાન. સ્થળાંતરિત થયેલા લોકો નવી સંસ્કૃતિમાં સાકરની જેમ ભળી જાય છે તો સાથોસાથ દૂધને જરાક ગળ્યું પણ કરે છે. ઘણી વાર તો વિદેશથી આવેલી કોઈ ફૂડ આઈટમ કે કોઈ શબ્દ કે કોઈ કળા બીજા દેશમાં વાઈરલ બની જાય છે. ઘણી વખત મૂળ રૂપમાં તો ઘણી વખત બદલાયેલાં રંગ-રૂપ સાથે. આજે એવી કેટલીક ખાણીપીણીની વાત કરવી છે, જે વિદેશથી આવી અને ભારતીયોની પોતિકી બની ગઈ. (૧) નાનઃ ગુજરાતની હોટલોમાં ગુજરાતીથી વધારે પંજાબી ફૂડ ખવાય છે અને તેમાં પનીરના શાક સાથે અચૂક ઓર્ડર હોય છે નાનનો. તમને જાણીને નવાઈ લાગશે કે નાન ભારતીય નહીં પણ ઈરાનિયન ખાદ્ય પદાર્થ છે. નાન જે તંદુર પર પકવવામાં આવે છે એ તંદુર જ ઈરાનથી વાયા અફઘાનિસ્તાન ભારત આવેલા છે. અફઘાનિસ્તાનથી કાશ્મીર, કાશ્મીરથી પંજાબ અને ત્યાંથી આખા ભારતમાં ફેલાયા. આજે ઈરાનિયનો કરતાં વધારે નાન ભારતીયો ખાય છે. હવે અમેરિકા યુરોપમાં પણ નાન મળે છે. (૨) ચાઃ આ મૂળે ચાઈનીઝ પીણું. અંગ્રેજો ભારત લઈ આવ્યા અને ત્યાંથી લગભગ સમગ્ર વિશ્વમાં ફેલાયું. ચા, કોફી અને કોકોનો ઈતિહાસ સંસ્થાનવાદી ઈતિહાસ સાથે ગજબનો તાલમેલ ધરાવે છે. જે દેશો પર અંગ્રેજોનું રાજ રહ્યું ત્યાં ચા વધારે લોકપ્રિય છે તો જે દેશો પર સ્પેન્યાર્ડ્સનું રાજ રહ્યું ત્યાં કોકો. ભારતમાં ચામાં જેટલું દૂધ મિક્સ કરાય છે એટલું બીજે ક્યાંય કરાતું નથી. સ્વાસ્થ્યપ્રેમીઓમાં ગ્રીન ટી પીવાનું ચલણ વધતું જાય છે. આરોગ્યપ્રેમીઓ તેમાં મધ અને આદુ ઉમેરીને તેને ઓર આરોગ્યપ્રદ બનાવે છે. ચીનમાં ચા દવા તરીકે પીવાતી. કાફેમાં કે રેસ્ટોરાંના મેનુમાં હર્બલ ટી વાંચવા મળે તો આમ નવું લાગે પણ આમ આ જરાય નવું નથી. (૩) કોફીઃ પશ્ચિમી દેશોમાં કોફી ચા કરતાં પણ વધારે લોકપ્રિય પીણું છે. ચાહે તે બ્રાઝિલની કોફી હોય, કુર્ગની હોય કે બીજે ક્યાંયની. આજે દુનિયામાં લગભગ બધે જ કોફી પીવાય છે. પણ કોફીની શરૂઆત ક્યાંથી થઈ? જવાબ છે, ઇથિયોપિયાથી. સાતમી સદીમાં ઇથિયોપિયામાં બકરી ચરાવતા ભરવાડે જોયું કે બકરીઓ અસમાન્ય રીતે કૂદકા મારી રહી છે. તેણે એ છોડનો અભ્યાસ કર્યો, જે બકરીઓ ચરી ગઈ હતી. એ કૉફી પ્લાન્ટ હતો. ઝેન સંતોને ચા પ્રિય છે, તેમ યમનના સુફી સંતોને કૉફી પ્રિય હતી. આરબ અને આફ્રિકાથી દુનિયાના બીજા દેશોમાં તે પહોંચતી થઈ. આજે લગભગ ૭૦ દેશોમાં કૉફી ઉગાડવામાં આવે છે. ૧૬મી સદીના સુફી સંત બાબા બુદને કોફી ભારતમાં ઈન્ટ્રોડયુસ કરી. (૪) સમોસાઃ ભારતનું લગભગ એકેય ગામ એવું નહીં હોય, ખાસ કરીને ઉત્તર ભારતનું કે જ્યાં સવારે, બપોરે, સાંજે સમોસાનો નાસ્તો અવેલેબલ ન હોય. આ સમોસાની શરૂઆત પણ મધ્યપૂર્વમાં થયેલી છે. ઈરાનના લોકો તેનું સંબોસા એવું ઉચ્ચારણ કરતા. નાનની જેમ આજે સંબોસાને પણ ઈરાનિયનો ભૂલી ચૂક્યા છે અને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં તે લોકપ્રિય બની ગયાં છે. (૫) ગુલાબજાંબુઃ નામ વાંચતા જ મોંમાં પાણી આવી જાય. લાઈવ ગુલાબજાંબુ તો આજે પણ લગ્ન પ્રસંગમાં જબરદસ્ત લોકપ્રિય છે. ભૂમધ્ય પ્રદેશોની એક વાનગી હતી જેમાં ફેરફાર કરીને મોગલ બાદશાહ શાહજહાંના રસોઈયાએ ગુલાબજાંબુની ડીશ વિકસાવી. મૂળ નામ ગુલાબજાંમુન છે, જે ફારસી છે. આજે તહેવાર હોય કે શુભ અવસર ગુલાબજાંબુ આપણી થાળીનું અવિભાજ્ય અંગ બની ગયા છે. ગુલાબજાંબુ જેના પરથી બનાવવામાં આવ્યા તે મૂળ વાનગીનું ફારસી નામ લૂકમત અલ કદી. (૬) રાજમાઃ તમે ઉત્તર ભારતના પ્રવાસે નીકળ્યા હો અને બપોરે હળવું છતાં પેટ ભરાય જાય એવું ભોજન જમવા માગતા હો તો શ્રેષ્ઠ વિકલ્પ છે રાજમા ચાવલ. કઠોળની શ્રેણીમાં આવતાં રાજમાને કિડનીબીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કિડની માટે તે ખૂબ ફાયદાકારક છે. રાજમા મૂળે મેક્સિકન ફૂડ આઈટમ છે. ત્યાંથી ભારત આવી અને ભારતીય શૈલી પ્રમાણે રંધાતા રાજમાનું શાક ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો. રાજમા ગ્વાટેમાલા અને મધ્ય મેક્સિકોથી ભારત આવેલા છે. (૭) જલેબીઃ ગાંઠિયા અને જલેબી વિના ગુજરાતનો ઈતિહાસ અધૂરો. ઈતિહાસ તો શું પણ વર્તમાન પણ અધૂરો. જલેબી વિનાના ગાંઠિયા પણ અધૂરા લાગે, ગળે ન ઊતરે. ગુજરાતમાં અત્યંત લોકપ્રિય એવી જલેબી ગુજરાત સિવાયના ઉત્તર ભારતીય પ્રાંતોમાં પણ લોકપ્રિય છે. ઘણી જગ્યાએ તો માત્ર ને માત્ર ગરમ જલેબી પણ મળતી હોય છે. ગરમ જલેબીની બાઈટ લેવામાં આવે ત્યારે ચાસણીના ફુવારાની સાથોસાથ મોંમાં પાચક રસના પણ ફુવારા છૂટે છે. આ જલેબી પણ ઈરાનથી આવેલી છે. પ્રાચીન ફારસ દેશમાં જલેબી ઝલેબિયા તરીકે ઓળખાતી. તેના ગૂંચડા જેવા ગોળ, સ્પાઈરલ, સર્પિલ આકારને લીધે હાસ્ય કલાકારો તેને પત્ની સાથે પણ સરખાવે છે. જલેબી જેવો સીધો એવી કહેવત દર્શાવે છે કે આ ફૂડ આઈટમ આપણી પરંપરામાં ઊંડે સુધી ઊતરી ચૂકી છે. (૮) દાળ-ભાતઃ આ નામ વાંચીને વિશ્વાસ ન આવે. એવું થાય કે દાળ-ભાત થોડી વિદેશી આઈટમ હોય? ગુસ્સો પણ આવી જાય, પણ આ સાચું છે. ઉત્તર ભારતમાં ભોજનનું સમાપન દાળ-ભાતથી જ થાય છે. આ ડીશ પણ આપણી નથી જ. તે બહુ આઘેની નથી, બસ નેપાળથી જ આવેલી છે. ગુજરાતીઓને ભલે દાળ-ભાતીયા તરીકે ઓળખવામાં આવે પરંતુ તે ખાવાનું મૂળ ચલણ નેપાળીઓનું. ભારતીયોએ તેને પોતાની આઈટમ બનાવી. અનેક પ્રકારની દાળ અને અનેક પ્રકારના ભાત અવેલેબલ બનાવી લીધા છે. (૯) ઈડલીઃ ઢોકળાની નાની બહેન જેવી ઈડલી પણ આજે ગુજરાતમાં પ્રિય નાસ્તો છે. આપણે ભલે તેને દક્ષિણ ભારતીય આહાર તરીકે ઓળખીએ, કિંતુ તેના મૂળ અને કૂળ ક્યાંક બીજેના છે. ૧૭મી સદીના ક્લાસિક તમિલ સાહિત્યમાં ઈડલીનો ઉલ્લેખ ઈટ્ટલ્લી તરીકે કરવામાં આવ્યો છે. મૂળે આ વાનગી ઈન્ડોનેશિયાથી ભારત આવેલી છે. ઇન્ડોનેશિયાના રાજાઓ દક્ષિણ ભારતના મહેમાન બનતા ત્યારે તેમના રસોઈયાઓએ આપણા રસોઈયાઓને ઈડલી બનાવતાં શીખવેલું. મહેમાન તો જતા રહ્યા પરંતુ ઇડલી પોતાનું ઘર સમજીને રોકાઈ પડી છે. દક્ષિણ ભારતમાં ઇડલી અને ઢોસા સાથે ટોપરાની ચટણી પીરસવામાં આવે છે તે ચટની શબ્દ મરાઠીઓએ આપેલો છે. શિવાજીના પુત્ર સંભાજીએ દક્ષિણ ભારતના મહેમાન બનીને ત્યાં કોકમને બદલે આંબલીનો ઉપયોગ કરીને જે દાળ પહેલી વખત બનાવી તે સાંભાર તરીકે ફેમસ બની ગઈ. સાંભાર શબ્દ સંભાજી પરથી આવેલો છે. સંભારો શબ્દ સાંભાર પરથી તો નહીં આવ્યો હોયને? બ્રહ્મ જિજ્ઞાાસા. (૧૦) બિરયાનીઃ આજે સૌથી વધારે ઑનલાઈન ઓર્ડર થતું ફૂડ કોઈ હોય તો તે બિરયાની છે. ભારતના દરેક રાજ્યને બિરયાનીનું પોતાનું વર્ઝન છે. મોગલોએ મધ્ય એશિયામાંથી ભારત પર ચઢાઈ કરી ત્યારે તેઓ તેમની સાથે આ વાનગી લાવેલા. આજે આપણે જે પેંડા ખાઈએ છીએ તે પણ પહેલી વખત મોગલોના રસોડામાં બનેલા. છપ્પન ભોગમાં ધરવામાં આવતા છપ્પનમાંથી વીસ ભોગ મોગલ ઈતિહાસ સાથે સંકળાયેલા છે. (૧૧) બટેટાઃ બટેટા વિના ગુજરાતી થાળીની કલ્પના કરવી અસંભવ છે. આજે આપણા દરેક શાકમાં બટેટા પડે છે. મોટા ભાગના ઘરોમાં બપોરનું શાક બટેટાનું હોય છે. તેનો વ્યાપ સૂકી ભાજીથી લઈ આલુપરોઠા સુધીનો છે. ભૂંગળા બટેટાથી લઇને બટેટાવડા સુધીનો છે. આલુચિપ્સથી લઈ અને દમઆલુ સુધીનો છે. કોઈએ ઉપવાસ કર્યો હોય તો એ બટેટાનો ચેવડો અથવા સાબુદાણા બટેટાની ખીચડી ખાઈને ફરાળ (મૂળ શબ્દ ફલાહાર) કરે છે. આ બટેટા આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલા દક્ષિણ અમેરિકામાં ઉગાડવામાં આવતા. ઇ પૂ ૮૦૦૦માં પેરુમાં. ૧૬મી સદીમાં દક્ષિણ અમેરિકા પર હુમલો કર્યા પછી સ્પેનિશો અને પોર્ટુગીઝોએ તેનો સ્વાદ ચાખ્યો. ૧૭મી સદીના પ્રારંભમાં પોર્ટુગીઝોએ ભારતમાં પણ બટેટા ઈન્ટ્રોડયુસ કર્યા. બટાટા શબ્દ પણ પોર્ટુગીઝ છે. ૧૮મી સદીમાં અંગ્રેજોએ બંગાળમાં બટેટાને પાક તરીકે લેવાની ફરજ પાડી. સુરતના ગાર્ડનમાં બટેટા ઉગાડવામાં આવતા હોવાનું ૧૬૭૫ના અંગ્રેજી પ્રવાસના વર્ણનોમાં વાંચવામાં આવે છે. અહીં એક રમૂજી સવાલ એ થાય છે કે જ્યારે બટેટા નહોતા ત્યારે ભારતીયો ફરાળમાં ખાતા શું? બટેટા ઉપરાંત ટમેટા (ટમેટા શાક નથી, ફ્રુટ છે.), મગફળી, મકાઈ, પપૈયા, અનાનસ, જામફળ, જેમાંથી આપણે સાબુદાણા બનાવીએ છીએ અને જેમાંથી ઇથેનોલ પણ બની શકે છે તે પોપીઓકા, એવોકેડો, કાજુ, ચીકુ, મરચાં પોર્ટુગીઝો દ્વારા ભારતમાં ઈન્ટ્રોડયુસ કરવામાં આવેલા. લાલ મરચું, તમાકુ, ચા, સેન્ડવીચ વગેરે અંગ્રેજો દ્વારા ભારતમાં લાવવામાં આવેલા છે. સેન્ડવીચ નામનું એક ગામ હતું. ત્યાંના જુગારીઓને પત્તા રમતા-રમતા ખાઈ શકાય એવી કોઈ આઇટમ જોઈતી હતી. તેમાંથી સેન્ડવીચ આવી. પીઝા, બર્ગર, નૂડલ્સ, હોટડોગ, મોમોઝ વિદેશી છે એ તો સુવિદિત છે તો પછી એના વિશે શું લખવું? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચ્યા હોય એવા ખાનપાનનો પાછો અલગ ઈતિહાસ છે. વિદેશમાં ફેમસ થયેલી ભારતીય ફૂડ આઇટમોની વાત ફરી ક્યારેક. અત્યારે આટલું જ. આજની નવી જોક મગન બેઠા-બેઠા વિચારે ચડી ગયો. છગન- શું થયું? મગન- બે સવાલના જવાબ નથી મળતા. છગન- કયા-કયા? મગન- એક, પહેલી વખત ઘડિયાળ બનાવી તેણે સમય કઈ રીતે મેળવ્યો હશે? બીજું, પહેલી વખત દહીં બનાવ્યું તેણે મેળવણની વ્યવસ્થા કઈ રીતે કરી હશે? છગન- હેં!?

ગુજરાત સમાચાર 29 Jul 2021 5:30 am

કોઇ પણ ડિજીટલ ઉપકરણ ફૂલપ્રૂફ ક્યારેય ના હોઇ શકે

- સાંસદેાએ ટેકનોલોજીના દુરુપયોગને સમજવા જોઇએ - ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર - જેફ બિસોઝનું લગ્ન જીવન તૂટયું તેની પાછળનું કારણ મોબાઇલ હેક કરાયો અને પોલ ખુલ્લી પડી ગઇ હતી ૨૦ ૧૮ની શરૂઆતમાં વિશ્વના સૌથી પૈસાદાર જેફ બિસોઝે ફરીયાદ કરી હતી કે તેમનો ફોન હેક થયો છે. તેના કારણે તેમની તે સમયની નામાંકીત ટેલિવિઝન એન્કર ગર્લ ફ્રેન્ડ સાથેના રોમાન્ટીક ડાયલોગ એક ટેબ્લોઇડ ન્યુઝ પેપર પાસે આવી ગયા હતા. પેપરે આ રોમાન્ટીક સંવાદોને ચટાકેદાર બનાવીને છાપ્યા હતા. જેના કારણે જેફ બિસોઝનું લગ્ન જીવન તૂટયું હતું. જોકે બિસોઝના ફોન હેક થયાના પડદા પાછળની સ્ટોરી પણ જાણવા જેવી છે. હેકીંગના કેટલાક મહિના પહેલાં જેફ બિસોઝ અને હોલિવુડના કેટલાક મોટા માથાઓએ સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન સાથે ડીનર લીધું હતું. ત્યારે બિસોઝ અને સાઉદી પ્રિન્સે પોતાના ફોન નંબર એક બીજાને આપ્યા હતા. દરમ્યાન બિસોજે તેના માલિકીના વોશિંગટન પોસ્ટમાં તેમના પત્રકાર જમાલ ખસ્તોગીની હત્યાના અહેવાલમાં સાઉદી પ્રિન્સની ટીકા કરી હતી. કહે છે કે બિસોઝ પર વળતો પ્રહાર કરવા સાઉદી પ્રિન્સે બિસોઝનો ફોન હેક કરવા કહ્યું હતું. હેકીંગ બાદ તેમાંથી બિસોઝના પરણેતર સંબંધો બહાર આવ્યા હતા. કહે છે કે ડિનર વખતે જે ફોન નંબરની આપલે થઇ હતી તેના કારણે બિસોઝના ફોનમાં માલવેર મોકલાયા હતા. તેને સાઉદી પ્રિન્સના વોટસ અપ મારફતે બિસોઝના ફોનમાં ઇન્જેક્ટ કરાયા હતા. કોમ્યુનિકેશન ક્ષેત્રના આધુનિક ઉપકરણો જોખમી બની શકે છે. ૨૦૧૮માં સાનફ્રાન્સિસ્કોમાં ટેરર એટેક થયો ત્યારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને એક શંકાસ્પદનો ફોન અનલોક કરવા એપલને જણાવ્યું હતું. પરંતુ એપલે એમ કહીને ના પાડી હતી કે તે ગ્રાહકના હકનો ભંગ કરવા બરાબર છે. અમેરિકાના એટર્ની જનરલે પણ એપલને શંકાસ્પદનો ફોન બંધ કરવા કહ્યું ત્યારે પણ એપલે જુદા જુદા બહાનાં બતાવ્યા હતા. જ્યારે કોર્ટ એપલને તેનો ચુકાદો સંભળાવે તે પહેલાં તો એફબીઆઇને બીજી રીતે સફળતા મળી હતી. તેમણે ઇઝરાઇલની એક એજંસીની મદદ લઇને ફોનની અંંદરની વિગતો મેળવી લીધી હતી એટલે એપલનો ફોન બંધ કરવાની જરૂર નહોતી પડી. ઉપરના બંને ઉદાહરણો પરથી જાણવા મળે છે કે કોઇ પણ ડિજીટલ ડિવાઇસ ૧૦૦ ટકા ફૂલ પ્રૂફ નથી. આ ઉપરાંત નામાંકીત તપાસ એજંસીઓે પણ ઇઝરાયલની મદદ લેવી પડે છે. વિશ્વભરમાં થતા સાયબર એટેક કરનારાઓના આઇડયા કરતાં ઇઝરાયલ અનેક ગણું આગળ છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઇઝરાઇલની આવી તાકાતનો અન્ય દેશેા પણ ઉપયોગ કરી રહ્યા છે. એટલેજ ઇઝરાયલનું પેગાસસ સ્પાયવેર વિશ્વના ૧૭ દેશોના ૫૦,૦૦૦ ફોન એક સાથે હેક કરી શકે તેમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. જેમના ફોન હેક થયા છે તેમાં ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ માર્કેાનનો પણ સમાવેશ થાય છે. ભારતના સત્તાધારી પક્ષ અને વિપક્ષના રાજકારણીઓ કેન્દ્રના સચિવો, કેટલાક સિનિયર પત્રકારો વગેરે એવો આરોપ મુકી રહ્યા છે કે તેમના ફોન ટેપ થઇ રહ્યા છે કે સ્નૂપીંગ થઇ રહ્યું છે. પત્રકારોમાં કેટલાક સરકારની નજીકના છે તો કેટલાક સરકારના વિરોધી છે. કેટલાક એવા લોકો છે કે જે સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. દરેકે ચિંતા વ્યકત કરી છે. પેગાસસ ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. પહેલીવાર જેમ સરકારે કહ્યું હતું એંમ બીજીવાર પણ કહ્યું છે કે સરકારનો કોઇ હાથ નથી. સરકારની વાત સાચી એટલા માટે છે કે કોઇ એવું મૂર્ખ નથી હોતું કે પોતાના લોકો સામેજ ડિજીટલ જાસુસી કરાવે.

ગુજરાત સમાચાર 28 Jul 2021 5:45 am

ઝમ્પેરિનિના માથે દોડવાનું ભૂત સવાર થઈ ગયું'તું

- દોડ સ્પર્ધામાં ભાગ લેવાનો શરૂઆતમાં ભારે અણગમો ધરાવતા - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - લુઈની રોમાંચક જીવનકથા-ભાગ-3 - પહેલી વખતની ટ્રેક રેસમાં છેલ્લા નંબરે આવેલા લુઈની બધાએ મશ્કરી ઉડાવી હતી - આખી ગ્રીષ્મ ઋતુમાં લુઈએ રોજ દોડવા સિવાય બીજું કાંઈ જ કર્યૂં નહોતું ૧૬ વર્ષના પીટેની આવી બોલ્ડ રજૂઆત પ્રિન્સિપાલના મનને સ્પર્શી ગઇ. તેમણે લુઇને કરેલી શિક્ષા તત્કાળ પાછી ખેંચી લીધી. આ ઘટના વર્ષ ૧૯૩૨ ની છે. પ્રિન્સીપાલે શિક્ષાનો હુક્મ રદ કરવાથી લુઇ માટે હવે આંતર સ્કૂલ રમતોત્સવમાં ભાગ લેવાના દ્વાર ખુલી ગયા પણ ત્યારે પીટે કે લુઇ, બન્નેમાંથી એકેયને કલ્પના સુધ્ધા નહોતી કે ભવિષ્યમાં આ તોફાની બારકસ જેવો છોકરો છેક ઓલિમ્પિક રમતોત્સવ સુધી પહોંચીને મા-બાપનું, ગામનું અને દેશનું નામ ઉજાળશે. મોટોભાઇ પીટે નાનાભાઇ લુઇને દોડ સ્પર્ધામાં આગળ જોવા ઇચ્છતો હતો. લુઇ નવમા ધોરણમાં આવ્યો ત્યારે ઇન્ટરકલાસ દોડ સ્પર્ધા માટે સ્પર્ધકો તૈયાર કરવાનું કામ છોકરીઓની એક ટીમને સોંપાયું હતું. આશ્ચર્યની વાત એ હતી કે તે વખતે નવમા ધોરણમાં માત્ર ચાર જ બોયઝ હતા. સીલેકશન ટીમની છોકરીઓએ નવમા ધોરણના ચાર છોકરાઓ જોયા, તેમાં એકમાત્ર લુઇ જ તેમને દોડમાં ભાગ લે તેવો લાગ્યો. લુઇને દોડમાં ભાગ લેવામાં ખાસ રસ નહોતો પણ છોકરીઓના મનામણા આગળ તે ઝુકી ગયો અને ૬૬૦ યાર્ડની રેસમાં ભાગ લેવાની તેણે તૈયારી દેખાડી. સ્પર્ધાના દિવસે લુઇ ખુલ્લા પગે ટ્રેક પર આવીને ઊભો થઇ ગયો. દોડ સ્ટાર્ટ થવાની વ્હિસલ (સિસોટી) વાગતા જ બધા દોડવીરોએ દોડ શરૂ કરી. લુઇ પણ દોડયો, પણ તેને પાછળ રાખી બીજા છોકરાઓ ઘણાં આગળ નીકળી ગયા. દોડમાં છેલ્લા નંબરે રહી ગયેલા લુઇને જોઇ છોકરા-છોકરીઓએ હાહા...હીહી કરવા માંડી. દોડીને હાંફી ગયેલો લુઇ આ ઠઠ્ઠામશ્કરી જોઇ; ટ્રેક પરથી બહાર નીકળીને રમતોત્સવ જોવા આવેલા દર્શકોને બેસવા માટેના સ્ટેન્ડમાં જઇને ખૂણામાં બેસી ગયો. લુઇને આ રીતે બેસી ગયેલો જોઇ કોચ બબડયો, આવા છોકરા શા માટે દોડમાં ભાગ લેતા હશે...? જો કે કોચે આવી કોમેન્ટ કરી ત્યારે લુઇનો મોટોભાઇ પીટે નજીકમાં જ ઊભો હતો. કોચનો બબડાટ એ સાંભળી ગયો, એટલે તેણે કોચને પરખાવ્યું, એ છોકરો મારો નાનોભાઇ છે...! પણ તે દિવસથી પીટેએ મનોમન ગાંઠ વાળી લીધી કે હવે તો હું લુઇને દોડવીર બનાવીને જ ઝંપીશ. પછી તો પીટેએ તેને રોજ દોડવાની ટ્રેનિંગ આપવા માંડી. લુઇને બીજી ટ્રેક સ્પર્ધામાં ભાગ લેવા માટે પીટેએ પરાણે તૈયાર કર્યો. પીટેએ આપેલી ટ્રેનિંગ જો કે રંગ લાવી. પહેલી દોડ સ્પર્ધામાં સાવ જ છેલ્લા નંબરે રહી ગયેલો લુઇ આ વખતે ત્રીજા નંબરે આવ્યો. આમ છતાં લુઇને દોડ સ્પર્ધામાં ભાગ લેવાનો ભારે અણગમો હતો. ટ્રેક રનિંગને તે ધિક્કારતો હતો. પણ બીજી વખતની સ્પર્ધામાં એ ત્રીજો નંબર આવ્યો તે વખતે છોકરા-છોકરીઓએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો તેથી તે મનોમન ખૂબ પોરસાયો. લુઇના આત્મગૌરવમાં વધારો થતા તેને હવે દોડ સ્પર્ધામાં જીત મેળવવાની તાલાવેલી લાગી. તે પછી પીટેએ લુઇને વધારે કડકાઇથી ટ્રેનિંગ આપવા માંડી. રોજ તે લુઇને દોડવા લઇ જતો. લુઇ આગળ દોડે અને પીટે તેની પાછળ સાયકલ દોડાવે. લુઇ જરા જેટલો ધીમો પડે તે વેળા સાયકલ પર બેઠા બેઠા પીટે તેને પાછળથી લાકડી ફટકારતો હતો. લુઇ દોડી દોડીને છેવટે થાકીને બેસી પડતો, પણ પીટેએ તો નાનાભાઇ લુઇને દોડવીર બનાવવાની મનમાં ગાંઠ વાળી હતી; તે બેસી ગયેલા લુઇને ઊભો કરી આગળ દોડવા ફરજ પાડતો હતો. કડક કોચની જેમ પીટેએ લુઇને દોડની એટલી બધી તાલિમ આપી કે લુઇ શાળા કક્ષાની દોડ સ્પર્ધાઓમાં ઇનામ જીતવા માંડયો. છેલ્લે ઇન્ટરસિટિ દોડ સ્પર્ધામાં પણ તેણે ભાગ લીધો, જેમાં તે પાંચમા નંબરે આવ્યો. ટોરન્સ ગામના આ છોકરાએ ગામનું નામ આખા પ્રાંતમાં ગાજતું કરી દીધું. વર્ષ ૧૯૩૨ ની આખી ગ્રીષ્મ ઋતુ દરમિયાન લુઇએ ચોટલી બાંધીને રોજ કચકચાવીને દોડવા સિવાય બીજું કાંઇ જ કર્યું નહોતું. હવે તેના માથે જાણે દોડવાનું ભૂત સવાર થઇ ગયું 'તું. વાત જાણે એમ હતી કે લુઇના એક મિત્રએ તેને સધર્ન કેલિફોર્નિયાની મરૂભૂમિ જેવા વિસ્તારમાં આવેલા તેના ઘેર રહેવા બોલાવ્યો હતો. ફ્રેન્ડનું આમંત્રણ સ્વીકારી લુઇ એને ત્યાં બે-ત્રણ મહિના રહેવા ગયો. રોજ સવારે સૂર્યોદય થતાં જ લુઇ ખુલ્લા મેદાનમાં દોડવા નીકળી પડતો હતો. ઘણીવાર તે પર્વતીય વિસ્તારમાં ઝડપથી ટેકરીઓ ચઢીને પછી બીજી તરફના ઢોળાવવાળા રસ્તે તેજ ગતિએ ઊતરીને દોડવાનું શરૂ કરતો હતો. રોજ સવારે તેનો આ જ નિત્યક્રમ બની ગયો હતો. એ કોઇ ચોક્કસ આશયથી કે કાંઇક પામવા માટે દોડતો નહોતો. પણ દોડવાની તેને જાણે અંદરથી પ્રબળ ઝંખના થઇ ગઇ હતી અને એટલે જ તે દોડતો હતો. સવાર પડેને તેનું શરીર દોડવા માટે થનગની ઊઠતું હતું. હવે દોડવાનો તેને લગીરેય કંટાળો નહોતો આવતો. દોડવાથી તેને થાક પણ લાગતો નહોતો. ઊલ્ટું દોડવાથી તેને મનોમન એક પ્રકારની પરમ શાંતિ અને પ્રફુલ્લિતતા મહેસૂસ થતી હતી. લુઇને ગજબનું ગાંડપણ ઉપડયું હતું દોડવાનું. તેણે દારૂ અને સિંગરેટ પીવાનું હવે સદંતર બંધ કરી દીધું. ફેફસા મજબૂત કરવા અને તેની ક્ષમતા વધારવા માટે પબ્લિક સ્વિમિંગ પુલમાં જઇને તે કલાકો સુધી તર્યા કરતો. ઘણીવાર તે અન્ડરવોટર તરતો. વધુમાં વધુ તે ૩ મિનિટને ૪૫ સેકન્ડ સુધી અન્ડરવોટર રહેતો હતો. લાંબો સમય તેને પાણીમાં આ રીતે જોઇને કોઇક વળી તે ડૂબી રહ્યો હોવાનું ધારી, તેને બચાવવા માટે પુલમાં કુદી પડતા'તા. ઝમ્પેરિનિનો બળવાખોર સ્વભાવ. ક્યારનોય ગાયબ થઇ ગયો'તો. તોફાન- મસ્તી પણ હવે અદ્રશ્ય થઇ ગયા'તા. મિત્ર વર્તુળમાં, પડોશમાં કે સ્કૂલમાં તેના ઉત્પાત પર હવે મોટું પૂર્ણ વિરામ મૂકાઇ ગયું હતું. લુઇને તેની નજર સમક્ષ હવે સતત ગ્લેન કનિંગહામ દેખાતો હતો. કનિંગહામ તેનો રોલ મોડલ એટલે કે તેની પ્રેરણામૂર્તિ બની ગયો હતો. વર્ષ ૧૯૩૦ ના દશકામાં કર્નિંગહામ ઝડપી દોડવીર તરીકે અમેરિકામાં ખૂબ જ પ્રખ્યાત થઇ ગયો હતો. અત્યારે જેમ ક્રિકેટર કે ફૂટબોલ પ્લેયરના નામો ઘરેઘરે જાણીતા છે, તેમ ત્રીસીના એ દાયકામાં અમેરિકામાં ટ્રેક રનરના નામ ઘેરઘેર જાણીતા હતા, તેમાં ગ્લેન કનિંગહામનું નામ મોખરે હતું. (ક્રમશ:)

ગુજરાત સમાચાર 28 Jul 2021 5:35 am

સજોડે કે કજોડે, કાયમ રહેવું જોડે 'જોડે'

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી મંગલ મંદિર ખોલો દયામય વાટ જુએ ચપ્પલ ચોરો..... પથુકાકાના મુખેથી આ પ્રાર્થનાની પેરડી સાંભળી મેં પૂછયું કે 'આ શું ગાવ છો ?' કાકા દાઢમાંથી બોલ્યા કે આ કોરોનાના પાપે મંદિરો બંધ છેને ? અને ખોલવાની વિનંતી જેમ શ્રધ્ધાળુઓ, ભકતજનો અને જેને દેવદર્શનનો નિયમ હોય એ બધા કરે છે એવી જ રીતે બીજું કોણ કરે છે ખબર છે ? મંદિરની બહારથી ચપ્પલ ચોરી જતા ચપ્પલ ચોરો. મંદિરો બંધ રહે એટલે ભકતો દર્શને આવે નહીં અને દર્શને આવે નહીં એટલે કોઇ પગરખા ઉતારે નહી, પગરખા ઉતારે નહીં એટલે પછી આ ચોરો ચોરી શેની કરે ? એટલે મંદિરો બંધ રહેવાથી સૌથી વધુ ફટકો આ ચોરોની મંડળીને પડયો છે. એટલે જ અંતરના ઊંડાણમાંથી આ જૂતાચોરો વિનવણી કરે છે કે : મંગલ મંદિર ખોલો દયામય વાટ જુએ ચપ્પલ ચોરો દ્વાર ઉભો પડયો મોળો દયામય મંગલ મંદિર ખોલો મેં કહ્યું 'કાકા જૂતાચોરોની અવદશાનું તો કોઇએ વિચાર્યું જ નહીં હોય, તમારી વાત સાચી છે. લોકડાઉન પહેલાં ચપ્પલ ચોરોનો વ્યવસાય પૂરબહારમાં ખીલ્યો હતો. જુદા જુદા મંદિરોની બહારથી બૂટ, ચપ્પલ, સેન્ડલ સીફતથી તફડાવીને સીધા પહોંચી જાય ચોરબજારમાં અથવા બાજુમાં આવેલી ગલીમાં ત્યાં સૌથી પહેલાં પગરખાનું શોર્ટિંગ થાય. લેડીઝ સેન્ડલ, જેન્ટસ શૂઝ, નવા અને જૂના, ચામડાના અને રબ્બરના, ચોમાસામાં પહેરવા માટેના કે બારમાસી પગરખા વગેરે..... વગેરેનું શોર્ટિંગ થયા પછી ચોરને રોકડા પૈસા ચૂકવીને જૂતા વેંચતા ફેરિયા ખરીદી લે. પછી અડધી રાતે જયારે બજાર ભરાય ત્યારે ફેરિયાઓ પથારા કરી બેસે. સવારે સુરજનું પહેલું કિરણ ફૂટે એ પહેલાં તો લે-વેચ પતાવીને રવાના થઇ જાય બોલો ! પણ કોરોના અને લોકડાઉને આ આખી ચેઇન તોડી નાખી છે, એમાં આ બાપડા જૂતાચોરો મુંઝાણા છે અને ગળગળા સાદે ગાય છે : ઝિંદગીભર નહીં ભૂલેગી કોરોના કી યે લાત..... પથુકાકા કહે 'તને કદાચ ખબર નહીં હોય કે આટલા વર્ષોથી હું દેવદર્શને જાઊં છું, છતાં આજ સુધી મારા જોડા એક પણ વખત ચોરાયા નથી બોલ.' મેં પૂછયું કે 'જોડા ન ચોરાવાનું રહસ્ય શું છે એ તો કહો?' કાકા બોલ્યા કે જયારે હું દર્શને જાઊં ત્યારે શું કરૂં ખબર છે ? એક જોડું ડાબી બાજુ ઊતારૂ અને બીજું જોડું જમણી બાજુ ઊતારૂ. હવે જૂતાચોરોને એટલો ટાઇમ ન હોય કે અહીંથી કે ત્યાંથી જોડી શોધીને મેચ કરે અને પછી તફડાવી જાય. એ તો મારા બેટા ચીલઝડપે પગરખા પહેરી પલાયન થઇ જાય.' મેં કાકાના નુસ્ખાને દાદ આપતા કહ્યું કે 'ડાબા અને જમણાં જોડાને જુદા જુદા રાખીને પછી દર્શન કરવાનો આઇડિયા બહુ ગમ્યો હો ? આમેય આપણાં દેશમાં કયાં કોઇ દિવસ ડાબેરી કે જમણેરી ભેગા થાય છે ? જુદા જુદા જ દર્શન થાય છેને ?' કાકા કહે તું નહીં માને, પણ હું જયારે મંદિર જવા નીકળુને ત્યારે તારી આ (હો) બાળાકાકીને મારા કરતાં મારા મોંઘા જોડામાં જ વધુ રસ હોય. એટલે ઠેરવી ઠેરવીને સલાહ આપે કે જોડા સાચવજો..... જોડા સાચવજો..... પછી ઘરની બહાર નીકળુ ત્યારે છણકો કરી અને લટકો કરી ગાય : 'જોડે' રે 'જો રાજ તમે જોડે રે' જો રાજ, ભલે દર્શન મળે કે ના મળે ભલે પરસાદ મળે કે ના મળે તમે 'જોડે' રે 'જો રાજ...' મેં કહ્યું 'કાકા તમારી જેવાં કે કાકી જેવાં ભકતો ભલે જગન્નાથના દર્શને જાય પણ જીવ જૂતામાં હોય એવાં દર્શનના દેખાડાથી શું લાભ ?' એટલે જ હું પણ તમારી 'ઇસ્ટાઇલ'માં દો-લાઇના કહું છું: જેનો નાતો બંધાય પ્રભુ જોડે એનો જીવ ન અટવાય પગરખા કે 'જોડે' કાકાએ સવાલ કર્યો કે પુરૂષના પગરખાને જોડા કહેવાય તો સ્ત્રીના ચપ્પલને જોડી કહેવાય કે નહીં ?' મેં જવાબ આપ્યો કે કાકા સો ટકા કહેવાય. બાકી તો બધા તમારી અને કાકીની જોડા-જોડીના અતૂટ સંબંધની મનોમન ઇર્ષા કરતા હશે, નહીં ?' કાકા બોલ્યા 'ભલેને ઇર્ષા કરે ? આપણે તો મંદિરની બહાર ડાબે અને જમણે જોડા રાખવાનો નુસ્ખો જીવનમાં પણ અપનાવ્યો છે. એટલે જ જોડા-જોડી અતૂટ રહી છે.' મેં કહ્યું સમજાયું નહીં કે ડાબે-જમણે જોડા રાખવાનો નુસ્ખો સંસારમાં કેવી રીતે અપનાવ્યો છે ?' કાકાએ જવાબ આપ્યો કે આમ જોડે જોડે રહેવાનું અને આમ અલગ અલગ રહેવાનું. એકબીજાને નડવાનું નહીં કે કનડવાનું નહીં. આમ લગોલગ તોય અલગ અલગ. બાકી જોડામાં જેમ ડંખ પડે એમ જોડે જોડે રહેતા બીજા 'જોડા' એકબીજાને ડંખે એમાંથી જ ડખો શરૂ થાય, પછી એકબીજાને જોડા ફટકારી છૂટા પડે ત્યારે નાછૂટકે ભૈરવી રાગમાં ગાવું પડે : દો હંસો કા જોડા બીછડ ગયો રે ગજબ ભયો રામા જુલમ ભયો રે..... મેં કાકાની વાતને દાદ દેતા કહ્યું કે હમણાં એક ઓનલાઇન મુશાયરામાં શાયરે જાણે તમારા જ સંસારનો પડઘો પાડતો શેર સંભળાવ્યો હતો કે : શીશા ઔર પથ્થર સાથ સાથ રહે તો બાત નહીં ગભરાને કી શર્ત બસ ય હૈ કી જિદ ના કરે ટકરાને કી ઓનલાઇન મુશાયરાની વાત સાંભળીને કાકા મને ધબ્બો મારી ઉભા થયા અને બોલ્યા : તે સારૂ યાદ અપાવ્યું. આજે અમારા સિનિયર સિટીઝન ગુ્રપની ઓનલાઇન સંગીત સંધ્યા છે. એમાં હું એક ફયુઝન ગીત ગાવાનો છું. આ ફયુઝન ગીતની પ્રેકટીસ કરવાની છે.' મેં પૂછયું 'કયુ ગીત ગાવાના છો એ જરા સંભળાવો તો ખરા ?' પથુકાકાએ કરાઓકે માઇક હાથમાં લઇ યમન રાગમાં યમ-ન સાંભળી શકે એવાં રાગમાં ગાયું : ''સેન્ડલ'' સા બદન ચંચલ ચિતવન ધીરે સે તેરા યે મુસ્કાના..... સ્ટોપ..... સ્ટોપ..... સ્ટોપ રાડ પાડીને મેં કાકાને ખખડાવીને પૂછયું 'ચંદન સા બદન..... ગીતમાં વચ્ચે સેન્ડલ કયાંથી આવ્યું ?' પથુકાકા બોલ્યા ચંદનના લાકડાને ઇંગ્લિશમાં સેન્ડલ-વૂડ જ કહે છેને ? એટલે મેેં આ ગીતે મોડર્ન ટચ આપી સેન્ડલ સા બદન, ચંચલ ચિતવન.... એવું ફયુઝન કરી નાખ્યું, કેવું લાગ્યું ?' મેં ચેતવણીના સૂરમાં કહ્યું કે 'આવું ફયુઝન કે કન્ફયુઝન મ્યુઝિક ઓનલાઇન સંભળાવાના છો એટલે વાંધો નહીં, બાકી બહાર ગાવાનો પ્રયાસ કરશોને તો કોઇક સેન્ડલે સેન્ડલે મારીને તમારા બદનને લાલચોળ કરી નાખશે સમજ્યા ?' પણ વાંકા ન ચાલે તો કાકા નહીં, એમણે બીજુ ગીત ફેરવીને ફટકાર્યું : 'સેન્ડલ' કા પલના રેશમ કી ડોરી, ઝુલા જુલાઉં મેં નિંદિયા કો તોરી..... મેં હાથ જોડી કાકાને કહ્યું 'હે ભગવાન..... કાકા તમે કેમ આવાં સેન્ડલમય અને જોડામય બની ગયા છો ?' કાકાએ રાજ કપૂરની સ્ટાઇલમાં ગાયું : મેરા જૂતા હે જાપાની ઔર ચાચા હૈ ખેપાની સર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની પછી કહે કે બૂટ-પોલીશ કરતા કરતા સની હિન્દુસ્તાની કયાં પહોંચી ગયો જોયુંને ? એમાં ભૂતકાળ તરફ નજર કરો તો એનો વસમો 'બૂટ-કાળ' નજરે પડશે. અને ગામના બૂટને પોલીશ કરીને ચમકાવતો સની હિન્દસ્તાની આજે પોતે કેવો દુનિયામાં ચમકી ગયો ? પોતાની કલાના જોરે માનભેર કમાણી કરે છે અને દિવારનો ડાયલોગ મનોમન બોલે છે : આજ ભી મેં ફેંકે હુએ પૈસે નહી લેતા..... મેં કહ્યુું 'જે વટવાળા હોય એ ફેંકાતા પૈસા નથી લેતા અને જે 'વોટવાળા' હોય એ તો ફેંકાતા પગરખા પણ હસતે મોઢે સ્વીકારી લે છે, કેવું લાગે?' પથુકાકા બોલ્યા ચૂંટણી નજીક આવે એટલે જૂતાચોરોના ધંધામાં ખરો તડાકો પડે. કારણ મંદિરમાં તમારી જેમ જુદા જુદા જોડા ઉતારીને દર્શને જવાની ટેવ હોય એવાંના એક એક પગરખાં પણ કયારેક ચોર્યા હોય. આ મેળ વગરના જોડા કે -જોડા ચૂંટણી સભાઓ વખતે ફેંકવા માટે કામ આવે. એટલે જૂતાચોરો સભાસ્થાને જઇને આ મેળ વગરના જોડા સસ્તામાં વેંચી આવે છે. આ વાત સાંભળતા જ પથુકાકાએ તો જોડાનું જોડકણું સંભળાવી દીધું : આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા સભામાંય કયાં ફેંકાય છે સરખા પગરખા ? વોટવાળાને કયારેક જૂતમ પ્રહાર સહન કરવો પડે છે. પણ લેખકને જોેડા મળ્યા એમ કોઇ કહે ત્યારે નવાઇ જ લાગેને ? પણ કેટલાય વર્ષો પહેલાં કવિ અને સાધક સ્વ. મકરન્દ દવેને સન્માનવા સાહિત્ય અકાદમીએ ધરમપુરના નંદિગ્રામ આશ્રમમાં કાર્યક્રમ યોજયો હતો. લેખકો, કવિઓ, સાહિત્યકારો હાજર રહ્યા હતા. બન્યું એવું કે રાત્રે કાર્યક્રમ પૂરો થયા પછી ઓચિંતી લાઇટ ગઇ, ચારે બાજુ (સાહિત્યિક) અંધારૂ છવાઇ ગયું. સભાગૃહમાંથી બહાર આવેલા લેખકો અને કવિઓ પોતપોતાના જોડા ગોતવા માટે ફાંફા મારવા માંડયા. સાક્ષરોને જોડા શોધતા જોઇ કોઇ બોલ્યું આને કહેવાય જોડા-ક્ષરો. હવે બધા જોડા પહેરીને 'સજોડે' આવ્યા હતા એટલે ગોત્યા વિના છૂટકો જ નહોતો. એક નવોદિત કવિ પોતાના પગથી મોટી સાઇઝના કોઇના જૂતા પહેરીને ફસડ..... ફસડ અવાજ કરતો આવ્યો. મેં એને ચેતવ્યો કે ભાઇ કોઇ દિવસ મોટાના પેંગડામાં નહીં પગરખાંમાં પગ ન ઘાલવો. મકરન્દ દવેએ જ લખ્યું છેને કે : કોંકના તે વેણને વીણી વીણીને વીરા ઊછીઊધારા ન કરીએ..... હું અને મુંબઇના એક કવિ પણ અમારા ચપ્પલ શોધતા હતા. કવિ બોલ્યા અંધારામાં ચપ્પલ શોધવા માટે ચપળતા નહીં ચપ્પલતા કામ આવે. અંધારામાં ઊભા હતા ત્યાં પગે સળવળાટ થતા સાપ હશે એમ ધારી ચીસ પાડી ઉઠયા. સાપ નહોતો. વાત જાણે એમ હતી કે એક સાહિત્યપ્રેમી ભાઇ મીણબત્તી લઇને પોતાનાં મોંઘા બ્રાન્ડેડ શૂઝ શોધતા હતા. બધાના પગ પાસે મીણબત્તીના અજવાળે ગોતતા હતા એને સળવળાટથી કવિમિત્ર ગભરાઇ ગયા હતા. મને તો રામજીનું ભજન ફેરવીને ગાવાનું મન થયું : પગ મને ''જોવા'' દ્યો રઘુરાય એજી મને શક પડયા છે મનમાય.... અંધારામાં કોઇના દિમાગમાં ઝબકારો થતા ત્યાં પાર્ક કરેલી કારની હેડલાઇટ ચાલુ કરી. પછી તો હેડલાઇટના અજવાળે અને ઉતાવળે જેના પગમાં જે જોડા આવ્યા એ પહેરીને ચાલવા માંડયા. એક લેખકને તરત જ પોતાના બૂટ મળી ગયા. મેં રહસ્ય પૂછતાં તેમણે કહ્યું કે પ્રકાશકો પાસે જઇ જઇને અને છાપાની ઓફિસોના ધક્કા ખાઇને જોડા એવાં ઘસાઇ ગયા છે કે તળિયે કાણાં પડી ગયા છે. એટલે કાણાંવાળા જોડા તરત મળી ગયા. કાણાંવાળા જોડા પહેરીને એ ભાઇ જાણે કાણે જતા હોય એવું મોઢું કરીને કહેતા ગયા કે સાહિત્ય જગતમાં એકબીજાના ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ જોઇ છે, પણ પગરખાં સુધ્યા ખેંચવાની પ્રવૃત્તિ પહેલીવાર જોઇ.' આ દાસ્તાન સાંભળી પથુકાકા બોલ્યા 'અંતે લેખકોને જોડા મળ્યા ખરા બરાબરને ? અંધારામાં કારની હેડલાઇટે ખરો રંગ રાખ્યો. બાકી અજવાળામાં હેડ-લાઇટ જ નડતા હોય છે.' મેં પૂછયું અજવાળામાં હેડ-લાઇટ નડે એટલે વળી શું ?' પથુકાકા હસીને બોલ્યા 'જેનું ભેજુ ખાલી હોય કે માથુ ખાલી હોય એવાં મૂરખાને ઇંગ્લિશમાં હેડ-લાઇટ જ કહેવાયને ?' અંત-વાણી પારકા ભલે સંબંધ તોડે કે જોડે પોતાનાએ કાયમ રહેવું સજોડે કજોડે કે જોડે જોડે

ગુજરાત સમાચાર 27 Jul 2021 5:55 am

મિથાલી રાજઃ ક્રિકેટથી પણ આગળ

- મિથાલી વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તો છે જ, સાથે એક સારી ભરતનાટયમ ડાન્સર પણ છે - ટીમ દાવ લેતી હોય અને પોતાની બેટિંગ ન આવી હોય ત્યાં સુધી પુસ્તક વાંચતી રહે છે - રાજસ્થાનના તમિલ પરિવારની આ છોકરી મહાઊંઘણશી છે, પણ કોચે તેનામાં નાનપણમાં જ સ્પાર્ક જોયેલો છોકરાઓ પહેલાં પણ ક્રિકેટ રમતાં હતા પણ કપિલદેવને જોઈને બીજા લાખો છોકરાઓ રમતાં થયા. છોકરીઓ પહેલાં પણ ક્રિકેટ રમતી હતી, મિથાલી રાજને જોઈને બીજી લાખો છોકરીઓ ક્રિકેટ રમતી થઈ ગઈ. મહિલા ક્રિકેટરોના નામ ઘરે-ઘરે પહોંચ્યા હોય તેવો ઇતિહાસ પહેલી વખત લખાઈ રહ્યો છે. કારણ કે ભારતની આ મહામાનૂનીએ મહિલા ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધારે રનનો વિક્રમ રચી દીધો છે. આ એક નહીં, આવા તો બીજા કંઈ કેટલાય. જોધપુરમાં રહેતાં તમિલ પરિવારમાં ૩ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ તેમનો જન્મ. છોકરી બહુ જ આળસુ હતી. તેને ઊંઘવું બહુ ગમતું. સવારે ૪-૩૦ વાગ્યામાં આખું ઘર સૂતું હોય ત્યારે જાગીને ક્રિકેટ કેમ્પમાં જવું તેના માટે માથાનો ઘા હતો, પણ પિતાની કડકાઈ પાસે કશું ચાલ્યું નહીં. નાનપણમાં ક્રિકેટ અને ભરત નાટયમ બંનેના ક્લાસ જોઈન્ટ કરેલા. ક્રિકેટને કારણે ભરતનાટયમમાં પૂરતુ ધ્યાન દેવાતું ન હતું. ભરતનાટયમના શિક્ષકે એવું કહ્યું કે તારે ક્રિકેટ અને ભરત નાટયમમાંથી બેમાંથી એકની પસંદગી કરવી પડશે. ક્રિકેટ કોચે તેના પિતાને એવું કહ્યું કે તમારા દીકરાને નહીં પણ તમારી દીકરીને ક્રિકેટમાં તાલીમ અપાવો. તેનામાં સ્પાર્ક છે તે બહુ આગળ વધશે. મિથાલીને ભરતનાટયમમાં જવાની ખૂબ ઈચ્છા હતી, પણ તેમના પિતાએ કહ્યું, તુમ તો બનોગી ક્રિકેટર. આજે પણ મિથાલી ખૂબ સારી ડાન્સર છે. ખૂબ સારુ ગિટાર વગાડે છે. પુસ્તકનો કીડો છે. આખો દિવસ ગેમ્સ રમવામાં જતો હોવા છતાં પણ વચ્ચે-વચ્ચે તે પુસ્તક વાંચવાનો સમય કાઢી લે છે. મેચ ચાલતી હોય અને ટીમ ઇંડિયા દાવ લેતી હોય ત્યારે મિથાલી પેવેલિયનમાં બેઠા-બેઠા પુસ્તક વાંચતી હોય છે. જેવો તેનો દાવ આવે કે બુક બંધ કરી રમવા ઊપડી જાય છે. તે કહે છે કે, ચાલુ મેચે પુસ્તક વાંચવાથી મને પ્રેરણા મળે છે. તેની સિદ્ધિઓ જોતાં તેની આ વાત ખોટી પણ માની શકાય એમ નથી. મહિલા વન-ડે ઈન્ટરનેશનલમાં તેના નામે ૭,૦૦૦ રન બોલે છે. તે એવી પહેલી મહિલા ખેલાડી છે જેણે સતત ૭ ઓડીઆઈમાં ફિફટી મારી હોય. વર્લ્ડ કપની મેચોમાં પણ આ માંચોગર્લના નામે સૌથી વધુ ફિફટી બોલે છે. ટી-૨૦માં ૨,૦૦૦ રન કરનારી પહેલી નારી છે. એક કરતાં વધુ વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરી હોય તેવી એક માત્ર મહિલા છે. ૨૦૦૫-૨૦૧૭માં તેમણે વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ તે ૨૦૦ વન-ડે મેચ રમનારી પહેલી મહિલા બની. એ જ વર્ષે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૦ વર્ષ પૂરા કરનારી પ્રથમ મહિલા બની. છેલ્લાં ૨૨ વર્ષથી તે ક્રિકેટ રમે છે એટલે જ તેને લેડી તેંડુલકર તરીકે ઓળખવામાં આવે છે. તેની ક્રિકેટ કરિયર માત્ર ૧૬ વર્ષની ઉંમરે શરૂ થઈ ગયેલી. પ્રથમ મેચમાં શૂન્યમાં આઉટ થયેલી અને આજે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે જ બોલે છે. વનડે વર્લ્ડ કપની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૨૦૧૯માં તેમણે ટી-૨૦માંથી નિવૃત્તિ જાહેર કરેલી. પ્રતિષ્ઠિત વિઝડન મેગેઝીન દ્વારા ૨૦૧૭માં તેને લીડીંગ વુમન ક્રિકેટરનો ખિતાબ અપાયેલો. ૨૦૦૩માં અર્જુન એવોર્ડ મળ્યો છે અને ૨૦૧૫માં પદ્મશ્રી. તાજેતરમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક રનનો ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર શાર્લોટ એડવર્ડનો ૧૦,૨૭૩ રનનો વિક્રમ પણ ધરાશાયી કરી નાખ્યો. વર્લ્ડકપમાં ૧ હજાર રન બનાવનારી ભારતની પહેલી અને વિશ્વની પાંચમી મહિલા છે. એકધારી ૧૦૯ ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમીને પણ તેણે એક અલગ જ પ્રકારનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૨૦૧૭માં તેણે વોગ સ્પોર્ટસ પર્સન ઓફ ધ ઇયરનો અવોર્ડ મળેલો. એ જ વર્ષમાં બી.બી.સી.ની ૧૦૦ મહિલાઓની સૂચિમાં પણ સ્થાન મળેલું. બોલિવુડે મેરીકોમ પર ફિલ્મ બનાવી છે. ગીતા અને બબિતા ફોગાટ પર દંગલ બનાવી છે અને હવે વાયકોમ-૧૮ મોશન પિકચર્સ મિથાલી પર પણ મુવિ બનાવી રહી છે. ભારતની તો તે શ્રેષ્ઠ મહિલા ખેલાડી છે જ, સાથોસાથ વિશ્વની પણ શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે તેની ગણના કરવી પડે. તે કુલ ૨૧૭ એકદિવસીય મેચ રમી છે તેમાંથી ૮૭ ભારતમાં રમી છે, જેમાં તેણે ૨૦,૮૩૩ રન ફટકાર્યા છે તથા ૩ સેન્ચુરી સાથે ૫૩.૪૫ રનની સરેરાશ જાળવી છે. ભારત બહાર તેની એવરેજ થોડી નીચી જાય છે પરંતુ એટલી બધી નહીં. કેપ્ટન તરીકે તે કુલ ૮૫ મેચ રમી છે, જેમાં એક સેન્ચુરી અને ૪૬.૨૭ રનની સરેરાશ સાથે ૨૮૬૯ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં તેની એવરેજ સૌથી ખરાબ રહી છે, ૧૩ મેચમાં માત્ર ૩૦.૧૫ રનની સરેરાશ. જ્યારે ઇંગ્લેન્ડમાં તેનો દેખાવ ખૂબ સારો છે. ૨૭ મેચમાં ૪૮.૯૫ની સરેરાશથી રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ૧૧ મેચમાં ૪૩.૭૫ રનની એવરેજ જાળવી છે. ન્યુ ઝીલેન્ડમાં ૧૦ મેચમાં તેની સરેરાશ ૪૦ રનથી નીચે રહી છે. ઓસ્ટ્રેલિયામાં તેનો ઓલઓવર દેખાવ ભલે સારો ન હોય પરંતુ ૨૦૦૯માં ત્યાં ખેલાયેલા વર્લ્ડ કપમાં તેમણે સર્વાધિક ૨૪૭ રન ફટકારેલા. માત્ર ૭ મેચમાં ૬૨ રનની તોતિંગ સરેરાશ જાળવેલી. ૨૦૧૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે મારેલી સદી યાદગાર રહી હતી. ન તો વતન હોય, ન તો હરિફ દેશની ભૂમિ હોય એવા ત્રાહિત દેશોમાં તેનું પર્ફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે. ૪૫ મેચમાં ૬૧.૬૧ની એવરેજ સાથે ૧૬૦૨ રન બનાવ્યા છે, જેમાં ૩ સેન્ચુરી પણ ગણવી પડે. શાર્લોટ એડવર્ડનો રેકોર્ડ જરા વિપરીત છે. તેણે ઘરઆંગણે ૮૧ મેચમાં ૩૨.૫૬ રનની સરેરાશથી ૨,૧૪૯ રન બનાવ્યા છે. જ્યારે વતન બહારની ૭૪ મેચમાં ૪૦.૩૮ રનની સરેરાશ જાળવી છે. ત્રાહિત દેશોમાં તેની સરાસરી ૩૬ મેચમાં ૪૬.૩૯ રનની રહી છે. ઓસ્ટ્રેલિયન લિઝન્ડ બેલીન્ડા કલાર્કની વાત કરીએ તો તેમણે ૩૧ મેચ ઘરઆંગણે રમી છે અને તેમાં ૫૦ રન કરતાં વધારેની સરેરાશ જાળવી છે. વતન બહારની ૫૫ મેચમાં ૪૦ રન આસપાસની એવરેજ જાળવી છે. જ્યારે ત્રાહિત દેશમાં ૩૨ મેચમાં ૬૦.૦૯ રનની સરેરાશથી રન બનાવ્યા છે. ત્રણેય ખેલ વિરાંગનાઓના પર્ફોર્મન્સની સરખામણી કરીએ તો મિથાલીનું પલડું ભારે છે. પુરુષ ક્રિકેટમાં પણ એકમાત્ર સચિન તેંડુલકર એવા છે જે મિથાલીથી પણ લાંબી કરિયર ધરાવે છે. મિથાલીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે સાલ ૧૯૯૯માં કારકિર્દીની શરૂઆત કરી હતી. સચિનની જેમ જ કારકિર્દીના પ્રારંભના વર્ષોમાં તેનું પર્ફોમન્સ એટલું સારું ન હતું. સ્મૃતિ મન્ધાના અને હરમનપ્રિત કૌરના ઉદય પછી તેના પરનું પ્રેશર ઘટયું. મિથાલીની પ્રતિભા તો અસામાન્ય છે જ ભવિષ્યમાં તેનાથી સારી ખેલ વિરાંગનાઓ તો આવશે જ પરંતુ તેની શ્રેષ્ઠ વાત એ છે કે તેના કારણે ભારતમાં મહિલા ક્રિકેટને મહત્ત્વ મળતું થયું છે. મહિલા ક્રિકેટના દર્શકો દિવસે-દિવસે વધતાં જાય છે. હવેની દીકરીઓ કોઈપણ પ્રકારની અસલામતીનો અનુભવ કર્યા વિના ક્રિકેટમાં કરિયર બનાવી શકે છે. આ જરાય નાની વાત નથી. ૨૦૧૭ના વર્લ્ડ કપ પછી તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયેલું. તે જીમ કરી રહી હતી ત્યારે તેના ટ્રેનરને ફરિયાદના સૂરમાં કહ્યું કે, મારું એકાઉન્ટ હેક કરવાનો સમય કોની પાસે હશે? ટ્રેનરે જવાબ આપ્યો, વેલકમ ટુ સેલેબહૂડ. આજની નવી જોક લલ્લુ (છગનને): પપ્પા, જલ્દી તૈયાર થઈ જાવ. છોકરીવાળા મને જોવા આવે છે. છગનઃ કેમ? લલ્લુઃ મેં પડોશીની છોકરીને ચીડવતા એના પપ્પાએ મને કહ્યું કે, ઊભો રે હમણા તને જોઈ લઉં. છગનઃ હેં!? હોય નહીં મિથાલી રાજની કારકિર્દીના વિવાદો - ૨૦૧૮માં આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો ત્યારે એટિટયૂડને લઈને તેને મેનેજમેન્ટ સાથે વિવાદ થયો હતો. તેણે બીસીસીઆઈને પત્ર લખીને કોચ રમેશ પવાર તથા બીસીસીઆઈ- સીઓએ મેમ્બર દિઆના એદુલ્જી પર પક્ષપાતનો આરોપ મૂકેલો. ફરિયાદ કરેલી કે, ટી-૨૦ વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન સમાવીને મારું અપમાન કરવામાં આવ્યું છે. પવારે પ્રતિઆક્ષેપ કરેલો કે, મિથાલીએ મને ધમકી આપેલી કે જો તેને નીચેના બેટિંગ ક્રમ પર રમવાનું કહેવામાં આવશે તો તે નિવૃત્ત થઈ જશે. તે કોચીઝનું બ્લેકમેઈલીંગ કરી તેમના પર પ્રેશર વધારી રહી છે તથા ટીમમાં ભાગલા પડાવી રહી છે. ટીમની સિનિયર પ્લેયર હોવાછતાં મિટીંગમાં તેનું ઈનપુટ મિનિમમ હોય છે. તે ટીમ પ્લાનને ન તો સમજી શકે છે, ન તો તેને અનુકૂળ થઈ શકે છે. પોતાના રોલને અવગણીને અંગત માઈલ સ્ટોન પ્રાપ્ત કરવા લડતી રહે છે. મોમેન્ટમ જાળવતી ન હોવાથી અન્ય બેટર્સ પર દબાણ વધી જાય છે. - આર્યલેન્ડ સામે જે મેચમાં ફિફટી મારી તેમાં તેણે ૨૫ બોલ ખાલી છોડયા હતા, જેની પણ કોચ પવાર દ્વારા ટીકા કરવામાં આવેલી. - ટી-૨૦ કેપ્ટન હરમનપ્રિત કૌર સાથે પણ તેના સંબંધો તણાવ ભરેલા રહ્યા છે. મે ૨૦૨૧માં રમેશ પવારની નિમણૂક મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કરવામાં આવ્યા પછી બેઉ વચ્ચે સમાધાન થઈ ગયું છે. મિથાલી અને હરમનપ્રિત વિવિધ ઈન્ટરવ્યૂમાં એવું કહી ચૂક્યા છે કે તેમને એકબીજા સામે કોઈ વાંધો નથી. જીકે જંકશન - તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એસબીઆઈની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેલંગાણા ખાતે દલિત બંધુ યોજના શરૂ કરવામાં આવી છે. - બાંગ્લાદેશે જોગજોગ નામથી પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિકસિત કરવાની ઘોષણા કરી છે. હરિયાણામાં હવાઇ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. - તાજેતરમાં જાણીતા ગાયક ફકીર આલમગીરનું નિધન થયું હતું. ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ વિનયને એલેક્ઝાન્ડર ડેલરિમ્પલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. - ભારત રશિયા સાથે ઇન્દ્ર-૨૦૨૧ સૈન્ય અભ્યાસ યોજશે. અમિતાભ કાન્તનું તાજેતરમાં એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે. શિફ્ટિંગ ઓરબિટ્સઃ ડિકોડિંગ ધ ટ્રેજેક્ટરી ઑફ ધ ઇંડિયન સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ. - યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાંથી ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તાજેતરમાં દિલ્હી ખાતે આઝાદની શૌર્યગાથા પ્રદર્શન યોજાયું હતું. - રશિયાએ નવા યુદ્ધવિમાન ચેકમેટનું અનાવરણ કર્યું હતું.

ગુજરાત સમાચાર 27 Jul 2021 5:30 am

ભારતના હટકે ટુરિસ્ટ સ્પોટ્સ

- ભયગ્રસ્ત સૂચિમાં આવતા ખારા પાણીના મગર ઓડિશાના ભીતરકનિકા અભયારણ્યમાં મોટી સંખ્યામાં જોવા મળે છે - કેરળના ગવી ટુરિસ્ટ પ્લેસની ખીલેલી પ્રકૃતિ ઉપરાંત તેનું વિશેષ આકર્ષણ છે, સિંહ જેવી પૂંછડી ધરાવતા વાનર કોવિડની બીજી લહેર સમાપ્ત થયા પછી અને વેક્સિનેશન શરૂ થયા બાદ ધીમે-ધીમે પ્રવાસન સ્થળો ખૂલી રહ્યા છે. અલબત્ત નિયમો અને મર્યાદાઓ સાથે. ગુજરાતીઓ માટે પ્રવાસન એ ઑક્સિજન છે. મોટા ભાગના સહેલાણીઓ જાણીતા સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે. કેટલાક દુર્લભ વીરલાઓ એવા હોય છે જે નવા ટુરિઝમ સ્પોટ્સ શોધે છે અને નવો આનંદ, નવો અહેસાસ પ્રાપ્ત કરે છે. તો ચાલો વાત કરીએ આજે એવા કેટલાક હટકે ટુરિઝમ પ્લેસીઝની. અત્યાર ફરવા ન જઈ શકીએ તો કંઈ વાંધો નહીં, પણ શબ્દોની સહેલગાહ પણ ફરવાથી કંઈ કમ તો નથી જ. ને વળી વાંચેલું હોય તો ભવિષ્યમાં કામ લાગી શકે. ૧) મુન્સિયારી (ઉત્તરાખંડ) : ઉત્તરાખંડના પીઠોરાગઢ જિલ્લામાં મુન્સિયારી નામનું ગામ આવેલું છે. સાવ નાનકડું ગામડું. સમુદ્રથી ૨,૨૯૦ મીટરની ઉંચાઈએ. કુદરતે બીજા સ્થળો પ્રત્યે પક્ષપાત રાખીને તેને અદકું સજાવ્યું છે. ચીન અને નેપાળની બોર્ડરની અડોઅડ આવેલું છે આ ગામ. સરહદની સમીપ હોવાથી હમણા સુધી તો આ ગામનો પ્રવાસ ખેડવાની મંજૂરી નહોતી, પણ હવે મળી છે. મંજૂરી મળ્યા પછી તે મિલામ ગ્લેશિયર, ખળિયા ટોપ, રાલમ ગ્લેશિયર, નંદાદેવી અને ચિપલાકોટ બુગ્યાલ ધમરોળવા માગતા પ્રવાસીઓ માટે બેઝ કેમ્પ બની ગયું છે. તમે શાંતિ ભરી રજાઓ ગાળવા માગતા હો, હિમાચ્છાદિત પર્વતમાળાઓ સાથે સ્ટેચ્યુ થઈ જવા માગતા હો, સ્ટીલનેસનો અનુભવ કરવા માગતા હો તો આ એક અદ્ભુત જગ્યા છે. અહીં પ્રવાસીઓ ઓછા આવતા હોવાથી તેની તાજગી હજી અક્ષુણ્ણ છે. અહીં એક આદિવાસી મ્યુઝિયમ આવેલું છે, જ્યાં તમે સ્થાનિક હસ્તકળા, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે જાણકારીનો અક્ષય ભંડાર લૂંટી શકો છો. ૨) ડાવકી (મેઘાલય) : શિલોંગથી ૧૦૦ કિ.મી.ની આળેગાળે ડાવકી નામનું એક રમણીય શહેર આવેલું છે. વિપક્ષ સત્તાપક્ષને ઘેરે તેમ જેન્તિયા અને ખાસીની લીલીછમ ટેકરીઓ તેને ઘરી વળી છે. તેનું મુખ્ય આકર્ષણ છે, ઉમંગોટ નદી. આકર્ષણનું કારણ છે તેનું ક્રિસ્ટલ ક્લિઅર પાણી. ઉમંગોટ નદી ડાવકી નદી તરીકે પણ ઓળખાય છે. મેઘાલયમાંથી નીકળી અને બાંગ્લાદેશમાં વહે છે. દર વર્ષે વસંત ઋતુમાં ત્યાં બોટરેસ યોજાય છે. આ સ્થળ ભાગદોડ ભરી જિંદગીને ટાઇમ પ્લીઝ કહીને ધીમા પડવા માટેનું છે. ૧૯૩૨માં અંગ્રેજોએ અહીં એક પૂલ બાંધેલો છે. અહીંની આદિવાસી સંસ્કૃતિ મન મોહે છે. તેમનું રુચિકર ભોજન મોંમાં પાણી લાવી દે છે. ૩) ભેડાઘાટ (મધ્ય પ્રદેશ) : યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની નવી યાદી જાહેર કરવામાં આવી છે તેમાં મધ્ય પ્રદેશનું નાનકડું શહેર ભેડાઘાટ પણ સમાવિષ્ટ છે. નર્મદાના કિનારે વસેલું આ શહેર જબલપુરથી ૨૦ કિ.મી.ના અંતરે છે. નદીની બંને બાજુ આવેલી મેગ્નેશિયમ-લાઇમસ્ટોનની કોતરો નયનરમ્ય દૃશ્ય ઊભું કરે છે. પંચવટી જેટીએથી મોટરબોટમાં બેસીને આ સ્થળની સહેલગાહ એક અલગ જ આનંદ છે. આગળ જતા નદી ૩૦ મીટર ઊંડી ખીણમાં ખાબકીને ધૌલાધાર ધોધ સર્જે છે. પંચવટી જેટીથી દોઢ કિ.મી.ના ચઢાણે આ ધોધ જોવા મળે છે. એક સરખા પથ્થરો અને ૧૦મી સદીનું ચૌસાન્થ યોગિની ટેમ્પલ વિશેષ જોણું બની રહે છે. ૪) સંધાન ખીણ (મહારાષ્ટ્ર) : સંધાન ખીણ વિશે બહુ ઓછા લોકો જાણે છે. મહારાષ્ટ્રની સહયાદ્રી પર્વતમાળામાં તે આવેલી છે. ટ્રેકર્સ માટે તે બહુ જ આદર્શ છે. ઇગતપુરીથી ભંડારાદરા ડેમ જવાનું. તેની બહુ જ નજીક છે. ભોમિયા વિના ભમવાની માનસિકતા ધરાવતા લોકો માટે આ જગ્યા સર્વોત્તમ છે. મુંબઈથી કેવળ ૧૮૩ કિ.મી.ના અંતરે છે. અહીં અલંગ, મદંગડ અને કુલંગની દીવાલો જોવાલાયક છે. ટ્રેકિંગ માટે થોડું સાહસ જોઈએ, પણ અહીં ચંદ્રના પ્રકાશમાં બેસવાની મજા સહુ કોઈ લૂંટી શકે છે. ૫) ભીતરકનિકા વન્યજીવ અભયારણ્ય (ઓડિશા) : ૬૭૨ કિ.મી.ના પનામાં ફેલાયેલી આ જગ્યા સુંદરી વૃક્ષની અજાયબ ઇકોસિસ્ટમ છે. ભારતમાં સુંદર વન પછીનું બીજું સુંદરવન આ છે. બ્રહ્માણી, વૈતરણી, ધમ્રા અને પટાસાલા નદીઓ ખાડી અને કેનાલનું અદ્ભુત નેટવર્ક રચે છે. મેન્ગ્રોવ્ઝના આ જંગલની મુલાકાત માત્ર બોટ થકી જ લઈ શકાય છે અને શિયાળો તેના માટે સર્વાધિક અનુકૂળ સમય છે. ખારા પાણીના મગરો ભારતમાં ભયગ્રસ્ત પ્રાણીઓની સૂચિમાં છે. તેની અહીં વિશાળ વસ્તી જોવા મળે છે. આ અભયારણ્યમાં મગર સિવાય ઝરખ, જંગલી સુવર, વિશાળકાય ગરાળી (મોનિટર લિઝાર્ડ્સ), અજગર અને આઠ પ્રકારના કિંગફિશર્સ વસે છે. આ સેન્ચુરીની પૂર્વમાં ગહીરમાથા બીચ આવેલો છે. ગહિરમાથા બીચ ખાતે ઓલિવ રીડલી કાચબાની દુનિયાની સૌથી મોટી વસાહત છે. ૬) ચેરાઈ (કેરળ) : ૧૦ કિ.મી. લાંબો ચેરાઈ બીચ હૃદયને શાંત અને તણાવ મુક્ત બનાવી દે છે. ડોલ્ફિન જોવા માટેની આ અલ્પખ્યાત જગ્યા છે. ચેરાઈ વાઇપીન ટાપુ પરનું ટચુકડું શહેર છે. પ્રવાસીઓની આગતા-સ્વાગતા માટે અહીં શૃંખલાબંધ હોટેલ્સ, હોમ સ્ટેઇઝ અને ખાણીપીણીના ખુમચાઓ છે. સી ફૂડના રસિયાઓ અહીં આવીને તૂટી પડે છે. ચેરાઈમાં એ જ નામનું મીઠા પાણીનું સરોવર પણ છે. અહીંનું ગૌરીસ્વરા મંદિર એક ખાસ બાબત માટે સુખ્યાત છે. તે ખાસ બાબત એટલે દર વર્ષે શિયાળામાં યોજાતી હાથીની પરેડ. પ્રવાસીઓ અહીં એક દુર્લભ અને ઐતિહાસિક રથ જોવા આવે છે, જેનું નામ છે, અઝીકલ શ્રી વરાહા. ૭) ડક્સુમ (કાશ્મીર) : શ્રીનગરથી ૧૦૦ કિલોમીટર દૂર પીરપંજાલની હિમાચ્છાદિત પર્વતમાળામાં એક રમ્ય ગ્રામ વસેલું છે. નામ છે, ડક્સુમ. ભિરંગી નદીની ખીણનું આ છેલ્લું ગામ. તે ૭૪૬ મીટર ઉંચાઈ પર આવેલા શિન્ટન ટોપ તરીકે ઓળખાતા ઘાટ તરફ દોરી જાય છે. શંકુ આકારના જંગલો, કોટેજીસ, ઘાસના મેદાનો અને ભિરંગી નદીનો ખળખળ અવાજ આ જગ્યાને મનોહર બનાવી દે છે. આ ગામ સમુદ્રની સપાટીથી ૨,૪૩૮ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ખાસ પરવાનગી મેળવીને તમે અહીં ટ્રાઉટ માછલી પકડવાનો આનંદ પણ લઈ શકો છો. ૮) લોન્ગ આઇલેન્ડ (ઉત્તર અંદામાન દ્વિપસમૂહ): અંદમાન ટાપુઓનું સૌથી ઑફબિટ સ્થળ એટલે લોન્ગ આલેન્ડ. ઉત્તર અંદામન દ્વિપસમૂહ બહુ ઓછો ખેડાય છે ત્યાં આ આવેલો છે. રાજધાની પોર્ટબ્લેરથી ૮૦ કિ.મી.ના અંતરે પડે છે. સરકારી ફેરી સર્વિસ દ્વારા ટાપુ પર પહોંચી શકાય છે. કોઈ પરમીટની જરૂર નથી. હેવલોકથી સીધી ફેરી સર્વિસ એકાંતરા મળે છે. ત્યાંથી તેનું અંતર ફકત ૩૫ કિ.મી.નું છે. ૧૫ કિ.મી.ના આ ટાપુ પર ગ્રામીણ માહોલ માણવા મળે છે. વશીકરણ કરનારા બીચીઝ, ચીત્તાકર્ષક કોતરો, લીલી ટેકરીઓ અને સુંદરી વૃક્ષના ગીચ વનો પગપાળા ઘૂમવાની મજા પડે છે. વોટર સ્પોટ્સ માટે મર્ક બે બીચ, આંખમાં આંજવા જેવો સૂર્યાસ્ત નિહાળવા માટે લાલાજી બે બીચ ખ્યાત છે. અહીંથી આગળ વધીને ગિટાર આઇલેન્ડ પણ જઈ શકાય છે. ૯) ખીમસર (રાજસ્થાન) : જોતપુરથી ૯૦ કિલોમીટરના અંતરે થારનું રણ આવેલું છે. અહીં ખીમસર નામનું રજવાડું હતું એક સમયે. આજે એક રમ્ય ગામડું છે, જે રેતીના ઢુવા માટે પ્રસિદ્ધ છે. આ મોડેલ વિલેજ તળાવના કિનારે બાંધવામાં આવ્યું છે. ત્યાં પ્રવાસીઓ માટે બાધવામાં આવેલી ઝૂંપડીઓ ગ્રામીણ રાજસ્થાનની અનુભૂતિ આપે છે. નજીકમાં શહેર પણ વસેલું છે. ત્યાં ખિમસર કિલ્લો છે. ૧૫ એકરમાં ઘાસ પથરાયેલું છે. કિલ્લો ખૂબ સારી રીતે સચવાયો છે અને અત્યાધુનિક રીસોર્ટ પણ બનાવાયેલો છે. ૧૦) ગવી (કેરળ) : કેરળમાં મુન્નાર અને ઠેકડી સૌથી ફેમસ છે. તેનાથી ૪૦ કિ.મી. દૂર પેરિયાર વાઘ અભયારણ્ય છે. કેરાલા ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશને અહીં ગવી નામનું એક આહ્લાદક પર્યનટ સ્થળ વિકસાવ્યું છે. ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી પરમીટ લીધા પછી પ્રાઇવેટ અને સરકારી વાહનો અહીં આવી શકે છે. અહીં સિંહ જેવી પૂંછડી ધરાવતા વાનર જોવા મળે છે. દૂધરાજ (હોર્નબિલ), લક્કડખોદ, કિંગફિશર જેવી ૨૬૦ પક્ષી પ્રજાતિઓનું આ વતન છે. પક્ષી દર્શકો માટે આ ખાસ મુલાકાત લેવા જેવું ઠેકાણું છે. એ સિવાય આ ધુમ્મસિયા ગામમાં તમને વનસ્નાનનો પણ લહાવો મળે છે. ૧૧) કરકલા (કર્ણાટક) : મેંગલુરુથી ૬૦ કિ.મી. અને ઉડુપીથી ૩૬ કિ.મી.ની દૂરી પર કરકલા નામનું ગામ આવેલું છે. આ જગ્યા ઇતિહાસ અને આધ્યાત્મનો ખજાનો છે. મૌર્ય અને વિજયનગર સામ્રાજ્યમાં જૈન ધર્મનો અહીં ખૂબ વિકાસ થયેલો. ચતુર્મુખ બસકડી જૈન મંદિર અને બાહુબલીનું પૂતળું તેની સાક્ષી પૂરે છે. અટ્ટુર નામે ભવ્ય દેવળ આવેલું છે અહીં. શહેરની મધ્યે રામસમુદ્ર નામનું તળાવ આવેલું છે. તળાવનું પાણી ચિકિત્સકીય ગુણવત્તા ધરાવતું હોવાની માન્યતા છે. આભમાં વાદળ છવાય એવી રીતે જમીન પર ચોતરફ હરિયાળી છવાયેલી રહે છે. ૧૨) રબદેન્ત્સ (સિક્કિમ) : રબદેન્ત્સ ૧૬૭૦થી ૧૮૧૪ લગી સિક્કિમની રાજધાની હતું. ચોગ્યાલ વંશના બીજા રાજવી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. જંગલ વચ્ચેથી ૧૦ કિ.મી.નો રસ્તો કાપીને ત્યાં પહોંચી શકાય છે. રાજાશાહી સમયના મહેલ અને મઠ હજી એ ઈતિહાસ સાચવીને બેઠા છે. આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇંડિયા દ્વારા આ સ્મારકને રાષ્ટ્ર કક્ષાનું મહત્ત્વપૂર્ણ સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. અહીંથી કંચનજંઘાની પર્વતામાળાઓનો હૃદય સ્પર્શી નજારો જોવા મળે છે. ૧૩) કોટાગીરી (તમિલનાડુ) : નિલગિરીના વનોમાં આવેલું આ હિલ સ્ટેશન મૂળ કોટા આદિવાસીઓનું વતન છે. અહીં બહુ જ ઓછા પ્રવાસીઓ આવે છે. ચાના બગીચાઓ, વિક્ટોરિયન શૈલીના મકાનો, ઉષ્ણકટીબંધીય જંગલ અહીની નિરવતાને વધારે ઘેઘૂર બનાવે છે. અહીંથી આઠ કિ.મી.એ કેથરિન ધોધ ઘૂઘવે છે. આજની નવી જોક છગન (લીલીને) : તારી સાથે લગ્ન કરવાથી મને એક બહુ મોટો ફાયદો થયો છે. લીલીઃ શું? છગનઃ મને મારા તમામ ગુનાઓની સજા આ જ જન્મમાં મળી ગઈ. લીલીઃ હેં!?

ગુજરાત સમાચાર 26 Jul 2021 2:30 am

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલઃ એક તીર અનેક નિશાન

- પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે તો સરકાર વર્ષે ૪,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર બચાવી શકે - બળતણ તરીકે ઉપયોગ કરેલો ઇથેનોલનો વધુમાં વધુ વપરાશ કરી શકાય એ માટે હવે વાહનોની બનાવટમાં રબર અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધારાશે જે દેશોમાં ખનીજતેલના ભંડાર છે એ દેશોને છેલ્લા એક સૈકાથી લોટરી લાગી ગઈ છે તેમ જે દેશોમાં તેલ ક્ષેત્ર સાવ નથી અથવા નહીંવત્ છે તેનો આર્થિક બોજ વધી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રણ મહિનામાં જ આપણી સરકારે ક્રૂડ ખરીદવાના ૨૪.૭ અબજ ડોલર ચૂકવ્યા છે. ગયા વર્ષેનું આપણું ક્રૂડ ઓઇલ બિલ ૬૨.૭ અબજ ડોલરનું રહ્યું. ૨૦૧૯-૨૦ની તુલનાએ આપણો પેટ્રોલ-ડીઝલનો વપરાશ લોકડાઉનને કારણે ૧૨ ટકા ઓછો રહ્યો એટલે ક્રૂડનું વાર્ષિક બિલ ૬૨.૭ અબજ ડોલરે અટક્યું. અન્યથા ૮૦ અબજ ડોલરથી ૧૦૦ અબજ ડોલરની આળેગાળે હોત. ખનીજતેલ આપણે ડોલરમાં ખરીદવું પડે એટલે એટલા ડોલર પણ આપણે વધારે જોઈએ. જેટલા ડોલર વધારે જોઈએ એટલો રૂપિયો નબળો પડે. આ રીતે વધુ ખનીજતેલ આયાત કરવું આપણા માટે બેધારી તલવાર સાબિત થઈ રહ્યું છે. એવામાં ઇથેનોલ આશાનું એક કિરણ છે. ઇથેનોલ એક એવું ઇંધણ છે જે પેટ્રોલમાં ભેળવવામાં આવે તો ક્રૂડ ઓઇલની આયાત પણ એટલી ઓછી કરવી પડે. એ રીતે આપણું આયાત બિલ ઘટાડી શકાય. રાજ્યકક્ષાના પેટ્રોલિયમ મંત્રી રામેશ્વર તેલીએ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ૨૦૧૪માં પેટ્રોલમાં સરેરાશ ૧.૩ ટકા ઇથેનોલ ભેળવવામાં આવતું હતું તે ૨૦૨૦-૨૧ સુધીમાં વધારીને સરેરાશ ૭.૯૩ ટકા સુધી લાવવામાં આવ્યું છે. નીતિ આયોગનું લક્ષ્ય ૨૦૨૫ સુધીમાં ઇથેનોલની ભેળવણીને ૨૦ ટકા સુધી લઈ જવાનું છે. ઇથેનોલ એટલે ઇથાઇલ આલ્કોહોલ. આમ મૂળે તે આલ્કોહોલ છે. અલબત્ત ઇન્ડસ્ટ્રિઅલ ક્વોલિટીનો ઇથાઇલ આલ્કોહોલ પીવાલાયક નથી. તેને શરાબ સમજીને પીનારા ઘણા સ્વર્ગવાસી બની ગયા છે. ૧૮૫૦માં અમેરિકામાં ઈથેનોલનો ઉપયોગ ફાનસ સળગાવવા માટે થતો હતો. ગૃહયુદ્ધ ફાટી નીકળતા તેના પર ટેક્સ નાખવામાં આવેલો, જે લિકર ટેક્સ તર ીકે ઓળખાતો. લિકર ટેક્સ નામ પરથી જ સમજી શકાય છે કે એ સમયે અમેરિકામાં ઇથેનોલનો વપરાશ દારૂ તરીકે પણ થતો હતો, જે અફકોર્સ ઇન્ડસ્ટ્રીઅલ ક્વૉલિટીનો ન હોય, પણ પીવાલાયક હોય. લિકર ટેક્સને કારણે ઇથેનોલના ભાવ એટલા વધી ગયા કે લોકો તેના વિકલ્પ તરીકે કેરોસીનનો વપરાશ કરવા માંડયા. (ઇંધણ તરીકે, પીવા માટે નહીં.) પરિણામે ઇથેનોલનું ઉત્પાદન સાવ નહીં જેવું થઈ ગયું. ૧૯૦૬માં અમેરિકી સરકારે લિકર ટેક્સ રદ કર્યા પછી તેનો વપરાશ ફરીથી વધ્યો. હેનરી ફોર્ડ શા માટે દૃષ્ટા હતા? તેમણે માત્ર કાર ઇન્ડસ્ટ્રીમાં જ ક્રાંતિ નથી કરી, ભવિષ્યના બળતણનો માર્ગ પણ તેમણે ચીંધી બતાવ્યો. ૧૯૦૮માં ફોર્ડ મોટરનું સુપ્રસિદ્ધ ટી મોડેલ માર્કેટમાં આવ્યું તે ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણથી ચાલતું હતું. ફોર્ડે ઇથેનોલને ત્યારે ભવિષ્યના ઇંધણ તરીકે ઓળખાવેલું. કારણ કે ત્યારના અમેરિકામાં ઇથેનોલને પીણું માનવામાં આવતું હતું એટલે અમેરિકી સરકારે ૧૯૧૯માં તેને બળતણ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રતિબંધ મૂકી દીધો. ફરીથી તેના ઇંધણ તરીકેના ઉપયોગની પરવાનગી ૧૯૩૩માં મળી. ખેતી અને ઉદ્યોગને અત્યાર સુધી સામસામા મૂકીને જોવાતા રહ્યા છે, પણ ઇથેનોલ આ બંનેને સામસામેથી પાસપાસે લાવી દે છે. પ્રતિદ્વંદ્વીને બદલે પૂરક બનાવી દે છે. કારણ કે ઇથેનોલ સ્ટાર્ચમાંથી અથવા સેલ્યુલોઝ આધારિત ખેત પેદાશોને સડાવીને, આથીને પ્રાપ્ત કરવામાં આવે છે. અમેરિકામાં મકાઈમાંથી અને બ્રાઝિલમાં શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. શ્યુગર આધારિત કોઈ પણ ખેત પેદાશનો ઉપયોગ ઇથેનોલ બનાવવા કરી શકાય છે. સેલ્યુલોઝમાંથી પણ ઇથેનોલ બનાવી શકાય છે. જેમ કે ઘાસ, નિંદણ, પાકના અવશેષો વગેરે. ભારતમાં ઇથેનોલ મિશ્રણનો પાઇલોટ પ્રોજેક્ટ ૨૦૦૧માં શરૂ થયો. પેટ્રોલમાં પાંચ ટકા ઇથેનોલ ભેળવીને વેચવાનું શરૂ કરાયું. પ્રયોગમાં મળેલી સફળતાને પગલે નવ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી)ના વેચાણની શરૂઆત થઈ. સરકારે નિષ્ણાતોની સમિતિનો એક રીપોર્ટ પ્રગટ કર્યો છે, જેનું શીર્ષક છેઃ રોડમેપ ફોર ઇથેનોલ બ્લેન્ડિંગ ઇન ઇંડિયા બાય ૨૦૨૫. તેમાં દર્શાવાયું છે કે એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ઇથેનોલના ૧૦ ટકા મિશ્રણ સાથેનું પેટ્રોલ એટલે કે ઇ૧૦ પેટ્રોલ મળતું થઈ જશે અને એ જ રીતે ૨૦૨૫ સુધીમાં ઇ૨૦ પેટ્રોલ મળતું થઈ જશે. નવા વાહનો પણ હવે એ પ્રમાણે બનાવાશે કે જે ઇ૧૦ અને ઇ૨૦ ગુણવત્તાના પેટ્રોલથી ચાલી શકે. આવનારા વર્ષોમાં ઇ૧૦૦ સુધી પણ જવાના પ્રયાસો થશે. ન માત્ર ભારતમાં, પરંતુ દુનિયાભરમાં. કારણ કે ખનીજતેલ જેટલું મોંઘું છે એટલું જ ગંદુ છે તેનું રાજકારણ. ઓપેક એ શું છે? પેટ્રોલ વેચતા દેશોની એક એવી કાર્ટેલ જે મન ફાવે તેવા ભાવ વસૂલીને વિશ્વના વિકાસશીલ દેશો અને અવિકસિત દેશોનું તેલ કાઢી નાખે છે. હમણા ક્રૂડ ઓઇલના ભાવ ઘટયા, પણ તે સતત ઘટેલા રહેવાના નથી. પેટ્રોલના ભાવ ન ઘટે એટલા માટે સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ ઓપેક દેશો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન પણ નિયંત્રિત કરતા રહે છે. ગયા વર્ષે રશિયાએ પ્રોડક્શન ઘટાડવાનો ઇનકાર કરી દેતા સાઉદી અરેબિયાએ પ્રાઇસ વૉર છેડી દીધી હતી. ભાવ ઘટાડીને રશિયાના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. પણ સમસ્ત વિશ્વમાં લોકડાઉન હોવાથી આમ લોકોને તેનો લાભ ન મળ્યો. ઇંડિયામાં સરકારે કોવિડની સારવાર અને રસીના ખર્ચા કાઢવા માટે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધાર્યો. ઇથેનોલની બોલબાલા જેટલી વધશે એટલી ખેડૂતોની પણ ચાંદી છે. તેઓ વધુમાં વધુ મકાઈનો પાક લઈને રોકડી કરી શકે છે. કોઈ પણ પાકના અવશેષો પણ તેઓ વેચી શકે છે. હરિયાણામાં અને પંજાબમાં જે પરાળ બાળીને છેક દિલ્હી સુધી ધુમાડો પહોંચાડવામાં આવે છે તેનો ઉપયોગ ઈથેનોલ બનાવવામાં થઈ શકે છે. તેનો ડબલ ફાયદો થાય. એક તો પાક અવશેષ બાળવાથી થતું પ્રદૂષણ અટકે અને બીજું ખેડૂતોને આવક થઈ જાય. સરકારે ખતરે-ખેતરેથી પાક અવશેષો કલેક્ટ કરી તેને ઇથેનોલ બનાવતી ફેક્ટરીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી ખેડૂતો માટે પણ પાક અવશેષ બાળી નાખવાને બદલે વેચી નાખવાનો વિકલ્પ વધારે મજબૂત બને અને દેશમાં રોજગારી પણ વધે. ઇથેનોલનો ઓર એક મોટો ફાયદો એ છે કે તે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં પ્રદૂષણ ઓછું કરે છે. ક્લાઇમેટ ચેન્જને લઈને વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવામાં ઇથેનોલને કારણે મદદ મળી શકે છે. એક અભ્યાસ પ્રમાણે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કર્યા પછી ટુ વ્હીલર્સમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ૫૦ ટકા અને ફોર વ્હીલર્સમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ૩૦ ટકા ઘટશે. ઉપરાંત હાઇડ્રો-કાર્બન વાયુઓનું ઉત્સર્જન ૩૦ ટકા ઓછું થશે. પેટ્રોલની તુલનાએ તેની પડતર ઓછી છે. વળી, કાર્યક્ષમતા પેટ્રોલ જેટલી જ છે. અત્યારે જે વાહનો આવે છે તે પાંચ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે દોડી શકે છે. આથી ભવિષ્યમાં વાહનોમાં પણ એ પ્રમાણે થોડો-ઘણો ફેરફાર કરાવવાનો રહેશે. ઇ૨૦ પેટ્રોલ (૨૦ ટકા ઇથેનોલ સાથેના પેટ્રોલ) સાથે ચાલી શકે તેવા વાહનો બનાવવા માટે તેમાં વધુમાં વધુ ઉપયોગ પ્લાસ્ટિક અને રબરનો કરવામાં આવશે. એન્જિનમાં ઇથેનોલ દહનની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવો પડશે. ૨૦૨૫ સુધીમાં આ પ્રકારના વાહનો બજારમાં આવી જશે. તેનું પરફોર્મન્સ અત્યારના વાહનો કરતા વધારે સારું હશે. આજની નવી જોક છગન (લીલીને)ઃ તારી સાથે લગ્ન કરવાથી મને એક ફાયદો થયો. લીલીઃ શું ફાયદો થયો? છગનઃ મને મારા ગુનાની સજા આ જન્મમાં જ મળી ગઈ. ઇથેનોલનો વપરાશ વધતા ખેડૂતોને થશે ફાયદો પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી અનેક ફાયદા થાય છે, જે આ પ્રમાણે છે. - કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રો કાર્બન વાયુઓનું ઉત્સર્જન ઘટવાથી, પ્રદૂષણ ઘટશે - ક્રૂડ ઓઇલ બિલ ઘટવાથી વિદેશી હુંડિયામણ બચશે. રૂપિયો વધુ મજબૂત બનશે - વાહનોની કાર્યક્ષમતા વધશે. - સૌથી મહત્ત્વનું, આનો ફાયદો ખેડૂતોને મળશે. જાગરુકતા કોરોના વેક્સીનની અફવા અને હકીકત કોરોના સામેની લડાઈમાં સૌથી સશક્ત હથિયાર કોઈ હોય તો તે વેક્સિન છે. બ્રિટનમાં ભલે કોવિડની ત્રીજી લહેર આવી પણ વેક્સિનેશન થયું હોવાથી ત્યાં હૉસ્પિટલમાં દાખલ થનારા દરદીઓની સંખ્યા ઘટી છે. મૃત્યુ દર તો સાવ નહીંવત્ થઈ ગયો છે. રસી વિશેની કેટલીક માન્યતાઓનું અત્રે ખંડન કરીએ. અફવા નં.૧ ) મને કોઈ ખતરો નથી તો મારે રસી લેવાની જરૂર નથી. હકીકતઃ તમારી ઇમ્યુનિટી સારી હોય તો તમને કોવિડ ન થાય એ વાત સાચી, પણ તોય તમારા થકી કોવિડ બીજાને થઈ શકે છે. આપણે કોરોનાના વાહક, તેના કેરિયર ન બની જઈએ તે માટે રસી લેવી આવશ્યક છે. અફવા નં.૨) કોરોના વેક્સિન ઝડપથી વિકસાવવામાં આવી હોવાથી અસલામત છે. હકીકતઃ માન્યતા પ્રાપ્ત રસીઓ સલામત પણ છે અને અસરકારક પણ. અફવા નં.૩) રસીકરણ પછી માસ્કની કોઈ જરૂર નથી. હકીકતઃ જ્યાં સુધી પૂરતી સંખ્યામાં લોકોને રસી ન મળી જાય અને તેમની ઇમ્યુનિટી ન વિકસી જાય ત્યાં સુધી માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર ત્રણે અત્યંત જરૂરી છે. અફવા નં.૪) હું રસી લઈશ તો મને કોરોના થશે. હકીકતઃ રસીને કારણે કોઈ કોરોના પોઝિટીવ થતું નથી. હા, એટલું જરૂર કે રસી લીધા પછી તમારી ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારક ક્ષમતા હજુ વિકસિત ન થઈ હોય ત્યાં સુધીમાં તમને કોવિડનો ચેપ લાગે તો તમે કોવિડ પોઝિટીવ થઈ શકો છો. એવા કેસમાં પણ જોખમ ઘટી જાય છે, કારણ કે તમે રસી લઈ લીધી છે. રસી એ કોરોના સામે લડવાની શરીરને અપાતી એક પ્રકારની તાલિમ છે. અફવા નં. ૫) રજસ્વલા સ્ત્રીઓ વેક્સિન ન લઈ શકે. હકીકતઃ આ સાવ ખોટી વાત છે. વેક્સિન મેન્સ્ટ્રુઅલ સાઇકલને કોઈ અસર કરતી નથી. આથી તે લેવામાં વાંધો નથી.

ગુજરાત સમાચાર 24 Jul 2021 2:30 am

હેકિંગઃ હસ્તીઓ જેટલો જ ખતરો આમ આદમીને પણ

- બાઇડને તેમના પૌત્રપૌત્રીને ઑનલાઇન પેમેન્ટ કર્યું અને માત્ર ૧૦ મિનિટમાં તેમના મોબાઇલમાં રહેલું કોન્ટેક્ટ લિસ્ટ એક કંપની પાસે પહોંચી ગયું - સામાન્ય માણસોના હેક થયેલા ડેટાનો ઉપયોગ તેમની આદત મુજબની પ્રોડક્ટ્સ બનાવવા તથા ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે થાય છે ફેસબુક અને પેગાસસનો શું વિવાદ છે? બહુ જાણીતી જોક છે. એક વખત એક સ્કૂલની પિકનિક યોજાઈ. રસ્તામાં બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ બધી ગોઠવણ કરી. ટેબલ પર સફરજનનો ઢગલો કરવામાં આવ્યો હતો. સાથે એક સૂચના પણ લખવામાં આવી હતી, પ્લીઝ ટેક ઓન્લી વન એપલ. ગોડ ઇઝ વોચિંગ. બાજુના ટેબલ પર કૂકીઝનો ઢગલો પડયો હતો. એક તોફાની છોકરાએ ત્યાં સૂચના લખી નાખી, ટેક ઑલ ધ કૂકીઝ યુ વોન્ટ, ગોડ ઇઝ વૉચિંગ ધ એપલ્સ. ખરાબ કે ખોટું કામ કરતા લોકોને અટકાવવા એક જ ડર બતાવાય છે, ઈશ્વર તમને જોઈ રહ્યો છે. હવે ઈશ્વરની મોનોપોલી તૂટી ચૂકી છે. સીસીટીવી કેમેરા પણ તમને જોઈ રહ્યા છે. માત્ર ખરાબ કામ કરનારે નહીં, પણ સારું કે સાચું કામ કરનારી વ્યક્તિને પણ ચાર વખત વિચારવું પડે એવી હાલત છે. સીસીટીવી તમને જોઈ રહ્યા છે એટલું જ નહીં, ફોન તમને સાંભળી રહ્યા છે. તમારા મોબાઇલ કે લેપટોપનો કેમેરો તમારા પર ડોળો રાખીને બેઠો છે. આ સાચું છે. નવી-નવી ટેકનોલોજી આપણી આસપાસ કાન અને આંખ રૂપે ઘેરાતી જાય છે. ભીંતને એક નહીં સંખ્યાબંધ કાન અને આંખ ફૂટી નીકળ્યા છે. બંદૂકની જેમ સેન્સર્સ તાકવામાં આવી રહ્યાં છે. ટેલિફોન ટેપિંગ તો જૂની વાત છે. હવે તો હેકિંગનો જમાનો છે. તમારો મોબાઇલ હેક થઈ જાય એટલે વાત માત્ર એટલા પૂરતી સીમિત ન રહે કે તમે કોની સાથે શું વાત કરી. તમે કોને મેસેજ કર્યા, એ મેસેજીસમાં શું લખ્યું, તમારા ફોનમાં કોના મિસ્કોલ આવ્યા, તમે કોને મિસ્કોલ માર્યા, તમે ગુગલ પર શું સર્ચ કર્યું, તમે કઈ એપ પર કેટલો ટાઇમ વિતાવ્યો બધી જ માહિતી અથથી ઈતિ સુધી હેકર પાસે પહોંચી જાય. પાછળથી આપણે કોઈની વાટતા હોઈએ તો એ પણ પકડાઈ જાય અને આપણો પ્રતિસ્પર્ધી આપણી એક-એક હીલચાલ જાણી લઈને આપણને ચેકમેટ કરી શકે છે. થોડા સમય પહેલાનો કિસ્સો છે. જો બાઇડને ડિજિટલ પેમેન્ટ એપ વેનમોનો ઉપયોગ કર્યો. તેમણે પોતાના પૌત્ર-પૌત્રીને પૈસા મોકલ્યા. ને માત્ર ૧૦ જ મિનિટમાં બઝફીડે વેનમોના અકાઉન્ટ મારફતે તેમના અંગત સંપર્કોની યાદી હાંસલ કરી લીધી. અમેરિકાના પ્રમુખ જો બાઇડનનું કોન્ટેક્ટ લીસ્ટ જો સલામત ન હોય તો જમાનો કઈ હદે ખરાબ છે તેની કલ્પના કરવી જરાય અઘરી નથી. સંસદમાં પેગાસસ કૌભાંડ તો હમણા ગાજ્યું. બાકી સતત મોબાઇલ હેક થઈ રહ્યા છે. ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ થકી દુનિયાની કેટલીક નામી હસ્તીઓના મોબાઇલ હેક કરવામાં આવ્યા તેમાં ૩૦૦ ભારતીય છે. સરકારીના મંત્રીઓથી લઈને વિપક્ષના નેતાઓ સુધી ઘણા બધા. રાષ્ટ્રવાદીઓથી લઈને સેક્યુલર સુધીના. પત્રકારોથી લઈને એક્ટિવિસ્ટ સુધીના. આ તો હસ્તીઓની વાત છે. સામાન્ય માણસોના અને નાની-નાની હસ્તીઓના મોબાઈલ હેક કરીને એટલો ડેટા ચોરવામાં આવે છે જેની કોઈ સીમા નથી. ઉત્તર કોરિયાના હેકર્સ બાંગ્લાદેશનું વિદેશી હુંડિયામણ ઓલમોસ્ટ તફડાવી લેવાના હતા. છેલ્લી સેકન્ડે કોઈ એરર આવી ગઈ અને પૈસા બચી ગયા. નહીં તો નવા-નવા આર્થિક વિકાસનો સ્વાદ માણી રહેલો આ દેશ નાહી લેવાનો હતો. સાઇબર સીક્યોરિટી વેન્ચરની આગાહી ડેટા ક્વેસ્ટ મેગેઝિનમાં છપાઈ છે. તેમાં જણાવાયું છે કે ૨૦૨૧માં સાઇબર હુમલાને કારણે વર્લ્ડ ઇકોનોમીને પ્રતિ મિનિટે ૧.૧૪ કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યં૨ છે. ૨૦૨૫ સુધીમાં સાઇબર હુમલાને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૧૦.૫ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. ભારતની જીડીપી કરતા સાડા ત્રણ ગણો પૈસો થયો. આપણે એમ માનતા હતા કે ઑનલાઇન વ્યવહારોને લીધે કાળું નાણું ઘટશે, પણ એ આપણો ભ્રમ નીકળ્યો. આ હેકર્સ જે નાણાં તફડાવી રહ્યા છે અથવા તો માહિતીઓ ચોરી-ચોરીને વેચી રહ્યા છે તે મોટા ભાગે બ્લેક મનીમાં જતું હોય છે. ક્રિપ્ટો કરન્સીઝ બ્લેક મનીનો કુબેરભંડાર છે. કારણ કે તેને કોઈ સેન્ટ્રલ બેન્ક વૉચ નથી કરતી. એટલે જ તમારા કમ્પ્યુટર પર રેન્સમવેર અટેક થાય તો સાઇબર ચાંચિયાઓ તમારી પાસે ક્રિપ્ટો કન્સીમાં ખંડણી માગે છે. ન કે ડોલરમાં. તમારા સાધનોને રીસ્ટોર કરવા તમારે ક્રિપ્ટો અકાઉન્ટ ખોલાવવાનું, તમારા પૈસાને બિટ કોઈન કે હેકર્સ જે કોઈ વર્ચ્યુઅલ કરન્સીમાં ખંડણી માગે તેમાં રૂપાંતરિત કરાવવાના અને પછી પેમેન્ટ કરવાનું. આટલી ભૂમિકા પછી વાત કરીએ પેગાસસ સ્પાયવેરની. જેના કારણે સંસદનું ઊઘડતું સત્ર તોફાની બન્યું એ પેગાસસ સ્પાયવેર ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની એનએસઓએ બનાવેલો છે. મેક્સિકોથી લઈને સાઉદી અરબ સુધીની ઘણી બધી સરકારો પર આ સ્પાયવેરના દુરુપયોગનો આક્ષેપ મુકાયો છે. સાધન ક્યારેય ખરાબ કે સારું નથી હોતું. બંદૂક ખરાબ નથી, છરી ખરાબ નથી, જાસૂસી ખરાબ નથી. તમે તેનો ઉપયોગ શું કરો છો તેના પર બધો આધાર છે. છરાનો ઉપયોગ નાળિયેર ફોડવા માટે પણ થઈ શકે છે અને પેટ ફોડવા માટે પણ. સ્પાઇવેર પણ ખરાબ નથી અને હેકિંગ પણ ખરાબ નથી. તે ખરાબ ત્યારે બની જાય છે જ્યારે તેનો ઉપયોગ મલીન ઉદ્દેશ્યોને પાર પાડવા માટે કરવામાં આવે. ભારત સરકારે એનએસઓ પાસેથી આ પેગાસસ સ્પાયવેર ખરીદ્યો હોવાની કોઈ અધિકૃત માહિતી મળતી નથી. એનએસઓ એવું કહે છે કે, અમે માત્ર માન્યતા પ્રાપ્ત સરકારી એજન્સીઓને જ આ સોફ્ટવેર આપીએ છીએ. (અર્થાત આ સ્પાયવેરનો ઉપયોગ કોર્પોરેટ જાસૂસી માટે તો નહીં થતો હોય. કમસેકમ એવું માની લઈએ. કારણ કે આમાંય ઘણું બે નંબરનું ચાલતું હોય છે.) ફેસબુક સહિત અનેક કંપનીઓ એવો આરોપ મૂકે છે કે પેગાસસનો ઉપયોગ તેમની જાસૂસી માટે થાય છે. કોઈ પણ સરકાર સ્પાયવેર ખરીદે તો એમ જ કહે કે અમે આનો ઉપયોગ આતંકવાદને ડામવા અને દેશની સુરક્ષા માટે કરશું. કોઈ સામેથી એવું થોડું કહે કે હા અમે આનો ઉપયોગ અમારા પ્રતિદ્વંદ્વીઓની જાસૂસી માટે કરીશું. જે મોબાઇલમાં પેગાસસ સોફ્ટવેર નાખી દેવામાં આવે તે મોબાઇલનું ઓડિયો રેકોર્ડિંગ, તેના વીડિયો, તેની ડેટા ફાઇલ્સ, તેના કોન્ટેક્ટ્સ, મેસેજીસ, ફોનકોલના રેકોર્ડિંગ સહિતની બધી જ માહિતી હેકર્સ પાસે જતી રહે છે. અમેરિકાએ ચીનની વાહવે કંપની પર એટલે જ પ્રતિબંધ મૂકેલો. વાહવેના મોબાઇલમાંથી યુઝર્સની સંવેદનશીલ વિગતો ચીન પહોંચતી હતી. એન્ક્રિપ્ટેડ ઓડિયો અને એન્ક્રિપ્ટેડ મેસેજ એવી ચીજ છે, જેમાં માહિતી મોકલનાર અને મેળવનાર આ બે જણા સિવાય ત્રીજાને તેની કોઈ જાણ થતી નથી. ઇવન જે કંપની થકી મેસેજ ગયો હોય છે તેને પણ નહીં. પેગાસસ આ એન્ક્રિપ્શનનો ભંગ કરી નાખે છે. મતલબ જેના ફોનમાં આ સોફ્ટવેર રન કરી દેવાયો છે તેના ફોનના એન્ક્રિપ્ટેડ કન્ટેન્ટ પણ હેકરને વાંચવા, સાંભળવા કે જોવા મળી જાય છે. સૌથી પહેલા ૨૦૧૬માં સંયુક્ત આરબ અમીરાતના માનવ અધિકાર કાર્યકર્તા અહમદ મન્સુરનો મોબાઈલ પેગાસસ થકી હેક કરવાની કોશિશ થયેલી. એપલની ઓપરેટિંગ સિસ્ટમ સૌથી સલામત મનાય છે, પણ સ્પાયવેર તેનાય છોતરા ઉડાડી નાખે છે. જેવી એપલને આ વિશે જાણ થાય કે તે સતત તે તેની ઓએસને અપડેટ પણ કરતી રહે છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં મેક્સિકોએ પેગાસસનો ઉપયોગ જાસૂસી માટે કરેલો. દાખલા તરીકે, કોઈને તમારો મોબાઇલ હેક કરવો હોય તો કેવી રીતે કરે? તે તમારી ઘરે આવીને તમે નહાવા ગયા હો ત્યારે તમારા મોબાઇલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી જાય એવું તો સંભવ નથી. તેઓ તમને પોપ્યુલર વેબસાઇટ્સના હોમ પેઇજ જેવું ડમી પેઇજ બનાવીને તેની લિન્ક મોકલે. આવી વેબસાઇટને ફિશિંગ વેબસાઇટ્સ કહે છે. ભારતમાં એમેઝોનના નામે આવી ફિશિંગ વેબસાઇટ્સની લિન્ક ફ્રી સેલ અને મેગા સેલના નામે ઘણા બધાના મોબાઇલમાં ફરે છે. લોકો તેના પર ક્લિક પણ કરે છે અને પછી ચાર દિવસમાં ફરિયાદ કરે છે કે મારા ખાતામાંથી પૈસા ઊપડી ગયા કે મારી સાથે સો એન્ડ સો થયું. ૨૦૨૦માં એવો આરોપ મુકાયેલો કે પેગાસસ થકી અન્યના મોબાઇલ હેક કરવા માટે એનએસઓ કંપની ફેસબુક જેવી દેખાતી વેબસાઇટ લિન્કનો ઉપયોગ કરી રહી છે. સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગ્ગીના મોબાઇલનો મોબાઇલ પણ તેમની હત્યા પહેલા આ રીતે હેક થયો હોવાનું કહેવાય છે. આવા તો બીજા કેટલા પત્રકારો અને દુનિયાની કેટલી હસ્તીઓ અને સામાન્ય લોકોના મોબાઇલ હેક થયા છે અને થતા રહે છે. તમારો અને મારો ફોન પણ હેક થયો હોઈ શકે છે. કદાચ આપણને આ વિશે ખબર પણ ન હોય. હસ્તીઓના મોબાઇલના હેકિંગનું કારણ તો સમજાય, પણ સામાન્ય લોકોના ફોનનું હેકિંગ શા માટે થતું હશે? તેમના મોબાઇલના ડેટા પરથી તેમની આદતો જાણી શકાય છે અને તેમની આદતો જાણીને તેનો ઉપયોગ તેમને અનુકૂળ પ્રોડક્ટ્સ બજારમાં મૂકવા તથા ચૂંટણીમાં રણનીતિ ઘડવા માટે કરી શકાય છે. હેકિંગનું એક મોટું બજાર ચાલે છે, જેને તમે પેરેલલ બ્રહ્માંડ પણ કહી શકો. તો આનાથી બચવા માટે શું કરવું? ૧) મોબાઇલમાં આવતી અજાણી લિન્ક પર ક્યારેય ક્લિક ન કરો. ૨) જે વેબસાઇટના યુઆરએલમાં એચટીટીપી પછી એસ લખેલું હોય તેના પર જ ક્લિક કરો. ૩) ઇન્ટરનેટ અને ટેકનોલોજીને લગતું બેઝિક શિક્ષણ મેળવો. ખાલી બીકોમ કે એમબીએ થઈ જઈએ તે પૂરતું નથી. આ જમાનામાં ટેકનોલોજીના બેઝિક જ્ઞાાન વિનાનો ભણેલો પણ અભણ છે. ૪) મોબાઇલને થોડા-થોડા સમયે ફેક્ટરી રીસેટ કરી નાખો. તેનો બધો જ ડેટા ડીલીટ મારી દો. ૫) મોબાઇલમાં સારી ગુણવત્તાવાળો એન્ટિવાઇરસ સોફ્ટવેર પણ રાખો. ફ્રી સોફ્ટવેર નહીં. પેઇડ. જે ફ્રી છે એ તો તમારો ડેટા ચોરે જ છે. ૬) મોબાઇલમાં રહેલી એપ્સને બધી જ પરમિશન ન આપો. જે એપને કેમેરાના ઉપયોગની જરૂર ન હોય તેને કેમેરાની પરમિશનમાં અલાઉ નહીં કરી દેવાની. જેને કોન્ટેક્ટની કોઈ જરૂર નથી તેને કોન્ટેક્ટ લિસ્ટના ઉપયોગ માટે મંજૂરી નહી આપવાની. જેને મીડિયા ફાઇલ્સના ઉપયોગની જરૂર નથી તેને મીડિયા ફાઇલ્સના ઉપયોગ માટે અલાઉનો ઑપ્શન નહીં દાબી દેવાનો. ઇલોન મસ્કની વાત યાદ રાખવા જેવી છેઃ નવું-નવું શીખવાથી આપણે જ્ઞાાની નથી થઈ જતા, પણ જેમ-જેમ શીખતા જઈએ છીએ તેમ-તેમ ઓછા અજ્ઞાાની બનીએ છીએ. આથી નવું-નવું અવિરત શીખતા રહેવું. આજની નવી જોક લલ્લુ (ભગવાનને): હે ભગવાન! પ્લીઝ પંજાબને અમેરિકાની રાજધાની બનાવી દો. ભગવાનઃ કેમ? લલ્લુઃ કારણ કે હું પેપરમાં અમેરિકાની રાજધાની પંજાબ લખીને આવ્યો છું. ભગવાનઃ હેં!?

ગુજરાત સમાચાર 22 Jul 2021 2:30 am

તાલિબાન-ચીન-પાકિસ્તાન ભારત વિરોધી જોખમી ત્રિપુટી

- તાલિબાનો કાબુલ પડાવવા થનગની રહ્યા છે - ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર - તાલિબાની શાસકો આવશે ત્યારે ભારતે અફઘાનિસ્તાનમાં કરેલો બધો ખર્ચો પાણીમાં જવાનો છે એ ક તરફ લદ્દાખ સરહદે ટેન્શન ઉભું રાખીને ચીન શાંતિ સ્થાપના નથી માંગતું તો બીજી તરફ પાકિસ્તાન ત્રાસવાદીઓના સપેાર્ટમાં ડેન હુમલા કરાવી રહ્યું છે અને હવે ભારત સામે અફધાનિસ્તાન નામની નવી સમસ્યા ઉભી થઇ રહી છે. અમેરિકી લશ્કર વિદાય લેશે એટલે તાલિબાનો વધુ ભૂંરાટા થવાના છે. ભારતના લશ્કર માટે આ ત્રણેય સાઇડ અલગ હોવા છતાં સંયુક્ત રીતે પરેશાન કરી શકે છે. ચીનની પકડમાં પાકિસ્તાન છે અને પાકિસ્તાન તેમજ તાલિબાનોનું ગઠબંધન પણ બહુ જાણીતું છે. આ સ્થિતિમાં આ ત્રણેય એન્ટી ઇન્ડિયા ઓપરેશન શરૂ કરી શકે છે. અહીં મહત્વનું એ છે કે ભારત ઇચ્છે તો પણ અફઘાનિસ્તાનમાં બદલાતા વાતવરણને અટકાવી શકે એમ નથી. છેલ્લા બે દાયકાથી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લોકશાહીના પાયા નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા નહોતી મળી. લશ્કરી અને આર્થિક સ્તરે વિશ્વની મહાસત્તા અમેરિકા લશ્કર પાછું ખેંચીને સંકેત આપ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં નિષ્ફળ પુરવાર થયા છે. પોતાની પાસે લશ્કરી તાકાત હોવા છતાં અફઘાનિસ્તાનને તાલિબાનોના જંગલિયતભર્યા શાસનમાંથી અમેરિકા છોડાવી શક્યું નહોતું. હવે અમેરિકા અફઘાન છોડશે એટલે ફરી પાછું તે અંધારા યુગમાં ખેંચાઇ જશે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ટ્વિન ટાવર્સ પર કરેલા હુમલામાં ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા. ત્યારે અમેરિકાએ ત્રાસવાદ સામે જંગ છેડયો હતો અને અન્ય દેશોને પણ જંગ માટે ભેગા કર્યા હતા. પાકિસ્તાન અમેરિકાને ડબલ ક્રેાસ કરતું હતું. તે સવારે ત્રાસવાદીઓ સામે લડવામાં સાથ આપતું હતું અને રાત્રે અમેરિકાને કેવી રીતે હંફાવવું તેની બેઠકો કરતું હતું. કહે છે કે અમેરિકા જાણતું હતું કે પાકિસ્તાન ડબલ ક્રોસ કરે છે પણ ભૌગોલિક પરિસ્થિતિ એવી હતીકે પાકિસ્તાનનો ટેકો લેવો પડે એમ હતું. તેમના મદદ વિના અમેરિકા સીધો હુમલો કરી શકતું નહોતું. ટૂંકમાં અફઘાનિસ્તાનમાં અમેરિકાને નામોશી મળી છે, ૨૫૦૦ જવાનો ગુમાવ્યા છે અને ત્રણ ટ્રીલીયન ડોલર પણ ગુમાવ્યા છે. ત્રાસવાદ સામેની ૨૦ વર્ષની વોરમાં અમેરિકાએ કોઇ ખાસ સિધ્ધિ મેળવી નથી. હવે જ્યારે અમેરિકાનું સૈન્ય વિદાય લેશે ત્યારે તાલિબાનો ટૂંક સમયમાં જ કાબુલ કબજે કરી લેશે. અહીં કંદહાર હાઇજેકનો એપિસોડ યાદ આવે છે. આ હાઇજેક તાલિબાનો વિના શક્ય નહોતું. આ તાલિબાનોજ કાબુલ પર કબજો કરવા આગળ વધી રહ્યા છે. કહે છે કે કતારમાં તાલિબાનોના સંપર્કમાં ભારત છે પરંતુ તાલિબાનોમાં ભારત વિરોધી એનડીએ છે તે હકીકત છે. ભારતે અફઘાનિસ્તાનના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પાછળ ત્રણ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. અફઘાનિસ્તાનની સંસદનું મકાન ભારતે ૫૦ અબજ ડોલર ખર્ચીને બનાવ્યું છે. કેટલીક શિક્ષણ સંસ્થાઓ પણ ભારતે ઉભી કરી છે. હવે જ્યારે ત્યાં તાલિબાની શાસકો આવશે ત્યારે ભારતે કરેલો બધો ખર્ચો પાણીમાં જવાનો છે. તાજેતરમાં ભારતે તેની એલચી કચેરીનો સ્ટાફ ખસેડી નાખ્યો છે. તાલિબાનો કાબુલ પડાવવા થનગની રહ્યા છે. પાકિસ્તાન, ચીન અને તાલિબાનથી બનેલી ત્રિપુટી ભારતને સરહદે ખાસ કરીને કાશ્મીરમાં પરેશાન કરી શકે છે. ભારતે ઇરાન અને મધ્યપૂર્વના દેશોે સાથે સંબંધો વઘુ મજબૂત કરવા પડશે અને અમેરિકાને કહીને પાકિસ્તાન કોઇ મિસ્ચીફ ના કરે તેવું કરવું પડશે.

ગુજરાત સમાચાર 21 Jul 2021 5:45 am

પ્રિન્સિપાલે તોફાની ઝમ્પેરિનિને કડક શિક્ષા ફરમાવી

- સ્કૂલમાં ઝમ્પેરિનિ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને બેફામ તોફાન-મસ્તી કરતો હતો.. - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-2 - રસ્તામાં પોલીસ પર સડેલું ટામેટું ફેંકી લુઈ ઝમ્પેરિનિ ભાગી જતો હતો - સ્કૂલે જતી વખતે કોઈ છોકરો એની આગળ ચાલે તો ઝમ્પેરિનિ એને ધોઈ નાંખતો હતો ના નાકડા લુઈના તોફાનોથી કંટાળેલી મા લુઈસ ક્યારેક આંખમાં આંસુ સાથે કહેતી કે મારો આ નાનકડો લુઈ, મારા મોટા પીટે જેવો હોત તો કેવું સારૂં...! જો કે એવું નહોતું કે પીટે ક્યારેય તોફાન કરતો જ નહોતો. નાની બહેન સિલ્વીઆના કહેવા મુજબ હકીકત તો એ હતી કે તોફાન કરતા કે પડોશીના ઘરમાંથી બ્રેડ-બટર ચોરતા લુઈ લગભગ દર વખતે પકડાઈ જતો'તો પણ પીટે એટલો નશીબદાર કે તે ક્યારેય પકડાયો જ નથી. લુઈ જેમ મોટો થતો ગયો તેમ તે વધારેને વધારે તોફાની અને અળવીતરો થતો ગયો. ક્યારેક એ કોઈ છોકરાની ટીખળ કરતો કે શાળામાં કોઈ શિક્ષકને પાછળથી ધક્કો મારીને છૂપાઈ જતો હતો. રસ્તામાં ઊભેલા પોલીસ પર ક્યારેક તે સડેલું ટામેટું ફેંકતો. પોલીસ પર ટામેટું ફેંકતા તેને સ્હેજેય બીક પણ લાગતી નહોતી. લુઈ શાળાએ જવા નીકળે ત્યારે તેનો એક વણલખ્યો આદેશ હતો કે કોઈ છોકરાએ તેની આગળ નીકળી જવું નહીં, ભૂલેચૂકે કોઈ છોકરો એને ક્રોસ કરીને આગળ જવાની કોશિશ કરે એટલે લુઈનો પિત્તો સાતમા આસમાને પહોંચી જાય. એને ક્રોસ કરી આગળ જવાની ગુસ્તાખી કરનાર છોકરાને લુઈ ધીબી નાંખતો. લુઈના આ બધા તોફાન-મસ્તીમાં સહન કરવાનું મોટાભાગે તેના પિતાના ભાગે આવતું'તું. પિતા એન્થનીએ પડોશીની, પોલીસની કે લુઈના શિક્ષકની માફી માંગવાની નોબત અવારનવાર આવી પડતી હતી. એક મધરાતે લુઈ રખડવા માટે ઘરની બહાર નીકળવા ચુપકીદીથી ખુલ્લી બારી પર ચઢીને કુદવા જતો હતો, બરાબર એ જ વખતે એના પિતાની નજર પડતા, તેમણે લુઈને એટલા જોરથી પાછળ લાત મારી કે લુઈ ગડથોલિયું ખાઈને બહારની તરફ નીચે પટકાઈ પડયો. પણ લુઈ જેનું નામ. એ ન તો રડયો કે ન બાપાના પગે પડી માફી માંગી. બિન્ધાસ્ત રીતે ધૂળ ખંખેરીને એ ઊભો થઈ ગયો અને ચૂપચાપ ત્યાં જ ઊભો રહ્યો. ગુસ્સે ભરાયેલા બાપાની જોરદાર લાત ખાધા પછી પણ એ નફફટની જેમ ત્યાં જ ઊભો રહ્યો. વાત જો કે આટલાથી જ નહોતી પતી. બીજો કોઈ છોકરો હોત તો ફરી આ રીતે મધરાતે બહાર ભટકવા જવાનું નામ ન લેત, પણ આ તો લુઈ હતો. બીજી મધરાતે પણ લુઈ આગલી રાતની જેમ જ બારી પર ચઢીને બેફિકરાઈથી બહાર રખડવા જતો રહ્યો'તો. એક વખત દોસ્તારો સાથે ભારે મજાક-મસ્તી અને તોફાને ચઢેલો લુઈ એટલા જોરથી નીચે પટકાયો કે તેના ઘુંટણમાંથી લોહી વહેવા માંડયું. આ ગંભીર ઈજામાં તેને ૨૭ ટાંકા લેવા પડયા હતા છતાં તેના તોફાન-મસ્તીમાં કોઈ ઓટ આવતી નહોતી. શાળામાં સાથે ભણતા એક છોકરાને તેણે મોઢા પર એટલા જોરથી મુક્કો માર્યો કે પેલા બિચારાનું નાક છુંદાઈ ગયું'તું. એક વખત એવું થયું કે ચાર-પાંચ છોકરાઓ સાથે ઊભા રહી લુઈ ટોળાટપ્પા કરતો હતો, તે વેળા એકાદ છોકરો તેની સામે બોલવા જતા જ લુઈના મગજની કમાન છટકી. તેણે એ છોકરાના મોઢામાં પેપર નેપ્કિનનો ડૂચો ઠોંસી દઈ એની બોલતી જ બંધ કરી દીધી હતી. લુઈની આવી બેફામ દાદાગીરીની વાતો આખા ગામમાં ફેલાઈ ગઈ હોવાથી ઘણાં બધા વાલીઓ તો પોતાના સંતાનોને ક્યારેય લુઈની નજીક નહીં ફરકવાની સલાહ આપતા હતા. ગામમાં તેના વિશે ચર્ચાતી ખરાબ વાતોની લુઈ પર કોઈ ઝાઝી અસર નહોતી થતી, કારણ લુઈ મનોમન પોતાના વિશે કોઈ મોટી મહત્વાકાંક્ષા વિનાનો છોકરો હતો. ગામનો કોઈક માણસ ક્યારેક તેને પૂછી બેસે કે અલ્યા, લુઈ મોટો થઈને તું શું બનવા માંગે છે ? તો લુઈ ફટ દઈને જવાબ આપતો કે મોટો થઈને તો હું ગામના ઢોર ચરાવનાર ગોવાળિયો બનવાનો છું.' સ્કૂલમાં વારંવાર ટીખળ અને મજાક-મસ્તી ઉપરાંત અવારનવાર તોફાન કરતા લુઈને દર બે-ચાર દિવસે પ્રિન્સિપાલની ઓફિસનું અચૂક તેડુું આવતું. પ્રિન્સિપાલ તેને ખખડાવતા, તેને ગંભીર પરિણામની ચેતવણી આપતા, પણ લુઈ માટે આ બધું પથ્થર પર પાણી જેવું હતું. કેટલીયવાર ચેતવણી આપવા છતાં લુઈમાં જરીકેય સુધારો નહીં થતા, છેવટે કંટાળેલા પ્રિન્સિપાલે તેને કડક શિક્ષા કરીઃ નવમા ધોરણમાં આવેલા લુઈને રમત-ગમત કે શિક્ષણેત્તર અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો. પ્રિન્સિપાલે કરેલી શિક્ષાથી લુઇને જો કે કોઇ જ ફરક પડતો નહોતો, કારણ આટલા વર્ષોમાં તેણે સ્કૂલમાં સ્પોર્ટસ કે અન્ય પ્રવૃત્તિઓમાં ક્યારેય ભાગ લીધો જ નહોતો. પણ લુઇના મોટાભાઇ પર આની જરૂર અસર પડી. લુઇને પ્રિન્સિપાલે કરેલી શિક્ષાની વાત વિશે પીટેને ખબર પડતાં જ એ ધૂંઆપૂંઆ થઇ ગયો, અને પોતાના નાનાભાઇને કરાયેલી શિક્ષા ગમે તેમ કરીને રદ કરાવવા તેણે મનોમન પ્લાન વિચારી લીધો. લુઇથી તે માંડ દોઢેક વર્ષ જ મોટો હતો. સ્કૂલમાં તે લુઇથી એક ધોરણ આગળ હતો. પહેલા તો તેણે પ્રિન્સિપાલ પાસે એકલા જ જઇને વાત કરવાનું મનમાં નક્કી કર્યું, પણ થોડો વધારે વિચાર કરતા તેને લાગ્યું કે તેના એકલાની રજૂઆતનું કદાચ વજન નહીં પડે, એટલે માને સાથે લઇ તે પ્રિન્સિપાલને મળવા ગયો. સ્કૂલમાં પીટેની છાપ એક હોંશિયાર અને સારા વિદ્યાર્થી તરીકેની હોવાથી પ્રિન્સિપાલને તેના માટે માન હતું. પીટેની રજૂઆત સાંભળી બેઘડી તેઓ વિચારમાં પડી ગયા એટલે પીટેએ નાનાભાઇ લુઇ વતી તેનું બચાવનામું આગળ વધારતા કહ્યું, સર, લુઇ મૂળે ''એટેન્શન સીકર'' વ્યક્તિત્વ છે. પોતાના તરફ બધાનું ધ્યાન દોરાતું રહે એવી તેને સતત પ્રબળ ઝંખના રહે છે. શાળા કક્ષાના રમતોત્સવમાં, નાટય કે નિબંધ સ્પર્ધામાં અથવા તો પરીક્ષામાં તેનો પહેલો નંબર આવે અને વર્ગખંડમાં બધા તેની પ્રશંસા કરે એવી તેની આંતરિક ઝંખના સાકાર ન થઇ એટલે પ્રિન્સિપાલ એને કોઇ કડક શિક્ષા કરે તોય સ્કૂલમાં બધે એનું નામ ચર્ચાતું થઇ જશે, એવી વિપરીત ગણત્રી બળવાખોર સ્વભાવના મારા નાનાભાઇ લુઇએ કરી હશે. પણ આવા ખોટા કારણસર સ્કૂલના બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એના તરફ ખેંચાય તે અમને નથી ગમતું પ્લીઝ સર, આપ એની શિક્ષા રદ કરો. હું મારા નાનાભાઇ લુઇ કરતા એક કલાસ આગળ છું, મને આ વર્ષે તમે નપાસ કરજો એટલે મારો નાનોભાઇ અને હું એક કલાસમાં થઇ જઇશું. પછી હું તેનું રોજેરોજ ધ્યાન રાખતો રહીશ. (ક્રમશઃ)

ગુજરાત સમાચાર 21 Jul 2021 5:35 am

એક વાર વધ્યા પછી ઝટ ઘટે નહીં પેટ અને રેટ

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી પતિને ભાવતા પકવાન ખવડાવવા માટેના પાક-શાસ્ત્રમાં કાકાને ધાકમાં રાખવા માટેના ધાક-શાસ્ત્રમાં કાકીની કાબેલીયતને કોઇ ન પહોચે. એટલે જ પથુકાકા સંસાર ટકાવી રાખવાનું સનાતન સત્ય ઉચ્ચારતા કાયમ કહે કે વેડમી અને વઢ, માલપુવા અને માર, ઢોસા અને ઠોસા ખાઇ જાણે એ જ સાચું સંસારી સુખ માણે, બાકી ખાતા - ન આવડે ઇ ખતા ખાય અને ભડ થઇ ભેંકડા તાણે. રવિવારની રજાને દિવસે કાકા અને કાકી પેટની ટાંકી ભરાય એટલું ખાય. ગયા રવિવારે છાપાની પૂર્તિ લેવા કાકાના ઘરમાં ગયો ત્યારે ખરો નઝારો જોવા મળ્યો. પથુકાકા ભરપેટ જમીને પેટ પર હાથ ફેરવતા ઓડકાર ખાતા હતા અને (હો) બાળાકાકી દિવાનખાનામાં આમથી તેમ ધમ ધમ ધરતી ધણધણાવતા આંટા મારતા હતા. મેેં પથુકાકાને પૂછયું કે 'આ શું થયું છે કાકીને ?' સવાલ સાંભળી પથુકાકા લુચ્ચુ હસીને બોલ્યા 'આ પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને જતા જાય છે એટલે વધુમાં વધુ ગાડીઓ ગેસથી દોડવામાં આવે છે બરાબરને ? જેમ ગાડી ગેસથી ચાલે એમ આ મારી લાડી પણ ગેસથી ચાલે છે.' મેં કહ્યું લાડી પણ ગેસથી ચાલે છે એટલે ?' પથુકાકા ખોંખારો ખાઇને બોલ્યા 'કારમાં સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભરવામાં આવે એટલે ચાલવા માંડે છે બરાબર ? ગાડી ચાલે એટલે ગેસ ઓછો થતો જાય. એવી જ રીતે આ તારી કાકી રવિવારે ઢોકળા, પૂરી, શ્રીખંડ જેવું ભારે ખાય પછી પેટમાં 'નેચરલ ગેસ' થાય. હવે જયાં સુધી તારી કાકી આમ ચાલે નહીં ત્યાં સુધી પેટમાંથી ગેસ ઓછો ન થાય. ચાલે તો ગેસ વપરાય અને હાશકારો થાય. એટલે જ મેં તને પહેલાં જ કહ્યું કે ગેસથી ગાડી ચાલે તો પછી ગેસથી લાડી કેમ ન ચાલે ?' કાકાનું આ (કુદરતી) વાયુ પ્રવચન સાંભળીને હું બોલ્યો કે 'એમ કહેવાનું મન થાય કે કાકી ચાલે ગેસથી અને કાકા ચાલે ટેસથી.' હસીને કાકા બોલ્યા કે આ કપરા કોરોનાકાળમાં હું તારી કાકીને કાયમ ટપારતો રહું છું કે મહામારીમાં જરા ખાવામાં ધ્યાન તો રાખ? આ પેટ વધતું જાય છે એ જોતી નથી ? ત્યારે આ તારી આ (હો) બાળાકાકી લાપરવાહીથી શું જવાબ આપે ખબર છે ? ઇ કહે છે કે ગેસમાં પેટ વધે અને દેશમાં રેટ (ભાવ) વધે એની શું ચિંતા કરવાની? પેટ અને રેટ વધવા માંડે પછી થોડા જ ઝડપથી ઘટે છે ? એટલે ભૂખ વેઠી પાતળી સોટા જેવી કાયાવાળી મોડેલો કેટ-વૉક કરે અને મારી આ ભારેખમ ભાર્યા પેટ-વોક કરે.' મેં કહ્યું વર્ષો પહેલાં હિંમત કરીને એક ગુજરાતી ફિલમ જોઇ હતી ઃ 'દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા.' પણ તમે લખેલી કાકીની આ પટ-કથા નહીં પણ પેટ - કથા સાંભળીને નવું ટાઇટલ આપવાનું મન થાય છે ઃ પેટ રે જોયા દાદા ભરપેટ રે જોયા.' કાકા રંગમાં આવી જાણે બાળપણમાં સરી પડયા અને ગાવા માંડયા છ દાયકા જૂનું ગીત ઃ સીએટી કેટ - કેટ માને બિલ્લી આરએટી રેટ રેટ માને ચુહા અરે દિલ હૈ તેરે પંજે મેં તો કયા હુઆ..... મેં હસીને કહ્યું કાકા મજેદાર ગીત કઇ કોમેડી ફિલ્મનું ખબર છે ? 'દિલ્હી કા ઠગ.' ફિલ્મનું નામ સાંભળી કાકા મને તાલી દઇને બોલ્યા શું વાત કરે છે ? કિશોરકુમાર અને નૂતનની 'દિલ્હી કા ઠગ' ફિલ્મનું ગીત છે ? વાહ ! અત્યારે દિલ્લીવાળાને સહુ રેટ (આરએટીઇ) વધારા માટે દોષ દે છેે ને ? દિલ્લી-બિલ્લીના આ પંજામાંથી છૂટવાનું સહેલું નથી સમજ્યો બચ્ચું ? એટેલ જ ફેરવીને ગાણું ગાવાનું ઃ આરએટીઇ રેટ રેટ યાને 'દર' આરએટી રેટ રેટ યાને ઊંદર અરે 'બિલ' હે તેરે પંજે મેં તો કયા હુઆ..... મેં કાકાને કહ્યું કે 'ખરેખર દરેક ચીજના વધતા 'રેટ' સામે પેટ ભરવા માટે જ બધી દોડધામ કરવી પડે છેને ?' કાકા શબ્દરમત કરતા બોલ્યા રેટ એટલે દર અને રેટ એટલે ઊંદર બરાબર ? એટલે જ તું જેને દોડધામ કહે છે એ જ પેટ માટેની રેટ-રેસ કહી શકાય. આમ પણ (રેટ) ઊંદર શબ્દ માંય ઊં ઉપરથી અનુસ્વાર કાઢો તો શું થાય ? ઊદર, ઉદર એટલે પેટ પેટ માટે રેટ-રેસ. લોકડાઉનમાં ઘરની ઘૂસ થઇ બેસવું પડયું એ વખતે અગણિત લોકોએ નોકરી - ધંધા ગુમાવવા પડયા. એટલે જ હું કહું છુને કે ઃ મહામારી, મોંઘવારી અને એમાં રોજની મગજમારી મમ-મમની આ સિંહ રાશિએ ડૂચો કાઢયો મારી મારી મેં કહ્યું કાકા ઇંધણની કિંમતમાં સતત વધારાથી અને રાંધણ ગેસના આસમાને ગયેલા ભાવથી દરેક ઘરમાં રસોડાની રાણી ખરેખર ગભ-રાણી છે ઉશ્કે-રાણી. કાકા કહે છે તે સિંહ રાશિની વાત કરીએ એટલે કહું છું કે નામની પાછળ રાશિનું નામ લાગે એવાં દેશના કયા આ વડાપ્રધાન હતા ખબર છે ? મનમોહન -સિંહ હવેના જે વડા છે તેમના નામની પાછળ અટક સિંહ રાશિની છે, એટલો ફેર છે. બાકી તો સત્તા ગમે તેની આવે, સિંહાસન પર ગમે તે આવે આપણી જેવી પ્રજાના ભાગ્યમાં તો સહન કરવાનું જ લખ્યું છેને ? એટલે ચૂપચાપ મોંઘવારી ખમો અને ન. મો. બીજું શું ?' મેં કહ્યું કાકા નમે એ સહુને ગમે પણ કાયમ નમાવે એ કેમ કામ-આવે ? અત્યારે તો એવી દશા છે કે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરવાનો વિચાર પણ કોઇ ગરીબ કરી શકતો નથી. એટલે જ હમણાં કયાંક વાંચ્યું કે એક જણે કોઇની મોટરસાઇકલમાંથી થોડું પેટ્રોલ ચોરીને પછી અગ્નિસ્નાન કર્યું. બોલો આવી દશા કરી છે આ મોંઘવારીએ, મરવા માટે પણ ચોરી જીવવા માટે પણ ચોરી કરવાની ?' કાકા બોલ્યા 'મુંબઇની લોકલ ટ્રેનમાં આપણી જેવાં સામાન્ય લોકોને પ્રવાસની પરવાનગી નહોતી લોકડાઉનમાં ખબર છે ? ત્યારે હું બસની ભીડમાં ભીંસાતો ભીંસાતો પરાંમાંથી તળ મુંબઇ તરફ જતો હતો. હું બસમાં હાલકડોલક થતો હેન્ડલ પકડીને ઊભો હતો. ત્યાં અચાનક કંઇક સળવળાટ થયો. ભીડ વચ્ચેથી માંડ નીચે જોયું તો એક કાળો હાથ આવ્યો અને સીફતથી મારૂં પાકિટ સેરવી લીધું ગભરાઇને મેં ચોર..... ચોર..... ચોર..... બૂમાબૂમ કરી મૂક. એટલે ડ્રાઇવરે બસને બ્રેક મારી. કન્ડકટરે એક પછી એકને નીચે ઉતારી મને પૂછવા વાગ્યો કે બોલો આ છે..... આ છે..... આ છે..... પણ મેેં કહ્યું ભાઇ મેં એનો ચહેરો જોયો જ નહોતો. ફકત હાથ જ જોયો હતો. આપણે ત્યાં કોઇ મોટી ખાનાખરાબી થાય ત્યારે નેતાઓ કહે છેને કે આની પાછળ વિદેશી હાથની શંકા છે, પણ પાકિટ ગયું એ નાની ખાનાખરાબી છે એટલે મને આની પાછળ દેશી હાથની શંકા લાગે છે. ચાલો વાંધો નહીં. કન્ડકટરે પેસેન્જરને પાછા બસમાં ચડાવી દીધા અને હું ચાલીને જવા માંડયો. થોડે દૂર ગયો ત્યાં એક મવાલી નજીક આવ્યો અને બમ્બૈયા હિન્દીમાં બોલ્યો 'અરે ચાચા યે લો તુમારા પાકિટ, ખાલીપીલી બીસ રૂપિયા પાકિટ મેં રખકે કયું નીકલતા હૈ ? કમારા 'હેન્ડીક્રાફટ' કા આખ્ખા મહેનત પાની મેં ગયા માલૂમ?' મેં કહ્યું મેરી બીબી પાકિટ મેં જયાદા પૈસે રહને હી નહીં દેતી હૈ, તેરે હાથ મેં કયા આયેગા ?' મવાલી માસ્ટર સ્ટ્રોક મારતા બોલ્યો 'અપના દુશ્મન પડોશી પાકિસ્તાન પૂરા ખાલી હો ગયા હૈ. દુનિયા કે પાસ ભીખ માગતા હૈ માલૂમ? ફિર ભી ઇન્ડિયા કો સતાતા હૈ. ઔર ઇન્ડિયા મેં તુમ્હારે જૈસે ખાલી પાકિટવાલોને અપને ધંધે કી વાટ લગાઇ હૈ વાટ. બહાર સે પાકિસ્તાનવાલે સતાતે હૈ ઔર અંદર તુમ્હારે જૈસે ખાલી પાકિટ-સ્તાની સતાતે હૈ..... બોલો કયા કરને કા ?' આ સાંભળીને હું મનોમન સમસમી ગયો કે એક મામૂલી ખીસ્સાકાતરૂ મારી કિંમત કરી ગયો ? ત્યાં બસ-સ્ટોપ પાછળની દિવાલ ઉપર પાલિકાએ લખેલી સૂચના વાંચી ઃ માસ્ક પહને ઔર હાથ સાફ રખે. આ વાંચીને થયું કે આ મહામારી અને મોંઘવારીએ એવો તો કમરતોડ ફટકો માર્યો છે કે કેટલાય લોકોને ચહેરો ઢાંકી એક યા બીજી રીતે 'હાથ સાફ' કરવાનો વારો આવ્યો છે. પાલિકાની સૂચના વાંચીને વિચારમાં ખોવાયો હતો ત્યાં જ બ્લ્યૂ યુનિફોર્મમાં એક માર્શલ આવ્યો અને મારો હાથ પકડી બરાડયો 'માસ્ક કયો નાક સે ઉતારા ? અબ લાવ દોસો રૂપિયા..... દંડ' હું મુંઝાણો ખીસ્સામાં બસો રૂપિયા હોય તો દંડ ભરૂંને ? મેં કાલાવાલા કર્યા અને પાકિટ દેખાડી કહ્યું આ જો વીસ રૂપિયા છે, જોઇએ તો લઇજા. પેલાએ ઝપટ મારી વીસ રૂપિયા પડાવીને ચાલતી પકડી. મારી પાસે સમ ખાવા પૂરતી કાણી કોડી પણ ન રહી. ત્યારે મનમાં થયું કે શું આને જ કેશલેસ ઇકોનોમી કહેવાય ?' મેં કહ્યું કાકા જનતાની દશા સાવ કેશ-લેસ જ થઇ જાયને બિઝનેસ-વોટર (ધંધા-પાણી) ઠપ થઇ ગયા હોય ત્યારે બીજું શું થાય ? આ સરકાર ચૂંટણી આવે એટલે રીતસર ધનના ખજાના ખુલ્લા મુકે અને જેવી ચૂંટણી જાય એટલે પછી કરદાતાને ઢીંકા મારી મારીને પૈસા કઢાવે, આને તે કાંઇ ઇકોનોમી કહેવાય કે ઢીંકો-નોમી કહેવાય ? મોંઘવારીના મરણતોલ ઉપરાઉપરી ફટકા મારીને મારી નાખે તેને અર્થતંત્ર કહેવાય કે અર્થી-તંત્ર ? રામ બોલો ભાઇ રામ..... એટલે જ મારે જોડકણું કહેવું પડે છે કે ઃ રૈયતની સાંભળે નહી રાવ મોંઘારતના થાય ઘાવ પર ઘાવ વોટ માટે લગાવે સોંઘારતનો દાવ જીતીને વકરાવે મોંઘારતનો ઘાવ હે લોકશાહીના શાહી-લોક કોક તો જરા શર-મવ ? પથુકાક કહે કે 'કર્ણાટક બાજુ મેં સાંભળ્યું છે કે એક કોમ એવી છે જે ચિત્રવિચિત્ર નામો રાખે છે, જેવાં કે રોકેટ, ડાયમન્ડ, બંદૂક, મોબાઇલ વગેરે વગેરે આમાં એક માતાએ ટ્વિન્સને જન્મ આપ્યો ત્યારે જોડકાનું શું નામ રાખ્યા ખબર છે ? પેટ્રોલ-ડિઝલ. કોઇએ ટ્વિન્સના નામ પેટ્રોલ-ડિઝલ રાખવાનું કારણ પૂછતા માતાએ હસીને જવાબ આપ્યો કે બંને દિવસે ન વધે એટલા રાતે વધેને ? એટલે પેટ્રોલ ડિઝલ નામ રાખ્યા છે.' મેં કહ્યું 'કાકા દરેક ચીજના વધતા દામ અને ભાવની આ ભરમાર જોઇને આપણાં ગરવા ગુજરાતના કયાં બે ગામના નામ યાદ આવે ખબર છે ? ભાવ-નગર અને દામ-નગર.' મેં વધતા ફુગાવા અને મોંઘવારીનું આ મહાપુરાણ પૂરૂં કરવાના ઇરાદે કહ્યું કે 'આપણે તો આશા રાખવાની કે ભાવ ઘટશે..... અચ્છે દિન આયેંગે.....' કાકા કહે 'અચ્છે દિન આયેંગે નહીં અચ્છે દીન (ગરીબ) બઢેંગે ..... બાકી હું તો ફરી ફરી કહું છું કે પેટ અને રેટ એક વાર વધ્યા પછી ઝટ ઘટે નહી. દેહના ફુગાવામાં ફેટ (ચરબી) વધે અને દેશના ફુગાવામાં રેટ વધે.' અંત-વાણી ફુગાવો વધે ત્યારે દર વધે ઉંદર વધે ત્યારે પણ 'દર' વધે.

ગુજરાત સમાચાર 20 Jul 2021 5:50 am

વેલકમ ટુ સ્પેસ રેસ 2.0

- પ્રાઇવેટ ઉડાનનો આ નવો સ્પેસયુગ દુનિયા બદલી નાખશે - અવકાશમાં ઊડવામાં બ્રાન્સન ભલે આગળ નીકળી ગયા, પણ બેઝોસ બીજી રીતે આગળ નીકળી જશે - દક્ષિણ કોરિયાની ફિલ્મ સ્પેસ સ્વીપર્સમાં માણસ દ્વારા અવકાશમાં કરતા કચરાને મુદ્દો બનાવી અદ્ભુત વાર્તા કહેવાઈ છે માનવજાતિનો ઈતિહાસ જમીન માટેની લડાઈનો ઈતિહાસ છે. મનુષ્ય જ્યારથી સમજણો થયો ત્યારથી સતત નવી-નવી જમીનો શોધતો આવ્યો છે અને જીતતો આવ્યો છે. લેન્ડલોર્ડ. આ શબ્દ બહુ વિશાળ છે. તેની સીમાઓ આપણી ધારણાથી ઘણી આગળની છે. કહો કે તેનું સીમાંકન કરવું અઘરું છે. કારણ કે તેનો સ્વભાવ ડ્રેગન જેવો વિસ્તારવાદી છે. રાજાઓ હોય કે ધનપતિઓ અંતતઃ તેમનું સ્વપ્ન વધુને વધુ મોટો જમીનદાર બનવાનું હોય છે. પૃથ્વી પર તો હવે એક પણ ઇંચ એવો રહ્યો નથી જ્યાં માણસના પગલાં ન પડયાં હોય. એટલે જ હવે કદાચ માનવજાતિએ આકાશ તરફ મીટ માંડી છે. ભવિષ્યમાં જમીનદારની જેમ આકાશદાર, અવકાશદાર કે સ્પેસદાર જેવા શબ્દો સાંભળવા મળે કોને ખબર. સ્કાયલોર્ડ, સ્પેસલોર્ડ! કંઈપણ સંભવી શકે છે. આમ તો માણસની ગગનગામી દોડને છ દાયકા થઈ ચૂક્યા છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી અવકાશયાત્રી સિવાયના મનુષ્યો પણ સાત પગલાં સ્પેસમાં પાડવાનું ખ્વાબ સેવી રહ્યા છે. તેમને હવે બીજા ગ્રહો અને ઉપગ્રહો પર જમીન જોઈએ છે. ચંદ્ર પર પ્લોટિંગની વાત તો જૂની થઈ ચૂકી છે. કોરિયન મુવિ સ્પેસ સ્વીપર્સ આ બાબતમાં રવિ અને કવિથી પણ આગળ નીકળે છે. તેની કહાનીનો સમયખંડ ૨૦૯૨નો છે. પૃથ્વી રહેવા લાયક રહી નથી. માનવસર્જિત પ્રદૂષણને લીધે પૃથ્વી ઉકરડામાં પરિવર્તિત થઈ ચૂકી છે. ટોચના ધનપતિઓ સ્પેસ સ્ટેશનમાં રહેવા જતા રહ્યા છે. માણસ એટલું સમજતો નથી કે જગ્યા બદલવાથી કિસ્મત બદલાઈ જતી નથી. તમે ગમે ત્યાં જાવ ત્યાં તમારો સ્વભાવ ભેગો આવે છે. તેઓ ત્યાં પણ કચરો કરવાનું બંધ કરતા નથી. ટનબંધ કચરો ભ્રમણકક્ષામાં ઊડી રહ્યો છે. તે સાફ કરવા માટે અવકાશી સફાઈ કામદારો નીમવામાં આવેલા છે. આ સ્પેસ સ્વીપર્સને રહેવાનું પૃથ્વી પર. ત્યાંની ગંદી હવામાં જીવવાનું. અવકાશમાં જઈને ત્યાંથી કચરો જમીન પર લાવવાનો અને જમીન પર રીસાઇકલિંગ કંપનીને વેચી નાખવાનો. એ કંપનીના માલિક પાછા અવકાશમાં રહેતા હોય. સ્વીપર્સ રોજ સફાઈ કરતા હોય છે એ દરમિયાન એક દિવસ તેમને કચરામાંથી એક છોકરી મળી આવે છે. એ કોઈ સામાન્ય છોકરી નથી. છોકરી અને રોબોટનું ફ્યુઝન છે. તેના શરીરમાં વેપન ઑફ માસ ડિસ્ટ્રક્શન ભરેલા છે. ફિલ્મનો મેસેજ બહુ સુંદર છે. માણસે પૃથ્વી છોડવાની જરૂર નથી. તેનું રીઢાપણું છોડવાની જરૂર છે, તેની આદતો છોડવાની જરૂર છે. તેની લોભવૃત્તિ છોડવાની જરૂર છે. પૃથ્વી પર ગમે તેટલી ગંદકી થાય તોય આપણને કંઈ ફરક પડતો નથી-નું વલણ છોડવાની જરૂર છે. અન્યથા આપણે જ્યાં જશું ત્યાં પૃથ્વી જેવું જ કરી નાખશું. ઈવન આજે પણ જ્યારે હજી સામાન્ય માણસો અવકાશમાં જતા નથી તો પણ ભ્રમણકક્ષામાં ફરતો અવકાશી કચરો એક મોટી સમસ્યા છે. કદાચ એવું પણ બને કે માણસ આવતીકાલે અવકાશમાં સેટલ થાય એ પહેલા જ અવકાશ ગંદકીથી તરબતર થઈ ચૂક્યું હોય અને સાત પગલાં અંતરિક્ષમાં પાડવાની આપણી મનની મનમાં રહી જાય. ૨૦મી જુલાઈ ૧૯૬૯ના રોજ એપોલો યાન ચંદ્ર પર પહોંચેલું. તેની ૫૧મી વર્ષગાંઠ પર જેફ બેઝોસ તેની બ્લુ ઓરિજિન કંપનીના સ્પેસયાનમાં બેસીને અવકાશમાં ઊડવાના છે. તેમનો ભાઈ માર્ક તથા ૮૨ વર્ષના મહિલા પાઇલટ વોલી ફંક તેમની સાથે હશે. બેઝોસ તેમની સાથે અન્ય એક મુસાફરને પણ લઈ જવા માગતા હતા. તેના માટે ટિકિટની હરાજી કરાયેલી. એક વ્યક્તિએ ટિકિટ ૨.૮ કરોડ ડોલરમાં ખરીદી લીધી, પણ સમયના અભાવે હવે તેઓ જવાના નથી. હવે તેમના સ્થાને હાઇસ્કૂલ પાસ આઉટ ૧૮ વર્ષીય નવયુવાન ઓલિવર ડેમોન અવકાશની જાતરા કરશે. ઓલિવર માટે ટિકિટ તેમના પિતાએ જ ખરીદી છે. તેઓ સમરસેટ કેપિટલ પાર્ટનર્સ નામની ઇન્વેસ્ટમેન્ટ ફર્મના સીઈઓ છે. ૮૨ વર્ષીય ફંક અંતરિક્ષમાં જનારી અત્યાર સુધીની સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે. ૬૦ વર્ષ પહેલા તેમને નાસાના મર્ક્યુરી-૧૧ મિશન માટે તાલિમ આપવામાં આવી હતી, કિન્તુ મિશન રદ થતા. મોકો ચુકાઈ ગયો. નસીબ પણ કેવું છે. એ મોકો ૬૦ વર્ષ પછી એક નવા વિક્રમ સાથે આવ્યો. બેઝોસની અવકાશ યાત્રાનો સૌથી મોટી વયના માનવીને અવકાશમાં લઈ જનારી તો હશે જ સાથોસાથ સૌથી નાની વયના અવકાશયાત્રીનો પણ વિક્રમ સ્થાપિત કરશે. યસ, ઓલિવર સૌથી નાની ઉંમરના અવકાશયાત્રી બનશે. તેમની પહેલા આ વિક્રમ સોવિયેત સંઘના જી. તિતોવના નામે હતો. યુરી ગાગારિને સર્વપ્રથમ અવકાશયાત્રા ખેડયાના ચાર મહિના પછી તેમણે સ્પેસમાં ઉડાન ભરેલી. એક ભાઈના લગ્નગીત ગવાતા હોય ત્યાં બીજો ભાઈ ભાગીને લગ્ન કરી લે તેના જેવું થયું. જેફ બેઝોસની અવકાશ યાત્રાના વાજા વાગી રહ્યા હતા. ૨૦મીએ તેમનું રોકેટ ટેક ઑફ થવાનું છે. તેમની પહેલા બ્રિટિશ અબજપતિ રીચર્ડ બ્રાન્સન તેમની કંપની વર્જિન ગેલેક્ટિકના યાનમાં બેસીને અવકાશમાં આંટો મારી આવ્યા છે. પાંચ ક્રૂ મેમ્બર્સ હતા તેમની સાથે. ૧૭ વર્ષથી તેમના વિજ્ઞાાનીઓ આ માટે મહેનત કરતા હતા. ન્યુ મેક્સિકોથી તેમણે ઉડાન ભરી. તેમનું યાન ૮૫ કિ.મી.ની ઊંચાઈ સુધી ગયેલું. આ ઉડાનનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. સ્પેશશિપ રોકેટથી અલગ થતા બે પાઇલેટ સહિત ફ્લાઇટમાં સવાર છએ છ જણાએ એક ઝટકાનો અનુભવ કર્યો. એક ટ્વીટમાં તેમણે કહ્યું, જો હું આવું કરી શકું તો બીજા શું ન કરી શકે. બેઝોસ સાથે જે ક્રૂ મેમ્બર્સ અવકાશની ખેપ મારી આવ્યા તેમાંથી એક ભારતીય મૂળની મહિલા છે. નામ છે, સિરીશા બાંદલા. સિરીશા અવકાશમાં જનારી બીજી એવી મહિલા છે જે ભારતમાં જ જન્મી છે. પહેલી મહિલા કલ્પના ચાવલા. સિરીશા વર્જિન ગેલેક્ટિકમાં સરકારી બાબતો સંભાળતા વિભાગના ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. તેમણે જ્યારે પોતે અવકાશમાં જવાની છે એવી ટ્વીટ કરી ત્યારે ભારત ખૂબ ખુશ થયું. ખાસ કરીને આન્ધ્ર પ્રદેશવાસીઓ. કારણ કે સિરીશાનો જન્મ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં થયો છે. દેશ-વિદેશમાંથી તેમના પર શુભેચ્છાઓનો ધોધ વહ્યો. બ્રાન્સને બેઝોસને પાછળ છોડી દીધા છે, પણ બેઝોસ હવે તેમનાથી બીજી રીતે આગળ નીકળવાના છે. તેઓ અવકાશમાં ૧૦૦ કિ.મી.ની ઉંચાઈ સુધી જશે. હવાનું પડ ક્યાં પૂરું થાય છે અને અવકાશ ક્યાંથી શરૂ થાય છે તેનું એક્ઝેટ ડીમાર્કેશન હજી સુધી થયું નથી. ૫૦ના દશકમાં હંગેરિયન ભૌતિકશાસ્ત્રી વાન કર્મને એક ગાણિતિક મોડલના આધારે દાવો કર્યો હતો કે સમુદ્રની સપાટીથી ૧૦૦ કિ.મી.ની ઊંચાઈથી આઉટર સ્પેસ શરૂ થાય છે. બેઝોસનું યાન કર્મન લાઇન આંબવાનું છે. એટલે બ્રાન્સન ભલે આગળ નીકળી ગયા, પણ તેઓ કિલોમીટરની દૃષ્ટિએ આગળ નીકળી જશે. આધુનિક વિજ્ઞાાનના મતે આઉટર સ્પેસ (જ્યાં વાયુ નથી એવું અવકાશ) ૮૪ કિ.મી.થી જ શરૂ થઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે સ્પેસ રેસ શરૂ થઈ ગઈ હતી. બેઝોસ અને બ્રાન્સને સ્પેસ રેસ ૨.૦ છેડી દીધી છે. સ્પેસ રેસ ૧.૦ સરકારી હતી. સ્પેસ રેસ ૨.૦ પ્રાઇવેટ છે. આવનારા દિવસોમાં આશ્ચર્યના ખજાના ખૂલવાના છે. માનવામાં નહીં આવે એવી-એવી ટેકનોલોજીસ જોવા મળવાની છે. દુષ્યંત કુમારનો જાણીતો શેર છે કે, કૌન કહતા હૈ આસમાં મેં સુરાખ નહીં હો સકતા, ઇક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો. આ શેર જરા જુદી રીતે પણ કહેવાનું મન થઈ આવે, કોન કહતા હૈ સ્પેસ મેં હમ નહીં જા સકતે, ઇક સપનાં તો તબિયત સે ઉછાલો યારો. માણસ ભલે આકાશમાં ઊડે, પણ પગ જમીન પર રહેવા અનિવાર્ય છે. આજની નવી જોક લીલી (છગનને): કાલે તમે મને ઊંઘમાં ગાળો દેતા હતા. છગનઃ તારો વહેમ છે. લીલીઃ બિલકુલ વહેમ નથી. કાલે તમે મને ઊંઘમાં ગાળો દેતા હતા. છગનઃ વહેમ જ છે. હું ત્યારે ઊંઘતો નહોતો. લીલીઃ હેં!? જીકે જંકશન - ગુરુગ્રામમાં દેશનું પહેલું અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પેરા ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા દિવ્યાંગોને નોકરી આપવાની ઘોષણા કરી છે. - કર્ણાટકે ઇલેક્ટ્રિક બાઇક ટેક્સિ યોજના શરૂ કરી છે. તાજેતરમાં ગાયક મનમીતસિંઘનું નિધન થયું હતું. પાકિસ્તાનના પૂર્વરાષ્ટ્રપતિ મમનૂન હુસેનનું અવસાન થયું હતું. - બે દેશ વચ્ચેના વિવાદો તેના સ્થાને છે, પણ વ્યાપાર ફરીથી વધી રહ્યો છે. ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ૬૨ ટકાની વૃદ્ધિ થઈ છે. - યુએઈ ઇઝરાયલમાં દૂતાવાસ શરૂ કરનારો પ્રથમ ખાડી દેશ બન્યો છે. આસામનો કછાર જિલ્લો સ્કોચ એવોર્ડ વિજેતા બન્યો છે. આ એવોર્ડ ૨૦૦૩માં સ્થાપિત થયો છે. ભારતને બહેતર બનાવવાની દિશામાં કશુંક હટકે કરનારને સ્કોચ અવોર્ડ અપાય છે. - આન્ધ્ર પ્રદેશે વિશ્વબેંકની મદદ લઈને સોલ્ટ કાર્યક્રમ શરૂ કર્યો છે. એ. આર. રહેમાને ટોક્યો ઓલિમ્પિક્સનું ચીઅર સોંગ હિંદુસ્તાની વે લોન્ચ કર્યું હતું. - તાજેતરમાં જે. એસ. ઇફ્તેખારનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું શીર્ષક છે, ઉર્દૂ પોએટ્સ એન્ડ રાઇટર્સઃ જેમ્સ ઑફ ડેકન્સ. - દર વર્ષે ૧૩મી જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ મનાવવામાં આવે છે. એનટીપીસી ભારતનો સૌથી મોટો સાલર પાર્ક ગુજરાતમાં બનાવશે. - હાલમાં પહેલવાન પોલ એન્ડોર્ફનું નિધન થયું હતું. ભારતનું સૌથી પહેલું ડોલ્ફિન સંશોધન કેન્દ્ર પટનામાં સ્થાપવામાં આવ્યું છે. - ક્રિસ ગેલ ટીટ્વેન્ટીમાં ૧૪,૦૦૦ રન બનાવનારા પ્રથમ ખેલાડી બન્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે જ્યોર્જિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનવારણ કર્યું હતું.

ગુજરાત સમાચાર 20 Jul 2021 5:30 am

નવી ક્યુબન ક્રાંતિ? : નાનકડા લેટિનો દેશનું મોટું નામ એટલે ક્યુબા

- દવા અને ખોરાકની અછતને પગલે લોકો સડક પર ઊતર્યા છે અને વર્તમાન રાષ્ટ્રપતિને હટાવવાની માગણી કરી રહ્યા છે - ફિદેલ કાસ્ત્રો ગયા અને શાસન પણ ખાડે ગયું, ઉત્તરાધિકારી તૈયાર ન કરવામાં આવે ત્યારે આવું થવું સ્વાભાવિક છે - ૧૯૯૪માં પણ ક્યુબામાં વિરોધ પ્રદર્શનો થયેલાં, પણ ત્યારે ઇન્ટરનેટ ન હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પહોંચ બહુ સીમિત હતી સપનું ગમે તેટલું સારું હોય, સવાર પડે એટલે જાગવું પડે છે. ગમે તેટલો દેખાવડો અભિનેતા પણ એક દિવસ ઘરડો થઈ જાય છે. લોકશાહી, સામ્યવાદી શાસન કે રાજાશાહી કોઈ પણ શાસન પદ્ધતિ હોય, રાજ્ય ત્યાં સુધી જ સ્થિર રહે છે જ્યાં સુધી રાજ્યકર્તા મજબૂત હોય. જેવો મજબૂત નેતા, મજબૂત સત્તાધીશ ગયો કે હલબલાટ અને કલબાલટ શરૂ થઈ જાય છે. ક્યુબામાં આજકાલ કંઈક આવું જ ચાલે છે. જેવા ફિદેલા કાસ્ત્રો ગયા કે ત્યાંનું શાસન ખાડે ગયું છે. કોરોનામાં આ અવ્યવસ્થા ઓર વકરી છે. તેનાથી ત્રસ્ત લોકો સત્તાપલ્ટાની માગણી કરતા સડક પર ઊતરી આવ્યા છે. ક્યુબન ક્રાંતિ બીજા વિશ્વયુદ્ધ પછીનો બહુ મહત્ત્વપૂર્ણ અને રોમાંચકારી ઈતિહાસ છે. આજકાલ એક નવી ક્યુબન ક્રાંતિનું રણશિંગુ ફુંકાયું છે. બહુ ઓછા દેશોમાં સમાજવાદને આર્થિક સફળતા મળી, તેમાં નાનકડા લેટિનો દેશનું મોટું નામ એટલે ક્યુબા. તેના ડોક્ટર્સ, તેની વેક્સિન જગતભરમાં વખણાતા. છેલ્લા થોડા વર્ષોમાં ત્યાં ઠીક-ઠીક ખાનગીકરણ પણ થયું. અમેરિકાના આર્થિક પ્રતિબંધો છતાં તેણે વિકાસમાં સફળતા મેળવેલી, પણ ફિદેલ કાસ્ત્રો નિવૃત્ત થયા પછી તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોએ સત્તા સંભાળેલી અને તે પછી મિગેલ ડિયાઝ-કનેલે સંભાળેલી. સત્તા હસ્તાંતરણની સાથોસાથ તેનો ચળકાટ પણ ઝાખો પડવા લાગ્યો. ક્યુબા છેલ્લા બે વર્ષથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દવા અને અનાજની જબરદસ્ત અછત ઊભી થઈ ગઈ છે. હૉસ્પિટલોમાં એસ્પ્રિન જેવી સામાન્ય દવાઓ પણ ઉપલબ્ધ નથી. જ્યારે સરકારના ટીકાકારો એવું કહે છે કે શાસકીય અક્ષમતાને કારણે આ સંકટ આવ્યું છે. સ્થાનિક સ્તરે લાગુ પ્રતિબંધ, ચીજવસ્તુઓનો અભાવ અને મહામારીમાં ઠપ થઈ ગયેલા ટુરિઝમે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ગયા વર્ષે ક્યુબાની ઇકોનોમી ૧૦.૯ ટકા સંકોચાઈ હતી. એકલા જૂન ૨૦૨૧માં બે ટકા કરમાઈ છે. ૧૧મી જુલાઈએ ક્યુબામાં વિરોધ પ્રદર્શનના મંડાણ થયાં. દાયકાઓ બાદ ક્યુબન જનતા સડક પર પ્રદર્શન કરવા ઊમટી છે. એકબાજુ ભોજન અને દવાની અછત છે તો બીજી તરફ કોસ્ટ ઑફ લિવિંગ વધતુ જાય છે. આ મુદ્દે ક્યુબાની જનતાએ આક્રોશ ઠાલવ્યો. પ્રથમ દિવસે રાજધાની હવાનામાં પ્રદર્શન થયા. ત્રીજે દિવસે આગ આખા ક્યુબામાં ફેલાઈ ગઈ. આમ લોકો અલગ-અલગ વિસ્તારોમાં સરકાર વિરોધી નારેબાજી પર ઊતરી આવ્યા. લોકશાહીમાં પણ પોલીસ દમન થઈ જતું હોય તો ક્યુબામાં તો એકપક્ષીય શાસન છે. તો પોલીસ કેવો અત્યાચાર કરતી હશે, વિચારો. સરકારના વિરોધીઓની સાથોસાથ સમર્થકો પણ સડક પર ઊતર્યા છે. પ્રદર્શનકારીઓ તથા પોલીસની જેમ વિરોધીઓ અને સમર્થકો વચ્ચે પણ અથડામણ થઈ રહી છે. દેશના પ્રમુખ મિગેલ ડિયાઝ-કનેલ કહે છે, વિરોધ પ્રદર્શન માટે અમેરિકા જવાબદાર છે. તેઓ સામાજિક અશાંતિ પેદા કરવા માટે અમને આર્થિક રીતે રૂંધવાની નીતિ અપનાવી રહ્યા છે. તેઓ પ્રદર્શનકારીઓને સીઆઈએના એજન્ટ ગણાવે છે. ને સરકારના સમર્થકોને સડક પર ઊતરવા અપીલ પણ કરે છે. ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ વૉચડોગ નેટબ્લોક્સની અપડેટ્સ પ્રમાણે, સરકારી અધિકારીઓએ ફેસબુુક અને વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાએ ક્યુબાને ઑનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારની સંચારબંધી ખોલી નાખવા તથા જનતાની લાગણીઓનો આદર કરવા વિનંતી કરી છે. ક્યુબામાં જે થઈ રહ્યું છે તે બેશક નિંદનીય છે, પણ આવી ડાહી શિખામણ આપતું અમેરિકા ક્યુબા પરના પ્રતિબંધો કેમ હટાવતું નથી? સિમ્પલ. જગતના સૌથી મોટા મૂડવાદી દેશને સમાજવાદી વિચારધારા સફળ થઈ જાય તેમાં હમેશા ભય અનુભવાતો રહ્યો છે. ક્યુબાના નાગરિકો, આઝાદી-આઝાદી તથા , ડિયાઝ કનેલ પદ છોડો, જેવા નારા લગાવી રહ્યા છે તો સરકાર સમર્થકો તેની સામે, ફિદેલ ફિદેલ, નારેબાજી કરી રહ્યા છે. ક્યુબામાં રાશન કાર્ડને લિબ્રેટા કહે છે, અમેરિકાના પ્રતિબંધો, કોરોના મહામારી, વર્તમાન શાસકોનું મિસ મેનેજમેન્ટ અને પડોશી દેશ વેનેઝુએલામાં રાજકીય અસ્થિરતાને કારણે ક્યુબામાં અનાજની તાતી અછત થઈ ગઈ છે. રાશનમાં પણ અનાજ મળવાના ફાંફાં છે. વર્તમાન સરકાર નાના વેપારીઓ પાસેથી ઊંચો ટેક્સ વસૂલી રહી છે. તેનું ચલણી નાણું પેસો વિશ્વસનીયતા ગુમાવી રહ્યું હોવાથી વેપારીઓ વિદેશી ચલણમાં વેપાર કરવા લાગ્યા છે. કોઈ પણ મોટામાં મોટી ક્રાંતિ હોય અંતે તેને રાખ બાઝી જાય છે. ખાસ કરીને તમે જ્યારે તમારો ઉત્તરાધિકારી તૈયાર ન કર્યો હોય ત્યારે. કાસ્ત્રો મજૂબત શાસક હતા એ સાચું, પણ તાનાશાહ તો હતા જ. તેમણે ઉત્તરાધિકારી તૈયાર ન કર્યો જ્યારે પોતે કામ કરવા લાયક ન રહ્યા ત્યારે કહ્યાગરા ભાઈને બેસાડી દીધો. તેના બદલે તેમણે ઉત્તરાધિકારી તૈયાર કર્યો હોત, એક ટ્રેડિશન ઊભી કરી હોત તો કદાચ આજે જે સ્થિતિ છે તે ઊભી ન થાત. કોવિડને કારણે ત્યાં ઘણી જાનહાનિ થઈ છે. પબ્લિકની ફરિયાદ એવી છે કે સરકાર આંકડા છુપાવી રહી છે. પોતાનું ખરાબ ન દેખાય એટલા માટે. કોવિડથી થયેલા મોતને અન્ય કારણથી દર્શાવી રહી છે. ત્યાં પણ ઘણા ખરા મૃત્યુ સારવાર અને દવા ન મળવાને કારણે થયા છે. અગાઉ ફિદેલ કાસ્ત્રોએ ક્યુબામાં અમેરિકન ડોલરની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકેલો. વર્તમાન સરકારે પણ એવું જ પગલું ભરતા લોકોના પૈસા ફસાઈ ગયા છે. બીજી બાજુ મોંઘવારી ૫૦૦થી ૯૦૦ ટકા વધી જતા લોકોની હાડમારી વધી છે. ૧૯૯૪માં ફિદેલ કાસ્ત્રો સામે વિરોધ પ્રદર્શનો થયેલા, પરંતુ આ વખતે ઇન્ટરનેટ હોવાથી આંદોલનની પહોંચ બહુ વધારે છે. ક્યુબાની જનતા નિર્ભિક બનીને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે. આજે ત્યાંની બહુધા વસ્તી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. યુવાઓ સોશિયલ મીડિયા પર વધારે સક્રિય છે. તેમણે ઉઠાવેલા સવાલના ઘણી વખત સરકારી અધિકારીઓને જવાબ આપવા પડયા છે. એક સામ્યવાદી શાસનમાં આ રીતે અધિકારીઓ જવાબ આપવા મજબૂર બને એ બહુ મોટી વાત કહેવાય. ઇન્ટરનેટની સીમાઓ વિસ્તારવાનું કામ ફિદેલ કાસ્ત્રોના ભાઈ રાઉલ કાસ્ત્રોએ કર્યું. ઇન્ટરનેટના વિકાસને કારણે ત્યાં સ્વતંત્ર મીડિયાનો ઉદય થયો છે. આ મીડિયા સંસ્થાઓ એવી-એવી ઘટનાઓનું રીપોર્ટિંગ કરી રહી છે જેની નોંધ સરકારી મીડિયા ક્યારેય લેતું નથી. આમ જુઓ તો આખી દુનિયામાં અત્યારે અલગ પ્રકારનો જ માહોલ છે. આ બાજુ ચીનમાં લાઇંગ ફ્લેટ આંદોલન ચાલી રહ્યું છે. બીજી બાજુ મ્યાંમારમાં મિલિટરી સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. ક્યુબામાં પણ લોકો આઝાદીની માગણી સાથે ઘરની બહાર આવ્યા છે. મહામારી ફુંફાડા મારી રહી છે, સરકારો વધુને વધુ તાનાશાહ બનતી જાય છે. ભવિષ્ય કઈ બાજુ જશે એનો કોઈ અંદાજ આવતો નથી. ક્યુબામાં નવી ક્રાંતિના મશાલચીઓ નવું અજવાળું લાવશે કે એ મશાલની આગમાં રાખ થઈ જશે એ તો ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું ટોપ સીક્રેટ છે. આજની નવી જોક શિક્ષકઃ ૧,૦૦૦ કિલો બરાબર એક ટન તો ૫,૦૦૦ કિલો બરાબર કેટલા ટન? લલ્લુઃ ટન ટન ટન ટન ટન. શિક્ષકઃ હેં!? જીકે જંકશન - ભારતની પ્રસિદ્ધ બેડમિંટન પ્લેયર સાનિયા મિર્ઝાને યુએઈ સરકાર દ્વારા ૧૦ વર્ષનો ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. હરિયાણાના પર્વતીય અને જગલ વિસ્તારમાં એક ઠેકાણે ગુફાચિત્રો મળી આવ્યા છે. - તાજેતરમાં અભિનેત્રી સુરેખા સિકરીનું અવસાન થયું હતું. તેમણે અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા. શ્યાઓમી દુનિયામાં બીજા ક્રમની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની બની છે. - પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ સૌથી ઝડપથી ૧૪ સેન્ચુરી ફટકારનારા બેટ્સમેન બન્યા છે. અમેરિકાએ ચીનના ઝિંગયાંગ પ્રાન્તના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. - સિંગાપોરમાં દુનિયાના સૌથી મોટા તરતા સોલાર ફાર્મનું અનાવરણ કરવામાં આવ્યું છે. આસામમાં ગૌવંશ સંરક્ષણ વિધેયક ૨૦૨૧ રજૂ કરવામાં આવ્યું હતું. - આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારે નવી રીટેલ પાર્ક નીતિ જાહેર કરી છે. મુંબઈમાં નૌસેના અભ્યાસ એક્સરસાઇઝ શીલ્ડ યોજાયો હતો. - દિલ્હી રાજ્ય સરકારે યાત્રાળુંઓને બસની રિયલ ટાઇમ માહિતી આપવા માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. દર વર્ષે ૧૨મી જુલાઈએ વિશ્વ મલાલા દિવસ મનાવવામાં આવે છે. - હરિયાણામાં ખેલો ઇંડિયા યુથ ગેમ્સ સ્થગિત કરવામાં આવી છે. નાગપુરમાં ભારતના સર્વપ્રથમ એલએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. - શેર બહાદુર ડેઉબા નેપાળના નવા વડા પ્રધાન બન્યા છે. તાજેતરમાં મિમિક્રી આર્ટીસ્ટ માધવ મોઘેનું નિધન થયું હતું. - ભારતના સર્વપ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્ઘાટન દેહરાદુનમાં કરવામાં આવ્યું હતું. સહેલાણીઓ માટે વિશ્વનો સૌથી ઊંડો પૂલ દુબઈમાં બનાવવામાં આવ્યો છે. - અબી અહમદ ઇથિયોપિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. બાંગ્લાદેશના ક્રિકેટર મહમૂદુતુલ્લાહે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. - સમીર બેનરજી વિમ્બલ્ડન જુનિયર મેન ચેમ્પિયનશિપના વિજેતા બન્યા હતા. જર્મનીમાંથી દુનિયાનું સૌથી પ્રાચીન આભૂષણ મળી આવ્યું છે.

ગુજરાત સમાચાર 19 Jul 2021 2:30 am

ધોળાવીરા .

- ગુજરાતનું પાંચ હજાર વર્ષ જૂનું નગર ધોળાવીરા સ્માર્ટ સિટી હતું! - ધોળાવીરાનો નાશ કેમ થયો એ અંગે સંશોધકોમાં મતમતાંતર : ધોળાવીરામાંથી મળી આવેલું સાઈનબોર્ડ આજે પણ ઉકેલી શકાયું નથી - ચાલુ વર્ષે મળેલી યુનેસ્કોની બેઠકમાં ધોળાવીરા સત્તાવાર રીતે હેરિટેજ જાહેર થશે ગુજરાતમાં જે કેટલાક વિસ્તારોમાં પ્રવાસનનો ભારે વિકાસ થયો છે, તેમાં કચ્છનો સમાવેશ થાય છે. કચ્છમાં જે કેટલાક સ્થળો તરફ પ્રવાસીઓ વધુ આકર્ષાયા છે, તેમાં ધોળાવીરાનો સમાવેશ થાય છે. આ ધોળાવીરાનો સમાવેશ હવે વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થવા જઈ રહ્યો છે. આમ તો યુનેસ્કોની કામચલાઉ યાદીમાં તો ધોળાવીરા કેટલાક વર્ષોથી સ્થાન ધરાવે જ છે. ૧૬થી ૩૧ જુલાઈ દરમિયાન યુનેસ્કોની હેરિટેજ સમિતિની બેઠક મળી રહી છે. હેરિટેજ સમિતિની આ ૪૪મી બેઠક છે અને ઓનલાઈન મળશે. એ દરમિયાન નવી નવી સાઈટોને સત્તાવાર રીતે હેરિટેજ (ધરોહર)નો દરજ્જો અપાશે. તેમાં ધોળાવીરાનો પણ સમાવેશ થવાનો છે. કચ્છમાં જતા ઓછા પ્રવાસીઓ આમ તો ધોળાવીરા તરફ લાંબા થાય છે, પરંતુ એક નાનો વર્ગ તેનો ચાહક છે. ખાસ તો ઈતિહાસ અને આર્કિયોલોજીમાં રસ હોય એ લાંબી સફર કરીને સાવ છેડે આવેલા ધોળાવીરાની ધૂળમાં પગલાં પાડે છે. ધરતીમાં ધરબાયેલું આ નગર અનેક રીતે વિશિષ્ટ છે. ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું હતું. પાણીનું એક એક ટીપું તેઓ બચાવી જાણતા હતા. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓે એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી ટાંકા સુધી પહોંચી જતું હતુ. આખા નગરમાં ઠેર ઠેર જળાશય, નહેર, તળાવ વગેરે બનાવેલા હતા. માટે મનહરનું પાણી નગર સુધી પહોંચી ઠેર ઠેર વહેંચાઈ જતું હતું. એટલું જ નહીં રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં ધોળાવીરા વાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે. નગરના આજે જેટલા બાંધકામો બચ્યા છે, એમાંથી ૫૦ ટકા કરતા વધારે તો જળ વ્યવસ્થાપન માટેના છે. ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું, પણ તેનો અભ્યાસ કરવામાં આવે તો આજેય પાણી કેમ સાચવવું તેના રસ્તા મળી આવે એમ છે. ધોળાવીરામાં છે પુરાતન ફ્રીજ અને બાથરૂમ ધોળાવીરા જતા પ્રવાસીઓ જો ગાઈડની મદદ લે તો તેમને જાણવા મળે કે અવશેષોમાં એ જમાનાનું બાથરૂમ છે અને એ જમાનાનું ફ્રીજ પણ છે. ત્યાંનું કદાવર બાથરૂમ, જે આમ જનતા માટે નહીં પણ સત્તા પર બેઠેલા ખાસ નાગરિકો માટેનું હતું. એ બાથરૂમ સુધી જરા દૂર આવેલા કૂવામાંથી પાણી આવતું રહેતું. કુવામાં પાણી ખૂટે તો વળી નગર બહાર આવેલા કદાવર જળાશયોમાંથી કૂવો ભરાતો રહે એવી પણ ધોળાવીરાના ભણેલા અને ગણેલા એન્જીનિયરોએ વ્યવસ્થા કરી હતી. ફ્રીજ અથવા જળ સંગ્રહનો ટાંકો, જેની દીવાલો કોઈ એક પથ્થરની નહીં, એકથી વધારે પ્રકારના પથ્થરો વાપરીને બનાવાઈ છે. તેના કારણે ઊનાળામાં પાણી ઠંડું રહે. આજે પણ તેમાં ભરાયેલું પાણી ઊનાળામાં ઠંડું રહી શકે એમ છે. પાણી ઠંડું રહે એટલા માટે બાથરૂમની દીવાલો ખાસ પ્રકારે બનાવાઈ હતી. પથ્થરના એકથી વધારે થર છે, તેની વચ્ચે મુલતાની માટીનું પડ છે. ફ્રીજને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે અને આ ટાંકાને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે છે. ધોળાવીરાના જાણકાર ગાઈડ ચમનભાઈએ જણાવ્યું હતું કે 'આ જળ-સંગ્રહસ્થાન એ જમાનાનું ફ્રીજ છે. પણ ધોળાવીરા આવતા મોટા ભાગના પ્રવાસીઓ પથ્થરમાં ઊંડા ઉતર્યા વગર ફોટો શેસન કરીને રવાના થાય એટલે તેમને એ માહિતી મળી શકતી નથી'. ક્યારેક ફ્રીજ સાફ કરવાનું થાય ત્યારે બધું પાણી ખાલી કર્યા પછીય સાફ-સફાઈ માટે બહારથી લાવવું ન પડે એટલા માટે ફ્રીજમાં વળી નાનો હોજ પણ છે, જેમાં થોડું પાણી સચવાતું. સૌથી મહત્વનું નગર ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું. આજનું પશ્ચિમ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિંધુ સભ્યતામાં સમાવેશ પામતા હતા. આ સંસ્કૃતિ ૮ હજાર વર્ષ એટલે કે જગતની સૌથી જુની સંસ્કૃતિ છે. સિંધુ નદીના બન્ને કાંઠે વિસ્તરી હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એક સમયે આ સંસ્કૃતિનો વિસ્તાર ૧૫ લાખ ચોરસ કિલોમીટર (અત્યારના ભારત કરતાં અડધો) હતો. આપણુ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબનો કેટલોક ભાગ વગેરે સિંધુ સભ્યતાના પ્રદેશો હતા. સિંધુ સંસ્કૃતિ કેમ નાશ પામી એ અંગે સંશોધકો પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. વિવિધ થિયરીઓ રજૂ થતી રહે છે. આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ થોડા વર્ષ પહેલા એક થિયરી રજૂ કરી હતી, જે પ્રમાણે નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત હતા. એ સંશોધન પ્રમાણે આજથી ૪૩૫૦ વર્ષ પહેલા ચોમાસું નબળું પડવાની શરૂઆત થઈ હતી. એ પછી સતત ૯૦૦ વર્ષ સુધી ચોમાસું નબળું જ રહ્યું. પરિણામે સિંધુ ખીણ વિસ્તાર છોડીને અહીંના લોકો અન્યત્ર જતાં રહ્યા હશે. સંશોધન પ્રમાણે શરૂઆતમાં તો સિંધુ સભ્યતાના રહેવાસીઓએ ઓછા વરસાદમાં પણ રહેવાની ટેવ પાડી દીધી હતી. પરંતુ વરસો વરસ વરસાદ ઘટતો જ ગયો એમાં ખેતી-વેપાર-ઉદ્યોગ-ધંધા બધું જ નબળું પડતું ગયું. સુક્કા વાતાવરણમાં ઘણા લોકો-પશુ-સજીવો મૃત્યુ પામ્યા તો બાકીના બચવા માટે અન્ય સ્થળોએ જતાં રહ્યા હતા. એટલે ધોળાવીરા છેવટે એક ખંડેર જ રહી ગયું. સમુદ્રી પાણી ફરી વળ્યાં હશે? તો વળી ત્સુનામીથી નષ્ટ થયાની પણ બીજી થિયરી જાણીતી છે. ગોવા સ્થિત 'નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઓશનોગ્રાફી (એનઆઈઓ)'ના સંશોધન પ્રમાણે કદાચ ત્સુનામીએ ધોળાવીરાનો નાશ કર્યો હશે. કેમ કે ધોળાવીરા એક સમયે બંદર હતું, વેપાર-ધંધાથી સતત ધમધમતુ રહેતુ નગર હતુ. અંદાજે ૩૪૫૦ વર્ષ પહેલા આવેલા ત્સુનામીના વિકરાળ મોજાંએ શહેરનો નાશ કર્યો હશે. વિજ્ઞાાનીઓને તપાસ દરમિયાન ધોળાવીરાની ધરતીમાં અઢી-ત્રણ મીટર નીચે દરિયાઈ રેતીના અવશેષો મળી આવ્યા છે. એ બધા એવા અવશેષો જે, માત્ર દરિયાના ઊંડા પાણીમાં જ હોય. એટલે કે આ શહેર પર પાણી ફરી વળ્યું હશે, ત્યારે આ અવશેષો પણ અહીં પથરાયા હશે અને કાળક્રમે દટાઈ ગયા હશે. પરંતુ એ વાતે સંશોધકો એકમત નથી. બીજી તરફ અમેરિકાના મેસેચ્યુશેટમાં આવેલી 'વૂડ્સ હોલ ઓશનોગ્રાફિક ઈન્સ્ટિટયૂટ (ડબલ્યુએચઓઆઈ)'ના સંશોધકોએ એવુ તારણ રજૂ કર્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ ક્લાઈમેટ ચેન્જના કારણે નષ્ટ થઈ હતી. સમુદ્રશાસ્ત્ર (ઓશનોગ્રાફી)નો અભ્યાસ કરતી આ સંસ્થાએ આ તારણ પર આવવા માટે સી-ફોસિલ (દરિયાઈ અવશેષો) અને દરિયાઈ જીવોના ડીએનએનો આધાર લીધો હતો. કેમ કે અવશેષોમાં હજારો વર્ષ પહેલાના હવામાનના કણો એમના એમ સચવાઈ રહ્યા હોય છે. તેના આધારે અમુક સો કે પછી અમુક હજાર વર્ષ પહેલાં વાતાવરણ કેવુ હતું એ જાણવુ ખાસ મુશ્કેલ નથી. સંશોધકોએ જણાવ્યુ હતુ કે આ સંસ્કૃતિના સમયગાળા દરમિયાન ક્લાઈમેટ ચેન્જ થવાથી વરસાદ સતત ઘટતો ગયો હતો. વાતાવરણ સુક્કું થયું અને છેવટે જીવતા રહેવા માટે જરૂરી પાણી પણ ઉપલબ્ધ થયું નહીં હોય. એ પછી ધીમે ધીમે સિંધુ સંસ્કૃતિ નાશ પામતી ગઈ છે. વિજ્ઞાાનીઓએ રિસર્ચમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે વાતાવરણ સુક્કું થયું એટલે લોકો અહીંથી સ્થળાંતરીત થવા લાગ્યા હતા. ત્યારે આજના જેવી સરહદો હતી નહીં. માટે વિવિધ સ્થળોએ લોકો જતાં રહ્યા હતા. આજે પણ કચ્છ જેવા વિસ્તારમાં વરસાદ ઓછો પડે ત્યારે લોકો સ્થળાંતર કરે જ છે. એ વખતે વરસાદ ઓછો થતો ગયો એમ કૃષિ પેદાશ ઘટવા લાગી, પશુધનને પણ અસર થઈ અને છેવટે લોકો સિંધુનો કાંઠો છોડી દેવા મજબૂર બન્યા હશે. પ્રાચીન ભારતનું સ્માર્ટ સિટી આપણે આજે ઘણા નગરોને સ્માર્ટ ગણાવવા સરકાર પ્રયાસ કરે છે, પણ કોઈ શહેર સ્માર્ટ નથી. આપણા આજના શહેરો કરતાં તો વધારે ખમતીધર પાંચ હજાર વર્ષ પહેલાનું ધોળાવીરા હતું. એ નગર દુનિયા વેપાર કરતું શહેર કિલ્લેબંધ હતુ. સમાજના દરેક વર્ગ માટે રહેવાની અલગ વ્યવસ્થા હતી. એટલું જ નહીં શહેર ફરતે ખુબ જાડી દીવાલ હતી, જે દરિયાઈ પાણી તથા દુશ્મનોથી રક્ષણ આપતી હતી. શહેરને ચાર દરવાજા હતા અને દરેક દરવાજો કરામતી લોક સિસ્ટમ ધરાવતો હતો. એટલે કોઈ હુમલાખોર આવે તો એ ધોળાવીરાનો દરવાજો ખોલી અંદર પ્રવેશી શકતા ન હતા. એ લોકના અવશેષો આજેય પ્રવેશદ્વાર પાસે છે. બીજી તરફ અહીંથી મળી આવેલું એક સાઈનબોર્ડ જગતનું સૌ પ્રથમ સાઈનબોર્ડ મનાય છે. એ સાઈનબોર્ડમાં ચિત્ર લીપી છે, પરંતુ ખરેખર શું લખ્યું છે એ સંશોધકો ઉકેલી શક્યા નથી. એ વળી અલગ અભ્યાસનો વિષય છે. પણ હાલ તો આ સ્થળને હેરિટેજ જાહેર કરવામાં આવશે તો ગુજરાતના ગૌરવમાં વધારે એક પીંછુ ઉમેરાશે. આજની નવી જોક છગન : કોરોનાએ બધાને ગબ્બરસિંહ બનાવી દીધા છે. મગન : કેવી રીતે ? છગન: માણસ ક્યાંક પ્રસંગેથી આવે કે આપણે પૂછીએ છીએ - કેટલા લોકો હતા ?

ગુજરાત સમાચાર 17 Jul 2021 5:30 am

મોતને સદા સાથે રાખનારી અને વિરાટ સામ્રાજ્યોને ડોલાવનારી બેંદા

- જે મોજું નાવને કિનારે લાવે છે, એ જ મોજું નાવને મધદરિયે ખેંચી જાય છે ! - સફલ રિશ્તોં કા યહી ઉસૂલ હૈ, બાતેં ભૂલ જાઇયે, જો ફિઝૂલ હૈ. સોનેરી જુલ્ફાવાળી મનોહારિણી બેંદા જગતના ઉદ્યાનનું એક બેનમૂન સૌંદર્ય ધરાવતું પુષ્પ હતું ! રૂપ સભર, અદા મનોહર, ચિતવન, ચકોર અને લાલિત્ય અપાર હતું. એનોરંગ ગેરૂમાં બોળેલા સુવર્ણનો હતો ! જુવાનો એના આંખના ઈશારા પર નાચતા, પણ વૃદ્ધો ય તેને જોઇને સ્વસ્થ રહી શક્તા નહિ ! નારીનિંદક લોકોએ તરૂણી સ્ત્રીને તરણા જેવી તુચ્છ લેખી છે, પણ પુરુષોની કીકીમાં આવીને એ તરણું હંમેશા અજેય ગૌરીશંકરનું શિખર બન્યું છે. ને એણે ઇતિહાસનાં પરિવર્તનોમાં પડદા પાછળ રહીને મોટો ભાગ ભજવ્યો છે. સશસ્ત્ર પુરુષોની તાકાતનાં ઘણા વીરકાવ્યો રચાયાં છે, પણ કોઈ નિષ્પક્ષ ઇતિહાસકાર અશસ્ત્ર સ્ત્રીઓના વીરત્વનો ઇતિહાસ લખશે ત્યારે તે ખરેખર અદ્ભુત હશે ! બેંદા સંસારનું એવું નારીરુપ હતું ! પૃથ્વી પર ભૂલી પડેલી અપ્સરા હતી. એ અપ્સરા જેના આંગણામાં જઇને ઊભી રહેતી, એને પૃથ્વી સ્વર્ગ ભાસતી. બેંદાના જીવનનો પહેલો અધ્યાય ચાલતો હતો. એ સુકુમાર બાલિકા હતી છતાંય એનો સ્પર્શ મખમલને હીન ઠરાવતો. બેંદા માસી સાથે રહેતી હતી. માતાનાં દર્શન એ પામી નહોતી. ફૂલ અને ભ્રમરનું બેવડું જીવન જીવનારી ઉડણ ચરકલી જેવી બેંદા કેટલીક વાર ગંભીર થઇ માસીને પૂછતી: 'માસી ! મારી મા ક્યાં ?' આટલું પૂછતાં પૂછતાં બેંદાના મુખ પર અનેરા ભાવ આવી જતા. એની શંખાકાર આંખો અશ્રુનાં મોતીથી ભરાઈ જતી. માસી બેંદાને ગોદમાં લઇને એના રક્ત પાતળા પરવાળા શા ઓષ્ઠ ચૂમતી ને કહેતી: 'દીકરી ! અમે તારી માનું નામ નહિ લઇએ, કારણ કે સાથે તારા બેરહમ બાપની યાદ અમને સતાવે છે. ઓહ બેંદા ! કેવો મતવાલો ને મદ્યપી તારો પિતા ! પ્રકૃતિનો નીચ, શરાબનો પિયક્કડ ! જુગારનો ખેલાડી ! ઓહ, તારી માનાં રૂપ-રંગ એ દાનવ પૂરેપૂરાં ગ્રસી ગયો: ને પછી કેવી ભયંકર રીતે એને મારતો ! પણ તારી મા... બેટી ! તારી મા થવી નથી.' 'રેપિતા ! ધત્, તને હું માફ નહિ કરું !' બેંદા અભિનેત્રીની અદાથી વાત કરતી, ત્યારે એ વખતે એનો ચહેરો ચમકી જતો. હાથની નાજુક કલાઈ ઉગામી બાપને સંહારવાનો અભિનય કરતી. થોડી વારે એનો આવેશ શાંત થતો, ત્યારે એ આગળ પૂછતી: 'મારી માનો પત્તો ?' 'ખાસ તો નહિ. હારીને થાકીને તારી મા રાત માથે લઇને ભાગી છૂટી. સાંભળ્યું છે કે એ સુખી છે. આલિશાન ઘરમાં રહે છે. સારા માણસો સાથે વસે છે, રૂપાળું નૃત્ય કરે છે. પણ દીકરી ! હમણાં એને મળવાની વાત કરીશ મા. તારો જાલીમ બાપ...' માસી નાકે આંગળી મૂકી બેંદાને ચૂપ કરી દેતી અને એને ખુશ કરવા કહેતી: 'તારી મા ઘાટીલી હતી, પણ શ્યામલી હતી. તારા જેવો ઉઘડતા ચંપા જેવો એનો વર્ણ નહોતો. ને ભલભલાને વીંધી નાખે એવાં આ તારાં નયન તો તારી ખુદની ખાસિયત છે !' બેંદા શાંત થઇ જતી, પણ વળી મા પાસે જવા બે દિવસ ઉત્સુક થઇ જતી. આખરે માસીએ કહ્યું કે પ્રવાસની તૈયારી કર. તારી મા પાસે મૂકી આવું. પ્રવાસની તૈયારીઓ કરી રમકડાં એકત્ર કરી બેગમાં ભર્યા. ભણવાની ચોપડીઓ મૂકી. પોતાના મિત્રોના થોડા ફોટોગ્રાફ માને બતાવવા સાથે લીધા. ત્યાં એકાએક સમાચાર આવ્યા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું છે. પ્રવાસ મુશ્કેલ છે. બેંદાને રોકાઈ જવું પડયું. ને યુદ્ધ ઉત્તરોત્તર કપરું બનતું ચાલ્યું. ઈ.સ. ૧૯૧૭ની એક વસંત હતી. અને વાસંતિકાને એક પત્ર મળ્યો. એ એની માતાનો પત્ર હતો, પણ પહેલો અને છેલ્લો હતો. માતા પોતાની મોતની સજા માણતાં પહેલાં એ પત્ર લખ્યો હતો. ને લખ્યું હતું કે, દીકરી ! તારી માતાના આકરા મૃત્યુ માટે, એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજે ! હું મારું જાસુસીનું મહાન કામ કરતી બંદુકની ગોળીને ભેટું છું.' બેંદા પત્ર વાંચીને રડીનહીં, પણ ફરી પત્ર વાંચ્યો, ઊઠીને દેવળમાં ગઈ. માતાની મૃત રૂહ માટે પ્રાર્થના કરી. માતાએ પોતાના માટે કાંઈ નહોતું કર્યું, તોયે એણે અંજલિ આપી: ૂબેંદાનું જીવન હવે નવો વળાંક લઇ રહ્યું હતું. નવો રાહ અપનાવવા તૈયાર થઇ રહ્યું હતું. રાહબર કોઈ નહોતો. રાહ અંધારી હતી. એક અંધારી-મેઘલી રાતે માસી-સ્વજન તમામને છોડી બેંદા નીકળી પડી. એની ઇચ્છા શિક્ષિકા બની શાંત જીવન ગાળવાની હતી. સુંદરીઓ માટે રાહ મખમલી હોય છે.એ રાહ પર એક સિવિલ સવરુસનો અમલદાર ભેટી ગયો. અમલદારની ઉંમર સત્તાવન વર્ષની હતી ને બેંદાની સત્તર વર્ષની, પણ નિર્માણ જૂદું હતું. અમલદાર બેંદાનો સંરક્ષક, પ્રેમી અને શિક્ષક પણ બન્યો. એણે ઉચ્ચ ખાનદાનની છોકરીઓ સાથે એને ભણવા મૂકી. શિક્ષિકાની પદવી પ્રાપ્ત કર્યા પછી શાંત દ્વીપ પર શાળા ખોલી આપી. બેંદાને ઉંમરનું વૈમનસ્ય ન નડયું. એ પોતાનું સર્વસ્વ અમલદારને અર્પણ કરી રહી. દિલથી પ્યાર કરી રહી. અઢાર વર્ષ શાંત સ્નેહનાં વીતી ગયા. ને બેંદા પાંત્રીસ વર્ષની ભરયૌવના હતી, ત્યારે અમલદાર અવસાન પામ્યો. સમય પલટાયો શાળા બંધ થઈ.મહેફિલ ચાલવા લાગી હતી. મોટા મોટા લોકો ત્યાં મિજલસ માણવા આવતા. જુદા જુદા રાષ્ટ્રના રાજદૂતો અને લશ્કરના ઉચ્ચ અધિપતિઓનો એમાં સમાવેશ થતો. બેંદાના સહુ પર પોતાની ખુબસૂરતીનો જાદુ પાથરતી. વૈભવ તો એની પાસે પૂરતો હતો. વાક્ માધુરી અને નૃત્ય ચાતુર્ય અજબ હતું. એવામાં ઈ.સ. ૧૯૩૯નું બીજું વિશ્વયુદ્ધ જાગ્યું. આ યુદ્ધ વખતે જ બેંદાએ પોતાની મા ખોઈ હતી. રાજકારણમાં એને રસ નહોતો, પણ ન જાણે એના નવા મિત્રો એને ઝંઝાવાતમાં દોરી ગયા. યુદ્ધ રંગ પકડી રહ્યું હતું. જાપાન જબરી તાકાત દાખવી રહ્યું હતું. એણે બ્રિટનની જડ હલાવી નાખી હતી. નાઝીઓએ હોલેન્ડ પર કબજો કર્યો હતો. પ્રશાંત મહાસાગરના ટાપુઓ એક પછી એક જાપાન હસ્તગત કરતું હતું. એશિયામાં જાપાની સેના ઉતરી, અંગ્રેજો નાસી છૂટયા, ઇન્ડોનેશિયાના લોકોને જાપાની દેવતાઓએ કહ્યું, 'તમારી પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. ધન, સંપત્તિ, સુખ, શાંતિ, આપીશું.' બેંદાને એક દિવસ નવો સંદેશો મળ્યો. સંદેશો લાવનાર એના કાકા હતા. એમણે કહ્યું, 'બેંદા ! જાપાનને સાથ આપ. મારી ખૂબસુરતી અને તારી કુનેહ દ્વારા તું જાપાનની સેવા કર ! જો એમ કરવાનો તું ઇન્કાર કરીશ તો તું પ્રસિદ્ધ જર્મન જાસુસ માતાહારીની પુત્રી છે, એ વાત પ્રગટ કરી દઈશ. આજીવન કારાગાર તારા માટે નિર્માણ થશે.' આ ઘટનાએ શાંત અને શોખીન ગૃહિણી બેંદામાં નવો ભાવ જગાવ્યો. એને ઇન્ડોનેશિયાના લોકોમાં ફરીને પ્રચાર કરવાનો હતો કે જાપાન તારું મિત્ર છે. જાપાન તમારું કલ્યાણ કરશે. ઇન્ડોનેશિયાના હોમગાર્ડમાં ભરતી થાઓ ! બેંદાને આ સાથે નૃત્ય દ્વારા - સંપર્ક દ્વારા જાપાનના વિરોધીઓને જાણવાના હતા, ને તેના નામ જાપાન સરકારને મોકલવાના હતાં ! આ કાર્ય કરતાં ઇન્ડોનેશિયા હોમગાર્ડનો નેતા અબ્દુલ બેંદાને મળ્યો. એ બહારથી જાપાન તરફી હતો, અંદરથી પોતાની માતૃભૂમિ ઇન્ડોનેશિયાને સ્વતંત્ર કરવાના પ્રયત્નમાં હતો. અબ્દુલ અને બેંદા મળ્યાં. એકની જવામદરુ ને બીજાની ખૂબસુરતી કામ કરી ગઈ. બેંદા ઘણા વખતથી સાથી શોધતી હતી. એને સાથી મળી ગયો. અબ્દુલ નાનો હતો, બેંદા મોટી હતી: પણ પ્રેમ જાતિ કે વય જોતો નથી ! કપરી કામગીરીમાં બંને સ્વર્ગને હિંડોળે હીંચી રહ્યા. બંને બેતરફી તલવાર ચલાવવા લાગ્યા. રાજકારણમાં તો એમ જ ચાલે ! ઈ.સ. ૧૯૪૫ અંગ્રેજોનું પ્રભુત્વવ વધી ગયું. જાપાનીઓ પર હુમલો કરવા માંડયા. અબ્દુલ આઝાદીનો ઝંડો લઇ ઊભો થયો. સંયુક્ત રાષ્ટ્ર ઇન્ડોનેશિયાના પ્રજાતંત્રની ઘોષણા થઈ. બેંદાએ ગજબ કામ કર્યું. ડચ ગવર્નર ઓફિસના એક અમલદાર માટોને બેંદા મળી. એની પાસેથી બધી વિગતોમેળવવા લાગી ને અબ્દુલને પહોંચાડવા લાગી. ઇ.સ. ૧૯૪૮ની ૧૫મી ડિસેમ્બરે ડચ લોકોએ ઇન્ડોનેશિયાને આઝાદી આપવાનો ઇન્કાર ભણ્યો. બેંદા તરત અમેરિકા ચાલી ગઈ. ત્યાં ભાષણો દ્વારા રેડિયો દ્વારા પ્રચાર કરવા લાગી.અમેરિકન ઉદ્યોગપતિને પોતાનાં ઝુલ્ફામાં લોભાવી અબ્દુલ માટે હવાઈ જહાજ ને હજારો ડોલર મેળવ્યા ! બેંદા ચંદાની ચાંદની જેમ અમેરિકા પર પ્રસરી ગઈ, પણ ત્યાં તો અમેરિકાની છૂપી પોલીસે બેંદાનું મૂળ પકડી લીધું. એને સામ્યવાદ વિરુદ્ધ જાસુસ બનવા કહ્યું. બેંદા નવા કામમાં પડી. ચીનમાં ગઈ. સામ્યવાદી બની. પણ એ જ્યાં જતી ત્યાં એનું રૂપ સહુને પાગલ બનાવતું ! એ શિકારી કૂતરાની ગંધથી બાતમી મેળવી લેતી. બેંદાએ એક ભયંકર બાતમી મેળવી. ઉતર કોરિયા, ચીન અને રશિયા - ત્રણે દેશ ભેગા મળીને દક્ષિણ કોરિયા પર ચડાઈનું વિચારી રહ્યા છે ! વાત સાચી હતી, પણ કોઇએ ન માની ! બેંદા એનું નામ આગળ ધપાવે ગઈ. એક દિવસ પોતાની પ્રેમી કોરિયાના ગવર્નર માટોને મળવા ગઈ. માટોએ એને ઓળખી લીધી. ને એની ધરપકડ થઈ ! બરાબર પાંત્રીસ વર્ષ પૂર્વે એની માતા જગપ્રસિદ્ધ જર્મન જાસૂસ માતાહારી આજ વખતે દેહાંત દંડ પામી હતી ! યૌવનના સૌરભ-બાગ જેવી બેંદા એ દિવસે ચિરવિદાય લઇ ગઈ. એના રૂપની તાકાતે સામ્રાજ્યો હલાવી નાખ્યાં, પણ જે મોજું નાવને કિનારે લાવે છે, એ જ મોજું નાવને મધદરિયે ખેંચી જાય છે. આજની વાત બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ? બીરબલ: જહાંપનાહ, ભારતીય શિક્ષણમાં ગોખણપટ્ટીનો મહિમા છે. માત્ર શિક્ષણમાં જ નહીં, રાજકારણમાં પણ ખરો. બાદશાહ: ક્યા ખૂબ ! બીરબલ: જહાંપનાહ, દરેક રાજકારણીએ 'ગરીબ, વંચિત, દલિત, ખેડૂત, મજૂર, અલ્પસંખ્યક અને અભાવગ્રસ્ત' એ શબ્દોની ગોખણપટ્ટી કરવી પડે છે અને એ બોલતી વખતે મોટા અવાજે તેઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા બતાવવી પડે છે. જે આ ગોખણપટ્ટીમાં કાબેલ હોય, તે આદર્શ વક્તા અને નેતા કહેવાય છે. પ્રસંગકથા અફવાઓ પર જીવનારા અબૂધો એક વ્યક્તિ હાંફતો હાંફતો દવાખાનામાં દાખલ થયો. એનો શ્વાસ ધમણની માફક ચાલતો હતો.કોઈ જીવલેણ રોગનો એકાએક ગંભીર હુમલો થયોહોય તેમ લાગતું હતું. એ સીધેસીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો અને બોલ્યો, 'ડોક્ટર સાહેબ, મને બચાવો, બચાવો, હું મરી રહ્યો છું, હે ભગવાન.' ડૉક્ટર સાહેબે દર્દી પર નજર કરી. એ સાવ તંદુરસ્ત લાગતો હતો. મનમાં સવાલ જાગ્યો કે આ હટ્ટા-કટ્ટા માણસને થયું છે શું ? ડૉક્ટરે એને ખુરશી પર બેસવા કહ્યું. થોડો શાંત પાડયો અને પછી પૂછ્યું, 'તમને કેમ એવું લાગે છે કે તમે મરી રહ્યા છો ?' 'અરે ડૉક્ટરસાહેબ,ફાઉન્ટન પેનને કારણે.' 'પેનને કારણે ? એટલે શું ?' 'સાહેબ, ત્રણ વર્ષ પહેલાં પેન ખરીદી હતી. દુકાનદારે કહ્યું હતું કે એ જીવનભર ચાલશે અને એ ફાઉન્ટનપેન આજે જ તૂટી ગઈ. મારું તો હવે આવી બન્યું !' - આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં ફાઉન્ટનપેન તૂટી જાય તો આયુષ્ય પૂરું થઇ જશે, એવી વાતને સ્વીકારનારા મૂર્ખાઓની સંખ્યા ઘણી મોટી છે. કોરોના મહામારીથી બચવા માટેની વેક્સિન લેવા અંગે પણ આવી જ દહેશત અને અફવાઓ ફેલાવવામાં આવી. કોઇને એમાં પ્રાણીનું લોહી લાગ્યું, તો કોઇને એનાથી મૃત્યુ થવાનો ડર લાગ્યો. કોઈ સાવ બેપરવા રહ્યાં, તો કોઇને થયું કે આ રસી મુકાવીશું તો જીવનભર માનસિક બિમારીનો ભોગ બનવું પડશે. એકવીસમી સદીમાં પણ આપણા દેસમાં આવી અફવાઓ પર જીવનારા અને માનનારા વસે છે. એમને ન પોતાની ચિંતા છે કે ન પરિવારની ચિંતા છે. દેશને કોરોનાથી સલામત કરવા માટે ગામડામાં વસતાં પાંસઠ ટકા લોકોને રસીકરણની જરૂર છે, ત્યારે આવી અફવાઓમાં લોકોને મુક્ત કરવાની જરૂર છે. આજે તો બન્યું છે એવું કે એકબાજુ વેક્સિનની અછત ઊભી થઇ અને બીજી બાજુ વેક્સિન લેવાનો અસ્વીકાર. આ બે બાબતો દેશ પર ત્રીજી લહેરનો ખતરો લાવી શકે તેમ છે.

ગુજરાત સમાચાર 15 Jul 2021 5:35 am

રંગભેદઃ યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ

- ગ્રેટર માન્ચેસ્ટરમાં 2012થી 2019 દરમિયાન ફુટબોલ મેચ પછી ઘરેલુ હિંસા થયાના 5,23,546 કેસ નોંધાયા - ટેક્સાસની રીપબ્લિકન સરકાર અશ્વેતોના મતાધિકાર પર કાપ મૂકવા માટે હવાતિયા મારી રહી છે - આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સના જમાનામાં પણ રંગભેદ માથું ઉંચકતો રહેે છે કોરોના એ કંઈ પહેલી મહામારી નથી. આની પહેલા સ્પેનિશ ફ્લૂ ફેલાઈ ચૂક્યો છે, ટીબી ફેલાઈ ચૂક્યો છે, શીતળા, અછબડા, ઓળી ફેલાઈ ચૂક્યાં છે, બ્યુબોનિક પ્લેગ ફેલાઈ ચૂક્યો છે. બીજી બધી મહામારીની કોઈને કોઈ દવા અને રસી શોધાઈ ચૂકી છે. તે નિયંત્રણમાં આવી ચૂકી છે, પણ કોવિડ ઉપરાંતની એક મહામારી એવી છે જે હજી નિયંત્રણ બહાર છે. એ મહામારી એટલે ભેદભાવ. અમે ઊંચા અને તમે નીચાનો ખ્યાલ. આ બીમારી લાઇલાજ છે. આના કોઈ ઓસડ નથી. ફાર્માં કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા છે. માનવજાતિનું મસ્તક નીચું થઈ ગયું છે. રંગભેદ બધે જ છે. પછાત દેશોમાંય છે, વિકસિત દેશોમાંય છે. પછાત દેશોમાંય છે, ગરીબ દેશોમાંય છે. સભ્ય સમાજોમાંય છે, જંગલી સમાજોમાંય છે. પ્રાચીન કાળમાં હતો, આજેય છે. પથ્થરયુગમાંય હતો, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાંય છે. તે દર્શાવે છે કે આપણે જેને વિકાસ કહીએ છીએ એ ખરેખર વિકાસ નથી. રંગભેદ, જાતિવાદ, કોમવાદ મૂળે એક જ છે. બસ ચહેરા જુદા-જુદા છે. ફ્રેન્ચ-ટયુનિશિયન લેખક આલ્બર્ટ મેમીએ તેમના જીવનમાં બનેલો એક કિસ્સો ટાંકેલો. એક વખત ફ્રાંસની એક બસમાં તે, તેમનો શ્વેત મિત્ર અને કેટલાક ઇમિગ્રન્ટ્સ ચડયા. એક જૂથ પચરંગી ટીનેજર્સનું હતું. તેમાં નિગ્રો હતા, બ્રાઉન હતા. તેમણે કલબલાટ કરી મૂક્યો. લેખકનો ધોળિયો મિત્ર કહે, જો તો, ધ્યાન ખેંચવા માટે કેવો ગોકીરો કરે છે. ટીનેજરો કાળા હોય કે ધોળા તેઓ કલબલાટ કરતા જ હોય છે. વાઇટ્સ કંઈ કરે છે તો કોઈ નોટિસ નથી કરતું, પણ બ્લેક કંઈક કરે તો એમ કહે જો તો આ બ્લેક લોકો કેવું-કેવું કરે છે! કોઈ માણસને તમે સતત ચોર-ચોર એવું કહ્યા કરો તો એક દિવસ તે સાચે જ ચોરી કરવાનો. કોઈને તમે રોજ ખરાબ કહેશો તો તે સાચે જ ખરાબ બની જવાનો. પશ્ચિમી દેશોમાં આજે શ્વેત કરતા અશ્વેતોમાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે. તેનું કારણ તેનો ઈતિહાસ છે. શ્વેત લોકો તેમની સાથે તતત ભેદભાવ કરતા આવે છે, તેમને સતત અપશબ્દો બોલતા આવે છે. તેમને મારે છે. અમેરિકામાં પોલિસ અધિકારીએ જ્યોર્જ ફ્લોઇડની હત્યા કરી એને હજી વરસ માંડ થયું છે. આ કિસ્સો તો આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચગેલો તો ન્યાય થયો, પણ આવા તો બીજા સેંકડો કેસ છે જેમાં વિકસિત દેશોમાંય ન્યાયના નામે મીંડું છે. ને નવી પેઢી આંકડા સાથે દલીલ કરે છે, જુઓ નિગ્રો સાચે જ ગુનાખોર હોય છે. અરે યાર, એ ગનાખોર નહોતા. એને તમે બનાવી દીધા. યુરોપિયન દેશોમાં યુરોકપનું મહત્ત્વ ભારતમાં ક્રિકેટનું મહાત્મ્ય છે તેના જેટલું જ છે. અથવા કહો તેનાથી પણ વધારે છે. ૫૫ વર્ષ પહેલા બ્રિટન ૧૯૬૬માં યુરોકપ જીતેલું. તે પછી નથી જીત્યું. આ વખતે ટીમ ફાઇનલમાં પહોંચી ગયેલી. ઇટલી અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ હતી. સ્ટેડિયમ પણ એ જ હતું, વેમ્બલી. જ્યાં પ૦ વર્ષ પહેલા ઇંગ્લેન્ડની ટીમ યુરોકપ જીતી હતી. બીજી જ મિનિટે ઇંગ્લેન્ડ ૧-૦થી આગળ નીકળી ગયું હતું, પણ ધીમે-ધીમે દૃશ્ય બદલાયું અને ઇટલી ૩-૨થી વિજેતા બન્યું. ઇંગ્લેન્ડે પોણી દુનિયા પર રાજ કર્યું છે તો સ્વાભાવિક છે કે જુદા-જુદા વંશમૂળના લોકો ત્યાં સ્થાયી થયા હોય. તેમના સંતાનોના સંતાનો આજે બહુ મોટા રમતવીર છે અને ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમમાંથી રમે છે. ઇંગ્લેન્ડનો આજનો સમાજ બહુસાંસ્કૃતિક છે, એવું જ ફુટબોલની ટીમનું છે. ફાઇનલની જે મેચ હાર્યા તેમાં યોગાનુયોગે એવું થયું કે ઇન્ગ્લેન્ડના ત્રણ અશ્વેત ખેલાડી પેનલ્ટી શૂટઆઉટ ચૂકી ગયા. માર્કસ રેશફોર્ડ, જેડોન સાન્ચો અને બુકાયો શાકા. ફાઇનલ હારી જવાથી ફુટબોલ ચાહકો ભડકી ગયા ત્યાં સુધી સ્વાભાવિક હતું, પણ તેઓ આ ખેલાડીઓની ચામડીના રંગ વિશે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. જાણે તેઓ એટલા માટે ગોલ ન કરી શક્યા કારણ કે તેમની ત્વચાનો રંગ ગોરો નહોતો. ઇંગ્લેન્ડના સ્ટેડિયમમાં દર્શકોને અનલિમિટેડ દારૂ પીવાની છૂટ હોય છે. દારૂનો સદ્ગુણ એ છે કે તે માણસનું અસલી ચરિત્ર પ્રગટ કરી દે છે. ઇંગ્લેન્ડની ટીમના ચાહકોએ મેચ પછી ઇટલીના સપોર્ટરો પર હિંસક હુમલા કર્યા. જાહેર મિલકતો તોડી અને રસ્તા પર ગંદકી કરી, સોશિયલ મીડિયા પર ઊલટી કરી. ઘણા દર્શકો સજોડે મેચ જોવા ગયેલા અને ઇંગ્લેન્ડની હારથી માથુ ફરી જતા વળતી વખતે તેના જીવનસાથી પર હુમલો કરી દીધો. તમને આશ્ચર્ય થશે, પણ ઇંગ્લેન્ડમાં ઘરેલું હિંસાને અને ફુટબોલના પરાજયને ગાઢ સંબંધ છે. ૨૦૧૨થી ૨૦૧૯માં ગ્રેટર માન્ચેસ્ટર વિસ્તારમાં ફુટબોલમાં ટીમના પરાજયના કારણે ઘરેલુ હિંસાના ૫,૨૩,૫૪૬ કેસ નોંધાયા છે. ઇંગ્લેન્ડના પુરુષો એટલી જાડી બુદ્ધિના અને જાનવર જેવા છે કે અશ્વેતો વિશે તો આમતેમ બોલે જ છે, પણ પોતાની પત્ની કે લીવ ઇન પાર્ટનરનેય મૂકતા નથી. ૨૧મી જુને ડેઇલી મેઇલમાં સ્ટોરી હતીઃ મલ્ટિકલ્ચરલ ઇન્ગ્લેન્ડ ટીમ એટ યુરો ૨૦૨૦ ઇઝ એ લેગસી ઑફ વિન્ડ્રશ જનરેશન. ૧૦મી જુલાઈએ અલ જઝીરામાં સ્ટોરી હતીઃ ડાઇવર્સ ઇઁગ્લેન્ડ ફુટબોલ ટીમ ધેટ ઈઝ વિનિંગ ફેન્સ. હજી ગઈ કાલ સુધી ઇન્ગ્લેન્ડની મલ્ટિ કલ્ચરલ ટીમના ઓવારણા લેવામાં આવતા હતા અને આજે તેઓ મેચ હારી ગયા તો તેના અશ્વેત ખેલાડીઓ તેમના માટે ખરાબ બની ગયા. રેશફોર્ડે વટથી કહી દીધું, હું જ્યાંથી આવું છું તેના માટે ક્યારેય માફી નહીં માગું. જે દેશના વડા પ્રધાન જ વંશવાદી હોય તે દેશનું શું કહેવું. બોરિસ જૉનસન ઇમિગ્રન્ટ્સ માટે જાહેરમાં પોસ્ટ બોક્સ અને પિકાનિનિસી જેવા શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા છે. પિકાનિનિસી એટલે ઓસ્ટ્રેલિયાની હબસી જેવી એક જાતિ. ઇંગ્લેન્ડની જનતા પહેલેથી વંશવાદી હતી અને આજેય છે. ઇંગ્લેન્ડની ટીમમાં વંશવાદની ભાવના ન પેદા થાય એટલા માટે બધા ખેલાડીઓ જમીન પર બેસી અને માથુ ઝૂકાવતા. એ સમયે દર્શકો હૂટિંગ કરતા. આ વિશે કોઈએ પ્રીતિ પટેલ અને બોરિસ જૉનસનને ફરિયાદ કરી. બોરિસ જૉનસને એવું કહ્યું કે, દર્શકો હૂટિંગ કરતા હોય તો કંઈ વાંધો નહીં. સારી-સારી વાતો માત્ર કિતાબોમાં હોય છે. જાહેર જીવનમાં તેનાથી તદ્દન ઊલટું ચાલતું હોય છે. ન તો ગાંધીની અહિંસા કોઈનું માનસ બદલી શકી છે, ન માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના આંદોલનો. જે લોકો નથી બદલાવાના તે નથી જ બદલાવાના. તમે ચાહે ગમે તે કરી લો. અમેરિકામાં ડેમોક્રેટ્સે સરકાર બનાવ્યા પછી હવે ટેક્સાસની રીપબ્લિકન સરકાર અશ્વેતોના મતાધિકાર પર કાપ મૂકવા માટે હવાતિયા મારી રહી છે. આવું તેઓ શા માટે કરે છે? કારણ કે તેમને હારવું નથી. તેમને કિંગ પડે તોય જીતવું છે, ક્રોસ પડે તોય. આપણે નાનપણમાં આ વસ્તુ જોયેલી છે. જ્યારે કોઈ છોકરો આપણાથી આગળ નીકળી જાય ત્યારે ઘણા બાળકો તેની કોઈ નબળાઈ ગોતીને તેનાથી તેમને ચીડવવા લાગગતા હતા. જેમ કે કોઈને ચશ્માં હોય તો કહેશે એ બાડા... એ આંધળા... કોઈની આંખ ત્રાંસી હોય તો કહેશે એ ફાંગા... બાળપણની આ વૃત્તિનો છોડ સતત પોષાતો રહે છે અને મોટું વૃક્ષ બને છે. ઇંગ્લેન્ડ હોય કે અમેરિકા ત્યાં અત્યારે વિદેશીઓ જ કમાલ કરી રહ્યા છે. એ ત્યાંના સ્થાનિકો દ્વારા સહન થતું નથી. એટલે તેની જાતિની, તેના ધર્મની, તેની ચામડીના કલરની, તેની કોઈ શારીરિક નબળાઈની મજાક ઉડાવતા રહે છે. ને પેલો માણસ મનમાં મુંઝાતો રહે છે. તેનો આત્મવિશ્વાસ લોહીલુહાણ થઈ જાય છે, તેને દુઃખ પહોંચે છે. તેનું પરફોર્મન્સ ડાઉન થઈ જાય છે. કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં એવું બધાય જાણે છે. બધા સમજતા હોવાનો ડોળ પણ કરે છે. તેના વિશે જાહેરમાં ટીકા પણ કરે છે. તો કોણ છે જે સૂધરતું નથી? સભ્યતાના માસ્કની અંદર અસલી ચહેરો છુપાવીને બધા ફરે છે ને મોકો મળે કે તરત જ ચહેરો બતાવે છે. ચરિત્ર બતાવે છે. આ દુનિયા આવી જ છે. અહીં તમે મહાન બનીનેય શું કરી લેવાના? યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ? જે અમેરિકા કે બ્રિટન છે તેણે આંખો ઉઘાડીને જોવાની જરૂર છે કે હજી મનુષ્ય તરીકે તેઓ અલ્પ વિકસિત જ રહ્યા છે. જે દેશો અમેરિકા અને બ્રિટન જેવા બનવા માગે છે તેમણએ એ સમજવાની જરૂર છે કે માત્ર આર્થિક વિકાસ એ જ વિકાસ નથી. અંદરથી પણ સમૃદ્ધ થઈશું, અસમાનતાની, બીજા પ્રત્યે તિરસ્કારની ભાવના ફગાવી દઈશું તો જ આર્થિક વિકાસનો સ્વાદ વધારે મોજથઈ લઈ શકશું. બરોબરને? આજની નવી જોક છગન મોડી રાતે ઘરે આવ્યો. લીલી (છગનને): ક્યાં ગયા હતા? તમારો ફોન નહોતો લાગતો. છગનઃ તારો ફોન લાગે એ માટે ટાવર શોધવા ગયો હતો. લીલીઃ હેં!? જીકે જંકશન * છત્તીસગઢે લેમરુ હાથી અભયારણ્યના વિસ્તારમાં કાપ મૂક્યો છે. ભુટાનમાં ભિમ એપના વપરાશને મંજૂરી આપવામાં આવશે. * તાજેતરમાં ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું હતું. ડેવોન કોનવેની આઈસીસી ક્રિકેટ પ્લેયર ઑફ ધ મન્થ ઘોષિત કરવામાં આવ્યા છે. * આઈઆઈટી મંડીના સંશોધકોએ બટેટામાં રહેલી બીમારી જાણવા માટે એક એપ્લિકેશન વિકસાવી છે. ભારતીય નૌસેનાએ અમેરિકા પાસેથી ૧૦મું સબમરિન પ્રતિરોધક યુદ્ધ વિમાન પી-૮૧ પ્રાપ્ત કર્યું હતું. * ભારત ૨૦૨૬માં બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરશે. બીડબલ્યુએફનું ફૂલફોર્મ છે બેડમિંટન વર્લ્ડ ફેડરેશન. * ફ્રાંસની સરકારે ગુગલને ૫૦ કરોડ યુરોનો દંડ ફટકાર્યો હતો. તાજેતરમાં અશોક ચક્રવર્તીનું એક પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે, ધ સ્ટ્રગલ વિધિનઃ એ મેમોઇર ઑફ ધ ઇમર્જન્સી. * ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતાઓને છ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીએ પણ ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.

ગુજરાત સમાચાર 15 Jul 2021 5:30 am

સંઘ-ભાજપની કાર્યપધ્ધતિ મોદીએ અનુસરાઇ નથી..

- મોદીની નવી ટીમને બેભાગમાં વહેંચી શકાય - ઇનસાઇડ સ્ટોરી- વીરેન્દ્ર કપૂર ગ યા અઠવાડીયે કેન્દ્રીય પ્રધાન મંડળમાં કરાયેલા ફેરફારો પાછળ વડાપ્રધાન મોદીના આઇડયા રહેલા છે. તમેણે અનેક લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. ડઝન જેટલા પ્રધાનો અને જુનિયર પ્રધાનોને દયાહીન થઇને બહાર ધકેલી દેવાની ઘટના પ્રથમ વાર બની છે એમ કહી શકાય. તેમણે આમૂલ પરિવર્તન માટે પ્રયાસ કર્યો છે પરંતુ સાથે સાથે પોતે બદલાવ ઇચ્છી રહ્યા છે તે પણ બતાવી આપ્યું છે. સાથી પક્ષોના કેટલાક પ્રધાનો છોડી જતાં ખાલી પડાલી જગ્યા ભરવાની હતી તેમજ કેટલાક કાર્યક્ષમ લોકોને મુકવાની પ્રક્રીયા કરવા માટે વડાપ્રધાને અનેકને સાઇડ પર ધકેલી દીધા છે. અશ્વિનિ વૈશ્નવને સમાવવા બાબતે સમાચાર માધ્યમોએ પોતાવા તર્ક ખુબ મોટા પાયે રજૂ કર્યા હતા. રવિશંકર પ્રસાદ મોદીની નજીકની ગણાતા હતા છતાં તેમને હટાવાયા એટલે લોકોને તેમના વિશે અભિપ્રયો આપવાની તક મળી હતી. અશ્વિનીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપરાંત રેલ્વે મંત્રાલય સોંપીને વડાપ્રધાને ઘણાના ભવા સકંાચી નાખવા પ્રેર્યા હતા. રવિશંકર પ્રસાદ પરંપરાગત રાજકારણી છે. તેમની જગ્યાએ લવાયેવા અધિકારી, ઉધ્યાગ સાહસિક અને વોલ્ટ્રનમાં ભણેલા વેશ્નવ પર મોદીએ ભરોસો મુક્યો હોય એમ લાગે છે. હાલમાં ટ્વિટર સાથે ચાલતો વિખવાદ તે નિવારી શકવાની ક્ષમતા ધરાવતા હોવાનું મનાય છે. તે રેલ્વેમાં પણ અનેક સુધારા લાવી શકે છે. ટીકાકારો કહે છે કે મોદીએ પ્રોફેશનલ મનેજર રાખ્યા છે. અશ્નિનીને અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું છે. વૈશ્નવ ઉપરાંત પણ બીજા કેટલાક ચહેરા એવા છે કે જે પરંપરાગત રાજકારણી નથી પણ પોઝિટીવ આઇડયા આપી શકે છે. મોદી કોઇ પણ હિસાબે કામ કરવા માંગે છે. પોતાના એક સમયના સાથીને પણ ખસેડી નાખતા તે અચકાયા નહોતા. અધિકારી વર્ગ હોય કે કોઇ પણ હોય મોદી તેમનો ઉપયોગ કરવા માંગે છે. તેમને પરિણામમાં વધુ રસ છે. સામાન્ય રીતે પાયાના વકર્ર એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને શાસન ચલાવવા મુકાતા હોય છે. તેમના પ્રભાવ અને શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ લોકશાહીમાં થતો આવ્યો છે પરંતુ વર્તમાન સરકારને અધિકારીઓ પર વધુ ભરોસો હોય એમ લાગે છે. એ પણ મહત્વનું છે કે નવા ફેરફારોમાં ૨૭ ઓબીસી અને ૧૨ એસસી તેમજ આંઠ એસટીને સમાવાયા છે. આ વાતમાં પણ કોઇ શંકા નથી કે ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ વગેરેમાં ચૂંટણી આવી રહી હોઇ તેને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને સમાવાયા છે. જેમ ઉત્તર પ્રદેશની ચૂંટણી મહત્વની છે એમ રાજ્યસભામાં બહુમતી ઉભી કરવી તે પણ મહત્વની છે. હિન્દી બેલ્ટમાં મતદારોના દિલ જીતવા તમામ વર્ગને ધ્યાનમાં રખાયો છે. ટૂંકમાં કહીએ તો મોદીની નવી ટીમ બેભાગમાં વહેંચી શકાય. એક ભાગ માત્ર અને માત્ર વહિવટ માટેનો છે તો બીજો ભાગ ઓબીસી, એસટી, એસસીના દિલ જીતવા માટેનો છે. જ્યારે પણ કોઇ ચૂંટણી આવશે ત્યારે વિવિધ વર્ગને પ્રચાર માટે ઉતારશે એમ મનાય છે. એક ભાગ વહિવટ માટે અને બીજો ભાગ દરેક મતદારોના જદિલ જીતવા માટે રખાયો છે તે ફોર્મયુલા બહુ ઓછા લોકોની સમજમાં આવી છે. નવા ફેરફારોમાં કેટલાક મહત્વના મુદ્દા પર કોઇનું ધ્યાન ગયું નથી અને તે છે સઘ અને ભાજપની કાર્યપધ્ધતિ અનુસરાઇ નથી. જેમકે અત્યાર સુધી વાજપેઇ- અડવાણીના સમયમાં સંધના પરંપરાગત ટેકેદાર મનાતા બ્રામણ અને વાણિયા અર્થાત શહેરી મધ્યમ વર્ગને સ્થાન અપાતું હતું. આ વર્ગ ભાજપમાં પણ પ્રભુત્વ ધરાવે છે. પરંતુ મોદીની નવી ટીમમાં આ વગર્ની બાદબાકી જોવા મળે છે. જ્યારે મોદી ખુદ ઓબીસી છે ત્યારે ભાજપમાં ઓબીસી, એસસી,એસટીનું પ્રભુત્વ વધારાય તેવા પ્રયાસો દેખાઇ રહ્યા છે. જો કે આવી સ્થિતિ બહુ ભણેલા અને સમજદાર મનાતા વર્ગને સાઇડમાં રાખીને આગળ વધાઇ રહ્યું છે. આવા ફેરફારો સંધના કાયમી સમર્થકો મનાતા વર્ગના ભોગે થઇ રહ્યું હોવાનું ચર્ચાય છે. હવે એવુ લાગશે કે સરકાર એક બિઝનેસ કોર્પોરેશન છે. વાજપેઇ સમયના એક પ્રધાને મોદી સરકાર માટે કહ્યું છે કે વાજપેઇ સરકારમાં અમે પ્રધાનો તરીકે હતા જ્યારે મોદી સરકારમાં પ્રધાનો ક્લાર્ક જેવા છે. આરોગ્ય, આઇટી જેવા પ્રધાનોને પડતા મુકવા તે વિવાદ ઉભા કરે તેવાં પગલાં છે.

ગુજરાત સમાચાર 14 Jul 2021 5:40 am

ઓલિમ્પિક રનર ઝમ્પેરિનિ રોમહર્ષણ જીવનકથા

- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધકેદી તરીકે બેહદ અત્યાચાર ભોગવનાર - સારાંશ-વિનોદ ડી. ભટ્ટ - લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-1 - બાળપણમાં જબરો મસ્તીખોર અને તોફાની ઝમ્પેરિનિ દોડમાં અવ્વલ નંબરે - 'અનબ્રોકન' પુસ્તક પરથી ઉતરેલી 'અનબ્રોકન' ફિલ્મને સંખ્યાબંધ એવોર્ડસ મળ્યા હતા નામ એનું લુઇ ઝમ્પેરિનિ માત્ર ૧૯ વર્ષની નાની વયે ઓલિમ્પિકની ૫૦૦૦ મીટર ટ્રેકના દોડવીર તરીકે અમેરિકામાં આજે પણ લુઇનો રેકોર્ડ કોઇ તોડી શક્યું નથી. ઇ.સ. ૧૯૩૬માં જર્મનીના પાટનગર બર્લિનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં અમેરિકા તરફથી લુઇ ઝમ્પેરિનિએ ભાગ લીધો હતો. ઓલિમ્પિકમાં ભલે તે મેડલ મેળવી શક્યો નહોતો, પણ એ પછી બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકન એરફોર્સના બોમ્બર તરીકે તેણે દાખવેલા શૌર્ય અને બહાદુરી બદલ ઝમ્પેરિનિને સંખ્યાબંધ મેડલ્સ એનાયત કરાયા હતા. બીજા વિશ્વ યુધ્ધમાં દુશ્મન સૈન્ય પર બોમ્બમારો કરવા જતા ઝમ્પેરિનિનું ફાઇટર પ્લેન દરિયામાં તૂટી પડયું હતું. પાયલોટ સહિત લગભગ સાતેક જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા, પણ ઝમ્પેરિનિ અને તેના બીજા બે સાથીદારો સદ્નશીબે બચી ગયા. તરાપાના સહારે આ ત્રણ જણ પુરા ૪૭ દિવસ સુધી દરિયાના મોજા વચ્ચે અથડાતા-કુટાતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા એક ટાપુ નજીક જઇ ચઢ્યા, જ્યાં જાપાની સૈનિકોએ તેમને પકડીને યુધ્ધકેદીની છાવણીમાં ધકેલી દીધા. લગભગ બે વર્ષ સુધી યુધ્ધકેદીની છાવણીમાં ઝમ્પેરિનિ પર ભયંકર અત્યાચાર ગુજારાયો, તે દરમિયાન અમેરિકામાં એવી ખબરપહોંચી કે ઝમ્પેરિનિનું યુધ્ધ મોરચે લડતા લડતા મોત નિપજ્યું છે. તે વખતના અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે વર્ષ ૧૯૪૪માં ઝમ્પેરિનિના પિતાને દિલસોજીનો સત્તાવાર સંદેશો પણ પાઠવી દીધો. વર્ષ ૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધનો અંત આવ્યો ત્યારે એટલે કે ઝમ્પેરિનિના મૃત્યુના ખબરના લગભગ એક વર્ષ પછી સાચી ખબર બહાર આવી કે ઝમ્પેરિનિ મરી નથી ગયો, તે તો જીવતો છે...! કોઇ એ-ગ્રેડની થ્રિલર ફિલ્મી પટકથાને પણ ટપી જાય તેવી ઝમ્પેરિનિની જીવનકથા પરથી હોલિવુડમાં ''અનબ્રોકન'' નામની સુંદર ફિલ્મનું નિર્માણ કરાયું હતું. અમેરિકન લેખિકા લૌરા હિલનબ્રાન્ડે લખેલા બેસ્ટ સેલર પુસ્તક 'અનબ્રોકન' પરથી ફિલ્મ 'અનબ્રોકન'ની પટકથા લખાઇ હતી. જીવનમાં આવી પડતા નજીવા નાના-નાના દુ:ખો કે ક્યારેક આવી પડતી બે-ત્રણ નાની-મોટી સમસ્યાઓથી નાસીપાસ થઇને, જીવન હવે જીવવા લાયક નથી રહ્યું, એવી મનમાં ગ્રંથિ બાંધીને માથે હાથ દઇ બેસી જનારા લોકોએ ઝમ્પેરિનિની 'અનબ્રોકન' જીવનકથા ખાસ વાંચવા જેવી છે. બાળપણથી જ ગરીબીમાં સંઘર્ષમય જીવન જીવનાર ઝમ્પેરિનિના જીવનમાં એક પછી એક સમસ્યાઓની વણઝાર આવતી ગઇ અને છેલ્લે યુધ્ધ કેદી તરીકે તેણે સહન કરેલા અત્યાચારની વાત તો વાંચનારને કંપાવી મુકે તેવી છે. ઝમ્પેરિનિની જીવનકથા પર આધારિત 'અનબ્રોકન' પુસ્તકનો સારાંશ... એનું નામ લુઇ ઝમ્પેરિનિ. તેના પિતા એન્થનીનું બાળપણ સંઘર્ષમય વીત્યું હતું. ૧૪ વર્ષની સગીર વયે તો એન્થની તેના પિતાથી અલગ થઇને સ્વતંત્ર રહેવા જતો રહ્યો હતો. શરૂઆતમાં તે કોલસાની ખાણમાં ખાણિયા તરીકે મજૂરી કામે લાગ્યો હતો, પણ આમાં તેને પુરતી આવક નહીં થતા તેણે ખાણની મજૂરી છોડીને બોક્સિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાંય તેને ઝાઝા દામ કે નામના નહીં મળતા નવા બંધાતા મકાન પર મજૂરી કામ કરવાની નોબત આવી પડી હતી. લુઇ ઝમ્પેરિનિની માતાનું નામ હતું લુઇસ. નાનકડી ઢીંગલી જેવી લુઇસે ૧૬ વર્ષની નાજુક વયે પ્રભુતામાં પગલાં માંડી દીધા અને ૧૮મા વર્ષે તો તેણે લુઇને જન્મ આપ્યો. એ દિવસ હતો ૨૬મી જાન્યુઆરી, ૧૯૧૭. એન્થનીના પરિવારમાં એક સભ્યનો વધારો થયો, પણ તેની આવકમાં કોઇ વધારો નહીં થતા દીકરા લુઇના જન્મના બે વર્ષ પછી તે ન્યૂયોર્ક છોડીને પરિવાર સાથે કેલિફોર્નિયા સ્ટેટના ટોરેન્સ નામના નાનકડા ગામમાં રહેવા જતો રહ્યો. ગામની વસ્તી માંડ ૧૮૦૦ની હતી. ત્યાં એન્થનીને રેલ્વેમાં ઇલેકિટ્રશ્યન તરીકે નોકરી મળી ગઇ. ટોરેન્સમાં એન્થની તેના નાનકડા પરિવાર સાથે એક ઝૂંપડામાં રહેતો હતો; જેના છાપરામાંથી ચોમાસામાં સતત વરસાદી પાણી ટપકતું હોવાથી નીચે ડોલ મુકી રાખવી પડતી હતી. આવા કંગાળ વાતાવરણમાં ઉછરતો લુઇ પાંચ વર્ષની નાની ઉંમરમાં જ સિગરેટ પીવાના અવળે રસ્તે ચઢી ગયો. બાપાની આવક ઓછી અને લુઇની ઉંમર નાની; એ ઉંમરે સિગરેટ ખરીદવાના પૈસા તો એની પાસે ક્યાંથી હોય...? એટલે બાળ મંદિરમાં જતી વખતે નાનકડો લુઇ રસ્તામાં પડેલા સિગરેટના ઠૂંઠા ઉઠાવીને ધુમાડા કાઢવાની તે મોજ માણતો 'તો. આઠેક વર્ષની વયે તો એ ભાઇએ દારૂ પણ પીવા માંડયો. એક દિવસ લુઇ બેઠો બેઠો જ વાઇનના ઉપરા-છાપરી ત્રણ પેગ ગટગટાવી ગયો. ભાન ભૂલીને લથડિયા ખાતો નાનકડો લૂઇ ઘર પાછળના વાડામાં ઝાડી-ઝાંખરા નજીક પહોંચ્યો અને ત્યાંજ એ ઢળી પડયો. નાની વયમાં જ દારૂ પીને સિગરેટના ઠૂંઠા ફૂંકતો લુઇ અડોશ-પડોશના ઘરમાંથી ચોરીછૂપીથી કેક અને બ્રેડ ચોરીને ખાઇ જતો હતો. લુઈનો મોટોભાઈ પીટે ઝમ્પેરિનિ તેનાથી દોઢેક વર્ષ મોટો હતો. બંને ભાઈઓમાં જો કે ખાસ્સો તફાવત હતો. પીટે ઝમ્પેરિનિ ગામ લોકોમાં પ્રિય છોકરો હતો. દેખાવે સોહામણો અને સ્વભાવે શાંત, વિનમ્ર તથા ઠરેલ હતો. નાની ઉંમરમાં જ તેની વ્યવહાર દક્ષતા અને પરિપકવતા બધાના ધ્યાનમાં આવી ગઈ હતી. સરખે સરખી ઉંમરની છોકરીઓ સાથે પીટે બહુ શાલીનતાથી વર્તતો હતો. ઘરના નાના-મોટા કામમાં તે હંમશા માને મદદ કરતો રહેતો હતો. પીટેનો અવાજ ખૂબ સુરીલો હતો. તેના સુંદર ગીતો સાંભળવા માટે પડોશીઓ ભેગા થઈ જતા હતા. પીટે જબરો શૂરવીર પણ હતો. એક વખત ગામના તળાવમાં ડૂબતી છોકરીને બચાવવા તે ક્ષણનોય વિલંબ કર્યા વગર તળાવમાં કુદી પડયો હતો. મોટાભાઈ પીટે નાનાભાઈ લુઈ અને બે નાની બહેનો સિલ્વીઆ તથા વર્જિનિઆની સારી રીતે દેખરેખ રાખતો હતો. લુઈ માટે તો તેનો મોટોભાઈ પીટે આદર્શરૂપ પ્રેરણામૂર્તિ બની ગયો હતો અને પીટે પણ સ્કૂલમાં નાનાભાઈ લુઈનું ખૂબ ધ્યાન રાખતો હતો. (ક્રમશ:)

ગુજરાત સમાચાર 14 Jul 2021 5:35 am

પત્નીવ્રતા પતિદેવો અને આપત્તિ-વ્રતા પત્નીઓનું પુરાણ

- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી હજી થોડા દિવસો પહેલાં જ વટ-સાવિત્રીનું વ્રત ગયુંને ? ત્યારે વટવૃક્ષ ઓછા અને પ્રતિવ્રતાઓ વધુ એવો માહોલ જોવા મળ્યો. કપરા કોરોના કાળમાં આમેય પતિના લાંબા આયુષ્યની કામના કરવાવાળી સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળી. શહેરના એક મંદિરની બહાર ઘટાદાર વડનું ઝાડ છે. ત્યાં તો એટલો ધસારો થયો કે કોરોનાના નિયમોનો ભંગ ન થાય માટે પતિવ્રતાઓને સુરક્ષિત અંતર રાખી કુંડાળામાં ઊભી રાખવામાં આવી દરેકને તાત્કાલિક ટોકન આપવામાં આવ્યા. પૂજારી પાંચ-પાંચ ટોકન નંબર માઇકમાં જાહેર કરે એટલે પાંચ સ્ત્રીઓ વડના ઝાડ પાસે જાય. સુતરના ધાગાને પ્રદક્ષિણા કરતી વખતે ઝાડના થડ ફરતે બાંધતી જાય અને પતિના લાંબા આયુષ્યની અને જન્મોજન્મ આ જ પતિ મળે એવી પ્રાર્થના કરતી જાય અને જન્મોજન્મનું રિઝર્વેશન કરાવતી જાય. પતિપ્રવૃતાઓની આ પૂજનવિધિ જોઇને પથુકાકાની આંખમાં ઝળઝળિયા આવી ગયા કે અને બોલ્યા 'વટ-સાવિત્રીના પર્વની ઉજવણી કરવા ભેગી થયેલી આ પતિવ્રતાઓના ધણી કેવાં નસીબદાર કહેવાય ? અને આપણાં ઘરમાં જુઓ ચોવીસે કલાક ચોવટમાંથી જ ઊંચી ન આવતી તારી હોબાળા કાકી કયાંથી વટ-સાવિત્રીનું વ્રત ઊજવવાની ? એ તો ચો-વટ સાવિત્રીનું વ્રત ઊજવવાની શરૂઆત કરે તો કહેવાય નહીં.' ઘરે પહોંચીને ઓશરીમાં બેઠા બેઠા બે-ત્રણ પાડોશણો સાથે ચોવટ કરતા (હો) બાળાકાકીને મેં પરબારૂ જ પૂછયું કે 'કાકી તમે કેમ કોઇ વ્રત નથી કરતા ?' સવાલ સાંભળી કાકી તાડુકયા કે'લગન પહેલા મોળાકતનું વ્રત કર્યું હતું, એમાં જ આ તારા કાકા જેવાં મીઠા-વગરના ધણી મળ્યા પછી કોઇ વ્રત રાખવાની હિંમત નથી રહીં.' પથુકાકા લુચ્ચું હસીને બોલ્યા કે 'આ તારી કાકી ખોટો વટ દેખાડવામાંથી જ ઊંચી નથી આવતી, એ શું વટ-સાવિત્રી જેવા વ્રત ઉજવવાની' ત્રીસ વર્ષ એની સાથે ગુજારીને હું એવો તો લાં..... બો થઇ ગયો છું કે ભૂલેચૂકેય ઇ મારા લાંબા આયુષ્યની કામના ન કરે એમાં જ મારી ભલાઇ છે. હું તો કાયમ કહું છુંને કે માણસને ખોટો વટ નડે છે, કટ-કટ નડે છે અને ખટ-પટ નડે છે. કોઇ જાણીતા કવિએ હું જો ભૂલતો ન હોઊં તો આવું જ કાંઇ લખ્યું છેને કે: ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ એક અમે પોતે અને બીજો તમારો વટ. મેં કહ્યું 'કાકા વટ પડે પણ ખરો અને ખોટો વટ પાડે પણ ખરો. બાકી તો સ્ત્રી-પુરૂષ સમાનતાના આ જમાનામાં સ્ત્રી પતિવ્રતા તરીકે ચૂપચાપ અત્યાચાર સહેતી રહે એ દિવસો ગયા. અત્યારે તો ભરથારનેય ભાંગી નાખે એવી ભાર્યાઓ ભટકાય છે.' એટલે જ 'અખંડ સૌભાગ્યવતી' ફિલમનું ગાણું જરા ફરેવીને ગાવું પડે છેઃ તને સાચવે કયાંથી પતિ અડબંગ તે ભાંગ્યા પતિ તારો સાચો સગો ગ્યો પતી અડબંગ તે ભાંગ્યા પતિ. બસ આ સાંભળતાની સાથે જ કાકાએ પસ્તીમાંથી છાપું શોધી કાઢયું અને મારી સામે ધરીને બોલ્યા 'મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના આ સમાચાર વાંચ. વટ-સાવિત્રીને દિવસે સ્ત્રીઓ વડની પૂજા કરવા જાય એમ ઔરંગાબાદમાં પત્ની-પીડિત પતિદેવોએ રીતસર પીપળાની પૂજા કરી અને પીપળા પૂર્ણિમાં ઊજવી બોલ.' મેં પૂછયું 'આ પત્ની-પીડિતોએ શું પ્રાર્થના કરી એ તો કહે ?' કાકા સમાચાર વાંચીને બોલ્યા કે ' પત્ની-પીડિત સંગઠનના સભ્ય પતિએ ગળગળા સાદે કહ્યું કે અમારી પત્નીએ અમને એટલો ત્રાસ આપે છે કે સાત જન્મ તો શું સાત સેકન્ડ પણ એમની સાથે રહેવાની હિંમત નથી. એટલે અમારી પત્નીઓએ વટસાવિત્રી પૂર્ણિમાને દિવસે વડની પૂજા કરી સાત જન્મ સુધી અમારા સાથની કામના કરતી હોય તો એની પ્રાર્થના કયારેય સફળ ન થાય એવી વિનવણી માટે અમે પીપળાની પૂજા કરી છે.' એ ક પીડિત પતિએ કહ્યું કે 'આજે લગભગ બધા જ કાયદા સ્ત્રીઓની સુરક્ષા માટે ઘડાયા છે. ઘણી વાર કાયદાનો ગેરલાભ ઊઠાવીને પણ ધણીને કનડવામાં આવે છે આ પરિસ્થિતિમાં પત્ની-પીડિત પતિદેવોની કોણ રક્ષા કરશે ? સરકારને અપીલ કરીએ છીંએ કે અમારે શું મહિલાઓના પંચ (મુક્કા) જ સહન કરતા રહેવાના ? મહિલા પંચની જેમ સરકાર ભઇલા-પંચ કયારે રચશે ? પતિ શું ''પંચિંગ-બેગ'' છે ?' પથુકાકાએ આ બધા વિવાહ કરી વિટંબણામાં મુકાયેલા વરૂ (વરનું બહુવચન)નો બળાપો સાંભળી કહ્યું કે 'તને ખબર છે ? આ રાજકારણમાં જુદી જુદી પાર્ટીના ગાદીપતિઓ હાથમાં સત્તા આવે એટલે સંગઠિત થાય છે જયારે આ પતિઓ ઘરવાળી સતાવે ત્યારે સંગઠિત થાય છે. સત્તા-આવે અને સતાવે એની સાથે જ આ પતિઓનો સંબંધ છે. પણ આ પીડિત પતિદેવોના સંગઠને પોતાનું એક ગીત પણ બનાવ્યું છે તને ખબર છે ? રાષ્ટ્રભાષા અને સૌરાષ્ટ્રભાષાની મિલાવટવાળુ ગીત તેમના કાર્યક્રમ (કે ક્રિયા-કર્મ ?)માં ગવાય છે. મને થોડું યાદ છે: ઇતની શકિત હમે દેના દાતા કોઇ દેખે નહી માર ખાતા હમ ચલે 'ભેખ' લે કર ભૂલકર ભી કોઇ ઢૂંઢ લેના..... મેં આ પીડિતોની પ્રાર્થના સાંભળી ટકોર કરી કે 'કાકા ભેખ લઇને સાધુ બનવાનું સહેલંય નથી હો ? આજકાલના સાધુ બનવા માટે ગુણ કરતાં અવગુણ વધુ જોઇએ ખબર છે ? અગાઉ કહેવત સંભળાતી કે સાધુ ચલતા ભલા. જયારે આજે કોઇ ચલતાપુર્જા જેવાં સાધુ પકડાય ત્યારે લોકો બોલી ઉઠે છે કે સાધુ છલતા ભલા. હવે તો ઉત્તરાખંડમાં સાધુઓની વધતી જતી આબાદી જોઇને નગરપાલિકાઓએ બોર્ડ પર સૂચના લખવાનો વારો આવ્યો છે કે: ધર્મપત્ની અપને પતિ સે ભરપૂર પ્રેમ કરે, ઉસે બેવજહ ના સતાયે, પતિ પર શંકા ન કરે. બસ ઇતના કરને સે પતિ કભી સાધુ બનનેકા નહીં સોચેગા ઔર સાધુઓં કી સંખ્યા ભી નિયંત્રણ મેં રહેગી.' આ સાંભળીને તરત પથુકાકા બોલી ઉઠયા 'આવાં કેટલાય તક-સાધુ, સ્વામી લંપટાનંદો એ ગુરુઘંટાલો અત્યારે જેલભેગા થયા છેને ? પહેલાં દેખાડયા ચમત્કારના ખેલ, પછી ગામના બૈરાં સાથે કરી ગેલ અને બદલામાં મળી જેલ. એટલે જ આ બધા ગિલિન્ડરો પહેલાં સંસાર છોડે અને પછી કોઇને ન છોડે.' મેં પથુકાકાને ફરી સંસાર તરફ વાળતા કહ્યું કે 'ઔરંગાબાદમાં જેમ પત્નીની સતામણીથી ત્રાસેલા નવરાઓ (પતિઓ)એ જેમ પીપળાની પૂજા કરી એમ બીજી તરફ મહારાષ્ટ્રના જ કોકણ વિસ્તારના એક ગામમાં વટ-સાવિત્રીને દિવસે ખરેખર 'પત્ની-વ્રતા' પતિદેવોએ વડના ઝાડનું પૂજન કરી પત્નીના લાંબા આયુષ્યની કામના કરી અને જન્મોજન્મ એ જ પત્ની મળે એવી પ્રાર્થના કરી. બોલો નવાઇ લાગે કે નહીં ?' કાકા કહે 'ખરેખર નવાઇ તો લાગે જ ને ? આ પણ એવું છેને કે માણસ ધીરે ધીરે વાનરમાંથી નર બનતો ગયો અને ધીરે ધીરે સમજણો થતો ગયો ત્યારે પ્રકૃતિના જે જે તત્વોથી તે ભય પામતો ગયો તેની પૂજા કરતો ગયો. ગાજવીજ અને કડાકાભડાકા સાથે તૂટી પડતા વરસાદથી ભય પામી ધીમે ધીમે વરુણદેવની પૂજા કરવા લાગ્યો. એટલે આદિમાનવ વરસાદથી ભય પામતો એમ અત્યારના કેટલાય 'શાદી-માનવો' પત્નીથી ભય પામીને પૂજા કરવા માંડયા હોય તો કહેવાય નહીં. બાકી વરસાદ અને વિવાહને પહેલેથી સંબંધ છે. જે પરણીને વર બને એનો સાદ (વર-સાદ) સંભળાતો બંધ થઇ જાય, વહુનો જ સાદ સંભળાય બરાબરને ? આ તો મારો અનુભવ કહું છું હો ?' મેં કહ્યું વનમાં વસતા આદિમાનવની તમે વાત કરીને ? એટલે મને યાદ આવ્યું. મહારાષ્ટ્રના જ આડાબીડ જંગલમાં વાઘ, હાથી અને બીજા જંગલી જનાવરોને શિકારીઓથી બચાવવા માટે દિવસ-રાત ભમતો, કયારેક સામે વાઘ-દીપડાનો ભેટો થઇ જાય તોય જરા પણ ન ગભરાતો પાંચ હાથ પૂરો એવો વનરક્ષક ગળાફાંસો ખાઇને મોતને ભેટ્યો. તપાસમાં આત્મહત્યાનું શું કારણ જાણવા મળ્યું ખબર છે ? પત્નીના ત્રાસથી કંટાળી વનરક્ષકે જીવન ટૂંકાવ્યું. જે જાન લઇને પરણવા ગયો હતો અને વર બનીને જે જાન-વરથી ન ગભરાતો એની જોરૂ કેવી જબરી હશે કે વનરક્ષકે જીવ ગુમાવ્યો ?' બાકી કોરોનાને પગલે લોકડાઉન મુકાયા અને લોકો જાણે નજરકેદમાં આવી ગયા પછી ધીરે ધીરે ઘરકંકાસ વધવા માંડયા. ઘણાંની માનસિક સ્થિતિ કથળતા કકળાટ વધવા માંડયો. આધુનિક રંગે રંગાયેલા કપલોની પોતાની રીતે જીવન જીવવાની આઝાદી છીનવાઇ ગઇ. શરૂઆતમાં ચામાચિડિયાથી ફેલાયેલા મનાતા કોરોનાને પાપે ઘરમાં રહીને ઘણા ચિડિયા થઇ ગયા. ઘણાં કેસમાં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ. હું અને કાકા કોઇ દસ્તાવેજ તૈયાર કરાવવા માટે કોર્ટમાં ગયા. જાતજાતના નિયંત્રણોને લીધે અસીલો ટાઇમસર કોર્ટમાં પહોંચી ન શકે એટલે વકીલો પણ ફુરસદમાં આંટા મારતા હતા. ત્યાં કાકાની નજર એક વકીલ પર પડી. બેઠીદડીનું ગડદિયા જેવું શરીર, ઉજળો વાન અને કાળા કોટમાંથી બહાર ધસી આવતા પેટવાળા વકીલ સાહેબને જોઇ કાકા બોલી ઉઠયા અરે ? આ તો આપણાં ગોર મહારાજ જોશીજી છે જોશીજી.' અમારી સામે નજર પડતા જોશીજી તરત અમારી નજીક આવ્યા અને સુરક્ષિત અંતર રાખી નમસ્તે કરી ખબર-અંતર પૂછયા. કાકા બોલ્યા 'અમને ખબર જ નહીં કે તમે વકીલાત કરો છો.' જોશીજી કહે 'આમ તો હું વકીલાતનું જ ભણ્યો હતો. પણ ગાંધીજીની જેમ મારી પણ શરૂઆતમાં વકીલાત ન ચાલી. એટલે પછી બાપ-દાદાનો ગોરપદુ કરવાનો કસદાર વ્યવસાય અપનાવી લીધો. ગોર તરીકેની મારી કારકિર્દીમાં ગણ્યાગણાય નહીં એટલાને મેં પરણાવ્યા.' અધવચ્ચે કાકાએ સવાલ કર્યો કે ગોર-મહારાજ તરીકેનું કસદાર કામ છોડી ફરી વકીલ તરીકેનું કેસ-દાર કામ કેમ શરૂ કહ્યું ? જોશીજી કહે છેલ્લાં દોઢેક વર્ષથી પહેલાં જેવાં લગ્નો પણ કયાં થાય છે ? લોકડાઉનમાં પરણથી માંડી મરણ સુધી જાતજાતના નિયંત્રણો આવ્યા એમાં મારી જેવાં ગોર મહારાજોનો માઠી દશા થઇ. ત્યાં કોઇક છાપામાં વાંચ્યું કે લોકડાઉનના પ્રતાપે પતિ-પત્ની વચ્ચે ઝઘડાના, ફેમિલીમાં પ્રોપર્ટીના ભાગના, ડોમેસ્ટિક વાયોલન્સના અને 'ડોય-વોર્સ'ના કેસ વધવા માંડયા છે. એટલે મારા દિમાગમાં ફણગો ફૂટયો કે ફરી વકીલાત શરૂ કરવામાં જ ફાયદો છે. જૂના યજમાનોને તેમજ જેને જેને પરણાવેલા એ બધાને સીધી કે આડકતરી જાણ કરી દીધી કે અત્યારના સંજોગોને અનુલક્ષીને કામ પડે તો કહેજો. તમે નહી માનો પણ મહિનામં જ રિસપોન્સ મળવા માંડયો. આમાંથી અમૂકને દસ-પંદર વર્ષ પહેલાં ગોર મહારાજ તરીકે પરણાવેલા એને જ છૂટા પાડવાના કેસ વકીલ તરીકે મારી પાસે માંડયા બોલો. બસ આ જ કારણસર કસદાર વ્યવસાય છોડી ફરી વકીલ તરીકે આ કેસ-દાર વ્યવસાય અપનાવ્યો.' પથુકાકા જોશીજીને તાલી દઇને બોલ્યા કે 'તમને લોકડાઉન ખરેખર ફળ્યું કહેવાય. લગ્નને અંગ્રેજીમાં વેડ-લોક કહે છેને ? એટલે લોકડાઉન પહેલાં ગોર મહારાજ તરીકે વેડ-લોકમાં બાંધેલા એમાંના ઘણાખરાને આકરા લોકડાઉનને અંતે વકીલ તરીકે 'એન-લોક' કરવા માંડયા એટલે તમને લોક-ડાઉન ફળ્યું જ કહેવાયને ?' અંત-વાણી લગ્ન વિનાં માણસ અધૂરો લગ્ન કરી થઇ જાય 'પૂરો'

ગુજરાત સમાચાર 13 Jul 2021 5:50 am